<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
    xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
    xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
    xmlns:admin="http://webns.net/mvcb/"
    xmlns:rdf="http://www.w3.org/1999/02/22-rdf-syntax-ns#"
    xmlns:atom="http://www.w3.org/2005/Atom"
    xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
    xmlns:media="http://search.yahoo.com/mrss/">
    <channel>
        <atom:link href="https://khabarantar.com/rss/author/khabarantar" rel="self" type="application/rss+xml" />
        <title>KhabarAntar.com &amp; KhabarAntar</title>
        <link>https://khabarantar.com/rss/author/khabarantar</link>
        <description>KhabarAntar.com &amp; KhabarAntar</description>
        <dc:language>gu</dc:language>
                <dc:rights>Copyright 2024 Khabar Antar&amp; All Rights Reserved.</dc:rights>
                        <item>
                    <title>કેમિકલ ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 8 મજૂરોના મોત, 13 ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/hyderabad-chemical-factory-blast-update</link>
                    <guid>https://khabarantar.com/hyderabad-chemical-factory-blast-update</guid>
                    <description>
                        <![CDATA[ બ્લાસ્ટમાં 8 કામદારોના મોત થયા છે. ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ પણ તેઓ કાટમાળમાં ફસાયેલા કામદારોને શોધી રહ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક કેમિકલ ફેક્ટરીમાં એક મોટો વિસ્ફોટ થયો હતો (Hyderabad Chemical Factory Blast). આ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 કામદારોના મોત થયા છે. જ્યારે 13 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. વિસ્ફોટ કેટલો ભયાનક હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, કામદારો 100 મીટર દૂર જઈને પડ્યા હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાટમાળમાં ફસાયેલાની શોધ ચાલુ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેલંગાણાના પશમિલારામ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના રિએક્ટર યુનિટમાં વિસ્ફોટ થયો હતો. ઘટનાની જાણ થતાં જ 11 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલ થયેલા તમામ કામદારોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા કામદારોને શોધી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">તમામ એન્ગલથી તપાસ શરૂ</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ હિન્દુના અહેવાલ મુજબ, ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટના રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર ફાઇટિંગ ટીમો આગને કાબુમાં લેવા માટે કામ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, શરૂઆતની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે રિએક્ટરમાં દબાણ વધવાને કારણે વિસ્ફોટ થયો હશે. પરંતુ ચોક્કસ કારણ જાણવા અને ફેક્ટરીમાં સલામતી પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું હતું કે કેમ તે જાણવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-woman-constable-was-attacked-with-a-sword-by-a-darbar-neighbor">દલિત મહિલા કોન્સ્ટેબલ પર દરબાર પડોશીએ તલવારથી હુમલો કર્યો</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Jun 2025 14:18:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1925</Articleid>
                    <excerpt>બ્લાસ્ટમાં 8 કામદારોના મોત થયા છે. ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ હજુ પણ તેઓ કાટમાળમાં ફસાયેલા કામદારોને શોધી રહ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202506/image_140x98_68624f20e7845.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202506/image_870x580_68624f20a9b53.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202506/image_870x580_68624f20a9b53.jpg" length="44292" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>hyderabad chemical factory blast</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંદુ યુવતી સાથે લગ્ન કરવા  પહોંચેલા મુસ્લિમ યુવકને જીવનું જોખમ</title>
                    <link>https://khabarantar.com/muslim-youth-in-bhopal-faces-life-threatening-situation-after-arriving-to-marry-hindu-girl</link>
                    <guid>https://khabarantar.com/muslim-youth-in-bhopal-faces-life-threatening-situation-after-arriving-to-marry-hindu-girl</guid>
                    <description>
                        <![CDATA[ કોર્ટમાં હિંદુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચેલા મુસ્લિમ યુવકને હિંદુત્વવાદી તત્વોએ કોર્ટમાં જ ફટકાર્યો હતો. હવે યુવકને જીવનું જોખમ લાગી રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભોપાલમાં થોડા દિવસ પહેલા હિંદુ યુવતી સાથે લગ્ન કરવા કોર્ટમાં પહોંચેલા એક મુસ્લિમ યુવકને હિંદુત્વવાદી સંગઠનના કાર્યકરોએ કોર્ટ પરિસરમાં લવ જેહાદનો આરોપ મૂકીને માર માર્યો હતો. હવે એ યુવકે પોતાના જીવને જોખમ હોવાનું કહીને પોલીસ રક્ષણ માંગ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે    </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરસિંહપુર જિલ્લાનો 28 વર્ષીય યુવક વ્યવસાયે JCB ઓપરેટર છે. તે 7 ફેબ્રુઆરીના રોજ તેની ગર્લફ્રેન્ડ સાથે ભોપાલ આવ્યો હતો. બંનેએ જિલ્લા કોર્ટમાં પોતાના લગ્ન નોંધાવવાનો નિર્ણય લીધો હતો. યુવકે આરોપ લગાવ્યો છે કે જે વકીલે તેમને લગ્ન કરાવવાનું વચન આપ્યું હતું તેણે ગુપ્ત રીતે હિન્દુત્વવાદી સંગઠનોને ફોન પર જાણ કરી દીધી હતી. એ પછી 'સંસ્કૃતિ બચાવો મંચ' ના લોકો ત્યાં પહોંચ્યા અને યુવક પર 'લવ જેહાદ'નો આરોપ લગાવીને તેને માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ પોલીસે કહ્યું કે યુવક પર હુમલો કરનારાઓ સામે તેના નિવેદનના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેના બદલે પોલીસે હુમલો કરાયેલા યુવકની 'લવ જેહાદ'ના આરોપસર ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે યુવકની યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મુસ્લિમ યુવકે કહ્યું કે હુમલા પછી તે ઘરે પાછો ફર્યો નથી. તેનું કહેવંર છે કે તેને અને તેના પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. યુવકે કહ્યું, 'મારી મંગેતરે કોર્ટ મેરેજ માટે વકીલનો સંપર્ક કર્યો.' મેં ૩૫,૦૦૦ રૂપિયા આપ્યા, પણ લગ્ન રજીસ્ટર થાય તે પહેલાં જ વકીલે કેટલાક લોકોને બોલાવ્યા અને તેમણે મારા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. તેમણે મારા પર બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ લગાવ્યો, પરંતુ મારી મંગેતરે વારંવાર તેનો ઇનકાર કર્યો. વકીલે મારો ફોન પણ છીનવી લીધો. મને અપમાનિત કરવામાં આવ્યો, લૂંટવામાં આવ્યો અને અન્યાય કરવામાં આવ્યો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકે વધુમાં કહ્યું, ‘જો એક પોલીસ અધિકારીએ મને એમપી નગર પોલીસ સ્ટેશન ન મોકલ્યો હોત તો મારી હત્યા થઈ જાત.’</span><br><span style="font-size: 14pt;">જોકે, યુવકના વકીલે તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. એટલું જ નહીં, યુવતીએ પણ બળજબરીથી ધર્મ પરિવર્તનના આરોપોને નકારી કાઢ્યા છે. યુવકનું કહેવું છે કે આ આરોપો ખોટા છે. તે અને યુવતી બંને પુખ્ત વયના છે અને તેમની તેમની ઇચ્છાથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/mukhyamantri-samuh-vivah-yojna-scam-kaushambi-dm-order-to-investigation">વર વિના 20 કન્યાઓના લગ્ન કરી દેવાયા, સર્ટિફિકેટ પણ મળ્યાં!</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 17 Feb 2025 09:54:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1924</Articleid>
                    <excerpt>કોર્ટમાં હિંદુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચેલા મુસ્લિમ યુવકને હિંદુત્વવાદી તત્વોએ કોર્ટમાં જ ફટકાર્યો હતો. હવે યુવકને જીવનું જોખમ લાગી રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67b21b1fc5f2f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67b21b1f947e5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67b21b1f947e5.jpg" length="69245" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>love jehad, bhopal news, muslim youth marry hindu girl</media:keywords>
                </item>
                        <item>
                    <title>સાવરકુંડલામાં શિક્ષકે દલિત વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું</title>
                    <link>https://khabarantar.com/teacher-commits-unethical-act-with-dalit-student-in-savarkundlas-vanda</link>
                    <guid>https://khabarantar.com/teacher-commits-unethical-act-with-dalit-student-in-savarkundlas-vanda</guid>
                    <description>
                        <![CDATA[ ખાનગી શાળાનો મનોવિકૃત શિક્ષક વિશાલ સાવલિયા વિદ્યાર્થીઓની હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો અને તેના રૂમમાં બોલાવી દુષ્કૃત્ય ગુજારતો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>Amreli News: </strong>અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં શિક્ષણ જગતને શર્મજનક સ્થિતિમાં મૂકતી એક ઘટના સામે આવી છે. અહીંના વંડા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાના શિક્ષક પર એક દલિત વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. વિદ્યાર્થી પર તેના શિક્ષક દ્વારા જ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મનોવિકૃત શિક્ષક વિશાલ સાવલિયાની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. આ મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજીને મીડિયાને માહિતી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા વંડા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાની હોસ્ટેલમાં વિશાલ સાવલિયા નામનો શિક્ષક ગૃહપતિ તરીકે કામ કરતો  હતો. આ શિક્ષક રમતગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો. વિશાલ સાવલિયા હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો અને વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. આ ઘટના 5 ફેબ્રુઆરીએ બની હતી. એ પછી વિદ્યાર્થીને પાછળના ભાગે દુખાવો થતો હતો. એ દરમિયાન તેનો પરિવાર નાસ્તો આપવા હોસ્ટેલ આવતા વિદ્યાર્થીને તાવ આવતો હોવાથી ઘરે લઈ જઈ રહ્યો હતો ત્યારે વિદ્યાર્થીએ પરિવારને તેની સાથે જે બન્યું હતું તેની વાત કરી હતી. એ પછી પરિવારે વંડા પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા સમજી વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે શિક્ષક વિશાલ સાવલિયાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. એસ.પી સંજય ખરાત એસ.એસ.પી વલય વૈદ્ય સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાની ઊંડાણ પૂર્વક તાપસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલેલી માહિતી પ્રમાણે આ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર તેના જ એક શિક્ષક વિશાલ સાવલિયા દ્વારા એક દુષ્કર્મ આચાર્યુ હતું તેની ફરિયાદ વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યાર્થીના પરિવારે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે બીએનએસની કલમ 115, 2 POCSO અને એટ્રોસિટી એક્ટની કલમો મુજબ ફરિયાદ દાખલ કરી ડી.વાય.એસ.પી. નયના ગોરડીયા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/why-is-rss-taking-8000-dalit-students-to-kumbh-mela" style="color: rgb(224, 62, 45);">RSS શા માટે 8000 દલિત વિદ્યાર્થીઓને કુંભ મેળામાં લઈ જઈ રહ્યું છે?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 13 Feb 2025 09:50:22 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 13 Feb 2025 10:23:52 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1923</Articleid>
                    <excerpt>ખાનગી શાળાનો મનોવિકૃત શિક્ષક વિશાલ સાવલિયા વિદ્યાર્થીઓની હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો અને તેના રૂમમાં બોલાવી દુષ્કૃત્ય ગુજારતો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67ad72f77073c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67ad72f73eada.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67ad72f73eada.jpg" length="78321" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Atrocity Case, Dalit student, unethical act, savarkundla Vanda area SC-ST act</media:keywords>
                </item>
                        <item>
                    <title>વર્ષ 2024માં લઘુમતીઓ વિરુદ્ધ હેટ સ્પીચમાં ૭૪ ટકાનો ઉછાળો નોંધાયો</title>
                    <link>https://khabarantar.com/india-hate-lab-report-shows-seventy-four-percent-rise-in-hate-speech-against-minorities-in-india</link>
                    <guid>https://khabarantar.com/india-hate-lab-report-shows-seventy-four-percent-rise-in-hate-speech-against-minorities-in-india</guid>
                    <description>
                        <![CDATA[ આ તમામ ઉશ્કેરણીજનક ભાષણોમાં ૮૦ ટકા ભાજપ કે તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાંથી અપાયા હતાં. જેમાં પીએમ મોદીનું ભાષણ પણ સામેલ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમેરિકા સ્થિત રિસર્ચ ગ્રુપ દ્વારા ભારતમાં અપાતા ઉશ્કેરણીજનક ભાષણો પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં દાવો કરાયો છે કે વર્ષ ૨૦૨૪માં ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ નફરતી ભાષણોમાં ૭૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગત વર્ષે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તે સમયે પણ આવા ભાષણો અપાતા હોવાની નોંધ આ રિસર્ચમાં લેવાઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નફરતભર્યા ભાષણોની જે વ્યાખ્યા અપાઈ છે તેને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇન્ડિયા હેટ લેબ દ્વારા કુલ ૧૧૬૫ નિવેદનો અને ભાષણોને રિસર્ચમાં આવરી લેવાયા હતાં જે વર્ષ ૨૦૨૪માં અપાયા હતાં. આ ભાષણો ઉશ્કેરણીજનક કે નફરતભર્યા હોવાનું કહીને ગ્રુપે તેની સરખામણી વર્ષ ૨૦૨૩માં અપાયેલા આવા જ ભાષણ સાથે કરી હતી. વર્ષ ૨૦૨૩માં ઉશ્કેરણીજનક ભાષણોની સંખ્યા ૬૬૮ હતી. એટલે કે એક જ વર્ષમાં ૭૪ ટકાનો વધારો થયો હતો. ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત વર્ષે લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી વધુ ઉશ્કેરણીજનક ભાષણો અપાયા છે જેમાં મુસ્લિમ સહિતના લઘુમતીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રિપોર્ટ એવા સમયે સામે આવી રહ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જઈને રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. અમેરિકન ગ્રુપે નફરતી ભાષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા એક ભાષણનો પણ સમાવેશ કર્યો હતો અને દાવો કરાયો છે કે, નરેન્દ્ર મોદીએ મુસ્લિમોને ઘુસણખોરો કહ્યા હતાં. સાથે જ દાવો કરાયો છે કે, આ તમામ ઉશ્કેરણીજનક ભાષણોમાં ૮૦ ટકા ભાજપ કે તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાંથી અપાયા હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી હેટ સ્પીચ અંગેની વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. આ વ્યાખ્યા મુજબ હેટ સ્પીચ એટેલ, ‘એવું ભાષણ જેમાં ધર્મ, જાતિ, વંશના આધારે ભેદભાવભર્યા શબ્દોનો પ્રયોગ કરાતો હોય તેને ઉશ્કેરણી કે નફરતભર્યું ભાષણ માનવામાં આવે છે.’</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/three-muslim-children-beaten-with-slippers-and-forced-to-chant-jai-shri-ram-in-ratlam-mp">ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે 'જય શ્રી રામ' બોલાવડાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 12 Feb 2025 11:07:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1922</Articleid>
                    <excerpt>આ તમામ ઉશ્કેરણીજનક ભાષણોમાં ૮૦ ટકા ભાજપ કે તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાંથી અપાયા હતાં. જેમાં પીએમ મોદીનું ભાષણ પણ સામેલ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67ac333c9cc36.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67ac333c63413.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67ac333c63413.jpg" length="77323" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>hate speech against minorities, hate speech s in india</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત સગીરા પર ગૌશાળામાં બળાત્કાર, સરપંચે ગર્ભાપાતની ગોળી પીવડાવી</title>
                    <link>https://khabarantar.com/dalit-girl-raped-in-cowshed-in-baghelawadi-banda-sarpanch-gave-her-abortion-pill</link>
                    <guid>https://khabarantar.com/dalit-girl-raped-in-cowshed-in-baghelawadi-banda-sarpanch-gave-her-abortion-pill</guid>
                    <description>
                        <![CDATA[ 14 વર્ષની દલિત સગીરા ગામની ગૌશાળામાં કામ કરતી હતી. આરોપીએ બંદૂક બતાવી રેપ કર્યો. ગર્ભવતી થઈ જતા સરપંચે ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ધમકી આપી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકવીસમી સદીમાં એકબાજુ ચીન ડીપસીક જેવા એઆઈ ટૂલ બનાવી દુનિયા આખીને હંફાવી રહ્યું છે. બીજી તરફ કથિત વિશ્વગુરૂ ભારતમાં દલિતો પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યાં. એક બાજુ ડબલ ઢોલકી જેવા મનુવાદીઓ દલિતો સાથે આભડછેટ પાળે છે બીજી તરફ તેમની બહેન-દીકરીઓની છેડતી કરવામાં, રેપ કરવામાં તેમને અસ્પૃશ્યતા જરાય આડે આવતી નથી. મનુવાદી તત્વોના આવા કાળા કારનામાઓથી ભારતનું એકેય ગામ બાકી નથી રહ્યું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ વધુ એક કાળી કરતૂત સામે આવી છે. જેમાં ગૌશાળામાં કામ કરતી એક દલિત સગીરા પર ત્યાં કામ કરતા કરતા એક શખ્સે બંદૂક બતાવી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે, જો કોઈને જાણ કરીશ તો આ બંદૂકથી તારા આખા પરિવારને ખતમ કરી નાખીશ. બીકના કારણે સગીરાએ કોઈને જાણ ન કરી અને તે ગર્ભવતી બની ગઈ. એ પછી ગામના સરપંચે તેને ન્યાય અપાવવાને બદલે પાપ છુપાવવા માટે તેને ગર્ભપાતની ગોળીઓ પીવડાવી દીધી હતી. જો કે સગીરાની સહનશક્તિની હદ આવી જતા તેણે જેમતેમ કરીને પરિવારને આખા મામલાની જાણ કરતા આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે હવે સરપંચ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધીને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બાંદાના બઘેલાવાડી ગામની ઘટના</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો વધુ એકવાર જાતિવાદના એપીસેન્ટર એવા યુપીનો છે. અહીં બાંદા જિલ્લામાં ગૌશાળામાં કામ કરતી એક દલિત સગીરા પર બળાત્કાર અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો મામલો સામે આવ્યો છે. પીડિતાના જણાવ્યા મુજબ, રાજાભૈયાએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને પછી સરપંચે તેને ગર્ભપાતની ગોળીઓ પીવડાવી દીધી. પોલીસે આ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તપાસ ચાલુ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંદૂક બતાવી બળાત્કાર ગુજાર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. ૧૪ વર્ષીય પીડિતા બઘેલાવાડી ગામની ગૌશાળામાં કામ કરતી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, ઢોરવાડામાં કામ કરતા રાજારામના ભાઈ રાજાભૈયાએ બંદૂકની અણીએ તેના પર બળાત્કાર કર્યો હતો અને જો તે આ વાત કોઈને કહેશે તો તેને અને તેના પરિવારને મારી નાખશે તેવી ધમકી આપી હતી. ગભરાયેલી પીડિતાએ આ મામલે કોઈને જાણ ન કરી, પરિણામે તે ગર્ભવતી થઈ ગઈ. એ પછી ગામના સરપંચ બ્રિજેશ (મનુવાદી મીડિયાએ ચાલાકી કરી અહીં સરપંચની અટક નથી જણાવી.) તેને ધમકી આપી અને બળજબરીથી ગર્ભપાતની ગોળીઓ ખવડાવી દીધી હતી. પીડિતાએ કહ્યું કે સરપંચ બ્રિજેશે તેને આ બાબતે કોઈને કંઈપણ કહેવાની મનાઈ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે પીડિતા દીકરી તેમ છતાં ગર્ભવતી થઈ ગઈ હતી અને સતત યાતનાઓથી તેની સહનશક્તિની હદ આવી જતા તેણે તેના પરિવારને પોતાની સાથે થયેલા બળાત્કારની જાણ કરી દીધી હતી. જેના પગલે તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાજાભૈયા, સરપંચ બ્રિજેશ અને પચુવા નામના શખ્સ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવી આ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડવાનો પ્રયાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે અટારા રેન્જ અધિકારી પ્રવીણ યાદવે જણાવ્યું કે ઘટના 4 મહિના જૂની છે. દીકરીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે તેમજ નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. આ મામલાની તપાસ ચાલી રહી છે, તપાસમાં જે તથ્યો બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-minor-missing-for-eight-days-was-found-half-naked-in-the-fence" style="color: rgb(224, 62, 45);">આઠ દિવસથી ગુમ દલિત સગીરાનો અર્ધનગ્ન હાલતમાં વાડમાંથી મૃતદેહ મળ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 09 Feb 2025 11:52:18 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 12 Feb 2025 09:08:02 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1921</Articleid>
                    <excerpt>14 વર્ષની દલિત સગીરા ગામની ગૌશાળામાં કામ કરતી હતી. આરોપીએ બંદૂક બતાવી રેપ કર્યો. ગર્ભવતી થઈ જતા સરપંચે ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ધમકી આપી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679707b851d68.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679707b820ca8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679707b820ca8.jpg" length="56676" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Banda News, Dalit minor girl Raped, Atrocity act, FIR, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>અયોધ્યાથી લઈ આંધ્રપ્રદેશ, ગુજરાત સુધી દલિતો પર અત્યાચાર</title>
                    <link>https://khabarantar.com/atrocities-on-dalits-from-ayodhya-to-andhra-pradesh-gujarat</link>
                    <guid>https://khabarantar.com/atrocities-on-dalits-from-ayodhya-to-andhra-pradesh-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ ઓછી થવાને બદલે સતત વધતી જઈ રહી છે. અયોધ્યાથી લઈ આંધ્રપ્રદેશ અને ગુજરાત સુધી આ રેલો પહોંચ્યો છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં કેટલાક સમયથી દેશના વિવિધ રાજ્યોમાં દલિતો પર અત્યાચાર, મારામારી, હત્યાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. થોડા દિવસ પહેલા અયોધ્યામાં એક દલિત યુવતીની રેપ બાદ હત્યા થઈ હતી. ત્યારે હવે એક દલિત સિક્યોરિટી ગાર્ડની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોખંડનો સળીયો મારીને હત્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશનું અયોધ્યા હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા શ્રીરામની સાથે અહીં બનતી દલિત અત્યાચારની ઘટનાઓને લઈને પણ સમાચારોમાં ચમકતું રહે છે. થોડા દિવસ પહેલા એક દલિત દીકરીની અહીં ત્રણ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી. જેને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો હતો. હજુ એ ઘટનાને લોકો ભૂલ્યાં નથી ત્યાં એક દલિત સિક્યોરિટી ગાર્ડની હત્યાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ કેટલાક અજાણ્યા લોકોએ દલિત સુરક્ષા ગાર્ડને કથિત રીતે માર મારીને હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ 60 વર્ષના ધ્રુવ કુમાર ઉર્ફે બેચાઈ તરીકે થઈ છે, જે એક નવનિર્મિત બિલ્ડીંગમાં ચોકી કરતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના રવિવાર/સોમવારની મધરાતે બની હતી. ગાર્ડને લોખંડના સળિયા અને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સ્થાનિક લોકોએ તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અધિક પોલીસ અધિક્ષક મધુવન કુમાર સિંહે જણાવ્યું હતું કે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દેશભરમાં દલિતો પર અત્યાચારો વધી રહ્યાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, દેશના વિવિધ રાજ્યોમાં દલિતો સાથે ઉત્પીડન, ભેદભાવ અને દુર્વ્યવહારના કિસ્સાઓ વધ્યાં છે. હાલમાં જ અયોધ્યાના એક ગામમાં 22 વર્ષની દલિત દીકરીની હત્યા કરવામાં આવી હતી. યુવતીની આંખો કાઢી નાખવામાં આવી હતી, તેના શરીરના હાડકા તૂટી ગયા હતા અને શરીરને દોરડાથી બાંધી દેવામાં આવ્યું હતું. યુવતી ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળી હતી ત્યારથી તે ગુમ હતી. જ્યારે તે પાછી ન આવી ત્યારે તેના પરિવારે તેને ગામમાં શોધખોળ કરી અને બાદમાં શુક્રવારે અયોધ્યા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. શનિવારે સવારે, તેના સાળાને એક નિર્જન નહેરમાં તેનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પરિવાર અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેના શરીર પર ઊંડા ઘા હતા, માથામાં ગંભીર ઈજાઓ હતી અને પગમાં ફ્રેક્ચર હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશમાં વાળંદો દલિતોના વાળ નથી કાપતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાના હીરાનગર ગામમાં દલિત બાંસકર સમાજે સ્થાનિક વાળંદો સામે પોલીસ ફરિયાદ નોંધાવી, જેણે તેમના વાળ કાપવાનો ઇનકાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામના વાળંદોએ દલિત પુરુષોના વાળ કાપવાનો અને મુંડન કરાવવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેમને 10 કિલોમીટર દૂર ટીકમગઢ શહેરમાં જવાની ફરજ પડી હતી. આ ભેદભાવથી નિરાશ થઈને, ગામલોકોએ પોલીસ હસ્તક્ષેપની માંગ કરી હતી. ગામની એક મહિલાએ કહ્યું. “લગ્ન અને અંતિમ સંસ્કાર સમારોહ દરમિયાન પણ કોઈ વાળંદ અમારા વાળ નથી કાપતા. અમારી પાસે શહેરમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આંધ્રપ્રદેશમાં દલિત યુવકને તાલીબાની સજા કરાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા મહિને આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના નરસિમ્પલ્લી ગામમાં 24 વર્ષીય દલિત યુવક અંજનેયુલુને ઓબીસી સમાજની 17 વર્ષની છોકરી સાથે ભાગી જવાના આરોપમાં વીજળીના થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો અને જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કરવામાં આવ્યો હતો. છોકરીના પરિવારે દંપતીને પારિગી તાલુકાના ઉટુકુરુ ગામમાંથી શોધી કાઢ્યું હતું અને તેમને બળજબરીથી નરસિમ્પલ્લી પાછા લાવ્યા જ્યાં ગુરુવારે યુવક સાથે આ અમાનુષી ઘટના ઘટી હતી. છોકરીના સંબંધીઓએ ગ્રામજનો સાથે મળીને અંજનેયુલુ પર નિર્દયતાથી ત્રાસ ગુજાર્યો હતો. તેને નગ્ન કરવામાં આવ્યો, ગાડી સાથે બાંધવામાં આવ્યો, શેરીઓમાં ફેરવામાં આવ્યો અને પછી વીજળીના થાંભલા સાથે બાંધવામાં આવ્યો. તેમને જૂતાથી મારી માથે ગાયનું છાણનું પાણી રેડવામાં આવ્યું હતું. આ સિવાય પણ બીજી અનેક એવી નાનીમોટી ઘટનાઓ બની છે, જેની કોઈ નોંધ પણ નથી લેવાઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-teenager-tied-to-tree-and-beaten-by-casteists-in-kaushambi-uttar-Pradesh">નિર્દોષ દલિત કિશોરને તાલીબાની સજા : જાતિવાદીઓએ ઝાડ સાથે બાંધીને માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 07 Feb 2025 10:34:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1920</Articleid>
                    <excerpt>દેશભરમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ ઓછી થવાને બદલે સતત વધતી જઈ રહી છે. અયોધ્યાથી લઈ આંધ્રપ્રદેશ અને ગુજરાત સુધી આ રેલો પહોંચ્યો છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67a59452dcf49.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a59452a3f11.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a59452a3f11.jpg" length="106360" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>atrocities on dalits, Dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્વામિનારાયણના હરિભક્તે NRI પટેલ સાથે રૂ. 1.23 કરોડની ઠગાઈ કરી</title>
                    <link>https://khabarantar.com/swaminarayans-devotee-cheats-nri-patel-of-1.23-crore</link>
                    <guid>https://khabarantar.com/swaminarayans-devotee-cheats-nri-patel-of-1.23-crore</guid>
                    <description>
                        <![CDATA[ સોખડા હરિધામ ખાતે મુલાકાત થયા બાદ અલગ અલગ સ્કીમો બતાવી રોકાણ કરાવી રૂપિયા ચાંઉ કરી ગયા. એનઆરઆઈને કેસ કરવાની ધમકી આપી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વામીનારાયણના સંતો અને હરિભક્તો પર મંદિર બનાવવાના નામે ખેડૂતો સાથે છેતરપિંડીના અનેક કેસો નોંધાતા રહે છે. ત્યારે હવે એક હરિભક્તે એનઆરઆઈ હરિભક્તને શીંશામાં ઉતાર્યાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મહીસાગરના લુણાવાડાના વતની એવા એક કેનેડીયન એનઆરઆઈને ઓછા સમયમાં રૂપિયા બમણાં કરવાની લાલચ આપીને એક હરિભક્તે શીંશામાં ઉતાર્યા હતા. વિદ્યાનગરના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તે એનઆરઆઈ સાછે રૂ.૧.૨૩ કરોડની છેતરપિંડી આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગરના લુણાવાડાના દલુખડિયાના વતની અને કેનેડાના સિટીઝન બનેલા કલ્પેશકુમાર કાંતિલાલ પટેલ (ઉં.વ.૪૭) મીસીસાગા શહેરમાં એજ્યુકેશન ઈન્સ્ટીટયુટ ચલાવે છે. વર્ષ-૨૦૨૨માં તેઓ વડોદરાના હરિધામ સોખડા ખાતે ગયા હતા જ્યાં તેમની મુલાકાત વિદ્યાનગરના મિલનકુમાર ઉર્ફે નિશ્ચિંત મનુભાઈ પટેલ સાથે થઈ હતી. મિલને કલ્પેશભાઈને જણાવ્યું હતું કે, તે ૧૮ વર્ષ જેટલો સમય સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રસાદ સ્વામી સાથે સહિષ્ણુ સેવક તરીકે રહેલો છે અને વિદ્યાનગરના રેલવે સ્ટેશન રોડ પર સરદાર પટેલ સ્ટેચ્યૂ પાસે આવેલા નેપ્ચુન સ્ક્વેરમાં પ્રબોધમ ઈન્ટરનેશનલ નામથી રીયલ એસ્ટેટ, કોસ્મેટિક પ્રોડક્ટ અને વિઝા કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. સાથે જ પોતાની પાસે ટુંક સમયમાં રૂપિયા બમણા થાય તેવા રોકાણના વિવિધ પ્રકલ્પો છે. જેથી કલ્પેશે વિશ્વાસમાં આવીને રૂ.૨૩ લાખ રોકડ આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">23 લાખ મળ્યાં બાદ વર્તન બદલાઈ ગયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી મિલને પટેલે રૂ.૨૩ લાખ રોકડના બદલામાં સિક્યુરીટી પેટે કરમસદમાં આદિત્ય હાર્મની એપાર્ટમેન્ટમાં મારી મમ્મી જયાબેન મનુભાઈ પટેલના નામનો તથા અમારા ઓળખીતા અમિતાબેન દિપકભાઈ દેસાઈના ફ્લેટનો દસ્તાવેજ કરી આપું છું તેમ જણાવ્યું હતું. જેના બદલામાં કલ્પેશ પાસેથી ચાર કોરા ચેકના ફોટો મંગાવ્યા હતા. બાદમાં બંને ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા હોવાનું અને રૂપિયા રોકાણ કરીને સારા એવા પ્રોફિટ અપાવું ત્યારે ફ્લેટના દસ્તાવેજ કેન્સલ કરવા જણાવ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/swaminarayan-literature-contains-nonsense-and-outright-lies"><span style="font-size: 14pt;"> સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાદમાં એક કરોડ રૂપિયાનું રોકાણ કરો તો એક વર્ષમાં મૂડી પાછી મળશે અને ૧૨થી ૧૮ મહિનામાં એક કરોડ જેવો વધારાનો પ્રોફિટ થશે તેમ જણાવ્યું હતું. મિલન હરિભક્ત હોવાથી કલ્પેશે વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. ૧,૩૦,૭૨,૫૦૦ આપ્યા હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમયમર્યાદા પૂરી થતાં કલ્પેશે નાણાં માંગતા મિલને રૂ.૭.૫૦ લાખ રોકડ પરત મોકલી હતી. બાકીના પૈસા સ્કીમમાં રોકણ કર્યા હોવાથી ત્યાંથી પરત આવે એટલે આપવાના બહાના બનાવ્યા હતા. જોકે, કલ્પેશે વિદ્યાનગર ખાતે જઈને મિલન પાસેથી નાણાં પરત માંગતા મિલને જણાવ્યું હતું કે, તમને જે બે ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા છે, તેમાં તમારા ચેકના ઉલ્લેખ કર્યા છે, તેના પૈસા હજુ સુધી મકાન માલિકોને મળ્યાં નથી. તમે કોઈ ચેક આપ્યા વિના ફ્લેટનો દસ્તાવેજ કરાવી લીધો છે તેમ કહી ખોટો કેસ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં શખ્સે જાન્યુઆરી-૨૦૨૪માં સ્વહસ્તાક્ષર કરી તા.૨૩ મે ૨૦૨૪ સુધીમાં નાણાં ચૂકવી દેવાનો વાયદો કર્યો હતો. પરંતુ હજૂ સુધી નાણાં પરત ન કરતા કલ્પેશ પટેલે વિદ્યાનગર પોલીસ મથકે મિલન ઉર્ફે નિશ્ચિંત પટેલ વિરૂદ્ધ ૧.૨૩ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદ બાદ જાન્યુઆરી 2025માં બાકરોલના મંદિર ખાતે એનઆરઆઈ કલ્પેશ પટેલ અને હરિભક્ત મિલન પટેલ મળ્યા હતા. અહીં પણ મિલને રૂપિયા પરત કરવાને બદલે ગાળો ભાંડીને જે થાય તે કરી લેવાની ધમકી ઉચ્ચારી હતી. તેણે ત્યાં સુધી કહી દીધું હતું કે, નફો તો દૂરની વાત છે, હવે તને મૂડીની રકમ પણ નહીં મળે. તેણે પોતાને રાજકારણીઓ સાથે ઉંચા સંપર્કો હોવાની શેખી મારી હતી. આમ એક પટેલ સ્વામીનારાયણ હરિભક્તે અન્ય એનઆરઆઈ હરિભક્ત સાથે છેતરપિંડી આચરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/2.63-crore-fraud-with-a-businessman-in-the-name-of-building-swaminarayan-temple">સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે વેપારી સાથે 2.63 કરોડની છેતરપિંડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 07 Feb 2025 09:52:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1919</Articleid>
                    <excerpt>સોખડા હરિધામ ખાતે મુલાકાત થયા બાદ અલગ અલગ સ્કીમો બતાવી રોકાણ કરાવી રૂપિયા ચાંઉ કરી ગયા. એનઆરઆઈને કેસ કરવાની ધમકી આપી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67a589be5580d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a589be1fab9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a589be1fab9.jpg" length="76044" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>swaminarayans devotee, Fraud to nri</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાપુનગરમાં પિતાએ 10 વર્ષના દીકરાની સોડિયમ નાઇટ્રેટ પીવડાવી હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/father-kills-10-year-old-son-by-giving-him-sodium-nitrate-in-bapunagar-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/father-kills-10-year-old-son-by-giving-him-sodium-nitrate-in-bapunagar-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ બાપુનગરમાં પિતાએ પહેલાં બંને બાળકોને ઉલટી ના થાય તેની દવા આપી બાદમાં એક દીકરાને પાણીમાં ઝેર નાખી પીવડાવી દીધું. પછી પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="" style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના બાપુનગરમાં એક પિતાએ પોતાના સગા દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની કામથી બહારગામ ગઇ હોવાથી પિતાે પહેલા બાળકને મારી બાદમાં પોતાનું જીવન ટુંકાવી દેવાનો વિચાર કર્યો હતો. જેથી તેણે પહેલા બે બાળકોને ઉલટી ના થાય તેની દવા આપી અને બાદમાં દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દીધુ હતું. સોડિયમ નાઇટ્રેટથી દીકરાની તબીયત લથડતાં પિતા ગભરાઇ ગયા હતા અને તરત જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.</span></p>
<div class="f3e032cb " style="text-align: justify;"><span style="font-size: 14pt;"><picture class="c62bd949  "><source media="(max-width: 768px)" type="image/webp" srcset="https://images.bhaskarassets.com/webp/thumb/360x0/web2images/960/2025/02/05/ku_1738743896.jpg"></picture></span></div>
<div class="f3e032cb ">
<p class="" style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ ચાંદખેડામાં આવેલા ન્યુ કમલકુંજ સોસાયટીમાં રહેતા યોગેશ ગોહિલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં કલ્પેશ ગોહિલ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. યોગેશનો નાનો ભાઇ કલ્પેશ તેના માતા-પિતા, પત્ની અને બાળક સાથે રહે છે. ગઇકાલે યોગેશના દીકરા મિહિરનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, કલ્પેશ કાકાનો ફોન આવ્યો હતો અને ઓમ બિમાર થઇ ગયો છે જેને શારદાબેન હોસ્પિટલમાં લઇ ગયા છે તેવું કહેતા હતા.</span></p>
<p class="" style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભત્રિજાના તબિયત ખરાબ થઈ હોવાના સમાચાર મળતાની સાથે જ યોગેશ પત્નીને લઇને તરત જ શારદાબેન હોસ્પિટલ પહોંચી ગયો હતો. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. તે દરમિયાન ઓમની બહેને જણાવ્યું હતું કે, પપ્પાએ દવા આપી અને ત્યારબાદ ઓમની તબીયત ખરાબ થઇ ગઈ હતી. દવા આપ્યા બાદ પિતા જતો રહ્યો હતો જેથી તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન સામે આવ્યું હતું કે, કલ્પેશ બાપુનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. કલ્પેશે પોલીસ સમક્ષ નીવેદન આપ્યું હતું કે, મારી પત્ની જયશ્રી મહેસાણા ગઇ હતી ત્યારે મને મરી જવાનો વિચાર આવ્યો. જેના કારણે મેં પહેલા મારા બન્ને દીકરાને ઉલટી ના થાય તેની દવા આપી હતી અને બાદમાં પીવાના પાણીમાં સોડિયમ નાઇટ્રેટ નાખીને ઓમને પીવડાવી દીધું હતું.</span></p>
<div class="f3e032cb " style="text-align: justify;"><span style="font-size: 14pt;"><picture class="c62bd949  "><source media="(max-width: 768px)" type="image/webp" srcset="https://images.bhaskarassets.com/webp/thumb/360x0/web2images/960/2025/02/05/jdbkbh_1738743904.jpg"></picture></span></div>
<div class="f3e032cb ">
<p class="" style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીકરાને 30 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દેતા તેના હોઠ વાદળી થઇ ગયા હતા અને તેના પેટમાં દુખાવો શરૂ થઇ ગયો હતો. કલ્પેશ ગભરાઇ જતા તે તરત જ ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. દીકરાને વગર કારણે સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારનાર કલ્પેશ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે ઓમની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. ત્યારે કલ્પેશની ધરપકડ કરી છે.</span></p>
<p class="" style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયશ્રી મહેસાણા જતી રહી હતી જેના કારણે કલ્પેશે દીકરાઓની હત્યા કરીને પોતે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. કલ્પેશે પહેલા ઓમને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દીધું હતું અને જેમાં તેની તબીયત લથડતા તે ગભરાઇ ગયો હતો. ઓમ બાદ કલ્પેશ જીયાની પણ હત્યા કરવાનો હતો, પરંતુ તે ગભરાઇ ગયો અને તરતજ પોલીસ સ્ટેશનમાં દોટ મુકી હતી.</span></p>
<div class="f3e032cb " style="text-align: justify;"><span style="font-size: 14pt;"><picture class="c62bd949  "><source media="(max-width: 768px)" type="image/webp" srcset="https://images.bhaskarassets.com/webp/thumb/360x0/web2images/960/2025/02/05/jbdoi_1738743911.jpg"></picture></span></div>
<div class="f3e032cb ">
<p class="" style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોડિયમ નાઇટ્રેટ પાવડરના સ્વરૂપમાં હોય છે અને જો તેને એક ચમચી પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો 20 મિનિટમાં જ મોત થઈ શકે છે. એકવાર સોડિયમ નાઇટ્રેટ પી લીધું પછી બચવાની સંભાવના રહેતી નથી.</span></p>
<p class="" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-teenager-tied-to-tree-and-beaten-by-casteists-in-kaushambi-uttar-Pradesh">નિર્દોષ દલિત કિશોરને તાલીબાની સજાઃ જાતિવાદીઓએ ઝાડ સાથે બાંધીને ફટકાર્યો</a></span></strong></span></p>
</div>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 05 Feb 2025 14:29:01 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 07 Feb 2025 11:13:51 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1918</Articleid>
                    <excerpt>બાપુનગરમાં પિતાએ પહેલાં બંને બાળકોને ઉલટી ના થાય તેની દવા આપી બાદમાં એક દીકરાને પાણીમાં ઝેર નાખી પીવડાવી દીધું. પછી પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67a3274ecb6c0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a3274e9a0f1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a3274e9a0f1.jpg" length="62269" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>‘શિવરાત્રીના મેળામાં મુજરા થાય છે, સાધુઓ બર્થડે પાર્ટીઓ કરે છે...’</title>
                    <link>https://khabarantar.com/maheshgiri-said-mujra-is-performed-at-the-shivaratri-fair-sadhus-hold-birthday-parties</link>
                    <guid>https://khabarantar.com/maheshgiri-said-mujra-is-performed-at-the-shivaratri-fair-sadhus-hold-birthday-parties</guid>
                    <description>
                        <![CDATA[ જૂનાગઢના અંબાજી મંદિરના વિવાદમાં હવે મહેશગીરી નામના સાધુએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, શિવરાત્રીમાં અખાડાઓમાં શરાબ-શબાબની પણ મહેફિલો જામે છે અને સંતો બર્થડે પાર્ટીઓ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ધર્મની આડમાં પોતાનો ધંધો જમાવીને બેઠેલા કહેવાતા સાધુસંતો લોકોને મોહમાયા ત્યાગવાનું પ્રવચન આપવાના પણ લાખો રૂપિયા લે છે. પણ આ જ સાધુઓ જ્યારે તેમની ખુદની સંપત્તિ ત્યાગવાની આવે ત્યારે લુખ્ખા તત્વોને પણ શરમાવે તેવા કૃત્યો કરતા શરમાતા નથી. માથાભારે ગુંડાઓની જેમ આ કહેવાતા સાધુઓ સંપત્તિ પર કબ્જો જમાવવા અન્ય ટોળકીના લોકો પર હુમલાઓ કરે છે, બદનામ કરે છે અને તેના માટે કોઈપણ રસ્તો અપનાવતા ખચકાતા નથી. આવું જ કંઈક જૂનાગઢના અંબાજીના મંદિરના કબ્જાને લઈને બે સાધુઓના જૂથ વચ્ચે જોવા મળી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાધુઓ બર્થડે પાર્ટી કરી ભોગવિલાસમાં મસ્ત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢ પવિત્ર ધર્મસ્થળ અંબાજી ગાદીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને ભૂતનાથના મહંત મહેશગીરી (Maheshgiri) સહિત ચાર સાધુઓની અખાડા પરિષદ(Akhada parishad) માંથી હકાલપટ્ટી થયાના અહેવાલો વચ્ચે 30 જાન્યુઆરીએ મહેશગીરી નામના સાધુએ પત્રકાર પરિષદ (Press Conference) યોજીને વિરોધી પક્ષના સાદુઓ પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202502/image_870x_67a07d5e57ca8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશગીરીએ શિવરાત્રી (Shivaratri) ના મેળા (Fair) માં સાધુ-સંતોની હાજરીમાં ચાલતા મુજરા તેમજ સંતની બર્થડે પાર્ટીની ઉજવણી સહિતના વીડિયો જાહેર કરી કહેવાતા સાધુઓની વિલાસી જીવનશૈલીને ઉઘાડી પાડી દીધી હતી. મહેશગીરીએ પત્રકાર પરિષદ કરીને કેટલાક વીડિયો શેર કર્યા હતા અને જૂના અખાડાના સંરક્ષક હરીગીરી બાપુ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ સાથે તેમણે ભવનાથમાં થતી ગેર પ્રવૃતિઓને લઈને ખુલાસા પણ કર્યા હતા. મહેશગીરીએ કહ્યું કે, હું હજુ 20 ટકા જ બહાર આવ્યું છે અને 20 ફેબ્રુઆરી યજ્ઞ પુરો થશે એટલે આ બધા દુષ્ટોને ઉઘાડા પાડીશ, એનો વિનાશ કરીશ. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અખાડામાં વેશ્યાઓને લઈને આવે છેઃ મહેશગીરીનો ગંભીર આક્ષેપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશગીરીએ જણાવ્યું હતું કે, આ બધું હરિગીરીની જવાબદારીમાં ચાલે છે. તેમણે કહ્યું કે જૂના અખાડાના કારણે સાધુ-સંતોની ગરિમા ખરડાઈ રહી છે અને તેના માટે જવાબદાર માત્રને માત્ર હરિગીરી (Harigir) છે. મહેશગીરીએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી હરિગીરી (Harigiri) ભવનાથ (Bhavnath Temple) અને ગિરનાર (Girnar) માંથી નહીં જાય ત્યાં સુધી તેઓ શાંતિથી નહીં બેસે. અખાડા હરિગીરી ચલાવે છે અને તે નક્કી કરે છે કોણ રહેશે અને કોણ નહીં રહે. તેના જ ચેલાઓ બેસે છે. અખાડામાં દારુ (liqueur) અને પોલીસે રેડ (Police Red) પાડી છે તે પણ વીડિયો છે. અખાડામાં વેશ્યા (Prostitute) ને લઈને આવે છે, શરમ કરો. સરકાર અને અધિયકારીઓ સમજી નથી શકતા કે શું શું થઈ રહ્યું છે. તમે આવા કામો કરી રહ્યા છો. મારા ગિરનારને અપવિત્ર કરે છે. હું સરકાર ને કહીશ કે આ પવિત્ર સ્થળ છે. હરિગીરીનું કંઈક જુઓ. સરકારની બદનામી થશે. જરાક તો વિચાર કરો. ભ્રષ્ટાચારીઓને બચાવવા આ બધાં નીકળી પડ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">90 ટકા સાધુઓ ડરથી બહાર નથી આવતાઃ મહેશગીરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશગીરીએ વધુમાં કહ્યું કે, “જો સરકાર યોગ્ય તપાસ કરે તો હરીગીરી બીજા દિવસે જેલમાં જાય એમ છે. હરીગીરી જેલમાં જશે તો લાખો સાધુ-સંતો રાજી થશે. હરીગીરી કોઈ મોટી તોપ નથી, ડરપોક છે, હરીગીરી અને પ્રેમગીરીની ગેંગના મોટા કૌભાંડ બહાર આવશે. જો હું કોર્ટમાં જઈશ તો બધાને તકલીફ પડશે. મોટા સાધુ-સંતોના ફોન આવ્યા કે હરીગીરી સમાધાન કરવા માંગે છે, અધર્મ સાથે શા માટે સમાધાન? અંબાજી મંદિરની દશનામ પરિવારનો અધિકાર છે, 25 પેઢીથી સેવા કરે છે.મહેશગીરીએ ગીરીશ કોટેચા (Girish Kotecha) પર પ્રહાર કરતા કહ્યું કે, લોહાણા જ્ઞાતિમાં ઘણા સારા લોકો છે. પણ આનાથી જૂનાગઢ (Junagadh) ને મુક્ત કરો. સમાધાન એક જ વાતે કરીશ કે હરીગીરી ગિરનાર છોડી દે. હરીગીરી એની ફૌજને પહેલા જૂએ. બહિષ્કાર તો હરીગીરીનો થવો જોઈએ. 90% અખાડાના સાધુ સંતો ડરથી બહાર આવતાં નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અખાડામાં બધાં અંગ્રેજી પાર્ટી કરે છે: મહેશગીરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશગીરીએ પ્રેસ કોન્ફરન્સમાં હરીગીરીના પાંચ પાપ ગણાવ્યા હતા. જેમાં તેમણે મહાકુંભમાં પેશવાઈ થાય છે પહેલી વખત એવું થયું કે પરંપરા તુટી જે પાપ છે. તનીયા લગાવવામાં ન આવી, અખાડાની ઈજ્જત ધૂળમાં મળી રહી છે. તપાસ કમિટી બેસાડીએ તો બધા અંગ્રેજી પાર્ટી કરે છે. મહેશગીરીએ વધુમાં કહ્યું કે, અખાડો શું હરીગીરીના બાપનો છે. શિવરાત્રીના મેળામાં હરીગીરીને આવવા દેવો કે નહીં એ હવે જૂનાગઢના લોકોને વિચાર કરવો પડશે. ઉત્તરપ્રદેશમાં જ્યારે બહેનો દીકરીઓની ઉપાડી જતાં હતા, ત્યારે દેશપ્રેમ ક્યાં હતો? નાગા સાધુને લઈને કેમ ન ગયા, હરીગીરીના દબાણમાં બોલવું પડે પણ હવે હું જે કરીશ એ તમે કલ્પના પણ નહીં કરી હોય, હું હજી એક ટકા જ બહાર આવ્યો છું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મારા પર હુમલો થઈ શકે છેઃ મહેશગીરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશગીરીએ છેલ્લે જણાવ્યું હતું કે, એક એક સાધુ બહાર આવશે તો હરીગીરી એમને એમ જ સમાધિ લઈ લેશે. હું ભાગીશ નહીં આ ચેસ જેવું યુધ્ધ છે, 20 ફેબ્રુઆરીએ યજ્ઞ પુરો થશે એટલે આ બધા દુષ્ટોને ઉઘાડા પાડીશ, એનો વિનાશ કરીશ. હુમલો હરીગીરી મારી પર હુમલો કરાવી શકે છે. શિવરાત્રીનો મેળો બગાડી શકે છે. શિવરાત્રીના મેળામાં હરીગીરી જો કંઈ કરશે તો ઉત્તરનો પ્રત્યુતર આવશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/clashes-between-two-sadhus-over-property-issue-of-dhaneshwar-mahadev-temple-ashram-in-mangrol-narmada">મંદિર માટે બે સાધુઓ બાખડ્યા, અંતે બંનેને બાબાસાહેબનું બંધારણ યાદ આવ્યું!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 03 Feb 2025 13:56:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1917</Articleid>
                    <excerpt>જૂનાગઢના અંબાજી મંદિરના વિવાદમાં હવે મહેશગીરી નામના સાધુએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, શિવરાત્રીમાં અખાડાઓમાં શરાબ-શબાબની પણ મહેફિલો જામે છે અને સંતો બર્થડે પાર્ટીઓ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67a07d3b53052.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a07d3b21fc1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a07d3b21fc1.jpg" length="85127" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>maheshgiri, shivaratri fair</media:keywords>
                </item>
                        <item>
                    <title>સિસોદિયા, જૈન, ચઢ્ઢા, પાઠક! Kejriwal ની ટીમમાં કેમ કોઈ SC&amp;ST&amp;OBC નથી?</title>
                    <link>https://khabarantar.com/sisodia-jain-chadha-pathak-why-is-there-no-sc-st-obc-in-arvind-kejriwals-team</link>
                    <guid>https://khabarantar.com/sisodia-jain-chadha-pathak-why-is-there-no-sc-st-obc-in-arvind-kejriwals-team</guid>
                    <description>
                        <![CDATA[ Arvind Kejriwal ની AAP ના ઉદય વખતથી SC-ST-OBC સમાજ જે સવાલ ઉઠાવી રહ્યો હતો તે સવાલ હવે Delhi Assembly Election ટાણે ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Election) માટે મતદાનનો દિવસ નજીક આવતા જ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની આમ આદમી પાર્ટી (AAP) પર જે સવાલ દેશના દલિતો(SC), આદિવાસીઓ (ST) અને ઓબીસી (OBC) મતદારો તેના ઉદય કાળથી ઉઠાવી રહ્યા હતા તે ફરી એકવાર અચાનક ચર્ચામાં આવી ગયો છે. કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul) એ ગઈકાલે આમ આદમી પાર્ટીના મૂળમાં ઘા કરતા હોય તેમ તેને કનડતો સૌથી આકરો સવાલ જાહેરમાં મૂકી દીધો હતો. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ગઈકાલે (31 જાન્યુઆરી, 2025) માદીપુરમાં એક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં જાહેર સભામાં રાહુલ ગાંધીએ દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું અને કહ્યું કે AAPમાં કોઈ દલિત, આદિવાસી અને લઘુમતી નહીં મળે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી સરકારમાં ટીમ કેજરીવાલ છે અને તેમાં AAPના નવ રત્નો પણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં ટીમ કેજરીવાલ છે. તેમના 9 રત્નો પણ છે. આમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, આતિશી સિંહ, સંજય સિંહ, અવધ ઓઝા, રાઘવ ચઢ્ઢાનો સમાવેશ થાય છે. મને આમાં એક દલિત, આદિવાસી કે લઘુમતીનું નામ બતાવો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'આખો દેશ જાણે છે કે દારૂ કૌભાંડ કોણે કર્યું'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ યમુનાને સ્વચ્છ કરશે. આખો દેશ જાણે છે કે કેજરીવાલ અને સિસોદિયાએ દારૂનીતિની આડમાં ભ્રષ્ટાચાર કર્યો છે. અરવિંદ કેજરીવાલ, યમુનાનું પાણી બાજુ પર રાખો અને એક સામાન્ય ઝૂંપડીનું પાણી પીને બતાવો. જ્યારે રમખાણો થયા, જ્યારે હિંસા થઈ, ત્યારે કોણ તમારી સાથે ઉભું હતું તે યાદ કરો. અમે ડૉ.આંબેડકરનું બંધારણ બચાવવા માટે કામ કરી રહ્યાં છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહુલ ગાંધીએ કહ્યું, “હું ખોટા વચનો નહીં આપું. મેં ક્યાંય કહ્યું નથી કે આપણે યમુનાને સ્વચ્છ કરી દઈશું. આપણી લડાઈ તકવાદી નથી, તે વિચારોની લડાઈ છે, તે બંધારણને બચાવવાની લડાઈ છે. કેજરીવાલ જ્યારે આવ્યા ત્યારે વેગન આર કારમાં આવ્યા હતા અને સીધા શીશ મહેલમાં જતા રહ્યા. તેઓ ફક્ત ખોટા વચનો આપે છે. મોદી અને કેજરીવાલના ભાષણો એકસરખી રીતે ખોટા છે. મેં ક્યારેય કોઈ ખોટા વચનો આપ્યા નથી. મનરેગા અને ખેડૂતોના દેવા માફ કરી શકાય છે. અમે તે કરીશું. જો દિલ્હીમાં ફ્લાયઓવર બની શકે તો અમે તે કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મીડિયા પર સીધું નિશાન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાહેર સભામાં રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું, “ તમે ટીવી જોતા હશો તો ખ્યાલ હશે કે, ત્યાં ફક્ત મોદી અને અદાણી જ દેખાય છે. કોંગ્રેસની લડાઈ એવા લોકો સામે છે જેઓ બંધારણને ખતમ કરવા માંગે છે અને નફરત ફેલાવવા માંગે છે. એટલું જ નહીં, દિલ્હીમાં છેલ્લા દસ વર્ષથી ભાજપે ભાઈને ભાઈ સામે લડાવ્યો છે. એક ભાષાને બીજી ભાષા સાથે અને જાતિઓ-ધર્મોને સામસામે લડાવ્યા છે. અમે નફરતના આ વાતાવરણમાં પ્રેમનો ફેલાવો કરવા માટે ચાર હજાર કિલોમીટરની મુસાફરી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'નાણામંત્રીની ટીમમાં એક પણ દલિત દેખાશે નહીં'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા પર નિશાન સાધતા તેમણે કહ્યું, “ટીવી પર અંબાણીના લગ્ન બતાવવામાં આવે છે, પણ દિલ્હીની સમસ્યાઓ બતાવવામાં આવતી નથી. તેમનો ટાર્ગેટ જનતાના પૈસા ભારતના સૌથી મોટા અબજોપતિઓ સુધી પહોંચાડવાનો છે. 25 ઉદ્યોગપતિઓમાં 16 હજાર કરોડ રૂપિયા વહેંચી દેવામાં આવ્યા. બજેટમાં પણ તમે જોશો તો ખ્યાલ આવશે કે નાણામંત્રી બ્રીફકેસ લઈને જશે તેમની ટીમમાં તમને એકેય આદિવાસી કે દલિત દેખાશે નહીં. બજેટ તૈયાર કરનારા 90 અધિકારીઓ છે અને 90 માંથી 3 અધિકારીઓ OBC સમાજના છે. કાલે જો બજેટમાં ૧૦૦ રૂપિયા વહેંચવામાં આવશે તો તમારા અધિકારીઓ ફક્ત ૫ રૂપિયાનો નિર્ણય લેશે. દલિત અધિકારી ૧ રૂપિયાનો નિર્ણય લેશે. આદિવાસી ૧૦ પૈસાનો નિર્ણય લેશે. ૯૦ ટકા લોકો પાસે કંઈ નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/rahul-gandhi-said-congress-broke-the-trust-of-dalit-obc-thats-why-rss-is-in-power">કોંગ્રેસે દલિતોનો વિશ્વાસ તોડ્યો એટલે RSS સત્તામાં છે : Rahul Gandhi</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 01 Feb 2025 10:54:18 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 01 Feb 2025 11:35:25 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1916</Articleid>
                    <excerpt>Arvind Kejriwal ની AAP ના ઉદય વખતથી SC-ST-OBC સમાજ જે સવાલ ઉઠાવી રહ્યો હતો તે સવાલ હવે Delhi Assembly Election ટાણે ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_679dafb425e90.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_679dafb3e5ed4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_679dafb3e5ed4.jpg" length="74169" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>arvind kejriwals, Dalit, Adivasi, obc</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાહોદમાં ટોળાએ મહિલાને નિર્વસ્ત્ર કરી બાઈક પાછળ બાંધીને ઢસડી</title>
                    <link>https://khabarantar.com/in-dahod-mob-stripped-a-woman-naked-tied-her-to-the-back-of-a-bike-and-dragged-her-away</link>
                    <guid>https://khabarantar.com/in-dahod-mob-stripped-a-woman-naked-tied-her-to-the-back-of-a-bike-and-dragged-her-away</guid>
                    <description>
                        <![CDATA[ યુપી-બિહાર જેવી આ ઘટનામાં દાહોદના સંજેલી ગામની છે. જ્યાં ટોળાંએ મહિલાના પ્રેમસંબંધના કારણોસર બાઈક પાછળ સાંકળથી બાંધી દંડા મારી ઢસડી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં કાયદો વ્યવસ્થાનો જાણે લોકોને કોઈ ડર જ ન હોય તેમ ગમે મનફાવે તેવા ગુનાઓ કરવા માંડ્યાં છે. આવી જ એક ચોંકાવનારી ઘટના દાહોદ જિલ્લામાંથી સામે આવી છે. અહીંના સંજેલી તાલુકાના એક ગામમાં એક 35 વર્ષની પરિણીત મહિલાને સ્થાનિકોએ ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો આરોપ મૂકી 15 જેટલા લોકોના ટોળાએ નિર્વસ્ત્ર કરી ઢોર માર મારી બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર ઢસડી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચાર દિવસ પહેલાની ઘટના છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 28મી જાન્યુઆરીની છે, જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી. એ દરમિયાન 15 લોકોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી તેને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. આરોપીઓએ મહિલાને માર માર્યો હતો અને બાદમાં નિર્વસ્ત્ર કરીને બાઇક પાછળ સાંકળથી બાંધીને ગામમાં ફેરવી હતી. આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ટોળું આક્રમક રીતે મહિલાને ઘેરીને તેનાં કપડાં કાઢી નાખે છે. મહિલા આજીજી કરતી હોવા છતાં ટોળું નિર્દયતાથી સાંકળ વડે મહિલાને બાઇક પાછળ બાંધે છે અને નિર્વસ્ત્ર મહિલાને દોડાવી દોડાવીને ધોકા ફટકારે છે. પીડિત મહિલા હાંફી જાય છે અને આજીજી કરતી હોવા છતાં રોડ પર ઢસડવામાં આવે છે અને અપશબ્દો બોલી ગામમાં ફેરવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વીડિયો વાઇરલ થતાં સ્થાનિક પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતાં પોલીસે 15 પૈકી 12 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી આ ઘટનાની અમને જાણ થઈ હતી. એ પછી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં મહિલાને આરોપીઓએ તેના સસરાના ઘરે ગોંધી રાખી હતી તેનું રેસ્ક્યૂ કરાયું હતું. એજ સમયે 12 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ચાર પુરુષ, ચાર મહિલા અને ચાર સગીરનો સમાવેશ થાય છે. તેમની સામે અપહરણ, ગેરકાયદેસર ગોંધી રાખવાનો, મહિલાને માર મારવાનો, તેમની ગરીમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય આચરવાનો અને ઇન્ફોરમેશન ટેક્નોલોજી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હજી ત્રણ આરોપીઓ ફરાર છે, જેમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળ કિશોર છે. જેમની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ આદિવાસી વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને યુપી-બિહારની ટોળાશાહીની યાદ અપાવી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/bjp-leader-brandished-a-gun-dragged-a-dalit-woman-by-the-hair">ભાજપ નેતાએ બંદૂક બતાવી, દલિત મહિલાને વાળ પકડી ઢસડી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 31 Jan 2025 18:15:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1915</Articleid>
                    <excerpt>યુપી-બિહાર જેવી આ ઘટનામાં દાહોદના સંજેલી ગામની છે. જ્યાં ટોળાંએ મહિલાના પ્રેમસંબંધના કારણોસર બાઈક પાછળ સાંકળથી બાંધી દંડા મારી ઢસડી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679cc4f83c86e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679cc4f80715a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679cc4f80715a.jpg" length="91387" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dahod news, Dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>Dr. Ambedkar ની પ્રતિમા હટાવતા બબાલ: 10 પોલીસકર્મી ઘાયલ, 6 બાઈક સળગ્યાં</title>
                    <link>https://khabarantar.com/clashes-during-removal-of-dr-ambedkars-statue-in-aligarhs-ibrahimpur-bhimpur</link>
                    <guid>https://khabarantar.com/clashes-during-removal-of-dr-ambedkars-statue-in-aligarhs-ibrahimpur-bhimpur</guid>
                    <description>
                        <![CDATA[ પોલીસ Dr. Ambedkar ની પ્રતિમા ઉપાડીને લઈ જતા લોકો બેકાબૂ બન્યાં. પોલીસકર્મીઓ પર હુમલો કરી 6 બાઈક સળગાવી દીધાં. હજુ પણ તંગ પરિસ્થિતિને જોતા પોલીસ પહેરો ગોઠવાયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના અલીગઢ (Aligarh) માં રોરાવર વિસ્તારના ઇબ્રાહિમપુર-ભીમપુર (Ibrahimpur-Bhimpur) ગામમાં ૨૭ જાન્યુઆરીની રાત્રે સ્થાપિત આંબેડકરની પ્રતિમા પોલીસે હટાવી દેતા ત્યારે રમખાણો ફાટી નીકળ્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાંએ પહેલા પોલીસ પર હુમલો કર્યો અને પછી પોલીસકર્મીઓની છ બાઇક સળગાવી દીધી અને પોલીસના વાહનોમાં તોડફોડ કરી. ટોળાંને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. હવાઈ ગોળીબાર પણ કરવામાં આવ્યો. ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં દસથી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. હાલ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસએસપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ કેમ્પિંગ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બઘેલ અને દલિત સમાજ વચ્ચે જમીનનો વિવાદ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈબ્રાહિમપુર-ભીમપુર ગામમાં બઘેલ (Baghel community) અને અનુસૂચિત જાતિના લોકો (Scheduled Caste) વચ્ચે ગામની જમીનને લઈને વિવાદ થયો છે. અહીં ગામની જમીનના બે પ્લોટ ખાલી પડેલા છે. 27 જાન્યુઆરીના રોજ, બઘેલ સમાજના લોકોએ એક પ્લોટ પર મંદિરનું બાંધકામ શરૂ કર્યું. અનુસૂચિત જાતિના લોકોએ આ અંગે પોલીસ અને વહીવટી અધિકારીઓને ફરિયાદ કરી. પોલીસ આવી અને મંદિરનું બાંધકામ અટકાવ્યું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_679c64572f8d0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">27 જાન્યુઆરીની રાત્રે, અનુસૂચિત જાતિના લોકોએ બીજા પ્લોટ પર આંબેડકરની પ્રતિમા સ્થાપિત (installed Ambedkar's statue) કરી. બઘેલ સમાજના લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો. પ્રતિમાને હટાવવાની માંગણીઓ થવા લાગી. જ્યારે અનુસૂચિત જાતિ સમાજના લોકોને લાગ્યું કે પોલીસ બાબાસાહેબની પ્રતિમાને હટાવી શકે છે, ત્યારે સમાજના લોકોના ટોળાએ પ્રતિમા સ્થળને ઘેરી લીધું અને બેસી ગયા. અધિકારીઓએ લોકોને સમજાવીને પ્રતિમા હટાવવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકો તૈયાર નહોતા. જેના કારણે ગામમાં પણ તણાવ વધી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટોળું બેકાબૂ બન્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">28 જાન્યુઆરીના રોજ સાંજે લગભગ 6:30 વાગ્યે, પોલીસે અહીંથી પ્રતિમાને હટાવી અને તેને લઈ જવા લાગ્યા. જેને લઈને બે દિવસથી પ્રતિમા સ્થળની આસપાસ બેઠેલા લોકો ગુસ્સે ભરાયા અને પોલીસ પર પથ્થરમારો કર્યો. ત્યારે પોલીસકર્મીઓની સંખ્યા ઓછી હતી, તેથી તેઓ ભીડને રોકી શક્યા નહીં અને ભાગીને પોતાનો જીવ બચાવ્યો. પોલીસકર્મીઓ તેમના ગાડીઓ અને બાઈક ત્યાં જ મૂકીને ભાગી ગયા. ટોળાએ ટુ-વ્હીલરોને આગ ચાંપી દીધી હતી અને ફોર-વ્હીલર વાહનોમાં તોડફોડ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા પોલીસ બોલાવવી પડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા નજીકના પોલીસ સ્ટેશનની પોલીસને તાત્કાલિક બોલાવવામાં આવી. અંધાધૂંધી વધતાં, અલીગઢ-ગોંડા રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. લગભગ છ રાઉન્ડ હવાઈ ગોળીબાર પણ થયો. બાદમાં પોલીસે ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. મોટાભાગના લોકો પોતાના ઘરોને તાળાં મારીને ચાલ્યા ગયા હતા. ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસએસપી સંજીવ સુમન કહે છે કે બદમાશોની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગામમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે મીડિયાને જણાવ્યું કે રોરાવર પોલીસ સ્ટેશનના ભીમપુર ગામમાં 26 જાન્યુઆરીથી આ મામલો ચાલી રહ્યો હતો. મામલો સરકારી જમીન પર મંદિર અને ડો.આંબેડકરની પ્રતિમા લગાવવાનો હતો. પહેલા બઘેલ સમાજે મંદિર બનાવવાનું શરૂ કર્યું હતું, જે જોઈને અનુસૂચિત જાતિ સમાજે બાજુની ખાલી જમીન પર ડો.આંબેડકરની પ્રતિમા લગાવવી શરૂ કરી હતી. તે પહેલાં પોલીસ સ્ટેશન દ્વારા કામ બંધ કરી દેવામાં આવ્યું. તે અડધું બંધાયેલું હતું. બે-ત્રણ દિવસમાં તેમણે રાત્રે જ એક પ્રતિમા સ્થાપિત કરી. ત્યારથી ફોર્સ ઘટનાસ્થળે હાજર છે. વિવિધ સ્તરે વાટાઘાટો થઈ છતાં ઘટના બની હતી. 28 જાન્યુઆરીના રોજ, તેમનું એક પ્રતિનિધિમંડળ ડીએમ અને એસએસપી સાથે વાત કરવા ગયું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_679c6469188ae.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિયમો હેઠળ કોઈપણ સરકારી જમીન પર કોઈ બાંધકામ કરી શકાતું નથી; પ્રતિમા પણ સ્થાપિત કરી શકાતી નથી. જ્યારે બીજા પક્ષ સાથે વાતચીત થઈ, ત્યારે તેમણે કહ્યું કે બઘેલ પક્ષ દ્વારા મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તે મંદિરની જગ્યાએ બાઉન્ડ્રી વોલ બનાવી રહ્યો હતો. તેને પણ  બાંધવાની મંજૂરી આપવામાં આવી નહોતી અને બાબાસાહેબની પ્રતિમા પણ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ડીએમ અને એસએસપી સાથેની વાતચીત બાદ બંને પક્ષો સંમત થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છેલ્લાં બે દિવસથી મામલો ગરમાયેલો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લગભગ બે દિવસથી ચાલી રહ્યું હતું અને જ્યારે સાંજે પોલીસ પ્રતિમા હટાવવા ગઈ ત્યારે ત્યાં હાજર મહિલાઓ અને લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો. ત્રણ-ચાર સ્કૂટરોને આગ ચાંપી દેવામાં આવી. બે પોલીસકર્મીઓ ઘાયલ થયા અને તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. પ્રતિમા હવે દૂર કરવામાં આવી છે, સ્થળ પર પૂરતો પોલીસ ફોર્સ હાજર છે. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. માત્ર ૧૫ મિનિટ માટે જ અંધાધૂંધી સર્જાઈ હતી. આ ઘટનામાં પૂર્વ સરપંચ અને હાલના સરપંચને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આખી ઘટના સ્થાનિક રાજકારણથી પ્રેરિત હોવાનું લાગી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલેક્ટરે શું કહ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અલીગઢના કલેક્ટર સંજીવ રંજને જણાવ્યું હતું કે, એક સ્પષ્ટ નિયમ છે કે ગ્રામ પંચાયતની જમીન પર આ રીતે કોઈપણ મહાપુરુષની પ્રતિમા કે અન્ય કોઈ પ્રતિમા સ્થાપિત કરી શકાતી નથી. આ વાત ગામલોકોને અને તેમના નેતાઓને વારંવાર સમજાવવામાં આવી હતી. એ જ ક્રમમાં, તેમને સતત વાતચીત દ્વારા માહિતી આપવામાં આવી હતી. અમે નીચેના લેવલના અધિકારીઓની બેદરકારી અને સમયસર જાણ ન કરવાના મામલાની તપાસ કરી રહ્યાં છીએ. જે કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate">દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 31 Jan 2025 11:20:18 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 31 Jan 2025 11:20:02 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1914</Articleid>
                    <excerpt>પોલીસ Dr. Ambedkar ની પ્રતિમા ઉપાડીને લઈ જતા લોકો બેકાબૂ બન્યાં. પોલીસકર્મીઓ પર હુમલો કરી 6 બાઈક સળગાવી દીધાં. હજુ પણ તંગ પરિસ્થિતિને જોતા પોલીસ પહેરો ગોઠવાયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679c62f0ccf8a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679c62f08d890.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679c62f08d890.jpg" length="95715" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>removal of dr ambedkars statue, ibrahimpur bhimpur news</media:keywords>
                </item>
                        <item>
                    <title>વાળંદે દલિતોની હજામત કરવાનો ઈનકાર કરતા એક ડઝન દલિતોએ ફરિયાદ નોંધાવી</title>
                    <link>https://khabarantar.com/dalits-file-complaint-after-barber-refuses-to-shave-vanshkar-dalits-in-hiranagar-tikamgarh-up</link>
                    <guid>https://khabarantar.com/dalits-file-complaint-after-barber-refuses-to-shave-vanshkar-dalits-in-hiranagar-tikamgarh-up</guid>
                    <description>
                        <![CDATA[ વાળંદ છેલ્લાં 50 વર્ષથી દલિતોના વાળ નહોતો કાપતો. આભડછેટના કારણે આ પ્રથા અમલમાં હતી. દલિતોએ સંગઠિત થઈને તેની સામે લડી લેવાનું નક્કી કરતા વાળંદ ઢીલો પડ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શહેરોમાં રહેતી કથિત સુધરેલી પ્રજાને તમે એકથી વધુ વખત એમ કહેતા સાંભળી હશે કે, “હવે તો આભડછેટ જેવું ક્યાં કશું રહ્યું જ છે” તેઓ કાં તો વાસ્તવિકતાથી અજાણ છે અથવા વાસ્તવિકતા પર ઢાંકપિછોડો કરવા માંગતા દંભીઓ છે. આવા લોકોની આંખ ખોલતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક ગામમાં વાળંદ (barber) લોકો છેલ્લાં 50 વર્ષ કરતા વધુ સમયથી દલિત સમાજના લોકોના દાઢી, વાળ કે મુંડન નહોતા કરતા (not shaving the hair of Dalit). પ્રથાના નામે આ આભડછેટ (untouchability) ને કાયમી કરી દેવામાં આવી હતી. પણ એક યુવકે તેની સામે અવાજ ઉઠાવ્યો અને પછી બીજા પણ અનેક યુવકો તેની સાથે જોડાતા આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. હવે વાળંદભાઈ ઢીલા પડ્યાં છે, કારણે તેમને ડર છે કે, કાયદો કાયદાનું કામ કરશે તો પોતાને જેલની હવા ખાવાનો વારો આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બટેંગે તો કટેંગે ફેઈમ કટ્ટર જાતિવાદી રાજ્ય ઉત્તરપ્રદેશનો છે. અહીંના ટીકમગઢમાં વાળંદે દલિત સમાજના લોકોના દાઢી-બાલ કાપી આપવાનો ઈનકાર કરી દેતા એક ડઝન કરતા વધુ દલિતોએ વાળંદ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (complaint lodged against barber) દલિત સમાજના લોકોનો આરોપ છે કે વાળંદ દલિતોની દાઢી કરી આપતા નથી કે વાળ નથી કાપી દેતા. જેના કારણે તેમણે તેના માટે 10 કિલોમીટર દૂર જવું પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ટિકમગઢ (Tikamgarh) જિલ્લાના હીરાનગર ગામ (Hiranagar village) ની છે. એવો આરોપ છે કે આ પ્રથા છેલ્લા ૫૦ વર્ષથી ચાલી રહી છે. અસ્પૃશ્યતાને કારણે ગામના વાળંદ દલિત વંશકર જાતિ (Vansakar community) ના લોકોના વાળ કાપતા નથી, દાઢી કરતા નથી અને મુંડન કરાવતા નથી. જેની સામે વંશકર સમાજે પોલીસ સ્ટેશનમાં વાળંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી (complaint lodged against barber) છે કે, અસ્પૃશ્યતાને કારણે વાળંદ આવું કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/A-boar-has-been-cut-to-death-on-the-railway-track-in-front,-pick-it-up..."><span style="font-size: 14pt;"> "સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને...."</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બુધવારે, આભડછેટને કારણે દલિત સમાજના લોકોની દાઢી કરવાનો ઇનકાર કરવા બદલ ડઝનબંધ લોકોએ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વાળંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપી દલિતોના દાઢી-વાળ કરી દેવાનો ઇનકાર કરે છે, જેના કારણે તેમને છેક ટીકમગઢનો ધક્કો થાય છે. વંશકર સમાજના લોકોએ પાંચ દાયકાથી ચાલી આવતી આ પ્રથાને તોડવા માટે હવે મન બનાવી લીધું છે અને એટલે જ જેમની પણ સાથે આવું ભેદભાવભર્યું વર્તન કરવામાં આવ્યું હતું, તે તમામ લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ હીરાનગર ગામના વંશકાર જાતિના દલિતો છેલ્લા 50 વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જેના કારણે તેમને માનસિક યાતના થઈ રહી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, દલિત પરિવારોમાં અંતિમ સંસ્કાર અને મુંડન માટે વાળંદ આવતા નથી. જેના કારણે તેઓ સામાજિક રીતે બહિષ્કાર થયો હોવાનું અનુભવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સમાજે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પોતાની વેદના વર્ણવીને ન્યાયની અપીલ કરી છે. ફરિયાદીઓ, સુરેશ વંશકાર, જગદી વંશકાર, કપિલ, દિનેશ, વિવેક અને રામચરણ વંશકારે જણાવ્યું હતું કે વાળંદ તેમને અપમાનિત કરવા માટે દાઢી કરી આપતા નથી. હવે દલિતોની ફરિયાદના આધારે દેહાત પોલીસ સ્ટેશનની પોલીસે તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત વંશકાર (Vansakar community) સમાજનો આરોપ છે કે નાઈ સમાજ વંશકાર લોકો પ્રત્યે આભડછેટ (untouchability) રાખે છે. જેના કારણે તેમના પરિવારના બાળકો અને વડીલોને અપમાન (humiliation) નો સામનો કરવો પડે છે. દલિત સમાજની ફરિયાદના આધારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જો કેસ સાચો સાબિત થશે તો ગુનેગાર સામે એટ્રોસિટી સહિતની કલમો મુજબ કડક કાર્યવાહી (action will be taken) કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/A-voice-was-raised-against-not-cutting-the-hair-of-Dalits-and-history-was-created">દલિતોના વાળ ન કાપવા સામે એક અવાજ ઉઠ્યો અને ઈતિહાસ સર્જાયો!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 31 Jan 2025 10:25:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1913</Articleid>
                    <excerpt>વાળંદ છેલ્લાં 50 વર્ષથી દલિતોના વાળ નહોતો કાપતો. આભડછેટના કારણે આ પ્રથા અમલમાં હતી. દલિતોએ સંગઠિત થઈને તેની સામે લડી લેવાનું નક્કી કરતા વાળંદ ઢીલો પડ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679c5770989c3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679c577067f63.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679c577067f63.jpg" length="83230" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>tikamgarh up, Dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોંગ્રેસે દલિતોનો વિશ્વાસ તોડ્યો એટલે RSS સત્તામાં છે : Rahul Gandhi</title>
                    <link>https://khabarantar.com/rahul-gandhi-said-congress-broke-the-trust-of-dalit-obc-thats-why-rss-is-in-power</link>
                    <guid>https://khabarantar.com/rahul-gandhi-said-congress-broke-the-trust-of-dalit-obc-thats-why-rss-is-in-power</guid>
                    <description>
                        <![CDATA[ Rahul Gandhi એ પોતાના જ પક્ષ વિરુદ્ધ વાત કરતા કહ્યું કે આ નિવેદન મને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તેનાથી મને કોઈ ફરક પડતો નથી કારણ કે તે સત્ય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભામાં વિપક્ષના નેતા (Leader of Opposition in Lok Sabha) અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ગુરુવારે કહ્યું કે જો તેમની પાર્ટીએ દલિતો (SC), પછાત (backward) અને અતિ પછાત વર્ગો (extremely backward classes) નો વિશ્વાસ જાળવી રાખ્યો હોત તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ક્યારેય સત્તામાં ન આવી શક્યો હોત. દલિત ઈન્ફ્લુએન્સર્સ (Dalit Influencers) ને સંબોધતા રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે તેઓ તેમના પક્ષમાં 'આંતરિક ક્રાંતિ' (internal revolution) લાવશે અને વંચિત વર્ગના લોકોને સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે તેમને એ સ્વીકારવામાં કોઈ વાંધો નથી કે 1990 ના દાયકાથી કોંગ્રેસ વંચિત વર્ગોના હિતોનું રક્ષણ તે રીતે કરી શકી નથી જે રીતે તેણે કરવું જોઈએ. તેમણે કહ્યું, "જો અમે દલિતો, પછાત અને અતિ પછાત વર્ગોનો વિશ્વાસ જાળવી રાખ્યો હોત, તો RSS ક્યારેય સત્તામાં ન આવ્યું હોત. ઇન્દિરા ગાંધી (Indira Gandhi) ના સમયમાં વિશ્વાસ અકબંધ હતો. દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓ બધા જાણતા હતા કે ઇન્દિરાજી તેમના માટે લડશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/say-less-stay-at-home-this-is-rsss-view-on-women"><strong>ઓછું બોલો, ઘરે રહો, આ RSS નો મહિલાઓને લઈને વિચાર છે...</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, “૧૯૯૦ પછી આ વિશ્વાસમાં ઘટાડો થયો. કોંગ્રેસે (Congress) આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે. કોંગ્રેસે જે રીતે તમારા હિતોનું રક્ષણ કરવું જોઈતું હતું તે રીતે નથી કર્યું. આ નિવેદન મને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તેનાથી મને કોઈ ફરક પડતો નથી કારણ કે તે સત્ય છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભામાં વિપક્ષના નેતાએ દલિત સમાજના લોકોને કહ્યું, "પહેલા કોંગ્રેસમાં આંતરિક ક્રાંતિ લાવવી પડશે જેમાં અમે તમને સંગઠનમાં સામેલ કરીશું." તેમણે દાવો કર્યો કે ભારતની શિક્ષણ પદ્ધતિ દલિતો અને પછાત વર્ગોના હાથમાં ક્યારેય નથી રહી. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, "વર્તમાન માળખામાં દલિતો અને પછાત વર્ગોની સમસ્યાઓનો ઉકેલ આવવાનો નથી કારણ કે ભાજપ અને આરએસએસે સમગ્ર વ્યવસ્થા પર કબજો જમાવી લીધો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો માટે 'બીજી આઝાદી' (second freedom) આવવાની છે જેમાં તેમણે માત્ર રાજકીય પ્રતિનિધિત્વ માટે જ નહીં પરંતુ સંસ્થાઓ અને કોર્પોરેટ જગતમાં પણ હિસ્સો લેવો પડશે. રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની જેમ દલિત વિરોધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, "હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે જ્યારે કેજરીવાલજી (Kejriwal) રાજકારણમાં આવ્યા, ત્યારે મેં શરૂઆતમાં તેમને સમજવાનો પ્રયાસ કર્યો. મને સમજાયું કે નરેન્દ્ર મોદીની જેમ કેજરીવાલ પણ અનામત વિરોધી અને દલિત વિરોધી છે. તેઓ મોદીજી કરતા થોડા વધુ શિષ્ટ છે. જ્યારે ભાજપના લોકો પુરેપુરા ફ્રોડ છે, તેઓ દેશ ચલાવી શકતા નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/gujarati-translation-of-an-article-written-by-rahul-gandhi">કોઈ મસીહા કે અવતારની જરૂર જ નથી, તમે જ પરિવર્તનના વાહકો છો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 30 Jan 2025 21:07:42 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 30 Jan 2025 23:14:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1912</Articleid>
                    <excerpt>Rahul Gandhi એ પોતાના જ પક્ષ વિરુદ્ધ વાત કરતા કહ્યું કે આ નિવેદન મને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તેનાથી મને કોઈ ફરક પડતો નથી કારણ કે તે સત્ય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679b9c5234efc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b9c51ed917.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b9c51ed917.jpg" length="68575" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>rahul gandhi, congress, Rss</media:keywords>
                </item>
                        <item>
                    <title>બે દલિત બાળકોની હત્યા રહસ્યમય બની, Mayawati Bhim Army સક્રિય થઈ</title>
                    <link>https://khabarantar.com/murder-of-2-dalit-children-in-gorakhpur-becomes-mysterious-mayawati-bhim-army-active</link>
                    <guid>https://khabarantar.com/murder-of-2-dalit-children-in-gorakhpur-becomes-mysterious-mayawati-bhim-army-active</guid>
                    <description>
                        <![CDATA[ Yogi Adityanath ના મત વિસ્તારમાં 4 દિવસ પહેલા થયેલી બે દલિત બાળકોની હત્યામાં હજુ આરોપીઓ પકડાયા નથી. પરિણામે BSP અને Bhim Army મેદાનમાં ઉતરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ગોરખપુર(gorakhpur)માં ચાર દિવસ પહેલા એક દલિત પરિવાર(Dalit Family)ના બે સગીર બાળકો (minor children)નું ગળું કાપીને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. આ મામલો પોલીસ માટે પણ એક મોટો કોયડો બની ગયો છે. પોલીસ હજુ સમજી શકતી નથી કે આ હત્યા કેમ કરવામાં આવી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપા (BSP)ના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ પાલ (Vishvanath Pal) પીડિત પરિવારને મળ્યા છે. આ દરમિયાન, બસપા પ્રદેશ પ્રમુખે પોલીસ તપાસ અને રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે પીડિત પરિવાર માટે સરકાર પાસેથી આર્થિક મદદની પણ માંગ કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોરખપુર (Gorakhpur) ના સહજનવાં પોલીસ સ્ટેશન (Sahjanwan police station) વિસ્તારના ભક્સા ગામે (Bhaksa village) દલિત સફાઈકર્મીના ભાણેજ અને ભત્રીજાના મૃતદેહ 24 જાન્યુઆરીએ ગામની બહાર ખેતરમાંથી મળી આવ્યા હતા. બંનેની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી (slitting their throats). બંનેના શરીર સંપૂર્ણપણે નગ્ન હતા. બંનેના હાથ-પગ પણ બાંધી દેવામાં આવ્યા હતા અને મોઢામાં કપડું ઠુંસી દીધું હતું. 23 જાન્યુઆરીની સાંજે બંને ગામની બહાર શૌચ માટે ગયા હતા. પણ પછી તે ગાયબ થઈ જતા આખી રાત તેનો પરિવાર બંનેને શોધી રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/three-muslim-children-beaten-with-slippers-and-forced-to-chant-jai-shri-ram-in-ratlam-mp">ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે 'જય શ્રી રામ' બોલાવડાવ્યું</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_679494aa68b49.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે તાત્કાલિક બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા અને ઘટનાસ્થળની તપાસ કરી હતી. પરંતુ અત્યાર સુધી આ કેસમાં પોલીસ ખાલી હાથ છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હત્યાનો મામલો છે કે તેની પાછળ કોઈ મોટું કાવતરું છે? હાલમાં પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. સુરક્ષા માટે ગામમાં ફોર્સ પણ તૈનાત કરાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">Mayawati એ BSPના પ્રદેશ પ્રમુખને મોકલ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે આ ઘટના ગોરખપુરમાં બની હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) પોતે ગોરખપુરથી આવે છે. હવે આ આખો મામલો ગંભીર બની રહ્યો છે. ભીમ આર્મી (Bhim Army) ના વડા અને નગીનાના સાંસદ (Nagina MP) ચંદ્રશેખર આઝાદે (Chandrashekhar Azad) પણ આ અંગે ટ્વિટ કરીને સરકાર અને પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ, બસપા સુપ્રીમો માયાવતી (BSP supremo Mayawati) એ પણ બસપાના રાજ્ય પ્રમુખ વિશ્વનાથ પાલ (Vishwanath Pal) ને પીડિત પરિવારને મળવા મોકલ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના જ મતવિસ્તારમાં બનેલી આટલી મોટી ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા પણ નથી આપી કે નથી કોઈ અપડેટ લીધા. તેઓ હાલ કુંભમેળા (Maha Kumbh) નો રાજકીય લાભ મેળવવામાં વ્યસ્ત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/two-dalit-children-found-murdered-with-throat-slit-in-gorakhpurs-sahajanwa">યોગી આદિત્યનાથના ગોરખપુરમાં બે દલિત બાળકોની ગળું કાપી હત્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 30 Jan 2025 13:29:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1911</Articleid>
                    <excerpt>Yogi Adityanath ના મત વિસ્તારમાં 4 દિવસ પહેલા થયેલી બે દલિત બાળકોની હત્યામાં હજુ આરોપીઓ પકડાયા નથી. પરિણામે BSP અને Bhim Army મેદાનમાં ઉતરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679b2fde3e1c8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b2fde03d94.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b2fde03d94.jpg" length="70793" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mayawati, Bhim Army, gorakhpurs sahajanwa</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતની વધતી વસ્તી વચ્ચે ઘટતો Fertility Rates શું સૂચવે છે?</title>
                    <link>https://khabarantar.com/declining-fertility-rate-in-india-is-a-sign-of-social-change</link>
                    <guid>https://khabarantar.com/declining-fertility-rate-in-india-is-a-sign-of-social-change</guid>
                    <description>
                        <![CDATA[ રાજકારણીઓને પ્રજનન દર (fertility rates)ના ઘટાડાનો સરળ અને તુરંત ઉકેલ વસ્તી વધારામાં લાગ્યો છે. પરંતુ આ બાબતને મહિલાઓની દ્રષ્ટિ શું છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Fertility Rates in India: આંધ્રપ્રદેશ (Andhra Pradesh) ના મુખ્યમંત્રી ચંદ્દ્રાબાબુ નાયડુ (Chandra babu Naidu) એ તેમની સરકાર બે થી વધુ બાળકો હોય તેને ખાસ પ્રોત્સાહન આપશે તેમ જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બે થી વધુ બાળકો ધરાવતા વ્યક્તિઓને ઉમેદવારી કરતાં અટકાવતો કાયદો આંધ્ર સરકાર સુધારશે તેવી પણ જાહેરાત કરી છે. ‘અમે બે અમારા બે’ ના શોર અને વસ્તી નિયંત્રણના આકરા પગલાં પર જોર વચ્ચે વધુ બાળકોની અપીલનું કારણ ઘટતો પ્રજનન દર (fertility rates) છે. દેશના ૨.૧ ટકા પ્રજનન દર (fertility rates)ની સરખામણીએ દક્ષિણના રાજ્યોનો પ્રજનન દર ૧.૬ ટકા હોવાથી વસ્તી વૃધ્ધિની અપીલો થઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંધ્રના સી.એમ.ની અપીલના વળતા દિવસે જ તમિલનાડુ (Tamilnadu) ના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને  (M K Stalin) સમૂહ લગ્નના સમારંભમાં કહ્યું કે પહેલાં નવદંપતીને સોળ પ્રકારની સંપત્તિના આશીર્વાદ અપાતા હતા હવે સોળ સંતાનોના આશીર્વાદ આપવા જોઈએ. નવા પરણેલા જોડાં નાના કુટુંબોનો ખ્યાલ છોડે તેવી વિનંતી તેમણે કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે (Mohan Bhagwat) તો વળી આધુનિક વસ્તી વિજ્ઞાનનો હવાલો આપીને જણાવ્યું છે કે જ્યારે કોઈ સમાજનો પ્રજનન દર (fertility rates)  ૨.૧ થી નીચે જાય છે ત્યારે તે  આપોઆપ નષ્ટ થઈ જાય છે. આજે ભારત તે સ્થિતિએ છે.  એટલે તેમણે લોકોને સમાજને જીવતો રાખવા ઓછામાં ઓછા ત્રણ બચ્ચાં પેદા કરવા અપીલ કરી છે. યાદ રહે મોહન ભાગવત અપરિણીત છે અને તેમને કોઈ સંતાન નથી. આંધ્રપ્રદેશના સી.એમ.ને એક અને તમિલનાડુના સી.એમ.ને બે જ સંતાનો છે. પરંતુ તેઓ પોતાનાં વોટર્સ ઘટી ન જાય તે માટે પ્રજનન દર (fertility rates) ના ઘટાડાનો સરળ ઉકેલ વસ્તી વૃદ્ધિમાં જુએ છે અને લોકોને વધુ બાળકો પેદા કરવા જણાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૪ના મધ્યમાં તો ભારત ચીનને આંબીને દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો અને હવે ફરી પ્રજનન દર(fertility rates) ના ઘટાડાને અટકાવવા વસ્તી વધારાની અપીલો થઈ રહી છે. એક દંપતી દ્વારા જન્મેલા બાળકોની સરેરાશ સંખ્યા કે એક મહિલાએ તેના જીવનકાળમાં જન્મ આપેલ સંતાનોની સરેરાશ સંખ્યા એટલે ટોટલ ફર્ટિલિટી રેટ (TFR) કે પ્રજનન દર ગણાય છે. મહિલા તેની ઉમરના ૧૫ થી ૪૯ વર્ષના ગાળામાં ગર્ભધારણની ક્ષમતા ધરાવે છે. ૧૫ થી ૧૯ વર્ષમાં આ ક્ષમતા વિશેષ હોય છે. ભારતીય મહિલાઓની ગર્ભધારણ  ક્ષમતા પ્રજનન દર (fertility rates) કે જન્મ દર ઘટી રહ્યો છે અને તે ૨.૧ કે ૨ એ પહોંચ્યો  છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 18.6667px;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system"><span style="font-size: 14pt;">Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?</span></a></span></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_679b132446192.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માનવ ઈતિહાસના સૌથી મૂળભૂત સામાજિક પરિવર્તન પૈકીનું એક પ્રજનન દર (fertility rates) માં ઘટાડો છે. નિયંત્રિત પ્રજનન દર માટે જાણીતા બાંગ્લાદેશને બેના પ્રજનન દરે પહોંચતા સત્તર વરસ લાગ્યા હતાં પરંતુ ભારતે  ચૌદ વરસમાં આ સિધ્ધિ મેળવી છે. તેના કારણો જાણીને આ પરિવર્તનને આવકારવાની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ અને મહિલા શિક્ષણમાં થયેલા વધારાને કારણે વસ્તી વૃધ્ધિની વિપરિત અસરો વિશે જાગ્રતિ વધી છે. વસ્તી વધારા પર નિયંત્રણનું જ પરિણામ પ્રજનન દર(fertility rates) નો ઘટાડો છે. જોકે તે નસબંદી કે વધુ બાળકો ધરાવનારને દંડિત કરવાથી નહીં પણ ચોક્કસ આર્થિક-સામાજિક કારણોથી થયો છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળે (Kerala) શિક્ષણના ઉંચા દર દ્વારા આ પ્રજનન દર હાંસલ કર્યો છે. મહિલા જાગ્રતિકરણ કે સ્ત્રી સશક્તિકરણ, શ્રમ શક્તિમાં વધેલી મહિલા ભાગીદારી, કુટુંબના નિર્ણયોમાં મહિલાનો અવાજ, ગર્ભ નિરોધક્ના ઉપયોગને મળેલી સામાજિક સ્વીકૃતિ, લગ્ન વયમાં વધારો, એક્લ અપરિણિત મહિલાઓનું વધતું પ્રમાણ, સમાજનું આધુનિકીકરણ, સંકોચાતા પરિવારો, આરોગ્ય સેવાઓમાં સુધારો, બાળ મૃત્યુનું ઘટતું પ્રમાણ,મહિલા અધિકારોનો અમલ, બાળકોના ઉછેર અને શિક્ષણ આરોગ્યના ખર્ચમાં વધારો, નવા મૂલ્યોનો જન્મ  અને શહેરીકરણ જેવા કારણોથી પ્રજનન દરમાં ઘટાડો થયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 18.6667px;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-government-spends-Rs.-51,000,-while-the-citizen-pays-only-Rs.-1815-spend"><span style="font-size: 14pt;">સરકાર એક સાંસદના આરોગ્ય પાછળ વર્ષે રૂ. 51,000 ખર્ચે છે, જ્યારે નાગરિક પાછળ ફક્ત રૂ. 1815 ખર્ચે છે!</span></a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટોટલ ફર્ટિલિટી રેટ (Total fertility rates) ના ઘટાડાની સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળે છે. પ્રજનન દરમાં ઘટાડાથી વસ્તી વૃધ્ધિનો દર ઘટ્યો છે. ૧૯૬૩માં વૈશ્વિક વસ્તી વૃધ્ધિ દર ૨.૩ ટકા હતો જે આજે   લગભગ ૧ ટકા છે. ભારતનો પ્રજનન દર અને વસ્તી વૃધ્ધિ દર સમાન એટલે ૨ છે. અધિક મૃત્યુ દરથી નિયંત્રિત થતી વસ્તી વૃધ્ધિ હવે ઓછા પ્રજનન દરથી નિયંત્રિત થશે. હાલમાં ભારતમાં યુવા વસ્તીનું પ્રમાણ વધુ છે. પરંતું પ્રજનન દરમાં ઘટાડાને કારણે યુવા વસ્તીમાં ઘટાડો થશે અને વૃધ્ધ વસ્તીમાં વધારો થશે. વલ્ડ પ્રોસ્પેકટ રિપોર્ટ પ્રમાણે હાલમાં ભારતમાં પાંત્રીસ વરસથી નાની વયની યુવા આબાદી ૬૫ ટકા છે. ટીએફઆરમાં ઘટાડો થતાં ત્રીસ વરસ પછી પાંસઠ વરસની વૃધ્ધ વસ્તી ૬૫ ટકા હશે. પ્રજનન દરના ઘટાડાનું આ સૌથી મોટું નકારાત્મક પાસું ગણાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક એવો હાઉ ઉભો કરવામાં આવી રહ્યો છે કે પ્રજનન દર(fertility rates)માં ઘટાડાથી વસ્તીમાં તુરત ઘટાડો થઈ જશે. પરંતુ આગામી કેટલાક દાયકા સુધી તો વસ્તી વધવાની જ છે. તે પછી તેમાં ઘટાડો થવો શરૂ થશે. હાલમાં યુવાઓની જનસંખ્યા વધારે હોવાથી કામ કરતા લોકોમાં વધારો થયો છે તેને કારણે આર્થિક વિકાસ ઝડપી બન્યો છે. ઘરડા લોકો અને બાળકોની વસ્તી વધવાની અસર થઈ શકે છે કેમકે આ વર્ગ અન્ય પર નિર્ભર છે. એટલે બુઝુર્ગ અને વૃધ્ધ વસ્તીની દેખભાળ મોટી ચેલેન્જ બની શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (National Family Health Survey) અનુસાર  ભારતમાં મહિલાઓની ગર્ભધારણ ક્ષમતા રાષ્ટ્રીય લેવલે ૨  છે પરંતુ ગુજરાતમાં તેનાથી થોડી ઓછી એટલે કે ૧.૯ છે. તેનું કારણ મોડા લગ્ન, શહેરીકરણ અને ગર્ભનિરોધકનો ઉપયોગ તો છે જ પરંતુ ગુજરાતમાં ૬૫ ટકા મહિલાઓ કુપોષિત છે. એટલે પ્રજનન દર(fertility rates) નો ઘટાડો કુપોષણનું પરિણામ હોય તો તે દૂર કરવાની દિશાના પ્રયત્નો વધારવા પડે.બાળમૃત્યુ દરમાં ઘટાડો, સરેરાશ આયુષ્યમાં વધારો અને ઓછા વજન અને ઉંચાઈ ધરાવતા બાળકોની  સર્વાધિક સંખ્યામાં ઘટાડાના સંદર્ભે યોગ્ય પગલાં પણ પ્રજનન દરના ઘટાડાની વિપરિત અસરો ઓછી કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકારણીઓને પ્રજનન દર (fertility rates)ના ઘટાડાનો સરળ અને તુરત ઉકેલ વસ્તી વધારામાં લાગ્યો છે. પરંતુ આ બાબતને મહિલાઓની દ્રષ્ટિએ જોવાની જરૂર છે. ઓગણીસમી સદીમાં સરેરાશ છ બાળકોના પ્રજનન દરને અડધો કે ત્રણ કરતાં યુ.કે.ને ૯૫ વરસ અને અમેરિકાને ૮૨ વરસ થયા હતા. પરંતુ વીસમી સદીમાં બાંગ્લાદેશે ૨૦, સાઉથ કોરિયાએ ૧૮, ચીને ૧૧, ઈરાને ૧૦ વરસમાં આ સિધ્ધિ હાંસલ કરી હતી. ધીમા પણ મક્કમ સામાજિક પરિવર્તનને ફટાફટ વધુ બાળકો જણવા માંડો એમ કહીને વેડફી ના નાંખીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો અન્ય પર નિર્ભર વૃધ્ધોની વધુ વસ્તી સમસ્યા લાગતી હોય તો વૃધ્ધો લાંબો સમય કામ કરી શકે તેવા તંદુરસ્ત રહે તેવું કરવાની જરૂર છે. વૃધ્ધ વસ્તીને સમસ્યારૂપ માનવાને બદલે તેને સ્વસ્થ રાખી વધુ સમય કામ કરતા કરવાની જરૂર છે. વસ્તી વૃધ્ધિ કે વસ્તી નિયંત્રણને બદલે તંદુરસ્ત અને ખુશહાલ આબાદી દેશને આબાદ બનાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>ચંદુ મહેરિયા </strong></span><span style="font-size: 12pt;"><em><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</strong></em></span></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 18.6667px;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/if-taj-mahal-is-history-where-is-the-history-of-its-sculptors">તાજમહેલને ઈતિહાસ ગણીએ તો તેના શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 30 Jan 2025 11:22:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1910</Articleid>
                    <excerpt>રાજકારણીઓને પ્રજનન દર (fertility rates)ના ઘટાડાનો સરળ અને તુરંત ઉકેલ વસ્તી વધારામાં લાગ્યો છે. પરંતુ આ બાબતને મહિલાઓની દ્રષ્ટિ શું છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679b132f8828f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b132f54cb0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b132f54cb0.jpg" length="56423" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Declining fertility rate in India</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા, અલગ Bhilistan ની માંગ તેજ બની</title>
                    <link>https://khabarantar.com/another-movement-is-brewing-in-gujarat-demand-for-a-separate-bhilistan-has-become-stronger</link>
                    <guid>https://khabarantar.com/another-movement-is-brewing-in-gujarat-demand-for-a-separate-bhilistan-has-become-stronger</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢની જેમ અલગ Bhilistan ની માંગ તેજ બની. ચૈતર વસાવા, મહેશ વસાવા બાદ છોટુ વસાવાએ પણ અલગ ભીલીસ્તાનની માગને ટેકો આપ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં છેલ્લાં 15 વર્ષથી આદિવાસી સમાજના અલગ રાજ્ય ભીલીસ્તાન (Bhilistan)ની માગણી સાથે આંદોલન ચાલી રહ્યું છે. મુખ્યધારાના મીડિયા દ્વારા આ આંદોલનને કવરેજ ન અપાતું હોવાથી મોટાભાગના લોકોને ખ્યાલ પણ નથી કે આવું કોઈ આંદોલન ચાલી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપ ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને ભાજપ નેતા મહેશ વસાવા (Mahesh Vasava) બાદ દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવા (Chhotu Vasava) એ અલગ ભીલીસ્તાન (Bhilistan) ની માંગણીને ટેકો આપતા ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છોટુ વસાવા ઝઘડિયાના ૭ ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી પટ્ટાને અલગ રાજ્યનો દરજ્જો આપવાની તેમણે માંગ કરી છે. સાથે જ હાલના શાસકો સામેના જંગમાં આદિવાસીઓ સાથે ઓબીસી સમાજને પણ જોડાવા હાંકલ કરી છે. આ પહેલા ભીલીસ્તાન વિકાસ મોરચા (Bhilistan Vikas Morcha) અને ભીલીસ્તાન ટાઈગર સેના (Bhilistan Tiger Sena) ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા (Mahesh Vasava) એ અલગ ભીલીસ્તાન (Separate Bhilistan) રાજ્યની માંગણી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (droupadi murmu) , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની સરકારને મળી અલગ ભીલીસ્તાન રાજ્યની માંગણી સાથે રાજયપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમાજ વસવાટ કરે છે. તેમનો વિકાસ થવાની સાથે વિવિધ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખ ટકી રહે તે માટે એક રાજ્યની રચનાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમાજો અપૂરતા વિકાસ અને રાજકીય તેમજ નીતિગત નિર્ણયોમાં ઉપેક્ષા સામે વિરોધ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/it-is-easy-to-be-a-kanshi-ram-but-it-is-difficult-to-be-a-mayawati-gujarati"><span style="font-size: 14pt;"> 'માન્યવર' બનવું સહેલું છે, 'બહેનજી' બનવું અઘરું છે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા ૧૫ વર્ષથી ભીલિસ્તાન વિકાસ મોરચાના બેનર હેઠળ શિસ્તબદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ મામલે સમયાંતરે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢનું નિર્માણ કર્યું હતું તેવી જ રીતે ભીલીસ્થાનને અલગ રાજ્ય જાહેર કરવાની  માંગણી કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી જનનેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ ફરી એકવાર ભીલ પ્રદેશ (Bhil Pradesh) ની માગ ઉચ્ચારી છે. જેને પગલે હવે આદિવાસી સમાજના અન્ય નેતાઓએ પણ તેમાં જોડાયા છે. નર્મદા જિલ્લાનાં સાગબારા (Sagbara) તાલુકાના નાનીનાલ (Naninal) ગામે લોક સંઘર્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ ફરી ભીલ પ્રદેશની માગ કરી હતી. ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “સરકારનાં તમામ વાયદાઓ હજું પણ અધૂરા છે. રોજગારી અને ખેડૂતોની જમીનની વાયદા અધૂરા છે. આપણી જમીનની લડતમાં આપણે જરા પણ પાછી પાની નહીં કરીએ. આપણે આપણી જમીનો બચાવીશું. વન વિભાગ દ્વારા જેસીબી અને મજૂરોને સાથે રાખી આપણા લોકોનાં મકાનો-ઝુંપડા અને ઊભા પાકનો નાશ કરવામાં આવ્યો છે. આ મુદ્દે સરકારને રજુઆત કરીશું. આજે સિસ્ટમમાં આપણા લોકો મોટા પદો પર ન હોવાનાં કારણે આપણી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૈતર વસાવા (Chaitar Vasava) એ આગળ કહ્યું કે, “ભીલ પ્રદેશની લડાઈને આપણે સાથે મળીને આગળ લઈ જવી પડશે. ત્યારે જ આપણે આપણા સમાજનો વિકાસ કરી શકીશું. આદિવાસી લોકોના વિકાસ માટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનાં આદિવાસી લોકોએ સાથે મળીને દેશનું ૨૯ મું રાજ્ય બનાવવાની કવાયત હાથ ધરી છે. ચારેય રાજ્યનાં જેટલા પણ આદિવાસી લોકો છે તેમાંથી ૫૦% લોકો પોતાનાં ધર્મ, સંપ્રદાય અને પાર્ટીને બાજુમાં મૂકીને ૨૯માં રાજ્યની લડાઇ લડવા માટે તૈયાર છે. નર્મદાનું પાણી ૫૦૦ કેએમ દૂર પહોંચાડવામાં આવે છે, પરંતુ જે લોકોએ નર્મદા ડેમ માટે પોતાનાં ઘર અને ગામ ગુમાવ્યા તે લોકોને હજું પણ ન્યાય મળ્યો નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૈતર વસાવા (Chaitar Vasava) એ પ્રહાર કરતા કહ્યું કે, “સરકારે જે વચન આપ્યા હતા કે પરિવારનાં એક સભ્યને સરકારી નોકરી મળશે, જમીન મળશે, સિંચાઈ માટે પાણી મળશે, વીજળી મળશે એ તમામ વાયદાઓ હજું પણ અધૂરા છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <strong><a href="https://khabarantar.com/chaitar-vasava-warns-gujarat-government-to-resume-pg-scholarship-for-tribal-students">સ્કોલરશીપ ફરી શરૂ કરો, નહીંતર આદિજાતિ કમિશનર કચેરીને તાળાં મારીશું...</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 30 Jan 2025 10:33:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1909</Articleid>
                    <excerpt>ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢની જેમ અલગ Bhilistan ની માંગ તેજ બની. ચૈતર વસાવા, મહેશ વસાવા બાદ છોટુ વસાવાએ પણ અલગ ભીલીસ્તાનની માગને ટેકો આપ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679b07e95b6df.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b07e9296d0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b07e9296d0.jpg" length="90398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bhilistan, movement  in gujarat, Gujarat news</media:keywords>
                </item>
                        <item>
                    <title>પતિ સાથે રહેતી પત્નીના અન્યો સાથેના સંબંધથી જન્મેલું બાળક પતિનું જ ગણાય</title>
                    <link>https://khabarantar.com/child-born-to-a-wife-living-with-her-husband-through-affair-with-someone-else-is-considered-husbands</link>
                    <guid>https://khabarantar.com/child-born-to-a-wife-living-with-her-husband-through-affair-with-someone-else-is-considered-husbands</guid>
                    <description>
                        <![CDATA[ વીસ વર્ષથી ચાલતા કેસમાં સુપ્રીમ કોર્ટે મહિલાની શાખ, ડીએનએ ટેસ્ટ ન કરાવવાના પ્રાઈવસીના અધિકાર સહિતના કારણોને ધ્યાનમાં રાખીને ચૂકાદો આપ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે છેલ્લા બે દાયકાથી ચાલી રહેલા એક કેસમાં ચોંકાવનારો ચૂકાદો આપ્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, પતિ સાથે રહેતી પત્નીના અન્યો સાથેના સંબંધથી જન્મેલું બાળક પતિનું જ ગણાય. આ કેસ ડીએનએ ટેસ્ટ ના કરાવવા માગતા એક પુરુષની પ્રાઇવસીનો અધિકાર અને ટેસ્ટની માગ કરી રહેલાના ભરણપોષણ અને તેના મૂળ પિતા કોણ છે તે જાણવાના એક પુત્રના અધિકારો વચ્ચેનો હતો. સુપ્રીમ કોર્ટે પ્રાઇવસીના અધિકારને ધ્યાનમાં રાખીને અંતે પુત્રની માગ ઠુકરાવી હતી. સુપ્રીમે પ્રાઇવસી, મહિલાનો અને પુત્રનો અધિકાર એમ ત્રણેય મુદ્દાને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો હતો.  મહિલાના લગ્ન ૧૯૮૯માં થયા હતા, ૧૯૯૧માં એક બાળકીનો જન્મ થયો જે બાદ ૨૦૦૧માં એક બાળકનો જન્મ થયો હતો. ૨૦૦૩માં મહિલા પતિથી અલગ થઇ ગઇ, બાદમાં વર્ષ ૨૦૦૬માં બન્ને વચ્ચે છૂટાછેડા થઇ ગયા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન મહિલાએ નગરપાલિકામાં અરજી કરી અને પોતાના ૨૦૦૧માં જન્મેલા બાળકના પિતાનું નામ બદલવા માગ કરી અને દાવો કર્યા કે તેના મૂળ પિતા કોઇ અન્ય પુરુષ છે. જો કે પાલિકાએ અરજી ઠુકરાવી દીધી. બાદમાં સ્થાનિક કોર્ટમાં અપીલ કરાઇ, કોર્ટે બાયોલોજિકલ પિતાનો ડીએનએ ટેસ્ટ કરાવવા આદેશ આપ્યો, જેને બાયોલોજિકલ પિતાએ હાઇકોર્ટમાં પડકાર્યો. હાઇકોર્ટે પ્રાઇવસીના અધિકારને માન્ય રાખીને ડીએનએ ટેસ્ટ ના પાડી દીધી. સાથે જ કહ્યું કે પેટરનિટી ટેસ્ટનો આદેશ ત્યારે જ આપી શકાય જ્યારે એ સાબિત થાય કે પતિ-પત્ની વચ્ચે કોઇ સંપર્ક નહોતો. તેથી હાઇકોર્ટના ચુકાદાને બાદમાં પુત્ર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. જો કે સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમમાં યુવકે દલીલ કરી હતી કે તેના મૂળ પિતા કોણ છે તે જાણવા ડીએનએ ટેસ્ટ જરૂરી છે, આ મારો અધિકાર છે. જો કે જેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માગ થઇ હતી તેણે પુત્રની આ માગનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ડીએનએ ટેસ્ટથી મારી પ્રાઇવેસીનો ભંગ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે મહિલા પોતાના પતિ સાથે એક ઘરમાં રહેતી હતી, આ દરમિયાન અન્ય કોઇ પુરુષ સાથે સંબંધથી પણ જો કોઇ બાળકનો જન્મ થાય તો તેવુ ના માની લેવાય કે મહિલા અને તેના પતિ વચ્ચે કોઇ સંબંધ નહોતો. એવુ માની પણ લઇએ કે મહિલા લગ્નેત્તર સંબંધમાં હતી અને તેનાથી જ બાળકનો જન્મ થયો તો પણ આ દલીલ પૂર્ણ નથી. કોઇ એક કે તેથી વધુ સાથે સંપર્ક હોવાથી સાબિત નથી થતું કે મહિલાનો તેના પતિ સાથે કોઇ સંબંધ નહોતો. તેથી યુવકને તેના કાયદેસર પિતાનો જ પુત્ર માનવામાં આવે. આ મામલામાં મહિલાની શાખ, ડીએનએ ટેસ્ટ ના કરાવવાનો પ્રાઇવેસીનો અધિકાર વગેરેને ધ્યાનમાં રાખીને સુપ્રીમે આ ચુકાદો આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/if-the-husband-is-a-dalit-and-the-wife-is-a-non-dalit-will-their-children-get-reservation-gujarati">પતિ દલિત-પત્ની બિનદલિત હોય તો તેમના સંતાનોને અનામત મળે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Jan 2025 21:21:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1908</Articleid>
                    <excerpt>વીસ વર્ષથી ચાલતા કેસમાં સુપ્રીમ કોર્ટે મહિલાની શાખ, ડીએનએ ટેસ્ટ ન કરાવવાના પ્રાઈવસીના અધિકાર સહિતના કારણોને ધ્યાનમાં રાખીને ચૂકાદો આપ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679a4e01c343b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679a4e019365f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679a4e019365f.jpg" length="133982" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Supreme Court verdict on extramarital affair, latest news, suprem court</media:keywords>
                </item>
                        <item>
                    <title>Mahakumbh માં કુલ 30 લોકોના મોત, દુર્ઘટનાનું કારણ સામે આવ્યું</title>
                    <link>https://khabarantar.com/30-people-have-died-in-mahakumbh-so-far-the-cause-of-the-tragedy-has-been-revealed</link>
                    <guid>https://khabarantar.com/30-people-have-died-in-mahakumbh-so-far-the-cause-of-the-tragedy-has-been-revealed</guid>
                    <description>
                        <![CDATA[ Mahakumbh માં મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો ઘટનાના લગભગ 20 કલાક પછી વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.  ઘટના પાછળનું કારણ પણ હવે જણાવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Mahakumbh માં થયેલી ભાગાભાગીની દુર્ઘટનાના લગભગ 20 કલાક પછી વહીવટીતંત્રે માર્યા ગયેલા લોકોના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. આમાંથી 25 લોકોની ઓળખ થઈ ગઈ છે. 60 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમને શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ મેડિકલ કોલેજમાં 36 લોકોની સારવાર ચાલી રહી છે. સીએમ યોગીએ પહેલાથી જ સરકારી ખર્ચે દરેકની સારવારનો આદેશ આપી દીધો છે. ઘણા લોકોના પરિવારમાં એક કરતાં વધુ મૃત્યુ થયા છે. કુંભ નગરના ડીઆઈજી વૈભવ કૃષ્ણને જણાવ્યું હતું કે ભારે ભીડને કારણે બેરિકેડ તૂટી ગયો અને નાસભાગ મચી જતા અકસ્માત થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહા કુંભ મેળા અધિકારી વિજય કિરણ આનંદ સાથે પ્રેસ કોન્ફરન્સ માટે પહોંચેલા ડીઆઈજીએ કોઈ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો પરંતુ કહ્યું હતું કે રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે અખાડા માર્ગ પર ભારે ભીડનું દબાણ હતું. મૌની અમાવસ્યા પર મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. દબાણને કારણે બેરિકેડિંગ તૂટી ગયું અને સંગમમાં પ્રવેશેલી ભીડે સ્નાન કરવા માટે રાહ જોઈ રહેલા લોકોને કચડી નાખવાનું શરૂ કરી દીધું. ત્યાંથી કુલ 90 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી 30 લોકોના મોત થયા હતા. કેટલાક ઘાયલોને લઈને સંબંધીઓ ચાલ્યા ગયા છે. અહીં 36 ઘાયલોની સારવાર ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/there-was-a-lot-of-bickering-and-arguing-between-saints-and-mahants-at-the-mahakumbh-meeting-in-prayagraj"><span style="font-size: 14pt;">પ્રયાગરાજમાં મહાકુંભની બેઠકમાં સંતો-મહંતો વચ્ચે ઢીંકાપાટુ-લાફાવાળી થઈ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીઆઈજીએ જણાવ્યું કે ઓળખાયેલા 25 લોકોમાંથી ચાર કર્ણાટકના છે. એક-એક ગુજરાત અને આસામનો છે. તેમણે કહ્યું કે એક હેલ્પલાઇન પણ બનાવવામાં આવી છે. તેનો નંબર ૧૯૨૦ છે. જો કોઈ ગુમ થયું હોય, તો તેની માહિતી આ નંબર પર મેળવી શકાય છે. ડીઆઈજીએ એ પણ સ્પષ્ટતા કરી કે આજે કોઈ વીઆઈપી પ્રોટોકોલ નહોતો. તેમણે કહ્યું કે સરકારે પહેલાથી જ કડક સૂચના આપી દીધી છે કે કોઈ VIP પ્રોટોકોલ નહીં હોય. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ કોઈપણ સ્નાન ઉત્સવ પર કોઈ VIP પ્રોટોકોલ રહેશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રેસ કોન્ફરન્સના થોડા કલાકો પહેલા જ ડીઆઈજીએ અકસ્માત માટે બીજું કોઈ કારણ જણાવ્યું હતું. તે સમયે ડીઆઈજીએ કહ્યું હતું કે સ્થળ પર હાજર પોલીસકર્મીઓના મતે ભીડનું દબાણ વધતાં ચેન્જિંગ રૂમનો દરવાજો ભીડ પર પડ્યો હતો. એ પછી જ નાસભાગ મચી ગઈ હતી. જોકે, હવે ડીઆઈજીએ જે કારણ આપ્યું છે તે જ કારણ મંગળવારે સવારે સીએમ યોગીએ પણ આપ્યું હતું. સીએમ યોગીએ કહ્યું હતું કે બેરિકેડિંગ તૂટવાને કારણે ભાગદોડ મચી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાગદોડની ઘટના બાદ અખાડા પરિષદે શાહી સ્નાન પણ રદ કર્યું હતું. પરંતુ બાદમાં, સીએમ યોગીની મહામંડલેશ્વરો સાથેની વાતચીત બાદ શાહી સ્નાનનો નિર્ણય લેવામાં આવ્યો. એ પછી નક્કી કરેલા સમયપત્રક મુજબ, નાગા સાધુઓ અને સંતોએ શાહી સ્નાન કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/if-there-is-a-stampede-at-the-kumbha-mela-will-god-be-arrested">જો કુંભ મેળામાં નાસભાગ થશે તો ભગવાનની ધરપકડ થશે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Jan 2025 20:41:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1907</Articleid>
                    <excerpt>Mahakumbh માં મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો ઘટનાના લગભગ 20 કલાક પછી વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.  ઘટના પાછળનું કારણ પણ હવે જણાવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679a4460ab595.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679a44606ffeb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679a44606ffeb.jpg" length="112141" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mahakumbh, mahakumbh Stampede, Prayagraj news</media:keywords>
                </item>
                        <item>
                    <title>Gurmeet Ram Rahim ને દિલ્હીની ચૂંટણી પહેલા 30 દિવસના પેરોલ મળ્યાં</title>
                    <link>https://khabarantar.com/gurmeet-ram-rahim-gets-30-days-parole-ahead-of-delhi-elections</link>
                    <guid>https://khabarantar.com/gurmeet-ram-rahim-gets-30-days-parole-ahead-of-delhi-elections</guid>
                    <description>
                        <![CDATA[ બળાત્કારી Gurmeet Ram Rahim ને મંગળવારે સવારે 5:26 વાગ્યે ગુપ્ત રીતે જેલમાંથી મુક્ત કરાયો. જેલમાંથી બહાર આવતા જ સિરસા જવાની મંજૂરી મળી. દિલ્હી ચૂંટણી સાથે કનેક્શન હોવાની આશંકા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Gurmeet Ram Rahim ને ફરી એકવાર પેરોલ મળી ગયા છે. બળાત્કાર અને હત્યાના કેસમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમને વહીવટી તંત્રે બરાબર દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા પેરોલ આપતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે મંગળવારે સવારે જેલમાંથી બહાર આવ્યો હતો અને આ વખતે તે સિરસા સ્થિત કેમ્પમાં રહેશે. આ પહેલીવાર છે જ્યારે તેને સિરસામાં તેના કેમ્પમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉના પેરોલ અથવા ફર્લો દરમિયાન તેને ફક્ત ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત આશ્રમમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેલમાંથી બહાર આવતી વખતે કડક સુરક્ષા વ્યવસ્થા </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુરમીત રામ રહીમને મંગળવારે સવારે 5:26 વાગ્યે ગુપ્ત રીતે જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ પહેલી વાર છે જ્યારે તેમને સિરસાના ડેરામાં જવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ, રામ રહીમને તેમના આશ્રમની બહાર અન્ય કોઈ જગ્યાએ જવાની મંજૂરી નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">Gurmeet Ram Rahim નો યુટ્યુબ પર સંદેશ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેરોલ પર મુક્ત થયા બાદ ગુરમીત રામ રહીમે (Gurmeet Ram Rahim) તેની યુટ્યુબ ચેનલ પર એક સંદેશ જાહેર કર્યો. આમાં તેણે પોતાના અનુયાયીઓને સિરસા ન આવવા અને ડેરાના સેવકો દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી હતી. રામ રહીમે પોતાના અનુયાયીઓને જણાવ્યું કે આ વખતે તે સિરસા સ્થિત આશ્રમમાં રહેશે અને કોઈને મળવા જશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૂંટણી વખતે જ મળતા પેરોલને લઈને વિવાદ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Gurmeet Ram Rahim ની આ છેલ્લાં 12 મહિનામાં ચોથી પેરોલ છે. 2017 માં તેને દોષિત ઠેરવવામાં આવ્યા પછી આ તેની કુલ 16મી મુક્તિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેને મળતા પેરોલમાં એક ચોક્કસ પેટર્ન જોવા મળી રહી છે અને તે મુજબ જ્યારે પણ ઉત્તર ભારતના કોઈ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે તેને પેરોલ પર છોડવામાં આવે છે. પછી ભલે તે મ્યુનિસિપલ ચૂંટણી હોય કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી. રામ રહીમને ચૂંટણી દરમિયાન પેરોલ આપવાની જાણે એક પરંપરા બની ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રામ રહીમનો વિવાદાસ્પદ ઇતિહાસ અને જેલમાંથી મુક્તિ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Gurmeet Ram Rahim ને 2017 માં તેની બે મહિલા અનુયાયીઓ પર બળાત્કારના આરોપસર દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જોકે, મે મહિનામાં, હરિયાણા હાઈકોર્ટે તેને અને અન્ય ચાર દોષિતોને 2002માં ડેરા સચ્ચા સૌદાના ભૂતપૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. રામ રહીમની મુક્તિ અને પેરોલના કેસ ઘણીવાર વિવાદાસ્પદ રહ્યાં છે, ખાસ કરીને ચૂંટણી દરમિયાન તેને મળતા પેરોલને લઈ અનેક સવાલો ઉઠતા રહ્યાં છે. આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક અઠવાડિયા પહેલા તેને પેરોલ મળ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">Gurmeet Ram Rahim ના પેરોલ પર વિવાદ અને રાજકીય અસર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામ રહીમ (Gurmeet Ram Rahim)નો હરિયાણા અને પંજાબમાં મોટો રાજકીય પ્રભાવ છે. તેના પેરોલ અને ફર્લોના મામલાઓ અંગે ઘણીવાર પ્રશ્નો ઉભા થયા છે, ખાસ કરીને જ્યારે તે ચૂંટણી સમયે બને છે. ખાસ કરીને ભાજપને મદદ કરવા માટે તેને ચૂંટણીમાં પેરોલ આપવામાં આવતા હોવાની ચર્ચા થતી રહે છે. આ વવખતે Gurmeet Ram Rahimને દિલ્હી વિધાનસભા ચૂંટણીના આઠ દિવસ પહેલા મુક્ત કરવામાં આવ્યો છે. અગાઉ, તેને ગયા વર્ષે ઓક્ટોબરમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલા 20 દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા. જાન્યુઆરીમાં લોકસભા ચૂંટણી પહેલા તેમને ૫૦ દિવસ માટે મુક્ત કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ ૧૩ ઓગસ્ટે તેને ૨૧ દિવસ માટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હરિયાણા પંચાયત ચૂંટણી પહેલા જુલાઈ 2023માં તેને 30 દિવસના પેરોલ મળ્યા હતા. 2020 પછી આ 12મી વખત છે જ્યારે તેને જેલમાંથી કામચલાઉ ધોરણે જેલમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/over-120-killed-in-stampede-during-satsang-in-ups-hathras">યુપીના હાથરસમાં સત્સંગમાં ભાગદોડ થતા ૧૨૦થી વધુના મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Jan 2025 13:11:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1906</Articleid>
                    <excerpt>બળાત્કારી Gurmeet Ram Rahim ને મંગળવારે સવારે 5:26 વાગ્યે ગુપ્ત રીતે જેલમાંથી મુક્ત કરાયો. જેલમાંથી બહાર આવતા જ સિરસા જવાની મંજૂરી મળી. દિલ્હી ચૂંટણી સાથે કનેક્શન હોવાની આશંકા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6799db573b86e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799db56e5050.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799db56e5050.jpg" length="136728" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gurmeet ram rahim, delhi elections</media:keywords>
                </item>
                        <item>
                    <title>નિર્દોષ દલિત કિશોરને તાલીબાની સજા : જાતિવાદીઓએ ઝાડ સાથે બાંધીને માર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-teenager-tied-to-tree-and-beaten-by-casteists-in-kaushambi-uttar-Pradesh</link>
                    <guid>https://khabarantar.com/dalit-teenager-tied-to-tree-and-beaten-by-casteists-in-kaushambi-uttar-Pradesh</guid>
                    <description>
                        <![CDATA[ નિર્દોષ કિશોર પર પાઈપ ચોરવાનો આરોપ મૂકી જાતિવાદીઓએ તેને ઝાડ સાથે બાંધીને ફટકાર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી. કિશોરની ભાળ મળતી નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) ના કૌશાંબી (Kaushambi) જિલ્લામાં એક નિર્દોષ દલિત કિશોરને જાતિવાદી તત્વોએ ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી ફટકાર્યો (Dalit teenager tied to tree and beaten) હોવાની ઘટના સામે આવી છે. લુખ્ખા તત્વોએ નિર્દોષ દલિત કિશોર પર પાઈપ તોડવાનો આરોપ મૂક્યો હતો અને પછી તેને ઝાડ સાથે બાંધીને તેને માર માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Video Viral On Social Media) પર વાયરલ થયા બાદ પોલીસે કેસ નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ (3 accused arrrested) કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુપીના કૌશાંબીના ગુવારા તૈયબપુરાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલો કરાડી પોલીસ સ્ટેશન (Karadi Police Station) વિસ્તારના ગુવારા તૈયબપુર ગામ (Guwara Taibpur) નો છે. ગામના રહેવાસી ફૂલચંદ્રએ (Phoolchandra) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પુત્ર અંકિત કુમાર (Ankit kumar) 9 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે તેના મિત્રો સાથે પડોશી ગામ ખરગુ કા પુરામાં રમવા ગયો હતો. એ દરમિયાન ગામના નન્હુ યાદવે (nanhu yadav) અંકિત પર પાઇપ તોડવાનો આરોપ લગાવ્યો અને તેને પકડીને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે આરોપીઓની ધરપકડ કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફૂલ ચંદ્રે જણાવ્યું કે જ્યારે અંકિત લાંબા સમય સુધી ઘરે પરત ન ફર્યો ત્યારે તેમણે પૂછપરછ કરી અને પછી તેમને આ બાબતની જાણ થઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મંઝનપુરના રેન્જ ઓફિસર શિવાંક સિંહે જણાવ્યું હતું કે 21 જાન્યુઆરીએ ત્રણ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું કે ત્રણેય પર કિશોરને પકડવાનો, માર મારવાનો અને દોરડાથી ઝાડ સાથે બાંધીને નિર્દયતાતી ત્રાસ આપવાનો આરોપ છે. આવી સ્થિતિમાં ત્રણેયની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના ઘટી ત્યારથી કિશોર ઘરેથી ગુમ છે </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં ચિંતાજનક બાબત એ છે કે પીડિત કિશોર અંકિત આ ઘટના બની ત્યારથી ઘરેથી ગુમ થઈ ગયો છે. તેનો પરિવાર સતત તેની શોધ કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી પોલીસ તેને શોધી શકી નથી. પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ કિશોર હજુ સુધી મળ્યો નથી. ગુમ થયેલા કિશોર અંકિતના પરિવારે જણાવ્યું છે કે, જો અંકિતનો પત્તો નહીં મળે તો અમે પોલીસ અધિક્ષકને મળીશું અને આ બાબતની ફરિયાદ કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/tribal-woman-tied-to-trees-and-made-to-chant-jai-shri-ram">આદિવાસી મહિલાઓને ઝાડ સાથે બાંધી ‘જય શ્રી રામ’ના નારા લગાવડાવ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Jan 2025 11:37:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1905</Articleid>
                    <excerpt>નિર્દોષ કિશોર પર પાઈપ ચોરવાનો આરોપ મૂકી જાતિવાદીઓએ તેને ઝાડ સાથે બાંધીને ફટકાર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી. કિશોરની ભાળ મળતી નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6799c532760f6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799c53245899.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799c53245899.jpg" length="54393" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit teenager  beaten, Dalit news, kaushambi news</media:keywords>
                </item>
                        <item>
                    <title>inter caste marriage કરનાર દલિત યુવકની હત્યા, સાસરિયાઓ વિરુદ્ધ કેસ નોંધાયો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-killed-in-inter-caste-marriage-in-telanganas-suryapetti-in-laws-arrested</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-killed-in-inter-caste-marriage-in-telanganas-suryapetti-in-laws-arrested</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકે ઓબીસી યુવતી સાથે inter caste marriage કર્યા હતા. જેના કારણે તેનો પરિવાર નારાજ હતો અને તેને મારી નાખવાની તક શોધતો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">inter caste marriage ભારતમાં જાતિવાદ કરતા પણ વધુ કટ્ટર મામલો ગણાય છે. એક તબક્કે જાતિવાદીના મામલામાં સમાધાનને અવકાશ રહે છે પરંતુ આંતરજાતીય લગ્નો (inter caste marriage) માં મોટાભાગે યુવક કે યુવતીના પરિવારો એકબીજાને મોતને ઘાટ ઉતારી દેવા (honour killing) સિવાય કશું વિચારતા નથી. ડો.આંબેડકર જાતિના વિનાશ માટે આંતરજાતીય લગ્નો(inter caste marriage) ને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. આ દેશનું બંધારણ પણ પુખ્ય વયની વ્યક્તિને પોતાની મરજી મુજબ લગ્ન કરવાની છુટ આપે છે. તેમ છતાં જાતિના વાડા બાંધીને બેઠેલા મનુવાદી તત્વો અને જે તે સમાજના કથિત ઠેકેદારો જાતિના બંધનો તૂટે નહીં તે માટે બધું કરી છુટે છે. આવા કેસોમાં ડોશી મરે તેના કરતા પણ વધુ તો જમ ઘર ભાળી જાય તે કહેવત વધુ લાગુ પડતી હોય છે. એટલે આંતરજાતીય લગ્નો(inter caste marriage) ના કેસોને મનુવાદી-જાતિવાદી તત્વો વધુ કટ્ટરતાથી હેન્ડલ કરતા હોય છે અને તેમાં યુવક કે યુવતીને મોતને ઘાટ ઉતારી દેવામાં પણ તેઓ ખચકાતા નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના તેલંગાણા (Telangana) ના સૂર્યાપેટ (Suryapetti) જિલ્લામાં બની છે. જ્યાં એક દલિત યુવકે ઓબીસી સમાજની યુવતી સાથે લગ્ન કરતા તેની હત્યા કરી દેવામાં આવી છે. અહીં મુસી નદીના કિનારે એક નહેર પાસે યુવકનો મૃતદેહ (Dalit youth killed) મળી આવ્યો હતો. જેના કલાકો પછી પોલીસે સોમવારે મોડી રાત્રે તેના સસરા, સાળા અને તેના એક મિત્ર સહિત ચાર લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે 32 વર્ષના દલિત યુવક ક્રિષ્ણાનો સોમવારે સવારે પિલ્લાલામર્રી નજીક મુસી નદીના કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો. સૂર્યપેટ પોલીસે કૃષ્ણાની પત્ની કોટલા ભાર્ગવીના પિતા કોટલા સૈદુલુ, તેના ભાઈઓ કોટલા નવીન અને કોટલા વંશી અને તેમના મિત્ર બૈરુ મહેશ વિરુદ્ધ કૃષ્ણાના પિતા ડેવિડની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડેવિડે તેના પુત્રની 'honour killing'નો આરોપ લગાવ્યો છે. ચારેય આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 103(1), 61(2), r/w 3(5) અને SC/ST Act (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૃતક યુવકના પિતાએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચર્ચના પાદરી ડેવિડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી, જે પછાત વર્ગ (BC) ગૌડ સમાજના છે, તેમણે કાવતરું ઘડીને તેના પુત્રની હત્યા કરી હતી. તેમણે હત્યાનું કારણ છ મહિના પહેલા તેમના દીકરા કૃષ્ણાના આંતરજાતીય લગ્નને ગણાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂર્યાપેટ ગ્રામીણ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર એન બાલુ નાયકે જણાવ્યું હતું કે, “ભાર્ગવી અને ડેવિડે આરોપ લગાવ્યો હતો કે કૃષ્ણાની હત્યા પાછળ સૈદુલુ, નવીન અને વંશીનો હાથ હતો. કૃષ્ણા વિરુદ્ધ સૂર્યાપેટ ટાઉન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના બે અને નવીન વિરુદ્ધ આવા જ ચાર કેસ નોંધાયેલા છે. અમે બધા એન્ગલથી તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ગુનેગારોને પકડી લઈશું. ચાર શંકાસ્પદ લોકો ફરાર છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવકને ઓબીસી મિત્રની બહેન સાથે પ્રેમ થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાયકે કહ્યું કે કૃષ્ણા અને નવીન મિત્રો હતા, અને કૃષ્ણા નવીનની બહેન ભાર્ગવીના પ્રેમમાં હતા. નવીનના પરિવારના વિરોધ છતાં બંનેએ લગ્ન કર્યા હતા, બીજી તરફ ભાર્ગવીનો પરિવાર તેના માટે વર શોધી રહ્યો છે. લગ્ન પછી, બંને છેલ્લા છ મહિનાથી મામિલ્લાગડ્ડામાં કૃષ્ણાના ઘરે રહેતા હતા. રવિવારે સાંજે, તેમના કોમન ફ્રેન્ડ બૈરુ મહેશે કૃષ્ણાને ફોન કર્યો અને તે કોઈને પણ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. એ પછી આખી રાત ઘરે પરત નહોતો આવ્યો અને સોમવારે સવારે નદી કિનારેથી કૃષ્ણાની લાશ મળી આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/suspecting-witchcraft-the-mob-stripped-and-killed-two-tribal-women">મેલી વિદ્યાની શંકાએ ટોળાએ બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી મારી નાખી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Jan 2025 11:07:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1904</Articleid>
                    <excerpt>દલિત યુવકે ઓબીસી યુવતી સાથે inter caste marriage કર્યા હતા. જેના કારણે તેનો પરિવાર નારાજ હતો અને તેને મારી નાખવાની તક શોધતો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6799be1f49bbd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799be1f19c2a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799be1f19c2a.jpg" length="86102" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>nter-caste marriage, Suryapetti news, Dalit youth killed</media:keywords>
                </item>
                        <item>
                    <title>Mahakumbh માં સંગમ કિનારે ભાગદોડ, 14 લોકોના મોત? 50 થી વધુ ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/mahakumbh-stampede-on-the-banks-of-the-sangam-in-14-people-died-more-than-50-injured</link>
                    <guid>https://khabarantar.com/mahakumbh-stampede-on-the-banks-of-the-sangam-in-14-people-died-more-than-50-injured</guid>
                    <description>
                        <![CDATA[ Mahakumbh માં આસ્થાના નામે ભેગી કરાયેલી લાખોની ભીડે અકસ્માત સર્જ્યો છે. મધરાત બાદ સંગમ તટ પર ભેગી થયેલી ભીડમાં ભાગાભાગી થઈ હતી. 14 લોકોના મોત થયા છે. આ આકડો હજુ વધી શકે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Mahakumbh</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> માં મોટી ઘટના ઘટી છે. </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ભારતમાં આસ્થાના નામે ભીડ ભેગી કરવાના જે ભયસ્થાનો હોય છે તેમાં સૌથી પહેલો ભય અરાજકતા ફેલાતા ભાગદોડનો રહેતો હોય છે. </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Mahakumbh</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">2025માં લાખો લોકો ઉમટી પડ્યાંના આંકડાઓ આવતા હતા ત્યારે બાબતનો ડર સતત રહેતો હતો અને હવે તે સાચો પડ્યો છે. સૂત્રો અને મીડિયામાંથી મળતી માહિતી પ્રમાણે મહાકુંભમાં ગઈકાલે રાત્રે મોટી દુર્ઘટના ઘટી</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> જેમાં ભાગાભાગી જવાથી 14 જેટલા લોકોના મોત થયા હોવાનું અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત રાત્રે લગભગ ૨ વાગ્યે સંગમ બીચ પાસે બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. વહીવટીતંત્ર ઘાયલોને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવાની તૈયારી પણ કરી રહ્યું છે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Mahakumbh</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">2025 માં મંગળવારે રાત્રે સંગમ નગરીમાં ભીડના દબાણને કારણે ભાગદોડ મચી ગઈ છે. અત્યાર સુધીમાં તેમાં 14 લોકોના મોત થયાના સમાચાર છે. જોકે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><o:p> </o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">સૂત્રોનું કહેવું છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. આ ઘટના પછી</span>, NSG <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">કમાન્ડોએ મોરચો સંભાળી લીધો છે. સંગમ નોઝ વિસ્તાર સામાન્ય લોકો માટે સીલ કરી દેવામાં આવ્યો છે. મેળાના તંત્રની વિનંતી પર</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">બધા ૧૩ અખાડાઓએ અમૃત સ્નાન રદ કર્યું છે. ભાગદોડ પછી</span><span lang="GU"> </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Mahakumbh</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> ની હોસ્પિટલો ઘાયલ લોકોથી ભરાઈ ગઈ છે. ઘાયલોને લઈ જતી એમ્બ્યુલન્સની લાંબી કતાર છે. સમગ્ર વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. આ અકસ્માત રાત્રે લગભગ 2 વાગ્યે સંગમ બીચ નજીક થયો.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત થયા છે. આધારભૂત સુત્રોના મતે 17 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્વરૂપ રાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જોકે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">વહીવટીતંત્ર દ્વારા મૃત્યુ કે ઈજા અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. મેળા પ્રશાસનની વિનંતી પર</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">બધા ૧૩ અખાડાઓએ અમૃત સ્નાન રદ કર્યું છે. </span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ ઘટના એક અફવાને કારણે બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક મહિલાઓ જમીન પર પડી ગઈ. તે ઉભી થાય તે પહેલાં જ કેટલાક લોકો તેને કચડીને પસાર થયા. આ પછી મેળા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. આ ઘટના બાદ</span>, NSG <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">કમાન્ડોએ ચાર્જ સંભાળી લીધો છે. સંગમ નોઝ વિસ્તાર સામાન્ય લોકો માટે સીલ કરી દેવામાં આવ્યો છે. અહીં ફક્ત સાધુઓને જ સ્નાન કરવાની મંજૂરી છે.</span></span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/kumbh-mela-massive-fire-breaks-out-in-geeta-press-tent-latest-update">કુંભમેળામાં ભીષણ આગ લાગી, 20થી વધુ ટેન્ટ ખાક</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Jan 2025 09:54:22 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 29 Jan 2025 09:58:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1903</Articleid>
                    <excerpt>Mahakumbh માં આસ્થાના નામે ભેગી કરાયેલી લાખોની ભીડે અકસ્માત સર્જ્યો છે. મધરાત બાદ સંગમ તટ પર ભેગી થયેલી ભીડમાં ભાગાભાગી થઈ હતી. 14 લોકોના મોત થયા છે. આ આકડો હજુ વધી શકે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6799ad5a37dc1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799ad5a07e39.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799ad5a07e39.jpg" length="58794" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mahakumbh 2025</media:keywords>
                </item>
                        <item>
                    <title>કથિત ગૌરક્ષકોએ મુસ્લિમ યુવકને આંતરી ગૌતસ્કર કહી માર મારતા મોત</title>
                    <link>https://khabarantar.com/gaurakshaks-beat-a-muslim-youth-to-death-calling-him-a-cow-smuggler-in-palwal-haryana</link>
                    <guid>https://khabarantar.com/gaurakshaks-beat-a-muslim-youth-to-death-calling-him-a-cow-smuggler-in-palwal-haryana</guid>
                    <description>
                        <![CDATA[ યુવક પશુઓના ખરીદ-વેચાણનું કામ કરતો હોવાથી ટેમ્પામાં ગાય અને વાછરડું લઈને જતો હતો. કથિત ગૌરક્ષકોએ તેને આંતરીને જીવલેણ હુમલો કરી દેતા મોત. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાના પલવલ જિલ્લામાં ટોળાએ ગૌતસ્કરીની આશંકાએ એક મુસ્લિમ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ યુવકનું મોત થઈ ગયું હતું. મિત્રોલ ગામમાં બનેલી આ ઘટના અંગે 10 લોકો સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ હુમલો શુક્રવારે રાત્રે પશુઓની તસ્કરીની શંકામાં થયો હતો એ દરમિયાન, એક વ્યક્તિનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું અને બીજો ઘાયલ થયો હતો. આ કેસમાં પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. મૃતકની ઓળખ મુંડકટી ગામના 28 વર્ષીય યુસુફ તરીકે થઈ છે. જ્યારે અન્ય ઘાયલ થયેલા છોકરાનું નામ રવિ છે, જેની ઉંમર 26 વર્ષ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, યુસુફ પશુઓનું ખરીદ-વેચાણ કરતો હતો. તે રવિ સાથે નાગલા ગામથી એક ગાય અને વાછરડાને ટેમ્પોમાં લઈ જઈ રહ્યો હતો. એ દરમિયાન, મિત્રોલ ગામ પાસે કેટલાક લોકોએ તેને ઘેરી લીધો. તેમણે ઢોરના દસ્તાવેજો માંગ્યા પણ યુસુફ આવા કોઈ કાગળો બતાવી શક્યો નહીં. જેને લઈને ટોળાએ બંને પર પશુ તસ્કરીનો આરોપ લગાવ્યો અને તેમના પર હુમલો કરી દીધો. જેમાં યુસુફ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં રવિવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. ટેમ્પો ડ્રાઈવર રવિને પણ ઈજા થઈ હતી પરંતુ તેની હાલત હવે સ્થિર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુસુફના મૃત્યુ પછી મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. મૃતદેહને તેના ગામમાં લઈ જવામાં આવ્યો ત્યારે ભારે વિરોધ પ્રદર્શનો થયા. રસ્તા પરનો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો અને ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. એ પછી તેના પરિવારના સભ્યો મૃતદેહના અગ્નિસંસ્કાર માટે સંમત થયા હતા. મળતી માહિતી પ્રમાણે યુસુફ કે રવિને કોઈની સાથે દુશ્મની નહોતી. પરંતુ પોતાને ગૌરક્ષક કહેતા લોકોએ તેને પશુ તસ્કર જાહેર કરીને ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે યુસુફનું મોત નીપજ્યું. પોલીસનું કહેવું છે કે આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/In-faridabad-the-guarakshak-shot-the-student-mistaking-him-for-a-gautaskar">ફરીદાબાદમાં ગૌરક્ષકોએ વિદ્યાર્થીને ગૌતસ્કર સમજી ગોળી મારી દીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 Jan 2025 21:11:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1902</Articleid>
                    <excerpt>યુવક પશુઓના ખરીદ-વેચાણનું કામ કરતો હોવાથી ટેમ્પામાં ગાય અને વાછરડું લઈને જતો હતો. કથિત ગૌરક્ષકોએ તેને આંતરીને જીવલેણ હુમલો કરી દેતા મોત.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6798fa122ce1b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6798fa11ef944.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6798fa11ef944.jpg" length="70403" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gaurakshaks, latest news</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાની ચાવી દલિત મતદારોના હાથમાં</title>
                    <link>https://khabarantar.com/delhi-assembly-elections-2025-the-key-to-power-is-in-the-hands-of-dalit-voters</link>
                    <guid>https://khabarantar.com/delhi-assembly-elections-2025-the-key-to-power-is-in-the-hands-of-dalit-voters</guid>
                    <description>
                        <![CDATA[ Delhi Assembly Elections 2025 દલિત મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. 12 અનામત બેઠકો અને 17 ટકા દલિત મતદારો કોણ સત્તા પર બેસશે તે નક્કી કરશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Delhi Assembly Elections 2025 ની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. સત્તાધારી AAP સહિત આ વખતે BJP અને Congress પણ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. દરેક પક્ષો આ વખતે દલિત મતદારો (Dalit Voters) પર વધુ પડતો આધાર રાખતા થયા છે. કેમ કે, આ ચૂંટણીમાં દલિત મતદારો ફરી એકવાર નિર્ણાયક ભૂમિકામાં છે. ૧૨ અનામત બેઠકો (Reserve Seats) અને 17% દલિત વસ્તીના મતો સત્તાનો માર્ગ નક્કી કરશે. ઘણી બેઠકો પર જાટવ (Jatav)અને વાલ્મીકિ (Valmiki) સમાજનો પ્રભાવ નિર્ણાયક છે. રાજકીય પક્ષો તેમને વચનો અને યોજનાઓથી આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હવે દલિત મતદારો ફક્ત કામ પર મતદાન કરવા માંગે છે. દિલ્હીની ખુરશી સુધીનો રસ્તો અહીંના દલિતોના સમર્થન વિના અશક્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 (Delhi Assembly Elections 2025) ના આંકડાઓ પર નજર કરીએ તો અહીંની 70 વિધાનસભા બેઠકોમાંથી 12 અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. એટલું જ નહીં દિલ્હીમાં લગભગ 17% દલિત મતદારો છે. આમાં ૩૮% જાટવ અને ૨૧% વાલ્મીકી સમાજના લોકોનો સમાવેશ થાય છે, જે દિલ્હીના રાજકારણ પર સીધો પ્રભાવ પાડે છે. ઇતિહાસ સાક્ષી છે કે દિલ્હીમાં ફક્ત તે જ પક્ષ સત્તા પર આવ્યો છે જેણે આ 12 અનામત બેઠકો પર સારો દેખાવ કર્યો હતો. ૨૦૨૦ અને ૨૦૧૫ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) એ આ બધી બેઠકો જીતીને સાબિત કર્યું હતું કે આ બેઠકો જીતવી એ સત્તાની ચાવી છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ અનામત બેઠકોના મતદારો ફક્ત "ચૂંટણીનું શસ્ત્ર" બની ગયા છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દરેક પક્ષે દલિતોને આકર્ષવા માટે મોટા મોટા વચનો આપ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત મતદારોને આકર્ષવા માટે તમામ પક્ષોએ મોટી મોટી જાહેરાતો કરી છે. સત્તાધારી AAP એ ઘણી જાહેરાતો કરી છે, જેમાં આંબેડકર શિષ્યવૃત્તિ યોજના, વિદેશમાં અભ્યાસ કરવા માંગતા દલિત વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવાનું વચન અને સફાઈકર્મીઓ માટે આવાસ યોજનાનો સમાવેશ થાય છે. પરંતુ શું છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાન આ વચનો પૂરા થયા? વાસ્તવિકતા એ છે કે ઝૂંપડપટ્ટીમાં રહેતા સફાઈ કામદારો હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. દલિત વસાહતોમાં દિલ્હી સરકારના ઘણા મોહલ્લા ક્લિનિક હજુ પણ અધૂરા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપે આ વખતે ૧૪ દલિત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને ૫ રૂપિયામાં ભોજન પૂરું પાડવા માટે "અટલ કેન્ટીન યોજના" જેવી યોજનાઓનું વચન આપ્યું છે. પરંતુ ભાજપ માટે આ ચૂંટણી ખોવાયેલી જમીન પાછી મેળવવાનો પડકાર છે, કારણ કે પાર્ટી છેલ્લી બે ચૂંટણીઓમાં એક પણ અનામત બેઠક જીતી શકી નથી. ૧૯૯૩માં ૮ બેઠકો જીતનાર ભાજપનું પ્રદર્શન ધીમે ધીમે ઘટતું ગયું. ઝૂંપડપટ્ટીમાં રહેતા દલિતો માટે વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ તેમના માટે કોઈ નક્કર નીતિ લાગુ કરવામાં આવી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસે તેના 15 વર્ષના શાસનમાં દિલ્હીને વિકાસના માર્ગે ચોક્કસ લાવ્યું, પરંતુ દલિત વસાહતો માટે કાયમી રોજગાર, શિક્ષણ અને સ્વચ્છતાના મામલામાં નિષ્ફળ ગઈ. કોંગ્રેસ 2020 અને 2015 માં એક પણ બેઠક જીતી શકી નહીં, અને દલિત સમાજ તેનાથી નિરાશ થઈ ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત બહુમતી ધરાવતા વિસ્તારોની અવગણના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના ૧૮ દલિત બહુમતી ધરાવતા વિધાનસભા મત વિસ્તારોમાં સ્વચ્છતા, પાણી અને રોજગારની સમસ્યાઓ હજુ પણ યથાવત છે. ત્રિલોકપુરી, બવાના, સીમાપુરી જેવા વિસ્તારોમાં લોકો હજુ પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ચૂંટણી વર્ષમાં રાજકીય પક્ષો અહીં મોટા મોટા વચનો આપે છે પરંતુ ચૂંટણી જીત્યા પછી તેઓ આ વિસ્તારોની કાળજી લેતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">"અમારો મત ફક્ત વચનો માટે નથી" દલિતોની સ્પષ્ટતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રિલોકપુરીની સુનિતા દેવી કહે છે, “અમારા ઘરોમાં પાણી નથી, સફાઈ કામદારો હજુ પણ ગટરમાં પોતાના જીવ ગુમાવી રહ્યા છે, અને સરકાર ફક્ત વચનો આપે છે. તેઓ મત માંગવા આવે છે, પણ કોઈ કામ કરતું નથી. ઘડોલીના રામપ્રસાદ કહે છે, “દરેક ચૂંટણીમાં આપણે ફક્ત વચનો જ સાંભળીએ છીએ. આપણને હવે એવા નેતાની જરૂર છે જે આપણા વિસ્તારોને વધુ સારા બનાવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું દલિતો ફક્ત 'વોટ બેંક' બની ગયા છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના રાજકારણમાં દલિત મતદારોનું મહત્વ ફક્ત ચૂંટણી વર્ષમાં જ દેખાય છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આ બધા જ આ વિસ્તારોમાં ઘણા બધા વચનો આપે છે પરંતુ જમીની સ્તરે પરિસ્થિતિ એવી જ રહે છે. દલિતો માટે રોજગાર, શિક્ષણ અને સામાજિક સમાનતા તરફ નક્કર પગલાં લેવાને બદલે, તેમને ફક્ત વોટબેંક તરીકે ગણવામાં આવે છે. આજે પણ દિલ્હીની અનામત બેઠકો અને દલિત બહુમતી ધરાવતા વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું દલિતો કોઈ મોટો નિર્ણય લેશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૫ની ચૂંટણીમાં દલિત સમાજની ભૂમિકા નિર્ણાયક રહેશે. પણ આ વખતે તેઓ વચનો પર નહીં, કામ પર મત આપશે. જો રાજકીય પક્ષો તેમની વ્યૂહરચના નહીં બદલે અને દલિતોના મુદ્દાઓને ગંભીરતાથી નહીં લે, તો દલિત મતદારો આ પક્ષોને ચોક્કસ પાઠ ભણાવશે. હવે માત્ર ઓફિસોમાં ડો.આંબેડકરનો ફોટો રાખવાથી દલિતો રાજી નહીં થઈ જાય. તેમને તેમના મતોની ટકાવારી મુજબ સત્તામાં ભાગ જોઈએ છે. એવામાં જોવાનું એ રહેશે કે દિલ્હીના દલિત મતદારો સત્તાની ચાવી કોના હાથમાં સોંપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/what-is-going-on-in-the-minds-of-the-17-percent-dalit-voters-of-delhi-who-are-angry-with-kejriwal">કેજરીવાલથી નારાજ દિલ્હીના 17 ટકા દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 Jan 2025 16:50:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1901</Articleid>
                    <excerpt>Delhi Assembly Elections 2025 દલિત મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. 12 અનામત બેઠકો અને 17 ટકા દલિત મતદારો કોણ સત્તા પર બેસશે તે નક્કી કરશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6798bd0bbdbe8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6798bd0b889fa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6798bd0b889fa.jpg" length="119356" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Delhi assembly elections 2025, dalit voters, Delhi news</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત સરપંચને ત્રણ યુવકોએ ગોળી મારી, સરપંચની હાલત ગંભીર</title>
                    <link>https://khabarantar.com/dalit-sarpanch-of-tendura-village-in-ups-banda-shot-dead-condition-critical</link>
                    <guid>https://khabarantar.com/dalit-sarpanch-of-tendura-village-in-ups-banda-shot-dead-condition-critical</guid>
                    <description>
                        <![CDATA[ સરપંચ પોતાના પરિવાર સાથે આંગણામાં બેઠા હતા ત્યારે ગામના જ ત્રણ યુવકોએ આવીને ગોળીબાર કર્યો. સરપંચને હોસ્પિટલમાં દાખલ કરાયા, હાલત ગંભીર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સમાજની વ્યક્તિ ગમે તેવા મોટા હોદ્દા પર પહોંચી જાય તો પણ તેમના પર અત્યાચારો અટકવાનું નામ નથી લેતા. બે દિવસ પહેલા એક દલિત ધારાસભ્યને જાતિવાદી તત્વોએ એક શાળાનું ઉદ્ઘાટન કરતા રોક્યા હતા અને તેમને જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કર્યું હતું. હવે અન્ય એક મામલામાં એક દલિત સરપંચ પર ગામના જ કેટલાક યુવકોએ ગોળીબાર કર્યો હોવાનું સામે આવ્યું છે. ગોળી વાગવાથી દલિત સરપંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુપીના બાંદાના તેંદુરા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશ (UP) નો છે. અહીં બાંદા (Banda) ના બિસન્ડા પોલીસ સ્ટેશન વિસ્તારના તેંદુરા ગામ (Tendura village)ના દલિત સરપંચ પર બંદૂકથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સરપંચ (dalit Pradhan) પર બે ગોળી (shot with a gun) ચલાવવામાં આવી હતી. જેમાંથી એક ગોળી ડાબા હાથમાં અને બીજી પેટમાં વાગી છે. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને મેડિકલ કોલેજ રિફર (referred to the medical college) કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સરપંચના ઘરે જ ઘટના બની</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેંદુરા ગામના દલિત સરપંચ રામલાલ જયન (Tendura village Pradhan Ramlal Jayan) સાંજે લગભગ 4:30 વાગ્યે તેમના પ્લોટમાં બેઠા હતા. તેમની સાથે પિંકુ ભદૌરિયા, લલ્લુ સિંહ અને પરિવારના ચાર-પાંચ સભ્યો પણ બેઠા હતા. એ દરમિયાન ગામનો એક યુવક ત્યાં આવ્યો હતો. તેની પાછળ થોડા સમય પછી ગામના બીજા બે યુવાનો આવ્યા હતા. પાછળથી આવેલા બે યુવાનોમાંથી પહેલાએ પિસ્તોલ કાઢીને સરપંચ પર ગોળીબાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">એક ગોળી હાથ પર બીજી પેટમાં વાગી</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલી ગોળી સરપંચના ડાબા હાથમાં વાગી હતી. નજીક બેઠેલા લોકો કંઈ સમજે તે પહેલાં જ બીજા યુવકે પોતાની પિસ્તોલમાંથી ગોળીબાર કર્યો અને તેની ગોળી પેટમાં વાગી હતી. એક પછી એક બે ગોળીબાર થયા બાદ દલિત સરપંચના ઘરે નાસભાગ મચી ગઈ હતી. એ દરમિયાન બંને હુમલાખોરો પિસ્તોલ લહેરાવતા ભાગી ગયા હતા. લોહીથી લથપથ દલિત સરપંચને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં બિસંડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુરેશ કુમાર સૈનીએ જણાવ્યું હતું કે ઘટના સ્થળે તપાસ અને પૂછપરછ કરવામાં આવી છે. ઘાયલને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે સરપંચના પક્ષ દ્વારા કોઈ ફરિયાદ આપવામાં આવી નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરપંચ સમાજવાદી પાર્ટીના સક્રિય સભ્ય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ગોળીબારમાં ઘાયલ થયેલા સરપંચ રામલાલ જયન સમાજવાદી પાર્ટીના સક્રિય કાર્યકર છે. તેઓ સપાના કારોબારી સભ્ય (SP executive) પણ છે. સમાજવાદી પાર્ટી દ્વારા પીડીએ જન સંવાદ યાત્રા (PDA Jan Samvad) કાઢવામાં આવી છે. ૨૩મી ફેબ્રુઆરીએ તેંદુરા ગામમાં પીડીએ જાહેર સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન કરવાની જવાબદારી સરપંચ રામલાલ જયનની હતી. તેમના દ્વારા પીડીએ જનસંવાદ કાર્યક્રમ માટે મંડપ વગેરે બાંધવાની કામગીરી ચાલી રહી, એ દરમિયાન જ આ હુમલો થયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિ મંડળે સરપંચની મુલાકાત લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બનતા જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની સૂચનાથી 8 સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ સરપંચની મુલાકાતે પહોંચ્યું હતું અને આ મામલે જાણકારી મેળવી હતી. સપાના બાંદા જિલ્લા અધ્યક્ષ મધુસૂદન કુશવાહાએ આ મામલે વિસ્તારથી જાણકારી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં બિસન્ડા પોલીસ સ્ટેશને અત્યાર સુધીમાં બે આરોપીઓ રાઘવસિંહ અને કુલદીપની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધાં છે. જ્યારે અન્ય એક આરોપી સંદીપ સિંહ હજુ પણ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિ મંડળે દલિત સરપંચની મુલાકાત લઈને પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે અને તે અખિલેશ યાદવને સોંપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/In-faridabad-the-guarakshak-shot-the-student-mistaking-him-for-a-gautaskar">ફરીદાબાદમાં ગૌરક્ષકોએ વિદ્યાર્થીને ગૌતસ્કર સમજી ગોળી મારી દીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 Jan 2025 13:04:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1900</Articleid>
                    <excerpt>સરપંચ પોતાના પરિવાર સાથે આંગણામાં બેઠા હતા ત્યારે ગામના જ ત્રણ યુવકોએ આવીને ગોળીબાર કર્યો. સરપંચને હોસ્પિટલમાં દાખલ કરાયા, હાલત ગંભીર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6798881511da9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67988814ce323.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67988814ce323.jpg" length="38519" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>tendura news, dalit news, UP</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત ધારાસભ્યને ‘ચમાર’ કહી જાતિવાદી તત્વોએ શાળાનું ઉદ્ઘાટન ન કરવા દીધું</title>
                    <link>https://khabarantar.com/bihars-phulwari-sharif-dalit-mla-gopal-ravidas-stopped-from-inaugurating-school</link>
                    <guid>https://khabarantar.com/bihars-phulwari-sharif-dalit-mla-gopal-ravidas-stopped-from-inaugurating-school</guid>
                    <description>
                        <![CDATA[ 26મી જાન્યુઆરીએ ધારાસભ્ય એક નવનિર્મિત શાળાના મકાનનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. પણ જાતિવાદી તત્વોએ તેમને અટકી જાતિસૂચક ગાળો ભાંડી હતી. દલિત ધારાસભ્યે પોલીસ ફરિયાદ નોંધાવી છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક બાજુ દેશમાં બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ બંધારણમાં જે સમાનતાની વાત કરવામાં આવી છે તેનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે તેની સત્તાધારીઓને જરાય ચિંતા નથી. પ્રજાસત્તાક દિને પંજાબમાં બાબાસાહેબની પ્રતિમા તૂટી હતી. તો અન્ય એક રાજ્યમાં જાતિવાદી તત્વોએ એક દલિત ધારાસભ્ય (Dalit MLA) ને શાળાના મકાનનું ઉદ્ઘાટન કરતા રોકી જાહેરમાં અપમાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">26 મી જાન્યુઆરીએ જ ધારાસભ્યનું અપમાન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બિહારનો છે. અહીં 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના અવસર પર જ એક દલિત ધારાસભ્ય (Dalit MLA) ને જાતિના કારણે અપમાન (insult) નો સામનો કરવો પડ્યો. આ આરોપ કોઈ બીજાએ નહીં પરંતુ ધારાસભ્યે પોતે જ લગાવ્યો છે. આ અંગે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (FIR) પણ નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો પટના (Patna) જિલ્લાના ફુલવારી શરીફ વિધાનસભા મતવિસ્તાર (Phulwari Sharif assembly constituency) નો છે. CPI-ML ના ધારાસભ્ય ગોપાલ રવિદાસે (MLA Gopal Ravidas) આરોપ લગાવ્યો છે કે રવિવારે તેઓ એક શાળાના નવા મકાનનું ઉદ્ઘાટન (inaugurate) કરવા ગયા હતા, પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ તેમને મકાનનું ઉદ્ઘાટન કરતા રોક્યા હતા. એટલું જ નહીં તેમના માટે જાતિસૂચક શબ્દો (Casteist slurs) નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_679876ac1f654.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">CPI-ML ના ધારાસભ્ય પારસા બજાર પોલીસ સ્ટેશન (Parsa Bazar police station)  હેઠળના કુર્થૌલ (Kurthaul) માં એક નવી શાળાના મકાનનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ તેમનો વિરોધ શરૂ કર્યો હતો. ભારે હોબાળાને કારણે પરિસ્થિતિ એવી પેદા થઈ કે તેમણે પાછા ફરવું પડ્યું. ગોપાલ રવિદાસ (Gopal Ravidas) નો આરોપ છે કે એ દરમિયાન કેટલાક જાતિવાદી તત્વો દ્વારા તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી અને જાતિસૂચક ગાળો ભાંડીને તેમનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધારાસભ્યે ફરિયાદ નોંધાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાની સાથે થયેલા દુર્વ્યવહારથી વ્યથિત થઈને MLA ગોપાલ રવિદાસે (MLA Gopal Ravidas) પારસા બજાર પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે નામજોગ અને 10 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. તેમણે પોલીસને આરોપીઓની ધરપકડ કરવા માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અરજીમાં શું લખ્યું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોપાલ રવિદાસે (MLA Gopal Ravidas) પોતાની અરજીમાં લખ્યું છે કે, 'હું મારા કાર્યકરો સાથે નિર્ધારિત કાર્યક્રમ મુજબ ઉચ્ચતર માધ્યમિક શાળાના નવા મકાનનું ઉદ્ઘાટન કરવા માટે શાળા પરિસરમાં પહોંચ્યો હતો. ત્યાં પહેલેથી જ પુન્નુ સિંહ, મિથિલેશ સિંહ, હંસરાજ હંસ અને અન્ય 10 અજાણ્યા વ્યક્તિઓ બેઠા હતા. તેમણે મારી જાતિના "ચમાર" શબ્દનો ઉપયોગ કરીને મારા હસ્તે ઉદ્ઘાટન થવા દીધું નહોતું. આ લોકોએ મને જાતિસૂચક અપશબ્દો કહીને મને ધક્કા મારી બહાર કાઢી મૂકી માર મારવાની ધમકી આપી હતી. પોલીસ હવે આ તમામ આરોપોની તપાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/you-look-like-a-thief-just-from-your-face-arent-you">‘તું તો ચહેરા પરથી જ ચોર લાગે છે, ચમાર છો ને?’</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 Jan 2025 11:52:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1899</Articleid>
                    <excerpt>26મી જાન્યુઆરીએ ધારાસભ્ય એક નવનિર્મિત શાળાના મકાનનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. પણ જાતિવાદી તત્વોએ તેમને અટકી જાતિસૂચક ગાળો ભાંડી હતી. દલિત ધારાસભ્યે પોલીસ ફરિયાદ નોંધાવી છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67987685c32c6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67987685923cd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67987685923cd.jpg" length="95435" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gopal ravidas mla phulwari sharif, phulwari sharif news, stopped  inaugurating school</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહા કુંભમાં VHP બૌદ્ધ સંમેલન યોજશે, દેશભરમાંથી ભંતે અને લામા આવશે</title>
                    <link>https://khabarantar.com/vhp-organize-buddhist-conference-in-maha-kumbh-bhante-lama-will-come-from-all-over-the-country</link>
                    <guid>https://khabarantar.com/vhp-organize-buddhist-conference-in-maha-kumbh-bhante-lama-will-come-from-all-over-the-country</guid>
                    <description>
                        <![CDATA[ મહા કુંભમાં VHP બૌદ્ધ સંમેલન યોજવા જઈ રહી છે. જેમાં દેશભરમાંથી બૌદ્ધ ભંતે અને લામાઓ આવશે. જાણો શું છે ભાજપ અને RSSની રણનીતિ? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રયાગરાજ (Prayagraj) માં ચાલી રહેલા મહાકુંભ (Maha Kumbh) દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) દ્વારા પણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. દરેક મહાકુંભમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા ધર્મ સંસદનું આયોજન કરવામાં આવે છે અને હિન્દુ તેમાં હિંદુઓના પ્રશ્નોને લઈને વિવિધ પ્રસ્તાવોની ચર્ચા કરવામાં આવે છે. કહેવા માટે આ કાર્યક્રમ ભલે Hindu ઓ નો હોય પરંતુ તેની પાછળનો અસલી ચહેરો RSS અને BJP ને માનવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહાકુંભમાં પહેલીવાર બૌદ્ધ સંમેલન યોજાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આ વખતનો મહાકુંભ (Maha Kumbh) ખાસ છે કારણ કે પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદે (VHP) અહીં બૌદ્ધ સંમેલન (Buddhist conference) યોજવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી VHP ફક્ત હિન્દુ પરિષદોનું આયોજન કરતું હતું, પરંતુ પહેલીવાર બૌદ્ધ પરિષદ (Buddhist conference) યોજાવા જઈ રહી છે. ૧૦ ફેબ્રુઆરીથી મહાકુંભમાં ત્રણ દિવસીય પરિષદનું આયોજન થવાનું છે, જેમાં બૌદ્ધ ભંતેઓ (Buddhist monks) અને લામાઓ (lamas) ને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત રશિયા, અમેરિકા, કંબોડિયા, મ્યાનમાર સહિત ઘણા દેશોમાંથી બૌદ્ધ ભંતેઓ આ પરિષદમાં આવશે તેમ VHP દ્વારા જણાવવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિશ્વ હિંદુ પરિષદ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય સંગઠન મહાસચિવ મિલિંદ પરાંડે (Milind Parande) એ જણાવ્યું હતું કે કુંભ એ આધ્યાત્મિક મેળાવડાનું સ્થળ છે. શૈવ, જૈન, શીખ, બૌદ્ધ સહિત ઘણી પરંપરાઓનો જન્મ ભારતમાં જ થયો છે. અલગ અલગ વિચારધારાના સંતોનું એકબીજાને મળવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. આને આગળ વધારીને અમે બૌદ્ધ સંત સંમેલનનું આયોજન કર્યું છે. સ્થાપના થઈ ત્યારથી VHP સતત હિન્દુ પરિષદોનું આયોજન કરી રહ્યું છે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે બૌદ્ધોને એકસાથે લાવવામાં આવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/bjp-is-using-kumbh-mela-to-appease-dalits-and-obc-voters"><span style="font-size: 14pt;">દલિત, ઓબીસીને રિઝવવા ભાજપ કુંભમેળાનો ઉપયોગ કરી રહી છે?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">VHP RSSનું એક સહયોગી સંગઠન છે અને ભાજપ પણ સંઘ પરિવારનો એક રાજકીય ભાગ છે. એ સ્થિતિમાં VHP ના આ સંમેલનને RSS અને BJP ના પ્રયાસો સાથે જોડવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બૌદ્ધ સંમેલન યોજીને RSS શું કરવા માંગે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતે, દેશમાં દલિત સમાજનો એક મોટો વર્ગ છે, જેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે. આ ઉપરાંત, જે લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર નથી કર્યો, તેઓ પણ બૌદ્ધ ધર્મ પ્રત્યે ભારે આદર અને સન્માન ધરાવે છે. પછાત સમાજના ઘણા લોકો પણ બૌદ્ધ ધર્મની પરંપરાઓ સ્વીકારે છે અને મહાત્મા બુદ્ધમાં શ્રદ્ધા ધરાવે છે. આવી સ્થિતિમાં, ભાજપ અને આરએસએસની રણનીતિ એવી છે કે જો આ વર્ગને ખુશ કરી શકાય તો ચૂંટણીમાં લાભ મેળવી શકાય. આ ઉપરાંત, તે બૌદ્ધોને હિન્દુઓ સાથે સામાજિક રીતે જોડવામાં પણ મદદ કરશે. તાજેતરમાં, જ્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે ભાજપે ખાસ કરીને આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બૌદ્ધ સમાજમાંથી આવતા કિરેન રિજિજુને પણ ત્યાં બૌદ્ધોને જોડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૧૯૬૬માં કુંભમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૬૬માં જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ ત્યારે તેણે કુંભમાં તેના પ્રથમ હિન્દુ સંમેલનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ RSS ના બીજા સરસંઘચાલક માધવ સદાશિવ રાવ ગોલવલકરે VHP સંમેલનના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારથી દર વર્ષે કુંભમાં હિન્દુ પરિષદો અને ધર્મ સંસદનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે બૌદ્ધ સંમેલન થઈ રહ્યું છે અને આ સંગઠનની નીતિમાં પરિવર્તનનો સંકેત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બૌદ્ધ સંમેલન યોજવા પાછળનો હેતુ શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુંભમેળામાં બૌદ્ધ સંમેલન યોજવા પાછળનો અસલી ઈરાદો દલિત, આદિવાસી અને ઓબીસી સમાજને હિંદુત્વની રાજનીતિમાં ખેંચી જઈ ભાજપની મતબેંકને મજબૂત કરવાનો છે. વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓ 400થી વધુ સીટો આવે તો દેશનું બંધારણ બદલી નાખવાની અને અનામતને ખતમ કરી દેવાની જાહેરમાં વાત કરતા હતા. જેના કારણે દેશના એસસી, એસટી અને ઓબીસી મતદારોએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું અને તેના કારણે ભાજપ 240 સીટો પર આવીને અટકી ગયો હતો. એટલું જ નહીં પોતાના દમ પર બહુમતિ પણ મેળવી શક્યો નહોતો. એ પછી પણ ભાજપના નેતાઓનો ડો.આંબેડકર અને બંધારણ અને અનામત સહિતના દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લુઘુમતીઓ પરના હુમલાઓ ચાલું રહ્યાં હતા. તાજેતરમાં અમિત શાહે સંસદમાં ડો.આંબેડકરને ફેશન ગણાવી તેને લઈને પણ દેશભરમાં ભારે વિરોધ થયો હતો અને ભાજપની દલિત, આદિવાસી અને ઓબીસી વિરોધી છાપ વધુ મજબૂત બની હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને ત્યાં દલિત મતદારો 20 ટકા આસપાસ છે. દલિતો ડો.આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હોવાથી બુદ્ધના સમાનતાના સિદ્ધાંત તરફ વધુને વધુ વળી રહ્યાં છે. જેના કારણે સંઘ અને ભાજપની ચૂંટણીમાં ફટકો પડવાની ચિંતા સતાવી રહી છે. એટલે પાણી પહેલા પાળ બાંધવા માટે તેઓ હવે બૌદ્ધ ધર્મ અને તેના સંતોને મહોરું બનાવી દલિત મતોને પોતાની તરફ વાળવા પ્રયત્ન કરવા માંગે છે. જો કે, દલિત, આદિવાસી અને ઓબીસી મતદારો ભાજપ અને આરએસએસ ડો.આંબેડકર, બંધારણ અને અનામતના ઘોર વિરોધી હોવાની વાત સારી રીતે સમજી ચૂક્યાં હોવાથી આ પ્રકારના બૌદ્ધ સંમેલનોથી તેઓ ભાજપને મત આપે તે વાતમાં બહુ દમ હોય તેમ લાગતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/why-is-rss-taking-8000-dalit-students-to-kumbh-mela">RSS શા માટે 8000 દલિત વિદ્યાર્થીઓને કુંભ મેળામાં લઈ જઈ રહ્યું છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 Jan 2025 10:56:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1898</Articleid>
                    <excerpt>મહા કુંભમાં VHP બૌદ્ધ સંમેલન યોજવા જઈ રહી છે. જેમાં દેશભરમાંથી બૌદ્ધ ભંતે અને લામાઓ આવશે. જાણો શું છે ભાજપ અને RSSની રણનીતિ?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67986a195550e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67986a1917633.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67986a1917633.jpg" length="93157" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>maha kumbh 2025, buddhist conference, vhp, Rss, Bjp</media:keywords>
                </item>
                        <item>
                    <title>Infosys ના Co&amp;Founder સહિત 18 લોકો સામે SC/ST Act હેઠળ કેસ નોંધાયો</title>
                    <link>https://khabarantar.com/infosys-co-founder-including-18-people-against-case-registered-under-sc-st-act</link>
                    <guid>https://khabarantar.com/infosys-co-founder-including-18-people-against-case-registered-under-sc-st-act</guid>
                    <description>
                        <![CDATA[ Infosys Co-Founder સેનાપતિ ક્રિસ ગોપાલકૃષ્ણન, ભૂતપૂર્વ IISc ડિરેક્ટર બલરામ અને 16 અન્ય લોકો સામે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જાણો શું છે મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Infosys Co-Founder ક્રિસ ગોપાલકૃષ્ણન (Kris Gopalakrishnan), ભૂતપૂર્વ IISc ડિરેક્ટર બલરામ (Balram)અને અન્ય 16 લોકો સામે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ (SC/ST Prevention of Atrocities Act) ગુનો નોંધવામાં આવ્યો હતો. IISc ફેકલ્ટી કે IISc બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્ય ક્રિસ ગોપાલકૃષ્ણન (Kris Gopalakrishnan) તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૭૧મી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ (CCH) ના નિર્દેશોના આધારે સદાશિવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી દુર્ગાપ્પા (Durgappa) , જે આદિવાસી બોવી સમાજ (Bovi community) ના છે, તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીમાં ફેકલ્ટી સભ્ય હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે દાવો કર્યો હતો કે તેમને 2014 માં ખોટી રીતે હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે તેમને જાતિસૂચક ગાળો ભાંડી અને ધમકીઓ આપવામાં આવી હતી. આ કેસમાં અન્ય આરોપીઓમાં ગોવિંદન રંગરાજન, શ્રીધર વોરિયર, સંધ્યા વિશ્વેશ્વરૈયા, હરિ કેવીએસ, દાસપ્પા, બલરામ પી, હેમલતા મિશી, ચટ્ટોપાધ્યાય કે, પ્રદીપ ડી સાવરકર અને મનોહરનનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે ક્રિસ ગોપાલકૃષ્ણન?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રિસ ગોપાલકૃષ્ણનની LinkedIn પ્રોફાઇલ અનુસાર, તેઓ 2013-14માં ભારતના ટોચના ઉદ્યોગ ચેમ્બર, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અને જાન્યુઆરી 2014 માં તેમણે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સહ-અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાન્યુઆરી ૨૦૧૧ માં, ભારત સરકારે ગોપાલકૃષ્ણનને દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી નવાજ્યા. ક્રિસ ગોપાલકૃષ્ણન પાસે IIT મદ્રાસમાંથી ભૌતિકશાસ્ત્ર અને કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી છે. આ ઉપરાંત, ગોપાલકૃષ્ણન ઇન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયર્સ (INAE) ના ફેલો છે. અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર્સ (IETE) ના માનદ ફેલો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આટલા મોટા પદો પર રહેલી ચૂકેલી વ્યક્તિ પણ જાતિવાદથી ગ્રસ્ત હોય ત્યાં બીજા લોકો કેવી માનસિકતામાં રાચતા હશે તે સમજી શકાય તેમ છે. દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાંથી ચાણક્ય નીતિ મુજબ સામ, દામ, દંડ અને ભેદમાંથી કોઈપણ રસ્તો અપનાવીને દલિત, આદિવાસી અને ઓબીસી ફેકલ્ટીઓનો એકડો કાઢી નાખવાનું એક સુનિશ્ચિત તંત્ર કામ કરી રહ્યું છે અને ક્રિષ ગોપાલકૃષ્ણને પણ તે જ કર્યું હોય તેમ લાગે છે. જોવાનું એ છે કે, એટ્રોસિટી એક્ટમાં રહેલી જોગવાઈઓ મુજબ આ લોકોને સજા થાય છે કે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Terrible-nonsense:-Narayan-Murthy-became-the-symbol-of-shameless-and-ruthless-bazaar">ભયંકર નોનસેન્સ: નારાયણ મૂર્તિ બેશરમ અને નિર્દય બજારનું પ્રતીક બની ગયા!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 Jan 2025 09:25:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1897</Articleid>
                    <excerpt>Infosys Co-Founder સેનાપતિ ક્રિસ ગોપાલકૃષ્ણન, ભૂતપૂર્વ IISc ડિરેક્ટર બલરામ અને 16 અન્ય લોકો સામે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જાણો શું છે મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6798535e0bcc9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6798535dce363.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6798535dce363.jpg" length="70555" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Infosys Co-Founder, SC/ST Act, Senapathy kris gopalakrishnan, Atrocity</media:keywords>
                </item>
                        <item>
                    <title>Dr. Ambedkar ને હરાવવાનું કાવતરું કૉંગ્રેસે નહીં, Savarkar એ ઘડ્યું હતું?</title>
                    <link>https://khabarantar.com/the-conspiracy-to-defeat-dr-ambedkar-was-hatched-by-savarkar-not-congress-kharge</link>
                    <guid>https://khabarantar.com/the-conspiracy-to-defeat-dr-ambedkar-was-hatched-by-savarkar-not-congress-kharge</guid>
                    <description>
                        <![CDATA[ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો છે કે, ચૂંટણીમાં Dr.Ambedkar ને હરાવવાનું કાવતરું કૉંગ્રેસે નહીં પરંતુ Savarkar એ ઘડ્યું હતું. તેમણે એક પત્ર બતાવીને આ દાવો કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની પહેલી લોકસભાની વર્ષ 1952માં યોજાયેલી ચૂંટણીમાં ડો.આંબેડકર (Dr.Ambedkar) ને હરાવવાને લઈને ભાજપ સહિતના વિરોધી પક્ષો દ્વારા સતત કૉંગ્રેસ પર માછલાં ધોવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ કહ્યું છે કે ડૉ.આંબેડકરને ચૂંટણીમાં હરાવવાનું કાવતરું કૉંગ્રેસે નહીં પરંતુ વિનાયક દામોદર સાવરકરે (Savarkar) ઘડ્યું હતું. મધ્યપ્રદેશના મહુમાં આયોજિત કોંગ્રેસ પાર્ટીની રેલીમાં બાબાસાહેબનો પત્ર બતાવતા ખડગેએ કહ્યું કે તેમણે પોતે કહ્યું હતું કે સાવરકરે તેમને હરાવવાનું કાવતરું ઘડ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી વિશે આ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે, જેને હું સમાચાર પત્રોમાં જોઉ છું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'જય બાપુ, જય ભીમ, જય સંવિધાન' રેલીમાં ખડગેએ કહ્યું, “તેઓ બાબા સાહેબ વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે, હું દરરોજ અખબારમાં તે જોઉં છું. પણ બાબા સાહેબે પોતે એક પત્ર લખ્યો હતો, હું તમને એ બતાવી રહ્યો છું. તેમણે આ વાત તેના મિત્ર કમલકાંતને લખી હતી. ડૉ. આંબેડકર  લખે છે - મારી હારમાં એસ.એ. ડાંગે અને સાવરકર સિવાય બીજા કોઈનો હાથ નહોતો, તેમણે કાવતરું ઘડીને મને હરાવ્યો. આ પત્ર વાંચો તેનાથી ઘણાં ભ્રમ દૂર થશે.” ખડગેએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, “તમે કેટલું બધું જૂઠું બોલો છો, બાબાસાહેબે પોતે પોતાના હાથે લખ્યું છે, તે ટાઈપ કરેલું નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્ષ 1952ની ચૂંટણીમાં શું થયું હતું”</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે ૧૯૫૨ની લોકસભા ચૂંટણીમાં ડૉ.આંબેડકર(Dr.Ambedkar)ને બોમ્બે નોર્થ બેઠક પરથી નારાયણ સદોબા કાજરોલકર (Narayan Sadoba Kajrolkar) જેવા સામાન્ય ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કાજરોલકર, જે એક સમયે આંબેડકરના સહયોગી હતા, તેમને કોંગ્રેસ પાર્ટીએ તેમની સામે ઉમેદવાર બનાવ્યા હતા. સ્વતંત્રતા પછી પંડિત જવાહરલાલ નેહરુ (Pandit Jawaharlal Nehru) ના નેતૃત્વ હેઠળ રચાયેલી વચગાળાની સરકારમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર કાયદા અને ન્યાય મંત્રી (Minister of Law and Justice) હતા, પરંતુ વડા પ્રધાન સાથે નીતિગત મુદ્દાઓ પર મતભેદો બાદ તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. ભાજપ ઘણીવાર આ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં, સંસદના શિયાળુ સત્રમાં, ભાજપે આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો અને કોંગ્રેસ પર આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે જ્યારે બાબા સાહેબ જીવિત હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમનું ખૂબ અપમાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ભાજપ અને RSS પર ડૉ. આંબેડકર અને તેમના દ્વારા બનાવવામાં આવેલા બંધારણનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે પક્ષના કાર્યકરોને સત્તામાં રહેલા લોકોથી બંધારણને બચાવવા માટે કામ કરવા કહ્યું. રાહુલ ગાંધીએ એવી પણ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી ટૂંક સમયમાં દેશવ્યાપી જાતિ વસ્તી ગણતરી કરશે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ 50 ટકા અનામત મર્યાદા નાબૂદ કરશે અને લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ સંદર્ભમાં કાયદો રજૂ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dr-abedkar-in-the-elections-to-defeat-when-nehru-fielded-his-pa-kajrolkar">જ્યારે ડૉ.આંબેડકરને હરાવવા નહેરૂએ તેમના PA ને જ ચૂંટણીમાં ઉતાર્યો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 Jan 2025 20:12:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1896</Articleid>
                    <excerpt>કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો છે કે, ચૂંટણીમાં Dr.Ambedkar ને હરાવવાનું કાવતરું કૉંગ્રેસે નહીં પરંતુ Savarkar એ ઘડ્યું હતું. તેમણે એક પત્ર બતાવીને આ દાવો કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67979af526629.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67979af4eafe4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67979af4eafe4.jpg" length="72290" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr. Ambedkar, savarkar, Mallikarjun Kharge</media:keywords>
                </item>
                        <item>
                    <title>નકલી ST સર્ટિફિકેટ કઢાવી બ્રાહ્મણ યુવક Deputy Collector બની ગયો</title>
                    <link>https://khabarantar.com/brahmin-youth-becomes-deputy-collector-after-getting-fake-st-certificate-In-ratlam</link>
                    <guid>https://khabarantar.com/brahmin-youth-becomes-deputy-collector-after-getting-fake-st-certificate-In-ratlam</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી ધારાસભ્ય Kamleshwar Dodiyar એ ફરિયાદ કરી છે કે, Ajay Gupta  નામના યુવકે Caste Certificate માં ચેડાં કરી પોતાને ST ગણાવી Deputy Collector બની ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">Brahmin youth becomes Deputy Collector on fake ST certificate : મનુવાદીઓ મોકો મળે ત્યારે દલિતો</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> આદિવાસીઓ અને ઓબીસી સમાજને તેમની સાથે થતા સામાજિક ભેદભાવોને કારણે મળેલી અનામતને ભાંડવાનો એક મોકો નથી ચૂકતા. પણ આ જ તત્વોને આ વર્ગની અનામત પર તરાપ મારવામાં જરાય લાજશરમ નથી આવતું. હમણાં એક એઈમ્સના ડિેરેક્ટરે નકલી ઓબીસી સર્ટિફિકેટ કઢાવી તેમના દીકરાને એમબીબીએસમાં અનામત ક્વોટા સીટ પર એડમિશન અપાવી દીધું હતું. ગુજરાતમાં પણ આવા સેંકડો કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ખોટા એસટી સર્ટિફિકેટ કઢાવીને સામાન્ય કેટેગરીના લોકોએ તેમની નોકરીઓ તફડાવી પાડી હોય.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આવો જ એક ચોંકાવનારો કિસ્સો મધ્યપ્રદેશ</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"> (Madhya Pradesh) </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ના રતલામ</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"> (Ratlam) </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">માંથી સામે આવ્યો છે. જ્યાં એક બ્રાહ્મણ યુવક </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">(Brahmin Youth) </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">નકલી આદિવાસી સર્ટિફિકેટ</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"> (Fake ST Certificate)</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> બનાવી ડેપ્યૂટી કલેક્ટર</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"> (Deputy Collector) </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ની પોસ્ટ સુધી પહોંચી ગયો હતો. જેની જાણ સ્થાનિક ધારાસભ્યને થતા હવે તેમણે આ નકલી આદિવાસી ડેપ્યૂટી કલેક્ટર સામે મોરચો માંડ્યો છે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; color: rgb(224, 62, 45);">મામલો શું છે</span></strong><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><strong><span style="color: rgb(224, 62, 45);">?</span></strong><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">મધ્યપ્રદેશના રતલામ જિલ્લાની સૈલાના વિધાનસભા</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"> (Sailana Assembly Ratlam) </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ના ધારાસભ્ય કમલેશ્વર ડોડિયારે (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">MLA Kamleshwar Dodiyar</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) રાજ્યપાલ મંગુભાઈ પટેલ (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Governor Mangubhai Patel</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) ને પત્ર લખીને અજય ગુપ્તા (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Ajay Gupta</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) નામના વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ડોડિયારે આરોપ લગાવ્યો છે કે અજય ગુપ્તાએ </span>2015<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> માં મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (</span>PSC) <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ની પરીક્ષા અનુસૂચિત જનજાતિ (</span>ST) <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ક્વોટામાંથી નકલી જાતિ પ્રમાણપત્ર (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Fake caste certificate</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) નો ઉપયોગ કરીને પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Deputy Collector</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) નું પદ મેળવ્યું હતું. ધારાસભ્યએ આને આદિવાસી સમાજના અધિકારો પર તરાપ ગણાવી છે અને આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/tribal-reservation-removed-from-birsa-munda-adivasi-university-in-rajpipla">બિરસા મુંડા ‘આદિવાસી’ યુનિવર્સિટીમાંથી ‘આદિવાસી’ અનામત કાઢી નાખી?</a></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ધારાસભ્ય કમલેશ્વર ડોડિયારે પોતાના પત્રમાં લખ્યું છે કે અજય ગુપ્તાએ પોતાના પિતાના નામ અને જાતિ પ્રમાણપત્રમાં છેડછાડ કરીને પોતાને </span>ST <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">શ્રેણીના હોવાનું દર્શાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે અજય ગુપ્તા સામાન્ય જાતિના છે અને તેમણે પોતાના નકલી દસ્તાવેજોના આધારે અનામત શ્રેણી હેઠળ નોકરી મેળવી છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ડોડિયારે એમ પણ ઉલ્લેખ કર્યો કે તેમને આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળી હતી</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જ્યાં ઘટના સંબંધિત દસ્તાવેજો અને માહિતી સામે આવી હતી. ધારાસભ્યના જણાવ્યા મુજબ</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">અજય ગુપ્તાએ માત્ર સરકારી તંત્ર સાથે છેતરપિંડી કરી નથી પરંતુ આ પદો માટે ખરેખર લાયક આદિવાસી ઉમેદવારોના અધિકારોનું પણ ઉલ્લંઘન કર્યું છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આદિવાસી સમાજમાંથી આવતા ધારાસભ્ય કમલેશ્વર ડોડીયારે માંગ કરી છે કે</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> અજય ગુપ્તા અને તેમના પરિવારના તમામ સભ્યોના જાતિ પ્રમાણપત્રોની સંપૂર્ણ ચકાસણી થવી જોઈએ. અને જો અજય ગુપ્તા દોષિત ઠરે છે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તો તેમને તાત્કાલિક સરકારી સેવામાંથી બરતરફ કરવા જોઈએ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. નકલી દસ્તાવેજો પર અનામતનો દુરુપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આદિવાસી સમાજના અસલી દાવેદારોના અધિકારોનું રક્ષણ થાય.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/kadaknath-the-film-kaushik-garasia-from-dahod-made-a-film-on-atrocities-in-bhil-dialect">દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી</a></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ધારાસભ્ય ડોડિયારે (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">MLA Kamleshwar Dodiyar</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) આ મુદ્દા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અનુસૂચિત જનજાતિ શ્રેણી માટે અનામત સરકારી નોકરીઓ આદિવાસી યુવાનોના અધિકારો અને જીવનને સશક્ત બનાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. નકલી દસ્તાવેજો (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Fake</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">certificate</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) ના આધારે અનામતનો દુરુપયોગ કરવો એ માત્ર બંધારણમાં આપવામાં આવેલી અનામતની જોગવાઈઓનું ઉલ્લંઘન નથી પરંતુ તે સરકારી નાણાં અને સંસાધનોનો પણ દુરુપયોગ છે. આવા કિસ્સાઓને કારણે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">લાયક આદિવાસી ઉમેદવારો તેમના અધિકારોથી વંચિત રહી રહ્યા છે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જે અન્યાયી છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આદિવાસી અધિકારોનું ઉલ્લંઘન સહન નહીં કરીએ: </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Kamleshwar Dodiyar</span></span></strong></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ધારાસભ્ય કમલેશ્વર ડોડિયારે (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">MLA Kamleshwar Dodiyar</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) કહ્યું</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> હતું કે</span><span style="mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span>"<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ મામલો ફક્ત એક વ્યક્તિએ લઈ લીધેલી નોકરીનો નથી</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પરંતુ સમગ્ર આદિવાસી સમાજના અધિકારો પર હુમલો છે. અજય ગુપ્તા જેવા લોકો નકલી દસ્તાવેજોના આધારે ન માત્ર સરકારી વ્યવસ્થાની મજાક ઉડાવી રહ્યાં છે પરંતુ એ ગરીબ અને વંચિત આદિવાસી યુવાનોનું ભવિષ્ય પણ છીનવી રહ્યા છે જેઓ આ પોસ્ટ પરના અસલી દાવેદાર છે. આ જરાય સહન કરવામાં આવશે નહીં. અમે રાજ્યપાલ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે જેથી આવી છેતરપિંડી કરનારાઓને કડક મેસેજ જાય.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">”</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">MLA Kamleshwar Dodiyar</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> એ વધુમાં કહ્યું</span>, "<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જો વહીવટીતંત્ર અને સરકાર આ બાબતે નક્કર પગલાં નહીં ભરે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તો તે આદિવાસી સમાજ પ્રત્યે તેમની ઉદાસીનતા દર્શાવશે. અનામત એ આદિવાસીઓનો બંધારણીય અધિકાર (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Constitutional rights of tribals</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) છે અને તેને કોઈ છીનવી શકશે નહીં. અમે કૌભાંડી અજય ગુપ્તા (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Ajay Gupta</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) ને બરતરફ કરીને જ જંપીશું. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જો જરૂર પડશે તો હું રસ્તા પર ઉતરીને વિરોધ કરતા અચકાઈશ નહીં. હું આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશ."</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/first-olympic-gold-medal-in-hockey-a-tribal-captain-gave-it-to-me">દેશને હોકીમાં પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ એક આદિવાસી કેપ્ટને અપાવ્યો હતો</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 Jan 2025 14:32:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1895</Articleid>
                    <excerpt>આદિવાસી ધારાસભ્ય Kamleshwar Dodiyar એ ફરિયાદ કરી છે કે, Ajay Gupta  નામના યુવકે Caste Certificate માં ચેડાં કરી પોતાને ST ગણાવી Deputy Collector બની ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67974b7623fa6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67974b75e603b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67974b75e603b.jpg" length="47130" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kamleshwar Dodiyar, Ajay Gupta, Fake ST Certificate, Deputy Collector, Ratlam, MP, Constitutional rights of tribals</media:keywords>
                </item>
                        <item>
                    <title>Bhira Koregaon case: રોના વિલ્સન, સુધીર ધાવલેને 2413 દિવસ બાદ જામીન મળ્યાં</title>
                    <link>https://khabarantar.com/bhira-koregaon-case-rona-wilson-sudhir-dhawale-granted-bail-after-2413-days</link>
                    <guid>https://khabarantar.com/bhira-koregaon-case-rona-wilson-sudhir-dhawale-granted-bail-after-2413-days</guid>
                    <description>
                        <![CDATA[ Bhira Koregaon case માં Rona Wilson અને Sudhir Dhawale ની 18 જૂન 2018 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તેઓ જેલમાં બંધ હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Bhira Koregaon case</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ને લઈને મોટા સમાચાર આવ્યા છે. એક્ટિવિસ્ટો રોના વિલ્સન (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Rona Wilson</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) અને સુધીર ધાવલે (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Sudhir Dhawale</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) ને 2413 દિવસ બાદ જામીન મળ્યાં છે. બંનેની ૧૮ જૂન</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">૨૦૧૮ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં છે. ૧ જાન્યુઆરી</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">૨૦૧૮ ના રોજ ભીમા કોરેગાંવ યુદ્ધ (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Bhima Koregaon Battle</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) ની ૨૦૦મી વર્ષગાંઠ નિમિત્તે એલ્ગાર પરિષદ (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Elgar Parishad</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) ના કાર્યક્રમ પછી થયેલી હિંસાના માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ ધરાવતા ૧૬ કાર્યકરોમાં વિલ્સન અને ધાવલેનો સમાવેશ થાય છે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">શુક્રવારે રોના વિલ્સન (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Rona Wilson</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) અને સુધીર ધવલે મુંબઈ ની તલોજા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા. બે અઠવાડિયા પહેલા તેમને ભીમા કોરેગાંવ કેસ (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Bhira Koregaon Case</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) માં જામીન મળ્યા હતા</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જેમાં તેમના અને અન્ય માનવાધિકાર કાર્યકરો પર </span>UAPA <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા. એક કાર્યકર્તાએ મક્તુબને જણાવ્યું કે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમને બપોરે </span>1<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> વાગ્યે મુક્ત કરવામાં આવ્યા હતા.</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ભીમા કોરેગાંવ હિંસા કેસમાં ધરપકડ કરાયેલા ૧૬ લોકોમાંથી અત્યાર સુધીમાં માત્ર સાત લોકોને જામીન મળ્યા છે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જ્યારે પ્રખ્યાત માનવાધિકાર કાર્યકર્તા સ્ટેન સ્વામીનું કસ્ટડીમાં મૃત્યુ થયું હતું.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/shoma-sen-was-granted-bail-by-the-supreme-court-after-six-years-in-the-bhima-koregaon-case">ભીમા કોરેગાંવ કેસમાં શોમા સેનને છ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા</a></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">વિલ્સન રાજકીય કેદીઓની મુક્તિ માટેની સમિતિના સભ્ય છે અને એક જાણીતા કેદીઓના અધિકાર માટેના કાર્યકર્તા છે. ધરપકડ પછી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પોલીસે દાવો કર્યો હતો કે વિલ્સનના લેપટોપની તપાસ કરતાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમને એક પત્ર મળ્યો જે વિલ્સને કથિત રીતે માઓવાદી આતંકવાદીને લખ્યો હતો</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનો ઉલ્લેખ હતો.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ફેબ્રુઆરી </span>2021<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> માં</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">અમેરિકન ડિજિટલ ફોરેન્સિક્સ ફર્મ આર્સેનલ કન્સલ્ટિંગના એક અહેવાલમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે એક હેકરે વિલ્સનના કમ્પ્યુટર પર ગુનાહિત પત્ર પ્લાન્ટ કરવા માટે માલવેરનો ઉપયોગ કર્યો હતો. </span>2022<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> માં</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">યુ.એસ.માં સુરક્ષા સંશોધકોએ પુણે પોલીસ અને રોના વિલ્સન</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">વરવરા રાવ અને હેની બાબુ સામેના હેકિંગ અભિયાન વચ્ચે એક સાબિત કડી શોધી કાઢી હતી. ધવલે એક લેખક છે અને એલ્ગાર પરિષદ કાર્યક્રમના આયોજકોમાંના એક છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">મીડિયા રિપોર્ટ્સ મુજબ</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">રોના વિલ્સન અને સુધીર ધાવલે બંનેની </span>2018<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> માં ધરપકડ કરવામાં આવી હતી. ૩૧ ડિસેમ્બર</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">૨૦૧૭ ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં એલ્ગાર પરિષદના કાર્યક્રમમાં કથિત ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા બાદ બીજા દિવસે પુણે જિલ્લાના કોરેગાંવ-ભીમામાં હિંસા ફાટી નીકળી હતી.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><o:p> </o:p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/bhima-koregaon-case-journalist-gautam-navalkhan-gets-bail-after-4-years">ભીમા કોરેગાંવ મામલોઃ પત્રકાર ગૌતમ નવલખાને 4 વર્ષ બાદ જામીન મળ્યાં</a></span></span></strong></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પુણે પોલીસે દાવો કર્યો હતો કે આ કાર્યક્રમને માઓવાદીઓનું સમર્થન હતું. બાદમાં</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (</span>NIA) <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ને સોંપવામાં આવ્યો. જોકે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ કેસમાં ધરપકડ કરાયેલા </span>16<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> લોકોમાંથી ઘણા હવે જામીન પર બહાર છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ એ.એસ. ગડકરી અને કમલ ખાટાની બેન્ચે રોના વિલ્સન અને સુધીર ધાવલે દ્વારા ભોગવવામાં આવેલી "લાંબી કેદ" અને ટ્રાયલ "ટૂંક સમયમાં" પૂર્ણ ન થવાની સંભાવનાની નોંધ લીધી અને જામીન મંજૂર કર્યા.</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પોતાના આદેશમાં</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">બેન્ચે કહ્યું કે આ સમયે તે કેસની યોગ્યતાઓ પર વિચાર કરી રહી નથી. તેમણે કહ્યું કે આ કેસમાં </span>300<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> થી વધુ સાક્ષીઓ હોવાથી ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે નહીં.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">વિલ્સન અને ધાવલેના વકીલોએ કહ્યું હતું કે બંને આરોપીઓ </span>2018<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> થી જેલમાં છે અને ખાસ કોર્ટે પણ હજુ સુધી તેમની સામે </span>'<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આરોપ</span>' <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ઘડ્યા નથી.</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમને રાહત આપતાં</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">કોર્ટે તેમને </span>1 <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">લાખ રૂપિયાની જામીન રકમ જમા કરાવવા અને ટ્રાયલની સુનાવણી માટે ખાસ </span>NIA <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bhima-koregan-battle-when-a-handful-of-mahar-warriors-defeated-the-peshwas-vast-army">જ્યારે મુઠ્ઠીભર મહાર યોદ્ધાઓએ પેશ્વાની વિશાળ સેનાને પરાસ્ત કરેલી</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 Jan 2025 13:01:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1894</Articleid>
                    <excerpt>Bhira Koregaon case માં Rona Wilson અને Sudhir Dhawale ની 18 જૂન 2018 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તેઓ જેલમાં બંધ હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679736248ee21.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67973624548ce.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67973624548ce.jpg" length="105458" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bhira Koregaon case, Rona Wilson, Sudhir Dhawale, Granted Bail, Elgar Parishad</media:keywords>
                </item>
                        <item>
                    <title>મોબાઈલ ફોનના વિવાદમાં બે શખ્સોએ દલિત યુવકની ઘરમાં ઘૂસી હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-killed-in-mobile-dispute-in-dausa-rajasthan</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-killed-in-mobile-dispute-in-dausa-rajasthan</guid>
                    <description>
                        <![CDATA[ Dausa news: મોબાઈલ ફોનને લઈને થયેલી નજીવી તકરારમાં બે યુવકોએ દલિત યુવકના ઘરે જઈ છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Dausa News: </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">રાજસ્થાનના દૌસામાં ગઈકાલે એક દલિત યુવકનું નજીવી બાબતમાં બે શખ્સોએ મળીને ખૂન કરી નાખ્યું. આરોપીઓ અને મૃતક યુવક વચ્ચે મોબાઈલ ફોનને લઈને કોઈ માથાકૂટ થઈ હતી. જેનો બદલો લેવા માટે આરોપીઓ તેના ઘરે પહોંચી ગયા હતા અને ઘરમાં જ ચાકૂના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો હતો. લોકોએ એક આરોપીને પકડી લીધો અને તેને ખૂબ માર માર્યો. પરંતુ બીજો ભાગી ગયો. આરોપીએ યુવકને બચાવવા આવેલા તેના પાડોશી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">હતો.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Dausa </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ના ગણેશપુરા વિસ્તારની ઘટના</span></strong></span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પોલીસના જણાવ્યા અનુસાર હત્યાની આ ઘટના દૌસા</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"> (Dausa)</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> શહેરના ગણેશપુરા રોડ પર સ્થિત સત્કાર કોલોનીમાં બની હતી. અહીં બે યુવાનોએ દલિત યુવક વિનોદ બૈરવા (</span>35) (Vinod bairava) <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ની છરીના ઘા મારીને હત્યા કરી દીધી. હત્યારાઓ રાત્રે વિનોદના ઘરે આવ્યા હતા અને તેની સાથે માથાકૂટ કરી હતી. એ પછી તેને છરીના ઘા મારી દીધાં હતા. થોડી વારમાં જ વિનોદના ઘરમાંથી રડવાનો અને ચીસો પાડવાનો અવાજ આવતા પડોશીઓ ત્યાં દોડી આવ્યા હતા. એ દરમિયાન આરોપીઓ ત્યાંથી ભાગતા જોવા મળ્યા. આ જોઈને પડોશીઓને શંકા ગઈ.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/rajputs-attack-dalits-procession-in-badshahpur-uttar-pradesh-many-injured">રાજપૂતોએ દલિત દીકરીની જાન પર હુમલો કર્યો, અનેક જાનૈયા ઘાયલ</a></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;">પડોશીઓ ઘરમાં ગયા તો ચોંકી ગયા</span></strong></span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">એ દરમિયાન લોકોએ એક હત્યારાને પકડી લીધો પણ બીજો ભાગી ગયો. ત્યારબાદ</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જ્યારે લોકો વિનોદના ઘરની અંદર ગયા</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ત્યારે તેનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં પલંગ પર પડેલો હતો. આ જોઈને પડોશીઓ સ્તબ્ધ થઈ ગયા. લોહીથી ખરડાયેલી છરી પણ ત્યાં પડી હતી. પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. ઘટનાની માહિતી મળતા જ દૌસાના ડીએસપી રવિ પ્રકાશ શર્મા અને શહેર કોટવાલ સુધીર કુમાર ઉપાધ્યાય ઘટનાસ્થળે પહોંચી ગયા.</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">એક આરોપી સગીર નીકળ્યો</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> એકની શોધખોળ ચાલું</span></strong></span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ સાથે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પુરાવા એકત્રિત કરવા માટે </span>FSL <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">અને </span>MOB <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ટીમોને બોલાવવામાં આવી હતી. મોડી રાત્રે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">વિનોદના મૃતદેહને દૌસા જિલ્લા હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યો હતો. એ દરમિયાન લોકોએ જે યુવકને પકડ્યો હતો તે સગીર હોવાનું કહેવાય છે. લોકોએ તેને ખૂબ માર માર્યો અને બાંધી દીધો. પોલીસ તેના દસ્તાવેજો પરથી તેની ઉંમર ચકાસી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ રાહુલ હોવાનું સામે આવ્યું છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">26<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">january</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> એ મોબાઇલને લઈને વિવાદ થયો હતો</span></span></strong></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પોલીસના જણાવ્યા અનુસાર</span>, 26 <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જાન્યુઆરીના રોજ વિનોદ બૈરવા અને આરોપી રાહુલ વચ્ચે મોબાઇલ ફોનને લઈને ઝઘડો થયો હતો. આ જ વિવાદને કારણે રાહુલ તેના મિત્ર સાથે રાત્રે વિનોદ બૈરવાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે વિનોદ પર છરીના ઘા કરીને તેની હત્યા કરી દીધી. હાલમાં પોલીસ રાહુલને શોધી રહી છે. સગીરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર સુધીર કુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રાહુલની ધરપકડ બાદ જ આખો મામલો સામે આવશે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/balotara-dalit-youth-vishnaram-meghwal-murder-case-update-gujarati">દલિત યુવકની હત્યામાં ન્યાય માંગવા આખું શહેર રસ્તા પર ઉતર્યું</a></strong></span></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 Jan 2025 12:01:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1893</Articleid>
                    <excerpt>Dausa news: મોબાઈલ ફોનને લઈને થયેલી નજીવી તકરારમાં બે યુવકોએ દલિત યુવકના ઘરે જઈ છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6797281d5aaed.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6797281d29117.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6797281d29117.jpg" length="57998" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dausa Rajasthan, Dalit youth murder, mobile dispute</media:keywords>
                </item>
                        <item>
                    <title>પ્રજાસત્તાક દિવસે જ Dr. Ambedkar ની પ્રતિમા તોડી, જાહેરમાં બંધારણ સગળાવ્યું</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-amritsar-constitution-set-on-fire-upadate</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-amritsar-constitution-set-on-fire-upadate</guid>
                    <description>
                        <![CDATA[ તોફાની શખ્સ Dr. Ambedkar ની પ્રતિમા ઉપર ચડી ગયો, હથોડો મારી તેને તોડી નાખી. પ્રતિમા પાસે મૂકેલી ભારતીય બંધારણની પ્રતિકૃતિને સળગાવી દીધી. આજે શહેર બંધનું એલાન. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;">Dr. Ambedkar's statue vandalized in Amritsar, Constitution set on fire : એકબાજુ દેશ આખો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો હતો. બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના યોગદાનને યાદ કરીને તેમના મહાન કાર્યોને યાદ કરતો હતો</span><span style="mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> બીજી તરફ એક શહેરમાં એક તોફાની શખ્સ જાહેરમાં ઉભેલી મહાનાયક ડો.આંબેડકરની પ્રતિમાને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપીએ બાબાસાહેબની પ્રતિમા ઉપર ચડી ગયો હતો અને તેણે તેને તોડવા પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં</span><span style="mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> શખ્સે બાબાસાહેબની પ્રતિમા પાસે મૂકેલી બંધારણની પ્રતિકૃતિને પણ સગળાવી દીધી હતી. ઘટના દલિત સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતા પંજાબની છે.</span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">26 જાન્યુઆરીના રોજ</span><span style="mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">અમૃતસરની હેરિટેજ સ્ટ્રીટ પર સ્થિત બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને એક તોફાની શખ્સ દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ બંધારણને પણ આગ લગાવી દીધી.</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પ્રજાસત્તાક દિવસે જ મહાનાયક ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા તોડી પાડવાના આ પ્રયાસના વિરોધમાં આજે અમૃતસર બંધ છે. તોફાનીઓએ પ્રતિમાની સામે રાખેલા બંધારણને પણ આગ ચાંપી દીધી હતી. લોકોએ આરોપીઓને પકડીને પોલીસને સોંપી દીધા.</span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;">દલિત-બહુજન સમાજમાં ભારે આક્રોશ</span></strong></span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">બાબા સાહેબ ડૉ. ભીમ રાવ આંબેડકરની પ્રતિમાનું અપમાન અને બંધારણને આગ લગાડવાની આ ઘટના બાદ</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> સમગ્ર અમૃતસર શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ છે. અહીં </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ફગવાડાના દલિત સમાજના લોકો ભારે ગુસ્સે ભરાયા છે. સમાજના લોકોએ ફગવાડા હાઇવે પર વિરોધ પ્રદર્શન કર્યું અને રસ્તો બ્લોક કરી દીધો. વિરોધ પ્રદર્શનની માહિતી મળતાં</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">એસપી રૂપિન્દર કૌર ભટ્ટી ઘટનાસ્થળે પહોંચી ગયા અને વિરોધ કરી રહેલા લોકોને શાંત પાડ્યા અને તેમની માગણીઓ સાથેનું આવેદનપત્ર સ્વીકાર્યા બાદ રસ્તો ટ્રાફિક ખુલ્લો કરાવ્યો અને તેમને સ્થાનિક ગુરુ હરગોવિંદ નગરમાં બેસવા માટે સમજાવ્યા.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">દલિત નેતા યશ બરણાના નેતૃત્વમાં</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">એસપી રૂપિન્દર કૌર ભટ્ટીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માંગ કરવામાં આવી હતી કે ફગવાડામાં પણ આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવે. આ પ્રસંગે ડીએસપી ભારત ભૂષણ</span><span style="mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">એસએચઓ સિટી અમનદીપ નાહર</span><span style="mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ટ્રાફિક ઇન્ચાર્જ અમન કુમાર દેવેશ્વર પણ તેમની સાથે હતા.</span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate">દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</a></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ત્યાં હાજર લોકોએ તેને નીચે ઉતારી પોલીસને સોંપી દીધો. જ્યારે વિવિધ દલિત સમુદાયના સંગઠનોને આ વાતની જાણ થઈ</span><span style="mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ત્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. આ અંગે પત્રકારો સાથે વાત કરતા દલિત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે અમે ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે પોલીસ સુરક્ષાની પણ માંગણી કરી હતી</span><span style="mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પરંતુ પોલીસે તેના પર ધ્યાન આપ્યું ન હતું અને આજે કેટલાક તોફાની તત્વોએ બાબા સાહેબની પ્રતિમામાં તોડફોડ કરી હતી. ભીમરાવ આંબેડકરની પ્રતિમા તોડફોડ કરવામાં આવી હતી.</span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમણે કહ્યું કે પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે</span><span style="mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તે વ્યક્તિને અમારી ઈચ્છા મુજબ સજા મળે. આ કેસમાં ઘટનાસ્થળે પહોંચેલા અમૃતસર સિટીના એસપી વિશાલજીત સિંહ</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તે વ્યક્તિ અમૃતસરની બહારના જિલ્લાનો રહેવાસી છે. હાલમાં</span><span lang="GU" style="mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેના અમૃતસર આવવાના કારણોની પણ તપાસ કરવામાં આવશે અને પોલીસ તેમની કડક પૂછપરછ કરશે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; color: rgb(224, 62, 45);">સિટીંગ જજ દ્વારા ઘટનાની તપાસ કરાવો</span></strong><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ ઘટનાના સમગ્ર પંજાબમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. જેને લઈને હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. પંજાબ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ હેરિટેજ સ્ટ્રીટમાં ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અપમાન અને ત્યાં સ્થાપિત બંધારણની પ્રતિકૃતિને સળગાવી દેવાની ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે આ ઘટનાને પંજાબ સરકારની નિષ્ફળતા ગણાવીને સમગ્ર મામલાની તપાસ સિટીંગ જજ દ્વારા કરાવવાની માંગ કરી છે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-matter-khokhara-ahmedabad-procession-of-both-accused">ખોખરામાં આરોપીઓનું સરઘસ નીકળ્યું, બાબાસાહેબની નવી પ્રતિમા સ્થાપિત કરાઈ</a></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમણે કહ્યું કે અમને કોઈ અન્ય એજન્સી પર વિશ્વાસ નથી. પ્રજાસત્તાક દિવસે બનેલી આ ઘટનાથી વધુ દુઃખદ શું હોઈ શકે</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">?</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> શ્રી હરમંદિર સાહિબ અહીંથી થોડે દૂર છે અને નજીકમાં જ એક પોલીસ સ્ટેશન પણ આવેલું છે. પંજાબમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી. આજની ઘટના સત્તામાં બેઠેલા લોકોનું સુનિયોજિત કાવતરું છે. પ્રતાપ સિંહ બાજવા પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કહ્યું કે આ ઘટના એવા સમયે બની જ્યારે દરેક ખૂણે પોલીસ તૈનાત હતી. એ આશ્ચર્યજનક છે કે જ્યારે આ ઘટના બની ત્યારે પંજાબ પોલીસ ક્યાં હતી.</span><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; color: rgb(224, 62, 45);">તરુણ ચુગે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું</span></strong><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ભાજપના નેતા તરુણ ચુગે કહ્યું કે ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અપમાન અત્યંત દુર્ભાગ્યપૂર્ણ</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">નિંદનીય અને હૃદયદ્રાવક છે. ગુનેગારોને કડક સજા મળવી જોઈએ. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પહેલા કરતાં પણ વધુ ખરાબ છે. હત્યા</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">લૂંટ</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ખંડણી અને ખંડણીની ઘટનાઓ દરરોજ બની રહી છે. હવે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું છે અને બંધારણની પ્રતિમાનું પણ અપમાન કરવામાં આવ્યું છે. આ કરોડો ભારતીયોનું અપમાન છે. આ દુ:ખદ ઘટના પંજાબની આમ આદમી પાર્ટી સરકારના શબપેટીમાં છેલ્લો ખીલો સાબિત થશે.</span><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ડૉ. આંબેડકરનું અપમાન નિંદનીય છે – ગુરજીતસિંહ ઔજલા</span></strong></span><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના અપમાનની કડક નિંદા કરી છે. તેમણે કહ્યું કે તેમના કારણે જ આજે ભારતમાં દરેકને સમાન અધિકાર મળ્યા છે. આજે જ્યારે આખો દેશ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે જ દેશને સમાન અધિકાર આપનારા અને બંધારણના ઘડવૈયાનું અપમાન કરવું એ દેશના દરેક નાગરિકનું અપમાન છે. સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ આ ઘટનાની તપાસ કરવા અને દોષિતોને વહેલી તકે જેલમાં ધકેલી દેવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને ગુનો કરનારાઓને કડક સજા આપવી જોઈએ.</span></span><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-was-broken-and-thrown-into-a-park-in-santnagar-mirzapur-up">ડૉ.આંબેડકરની વધુ એક પ્રતિમા તૂટી, તોફાનીઓએ ઉખાડીને પાર્કમાં ફેંકી દીધી</a> </strong></span></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 Jan 2025 10:49:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1892</Articleid>
                    <excerpt>તોફાની શખ્સ Dr. Ambedkar ની પ્રતિમા ઉપર ચડી ગયો, હથોડો મારી તેને તોડી નાખી. પ્રતિમા પાસે મૂકેલી ભારતીય બંધારણની પ્રતિકૃતિને સળગાવી દીધી. આજે શહેર બંધનું એલાન.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67971747e3575.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67971747b3e7a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67971747b3e7a.jpg" length="65603" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr. Ambedkar Statue, vandalized, Amritsar, Constitution set on fire</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;અનામત માથાનો દુઃખાવો બની ગઈ છે&amp;apos; &amp; ભાભરમાં ભાજપની નેતાનો બફાટ</title>
                    <link>https://khabarantar.com/bjp-leader-naukaben-prajapati-called-reservation-a-headache-in-bhabhar</link>
                    <guid>https://khabarantar.com/bjp-leader-naukaben-prajapati-called-reservation-a-headache-in-bhabhar</guid>
                    <description>
                        <![CDATA[ ભાભરમાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશમંત્રી નૌકા પ્રજાપતિએ જાહેર મંચ પરથી અનામતને દૂર કરવાની વાત કરતા હોબાળો મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસ, ભાજપ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓ અને તેના કાર્યકરો પર દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની અનામતના કટ્ટર વિરોધી હોવાના આરોપો સતત લાગતા રહે છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતા અનંતકુમાર હેગડેએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે 400 સીટો જીતીશું તો બંધારણ બદલી દઈશું. રાજસ્થાન ભાજપના નેતા કિરોડીલાલ મીણાએ પણ બંધારણ બદલી નાખવાની અને અનામત ખતમ કરી નાખવાની વાત કરી હતી. જેનું પરિણામ ભાજપે લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડ્યું હતું. હવે ફરી એકવાર બરાબર પ્રજાસત્તાક દિવસે ભાજપના એક મહિલા નેતાએ અનામતને માથાનો દુઃખાવો ગણી તેને હટાવવી શક્યા નથી તેને લઈને જાહેર મંચ પરથી દુઃખ વ્યક્ત કર્યું હતું. જેને લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં આજે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ગુજરાતના બનાસકાંઠાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ મંત્રીએ જાહેર મંચ પરથી અનામતનો વિરોધ કરીને કહ્યું કે, 'અનામત માથાનો દુખાવો બની રહી છે'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠાના ભાભરના આઝાદ ચોક ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જિલ્લાના ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબહેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી અનામતને લઈને આપેલા નિવેદન આપતા કહ્યું કે, 'તૃષ્ટીકરણની રાજનીતિ અને વોટ બેંકની નીતિના આધારે અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી. અનામત માથાનો દુખાવો બની રહી છે. દેશમાં આપણું આર્થિક સ્તર સુધરીને 5માં સ્થાને જઈ રહ્યું છે. દેશની પ્રોપર્ટી-મિલકત આપણી જ છે મિત્રો, ભારતના નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે. રાષ્ટ્રભક્તિ ફક્ત 15મી ઓગસ્ટ કે 26માં જાન્યુઆરી નહીં પરંતુ આપણા અંદર દેશ પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક તરફ ભાજપ કહેતુ આવ્યું છે કે, દેશમાં બંધારણ છે ત્યાં સુધી અનામતને કોઈ હટાવી નહીં કરી શકે. બીજી તરફ, પ્રજાસત્તાક દિવસે જ ભાજપના આ મહિલા નેતાની અનામત હટાવી દેવાના નિવેદનને કારણે ભારે હોબાળો મચી ગયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે નૌકાબહેન પ્રજાપતિએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, 'આ મારું વ્યક્તિ નિવેદન હતું અને તેનાથી કોઈને હાની પહોંચી હોય તો હું માફી માંગું છે. આ કોઈ પાર્ટી વતી નિવેદન ન હતું.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/shambhavi-chaudhary-said-nehru-Indira-gandhi-and-rajiv-gandhi-were-against-reservation">'નહેરૂ, ઈંદિરા, રાજીવ ગાંધી અનામત વિરોધી હતા' - દલિત સાંસદના કોંગ્રેસ પર આક્ષેપ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 26 Jan 2025 22:02:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1891</Articleid>
                    <excerpt>ભાભરમાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશમંત્રી નૌકા પ્રજાપતિએ જાહેર મંચ પરથી અનામતને દૂર કરવાની વાત કરતા હોબાળો મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67966381e64fa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67966381af090.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67966381af090.jpg" length="69347" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>naukaben prajapati, Reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાઃ ભક્તે પોતાનું ગુપ્તાંગ કાપી શિવજીને ચઢાવ્યું</title>
                    <link>https://khabarantar.com/sitapur-up-middle-aged-man-cut-off-his-private-parts-and-offered-in-a-shiva-temple</link>
                    <guid>https://khabarantar.com/sitapur-up-middle-aged-man-cut-off-his-private-parts-and-offered-in-a-shiva-temple</guid>
                    <description>
                        <![CDATA[ આધેડે પોતાનું ગુપ્તાંગ કાપીને પુત્રને ગામના મંદિરમાં આવેલા શિવલિંગ પર ચઢાવવા મોકલ્યો. લોકોએ હર હર મહાદેવના નારા લગાવી જય જયકાર કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાં અંધશ્રદ્ધાની એક એવી ઘટના સામે આવી જેણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. અહીંના મહમુદાબાદ પોલીસ સ્ટેશન હેઠળના બહરૌલી ગામમાં એક આધેડે તીક્ષ્ણ હથિયારથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. એ પછી તેણે કપાયેલો ભાગ તેમના 15 વર્ષના પુત્ર દ્વારા ગામના શ્રી જાગેશ્વર મહાદેવ મંદિરમાં અર્પણ કરવા મોકલ્યો. આ ઘટના બાદ ગામમાં હોબાળો મચી ગયો અને મંદિરમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. મંદિરમાં લોકોએ હર હર શંભુના નારા લગાવ્યા. આધેડ વયના વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, આ ઘટના મહમુદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બહરૌલી ગામમાં બની હતી, જ્યાં શનિવારે સવારે બિહારી લાલ નામના 50 વર્ષના શખ્સે તીક્ષ્ણ હથિયારથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. એ પછી, તેણે આ કપાયેલો ભાગ તેમના 15 વર્ષના પુત્ર દ્વારા ગામના શ્રી જાગેશ્વર મહાદેવ મંદિરમાં અર્પણ કરવા મોકલ્યો. પુત્રએ કપાયેલ ગુપ્તાંગ શિવલિંગને અર્પણ કર્યો અને ઘરે પાછો ફર્યો. તે પછી બિહારીલાલ લોહીથી લથપથ પડેલા રહ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/brahmin-grandson-killed-his-grandmother-with-a-trident-and-offered-the-blood-to-the-shivalinga">બ્રાહ્મણ પૌત્રએ ત્રિશૂળથી દાદીની હત્યા કરી લોહી શિવલિંગને ચડાવ્યું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુપ્તાંગ કાપી શિવજીને ચઢાવ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">બિહારી લાલના દીકરાએ જણાવ્યું કે તેના પિતાએ તેને ભગવાનના મંદિરમાં અર્પણ કરવા માટે પોતાનો ગુપ્ત ભાગ કાપીને આપ્યો હતો. જ્યારે ગામલોકોને માહિતી મળી ત્યારે તેઓ મંદિરે પહોંચ્યા હતા. મંદિરમાં પણ ભારે ભીડ હતી. ગામલોકો ખૂબ જ ડરી ગયા હતા અને મંદિરમાં જોરથી ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યા. ગુપ્તાંગ કાપીને તેને અર્પણ કરવાની ચર્ચા આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો જાતભાતની ચર્ચા કરી રહ્યા છે. જે આધેડે પોતાનું ગુપ્તાંગ કાપ્યું તે માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. હાલમાં, તેની સીતાપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પત્નીએ સાચી વાત જણાવી</span></strong></span><br><span style="font-size: 14pt;">બિહારી લાલની પત્ની આશા દેવીએ જણાવ્યું હતું કે જ્યારે બિહારી લાલને સવારે ઉઠીને નહાવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે ના પાડી દીધી હતી. તેમણે કહ્યું, મને મંદિર લઈ જાઓ. પરિવાર તેને મંદિરમાં લઈ ગયો, જ્યાં પૂજા કર્યા પછી તેઓ તેને ઘરે પાછો લાવ્યા. થોડા સમય પછી, બિહારી લાલની તબિયત બગડવા લાગી અને તેઓ બોલી શકતા ન હતા. જ્યારે પત્નીએ હોસ્પિટલ જવા કહ્યું, ત્યારે બિહારીલાલે ના પાડી અને મંદિર લઈ જવા કહ્યું. પરિવાર તેને બળજબરીથી હોસ્પિટલ લઈ ગયો, ત્યારે જ ખબર પડી કે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિહારીલાલની હાલત ગંભીર છે.</span></strong></span><br><span style="font-size: 14pt;">બિહારી લાલની પત્ની આશા દેવીએ જણાવ્યું કે બિહારી લાલની માનસિક સ્થિતિ સારી નથી. તેઓ અંધ શ્રદ્ધામાં માને છે અને તેમનું મન જે કહે છે તે કરે છે. તેઓ ઘણા દિવસથી મંદિરમાં જાય છે. હાલમાં, નાદુરસ્ત તબિયતને કારણે, બિહારી લાલ પાસેથી ઘટના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકાઈ નથી. મળતી માહિતી મુજબ બિહારી લાલને 5 બાળકો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-bhojpara-gondal-a-middle-aged-man-cut-his-throat-in-front-of-a-shivling-and-performed-kamal-puja">ગોંડલના ભોજપરામાં આધેડે શિવલિંગ સામે ગળું કાપી કમળપૂજા કરી?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 26 Jan 2025 13:49:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1890</Articleid>
                    <excerpt>આધેડે પોતાનું ગુપ્તાંગ કાપીને પુત્રને ગામના મંદિરમાં આવેલા શિવલિંગ પર ચઢાવવા મોકલ્યો. લોકોએ હર હર મહાદેવના નારા લગાવી જય જયકાર કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6795ef67cc9fa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6795ef67998c9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6795ef67998c9.jpg" length="67391" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Superstition, private part, cut off, offered in shiva, sitapur, uttar pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>જો બંધારણ ન હોત તો આ અધિકારો આપણને ક્યારેય ન મળ્યાં હોત</title>
                    <link>https://khabarantar.com/if-it-werent-for-the-constitution-of-india-we-would-never-have-had-these-rights</link>
                    <guid>https://khabarantar.com/if-it-werent-for-the-constitution-of-india-we-would-never-have-had-these-rights</guid>
                    <description>
                        <![CDATA[ પ્રજાસત્તાક દિવસે જાણીએ, ડો.આંબેડકરે ઘડેલા ભારતના બંધારણે આપેલા એ 10 મહત્વના અધિકારો વિશે, જે બંધારણ ન હોત તો આપણને ક્યારેય ન મળ્યાં હોત. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે 26 જાન્યુઆરી (26th January) એ ભારત તેનો 76મો પ્રજાસત્તાક દિવસ (76th Republic day) ઉજવી રહ્યું છે ત્યારે લોકશાહી પ્રજાસત્તાક તરીકે દેશના 75 વર્ષ પૂર્ણ થયા તે પણ યાદ કરવામાં આવી રહ્યા છે. એ હકીકતથી સૌ વાકેફ છે કે, ભારતને આઝાદી ૧૯૪૭માં જ મળી ગઈ હતી અને ત્યારથી જ દેશ લોકશાહી તરીકે સ્થાપિત થઈ ગયો હતો. પરંતુ, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ જ્યારે દેશમાં બંધારણ લાગુ થયું ત્યારે ભારત લોકશાહી પ્રજાસત્તાક બન્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા 75 વર્ષોમાં, ભારતે લોકશાહી પ્રજાસત્તાક તરીકે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. ઉદાહરણ તરીકે આ દિવસે અમલમાં આવેલા બંધારણે દેશને સરકાર ચલાવતા શાસનના ખ્યાલથી વાકેફ કરાવ્યો. જેને ધ્યાનમાં રાખીને દેશમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે સરકારો પસંદ કરવા માટે ચૂંટણીઓ યોજાવાની શરૂઆત થઈ. આ ઉપરાંત, દેશમાં ઝડપી આર્થિક વિકાસ અને ઉદારવાદ પણ જોવા મળ્યો છે. ચાલો જાણીએ છેલ્લા 75 વર્ષમાં લોકશાહી પ્રજાસત્તાક તરીકે ભારતની 10 સૌથી મોટી સિદ્ધિઓ વિશે, જે બંધારણ ન હોત તો આપણને મળી ન હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૧. મૂળભૂત અધિકારો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણ તમામ નાગરિકોને વ્યક્તિગત અને સામૂહિક રીતે ચોક્કસ મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રદાન કરે છે. તેની મૂળભૂત અધિકારની 6 વ્યાપક કક્ષાઓ તરીકે બંધારણમાં ગેરંટી આપવામાં આવી છે, જે ન્યાયી છે. બંધારણના ભાગ III માં સમાવિષ્ટ કલમ 12 થી 35 મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે. જે નીચે મુજબ છેઃ </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાનતાનો અધિકારઃ જેમાં કાયદા સમક્ષ સૌ સમાન હોવાનો એટલે કે સમાનતાનો સમાવેશ થાય છે; ધર્મ, વંશ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે ભેદભાવ પર પ્રતિબંધ મૂકાયેલો છે. આમાં રોજગારના સંદર્ભમાં સમાન તકોનો પણ સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, ભેગા થવાની, સંગઠનો અથવા યુનિયન બનાવવાની સ્વતંત્રતા, હરવા-ફરવા, રહેઠાણ અને વ્યવસાયની સ્વતંત્રતા (આમાંથી કેટલાક અધિકારો રાજ્યની સુરક્ષા, વિદેશી દેશો સાથેના વિભિન્ન સંબંધો, જાહેર હિત અને નાગરિક સ્વતંત્રતાઓ સાથે સંબંધિત છે અને શિષ્ટાચાર તથા નૈતિકતાને આધીન આપવામાં આવે છે).</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શોષણ સામેનો અધિકારછ જેમાં બળજબરીથી મજૂરી, બાળ મજૂરી અને માનવ તસ્કરી પર પ્રતિબંધ મૂકાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રદ્ધા અને કોઈપણ ધર્મનું પાલન કરવાની, તેમાં શ્રદ્ધા રાખવાની અને ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈપણ વર્ગના નાગરિકોને તેમની સંસ્કૃતિ, ભાષા અથવા લિપિ જાળવવાનો અધિકાર અને લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપિત કરવા અને જાળવવાનો અધિકાર; અને મૂળભૂત અધિકારોના અમલ માટે બંધારણીય ઉપાયોનો અધિકાર.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2. મૂળભૂત ફરજો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૭૬માં અપનાવવામાં આવેલા ૪૨મા બંધારણીય સુધારામાં નાગરિકોની મૂળભૂત ફરજોની યાદી આપવામાં આવી છે. બંધારણના ભાગ IV માં કલમ 51 'A' મૂળભૂત ફરજો સાથે સંબંધિત છે. તે અન્ય બાબતોની સાથે નાગરિકોને બંધારણનું પાલન કરવાનો અને ભારતના સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપનારા આદર્શોને પ્રોત્સાહન આપવા અને તેનું પાલન કરવાનો આદેશ આપે છે. તે દેશનું રક્ષણ કરવા અને જ્યારે બોલાવવામાં આવે ત્યારે દેશની સેવા કરવા અને સંવાદિતા અને સામાન્ય ભાઈચારાની ભાવના વિકસાવવા અને ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અને વર્ગ વિવિધતાને પ્રોત્સાહન આપવાનો પણ આદેશ આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૩. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણ રાજનીતિના કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો નક્કી કરે છે. આમ તો તેને અદાલતમાં કાયદેસર રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં, પરંતુ તે દેશના શાસન માટે તે મૂળભૂત છે. કાયદાના ઘડતરમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ કરવો એ રાજ્યોની ફરજ માનવામાં આવે છે. આમાં એવી જોગવાઈ છે કે રાજ્ય, રાષ્ટ્રીય જીવનની તમામ સંસ્થાઓમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સહિત દરેક શક્ય સામાજિક વ્યવસ્થા સ્થાપિત કરીને, જાહેર નીતિઓને એવી રીતે નિર્દેશિત કરશે કે બધા પુરુષો અને સ્ત્રીઓને આજીવિકાના પર્યાપ્ત સાધનો પૂરા પાડવામાં આવે. સમાન કામ માટે સમાન પગાર અને તેની આર્થિક ક્ષમતા અને વિકાસની અંદર, બેરોજગારી, વૃદ્ધાવસ્થા, માંદગી અને અન્ય અસમર્થતા અથવા અપંગતાના કિસ્સામાં કામ, શિક્ષણ અને જાહેર સહાયના અધિકારને સુરક્ષિત કરવા માટે અસરકારક જોગવાઈ. રાજ્ય કામદારો માટે જીવનનિર્વાહ વેતન, કામની માનવીય પરિસ્થિતિઓ, યોગ્ય જીવનધોરણ અને ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની સંપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૪. મતદાનનો અધિકાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈપણ લોકશાહી દેશમાં સૌથી મહત્વપૂર્ણ અધિકાર મતદાનનો અધિકાર છે. ભારતીય બંધારણ મુજબ દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ જાતિ, સમાજ અને ધર્મના દરેક નાગરિકને ચૂંટણીમાં પોતાના મતનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ભારતીય બંધારણ મુજબ, ૧૮ વર્ષથી વધુ ઉંમરના દેશના કોઈપણ નાગરિક, જે ચૂંટણી પંચમાં નોંધાયેલા હોય, તે મતદાન કરવા માટે પાત્ર છે. દરેક નાગરિક પોતાના વિસ્તારની રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને સ્થાનિક ચૂંટણીઓમાં મતદાન કરી શકે છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગેરલાયકાતના નિયમોની મર્યાદા ઓળંગે નહીં, ત્યાં સુધી તેને મતદાન કરવાથી રોકી શકાય નહીં. દરેક નાગરિકને ફક્ત એક જ મતદાન કરવાનો અધિકાર છે અને મતદાર ફક્ત તેના નોંધાયેલા વિસ્તારમાં જ મતદાન કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય બંધારણ હેઠળ મતદાનના અધિકારને કેટલો મજબૂત કરવામાં આવ્યો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જે લોકો મતદાન મથક સુધી શારીરિક રીતે પહોંચી શકતા નથી તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા મળે છે. એટલું જ નહીં, બિન-નિવાસી ભારતીયોને પણ મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૫. સંઘીય વ્યવસ્થા, સંસદ-વિધાનસભામાં સત્તાનું વિભાજન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતનું બંધારણ દેશને લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરે છે. એટલે કે, અહીં સત્તાનું વિભાજન સંઘવાદ પર આધારિત છે. ભારતમાં આ સત્તાઓ કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે. અમુક હદ સુધી બંધારણમાં ત્રીજી કેટેગરી - પંચાયતો અને નગરપાલિકાઓને અલગ સત્તા આપવાની જોગવાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત માટે પ્રજાસત્તાક દિવસ કેટલો મહત્વપૂર્ણ રહ્યો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જો 1950 માં આ દિવસે બંધારણ લાગુ ન થયું હોત, તો દેશમાં સંઘવાદનો કોઈ ખ્યાલ ન હોત. જો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ આટલા મોટા દેશને ચલાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું વિભાજન ન હોત, તો અરાજકતા ફેલાઈ ગઈ હોત. આવી સ્થિતિમાં, બંધારણે દેશને સંઘવાદ આપ્યો, જેમાં કેન્દ્રની સત્તા રાજ્યો કરતા વધારે રાખવામાં આવી. જોકે, ઘણા મુદ્દાઓ પર કેન્દ્ર દ્વારા રાજ્યોની સત્તા ઘટાડી શકાતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૬. સ્વતંત્ર કોર્ટ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય બંધારણની એક અનોખી વિશેષતા એ છે કે સંઘીય પદ્ધતિ અપનાવવા અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં સંઘ અને રાજ્ય કાયદાઓના અસ્તિત્વ છતાં, તે સંઘ અને રાજ્ય બંને કાયદાઓનું સંચાલન કરવા માટે કોર્ટની એકીકૃત પદ્ધતિની જોગવાઈ કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર ન્યાયતંત્રમાં ટોચ પર ભારતની સુપ્રીમ કોર્ટ છે અને ત્યારબાદ દરેક રાજ્ય અથવા રાજ્યોના ગ્રુપની હાઈકોર્ટ આવે છે. દરેક હાઇકોર્ટના વહીવટ હેઠળ જિલ્લા અદાલતો હોય છે. કેટલાક રાજ્યોમાં નાનામોટા અને સ્થાનિક પ્રકૃતિના દિવાની અને ફોજદારી વિવાદોનો નિર્ણય કરવા માટે ન્યાય પંચાયત, ગ્રામ્ય કોર્ટ, ગ્રામ કચેરી જેવા વિવિધ નામોને આધિન ગ્રામ/પંચાયત ન્યાયાલય પણ કામ કરે છે. દરેક રાજ્યને જિલ્લા અને સત્ર ન્યાયાધીશના નેતૃત્વ હેઠળના ન્યાયિક જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવે છે. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ એ જિલ્લાની સર્વોચ્ચ ન્યાયિક સત્તા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/what-does-rss-believe-about-the-constitution-of-india-written-by-dr-ambedkar"><span style="font-size: 14pt;">ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિલ્લા અદાલતો એ નાગરિક અધિકારક્ષેત્રની અદાલતો છે, જેનું નેતૃત્વ વિવિધ રાજ્યોમાં મુન્સિફ, સબ-જજ, સિવિલ જજ તરીકે ઓળખાતા ન્યાયાધીશો દ્વારા કરવામાં આવે છે. તેવી જ રીતે, ફોજદારી અદાલતોના વર્ગોમાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ અને પ્રથમ અને બીજા વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૭. ધર્મનિરપેક્ષ શાસન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના બંધારણના નિર્માતાઓએ દેશને પ્રજાસત્તાક જાહેર કર્યો અને તેને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્થાપિત કર્યો. આનો અર્થ એ થયો કે ભારતમાં કોઈ પણ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો નથી અને બધા ધર્મોને સમાન દરજ્જો આપવામાં આવે છે. બંધારણમાં ધર્મનિરપેક્ષતા માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. બંધારણની આ જોગવાઈને કારણે જ દેશના ધાર્મિક સમાજોને પોતાની ઇચ્છા મુજબ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો અધિકાર છે. સરકાર બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતનું પાલન કરે છે, તેથી તે ધર્મના આધારે કોઈની સાથે ભેદભાવ કરી શકતી નથી. તેથી કાયદા સમક્ષ બધા ધર્મો સમાન માનવામાં આવે છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં, વિવિધ ધર્મોને તેમના પોતાના નિયમોનું પાલન કરવા માટે અલગ છૂટ આપવામાં આવી છે. બંધારણમાં આને પણ પર્સનલ લો હેઠળ રાખવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સંદર્ભમાં, ભારતનું બંધારણ અન્ય લોકશાહી દેશોના બંધારણોથી તદ્દન અલગ રહ્યું છે. જ્યાં અમેરિકામાં સરકાર અને ધર્મ બંને એકબીજાના મામલામાં દખલ કરી શકતા નથી. પરંતુ ભારતમાં વ્યવસ્થા એવી છે કે ભારતીય ધર્મનિરપેક્ષતામાં સરકાર ધાર્મિક બાબતોમાં દખલ કરી શકે છે. અહીં વિવિધ ધર્મોની એવી બાબતોને પડકારી શકાય છે, જે બંધારણ કે મૂળભૂત અધિકારોની વિરુદ્ધ હોય. એટલે કે બંધારણ હેઠળ, દેશમાં કોઈપણ ધર્મના વર્ચસ્વને રોકવાની સત્તા પણ આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૮. એકલ નાગરિકતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના બંધારણમાં સમગ્ર ભારત માટે એક જ નાગરિકત્વની જોગવાઈ છે. દરેક વ્યક્તિ જે બંધારણના અમલ સમયે (૨૬ જાન્યુઆરી ૧૯૫૦) ભારતના અધિકારક્ષેત્રમાં વસવાટ કરતો હતો અને (a) તેમાં જન્મ્યો હતો, અથવા (b) તેના માતાપિતામાંથી કોઈ એક ભારતમાં જન્મ્યાં હતા અથવા (c) જે વ્યક્તિ સામાન્ય રીતે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ભારતમાં રહ્યાં તે ભારતના નાગરિક બન્યાં. નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ બંધારણના અમલ પછી ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ, નિર્ધારણ અને રદ કરવા સંબંધિત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-Constitution-of-India-begins-with-the-words-We-the-people-of-India,-meaning-that-India-is-not-a-creation-of-God"><span style="font-size: 14pt;">ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 26 Jan 2025 11:57:49 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 26 Jan 2025 11:58:57 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1889</Articleid>
                    <excerpt>પ્રજાસત્તાક દિવસે જાણીએ, ડો.આંબેડકરે ઘડેલા ભારતના બંધારણે આપેલા એ 10 મહત્વના અધિકારો વિશે, જે બંધારણ ન હોત તો આપણને ક્યારેય ન મળ્યાં હોત.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6795d53d91083.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6795d53d52302.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6795d53d52302.jpg" length="111621" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>constitution, republic day 2025, Dr Ambedkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉનાકાંડ જેવી ઘટનાઃ દલિત યુવકને નગ્ન કરી વાહન પાછળ બાંધી ફેરવ્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-stripped-and-tied-to-a-vehicle-in-sathya-sai-andhra-pradesh</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-stripped-and-tied-to-a-vehicle-in-sathya-sai-andhra-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ માથાભારે તત્વોએ યુવકને વીજળીના થાંભલા સાથે બાંધી ચંપલથી મારી શરીર પણ ગોબર રેડ્યું હતું. એટલું જ નહીં, પોલીસ કસ્ટડીમાં પણ તેને માર્યાનો આક્ષેપ લાગ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ દેશમાં બંધારણના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે, બીજી તરફ દેશમાં જાતિવાદીઓ કાયદો વ્યવસ્થાના કશાય ડર વિના જાણે મનુસ્મતિનું સાશન પ્રવર્તમાન હોય તેવ વર્તી રહ્યાં છે. દરરોજ દેશના લગભગ દરેક રાજ્યમાં, જ્યાં પણ દલિતોની વસ્તી છે, ત્યાં તેમના પર કોઈને કોઈ પ્રકારે અત્યાચાર થયાના સમાચાર આવતા રહે છે. આમાંના જૂજ સમાચારો મીડિયાની નજરમાં આવતા લોકો સુધી પહોંચે છે. બાકીના મોટાભાગના સમાચારો મનુમીડિયાને કારણે દબાણી દેવામાં આવે છે. કમનસીબે દલિતો હજુ પણ પોતાના સ્વતંત્ર મીડિયાને લઈને ગંભીર નથી. જેના કારણે તેમની સમસ્યાઓ અને અવાજની લોકતંત્રમાં કોઈ કિંમત નથી. પરિણામે તેમના પર અત્યાચારની ગમે તેટલી મોટી ઘટના બને તો પણ ન્યાય માટે વલખાં મારવા પડે છે. જ્યારે એજ અત્યાચાર કોઈ સવર્ણ સમાજની વ્યક્તિ સાથે થાય ત્યારે મીડિયા આખો દેશ માથે લઈ લે છે અને ન્યાયની માગણી કરવા લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખો ઘટનાક્રમ એ હદે રૂટિન બની ચૂક્યો છે કે, હવે દલિતો, આદિવાસીઓ, ઓબીસી કે લઘુમતી સમાજના લોકોને પણ જાણે તેની કોઈ અસર નથી થતી. તેનું તાજું ઉદાહરણ આ ઘટના છે, જેમાં ઉનાકાંડની જેમ જ એક દલિત યુવકને માથાભારે તત્વોએ નગ્ન કરીને વાહન પાછળ બાંધીને રસ્તા પર ફેરવ્યો હોવા છતાં મુખ્યધારાના મીડિયામાં તેની નાનકડી નોંધ સુદ્ધાં લેવાઈ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો આંધ્રપ્રદેશના સત્યસાંઈ જિલ્લાના નરસિમ્પલી ગામનો છે. અહીં માથાભારે તત્વોએ એક 24 વર્ષીય દલિત યુવક અંજનેયુલુને વીજળીના થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તેને જાહેરમાં નગ્ન કરી જાતિસૂચક ગાળો ભાંડી રસ્તા પર ફેરવ્યો હતો. આટલેથી પણ તેમનું મન ન ભરાતા તેના જૂતાથી માર મારી માથે છાણથી રેડીને ગંદો કરી મૂક્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/i-cant-bear-it-anymore-unakand-activist-kantibhai-walas-heartbreaking-letter-from-jail"><span style="font-size: 14pt;">"હવે મારાથી સહન નથી થતું", ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ યુવક પર આરોપ હતો કે તે અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ થઈ જતા બંને ભાગી ગયા હતા. યુવતીનો પરિવાર તેને શોધી રહ્યો હતો અને બંને પારિગી મંડળના ઉટુકુરુ ગામમાંથી શોધી કાઢ્યા હતા. ત્યાંથી બંનેને બળજબરીથી નરસિમ્પલ્લી પાછા લાવ્યા, જ્યાં ગુરુવારે આ ઘટના બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છોકરીના સંબંધીઓએ ગામલોકોની સાથે મળીને અંજનેયુલુ પર હુમલો કર્યો, તેને નગ્ન કરી વાહન સાથે બાંધી શેરીઓમાં ફેરવ્યો. આટલેથી પણ આરોપીઓનું મન ન ભરાતા તેને વીજળીના થાંભલા સાથે બાંધી જૂતાથી માર મારવામાં આવ્યો અને માથે ગાયનું છાણ રેડી ગંદો કરી દીધો જાતિસૂચક ગાળો ભાંડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મડિગા અનામત પોરાટા સમિતિ (MRPS) ના નેતાઓના હસ્તક્ષેપ બાદ SC/ST એક્ટ હેઠળ સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. દરમિયાન, છોકરીના પિતાએ અંજનેયુલુ વિરુદ્ધ પોક્સો હેઠળ કેસ દાખલ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત યુવક અંજનેયુલુની બહેન અનીતાએ જણાવ્યું હતું કે, "તેમણે મારા ભાઈ પર હુમલો કર્યો. તેને આ લોકો બળજબરીથી ગાડીમાં લઈ આવ્યા હતા અને પછી તેને નગ્ન કરીને ગામમાં બધાની વચ્ચે મારવાનું શરૂ કરી દીધું હતું. એ પછી પોલીસે તેને ફરીથી પોલીસ સ્ટેશનમાં માર માર્યો અને તેને સમાધાન કરવા માટે મજબૂર કર્યો. આરોપીઓ મારા ભાઈને જાહેરમાં નગ્ન કરીને માર મારી રહ્યા હતા. છતાં પોલીસે તેમના પર કોઈ પગલાં લીધાં નથી. આ આખી ઘટના પાછળ પોલીસ પણ એટલી જ જવાબદાર છે જેટલા આરોપી ગુનેગાર છે. તેમણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાને બદલે મારા ભાઈને આરોપીઓના હવાલે કરી દીધો હતો. માટે પોલીસ પણ એટલી જ ગુનેગાર છે અને તેમના પર પણ કાર્યવાહી થવી જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સત્યસાંઈના એસપી વી રત્નાએ જણાવ્યું હતું કે, "જો યુવક સાથે કસ્ટોડિયલ ટોર્ચર થયાનું સાબિત થશે તો અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/now-justice-is-the-goal-of-our-life-una-kand-victim-ramesh-saravaiya">હવે તો ન્યાય જ અમારી જિંદગીનું લક્ષ્ય છેઃ ઉના કાંડના પીડિત રમેશ સરવૈયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 26 Jan 2025 10:32:48 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 27 Jan 2025 09:42:51 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1888</Articleid>
                    <excerpt>માથાભારે તત્વોએ યુવકને વીજળીના થાંભલા સાથે બાંધી ચંપલથી મારી શરીર પણ ગોબર રેડ્યું હતું. એટલું જ નહીં, પોલીસ કસ્ટડીમાં પણ તેને માર્યાનો આક્ષેપ લાગ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679707b851d68.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679707b820ca8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679707b820ca8.jpg" length="56676" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>sathya sai andhra pradesh news, dalit news, Dalit crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>પાટડીમાં સફાઈકર્મીઓના મોત મામલે દલિતોએ મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો</title>
                    <link>https://khabarantar.com/dalits-protested-by-holding-a-silent-rally-over-the-death-of-sanitation-workers-in-patdi</link>
                    <guid>https://khabarantar.com/dalits-protested-by-holding-a-silent-rally-over-the-death-of-sanitation-workers-in-patdi</guid>
                    <description>
                        <![CDATA[ કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે પરંતુ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ ન થતાં દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાટડીમાં ગટર સફાઈ દરમિયાન મોતને ભેટેલા બે સફાઈકર્મીઓના મામલામાં આરોપી અધિકારીઓની ધરપકડની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ સફાઈકર્મીને ગટરમાં ઉતરીને સફાઈ કરવા મજબૂર ન કરવા. તેમ છતાં આ અધિકારીઓએ જેમને કોન્ટ્રાક્ટ ફાળવ્યો હતો તે કોન્ટ્રાક્ટરે બે દલિત સફાઈકર્મીઓને ગટરમાં ઉતાર્યા હતા. જેમાં બંનેનું મોત થઈ ગયું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ અને કોન્ટ્રાકટર સંજય પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ ન થતાં સમાજમાં રોષ ફેલાયો છે. જેને લઈને પાટડીમાં અનુસૂચિત જાતિ સમાજની મૌન રેલી સાથે ધરણા અને અડધો દિવસ સ્વયંભૂ બંધ પાળવાની સાથે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે આરોપી અધિકારીઓની ધરપકડની માગ કરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Govt-to-pay-Rs-30-lakh-compensation-if-employee-dies-while-cleaning-drains:-Supreme-Court-order">ગટરની સફાઈ કરતાં કર્મચારીનું મોત થાય તો સરકારે રૂ.૩૦ લાખનું વળતર આપવું પડશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગટર સફાઈ દરમિયાન થયેલા ગેસ ગળતરથી બે યુવાનોના મૃત્યુના કેસમાં અનુસૂચિત જાતિ સમાજે મૌન રેલી અને પ્રતીક ધરણા યોજ્યા હતા. 21 જાન્યુઆરી, 2025ના રોજ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પંપ હાઉસમાં કામ કરતા બે કર્મચારીઓ જયેશભાઈ પાટડીયા અને ચિરાગભાઈ પાટડીયાનું મોત થયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકોના પરિવારજનોને સમાજ કલ્યાણ વિભાગ તરફથી એટ્રોસિટી એક્ટ હેઠળ રૂ. 4 લાખની સહાયમાંથી રૂ. 1 લાખનો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો છે. વધુમાં, નગરપાલિકા દ્વારા બંને મૃતકોના પરિવારને રૂ. 30-30 લાખના વળતરના ચેક આપવામાં આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ અને કોન્ટ્રાકટર સંજય પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ ન થતાં સમાજમાં રોષ ફેલાયો છે અને દલિત સમાજના લોકોએ આરોપી અધિકારીઓની ધરપકડની માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ધ્રાંગધ્રાના ડીવાયએસપી જે.ડી. પુરોહિતે જણાવ્યું હતું કે, બંને આરોપી અધિકારીઓ ફરાર છે અને તેમની ધરપકડ માટે અલગ-અલગ પોલીસ ટીમો કાર્યરત છે. વિરોધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર પાટડી નગર બપોરે 12થી 5 વાગ્યા સુધી સ્વયંભૂ બંધ રહ્યું હતું. જોવાનું એ રહેશે કે સરકાર ખરેખર આ કેસમાં આરોપી અધિકારીઓને સજા કરે છે કે પછી અન્ય કેસોની જેમ તેમને છાવરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/assistance-of-rs-30-lakhs-was-given-to-the-families-of-deceased-sanitation-workers-of-patdi">પાટડીના મૃતક બંને સફાઈકર્મીઓના પરિવારને 30-30 લાખની સહાય અપાઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 25 Jan 2025 14:53:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1887</Articleid>
                    <excerpt>કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે પરંતુ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ ન થતાં દલિત સમાજમાં રોષ ફેલાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6794ac2046101.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6794ac203027d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6794ac203027d.jpg" length="81554" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Patdi, Sanitation worker death, Silent rally, Dharna, Dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>યોગી આદિત્યનાથના ગોરખપુરમાં બે દલિત બાળકોની ગળું કાપી હત્યા</title>
                    <link>https://khabarantar.com/two-dalit-children-found-murdered-with-throat-slit-in-gorakhpurs-sahajanwa</link>
                    <guid>https://khabarantar.com/two-dalit-children-found-murdered-with-throat-slit-in-gorakhpurs-sahajanwa</guid>
                    <description>
                        <![CDATA[ પોલીસનું કહેવું છે કે ધોરણ 5 અને 6માં ભણતાં બંને બાળકોને પહેલા થાંભલા સાથે બાંધવામાં આવ્યા હતા. એ પછી તેમની ગળું કાપી હત્યા કરી દેવાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુર (Gorakhpur) ના સહજનવા પોલીસ સ્ટેશન (sahajanwa police station) વિસ્તાર હેઠળના સીસઈ ભસ્કા (Sisai Bhaska) ગામમાં બે નિર્દોષ દલિત બાળકોની ગળું કાપીને હત્યા (Dalit children were murdered by slitting their throats) કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સનસનાટીભરી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. બંને બાળકોના મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યા હતા અને તેમના હાથ-પગ બાંધેલા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા અને કેસની તપાસ શરૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ પ્રિન્સ (Prince)અને અભિષેક (Abhishek) તરીકે થઈ છે. જેઓ અનુક્રમે કેંપિયરગંજ અને ધસ્કાના રહેવાસી છે. બંને બાળકો સફાઈ કર્મચારીના ભત્રીજા અને ભત્રીજી હોવાનું કહેવાય છે. મૃતક બાળકોના પરિવારના સભ્યોની રડી રહીને હાલત ખરાબ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પહેલા વીજળીના થાંભલા સાથે બાંધીને માર્યા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસનું કહેવું છે કે પહેલા બંનેને વીજળીના થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. એ પછી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સહજનવા વિસ્તારના ભક્ષા ગામમાં બની હતી. શુક્રવારે બપોરે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતદેહો વચ્ચે ૫૦ મીટરનું અંતર હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માહિતી મળતા જ ગામલોકોની ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ છે. ગામલોકોએ પોલીસને એક કલાક સુધી બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જવા દીધા નહીં. પોલીસ અધિકારીઓએ તેને લાંબા સમય સુધી સમજાવ્યા ત્યારે જ તેઓ શાંત થયા હતા અને તે પછી જ પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ શકી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામથી દૂર અર્ધનગ્ન હાલતમાં મૃતદેહો મળી આવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે મૃતદેહોમાંથી એકના હાથ અને બીજાના હાથ-પગ બાંધેલા હતા. ઘટના દરમિયાન બાળકો કોઈ અવાજ ન કરે તે માટે, ખૂનીએ તેમના મોંમાં કપડું ઠૂંસી દીધું હતું. સહજનવા પોલીસ ઘટના સ્થળની તપાસ કરી રહી છે. એસએસપી ડૉ. ગૌરવ ગ્રોવરે પણ ઘટનાસ્થળે પહોંચીને ઘટના વિશે માહિતી મેળવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_679494aa68b49.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિલુઆતાલ વિસ્તારના નવાપરના રહેવાસી રાકેશના સાસરિયાઓનું ઘર સહજનવા વિસ્તારના ભક્ષા ગામમાં છે. તેનો ૧૨ વર્ષનો દીકરો પ્રિન્સ તેના મામા ઇન્દ્રેશના ઘરે આવ્યો હતો. ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ, પ્રિન્સ અને તેના મામાનો દીકરો અભિષેક (14) ગામમાં ફરવા ગયા હતા. પરંતુ, લાંબા સમય પછી પણ બંને ઘરે પાછા ફર્યા નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોડી રાત થઈ ત્યારે પરિવારના સભ્યોએ બંને બાળકોની શોધખોળ શરૂ કરી. પરંતુ બંનેનો પત્તો લાગી શક્યો નહોતો. પરિવારના સભ્યો ગામમાં અને સંબંધીઓમાં શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન, શુક્રવારે બપોરે ગામથી થોડે દૂર એક ખેતરમાં બંનેના અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. અભિષેક ધોરણ 6 માં અને પ્રિન્સ ધોરણ 5 માં અભ્યાસ કરતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રોષે ભરાયેલા ગામલોકો રસ્તા પર બેસી ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળકોની હત્યાની માહિતી મળતાં જ ગામલોકો એકઠા થઈ ગયા અને પોતાના પરિવારો સાથે રસ્તા પર બેસી ગયા હતા. પોલીસ બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માંગતી હતી પરંતુ તેઓ મૃતદેહોને લઈ જવા દેતા ન હતા. માહિતી મળતાં જ એસએસપી ગૌરવ ગ્રોવર ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે પરિવાર સાથે વાત કરી અને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી. જે બાદ પરિવારના સભ્યો શાંત થયા. ૧ કલાક પછી તેમણે મૃતદેહને લઈ જવા દીધો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસએસપી ગૌરવ ગ્રોવર કહે છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બંને બાળકોને કોણે અને શા માટે માર્યા, આની દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના ટૂંક સમયમાં જાહેર થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા આઝાદ સમાજ પાર્ટી (કાંશી રામ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચંદ્રશેખર આઝાદે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "ગોરખપુરના સહજનવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટનામાં, બે દલિત કિશોરોના અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે જેમના ગળા કાપી નાખવામાં આવ્યા હતા. મૃતદેહો એકબીજા સાથે બાંધેલા હતા અને તેમના મોંમાં કપડું ઠૂંસી દેવામાં આવ્યું હતું. આ ભયાનક ઘટના સમાજ માટે આઘાતજનક છે અને કાયદો અને વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાને પણ ઉજાગર કરે છે. પરિવારના સભ્યો સાથે મારી સંવેદના છે. પ્રકૃતિ તેમને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. ગોરખપુર પોલીસે આ ઘટનાની નિષ્પક્ષ અને ત્વરિત તપાસ કરવી જોઈએ અને ગુનેગારોને વહેલી તકે ધરપકડ કરવી જોઈએ અને તેમને કડકમાં કડક સજા આપવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/pranav-sijoy-of-st-benedict-lp-school-slivamala-ldukki-dropped-out-of-school">ઉલટી સાફ કરનાર દલિત બાળકે આઘાતમાં આવીને શાળા છોડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 25 Jan 2025 13:07:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1886</Articleid>
                    <excerpt>પોલીસનું કહેવું છે કે ધોરણ 5 અને 6માં ભણતાં બંને બાળકોને પહેલા થાંભલા સાથે બાંધવામાં આવ્યા હતા. એ પછી તેમની ગળું કાપી હત્યા કરી દેવાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6794937c193b8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6794937bd8689.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6794937bd8689.jpg" length="46308" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>two dalit children  murdered, gorakhpurs sahajanwa news, Bhim Army Chief Chandrashekhar Azad</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;BIG BOSS 18&amp;apos; ની અભિનેત્રીને મુંબઈમાં ઘર નથી મળતું, લોકો જાતિ પૂછે છે</title>
                    <link>https://khabarantar.com/bigg-boss-18-fame-actress-yamini-malhotra-is-unable-to-find-a-house-in-mumbai</link>
                    <guid>https://khabarantar.com/bigg-boss-18-fame-actress-yamini-malhotra-is-unable-to-find-a-house-in-mumbai</guid>
                    <description>
                        <![CDATA[ ડેન્ટિસ્ટની ડિગ્રી ધરાવતી અભિનેત્રી યામિનીને મુંબઈમાં જાતિવાદનો કડવો અનુભવ થયો. જે તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ 18' માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનાર અભિનેત્રી યામિની મલ્હોત્રા આ સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અભિનેત્રી ઘણા સમયથી મુંબઈમાં રહેવા માટે ઘર શોધી રહી છે પરંતુ લોકો તેને ઘર આપવા તૈયાર નથી. યામિનીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યામિની મલ્હોત્રાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તે એક અભિનેત્રી હોવાથી તેને મુંબઈમાં ઘર મળી શકતું નથી. લોકો તેને ઘર આપવા તૈયાર નથી. તેઓ તેમને ધર્મ સંબંધિત પ્રશ્નો પૂછી રહ્યા છે. પોસ્ટમાં યામિની આવી માનસિકતા ધરાવતા લોકો પર પ્રહાર કરતી જોવા મળી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'તમે હિન્દુ છો કે મુસ્લિમ?'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યામિનીએ પોતાની પોસ્ટમાં લખ્યું - 'નમસ્તે મિત્રો, હું કંઈક એવું શેર કરવા માંગુ છું જે ખરેખર નિરાશાજનક છે. મને મુંબઈ જેટલું ગમે છે, એટલું જ અહીં ઘર શોધવું મુશ્કેલ છે. મને એવા સવાલો પૂછવામાં આવ્યા કે, તમે હિન્દુ છો કે મુસ્લિમ? તમે ગુજરાતી છો કે મારવાડી? અને જેવી લોકોને ખબર પડે છે કે હું એક અભિનેત્રી છું, કે તરત જ તેઓ ઘર આપવાનો ઈનકાર કરી દે છે. શું હું ફક્ત અભિનેત્રી હોવાને કારણે ઘર મેળવવાને લાયક નથી?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યામિનીને સપનાના શહેર પર ગુસ્સો આવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'બિગ બોસ 18' ફેમ અભિનેત્રીએ આગળ લખ્યું, 'આ આશ્ચર્યજનક છે કે 2025 માં પણ આ પ્રશ્નો કેવી રીતે અસ્તિત્વમાં છે.' જો સપનાઓ શરતો સાથે આવે છે, તો શું આપણે ખરેખર મુંબીને સપનાનું શહેર કહી શકીએ? યામિની મલ્હોત્રા 'બિગ બોસ 18' પહેલા ઘણા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. તેણે સ્ટાર પ્લસના 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' અને 'મૈં તેરી તુ મેરા' જેવા લોકપ્રિય શોમાં કામ કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યામિની મલ્હોત્રા એક અભિનેત્રી હોવા ઉપરાંત, એક ડેન્ટિસ્ટ પણ છે. ૨૦૧૬ માં આવેલી ફિલ્મ 'ચુટ્ટલાબાઈ' માં પણ તેણે કામ કર્યું છે. આ વર્ષે અભિનેત્રીએ 'બિગ બોસ ૧૮' માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. જો કે, તે લાંબા સમય સુધી ઘરમાં ટકી શકી નહોતી. અભિનેત્રી મૂળ દિલ્હીની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આ પહેલી ઘટના નથી કે, મુંબઈમાં કોઈ અભિનેત્રીને ઘર માટે સંઘર્ષ કરવો પડ્યો હોય અને તેને તેની જાતિ પૂછવામાં આવી હોય. આ પહેલા ઉર્ફી જાવેદ પણ ભેદભાવનો સામનો કરી ચૂકી છે. વર્ષ ૨૦૨૩ માં, ઉર્ફીએ શેર કર્યું હતું કે લોકોએ તેને ઘર આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે એક ચોક્કસ ધર્મની હતી. એ વખતે કેટલાક લોકોએ તેના પહેરવેશને કારણે પણ તેને ઘર આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-dalit-doctor-has-been-struggling-to-get-a-house-on-rent-for-four-years-in-visakhapatnam-andhra-pradesh">એક દલિત ડોક્ટર ચાર વર્ષથી ભાડે મકાન મેળવવા રઝળી રહ્યાં છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 25 Jan 2025 11:59:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1885</Articleid>
                    <excerpt>ડેન્ટિસ્ટની ડિગ્રી ધરાવતી અભિનેત્રી યામિનીને મુંબઈમાં જાતિવાદનો કડવો અનુભવ થયો. જે તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67948430bf43e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679484308a4bb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679484308a4bb.jpg" length="84074" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BIG BOSS 18, Yamini Malhotra</media:keywords>
                </item>
                        <item>
                    <title>કર્ણાટક બ્રાહ્મણ મહાસભામાં બ્રાહ્મણ જજોનો ડૉ.આંબેડકરની લીટી નાની કરવા પ્રયાસ?</title>
                    <link>https://khabarantar.com/karnataka-high-court-judge-said-brahmins-made-a-big-contribution-in-the-constitution</link>
                    <guid>https://khabarantar.com/karnataka-high-court-judge-said-brahmins-made-a-big-contribution-in-the-constitution</guid>
                    <description>
                        <![CDATA[ કર્ણાટક હાઈકોર્ટના જજે બંધારણના નિર્માણમાં ત્રણ બ્રાહ્મણોનો ફાળો મોટો હોવાનું કહીને આડકતરી રીતે ડો.આંબેડકરના બંધારણના ઘડવૈયા હોવા મુદ્દે સવાલો ઉઠાવ્યા? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ભારતમાં છેલ્લાં કેટલાક સમયથી બંધારણ અને તેના ઘડવૈયા ડો.આંબેડકર રીતસરના છવાયેલા છે. વંચિત સમાજને માણસ હોવાનો કુદરતી હક અપાવનાર મહાનાયક ડો.આંબેકરના બંધારણ નિર્માણના વિરાટ કાર્યને મનુવાદીઓ યેનકેન પ્રકારે ઓછું આંકવાનો પ્રયાસ કરતા રહે છે. આવું જ કંઈક ચાર દિવસ પહેલા કર્ણાટકમાં યોજાયેલા અખિલ કર્ણાટક બ્રાહ્મણ મહાસભામાં જોવા મળ્યું હતું. જ્યાં કર્ણાટક હાઈકોર્ટના બ્રાહ્મણ જજ કૃષ્ણ એસ દીક્ષિતે બંધારણ ઘડવામાં બ્રાહ્મણોનો ફાળો મોટો હોવાનો કહીને આડકતરી રીતે ડો.આંબેડકરના યોગદાનને ઓછું આંકવાનો પ્રયાસ કર્યો હતો.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિતે આ મહાસભામાં કહ્યું હતું કે</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> આંબેડકરે પોતે કહ્યું હતું કે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ભારતીય બંધારણના નિર્માણમાં બ્રાહ્મણોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બંધારણ તૈયાર કરવા માટે રચાયેલી મુસદ્દા સમિતિના સાત સભ્યોમાંથી ત્રણ બ્રાહ્મણો હતા. જેમની બંધારણ બનાવવામાં મહત્વની ભૂમિકા હતી.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">અખિલ કર્ણાટક બ્રાહ્મણ મહાસભાની સુવર્ણ જયંતિ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત બે દિવસીય બ્રાહ્મણ સંમેલનમાં જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિતે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> જો બી. એન. રાવે બંધારણનો મુસદ્દો તૈયાર ન કર્યો હોત તો બંધારણ તૈયાર કરવામાં હજુ ૨૫ વર્ષનો સમય લાગી જાત. તેમણે કહ્યું કે મુસદ્દા સમિતિમાં સામેલ સાત સભ્યોમાંથી ત્રણ સભ્યો અલ્લાદી કૃષ્ણસ્વામી આયંગર</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">એન. ગોપાલસ્વામી આયંગર અને બી. એન. રાવ<span style="mso-spacerun: yes;">  </span>બ્રાહ્મણ હતા. દીક્ષિતે કહ્યું કે બ્રાહ્મણ શબ્દને જાતિને બદલે વર્ણ સાથે જોડવો જોઈએ.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; font-size: 14pt;">અન્ય બ્રાહ્મણ જજોએ પણ ભાગ લીધો હતો</span></strong></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત ઉપરાંત અન્ય જસ્ટિસ વી. શ્રીશાનંદે પણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જસ્ટિસ દીક્ષિતે કહ્યું કે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">બ્રાહ્મણ સમાજે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ડૉ. આંબેડકરે પોતે બંધારણના નિર્માણમાં બ્રાહ્મણોના ફાળાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ખુદ આંબેડકરે કહ્યું હતું કે જો બી. એન. રાવ બંધારણની મુસદ્દા સમિતિમાં ન હોત તો મુસદ્દો તૈયાર કરવામાં હજુ ૨૫ વર્ષનો સમય લાગત.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/celina-jaitley-said-If-i-get-another-birth-i-would-like-to-be-dr-ambedkar">સેલિના જેટલીએ કહ્યું હતું, "બીજો જન્મ મળે તો ડો.આંબેડકર બનવા માંગીશ"</a></span></strong></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; font-size: 14pt; color: rgb(224, 62, 45);">બાબાસાહેબના જીવનમાં બ્રાહ્મણોના યોગદાનની ચર્ચા કરી</span></strong><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જસ્ટિસ દીક્ષિતે આંબેડકરના જીવનમાં બ્રાહ્મણ શિક્ષકના યોગદાન વિશે વાત કરતા કહ્યું હતું કે ભીમરાવ આંબેડકરના એક શિક્ષક હતા જેનું નામ કૃષ્ણજી હતું</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમણે જ ભીમરાવને આંબેડકર અટક આપી હતી</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જેઓ પહેલા આંબાવડેકર હતા. આ સાથે તેમણે આંબેડકરને આર્થિક મદદ પણ કરી હતી જેથી તેઓ તેમનો અભ્યાસ આગળ વધારી શકે. ન્યાયાધીશે કહ્યું કે આ બાબતો સ્પષ્ટપણે દર્શાવે છે કે બ્રાહ્મણ સમાજ દરેકનું સન્માન કરે છે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; font-size: 14pt;">જજે વેદો સાથે દલિતોને જોડવા પ્રયાસ કર્યો</span></strong></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જસ્ટિસ દીક્ષિતે કહ્યું કે વેદોનું વર્ગીકરણ કરનાર વેદ વ્યાસ એક માછીમારનો પુત્ર હતો. તેવી જ રીતે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">વાલ્મીકિ પણ એસસી અથવા એસટી સમુદાયના હતા. તેમ છતાં તેમણે રામાયણ લખી જેની આપણે પૂજા કરીએ છીએ. (હકીકતે બ્રાહ્મણો વાલ્મિકી રામાયણને બદલે તુલસીદાસ રચિત રામચરિત માનસની પૂજા કરે છે.) તેમણે કહ્યું</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">શું આપણે બ્રાહ્મણોને એટલા માટે નીચી નજરથી જોઈએ છીએ કેમ કે રામાયણના રચયિતા વાલ્મીકિ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાંથી હતા</span>? <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમણે કહ્યું કે આપણે સદીઓથી ભગવાન રામની પૂજા કરીએ છીએ અને તેમના મૂલ્યોને બંધારણમાં સામેલ કરવામાં આવ્યા છે. (બંધારણમાં રામાયણના મૂલ્યો ક્યાંથી આવ્યા</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">?</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) તેમના દ્વારા લખાયેલ રામાયણને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; color: rgb(224, 62, 45);">બંધારણમાં બ્રાહ્મણોના મોટા યોગદાનની વાતમાં કેટલું તથ્ય</span></strong><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><strong><span style="color: rgb(224, 62, 45);">?</span></strong><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જ્યારે કોઈ વિદ્વાન કહે છે કે ડૉ. આંબેડકર બંધારણના ઘડવૈયા હતા. તેનો અર્થ એ છે કે બંધારણને આકાર આપવામાં સૌથી મોટી અને નિર્ણાયક ભૂમિકા ભજવનાર એક વ્યક્તિત્વ નિઃશંકપણે ડૉ. ભીમરાવ આંબેડકર હતા. એ અલગ વાત છે કે બંધારણ સભા સમક્ષ બંધારણ રજૂ કરતી વખતે તેમના છેલ્લા ભાષણમાં</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ડૉ. આંબેડકરે ગૌરવ અને નમ્રતા સાથે</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આટલા ઓછા સમયમાં આટલું સંપૂર્ણ અને વિગતવાર બંધારણ તૈયાર કરવાનો શ્રેય તેમના સાથીદારો રાઉ અને એસ.એન. મુખર્જીને આપ્યો. હતો. પરંતુ સમગ્ર બંધારણ સભા એ હકીકતથી વાકેફ હતી કે આ એક મહાન નેતાની પોતાના સાથીદારો પ્રત્યે કૃતજ્ઞતાની પ્રેમાળ અને નમ્ર અભિવ્યક્તિ હતી.</span><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amit-shah-does-not-like-dr-ambedkar-because-he-is-a-staunch-opponent-of-savarkar">સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?</a></span></strong></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; color: rgb(224, 62, 45);">બંધારણ સભાએ આંબેડકરની ભૂમિકાને સ્વીકારી</span></strong><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="GU" style="font-family: Shruti, sans-serif; font-size: 14pt;">કર્ણાટકના બ્રાહ્મણ જજ ભલે બંધારણમાં બ્રાહ્મણોના યોગદાનની મોટી વાતો કરીને ડો.આંબેડકરના મહાકાર્યની લીટી નાની કરવા પ્રયત્ન કરતા હોય. પરંતુ બંધારણમાં બ્રાહ્મણોનું કેટલું અને કેવું યોગદાન હતું તેનો અસલી ચિતાર બંધારણ સભાની ચર્ચાઓના ભાગ 7ના પાના નંબર 231 પરથી મળે છે. જેમાં ઘણી બધી બાબતો સ્પષ્ટ થઈ જાય છે.<o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જેમની જવાબદારી બંધારણનો લેખિત મુસદ્દો રજૂ કરવાની હતી. આ સમિતિમાં કુલ </span><span style="mso-bidi-font-family: Shruti;">7 </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">સભ્યો હતા. બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં ડૉ. આંબેડકરની ભૂમિકા પર પ્રકાશ પાડતા ભારતીય બંધારણની ખરડા સમિતિના સભ્ય ટી.ટી. કૃષ્ણમાચારીએ નવેમ્બર ૧૯૪૮માં બંધારણ સભા સમક્ષ કહ્યું: </span><span style="mso-bidi-font-family: Shruti;">'</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ગૃહ એ વાત જાણે છે કે ડ્રાફ્ટિંગ કમિટીમાં જે સાત સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તેમાંથી એક સભ્યએ ગૃહમાંથી રાજીનામું આપ્યું છે અને તેમના સ્થાને બીજા સભ્યને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન એક સભ્યનું અવસાન થયું છે અને તેમના સ્થાને કોઈ નવો સભ્ય આવ્યો નથી. એક સભ્ય અમેરિકામાં હતા અને તેનું સ્થાન ભરાયું નહોતું. બીજા એક વ્યક્તિ સરકારી બાબતોમાં પડેલા હતા અને તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ નિભાવી રહ્યા નહોતા. એક કે બે વ્યક્તિઓ દિલ્હીથી ઘણાં દૂર હતા અને સંભવત સ્વાસ્થ્યના કારણોસર સમિતિની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યા ન હતા. તો એકંદરે એવું બન્યું છે કે આ બંધારણ લખવાનો ભાર ડૉ. આંબેડકર પર આવી ગયો છે. મને કોઈ શંકા નથી કે આપણે બધાએ તેમના આભારી હોવું જોઈએ કે તેમણે આ જવાબદારી આટલી પ્રશંસનીય રીતે નિભાવી. (બંધારણ સભાની ચર્ચાઓ</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ભાગ </span><span style="mso-bidi-font-family: Shruti;">7, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પાનું </span><span style="mso-bidi-font-family: Shruti;">231)</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">.</span></span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-does-rss-believe-about-the-constitution-of-india-written-by-dr-ambedkar">ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 25 Jan 2025 11:02:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1884</Articleid>
                    <excerpt>કર્ણાટક હાઈકોર્ટના જજે બંધારણના નિર્માણમાં ત્રણ બ્રાહ્મણોનો ફાળો મોટો હોવાનું કહીને આડકતરી રીતે ડો.આંબેડકરના બંધારણના ઘડવૈયા હોવા મુદ્દે સવાલો ઉઠાવ્યા?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6794773de12d6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6794773dcc3d3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6794773dcc3d3.jpg" length="41530" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>karnataka high court judge, Krishna S Dixit, framing the Constitution, Dr Ambedkar, Brahmins</media:keywords>
                </item>
                        <item>
                    <title>પાટડીના મૃતક બંને સફાઈકર્મીઓના પરિવારને 30&amp;30 લાખની સહાય અપાઈ</title>
                    <link>https://khabarantar.com/assistance-of-rs-30-lakhs-was-given-to-the-families-of-deceased-sanitation-workers-of-patdi</link>
                    <guid>https://khabarantar.com/assistance-of-rs-30-lakhs-was-given-to-the-families-of-deceased-sanitation-workers-of-patdi</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગેસ ગળતરથી મોતને ભેટેલા બંને સફાઈકર્મીઓના પરિવારને 48 કલાકમાં સહાય આપવામાં આવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાટડીમાં 21મી જાન્યુઆરીના રોજ ભૂગર્ભ ગટરના પંપની સફાઈ દરમિયાન ગેસ ગળતર થવાથી મોતને ભેટેલા બંને સફાઈ કર્મચારીઓના પરિવારને સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તાત્કાલિક સહાય ચૂકવી છે. મૃતક સફાઈકર્મીઓ જયેશભાઈ પાટડીયા અને ચિરાગભાઈ પાટડીયાના પરિવારજનોને રૂ. 30-30 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રીની સૂચનાથી પાટડી નગરપાલિકાના સ્વભંડોળમાંથી આ સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દુર્ઘટનાના માત્ર 48 કલાકની અંદર જ બંને પરિવારોને સહાયના ચેક અપાતા સફાઈકર્મી પરિવારોને થોડી રાહત થઈ છે. આ સિવાય એટ્રોસિટી એક્ટ હેઠળ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા દરેક પરિવારને રૂ. 4 લાખની વધારાની સહાય મંજૂર કરવામાં આવી છે, જેમાંથી રૂ. 1 લાખનો પ્રથમ હપ્તો પણ આપવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>ઘાયલ થયેલા વ્યક્તિને પણ રૂ. 1 લાખની સહાય</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગેસ ગળતરની આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ચેતનભાઈ મંગાભાઈની પણ સરકાર દ્વારા રૂ. 1 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે, જેમાંથી રૂ. 25 હજારનો પહેલો હપ્તો જારી કરાયો છે. સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા વિમા પેટે રૂ. 2 લાખની વધારાની સહાયની દરખાસ્ત પણ કરવામાં આવી છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6793af547c245.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃત્યુ જેવા ગંભીર મામલામાં પણ નેતાઓ રાજકીય લાભ લેવાનું ચૂક્યા નહોતા અને સત્તાપક્ષના ધારાસભ્યથી લઈને શહેર ભાજપ પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોએ ફોટો સેશન કરાવ્યું હતું. મૃતકના પરિવારને ચેક વિતરણ સમારોહમાં દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર, દિલીપભાઈ પટેલ, પ્રાંત અધિકારી જયંતસિંહ રાઠોર, મામલતદાર, નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન ચંદારાણા, શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/two-dalit-youths-die-while-cleaning-drains-in-patdi-ahmedabad-contractor-arrested">પાટડીમાં ગટર સફાઈમાં બે દલિત યુવકોના મોત, અમદાવાદના કોન્ટ્રાક્ટરની ધરપકડ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 24 Jan 2025 20:51:15 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 24 Jan 2025 20:53:39 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1883</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગેસ ગળતરથી મોતને ભેટેલા બંને સફાઈકર્મીઓના પરિવારને 48 કલાકમાં સહાય આપવામાં આવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6793af4127aa2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6793af40e2940.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6793af40e2940.jpg" length="83889" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>patdi news, dalit youths die while cleaning drains, assistance</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેઘાણીનગરમાં બજરંગદળે લઘુમતી સમાજના 15 યુવકોના મકાનો ખાલી કરાવ્યા</title>
                    <link>https://khabarantar.com/bajrang-dal-vacates-houses-of-15-youths-from-minority-communities-in-meghaninagar</link>
                    <guid>https://khabarantar.com/bajrang-dal-vacates-houses-of-15-youths-from-minority-communities-in-meghaninagar</guid>
                    <description>
                        <![CDATA[ સ્થાનિકોએ બજરંગદળને લઘુમતી કોમના યુવકો ગેરકાયદે વસવાટ કરતા હોવાનું જણાવતા 100 જેટલા કાર્યકરોએ પોલીસને સાથે રાખી ઘર ખાલી કરાવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના મેઘાણીનગરમાં ગઈકાલે બજરંગદળના કાર્યકરોએ અહીં ભાડાના મકાનોમાં રહેતા 15 જેટલા લઘુમતી સમાજના યુવકોને મકાન ખાલી કરાવ્યા હતા. આ યુવકો ભાડા કરાર કર્યા વિના અહીં રહેતા હતા. સ્થાનિકોમાંથી કોઈએ બજરંગ દળને આ ઘટનાની જાણ કરી દેતા તેમણે આ મામલો ઉપાડી લીધો હતો. એ પછી બજરંગ દળના 100 જેટલા કાર્યકરોએ પોલીસની ટીમ સાથે આ યુવકોના ઘરે પહોંચી ગયા હતા અને મકાન ખાલી કરાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર આવેલી ભગવતી સ્કૂલની સામે શ્યામનગરની ચાલી આવેલી છે. જ્યાં ચાર મકાનમાં 15થી વધુ લઘુમતી કોમના યુવકો ભાડા કરાર વગર રહેતા હતા. તમામ યુવકો દિવસ દરમિયાન કામ પર જતા હતા અને રાત્રે આવીને સુઈ જતા હતા. તેમના તરફથી સ્થાનિકોને કોઈ જ સમસ્યા નહોતી. જો કે, કોઈને તેમની આ શાંતિ પર શંકા ગઈ જતા તેણે તપાસ કરી હતી. જેમાં આ તમામ યુવકો લઘુમતી કોમના હોવાનું અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે બજરંગદળના કાર્યકરો સુધી આ મામલો પહોંચી ગયો હતો. એ પછી તેમણે તરત પોલીસને જાણ કરીને તાત્કાલિક આ યુવકોના ઘર ખાલી કરાવી દેવા માટે કાર્યવાહી કરાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે ગુરુવારે રાત્રે બજરંગદળના 100 થી વધુ કાર્યકર્તાઓ પોલીસની ટીમને લઈને ભાર્ગવ રોડ પર આવેલી શ્યામનગરની ચાલીમાં પહોંચી ગયા હતા અને ચારેય મકાનોમાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન યુવકો લઘુમતી કોમના હોવાથી તેમને મકાન ખાલી કરી દેવા માટેની વિનંતી કરી હતી. માહોલ ગરમાય નહીં તે માટે તમામ યુવકોએ પોતાનો સામાન બાંધીને શાંતિથી રિક્ષામાં બેસીને જતા રહ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તમામ યુવકો મકાન ખાલી કરીને જતા રહેતાની સાથે જ બજરંગ દળના કાર્યકરોએ જયશ્રી રામના નારાઓ લગાવ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપનાર બે લોકો વિરૂદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. બીજી તરફ બજરંગ દળે આ વિસ્તારમાં જો હજુ પણ લઘુમતી કોમના યુવકો રહેતા હોવાનું જાણવા મળશે તો તેમના પર પણ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/bajrang-dal-workers-barge-into-dalit-professors-office-and-beat-him-up"><span style="font-size: 12pt;"> </span>બજરંગ દળના કાર્યકરોએ દલિત પ્રોફેસરને ઓફિસમાં ઘૂસી માર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 24 Jan 2025 20:02:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1882</Articleid>
                    <excerpt>સ્થાનિકોએ બજરંગદળને લઘુમતી કોમના યુવકો ગેરકાયદે વસવાટ કરતા હોવાનું જણાવતા 100 જેટલા કાર્યકરોએ પોલીસને સાથે રાખી ઘર ખાલી કરાવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6793a402bfa1d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6793a402851c6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6793a402851c6.jpg" length="68257" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bajrang dal, minority communities, Ahmedabad news</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંદુ નામે ચાલતી મુસ્લિમ માલિકોની હોટલો પર હવે એસટી બસ નહીં ઉભી રહે</title>
                    <link>https://khabarantar.com/gujarat-st-buses-will-no-longer-stop-at-muslim-owned-hotels-running-under-hindu-names</link>
                    <guid>https://khabarantar.com/gujarat-st-buses-will-no-longer-stop-at-muslim-owned-hotels-running-under-hindu-names</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે વિવિધ રૂટો પર હિન્દુ નામથી ચાલતી મુસ્લિમ માલિકોની હોટલોના લાઈસન્સ રદ કર્યા છે. જાણો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકારે હવે ઉત્તરપ્રદેશની તર્જ પર રાજ્યમાં મુસ્લિમો પર આડકતરી રીતે આર્થિક પ્રતિબંધો લાદવાની શરૂ કર્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આવું એટલા માટે લાગે છે કેમ કે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે (GSRTC) હિંદુ નામથી ચાલતી મુસ્લિમ માલિકોની હોટલોના લાઇસન્સ રદ કર્યા છે. મળતી માહિતી મુજબ આ હોટલોનું નામ કાં તો હિન્દુ હતું અથવા તેને ચલાવવા માટે કોઈ હિન્દુ માલિકના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. હવે રાજ્ય પરિવહન નિગમ એટલે કે GSRTC ની બસો આ હોટલો પર રોકાશે નહીં.</span><span style="font-size: 14pt;"> </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા એક વર્ષમાં, GSRTC એ એવી હોટલોની યાદી તૈયાર કરી હતી જેમાં હિન્દુ નામોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અથવા કેટલાક કિસ્સાઓમાં હોટલ માલિક તરીકે હિન્દુ નામ હતું પરંતુ તે મુસ્લિમ સમાજના લોકો દ્વારા ચલાવવામાં આવી રહી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારનું કહેવું છે કે, હોટલોમાં પારદર્શિતા અને યોગ્ય સંચાલન માટે આ પગલું લેવામાં આવ્યું છે. જે હોટલોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે તેમાં વડોદરા ડિવિઝનમાં અમદાવાદ-સુરત રોડ પર આવેલી સ્વાજી ઇન, હોટેલ વિશાલ, હોટેલ બસેરા અને હોટેલ સતીમાતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભરૂચ વિભાગ હેઠળ સુરત-અમદાવાદ રોડ પર આવેલી હોટેલ તુલસી, હોટેલ મારુતિ, હોટેલ ડાયમંડ અને હોટેલ રોનકના નામ પણ તે હોટલોમાં સામેલ છે જેમના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. આ સિવાય, રાજકોટ વિભાગ હેઠળ ભુજ-ધાંગધ્રા-અમદાવાદ રોડ પર આવેલી હોટલ શિવશક્તિનું રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">GSRTC એ ગોધરા વિભાગ હેઠળ આવતી કિસ્મત કાઠિયાવાડી (ડેલોલ) અને હોટેલ વૃંદાવન નામની હોટલોનું રજીસ્ટ્રેશન પણ રદ કર્યું છે. તેવી જ રીતે, પાલનપુર વિભાગમાં પણ, GSRTC એ હોટેલ ગુરુકૃપા, હોટેલ રિલીફ અને હોટેલ રોનકના રજીસ્ટ્રેશન રદ કર્યા છે. જે હોટલોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે તેમાં સાસણ રોડ પર આવેલી હોટલ તુલસી, ઊંઝા-મહેસાણા હાઇવે પર આવેલી હોટલ માનસી, નડિયાદ ખેડા પર આવેલી હોટલ શ્રીજી અને રાજકોટ-ચોટીલા હાઇવે પર આવેલી હોટલ સર્વોદય એન્ડ રૂમ્સનો સમાવેશ થાય છે. પ્રાપ્ત યાદી અનુસાર, GSRTC એ કુલ ૨૭ હોટલના લાઇસન્સ રદ કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/bjp-leader-threatens-muslim-owner-of-shop-in-baghpat-uttar-pradesh-because-it-has-hindu-name">દુકાનનું નામ હિંદુ હોવાથી ભાજપ નેતાએ મુસ્લિમ માલિકને ધમકાવી તોડફોડ કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 24 Jan 2025 12:04:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1881</Articleid>
                    <excerpt>ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે વિવિધ રૂટો પર હિન્દુ નામથી ચાલતી મુસ્લિમ માલિકોની હોટલોના લાઈસન્સ રદ કર્યા છે. જાણો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6793341a024ad.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67933419c01d5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67933419c01d5.jpg" length="65815" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gujarat st buses, muslim hotels hindu names, Gujarat news</media:keywords>
                </item>
                        <item>
                    <title>પાલનપુરના ગાદલવાડામાં દલિત યુવકે વરઘોડો કાઢવા પોલીસ રક્ષણ માંગ્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-seeks-police-protection-to-take-out-wedding-procession-in-gadalwada-palanpur</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-seeks-police-protection-to-take-out-wedding-procession-in-gadalwada-palanpur</guid>
                    <description>
                        <![CDATA[ વકીલ યુવકના આગામી 6 ફેબ્રુઆરીએ લગ્ન છે. યુવકને ચિંતા છે કે જેમ બાજુના ગામમાં જાતિવાદી તત્વોએ દલિતના વરઘોડા પર હુમલો કર્યો તેવું તેના લગ્નમાં પણ થઈ શકે છે. આથી તેણે પોલીસ રક્ષણ માંગ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધી, સરદારની ભૂમિ તરીકે જેની દુનિયાભરમાં ઓળખ છે તે ગુજરાત જ્યારે દલિતો-આદિવાસીઓ સાથે સમાન વ્યવહારની વાત આવે ત્યારે યુપી, બિહાર સહિતના કટ્ટર જાતિવાદને પણ શરમાવે તે સ્તરે આવીને ઉભું રહી જાય છે. ગુજરાતના ગામડાઓ જાતિવાદથી ખદબદે છે અને તેના અનેક ઉદાહરણો આપણે જોયા છે. ગુજરાતની ભાજપ સરકાર એકબાજુ સમરસતાની વાતો કરે છે, પરંતુ ગામોગામ દલિતો સાથે થતા ભેદભાવને દૂર કરવા માટે કોઈ નક્કર પગલાં લેતી નથી. અગાઉ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાત સરકારને 15મી ઓગસ્ટ દરમિયાન અમુક ગામોને આભડછેટ મુક્ત જાહેર કરવાનો પડકાર ફેંક્યો હતો, પરંતુ સરકાર તરફથી આ ચેલેન્જને સ્વીકારવા કોઈ આગળ આવ્યું નહોતું. એનો એક અર્થ એવો પણ થઈ શકે કે, ગુજરાતની ભાજપની સૌનો સાથે સૌનો વિકાસના સૂત્રધારી સરકારને પણ દલિતો સાથે થતી આભડછેટ દૂર કરવામાં જરાય રસ નથી. ઉપરથી સરકાર ભેદભાવ કરતા જાતિવાદી તત્વોને છાવરતી હોય તેવી સ્થિતિ છે. ગયા વર્ષે દલિત વરરાજાની જાન પર ખૂલ્લેઆમ હુમલો કરનાર માથાભારે તત્વોને તરત જામીન મળી ગયા હતા. જે દર્શાવે છે કે સરકાર એટ્રોસિટીના મજબૂત કાયદાનો કેટલો અને કેવો અમલ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ એકસરખી સ્થિતિ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે રાજસ્થાનના અજમેરમાં એક દલિત યુવકનો વરઘોડો 200થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે નીકળ્યો હતો, જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી હતી. દલિત વરરાજાને બીક હતી કે જાતિવાદી તત્વો તેના વરઘોડા પર હુમલો કરી શકે છે. આથી તેણે પોલીસ રક્ષણ મેળવ્યું હતું. હવે આવી જ એક ઘટના ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_67932cba5c51b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ગાદલવાડા ગામના એક દલિત યુવકે પોતાની જાનના વરઘોડા દરમિયાન પોલીસ રક્ષણ માંગ્યું છે. યુવકે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાને સંબોધીને અરજી કરી છે અને તેમાં પોતાના લગ્ન દરમિયાન વરઘોડામાં પોલીસ સુરક્ષા પુરી પાડવા વિનંતી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત વરરાજાએ પોલીસ રક્ષણ માંગ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામમાં રહેતા મુકેશભાઈ પરેચા વ્યવસાયે એડવોકેટ છે અને તેમણે પોતાના લગ્નના વરઘોડામાં પોલીસ રક્ષણ માંગ્યું છે. મુકેશભાઈએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, “તા. 6 ફેબ્રુઆરી 2025ના રોજ મારા લગ્ન છે, જેમા અમે ઘોડા પર બેસીને વરઘોડો કાઢવા માંગતા હોઈ પોલીસ સુરક્ષા આપવા વિનંતી છે. અમારા ગામમાં અનુસૂચિત જાતિના લોકોએ ક્યારેય વરઘોડો કાઢ્યો નથી કે નીકળતો પણ નથી. પહેલીવાર અમે વરઘોડો કાઢનાર વ્યક્તિ છીએ. જેથી અનિચ્છનીય બનાવ બનવાની પુરી શક્યતા છે, તેથી અમને પોલીસ સુરક્ષા આપવા વિનંતી છે. અગાઉ દલિત સમાજના લોકોએ વરઘોડો કાઢવા તેના પર હુમલો થયાની એકથી વધુ ઘટનાઓ બનેલી છે. અહીંના સરીપડા ગામે દલિત વરરાજાના વરઘોડા પર હુમલો થયો હતો, જે મારા ગામથી માત્ર 1 થી 1.5 કિલોમીટર દૂર છે. આ સિવાય મોટા ગામે પણ આવી જ ઘટના બની હતી, જે મારા ગામથી માત્ર 13 કિલોમીટર દૂર છે. આ બંને ગામો ગઢ પોલીસ સ્ટેશનમાં આવે છે. તા. 6 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 9.30 વાગ્યે અમારા ફાર્મ હાઉસથી ગામ સુધી વરઘોડો જવાનો છે. જેમાં 100 ટકા અજુગતો બનાવ બને તેવી શક્યતા હોવાથી પોલીસ રક્ષણ આપવા વિનંતી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ સુરક્ષા નહીં મળે તો ચોક્કસ હુમલો થશે તેવી ભીતિ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીમાં મુકેશભાઈ સ્પષ્ટ રીતે લખે છે કે, “આ અરજી મારફત હું જણાવવા માંગું છું કે, મારા વરઘોડામાં અજુગતી ઘટના બનશે તેવી શક્યતાને આધારે હું આ અરજી નથી કરી રહ્યો, પરંતુ પોલીસ સુરક્ષા નહીં મળે તો ચોક્કસ અજુગતી ઘટના ઘટશે જ એવું ભારપૂર્વક જણાવું છું, જેની ગંભીરતાથી નોંધ લઈ સમયસર પોલીસ સુરક્ષા પુરી પાડવા વિનંતી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરરાજા મુકેશભાઈ પરેચાએ આ અરજી બનાસકાંઠા એસપી ઉપરાંત ગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ, નાયબ પોલીસ અધીક્ષક એસસી-એસટી સેલ પાલનપુર અને ગુજરાતના ડીજીપીને પણ મોકલી છે. જોવાનું એ રહેશે કે ગુજરાત પોલીસ આ અરજીને કેવી રીતે લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અરજીકર્તા મુકેશ પરેચા શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા અરજીકર્તા મુકેશભાઈ પરેચાએ જણાવ્યું હતું કે, “અમારા ગામમાં આઝાદીના 75 પહેલાથી કદી અનુસૂચિત જાતિ સમાજની કોઈ વ્યક્તિનો વરઘોડો નથી નીકળ્યો. મારા ગામની બાજુમાં આવેલા સરીપડા ગામમાં આજથી પાંચેક વર્ષ પહેલા અનુસૂચિત જાતિ સમાજના એક આર્મી યુવકે વરઘોડો કાઢ્યો હતો. જેના પર હુમલો થયો હતો. ત્રણેક વર્ષ પહેલા મોટા ગામમાં ખાનગી કંપનીમાં કામ કરતા એક દલિત યુવકના વરઘોડા પર પણ હુમલો થયો હતો. મારા ગામમાં આજ દિન સુધી એકેય અનુસૂચિત જાતિ સમાજના વરરાજાનો વરઘોડો નથી નીકળ્યો. હું પહેલીવાર ઘોડા પર બેસીને નીકળવાનો છું અને મને તેમાં કેટલું જોખમ રહેલું છે તેનો મને સ્પષ્ટ ખ્યાલ છે. ગામના અમુક લોકો મારા વરઘોડામાં કશુંક છમકલું કરે તેવી પુરી શક્યતા જણાય છે. આથી મેં પોલીસ રક્ષણ માંગ્યું છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગાદલવાડા ગામ ફાયર બ્રાન્ડ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મતવિસ્તારમાં આવે છે. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આ ઘટના એક સમાજ તરીકે આપણે કેવા છીએ તે સ્પષ્ટ કરે છે. સાથે જ આ ઘટના ગુજરાતમાં દલિતોની સ્થિતિ આઝાદીના 75 વર્ષ પછી પણ કેવી છે તેની પણ ચાડી ખાય છે. અરજીકર્તા મુકેશભાઈ પરેચાનું ગામ ગાદલવાડા મારા મત વિસ્તાર વડગામમાં આવે છે. ત્રણ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે એસપીએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ અને પોલીસ સુરક્ષા પ્રદાન કરવામાં કોઈ કચાશ ન રાખવી જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/rajputs-attack-dalits-procession-in-badshahpur-uttar-pradesh-many-injured"><span style="font-size: 12pt;"> </span>રાજપૂતોએ દલિત દીકરીની જાન પર હુમલો કર્યો, અનેક જાનૈયા ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 24 Jan 2025 11:14:22 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 24 Jan 2025 11:31:43 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1880</Articleid>
                    <excerpt>વકીલ યુવકના આગામી 6 ફેબ્રુઆરીએ લગ્ન છે. યુવકને ચિંતા છે કે જેમ બાજુના ગામમાં જાતિવાદી તત્વોએ દલિતના વરઘોડા પર હુમલો કર્યો તેવું તેના લગ્નમાં પણ થઈ શકે છે. આથી તેણે પોલીસ રક્ષણ માંગ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6793286c03ad7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6793286bc288a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6793286bc288a.jpg" length="103688" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gadalwada palanpur news, dalit news, police protection to take out wedding procession</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકર હોસ્ટેલમાં દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-student-commits-suicide-at-dr-ambedkar-hostel-in-bharatpur-rajasthan</link>
                    <guid>https://khabarantar.com/dalit-student-commits-suicide-at-dr-ambedkar-hostel-in-bharatpur-rajasthan</guid>
                    <description>
                        <![CDATA[ 19વર્ષનો દલિત વિદ્યાર્થી બી.એ. ફાઈનલ વર્ષમાં ભણવાની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. કુમળી વયના યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારમાં સોંપો પડી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના ભરતપુરમાં જિલ્લા કલેક્ટર કચેરીની સામે આવેલી ડો.આંબેડકર છાત્રાલયમાં એક દલિત વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થીનું નામ રોહિત હતું અને તે બીએના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગહનોલી તાલુકાના દાલિણા ગામના રહેવાસી રોહિતના મિત્રોએ કહ્યું કે અમે તેના રૂમનો દરવાજો ખોલવા માટે બૂમ પાડી રહ્યા હતા પરંતુ તેણે રૂમનો દરવાજો ખોલ્યો નહોતો. લાંબા સમય સુધી કોઈ જવાબ ન મળતાં, અમે બારીની તિરાડમાંથી જોયું તો તે લટકતો જોવા મળ્યો. જે બાદ આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી. ત્યારબાદ મથુરા ગેટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું કહેવાય છે કે આત્મહત્યા કરનાર વિદ્યાર્થી ઘણા સમયથી તણાવમાં હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેના પરિવારજનોને જાણ કરી. મૃતકના પિતા ડ્રાઇવર છે અને હાલમાં છત્તીસગઢમાં છે. તેમના આગમન પછી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વિદ્યાર્થીની આત્મહત્યાના સમાચાર મળતાં જ હોસ્ટેલમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ મહલપુર દહિણા ગામના રહેવાસી રાજવીર સિંહનો પુત્ર 19 વર્ષીય રોહિત ઉર્ફે ડબ્બુ, ભરતપુર જિલ્લા કલેક્ટર કચેરી સામે આવેલા ડો. ભીમરાવ આંબેડકર ભવનના રૂમ નંબર 13માં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. રહોતિ મંગળવારે સવારે ૯ વાગ્યાની આસપાસ નહાઈને પોતાના રૂમમાં ગયો હતો. ત્યારબાદ બપોરે 2 વાગ્યે અન્ય વિદ્યાર્થીઓએ તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેમણે ગ્રીલમાંથી ડોકિયું કર્યું અને તેને ફાંસીથી લટકતો જોયો. ત્યારબાદ નજીકના લોકોને જાણ કરવામાં આવી હતી. મૃતકને ત્રણ બહેનો અને એક ભાઈ પણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/ten-year-old-girl-raped-by-neighbor-in-bharuchs-zaghadiya-gidc">પપ્પા..હું નહીં બચું...નહીં બચું...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 23 Jan 2025 17:09:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1879</Articleid>
                    <excerpt>19વર્ષનો દલિત વિદ્યાર્થી બી.એ. ફાઈનલ વર્ષમાં ભણવાની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. કુમળી વયના યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારમાં સોંપો પડી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67922a72b3dfe.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67922a727d256.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67922a727d256.jpg" length="47919" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit student suicide, bharatpur  news</media:keywords>
                </item>
                        <item>
                    <title>2.38 લાખ દલિત વિદ્યાર્થીઓની 181 કરોડની સ્કોલરશીપનું મહાકૌભાંડ ઝડપાયું</title>
                    <link>https://khabarantar.com/scholarship-scam-worth-rs-181-crores-of-lakhs-of-dalit-students-caught-in-himachal-pradesh</link>
                    <guid>https://khabarantar.com/scholarship-scam-worth-rs-181-crores-of-lakhs-of-dalit-students-caught-in-himachal-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ કૌભાંડ કેટલું મોટું છે તેનો અંદાજ એના પરથી લગાવી શકાય કે તેમાં ઈડીના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર અને સીબીઆઈના ડીએસપીની ધરપકડ કરવામાં આવી છે. આખો ઘટનાક્રમ વાંચીને ચોંકી જશો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિમાચલ પ્રદેશમાં દલિત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનું કૌભાંડ આજકાલ ખૂબ ચર્ચામાં છે. મની લોન્ડરિંગના આરોપોને કારણે સીબીઆઈની સાથે ઇડી પણ ૧૮૧ કરોડ રૂપિયાના આ કૌભાંડની તપાસ કરી રહી છે.આ કેસમાં કુલ 250 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. હવે આ કેસમાં, ED ઓફિસ શિમલાના ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર અને CBIના DSPની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ 2.5 કરોડ રૂપિયાની લાંચ માંગવા અને 55 લાખ રૂપિયા રોકડા મેળવવા સાથે જોડાયેલો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી વિગતો મુજબ આ કૌભાંડ વર્ષ 2013 માં શરૂ થયું હતું. ૨૦૧૩ થી ૨૦૧૯ સુધી હિમાચલ પ્રદેશમાં ખાનગી સંસ્થાઓએ દલિત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં કૌભાંડ કર્યું હતું. આ કેસમાં EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધીને તપાસ શરૂ કરી. શિમલામાં ED ઓફિસના ડેપ્યુટી ડિરેક્ટર વિશાલદીપે આ કેસમાં સામેલ ખાનગી સંસ્થાઓ પાસેથી મામલો થાળે પાડવા માટે લાંચ માંગી હતી. તે દરેક સંસ્થા પાસેથી 1 કરોડ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો. એ દરમિયાન, 2.5 કરોડ રૂપિયાની લાંચનો મામલો પ્રકાશમાં આવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીબીઆઈ ટીમે સૌપ્રથમ શિમલામાં ED ઓફિસ પર દરોડા પાડ્યા અને ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર વિશાલદીપના ભાઈની ધરપકડ કરી. આ કેસમાં સીબીઆઈએ ૫૫ લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા. વિશાલદીપ ઘણા દિવસો સુધી સીબીઆઈને ચમકો આપીને ભાગતો ફરતો હતો અને 18 દિવસ પછી મુંબઈથી તેની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ, 20 જાન્યુઆરી 2025 ના રોજ આ જ કેસમાં સીબીઆઈએ દિલ્હીથી તેના ડીએસપી બલબીર સિંહની ધરપકડ કરી. તેને 21 જાન્યુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એક દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. આરોપ છે કે ડીએસપી લાંચના પૈસા પર 10 ટકા કમિશન માંગી રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિષ્યવૃત્તિ કૌભાંડ શું છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિમાચલ પ્રદેશમાં 2.38 લાખ ST, SC અને લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાની હતી. રાજ્યની ખાનગી સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવામાં આવનાર હતી. પરંતુ આ શિષ્યવૃત્તિના પૈસા ખાનગી સંસ્થાઓ દ્વારા કૌભાંડ કરીને ચાંઉ કરી જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ખોટા પ્રવેશ બતાવીને પૈસા હડપ કરી જવાયા. કારણ કે આ રકમ સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા નહોતી થતી પરંતુ કોલેજો દ્વારા આપવામાં આવી હતી. ૧૯,૯૧૫ વિદ્યાર્થીઓના નામે ૪ મોબાઈલ નંબર સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં પૈસા જમા કરવામાં આવ્યા હતા. હાલમાં, કુલ છેતરપિંડીનો આંકડો રૂ. 250 કરોડથી વધુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">EDએ 4 રાજ્યોમાં 24 સ્થળોએ દરોડા પાડ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોંધનીય છે કે 31 ઓગસ્ટ, 2023 ના રોજ, ED એ 4 રાજ્યોમાં 24 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 4.42 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જ્યારે IAS અધિકારી અરુણ શર્મા શિક્ષણ સચિવ હતા, ત્યારે તેમણે સૌપ્રથમ કેસ નોંધ્યો હતો. તેમણે પોતાના સ્તરે તપાસ કરી અને જોયું કે શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ સંસ્થાઓના દલાલોની સાથે મળીને શિષ્યવૃત્તિના નાણાંની ઉચાપત કરી ગયા છે. આ કેસમાં, જયરામ ઠાકુર સરકારે વર્ષ 2019 માં સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી અને ત્યારબાદ ED એ પણ પોતાના સ્તરે તપાસ શરૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ લોકોએ આરોપો લગાવ્યા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિસેમ્બર 2024માં CBI એ શિમલામાં ED ઓફિસ પર સતત ત્રણ વખત દરોડા પાડ્યા હતા. આ પછી, 30 ડિસેમ્બર 2024 ના રોજ શિમલામાં હિમાચલ પ્રદેશની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ હિમાલયન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના ચેરમેન રજનીશ બંસલ, દેવભૂમિ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના ચેરમેન ભૂપિન્દર શર્મા, આઈસીએલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના ચેરમેન સંજીવ પ્રભાકર અને ડી.જે., ચેરમેન, દિવ્યજ્યોતિ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના ચેરમેન ડી.જે. સિંહે ED પર ખંડણી ગેરવર્તણૂક અને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે EDના ડેપ્યુટી ડિરેક્ટરે 25 સંસ્થાઓના ડિરેક્ટરો પાસેથી 1-1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને કુલ 25 કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિષ્યવૃત્તિ કૌભાંડમાં 20 સંસ્થાઓ અને 105 વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં તપાસ પૂર્ણ કર્યા પછી, 30 માર્ચ, 2024 ના રોજ સીબીઆઈએ 20 સંસ્થાઓ અને 105 વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં સીબીઆઈએ કહ્યું હતું કે લાહૌલ અને સ્પીતિની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને પાંચ વર્ષથી શિષ્યવૃત્તિ મળી નથી, ત્યારબાદ આ મામલો પ્રકાશમાં આવ્યો. આ કેસમાં સીબીઆઈએ 30 સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા. આરોપીઓમાં શૈક્ષણિક સંસ્થાઓના ચેરમેન, વાઇસ-ચેરમેન, ડિરેક્ટર અને કર્મચારીઓનો સમાવેશ થાય છે; બેંક અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓનો સમાવેશ થતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે તત્કાલીન ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિક્ષક અરવિંદ રાજટા શિષ્યવૃત્તિની ફાળવણીનું કામ સંભાળતા હતા અને તેમણે 9 નકલી સંસ્થાઓને ₹ 28 કરોડથી વધુની શિષ્યવૃત્તિ રકમ આપી હતી, જેમાં તેમની પત્નીનો 33% હિસ્સો હતો. રાજટાની પણ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઇડીએ 8 મે, 2019 ના રોજ CBI દ્વારા કલમ 409 (કૌભાંડ), 419 (વ્યક્તિ દ્વારા છેતરપિંડી), 465 (બનાવટ), 466 (ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની ચેડાં) અને 471 (બનાવટી દસ્તાવેજોનો અસલી તરીકે ઉપયોગ કરવા) હેઠળ નોંધાયેલી એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/hundreds-of-poor-children-will-not-be-able-to-get-the-scholarship-as-the-process-becomes-difficult">પ્રક્રિયા અઘરી બનતા સેંકડો ગરીબ બાળકો શિષ્યવૃત્તિ નહીં મેળવી શકે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 23 Jan 2025 13:37:44 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 24 Jan 2025 10:13:54 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1878</Articleid>
                    <excerpt>કૌભાંડ કેટલું મોટું છે તેનો અંદાજ એના પરથી લગાવી શકાય કે તેમાં ઈડીના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર અને સીબીઆઈના ડીએસપીની ધરપકડ કરવામાં આવી છે. આખો ઘટનાક્રમ વાંચીને ચોંકી જશો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67931a815a0e5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67931a812af79.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67931a812af79.jpg" length="71493" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>himachal pradesh news, scholarship scam</media:keywords>
                </item>
                        <item>
                    <title>કુંભ મેળા વાળી મોનાલીસા કઈ જાતિની છે?</title>
                    <link>https://khabarantar.com/monalisa-bhonsle-caste-viral-girl-maha-kumbh-pardhi-tribe-history</link>
                    <guid>https://khabarantar.com/monalisa-bhonsle-caste-viral-girl-maha-kumbh-pardhi-tribe-history</guid>
                    <description>
                        <![CDATA[ કુંભમેળામાં માળા વેચતી મોનાલીસા રાતોરાત દુનિયા આખીમાં છવાઈ ગઈ છે. હવે લોકોએ ઈન્ટરનેટ પર તેની જાતિ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું છે. જો કે તેની જાતિ જાણીને મનુવાદીઓ નિરાશ થશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">monalisa bhonsle caste : મધ્યપ્રદેશનું મહેશ્વર અહિલ્યાદેવી, કિલ્લા, મંદિરો, સાડીઓ અને નર્મદા નદી માટે જાણીતું છે, પરંતુ હાલ તે કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છે. મોનાલિસા ઉર્ફે મોની નામની એક સુંદર આંખોવાળી છોકરી પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં માળા વેચતી હતી. એ દરમિયાન તે મીડિયાના કેમેરાની નજરે ચડી ગઈ. એ પછી જે થવાનું હતું તે જ થયું, સોશિયલ મીડિયા પર મોનાલીસા અચાનક છવાઈ ગઈ અને સૌ કોઈ આ પીંગળી આંખોવાળી છોકરી વિશે જાણવા તત્પર બન્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં કોઈ વ્યક્તિ રાતોરાત ફેમસ બને ત્યારે અહીંની જાતિવાદી પ્રજા સૌથી પહેલું કામ તેની જાતિ શોધવાનું કરતી હોય છે. મોનાલીસાના કેસમાં પણ એવું જ બન્યું. નેટિઝન્સ રાતોરાત તેની જાતિ કઈ છે તે શોધવામાં ઈન્ટરનેટ પર ફરી વળ્યાં. પણ મનુવાદીઓને ત્યારે નિરાશા હાથ લાગી જ્યારે આટલી સુંદર આંખોવાળી એ છોકરી એક દલિત વિચરતી જાતિમાંથી આવતી હોવાનું સામે આવ્યું. જી હા, દુનિયાભરમાં છવાઈ જનાર મોનાલીસા કોઈ કથિત સવર્ણ જાતિમાંથી નહીં પરંતુ આ જ મનુવાદીઓ આજે પણ જેમને ગુનેગારોની જેમ ટ્રીટ કરે છે વિચરતી વિમુક્ત જાતિના પારધી સમાજમાંથી આવે છે. મોનાલીસા મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલા મહેશ્વરના વોર્ડ નંબર 9 ની રહેવાસી છે અને તે વિચરતી વિમુક્ત જાતિના પારધી સમાજમાંથી આવે છે. </span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">હવે મોનાલીસાની જાતિની વાત નીકળી જ છે તો ચાલો તેના પારધી સમાજનો ઈતિહાસ પણ જાણી લઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/celina-jaitley-said-If-i-get-another-birth-i-would-like-to-be-dr-ambedkar">સેલિના જેટલીએ કહ્યું હતું, "બીજો જન્મ મળે તો ડો.આંબેડકર બનવા માંગીશ"</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પારધી સમાજનો ઈતિહાસ</span></strong></span><br><span style="font-size: 14pt;">સમાજના લોકો કહે છે કે તેઓ મૂળ રાજસ્થાની રાજપૂત જાતિના છે, જેઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાં સ્થળાંતર કરી ગયા હતા. તેઓ જ્યાં પણ જાય છે, તેમની ભાષા તે જગ્યાની ભાષા સાથે ભળી જાય છે. અગાઉ તેઓ શિકાર અને ગેરિલા યુદ્ધમાં પણ નિષ્ણાત હતા. કેટલાક વિસ્તારોમાં તે ગુના સાથે સંકળાયેલા હતા પરંતુ હવે તે મુખ્ય પ્રવાહમાં આવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ સમાજ પહેલા તંબૂમાં રહેતો હતો</span></strong></span><br><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ મહેશ્વરમાં પારધી સમાજ પહેલા તંબૂઓમાં રહેતો હતો, પરંતુ લગભગ ત્રણ દાયકા પહેલા મહાનગરપાલિકાએ તેમને ઢાપલા રોડ, જેલ રોડ પર જમીન આપી અને પટ્ટા આપ્યા. એ પછી તેમણે અહીં કાયમી મકાનો બનાવ્યા. પારધી સમાજ પોતાની મજામાં વ્યસ્ત રહે છે અને દેશભરમાં કંઠી અને રુદ્રાક્ષની માળા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ સમાજની છોકરીઓ બેફિકર હોય છે અને કોઈ મુદ્દા પર ચર્ચા કરવામાં તે કોઈથી ડરતી નથી, કે તેને કોઈની બીક પણ નથી લાગતી. આ જ વસ્તુ મોનાલીસામાં પણ લોકોએ નોંધી હશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છોકરીઓ દરેક વ્યક્તિને 'મામા' કહે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">મોનાલીસાના સમાજની છોકરીઓ દરેક વ્યક્તિને મામા કહે છે. ખરગોન જિલ્લાના નાની ખરગોન અને મહેશ્વરમાં લગભગ 700 પારધી લોકો છે, જેમાંથી 50 પરિવારોના 450 લોકો એકલા મહેશ્વરમાં રહે છે. તેઓ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મેળાઓમાં માળા, રુદ્રાક્ષ વગેરે વેચે છે. પારધી પુરુષો સામાન્ય રીતે શર્ટ પેન્ટ પહેરે છે જ્યારે સ્ત્રીઓ અને છોકરીઓ શર્ટ/ટી-શર્ટ અને ઘાઘરા પહેરે છે. તેઓ શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના શોખીન છે અને ઘણીવાર મ્યુઝિક સિસ્ટમ ભાડે લઈને મનોરંજન માટે નૃત્ય કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પારધી સમાજમાં સાક્ષરતા ઘટી રહી છે</span></strong></span><br><span style="font-size: 14pt;">અન્ય વિચરતી વિમુક્ત જાતિઓની જેમ મોનાલીસાનો પારધી સમાજ પણ શિક્ષણમાં પાછળ છે. બાળકોને બાળપણથી જ માળા વેચવાના વ્યવસાયમાં લગાડી દેવામાં આવે છે. તેઓ ભલે ઓછું ભણતા હોય પરંતુ તેમનું સામાન્ય જ્ઞાન જબરદસ્ત હોય છે અને તેઓ દેશભરમાં મુસાફરી કરવા માટે બસો, ટ્રેનો, રસ્તા અને ભૌગોલિક પરિસ્થિતિઓ વિશે સારી રીતે જાણે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહેશ્વરમાં ત્રણ વિઘા જમીન છે</span></strong></span><br><span style="font-size: 14pt;">મોનાલિસાના પરિવાર પાસે આજે પણ મહેશ્વરમાં ત્રણ વિઘા જમીન છે. મોનાલિસાના કાકા વિજય પટેલ સમાજના પટેલ છે. આ સમાજના લોકો મૂળે વિચરતી જાતિના છે અને તેમના રીતિરિવાજો અલગ છે. ખાસ કરીને તે આદિવાસી સમાજની પરંપરાઓ સાથે ઘણો મેળ ખાય છે. આદિવાસી સમાજની જેમ તેઓ દેશમાં ગમે ત્યાં રહેતા હોય પણ હોળીના બે થી ત્રણ દિવસ પહેલા મહેશ્વર પાછા ફરે છે. તેઓ હોળીના પ્રસંગે પરિવારના દેવતાને બલિ ચઢાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પંચાયત વ્યવસ્થામાં વધુ વિશ્વાસ છે</span></strong></span><br><span style="font-size: 14pt;">પારધી સમાજને આજે પણ દેશના ન્યાયતંત્ર કરતા પોતાની પંચાયતમાં વધુ વિશ્વાસ છે. કોઈપણ વિવાદ કે સંઘર્ષના કિસ્સામાં આ સમાજ પટેલને પોતાની સમસ્યા જણાવે છે અને તે મુજબ વિવાદનું સમાધાન કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બ્રિટિશકાળમાં ગુનેગાર જાહેર કરી દેવાયા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">બ્રિટિશરાજમાં પારધીઓને 'ગુનેગાર જનજાતિ' જાહેર કરવામાં આવ્યા હતા. ૧૮૭૧માં લાગુ કરાયેલા 'ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ'માં લગભગ ૫૦૦ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૯૫૨માં જવાહરલાલ નેહરુની પહેલથી આ જાતિઓને 'વિમુક્ત' કરવામાં આવી હોવા છતાં, સમાજમાં તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો નહીં. આજે પણ તેમને 'વિમુક્ત જનજાતિ' કહેવામાં આવે છે, જે તેમના ભૂતકાળની યાદ અપાવે છે. આ કલંકને કારણે તેમને સમાજ અને સરકાર બંને દ્વારા સંપૂર્ણપણે સ્વીકારવામાં આવ્યા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/kadaknath-the-film-kaushik-garasia-from-dahod-made-a-film-on-atrocities-in-bhil-dialect">દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 23 Jan 2025 11:47:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1877</Articleid>
                    <excerpt>કુંભમેળામાં માળા વેચતી મોનાલીસા રાતોરાત દુનિયા આખીમાં છવાઈ ગઈ છે. હવે લોકોએ ઈન્ટરનેટ પર તેની જાતિ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું છે. જો કે તેની જાતિ જાણીને મનુવાદીઓ નિરાશ થશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6791dea0bf65f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6791dea08ad66.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6791dea08ad66.jpg" length="90076" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>monalisa bhonsle caste, viral girl, maha kumbh, pardhi tribe history</media:keywords>
                </item>
                        <item>
                    <title>200 થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાની જાન નીકળી</title>
                    <link>https://khabarantar.com/dalit-grooms-wedding-procession-leaves-amid-security-of-over-200-policemen-in-ajmer</link>
                    <guid>https://khabarantar.com/dalit-grooms-wedding-procession-leaves-amid-security-of-over-200-policemen-in-ajmer</guid>
                    <description>
                        <![CDATA[ દલિત વરરાજાની જાનમાં જાનૈયા કરતા વધુ પોલીસ જોવા મળી. ડ્રોન કેમેરા, 20થી વધુ લેડીઝ પોલીસ અને બેરીકેડ્સ ગોઠવ્યા ત્યારે જતી દલિત વરરાજાની જાન નીકળી શકી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના અજમેરમાં એક દલિત વરરાજાને તેના લગ્નની જાન અને વરઘોડો કાઢવા માટે પોલીસની મદદ લેવી પડી. મળતી માહિતી મુજબ દલિત વરરાજાની જાન ઘોડી પર નીકળવાની હતી અને તેને પોતાના સગાસંબંધીઓ અને ગામલોકો પાસેથી જાણવા મળ્યું હતું કે તેના વરઘોડા અને જાન પર પોતાને ઉંચી જાતિના સમજતા અમુક આવારા તત્વો હુમલો કરી શકે છે. લગ્ન જેવા ખુશીના પ્રસંગને લુખ્ખા તત્વો હુમલો કરીને ખરાબ ન કરી નાખે તે માટે યુવકે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. જેથી જાન-વરોઘોડો કોઈપણ પ્રકારના વિવાદ વિના નીકળી શકે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનની છે. અહીંના અજમેરમાં એક દલિત વરરાજાની જાન કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી હતી, કારણ કે વરરાજાના પરિવારને ડર હતો કે જો તેમનો દીકરો ઘોડી પર બેસીને જાન લઈને નીકળશે તો ગામની એક માથાભારે કોમના લુખ્ખા તત્વો હુમલો કરીને પ્રસંગ બગાડશે. આથી વરરાજાના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. એ પછી પોલીસતંત્ર એક્શનમાં આવ્યું હતું અને 200થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાની જાન અને વરઘોડો નીકળ્યો હતો. એ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના બની નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના પરથી એ પણ સાબિત થાય છે કે, ભારતમાં ભલે બંધારણની 75મી જન્મજયંતિની ઉજવણી થતી હોય પરંતુ આજે પણ કોમવાદી તત્વો પોતાની મનમાની કરવા માટે મથી રહ્યાં છે. અનેક ગામોમાં હજુ પણ દલિત વરરાજા ઘોડે ચડીને જાન લઈને આવે તો માથાભારે કોમના તત્વો તેના પર હુમલો કરે છે. દર વર્ષે આવી અનેક ઘટનાઓ બને છે પરંતુ તેમાં પોલીસતંત્ર કોઈ નક્કર પગલાં ન ભરતું હોવાથી આવા તત્વોની હિંમત ખૂલી જાય છે અને તેઓ ફરીથી આ પ્રકારની હરકત કરવા પ્રેરાય છે. જો કાયદો તેનું કામ કરે તો આવા તત્વો કાયમ માટે ખો ભૂલી જાય. પણ અફસોસ કે આવું દર વખતે થતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અજમેરના લાવેરા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરરાજા વિજય રેગરની સગાઈ લાવેરા ગામની અરૂણા ખોરવાલ સાથે નક્કી થઈ હતી. એ પછી મંગળવાર તારીખ 21 જાન્યુઆરી 2025ના રોજ બંનેના લગ્ન યોજાવાના હતા. જો કે વિજયના પિતાને શંકા હતી કે ગામની માથાભારે કોમના અમુક લુખ્ખા તત્વો તેમની દીકરીની જાન પર હુમલો કરી શકે છે. તેની જાણ તેમણે કન્યા અને તેના પરિવારને પણ કરી હતી. આથી વિજયે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. એ પછી 200થી વધુ પોલીસકર્મીઓ જાન અને વરઘોડાના દિવસે વરરાજા વિજયની સુરક્ષામાં તૈનાત રહ્યા હતા અને આખો પ્રસંગ હેમખેમ પૂર્ણ કરાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડ્રોન કેમેરા, બેરીકેડ્સ અને મહિલા પોલીસ તૈનાત કરાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે અજમેરના પોલીસ અધિક્ષક વંદિતા રાણાએ જણાવ્યું હતું કે, એક પરિવારે પોલીસ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી કે તેઓ લગ્નનો વરઘોડો કાઢવા માંગે છે અને ગામના કેટલાક લોકો તેના પર હુમલો કરીને આખો પ્રસંગ બગાડી શકે છે. તૈયારી તરીકે ગામમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પણ સહકાર આપ્યો અને કહ્યું કે આમાં કોઈ વાંધો નહીં આવે. એ પછી પોલીસ સુરક્ષા હેઠળ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. એ પછી 200થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા હેઠળ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અનેક જગ્યાએ બેરીકેડ મૂકવામાં આવ્યા હતા. જાન પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી હતી. 20થી વધુ મહિલા કોન્સ્ટેબલ પણ આ દરમિયાન તૈનાત કરાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કન્યાના પિતાએ સામાજિક કાર્યકરોનો સંપર્ક કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કન્યા અરુણાના પિતા નારાયણ ખોરવાલે પણ સ્થાનિક કાર્યકરોનો સંપર્ક કર્યો, જેમાં સેન્ટર ફોર હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રાઇટ્સના સચિવ રમેશ ચંદ બંસલનો પણ સમાવેશ થાય છે. બંસલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ને પત્ર લખ્યો અને સ્થાનિક પોલીસની પણ મદદ માંગી, જેના પગલે અનેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કન્યાના પિતા નારાયણે ખોરવાલે કહ્યું કે, જો આપણે ડરતા રહીશું તો આ લોકો આ જ રીતે ભય પેદા કરીને આપણને દબાવતા રહેશે. તેથી અમે કાયદાનો સહારો લીધો. અમે એક શિક્ષિત પરિવાર છીએ. ભૂતકાળમાં અમારા ગામમાં માથાભારે કોમના લોકો દ્વારા દલિત વરરાજાની જાન પર હુમલો કરાયાની ઘટનાઓ બની છે, તેથી અમે પોલીસ અને કાર્યકરોનો સંપર્ક કર્યો હતો. અને તેમણે સંપૂર્ણ સહકાર આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">20 વર્ષ પહેલા કન્યાની ફોઈની જાન પર હુમલો થયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખી ઘટનામાં આજથી 20 વર્ષ પહેલા બનેલી એક ઘટના રહેલી છે. વર્ષ 2005માં જ્યારે વરરાજના પિતા નારાયણ લાલ રેગરની બહેન સુનિતાના લગ્ન યોજાયા હતા ત્યારે વરરાજા ઘોડા પર બેસીને જાન લઈને પહોંચ્યા હતા, ત્યારે એક કોમના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તે સમયે ઘણો વિવાદ થયો હતો. પોલીસ વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી તેમ છતાં માથાભારે કોમની બીકના કારણે ઘોડીવાળો પોતાની ઘોડી લઈને લગ્ન અધવચ્ચે છોડીને ભાગી ગયો હતો. એ પછી દલિત વરરાજાએ જીપમાં બેસીને જાન લઈને લગ્નમંડપ સુધી જવું પડ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, ત્યારે પોલીસ હાજર હોવા છતાં દલિત વરરાજા ઘોડી પર બેસીને વરઘોડો નહોતા કાઢી શક્યા. જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઈ હદે કથળી ગઈ હશે તેનો ખ્યાલ આપે છે.    </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મનુવાદી મીડિયાએ માથાભારે લોકોની જાતિ છુપાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખી ઘટનાના રિપોર્ટિગમાં સૌથી પહેલા ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે, મનુવાદી મીડિયાએ હુમલાખોર તત્વો કઈ જાતિના છે તે છુપાવી રાખ્યું હતું. ખબરઅંતર.કોમે આ ઘટનાના અનેક મીડિયા રિપોર્ટ ચેક કર્યા પરંતુ ક્યાંય પણ હુમલાખોર તત્વોની જાતિનો ઉલ્લેખ જોવા મળ્યો નહોતો. જે સ્પષ્ટ કરે છે કે આ દેશનું મીડિયા દલિત વિરોધી છે અને મનુવાદી-જાતિવાદી તત્વો ગમે તેટલો મોટો ગુનો કરે, કૌભાંડ આચરે કે જઘન્ય કૃત્ય કરે તો પણ સતત તેને છાવરવાનું કામ કરે છે. અગાઉ પણ અનેક વખત એવું બન્યું છે કે, મનુવાદી મીડિયાએ દલિત યુવતીઓ પર થયેલા બળાત્કાર, હત્યાના કેસોમાં પણ આરોપીઓની જાતિ, અટક છુપાવી રાખી હોય. આવા તત્વોને ખૂલ્લા પાડવા માટે જરૂરી છે કે બહુજનોનું પોતાનું મીડિયા મજબૂત હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/rajputs-attack-dalits-procession-in-badshahpur-uttar-pradesh-many-injured">રાજપૂતોએ દલિત દીકરીની જાન પર હુમલો કર્યો, અનેક જાનૈયા ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 23 Jan 2025 10:18:24 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 24 Jan 2025 09:25:04 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1876</Articleid>
                    <excerpt>દલિત વરરાજાની જાનમાં જાનૈયા કરતા વધુ પોલીસ જોવા મળી. ડ્રોન કેમેરા, 20થી વધુ લેડીઝ પોલીસ અને બેરીકેડ્સ ગોઠવ્યા ત્યારે જતી દલિત વરરાજાની જાન નીકળી શકી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67930f0cb75cf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67930f0c8238c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67930f0c8238c.jpg" length="95699" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Lavera village of Ajmer, Dalit news, Ajmer news</media:keywords>
                </item>
                        <item>
                    <title>નડિયાદમાં ડૉ.આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા મૂકવાની માંગે જોર પકડ્યું</title>
                    <link>https://khabarantar.com/demand-to-install-a-full-size-statue-of-dr-ambedkar-in-nadiad</link>
                    <guid>https://khabarantar.com/demand-to-install-a-full-size-statue-of-dr-ambedkar-in-nadiad</guid>
                    <description>
                        <![CDATA[ સંતરામ રોડ પર આવેલી ડો.આંબેડકરની અર્ધકાર પ્રતિમાને બદલીને પૂર્ણ કદની પ્રતિમા મૂકવા કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નડિયાદ શહેરમાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપવા માટે સ્થાનિક બહુજન કાર્યકરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. એડવોકેટ દિનેશ રાઠોડ દ્વારા નડિયાદના સંતરામ રોડ પર હાલમાં સ્થાપિત અર્ધકદની પ્રતિમાને બદલવાની માંગ સાથે મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, નડિયાદમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ઈન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓની પૂર્ણ કદની પ્રતિમાઓ છે, પરંતુ ભારતરત્ન ડૉ.આંબેડકરની માત્ર અર્ધકદની પ્રતિમા છે. હાલનું વર્ષ 'બંધારણ વર્ષ' તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે બંધારણના ઘડવૈયા અને વિશ્વવિભૂતિ એવા બાબાસાહેબની પૂર્ણ કદની પ્રતિમા હોવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડા જિલ્લાના વડા મથક અને હવે મહાનગરપાલિકા બનેલા નડિયાદમાં આ પરિવર્તન શહેરનું ગૌરવ વધારશે. ડૉ. આંબેડકર માત્ર દેશના જ નહીં પરંતુ વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને તેમની પ્રતિમા અન્ય મહાન નેતાઓની જેમ પૂર્ણ કદની હોવી જોઈએ તેવી લાગણી દિનેશભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/had-it-not-been-for-dr-ambedkar-the-struggle-of-phule-couple-would-have-been-buried-in-history">ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 Jan 2025 19:41:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1875</Articleid>
                    <excerpt>સંતરામ રોડ પર આવેલી ડો.આંબેડકરની અર્ધકાર પ્રતિમાને બદલીને પૂર્ણ કદની પ્રતિમા મૂકવા કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6790fc48911ca.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6790fc485b3b1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6790fc485b3b1.jpg" length="36065" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>statue of dr ambedkar, nadiad news</media:keywords>
                </item>
                        <item>
                    <title>પાટડીમાં ગટર સફાઈમાં બે દલિત યુવકોના મોત, અમદાવાદના કોન્ટ્રાક્ટરની ધરપકડ</title>
                    <link>https://khabarantar.com/two-dalit-youths-die-while-cleaning-drains-in-patdi-ahmedabad-contractor-arrested</link>
                    <guid>https://khabarantar.com/two-dalit-youths-die-while-cleaning-drains-in-patdi-ahmedabad-contractor-arrested</guid>
                    <description>
                        <![CDATA[ પાટડીમાં 24 અને 17 વર્ષના બે દલિત યુવકોને કોન્ટ્રાક્ટરે સુરક્ષા સાધનો વિના ગટરની સફાઈ કરવા ઉતાર્યા હતા, બંનેનું ગેસ ગળતર થતા મોત નીપજ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગરના પાટડીમાં ગઈકાલે ગટરની સફાઈ દરમિયાન બે દલિત યુવકોના મોત થયા હતા. આ મામલે આજે અમદાવાદના કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાટડીના વેલનાથનગર પાસે ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઉતરેલા 24 વર્ષના જયેશ પાટડીયા અને 17 વર્ષના ચિરાગ પાટડીયાને કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વિના સફાઈ કરવા માટે ઉતાર્યા હતા. પરિણામે બંને યુવાનો ગટરમાંથી નીકળતા ઝેરી ગેસને કારણે ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6790e931e2387.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આ ઘટના અંગે કંપનીના કોન્ટ્રાક્ટર સંજય પટેલની ધરપકડ કરી છે. આ ઘટનાએ એકવાર ફરી સફાઈ કર્મચારીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સામાજિક સંગઠનો અને એનજીઓએ સફાઈ કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો પૂરા પાડવા અને તેમના જીવનની સલામતી સુનિશ્ચિત કરવાની માગ કરી છે. અમદાવાદની અંબિકા કોર્પોરેશન કંપનીને પાટડી નગરપાલિકા દ્વારા ગટર સફાઈનું કામ સોંપવામાં આવ્યું હતું. ઘટના બાદ મૃતકોના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી પાંચ માગણીઓ રજૂ કરી હતી. જેમાં પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને આર્થિક સહાયનો સમાવેશ થાય છે. મોડી રાત્રે તંત્રે માગણીઓ સ્વીકારતા પરિવારજનોએ બંને યુવાનોનો મૃતદેહનો સ્વીકાર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂર્વ અને વર્તમાન ધારાસભ્યે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, બંને યુવકો પાણીના સંપ અંદર ઉતરીને કામ કરવા જતા ગૂંગળાઈને મોતને ભેટ્યાં હતા. હું સરકાર પાસે માંગણી કરૂ છું કે, મૃતકોને રૂ.10-10 લાખની સહાય કરવામાં આવે અને એમના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે. સરકારે અનેક વખત કહ્યું છે કે, ગુજરાતમાં મેન્યુલ સ્કેવેન્જંગ બંધ થઈ ગયુ છે. પરંતુ એ વાત ખોટી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6790e91070743.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ દસાડાના ધારાસભ્ય પી. કે. પરમારે કહ્યું હતું કે, મારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત થઇ છે. તેમણે આ ઘટના અંગે પરિવારજનોને સાંત્વના પાઠવવાની સાથે જરૂરી સહાય આપવાની સાથે આજનો એમનો કાર્યક્રમ રદ કર્યો છે. અને સાથે આ ઘટનામાં દોષિત વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ હૈયાધારણા આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જયેશના 6 મહિના પહેલા લગ્ન થયા હતા, પત્ની સગર્ભા છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંગળવારે સવારે કુંડી સાફ કરવા ઉતરેલો 17 વર્ષના ચિરાગ પાટડીયા ગુંગળાઈને બેભાન થઇ જતા એને બચાવવા જતા કુંડીમાં ઉતરેલો 24 વર્ષનો જયેશ પાટડીયા પણ ગુંગળાઈને ઢળી પડ્યો હતો. અને બંને આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પાટડી નગરપાલિકામા સફાઈ કામદાર તરીકે કામ કરતા ભરત પાટડીયાના 24 વર્ષના પુત્ર જયેશ પાટડીયાના તો છ માસ અગાઉ જ લગ્ન થયા હતા. અને એની પત્ની ગર્ભવતી છે. જયેશનું ગેસ ગળતરથી મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બંને મૃતકોના પરિવારજનોની રોકકળ અને આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બંનેને જ્યારે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હાલતમાં જ હતા. જેમાં કેમિકલ રિએક્શન અને પેટ અને ફેફસા સુધી ગટરનું પાણી ઘૂસી જતા બંને મોતને ભેટ્યા હતા. હાલ આ ગટરના પાણીના કેમિકલ એનાલિસિસમાં રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દસાડા અનુસૂચિત જાતિ સમાજ એક્શન મોડમાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં દસાડા તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પાટડી નાયબ કલેક્ટર પાસે પાંચ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં મૃતકના પરિવારજનોને રૂ. એક-એક કરોડનું વળતર, બંને મૃતકોના પરિવારના એક સભ્યને સફાઈકામ સિવાયની કાયમી નોકરી, ભવિષ્યમાં આવી ઘટના ન બને એની બાહેંધરી અને સલામતી કિટની વ્યવસ્થા કરવી, પાટડી ખાતેનો મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ કરવો અને ચીફ ઓફિસર, સેનેટરી ઓફિસર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ એફઆઈઆર કરવી. જેમાં કલેક્ટર કેયુર સી. સંપટ અને જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા દ્વારા તમામ માંગણીઓ સ્વીકારવાની સાથે હાલ પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ અને કોન્ટ્રાકટર સંજય વિરુદ્ધ એફઆઈઆર પર કરી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/75-people-drowned-in-sewers-in-15-years-only-1-was-punished"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"> </span>15 વર્ષમાં 75 લોકો ગટરમાં ગૂંગળાઈ મર્યા, સજા ફક્ત 1 ને થઈ</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 Jan 2025 18:20:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1874</Articleid>
                    <excerpt>પાટડીમાં 24 અને 17 વર્ષના બે દલિત યુવકોને કોન્ટ્રાક્ટરે સુરક્ષા સાધનો વિના ગટરની સફાઈ કરવા ઉતાર્યા હતા, બંનેનું ગેસ ગળતર થતા મોત નીપજ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6790e8f1eb291.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6790e8f1b99ce.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6790e8f1b99ce.jpg" length="72842" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>patdi news, dalit youths die while cleaning drains</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોટામાં NEET ની તૈયારી કરી રહેલી અમદાવાદની મુસ્લિમ દીકરીએ આત્મહત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/Kota-Student-Suicide-ahmedabad-muslim-girl-preparing-for-neet-commits-suicide</link>
                    <guid>https://khabarantar.com/Kota-Student-Suicide-ahmedabad-muslim-girl-preparing-for-neet-commits-suicide</guid>
                    <description>
                        <![CDATA[ Kota Student Suicide: મૃતક વિદ્યાર્થીનીનું નામ અફશા શેખ છે અને તેનો પરિવાર અમદાવાદમાં રહે છે. અફશા માત્ર 6 મહિના પહેલા જ કોટા આવી હતી અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Kota Student Suicide : રાજસ્થાનના કોટા જિલ્લામાં આજે વધુ એક વિદ્યાર્થીએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અને માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતક વિદ્યાર્થીનીનું નામ અફશા શેખ છે, અને તેનો પરિવાર અમદાવાદમાં રહે છે. અફશા માત્ર 6 મહિના પહેલા જ કોટા આવી હતી અને રાજીવ નગર વિસ્તારમાં આવેલી એક હોસ્ટેલમાં રહીને NEET પરીક્ષાની તૈયારી કરી રહી હતી. આજે તેનો મૃતદેહ હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો, જેને પોલીસે MBS હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક મહિનામાં પાંચમી આત્મહત્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">કોટામાં દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. આ વર્ષની જ વાત કરીએ તો વર્ષ 2005માં 5માં વિદ્યાર્થિની આત્મહત્યા છે. આ પહેલા 8 જાન્યુઆરી, 9 જાન્યુઆરી, 15 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીએ કોટામાં કોચિંગ લેતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે મંગળવારે જણાવ્યું હતું કે બાળકો પર અભ્યાસના દબાણ અને તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષાઓ રાખવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. માતાપિતાએ તેમના બાળકોની માનસિક સ્થિતિને સમજવી પડશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રેમ સંબંધમાં પણ યુવાનો આત્મહત્યા કરે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">અગાઉ, બુંદીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થીઓના આત્મહત્યા કરવાનું કારણ 'પ્રેમ સંબંધ' હોય છે. એટલા માટે માતાપિતાએ તેમના બાળકોની પ્રવૃત્તિઓ અને દિનચર્યા પર ધ્યાન આપવાની જરૂર છે. વર્ષ 2024 માં કોટામાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના 17 કેસ નોંધાયા હતા, જે છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં સૌથી ઓછા હતા. પરંતુ 2025 ના પહેલા મહિનામાં 5 બાળકોએ આત્મહત્યા કરી હોવાથી વહીવટીતંત્ર તેમજ સરકારની ચિંતા વધી ગઈ હોય તેવું લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/muslim-youth-stopped-from-taking-exam-in-ahmedabad-due-to-beard">અમદાવાદમાં મુસ્લિમ યુવકને દાઢીને કારણે પરીક્ષા આપતો અટકાવાયો</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 Jan 2025 14:32:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1873</Articleid>
                    <excerpt>Kota Student Suicide: મૃતક વિદ્યાર્થીનીનું નામ અફશા શેખ છે અને તેનો પરિવાર અમદાવાદમાં રહે છે. અફશા માત્ર 6 મહિના પહેલા જ કોટા આવી હતી અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6790b2f917030.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6790b2f8d8856.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6790b2f8d8856.jpg" length="56348" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kota Student Suicide, NEET exam, pressure, Ahmedabad Girl, Hang herself</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત સરપંચે અંતિમવિધિમાં મદદ કરતા તેમના ઘર સામેનો રસ્તો ખોદી નાખ્યો</title>
                    <link>https://khabarantar.com/casteist-elements-dug-up-the-road-in-front-of-the-house-of-a-dalit-sarpanch-in-balrampur-up</link>
                    <guid>https://khabarantar.com/casteist-elements-dug-up-the-road-in-front-of-the-house-of-a-dalit-sarpanch-in-balrampur-up</guid>
                    <description>
                        <![CDATA[ દલિત મહિલા સરપંચે ગામની એક દલિત મહિલાના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે લાકડાની વ્યવસ્થા કરી આપી હતી. જેનાથી મનુવાદીઓ ઉશ્કેરાયા હતા. હવે મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં શ્રદ્ધા ધરાવતા જાતિવાદી તત્વોને દલિતો સાથે ક્યારે અને કેવી બાબતમાં માઠું લાગી આવશે કે કળી શકાય તેમ નથી. વાસ્તવમાં તેઓ દલિત સમાજના લોકો સામે વાંધો પડે ત્યારે તેમને સબક શીખવાનું કોઈને કોઈ બહાનું શોધતા હોય છે. પછી ભલેને તે મામલો સ્મશાનમાં અંતિમવિધિ માટે લાકડા આપવાનો જ કેમ નથી. સામાન્ય રીતે ગમે તેવો હલકટ માણસ પણ કોઈ વ્યક્તિની અંતિમવિધિ કે તેની સાથે જોડાયેલી કોઈ બાબતને લઈને દખલગીરી ન કરે. પણ મનુવાદી તત્વો હલકટ લોકોને પણ ટપી જાય તેવું કૃત્ય કરતા અચકાતા નથી અને તેનું સૌથી મોટું ઉદાહરણ આ ઘટના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બટેંગે તો કટેંગે ફેઈમ જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશની છે. અહીંના બલરામપુરના રાજઘાટ કાકડા ગામમાં 20 જાન્યુઆરી 2025ના રોજ એક ગામની દલિત મહિલા સરપંચે આરોપ લગાવ્યો છે કે, તેમણે ગામની એક દલિત મહિલાના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે લાકડાની વ્યવસ્થા કરાવી હતી. જેના કારણે બાજુના ગામના સરપંચે તેમના ઘર સામે જેસીબી મશીનથી મસમોટો ખાડો ખોદાવીને તેમનો અવરજવરનો રસ્તો જ બંધ કરી દીધો હતો. આ મામલે દલિત મહિલા સરપંચે પોલીસ ફરિયાદ કરતા એસપીએ તપાસના આદેશ આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના રાજઘાટ કાકરા ગામમાં બની હતી. બફવા ગામની દલિત મહિલા સરપંચ સુનિતા દેવીએ રાજઘાટ કાકરા ગામના સરપંચ સુનિલ સિંહ પર જમીન પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે સુનીલ સિંહે સુનિતા દેવીના ઘરની સામે ખાડો ખોદી નાખ્યો અને તેમના પરિવારનો ઘરે આવવા-જવાનો રસ્તો બંધ કરી દીધો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખા મામલામાં એક દલિત મહિલાની અંતિમવિધિમાં સરપંચ સુનિતા દેવીએ કરેલી મદદ જવાબદાર હોવાનું કહેવાય છે. આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ગત શનિવારે સોહનલાલ નામનો એક દલિત સુનિતા દેવી પાસે તેની પત્નીની અંતિમવિધિ માટે લાકડા માંગવા માટે આવ્યો હતો. સુનિતા દેવીએ મેવાલાલ નામના એક માણસને કહીને ગામના તળાવ પાસે આવેલા ઝાડમાંથી સૂકી ડાળીઓ તોડીને સોહનલાલને મદદ કરવા કહ્યું હતું. જેનો બાજુના ગામના સરપંચ સુનીલ સિંહે આવીને વિરોધ કર્યો હતો અને મેવાલાલને જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેવાલાલે દાવો કર્યો હતો કે તેણે અંતિમ સંસ્કાર માટે લાકડા એકઠા કરી રહ્યાં હોવાની વાત કહી હતી તેમ છતાં સુનીલ સિંહે લાકડા લઈ જવા દીધા નહોતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના પછી સુનિલ સિંહે બફવા ગામમાં દલિત સરપંચ સુનિતા દેવીના ઘર સામેની જમીનને ખળું જાહેર કરીને ત્યાં જેસીબી મશીનથી 100 મીટર લાંબી અને 8 ફૂટ ઊંડી ખાઈ ખોદી નાખી હતી. જેના કારણે સુનિતા દેવીના પરિવારને ચાલવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુનિતા દેવી અને તેમના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેમણે આ અંગે શહેર પોલીસ સ્ટેશન અને મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ નોંધાવી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિક પોલીસ અધિક્ષક (ASP) નમ્રતા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ફરિયાદ મળી છે અને તપાસ ચાલી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, આરોપી સુનિલ સિંહે પોતાના બચાવ કરતા કહ્યું હતું કે, આ જમીન તેમના ગામની હદમાં છે અને તેને ગામના ખળાં તરીકે જાહેર કરવાનો અમને હક હોવાથી અમે ત્યાં ખાડો ખોદી વાડ કરવા માંગીએ છીએ. આખો મામલો સ્પષ્ટ રીતે દ્વેષભાવનાથી પ્રેરિત હોવા છતાં આરોપી સુનિલ સિંહે નફ્ફટ થઈને સુનિતા દેવી સાથે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ હોવાનો ઇનકાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/locals-did-not-allow-cremation-of-converts">ધર્મ પરિવર્તન કરનાર શખ્સની સ્થાનિકોએ અંતિમક્રિયા ન થવા દીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 Jan 2025 12:19:45 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 22 Jan 2025 12:21:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1872</Articleid>
                    <excerpt>દલિત મહિલા સરપંચે ગામની એક દલિત મહિલાના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે લાકડાની વ્યવસ્થા કરી આપી હતી. જેનાથી મનુવાદીઓ ઉશ્કેરાયા હતા. હવે મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679094a12dce1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679094a0ee70b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679094a0ee70b.jpg" length="70658" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>balrampur up news, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેજરીવાલની ઉમેદવારી રદ થશે, આવક અને કેસની માહિતી છુપાવી?</title>
                    <link>https://khabarantar.com/bjp-candidate-pravesh-verma-demands-cancellation-of-arvind-kejriwals-candidature</link>
                    <guid>https://khabarantar.com/bjp-candidate-pravesh-verma-demands-cancellation-of-arvind-kejriwals-candidature</guid>
                    <description>
                        <![CDATA[ આપના નેતા અરવિંદ કેજરીવાલ પર ઉમેદવારીપત્રકમાં આવકની યોગ્ય માહિતી ન આપવી, બે જગ્યાએ મતદાર હોવા સહિતના આક્ષેપો લાગ્યા છે, આ સાથે તેમની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણીની નવી દિલ્હી બેઠક પરની લડાઈ ખૂબ જ રસપ્રદ અને વિવાદોથી ભરેલી છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ આમ આદમી પાર્ટી (AAP) ના વડા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉમેદવારી પર સવાલો ઉઠાવ્યા બાદ રાજકીય વાતાવરણ ગરમાયું હતું. ભાજપ દ્વારા કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, જેમાં આવકની વિગતોમાં ભૂલો, બે જગ્યાએથી મતદાર હોવાનો દાવો અને ફોજદારી કેસોની માહિતી છુપાવવાનો સમાવેશ થાય છે. જોકે, ચૂંટણી પંચે આ આરોપોને ફગાવી દીધા અને કેજરીવાલની ઉમેદવારીને માન્ય રાખી છે. આ નિર્ણય બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેએ ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપના ઉમેદવારે અનેક આક્ષેપો કર્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના નેતા પ્રવેશ વર્માએ તેમના વકીલ સાકેત ગુપ્તા દ્વારા નવી દિલ્હી બેઠકના રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલના ઉમેદવારી પત્રકમાં અનેક ખામીઓ છે. વર્માએ દાવો કર્યો હતો કે કેજરીવાલે પોતાની આવકની વિગતો ખોટી રીતે રજૂ કરી હતી, જે ચૂંટણી પ્રક્રિયાના નિયમોનું સીધું ઉલ્લંઘન હતું. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કેજરીવાલ હજુ પણ ઉત્તર પ્રદેશના મતદાર છે, જે એક જ સમયે બે જગ્યાએ મતદાર બનવાના નિયમની વિરુદ્ધ છે. આ ઉપરાંત, વર્માએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે તેમની સામે નોંધાયેલા ફોજદારી કેસોની માહિતી છુપાવી હતી. ભાજપે આ મુદ્દાને મુખ્ય મુદ્દો બનાવ્યો અને ચૂંટણી પંચ પાસે માંગ કરી કે કેજરીવાલનું નામાંકન તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૂંટણી પંચનો નિર્ણય અને વિપક્ષનો હુમલો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રવેશ વર્માના આરોપોની તપાસ કર્યા પછી ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલનું ઉમેદવારી પત્રક તપાસીને તેને સાચું માનીને સ્વીકાર્યું હતું. જેને લીને ભાજપ અને કોંગ્રેસ બંનેએ કમિશનના આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપે તેને "ચૂંટણી પ્રક્રિયાની મજાક" ગણાવી અને કહ્યું કે કમિશને AAP સરકારના દબાણ હેઠળ કામ કર્યું છે. કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે પણ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે પંચે સંપૂર્ણ તપાસ કરી નથી અને આ નિર્મય AAPના પક્ષમાં લેવાયો છે જેથી લોકશાહી મૂલ્યોને નુકસાન પહોંચાડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે જ્યારે અરવિંદ કેજરીવાલ, પ્રવેશ વર્મા અને સંદીપ દીક્ષિતની ઉમેદવારી સ્વીકારાઈ ગઈ છે, તો નવી દિલ્હી બેઠક પરની સ્પર્ધા ખૂબ જ રસપ્રદ બનવાની છે. ભાજપે આ મુદ્દાનો લાભ લેવા માટે પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે અને "આપની પારદર્શિતા" પર પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસે AAP અને BJP બંને પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ બંને પક્ષો ફક્ત જનતાને ભ્રમિત કરવા અને વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનું કામ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/what-is-going-on-in-the-minds-of-the-17-percent-dalit-voters-of-delhi-who-are-angry-with-kejriwal">કેજરીવાલથી નારાજ દિલ્હીના 17 ટકા દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 Jan 2025 11:14:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1871</Articleid>
                    <excerpt>આપના નેતા અરવિંદ કેજરીવાલ પર ઉમેદવારીપત્રકમાં આવકની યોગ્ય માહિતી ન આપવી, બે જગ્યાએ મતદાર હોવા સહિતના આક્ષેપો લાગ્યા છે, આ સાથે તેમની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6790854806673.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67908547bec32.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67908547bec32.jpg" length="78222" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>arvind kejriwals, pravesh verma, Delhi Election 2025</media:keywords>
                </item>
                        <item>
                    <title>તાલુકા ક્લાર્કે દલિત મહિલાને થપ્પડ મારી, ચંપલથી જાહેરમાં ફટકારી</title>
                    <link>https://khabarantar.com/taluka-clerk-beats-dalit-woman-with-slippers-in-bhind-madhya-pradesh</link>
                    <guid>https://khabarantar.com/taluka-clerk-beats-dalit-woman-with-slippers-in-bhind-madhya-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ ક્લાર્કે ગરીબ દલિત મહિલા પાસેથી લાંચ પણ લીધી છતાં તેનું કામ ન કર્યુ. મહિલાએ કામ વિશે પૂછ્યું તો થપ્પડ મારી, ચંપલથી માર માર્યો. કચેરીમાં હાજર લોકો પ્રેક્ષક બની તમાશો જોતા રહ્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાની જાતિના જોરે સરકારી હોદ્દાઓ પર બિરાજતા મનુવાદી તત્વો પોતે રાજા હોય અને સામાન્ય માણસ પ્રજા હોય તેમ વર્તતા હોય છે. મનુવાદી વર્ણવ્યવસ્થાને કારણે સદીઓથી ચોક્કસ જાતિના જ લોકો અમુક સરકારી હોદ્દાઓ પર જોવા મળે છે. પરિણામે આવા લોકો દલિતો, આદિવાસીઓ, ઓબીસી સમાજના ગરીબ લોકોને ગણકારતા નથી અને તેમનું સામાન્ય કામ પણ લબડાવી રાખી છે. લાખોનો પગાર મેળવતા આ તત્વો પાછા ગરીબો પાસેથી લાંચ માંગવામાં પણ જરાય લાજશરમ અનુભવતા નથી હોતા અને ઉપરથી દાદાગીરી કરતા હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે, જેણે માનવતાને શર્મશાર કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના ભિંડના ગોહડની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો આદિવાસીઓ પર સૌથી અત્યાચાર થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીં ભિંડ જિલ્લાના ગોહડ તાલુકામાં એક સરકારી કારકુન (બાબુ) એ એક દલિત મહિલા પર હુમલો કર્યો અને તેને જૂતાથી માર માર્યો હતો. મહિલા કોઈ સરકારી કામ માટે તાલુકા કચેરી પહોંચી હતી, જ્યાં તેની સાથે ક્લાર્કે જાહેરમાં દુર્વ્યવહાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોધે કી પાલી ગામની રહેવાસી 55 વર્ષીય દીપા જાટવ સોમવારે સરકારી દસ્તાવેજો સંબંધિત કોઈ કામ માટે ગોહડ તાલુકા કચેરી પહોંચી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે અહીં ફરજ પર હાજર ક્લાર્ક નવલ કિશોર ગૌરે અગાઉ તેનું આ નાનકડું કામ કરી આપવા માટે પણ લાંચ લીધી હતી, પરંતુ તેમ છતાં કામ કરી આપ્યું નહોતું. જ્યારે મહિલાએ વિરોધ કર્યો અને તેના કામ વિશે પૂછ્યું, ત્યારે ક્લાર્કે તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મનુવાદી ક્લાર્કે જાહેરમાં થપ્પડ મારી ચપ્પલથી હુમલો કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત મહિલાએ જ્યારે પોતાના કામને લઈને સ્પષ્ટતા માંગી તો મનુવાદી ક્લાર્ક નવલકિશોર ગૌડ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પહેલા મહિલાને થપ્પડ મારી અને પછી પોતાનું ચંપલ કાઢીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. મહિલા ચીસો પાડતી રહી, પરંતુ ત્યાં હાજર અન્ય લોકો પ્રેક્ષક બની રહ્યા અને કોઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો. આ ઘટના દરમિયાન મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી. ડોક્ટરોના જણાવ્યા મુજબ, મહિલાના ચહેરા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા મામલો સામે આવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં, ક્લાર્ક દીપા જાટવને થપ્પડ મારતો અને ચંપલથી હુમલો કરતો જોઈ શકાય છે. વીડિયો સામે આવ્યા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોહડના એસડીએમ પરાગ જૈને જણાવ્યું કે ઘટનાનો વીડિયો જોયા પછી તેમણે કલેક્ટરને આ અંગે જાણ કરી હતી. ભિંડ કલેક્ટર સંજીવ શ્રીવાસ્તવે આરોપી ક્લાર્ક નવલ કિશોર ગૌડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો. સસ્પેન્શન દરમિયાન તેમને અંડોરી તાલુકામાં મોકલી દેવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આરોપી ક્લાર્ક વિરુદ્ધ હુમલાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ અધિક્ષક અસિત યાદવે ખાતરી આપી છે કે સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને ગુનેગારને કડક સજા આપવામાં આવશે. પીડિત મહિલા દીપા જાટવનું કહેવું છે કે નવલ કિશોર ગૌડે તેના સરકારી કામ માટે લાંચ માંગી હતી જે તેણે આપવી પડી હતી, પરંતુ ગૌડે ન તો તેનું કામ કર્યું કે ન પૈસા પરત કર્યા. જ્યારે તેણે ગૌડને તેનું કામ કરવાનું કહ્યું, ત્યારે તેણે અપશબ્દો કહ્યાં અને પછી તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/principal-beats-up-dalit-student-in-vidishas-gyaraspur">'આજે સ્કૂલ વહેલા છૂટી ગઈ' એમ કહી દેતા આચાર્યે દલિત વિદ્યાર્થિનીને ફટકારી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 Jan 2025 10:24:16 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 22 Jan 2025 23:42:07 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1870</Articleid>
                    <excerpt>ક્લાર્કે ગરીબ દલિત મહિલા પાસેથી લાંચ પણ લીધી છતાં તેનું કામ ન કર્યુ. મહિલાએ કામ વિશે પૂછ્યું તો થપ્પડ મારી, ચંપલથી માર માર્યો. કચેરીમાં હાજર લોકો પ્રેક્ષક બની તમાશો જોતા રહ્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679134e35edab.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679134e32f5c2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679134e32f5c2.jpg" length="28492" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>taluka clerk beats dalit woman, bhind news, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઈતિહાસના પાનામાં શોધી બતાવો આઝાદીમાં RSS ભાજપનું શું યોગદાન છે?</title>
                    <link>https://khabarantar.com/rss-did-not-hoist-the-national-flag-at-its-headquarters-for-52-years-mallikarjun-kharge</link>
                    <guid>https://khabarantar.com/rss-did-not-hoist-the-national-flag-at-its-headquarters-for-52-years-mallikarjun-kharge</guid>
                    <description>
                        <![CDATA[ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ડો.આંબેડકરના અપમાનથી લઈને આઝાદીની ચળવળમાં સંઘ-ભાજપના યોગદાનને લઈને આકરા પ્રહારો કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ ભાગ લીધો નહોતો. ખડગેએ તેમને પડકાર ફેંક્યો કે ઈતિહાસમાં શોધી બતાવો કે આઝાદીના આંદોલનમાં સંઘ અને ભાજપની ભાગીદારી કેટલી શું હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કોંગ્રેસે ડો.આંબેડકરનું અપમાન કર્યું હોવાના ભાજપના આક્ષેપોના જવાબમાં કહ્યું, “કોંગ્રેસે ડૉ. આંબેડકરના સન્માન માટે જે કર્યું તે કદાચ બીજું કોઈ કરી શક્યું ન હોત. તેમને મુંબઈથી બંધારણ સભામાં લાવવા માટે કોંગ્રેસે તેના સભ્ય એમ.આર. જયકર પાસેથી રાજીનામું માંગી લીધું હતું. બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષપદ માટે બાબાસાહેબ ડૉ. આંબેડકરનું નામ કોંગ્રેસે સૂચવ્યું હતું અને ભારત સરકારમાં દેશના પ્રથમ કાયદા પ્રધાન બનાવવામાં પણ પોતાનો ટેકો આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખડગેએ વધુમાં કહ્યું, 'બાબાસાહેબ બોમ્બેથી બે વાર રાજ્યસભામાં ચૂંટાયા હતા. પહેલીવાર ૩ એપ્રિલ ૧૯૫૨ થી ૨ એપ્રિલ ૧૯૫૬ની વચ્ચે. બીજીવાર ૩ એપ્રિલ ૧૯૫૬ના રોજ તેઓ ફરીથી રાજ્યસભાના સભ્ય બન્યાં પરંતુ ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ તેમનું અવસાન થયું. કોંગ્રેસ ઇચ્છતી હતી કે બાબાસાહેબ સન્માન સાથે રાજ્યસભામાં પહોંચે, તેથી જ તેઓ બે વાર રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ જીત્યા હતા. ભાજપના લોકો એવું જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ કરે છે કે કોંગ્રેસે ડો.આંબેડકરની કોઈ પ્રતિમા સ્થાપિત કરી નથી. ૨ એપ્રિલ ૧૯૬૭ના રોજ કોંગ્રેસ સરકારે બાબાસાહેબના માનમાં સંસદ ભવનમાં તેમની સૌથી મોટી પ્રતિમા સ્થાપિત કરી હતી. તે સમયે ડૉ. એસ.રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ હતા અને સરદાર હુકુમ સિંહજી, જે લોકસભાના અધ્યક્ષ હતા, તેમણે પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખડગેએ કહ્યું, 'ભાજપ આરએસએસ અને તેમના પૂર્વજોએ ભારતીય રાષ્ટ્રધ્વ, આપણા બંધારણ, અશોક ચક્ર, બાબાસાહેબ આંબેડકર અને આપણા સ્વતંત્રતા સંગ્રામનો વિરોધ કર્યો હતો. RSS એ 52 વર્ષ સુધી નાગપુર સ્થિત તેના મુખ્યાલય પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો નહોતો અને કોર્ટના આદેશને પગલે તેને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ફરજ પડી હતી. રામલીલા મેદાનમાં ભાજપ, આરએસએસ અને તેમના પૂર્વજોએ ગાંધીજી, નેહરુ અને ડૉ.આંબેડકરના પુતળા સાથે ભારતના બંધારણની નકલોનું દહન કર્યું હતું. હું તેમને પડકાર ફેંકું છું કે તેઓ ઇતિહાસ વાંચે અને રાષ્ટ્રીય ચળવળમાં તેમની ભૂમિકા શું હતી તે જણાવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/my-society-does-not-allow-me-to-go-to-temples-how-can-I-be-tolerated">મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Jan 2025 20:44:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1869</Articleid>
                    <excerpt>કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ડો.આંબેડકરના અપમાનથી લઈને આઝાદીની ચળવળમાં સંઘ-ભાજપના યોગદાનને લઈને આકરા પ્રહારો કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678fb8c5c4982.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678fb8c58bb43.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678fb8c58bb43.jpg" length="70405" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>mallikarjun kharge, RSS, BJP, Freedom</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન</title>
                    <link>https://khabarantar.com/gujarat-local-body-election-dates-announced-voting-on-february-16</link>
                    <guid>https://khabarantar.com/gujarat-local-body-election-dates-announced-voting-on-february-16</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. જાણો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વિસ્તારથી માહિતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચાલતી લાંબા સમયની અટકળોનો અંત આવી ગયો છે અને તેની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર એસ.મુરલીકૃષ્ણે પ્રેસ કોન્ફરન્સ કરીને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. એ મુજબ 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. વિવાદને પગલે ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં નથી આવ્યો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_678f8ba14a19a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્ણને જણાવ્યું છે કે, રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_678f8bb26c792.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોરસદ, સોજીત્રા જેમાં OBCની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે.  ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓ.બી.સી., 14 ટકા એસ.ટી. અને 7 ટકા એસ.સી. અનામત બેઠકો રહેશે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગર પાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઈ શકી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાલિકા અને પંચાયતોની સામાન્યની સાથે પેટાચૂંટણી પણ યોજાશે. જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી. નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર પણ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/now-candidates-and-the-general-public-will-not-get-cctv-footage-of-polling-stations">હવે ઉમેદવારો અને સામાન્ય લોકોને મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ નહીં મળે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Jan 2025 17:29:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1868</Articleid>
                    <excerpt>રાજ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. જાણો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વિસ્તારથી માહિતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678f8b7beb21b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f8b7bb698e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f8b7bb698e.jpg" length="80672" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarat local body election, voting on february 16, Gujarat news</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત ડ્રાઈવર ભૂલથી માટલાને અડક્યો, એ પછી માલિકે જે કર્યું તે કલ્પના બહારનું હતું</title>
                    <link>https://khabarantar.com/dalit-driver-kidnapped-and-beaten-with-belt-by-owner-for-touching-his-water-in-jhunjhunu</link>
                    <guid>https://khabarantar.com/dalit-driver-kidnapped-and-beaten-with-belt-by-owner-for-touching-his-water-in-jhunjhunu</guid>
                    <description>
                        <![CDATA[ દલિત ડ્રાઈવર ભૂલથી ટ્રક માલિકના માટલાને અડકી ગયો તો બેલ્ટ વડે નિર્દયાથી માર મારી અપહરણ કર્યું. એ પછી જે થયું તેની કોઈને કલ્પના નહોતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના ઝુંઝનુમાં એક દલિત ટ્રેક્ટર ડ્રાઇવરને ઈંટના ભઠ્ઠાના માલિકનું માટલું સ્પર્થવા બદલ નિર્દયતાથી માર મારવામાં આવ્યો. એ પછી આરોપીઓ ડ્રાઈવર અને તેના સાથીનું અપહરણ કરીને હરિયાણાના રેવાડી લઈ ગયા. જ્યાં બંનેના પરિવારો પાસેથી 1 લાખ રૂપિયાની ખંડણી વસૂલવામાં આવી અને પછી છોડ્યાં. આ મામલો ઝૂંઝનુના પચેરી કલાં પોલીસ સ્ટેશનમાં આવેલા મેઘપુર ઈંટ ભઠ્ઠાનો છે. આ ઘટના 18 જાન્યુઆરીની રાત્રે બની હતી અને પીડિત ચીમનલાલ મેઘવાલે રવિવાર 20 જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પચેરી કલાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે ડ્રાઇવરના શરીર પર ઈજાના નિશાન હતા. તેના સાથીને પણ માર મારવામાં આવ્યો હતો. બંનેની પચેરી સીએચસી (ઝુઝનું) ખાતે તબીબી તપાસ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત ડ્રાઈવરે ફરિયાદમાં શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત ડ્રાઈવરે રિપોર્ટમાં જણાવ્યું છે કે, “હું સિકર જિલ્લાના ખંડેલા વિસ્તારના કોટડી ગામનો રહેવાસી છું. બે દિવસ પહેલા, ૧૮ જાન્યુઆરીના રોજ હું ટ્રેક્ટર લઈને મેઘપુર (ઝુઝનું) માં વિનોદ યાદવના ઈંટના ભઠ્ઠામાં ઈંટો લેવા ગયો હતો. ટ્રેક્ટર લોડ કર્યા પછી પૈસા વિનોદના એકાઉન્ટન્ટને આપવામાં આવ્યા. એ પછી, જ્યારે તે માટલામાંથી પાણી પીવા ગયો ત્યારે ભઠ્ઠા માલિક વિનોદ યાદવ ત્યાં આવી પહોંચ્યો. તેણે આવતાની સાથે જ મને લાત મારી. એ પછી વિનોદ, મુનીમ, બલરાજ અને અન્ય એક વ્યક્તિ મને કારમાં બેસાડીને રેવાડી (હરિયાણા) લઈ ગયા. ત્યાં તેમણે આખી રાત મને માર્યો. રાત્રે ઓનલાઈન પૈસા મંગાવ્યા. એ પછી, ૧૯ જાન્યુઆરીની સવારે ભઠ્ઠામાં ફરી મને ભઠ્ઠા પર લઈ આવ્યા અને એક રૂમમાં બંધ કરી દીધો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાથી ડ્રાઈવરને પણ થપ્પડ મારી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત ચીમનલાલના સાથી ડ્રાઇવર પરમેશ્વરે કહ્યું કે મેં આરોપીને માર મારતા અટકાવવાનો પ્રયાસ કર્યો. મેં તેને કહ્યું કે મેં હું એક માટલાને અડ્યો છું, હું તેની સામે તમને પાંચ માટલાં લાવી આપીશ. તો તેઓ મને પણ મારવા લાગ્યા અને મને ખેતરમાં બનેલા રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો. એ પછી, તેઓ અમારા પરિચિતોને ફોન કરીને એક લાખ રૂપિયાની ખંડણી માંગવા લાગ્યા. રાત્રે ફોનપે દ્વારા 20 હજાર રૂપિયા આપ્યા. એ પછી સવારે બાકીની રકમ ચૂકવી દેવાની શરતે તેઓ સવારે 4 વાગ્યે મને ભઠ્ઠા પર પાછો લાવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રેક્ટર ટ્રોલી ખાલી કરાવી દેવામાં આવી અને સવારે ૬ વાગ્યે મારો ભાઈ રામેશ્વર એક લાખ રૂપિયા લઈને આવ્યો અને ભઠ્ઠાના માલિકને આપી દીધા. એ પછી મને છોડ્યો. એ દરમિયાન ચીમનલાલ પણ ત્યાંથી ભાગી ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બેલ્ટથી નિર્દયતાથી માર મારવામાં આવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રેક્ટર માલિક બલદેવ મીણાએ આ બાબતે જણાવ્યું કે હતું કે, મને રાત્રે 2 વાગ્યે (19 જાન્યુઆરી) ફોન આવ્યો અને 1 લાખ 12 હજાર રૂપિયા લાવવાનું કહેવામાં આવ્યું. મારા ફક્ત ૧૬,૯૦૦ રૂપિયા બાકી હતા. ચીમનલાલના ફોન પરથી ભઠ્ઠા માલિકનો ફોન આવ્યો અને મને ચીમનલાલના ચીસો પાડવાનો અને બૂમો પાડવાનો અવાજ પણ સંભળાયો. બેલ્ટથી માર મારવામાં આવ્યો હોવાથી તેની આખી પીઠ લાલ થઈ ગઈ હતી. બુહાના ડીએસપી નોપારામ ભાકરે કહ્યું - માટલામાંથી પાણી પીતી વખતે મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો છે. અન્ય ડ્રાઇવરોને કેમ માર મારવામાં આવ્યો તે તપાસનો વિષય છે. પીડિત દલિત ડ્રાઈવરની પૂછપરછ થઈ શકી નહીં. તે સારવાર માટે ગયો હતો. તેની પૂછપરછ અને તપાસ બાદ જ મામલો સ્પષ્ટ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/casteist-elements-poured-hot-mutton-water-on-the-dalit-youth">જાતિવાદી તત્વોએ દલિત યુવક પર મટનનું ગરમ પાણી રેડ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Jan 2025 14:26:21 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 22 Jan 2025 23:44:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1867</Articleid>
                    <excerpt>દલિત ડ્રાઈવર ભૂલથી ટ્રક માલિકના માટલાને અડકી ગયો તો બેલ્ટ વડે નિર્દયાથી માર મારી અપહરણ કર્યું. એ પછી જે થયું તેની કોઈને કલ્પના નહોતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679135507b631.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6791355049883.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6791355049883.jpg" length="49683" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>jhunjhunu news, water Discrimination</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલા સરપંચને ભાજપના નેતાઓએ મંદિરમાં ન જવા દીધાં</title>
                    <link>https://khabarantar.com/bjp-leaders-did-not-allow-a-dalit-woman-sarpanch-to-enter-a-temple-in-dewas-mp</link>
                    <guid>https://khabarantar.com/bjp-leaders-did-not-allow-a-dalit-woman-sarpanch-to-enter-a-temple-in-dewas-mp</guid>
                    <description>
                        <![CDATA[ એકબાજુ આરએસએસ 8 હજાર દલિત બાળકોને કુંભમેળામાં લઈ જઈ હિંદુ બનાવવા મથી રહ્યું છે, બીજી તરફ તેમની જ ભાજપના નેતાઓ દલિતો સાથે આભડછેટ રાખવા શરમાતા નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS દલિત અને આદિવાસી બાળકોને કુંભ મેળામાં લઈ જઈને પોતે દલિત, આદિવાસીઓના હામી હોવાનો દેખાડો કરી તેમને હિંદુ વોટબેંકમાં પરિવર્તિત કરવા મથી રહ્યું છે. બીજી તરફ આરએસએસના જ લોકોનું જ્યાં સાશન છે તેવા અનેક રાજ્યોમાં દલિતો, આદિવાસીઓ પર અત્યાચાર, ભેદભાવનો સિલસિલો અટકી રહ્યો નથી. નવો મામલો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે. જ્યાં એક દલિત મહિલા સરપંચને ભાજપના જ નેતાઓએ મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના દેવાસના હાથલોઈ ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના હાથલોઈ ગામનો છે. અહીં એક દલિત મહિલા સરપંચને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. સરપંચે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓએ તેમને મંદિરમાં જતા અટકાવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીતુ પટવારી મહિલાને મંદિરમાં લઈ ગયા અને દર્શન કરાવ્યા. પટવારીએ આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમે હિંદુ નથી, મંદિરમાં ન આવોઃ ભાજપના નેતાઓ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સરપંચનો આરોપ છે કે તેમને કહેવામાં આવ્યું હતું કે તમે હિન્દુ નથી, તેથી મંદિરમાં ન આવો. આ મામલામાં જે રીતે ભાજપના નેતાઓના નામ બહાર આવી રહ્યા છે તેણે ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોવાનું પણ સામે લાવી દીધું છે. એક બાજુ પીએમ મોદી અને યોગી આદિત્યનાથ કુંભ મેળામાં સમરસતાનો પ્રચાર કરીને દલિતો, આદિવાસીઓને હિંદુ વોટબેંકમાં જોડવા મથી રહ્યાં છે, બીજી તરફ ભાજપના નેતાઓ તેમની અસલી સવર્ણ માનસિકતાનું પ્રદર્શન કરતા જરાય ખચકાતા નથી. દેશમાં દરરોજ આભડછેટ અને દલિત અત્યાચારના અનેક કિસ્સાઓ બને છે, જેમાં ભાજપના નેતાઓ દલિતોને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે જરાય પ્રયત્ન નથી કરતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બધું સરેરાશ દલિત હવે સમજવા માંડ્યો છે. પરિણામે આરએસએસ અને ભાજપના નેતાઓ પરથી તેમનો વિશ્વાસ દિન પ્રતિદિન ઉઠતો જઈ રહ્યો છે. ભાજપના ટોચના નેતાઓ સમરસતાની વાતો કરે છે, બીજી તરફ તેમના નીચલા સ્તરના નેતાઓ દલિતો પર અત્યાચાર કરે છે, દલિતોને મંદિરોમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે. જે ભાજપની બેવડી નીતિઓને ખૂલ્લી પાડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોંગ્રેસના નેતા જીતુ પટવારી મહિલાને મંદિરમાં લઈ ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની જાણ થતા જ મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા જીતુ પટવારી દલિત મહિલા સરપંચની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે મહિલાનું સમર્થન કરીને તેને મંદિરમાં લઈ ગયા હતા અને તેને દર્શન કરાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો ઉતારીને તેમણે શેર કર્યો હતો. જીતુ પટવારીના આ પગલાંથી દલિત મહિલા રાજી થઈ હતી અને સમાજમાં સંદેશ પણ ગયો કે અસમાનતા અને ભેદભાવ સામેની લડાઈ હજુ પણ ચાલું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જીતુ પટવારીએ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રને આ ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સાથે તેની જાતિ, ધર્મ કે સામાજિક દરજ્જાના આધારે ભેદભાવ ન થવો જોઈએ. જો કોઈ આવું કરે છે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવા અને અન્ય કોઈ વ્યક્તિને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો સાથે ભેદભાવ હજુ પણ અસ્તિત્વમાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના ભારતમાં હજુ પણ અસ્તિત્વમાં રહેલી સામાજિક અસમાનતા તરફ ઈશારો કરે છે. દેશમાં ઘણી જગ્યાએ, ખાસ કરીને ધાર્મિક સ્થળોએ દલિતોને તેમના બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. તે ફક્ત એક મંદિર પૂરતું મર્યાદિત નથી પરંતુ તે તમામ સામાજિક અવરોધોને પ્રતિબિંબિત કરે છે જે સમાજના પછાત વર્ગોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/upsarpanch-talati-did-not-give-chair-to-dalit-women-sarpanch">દલિત મહિલા સરપંચ ને ઉપસરપંચ-તલાટીએ બેસવા ખુરશી ન આપી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Jan 2025 13:20:18 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 21 Jan 2025 13:21:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1866</Articleid>
                    <excerpt>એકબાજુ આરએસએસ 8 હજાર દલિત બાળકોને કુંભમેળામાં લઈ જઈ હિંદુ બનાવવા મથી રહ્યું છે, બીજી તરફ તેમની જ ભાજપના નેતાઓ દલિતો સાથે આભડછેટ રાખવા શરમાતા નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678f512533062.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f5124f189d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f5124f189d.jpg" length="82357" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Cast Discrimination, dewas mp news, dalit news, BJP</media:keywords>
                </item>
                        <item>
                    <title>બિરસા મુંડા ‘આદિવાસી’ યુનિવર્સિટીમાંથી ‘આદિવાસી’ અનામત કાઢી નાખી?</title>
                    <link>https://khabarantar.com/tribal-reservation-removed-from-birsa-munda-adivasi-university-in-rajpipla</link>
                    <guid>https://khabarantar.com/tribal-reservation-removed-from-birsa-munda-adivasi-university-in-rajpipla</guid>
                    <description>
                        <![CDATA[ રાજપીપળામાં આદિવાસી મહાનાયક બિરસા મુંડાના નામે બનેલી યુનિવર્સિટીમાંથી સરકારે આદિવાસીઓની જ બાદબાકી કરી નાખી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીમાંથી ટ્રાઈબલોનો જ એકડો કાઢી નાખવાનો પેંતરો રચાયો હોવાના આક્ષેપો લાગ્યા છે. મળતી માહિતી પ્રમાણે યુનિવર્સિટીમાંથી આદિવાસી સહિત દલિત અને ઓબીસી અનામતને પણ ઉડાડી દેવામાં આવી છે અને અન્ય યુનિવર્સિટીઓની જેમ મોટાભાગનો સ્ટાફ સવર્ણ પ્રોફેસરોથી ભરી દેવાનો પેંતરો રચાયો હોવાનો વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા યુનિવર્સિટીને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. આદિવાસી વિસ્તારમાં બિરસા મુંડા યુનિવર્સિટી સ્થપાવાને કારણે શિક્ષણ ક્ષેત્રમાં આદિવાસી સમાજ માટે નવી અનેક તકો ઊભી થઈ છે. જોકે હવે બિરસા મુંડા યુનિવર્સિટીના પદ ઉપર જે વ્યક્તિઓ ફરજ બજાવી રહ્યા છે તેમને લઈને રાજકારણ શરૂ થયું છે. આ યુનિવર્સિટીનું નામ જ ટ્રાઈબલ યુનિવર્સિટી હોવા છતાં તેમાં આદિવાસીઓની અનામત સાથે અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. યુનિવર્સિટીના જે વહીવટી પદો છે તેમાં અનામતની કેટેગરીની જોગવાઈ કરવામાં આવી નથી. જેને કારણે આદિવાસી સમાજને અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/huge-protest-in-danta-over-stopping-scholarships-for-tribal-students"><span style="font-size: 14pt;">આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા દાંતામાં ભારે વિરોધ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ સુરતની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, “બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીમાં મહત્વના હોદ્દાઓ જેમ કે રજીસ્ટાર, પરીક્ષા નિયામક વગેરે પર ઉપર અનામત માટેની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. એસસી, એસટી અને ઓબીસી માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. બિરસા મુંડાના નામ પરથી આ યુનિવર્સિટીને ટ્રાઈબલ યુનિવર્સિટીનું બિરુદ્ધ અપાયું છે અને તેમ છતાં તેમાંથી આદિવાસીઓનો એકડો કાઢી નાખવામાં આવે, તેમને અન્યાય કરવામાં આવે તે દુઃખદ બાબત છે. જે સ્પષ્ટ રીતે બંધારણમાં કરાયેલી અનામતની જોગવાઈનું ઉલ્લંઘન છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ સરકારની જે નીતિ અને નિયત છે તે અનામતને ખતમ કરવાની છે, અને એ દિશામાં આ એક વધુ નિર્ણય લેવાયો છે. સરકારે લાખો યુવાનોનું કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના માધ્યમથી આર્થિક રીતે શોષણ કર્યું છે. કાયમી ભરતી ન થતી હોવાને કારણે તેમાં પણ અનામત ખતમ થઈ ગઈ છે. બિરસા મુંડા યુનિવર્સિટીમાં અનામત ખતમ કરવાની દિશામાં લેવાયેલા નિર્ણયને લઈને અમે આગામી દિવસોમાં વિધાનસભામાં આ મુદ્દાને ઉઠાવવાના છીએ. જો ત્યાં અમને યોગ્ય રીતે સાંભળવામાં નહીં આવે તો અમે અંબાજીથી ઉમરગામ વચ્ચે આદિવાસી સમાજ વચ્ચે જઈશું.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Who-was-Birsa-Munda,-how-did-he-become-the-God-of-tribal-society">કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Jan 2025 11:09:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1865</Articleid>
                    <excerpt>રાજપીપળામાં આદિવાસી મહાનાયક બિરસા મુંડાના નામે બનેલી યુનિવર્સિટીમાંથી સરકારે આદિવાસીઓની જ બાદબાકી કરી નાખી હોવાનો આક્ષેપ લાગ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678f329e45736.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f329e1677a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f329e1677a.jpg" length="56428" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Birsa munda, birsa munda adivasi university, rajpipla news, tribal reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના પદાધિકારીને પોલીસે બેભાન થયો ત્યાં સુધી ફટકાર્યો</title>
                    <link>https://khabarantar.com/bjp-sc-morcha-office-bearer-beaten-up-by-police-in-prayagraj-no-one-came-to-save-him</link>
                    <guid>https://khabarantar.com/bjp-sc-morcha-office-bearer-beaten-up-by-police-in-prayagraj-no-one-came-to-save-him</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ એસસી મોરચાનો પદાધિકારી બેભાન થયો ત્યાં સુધી પોલીસ માર્યો. તેમના પક્ષના કોઈ સવર્ણ નેતાઓ તેને ન્યાય અપાવવા આગળ નથી આવ્યા. જો આવું જ ભાજપના સવર્ણ નેતા સાથે બન્યું હોય તો? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપની કથની અને કરણીમાં કેટલો મોટો ફરક છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. એક બાજુ દલિતો, આદિવાસીઓની અનામતમાં ભાગલા પાડવા, અનામતની ખાલી જગ્યાઓ ભરવી નહીં, કોન્ટ્રાક્ટર પર સફાઈકર્મીઓની ભરતી કરવી, યોજનાઓનો લાભ સવર્ણોને આપી દેવો જેવા અનેક આરોપો ભાજપ પર લાગેલા છે, આટલું ઓછું હોય તેમ અમિત શાહે ડો.આંબેડકરનું અપમાન કર્યું. એટલે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે કુંભમેળામાં સફાઈકર્મીઓને સન્માન આપવાનું નાટક ચાલું કર્યું. જો કે તેનાથી પણ તેની દલિત, આદિવાસી વિરોધી છાપમાં કોઈ ફરક પડ્યો હોય તેમ લાગતું નથી. કેમ કે, ખુદ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીને જ્યાં કુંભમેળો યોજાઈ રહ્યો છે તે પ્રયાગરાજની પોલીસે ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કુંભમેળો ચાલી રહ્યો છે તે પ્રયાગરાજની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રયાગરાજમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના એક અધિકારી પર પોલીસે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં આ બનાવ પ્રકાશમાં આવ્યો છે. એ પછી લાજ બચાવવા માટે ત્રણ સબ-ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનોજ પાસી, જેઓ ઉત્તરપ્રદેશ એસસી મોરચાના સહ-ખજાનચી છે, તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ તેમના ભાઈના ઘરનું બાંધકામ રોકવાનું કારણ પૂછવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) ઉપેન્દ્ર પ્રતાપ સિંહ અને છ અન્ય પોલીસકર્મીઓએ તેના પર હુમલો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ શહેરના મેયર, ધારાસભ્ય અને વિવિધ પક્ષના અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને દોષિત અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસનું શું કહેવું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) વિનાલ કિશોર મિશ્રાએ પુષ્ટિ કરી છે કે ચારેય પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, SHO સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હુમલાના આરોપો અંગે એસીપી મિશ્રાએ કહ્યું કે તપાસ બાદ જ તેની પુષ્ટિ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ ફરિયાદી મનોજ પાસીએ જણાવ્યું હતું કે તેમના ભાઈ રોશન લાલે ચાર વર્ષ પહેલાં તેમના ઘરની નજીક જમીન ખરીદી હતી અને બાઉન્ડ્રી વોલ લંબાવી રહ્યા હતા, જેનો પડોશીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે કહ્યું કે, પોલીસે આવીને અમારું કામ અટકાવી દીધું હતું અને અમારું અપમાન કર્યું હતું. બુધવારે બપોરે તેઓ પોલીસ સ્ટેશન ગયા અને પ્રતિબંધની માન્યતા પર સવાલ ઉઠાવ્યા, અને આગ્રહ કર્યો કે આ મામલો સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) દ્વારા ઉકેલવો જોઈએ કારણ કે તે મહેસૂલનો મામલો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, તેના આ સવાલો પૂછવા પર SHO ઉપેન્દ્ર પ્રતાપ સિંહ, SI સંતોષ સિંહ અને અન્ય લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેને એક રૂમમાં ખેંચીને લઈ ગયા અને બેભાન થઈ ગયા ત્યાં સુધી માર માર્યો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડીસીપી શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનોજે આ ઘટનાની જાણ ડીસીપી અભિષેક ભારતીને પણ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. ડીસીપીએ જણાવ્યું હતું કે, ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ કુંભમેળાની ફરજને કારણે SHO સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. (મતલબ દલિત પર અત્યાર ભલે થાય, કુંભની ફરજ પરથી એક માણસને દૂર ન કરી શકાય? ભાજપના જ કોઈ સવર્ણ નેતા પર આ રીતે હુમલો થયો હોત તો પણ પોલીસ આ જ જવાબ આપત?)</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સત્તાપક્ષમાં હોવા છતાં એસસી મોરચાના પદાધિકારીને ન્યાય નથી મળતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય ભાજપ એસસી મોરચાના પ્રમુખ રામચંદ્ર કનૌજિયાએ આ હુમલાની નિંદા કરતા કહ્યું, “જ્યાં સુધી દોષિત પોલીસકર્મીઓને સજા ન થાય અને દલિત પર અત્યાચાર કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં ન આવે ત્યાં સુધી અમે શાંત નહીં બેસીએ. મનોજ પાસીએ કોઈ ગુનો કર્યો નહોતો. તેમની સાથે એવું વર્તન કરવામાં આવ્યું જેવું કોઈ કુખ્યાત આરોપી સાથે પણ નથી કરવામાં આવતું. તે ગંભીર રીતે ઘાયલ હતો અને બરાબર બોલી પણ શકતો નહોતો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનોજની પત્ની સન્નો દેવીએ પણ પોલીસ પર દુર્વ્યવહાર અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર વિપિન યાદવે તેમનો હાથ મચકોડ્યો હતો, તેમનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/shanti-swarup-sonkare-my-life-is-in-danger-from-an-mla-from-my-own-party">મને મારા જ પક્ષના ધારાસભ્યથી જીવનું જોખમ છેઃ ભાજપના દલિત નેતા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Jan 2025 10:25:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1864</Articleid>
                    <excerpt>ભાજપ એસસી મોરચાનો પદાધિકારી બેભાન થયો ત્યાં સુધી પોલીસ માર્યો. તેમના પક્ષના કોઈ સવર્ણ નેતાઓ તેને ન્યાય અપાવવા આગળ નથી આવ્યા. જો આવું જ ભાજપના સવર્ણ નેતા સાથે બન્યું હોય તો?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678f2858e7cc4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f2858b863a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f2858b863a.jpg" length="31022" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Prayagraj, Mahakumbh Mela 2025, bjp sc morcha office beaten</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભિલોડામાંથી પસાર થતાં બાયપાસમાં અનેક આદિવાસીઓની જમીન જશે</title>
                    <link>https://khabarantar.com/the-land-of-many-tribals-will-be-acquired-in-the-bypass-road-being-built-in-bhiloda</link>
                    <guid>https://khabarantar.com/the-land-of-many-tribals-will-be-acquired-in-the-bypass-road-being-built-in-bhiloda</guid>
                    <description>
                        <![CDATA[ ભિલોડા તાલુકા આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીન સંપાદિત ન કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેને ધ્યાને લેવાઈ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિકાસના નામે ગુજરાતમાં મોટાભાગે ગરીબ દલિત, આદિવાસી અને મુસ્લિમોની જમીનો સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવે છે. આવું આપણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી લઈને અમદાવાદ મેટ્રો રેલવે સુધીના વિકાસ કાર્યોમાં જોતા આવ્યા છીએ. હવે આ જ તર્જ પર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાંથી પસાર થતા બાયપાસમાં પણ અનેક ગરીબ આદિવાસીઓની જમીનો સંપાદિત થવા જઈ રહી છે. જેને લઈને સમસ્ત આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિકાસ માટે કાયમ આદિવાસીઓએ જ ભોગ આપવાનો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભિલોડામાંથી પસાર થતાં બાયપાસમાં સરકાર દ્વારા જમીન સંપાદન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં મોટાભાગના ગરીબ આદિવાસી ખેડૂતો છે, જેમના માટે આ જમીનો જ તેમનું એકમાત્ર આજીવિકા અને જીવનનિર્વાહનું સાધન છે. આથી આદિવાસી સમાજના જાગૃત નાગરિકો દ્વારા જમીન સંપાદન મામલે અસરકર્તા ખેડૂતો તથા આદિવાસી સમાજ વતી સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જમીન સંપાદન રોકવા વિનંતી કરાઈ હતી. જો કે આદિવાસી કલ્યાણ યાત્રા કાઢતી સરકારે આદિવાસીઓની આ માગણીને ફગાવી દીધી હોય તેમ તેમની જમીનના સંપાદનની કામગીરી ચાલુ રાખી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલમ 04 ના જાહેરનામા મુજબ જમીન સંપાદન કરવામાં આવે તો આદિવાસી સમાજના અનેક ગરીબ ખેડૂતોની જમીન છીનવાઈ જશે અને તેઓ જમીનવિહોણા બની જઈ પાયમાલ થઈ જશે. ત્યારે ભિલોડા તાલુકા આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી આદિવાસી ખેડૂતોના હિતમાં જમીનોમાંથી પસાર થતો રોડ સ્થગિત કરવા જણાવ્યું હતું. જો કે સરકારે આ રજૂઆતોને ગણકારી હોય તેમ લાગતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ખુદ સરકાર જ કાયદાનો ભંગ કરી રહી છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ભિલોડા તાલુકો બંધારણની જોગવાઇ મુજબના શિડયુઅલ પાંચ વિસ્તારમાં આવતો આદિવાસી તાલુકો છે. જ્યાં પેસા કાનૂન 1996 લાગુ પડે છે અને જોગવાઇ મુજબ રૂઢિગત ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિની જમીન સંપાદન થઈ શકે નહિ. તે મુજબ સવાલ વાળા ગામોમાં કોઈ મંજૂરી મેળવેલ નથી અને લાગતી વળગતી ગામ સમિતિઓએ તમોને વાંધા અરજીઓ પણ આપેલ છે. ગામોની જમીન સંપાદન થતાં કેટલાક ખેડૂતો જમીન વિહોણા બને છે અને કેટલાક ના રહેઠાણના ઘરો પણ કપાતમાં જાય છે. તેનાથી તેઓ રોડ ઉપર આવી જશે અને બિલકુલ બેરોજગાર બની જશે. મૂળ રજૂઆતમાં સૂચવેલ છે કે બાયપાસના બદલે હયાત રોડ ને ઓવરહેડ રોડ બનાવવામાં આવે તો રોડમાં પૂરતી જમીન છે તથા કોઈ દબાણ હોવાનું પણ જણાતું નથી અને અન્ય કોઈ અગવડતા પડશે નહિ, પરંતુ તે દિશામાં સરકારે વિચાર્યું હોય તેમ લાગતું નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસી સમાજની માગણીઓ શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચના મહામંત્રી બી.એમ.ખાણમા સહિતના હોદ્દેદારોએ આ બાયપાસ રૂટના કારણે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં જમીન ગુમાવનાર અને અસરકર્તા આદિવાસી સમાજના ગરીબ ખેડૂતોના હિતમાં રોડનો રૂટ બદલી નાખવા અને ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન સંપાદિત કરવાની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવા માંગ કરી છે. જો કે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સરકારે તેમની માગણીને કાને ધરીને આદિવાસીઓની જમીન સંપાદન કરવાનું કામ અટકાવ્યું નથી. ત્યારે જોવાનું એ રહેશે કે આદિવાસીઓના હામી હોવાની વાતો કરતી ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકાર આ મામલે આદિવાસીઓની લાગણી અને માગણીઓને ધ્યાનમાં રાખે છે કે પછી વિકાસના નામે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ ફરી એકવાર આદિવાસીઓની જમીન સંપાદિત કરીને તેમને જમીનવિહોણાં કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/land-mafia-grabs-dalit-land-with-pistol-on-earlobe">કાનપટ્ટી પર પિસ્તોલ રાખી ભૂમાફિયાએ દલિતની જમીન પડાવી લીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 20 Jan 2025 20:15:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1863</Articleid>
                    <excerpt>ભિલોડા તાલુકા આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીન સંપાદિત ન કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેને ધ્યાને લેવાઈ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678e611079f97.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678e61103b1e0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678e61103b1e0.jpg" length="80739" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>tribals land acquired, bhiloda bypass, Adivasi news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ટોળાંએ દલિત યુવક પર જાહેરમાં પેશાબ કર્યો, પગ પકડાવી માફી મગાવી</title>
                    <link>https://khabarantar.com/a-mob-urinated-on-a-dalit-youth-in-public-held-his-feet-and-apologized-in-madurai</link>
                    <guid>https://khabarantar.com/a-mob-urinated-on-a-dalit-youth-in-public-held-his-feet-and-apologized-in-madurai</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્સવ હોવાથી યુવક શહેરથી ગામમાં આવ્યો હતો. જાતિવાદી તત્વો તેને પકડીને ગામ બહાર લઈ ગયા અને તેની સાથે બર્બરતા આચરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે બાબતનો જાહેરમાં ઉલ્લેખ કરવાનું પણ સજ્જન લોકો પસંદ ન કરે તેવી બર્બરતા જાતિવાદી તત્વો દલિતો સાથે છડેચોક કરવામાં પણ લાજશરમ નથી અનુભવતા. આવું આપણે લગભગ દરેક દલિત અત્યાચારની ઘટનામાં જોતા આવ્યા છીએ. આવી જ વધુ એક બર્બરતાપૂર્ણ ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ દલિત યુવક પર જાતિવાદી તત્વોએ બાળકની સામે જાહેરમાં તેની સામે પેશાબ કર્યો હતો અને તેને ટોળાંએ મળીને માર માર્યો હતો. આ મામલે હવે 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના પેરિયારની ભૂમિ તમિલનાડુની છે. અહીંના મદુરાઈમાં એક દલિત યુવક પર અત્યાચારની બર્બરતાપૂર્ણ ઘટના સામે આવી છે. જાતિવાદી તત્વોએ દલિત યુવક પર એક 6 વર્ષના બાળકની હાજરીમાં જાહેરમાં માથે પેશાબ કર્યો હતો. એટલું જ નહીં ટોળાંએ તેને ઢોર માર પણ માર્યો. આ મામલે પોલીસે 6 યુવાનો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. જૂની અદાવતને કારણે યુવકને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ ૧૭ વર્ષના દલિત યુવકને માર મારીને આરોપીઓએ તેને બધાં લોકોના ચરણ સ્પર્શ કરવાની ફરજ પાડી હતી. દલિત યુવકે એવો પણ આરોપ લગાવ્યો છે કે 6 વર્ષના બાળકની હાજરીમાં તેના પર પેશાબ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે પેશાબના દાવાઓને નકારી કાઢ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના 16 જાન્યુઆરીની હોવાનું કહેવાય છે. યુવક રાજ્યના સંગમપટ્ટી ગામનો વતની છે. તેની ફરિયાદના આધારે, પોલીસે શનિવારે છ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહેવાલો અનુસાર, નીલમ કલ્ચરલ સેન્ટર નામના એક NGOએ આ ઘટનાની નિંદા કરી છે. એનજીઓએ પોલીસ પર કેસ નોંધવામાં વિલંબ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. શનિવારે, 17 વર્ષનો પીડિત દલિત યુવક VCK ના સભ્યો અને વકીલ સાથે DSP ઓફિસ પહોંચ્યો હતો. પીડિત યુવકે કહ્યું, 'ગયા મહિને અમારા ગામમાં એક તહેવાર ઉજવાઈ રહ્યો હતો, તે દરમિયાન મારી જાતિને કારણે લોકોના એક જૂથ દ્વારા મને હેરાન કરવામાં આવ્યો હતો અને તેમણે મારા પરિવાર વિરુદ્ધ પણ હોબાળો મચાવ્યો હતો.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે આગળ કહ્યું, 'મને કેરળમાં રહેતા ડર લાગતો હતો. હાલમાં જ હું પોંગલનો તહેવાર હોવાથી ગામમાં પાછો આવ્યો છું. યુવકનું કહેવું છે કે આ સમગ્ર મામલે શાંતિ જાળવવા છતાં આરોપીઓ તેને ગામના સૂમસામ વિસ્તારમાં ખેંચીને લઈ ગયા હતા અને તેની સાથે બર્બરતા આચરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત યુવકે કહ્યું, 'એ પછી તે લોકોએ મને માર માર્યો અને જાતિસૂચક અપશબ્દો બોલીને મને બધાંને પગે લાગી માફી માગવા માટે દબાણ કર્યું હતું. મેં કશું ખોટું નહોતું કર્યું છતાં એ લોકોએ એક ૬ વર્ષના બાળકની હાજરીમાં મારા પર પેશાબ કર્યો હતો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં હું ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-brahmin-teachers-washed-the-feet-of-the-dalit-student-his-brother-and-asked-for-forgiveness">બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી, તેના ભાઈ પાસે પગ ધોવડાવી માફી મગાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 20 Jan 2025 14:16:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1862</Articleid>
                    <excerpt>ઉત્સવ હોવાથી યુવક શહેરથી ગામમાં આવ્યો હતો. જાતિવાદી તત્વો તેને પકડીને ગામ બહાર લઈ ગયા અને તેની સાથે બર્બરતા આચરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678e0d5553cb5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678e0d551f2e7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678e0d551f2e7.jpg" length="80087" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>madurai news, dalit crime, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાને જાતિવાદી તત્વોએ ગામલોકો સામે નિર્વસ્ત્ર કરી માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/rowdy-elements-stripped-a-dalit-woman-naked-in-front-of-villagers-in-kheri-pilibhit</link>
                    <guid>https://khabarantar.com/rowdy-elements-stripped-a-dalit-woman-naked-in-front-of-villagers-in-kheri-pilibhit</guid>
                    <description>
                        <![CDATA[ મહિલા અને તેના પરિવારજનો પર ધારદાર હથિયારોથી હુમલો કરી હાથમાં ગંભીર ઈજા પહોંચાડી. આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા ફરાર થઈ ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બટેંગે તો કટેંગે ફેઈમ ઉત્તરપ્રદેશમાં દલિત મહિલા પર અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. અહીંના પીલીભીતમાં એક 29 વર્ષીય દલિત મહિલાને માથાભારે જાતિવાદી તત્વો દ્વારા શેરડીના ખેતરમાં ગ્રામજનોની સામે કથિત રીતે નગ્ન કરવામાં આવી હતી. લુખ્ખા તત્વો મહિલાના ભાઈ પર નજીવી બાબતે હુમલો કરવા આવી પહોંચ્યા હતા. જ્યાં મહિલા તેના ભાઈને હુમલાખોરોથી બચાવવા માટે વચ્ચે પડી હતી. જેનાથી ઉશ્કેરાયેલા લુખ્ખા તત્વોએ મહિલાને ગામલોકોની હાજરીમાં જ નિર્વસ્ત્ર કરી હતી. ઘટનાથી હતપ્રભ થયેલી મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છ લોકો સામે કેસ નોંધ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલા ખેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક ગામની રહેવાસી છે. તેણે આરોપ લગાવ્યો છે કે હુમલાખોરોએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે તેના જમણા હાથમાં ઊંડા ઘા પડી ગયા હતા. મહિલાને બચાવવાનો પ્રયાસ કરનાર અન્ય એક પુરુષ પર આરોપીઓએ દંતાળીથી હુમલો કરતા તેની ડાબા હાથની આંગણી કપાઈ ગઈ હતી. આ ઘટના બુધવારે સાંજે બની હતી અને ગુરુવારે FIR નોંધવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં કલમ 191(2): રમખાણો, કલમ 191(3): ઘાતક હથિયારથી ઇજા પહોંચાડવી રમખાણો કરવા કલમ 115(2): સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું, કલમ 352: શાંતિનો ભંગ કરવાના ઈરાદાથી ગુસ્સે ભરાઈને અપમાનજનક કૃત્ય કરવું, કલમ 76: સ્ત્રીના કપડાં ઉતારવાના ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવો વગેરે કલમો સામેલ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) ની જોગવાઈઓ પણ લાગુ કરવામાં આવી છે. એસએચઓએ વધુમાં જણાવ્યું કે આરોપીઓ હાલમાં ફરાર છે અને તેમને પકડવાના પ્રયાસો ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જઘન્ય ઘટનાથી સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે અને સ્થાનિકો ઝડપી ન્યાય અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અધિકારીઓએ આ કેસની સંપૂર્ણ તપાસ કરવાની અને પીડિત મહિલા અને તેના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/tribal-woman-tied-to-trees-and-made-to-chant-jai-shri-ram">આદિવાસી મહિલાઓને ઝાડ સાથે બાંધી ‘જય શ્રી રામ’ના નારા લગાવડાવ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 20 Jan 2025 13:03:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1861</Articleid>
                    <excerpt>મહિલા અને તેના પરિવારજનો પર ધારદાર હથિયારોથી હુમલો કરી હાથમાં ગંભીર ઈજા પહોંચાડી. આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા ફરાર થઈ ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678dfc18c151c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678dfc1886780.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678dfc1886780.jpg" length="30252" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kheri pilibhit news, dalit news, dalit crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાંધીનગરના લાકરોડામાં ચાર દિવસીય ‘મનુસ્મૃતિ તાલીમ શિબિર’ યોજાશે</title>
                    <link>https://khabarantar.com/A-four-day-manusmriti-training-camp-will-be-held-in-lakroda-gandhinagar</link>
                    <guid>https://khabarantar.com/A-four-day-manusmriti-training-camp-will-be-held-in-lakroda-gandhinagar</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરના દલિતો, શોષિતો, પીડિતોની સમસ્યાના મૂળમાં જે ગ્રંથ રહેલો છે તે મનુસ્મૃતિની તાલીમ શિબિર ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે યોજાવા જઈ રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજને જે પુસ્તકના કારણે સામાજિક, આર્થિક અને રાજકીય મોરચે ભારે અન્યાય થઈ રહ્યો છે તે મનુસ્મૃતિની ચાર દિવસની એક તાલીમ શિબિર ગુજરાતમાં, એ પણ પાટનગર ગાંધીનગર જિલ્લામાં થવા જઈ રહી છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે તેવી જાણકારી મળી રહી છે. આ શિબિરમાં ડો.આંબેડકરે કરેલા મનુસ્મૃતિના અભ્યાસનો પણ તુલનાત્મક અભ્યાસ રજૂ કરવામાં આવશે તેની જાણકારી મળી રહી ચે. ડો.આંબેડકરે મનુસ્મૃતિને વર્ણવ્યવસ્થા સહિતના અનેક દૂષણોની જનની માનીને તેનું જાહેરનું દહન કર્યું હતું. જો કે, વર્તમાન સત્તાધીશો પર આ વિવાદાસ્પદ ગ્રંથ અને તેમાં વર્ણવાયેલા નિયમોને ફરીથી દેશમાં થોપવાના આરોપો લાગતા રહે છે ત્યારે જ આ શિબિર યોજાઈ રહી છે, જેના અનેક રીતે સૂચક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર પાસે આવેલા પ્રાંતિજના લાકરોડા ગામે દર્શનયોગ ધામ સંસ્કૃતિ વન ખાતે આ કાર્યક્રમ યોજાશે. ચાર દિવસ સુધી ચાલનારી આ શિબિરને માનવ સંવિધાન મનુસ્મૃતિ પ્રશિક્ષણ શિબિર નામ અપાયું છે. 23 થી 26 જાન્યુઆરી 2025 (ગુરૂવારથી રવિવાર સુધી) ચાલનારી આ શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. આ શિબિર માટેની એક ઓનલાઈન પત્રિકા પર સોશિયલ મીડિયામાં ફરી રહી છે. જેમાં આ શિબિરને લઈને વિસ્તારથી માહિતી આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પત્રિકામાં જણાવ્યા પ્રમાણે ગુરૂકુળ કાંગડી યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. સુરેન્દ્ર કુમાર શિબિરની અધ્યક્ષતા કરશે અને ઉપસ્થિત લોકોને મનુસ્મૃતિ અંગે તાલીમ આપશે. પત્રિકામાં કરાયેલા ઉલ્લેખ મુજબ ડો. સુરેન્દ્ર કુમાર છેલ્લાં દસ વર્ષ કરતા વધુ સમયથી મનુસ્મૃતિ પર સંશોધન કરી રહ્યાં છે અને તેના આધારે તેઓ મનુસ્મૃતિમાં કરવામાં આવેલી ભેળસેળ અંગે પણ વાત કરશે. તેમણે લખેલી મનુસ્મૃતિની નવી પ્રત અંગે પણ ચર્ચા કરવામાં આવશે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_678de951a3cfb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><strong>ખબરઅંતર.કોમે</strong></em> આ મામલે વધુ જાણકારી મેળવવા માટે પત્રિકામાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. જેમાં ફોન પર હાજર વ્યક્તિએ જણાવ્યું હતું કે, ચાર દિવસની આ શિબિરમાં ડો. સુરેન્દ્રકુમાર મનુસ્મૃતિ સંબંધિત તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશે. તેમના કહેવા પ્રમાણે ખાસ કરીને લોકોના મનમાં મનુસ્મૃતિને લઈને જે કેટલીક ખોટી ધારણાઓ બંધાયેલી છે તેને લઈને આ શિબિરમાં સ્પષ્ટતા કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખબરઅંતર.કોમે મનુસ્મૃતિમાં લખવામાં આવેલી વર્ણવ્યવસ્થા અને મહિલા વિરોધી બાબતો વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આવી અનેક બાબતો મૂળ મનુસ્મૃતિમાં બાદમાં ઉમેરવામાં આવી હોઈ શકે છે અને તેના વિશે જ ડો.સુરેન્દ્રકુમાર જાણકારી આપશે. તેના માટે ચાર દિવસ શિબિરાર્થીએ અહીં જ રહેવાનું રહેશે. અમે તેને પ્રાંતિજથી અમારા વાહનમાં પિક અપ કરીને આશ્રમે લઈ જઈશું અને ત્યાં તેણે રજિસ્ટ્રેશન બાદ શિબિરમાં ભાગ લેવાનો રહેશે. આ શિબિરમાં તેમના આ તમામ સવાલોના જવાબો મળી જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સોશિયલ મીડિયામાં આ પત્રિકા ફરતી થતા દલિત-બહુજન સમાજના બૌદ્ધિક વર્ગમાં તેને લઈને રોષની લાગણી ફેલાઈ છે. આ વર્ગનું માનવું છે કે, દેશમાં હાલ જે દૂષણો છે તેના મૂળમાં મનુસ્મૃતિ રહેલી છે, ત્યારે તેની તાલીમ શિબિર યોજાય એ ચોંકાવનારું છે. વાસ્તવમાં તાલીમ દેશના બંધારણ અને તેમાં કરવામાં આવેલી જોગવાઈઓની સમજણ આપવાની યોજાવી જોઈએ. પરંતુ તેના બદલે હિંદુત્વાદી સંસ્થાઓ દેશને ફરી મનુવાદી યુગમાં ખેંચી જવા મથી રહી છે, આ શિબિર તેનો જ એક ભાગ હોય તેવું લાગી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિબિરમાં નીચે મુજબના વિષયો અંગે ચર્ચા કરાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનુસ્મૃતિ – વિશ્વનું સૌપ્રથમ બંધારણ</span><br><span style="font-size: 14pt;">ડો.આંબેડકરના તુલનાત્મક અભ્યાસના સંદર્ભમાં મનુસ્મૃતિકાલીન સમાજ વ્યવસ્થા, વર્ણવ્યવસ્થા, જાતિ વ્યવસ્થાની સમજ.</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિ મુજબ શુદ્રોના કર્તવ્ય અને સન્માન</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિ મુજબ મહિલાઓનું કર્તવ્ય અને સન્માન</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં લગ્ન અને ગૃહાસ્થાશ્રમના કર્તવ્યો</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિકાલીન રાજનીતિનો વર્તમાન રાજનીતિના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિકાલીન શિક્ષણ વ્યવસ્થાનો વેદોત્ક શિક્ષા વ્યવસ્થાની સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં પુરુષાર્થ ચતુષ્ટય ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું યર્થાર્થ સ્વરૂપ</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં બ્રહ્મચર્ય વગેરે આશ્રમો અને કર્તવ્ય</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં મોક્ષનો ઉપાય અને સ્વરૂપ</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં પચ્ચયગ્ન વિધાન અને તેના લાભો</span><br><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં સંસ્કાર અને તેમની ઉપયોગિતા</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ શિબિર અંગે વધુ જાણકારી મેળવવા માટે દર્શનયોગ ધામ લાકરોડાની વેબસાઈટ darshanyog.org પર જતા ત્યાં આ સંસ્થાની અન્ય કામગીરી વિશે પણ જાણકારી મળે છે. સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી મનુસ્મૃતિની શિબિરની પત્રિકામાં બે સંપર્ક નંબરો પણ આપેલા છે, 9409615011 અને 8200915011 જેના પર ફોન કરીને આ શિબિરના હેતુઓ અને વિષય વિશે જાણકારી મેળવી શકાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-law-of-manusmriti-which-sowed-the-seeds-of-inequality-in-indian-society">મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 20 Jan 2025 11:45:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1860</Articleid>
                    <excerpt>દેશભરના દલિતો, શોષિતો, પીડિતોની સમસ્યાના મૂળમાં જે ગ્રંથ રહેલો છે તે મનુસ્મૃતિની તાલીમ શિબિર ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે યોજાવા જઈ રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678de93082721.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678de9304fa90.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678de9304fa90.jpg" length="101818" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>manusmriti, manusmriti training camp, lakroda gandhinagar</media:keywords>
                </item>
                        <item>
                    <title>કચરો ફેંકવા ગયેલી દલિત સગીરાનું અપહરણ, ચાલતી કારમાં દુષ્કર્મ આચર્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-girl-kidnapped-raped-in-car-while-throwing-garbage-in-sharifnagar-Moradabad-up</link>
                    <guid>https://khabarantar.com/dalit-girl-kidnapped-raped-in-car-while-throwing-garbage-in-sharifnagar-Moradabad-up</guid>
                    <description>
                        <![CDATA[ આરોપીઓએ સગીરાની વાંધાજનક તસવીરો પાડી ધમકી આપી. દુષ્કર્મ ગુજારી સગીરાને સ્મશાન બહાર ફેંકીને ફરાર થઈ ગયા. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજી દિલ્હીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષો દીકરીની સલામતીને લઈને મસમોટા દાવાઓ કરી રહ્યાં છે. બીજી તરફ દેશભરમાં દરરોજ દલિત દીકરીઓ સાથે કોઈને કોઈ જગ્યાએ રેપના સમાચાર આવતા રહે છે, પણ તેના પર કોઈ ધ્યાન આપતું નથી. સવર્ણ લોબીની દાદાગીરીને કારણે પોલીસ આવા કેસો નોંધતી નથી કે નથી આરોપીઓને પકડીને કડક સજા કરાવતી. પરિણામે આરોપીઓની હિંમત વધુ ખૂલતી જાય છે. આ કેસમાં પણ આરોપી બળાત્કાર ગુજાર્યા બાદ ફરાર થઈ ગયો છે અને પોલીસ હજુ સુધી તેને પકડી શકી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીનો છે. અહીં મુરાદાબાદમાં એક દલિત સગીરા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. સગીરા કચરો ફેંકવા માટે ઘરની બહાર નીકળી હતી, ત્યારે અન્ય સમાજના એક યુવકે તેનું અપહરણ કર્યું હતું અને ચાલતી કારમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ કિશોરીના અશ્લીલ ફોટા પણ પાડ્યા છે. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. પોલીસે આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવાની ખાતરી પણ આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બળાત્કાર બાદ પીડિતાની વાંધાજનક તસવીરો લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મુરાદાબાદના ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશનના શરીફનગર પોલીસ ચોકીનો છે. અહીં મંગળવારે એક 16 વર્ષની દલિત સગીરા તેના ઘરમાંથી કચરો ફેંકવા માટે બહાર ગઈ હતી ત્યારે લગભગ 10 વાગ્યે પાનુવાલા ગામનો રહેવાસી રાશિદ સ્કોર્પિયો કારમાં ત્યાં આવ્યો હતો અને તેનું અપહરણ કરીને કારમાં લઈ ગયો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સગીરાના પિતાએ આપેલી ફરિયાદ મુજબ, તે સમયે કારમાં બીજા ઘણાં લોકો હતા. આરોપીએ કિશોરી પર ચાલતી કારમાં બળાત્કાર ગુજાર્યો. પિતાએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત, કારમાં સવાર અન્ય લોકોની પણ શોધખોળ ચાલુ છે. કહેવાય છે કે પીડિતા પર બળાત્કાર કર્યા પછી આરોપીએ તેની વાંધાજનક તસવીરો પણ લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીડિતાને સ્મશાનગૃહ બહાર ફેંકી આરોપી ભાગી ગયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ સગીરાને લગભગ બે કલાક સુધી કારમાં બંધક બનાવી રાખી અને તેના પર બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ તેઓ તેને સ્મશાન બહાર ફેંકીને ભાગી ગયા. જેમ તેમ કરીને પીડિતા તેના ઘરે પહોંચી અને તેની માતાને ઘટના વિશે જણાવ્યું. એ પછી તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરાના પિતાએ જણાવ્યું કે તેમની પુત્રીએ કારમાં રાખેલા વિઝિટિંગ કાર્ડ પર આરોપી રાશિદનું નામ વાંચ્યું હતું. પોલીસે ભારતીય દંડ સંહિતાની ગંભીર કલમો અને POCSO હેઠળ કેસ નોંધ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dalit-minor-gang-raped-in-bjp-leaders-marriage-home"><span style="font-size: 12pt;"> </span>ભાજપ નેતાના મેરેજ હોમમાં દલિત સગીરા સાથે ગેંગરેપ થયો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 20 Jan 2025 10:03:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1859</Articleid>
                    <excerpt>આરોપીઓએ સગીરાની વાંધાજનક તસવીરો પાડી ધમકી આપી. દુષ્કર્મ ગુજારી સગીરાને સ્મશાન બહાર ફેંકીને ફરાર થઈ ગયા. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678dd1b325b60.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678dd1b2e6198.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678dd1b2e6198.jpg" length="68097" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit girl raped, Dalit News, Dalit crime, Moradabad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>IIT મદ્રાસના ડિરેક્ટરે ગૌમૂત્રની પ્રશંસા કરી, કહ્યું&amp; સાધુઓ તાવ આવે ત્યારે ગૌમૂત્ર પીએ છે</title>
                    <link>https://khabarantar.com/iit-madras-director-v-kamakoti-praises-cow-urine-congress-dmk-criticize</link>
                    <guid>https://khabarantar.com/iit-madras-director-v-kamakoti-praises-cow-urine-congress-dmk-criticize</guid>
                    <description>
                        <![CDATA[ IIT મદ્રાસના ડિરેક્ટર વી કામકોટીએ એક કાર્યક્રમમાં ગૌમૂત્રના ઔષધીય ગુણોની ભારોભાર પ્રશંસા કરી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોંગ્રેસ અને ડીએમકેએ ઝાટકણી કાઢી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIT મદ્રાસના ડિરેક્ટર વી કામકોટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ગૌમૂત્રના ઔષધીય ગુણો વિશે વાત કરી રહ્યા છે. કામકોટીએ ગૌમૂત્રને એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને પાચનમાં મદદરૂપ ગણાવ્યું. તેમણે દાવો કર્યો હતો કે ગૌમૂત્ર જઠરની વિકૃતિઓમાંથી પણ રાહત આપે છે. તેમના આ દાવાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કોંગ્રેસ અને ડીએમકેએ તેમની આકરી ઝાટકણી કાઢી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચેન્નાઈમાં ગૌ સંરક્ષાશાળા ખાતે એક કાર્યક્રમમાં IIT મદ્રાસના ડિરેક્ટર વી કામકોટીએ કહ્યું હતું કે જ્યારે સાધુઓને ખૂબ તાવ આવે છે, ત્યારે તેઓ ગૌમૂત્રનો ઉપયોગ કરે છે. પીટીઆઈના અહેવાલ મુજબ, વાયરલ થઈ રહેલો વીડિયો સાચો છે. તેમણે કહ્યું કે તેઓ એક પ્રાકૃતિક ખેડૂત છે તેથી તેમની વાતોનો સંદર્ભ ખૂબ વ્યાપક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIT મદ્રાસના ડિરેક્ટરના આ નિવેદનની DMK અને કોંગ્રેસે ટીકા કરી છે. કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે IIT મદ્રાસના ડિરેક્ટરનો દાવો પાયાવિહોણો છે અને તેને વિજ્ઞાન સાથે કોઈ લેવાદેવા નથી. આ દરમિયાન, ડીએમકે નેતા ટીકેએસ એલાંગોવાને કહ્યું કે તેમને આ પ્રખ્યાત સંસ્થામાંથી બીજે ક્યાંક મોકલવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીએમકે નેતાએ કહ્યું કે જો તેમને આઈઆઈટી મદ્રાસમાંથી સરકારી મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવે તો તેઓ શું કરશે? તેઓ IIT માં શું કરી રહ્યાં છે? તેમને એઈમ્સના ડિરેક્ટર બનાવી દેવા જોઈએ. સરકારે તેમને તાત્કાલિક IITમાંથી હટાવવા જોઈએ. તમને જણાવી દઈએ કે વી કામકોટીના આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર હાજર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/enter-garba-only-after-drinking-cow-urine-indore-bjp-leader">ગૌમૂત્ર પીવડાવો પછી જ ગરબામાં એન્ટ્રી આપોઃ ઈન્દોર ભાજપ નેતા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 20:27:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1858</Articleid>
                    <excerpt>IIT મદ્રાસના ડિરેક્ટર વી કામકોટીએ એક કાર્યક્રમમાં ગૌમૂત્રના ઔષધીય ગુણોની ભારોભાર પ્રશંસા કરી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોંગ્રેસ અને ડીએમકેએ ઝાટકણી કાઢી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678d1249b3d79.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678d12497f50f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678d12497f50f.jpg" length="50113" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>iit madras, iit madras director v kamakoti, cow urine</media:keywords>
                </item>
                        <item>
                    <title>કુંભમેળામાં ગીતા પ્રેસના ટેન્ટમાં ભીષણ આગ લાગી, 20થી વધુ ટેન્ટ ખાક</title>
                    <link>https://khabarantar.com/kumbh-mela-massive-fire-breaks-out-in-geeta-press-tent-latest-update</link>
                    <guid>https://khabarantar.com/kumbh-mela-massive-fire-breaks-out-in-geeta-press-tent-latest-update</guid>
                    <description>
                        <![CDATA[ આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી બહાર આવી નથી પરંતુ રસોઈ બનાવતી વખતે સિલિન્ડર ફાટ્યો હોવાની આશંકા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભીષણ આગ (Kumbh Mela Fire) લાગી હોવાના સમાચાર છે. શાસ્ત્રી બ્રિજ સેક્ટર 19 માં અનેક તંબુઓ બળીને રાખ થઈ ગયા છે. અનેક ફાયરફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી બહાર આવી નથી પરંતુ એવી શંકા છે કે રાંધતી વખતે સિલિન્ડર ફાટ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગ એટલી ભયાનક હતી કે આસપાસનો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો. આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ સેક્ટર 19 માં લાગી હતી પરંતુ ભારે પવનને કારણે તે સેક્ટર 20 સુધી પહોંચી ગઈ હતી અને નજીકના ઘણા તંબુઓમાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આગ ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં લાગી હતી. જેમાં 20 થી વધુ તંબુ બળી ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યોગી આદિત્યનાથે ઘટના સ્થળની મુલાકાત લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની નોંધ લીધી છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર હાજર રહેવા સૂચના આપી છે. તેમણે ઘાયલોને યોગ્ય સારવારના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી યોગી 'પરમાર્થ નિકેતન ઋષિકેશ' ના કાર્યક્રમમાં હાજરી આપવા માટે કુંભ મેળામાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી યોગીએ આગ લાગી તે જગ્યાની પણ મુલાકાત લીધી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના ચીફ ફાયર ઓફિસર પ્રમોદ શર્માએ જણાવ્યું છે કે સિલિન્ડર વિસ્ફોટને કારણે આગ લાગી હતી. NDRF અને SDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એડીજી ભાનુ ભાસ્કરે કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડીઆઈજી-ડીએમે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહા કુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, ગીતા પ્રેસ ગોરખપુરના તંબુમાં આગ લાગી હતી. કોઈ જાનહાનિના સમાચાર નથી. આગથી થયેલા નુકસાનની તપાસ માટે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ તપાસનો વિષય છે. ફક્ત તંબુ અને કેટલીક વસ્તુઓ બળી ગઈ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_678cf91a35dc3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રયાગરાજના ડીએમ રવિન્દ્ર કુમારે પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સેક્ટર ૧૯ માં ગીતા પ્રેસના તંબુમાં સાંજે ૪.૩૦ વાગ્યે આગ લાગી હતી. થોડી જ વારમાં આગ નજીકના 10 તંબુઓમાં ફેલાઈ ગઈ હતી. પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમાજવાદી પાર્ટીએ મેળાની તૈયારીઓ પર પ્રશ્નો ઉઠાવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજવાદી પાર્ટીએ આ મામલે પ્રશ્નો ઉઠાવ્યા છે. સપા પ્રવક્તા ફખરુલ ચાંદે જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટી શરૂઆતથી જ કુંભ મેળાની તૈયારીઓ પર પ્રશ્નો ઉઠાવી રહી હતી. અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી તો રહ્યાં છે પરંતુ તેઓ ખુલ્લા આકાશ નીચે છે. પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. સમાજવાદી પાર્ટી પોતાના લોકશાહી અધિકારો અંતર્ગત સવાલો ઉઠાવતી રહી છે. આજે લાગેલી આગમાં ભક્તોની સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/bjp-is-using-kumbh-mela-to-appease-dalits-and-obc-voters"> દલિત, ઓબીસીને રિઝવવા ભાજપ કુંભમેળાનો ઉપયોગ કરી રહી છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 18:40:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1857</Articleid>
                    <excerpt>આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી બહાર આવી નથી પરંતુ રસોઈ બનાવતી વખતે સિલિન્ડર ફાટ્યો હોવાની આશંકા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678cf90a21cae.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678cf909e5727.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678cf909e5727.jpg" length="52980" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kumbh mela fire, kumbh mela 2025, Yogi Adityanath, Prayagraj news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભીમ આર્મીનો પાવરઃ દલિતોના 250 ઘરો પર બુલડોઝર ફરતું અટકાવ્યું</title>
                    <link>https://khabarantar.com/bhim-army-stops-bulldozer-from-moving-over-250-dalit-houses-in-lucknows-bandariya-bagh</link>
                    <guid>https://khabarantar.com/bhim-army-stops-bulldozer-from-moving-over-250-dalit-houses-in-lucknows-bandariya-bagh</guid>
                    <description>
                        <![CDATA[ યોગી આદિત્યનાથની સરકાર દબાણ હટાવવાના બહાને એસસી, લઘુમતી, એસટી, ઓબીસીના ઘરો તોડી પાડી રહી છે. પણ ભીમ આર્મી સામે તેણે ઝૂકવું પડ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે ગેરકાયદે દબાણની આડમાં જે રીતે દલિત-બહુજન સમાજને આડે હાથ લેવાનું શરૂ કર્યું છે તેનાથી અનેક લોકોના ઘર બરબાર થઈ ગયા છે અને લોકો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. એ નગ્ન સત્ય છે કે, દબાણના બહાને લઘુમતી, દલિત, આદિવાસીઓ અને ઓબીસીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. પણ લખનઉમાં ભીમ આર્મી સામે યોગી સરકારની આ કારી ફાવી નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લખનૌના બંદરિયા બાગ વિસ્તારમાં રેલ્વેની જમીન પર આવેલા દલિત સમુદાયના સેંકડો ઘરોને તોડી પાડવાની કાર્યવાહી ભીમ આર્મીના કારણે તરત બંધ કરવામાં આવી હતી. આ મકાનો ખાલી કરવા માટે રેલ્વે વહીવટીતંત્ર દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. જેની સામે ભીમ આર્મીના કાર્યકરોએ લડત માંડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લખનૌના બંદરિયા બાગ વિસ્તારમાં રેલ્વેની જમીન પર આવેલા દલિત સમાજના સેંકડો ઘરોને તોડી પાડવાની કાર્યવાહી મંગળવારે બંધ કરવામાં આવી હતી. આ મકાનો ખાલી કરવા માટે રેલ્વે વહીવટીતંત્ર દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. પરંતુ જેસીબી ચલાવવાની પ્રક્રિયા શરૂ થતાં જ ચંદ્રશેખરની આઝાદ સમાજ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેમણે વહીવટીતંત્રને બુલડોઝર રોકવા દબાણ કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આઝાદ સમાજ પાર્ટીના કાર્યકરોએ ચેતવણી આપી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાસ્થળે પહોંચેલા ભીમ આર્મીના નેતાઓએ દલિત વસ્તી પર બુલડોઝર ચાલતા રોક્યું હતું અને વહીવટીતંત્રને ચેતવણી આપી હતી. વાયરલ થયેલા વીડિયોમાં, ભીમ આર્મીના નેતાઓ કહી રહ્યાં છે કે, “ચલાવો બુલડોઝર, જોઈએ કેવી રીતે ચલાવો છો. મત માંગવા માટે મોટા મોટા નેતાઓ અહીંયા આવે છે. જેમણે લાઠીચાર્જ કર્યો, યાદ રાખજો 60 વર્ષ નોકરી કરવી પડે છે. ભૂલથી પણ જો ચંદ્રશેખર આઝાદ કે અમારા જેવા માથાફરેલ લોકો સામે આવી ગયા તો યાદ રાખજો બરાબરનો ઈલાજ કરીશું એ યાદ રાખજો.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">250 થી વધુ ઘરો જોખમમાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંદરિયા બાગમાં રેલ્વે ટ્રેક પર 250 થી વધુ ઘરો છે, જ્યાં દલિત સમાજના લોકો વર્ષોથી રહે છે. વહીવટીતંત્રે આ મકાનોને ગેરકાયદેસર જાહેર કરીને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ૧૬ જાન્યુઆરીએ બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આઝાદ સમાજ પાર્ટી અને ભીમ આર્મીના હસ્તક્ષેપ બાદ આખી કામગીરીને અટકાવી દેવામાં આવી હતી. આઝાદ સમાજ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ રેલવે અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી સ્પષ્ટ માંગણી કરી છે કે જ્યાં સુધી આ પરિવારોનું પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય કોઈ યોજના હેઠળ પુનર્વસન ન થાય ત્યાં સુધી કોઈ પણ ઘર તોડી ન શકાય. સ્થળ પર હાજર વહીવટી અધિકારીઓએ ખાતરી આપી હતી કે પુનર્વસન પ્રક્રિયા વિના કોઈને બેઘર બનાવવામાં આવશે નહીં. હાલમાં બુલડોઝર ચલાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ રેલ્વે વહીવટીતંત્ર અને અસરગ્રસ્ત પરિવારો વચ્ચે વિવાદ ચાલુ છે. પીડિત દલિત પરિવારો વતી હાલ એકમાત્ર ભીમ આર્મી અને તેના નેતાઓ-કાર્યકરો જ સિસ્ટમ સામે માથું મારીને લડી રહ્યાં છે. ભીમ આર્મીની જય હો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/how-many-sc-st-judges-who-gave-this-order">જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 14:14:45 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 19 Jan 2025 14:15:28 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1856</Articleid>
                    <excerpt>યોગી આદિત્યનાથની સરકાર દબાણ હટાવવાના બહાને એસસી, લઘુમતી, એસટી, ઓબીસીના ઘરો તોડી પાડી રહી છે. પણ ભીમ આર્મી સામે તેણે ઝૂકવું પડ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678cbb183e443.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678cbb1808920.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678cbb1808920.jpg" length="104146" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bhim army, lucknows bandariya bagh, dalit news, Chandrasekhar Azade</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘કાળો’ કહીને ઉતારી પાડ્યા હતા તે દલિત શિક્ષક એજ વિભાગના અધ્યક્ષ બન્યાં</title>
                    <link>https://khabarantar.com/keralas-kalamandalam-university-appoints-first-dalit-assistant-professor-in-Bharatanatyam</link>
                    <guid>https://khabarantar.com/keralas-kalamandalam-university-appoints-first-dalit-assistant-professor-in-Bharatanatyam</guid>
                    <description>
                        <![CDATA[ મોહિનીઅટ્ટમ માત્ર રૂપાળાં લોકો જ કરી શકે તેમ કહીને જે દલિત શિક્ષકનું અપમાન કરવામાં આવ્યું હતું, હવે તે શિક્ષકે આખા વિભાગના અધ્યક્ષ બનીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરળ કલામંડલમ યુનિવર્સિટીએ આરએલવી રામકૃષ્ણનને ભરતનાટ્યમના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિયુક્ત કર્યા છે. ભરતનાટ્યમ વિભાગમાં પુરુષ કલાકારની નિમણૂક કરવામાં આવી હોય તેવો આ પહેલો પ્રસંગ છે. રામકૃષ્ણન એક દલિત પરિવારમાંથી આવે છે. અગાઉ તેમની જાતિ, લિંગ અને રંગને કારણે આ પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રોફેસર તરીકે તક આપવામાં આવી નહોતી. આ નિમણૂક કલા જગતમાં એક ઐતિહાસિક પરિવર્તન દર્શાવે છે. ૯૦ વર્ષથી વધુ જૂની આ સંસ્થામાં તમિલનાડુના પ્રખ્યાત નૃત્યગુરુ રાજરત્નમ પિલ્લઈ અને એઆરઆર ભાસ્કર તેમના શરૂઆતના વર્ષોમાં અહીં કામ કરતા હતા. તે બંને અહીં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રામકૃષ્ણન ફિલ્મ અભિનેતા કલાભવન મણિના ભાઈ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામકૃષ્ણન સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેતા કલાભવન મણિના ભાઈ છે. તેમની પાસે મોહિનીઅટ્ટમ અને ભરતનાટ્યમમાં બે એમએ ડિગ્રી છે. ઉલ્લેખનીય છે કે લિંગ અને જાતિના આધારે મોહિનીઅટ્ટમ કરવા બદલ તેમને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. રામકૃષ્ણને કહ્યું કે આ એક મોટી ક્ષણ છે. મારા ભાઈ કહેતા હતા કે આપણે દૃઢ નિશ્ચય સાથે આપણા લક્ષ્યાંકોનો પીછો કરવો જોઈએ અને કોઈપણ પ્રકારના પડકારોથી વિચલિત ન થવું જોઈએ. આ મહાન સંસ્થાના ઇતિહાસનો ભાગ બનવા બદલ હું ખૂબ જ ગર્વનો અનુભવ કરું છું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પસંદગી સમિતિએ તેમને સૌથી યોગ્ય ઉમેદવાર માન્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુનિવર્સિટીના કુલપતિ બી. અનંતકૃષ્ણને જણાવ્યું હતું કે જ્યારે તેમણે આ પદ માટે અરજીઓ મંગાવી હતી ત્યારે રામકૃષ્ણન અરજદારોમાંના એક હતા. પસંદગી સમિતિએ તેમને સૌથી યોગ્ય ઉમેદવાર માન્યા અને અમે તેમની નિમણૂક કરી છે. આ એક નવી શરૂઆત છે. રામકૃષ્ણન ૨૦૦૭ થી ૨૦૧૭ સુધી કલામંડલમમાં એમફિલ અને પીએચડી કરી રહ્યા હતા, તેમ છતાં તેમને ત્યાં મોહિનીઅટ્ટમ કરવાની તક મળી નહોતી. ગયા વર્ષે પણ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, કલામંડલમ સત્યભામા (જુનિયર) એ જાતિવાદી ટિપ્પણી કરી હતી કે રામકૃષ્ણન મોહિનીઅટ્ટમ ન કરી શકે કારણ કે તેમનો રંગ કાળો છે. તેમને ગયા માર્ચમાં જ કલામંડલમમાં સર્ફોમ કરવાની તક મળી હતી. કલામંડલમને અગાઉ મોહિનીઅટ્ટમમાં છોકરાઓને પ્રવેશ ન આપવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. હવે તેમણે ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ બનીને રંગભેદી, જાતિવાદી તત્વોની બોલતી બંધ કરી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/samata-sangthan-an-organization-fighting-against-derogatory-names-of-dalits-and-tribals">'ગાંડો', 'કાળો', 'કચરો', 'કાળી' જેવા અપમાનજનક નામો સામેની લડાઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 12:56:26 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 19 Jan 2025 12:56:56 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1855</Articleid>
                    <excerpt>મોહિનીઅટ્ટમ માત્ર રૂપાળાં લોકો જ કરી શકે તેમ કહીને જે દલિત શિક્ષકનું અપમાન કરવામાં આવ્યું હતું, હવે તે શિક્ષકે આખા વિભાગના અધ્યક્ષ બનીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678ca93793dae.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678ca93762cdc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678ca93762cdc.jpg" length="53275" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kerala Kalamandalam University, RLV Ramakrishnan, Bharatanatyam, Ramakrishnan film</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS શા માટે 8000 દલિત વિદ્યાર્થીઓને કુંભ મેળામાં લઈ જઈ રહ્યું છે?</title>
                    <link>https://khabarantar.com/why-is-rss-taking-8000-dalit-students-to-kumbh-mela</link>
                    <guid>https://khabarantar.com/why-is-rss-taking-8000-dalit-students-to-kumbh-mela</guid>
                    <description>
                        <![CDATA[ RSS ની શિક્ષણ શાખા વિદ્યા ભારતી દેશના વિવિધ વિસ્તારમાંથી હોંશિયાર દલિત બાળકોને કુંભમેળાની ટુર કરાવી રહી છે. શું છે તેની પાછળનો ઉદ્દેશ્ય, આખરે સંઘ દલિત બાળકો સાથે શું કરવા માંગે છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વંચિત વર્ગના લગભગ 8,000 જેટલા વિદ્યાર્થીઓને કુંભ મેળામાં લઈ જઈ રહ્યો છે, જેમાં મોટાભાગે અનુસૂચિત જાતિ (SC) ના વિદ્યાર્થીઓ સામેલ છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં RSS ની શિક્ષણ શાખા વિદ્યા ભારતી દ્વારા આ આયોજન કરાયું છે. જેનો હેતુ આ બાળકોને હિન્દુ પરંપરાઓથી પરિચિત કરાવવાનો અને તેમને અન્ય ધર્મમાં જતા રોકવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અવધ પ્રદેશની સેવા ભારતી શાળાઓના પ્રશિક્ષક રામજી સિંહે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવતા કહ્યું કે, "વિદ્યાર્થીઓને 'કુંભ દર્શન' માટે લઈ જવાનો ઉદ્દેશ્ય તેમને ભારતની સમૃદ્ધ પરંપરાઓ અને સંસ્કૃતિ તેમજ મહાકુંભના આધ્યાત્મિક પાસાંથી વાકેફ કરવાનો છે. આનાથી તેમને હિંદુમાંથી ખ્રિસ્તી બનતા અટકાવી શકાશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">10 વર્ષથી વધુ ઉંમરના આ દલિત વિદ્યાર્થીઓ કુંભમેળાના મુખ્ય સ્થળોની મુલાકાત લેશે, જેમાં આશ્રમ, અખાડા અને સંગમ ઘાટનો સમાવેશ થાય છે, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ થાય છે. મેળાના સેક્ટર 9 માં તેમના રોકાણ માટે એક ખાસ કેમ્પ બનાવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના અવધ વિસ્તારના ૧૪ જિલ્લાઓના લગભગ ૨,૧૦૦ વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે ૧૬ થી ૧૮ જાન્યુઆરી દરમિયાન આ ટુરમાં જોડાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">RSS ના પદાધિકારીએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSSના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકો દલિત સમાજના છે, જેમને સંગઠન "વંચિત સમાજ" કહે છે. અમે ઇચ્છીએ છીએ કે આ બાળકો તેમના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂળની સમૃદ્ધિને સમજે. વિદ્યાર્થીઓની આ બેંચની ટુર પુરી થયા પછી ગોરખપુર વિસ્તારની બીજી બેંચ 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કુંભની મુલાકાત લેશે, ત્યારબાદ કાશી અને કાનપુર ક્ષેત્રના વિદ્યાર્થીઓ આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/why-is-rss-opposing-the-india-national-flag"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"> </span>RSS શા માટે રાષ્ટ્રધ્વજનો વિરોધ કરે છે?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ભવિષ્યના પ્રવાસોમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાળકોને સામેલ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને મહા કુંભ મેળા માટે સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં 29 જાન્યુઆરીએ મૌની અમાસની સ્નાન વિધિમાં 8-10 કરોડ ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે. દર 12 વર્ષે યોજાતો મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરએસએસનો ઈરાદો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસ શા માટે દલિત બાળકોને ટાર્ગેટ કરી રહ્યું છે તેને લઈને બહુજન સમાજનો બૌદ્ધિક વર્ગ સ્પષ્ટપણે માને છે કે આ દલિતોની ભાવિ પેઢીને સંઘ પરિવારની વિચારધારામાં પલોટવા માટેનું ષડયંત્ર છે. ઉત્તરપ્રદેશના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દલિત સમાજમાં જે રીતે સંઘ અને ભાજપની છાપ બંધારણ વિરોધી અને ડો.આંબેડકર વિરોધી હોવાની છાપ દિન પ્રતિદિન મજબૂત બની રહી છે તે જોતા આરએસએસ તેને ખાળવા માટે લાંબાગાળાનું આયોજન કરીને દલિત સમાજના હોંશિયાર વિદ્યાર્થીઓનું બ્રેઈનવોશ કરીને તેમને તેમના જ સમાજ સામે હથિયાર તરીકે વાપરવા માંગે છે. તેના માટે ગામડાઓમાંથી દલિત-બહુજન સમાજના હોંથિયાર વિદ્યાર્થીઓને સંઘની શાખાઓમાં લાવવામાં આવે છે અને પછી ત્યાંથી તેને સંઘની મનુવાદી વિચારધારામાં પલોટવામાં આવે છે. જેથી આગળ જતા તે સંઘની ભાષા બોલે અને તેના કહ્યા પ્રમાણે વર્તે. આ પદ્ધતિથી આરએસએસ અગાઉ પણ અનેક દલિત બાળકોને સંઘ પરિવારમાં ભેળવી ચૂક્યું છે અને કુંભમેળામાં જે બાળકોને લઈ જવાઈ રહ્યાં છે તેમનો પણ છેલ્લે તો આંબેડકરી વિચારધારા સામે જ ઉપયોગ કરાશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફ્લાઈટના ભાડામાં તોતિંગ વધારો થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ માટે ફ્લાઇટ્સનું બુકિંગ તેમજ હવાઈ ભાડામાં અનેકગણો વધારો થયો છે. દિલ્હીથી પ્રયાગરાજની ફ્લાઇટની ટિકિટના ભાવમાં 21 ટકાનો વધારો થયો છે. ટ્રાવેલ પોર્ટલ ixigo ના વિશ્લેષણ મુજબ ભોપાલ અને પ્રયાગરાજ વચ્ચેનું વનવે ભાડું ગયા વર્ષે 2,977 રૂપિયા હતું, તે હવે 498 ટકા વધીને 17,796 રૂપિયા થઈ ગયું છે. આ ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ માટે ૩૦-દિવસની એડવાન્સ બુકીંગ તારીખ (APD) પર આધારિત વન વે સરેરાશ ભાડું છે. દિલ્હીથી પ્રયાગરાજનું વિમાન ભાડું ૨૧ ટકા વધીને રૂ. ૫,૭૪૮ થયું છે, જ્યારે મુંબઈ-પ્રયાગરાજ ફ્લાઇટનું ભાડું ૧૩ ટકા વધીને રૂ. ૬,૩૮૧ થયું છે. વિશ્લેષણ મુજબ, બેંગલુરુ-પ્રયાગરાજ ફ્લાઇટ માટે એર ટિકિટનો ભાવ 89 ટકા વધીને રૂ. 11,158 થયો છે, જ્યારે અમદાવાદ-પ્રયાગરાજ ફ્લાઇટનું ભાડું 41 ટકા વધીને રૂ. 10,364 થયું છે. પ્રયાગરાજ નજીકના શહેરો - લખનૌ અને વારાણસી - ના હવાઈ ભાડામાં ત્રણથી 21 ટકાનો વધારો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/370-dalit-saints-to-be-made-mahamandaleshwar-mandaleshwar-peethadhishwar-at-kumbh-mela"> કુંભમેળામાં 370 દલિત સંતોને મહામંડળેશ્વર, મંડળેશ્વર, પીઠાધિશ્વર બનાવાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 12:07:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1854</Articleid>
                    <excerpt>RSS ની શિક્ષણ શાખા વિદ્યા ભારતી દેશના વિવિધ વિસ્તારમાંથી હોંશિયાર દલિત બાળકોને કુંભમેળાની ટુર કરાવી રહી છે. શું છે તેની પાછળનો ઉદ્દેશ્ય, આખરે સંઘ દલિત બાળકો સાથે શું કરવા માંગે છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678c9d6d6c75f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678c9d6d3942d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678c9d6d3942d.jpg" length="99576" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kumbh mela 2025, kumbh mela, RSS, dalit</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજપૂતોએ દલિત દીકરીની જાન પર હુમલો કર્યો, અનેક જાનૈયા ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/rajputs-attack-dalits-procession-in-badshahpur-uttar-pradesh-many-injured</link>
                    <guid>https://khabarantar.com/rajputs-attack-dalits-procession-in-badshahpur-uttar-pradesh-many-injured</guid>
                    <description>
                        <![CDATA[ આરોપી લુખ્ખા તત્વોએ જાનૈયાઓને દોડાવી-દોડાવીને માર્યા. પથ્થર અને દંડાથી હુમલો કર્યો. હુમલામાં વરરાજાની ગાડીનો કાચ તૂટી ગયો, અનેક લોકો ઘાયલ થયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુંભમેળાના બહાને સમરસતાની વાતો કરી દલિતોને હિંદુ વોટબેંકમાં ભેળવવા મથતી ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર જ્યારે કથિત સવર્ણ જાતિના લુખ્ખા તત્વો દ્વારા દલિતો પર અત્યાચાર થાય છે ત્યારે મોંમાં મગ ભરીને બેસી જાય છે. દર વર્ષે લગ્નની સિઝનમાં દલિતોની જાનો પર હુમલાઓની સૌથી વધુ ઘટનાઓ ઉત્તરપ્રદેશમાં બને છે. અને તેમાં ભાગ્યે જ કોઈ લુખ્ખા તત્વોને એટ્રોસિટી અંતર્ગત આકરી સજા થાય છે. આવી જ એક દલિત પરિવારની જાન પર હુમલાની વધુ એક ઘટના બની છે અને તેમાં અનેક લોકો ઘાયલ થયા છે પણ હજુ સુધી પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુપીના બાદશાહપુરના ટેંથડ ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બટેંગે તો કટેંગે ફેઈમ ઉત્તરપ્રદેશના સોહના વિસ્તારના બાદશાહપુર જિલ્લાના ટેંથડ ગામનો છે. અહીં ગામના લુખ્ખા જાતિવાદી તત્વોએ એક અનુસૂચિત જાતિની દીકરીની જાન પર હુમલો કર્યો હતો અને જાનૈયાઓ સહિતના લોકોનો દોડાવી દોડાવીને ફટકાર્યા હતા. હુમલામાં અનેક જાનૈયા ઘાયલ થયા હતા. લુખ્ખા તત્વોએ વરરાજાની કાચરનો કાચ પણ તોડી નાખ્યો હતો. આરોપીઓએ દંડા અને પથ્થરો વડે હુમલો કરતા બીજા લગભગ એક ડઝન વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. હુમલામાં ઘાયલ થયેલા લોકોને સોહનાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને ગુરુગ્રામની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે અહીંની નિબોટ પોલીસ ચોકી હેઠળ આવતા બાદશાહપુર ટેંથડ ગામના રહેવાસી બલબીરની પુત્રી હેમલતાની જાન તાવડૂ વિસ્તારના સુંધ ગામથી આવવાની હતી. જાન દીકરીના માંડવે આવી રહી ત્યારે તેના ઘરથી માત્ર 50 મીટર દૂર રાજપૂત સમાજના લોકોએ હોબાળો મચાવ્યો હતો. છોકરીના પિતા બલબીરે કહ્યું કે રાજપૂતોએ વરરાજા અને તેમની જાન પર હુમલો કરવાની યોજના પહેલેથી જ બનાવી હતી. તેના માટે આ લુખ્ખા તત્વોએ પહેલાંથી જ તેમના ઘરોની છત પર પથ્થરો મૂકી દીધાં હતાં જેથી તેઓ પથ્થરમારો કરી શકે. આ ઘટનામાં 8 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાં અભિષેક, ગૌરવ, ઇન્દરજીત, સીતારામ, જીત સિંહ, જતીન, દીપક અને ભૂપેન્દ્રનો સમાવેશ થાય છે, જ્યારે બે ઘાયલોની હાલત બગડી હોવાથી તેમને ગુરુગ્રામ રિફર કરવામાં આવ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોહના એસીપી અભિલક્ષ્ય જોશીએ જણાવ્યું હતું કે કન્યાના પિતા બલબીરની ફરિયાદના આધારે, 18 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, આ સિવાય પણ અનેક પુરુષો અને સ્ત્રીઓ સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/bullies-stop-dalit-grooms-wedding-procession-in-saharanpur-show-gun-in-bareilly">બંદૂક બતાવી લુખ્ખાઓએ દલિત યુવકની જાન રોકી, ડીજે બંધ કરાવી તોફાન મચાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 11:15:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1853</Articleid>
                    <excerpt>આરોપી લુખ્ખા તત્વોએ જાનૈયાઓને દોડાવી-દોડાવીને માર્યા. પથ્થર અને દંડાથી હુમલો કર્યો. હુમલામાં વરરાજાની ગાડીનો કાચ તૂટી ગયો, અનેક લોકો ઘાયલ થયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678c9139cde2b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678c91399bc0d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678c91399bc0d.jpg" length="81578" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>rajputs attack dalits, badshahpur news, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજ્યની 9 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામેલ 60 ગ્રામ પંચાયતના લોકોમાં રોષ?</title>
                    <link>https://khabarantar.com/anger-among-the-people-of-60-gram-panchayats-included-in-the-9-municipal-corporations-of-the-state</link>
                    <guid>https://khabarantar.com/anger-among-the-people-of-60-gram-panchayats-included-in-the-9-municipal-corporations-of-the-state</guid>
                    <description>
                        <![CDATA[ ગ્રામ પંચાયતો ભંગ થઈ છે અને નવી બનેલી નવ મહાપાલિકાઓ પાસે ડેટા નથી. જન્મ-મરણ, લગ્ન અને આવકના દાખલા સહિતની કામગીરી અટવાઈ ગઈ ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં એક બાજુ ગામડાઓમાં લોકો અનેક પ્રકારની હાડમારીઓનો સામનો કરી રહ્યાં છે. રોજગારી, શિક્ષણ, પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે સરકારે અચાનક પુરતા આયોજન વિના નવી  9 મહાનગરપાલિકા જાહેર કરી દીધી છે. પણ હવે આ મામલે વિરોધનો વંટોળ ઉઠવો શરૂ થયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે નવી 9 મનપામાં સામેલ કરાયેલી 60 ગ્રામ પંચાયતો ભંગ કરી દેવાઈ છે ત્યાં લોકો જન્મ-મરણ, લગ્ન અને આવક સહિતના સરકારી દાખલાઓ મેળવવામાં અટવાઈ પડ્યાં છે. પંચાયતો ભંગ થઈ છે અને નવી બનેલી નવ મહાપાલિકાઓ પાસે ડેટા નથી. આ સ્થિતિમાં આ સરકારી દાખલાઓ કાઢી આપવાની પ્રક્રિયા મહદ્દઅંશે ખોરંભે પડી છે. હોબાળો મચતાં આણંદ સહિતની અમુક મહાપાલિકા સિક્કો મારીને જન્મ- મરણના સાદા દાખલા આપી રહી છે. પરંતુ, ડેટા ટ્રાન્સફર થયાં ન હોવાથી કોમ્પ્યુટરાઈઝડ દાખલાઓ કાઢી અપાતાં નથી. બીજી તરફ, નવ મહાનગરપાલિકાઓએ આ દાખલાઓ કાઢી આપવા માટે સરકારમાંથી સત્તાવાર મંજુરી મેળવવાની દરખાસ્તો કરી દીધી છે તે મળી નથી. આ મંજુરી મળશે ત્યાં સુધી પ્રજાજનો દાખલા માટે ડખે ચડતાં રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આયોજનના અભાવે લોકોને હાલાકી વેઠવાની આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1લી જાન્યુઆરીથી મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદરને રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકા જાહેર કરી દેવામાં આવી હતી. જો કે, આ જાહેરાત પહેલા કે પછી શું કરવું તેનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું ન હોવાથી આજે પરિસ્થિતિ એવી થઈ છે કે આ નવ મહાનગરપાલિકામાં સમાવેશ થતા 60 ગ્રામ પંચાયતોના રહીશોને સરકારી દાખલા મેળવવામાં સમસ્યા સર્જાઈ રહી છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિક સૂત્રો કહી રહ્યાં છે કે, મહાનગરપાલિકા જાહેર થયા 60માંથી મોટાભાગની ગ્રામ પંચાયતોમાં વસતા લોકોને જન્મ, મરણ કે લગ્નનો પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. પ્રમાણપત્ર કાઢવા માટેની સત્તા મળે તે માટે ઠરાવ પસાર કરી દેવાયો છે અને સરકારને મોકલી પણ દેવાયો છે. પરંતુ સરકારે પોતાની ઢીલી નીતિના દર્શન અહીં પણ કરાવ્યા છે અને હજુ સુધી આવી સત્તા મ્યુનિસિપલ કમિશનરને ન આપતા લોકો પ્રમાણપત્રો મેળવવાની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ સત્તા મળી ગયા બાદ પણ 60 ગ્રામ પંચાયતોના લોકોને જન્મ-મરણ અને લગ્નનો  પ્રમાણપત્ર મેળવવા માટે છેક શહેર સુધી ધક્કા ખાવા પડશે તે કાયમી સમસ્યાનો સામનો લોકોએ કરવો પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">17 દિવસ પછી પણ ગાડી પાટે ચડી નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ નવ મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયેલી 60 જેટલી ગ્રામ પંચાયતોના લોકો દાખલા મેળવવાની સામાન્ય પ્રક્રિયા માટે પિડાઈ રહ્યા છે. જન્મ અને મરણ તેમજ લગ્ન સહિતના પ્રમાણપત્રો થકી  મિલકત તેમજ અન્ય સમાજ સંબંધિત કામગીરીઓ થતી હોય છે. આવા મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાના બદલે હવે સરકાર ખૂબ જ ઢીલી નીતિ અપનાવી રહી  છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાનગરપાલિકા જાહેર થઈ ગયા ને 17 દિવસ વિત્યાં  છતાં હજુ સુધી મહાનગરપાલિકા નો વહીવટ પાટે ચડ્યો નથી. પરિણામે મહત્વના ગણાતા દાખલાઓ હજુ સુધી મહાનગરપાલિકામાંથી નીકળી શકતા નથી.  રાજ્યમાં 60 ગ્રામપંચાયતોને નવી નવ નગરપાલિકાઓમાં ભેળવી દેવામાં આવી છે. આ 60 ગ્રામ પંચાયતો ભંગ કરવામાં આવતાં હાલ પૂરતાં જન્મ-મરણ, આવક સહિતના સરકારી દાખલાઓ આપવાની પ્રક્રિયા થંભી ગઈ છે. સરકાર તરફથી દરખાસ્તને મંજુરી ન અપાય ત્યાં સુધી નીચે દર્શાવેલી 60 ગ્રામ પંચાયતોના રહીશો સરકારી દાખલાઓના મામલે અદ્ધરતાલ છે અને તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/nine-municipalities-in-the-state-were-granted-municipal-status">રાજ્યની 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 09:39:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1852</Articleid>
                    <excerpt>ગ્રામ પંચાયતો ભંગ થઈ છે અને નવી બનેલી નવ મહાપાલિકાઓ પાસે ડેટા નથી. જન્મ-મરણ, લગ્ન અને આવકના દાખલા સહિતની કામગીરી અટવાઈ ગઈ</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678c7a0d8c33b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678c7a0d5c7e3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678c7a0d5c7e3.jpg" length="96186" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>9 municipal corporations, gram panchayats</media:keywords>
                </item>
                        <item>
                    <title>બજેટ સત્ર પૂર્વે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગશે</title>
                    <link>https://khabarantar.com/local-body-elections-to-be-announced-before-budget-session-in-gujarat</link>
                    <guid>https://khabarantar.com/local-body-elections-to-be-announced-before-budget-session-in-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ આવતા અઠવાડિયે જાહેરાતની સંભાવના. જૂનાગઢ મનપા, ખેડા જિલ્લા પંચાયત અને 73 નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ઘણા લાંબા સમયથી અટવાયેલી પડી છે. ત્યારે ટૂંક સમયમાં રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત થઈ શકે છે. એટલું જ નહીં આ ચૂંટણીઓ વિધાનસભાના બજેટ સત્ર પહેલા પૂર્ણ થઈ જાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓની આગામી સપ્તાહમાં જાહેરાત થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગેની મહત્વની બાબતો સામે આવી છે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર ખાતે તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી હતી.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત સપ્તાહમાં મળેલી કેબિનેટની બેઠકમાં તમામ મંત્રીઓને સંબંધિત જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત સંભવત આગામી સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંભવત ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં યોજાઇ શકે છે. એટલે કે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે અગાઉ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેના અંતર્ગત હાલના સંજોગોમાં પંચાયત, નગરપાલિકા અને જૂનાગઢ સહિતની અન્ય મહાપાલિકાઓની ચૂંટણીઓની આખરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ  દ્વારા ગત મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બેઠકોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં વિવિધ 73 નગરપાલિકાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ તેમજ જૂનાગઢ મનપા અને ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. જૂનાગઢ મનપાની સામાન્ય તથા અન્ય મનપાઓની ખાલી પડેલી બેઠકો માટેની પેટા ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી તૈયાર કરાયા બાદ હવે ટૂંક સમયમાં આખરી ફોટો મતદાર યાદી જાહેર થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/considerations-when-voting">વોટ આપતી વેળાનું ચિંતન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 18 Jan 2025 21:09:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1851</Articleid>
                    <excerpt>આવતા અઠવાડિયે જાહેરાતની સંભાવના. જૂનાગઢ મનપા, ખેડા જિલ્લા પંચાયત અને 73 નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678bcaad96979.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678bcaad595ef.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678bcaad595ef.jpg" length="78513" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Local government elections 2025, budget, gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>આણંદમાં પોલીસકર્મીએ દલિત યુવકને માર માર્યો, કાનમાંથી લોહી નીકળી ગયું</title>
                    <link>https://khabarantar.com/policeman-beats-up-dalit-youth-in-anand-blood-comes-out-of-his-ear</link>
                    <guid>https://khabarantar.com/policeman-beats-up-dalit-youth-in-anand-blood-comes-out-of-his-ear</guid>
                    <description>
                        <![CDATA[ યુવક અકસ્માતની ફરિયાદ નોંધાવવા પોલીસ ચોકીએ ગયો હતો. જ્યાં જામભા નામના પોલીસકર્મીએ તેને ઢોર માર મારતા બેભાન થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં દલિતો, આદિવાસીઓને પોલીસ પર શું કામ ભરોસો નથી બેસતો તેનું સૌથી મોટું ઉદાહરણ દક્ષિણ ભારતની સુપરહિટ ફિલ્મ ‘જય ભીમ’ છે. જેમાં પોતાના પર થઈ રહેલા અત્યાચારની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગયેલી દલિત મહિલાને એક પોલીસકર્મી ધાકધમકી આપીને સમાધાન કરી લેવા દબાણ કરે છે. પણ મહિલા ડગતી નથી જે જોઈને પેલાને વધુ ગુસ્સો આવે છે. પણ છેલ્લે ડો.આંબેડકરનું બંધારણ મહિલાની વ્હારે આવે છે અને પેલો માથાભારે પોલીસકર્મી ઢીલો પડી જાય છે અને મહિલાને તેના ઘર સુધી સલામત રીતે મૂકી જવા મજબૂર બને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘જય ભીમ’ તો ફિલ્મ હતી અને તેમાં દર્શાવેલો પોલીસકર્મી પણ ફિલ્મી હતો, પરંતુ ગુજરાતમાં મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં આવા કોઈને કોઈ પોલીસકર્મીઓ મોજૂદ છે, જેમને દલિતો, આદિવાસીઓ કે ઓબીસી સમાજના લોકો પોતાની કોઈ સમસ્યા લઈને ફરિયાદ કરવા જાય તે ગમતું નથી. તેઓ એમ સમજતા હોય છે કે આ વર્ગને કોઈ સમસ્યાની ફરિયાદ ન કરવાની હોય, તેમણે તો બધું મૂંગા મોંઢે સહન કરવાનું હોય. આવી માનસિકતા ધરાવતા પોલીસકર્મીઓ મોકો મળતા જ પોતાનું અસલ જાતિવાદી પોત પ્રકાશે છે અને દલિત-બહુજન સમાજની વ્યક્તિને જાતિસૂચક ગાળો ભાંડવાથી લઈને માર મારવા સુધીની હરકત કરતા ખચકાતા નથી. વિચારો, જ્યાં કાયદાના રખેવાળો જ દલિત-બહુજન સમાજ સાથે આવું વર્તન કરતા હોય ત્યાં તેમની પાસેથી તટસ્થ તપાસ અને ન્યાયની આશા કેવી રીતે રાખવી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જય ભીમ ફિલ્મ જેવો જ એક કિસ્સો હાલ ચરોતરમાં સામે આવ્યો છે. મામલો આણંદ જિલ્લાની ગામડી પોલીસ ચોકીનો છે. અહીં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક દલિત યુવકને પોલીસ ચોકીના પોલીસકર્મી દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, અહીંના ત્રિકમનગર વિસ્તારના રહેવાસી 40 વર્ષીય અશોકભાઈ ચૌહાણના ભાઈ સાથે એક ટેમ્પો ડ્રાઈવરે અકસ્માત કર્યો હતો. જેની ફરિયાદ નોંધાવવા માટે અશોકભાઈ આરોપી ટેમ્પો ડ્રાઈવરને લઈને ગામડી પોલીસ ચોકીમાં ગયા હતા. પરંતુ ત્યાં હાજર પોલીસકર્મી જામભાએ તેમની સાથે અભદ્ર વર્તન કરીને જાતિ વિષયક અપશબ્દો બોલીને માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જામભા નામના પોલીસકર્મીના મારના કારણે અશોકભાઈના કાનમાંથી લોહી નીકળી ગયું હતું અને તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા તેમની દીકરી પોલીસ ચોકીમાં પહોંચી ગઈ હતી અને અશોકભાઈને બહાર લઈ ગઈ હતી. એ પછી ઈજાગ્રસ્ત અશોકભાઈને પહેલા આણંદ જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અશોકભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગામડી પોલીસ ચોકીના જામભા નામના પોલીસકર્મી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના સોશિયલ મીડિયામાં પણ વાયરલ બનતા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને પોલીસની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જોવાનું એ રહેશે કે છાશવારે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવેની વાત કરતા ગૃહમંત્રીનું પોલીસખાતું તેમના જ પોલીસકર્મીએ કરેલી દાદાગીરીમાં તેને શું સજા કરે છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dalit-teenager-tied-to-pillar-and-beaten-by-sarpanch-and-his-associates-in-mirzapur-up">દલિત કિશોરને સરપંચે સવારના 5 થી બપોરના 3 વાગ્યા સુધી બાંધીને માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 18 Jan 2025 19:07:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1850</Articleid>
                    <excerpt>યુવક અકસ્માતની ફરિયાદ નોંધાવવા પોલીસ ચોકીએ ગયો હતો. જ્યાં જામભા નામના પોલીસકર્મીએ તેને ઢોર માર મારતા બેભાન થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678bae4102712.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678bae40c86bc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678bae40c86bc.jpg" length="31258" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>anand  news, dalit crime, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>તમિલનાડુમાં જલ્લીકટ્ટુ દરમિયાન 7 લોકોના મોત, સેંકડો લોકો ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/during-jallikattu-in-tamil-nadu-7-people-died-hundreds-injured</link>
                    <guid>https://khabarantar.com/during-jallikattu-in-tamil-nadu-7-people-died-hundreds-injured</guid>
                    <description>
                        <![CDATA[ જલ્લિકટ્ટુ તમિલનાડુની પરંપરાગત રમત છે જે પોંગલના તહેવાર દરમિયાન રમાય છે. જેમાં તોફાની બળદને સ્પર્ધક સાથે બાંધવામાં આવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આસ્થા અને પરંપરાના નામે દુનિયાભરમાં અનેક કાર્યક્રમો, ઉત્સવો ઉજવાય છે અને તેમાં પ્રાણીઓનો ખો નીકળી જતો હોય છે. તો અનેક લોકો પણ કારણ વિના તેમાં મોતને ભેટતા હોય છે. આવો જ એક ઉત્સવ એટલે જલ્લિકટ્ટુ, જે તમિલનાડુમાં ઉજવાય છે અને તેમાં લોકો બળદ સાથે દોટ મૂકે છે. તમિલનાડુમાં કાણુમ પોંગલના દિવસે યોજાયેલા જલ્લીકટ્ટુ અને મંજુવીરટ્ટુ કાર્યક્રમોમાં સાત લોકોના મોત (7 death Jallikattu events) થયા છે. મોટાભાગના મૃતકો દર્શકો અને બળદના માલિક હોવાનું કહેવાય છે. અલગ અલગ બે અકસ્માતોમાં પણ બે આખલાના મોત થઈ ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે માહિતી આપી હતી કે પુડુક્કોટ્ટઈમાં આયોજિત જલ્લીકટ્ટુમાં એક બળદનું મોત થયું છે. શિવગંગાના સિરવયાલ મંજુવિરટ્ટુમાં એક બળદ અને તેના માલિકનું મોત થઈ ગયું હતું. સિરવયાલના નાદુવિકોટ્ટાઈ કીલા આવંધિપટ્ટી ગામનો થનેશ રાજા તેના બળદ સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા ગયો હતો. થનેશનો બળદ અખાડામાંથી ભાગીને કંબનુરમાં કૂવામાં પડી ગયો હતો. આ ઘટનામાં બંનેના મોત થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંજુવિરાટ્ટુમાં બનેલી ઘટનામાં લગભગ ૧૩૦ લોકો ઘાયલ થયા હતા. અહીં ૧૫૦ આખલા અને ૨૫૦ બળદોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દેવકોટ્ટાઈમાં સુબ્બૈયા નામના એક દર્શકને એક બળદે શીંગડા મારી દીધાં હતા. હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મૃત્યુ થયું. પોલીસે જણાવ્યું હતું કે મદુરાઈના અલંગનલ્લુરના મેટ્ટુપટ્ટી ગામના રહેવાસી 55 વર્ષીય દર્શક પી પેરિયાસામીને એક તોફાને ચડેલા બળદે ગળામાં શીંગડા ઘૂસેડી દીધાં હતા. મદુરાઈની હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. આ રીતે આ કાર્યક્રમમાં ઓછામાં ઓછા 70 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી મોટાભાગના દર્શકો હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ તિરુચિરાપલ્લી, કરુર અને પુડુકોટ્ટાઈ જિલ્લામાં ચાર અલગ-અલગ જલ્લીકટ્ટુ ઇવેન્ટમાં બે દર્શકોના મોત થયા હતા. અહીં બળદ માલિકો સહિત ૧૪૮ લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, પુડુક્કોટાઈ જિલ્લામાં લગભગ 19 લોકો ઘાયલ થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જલ્લીકટ્ટુ શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જલ્લીકટ્ટુ એ તમિલનાડુની પરંપરાગત રમત છે. તે 'પોંગલ' દરમિયાન યોજાય છે. આ રમતમાં ખેલાડીઓ તેમના બળદ સાથે દોરડાથી બંધાયેલા હોય છે અને અન્ય સ્પર્ધકો સાથે રેસ લગાવે છે. આ રમત પર મદ્રાસ હાઈકોર્ટે 2006માં પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી વર્ષ 2014 માં સુપ્રીમ કોર્ટે પણ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટના આદેશો સામે રાજ્યમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા. જેના કારણે તમિલનાડુ સરકારે વર્ષ 2017 માં આ રમત પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રમતના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કેટલાક એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટોના જૂથોએ સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટમાં ચર્ચા દરમિયાન તમિલનાડુ સરકારે કહ્યું હતું કે આ રમત ફક્ત મનોરંજન માટે નથી. આ રમત સાથે ઇતિહાસ, પરંપરા અને ધાર્મિક શ્રદ્ધા સંકળાયેલી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2023માં જસ્ટિસ કે.એમ. જોસેફની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટની બેન્ચે જલ્લીકટ્ટુ પર તમિલનાડુ સરકારના નિયમોને મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે જ્યારે રાજ્ય સરકાર માને છે કે જલ્લીકટ્ટુ તમિલનાડુની પરંપરા સાથે જોડાયેલું છે, તો અમે પણ એવું જ માનીએ છીએ. પોતાનો ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ 2017 (તમિલનાડુ સંશોધન) રમતગમતમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતામાં નોંધપાત્ર ઘટાડો કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/wadhwans-bhuva-who-killed-12-people-dies-in-police-custody">12 લોકોની હત્યા કરનાર વઢવાણના ભૂવાનું પોલીસ કસ્ટડીમાં મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 17 Jan 2025 19:05:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1849</Articleid>
                    <excerpt>જલ્લિકટ્ટુ તમિલનાડુની પરંપરાગત રમત છે જે પોંગલના તહેવાર દરમિયાન રમાય છે. જેમાં તોફાની બળદને સ્પર્ધક સાથે બાંધવામાં આવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678a5ba41ec67.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678a5ba3d86fa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678a5ba3d86fa.jpg" length="144616" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>jallikattu in tamil nadu, jallikattu, Pongal</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકરની વધુ એક પ્રતિમા તૂટી, તોફાનીઓએ ઉખાડીને પાર્કમાં ફેંકી દીધી</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkars-statue-was-broken-and-thrown-into-a-park-in-santnagar-mirzapur-up</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkars-statue-was-broken-and-thrown-into-a-park-in-santnagar-mirzapur-up</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરમાં બંધારણ અને તેના ઘડવૈયા ડો.આંબેડકરના અપમાનનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે ડો.આંબેડકરની વધુ એક પ્રતિમા તૂટતા રોષ ફેલાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ ડો.આંબેડકર સતત ચર્ચામાં છે ત્યારે દેશભરમાં તેમની પ્રતિમાઓ સાથે યેનકેન પ્રકારે ચેડાં થતા હોવાની ઘટનાઓ પણ બનતી રહી છે. હમણાં અમદાવાદના ખોખરામાં તોફાની તત્વોએ ડો.આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું જેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. દેશના વિવિધ વિસ્તારોમાં સૌથી કોઈ મહાનુભાવની પ્રતિમાની તોડફોડ થઈ રહી હોય તો તે ડો.આંબેડકર છે. આવી જ વધુ એક ઘટના જાતિવાદના એપીસેન્ટર યુપીમાં બની છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોમવાર તા. 13 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરના સંત નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પટેહરા વિસ્તારમાં ડૉ. બી.આર. આંબેડકરની પ્રતિમા નજીકના પાર્કમાં પડેલી મળી આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate">દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાથી સ્થાનિક સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો એકઠા થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવા અને ક્ષતિગ્રસ્ત પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની માહિતી મળતાં, સર્કલ ઓફિસર અશોક કુમાર સિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પ્રદર્શનકારીઓ સાથે વાત કરી હતી. અધિકારીઓએ ખાતરી આપી હતી કે ગુનેગારોની ઓળખ કરીને તેમની શક્ય તેટલી વહેલી તકે ધરપકડ કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે એમ પણ જણાવ્યું હતું કે ક્ષતિગ્રસ્ત પ્રતિમાનું સમારકામ કરવામાં આવ્યું છે અને તેને ફરીથી સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી આ વિસ્તારની પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રવિવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા અસામાજિક તત્વોએ પ્રતિમાને ઉખેડી નાખીને પાર્કમાં ફેંકી દીધી હતી. સોમવારે સવારે જ્યારે સ્થાનિકોએ જોયું કે પ્રતિમા તેની જગ્યાએ નથી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્કલ ઓફિસર અશોક કુમાર સિંહે જણાવ્યું હતું કે, “અમે ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું. અમે જનતાને શાંતિ જાળવવા અને તપાસમાં વહીવટીતંત્રને સહયોગ આપવા અપીલ કરીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-five-times-in-two-months-in-uttar-pradesh">બે મહિનામાં ડો.આંબેડકરની પ્રતિમા તોડવાની પાંચમી ઘટના બની, દલિતોમાં રોષ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 17 Jan 2025 14:28:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1848</Articleid>
                    <excerpt>દેશભરમાં બંધારણ અને તેના ઘડવૈયા ડો.આંબેડકરના અપમાનનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે ડો.આંબેડકરની વધુ એક પ્રતિમા તૂટતા રોષ ફેલાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678a1a85a1ece.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678a1a8568da3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678a1a8568da3.jpg" length="53592" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkar, statue was broken, thrown, santnagar mirzapur</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત, ઓબીસીને રિઝવવા ભાજપ કુંભમેળાનો ઉપયોગ કરી રહી છે?</title>
                    <link>https://khabarantar.com/bjp-is-using-kumbh-mela-to-appease-dalits-and-obc-voters</link>
                    <guid>https://khabarantar.com/bjp-is-using-kumbh-mela-to-appease-dalits-and-obc-voters</guid>
                    <description>
                        <![CDATA[ કુંભમેળામાં પીએમના સફાઈકર્મીઓના પગ ધોતા હોય તેવા અનેક બેનરો લગાવાયા છે. સાથે રામની નિષાદ રાજ સાથે પ્રતિમા મૂકાઈ છે. જાણો બીજી કઈ કઈ ચાલાકીઓ કરાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે, જેને લઈને મસમોટા દાવાઓ થઈ રહ્યાં છે. કરોડો લોકો કુંભમાં આવી રહ્યાંના આંકડાઓ મીડિયા જાહેર કરે છે, જે શંકા પેદા કરે છે. બીજી તરફ ભાજપ માટે મહાકુંભ મોટી મતબેંક ઉભી કરવાની તક બનીને આવ્યો હોય તેવી સ્થિતિ છે. ખાસ કરીને બંધારણ અને ડો.આંબેડકર પર ભાજપ દ્વારા કરવામાં આવતા સતત હુમલાઓને લઈને દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજ ભારે નારાજ છે. એવામાં ભાજપે મહાકુંભનો ઉપયોગ આ વર્ગને રિઝવવા માટે શરૂ કર્યો હોવાનું કહેવાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી આદિત્યનાથે મહાકુંભને 'સામાજિક સમાનતાનો ભવ્ય ઉત્સવ' ગણાવ્યો છે. યુપી સરકારે મહાકુંભ માટે કેટલાક પોસ્ટર પણ બહાર પાડ્યા છે. આમાંથી એક પોસ્ટરમાં પ્રયાગરાજના શ્રૃંગવેરપુરમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલા નિષાદ રાજ પાર્કમાં ભગવાન રામની નિષાદ રાજ સાથે કાંસાની પ્રતિમા દર્શાવવામાં આવી છે. બીજા એક સત્તાવાર પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં આયોજિત 2019 કુંભ દરમિયાન સફાઈ કર્મચારીઓના પગ ધોતા દર્શાવવામાં આવ્યા છે. આ રીતે ભાજપ પોતાને દલિતો, ઓબીસીના હામી હોવાનું પ્રસ્થાપિત કરવા માંગે છે કે શું? તે સવાલ ચર્ચાઈ રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામની સાથે નિષાદ રાજની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય સ્વાભાવિક રીતે નિષાદ સમાજને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન સફાઈ કર્મચારીઓના પગ ધોતા હોય તેવી તસવીરને દલિતોને આકર્ષવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું જરૂરી છે કે, ઉત્તર પ્રદેશમાં નિષાદ પાર્ટી અને અપના દળ (સોનેલાલ) જેવા NDAના સાથી પક્ષો હવે ભાજપ પ્રત્યે નારાજગી દર્શાવી રહ્યા છે. નિષાદ પાર્ટીના વડા સંજય નિષાદ યોગી આદિત્યનાથ કેબિનેટમાં મંત્રી છે, તેમની પાર્ટી નિષાદ સમાજ પર પોતાની પકડ મજબૂત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે તાજેતરની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએનું પ્રદર્શન નબળું રહ્યું છે, ત્યારે આ પાર્ટી માટે ચિંતાનો વિષય બની શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/kranti-kumar-said-tulsidas-did-not-say-a-word-against-the-mughals-and-rss-against-the-british"><span style="font-size: 14pt;">તુલસીદાસ મોગલો સામે અને RSS બ્રિટિશરો સામે એક શબ્દ નથી બોલ્યું?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટીની ૩૭ બેઠકો સામે તે માત્ર ૩૩ બેઠકો જીતી શક્યો હતો. ભાજપની હારનું કારણ રાજ્યમાં દલિત અને ઓબીસી મતોનું અખિલેશ યાદવના સમાજવાદી પાર્ટીના નેતૃત્વ હેઠળના વિપક્ષી પક્ષમાં ટ્રાન્સફર થવાને આભારી છે. એવું માનવામાં આવે છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો આગામી ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જ કારણ છે કે ભાજપ હવે દલિતો અને ઓબીસીને પોતાના પક્ષમાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ ભાજપના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરીએ અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારી મહત્વપૂર્ણ પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને દલિતો અને નિષાદોને આકર્ષવાના પક્ષના પ્રયાસો પણ મહત્વપૂર્ણ રહેશે. ત્યાં દલિતો અને બ્રાહ્મણો ઉપરાંત નિષાદ મતોની પણ નોંધપાત્ર સંખ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહાકુંભમાં દલિતો અને ઓબીસીને અપીલ કરે તેવા નિર્ણયો લેવામાં આવશે. યોગી આદિત્યનાથની સરકાર કરોડો લોકોની હાજરીમાં યોજાયેલા આ 45 દિવસના કાર્યક્રમનો ઉપયોગ સામાજિક સમાનતાનો સંદેશ આપવા માટે પણ કરી રહી છે. તેને પણ આ જ સંદર્ભમાં જોવામાં આવે છે. ઈન્ડિયન એક્સપ્રેસે ભાજપના આંતરિક સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે પાર્ટીએ અનુસૂચિત જાતિ(SC) તેમજ અન્ય પછાત વર્ગો(OBC) ખાસ કરીને નિષાદ જેવા સૌથી પછાત સમાજોને આકર્ષવા માટે આ સંદેશ તૈયાર કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<span style="font-size: 14pt;"> <a href="https://khabarantar.com/rss-says-there-is-no-untouchable-in-hindu-scriptures-then-what-is-there-in-manusmriti">RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' માં શું છે?</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની સરકારે મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખીને કેટલાક પોસ્ટરો પણ બહાર પાડ્યા છે, જે આ મેસેજ સાથે જોડાયેલા છે. આમાંથી એક પોસ્ટરમાં પ્રયાગરાજના શ્રૃંગાવરપુરમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલા નિષાદ રાજ પાર્કમાં ભગવાન રામની નિષાદ રાજ સાથે કાંસાની પ્રતિમા દર્શાવવામાં આવી છે. બીજા એક સત્તાવાર પોસ્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં આયોજિત 2019 કુંભ દરમિયાન સફાઈ કર્મચારીઓના પગ સાફ કરતા દર્શાવવામાં આવ્યા છે. </span><br><span style="font-size: 14pt;">અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આદિત્યનાથ સરકારે 2019ના કુંભમાં અજમાવેલી પહેલને આગળ ધપાવતા મહાકુંભમાં કામ કરતા 15,000 થી વધુ સફાઈ કર્મચારીઓ માટે પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા વર્ષે ૧૩ ડિસેમ્બરે પીએમ મોદીએ મહાકુંભ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરવા પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. તે સમય દરમિયાન તેમણે આ ઘટનાને 'એકતાનો મહાયજ્ઞ' કહ્યું હતું. એ દરમિયાન તેમણે પ્રયાગરાજને 'નિષાદ રાજની ભૂમિ' કહી હતી. નિષાદ રાજ પાર્કનું ઉદ્ઘાટન કરતી વખતે મોદીએ રામ અને નિષાદ રાજની "દિવ્ય મિત્રતા"નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેમની નવી પ્રતિમા ભવિષ્યની પેઢીઓ માટે સમાનતા અને સંવાદિતાની કાલાતીત યાદ અપાવશે. ત્યારબાદ પીએમએ સફાઈ કર્મચારીઓની પણ પ્રશંસા કરી હતી, અને યાદ કર્યું હતું કે તેમણે 2019ના કુંભ દરમિયાન તેમના પગ ધોઈને તેમનો આભાર માન્યો હતો. આ પગલાને દલિતો અને ઓબીસીને આકર્ષવાના પગલા તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/370-dalit-saints-to-be-made-mahamandaleshwar-mandaleshwar-peethadhishwar-at-kumbh-mela">કુંભમેળામાં 370 દલિત સંતોને મહામંડળેશ્વર, મંડળેશ્વર, પીઠાધિશ્વર બનાવાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 17 Jan 2025 13:17:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1847</Articleid>
                    <excerpt>કુંભમેળામાં પીએમના સફાઈકર્મીઓના પગ ધોતા હોય તેવા અનેક બેનરો લગાવાયા છે. સાથે રામની નિષાદ રાજ સાથે પ્રતિમા મૂકાઈ છે. જાણો બીજી કઈ કઈ ચાલાકીઓ કરાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678a09a66f487.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678a09a639c4c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678a09a639c4c.jpg" length="103628" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kumbh mela 2025, BJP, Dalit voter, OBC voter, appease, PM Modi, yogi adityanath</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાંધીનગર ખાતે નિવૃત્ત ઉચ્ચ સરકારી અધિકારીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો</title>
                    <link>https://khabarantar.com/a-get-together-program-for-retired-senior-government-officials-was-held-in-gandhinagar</link>
                    <guid>https://khabarantar.com/a-get-together-program-for-retired-senior-government-officials-was-held-in-gandhinagar</guid>
                    <description>
                        <![CDATA[ પૂર્વ મહેસૂલ સચિવ શ્રી એમ.બી.પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ક્લાસ 1-2 અને સુપર ક્લાસ વન અધિકારીઓએ સમાજને સ્પર્શતા અનેક મુદ્દે ચિંતન-મનન કર્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિવૃત્ત કલેકટર અને મહેસૂલ વિભાગના સચિવ શ્રી એમ. બી. પરમાર IASની અધ્યક્ષતામાં રવિવાર તા. 12 જાન્યુઆરી 2025ના રોજ ગાંધીનગર ખાતે વર્ગ ૨ - વર્ગ ૧ અને સુપર વર્ગ ૧ ના વિવિઘ ઊચ્ચ સરકારી હોદ્દા પરથી નિવૃત્ત થયેલા મિત્રોનું સ્નેહમિલન ગેટ ટુ ગેધર ગાંધીનગર જીમખાના બેંક્વેટ હોલ ખાતે યોજાયું હતું. જેમા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, નિગમ, બોર્ડ, સ્વાયત્ત સંસ્થાઓ, ખાતાના વડા નિયામક, કમિશનર, પોલીસ ખાતાનાં વડાઓ, આઇએએસ, આઇપીએસ, તબીબી અધિકારીઓ, ઓએનજીસી અને રેલ્વેનાં નિવૃત્ત અધિકારી મિત્રો હાજર રહ્યાં હતા. આ સિવાય હાલમાં ચાલુ હોદ્દા પરના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય અધિકારી મિત્રોમાં સચિવાલય સંવર્ગના નાયબ સચિવ અને ઉપસચિવ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાની કચેરીઓ પૈકી જિલ્લા કલેકટર કચેરીના મામલતદાર, માહિતી અને પ્રસારણ નિયામક કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ અને સમારોહ પ્રસંગ હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6789f6c7f2a26.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌ પ્રથમ સમારંભના આયોજક, સંયોજક રાજેન્દ્ર કુમાર, અધિક કલેકટર અને સંયુક્ત નિયામક માહિતી અને પ્રસારણ નટુભાઈ દ્વારા મંચસ્થ ઉચ્ચ મહાનુભવોનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાજર સર્વે ઉચ્ચ અધિકારી મિત્રોને સ્નેહભર્યો આવકાર આપી સ્વાગત કરવામા આવ્યું અને તમામ મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6789f6fd55c15.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપસ્થિત મિત્રોએ પોતાનો પરિચય તેમજ નોકરી-બિઝનેસ વિગેરેની માહિતી આપી તેમજ નિવૃત્તિ અને વર્તમાન પ્રવૃત્તિ Activities થી બધાંને વાકેફ કર્યાં હતા. હાલના ડિજિટલ વર્લ્ડ અને માર્કેટિંગ નાં સ્પર્ધાત્મક અને ચેલેન્જના સમયને અનુલક્ષીને ધંધા - વેપાર સાહસિકતા, યુવા પેઢી વિકાસ અને ઘડતર, શિક્ષણ અને નોકરી સાહસિકતા વિષયો પર વિચાર વિમર્શ કરવમાં આવ્યાં. ઘણાં બધાં નિવૃત અને વર્તમાન અધિકારીઓએ પોતાના નોકરી સમય દરમ્યાનના અનુભવો અને  પોતાના મંતવ્યો જણાવી પોતાના સમય અને માર્ગદર્શન માટે વિનામૂલ્ય ઓફર કરી. સંકલન સમિતિ દ્વારા સર્વે સૂચનો, પગલાં અને માર્ગદર્શક મુદ્દાની અને અમલીકરણના પગલાં માટેની નોંધ લેવામા આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્નેહમિલન ના Chief Initiator  શ્રી એમ. બી. પરમાર IASની આગેવાનીમાં શ્રી ડૉ. ડી ડી. કાપડિયા IAS દ્વારા અંત્યંત નિપુણતાપૂર્વક કાર્યક્રમને બખૂબી સફળ અને વિશિષ્ટ બનાવવામાં માટે ખાસ પરિશ્રમ ઉઠાવવામાં આવ્યો હતો. સર્વે મંચસ્થ અધિકારી મહાનુભાવ મિત્રોનો કાર્યક્રમમાં આવી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા અને યુવાનોને કારકીર્દિ ઘડતર માટે કાળજી લેવા અને સખત મહેનત કરવા વગેરે બાબતે હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારબાદ અન્ય ઉપસ્થિત અધિકારી મિત્રોનો આભાર માની સ્નેહમિલન સમારોહ પ્રસંગની સમાપ્તિ કરવામાં આવી હતી. ભોજન - લંચની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી બધાં મિત્રોએ ભોજનને ન્યાય આપ્યો. આ સ્નેહમિલન સાચા અર્થમાં વાસ્તવિક સ્નેહમિલન બની રહ્યું. બધાં મિત્રો સહકર્મી અધિકારી હતા અને ઘણાં સમય બાદ મળ્યાં હોવાથી ખૂબ સ્નેહ અને લાગણી, કૌટુંબિક ભાવનાથી મળ્યાં અને એકમેકને ભેટી પડયા હતા. શ્રી એમ. બી. પરમાર IAS આખા પ્રોગ્રામની પાયાની ઈંટ અને પૃષ્ઠ ભૂમિ foundation stone બની રહ્યાં. આખા કાર્યક્રમ નાં સફળ સંચાલન માટે પૂર્વ સંયુક્ત માહિતી નિયામક શ્રી નટુભાઈ પરમાર તેમજ Additional Collector શ્રી રાજેન્દ્ર કુમાર RKનું યોગદાન, મહેનત, માર્ગ દર્શન, ખંત અને સંકલન અદ્વિતિય અને અગત્યનાં બની રહ્યાં હતા. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6789f6dd730db.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રી એમ  બી પરમાર IAS, નટુભાઈ JID, રાજેન્દ્ર કુમાર GAS અને અન્ય મિત્રોની મેહનત, જેહમત  કોઈપણ અપેક્ષા વિનાની કામગીરી, કાર્ય ક્ષમતા અને કાર્યશૈલી સ્નેહમિલન ને નજીકના ભવિષ્યની મોટી ગગનચુંબી ઇમારતમાં ફેરવી નાખશે તેમાં લેશ માત્ર શંકા નથી. જે આજના યુવાનોની ભાવિ પેઢીને સોનેરી ભવિષ્ય અને શિક્ષણ અને વ્યવસાય બીઝનેસ કારકિર્દી માટે અંત્યત ઉપયોગી બની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/vhp-trishul-initiation-program-buddhist-monks-attended-and-exchanged-vows">VHP ના ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં બૌદ્ધ ભંતે હાજરી આપી સંકલ્પ લેવડાવ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 17 Jan 2025 11:46:32 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 17 Jan 2025 11:52:19 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1846</Articleid>
                    <excerpt>પૂર્વ મહેસૂલ સચિવ શ્રી એમ.બી.પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ક્લાસ 1-2 અને સુપર ક્લાસ વન અધિકારીઓએ સમાજને સ્પર્શતા અનેક મુદ્દે ચિંતન-મનન કર્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6789f6aa60e4c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6789f6aa2c93b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6789f6aa2c93b.jpg" length="97045" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gandhinagar news, get-together program, gandhinagar</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકને ઝાડ પર ઉંધો લટકાવી 12 લોકોએ કલાકો સુધી માર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-hanged-upside-down-from-a-tree-and-beaten-to-death-in-kharwa-village-of-barmer-rajasthan</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-hanged-upside-down-from-a-tree-and-beaten-to-death-in-kharwa-village-of-barmer-rajasthan</guid>
                    <description>
                        <![CDATA[ પડોશમાં રહેતા જાતિવાદી તત્વોનું કાવતરું. દલિત યુવકને બાઇક ચોરીની શંકામાં ઘરે બોલાવી આરોપીઓએ ઝાડ પર ઊંધો લટકાવી કલાકો સુધી નિર્દયતાથી ફટકાર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક ક્રૂર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક દલિત યુવકને ઝાડ પરથી ઊંધો લટકાવીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે યુવકના પગ બાંધ્યા પછી તેને માર મારવામાં આવ્યો હતો. આરોપીઓને કાયદો કે પોલીસનો જરાય ડર નથી તેવું એટલા માટે લાહે કેમ કે તેમણે આ ઘટનાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાડમેરના ખારવા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બાડમેર જિલ્લાના ગુડામાલાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખારવા ગામની છે. અહીં બાઈક ચોરીની શંકાએ આરોપીઓએ એક દલિત યુવકને તેમના ઘરે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને પછી તેને દોરડાથી બાંધીને ઝાડ પર ઊંધો લટકાવી દેવામાં આવ્યો. એ પછી એક ડઝન લોકોએ તેને કલાકો સુધી નિર્દયતાથી માર માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. આ મામલાની નોંધ લેતા પોલીસે યુવકની શોધ શરૂ કરી અને ઘટનાની પુષ્ટિ કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં ભોગ બનનાર દલિત યુવક શ્રવણ કુમારના પિતા ગંગદારામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગંગદારામે જણાવ્યું કે ઇરારામ, ભલારામ, અચલારામ, વેલારામ, હીરારામ, શ્રવણ, ચતરરામ, હીરારામ જટીયાને છેતરીને તેમના પુત્ર શ્રવણ કુમારને તેમના ઘરે બોલાવ્યા અને તેના હાથ-પગ દોરડાથી બાંધીને લીમડાના ઝાડ પરથી ઊંધો લટકાવી દીધો અને તેને માર માર્યો અને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6789e6513d7d7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અપમાનનો એક વીડિયો બનાવવામાં આવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં માહિતી આપતાં ડીએસપી સુખારામ વિશ્નોઈએ જણાવ્યું કે આ ઘટના ગુડામાલાની પોલીસ સ્ટેશન વિસ્તારના ખારવા ગામની છે. પીડિત યુવકનું નામ શ્રવણ ગંગદારામ મેઘવાલ છે. તેના પર થયેલા હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શ્રવણના પાડોશમાં રહેતા કલ્બી જાતિના ઇસરરામની બાઈક ચોરી થઈ ગઈ હતી અને તેને શ્રવણ પર શંકા જતા બધાંએ સંપ કરીને તેને ઘરે બોલાવ્યો હતો અને પછી તેને લીમડાના ઝાડ ઉપરથી ઉંધો લટકાવી માર માર્યો હતો. વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ થઈ ગઈ છે. પોલીસે કેસ નોંધીને આ મામલે અત્યાર સુધીમાં ત્રણ લોકોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Nagaur-News-a-psychopath-attacked-a-Dalit-family">ખેતરમાં તારની વાડ કરતા દલિત પરિવાર પર મનોરોગીએ હુમલો કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 17 Jan 2025 10:42:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1845</Articleid>
                    <excerpt>પડોશમાં રહેતા જાતિવાદી તત્વોનું કાવતરું. દલિત યુવકને બાઇક ચોરીની શંકામાં ઘરે બોલાવી આરોપીઓએ ઝાડ પર ઊંધો લટકાવી કલાકો સુધી નિર્દયતાથી ફટકાર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6789e62f763d0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6789e62f3e173.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6789e62f3e173.jpg" length="98573" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>barmer news, dalit news, dalit crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>દયા અરજી અને ક્ષમાદાન : ભારતમાં અને અમેરિકામાં</title>
                    <link>https://khabarantar.com/mercy-petitions-and-pardons-in-india-and-america</link>
                    <guid>https://khabarantar.com/mercy-petitions-and-pardons-in-india-and-america</guid>
                    <description>
                        <![CDATA[ વિશ્વના લગભગ બધા જ દેશોમાં વધતા ઓછા અંશે માફી, ક્ષમા અને દયાનો રાજસી કે શાહી અધિકાર છે. એક રીતે લોકતંત્રને મળેલા આ અધિકારમાં નિરંકુશ રાજાશાહીની ગંધ આવે છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રીસેક વરસ પહેલાં ૩૧મી ઓગસ્ટ ૧૯૯૫ના રોજ પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી બિયંતસિંઘની  સચિવાલય પરિસરમાં બોમ્બ વિસ્ફોટ કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના દોષિતોને જુલાઈ ૨૦૦૭માં સજા થઈ હતી. મુખ્ય આરોપી બલવંત સિંઘ રાજોઆનાને મૃત્યુદંડની સજા થઈ હતી. પરંતુ તે સજા ૨૦૧૨માં અટકાવવામાં આવી હતી. લગભગ ત્રીસ વરસથી જેલમાં બંધ રાજોઆનાએ તેની ફાંસીની સજા રદ કરવા કે તેને આજીવન કારાવાસમાં ફેરવવા રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી છે. તેમની દયા અરજી સોળ મહિનાથી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ છે. એટલે તેમણે દયા અરજીના નિર્ણયમાં થઈ રહેલા વિલંબને અનુલક્ષીને સર્વોચ્ચ અદાલત સમક્ષ મુક્તિની કે સજા ઘટાડવાની માંગ કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હમણાં જસ્ટિસ બી.આર.ગવઈની પીઠે રાષ્ટ્રપતિના સચિવને રાજોઆનાની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાના આદેશ સાથે રાષ્ટ્રપતિને બે અઠવાડિયામાં આ દયા અરજી અંગે નિર્ણય લેવા આગ્રહ કર્યો છે. જો સમય મર્યાદામાં દયા અરજીનો નિવેડો નહીં આવે તો અદાલત અરજદારની પિટિશન પર વિચાર કરશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. ભૂતકાળમાં દિલ્હી બોમ્બ બ્લાસ્ટના આરોપી દેવેંદર પાલ સિંઘ ભુલ્લરની મર્સી પિટિશન પર નિર્ણય લેવામાં આઠ વરસ અને બળાત્કારના આરોપી મહેન્દ્ર નાથ દાસની દયા અરજીના નિકાલમાં બાર વરસનો વિલંબ થયો હોઈ સુપ્રીમકોર્ટે તેમની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં તબદિલ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં દયા અરજીની જોગવાઈ અને હાલની સ્થિતિ સંદર્ભે અમેરિકાની આ જ પ્રકારની ક્ષમાદાનની જોગવાઈ અને સ્થિતિ અંગેનો તાજેતરનો ઘટના ક્રમ સરખાવવા જેવો છે. અમેરિકાના વિદાય લેતા પ્રમુખ જો બાઈડેને તેમના કાર્યકાળના છેલ્લા મહિનામાં તેમના પુત્ર સહિત 1500 લોકોની સજા માફ કરી છે. પ્રેસિડન્ટ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેન પર કરચોરીનો અને બંદૂક ખરીદી વખતે તેઓ નશીલા પીણાનાં આદિ હોવાનું છુપાવીને જૂઠ બોલવાનો આરોપ હતો. આ બંને ગુના સબબ રાષ્ટ્રપતિના સુપુત્ર દોષિત ઠર્યા હતા. પરંતુ બાઈડેને તેમને રાષ્ટ્રપતિને મળેલી વિશેષ સત્તા હેઠળ  ક્ષમાદાન આપ્યું છે. પુત્રને માફ કરવાના મુદ્દે થયેલા વિવાદ અંગે બાઈડેનનું કહેવું હતું કે તેમના પુત્ર પરના આરોપો રાજનીતિથી  પ્રેરિત હતા. વળી પુત્ર સામેના આરોપ અંગે તેમનું માનવું છે કે જ્યાં સુધી સ્થિતિ ગંભીર ના હોય ત્યાં સુધી લોકોને કેવળ એટલા આધારે જ ગુંડાગર્દીના આરોપીના બનાવી દેવાય કે તેમણે બંદૂક ખરીદીનું ફોર્મ કેવી રીતે ભર્યું છે. કરચોરી સંદર્ભે પણ તેમણે કહ્યું કે જો કોઈ કરદાતા ગંભીર વ્યસનોને લીધે વેરાની વિલંબે ચુકવણી કરે અને પછી વ્યાજ અને દંડ સાથે તે ભરી દે તો તેને ગુનેગાર માનવાને બદલે સમાધાન તરફ આગળ વધવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/97.8-percent-of-woman-have-to-give-up-paid-work-for-the-family"><span style="font-size: 14pt;">97.8 ટકા મહિલાઓને પરિવાર માટે સવેતન કામ છોડવું પડે છે</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેનના પુત્રને માફ કરવાના પગલાનો વિરોધ કર્યો છે. પરંતુ ટ્રમ્પ સહિતના અમેરિકાના લગભગ સઘળા રાષ્ટ્રપતિઓ ક્ષમાદાનનો અંગત સગાં કે વફાદારો માટે ઉપયોગ કરી ચૂક્યા છે. એટલે અમેરિકા માટે આવું કૃત્ય જરાય અસામાન્ય નથી. છેક ૧૭૯૫માં જ્યોર્જ વોશિંગ્ટને વ્હિસ્કી વિદ્રોહ તરીકે જાણીતા સંઘના વેરા વિરુધ્ધના હિંસક વિદ્રોહ કરનારાઓને માફ કર્યા હતા. અબ્રાહમ લિંકને વિભાજિત અમેરિકાને એક કરવાના પ્રયાસો તરીકે ગૃહયુધ્ધના દોષિતોને માફ કર્યા હતા. જિરાલ્ડ ફોર્ડે વોટરગેટ કૌભાંડના દોષી રિચર્ડ નિકસનને માફ કર્યા તે નિર્ણય ભારે વિવાદાસ્પદ બન્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ તે પછી આવા નિર્ણયો અટકવાને બદલે વધ્યા છે. ૧૯૯૨માં જ્યોર્જ ડબલ્યુ બુશે પૂર્વ સંરક્ષણ સચિવ અને બીજા પાંચને ક્ષમાદાન આપી બચાવ્યા હતા. ૨૦૦૧માં બિલ ક્લિન્ટને સાવકા ભાઈને અને આર્થિક અપરાધના ભાગેડૂને માફ કર્યા હતા. સુપુત્રને ગુનાની સજામાંથી મુક્ત કરનાર બાઈડેનની ટીકા કરનારા ટ્રમ્પ પણ કંઈ દૂધે ધોયેલા નથી. પહેલા કાર્યકાળમાં તેમણે પોતાના વેવાઈ (પુત્રીના સસરા), રાજકીય સહયોગીઓ અને દાનકર્તાઓને માફી બક્ષી હતી.એટલે અમેરિકામાં રાષ્ટ્રપતિઓના આ પગલાંને સાવ સામાન્ય ગણવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય બંધારણના અનુચ્છેદ ૭૨ હેઠળ રાષ્ટ્રપતિને અને ૧૬૧ હેઠળ રાજ્યપાલને દયા અરજીને ધ્યાનમાં રાખીને સજા ઘટાડવાની, માફ કરવાની કે રાહત આપવાની સત્તા છે. મહાભિયોગ સિવાયના સંઘ અને રાજ્ય સરકારના કાયદા હેઠળના દોષિતો કે સૈન્ય અદાલતના દોષિતોને રાષ્ટ્રપતિ માફ કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ ૨ કલમ ૨(૧) હેઠળ માત્ર સંઘ સરકારના ગુનેગારોને ક્ષમા આપી શકે છે. મહાભિયોગ કે રાજ્યના દોષિતોને તે માફ કરી શકતા નથી. અમેરિકાની અદાલતો રાષ્ટ્રપતિના ક્ષમાદાનના નિર્ણયની ન્યાયિક સમીક્ષા કરી શકતી નથી. જ્યારે ભારતમાં સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિના દયા અરજી પરના નિર્ણયની નહીં પણ અતાર્કિક, પૂર્વગ્રહપ્રેરિત કે ભેદભાવ ભરેલી જણાતી નિર્ણય પ્રક્રિયાની ન્યાયિક સમીક્ષા કરી શકે છે. ભારતના રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ પ્રમાણે દયા અરજી પર નિર્ણય કરે છે. જ્યારે અમેરિકી પ્રમુખ પોતાના વિવેકાધીન નિર્ણય કરે છે. ભારતના રાષ્ટ્રપતિને મળેલી સત્તા એક રીતે સીમિત છે. જ્યારે અમેરિકી પ્રમુખની સત્તા અસીમિત અને અમાપ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના  આંકડા પ્રમાણે ભારતમાં ૨૦૦૧થી ૨૦૨૨માં ૨૮૮૧ દોષિતોને ફાંસીની સજા થઈ છે. પરંતુ ૧૯૫૦થી અત્યાર સુધી રાષ્ટ્રપતિ સમક્ષ ૪૪૦ જ દયા અરજીઓ આવી છે.  વળી તેનો રાજકીય દુરુપયોગ ભાગ્યે જ થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમેરિકી બંધારણ નિર્માતાઓએ એક જ વ્યક્તિ એટલે પ્રેસિડન્ટને આ પ્રકારનો વિશેષાધિકાર એટલે આપ્યો છે કે આવશ્યકતા ઉભી થયેથી તંત્રની લાલફીતાશાહીમાં આ બાબત ઉલઝાઈ ન જાય અને ત્વરિત તથા નિર્ણાયક કાર્યવાહી થઈ શકે. ભારતમાં રાષ્ટ્રપતિ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહને અનુસરીને જ નિર્ણય લેતા હોઈ ઘણો વિલંબ થાય છે. જોકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩માં અરજદારને સાઠ દિવસની મર્યાદામાં અને એક જ કેસના દોષિતોને એક સાથે  દયા અરજી કરવાની અને કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના અહેવાલ પછી સાઠ દિવસમાં જ  દયા અરજી રાષ્ટ્રપતિ કાર્યાલયને મોકલવાની જોગવાઈથી કદાચ વિલંબ ઘટશે. હા, રાષ્ટ્રપતિને નિર્ણય લેવા માટે કોઈ સમયમર્યાદા ઠરાવી શકાતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામ્યવાદી ચીન સહિતના વિશ્વના લગભગ બધા જ દેશોમાં વધતા ઓછા અંશે માફી, ક્ષમા અને દયાનો રાજસી કે શાહી અધિકાર છે. એક રીતે લોકતંત્રને મળેલા આ અધિકારમાં  નિરંકુશ રાજાશાહી બૂ આવે છે. ન્યાયના ક્ષેત્રે તે દખલ પણ કહી શકાય.તો તે કાનૂનની કે ન્યાયની કઠોરતાને ઓછી કરવાનું ઉપકરણ પણ થઈ શકે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો તે ન્યાયિક ત્રુટિઓ સુધારવા માટેનો  પારદર્શી અને વિવેકપૂર્ણ અધિકાર બની શકે છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>ચંદુ મહેરિયા<em><span style="font-size: 12pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</span></em></strong></span>    </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/who-should-have-the-right-to-decide-on-euthanasia-in-india-gujarati">ઈચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 17 Jan 2025 09:28:28 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 17 Jan 2025 09:31:05 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1844</Articleid>
                    <excerpt>વિશ્વના લગભગ બધા જ દેશોમાં વધતા ઓછા અંશે માફી, ક્ષમા અને દયાનો રાજસી કે શાહી અધિકાર છે. એક રીતે લોકતંત્રને મળેલા આ અધિકારમાં નિરંકુશ રાજાશાહીની ગંધ આવે છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6789d4e9ed287.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6789d4e9be275.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6789d4e9be275.jpg" length="43198" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>mercy petitions, india, america</media:keywords>
                </item>
                        <item>
                    <title>શાળામાં દલિત વિદ્યાર્થિનીઓ પાસે ટોઈલેટ સાફ કરાવ્યું, આચાર્ય સસ્પેન્ડ</title>
                    <link>https://khabarantar.com/dalit-students-were-made-to-clean-toilets-in-school-principal-suspended</link>
                    <guid>https://khabarantar.com/dalit-students-were-made-to-clean-toilets-in-school-principal-suspended</guid>
                    <description>
                        <![CDATA[ શાળાનો ગણવેશ પહેરેલી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ થયા જિલ્લા શિક્ષણ અધિકારી હરકતમાં આવ્યા અને પગલાં લીધાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાળાનું કામ હોય છે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના બાળકોને ભણાવવા. પણ ભારત જેવા જાતિપ્રધાન દેશમાં શાળાઓમાં શિક્ષક થઈને બેઠેલા દ્રોણાચાર્યો કોઈને કોઈ પ્રકારે દલિત-બહુજન સમાજના બાળકોના શિક્ષણમાં રોડાં નાખવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. દલિત બાળકોને ભણતા રોકવા માટેના તેમની પાસે સો બહાનાઓ હોય છે. આવું જ એક બહાનું એટલે દલિત બાળકોને શાળાના ટોઈલેટ સાફ કરાવવા કે સફાઈ કરાવવી. આવા અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં આપણે જોઈ ચૂક્યાં છીએ અને વધુ એક કિસ્સો પેરિયારની ભૂમિ તમિલનાડુમાંથી સામે આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો તમિલનાડુના પલાકોડુની એક શાળાનો છે. અહીંનો એક વીડિયો સામે આવ્યો છે જેણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. વાયરલ આ વીડિયોમાં શાળાનો ગણવેશ પહેરેલી વિદ્યાર્થિનીઓ શૌચાલય સાફ કરતી અને સફાઈ કરતી જોવા મળી રહી છે. એવો આરોપ છે કે સફાઈ કરતા બધાં બાળકો દલિત સમાજના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાળામાં દલિત સમુદાયના 150 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે શાળામાં બાથરૂમ સાફ કરવા ઉપરાંત બાળકોને પાણી લાવવા અને કેમ્પસ સાફ કરવા માટે પણ મજબૂર કરવામાં આવે છે, જેના કારણે તેઓ ઘરે પહોંચ્યા પછી ખૂબ થાકી જાય છે. એક વિદ્યાર્થીની માતાએ કહ્યું, “અમે બાળકોને સફાઈ કરવા નહીં, ભણવા માટે મોકલ્યા છે. તેઓ ભણવાને બદલે શાળા સાફ કરવામાં પોતાનો સમય બગાડે છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો વધુ વકરતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક કાર્યવાહી કરી અને શાળાના આચાર્યને બરતરફ કરી દીધા હતા અને કહ્યું હતું કે આ મામલાની તપાસ ચાલુ છે. તેમણે ખાતરી આપી કે બાળકોના અધિકારો અને તેમનો વિકાસ અમારી પ્રાથમિકતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે, અમારા બાળકોની આવી હાલત જોઈને અમારું દિલ તૂટી જાય છે. એવું લાગે છે કે શિક્ષકો એમની ભણાવવાની ફરજમાં પુરતું ધ્યાન નથી આપી રહ્યાં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/went-to-the-toilet-at-night-found-the-murdered-body-of-a-middle-aged-dalit-in-the-morning">રાત્રે ટોઈલેટ જવા નીકળ્યાં હતા, સવારે દલિત આધેડની હત્યા કરેલી લાશ મળી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 16 Jan 2025 21:37:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1843</Articleid>
                    <excerpt>શાળાનો ગણવેશ પહેરેલી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ થયા જિલ્લા શિક્ષણ અધિકારી હરકતમાં આવ્યા અને પગલાં લીધાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67892e0c65629.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67892e0c342de.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67892e0c342de.jpg" length="65513" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Palakodu News, dalit news, viral video</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડાંગની દીકરીએ ખોખો વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં મેળવ્યું સ્થાન</title>
                    <link>https://khabarantar.com/dangs-daughter-secures-place-in-indian-team-in-khokho-world-cup</link>
                    <guid>https://khabarantar.com/dangs-daughter-secures-place-in-indian-team-in-khokho-world-cup</guid>
                    <description>
                        <![CDATA[ બીલીઆંબા ગામની ઓપીના ભીલારે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું.13થી 19 જાન્યુઆરી વચ્ચે યોજાશે વિશ્વકપ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Kho Kho World Cup 2025 India: ડાંગની યુવતીએ દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે, જેમાં ખો-ખોની ભારતીય ટીમમાં ડાંગની દીકરીને સ્થાન મળ્યું છે. બીલીઆંબા ગામની રહેવાસી ઓપીના ભીલારે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. વિશ્વકપ ૧૩થી ૧૯ જાન્યુઆરી વચ્ચે યોજાશે. આદિવાસી પરિવારની દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઓપીનાએ અત્યાર સુધી અનેક મેડલ મેળવ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુબીર તાલુકાના બીલીઆંબા ગામની યુવતી ઓપીના ભીલારને ખો-ખો વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તારીખ ૧૩ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન યોજાનાર ખો-ખો વર્લ્ડ કપમાં ઓપીના ભારત વતી ખો-ખો રમશે. ડાંગ જિલ્લાની મુળ વતની ઓપીના ભીલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખો-ખો રમતમાં પોતાનુ નામ રોશન કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય ખો-ખો વર્લ્ડ કપમા દેશનુ પ્રતિનિધિત્વ કરનાર વુમન્સ ખો ખો ટીમના ખેલાડીઓની યાદી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિયંકા ઇંગલે (કેપ્ટન)</span><br><span style="font-size: 14pt;">અશ્વિની શિંદે</span><br><span style="font-size: 14pt;">રેશમા રાઠોડ</span><br><span style="font-size: 14pt;">ર્નિમલા ભાટી</span><br><span style="font-size: 14pt;">નીતા દેવી</span><br><span style="font-size: 14pt;">ચિત્રા આર</span><br><span style="font-size: 14pt;">શુભાશ્રી સિંધ</span><br><span style="font-size: 14pt;">મદાઇ માંઝી</span><br><span style="font-size: 14pt;">અંશુ કુમારી</span><br><span style="font-size: 14pt;">વૈષ્ણવી બજગંરી</span><br><span style="font-size: 14pt;">નશરીન શૈખ</span><br><span style="font-size: 14pt;">મીનુ</span><br><span style="font-size: 14pt;">મોનીકા</span><br><span style="font-size: 14pt;">નાઝીયા બીબી </span><br><span style="font-size: 14pt;">ઓપીના ભીલાર</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓપીના ભીલાર આગામી તારીખ ૧૩ થી ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન પ્રથમ વખત દિલ્હી ખાતે આયોજીત, ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમા ભારત દેશની ટીમ સાથે ભાગ લેવા જઇ રહી છે. તાપી અને ડાંગ જિલ્લાના સરહદિય વિસ્તારમા આવેલા સુબીર તાલુકાના બીલીઆંબા ગામના આદિવાસી પરિવારની આ દિકરી ઓપીના ભીલાર, ખો-ખોના વર્લ્ડ કપમા ભાગ લેવા જઇ રહી છે, તે ડાંગ સહિત સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય ખો-ખો ટીમમા પસંદગી પામી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ખ્યાતિ હાંસલ કરનાર ઓપીના ભીલારે, શાળા તથા જિલ્લા કક્ષાએ અનેક મેડલ પ્રાપ્ત કર્યા છે. આ સાથે જ રાજ્યકક્ષાની ૪ સ્પર્ધાઓમા તેણીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. તો ૧૪ જેટલી ‘રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા’ મા પણ તેણી ભાગ લઈ ચુકી છે. જેમા તેણીએ ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓપીના ભીલારની ભારતીય ટીમમા પસંદગી થતા, તેણીની આ સિદ્ધિથી બીલીઆંબા ગામ, અને ડાંગ જિલ્લાની સાથે સાથે ગુજરાત રાજ્યનુ પણ નામ રોશન થયું છે. જેને લઈને સમગ્ર રાજ્યના ખો-ખો પ્રેમીઓ તરફથી વર્લ્ડ કપ-૨૦૨૫ માટેની શુભેચ્છાઓ પાઠવવામા આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Pride-of-tribal-society:-Dang-Express-Murali-Gavit-won-silver-medal-in-5-thousand-meters-race-in-National-Games">આદિવાસી સમાજનું ગૌરવઃ  National Gamesમાં ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે 5 હજાર મીટર દોડમાં Silver મેડલ મેળવ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 14 Jan 2025 10:43:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1842</Articleid>
                    <excerpt>બીલીઆંબા ગામની ઓપીના ભીલારે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું.13થી 19 જાન્યુઆરી વચ્ચે યોજાશે વિશ્વકપ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6785f17f3901f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6785f17f029fc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6785f17f029fc.jpg" length="86903" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kho Kho World Cup 2025 India, opina bhilare</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘તને ખાલી સેક્સ માટે રાખી છે, મારાથી દૂર જઈશ તો જીવવા નહીં દઉં...’</title>
                    <link>https://khabarantar.com/ahmedabad-rakhial-news-if-you-go-away-from-me-i-wont-let-you-live</link>
                    <guid>https://khabarantar.com/ahmedabad-rakhial-news-if-you-go-away-from-me-i-wont-let-you-live</guid>
                    <description>
                        <![CDATA[ રખિયાલમાં દલિત પરિણીતા પર તેના પતિના મિત્ર મહેન્દ્ર ઠક્કરે વારંવાર દુષ્કર્મ ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શહેરમાં વધુ એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ચોંકાવનારી એટલા માટે છે કારણ કે દુષ્કર્મી બીજો કોઈ નહીં પરંતુ મહિલાના પતિનો નાનપણનો મિત્ર છે. તેણે પતિની ગેરહાજરીનો લાભ ઉઠાવી તેને ફસાવી અને વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા, એટલુ જ નહી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કર્યું. આખરે મહિલાની સહનશક્તિની હદ આવી જતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના રખિયાલમાં રહેલી સોનાલી (નામ બદલ્યું છે) પતિ, સાસુ તેમજ બે બાળકો સાથે રહે છે. તેને મોટી દિકરી અને નાનો દિકરો છે જે બન્ને તેનાં પિયરમાં રહે છે.  મહિલાનાં પતિનો નાનપણનો મિત્ર કેતન મહેન્દ્રભાઈ ઠક્કર અવારનવાર તેના ઘરે આવતો હોવાથી સોનાલી તેને અને તેના પરિવારને સારી રીતે ઓળખતી હતી. જો કે સોનાલીના પતિ પર ખોખરા પોલીસ સ્ટેશનમાં બેંક એકાઉન્ટ ભાડે આપવાનો ગુનો દાખલ થયો હોવાથી તે પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરે છે અને ઘરે આવતો નથી. પરિઆમે તેના પતિનો મિત્ર કેતન ઠક્કર મદદ કરવાના બહાને અવારનવાર ઘરે આવતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત 9 ઓગસ્ટ 2024નાં રોજ કેતન ઠક્કર સોનાલીનાં ઘરે આવ્યો હતો અને સોનાલીને કહ્યું હતું કે તેના પતિનું બીજે લફરું ચાલે છે. તેમ કહી વાતો કરીને બાદમાં અવારનવાર વ્હોટ્સએપ કોલ કરતો હતો. કેતન ઠક્કર અવારનવાર તેને પોતાની પત્ની સાથે બનતું નથી તેવી વાતો કરી તેની સાથે છૂટાછેડા લેવાનું તેમજ સોનાલીને તેના પતિ સાથે છુટાછેડા લેવાનું અને પોતાની સાથે લગ્ન કરી લેવાનું કહેતો હતો. સોનાલીને પણ પતિ સાથે મનમેળ ન થતો હોવાથી તે કેતન ઠક્કરની વાતોમાં આવી ગઈ હતી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. કેતન ઠક્કરે સોનાલી સાથે લગ્ન કરવાનું કહીને અલગ અલગ હોટલ અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેમજ સોનાલી ઘરે એકલી હોય ત્યારે આવી શારિરીક સંબંધ બાંધતો હતો. કેતન ઠક્કર સોનાલીને ખોખરામાં આવેલી અંજલી હોટલ, બાપુનગરમાં આવેલી આર.કે વીલા હોટલ, તેમજ સ્ટાર હોટલમાં અને ઓઢવમાં આવેલી અપોલો હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે લગ્નની લાલચ આપી શારિરીક સંબધ બાંધ્યો હતો અને અપોલો હોટલમાં સોનાલીની મરજી વિરૂધ્ધ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લે 29 ડિસેમ્બર 2024નાં રોજ કેતન ઠક્કર સોનાલીને ખોખરા પાસેની સ્ટાર હોટલમાં લઈ ગયો અને તેની સાથે શારિરીક સંબંધ બાંધી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું. ગત 2 જાન્યુઆરી 2025ના રોજ સોનમે કેતન ઠક્કરને પોતાની સાથે લગ્ન કરવાનું જણાવતા કેતને તેની સાથે ઝઘડો કરી, ‘મારે તારી સાથે લગ્ન કરવાના નથી, મેં તને ખાલી સેક્સ માટે રાખી છે, તું મારાથી દૂર જઈશ તો તને જીવવા નઈ દઉ’ એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સોનાલીને રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-doctor-committed-rape-with-a-dalit-nurse-posted-on-night-duty">નાઈટ ડ્યૂટી પર તૈનાત દલિત નર્સ સાથે ડોક્ટરે દુષ્કર્મ આચર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 13 Jan 2025 12:06:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1841</Articleid>
                    <excerpt>રખિયાલમાં દલિત પરિણીતા પર તેના પતિના મિત્ર મહેન્દ્ર ઠક્કરે વારંવાર દુષ્કર્મ ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6783f4a4dbee8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6783f4a4a7d4c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6783f4a4a7d4c.jpg" length="47100" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ahmedabad rakhial news</media:keywords>
                </item>
                        <item>
                    <title>સેલિના જેટલીએ કહ્યું હતું, &amp;quot;બીજો જન્મ મળે તો ડો.આંબેડકર બનવા માંગીશ&amp;quot;</title>
                    <link>https://khabarantar.com/celina-jaitley-said-If-i-get-another-birth-i-would-like-to-be-dr-ambedkar</link>
                    <guid>https://khabarantar.com/celina-jaitley-said-If-i-get-another-birth-i-would-like-to-be-dr-ambedkar</guid>
                    <description>
                        <![CDATA[ 24 વર્ષ પહેલા Femina Miss India 2001 સ્પર્ધામાં સેલિના જેટલીને સૌરવ ગાંગુલીએ પૂછેલો સવાલ અને તેણે આપેલો જવાબ આટલા વર્ષ પછી કેમ વાયરલ થઈ રહ્યો છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલથી સોશિયલ મીડિયામાં એક 24 વર્ષ જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ફેમિના મિસ ઈન્ડિયા 2001 સ્પર્ધા દરમિયાન તત્કાલીન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્પર્ધામાં જજ પેનલિસ્ટ રહેલા સૌરવ ગાંગુલીએ સ્પર્ધક સેલિના જેટલીને પૂછ્યું હતું, "જો તમને બીજો જન્મ મળે, તમે શું બનવા માંગો છો અને શા માટે?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સેલિના જેટલીએ આ પ્રશ્નનો જવાબ અત્યંત સંવેદનશીલતા અને બૌદ્ધિક અભિગમ સાથે આપ્યો. તેણે કહ્યું કે તે 'ડૉ. ભીમરાવ આંબેડકર' તરીકે જન્મ લેવા માંગશે. સેલિનાએ ડૉ. આંબેડકરના જીવન, સંઘર્ષ અને તેમના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું: "હું તેમને તેમના ગહન અભ્યાસ અને જ્ઞાન માટે ખૂબ જ માનથી જોઉં છું. મને તેમના પ્રત્યે ખૂબ જ માન છે. કાયદાકીય અને સામાજિક સુધારા પ્રત્યેનું તેમનું વિઝન અનોખું છે. ભારતમાં જાતિ વ્યવસ્થાનો અંત લાવવા અને ભારતીય બંધારણ લખવાનું તેમણે જે કાર્ય કર્યું તે દરેક માટે પ્રેરણા આપનારું છે. કાશ, હું ભારતનું બંધારણ લખી શકત અને લોકો મને દરેક વખતે એ જ રીતે યાદ કરત, જે રીતે ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સેલિનાના આ જવાબે ન માત્ર પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા પરંતુ એ પણ જોવા મળ્યું કે તે સામાજિક સમાનતા અને માનવ અધિકારો જેવા મુદ્દાઓને કેટલી ગંભીરતાથી સમજે છે. સેલિનાએ ૨૦૦૧નો એ ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો અને ૨૦૦૧માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં ચોથી રનર-અપ બની હતી. તેણે 2003 ની થ્રિલર ફિલ્મ 'જાનશીન' થી અભિનયની શરૂઆત કરી હતી. સેલેનાને 2013 થી United Nations Equality Champion તરીકે પણ ઓળખવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/what-does-rss-believe-about-the-constitution-of-india-written-by-dr-ambedkar"><span style="font-size: 14pt;">ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સેલિના જેટલીનો આ વીડિયો એવા સમયે વાયરલ થઈ રહ્યો છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉ. આંબેડકર પર કરવામાં આવેલી ટિપ્પણીની વ્યાપક ટીકા થઈ રહી છે. આ નિવેદનનો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે બહુજન સમાજ તરફથી વ્યાપક વિરોધ થઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">17 ડિસેમ્બરે સંસદમાં અમિત શાહના ભાષણ પછી વિવાદ શરૂ થયો હતો. રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન બોલતા કેન્દ્રીય ગૃહમંત્રીએ આંબેડકરને લઈને વિપક્ષી પક્ષો પર નિશાન સાધ્યું હતું. આ વિવાદ હજુ પણ લગભગ ત્રણ અઠવાડિયાથી ચાલી રહ્યો છે અને અમિત શાહ પાસેથી માફી અને રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. સેલિના જેટલીનો આ વાયરલ વીડિયો આંબેડકરના યોગદાન અને તેમના વિચારોને ફરીથી ચર્ચાના કેન્દ્રમાં લાવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ઘણી વખત શેર કરવામાં આવી છે. બહુજન સમાજ અને સામાજિક કાર્યકરોએ સેલિના જેટલીના આ નિવેદનની ખૂબ પ્રશંસા કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રાઇબલ આર્મીના સ્થાપક હંસરાજ મીણાએ એક્સ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે સેલિના જેટલીની આ ક્લિપ શેર કરતા લખ્યું, "સેલિનાના જવાબથી ખબર પડે છે કે તે આંબેડકરના જીવન, સંઘર્ષ અને સમાજમાં તેમના યોગદાનથી કેટલી પ્રભાવિત હતી. ડૉ. આંબેડકરે સામાજિક સમાનતાને મહત્વ આપ્યું હતું અને માનવ અધિકારો માટેની લડાઈમાં તેમણે જે મિસાલ સ્થાપિત કરી છે તે દરેક પેઢીને પ્રેરણા આપે છે. સેલિના જેટલીનો આ જવાબ ન માત્ર તેના વિચારો અને સામાજિક સંવેદનશીલતાને જ ઉજાગર કરે છે, પરંતુ પ્રેક્ષકો પર પણ ઊંડી છાપ છોડી ગયો હતો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. ભીમરાવ આંબેડકરે ભારતીય સમાજમાં સમાનતા અને માનવ અધિકારો સ્થાપિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમને બંધારણના ઘડવૈયા તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે દરેક નાગરિક માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવા માટે લડત આપી હતી. તેમનો વારસો આજે પણ દરેક પેઢીને પ્રેરણા આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/if-dr-ambedkars-constitution-was-not-there-amit-shah-would-have-been-selling-scrap-siddarmaiah">ડૉ.આંબેડકરનું બંધારણ ન હોત તો અમિત શાહ ભંગાર વેચતા હોત : સિદ્ધારમૈયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 12 Jan 2025 16:46:16 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 12 Jan 2025 16:52:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1840</Articleid>
                    <excerpt>24 વર્ષ પહેલા Femina Miss India 2001 સ્પર્ધામાં સેલિના જેટલીને સૌરવ ગાંગુલીએ પૂછેલો સવાલ અને તેણે આપેલો જવાબ આટલા વર્ષ પછી કેમ વાયરલ થઈ રહ્યો છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6783a43a5a1d8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6783a43a2907f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6783a43a2907f.jpg" length="100066" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>celina jaitley, dr ambedkar, viral video</media:keywords>
                </item>
                        <item>
                    <title>10 માંથી 7 ભારતીયોએ સ્વીકાર્યું દેશમાં જાતિ આધારિત ભેદભાવ થાય છે</title>
                    <link>https://khabarantar.com/pew-research-report-7-out-of-10-people-admit-that-caste-based-discrimination-exists-in-india</link>
                    <guid>https://khabarantar.com/pew-research-report-7-out-of-10-people-admit-that-caste-based-discrimination-exists-in-india</guid>
                    <description>
                        <![CDATA[ વિખ્યાત સર્વે એજન્સી પ્યૂ રિસર્ચ સેન્ટરે જાતિગત ભેદભાવને લઈને સર્વે હાથ ધર્યો હતો. જેમાં ભારતમાં જાતિ આધારિત ભેદભાવને લઈને ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં જાતિ અને ધર્મના આધારે ભેદભાવ છે કે નહીં? આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ છે. પછી તે હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાનો મામલો હોય કે પછી IIT બોમ્બેના અમદાવાદના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીની આત્મહત્યાનો મામલો હોય. દેશભરમાં દલિતો પર અત્યાચારના કિસ્સા હોય કે મુસ્લિમો વિરુદ્ધ નફરતભર્યા ભાષણ અને લિંચિંગના કિસ્સા હોય, દેશભરમાંથી જાતિ અને ધર્મના આધારે ભેદભાવના સમાચાર દરરોજ આવતા રહ્યાં છે. તો સવાલ એ છે કે, કેટલા લોકો માને છે કે આવો ભેદભાવ થાય છે? આ પ્રશ્નનો જવાબ પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાંથી મળ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">70 ટકા લોકોએ સ્વીકાર્યું કે ભારતમાં જાતિ આધારિત ભેદભાવ થાય છે</span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્યુ રિસર્ચ સેન્ટરના એક નવા અહેવાલ મુજબ, ૭૦ ટકાથી વધુ ભારતીયો માને છે કે ભારતમાં ધાર્મિક ભેદભાવ એક મધ્યમ અથવા ખૂબ જ મોટી સમસ્યા છે. ૬૯ ટકા ભારતીયો માને છે કે ભારતમાં જાતિ આધારિત ભેદભાવ થાય છે. રસપ્રદ વાત એ છે કે, વિશ્વભરમાં સર્વે કરાયેલા 36 દેશોમાં આ સૌથી વધુ પ્રમાણ છે. જોકે, અન્ય દેશોમાં લોકોને જાતિ કરતાં 'નસ્લીય અને વંશીય' ભેદભાવ વિશે પૂછવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીયોમાં ધાર્મિક અને જાતિગત ભેદભાવ એક મોટી ચિંતા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, "એકંદરે, આ સર્વેક્ષણમાં અમે પૂછેલા અન્ય મુદ્દાઓ કરતાં ધાર્મિક ભેદભાવ વિશે થોડી ઓછી ચિંતા છે," છતાં 29 ટકા પુખ્ત વયના લોકો કહે છે કે ધર્મના આધારે લોકો સામે ભેદભાવ ખૂબ મોટી સમસ્યા છે, અને 27 ટકા લોકો કહે છે કે તે એક મધ્યમ પ્રકારની સમસ્યા છે. જોકે, તેમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ભારત એવા થોડા દેશોમાંનો એક છે જ્યાં ધાર્મિક ભેદભાવ એક મોટી ચિંતાનો વિષય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિ અને નસ્લીય ભેદભાવ વિશે શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ કહે છે કે, "પાંચ દેશો - બાંગ્લાદેશ, ફ્રાન્સ, ભારત, નાઇજીરીયા અને શ્રીલંકા - માં અડધા કે તેથી વધુ લોકો માને છે કે ધાર્મિક ભેદભાવ ખૂબ મોટી સમસ્યા છે." ભારતમાં, ૫૭ ટકા જવાબ આપનારાએ કહ્યું કે ધાર્મિક ભેદભાવ ખૂબ મોટી સમસ્યા છે અને અન્ય ૧૪ ટકા લોકોએ કહ્યું કે તે મધ્યમ પ્રકારની સમસ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહેવાલમાં જણાવાયું છે કે, "સર્વે કરાયેલા દેશોમાં 34 ટકા પુખ્ત વયના લોકોનું કહેવું છે કે નસ્લીય કે જાતીય ભેદભાવ ખૂબ મોટી સમસ્યા છે," બીજા ૩૪ ટકા લોકો તેને મધ્યમ સમસ્યા માને છે. ભારતમાં, ઉત્તરદાતાઓને પૂછવામાં આવ્યું હતું કે શું જાતિ અને જાતીય ભેદભાવ એક સમસ્યા છે અને જો હા, તો કેટલી મોટી સમસ્યા છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/attacking-the-sweeper-saying-you-are-bhangi-paran-chanted-jai-shri-ram"><span style="font-size: 14pt;"> 'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્યુ રિસર્ચ સેન્ટરે ગુરુવારે 'આર્થિક અસમાનતાને દુનિયાભરમાં એક મોટા પડકાર તરીકે જોવામાં આવે છે' શીર્ષક હેઠળનો તેનો અહેવાલ પ્રકાશિત કર્યો. તે એશિયા-પેસિફિક ક્ષેત્ર, યુરોપ, લેટિન અમેરિકા, મધ્ય પૂર્વ ઉત્તર આફ્રિકા ક્ષેત્ર, ઉત્તર અમેરિકા અને સબ-સહારન આફ્રિકાના 36 દેશોમાં કરવામાં આવેલા સર્વેક્ષણ પર આધારિત છે. પ્યુએ ૫ જાન્યુઆરીથી ૨૨ મે, ૨૦૨૪ના સમયગાળા દરમિયાન અમેરિકામાં ૩,૬૦૦ લોકો અને અન્ય ૩૫ દેશોમાં ૪૧,૫૦૩ લોકોનો સર્વે કર્યો હતો. એક તૃતીયાંશ દેશોમાં, આ સર્વે ટેલિફોન દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના દેશોમાં તે રૂબરૂમાં કરાયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રોહિત વેમુલાથી દર્શન સોલંકી સુધીની ઘટનાઓ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિ અને ધર્મના આધારે ભેદભાવનો આ અહેવાલ એ ભારતની સ્થિતિ દર્શાવે છે જ્યાં દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા જેવા કિસ્સાઓ થયા છે. રોહિત આંબેડકર વિદ્યાર્થી સંઘ સાથે જોડાયેલો હતો. તે એવા મુદ્દાઓ પર વિરોધ અને આંદોલન કરતો હતો જે દક્ષિણપંથી જમણેરી જૂથોને પસંદ નહોતા. આ કટ્ટરવાદી જૂથોની ફરિયાદ પર વેમુલાની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા પર હુમલો કરવાના આરોપસર તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેની સામે કાર્યવાહીની માંગણી કરતા પત્રો લખનારાઓમાં RSSના નેતા બંડારુ દત્તાત્રેયનો પણ સમાવેશ થાય છે, જેમનો પત્ર તે સમયે માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા યુનિવર્સિટીના કુલપતિને મોકલવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વેમુલાએ તેના પાંચ સાથીઓ સાથે રિલે ભૂખ હડતાળ શરૂ કરી હતી. પરંતુ જ્યારે તેમને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે તે ભાંગી પડ્યો હતો. લાંબી લડાઈ લડ્યા પછી હતાશાની એક નબળી ક્ષણે આત્મહત્યા કરી લીધી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત વિદ્યાર્થી સંગઠનોએ શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો જ એક કિસ્સો IIT બોમ્બેના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીનો હતો. APPSC એટલે કે આંબેડકર પેરિયાર ફુલે સ્ટડી સર્કલ IIT બોમ્બેએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે 'અમારી ફરિયાદો છતાં સંસ્થાએ દલિત બહુજન આદિવાસી વિદ્યાર્થીઓ માટે તેની જગ્યાને સમાવિષ્ટ અને સુરક્ષિત બનાવવાની કાળજી લીધી નથી.' પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અનામતિયા અને મેરિટ વિનાના કહીને ટોણાં મારી સૌથી વધુ હેરાનગતિ કરવામાં આવતી હતી. બીજી તરફ આ વિદ્યાર્થીઓને તેમના જ જેવી જ પરિસ્થિતિમાંથી આગળ આવેલા અને આશ્વાસન આપીને ઉભા કરે તેવા ફેકલ્ટી અને કાઉન્સેલર્સની અછત છે. સંઘ પરિવારના લોકો દિન-પ્રતિદિન દલિત, આદિવાસી અને ઓબીસી ફેકલ્ટીઓને વિવિધ યુનિવર્સિટીઓ, પ્રિમિયમ ઈન્સ્ટિટ્યૂટોમાંથી બહાર કરી રહ્યાં છે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૂછો ન રાખવા દેવી સહિતના ભેદભાવો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 'એ નગ્ન સત્ય છે કે, SC/ST સમાજના વિદ્યાર્થીઓને કેમ્પસમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ તરફથી ભારે ઉત્પીડન અને ભેદભાવનો સામનો કરવો પડે છે'. આ ઉપરાંત દલિત અત્યાચારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ચોરીના આરોપમાં દલિતોને માર મારવો, તેમની સાથે દુર્વ્યવહાર કરવો, તેમની મૂછો કાપી નાખવી, લગ્નમાં વરઘોડો ન કાઢવા દેવો, જાન પર પથ્થરમારો કરવો, માટલામાંથી પાણી ન પીવા દેવું વગેરે જેવા જાતિ આધારિત ભેદભાવોનો સતત સામનો કરવો પડે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુસ્લિમોનું ગૌહત્યાના નામે મોબ લિંચિંગ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમો સામે પણ આવા જ પ્રકારના ભેદભાવના કિસ્સા નોંધાયા છે. મુસ્લિમ દુકાનદારોનો બહિષ્કાર કરવા, ગૌમાંસની હેરાફેરીના આરોપમાં તેમને ટોળાં દ્વારા માર મારવો અને તેમની વિરુદ્ધ ધાર્મિક નફરત ફેલાવવાના કિસ્સાઓ પણ વધ્યાં છે. 2017 માં રાજસ્થાનના અલવરના પહેલુ ખાનની ટોળાં દ્વારા માર મારીને હત્યા કરવામાં આવી હતી. તે દૂઝણી ગાયને ખરીદીને પોતાના ઘરે જઈ રહ્યો હતો, પરંતુ ગાયની તસ્કરીના આરોપમાં હિંદુત્વાદી ટોળાંએ તેને માર મારીને હત્યા કરી નાખી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નફરતભર્યા ભાષણોનું ઝેર ફેલાઈ ચૂક્યું છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૮ માં હાપુડમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં પશુઓની ખરીદી કરનારા કાસિમ અને સમયદ્દીન પર ગૌહત્યાના આરોપસર ટોળાંએ હુમલો કર્યો હતો. તેમાં કાસિમનું મોત થઈ ગયું હતું. લિંચિંગની ઘટનાઓ સતત બનતી રહી છે અને તે હજુ સુધી બંધ થઈ નથી. આ સાથે, દેશના વિવિધ ભાગોમાં મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવતા ભાષણના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ઘણા અહેવાલો કહે છે કે તેના પરિણામે, મુસ્લિમો સામે ભેદભાવની ઘટનાઓમાં વધારો થયો છે અને તેમના પર હુમલા પણ વધ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/caste-discrimination-against-dalit-professor-gopal-das-of-iim-bangalore">અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિ.ના NO.1 પ્રોફેસરને IIM માં જાતિવાદ નડ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 12 Jan 2025 13:51:07 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 12 Jan 2025 13:52:14 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1839</Articleid>
                    <excerpt>વિખ્યાત સર્વે એજન્સી પ્યૂ રિસર્ચ સેન્ટરે જાતિગત ભેદભાવને લઈને સર્વે હાથ ધર્યો હતો. જેમાં ભારતમાં જાતિ આધારિત ભેદભાવને લઈને ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67837a584fc5f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67837a581edaa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67837a581edaa.jpg" length="71071" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Pew Research Report, caste-based discrimination, India</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;મોહરા&amp;apos; ફિલ્મ જેમ આસારામના 400 વિરોધીઓની હત્યાના પ્લાનનો પર્દાફાશ?</title>
                    <link>https://khabarantar.com/mohra-film-exposes-asarams-plan-to-kill-400-opponents</link>
                    <guid>https://khabarantar.com/mohra-film-exposes-asarams-plan-to-kill-400-opponents</guid>
                    <description>
                        <![CDATA[ આસારામના કેસના મહત્વના સાક્ષી અમૃત પ્રજાપતિના હત્યારા કિશોર બોડકેએ કરેલા ઘટસ્ફોટથી રાજકોટ ક્રાઈમ બ્રાંચના પગ તળેથી જમીન ખસકી ગઈ છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનેક યુવતીઓનું જીવન બરબાદ કરી દેનાર અને હાલ દુષ્કર્મના કેસમાં જેલની સજા કાપી રહેલો ઢોંગી બાપુ એવો આસારામ હાલ સારવારના કારણે પેરોલ પર બહાર છે. પણ એ દરમિયાન એક એવી ઘટના બની છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. આસારામની સામે પડેલા તેના પૂર્વ સાધક અને દુષ્કર્મ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની 23 મે 2014ના રોજ રાજકોટમાં ફાયરિંગમાં હત્યા થઈ હતી. આ કેસમાં આસારામનો એક સાધક કિશોર બોડકે છેલ્લાં 10 વર્ષથી ફરાર હતો. અમદાવાદ આસારામ આશ્રમના સેવક એવા કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉવ.37)ને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડી જીવના જોખમે કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આશારામ આશ્રમમાંથી ઝડપી લીધો છે. અને પોલીસ પૂછપરછમાં તેણે જે કબૂલાતો કરી છે તે સાંભળીને ક્રાઈમ બ્રાંચ પણ ચોંકી ઉઠી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6783590fccaa9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમૃત પ્રજાપતિ વૈદ્યની હત્યામાં આસારામના સાધકોની સંડોવણી ખુલી હતી. રાજકોટમાં તેની હત્યા કરનાર શાર્પશૂટર કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ દુલાલચંદ હલદની ધરપકડ બાદ કિશોર બાલકૃષ્ણ બોડકેની સંડોવણી ખુલી હતી. જેની રાજકોટ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. હજુ આ કેસમાં 7 શખ્સો ફરાર છે. પકડાયેલ કિશોર બાલકૃષ્ણ બોડકનો અમદવાદ સીઆઇડી ક્રાઈમે કબજો લીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આસારામ વિરોધી 400 લોકોને પતાવી દેવાનો પ્લાન હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાથમિક તપાસમાં ચોકાનારી હકીકત સામે આવી છે. કિશોર બાલકૃષ્ણ બોડકેએ ભારતમાં આસારામનો વિરોધ કરનાર 400 જેટલા વિરોધીઓની યાદી તૈયાર કરી હતી. અને એક પછી એક દરેક વિરોધીઓની હત્યાનો પ્લાન પણ બનાવ્યો હતો. કિશોર બોડકેએ આસારામના વિરોધીઓને ‘પાઠ’ ભણાવવા એસિડ એટેકથી માંડી ફાયરીંગ સહિતની તૈયારી કરી લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમૃત પ્રજાપતિને કેવી રીતે પતાવી દીધો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુષ્કર્મ કેસમાં આસારામની સામે પડેલા તેમના પૂર્વ સાધક અને કેસના મહત્વના સાક્ષી અમૃત પ્રજાપતિ ગત તા 23/05/2014ના રોજ રાજકોટમાં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયિંરગ કરી હત્યા કરવામાં આવી હતી. રાજકોટના સંત કબીર રોડ પર આવેલી ઓમ શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે આવેલ વૈદ્ય અમૃત પ્રજાપતિ પાસે બપોરે 1 વાગે એક વ્યક્તિ ઓમ શાંતિ આરોગ્ય ધામમાં દર્દીના સ્વાંગમાં આવ્યો હતો અને વૈદ્ય અમૃત પ્રજાપતિ હોસ્પિટલની બહાર નીકળતા હતા ત્યારે આ શખ્સે અમૃત પ્રજાપતિ ઉપર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયિંરગ કર્યું હતું. ફાયિંરગમાં અમૃત પ્રજાપતિને ગળામાં ગોળી ઘૂસી જતા ગંભીર ઇજા થઇ હતી. ભાગવાના પ્રયાસમાં હત્યારાની બે પિસ્તોલ અને એક મેગેઝિન અને 10 કાર્ટીસ સ્થળ પડી જતા તે મળી આવ્યા હતા. અમૃત પ્રજાપતિને રાજકોટ અને બાદમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે રાજકોટ બી-ડીવીઝન પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમૃત પ્રજાપતિએ અંતિમ નિવેદનમાં અનેકના નામ આપ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અમૃત પ્રજાપતિએ સારવાર વખતે ભાનમાં હતા ત્યારે પોતાના અંતિમ નિવેદનમાં મેઘજીભાઇ પટેલ(કાંકરેજ, હાલ માં નગર, વડોદરા આશ્રમ), કે.ડી. ઉર્ફે કાંતિલાલ ડી.પટેલ (ઇડર, સાબરકાંઠા, હાલ-એ-16, મહેનજીબા નગર, મોટેરા), આસારામની જમીનનું કામકાજ સંભાળતા વિકાસ કૈલાસચંદ ખેમકા (રહે, સુરત) રામચંદ્ર ચંદીરામ ઠક્કર (ડીસા, હાલ મોટેરા, આશ્રમના ખરીદ વેચાણના ઇન્ચાર્જ), અજય રસિકલાલ શાહ (મનોરમાગંજ ઇન્દોર, હાલ મોટેરા આશ્રમ) અને કૌશિક પોપટ (નંદુરબાર, મહારાષ્ટ્ર, હાલ હિસાબનીશ, મોટેરા આશ્રમ)ના નામ આપ્યા હતા. જોકે આ તમામની પુછપરછ બાદ આ હત્યા કેસમાં શાર્પશૂટર કાર્તિક બંગાળી ઉર્ફે રાજુ દુલાલચંદ હલદરનું નામ ખૂલ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કિશોર બાડકે કર્ણાટકના આસારામ આશ્રમમાંથી ઝડપાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બન્ને શખ્સો અગાઉથી રાજકોટ આવી ગયો હતો અને રાજકોટ ખાતે આસારામ આશ્રમમાં રોકાયાનું સીઆઇડીની તપાસમાં બહાર આવ્યું હતું. આ કેસમાં કિશોર બાલકૃષ્ણ બોડકેનું નામ ખુલ્યું હતું જેણે અમૃત પ્રજાપતિની હત્યાની સોપારી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/gauri-garwa-murder-case-kutch-people-hold-silent-rally-and-submit-complaint-to-collector-sp"><span style="font-size: 14pt;">ગૌરી ગરવાની હત્યામાં આખું કચ્છ હિબકે ચઢ્યું, ખુદ સાંસદ ન્યાય માટે રસ્તે ઉતર્યા</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6783592b63ffc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટમાં આસારામના પૂર્વ સાધકની 10 વર્ષ પૂર્વની હત્યાનું કાવતરું રચનાર હત્યામાં સંડોવાયેલ મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના વીડીઘરકુલ બ્રહ્મનાથનગરના વતની અને અમદાવાદ આશારામ આશ્રમ, મોઢેરા ખાતે રહેતા સેવક કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉવ.37) કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આશારામ આશ્રમમાં છુપાયો હોવાની બાતમીને આધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચના એ.એસ.આઇ.જલદિપસિહ વાઘેલા, હેડ કોન્સટેબલ સુભાષભાઇ ધોધારી, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયાની ટીમે કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આશારામ આશ્રમમાં સેવક બની વેશપલ્ટો કરી પાંચ દિવસ સુધી વોચ રાખી સેવક કિશોર બાલકૃષ્ણ બોડકેને પકડી રાજકોટ લાવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'મોહરા' ફિલ્મ જેમ આસારામ બોલે તેનું લિસ્ટ બનાવતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસની પ્રાથમિક તપાસમાં કિશોર બોડકે આસારામનો કટ્ટર સાધક હોવાનું જાણવા મળ્યું છે. તે ભારતમાં આવેલ આસારામના અલગ-અલગ આશ્રમમાં ફરતો રહેતો અને સેવા આપતો હતો. તે આસારામના વિરોધીઓ ઉપર ખાસ વોચ રાખતો હતો અને જે લોકો આસારામની વિરુદ્ધ બોલે તેમનું લિસ્ટ તૈયાર કરી તેમના ઉપર હુમલા કે તેની હત્યાનો પ્લાન બનાવતો હતો હતો. કિશોર બોડકે હત્યા અને હત્યાની કોશિશ સહિત ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરત ખાતે ઉમરા, અડાજણ અને ખાટોદર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ તે સુરતમાં આસારામના એક વિરોધી ઉપર એસિડ એટેક પણ કર્યો હતો. કિશોર સાથે અન્ય 7 સાધકો ફરાર હોય તેની ભાળ મેળવવા માટે હવે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમ કિશોરની વિશેષ પૂછપરછ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કિશોરની ધરપકડ બાદ પોલીસે નોન સ્ટોપ 1200 કિમી અંતર કાપ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કિશોરની ધરપકડ બાદ કર્ણાટકના કાલા બગુડીમાં આવેલ આસારામ આશ્રમમાં સાધકો રાજકોટ પોલીસ ઉપર હુમલો કરે તેવી દહેશતને પગલે ગુપ્ત ઓપરેશન ઘડવામાં આવ્યું હતું. પી.એસ.આઈ એ.એન.પરમાર પી.એસ.આઈ એમ.કે.મોવલીયાની ટીમમાં ફરજ બજાવતા એએસઆઈ જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ સુભાષ ઘોઘારી, વિજયરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન ડવ અને સંજય ખાખરીયા બે દિવસ પૂર્વે રાજકોટથી નીકળી 1200 કિલોમીટરનું અંતર કાપી કર્ણાટક સ્થિત કાલા બગુડા જિલ્લામાં આવેલ આસારામના આશ્રમ ખાતે પહોંચ્યા હતા. અહીંયા પહોંચી તેઓ પ્રથમ એક દિવસ સાધક બની દર્શન કર્યા હતા અને આરોપી ઉપર વોચ રાખવી શરૂ કરી હતી. ત્યાબાદ બાદ કિશોર બોડકે વિશે ભાળ મળી જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને 10 કલાકમાં 1200 કિલોમીટરનું નોનસ્ટોપ અંતર કાપી કર્ણાટકથી પરત રાજકોટ લઈ આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/lucknow-hotel-murder-agra-a-young-man-killed-4-sisters-and-his-mother">‘ઓ બાંગ્લાદેશી…’ ના મેણાંથી કંટાળી યુવકે 4 બહેનો અને માતાની હત્યા કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 12 Jan 2025 11:28:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1838</Articleid>
                    <excerpt>આસારામના કેસના મહત્વના સાક્ષી અમૃત પ્રજાપતિના હત્યારા કિશોર બોડકેએ કરેલા ઘટસ્ફોટથી રાજકોટ ક્રાઈમ બ્રાંચના પગ તળેથી જમીન ખસકી ગઈ છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678358cecaf99.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678358ce966bf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678358ce966bf.jpg" length="64221" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Asaram Bapu, mohra film, asarams case, The killers of Amrit Prajapati, Rajkot crime branch</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે અમેરિકામાં અમિત શાહ વિરુદ્ધ આંબેડકરવાદીઓ રસ્તા પર ઉતર્યા</title>
                    <link>https://khabarantar.com/now-ambedkarites-take-to-the-streets-against-amit-shah-in-america</link>
                    <guid>https://khabarantar.com/now-ambedkarites-take-to-the-streets-against-amit-shah-in-america</guid>
                    <description>
                        <![CDATA[ ભારતના બાદ હવે અમેરિકામાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડો.આંબેડકર વિરુદ્ધ કરેલા નિવેદનના વિરોધમાં આંબેડકરવાદીઓ રસ્તા પર ઉતર્યા અને માફીની માગણી કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત પછી હવે અમેરિકામાં પણ આંબેડકરવાદીઓમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે ગુસ્સો ફાટી નીકળ્યો છે. ન્યૂયોર્કમાં આંબેડકરવાદીઓ દ્વારા તાજેતરમાં કરાયેલા વિરોધ પ્રદર્શન બાદ હવે 4 જાન્યુઆરીએ અમેરિકાના ટેક્સાસના ડલ્લાસમાં આંબેડકરવાદીઓએ અમિત શાહની વિરુદ્ધમાં મોટો વિરોધ નોંધાવ્યો હતો. અહીંના સિટી હોલમાં 150થી વધુ આંબેડકરવાદીઓ ભેગા થયા હતા અને અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંસદમાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે જે રીતે બાબાસાહેબ પર ટિપ્પણી કરી, તેનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેતા આંબેડકરવાદીઓએ તેમની વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે તે સ્પષ્ટ છે. અને તેઓ કોઈ પણ સંજોગોમાં અમિત શાહને માફ કરવાના મૂડમાં નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખાસ વાત એ હતી કે આ વિરોધ પ્રદર્શનમાં દલિત સમુદાય ઉપરાંત લઘુમતી સમુદાયના લોકોએ પણ ભાગ લીધો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે બાબાસાહેબ આંબેડકર વિના ભારતની કલ્પના પણ કરી શકાતી નથી. આ દરમિયાન આંબેડકરવાદીઓએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી અમિત શાહ માફી નહીં માંગે ત્યાં સુધી આ વિરોધ બંધ થવાનો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સંસદમાં અમિત શાહે કહ્યું હતું કે, "આજકાલ એક ફેશન થઈ ગઈ છે, આંબેડકર,આંબેડકર,આંબેડકર..આટલું નામ જો ભગવાનનું લીધું હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળી જાત." તેમના આ નિવેદન બાદ દેશભરમાં આંબેડકરવાદીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. અનેક શહેરોમાં અને ગામડાઓમાં પણ અમિત શાહ વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને દેખાવો કરી તેમની માફીની માગણી કરી હતી. જો કે, હજુ સુધી અમિત શાહે આ મામલે માફી નથી. એ સ્થિતિમાં ફરી આ મુદ્દે ચગે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/amit-shah-chief-guest-at-gujarat-bar-council-event-in-ahmedabad-lawyers-protest-against">અમિત શાહ સામે હવે ગુજરાત બાર કાઉન્સિલના વકીલે મોરચો માંડ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 12 Jan 2025 11:00:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1837</Articleid>
                    <excerpt>ભારતના બાદ હવે અમેરિકામાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડો.આંબેડકર વિરુદ્ધ કરેલા નિવેદનના વિરોધમાં આંબેડકરવાદીઓ રસ્તા પર ઉતર્યા અને માફીની માગણી કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678336f0ac609.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678336f0784cd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678336f0784cd.jpg" length="137298" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amit Shah, Dr. Ambedkar, statement, Protests abroad</media:keywords>
                </item>
                        <item>
                    <title>National Dastak ચેનલના બેંક એકાઉન્ટ ફ્રીઝ, બહુજન મીડિયાને દબાવવાનો પ્રયાસ?</title>
                    <link>https://khabarantar.com/national-dastaks-bank-account-frozen-by-income-tax-department</link>
                    <guid>https://khabarantar.com/national-dastaks-bank-account-frozen-by-income-tax-department</guid>
                    <description>
                        <![CDATA[ નેશનલ દસ્તકના એડિટર શંભુકુમાર સિંહે જણાવ્યું છે કે, ઈન્કમ ટેક્સ વિભાગે કોઈપણ સુનાવણી વિના તેમની મીડિયા કંપનીના બેંક ખાતા સીલ કરી દીધાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજની સમસ્યાઓ અને મુદ્દાઓને વાચા આપતા દેશના અગ્રણી ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ 'નેશનલ દસ્તક'ના બેંક ખાતાને આવકવેરા વિભાગે ફ્રીઝ કરી દીધું છે. આ ઘટનાએ મીડિયાની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. નેશનલ દસ્તકના સ્થાપક અને સંપાદક શંભુ કુમાર સિંહે તેને બહુજન સમાજના અવાજને દબાવવા માટે સરકારનું કાવતરું ગણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શંભુ કુમારે જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે સુનાવણી માટે કોઈ સમય આપ્યા વિના તેમની મીડિયા કંપનીના બેંક ખાતાઓ સ્થગિત કરી દીધા હતા. સામાન્ય પ્રક્રિયા મુજબ નોટિસ પછી ઓછામાં ઓછો એક મહિનાનો સમય આપવામાં આવે છે, પરંતુ અહીં સીધી કાર્યવાહી કરવામાં આવી હતી. શંભુ કુમારે તેને "બહુજન સમાજના અવાજને દબાવવા અને સરકાર પર સવાલ ઉઠાવનારાઓ સામે બિનજરૂરી કાર્યવાહી કરવાનો" એક ભાગ ગણાવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કર્મચારીઓનો પગાર વિલંબમાં મૂકાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ દસ્તકની ટીમમાં કુલ 10 લોકો કામ કરે છે, જેમને દર મહિને નિયમિતપણે પગાર ચૂકવવામાં આવે છે. આ મહિને પણ પગાર ચૂકવવાનો સમય હતો, પરંતુ આવકવેરા વિભાગે કોઈપણ સૂચના કે નોટિસ આપ્યા વિના તેમનું બેંક ખાતું ફ્રીઝ કરી દીધું, જેના કારણે કર્મચારીઓનો પગાર અટકી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ દસ્તકના રિપોર્ટર નિધિ રતને આરોપ લગાવ્યો કે આ કાર્યવાહી ફક્ત એટલા માટે કરવામાં આવી છે કારણ કે નેશનલ દસ્તક વંચિત અને શોષિત સમાજનો અવાજ ઉઠાવે છે. નિધિએ કહ્યું, "સરકાર અમને ચૂપ કરવા માટે આવી યુક્તિઓ અપનાવી રહી છે જેથી અમને સમાજના પ્રશ્નો અને સમસ્યાઓ ઉઠાવતા અટકાવતા રોકી શકાય."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અગાઉ માહિતી અને પ્રસારણ મંત્રાલયે નોટિસ મોકલી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ દસ્તક ચેનલ પર આ કાર્યવાહી પહેલી વાર નથી રહી. અગાઉ, લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીના માહિતી અને પ્રસારણ વિભાગે નેશનલ દસ્તકને નોટિસ મોકલી હતી અને તેની યુટ્યુબ ચેનલ બંધ કરવાનું કહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શંભુ કુમાર માને છે કે નેશનલ દસ્તક વંચિત અને શોષિત સમાજનો અવાજ ઉઠાવવાનું કામ કરે છે, જે સરકારને અસહજ કરી મૂકે છે. તેમણે કહ્યું, "સરકારને પ્રશ્નો પૂછનારા અને બહુજન સમાજના મુદ્દાઓ ઉઠાવનારાઓને ચૂપ કરવા માટે આ યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણની કલમ 19(1)(a) દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. આવી સ્થિતિમાં યોગ્ય પ્રક્રિયા વિના મીડિયા સંસ્થાઓ સામે કાર્યવાહી કરવી એ લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. શંભુ કુમારે કહ્યું કે નેશનલ દસ્તક આ અન્યાયી કાર્યવાહી સામે કાનૂની લડાઈ લડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/shambhu-kumar-singhs-national-dastak-youtube-channel-received-a-shutdown-notice">શંભુ કુમાર સિંહની નેશનલ દસ્તક યુટ્યૂબ ચેનલને બંધ કરવાની નોટિસ મળી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 12 Jan 2025 09:00:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1836</Articleid>
                    <excerpt>નેશનલ દસ્તકના એડિટર શંભુકુમાર સિંહે જણાવ્યું છે કે, ઈન્કમ ટેક્સ વિભાગે કોઈપણ સુનાવણી વિના તેમની મીડિયા કંપનીના બેંક ખાતા સીલ કરી દીધાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67829756eb00d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67829756b775b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67829756b775b.jpg" length="61271" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>national dastaks, Shambhu Kumar Singh</media:keywords>
                </item>
                        <item>
                    <title>18 વર્ષની દલિત એથ્લેટ્સનું 5 વર્ષમાં 64 લોકોએ જાતીય શોષણ કર્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-athlete-sexually-abused-by-64-people-in-5-years-in-keralas-pathanamthitta</link>
                    <guid>https://khabarantar.com/dalit-athlete-sexually-abused-by-64-people-in-5-years-in-keralas-pathanamthitta</guid>
                    <description>
                        <![CDATA[ દલિત એથ્લેટ 13 વર્ષની હતી ત્યારથી તેનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. તપાસ શરૂ થયા બાદ આંકડો હજુ વધી શકે છે. પોલીસે બે એફઆઈઆર નોંધીને 6 લોકોની ધરપકડ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરળના પથાણામથિટ્ટા જિલ્લામાં 18 વર્ષની દલિત એથ્લીટ છોકરીનું જાતીય શોષણ થયાનો આરોપ લાગ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. શરૂઆતની તપાસ બાદ પોલીસે 2 FIR નોંધી છે અને 6 લોકોની ધરપકડ કરી છે (Kerala Dalit Athlete Sexual Abuse). યુવતીનો આરોપ છે કે છેલ્લા 5 વર્ષમાં 64 લોકોએ તેનું જાતીય શોષણ કર્યું છે. કેરળ મહિલા સમાખ્યા સોસાયટીના સ્વયંસેવકોએ જિલ્લા બાળ કલ્યાણ સમિતિને આ અંગે જાણ કરી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કેરળ મહિલા સામખ્ય સોસાયટી (Kerala Mahila Samakhya Society-KMSS) ના સ્વયંસેવકો આ વિસ્તારની મુલાકાત લેવા નીકળ્યા હતા. એ દરમિયાન તેઓ સંઘર્ષ કરી રહેલી જિલ્લા સ્તરની આ રમતવીર છોકરીને મળ્યા હતા. KMSS એક બિન-સરકારી સંસ્થા (NGO) છે જેના સ્વયંસેવકો નિયમિતપણે આ વિસ્તારની મુલાકાત લે છે.</span><br><span style="font-size: 14pt;">જ્યારે છોકરી તાજેતરના વર્ષોમાં તેના અનુભવો શેર કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સ્વયંસેવકોએ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ (CWC) ને તેની જાણ કરી. પથાણામથિટ્ટા સીડબ્લ્યુસીના મુખ્ય વકીલ એન રાજીવે જણાવ્યું હતું કે આ મામલો 15 દિવસ પહેલા સમિતિ સમક્ષ આવ્યો હતો. તેમણે આગળ કહ્યું કે, "મેં છોકરીને તેની માતા સાથે સમિતિ સમક્ષ હાજર થવા કહ્યું. તેને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે અને સાયકોલોજિસ્ટ સામે તેણે ખૂલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે 13 વર્ષની ઉંમરથી તેનું જાતીય શોષણ થઈ રહ્યું હતું. તે તેની માતા સાથે કંઈપણ શેર કરતી નહોતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-dalit-woman-confronted-the-rapist-and-the-racist-spat-on-her-face"><span style="font-size: 14pt;">દલિત મહિલાએ બળાત્કારીનો સામનો કર્યો તો જાતિવાદી તેના મોં પર થૂંક્યો</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">CWCના મુખ્ય વકીલે વધુમાં જણાવ્યું હતું કે, "છોકરી જિલ્લા સ્તરની રમતવીર હોવાથી તેણીએ વર્ષોથી વિવિધ રમત શિબિરોમાં ભાગ લીધો છે. કદાચ આ જ કારણ છે કે તેણીનું આટલું બધું જાતીય શોષણ થયું. તે તેના દારૂડિયા પિતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોટાભાગના આરોપીઓની ઓળખ મોબાઇલ ફોનમાં હાજર કોન્ટેક્ટ લિસ્ટ પરથી થઈ છે. તેમાં ઘણા નંબરો સેવ થયેલા મળી આવ્યા છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પથાણામથિટ્ટા જિલ્લાના એસપી વીજી વિનોદ કુમારે જણાવ્યું હતું કે, "બે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા છે. એક કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા કેસમાં એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ બાદ વધુ કેસ નોંધવામાં આવશે. આ તપાસની જવાબદારી એક ડેપ્યુટી એસપી સંભાળી રહ્યા છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, CWCના મુખ્ય વકીલ એન રાજીવએ જણાવ્યું હતું કે મનોવૈજ્ઞાનિકોએ છોકરી સાથે વાત કરી હતી જેથી તેના દાવાઓની સંપૂર્ણ તપાસ કરી શકાય. એકવાર તપાસ આગળ વધશે, પછી વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય નહીં. હાલમાં, છોકરીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને CWC હેઠળના આશ્રય ગૃહમાં ખસેડવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-police-charged-the-rape-of-a-dalit-minor-at-rs-1-lakh-applied">પોલીસે દલિત સગીરા પર બળાત્કારની કિંમત રૂ. 1 લાખ લગાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 Jan 2025 20:47:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1835</Articleid>
                    <excerpt>દલિત એથ્લેટ 13 વર્ષની હતી ત્યારથી તેનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. તપાસ શરૂ થયા બાદ આંકડો હજુ વધી શકે છે. પોલીસે બે એફઆઈઆર નોંધીને 6 લોકોની ધરપકડ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67828a6da730c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67828a6d764f9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67828a6d764f9.jpg" length="67687" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit athlete, sexually abused, kerala, pathanamthitta, 64 people, 5 years</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત સગીરાને 3 દિવસ સુધી ગોંધી રાખી ત્રણ યુવકોએ ગેંગરેપ કર્યો</title>
                    <link>https://khabarantar.com/minor-gangraped-for-3-days-in-gauriganj-police-station-amethi-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/minor-gangraped-for-3-days-in-gauriganj-police-station-amethi-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ સગીરા ઘરેથી સ્કૂલે જવા નીકળી હતી ત્યારે ઓળખીતા યુવકે તેને ફોસલાવીને લિફ્ટ આપી તેનું અપહરણ કર્યું. ગામથી દૂરના ઘરમાં ગોંધી રાખી. જ્યાં 3 યુવકોએ ગેંગરેપ કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Minor Girl Gangraped: જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશમાં એક દલિત સગીરા સાથે ગેંગરેપનો થયાનો મામલો સામે આવ્યો છે. અહીં અમેઠી જિલ્લામાં ત્રણ યુવકોએ એક દલિત કિશોરીને એક ઘરમાં ગોંધી રાખી ત્રણ દિવસ સુધી તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તપાસ બાદ જ્યારે મામલો સાચો હોવાનું માલુમ પડ્યું ત્યારે પોલીસે ચાર આરોપીઓ સામે કેસ નોંધ્યો અને ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લીધા. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે, પોલીસ તેની શોધ કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. અહીં એક ૧૩ વર્ષની એક દલિત  છોકરી ૨૬ ડિસેમ્બરે શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યા બાદ શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. છોકરી ગુમ થયા પછી તેના પિતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને છોકરીની શોધ શરૂ કરી હતી. એ દરમિયાન અચાનક ૧ જાન્યુઆરીના રોજ છોકરી તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને તેણે જે આપવીતી સંભળાવી તેનાથી પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/5-youths-gang-raped-a-dalit-girl-after-forcing-her-to-drink-alcohol">દલિત યુવતીને ગોંધી રાખી પરાણે દારૂ પીવડાવી 5 યુવકોએ ગેંગરેપ કર્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણ દિવસ સુધી ગેંગરેપ ગુજાર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">પીડિતાના જણાવ્યા અનુસાર, તેની બહેનપણીનો બોયફ્રેન્ડ, જે ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો રહેવાસી છે, તે તેને લિફ્ટ આપવાના બહાને ફોસલાવીને અમેઠી લઈ ગયો હતો. સાહિલ નામના આ યુવકે અહીં તેને પહેલેથી જ હાજર નીલેશ, શેખર સિંહ અને સુરજીત સિંહ સાથે છોડી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો. સાહિલ ગયા પછી, ત્રણેય યુવકો સગીરાને ગૌરીગંજના સકરાવા ગામમાં એક ઘરે લઈ ગયા. જ્યાં તેણીને બંધક બનાવીને ત્રણ દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધમકી આપી ટ્રેનમાં બેસાડી દીધી</span></strong></span><br><span style="font-size: 14pt;">ગુનો કર્યા પછી આ યુવકોએ સગીરાને ધમકી આપી અને 28 ડિસેમ્બરના રોજ તેણીને પદ્માવત એક્સપ્રેસમાં બેસાડી દીધી હતી. એ પછી છોકરી દિલ્હી પહોંચી હતી અને ત્યાં જેમ તેમ કરીને તેની બહેનના ઘરે પહોંચી અને પોતાની સાથે જે થયું તેની વાત કહી. ગૌરીગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી સગીરાએ પોલીસને ઘટનાની જાણ કરી. ત્યારબાદ તેણીને વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવી અને પોલીસ, મેડિકલ અને કોર્ટમાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક આરોપી હજુ પણ ફરાર</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આરોપીઓની કોલ ડિટેલ્સ અને અન્ય પુરાવા સાચા હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ પોલીસે POCSO અને બળાત્કાર સહિતની અન્ય કલમો ઉમેરીને આરોપીઓની શોધ શરૂ કરી દીધી હતી. દરમિયાન, ગૌરીગંજના એસએચઓ શ્યામ નારાયણ પાંડેએ જણાવ્યું હતું કે સાહિલ, સુરજીત અને શેખરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નિલેશ નામનો આરોપી હજુ પણ ફરાર છે. તેની શોધ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/two-cousins-of-a-dalit-family-were-gang-raped-for-40-days">દલિત પરિવારની બે સગી બહેનોને 40 દિવસ સુધી ગોંધી રાખી ગેંગરેપ</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 Jan 2025 19:22:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1834</Articleid>
                    <excerpt>સગીરા ઘરેથી સ્કૂલે જવા નીકળી હતી ત્યારે ઓળખીતા યુવકે તેને ફોસલાવીને લિફ્ટ આપી તેનું અપહરણ કર્યું. ગામથી દૂરના ઘરમાં ગોંધી રાખી. જ્યાં 3 યુવકોએ ગેંગરેપ કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6782778e4964c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6782778e193a0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6782778e193a0.jpg" length="42499" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>amethi news, minor girl gangraped, gauriganj, SC ST act, atrocity case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અખિલેશ યાદવે અનેક યોજનાઓમાંથી ડૉ.આંબેડકરનું નામ હટાવ્યું હતું?</title>
                    <link>https://khabarantar.com/dr-lalji-prasad-nirmal-said-akhilesh-yadav-removed-dr-ambedkars-name-from-schemes</link>
                    <guid>https://khabarantar.com/dr-lalji-prasad-nirmal-said-akhilesh-yadav-removed-dr-ambedkars-name-from-schemes</guid>
                    <description>
                        <![CDATA[ અખિલેશ યાદવે અનેક યોજનાઓ અને સ્મારકોમાંથી ડો.આંબેડકરનું નામ દૂર કરી દીધું હતું, જે બીએસપીની સરકાર વખતે જે તે સ્મારક સાથે જોડવામાં આવ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય ડૉ. લાલજી પ્રસાદ નિર્મલે આરોપ લગાવ્યો કે અખિલેશ યાદવની સરકારે દલિતોને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે અને યોજનાઓ અને સ્મારકોમાંથી ડૉ. આંબેડકરનું નામ દૂર કર્યું છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના વારસાનું ખતમ કરવામાં કોઈ કસર નથી છોડી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય અને ઉત્તર પ્રદેશ અનુસૂચિત જાતિ નાણા અને વિકાસ નિગમના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. લાલજી પ્રસાદ નિર્મલે અખિલેશ યાદવ પર ડૉ. ભીમરાવ આંબેડકરના નામને સરકારી યોજનાઓ અને સ્મારકોમાંથી દૂર કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. ડૉ. નિર્મલે કહ્યું કે જ્યારે અન્ય રાજકીય પક્ષો ડૉ. આંબેડકરના નામે દલિતોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સપા સરકાર દરમિયાન દલિતો માટે કરવામાં આવેલા કાર્યોને પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. તેમણે ખાસ કરીને તે યોજનાઓ અને સ્થળોનો ઉલ્લેખ કર્યો જેમાંથી સપા દ્વારા બાબા સાહેબનું નામ દૂર કરવામાં આવ્યું હતું. આ આરોપ ગંભીર એટલા માટે છે કેમ કે, સપા પણ કોંગ્રેસની જેમ ડો.આંબેડકરની ગુણગાન ગાઈ રહી છે. ત્યારે દલિત સમાજ માટે આ આરોપો ચોંકાવનારા છે. ડૉ. આંબેડકર માત્ર ભારતીય બંધારણના નિર્માતા જ નહોતા, પરંતુ તેમણે દલિતોના અધિકારો માટે સતત લડત પણ આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar">ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અખિલેશ યાદવના શાસનમાં ડૉ. આંબેડકરના નામ સાથે છેડછાડ</span></strong></span><br><span style="font-size: 14pt;">ડૉ. નિર્મલે સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન થયેલા નામ પરિવર્તનના ઘણાં ઉદાહરણો આપ્યા. તેમણે જણાવ્યું કે 'આંબેડકર ગ્રામ વિકાસ યોજના' દ્વારા 'ડૉ. આંબેડકર' નામ કાઢી નાખવામાં આવ્યું છે અને લખનૌના 'ડૉ. આંબેડકર ગ્રીન પાર્ક'નું નામ બદલીને જનેશ્વર મિશ્રા પાર્ક રાખવામાં આવ્યું. આ ફેરફાર માત્ર ડૉ. આંબેડકરના યોગદાનનો અસ્વીકાર નહોતો પરંતુ દલિત સમાજને સંદેશ પણ હતો કે રાજ્યમાં તેમના વારસાનું મૂલ્ય નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. નિર્મલે આગળ જણાવ્યું કે, આ સિવાય રામપુરમાં ડૉ. આંબેડકર પ્લેનેટોરિયમમાંથી પણ બાબા સાહેબનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું અને કન્નૌજમાં ડૉ. આંબેડકર મેડિકલ કોલેજનું નામ બદલીને એક સામાન્ય નામ આપી દેવામાં આવ્યું હતું. લખનૌના આંતરરાષ્ટ્રીય બસ ટર્મિનલ પરથી પણ ડો.આંબેડકરનું નામ હટાવીને તેને બદલીને આલમબાગ બસ ટર્મિનલ કરવામાં આવ્યું હતું. ભીમનગર(સંભાલ) નું નામ કાઢી નાખવામાં આવ્યું. રમાબાઈ આંબેડકર નગર (કાનપુર દેહાત) પરથી રમાબાઈનું નામ દૂર કરવામાં આવ્યું અને તેને એક સામાન્ય નામ આપવામાં આવ્યું છે. આ તમામ પગલાં દલિતો માટે નિરાશાનું કારણ બન્યાં હતા, જેઓ હંમેશા ડૉ. આંબેડકરને તેમના અધિકારો માટેની લડાઈનું પ્રતીક માનતા આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો પ્રત્યે અખિલેશ યાદવની સરકારનું વલણ</span></strong></span><br><span style="font-size: 14pt;">ડૉ. નિર્મલે અખિલેશ યાદવની સરકાર વિરુદ્ધ કડક ટિપ્પણી કરી અને કહ્યું કે દલિતો માટે બનાવેલા સ્મારકો અને યોજનાઓમાંથી ડૉ. આંબેડકરનું નામ દૂર કરવાનું તેમના દ્વારા લેવાયેલું પગલું દલિત સમાજ પ્રત્યે મોટો અન્યાય છે. તેમણે કહ્યું કે અખિલેશ યાદવની સપા સરકારે હંમેશા બાબા સાહેબના વિચારો અને યોગદાનને પાછળ ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યોજનાઓ અને સંસ્થાઓનું નામમાંથી ડૉ. આંબેડકરનું નામ દૂર કરવામાં આવ્યું, ત્યારે જ એ સાબિત થઈ ગયું હતું કે સમાજવાદી પાર્ટીની સરકારને દલિત સમાજના ઇતિહાસ અને તેમના સંઘર્ષો પ્રત્યે કોઈ માન નહોતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બધાં રાજકીય પક્ષો ડો.આંબેડકરના યોગદાનનો આદર કરે</span></strong></span><br><span style="font-size: 14pt;">અખિલેશ યાદવની સરકાર દ્વારા ડૉ. આંબેડકરના નામ સાથે ચેડા કરવાનો વિવાદ દલિત સમાજ માટે એક ગંભીર પ્રશ્ન છે. ડૉ. નિર્મલે સ્પષ્ટ કર્યું કે અખિલેશ યાદવે બાબાસાહેબના વારસાને નકારીને તેમણે દલિતો માટે કરેલા કાર્યોને નષ્ટ કરવાનું કામ કર્યું છે. હવે સમય પાકી ગયો છે કે બધા રાજકીય પક્ષો ડૉ. આંબેડકરના યોગદાનનો યોગ્ય રીતે આદર કરે અને તેમના વિચારોને પોતાના કાર્યોમાં પણ પ્રતિબિંબિત કરે. દલિતો પ્રત્યે સાચો આદર ફક્ત નામકરણથી નહીં, પરંતુ વાસ્તવિક કાર્યોથી જ સુનિશ્ચિત થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/brahmins-attack-in-buddha-katha-babasahebs-photo-torn-six-dalit-injured">બુદ્ધ કથામાં બ્રાહ્મણોનો હુમલોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 Jan 2025 15:11:17 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1833</Articleid>
                    <excerpt>અખિલેશ યાદવે અનેક યોજનાઓ અને સ્મારકોમાંથી ડો.આંબેડકરનું નામ દૂર કરી દીધું હતું, જે બીએસપીની સરકાર વખતે જે તે સ્મારક સાથે જોડવામાં આવ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67823c966d55e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67823c9628df8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67823c9628df8.jpg" length="64290" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr. Lalji Prasad Nirmal, Akhilesh Yadav, Dr. Ambedkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>VHP ના કાર્યક્રમમાં જઈ કોમવાદી નિવેદન કરનાર જજે હજુ માફી નથી માંગી</title>
                    <link>https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-has-not-yet-apologized</link>
                    <guid>https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-has-not-yet-apologized</guid>
                    <description>
                        <![CDATA[ મુસ્લિમોને &#039;કઠમુલ્લા&#039; કહી ઉતારી પાડનાર અને &#039;દેશ બહુમતીઓના હિસાબે ચાલશે&#039; કહેનાર જજ shekhar kumar yadav ને કોનું પીઠબળ છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યક્રમમાં જઈને "આ દેશ બહુમતીના આધારે ચાલશે" અને મુસ્લિમોનું 'કઠમુલ્લા' કહીને જાહેરમાં અપમાન કરનાર જજ શેખર કુમાર યાદવે (Justice Shekhar kumar yadav) પોતાના નિવેદનને લઈને હજુ સુધી માફી માંગી નથી. કોમવાદી નિવેદન આપવા બદલ તપાસનો સામનો કરી રહેલા આ જજને સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. જો કે હજુ સુધી તેમણે આ બાબતે દિલગીરી વ્યક્ત નથી કરી અને માફી પણ નથી માંગી. હવે સમન્સ પાઠવ્યાના લગભગ 3 અઠવાડિયા પછી સીજેઆઈ સંજીવ ખન્નાએ ફરીથી અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. અહેવાલ છે કે અત્યાર સુધી જસ્ટિસ યાદવે આ મામલે માફી માંગી નથી. જેને લઈને સુપ્રીમ કોર્ટ તેમના પર પગલાં લઈ શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમ દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટના સિટીંગ જજ શેખર કુમાર યાદવે મુસ્લિમ સમાજનો ઉલ્લેખ કરતી ટિપ્પણી કરી હતી. જેને લઈને તેમના પર મહાભિયોગ ચલાવીને દૂર કરવા સુધીની કાર્યવાહી કરવા અરજી કરાઈ હતી. સીજેઆઈ ખન્નાએ અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરુણ ભસાલીને એક પત્ર લખ્યો છે. જેના દ્વારા, CJI એ આ કેસમાં એક નવો રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. 17 ડિસેમ્બરે જ કોલેજિયમ અને જસ્ટિસ યાદવ વચ્ચેની બેઠક દરમિયાન સ્પષ્ટતા માંગવામાં આવી હતી. અહેવાલ મુજબ, બેઠક પછીથી જસ્ટિસ યાદવ પોતાના નિવેદન પર અડગ રહ્યા છે અને હજુ સુધી માફી માંગી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-youth-beaten-up-by-bajrang-dal-shaved-his-head-and-paraded-him-around-the-village-in-fatehpur">બજરંગ દળ-VHP ની ગુંડાગર્દી, દલિત યુવકનું માથું મુંડી આખા ગામમાં ફેરવ્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સી રવિચંદ્રન વિરુદ્ધ જસ્ટિસ એએમ ભટ્ટાચાર્ય અને અન્યોના કેસનો નિર્ણય સુપ્રીમ કોર્ટે 1995માં લીધો હતો. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે જો કેસ હાઈકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ ફરિયાદનો હોય, તો તે હાઈકોર્ટના સીજેઆઈ તપાસ પછી ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે આ બાબતે ચર્ચા કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહાભિયોગ કાર્યવાહીને પડકારતી અરજી ફગાવાઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે મંગળવારે ન્યાયાધીશ શેખર કુમાર યાદવ સામે લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને પડકારતી પીઆઈએલ ફગાવી દીધી. અરજદારે વિનંતી કરી હતી કે હાઇકોર્ટે રાજ્યસભાના અધ્યક્ષને 55 સાંસદો દ્વારા રાજ્યસભાના મહાસચિવ સમક્ષ રજૂ કરાયેલા પ્રસ્તાવ પર આગળની કાર્યવાહી શરૂ ન કરવાનો નિર્દેશ આપવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેન્ચે કહ્યું કે પીઆઈએલ દબાયેલા-કચડાયેલા વર્ગના લોકોનો અવાજ ઉઠાવવા માટે દાખલ કરવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં એવું નથી. કોર્ટે એમ પણ કહ્યું કે આ અરજી પીઆઈએલ દાખલ કરવા માટે નિર્ધારિત સમય મર્યાદાની બહાર છે અને તેથી, તે સુનાવણી માટે યોગ્ય નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>મામલો શું હતો?</strong></span><br>અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ 8 ડિસેમ્બર 2024ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, "હિંદુઓ એવી અપેક્ષા રાખતા નથી કે મુસ્લિમો તેમની સંસ્કૃતિનું પાલન કરે, પરંતુ તેઓ ઈચ્છે છે કે તેઓ તેનો અનાદર ન કરે. તેમણે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC વિશે પણ વાત કરી. ઉપરાંત, તેમણે કહ્યું કે આ ભારત છે અને તે તેની બહુમતી વસ્તીની ઈચ્છા અનુસાર ચાલશે."<br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમમાં ઘણા વકીલો અને VHP કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. તેમને સંબોધતા </span><span style="font-size: 14pt;">જસ્ટિસ શેખર કુમાર યાવદ(Justice Shekhar Kumar Yadav) એ વધુમાં કહ્યું કે, "અમે અમારા બાળકોને જન્મથી જ સહનશીલતા અને દયા શીખવીએ છીએ. અમે તેમને પ્રાણીઓ અને પ્રકૃતિને પ્રેમ કરવાનું શીખવીએ છીએ. બીજાના દુઃખ જોઈ અમને દુઃખ થાય છે. પણ તમને એવું નથી લાગતું. શા માટે... જ્યારે તમે પ્રાણીઓને તેમની સામે મારશો ત્યારે તમારું બાળક સહનશીલતા અને દયા કેવી રીતે શીખશે?"<br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ તેણે ભારતની બહુમતી વસ્તી વિશે પણ વાત કરી હતી. જસ્ટિસ શેખર કુમારે કહ્યું, મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ ભારત છે અને તે પોતાની બહુમતી વસ્તીની ઈચ્છા પ્રમાણે ચાલશે.<br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે તેમની સામે રાજ્યસભામાં મહાભિયોગની કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી છે. એ પહેલા તેમને સુપ્રીમ કોર્ટની કોલેજિયમે પણ નિવેદન અંગે ખુલાસો કરીને માફી માંગવા કહ્યું હતું, પણ હજુ સુધી તેમણે માફી નથી માંગી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-reaches-vhp-event">VHPના કાર્યક્રમમાં પહોંચ્યા હાઈકોર્ટના સિટિંગ જજ, રામ મંદિરની પ્રશંસા કરી</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 Jan 2025 11:44:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1832</Articleid>
                    <excerpt>મુસ્લિમોને &#039;કઠમુલ્લા&#039; કહી ઉતારી પાડનાર અને &#039;દેશ બહુમતીઓના હિસાબે ચાલશે&#039; કહેનાર જજ shekhar kumar yadav ને કોનું પીઠબળ છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67820be8ede36.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67820be8b78e6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67820be8b78e6.jpg" length="102462" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>shekhar kumar yadav, allahabad high court, not yet apologized, VHP, Supreme Court, CJI Sanjiv Khanna, Impeachment</media:keywords>
                </item>
                        <item>
                    <title>કડીના જેતપુરામાં એટ્રોસિટીના કેસમાં 9 આરોપીઓને 3 વર્ષની સજા, 20 હજાર દંડ</title>
                    <link>https://khabarantar.com/nine-accused-in-jetpura-atrocity-case-sentenced-to-three-years-fined-rs-twenty-thousand</link>
                    <guid>https://khabarantar.com/nine-accused-in-jetpura-atrocity-case-sentenced-to-three-years-fined-rs-twenty-thousand</guid>
                    <description>
                        <![CDATA[ આરોપીઓએ લોકડાઉન વખતે કીટની વહેંચણી વખતે દલિત સમાજની વ્યક્તિને જાતિસૂચક અપશબ્દો બોલીને માર માર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જેતપુરા ગામમાં એટ્રોસિટીના એક કેસમાં 9 આરોપીઓને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2020માં કોરોના કાળના લોકડાઉન વખતે અહીં કીટની વહેંચણી વખતે આરોપીઓએ અનુસૂચિત જાતિ સમાજની એક વ્યક્તિને જાતિસૂચક અપશબ્દો કહીને મારામારી કરી હતી. જેને લઈને તેમની સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી મહેસાણા સ્પેશ્યિલ એટ્રોસિટી કોર્ટમાં થતા કોર્ટે 9 આરોપીઓનો ગુનેગાર ઠેરવીને 3 વર્ષની સખત કેદની સજા અને દરેકને રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કડીના જેતપુરા ગામમાં તા.૨૯-૩-૨૦૨૦ના લોકડાઉનની કીટની વહેંચણી બાબતે બોલાચાલી થઈ હતી. જે અંગેની અદાવત રાખીને આરોપીઓ ગામના જ સોમા રબારી, જગદીશ અજમલ રબારી, રવિ મગન રબારી, સંજય મફા રબારી, વિશાલ રણછોડ રબારી, રાજુ લાલજી રબારી, ભાથી અરજણ રબારી, સાગર મોહન રબારીએ 12 એપ્રિલ 2020ના રોજ ગેરકાયદેસર મંડળી રચીને એકસંપ થઈને લાકડીઓ સહિતના હથિયારો સાથે અનુસૂચિત જાતિ સમાજના વિનોદભાઈ મંગળભાઈ જાદવને જાતિસૂચક અપશબ્દો કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ અંગે વિનોદભાઈ જાદવે એટ્રોસિટી એક્ટ સહિતના વિવિધ કાયદા-કલમો હેઠળ બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓને ત્રણ વર્ષની સજા અને રૂ. 20 હજાર દંડ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસની સુનાવણી મહેસાણાના એડીશનલ સેશન્સ અને સ્પેશીયલ એટ્રોસીટી જજ સી.એમ.પવારની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ અશોક એ. મકવાણાની દલીલો અને ભરત કાપડીયાની વીથ પ્રોશીક્યુસેનના આધારે કોર્ટે ૯ આરોપીઓને દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદ અને પ્રત્યેક આરોપીને રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમમાંથી ફરિયાદીને રૂ. 30 હજાર વળતર ચૂકવવા અને રૂ. 30 હજાર જિલ્લા કાનૂની સહાય કેન્દ્રમાં જમા કરવાનો આદેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/In-the-atrocity-case,-the-court-for-the-first-time-ordered-the-accused-to-pay-Rs.-10-thousand-fined">એટ્રોસિટીના કેસમાં કોર્ટે પહેલીવાર ‘માનસિક યાતના’ મુદ્દે આરોપીને રૂ. 10 હજાર દંડ ફટકાર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 Jan 2025 10:32:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1831</Articleid>
                    <excerpt>આરોપીઓએ લોકડાઉન વખતે કીટની વહેંચણી વખતે દલિત સમાજની વ્યક્તિને જાતિસૂચક અપશબ્દો બોલીને માર માર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6781fa74bff9f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6781fa749040b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6781fa749040b.jpg" length="41360" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>SC ST Act, Atrocity Case, Dalit News, Jetpura mehsana, kadi news</media:keywords>
                </item>
                        <item>
                    <title>માલપુરથી દિલ્હી દંડવત યાત્રાએ નીકળેલા લાલજી ભગતની તબિયત લથડી</title>
                    <link>https://khabarantar.com/lalji-bhagats-health-deteriorated-after-he-left-for-dandawat-yatra-from-malpur-to-delhi</link>
                    <guid>https://khabarantar.com/lalji-bhagats-health-deteriorated-after-he-left-for-dandawat-yatra-from-malpur-to-delhi</guid>
                    <description>
                        <![CDATA[ લાલજી ભગત સફાઈ કામદારોની પડતર માંગણીઓને લઈને પીએમ મોદીને વેદનાપત્ર આપવા નીકળ્યાં છે. મોડાસાના મહાદેવપુરા પાસે રસ્તામાં તેમની તબિયત લથડી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સફાઈ કામદારોના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને અરવલ્લી જિલ્લાના માલપુરથી દેશની રાજધાની દિલ્હી સુધી દંડવત યાત્રા કરતા જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેદનાપત્ર પાઠવવા માટે નીકળેલા વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતની મોડાસાથી આગળ જતાં મહાદેવપુરા પાસે રસ્તામાં તબિયત લથડતાં 108 દ્વારા સારવાર આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત વાલ્મિકી સંગઠનના નેજા હેઠળ રાજ્યમાં સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને પૂરા પગારથી કાયમી કરવા અને જુદી જુદી પડતર માંગણીઓ અને લાભો માટે માલપુરના લાલજી ભગત છેલ્લા કેટલાય સમયથી આંદોલન દ્વારા લડત ચલાવી રહ્યા છે તેમ છતાં પણ સફાઈ કામદારોની માંગણીઓ સંતોષવામાં ન આવતાં તા.1 જાન્યુઆરીથી તેઓ માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેદના પત્ર પાઠવવા નીકળ્યાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે દિવસ પહેલા તેઓ મોડાસામાં પ્રવેશતા સમસ્ત વાલ્મિકી સમાજના ભાઈ-બહેનો અને સફાઈકર્મીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. અહીંથી તેઓ દંડવત યાત્રાનું પ્રસ્થાન કરીને મહાદેવપુરા તરફ આગળ વધ્યાં હતા. એ દરમિયાન અચાનક તેમની તબિયત લથડતાં તાત્કાલિક 108ને જાણ કરવામાં આવતા રસ્તામાં જ તેમને સારવાર આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સફાઈકર્મીઓની નોકરીઓ કોન્ટ્રાક્ટર પર આપી દઈને શોષણ કરતી સરકાર સામે લાલજી ભગત સહિત તમામ સફાઈકર્મીઓમાં રોષ છે. એક બાજુ પીએમ મોદી સફાઈકર્મીઓના પગ ધોઈને જાહેરમાં પોતે સફાઈકર્મીઓના હામી હોવાનો દેખાડો કરે છે, બીજી તરફ તેમના જ ગૃહરાજ્યમાં એક સફાઈકર્મી આંદોલન કરીને પોતાના હકની માગણી કરી રહ્યો છે, છતાં સત્તા પક્ષના એકેય નેતાના પેટનું પાણી પણ હલ્યું નથી. આ સાથે જ સત્તાધારી ભાજપના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોવાનું પણ સામે આવી ગયું છે. જોવાનું એ રહે છે કે, લાલજી ભગત જેવા વડીલની માગણીને સરકાર કાને ધરે છે કે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dandwat-yatrs-malpur-to-delhi-for-the-sainitation-workers-lalji-bhagat">સફાઈકર્મીઓ માટે એક જનસેવક દંડવત યાત્રા કરતા દિલ્હી જવા નીકળ્યાં છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 10 Jan 2025 19:36:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1830</Articleid>
                    <excerpt>લાલજી ભગત સફાઈ કામદારોની પડતર માંગણીઓને લઈને પીએમ મોદીને વેદનાપત્ર આપવા નીકળ્યાં છે. મોડાસાના મહાદેવપુરા પાસે રસ્તામાં તેમની તબિયત લથડી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67812889686e2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6781288927b49.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6781288927b49.jpg" length="69253" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>lalji bhagats health deteriorated, dandawat yatra</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેતરમાં પશુઓ ભગાડવા બાંધેલા ઝાટકા તારના કરંટથી દલિત દંપતીનું મોત</title>
                    <link>https://khabarantar.com/couple-dies-after-being-electrocuted-in-malukpur-jaunpur-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/couple-dies-after-being-electrocuted-in-malukpur-jaunpur-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ ખેતર માલિકે દલિત દંપતીની લાશ કેનાલમાં ફેંકી દીધી. દીકરીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેતરમાં માલિકે પશુઓ ભગાડવા માટે બાંધેલા વીજળીના ઝાટકા આપતા તારનો કરંટ લાગવાથી એક દલિત દંપતીનું મોત થઈ ગયું. મામલો ઉત્તરપ્રદેશના જૌનપુર ખુટહન વિસ્તારના મલૂકપુર ગામનો છે. અહીં એક દલિત દંપતી ખેતરમાં કામ કરી રહ્યું હતું. પાકને પશુઓથી બચાવવા માટે ખેતર માલિકે ફરતે તારની વાડ કરી તેમાં વીજળીનો કરંટ આપ્યો હતો. એટલું જ નહીં તેણે ખેતરના ટ્યૂબવેલ સાથે આ ઝાટકા તારને જોડી દીધો હતો. જેની જાણ તેણે તેના ખેતરમાં કામ કરવા આવતા દલિત દંપતિને કરી નહોતી. જેના કારણે આ તારને અડકી જતા બંનેનું મોત થઈ ગયું હતું. આ મામલે પોલીસે કાર્યવાહી કરી દોષિત ખેતરમાલિકની ધરપકડ કરી છે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ખેતરમાલિકે બંનેના મૃતદેહ કેનાલમાં ફેંકી દીધાં</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મલુકપુર ગામમાં ખેતરમાં કામ કરી રહેલા રામચરિત્ર અને તેમની પત્ની કિસ્મતી દેવી થોડા દિવસો પહેલા ગુમ થઈ ગયા હતા. આ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે કમલેશ સિંહના ખેતરમાં કામ કરી રહેલા આ દંપતીનું વીજળીના ઝાટકા લાગવાને કારણે મોત થયું હતું. જ્યારે કમલેશે પોતાના ખેતરમાં પડેલા દંપતીના મૃતદેહ જોયા, ત્યારે તેણે તેમને કારમાં મૂકીને નહેરમાં ફેંકી દીધા હતા. હવે તરવૈયાઓ નહેરમાં બંનેના મૃતદેહો શોધી રહ્યા છે. પોલીસ અધિક્ષક ડૉ. કૌસ્તુભે જણાવ્યું હતું કે કમલેશ સિંહની મંગળવારે ફિરોઝપુરથી આગળ પટેલા રોડ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/while-not-going-to-sprinkle-medicine-in-the-field-the-dalit-youth-filled-his-boot-with-urine-and-made-him-drink">ખેતરમાં દવા છાંટવા ન જતા દલિત યુવકને બૂટમાં પેશાબ ભરીને પીવડાવ્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પશુઓથી બચવા ખેતરમાં બાંધેલો તાર મોતનું કારણ બન્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત દંપતીની દીકરી સરિતા કુમારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે 5 જાન્યુઆરીની સવારે તેના માતા-પિતા ગામની પશ્ચિમ બાજુએ તેમણે ભાગમાં રાખેલા ખેતરમાં વાવેલા પાકમાં પાણી પાવા માટે ગયા હતા. તે સાંજે પણ મોડે સુધી પાછા આવ્યા નહોતા. એ પછી તેમણે ઘણી શોધખોળ કરી હતી પરંતુ તેઓ ન મળ્યાં. આ કેસમાં, એસઆઈ મહેન્દ્ર યાદવ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ગુમ થયેલા દલિત દંપતીના ચંપલ, કોદાળી, ધાબળો, કપડાં અને મોજાં તે ખેતરમાંથી મળી આવ્યા હતા જ્યાં તેઓ કામ કરતા હતા. એ પછી ખેતરમાલિક કમલેશ સિંહની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે સ્વીકાર્યું કે તેણે પોતાના પાકને પ્રાણીઓથી બચાવવા માટે સ્ટીલના તારથી ખેતરને વાડ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત દંપતીને જાણ ન કરાઈ અને જીવ ગુમાવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ખેતરોમાં રંજાડ કરતા પ્રાણીઓથી પાકને બચાવવા માટે તેણે આ ઝાટકા તારને તેના ટ્યુબવેલની વીજળી સાથે જોડી દીધા હતા, જેથી પ્રાણીઓને વીજળીનો આંચકો લાગે અને તેઓ ભાગી જાય. જો કે ખેતર માલિક કમલેશસિંહે ખેતમજૂર રામચરિત અને તેમની પત્ની કિસ્મતી દેવીને આ બાબત જણાવી નહોતી. જ્યારે કમલેશ ખેતરમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે રામચરિત્ર અને કિસ્મતી દેવીનું ઝાટકા તારના આંચકાથી મોત થઈ ગયું છે. તો તે આ ઘટના જોઈને ડરી ગયો અને પોતાના ઘરેથી બોલેરો જીપ લઈને આવ્યો અને પોતાના ભાઈ અખિલેશ સાથે મળીને બંનેના મૃતદેહ બાસુપુર નહેરમાં ફેંકી દીધા હતા. હવે આ મામલે બંનેની પોલીસે ધરપકડ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-youth-killed-by-sarpanch-and-his-associates-while-collecting-water-in-the-field">ખેતરમાં પાણી વાળતા દલિત યુવકની સરપંચ અને સાગરિતોએ હત્યા કરી</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 10 Jan 2025 14:40:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1829</Articleid>
                    <excerpt>ખેતર માલિકે દલિત દંપતીની લાશ કેનાલમાં ફેંકી દીધી. દીકરીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6780e3b94c5b2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6780e3b917608.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6780e3b917608.jpg" length="124372" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit couple dies, being electrocuted, malukpur, jaunpur, uttar pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>ફાતિમા શેખને &amp;apos;કાલ્પનિક&amp;apos; કહેનાર પ્રો. દિલીપ મંડલની જબરી ધુલાઈ થઈ?</title>
                    <link>https://khabarantar.com/prof-who-called-fatima-shaikh-imaginary-dilip-mandal-was-forcibly-washed</link>
                    <guid>https://khabarantar.com/prof-who-called-fatima-shaikh-imaginary-dilip-mandal-was-forcibly-washed</guid>
                    <description>
                        <![CDATA[ સંઘી પ્રો. દિલીપ મંડલે દેશના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર ગણાવતી પોસ્ટ મૂકી હતી. એ પછી બહુજનો બૌદ્ધિકોએ તેમની ઓનલાઈન બરાબરની ધુલાઈ કરી નાખી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે 9 જાન્યુઆરીના રોજ દેશની પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખની જન્મજયંતિ હતી. એ જ દિવસે તેમના અસ્તિત્વને લઈને સવાલો ઉભા કરવામાં આવતા સમસ્ત બહુજન સમાજ ભારે રોષે ભરાયો હતો. એક સમયે ઓબીસી બૌદ્ધિક તરીકે જેમની ગણના થતી હતી તેવા પ્રો. દિલીપ મંડલે ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર ગણાવીને વિવાદ છેડી દીધો હતો. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે, પ્રો. દિલીપ મંડલ હવે મોદી સરકારના મીડિયા સલાહકાર છે અને તેઓ હવે બહુજન સમાજની વિચારધારાથી તદ્દન વિરુદ્ધની વાતો કરી સરકારને ખુશ કરવા મથી રહ્યાં છે. આવું જ તેમણે ગઈકાલે પણ કર્યું હતું. પ્રો. દિલીપ મંડલે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ફાતિમા શેખ ક્યારેય અસ્તિત્વમાં નહોતા, આ પાત્ર તેમણે જ ઘડ્યું હતું અને 2006 પહેલા તેમનો કોઈ ઉલ્લેખ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલીપ મંડલે ઉપરાછાપરી ટ્વિટ કરી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલીપ મંડલે આ વિષય પર શ્રેણીબદ્ધ ટ્વિટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, "ફાતિમા શેખના શિક્ષિકા હોવાના કોઈ પુરાવા નથી. પહેલા પણ નહોતા અને અત્યારે પણ નથી. તે કોઈ હજાર વર્ષ પહેલાંની વાત નથી. દોઢસો વર્ષ પહેલા આટલી મહાન મહિલા, એ પણ મુસ્લિમ સમાજમાં, જેનો સાક્ષરતા દર હજુ પણ ભારતમાં સૌથી ઓછો છે, જો તે હોત તો તેમના વિશે સર સૈયદ અહેમદ કરતાં પણ વધારે લખાયું હોત."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રો. મંડલે ટ્વિટ કરી હતી કે, “ફાતિમા શેખ ક્યારેય અસ્તિત્વમાં નહોતા. મેં આ નામ ચોક્કસ સમયે ઘડ્યું હતું. ન તો સાવિત્રીબાઈ ફૂલે, ન જ્યોતિરાવ ફૂલે, ન તો બાબાસાહેબ આંબેડકર, કોઈએ ફાતિમા શેખનો ઉલ્લેખ પણ કર્યો નહીં. તે ફક્ત મારી કલ્પના હતી. જે મેં ઘડી હતી"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિવેદનથી બહુજન અને મુસ્લિમ સમાજમાં રોષનું મોજું ફરી વળ્યું હતું. એક્ટિવિસ્ટો અને ઇતિહાસકારો આને બહુજન ચળવળ અને મુસ્લિમોના યોગદાનને ભૂંસી નાખવાના કાવતરા તરીકે જોઈ રહ્યાં છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે, પ્રોફેસર મંડલે કહ્યું હતું કે ફાતિમા શેખ નામનું પાત્ર તેમના દ્વારા ઘડવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;">દિલીપ મંડલે શું લખ્યું હતું?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક પોસ્ટમાં તેમણે લખ્યું, "મને માફ કરજો. ખરેખર ફાતિમા શેખ ક્યારેય અસ્તિત્વમાં નહોતી. તે કોઈ ઐતિહાસિક પાત્ર નથી. તે મારા દ્વારા ઘડવામાં આવ્યું છે. મારો કારનામા છે. તે મારો ગુનો કે ભૂલ છે કે મેં તેને શૂન્યમાંથી, એટલે કે હવામાંથી ઉભી કરી હતી. એટલે જો તમે આ માટે કોઈને દોષ આપવા માંગતા હો, તો મને દોષ આપો. આંબેડકરવાદીઓ વર્ષોથી આ માટે મારાથી નારાજ છે. માનનીય અનિતા ભારતીથી લઈને ડૉ. અરવિંદ કુમાર ખુલીને મારા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યાં છે. મેં આ કેમ કર્યું તે પૂછશો નહીં. મેં તે કર્યું. સમય સમયની વાત છે. મારે એક પ્રતિમા બનાવવી હતી જે મેં બનાવી નાખી. હજારો લોકો સાક્ષી છે. મોટાભાગના લોકોએ આ નામ પહેલીવાર મારી પાસેથી સાંભળ્યું છે. હું જાણું છું કે આ કેવી કરાય છે, છબી કેવી રીતે ઘડવામાં આવે છે. હું કલાનો માસ્ટર છું તેથી મારા માટે આ મુશ્કેલ નહોતું. હું છબિઓ ઘડું છું. તે મારું કામ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રોફેસર દિલીપ મંડલની આ પોસ્ટ પછી, ધ પ્રિન્ટે 9 જાન્યુઆરી 2019 ના રોજ લખાયેલ ફાતિમા શેખ પરનો તેમનો લેખ, "Why Indian history has forgotten Fatima Sheikh but remembers Savitribai Phule" પાછો ખેંચી લીધો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ પ્રિન્ટે લખ્યું હતું કે, "દિલીપ મંડલ દ્વારા X પરની એક પોસ્ટ જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમણે ફાતિમા શેખ નામનું "ઐતિહાસિક" પાત્ર ઘડ્યું છે, તેની ધ પ્રિન્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે. અમે આ બાબતની તપાસ કરવા માટે આ લેખને પરત ખેંચી રહ્યાં છીએ."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહુજન એક્ટિવિસ્ટો, લેખકો રોષે ભરાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રો. મંડલના આ દાવાને કારણે બહુજન કાર્યકરો અને લેખકોમાં ભારે રોષ છે. પત્રકાર શ્યામ મીરા સિંહે લખ્યું, "તમે કહી રહ્યા છો કે, '2006 પહેલા ફાતિમા શેખનો કોઈ ઉલ્લેખ નહોતો. તમે તેમને કાલ્પનિક રીતે ઘડ્યાં છે. મને કોઈ પુસ્તક બતાવો.'" હું તમને ૧૯૯૧નું એક પુસ્તક બતાવી રહ્યો છું. તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ફાતિમા શેખ સાવિત્રીબાઈ ફૂલેજીનાં સહયોગી હતા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Indias-Muslim-female-literacy-rate-of-50-percent-today-is-based-on-the-sweat-of-Fatima-Shaikh."><span style="font-size: 14pt;"> ભારતમાં મુસ્લિમ સ્ત્રી સાક્ષરતાનો દર આજે 50 ટકા છે તેના પાયામાં ફાતિમા શેખનો પરસેવો પડેલો છે</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રોફેસર મંડલને આપેલી જવાબી પોસ્ટમાં એક વ્યક્તિએ પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા 1986 માં પ્રકાશિત પુસ્તક "ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે" માંથી કેટલાક પાના પોસ્ટ કર્યા અને લખ્યું, "જૂઠું બોલવામાં કોઈ શરમ તો ક્યાંથી આવશે?"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલીપ મંડલ સરકારમાં જોડાયા પછી વલણ બદલાયું છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનારસ હિન્દુ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને દલિત નારીવાદ પર લખતા લેખિકા પ્રિયંકા સોનકરે જણાવ્યું હતું કે, ઐતિહાસિક કાર્ય કરનારા નાયકો અને નાયિકાઓને ઘડવામાં આવતા નથી તેમને શોધવામાં આવે છે. પ્રોફેસર મંડલ પહેલા ખૂબ સારું કામ કરતા હતા પરંતુ ભારત સરકારમાં જોડાયા પછી તેમણે પોતાનું વલણ બદલી નાખ્યું છે. ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર કહેવું તો મોદીજી અથવા ભાજપ નેતા કોઈપણ નેતા કરી શકે છે, પરંતુ બહુજન સમાજની એક વ્યક્તિને આવું કહેવા માટે પ્રેરિત કરીને તેઓ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાતિમા શેખ હતા પરંતુ એ સાચું છે કે તેમને માતા સાવિત્રીબાઈ ફૂલે જેટલી ઓળખ મળી ન હતી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તેઓ પ્રસિદ્ધિ મળતી રહે તે માટે આવું કરે છેઃ ડો.ઓબેદ મનવાટકરે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાણીતા શિક્ષણવિદ અને વિદ્વાન ડૉ. ઓબેદ મનવાટકરે કહ્યું, “જેઓ એક સમયે ફાતિમા શેખના ગુણગાન ગાતા હતા તેઓ હવે તેને કાલ્પનિક પાત્ર કહી રહ્યા છે. સોશિયલ મીડિયા લેખકોમાંના એક જેમણે ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર ગણાવ્યું છે તે પૈકી એકેય વ્યક્તિની પૃષ્ઠભૂમિ મહારાષ્ટ્રની નથી, ન તો તેમણે મહારાષ્ટ્રની સંસ્કૃતિ, સમાજશાસ્ત્ર, ઇતિહાસ પર કોઈ નક્કર સંશોધન કર્યું છે. તેઓ એટલા માટે લખે છે કારણ કે તેમની પોસ્ટ્સ વાયરલ થાય છે જેથી તેમને પ્રસિદ્ધિ મળતી રહે અને તેમનું નામ સોશિયલ મીડિયામાં ગૂંજતું રહે. ફાતિમા શેખ પર એક પુસ્તક છે, સાવિત્રીબાઈના પત્રવ્યવહારમાં તેમના નામનો ઉલ્લેખ છે. તેઓ કોઈ કાલ્પનિક પાત્ર નથી. આ વિષય પર આટલું જ કહી શકાય. જો 17-18મી સદીનો કોઈ ખાસ ઇતિહાસકાર કોઈ ટિપ્પણી કરે છે, તો તેમાં ચર્ચા કરવાની મજા આવે. કોઈ સોશિયલ મીડિયાની પોસ્ટ પર દલીલ કરવામાં હું મારો સમય નહીં બગાડું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંડલ હવે સંઘી છાવણીમાં હોવાથી આવું બોલે છેઃ જિતેન્દ્ર મીણા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના પ્રોફેસર જિતેન્દ્ર મીણા કહે છે કે, "એવું જરૂરી નથી કે ઇતિહાસમાં બનેલી બધી ઘટનાઓ રેકોર્ડ કરવામાં આવી હોય, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આદિવાસી ઇતિહાસમાં કોલોનિયલ એરા પહેલા તેના પર લગભગ કોઈ દસ્તાવેજીકરણ નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે આદિવાસીઓનું કોઈ યોગદાન નથી. આપણા દેશમાં ઇતિહાસ લખવાની પરંપરા નવી છે અને એ પહેલાં મૌખિક એટલે કે ઓરલ ટ્રેડિશન પર જ નિર્ભર હતું. ઇતિહાસ લખવાની પરંપરા બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ હતી. તે 19મી સદીના સમયથી શરૂ થઈ હતી અને તે પહેલાં જે કંઈ લખાતું હતું તે શાસક વર્ગ વિશે હતું." </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓબીસી-મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનું કાવતરું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિતેન્દ્ર મીણા આગળ કહે છે, "ઇતિહાસમાં કોઈ પાત્રને ઘડી નથી શકાતું. ઇતિહાસકારો પાસે કેટલીક માહિતી/તથ્યો હોય છે જે આપણને નાયકો અને નાયિકાઓ વિશે જણાવે છે. તેથી આ દાવો કરવો યોગ્ય નથી. પ્રોફેસર દિલીપ મંડળ આજકાલ આરએસએસની છાવણીમાં હોવાથી, તેમને ફાતિમા શેખના નામ સામે વાંધો છે કારણ કે તે મુસ્લિમ છે અને સાવિત્રીબાઈ ફૂલે ઓબીસી વર્ગમાંથી આવે છે - ઓબીસી અને મુસ્લિમો વચ્ચે એક રાષ્ટ્રીય ગઠબંધન રચાયું છે, તેઓ તેને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ એ લોકો છે જે ઇતિહાસનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. "</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર કહેવાથી તેમનું યોગદાન ઓછું નહીં થાય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રો. જિતેન્દ્ર મીણા વધુમાં કહે છે કે ફાતિમાના પાત્રને કાલ્પનિક કહીને કે તેમને બદનામ કરવાથી તેમના યોગદાન કે મહત્વ ઓછું થશે નહીં. આ ઘટનાએ ન માત્ર મુસ્લિમ સમાજ પ્રત્યે નફરત વધારવાનું કામ કર્યું નથી, પરંતુ બંને તરફથી નફરત વધારવાનો પ્રયાસ છે. જે રીતે દિલીપ મંડલ પોતાને ઓબીસી બુદ્ધિજીવી તરીકે સ્થાપિત કરી રહ્યા છે, તે જ રીતે તેઓ મુસ્લિમોના હૃદયમાં ઓબીસી પ્રત્યે પણ નફરત પેદા કરી રહ્યા છે. તે જોતા તેઓ મુસ્લિમોના દિલમાં ઓબીસી પ્રત્યે અને ઓબીસીના દિલમાં મુસ્લિમો પ્રત્યે નફરત પેદા કરવાનું કામ કરી રહ્યાં છે. જે સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત છે. ભાજપ દ્વારા મુસ્લિમો પ્રત્યે નેરેટિવ ઘડવો નવી વાત નથી. મીડિયાનું અલ્ગોરિધમ મને સમજાય છે,જેમ હિટલરના સમયમાં તેના અત્યાચારોને મોટા પાયે ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ હાલમાં ભારતમાં પણ એવું જ થઈ રહ્યું છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/370-dalit-saints-to-be-made-mahamandaleshwar-mandaleshwar-peethadhishwar-at-kumbh-mela">કુંભમેળામાં 370 દલિત સંતોને મહામંડળેશ્વર, મંડળેશ્વર, પીઠાધિશ્વર બનાવાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 10 Jan 2025 13:00:24 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 10 Jan 2025 13:01:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1828</Articleid>
                    <excerpt>સંઘી પ્રો. દિલીપ મંડલે દેશના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર ગણાવતી પોસ્ટ મૂકી હતી. એ પછી બહુજનો બૌદ્ધિકોએ તેમની ઓનલાઈન બરાબરની ધુલાઈ કરી નાખી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6780cbe783dad.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6780cbe7512e0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6780cbe7512e0.jpg" length="79490" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>fatima shaikh, dilip mandal, viral social media post</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાળકોને સોશિયલ મીડિયા અને ફોનથી દૂર રાખવા રાજ્ય સરકાર માર્ગદર્શિકા લાવશે</title>
                    <link>https://khabarantar.com/state-government-to-bring-guidelines-to-keep-children-away-from-social-media-and-phones</link>
                    <guid>https://khabarantar.com/state-government-to-bring-guidelines-to-keep-children-away-from-social-media-and-phones</guid>
                    <description>
                        <![CDATA[ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાશે. સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી વિદ્યાર્થીઓને દૂર રાખવા શિક્ષણ રાજ્ય મંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં શાળાના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે સરકાર શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે માર્ગદર્શિકા (ગાઈડલાઈન) જાહેર કરવા જઈ રહી છે. જેના સંદર્ભે આજે શિક્ષણ રાજ્ય મંત્રીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે. જે અંગે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આજે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ -2  ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં શાળાના બાળકોને સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાઇકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળકોનો સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે નિયમ બનાવાશે. જેમાં શિક્ષકોને ક્લાસ રૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન આવે તે માટેના કડક પગલાં લેવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોના સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે તેમને વાંચન અને રમત-ગમત જેવી પ્રવૃતિઓમાં જોડાયેલા રહે તે માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે. તેમણે બાળકોના માતા-પિતાને વિનંતી કરી હતી કે, બાળકોની સામે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે, માતા-પિતા પોતે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરીને સોશિયલ મીડિયાથી બાળકને દૂર રાખે. સમગ્ર ભારતમાં બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી પોતાના જીવનમાં વાંચન અને રમત ગમતને સ્થાન આપે તે માટે શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે માર્ગદર્શિકા બહાર પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે તેવી આશા પણ શિક્ષણ રાજ્ય મંત્રીએ વ્યક્ત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ રાજ્ય મંત્રીએ વધુમાં એન.જી.ઓ, ધાર્મિક સંસ્થાઓ, તેમજ સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને બાળકોને સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનથી દૂર રહે તે માટેના અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી સરકાર સાથે મળીને કઈ રીતે આ મહાભિયાન લોકો સુધી વધુને વધુ પહોચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. દરેક શાળામાં શોર્ટ ફિલ્મ મારફતે બાળકોના વાલીઓને સોશિયલ મીડિયાના ઉપયોગો અને તેના નુકશાન વિષે માહિતગાર કરવામાં આવશે, વાલીઓ અને શિક્ષકો જો જાગૃત હશે તો જ બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી વાંચનની સાથે પોતાના જીવન ઘડતર અને સ્પોર્ટ્સ સાથે જોડાઈને પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/from-the-next-academic-year-2024-25-the-books-of-class-1-to-12-will-change">આગામી શૈક્ષણિક વર્ષ 2024-25થી ધોરણ 1 થી 12 ના પુસ્તકો બદલાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 10 Jan 2025 10:42:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1827</Articleid>
                    <excerpt>શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાશે. સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી વિદ્યાર્થીઓને દૂર રાખવા શિક્ષણ રાજ્ય મંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6780ac2c42c67.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6780ac2c0eec1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6780ac2c0eec1.jpg" length="75181" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>guidelines, Keeping children away from phones, gujarat news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતીય પાસપોર્ટની રેન્કિંગ 5 પોઈન્ટ ઘટી, જાણો હવે ક્યા નંબર પર છે</title>
                    <link>https://khabarantar.com/indian-passport-ranking-drops-by-5-points-know-where-if-ranks-now</link>
                    <guid>https://khabarantar.com/indian-passport-ranking-drops-by-5-points-know-where-if-ranks-now</guid>
                    <description>
                        <![CDATA[ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો પાસપોર્ટ પાંચ પોઈન્ટ નીચે સરકી ગયો છે. જાણો ભારતીય પાસપોર્ટ ધારકો હવે કેટલા દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતનો પાસપોર્ટ રેન્કિંગ નીચે સરકી ગયો છે અને હવે તે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 માં 85મા સ્થાને આવી ગયો છે. આ વર્ષે, ભારતનો ક્રમાંક અગાઉના ૮૦મા ક્રમથી પાંચ સ્થાન નીચે આવી ગયો છે. ઇન્ડેક્સ મુજબ, ભારતીય પાસપોર્ટ ધારકો હવે 57 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.જ્યારે પડોશી દેશ પાકિસ્તાન ૧૦૩મા ક્રમે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાસપોર્ટ મામલે કયો દેશ ટોચ પર રહ્યો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિંગાપોર સતત બીજા વર્ષે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ટોચ પર રહ્યું છે. ૨૦૨૫ના હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ, સિંગાપોર પાસપોર્ટ ધારક ૧૯૫ દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. જાપાન આ યાદીમાં બીજા ક્રમે છે, જેના પાસપોર્ટ ધારકો 193 દેશોમાં વિઝા મુક્ત મુસાફરી કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ છે પાસપોર્ટ મામલે ટોચના 10 દેશો:</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧. સિંગાપોર</span><br><span style="font-size: 14pt;">2. જાપાન</span><br><span style="font-size: 14pt;">3. ફિનલેન્ડ</span><br><span style="font-size: 14pt;">4. ફ્રાન્સ</span><br><span style="font-size: 14pt;">5. જર્મની</span><br><span style="font-size: 14pt;">6. ઇટાલી</span><br><span style="font-size: 14pt;">7. દક્ષિણ કોરિયા</span><br><span style="font-size: 14pt;">૮. સ્પેન</span><br><span style="font-size: 14pt;">9. ઑસ્ટ્રિયા</span><br><span style="font-size: 14pt;">૧૦. ડેનમાર્ક</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પાસપોર્ટના રેન્કિંગમાં પણ ફેરફાર થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા દાયકામાં UAE એ પોતાની સ્થિતિમાં મોટો સુધારો કર્યો છે અને હવે તે 10મા સ્થાને છે. તેના નાગરિકો હવે ૧૮૫ દેશોમાં વિઝા મુક્ત મુસાફરી કરી શકે છે. જ્યારે અમેરિકાના રેન્કિંગમાં પણ ઘટાડો થયો છે અને તે હવે નવમા સ્થાને છે, જ્યારે 2015 માં તે બીજા સ્થાને હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તળિયે કોણ છે? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2025 માં પાકિસ્તાન અને યમન 103મા ક્રમે છે, જ્યાં પાસપોર્ટ ધારકોને ફક્ત 33 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી છે. એ પછી ઇરાકનો નંબર આવે છે, આ દેશના પાસપોર્ટ ધારકો 31 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરી શકે છે, સીરિયા પાસપોર્ટ ધારકો 27 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરી શકે છે અને અફઘાનિસ્તાન પાસપોર્ટ ધારકો 26 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Indias-passport-issue-numbers-rise,-Gujarat-at-number-six"><span style="font-size: 12pt;"> </span>ભારતમાં પાસપોર્ટ ઈશ્યૂ થવાના આંકડાઓ વધ્યાં, ગુજરાત છઠ્ઠા નંબરે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 Jan 2025 21:49:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1826</Articleid>
                    <excerpt>હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો પાસપોર્ટ પાંચ પોઈન્ટ નીચે સરકી ગયો છે. જાણો ભારતીય પાસપોર્ટ ધારકો હવે કેટલા દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677ff6a2c82cd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677ff6a29655a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677ff6a29655a.jpg" length="44491" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>indian passport ranking drops, National News</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિદ્યા સહાયકની ભરતીની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા</title>
                    <link>https://khabarantar.com/demanding-recruitment-of-vidya-sahayak-candidates-reached-gandhinagar</link>
                    <guid>https://khabarantar.com/demanding-recruitment-of-vidya-sahayak-candidates-reached-gandhinagar</guid>
                    <description>
                        <![CDATA[ ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયકની ભરતીનો મામલો ગરમાયો. પોલીસે ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કરતાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યા સહાયકની ભરતી મામલે આજે ફરી એક વખત ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. વિદ્યાસહાયકોના ઉમેદવારો દ્વારા વિદ્યા સહાયકની ભરતીની જગ્યાની સંખ્યામાં વધારો કરવા અનેક વખત રજૂઆતો કરાઇ છે, તેમ છતાં સરકાર દ્વારા તેમની વાતને ધ્યાને લેવામાં આવી નથી. જેના કારણે ત્રસ્ત થયેલા ઉમેદવારો ફરી આંદોલન પર ઉતર્યાં છે. આ ઉમેદવારો ધોરણ 1 થી 5માં વિદ્યાસહાયકની જગ્યામાં વધારો કરવાની માંગ સાથે આજે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં રેલી કાઢીને આવેલા વિદ્યા સહાયક ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયતનો પ્રયાસ કરવામાં આવતા થોડા સમય માટે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ બાદમાં ઉમેદવારો રસ્તા પર બેસી જઈ ને આગળ ન વધતાં મામલો થાળે પડ્યો હતો.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતીની સંખ્યામાં વધારો કરવા માટે ઉમેદવારો દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમની માંગણીઓને અત્યાર સુધી ધ્યાને લેવામાં આવી નથી. જેના કારણે ઉમેદવારોએ વિદ્યા સહાયકની બેઠક વધારવાની માંગ સાથે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. જેના અંતર્ગત ઉમેદવારો દ્વારા આજે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે દેખાવો કરવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે થોડા સમય માટે ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, સમજાવટ બાદ ઉમેદવારો રોડ પર બેસી ગયા હતા. જેથી મામલો થાળે પડ્યો હતો.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગર ખાતે વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારવા માટેની માંગણી કરવા આવેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ચાલુ વર્ષે 5000 વિદ્યા સહાયકોની ઉમેદવારોની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઇ છે, અમારી (ઉમેદવારોની) માગ છે કે વિદ્યા સહાયકોની 10,000 જગ્યા પર ભરતી કરવામાં આવે. કારણ કે, હાલમાં રાજયમાં ધોરણ 1 થી 5 માં 18 હજાર કરતા વધુ જગ્યા ખાલી પડી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યા સહાયકના ઉમેદવારોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં આશરે 18 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે અને તેની સામે સરકાર દ્વારા ધોરણ 1થી 5માં માત્ર 5 હજારની જગ્યા માટે જ ભરતીની જાહેરાત કરાઇ છે. જ્યારે ધોરણ 6 થી 12 સુધીમાં 50 ટકાથી વધારે ભરતી કરવામાં આવી છે તો અમારી સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે? ધોરણ 1થી 5 માં તો 18 હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં કેમ આટલી ઓછી જગ્યા માટેની જાહેરાત કરાઇ છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યાસહાયકોના ઉમેદવારોનું કહેવું છે કે, બાળકો માટે ધોરણ 1થી 5 એ પાયાનું શિક્ષણ છે અને તેમાં જ આટલી ઓછી જાહેરાત કરાઇ છે. જે અમારી સાથે અને બાળકો સાથે થતો અન્યાય છે અને તેના માટે અમે અહીં આવ્યાં છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/state-degree-engineering-colleges-4000-Professors-deprived-of-benefits">રાજ્યની ડિગ્રી ઈજનેરી કોલેજોના 4000 અધ્યાપકો મળવાપાત્ર લાભથી વંચિત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 Jan 2025 21:04:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1825</Articleid>
                    <excerpt>ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયકની ભરતીનો મામલો ગરમાયો. પોલીસે ઉમેદવારોની અટકાયત કરવાનો પ્રયાસ કરતાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677feb97c125f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677feb97854ff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677feb97854ff.jpg" length="153396" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>recruitment of vidya sahayak, Gandhinagar News</media:keywords>
                </item>
                        <item>
                    <title>મને મારા જ પક્ષના ધારાસભ્યથી જીવનું જોખમ છેઃ ભાજપના દલિત નેતા</title>
                    <link>https://khabarantar.com/shanti-swarup-sonkare-my-life-is-in-danger-from-an-mla-from-my-own-party</link>
                    <guid>https://khabarantar.com/shanti-swarup-sonkare-my-life-is-in-danger-from-an-mla-from-my-own-party</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખને તેમના જ પક્ષના ધારાસભ્યે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપને દલિત-બહુજન સમાજ કથિત સવર્ણ હિંદુઓના પક્ષ તરીકે જોવા ટેવાયેલો છે. ભાજપની દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો તથા લઘુમતીઓની માટેની નીતિઓ કાયમ તેને સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે ટ્રીટ કરવાની રહી હોવાનું માનતો મોટો વર્ગ છે. જેના કારણે જ ભાજપની બંધારણ અને ડો.આંબેડકરના વિચારોની વિરોધી પાર્ટી હોવાની પણ છાપ સતત મજબૂત થતી જાય છે. આવી સ્થિતિ છતાં અમુક દલિત નેતાઓ ભાજપમાં જોડાયા હતા. પણ તેમને તેમના જ પક્ષના ધારાસભ્યોથી ખતરો હોવાનું જણાઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો જ ભય ઉત્તરપ્રદેશના પીલીભીતના ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખે અનુભવાઈ રહ્યો છે. તેમણે તેમના જ પક્ષના ધારાસભ્ય પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. ARSETI સેન્ટરના બાંધકામમાં દખલગીરી અને દબાણનો આરોપ લગાવીને તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા અને સુરક્ષાની માંગ કરી છે. સામે છેડે ધારાસભ્યએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા, જ્યારે વહીવટીતંત્રે આ મામલાની તપાસ કરવાનું વચન આપ્યું છે. આ ઘટનાએ ભાજપમાં દલિત નેતાઓની સ્થિતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં, ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ અને કલ્યાણપુર નૌગવા ગામના સરપંચ શાંતિ સ્વરૂપ સોનકરે પોતાની જ પાર્ટીના બરખેડાના ધારાસભ્ય સ્વામી પ્રવક્તાનંદ (જયદ્રથ) પર ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે તેમનાથી તેમના જીવને જોખમ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંગળવારે તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને વહીવટીતંત્ર પાસેથી સુરક્ષાની માંગ કરી હતી. સોનકર કહે છે કે ધારાસભ્ય તેમના સંબંધીઓને ફાયદો પહોંચાડવા માટે RSETI સેન્ટર (ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા) ના બાંધકામમાં દખલ કરી રહ્યા છે અને તેમના વિરોધને કારણે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. દલિત નેતાએ એવો પણ આરોપ લગાવ્યો કે ધારાસભ્યના સાસરિયાઓ આ જ ગામમાં રહે છે અને તેઓ સેન્ટરની આડમાં પોતાનો સ્વાર્થ સાધવાના પ્રયાસ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોનો અવાજ દબાવવાનો પ્રયાસ?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે શાંતિ સ્વરૂપ સોનકર જિલ્લા મેજિસ્ટ્રેટ સંજય કુમાર સિંહને મળ્યા અને તેમની ફરિયાદ નોંધાવી, ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટે આ મામલાની તપાસ કરવાનું વચન આપ્યું અને તેને સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (સદર) ને સોંપી દીધું. સોનકર કહે છે કે ભાજપમાં દલિત નેતાઓનો અવાજ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, અને આ કેસ તેનો જ એક ભાગ છે. તેમણે કહ્યું કે ધારાસભ્યનું વર્તન માત્ર દલિત વિરોધી નથી પણ તે દલિતોને વિકાસથી વંચિત રાખવાનો પ્રયાસ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધારાસભ્યએ આરોપોને નકારી કાઢ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન ધારાસભ્ય સ્વામી પ્રકાશાનંદે આરોપોને નકારી કાઢ્યા અને સોનકર પર સસ્તી લોકપ્રિયતા મેળવવાનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું છે કે સોનકર કોઈના નિર્દેશ પર કામ કરી રહ્યાં છે અને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પ્રકાશાનંદે જણાવ્યું હતું કે તેમના પ્રયાસોને કારણે ARSETI સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે, જે ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમનો સોનકર સાથે કોઈ સંપર્ક થયો નથી અને આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાંતિ સ્વરૂપ સોનકરનો આરોપ છે કે ભાજપમાં દલિત નેતાઓને ફક્ત શોપીસ તરીકે રાખવામાં આવે છે, જ્યારે તેમના અધિકારો અને સુરક્ષા પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. તેમણે માંગ કરી છે કે વહીવટીતંત્ર આ મામલાની નિષ્પક્ષ તપાસ કરે અને તેમને સુરક્ષા પૂરી પાડે. સોનકરે કહ્યું કે જો તેમની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો તેઓ ઉચ્ચ સ્તરે આંદોલન કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશેઃ જિલ્લા મેજિસ્ટ્રેટ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે કલ્યાણપુર નૌગવાંમાં 2.5 કરોડ રૂપિયાના ખર્ચે ICT સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે વિસ્થાપિત ગ્રામજનોનું પુનર્વસન ટૂંક સમયમાં કરવામાં આવશે અને બાંધકામ કાર્યમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવવા દેવામાં આવશે નહીં. જિલ્લા મેજિસ્ટ્રેટે એમ પણ કહ્યું કે આ મામલાની સંપૂર્ણ પ્રામાણિકતા સાથે તપાસ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપમાં દલિત નેતાઓની હાલત કફોડી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસ ભાજપમાં દલિત નેતાઓની સ્થિતિ અને તેમના અવાજને દબાવવાના આરોપોને ઉજાગર કરે છે. શું ભાજપમાં દલિત નેતાઓનો ઉપયોગ ફક્ત વોટ બેંક તરીકે થાય છે? આ પ્રશ્ન હવે વધુ ગંભીર બની ગયો છે. દલિત સમાજ માટે, આ ઘટના સલામતી અને સન્માન માટેની તેમની લડાઈને વધુ મજબૂત બનાવવાની નિશાની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dalit-leader-of-bjps-minor-daughter-was-raped-by-4-persons-in-a-car">ભાજપના દલિત નેતાની સગીર દીકરી સાથે 4 શખ્સોએ કારમાં રેપ કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 Jan 2025 14:51:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1824</Articleid>
                    <excerpt>ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખને તેમના જ પક્ષના ધારાસભ્યે જાનથી મારી નાખવાની ધમકી આપી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677f95261c705.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677f9525dfa21.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677f9525dfa21.jpg" length="79933" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>shanti swarup sonkar, Pilibhit news, Barkheda MLA Swami Pravakhtanand (Jayadrath)</media:keywords>
                </item>
                        <item>
                    <title>લાંચ ન આપી તો તલાટીએ અરજદારનું ડેથ સર્ટિફિકેટ બનાવી નાખ્યું!</title>
                    <link>https://khabarantar.com/if-the-bribe-was-not-paid-talati-made-the-applicants-death-certificate-hardoi-up</link>
                    <guid>https://khabarantar.com/if-the-bribe-was-not-paid-talati-made-the-applicants-death-certificate-hardoi-up</guid>
                    <description>
                        <![CDATA[ મૃત પત્નીનું ડેથ સર્ટિફિકેટ કઢાવવા ગયેલા દલિત શખ્સે તલાટીને લાંચ આપવાનો ઈનકાર કરી દેતા બદલો લેવા તલાટીએ તે વ્યક્તિનું જ મૃત્યુનું પ્રમાણપત્ર બનાવી દીધું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાંથી લાંચનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક દલિત વ્યક્તિ તેની મૃત પત્નીનું ડેથ સર્ટિફિકેટ કઢાવવા માટે ગ્રામ પંચાયતમાં ગયો હતો. જ્યાં તલાટીએ તેની પાસે સર્ટિ કઢાવવા માટે લાંચ માંગી હતી. દલિત વ્યક્તિએ તે આપવાનો ઈનકાર કરી દીધો. તેથી બદલો લેવા માટે તલાટીએ તેની પત્નીને બદલે એ દલિત શખ્સનું જ ડેથ સર્ટિફિકેટ બનાવી દીધું. અરજીકર્તા દલિતે આ મામલે કલેક્ટરને ફરિયાદ કરી છે. એ પછી તલાટી સામે કાર્યવાહી કરવામાં આવી અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેની વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં હરદોઈ જિલ્લાના કોથાવાના અટવા ગામના રહેવાસી વિશ્વનાથની પત્ની શાંતિ દેવીનું ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અવસાન થયું હતું. એ પછી વિશ્વનાથ પત્નીનું મૃત્યુ પ્રમાણપત્ર કઢાવવા માટે ગ્રામ પંચાયતના તલાટી સરિતા દેવી પાસે ગયા હતા. વિશ્વનાથના મતે, શરૂઆતમાં તલાટી સરિતા દેવી ડેથ સર્ટિફિકેટ કાઢી દેવામાં ખચકાટ અનુભવતા હતા. એ પછી તેણે સર્ટિફિકેટ બનાવી આપવા માટે બે હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલેક્ટરને ફરિયાદ કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">મળતી માહિતી અનુસાર, જ્યારે વિશ્વનાથે તલાટીને લાંચ આપવાની ના પાડી. તો તેણે વિશ્વનાથને ખૂબ ધક્કા ખવડાવ્યા. અંતે, જ્યારે પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું ત્યારે પણ તે પત્ની શાંતિ દેવીનું નહોતું, પરંતુ તેમનું ખુદનું જ હતું. ૩ જાન્યુઆરીના રોજ, તલાટી સરિતા દેવીએ વિશ્વનાથને 'વિશ્વનાથનું' જ મૃત્યુ પ્રમાણપત્ર પકડાવી દીધું હતું. વિશ્વનાથે કહ્યું કે તે સ્થળ પર પ્રમાણપત્ર યોગ્ય રીતે જોઈ શક્યો નહીં. પણ જ્યારે તેણે ઘરે જઈને પ્રમાણપત્ર જોયું ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો હતો. એ પછી તેણે આ અંગે હરદોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ મંગલા પ્રસાદ સિંહને ફરિયાદ કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘરે જ આપવામાં આવ્યું મૃત્યુ પ્રમાણપત્ર</span></strong></span><br><span style="font-size: 14pt;">કલેક્ટર મંગલા પ્રસાદ સિંહે આ મામલે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. જે બાદ જિલ્લા પંચાયતના અધિકારીએ તલાટી સચિવ સરિતા દેવીને સસ્પેન્ડ કરી દીધી. તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં તાલુકા વિકાસ અધિકારીએ પોતે વિશ્વનાથના ઘરે ગયા અને તેમને તેમની પત્ની શાંતિ દેવીનું મૃત્યુ પ્રમાણપત્ર આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/upsarpanch-talati-did-not-give-chair-to-dalit-women-sarpanch">દલિત મહિલા સરપંચ ને ઉપસરપંચ-તલાટીએ બેસવા ખુરશી ન આપી</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 Jan 2025 12:08:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1823</Articleid>
                    <excerpt>મૃત પત્નીનું ડેથ સર્ટિફિકેટ કઢાવવા ગયેલા દલિત શખ્સે તલાટીને લાંચ આપવાનો ઈનકાર કરી દેતા બદલો લેવા તલાટીએ તે વ્યક્તિનું જ મૃત્યુનું પ્રમાણપત્ર બનાવી દીધું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677f6ec089c6c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677f6ec051f04.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677f6ec051f04.jpg" length="86250" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>death certificate, bribe, ralati, UP, Hardoi, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતે હનુમાનજીને પ્રસાદ ચઢાવ્યો, સરપંચે તેને ખાનાર 20 લોકોનો બહિષ્કાર કર્યો</title>
                    <link>https://khabarantar.com/case-of-untouchability-and-social-exclusion-in-chhatarpur-mp</link>
                    <guid>https://khabarantar.com/case-of-untouchability-and-social-exclusion-in-chhatarpur-mp</guid>
                    <description>
                        <![CDATA[ દલિતે ગામના હનુમાન મંદિરમાં પૂજારી દ્વારા પ્રસાદ ચઢાવીને વહેંચ્યો. સરપંચે પ્રસાદ ચઢાવનાર, ખાનાર અને હાથમાં લેનાર 20 થી વધુ લોકોનો સામાજિક બહિષ્કાર કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિપ્રધાન ભારત દેશમાં દલિતો સાથે કેવી કેવી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે તે જાણીને ક્યારેક તો આશ્ચર્ય થાય. દલિતો પાસેથી રૂપિયા લેવામાં અને તેમની સ્ત્રીઓ સાથે સંબંધ રાખતી વખતે જેમને આભડછેટ કે જાતિવાદ નથી નડતો એવા બેવડા ધોરણો ધરાવતા મૂર્ખ તત્વોની મૂર્ખામીને ઉજાગર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના છત્તરપુરની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના સટઈ પોલીસ સ્ટેશનમાં આવતા અતરાર ગામનો છે. અહીં એક દલિત વ્યક્તિએ પુજારી દ્વારા હનુમાન મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો અને પછી તેને ગામના કેટલાક લોકોમાં વહેંચ્યો હતો. જેની જાણ ગામના સરપંચ સંતોષ તિવારીને થતા, તેણે દલિત પરિવાર અને પ્રસાદ ખાનારા 20 જેટલા લોકોનો સામાજિક બહિષ્કાર જાહેર કરી દીધો છે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ સરપંચને છાવરી રહ્યાનો આક્ષેપ</span></strong></span><br><span style="font-size: 14pt;">ગ્રામજનોનો આરોપ છે કે સરપંચના આદેશ પછી તેમને લગ્ન, બેસણાં કે ગામની જાહેર મિટીંગો જેવા કોઈપણ સામાજિક કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નથી આવતું. આ કારણે તેમને ભારે માનસિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. પીડિત દલિત પરિવારે આ બાબતની ફરિયાદ એસપીને કરી છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/social-boycott-of-250-dalits-for-one-month-but-name-e-another">250 દલિતોનો 1 મહિનાથી સામાજિક બહિષ્કાર, પણ નમે એ બીજા...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રસાદ વહેંચનાર અને ખાનાર બધાંનો સામાજિક બહિષ્કાર</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના 20 ઓગસ્ટ, 2024ની છે. જગત અહિરવાર નામના એક દલિત વ્યક્તિએ ગામના હનુમાન મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો હતો અને મંદિરના પૂજારી સહિત 20 લોકોમાં તેને વહેંચ્યો હતો. જેની જાણ સરપંચ સંતોષ તિવારીને થતા તેણે પ્રસાદ વહેંચનાર અને ખાનારા તમામ લોકોનો સામાજિક બહિષ્કાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરપંચે આરોપો નકાર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;"> જગત અહિરવારે ફરિયાદમાં જણાવ્યું હતું કે સરપંચ સંતોષ તિવારીએ તેનો, જેણે પ્રસાદ ખાધો તેનો અને જેમણે પ્રસાદ હાથમાં લીધો એવા 20થી વધુ લોકોનો સામાજિક બહિષ્કાર કરાવી દીધો છે. જેના કારણે અમારે ભારે માનસિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ તે પછી પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. આવું એટલા માટે થઈ રહ્યું છે કેમ કે અમે દલિત સમાજમાંથી આવીએ છીએ. આ બધું અસ્પૃશ્યતાની પ્રથાને કારણે થઈ રહ્યું છે. આ બાબતે સરપંચનું કહેવું છે કે તેમના પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા છે અને ફરિયાદી જૂની રાજકીય અદાવતનો બદલો લઈ રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;">અન્ય એક પીડિત રાજુ કુશવાહાએ કહ્યું કે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો કારણ કે તેમણે એક દલિત પરિવારનો પ્રસાદ ખાધો હતો. હવે ગામમાં પણ કોઈ તેમને બોલાવતું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આરોપી સરપંચે કેસમાં શું કહ્યું?</span></strong><br><span style="font-size: 14pt;">દરમિયાન, ગામના વડા સંતોષ તિવારી કહે છે કે આ બધું ચૂંટણીના મતભેદોને કારણે થઈ રહ્યું છે કારણ કે જગત અહિરવારે ગત ચૂંટણીમાં તેમની સામે ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા. એટલા માટે તેઓ આરોપો લગાવી રહ્યા છે. છતરપુર જિલ્લાના બિજાવર એસડીઓપી શાશંકર જૈને જણાવ્યું હતું કે તેમને આ મામલે અરજી મળી છે અને આ મામલો ગંભીર છે. તેમણે કહ્યું કે તપાસ ચાલી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bullies-rolled-a-tractor-over-a-dalits-hut-urinated-on-his-face-In-Karili-guna-mp">દલિત મહિલાના મોં પર પેશાબ કર્યો, ઝૂંપડી અને ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું</a> </span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 Jan 2025 10:26:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1822</Articleid>
                    <excerpt>દલિતે ગામના હનુમાન મંદિરમાં પૂજારી દ્વારા પ્રસાદ ચઢાવીને વહેંચ્યો. સરપંચે પ્રસાદ ચઢાવનાર, ખાનાર અને હાથમાં લેનાર 20 થી વધુ લોકોનો સામાજિક બહિષ્કાર કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677f56db4e14d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677f56db17d9d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677f56db17d9d.jpg" length="104249" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>untouchability, social exclusion, chhatarpur, MP</media:keywords>
                </item>
                        <item>
                    <title>સફાઈકર્મીઓ માટે એક જનસેવક દંડવત યાત્રા કરતા દિલ્હી જવા નીકળ્યાં છે</title>
                    <link>https://khabarantar.com/dandwat-yatrs-malpur-to-delhi-for-the-sainitation-workers-lalji-bhagat</link>
                    <guid>https://khabarantar.com/dandwat-yatrs-malpur-to-delhi-for-the-sainitation-workers-lalji-bhagat</guid>
                    <description>
                        <![CDATA[ અરવલ્લીના જનસેવક લાલજી ભગત સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને માલપુરથી દંડવત કરતા કરતા દિલ્હી જવા નીકળ્યાં છે, પણ ભાજપના એકેય નેતાના પેટનું પાણી પણ હલતું નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં સફાઈકર્મીઓનું શોષણ કરતી કોન્ટ્રાક્ટર પ્રથા દાખલ કર્યા બાદ ચૂંટણી ટાણે સફાઈ કામદારોના પગ ધોઈને દેખાડો કરતા વડાપ્રધાન મોદી સફાઈકર્મીઓના અસલ પ્રશ્નોને લઈને કેટલા ગંભીર છે તેના વિશે હવે વધારે કશું કહેવાની જરૂર નથી. સફાઈકર્મીઓનું શોષણ કરતી કોન્ટ્રાક્ટ પ્રથાને પીએમ મોદીએ તેમના હોમ સ્ટેટ ગુજરાતમાં હવે કાયમી કરી નાખી હોય તેવી સ્થિતિ છે. પરિણામે સફાઈકર્મીઓ આખી જિંદગી મજૂર જ રહે છે અને કોન્ટ્રાક્ટર (જે મોટાભાગે ભાજપના જ મળતિયાઓ કે તેમના સગાસંબંધીઓ જ હોય છે.) રાતોરાત માલામાલ થઈ જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સફાઈકર્મીઓનું ગુજરાતમાં ભારે શોષણ થઈ રહ્યું છે. તેમની અનેક માગણીઓ વર્ષોથી પડતર છે, અનેક આવેદનપત્રો આપવા છતાં કોઈ મંત્રી, અધિકારી તેના વિશે કશી નક્કર કાર્યવાહી કરતો નથી. એવી સ્થિતિમાં અરવલ્લી જિલ્લામાંથી એક જનસેવક દંડવત પ્રણામ કરતા કરતા દિલ્હી જવા માટે નીકળ્યાં છે. હાલ તેઓ મોડાસા પહોંચ્યાં છે. આવતા વર્ષ સુધીમાં તેઓ દિલ્હી પહોંચશે અને પીએમ મોદીને મળી સફાઈકર્મીઓના પડતર પ્રશ્નોનો વહેલીતકે ઉકેલ લાવો તેવી રજૂઆત કરશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જનસેવકનું નામ લાલજી ભગત છે અને હાલ તેઓ આ રીતે દંડવત પ્રણામ કરતા કરતા મોડાસા પહોંચી ગયા છે. તેમની આટલી કપરી યાત્રાને જોઈને પણ ભાજપના કોઈ નેતાના પેટનું પાણી પણ હલ્યું નથી. સફાઈ કામદારોની પડતર પ્રશ્નોને લઇને અરવલ્લીથી દિલ્હી સુધી શરૂ થયેલી આ દંડવત યાત્રાને લઇને હવે પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતાઓ આગળ આવ્યા છે. આપ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ લાલજી ભગતની દંડવત યાત્રાને લઇને પ્રધાનમંત્રી મોદીને અપીલ કરતાં જણાવ્યું કે, કોઈપણ હિસાબે સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપનો એકેય નેતા હજુ મળવા આવ્યો નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી બાજુ અરવલ્લી જિલ્લાના એકેય ધારાસભ્ય કે મંત્રી પાસે સમય જ ન હોય તેમ અદ્રશ્ય થઈ ગયા છે. એક માણસ સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે દંડવત યાત્રા કરીને ગુજરાતથી દિલ્હી સુધી જઈ રહ્યાં હોય તો કેમ કોઈ ધારાસભ્ય કે મંત્રી તેમની વાત સરકાર સુધી પહોંચાડતા નથી, શું સફાઈ કામદારોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી ધારાસભ્યો કે મંત્રીઓની નથી? શું તેમની વાત ગાંધીનગરમાં કોઈ સાંભળતું જ નથી? આવા સવાલો પણ સફાઈકર્મીઓમાં થઈ રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માલપુરથી દંડવત કરતા મોડાસા પહોંચ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2025ની પ્રથમ જાન્યુઆરીના રોજથી ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે અરવલ્લીના માલપુરથી દંડવત યાત્રા શરૂ કરી હતી. અંદાજે પચ્ચીસ કિલોમીટરનું અંતર કાપી તેઓ હાલ મોડાસા પહોંચ્યાં છે. જ્યાં સમાજના આગેવાનો તેમજ નગરજનોએ ભવ્ય આવકાર આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગાંધીનગરમાં અમારું કોઈ સાંભળતું નથી: લાલજી ભગત </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાલજી ભગતે જણાવ્યું હતું કે, સફાઈકામદારોના પ્રાણ પ્રશ્નો અંગે વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે, જોકે હજુ સુધી સફાઈકર્મીઓની વાત સાંભળવામાં આવી નથી. તેમની માંગ છે કે સફાઈ કામદારોનું શોષણ બંધ કરવામાં આવે, તેમનું વેતન સીધા બેંક ખાતામાં આવે અને અનામત સહિતની બાબતોનો પણ તેમાં અમલ કરવામાં આવે. આ મામલે ગાંધીનગરમાં કોઈ સફાઈકર્મીઓની વાત કાને ધરતું ન હોવાથી હવે મેં દિલ્હી જઈ પીએમ મોદીને મળીને રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લાલજી ભગત અગાઉ પણ રજૂઆતો કરી ચૂક્યાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, અગાઉ લાલજી ભગત દંડવત યાત્રા કરીને ગાંધીનગર સુધી જવા નીકળ્યાં હતાં. પરંતુ સત્તા પક્ષના લોકોએ તેમને આશ્વાસનો આપીને યાત્રા રોકાવી દીધી હતી. એ પહેલા પણ તેમણે દિલ્હી સુધી પદયાત્રા કરી છે પરંતુ હજુ સુધી તેમની માંગણીઓ સંતોષવામાં આવી નથી. હવે લાલજી ભગતે ફરી એકવાર સરકાર સામે બાંયો ચઢાવી છે અને સૌથી કઠિન એવી દંડવતા યાત્રા શરૂ કરી દીધી છે ત્યારે સરકાર તેમની માગણીઓને ધ્યાનમાં લે છે કે કેમ તેના પર નજર રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-president-of-the-gujarat-valmiki-sangathan-will-travel-from-gujarat-to-delhi">ગુજરાત વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ ગુજરાતથી દંડવત કરતા દિલ્હી જશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 08 Jan 2025 19:14:12 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 08 Jan 2025 19:16:04 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1821</Articleid>
                    <excerpt>અરવલ્લીના જનસેવક લાલજી ભગત સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને માલપુરથી દંડવત કરતા કરતા દિલ્હી જવા નીકળ્યાં છે, પણ ભાજપના એકેય નેતાના પેટનું પાણી પણ હલતું નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677e7f62ec91e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e7f62b20a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e7f62b20a7.jpg" length="95598" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>the president of the gujarat valmiki sangathan, Lalji bhagat, dandwat yatrs, Aravalli news</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;કાગજ&amp;apos; ફિલ્મ જેવો કિસ્સો : જીવતા દલિત યુવકને પંચાયતે મૃત જાહેર કરી દીધો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-youth-living-in-bagalkhed-mp-was-declared-dead-by-the-panchayat</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-youth-living-in-bagalkhed-mp-was-declared-dead-by-the-panchayat</guid>
                    <description>
                        <![CDATA[ પંકજ ત્રિપાઠીની &#039;Kaagaz&#039; ફિલ્મ જેવો કિસ્સો. દલિત યુવક પોતાને જીવિત જાહેર કરવા માટે હવે મહિનાઓથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે, પણ કોઈ સાંભળતું નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'Kaagaz' જેવો એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. ફિલ્મમાં અભિનેતા એક એવી વ્યક્તિનો રોલ કરે છે જે જીવતો હોવા છતાં સરકારી ચોપડે મૃત જાહેર કરી દેવાય છે. આ ફિલ્મની સ્ટોરી બિહારના એક ગામની હતી. હવે આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી છે. અહીં એક દલિત યુવકને ગ્રામ પંચાયતે મૃત જાહેર કરી દીધો હતો અને તેના નામે કોઈએ અંતિમક્રિયા માટેની રૂ. 5000ની સરકારી સહાય પણ મેળવી લીધી હતી. હવે યુવક પોતાને જીવિત જાહેર કરવા માટે થઈને સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના બાગલખેડની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લાના માખનનગર તાલુકાના બાગલખેડી ગામનો છે. અહીં રહેતા એક દલિત યુવક નરેશ અહિરવારને વર્ષ 2020 માં સરકારી દસ્તાવેજોમાં મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં કોઈએ તેના અંતિમ સંસ્કાર માટેની 'અંતિમ સંસ્કાર સહાય' યોજનાના નામે 5,000 રૂપિયા ઉપાડી લીધાં હતા. આ છેતરપિંડી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ફરિયાદી નરેશ અહિરવારે તેની પત્નીની ડિલિવરી પછીની સબલ સ્કીમ હેઠળ ઓનલાઈન નોંધણી માટે અરજી કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/hemlata-bairwa-teacher-who-said-savitribai-is-the-goddess-of-education-has-not-received-her-salary-for-10-months">'વિદ્યાની દેવી સાવિત્રીબાઈ છે' કહેનાર શિક્ષિકાને 10 મહિનાથી પગાર નથી મળતો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેશ અહિરવારે જણાવ્યું કે વર્ષ 2020માં તત્કાલીન ગ્રામ પંચાયત તલાટી સંજુ અહિરવાર અને પૂર્વ સરપંચ સુરેખા યાદવે તેને સરકારી દસ્તાવેજોમાં મૃત જાહેર કરી દીધો હતો. એટલું જ નહીં, 13 જુલાઈ, 2020 ના રોજ અંતિમ સંસ્કાર સહાય તરીકે તેમના નામે 5000 રૂપિયા પણ ઉપાડી લેવામાં આવ્યા હતા. નરેશને આ છેતરપિંડી વિશે ત્યારે ખબર પડી જ્યારે તેણે 23 નવેમ્બર 2024 ના રોજ તેની પત્ની ભારતી અહિરવારની ડિલિવરી પછી સરકારી યોજનાના લાભો મેળવવા માટે અરજી કરી. નરેશે 24 ડિસેમ્બર 2024ના રોજ કલેક્ટર ઓફિસ અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટમાં આ છેતરપિંડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.</span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">સરકારી તંત્રના લહેરિયા ખાતાની પોલ ખૂલી</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના સરકારી તંત્રમાં કેવું લહેરિયું ખાતું ચાલે છે તેની સાથે ગ્રામીણ સ્તરે પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને સરકારી તંત્રમાં રહેલી ખામીઓને પણ ઉજાગર કરે છે. સરકારી દસ્તાવેજોમાં પોતાને જીવતો સાબિત કરવા માટે નરેશે અનેક અરજીઓ કરી છે. પરંતુ હજુ સુધી ન તો સરકાર તેને જીવતો માનવા તૈયાર છે, ન તો આરોપીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેશ અહિરવારે મીડિયા સાથે વાચ કરતા જણાવ્યું હતું કે, "મારા માટે અત્યંત શરમજનક અને પીડાદાયક છે કે સરકારી રેકોર્ડમાં મને મૃત જાહેર કરવામાં આવ્યો છે. આ છેતરપિંડીના કારણે હું મારી પત્ની માટે સગર્ભા યોજનાનો લાભ પણ મેળવી શક્યો નહીં. જ્યારે મેં આનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મને ધમકીઓ મળી છે, હું ઈચ્છું છું કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મારી ઓળખ અને અધિકારોનું રક્ષણ કરવામાં આવે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ સામે હજુ સુધી કાર્યવાહી નહીં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે વધુમાં જણાવ્યું કે, "ગામના કેટલાક માથાભારે લોકો અને પંચાયતના અધિકારીઓ યોજનાઓનો દુરુપયોગ કરી રહ્યા છે. હું મજૂરી કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. આવી સ્થિતિમાં આ પ્રકારની છેતરપિંડીથી મને આર્થિક અને માનસિક યાતનાઓ સહન કરવી પડી રહી છે. મેં ફરિયાદ નોંધાવી હતી, ન્યાય માટે અમે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પણ અરજી કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાગલખેડીના વર્તમાન સરપંચ રામભરોષ યાદવે જણાવ્યું હતું કે, "એ વાત સાચી છે કે નરેશને અગાઉ સરકારી રેકોર્ડમાં મૃત જાહેર કરીને તેના નામે યોજનાના ભંડોળની ઉચાપત કરવામાં આવી હતી. આ કારણે તે હવે કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ શકતો નથી. આ બધું પૂર્વ સરપંચ સુરેખા યાદવના કાર્યકાળમાં થયું છે. આ એક ગંભીર ગેરરીતિ છે અને હું ઈચ્છું છું કે તંત્ર તેની તપાસ કરે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/kadaknath-the-film-kaushik-garasia-from-dahod-made-a-film-on-atrocities-in-bhil-dialect">દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 08 Jan 2025 14:44:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1820</Articleid>
                    <excerpt>પંકજ ત્રિપાઠીની &#039;Kaagaz&#039; ફિલ્મ જેવો કિસ્સો. દલિત યુવક પોતાને જીવિત જાહેર કરવા માટે હવે મહિનાઓથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે, પણ કોઈ સાંભળતું નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677e41ea6fcb6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e41ea3cff9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e41ea3cff9.jpg" length="91784" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>living dalit youth declared dead, bagalkhed, MP, story like the movie &#039;Kaagaz&#039;</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેજરીવાલથી નારાજ દિલ્હીના 17 ટકા દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે?</title>
                    <link>https://khabarantar.com/what-is-going-on-in-the-minds-of-the-17-percent-dalit-voters-of-delhi-who-are-angry-with-kejriwal</link>
                    <guid>https://khabarantar.com/what-is-going-on-in-the-minds-of-the-17-percent-dalit-voters-of-delhi-who-are-angry-with-kejriwal</guid>
                    <description>
                        <![CDATA[ AAP અને કેજરીવાલની નારાજ દલિત મતો અંકે કરી લેવા કૉંગ્રેસ, ભાજપ અને બીએસપી એડીચોડીનું જોર લગાવી રહ્યાં છે. સવાલ એ છે કે, દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Delhi Assembly Elections 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં 17 ટકા જેટલા દલિત મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અરવિંદ કેજરીવાલ સરકાર પર ઝૂંપડપટ્ટી પુનર્વસન અને શિક્ષણ યોજનાઓનો ખોરવી નાખી દલિતોની ઉપેક્ષા કરવાનો આરોપ લાગી રહ્યો છે. જેના કારણે હવે દલિત મતદારો કોની તરફ નમે છે તેના પર કોઈની નજર છે. હાલ કો ભાજપ અને કોંગ્રેસથી લઈને બીએસપી સુધીના પક્ષોએ દલિત મતદારોને પોતાના તરફ ખેંચવા માટે જોર લગાવવું શરૂ કરી દીધું છે. દલિતોની નારાજગી અને તેમની રાજકીય પસંદગી આ વખતે ચૂંટણીના પરિણામોમાં મહત્વની ભૂમિકા ભજવશે તે નક્કી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ સ્થિતિ એવી છે કે, દિલ્હીના મતદારો કેજરીવાલની ચાલને બરાબર સમજી ચૂક્યા છે. તેમને લાગે છે કે આમ આદમી પાર્ટી માત્ર ડો.આંબેડકરનો ફોટો સરકારી ઓફિસોમાં મૂકાવીને દલિતોને રાજી રાખવા માંગે છે, પણ જ્યારે હોદ્દાની વહેંચણી અને મલાઈદાર ખાતાઓ ફાળવવાનો વખત આવે ત્યારે અન્ય સવર્ણ પાર્ટીઓની જેમ જ વર્તે છે. પંજાબમાં દલિત મતદારો પ્રભાવી હોવા છતાં કેજરીવાલે રાજ્યસભામાં એક દલિત નેતાને મોકલવાને બદલે સવર્ણ રાઘવ ચઢ્ઢાને મોકલ્યા ત્યારે દલિતોને તેમની અસલિયતની જાણ થઈ ગઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક છે અને તમામ રાજકીય પક્ષો તેમની વ્યૂહરચનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. આ વખતે ચૂંટણીના સમીકરણો જાતિ આધારિત મતબેંકની આસપાસ ઘૂમી રહ્યાં છે, જ્યાં દલિત મતદારોનો પ્રભાવ નિર્ણાયક સાબિત થઈ શકે છે. દિલ્હીની કુલ વસ્તીના લગભગ 17% લોકો દલિત સમાજમાંથી આવે છે, જેઓ ઘણી વિધાનસભા સીટોની જીત અને હાર નક્કી કરવાની સ્થિતિમાં છે. કરોલ બાગ, કસ્તુરબા નગર, મોતી નગર અને રાજેન્દ્ર નગર જેવી બેઠકો પર દલિત મતદારોનો પ્રભાવ એટલો મજબૂત છે કે અહીંનું ચૂંટણી પરિણામ દલિત મતદારો કોના તરફ ઢળશે તેના આધારે નક્કી કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/pujari-granthi-samman-yojana-will-give-rs-18000-per-month-to-delhi-priests">કેજરીવાલનો મનુવાદ: દિલ્હીના પૂજારીઓને દર મહિને રૂ. 18,000 આપશે</a> </strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેજરીવાલ સરકાર પર દલિતોની અવગણનાના આરોપ</span></strong></span><br><span style="font-size: 14pt;">સત્તાધારી આમ આદમી પાર્ટીની સરકાર પર સતત દલિતોની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારે દલિત સમાજ માટે કોઈ નક્કર નીતિઓ લાગુ કરી નથી. દિલ્હીમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજનાઓમાં ઘટાડો, ઝૂંપડપટ્ટીમાં રહેતા દલિત પરિવારોના પુનર્વસનમાં વિલંબ અને સરકારી નોકરીઓમાં અનામત અંગે નક્કર પગલાં ન લેવા, આ તમામ મુદ્દાઓ આ ચૂંટણીમાં કેજરીવાલ સરકાર વિરુદ્ધ વાતાવરણ સર્જી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">દલિત મતદારો ભાજપ અને કોંગ્રેસ તરફ ઝુકશે તેવી શક્યતા</span></strong><br><span style="font-size: 14pt;">ભૂતકાળમાં દલિત મતદારોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું, પરંતુ સરકારે વચનો ન પાળત હવે તેઓ ભાજપ અને કોંગ્રેસ તરફ ઝુક્યા હોવાનું કહેવાય છે. દિલ્હીમાં દલિત સમાજ માટે વિશેષ યોજનાઓના અભાવે કેજરીવાલ સરકારની લોકપ્રિયતા સતત ગબડી રહી છે. બીજી તરફ ભાજપે દલિતોને જોડવા માટે ઘણી યોજનાઓ અને કાર્યક્રમો ચલાવી સમર્થન મેળવવાના પ્રયાસો કર્યા છે. બીજી તરફ, કોંગ્રેસ પણ “દલિત અધિકાર યાત્રા” જેવા અભિયાનો દ્વારા સમાજનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોની નારાજગી કેજરીવાલ સરકાર માટે પડકાર</span></strong></span><br><span style="font-size: 14pt;">દિલ્હીના દલિત વિસ્તારોમાં કેજરીવાલ સરકાર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાઓ અધૂરી રહી ગઈ છે, સફાઈ કામદારોના પગારમાં વિલંબ અને તેમના માટે પાયાની સુવિધાઓનો અભાવ આ સમાજ માટે મોટા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આ સિવાય મતિયા મહેલ, ત્રિલોકપુરી અને સંગમ વિહાર જેવા વિસ્તારોમાં દલિત પરિવારોને આપવામાં આવતી સુવિધાઓમાં કાપ મુકાવાથી લોકોનો રોષ વધ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું આ વખતે દલિત વોટબેંક બનશે સત્તાની ચાવી?</span></strong></span><br><span style="font-size: 14pt;">આ વખતની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં દલિત સમાજ ક્યા પક્ષ તરફ ઝૂકે છે તે જોવું રસપ્રદ રહેશે. તેઓ કેજરીવાલ સરકાર સામે ગુસ્સો વ્યક્ત કરશે કે પછી ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોને તક આપશે? દલિત મતદારોમાં આ વખતે દિલ્હીનું રાજકીય ચિત્ર બદલવાની તાકાત છે તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં 2025ની વિધાનસભાની ચૂંટણીમાં દલિત સમાજ ક્યો રસ્તો પસંદ કરે છે તેના આધારે સત્તાની ચાવી કોના હાથમાં જશે તે નક્કી થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/kejriwal-and-aap-have-once-again-betrayed-the-dalits-of-delhi">કેજરીવાલ અને AAP એ ફરી એકવાર દિલ્હીના દલિતોને દગો દીધો?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 08 Jan 2025 13:15:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1819</Articleid>
                    <excerpt>AAP અને કેજરીવાલની નારાજ દલિત મતો અંકે કરી લેવા કૉંગ્રેસ, ભાજપ અને બીએસપી એડીચોડીનું જોર લગાવી રહ્યાં છે. સવાલ એ છે કે, દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677e2d0f72b98.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e2d0f3fb44.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e2d0f3fb44.jpg" length="59517" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Delhi Assembly Elections 2025, Dalit Voters, Kejriwal, Aam Aadmi Party, BJP, Congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાડીમાં &amp;apos;જય ભીમ&amp;apos; ગીત વગાડતા દલિત યુવકોનો રસ્તો રોકી જીવલેણ હુમલો</title>
                    <link>https://khabarantar.com/dalit-youths-attacked-while-playing-jai-bhim-song-in-tumakuru-karnataka</link>
                    <guid>https://khabarantar.com/dalit-youths-attacked-while-playing-jai-bhim-song-in-tumakuru-karnataka</guid>
                    <description>
                        <![CDATA[ બે દલિત યુવકો ગાડીમાં &#039;જય ભીમ&#039; ગીત વગાડતા જઈ રહ્યાં હતા. જાતિવાદી તત્વોએ તેમને ઉભા રાખી ગીત બંધ કરાવી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં સડકથી લઈને સંસદ સુધી બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર અને તેમના વિચારો છવાયેલા છે ત્યારે તેમના ગીતો પણ ધૂમ મચાવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં રેપ સોંગથી લઈને જય ભીમના જોશીલા ગીતો યુવાનોમાં હોટ ફેવરિટ બની રહ્યાં છે ત્યારે જય ભીમના એક ગીતને લઈને બે દલિત યુવકો પર જીવલેણ હુમલો થયો હોવાની એક ઘટના સામે આવી છે.</span><br><span style="font-size: 14pt;">મામલો કર્ણાટકના તુમકુરુ જિલ્લાનો છે. અહીં 'જય ભીમ' ગીત વગાડવા બદલ બે દલિત યુવકો પર જાતિવાદી તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રેલવે અધિકારી સહિત બે આરોપીઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો, માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં શનિવારે સાંજે અહીંના મુદ્દનહલ્લી ગામમાં સિરીવારા ગામના રહેવાસી દીપુ (19) અને નરસિંહ મૂર્તિ (32) તેમના નાના માલસામાન વાહન ટાટા એસમાં 'જય ભીમ' ગીત વગાડી રહ્યા હતા. ગીત વગાડવાની આ નાની વાત પર મોટરસાઇકલ પર સવાર બે જાતિવાદી તત્વોએ તેમનો રસ્તો આંતર્યો હતો. આરોપી લુખ્ખાઓએ બંનેને રોકીને તેમની જાતિ અને ગીત વગાડવાનું કારણ પૂછ્યું હતું. જ્યારે દીપુએ કહ્યું કે તેઓ દલિત સમાજના છે તો આરોપીઓ ગુસ્સે થઈ ગયા. તેમણે દીપુને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢ્યો અને જાહેરમાં માર મારવા લાગ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/muzaffarnagar-news-sarpanchs-son-along-with-10-associated-killed-dalit-youth">સરપંચના છોકરાએ 10 સાગરિતો સાથે મળી દલિત યુવકની હત્યા કરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હુમલાખોર શખ્સ રેલ્વેમાં અધિકારી છે</span></strong></span><br><span style="font-size: 14pt;">હુમલાખોરોમાંથી એક ચંદ્રશેખર રેલવે વિભાગનો અધિકારી છે, જ્યારે બીજો નરસિમ્હા રાજુ હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવકોને જાતિવાદી અપશબ્દો બોલતા તેમણે તે સમયે ડ્રાઇવિંગ કરી રહેલા નરસિંહ મૂર્તિ પર પણ હુમલો કર્યો હતો. ઘટના દરમિયાન બંને દલિત યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગુસ્સે ભરાયેલા આરોપીઓએ સ્થળ પરથી ભાગી જતા પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને ગુબ્બી પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, બંને યુવકોની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ કેસમાં આરોપીઓ સામે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની કલમ 109 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">જાતિવાદી વિચારસરણીનો અંત ક્યારે આવશે?</span></strong><br><span style="font-size: 14pt;">આ ઘટના માત્ર બે વ્યક્તિઓ પર હુમલો નથી, પરંતુ સમગ્ર દલિત સમાજ પર હુમલો છે. દલિત અધિકારો અને સન્માનનું પ્રતીક ‘જય ભીમ’ ગીત માત્ર એક ગીત નથી પરંતુ તેમની ઓળખનો એક ભાગ છે. જો તેને વગાડવાથી કોઈના જીવ માટે ખતરો બની જાય તો તે સમાજની ઊંડી જાતિવાદી વિચારસરણી છતી કરે છે. આ ઘટનાએ માત્ર પીડિતોને જ નહીં પરંતુ સમગ્ર દલિત સમાજને ઊંડું દુઃખ પહોંચાડ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો માટે સુરક્ષા અને સન્માનની માંગ ઉઠી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના ફરી એક વખત પ્રશ્ન ઉભો કરે છે કે શું દલિત સમાજે હંમેશા પોતાની ઓળખ અને અધિકારો માટે સંઘર્ષ કરવો પડશે? શું તેમને 'જય ભીમ' જેવા ગીતો વગાડવાનો પણ અધિકાર નથી? આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે અંગે સરકાર અને કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. જ્ઞાતિવાદના આ ઝેરને ખતમ કરવા અને દલિતો માટે ન્યાય, સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવા માટે સમાજ એકજૂથ થાય તેવો સમય આવી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-youth-upper-caste-girl-commit-suicide-in-barabanki-not-being-able-to-get-married-due-to-different-castes">દલિત યુવક અને રાજપૂત યુવતીની પ્રેમ કહાનીનો કરૂણ અંત આવ્યો</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 08 Jan 2025 11:40:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1818</Articleid>
                    <excerpt>બે દલિત યુવકો ગાડીમાં &#039;જય ભીમ&#039; ગીત વગાડતા જઈ રહ્યાં હતા. જાતિવાદી તત્વોએ તેમને ઉભા રાખી ગીત બંધ કરાવી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677e169dc815c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e169d950ad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e169d950ad.jpg" length="88506" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jai Bhim Song, dalit youths attacked, tumakuru, karnataka, SC ST act, atrocity act</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત કિશોરને સરપંચે સવારના 5 થી બપોરના 3 વાગ્યા સુધી બાંધીને માર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-teenager-tied-to-pillar-and-beaten-by-sarpanch-and-his-associates-in-mirzapur-up</link>
                    <guid>https://khabarantar.com/dalit-teenager-tied-to-pillar-and-beaten-by-sarpanch-and-his-associates-in-mirzapur-up</guid>
                    <description>
                        <![CDATA[ 14 વર્ષના દલિત કિશોરને કડકડતી ઠંડીમાં વહેલી સવારે 5 વાગ્યે સરપંચના સાગરિતો ઉઠાવી ગયા. બપોરના 3 વાગ્યા સુધી નગ્ન કરી થાંભલા સાથે બાંધીને માર્યો. મળદ્વારમાં મરચું નાખ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ આપણાં શરીર પર ઠંડા પાણીની એકાદ છાંટ પણ ઉડાડે તો આપણે સહન કરી શકતા નથી. શક્ય છે ગુસ્સે થઈને તમે તેને એકાદ ઝાપટ પણ મારી લો. જો એકાદ છાંટો ઉડવાથી પણ આવું થઈ શકતું હોય, તો એક 14 વર્ષના દલિત કિશોરને સવારે 5 વાગ્યે કડકડતી ઠંડીમાં ઉઠાવી જઈ તેને વીજળીના થાંભલા સાથે બાંધી અર્ધનગ્ન કરી દંડાથી ફટકારવામાં આવ્યો હશે તેના પર શું વીતી હશે? 14 વર્ષના એક દલિત કિશોર સાથે આરોપીઓએ બર્બરતાની તમામ હદો વટાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે નિર્દોષ કિશોરને સવારે 5 વાગ્યાથી લઈને સાંજના 3 વાગ્યા સુધી બાંધી રાખી માર માર્યો. એટલું જ નહીં, તેના ગુદામાર્ગમાં મરચું નાખ્યું હતું, તેને પથ્થર પર પટકીને ઈજા પહોંચાડી હતી, સ્મશાનમાં લઈ જઈ ફરી તેના હાથપગ બાંધીને તેને માર મારવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ બધું જાહેરમાં થઈ રહ્યું હતું, લોકોની નજર સામે થઈ રહ્યું હતું છતાં કોઈ એ દલિત કિશોરને છોડાવવાની હિંમત કરી શક્યું નહોતું. આરોપીઓને પણ કાયદો વ્યવસ્થા કે ન્યાયતંત્રનો કોઈ ડર નહોતો. આ કેવું ભારત છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મિર્ઝાપુરની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરથી અંદાજે 50 કિમી દૂર આવેલા બર્ડિંહા કલાં ગામનો છે. અહીં અશોક નામના 14 વર્ષના કિશોરને ગામના સરપંચના કહેવાથી વહેલી સવારે 5 વાગ્યે સરપંચનો છોકરો અને સાગરિતો આંબળા તોડવા જવાનું છે કહીને લઈ ગયા હતા. અશોકના પિતાને ખ્યાલ નહોતો કે તેના દીકરાને આટલા વહેલા આ લોકો ક્યાં લઈને જઈ રહ્યાં છે. એ પછી આરોપીઓએ વહેલી સવારે 5 વાગ્યે પોતે તાપણું સળગાવીને બેઠાં અને 14 વર્ષના અશોકને અર્ધનગ્ન કરીને પથ્થર પર પટકીને ફટકાર્યો. એ પછી તેને વીજળીના થાંભલા સાથે બાંધીને તેને લાકડી અને દંડાથી માર માર્યો. આવું સવારના 5 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ચાલતું રહ્યું. ચોંકાવનારી બાબત એ છે કે, આટલું બધું જાહેરમાં થતું હોવા છતાં કોઈ નાનકડા અશોકને છોડાવવા માટે સામે આવ્યું નહોતું અને તમાશો જોઈ રહ્યું હતું. દલિત પરિવારે સરપંચને પોતાના દીકરાને છોડી દેવા માટે આજીજી કરી પણ તેમનું હૃદય ન પીગળ્યું. સરપંચનો આરોપ હતો કે, અશોકે તેમના ટ્રેક્ટરના પાર્ટ્સ ચોર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વહેલી સવારે 5 વાગ્યે કપડાં ઉતરાવી થાંભલા સાથે બાંધી દીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અશોકનો પરિવાર મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના ઘરમાં તેના માતાપિતા અને એક બહેન છે. બે બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે. તેના પિતાની તબિયત સારી નથી રહેતી તેમ છતાં તેઓ મજૂરી કરવા મજબૂર છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677e0874d6bb6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના 31 ડિસેમ્બર 2024ની વહેલી સવારે બની હતી. 14 વર્ષનો અશોક તેના ઘરે સવારે 5 વાગ્યે તાપણું સળગાવીને ઠંડીથી રાહત મેળવવા મથી રહ્યો હતો. ત્યારે જ ગામના સરપંચ પન્નાલાલ તેનો છોકરો બબલૂ, સરપંચના સંબંધી અને અન્ય કેટલાક લોકો અશોકના ઘરે આવી પહોંચ્યા હતા અને તેને પોતાને ત્યાં આંબળા તોડવા જવાનું છે કહીને લઈ ગયા હતા. આ સાંભળીને અશોક તેમની સાથે જાય છે, પણ તેને ખબર નથી હોતી કે તેની સાથે શું થવાનું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી સરપંચના કહેવાથી અશોકના કપડાં ઉતરાવી (વહેલી સવારે 5 વાગ્યે) તેને થાંભલા સાથે બાંધીને દંડાથી માર મારવામાં આવે છે. એ પછી તેઓ તેને ગામ બહાર આવેલા સ્મશાનમાં લઈ જાય છે અને પથ્થર ઉપર પટકે છે. આરોપીઓ એકદમ બેખૌફ છે. તેઓ કહેતા સંભળાય છે કે, "શું થશે, કોર્ટ કચેરી જે થશે એ જોઈ લઈશું, વધીને શું થશે, ફાંસીની સજા જ થશે ને?"</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામલોકો જોતા રહ્યાં, કોઈ છોડાવવા ન આવ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અશોકના પરિવારજનોએ જ્યારે ઘટના સ્થળે પહોંચીને અશોકને છોડી દેવાની આજીજી કરી ત્યારે સરપંચે કહ્યું, "હજુ આનું કશું થયું નથી, એવી હાલત કરીશું કે ગામમાં કોઈ કશું બોલી નહીં શકે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આટલી મોટી નજર સામે બની રહી હોવા છતાં ગામલોકોમાંથી કોઈ અશોકને છોડાવવા માટે આગળ આવ્યું નહોતું અને બર્બરતાનો વીડિયો ઉતારી રહ્યાં હતા. અશોકના પરિવારે જેમતેમ કરીને પોલીસને જાણ કરી તો ત્રણ દિવસ સુધી પોલીસે કશી જ કાર્યવાહી નહોતી કરી. બાદમાં ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. અશોકના પરિવારનો આરોપ છે કે, પોલીસે આરોપીઓને પર કાર્યવાહી કરવાને બદલે અશોકને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હતો. તેના પરિવારે બે બોરી અનાજ વેચીને અશોકને છોડાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીંસ વધતા 7 લોકોની અટકાયત કરાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અશોકને મારનાર આરોપીઓમાં પન્નાલાલ, બબલુ, ધીરજ પટેલ, રામભરોસ પટેલ, મનોજ પટેલ, આત્મારામ ગુપ્તા પર તેની માતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને તેમાં અત્યાર સુધીમાં 7 લોકોની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળે છે. પીડિત અશોકના પરિવારજનોએ તેમના જીવને જોખમ હોવાનું જણાવ્યું છે. આરોપીઓએ તેમને પણ જાતિસૂચક ગાળો ભાંડીને માર માર્યો હોવાથી વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અશોકને લોહીની ઉલટીઓ થાય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અશોકના બંને પગથી લઈને કમર સુધી વાગ્યાના નિશાન પડી ગયા છે. તેમના ચહેરા પર ઘટનાનો ડર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. તેને ચાલવામાં અને શૌચક્રિયા કરવામાં પણ તકલીફ પડી રહી હોવાનું કહીને તેનો પરિવાર રોઈ પડે છે.</span><br><span style="font-size: 14pt;">અશોકની બહેનના જણાવ્યા પ્રમાણે, અશોક રહી રહીને લોહીની ઉલટીઓ થાય છે. જેનાથી તેનો આખો પરિવાર અત્યંત ગભરાયેલો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યોગીની કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગુંડાઓ, માફિયાઓ અને બદમાશો પર બુલડોઝરની કાર્યવાહીનો ડર ઉભો કરીને એક રોલ મોડેલ તરીકે રજૂ કરનાર યોગી સરકારને લોકોનો એક જ પ્રશ્ન છે કે શું દલિત કિશોરને તાલિબાની સજા આપનાર આ સરપંચ અને તેના સાગરિતો સામે પણ બુલડોઝરની કાર્યવાહી થશે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Nagaur-News-a-psychopath-attacked-a-Dalit-family">ખેતરમાં તારની વાડ કરતા દલિત પરિવાર પર મનોરોગીએ હુમલો કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 08 Jan 2025 10:41:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1817</Articleid>
                    <excerpt>14 વર્ષના દલિત કિશોરને કડકડતી ઠંડીમાં વહેલી સવારે 5 વાગ્યે સરપંચના સાગરિતો ઉઠાવી ગયા. બપોરના 3 વાગ્યા સુધી નગ્ન કરી થાંભલા સાથે બાંધીને માર્યો. મળદ્વારમાં મરચું નાખ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677e085fcdf6b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e085f9d382.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e085f9d382.jpg" length="103033" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>mirzapur news, dalit news, dalit crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાના મોં પર પેશાબ કર્યો, ઝૂંપડી અને ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું</title>
                    <link>https://khabarantar.com/bullies-rolled-a-tractor-over-a-dalits-hut-urinated-on-his-face-In-Karili-guna-mp</link>
                    <guid>https://khabarantar.com/bullies-rolled-a-tractor-over-a-dalits-hut-urinated-on-his-face-In-Karili-guna-mp</guid>
                    <description>
                        <![CDATA[ પૂર્વ સરપંચ અને તેના પુત્ર-સાગરિતોનું કારસ્તાન. દલિત પરિવારની ઝૂંપડી તોડી નાખી, ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું. પરિવારની મહિલાના મોં પર પેશાબ કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો જ્યારે હલકાઈ પર ઉતરી આવે ત્યારે તેમને માણસાઈનું પણ ભાન રહેતું નથી હોતું. લાજ શરમ નેવે મૂકીને આવા તત્વો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના હલકાઈ પર ઉતરી આવતા હોય છે. આવું થાય ત્યારે નિર્દોષ લોકોનો મરો થઈ જતો હોય છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે. મામલો મધ્યપ્રદેશનો છે. અહીં એક દલિત પરિવાર સાથે માથાભારે સરપંચ અને તેના પુત્ર તથા સાગરિતો દ્વારા દાદાગીરી કરી માર મારવાનો મામલો સામે આવ્યો છે. પરિવારનો આરોપ છે કે લુખ્ખા તત્વોએ તેમની ઝૂંપડી પર ટ્રેક્ટર ચલાવ્યું અને ઘઉંના ઉભા પાકનો પણ નાશ કર્યો. સૌથી આઘાતજનક બાબત એ રહી કે, આરોપીઓએ મહિલાઓની હાજરીમાં તેના પરિવારના સભ્યોના મોં પર પેશાબ કરવાનો અને તેમને વીજળીના ઝાટકા આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના ગુના જિલ્લાના સિરસી પોલીસ સ્ટેશન વિસ્તારના કરીલી ગામની છે. અહીં માથાભારે તત્વોએ એક દલિત સહરિયા પરિવાર પર હુમલો કરી દીધો હતો. બે ટ્રેક્ટરમાં આવેલા 15-20 લોકોએ તેમના ઝૂંપડા પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. અચાનક થયેલા આ હુમલાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જે બાદ ગુંડાઓએ તેમને બંધક બનાવીને માર માર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bullies-stop-dalit-grooms-wedding-procession-in-saharanpur-show-gun-in-bareilly">બંદૂક બતાવી લુખ્ખાઓએ દલિત યુવકની જાન રોકી, ડીજે બંધ કરાવી તોફાન મચાવ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત મહિલાએ જણાવ્યું કે તે તેનો પતિ હરિ સિંહ, પુત્ર સોનુ, દિયર જ્ઞાની સિંહ, ભત્રીજો રાજુ, ભાભી વિદ્દી બાઈ બરખેડા કેનાલ પાસે આવેલી તેમની ખેતીની જમીન પર બનેલી ઝૂંપડીમાં સૂતા હતા. એ દરમિયાન પૂર્વ સરપંચ, તેમના બે પુત્રો અને તેમના 15-20 સંબંધીઓ બે ટ્રેક્ટર ભરીને અહીં આવી પહોંચ્યા હતા. આ લોકોએ તેમના 10 વીઘાના ઉભા ઘઉંના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું હતું. એટલું જ નહીં તેમની ઝૂંપડી ઉપર પણ ટ્રેક્ટર ફેરવી દીધું હતું. આરોપીઓ આખા પરિવારને વીજળીના ઝાટકા આપીને મારી નાખવા માંગતા હતા, પણ વીજળી ગુલ થઈ જવાથી તેઓ એવું કરી શક્યા નહોતા. એ પછી એક લુખ્ખાએ તેના ચહેરા પર પેશાબ કર્યો. સાથે જ તેણે મહિલાને ધમકી આપી કે જો તે પોલીસને જાણ કરશે જાનથી મારી નાખીશ. જો કે, ન્યાયમાં વિશ્વાસ ધરાવતી દલિત મહિલાએ પોલીસને જાણ કરી દીધી હતી. સવારે જ્યારે પોલીસ આવી ત્યારે તેઓ મહિલના પતિ હરિ સિંહ, દિયર જ્ઞાની સિંહ અને ભત્રીજા રાજુને ઘટનાની માહિતી મેળવવા પોલીસ સ્ટેશન લઈ ગયા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડિશનલ એસપી માનસિંહ ઠાકુરે જણાવ્યું કે જમીન વિવાદમાં બંને પક્ષો તરફથી કેસ નોંધવામાં આવ્યો છે. (એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં હવે પોલીસ પીડિતોને હેરાન કરવા માટે તેમની સામે પણ કેસ નોંધવા માંડી છે.) જ્યારે મહિલાના મોં પર પેશાબ કરવાના મામલાની તપાસ ચાલી રહી છે. એએસપીએ કહ્યું કે આ સહારિયા સમાજના લોકો છે. તેમનો જૂનો જમીન વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેમના દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/muzaffarnagar-news-sarpanchs-son-along-with-10-associated-killed-dalit-youth">સરપંચના છોકરાએ 10 સાગરિતો સાથે મળી દલિત યુવકની હત્યા કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 07 Jan 2025 15:50:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1816</Articleid>
                    <excerpt>પૂર્વ સરપંચ અને તેના પુત્ર-સાગરિતોનું કારસ્તાન. દલિત પરિવારની ઝૂંપડી તોડી નાખી, ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું. પરિવારની મહિલાના મોં પર પેશાબ કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677cfec50dd34.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677cfec4c8ab5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677cfec4c8ab5.jpg" length="123446" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit news, atrocity FIR, urinated on face, Karili village, GUna MP</media:keywords>
                </item>
                        <item>
                    <title>નાગ દેવતા માની લોકોએ મહિનાઓ સુધી જેની પૂજા કરી તે મશરૂમ નીકળ્યું!</title>
                    <link>https://khabarantar.com/superstition-the-snake-god-whom-he-worshipped-turned-out-to-be-a-mushroom</link>
                    <guid>https://khabarantar.com/superstition-the-snake-god-whom-he-worshipped-turned-out-to-be-a-mushroom</guid>
                    <description>
                        <![CDATA[ ગામલોકોએ નાગની ફેણ જેવા દેખાતા મશરૂમની મહિનાઓ સુધી પૂજા કરી. વૈજ્ઞાનિકે ખૂલાસો કર્યો છતાં લોકોની અંધશ્રદ્ધામાં જરાય ઘટાડો ન થયો.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં કશુંક નવું કે વિચિત્ર દેખાય કે તરત તેમાં ઈશ્વરી શક્તિને શોધવા માંડતા લોકોની કમી નથી. લોકોની આવી માનસિકતાને કારણે લેભાગુ તત્વોને મોકળું મેદાન મળી જતું હોય છે અને તેઓ લોકોની ધાર્મિક લાગણીઓનો આર્થિક લાભ લેવા માંડતા હોય છે. આવું જ કંઈક આસામના સોનિતપુર જિલ્લાના ચારિદુવાર વિસ્તારના અંતરિયાળ ગામ અમલોગામાં બન્યું હતું. અહીં એક વ્યક્તિના ઘર પાછળ આવેલા વાડામાં એક વિચિત્ર પ્રકારનું મશરૂમ ઉગી નીકળ્યું હતું. જેનો આકાર નાગની ફેણ જેવો હતો. ગામમાં પહેલીવાર આ પ્રકારનું મશરૂમ ઉગી નીકળ્યું હોવાથી લોકો તેની હકીકતથી અજાણ હોવાથી તેને નાગદેવતા સમજીન પૂજા કરવા લાગ્યા હતા. જોતજોતામાં આ સમાચાર વાયુ વેગે અન્ય ગામોમાં પણ ફેલાઈ જતા લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને યુવકના ઘરનો વાડો એક તીર્થસ્થળમાં ફેરવાઈ ગયો હતો. લોકોએ અહીં ધૂપદીપ અને દીવાબત્તી કરવાનું તથા માનતા માનવાનું ચાલું કરી દીધું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન કોઈએ આ મામલે વૈજ્ઞાનિકને બોલાવી તથ્યની ચકાસણી કરાવતા તે કોઈ નાગદેવતા નહીં પરંતુ અલગ પ્રકારનું મશરૂમ હોવાનું સામે આવ્યું હતું. જો કે હકીકતનો પર્દાફાશ થયો હોવા છતાં અંધશ્રદ્ધાળુંઓની ભીડમાં જરાય કમી આવી નહોતી અને લોકોના ટોળેટોળાં દર્શન માટે ઉમટી પડ્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમલોગા ગામમાં રહેતા તિલક કોચ નામના યુવકના ઘર પાછળ આવેલા વાડામાં તેણે એક વિચિત્ર સાપ જેવી આકૃતિ જમીનમાંથી ઉગેલી જોઈ હતી. તેણે વિચાર્યું કે આ તો એક અદ્દભૂત વસ્તુ છે અને ટૂંક સમયમાં તેનું ઘર એક તીર્થસ્થળમાં ફેરવાઈ ગયું કારણ કે ગામલોકો તે વિચિત્ર વસ્તુને નાગદેવતા માનીને તેના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ગત સોમવારે ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે તિલક તેના ઘરની પાછળના યાર્ડમાં ઉગી નીકળેલા ઝાડીઝાંખરાને સાફ કરી રહ્યો હતો. અહીં તેને અસામાન્ય આકાર દેખાયો હતો. આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને થોડી જ વારમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને કહેવાતા દેવતા સમક્ષ પ્રણામ કરી ધૂપદીપ, પ્રાર્થના કરી આશિર્વાદ માંગવા લાગ્યા હતા. લોકો એવું માનતા હતા કે આ નાગદેવતા છે અને તેનું આવું સ્વરૂપ સમૃદ્ધિ અને સુખાકારીનું પ્રતીક હોય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, આ નવા દેવતા વિશેની લોકોની ઉત્તેજના લાંબો સમય ટકી શકી નહોતી. રંગપારા કોલેજના આસિસ્ટન્ટ લેક્ચરર શુભમ રોય વિદ્યાર્થીઓ અને કોલેજના બોટની વિભાગના નિષ્ણાતો સાથે ઘટનાની તપાસ કરવા પહોંચ્યા હતા. તેમણે વૈજ્ઞાનિક રીતે તપાસ કરીને જાહેર કર્યું કે નાગદેવતા જેવી દેખાતી આ વિચિત્ર વસ્તુ ખરેખર એક જંગલી મશરૂમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રંગપારા કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગના જણાવ્યા અનુસાર, તિલકના ઘરની પાછળના યાર્ડમાં જોવા મળતા સાપ જેવા મશરૂમ એ ઘણા પ્રકારની ફૂગમાંથી એક છે જે ભેજવાળી પરિસ્થિતિઓમાં ખીલી ઉઠે છે, આવું આસામમાં ઘણી જગ્યાએ બનતું હોય છે. છેલ્લા એક વર્ષમાં, વિભાગે તેના ચાલુ સંશોધનના ભાગરૂપે લગભગ 40 વિવિધ મશરૂમની પ્રજાતિઓને ઓળખી અને તેનું દસ્તાવેજીકરણ કર્યું છે. નાગદેવતા જેવા દેખાતા મશરૂમ તેના લાંબા અને સાપના આકાર માટે જાણીતા છે, તેને કુદરતી રીતે ઉગી નીળકતા પરંતુ અસામાન્ય પ્રજાતિ તરીકે ઓળખવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આવી અંધશ્રદ્ધાભરી ઘટનાઓની ભારતમાં જરાય કમી નથી. અહીં કુદરતી ઘટનાઓને પણ લોકો ધર્મ અને અંધવિશ્વાસના ચશ્મા ચડાવીને જોવા ટેવાયેલા છે. આંસુ જેવા રસ સાથે ટપકતા વૃક્ષોથી લઈને દેવતાઓનું ઘર માનવામાં આવતા વિચિત્ર આકારના પથ્થરો સુધી, દેશના ઘણા ભાગોમાં અજાણ્યા લોકોને અલૌકિક મહત્વ આપવાનું વલણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/bharat-jan-vigyan-jatha-exposes-witchcraft-superstition-in-vagra-bharuch">એ બંને ડાકણ છે, રાતે ઉંદરડી-બિલાડીનું રૂપ ધારણ કરે છે...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 06 Jan 2025 21:14:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1815</Articleid>
                    <excerpt>ગામલોકોએ નાગની ફેણ જેવા દેખાતા મશરૂમની મહિનાઓ સુધી પૂજા કરી. વૈજ્ઞાનિકે ખૂલાસો કર્યો છતાં લોકોની અંધશ્રદ્ધામાં જરાય ઘટાડો ન થયો. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677bf8ef43e26.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677bf8ef0e6a5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677bf8ef0e6a5.jpg" length="77983" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>superstition, snake god, mushroom, assam news today</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;આજે સ્કૂલ વહેલા છૂટી ગઈ&amp;apos; એમ કહી દેતા આચાર્યે દલિત વિદ્યાર્થિનીને ફટકારી</title>
                    <link>https://khabarantar.com/principal-beats-up-dalit-student-in-vidishas-gyaraspur</link>
                    <guid>https://khabarantar.com/principal-beats-up-dalit-student-in-vidishas-gyaraspur</guid>
                    <description>
                        <![CDATA[ નજીવી બાબતે આચાર્યે દલિત વિદ્યાર્થિનીને માર મારી શાળા છોડાવી દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોઁધાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના વિદિશામાં એક દલિત વિદ્યાર્થીને શાળાના આચાર્ય દ્વારા વિચિત્ર કારણોસર માર મારવામાં આવ્યો છે. જેને લઈને દીકરીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ગ્યારસપુરની એક સરકારી શાળાનો છે. મળતી માહિતી મુજબ 11માં ધોરણમાં ભણતી એક દલિત વિદ્યાર્થિની 30 ડિસેમ્બરના રોજ સ્કૂલ પછી ઘરે જઈ રહી હતી. એ દરમિયાન તેને રસ્તામાં પત્રકાર રિતેન્દ્ર અહિવાર મળી ગયો. તેણે વિદ્યાર્થિનીને રજા વિશે પૂછ્યું, જેના પર દીકરીએ કહ્યું કે, આજે સ્કૂલ વહેલા છૂટી ગઈ છે. એ પછી પત્રકારે શાળાના આચાર્ય મુકેશ દાંગી સાથે વાત કરી હતી અને શાળા કેમ વહેલા છોડી દેવાઈ તેમ સવાલ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી આચાર્યે બીજા દિવસે દલિત વિદ્યાર્થિનીને માર માર્યો હતો અને તેણે શા માટે પત્રકારને આજે સ્કૂલ વહેલા છૂટી ગઈ છે તેમ કહ્યું તેમ પૂછીને સજા કરી હતી. દલિત વિદ્યાર્થિનીનો આરોપ છે કે પ્રિન્સિપાલે તેને પરીક્ષામાં નાપાસ કરવાની અને તેને શાળામાં એડમિશન ન લેવાની ધમકી પણ આપવામાં આવી હતી. એ પછી પીડિતા તેના પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને મામલાની ફરિયાદ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે સમગ્ર ઘટનાને લઈને સવાલ એ પણ થઈ રહ્યો છે કે 30મી ડિસેમ્બરે વહેલી રજા કેમ આપવામાં આવી? જોવાનું એ રહે છે કે આ કેસમાં પોલીસ પ્રિન્સિપાલ સામે શું કાર્યવાહી કરે છે અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ અંગે શું ધ્યાન આપે છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-dalit-student-kept-begging-the-savarna-teacher-kept-hitting-with-the-pipe">દલિત વિદ્યાર્થી આજીજી કરતો રહ્યો, સવર્ણ શિક્ષક પાઈપથી ફટકારતો રહ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 06 Jan 2025 14:21:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1814</Articleid>
                    <excerpt>નજીવી બાબતે આચાર્યે દલિત વિદ્યાર્થિનીને માર મારી શાળા છોડાવી દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોઁધાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677b98ce80c3e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677b98ce4f728.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677b98ce4f728.jpg" length="41302" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Principal beats up, Dalit student, Vidisha MP, Gyaraspur school</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢના કવિ નિલેશ કાથડનો કાવ્યસંગ્રહ &amp;apos;પોસ્ટમોર્ટમ&amp;apos; પ્રકાશિત થયો</title>
                    <link>https://khabarantar.com/junagadh-poet-nilesh-kathads-poetry-collection-postmortem-published</link>
                    <guid>https://khabarantar.com/junagadh-poet-nilesh-kathads-poetry-collection-postmortem-published</guid>
                    <description>
                        <![CDATA[ &#039;પીડાની ટપાલ&#039;, &#039;ઊનાના ઉના ઉના નિસાસા&#039; અને બહુચર્ચિત આત્મકથા &#039;વલોરી&#039; બાદ જૂનાગઢના જાણીતા બહુજન કવિ નિલેશ કાથડ હવે કાવ્યસંગ્રહ &#039;પોસ્ટમોર્ટમ&#039; લઈને આવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિવૃત્ત બેંક મેનેજર અને બહુજન કવિ, લેખક, વિચારક અને સંશોધક એવા નિલેશ કાથડ હવે નવો કાવ્યસંગ્રહ લઈને આપણી વચ્ચે આવ્યાં છે. અગાઉ તેઓ ભારે રઝળપાટ કરીને લખેલા સંશોધક પુસ્તક સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાઓને લઈને ચર્ચામાં આવ્યા હતા. એ પછી તેમના આત્મકથા વલોરી જે હપ્તાવાર પ્રકાશિત થઈ છે, તેની પણ દલિત સાહિત્યમાં આગવી ઓળખ છે. હવે તેઓ પોસ્ટમોર્ટમ કવિતાસંગ્રહ સાથે વધુ એક વખત હાજર થયા છે ત્યારે આ કાવ્યસંગ્રહમાં શું નવું હશે તેની વાત કરીએ. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ ચંદુ મહેરિયા નિલેશ કાથડના કાવ્યસંગ્રહ પોસ્ટમોર્ટમ વિશે જે લખે છે તેના પરથી તેમની કલમનો વધુ સારી રીતે પરિચય થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Ahmedabad-poet-Umesh-Solanki-selected-for-YAPANCHITRA-National-Poetry-Award-2024">અમદાવાદના કવિ ઉમેશ સોલંકીની YAPANCHITRA રાષ્ટ્રીય કવિતા ઍવોર્ડ 2024 માટે પસંદગી</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા લખે છે, ‘પીડાની ટપાલ’ લખતા ‘અગ્નિકણ' સમા ધાકડ દલિત કવિ નિલેશ કાથડના પરિચયનું ‘પોસ્ટમોર્ટમ’ કરું છું ત્યારે આશરે સાડા ત્રણ ચાર દાયકા પૂર્વે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાનકડા દડવા ગામના નવયુવાન નિલેશ કાથડનો ઉમળકા અને વેદનાથી લખાયેલો પ્રથમ પત્ર સાંભરે છે. દલિત કવિતાનું આંદોલન હજુ તો શહેરોમાં ભાંખોડિયા ભરતું હતું ત્યારે દૂર સોરઠથી તેને મળેલો આ સાદ આનંદિત કરનારો હતો. સર્જક અને વ્યક્તિ નિલેશ કાથડ સાથેનો આટલો દીર્ઘ સંબંધ આજે પણ ટક્યો છે તેનું શ્રેય માત્ર અને માત્ર નિલેશભાઈને જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિલેશ કાથડની ધાકડ કહેતાં આગવો મિજાજ વ્યક્ત કરતી દલિત કવિતાઓનો તો હું વાચક, ભાવક અને ચાહક ખરો પણ તેમની કર્મશીલતા અને સંગઠન શક્તિ પ્રત્યે મને ભાર આદર. દલિત કવિ કર્મશીલ હોય તેથી રુડું બીજું શું? નિલેશ કાથડ બહુ આયામી છે. તેમન મૌલિક દલિત કવિતાના સંગ્રહો તો છે જ તેમણે દલિત કવિતાના સંપાદનો પણ કર્યા છે. કર્મશીલ કવિ કવિતાના સંપાદનોથી અટકયા નથી. ·ઊનાના ઉના ઉના નિસાસા' નામક તેમનું સંપાદન ઉના કાંડની સર્જનાત્મક અને અન્ય દસ્તાવેજી સામગ્રીનું સંપાદન છે. કવિતા અને કર્મશીલતા ઉપરાંતનું તેમનું એક જુદું પાસું આ વરસોમાં ઉઘડ્યું અને પોંખાયું તે છે સંશોધનનું. ‘સૌરાષ્ટ્ર કચ્છની બૌધ્ધ ગુફાઓ' નામે તેમનું સંશોધનાત્મક પુસ્તક ગુજરાતમાં બૌધ્ધ ધર્મના પગરણ કર્યો ક્યાં મંડાયેલા હતા તેની આંખે જોઈ જહેમતભરી માહિતી આલેખે છે. આ સંશોધન અન્ય ભાષાઓમાં અનૂદિતના થયું હોત તો જ આશ્ચર્ય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Junagadh-poet-Hemalta-Sonara-got-her-PHD-by-researching-the-poems-of-6-Dalit-poets">જૂનાગઢના કવયિત્રી હેમલતા સોનારા 6 દલિત કવિઓની કવિતાઓ પર સંશોધન કરીને PHD થયા</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કથિત મુખ્યધારાના ગુજરાતી સાહિત્યમાં આત્મકથાઓ ઓછી લખાઈ છે એટલે ગુજરાતી દલિત સાહિત્યમાં પણ તે અલ્પ પ્રમાણમાં છે. પરંતુ અગાઉ ‘દલિત ચેતના’ માં હપ્તાવાર પ્રગટ થયેલી અને ખાસ્સું ધ્યાન ખેંચનારી નિલેશની પ્રકાશ્ય આત્મકથા ‘વલોરી” દલિત આત્મકથાઓમાં ન માત્ર નોંધપાત્ર ઉમેરણ હશે નોખી-અનોખી પણ હશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ ‘બામસેફ' ના સંગઠક નિલેશ કાથડ આજે ‘ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન’ ના સક્રિય અને સમર્પિત ઉપપ્રમુખ છે. પૂર્વે ‘નિસબત’ વાર્ષિકીનું તેમણે અન્ય સાથે સંપાદન કરેલ છે. આજે ‘નિસબત’ ઈ-સામયિકમાં તેમની સંપાદકીય મહેનત અને લગન જણાઈ આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત કવિતા વ્યાપક અર્થના દલિત રાજકારણનો ભાગ છે તે પુરવાર કરતી કવિતાઓ ‘પોસ્ટમોર્ટમ‘ કાવ્ય સંગ્રહમાં જોવા મળે છે. તેના સવિશેષ આનંદ સાથે નિલેશ કાથડની સર્જકતા અને પ્રતિબધ્ધતાને સલામ.</span><br><strong><span style="font-size: 12pt;">(પ્રાપ્તિસ્થાનઃ શરૂઆત બુકસ્ટોર, 107, સ્ટાર પ્લેટિનમ, આંબેડકર ભવન પાસે, મધુરમ, જૂનાગઢ - 362015. સંપર્ક : 8141191312)</span></strong></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Poems-of-Parasottam-Jadav,-Sahil-Parmar,-Atmaram-Dodiya-appeared-in-the-Dalit-Chetna-programme">‘દલિત ચેતના’ કાર્યક્રમમાં પરસોત્તમ જાદવ, સાહિલ પરમાર, આત્મારામ ડોડીયાની કવિતાઓ છવાઈ</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 06 Jan 2025 12:56:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1813</Articleid>
                    <excerpt>&#039;પીડાની ટપાલ&#039;, &#039;ઊનાના ઉના ઉના નિસાસા&#039; અને બહુચર્ચિત આત્મકથા &#039;વલોરી&#039; બાદ જૂનાગઢના જાણીતા બહુજન કવિ નિલેશ કાથડ હવે કાવ્યસંગ્રહ &#039;પોસ્ટમોર્ટમ&#039; લઈને આવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677b857eb29d1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677b857e7a159.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677b857e7a159.jpg" length="81610" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>junagadh, poet nilesh kathad, poetry collection, postmortem, published</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવક અને રાજપૂત યુવતીની પ્રેમ કહાનીનો કરૂણ અંત આવ્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-upper-caste-girl-commit-suicide-in-barabanki-not-being-able-to-get-married-due-to-different-castes</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-upper-caste-girl-commit-suicide-in-barabanki-not-being-able-to-get-married-due-to-different-castes</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદ સામે સૌથી વધુ બંડ પ્રેમી યુગલો પોકારતા હોય છે. પણ તેમને જોઈને બીજા પ્રેમી યુગલોની હિંમત ન ખૂલી જાય તે માટે જાતિવાદીઓ મોતથી ઓછી સજા આપતા નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદને કારણે ભારતમાં સેંકડો પ્રેમીયુગલો એવા હશે જેઓ ચાહીને પણ લગ્ન કરી શક્યા ન હોય. ડો.આંબેડકરે જાતિપ્રથાને તોડવા માટેના એક અક્સીર ઈલાજ તરીકે આંતરજાતિય લગ્નોને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી હતી. પણ મનુવાદી તત્વો જ્ઞાતિ-જાતિના વાડા જરાય તૂટે નહીં તે માટે મનુવાદી સિસ્ટમને તોડીને બળવો કરનાર આવા પ્રેમી યુગલોને મોતથી ઓછી સજા આપતા નથી. મોટાભાગના આવા કિસ્સાઓમાં માત્ર બે જ અંત આવે છે. કાં તો યુવક-યુવતી ભાગીને લગ્ન કરી લે અને યુવતીના પરિવારજનો યુવકના પરિવાર પર હુમલો કરી તેમને સજા આપે. જો યુવક-યુવતી ભાગીને લગ્ન કરી શકે તેમ ન હોય તો, આત્મહત્યા કરી લેતા હોય છે. જો પ્રેમીયુગલ લગ્ન કરી પણ લે છે, તો પણ તેમના પર મોતનો ભય સતત તોળાતો રહે છે. સૈરાટ ફિલ્મ યાદ કરો. આવી જ એક ઘટનાની વાત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવક અને ઠાકુર યુવતીની પ્રેમકહાની</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર અને બટેંગે તો કટેંગે ફેઈમ યુપીનો છે. અહીં બારાબંકીમાં એક ઠાકુર યુવતી અને એક દલિત યુવક વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ જાતિ અલગ હોવાથી તેઓ લગ્ન કરી શકે તેમ નહોતા. આથી બંને એક જ સમયે અલગ-અલગ જગ્યાએ જઈને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો, પરંતુ સમાજ તરફથી સ્વીકાર ન થતાં તેમણે આ પગલું ભર્યું હતું. આ ઘટના જાતિવાદી માનસિકતા અને સામાજિક ભેદભાવ પર સવાલો ઉભા કરે છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ</span>  <a href="https://khabarantar.com/hindu-girl-muslim-boy-wedding-reception-cancel-by-hindu-organizations-in-aligarh-uttar-pradesh-gujarati">હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્નનું રિસેપ્શન હિંદુ સંગઠનોએ રદ કરાવ્યું?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બારાબંકીના અકોહરી ગામની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ગઈકાલની છે. બારાબંકી જિલ્લાના અસંદ્રા પોલીસ સ્ટેશનના અકોહરી ગામમાં એક ઘટના પ્રકાશમાં આવી જેણે જાતિવાદી માનસિકતાનો પર્દાફાશ કર્યો છે. ગામના ઠાકુર સમાજની યુવતી અને દલિત યુવક વચ્ચે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ તેઓ જીવતા રહીને પોતાના પ્રેમને સમાજના બંધનોમાંથી મુક્ત ન કરી શક્યા, અંતે તેઓ પોતાનો જીવ આપીને આ નિષ્ઠુર સમાજ માટે એક મેસેજ આપતા ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">યુવતીની લાશ તેના ઘરમાં, યુવક ગામ બહાર ઝાડ સાથે લટકતો મળ્યો</span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવારે 6 વાગ્યાની આસપાસ યુવતીની લાશ તેના ઘરની અંદર લટકતી હાલતમાં મળી આવી હતી, જ્યારે યુવકની લાશ ગામની બહાર ઝાડ પર લટકતી મળી આવી હતી. આ વાત વાયુવેગે ફેલાતા જ ગ્રામજનોમાં સનસનાટી મચી ગઈ હતી અને સ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદે પ્રેમી યુગલનો ભોગ લીધો?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સ્ટેશનના પ્રભારી જિતેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે કેસની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, પરંતુ યુવતી ઠાકુર સમાજની અને યુવક દલિત સમાજનો હોવાના કારણે બંનેના સંબંધોને સમાજની સ્વીકૃતિ મળી શકી ન હતી.</span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બંને પ્રેમીપંખીડા એકબીજાના સંપર્કમાં હતા અને પોતપોતાની જ્ઞાતિની મર્યાદાઓથી આગળ વધીને નવા જીવનના સપના જોતા હતા. પરંતુ તેમના પ્રેમને સ્વીકારવાને બદલે સમાજમાં પ્રવર્તતી જાતિવાદી વિચારસરણીએ તેમને એટલી હદે મજબૂર કરી દીધા કે તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ</span> <a href="https://khabarantar.com/rajput-family-gets-valmiki-community-daudhter-married-at-their-home">રાજપૂત પરિવારે વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન પોતાના ઘરે કરાવ્યા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">જાતિવાદ એક ખતરનાક માનસિકતા</span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના જ્ઞાતિવાદી માનસિકતા પર મોટો પ્રશ્ન ઉભો કરે છે. છેવટે, આપણા સમાજના લોકોને જાતિના આધારે તેમના સંબંધો પસંદ કરવાનો અધિકાર ક્યાં સુધી નહીં મળે? પ્રેમ જેવી માનવીય લાગણી ક્યાં સુધી જ્ઞાતિવાદની બેડીમાં જકડી રાખશે?</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના માત્ર દલિત સમાજને થતા અન્યાયને જ ઉજાગર કરતી નથી, પરંતુ સમગ્ર સમાજ માટે દર્પણ સમાન છે. દલિત યુવકે પોતાનો જીવ આપીને બતાવ્યું કે સમાજમાં જાતિવાદ માત્ર એક વિચાર નથી પરંતુ એક ખતરનાક માનસિકતા છે, જે પ્રેમ અને માનવતાનો નાશ કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમાજ, પોલીસ અને તંત્રએ આત્મમંથન કરવાની જરૂર છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ પોલીસ અને વહીવટીતંત્ર કરતાં સમાજે વધુ આત્મમંથન કરવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે જ્ઞાતિવાદ જેવા ભેદભાવને ખતમ કરવા કડક પગલાં લેવામાં આવે. આ ઘટના એ બોધપાઠ છે કે પ્રેમને જાતિ અને ધર્મની સીમાઓથી ઉપર જોવો જોઈએ અને દરેક વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર મળવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બારાબંકીમાં બનેલી આ ઘટનાએ માત્ર એક દંપતીના જીવનનો અંત જ નહીં, પરંતુ સમાજમાં રહેલા જ્ઞાતિના ભેદભાવને પણ ઉજાગર કર્યો. સમય આવી ગયો છે કે આપણે આ માનસિકતાને બદલવા માટે નક્કર પગલાં લઈએ, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/in-rajkots-ramod-the-bride-will-get-married-upside-down-again-in-the-crematorium">રાજકોટના રામોદમાં વરકન્યા ઊંધા ફેરા ફરી સ્મશાનમાં લગ્ન કરશે</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 06 Jan 2025 10:29:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1812</Articleid>
                    <excerpt>જાતિવાદ સામે સૌથી વધુ બંડ પ્રેમી યુગલો પોકારતા હોય છે. પણ તેમને જોઈને બીજા પ્રેમી યુગલોની હિંમત ન ખૂલી જાય તે માટે જાતિવાદીઓ મોતથી ઓછી સજા આપતા નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677b62393646f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677b623905356.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677b623905356.jpg" length="39456" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit youth, upper caste girl, commit suicide, Barabanki, different castes, not get married</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેવડિયામાં દીપડાએ કાળિયારનું મારણ કર્યું, આઘાતમાં બીજા 7 કાળિયારના મોત</title>
                    <link>https://khabarantar.com/leopard-kills-blackbuck-at-statue-of-unity-seven-more-die-in-shock</link>
                    <guid>https://khabarantar.com/leopard-kills-blackbuck-at-statue-of-unity-seven-more-die-in-shock</guid>
                    <description>
                        <![CDATA[ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારીમાં અચાનક દીપડો ઘૂસી ગયો હતો. તેણે કાળિયારને ફાડી ખાધો હતો, જે જોઈને તેના સાથી 7 કાળિયાર આઘાતમાં મોતને ભેટ્યાં હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં પાસે આવેલા જંગલ સફારી પાર્કમાં અચાનક એક દીપડો ઘૂસી ગયો હતો. તેણે કાળિયારનો શિકાર કર્યો હતો. જે જોઈને આઘાતમાં 7 જેટલાં હરણનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ 1 જાન્યુઆરીએ સવારે દીપડો અહીંના ઝૂઓલોજિકલ પાર્કમાં આવેલા એન્ક્લોઝરમાં ઘૂસી ગયો હતો અને એક કાળિયારનું મારણ કર્યું હતું. જે બાદ વધુ 7 હરણો મૃત્યુ પામ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર નવા વર્ષની સવારે દીપડો ફેન્સીંગ ઓળંગીને અંદર પ્રવેશી ગયો હતો. આ બિડાણ કેવડિયા વન વિભાગ હેઠળ આવે છે અને ઉદ્યાન શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યના જંગલોથી ઘેરાયેલું છે. અહીં પ્રાણીઓની સુરક્ષા માટે મજબૂત ફેન્સિંગ કરવામાં આવી છે. પરંતુ દીપડો તેને પાર કરવામાં સફળ રહ્યો હતો. તેણે એક કાળિયારનું મારણ કર્યું હતું. જેના આઘાતમાં અન્ય 7 કાળિયાર મોતને ભેટ્યાં હતા. વન વિભાગે કુલ 8 કાળિયારના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. એ પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે કેવડિયા વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે, આસપાસના જંગલોમાં દીપડાની હાજરી સામાન્ય છે. પરંતુ સફારી પાર્કમાં દીપડો ઘૂસ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. પાર્કની આસપાસ 400 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અહીં કેમેરા દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવે છે. સીસીટીવી ફૂટેજમાં દીપડાની હાજરી સામે આવી છે. દીપડો પ્રવેશતા જ કર્મચારીઓને જાણ થઈ હતી. કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ દીપડો ભાગી ગયો હતો. અત્યારે એ કહી શકાય નહીં કે દીપડો સફારી પાર્કમાંથી નીકળી ગયો છે કે અંદર ક્યાંક છુપાઈ ગયો છે? આ ઘટના બાદ સફારી પાર્ક બે દિવસ બંધ રાખવામાં આવ્યો હતો અને ગઈકાલે ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. હાલમાં દીપડો જંગલ સફારીની અંદર જ છે કે બહાર નીકળી ગયો છે તેને લઈને શંકા સેવાઈ રહી છે. પ્રવાસીઓમાં પણ આ ઘટનાને લઈને ભયનો માહોલ સ્પષ્ટ જોઈ શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકોની જમીન પર બનેલું છે. તેમને યોગ્ય વળતર આપ્યા વિના તેમની જમીનો પડાવી લેવાના આક્ષેપો મેધા પાટકરથી લઈને અનેક એક્ટિવિસ્ટો દ્વારા લગાવવામાં આવ્યા છે. આજે પણ અહીં વિસ્થાપિત થયેલા આદિવાસીઓના અનેક પ્રશ્નો જેમના તેમ હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-leopard-was-left-behind-to-drive-tribals-out-of-the-forest">આદિવાસીઓને જંગલમાંથી ખદેડવા ત્યાં દીપડો છોડી દેવાયો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 Jan 2025 20:27:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1811</Articleid>
                    <excerpt>સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારીમાં અચાનક દીપડો ઘૂસી ગયો હતો. તેણે કાળિયારને ફાડી ખાધો હતો, જે જોઈને તેના સાથી 7 કાળિયાર આઘાતમાં મોતને ભેટ્યાં હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677a9ce08c633.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a9ce057200.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a9ce057200.jpg" length="137770" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>leopard kills blackbuck at statue of unity, statue of unity</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાંતીવાડાના રાણોલની દૂધ મંડળીમાં વાલ્મિકી પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરાયું</title>
                    <link>https://khabarantar.com/milk-collection-from-valmiki-cattle-breeders-stopped-in-ranol-dantiwada-banaskantha</link>
                    <guid>https://khabarantar.com/milk-collection-from-valmiki-cattle-breeders-stopped-in-ranol-dantiwada-banaskantha</guid>
                    <description>
                        <![CDATA[ ગામના જાતિવાદી તત્વોએ ફતવો બહાર પાડ્યો હતો અને હવે પછી દૂધ મંડળીમાં વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ લેવું નથી. જાણો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લો જાતિવાદ મામલે ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે સ્પર્ધા કરવા માંગતો હોય તેવી એક ઘટના અહીં બની છે. અહીં દાંતીવાડાના રાણોલ ગામમાં કેટલાક જાતિવાદી તત્વોએ ગામની દૂધમંડળીમાં વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ સ્વીકારવામાં નહીં આવે તેવો ફતવો બહાર પાડી દેતા ચકચાર મચી ગઈ છે. આભડછેટ પાળતા આવા તત્વો સામે વાલ્મિકી સમાજ સહિત સમાનતામાં માનતા તમામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સમગ્ર મામલો જિલ્લા કલેક્ટરના ધ્યાને આવતા તેમણે મનસ્વી રીતે આ ફતવો જાહેર કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. રણોલમાં 10 જેટલા વાલ્મિકી સમાજના લોકો પશુપાલન કરીને પોતાાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની સાથે આભડછેટ રાખીને ગામના કેટલાક મનુવાદીઓ દ્વારા આ ફતવો બહાર પડાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંડળીની જાણ બહાર જાતિવાદી તત્વોએ ચાલ ચાલી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ ગામની દૂધ મંડળીમાં નહીં ભરવા દેવા માટે ગામના જ કેટલાક આગેવાનોએ ઘરની ધોરાજી ચલાવી હતી અને મંડળીની જાણ બહાર મનસ્વી રીતે એક કાગળ પર ઠરાવ કરી વાલ્મિકી સમાજના દૂધને મંડળીમાં નહીં સ્વીકારવામાં આવે તેવો ફતવો બહાર પાડ્યો હતો. અને આ મામલે મંડળી કંઈ જાણતી નથી તેવી માહિતી મળી હતી. જો કે આ વાત ખોટી હોય તેમ લાગે છે. કેમ કે મંડળીને જાણ ન હોય તો શા માટે અહીં અચાનક વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરી દેવાયું તે પણ સવાલ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વાલ્મિકી પશુપાલકોએ દૂધ ભરવા બહાર જાય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોના કારણે હાલ વાલ્મિકી સમાજના પશુ પાલકોને દૂધ ભરાવવા માટે બાજુમાં આવેલ ઓઢવા ગામે જવાની ફરજ પડી રહી છે. જાતિવાદી તત્વોની દાદાગીરી સામે આ વાલ્મિકી પરિવારોએ આ મામલે જિલ્લા કલેકટર, એસપી અને સમાજ કલ્યાણ વિભાગમાં રજૂઆત કરી છે. જેના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા મંડળીની જાણ બહાર સહીઓ કરી મનસ્વી રીતે ઠરાવ કરનારા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવા સૂચના આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામના મંદિરમાં મિટીંગ થઈ, જાતિવાદીઓએ સહી કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ રાણોલ ગામે ગત.તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ગામના મંદિરમાં ગામના સવર્ણ પશુપાલકોની એક મીટિંગ મળી હતી. જેમાં રાણોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં વાલ્મીકિ સમાજના લોકોનું દૂધ ન લેવું તેવો ઠરાવ કરાયો હતો. જેમાં ગામના સવર્ણોએ સહીઓ કરી સંમતિ દર્શાવી હતી. પરંતુ દૂધ મંડળી આ તમામ બાબતથી અજાણ છે, તેવું લોકો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે કલેક્ટરને જાણ થતા તેમણે તપાસના આદેશ આપ્યા છે. જોવાનું એ રહેશે કે કલેક્ટરનો આદેશ ખરેખર વાલ્મિકી સમાજના પશુપાલકોને ન્યાય અપાવે છે કે પછી માત્ર એક ઔપચારિકતા બનીને રહી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dalit-student-cut-potatoes-cook-didnt-prepare-midday-meal-in-mainpuri-uttar-pradesh"><span style="font-size: 12pt;"> </span>દલિત વિદ્યાર્થિનીએ બટેટા કાપ્યા તો રસોઈયાએ મધ્યાહન ભોજન ન બનાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 Jan 2025 16:56:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1810</Articleid>
                    <excerpt>ગામના જાતિવાદી તત્વોએ ફતવો બહાર પાડ્યો હતો અને હવે પછી દૂધ મંડળીમાં વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ લેવું નથી. જાણો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677a6bb380656.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a6bb350203.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a6bb350203.jpg" length="44031" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ranol news, valmiki  community, dalit news, untouchability</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી</title>
                    <link>https://khabarantar.com/kadaknath-the-film-kaushik-garasia-from-dahod-made-a-film-on-atrocities-in-bhil-dialect</link>
                    <guid>https://khabarantar.com/kadaknath-the-film-kaushik-garasia-from-dahod-made-a-film-on-atrocities-in-bhil-dialect</guid>
                    <description>
                        <![CDATA[ FTII પૂણેમાં ભણેલા એક આદિવાસી યુવકે ભીલી ભાષામાં આદિવાસી સમાજની વ્યથાને વાચા આપતી એક અદ્દભૂત ફિલ્મ બનાવી છે. શું છે આ ફિલ્મમાં જેની ચોતરફ ચર્ચા થઈ રહી છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્તમાન સમયમાં ગુજરાતના આદિવાસીઓ માત્ર જંગલ રખવાલાની ઈમેજમાં કેદ થાય તેમ નથી. આજના આદિવાસી યુવાનો માત્ર જંગલ રખવાલા બનીને બેસી નથી રહેતા, હવે તે ટેકનોલોજી થકી પોતાની સમસ્યાઓને વાચા આપવા માટે પણ હવે આગળ આવી રહ્યો છે. દાહોદનો કૌશિક ગરાસિયા આવો જ એક યુવક છે. જેણે આદિવાસી સમાજની વ્યથા-કથાને વાચા આપતી એક ફિલ્મ બનાવી છે, જેની ચોતરફ ચર્ચા થઈ રહી છે. શું છે આ ફિલ્મ અને શા માટે તે ચર્ચામાં છે તેની અહીં વાત કરીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મનું નામ 'કડકનાથ' છે અને તે આદિવાસી સમાજ પર થતા અત્યાચારો પર આધારિત છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે તેને મૂળ દાહોદના અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પૂનામાં ભણેલા આદિવાસી યુવક કૌશિક ગરાસિયાએ ભીલી ભાષામાં બનાવી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a43a118174.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"મારું મૂળ ગામ ભમરી-કુંડા છે, જે માનગઢની પહાડીઓમાં આવેલું છે. જ્યાં દેશ માટે આદિવાસીઓએ પોતાના જીવનની આહુતિ આપી હતી, તે ગામ મારું વતન છે." એમ કહેનાર કૌશિક ગરાસીયા પોતાના વિશે જણાવતાં કહે છે કે, "મારા માતા-પિતાની નોકરીને કારણે હું દાહોદમાં મોટો થયો અને રહ્યો છું. મારા પિતા ભીલ સેવા મંડળમાં સેક્રેટરી છે અને મારી માતા એ જ ટ્રસ્ટની સંસ્થા ભીલ કન્યા છાત્રાલયમાં ગૃહમાતા તરીકે સર્વિસ કરતા હતા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશિક ગરાસીયાના અભ્યાસની વાત કરીએ તો તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ દાહોદની નામાંકિત શાળા એમ. વાય. હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું હતું. દાહોદમાં જ પોતાનો બેઝિક અભ્યાસ કર્યા બાદ તેઓ પત્રકારત્વમાં સ્નાતક થવા માટે એસ.પી. યુનિવર્સિટી, આણંદ ખાતે એડમિશન લીધું હતું. ત્યાર બાદ તેમણે ફિલ્મમેકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન FTII પુણેમાં પૂર્ણ કર્યું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a43b9c02a4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે આપણે ત્યાં નવા ફિલ્મમેકરો અન્ય ડિરેક્ટરોની ફિલ્મો જોઈને પ્રભાવિત થયા બાદ ફિલ્મજગતમાં આવતા હોય છે. પણ કૌશિક ગરાસિયાની વાત અલગ છે. તેણે ફિલ્મ જગતમાં પગ મૂકવાનો વિચાર પોતાના સમાજની પરિસ્થિતિને સુધારી શકાય તે માટે કર્યો. આ માટે તેણે પહેલા પત્રકારત્વ કર્યું અને પછી ફિલ્મમેકીંગની તાલીમ લીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પત્રકારત્વ થકી સમાજ વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવવાની તેની પ્રબળ ઈચ્છા હતી. પરંતુ ડોક્યુમેન્ટરી ફિલ્મોની પહોંચ મર્યાદિત હોવાને કારણે તેણે વિચાર કર્યો કે પોતાની લખેલી વાર્તાઓ પર જો ફિલ્મ બને તો કેવું..! જે એ લોકો સુધી પહોચી શકે કે જેઓ ખરા અર્થમા ફિલ્મના કેંદ્રમાં છે. બસ ત્યાંથી શરૂ થઇ ફિલ્મ જગતમાં કૌશિક દ્વારા લખેલી ફિક્શન શોર્ટ ફિલ્મસ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે ડિરેક્ટ કરવાનું ચાલું કર્યુ અને ત્યાંથી તેની લખેલી વાર્તાઓ પડદા પર આકાર લેવા માંડી હતી. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) માં અભ્યાસ કરવાનો અનુભવ જણાવતાં કૌશિક કહે છે, "FTII થી એક માધ્યમ તરીકે સિનેમાના સંદર્ભમાં મારો પૂરો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. ત્યાં જઈ ને સમજાયુ કે, ફિલ્મ મેકિંગ શીખવામાં લાંબો સમય લાગશે. પણ FTII ને કારણે જ ફિલ્મ બનાવવાનો મારો આત્મવિશ્વાસ વધ્યો. ત્યાં દુનિયાભરમાં બનેલી અદ્ભુત ફિલ્મો જોવાની તક મળી. તે ફિલ્મ્સ જોઈને દાહોદ જેવી જગ્યા પર ફિલ્મ્સ કઈ રીતે બની શકે તે વિશેની નવી દિશા મળી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Kaala---The-roar-of-Dalit-identity-presented-on-the-cinema-screen"><span style="font-size: 14pt;"> Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશિક એની પહેલી ફિલ્મ વિશે જણાવે છે કે, “કડકનાથ” પહેલી એવી ફિલ્મ છે તે સ્થાનિક ભીલી બોલીમાં બની હોય અને એક આદિવાસી ફિલ્મ મેકર દ્વારા બનાવવામાં આવી હોય. આ ફિલ્મ પ્રેક્ષકોને આદિવાસી દુનિયાની અનુભૂતિ કરાવશે. અહીં અમે આદિવાસી સમાજ પર થતા અત્યાચારોને અલગ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે ફિલ્મમાં બે ભાઈઓની વાર્તા છે જેમાં એક ઘટનાને પરિણામે બંને અલગ-અલગ માર્ગે આગળ વધે છે. જેમ-જેમ ફિલ્મ આગળ વધે છે તેમ-તેમ સમગ્ર કથા આદિવાસી સમાજની જટિલ સમસ્યાઓને આવરી લઇને આગળ ધપતી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશિક કહે છે, "ફિલ્મમાં મોટાભાગના પાત્રો દાહોદના જ હોવાથી આદિવાસી જીવન, બોલી અને સંસ્કૃતિને રજૂ કરવામાં સફળતા મળી છે. ફિલ્મમાં દાહોદના આદિવાસી સમાજના ઘણા બધા સાંસ્કૃતિક રીતિ -રિવાજને આવરી લીધા છે જે પહેલી વખત સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મમાં સ્થાનિક બોલી પોતે જ એક ફિલ્મના મજબૂત પાસા તરીકે બહાર આવી રહી છે, જે અગાઉ ક્યારેય કોઈ ફિલ્મમાં સાંભળવામાં ન આવી હોય. આ ફિલ્મ આદિવાસી સમાજની ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક પાસાઓને પ્રદર્શિત કરવા માટેનો એક પ્રયત્ન હશે. ફિલ્મના કેમેરા પાછળ રહેલી મોટાભાગની ટીમ પણ આદિવાસી હોવાને કારણે આ એક મૂળભૂત આદિવાસી ફિલ્મ કહી શકાય છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમે અત્યારે "કડકનાથ" ના પોસ્ટ-પ્રોડક્શનના અંતિમ તબક્કા પર છીએ અને તેને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવાનો પણ વિચાર કરી રહ્યા છીએ. આ ફિલ્મ વર્ષ ૨૦૨૫ ના અંતમાં રજૂ કરી શકાય તેવી શક્યતાઓ છે. આદિવાસી વિસ્તારમાં બનેલી આગળની ફિલ્મો વિશે કૌશિકનું માનવું છે કે, આદિવાસી વિસ્તારને ભાગ્યે જ ફિલ્મોમાં પ્રમાણિક રીતે રજૂ કરવામાં આવે છે. જ્યારે કેટલીક ફિલ્મો આ પ્રદેશમાં શૂટ કરવામાં આવી છે, ત્યારે તેમાં આ વિસ્તારોની માત્ર સુંદરતા અને લેન્ડસ્કેપનો બેકડ્રોપ તરીકે ફિલ્મોમાં વપરાતા હોય છે. તેમા મોટેભાગે આદિવાસી સમાજ વિશે કોઇ વાત નથી હોતી. એક આદિવાસી ફિલ્મમેકર તરીકે હું ‘કડકનાથ’ દ્વારા દાહોદવાસીઓના અસલ સામાજિક ચિત્રને સચોટ રીતે પરદા પર ઉતારવા પ્રયત્ન કરી રહ્યો છું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a43d22f2bd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફિલ્મ દાહોદની અનોખી સંસ્કૃતિને રજુ કરે છે, જેમાં દાહોદની આસ-પાસના લગભગ ૧૫ જેટલા ગામડાઓમાં શૂટ થયેલા દ્રશ્યો છે. આ ફિલ્મની અંદર એવો પ્રયાસ કરાયો છે કે ધાર્મિક ગતિ-વિધિઓ અને સાંસ્કૃતિક રિવાજો પર પણ એક પ્રકાશ પડે. એક આદિવાસી હીરો કેમ ના હોઈ શકે? કૌશિક તેમની ફિલ્મમેકિંગને સમજાવતા કહે છે કે, હંમેશા આદિવાસીઓને રમુજી, મૂંગા, લાચાર અને મૂર્ખ તરીકે રજૂ કરવામાં આવે છે. એક આદિવાસી ફિલ્મમેકર તરીકે હું આ સમગ્ર ધારણાને બદલવા માંગુ છું. મારી ફિલ્મોમાં એ પ્રયાસ રહેશે જ કે મુખ્ય પાત્ર આદિવાસી હોય. હું એ બાબતે સભાન રીતે પ્રયત્ન કરવા માંગુ છું કે સમગ્ર કથા આદિવાસી નાયક-નાયિકા માટે ઘડાયેલી હોય. મારી ફિલ્મોનો ઉદ્દેશ્ય આદિવાસી જીવનની ગરિમા અને સંસ્કૃતિને રજૂ કરવાનો છે, હું આદિવાસી ફિલ્મોની પહોંચ વધારવા માંગુ છું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશિક બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા કહે છે કે, “શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરો” એ એક બુનિયાદી વિચારની સાથે આદિવાસી સમાજ બધી દિશામાં આગળ વધી શકે છે. એ જ વિચારથી પ્રભાવિત થઈને તે તેમના આદિવાસી મિત્રોએ ભેગા થઈને ફિલ્મ મેકિંગની નવી કેડી કંડારી આગળ વધી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશિક આજના યુવાનોને સંદેશ આપતાં કહે છે કે, આ બધું સાધારણ વાંચવા અને લખવાની આદતથી જ શરૂ થઈ શકે છે. ફોનથી જ વાંચવા - લખવાનું તેમજ શૂટિંગ કરી શકે છે. ફોન એ છેલ્લા અમુક વરસોમાં આવેલો એક અદ્ભુત આવિષ્કાર છે. ના માધ્યમથી તમે શીખી શકો છો. ફોનથી ફિલ્મ બનાવીને એક સામાન્ય વાર્તા કહેવાની રીતને સમજી શકાય છે. આમ કરતા જે ભૂલો થાય તે થયેલી ભૂલોમાંથી શીખો અને ફરીથી નવી શરૂઆત કરો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/know-about-tamil-film-director-pa-ranjith">મારી માં મને કહેતી, "તું તારી જાતિ વિશે કંઈ ન બોલતો.."</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 Jan 2025 14:07:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1809</Articleid>
                    <excerpt>FTII પૂણેમાં ભણેલા એક આદિવાસી યુવકે ભીલી ભાષામાં આદિવાસી સમાજની વ્યથાને વાચા આપતી એક અદ્દભૂત ફિલ્મ બનાવી છે. શું છે આ ફિલ્મમાં જેની ચોતરફ ચર્ચા થઈ રહી છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677a438a5a4ad.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a438a2870f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a438a2870f.jpg" length="69443" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kedarnath movie, film on atrocities in bhil, Atrocity</media:keywords>
                </item>
                        <item>
                    <title>માધવપુરમાં SSD નું શક્તિ પ્રદર્શન : શૌર્ય દિવસે જંગી મહારેલી&amp;મહાસભા યોજાઈ</title>
                    <link>https://khabarantar.com/ssd-organized-grand-rally-on-the-occasion-of-shaurya-diwas-in-madhavpur-ghed-porbandar</link>
                    <guid>https://khabarantar.com/ssd-organized-grand-rally-on-the-occasion-of-shaurya-diwas-in-madhavpur-ghed-porbandar</guid>
                    <description>
                        <![CDATA[ 1 જાન્યુઆરીએ ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ નિમિત્તે ગુજરાતના સૌથી મોટા બહુજન સંગઠન SSD એ પોરબંદરના માધવપુર ઘેડમાં ભવ્ય આયોજન કરીને છાકો પાડી દીધો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1 જાન્યુઆરીએ ભીમા કોરેગાંવની વિજયી મહાગાથાને લઈને 207મો શૌર્ય દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે દેશ જ નહીં, દુનિયાભરમાંથી બહુજન સમાજ પોતાના લડાયક પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં ઉમટી પડતો હોય છે. આ સિવાય હવે તો દરેક નાનામોટાં શહેરોમાં પણ શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવી જ એક ભવ્ય ઉજવણી પોરબંદરના માધવપુર ઘેડમાં ગુજરાતના સૌથી મોટા બહુજન સંગઠન સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા કરવામાં આવી હતી. જેમાં 500 મહાર યૌદ્ધાઓને મહારેલી મહાસભા અને મહાસલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાંથી પોરબંદર જિલ્લા ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં એસએસડીના કાર્યકરો ઉમટી પડ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a28d209dba.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરવર્ષની જેમ આ વર્ષે પણ એસએસડી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં મહારેલી, મહાસભા, અને મહાસલામીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લાનો કાર્યક્રમ માધવપુર(ઘેડ) ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મૂળનિવાસી સમાજના હજારો લોકોએ ઉપસ્થિત રહીને શિસ્તબદ્ધ રીતે મહારેલી યોજી હતી, જેમાં નાના બાળકો, મહિલાઓથી લઈને વૃદ્ધો પણ જોડાયા હતા. આ તકે પ્રથમ વખત મૂળનિવાસી લોકોનું સ્નેહમિલન પણ જોવા મળ્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a28d498ac0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારેલી બાદ મહાસભા યોજાઈ હતી, જેમાં સ્વયમ્ સૈનિક દળ(SSD) ના સૈનિકો દ્વારા ઇતિહાસની વાત કરવામાં આવી હતી અને કોમવાદી વિચારધારાને આ દેશમાંથી જડમૂળમાંથી ખતમ કરવાની કવાયત સમગ્ર દેશમાં ચલાવામાં આવી રહી છે ત્યારે આવનારા સમયમાં આ દેશને માનવતાવાદી રાષ્ટ્રના નિર્માણ માટે આગળ આવવા પહેલ કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">SSDના સૈનિક ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આ દેશના કરોડો મૂળનિવાસી લોકોને ગરીબી, મોંઘવારી, બેરોજગારી અને કોમવાદી તાકાતોના ભરડામાંથી બહાર લાવી દેશા શાસક બનાવવાની દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ. અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ કે, શાંતિનો સંદેશો આપનાર તથાગત ગૌતમ બુદ્ધના માર્ગે જ મૂળનિવાસી સમાજ ટકી શકશે, નહિ કે કોઈ અસમાનતાવાદી અને જાતિવાદી વ્યવસ્થા પર. અમે સંગઠન દ્વારા મૂળ રીતે મહાનાયકોના સપનાને સાકાર કરવાનું કામ કરી રહ્યા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a28d53f647.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તકે બહોળી સંખ્યામાં એકઠાં થયેલ લોકો દ્વારા સભામાં "આવાજ દો, હમ એક હૈ; કેટલા રે કેટલા, અડધા ભારત જેટલા; જય ભીમ, જય જોહાર, જય મૂળનિવાસી" ના નારા ગુંજી ઉઠ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a28d4041ff.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, એસએસડી ગુજરાતનું સૌથી મોટું બહુજન સંગઠન છે. તેના કાર્યકરો આરએસએસની જેમ સમર્પિત ભાવે છેવાડાના ગામ સુધી સ્વખર્ચે પહોંચે છે અને સમાજને યોગ્ય દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી એસએસડી જમીની સ્તરે કામ કરીને બહુજન સમાજને શાસક બનાવવાની બહુજન મહાનાયકોની મહેચ્છા પર આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં તેની વધુ અસર સમાજમાં જોવા મળશે. આરએસએસ બાદ સ્વયં સૈનિક દળ એકમાત્ર એવું કેડર આધારિત સંગઠન છે જેના કાર્યકરો કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના, માત્ર સમાજને વફાદાર રહીને કાર્ય કરી રહ્યાં છે. આવા વધુને વધુ સંગઠનોની બહુજન સમાજને જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/ssd-protested-in-33-districts-on-the-issue-of-teaching-bhagavad-gita-in-schools">SSDએ શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવા મુદ્દે 33 જિલ્લાઓમાં વિરોધ કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 Jan 2025 12:15:45 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 05 Jan 2025 12:20:45 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1808</Articleid>
                    <excerpt>1 જાન્યુઆરીએ ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ નિમિત્તે ગુજરાતના સૌથી મોટા બહુજન સંગઠન SSD એ પોરબંદરના માધવપુર ઘેડમાં ભવ્ય આયોજન કરીને છાકો પાડી દીધો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677a28d5ef609.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a28d5bc7a0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a28d5bc7a0.jpg" length="157886" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>SSD, Swayam Sainik Dal Gujarat, grand rally, Madhavpur Ghed, Porbandar</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગૌરી ગરવાની હત્યામાં આખું કચ્છ હિબકે ચઢ્યું, ખુદ સાંસદ ન્યાય માટે રસ્તે ઉતર્યા</title>
                    <link>https://khabarantar.com/gauri-garwa-murder-case-kutch-people-hold-silent-rally-and-submit-complaint-to-collector-sp</link>
                    <guid>https://khabarantar.com/gauri-garwa-murder-case-kutch-people-hold-silent-rally-and-submit-complaint-to-collector-sp</guid>
                    <description>
                        <![CDATA[ કચ્છના માંડવીમાં દલિત યુવતી ગૌરી ગરવાની તેના એકતરફી પ્રેમીએ કરેલી ઘાતકી હત્યાને લઈને સર્વ સમાજે મૌન રેલી કાઢી ન્યાયની માગણી કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના માંડવા તાલુકાના ગોધરા ગામમાં ગત તા. 30 ડિસેમ્બરના રોજ 28 વર્ષની દલિત યુવતી ગૌરી ગરવાની એકતરફી પ્રેમી સાગર સંઘાર નામના યુવકે તલવાર અને ગુપ્તીના અસંખ્યા ઘા મારીને જાહેરમાં હત્યા કરી નાખી હતી. આ મામલે હવે કચ્છના અનુસૂચિત જાતિ સમાજ સાથે સર્વ સમાજે રસ્તા પર ઉતરી દલિત દીકરી માટે ઝડપી ન્યાયની માંગણી કરી છે. ખુદ કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ આ મૌન રેલીમાં રસ્તા પર ઉતર્યા હતા અને તેમની સાથે કચ્છના તમામ સમાજના લોકો, સાધુસંતો પણ જોડાયા હતા અને કલેક્ટર અને એસપી કચેરીએ જઈને દીકરીને ઝડપથી ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા થાય તે માટે આવેદનપત્ર આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત તા. 30 ડિસેમ્બર 2024ના રોજ માંડવી તાલુકાના ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં પોતાના ઘરથી 100 મીટર દૂર બસની રાહ જોઇને ઊભેલી આરોગ્ય વિભાગમાં પરિચારિકા તરીકે બજાવતી દલિત સમાજની દીકરી ગૌરીબેન તુલસીભાઇ ગરવા (ઉ.વ. 28) ઉપર તેના એકતરફી પ્રેમી એવા કોડાયના સાગર રામજી સંઘારે બેરહેમીપૂર્વક ગુપ્તી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરી હતી. આ બનાવ એકતરફી પ્રેમના અનુસંધાને બન્યાનું સપાટી ઉપર આવી રહ્યું છે. હત્યાના બનાવ અંગે યુવતીના ભાઈ દીપકે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નાના એવા ગોધરા ગામમાં વહેલી પરોઢે બનેલા આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a19a7b3702.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા ઈન્ચાજ પીઆઈ ડી.એમ. ઝાલા સહિતના  અધિકારીઓના કાફલા સાથે તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડોગ સ્કવોડ સહિતની સઘન તપાસ હાથ ધરવા સાથે ટેકનિકલ તથા માનવીય સંદર્ભોની મમદથી આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડયો હતો. કૃત્યને અંજામ આપ્યા બાદ આરોપી સાગરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે માંડવીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પોલીસે તેની યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે જણાવ્યું હતું કે, રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલો અને કૃત્ય આચર્યા બાદ ઝેરી દવા પીનારા સાગરને સારવાર બાદ ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. તે  અવારનવાર ગૌરીને હેરાન-પરેશાન કરતો હતો. ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં બે ભાઇઓ અને માતા સાથે રહેનાર યુવતી ગૌરી છેલ્લા બે વર્ષથી તુંબડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતી હતી. અગાઉ તે ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી હતી. તુંબડી જવા માટે ગૌરી દરરોજ વહેલી સવારે 5-30ના અરસામાં ઘરેથી નીકળી અંબેધામથી ભચાઉ જતી બસમાં જતી હતી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a19b801f2e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">30  ડિસેમ્બરને સોમવારે વહેલી પરોઢે તે તુંબડી જવા માટે પોતાના ઘરથી 100 મીટર દૂર ગોધરાથી દુર્ગાપુર જતા રસ્તે બસની રાહ જોઇને ઊભી હતી. એ દરમ્યાન ત્યાં સાગર આવી પહોંચ્યો હતો અને ગૌરી કંઈ સમજે તે પહેલા જ ગુપ્તી અને તલવારના ઘા ઝીંકી દઇ તેની હત્યા કરી હતી. ક્રૂર એવા આરોપીએ યુવતીના પેટમાં ગુપ્તી ભરાવી રાખી હતી અને માત્ર હાથો બહાર રહ્યો હતો. તેમજ માથાંના ભાગે તલવાર મૂકી ગયો હતો. ગંભીર ઇજાઓનાં પગલે ગૌરી ગરવાએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં જ તેનો ભાઈ સહિતનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સ્તબ્ધ થઈ ગયા હતા. પાંચ બહેનો પૈકી સૌથી નાની અને બે ભાઇઓની બહેન એવી ગૌરીની હત્યાથી સવાર સવારમાં ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સરપંચ ઉપરાંત પ્રવીણભાઈ, અરવિંદભાઈ, દીપકભાઈ, નરેનભાઈ સોની સહિતના હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા માંડવીના પીઆઈ ઝાલા ઉપરાંત માંડવી અને કોડાય પોલીસ મથકના કર્મચારીઓ, સ્થાનિક ગુનાશોધક શાખા, એસઓજી, પેરોલ ફર્લો શાખા, ડોગ સ્કવોડ સહિતના અધિકારી-કર્મચારી જોડાયા હતા અને ગણતરીના કલાકોમાં આરોપી સાગર સંઘારને ઝડપી પાડ્યો હતો. જો કે તેણે દવા પી લેવાનું નાટક કર્યું હતું. આથી પોલીસે તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સાજો થયાનું જણાતા હવે તેને બે દિવસના રિમાન્ડ પર લીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં શું માગણી કરવામાં આવી છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને ગઈકાલે શ્રી અખિલ કચ્છ ગર્ગવંશી ગરવા ગુરૂ બ્રાહ્મણ સમાજ પશ્ચિમ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આ ઘટનાને રેરેસ્ટ ઓફ રેર ગણીને એસઆઈટી દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. આ સિવાય મૃતક યુવતીના પરિવારના સભ્યને સરકારી નોકરી, મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ. 1 કરોડનું વળતર, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા અને અનુભવી સરકારી વકીલને નિયુક્ત કરી વહેલીતકે ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરાઈ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a19ca2b5dc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં વિવિધ 7 માગણીઓ કરવામાં આવી છે. જેમાં આરોપી યુવકને રહસ્યમય રીતે સરકારી હોસ્પિટલમાં આપવામાં આવેલી સારવાર અને યુવતીના પરિવારને પોલીસ દ્વારા કેસનું સ્ટેટસ જણાવાયું ન હોવાને લઈને પણ શંકા વ્યક્ત કરાઈ છે. સાથે જ ટૂંકા ગાળામાં તપાસ અધિકારીઓ બદલાઈ જતા કેસ પર અસર પડવાને લઈને એસઆઈટી દ્વારા તપાસની માગ કરાઈ છે. આરોપી યુવક યુવતીની હત્યા કર્યા બાદ 9 વાગ્યે ઝેરી દવા પી લીધી હતી અને પછી સાંજે 4 વાગ્યે જાતે વાહન ચલાવીને કોડાયથી માંડવી સારવાર લેવા ગયો હતો. અહીં 24 કલાક સારવાર બાદ તેની અટક બાદ મેડિકલ પરીક્ષણ કરાયું નહોતું. જેમાં તબીબોની ભૂમિકા પર શંકા ઉભી કરાઈ છે અને આરોપીને મદદગારી સમાજ ગણાવાઈ તેમની સામે પગલાં લેવા વિનંતી કરાઈ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a19eb8dcb1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં એ પણ આશંકા વ્યક્ત કરાઈ છે કે, તલવાર અને ગુપ્તી સહિતના હથિયારોથી જે રીતે યુવતીની હત્યા કરાઈ છે, તે જોતા તેમાં એકથી વધુ લોકોની સંડોવણી હોય તેવું લાગે છે. આ દિશામાં પણ તપાસ કરવા કહેવાયું છે. સાથે જ સમગ્ર કેસની તપાસ, સ્ટેટસ, દસ્તાવેજો અને તપાસના ભાગરૂપે થયેલી કામગીરીની માહિતી યુવતીના પરિવારજનો, સામાજિક આગેવાનોને આપવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના સામાજિક કાર્યકર અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાન નરેશભાઈ મહેશ્વરીએ આ મામલે <em><strong>ખબરઅંતર.કોમ </strong></em>સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દલિત સમાજની દીકરીની જાહેરમાં થયેલી હત્યાના સમગ્ર કચ્છમાં પડઘા પડ્યાં છે. લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે. નિર્દોષ યુવતીની આ રીતે જાહેરમાં થયેલી હત્યાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે. ત્યારે દીકરીના પરિવારને ન્યાય મળે તે માટે કચ્છના સાંસદ વિનોદ ચાવડા ખુદ મૌન રેલીમાં જોડાયા હતા. તેમની સાથે સર્વ સમાજના લોકો, સાધુ સંતો પણ મૌન રેલીમાં હાજર રહીને દલિત દીકરી માટે ન્યાયની માગણી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/on-the-issue-of-misinterpretation-of-Arnesh-Kumars-verdict-the-battle-has-started">અર્ણેશ કુમારના ચૂકાદાના ખોટા અર્થઘટન મુદ્દે હવે આરપારની લડાઈ શરૂ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 Jan 2025 11:09:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1807</Articleid>
                    <excerpt>કચ્છના માંડવીમાં દલિત યુવતી ગૌરી ગરવાની તેના એકતરફી પ્રેમીએ કરેલી ઘાતકી હત્યાને લઈને સર્વ સમાજે મૌન રેલી કાઢી ન્યાયની માગણી કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677a196230050.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a1961f1e78.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a1961f1e78.jpg" length="108413" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gauri Garwa Murder case, murder of dalit girl in godhra kutch, Godhra News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશને હોકીમાં પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ એક આદિવાસી કેપ્ટને અપાવ્યો હતો</title>
                    <link>https://khabarantar.com/first-olympic-gold-medal-in-hockey-a-tribal-captain-gave-it-to-me</link>
                    <guid>https://khabarantar.com/first-olympic-gold-medal-in-hockey-a-tribal-captain-gave-it-to-me</guid>
                    <description>
                        <![CDATA[ આજથી 100 વર્ષ પહેલા એ આદિવાસી યુવક ઓક્સફર્ડ યુનિ.માં ભણ્યો હતો. &#039;હોકીના જાદુગર&#039; તેમની કેપ્ટનશીપમાં રમ્યાં હતા. જાણો એ યુવકે પછી દેશના આદિવાસીઓ માટે શું કર્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજથી 100 વર્ષ પહેલા કોઈ આદિવાસી યુવક ઓક્સફર્ડ યુનિ.માં ભણતો હોય એવું કોઈને કહીએ તો તે માને ખરું? એમાંય પાછું એમ કહો કે એ આદિવાસી યુવકે ભારતને તેનો પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો તો એ સાંભળીને તો મનુવાદીઓનો જીવ બળીને રાખ થઈ જાય. પણ આ હકીકત છે અને તેને કોઈ બદલી શકે તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત છે આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડાની. હજુ ગઈકાલે જ તેમનો જન્મદિવસ ગયો. 3 જાન્યુઆરી 1903ના રોજ ઝારખંડમાં જન્મેલા જયપાલસિંહ “મરાંગ ગોમકે” તરીકે ઓળખાતા હતા. તેમણે આદિવાસી અધિકારો, રમતગમત અને રાજકારણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/jharkhand-kharsawan-golikand-a-village-where-the-first-day-of-the-year-begins-with-tears">એવું ગામ, જ્યાં વર્ષના પહેલા દિવસની શરૂઆત આંસુઓ સાથે થાય છે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6779478d2c467.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનુવાદીઓથી જરાય સહન ન થાય તેવી વાત એ છે કે તેઓ એ જમાનામાં ઓક્સફર્ડ જેવી વિખ્યાત યુનિવર્સિટીમાં ભણ્યા હતા. અહીં અભ્યાસ કરતી વખતે તેમણે હોકીમાં 'ઓક્સફર્ડ બ્લુ'નો ખિતાબ જીત્યો હતો અને 1928ના ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની કેપ્ટનશીપ કરી દેશને પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. ભારતીય સિવિલ સર્વિસ છોડીને તેમણે આદિવાસી મહાસભા અને ઝારખંડ પાર્ટી દ્વારા ઝારખંડ રાજ્યની માંગ પર ભાર મૂક્યો હતો. બંધારણ સભાના સભ્ય અને આદિવાસી અધિકારોના કટ્ટર હિમાયતી તરીકેની તેમની ભૂમિકા ઐતિહાસિક હતી. તેમની 121મી જન્મજયંતિ પર, ઝારખંડના આદિવાસી ભાઈઓ-બહેનો, મુખ્યમંત્રી હેમંત સોરેન સહિતના સૌએ મળીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અસાધારણ પ્રતિભાને ઓળખી સ્કૂલે બ્રિટન મોકલ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">3 જાન્યુઆરી 1903ના રોજ ઝારખંડના ખુંટી જિલ્લાના ટકરા ગામમાં જન્મેલા જયપાલ સિંહ મુંડા, જેઓ "મરાંગ ગોમકે" (મહાન નેતા) તરીકે જાણીતા છે, તેમણે તેમના સંઘર્ષ અને સિદ્ધિઓથી ઈતિહાસ રચ્યો હતો. બાળપણમાં પ્રમોદ પાહણ તરીકે ઓળખાતા જયપાલ સિંહે રાંચીની સેન્ટ પોલ સ્કૂલમાં પોતાની પ્રતિભા બતાવી હતી. તેમની અસાધારણ ક્ષમતાઓને ઓળખીને શાળાના બ્રિટિશ આચાર્યએ તેમને 1918માં ઈંગ્લેન્ડ મોકલ્યા હતા. ત્યાં તેમણે સેન્ટ ઓગસ્ટાઈન કોલેજ, સેન્ટ જૉન્સ કૉલેજમાં અભ્યાસ કરીને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારતીય હોકીને પ્રથમ ગોલ્ડ અપાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓક્સફર્ડમાં અભ્યાસ દરમિયાન જયપાલ સિંહે હોકીમાં પોતાની પ્રતિભા બતાવી હતી. એ જમાનામાં કોઈ આદિવાસી યુવક વિદેશ જાય અને ત્યાં આટલી મોટી સિદ્ધિ મેળવે તે કેટલી મોટી ઘટના હશે તેની કલ્પના કરો! 1925 માં તેમને 'ઓક્સફોર્ડ બ્લુ' નું બિરુદ આપવામાં આવ્યું હતું, જે કોઈપણ આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી માટે એક દુર્લભ સન્માન હતું. 1928 માં તેમની કપ્તાની હેઠળ ભારતીય હોકી ટીમે એમ્સ્ટરડેમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમની નેતૃત્વ ક્ષમતા અને ટીમ વ્યૂહરચના ભારતીય હોકીને પ્રથમ વખત વૈશ્વિક મંચ પર લઈ આવી હતી. જો કે દેશમાં આદિવાસી મહાનાયકોની સિદ્ધિઓને ભૂંસી નાખવા માટે કુખ્યાત મનુવાદીઓએ જયપાલસિંહ મુંડાની આ સિદ્ધિને પણ કોરાણે મૂકી દીધી છે. તેમની આ સુવર્ણ સફરમાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ પણ ટીમનો ભાગ હતા, જેમણે પોતાની શાનદાર રમતથી દુનિયાને ચોંકાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસીઓના અધિકારો માટે સંઘર્ષ કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હોકીમાં સુવર્ણ સફળતા પછી જયપાલ સિંહે આદિવાસી સમાજના ઉત્થાન અને તેમના અધિકારો માટે લડવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. 1938માં તેમણે આદિવાસી મહાસભાની રચના કરી અને 1939માં તેનું પ્રમુખપદ સંભાળ્યું. તેઓ સુભાષ ચંદ્ર બોઝને મળ્યા અને ઝારખંડ રાજ્યની માંગ પર ભાર મૂક્યો. 1946 માં તેઓ બંધારણ સભાના સભ્ય બન્યા અને આદિવાસી સમાજના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઝારખંડ પાર્ટીની રચના અને રાજકીય સંઘર્ષ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1949 માં તેમણે આદિવાસી મહાસભાને ઝારખંડ પાર્ટીમાં પરિવર્તિત કરી. 1952ની લોકસભા ચૂંટણીમાં તેમનો પક્ષ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. તેમના નેતૃત્વમાં ઝારખંડ પાર્ટીએ પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં 32 બેઠકો જીતી હતી. વર્ષ 1963માં તેમણે ઝારખંડને અલગ રાજ્યનો દરજ્જો આપવાના વચન પર પોતાના પક્ષનું કોંગ્રેસમાં વિલિનીકરણ કર્યું. અલગ ઝારખંડ રાજ્યનું તેમનું આ સ્વપ્ન છેક વર્ષ 2000 માં સાકાર થયું. આજે ઝારખંડમાં આદિવાસી સમાજમાંથી આવતા હેમંત સોરેનની સરકાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">121મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">3 જાન્યુઆરી, 2025 ના રોજ, ઝારખંડે તેના આ મહાન નાયકને તેની 121મી જન્મજયંતિ પર ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડાએ ખુંટીના ટકરા ગામમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપી હતી. ઝારખંડ આંદોલનના સેંકડો કાર્યકરો અને સમર્થકો રાંચીના જયપાલ સિંહ સ્ટેડિયમ ખાતે એકઠા થયા હતા અને જયપાલસિંહ મુંડાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે ઝારખંડ સરકાર અને જનતાએ તેમના મહાન વારસાને યાદ કર્યો અને આદિવાસી સમાજના ઉત્થાન પ્રત્યેના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયપાલ સિંહ મુંડા માત્ર એક નામ નહોતા, પરંતુ એક મહાનાયક હતા જેમણે આદિવાસી અધિકારો, રમતગમત અને રાજકારણમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમનું જીવન સંઘર્ષ, સમર્પણ અને આદિજાતિના અવાજનું પ્રતીક છે. તેમનો વારસો ઝારખંડ અને સમગ્ર ભારત માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Strong-voice-of-tribal-rights:-Jaipal-Singh-Munda">આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 04 Jan 2025 20:12:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1806</Articleid>
                    <excerpt>આજથી 100 વર્ષ પહેલા એ આદિવાસી યુવક ઓક્સફર્ડ યુનિ.માં ભણ્યો હતો. &#039;હોકીના જાદુગર&#039; તેમની કેપ્ટનશીપમાં રમ્યાં હતા. જાણો એ યુવકે પછી દેશના આદિવાસીઓ માટે શું કર્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677947707d0f1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6779477047c3a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6779477047c3a.jpg" length="114940" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>jaipal singh munda hockey, first olympic gold medal in hockey</media:keywords>
                </item>
                        <item>
                    <title>બંદૂક બતાવી લુખ્ખાઓએ દલિત યુવકની જાન રોકી, ડીજે બંધ કરાવી તોફાન મચાવ્યું</title>
                    <link>https://khabarantar.com/bullies-stop-dalit-grooms-wedding-procession-in-saharanpur-show-gun-in-bareilly</link>
                    <guid>https://khabarantar.com/bullies-stop-dalit-grooms-wedding-procession-in-saharanpur-show-gun-in-bareilly</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકનો વરઘોડો ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અડધો ડઝન લોકોએ મળી તેને અટકાવ્યો. અન્ય એક ઘટનામાં ગુંડાએ બંદૂક બતાવી જાન રોકી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશના ઉત્તર ભાગમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને તેની સમાંતરે જાતિવાદી તત્વો પણ કાળોતરા નાગની જેમ ફેણ માંડીને બેઠાં થઈ ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લગ્નસરાની મોસમ શરૂ થતાની સાથે જ જાતિવાદી તત્વો દ્વારા દલિત યુવક કે યુવતીના વરઘોડા કે જાન પર હુમલાની ઘટનાઓ બનવા માંડી છે. આવી જ બે દિવસમાં બે ઘટનાઓ સામે આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બટેંગે તો કટેંગે ફેઈમ જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશનો છે. અહીં સહારનપુરમાં જાતિવાદી તત્વોએ એક દલિત વરરાજાના વરઘોડાને પોતાના ઘર પાસેથી પસાર થતા રોક્યો હતો. લુખ્ખા તત્વોએ વરઘોડામાં રહેલું ડીજે બંધ કરાવીને હોબાળો મચાવ્યો હતો. માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે બંને પક્ષો દ્વારા ફરિયાદો કરવામાં આવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સહારનપુરના છછરોલી ગામની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના નાનૌતા તાલુકાના છછરોલી ગામનો છે. અહીં દલિત સમાજમાંથી આવતા નાથીરામના પુત્ર મનોજના વરઘોડાને જાતિવાદી તત્વોએ અટકાવીને હોબાળો મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં નાથીરામે જણાવ્યું કે શનિવારે મોડી રાત્રે તેમના પુત્ર મનોજનો વરઘોડો નીકળ્યો હતો. જ્યારે વરઘોડો કથિત ઉચ્ચ જાતિના લોકો (મનુમીડિયા દ્વારા આરોપીઓના નામ, જાતિ છુપાવવામાં આવ્યા છે.) ના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ત્યાંથી અડધો ડઝન જેટલા યુવકો વરઘોડો રોકીને રસ્તા વચ્ચે ઉભા રહી ગયા હતા. તેમણે વરરાજાના પરિવારજનોને વરઘોડો અહીંથી પસાર નહીં થાય, જો થશે તો પરિણામ સારું નહીં આવે તેવી તેવી ધમકી આપી હતી. લુખ્ખા તત્વોએ વરઘોડામાં સામેલ ડીજે બંધ કરાવી દીધું હતું અને મહેમાનો સહિતના લોકોને જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કર્યા હતા. લુખ્ખા તત્વોએ હોબાળો મચાવતા વરરાજાના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. વરરાજાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/more-than-100-policemen-intervened-but-dalit-daughters-jaan-was-attacked">100થી વધુ પોલીસ ખડક્યાં, છતાં દલિત દીકરીની જાન પર હુમલો થયો</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677925b903f8b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે આવતા જાતિવાદીઓની હવા નીકળી ગઈ!</span></strong></span><br><span style="font-size: 14pt;">સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરાતા જાતિવાદી તત્વોની દાદાગીરી નીકળી ગઈ હતી અને તરત તેઓ બચાવમુદ્રામાં આવી ગયા હતા. પોલીસ આગળ તેમણે કહ્યું કે, તેમના ઘરમાં વૃદ્ધ બીમાર હોવાથી તેમણે ધીમા અવાજમાં ડીજે વગાડવાનું કહ્યું હતું. જો કે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એસપી રૂરલ સાગર જૈનનું કહેવું છે કે આ મામલે બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે. અમે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બરેલીમાં જાતિવાદીએ બંદૂક બતાવી જાન રોકી</span></strong></span><br><span style="font-size: 14pt;">આવી જ અન્ય એક ઘટના બરેલીમાં પણ બની હતી. જ્યાં એક જાતિવાદી ગુંડાએ બંદૂક બતાવીને દલિત યુવકની જાન રોકી હતી. જોકે, અધિકારીઓના આદેશ પર પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ગત શુક્રવારે બની હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ જગન્નાથપુર ગામના રહેવાસી કુંવરપાલની દીકરીની જાન સોના ગામથી આવી હતી. ડીજે મ્યુઝિક સાથે જાન આગળ વધી રહી હતી ત્યારે ગામનો કથિત માથાભારે જાતિનો યુવાન પિસ્તોલ લઈને જાન વચ્ચે આવીને ઉભો રહી ગયો હતો અને તેને અટકાવી દીધી હતી. યુવકની આવી હરકતથી મહેમાનો સાથે તેની બોલાચાલી થઈ હતી. જોકે, વરરાજાના પક્ષના લોકોએ તેને પકડી લીધો હતો. દરમિયાન તેની પિસ્તોલ નીચે પડી હતી, આ જોઈને ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી. જો કે યુવકે અપશબ્દો બોલી અને પિસ્તોલ તાકીને સ્થળ પરથી ભાગી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-bridegroom-thrown-out-of-buggy-fired-at-in-the-air">દલિત વરરાજાને બગીમાંથી ઉતારી ફટકાર્યા, જાન પર હવાઈ ફાયરિંગ કર્યું</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 04 Jan 2025 17:54:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1805</Articleid>
                    <excerpt>દલિત યુવકનો વરઘોડો ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અડધો ડઝન લોકોએ મળી તેને અટકાવ્યો. અન્ય એક ઘટનામાં ગુંડાએ બંદૂક બતાવી જાન રોકી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677924f035c34.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677924f007ab2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677924f007ab2.jpg" length="63132" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Saharanpur news, Bullies, stop Dalit groom&#039;s wedding procession, show gun, Bareilly, sc st act</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ ગુજરાતથી દંડવત કરતા દિલ્હી જશે</title>
                    <link>https://khabarantar.com/the-president-of-the-gujarat-valmiki-sangathan-will-travel-from-gujarat-to-delhi</link>
                    <guid>https://khabarantar.com/the-president-of-the-gujarat-valmiki-sangathan-will-travel-from-gujarat-to-delhi</guid>
                    <description>
                        <![CDATA[ વાલ્મિકી સમાજની પડતર માગણીઓ સરકાર સાંભળતી ન હોવાથી તેના અધ્યક્ષ ગુજરાતથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી પીએમ મોદીને વેદનાપત્ર પાઠવશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં સફાઈકર્મીઓની સ્થિતિ કેવી છે તેના વિશે વધુ કશું કહેવાની જરૂર નથી. એમાં પણ ગુજરાતમાં ભાજપની સરકાર આવ્યા પછી સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટ આધારિત કરી દેવાતા તેમની રોજીરોટીના અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સફાઈ માટે ફાળવવામાં આવતા બજેટમાંથી મોટાભાગની રકમ કોન્ટ્રાક્ટરો ખાઈ જાય છે અને જમીની સ્તરે કામ કરતા સફાઈ કામદારોને કશું પણ મળતું નથી. સફાઈકર્મીઓની આવી અનેક સમસ્યાઓને લઈને રાજ્યમાં ગુજરાત વાલ્મિકી સંગઠન લડત ચલાવી રહ્યું છે. અનેકવાર આ સંગઠન સફાઈકર્મીઓની માગણીઓને લઈને સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપવાથી લઈને ધરણાં કરવા સુધીની રજૂઆતો કરી ચૂક્યું છે, પણ સરકાર સફાઈકર્મીઓની માગણીઓને જરાય ગંભીરતાથી લેતી નથી. પરિણામે આ સંગઠનના અધ્યક્ષે હવે અરવલ્લી જિલ્લાના માલપુરથી દેશની રાજધાની દિલ્હી સુધી દંડવત કરતા જઈ પીએમ મોદીને વેદનાપત્ર આપવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતભરના સફાઈકર્મીઓની પડતર માગણીઓને લઈને ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા શરૂ કરવામાં આવી છે. ગુજરાત વાલ્મિકી સંગઠન છેલ્લાં ઘણાં સમયથી સફાઈ કામદારો અને અન્ય કર્મચારીઓને કાયમી કરવાની માગને લઈ આવેદનપત્ર, ધરણાં, પ્રદર્શન જેવા આંદોલન ચલાવી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા તેના પર ધ્યાન આપવામાં નથી આવતું. જેના કારણે હવે ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે અરવલ્લી જિલ્લાના માલપુરથી દેશની રાજધાની દિલ્હી સુધીની દંડવત યાત્રા શરૂ કરી છે. એક વર્ષ સુધી ચાલનારી આ દંડવત યાત્રા બાદ તેઓ દિલ્હી પહોંચશે અને ત્યાં વાલ્મિકી સમાજની વિવિધ માંગણીઓને લગતું વેદનાપત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દંડવત યાત્રા શરૂ કરવાને લઈને ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે જણાવ્યું હતું કે, "વર્ષોથી સરકારી કચેરીઓમાં કામ કરતા સફાઈ કામદારોને એજન્સીઓ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. સફાઈનું કામ અમે કરીએ છીએ પણ સરકારની ખાનગીકરણની નીતિને કારણે બધો લાભ કોન્ટ્રાક્ટરો લઈ જાય છે. અમારી બેઝીક માગણીઓ પર સંતોષાતી નથી. સફાઈકર્મીઓનું શોષણ થાય છે, તેમના પગારથી લઈને અનેક મોરચે અન્યાય થઈ રહ્યો છે. આ બાબતે અમે અનેકવાર સરકારના લાગતા વળગતા અધિકારીઓ, કચેરીઓએ અરજી, આવેદનપત્ર અને ધરણાં કાર્યકર્મો કર્યા છે. પણ સરકાર દ્વારા અમારી કોઈ જ માગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી. આથી હવે અમે તેના માટે દંડવત કરીને દિલ્હી જવાનું નક્કી કર્યું છે. એક વર્ષ સુધીમાં દંડવત કરીને દિલ્હી પહોંચી પીએમ મોદીને મળીને સમસ્ત વાલ્મિકી સમાજની વેદનાને વાચા આપતું વેદનાપત્ર આપીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/amit-shahs-statement-against-dr-ambedkar-is-now-being-opposed-abroad-too">અમિત શાહે ડૉ.આંબેડકર સામે કરેલા નિવેદનનો હવે વિદેશોમાં પણ વિરોધ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 03 Jan 2025 14:37:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1802</Articleid>
                    <excerpt>વાલ્મિકી સમાજની પડતર માગણીઓ સરકાર સાંભળતી ન હોવાથી તેના અધ્યક્ષ ગુજરાતથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી પીએમ મોદીને વેદનાપત્ર પાઠવશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677768bc7150b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677768bc405b6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677768bc405b6.jpg" length="69004" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>the president of the gujarat valmiki sangathan, Lalji bhagat, pm modi</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;વિદ્યાની દેવી સાવિત્રીબાઈ છે&amp;apos; કહેનાર શિક્ષિકાને 10 મહિનાથી પગાર નથી મળતો</title>
                    <link>https://khabarantar.com/hemlata-bairwa-teacher-who-said-savitribai-is-the-goddess-of-education-has-not-received-her-salary-for-10-months</link>
                    <guid>https://khabarantar.com/hemlata-bairwa-teacher-who-said-savitribai-is-the-goddess-of-education-has-not-received-her-salary-for-10-months</guid>
                    <description>
                        <![CDATA[ શાળાના કાર્યક્રમમાં &#039;વિદ્યાની અસલી દેવી સરસ્વતી નહીં સાવિત્રીબાઈ છે&#039; એમ કહેનાર એ વાયરલ વીડિયોની દલિત શિક્ષિકા યાદ છે? આ તેમની વાત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે 3 જાન્યુઆરી એટલે ખરા અર્થમાં વિદ્યાની દેવી એવા માતા સાવિત્રી બાઈ ફૂલેની જન્મજયંતિ. તેમણે મહિલાઓ અને સમાજના બહિષ્કૃત વર્ગના લોકોને શિક્ષણ આપવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી, ભારતની પ્રથમ મહિલા શિક્ષિકાના યોગદાનને બહુજન સમાજ આજે પણ યાદ કરે છે. માતા સાવિત્રીબાઈ ફૂલે દરેક મહિલા, ખાસ કરીને દલિત અને બહુજન સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે. બાળલગ્ન, સતી પ્રથા, વિધવા મુંડન જેવા અનેક દુષણોનો વિરોધ કરનાર સાવિત્રીબાઈએ પિતૃસત્તાક સમાજનો વિરોધને સહન કરીને કન્યાઓ માટે પ્રથમ શાળા ખોલી હતી. મનુવાદીઓના સાશનમાં આજે પણ તેમનું કદ નાનું કરવા માટે શક્ય દરેક તરકીબ અજમાવવામાં આવે છે. જો કે અમુક વિદ્રોહી પ્રકૃતિના લોકો મનુવાદીઓને ટક્કર આપતા રહે છે અને માતા સાવિત્રીબાઈના  શિક્ષણ અને સમાનતાના વારસાને સન્માન આપવાના પ્રયાસો કરતા રહે છે. આવા જ એક વિદ્રોહી શિક્ષિકા એટલે રાજસ્થાનના બારાના દલિત સમાજમાંથી આવતા હેમલતા બૈરવા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2024ની 26મી જાન્યુઆરી તમને યાદ હોય તો એ પણ યાદ હશે કે એક દલિત મહિલા શિક્ષિકા પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં વિદ્યાની દેવી કહેવાતા સરસ્વતીને બદલે દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકીને તેમના મહાન કાર્યોની ઉપસ્થિત સૌને સમજણ આપી રહી હતી. એ દરમિયાન કેટલાક મનુવાદીઓ ત્યાં આવી પહોંચે છે અને શિક્ષિકાનો વિરોધ શરૂ કરી દે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને પછી શિક્ષિકા પર સરકાર કાર્યવાહી કરે છે અને તેમની અંતરિયાળ વિસ્તારમાં ટ્રાન્સફર કરી દે છે. આ શિક્ષિકા એટલે રાજસ્થાનના બારાના વતની અને બહુજન સમાજમાંથી આવતા હેમલતા બૈરવા. બહુજન મહાનાયક ડો.આંબેડકર અને માતા સાવિત્રીબાઈ-જ્યોતિબા ફૂલેના યોગદાનને બરાબર સમજતા હેમલતા બૈરવા મનુવાદી સિસ્ટમનો ભોગ બન્યાં છે. આજે પણ મનુવાદી તંત્ર તેમને હેરાન કરવાની કોઈ કસર બાકી નથી રાખી રહ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Fatima-Shaikh:-The-first-Muslim-teacher-who-lit-the-torch-of-girl-education-170-years-ago-with-the-Krantisurya-Phule-couple">ફાતિમા શેખ: પ્રથમ મુસ્લિમ શિક્ષિકા જેમણે ફૂલે દંપતી સાથે કન્યા કેળવણીની મશાલ પ્રગટાવી હતી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_67779637221db.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હેમલતા બૈરવાઃ માતા સાવિત્રીબાઈના સંઘર્ષનું વર્તમાન પ્રતીક</span></strong></span><br><span style="font-size: 14pt;">રાજસ્થાનના બારા જિલ્લામાં આવેલી સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા લકડાઈની શિક્ષિકા હેમલતા બૈરવા માતા સાવિત્રીબાઈ ફૂલેના સંઘર્ષનું પ્રતીક બની ગયા છે. 2024ના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શાળામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર માત્ર ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીની તસવીરો જોયા બાદ કેટલાક લોકોએ સરસ્વતીની તસવીર રાખવાનો આગ્રહ કર્યો હતો. હેમલતા બૈરવાએ તેનું ખંડન કર્યું અને સ્પષ્ટપણે કહ્યું, "વિદ્યાની અસલી દેવી સાવિત્રીબાઈ ફૂલે છે." તેમના આ સાહસિક પગલાએ સ્થાનિક જાતિવાદી માનસિકતાને પડકારી હતી, પરંતુ તેના પરિણામે તેમની સામે વિભાગીય કાર્યવાહીની સાથે FIR દાખલ કરવામાં આવી હતી. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમનું મુખ્ય મથક બિકાનેર કરી દેવામાં આવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માર્ચ 2024થી પગાર નથી મળ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે તેઓ કાયદાકીય લડાઈ જીતીને એપ્રિલમાં નિર્દોષ સાબિત થયા હતા, એ પછી જુલાઈમાં તેમને પોસ્ટિંગ પણ મળ્યું હતું, પરંતુ માર્ચ 2024 થી તેમને પગાર નથી મળી રહ્યો, જેના કારણે હેમલતા બૈરવા અને તેમનો પરિવાર ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તેમના બે બાળકો, જેઓ કોટામાં NEET અને REET ની તૈયારી કરી રહ્યા છે, તેમને કપરી પરિસ્થિતિમાં અભ્યાસ ચાલુ રાખવાની ફરજ પડી છે. કોટામાં તેમના બાળકોના રૂમનું ભાડું ઘણાં મહિનાઓથી બાકી છે, જ્યારે હેમલતા પોતે છીપા વડોદમાં 2,000 રૂપિયા ભાડાના રૂમમાં રહે છે. એક-એક પાઈ માટે સંઘર્ષ કરતા હેમલતા હાલ એક ટંક જમીને જીવન ગુજારી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">સિંગલ મધર હેમલતા બૈરવા માથે બે બાળકોની જવાબદારી</span></strong><br><span style="font-size: 14pt;">સિંગલ મધર હોવાના કારણે હેમલતા પોતાના બંને બાળકોને એકલા જ ઉછેરે છે. તેઓ છેલ્લા 4-5 વર્ષથી તેમના પતિથી અલગ રહે છે. B.Ed પાસ હોવા છતાં તેમના પતિ કોઈ કામ નથી કરતા કે નથી બાળકોની કોઈ જવાબદારી લેતા.</span><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હેમલતા કહે છે, "મારો દીકરો નિહાલ NEETની તૈયારી કરી રહ્યો છે, દીકરી REET ની કોચિંગ કરી રહી છે, બંને એક રૂમમાં સાથે રહે છે જેનો જમવાનો અને રહેવાનો ખર્ચ 7 હજાર રૂપિયા છે. હું ઘણા સમયથી આ પૈસા પણ ચૂકવી શકી નથી. મકાનમાલિકો મારા સમાજના છે, તેઓ મારી સમસ્યા સમજીને બહુ બોલતા નથી. આવા સારા લોકોના સહકારથી દિવસો જેમતેમ કરીને પસાર થઈ રહ્યા છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફક્ત એક ટંક જમે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">શાળામાં થયેલા વિવાદ પહેલા હેમલતાએ બેંકમાંથી પર્સનલ અને કાર લોન લીધી હતી, પરંતુ લગભગ છ મહિનાથી તે તેના હપ્તા ચૂકવી શકી નથી. હેમલતા કહે છે, "હજુ સુધી બેંક તરફથી કોઈ નોટિસ મળી નથી, પરંતુ જો જલ્દી પગાર નહીં મળે તો મુશ્કેલીઓ વધી જશે." ગરીબીની સ્થિતિ એવી છે કે હેમલતા માત્ર એક જ વખત ભોજન ખાઈને જીવન જીવવા મજબૂર છે. ફિક્કું હસતા તેઓ કહે છે, "હું સવારે ચા, બિસ્કિટ કે એવું કંઈક ખાઈ લઉં છું અને પછી સાંજે જ જમું છું." મુશ્કેલભર્યા આ દિવસોમાં હેમલતાને તેમના પિતા અને ભાઈનો ટેકો છે, જેઓ તેમને શક્ય તેટલી મદદ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાકી પગાર માટે કોર્ટમાં અરજી ન કરવા પાછળનું કારણ પૂછતાં હેમલતા કહે છે કે વકીલની ફી વધારે છે જેના કારણે તે અત્યારે અરજી કરી શકતી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, અનુસૂચિત જાતિના અધિકારીઓ અને કર્મચારીઓના સંગઠન ડો. આંબેડકર શિડ્યુલ્ડ કાસ્ટ ઓફિસર્સ એમ્પ્લોઇઝ એસોસિએશન (AJAK)એ હેમલતાના સસ્પેન્શન બાદ તેમની સામે ચાલી રહેલો કેસ લડવા માટે રૂ. 50,000 ની આર્થિક મદદ કરી હતી. હેમલતાને એક વકીલની જરૂર છે જે તેમની મદદ માટે આગળ આવે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પોલીસે એક વર્ષ સુધી એફઆઈઆર પર કાર્યવાહી ન કરી</span></strong><br><span style="font-size: 14pt;">હેમલતા બૈરવાની ફરિયાદ પર પોલીસે બે શિક્ષકો ભૂપેન્દ્ર સેન અને હંસરાજ સેન અને કેટલાક સ્થાનિક લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને IPCની કલમ 504 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે. હેમલતાએ એફઆઈઆરમાં બંધારણની કલમ 28નો ઉલ્લેખ કરીને સરકારી શાળામાં સરસ્વતી પૂજાનો વિરોધ કર્યો હતો. બીજી બાજુ, ગામલોકોએ તેમની વિરુદ્ધ IPCની કલમ 295A અને 153A હેઠળ સામી ફરિયાદ નોંધાવી તેમના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. હેમલતાએ કહ્યું કે પોલીસે હજુ સુધી એક પણ આરોપી સામે કોઈ કાર્યવાહી કરી નથી, અને કેસ હજુ પેન્ડિંગ છે, તેમ કહીને તેની તપાસ ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ વધુમાં કહે છે, "મેં ઘણી વખત આઈજી સાહેબ અને અન્ય અધિકારીઓને આરોપીઓ સામે પગલાં લેવા વિનંતી કરી છે, પરંતુ પોલીસ ચાર્જશીટ રજૂ કરતી નથી અને ગુનેગારોને રક્ષણ આપી રહી છે. મારો વિરોધ બંધારણની જોગવાઈઓ પર આધારિત હતો અને કોઈની ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ હેતુ નહોતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">મારું અસ્તિત્વ સાવિત્રીબાઈના કારણે છે</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">અંતે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને તેમના કાર્યનો પસ્તાવો છે અથવા તે હજુ પણ સાવિત્રીબાઈ ફુલેના સન્માન માટે લડવા માટે મક્કમ છે? ત્યારે હેમલતા કહે છે, "મેં કંઈ ખોટું કર્યું નથી. માતા સાવિત્રીબાઈના યોગદાનને કારણે જ મારું અસ્તિત્વ છે. ભલે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે, પણ હું માતા સાવિત્રીબાઈ-જ્યોતિબા ફૂલે, બાબાસાહેબ અને બંધારણના સન્માન માટે મારી લડાઈ ચાલુ રાખીશ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Dalit-teacher-suspended-for-putting-mother-Savitribai-Phules-photo-in-place-of-Saraswati">સરસ્વતીની જગ્યાએ માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકનાર દલિત શિક્ષિકા સસ્પેન્ડ</a> </span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 03 Jan 2025 13:25:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1804</Articleid>
                    <excerpt>શાળાના કાર્યક્રમમાં &#039;વિદ્યાની અસલી દેવી સરસ્વતી નહીં સાવિત્રીબાઈ છે&#039; એમ કહેનાર એ વાયરલ વીડિયોની દલિત શિક્ષિકા યાદ છે? આ તેમની વાત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67779637cba73.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677796379d1b0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677796379d1b0.jpg" length="73464" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Savitribai Phule, Hemlata Bairwa, Dalit teacher, No salary, Bara Rajasthan, devi Saraswati</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં BSP એક નવો પ્રયોગ કરવા જઈ રહી છે</title>
                    <link>https://khabarantar.com/bsp-is-going-to-try-a-new-experiment-in-the-delhi-assembly-elections</link>
                    <guid>https://khabarantar.com/bsp-is-going-to-try-a-new-experiment-in-the-delhi-assembly-elections</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હી વિધાનસભામાં 12 અનામત સીટો ઉપરાંત બીજી 15 જેટલી સીટો પર દલિત મતો નિર્ણાયક છે ત્યારે બીએસપીએ અહીં પહેલીવાર એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ભલે ન થઈ હોય પરંતુ તમામ રાજકીય પક્ષોએ પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેમાં બહુજન સમાજ પાર્ટી પણ બાકાત નથી. દિલ્હીની ચૂંટણીમાં બીએસપી સુપ્રીમો માયાવતી પોતાના પાંચ મુખ્ય નેતાઓ સાથે પક્ષની કમાન સંભાળશે. જ્યારે આકાશ આનંદ પ્રચારનું કામકાજ સંભાળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાના સ્થાપક માન્યવર કાંશીરામ સાહેબે એંશીના દાયકામાં દલિતો-શોષિતોમાં રાજકીય ચેતના જગાવી હતી. દલિત રાજકારણના આ નવતર પ્રયોગે યુપીમાં બસપાની ચાર વખત સરકાર બનાવી હતી. દલિત મતો પર માયાવતીનો એકાધિકાર લાંબા સમય સુધી ચાલુ રહ્યો, પરંતુ સત્તામાંથી બહાર થયા બાદ ભાજપ, સપા સહિતના પક્ષોની વધતી તાકાત અને માયાવતીની નિષ્ક્રિયતાને કારણે ધીરેધીરે દલિત મતો બીએસપીથી વિમુખ થતા ગયા, જેના કારણે બસપાનો રાજકીય ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2024ની લોકસભા ચૂંટણીમાં શૂન્ય થઈ ગયા પછી, બસપા દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એક નવો રાજકીય પ્રયોગ કરવા જઈ રહી છે, પરંતુ શું માયાવતી તેમના નજીકના કમાન્ડરો સાથે ચૂંટણીની લગામ પોતાના હાથમાં રાખશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપા દિલ્હીમાં ભલે ક્યારેય સત્તામાં ન આવી હોય, પરંતુ તેની બીક વિરોધી પક્ષોને શરૂઆતથી જ છે. બસપાને ઘણી સીટો પર સારા વોટ મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીની રચના અને અરવિંદ કેજરીવાલના રાજકીય ઉદય પછી, દલિત વોટ બીએસપીમાંથી સંપૂર્ણપણે સરકી ગયા, તેને 2025ની ચૂંટણીમાં પાછા મેળવવા માટે માયાવતીએ રાજ્યની તમામ 70 વિધાનસભા બેઠકો પર સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડવાની યોજના બનાવી છે. તેમણે આ અંગે રાજકીય કવાયત શરૂ કરી દીધી છે અને દિલ્હીની ચૂંટણી તેમની દેખરેખ હેઠળ યોજાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માયાવતીના દિલ્હીમાં પાંચ મહત્વના સાથીદારો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા વિધાનસભાની ચૂંટણી બાદ માયાવતીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની કમાન પહેલા તેમના ભત્રીજા આકાશ આનંદને સોંપી હતી, એ પછી માનવામાં આવતું હતું કે દિલ્હીમાં બસપાના ઉમેદવાર પસંદ કરવાથી લઈને રણનીતિ બનાવવા સુધીની તમામ જવાબદારી તેમના હાથમાં રહેશે. પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતાં માયાવતીએ દિલ્હીને પાંચ ઝોનમાં વહેંચી દીધું છે અને પક્ષના સૌથી પ્રતિબદ્ધ નેતાઓને તેની જવાબદારી સોંપી છે. બસપાએ સુદેશ આર્ય, સીપી સિંહ, ધર્મવીર અશોક, રણધીર બેનીવાલ અને સુજીત સમ્રાટ જેવા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બસપાએ દિલ્હીને 5 ભાગમાં વહેંચ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપા સુપ્રીમો બહેન કુમારી માયાવતીજીએ દિલ્હીની 70 વિધાનસભા બેઠકોને 5 ભાગોમાં વહેંચી દીધી છે અને તે વિસ્તારોની બેઠકો 5 ઝોનલ પ્રભારીઓને સોંપી છે. રણધીર બેનીવાલને હરિયાણા બોર્ડ સાથે જોડાયેલી 10 બેઠકો સોંપવામાં આવી છે, તેઓ હરિયાણા, ચંદીગઢ અને પંજાબના પ્રભારી છે. સુદેશ આર્યને 16 બેઠકો આપવામાં આવી છે. જેમાં નાંગલોઈ જિલ્લા અને ચાંદની ચોક લોકસભા મતવિસ્તારની બેઠકોનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુજીત સમ્રાટને 12 વિધાનસભા સીટોની કમાન સોંપવામાં આવી છે. બસપાના પ્રદેશ અધ્યક્ષ સીપી સિંહને ત્રણ વિધાનસભા સીટો અને ધરમવીર અશોકને 20 વિધાનસભા સીટોની જવાબદારી સોંપવામાં આવી છે. બસપાના આ પાંચ નેતાઓ દિલ્હીમાં ઉમેદવારોની પસંદગી કરશે અને જીતની જવાબદારી તેમના શીરે રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માયાવતીનો શું રોલ રહેશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાના વડા માયાવતી 15 જાન્યુઆરીએ લખનૌથી દિલ્હી આવીને ધામા નાખશે. માયાવતી 15 જાન્યુઆરીએ લખનૌમાં પોતાનો જન્મદિવસ ઉજવશે અને તે જ દિવસે સાંજે દિલ્હી પહોંચશે. એ પછી તેઓ દિલ્હી વિધાનસભા ચૂંટણી સુધી દિલ્હીમાં જ રહેશે. માનવામાં આવી રહ્યું છે કે માયાવતીના દિલ્હી આવ્યા બાદ બસપાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વખતે પાર્ટીનું ફોકસ મહિલાઓ અને યુવાનો પર છે. કલંકિત ઇમેજ ધરાવતા નેતાઓને ટિકિટ આપવામાં નહીં આવે. માયાવતીએ સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને ટિકિટ આપવા સૂચના આપી છે. એવામાં જોવાનું એ રહેશે કે માયાવતીની સૂચનાને બસપાના દિલ્હી ઝોનલ પ્રભારી કેટલી હદે લાગુ કરવામાં સક્ષમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આકાશ આનંદ ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીએસપીના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદને જ્યારે દિલ્હીના પ્રભારી બનાવવામાં આવ્યા ત્યારે એવું માનવામાં આવતું હતું કે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીનું કામ પણ સંભાળશે, પરંતુ માયાવતીએ 5 ઝોનલ ઈન્ચાર્જ બનાવ્યા બાદ હવે ઉમેદવારોનો નિર્ણય આકાશ આનંદના હાથમાં નથી. તેમને દિલ્હીમાં BSP તરફી રાજકીય વાતાવરણ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. BSP સુપ્રીમોના નિર્દેશો પર આકાશ આનંદ દિલ્હીમાં સતત જાહેર સભાઓને સંબોધિત કરીને પક્ષ તરફી હવા ઉભી કરશે. 5 જાન્યુઆરીએ આકાશ આનંદ દિલ્હીના કોંડલીમાં આંબેડકર પાર્ક ખાતે રેલી કરીને દિલ્હીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડોર ટુ ડોર પ્રચાર અભિયાન પણ ચલાવાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાના સમર્થનને વધારવા માટે ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાન ચલાવવાની પણ રણનીતિ નક્કી કરાઈ છે. પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરો દિલ્હીમાં દલિત વસાહતો અને કોલોનીઓમાં ઘરે-ઘરે જઈને બસપાની નીતિઓ વિશે જણાવશે. માયાવતીએ બંધારણ અને અનામતને લઈને ભાજપ અને કોંગ્રેસની રાજનીતિથી જનતાને વાકેફ કરવાના નિર્દેશ આપ્યા છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે આકાશ આનંદ દિલ્હીની ચૂંટણીમાં BSPના ઉમેદવારો નક્કી કરશે નહીં, પરંતુ જીત માટે તેમના પક્ષમાં વાતાવરણ માહોલ બનાવવાની જવાબદારી તેમની રહેશે. આ રીતે કાંટાળો તાજ તેમના માથે છે, જ્યાં હાર અને જીત બંનેનો શ્રેય તેમના માથા પર રહેશે.</span><br><span style="font-size: 14pt;">દિલ્હીમાં બસપાનો ટ્રેક રેકોર્ડ કેવો રહ્યો છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીની રાજનીતિમાં એક સમયે બસપાનો સારો પ્રભાવ હતો. બસપાના વીસ વર્ષના ચૂંટણી ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે એક સમયે તેનો વોટ શેર 14 ટકાથી ઉપર પહોંચી ગયો હતો, પરંતુ હાલમાં તે એક ટકાથી પણ ઓછો છે. 2003માં બસપાએ 40 સીટો પર ચૂંટણી લડી હતી. બસપા આ ચૂંટણીમાં એક પણ સીટ જીતી શકી ન હતી, પરંતુ 5.76 ટકા વોટ મેળવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ રીતે, 2008ની વિધાનસભા ચૂંટણીમાં, બસપાએ દિલ્હીની તમામ 70 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેણે બે બેઠકો જીતી હતી અને વોટ શેર 14.05 ટકા હતો. BSP ગોકલપુરી અને બદરપુર બેઠકો જીતવામાં સફળ રહી હતી. ગોકલપુર અનામત બેઠક હતી જ્યારે બાદરપુર બેઠક બિન અનામત હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2013ની વિધાનસભા ચૂંટણીમાં બસપાએ તમામ 70 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી તેને એક પણ સીટ મળી નહોતી, પરંતુ વોટશેર 5.35 ટકા હતો. તેવી જ રીતે, 2015ની વિધાનસભા ચૂંટણીમાં BSPએ તમામ 70 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેનો વોટ શેર ઘટીને 1.13 ટકા થઈ ગયો હતો. એ પછી, બસપાએ 2020ની ચૂંટણીમાં તમામ સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જો કે, AAPની લહેરમાં પાર્ટી એક પણ બેઠક જીતવામાં સફળ રહી ન હતી. તેમને માત્ર 0.71 ટકા મત મળ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બસપા તમારા આગમનથી ગુમનામ થઈ ગઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ આદમી પાર્ટી રાજકીય અસ્તિત્વમાં આવ્યા પછી, બસપા દિલ્હીના રાજકારણમાં હાંશિયામાં ધકેલાઈ ગઈ હોવાનું પ્રતીત થાય છે. અગમ્ય કારણોસર દલિત-બહુજનનો વિશ્વાસ બસપાને બદલે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે. આવી સ્થિતિમાં, બસપાની રાજકીય તાકાત દિલ્હીમાં માત્ર દલિત મતો પર નિર્ભર છે, જે હાલ કેજરીવાલની મુખ્ય વોટ બેંક છે. તેનું જ કારણ છે કે, ભાજપ-કોંગ્રેસની જેમ આપ પણ સવર્ણ હિંદુત્વવાદીઓનો પક્ષ હોવા છતાં દિલ્હીના દલિતોને રિઝવવા માટે કેજરીવાલે તાજેતરમાં જ અમિત શાહ દ્વારા ડૉ. આંબેડકર પર કરેલા અપમાનજનક નિવેદનને લઈને મોરચો ખોલ્યો હતો. અમિત શાહના નિવેદનને લઈને બસપા દિલ્હીના રસ્તા પર ઉતરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હીના રાજકારણમાં દલિત રાજકારણ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીમાં 17 ટકા મતદારો દલિત સમુદાયના છે, જેના માટે રાજ્યની કુલ 70 વિધાનસભા બેઠકોમાંથી 12 અનામત છે. જોકે આ 12 બેઠકો કરતાં દલિતોનો પ્રભાવ વધુ છે. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સુલતાનપુરી વિધાનસભા ક્ષેત્રમાં 44 ટકા મતદારો દલિત છે. તેની બરાબર બાજુમાં કરોલ બાગ છે, જ્યાં લગભગ 38 ટકા મતદારો દલિત સમાજના છે. પટેલ નગર, ગોકલપુર, સીમાપુરી, મંગોલપુરી, મોતી નગર, ત્રિલોકપુરી અને આંબેડકરનગર જેવા મતવિસ્તારોમાં 30 ટકાથી વધુ દલિત રહેવાસીઓ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય દિલ્હી કેન્ટ સીટમાં 16 ટકા, રાજેન્દ્ર નગરમાં 22 ટકા, કસ્તુરબા નગરમાં 11 ટકા, માલવિયા નગરમાં 10 ટકા, આરકે પુરમમાં 15 ટકા અને ગ્રેટર કૈલાશમાં 10 ટકા લોકો દલિત સમાજ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હીના દલિતોમાં પેટા જાતિઓનો દબદબો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીમાં દલિત સમાજ વિવિધ પેટા જાતિઓમાં વહેંચાયેલો છે. અહીં જાટવ, વાલ્મિકી, ખટીક, નિષાદ, રૈગર, કોળી, બૈરવા અને ધોબી જેવી ઘણી પેટા જાતિઓ છે. દરેકની અલગ-અલગ સાંસ્કૃતિક ઓળખ અને પ્રાદેશિક વર્ચસ્વ છે, પરંતુ સૌથી વધુ વસ્તી જાટવ અને પછી વાલ્મિકી સમાજની વસ્તી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીની કુલ દલિત વસ્તીના લગભગ 50 ટકા જાટવ સમુદાયના છે, જેમને અન્ય દલિત જાતિઓ કરતાં રાજકીય રીતે વધુ જાગૃત માનવામાં આવે છે. એટલું જ નહીં, બસપાને જાટવોની કોર વોટબેંક માનવામાં આવે છે, જ્યાં સુધી આ મતો બસપા પાસે રહ્યાં ત્યાં સુધી દિલ્હીમાં બસપા એક મજબૂત રાજકીય પક્ષ તરીકે ઉભરી આવી હતી, પરંતુ કેજરીવાલના આગમન બાદ આ કોર વોટબેંકનો બસપાથી મોહભંગ થઈ ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબા સાહેબ આંબેડકરનો પ્રભાવ ખાસ કરીને જાટવોમાં ઘણો ઊંડો છે, જેઓ શહેરી વિસ્તારોમાં અગ્રણી હોવા ઉપરાંત, દિલ્હીના ગ્રામીણ લેન્ડસ્કેપમાં પણ મજબૂત હાજરી જાળવી રાખે છે. આવી સ્થિતિમાં શું માયાવતી પોતાના સાથીદારોની મદદથી દિલ્હીના દલિતોનો વિશ્વાસ જીતી શકશે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/bsp-to-hold-nationwide-agitation-on-december-24-over-insult-to-dr-ambedkar-by-amit-shah">ડૉ.આંબેડકરના અપમાન મુદ્દે BSP રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 03 Jan 2025 11:02:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1803</Articleid>
                    <excerpt>દિલ્હી વિધાનસભામાં 12 અનામત સીટો ઉપરાંત બીજી 15 જેટલી સીટો પર દલિત મતો નિર્ણાયક છે ત્યારે બીએસપીએ અહીં પહેલીવાર એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677775eda5c0e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677775ed7511b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677775ed7511b.jpg" length="63241" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>delhi assembly elections, BSP</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હીમાં સાવરકરના નામે કૉલેજ બનશે, PM મોદી આજે શિલાન્યાસ કરશે?</title>
                    <link>https://khabarantar.com/college-will-be-built-in-the-name-of-savarkar-in-delhi-pm-modi-will-lay-the-foundation-stone-today</link>
                    <guid>https://khabarantar.com/college-will-be-built-in-the-name-of-savarkar-in-delhi-pm-modi-will-lay-the-foundation-stone-today</guid>
                    <description>
                        <![CDATA[ દેશમાં પહેલીવાર વિવાદાસ્પદ હિંદુત્વવાદી નેતા વિનાયક દામોદર સાવરકરના નામ પર કૉલેજ શરૂ થવા જઈ રહી છે. આજે પીએમ મોદી તેનો શિલાન્યાસ કરશે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની રાજધાની દિલ્હીમાં વિવાદાસ્પદ હિંદુત્વવાદી નેતા વિનાયક દામોદર સાવરકર (Savarkar) ના નામ પર એક નવી કૉલેજ શરૂ થવા જઈ રહી છે. આજે પીએમ મોદી (PM Modi) આ કોલેજનો શિલાન્યાસ (lay foundation stone) કરે તેવી શક્યતા છે. આ માટે પીએમઓને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પણ હજુ સુધી પરમીશન ન મળી હોવાનું કહેવાય છે. દિલ્હી યુનિવર્સિટી (DU) ના બે નવા કેમ્પસ પૂર્વ અને પશ્ચિમ દિલ્હીમાં બનાવવામાં આવનાર છે. જેમાં સાવરકરના નામ પર રાખવામાં આવેલી કોલેજનો શિલાન્યાસ થશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાવરકરના નામે નવી કોલેજની માહિતી દિલ્હી યુનિવર્સિટી (Delhi University) ના સૂત્રો દ્વારા આપવામાં આવી છે. અગાઉ વર્ષ ૨૦૨૧માં દિલ્હી યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે નઝફગઢમાં અંદાજિત ૧૪૦ કરોડ રૂપિયાના ખર્ચે સાવરકર કોલેજના નિર્માણને મંજૂરી આપી હતી. પીએમ મોદીને કોલેજના શિલાન્યાસ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું છે કે યુનિવર્સિટીના પૂર્વ કેમ્પસની સ્થાપના સૂરજમલ વિહારમાં કરવામાં આવશે અને તેનો અંદાજિત ખર્ચ ૩૭૩ કરોડ રૂપિયા હશે. સાથે જ દ્વારકામાં યુનિવર્સિટીનું વેસ્ટર્ન કેમ્પસ સ્થપાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે વર્ષ ૨૦૨૧માં ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજના નામ પર કોલેજના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. આ સિવાય ડીયુના વાઇસ ચાન્સેલરને બે પ્રસ્તાવિત કોલેજો માટે નામ પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ નામોની યાદીમાં સ્વામી વિવેકાનંદ, વલ્લભભાઈ પટેલ, અટલ બિહારી વાજપેયી અને સાવિત્રીબાઈ ફુલે જેવા નામો સામેલ હતા. જો કે આખરે સાવરકરના નામ પર કૉલેજ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નામકરણને લઈને વિવાદ શરૂ</span></strong></span><br><span style="font-size: 14pt;">સાવરકરના ઈતિહાસને જોતા તેમના નામે કોલેજ શરૂ થાય અને વિવાદ ન થાય તો જ નવાઈ લાગે. કોંગ્રેસે આ મામલે પીએમ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે ભાજપને વિવાદાસ્પદ લોકો પર રાજનીતિ કરવાની ટેવ છે. તેઓ કોના નામે સંસ્થા બનાવી રહ્યા છે તે મહત્વનું નથી. છેલ્લા 11 વર્ષમાં તેમણે સાવરકરના નામે કોઈ યોજના શરૂ કરી નથી. આખો દેશ જાણે છે કે સાવરકરનો અંગ્રેજો સાથે કેવો સંબંધ હતો. એક નહીં 50 યુનિવર્સિટી બનાવો, બાળકો ભણવા માટે બહાર જાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના સાંસદ સૈયદ નાસિર હુસૈને ભાજપ પર સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનની અવગણના કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે એક કોલેજના નામકરણ દ્વારા એક એવી વ્યક્તિની વાહવાહી કરવામાં આવી રહી છે જેણે અંગ્રેજોને માફીપત્ર લખ્યા હતા. તેમણે કહ્યું કે, ઘણા લોકો દેશ માટે જીવ્યા અને સ્વતંત્રતા સંગ્રામમાં મોટું યોગદાન આપ્યું હતું. પણ ભાજપ એવા લોકોને કાયદેસરતા આપી રહી છે જેમણે અંગ્રેજોને માફી પત્રો લખ્યા હતા અને તેમની પાસેથી પેન્શન લીધું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/savarkar-ate-beef-despite-being-a-brahmin-minister-of-karnataka">સાવરકર બ્રાહ્મણ હોવા છતાં ગૌમાંસ ખાતા હતા: કર્ણાટકના મંત્રી</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6777526b5bb2d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપે વળતો પ્રહાર કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કોંગ્રેસના સાંસદ નસીર હુસૈનની વીર સાવરકર વિશે કરેલી ટિપ્પણીની આકરી ટીકા કરી હતી. તેમણે પક્ષ પર સાવરકર જેવી અગ્રણી વ્યક્તિઓનું વારંવાર અપમાન કરવાનો આરોપ લગાવ્યો. પૂનાવાલાએ કહ્યું, "મહાન લોકોનું અપમાન કરવું એ કોંગ્રેસની ઓળખ બની ગઈ છે. રાહુલ ગાંધીએ તેમના એક સાંસદ નાસિર હુસૈન દ્વારા ફરી એકવાર વીર સાવરકરનું અપમાન કર્યું છે. દિલ્હી યુનિવર્સિટી (ડીયુ) એ તેની એક કોલેજનું નામ વીર સાવરકરના નામ પર રાખ્યું છે. અને કોંગ્રેસે વિરોધ શરૂ કર્યો છે. હું નાસિર હુસૈન જીને પૂછું છું કે શું ઈન્દિરા ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે કે શિવરાજ સિંહ ચૌહાણ પણ ખોટા હતા, કારણ કે આ બધાએ પણ સાવરકરની મહાનતાની પ્રશંસા કરી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પંજાબ કોંગ્રેસે શહીદોના નામે ઈન્સ્ટિટ્યૂટ ખોલવા કહ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">પંજાબના કોંગ્રેસના સાંસદ સુખજિન્દર સિંહ રંધાવાએ દિલ્હીમાં વીર સાવરકરના નામ પર ઈન્સ્ટિટ્યૂટ બનાવવા પર કહ્યું કે, "અંગ્રેજો પાસેથી માફી લાવનારાઓ માટે ઈન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે, પરંતુ ફાંસીએ લટકી જનારાઓ માટે ઈન્સ્ટિટ્યૂટ કોણ બનાવશે? આઝાદીની ચળવળ દરમિયાન પંજાબના ઘણા લોકોને ફાંસી પણ આપવામાં આવી હતી. આ લોકો માટે ઈન્સ્ટિટ્યૂટ કોણ બનાવશે? જો કોલેજ બનાવવી હોય તો શહીદ ભગતસિંહ, લાલા લજપત રાય, સુખદેવ સિંહના નામની બનાવવી જોઈએ. હું સમજું છું કે આવા લોકોએ દેશ માટે બલિદાન આપ્યું છે. નહીં કે, એવા લોકોના નામે કોલેજ બને જે અંગ્રેજો પાસે માફી માંગીને આવ્યા હતા."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડૉ. મનમોહનસિંહના નામે ઈકોનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટની માંગ</span></strong></span><br><span style="font-size: 14pt;">સુખજિન્દર સિંહ રંધાવાએ પૂર્વ પીએમ મનમોહન સિંહના નામ પર વર્લ્ડ ક્લાસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટ બનાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, "પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહને જે સન્માન મળવું જોઈએ તે તેમને આપવામાં આવ્યું નથી. તેઓ 10 વર્ષ સુધી ભારતના વડાપ્રધાન હતા. અમે સરકાર પાસે માંગ કરી છે કે સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) એ પીએમ મોદીને પત્ર લખીને દિલ્હી યુનિવર્સિટીની પ્રસ્તાવિત નવી કોલેજનું નામ વીર સાવરકરને બદલે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામ પર રાખવા વિનંતી કરી છે. પત્રમાં, NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરીએ શિક્ષણ અને વહીવટમાં મનમોહન સિંહના યોગદાન પર પ્રકાશ પાડ્યો અને વિનંતી કરી કે કોલેજ તેમના વારસાને સન્માન આપે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એનએસયુઆઈએ પીએમને પત્ર લખ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'માનનીય વડાપ્રધાન, તમે વીર સાવરકરના નામે દિલ્હી યુનિવર્સિટી હેઠળ એક કોલેજનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છો. એનએસયુઆઈ ભારપૂર્વક માંગ કરે છે કે આ સંસ્થાનું નામ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામ પર રાખવામાં આવે. તેમનું તાજેતરનું અવસાન એ એક મોટી ખોટ છે અને તેમના યોગદાન અને વારસાને સન્માનવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેમના નામે પ્રીમિયર શૈક્ષણિક સંસ્થાઓને સમર્પિત કરવામાં આવે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NSUIએ કહ્યું છે કે, 'મનમોહન સિંહે IIT, IIM, AIIMS જેવી ઘણી સંસ્થાઓની સ્થાપના કરી અને સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ રજૂ કર્યો. તેમના નામ પર સંસ્થાઓનું નામકરણ પેઢીઓને પ્રેરણા આપશે અને તેમની પરિવર્તનકારી દ્રષ્ટિનું સન્માન કરશે. ભારતમાં તેમના અનન્ય યોગદાનને ઓળખવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/savarkar-an-attempt-to-distort-the-truth-to-strengthen-hindutva-politics">સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 03 Jan 2025 09:47:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1801</Articleid>
                    <excerpt>દેશમાં પહેલીવાર વિવાદાસ્પદ હિંદુત્વવાદી નેતા વિનાયક દામોદર સાવરકરના નામ પર કૉલેજ શરૂ થવા જઈ રહી છે. આજે પીએમ મોદી તેનો શિલાન્યાસ કરશે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67774dca3b85c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67774dca08740.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67774dca08740.jpg" length="72524" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Savarkar College, Delhi University, Foundation stone, PM Modi</media:keywords>
                </item>
                        <item>
                    <title>આણંદના મીતલી ગામે પહેલીવાર ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ ઉજવાયો</title>
                    <link>https://khabarantar.com/bhima-koregaon-valor-day-celebrated-for-the-first-time-in-mithali-village-of-anand</link>
                    <guid>https://khabarantar.com/bhima-koregaon-valor-day-celebrated-for-the-first-time-in-mithali-village-of-anand</guid>
                    <description>
                        <![CDATA[ અંતરિયાળ ગામડાઓ સુધી બહુજન મહાનાયકોની વીરગાથા પહોંચી. બહુજન સમાજે તેમના પૂર્વજોને ગર્વથી યાદ કર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે સમગ્ર દેશમાં ભીમા કોરેગાંવ શૌર્ય દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભીમા નદીના કાંઠે આવેલા સ્મારક ખાતે હજારો બહુજનો ઉમટી પડ્યા હતા. 500 મહાર યોદ્ધાઓએ પેશ્વાઓની 28000 હજારની સેનાને ભોં ભેગી કરીને વિજય મેળવ્યો હતો. એ દિવસ હતો 1 જાન્યુઆરી 1818. ડો.આંબેડકરની પ્રેરણાથી પછી તો દેશના વિવિધ ભાગોમાં આ ઘટનાને શૌર્ય દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરાયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે 1લી જાન્યુઆરીએ આણંદ જિલ્લાના મીતલી ગામે પહેલીવાર બહુજન સમાજ દ્વારા ભીમા કોરેગાંવ શૌર્ય દિવસની ઉજવણી કરી હતી. મીતલી ગામના આગેવાનો, યુવા મિત્રો અને મહિલાઓ દ્વારા પ્રથમ તથાગત બુદ્ધની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી, બાબાસાહેબ આંબેડકર તથા બહુજન મહામાનવને ફૂલહાર કરી શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બુદ્ધ વંદના કરી અને પબુદ્ધ સુમેધબોધીજીએ બુદ્ધ વંદના વિશે માહિતી આપી હતી. ડૉ. સુગતરાજ શાક્યજીએ આજના દિવસનું મહત્વ અને ભીમા કોરેગાવ શૌર્ય દિવસની વાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિલ આંબેડકરજીએ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવા મિત્રો, આગેવાનો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં તથા બહાર ગામના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જેમાં સિલવર્ધન બૌદ્ધ બાવળા, દિલીપભાઈ ખેડા, તરૂણભાઈ અને તેમની ટીમ, પાંદડની ટીમ, કસ્બારા ટીમ વગેરે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ધીરુભાઈ, વિનોદભાઈ ચાવડા અને તેમની મીતલી ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પહેલીવાર મીતલીમાં આ પ્રકારનું આયોજન કરાયું હોવાથી સમગ્ર બહુજન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે આ રીતે દર વર્ષે આયોજન કરીને પોતાના પૂર્વજોના પરાક્રમોને યાદ કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/The-Hool-Mutiny:-A-Heroic-Story-of-Santhal-Tribes-Including-Tilka-Manjhi-and-Seedo-Kanhu">હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 02 Jan 2025 18:44:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1799</Articleid>
                    <excerpt>અંતરિયાળ ગામડાઓ સુધી બહુજન મહાનાયકોની વીરગાથા પહોંચી. બહુજન સમાજે તેમના પૂર્વજોને ગર્વથી યાદ કર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677690af2a1ea.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677690aeea98b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677690aeea98b.jpg" length="108145" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bhima koregaon valor day celebrated, mithali village, anand news</media:keywords>
                </item>
                        <item>
                    <title>સરપંચના છોકરાએ 10 સાગરિતો સાથે મળી દલિત યુવકની હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/muzaffarnagar-news-sarpanchs-son-along-with-10-associated-killed-dalit-youth</link>
                    <guid>https://khabarantar.com/muzaffarnagar-news-sarpanchs-son-along-with-10-associated-killed-dalit-youth</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકની બાઈક સાથે સરપંચના છોકરાએ પોતાની કાર અથડાવી અને પછી હોકી લઈને તૂટી પડ્યાં. દલિત યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદના એપીસેન્ટર યુપીમાં થર્ટી ફર્સ્ટના દિવસે એક દલિત યુવકની ગામના સરપંચના છોકરાએ તેના સાગરિતો સાથે મળીને હત્યા કરી નાખી. વાળ કપાવીને પરત ફરી રહેલા દલિત યુવક અને તેના મિત્રને આરોપીઓએ ઘેરી લીધા અને માર માર્યો, જેના કારણે એક યુવકનું મોત થયું, જ્યારે અન્ય એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધી છે અને સરપંચના પુત્ર સહિત તેના સાગરિતોની ધરપકડ કરી છે. દલિત યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુઝફ્ફરનગરના પલડી ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 31 ડિસેમ્બર મંગળવારના રોજ બની હતી. મુઝફ્ફરનગર જિલ્લાના પલડી ગામના રહેવાસી દલિત યુવકો સની અને શીલુ વાળ કપાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં ગામના સરપંચનો છોકરો અંકુર કાર લઈને સામે આવ્યો હતો. તેણે દલિત યુવકની બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે બંને યુવકો નીચે પડી ગયા હતા. જો કે આરોપીઓ આટલેથી અટક્યા નહોતા અને તેમણે માફી માગવાને બદલે બંને દલિત યુવકો પર લાકડીઓ, હોકીથી હુમલો કરી દીધો હતો. જેમાં બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સરપંચનો છોકરો અંકુર અને તેના 8-10 સાથીઓ તેમને ત્યાં જ ગંભીર હાલતમાં છોડીને ભાગી ગયા હતા. સ્થાનિકોની સૂચના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને ઘાયલ યુવકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. ગંભીર રીતે ઘવાયેલા સનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે શીલુની સારવાર ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૃતક સનીનો સાથી શીલુ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શીલુએ આ ઘટના અંગે મીડિયાને માહિતી આપતા કહ્યું, "એ લોકો ચાર મોટરસાઇકલ અને કેટલીક ગાડીઓ પર આવ્યા હતા. તેમણે આવતાની સાથે જ મારી બાઇકને ટક્કર મારી હતી. અમે ખતૌલીમાં વાળ કપાવવા માટે ગયા હતા અને ત્યાંથી ગામમાં પાછા ફરી રહ્યા હતા. ગામના સરપંચનો છોકરો તેના 10 જેટલા સાગરિતો સાથે આવ્યો હતો. અમને ખબર નથી કે આ ઘટના કેમ બની છે. અમારી સાથે તેની કોઈ દુશ્મની નથી. પહેલા તેમણે ગાડીથી અમારી બાઈકને ટક્કર મારી અને પછી હોકીથી માર્યા. આ ઘટનામાં સનીનું મોત થયું છે. અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુઝફ્ફરનગરના એસપી સિટી સત્યનારાયણ પ્રજાપતિએ જણાવ્યું કે, આ ઘટનાની જાણકારી મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપી અંકુર અને તેના સાગરિતોને કસ્ટડીમાં લઈ લીધા છે. મૃતકના પરિવારની ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-teacher-kidnapped-and-murdered-by-fiancees-one-sided-lover-in-ups-muzaffarnagar">દલિત શિક્ષકની મંગેતરના એકતરફી પ્રેમી યુવકે અપહરણ કરી હત્યા કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 02 Jan 2025 16:53:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1798</Articleid>
                    <excerpt>દલિત યુવકની બાઈક સાથે સરપંચના છોકરાએ પોતાની કાર અથડાવી અને પછી હોકી લઈને તૂટી પડ્યાં. દલિત યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6776760a65344.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6776760a2ab0f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6776760a2ab0f.jpg" length="69254" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>muzaffarnagar news, Dalit news, Dalit crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધાર્યું હતું એવું જ થયું, નવા બનેલા વાવ&amp;થરાદ જિલ્લામાં વિરોધ શરૂ</title>
                    <link>https://khabarantar.com/people-protest-against-inclusion-of-dhanera-kankrej-deodar-in-newly-created-vav-tharad-district</link>
                    <guid>https://khabarantar.com/people-protest-against-inclusion-of-dhanera-kankrej-deodar-in-newly-created-vav-tharad-district</guid>
                    <description>
                        <![CDATA[ વાવ-થરાદ જિલ્લાની જાહેરાત થતાની સાથે જ અહીંના ત્રણ તાલુકાના લોકોએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. તેમાં સ્થાનિક ધારાસભ્યોએ પણ સૂર પુરાવતા મામલો ગરમાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બનાવવામાં આવેલા નવા જિલ્લા વાવ-થરાદને અપેક્ષા પ્રમાણે જ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. વાવ-થરાદ જિલ્લામાં સામેલ કરાયેલા ત્રણ તાલુકાઓ ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોએ તેમને બનાસકાંઠામાં જ રહેવું છે તેમ કહીને ઉત્ર વિરોધ નોંધાવ્યો છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ સહિતના અગ્રણીઓએ પણ તેમના તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માગ કરી છે. એટલું જ નહીં, સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ અને દિયોદરનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેની સામે આ તાલુકાના રહેવાસીઓને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. શિહોરીમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો છે અને લોકોએ રસ્તા પર ઉતરી આવી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઇએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે. અહીં મોટાભાગના લોકોના ધંધા રોજગાર તેમજ વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ ધાનેરાથી પાલનપુર તેમજ અમદાવાદ જવા માટે અનુકૂળ છે. એવામાં તેમને નવા જિલ્લામાં ભેળવી દેવાથી સમસ્યાઓ પેદા થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/division-of-banaskantha-district-announcement-of-new-vav-tharad-district">બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_67764b8533700.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવી વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારે ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય લઈ લીધો છે. કાંકરેજ તાલુકાના રહેવાસીઓ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લો બન્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના 14 તાલુકામાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ કરાયો છે. બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકા તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/nine-municipalities-in-the-state-were-granted-municipal-status">રાજ્યની 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 02 Jan 2025 13:50:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1797</Articleid>
                    <excerpt>વાવ-થરાદ જિલ્લાની જાહેરાત થતાની સાથે જ અહીંના ત્રણ તાલુકાના લોકોએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. તેમાં સ્થાનિક ધારાસભ્યોએ પણ સૂર પુરાવતા મામલો ગરમાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67764b84ba989.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67764b8483cc5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67764b8483cc5.jpg" length="108111" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vav-Tharad district, protest, deodar, dhanera, kankrej, banaskantha</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતની જેલોનું જાતિવાદી મોડેલ : દલિત કેદી સફાઈ કરે, સવર્ણ કેદી રસોઈ કરે</title>
                    <link>https://khabarantar.com/casteist-model-of-indias-prisons-dalit-prisoners-cleaning-upper-caste-prisoners-cooking</link>
                    <guid>https://khabarantar.com/casteist-model-of-indias-prisons-dalit-prisoners-cleaning-upper-caste-prisoners-cooking</guid>
                    <description>
                        <![CDATA[ દલિત કેદીઓને સફાઈ કરવી, પોતું મારવું જેવા નિમ્ન સ્તરના કામો સોંપાય છે, જ્યારે સવર્ણ કેદીઓને રસોઈ બનાવવી જેવા કામો સોંપાય છે. જાણો ભારતીય જેલોનું જાતિવાદી મોડેલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે હાલમાં જ દેશની જેલોમાં દલિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના કેદીઓ સાથે દાખવવામાં આવતા જાતિગત ભેદભાવને ખતમ કરવાનો ચૂકાદો આપ્યો હતો. એ પછી આજે કેન્દ્ર સરકારે જેલ મેન્યુઅલમાં ફેરફારની જાહેરાત કરી છે. પણ આ બધી ચર્ચા વખતે દલિત, આદિવાસી અને ઓબીસી કેદીઓ સાથે જેલમાં કેવા પ્રકારના ભેદભાવો થઈ રહ્યાં છે તે ખુદ કેદીઓએ જણાવ્યું છે તેની ચર્ચા થઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં દલિત કેદીઓ અને કાર્યકર્તાઓ, જેમ કે દોલત કુંવર, જેઓ લાંબા સમયથી જેલોમાં ચાલતા જાતિગત ભેદભાવો અને અત્યાચારો સામે ફરિયાદ કરી ચૂક્યાં છે, તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. દૌલત કુંવર જણાવે છે કે, જેલોમાં કેદીઓને તેમની જાતિના આધારે કામ સોંપવામાં આવે છે. દલિત કેદીઓને સફાઈ જેવા અપમાનજનક કામો સોંપવામાં આવતા. જ્યારે સવર્ણ કેદીઓ, ખાસ કરીને બ્રાહ્મણ કેદીઓને રસોડામાં રસોઈ કરવા જેવા કામો સોંપાતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ભેદભાવ માત્ર કામ પૂરતો સીમિત ન હતો પરંતુ દલિતો પર ખાવા-પીવાની બાબતમાં પણ ભેદભાવ રખાતો. દલિત કેદીઓ અન્યોની સરખામણીમાં નિમ્નસ્તરનું ભોજન પીરસવામાં આવતું હતું. આ માત્ર તેમના માનવ અધિકારોનું ઉલ્લંઘન ન હતું, પરંતુ ભારતીય સમાજમાં ઉંડે સુધી જડ ઘાલી ગયેલી જાતિ વ્યવસ્થા સાબિતી હતી. કેટલાક કેદીઓ પોતાની જેલની વાતો શેર કરી છે, જેમાં તેમને કેવી રીતે તેઓ બીમાર હોવા છતાં બ્રશ વિના ટોઈલેટની સફાઈ માટે મજબૂર કરાયા હતા તેની પણ વાત કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/what-human-rights-do-prisoners-receive-in-prison">જેલમાં કેદીઓને કયા માનવ અધિકારો મળે છે?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677621f16576c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત કેદીઓને વધેલું ભોજન આપવામાં આવતું?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાપુડના ઇન્દર પાલ અને મોનુ કશ્યપ નામના બે દલિત કેદીઓએ એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું કે, કેવી રીતે દલિત કેદીઓને ઓછો ખોરાક આપવામાં આવતો હતો, અને જાનવરોની જેમ કતારોમાં ઊભા રહીને બચેલો ખોરાક આપવામાં આવતો હતો. આ પરિસ્થિતિએ તેમની ગરિમાનું અપમાન તો કર્યું જ, પરંતુ તેમની સાથે થઈ રહેલા જાતિય શોષણનું સત્ય પણ ઉજાગર કર્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વોચ્ચ અદાલતે જેલ મેન્યુઅલમાં ઘણા જૂના નિયમોને ફગાવી દેતા કહ્યું હતું કે, આ નિયમો શ્રમના જાતિ આધારિત વિભાજનને પ્રોત્સાહન આપે છે. આ નિર્ણય દલિત કેદીઓ માટે ન્યાય અને સમાનતા તરફ નવી આશા જગાવે છે. પોલીસ અને વહીવટી અધિકારીઓએ પણ આ નિર્ણયની પ્રશંસા કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માત્ર મેન્યુઅલમાં ફેરફારથી પરિસ્થિતિ બદલાશે?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકરો માને છે કે જેલ મેન્યુઅલમાં કરાયેલા ફેરફારો માત્ર શરૂઆત છે. દલિત કાર્યકર્તા સતીશ પ્રકાશ કહે છે કે અસલી પડકાર સમાજમાં ઊંડા ઉતરી ગયેલા જાતિગત પૂર્વગ્રહને દૂર કરવાનો છે, જે જેલની અંદર અને બહાર બંને જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે. સોશિયલ એન્જિનિયરીંગ અને માનસિકતામાં પરિવર્તન વિના, ફક્ત કાયદાકીય સુધારાઓ પૂરતા નથી. કિશોર કુમાર જેવા વકીલો પણ એ વાત પર ભાર મૂકે છે કે જેલ પ્રશાસન માટે 'દલિત' શબ્દ માત્ર એક ઓળખ નથી, પરંતુ તેમને પરંપરાગત વ્યવસાયો સાથે જોડવાની માનસિકતાને પણ બદલવાની જરૂર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેલના અધિકારીઓ કેવો અમલ કરે છે તેના પર આધાર</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના નિર્ણયથી જેલોમાં જાતિ ભેદભાવને દૂર કરવાની દિશામાં એક નવી દિશા મળી છે. આ ચુકાદો માત્ર દલિત કેદીઓ માટે ન્યાયની આશા જ નહીં પરંતુ ભારતીય સમાજમાં સમાનતા અને ગૌરવને પ્રોત્સાહન આપતા વ્યાપક સુધારાઓનું પણ આહ્વાન કરે છે. કેન્દ્ર સરકારે જેલ નિયમાવલીમાં સુધારા કર્યા છે પણ તેનો છેવટનો અમલ તો જેલ તંત્ર પર નિર્ભર કરે છે. એ સ્થિતિમાં આ સુધારાનો કેટલો અને કેવો અમલ થાય છે, તેના પર જ જેલોમાં થતા જાતિ આધારિત ભેદભાવને ખતમ કરવાનો આધાર રહેલો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/casteism-even-in-prisons-dalits-clean-uppers-cook">જેલમાં પણ જાતિવાદ : દલિતો સફાઈ કરે, સવર્ણો રસોઈ બનાવે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 02 Jan 2025 12:25:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1796</Articleid>
                    <excerpt>દલિત કેદીઓને સફાઈ કરવી, પોતું મારવું જેવા નિમ્ન સ્તરના કામો સોંપાય છે, જ્યારે સવર્ણ કેદીઓને રસોઈ બનાવવી જેવા કામો સોંપાય છે. જાણો ભારતીય જેલોનું જાતિવાદી મોડેલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677635c594f74.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677635c560090.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677635c560090.jpg" length="78173" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>casteist model of indias prisons, dalit prisoners cleaning, upper caste prisoners cooking</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;જેલોમાં ચાલતો જાતિવાદ&amp;apos; બંધ થશે, કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો</title>
                    <link>https://khabarantar.com/caste-based-discrimination-in-prisons-will-end--central-government-changed-prison-rules</link>
                    <guid>https://khabarantar.com/caste-based-discrimination-in-prisons-will-end--central-government-changed-prison-rules</guid>
                    <description>
                        <![CDATA[ નવા સુધારા મુજબ જેલ સત્તાવાળાઓએ કડક રીતે એ બાબતોનું પાલન કરવાનું રહેશે કે કેદીઓ સાથે તેમની જાતિના આધારે કોઈ ભેદભાવ, વર્ગીકરણ કે વિભાજન ન થાય. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જેલોમાં ભેદભાવ અને કેદીઓની જાતિના આધારે થતા વર્ગીકરણને રોકવા માટે જેલ નિયમોમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે કેદીઓ સાથે થતા કોઈપણ જાતિ આધારિત ભેદભાવને ઉકેલવા માટે "આદર્શ જેલ નિયમો 2016" અને "આદર્શ જેલ અને સુધારણા સેવા અધિનિયમ, 2023" માં સુધારો કરવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેદીઓ સાથે જાતિ આધારિત ભેદભાવ અંગે સુપ્રીમ કોર્ટના 3 ઓક્ટોબર, 2024ના આદેશને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે. જેલના નિયમોમાં કરાયેલા નવા સુધારા મુજબ જેલ સત્તાવાળાઓએ કડક રીતે એનું પાલન કરવાનું રહેશે કે કોઈપણ કેદી સાથે તેની જાતિના આધારે ભેદભાવ, વર્ગીકરણ કે વિભાજન ન થાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમાં કહેવામાં આવ્યું છે કે, "જેલમાં કોઈપણ ફરજ અથવા કામની ફાળવણીમાં કેદીઓ સાથે તેમની જાતિના આધારે કોઈ ભેદભાવ ન થાય તેની ખાતરી કરવામાં આવશે. આદર્શ જેલ અને સુધારણા સેવા અધિનિયમ 2023માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં કલમ 55(A) તરીકે નવું શીર્ષક 'જેલો અને સુધારણા ગૃહોમાં જાતિ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ' ઉમેરવામાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે "મેન્યુઅલ સ્કેવેન્જર્સની કામગીરી પર પ્રતિબંધ અને તેના પુનર્વસન અધિનિયમ 2013" ની જોગવાઈઓ જેલો અને સુધારાત્મક સંસ્થાઓમાં પણ બંધનકર્તા રહેશે. જેમાં કહેવામાં આવ્યું છે કે, "જેલની અંદર હાથથી મેલું સાફ કરવાની કે ગટરની સફાઈ કરવા જેવા જોખમી કામો માટેની મંજૂરી આપવામાં આવશે નહીં."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/casteism-even-in-prisons-dalits-clean-uppers-cook">જેલમાં પણ જાતિવાદ : દલિતો સફાઈ કરે, સવર્ણો રસોઈ બનાવે</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6759319cc49df.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના અધિકારક્ષેત્રમાં રીઢા ગુનેગારો માટેના કાયદાનો અમલ કર્યો નથી અને વિવિધ રાજ્યોના ઉપલબ્ધ આવા કાયદાની વ્યાખ્યા તપાસ્યા બાદ આદર્શ જેલ નિયમાવલી 2016 અને આદર્શ જેલ અને સુધારાત્મક સેવા અધિનિયમ, 2023માં 'હેબિચ્યુઅલ ઓફેન્ડર એક્ટ'ની હાલની વ્યાખ્યા બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં "રીઢા ગુનેગારો" વિશે પણ નિર્દેશો આપ્યા હતા અને કહ્યું હતું કે જેલ નિયમાવલી અને આદર્શ જેલ નિયમાવલી સંબંધિત રાજ્ય વિધાનસભાઓ દ્વારા ઘડવામાં આવેલા કાયદા મુજબની "રીઢા ગુનેગારો" ની વ્યાખ્યા મુજબ હશે. સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો કે જો રાજ્યમાં આવો કાયદો નથી, તો કેન્દ્ર અને રાજ્ય સરકારો ત્રણ મહિનાની અંદર પોતાના નિર્ણયને અનુરૂપ નિયમાવલી અને નિયમોમાં જરૂરી ફેરફારો કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે એક ડઝન રાજ્યોની જેલ નિયમાવલીઓમાં જાતિ આધારિત ભેદભાવપૂર્ણ જોગવાઈઓ હતી, જેમાં જાતિના આધારે કેદીઓને અલગ બેરેકમાં રાખવાની જોગવાઈ હતી. સુપ્રીમ કોર્ટે જેલ મેન્યુઅલના એ નિયમોને "ગેરબંધારણીય" જાહેર કર્યા હતા જેમાં માત્ર કથિત ઉચ્ચ જાતિના કેદીઓને જ જમવાનું બનાવવાનો, અનુસૂચિત જાતિઓ, ખાસ કરીને સફાઈ કામદારોએ શૌચાલય સાફ કરવા પડશે અને અન્ય જનજાતિઓ તથા રીઢા ગુનેગારો વિરુદ્ધ જાતિના આધારે ભેદભાવ કરવામાં આવતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Does-caste-based-discrimination-happen-in-prisons-too-The-Supreme-Court-sought-a-response-from-the-Center-and-11-states">શું જેલોમાં પણ થાય છે જાતિ આધારિત ભેદભાવ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને 11 રાજ્યો પાસે માંગ્યો જવાબ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 02 Jan 2025 10:55:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1795</Articleid>
                    <excerpt>નવા સુધારા મુજબ જેલ સત્તાવાળાઓએ કડક રીતે એ બાબતોનું પાલન કરવાનું રહેશે કે કેદીઓ સાથે તેમની જાતિના આધારે કોઈ ભેદભાવ, વર્ગીકરણ કે વિભાજન ન થાય.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677621f18781a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677621f154565.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677621f154565.jpg" length="69298" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>caste-based discrimination in prisons, central government, changed prison rules</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજ્યની 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો</title>
                    <link>https://khabarantar.com/nine-municipalities-in-the-state-were-granted-municipal-status</link>
                    <guid>https://khabarantar.com/nine-municipalities-in-the-state-were-granted-municipal-status</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નવી 9 મહાનગરપાલિકાને મંજૂરી અપાઈ છે. આ સાથે જ રાજયમાં મહાનગરપાલિકાની સંખ્યા 8 થી વધીને 17ની થઈ ગઈ.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2025ના પ્રથમ દિવસે રાજ્ય સરકાર દ્વારા નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી રાજયમાં મહાનગરપાલિકાઓની સંખ્યા 8 હતી તે વધીને હવે 17 થઈ છે. સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ આજે સંતોષાઈ હોવાનું સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવી નવ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને બહાલી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, મોરબી, ગાંધીધામ, પોરબંદર-છાયા, નવસારી અને વાપી એમ કુલ નવ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા આ નવ મહાનગરપાલિકાની રચનાને મંજૂરી આપીને મહાનગરપાલિકાઓને તાત્કાલિક અસરથી કાર્યરત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા જે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, તેમાં આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ, પોરબંદર, નવસારી અને વાપી મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણાં લાંબા સમયથી આ તમામ નગરોના નાગરિકોની માગ હતી, જે હવે પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.  </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં રાજ્યમાં આઠ મહાનગરપાલિકા કાર્યરત છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા નવ નવી મહાનગરપાલિકાને મંજૂરી અપાતાં હવે મહાપાલિકાઓની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કઈ મહાનગરપાલિકામાં ક્યા ક્યા વિસ્તારનો સમાવેશ કરાયો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, તેમાં આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ, પોરબંદર, નવસારી અને વાપી મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા આ નવ નગરપાલિકાને મહાપાલિકા બનાવાઇ છે. ત્યારે આ મહાપાલિકાઓમા જે તે નગરપાલિકા વિસ્તારની સાથોસાથ આસપાસની ગ્રામ પંચાયત વિસ્તારોની સમાવેશ કરાયો છે. નવી બનેલી મહાપાલિકામાં ક્યાં વિસ્તારોનો સમાવેશ કરાયો છે તે અત્રે પ્રસ્તુત છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આણંદ મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમંત્રી મંડળના નિર્ણય અનુસાર આણંદ મહાપાલિકામાં આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા ઉપરાંત મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો કરાયો છે. આમ આણંદ મહાપાલિકામાં ત્રણ નગરપાલિકા અને ચાર ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નડિયાદ મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમંત્રી મંડળના નિર્ણય મુજબ નડિયાદ મહાપાલિકા વિસ્તારમાં નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે. આમ નડિયાદ મહાપાલિકા વિસ્તારમાં એક નગરપાલિકા અને 10 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહેસાણા મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી મુજબ મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં મહેસાણા નગરપાલિકા ઉપરાંત રામોસણા નોટિફાઈડ એરિયા (એનએ) વિસ્તાર તેમજ રામોસણા, ફતેપુરા, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ મહેસાણા મહાપાલિકામાં એક નગરપાલિકા, એક નોટિફાઇડ એરિયા, આઠ ગ્રામ પંચાયતો અને છ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારોનો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગર મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત સુરેન્દ્રનગર મહાપાલિકા વિસ્તારમાં સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે. આમ સુરેન્દ્રનગર મહાપાલિકામાં એક નગરપાલિકા અને પાંચ ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મોરબી મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા-વનાળિયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો છે. આમ મોરબી મહાપાલિકામાં એક નગરપાલિકા અને નવ ગ્રામ ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગાંધીધામ મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત ગાંધીધામ મહાપાલિકા વિસ્તારમાં ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ ગાંધીધામ મહાપાલિકામાં એક નગરપાલિકા અને છ ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોરબંદર મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત પોરબંદર મહાપાલિકા વિસ્તારમાં પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા(વિરપુર), દિગ્વિજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ પોરબંદર મહાપાલિકામાં એક નગરપાલિકા અને ચાર ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવસારી મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત નવસારી મહાપાલિકા વિસ્તારમાં નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ નવસારી મહાપાલિકામાં એક નગરપાલિકા અને ચાર ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વાપી મહાનગરપાલિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત વાપી મહાપાલિકામાં વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ વાપી મહાપાલિકામાં એક નગરપાલિકા અને 11 ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-total-area-of-1.84-lakh-hectares-around-gir-has-been-declared-an-eco-sensitive-zone">ગીર આસપાસનો કુલ ૧.૮૪ લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Jan 2025 21:16:50 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 01 Jan 2025 21:17:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1794</Articleid>
                    <excerpt>રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નવી 9 મહાનગરપાલિકાને મંજૂરી અપાઈ છે. આ સાથે જ રાજયમાં મહાનગરપાલિકાની સંખ્યા 8 થી વધીને 17ની થઈ ગઈ. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6775629b4c9cd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6775629b1f003.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6775629b1f003.jpg" length="49462" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>municipal status, Gujarat News</media:keywords>
                </item>
                        <item>
                    <title>બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા વાવ&amp;થરાદ જિલ્લાની જાહેરાત</title>
                    <link>https://khabarantar.com/division-of-banaskantha-district-announcement-of-new-vav-tharad-district</link>
                    <guid>https://khabarantar.com/division-of-banaskantha-district-announcement-of-new-vav-tharad-district</guid>
                    <description>
                        <![CDATA[ વિભાજનથી બનાસકાંઠામાં છ તાલુકા અને બે નગરપાલિકા, જ્યારે નવા વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકા અને ચાર નગરપાલિકાનો સમાવેશ થશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારે વર્ષ 2025ના પહેલા જ દિવસે બે મોટી જાહેરાતો કરી છે. સરકારે રાજ્યના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવા વાવ-થરાદ જિલ્લાની રચના કરી છે. આ જિલ્લાના વિભાજનથી હવે બનાસકાંઠામાં છ તાલુકા અને બે નગરપાલિકા રહેશે. જ્યારે નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં આઠ તાલુકા અને ચાર નગરપાલિકાનો સમાવેશ કરાયો છે.  હવે આ નવા બનનારા વાવ-થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા ૩૪ થશે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વધુ એક નવો જિલ્લો વાવ- થરાદ બનાવવાની જાહેરાત કરાઇ હોવાની માહિતી સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રવર્તમાન બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ૧૪ તાલુકા ધરાવતો જિલ્લો છે. એટલું જ નહીં, વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને નાગરિકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે જનહિતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા વાવ-થરાદ અને બનાસકાંઠા બનશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ બંને જિલ્લામાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે એટલે કે, બંને જિલ્લામાં ૬૦૦ આસપાસ ગામડાં રહે. તેમજ વિસ્તારમાં જોઈએ તો વાવ-થરાદ જિલ્લામાં ૬૨૫૭ ચો.કિ.મી  અને બનાસકાંઠા જિલ્લામાં ૪૪૮૬ ચો. કિ.મી રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનોને વહીવટી/ભૌગોલિક/આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર રખાયું છે. જ્યારે નવા બનનારા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કરાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું. તેમાં સરેરાશ ૩૫ થી ૮૫ જેટલા કિ.મી.નો અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની બચત થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લામાં રહેનારા તાલુકાઓ અને નગરપાલિકાઓ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વધુ એક નવો જિલ્લા બનાવાશે. આ વિભાજનના કારણે નવા બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકા અને બે નગરપાલિકા વિસ્તાર રહેશે. જિલ્લાના વિભાજન બાદ નવા  બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ ૬ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવા વાવ-થરાદ જિલ્લામાં જનારા તાલુકાઓ અને નગરપાલિકાઓ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો વાવ-થરાદ બનાવવામાં આવશે. ત્યારે આ નવા વાવ-થરાદ જિલ્લામાં આઠ તાલુકાઓ અને ચાર નગરપાલિકા વિસ્તારનો સમાવેશ થશે. જેમાં નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ ૮ તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/will-the-state-government-divide-6-district-and-create-3-new-districts"><span style="font-size: 12pt;"> </span>રાજ્ય સરકાર 6 જિલ્લાઓનું વિભાજન કરી નવા 3 જિલ્લા બનાવશે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Jan 2025 20:50:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1793</Articleid>
                    <excerpt>વિભાજનથી બનાસકાંઠામાં છ તાલુકા અને બે નગરપાલિકા, જ્યારે નવા વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકા અને ચાર નગરપાલિકાનો સમાવેશ થશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67755bf740f28.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67755bf7091b7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67755bf7091b7.jpg" length="69207" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>division of banaskantha, new vav tharad district, gujarat News</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘ઓ બાંગ્લાદેશી…’ ના મેણાંથી કંટાળી યુવકે 4 બહેનો અને માતાની હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/lucknow-hotel-murder-agra-a-young-man-killed-4-sisters-and-his-mother</link>
                    <guid>https://khabarantar.com/lucknow-hotel-murder-agra-a-young-man-killed-4-sisters-and-his-mother</guid>
                    <description>
                        <![CDATA[ 2025ના વર્ષનો પ્રથમ દિવસ જ દેશમાં એક જઘન્ય ઘટના સાથે શરૂ થયો છે. આ સમાચારે સામાન્ય માણસને જ નહીં પરંતુ પોલીસ વિભાગને પણ હચમચાવી નાખ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષનો પ્રથમ દિવસ જ જાતિવાદના એપી સેન્ટર એવા યુપીની રાજધાની લખનૌમાં એક જઘન્ય ઘટના સાથે શરૂ થયો. આ સમાચારે સામાન્ય માણસને જ નહીં પરંતુ પોલીસ વિભાગને પણ હચમચાવી નાખ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે તેની માતા અને ચાર બહેનો એમ પરિવારના 5 સભ્યોની ઘાતકી રીતે હત્યા કરી નાખી. ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યામાં યુવકના પિતા પણ સામેલ હતા. આ હત્યાકાંડ માટે સ્થાનિકોને જવાબદાર ઠેરવતા યુવકે મંદિર માટે પોતાનું ઘર દાનમાં આપી દેવાનો વીડિયો બનાવ્યો છે. જેમાં તેણે હત્યા સાથે જોડાયેલી બીજી ઘણી વાતો કહી, જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોલોનીના લોકો બાંગ્લાદેશી હોવાના મેણાં મારતા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકે લખનઉની એક હોટલમાં આખી ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે ચાર બહેનો અને તેની માતા સહિત પાંચ લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે પરિવારને સ્થાનિકો બાંગ્લાદેશી હોવાનું કહીને મેણાં મારતા હતા અને આ વિસ્તાર અને ઘર છોડી દેવા માટે દબાણ કરતા હોવાનું જણાવ્યું છે. આરોપી યુવકનું નામ અરશદ છે અને તેનો પરિવાર આગ્રાનો રહેવાસી છે. સ્થાનિકો તેને બાંગ્લાદેશી કહીને પરેશાન કરતા હોવાથી તે તેની માતા અને બહેનો સાથે લખનૌની એક હોટલમાં આવ્યો હતો. અહીં જ પિતાની મદદથી તેણે ચાર બહેનો અને તેની માતાની હાથની નસો કાપીને ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યાકાંડ પછી અરશદે એક વીડિયો બનાવ્યો અને તેમાં તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_67754a4a62b52.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરશદે સ્થાનિકો પર આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ તેનું ઘર છીનવી લેવા માગતા હતા. જેના કારણે તેનો પરિવાર છેલ્લા 10-15 દિવસથી ભટકતો હતો. હત્યાકાંડના થોડા દિવસ પહેલા તેણે મુખ્યમંત્રી યોગી અને પીએમ મોદીને એક ફરિયાદ પત્ર પણ મોકલ્યો હતો, જેમાં તેણે વિનંતી કરી હતી કે બાંગ્લાદેશી કહીને તેને હેરાન કરતા લોકોને છોડવામાં ન આવે. કારણ કે આ લોકો જમીન પર કબજો કરી રહ્યા છે. વીડિયોમાં અરશદે માતા અને બહેનોના મોત માટે આખી કોલોનીને જવાબદાર ગણાવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહેનોને વેચાતી જોઈ ન શકત એટલે હત્યા કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં અરશદ કહી રહ્યો છે કે તે તેની બહેનોને વેચાતી જોઈ ન શકત એટલે તેમની હત્યા કરી હતી. સ્થાનિકો પર આરોપ લગાવતા તેણે કહ્યું કે કોલોનીના લોકો તેને રોજ હેરાન કરતા હતા. તેને બાંગ્લાદેશી કહીને હેરાન કરવામાં આવતો હતો. આથી કંટાળીને તે હિંદુ ધર્મ અપનાવીને હિંદુ બનવા માંગતો હતો. અરશદે પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું કે, પોલીસે સ્થાનિકો સામે કોઈ કાર્યવાહી નહોતી કરી. બાંગ્લાદેશી હોવાના આરોપોથી કંટાળી તેણે પોતાનું ઘર મંદિર બનાવવા માટે દાન દીધું હોવાનું પણ તે કહે છે. અરશદે વીડિયોમાં કહ્યું છે કે તેના ઘરમાં જે પણ સામાન છે તે અનાથાશ્રમને આપી દેવામાં આવે જેથી તેની બહેનોને શાંતિ મળે. તેણે જણાવ્યું કે કોલોનીના રહેવાસીઓ સતત તેના પર બાંગ્લાદેશી હોવાનો આરોપ પણ લગાવતા હતા, જેનાથી દુઃખી થઈને તેણે આ પગલું ભર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હોટલમાં એક સાથે 5 લોકોની હત્યાથી ખળભળાટ મચી ગયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે અર્શદે આખી ઘટનાને લખનઉની એક હોટલમાં અંજામ આપ્યો હતો. બાંગ્લાદેશી હોવાના આરોપોથી કંટાળીને તે અને તેનો આખો પરિવાર અહીં આવીને રોકાયો હતો. એ પછી તેણે રાત્રે પિતાની મદદથી તેની ચાર બહેનો અને માતાને બ્લેડના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશોનો કબજો મેળવ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લખનઉ સેન્ટ્રલના ડીસીપી રવિના ત્યાગીએ જણાવ્યું કે આ ઘટના નાકા વિસ્તારમાં આવેલી હોટલ શરણજીતમાં બની હતી. આરોપીની ઓળખ અરશદ (24) તરીકે થઈ છે જેણે કથિત રીતે પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને સ્થળ પરથી જ પકડી લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ આલિયા (9), અલશિયા (19), અક્સા (16), રહેમીન (18) આ તમામ અરશદની બહેનો છે અને આસ્મા તેની માતા છે. 24 વર્ષીય અરશદ આગ્રાનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે ઘરેલું વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/who-should-have-the-right-to-decide-on-euthanasia-in-india-gujarati">ઈચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Jan 2025 19:35:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1792</Articleid>
                    <excerpt>2025ના વર્ષનો પ્રથમ દિવસ જ દેશમાં એક જઘન્ય ઘટના સાથે શરૂ થયો છે. આ સમાચારે સામાન્ય માણસને જ નહીં પરંતુ પોલીસ વિભાગને પણ હચમચાવી નાખ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67754a1b97ba3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67754a1b651f4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67754a1b651f4.jpg" length="74703" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>lucknow hotel murder case, Bangladesh, Latest News</media:keywords>
                </item>
                        <item>
                    <title>મંદિર માટે બે સાધુઓ બાખડ્યા, અંતે બંનેને બાબાસાહેબનું બંધારણ યાદ આવ્યું!</title>
                    <link>https://khabarantar.com/clashes-between-two-sadhus-over-property-issue-of-dhaneshwar-mahadev-temple-ashram-in-mangrol-narmada</link>
                    <guid>https://khabarantar.com/clashes-between-two-sadhus-over-property-issue-of-dhaneshwar-mahadev-temple-ashram-in-mangrol-narmada</guid>
                    <description>
                        <![CDATA[ લોકોને ત્યાગ, બલિદાનના ઉપદેશો આપતા સાધુ-બાવાઓ જ્યારે ખુદને પ્રોપર્ટી ત્યાગવાનો વારો આવે ત્યારે ભગવાનને છોડી બાબાસાહેબના બંધારણના જ શરણમાં આવતા હોય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાતા સંતો-સાધુઓ અસલમાં તો ધર્મનો ધંધો લઈને બેઠેલા છે અને આ વાત નગ્ન સત્ય હોવા જાહેરમાં તેનો સ્વીકાર કરતા લોકો ડરે છે. સામાન્ય માણસને ત્યાગ, બલિદાન અને મોહમાયા છોડી દેવાના ઉપદેશો આપતા આવા સાધુઓ જ્યારે તેમને ખુદને પ્રોપર્ટી કે અન્ય કોઈ કિંમતી વસ્તુ જતી કરવાની આવે ત્યારે મારામારી પર ઉતરી આવે છે. કેટલાક તો તેનાથી પણ આગળ વધીને ગુંડાઓ મોકલી એકબીજા પર હુમલાઓ કરાવે છે અથવા કોર્ટમાં સામસામે કેસ ઠોકી દે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના ભારતી આશ્રમ સરખેજ, જૂનાગઢ ભવનાથ મંદિર, સતાધાર મંદિરનો વિવાદ આપણી નજર સામે છે ત્યાં હવે વધુ એક 25 વર્ષ જૂના મંદિરનો વિવાદ ઉભો થયો છે. આમાં તો બે સાધુઓ વચ્ચે પ્રોપર્ટીને લઈને એવી બબાલ ઉભી થઈ કે બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નર્મદાના માંગરોળના ધનેશ્વર મંદિરનો મામલો</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો નર્મદા જિલ્લામાં નર્મદા નદીના કાંઠે આવેલા નાંદોદ તાલુકાના માંગરોલના ધનેશ્વર મહાદેવ મંદિરનો છે. આ આશ્રમનો છેલ્લા 25 વર્ષથી વિવાદ ચાલતો આવ્યો છે. મંદિરની પ્રોપર્ટી મુદ્દે ત્યાં જ રહેતા બે સાધુ વચ્ચે ફરીથી ડખો ઊભો થયો છે. મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે ધનેશ્વર મંદિરના મહંત જાનકીદાસ બાપુના પત્ની ભગવતદાસે મંદિરે સામા પક્ષના અખિલ સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં તમાચો મારી દીધો હતો. આ સદાનંદ મહારાજ અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લાના મંત્રી છે. આ હુમલો થયા બાદ સદાનંદ મહારાજે કહ્યું હતું કે, ધનેશ્વર મંદિરના સાધુ દંપતીથી તેમના જીવને જોખમ છે એટલે સુરક્ષા આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું કે, આ મામલે કોઈ નિરાકરણ નહીં આવે તો તેઓ હાઇકોર્ટ નજીક આત્મવિલોપન કરશે. ટૂંકમાં, વાત ન્યાયની આવે ત્યારે ભલભલાં લોકો ભગવાનને ભૂલીને બાબાસાહેબના બંધારણની શરણમાં જ આવતા હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક સાધુની પત્નીએ બીજાને લાફો ઝીંકી દીધો</span></strong></span><br><span style="font-size: 14pt;">અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સદાનંદ મહારાજ વચ્ચે અનેકવાર વિખવાદ થતાં આ મામલો એટલી હદે વધ્યો કે પોલીસ બોલાવી પડી હતી. પોલીસની હાજરીમાં જાનકીદાસ બાપુના પત્નીએ સદાનંદ મહારાજને તમાચો મારી દીધો હતો. જે બાદ આ આખો મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે બંને સંતોની સામસામે ફરિયાદો લીધી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસે 100 નંબર પર ફોન કરી ફરિયાદ કરી હતી કે, સદાનંદ મહારાજ અને અન્ય લોકોએ એમના આશ્રમ પર રાત્રે પથ્થરમારો કરી અપશબ્દો બોલ્યા હતા. આ ફરિયાદને લઈને પોલીસ ત્યાં પહોંચી હતી. એ દરમિયાન મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસ પોલીસ સાથે સદાનંદ મહારાજના આશ્રમ પર પહોંચી હતી અને પોલીસની હાજરીમાં જ સ્વામી સદાનંદ મહારાજ પર હુમલો કર્યો હતો. જેથી તમામને પોલીસમથકે લઈ જવાયા હતા અને કાયદેસરની કાર્યવાહી બાદ મુક્ત કરાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/junagadh-sadhu-gave-rs-five-crore-to-bjp-to-become-mahant-of-bhavnath-temple">ભવનાથ મંદિરના મહંત બનવા માટે ભાજપને 5 કરોડનું ફંડ આપ્યું</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677512111fdf1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક સાધુએ બીજા સાધુના ડરથી પોલીસ સુરક્ષા માંગી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ બાબતે અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે, "આ લોકોએ અનેકવાર મારી પર હુમલો કર્યો છે, તેઓ ધનેશ્વરની પ્રોપર્ટી હડપ કરવા માંગે છે અને એટલે અનેક ષડયંત્રો કરી મંદિર અને ગામનો માહોલ બગાડી રહ્યાં છે. જો આ બાબતે મને ન્યાય નહીં મળે અને સમસ્યાનું સમાધાન નહીં થાય તો  મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીશ અને હાઇકોર્ટ નજીક આત્મવિલોપન કરીશ. હવે હું રજૂઆતો કરીને કંટાળી ગયો છું. મહંત જાનકીદાસ અસામાજિક વ્યક્તિ છે. લોકો એમને ઓળખે છે. હું મારા આશ્રમમાં એકલો રહું છું એટલે આ લોકો મારા પર હુમલો કરી મારી હત્યા કરશે એવી મને આશંકા છે એટલે મને સુરક્ષા મળવી જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અગાઉ પણ એક સાધુની હત્યા થઈ હતી</span></strong></span><br><span style="font-size: 14pt;">બીજી તરફ મહંત જાનકીદાસ મહારાજે જણાવ્યું હતું કે, " અને મારી પત્ની શાંતિથી આશ્રમમાં રહી લોકોની સેવા કરીએ છીએ. મારા વિરૂદ્ધ પોલીસ મથકમાં કોઈ પણ કેસ હોય કે અરજી હોય તો મને બતાવો, હું અસામાજિક તત્વ નથી. આ મંદિરના પૂર્વ મહંત રામપ્યારે દાસની પણ હત્યા કરવામાં આવી હતી એટલે મારી પણ હત્યા થશે એવો મને ડર છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">છેલ્લે તો બાબાસાહેબનું બંધારણ જ કામે લાગ્યું!</span></strong><br><span style="font-size: 14pt;">આ ઘટના પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે ધર્મની આડમાં સૌ પોતપોતાના રોટલાં શેકી રહ્યાં છે. ભગવાનની સેવા કરવાના બહાને આશ્રમો બાંધીને જમીન હડપ કરી જનારા આવા લોકો જ્યારે આવી પ્રોપર્ટી પર અન્ય કોઈ નજર નાખે ત્યારે મારામારી પર ઉતરી આવતા પણ પાછી પાની નથી કરતા. સૌથી મોટી વાત એ કે લોકોને ભગવાનનો ડર બતાવનારા ખુદ પોતાને મુશ્કેલી પડે ત્યારે ભગવાનને છોડીને દેશના બંધારણની શરણે આવી કોર્ટમાં ન્યાય માંગે છે. ડો.આંબેડકરના બંધારણની આનાથી મોટી જીત બીજી કઈ હોઈ શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/iskon-temple-keeps-retired-armymans-daughter-with-disciple-after-he-is-chased-away">ઈસ્કોન મંદિરે નિવૃત્ત આર્મીમેનની દીકરીને શિષ્ય સાથે ભગાડી ગોંધી રાખી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Jan 2025 15:38:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1791</Articleid>
                    <excerpt>લોકોને ત્યાગ, બલિદાનના ઉપદેશો આપતા સાધુ-બાવાઓ જ્યારે ખુદને પ્રોપર્ટી ત્યાગવાનો વારો આવે ત્યારે ભગવાનને છોડી બાબાસાહેબના બંધારણના જ શરણમાં આવતા હોય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67751210aae81.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6775121079534.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6775121079534.jpg" length="79080" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dhaneshwar mahadev temple ashram, temple property issue, clashes between two sadhus, mangrol narmada</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડો.આંબેડકરની વધુ એક પ્રતિમા ખંડિત કરાઈ, આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-mps-damoh-kota-accused-not-caught-yet</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-mps-damoh-kota-accused-not-caught-yet</guid>
                    <description>
                        <![CDATA[ બાબાસાહેબની પ્રતિમા તોડાતા બહુજન સમાજે રોષ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. 10 દિવસ પછી પણ આરોપીઓ ન પકડાતા લોકો રસ્તા પર ઉતર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના પટેરાના કોટા ગામમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડવાની ઘટનાથી દલિત સમુદાયમાં રોષ છે. 10 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ ન થતાં બહુજન સમાજે દેખાવો કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે અષ્ટધાતુની પ્રતિમા સ્થાપિત કરવા, સીસીટીવી કેમેરા લગાવવા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંગઠનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span><br><span style="font-size: 14pt;">દમોહ જિલ્લાના પટેરા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટા ગામમાં 19 ડિસેમ્બરના રોજ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ડૉ. આંબેડકરની પ્રતિમાને અપમાનિત કરવાની ઘટનાએ દલિત સમાજને ચોંકાવી દીધો છે. આ ઘટના બાદ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્રની સલાહ છતાં ઘટનાના 10 દિવસ પછી પણ આરોપીઓનો કોઈ પત્તો ન લાગતાં લોકોમાં રોષ છે. દલિતોએ પ્રશાસનની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવતા કહ્યું કે આ ઘટના માત્ર પ્રતિમા તોડવા પુરતી સીમિત નથી પરંતુ આ બાબા સાહેબના વિચારો અને દલિત સમાજના અધિકારો પર પ્રહાર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો, આવેદનપત્ર આપ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">દમોહમાં ખરાબ વાતાવરણ હોવા છતાં દલિત સમાજ મોટી સંખ્યામાં જિલ્લા મથકે એકત્ર થયો હતો અને ઉગ્ર દેખાવો કર્યા હતા. પ્રદર્શનમાં ભારતીય અહિરવાલ સુરક્ષા સંઘ સહિત અનેક દલિત સંગઠનોના લોકોએ ભાગ લીધો હતો. આંદોલનકારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં બાબા સાહેબની તૂટેલી પ્રતિમાને બદલીને અષ્ટધાતુ પ્રતિમા લગાવવાની અને જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વહીવટી તંત્રની નિષ્ફળતાને કારણે દલિત સમાજમાં અસલામતીની લાગણી ઘેરી બની રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધરપકડ નહીં થાય તો દેશવ્યાપી આંદોલનનું અલ્ટીમેટમ</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત સંગઠનોએ ચેતવણી આપી છે કે જો દોઢ મહિનામાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે અને તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો દેશભરમાંથી દલિત સમાજના લોકો દમોહમાં એકઠા થઈને મોટો વિરોધ કરશે. તેમણે કહ્યું કે આ આંદોલનથી ઉભી થયેલી પરિસ્થિતિને સંભાળવી સરકાર અને વહીવટીતંત્ર માટે મુશ્કેલ બનશે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે બાબાસાહેબની પ્રતિમા પર હુમલો માત્ર તેમના યોગદાનનું અપમાન નથી પરંતુ બહુજન સમાજનું મનોબળ ખતમ કરવાનો પ્રયાસ છે, જેને કોઈપણ કિંમતે સાંખી લેવામાં આવશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અષ્ટધાતુની મૂર્તિ સ્થાપિત કરવા માંગ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ તરફ પોલીસનું કહેવું છે કે આરોપીઓને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. પરંતુ દલિત-બહુજન સમાજનું કહેવું છે કે આ માત્ર ખાતરી આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ છે. આંદોલનકારીઓનું કહેવું છે કે નવ દિવસ પૂરતો સમય છે, પરંતુ પ્રશાસને આ મામલે ગંભીરતા દાખવી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં બાબાસાહેબની તૂટેલી પ્રતિમાના સ્થાને અષ્ટધાતુની કાયમી પ્રતિમા મુકવાની માંગ કરવામાં આવી હતી, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આ સાથે જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરવામાં આવી હતી, જેથી ગુનેગારોને ઓળખવામાં સરળતા રહે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-five-times-in-two-months-in-uttar-pradesh">બે મહિનામાં ડો.આંબેડકરની પ્રતિમા તોડવાની પાંચમી ઘટના બની, દલિતોમાં રોષ</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Jan 2025 14:25:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1790</Articleid>
                    <excerpt>બાબાસાહેબની પ્રતિમા તોડાતા બહુજન સમાજે રોષ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. 10 દિવસ પછી પણ આરોપીઓ ન પકડાતા લોકો રસ્તા પર ઉતર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677501cd9fee9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677501cd6c367.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677501cd6c367.jpg" length="78723" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr. ambedkars statue, vandalised, MP, damoh, kota, accused not caught</media:keywords>
                </item>
                        <item>
                    <title>કૉલેજની ફી ન ભરી શકતા દલિત યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/dalit-girl-hangs-herself-in-haryanas-bhiwani-unable-to-pay-college-fees-college-stops-her-from-taking-exams</link>
                    <guid>https://khabarantar.com/dalit-girl-hangs-herself-in-haryanas-bhiwani-unable-to-pay-college-fees-college-stops-her-from-taking-exams</guid>
                    <description>
                        <![CDATA[ 22 વર્ષની દલિત યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેને બાકી ફી ચૂકવી દેવા માટે કોલેજ તરફથી સતત દબાણ કરવામાં આવતું હતું. જેનાથી કંટાળી તેણે આ પગલું ભર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit girl hangs herself : એક બાજુ દેશ આખામાં યુવાધન નવા વર્ષનું સ્વાગત કરવા માટે તૈયારીઓ કરી રહ્યું હતું. બીજી તરફ હરિયાણામાં એક દલિત યુવતીએ આત્મહત્યા કરી હોવાના સમાચારને લઈને મામલો ગરમાયો હતો. યુવતી ફી નહોતી ભરી શકી જેના કારણે કૉલેજે તેને પરીક્ષામાં બેસતા અટકાવી હતી. આ ઘટનાથી તેણીને ભારી લાગી આવ્યું હતું અને તેણે ઘરે આવીને રાતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. વિચારો, કોલેજની ફી ન ભરી શકવાને કારણે તેને કેટલી માનસિક યાતના અને ત્રાસનો સામનો કરવો પડ્યો હશે કે તેણે આત્મહત્યા કરી લીધી?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક 22 વર્ષીય દીક્ષાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેને પોતાની બાકી ફી તરત ચૂકવી દેવા માટે દબાણ કરવામાં આવતું હતું અને તેને હેરાન કરવામાં આવી હતી. તે ભિવાની જિલ્લાની એક ખાનગી મહિલા કોલેજમાં બીએના અંતિમ વર્ષની વિદ્યાર્થીની હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતીના પિતાએ જણાવ્યું કે તેમની પુત્રી આ મહિને પાંચમા સેમેસ્ટરની પરીક્ષા આપવાની હતી, તેની 35,000 રૂપિયા ફી ભરવાની હતી, પરંતુ કોલેજે ફી બાકી હોવાને કારણે તેને પરીક્ષા આપવા દીધી નહોતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં કહ્યું કે, "મેં કોલેજ તંત્રને ફી જમા કરવા માટે થોડો વધુ સમય આપવા માંગ કરી હતી પરંતુ તેમણે તેનો ઈનકાર કરી દીધો હતો. અમારી અમુક આર્થિક તંગીના કારણે તે સમયસર તેની ફી ભરી શકી નહોતી અને તેની કિંમત તેણે પોતાનો જીવ આપીને ચૂકવવી પડી. તેણે 24મી ડિસેમ્બરે રાતે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. બીજા દિવસે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પોલીસે આત્મહત્યાની ફરિયાદ નોંધી છે. પણ અમે 27મી ડિસેમ્બરે કોલેજ વહીવટી તંત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે અમારી દીકરીએ તેમના દબાણને કારણે આત્મહત્યા કરી છે." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-girl-a-gang-rape-victim-hanged-herself-in-fear-of-the-accused">આરોપીઓના ડરથી ગેંગરેપ પીડિતા દલિત યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો</a></strong></span></span></p>
<p><strong><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6774e7122d7df.jpg" alt=""><span style="color: rgb(224, 62, 45);">આત્મહત્યા કરનાર દલિત વિદ્યાર્થિની દીક્ષાનો ફાઈલ ફોટો</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતીના પિતા જગદીશે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોલેજના પ્રિન્સિપાલ અને અન્ય કેટલાક લોકોએ તેણીને "હેરાન કરીને સતામણી" કરી હતી. તેમણે વધુમાં કહ્યું, "દીકરીના મોત બાદ મારી માનસિક હાલત સારી નહોતી એટલે કોલેજ સામે ફરિયાદ નોંધાવવામાં મોડું થયું.હું મારી પુત્રી માટે ન્યાય માંગું છું." જો કે કોલેજના માલિક હનુમાનસિંહે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે પોલીસને તપાસમાં સહકાર આપવા તૈયાર છીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">લોહારુ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર જિતેન્દ્રએ આ મામલે કહ્યું હતું કે, તપાસ દરમિયાન ઘણા પાસાઓ સામે આવ્યા છે. FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;">વિદ્યાર્થિનીને ત્રાસ આપવા અંગેના આરોપો મામલે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, "અમે તપાસ કરી રહ્યા છીએ. કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ બાકી છે." જોકે, વિદ્યાર્થીના પરિવારની ફરિયાદ પર BNSની કલમ 108 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રણદીપ સુરજેવાલાએ ન્યાયની માંગ કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">દરમિયાન કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, એ દુઃખદ છે હરિયાણામાં એક દલિત યુવતીએ પરીક્ષા ફી ન ભરી શકવાને કારણે આત્મહત્યા કરવી પડી. સુરજેવાલાએ ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી કે, "આપણા બંધારણની પ્રસ્તાવના સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને ન્યાયની વાત કરે છે. પરંતુ હરિયાણામાં એક દલિત દીકરીએ પરીક્ષા ફી ન ભરી શકવાને કારણે આત્મહત્યા કરવી પડી તે દુઃખદ છે. આ ઘટના ન માત્ર દુ:ખદ છે પરંતુ અત્યંત શરમજનક પણ છે. પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ અને આ બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક ન્યાયમંત્રીએ શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">હરિયાણાના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કૃષ્ણ કુમાર બેદીએ કહ્યું કે બાળકીના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસ ગુનેગારોને પકડવા માટે સતત કામ કરી રહી છે. બેદીએ કહ્યું કે સરકાર પીડિત પરિવારની સાથે છે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-teenager-hangs-himself-in-basti-kaptanganj-uttar-pradesh-gujarati-news">કપડાં ઉતરાવ્યા, પેશાબ પીવડાવ્યો, થૂંક ચટાડ્યું, દલિત કિશોરે ગળેફાંસો ખાઈ લીધો</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Jan 2025 12:30:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1789</Articleid>
                    <excerpt>22 વર્ષની દલિત યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેને બાકી ફી ચૂકવી દેવા માટે કોલેજ તરફથી સતત દબાણ કરવામાં આવતું હતું. જેનાથી કંટાળી તેણે આ પગલું ભર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6774e711b4224.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6774e71182d92.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6774e71182d92.jpg" length="92884" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit girl hangs herself, Haryana, Bhiwani, Unable to pay college fees</media:keywords>
                </item>
                        <item>
                    <title>સનાતન ધર્મ એટલે ‘ગાય અને બ્રાહ્મણો’ને જલસા : કેરળના મુખ્યમંત્રી</title>
                    <link>https://khabarantar.com/kerala-cm-pinarayi-vijayan-sanatan-dharma-means-a-celebration-of-cows-and-brahmins</link>
                    <guid>https://khabarantar.com/kerala-cm-pinarayi-vijayan-sanatan-dharma-means-a-celebration-of-cows-and-brahmins</guid>
                    <description>
                        <![CDATA[ મનુવાદી વર્ણવ્યસ્થા પર આકરા ચાબખા મારવા માટે જાણીતા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સ્ટેજ પરથી મનુવાદી સનાતન ધર્મ અને જાતિ પ્રથાના છોતરાં કાઢી નાખ્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સનાતન ધર્મ અને જાતિ પ્રથા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સનાતન ધર્મને વર્ણાશ્રમ ધર્મનો જ અભિન્ન હિસ્સો ગણાવ્યો અને કહ્યું કે તે ચાતુર્વર્ણ પદ્ધતિ પર જ આધારિત છે. મુખ્યમંત્રીએ કહ્યું, "વર્ણાશ્રમ ધર્મ વંશપરંપરાગત વ્યવસાયોનો મહિમા કરે છે, પરંતુ શ્રી નારાયણ ગુરુએ આ વંશપરંપરાગત વ્યવસાયોને પડકાર્યા હતા. આવી સ્થિતિમાં નારાયણ ગુરુને સનાતન ધર્મના સમર્થક કેવી રીતે કહી શકાય?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મંગળવારે શીવગીરી માધોમ ખાતે 92મી શિવગીરી યાત્રાનું ઉદ્ઘાટન કરતી વખતે સામાજિક સુધારણાનો સંદેશ આપ્યો હતો. તેમણે શિવગીરી માધોમ દ્વારા ભક્તોને મંદિરમાં પ્રવેશ કરતી વખતે શર્ટ ઉતારવાની પ્રથાને ખતમ કરવાની અપીલને આધુનિક અને પ્રગતિશીલ મૂલ્યોને અનુરૂપ ગણાવી. મુખ્યમંત્રીએ કહ્યું કે શિવગીરી માધોમના પ્રમુખ સ્વામી સચિતાનંદે આ પ્રથાને જૂના સમયની અવશેષ ગણાવી હતી, જે આજના પ્રગતિશીલ સમાજમાં અપ્રસ્તુત છે.તેમના શબ્દો શ્રી નારાયણ ગુરુના સુધારાવાદી વિચારો અને સંદેશને પ્રતિબિંબિત કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શ્રી નારાયણ ગુરુ અને સુધારાવાદી આંદોલન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પી. વિજયને કહ્યું કે, શ્રી નારાયણ ગુરુ સાથે સંકળાયેલા મંદિરોએ આ પ્રથા છોડી દીધી છે અને તેમને આશા છે કે અન્ય મંદિરો પણ આ દિશામાં પગલાં લેશે. તેમણે શ્રી નારાયણ ગુરુને સનાતન ધર્મના સમર્થક તરીકે રજૂ કરવાના પ્રયાસોની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે સનાતન ધર્મ અને વર્ણાશ્રમ ધર્મમાં કોઈ ખાસ તફાવત નથી. બંને સમાજ વ્યવસ્થાને જાતિના આધારે બાંધી રાખે છે અને નીચલા વર્ગો માટે સામાજિક પ્રગતિના રસ્તાઓ બંધ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સનાતન ધર્મ પર તીક્ષ્ણ પ્રહાર કરતા વિજયને કહ્યું, "સનાતન ધર્મ સાર્વત્રિક કલ્યાણની વાત કરે છે પરંતુ તેની પાછળ 'ગાય અને બ્રાહ્મણોની સુખાકારી' ની શરત જોડી દેવામાં આવે છે. આ ધર્મ જાતિની સામાજિક વ્યવસ્થાને જાળવી રાખવા માટે બ્રાહ્મણવાદી સર્વોપરિતાને પ્રોત્સાહન આપે છે. તેમણે તેને 'સિંગલ પાવર'ના ગુણગાન અને સામાજિક-આર્થિક અસમાનતાઓને જાળવી રાખનાર ગણાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પિનરાઈ વિજયને મહાભારતમાં ન્યાયની અસ્પષ્ટતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મહાભારત એ યુગની રચના છે જ્યારે સમાજ આદિવાસી વ્યવસ્થાથી જાતિના રાજકારણમાં બદલાઈ રહ્યો હતો. શ્રી નારાયણ ગુરુએ આ ગ્રંથની ન્યાય પ્રત્યેની અસ્પષ્ટતા પર આકરા સવાલો ઉઠાવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, "મહાભારત સ્વયં નક્કી નથી કરતું કે ધર્મ શું છે, પરંતુ ધર્મ વિશે શંકા અને પ્રશ્નો ઉભા કરે છે." મુખ્યમંત્રીએ વર્તમાન સંદર્ભમાં ‘સનાતન હિન્દુત્વ’ની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું, "આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યારે સનાતન હિંદુત્વને અત્યંત શ્રેષ્ઠ અને ભવ્ય તરીકે દર્શાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેને તમામ સામાજિક સમસ્યાઓનું સમાધાન કહેવામાં આવે છે." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે ‘લોકા: સમસ્તા સુખીનો ભવન્તુ" જેવા સૂત્રની ચર્ચા કરતાં કહ્યું કે આ સૂત્રનો અર્થ ચોક્કસપણે સકારાત્મક છે અને તે સાર્વત્રિક સુખની કામના કરે છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે તેને માત્ર હિન્દુત્વની વિશેષતા તરીકે રજૂ કરવું તે સુનિયોજિત નેરેટિવનો હિસ્સો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો અને પછાત લોકો માટે ન્યાયની માંગ કરતા વિજયને કહ્યું કે, આજે પણ ગ્રામીણ ઉત્તર ભારતમાં દલિતો, પછાતો અને લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આ અત્યાચારોને રાજકીય અને વહીવટી રક્ષણ મળે છે, જેના કારણે ગુનેગારો કાયદાની પકડમાંથી છટકી જાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, શ્રી નારાયણ ગુરુનો માનવતાવાદી સંદેશ સામાજિક સમાનતા અને ન્યાયનો માર્ગ બતાવે છે. તેમણે બધાંને આગ્રહ કર્યો કે સામાજિક સુધારા માટે શિવગીરીના ઐતિહાસિક નેતૃત્વને અનુસરે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-sinde-government-of-maharashtra-gave-the-status-of-rajmata-gaumata-to-the-country-cow">મહારાષ્ટ્રની શિંદે સરકારે દેશી ગાયને રાજમાતા-ગૌમાતાનો દરજ્જો આપ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 31 Dec 2024 19:39:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1788</Articleid>
                    <excerpt>મનુવાદી વર્ણવ્યસ્થા પર આકરા ચાબખા મારવા માટે જાણીતા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સ્ટેજ પરથી મનુવાદી સનાતન ધર્મ અને જાતિ પ્રથાના છોતરાં કાઢી નાખ્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6773fa098901d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6773fa0952f4c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6773fa0952f4c.jpg" length="65013" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>pinarayi vijayan, kerala cm, sanatan dharma, cows, brahmins</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદમાં મુસ્લિમ યુવકને દાઢીને કારણે પરીક્ષા આપતો અટકાવાયો</title>
                    <link>https://khabarantar.com/muslim-youth-stopped-from-taking-exam-in-ahmedabad-due-to-beard</link>
                    <guid>https://khabarantar.com/muslim-youth-stopped-from-taking-exam-in-ahmedabad-due-to-beard</guid>
                    <description>
                        <![CDATA[ યુવક નર્સિંગની પરીક્ષા આપવા પહોંચ્યો હતો, જ્યાં પરીક્ષકે તેને રૂમમાં પ્રવેશતા રોકી તેની દાઢી વિશે સવાલો કરીને દાઢી કરાવીને આવવા આદેશ કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં એક ચોંકાવનારી અને ખૂબ જ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં નર્સિંગના વિદ્યાર્થી હાફિઝ અબુ બકરને દાઢી રાખવા બદલ એલજી હોસ્પિટલમાં ગુજરાત યુનિવર્સિટીની GNM નર્સિંગની પરીક્ષામાં બેસતા રોકવામાં આવ્યો હતો. પરીક્ષક સરયુરાજ પુરોહિતે કથિત રીતે અબુ બકરને પરીક્ષા શરૂ થતા પહેલા દાઢી કઢાવી નાખવાની સૂચના આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓબ્ઝર્વર પોસ્ટના અહેવાલ મુજબ, અબુ બકરે દાવો કર્યો હતો કે તેને પરીક્ષા ખંડની બહાર રોકવામાં આવ્યો હતો અને પરીક્ષામાં બેસવું હોય તો દાઢી કઢાવી નાખવા માટે કહેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઘટનાના વીડિયોમાં પરીક્ષક કહેતા જોવા મળે છે કે, "જો કોઈ વિદ્યાર્થીની દાઢી રાખે છે, તો મારું માનવું છે કે અમારે તેની તપાસ કરવી જોઈએ અથવા તેને સવાલો કરવા જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું જોઈએ કે, એવો કોઈ નિયમ નથી કે પરીક્ષાર્થીએ પરીક્ષા આપતી વખતે દાઢી કરાવી લેવી જોઈએ. તેમ છતાં પરીક્ષકે મુસ્લિમ યુવકને દાઢી કઢાવી નાખવાનો આદેશ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહેવાલ મુજબ, આ ઘટનાનો વીડિયો બનાવનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, "કોઈને દાઢી કરાવીને ક્લાસમાં આવવાનું કહેવાનો કોઈ નિયમ નથી. તેમ છતાં પરીક્ષકે આ પ્રકારનું વર્તન કરીને પોતાની દ્વેષી માનસિકતાનો પરિચય આપ્યો હતો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અબુ બકરે બીજી પણ એક અપમાનજનક વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં પરીક્ષકે તેને પૂછ્યું હતું કે, શું તેણે હજ કરી છે. અબુ બકરે જવાબમાં કહ્યું કે તેણે ઉમરાહ કરી છે. એ પછી પરીક્ષકે તેના પર જૂઠું બોલવાનો આરોપ મૂક્યો અને આગ્રહ કર્યો કે તે તેની દાઢી સંપૂર્ણપણે મુંડાવી લે. એનો મતલબ એ કે તે તેની ધાર્મિક ઓળખની પૂછપરછનો વિષય હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાની કાર્યવાહીનો બચાવ કરતા પરીક્ષક સરયુરાજ પુરોહિતે દાવો કર્યો હતો કે ધર્મના આધારે કોઈ ભેદભાવ નથી અને પરીક્ષા તમામ વિદ્યાર્થીઓ માટે ન્યાયી રીતે લેવામાં આવી હતી. જો કે તેમણે શા માટે મુસ્લિમ વિદ્યાર્થીને દાઢી કઢાવીને આવવા કહ્યું હતું અને ધાર્મિક સવાલો પૂછ્યા હતા તેને લઈને તેનો યોગ્ય ખુલાસા કરી શક્યા નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની ચારે બાજુથી નિંદા થઈ રહી છે. એએમસીમાં વિપક્ષના નેતા શેહઝાદખાન પઠાણે આ મામલે ગુજરાતમાં વધી રહેલી ધાર્મિક અસહિષ્ણુતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "મને આ ઘટના વિશે મીડિયા દ્વારા જાણ થઈ. એક મુસ્લિમ વિદ્યાર્થીને દાઢી હોવાથી પરીક્ષામાં બેસતો રોકવામાં આવ્યો તે ચોંકાવનારું છે. આ દેશમાં કટ્ટરતા એટલી વધી ગઈ છે કે વિદ્યાર્થીઓએ તેની સાથે સંઘર્ષ કરવો પડે છે. આ અત્યંત શરમજનક સ્થિતિ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શેહઝાદખાન પઠાણે ગુજરાતને ધાર્મિક ઉગ્રવાદનું કેન્દ્ર બનાવવાનો આરોપ મૂક્યો હતો જ્યાં આવી ભેદભાવપૂર્ણ પ્રથાઓ દિન પ્રતિદિન સામાન્ય બની રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય બંધારણ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની બાંહેધરી આપે છે, જેમાં દાઢી અથવા હિજાબ જેવી ઓળખ દ્વારા કોઈની આસ્થાને વ્યક્ત કરવાનો અધિકાર પણ સામેલ છે. તેમ છતાં આવી ઘટનાઓ બની રહી છે તે શરમજનક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના ભારતમાં વધતી જતી ધાર્મિક અસહિષ્ણુતાનું જીવંત ઉદાહરણ છે, જ્યાં વ્યક્તિગત માન્યતાઓ અને સાંસ્કૃતિક પૂર્વગ્રહોના મૂળમાં રહેલી ક્રિયાઓ વ્યક્તિઓના અધિકારોનું વધુને વધુ અતિક્રમણ કરી રહી છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે આવી ભેદભાવપૂર્ણ ક્રિયાઓને સત્તાધિકારીઓ દ્વારા નિયમિત કાર્યવાહીના ભાગરૂપે વાજબી ઠેરવવામાં આવે છે, જેનાથી ધાર્મિક લઘુમતીઓને વંચિત રાખવું સામાન્ય બની જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/amroha-non-veg-controversy-school-expels-three-muslim-children-for-bringing-non-veg-in-tiffin">ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 31 Dec 2024 14:45:45 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 31 Dec 2024 14:46:24 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1787</Articleid>
                    <excerpt>યુવક નર્સિંગની પરીક્ષા આપવા પહોંચ્યો હતો, જ્યાં પરીક્ષકે તેને રૂમમાં પ્રવેશતા રોકી તેની દાઢી વિશે સવાલો કરીને દાઢી કરાવીને આવવા આદેશ કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6773b5b27bb26.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6773b5b246155.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6773b5b246155.jpg" length="51295" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ahmedabad News, LG Hospital, Gujarat University GNM Nursing Exam</media:keywords>
                </item>
                        <item>
                    <title>એવું ગામ, જ્યાં વર્ષના પહેલા દિવસની શરૂઆત આંસુઓ સાથે થાય છે</title>
                    <link>https://khabarantar.com/jharkhand-kharsawan-golikand-a-village-where-the-first-day-of-the-year-begins-with-tears</link>
                    <guid>https://khabarantar.com/jharkhand-kharsawan-golikand-a-village-where-the-first-day-of-the-year-begins-with-tears</guid>
                    <description>
                        <![CDATA[ દુનિયાભરમાં એકબાજુ 1લી જાન્યુઆરીએ સૌ ન્યૂ યરની ઉજવણીમાં મસ્ત હોય છે ત્યારે બીજી તરફ એક એવું ગામ છે જ્યાંના રહીશોની શરૂઆત આંસુઓ સાથે થાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે 12ના ટકોરે એકબાજુ દુનિયા આખીમાં લોકો નવા વર્ષના સ્વાગતમાં સેલિબ્રેશનના મૂડમાં હોય છે ત્યારે ભારતમાં એક ગામ એવું પણ છે જ્યાં લોકો એકઠા તો થાય છે પરંતુ જશ્ન મનાવવા માટે નહીં પરંતુ શોક મનાવવા માટે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં મેળો ભરાય છે પણ તેનું આયોજન કોઈ પર્વ કે તહેવાર કે ખુશીના પ્રસંગે નહીં પરંતુ અહીં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ તેમના પૂર્વજોને યાદ કરવા માટે એકઠો થાય છે. આ એ જગ્યાએ છે જ્યાં આદિવાસી સમાજ વર્ષના પહેલા દિવસની શરૂઆત આંસુઓ સાથે કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત છે આઝાદ ભારતના સૌથી પહેલા ગોળીબાર કાંડની. જેમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા પણ વધુ લોકો માર્યા ગયા હતા. આવતીકાલે 1 લી જાન્યુઆરી છે ત્યારે ભીમા કોરેગાંવના મહાન મહાર યોદ્ધાઓની સાથે આદિવાસી સમાજના વીર શહીદોને પણ યાદ કરીએ. ચાલો જાણીએ આઝાદ ભારતની સૌથી દર્દનાક ઘટનાની વણકહી વાત.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઝારખંડના આદિવાસી યોદ્ધાઓની કહાની</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1લી જાન્યુઆરીનો દિવસ દુનિયાભરમાં નવા વર્ષ તરીકે ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. લોકો નવું વર્ષ ધામધૂમથી નવા ઉમંગો સાથે સાથે ઉજવે છે. પણ ઝારખંડના આદિવસી લોકો માટે આ દિવસ દુઃખ ભરી યાદો લઈને આવે છે. ઝારખંડના આદિવસી આ દિવસને કાળા દિવસ તરીકે મનાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે આદિવસીઓનો ના નેતા જયપાલસી મુંડાની આગેવાનીમાં સ્વતંત્ર  રાજ્યની માગને લઈને ખરસાવાંમાં ૫૦૦૦૦ લોકોની ભીડ ભેગી થઇ હતી. તેમની માત્ર એક જ માંગ હતી કે આ અમારી માટી છે, અમારી જમીન છે, અમારું રાજ છે, અહીં આદિવસી રાજ જોઈયે અને અહીં બીજુ કોઈ રાજ મંઝૂર નથી. આઝાદી સમયે રાજ્યોનું વિલીનીકરણ ચાલતું હતું, ત્યારે તે સમયનું બિહાર ઓડીસામાં વિલય થવા જઈ રહ્યું હતું. ત્યારે આદિવસીઓની માંગ હતી કે અમારે બિહાર પણ નહીં અને ઓડિસા પણ નહિ અમને સ્વતંત્ર રાજ્ય આપો. અને આ માંગ ઉપર તેમનું ઉગ્ર આંદોલન ચાલતું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Who-was-Birsa-Munda,-how-did-he-become-the-God-of-tribal-society">કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_677397e5533c6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જલિયાવાલા બાગ હત્યાકાંડની તો બધાંને ખબર છે, પણ ખરસાવાં ગોલીકાંડ વિષે તો બહુ જ ઓછા લોકોને જાણકારી છે. કારણ કે આ વિષય ઉપર ક્યાંય ભણાવવામાં નથી આવતું, કે ક્યાંય ખરસાવાં ગોલીકાંડનો ઉલ્લેખ પણ જોવા મળતો નથી, આવા કોઈ મોટા હત્યાકાંડની જ્યારે વાત ચાલે તો સૌથી પહેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડ બધાની નજર આગળ ઉપસી આવે છે, કારણકે તે શાળાઓમાં ભણાવવામાં આવે છે, અને આ ખરસાવાં ગોલીકાંડ જલિયાવાલા બાગ કરતા પણ મોટો હતો છતાં પણ જાણી જોઈને છુપાવવા કે ભૂસી નાંખવામાં આવી રહ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા પાંચ ગણા લોકો શહીદ થયા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જલિયાવાલા બાગમાં ૨૦૦૦ જેટલા ભારતીયો શહીદ થયા હતા. જ્યારે ખરસાવાં ગોલીકાંડમાં તેના કરતા પાંચ ગણા લોકો શાહિદ થઇ ગયા હતા. પણ જલિયાંવાલા હત્યાકાંડ અંગ્રેજો દ્વારા થયો હતો એટલે લોકો સમક્ષ વિદ્યાર્થીકાળથી જ મુકવામાં આવે છે. જ્યારે આ ખરસાવાં ગોલીકાંડ એ ઓડિસાની પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો અને આદિવાસી લોકો જ તેનો ભોગ બન્યા હતા, તો જાણી જોઈને તેને દબાવવામાં આવી રહ્યો છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વતંત્રતા પછી રાજ્યોનું સરકાર સાથે વિનિમય થઇ રહ્યું હતું, ત્યારે તો ઓડિસામાં સરાઈકેલા ખરસવાં ક્ષેત્રના વિલયને લઈને લોકો એ વિરોધ કર્યો હતો. આદિવસીઓ તેમને સ્વતંત્ર રાજ્ય કે પ્રદેશમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી રહયા હતા. એ બાબતે સર્વસંમતિથી આંદોલન માટે ખરસાવાહટ મેદાનમાં ૧ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ એક વિશાળ આમસભા યોજાઈ હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_677398003a27f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> તે સમયના આદિવાસી નેતા જયપાલસિંહ મુંડાની આગેવાની હેઠળ હજારોની સંખ્યામાં લોકો તે દિવસે ભેગા થઇ ગયા હતા. કોઈ કારણસર જયપાલસિંહ આંદોલન સ્થળ ઉપર તે મેદાનમાં સમયસર પહોંચી શક્યા નહોતા. અને ત્યાં તૈનાત કરેલી ઓડિસા પોલીસ અને લોકોની ભીડ વચ્ચે ઘર્ષણ ઉભું થયું, પોલીસ અને લોકો વચ્ચે વિવાદ વધતો ગયો અને ઓડિસા પોલીસે તે નિહત્થી ભીડ ઉપર મશીન ગનથી ગોળીઓ ચલાવવાનું ચાલુ કરી દીધું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટોળાં પર 15 મિનિટ સુધી ગોળીબાર ચાલ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીડ ઉપર પોલીસે ૧૫ મિનિટ સુધી અનેક રોઉન્ડ ગોળીઓ ચલાવી, અને  મેદાનમાં રહેલ ભીડને  તહેસનહેસ કરી નાખી. મેદાન માંથી ભાગવા માટે રસ્તો નહીં હોવાના કારણે જલિયાંવાલા બાગની જેમ જ અહીં પણ મેદાનમાં એક કૂવો હતો, પોલીસની ગોળીઓથી બચવા લોકો કુવામાં કૂદવા લાગ્યા. અને જોતજોતામાં કૂવો પણ લોકોથી ભરાઈ ગયો, આ ગોળીકાંડ પછી ત્યાં પડેલી લાશોને પણ એ જ કુવામાં નાખી દેવામાં આવી અને તે કૂવાને બંધ કરી દેવાયો. આ હત્યા કાંડના શાક્ષી ભુરકુલીના દશરત માંજી ૮૫ વર્ષની ઉંમરે ૧૩મી એપ્રિલ ૧૯૭૦ના રોજ અવસાન પામ્યા, તેમને કહ્યું કે એ દિવસ ગુરુવારનો દિવસ હતો. મશીન ગનથી ધણી ફૂટે તેમ ગોળીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો. જે લોકો ઘાયલ હતા લોહી લુહાણ હાલતમાં હતા પણ જીવતા હતા, તેમને પણ લાશોની સાથે આ કુવામાં નાખીને કૂવો બંધ કરી દેવાયો હતો. આ જગ્યા ઉપર આજે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. પેહલી જાન્યુઆરીએ આ જગ્યા ઉપર ફૂલો અને તેલ નાખીને શહીદોને યાદ કરી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આટલા મોટો નરસંહાર પાઠ્યપુસ્તકોમાં ભણાવાતો નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે  ભારત આઝાદ થયો બધા આઝાદીનો ઉત્સવ મનાવી રહયા હતા, ત્યારે તે જ દિવસથી આ આદિવસીઓ એ તેમની મા એટલે કે જમીન અને સ્વતંત્ર રાજ્ય માટે આંદોલન ચાલુ કરી દીધું હતું. આપણા સ્વતંત્ર ભારતના પુરા ઇતિહાસમાં આ પહેલો નરસંહાર કરતો આટલો મોટો ગોલીકાંડ  થયો, અને ક્યાંય ભણાવવામાં આવતો નથી, આદિવાસીઓ સિવાય કોઈ યાદ પણ કરતુ નથી, મોટાભાગે આ ઇતિહાસ થી લોકો અજાણ છે. કુવામાં જેમ આંદોલનકારીઓ ને દફનાવી દેવાયા તેમ આદિવસીઓના આ ઇતિહાસને દફનાવાઈ રહ્યો છે. આ દિવસ આદિવાસીઓ કાળા દિવસ તરીકે મનાવે છે. આઝાદ ભારત માટેના આ કાળા અધ્યાયે આપણે પણ આદિવાસી મહાયોદ્ધાઓને નમન કરી શ્રદ્ધાંજલિ પાઠવીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી હેમંત સોરેન પરિવાર સાથે ખરસાવા જશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝારખંડના આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેને ખરસાવાના શહીદોને અંજલિ માટે આપવા રાખવામાં આવેલા કાર્યક્રમમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. ખરસાવાના ધારાસભ્ય દશરથ ગારગાઈએ જણાવ્યું છે કે, સીએમ હેમંત સોરેને આવતીકાલે અહીં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. તેમની સાથે તેમના પત્ની અને ગાંડેય વિધાનસભાના ધારાસભ્ય કલ્પના સોરેન પણ હાજર રહેશે. આ સિવાય રાજ્ય સરકારના મંત્રી દીપક બિરુવા, શિક્ષણ મંત્રી રામદાસ સોરેન, સિંહભૂમની સાંસદ જોબા માઝી, ખુંટીના સાંસદ કાલીચરણ મુંડા સહિત અન્ય ધારાસભ્યો પણ હાજર રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>જિતેન્દ્ર વાઘેલા</strong></span> <span style="font-size: 12pt;"><em><strong>(લેખક વ્યવસાયે એન્જિનિયર અને બહુજન-રેશનલ વિચારોના પક્ષધર છે.)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Strong-voice-of-tribal-rights:-Jaipal-Singh-Munda">આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા</a></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 31 Dec 2024 12:47:40 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 04 Jan 2025 16:47:01 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1786</Articleid>
                    <excerpt>દુનિયાભરમાં એકબાજુ 1લી જાન્યુઆરીએ સૌ ન્યૂ યરની ઉજવણીમાં મસ્ત હોય છે ત્યારે બીજી તરફ એક એવું ગામ છે જ્યાંના રહીશોની શરૂઆત આંસુઓ સાથે થાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_677397cba4b5c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_677397cb73bdc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_677397cb73bdc.jpg" length="102721" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kharsawan golikand, jharkhand kharsawan goli kand, jallianwala bagh hatyakand</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;શાંતિથી દર્શન કરવાના 1200 થશે..&amp;apos; બેટ દ્વારકામાં VIP દર્શનનો ધંધો</title>
                    <link>https://khabarantar.com/bet-dwarka-is-viral-a-video-vip-darshan-business</link>
                    <guid>https://khabarantar.com/bet-dwarka-is-viral-a-video-vip-darshan-business</guid>
                    <description>
                        <![CDATA[ ધર્મ એક ધંધો છે એવું બહુજન મહાપુરૂષો અનેકવાર કહી ચૂક્યા છે ત્યારે બેટ દ્વારકામાં તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે. અહીં વીઆઈપી દર્શનના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે સીધા જ કોઈ વ્યક્તિને સમજાવવા જાવ કે ભારત સહિત દુનિયાભરમાં ધર્મ એક ધંધો છે તો શક્ય છે સામેની વ્યક્તિ નારાજ થઈ જાય છે અને કોઈ કટ્ટર હિંદુત્વવાદી હશે તો હુમલો પણ કરી બેસે. સત્તામાં હિંદુત્વવાદીઓ મજબૂત થતા જ આવા તત્વો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના બેફામ બની ગયા છે, જેના કારણે સામાન્ય માણસ માટે લૂંટાવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો. આમ તો દરેક મોટા મંદિરો રૂપિયા રળવાનું રીતસરનું મશીન બની ગયા છે, પણ અહીં વાત છે ગુજરાતના બેટ દ્વારકા મંદિરની.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ દેશ-દુનિયામાં ક્રિસમસ અને નવા વર્ષની ધૂમ મચેલી છે ત્યારે બેટ દ્વારકામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં છે અને તેના કારણે અહીં ભગવાનના નામે દલાલી કરતા તત્વો પણ ફૂટી નીકળ્યાં છે. જેઓ વીઆઈપી દર્શનના નામે ભોળાં લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં ભગવાનના વીઆઈપી દર્શન કરાવવા માટે દલાલો ફૂટી નીકળ્યા છે, જેઓ દર્શને આવતા લોકો પાસેથી વીઆઈપી દર્શનના બહાને 200 થી લઈને 2000 રૂપિયા સુધીની રકમ પડાવી રહ્યાં છે. આ આખી ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં એક શખ્સ દર્શને આવનાર એક ગ્રુપ પાસેથી 6 લોકોના રૂ. 1200 રેટ ચાલતો હોવાનું કહીને તેમને વીઆઈપી દર્શન કરાવી આપવાનું કહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભગવાનના VIP દર્શન કરાવવા માટે જુદા-જુદા ભાવ દલાલો લગાવે છે ત્યારે કેટલાક ભક્તો શાંતિથી દર્શન કરવા માટે આ દલાલોનું સંપર્ક પણ કરતા હોય છે. ત્યારે શાંતિથી દર્શન કરવા માટે 200થી 2 હજાર રૂપિયા દલાલ ઉઘરાવ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મોંમાં માવો ઠૂંસી સફેદ શર્ટ પહેલી, માથે ટીલું લગાડેલો એક શખ્સ 6 વ્યકિતના 1200 રૂપિયા લઇ ભગવાનના દર્શન કરાવવાની વાત કરે છે. ચોંકાવનારી વાત એ છે કે આ બધું ખૂલ્લેઆમ થઈ રહ્યું છે, દલાલોને કરાણે સામાન્ય લોકોને અગવડતા ભોગવવી પડે છે, તેમ છતાં લોકો અહીં દર્શન માટે જાય છે. ભગવાનના વીઆઈપી દર્શનના નામે ખૂલ્લેઆમ રૂપિયા પડાવવાનો ધંધો ચાલતો હોવા છતાં લોકોની આંખો ખૂલતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/junagadhs-saffron-clad-baba-sexually-abused-a-transgender-girl">જૂનાગઢના ભગવાધારી બાબાએ ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 31 Dec 2024 11:01:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1785</Articleid>
                    <excerpt>ધર્મ એક ધંધો છે એવું બહુજન મહાપુરૂષો અનેકવાર કહી ચૂક્યા છે ત્યારે બેટ દ્વારકામાં તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે. અહીં વીઆઈપી દર્શનના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_677380c7475a2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_677380c713348.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_677380c713348.jpg" length="93457" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bet dwarka is viral a video, bet dwarka News, vip darshan business</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેજરીવાલનો મનુવાદ: દિલ્હીના પૂજારીઓને દર મહિને રૂ. 18,000 આપશે</title>
                    <link>https://khabarantar.com/pujari-granthi-samman-yojana-will-give-rs-18000-per-month-to-delhi-priests</link>
                    <guid>https://khabarantar.com/pujari-granthi-samman-yojana-will-give-rs-18000-per-month-to-delhi-priests</guid>
                    <description>
                        <![CDATA[ ડો.આંબેડકર અને તેમની વિચારધારાના ગુણગાન ગાતી આપ અને તેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલનો અસલ મનુવાદી ચહેરો ધીરેધીરે ખૂલ્લો પડી રહ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો મનુવાદી ચહેરો પણ ધીરેધીરે ખૂલીને સામે આવી રહ્યો છે. જાહેરમાં ડો.આંબેડકરની વિચારધારાની દુહાઈ દેતા અને મીડિયામાં પોતાના ઘરની તસવીરો છપાય ત્યારે દિવાલ પર ટાંગેલો ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો ખાસ દેખાય તેની કાળજી રાખનાર કેજરીવાલ ચૂંટણી આવતા જ તેમના અસલ મનુવાદી રંગમાં આવી ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી હોવાથી કેજરીવાલ દરરોજ નવી જાહેરાતો કરી રહ્યાં છે અને આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ એક નવી સ્કીમની જાહેરાત કરી છે, જેનું નામ છે 'પૂજારી-ગ્રંથી સન્માન યોજના'. આ યોજના હેઠળ, જો આમ આદમી પાર્ટી ચૂંટણી જીતશે તો દિલ્હીના તમામ મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારા સાહિબના ગ્રંથીઓને દર મહિને રૂ. 18,000 નું માનદ વેતન આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલે કહ્યું કે, દરેક ઘરને તેના સુખ અને દુઃખમાં પૂજારીની જરૂર હોય છે. પરંતુ તેમના પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નહોતું. ન તો પૂજારી પોતાના પરિવારો પર પૂરતું ધ્યાન આપી શકે છે. તેથી AAP તેમના સન્માનમાં આ યોજના લાવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને મંત્રી સૌરભ ભારદ્વાજ પણ હાજર રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલે કહ્યું, “કાલે હું કનોટ પ્લેસના હનુમાન મંદિર જઈશ અને પૂજારીઓની નોંધણી કરાવીશ. હું ભાજપને વિનંતી કરું છું કે પૂજારીઓ અને ગ્રંથિઓના રજિસ્ટ્રેશનમાં અવરોધો ન ઉભા કરે. આ નોંધણી પ્રક્રિયા બંધ ન કરાવશો. જો ભાજપ આ યોજનાને રોકવાનો પ્રયાસ કરશે તો તેમને પાપ લાગશે.” કેજરીવાલની આ યોજના સ્પષ્ટ રીતે મનુવાદ અને મનુવાદીઓને પ્રોત્સાહન આપે છે. ‘પાપ’ જેવો શબ્દપ્રયોગ જ સ્પષ્ટ કરે છે કે તેઓ ડો.આંબેડકરની વિચારધારાનું મહોરું ઓઢીને ફરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી નજીક આવતા જ કેજરીવાલે યોજનાઓનો પટારો ખોલી નાખ્યો છે. અગાઉ તેમની પાર્ટીએ વૃદ્ધો માટે પેન્શનની જાહેરાત કરી હતી. જેમાં  દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને પેન્શન આપવામાં આવશે. 60-69 વર્ષની વયના લોકોને 2,000 રૂપિયા અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને 2,500 રૂપિયા પેન્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલું જ નહીં કેજરીવાલે મહિલાઓ માટે પણ યોજનાની જાહેરાત કરી હતી. 2024-25ના બજેટમાં દિલ્હી સરકારે 'મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના'ની જાહેરાત કરી હતી, જે અંતર્ગત 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે. પરંતુ જેવી ચૂંટણી નજીક આવી કે તરત કેજરીવાલે જાહેરાત કરી કે 1,000 રૂપિયાની રકમ વધારીને 2,100 રૂપિયા કરવામાં આવશે. આવા તકવાદી અને ઈચ્છા પડે ત્યારે મનુવાદીઓ તરફ ઢળી પડતા કેજરીવાલને દિલ્હીના દલિત મતદારો કેટલા ફળે છે તેના પર નજર રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/arvind-kejriwal-aap-delhi-schemes-for-dalits-flop">કેજરીવાલે દલિતો માટે બનાવેલી મોટાભાગની યોજનાઓ કેમ ફ્લોપ રહી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Dec 2024 21:29:30 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 31 Dec 2024 09:53:54 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1784</Articleid>
                    <excerpt>ડો.આંબેડકર અને તેમની વિચારધારાના ગુણગાન ગાતી આપ અને તેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલનો અસલ મનુવાદી ચહેરો ધીરેધીરે ખૂલ્લો પડી રહ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6772c19e0e47e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6772c19dc524b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6772c19dc524b.jpg" length="77370" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Pujari Granthi Samman Yojana, Delhi Election.AAP</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે ‘જજનો દીકરો જજ’ નહીં બને, સુપ્રીમ કોર્ટ Nepotism પર બ્રેક લગાવશે?</title>
                    <link>https://khabarantar.com/end-of-nepotism-injudiciary-supreme-court-now-a-judges-son-will-not-become-a-judge</link>
                    <guid>https://khabarantar.com/end-of-nepotism-injudiciary-supreme-court-now-a-judges-son-will-not-become-a-judge</guid>
                    <description>
                        <![CDATA[ દેશના ન્યાયતંત્રમાં સવર્ણ જજોએ સદીઓથી મોનોપોલી સ્થાપિત કરેલી છે. અહીં બીજા કોઈપણ ક્ષેત્ર કરતા ભાઈ-ભત્રીજા વધુ છે. પણ હવે તેના પર બ્રેક લાગશે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા હંમેશા સવાલોના ઘેરામાં રહી છે. 'ન્યાયાધીશોની પસંદગી કરતા ન્યાયાધીશો'ની કોલેજિયમ સિસ્ટમને લઈને એ ટીકા હંમેશા થતી રહી છે કે હાઈકોર્ટમાં મોટાપાયે જજોના સગાસંબંધીઓ નિયુક્તિ થાય છે અને એજ લોકો આગળ જતા સુપ્રીમ કોર્ટના જજ બને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં 50 ટકા જજો સંબંધીઓ નીકળ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઈકોર્ટમાં નિમણૂક પામેલા જજો અને સુપ્રીમ કોર્ટમાં આવતા જજોની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો આ આરોપ પણ સાચો લાગે છે, કારણ કે મોટાભાગના જજોના પરિવારમાં પહેલાથી જ કોઈ જજ રહેલું હોય છે. કોઈના પિતા, તો કોઈના કાકા જજ છે અથવા કોઈના નજીકના સંબંધીઓ જજ છે. NJAC (નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન) કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ખુલાસો થયો હતો કે હાઈકોર્ટના લગભગ 50 ટકા જજ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જજના સંબંધીઓ છે. આટલી હદે જ્યાં ભાઈ-ભત્રીજાવાદ ચાલતો હોય ત્યાં સામાન્ય માણસ તટસ્થ ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ હવે આ સેટિંગનો અંત લાવવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ એ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે કે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત અથવા વર્તમાન ન્યાયાધીશના પરિવારમાંથી કોઈપણ વકીલના નામની જજ પદ માટે ભલામણ કરવામાં ન આવે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોલેજિયમની બેઠકમાં મામલો ઉઠ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કોલેજિયમની બેઠક દરમિયાન કોલેજિયમના એક સભ્યએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે લોકોમાં સામાન્ય માન્યતા છે કે ફર્સ્ટ જનરેશન એડવોકેટ (જેમના પરિવારમાં કોઈ ન્યાયાધીશ નથી રહ્યું) ની તુલનામાં સંબંધી એડવોકેટ્સને પ્રાથમિકતા મળે છે, જેના કારણે ફર્સ્ટ જનરેશન એડવોક્ટ્સ ભાગ્યે જ જજની ખુરશી સુધી પહોંચી શકે છે. આમાં પણ પાછી જે તે વકીલની જાતિનું મહત્વ તો ખરું જ. તેથી જજોના પરિવારના સભ્યોના નામની જજ તરીકે ભલામણ કરવા પર પ્રતિબંધ હોવો જોઈએ. કોલેજિયમના બાકીના કેટલાક ન્યાયાધીશો પણ આ બાબત સાથે સંમત થયા છે. જ્યારે કેટલાકનું માનવું હતું કે આના કારણે, ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે પાત્રતા ધરાવતા કેટલાક લાયક વકીલો ન્યાયાધીશ બની શકશે નહીં કારણ કે તેઓ પૂર્વ ન્યાયધીશના સગા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોલેજિયમ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલેજિયમમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સહિત સર્વોચ્ચ અદાલતના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. આ પાંચ લોકો મળીને નક્કી કરે છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કોણ જજ બનશે. જેમને જજ બનાવવાના છે તેવા લોકોના નામ આ કૉલેજિયમ સરકારને મોકલે છે. કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી ભલામણને સરકાર માત્ર એક જ વાર પરત કરી શકે છે. કોલેજિયમ દ્વારા બીજી વખત મોકલવામાં આવેલી ભલામણને સરકાર સ્વીકારવા માટે બંધાયેલી છે. વર્તમાન કોલેજિયમમાં CJI સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એ.એસ. ઓકાનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">NJAC રદ કરવામાં આવી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'Judges Selecting Judges' ની કોલેજિયમ સિસ્ટમની ખામીઓને દૂર કરવા માટે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC) ની સ્થાપના કરવામાં આવી હતી, જેને ઓક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. NJAC માં મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલતના બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો, કેન્દ્રીય કાયદા પ્રધાન અને નાગરિક સમાજના બે લોકોને સામેલ કરવાની જોગવાઈ હતી. જો કે આમાં સુપ્રીમ કોર્ટથી ઉપર સરકાર પોતાના માણસોને ગોઠવી દે તેવી પુરી શક્યતા દેખાતી હોવાથી સુપ્રીમે તેને ફગાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેમાં ભાઈ-ભત્રીજાવાદને દૂર કરવા માટેની વાત થઈ છે. પણ ભારતમાં જે રીતે આખું ન્યાયતંત્ર અને અન્ય વહીવટીતંત્ર ચાલી રહ્યું છે તે જોતા આ દાવાઓ પોકળ સાબિત થાય તેવી શક્યતા વધુ જણાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/what-is-the-contribution-of-collegium-judges-regarding-classification-into-sc-st">SC, ST માં વર્ગીકરણ બાબતે કોલેજીયમ જજોની દાનત શું છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Dec 2024 18:56:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1783</Articleid>
                    <excerpt>દેશના ન્યાયતંત્રમાં સવર્ણ જજોએ સદીઓથી મોનોપોલી સ્થાપિત કરેલી છે. અહીં બીજા કોઈપણ ક્ષેત્ર કરતા ભાઈ-ભત્રીજા વધુ છે. પણ હવે તેના પર બ્રેક લાગશે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67729f64d5141.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67729f64ac8aa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67729f64ac8aa.jpg" length="111328" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>collegium-reforms, NJAC, suprem court, Judges Selecting Judges</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુટકા ઉધાર ન આપતા લુખ્ખાએ દલિત મહિલા પર જીવલેણ હુમલો કર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-woman-attacked-in-hatwa-chhatarpur-4-people-injured</link>
                    <guid>https://khabarantar.com/dalit-woman-attacked-in-hatwa-chhatarpur-4-people-injured</guid>
                    <description>
                        <![CDATA[ માથાભારે તત્વોએ દવાખાનામાં દાખલ દલિત પરિવારને ધમકી આપી રહ્યાં છે કે, &quot;જીવ વ્હાલો હોય તો હવે ફરીથી ગામમાં પગ ન મૂકતા. નહીંતર બધાંને પતાવી દઈશું.&quot; ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit woman attacked in Hatwa, Chhatarpur, 4 people injured : મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના હટવા ગામમાં ગુટકા ઉધાર ન આપતા ઠાકુર જાતિના ગુંડા તત્વોએ લાકડી અને દંડા લઈને મહિલા અને તેના પરિવાર પર હુમલો કરી દીધો હતો. દુકાનદાર મહિલાના હજુ થોડા દિવસ પહેલા જ લગ્ન થયા હતા. આ હુમલામાં નવપરિણીત પૂજા અહિરવાર અને તેના ત્રણ ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના હટવાના ચંદલા વિસ્તારની છે. અહીં એક દુકાનદાર મહિલાએ ઠાકુર જાતિના એક શખ્સને ગુટખા ન આપતાં તેણે મહિલા પર હુમલો કરી દીધો. તેને લાકડી દંડાથી ઢોર માર માર્યો એટલું જ નહીં, ત્રણ ભાઈઓ સહિત તેના આખા પરિવાર પર પણ હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાના હાથ, પગ અને માથું તૂટી ગયું હતું. તમામ ઘાયલોને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને ટ્રોમા વોર્ડમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉધારી ચૂકવવાની ત્રેવડ નહોતી એટલે દાદાગીરી કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘાયલોના જણાવ્યા અનુસાર મામલો છતરપુરના હટવાના પ્રકાશ બામોરી પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હતો. અહીં એક દલિત પરિવારની દુકાને ઠાકુર કોમનો એક શખ્સ ગુટખા ઉધાર લેવા માટે ગયો હતો. જો કે દુકાનદાર મહિલાએ તેને અગાઉના બાકી રૂપિયા ચૂકવી દો, એ પછી નવી ઉધારી શરૂ કરજો એમ કહ્યું હતું. બસ આટલી અમથી વાતનું આ જાતિવાદી શખ્સને ખોટું લાગી ગયું હતું. એ પછી તેણે કશું જ જોયા વિના દલિત મહિલા અને તેના પરિવાર પર હુમલો કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂજાના ત્રણ ભાઈઓ ગંભીર રીતે ઘાયલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે પોતાના સાગરિતો સાથે દલિત મહિલાને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તેના પરિવારના સભ્યો તેને બચાવવા આવ્યા ત્યારે તેમના પર પણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દુકાનદાર પૂજા અહિરવાર અને તેના ત્રણ ભાઈઓ ઘાયલ થયા હતા. હુમલામાં પૂજાનો પગ ભાંગી ગયો હતો. જ્યારે તેના બંને ભાઈઓને પગ અને માથામાં ગંભીર ઈજાઓ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67725af23d031.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂજા કહે છે કે ગામના માથાભારે ઠાકુરોએ તેમને જાતિસૂચક ગાળો ભાંડીને મારી નાખવાની ધમકી આપી છે. આરોપીઓએ કહ્યું છે કે ગામ છોડીને જતા રહો નહીંતર બધાંને મારી નાખવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપી ખૂલ્લેઆમ મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત પરિવારનું કહેવું છે કે, આ મામલે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ માથાભારે ઠાકુરોની બીકના કારણે પોલીસે અમારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને અસલ આરોપી એવા ઠાકુરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂજા અહિરવારનો પરિવાર કહે છે કે, આરોપીઓ અને તેમના સાગરિતો ગામમાંથી અહીં છતરપુર જિલ્લા હોસ્પિટલમાં આવીને ધમકી આપી રહ્યા છે કે, ગામમાં પાછા ન આવતા અને જો આવી ગયા તો બધાંને મોતને ઘાટ ઉતારી દઈશું. આ મામલે પ્રકાશ બમ્હોરી પોલીસ સ્ટેશનનું કહેવું છે કે અમે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ડોક્ટરોના રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-woman-killed-for-asking-why-are-you-grazing-cattle-in-my-field">'મારા ખેતરમાં ઢોર કેમ ચરાવો છો?' પૂછતા દલિત મહિલાની હત્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Dec 2024 14:43:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1782</Articleid>
                    <excerpt>માથાભારે તત્વોએ દવાખાનામાં દાખલ દલિત પરિવારને ધમકી આપી રહ્યાં છે કે, &quot;જીવ વ્હાલો હોય તો હવે ફરીથી ગામમાં પગ ન મૂકતા. નહીંતર બધાંને પતાવી દઈશું.&quot;</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67726386adbd6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_677263867bfe1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_677263867bfe1.jpg" length="52078" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજકોટના જેતલસરમાં ભૂવાજીએ ગૌશાળામાં કૂટણખાનું શરૂ કર્યું?</title>
                    <link>https://khabarantar.com/bhuvaji-started-a-sex-racket-in-a-gaushala-in-jetalsar-rajkot</link>
                    <guid>https://khabarantar.com/bhuvaji-started-a-sex-racket-in-a-gaushala-in-jetalsar-rajkot</guid>
                    <description>
                        <![CDATA[ ગામલોકોએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસને જાણ કરી પણ યોગ્ય કાર્યવાહી ન થતા ગૃહમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મની આડમાં આ દેશમાં કંઈપણ કરી શકાય છે, પછી તે વેશ્યાવૃત્તિ જ કેમ નથી. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસરમાં સામે આવ્યો છે. અહીં ધર્મના નામે ધતિંગ કરતાં એક ભૂવાજીએ જેતપુરના જેતલસર ગામે ગૌશાળાની અંદર કુટણખાનું ચાલુ કર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકોટ ગ્રામ્ય એસપીએ તપાસના આદેશ કર્યા હતા. જો કે મામલો ધર્મની આડમાં કાળા કામોનો હોવાથી પોલીસે માત્ર નામપુરતી કાર્યવાહી કરીને માત્ર જાહેરમાં ચેનચાળા કરાયા હોવાનો ગુનો નોંધીને આખા મામલાનો વીંટો વાળી દીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે આ મામલામાં જવાબદાર બે મુખ્ય સૂત્રધારોને બચાવી લીધા છે, જેના કારણે હવે આ કેસમાં પુરાવા સાથે ગૃહમંત્રીને રજૂઆત કરાતા સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">ગુજરાતના મોટા શહેરોમાં અને હવે તો નાના ટાઉનોમાં પણ જિમ, સ્પ અને ,બ્યૂટી પાર્લરની આડમાં દેહવ્યાપાર થતો હોવાની વાત નગ્ન સત્ય છે. પરંતુ રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામે ગૌશાળાની આડમાં બે સંચાલકોએ 6 માસથી દેહવ્યાપારનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં હવસખોરો ગૌશાળાની મુલાકતના નામે ઓરડીમાં બેઠેલી લલનાઓ સાથે રંગરેલીયા મનાવવા માટે આવતા હતા. જો કે અચાનકથી ગૌશાળાના મુલાકાતીઓ વધી જતાં ગામલોકોને શંકા ગઈ હતી અને તેમણે અંદરખાને તપાસ કરાવતા તેમને હોંશ ઉડી ગયા હતા. કેમ કે ભૂવાજી ધર્મની આડમાં અહીં કૂટણખાનું ચલાવી રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/three-months-old-bhagwati-died-while-burning-incense">ત્રણ માસની 'ભગવતી'ને ભૂવાએ અગરબત્તીના ડામ દેતા મોત</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામલોકોએ પોલીસને જાણ કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા જ ગામલોકોએ તરત ગ્રામ્ય એસપીને ફોન કરીને જાણ કરી હતી. એ પછી તરત જેતપુર તાલુકા પોલીસે દરોડો પાડીને ગૌશાળાના સંચાલક ધવલ મનસુખ મારકડા અને રાજકોટ ગ્રામ્યની એક મહિલાને ઝડપી પાડીને જાહેરમાં ચેનચાળા કર્યા હોવાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. જો કે આ બનાવમાં પોલીસે બે સંચાલકોની પોલીસે આબરૂ બચાવી લીધી હોવાની ચર્ચા છે. જેનાથી નારાજ થયેલા ગામલોકોએ આ આખી ઘટનાના કેટલાક ઓડિયો-વીડિયો અને ફોટાં સાથેની સીડી તૈયાર કરીને ગૃહ રાજ્યમંત્રીને મોકલી ન્યાયની માંગણી કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગૌશાળાની અંદર ધંધો કરવો પડશે, નહીંતર હપ્તો આપવો પડશે?</span></strong></span><br><span style="font-size: 14pt;">જેતલસરની ગૌશાળાની અંદર ચાલતા કૂટણખાનાને લઈને તેના સંચાલકો વચ્ચે પૈસા બાબતે ડખ્ખો શરૂ થયા બાદ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે 7 જેટલી ઓડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. જેમાં ગૌશાળાની અંદર દેહવ્યાપારનો ધંધો કરતાં શખ્સો તથા અન્ય શખ્સ વચ્ચેની વાતચીત છે. જેમાં સ્પષ્ટ રીતે સાંભળવા મળે છે કે, જેતલસર ગામે અલગ અલગ ત્રણથી ચાર જગ્યાએ કૂટણખાનું ચાલી રહ્યું છે. ઓડિયોમાં એક શખ્સ બોલતો જણાય છે કે, તે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વગ ધરાવે છે તેથી ખંડણી તરીકે રૂ. 10 હજાર આપવા પડશે. તે વધુમાં કહે છે કે, જો ધંધો કરવો હોય તો ગૌશાળાની અંદર જ કરવો પડશે અને દરરોજના 1000 રૂપિયા આપવા પડશે, જો નહીં આપો તો દર મહિને હપ્તો આપવો પડશે. આમ ગૌશાળામાં કૂટણખાનું ચાલું થવાની આ ઘટનાથી ગામલોકોમાં સોંપો પડી ગયો છે અને પોલીસે આ મામલે વહેલીતકે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-woman-died-after-tantric-drinking-water-of-statistics-in-the-name-of-treatment">ભૂવાએ સારવારના નામે આંકડાનું પાણી પીવડાવતા મહિલાનું મોત</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Dec 2024 12:01:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1781</Articleid>
                    <excerpt>ગામલોકોએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસને જાણ કરી પણ યોગ્ય કાર્યવાહી ન થતા ગૃહમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67723d3fd30e7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67723d3f9ce5d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67723d3f9ce5d.jpg" length="87100" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>sex racket, gaushala, jetalsar, rajkot</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેજરીવાલે દલિતો માટે બનાવેલી મોટાભાગની યોજનાઓ કેમ ફ્લોપ રહી?</title>
                    <link>https://khabarantar.com/arvind-kejriwal-aap-delhi-schemes-for-dalits-flop</link>
                    <guid>https://khabarantar.com/arvind-kejriwal-aap-delhi-schemes-for-dalits-flop</guid>
                    <description>
                        <![CDATA[ Arvind Kejriwal અને AAP દલિતોના હામી હોવાની વાત કરે છે, પણ તેમની એકેય દલિતલક્ષી યોજના સફળ નથી થઈ. શા માટે આવું થયું તે સમજીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ આદમી પાર્ટી (AAP) હાલ બે રાજ્યોમાં સરકાર ધરાવે છે, એક દિલ્હીમાં, બીજી પંજાબમાં. આપની મજબૂરી એ છે તે ભાજપ-કૉંગ્રેસની જેમ ચુસ્ત સવર્ણોની પાર્ટી છે અને તે જે બે રાજ્યોમાં સત્તા ધરાવે છે ત્યાં દલિતોની વસ્તી ઘણી વધારે છે. પંજાબમાં 32 ટકા દલિત મતો છે, જ્યારે દિલ્હીમાં 20 ટકા જેટલા દલિત મતો 12 જેટલી વિધાનસભા સીટો પર હારજીત નક્કી કરવામાં મહત્વના છે. આ સ્થિતિમાં કમને પણ કેજરીવાલે દલિતોને ખુશ રાખવા માટે કોઈને કોઈ યોજના જાહેર કરવી પડે છે. કોઈપણ કામ તમારી ઈચ્છા વિરુદ્ધ થાય એટલે સ્વાભાવિક છે કે તેમાં ધાર્યું પરિણામ ન આવે. આવું જ કેજરીવાલની મોટાભાગની દલિતો માટેની યોજનાઓમાં થયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવિકતા એ છે કે આમ આદમી પાર્ટીની સરકારે દલિતો માટે જે પણ યોજનાઓ બનાવી છે, તેનો અમલ ખૂબ જ નબળો રહ્યો છે. આ યોજનાઓનો લાભ બહુ ઓછા દલિતો સુધી પહોંચ્યો છે અને મોટા ભાગનાને તેનો વાસ્તવિક લાભ મળ્યો નથી. આમ, કેજરીવાલ સરકારની દલિતો માટેની યોજનાઓ માત્ર ચૂંટણીના નારા બની રહી છે, જેનો હેતુ માત્ર સત્તા જાળવી રાખવાનો અને ચૂંટણીમાં લાભ મેળવવાનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્તામાં આવ્યા પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારે દલિતોના ઉત્થાન માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી, જેમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ અને સામાજિક સુરક્ષા જેવી આશાસ્પદ યોજનાઓ હતી. જો કે, આ યોજનાઓની વાસ્તવિક અસર બહુ ઓછી રહી છે. કેજરીવાલ સરકારે દલિતો માટે ઘણા મોટા દાવા કર્યા હતા પરંતુ વાસ્તવિકતા ઘણી અલગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિક્ષણમાં નિષ્ફળતા: જય ભીમ મુખ્ય મંત્રી પ્રતિભા વિકાસ યોજના</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલ સરકારે દલિત બાળકોના શિક્ષણ માટે ઘણી યોજનાઓ શરૂ કરવાનું વચન આપ્યું હતું, જેમ કે, 'જય ભીમ મુખ્ય મંત્રી પ્રતિભા વિકાસ યોજના' અને સ્કોલરશીપ યોજના. પરંતુ આ યોજનાઓનો લાભ તેમના સુધી ન પહોંચી શક્યો જેમના માટે તે બનાવવામાં આવી હતી. સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કોઈ નક્કર આયોજન નહોતું, જેના કારણે મોટાભાગના દલિત બાળકો શિક્ષણના અધિકારથી વંચિત રહ્યા હતા. શિષ્યવૃત્તિ યોજનાઓમાં પણ પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો હતો અને ઘણી વખત દલિત બાળકોના નામ યાદીમાંથી બહાર રહી ગયા હતા. જેના કારણે આ યોજનાઓથી દલિત બાળકોને ખાસ કશો લાભ ન થયો.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બહુ ગાજેલી આરોગ્ય સેવાઓમાં પણ દલિતોની ઉપેક્ષા </span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલ સરકારે આરોગ્ય સેવાઓ સુધારવા માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી, જેમ કે 'આયુષ્માન ભારત યોજના' અને 'દિલ્હી આરોગ્ય યોજના', જે દલિતો અને ગરીબો માટે હતી. પરંતુ આ યોજનાઓનો લાભ જમીનની લેવલે બહુ ઓછો હતો. સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓની તીવ્ર અછત હતી, અને સારવાર માટે લાંબી લાઈનોએ દલિત સમુદાયની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછત અને દવાઓની ઉપલબ્ધતાની પણ સમસ્યા હતી, જેના કારણે આ યોજનાઓની કોઈ અસર ન થઈ. પરિણામે દલિતો આરોગ્ય સેવાઓનો લાભ લઈ શક્યા નહીં અને પહેલાની જેમ કુપોષણ અને બીમારીઓનો ભોગ બનતા રહ્યા.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રોજગાર અને સામાજિક સુરક્ષા યોજનાઓમાં નિષ્ફળતા </span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલ સરકારે દલિતો માટે રોજગાર અને સામાજિક સુરક્ષા યોજનાઓની પણ જાહેરાત કરી હતી, પરંતુ જમીની વાસ્તવિકતા જુદી હતી. ‘શ્રમિક કાર્ડ યોજના’ અને ‘પેન્શન યોજના’ જેવી યોજનાઓનો લાભ દલિતો સુધી પહોંચી શક્યો નથી. ઘણી વખત આ યોજનાઓ અમલમાં મૂકતી વખતે વહીવટી સ્તરે ગેરરીતિઓ થતી હતી અને લાભાર્થી દલિતોને સમયસર પેન્શન મળતું ન હતું. તદુપરાંત, દલિત સમાજે રોજગાર મેળવવા માટે વારંવાર સરકારી કચેરીઓમાં જવું પડતું હતું, અને તેમનો અવાજ ક્યારેય સાંભળવામાં આવતો ન હતો. માત્ર અમુક જ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે, જ્યારે મોટાભાગના દલિતોની સ્થિતિ જેમની તેમ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આવાસ યોજનાઓનો ફ્લોપ શો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે 'જ્યાં ઝૂંપડપટ્ટી ત્યાં ઘર' યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય દલિતો અને ગરીબોને ઘરનું ઘર મેળવવા સક્ષમ બનાવવાનો હતો. પરંતુ આ યોજના હેઠળ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા, અને દલિતોને તેમના ઘરની કાયમી સુવિધાઓ મળી શકી ન હતી. અનેક વખત આવાસના નામે માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા હતા, પરંતુ જમીન પર કોઈ કામ થયું નથી. આજે પણ દિલ્હીમાં દલિત સમુદાયને યોગ્ય આવાસનો અભાવ છે અને તેમને ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે. આ યોજના માત્ર કાગળ પુરતી જ સીમિત રહી અને અસલમાં તેની કોઈ અસર થઈ નહોતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૂંટણીલક્ષી રાજકારણ અને દલિતોના અધિકારો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીમાં દલિતોની વસ્તી 20 ટકા આસપાસ છે, અને 70 વિધાનસભા બેઠકોમાંથી 12 બેઠકો દલિતો માટે અનામત છે. વધુમાં, દલિતો અને મુસ્લિમો મળીને 30 ટકા વસ્તી ધરાવે છે, જે ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલા માટે કેજરીવાલ સરકાર દલિતોની વોટ બેંકને આકર્ષવા માટે યોજનાઓનો ઢંઢેરો પીટી રહી છે. જો કે, આ યોજનાઓનો ઉદ્દેશ્ય માત્ર દલિત વોટબેંકને મજબૂત કરી પોતાની તરફ ખેંચવાનો છે, નહીં કે દલિતોની વાસ્તવિક સુખાકારીનો. સરકાર માત્ર રાજકીય લાભ ખાટવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યારે દલિતોના વાસ્તવિક મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દાનતમાં જ ખામી હોઈ જમીની સ્તરે કશું ન થયું</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટૂંકમાં, કેજરીવાલ સરકારની યોજનાઓનો ઉદ્દેશ્ય તો દલિતોના ઉત્થાન અને સશક્તિકરણનો હતો, પરંતુ આ યોજનાઓની અસર જમીની સ્તરે બહુ ઓછી જોવા મળી છે. સરકારી યોજનાઓનો લાભ માત્ર પસંદગીના અમુક લોકોને જ પહોંચ્યો, જ્યારે બહુમતી દલિત સમુદાય તેનાથી વંચિત રહ્યો. શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આવાસ જેવી યોજનાઓના અમલીકરણમાં મોટી ખામીઓ અને ભ્રષ્ટાચાર હતા, જેના કારણે દલિતોના જીવનમાં કોઈ વાસ્તવિક સુધારો થઈ શક્યો નથી. કેજરીવાલ સરકાર તેના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે, અને તે દલિતો માટે માત્ર એક ચૂંટણીલક્ષી નારા બનીને રહી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/ambedkar-samman-scholarship-delhi-aap-government-to-launch-in-honour-of-dr-ambedkar"><span style="font-size: 14pt;"> ડૉ.આંબેડકરના માનમાં AAP સરકાર 'આંબેડકર સન્માન સ્કોલરશીપ' શરૂ કરશે</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Dec 2024 11:00:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1780</Articleid>
                    <excerpt>Arvind Kejriwal અને AAP દલિતોના હામી હોવાની વાત કરે છે, પણ તેમની એકેય દલિતલક્ષી યોજના સફળ નથી થઈ. શા માટે આવું થયું તે સમજીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67722fe664695.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67722fe630992.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67722fe630992.jpg" length="73424" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Arvind Kejriwal, AAP Delhi, Schemes for Dalits, Flop</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકે પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ લીધો, પરિવારે કહ્યું&amp; હત્યા કરાઈ</title>
                    <link>https://khabarantar.com/satwas-Police-Station-dalit-youth-hangs-himself-family-says-he-was-murdered</link>
                    <guid>https://khabarantar.com/satwas-Police-Station-dalit-youth-hangs-himself-family-says-he-was-murdered</guid>
                    <description>
                        <![CDATA[ મહિલાની ફરિયાદ બાદ યુવકની અટકાયત કરાઈ હતી. મૃતકના પરિવારજનોએ પોલીસકર્મીઓ પર તેની હત્યા અને ગુપ્ત રીતે પોસ્ટમોર્ટમ કરાવવાનો આરોપ લગાવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશમાં એક દલિત છોકરાએ પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. અહીંના દેવાસ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના બાદ ભીમ આર્મી અને યુવકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નજીકના પોલીસ સ્ટેશનોમાંથી એસપી સહિત પોલીસ દળોને બોલાવવામાં આવ્યા હતા અને પરિવારના સભ્યોને સમજાવવામાં આવ્યા હતા. પરિવારજનોએ પોલીસ પર યુવકની હત્યા અને ગુપ્ત રીતે પોસ્ટમોર્ટમ કરાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ પોલીસ પર લાંચ માંગવાનો પણ આરોપ છે. એક મહિલાની ફરિયાદના આધારે પોલીસે દલિત યુવકને પૂછપરછ માટે અટકાયતમાં લીધો હતો. એસપીએ આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ યાદવે ટ્વીટ કરીને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા અને તપાસની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવાસના સતવાસ પોલીસ સ્ટેશનમાં માલાગાંવના રહેવાસી 35 વર્ષના દલિત યુવક મુકેશે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. માહિતી મળતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પરિવારજનોનો આરોપ છે કે પોલીસ મુકેશ પરના કેસમાં હળવી કલમો લગાવવા અને કલમો ઘટાડવાના બદલામાં લાંચ માંગી રહી હતી. પોલીસ સ્ટેશનમાં મુકેશ પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. મુકેશની આત્મહત્યાથી રોષે ભરાયેલા તેના પરિવારજનોએ ભીમ આર્મી સાથે મળીને પોલીસ સ્ટેશન પર હોબાળો મચાવ્યો હતો. માહિતી મળતાં જ દેવાસના પોલીસ અધિક્ષક સાતવાસ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પરિવારજનોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવકની હત્યા પર રાજકારણ શરૂ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું હતું. કોંગ્રેસના નેતા અરુણ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, રક્ષકો જ ભક્ષકો બની ગયા છે. તેમણે ડીજીપીને પોલીસ સ્ટેશનના પીઆઈ અન્ય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની અને મામલાની તપાસ કરવાની માંગ કરી છે. આ ઘટનાને લઈને એસપીએ તપાસના આદેશ આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક મુકેશના પરિવારજનોએ પોલીસકર્મીઓ પર હત્યા બાદ ગુપ્ત રીતે પોસ્ટમોર્ટમ કરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે પરિવારને જાણ કર્યા વિના પોલીસે મુકેશના મૃતદેહને સતવાસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખ્યો અને બહારથી તાળું મારી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસનું શું કહેવું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુકેશની આત્મહત્યાને લઈને એસપી પુનીત ગેહલોતનું કહેવું છે કે સ્ટેશન ઈન્ચાર્જ નિવેદન વાંચી રહ્યા હતા એ દરમિયાન મુકેશે ગળામાં બાંધેલા રૂમાલને ગ્રીલ સાથે બાંધીને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટાફે તેને જોતાની સાથે જ ફાંસો ખોલ્યો હતો અને તેને સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસપી પુનીત ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, 35 વર્ષીય મુકેશે પોલીસ કસ્ટડી દરમિયાન પોતાના જ ગમછાથી ફંદો બનાવી તેની સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. 26 ડિસેમ્બરે એક મહિલાએ મુકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એ પછી તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લવાયો હતો. શનિવારે સાંજે 6 વાગ્યે પોલીસ જ્યારે તેની પૂછપરછ કરી રહી હતી, ત્યારે તેણે ગમછાથી ગળેફાંસો ખાઈ લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/at-night-the-police-put-the-dalit-youth-in-jail-in-the-morning-his-body-was-found-hanging">રાત્રે પોલીસે દલિત યુવકને જેલમાં પૂર્યો, સવારે તેનો મૃતદેહ લટકતો હતો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 29 Dec 2024 20:01:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1779</Articleid>
                    <excerpt>મહિલાની ફરિયાદ બાદ યુવકની અટકાયત કરાઈ હતી. મૃતકના પરિવારજનોએ પોલીસકર્મીઓ પર તેની હત્યા અને ગુપ્ત રીતે પોસ્ટમોર્ટમ કરાવવાનો આરોપ લગાવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67715be86ea5f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67715be83f75f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67715be83f75f.jpg" length="83643" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>satwas Police Station, Dalit crime, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી મહિલાઓને ઝાડ સાથે બાંધી ‘જય શ્રી રામ’ના નારા લગાવડાવ્યા</title>
                    <link>https://khabarantar.com/tribal-woman-tied-to-trees-and-made-to-chant-jai-shri-ram</link>
                    <guid>https://khabarantar.com/tribal-woman-tied-to-trees-and-made-to-chant-jai-shri-ram</guid>
                    <description>
                        <![CDATA[ હિંદુત્વવાદી ટોળાંએ બર્બરતાની હદ વટાવી. બંને મહિલાઓ પર ધર્મ પરિવર્તનનો આરોપ મૂકી મોં પર કેક લગાડી માર માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુત્વવાદીઓ જ્યારથી સત્તામાં મજબૂત થયા છે ત્યારથી દેશભરમાં દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ પર કટ્ટર તત્વોના ટોળાં દ્વારા કાયદો હાથમાં લઈને હુમલા કરવાની, ન્યાય તોળવા બેસી જવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ટોળાંએ બે આદિવાસી મહિલાઓને ઝાડ સાથે બાંધીને માર મારી બળજબરીથી જયશ્રી રામ ના નારા લગાવવા મજબૂર કરી હતી. આખી ઘટના ક્રિસમસના દિવસે બની હોવાનું કહેવાય છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો સામે આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ક્રિસમસના બીજા દિવસની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રિસમસના બીજા દિવસે એટલે કે 26મી ડિસેમ્બરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બે મહિલાઓ ઝાડ સાથે બાંધેલી હાલતમાં જોવા મળી રહી છે. તેમની આસપાસ ટોળું જમા થઈ ગયું છે અને તે બંને મહિલાઓને પરાણે જયશ્રી રામ બોલવા માટે મજબૂર કરી રહ્યું છે. મોત ભાળી ગયેલી બંને મહિલાઓ ભયની મારી પરાણે જયશ્રી રામ બોલી રહી છે. બંનેમાંથી એક મહિલાના મોં પર ટોળાંએ કેક લગાવી દીધો હતો. બંનેની ઉંમર 40 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહિલાઓ પર બળજબરીથી ધર્માંતરણનો આક્ષેપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટોળાંનો દાવો છે કે બંને મહિલાઓ ધર્માંતરણની ઉજવણી કરવા માટે થઈને કેક લાવી હતી. બંને મહિલાઓ પૈકી એકનું નામ સુભાસિની સિંહ અને બીજીનું સુકાંતિ સિંહ હોવાનું સામે આવ્યું છે. ટોળાંથી ઘેરાયેલી આ બંને આદિવાસી મહિલાઓની પાછળ જ ઈસુ ખ્રિસ્તનો ફોટો દેખાઈ રહ્યો છે. આરોપ છે કે ટોળાંએ બંનેને નિર્દયતાથી માર માર્યો હતો. મામલો ઓડિશાના બાલાસોર જિલ્લાના આદિવાસી ગામ છનખાનપુરનો છે. આ મહિલાઓ પર ગામના જ એક વ્યક્તિનું બળજબરીથી હિંદુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં ઝાડ સાથે બાંધેલી આ બંને મહિલાઓની સાથે સફેદ શર્ટ પહેરેલ એક વ્યક્તિ પણ જોવા મળી રહી છે. તે કહે છે, "આ બંને હિંદુ ધર્મ અને સંસ્કૃતિને નષ્ટ કરવા માટે જવાબદાર છે." </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67715389a9ddd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કપાળ પર તિલક લગાવેલી આ વ્યક્તિ પાછળથી "ભારત માતા કી જય" અને "જય શ્રી રામ" ના નારા લગાવે છે. બંને મહિલાઓ તેની સામે લાચાર નજરે જોતી રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી પેલી વ્યક્તિ કહે છે, “જુઓ, આ કેવી રીતે ધર્માંતરણ કરાવી રહી છે. જ્યારે આપણે આપણા ધર્મ માટે પૂરા દિલથી કામ કરીએ છીએ, ધર્મ માટે દિવસ-રાત મહેનત કરીએ છીએ. ત્યારે આવા લોકો સમાજને બગાડે છે. જો તમે તમારા વિસ્તારમાં આવી કોઈ ઘટના જોતા હોવ તો અમને જણાવો, અમે તમારો સંપર્ક કરીશું. જો આજે આપણે આવી બાબતો પર ધ્યાન નહીં આપીએ તો આપણી આવનારી પેઢીઓ બગડી જશે. બાંગ્લાદેશમાં શું થયું તે તમે જોઈ રહ્યા છો! તેથી, તમને વિનંતી કરવામાં આવે છે કે જો તમે આવા કોઈ કાવતરાખોરોને જાણો છો, તો તેમને પકડો અને અમને જણાવો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી બંને મહિલાઓને "જય શ્રી રામ" બોલવા માટે અને હવે પછી તેઓ ધર્મ પરિવર્તન નહીં કરાવે તેમ બોલવા માટે મજબૂર કરવામાં આવે છે. એ પછી એક મહિલા ત્યાં આવે છે અને બેમાંથી એક મહિલાને માર મારે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે બંને મહિલાઓ સામે ફરિયાદ નોંધી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના અન્ય એક વીડિયોમાં પોલીસ ઝાડ સાથે બાંધેલી આ બંને મહિલાઓને ખોલી રહી છે. બાલાસોર પોલીસના એસપી રાજ પ્રસાદે કહ્યું છે કે આ કેસમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે. બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના આરોપમાં બંને મહિલાઓ સહિત એ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી છે, જેનું કથિત રીતે ધર્મ પરિવર્તન કરવાનું હતું. બીજી એફઆઈઆર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 (એટ્રોસિટી એક્ટ) હેઠળ ટોળાં સામે નોંધવામાં આવી છે. આ રીતે આ કેસમાં કુલ સાત લોકો પોલીસ કસ્ટડીમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસની તપાસ હજુ ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/attacking-the-sweeper-saying-you-are-bhangi-paran-chanted-jai-shri-ram">'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 29 Dec 2024 19:24:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1778</Articleid>
                    <excerpt>હિંદુત્વવાદી ટોળાંએ બર્બરતાની હદ વટાવી. બંને મહિલાઓ પર ધર્મ પરિવર્તનનો આરોપ મૂકી મોં પર કેક લગાડી માર માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67715373ccfc8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6771537397c03.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6771537397c03.jpg" length="89946" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Chhankhanpur News, jai shri ram, viral video</media:keywords>
                </item>
                        <item>
                    <title>બજરંગ દળ&amp;VHP ની ગુંડાગર્દી, દલિત યુવકનું માથું મુંડી આખા ગામમાં ફેરવ્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-beaten-up-by-bajrang-dal-shaved-his-head-and-paraded-him-around-the-village-in-fatehpur</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-beaten-up-by-bajrang-dal-shaved-his-head-and-paraded-him-around-the-village-in-fatehpur</guid>
                    <description>
                        <![CDATA[ હિંદુત્વવાદી તત્વોએ યુવકનું માથું મુંડી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો. આમને કાયદો હાથમાં લેવાની પરવાનગી કોણે આપી? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના ફતેહપુરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક દલિત યુવકને માર મારી, માથું મુંડી આખા ગામમાં ફેરવવામાં આવ્યો હતો. યુવક પર લોકોને ખ્રિસ્તી ધર્મમાં લઈ જવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હિંદુત્વવાદી ગુંડાઓએ કાયદો હાથમાં લઈ લુખ્ખાગીરી કરી દલિત યુવકને ધમકી આપી, માર માર્યો અને પછી પોતે જ ન્યાય કરનારા હોય તેમ યુવકનું માથું મુંડી આખા ગામમાં ફેરવ્યો હતો. આરોપી ગુંડાઓ દ્વારા આખી ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફતેહપુરના એલઈ ગામની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો ઉત્તરપ્રદેશના ફતેહપુરના ખાગા પોલીસ સ્ટેશનના એલઈ ગામનો છે. દલિત યુવકે બજરંગ દળના કાર્યકર્તાઓ વિરુદ્ધ બર્બરતાનો આરોપ લગાવીને ફરિયાદ કરી છે, જ્યારે વિશ્વ હિંદુ પરિષદે તેને સહમતિથી કાયદેસર રીતે ખ્રિસ્તી બની ચૂકેલા યુવકની ઘરવાપસી ગણાવી છે. એસપીએ કહ્યું કે વાયરલ વીડિયો તેમના ધ્યાન પર આવ્યો છે. ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે. જો કે ખબરઅંતર.કોમ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બજરંગ દળના કાર્યકરોની દાદાગીરી</span></strong></span><br><span style="font-size: 14pt;">શુક્રવારે સાંજે વીડિયો વાયરલ થયા બાદ એલઈ ગામના શિવબરન પાસવાને જણાવ્યું કે ગુરુવારે તે તેના પુત્રની સારવાર માટે જઈ રહ્યો હતો ત્યારે વિસ્તારના બજરંગ દળના કાર્યકર રોહિતે તેને કેટલાક સાગરીતો સાથે ઘેરી લીધો હતો અને ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ લગાવી ગાળો ભાંડવા માંડ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે હું શુક્રવારે સવારે ઉન્નાવથી પાછો આવ્યો ત્યારે બજરંગ દળના કાર્યકરોએ મને પકડી લીધો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Who-is-Professor-Vikram-Harijan,-against-whom-VHP,-Bajrang-Dal-filed-FIR">કોણ છે પ્રોફેસર વિક્રમ હરિજન, જેમની સામે VHP, બજરંગ દળે FIR કરી છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવકની પત્ની અને બાળકોને પણ માર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">શિવબરન આગળ કહે છે, એ પછી આ લોકોએ મારી પત્ની અને બાળકોને માર માર્યો. તેમણે બળજબરીથી મારુ મુંડન કરાવ્યું અને મને માર મારતા ગામમાં ફેરવ્યો. કલાકો સુધી આ રીતે ગામમાં ફેરવ્યા બાદ આ લોકો મને ગામના એક મંદિરમાં લઈ ગયા હતા. જ્યાં મને માથું ટેકવવા મજબૂર કરાયો અને મારી પાસે પરાણે પૂજાપાઠ કરાવાયા. મેં પોલીસમાં ફરિયાદ કરી છે પરંતુ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી. પોલીસ સ્ટેશનની બહાર પણ બજરંગદળના લોકો મને ઘેરી રહ્યા છે. ઘટનાને પગલે આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. કહેવાય છે કે પીડિત યુવક વિરુદ્ધ બે વર્ષ પહેલા ધર્મ પરિવર્તન કરાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બજરંગ દળ-વીએચપી શું કહે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">બીજી તરફ બજરંગ દળના જિલ્લા સંયોજક રાજુ સોનકરે જણાવ્યું કે રોહિત દીક્ષિત બજરંગ દળનો કાર્યકર છે. પરંતુ એલઈ ગામમાં આવું કંઈક બન્યું હતું કે કેમ તે જાણી શકાયું નથી. હું અંગત કારણોસર ફતેહપુરની બહાર છું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે VHPના જિલ્લા પ્રમુખ કેકે મિશ્રાએ હુમલાના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે યુવકની ઘરવાપસી કરાવવામાં આવી છે. તે પોતાની મરજીથી વિધિવત રીતે હિંદુ રીતિરિવાજો સાથે હિંદુ ધર્મમાં પરત ફર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ અધિકારીઓ શું કહે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">ફતેહપુરના એસપી ધવલ જયસ્વાલના જણાવ્યા અનુસાર, યુવકનો આરોપ છે કે તેને માર મારવામાં આવ્યો અને માથું મુંડી બળજબરીથી ગામમાં ફેરવ્યો હતો બીજી તરફ સામેના પક્ષના લોકોનું કહેવું છે કે, યુવકની મરજીથી ઘરવાપસી કરાવવામાં આવી છે.2022માં તેની વિરુદ્ધ ધર્મ પરિવર્તન કરાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે. જે હકીકતો સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bajrang-dal-workers-barge-into-dalit-professors-office-and-beat-him-up">બજરંગ દળના કાર્યકરોએ દલિત પ્રોફેસરને ઓફિસમાં ઘૂસી માર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 29 Dec 2024 15:05:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1777</Articleid>
                    <excerpt>હિંદુત્વવાદી તત્વોએ યુવકનું માથું મુંડી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો. આમને કાયદો હાથમાં લેવાની પરવાનગી કોણે આપી?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6771177cd4da6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6771177ca3da9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6771177ca3da9.jpg" length="64300" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Fatehpur News, dalit youth beaten up, Bajrang Dal, shaved head, paraded around the village</media:keywords>
                </item>
                        <item>
                    <title>કાનપટ્ટી પર પિસ્તોલ રાખી ભૂમાફિયાએ દલિતની જમીન પડાવી લીધી</title>
                    <link>https://khabarantar.com/land-mafia-grabs-dalit-land-with-pistol-on-earlobe</link>
                    <guid>https://khabarantar.com/land-mafia-grabs-dalit-land-with-pistol-on-earlobe</guid>
                    <description>
                        <![CDATA[ ચાર લોકો સામે મારામારી, જાતિસૂચક ગાળો આપવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના બરેલીના ભોજીપુરામાં જમીન માફિયાઓએ એક દલિત વ્યક્તિની કાનપટ્ટી પર પિસ્તોલ તાકીને તેની જમીન પર ગેરકાયદે રીતે કબ્જો જમાવી લીધો છે. આરોપીઓએ પિસ્તોલ બતાવીને દલિત વ્યક્તિ પાસેથી તેમની જમીનના કાગળો છીનવી લીધા હતા અને જાતિસૂચક ગાળો ભાંડી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તગેડી મૂકતા દલિત શખ્સે આઈજીને ફરિયાદ કરી હતી. આઈજીના આદેશથી ભોજીપુરા પોલીસે તપાસ બાદ ત્રણ લોકો સામે નામજોગ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મારામારી, જાતિસૂચક અપશબ્દો કહેવા, જાનથી મારી નાખવાની ધમકી આપવી અને એટ્રોસિટી એક્ટ સહિતના આરોપમાં કેસ નોંધાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બરેલીના ભોજીપુરાના ઈજ્જતનગરની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇજ્જતનગરમાં ડિફેન્સ કોલોનીમાં રહેતા બલરામ ચંદ્ર અનુસૂચિત જાતિ સમાજના છે. 19 સપ્ટેમ્બર, 2024ના રોજ તેમણે ભૂડા ગામમાં બે ખેતર (0.0720 હેક્ટર) ખરીદ્યા હતા. આ જમીન પર તેમનો કબજો હતો પરંતુ કેટલાક લોકો તેમના ખેતરની બાજુમાં પોતાની કોલોની બનાવી રહ્યા હતા. તેમણે બલરામ ચંદ્રની જમીન પણ કોલોનીમાં જોડી દીધી. જમીન માફિયાઓએ હોપ વેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ નામની શેલ કંપની બનાવી છે. ઈમરાન ઉલ્લા ખાન આ કંપનીના ડાયરેક્ટર છે. કંપની દ્વારા જમીન ખરીદ-વેચાણ કરતી વખતે કરચોરી અને ગેરકાયદેસર પ્રવૃતિઓ થઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રજિસ્ટ્રીના કાગળો આંચકી લઈ ધમકી આપી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બલરામે જણાવ્યું કે 18 નવેમ્બર, 2024ના રોજ જમીન માફિયાઓએ તેમને ભૂડા બાયપાસ સ્થિત ઓફિસમાં બોલાવ્યા. ત્યાં તેમની જમીનની નોંધણીના દસ્તાવેજોને બનાવટી જાહેર કરાયા હતા. આ દરમિયાન કંપનીના ડાયરેક્ટર ઈમરાન ઉલ્લા ખાને બલરામને પિસ્તોલ બતાવીને ધમકી આપી જાતિ આધારિત અપશબ્દોનો ઉપયોગ કરીને દુર્વ્યવહાર કર્યો, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન, ઇમરાન ઉલ્લાહ ખાન અને તેના માથાભારે સાગરીતોએ બલરામ પાસેથી તેમની જમીનની નોંધણીના અસલ દસ્તાવેજો છીનવી લીધા હતા. તેમની સાથે આવેલા મોહમ્મદ સાબીર અને મોહમ્મદ સદ્દામે દરમિયાનગીરી કરી હતી. આરોપ છે કે આ ટોળકીએ અન્ય લોકોની જમીનો પર પણ અતિક્રમણ કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">20 ડિસેમ્બરે ફરિયાદ કરવામાં આવી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતની જાણ 20 ડિસેમ્બરે આઈજીને કરવામાં આવી હતી. આઈજીએ ભોજીપુરાના પીઆઈને તપાસ કરવા અને એફઆઈઆર નોંધવા સૂચના આપી હતી. ગઈકાલે ઈમરાન ઉલ્લા ખાન, મોહમ્મદ આસિફ, નિતેશ મહેરોત્રા અને અન્ય એક શખ્સ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">15 દિવસ પહેલા ખેતરમાં બંધક બનાવ્યા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બલરામ ચંદ્રે જણાવ્યું કે ખેતર નંબર એકની બાજુમાં ખેતર નંબર બે આવેલું છે, જે બિહારીપુર સિવિલ લાઈન્સના રહેવાસી કિશન કુમારના નામે છે. ખેતર નંબર એકનો માલિક રામપાલ અનુસૂચિત જાતિનો હતો. બલરામ પણ અનુસૂચિત જાતિના છે. ઈમરાન, આસિફ અને નિતેશ 15 દિવસ પહેલા બલરામની જમીન પર આવ્યા હતા. તેમણે તેમના પર હુમલો કર્યો અને તેને પ્લોટની અંદર જ ગોંધી રાખીને કહ્યું કે જો તમે ફરીથી જમીન પર નજર કરશો તો તમારે તમારા પરિવાર સહિત જીવ ગુમાવવો પડશે. એ પછી તેમણે ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-heady-elements-do-not-leave-my-land-despite-the-collectors-order">કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Dec 2024 19:48:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1776</Articleid>
                    <excerpt>ચાર લોકો સામે મારામારી, જાતિસૂચક ગાળો આપવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6770078a460cf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6770078a14e2e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6770078a14e2e.jpg" length="65678" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bareilly News, Dalit News, Dalit land seized</media:keywords>
                </item>
                        <item>
                    <title>મનુસ્મૃતિ સળગાવવા બદલ 13 વિદ્યાર્થીઓની ધરપકડ કરી જેલમાં પુરી દીધાં</title>
                    <link>https://khabarantar.com/13-students-arrested-and-jailed-for-burning-manusmriti-at-banaras-hindu-university</link>
                    <guid>https://khabarantar.com/13-students-arrested-and-jailed-for-burning-manusmriti-at-banaras-hindu-university</guid>
                    <description>
                        <![CDATA[ મનુસ્મૃતિ દહન કાર્યક્રમમાં ભાગ લેવા બદલ 13 વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી જેલમાં પુરી દીધાં, જેમાં 3 વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનુસ્મૃતિ દહન દિવસ (Manusmriti Dahan Day) નિમિત્તે બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) ના આર્ટ્સ વિભાગમાં ભગત સિંહ સ્ટુડન્ટ મોરચા દ્વારા આયોજિત ચર્ચામાં ભાગ લેનારા 13 વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી (13 students arrested) જેલમાં મોકલી દીધા છે. તેમાં ત્રણ વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે, બાબાસાહેબ આંબેડકરે 25 ડિસેમ્બર, 1927ના રોજ મનુસ્મૃતિનું દહન કર્યું હતું. દેશભરમાં આ દિવસે દલિત-બહુજન સમાજ જાહેરમાં મનુસ્મૃતિની હોળી કરે છે. એ રીતે આ પ્રસંગે ભગતસિંહ સ્ટુન્ડ મોરચાના વિદ્યાર્થીઓ ચર્ચા માટે ભેગા થયા હતા. સંસ્થાના એક અધિકારીએ જણાવ્યું કે ચર્ચા દરમિયાન BHU પ્રોક્ટોરિયલ બોર્ડના ગાર્ડ આવ્યા અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક શરૂ કરી. પહેલા તેમને ઢસડવામાં આવ્યા અને પછી સાંજે 7:30 વાગ્યાની આસપાસ પ્રોક્ટોરિયલ બોર્ડ ઑફિસમાં લઈ જઈને પુરી દીધાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન વિદ્યાર્થીઓને ઈજાઓ પણ થઈ હતી, તેમના કપડા ફાટી ગયા હતા અને ચશ્માના કાચ તૂટી ગયા હતા. આ વિદ્યાર્થીઓને મદદ કરવા પહોંચેલા તમામ વિદ્યાર્થીઓની પણ ધક્કા મારીને અટકાયત કરવામાં આવી હતી. એ પછી BHU ગાર્ડ અને વારાણસી પોલીસે મળીને વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની ધમકીઓ આપી હતી. જેમાં તેમનું ભવિષ્ય બગાડવાની અને જોઈ લેવાની ધમકી પણ સામેલ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/In-more-than-1000-villages-of-Gujarat,-Manusmriti-was-burnt-and-a-pylon-of-equality-was-built">ગુજરાતના 1000થી વધુ ગામોમાં મનુસ્મૃતિનું દહન કરી સમાનતાનું તોરણ બંધાયું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાદમાં, અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડી તેમની સાથે મારપીટ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓમાં ત્રણ છોકરીઓ પણ સામેલ છે. વિદ્યાર્થીઓએ પોલીસની આ કાર્યવાહીને ગેરકાયદેસર અને વાંધાજનક ગણાવી છે. તેમનું કહેવું છે કે સાંજ પછી પોલીસ દ્વારા છોકરીઓની અટકાયત એ કાયદાનું ઉલ્લંઘન અને સત્તાનો દુરુપયોગ છે. લંકા પોલીસ સ્ટેશન સતત કહી રહ્યું છે કે 'મામલો ઉપરથી ઉઠાવવામાં આવી રહ્યો છે' એટલે કે ભાજપ, આરએસએસ-એબીવીપી જેવા મનુવાદી-ફાસીવાદી લોકો આ મામલામાં ખુલ્લેઆમ સામેલ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે અટકાયત કરાયેલ તમામ 13 વિદ્યાર્થીઓને પોલીસે જેલમાં મોકલી દીધા છે. ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓમાં મુકેશ કુમાર, સંદીપ જયસ્વાલ, અમર શર્મા, અરવિંદ પાલ, અનુપમ કુમાર, લક્ષ્મણ કુમાર, અવિનાશ, અરવિંદ, શુભમ કુમાર, આદર્શ, ઇપ્સિતા અગ્રવાલ, સિદ્દી તિવારી અને કાત્યાયની બી રેડ્ડીનો સમાવેશ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તમામ વિદ્યાર્થીઓ સામે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 132/121(2)/196(1)/299/190/191(2)/115(2)/110 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. સંગઠને કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારના ડરના કારણે વિદ્યાર્થીઓ પર આ દમન થયું છે. ભગતસિંહ સ્ટુડન્ટ મોરચાએ ફાસિસ્ટ રાજ્યની મનુવાદી પોલીસ દ્વારા કરાયેલી ગેરકાયદેસર કાર્યવાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે તમામ પ્રગતિશીલ પક્ષોને તેમની સામે એક થવાની અપીલ પણ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-law-of-manusmriti-which-sowed-the-seeds-of-inequality-in-indian-society">મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Dec 2024 14:58:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1775</Articleid>
                    <excerpt>મનુસ્મૃતિ દહન કાર્યક્રમમાં ભાગ લેવા બદલ 13 વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી જેલમાં પુરી દીધાં, જેમાં 3 વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676fc24d298a9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676fc24cec5be.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676fc24cec5be.jpg" length="82615" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>13 students arrested, burning manusmriti, banaras hindu university, Manusmriti Dahan Day</media:keywords>
                </item>
                        <item>
                    <title>80 દલિત બાળકીઓને મુખ્યમંત્રીની મુલાકાતના કારણે રૂમમાં બંધ કરી દીધી</title>
                    <link>https://khabarantar.com/eighty-dalit-girls-locked-in-a-room-during-cms-visit-in-vaishali-bihar</link>
                    <guid>https://khabarantar.com/eighty-dalit-girls-locked-in-a-room-during-cms-visit-in-vaishali-bihar</guid>
                    <description>
                        <![CDATA[ મુખ્યમંત્રીના કાર્યકર્મને લઈને 80થી વધુ દલિત બાળકીઓને તેમના રૂમમાંથી કાઢી સામાન છત પર ફેંકી દીધો અને એક નાના રૂમમાં પુરી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારના વૈશાલીમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત પહેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ભણતી 80 દલિત છોકરીઓને તેમના રૂમમાંથી બહાર કાઢી એક નાનકડા રૂમમાં બંધ કરી દેવામાં આવી. એટલું જ નહીં તેમનો સામાન પણ છત પર ફેંકી દેવામાં આવ્યો હતો. હોસ્ટેલને રંગવા અને ફ્લોરિંગ બદલવાની કોસ્મેટિક તૈયારીઓના ભાગરૂપે આ કરવામાં આવ્યું હતું. આ અમાનવીય ઘટનાએ દલિત સમાજ પ્રત્યે તંત્રની અસંવેદનશીલતા અને સરકારના બેવડા ધોરણોને છતા કરી દીધાં છે. આ મામલે મીડિયાએ સવાલો કરતા અધિકારીઓ ગુસ્સે થઈ ગયા હતા અને કોઈ નક્કર જવાબ આપી શક્યા નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારના વૈશાલી જિલ્લામાં 28 ડિસેમ્બરે મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રસ્તાવિત પ્રગતિ યાત્રા પહેલા સરકાર અને વહીવટીતંત્રની અસંવેદનશીલતાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, પટેઢી બેલસરની હોસ્ટેલમાં 80 દલિત અને મહાદલિત છોકરીઓને તેમના રૂમમાંથી બળજબરીથી બહાર કાઢીને એક નાનકડા રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. તેમનો સામાન છત પર ફેંકી દેવામાં આવ્યો હતો અને રસોડાને ખુલ્લામાં ખસેડવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ પગલું મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન હોસ્ટેલને સુંદર દેખાડવા અને દિવાલોને રંગવા, ફ્લોરની ટાઇલ્સ બદલવા, સોલાર લાઇટ અને મોટી એલઇડી ઇન્સ્ટોલ કરવા જેવા કામો હાથ ધરવા માટે ભર્યું હતું. આ ઘટના માત્ર વહીવટી બેદરકારીને જ ઉજાગર નથી કરતી પરંતુ સરકારના વિકાસના દાવાઓ દલિત અને મહાદલિત સમાજ માટે માત્ર શબ્દો પૂરતા સીમિત છે તે પણ દર્શાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુખ્યમંત્રીને આગમનને પગલે દલિત દીકરીઓની પાયાની સુવિધા છીનવી લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રીની મુલાકાતના કારણે કરવામાં આવી રહેલી તૈયારીઓમાં અધિકારીઓ દ્વારા આ દલિત વિદ્યાર્થીનીઓની પાયાની સુવિધાઓ અને જરૂરિયાતોની સદંતર અવગણના કરવામાં આવી હતી. જે રીતે છોકરીઓને એક રૂમમાં પુરી દેવામાં આવી હતી અને તેમનો સામાન નિર્દયતાથી છત પર ફેંકી દેવામાં આવ્યો હતો, તે અમાનવીય કૃત્ય છે. દલિત છોકરીઓ સાથે આવો વ્યવહાર એ પ્રશ્ન ઊભો કરે છે કે શું દલિત અને મહાદલિત સમાજના બાળકોની ગરિમા અને અધિકારો વહીવટીતંત્રની પ્રાથમિકતાઓમાં સામેલ છે કે નહીં?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મીડિયાએ સવાલો કરતા અધિકારીઓ નારાજ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે મીડિયાએ આ ઘટનાનો પર્દાફાશ કર્યો ત્યારે સ્થળ પર હાજર શિક્ષણ વિભાગના અધિકારીઓ પ્રશ્નોના જવાબ આપવાને બદલે ગુસ્સે થઈ ગયા હતા. અધિકારીઓ દલિત બાળકીઓને રૂમમાં પુરી દેવાની અને તેમની સાથે કરવામાં આવતા ખરાબ વર્તન અંગે નક્કર જવાબ આપી શક્યા નહોતા. આ વલણ માત્ર વહીવટીતંત્રની જવાબદારી પર સવાલો ઉભા કરે છે એટલું જ નહીં, સરકાર અને તેના અધિકારીઓ દલિત અને મહાદલિત સમાજની સમસ્યાઓને કેટલી ગંભીરતાથી લે છે તે પણ દર્શાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સમાજને સતત અન્યાય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે દલિત અને મહાદલિત સમાજ પ્રત્યે સરકારનું વલણ માત્ર યોજનાઓ અને ભાષણો પૂરતું મર્યાદિત છે. હકીકતમાં તેમના જીવન અને તેમની સમસ્યાઓથી સરકારને કોઈ ફરક નથી પડતો. મુખ્યમંત્રીની મુલાકાતના નામે આવી તૈયારીઓ થઈ રહી છે, જેમાં તે જ યુવતીઓનું સન્માન અને અધિકાર દાવ પર લાગેલા છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે સરકારની પ્રાથમિકતાઓમાં દલિત સમાજ ક્યાંય નથી. જો સરકારી યોજનાઓનો ઉદ્દેશ વંચિત સમાજના ઉત્થાનનો અને તેમનું જીવનધોરણ સુધારવાનો હોય તો આવી ઘટનાઓ શા માટે બની રહી છે? દલિત છોકરીઓ સાથે આ પ્રકારનું વર્તન માત્ર તેમના અધિકારોનું ઉલ્લંઘન નથી, પરંતુ તે તેમની સુરક્ષા અને ગૌરવ માટે પણ ખતરો છે. આ ઘટના સરકારના દલિતો પ્રત્યેના બેવડા ધોરણને ઉજાગર કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/if-you-are-above-the-chief-minister-if-you-say-so-it-will-be-our-work">આપ તો મુખ્યમંત્રી સે ઉપર હો, આપ કહોગે તો હમારા કામ હો જાયેગા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Dec 2024 13:44:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1774</Articleid>
                    <excerpt>મુખ્યમંત્રીના કાર્યકર્મને લઈને 80થી વધુ દલિત બાળકીઓને તેમના રૂમમાંથી કાઢી સામાન છત પર ફેંકી દીધો અને એક નાના રૂમમાં પુરી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676fb322d9602.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676fb322a8d43.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676fb322a8d43.jpg" length="63390" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>cms visit in vaishali bihar, vaishali  News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ દલિત સમાજમાંથી હશે?</title>
                    <link>https://khabarantar.com/bjp-next-national-president-will-be-from-the-dalit-community</link>
                    <guid>https://khabarantar.com/bjp-next-national-president-will-be-from-the-dalit-community</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ પોતાની દલિત વિરોધી હોવાની છાપ બદલવા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ટક્કર આપવા માટે પક્ષના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે દલિત નેતાને બેસાડશે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">The next national president of BJP will be from the Dalit community : હાલમાં જે રીતે અમિત શાહના નિવેદન બાદ દેશભરમાં ભાજપની દલિત વિરોધી પાર્ટી તરીકેની છાપ વધુ મજબૂત થઈ છે તે જોતા આગામી દિવસોમાં પક્ષને રાજકીય નુકસાન પક્ષ રીતે દેખાઈ રહ્યું છે. આ સ્થિતિને ખાળવા માટેનો તોડ પક્ષના મોવડીમંડળે શોધી કાઢ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય રાજકારણમાં નવો વળાંક આવવાનો છે. એવા અહેવાલો છે કે પાર્ટી તેના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ માટે દલિત નેતાની પસંદગી કરી શકે છે. કોંગ્રેસના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દલિત સમાજમાંથી આવતા હોવાના કારણે આ પગલું ભરવામાં આવશે તેવી ચર્ચા છે. પરંતુ સવાલ એ છે કે શું આ ભાજપની વાસ્તવિક "સમાવેશક રાજનીતિ"નો ભાગ છે કે માત્ર ચૂંટણી વ્યૂહરચના? છેલ્લા એક દાયકામાં ભાજપ નેતૃત્વ વારંવાર તેના સમાવેશી રાજકારણનો દાવો કરે છે, પરંતુ શું </span><span style="font-size: 14pt;">આ દાવો હકીકત સાબિત થયો છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપની દલિત વિરોધી છાપ વધુ મજબૂત બની</span></strong></span><br><span style="font-size: 14pt;">ભાજપની છબી લાંબા સમયથી દલિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજો પ્રત્યે ઉદાસીન રહી છે. વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસે હંમેશા ભાજપને દલિત વિરોધી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો કે તે દલિત સમાજને માત્ર એક વોટ બેંક તરીકે જ માની ઉપયોગ કરે છે અને તેમના વાસ્તવિક મુદ્દાઓને ક્યારેય પ્રાધાન્ય આપતો નથી. ભાજપે રાષ્ટ્રપતિ પદ માટે રામનાથ કોવિંદ અને દ્રૌપદી મુર્મુ જેવા નામો ભલે આગળ કર્યા હોય, પરંતુ શું આ પગલાં દલિત અને આદિવાસી સમાજના સશક્તિકરણ માટે પૂરતા છે? કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ દલિતોને માત્ર પ્રતીકાત્મક સ્થાન આપે છે, જ્યારે તેમની વાસ્તવિક સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપતું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત રાષ્ટ્રીય પ્રમુખઃ રાજનીતિ કે મજબૂરી?</span></strong></span><br><span style="font-size: 14pt;">2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકોમાં થયેલા ઘટાડાએ પાર્ટી નેતૃત્વને વિચારવા મજબૂર કરી દીધું છે. એસસી અને એસટી વોટ બેંકમાં કોંગ્રેસ દ્વારા કરાયેલા ભંગાણથી ભાજપને આંચકો લાગ્યો છે. આવી સ્થિતિમાં દલિત સમાજને ફરી પોતાની તરફ આકર્ષવા માટે ભાજપ “દલિત રાષ્ટ્રીય અધ્યક્ષ”નો દાવ ખેલી શકે છે. આ પદ માટે હાલ દલિત નેતાઓ અર્જુન રામ મેઘવાલ, દુષ્યંત ગૌતમ અને બેબી રાની મૌર્ય જેવા નામોની ચર્ચા થઈ રહી છે. પરંતુ સવાલ એ છે કે જો ભાજપને ખરેખર દલિતોની આટલી ચિંતા હોય તો તેમના ઉત્થાન માટે અત્યાર સુધી </span><span style="font-size: 14pt;">કયા નક્કર પગલાં લેવામાં આવ્યા છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bjp-leader-threatens-muslim-owner-of-shop-in-baghpat-uttar-pradesh-because-it-has-hindu-name">દુકાનનું નામ હિંદુ હોવાથી ભાજપ નેતાએ મુસ્લિમ માલિકને ધમકાવી તોડફોડ કરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનામત અને ભાજપની વિચારધારા</span></strong></span><br><span style="font-size: 14pt;">આરએસએસ અને ભાજપની વિચારધારામાં દલિત સમાજનો વિશ્વાસ હંમેશા સવાલોના ઘેરામાં રહ્યો છે. વિરોધ પક્ષોએ વારંવાર ભાજપ પર અનામત ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે 2024ની ચૂંટણીમાં આ મુદ્દાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના આ કથિત "દલિત-વિરોધી" વલણને કારણે દલિતો, આદિવાસીઓમાં પાર્ટી પ્રત્યે નારાજગી વધી રહી છે. આવી સ્થિતિમાં શું માત્ર દલિત નેતાને પ્રમુખ બનાવીને આ નારાજગી દૂર કરી શકાશે ખરી?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો માટે માત્ર પ્રતીકાત્મક પદો?</span></strong></span><br><span style="font-size: 14pt;">ભાજપનો દાવો છે કે તે સર્વસમાવેશક રાજનીતિની તરફેણમાં છે, પરંતુ જમીની સ્તરે વાસ્તવિકતા કંઈક બીજું જ કહે છે. દલિતો સામે વધી રહેલા અત્યાચારો, અનામતના મુદ્દે અનિશ્ચિતતા અને રોજગારમાં ભેદભાવ જેવા મુદ્દાઓ ભાજપની કથની અને કરણી વચ્ચેના અંતરને ઉજાગર કરે છે. દલિત સમાજના બૌદ્ધિકો અને દલિત નેતાઓ માને છે કે ભાજપનું આ પગલું “રાજકીય ડ્રામા” છે. તેમનું કહેવું છે કે જો ભાજપે ખરેખર દલિતો માટે કામ કરવું હોય તો તેણે પ્રતીકાત્મક રાજકારણથી ઉપર ઊઠીને તેમના અધિકારો અને મુદ્દાઓને પ્રાધાન્ય આપવું પડશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2025માં ભાજપ માટે મોટો પડકાર</span></strong></span><br><span style="font-size: 14pt;">કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે જેવા દલિત નેતાના નેતૃત્વમાં ભાજપ માટે સ્પર્ધા કરવી આસાન નહીં હોય. જો ભાજપ તેના દલિત વિરોધી ટેગને દૂર કરવા માંગે છે, તો માત્ર રાષ્ટ્રીય અધ્યક્ષનો ચહેરો બદલવો પૂરતું નથી. તેણે દલિત સમાજ માટે નક્કર નીતિઓ અને યોજનાઓનો અમલ કરવો પડશે. અન્યથા આ પગલું પણ માત્ર ચૂંટણી સૂત્ર બનીને રહી જશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત પ્રમુખનો મુદ્દો ભાજપ માટે કસોટી સમાન છે. જો આ પગલું માત્ર રાજકીય વ્યૂહરચના સાબિત થશે તો દલિત સમાજનો વિશ્વાસ જીતવો મુશ્કેલ બનશે. આ સમય ભાજપ માટે માત્ર પોતાની છબી બદલવાનો જ નથી પરંતુ દલિત સમુદાય સાથે નિષ્ઠાપૂર્વક જોડવાનો પણ સમય છે. જોવાનું એ રહેશે કે ભાજપનું ટોચનું નેતૃત્વ આમાંથી કઈ બાબત પર પસંદગી ઉતારે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/houses-of-dalits-who-did-not-vote-for-bjp-were-burnt-down-babasahebs-statue-was-destroyed">ભાજપને મત ન આપતા દલિતોના ઘર સળગાવ્યા, બાબાસાહેબની પ્રતિમા તોડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Dec 2024 12:07:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1773</Articleid>
                    <excerpt>ભાજપ પોતાની દલિત વિરોધી હોવાની છાપ બદલવા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ટક્કર આપવા માટે પક્ષના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે દલિત નેતાને બેસાડશે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676f9c841e328.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676f9c83df302.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676f9c83df302.jpg" length="87892" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BJP, next national president, Dalit community, RSS, Narendra Modi, Amit Shah, Dr.Ambedkar, mallikarjun kharge, Congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગોંડલના પીપળીયામાં 15 લોકોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો</title>
                    <link>https://khabarantar.com/buddhism-converted-fifteen-people-renounced-hinduism-and-in-piplia-gondal-rajkot</link>
                    <guid>https://khabarantar.com/buddhism-converted-fifteen-people-renounced-hinduism-and-in-piplia-gondal-rajkot</guid>
                    <description>
                        <![CDATA[ હિંદુ ધર્મના જાતિવાદ, આભડછેટ સહિતની બદ્દીઓથી કંટાળી જઈને 15 લોકોએ ડો.આંબેડકરના રસ્તે તથાગત બુદ્ધનો રસ્તો અપનાવ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2025ના આગમન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. નવું વર્ષ શરૂ થશે પરંતુ દલિતો, આદિવાસીઓ પર થતા અત્યાચારોમાં જરાય ઓટ આવી નથી. ઉલટાનું હિંદુત્વવાદીઓની વધતી તાકાતને કારણે આવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થયો જાય છે. આભડછેટ જેવી બદ્દીઓ નાબૂદ થવાને બદલે સતત વધતી જઈ રહી છે. મનુસ્મૃતિના નિયમો લાગુ કરવા એક આખો વર્ગ ધમપછાડા મારી રહ્યો છે અને ખુદ સત્તાધારીઓ તેમને પાછળથી સહકાર આપી રહ્યાં છે. આવી સ્થિતિમાં દલિતો પાસે બુદ્ધના રસ્તે ચાલવા સિવાય છુટકો નથી. દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના ગોંડલમાં બની છે, જ્યાં 15 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676f8f74e8e9a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા. 25મી ડિસેમ્બર 2024ને બુધવારના રોજ ગોંડલ તાલુકાના પીપળીયા ગામે મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો. જેમાં ગામના જિલ્લાના કુલ 15 લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી હતી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીક્ષા સમારોહની શરૂઆતમાં ગામની શેરીઓમાં બેનર સાથે પદયાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી, ફૂલ હાર અર્પિત કરવામાં આવ્યા હતા. એ પથી તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676f8f8551dff.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. ત્યારબાદ સૌ સાથે મળીને ભોજનદાન ગ્રહણ કરેલ. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ સાથે સાધુવાદ પાઠવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/a-young-man-from-the-royal-family-left-behind-a-fortune-of-40-thousand-crores-and-became-a-buddhist-monk"> શાહી પરિવારનો યુવક 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ગયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Dec 2024 11:12:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1772</Articleid>
                    <excerpt>હિંદુ ધર્મના જાતિવાદ, આભડછેટ સહિતની બદ્દીઓથી કંટાળી જઈને 15 લોકોએ ડો.આંબેડકરના રસ્તે તથાગત બુદ્ધનો રસ્તો અપનાવ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676f8f5b2b2a9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676f8f5aee325.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676f8f5aee325.jpg" length="134358" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>buddhism converted hinduism, gondal  News</media:keywords>
                </item>
                        <item>
                    <title>કંડક્ટરની પરીક્ષા દરમિયાન SC&amp;ST ઉમેદવારો માટે ફ્રી બસો મૂકવામાં આવશે</title>
                    <link>https://khabarantar.com/free-buses-will-be-provided-for-sc-st-candidates-during-the-conductor-exam</link>
                    <guid>https://khabarantar.com/free-buses-will-be-provided-for-sc-st-candidates-during-the-conductor-exam</guid>
                    <description>
                        <![CDATA[ રવિવારે રાજ્યમાં એસટી નિગમ દ્વારા બસ કંડકટરની પરીક્ષા યોજાવાની છે ત્યારે ગુજરાત એસટી દ્વારા એસસી-એસટી પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી નિગમ) દ્વારા બસ કંડકટરની પરીક્ષા યોજાનાર છે. બસ કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ એસટી બસ નિગમ સજ્જ છે. આગામી તા. ૨૯ ડિસેમ્બરને રવિવારે રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-એસટી અને અનુસૂચિત જાતિ- એસસીના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસ. ટી. નિગમ દ્વારા જણાવાયું છે કે, પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઇ છે. જે માટે એસટી નિગમ દ્વારા પોતાના તાબા હેઠળનાં તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતને ધ્યાને લઇ તમામ વિભાગોને સૂચના પ્રસિદ્ધ કરાઇ છે. આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અનુરોધ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Unemployment-rate-rises-to-two-year-high-of-10.09-percent-in-October---report">ઓક્ટોબરમાં બેરોજગારી દર વધીને બે વર્ષની સર્વોત્તમ સપાટી 10.09 ટકાએ પહોંચ્યો - રિપોર્ટ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Dec 2024 21:42:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1771</Articleid>
                    <excerpt>રવિવારે રાજ્યમાં એસટી નિગમ દ્વારા બસ કંડકટરની પરીક્ષા યોજાવાની છે ત્યારે ગુજરાત એસટી દ્વારા એસસી-એસટી પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676ed1376e257.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ed1373d1ec.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ed1373d1ec.jpg" length="68182" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>free buses  conductor exam, Gujarat govt, sc st candidates</media:keywords>
                </item>
                        <item>
                    <title>વર વિના 20 કન્યાઓના લગ્ન કરી દેવાયા, સર્ટિફિકેટ પણ મળ્યાં!</title>
                    <link>https://khabarantar.com/mukhyamantri-samuh-vivah-yojna-scam-kaushambi-dm-order-to-investigation</link>
                    <guid>https://khabarantar.com/mukhyamantri-samuh-vivah-yojna-scam-kaushambi-dm-order-to-investigation</guid>
                    <description>
                        <![CDATA[ મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં મોટું કૌભાંડ. 10-10 હજાર રૂપિયાની લાંચ લઈને કૌભાંડીઓએ વર વિના જ કન્યાઓને પરણાવી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">scam in Chief Minister's mass marriage scheme : ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં મોટી છેતરપિંડી સામે આવી છે. ગયા મહિને અહીં આયોજિત એક લગ્ન કાર્યક્રમમાં 20થી વધુ દીકરીઓના લગ્ન વરરાજા વગર કરવામાં આવ્યા હતા. એક ફરિયાદીએ સમાજ કલ્યાણ મંત્રીને IGRS દ્વારા છેતરપિંડીની ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, 10,000 રૂપિયાની લાંચ લીધા બાદ 20થી કન્યાઓના વરરાજા વગર લગ્ન કરાવી દેવાયા હતા અને તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. મામલાને ગંભીરતાથી લેતા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નાયબ મુખ્યમંત્રીના વતનમાં જ કૌભાંડ થયું?</span></strong></span><br><span style="font-size: 14pt;">23 નવેમ્બરના રોજ સિરાથુ તાલુકાના મીઠાપુર સાયરાની બાબુ સિંહ ડિગ્રી કોલેજમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ર૦0 થી વધુ યુવતીઓના લગ્ન થયા હતા. આ સમૂહ લગ્નમાં કડા બ્લોકના સાયરા મીઠાપુર, અંદાવા, શહઝાદપુર અને સિરથુ બ્લોકના કોખરાજ, બિદાનપુર, ભદવા વગેરે ગામોના યુગલોએ સમૂહ લગ્ન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભાજપના જિલ્લા અધ્યક્ષ ધરમરાજ મૌર્ય, રાજ્ય મહિલા આયોગના સભ્ય પ્રતિભા કુશવાહા, સિરાથુ બ્લોકના મુખ્ય પ્રતિનિધિ લવકુશ મૌર્ય અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">20 થી વધુ કન્યાઓના વર જ નહોતા</span></strong></span><br><span style="font-size: 14pt;">નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના વતન સિરાથુના ડીએસ મૌર્યએ IGRS પોર્ટલ દ્વારા સમાજ કલ્યાણના વિભાગના રાજ્ય મંત્રીને ફરિયાદ કરી હતી કે 20 થી વધુ છોકરીઓના વરરાજા સમૂહ લગ્ન કાર્યક્રમમાં આવ્યા ન હતા. પરંતુ સિરથુ અને કડા બ્લોકના મદદનીશ વિકાસ અધિકારી (સમાજ કલ્યાણ)એ 10-10 હજાર રૂપિયા લઈને લગ્ન કરાવ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે ગરીબ છોકરીઓના લગ્નની ફાઇલો મદદનીશ વિકાસ અધિકારીઓ દલાલો દ્વારા તૈયાર કરાવે છે. દરેક કપલ પાસેથી 3 થી 5 હજાર રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવે છે. જે છોકરીઓના વરરાજા પૈસા કમાવા પરદેશ જાય છે અને લગ્ન સમારોહમાં હાજરી આપી શકતા નથી તેમની પાસેથી 10,000 રૂપિયાની રકમ લેવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જો કોઈ અરજદાર પોતે જ સમૂહ લગ્નની ફાઈલ ઓનલાઈન અરજી કરીને લાવે તો તેની ફાઈલમાં કોઈને કોઈ ખામી કાઢવામાં આવે છે. અંતે અરજદાર મજબૂરીમાં અધિકારીઓએ નક્કી કરેલા દલાલો પાસે જાય છે. આ પછી તે મોટી રકમ લે છે અને ફાઇલને સમૂહ લગ્નમાં સમાવી લે છે. ડીએસ મૌર્યએ સિરાથુ અને કડા બ્લોકના સહાયક વિકાસ અધિકારીઓ સામે તપાસ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ મામલે DMએ શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ મધુસુદન હુલગીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનાનું આયોજન સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે અને જે લોકો અહીં સમૂહમાં લગ્ન કરવા માંગે છે તેમની ત્યાં અરજી સ્વીકારવામાં આવે છે. બધું જ ઓનલાઈન થાય છે. ત્યાર બાદ તપાસ પણ થાય છે. એ પછી તપાસ કરવામાં આવે છે કે તેઓ એક જ પરિવારના તો નથી ને અને અલગ છે કે નહીં? બંને પરિવારોની તમામ વિગતો તપાસવામાં આવે છે. તે પછી જ તેને મંજૂરી આપવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીએમ મધુસુદને કહ્યું કે જો આવા કોઈ તથ્યો તેમના ધ્યાન પર આવે છે તો તેઓ દંપતીની તપાસ કરાવે છે. જો કોઈ વર-કન્યા ન આવ્યા હોય તો પણ અમે તેમના લગ્ન કરાવીએ એ શક્ય નથી. પરંતુ જો આવો કિસ્સો સામે આવ્યો છે, તો અમે તેની ફરીથી તપાસ કરીશું. જેટલા લોકો લગ્ન કરી ચૂક્યા છે તે જ ક્રમમાં ડિપાર્ટમેન્ટમાંથી ચૂકવણી કરવામાં આવશે અને સુવિધા પણ આપવામાં આવશે. એવું નથી કે વર ન આવ્યા અને કન્યા આવી ગઈ છતાં લગ્ન થઈ ગયા અને તેમને લાભ પણ મળશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/marriage-with-the-constitution-as-witness-kapu-village-chhattisgarh">દેશભરમાં પહેલીવાર માત્ર બંધારણ અને આંબેડકરની સાક્ષીએ લગ્ન થયા</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Dec 2024 13:54:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1770</Articleid>
                    <excerpt>મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં મોટું કૌભાંડ. 10-10 હજાર રૂપિયાની લાંચ લઈને કૌભાંડીઓએ વર વિના જ કન્યાઓને પરણાવી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676e63d66804b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676e63d632cc9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676e63d632cc9.jpg" length="103649" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>mukhyamantri samuh vivah yojna, scam, kaushambi, DM, investigation</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;ભગવાન સે બઢકર આંબેડકર&amp;apos; ગીત ગાનાર છોકરો કોણ છે?</title>
                    <link>https://khabarantar.com/yash-dandge-99-side-viral-rap-on-dr-ambedkar-dhingana-hustle-season-four</link>
                    <guid>https://khabarantar.com/yash-dandge-99-side-viral-rap-on-dr-ambedkar-dhingana-hustle-season-four</guid>
                    <description>
                        <![CDATA[ સોશિયલ મીડિયામાં એક રેપ ગીતે ધૂમ મચાવી છે. તેમાં ડો.આંબેડકરનો ઉલ્લેખ છે અને ગાયક તેમને &#039;ભગવાન કરતા પણ ઉપર&#039; ગણાવી રહ્યો છે. કોણ છે આ છોકરો, શું છે એ ગીત? ચાલો જાણીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“धिंगाना-धिंगाना  (Dhingana)</span><br><span style="font-size: 14pt;">भीम का मैं दीवाना</span><br><span style="font-size: 14pt;">मेरा कल्चर मेरे लोग उनसे कुछ भी नहीं बढ़कर</span><br><span style="font-size: 14pt;">पूरी दुनिया कहती उन्हें महापुरुष</span><br><span style="font-size: 14pt;">पर हम बहुजनों के लिए</span><br><span style="font-size: 14pt;">भगवान से भी बढ़कर आंबेडकर…”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ શબ્દો એક રેપરના છે. આ રેપ ગીત તેણે MTV ના હિપ-હૉપ રિયાલિટી શો Hustle Season 4 ના સ્ટેજ પર ગાયું હતું. ગીત ગાનાર રેપરનું નામ યશ દાંડગે (Yash Dandge) છે અને તે આ ગીત બાદ સોશિયલ મીડિયામાં છવાયેલો છે. યશ Hustle Season 4 ના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. એક બાજુ ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનું સંસદમાં અપમાન કર્યું તેનો વીડિયો ફરી રહ્યો હતો બીજી તરફ બાબાસાહેબને સમર્પિત યશ દાંડગેનું રેપ સોંગ પણ સમાંતરે વાયરલ થઈ રહ્યું હતું અને તેણે ધૂમ મચાવી દીધી હતી. ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક, એક્સથી લઈને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીત છવાઈ ગયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યશ પોતાના આ ગીતમાં ડો.આંબેડકરનો ઉલ્લેખ કરે છે અને તેમને અમિત શાહના નિવેદનથી વિરુદ્ધ 'ભગવાન કરતા પણ ઉપર' ગણાવે છે. એક રીતે જાણે આ ગીત જ સમગ્ર બહુજન સમાજ વતી અમિત શાહને જવાબ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. જેના કારણે તે ખૂબ વાયરલ થયું હતું. યશનું આ ગીત વાયરલ થતા જ તેના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું હતું. કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી યશ ડાંડગેના આ ગીતની ક્લિપ શેર કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે યશ દાંડગે?</span></strong></span><br><span style="font-size: 14pt;">યશ દાંડગેને 'રેપર 99 સાઇડ' (99 Side) તરીકે ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ તે આ જ નામ લખે છે. મુંબઈના રહેવાસી યશને એમટીવીના Hustle Season 4 થી ઓળખ મળી. તેણે ગાયેલા ઘણાં રેપ ખૂબ પ્રખ્યાત થયા. આમાંથી એક ગીત છે - ધીંગાણા. જે જોરદાર રીતે વાયરલ થયું છે અને તેમાં તે ડો.આંબેડકરને ભગવાન કરતા પણ ઉપર ગણાવે છે. જોકે, યશ સિઝન 4ની ફાઈનલ જીતી શક્યો નહોતો. રેપર લશ્કરી આ સિઝનનો વિજેતા બન્યો હતો. પરંતુ યશે પોતાના રેપ દ્વારા દર્શકો અને જજો પર પોતાની છાપ છોડી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ યશનું સ્ટેજનું નામ '99 સાઈડ' તેના પડોશની 99મી શેરી પરથી રાખવામાં આવ્યું હતું. નાનપણથી જ તેને હિપ-હોપ પસંદ હતું. તેણે 'લિલ બિન' અને 'મોબ ડીપ' જેવા કલાકારોને સાંભળવાનું શરૂ કર્યું હતું. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેનો જુસ્સો પણ વધતો ગયો. તે શાળામાં હતો ત્યારથી રેપ સોંગ લખવાનું શરૂ કરી દીધું હતું અને નક્કી કર્યું હતું કે તે ભવિષ્યમાં તેને જ પોતાની કારકિર્દી બનાવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">'ધીંગાણા' કેમ વાયરલ થયું છે?</span></strong><br><span style="font-size: 14pt;">સંસદના શિયાળુ સત્રમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર પરની ચર્ચા હવે રાજકારણની હદ વટાવી ગઈ છે. સત્ર દરમિયાન, આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને ફેશન ગણાવીને ઘોર અપમાન કર્યું હતું. સંઘ પરિવારની છત્રછાયામાં રાજકારણના પાઠ ભણેલા અમિત શાહના આ નિવેદનથી બહુજન સમાજ રોષે ભરાયો અને ચોતરફ વિરોધ થયો. સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થયા. જેને લઈને દેશભરમાં અનેક શહેરો, ગામડાઓમાં અમિત શાહ વિરુદ્ધ દેખાવો થયા. વિરોધના આ વાતાવરણ વચ્ચે રેપર યશે  ‘ધીંગાણા’ ગીત ગાયું અને જાણે બહુજન સમાજે જે કહેવું હતું તે મળી ગયું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ગીતમાં યશે દલિતો અને પછાત વર્ગના સંઘર્ષને મજબૂત રીતે વણી લીધો છે અને મહાનાયક ડો.આંબેડકરના યોગદાનને પણ સરસ રીતે યાદ કર્યું છે. જ્યારે આ ગીતની વીડિયો ક્લિપ કોંગ્રેસ સુધી પહોંચી તો તેણે યશના રેપને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">‘ધીંગાણા’ ગીતના શબ્દો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">રેપર યશે ગાયેલું આ ગીત તમે સોશિયલ મીડિયામાં ચોક્કસ સાંભળ્યું છે. છતાં તેના શબ્દો જો બરાબર ન સમજાયા હોય તો અહીં તે આખું ગીત વિસ્તારથી મૂકી રહ્યાં છીએ. એ વાંચો અને એ ગીત ફરીથી સાંભળશો તો ઓર મજા આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">धिंगाना धिंगाना</span><br><span style="font-size: 14pt;">आपला नवाचा धिंगाना धिंगाना</span><br><span style="font-size: 14pt;">ऐ दीवाना दीवाना</span><br><span style="font-size: 14pt;">संगीत का मैं दीवाना दीवाना</span><br><span style="font-size: 14pt;">धिंगाना धिंगाना</span><br><span style="font-size: 14pt;">जब चढ़ता मुख्य स्टेज पर तब धिंगाना भाऊ</span><br><span style="font-size: 14pt;">धिंगाना धिंगाना</span><br><span style="font-size: 14pt;">मेरे हाथ में दे माइक देख फिर धिंगाना</span><br><span style="font-size: 14pt;">आपला नवाचा धिंगाना</span><br><span style="font-size: 14pt;">भीम का मैं दीवाना</span><br><span style="font-size: 14pt;">रैप सुना बाद में </span><br><span style="font-size: 14pt;">सुना पहला भीम गाना</span><br><span style="font-size: 14pt;">वंदना बुद्ध विहार में</span><br><span style="font-size: 14pt;">बच्चों को खिला के खुद बाद में खीर खाना</span><br><span style="font-size: 14pt;">मेरा कल्चर मेरे लोग उनसे कुछ भी नहीं बढ़कर</span><br><span style="font-size: 14pt;">पूरी दुनिया कहती उन्हें महापुरुष</span><br><span style="font-size: 14pt;">पर हम बहुजनों के लिए</span><br><span style="font-size: 14pt;">भगवान से भी बढ़कर आंबेडकर</span><br><span style="font-size: 14pt;">आज भी 500 महारों का नसों में बहता है खून</span><br><span style="font-size: 14pt;">अछूत कहते थे मेरे पूर्वजों को</span><br><span style="font-size: 14pt;">अब कला की वजह से मुझे कोई नहीं मिल सकता है छू</span><br><span style="font-size: 14pt;">गले में था उनके मटका थूकने को</span><br><span style="font-size: 14pt;">अब मेरे गानों को मैं माइक पर ठोकूं</span><br><span style="font-size: 14pt;">कमर पे था झाड़ू मिटाने पैरों का निशान</span><br><span style="font-size: 14pt;">अभी स्टेज पर छाप छोड़ूं</span><br><span style="font-size: 14pt;">धिंगाना धिंगाना</span><br><span style="font-size: 14pt;">आपला नवाचा धिंगाना धिंगाना</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/sushila-meena-lady-zaheer-khan-pratapgarh-rajasthan-viral-girl-story">કડાણાના વિસ્થાપિત આદિવાસીની આ દીકરીનો કોઈ 'દ્રોણ' અંગૂઠો ન કાપી લે!</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Dec 2024 12:06:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1769</Articleid>
                    <excerpt>સોશિયલ મીડિયામાં એક રેપ ગીતે ધૂમ મચાવી છે. તેમાં ડો.આંબેડકરનો ઉલ્લેખ છે અને ગાયક તેમને &#039;ભગવાન કરતા પણ ઉપર&#039; ગણાવી રહ્યો છે. કોણ છે આ છોકરો, શું છે એ ગીત? ચાલો જાણીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676e4987efdff.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676e4987bffcc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676e4987bffcc.jpg" length="78444" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Yash Dandge, 99 Side, Dhingana, viral rap on dr. Ambedkar, Hustle Season 4</media:keywords>
                </item>
                        <item>
                    <title>વસ્તી ગણતરીની મથામણ, માયાજાળ અને મતભેદ</title>
                    <link>https://khabarantar.com/census-of-india-illusions-and-disagreements</link>
                    <guid>https://khabarantar.com/census-of-india-illusions-and-disagreements</guid>
                    <description>
                        <![CDATA[ census of india: વસ્તીગણતરીમાં વિલંબના કારણો અને સમાવવાના મુદ્દા અંગે હાલની જનગણના અત્યારથી જ રાજકારણનો ભાગ અને ભોગ બની છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">census of india illusions and disagreements : સંયુક્ત રાષ્ટ્રસંઘની  વિશ્વના તમામ દેશોને  દર દસ વરસે વસ્તીગણતરી કરી તેનો અહેવાલ પ્રગટ કરવાની  ભલામણ છે. તે પ્રમાણે વર્તમાન દાયકે ૧૪૩ દેશોએ વસ્તીગણતરીનું કાર્ય પૂર્ણ કરી દીધું છે. જે ૪૪ દેશોએ હજુ આ કામ હાથ ધર્યું નથી તેમાં ભારતનો સમાવેશ થાય છે.  યુક્રેન, સીરિયા, મ્યાંમાર, યમન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા જેવા યુધ્ધગ્રસ્ત, રાજકીય ઉથલપાથલ, આંતરિક સંઘર્ષ અને આર્થિક સંકટ સહેતા દેશોમાં  વસ્તીગણતરી આરંભાઈ નથી. તેમાં ભારતનું પણ નામ છે! આપણે ૨૦૨૧માં વસ્તીગણતરી કરવાની હતી. પરંતુ કોવિડ મહામારીને કારણે હજુ તેની શરૂઆત થઈ શકી નથી. અગાઉ બ્રિટિશ ભારતમાં બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન કે આઝાદ ભારતમાં ચીન-પાકિસ્તાન સાથેના યુધ્ધો વખતે પણ જે પ્રક્રિયા અટકી નહોતી તેને મહામારીએ અટકાવી છે. હવે ૨૦૨૫માં તે શરૂ થશે અને ૨૦૨૭ સુધીમાં પૂર્ણ  થશે તેવી આશા બંધાઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું નથી કે આપણે વસ્તીગણતરી માટે પૂર્વ તૈયારીઓ કરી નહોતી. ૨૦૧૯માં રૂ. ૯૦૦૦ કરોડનો ખર્ચ અને ૩.૫ મિલિયન અધિકારી/કર્મચારીઓનો ઉપયોગ થવાના અંદાજ સાથે કાર્ય શરૂ થવાની ગણતરી હતી. પરંતુ કોરોનાને કારણે સ્થગિત રાખવું પડ્યું છે. વસ્તીગણતરીની પ્રક્રિયા આરંભાય તે પહેલાં ગામ, નગર, તાલુકા, પ્રાંત, જિલ્લાના વહીવટી સીમાડા નક્કી થઈ જવા જોઈએ. જેથી ચોક્કસ માહિતી મળી શકે. આ બધામાં ફેરફારની સમયસીમા નક્કી કરવી તે વસ્તીગણતરીની પ્રક્રિયાની શરૂઆત પહેલાનું મહત્વનું વહીવટી પગલું છે. અત્યાર સુધીમાં આ સમય સીમા અગિયાર વખત લંબાવવામાં આવી છે. હવેની સમય મર્યાદા ડિસેમ્બર-૨૦૨૪ છે. એટલે ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં વસ્તીગણતરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા જણાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/4.53-crore-cases-pending-in-the-courts-does-it-make-sense-to-change-the-nature-of-justice">4.53 કરોડ કેસો કોર્ટોમાં પડતર હોય ત્યાં ન્યાયની દેવીમાં બદલાવનો અર્થ ખરો?</a></span></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં વસ્તીગણતરીનો દીર્ઘ અને સમૃધ્ધ ઈતિહાસ છે. મોગલ બાદશાહ અકબરના શાસનના વહીવટી અહેવાલ આઈ-ને- અકબરીમાં રાજ્યની વસ્તીની મહત્વની માહિતી સામેલ હતી. માહિતી કે આંકડાપ્રેમી બ્રિટિશરોએ ઈ.સ.૧૮૦૦માં બ્રિટનમાં વસ્તીગણતરી શરૂ કરી હતી. પણ આશ્રિત દેશોમાં એ વખતે વસ્તી ગણતરી કરી નહોતી. અંગ્રેજ શાસન કાળના ભારતમાં પહેલાં અલ્હાબાદ, બનારસ અને ઢાકાની વસ્તીગણતરી થઈ હતી. સમગ્ર ભારતની પૂર્ણ વસ્તીગણતરી લોર્ડ રિપનના વાઈસરોય કાળમાં ૧૮૮૧માં થઈ હતી. ત્યારથી ભારતમાં દર દાયકે વસ્તીગણતરી થતી રહી છે. બ્રિટિશ ભારત અને આઝાદ ભારતમાં સાત-સાત વખત એમ કુલ ચૌદ વસ્તીગણતરી થઈ છે. ૨૦૨૧માં સળંગ પંદરમી અને સ્વતંત્ર ભારતની આઠમી વસ્તીગણતરી હવે થવાની છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈ દેશ કે તેના ચોક્કસ ભાગની વ્યક્તિઓની વસ્તી સંબંધી, સામાજિક-આર્થિક માહિતી અને વિગતો એકઠી કરવી, તેનું સંકલન કરવું, મૂલ્યાંકન અને વિષ્લેષણ કરવું અને તે પ્રકાશિત કરવાની સમગ્ર પ્રક્રિયા એટલે વસ્તીગણતરી. વસ્તીગણતરીમાં માહિતીનો ખજાનો હોય છે. દેશના લોકોની માહિતીનો તે સૌથી મોટો ભંડાર છે. ગામ, કસબા, વોર્ડ, વસ્તીથી લઈને સમગ્ર દેશની જાતભાતની માહિતી તેમાંથી મળી રહે છે. તેના આધારે નીતિઓ ઘડાય છે, કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડાય છે અને સંશોધનો થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણ અન્વયે વસ્તીગણતરી સંઘ યાદીનો વિષય છે. એટલે કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળ વસ્તી ગણતરીનું કામ હાથ ધરાય છે. તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સમર્થન અને સહયોગની આવશ્યકતા છે. વસ્તીગણતરીનું ગંજાવર કામ રાજ્યોની મદદ વિના પાર પાડવું શક્ય નથી. રાજ્યોમાં વસ્તી ગણતરીના નિયામકોના ક્ષેત્રિય કાર્યાલયો હોય છે. જે તે જિલ્લાના કલેકટર જિલ્લા વસ્તીગણતરી અધિકારી હોય છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આશરે અઢાર મહિના વસ્તીગણતરીનું કાર્ય ચાલે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/4.53-crore-cases-pending-in-the-courts-does-it-make-sense-to-change-the-nature-of-justice">4.53 કરોડ કેસો કોર્ટોમાં પડતર હોય ત્યાં ન્યાયની દેવીમાં બદલાવનો અર્થ ખરો?</a></span></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૫ની વસ્તી ગણતરી અનેક રીતે વિશિષ્ટ હશે. દેશમાં પહેલી વાર ડિજિટલ વસ્તીગણતરી થવાની છે. એટલે આ વખતે કોઈ કર્મચારી કશા કાગળિયા કે ચોપડા લઈને નહીં ટેબલેટ કે સ્માર્ટ ફોન લઈને વસ્તી ગણતરી કરવા આવશે. ઘરેઘરે ફરીને તે પોર્ટલમાં  માહિતી એકત્ર કરશે. કોઈ પણ દેશવાસી જાતે પોતાની માહિતી એપમાં આપી શકશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલની વસ્તી ગણતરીની મથામણ માયાજાળ પણ છે અને તેના અંગે ઘણાં મતભેદો પણ છે. વસ્તીગણતરીમાં થયેલા વિલંબ માટે મહામારી એક માત્ર કારણ નથી. ઘણા પડકારોનો સામનો આ વખતની વસ્તી ગણતરી સામે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માહિતી મુજબ સ્ત્રી-પુરુષ ઉપરાંત ટ્રાન્સજેન્ડરની માહિતી પ્રથમ વખત લેવામાં આવશે. સપ્ટેમ્બર ૨૦૨૩માં સંસદે વિધાનગૃહોમાં મહિલા અનામતનું બિલ પસાર કર્યું છે. પરંતુ તેનો અમલ વસ્તીગણતરી પછી જ થઈ શકે તેમ છે. એટલે મહિલાઓ તેમના રાજકીય પ્રતિનિધિત્વ માટે જલદીથી વસ્તી ગણતરી થાય તેમ ઈચ્છે છે. લોકસભા અને રાજ્યોના વિધાનગૃહોની હાલની બેઠકોમાં પણ આ વસ્તીગણતરી પછી સુધારો થવાનો છે. વસ્તીગણતરી પછી જ લોકસભા અને વિધાનસભાની બેઠકોનું સીમાંકન હાથ ધરાશે. એટલે બેઠકોમાં વધારો અને મહિલા અનામત માટે વસ્તીગણતરી વિના વિલંબે થવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/who-should-have-the-right-to-decide-on-euthanasia-in-india-gujarati">ઈચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?</a></span></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ અને બીજા વિપક્ષો લાંબા સમયથી જ્ઞાતિવાર વસ્તીગણતરીની માંગ કરી રહ્યા છે. સત્તાપક્ષ તેનો સીધો વિરોધ કરી શકતો નથી. બિહારે જાતિ જનગણના કરીને તેનો અહેવાલ પણ જાહેર કર્યો હતો. બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઓડિશાની રાજ્ય વિધાનસભાઓએ જાતિ જનગણનાની તરફેણમાં પ્રસ્તાવો પસાર કર્યા છે. પરંતુ સરકાર માટે નિર્ણય લેવો કઠિન છે. </span><br><span style="font-size: 14pt;">હાલની વસ્તીગણતરીમાં અનુસૂચિત જાતિ, જનજાતિની ગણના થાય છે. તેના આધારે તેમની અનામતની ટકાવારી નક્કી થાય છે. પરંતુ અન્ય પછાતવર્ગોની ગણતરી થતી નથી. આ માટે ૧૯૪૮ના વસ્તીગણતરી અધિનિયમનમાં સુધારો કરવો પડે તેમ છે. એક તરફ વિપક્ષોનું દબાણ અને બીજી તરફ સરકારની અસમંજસ સ્થિતિમાં વસ્તી ગણતરીનું કામ થવાનું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ, જનજાતિની અનામતમાં પેટા વર્ગીકરણ દાખલ કર્યું છે. જો તેનો અમલ કરવો હોય તો તે જ્ઞાતિઓમાં રહેલી પેટા જ્ઞાતિઓની ગણતરી કરવી પડે અને જાતિ જનગણના માટે તમામ ભારતીય નાગરિકોની જ્ઞાતિ જાણવી પડે. યાદ રહે ભારતમાં અગાઉ જાતિ જનગણના થતી હતી. છેલ્લે ૧૯૩૧ની વસ્તીગણતરીમાં જાતિ જનગણના થઈ હતી. તે પછી ૨૦૧૧માં સામાજિક, આર્થિક અને જ્ઞાતિ ગણના થઈ હતી. પરંતુ તેનો અહેવાલ જાહેર થયો નથી.એટલે હાલમાં તો ૧૯૩૧ના આંકડાઓને આધાર માનવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/what-human-rights-do-prisoners-receive-in-prison">જેલમાં કેદીઓને કયા માનવ અધિકારો મળે છે?</a></span></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકારે સીએએ અને એનઆરસીને લગતા કાયદા ઘડ્યા છે. એટલે આ વખતની વસ્તીગણતરીમાં NRIC  અને NPR  લાગુ પાડવાનો પણ સવાલછે. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અપડેટ કરવું અને ભારતના નાગરિકો ન હોય તેમને જુદા તારવવાનું  કામ આ વસ્તી ગણતરીમાં થવાની શક્યતા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો વસ્તીગણતરીનો અહેવાલ ૨૦૨૭ સુધીમાં પ્રગટ થવાનો હોય તો તે પછીની વસ્તીગણતરી માત્ર ત્રણ જ વરસ પછી ૨૦૩૧માં કદાચ હાથ ધરવાને બદલે વસ્તીગણતરીનું ચક્ર બદલાય અને તે ૨૦૩૫માં હાથ ધરવામાં આવે અને તે પછી તે પ્રમાણે જ વસ્તી ગણતરી થાય તેમ બનવા જોગ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતની વસ્તીગણતરીનો દોઢસો વરસોનો ગૌરવશાળી ઈતિહાસ છે. તેમાં પહેલીવાર વિક્ષેપ ઉભો થયો છે. આ વિલંબે ઘણી પ્રતિકૂળ અસરો જન્માવી છે. એટલે હવે વધુ સમય ન લેતાં ૨૦૨૫માં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે વસ્તીગણતરીના આંકડા જાહેર થાય તે પછી તેના પર રાજકારણ ખેલાય છે. આ વેળાની વસ્તીગણતરી તેમાં પણ અપવાદ છે.  વસ્તીગણતરીમાં વિલંબના કારણો અને સમાવવાના મુદ્દા અંગે હાલની જનગણના અત્યારથી જ રાજકારણનો ભાગ અને ભોગ બની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</span></strong></span></em></p>
<p style="text-align: justify;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/97.8-percent-of-woman-have-to-give-up-paid-work-for-the-family">97.8 ટકા મહિલાઓને પરિવાર માટે સવેતન કામ છોડવું પડે છે</a></span></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Dec 2024 10:31:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1768</Articleid>
                    <excerpt>census of india: વસ્તીગણતરીમાં વિલંબના કારણો અને સમાવવાના મુદ્દા અંગે હાલની જનગણના અત્યારથી જ રાજકારણનો ભાગ અને ભોગ બની છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676e3481c9732.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676e348199c59.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676e348199c59.jpg" length="75270" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>census of india, census of india 2025, First census of India, History of census of india, Next Census in India</media:keywords>
                </item>
                        <item>
                    <title>અંબાજીમાં આખલાએ દોઢ વર્ષની બાળકીની છાતી પર પગ મૂકી દેતા મોત</title>
                    <link>https://khabarantar.com/ambaji-news-a-bull-stepped-on-a-girls-chest-and-killed-her</link>
                    <guid>https://khabarantar.com/ambaji-news-a-bull-stepped-on-a-girls-chest-and-killed-her</guid>
                    <description>
                        <![CDATA[ મજૂર પરિવાર સંબંધીના ખબરઅંતર પૂછવા આબુ રોડ આવ્યો હતો અને રેલવે સ્ટેશનના રિઝર્વેશનના રૂમમાં બાળકીને કાળ ભેટી ગયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંબાજીના આબુ રોડ રેલવે સ્ટેશન ખાતે કમકમાટીભરી ઘટના બની છે. અહીં એક આખલાએ દોઢ વર્ષની બાળકીની છાતી પર પગ મૂકી દેતા તેનું મોત થઈ ગયું છે. મુંદ્રાનો ગરીબ પરિવાર પોતાના એક સંબંધીની ખબર કાઢવા માટે આબુ રોડ ખાતે આવ્યો હતો અને રેલવે સ્ટેશનના રિઝર્વેશન રૂમમાં આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, મુંદ્રાનો ગરીબ પરિવાર સંબંધીના ખબરઅંતર પૂછવા માટે આબુ રોડ આવ્યો હતો. તેઓ સ્વજનોને મળીને મુંદ્રા પરત ફરવા આબુ રોડ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. અહીં રિઝર્વેશન રૂમમાં પરિવાર સૂતો હતો ત્યારે અચાનક જ ત્યાં એક રખડતો આખલો આવી ચડ્યો હતો અને તેણે સૂતેલી દોઢ વર્ષની બાળકીની છાતી પર પગ મૂકી દીધો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676d6dafb2313.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના પગલે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. પરિવાર બાળકીને રેલવે સ્ટેશન લઈ ગયો હતો, જ્યાં ડ્રાઈવરોએ પરિવારના સભ્યોની મદદ કરી પૈસા ભેગા કરી આપ્યા હતા. પરિવારજનોએ મૃતક બાળકીને લઈને પોતાના ઘરે જવા રવાના થયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની માહિતી મળતાં જ એસડીએમએ ઘટનાસ્થળે પહોંચી ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટના બાદ રિઝર્વેશન રૂમની બહાર સાંકળ લગાવી દેવામાં આવી છે. રખડતા ઢોર રિઝર્વેશન રૂમમાં પ્રવેશ ન કરે તે માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં કોઈ આવી ઘટના ન બને તે માટે વહીવટીતંત્રએ આ કાર્યવાહી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/3-tribal-women-die-7-fall-ill-after-eating-aam-ka-daliya-in-odishas-mandipanka-village">કેરીના ગોટલાનો રસો પીવાથી 3 આદિવાસી મહિલાઓના મોત, 7 બીમાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Dec 2024 20:26:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1767</Articleid>
                    <excerpt>મજૂર પરિવાર સંબંધીના ખબરઅંતર પૂછવા આબુ રોડ આવ્યો હતો અને રેલવે સ્ટેશનના રિઝર્વેશનના રૂમમાં બાળકીને કાળ ભેટી ગયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676d6d9d6ee4e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d6d9d36207.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d6d9d36207.jpg" length="79590" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ambaji news, bull stepped on a girls chest and killed</media:keywords>
                </item>
                        <item>
                    <title>તેમના નામમાં હતા ત્રણ ધર્મ અને દિલમાં હતો માણસાઈનો મર્મ</title>
                    <link>https://khabarantar.com/shaheed-udham-singh-jayanti-birthday-special</link>
                    <guid>https://khabarantar.com/shaheed-udham-singh-jayanti-birthday-special</guid>
                    <description>
                        <![CDATA[ માણસની જાતિ જાણીને વર્તન કરવા ટેવાયેલી ભારતની બહુમતી મનુવાદી પ્રજાએ આ બહુજન યોદ્ધાના જીવન પર નજર કરવી જોઈએ, જેના નામમાં ત્રણ ત્રણ ધર્મો છુપાયેલા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમના નામમાં ત્રણ ધર્મો સામેલ હતા અને દિલમાં માણસાઈ હતી. એમણે સેંકડો લોકોને નજર સામે મરતા જોયેલા અને કદાચ એટલે જ તદ્દન સામાન્ય લાગતા એ યુવાને બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. વાત છે વીરોના વીર, ભારત માતાના લાલ, બહુજન રત્ન સરદાર ઉધમસિંહની. જેમની આજે જન્મતિથિ છે ત્યારે તેમને યાદ કરવા જરૂરી બની જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પંજાબના બહાદુર ક્રાંતિકારી રામ મુહમ્મદ આઝાદ સિંહ એટલે કે શહીદ ઉધમ સિંહ, જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અમર શહીદ ઉધમ સિંહે લંડનમાં 13 એપ્રિલ, 1919ના રોજ પંજાબના ભયાનક જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર માઈકલ ઓ'ડાયરને ગોળી મારી નિર્દોષ ભારતીય લોકોના મૃત્યુનો બદલો લીધો હતો.ઉધમ સિંહનો જન્મ 26 ડિસેમ્બર 1899ના રોજ પંજાબના સંગરુર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો. માતા-પિતાનો સહારો બાળપણમાં જ ઊઠી ગયો હતો. તેમના જન્મના બે વર્ષ પછી 1901માં તેમની માતાનું અવસાન થયું અને 1907માં તેમના પિતાનું પણ અવસાન થયું. ઉધમ સિંહ અને તેમના મોટા ભાઈ મુક્તા સિંહને અમૃતસરના ખાલસા અનાથાશ્રમમાં આશ્રય લેવો પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ અને ભગત સિંહ જેવા ક્રાંતિકારીઓ સાથે મળીને બ્રિટિશ શાસન પર એવા ઘા કર્યા હતા કે જેને અંગ્રેજ શાસકો લાંબા સમય સુધી ભૂલી શક્યા ન હતા.ઉધમ સિંહ 'સર્વધર્મ સમભાવ' નું પ્રતીક હતા એટલેજ  જ તેમણે પોતાનું નામ બદલીને રામ મુહમ્મદ આઝાદ સિંહ રાખ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/commemoration-of-nanak-singh-and-udham-singh-on-the-anniversary-of-the-jallianwala-incident"><span style="font-size: 14pt;">જલિયાંવાલા કાંડની વરસીએ સ્મરણ નાનક સિંહ અને ઉધમ સિંહનું</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વાતંત્ર્ય ચળવળના ઈતિહાસમાં, 13 એપ્રિલ, 1919 નો દિવસ આંસુઓથી તરબોળ, જ્યારે અંગ્રેજોએ અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે નિઃશસ્ત્ર ભારતીયોની સભા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને સેંકડો નિર્દોષ લોકોની હત્યા કરી હતી. મૃત્યુ પામેલાઓમાં માતાની છાતીમાં ચોંટેલા દૂધપીતા બાળકો, જીવનની સાંજે દેશની આઝાદીના સપના જોતા વૃદ્ધો અને દેશ માટે બધું ખર્ચવા તૈયાર યુવાનો હતા. આ ઘટનાએ ઉધમસિંહને હચમચાવી નાખ્યા અને તેઓએ અંગ્રેજો સામે બદલો લેવાનું નક્કી કર્યું. હિંદુ, મુસ્લિમ અને શીખ એકતાનો પાયો નાખનાર ઉધમ સિંહ ઉર્ફે રામ મુહમ્મદ આઝાદ સિંહે આ ઘટના માટે જનરલ માઈકલ ઓ'ડાયરને જવાબદાર માને છે, જે તે સમયે પંજાબ પ્રાંતના ગવર્નર હતા. ગવર્નરના આદેશ પર, બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ એડવર્ડ હેરી ડાયરે 90 સૈનિકો સાથે જલિયાંવાલા બાગને ઘેરી લીધું અને બંદૂકોથી અંધાધુન ગોળીબાર કરાવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">4 જૂન 1940ના રોજ, ઉધમ સિંહને ડાયરની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 31 જુલાઈ 1940ના રોજ તેમને 'પેન્ટનવિલે જેલમાં' ફાંસી આપવામાં આવી હતી. આમ આ ક્રાંતિકારી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં અમર બની ગયા. તેમના અવશેષો 31 જુલાઈ 1974ના રોજ બ્રિટન દ્વારા ભારતને સોંપવામાં આવ્યા હતા. ઉધમ સિંહની અસ્થિઓને સન્માન સાથે ભારત લાવવામાં આવી હતી. તેમની સમાધિ તેમના ગામમાં જ બનેલી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ઉધમસિંહજીના લગ્ન એક અંગ્રેજ સાથે થયા હતા, જ્યારે તે લંડનના કેક્સટન હોલમાં માઈકલ ઓ'ડ્વાયરની હત્યા કરવા ગયા ત્યારે એન્ટ્રી પાસ તેમની પત્નીના નામે હતો. તમે જુઓ, એક ભારતીયને અંદર જવાની મંજૂરી ન હતી. તેમણે ક્યારેય તેમની પત્નીને તેમના સાચા મકસદ (ધ્યેય) વિશે કહ્યું નહીં. હત્યા બાદ તેમને જેલમાં મોકલવામાં આવ્યા અને તેણી તેને મળવા આવ્યા ત્યારે જ તેમણે તેણીને બધી વાત કહી. તેમના માટે,માતૃભુમી પ્રત્યેની તેમની ફરજ તમામ બંધનોથી ઉપર હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મહાનાયકના જીવન પર ઓક્ટોબર 2021 માં ‘સરદાર ઉધમ’ ફિલ્મ રીલીઝ થઇ હતી, જે 94મા એકેડેમી એવોર્ડ માટે ઓફિસિઅલી શોર્ટલીસ્ટ થઇ હતી. ઓસ્કાર માટે 'સરદાર ઉધમ' ફિલ્મનું નોમિનેશન ભારતવતી જ્યુરી દ્વારા એ આધાર મૂકી નામંજૂર કરવામાં આવયું કે આ ફિલ્મ અંગ્રેજો પ્રત્યે નફરત ફેલાવે છે. પરંતુ વિન્સ્ટન ચર્ચિલ પરની બાયોપિક 'ડાર્કેસ્ટ આર' 2018માં ઓસ્કાર માટે સામેલ થઈ જ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિદાયત પરમાર</span></strong></span> <span style="font-size: 12pt;"><em><strong>(લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર, સ્વતંત્ર પત્રકાર અને જાગૃત નાગરિક છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Shaheed-Udhamsingh:-The-Lion-Raised-in-an-Orphanage,-Who-Killed-an-Enemy-After-21-Years"><span style="font-size: 14pt;"> શહીદ ઉધમસિંહઃ અનાથ આશ્રમમાં ઉછરેલો એ સિંહ, જેણે 21 વર્ષ પછી દુશ્મનને ઘરમાં ઘૂસીને માર્યો</span></a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Dec 2024 16:46:32 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 26 Dec 2024 17:34:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>1766</Articleid>
                    <excerpt>માણસની જાતિ જાણીને વર્તન કરવા ટેવાયેલી ભારતની બહુમતી મનુવાદી પ્રજાએ આ બહુજન યોદ્ધાના જીવન પર નજર કરવી જોઈએ, જેના નામમાં ત્રણ ત્રણ ધર્મો છુપાયેલા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676d390f16be9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d390eda1ab.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d390eda1ab.jpg" length="98322" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>shaheed udham singh jayanti  2024, udham singh birthday special</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભીમયોદ્ધાઓએ ભૂજના કુનરીયામાં 8 એકર જમીન દલિતોને પરત અપાવી</title>
                    <link>https://khabarantar.com/sc-community-groups-handed-over-direct-possession-of-8-acres-of-land-in-kunaria-bhuj</link>
                    <guid>https://khabarantar.com/sc-community-groups-handed-over-direct-possession-of-8-acres-of-land-in-kunaria-bhuj</guid>
                    <description>
                        <![CDATA[ વર્ષોથી અનુસૂચિત જાતિના હકની જમીનો પર માથાભારે તત્વો સાપની જેમ ફેણ માંડીને બેસી ગયા હતા.  સામાજિક કાર્યકરોએ રાતદિવસ મહેનત કરીને જમીન પરત અપાવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છમાં માથાભારે તત્વો દ્વારા વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓ કે સ્થાનિક દલિતોને સરકારી ધોરણે કાયદેસર રીતે ફાળવવામાં આવેલી હજારો એકર જમીનો પડાવી લેવામાં આવી છે. અનેક સરકારો આવીને ગઈ પણ જાતિવાદી તત્વો આ જમીનો પર કાળોતરા નાગની જેમ ફેણ માંડીને બેસી ગયા હતા. દલિત સમાજના લોકો જો તેમના હકની આ જમીનોની માંગ કરવા જાય તો આ તત્વો દાદાગીરી પર ઉતરી આવતા હતા. પણ હવે અનુસૂચિત જાતિ સમાજના સક્રિય આગેવાનોની મહેનતને કારણે ધીરેધીરે આ જમીનો તેના અસલી લાભાર્થીઓ એવા દલિત સમાજના લોકો અને મંડળીઓને મળી રહી છે. હાલમાં જ આ રીતે ભૂજ તાલુકાના કુનરીયા ગામમાં 8 એકર જમીન જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અનુસૂચિત જાતિ સમાજની મંડળીને કબ્જા પાવતી સાથે સોંપવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગાંધીનગર સુધી રજૂઆત કરાઈ હતી</span></strong></span><br><span style="font-size: 14pt;">કચ્છના સામાજિક કાર્યકરો દ્વારા આ મામલે છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી સૂચના અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાની દરમિયાનગીરીથી તાત્કાલિક માથાભારે તત્વો દ્વારા દબાવી રાખવામાં આવેલી આ જમીનોની વિગતો માંગવામાં આવી હતી અને સ્થાનિક તંત્રને આ જમીનો તેના અસલી માલિકો એવા દલિતોને સોંપી દેવા આદેશ કરાયો હતો. જેનો હવે ધીરેધીરે અમલ થઈ રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/say-jai-bhim-102-acres-of-land-in-kutchs-jadsa-khodasar-handed-over-to-dalits">જય ભીમ બોલો! કચ્છના જડસા-ખોડાસરમાં 102 એકર જમીન દલિતોને સોંપાઈ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટરની સૂચનાથી કચ્છ જિલ્લા વહીવટી તંત્ર, મામલતદાર ભૂજ-ગ્રામ્ય અને સર્કલ ઓફિસર દ્વારા તા. 12 ડિસેમ્બર 2024ના રોજ ભૂજ તાલુકાના કુનરીયા ગામે સ.ન. 12 આશરે 8 એકર જમીનનો પ્રત્યક્ષ કબ્જો તેના અસલી માલિક એવા અનુ.જાતિ સમાજની મંડળીઓનો સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ભારત સરકાર પૂર્વ સબ કમિટી મેમ્બર ધર્મેન્દ્ર ગોહિલ અને કચ્છના યુવા આગેવાન નરેશ મહેશ્વરીની હાજરીમાં મંડળીના પ્રમુખ વિજય કાગીને જમીનનો કબ્જો સોંપાયો હતો. ભૂજ તાલુકામાં અન્ય બાકી રહેતી જમીનોના કબ્જા મેળવવાનું ચાલું છે અને તે પણ ટૂંક સમયમાં તેના મૂળ માલિકોને સોંપાશે તેવું ભૂજ ગ્રામ્ય મામલતદાર શર્માએ જણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાકીની મંડળીઓને પણ ટૂંક સમયમાં જમીન સોંપાશે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે કચ્છના સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, "સમગ્ર કચ્છ જિલ્લામાં આ ચળવળ ચાલી રહી છે અને જ્યાં જ્યાં પણ અનુસૂચિત જાતિ સમાજના ખેડૂતો, વ્યક્તિઓ કે મંડળીઓની જમીનો પર ગેરકાયદેસર કબ્જો જમાવવામાં આવ્યો છે તેને છોડાવીશું. રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલન કરી આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં કાર્યરત અનુસૂચિત જાતિ ખેતી મંડળીની બાકી રહેતી તમામ જમીનોના પ્રત્યક્ષ કબ્જા, હિસ્સા માપણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંડળીના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">કુનરીયામાં અનુસૂચિત જાતિ ખેતી મંડળીને જમીનોના પ્રત્યક્ષ કબ્જાની સોંપણીના આ કાર્ય દરમિયાન કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા સતત જિલ્લા વહીવટી તંત્ર અને અનુ.જાતિના આગેવાનો સાથે સંપર્કમાં રહ્યા હતા. આ કામગીરીમાં ભાજપ અનુ.જાતિ મોરચાના આગેવાન અશોકભાઈ હાથી, ભૂજ તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લખુભાઈ મેરીયા, ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ પ્રકાશભાઈ મહેશ્વરી, હરીભાઈ પરમાર, હરેશભાઈ મેરીયા, સામાજિક આગેવાન મોહનભાઈ ચાવડા, નાનજીભાઈ મેરીયા, દિનેશ મેરીયા, કલ્પેશ મેરીયા, સંજય મહેશ્વરી, પ્રેમભાઈ દનીચા, ભરતભાઈ કટુવા સહિત ભૂજ ગ્રામ્ય મામલતદાર શર્મા, સર્કલ ઓફિસર બળદીયા શ્રી ઝાલા સાહેબ, સર્કલ ઓફિસર તેજસ વ્યાસ વગેરે હાજર રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીની મહેનત રંગ લાવી</span></strong></span><br><span style="font-size: 14pt;">કચ્છ જિલ્લામાં હાલ જે પણ જમીનો અનુસૂચિત જાતિ સમાજની સામુદાયિક મંડળીઓને મળી રહી છે તેમાં કચ્છના સામાજિક અગ્રણી નરેશભાઈ મહેશ્વરીનો સિંહફાળો રહ્યો છે. તેઓ છેલ્લાં ઘણાં સમયથી પક્ષાપક્ષીના રાજકારણમાં પડ્યાં વિના અનુસૂચિત જાતિ સમાજ માટે જમીની લેવલે કામ કરી રહ્યાં છે. દલિત સમાજની સામુદાયિક મંડળીઓની જમીનો પર માથાભારે તત્વોએ અડિંગો જમાવી દીધો છે, જેની સામે તેઓ લડત આપી રહ્યાં છે. આ મામલે તેઓ સાંસદ વિનોદ ચાવડાથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે. તેમની આ મહેનત રંગ લાવી રહી છે અને ધીમે ધીમે દલિત સમાજને તેમના હકની જમીનો પરત મળી રહી છે. સામાન્ય રીતે સત્તાપક્ષ સાથે જોડાયેલી વ્યક્તિ પક્ષ સામે પડવાથી ડરતી હોય છે. પરંતુ નરેશભાઈ મહેશ્વરી કોઈની પણ પરવા કર્યા વિના માત્ર અનુસૂચિત જાતિ સમાજને વફાદાર રહીને કામ કરતા રહે છે. તેનું જ કારણ છે કે, કચ્છમાં દલિત સમાજના છેવાડાના માણસને પણ જ્યારે કોઈ સમસ્યા સતાવે છે ત્યારે તેઓ સીધો નરેશભાઈનો સંપર્ક કરે છે. આ તેમની આપકમાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalits-will-get-300-bighas-of-land-pressed-by-mekarandada-akhada-in-dhrang">ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ દબાવેલી 300 વીઘા જમીન દલિતોને મળશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Dec 2024 14:44:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1765</Articleid>
                    <excerpt>વર્ષોથી અનુસૂચિત જાતિના હકની જમીનો પર માથાભારે તત્વો સાપની જેમ ફેણ માંડીને બેસી ગયા હતા.  સામાજિક કાર્યકરોએ રાતદિવસ મહેનત કરીને જમીન પરત અપાવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676d1d32a8bb4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d1d3274fe4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d1d3274fe4.jpg" length="113173" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>SC News, sc community, direct possession, 8 acres of land, kunaria, bhuj</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુરતમાં અમિત શાહના વિરોધમાં BSP નું શક્તિ પ્રદર્શન</title>
                    <link>https://khabarantar.com/bsps-show-of-strength-in-surat-against-amit-shahs-statement</link>
                    <guid>https://khabarantar.com/bsps-show-of-strength-in-surat-against-amit-shahs-statement</guid>
                    <description>
                        <![CDATA[ સુરતમાં અમિત શાહના આંબેડકરવાદી નિવેદનના વિરોધમાં બીએસપી દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શને ભારે ચર્ચા જગાવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની સંસદમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર વિશે અભદ્ર ભાષાપ્રયોગ કરવા બદલ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ચોતરફ વિરોધ થઈ રહ્યો છે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં વસતા બહુજન સમાજના લોકો અને આંબેડકરવાદીઓએ શાહની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી તેઓ માફી માંગે અને રાજીનામું આપે તેવી માંગ તીવ્ર બની રહી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676d061256fe7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">24મી ડિસેમ્બરે બહુજન સમાજ પાર્ટી દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શને લઈને સુરતમાં પણ મોટી સંખ્યામાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ ભેગાં થઈને સુરત કલેક્ટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરી અમિત શાહના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરત બીએસપીના કાર્યકરોએ શાંતિપૂર્ણ રીતે પોતાના બંધારણીય અધિકાર મુજબ અમિત શાહનો વિરોધ કર્યો હોવા છતાં સુરત પોલીસ દ્વારા બીએસપીના કાર્યકરો, પદાધિકારીઓને ડિટેઈન કરાયા હતા. જો કે, તેનાથી કાર્યકરોના જુસ્સામાં કોઈ ફરક નહોતો પડ્યો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676d0610a939e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધરણામાં ઉપસ્થિત રહેલા એક કાર્યકર ભરત જાદવે ખબરઅંત.કોમને જણાવ્યું હતું કે, બીએસપી સુપ્રીમ બહેન કુમારી માયાવતીજી દ્વારા અમિત શાહના નિવેદનને લઈને રાષ્ટ્રવ્યાપી ધરણાંની જાહેરાત કરાઈ હતી. એ પછી સુરત બીએસપીએ પણ તૈયારીઓ કરીને 24મી ડિસેમ્બરના રોજ ધરણાંનો કાર્યક્રમ કર્યો હતો. કલેક્ટર કચેરીઓ સૌ કાર્યકરોએ અમિત શાહના નિવેદન સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા વિરોધ છતાં પોલીસે કાર્યકરોને ડિટેઈન કર્યા હતા. જો કે તેમ છતાં પણ કાર્યકરોના જુસ્સામાં કોઈ ફરક પડ્યો નહોતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676d06100ba59.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે, "આજકાલ એક ફેશન થઈ ગઈ છે, આંબેડકર..આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર આટલું નામ જો ભગવાનનું લીધું હોત તો સાત જનમ સુધી સ્વર્ગ મળી જાત." તેમના આ નિવેદનનો દેશભરના આંબેડકરવાદીઓમાં ઘેરો પ્રત્યાઘાત પડ્યો હતો. પહેલા વિપક્ષે અને બહુજન સંગઠનોએ સમગ્ર મામલે શાહનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. જેના પડઘા હજુ પણ પડી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bsp-submitted-a-petition-to-the-anand-collector-in-protest-against-amit-shah">ડૉ.આંબેડકર ફેશન નહીં અમારું પૅશન છે, આણંદમાં BSP કાર્યકરોનો હુંકાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Dec 2024 13:02:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1764</Articleid>
                    <excerpt>સુરતમાં અમિત શાહના આંબેડકરવાદી નિવેદનના વિરોધમાં બીએસપી દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શને ભારે ચર્ચા જગાવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676d0611c43ce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d06118a9f4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d06118a9f4.jpg" length="168128" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BSP, show of strength, opposition to Amit Shah, Surat</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;આદિલોક&amp;apos; મેગેઝિને 100 અંક પૂર્ણ કર્યા, વેબસાઈટનું લોકાર્પણ કરાયું</title>
                    <link>https://khabarantar.com/adilok-magazine-completes-100-issues-website-launched</link>
                    <guid>https://khabarantar.com/adilok-magazine-completes-100-issues-website-launched</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી સમાજના અવાજને મજબૂતીથી સમાજ વચ્ચે મૂકતા &#039;આદિલોક&#039; મેગેઝિનનું લવાજમ ભરીને મૂળનિવાસીઓના પત્રકારત્વને ટેકો કરવા સૌને અપીલ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં આદિવાસી સમાજના અવાજને મજબૂતીથી સમાજ અને દેશ વચ્ચે મૂકી શકે તેવા માધ્યમની ભારે તાણ વર્તાઈ રહે છે ત્યારે ગુજરાતમાં છેલ્લાં 16 વર્ષથી સતત પ્રકાશિત થતા આદિલોક મેગેઝિને તેના 100 અંક પૂર્ણ કર્યા છે. વર્ષ ૨૦૦૮થી સતત પ્રકાશિત થતા આદિવાસી સમાજકેન્દ્રિત દ્વિમાસિકના 100 મા અંકના પ્રાગટ્ય નિમિત્તે એક દિવસીય સેમિનાર અને લેખક-વાચક મિલનનો કાર્યક્રમ અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ કોલેજના હર્બર્ટ ડિસોઝા હોલમાં તારીખ ૧૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય ઉમટની અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે રમેશ તન્ના અને ભરત મહેતાએ વક્તવ્યો રજૂ કર્યા હતા. ડાંગથી લઈને અમીરગઢ સુધીના પૂર્વપટ્ટીના આદિવાસી પ્રતિનિધિઓ, અમદાવાદની કોલેજ-યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં આદિવાસી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સમારંભનો શુભારંભ આદિવાસી ભાષામાં પ્રકૃતિવંદના ગાઈને કરાયો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676cf3920f67e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'</span><span style="font-size: 14pt;">આદિલોક'ના તંત્રી આનંદ વસાવાએ આદિલોક સામયિકની 17 વર્ષની સંઘર્ષમય યાત્રાનો આછો પરિચય આપી તેના ધ્યેયકથનનો દિશાનિર્દેશ કર્યો હતો. આદિલોકના પ્રકાશક ડૉ. કનુ વસાવાએ આદિલોકમાં પ્રકાશિત સામગ્રીની સૂચિનો પરિચય કરાવી 'આદિલોક' સામયિકની સિદ્ધિઓ વર્ણવી હતી. અતિથિ વિશેષ તરીકે રમેશ તન્નાએ આદિવાસી સમાજ ના હકારાત્મક પાસાઓ રજૂ કર્યા હતા અને તેમનો હરખ વ્યક્ત કર્યો હતો. પ્રો. ભરત મહેતાએ ભારતીય પત્રકારત્વમાં આદિવાસીઓની ભૂમિકા સમજાવી આદિવાસી પત્રકારત્વની સંઘર્ષપૂર્ણ ભૂમિકાની સદ્રષ્ટાંત રજૂઆત કરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676cf3a58514f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમારંભના અધ્યક્ષ અજય ઉમટે આદિવાસી સમાજનું માધ્યમોમાં નિરૂપણ વિશે તેમનો દ્રષ્ટિકોણ રજૂ કરી પત્રકારત્વના વિદ્યાર્થીઓને પ્રતિનિધિત્વ કરવા આહવાન કર્યું હતું. ભોજન બાદની બેઠકમાં વિશિષ્ટ પ્રદાન કરનાર તાલુકા જિલ્લા સંયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત પ્રતિનિધિઓએ આદિલોક વિશેના તેમના અભિપ્રાયો રજૂ કર્યા હતા. ગુજરાતના આદિવાસી ઇતિહાસમાં સૌથી લાબું આયુષ્ય ધરાવતા 'આદિલોક' સામયિકની વેબસાઈટનું લોકાર્પણ સમારંભના અધ્યક્ષના હાથે કરવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676cf3c0d370c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમીરગઢથી લઈને ડાંગ વિસ્તારના આદિલોકના તાલુકા-જિલ્લા સંયોજકોએ તેમની સમસ્યાઓ રજૂ કરી હતી. લેખન, ફોટોગ્રાફી અને પ્રચાર-પ્રસાર ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર સંયોજકોને સ્મૃતિભેટ આપીને સન્માન કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે વંચિતોના પત્રકારત્વ સાથે સંકળાયેલા અગ્રણીઓ નટુભાઈ પરમાર, નરેશ મકવાણા, મૂળચંદ રાણા, હર્ષદ પરમાર, ભગવાનદાસ પટેલ, વગેરે અગ્રણીઓએ ઉપસ્થિત કહીને આદિલોકની સિદ્ધિને બિરદાવીને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. આદિલોકના માર્ગદર્શક ફાધર એન્થની પિચ્ચાઈએ આદિલોક ટ્રસ્ટ વતી સૌનો આભાર માનીને આ પ્રકારની પ્રવૃત્તિ માટે હંમેશા મદદરૂપ થવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. અંતે આસ્થા વસાવાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><strong>આદિલોક મેગેઝિન વિશે વધુ જાણકારી માટે અને તેનું લવાજમ ભરી આદિવાસી સમાજના અવાજને મજબૂત કરવા તેની વેબસાઈટ</strong></em> <a href="https://adilok.com/">https://adilok.com/</a> પર ક્લિક કરો.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/Adivasi-society-has-lost-its-ratan,-editor-of-Adilok-Prof.-Anand-Vasavas-spouse-Bhanubahen-passes-away">આદિવાસી સમાજે પોતાનું રતન ગુમાવ્યું, ‘આદિલોક’ના તંત્રી પ્રો. આનંદ વસાવાના જીવનસાથી ભાનુબહેનનું અવસાન</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Dec 2024 11:44:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1763</Articleid>
                    <excerpt>આદિવાસી સમાજના અવાજને મજબૂતીથી સમાજ વચ્ચે મૂકતા &#039;આદિલોક&#039; મેગેઝિનનું લવાજમ ભરીને મૂળનિવાસીઓના પત્રકારત્વને ટેકો કરવા સૌને અપીલ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676cf37b4b2c9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676cf37b1709a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676cf37b1709a.jpg" length="107406" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>adilok magazine, completes 100 issues, website launched</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંદુ થઈને સાન્તાક્લોઝ બનો છો? કહી ડિલિવરી બોયનો ડ્રેસ ઉતરાવ્યો</title>
                    <link>https://khabarantar.com/will-you-become-a-hindu-and-become-santa-claus-he-took-off-his-delivery-boys-dress-and-said</link>
                    <guid>https://khabarantar.com/will-you-become-a-hindu-and-become-santa-claus-he-took-off-his-delivery-boys-dress-and-said</guid>
                    <description>
                        <![CDATA[ યુવકે ઝોમેટાના ડિલિવરી બોયને રોકીને તેનો સાન્તાક્લોઝનો ડ્રેસ ઉતરાવવા કહ્યું, મારની બીકે ડિલિવરી બોયે ડ્રેસ ઉતારી દીધો અને કટ્ટરવાદી યુવક જયશ્રી રામ કહીને ચાલ્યો ગયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રિસમસ પર બાળકો અને ગ્રાહકોને ખુશ કરવા માટે સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરીને ડિલિવરી કરવા જતા એક ડિલિવરી બોયને એક કટ્ટરવાદી યુવકે ડ્રેસ ઉતરાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મામલો ઈન્દોરનો છે અને તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયરલ વીડિયોમાં હિન્દુ સંગઠન સાથે સંકળાયેલ એક વ્યક્તિ ઝોમેટો ડિલિવરી બોયને સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરવા વિશે સવાલ પૂછે છે. એ પછી તે તેને કહે છે કે તમારા મોટાભાગના ગ્રાહકો હિંદુ છે છતાં તમે લોકો ક્યારેય કોઈ હિંદુ તહેવારો પર કંઈ ખાસ નથી કરતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે એમ પણ કહે છે કે Zomato જેવી કંપનીઓ માત્ર ખ્રિસ્તી અને મુસ્લિમ તહેવારો પર જ અમુક ખાસ સંદેશ આપે છે, પરંતુ હિન્દુ ધાર્મિક તહેવારો પર ક્યારેય કંઈ કરતી નથી. હિંદુત્વવાદી યુવક ડિલિવરી બોયને સલાહ આપે છે અને કહે છે કે જો તમારે બનવું હોય તો ભગતસિંહ બનો, ચંદ્રશેખર આઝાદ બનીને ડિલિવરી કરો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી તે વ્યક્તિ ડિલિવરી બોયને તેનું નામ પૂછે છે અને જ્યારે તે તેનું નામ અર્જુન કનાત હોવાનું જણાવે છે, ત્યારે હિંદુ કટ્ટરવાદી વ્યક્તિ કહે છે, 'અર્જુન ભાઈ, હિંદુ હોવા છતાં તમે સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરીને શું સંદેશ આપવા માંગો છો?' એ પછી તે ડિલિવરી બોયને સાન્તાક્લોઝનો ડ્રેસ ઉતારાવી દે છે અને પછી ‘જય શ્રી રામ’ કહીને નીકળી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિલિવરી બોય અને હિંદુવાદી વ્યક્તિ વચ્ચેની વાતચીતના વીડિયોમાં હિંદુવાદી યુવક ડિલિવરી બોયને સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરવાનું કારણ પૂછે છે. જેના જવાબમાં ડિલિવરી બોય કહે છે કે ઝોમેટોએ કેટલાક ડિલિવરી બોયને સાન્તાનો ડ્રેસ પહેરીને ડિલિવરી કરવા કહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી, હિન્દુ યુવક તેને કહે છે કે આ ઓર્ડર તો મોટાભાગે હિન્દુ સમાજના લોકો દ્વારા આપવામાં આવે છે, અન્ય ધર્મના લોકોની વસ્તી એટલી નથી. તો જ્યારે તમે આ લોકોના તહેવારો પર આ રીતે ખાસ ગેટઅપ ધારણ કરીને જાવ છો તો હિંદુઓના તહેવારો દિવાળી વગેરે પર પણ આ રીતે ભગવા પહેરીને જાવ. આ રીતે સાન્તાક્લોઝ બનીને તમે પરિવારોને શું સંદેશ આપો છો?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી, હિંદુવાદી યુવક ડિલિવરી બોયને તેનું આખું નામ પૂછે છે અને જ્યારે તે તેનું નામ અર્જુન કણાટ જણાવે છે, ત્યારે હિંદુવાદી યુવક કહે છે કે, અર્જુન ભાઈ આપણે હિંદુ છીએ, આ રીતે સાન્તાક્લોઝ બનીને આપણે શું સંદેશ આપવાના છીએ. આને તમે જાતે ઉતારી લો. આ હિન્દુ બાળકોને સાંતાક્લોઝ વિશે શું સંદેશ આપવા જઈ રહ્યા છે? શું એ જરૂરી છે કે જ્યારે આપણે સાન્તાક્લોઝ બનીને જઈશું ત્યારે જ લોકોમાં સંદેશો જશે. ભગતસિંહને જુઓ, ચંદ્રશેખર આઝાદને જુઓ. હટાવો આને, ઉતારો આ સાન્તાક્લોઝનો ડ્રેસ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એપછી હિન્દુ યુવક કહે છે, 'જો તમે તમારી પર્સનલ લાઈફમાં આ બધું કરો છો તો કોઈ વાંધો નથી. પરંતુ તમારા સાન્તાક્લોઝ બનીને તમે લોકોના ઘરે જઈને તેમને ડિલિવરી આપી રહ્યા છો. આજ સુધી મેં તમને ક્યારેય હિન્દુ તહેવારો પર કંઈ બનતા જોયા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પછી યુવકે ફરી એકવાર ડિલિવરી બોયને તેનો ડ્રેસ ઉતારવાનું કહ્યું, ત્યારે ડિલિવરી બોય ફોન પર વાત કરતાં કહે છે કે, સાહેબ, હું મારા સરને પૂછી લઉં. એ દરમિયાનથોડો સમય લાગતા હિન્દુ યુવક ગુસ્સે થઈ જાય છે અને ધમકી આપતા કહે છે કે, આ રીતે ડ્રેસ નહીં ઉતારો કે શું? તમારા સાહેબ કોણ છે, તેમણે આવી ગાઈડલાઈન નક્કી રાખી છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એપછી, હિન્દુ યુવક વીડિયોમાં કહે છે, 'આ એવા લોકો છે, તેમની હિન્દુ તહેવારો પર બુદ્ધિ લગભગ ખતમ થઈ જાય છે, પરંતુ ખ્રિસ્તી અને ઇસ્લામિક તહેવારોમાં તેમને સારો મેસેજ આપવો હોય છે. તો જુઓ, આ Zomato વાળા લોકો આ રીતે આજે સાન્તાક્લોઝ બન્યાછે. આ લોકો ક્યારેય હિંદુ ધર્મ કે હિંદુ તહેવારો માટે આ પ્રકારનો પોશાક પહેરતા નથી. આખરે, તે હિંદુ યુવક ડિલિવરી બોયનો સાન્તાક્લોઝનો ડ્રેસ અને તેણે પહેરેલ લાલ લોઅર કઢાવી નાખે છે અને અંતે આભાર અને જય શ્રી રામ કહીને ચાલ્યો જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/amroha-non-veg-controversy-school-expels-three-muslim-children-for-bringing-non-veg-in-tiffin">ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 21:24:47 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 25 Dec 2024 21:27:20 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1762</Articleid>
                    <excerpt>યુવકે ઝોમેટાના ડિલિવરી બોયને રોકીને તેનો સાન્તાક્લોઝનો ડ્રેસ ઉતરાવવા કહ્યું, મારની બીકે ડિલિવરી બોયે ડ્રેસ ઉતારી દીધો અને કટ્ટરવાદી યુવક જયશ્રી રામ કહીને ચાલ્યો ગયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676c2904bd207.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676c29048ab4b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676c29048ab4b.jpg" length="74147" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>santa claus, Hindu, crismistmas 2024</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS માં જોડાવાની ના પાડતા દલિત પ્રોફેસર પર અનેક હુમલા કરાયા</title>
                    <link>https://khabarantar.com/dalit-professor-faces-multiple-attacks-for-refusing-to-join-rss</link>
                    <guid>https://khabarantar.com/dalit-professor-faces-multiple-attacks-for-refusing-to-join-rss</guid>
                    <description>
                        <![CDATA[ ત્રણ અજાણ્યા શખ્સોએ દલિત પ્રોફેસરને બાથરૂમમાં પુરી દીધાં, રસ્તો રોકી જાનથી મારી નાખવાની ધમકી આપી. પ્રોફેસરે હાઈકોર્ટમાં અરજી કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના સિધીની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એક દલિત વિઝીટીંગ ફેકલ્ટી RSS માં ન જોડાતા તેમના પર હુમલો કરવામાં આવ્યો. પ્રોફેસરે સંઘની મીટિંગમાં આવવાની ના પાડી દેતા સંઘ સાથે જોડાયેલા પ્રોફેસરે તેમને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં પ્રોફેસરને બાથરૂમમાં પુરી દીધા હતા અને ઘરે જતી વખતે રસ્તો રોકીને તેમના પર હુમલો કરી સંઘની મિટીંગોમાં હાજર રહેવા ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં પ્રોફેસરના આરોપો બાદ હાઈકોર્ટે સુનાવણી કરી તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશના સિધીનો છે અને ઘટના 12 સપ્ટેમ્બર, 2024ની છે. અહીંની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એક વિઝિટીંગ ફેકલ્ટીને છેલ્લાં ઘણાં સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ન જોડાતા હેરાન કરવામાં આવી રહ્યાં છે. તેમના પર અનેક વખત હુમલા થયા છે. ડૉ. રામજસ ચૌધરી કૉલેજથી ઘરે જતા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. એ પછી જ્યારે તેમણે પોલીસમાં ફરિયાદ કરી તો કાર્યવાહી કરવાને બદલે તેને વધુ હેરાન કરવામાં આવ્યા. હવે આ મામલાને લઈને હાઈકોર્ટે સિધીના એસપી રવિન્દ્ર વર્મા અને મઝગવાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દીપક સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કોલેજના પ્રિન્સિપાલ અને ઉચ્ચ શિક્ષણ વિભાગને પણ નોટિસ જારી કરી છે અને આ મામલે આગામી સુનાવણી 5 જાન્યુઆરી, 2025ના રોજ નક્કી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રોફેસર રામજસ ચૌધરીએ જણાવ્યું કે 12 સપ્ટેમ્બર, 2024ના રોજ જ્યારે તેઓ કોલેજથી ઘરે જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ત્રણ લોકો હથિયારો લઈને તેમની પાસે આવ્યા અને માર માર્યો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એ દરમિયાન પોલીસે આરોપીઓના નામજોગ ફરિયાદ નોંધવાને બદલે ‘અજ્ઞાત’ શબ્દનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">RSS માં જોડાવાનું દબાણ હતું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત પ્રોફેસર ડો. રામજસ ચૌધરીએ જણાવ્યું કે ઓક્ટોબર 2023માં કોલેજના શિક્ષક ડો. સુરેશ કુમાર તિવારીએ તેમના પર આરએસએસની બેઠકમાં ભાગ લેવા માટે દબાણ કર્યું હતું. ડો.ચૌધરીએ તેનો વિરોધ કરીને બેઠકમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. એ પછી તેમને સતત ધમકીઓ મળવા લાગી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમનું કહેવું છે કે ફેબ્રુઆરી 2024માં તેમને કોલેજના બાથરૂમમાં અડધા કલાક સુધી બંધ દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મે 2024 માં બીજી ધમકી આપવામાં આવી હતી કે, "અબ આગે આગે દેખો ક્યા હોતા હૈ.."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. ચૌધરીના જણાવ્યા અનુસાર, જુલાઈ 2024માં છ લોકોએ કોલેજના પ્રિન્સિપાલની કેબિનમાં ઘૂસી જઈ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રામજસ ચૌધરીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે મજગવાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દીપક સિંહનો સંપર્ક કર્યો તો મદદ કરવાને બદલે તેમણે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમને ચાર કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી ઓગસ્ટ 2024 માં જ્યારે તેમણે સીધીના એસપી રવિન્દ્ર વર્માને ફરિયાદ કરી, ત્યારે તેમણે અરજી ફાડી નાખી અને ધમકી આપી કે, જો ફરીથી ફરિયાદ લઈને આવશો તો જેલમાં પુરી દઈશ. પ્રોફેસર ચૌધરીએ આ સમયગાળા દરમિયાન 10 વખત અરજી કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો.રામજસ ચૌધરીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતાં જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ તેમની ફરિયાદ પર કોઈ પગલાં લીધાં નહોતા, એટલું જ નહીં બીજા જ દિવસે કૉલેજના પ્રિન્સિપાલે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ બરતરફી સામે તેમણે હાઈકોર્ટમાં અરજી કરતાં કોર્ટે કોલેજ તંત્ર અને ઉચ્ચ શિક્ષણ વિભાગને નોટિસ ફટકારી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હાઈકોર્ટે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને સિધીના એસપી અને મજગવાં ટીઆઈ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું છે કે કોલેજના પ્રિન્સિપાલ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સામે કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવે અને પીડિતને ન્યાય અપાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત ડો. રામજસ ચૌધરીએ કોર્ટમાં પોતાની ઇજાઓના ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે, જે સાબિત કરે છે કે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અને કોલેજ તંત્રે તેમની ફરિયાદો પર ઇરાદાપૂર્વક નિષ્ક્રિયતા દાખવી હતી, જેના કારણે તેમને વધુને વધુ ધમકીઓ મળવા લાગી હતી. તેમણે કહ્યું કે જો પોલીસ અને કોલેજ પ્રશાસને સમયસર પગલાં લીધા હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/why-is-rss-opposing-the-india-national-flag">RSS શા માટે રાષ્ટ્રધ્વજનો વિરોધ કરે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 18:34:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1761</Articleid>
                    <excerpt>ત્રણ અજાણ્યા શખ્સોએ દલિત પ્રોફેસરને બાથરૂમમાં પુરી દીધાં, રસ્તો રોકી જાનથી મારી નાખવાની ધમકી આપી. પ્રોફેસરે હાઈકોર્ટમાં અરજી કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676bd8946b196.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676bd894392ba.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676bd894392ba.jpg" length="77828" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, dalit professor attacks, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>કપડાં ઉતરાવ્યા, પેશાબ પીવડાવ્યો, થૂંક ચટાડ્યું, દલિત કિશોરે ગળેફાંસો ખાઈ લીધો</title>
                    <link>https://khabarantar.com/dalit-teenager-hangs-himself-in-basti-kaptanganj-uttar-pradesh-gujarati-news</link>
                    <guid>https://khabarantar.com/dalit-teenager-hangs-himself-in-basti-kaptanganj-uttar-pradesh-gujarati-news</guid>
                    <description>
                        <![CDATA[ તોફાની યુવકોએ દલિત કિશોરને બર્થડે પાર્ટીમાં બોલાવી અપમાનિત કર્યો. કિશોરને લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના બસ્તીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કપ્તાનગંજમાં કેટલાક યુવકોએ એક દલિત કિશોરને જન્મદિવસની પાર્ટીમાં બોલાવી તેની સાથે અત્યંત અપમાનજનક વર્તન કર્યું હતું. આરોપીઓએ દલિત કિશોરને પહેલા માર્યો, પછી તેના કપડા કાઢી નાખ્યા, પછી થૂંક ચટાડ્યું અને પેશાબ પીવડાવ્યો. આ ઘટના બાદ દલિત કિશોરને ભારે લાગી આવ્યું હતું અને તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત કિશોરના પરિવારનો આરોપ છે કે તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી, પરંતુ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરિવારજનોએ જણાવ્યું કે તેઓ કિશોરનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન ગયા હતા અને આરોપીઓની ધરપકડની માંગ કરી હતી. પરંતુ અધિકારીઓ અવગણના કરતા રહ્યા. એ પછી તેઓ પુત્રના મૃતદેહને એસપી ઓફિસ લઈ ગયા, ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આઘાત લાગતા કિશોરે ગળેફાંસો ખાઈ લીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારજનોએ જણાવ્યું કે તેની સાથે જે ક્રૂર ઘટના બની તેનાથી તે સતત આઘાતમાં હતો.તે સતત ગુમસુમ રહેતો હતો. સોમવારે તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આરોપીઓએ તેની સાથે જે કંઈપણ બન્યું તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જ્યારે કિશોરે એ વીડિયો ડિલીટ કરવાનું કહ્યું તો આરોપી યુવકોએ શરત મૂકી કે તેણે થૂંક ચાટવું પડશે. કિશોરે એમ કર્યું અને આરોપીઓએ તેનો પણ વીડિયો બનાવી લીધો. આ આખા ઘટનાક્રમની દલિત કિશોર પણ એ હદે અસર પડી હતી કે તેણે પોતાનો જીવ આપી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કિશોરના મામાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચાર આરોપીઓ વિનય કુમાર, આકાશ, સોનલ અને કાજુ પ્રસાદ વિરુદ્ધ મારામારી, અપમાન કરવું અને આત્મહત્યા માટે મજબૂર કરવા સહિતની અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત કિશોર તેના મામાના ઘરે રહીને ભણતો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આત્મહત્યા કરનાર દલિત કિશોર સંત કબીરનગર જિલ્લાના બેલહર કલાનો રહેવાસી હતો. તેના મામાનું ઘર કપ્તાનગંજમાં હોવાથી તે અહીં ભણતો હતો. તે 10મા ધોરણનો વિદ્યાર્થી હતો. રડતા રડતા મામાએ જણાવ્યું કે, આરોપીઓ યુવકોએ 20મી ડિસેમ્બરની રાત્રે બર્થડે પાર્ટીના બહાને તેને બોલાવ્યો અને તેની સાથે ધૃણાસ્પદ કૃત્ય કર્યું. આરોપ છે કે કિશોરે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી હતી. એ પછી પોલીસે આરોપીઓને પકડી તો લીધાં પરંતુ સાંજે થોડા સમય બાદ બધાને જવા દીધા. જેના કારણે કિશોરને વધારે આઘાત લાગ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કાર્યવાહી કરી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસ્તીના એસપી કૃષ્ણ ગોપાલ ચૌધરીએ જણાવ્યું કે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કપ્તાનગંજના ઈન્ચાર્જ એસએચઓ વિરુદ્ધ વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સીઓ પ્રદીપ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે દલિત કિશોરના મામાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા બાદ પરિવારજનોને સોંપી અંતિમવિધિ કરાઈ હતી. દલિત સમાજનો એક હોનહાર કિશોર જિંદગી સામેનો જંગ તેના પર થયેલા એક અત્યાચારને કારણે હારી ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-12-year-old-dalit-teenager-was-stripped-naked-and-told-lets-dance-now">12 વર્ષના દલિત કિશોરને નગ્ન કરીને કહ્યું - 'ચાલ હવે ડાન્સ કર'</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 15:09:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1758</Articleid>
                    <excerpt>તોફાની યુવકોએ દલિત કિશોરને બર્થડે પાર્ટીમાં બોલાવી અપમાનિત કર્યો. કિશોરને લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676b8a572fd25.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676b8a56f1bf3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676b8a56f1bf3.jpg" length="105525" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kaptanganj  News, Dalit crime, dalit teenager hangs</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખોખરામાં આરોપીઓનું સરઘસ નીકળ્યું, બાબાસાહેબની નવી પ્રતિમા સ્થાપિત કરાઈ</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-matter-khokhara-ahmedabad-procession-of-both-accused</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-matter-khokhara-ahmedabad-procession-of-both-accused</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનાર આરોપીઓને પોલીસે જાહેરમાં ફેરવી માફી મગાવી હતી. જ્યારે ખંડિત પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમાનું અનાવરણ કરાયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના ખોખરામાં જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. એ પછી ખોખરા પોલીસે બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને માફી મગાવી હતી. ખોખરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. એ દરમિયાન બાબાસાહેબની પ્રતિમાનું નાક તોડનારા બંને આરોપીઓ કાન પકડી વાંકા વળીને માફી માગતા જોવા મળ્યા હતા. હજુ આ કેસના ત્રણ આરોપીઓ ફરાર છે અને પોલીસે તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ડો.આંબેડકરની ખંડિત થયેલી પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. એ પછી છેલ્લાં બે દિવસથી ચાલતાં દલિત-બહુજન સમાજના ધરણાં પર સમાપ્ત થયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિકોએ આ મામલે જણાવ્યું હતું કે, પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, પરંતુ હજુ ત્રણ આરોપીની ધરપકડ કરવાની બાકી છે. આ આરોપીઓની પોલીસે જલ્દીથી જલ્દી ધરપકડ કરવી જોઇએ. પોલીસ પોઇન્ટ અને સીસીટીવી કેમેરા મુકવાની પણ અમારી માગ છે, જેને જલ્દીથી પૂર્ણ કરવામાં આવે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબાસાહેબની પ્રતિમા પાસે પોલીસ પોઈન્ટ અને CCTV લગાવવા માગ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે રીતે દેશભરમાં સુનિયોજિત રીતે ડો.આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી રહી છે તે જોતા ખોખરામાં સ્થાપિત નવી પ્રતિમા પાસે સીસીટીવી કેમેરા અને પોલીસ પોઈન્ટ મૂકવાની સ્થાનિકોએ માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે, ડો. બાબાસાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જેથી આંદોલન આજે પૂર્ણ કર્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676bb5ed556d5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ હજી ત્રણ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે, તેમની વહેલીતકે ધરપકડ થવી જોઈએ. સાથે જ બાબાસાહેબની પ્રતિમા પાસે સીસીટીવી કેમેરા લગાવવા અને પોલીસ પોઇન્ટ મૂકવા જોઈએ જેથી આવી ઘટના ફરી ન બને. જે રીતે દેશભરમાં બંધારણના ઘડવૈયાની પ્રતિમાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, તે જોતા પોલીસે આટલું તો કરવું જ જોઈએ, જેથી તોફાની તત્વોની કારી ફાવે નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમિત શાહના નિવેદન બાદ દેશભરમાં દલિતોમાં આક્રોશ હતો ત્યારે રવિવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ ખોખરામાં જયંતિ વકીલની ચાલી બહાર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થરો મારીને તોડી નાખી હતી. જેની જાણ થતાં સ્થાનિકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં અને ખંડિત પ્રતિમા પાસે ધરણાં પર બેસી ગયા હતા. દલિત સંગઠનોએ જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરી તેમનું સરઘસ કાઢવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાં પર બેસી રહેવાની જાહેરાત કરી હતી. ગઈકાલે સાંજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મૂર્તિ ખંડિત કરનાર બે આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવી પ્રતિમાનું અનાવરણ કરાતા ધરણાં સમાપ્ત કરાયા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લેતા સ્થાનિકોએ આજે સવારે ધરણાં પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. જયંતિ વકીલની ચાલીની બહાર જે પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી તેને દૂર કરીને ત્યાં નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આજે સવારે સ્થાનિકો અને દલિત આગેવાનોએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને ધરણાં પૂર્ણ કર્યા હતા. ખોખરા પોલીસે આજે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમનું સરઘસ કાઢીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. એ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. એ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓએ જૂની અદાવતનો બદલો લેવા માટે બાબાસાહેબની પ્રતિમાને ટાર્ગેટ કરી હોવાનું જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/those-who-vandalized-dr-ambedkars-statue-in-khokhara-were-arrested">ખોખરામાં ડૉ.આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા ઝડપાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 13:12:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1760</Articleid>
                    <excerpt>અમદાવાદના ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનાર આરોપીઓને પોલીસે જાહેરમાં ફેરવી માફી મગાવી હતી. જ્યારે ખંડિત પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમાનું અનાવરણ કરાયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676bb62bcde29.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676bb62b9b72f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676bb62b9b72f.jpg" length="112565" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Khokhra ambedkars statue, Ahmedabad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>VHP ના ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં બૌદ્ધ ભંતે હાજરી આપી સંકલ્પ લેવડાવ્યા</title>
                    <link>https://khabarantar.com/vhp-trishul-initiation-program-buddhist-monks-attended-and-exchanged-vows</link>
                    <guid>https://khabarantar.com/vhp-trishul-initiation-program-buddhist-monks-attended-and-exchanged-vows</guid>
                    <description>
                        <![CDATA[ વિશ્વ હિંદુ પરિષદ દિલ્હીમાં ચૂંટણી દરમિયાન 200 કાર્યક્રમ યોજી 50,000 ત્રિશૂળ વહેંચશે. અત્યાર સુધીમાં 8 હજારથી વધુ ત્રિશૂળ વહેંચવામાં આવ્યા છે. બૌદ્ધ ભંતેએ શપથ લેવડાવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની રાજધાની દિલ્હીમાં એકબાજુ સત્તાધારી આપને હરાવવા કોંગ્રેસ અને ભાજપ સહિતના વિપક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન 50 હજાર ત્રિશૂળના વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સાતથી આઠ હજાર ત્રિશૂળનું વિતરણ કરવામાં આવ્યું છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા 50 હજારથી વધુ ત્રિશુલનું વિતરણ કરવાનો લક્ષ્યાંક છે. જોકે, VHPનું કહેવું છે કે તેને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. વિહિપના આ કાર્યક્રમની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 15મી ડિસેમ્બરે યોજાયેલા તેના પહેલા સમારોહમાં એક બૌદ્ધ ભંતેએ હાજરી આપી હતી અને તેમણે ઉપસ્થિત સૌ ત્રિશૂળ દીક્ષાર્થીઓને હિંદુ ધર્મને બચાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હીની ચૂંટણી પહેલા જ ત્રિશૂળ દીક્ષાનો કાર્યક્રમ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તારીખોની સત્તાવાર જાહેરાત જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે અને ફેબ્રુઆરીના મધ્યમાં મતદાન થઈ શકે છે. એ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના આ ત્રિશૂળ વિતરણની ઝુંબેશ 15મી ડિસેમ્બરે પહાડગંજમાં પ્રથમ સમારોહ યોજીને શરૂ કરવામાં આવી હતી. આગામી મોટો સમારોહ 19 જાન્યુઆરી, 2025 ના રોજ યોજાનાર છે. કોઈપણ વ્યક્તિ આ કાર્યક્રમોમાં આવીને ત્રિશુલ લઈ શકે છે. VHP સામાન્ય જનતાને વ્હોટ્સએપ દ્વારા આમંત્રિત કરી રહ્યું છે - 'તમે બધા તમારા નામ નોંધાવો અને શસ્ત્ર ધારણ કરો'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રિશૂળ દીક્ષા એટલે બજરંગ દળમાં ભરતીનો કાર્યક્રમ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક રીતે આ VHPની યુવા પાંખ બજરંગ દળમાં ભરતીનો કાર્યક્રમ પણ છે. વિશ્વ હિંદુ પરિષદના પ્રાંત મંત્રી સુરેન્દ્ર ગુપ્તા કહે છે, 'જેઓ પહેલેથી જ સંગઠનમાં છે, તેમણે તો (ત્રિશૂલ) ધારણ કરવાનું જ હોય છે. જેઓ સંસ્થામાં નથી અને જોડાવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તેમને સંસ્થામાં સામેલ કરવામાં આવે છે. ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ બજરંગ દળની શરૂઆતથી થઈ રહ્યો છે. દિલ્હીમાં પણ સમયાંતરે આવું બન્યું છે. આ કાર્યક્રમ પાંચ-દસ વર્ષમાં એકવાર આ રીતે થાય છે. કારણ કે જે પેઢીને આપણે તે પહેલા ત્રિશુલ આપ્યું હતું તેમની પાસેથી તો તે હજુ પણ હોય જ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676ba6de1add6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેન્દ્ર ગુપ્તા આગળ કહે છે, "જો અમે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવું કરી રહ્યા હોત, તો લોકસભાની ચૂંટણી થઈ ત્યારે અમે આવું કેમ ન કર્યું? તે પહેલા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેમ ન કર્યું? વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ હિંદુ સમાજની રક્ષા માટે જે સંકલ્પ લે છે તે ચૂંટણીના આધારે લેવામાં આવતો નથી.' જો કે, પહાડગંજના કાર્યક્રમમાં એ જ મુદ્દાની ગૂંજ ઉઠી હતી, જેને ભાજપ ચૂંટણીનો મુદ્દો બનાવી રહી છે - બાંગ્લાદેશી ઘૂસણખોરોનો."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર હાજર રહ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમારોહમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહેલા VHPના કેન્દ્રીય સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, "લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાની પહેલથી દિલ્હી પહેલું રાજ્ય બન્યું છે જેણે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઓળખી કાઢ્યા છે અને તેમને ભારતમાંથી હાંકી કાઢવાના પ્રયાસો શરૂ કરી દીધાં છે. પરંતુ અમને શંકા છે કે લેફ્ટનન્ટ ગવર્નરની આ પ્રશંસનીય પહેલ અને સૂચનાઓનું તેમના વહીવટી અધિકારીઓ ગંભીરતાથી પાલન કરશે કે કેમ. બજરંગ દળના સેંકડો કાર્યકરો ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરવા અને તેમને બહાર કાઢવા માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને વહીવટીતંત્રને સહકાર આપવા તૈયાર છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૈને તે દિવસે કહ્યું હતું કે સંભલની હિંસા 'સુયોજિત ષડયંત્રનો ભાગ' હતી. જેહાદી તત્વો હિંદુઓના ધાર્મિક યાત્રાધામો પર હુમલા કરે છે અને સ્થાપિત મંદિરોનો કાયદેસર રીતે સર્વે કરવામાં આવે તો પણ સાંપ્રદાયિક ઉન્માદ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવે છે. હવે બજરંગ દળના કાર્યકરો આવા હુમલાઓનો જવાબ આપવા માટે તૈયાર થયા છે,'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રિશુલ દીક્ષાનો હેતુ શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">VHP શસ્ત્ર વિતરણનો આ કાર્યક્રમ કેમ ચલાવે છે? આના જવાબમાં સુરેન્દ્ર ગુપ્તા કહે છે, "આપણા તમામ દેવી-દેવતાઓના હાથમાં શસ્ત્રો છે. અમે વિજયાદશમીના દિવસે શસ્ત્રોની પૂજા પણ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે દરેક હિંદુએ ભગવાન મહાકાલના આશીર્વાદના પ્રતીક તરીકે ત્રિશુલ ધારણ કરવું જોઈએ."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676ba6f2957ef.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">15 ડિસેમ્બરના કાર્યક્રમમાં હિન્દુત્વવાદી ટીવી ચેનલ સુદર્શન ન્યૂઝ સાથે વાત કરતા VHPના દિલ્હી પ્રદેશ પ્રમુખ કપિલ ખન્નાએ કહ્યું હતું કે, "અમે દિલ્હીમાં વિધર્મીઓના કુચક્રને સમાપ્ત કરી દઈશું. અમે દિલ્હીમાં વિધર્મીઓ દ્વારા ફેલાવવામાં આવતી લવ જેહાદ, લેન્ડ જેહાદ જેવી તમામ બદીઓનો અંત લાવવાનો સંકલ્પ કર્યો છે. અમે ગાયોની રક્ષાની પણ પ્રતિજ્ઞા લીધી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બૌદ્ધ ભંતેએ શસ્ત્ર વિતરણ કાર્યક્રમમાં સંકલ્પ લેવડાવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમની સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, વિશ્વ હિંદુ પરિષદના પહાડગંજમાં યોજાયેલા શસ્ત્ર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંકલ્પ લેવડાવવાનું કામ એક બૌદ્ધ ધર્મી રાહુલ સંઘપ્રિયા ભારતીએ કર્યું હતું. આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના સંગઠનો સાથે ઘરોબો ધરાવતા રાહુલ સંઘપ્રિયા ભારતી ભાજપના તમામ મોટા નેતાઓ સાથે પણ જોવા મળે છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેઓ સતત તેનો પ્રચાર કરતા પોસ્ટરો, ફોટા શેર કરતા રહે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌ જાણે છે કે બૌદ્ધ ધર્મની મુખ્ય દીક્ષા જ અહિંસા અને કરૂણાની હોય છે. આ જ કારણોસર ડો.આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. પણ ભંતે રાહુલ બૌદ્ધે તે ઉપદેશને ભૂલી જઈને વિહિપના ત્રિશૂળ કાર્યક્રમમાં હાજરી આપી ઉપસ્થિત લોકોને સંકલ્પ લેવડાવ્યા હતા. જે જોઈને બહુમતી બૌદ્ધ ધર્મીઓને મોટો આંચકો લાગ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/now-to-indulge-the-dalits-the-vishwa-hindu-parishad-will-go-and-eat-at-their-homes">હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 12:08:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1759</Articleid>
                    <excerpt>વિશ્વ હિંદુ પરિષદ દિલ્હીમાં ચૂંટણી દરમિયાન 200 કાર્યક્રમ યોજી 50,000 ત્રિશૂળ વહેંચશે. અત્યાર સુધીમાં 8 હજારથી વધુ ત્રિશૂળ વહેંચવામાં આવ્યા છે. બૌદ્ધ ભંતેએ શપથ લેવડાવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676ba6c74e368.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ba6c71a140.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ba6c71a140.jpg" length="85219" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>vhp trishul initiation program, Hindu Rashtra, buddhist monks</media:keywords>
                </item>
                        <item>
                    <title>ક્રિસમસ ઉજવતા શિક્ષકોને VHP નેતાઓએ ધમકી આપતા ધરપકડ કરાઈ</title>
                    <link>https://khabarantar.com/christmas-celebrating-in-palakkad-kerala-vhp-leaders-arrested-for-threatening-teachers</link>
                    <guid>https://khabarantar.com/christmas-celebrating-in-palakkad-kerala-vhp-leaders-arrested-for-threatening-teachers</guid>
                    <description>
                        <![CDATA[ વિશ્વ હિંદુ પરિષદના નેતાઓએ ક્રિસમસની ઉજવણી કરતા શિક્ષકોને ધમકાવીને કહ્યું, તમે કૃષ્ણ જન્માષ્ટની ઉજવણી કેમ નથી કરતા? પોલીસે જેલમાં ધકેલી દીધાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તહેવારોને આરએસએસ અને તેની સાથે જોડાયેલી કથિત સંસ્થાઓએ એટલા દૂષિત કરી મૂક્યા છે કે દર વખતે ચોક્કસ તહેવાર આવતા અમુક પ્રકારની ઘટનાઓ સતત બનવા માંડે છે. ઈદ, ક્રિસમસ, વેલેન્ટાઈન ડે, 14મી એપ્રિલ સહિતના તહેવારોમાં બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અને સંઘ સાથે જોડાયેલી કથિત સંસ્થાઓના કાર્યકરો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના દાદાગીરી કરવા નીકળી પડે છે. સરકારની મહેરબાનીથી પોલીસ તેમને છાવરતી હોવાથી આવા લોકો વધુ છાકટા થઈ જાય છે અને નિર્દોષ લોકો પર કારણ વિના ધોંસ જમાવવા પ્રયત્ન કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખ્રિસ્તીઓનો તહેવાર નાતાલ આજે દેશ અને દુનિયાભરમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે ત્યારે વિશ્વગુરુ ભારતમાં તેનાથી ઉલટી ગંગા વહી રહી છે. અહીં ક્રિસમસ પર હર્ષોલ્લાસને બદલે ધાકધમકી અને દાદાગીરીની ઘટના ઘટે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના કે કેરળના પલક્કડમાં બની છે. 20મી ડિસેમ્બરે અહીંની એક શાળામાં ક્રિસમસની ઉજવણી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના ત્રણ નેતાઓએ શિક્ષકોને કથિત રીતે ધમકાવ્યા હતા અને સાન્તાક્લોઝના કોસ્ચ્યુમ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ શિક્ષકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં ધકેલી દીધાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ ધરપકડ કરાયેલા લોકોમાં વીએચપીના પલક્કડ જિલ્લા સચિવ કે. અનિલ કુમાર, જિલ્લા સંયોજક સુસાસનન અને નલેપિલ્લી પંચાયતના પ્રમુખ કે. વેલાયુદનનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે શનિવારે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધાં હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે (20 ડિસેમ્બર) પલક્કડની નલેપિલ્લી સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સેમેસ્ટરની પરીક્ષાઓ પુરી થયા પછી નાતાલની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે વિશ્વ હિંદુ પરિષદના આ ત્રણ લોકો શાળામાં પ્રવેશ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપીઓ ધર્મના આધારે અલગ-અલગ સમાજો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાના ઈરાદાથી સ્કૂલમાં ઘૂસ્યા હતા. આ લોકોએ શાળાના મુખ્ય શિક્ષક જયંતિ અને અન્ય શિક્ષકોની પૂછપરછ કરી અને તેમની સામે કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કર્યો. તેમણે શિક્ષકોને પૂછ્યું કે ક્રિસમસને બદલે કૃષ્ણ જન્માષ્ટમી શા માટે ઉજવવામાં આવતી નથી. તેમણે એની પર પણ સવાલ ઉઠાવ્યો કે, શિક્ષકો શા માટે સાન્તાક્લોઝના પોશાક પહેરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">FIRમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 'આરોપીઓએ વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો અને શિક્ષકોને તેમની ફરજ નિભાવતા અટકાવ્યા.' પોલીસે જણાવ્યું કે આરોપી VHP નેતાઓ વિરુદ્ધ BNS કલમ 329 (3), 296 (B) અને 351 (2) અને 132 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાળાના પીટીએ પ્રમુખ કે. મુરલીધરને કહ્યું કે કેરળની કોઈપણ શાળામાં આવી ઘટના ન બનવી જોઈએ. અમે આશા રાખીએ છીએ કે કોઈપણ શાળામાં આ પ્રકારનો આ પહેલો અને છેલ્લો વિરોધ હશે.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/tribal-teacher-killed-by-four-men-after-elbowing-him-in-hotel">હોટલમાં આદિવાસી શિક્ષકની કોણી અડી જતા ચાર શખ્સોએ હત્યા કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 10:08:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1757</Articleid>
                    <excerpt>વિશ્વ હિંદુ પરિષદના નેતાઓએ ક્રિસમસની ઉજવણી કરતા શિક્ષકોને ધમકાવીને કહ્યું, તમે કૃષ્ણ જન્માષ્ટની ઉજવણી કેમ નથી કરતા? પોલીસે જેલમાં ધકેલી દીધાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676b888a82a10.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676b888a519e0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676b888a519e0.jpg" length="67554" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>christmas 2024, christmas celebrating, vhp leaders, palakkad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચોખાની ચોરીના બહાને દલિતને ઝાડ સાથે બાંધી ઢોર માર મારતા મોત</title>
                    <link>https://khabarantar.com/chhattisgarh-dalit-tied-to-tree-beaten-to-death-on-pretext-of-rice-theft</link>
                    <guid>https://khabarantar.com/chhattisgarh-dalit-tied-to-tree-beaten-to-death-on-pretext-of-rice-theft</guid>
                    <description>
                        <![CDATA[ પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી. માનવ અધિકાર કાર્યકરોએ મોબ લિંચિંગની કલમ હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છત્તીસગઢ (Chhattisgarh)ના રાયગઢ જિલ્લામાં એક દલિત વ્યક્તિની કથિત રીતે ચોખાની ચોરીના બહાને મારી મારીને હત્યા કરી દેવામાં આવી(Dalit man beaten to death). આ કેસમાં 3 શંકાસ્પદોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. માનવાધિકાર કાર્યકરોનો દાવો છે કે આ મોબ લિંચિંગનો મામલો છે. જ્યારે પોલીસનું કહેવું છે કે આ કેસ ભારતીય ન્યાયિક સંહિતા (BNS)ની કલમ 103 (2) એટલે કે મોબ લિંચિંગ હેઠળના ગુનાનો નથી. પોલીસે અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ કરવાની વાત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના રાયગઢ જિલ્લાના ડુમરપુર ગામમાં 22-23 ડિસેમ્બરની રાત્રે બની હતી. આ ગામ પાટનગર રાયપુરથી લગભગ 250 કિલોમીટરના અંતરે આવેલું છે. 50 વર્ષીય વીરેન્દ્ર સિદાર (મુખ્ય શંકાસ્પદ) એ પોલીસને જણાવ્યું કે તે કોઈ અવાજને કારણે જાગી ગયો. ત્યારે તેણે જોયું કે પંચરામ સારથી ઉર્ફે બુટુ તેના ઘરમાં ઘુસી ગયો હતો અને ચોખાની બોરી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એટલે તેણે પાડોશી અજય પ્રધાન (42) અને અશોક પ્રધાન (44)ને બોલાવ્યા. ત્યારબાદ ત્રણેયે મળીને પંચરામને ઝાડ સાથે બાંધી દીધા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-beat-the-sarpanch-saying-if-he-appears-in-the-panchayat-his-limbs-will-not-be-healed">'પંચાયતમાં દેખાયો તો હાથપગ સાજા નહીં રહે' કહી દલિત સરપંચને માર્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોલીસ સૂત્રોનું કહેવું છે કે ગામના સરપંચે 23 ડિસેમ્બરના રોજ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પીડિત પંચરામ સારથી (ચોરીનો આરોપી) બેભાન અવસ્થામાં પડેલો હતો અને ઝાડ સાથે બાંધેલો હતો. પોલીસે જણાવ્યું કે તેને વાંસના દંડા વડે માર મારવામાં આવ્યો હતો અને લાત-મુક્કા પણ મારવામાં આવ્યા હતા. ત્રણેય શકમંદો સામે BNS (હત્યા)ની કલમ 103(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરી છે. પરંતુ આ મામલે વિરોધ પણ થઈ રહ્યો છે. માનવાધિકાર કાર્યકરોએ BNSની કલમ 103(2) એટલે કે મોબ લિંચિંગ હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. રાયગઢ જિલ્લાના વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા ડિગ્રી પ્રસાદ ચૌહાણે આરોપ લગાવ્યો છે કે ગામલોકોએ ટોળું બનીને મૃતક પંચરામ સારથીને ચોરીના આરોપમાં પકડ્યો, તેને દોરડા વડે થાંભલા સાથે બાંધી દીધો અને મારી-મારીને તેની હત્યા કરી નાખી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા સાથે વાત કરતા ડિગ્રીપ્રસાદે કહ્યું કે, "તેના પર હુમલો કરવા પાછળનું કારણ શું હતું તેનાથી કોઈ ફરક પડતો નથી. આરોપીઓ કેવી રીતે કાયદો પોતાના હાથમાં લઈ શકે? આ મોબ લિંચિંગનો મામલો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, BNS ની કલમ 103(2) જણાવે છે - જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓનું જૂથ નસ્લ, જાતિ અથવા સમાજ, લિંગ, જન્મ સ્થળ, ભાષા, વ્યક્તિગત માન્યતા અથવા અન્ય સમાન આધારે હત્યા કરે છે, તો આવા જૂથના દરેક સભ્યને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા થશે અને દંડ પણ ભરવો પડશે. બીજી તરફ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ કેસ BNSની કલમ 103(2)ના માપદંડોને પૂર્ણ કરતો નથી. જોવાનું એ રહે છે કે, આખા મામલામાં મૃતક દલિત પંચરામ સારથીને ન્યાય મળે છે કે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dalit-teenager-killed-by-police-electrocution-and-hanging-upside-down"><span style="font-size: 12pt;"> </span>દલિત કિશોરને પોલીસે વીજ કરંટ આપી ઉંધો લટકાવીને મારતા મોત?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 08:56:12 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 25 Dec 2024 08:56:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1756</Articleid>
                    <excerpt>પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી. માનવ અધિકાર કાર્યકરોએ મોબ લિંચિંગની કલમ હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676b759bf1fc5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676b759bbb82e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676b759bbb82e.jpg" length="103859" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>chhattisgarh  News, Dalit crime, beaten to death, rice theft</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખોખરામાં ડૉ.આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા ઝડપાયા</title>
                    <link>https://khabarantar.com/those-who-vandalized-dr-ambedkars-statue-in-khokhara-were-arrested</link>
                    <guid>https://khabarantar.com/those-who-vandalized-dr-ambedkars-statue-in-khokhara-were-arrested</guid>
                    <description>
                        <![CDATA[ નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં આરોપીઓએ પ્રતિમા ખંડિત કરી હતી. હજુ ત્રણ આરોપીઓ વોન્ટેડ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી નુકસાન પહોંચાડવાના મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. પોલીસે ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર આરોપીને ઝડપી પાડયા છે. આ આરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું કે તેમની સામે અગાઉ પણ 2 રાયોટિંગના ગુનાઓ નોંધાયેલા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે. આરોપીને પકડવા 500થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસાયા હતા અને 200થી વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જુદી-જુદી 20 ટીમ ગુનાના ડિટેક્શનમાં લાગી છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર શકમંદની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. 22મી ડિસેમ્બરની મધરાતે 3.30 વાગ્યે બે એક્ટિવા પર ચાર શખસો આવ્યા હતા અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી હતી. આરોપી ભોલા અને મેહુલે પ્રતિમાને પથ્થર મારીને ખંડિત કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં પ્રતિમા તોડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓએ આ પ્રતિમા નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં તોડી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની નજીક નાડીયા સમાજના લોકો રહે છે. બાબાસાહેબ સમાજનું પ્રતીક હોવાથી પ્રતિમા તોડી હતી. આરોપીઓ ફરતા ફરતા ખોખરા પહોંચ્યા હતા અને ત્યાં પ્રતિમા તોડી હતી. આરોપીએ નશો કર્યો હતો કે કેમ તે રિપોર્ટ કરાવવામાં આવશે. આ સાથે આરોપીઓને કોઈએ ઉશ્કેર્યા હતા કે કેમ તે અંગે પણ તપાસ થશે. આરોપીઓની બબાલ અગાઉ ઈદગાહ વિસ્તારમાં થઇ હતી અને મૂર્તિ ખંડિત ખોખરામાં કરી હતી. વર્ષ 2018માં દિવાલને લઈ ક્રોસ રાયોટિંગ ગુનો નોંધાયો હતો. અગાઉની અદાવતમાં આ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આરોપીઓને પકડવા 20 ટીમ કામ કરતી હતી. વોન્ટેડ 3 આરોપી મોબાઇલ બંધ કરી ભાગી ગયા છે. આરોપીઓ ઈદગાહ જુગલદાસની ચાલીમાં રહે છે. ત્રણ આરોપી મુકેશ ઠાકોર,ચેતન ઠાકોર અને જયેશ ઠાકોર હજી વોન્ટેડ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ–કોંગ્રેસના નેતાઓની પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખોખરાની ઘટનાને લઈ ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને AMC વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તમામે તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ થાય તે માટે કમિશનરને રજૂઆત કરી હતી. આ સાથે ભાજપના સાંસદ દિનેશ મકવાણા, શહેર પ્રમુખ અમિત શાહ સહિતના ધારાસભ્યોએ બાબાસાહેબની પ્રતિમા પુનઃ સ્થાપવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. સાથે બન્ને પક્ષોએ આરોપીઓને પકડી પાડીને સજા કરવાની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-khokhara-ahmedabad"><span style="font-size: 12pt;"> </span>ખોખરામાં તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 21:00:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1755</Articleid>
                    <excerpt>નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં આરોપીઓએ પ્રતિમા ખંડિત કરી હતી. હજુ ત્રણ આરોપીઓ વોન્ટેડ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676ad2e7764e5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ad2e743ce3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ad2e743ce3.jpg" length="123168" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Khokhra mbedkars statue, Ahmedabad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઈસ્કોન મંદિરે નિવૃત્ત આર્મીમેનની દીકરીને શિષ્ય સાથે ભગાડી ગોંધી રાખી</title>
                    <link>https://khabarantar.com/iskon-temple-keeps-retired-armymans-daughter-with-disciple-after-he-is-chased-away</link>
                    <guid>https://khabarantar.com/iskon-temple-keeps-retired-armymans-daughter-with-disciple-after-he-is-chased-away</guid>
                    <description>
                        <![CDATA[ ઈસ્કોન મંદિરના સ્વામીઓએ દીકરીનું બ્રેઈનવોશ કર્યાનો આરોપ. પિતાએ દીકરીને શોધી કાઢવા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈસ્કોન મંદિર અને તેના સ્વામીઓ પર આંધળો વિશ્વાસ કરીને પોતાના સંતાનો તેમને હવાલે કરી દેતા વાલીઓ માટે ફરી એકવાર આંખ ખોલનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા એક નિવૃત્ત આર્મીમેને હાઈકોર્ટમાં એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હેબિયસ કૉર્પસ પિટિશન દાખલ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમની યુવાન દીકરીને ઈસ્કોન મંદિરના સ્વામીઓ દ્વારા બ્રેઈનવોશ કરીને ગોંધી રાખવામાં આવી છે. દીકરી દેખાવડી અને હોંશિયાર હોવાથી ઈસ્કોન મંદિરના સ્વામીઓએ તેનું બ્રેઈનવોશ કરીને પરિવારથી દૂર કરી દીધી હોવાનો પણ પિતાએ આરોપ મૂક્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આર્મીમેન પિતાનું કહેવું છે કે, તેમને બે દીકરા અને એક પુખ્ત વયની દીકરી છે. દીકરીને ભક્તિભાવમાં રસ હોવાથી તે અમદાવાદના એસ.જી.હાઇવે સ્થિત ઇસ્કોન મંદિરમાં જતી હતી. જ્યાં સુંદરમામા પ્રભુ નામના સ્વામીના સંપર્કમાં આવતા તેમને ગુરૂ માનતી હતી. સુંદરમામા તેને કૃષ્ણલીલાનો બોધ આપતા હતા. ઇસ્કોન મંદિર પર વિશ્વાસ હોવાથી તેઓ દીકરીને ત્યાં જવા દેતા હતા. પરંતુ, ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે યુવાન દીકરીઓનું બ્રેઇન વોશ કરવામાં આવે છે. ત્યાંના સ્વામીઓ પોતે કૃષ્ણ છે એવો આડંબર કરે છે અને ઇસ્કોનમાં રહેતી 600 દીકરીઓ ગોપી હોય તેમ દીકરીઓને જણાવે છે. ગુરુના મહત્વને માતા-પિતા કરતા ચઢિયાતું જણાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીકરીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સુંદરમામાએ દીકરી સુંદર અને હોંશિયાર હોવાથી તેને ઇસ્કોન મંદિરમાં રાખવાની છે તેમ જણાવી તેને પોતાના શિષ્ય સાથે પરણાવી દો તેમ કહ્યું હતું. પરંતુ અરજદાર પોતે રાજપુરોહિત જાતિના હોવાથી અન્ય જાતિમાં પરણાવવા ના પાડી હતી. ત્યારબાદ તેમને ધમકીઓ મળવા લાગી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિવૃત્ત આર્મીમેન પિતાએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એ પછી તેમની દીકરીને ભડકાવીને 23 તોલા સોનું અને 3.62 લાખ રૂપિયા રોકડા લઈને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દેવામાં આવી છે. હાલ તેમની દીકરી ઉતર પ્રદેશના મથુરા ખાતે જ રહે છે, એવી તેમની પાસે માહિતી છે. રાજસ્થાનના એક ઇસ્કોનવાસીએ અરજદારને જણાવ્યું હતું કે, તેની દીકરીને એરપોર્ટ ઉપર મૂકવા પણ ગયા હતા. આ ધર્મ અને ઈશ્વરનું અપમાન છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજદારની દીકરી જૂન મહિનાના અંતમાં ભાગી ગઈ હતી. જુલાઈ મહિનામાં પોલીસ કમિશનર, કાયદા મંત્રી અને ગૃહ મંત્રીને અરજી આપવામાં આવી હતી. અગાઉના વકીલે હેબિયસ કૉર્પસની જગ્યાએ ફરિયાદના નિર્દેશ માંગતી અરજી કરી હતી પરંતુ, પુત્રીને ગેરકાનૂની રીતે ગોંધી રાખવામાં આવી છે. હાઈકોર્ટ આ સંદર્ભે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં રાખી છે. આ ઘટનાએ ફરી એકવાર ઈસ્કોન મંદિરની પ્રવૃત્તિઓને ઉઘાડી પાડી દીધી છે. જો કે, ભક્તિના નશામાં ચૂર બની ગયેલા લોકો આ બાબતમાંથી કોઈ બોધપાઠ લે તેવી શક્યતા ઓછી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/swami-used-to-look-at-other-girls-besides-me-with-dirty-eyes">સ્વામી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 19:55:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1754</Articleid>
                    <excerpt>ઈસ્કોન મંદિરના સ્વામીઓએ દીકરીનું બ્રેઈનવોશ કર્યાનો આરોપ. પિતાએ દીકરીને શોધી કાઢવા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676ac385305c0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ac384f022f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ac384f022f.jpg" length="121868" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>iskon temple, Gujarat highcourt, allege brainwashing, Ahmedabad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકર ફેશન નહીં અમારું પૅશન છે, આણંદમાં BSP કાર્યકરોનો હુંકાર</title>
                    <link>https://khabarantar.com/bsp-submitted-a-petition-to-the-anand-collector-in-protest-against-amit-shah</link>
                    <guid>https://khabarantar.com/bsp-submitted-a-petition-to-the-anand-collector-in-protest-against-amit-shah</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સમાજ પાર્ટી અને નવસર્જન ટ્રસ્ટના કાર્યકરોએ અમિત શાહના નિવેદનના વિરોધમાં આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન ડૉ.બાબાસાહેબ આંબેડકર ઉપર કરેલા નિવેદનને લઈને સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આજે બહુજન સમાજ પાર્ટી દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને આણંદમાં અમિત શાહના નિવેદનના વિરોધમાં બહુજન સમાજ પાર્ટી અને નવસર્જન ટ્રસ્ટ આણંદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ભારતીય બંધારણના 75 માં વર્ષ નિમિત્તે તારીખ 17 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને દ્વારા ભારતીય બંધારણ બાબતે ચર્ચા કરવામાં આવી રહી હતી. એ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 91 મિનિટનું ભાષણ કરવામાં આવ્યું હતું. આ ભાષણની શરૂઆતમાં બીજા રાજનેતાઓને શાબ્દિક માનસન્માનથી યાદ કરવામાં આવ્યા હતાં. પરંતુ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું નહોતું. એટલું જ નહીં, લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આંબેડકરને એક ફેશન ગણાવી આટલું નામ ભગવાનનું લેવામાં આવે તો સાત જનમ સુધી સ્વર્ગ મળે એવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જેથી દલિતો, આદિવાસીઓ, ગરીબોની લાગણી દુભાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, દલિતો પર અત્યાચાર, આભડછેટ, માથે મેલું ઉપાડવાની પ્રથા અને સ્ત્રી પર બળાત્કાર ડામવામાં તમારી નિષ્ફળતા, ધર્મનું ઝેર ફેલાવી દેશની અખંડિતતા ખેદાનમેદાન કરવાની તમારી નીતિ, દલિત-આદિવાસી માટે અનામત, ટોચ અને ગણોતધારાની જમીનોના અધિકારનો અમલ ન કરવાની તમારી દાનત, દલિત-આદિવાસીની વસ્તીના ધોરણે અંદાજપત્રમાં નાણાં ફાળવવાની નીતિને અભરાઈએ ચઢાવી દેવાના તમારા કાર્યક્રમોથી ભારતમાં દલિત-આદિવાસી-ગરીબ માટે તમે નર્ક ઊભું કર્યું છે. ભારતના બંધારણે અમને આઝાદી અધિકાર, સમાનતા અને સ્વમાન આપ્યા છે. માટે અમે ડૉ. આંબેડકરને આધુનિક ભારતના પિતા માનીએ છીએ. ‘જય ભીમ’ બોલવું અમારી 'ફેશન' નહીં પણ અમારો પેશન (PASSION) એટલે કે જુસ્સો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-khokhara-ahmedabad">ખોખરામાં તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 17:54:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1753</Articleid>
                    <excerpt>બહુજન સમાજ પાર્ટી અને નવસર્જન ટ્રસ્ટના કાર્યકરોએ અમિત શાહના નિવેદનના વિરોધમાં આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676aa753d8bf1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676aa753996fc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676aa753996fc.jpg" length="79686" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bsp, Anand News., Dr. Ambedkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમરેલીમાં BSP કાર્યકરોએ અમિત શાહના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું</title>
                    <link>https://khabarantar.com/amit-shah-protest-bsp-workers-amreli-submitted-a-petition-to-the-collector</link>
                    <guid>https://khabarantar.com/amit-shah-protest-bsp-workers-amreli-submitted-a-petition-to-the-collector</guid>
                    <description>
                        <![CDATA[ બીએસપીના અમરેલીના કાર્યકરોએ શાહના નિવેદનને વખોડી કાઢી તેમની માફી અને રાજીનામાની માંગ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં કરેલા ડો.આંબેડકર અંગેના નિવેદનને લઈને આજે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે અમરેલીમાં બીએસપીના કાર્યકરો સાથે બહુજન સમાજના પ્રબુદ્ધ નાગરિકો, જાગૃત લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર સુપરત કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદન પત્ર આપતી વખતે બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો નરેશ વાળા, વિક્રમ મકવાણા, સુરેશભાઈ વાળા, ધીરુભાઈ ખીટોલિયા, કિશન વાળા, જીગ્નેશ સોલંકી, દિનેશભાઈ પરમાર, નાનજીભાઈ પરમાર, ભરત કાતરિયા, કમલેશ હેલૈયા, રાહુલ વાળા, કિસન આર વાળા, સુનીલ વાળા, અજય ખુમાણ, શૈલેષ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676a839b04bd3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ માંગ કરી હતી કે, અમિત શાહ દ્વારા ડો.આંબેડકર અંગે જે નિવેદન કરવામાં આવ્યું છે તેનાથી બહુજન સમાજના લોકોની લાગણીને ભારે ઠેસ પહોંચી છે. તેમણે માફી માંગવી જોઈએ અને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ડો.આંબેડકરે આધુનિક ભારતના નિર્માણમાં મોટું યોગદાન આપેલું છે. તેમના બંધારણ થકી દેશના તમામ જાતિ, ધર્મના ગરીબ, તવંગર સૌ લોકો એક તાંતણે બંધાયેલા છે. બંધારણનું નિર્માણ કરીને તેમણે સમાનતા, ન્યાય અને બંધુતાની ભાવનાને સ્થાપિત કરીને કથિત ભગવાન કરતા પણ મોટું કામ કર્યું છે, જે સાત જન્મો નહીં પણ યુગો પછી પણ યાદ રખાશે. દેશમાં તેમના આ મહાન કાર્યને કારણે સામાન્ય માણસને અનેક અધિકારો પ્રાપ્ત થયા છે. ગૃહમંત્રી અમિત શાહે જે નિવેદન કર્યું છે તેનાથી સમગ્ર દેશમાં ડો.આંબેડકરને માનતા સર્વ સમાજના લોકોમાં રોષ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amit-shah-protest-against-petition-with-bloody-thumb-submitted-in-mehsana-1750">અમિત શાહના વિરોધમાં મહેસાણામાં લોહીના અંગૂઠા સાથે આવેદનપત્ર અપાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 15:20:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1752</Articleid>
                    <excerpt>બીએસપીના અમરેલીના કાર્યકરોએ શાહના નિવેદનને વખોડી કાઢી તેમની માફી અને રાજીનામાની માંગ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676a839bb052f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a839b7acf5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a839b7acf5.jpg" length="142862" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr. Ambedkar insult, amit shah, BSP amreli, submitted petition, collector</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહિલા અધિકાર મંચે અમિત શાહના વિરોધમાં હજારો પોસ્ટકાર્ડ લખ્યાં</title>
                    <link>https://khabarantar.com/amit-shah-protest-against-in-gujarat-mahila-adhikar-manch-writes-thousands-of-postcards</link>
                    <guid>https://khabarantar.com/amit-shah-protest-against-in-gujarat-mahila-adhikar-manch-writes-thousands-of-postcards</guid>
                    <description>
                        <![CDATA[ અમિત શાહે ડો.આંબેડકરના વિરોધમાં કરેલા નિવેદનને લઈને મહિલા અધિકાર મંચની હજારો બહેનોએ ગૃહ મંત્રાલયની ઓફિસને પોસ્ટ કાર્ડ અભિયાન ચલાવ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો બાબાસાહેબ આંબેડકરના કરવામાં આવેલ અપમાનના વિરોધમાં અમદાવાદની અજીત મિલ પોસ્ટ ઓફિસે પોસ્ટ કાર્ડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જો કે કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે સરકારના ઇશારે આ કાર્યક્રમને સ્થળેપોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જેના કારણે રખિયાલ સત્યમ ફ્લેટ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજની બહેનોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676a7041336db.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમને ગુજરાત મહિલા અધિકાર મંચની લડાયક બહેનોએ સફળ બનાવ્યો હતો. આ પોસ્ટકાર્ડ અભિયાનને સફળ બનાવવામાં મહિલા અધિકાર મંચની કન્વિનરના ધર્મિષ્ઠાબેન, જયાબેન અને પદમાબેન આગેવાની સંભાળી હતી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676a70409d226.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલા અધિકાર મંચ દ્વારા અમદાવાદ ઉપરાંત સંતરામપુર-મહીસાગરમાં પણ પોસ્ટકાર્ડ અભિયાન ચલાવાયું હતું. આ સિવાય રૂદરડી-ઈડર-સાબરકાંઠા ખાતે મહીલા અધિકાર મંચની ટીમના રેણુકાબેન અને કોકીલાબેન દ્વારા બહેનોને સાથે રાખી પોસ્ટકાર્ડ લખાયા હતા. આ સિવાય પણ અનેક બહેનોને પોસ્ટ કાર્ડ લખીને સમગ્ર અભિયાનને સફળ બનાવ્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676a704016dbd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર ડો. મિતાલી સમોવા છેલ્લાં ઘણાં સમયથી બહુજન સમાજની મહિલાઓ અને તેમના હકો માટે સતત કાર્યરત છે. તેમની જહેમતને કારણે આ કાર્યક્રમને ધારી સફળતા મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/if-you-have-the-strength-fight-the-likes-of-prajwal-revanna-not-the-feminists">તાકાત હોય તો પ્રજ્વલ રેવન્ના જેવા સામે લડો, ફેમિનિસ્ટો સામે નહીંઃ ડૉ. મિતાલી સમોવા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 13:58:22 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 24 Dec 2024 13:59:44 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1751</Articleid>
                    <excerpt>અમિત શાહે ડો.આંબેડકરના વિરોધમાં કરેલા નિવેદનને લઈને મહિલા અધિકાર મંચની હજારો બહેનોએ ગૃહ મંત્રાલયની ઓફિસને પોસ્ટ કાર્ડ અભિયાન ચલાવ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676a7041e271c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a7041b32ba.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a7041b32ba.jpg" length="105771" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amit Shah, protest, Mahila Adhikar Manch, Gujarat, writes thousands of postcards</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમિત શાહના વિરોધમાં મહેસાણામાં લોહીના અંગૂઠા સાથે આવેદનપત્ર અપાયું</title>
                    <link>https://khabarantar.com/amit-shah-protest-against-petition-with-bloody-thumb-submitted-in-mehsana-1750</link>
                    <guid>https://khabarantar.com/amit-shah-protest-against-petition-with-bloody-thumb-submitted-in-mehsana-1750</guid>
                    <description>
                        <![CDATA[ અમિત શાહનું રાજીનામું લઈ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે જંગી વિરોધ પ્રદર્શન સાથે એફઆઈઆર દાખલ કરવા માંગ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">protest against Amit Shah in Mehsana : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભમાં ડો.બાબા સાહેબ આંબેડકરના સંદર્ભે કરાયેલી અભદ્ર નિવેદનને લઈને સમગ્ર ભારત જ નહીં, વિદેશોમાં વસતા આંબેડકરવાદીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. બહુજન સમાજ શાહના નિવેદનને લઈને તેઓ તાત્કાલિક માફી માગે તેવો આગ્રહ સેવાઈ રહ્યો છે. આ મામલે દેશના અલગ અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે અને બહુજન સમાજ અમિત શાહની માફી અને રાજીનામાની માંગણી કરી રહ્યો છે ત્યારે ગઈકાલે મહેસાણામાં પણ જંગી રેલી સાથે બહુજન સમાજે અમિત શાહ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપી તત્કાલિક તેમનું રાજીનામુ લઈને તેમની વિરુદ્ધમાં એફ.આઈ.આર.દાખલ કરવા માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમિત શાહના નિવેદનનો ભારે વિરોધ</span></strong></span><br><span style="font-size: 14pt;">મહેસાણા જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા આ મામલે લોહીના અંગૂઠા સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, "તારીખ 17/12/2024 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડો.બાબા સાહેબ આંબેડકરને લઈને  આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી. ગુજરાતમાં હત્યાના આરોપી બનેલા તથા 3 મહિના કરતા વધુ સમય જેલની હવા ખાઈ ચૂકેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપલાગૃહમાં ડો.બાબા સાહેબ આંબેડકરને લઈને જણાવેલ છે કે, "આજ એક ફેશન હો ગયા હૈ આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર..અરે ઇતના નામ ભગવાન કા લેતે તો સાત જન્મો તક સ્વર્ગ મિલ જાતા" અમિત શાહ પોતે અગાઉ હત્યાના આરોપી રહી ચૂકેલા છે અને તડીપાર થયેલા છે. તેમણે જેલમાંથી બહાર નીકળવા માટે ભગવાનનું નામ નહોતું લીધું પણ બાબાસાહેબે બનાવેલ બંધારણથી બનેલાં કાયદાનો ઉપયોગ કરેલો. અમિત શાહ અને તેમના સમર્થકો કાયમ વીર સાવરકરનું નામ બોલતા રહે છે, પરંતુ તેમને ક્યારેય ભગવાનનું નામ લેવાનું કહેવાતું નથી, અને આંબેડકરનું નામ લે તો એ ફેશન છે? ડો.આંબેડકર ફેશન નહીં નેશન હૈ યે બાત કેન્દ્રીય ગૃહમંત્રી કો શાયદ પતા હી નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amit-shahs-statement-against-dr-ambedkar-is-now-being-opposed-abroad-too">અમિત શાહે ડૉ.આંબેડકર સામે કરેલા નિવેદનનો હવે વિદેશોમાં પણ વિરોધ</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676a59621cdca.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડો.આંબેડકરના યોગદાનને યાદ કરવામાં આવ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">લોહીના અંગૂઠા સાથે અપાયેલા આવેદનપત્રમાં વધુમાં કહેવાયું છે કે, "અમો ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના દલિતો અમિત શાહની આ અભદ્ર હરકતને આકરા શબ્દોમાં વખોડીયે છીએ અને તેઓની ઘોર નિંદા કરીયે છીએ. અમિત શાહે દલિત સમાજની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ડો.બાબાસાહેબ આંબેડકરે જ્યારે બંધારણ ઘડ્યું નહોતું ત્યારે દેશની હાલત શું હતી એ અમિત શાહને ખબર છે? બંધારણ પહેલા દેશમાં મહિલાની સ્થિતિ નર્કની ગર્તા  સમાન હતી. આ દેશમાં ધર્મના નામે કેટલીય દીકરીઓ ને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી, દેવદાસી બનાવમાં આવતી હતી. અનેક કુરિવાજોમાંથી મહિલાઓ પસાર થઈ છે. આ દેશની મહિલાઓને સમાનતાનો અધિકાર ડો.બાબાસાહેબ આંબેડકરે આપ્યો છે. શિક્ષણનો અધિકાર, પિતાની સંપત્તિમાં અધિકાર, પતિની સંપત્તિમાં અધિકાર ડો. બાબા સાહેબે આપ્યો છે. મનગમતા પાત્ર સાથે લગ્નનો અધિકાર ડો.બાબા સાહેબે આપ્યો છે. નોકરીઓમાં તકની સમાનતા, મેટરનીટી લિવ સહિતની સુવિધાના દૂરંદેશી ડો.બાબાસાહેબ આંબેડકર હતા. મહિલાઓ ઉપર જ્યારે ચારે બાજુ સિતમ હતો ત્યારે કોઈ ભગવાન તેઓની વ્હારે આવ્યા નથી, પરંતુ ડો.બાબા સાહેબ આંબેડકરના કારણે જ દેશના નાગરિકોને પોતાના હક અને અધિકાર મળેલા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/mayawati-upset-over-amit-shahs-statement-on-dr-ambedkar">ડૉ.આંબેડકર પર અમિત શાહના નિવેદન પર માયાવતી નારાજ, જાણો શું કહ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમિત શાહનું રાજીનામું લઈ, એફઆઈઆર દાખલ કરવા માંગ</span></strong></span><br><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં આગળ કહેવાયું છે કે, "ભારતની મહિલાઓના, દલિતોના આદિવાસીઓના ભગવાન ડો.બાબાસાહેબ આંબેડકર છે, તેથી અમે તમારી નીચ અને હલકી તેમજ ઉતરતી વિચારધારાનો આક્રોશપૂર્ણ વિરોધ કરીયે છે. સાથે લોહીયુક્ત આવેદન આપી માંગ કરીયે છે કે રાજ્યસભા મા આપ બે હાથ જોડી માફી માંગી રાજીનામું આપો અને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મૂર્મ અને રાજ્યસભાના અધ્યક્ષ (ઉપરાષ્ટ્રપતિ) જગદીપ ધનખડને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમિત શાહનું રાજીનામુ માંગી તેઓની ઉપર સમાજમાં વર્ગવિગ્રહ ફેલાવવા, દલિતો અને બહુજનોની લાગણી દુભાવવા, વિશ્વ વંદનીય ડો.બાબા સાહેબ આંબેડકર વિશે આપત્તિજનક નિવેદન કરવા બદલ તેઓની સામે એફ.આઈ.આર.કરવાની માંગ કરીયે છીએ. સાથોસાથ 17 ડિસેમ્બરને ભારતનો આપત્તીજનક દિવસ તરીકે જાહેર કરવા માંગ કરીયે છીએ."</span><br><span style="font-size: 14pt;">આવેદનપત્ર આપવા માટે મહેસાણા શહેર, જિલ્લા અને તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બહુજન સમાજના આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો અને સામાન્ય માણસો જોડાયા હતા જેઓ ડો.આંબેડકરને પ્રેમ અને આદર આપે છે. આ ઘટનાની સમગ્ર જિલ્લામાં નોંધ લેવાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-khokhara-ahmedabad">ખોખરામાં તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 12:23:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1750</Articleid>
                    <excerpt>અમિત શાહનું રાજીનામું લઈ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે જંગી વિરોધ પ્રદર્શન સાથે એફઆઈઆર દાખલ કરવા માંગ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676a59619f3e8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a596162b3a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a596162b3a.jpg" length="122241" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amit Shah, protest against, Petition with bloody thumb, Mehsana, Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;અમારા ભાઈઓ દુર્યોધન થઈને આવ્યા&amp;apos;, સતાધારના મહંતના ભાઈ</title>
                    <link>https://khabarantar.com/satadhar-controversy-mahant-vijay-bapu-adultery-and-corruption-allegations-case-update</link>
                    <guid>https://khabarantar.com/satadhar-controversy-mahant-vijay-bapu-adultery-and-corruption-allegations-case-update</guid>
                    <description>
                        <![CDATA[ સતાધારના મહંત વિજય બાપુ પર તેમના સગા મોટાભાઈએ વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે ત્રીજા ભાઈએ મોટું નિવેદન આપ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના વિસાવદર નજીક આવેલા સતાધાર ધામના મહંત વિજય બાપુ પર તેના સગાભાઈ નીતિન ચાવડા દ્વારા વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. જેને જગ્યાના મહંત વિજય બાપુએ પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતા. હવે આ મામલે મહંતના બીજા ભાઈએ નિવેદન આપ્યું છે અને આરોપ લગાડનાર ભાઈની સરખામણી દુર્યોધન સાથે કરી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સતાધારના મહંત વિજયબાપુના ભાઈ રમણીકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, અમે છ ભાઈઓ છીએ, બે મારાથી મોટા અને ત્રણ મારાથી નાના અને બે બહેનો. અમે મજૂરી કરીએ છીએ, અમે વિજય બાપુને ભણાવ્યાં છે, જે જેના લલાટમાં હોય તે ન ભુસાય. અમને તેમના પર ગર્વ છે. પણ બધાં સરખા ન હોય, એક બે જ્યારે આવા નીકળે તો તેની પાછળ બધાંએ સોસાવું પડે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમણીકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, નિતીન ભાઈએ વિજય બાપુ પર જે આક્ષેપો કર્યા છે તે વ્યાજબી નથી. આવું ક્યારેય વ્યાજબી ન હોય. તેને ક્યાં તકલીફ છે? શું તકલીફ છે? કોની તકલીફ છે? તે જાણવું જોઈએ. તે અમને પણ ત્યાં રહેવા દેતો નથી. આ બે ભાઈઓ નાનજી મોહન અને નીતિન મોહન, નરાધમ દુર્યોધન થઈને આવ્યાં છે. અથવા શિશુપાલ હોય. નહિતર અમારી દશા આવી ન હોય. એ નથી સમજતો, મેં બે વર્ષથી તેને ફોન કરવાનુ પણ બંધ કરી દીધુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહંત વિજય બાપુ પર સગા ભાઈ નીતિન ચાવડાના ગંભીર આક્ષેપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સતાધારની જગ્યાના મહંત પર સગા ભાઈ દ્વારા જ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યાં છે. સતાધાર મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. મહંતના સગાભાઈ નીતિન ચાવડાએ સતાધારમાં જ રહેતી મહિલા ગીતા વ્યાસ અને વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. ગીતા વ્યાસે વિજય બાપુને બ્લેકમેલ કરી સતાધારના કરોડો રૂપિયા પડાવી લીધા હોવાના પણ આક્ષેપ કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વ્યભિચાર-ભ્રષ્ટાચારની તરફેણમાં સાધુ-સંતો આવ્યા?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિસાવદર નજીક આવેલા સતાધાર ધામના મહંત વિજય બાપુ પર તેના સગાભાઈ દ્વારા વ્યભિચાર અને ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. સામાન્ય રીતે આ પ્રકારની મેટરથી સંસાર છોડી ચૂકેલા સાધુ-સંતો દૂર રહેતા હોય છે. પરંતુ અહીંથી તો જેમના પર આરોપ લાગ્યા છે તે મહંતના બચાવમાં સાધુ-સંતો આવ્યા છે. ગિરનાર છાયા મંડળના સાધુ સંતો દ્વારા વિજય બાપુ સાથે બેઠક યોજી ગુજરાત ભરના સાધુ સંતોએ વિજય બાપુના સમર્થનમાં આવવા અપીલ કરી હતી. અને સૌ સતાધાર ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના ઉપાધ્યક્ષ પણ હાજર રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિવાદ સનામત ધર્મને બદનામ કરવાનું કાવતરુંઃ ગુરુવંદ સનાતન ધર્મ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુરુવંદ સનાતન ધર્મના અધ્યક્ષ ડી જી વણઝારાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સનાતન ધર્મના અને તમામ સંપ્રદાયના સાધુ-સંતો અને આગેવાનો સતાધારમાં ઉપસ્થિત થયા છીએ. અહીં આવનાર સાધુ-સંતોનો ઉદ્દેશ્ય માત્ર એટલો હતો કે, સતાધાર મામલે જે વિવાદ ઊભો થયો છે તેનો યોગ્ય ઉકેલ આવે. આ વિવાદ સનાતન ધર્મને અને સતાધાર સમાધિ સ્થાનને બદનામ કરવાનો પ્રયાસ છે. વિજયદાસ બાપુની બદનક્ષી કરવા માટે આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે અને તેમાં કોઈપણ પ્રકારના આધાર પુરાવા નથી. આજે જે સાધુ-સંતો અહીં ઉપસ્થિત રહ્યા તે તમામે વિજય બાપુને પોતાનો ટેકો અને સમર્થન એક મતે જાહેર કર્યો છે. સૌ ઈચ્છે છે કે આ મામલે વહેલી તકે સુખદ સમાધાન આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિજય બાપુ પરના વ્યક્તિગત આરોપોને ધર્મનું અપમાન ગણાવાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાધુ સંતો પણ હવે રાજકારણીઓને શરમાવે તેવું રાજકારણ રમવા લાગ્યા છે. સતાધારની જગ્યામાં મહંત પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના આરોપોની સરકારી રાહે પોલીસ તપાસ કરાવવાને બદલે કહેવાતા સાધુ-સંતો તપાસ વિના જ મહંતને ક્લિન ચીટ આપી રહ્યાં છે અને તેને સનાતનનું અપમાન ગણાવી આખા મામલાનો વીંટો વાળી દેવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડવાળા રામજી મંદિર ઝાંખના મહંત ગણેશદાસ બાપુએ જણાવ્યું હતું કે, આજે તમામ સાધુ સંતો સનાતન સત્યની ધરોહર સમા સતાધાર ખાતે આવ્યાં હતા. સતાધારની જગ્યા પર જે આક્ષેપ કરવામાં આવ્યાં છે. સાધુઓ અને સનાતનીઓનું દિલ દુભાય છે. ત્યારે વિજયદાસ બાપુ સાથેના સાધુ-સંતોને ખૂબ ભાવ છે. સતાધારમાં વિજય બાપુ દ્વારા રાત દિવસ સેવા કરવામાં આવે છે. ત્યારે વિજય બાપુ પર જે આક્ષેપો કરવામાં આવ્યાં છે જેને લઈ આજે સમગ્ર ગુજરાતભરના સાધુ સંતો અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં આવ્યાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાધુ સંતોએ વિજય બાપુને આશ્વાસન આપ્યું છે કે, સત્ય એ સત્ય છે અને સતાધાર એ સત્યના પાયા પર રચાયેલુ છે. સતાધાર જેવો રોટલો અને ઓટલો કોઈએ કોઈને આપ્યા નથી. આવી આ પરંપરાની જગ્યા પર જ્યારે આક્ષેપો થઈ રહ્યા હોય તે ખૂબ જ દુ:ખની વાત છે. આક્ષેપોને લઈ આજે સતાધાર ખાતે સાધુ સંતોએ વિજય બાપુ સાથે બેઠક યોજી હતી. વિજય બાપુને આશ્વાસન આપ્યું છે કે, સૌ સાધુ સંતો તમારી સાથે છે. વિજય બાપુ પર કરાયેલા આક્ષેપોમાં જો તથ્યો જણાશે તો તેનો પણ નિકાલ કરાશે અને તેનો પણ રસ્તો થશે. તેમજ સમાધાન ફોર્મ્યુલામાં તમામ સાધુ સંતો વિજય બાપુને સાથ સહકાર આપી આ વિવાદનો ઉકેલ લાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામજી બાપુએ જણાવ્યું હતું કે, ગુજરાત ભરના સાધુ-સંતો સતાધારના વિવાદ મુદ્દે ચિંતિત હતા. ત્યારે ગુજરાત ભરના સાધુ-સંતો સતાધાર વિજય બાપુની શુભેચ્છા મુલાકાત અને સત્યને જાણવા સતાધાર પહોંચ્યા હતા. સૌ સાધુ સંતોએ વિજય બાપુ સાથે મુલાકાત કરી હતી. થોડા જ સમયમાં વિવાદ મામલે જે સત્ય હશે તે બહાર આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/mahant-vijay-bapu-of-satadhars-aapagiga-mandir-accused-of-adultery-and-corruption-by-his-brother-nitin-chavda">સતાધારની આપા ગીગા જગ્યાના મહંતે પ્રેમલગ્ન કરી લીધાં? ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 11:02:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1748</Articleid>
                    <excerpt>સતાધારના મહંત વિજય બાપુ પર તેમના સગા મોટાભાઈએ વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે ત્રીજા ભાઈએ મોટું નિવેદન આપ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676a465b21c7d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a465ae66d8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a465ae66d8.jpg" length="77827" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>satadhar controversy, mahant vijay bapu, Junagadh News</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિનોદ કાંબલીની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા</title>
                    <link>https://khabarantar.com/vinod-kamblis-health-deteriorates-he-was-immediately-admitted-to-the-hospital</link>
                    <guid>https://khabarantar.com/vinod-kamblis-health-deteriorates-he-was-immediately-admitted-to-the-hospital</guid>
                    <description>
                        <![CDATA[ વિનોદ કાંબલી છેલ્લાં 10 વર્ષ કરતા વધુ સમયથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સામે લડી રહ્યાં છે. હવે શારીરિક સાથે તેમની આર્થિક સ્થિતિ પણ કથળી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીમ ઈન્ડિયા એક સમયના સ્ટાર ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી છે. તેમને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. જોકે, જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમની હાલત ખૂબ જ ખરાબ હોવાનું કહેવાયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાંબલીને શનિવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તબીબોએ તેમને કડક નિરીક્ષણ હેઠળ રાખ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લાંબા સમયથી આરોગ્ય સમસ્યાનો સામનો કરી રહ્યાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિનોદ કાંબલી છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ તેમની આર્થિક સ્થિતિ પણ સારી નથી. કાંબલીએ કબૂલ્યું હતું કે તેની આર્થિક સ્થિતિ ખરાબ છે. આરોગ્યની સમસ્યાઓનો સામનો કરી રહેલા કાંબલીની આવકનો એકમાત્ર સ્ત્રોત તેમનું BCCI નું પેન્શન છે, જે દર મહિને રૂ. 30,000 છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676959d77880e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે પોતે 2022માં આ વાતનો ખુલાસો કર્યો હતો. કાંબલી તેમના બે બાળકોની સંભાળ રાખવા માટે 15મી વખત રિહેબમાં જવા માટે પણ તૈયાર હતા. તેઓ 14 વખત રિહેબ સેન્ટરમાં જઈ ચૂક્યા છે પરંતુ તે પછી કોઈ સુધારો થયો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2013માં બે વાર હાર્ટ એટેક આવ્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દારૂની લતને કારણે વિનોદ કાંબલીની તબિયત લથડી હતી. કાંબલીએ આ વર્ષની શરૂઆતમાં એક ઈન્ટરવ્યૂમાં કેટલાક ખુલાસા કર્યા હતા. 2013 માં તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા. તે ગંભીર ચેપથી પણ પીડિત હતા. કાંબલીએ કહ્યું, 'મને બે હાર્ટ એટેક આવ્યા હતા. મારી પત્ની મને લીલાવતી હોસ્પિટલમાં લઈ ગઈ અને પછી સચિને મારી મદદ કરી. તેણે 2013 માં મારી બે સર્જરીના રૂપિયા પણ ચૂકવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગયા અઠવાડિયે કાંબલીનો વીડિયો વાયરલ થયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંબલી થોડા અઠવાડિયા પહેલા ફરી ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમના કોચ રમાકાંત આચરેકરના સ્મારકના અનાવરણ દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ બોલવા માટે પણ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. તેમની બોલચાલ પરથી તેમના નબળા સ્વાસ્થ્ય વિશે અનેક અટકળો ચાલી હતી. એ વિડિયો સામે આવ્યાના 48 કલાકથી પણ ઓછા સમયમાં 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ કાંબલીની મદદ કરવા આગળ આવી હતી. ગાવસ્કરથી લઈને કપિલ દેવ સુધીના ક્રિકેટરોએ કાંબલીને મદદની ઓફર કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્તમાન પરિસ્થિતિ વિશે કાંબલીએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે કાંબલીને ઈન્ટરવ્યુમાં તેની વર્તમાન નાણાકીય સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, 'તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.' કાંબલીએ વિકી લાલવાનીની યુટ્યૂબ ચેનલ પર કહ્યું, 'પણ મારી પત્નીએ જે રીતે બધું સંભાળ્યું છે એ માટે તેને સલામ. કાંબલીએ કહ્યું હતું કે, મને રિહેબ સેન્ટરમાં જવા માટે કોઈ ખચકાટ નથી, જ્યાં સુધી મારી સાથે મારો પરિવાર છે ત્યાં સુધી હું કોઈ પણ બાબતથી ડરતો નથી. હું તેને પૂર્ણ કરીશ અને પાછો આવીશ.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અતિશય દારૂ પીવાને કારણે તબિયત બગડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંબલીએ એ પણ કબૂલ્યું હતું કે વધુ પડતાં દારૂના સેવનથી તેમને તકલીફ થઈ, પણ તેમણે એ પણ કહ્યું કે છેલ્લાં ઘણાં સમયથી તેમણે એક ટીપું પણ દારૂ પીધો નથી. કાંબલીના મિત્ર અને ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ અમ્પાયર માર્કસ કાઉટોએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67695a17c0fbc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંબલીએ કહ્યું, 'મેં છ મહિના પહેલા પીવાનું અને ધૂમ્રપાન કરવાનું બંધ કર્યું હતું. મારા બાળકો માટે આ કર્યું. હું અગાઉ આ બધું કરતો હતો, પરંતુ હવે મેં તેને છોડી દીધું છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેવી રહી છે કાંબલીની કારકિર્દી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિનોદ કાંબલી ક્રિકેટર કરિયર ટૂંકી છતાં ભલભલા ક્રિકેટરોને ઈર્ષા અપાવે તેવી રહી છે. તેમણે વર્ષ 1993 થી 2000 વચ્ચે ભારત માટે 17 ટેસ્ટ અને 104 વનડે રમી હતી. તે સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. આ એક એવો રેકોર્ડ છે જે આજે પણ કોઈ તોડી શક્યું નથી. 1991માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ ભારત માટે 104 ODI અને 17 ટેસ્ટ રમ્યા છતાં કાંબલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી એક દાયકા પણ ટકી શકી નહીં. કાંબલીએ 17 ટેસ્ટમાં 54.20ની એવરેજથી 1084 રન બનાવ્યા હતા. જેમાં ચાર સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે 104 વનડેમાં 32.59ની એવરેજથી 2477 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને 14 અડધી સદી સામેલ છે. આ સિવાય 129 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેણે 59.67ની એવરેજથી 9965 રન બનાવ્યા છે. જેમાં 35 સદી અને 44 અડધી સદી સામેલ છે. આ સિવાય કાંબલીએ 221 લિસ્ટ-એ મેચોમાં 41.24ની એવરેજથી 6476 રન બનાવ્યા છે. જેમાં 11 સદી અને 35 અડધી સદી સામેલ છે. આટલો શાનદાર ટ્રેક રેકોર્ડ ધરાવતા ખેલાડી સાથે તેની દલિત જાતિના કારણે અન્યાય થયાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થતી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-lord-of-cricket-is-nowhere-behind-vinod-kamblis-record">વિનોદ કાંબલીના રેકોર્ડ સામે 'ક્રિકેટના ભગવાન' ક્યાંય પાછળ છે!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Dec 2024 18:12:35 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 23 Dec 2024 18:19:12 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1747</Articleid>
                    <excerpt>વિનોદ કાંબલી છેલ્લાં 10 વર્ષ કરતા વધુ સમયથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સામે લડી રહ્યાં છે. હવે શારીરિક સાથે તેમની આર્થિક સ્થિતિ પણ કથળી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676959abf2766.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676959abbabbc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676959abbabbc.jpg" length="73015" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>vinod kambli, vinod kamblis health</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખોખરામાં તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખ્યું</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-khokhara-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-khokhara-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો ધરણાં પર બેઠાં. આરોપીઓને ઝડપી પાડી જાહેરમાં વરઘોડો કાઢવાની માંગ ઉઠી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">dr ambedkars statue, vandalized, khokhara, ahmedabad : ડો.આંબેડકરનો મુદ્દો હાલ દેશભરમાં છવાયેલો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર પર કરેલા વિવાદિત નિવેદન બાદ વિપક્ષો સહિત બહુજન સંગઠનો તેમનાથી નારાજ થઈને વિરોધ નોંધાવી રહ્યાં છે. આ વિવાદ વચ્ચે અમદાવાદના ખોખરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોઈ તોફાની તત્વોએ નુકસાન પહોંચાડતા મામલો બિચક્યો છે. ખોખરામાં કે.કા શાસ્ત્રી કોલેજની સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યા છે. ઘટનાની ગંભીરતા સમજી ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્થાનિક દલિતો ધરણાં પર બેસી ગયા</span></strong></span><br><span style="font-size: 14pt;">બહુજન મહાનાયકની પ્રતિમાને નુકસાન થયાની ખોખરાની ચાલીઓમાં રહેતા દલિત બહુજન સમાજને થતા તેઓ સ્થળ પર પહોંચીને રોડ ઉપર ધરણાં પર બેસી ગયા છે. લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બીજી તરફ અમરાઇવાડીના કોંગ્રેસના કોર્પોરેટરે ઘટનાસ્થળે પહોંચીને પ્રતિમાને નુકસાન પહોંચાડનાર અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવા માગ કરી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જયંતિ વકીલની ચાલીની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાની મળતી માહિતી મુજબ ખોખરામાં કે.કા.શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતી વકીલની ચાલી આવેલી છે. અહીં બહારના ભાગે ડો.આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આજે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે પ્રતિમાના નાકને કોઈ તોફાની તત્વોએ નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ખોખરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢોઃ કોંગી કોર્પોરેટર</span></strong></span><br><span style="font-size: 14pt;">અમરાઇવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે જણાવ્યું હતું કે, "ખોખરામાં જયંતી વકીલની ચાલી પાસે વહેલી સવારે કોઇ અસામાજિક તત્ત્વો દ્વારા ડો. બાબાસાહેબની મૂર્તિને ખંડિત કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. મારું એમ માનવું છે કે જે પ્રમાણે સંસદમાં ગૃહમંત્રી દ્વારા બાબાસાહેબ વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા અને તેમના વિરુદ્ધ ભારતમાં જે પ્રમાણે આંદોલન થઇ રહ્યાં છે તે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક હીન કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું દેખાઇ રહ્યું છે. અમારી માગ છે કે તાત્કાલિક પોલીસ ફરિયાદી બને, અને આવાં અસામાજિક તત્ત્વોની ધરપકડ કરવામાં આવે અને તેનો વરઘોડો કાઢવામાં આવે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને જે રીતે વિધર્મીઓના વરઘોડા કાઢવાના શોખ છે. તો એમને જો બાબાસાહેબના સંવિધાનને નજરમાં રાખીને શપથ લીધી હોય તો એ સાબિત કરી બતાવે કે અમે બાબાસાહેબના સંવિધાનને માનીએ છીએ."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67692de968c84.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ઉઠીએઃ સ્થાનિકો</span></strong></span><br><span style="font-size: 14pt;">બીજી સ્થાનિકોનું કહેવું છે કે, જ્યાં સુધી બાબાસાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ રસ્તા પરથી નહીં હટે. તેમણે ખંડિત પ્રતિમાની જગ્યાએ તાત્કાલિક નવી પ્રતિમા સ્થાપિત કરવાની પણ માંગ કરી છે. સમગ્ર મામલે ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોંગ્રેસ પોલીસ કમિશનરને મળી આવેદનપત્ર આપશે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું છે કે, બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરવાનો જે પ્રયાસ થયો છે, તેને લઈને અમે પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને આ કૃત્ય કરનાર તોફાની તત્વોને કડક સજા કરવાની માગ કરી છે. અમે માંગ કરી છે કે, બાબાસાહેબની ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. તેઓ દેશના સંવિધાનના પ્રણેતા છે, દેશવાસીઓની લાગણી જોડાયેલી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓને છોડવામાં નહીં આવેઃ ભાજપ ધારાસભ્ય</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાની જાણ થતા મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિકોને ખાતરી આપી હતી કે 24 કલાકમાં આરોપીઓ પકડાઈ જશે અને સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે. તેમણે કહ્યું હતું કે, રહીશોની માગ મુજબ પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે. તેમણે ખાતરી આપી હતી કે આ મામલે ઝડપથી કાર્યવાહી કરી આરોપીઓની 24 કલાકની અંદર ધરપકડ કરાશે. જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે કેટલા ઝડપી પગલા લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate">દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Dec 2024 14:38:14 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 23 Dec 2024 15:01:34 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1746</Articleid>
                    <excerpt>ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો ધરણાં પર બેઠાં. આરોપીઓને ઝડપી પાડી જાહેરમાં વરઘોડો કાઢવાની માંગ ઉઠી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6769286cb9f2a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6769286c86f8b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6769286c86f8b.jpg" length="47621" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkars statue, vandalized, khokhara, ahmedabad</media:keywords>
                </item>
                        <item>
                    <title>કુમાર વિશ્વાસનો મનુવાદી&amp;જાતિવાદી ચહેરો અંતે બેનકાબ થયો!</title>
                    <link>https://khabarantar.com/kumar-vishwas-statement-on-sonakshi-sinha-and-supriya-shrinets-response</link>
                    <guid>https://khabarantar.com/kumar-vishwas-statement-on-sonakshi-sinha-and-supriya-shrinets-response</guid>
                    <description>
                        <![CDATA[ કુમાર વિશ્વાસ શર્માએ કવિ સંમેલનમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને કરેલા નફરતી નિવેદને તેમનામાં પડેલા મનુવાદ-જાતિવાદને ઉજાગર કરી દીધો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના મેરઠમાં એક કવિ સંમેલન દરમિયાન કવિ કુમાર વિશ્વાસ શર્માએ અભિનેત્રી સોનાક્ષી સિન્હાના મુસ્લિમ અભિનેતા ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. આ નિવેદનથી કુમાર વિશ્વાસમાં પડેલો બ્રાહ્મણવાદી ઘમંડ અને જાતિવાદ પણ ઉછળીને બહાર આવી ગયો છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કુમાર વિશ્વાસ કહે છે કે, "તમારા બાળકોને સીતાની બહેનો અને રામના ભાઈઓના નામ યાદ કરાવો. તમારા બાળકોને રામાયણ સંભળાવો અને ગીતા વંચાવો, નહીંતર એવું પણ બની શકે કે તમારા ઘરનું નામ 'રામાયણ' હોય અને તમારા ઘરની શ્રીલક્ષ્મીને કોઈ બીજો ઉપાડીને લઈ જાય."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુમાર વિશ્વાસે આ નિવેદન અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને કર્યું છે. અભિનેતા અને રાજકારણી શત્રુધ્ન સિંહાના ઘરનું નામ 'રામાયણ' છે અને તેના પરિવારના લોકોના નામો પણ રામાયણના પાત્રોના નામ મુજબ છે. આથી કુમાર વિશ્વાસે સોનાક્ષીના લગ્ન પર નિશાન સાધ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુપ્રિયા શ્રીનેતે કુમાર વિશ્વાસને આપેલો જવાબ </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુમાર વિશ્વાસના આ નિવેદન મુદ્દે અનેક લોકોએ પ્રતિક્રિયા આપીને  તેમની ભારે ઝાટકણી કાઢી છે. આ બધામાં કોંગ્રેસી નેતા સુપ્રિયા શ્રીનેતે આપેલો જવાબ ભારે ચર્ચામાં આવ્યો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676919ec1b1dc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે, "જો તમારા પોતાના ઘરમાં એક દીકરી હોય તો શું તમે બીજા કોઈની દીકરી પર ભદ્દી કોમેન્ટ કરીને સસ્તી તાળીઓ ઉઘરાવશો? આ નિવેદન પરથી તમે કઈ હદે નિમ્ન સ્તર સુધી જઈ શકો છો તેનો અંદાજ આવે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">"છોકરી કોઈ સામાન નથી કે કોઈ ઉપાડી જાય"</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રિયાએ વધુમાં લખ્યું કે, "કુમાર વિશ્વાસ, તમે માત્ર સોનાક્ષી સિન્હાના આંતરધર્મી લગ્ન પર જ ભદ્દી મજાક નથી કરી, પરંતુ તમારી અંદર મહિલાઓને લઈને પડેલી અસલી વિચારસરણી પણ સામે આવી ગઈ છે. નહીંતર તમે 'તમારા ઘરની શ્રીલક્ષ્મીને કોઈ બીજું ઉપાડીને લઈ જશે' એવા શબ્દો ન બોલત. શું છોકરી કોઈ સામાન છે કે તેને કોઈ ગમે ત્યાં ઉપાડીને લઈ જશે? તમારા જેવા લોકો ક્યાં સુધી સ્ત્રીને પહેલા તેના પિતા અને પછી તેના પતિની મિલકત માનતા રહેશે?"</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">"કોણે કોની સાથે લગ્ન કરવા એ ધર્મના સ્વ-ઘોષિત ઠેકેદારો નક્કી કરશે?"</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રિયા શ્રીનેતે આગળ લખ્યું, "લગ્ન અને તેનો પાયો સમાનતા, પરસ્પર વિશ્વાસ અને પ્રેમ છે. કોઈ કોઈને ઉપાડીને ક્યાંય લઈ જતું નથી અને 2024ના ભારતમાં તમે પોતાની મરજીથી લગ્ન કરવાને તેના ઉછેર પર સવાલ ગણાવો છો!?? શું એક છોકરીને એ હક નથી કે જેની સાથે તેની ઈચ્છા હોય તેની સાથે લગ્ન કરે? અહીં કોણ શું ખાશે, શું પહેરશે, કોને પ્રેમ કરશે, કેવી રીતે લગ્ન કરશે એ પણ ધર્મના સ્વ-ઘોષિત ઠેકેદારો નક્કી કરશે?"</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોઈને તમારા પ્રમાણપત્રની જરૂર નથી - સુપ્રિયા શ્રીનેત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના નેતાએ કહ્યું, "આમ તો ઉછેરનો સવાલ તો ત્યારે પણ ઉઠવો જોઈએ જ્યારે તમારી સાથેના બાઉન્સરો એક જાણીતા ડોક્ટરને માર મારે છે, આ તો તમારી ખામી છે કે તમારો સ્ટાફ તમારી હાજરી હોવા છતાં આવું કરે છે. તમારા સર્ટિફિકેટની ન તો શત્રુધ્ન સિંહાને જરૂર છે, ન તેમની સફળ દીકરી સોનાક્ષીને. પરંતુ તમારાથી 17 વર્ષ નાની છોકરી પરનું તમારું નિવેદન ચોક્કસપણે તમારી નિમ્ન સ્તરની વિચારસરણીને છતી કરે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમારે પિતા અને પુત્રી બંનેની માફી માંગવી જોઈએ - કોંગ્રેસ નેતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રિયા શ્રીનેતે કહ્યું, "બીજાના બાળકોને રામાયણ અને ગીતા ભણવાની શિખામણ આપનારા કવિ મહોદય, સોનાક્ષીના પતિના ધર્મને નફરત કરવામાં તમે રામાયણમાં પ્રેમને કેટલી મધુરતાથી દર્શાવવામાં આવ્યો છે તે ભૂલી ગયો છો. જો તમે ખરેખર રામાયણનો અભ્યાસ કર્યો હોત, તો તમે ચોક્કસપણે પ્રેમને સમજી શક્યા હોત. બે મિનિટની સસ્તી તાળીઓ તો તમને ચોક્કસ મળશે પરંતુ તમારું કદ જમીનની અંદર વધુ ઉતરી ગયું. તમારે ભૂલનો અહેસાસ કરવો જોઈએ અને પિતા અને પુત્રી બંનેની માફી માંગવી જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-woman-works-as-a-laborer-and-makes-her-two-daughters-wrestlers">દલિત મહિલાએ મજૂરી કરી બે દીકરીઓને કુસ્તીબાજ બનાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Dec 2024 13:38:33 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 23 Dec 2024 13:43:31 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1745</Articleid>
                    <excerpt>કુમાર વિશ્વાસ શર્માએ કવિ સંમેલનમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને કરેલા નફરતી નિવેદને તેમનામાં પડેલા મનુવાદ-જાતિવાદને ઉજાગર કરી દીધો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676919aeb69ea.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676919ae69fb3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676919ae69fb3.jpg" length="85421" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kumar vishwas, sonakshi sinha, upriya shrinets, Shatrughan Sinha</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિ.ના NO.1 પ્રોફેસરને IIM માં જાતિવાદ નડ્યો</title>
                    <link>https://khabarantar.com/caste-discrimination-against-dalit-professor-gopal-das-of-iim-bangalore</link>
                    <guid>https://khabarantar.com/caste-discrimination-against-dalit-professor-gopal-das-of-iim-bangalore</guid>
                    <description>
                        <![CDATA[ દલિત પ્રોફેસર અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિમાં નંબર વન ફેકલ્ટી રહ્યાં છે, પણ IIM ના મનુવાદી ડીન અને અન્ય જાતિવાદી પ્રોફેસરો તેમની સાથે જાતિગત ભેદભાવ રાખે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખી આઈઆઈએમમાં તેમના જેટલો હોંથિયાર અન્ય કોઈ પ્રોફેસર નથી. તેમ છતાં તેમને સતત અપમાનજનક સ્થિતિમાં મૂકવામાં આવે છે. માત્ર પોતાની જાતિની ઓળખના કારણે ડીન અને પ્રોફેસરના પદ પર બેસી ગયેલા મનુવાદીઓ તેમને હેરાન કરવાની એક પણ તક ચૂકતા નથી. ડો.આંબેડકર સાથે પણ આવું જ વર્તન થતું હતું અને હવે તેમાં વધુ એક ઉમેરો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો આઈઆઈએમ બેંગ્લોરનો છે. અહીં અમેરિકાની વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વર્ષો સુધી ટોચના અધ્યાપક રહેલા એક દલિત પ્રોફેસરે નોકરી સ્વીકારી હતી. તેમને એમ હતું કે 75 વર્ષમાં ભારત ઘણું બદલાયું હશે. પરંતુ તેઓ ખોટા પડ્યાં. આજે તેમને કોલેજના જાતિવાદી ડીન અને તેમની ગેંગના અન્ય મનુવાદી પ્રોફેસરો સતત હેરાન કરી રહ્યાં છે. આ ગેંગે સામૂહિક ઈમેઈલ કરીને પ્રોફેસરની દલિત જાતિ જાહેર કરી દીધી હતી. જેના કારણે દલિત પ્રોફેસરને સતત અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તેમણે સમાજ કલ્યાણ વિભાગને ફરિયાદ કરતા ડીન સહિતના જાતિવાદીઓ પર ભીંસ વધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિરેક્ટોરેટ ઓફ સિવિલ રાઈટ્સ એન્ફોર્સમેન્ટ (DCRE) દ્વારા હાથ ધરવામાં આવેલી વિગતવાર તપાસમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) બેંગ્લોરમાં જાતિ આધારિત ભેદભાવના આરોપોની પુષ્ટિ થઈ છે. 26 નવેમ્બર, 2024 ના રોજ કર્ણાટક સમાજ કલ્યાણ વિભાગને સોંપવામાં આવેલી તપાસમાં આઈઆઈએમ બેંગ્લુરુના વહીવટીતંત્ર દ્વારા દલિત પ્રોફેસર ગોપાલ દાસ સાથે કરવામાં આવતી સારવાર અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ પ્રોફેસર દાસ 2018 માં IIM બેંગ્લોરમાં જોડાયા હતા અને તેઓ પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ ધરાવતા આદરણીય શિક્ષણવિદ છે. તેમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા સતત પાંચ વર્ષ સુધી ટોચના પ્રોફેસર તરીકે માન્યતા આપવામાં આવી છે. તેમની આટલી મોટી સિદ્ધિઓ છતાં, દાસનો આરોપ છે કે તેમને અન્ય ફેકલ્ટીઓ તરફથી ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. તેમને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓમાંથી બાકાત રાખી તકોથી વંચિત રાખવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દાસનો દાવો છે કે સામૂહિક ઈમેઈલ દ્વારા તેમની જાતિ જાહેર કરવામાં આવી, જેના કારણે તેમનું અપમાન થયું હતું. તેમણે વહીવટીતંત્ર પર વૈકલ્પિક અભ્યાસક્રમો અને પીએચડી કાર્યક્રમોમાંથી ખસી જવા દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે જાન્યુઆરી 2024માં સંસ્થાની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આરોપોની વિગતવાર માહિતી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડીન અને તેમની જાતિવાદી ગેંગના કરતૂતોનો પર્દાફાશ થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">DCRE તપાસમાં પુષ્ટિ થઈ છે કે IIM બેંગ્લોરના ડિરેક્ટર ડૉ. હૃષિકેશ ટી. કૃષ્ણન અને ડીન (ફેકલ્ટી) ડૉ. દિનેશ કુમારે ઇરાદાપૂર્વક સામૂહિક ઈમેલ દ્વારા દાસની જાતિ જાહેર કરી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે સંસ્થા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના સભ્યો માટે ફરિયાદ નિવારણ પદ્ધતિ બનાવવા માટે કાયદેસરની જરૂરિયાતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. તપાસ પછી, સમાજ કલ્યાણ કમિશનરે બેંગલુરુ પોલીસ કમિશનરને 9 ડિસેમ્બરના રોજ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે પોલીસ અને તંત્રની દાનત પર સવાલો ઉઠી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય દલિત અધિકાર આંદોલન (BANAE) ના કાર્યકર નાગસેન સોનારેએ અધિકારીઓને પગલાં લેવા વિનંતી કરી. સોનારેએ કહ્યું. "પોલીસે સમાજ કલ્યાણ વિભાગની સૂચના મુજબ FIR દાખલ કરવી જોઈએ. કાર્યવાહી ન કરવી ચિંતાજનક બાબત છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદીઓએ કોર્ટમાં સ્ટે માંગ્યો, પણ ન મળ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પણ ગયો છે. IIM બેંગ્લોરના બોર્ડના અધ્યક્ષ ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી સહિત તમામ આરોપીઓએ તપાસ પર સ્ટે લગાવવાની માંગ કરી હતી. પણ કોર્ટે મોટાભાગના આરોપીઓને રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. ડો.શેટ્ટીને કામચલાઉ રાહત મળી. છે, તેમજ એડવોકેટ જનરલ આ સ્ટે હટાવવા માટે કામ કરી રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપોના જવાબમાં, IIM બેંગ્લોરે એક અખબારી નિવેદન બહાર પાડીને જાતિ આધારિત ભેદભાવના દાવાઓને રદિયો આપ્યો હતો. સંસ્થાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના વર્તન અંગેની ફરિયાદોને કારણે પ્રોફેસર દાસની પ્રમોશનની અરજીમાં વિલંબ થયા બાદ આ આક્ષેપો પ્રકાશમાં આવ્યા હતા. IIMB એ પણ નોંધ્યું હતું કે ફરિયાદોની આંતરિક તપાસમાં વિદ્યાર્થીઓની ફરિયાદોમાં સામ્યતા જોવા મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIMBના પ્રવક્તાએ કહ્યું, “IIMB સર્વસમાવેશકતા, વિવિધતા અને સમાન તકો માટે પ્રતિબદ્ધ છે. અમે હંમેશા બંધારણીય મૂલ્યોનું સમર્થન કર્યું છે અને ભેદભાવમુક્ત વાતાવરણ જાળવી રાખ્યું છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/manuwadi-principal-harassing-dalit-professor-in-gandhinagar">ગાંધીનગરના દલિત અધ્યાપકને મનુવાદી પ્રિન્સિપાલ હેરાન કરી રહ્યાં છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Dec 2024 11:24:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1744</Articleid>
                    <excerpt>દલિત પ્રોફેસર અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિમાં નંબર વન ફેકલ્ટી રહ્યાં છે, પણ IIM ના મનુવાદી ડીન અને અન્ય જાતિવાદી પ્રોફેસરો તેમની સાથે જાતિગત ભેદભાવ રાખે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6768fa79a8d9e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6768fa79721c8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6768fa79721c8.jpg" length="108980" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>caste discrimination, iim bangalore, dalit professor gopal das</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકને પાર્ટી કરવાના બહાને ઘરેથી બોલાવ્યો, પછી હત્યા કરી નાખી</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-beaten-up-by-rowdy-people-in-deoria-karamajitpur-uttar-pradesh-youth-dies-during-treatment</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-beaten-up-by-rowdy-people-in-deoria-karamajitpur-uttar-pradesh-youth-dies-during-treatment</guid>
                    <description>
                        <![CDATA[ માથાભારે તત્વોએ પહેલેથી પ્લાન કરીને રાખ્યો હતો. દલિત યુવક સાથે પહેલા બોલાચાલી કરી અને પછી હુમલો કરી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશમાંથી વધુ એક દલિત અત્યાચારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દેવરિયા જિલ્લાના ગૌરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના કર્માજીતપુર ગામમાં માથાભારે તત્વોએ એક દલિત યુવકને માર માર્યો હતો. માર એટલો ગંભીર હતો કે યુવકે દવાખાનામાં સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો. પોલીસે પાંચ લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ ગત સોમવારે રાત્રે, દલિત યુવક સિન્ટુ નામના દલિત યુવકને માથાભારે તત્વોએ તેના ઘરથી લગભગ 200 મીટર દૂર એક પાર્ટી માટે બોલાવ્યા બાદ નિર્દયતાથી માર માર્યો હતો. જેના કારણે સિન્ટુનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે મૃતક યુવકની માતા શકુંતલા દેવીની ફરિયાદના આધારે પાંચ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસને આપવામાં આવેલી માહિતી અનુસાર, દલિત સમાજમાંથી આવતા ગિરીશ પ્રસાદના પુત્ર સિન્ટુને તેના કેટલાક મિત્રોએ ઘરથી લગભગ 300 મીટર દૂર એક જગ્યાએ પાર્ટી કરીએ છીએ તું આવ એમ કહીને તેને બહાર બોલાવ્યો હતો. સિન્ટુ ત્યાં ગયો એ પછી માથાભારે તત્વોએ જાણી જોઈને તેની સાથે બોલાચાલી કરવાનું શરૂ કરી દીધું હતું. મામલો ઉગ્ર બન્યા પછી તેમણે સિન્ટુ પર પ્લાનિંગ મુજબ હુમલો કરી દીધો હતો અને તેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા તેનો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો અને સિન્ટુને ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જ્યાં તેની તબિયતમાં સુધારો ન થતા તેના પરિવારના સભ્યો બુધવારે રાત્રે તેને લખનૌના SGPGI લઈ જઈ રહ્યા હતા. એ દરમિયાન રસ્તામાં જ તેનું મોત થયું હતું. પોલીસે પાંચ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તેમને કસ્ટડીમાં લીધા છે.આ કેસમાં પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે હત્યાનું કારણ જાણવાના પ્રયાસો ચાલુ છે. સાથે જ ઝઘડા શા માટે કર્યો, તે સુનિયોજિત કાવતરું હતું કે બીજું કંઈ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Casteist-elements-attack-Dalit-policemans-procession-in-Bulandshahr">દલિત વરરાજા પોલીસમાં, કન્યા BSFમાં, છતાં વરઘોડા પર મોટો હુમલો થયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Dec 2024 09:45:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1743</Articleid>
                    <excerpt>માથાભારે તત્વોએ પહેલેથી પ્લાન કરીને રાખ્યો હતો. દલિત યુવક સાથે પહેલા બોલાચાલી કરી અને પછી હુમલો કરી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6768e30acd54b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6768e30a95f75.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6768e30a95f75.jpg" length="84123" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit youth beaten up, Deoria, Karamajitpur, youth dies during treatment, SC ST act, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે ઉમેદવારો અને સામાન્ય લોકોને મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ નહીં મળે</title>
                    <link>https://khabarantar.com/now-candidates-and-the-general-public-will-not-get-cctv-footage-of-polling-stations</link>
                    <guid>https://khabarantar.com/now-candidates-and-the-general-public-will-not-get-cctv-footage-of-polling-stations</guid>
                    <description>
                        <![CDATA[ ચૂંટણી પંચે નિયમોમાં માત્ર એક લીટી ઉમેરી અને વર્ષોથી ચાલી આવતો નિયમ બદલાઈ ગયો. વિપક્ષો સમગ્ર મામલાને કોર્ટમાં પડકારશે. જાણો શું છે આ નિયમ અને તેનાથી શું ફરક પડશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. જે અંતર્ગત હવે મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ ઉમેદવારો અને સામાન્ય જનતાને નહીં મળી શકે. આ સુધારા પહેલા ચૂંટણીના આચાર નિયમોની કલમ ૯૩(૨) હેઠળ કોર્ટની પરવાનગી અંતર્ગત સામાન્ય લોકો માટે તમામ ચૂંટણી સંબંધિત કાગળો નિરીક્ષણ માટે ઉપલબ્ધ હતા. પણ ચૂંટણી પંચ દ્વારા હવે આ નિયમોમાં ફેરફાર કરી નાખ્યો છે. એ રીતે તેણે વધુ એક લોકશાહી વ્યવસ્થાનો દરવાજો લોકો માટે બંધ કરી દીધો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા પર તેની શુદ્ધતા અને પારદર્શિતાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. સામે પંચનું કહેવું છે કે મતદારોની પ્રાઈવસી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફેરફારો એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચૂંટણી પંચને હરિયાણા વિધાનસભા ચૂંટણી સંબંધિત દસ્તાવેજો એડવોકેટ મહેમૂદ પ્રાચાને આપવાનો નિર્દેશ આપ્યો હતો. એડવોકેટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેણે હરિયાણા ચૂંટણી દરમિયાન લીધેલા વિડીયોગ્રાફી, સીસીટીવી કેમેરા ફૂટેજ, ફોર્મ ૧૭-સી ભાગ ૧ અને ભાગ ૨ની નકલો માંગી હતી. અત્યાર સુધી નિયમો અને નિયમોમાં એક યાદી હતી, જે સક્ષમ કોર્ટની સૂચનાથી લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. પરંતુ ચૂંટણી પંચે તેમાં એક લીટીનો ઉમેરો કરીને આખી વ્યવસ્થાને સામાન્ય માણસ માટે બંધ કરી દીધી છે. જેમાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે પેપરોની યાદીમાં એવા દસ્તાવેજો કે ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્‌સ સામેલ નહીં હોય, જેનો નિયમોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે તેમની પાર્ટી આ ફેરફારોને કોર્ટમાં પડકારશે. તેમણે કહ્યું કે જો ચૂંટણી પંચે ચૂંટણીની અખંડિતતાને અસર કરવા માટે તાજેતરના સમયમાં કોઈ પગલું ભર્યું હોય તો તે આ છે. જો કે ચૂંટણી પંચના સૂત્રોએ આ ફેરફારોને યોગ્ય ઠેરવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સીસીટીવી ફૂટેજ કોઈને પણ ઉપલબ્ધ કરાવવાથી મામલો ગંભીર બની શકે છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને નક્સલ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આ સુરક્ષાનો મુદ્દો બની શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચૂંટણીના તમામ કાગળો અને દસ્તાવેજો સામાન્ય લોકોના નિરીક્ષણ માટે ઉપલબ્ધ છે. કોઈપણ સંજોગોમાં ઉમેદવારો તમામ પ્રકારના રેકોર્ડ વિશે જાણી શકે છે. અધિકારીએ કહ્યું કે પ્રાચા તેમના વિધાનસભા મતવિસ્તારના તમામ દસ્તાવેજો મેળવવા માટે પણ હકદાર છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર નિયમોમાં જે દસ્તાવેજો જાહેર જનતાને ઉપલબ્ધ ન કરાવવાનું કહેવામાં આવ્યું છે તે ઈલેક્ટ્રોનિક રેકોર્ડ છે. ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ કોઈ પણ વ્યક્તિ આઇએ દ્વારા તેની સાથે છેડછાડ કરી શકે છે. તેથી આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/considerations-when-voting">વોટ આપતી વેળાનું ચિંતન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Dec 2024 20:55:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1742</Articleid>
                    <excerpt>ચૂંટણી પંચે નિયમોમાં માત્ર એક લીટી ઉમેરી અને વર્ષોથી ચાલી આવતો નિયમ બદલાઈ ગયો. વિપક્ષો સમગ્ર મામલાને કોર્ટમાં પડકારશે. જાણો શું છે આ નિયમ અને તેનાથી શું ફરક પડશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67682eb2dbe9c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67682eb2a5d54.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67682eb2a5d54.jpg" length="109356" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Election Commission, cctv footage of polling stations, congress, modi govt</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્કોલરશીપ ફરી શરૂ કરો, નહીંતર આદિજાતિ કમિશનર કચેરીને તાળાં મારીશું...</title>
                    <link>https://khabarantar.com/chaitar-vasava-warns-gujarat-government-to-resume-pg-scholarship-for-tribal-students</link>
                    <guid>https://khabarantar.com/chaitar-vasava-warns-gujarat-government-to-resume-pg-scholarship-for-tribal-students</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી વિદ્યાર્થીઓની પીજી સ્કોલરશીપ ફરી શરૂ કરવા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને ખૂલ્લી ચેતવણી આપી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની ભાજપ સરકારે આદિજાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજયુએટ સ્કોલરશીપ રદ કરીને પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરી છે તેવો આરોપ આમ આદમી પાર્ટી-'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર રદ કરીને આદિજાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ ફરી શરૂ કરાય તો આગામી દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જેટલા સરકારી કાર્યક્રમો યોજાશે તેનો બહિષ્કાર કરાશે. એટલું જ નહીં, ચૈતર વસાવાએ આગામી દિવસોમાં આદિજાતિ વિકાસ કમિશનરની કચેરીને તાળાબંધી પણ કરવાની ચીમકી આપી છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ રદ્દ કરાઇ છે તે મામલે આમ આદમી પાર્ટી -'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર પ્રહાર કર્યા છે. અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં 'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે 2010થી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપની યોજના ચાલુ હતી. જેના થકી બીએસસી નર્સિંગ, જીએનએમ નર્સિંગ સહીત ડિગ્રી એન્જિનિયરિંગના અનેક ઉચ્ચકક્ષાના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હતી અને આદિવાસી વિદ્યાર્થીઓ ભણી શકતા હતા. પરંતુ ફરી એકવાર ગુજરાતની ભાજપ સરકારે આદિવાસી વિરોધની માનસિકતા છતી કરી છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગે ગત તા. 28-10-2024 ના રોજ એક પરિપત્ર પ્રસિદ્ધ કરીને આદિજાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજયુએટ સ્કોલરશીપને બંધ કરી દીધી છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, જે પણ વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધા છે અને હવે આ સ્કીમ બંધ કરવાથી હવે જે પણ વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ અપાયા છે, તે ફ્રી શીપ કાર્ડ હવે માન્ય નથી. આ સાથે જે સ્વનિર્ભર કોલેજો હતી, જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા હતા. હવે આ કોલેજો આવા આદિજાતિના વિદ્યાર્થીઓ પર પ્રેશર કરી રહ્યા છે કે, કાં તો તમે રોકડા ભરીને ફી જમા કરાવો કાં તો તમારું એડમિશન કેન્સલ કરાવી લો. જેના કારણે રાજ્યના 50 થી 60 હજાર જેટલા આદિજાતિના વિદ્યાર્થીઓ પર આની ખરાબ અસર પડી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ મુદ્દા પર અમે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરીને બીરસા મુંડા ભવનનો ઘેરાવ કર્યો હતો અને સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ સરકારે આ મુદ્દા પર કોઈ કાર્યવાહી કરી નથી. તેથી હવે આવનાર સમયમાં તમામ જિલ્લાની આદિજાતિ મદદનીશ કમિશનર કચેરીએ આ મુદ્દા પર રજૂઆતો કરવા જઈશું. અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે જો આ પરિપત્રને રદ કરવામાં નહીં આવે અને સ્કોલરશીપને ફરીથી શરૂ નહીં કરાય તો આગામી દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જે પણ સરકારી કાર્યક્રમો હશે તેનો અમે આ વિદ્યાર્થીઓ સાથે રહીને બહિષ્કાર કરીશું. એટલું જ નહીં, આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીની પણ તાળાબંધી કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/huge-protest-in-danta-over-stopping-scholarships-for-tribal-students">આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા દાંતામાં ભારે વિરોધ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Dec 2024 20:02:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1741</Articleid>
                    <excerpt>આદિવાસી વિદ્યાર્થીઓની પીજી સ્કોલરશીપ ફરી શરૂ કરવા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને ખૂલ્લી ચેતવણી આપી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67682288376ab.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67682287f1a4a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67682287f1a4a.jpg" length="45458" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>chaitar vasava, pg scholarship for tribal students</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકરના અપમાન મુદ્દે BSP રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે</title>
                    <link>https://khabarantar.com/bsp-to-hold-nationwide-agitation-on-december-24-over-insult-to-dr-ambedkar-by-amit-shah</link>
                    <guid>https://khabarantar.com/bsp-to-hold-nationwide-agitation-on-december-24-over-insult-to-dr-ambedkar-by-amit-shah</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે, અમિત શાહના નિવેદને કરોડો બહુજનોની લાગણીને ઠેસ પહોંચાડી મહાનાયક ડો.આંબેડકરનું અપમાન કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમિત શાહે રાજ્યસભામાં ડો.આંબેડકર વિરુદ્ધ કરેલા અપમાનજનક નિવેદનના પડઘા હવે દેશભરમાં પડી રહ્યાં છે ત્યારે બીએસપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોએ આ મામલે રાષ્ટ્રવ્યાપી આંદોલનોની જાહેરાત કરી છે. 24મી ડિસેમ્બરે બીએસપી દેશવ્યાપી વિરોધનું આયોજન કરવા જઈ રહી છે. આ જ દિવસે કોંગ્રેસે પણ દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટી (BSP) ના વડા માયાવતીએ શનિવારે જણાવ્યું હતું કે બાબાસાહેબ આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી સામે પક્ષના કાર્યકરો 24 ડિસેમ્બરે દેશવ્યાપી વિરોધ કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ ટ્વિટર પર લખ્યું છે કે "શાહના નિવેગને બહુજન સમાજના લોકોના દિલને ઠેસ પહોંચી છે. દેશના દલિતો, વંચિતો અને અન્ય ઉપેક્ષિત લોકોના સ્વાભિમાન અને માનવ અધિકારો માટે અતિમાનવીય અને કલ્યાણકારી બંધારણ તરીકેના મૂળભૂત પુસ્તકના રચયિતા બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર ભગવાનની જેમ પૂજનીય છે. અમિત શાહ દ્વારા તેમના અપમાનથી લોકોના દિલને ભારે ઠેસ પહોંચી છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/apply-reservation-in-posts-of-high-court-supreme-court-judges-too-mayawati">હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ વધુમાં કહ્યું- "આવા મહાપુરુષ વિશે સંસદમાં અમિત શાહ દ્વારા કહેવામાં આવેલા શબ્દોથી દેશમાં સમાજના બધાં વર્ગના લોકોમાં ભારે આક્રોશ છે. આંબેડકરવાદી બસપાએ અમિત શાહને તેમનું નિવેદન પાછું ખેંચવાની અને માફી માંગવાની માંગ કરી છે, જેના પર હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675ee9b0b2f90.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ કહ્યું- આવી સ્થિતિમાં જો માંગ પૂરી નહીં થાય તો બસપાએ સમગ્ર દેશમાં અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. હવે પાર્ટીએ આ માંગના સમર્થનમાં 24 ડિસેમ્બરે દેશવ્યાપી આંદોલન કરવાનું નક્કી કર્યું છે. દેશના તમામ જિલ્લા મથકો પર સંપૂર્ણ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BSP વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાર્ટી બાબા સાહેબ આંબેડકરને સમર્પિત છે, જેમણે દલિતો/બહુજનોને પોતાના પગ પર ઊભા રહેવા અને સ્વાભિમાન સાથે જીવવા માટે આજીવન સંઘર્ષ કર્યો હતો અને બહુજન સમાજને અનામત સહિત ઘણાં કાયદાકીય અધિકારો મળ્યાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ કોંગ્રેસે પણ આ જ દિવસે દેશવ્યાપી ધરણાં પ્રદર્શન અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીઓ આવી રહી હોવાથી અને રાજ્યની 12 જેટલી વિધાનસભા સીટો પર સીધી અસર પાડતા દલિતોને રિઝવવા માટે ડો.આંબેડકર સન્માન સ્કોલરશીપ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/mayawati-upset-over-amit-shahs-statement-on-dr-ambedkar">ડૉ.આંબેડકર પર અમિત શાહના નિવેદન પર માયાવતી નારાજ, જાણો શું કહ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Dec 2024 14:14:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1740</Articleid>
                    <excerpt>બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે, અમિત શાહના નિવેદને કરોડો બહુજનોની લાગણીને ઠેસ પહોંચાડી મહાનાયક ડો.આંબેડકરનું અપમાન કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6767d1082f708.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6767d107f2b26.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6767d107f2b26.jpg" length="52594" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BSP, hold nationwide agitation, December 24, insult to Dr. Ambedkar, Amit Shah, Mayawati, bahujan samaj party</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધ્રાંગધ્રામાં પોલીસ સામે ધરણાં પર બેઠેલા 30 જેટલા દલિતોની અટકાયત</title>
                    <link>https://khabarantar.com/30-dalits-detained-in-dhrangadhra-for-protesting-against-police-in-sc-st-act</link>
                    <guid>https://khabarantar.com/30-dalits-detained-in-dhrangadhra-for-protesting-against-police-in-sc-st-act</guid>
                    <description>
                        <![CDATA[ પોલીસ એટ્રોસિટીના આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહોતી કરતી. ફરિયાદી દલિત યુવક સમાજના આગેવાનો સાથે ધરણાં પર બેઠાં હતા. જાણો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">30 Dalits detained in Dhrangadhra : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ધરણાં પર બેઠેલા અનુસૂચિત જાતિ સમાજના 30થી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અહીં રહેતા યુવકે બે શખ્સો સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસ દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી કે ન તો તેમની ધરપકડ કરવામાં આવી. જેના કારણે ભોગ બનનાર યુવક સહિત દલિત સમાજના આગેવાનો અને સ્થાનિકોએ ડીવાયએસપી કચેરી સામે ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. જેના કારણે પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">ધ્રાંગધ્રામાં રહેતા યુવક મનીષભાઈએ સીટી પોલીસ મથકે ઓક્ટોબર મહિનામાં બે લોકો સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને દોઢ મહિના જેટલો સમય વીતી જવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, એટલું જ નહીં એટ્રોસિટીના કાયદામાં જોગવાઈ હોવા છતાં પોલીસ આરોપીઓની ધરપકડ કરતી નહોતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદીએ આ મામલે અનેક વખત પોલીસ અધિકારી સહિત રાજકીય આગેવાનોને રજૂઆત કરી હતી. અગાઉ તેઓ આ મામલે ડીવાયએસપી કચેરી સામે પ્રતિક ધરણા પર પણ બેઠા હતા. તેમ છતાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં ન આવતા મનીષભાઈ સમાજના આગેવાનો, દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના નેતાઓ, સાથીદારો સાથે ડીવાયએસપી કચેરીએ ધરણાં પર બેસી ગયા હતા અને પોલીસની ઢીલી કામગીરીનો વિરોધ કર્યો હતો. જેથી ધ્રાંગધ્રા પોલીસે સ્થળ પહોંચી વિરોધ કરી રહેલા ૩૦થી વધુ લોકોની અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ શું કહે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતે જણાવ્યું હતું કે એટ્રોસીટીની ફરિયાદ નોંધાયા બાદ બંને આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ બંને આરોપીઓએ હાઈકોર્ટ સમક્ષ જઈ તપાસ પર સ્ટે લઈ આવ્યા છે. જોવાનું એ રહેશે કે જાતિવાદી આરોપીઓ સામે ઢીલી નીતિ દાખવતી પોલીસ આ મામલે ફરિયાદી મનીષભાઈને ન્યાય માટે કેટલો પ્રયત્ન કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate">દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Dec 2024 13:24:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1739</Articleid>
                    <excerpt>પોલીસ એટ્રોસિટીના આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહોતી કરતી. ફરિયાદી દલિત યુવક સમાજના આગેવાનો સાથે ધરણાં પર બેઠાં હતા. જાણો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6767c59952f0f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6767c59908580.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6767c59908580.jpg" length="130910" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>30 Dalits detained, Dhrangadhra, protesting against police, SC-ST act</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી યુવકને કાર સાથે 500 મીટર સુધી ઢસડ્યો, હોસ્પિટલમાં ભરતી</title>
                    <link>https://khabarantar.com/wayanad-kerala-a-tribal-man-was-dragged-for-500-meters-in-a-car-by-the-accused</link>
                    <guid>https://khabarantar.com/wayanad-kerala-a-tribal-man-was-dragged-for-500-meters-in-a-car-by-the-accused</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી યુવક બબાલમાં વચ્ચે પડતા આરોપીઓએ તેનો અંગૂઠો કારના કાચમાં ફસાવી રોડ પર ઢસડ્યો. યુવક ગંભીર રીતે ઘાયલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">tribal man dragged in car in Wayanad : કેરળ (Kerala) ના વાયનાડ (Wayanad) જિલ્લામાં એક આદિવાસી (Tribal) વ્યક્તિને કારમાં અડધો કિલોમીટર સુધી ખેંચી જવા (Drag into car)નો મામલો સામે આવ્યો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે બે લોકો હજુ પણ ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે પોલીસે જણાવ્યું હતું કે કારના દરવાજામાં એક આદિવાસી વ્યક્તિનો અંગૂઠો ફસાઈ જતાં કારમાં મુસાફરી કરી રહેલા લોકોએ કાર રોકી ન હતી. તેના બદલે, આદિવાસીઓએ માણસને અડધો કિલોમીટર સુધી રસ્તા પર ખેંચી લીધો. આ ઘટના 15 ડિસેમ્બરની સાંજે મનંતવાડીના કુડલ કદાવુ ખાતે ચેક ડેમ પાસે બની હતી. મંગળવારે તેના ફૂટેજ ટીવી ચેનલો પર બતાવવામાં આવતા પોલીસ હરકતમાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા અનુસાર, ચેમ્માડુના રહેવાસી મંથનને જ્યારે કારમાં સવાર લોકો રસ્તા પર ખેંચી ગયા ત્યારે તેને હાથ, કમર અને પગમાં ઈજા થઈ હતી. કારમાં સવાર લોકો પ્રવાસીઓ હતા જેઓ અહીં ચેકડેમ જોવા આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયનાડના કનિયામબટ્ટાનો રહેવાસી હર્ષિદ અને તેના મિત્રો આ કેસમાં આરોપી છે. આરોપી જે કારમાં મંથનને ખેંચી ગયા હતા તેનો રજીસ્ટ્રેશન નંબર KL 52 H 8733 હતો. આ કાર કુટ્ટીપુરમના રહેવાસી મોહમ્મદ રિયાસ નામના વ્યક્તિના નામે રજીસ્ટર છે. પોલીસે કાર કબજે કરી છે. કારમાં ચાર લોકો હતા. આ મામલે મનંતવાડી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 110 (ગુનેગાર હત્યાનો પ્રયાસ) સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-bijawar-mp-the-husband-of-the-district-vice-president-along-with-his-brothers-beat-up-a-tribal-youth">જિલ્લા ઉપાધ્યક્ષના પતિએ આદિવાસી યુવકની મારી-મારીને ચામડી ઉતરડી નાખી</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6767ba8774af3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે આ વિસ્તારની મુલાકાત લેતા પ્રવાસીઓના બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી અને મંથન સહિતના સ્થાનિકોએ તેમાં દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે આરોપીઓ તેમના પર દાઝ રાખી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે 49 વર્ષીય આદિવાસી મંથનનો અંગૂઠો કારના દરવાજામાં ફસાઈ ગયો હતો. આરોપીઓને કાર રોકવાનું કહેવામાં આવ્યું છતાં તેમણે કાર રોકી નહોતી અને મંથને અડધો કિલોમીટર સુધી રોડ પર ઢસડી ગયા હતા. એ પછી કારમાં સવાર ચાર આરોપીઓ નાસી ગયા હતા. સ્થાનિકો દ્વારા ઘાયલ મંથનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના પ્રધાન ઓઆર કેલુએ આ ઘટનાની સખત નિંદા કરી અને જિલ્લા પોલીસ વડાને ગુનેગારો સામે કડક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે સરકાર આદિવાસી યુવાનો પરના હુમલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને ગુનેગારોને શોધીને તેમને સજા કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. તેમણે આરોગ્ય અધિકારીઓને ઇજાગ્રસ્ત આદિવાસી વ્યક્તિને તમામ પ્રકારની સારવાર અને સંભાળ પૂરી પાડવાનો પણ નિર્દેશ આપ્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્યોની શોધખોળ ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/gujarat-garudeshwar-tribal-woman-gives-birth-to-baby-in-a-sling">રસ્તાના અભાવે આદિવાસી મહિલાએ ઝોળીમાં જ બાળકને જન્મ આપ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Dec 2024 12:43:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1738</Articleid>
                    <excerpt>આદિવાસી યુવક બબાલમાં વચ્ચે પડતા આરોપીઓએ તેનો અંગૂઠો કારના કાચમાં ફસાવી રોડ પર ઢસડ્યો. યુવક ગંભીર રીતે ઘાયલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6767ba8705b3c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6767ba86c31c6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6767ba86c31c6.jpg" length="93418" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>tribal man dragged in car, Wayanad, Kerala</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાનપેટીમાં ભક્તનો iPhone પડી ગયો, પૂજારીએ કહ્યું, &amp;apos;હવે એ ભગવાનનો થઈ ગયો&amp;apos;</title>
                    <link>https://khabarantar.com/iphone-fell-into-donation-box-priest-said-it-has-now-become-gods-property-will-not-be-returned</link>
                    <guid>https://khabarantar.com/iphone-fell-into-donation-box-priest-said-it-has-now-become-gods-property-will-not-be-returned</guid>
                    <description>
                        <![CDATA[ આમીર ખાનની &#039;પીકે&#039; ફિલ્મ જેવો કિસ્સો. પૂજારીઓએ ભગવાનનું બહાનું કાઢી ભક્તનો આઈફોન બે મહિના થઈ ગયા છતાં પરત નથી કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમીર ખાનની ફિલ્મ પીકે જેમણે જોઈ હશે તેને એ દ્રશ્ય યાદ હશે, જેમાં હિરોઈન અનુષ્કા શર્માનું રૂપિયા ભરેલું પાકીટ મંદિરની દાનપેટીમાં ભૂલથી પડી જાય છે. એ પછી જ્યારે પૂજારી આવીને દાનપેટી ખોલાવે છે અને અનુષ્કા પોતાનું પાકિટ પરત માંગે છે ત્યારે પૂજારી તે પાકીટમાંથી અડધાથી વધુ ભાગના રૂપિયા કાઢી લે છે અને ડાયલોટ ફટકારે છે કે, 'અબ યે ભગવાન કા હો ગયા..' જો કે વાસ્તવિકતા છે કે, દાનપેટીમાં પડેલા રૂપિયા સહિતની બધી વસ્તુઓ ભગવાનના નામે પૂજારીઓ જ ઘરભેગી કરી જાય છે. તિરૂપતી બાલાજી મંદિરના પૂજારીઓની દીકરીઓના લગ્નમાં તેમણે પહેરેલા ઘરેણાંના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા રહે છે, જેમાં તેમણે પહેલા લાખોની કિંમતના સોનાના ઘરેણાં જોઈ સૌ કોઈના મોં આશ્ચર્યથી પહોળા થઈ જાય છે. મંદિરમાં ભગવાનની આડમાં દાન એ એક પ્રકારનો ધંધો છે તે શ્રદ્ધાળુ હજુ સમજી શકતા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">પીકે ફિલ્મના આ દ્રશ્ય જેવો જ અસલી કિસ્સો હાલ સામે આવ્યો છે. તમિલનાડુના તિરુપોરુરમાં અરુલમિગુ કંદસ્વામી મંદિરના દાન પેટીમાં એક ભક્તનો આઇફોન ભૂલથી પડી ગયો હતો. એ પછી મંદિર તંત્રે આઈફોન પરત કરવાનો ઈન્કાર કરી દીધો છે. તમિલનાડુ સરકારના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આઇફોન પરત કરી શકાય નહીં. તંત્રે આ મામલે નિયમો બતાવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">18 ઓક્ટોબરે ફોન પડ્યો હજુ મળ્યો નથી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના શ્રી કંદસ્વામી મંદિરમાં બની હતી. ભક્તનું નામ દિનેશ છે અને તે તિરુવલ્લુર જિલ્લાના વિનાયગપુરમનો રહેવાસી છે. 18 ઓક્ટોબરે દિનેશ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા ગયો હતો. દર્શન દરમિયાન દાન કરતી વખતે તેના હાથમાંથી આઇફોન સરકીને દાન પેટીમાં પડી ગયો હતો. એ પછી તેણે મંદિર પ્રશાસનને ફોન પરત કરવા વિનંતી કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-donation-of-18.11-crores-came-out-of-the-donation-box-of-the-temple-counting-took-4-days">મંદિરની દાનપેટીમાંથી 18.11 કરોડનું દાન નીકળ્યું, 4 દિવસ ગણતરી ચાલી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાના બે મહિના પછી 20 ડિસેમ્બરે દાન પેટી ખોલવામાં આવી હતી અને ફોન મળી આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, મંદિર પ્રશાસને દિનેશને જાણ કરી કે તેનો ફોન મળી ગયો છે પરંતુ તે પરત કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું, મંદિરના તંત્રે કહ્યું કે ફોન હવે મંદિરની મિલકત બની ગઈ છે. જોકે વહીવટીતંત્રનું કહેવું છે કે ભક્ત દિનેશ તેના ફોનમાંથી ડેટા લઈ શકે છે. દિનેશે આ નિર્ણયને ફગાવી દીધો છે અને તે મંદિર તંત્ર પાસેથી આઈફોન પરત મેળવવા અડગ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંદિર વિભાગના મંત્રીએ શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે તમિલનાડુ સરકારના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&amp;CE) વિભાગના મંત્રી પીકે શેખર બાબુએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "દાનપેટીમાં જે પણ પ્રસાદ આવે છે. પછી તે જાણી જોઈને આપવામાં આવે કે ભૂલથી, તે ભગવાનનો બની જાય છે. મંદિરોમાં પ્રચલિત પરંપરા અને નિયમો મુજબ દાન પેટીમાં મૂકેલી કોઈપણ વસ્તુ પરત કરી શકાતી નથી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે એમ પણ કહ્યું કે વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે. જો જરૂરી હોય તો ભક્તને વળતર આપવાની વિચારણા કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અગાઉ પણ આવા કિસ્સા બન્યાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">આ કંઈ પહેલી ઘટના નથી. મે 2023માં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કેરળના અલપ્પુઝાની એક મહિલાનો સોનાનો હાર દાનપેટીમાં પડી ગયો હતો. બાદમાં મંદિર ટ્રસ્ટ બોર્ડે તેના વજન પ્રમાણે બીજી માળા બનાવી આપી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે 1975ના નિયમો મુજબ દાન પેટીમાં મૂકેલી કોઈપણ વસ્તુ પરત કરી શકાતી નથી. તેને મંદિરની સંપત્તિ માનવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/religion-business-ujjains-mahakal-temple-earns-15-crores-in-1-month">ધર્મનો ધંધોઃ ઉજ્જૈનના મહાકાલ મંદિરે 1 મહિનામાં 15 કરોડની આવક રળી</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Dec 2024 10:42:28 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 22 Dec 2024 10:43:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1737</Articleid>
                    <excerpt>આમીર ખાનની &#039;પીકે&#039; ફિલ્મ જેવો કિસ્સો. પૂજારીઓએ ભગવાનનું બહાનું કાઢી ભક્તનો આઈફોન બે મહિના થઈ ગયા છતાં પરત નથી કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67679f94f2626.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67679f94c2653.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67679f94c2653.jpg" length="65226" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>iPhone, Devotee, fell into donation box, God&#039;s property, not be returned, Kandswami temple tamilnadu</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકરના માનમાં AAP સરકાર &amp;apos;આંબેડકર સન્માન સ્કોલરશીપ&amp;apos; શરૂ કરશે</title>
                    <link>https://khabarantar.com/ambedkar-samman-scholarship-delhi-aap-government-to-launch-in-honour-of-dr-ambedkar</link>
                    <guid>https://khabarantar.com/ambedkar-samman-scholarship-delhi-aap-government-to-launch-in-honour-of-dr-ambedkar</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હીની AAP સરકારની આ યોજનામાં વિદેશમાં ભણવા માંગતા SC-ST વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. જાણો બીજો શું લાભ મળશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Ambedkar Samman Scholarship : દિલ્હીની આમ આદમી પાર્ટીની આતિશી સરકારે મહાનાયક ડો.આંબેડકરને લઈને ઉભા થયેલા વિવાદ પર માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. આપ સરકારે ડો.બાબાસાહેબ આંબેડકરના નામે શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત કરી છે. આપ સરકાર દ્વારા તેને 'ડૉ. આંબેડકર સન્માન સ્કોલરશીપ' નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ એસસી-એસટી દલિત વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સરકારી કર્મચારીઓના બાળકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “દલિત સમાજનું કોઈ બાળક પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય. હું ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિની જાહેરાત કરું છું. જો દલિત સમાજનું કોઈ બાળક વિશ્વની કોઈપણ ટોચની યુનિવર્સિટીમાં ભણવા માંગતું હોય તો તેણે તે યુનિવર્સિટીમાં જ પ્રવેશ લેવો જોઈએ. દિલ્હી સરકાર તેના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ અને મુસાફરીનો ખર્ચ ઉઠાવશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/kejriwal-and-aap-have-once-again-betrayed-the-dalits-of-delhi">કેજરીવાલ અને AAP એ ફરી એકવાર દિલ્હીના દલિતોને દગો દીધો?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલે વધુમાં કહ્યું કે, ડૉ.આંબેડકરને પૈસાની અછતને કારણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)માં અભ્યાસ છોડવો પડ્યો હતો. તેઓ ઘરે પરત ફર્યા હતા. પૈસાની વ્યવસ્થા કર્યા પછી તેઓ ફરી LSE ગયા અને તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે એમ પણ કહ્યું હતું કે AAP એ સુનિશ્ચિત કરશે કે દિલ્હીમાં કોઈ પણ દલિત વિદ્યાર્થીને પૈસાના અભાવે વિદેશી યુનિવર્સિટીઓમાં અભ્યાસ છોડવો ન પડે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલે કહ્યું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સંસદમાં બાબા સાહેબનું અપમાન કર્યું છે. તેના જવાબમાં બાબા સાહેબના સન્માનમાં દલિત વર્ગ માટે આ યોજના લાવવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસમાં આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હી વિધાનસભા </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી માટે ત્રણ મોટા ચૂંટણી વચનો આપ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલા સન્માન યોજના – મહિલા મતદારો માટે ₹2100 ની નાણાકીય સહાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજીવની યોજના – દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોની મફત સારવાર કરવામાં આવશે. સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ, દિલ્હી સરકાર સમગ્ર ખર્ચ ઉઠાવશે. આ યોજનામાં ખર્ચની કોઈ મર્યાદા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/For-the-first-time-in-the-Lok-Sabha-elections-in-Delhi,-a-ticket-was-allotted-to-a-Dalit-candidate-on-the-General-seat">દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર ‘જનરલ’ સીટ પર ‘દલિત ઉમેદવાર’ને ટિકિટ ફાળવાઈ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિ - વિદેશમાં ભણતા દલિત વિદ્યાર્થીઓનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.</span><br><span style="font-size: 14pt;">દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ પહેલા પણ દિલ્હીમાં ચૂંટણી થઈ શકે છે. જો કે ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 62 સીટો જીતીને બહુમતીનો આંકડો પાર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૂંટણી નજીક આવી છે ત્યારે કેજરીવાલને દલિતો યાદ આવ્યા?</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે, દિલ્હીના આધારભૂત સૂત્રો કહે છે કે, દિલ્હીમાં દલિત મતદારોની સંખ્યા બહુ મોટી છે અને સરકાર રચવામાં તેઓ નિર્ણાયક ભૂમિકામાં હોવાથી કેજરીવાલે આ યોજના જાહેર કરવી પડી છે. બાકી આમ આદમી પાર્ટી પણ ભાજપ, કોંગ્રેસની જેમ સવર્ણોની જ પાર્ટી છે. તેમાં પણ, મોટાભાગના મહત્વના પદો અને મંત્રાલયોમાં સવર્ણોનો કબ્જો છે. આપના નેતાઓ તેમના ઘરમાં અને ઓફિસોમાં ડો.આંબેડકરનો ફોટો રાખે છે પરંતુ જ્યારે દલિતોની અનામતમાં ક્રિમીલેયર દાખલ કરવાની બંધારણ વિરોધી વાત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ, ભાજપની જેમ તેણે પણ સવર્ણો નારાજ ન થઈ જાય તે માટે મૌન ધારણ કરી લીધું હતું અને કોઈ સ્ટેન્ડ લીધું નહોતું. હવે જ્યારે ચૂંટણી આવી રહી છે અને દિલ્હીના 22 ટકા દલિતોના મતો જોઈએ છે, ત્યારે તેમણે અમિત શાહના નિવેદનનો સહારો લઈને આ યોજના જાહેર કરી છે. જે હોય તે, પણ તેનાથી જો દલિત, આદિવાસી વિદ્યાર્થીઓનું વિદેશમાં ભણવા જવાનું સપનું સાકાર થઈ શકે તે મહત્વનું છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/aap-bjps-casteism-in-delhi-ate-up-7-months-of-dalit-mayor">દિલ્હીમાં AAP-BJP નો જાતિવાદ દલિત મેયરના 7 મહિના ખાઈ ગયો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 21 Dec 2024 19:36:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1736</Articleid>
                    <excerpt>દિલ્હીની AAP સરકારની આ યોજનામાં વિદેશમાં ભણવા માંગતા SC-ST વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. જાણો બીજો શું લાભ મળશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6766cb5c3fe7b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6766cb5c0279d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6766cb5c0279d.jpg" length="53592" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ambedkar Samman Scholarship, Delhi, AAP government, honour of Dr. Ambedkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશભરમાં પહેલીવાર માત્ર બંધારણ અને આંબેડકરની સાક્ષીએ લગ્ન થયા</title>
                    <link>https://khabarantar.com/marriage-with-the-constitution-as-witness-kapu-village-chhattisgarh</link>
                    <guid>https://khabarantar.com/marriage-with-the-constitution-as-witness-kapu-village-chhattisgarh</guid>
                    <description>
                        <![CDATA[ પ્રેમી યુગલે ન તો પંડિતને બોલાવ્યો, ન મંત્રોચ્ચાર કરાવ્યા, ન મનુવાદીઓના સાત વચનો નિભાવવાની વાત કરી. માત્ર બાબાસાહેબ અને બંધારણની સાક્ષીએ લઈને લગ્ન કર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Marriage with the Constitution as witness: ડૉ.આંબેડકર શું ચીજ છે અને આ દેશના સામાન્ય માણસ માટે તેઓ શા માટે મનુવાદીઓના કથિત ભગવાન કરતા પણ ક્યાંય ઉંચા આસને બિરાજે છે તેની વધુ એક સાક્ષી પુરતો મજાનો કિસ્સો સામે આવ્યો છે. એકબાજુ દેશના બંધારણના 75 વર્ષ પૂર્ણ થયા છે, બીજી તરફ દેશની સંસદમાં બંધારણ તેમજ તેના સર્જક ભીમરાવ આંબેડકરના અપમાન અને બંધારણમાં ફેરફાર ઉપરાંત બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના અપમાનનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો છે. એટલું જ નહીં, રાજ્યસભા અને લોકસભામાં પણ આ મુદ્દે ઠપ થઈ ગઈ છે ત્યારે બીજી તરફ દેશના સામાન્ય માણસ માટે બંધારણ અને મહાનાયક ડો.ભીમરાવ આંબેડકર શું છે તે યાદ અપાવતો એક મજબૂત કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રેમી યુગલે તમામ મનુવાદી વિધિઓને ફગાવી દઈને માત્ર બંધારણના શપથ લઈને લગ્ન કર્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશનો આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ પ્રેમી યુગલે એકબીજાને સ્વીકારીને બંધારણને સર્વોચ્ચ માનીને લગ્ન કર્યા હોય. સામાન્ય રીતે ભારતમાં લગ્ન કોઈને કોઈ વિધિ દ્વારા થતા હોય છે. જેમાં કોઈ અગ્નિના ફેરા લે છે, કોઈ કાજી પાસે કબૂલનામું કરાવીને, પાદરીની હાજરીમાં કે કોર્ટમાં થતા હોય છે. પરંતુ છત્તીસગઢના કાપુમાં એક પ્રેમી યુગલે કરેલા લગ્ન સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયા છે. વાસ્તવમાં આ યુગલે બંધારણના શપથ લીધા બાદ ગુરુ ઘાસીદાસની જયંતીના દિવસે લગ્ન કર્યા હતા. આ લગ્નની ચર્ચા હવે માત્ર છત્તીસગઢમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં થઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માત્ર બાબાસાહેબ અને બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">છત્તીસગઢના રાયગઢ જિલ્લાની કાપુ ગામ પંચાયતમાં થયેલા આ અનોખા લગ્ન હાલ ચર્ચાનો વિષય છે. આ અનોખા લગ્નમાં ન તો સાત ફેરા ન હતા, ન તો બેન્ડવાજા વગાડવામાં આવ્યા હતા કે ન તો કોઈ મંત્ર જાપ થયા હતા. યુગલે માત્ર એકબીજાને માળા પહેરાવી બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટાની સામે ઉભા રહી બંધારણની શપથ લઈને લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બીજી કોઈપણ પ્રકારની વિધિ કરવામાં નહોતી આવી. વર્તમાન માહોલમાં ડો.આંબેડકરને આનાથી મોટી અંજલિ બીજી કઈ હોઈ શકે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાપૂમાં આયોજિત એક સામાજિક કાર્યક્રમ દરમિયાન આ યુવક-યુવતીએ પોતાના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ પછી તેમની ઇચ્છા મુજબ તેમણે ભારતના બંધારણના શપથ લઈને લગ્ન કર્યા હતા. આ અનોખા લગ્નમાં વર-કન્યાના માતા-પિતાની સાથે સમાજના લોકોએ પણ ભાગ લઈ ખુશી વ્યક્ત કરી હતી અને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્ન કાપુ ગામના યમન લહારે અને પ્રતિમા મહેશ્વરી વચ્ચે થયા હતા. સાત ફેરા લેવાને બદલે તેમણે બંધારણના શપથ લીધા અને લગ્ન કરી લીધા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર-વધુ શું કહે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">આ અંગે વરરાજા યમન લહરે કહે છે કે, તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા અને વડીલોને તેમના પ્રેમ વિશે જણાવ્યા બાદ તેમનો અભિપ્રાય લીધો અને ગુરુ ઘાસીદાસ મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને બાબા આંબેડકરને સાક્ષી બનાવીને લગ્ન કરી લીધા. અમારા ડો.આંબેડકર સર્વોપરી છે. તેથી અમે તેમણે લખેલા બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા. તેની સાથે અમે લોકોને પરંપરાગત લગ્નમાં બિનજરૂરી ખર્ચ બચાવવા માટેનો પણ એક મેસેજ આપવા માંગતા હતા. તેથી બાબાસાહેબના ફોટોની સામે માત્ર બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકની પત્ની પ્રતિમા મહેશ્વરીએ જણાવ્યું કે ગુરુઘાસી દાસનો જન્મદિવસ હતો. આ પ્રસંગે બંધારણને જ અમારું સર્વસ્વ માનીને અમે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. અમે બંને ખૂબ જ ખુશ છીએ. આ પ્રસંગે અમને અમારા પરિવારના સભ્યો ઉપરાંત સમગ્ર સમાજના આશીર્વાદ મળી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આખા ગામના લોકોએ અભિનંદન પાઠવ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ લગ્ન દરમિયાન હાજર સમાજના અધિકારીએ જણાવ્યું કે અમારો સમાજ ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના બંધારણ પર ચાલે અને માને છે. ડૉ.આંબેડકરે અમને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે, જેના હેઠળ દરેક વ્યક્તિ પોતાનો સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. અમને આ યુગલે લગ્ન કરવા માટેની અરજી કરી હતી. બંને પુખ્ય વયના છે અને બંધારણ તેમને તેમનું જીવન જીવવાનો અધિકાર આપે છે. જેથી અમે રાજીખુશીથી બંનેને તેમની રીતે લગ્ન કરવા કહ્યું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી તેમણે અમારા ગુરુ ઘાસીરામના જન્મદિવસે ડો.આંબેડકર લિખિત બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા હતા. અમારા સમાજમાં બંધારણને સર્વોપરિ માનવામાં આવ્યું છે. બંધારણના કારણે જ અમે આજે સારી જિંદગી જીવી શકીએ છીએ. બંધારણ વિરુદ્ધ અમે કોઈ કાર્ય નથી કરતા. સમાજના પ્રમુખે બંધારણને સામે રાખીને પ્રસ્તાવના દ્વારા બંનેને શપથ લેવડાવ્યા હતા અને તરત લગ્નની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 21 Dec 2024 15:53:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1735</Articleid>
                    <excerpt>પ્રેમી યુગલે ન તો પંડિતને બોલાવ્યો, ન મંત્રોચ્ચાર કરાવ્યા, ન મનુવાદીઓના સાત વચનો નિભાવવાની વાત કરી. માત્ર બાબાસાહેબ અને બંધારણની સાક્ષીએ લઈને લગ્ન કર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676697002f932.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676696ffecedc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676696ffecedc.jpg" length="107591" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Marriage with the Constitution as witness, Kapu village, Chhattisgarh</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમિત શાહ સામે હવે ગુજરાત બાર કાઉન્સિલના વકીલે મોરચો માંડ્યો</title>
                    <link>https://khabarantar.com/amit-shah-chief-guest-at-gujarat-bar-council-event-in-ahmedabad-lawyers-protest-against</link>
                    <guid>https://khabarantar.com/amit-shah-chief-guest-at-gujarat-bar-council-event-in-ahmedabad-lawyers-protest-against</guid>
                    <description>
                        <![CDATA[ 30મી ડિસેમ્બરે અમદાવાદ ખાતે નવા 6000 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે, જેમાં અમિત શાહ મુખ્ય મહેમાન હોવાથી વકીલોમાં કાર્યક્રમનો વિરોધના સૂર ઉઠ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">A lawyer from Gujarat has filed a protest against Amit Shah : ડૉ. ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવેદનની અસર તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં ગુજરાત બાર કાઉન્સિલ (BCG) દ્વારા 30 ડિસેમ્બરે આયોજિત જાહેર કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ચિમકીઓ ઉચ્ચારાઈ રહી છે. કેમ કે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક વકીલ સભ્ય પરેશ વાઘેલાએ અમિત શાહનો વિરોધ કરીને સમગ્ર કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી છે. વાઘેલાએ કહ્યું કે જો અમિત શાહ તેમના ડૉ.આંબેડકર અંગેના કથિત અપમાનજનક નિવેદનને લઈને માફી નહીં માંગે તો તેઓ આ કાર્યક્રમનો ભાગ નહીં બને. તેમણે કહ્યું, "તમે તે વ્યક્તિનું અપમાન કર્યું છે જેના નેતૃત્વમાં બંધારણ ઘડવામાં આવ્યું હતું. તમારે ત્રણ દિવસ સુધીમાં માફી માંગવી પડશે. જો તમે આમ નહીં કરો, તો તમે જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છો, ત્યાં હું શું કામ હાજર રહું?"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/if-dr-ambedkars-constitution-was-not-there-amit-shah-would-have-been-selling-scrap-siddarmaiah">ડૉ.આંબેડકરનું બંધારણ ન હોત તો અમિત શાહ ભંગાર વેચતા હોત : સિદ્ધારમૈયા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા 30મી ડિસેમ્બરે વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી અમદાવાદ ખાતે નવા વકીલોના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 6,000 નવા વકીલો શપથ લેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાઘેલાએ કહ્યું કે, "મેં એક દલિત અને આંબેડકરવાદી તરીકે આ નિર્ણય લીધો છે. તેને કોંગ્રેસ સાથે કોઈ લેવાદેવા નથી. મારી લાગણીઓને ઠેસ પહોંચી છે, તેથી મેં આ નિર્ણય લીધો છે."</span><br><span style="font-size: 14pt;">દરમિયાન BCG પ્રમુખ જેજે પટેલે વાઘેલા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, "વાઘેલા કોંગ્રેસના સમર્થક છે. તેઓ કોંગ્રેસના લીગલ સેલના પદાધિકારી છે. જો તેઓ રાજકીય રીતે વિરોધ કરવા માંગતા હોય તો તે તેમનો અધિકાર છે, પરંતુ તે BCGના મંચ પરથી ન થવો જોઈએ. "</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પટેલે એમ પણ કહ્યું હતું કે BCGની તમામ બોર્ડ મીટિંગમાં વાઘેલા હાજર રહ્યા હતા, જ્યાં એવો નિર્ણય લેવાયો હતો કે આ કાર્યક્રમ અમિત શાહના નેતૃત્વમાં યોજાશે અને ત્યારબાદ વાઘેલાએ સંમતિ આપી દીધી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પટેલે જણાવ્યું હતું કે BCG આ કાર્યક્રમનું સંપૂર્ણ તાકાત સાથે આયોજન કરશે અને ગુજરાતમાંથી રેકોર્ડ સંખ્યામાં વકીલો તેમાં ભાગ લેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amit-shahs-statement-against-dr-ambedkar-is-now-being-opposed-abroad-too">અમિત શાહે ડૉ.આંબેડકર સામે કરેલા નિવેદનનો હવે વિદેશોમાં પણ વિરોધ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના વિધાનસભા મંત્રી રૂષિકેશ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા, ભારત સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતા અને ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ભારતના બંધારણના 75 વર્ષ પુરા થવા પર મંગળવારે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઈને દેશભરમાં ડો.આંબેડકરના ચાહકોમાં રોષ ફાટી નીકળ્યો છે. એટલું જ નહીં, વિદેશમાં પણ અમિત શાહનો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષોએ શાહના નિવેદનનો વિરોધ કર્યો અને તેને આંબેડકરનું અપમાન ગણાવ્યું છે. એ પછી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર તેમના વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, હજુ સુધી તેમણે આ મામલે કોઈ પસ્તાવો નથી કર્યો કે માફી નથી માંગી. જેના કારણે આંબેડકરવાદીઓમાં ભારે રોષ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amit-shah-does-not-like-dr-ambedkar-because-he-is-a-staunch-opponent-of-savarkar">સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 21 Dec 2024 14:30:35 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 21 Dec 2024 14:31:36 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1734</Articleid>
                    <excerpt>30મી ડિસેમ્બરે અમદાવાદ ખાતે નવા 6000 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે, જેમાં અમિત શાહ મુખ્ય મહેમાન હોવાથી વકીલોમાં કાર્યક્રમનો વિરોધના સૂર ઉઠ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676682ca6d573.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676682ca38195.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676682ca38195.jpg" length="57374" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amit Shah, Dr. Ambedkar statement, Gujarat Lawyers protest against, Gujarat Bar Council, Paresh vaghela</media:keywords>
                </item>
                        <item>
                    <title>કડાણાના વિસ્થાપિત આદિવાસીની આ દીકરીનો કોઈ &amp;apos;દ્રોણ&amp;apos; અંગૂઠો ન કાપી લે!</title>
                    <link>https://khabarantar.com/sushila-meena-lady-zaheer-khan-pratapgarh-rajasthan-viral-girl-story</link>
                    <guid>https://khabarantar.com/sushila-meena-lady-zaheer-khan-pratapgarh-rajasthan-viral-girl-story</guid>
                    <description>
                        <![CDATA[ સોશિયલ મીડિયામાં ઝહીર ખાનની અદાથી બોલિંગ કરતી એક 13 વર્ષની છોકરીનો વીડિયો વાયરલ થયો છે. આ દીકરીનું ગુજરાત સાથે કનેક્શન છે અને અસલી ચિંતા હવે શરૂ થઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં ગામડાની એક નાનકડી છોકરીની ધાંસુ બોલિંગની નાનકડી ક્લિપ વાયરલ થઈ છે. ક્લિપમાં જોઈ શકાય છે કે, ગામઠી પોશાક પહેરેલી એ છોકરી ટીમ ઈન્ડિયાના એક સમયના સ્ટાર બોલર ઝહીર ખાનની એક્શનથી ફાસ્ટ બોલિંગ કરી રહી છે. તેની અને ઝહીર ખાનની બોલિંગ એક્શનમાં અનેક સમાનતા જોવા મળી રહી હોવાથી અનેક લોકો તેને 'લેડી ઝહીર ખાન' કહેવા લાગ્યા છે. વીડિયો વાયરલ થતા સચિન તેંદુલકરે તેને પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો હતો. એ પછી ઝહીર ખાને પણ દીકરીના વખાણ કર્યા હતા. કોણ છે આ દીકરી, શું કરે છે, તેનું વતન ક્યું છે એ બધી બાબતો સાથે એક ચિંતાજનક બાબતની પણ અહીં ચર્ચા કરવી છે. પહેલા જાણીએ કોણ છે આ દીકરી.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે 'લેડી ઝહીર ખાન'?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયામાં લેડી ઝહીર ખાન તરીકેની ઉપમા મેળવનાર રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરિયાવદ તાલુકાના નાનકડા ગામ રામેર તળાવની રહેવાસી 13 વર્ષની સુશીલા મીણા છે. આદિવાસી સમાજમાંથી આવતી સુશીલા હાલ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. પાંચમા ધોરણમાં ભણતી સુશીલાની ફાસ્ટ બોલિંગનો વીડિયો હાલ જબરજસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. તે ડાબા હાથે ફાસ્ટ બોલિંગ કરે છે અને તેની બોલિંગ એક્શન ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન સાથે મળતી આવે છે. સુશીલા મીણા ગરીબ પરિવારમાંથી આવે છે. તેના પિતાનું નામ રતનલાલ મીણા અને માતાનું નામ શાંતિબાઈ મીના છે અને તેઓ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 1980માં ગુજરાતના કડાણા ડેમમાં તેનો પરિવાર વિસ્થાપિત થયો હતો અને પછી રાજસ્થાન આવી ગયો હતો. સુશીલાના ગામમાં લગભગ 250 ઘરો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુશીલા દેશને ગૌરવ અપાવશેઃ માતાપિતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારને આશા છે કે 12 વર્ષની સુશીલા મીના ભવિષ્યમાં દેશને ગૌરવ અપાવશે. આ માટે તેઓ પ્રશાસન પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી સુશીલા નવી ઊંચાઈએ પહોંચી શકે. અભ્યાસની સાથે સાથે સુશીલા મીણાને ક્રિકેટમાં પણ ઘણો રસ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામના ગુલાબ સિંહ મીણા કહે છે કે અહીં મોટાભાગના લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અહીં કોઈ સુવિધા નથી. ગામમાં રમતનું મેદાન હોવું ખૂબ જ જરૂરી છે. અહીં પ્રતિભાઓ ઉભરી રહી છે, તેથી તેને દત્તક લઈને સરકાર તરફથી મદદ મળવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સચિન તેંદુલકરે પણ વખાણ કર્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુશીલા મીણાનો વાયરલ વીડિયો જોઈને સચિન તેંદુલકર પણ તેના ફેન બની ગયા છે. સચિને સુશીલાનો વીડિયો પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે, </span><span style="font-size: 14pt;">જેમાં તે બોલિંગ કરતી દેખાય છે, </span><span style="font-size: 14pt;">સચિને લખ્યું, "સ્મૂધ, સહજ અને જોવો ગમે તેવો વીડિયો. સુશીલા મીણાની બોલિંગ એક્શનમાં તમારી ઝલક જોવા મળે છે ઝહીર ખાન.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676668d781a6d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> શું તમે પણ આ વીડિયો જોયો છે?"  એ પછી ઝહીર ખાને પણ તેમાં જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, આ સર તમે એકદમ સાચા છો. હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. તેની બોલિંગ ખૂબ જ પ્રભાવશાળી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આવી પ્રતિભાઓના દ્રોણાચાર્યો અંગૂઠા કાપી લે છે...</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુશીલા મીણાનો વીડિયો વાયરલ થયા બાદ રાજસ્થાનના બાંસવાડા-ડુંગરપુરના ભારત આદિવાસી પાર્ટીના સાંસદ રાજકુમાર રોતે સોશિયલ મીડિયા પર આ વિશે પોસ્ટ કરી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676669195b65b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે આવી પ્રતિભાઓને આગળ આવવા દેવામાં નથી આવતી. 'દ્રોણાચાર્યો' દ્વારા તેમના અંગૂઠા કાપી લેવામાં આવે છે. તેમણે ગ્રામીણ વિસ્તારોની પ્રતિભાઓને આગળ લાવવામાં સહકારની પણ વાત કરી હતી. કૃષિ પ્રધાન કિરોડીલાલ મીણા પણ રમતગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ પાસે સુશીલા મીણાને તાલીમ અપાવવાની માંગ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જો સોશિયલ મીડિયા ન હોત તો સુશીલા ઉભરી ન આવી હોત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ શેર કરતી વખતે BAP સાંસદ રાજકુમાર રોતે લખ્યું કે, ઓલિમ્પિક્સ અને વર્લ્ડ કપ જેવી રમતોમાં ભારતનું પ્રદર્શન સરેરાશ અથવા નિરાશાજનક રહ્યું છે. કારણ કે સુશીલા જેવી પ્રતિભાઓને આગળ આવવા દેવામાં નથી આવતી અને દ્રોણાચાર્યો દ્વારા તેમના અંગૂઠા કાપી નાખવામાં આવે છે. જો સોશિયલ મીડિયા ન હોત તો આજે પ્રતાપગઢની આદિવાસી દીકરીની પ્રતિભા લોકોની સામે ન આવી હોત. અમે ગ્રામીણ વિસ્તારોમાં આવી છુપાયેલી પ્રતિભાઓને આગળ લાવવાના તમામ પ્રયાસો કરીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Palwankar-Baloo:-The-Dalit-cricketer,-who-saved-the-nation-despite-being-untouchable">Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 21 Dec 2024 12:41:37 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 21 Dec 2024 12:42:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1733</Articleid>
                    <excerpt>સોશિયલ મીડિયામાં ઝહીર ખાનની અદાથી બોલિંગ કરતી એક 13 વર્ષની છોકરીનો વીડિયો વાયરલ થયો છે. આ દીકરીનું ગુજરાત સાથે કનેક્શન છે અને અસલી ચિંતા હવે શરૂ થઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67666891decb2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67666891a9b39.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67666891a9b39.jpg" length="72149" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>sushila meena, lady zaheer khan, rajkumar roat, pratapgarh  Rajasthan News, viral girl</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકરનું બંધારણ ન હોત તો અમિત શાહ ભંગાર વેચતા હોત : સિદ્ધારમૈયા</title>
                    <link>https://khabarantar.com/if-dr-ambedkars-constitution-was-not-there-amit-shah-would-have-been-selling-scrap-siddarmaiah</link>
                    <guid>https://khabarantar.com/if-dr-ambedkars-constitution-was-not-there-amit-shah-would-have-been-selling-scrap-siddarmaiah</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ડો.આંબેડકર પરના નિવેદનને લઈને કર્ણાટકના સીએમે તેમની આકટી ટીકા કરે છે. જાણો બીજું શું કહ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બંધારણ ધડવૈયા ડૉ. આંબેડકર વિશેના કથિત નિવેદન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આકરી ટીકા કરી છે. સિદ્ધારમૈયાએ દાવો કર્યો હતો કે જો આંબેડકરનું બંધારણ ન હોત તો અમિત શાહ ‘ભંગાર વેચનારા’ બની ગયા હોત. સિદ્ધારમૈયાએ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ આડે હાથ લીધા હતા. ધનખડ વિશે તેમણે કહ્યું કે જો રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ ખરેખર બંધારણ અંતર્ગત કામ કરતા હોય તો તેમણે શાહને તરત જ ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના હોબાળા વચ્ચે વિધાનસભામાં વિગતવાર નિવેદન વાંચતા, સિદ્ધારમૈયાએ કહ્યું કે, “બાબા સાહેબ આંબેડકર વિશે ગૃહપ્રધાન દ્વારા બોલવામાં આવેલા "અપમાનજનક" શબ્દો સમગ્ર દેશે સાંભળ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, "હવે એક ફેશન બની ગઈ છે... આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. આટલું નામ જો ભગવાનનું લીધું હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળી જાત.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષી નેતાઓએ આ નિવેદને લઈને અમિત શાહની ટીકા કરી છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે શાહે જે કહ્યું તેમાં આશ્ચર્યજનક કંઈ નથી. કેમ કે, ભાજપ અને (રાષ્ટ્રીય સ્વયંસેવક) સંઘ પરિવારના નેતાઓના મનમાં જે કંઈ ચાલી રહ્યું હતું તે હવે ખુલીને સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિદ્ધારમૈયાએ કહ્યું, "સૌથી પહેલા હું તમને (અમિત શાહ)ને અભિનંદન આપું છું કે તમે બાબા સાહેબ આંબેડકર વિશે ભારતીય જનતા પાર્ટીના આંતરિક મતને ખુલ્લેઆમ અને હિંમતપૂર્વક દેશ સમક્ષ મૂક્યો અને અંતે સાચું બોલી ગયા." તેમણે કહ્યું કે, “જો બંધારણ ન હોત, તો શાહ દેશના ગૃહમંત્રી ન હોત, પરંતુ તેમના ગામમાં "ભંગાર વેચનાર" હોત.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તેણે રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર પરના તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરી સમાજમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે ચર્ચા દરમિયાન સત્તાધારી પક્ષના સભ્યોએ કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયાના વારંવાર કરવામાં આવેલા અપમાનની પોલ ખોલી નાખી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, “જ્યાં સુધી આ લેખિત બંધારણ અમલમાં નહોતું આવ્યું ત્યાં સુધી ભારતીય સમાજમાં ‘મનુસ્મૃતિ’ હતી, જેણે જાતિ અને લિંગ ભેદભાવને કાયદો બનાવી દીધો હતો. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની આશા રાખતા ડૉ.આંબેડકરે માત્ર બંધારણ જ નહોતું આપ્યું પરંતુ તેમણે એ અલિખિત બંધારણ 'મનુસ્મૃતિ'ને પણ બાળી નાખ્યું હતું જે અત્યાર સુધી અમલમાં હતું.''  તેમણે કહ્યું કે 25 ડિસેમ્બર, 1927ના રોજ આંબેડકરે જાહેરમાં 'મનુસ્મૃતિ' સળગાવી અને 22 વર્ષ પછી નવું બંધારણ બનાવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/what-does-rss-believe-about-the-constitution-of-india-written-by-dr-ambedkar">ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Dec 2024 19:44:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1732</Articleid>
                    <excerpt>કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ડો.આંબેડકર પરના નિવેદનને લઈને કર્ણાટકના સીએમે તેમની આકટી ટીકા કરે છે. જાણો બીજું શું કહ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67657b12b5005.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67657b127fd8a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67657b127fd8a.jpg" length="96068" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkar, constitution, siddarmaiah, amit shah</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેરઠમાં પ્રદીપ મિશ્રાના શિવમહાપુરાણમાં ભાગાભાગી, અનેક મહિલા કચડાઈ</title>
                    <link>https://khabarantar.com/meerut-pradeep-mishras-shiva-mahapuran-many-women-were-injured</link>
                    <guid>https://khabarantar.com/meerut-pradeep-mishras-shiva-mahapuran-many-women-were-injured</guid>
                    <description>
                        <![CDATA[ ભાગાભાગીમાં અનેક શ્રદ્ધાળુઓ નીચે પડી ગયા. કથાનો છઠ્ઠો દિવસ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ આવી પહોંચી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની શિવમહાપુરાણ કથા દરમિયાન ભાગાભાગી થતા અનેક શ્રદ્ધાળુઓ કચડાયા હોવાનું જાણવા મળ્યું છે. નાસભાગમાં ઘણા ભક્તો પડી ગયા અને કચડાયા હતા. પંડિત પ્રદીપ મિશ્રાની કથાનો આજે છઠ્ઠો દિવસ હતો. ભાગાભાગી થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગેલી છે. મળતી માહિતી મુજબ કથા સાંભળવા માટે એક લાખથી વધુ લોકો મેરઠ પહોંચ્યા હતા. આવતીકાલે કથાનો છેલ્લો દિવસ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ કથા સાંભળવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને વડીલો આવ્યા હતા. આ દરમિયાન બાઉન્સરોએ તેમને રોક્યા હતા. એ પછી ભીડમાં ધક્કા-મુક્કી શરૂ થઈ ગઈ. લોકો એકબીજા પર પડવા લાગ્યા. શિવમહાપુરાણ સાંભળવા માટે ઘણા VVIP પણ મેરઠ પહોંચ્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેરઠના શતાબ્દીનગરમાં શ્રી કેદારેશ્વર સેવા સમિતિ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા 15મી ડિસેમ્બરથી ચાલી રહી છે, જે બપોરે 1 વાગ્યે શરૂ થાય છે અને 4 વાગ્યા સુધી ચાલે છે. દરરોજ લાખો ભક્તો કથા સાંભળવા આવી રહ્યા છે. આયોજકો દ્વારા વાહનો પાર્ક કરવા માટે 7 પાર્કિંગ લોટ બનાવવામાં આવ્યા છે. જ્યારે લગભગ 1000 પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આયોજકોના જણાવ્યા મુજબ એસએસપી ડો.વિપિન ટાડા તમામ વ્યવસ્થા જોઈ રહ્યા છે. એસપી ટ્રાફિક રાઘવેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, કથા પંડાલ અને આસપાસના વિસ્તારો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કથાના કારણે ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ ઘટના ઘટી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને ઈજા પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/every-hindu-should-have-4-children-narrator-pradeep-mishra">દરેક હિંદુએ ૪ બાળકો પેદા કરવા જોઈએ: કથાકાર પ્રદીપ મિશ્રા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Dec 2024 14:13:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1731</Articleid>
                    <excerpt>ભાગાભાગીમાં અનેક શ્રદ્ધાળુઓ નીચે પડી ગયા. કથાનો છઠ્ઠો દિવસ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ આવી પહોંચી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67652d8635f74.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67652d85f32cf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67652d85f32cf.jpg" length="70448" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Meerut Pradeep Mishra, Shiva Mahapuran, Shouldering, Many women injured</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમિત શાહે ડૉ.આંબેડકર સામે કરેલા નિવેદનનો હવે વિદેશોમાં પણ વિરોધ</title>
                    <link>https://khabarantar.com/amit-shahs-statement-against-dr-ambedkar-is-now-being-opposed-abroad-too</link>
                    <guid>https://khabarantar.com/amit-shahs-statement-against-dr-ambedkar-is-now-being-opposed-abroad-too</guid>
                    <description>
                        <![CDATA[ અમેરિકા, બ્રિટન, કેનેડા અને અન્ય દેશોમાં વસતા આંબેડકરવાદીઓએ સહી ઝુંબેશ શરૂ કરી, રાષ્ટ્રપતિને પત્ર લખી કરી મોટી માગણી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ.આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કરેલા અપમાનજનક નિવેદનને લઈને વિવાદ વધી ગયો છે. એકબાજુ વિરોધ પક્ષો અને આંબેડકરવાદી સંગઠનો અમિત શાહના નિવેદનની સતત નિંદા કરી રહ્યા છે, બીજી તરફ તેમના પૂતળા બાળવામાં આવી રહ્યા છે અને દેશભરમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. આ બધાંની વચ્ચે વિદેશમાં પણ હવે અમિત શાહનો વિરોધ થઈ રહ્યો છે. તેમના નિવેદનને લઈને આંબેડકરવાદીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. NRI આંબેડકરવાદીઓએ ગુરુવારે એક ઓનલાઈન પિટિશન શરૂ કરી હતી જેને ઝડપથી લોકોનું સમર્થન મળી રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NRI આંબેડકરવાદીઓ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પિટિશનને ગુરુવારે કલાકોમાં જ સેંકડો સહીઓ મળી હતી. આ અરજી ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ડૉ. ભીમરાવ આંબેડકર પર કરવામાં આવેલી ટિપ્પણી પર પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/mayawati-upset-over-amit-shahs-statement-on-dr-ambedkar">ડૉ.આંબેડકર પર અમિત શાહના નિવેદન પર માયાવતી નારાજ, જાણો શું કહ્યું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીમાં અમિત શાહના કથિત નિવેદનની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે આ નિવેદનો ડૉ. આંબેડકરના વારસા અને તેમના યોગદાનને ઓછો કરવાનો પ્રયાસ છે. અરજીમાં લખવામાં આવ્યું છે કે, "ડૉ. આંબેડકરનો વારસો માત્ર એક સમાજનું ગૌરવ નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રનો વારસો છે. દરેક નાગરિક, ખાસ કરીને સત્તામાં રહેલા લોકો તેમના યોગદાનને માન આપે અને તેમની મહાનતાને ઓળખે તે જરૂરી છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અરજીમાં શું માગણી કરવામાં આવી?</span></strong></span><br><span style="font-size: 14pt;">એનઆરઆઈ આંબેડકરવાદીઓ દ્વારા રાષ્ટ્રપતિને કરવામાં આવેલી અરજીમાં નીચે મુજબની માગણીઓ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાહેરમાં માફી માગવામાં આવે: અમિત શાહે કરેલા નિવેદન બદલ જાહેરમાં માફી માંગવામાં આવે અને તેનાથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું સ્વીકારવામાં આવે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકરવાદી મૂલ્યોનું સમર્થન: સરકાર એ ખાતરી આપે કે ડૉ. આંબેડકર દ્વારા સ્થાપિત ન્યાય, સમાનતા અને બંધુત્વના મૂલ્યોનું સન્માન કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ અને જાગૃતિ: ડૉ. આંબેડકરના યોગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ પગલાં લેવામાં આવે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-abedkar-in-the-elections-to-defeat-when-nehru-fielded-his-pa-kajrolkar">જ્યારે ડૉ.આંબેડકરને હરાવવા નહેરૂએ તેમના PA ને જ ચૂંટણીમાં ઉતાર્યો?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અરજીને NRI આંબેડકરવાદી સંગઠનો અને યુએસ, કેનેડા અને યુકે સહિત અનેક દેશોમાં રહેતા વ્યક્તિઓ તરફથી સમર્થન મળી રહ્યું છે. થોડા જ કલાકોમાં તેને વિશ્વભરમાંથી સેંકડો લોકોનો ટેકો મળ્યો. શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને વ્યાવસાયિકો આ અરજીને સમર્થન આપી રહ્યા છે. તેઓ કહે છે કે ડો. આંબેડકરના વિચારો જાતિના ભેદભાવ સામેની લડાઈમાં હજુ પણ પ્રાસંગિક છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજદારોનું કહેવું છે કે ડૉ. આંબેડકરનું બંધારણ અને ન્યાયી સમાજનું વિઝન ભારતની લોકશાહી વ્યવસ્થાનો પાયો છે. તેમના વારસાને ઘટાડવાનો કોઈપણ પ્રયાસ સમાજના પોતને નબળો પાડી શકે છે. આ અરજીમાં બંધારણના રક્ષક તરીકે રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઓનલાઈન પિટિશન દર્શાવે છે કે ડૉ. આંબેડકરનો વારસો માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી. એનઆરઆઈ પણ તેને પોતાનો માને છે અને તેની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amit-shah-does-not-like-dr-ambedkar-because-he-is-a-staunch-opponent-of-savarkar">સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Dec 2024 13:03:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1730</Articleid>
                    <excerpt>અમેરિકા, બ્રિટન, કેનેડા અને અન્ય દેશોમાં વસતા આંબેડકરવાદીઓએ સહી ઝુંબેશ શરૂ કરી, રાષ્ટ્રપતિને પત્ર લખી કરી મોટી માગણી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67651da5807b0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67651da54ba64.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67651da54ba64.jpg" length="97686" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amit Shah, Dr. Ambedkar, statement, Protests abroad</media:keywords>
                </item>
                        <item>
                    <title>વાદળી રંગ કેવી રીતે દલિત આંદોલન&amp;દલિત રાજનીતિનું પ્રતિક બન્યો?</title>
                    <link>https://khabarantar.com/how-blue-colour-became-a-symbol-of-dalit-movement-and-dalit-politics</link>
                    <guid>https://khabarantar.com/how-blue-colour-became-a-symbol-of-dalit-movement-and-dalit-politics</guid>
                    <description>
                        <![CDATA[ શિડ્યૂઅલ કાસ્ટ ફેડરેશનથી લઈને BSP અને આઝાદ સમાજ પાર્ટી સુધીના દલિત રાજકીય પક્ષો અને આંદોલનકારીઓએ શા માટે વાદળી રંગ અપનાવ્યો તેની કહાની રસપ્રદ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમિત શાહે (Amit Shah) ડો.આંબેડકર (Dr. Ambedkar) અંગે આપેલા વિવાદિત નિવેદનને લઈને સંસદથી લઈને દેશભરમાં મામલો ગરમાયેલો છે ત્યારે ફરી એકવાર ડો.આંબેડકર અને તેમની સાથે જોડાયેલી તમામ બાબતો નવેસરથી ચર્ચામાં આવી રહી છે. આવો જ એક ચર્ચાનો વિષય ડો.આંબેડકર સાથે જોડાયેલો વાદળી રંગ (blue colour) છે. ગઈકાલે તમામ વિપક્ષો ડો.આંબેડકરનું અપમાન કરવા બદલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે વિરોધ કરવા વાદળી રંગના ડ્રેસમાં સંસદ પહોંચ્યા ત્યારે વાદળી રંગ ફરીથી ચર્ચામાં આવી ગયો. તેમના ડ્રેસના રંગમાં આ ફેરફાર દલિત ઓળખ (Dalit identity), દલિત રાજકારણ (Dalit politics) અને દલિત આંદોલન (Dalit movement) ના સમર્થનમાં કરવામાં આવ્યો હતો. આ બધાં વચ્ચે એક સવાલ ફરી ઉઠ્યો છે કે, વાદળી રંગ ક્યારે અને કેવી રીતે દલિત રાજનીતિ અને દલિત આંદોલનની ઓળખ બની ગયો?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ઘણી માન્યતાઓ, સિદ્ધાંતો અને વાતો છે પરંતુ તેની શરૂઆત બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના સમયથી જોડાયેલી છે. નિવૃત્ત IPS અધિકારી અને દલિત સામાજિક કાર્યકર એસઆર દારાપુરીને ટાંકીને ઈન્ડિયા ટુડેએ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે, 1942માં ડૉ.આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Scheduled Caste Federation of India) નો ધ્વજ વાદળી હતો જેની વચ્ચે સફેદ અશોક ચક્ર બનેલું હતું. બાદમાં 1956 માં, જ્યારે આ પાર્ટીનું વિસર્જન કરવામાં આવ્યું અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (Republican Party of India) ની સ્થાપના કરવામાં આવી, ત્યારે તેનો ધ્વજ પણ વાદળી રાખવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગળ જતા જ્યારે રામદાસ અઠાવલેએ રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાથી અલગ થઈને રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ની રચના કરી, ત્યારે તેમણે એ જ ધ્વજ (વાદળી ધ્વજ પર સફેદ અશોક ચક્ર) રાખ્યો. અત્યારે પણ આઠવલેની પાર્ટીનો ઝંડો એ જ છે જે ડૉ.આંબેડકરે રાખ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દારાપુરીની દલીલ એવી છે કે ડૉ. આંબેડકર ખુલ્લા વિચારોવાળા વ્યક્તિત્વ હતા અને સમાનતા, બંધુત્વના સમર્થક હતા. તેથી આકાશની જેમ સ્વચ્છ અને વિશાળતાને દર્શાવવા માટે બાબા સાહેબે તેમના ધ્વજનો રંગ વાદળી રાખ્યો હતો, જે તેમના વિશાળ દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી દલીલ એ છે કે વાદળી રંગ આકાશનો રંગ છે, જે સમાનતાનું પ્રતીક છે. વાદળી આકાશ હેઠળ દરેક વ્યક્તિ સમાન હોવાથી આ રંગનો ઉપયોગ સમાનતાના પ્રતીક તરીકે પણ થવા લાગ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, દલિત ચળવળની ઓળખ વાદળી રંગ કેવી રીતે બન્યો તે અંગે કોઈ સ્થાપિત તથ્ય નથી, પરંતુ દલિત ચિંતક અને લેખક કાંચા ઈલૈયા કહે છે કે વાદળી રંગ દલિત ઓળખનો પ્રતિક બનવા પાછળ ભાઈચારો, સમાનતા અને સંઘર્ષનો જ તર્ક હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2016 માં, જ્યારે દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની હત્યાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ થયો હતો, ત્યારે મોટી સંખ્યામાં દલિત સમુદાયના લોકોએ વાદળી ઝંડા અને વાદળી પોસ્ટરો-બેનરો સાથે વિરોધ કર્યો હતો. 2018માં પણ જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર અધિનિયમ 1989 (એટ્રોસિટી એક્ટ) ને નબળો પાડ્યો, ત્યારે દલિતોએ દેશવ્યાપી વિરોધ અને બંધનું આહ્વાન કર્યું હતું. એ દરમિયાન પણ આંદોલનકારીઓના હાથમાં વાદળી રંગના ઝંડા, બેનરો અને પોસ્ટરો જોવા મળ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય 40 વર્ષ પહેલા જ્યારે માન્યવર કાંશીરામ સાહેબે 1984માં બહુજન સમાજ પાર્ટી(BSP)ની સ્થાપના કરી ત્યારે તેમના ઝંડાનો રંગ પણ વાદળી હતો. આજે પણ બસપાના ઝંડાનો રંગ વાદળી છે, તેના પર સફેદ હાથી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં જ યુપીના નગીનાથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયેલા ચંદ્રશેખર આઝાદની આગેવાની હેઠળની આઝાદ સમાજ પાર્ટીનો ધ્વજ પણ વાદળી રંગનો છે, જેની મધ્યમાં સફેદ પટ્ટી છે. ચંદ્રશેખર પણ હંમેશા તેના ગળામાં વાદળી રંગનો ગમછો પહેરે છે. તેમની ભીમ આર્મી જ્યારે પણ આંદોલન કરે છે ત્યારે તેના કાર્યકરોના હાથમાં પણ વાદળી ઝંડો અને પોસ્ટરો-બેનરો હોય છે. આમ ડો.આંબેડકરે જે વાદળી રંગનો ઝંડો ઉપાડ્યો હતો તે આજે માન્યવરથી લઈને ચંદ્રશેખર આઝાદ સુધી દલિત આંદોલન અને દલિત રાજનીતિનો પ્રતિક બની ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dalit-politics-from-here-to-the-desert-from-here-to-the-river"> દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Dec 2024 10:50:33 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 20 Dec 2024 10:51:24 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1729</Articleid>
                    <excerpt>શિડ્યૂઅલ કાસ્ટ ફેડરેશનથી લઈને BSP અને આઝાદ સમાજ પાર્ટી સુધીના દલિત રાજકીય પક્ષો અને આંદોલનકારીઓએ શા માટે વાદળી રંગ અપનાવ્યો તેની કહાની રસપ્રદ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6764fe0fb23b4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6764fe0f7f705.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6764fe0f7f705.jpg" length="96003" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amit shah, dalit movement, dalit politics, blue colour, Dalit identity, Amit shah</media:keywords>
                </item>
                        <item>
                    <title>ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા?</title>
                    <link>https://khabarantar.com/amroha-non-veg-controversy-school-expels-three-muslim-children-for-bringing-non-veg-in-tiffin</link>
                    <guid>https://khabarantar.com/amroha-non-veg-controversy-school-expels-three-muslim-children-for-bringing-non-veg-in-tiffin</guid>
                    <description>
                        <![CDATA[ સ્કૂલના આચાર્યે બાળકોની માતાને કહ્યું - હું એવા બાળકોને નહીં ભણાવું જે મોટા થઈને મંદિરોનો નાશ કરે. આ ઘટનાથી કુમળી વયના બાળકો ભારે આઘાતમાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Amroha Non Veg Controversy : ઉત્તર પ્રદેશના અમરોહા(Amroha)માં એક મુસ્લિમ પરિવારના ત્રણ બાળકોને ખાનગી શાળામાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. બાળકો પર આરોપ હતો કે તેઓ તેમના ટિફિન બોક્સમાં નોન-વેજ ફૂડ લાવ્યા હતા. હવે અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલે જિલ્લાના ડીએમને કડક આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે ડીએમ ત્રણેય બાળકોનો પ્રવેશ અન્ય કોઈ CBSE સંલગ્ન શાળામાં થાય તેવી વ્યવસ્થા કરે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીએમએ બે અઠવાડિયામાં કોર્ટના આદેશ પર કાર્યવાહી કર્યા બાદ એફિડેવિટ દાખલ કરવી પડશે. આ કેસની આગામી સુનાવણી 6 જાન્યુઆરીએ થવાની છે. કોર્ટે કહ્યું છે કે જો બાળકોને આપેલા સમયની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે તો ડીએમને કોર્ટમાં હાજર રહેવું પડશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">બાળકોની માતાએ સપ્ટેમ્બર મહિનામાં હાઈકોર્ટમાં અરજી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી આરોપ લગાવ્યો હતો કે આચાર્યએ તેમના બાળકોને ટિફિનમાં નોનવેજ લાવવા જેવા </span><span style="font-size: 14pt;">અયોગ્ય કારણોસર શાળામાંથી કાઢી મૂક્યા હતા. તેમણે કહ્યું કે આ કારણે તેઓ તેમના શિક્ષણના અધિકારથી વંચિત રહી ગયા છે. અરજદારે એવી પણ માગણી કરી છે કે રાજ્ય સરકારે બાળકોને તેમના શિક્ષણમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/three-muslim-children-beaten-with-slippers-and-forced-to-chant-jai-shri-ram-in-ratlam-mp">ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે 'જય શ્રી રામ' બોલાવડાવ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઘટના ભયાનક છે. આ બાળકોના મનોવિજ્ઞાનને અસર કરે છે. અને શક્ય છે કે તેઓ આ ઘટનાને જીવનભર ભૂલી ન શકે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">17 ડિસેમ્બરે જસ્ટિસ સિદ્ધાર્થ અને જસ્ટિસ સુભાષ ચંદ્ર શર્માની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ મામલાને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે ખબરઅંતર.કોમ એ વીડિયોને સમર્થન નથી આપતું. આ વીડિયો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રિન્સિપાલે બાળકોની માતાને કહ્યું હતું કે તેઓ એવા બાળકોને ભણાવશે નહીં જેઓ પાછળથી મંદિરોનો નાશ કરે. ત્યારે બાળકોની માતાએ આરોપ લગાવ્યો હતો કે સ્કૂલમાં અવારનવાર હિંદુ-મુસ્લિમની ચર્ચા થતી હતી. પ્રિન્સિપાલ કથિત રીતે અન્ય બાળકોને મુસ્લિમ બાળક વિશે દૂષિત વાતો કહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/hindu-girl-muslim-boy-wedding-reception-cancel-by-hindu-organizations-in-aligarh-uttar-pradesh-gujarati">હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્નનું રિસેપ્શન હિંદુ સંગઠનોએ રદ કરાવ્યું?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Dec 2024 09:15:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1728</Articleid>
                    <excerpt>સ્કૂલના આચાર્યે બાળકોની માતાને કહ્યું - હું એવા બાળકોને નહીં ભણાવું જે મોટા થઈને મંદિરોનો નાશ કરે. આ ઘટનાથી કુમળી વયના બાળકો ભારે આઘાતમાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6764e7fae851f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6764e7fab918f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6764e7fab918f.jpg" length="54697" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amroha Non Veg Controversy, school expels, three muslim children, bringing non veg</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકર પર અમિત શાહના નિવેદન પર માયાવતી નારાજ, જાણો શું કહ્યું</title>
                    <link>https://khabarantar.com/mayawati-upset-over-amit-shahs-statement-on-dr-ambedkar</link>
                    <guid>https://khabarantar.com/mayawati-upset-over-amit-shahs-statement-on-dr-ambedkar</guid>
                    <description>
                        <![CDATA[ સંસદમાં ડો.આંબેડકરનું નામ લેવાને ફેશન ગણાવતા ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મુદ્દે હવે બસપા સુપ્રીમો માયાવતીનું નિવેદન આવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લઈને અમિત શાહના ભાષણના એક ભાગને લઈને થયેલા હોબાળા વચ્ચે માયાવતીએ પણ મોરચો સંભાળી લીધો છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહને માફી માંગવા અને પોતાના શબ્દો પાછા લેવાની સલાહ આપી છે. માયાવતીએ ગુરુવારે લખનૌમાં કહ્યું કે જો અમિત શાહ માફી નહીં માંગે તો પછી દલિત સમાજ આ અપમાનને ભૂલી શકશે નહીં. એટલું જ નહીં, તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે અમિત શાહના નિવેદનથી દેશભરના દલિતો નારાજ છે. તેઓ ડો.આંબેડકરને ભગવાન માને છે. આવી સ્થિતિમાં અમિત શાહના નિવેદનની મોટી અસર પડી શકે છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ભાજપ માફી નહીં માંગે તો કોંગ્રેસ જેવી સ્થિતિ થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, અમિત શાહના નિવેદનથી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં ભારે ગુસ્સો છે. અમિત શાહે પોતાના શબ્દો પાછા લેવા જોઈએ અને માફી પણ માંગવી જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો આંબેડકરના અનુયાયીઓ તેને ક્યારેય ભૂલી કે માફ કરી શકશે નહીં. જેમ બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ આજે પણ કોંગ્રેસના તમામ પાપોને ભૂલી શક્યા નથી તેવું જ ભાજપ સાથે થશે. કોંગ્રેસ ભલે ગમે તેટલા રંગ અને ઢંગ બદલી લે, પરંતુ લોકો તેના પર વિશ્વાસ નથી કરી શકતા. એવું જ ભાજપનું થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ કોંગ્રેસ પર પણ જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, 'બાબાસાહેબના અવસાન બાદ કોંગ્રેસે તેમનું નામ અને બંધારણના નિર્માણમાં તેમના યોગદાનને ભૂંસી નાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. આ પાર્ટી તેના ઉદ્દેશ્યમાં સફળ થઈ ગઈ હોત, પરંતુ માનનીય કાંશીરામના આગળ આવવાને કારણે આ થઈ શક્યું નહીં. એટલું જ નહીં, આ મિશનને તેના મુકામ સુધી લઈ જવા માટે મારે મારું જીવન પણ સમર્પિત કરવું પડ્યું. પરંતુ આજે વિવિધ પક્ષો વિવિધ યુક્તિઓ અપનાવીને તેમના વારસાને નષ્ટ કરવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, યુપીમાં 4 વખત બસપાની સરકાર હતી અને અમે લખનૌ અને નોઈડામાં તેમના નામ પર ઘણા ભવ્ય સ્મારકો બનાવ્યા. બાબાસાહેબના નામ પર જિલ્લા પણ બનાવ્યા, પરંતુ સમાજવાદી પાર્ટીએ નામ બદલી નાખ્યા. માયાવતીએ કહ્યું કે બસપાએ હંમેશા દલિત સમુદાયના તમામ સંતો અને ગુરુઓનું સન્માન કર્યું છે. હવે કોંગ્રેસ અને ભાજપ વગેરેની ઉંઘ ઉડી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ કહ્યું કે ભાજપ જેવી પાર્ટીઓ હવે મજબૂરીમાં કેટલાક પગલાં લઈ રહી છે. હવે કોંગ્રેસ પણ દલિતોને આકર્ષવા વિવિધ યુક્તિઓ અપનાવી રહી છે અને અમિત શાહના નિવેદનના આધારે વોટ મેળવવાનો પ્રયાસ કરી રહી છે</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/congress-did-not-give-bharat-ratna-to-dr-ambedkar-mayavati"> કોંગ્રેસે ડો.આંબેડકરને ભારતરત્ન નહોતો આપ્યો : માયાવતી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Dec 2024 20:49:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1727</Articleid>
                    <excerpt>સંસદમાં ડો.આંબેડકરનું નામ લેવાને ફેશન ગણાવતા ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મુદ્દે હવે બસપા સુપ્રીમો માયાવતીનું નિવેદન આવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67643838e93f7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67643838b70c0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67643838b70c0.jpg" length="79178" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkar, amit shah, mayawati</media:keywords>
                </item>
                        <item>
                    <title>જ્યારે ડૉ.આંબેડકરને હરાવવા નહેરૂએ તેમના PA ને જ ચૂંટણીમાં ઉતાર્યો?</title>
                    <link>https://khabarantar.com/dr-abedkar-in-the-elections-to-defeat-when-nehru-fielded-his-pa-kajrolkar</link>
                    <guid>https://khabarantar.com/dr-abedkar-in-the-elections-to-defeat-when-nehru-fielded-his-pa-kajrolkar</guid>
                    <description>
                        <![CDATA[ ડો.આંબેડકરે શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનમાંથી ઉમેદવારી કરી હતી. પણ કોંગ્રેસે તેમના PA ને જ તેમની સામે ઉભો રાખ્યો અને નહેરૂએ તેના માટે પ્રચાર કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ભાષણ દરમિયાન ભીમરાવ આંબેડકરને લઈને કરવામાં આવેલા નિવેદનને લઈને હોબાળો થઈ રહ્યો છે. કોંગ્રેસ, સપા, આમ આદમી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરની શિવસેના સહિત ઘણી પાર્ટીઓ તેમના પર આંબેડકરના અપમાનનો આરોપ લગાવી રહી છે. અમિત શાહે પોતે તેમના પર લાગેલા આરોપોનો સામનો કર્યો અને મીડિયા સાથે વાત કરતી વખતે તેમના પર તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ હંમેશા આંબેડકરની વિરુદ્ધ હતી અને અનામતની પણ વિરુદ્ધ હતી. પરંતુ તે મારા ભાષણના એક ભાગને ખોટી રીતે રજૂ કરી રહી છે. દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને આંબેડકરના વિરોધની 4 ઘટનાઓ ગણાવી હતી. હકીકતે કોંગ્રેસ અને ડૉ.આંબેડકર વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા હતા. આંબેડકરના જીવનના અંતિમ દિવસોમાં કોંગ્રેસ તેમની વિરુદ્ધ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ કોડ બિલ સહિત અનેક મુદ્દાઓ પર કોંગ્રેસ અને નેહરુ સાથે વધતા મતભેદો બાદ તેમણે 27 સપ્ટેમ્બર 1951ના રોજ કાયદા મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ દેશના પહેલા કાયદા મંત્રી હતા. એ પછી, આંબેડકરે 1952 ની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી તેમની પોતાની પાર્ટી, શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. બંધારણના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને કામદારો અને પછાત વર્ગોના પ્રશ્નો ઉઠાવનાર નેતાની છબી ધરાવતા ભીમરાવ આંબેડકરને આ ચૂંટણીમાં કારમી હાર મળી હતી. આજે પણ તેમની એ હારને યાદ કરવામાં આવે છે અને તેના માટે કોંગ્રેસને જવાબદાર ગણવામાં આવે છે. એ પણ હકીકત છે કે તત્કાલિન પીએમ પંડિત જવાહરલાલ નેહરુએ પોતે અહીં આંબેડકર વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ હતા કાજરોલકર, જેમણે ડૉ.આંબેડકર સામે ચૂંટણી લડી હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રસપ્રદ હકીકત એ છે કે આંબેડકરને જેમની સામે હારનો સામનો કરવો પડ્યો હતો, તે નારાયણ સાદોબા કાજરોલકર એક સમયે તેમના અંગત સહાયક હતા. કોંગ્રેસ દ્વારા તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને નહેરુએ પોતે કાજરોલકર માટે પ્રચાર કર્યો હતો. આંબેડકરને આ ચૂંટણીમાં 15,000 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભીમરાવ આંબેડકર આ હારથી ખૂબ જ દુઃખી થયા હતા અને ચૂંટણી પર સવાલો પણ ઉઠાવ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે 489 લોકસભા સીટોમાંથી 364 સીટો જીતી હતી. આ સિવાય કોંગ્રેસે દેશભરની 3280 વિધાનસભા બેઠકોમાંથી 2247 બેઠકો જીતી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ, ડૉ.આંબેડકરે હાર વિશે કહ્યું હતું કે, 'શા માટે બોમ્બેના લોકોનું આટલું મજબૂત સમર્થન ચૂંટણી પરિણામોમાં પ્રતિબિંબિત નથી થયું? આ તપાસનો વિષય છે, જેના પર ચૂંટણી પંચે વિચાર કરવો જોઈએ.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબાસાહેબ ફરીથી ચૂંટણી લડ્યાં, છતાં હાર્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલી હાર પછી ડૉ.આંબેડકર ફરી એકવાર 1954માં ભંડારા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ સામાન્ય ચૂંટણી નહીં પણ પેટાચૂંટણી હતી. અહીં પણ તેમને કોંગ્રેસના ઉમેદવાર સામે 8500 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં ડૉ.આંબેડકરે નેહરુના નેતૃત્વની આકરી ટીકા કરી હતી અને ખાસ કરીને તેમની વિદેશ નીતિને નિશાન બનાવી હતી. આ બંને ચૂંટણીમાં આંબેડકરની હાર માટે કોંગ્રેસને જવાબદાર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કાજરોલકર, જેઓ એક સમયે ડૉ.આંબેડકરના અંગત મદદનીશ હતા, તેમને જ બાબાસાહેબ સામે મેદાનમાં ઉતારવાની વ્યૂહરચના નેહરુની હતી. ભંડારા બેઠક પરની હારને લઈને પણ આવા જ આક્ષેપો કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-slogan-of-abki-bar-charso-par-and-dr-ambedkars-warning">'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Dec 2024 16:52:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1726</Articleid>
                    <excerpt>ડો.આંબેડકરે શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનમાંથી ઉમેદવારી કરી હતી. પણ કોંગ્રેસે તેમના PA ને જ તેમની સામે ઉભો રાખ્યો અને નહેરૂએ તેના માટે પ્રચાર કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6764017bebafc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6764017bbc959.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6764017bbc959.jpg" length="61556" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr abedkar, nehru, kajrolkar, congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?</title>
                    <link>https://khabarantar.com/amit-shah-does-not-like-dr-ambedkar-because-he-is-a-staunch-opponent-of-savarkar</link>
                    <guid>https://khabarantar.com/amit-shah-does-not-like-dr-ambedkar-because-he-is-a-staunch-opponent-of-savarkar</guid>
                    <description>
                        <![CDATA[ અમિત શાહ જે કહી રહ્યા છે તે માત્ર એક ઘટના નથી પરંતુ આરએસએસ, જનસંઘ અને ભાજપની અસલી વિચારધારા અને માનસિકતા છે, જે ડૉ. આંબેડકરની વિરુદ્ધ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમિત શાહે પરમ દિવસે સંસદમાં ડૉ.આંબેડકરનું અપમાન કરી તેમના નામની મજાક ઉડાવી હતી. આ કંઈ અચાનક નથી બન્યું, આ લેખમાં મૂકેલો ફોટો જુઓ, અમિત શાહની ડાબી બાજુ સાવરકર છે અને જમણી બાજુ ચાણક્ય. બંને મનુસ્મૃતિ અને મનુવાદના પ્રતિક છે. સંઘની લેબોરેટરીમાંથી નીકળેલા અમિત શાહ સાવરકરના રસ્તે ચાલવા માંગે છે અને ડૉ.આંબેડકરે સાવરકરની આકરી ટીકા અને નિંદા કરી છે. એટલે મામલો સ્પષ્ટ છે, જે ડો.આંબેડકર સાવરકરને પસંદ નહોતા કરતા તેમને અમિત શાહ કેવી રીતે પસંદ કરે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકર સાવરકરના હિંદુત્વના વિચારના કટ્ટર વિરોધી હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સાવરકર અને ઝીણા એક જ સિક્કાની બે બાજુ છે. સાવરકર હિંદુ રાષ્ટ્રની માંગ કરીને પોતાની રીતે બીજું પાકિસ્તાન બનાવવાનો માર્ગ ખોલી રહ્યા છે. સાવરકરે જાણી જોઈને ભારતીયતાની એક એવી વ્યાખ્યા બનાવી છે જેનાથી મુસ્લિમો અને ખ્રિસ્તીઓ તેમાંથી બાકાત થઈ જાય. ડો.આંબેડકરે સ્પષ્ટ કહ્યું હતું કે જો દેશમાં હિંદુ રાજ લાગુ થશે તો દેશ માટે મોટો ખતરો હશે. તેથી, અમિત શાહ જે કહી રહ્યા છે તે માત્ર એક ઘટના નથી પરંતુ આરએસએસ, જનસંઘ અને ભાજપની અસલી વિચારધારા અને માનસિકતા છે, જે ડૉ. આંબેડકરની વિરુદ્ધ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/when-gandhiji-arrived-to-meet-savarkar-he-was-frying-shrimp"><span style="font-size: 14pt;">ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મુદ્દો ડૉ. ભીમરાવ આંબેડકરના પુસ્તક 'પાકિસ્તાન અથવા ભારતના ભાગલા'માં પણ લખવામાં આવ્યો છે. ડૉ. આંબેડકરે મોહમ્મદ અલી ઝીણા અને સાવરકરના દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતની ટીકા કરી હતી. ડૉ. આંબેડકર લખે છે, "એ વાત સાંભળવામાં ભલે વિચિત્ર લાગે, પરંતુ એક રાષ્ટ્ર વિરુદ્ધ બે રાષ્ટ્રના પ્રશ્ન પર શ્રી સાવરકર અને શ્રી જિન્નાહના મંતવ્યો વિરોધાભાસી હોવાને બદલે એકબીજા સાથે સંપૂર્ણપણે સુસંગત છે. બંને એ વાતને સ્વીકારે છે અને ન માત્ર સ્વીકારે છે પરંતુ એ વાત પર ભાર મૂકે છે કે ભારતમાં બે રાષ્ટ્રો છે, એક મુસ્લિમ રાષ્ટ્ર અને એક હિંદુ રાષ્ટ્ર છે.(પેજ નં.154-55)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકર આગળ લખે છે, "જો ખરેખર હિંદુ રાજ બની જાય છે તો તે નિઃશંકપણે આ દેશ માટે મોટો ખતરો બની જશે. હિંદુઓ ગમે તે કહે, પણ હિંદુત્વ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માટે ખતરો છે." (પાનું-161)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકરે ભારતના ભાગલા માટે સાવરકરને શા માટે દોષિત માનતા હતા?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1945 થી 1947 સુધીની ઘટનાઓનો ઉલ્લેખ ભારતના ભાગલા સંદર્ભે વારંવાર કરવામાં આવે છે. તેમાં ગાંધી, નેહરુ અને ઝીણાની ભૂમિકાની ચર્ચા કરવામાં આવી છે. પરંતુ ડૉ. આંબેડકરે 1940માં લખેલા તેમના પુસ્તક "પાકિસ્તાન ઓર ધ પાર્ટીશન ઓફ ઈન્ડિયા" માં પ્રસ્થાપિત કર્યું હતું કે પાકિસ્તાન બનશે જ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ વાત ખાસ નોંધવી જોઈએ કે, ભારતના વાસ્તવિક વિભાજનના 7 વર્ષ પહેલા અને ભારત છોડો આંદોલન શરૂ થવાના 2 વર્ષ પહેલા ડૉ. આંબેડકર હકીકતોનું વિશ્લેષણ કરીને પાકિસ્તાનને ભવિષ્યની વાસ્તવિકતા માની રહ્યા હતા. આ સિવાય તેમને બીજો કોઈ વિકલ્પ દેખાતો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પુસ્તકમાં ડૉ. આંબેડકરે મહાત્મા ગાંધીને એક એવા વ્યક્તિ તરીકે ગણાવ્યા જેમણે પોતાનું સમગ્ર જીવન હિંદુ-મુસ્લિમ એકતા માટે સમર્પિત કર્યું હતું. પરંતુ આટલું બધું કર્યા પછી પણ તેઓ હિન્દુ-મુસ્લિમ એકતા હાંસલ કરી શક્યા નથી જે અખંડ ભારત માટે જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ.આંબેડકરે કહ્યું કે સાવરકરના હિંદુ રાષ્ટ્રના સિદ્ધાંતમાં જ એક પાકિસ્તાનન છુપાયેલું હોવાની વાત સ્થાપિત છે. જ્યારે સાવરકર હિંદુઓને એક અલગ દેશ માની રહ્યા છે, તો સ્વાભાવિક રીતે જ તેઓ મુસ્લિમોને બીજો દેશ માની રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. આંબેડકરે કહ્યું હતું કે, આ રીતે એકબીજાના વિરોધી ધ્રુવો પર હોવા છતાં સાવરકર અને જિન્નાહના વિચારો બિલકુલ એક જેવા હતા. તેમણે કહ્યું કે સાવરકરે જાણી જોઈને હિંદુત્વની એવી વ્યાખ્યા બનાવી છે જે મુસ્લિમોને ભારતીયતામાંથી બાકાત રાખે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખંડ ભારતના સપના માટે સૌથી મહત્વની વાત એ હતી કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે પ્રેમ હોવો જોઈએ. પરંતુ ઝીણા અને સાવરકર પોતપોતાના ધર્મનું રાષ્ટ્ર બનાવવાની વાત કરતા હતા. એમાં પરસ્પર પ્રેમને કોઈ અવકાશ નહોતો. હિન્દુ-મુસ્લિમ એકતા વિના અખંડ ભારતની કલ્પના કરવી એ સફેદ જૂઠ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પણ જેઓ અખંડ ભારતની કલ્પના કરે છે, પરંતુ 'હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ, આપસ મેં સબ ભાઈ-ભાઈ'ને સ્વીકારતા નથી, તેઓ હકીકતમાં ભારતને અખંડ નહીં પરંતુ ખંડિત કરવા માગે છે. ભારત-પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા ત્યારે જ એક થઈ શકે જ્યારે ત્યાં રહેતા નાગરિકોમાં પ્રેમ હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ અખંડ ભારતનો રાગ આલાપનારા પ્રેમને બદલે નફરતની ખેતી કરે છે. એટલા માટે તેઓ એકતાના નામ પર ભાગલાને પ્રોત્સાહન આપે છે. આ જ લોકો આજે દેશના ભાગલા માટે ગાંધીજીને જવાબદાર માને છે. જ્યારે હકીકત એ છે કે આમની જ કોમવાદી નીતિઓને કારણે ભારતનું વિભાજન થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/savarkar-an-attempt-to-distort-the-truth-to-strengthen-hindutva-politics">સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Dec 2024 13:44:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1725</Articleid>
                    <excerpt>અમિત શાહ જે કહી રહ્યા છે તે માત્ર એક ઘટના નથી પરંતુ આરએસએસ, જનસંઘ અને ભાજપની અસલી વિચારધારા અને માનસિકતા છે, જે ડૉ. આંબેડકરની વિરુદ્ધ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6763d58e8a795.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6763d58e4831b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6763d58e4831b.jpg" length="62097" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr ambedkar, Amit shah, savarkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાની જમીન પર સરકારે ગેરકાયદે યુનિવર્સિટી ઉભી કરી દીધી</title>
                    <link>https://khabarantar.com/rajasthan-government-built-womens-college-on-the-land-of-a-dalit-woman-in-ladnoon</link>
                    <guid>https://khabarantar.com/rajasthan-government-built-womens-college-on-the-land-of-a-dalit-woman-in-ladnoon</guid>
                    <description>
                        <![CDATA[ દલિત મહિલાને ધમકી આપી માથાભારે વ્યક્તિએ સાદા કાગળ પર લખાણમાં સહી કરાવી લીધી, મામલો હાઈકોર્ટમાં હોવા છતાં સરકારે જમીન પર મહિલા યુનિવર્સિટી બનાવીને ચાલુ કરી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાન મહિલાઓ માટે શા માટે નર્ક ગણાય છે તેનું વધુ એક ચોંકાવનારું ઉદાહરણ સામે આવ્યું છે. મોટાભાગે દલિતો પર અત્યાચારના કિસ્સાઓમાં જાતિવાદી તત્વો ગુનેગાર તરીકે હોય છે, પણ અહીં તો ખુદ સરકારી તંત્ર એક દલિત મહિલાની જમીન પડાવી લઈને ગુનો આચરી રહ્યું છે. મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, હિયરીંગ થવાનું છે છતાં સરકારે એક દલિત મહિલાની જમીન ગેરકાયદે રીતે પચાવી પાડીને તેના પર આખેઆખી મહિલા યુનિવર્સિટી ઉભી કરી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો રાજસ્થાનના લાડનૂંનો છે. અહીં દલિત મહિલા સીતાદેવી પોતાની જમીન પરત મેળવવા માટે છેલ્લાં ઘણાં સમયથી એકલા હાથે લડી રહી છે. સીતાદેવીની જમીન પર સરકારે માથાભારે તત્વોનો સહારો લઈને મહિલા યુનિવર્સિટી ઉભી કરી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સીતાદેવીને ધમકાવીને જમીન પડાવી લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાડનૂંની ખસરા નં. 1548, 1587 અને 1587/1ની કુલ 27 વીઘા 16 બિસ્વા જમીન જે બારાની અવ્વલ ખેતીની જમીન તરીકે ઓળખાય છે, તે મૂળ દલિત મહિલા સીતાદેવીની મિલકત છે. આ જમીનમાં ખેતી કરીને તે પોતાનું ગુજરાન ચલાવતી હતી. પરંતુ એક ષડયંત્ર હેઠળ આ જમીનને આનંદપાલ સિંહના "ટોર્ચર હાઉસ" અને "બંકર" તરીકે જાહેર કરવામાં આવી હતી. એ પછી વહીવટીતંત્રે તેને જપ્ત કરી લીધી અને સીતા દેવી અને તેના પરિવારને ધમકાવીને બળજબરીથી સાદા કાગળો પર સહી કરાવી લીધી. એવો આરોપ હતો કે આનંદપાલે સીતા દેવીને ધમકી આપીને જમીન પોતાના નામે કરાવી લીધી હતી, જ્યારે વાસ્તવિકતા એ છે કે આ જમીન ક્યારેય આનંદપાલની હતી જ નહીં. હવે અહીં મહિલા યુનિવર્સિટી બનાવી દેવાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોલેજ બાંધકામ: દલિત અધિકારો પર હુમલો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારી ગર્લ્સ કોલેજ અગાઉ જોહરી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના બિલ્ડીંગમાંથી ચલાવવામાં આવતી હતી. પરંતુ 14 ડિસેમ્બર 2024 ના રોજ તેને NH-58 પર સ્થિત વિવાદિત જમીન પર ખસેડવામાં આવી હતી. આ એ જ જમીન છે, જેને સીતા દેવીએ પોતાના હકની લડાઈમાં રાજસ્થાન હાઈકોર્ટમાં પડકારી છે. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં તંત્રે આ જમીન પર બાંધકામ શરૂ કરી દીધું છે અને હવે ત્યાં 251 વિદ્યાર્થીનીઓ સાથે અહીં કોલેજ ચાલી રહી છે. આ પગલું માત્ર દલિત મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન નથી પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં પણ દખલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જમીનને વિવાદિત બનાવી પડાવી લેવામાં આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જમીનને “આનંદપાલનું બંકર” કહીને પ્રચાર કરવામાં આવ્યો હતો. એવો આરોપ હતો કે આનંદપાલ નામનો શખ્સ આ જમીનનો ઉપયોગ ગુનાઓ આચરવા માટે કરતો હતો. પરંતુ તપાસમાં એ હકીકત બહાર આવી હતી કે આનંદપાલને આ જમીન સાથે કોઈ સંબંધ નથી. તેમનું પૈતૃક ઘર સાંવરાદ ગામમાં છે, અને લાડનૂંમાં તેમનું એક અલગ ઘર પણ છે. આ જમીન પર ઉભેલો પાક અને સીતાદેવીની વર્ષોની મહેનત સાક્ષી પુરે છે કે આ જમીન તેમના પરિવાર માટે આજીવિકાનું સાધન હતી. કહેવાતા “ટોર્ચર હાઉસ”નો આરોપ માત્ર આ જમીનને વિવાદિત બનાવવા અને સીતા દેવીના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સીતાદેવીએ સંઘર્ષ કરવાનું છોડ્યું નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીતા દેવીએ પોતાની જમીન પાછી મેળવવા માટે દરેક સ્તરે પ્રયાસ કર્યો છે. તેમણે તાલુકાથી લઈને કલેક્ટર સુધી અરજી કરી હતી, પરંતુ તેમની અરજીને દરેક જગ્યાએ અવગણવામાં આવી હતી. જ્યારે કોઈ વિકલ્પ ન બચ્યો ત્યારે તેમણે રાજસ્થાન હાઈકોર્ટમાં ધા નાખી છે. હાઈકોર્ટે કેસની સુનાવણી માટે 19 ડિસેમ્બર 2024ની તારીખ નક્કી કરી છે. પરંતુ આ પહેલા જ વહીવટીતંત્રે સીતાદેવીની જમીન પર કોલેજ શરૂ કરી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારની દલિત વિરોધી માનસિકતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતોના ઉત્થાન અને અધિકારોની વાત કરતી રાજસ્થાન સરકાર આ મામલે સંપૂર્ણપણે દલિત વિરોધી વલણ અપનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. કાયદો સ્પષ્ટપણે કહે છે કે દલિતોની ખેતીની જમીન ઉચ્ચ જાતિ અથવા અન્ય વર્ગો દ્વારા ખરીદી શકાતી નથી. પરંતુ આ કિસ્સામાં કાયદાની અવગણના કરીને વહીવટીતંત્રે જમીનનો કબજો લઈ તેને સરકારી સંસ્થામાં ફેરવી દીધી હતી. આ કેસ માત્ર દલિત મહિલાના અધિકારોનું ઉલ્લંઘન નથી, પરંતુ તે બંધારણની કલમ 17 (અસ્પૃશ્યતા નાબૂદી) અને કલમ 46 (અનુસૂચિત જાતિનું રક્ષણ)નું સીધું ઉલ્લંઘન છે. કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય ત્યારે જમીનની સ્થિતિ બદલવી એ ન્યાયિક પ્રક્રિયાની મજાક ઉડાવવા સમાન છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોને ન્યાય ક્યારે મળશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીતાદેવીનો આ સંઘર્ષ માત્ર તેમની જમીન પૂરતો સીમિત નથી. એ સવાલ ઉઠાવે છે કે શું ભારતના દલિત સમુદાયને તેમના બંધારણીય અધિકારો અને ન્યાય મળી શકશે? શું સરકાર અને વહીવટીતંત્ર તેમનો અવાજ સાંભળવા તૈયાર છે? આ કેસ સામાજિક ન્યાય અને સમાનતા માટેની લડતનું પ્રતીક બની ગયો છે. કોર્ટે આ મામલામાં ઝડપી અને ન્યાયી નિર્ણય લેવો જોઈએ અને સીતા દેવીને તેમનો અધિકાર આપવો જોઈએ. વધુમાં, સરકાર અને વહીવટીતંત્રે તેમની દલિત વિરોધી માનસિકતા છોડી દેવી જોઈએ અને વંચિત વર્ગના અધિકારોના રક્ષણ માટે પગલાં લેવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dalits-house-was-burnt-if-he-complained-about-illegal-occupation-of-land">જમીન પર ગેરકાયદે કબ્જાની ફરિયાદ કરી તો દલિતનું ઘર સળગાવી દીધું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Dec 2024 12:07:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1724</Articleid>
                    <excerpt>દલિત મહિલાને ધમકી આપી માથાભારે વ્યક્તિએ સાદા કાગળ પર લખાણમાં સહી કરાવી લીધી, મામલો હાઈકોર્ટમાં હોવા છતાં સરકારે જમીન પર મહિલા યુનિવર્સિટી બનાવીને ચાલુ કરી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6763be3fabe36.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6763be3f78387.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6763be3f78387.jpg" length="74686" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ladnoon News, government college</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત વિદ્યાર્થિનીએ બટેટા કાપ્યા તો રસોઈયાએ મધ્યાહન ભોજન ન બનાવ્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-student-cut-potatoes-cook-didnt-prepare-midday-meal-in-mainpuri-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/dalit-student-cut-potatoes-cook-didnt-prepare-midday-meal-in-mainpuri-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી રસોઈયો મધ્યાહન ભોજન બનાવ્યા વિના ઘેર જતો રહેતા નિર્દોષ ભૂલકાઓ ભૂખ્યાં રહ્યાં. અંતે તેમણે જાતે આવડે તેવી રસોઈ બનાવી. શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશના ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર વિશે બેફામ વાણીવિલાસ કરીને તેમનો, તેમના પક્ષનો અને તેમની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો અસલી ચહેરો છતો કરી દીધો છે. બાબાસાહેબે આપેલા હક-અધિકારો પર આ દેશનો સામાન્ય માણસ સ્વતંત્રતાથી શ્વાસ લઈ શકે છે, બાકી ગૃહમંત્રી અને તેમના પક્ષની મનુવાદી માનસિકતા તેમને કાયમ ગુલામ બનાવી રાખવા માંગે છે. ભાજપ અને આરએસએસ દલિતો, આદિવાસીઓના હકો પર દરરોજ કોઈને કોઈ રીતે તરાપ મારતા રહે છે. તેનામાં આ સમાજના વર્ષો જૂના પ્રશ્નોને હલ કરવાની ત્રેવડ નથી અને તે કરવા પણ માંગતો નથી. જેના કારણે અસ્પૃશ્યતા જેવી ઘટનાઓ દરરોજ બને છે. આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના મૈનપુરીની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઉત્તરપ્રદેશના મૈનપુરીની છે. અહીં કિશની ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બનાવનાર એક જાતિવાદી રસોઈયાએ અનુસૂચિત જાતિની વિદ્યાર્થિની દ્વારા બટાકા કાપવામાં આવતા ભોજન બનાવવાનો ઈનકાર કરી દીધો. જેને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનાએ માત્ર શિક્ષણ પદ્ધતિ પર જ સવાલો ઉભા કર્યા નથી, પરંતુ સમાજમાં ઊંડે સુધી જડ ઘાલી ગયેલી જાતિ ભેદભાવની માનસિકતાને પણ છતી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત શનિવારે શાળામાં બાળકો જાતે જ મિડ-ડે મીલ બનાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. રવિવારે તંત્રે આ ઘટનાને ગંભીરતાથી લીધી અને તપાસના આદેશ આપ્યા. બ્લોક એજ્યુકેશન ઓફિસર (BEO) સર્વેશ યાદવ પોતે સ્કૂલ પહોંચ્યા અને ઘટનાની તપાસ કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બ્લોક એજ્યુકેશન ઓફિસરે શાળાના શિક્ષક, રસોઈયા કમલેશ અને સુશીલા સહિતના બાળકોની અલગ-અલગ પૂછપરછ પણ કરી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું. રસોઈયાએ સ્વીકાર્યું કે જ્યારે અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનિએ બટાકા કાપ્યા ત્યારે તેણે ખોરાક રાંધવાની ના પાડી દીધી હતી અને શાળા છોડી જતો રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સ્પષ્ટતા કરવા ઈન્ચાર્જ મુખ્ય શિક્ષક દ્વારા તપાસ અધિકારીઓને એક ઓડિયો ક્લિપ પણ સોંપવામાં આવી હતી. આ ક્લિપમાં મુખ્ય શિક્ષક અને રસોઈયા કમલેશ વચ્ચેની વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે. વાતચીતમાં, રસોઈ બનાવનાર સ્પષ્ટપણે કહે છે કે એક અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનિએ બટેટા કાપ્યા હોવાથી તે રસોઈ નહીં બનાવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાળકોએ જાતે જેવી આવડે તેવી રસોઈ બનાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે શાળામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. રસોઈયાઓના ગયા પછી બાળકોને ખોરાક જાતે રાંધવાની ફરજ પડી હતી. આ સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે, કારણ કે મધ્યાહન ભોજન યોજનાનો ઉદ્દેશ્ય બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો છે, પરંતુ આ ઘટનામાં બાળકો ન માત્ર ખોરાકથી વંચિત રહ્યાં, પરંતુ તેમના કુમળા માનસ પર જાતિવાદનો કારમો ઘા લાગ્યો, એટલું જ નહીં નિર્દોષ આ બાળકોએ જાતે ખોરાક રાંધવાની ફરજ પડી હતી. આનાથી વધુ શરમજનક બીજું શું હોય?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રસોઈયા અને શિક્ષકના લેખિત નિવેદનો લેવાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને ગંભીર ગણીને બ્લોક એજ્યુકેશન ઓફિસરે કહ્યું કે રસોઈયા અને શિક્ષકના લેખિત નિવેદનો નોંધવામાં આવ્યા છે. ઘટનાનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીઓને સુપરત કરવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાળકો સાથે આભડછેટનો ગંભીર પ્રશ્ન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના માત્ર શાળાના ગેરવહીવટ પુરતી સીમિત નથી, પરંતુ તે આપણા સમાજમાં ઉંડા ઉતરેલા જ્ઞાતિ ભેદભાવનું દુઃખદ ચિત્ર રજૂ કરે છે. અનુસૂચિત જાતિના બાળકો સાથે આ પ્રકારનું વર્તન માત્ર તેમના શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન નથી પરંતુ તેમના આત્મસન્માન અને સુરક્ષાને પણ ઠેસ પહોંચાડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિષ્ણાતો કહે છે કે આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહીની સાથે સામાજિક જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે. તમામ બાળકોને સમાન તકો અને સન્માન મળે તે માટે શિક્ષણ પદ્ધતિને જાતિના ભેદભાવથી મુક્ત કરવી એ સમયની જરૂરિયાત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાળકોના હિતોની રક્ષા કોણ કરશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૈનપુરીમાં બનેલી આ ઘટના આપણા સમાજના એવા અંધકારમય પાસાને સામે લાવે છે જેને આપણે વારંવાર અવગણીએ છીએ. બાળકોના શિક્ષણ અને તેમની ગરિમાની રક્ષા કરવાની જવાબદારી માત્ર વહીવટીતંત્રની જ નહીં પરંતુ સમગ્ર સમાજની છે. આવા કિસ્સાઓમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી અને બાળકોના હિતોની સુરક્ષાની ખાતરી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/pranav-sijoy-of-st-benedict-lp-school-slivamala-ldukki-dropped-out-of-school">ઉલટી સાફ કરનાર દલિત બાળકે આઘાતમાં આવીને શાળા છોડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Dec 2024 10:59:50 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 19 Dec 2024 11:01:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1723</Articleid>
                    <excerpt>જાતિવાદી રસોઈયો મધ્યાહન ભોજન બનાવ્યા વિના ઘેર જતો રહેતા નિર્દોષ ભૂલકાઓ ભૂખ્યાં રહ્યાં. અંતે તેમણે જાતે આવડે તેવી રસોઈ બનાવી. શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6763ae6c4c235.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6763ae6c19b44.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6763ae6c19b44.jpg" length="89898" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mainpuri News, untouchability, Mid-day meal</media:keywords>
                </item>
                        <item>
                    <title>4.53 કરોડ કેસો કોર્ટોમાં પડતર હોય ત્યાં ન્યાયની દેવીમાં બદલાવનો અર્થ ખરો?</title>
                    <link>https://khabarantar.com/4.53-crore-cases-pending-in-the-courts-does-it-make-sense-to-change-the-nature-of-justice</link>
                    <guid>https://khabarantar.com/4.53-crore-cases-pending-in-the-courts-does-it-make-sense-to-change-the-nature-of-justice</guid>
                    <description>
                        <![CDATA[ દેશમાં ૪.૫૩ કરોડ પડતર કેસો ન્યાયની રાહ જુએ છે, એમાં ૩.૪૫ કરોડ કેસો ક્રિમિનલ  છે. જો ન્યાયની આ સ્થિતિ હોય તો ન્યાયની દેવીમાં બદલાવનો કશો અર્થ ખરો? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શું કહીશું એને? ન્યાયની દેવીની પ્રતિમાનું ભારતીયકરણ? નિવૃત વડા ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે સીજેઆઈ તરીકેના તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં ન્યાયની દેવીની મૂર્તિમાં ધરમૂળથી ફેરફાર કરી દીધા. તેથી ભારતના ન્યાયતંત્રમાં તેમણે કરેલા સુધારામાં એક નોંધપાત્ર ઉમેરણ થયું. સુપ્રીમ કોર્ટ પરિસરમાં અને દેશ-વિદેશમાં ન્યાયની દેવીની પ્રતિમા  સામાન્યત: પાશ્ચાત્ય પરિધાનમાં,  એક હાથમાં ત્રાજવું, બીજા હાથમાં તલવાર અને આંખે કાળી પટ્ટી ધારણ કરેલી જોવા મળે છે. પરંતુ સુપ્રીમ કોર્ટની જજીઝ લાઈબ્રેરીમાં મુકવામાં આવેલી શિલ્પી વિનોદ ગોસ્વામીએ તૈયાર કરેલી,  સાડા છ ફૂટની, સવા સો કિલો ગ્રામ વજનની અને ફાઈબર ગ્લાસની બનેલી ન્યાયની દેવીની મૂર્તિ ઘણી અલગ છે. આ લેડી જસ્ટિસની આંખે કાળી પટ્ટી નથી, હાથમાં ત્રાજવું છે પરંતુ બંને પલ્લાં સમાન છે. એક હાથમાં તલવારને બદલે ભારતનું બંધારણ  છે. વળી આ દેવીએ રોમન દેવીઓ જેવું ટ્યુનિક કે ગાઉન નહીં પણ ભારતીય મહિલાઓનો સર્વસામાન્ય પોશાક સાડી પરિધાન કરેલી છે. જાણે કે વિદેશી લેડી જસ્ટિસનું પૂર્ણ સ્વદેશીકરણ થયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતને ન્યાયવ્યવસ્થા અને  ન્યાયની દેવીની પ્રતિમા અંગ્રેજોની દેન છે. ભારતીય પરંપરામાં ન્યાયની દેવી જેવો કોઈ ખ્યાલ જ કદાચ નથી. ઝઘડાઓની પતાવટ માટે પંચ પરમેશ્વરનો વિચાર, આ જન્મના કર્મો આગલા જન્મમાં ભોગવવાની માન્યતા કે પછી રાજાઓ દ્વારા તોળાતો ન્યાય જ ભારતની ન્યાય પરંપરા હતી. તેમાં જહાંગીરના ઘંટ અને મીનળ દેવીના ન્યાયને સંભારાય છે. ન્યાયની દેવી સૌ પ્રથમ રોમન સભ્યતામાં જોવા મળે છે. તેને જસ્ટિટિયા કે જસ્ટિસિયા કહેવામાં આવે છે. દુનિયાના મોટાભાગના દેશોમા આજે જોવા મળતાં ન્યાયની દેવીના પૂતળાંઓનું મૂળ રોમમાં રહેલું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/the-reality-of-internal-democracy-in-political-parties">રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીની અસલિયત</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ન્યાયની દેવીની પ્રતિમા પ્રતીકાત્મક છે. યુરોપિય શૈલીના લેડી જસ્ટિસના સ્ટેચ્યુમાં ભલે દેવી અડવાણા પગે છે પરંતુ તે દેખાવમાં રુઆબદાર અને આક્રમક છે. તેના હાથમાં રહેલું ત્રાજવું સમાન ન્યાયનું પ્રતીક છે. ત્રાજવાના એક તરફ નમેલાં પલ્લાનો મતલબ જેની પાસે વધુ આધાર, પુરાવા, સાક્ષી તેની તરફ ન્યાય નમશે તેવો છે. બીજા હાથમાં તલવાર અર્થાત કોઈ પક્ષપાત વગર  નિષ્પક્ષ ન્યાય છે. દેવીની આંખે પટ્ટી એટલા માટે કે તે ન્યાય પ્રતિ આંધળા નથી પણ તે ગરીબ કે તવંગર, ફરિયાદી કે આરોપી, સૌને તેના જ્ઞાતિ, વર્ણ, ધર્મ કે લિંગના  ભેદ સિવાય સમાન અને યોગ્ય ન્યાય આપશે તેવો કરવાનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વોચ્ચ અદાલતના પુસ્તકાલયમાં ખુલ્લી મુકવામાં આવેલી લેડી જસ્ટિસની પ્રતિમામાં કેટલાક આમુલ પરિવર્તનો જોવા મળે છે. આ પ્રતિમાની દેવીનો ચહેરો આક્રમક કે રુઆબદારને બદલે સૌમ્ય છે. તેણે ગાઉન ને બદલે સાડી પહેરી છે. પ્રતિમાનો રંગ સફેદ છે. માથે મુગટ છે. આંખો ખુલ્લી છે. બંને પલ્લાં સમાન હોય તેવું ત્રાજવું હાથમાં છે. બીજા હાથમાં તલવારને બદલે સંવિધાન છે. આ ફેરફાર વિચારપૂર્વક કરવામાં આવ્યા છે. આંખો ખુલ્લી એટલે છે કે ન્યાય અને કાયદો આંધળા નથી. તે જે ન્યાય કરશે તે ભારતના બંધારણ અને તેની રુએ ઘડાયેલા કાયદાઓના આધારે કરશે. એટલે હાથમા બંધારણ રાખ્યું છે. અંગ્રેજોની ગુલામીના પ્રતીકો આઝાદ મુલ્કને ન શોભે તેથી અંગ્રેજ વારસાની પ્રતિમાના પ્રતીકો ફગાવીને તેનું ભારતીયકરણ કર્યું છે. એટલે દેવી પ્રતિમાએ સાડી પહેરી છે. ન્યાયની દેવીના પૂતળાનું નવસંસ્કરણ નવા પ્રતીકો અને નવા સંકેતો દર્શાવે છે. તેમાં ભારતીયતા અને ભારતીય ન્યાય વ્યવસ્થાના વિચારો દર્શાવવાનો પ્રયત્ન થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ ચંદ્રચૂડના આ પગલાંને સકારાત્મક પરિવર્તન ગણી તેને ભારે આવકાર મળ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને એ કારણે વાંધો લીધો છે કે વિરોધ કર્યો છે કે તેઓ ન્યાય વ્યવસ્થામાં સમાનરૂપે હિસ્સેદાર હોવા છતાં પ્રતિમા પરિવર્તન બાબતે તેમની સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી અને ચીફ જસ્ટિસે એકતરફી નિર્ણય કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/lateral-entry-is-not-panacea-for-administrative-problems">વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોતરફના સ્વાગત અને અલ્પ વિરોધ વચ્ચે આ પ્રકારે પ્રતિમામાં અને પ્રતીકોમાં કે તેના અર્થઘટનોમાં ફેરફારથી ભારતની ન્યાય વ્યવસ્થાની વાસ્તવિકતામાં કોઈ પરિવર્તન આવ્યું છે કે આવશે ખરું તેવો સવાલ લાજમી છે. ન્યાયની દેવીને નારી રૂપે દર્શાવાતી હોય તો ભારતની ન્યાય વ્યવસ્થામાં મહિલાઓનું સ્થાન શું છે અને આટલા વરસોથી ન્યાયની દેવી નારીઓ તરફ કેમ વધુ ઝૂકતાં નથી તે પ્રશ્ન છે. ૧૯૮૯માં ફાતિમા બીબી દેશની સુપ્રીમ કોર્ટના પહેલાં  મહિલા જજ બન્યાં હતા. પરંતુ હજુ અર્ધી આબાદી તેના વસ્તીના ધોરણે પ્રતિનિધિત્વથી વંચિત જ છે. ૨૦૨૭માં જસ્ટિસ બી.વી. નાગરત્ના કદાચ પહેલા સીજેઆઈ બનશે ખરાં પણ અત્યાર સુધીમાં માડ ચાર ટકા જ મહિલાઓ સુપ્રીમ કોર્ટના  જજ બની શક્યાં છે. હાઈકોર્ટોના ૭૮૮ જજિસમાં ૧૦૭ કહેતાં ૧૩ ટકા જ મહિલા જજ છે. તો ન્યાયની દેવી નારીઓને ક્યારે ફળશે? આખા દેશમાં ૨૦ ટકા જ મહિલા વકીલો છે.  ગુજરાતમાં ૭૯,૭૯૨ પુરુષોની સામે ૨૭,૫૯૬ જ મહિલા વકીલો હોય અને ન્યાય ક્ષેત્રે પુરુષોનું આધિપત્ય હોય તો મહિલા પ્રતિનિધિત્વ ક્યારે એક સમાન થશે? તેનો કોઈ જવાબ નવીન ન્યાય પ્રતિમાથી મળતો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંધળા કે દેખતાં ન્યાયની દેવી સર્વજનને સરળ, સુલભ, સસ્તો અને સમયસર ન્યાય મળે તેવું ક્યારે કરશે? સંસદના વર્તમાન શીતકાલીન સત્રમાં રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે ઓકટોબર ૨૦૨૪ની સ્થિતિએ સુપ્રીમ કોર્ટમાં ૨, હાઈકોર્ટસમાં ૩૬૦ અને ટ્રાયલ કોર્ટસમાં ૫,૦૦૦ કરતાં વધુ ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે. વિલંબિત ન્યાય તો એ હદનો છે કે ૧૫ નવેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ દેશમાં ૪.૫૩ કરોડ પડતર કેસો ન્યાયની ગુહાર લગાવીને અદાલતના આંગણે રાહ જોતાં બેઠાં છે.  પડતર કેસોમાં ૩.૪૫ કરોડ કેસો ક્રિમિનલ  છે. જો ન્યાયની આ સ્થિતિ હોય તો ન્યાયની દેવીમાં બદલાવનો કશો અર્થ ખરો?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ન્યાય દેવીનું પ્રતિમા પરિવર્તન ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે ન્યાય ત્વરિત અને સુલભ હોય. માત્ર પ્રતીકો બદલવાથી વાસ્તવિકતા બદલાતી નથી. ન્યાયની દેવીની મૂર્તિ કે તસ્વીરમાં પરિવર્તન ન્યાયમાં પર્યાપ્ત અને વાસ્તવિક પરિવર્તન લાવનારું હોવું જોઈએ. સરકારો ન્યાયતંત્રને જરૂરી વ્યવસ્થા સંપડાવે, ન્યાયાધીશોની જગ્યાઓ વેળાસર ભરાતી રહે, વકીલો તારીખ પે તારીખથી બચવા તેમના કેસનો પૂરો અભ્યાસ કરીને આવે અને તેનો સમયસર નિકાલ થાય તેની કાળજી રાખે તો પણ જૂના કે નવા ન્યાયની દેવીનું અદાલતમાં હોવું પ્રમાણ ગણાશે. આપણી અદાલતો ન્યાયની અદાલતો નથી પરંતુ પુરાવાની અદાલતો છે. જ્યારે તે પુરાવાની અદાલતો મટી ન્યાયની અદાલતો બનશે ત્યારે જ ન્યાયની દેવીનું અને બદલાયેલા પ્રતીકોનું હોવું સાર્થક ગણાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 12pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/between-expensive-protective-equipment-and-cleaning-machines-what-is-your-priority">મોંઘા સંરક્ષણ સાધનો અને સફાઈના મશીન વચ્ચે તમારી પ્રાથમિકતા શું છે?</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Dec 2024 10:05:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1722</Articleid>
                    <excerpt>દેશમાં ૪.૫૩ કરોડ પડતર કેસો ન્યાયની રાહ જુએ છે, એમાં ૩.૪૫ કરોડ કેસો ક્રિમિનલ  છે. જો ન્યાયની આ સ્થિતિ હોય તો ન્યાયની દેવીમાં બદલાવનો કશો અર્થ ખરો?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67639fa63c4b9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67639fa60d781.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67639fa60d781.jpg" length="42429" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Goddess of Justice, Supreme Court of India, 4.53 crore cases pending, What does it mean</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીની વિધિ કરનાર ભૂવો કોણ છે?</title>
                    <link>https://khabarantar.com/who-is-the-doctor-who-performed-the-patients-ritual-at-ahmedabad-civil-hospital</link>
                    <guid>https://khabarantar.com/who-is-the-doctor-who-performed-the-patients-ritual-at-ahmedabad-civil-hospital</guid>
                    <description>
                        <![CDATA[ આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરનાર ભૂવો ભલભલાં રોગના દર્દીઓને પોતે નવજીવન આપતો હોવાનો દાવો કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદની એશિયાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલના એક આઈસીયુ રૂમમાં એક ભૂવો વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરી, તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ત્યારે આ ભૂવો કોણ છે તેના વિશે લોકો વધુને વધુ સર્ચ કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકવીસમી સદીમાં એક તરફ અંધશ્રદ્ધા દૂર કરવા મામલે સરકાર બિલ લાવી રહી છે. બીજી તરફ સરકારી હોસ્પિટલમાં જ ICU વિભાગમાં ભૂવાએ વિધિ કરતા હોબાળો મચી ગયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જડબેસલાક સિક્યોરિટી વચ્ચે એક ભૂવો આઈસીયુ સુધી પહોંચ્યો અને વિધિ પણ કરી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. જેને લઈને હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સ્પષ્ટતા કર્યા બાદ રેશનાલિસ્ટો પણ મેદાનમાં આવ્યા છે. જો કે આ બધાં વચ્ચે ભૂવો કોણ છે તેની પણ શોધખોળ શરૂ થઈ ગઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે મુકેશ ભુવાજી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ સિવિલમાં વિધિ કરનાર ભૂવાનું નામ મુકેશ ભુવાજી છે અને અમદાવાદના નિકોલ વિસ્તારનો રહેવાસી છે. મુકેશ ભુવાજી સોશિયલ મીડિયામાં 81 હજારથી વધુ ફોલોવર્સ ધરાવે છે. અન્ય ભુવાઓની જેમ તેણે પણ કમાણી કરવા માટે પોતાની યુટ્યૂબ ચેનલ બનાવેલી છે અને તેમાં તેણે ભૂતપ્રેત ભગાડતો હોવાના, તાંત્રિક વિદ્યા અને મેલી વિદ્યા કરતો હોવાના વીડિયો મૂકેલા છે. અત્યાર સુધીમાં તેણે આવા 468 થી વધુ અપલોડ કરેલા છે જેમાંના મોટાભાગના લોકોને ગેરમાર્ગે દોરતા અને અંધશ્રદ્ધાનો ફેલાવો કરી ભૂતપ્રેત તાંત્રિક વિદ્યા તરફ દોરી જતા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6762e3551aab6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રીતે તે અંધશ્રદ્ધા ફેલાવતા વીડિયો યુટ્યુબ ચેનલમાં મૂકીને લોકોમાં પોતાનો પ્રચાર કરી કમાણીની તકો શોધતો રહેતો હતો. તેના પરિવારમાં બે સંતાનો અને પત્ની છે અને તે નરોડા વિસ્તારમાં રહેતો હોવાનું પણ ખુલ્યું છે. જોવાનું એ રહેશે કે સિવિલ હોસ્પિટલમાં જઈને અંધશ્રદ્ધા ફેલાવ્યા બાદ તેના પર કોઈ કાર્યવાહી થાય છે કે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દર રવિવારે પોતાના ઘરે દરબાર ભરી લોકોને ફસાવે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુકેશ ભુવાજી દરરોજ રવિવારે ભોળા લોકોને ફસાવવા દરબાર ભરતો હતો અને લોકોના મગજમાં એવી અંધશ્રદ્ધા ફેલાવતો કે તે પોતે ગમે તેવા દર્દીઓ હોય તેને સાજા કરી દે છે. આજે પણ દર રવિવારે મોટી સંખ્યામાં લોકો તેને ત્યાં પૂજા કરવા આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, લોકોના દુ:ખ દૂર કરી દેવાની વાતો કરતો મુકેશ ભુવાજી ખુદ જીવનનિર્વાહ ચલાવવા માટે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મુકેશ ભુવાજી પોતાના ઘરે માતાજીને પણ ડોક્ટરના વાઘા ધરાવે છે અને પોતે ડોક્ટર જે દર્દીને સાજા ન કરી શકે તેમને પોતાની ચમત્કારિક શક્તિથી સાજા કરી દેતો હોવાની શેખી મારતો ફરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/ahmedabad-civil-hospital-the-priest-performed-the-ritual-on-the-patient">બોલો લો! અમદાવાદ સિવિલના ICU માં પહોંચી ભૂવાએ દર્દી પર વિધિ કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 20:36:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1721</Articleid>
                    <excerpt>આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરનાર ભૂવો ભલભલાં રોગના દર્દીઓને પોતે નવજીવન આપતો હોવાનો દાવો કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6762e32f6dea0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6762e32f36650.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6762e32f36650.jpg" length="71507" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ahmedabad civil hospital, Mukesh Bhuvaji ahmedabad, viral video</media:keywords>
                </item>
                        <item>
                    <title>બોલો લો! અમદાવાદ સિવિલના ICU માં પહોંચી ભૂવાએ દર્દી પર વિધિ કરી</title>
                    <link>https://khabarantar.com/ahmedabad-civil-hospital-the-priest-performed-the-ritual-on-the-patient</link>
                    <guid>https://khabarantar.com/ahmedabad-civil-hospital-the-priest-performed-the-ritual-on-the-patient</guid>
                    <description>
                        <![CDATA[ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ભૂવો વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરતો જોવા મળે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંધશ્રદ્ધા છેક એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સુધી પહોંચી ગઈ છે. જી હા, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસે પહોંચી એક ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી છે. સિવિલ હોસ્પિટલના આ વિસ્તારમાં ફોટો કે વીડિયોગ્રાફી કરવાની મનાઈ હોવા છતાં ભૂવાએ છેક આઈસીયુમાં પહોંચીને વિધિ કરી હતી અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સિવિલની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભૂવાની આ કરતૂતોને કારણે એશિયાની સૌથી મોટી જનરલ હોસ્પિટલની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સિવિલ હોસ્પિટલની કડક સુરક્ષા માટે વર્ષો લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અહીં સામાન્ય માણસના પરિવારજનો સાથે સિક્યોરિટી સ્ટાફ અત્યંત તોછડું વર્તન કરતો હોય છે, જેને લઈને પણ ફરિયાદો થતી રહે છે ત્યારે આ ભૂવાએ ગેટથી લઈને આઇસીયુ તરફ જતા રસ્તા પર વીડિયો ઉતારીને રીલ બનાવી, એટલું જ નહીં આઇસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની બાજુમાં ઊભા રહીને રીલ બનાવતા હોસ્પિટલની સિક્યોરિટી સામે પણ સવાલ થઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દર્દીનો સગો બની આઈસીયુમાં પહોંચ્યાનું અનુમાન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ તપાસ કરતાં આ વ્યક્તિ દર્દીનો સગો બનીને હોસ્પિટલમાં ગયાનું જણાયું છે. દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે, તેનો ઉપયોગ કરીને આ વ્યક્તિ દર્દી સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. આઇસીયુમાં દાખલ દર્દીની ઇન્ફેક્શન ન લાગે એ પ્રમાણે કર્ટેન્સ સાથે પ્રાઈવસી જાળવવામાં આવે છે. તેનો દુરુપયોગ કરીને આ વ્યક્તિએ વીડિયો બનાવ્યો હોવાનું જણાય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6762ce8a73317.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં જે દર્દી બતાવવામાં આવ્યો છે તે ઓલરેડી વેન્ટિલેટર પર છે, પરંતુ તે સાજો થઇ રહ્યો હોવાની ક્રેડિટ ભૂવાએ કરેલી વિધિને નથી જતી. તે સંપૂર્ણપણે સિવિલના નિષ્ણાત ડોક્ટરોની ટીમને જાય છે. એટલે ભૂવા કે અન્ય કોઇ વિધિ, માન્યતાથી દર્દી સાજો થયો એમ કહેવું અંધશ્રદ્ધાથી ભરેલું છે. સિક્યોરિટી દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવે છે છતાં આ વ્યક્તિ દર્દી સુધી કેવી રીતે પહોંચી તેની વધુ તપાસ કરીશું. આગામી સમયમાં વધુ ધ્યાન રાખીને આ પ્રકારની ઘટના કોઇપણ હોસ્પિટલમાં ન બને એનું ધ્યાન રાખવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/wadhwans-bhuva-who-killed-12-people-dies-in-police-custody">12 લોકોની હત્યા કરનાર વઢવાણના ભૂવાનું પોલીસ કસ્ટડીમાં મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 19:08:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1720</Articleid>
                    <excerpt>સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ભૂવો વેન્ટિલેટર પર રહેલા દર્દીની વિધિ કરતો જોવા મળે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6762ce757e81d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6762ce7548c90.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6762ce7548c90.jpg" length="71314" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ahmedabad civil hospital, Viral video, Local news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભીમા કોરેગાંવ મામલો : એક્ટિવિસ્ટ Rona Wilson ના વચગાળાના જામીન ફગાવાયા</title>
                    <link>https://khabarantar.com/rona-wilsons-interim-bail-rejected-in-elgar-parishad-case</link>
                    <guid>https://khabarantar.com/rona-wilsons-interim-bail-rejected-in-elgar-parishad-case</guid>
                    <description>
                        <![CDATA[ Rona Wilson એ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી, જેને મુંબઈની વિશેષ અદાલતે ફગાવી દીધી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Rona Wilson's interim bail rejected : મુંબઈની વિશેષ અદાલતે એલ્ગાર પરિષદ કેસમાં ધરપકડ કરાયેલા કાર્યકર્તા રોના વિલ્સનની અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં તેમણે તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, વિશેષ એનઆઈએ કોર્ટે કહ્યું કે સંબંધો ખૂબ દૂરના છે અને ત્યાં તેમની હાજરી બિલકુલ જરૂરી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિલ્સનની જૂન 2018માં પુણે પોલીસ દ્વારા તેમના દિલ્હીના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આ કેસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો હતો. પુણે પોલીસે આ કેસમાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિલ્સન હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને મહારાષ્ટ્રના નવી મુંબઈમાં આવેલી તલોજા જેલમાં બંધ છે. તેમણે તાજેતરમાં તેની પિતરાઈ બહેનની પુત્રીના લગ્નમાં હાજરી આપવા માટે 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી, 2025 સુધી વચગાળાના જામીન માંગ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">13 ડિસેમ્બરે સ્પેશિયલ જજ ચકોર બાવિસ્કરે તેમની અરજી ફગાવી દીધી હતી. ગયા મંગળવારે (17 ડિસેમ્બરે) ઉપલબ્ધ ઓર્ડરમાં વિશેષ અદાલતે અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે, "આરોપી તેમની ભત્રીજીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માંગે છે. આ સંબંધ ઘણો દૂરનો છે અને તેના માટે લગ્નમાં હાજર રહેવું બિલકુલ જરૂરી નથી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા અઠવાડિયે કોર્ટે ચાર વર્ષ પહેલાં આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપી સાગર ગોરખેને લોની પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, પુણે પોલીસ અને NIAએ એલ્ગાર પરિષદ કેસમાં 15 કાર્યકર્તાઓ, </span><span style="font-size: 14pt;">શિક્ષણવિદો અને વકીલોની ધરપકડ કરી હતી. તેમાંથી સૌથી વૃદ્ધ ફાધર સ્ટેન સ્વામી હતા, જેમનું જુલાઈ 2021માં અવસાન થયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એલ્ગાર પરિષદનો મામલો 31 ડિસેમ્બર 2017ના રોજ પુણેમાં આયોજિત સેમિનારમાં કથિત ભડકાઉ ભાષણ સાથે સંબંધિત છે. પોલીસનો દાવો છે કે આ ભાષણને કારણે બીજા દિવસે શહેરની હદમાં આવેલા ભીમા-કોરેગાંવ યુદ્ધ સ્મારક પાસે હિંસા થઈ હતી અને આ સેમિનારના આયોજકોના કથિત માઓવાદીઓ સાથે સંબંધો હતા. આ કેસમાં ધરપકડ કરાયેલા 16 લોકોમાંથી આઠ લોકો કસ્ટડીમાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં અત્યાર સુધી જેમને જામીન મળ્યા છે તેમાં કવિ વરવરા રાવ, શિક્ષણવિદો આનંદ તેલતુમ્બડે અને શોમા સેન, પત્રકાર ગૌતમ નવલખા, વકીલ સુધા ભારદ્વાજ અને અરુણ ફરેરા તથા  કાર્યકર્તા વર્નોન ગોન્સાલ્વિસનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bhima-koregaon-case-journalist-gautam-navalkhan-gets-bail-after-4-years">ભીમા કોરેગાંવ મામલોઃ પત્રકાર ગૌતમ નવલખાને 4 વર્ષ બાદ જામીન મળ્યાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 16:44:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1719</Articleid>
                    <excerpt>Rona Wilson એ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી, જેને મુંબઈની વિશેષ અદાલતે ફગાવી દીધી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67629dda7c1c9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67629dda47c27.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67629dda47c27.jpg" length="50779" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rona Wilson, interim bail rejected, Elgar Parishad case, Bhima Koregaon violence case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેતરમાં તારની વાડ કરતા દલિત પરિવાર પર મનોરોગીએ હુમલો કર્યો</title>
                    <link>https://khabarantar.com/Nagaur-News-a-psychopath-attacked-a-Dalit-family</link>
                    <guid>https://khabarantar.com/Nagaur-News-a-psychopath-attacked-a-Dalit-family</guid>
                    <description>
                        <![CDATA[ મનોરોગીએ તેના સાગરિતો સાથે ટ્રેક્ટર લઈ દલિત પરિવારના ખેતરે પહોંચી ગયો અને હુમલો કરી દીધો. દલિત યુવકને બચાવવા વચ્ચે પડનાર તેની પત્નીને જાતિવાદીઓએ માર માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં એક મેઘવાળ યુવકની હત્યાનો મામલો ચગેલો છે, તેમાં ન્યાય નથી મળ્યો ત્યાં હવે અન્ય એક ગામમાં એક મનોરોગી જાતિવાદી તત્વે સાથીઓ સાથે મળીને એક દલિત પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં દલિત યુવકને બચાવવા માટે વચ્ચે પડેલી તેની પત્નીને પણ જાતિવાદી તત્વોએ લાકડીઓથી માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નાગૌર જિલ્લાના તાંતવાસ ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના નાગૌર જિલ્લાના તાંતવાસ ગામની છે. અહીં એક દલિત પરિવાર પર જાતિવાદી તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લુખ્ખા તત્વો પતિ-પત્નીને મારતા અને ધમકાવતા જોઈ શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત બીરબલ રામ મેઘવાલે પોલીસમાં નોંધાવેલી રિપોર્ટમાં જણાવ્યું છે કે, 7 ડિસેમ્બરે જાતિવાદી માનસિકતાનો ગુલાબ સિંહ અને તેના સાથીઓ તેમણે ખેતરમાં લગાવેલી લોખંડની જાળી તોડવા માટે ટ્રેક્ટર લઈને આવી પહોંચ્યા હતા. જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો તો ગુલાબ સિંહે તેના પર લાકડીઓથી હુમલો કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બીરબલ મેઘવાળના પત્નીને પણ માર માર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બબાલનો અવાજ સાંભળીને બીરબલ મેઘવાળની પત્ની પારુ દેવી વચ્ચે પડી તો આરોપીઓએ તેને પણ લાકડીઓ વડે માર માર્યો, જેના કારણે પારુ દેવીને એક હાથમાં ગંભીર ઈજા થઈ. હુમલાખોરોએ જાતિ આધારિત અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને પતિ-પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમની મોટરસાઇકલને પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણ લોકો સામે કેસ નોંધાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીરબલ મેઘવાળના રિપોર્ટ પર પોલીસે ગુલાબ સિંહ, પ્રેમ સિંહ અને નરેન્દ્ર સિંહ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. નાગૌરના પોલીસ અધિક્ષક નારાયણ તોગસે જણાવ્યું કે મુખ્ય આરોપી માનસિક રીતે બીમાર છે અને જોધપુરમાં તેની સારવાર ચાલી રહી છે. કેસની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે અને એસસી-એસટી સેલના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાંસદે સંસદમાં દલિત અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ ફરી એકવાર દલિતો પરના અત્યાચારની ચર્ચા શરૂ થઈ છે. આ ઘટના નાગૌરમાં પહેલાથી ચાલી રહેલા કેસોમાં ઉમેરો કરે છે. લોકસભા સાંસદ હનુમાન બેનીવાલે સંસદમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા રાજસ્થાનમાં દલિતો પર વધી રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે સરકારે દલિતોને તેમના બંધારણીય અધિકારો આપવા માટે અસરકારક પગલાં લેવાની જરૂર છે. કાયદો હોવા છતાં દલિત સમુદાયને સમાનતાના અધિકાર માટે સંઘર્ષ કરવો પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ હેઠળ તપાસ શરૂ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. દલિત સંગઠનોએ આ કેસમાં ઝડપી ન્યાય અને આરોપીઓને કડક સજાની માંગ કરી છે. પોલીસ અધિક્ષક નારાયણ ટોગસે જણાવ્યું હતું કે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ ઝડપથી કરવામાં આવી રહી છે. એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પીડિતોને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-woman-killed-for-asking-why-are-you-grazing-cattle-in-my-field">'મારા ખેતરમાં ઢોર કેમ ચરાવો છો?' પૂછતા દલિત મહિલાની હત્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 14:28:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1718</Articleid>
                    <excerpt>મનોરોગીએ તેના સાગરિતો સાથે ટ્રેક્ટર લઈ દલિત પરિવારના ખેતરે પહોંચી ગયો અને હુમલો કરી દીધો. દલિત યુવકને બચાવવા વચ્ચે પડનાર તેની પત્નીને જાતિવાદીઓએ માર માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67628d75ef1e7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67628d75ab7bd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67628d75ab7bd.jpg" length="54968" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Nagaur News, attacked a Dalit family, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS શા માટે રાષ્ટ્રધ્વજનો વિરોધ કરે છે?</title>
                    <link>https://khabarantar.com/why-is-rss-opposing-the-india-national-flag</link>
                    <guid>https://khabarantar.com/why-is-rss-opposing-the-india-national-flag</guid>
                    <description>
                        <![CDATA[ દેશના બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા પર ફરી એકવાર RSS એ રાષ્ટ્રધ્વજનો વિરોધ કર્યો હતો તેની ચર્ચા થઈ રહી છે ત્યારે જાણો કેમ સંઘે રાષ્ટ્રધ્વનો વિરોધ કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Why does RSS oppose the national flag?: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર વર્ષોથી તેના હેડક્વાટર પર દેશનો રાષ્ટ્રધ્વજ નહીં ફરકાવવાને લઈને અનેક પ્રકારના આરોપો લાગતા રહે છે. હાલ બંધારણના 75 વર્ષ નિમિત્તે સંસદમાં ડો.આંબેડકર રચિત બંધારણ અને તેની સાથે રાષ્ટ્રધ્વજ સહિતના મુદ્દાઓ પર ચર્ચા છેડાઈ છે ત્યારે સંઘે શા માટે વર્ષો સુધી રાષ્ટ્રધ્વજ ન ફરકાવ્યો તેની વાત કરીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિસેમ્બર 1929માં કોંગ્રેસે તેના લાહોર અધિવેશનમાં લોકોને દર વર્ષે 26 જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપીને કરવાનું આહ્વાન કર્યું હતું (તે એ સમયે રાષ્ટ્રીય ચળવળનો ધ્વજ હતો. જેની વચ્ચે ચરખો હતો.). જ્યારે 26 જાન્યુઆરી 1930 નો દિવસ નજીક આવી રહ્યો હતો ત્યારે આરએસએસના સરસંઘચાલક અને સ્થાપક કે.બી. હેડગેવારે 21 જાન્યુઆરી, 1930ના રોજ એક પરિપત્ર બહાર પાડીને આરએસએસની તમામ શાખાઓને રાષ્ટ્રધ્વજ તરીકે ભગવા ધ્વજની પૂજા કરવા જણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય સર્વસંમતિનું ઉલ્લંઘન કરીને એ પરિપત્રમાં આરએસએસે તમામ શાખાઓના પ્રભારીઓને તેમના સ્વયંસેવકોની એક બેઠક તેમના સંબંધિત યુનિયન સ્થળોએ (જ્યાં શાખાઓ આવેલી છે) રવિવાર, 26 જાન્યુઆરી, 1930 ના રોજ સાંજે 6 વાગ્યે યોજવા જણાવ્યું હતું અને 'રાષ્ટ્રીય ધ્વજને એટલે કે ભગવા ધ્વજને સલામ કરો.' અહીં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે, આ પરિપત્રને પછી કદી પરત લેવામાં નથી આવ્યો. <em>(હેડગેવાર: પત્ર-રૂપ ભક્તિ દર્શન (હેડગેવારના પત્રોનો હિન્દી અનુવાદ), અર્ચના પ્રકાશન, ઇન્દોર, 1981, પૃષ્ઠ 18.)</em></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજવાદી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની એનજી ગોરે 1938માં આવી જ એક ઘટનાના સાક્ષી બન્યા હતા જ્યારે હિંદુત્વવાદી કાર્યકરોએ ત્રિરંગો ફાડી નાખ્યો અને પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાનીઓ પર શારીરિક હુમલો કર્યો હતો. ગોરના કહેવા પ્રમાણે: 'મે દિવસના જુલુસ પર કોણે હુમલો કર્યો? સેનાપતિ બાપટ અને (ગજાનન) કાનિટકર જેવા લોકો પર કોણે હુમલો કર્યો? રાષ્ટ્રધ્વજ કોણે ફાડી નાખ્યો? હિન્દુ મહાસભા અને હેડગેવારના છોકરાઓએ આ બધું કર્યું. તેમને મુસ્લિમોને જાહેર દુશ્મન નંબર 1 તરીકે નફરત કરવાનું શીખવવામાં આવ્યું છે. દેશના ઝંડાને નફરત કરવાનું શીખવવામાં આવ્યું છે. તેમની પાસે પોતાનો ધ્વજ છે, 'ભગવો', જે મરાઠા વર્ચસ્વનું પ્રતીક છે." <em>(કોંગ્રેસ સમાજવાદી, 14 મે 1938)</em></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/the-dalits-of-the-country-have-clearly-recognized-the-manuvadi-face-of-the-bjp-rss"><span style="font-size: 14pt;"> ભાજપ-RSS ના 'મનુવાદી' ચહેરાને દેશના દલિતો સ્પષ્ટ રીતે ઓળખી ગયા છે</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડી સાવરકરે પણ ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. તેના બહિષ્કારની માગણી કરતાં તેમણે 22 સપ્ટેમ્બર, 1941ના રોજ એક નિવેદનમાં જાહેર કર્યું - 'જ્યાં સુધી ધ્વજનો પ્રશ્ન છે, હિન્દુઓ પાસે 'કુંડલિની કૃપાણંકિત' મહાસભાના ધ્વજ સિવાય હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતો અન્ય કોઈ ધ્વજ હોવો જોઈએ નહીં, જેમાં 'ઓમ અને સ્વસ્તિક' અંકિત છે, જે હિન્દુ જાતિ અને નીતિના સૌથી પ્રાચીન પ્રતીકો છે, જે યુગોથી પ્રચલિત છે અને સમગ્ર ભારતમાં આદરણીય છે. તેથી કોઈ પણ સ્થળ કે કાર્ય, જ્યાં આ અખંડ હિંદુ ધ્વજનું સન્માન કરવામાં આવતું નથી તેનો હિંદુ સંગઠનો (હિંદુ મહાસભાના સભ્યો) દ્વારા કોઈપણ ભોગે બહિષ્કાર કરવો જોઈએ. ખાસ કરીને, ચરખા-ધ્વજ ખાદી ભંડારનું પ્રતિનિધિત્વ કરી શકે છે, પરંતુ ચરખો ક્યારેય હિંદુઓ જેવા ગૌરવશાળી અને પ્રાચીન રાષ્ટ્રની ભાવનાનું પ્રતીક અને પ્રતિનિધિત્વ કરી શકતો નથી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><em><span style="font-size: 14pt;">(ભીડે, એ.એસ. (સંપાદક), વિનાયક દામોદર સાવરકર કા તૂફાની પ્રચાર: ડિસેમ્બર 1937 થી ઓક્ટોબર 1941 સુધીના તેમના પ્રચાર પ્રવાસો પરના ઇન્ટરવ્યુની રાષ્ટ્રપતિની ડાયરીમાંથી અંશો, NA, Bombay pp. 469, 473.)</span></em><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોળવલકરે 1940માં RSS ના હેડક્વાટર રેશમ બાગ ખાતે 1350 ટોચના RSS કાર્યકર્તાઓ સમક્ષ એક ભાષણમાં કહ્યું હતું - 'એક ધ્વજ, એક નેતા અને એક વિચારધારાથી પ્રેરિત RSS આ મહાન ભૂમિના દરેક ખૂણામાં હિન્દુત્વની જ્યોત પ્રગટાવી રહ્યું છે.' (એમ. એસ. ગોલવલકર, શ્રી ગુરુજી સમગ્ર દર્શન <em>(હિન્દીમાં ગોલવલકરની એકત્રિત કૃતિઓ ભાગ 1, ભારતીય વિચાર સાધના, નાગપુર, પૃષ્ઠ 11.)</em></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમએસ ગોલવલકરે 14 જુલાઈ, 1946 ના રોજ નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં ગુરુપૂર્ણિમાની બેઠકને સંબોધિત કરતાં કહ્યું હતું - 'એ ભગવો ધ્વજ જ હતો, જે સમગ્ર ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતો હતો. તે ભગવાનનો અવતાર હતો. અમે દ્રઢપણે માનીએ છીએ કે અંતે આખો દેશ આ ભગવા ધ્વજ સમક્ષ નમશે.’ <em>(ગોલવલકર, M.S., શ્રી ગુરુજી સમગ્ર દર્શન, ભાગ 1, ભારતીય વિચાર સાધના, નાગપુર, n.d., પૃષ્ઠ 98.)</em></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/rss-chief-mohan-bhagwat-was-given-prime-minister-like-security"><span style="font-size: 14pt;">RSS ના વડા મોહન ભાગવતને વડાપ્રધાન જેવી સુરક્ષા અપાઈ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ જ્યારે તિરંગો ફરકાવવા માટે લાલ કિલ્લાની પ્રાચીર તૈયાર કરવામાં આવી રહી હતી. તે સમયે ભારતના દરેક ભાગમાં સામાન્ય લોકો ત્રિરંગા સાથે કૂચ કરી રહ્યા હતા અને પોતાના ઘરોની છત પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા હતા. ત્યારબાદ RSSના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઇઝરે 14 ઓગસ્ટ, 1947ના અંકમાં લખ્યું હતું - 'ભાગ્યના મારથી સત્તામાં આવેલા લોકો ભલે ને આપણા હાથમાં ત્રિરંગો પકડાવી દે પરંતુ હિંદુઓ ક્યારેય તેનું સન્માન નહીં કરે અને તેને અપનાવશે નહીં. ત્રણ શબ્દો પોતે જ એક અનિષ્ટ છે અને ત્રણ રંગ ધરાવતો ધ્વજ ચોક્કસપણે ખૂબ જ ખરાબ મનોવૈજ્ઞાનિક અસર પેદા કરશે અને દેશ માટે નુકસાનકારક છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓર્ગેનાઈઝરે આ પહેલા પણ એક સંપાદકીય ('રાષ્ટ્રધ્વજ', 17 જુલાઈ, 1947) લખ્યો હતો, જ્યારે ભારતની બંધારણ સભાની સમિતિએ રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગાની તરફેણમાં નિર્ણય લીધો હતો - 'અમે એ વાત સાથે બિલકુલ સહમત નથી કે ધ્વજ ભારતના તમામ પક્ષો અને સમુદાયોને સ્વીકાર્ય હોવો જોઈએ. આ તદ્દન બકવાસ છે. ધ્વજ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારતમાં એક જ રાષ્ટ્ર છે, હિન્દુ રાષ્ટ્ર. આપણે બધાં સમાજોની ઈચ્છાઓ અને અપેક્ષાઓને સંતોષવાના ઉદ્દેશ્યથી ધ્વજની પસંદગી ન કરી શકીએ. આપણે દરજીને આપણા માટે શર્ટ કે કોટ બનાવવાનો ઓર્ડર આપીએ છીએ તે રીતે ધ્વજ પસંદગી ન કરી શકીએ.’</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદી પછી પણ આરએસએસે ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ‘બંચ ઓફ થોટ્સ’માં ‘ડ્રિફ્ટિંગ એન્ડ ડ્રિફ્ટિંગ’ શીર્ષકવાળા નિબંધમાં ગોલવલકરે લખ્યું છે – ‘આપણા નેતાઓએ આપણા દેશ માટે નવો ધ્વજ સ્થાપિત કર્યો છે. તેઓએ આવું કેમ કર્યું? તે માત્ર પ્રલોભન અને અનુકરણની બાબત છે. આપણો દેશ એક પ્રાચીન અને મહાન રાષ્ટ્ર છે, જેનો ભવ્ય ભૂતકાળ છે. તો શું આપણો પોતાનો કોઈ ધ્વજ નહોતો? શું આ હજારો વર્ષોમાં આપણી પાસે કોઈ રાષ્ટ્રીય પ્રતીક નહોતું? બિલકુલ હતું. તો પછી આપણા મનમાં આ સંપૂર્ણ શૂન્યતા શા માટે છે?' <em>(ગોલવલકર, એમ.એસ., બંચ ઓફ થોટ્સ, સાહિત્ય સિંધુ પ્રકાશન, બેંગ્લોર, 1966, પૃષ્ઠ 237-38.)</em></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રિરંગાને</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/how-did-the-slogan-of-jai-bheem-outweigh-jai-shri-ram">'જય શ્રીરામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em></em></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 13:19:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1717</Articleid>
                    <excerpt>દેશના બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા પર ફરી એકવાર RSS એ રાષ્ટ્રધ્વજનો વિરોધ કર્યો હતો તેની ચર્ચા થઈ રહી છે ત્યારે જાણો કેમ સંઘે રાષ્ટ્રધ્વનો વિરોધ કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67627b653829d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67627b650662b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67627b650662b.jpg" length="60132" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, opposing, india national flag, Savarkar, K.B. Hedgewar, M.S. Golwalkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?</title>
                    <link>https://khabarantar.com/what-does-rss-believe-about-the-constitution-of-india-written-by-dr-ambedkar</link>
                    <guid>https://khabarantar.com/what-does-rss-believe-about-the-constitution-of-india-written-by-dr-ambedkar</guid>
                    <description>
                        <![CDATA[ ડો.આંબેડકર લિખિત બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં RSS નું વારંવાર ઉછળી રહ્યું છે ત્યારે સંઘ અને તેના સ્થાપકો બંધારણ વિશે શું માનતા હતા તે સમજીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS Opposed Indian Constitution: બંધારણના 75 વર્ષ પૂરા થવા પર સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં આરએસએસ અને તેના નેતાઓનું નામ અનેકવાર ઉછળ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ડૉ.આંબેડકર લિખિત ભારતના બંધારણને લઈને RSS નું વલણ શું રહ્યું છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">26 નવેમ્બર, 1949 ના રોજ, બંધારણ સભાએ બંધારણ સ્વીકાર્યું. એ પછી 26 જાન્યુઆરી, 1950થી આખા દેશમાં તેને લાગુ કરવામાં આવશે અને ત્યાર બાદ આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS એ આ ઐતિહાસિક સિદ્ધિ પર શોક વ્યક્ત કર્યો હતો. 30 નવેમ્બર, 1949 ના રોજ, બંધારણ સભા દ્વારા બંધારણ પસાર થયાના ત્રણ દિવસ પછી, RSS ના અંગ્રેજી મુખપત્ર 'ઓર્ગેનાઇઝર'એ લખ્યું - "આપણા બંધારણમાં, પ્રાચીન ભારતમાં અનન્ય બંધારણીય વિકાસનો કોઈ ઉલ્લેખ નથી. મનુના કાયદા સ્પાર્ટાના લાઈકર્ગસ અથવા ફારસના સોલનના ઘણા સમય પહેલા લખાયા હતા. આજે પણ મનુસ્મૃતિમાં વર્ણવેલા તેમના કાયદા સમગ્ર વિશ્વમાં વખણાય છે અને સ્વયંસ્ફુરિત આજ્ઞાપાલન અને અનુરૂપતાને પ્રોત્સાહિત કરે છે. પરંતુ આપણા બંધારણીય પંડિતો માટે આનો કોઈ અર્થ નથી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">14 ઓગસ્ટ, 1947ના રોજ, સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ, RSSના મુખપત્ર ઓર્ગેનાઇઝરના સંપાદકીયમાં 'વ્હીદર' શીર્ષકથી લખ્યું હતું - "આપણે હવે પોતાને રાષ્ટ્રવાદની ખોટી ધારણાઓથી પ્રભાવિત થવા દેવી જોઈએ નહીં. માનસિક ભ્રમ તથા વર્તમાન અને ભવિષ્યની ઘણી મુશ્કેલીઓ એ સરળ તથ્યની તાત્કાલિક માન્યતાથી દૂર થઈ શકે છે કે હિંદુસ્તાનમાં માત્ર હિંદુ જ રાષ્ટ્રનું નિર્માણ કરે છે અને રાષ્ટ્રીય સંરચનાને એ સુરક્ષિત અને મજબૂર પાયા પર બાંધવું જોઈએ. રાષ્ટ્રનું નિર્માણ પોતાના પર - હિન્દુઓના, હિન્દુ પરંપરાઓ, સંસ્કૃતિ, વિચારો અને આકાંક્ષાઓ પર થવું જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/when-gandhiji-arrived-to-meet-savarkar-he-was-frying-shrimp">ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિનાયક દામોદર સાવરકર પણ દેશના બંધારણમાં મનુના કાયદા લાગુ કરવા માંગતા હતા. તેઓ લખે છે - 'મનુસ્મૃતિ એ શાસ્ત્ર છે જે વેદ પછી આપણા હિન્દુ રાષ્ટ્ર દ્વારા સૌથી વધુ પૂજનીય છે અને જે પ્રાચીન કાળથી આપણી સંસ્કૃતિ, રિવાજો, વિચારો અને વર્તનનો આધાર બની ગયું છે. સદીઓથી આ પુસ્તકે આપણા રાષ્ટ્રની આધ્યાત્મિક અને દૈવી યાત્રાને સંહિતાબદ્ધ કરી છે. આજે પણ કરોડો હિંદુઓ તેમના જીવન અને વર્તનમાં જે નિયમોનું પાલન કરે છે તે મનુસ્મૃતિ પર આધારિત છે. આજે મનુસ્મૃતિ હિંદુ કાયદો છે. આ મૂળભૂત છે. (વી. ડી. સાવરકર, ‘મનુસ્મૃતિમાં મહિલાઓ’)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુત્વ દક્ષિણપંથી અને કોંગ્રેસની અંદર રૂઢિવાદી વર્ગોએ, ભગવા વસ્ત્રોવાળા સ્વામીઓ અને સાધુઓ સાથે મળીને હિંદુ કોડ બિલના અમલનો વિરોધ કર્યો હતો. તેઓ વિરોધમાં દેશભરમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લોકોએ દિલ્હીમાં ડો.બી.આર.આંબેડકરના નિવાસસ્થાને હુમલો કર્યો હતો. આંબેડકરના નિવાસસ્થાન પર હુમલાની તરફેણમાં તેમની દલીલ હતી - 'આ બિલ 'હિંદુ ધર્મ અને સંસ્કૃતિ પર હુમલો છે'. (ઈકોનોમિક વીકલી, 24 ડિસેમ્બર, 1949 અને સાવરકર સમગ્ર (હિન્દીમાં સાવરકરના લેખોનો સંગ્રહ), પ્રભાત, દિલ્હી, ભાગ 4, પૃષ્ઠ 415.)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બિલ પર ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના પુસ્તકમાંથી એક અંશ જોઈએ - 'ધ એન્ટિ-હિન્દુ કોડ બિલ કમિટીએ સમગ્ર ભારતમાં સેંકડો બેઠકો યોજી, જ્યાં વિવિધ સ્વામીઓએ સૂચિત કાયદાની નિંદા કરી હતી. આ ચળવળમાં ભાગ લેનારાઓએ પોતાને ધાર્મિક યોદ્ધાઓ (ધર્મવીર) તરીકે રજૂ કર્યા, જેઓ એક ધાર્મિક યુદ્ધ (ધર્મયુદ્ધ) લડી રહ્યા હતા. આરએસએસે આ આંદોલન પાછળ પોતાની પૂરી તાકાત લગાવી દીધી. 11 ડિસેમ્બર, 1949ના રોજ, RSSએ દિલ્હીના રામલીલા મેદાનમાં એક જાહેર સભા યોજી, જ્યાં એક પછી એક વક્તાઓએ બિલની નિંદા કરી. એકે તેને ‘હિંદુ સમાજ પર પરમાણુ બોમ્બ’ ગણાવ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા દિવસે આરએસએસના કાર્યકરોના એક ગ્રુપે વિધાનસભા ભવન પર કૂચ કરી અને 'હિંદુ કોડ બિલ મુર્દાબાદ' ના નારા લગાવ્યા. વિરોધીઓએ વડાપ્રધાન અને ડૉ. આંબેડકરના પૂતળા બાળ્યા અને પછી શેખ અબ્દુલ્લાની કારમાં તોડફોડ કરી. (રામચંદ્ર ગુહા, ‘ભાગવત્સ આંબેડકર’, ઈન્ડિયન એક્સપ્રેસ, ડિસેમ્બર 10, 2015)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યું હતું- 'હિન્દુ કોડ બિલ હિંદુ સંસ્કૃતિના ભવ્ય માળખાને તોડી પાડશે'.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-dalits-of-the-country-have-clearly-recognized-the-manuvadi-face-of-the-bjp-rss">ભાજપ-RSS ના 'મનુવાદી' ચહેરાને દેશના દલિતો સ્પષ્ટ રીતે ઓળખી ગયા છે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'બંચ ઓફ થોટ્સ'માં ગોલવલકરે આવી નીતિઓની સ્પષ્ટ શબ્દોમાં ટીકા કરી હતી - 'આપણે જાતિ, સંપ્રદાય વગેરેના આધારે જૂથો બનાવવા અને સેવાઓ, નાણાકીય સહાય, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને અન્ય તમામ બાબતોમાં વિશેષ અધિકારો અને વિશેષાધિકારોની માંગણી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો જોઈએ. લઘુમતીઓ અને સમુદાયો વિશે વાત કરવાનું અને વિચારવાનું સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ પુસ્તકમાં બીજી જગ્યાએ તેઓ લખે છે - 'ડૉ. આંબેડકરે 1960માં પ્રજાસત્તાક બન્યાના દિવસથી માત્ર 10 વર્ષ માટે ‘અનુસૂચિત જાતિઓ’ માટે વિશેષ વિશેષાધિકારોની કલ્પના કરી હતી, પરંતુ તે ચાલુ છે. તેને વધારવામાં આવી રહ્યું છે. એક અલગ જૂથ તરીકે બન્યા રહેવામાં તેમના નિહિત સ્વાર્થ ચાલુ છે. આનાથી બાકીના સમાજ સાથેના તેમના એકીકરણને નુકસાન થશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદી પછી, એમ.એસ. ગોલવલકરે લખ્યું- 'આપણું બંધારણ પણ પશ્ચિમી દેશોના વિવિધ બંધારણોના વિવિધ અનુચ્છેદનું એક બોજારૂપ અને વિચિત્ર સંયોજન છે. એમાં એવું કશું જ નથી જેને આપણું પોતાનું કહી શકાય. શું તેના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એ વાતનો એક પણ સંદર્ભ છે કે આપણું રાષ્ટ્રીય મિશન શું છે અને જીવમાં આપણો મુખ્ય ઉદ્દેશઅય શું છે?' (એમ. એસ. ગોલવલકર, બંચ ઑફ થોટ્સ, સાહિત્ય સિંધુ, બેંગ્લોર, 1966, પૃષ્ઠ 238)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકશાહી-ધર્મનિરપેક્ષ ભારતીય બંધારણને બદલે આરએસએસ હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લે છે. આ તેની દરરોજની પ્રાર્થનામાં સામેલ છે. પ્રાર્થના નીચે મુજબ છે - 'પ્રિય માતૃભૂમિ, હું તમને હંમેશા નમન કરું છું/હે હિંદુઓની ભૂમિ, તમે મને સુખ-સુવિધાઓથી ઉછેર્યો છે/હે પવિત્ર ભૂમિ, ભલાઈની મહાન નિર્માતા, મારું આ શરીર તમને સમર્પિત થાય/ હું વારંવાર તમને નમન કરું છું / હે સર્વશક્તિમાન ભગવાન, અમે, હિન્દુ રાષ્ટ્રના અભિન્ન અંગ, તમને નમન કરીએ છીએ / અમે તમારા હેતુ માટે કમર કસી લીધી છે /તેની સિદ્ધિ માટે અમને તમારા આશીર્વાદ આપો.' (આરએસએસ, શાખા દર્શિકા, જ્ઞાન ગંગા, જયપુર, 1997, પૃષ્ઠ-1)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rss-says-there-is-no-untouchable-in-hindu-scriptures-then-what-is-there-in-manusmriti">RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' માં શું છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય એકતા પરિષદ (1961)ની પ્રથમ પરિષદમાં ગોલવલકરે કહ્યું – 'આજની ​​સંઘીય સરકાર ન માત્ર અલગતાની ભાવનાઓને જન્મ આપે છે પરંતુ તેનું પાલનપોષણ પણ કરે છે. એક રીતે તે એક રાષ્ટ્રની હકીકતને ઓળખવાનો ઇનકાર કરે છે. તેનો નાશ કરે છે. તેને સંપૂર્ણપણે ઉખાડી ફેંકવું પડશે. બંધારણને શુદ્ધ કરવું પડશે અને એકાત્મક શાસનની વ્યવસ્થા સ્થાપિત કરવી પડશે.' (SGSD, Vol. 1, p. 11, 'RSS-Marketing Fascism as Indian Nationalism, p. 146; અથવા શ્રી ગુરુજી સમગ્ર, p. 128, વોલ્યુમ 3)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1960ના દાયકાના મધ્યમાં ગોલવલકરે મરાઠી દૈનિક નવકાલને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં ફરી એકવાર મનુસ્મૃતિના વખાણ કર્યા હતા અને બંધારણમાં ખામીઓ હોવાની વાત કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોલવલકરનું એક પુસ્તક છે ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’. 1946 માં પ્રકાશિત તેની ચોથી આવૃત્તિ અનુસાર - "ભારતના તમામ બિન-હિંદુઓએ હિન્દુ સંસ્કૃતિ અને ભાષા અપનાવવી પડશે, હિંદુ ધર્મનું સન્માન કરવું પડશે અને હિંદુ જાતિ કે સંસ્કૃતિના મહિમા સિવાય અન્ય કોઈ વિચારોને ધ્યાનમાં રાખવાના નથી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ પુસ્તકના પેજ 42 પર તેઓ લખે છે - "જર્મનીએ જાતિ અને સંસ્કૃતિની શુદ્ધતા જાળવવા સેમિટિક યહૂદી જાતિનો નાશ કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું. તેમાંથી જાતીય </span><span style="font-size: 14pt;">ગૌરવના ચરમરૂપની ઝલક મળે છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-the-game-going-on-to-make-reservation-based-on-economic-rather-than-social-basis">અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોલવલકરનું બીજું પુસ્તક છે ‘બંચ ઓફ થોટ્સ’. આ પુસ્તકમાં તેઓ જાતિ વ્યવસ્થાના સમર્થનમાં લખે છે - 'આપણા સમાજની વિશેષતા જાતિ વ્યવસ્થા હતી. આજે તેને જાતિ પ્રથા કહીને તેની મજાક ઉડાવવામાં આવે છે. સમાજની કલ્પના સર્વશક્તિમાન ભગવાનની ચતુરંગ અભિવ્યક્તિના સ્વરૂપ તરીકે કરવામાં આવી હતી. દરેક વ્યક્તિએ પોતપોતાની યોગ્યતા અનુસાર અને પોતાની રીતે તેની પૂજા કરવી જોઈએ. બ્રાહ્મણને એટલા માટે મહાન માનવામાં આવતો હતો કેમ કે તે જ્ઞાનનું દાન કરતો હતો. ક્ષત્રિયને પણ એટલા જ મહાન માનવામાં આવતા હતા કારણ કે તે દુશ્મનોનો સંહાર કરતો હતો. વૈશ્ય પણ ઓછા મહત્વના નહોતા, કારણ કે તેણે કૃષિ અને વાણિજ્ય દ્વારા સમાજની જરૂરિયાતો પૂરી કરી હતી અને શૂદ્ર પણ હતા જેમણે તેમની કલા કૌશલ્ય દ્વારા સમાજની સેવા કરી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓ માટે લાવવામાં આવેલા હિંદુ કોડ બિલના વિરોધમાં ગોલવલકરે લખ્યું - જો મહિલાઓને સમાન અધિકાર મળશે, તો તે પુરુષો માટે 'મોટી મનોવૈજ્ઞાનિક કટોકટી' ઊભી કરશે જે 'માનસિક બીમારી અને ડિપ્રેશન'નું કારણ બનશે. (પૌલા બચેટા, જેન્ડર ઇન ધ હિન્દુ નેશનઃ આરએસએસ વુમન એઝ આઇડિયાલોગ્સ, પૃષ્ઠ 124)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસના ત્રીજા સરસંઘચાલક રજ્જુ ભૈયા ઉર્ફે રાજેન્દ્ર સિંહે ઈન્ડિયન એક્સપ્રેસ (14 જાન્યુઆરી, 1993)માં લખ્યું - 'વર્તમાન સંઘર્ષને આંશિક રીતે આપણી સિસ્ટમની અયોગ્યતા માટે જવાબદાર ઠેરવી શકાય છે, જે મૂળ ભારત, તેની પરંપરા, મૂલ્યો અને નૈતિક જરૂરિયાતોને પ્રતિસાદ આપવામાં અસમર્થ છે. આ દેશની કેટલીક વિશેષતાઓ બંધારણમાં પ્રતિબિંબિત થવી જોઈએ. ‘ઈન્ડિયા એ ભારત’ ને બદલે આપણે 'ભારત એટલે હિન્દુસ્તાન' કહેવું જોઈએ. સત્તાવાર દસ્તાવેજો સર્વગ્રાહી સંસ્કૃતિનો સંદર્ભ આપે છે, પરંતુ આપણી સંસ્કૃતિ ચોક્કસપણે સર્વગ્રાહી નથી. સંસ્કૃતિ એ કપડાં પહેરવા કે ભાષા બોલવી નથી. ખૂબ જ મૂળભૂત અર્થમાં, આ દેશમાં એક અનન્ય સાંસ્કૃતિક એકતા છે. કોઈપણ દેશ, જો તેને ટકી રહેવું હોય, તો આ બાબતને ખંડિત કરી શકાય નહીં. આ બધું દર્શાવે છે કે બંધારણમાં ફેરફારની જરૂર છે. ભવિષ્યમાં, આ દેશની લોકાચાર અને પ્રતિભાને અનુરૂપ બંધારણ અપનાવવું જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar">ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 11:36:31 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 18 Dec 2024 11:37:47 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1716</Articleid>
                    <excerpt>ડો.આંબેડકર લિખિત બંધારણને 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં RSS નું વારંવાર ઉછળી રહ્યું છે ત્યારે સંઘ અને તેના સ્થાપકો બંધારણ વિશે શું માનતા હતા તે સમજીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676264ff7971f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676264ff46b53.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676264ff46b53.jpg" length="125003" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>rss opposed indian constitution, RSS, Dr. Ambedkar, Savarkar, M. S. Golwalkar, Bunch of Thoughts</media:keywords>
                </item>
                        <item>
                    <title>પપ્પા..હું નહીં બચું...નહીં બચું...</title>
                    <link>https://khabarantar.com/ten-year-old-girl-raped-by-neighbor-in-bharuchs-zaghadiya-gidc</link>
                    <guid>https://khabarantar.com/ten-year-old-girl-raped-by-neighbor-in-bharuchs-zaghadiya-gidc</guid>
                    <description>
                        <![CDATA[ ઝઘડિયા જીઆઈડીસીમાં મજૂર પરિવારની 10 વર્ષની દીકરી પર પડોશી નરાધમે બળાત્કાર ગુજારતા માસુમ દીકરી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Ten-year-old girl raped by neighbor in Bharuch's Zaghadiya GIDC: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં 10 વર્ષીય બાળકીના અપહરણ અને દુષ્કર્મની ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. ઝારખંડથી પેટિયું રળવા ઝઘડિયા આવેલા મજૂર પરિવારની માસુમ પર બાજુમાં જ રહેતા 36 વર્ષના હવસખોરે એકલતાનો લાભ લઈ બળાત્કાર કર્યો હતો. હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ, પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે 10 વર્ષની માસુમ દીકરી પપ્પા હું નહીં બચું...એમ કહીને જીવનમરણ વચ્ચે દવાખાનામાં ઝોલાં ખાઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું બન્યું હતું?</span></strong></span><br><span style="font-size: 14pt;">ઝઘડિયા GIDC વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર દુઃખના ડુંગર તૂટી પડ્યાં છે. માતાપિતા મજૂરીએ ગયા હતા ત્યારે પોતાના ઘર નજીક રમી રહેલી 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય શખ્સ અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દીવાલ કૂદાવીને ઝાડીઓમાં લઇ ગયો હતો. ત્યાં આ નારાધમે 10 વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમની વિકૃતતાનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને માસુમ દર્દથી કણસી રહી હોવા છતાં તેણે જરાય દયા દાખવ્યા વિના પોતાની હવસ સંતોષી હતી. બાળકીના હોઠ પણ તેણે કરડી ખાધા હતા અને ચહેરો પર પથ્થરમારીને વિકૃત કરી નાખ્યો હતો. એ પછી તે બાળકીને લોહીલુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સારવાર કરનાર ડોક્ટરોના હાથ પણ ધ્રુજી ઉઠ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">બાળકી સાથે કઈ હદે વિકૃતતા દાખવવામાં આવી છે તે તેના પરથી પણ સમજી શકાય છે કે, તેની સારવાર કરતાં તબીબોના હાથ પણ ધ્રુજી ઉઠ્યા હતા. બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઉભું પણ થવાતું ન હતું. જેથી તે ત્યાંથી ઢસડાતી ઢસડાતી પોતાના ઘરની  દીવાલ સુધી પહોંચીને પોતાની માતાને બુમો પાડવા લાગી હતી. એ દરમિયાન ત્યાં વાસણ માંજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતાં જ ઉપર ચઢીને જોતા જ ચોકી ઉઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતાં અન્ય લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી. જ્યાં હાજર તબીબો બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા ધ્રુજી ઉઠ્યાં હતા. દરમિયાન બાળકીને વધુ સારવારની જરૂર પડતાં તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67624daf2fcd0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે નરાધમને ઝડપી પાડ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">આ બાજુ ઘટનાની જાણ થતાં પોલીસકર્મીઓએ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા હવસખોરને ઝડપી પાડ્યો હતો અને તેની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતનો કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બાળકીની તબિયત સ્થિર છેઃ ડોક્ટર</span></strong><br><span style="font-size: 14pt;">આ તરફ વડોદરા હોસ્પિટલના ડોક્ટરોએ સારવાર દરમિયાન જણાવ્યું હતું કે, હાલ બાળકીની તબિયત સ્થિર છે અને તેને આરામની જરૂર છે. બીજી તરફ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં નરાધમ આરોપીને ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી દીધી છે. આરોપી પણ ઝારખંડનો રહેવાસી છે અને બાળકીની બાજુમાં જ રહેતો હતો અને મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. હાલ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-young-man-molested-a-tribal-woman-and-put-human-feces-in-her-mouth">આદિવાસી મહિલાની છેડતી કરી યુવકે તેના મોંમાં માનવમળ ઠૂંસી દીધું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 09:59:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1715</Articleid>
                    <excerpt>ઝઘડિયા જીઆઈડીસીમાં મજૂર પરિવારની 10 વર્ષની દીકરી પર પડોશી નરાધમે બળાત્કાર ગુજારતા માસુમ દીકરી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67624daea5dc1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67624dae732b5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67624dae732b5.jpg" length="39863" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ten-year-old girl raped, Bharuch, Zaghadiya GIDC</media:keywords>
                </item>
                        <item>
                    <title>OBC સમાજને સ્થાનિક ચૂંટણીઓમાં બેઠકોની ફાળવણીમાં મોટો અન્યાય</title>
                    <link>https://khabarantar.com/obc-communiry-major-injustice-in-the-allocation-of-seats-in-local-elections</link>
                    <guid>https://khabarantar.com/obc-communiry-major-injustice-in-the-allocation-of-seats-in-local-elections</guid>
                    <description>
                        <![CDATA[ સમર્પિત આયોગના રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટની સૂચનાઓને ભાજપ સરકાર ઘોળીને પી ગઈ. રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવા માંગ ઉઠી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની ડબલ એન્જિનની સરકાર રાજ્યના ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરતી આવી છે તેમજ તેની સાથે સતત ભેદભાવ રાખી રહી હોવાનો આક્ષેપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ લગાવ્યો છે. રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસીની બેઠક ફાળવણીમાં મોટો અન્યાય કરી રહી છે. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર નહીં કરાય તો મુખ્યમંત્રી કાર્યાલય પર ધરણાં કરવાની ચીમકી પણ અમિત ચાવડાએ આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે વિધાનસભા ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રેસ-મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં ચાવડાએ સરકાર સામે મોટા આરોપ લગાવીને કહ્યું છે કે, ઓબીસી સમાજને બજેટની ફાળવણીમાં ભેદભાવનો તો સામનો કરવો પડે પણ એનું રાજકીય પ્રતિનિધિત્વ સીમિત કરવા માટેના પ્રયત્ન થઇ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી.ની અનામત બેઠકો નક્કી કરવા માટે કમિશન બનાવવાની સૂચના અપાઈ હતી. જેના ભાગરૂપે જુલાઈ ૨૦૨૨માં જસ્ટીસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને સમર્પિત આયોગની રચના કરાઇ. આયોગ દ્વારા અભ્યાસ કરીને નગરપાલિકા, તાલુકા, જિલ્લા, મહાનગર અને ગ્રામ પંચાયત જેને યુનિટ દીઠ ગણી યુનિટમાં ઓબીસીની કેટલી વસ્તી છે એને ૫૦%ની અપર લિમિટને ધ્યાનમાં રાખીને કેટલી અનામત આપી શકાય એનો અભ્યાસ કરવા માટે આયોગની રચના કરાઇ હતી. અને આયોગ દ્વારા વિગતવાર અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરાયો હતો. જો કે, કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળની રાજ્યપાલને રજૂઆત બાદ રાજ્યપાલની સૂચના બાદ લગભગ ૧૦ મહિના બાદ એપ્રિલ ૨૦૨૩માં સરકારે આયોગનો રિપોર્ટ સ્વીકાર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં સ્વાભિમાન ધરણાં બાદ સરકારે કમિટી રચી અને સપ્ટેમ્બર-૨૦૨૩માં વિધાનસભામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭ ટકા ઓબીસી અનામત અંગેનું વિધેયક લવાયું હતું. જો કે સરકાર દ્વારા જસ્ટિસ ઝવેરીએ સમર્પિત આયોગમાં શું શું ભલામણો કરી છે? તેણે જાહેર કરવી જોઈએ તેવી માંગણી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર એક અઠવાડિયામાં આ અંગે કાર્યવાહી નહિ કરે તો અમે મુખ્યમંત્રી પાસે છેલ્લે પત્રવ્યવહાર કરીને માંગણી કરી છે એ મુજબ રિપોર્ટ નહિ આપે તો ના છૂટકે મુખ્યમંત્રીના કાર્યાલય સામે ધરણાં કરવાની ચીમકી આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-obc-commission-in-gujarat-is-run-only-on-paper-with-one-member">ગુજરાતમાં OBC Commission ફક્ત કાગળ પર, એક સભ્યથી ચાલે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Dec 2024 21:20:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1714</Articleid>
                    <excerpt>સમર્પિત આયોગના રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટની સૂચનાઓને ભાજપ સરકાર ઘોળીને પી ગઈ. રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવા માંગ ઉઠી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67619cb090f55.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67619cb06143f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67619cb06143f.jpg" length="58818" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>obc communiry, Injustice in seat allocation, obc News</media:keywords>
                </item>
                        <item>
                    <title>વોર્ડ પ્રમુખ બનવા ભાજપ કાર્યકરે દસ્તાવેજોમાં જન્મ તારીખ બદલી નાખી</title>
                    <link>https://khabarantar.com/bjp-worker-changed-date-of-birth-in-documents-to-become-ward-president</link>
                    <guid>https://khabarantar.com/bjp-worker-changed-date-of-birth-in-documents-to-become-ward-president</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપના કાર્યકરે ઉમર નાની બતાવવા દસ્તાવેજમાં પોતાની જન્મતારીખ બદલી નાખી હતી. ભાંડો ફૂટતા પક્ષે સસ્પેન્ડ કરી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજનીતિ ફિલ્મનો એક ડાયલોગ છે – રાજનીતિ કા એક હી નિયમ હૈ, જીત – કિસી ભી કિમત પર. જો રાજકારણમાં તમારી પાસે કોઈ સત્તા કે હોદ્દો નથી તો તમારી કોઈ કિંમત નથી. સત્તા પક્ષના હોદ્દેદારો, નેતાઓનો એક અલગ મોભો હોય છે. આવો મોભો સૌ કોઈને મેળવવો હોય છે. પરંતુ રાજકોટના ભાજપના એક કાર્યકરે તો હદ કરી નાખી. તેણે વોર્ડ પ્રમુખ બનવા માટે પોતાની ઉમર નાની દર્શાવવા માટે સરકારી દસ્તાવેજોમાં ચેડાં કરીને પોતાની જન્મ તારીખ બદલી નાખી હતી. જો કે આ બાબતની ભાજપના સંગઠનને જાણ થતાં તેણે આ કાર્યકરને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત ભાજપના સંગઠનમાં હાલમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે. એટલે આગામી દિવસોમાં પક્ષના સંગઠનના માળખામાં ફેરફારો થવાના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સંગઠનમાં પણ કેટલાક મહત્વના પદો માટે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જેના અંતર્ગત તાલુકા પ્રમુખ કે વોર્ડ પ્રમુખ બનવા માટે ભાજપ દ્વારા કાર્યકરની 40 વર્ષની વયમર્યાદા નક્કી કરી છે. આ સંજોગોમાં વોર્ડ કે તાલુકા પ્રમુખ બનવા ઇચ્છુક અનેક કાર્યકરોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ત્યારે રાજકોટમાં વોર્ડ પ્રમુખ બનવા ઇચ્છુક ભાજપના એક કાર્યકરે સરકારી દસ્તાવેજોમાં ચેડાં કરીને પોતાની જન્મ તારીખ બદલી નાખીને મોટો કાંડ કરી નાખ્યો. જેના કારણે વોર્ડ પ્રમુખ બનવું તો દૂર રહ્યું, પક્ષમાંથી સસ્પેન્ડ થવું પડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટ શહેર ભાજપના કાર્યકર અને બક્ષી પંચ મોરચાના પ્રમુખ એવા એવા વિપુલ માખેલા વોર્ડ પ્રમુખ બનવા ઈચ્છતો હતો. પરંતુ ભાજપ સંગઠનના નવા નિયમો મુજબ 40 વર્ષથી વધુ વયની વ્યક્તિ વોર્ડ કે તાલુકા પ્રમુખ બની શકે નહીં. જ્યારે ખાસ કિસ્સા વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદા નિશ્ચિત કરાઇ છે. પરંતુ વિપુલ માખેલા 50 વર્ષનો છે, પરંતુ વોર્ડ પ્રમુખ બનવાની લાલસા એટલી બધી હતી કે, તેણે સરકારી દસ્તાવેજો એવા જન્મના દાખલા અને આધારકાર્ડમાં પોતાની જન્મ તારીખ સાથે છેડછાડ કરીને પોતાની ઉમર છ વર્ષ નાની કરી હતી. વિપુલ માખેલાનો જન્મ 1974માં થયો હતો, પરંતુ તેણે જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મનું વર્ષ 1980 કરી નાખ્યું હતું. વિપુલ માખેલાની આ કરતૂત પક્ષના નેતાઓના ધ્યાને આવી હતી. જેના અંતર્ગત ભાજપ દ્વારા વિપુલ માખેલાને પક્ષમાં સસ્પેન્ડ કરી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/i-had-cast-15-fake-votes-bjp-workers-video-created-uproar">15 નકલી મત તો મેં નાખ્યા હતાઃ ભાજપ કાર્યકરના વીડિયોથી હોબાળો મચ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Dec 2024 20:41:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1713</Articleid>
                    <excerpt>ભાજપના કાર્યકરે ઉમર નાની બતાવવા દસ્તાવેજમાં પોતાની જન્મતારીખ બદલી નાખી હતી. ભાંડો ફૂટતા પક્ષે સસ્પેન્ડ કરી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676193b78075f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676193b75068a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676193b75068a.jpg" length="50291" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bjp ward president, Bjp, Vipul Makhela, Rajkot News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં 43 ટકા સરકારી અનાજ સગે વગે થઈ જાય છે?</title>
                    <link>https://khabarantar.com/43-percent-of-government-food-grains-in-gujarat-go-to-waste</link>
                    <guid>https://khabarantar.com/43-percent-of-government-food-grains-in-gujarat-go-to-waste</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થામાં મસમોટું ગાબડું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ઘઉં-ચોખા સહિત રાશનનું રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થાને લઈને ચોંકાવનારા સમાચાર મળી રહ્યાં છે. સમાજના ગરીબ વર્ગના લોકો માટે સરકાર દ્વારા રાશનમાં સસ્તું અનાજ આપવામાં આવે છે. પરંતુ ફુડ કોર્પોરેશનના ગોડાઉનમાંથી માર્ગમાં જ આ અનાજનો જથ્થો ‘પગ’ કરી જાય છે. એટલું જ નહીં, સમગ્ર દેશમાં આવી રીતે ૨૮ ટકા અનાજનો જથ્થો લીકેજ, બગાડને કારણે ગોડાઉનથી રેશનની દુકાન સુધી પહોંચતું નથી, જેના કારણે રાષ્ટ્રીય તિજોરીને મોટું નુકશાન થાય છે તેવો આક્ષેપ ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રદેશ પ્રવકતા ડૉ. મનીષ દોશીએ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ છે કે, સમગ્ર ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થાના ઘઉં-ચોખાનો  ૪૩.૦૨ ટકા જથ્થો લીકેજ કે ગાયબ થઈ જાય છે તે અંગે રાજ્ય સરકાર જવાબ આપે તેવી માગણી પણ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લક્ષિત વિતરણ વ્યવસ્થા હેઠળ નિયમીત રીતે વિવિધ અનાજ અપાય છે. જેમાં લીકેજ એટલે કે કાળાબજારમાં ધકેલાઈ જતા અનાજ અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાં પણ હજારો ટન અનાજ સડી જાય છે. હાલમાં જ એક ઈકોનોમીક ર્થીક ટેન્ક દ્વારા અપાયેલા તારણ મુજબ સરકારી વિતરણનું ૨૮% અનાજ એટલે કે ૨૦ મિલિયન ટન ચોખા અને ઘઉં જેની આશરે કિંમત રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી. આ વાર્ષિક નુકસાન છે. આ ક્યાં જઈ રહ્યું છે? કદાચ તે ખુલ્લા બજારમાં અથવા નિકાસ માટે મોકલવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દોશીએ જણાવ્યું હતું કે, હાઉસ હોલ્ડ કન્ઝમ્પશન એકસપેન્ડીચર સર્વેના ડેટા અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દર મહીને જે ડેટા રીલીઝ કરે છે તેના અભ્યાસ પરથી (ઓગષ્ટ ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૩ વચ્ચે) એ તારણ અપાયુ છે કે, ૨ કરોડ ટન ઘઉં અને ચોખા લાભાર્થી સુધી પહોંચ્યા જ ન હતા. આ એક મોટું રાષ્ટ્રીય નુકસાન છે અને તે અનાજ જે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાંથી નિકળે છે તે કયાં જાય છે ? તે ગંભીર બાબત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક મોટો આર્થિક ભ્રષ્ટાચાર છે અને તેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થાય છે. ૨૮% બગાડ કે ખરેખર જરૂરિયાતમંદ સુધી ન પહોંચે તે એક મોટો મુદ્દો છે. સરકાર ટેકાના ઉંચા ભાવે આ અનાજ ખરીદે છે અને જરૂરિયાતમંદ વર્ગને મફત અથવા સાવ નીચા ભાવે તે પૂરું પાડે છે. સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં ડિજિટલ ટેકનોલોજી અપનાવી અને જોબ ઈન્વેસન સહિતના ઉપાયોની જાહેરાતો કર્યા છતાં પણ રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ 'ગરીબો સુધી પહોંચતું નથી. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સમગ્ર દેશમાં ૨૮ ટકા લીકેજ, જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો બગાડ અટકાવવા જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ સતત કુપોષણનો ભોગ બની રહેલા બાળકો અને કુપોષિત મહિલાઓ દેશ માટે મોટો પડકાર છે ત્યારે, જાહેર વિતરણ વ્યવસ્થાના છીંડા માટે સરકાર દ્વારા મક્કમતાથી પગલા ભરવામાં આવશે તો જ ભ્રષ્ટાચાર અટકશે અને ગરીબોને તેમના હક્કનું અનાજ મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સૌથી વધુ લીકેજ ધરાવતા રાજ્યો અને સૌથી ઓછુ લીકેજ ધરાવતા રાજ્યોની યાદી</span></strong></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">ક્રમ – રાજ્ય - ટકા : ક્રમ - રાજ્ય - ટકા</span></strong><br><span style="font-size: 14pt;">1 અરૂણાચલ પ્રદેશ ૬૩.૧૮ - 1 તેલંગાણા ૦.૩૦</span><br><span style="font-size: 14pt;">2 નાગાલેન્ડ ૬૦.૩૬ - 2 આંધ્રપ્રદેશ ૧.૨૦</span><br><span style="font-size: 14pt;">3 ગુજરાત ૪૩.૦૨ - 3 કર્ણાટક ૬.૧૭</span><br><span style="font-size: 14pt;">4 હિમાચલ પ્રદેશ ૩૬.૨૭ - 4 પશ્ચિમ બંગાળ ૯.૦૦</span><br><span style="font-size: 14pt;">5 ઉત્તરાખંડ ૩૫.૭૨ - 5 જમ્મુ કાશ્મિર ૯.૮૭</span><br><span style="font-size: 14pt;">6 મહારાષ્ટ્ર ૩૫.૬૮ - 6 તામિલનાડુ ૧૫.૮૪</span><br><span style="font-size: 14pt;">7 ઉત્તર પ્રદેશ ૩૩.૧૫ - 7 બિહાર ૧૯.૧૬</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/15.50-lakhs-of-government-food-grains-were-caught-smuggling-in-sutrapada">સૂત્રાપાડામાં 15.50 લાખનું સરકારી અનાજ સગેવગે થતું પકડાયું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Dec 2024 20:12:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1712</Articleid>
                    <excerpt>ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થામાં મસમોટું ગાબડું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ઘઉં-ચોખા સહિત રાશનનું રૂા.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67618d537691b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67618d534446a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67618d534446a.jpg" length="90958" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>government food grains, Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત વરરાજા પોલીસમાં, કન્યા BSFમાં, છતાં વરઘોડા પર મોટો હુમલો થયો</title>
                    <link>https://khabarantar.com/Casteist-elements-attack-Dalit-policemans-procession-in-Bulandshahr</link>
                    <guid>https://khabarantar.com/Casteist-elements-attack-Dalit-policemans-procession-in-Bulandshahr</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી તત્વોએ દલિત વરરાજાને ઘોડી પરથી નીચે પટકી માર માર્યો, ડીજેમાં તોડફોડ કરી. લુખ્ખા તત્વોએ દલિત મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લગ્નની સિઝન શરૂ થતાની સાથે જ જાતિવાદી તત્વો દ્વારા દલિતોના વરઘોડા, જાન પર હુમલાઓની ઘટનાઓ પણ શરૂ થઈ ગઈ છે. દરરોજ દેશના કોઈને કોઈ ખૂણે જાતિવાદી લુખ્ખાઓ દ્વારા મિથ્યાભિમાનમાં રાચીને દલિત વરરાજાને ઘોડી પર ન બેસવા દેવા, ડીજે ન વગાડવા દેવું જેવી બાબતે વિરોધ કરીને જાન કે વરઘોડા પર હુમલો કરવામાં આવતો હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે જાતિવાદી તત્વોને પોલીસની કાર્યવાહીની બીક લાગતી હોય છે. પરંતુ અહીં જે ઘટનાની વાત કરવી છે તેમાં તો ખુદ વરરાજા પોલીસકર્મી છે અને તેમની થનાર પત્ની બીએસએફમાં ફરજ બજાવે છે. તેમ છતાં જાતિવાદી તત્વોએ તેમના હોદ્દાની પણ પરવા કર્યા વિના વરઘોડા પર હુમલો કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના બુલંદશહેરના ટિટૌવા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઉત્તરપ્રદેશના બુલંદશહેરના જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનની છે. અહીં ટિટૌવા ગામમાં એક દલિત પોલીસકર્મીના વરઘોડા દરમિયાન જાતિવાદી તત્વોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જાતિવાદી તત્વોએ વરરાજાને ઘોડી પરથી નીચે પાડી દીધા હતા અને પથ્થરમારો કરીને ડીજેનું વાહન પણ તોડી નાખ્યું હતું. એ દરમિયાન વરઘોડામાં સામેલ મહિલાઓ સાથે પણ તેમણે અભદ્ર વર્તન કર્યું હતું. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાંચ લોકોની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે દલિત સમાજમાંથી આવતા વરરાજા યુપી પોલીસમાં સિપાહી છે અને તેમની થનાર પત્ની બીએસએફમાં સિપાહી છે. તેમ છતાં જાતિવાદી તત્વોએ તેમના હોદ્દાની ગરિમા જાળવ્યા વિના પથ્થરમારો કરી વરઘોડામાં વિધ્ન ઉભું કર્યું હતું. પોલીસે આ મામલે કડક કાર્યવાહીની તૈયારીઓ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વરરાજાને ઘોડી પરથી પાડી દીધા, ડીજે તોડી નાખ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 11 ડિસેમ્બર 2024ની છે. તે દિવસે દલિત વરરાજા રોબિનના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ગામના જાતિવાદી તત્વોને એક દલિત વરરાજો આ રીતે ઘોડીએ ચડીને ગામ વચ્ચેથી નીકળે તે ગમ્યું નહોતું. આથી તેમણે વરઘોડા પર હુમલો કરી દીધો હતો. તેમણે ન માત્ર મારામારી કરી પરંતુ દલિત સમાજના લોકોને જાતિસૂચક ગાળો પણ ભાંડી. આરોપીઓએ વરઘોડા પર બેસેલા વરરાજાને ઘોડી પરથી નીચે પાડી દીધા હતા અને તેમને માર માર્યો હતો. આ ઘટનામાં તેમણે ડીજેના વાહનને પણ તોડી નાખ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદીઓ પથ્થરમારો કરી ફરાર થઈ ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરરાજાના પિતા નંદરામના જણાવ્યા મુજબ લગ્નની જાન નીકળવાની હતી. તેના માટે વરઘોડો કાઢવાનો હતો. પણ એ દરમિયાન અડધા ડઝનથી વધુ લોકો આવી પહોંચ્યા અને વરઘોડા પર પથ્થરમારો શરૂ કરી દીધો. અરાજકતાવાદી તત્વોએ ઘોડી પર બેઠેલા તેમના પુત્રને નીચે ઉતારી દીધો અને વરઘોડામાં સામેલ ડીજેને પણ તોડી નાખ્યું. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા. આખા વરઘોડામાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિની ગંભીરતા જોઈને તરત પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વરરાજા પોલીસ કોન્સ્ટેબલ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નંદરામે જણાવ્યું કે તેમનો પુત્ર રોબીન યુપી પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ છે. તેની નોકરી લાગી હતી અને તેના લગ્ન હતા એટલે સૌ કોઈ ખુશ હતા. તેની થનાર પત્ની પણ બીએસએફમાં છે. આ બમણી ખુશીને અમે સારી રીતે ઉજવવા માંગતાહતા. પરંતુ જાતિવાદી તત્વોના કારણે ખુશીનો પ્રસંગ અરાજકતામાં ફેરવાઈ ગયો. સદનસીબે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ પછી ફરીથી જેમતેમ કરીને તૈયારીઓ કરી ફરી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જો કે, તેમાં પહેલા જેવી મજા નહોતી રહી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે તપાસ શરૂ કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસપી દેહત રોહિત મિશ્રાએ કહ્યું કે મામલો તેમના ધ્યાન પર આવ્યો છે અને ફરિયાદીઓની ફરિયાદના આધારે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં પાંચ લોકોની ધરપકડ કરીને જેલ ધકેલી દેવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/thakur-attack-dalit-grooms-procession-in-damoh-madhya-pradesh-gujarati">જાતિવાદીઓએ દલિત વરરાજાની બગી તોડી નાખી, જાનૈયાને દોડાવીને માર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Dec 2024 14:46:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1711</Articleid>
                    <excerpt>જાતિવાદી તત્વોએ દલિત વરરાજાને ઘોડી પરથી નીચે પટકી માર માર્યો, ડીજેમાં તોડફોડ કરી. લુખ્ખા તત્વોએ દલિત મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676140d980fdf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676140d947aed.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676140d947aed.jpg" length="95536" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Casteist elements, Attack on dalit Groom, Dalit News, Titova village, Bulandshahr, Uttar Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>પદ્મવિભૂષણ ઈલૈયારાજાને તમિલનાડુમાં મંદિરના ગર્ભગૃહમાં જતા રોકાયા</title>
                    <link>https://khabarantar.com/c-ilaiyaraaja-was-stopped-from-entering-the-temple-due-to-caste-discrimination</link>
                    <guid>https://khabarantar.com/c-ilaiyaraaja-was-stopped-from-entering-the-temple-due-to-caste-discrimination</guid>
                    <description>
                        <![CDATA[ દંતકથા સમાન સંગીતકાર, 5 નેશનલ એવોર્ડ વિજેતા પદ્મવિભૂષણ, રાજ્યસભાના સાંસદ સી. ઈલૈયારાજા સાથે જાતિભેદભાવની ગંભીર ઘટના ઘટી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દક્ષિણના પ્રખ્યાત સંગીતકાર, એ.આર.રહેમાનથી લઈને અનેક મોટા સંગીતકારો, ગાયકોના ગુરૂ, રાજ્યસભાના સાંસદ એવા પદ્મભૂષણ સી. ઇલૈયારાજા (C. Ilaiyaraaja) સાથે જાતિ ભેદભાવની ગંભીર ઘટના બની છે. તેમને એક મંદિરના પ્રવેશતા તેના પૂજારીઓએ રોક્યા હતા. જેને લઈને હવે મોટો વિવાદ ઉભો થઈ ગયો છે. દલિત સમાજમાંથી આવતા ઈલૈયારાજાને તેમની જાતિના કારણે મંદિરના પૂજારીઓએ ગર્ભગૃહમાં પ્રવેશતા રોક્યા હતા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઈલૈયારાજાના ચાહકોને મોટો આઘાત લાગ્યો હતો અને તેમણે પૂજારીઓ પર ફિટકાર વરસાવી હતી. આ મામલે હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. અનેક મોટી હસ્તીઓએ આ ઘટનાની આકરી ટીકા કરી છે. પરિણામે હવે સરકારે પણ ખુલાસો કરવો પડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રવિવારે ઇલૈયારાજાએ પેરિયા પેરુમલ મંદિર, નંદનવનમ અને અંડાલ મંદિરની મુલાકાત લીધી હતી. એ દરમિયાન મંદિરના અધિકારીઓએ કથિત રીતે તેમને ગર્ભગૃહમાં પ્રવેશતા અટકાવ્યા હતા. તેમને અંડાલ મંદિરમાં જતા રોકવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિન્દુ ધાર્મિક અધિકારીઓએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતે, તમિલનાડુના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઇલૈયારાજા કોન્સર્ટમાં ભાગ લેવા માટે શ્રી ત્રિદંડી શ્રીમન્નારાયણ રામાનુજ ચિન્ના જીયર (વૈષ્ણવ ધાર્મિક ગુરુ) સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને કહેવામાં આવ્યું કે અર્થ મંડપમમાં ફક્ત તે મંદિરના પૂજારી અને જીયર જ પ્રવેશ કરી શકે છે. મંદિર પ્રશાસન અનુસાર, ઇલૈયારાજા પ્રવેશદ્વાર પર રોકાયા અને ત્યાંથી પ્રાર્થના કરી રવાના થઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂજારીઓએ મંદિરનો નિયમ આડે ધર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંદિર સત્તાવાળાઓ દ્વારા પ્રોટોકોલના ઉલ્લંઘનનો હવાલો આપીને ઇલૈયારાજાને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપી નહોતી. પણ તેની પાછળનું અસલી કારણ તેમની દલિત જાતિ છે તેવું જાણકારોનું કહેવું છે. આ ઘટના પરથી ફરી એકવાર સાબિત થાય છે કે, તમે ગમે તેટલા મહાન થઈ જાઓ તો પણ આ દેશમાં તમારી જાતિને લઈને થતા ભેદભાવ કદી પુરા થતા નથી. સૌથી પહેલા તમારી જાતિ જોવામાં આવે છે, એ પછી જ તમારી સાથે વ્યવહાર કરાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગર્ભગૃહ બહારથી જ પાછું વળવું પડ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ ઇલૈયારાજા અર્થ મંડપમની બહારથી પ્રાર્થના કરવા માટે આગળ વધ્યા અને પૂજારીઓએ તેમનું હાર પહેરાવી સન્માન કર્યું હતું. આ ઘટનાએ ઓનલાઈન ચકચાર જગાવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઈન્ટરનેટ યુઝર્સે આ મામલામાં પૂજારીઓની આકરી ટીકા કરી હતી કેમ કે ઈલૈયારાજાએ બહારથી જ દર્શન કરીને પાછું વળવું પડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે ઈલૈયારાજા?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇલૈયારાજા સંગીતની દુનિયામાં દંતકથા જેવું નામ ગણાય છે. એ.આર. રહેમાનથી લઈને અનેક દિગ્ગજ સંગીતકારો તેમને પોતાના ગુરૂ માને છે. તેમણે મુખ્યત્વે દક્ષિણ ભારતીય ભાષાઓમાં બનેલી ફિલ્મો માટે સંગીત આપ્યું છે, તેમણે 7000 થી વધુ ગીતો કમ્પોઝ કર્યા છે. આ સિવાય વીસ હજારથી વધુ કોન્સર્ટમાં ભાગ લીધો છે. તેઓ “ઇસૈજ્ઞાની” અર્થાત સંગીતના જ્ઞાની ઉપનામથી ઓળખાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાંચ નેશનલ એવોર્ડ, 2 વાર પદ્મ એવોર્ડથી સન્માન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇલૈયારાજાને શતાબ્દી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને પાંચ નેશનલ એવોર્ડ મળ્યા છે. ભારત સરકારે તેમને 2010માં પદ્મ ભૂષણ અને 2018માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. 2012માં તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676111ca96830.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ લંડનની ટ્રિનિટી કૉલેજ ઑફ મ્યુઝિકમાંથી ક્લાસિકલ ગિટાર વગાડવામાં ગોલ્ડ મેડલ વિજેતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત પરિવારમાં જન્મ થયો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે સી ઇલૈયારાજાનો જન્મ 3 જૂન 1943ના રોજ તમિલનાડુના એક ગરીબ દલિત પરિવારમાં થયો હતો. તેમની અને ડીએમકેના સ્થાપક એમ. કરુણાનિધિ બંનેની જન્મ તારીખ એક જ છે (3 જૂન). આ કારણોસર, તેમણે તેમની જન્મ તારીખ 2 જૂને ઉજવવાનું નક્કી કર્યું હતું, જેથી લોકો 3 જૂને માત્ર એમ. કરુણાનિધિની જન્મ તારીખ ઉજવી શકે. એ પછી તેમને “ઈસૈજ્ઞાની”નું બિરુદ આપવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હાલ ક્યા પ્રોજેક્ટ પર કામ કરે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇલૈયારાજા હાલ આંબેડકરવાદી ડિરેક્ટર વેટ્રી મારનની લાંબા સમયથી પેન્ડિંગ વિદુથલાઈ ભાગ 2 અને વિશાલના થુપ્પરિવાલન 2 માટે તૈયારી કરી રહ્યા છે. આ સિવાય ધનુષ અભિનીત ઈલૈયારાજાની બાયોપિક પર પણ કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન રોકી અને સાની કાયિધામ ફેમ અરુણ મથેશ્વરને કર્યું છે. ઇલૈયારાજાને તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/radical-casteism-the-temple-itself-was-demolished-to-prevent-dalits-from-entering-the-temple">કટ્ટર જાતિવાદઃ દલિતો મંદિરમાં ન પ્રવેશે માટે મંદિર જ તોડી નાખ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Dec 2024 11:26:12 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 17 Dec 2024 11:53:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1710</Articleid>
                    <excerpt>દંતકથા સમાન સંગીતકાર, 5 નેશનલ એવોર્ડ વિજેતા પદ્મવિભૂષણ, રાજ્યસભાના સાંસદ સી. ઈલૈયારાજા સાથે જાતિભેદભાવની ગંભીર ઘટના ઘટી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6761119ddbd9a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6761119dab80b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6761119dab80b.jpg" length="61027" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>c ilaiyaraaja, caste discrimination, Stopped from entering temple</media:keywords>
                </item>
                        <item>
                    <title>15 દિવસ ચાલતા મેળામાં 2 દિવસમાં 4200 ભેંસોની બલિ ચડાવાઈ</title>
                    <link>https://khabarantar.com/worlds-largest-animal-sacrifice-fair-nepals-gadhimai-mela-2024</link>
                    <guid>https://khabarantar.com/worlds-largest-animal-sacrifice-fair-nepals-gadhimai-mela-2024</guid>
                    <description>
                        <![CDATA[ 5 વર્ષમાં એકવાર મેળો ભરાય છે. 15 દિવસમાં લાખો જાનવરોની બલિ ચડાવી દેવામાં આવે છે. ગિનીસ બુકમાં સૌથી વધુ સામૂહિક બલિ પ્રથા તરીકે આ મેળો કુખ્યાત થઈ ચૂક્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાડોશી દેશ નેપાળ (Nepal) ના બારા જિલ્લામાં ગઢીમાઈ દેવી (Gadhimai Devi) ના સ્થાનકે દર પાંચ વર્ષે એક વાર મેળો ભરાય છે. જેમાં ૨.૫ લાખથી ૫ લાખ પશુઓની બલિ (animals sacrificed) ચઢાવવામાં આવે છે. આ વખતે, સશસ્ત્ર સીમા દળ અને સ્થાનિક વહીવટીતંત્રે પ્રાણીઓને બચાવવા માટે દિવસ-રાત કામ કર્યું હતું. મળતી માહિતી મુજબ ૧૫ દિવસ સુધી ચાલનારા મેળામાં આ વખતે ૮ અને ૯ ડિસેમ્બરના બે દિવસમાં જ ૪૨૦૦ ભેંસોની બલિ ચડાવવામાં આવી હતી. સાથે જ વહીવટી તંત્રની સતર્કતાના કારણે ૭૫૦ જેટલા પશુઓને બચાવી લેવાયા છે, જેમાં ભેંસ, ઘેટાં, બકરા અને અન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ પ્રાણીઓને જામનગરમાં રિલાયન્સના વાઇલ્ડલાઇફ રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બારા જિલ્લામાં ગઢીમાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગઢીમાઈ મંદિર ખાતે દર પાંચ વર્ષે આયોજિત મેળાનું ઉદ્‌ઘાટન ૨જી ડિસેમ્બરે નેપાળના ઉપરાષ્ટ્રપતિ રામ સહાય યાદવે કર્યું હતું. આ મેળો ૧૫ ડિસેમ્બર સુધી ચાલ્યો હતો. ૮મી ડિસેમ્બરે એક વિશેષ પૂજા કરવામાં આવી હતી અને તે પછી, જેમની મનોકામના પૂર્ણ થઈ હતી તેવા લોકોએ તેમની માનતા મુજબ પશુ-પક્ષીઓની બલિ ચઢાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોહીયાળ આ પરંપરા પાછળ શું માન્યતા છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લોહિયાળ પરંપરા સાથે જોડાયેલી માન્યતા એવી છે કે, ગઢીમાઈ મંદિરના સ્થાપક ભગવાન ચૌધરીને સપનું આવ્યું હતું કે માતા તેમને જેલમાંથી મુક્ત કરવા માટે બલિ માંગી રહી છે. એ પછી પૂજારીએ પ્રાણીનું બલિદાન આપ્યું હતું. ત્યારથી  લોકો આ મંદિરે આવે છે અને માનતા માની, તે પૂર્ણ થતા પ્રાણીઓની બલિ ચઢાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાય છે કે ગઢીમાઈનો આ ઉત્સવ ૨૬૫ વર્ષથી ચાલ્યો આવે છે. નેપાળની સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૯માં અહીં પ્રાણીઓની બલિ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. નિષ્ણાતો કહે છે કે જ્યારે લોકો તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે ગઢીમાઈના મંદિરમાં બલિ ચઢાવે છે. વિશ્વમાં સૌથી વધુ બલિ આ મંદિરમાં અપાય છે. અહીં બલિ આપવા માટે જાનવરોની ખરીદી કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઢીમાઈનો મેળો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટી સામૂહિક બલિ પ્રથા તરીકે નોંધાયેલો છે. અહીં સૌથી પહેલા વારાણસીના ડોમ રાજને ત્યાંથી આવતા 5100 પ્રાણીઓની બલિ ચઢાવવામાં આવે છે. આ મેળો લગભગ ૧૫ દિવસ સુધી ચાલે છે અને તેમાં નેપાળ અને ભારતના ભક્તો ભાગ લે છે. દરરોજ લગભગ પાંચ લાખ ભક્તો આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારતમાં આ મેળાનો ભારે વિરોધ થઈ રહ્યો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મેળામાં નેપાળ ઉપરાંત ભૂટાન, બાંગ્લાદેશ અને ભારત સહિતના અનેક દેશોમાંથી કરોડો શ્રદ્ધાળુઓ આવે છે. વિશ્વના ઘણા દેશોમાં બલિ પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો છે ત્યારે ભારતમાં પણ આ બલિ પ્રથા સામે અવાજ ઉઠવા લાગ્યો છે. ભારતમાં આ મેળાને લઈને પશુઓની તસ્કરી થવા લાગી છે. આ મામલો નેપાળની સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. જો કે વર્ષ ૨૦૧૯માં અહીંની કોર્ટે અહીં પ્રાણીઓની બલિ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ આદેશમાં તેણે કહ્યું હતું કે ગઢીમાઈના મેળા દરમિયાન પશુઓની બલિ ધીરેધીરે ઘટાડવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે મામલો ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો છે, તેથી તેની સાથે જોડાયેલા લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકાય નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/indias-meat-production-increased-by-5-percent-to-10.2-million-tonnes"><span style="font-size: 14pt;">ભારતનું માંસ ઉત્પાદન 5% વધીને 1.02 કરોડ ટન સુધી પહોંચી ગયું</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 16 Dec 2024 20:01:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1709</Articleid>
                    <excerpt>5 વર્ષમાં એકવાર મેળો ભરાય છે. 15 દિવસમાં લાખો જાનવરોની બલિ ચડાવી દેવામાં આવે છે. ગિનીસ બુકમાં સૌથી વધુ સામૂહિક બલિ પ્રથા તરીકે આ મેળો કુખ્યાત થઈ ચૂક્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676038cfc14de.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676038cf85a36.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676038cf85a36.jpg" length="118557" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gadhimai Devi, animals sacrificed, Nepal, Mass sacrifice</media:keywords>
                </item>
                        <item>
                    <title>વડોદરા ખાતે 36 લોકોએ બૌધ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી</title>
                    <link>https://khabarantar.com/36-people-took-initiation-into-buddhism-in-vadodara</link>
                    <guid>https://khabarantar.com/36-people-took-initiation-into-buddhism-in-vadodara</guid>
                    <description>
                        <![CDATA[ વડોદરાના વિવિધ વિસ્તારના 36 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મની બદ્દીઓ અને જાતિવાદથી કંટાળીને આખરે મહાનાયક ડો. આંબેડકરના રસ્તે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">36 people took initiation into Buddhism in Vadodara: 2024નું વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે પણ દલિતો સાથે થઈ રહેલા અન્યાયની વણઝાર હજુ અટકી નથી. દરરોજ દલિતો પર કોઈને કોઈ રીતે અત્યાચાર થયાના સમાચારો આવતા રહે છે. પરિણામે બહુજન સમાજમાં જાતિવાદી હિંદુ ધર્મ પ્રત્યે દિન-પ્રતિદિન ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. કથિત ગૌરક્ષકો અને હિંદુત્વવાદી સંગઠનો દ્વારા જે રીતે કાયદો હાથમાં લઈને બંધારણના છડેચોક લીરાં ઉડાડવામાં આવે છે, બહુજન સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, તેનાથી દલિતો-આદિવાસીઓમાં ભારે ભયનો માહોલ છે. જાતિવાદી તત્વો દ્વારા તેમને સતત અપમાનિત કરવામાં આવે છે, વર્ણ વ્યવસ્થાના આધારે તેમને સેકન્ડ ક્લાસ સિટિઝન તરીકે ટ્રીટ કરાય છે. આ બધાં કારણોસર દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે. આવી વધુ એક ઘટના વડોદરામાં બની છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા. 15મી ડિસેમ્બર 2024ને રવિવારના રોજ વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે આવેલા લુંબિની બુદ્ધ વિહાર ખાતે મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો. જેમાં વડોદરા જિલ્લાના કુલ 36 લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-junagadh-father-in-law-remarries-daughter-in-law-through-buddhist-rituals">જૂનાગઢમાં સસરાએ પુત્રવધુના બૌદ્ધ વિધિથી પુનઃ લગ્ન કરાવ્યા</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675ff6f153300.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીક્ષા સમારોહની શરૂઆતમાં શાક્ય મુનિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ ઉપસ્થિત દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી, ફૂલ હાર અર્પિત કરવામાં આવેલ. ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. ત્યારબાદ સૌ સાથે મળીને ભોજનદાન ગ્રહણ કરેલ. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-young-man-from-the-royal-family-left-behind-a-fortune-of-40-thousand-crores-and-became-a-buddhist-monk">શાહી પરિવારનો યુવક 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ગયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 16 Dec 2024 15:20:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1708</Articleid>
                    <excerpt>વડોદરાના વિવિધ વિસ્તારના 36 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મની બદ્દીઓ અને જાતિવાદથી કંટાળીને આખરે મહાનાયક ડો. આંબેડકરના રસ્તે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675ff6f209bc2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ff6f1c7e96.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ff6f1c7e96.jpg" length="118301" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Buddhist initiation, 36 people took initiation, buddhism, vadodara, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાહુલ ગાંધી સાથે ફોટો જોઈ EDએ કાર્યવાહી કરતા દલિત દંપતીની આત્મહત્યા?</title>
                    <link>https://khabarantar.com/manoj-parmar-and-his-wife-commits-suicide-after-ed-takes-action-after-seeing-photo-with-rahul-gandhi</link>
                    <guid>https://khabarantar.com/manoj-parmar-and-his-wife-commits-suicide-after-ed-takes-action-after-seeing-photo-with-rahul-gandhi</guid>
                    <description>
                        <![CDATA[ મૃતકે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેના ઘરમાં રાહુલ ગાંધી સાથે ફોટો હોવાથી ED એ તેમને ફસાવ્યા છે. ઈડીની ધમકીથી દલિત દંપતિએ આત્મહત્યા કરી લીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના પાટનગર ભોપાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની કાર્યવાહીનો સામનો કરી રહેલા દલિત ઉદ્યોગપતિ મનોજ પરમાર (Manoj Parmar) અને તેમની પત્ની નેહા શુક્રવારે સવારે મધ્ય પ્રદેશના સિહોર (Sihor) જિલ્લામાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમનો મોટો પુત્ર સવારે તેમને જગાડવા ગયો ત્યારે બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે દંપતીએ આત્મહત્યા કરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ પરમારે પાંચ પાનાની સુસાઈડ નોટ છોડી છે, જેમાં તેણે EDના અધિકારીઓ પર દરોડા દરમિયાન તેમના પર હુમલો કરવાનો અને માનસિક દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનોજ પરમારે લખ્યું કે તેમના ઘરે રાહુલ ગાંધીનો ફોટો જોયા બાદ ED ના અધિકારીઓએ તેમને જણાવ્યું કે આ ફોટાના કારણે જ તમારે ત્યાં દરોડા પડ્યા છે. સ્યુસાઈડ નોટમાં મનોજ પરમારે લખ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ફોટો પડાવી પોતાના ઘરમાં રાખ્યો હતો, જેના કારણે ઈડીના અધિકારીઓ તેને પરેશાન કરી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નકલી દસ્તાવેજો પર લોનનો આરોપ મૂક્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ મનોજ પરમાર પર રોજગાર યોજના અને મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ સાહસિક યોજના હેઠળ લીધેલી લોનનો દુરુપયોગ કરવાનો આરોપ છે. તેમના પર નકલી દસ્તાવેજો દ્વારા કરોડો રૂપિયાની લોનની સુવિધા મેળવવાનો આરોપ હતો. સીબીઆઈએ ડિસેમ્બર 2017માં પરમાર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી, તેને રદ કરવાની તેમની અરજી સપ્ટેમ્બર </span><span style="font-size: 14pt;">2022માં હાઈકોર્ટે ફગાવી દીધી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઈડીએ મનોજ પરમારના અનેક ઠેકાણા પર દરોડા પાડ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">સમાચાર એ પણ છે કે તાજેતરમાં, 5 ડિસેમ્બરે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મનોજ પરમાર અને અન્ય લોકોની તપાસ કરતી વખતે સિહોર અને ઇન્દોરમાં ચાર જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. EDએ જણાવ્યું હતું કે બેંક ફ્રોડ સ્કીમમાં સામેલ લોકોના સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ઈડીએ પ્રેસ નોટ જારી કરીને શું કહ્યું?</span></strong><br><span style="font-size: 14pt;">7 ડિસેમ્બરે, EDએ એક પ્રેસનોટ જારી કરીને જણાવ્યું હતું કે દરોડામાં ઘણા દસ્તાવેજો અને મિલકતોની વિગતો જપ્ત કરવામાં આવી છે. ઈડીએ રૂ. 3.5 લાખનું બેંક બેલેન્સ ફ્રીઝ કર્યું અને ચાર સ્થાવર મિલકતોની ઓળખ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાહુલ ગાંધી સાથેના ફોટાને લીધે કાર્યવાહી થઈ?</span></strong></span><br><span style="font-size: 14pt;">મનોજ પરમારના પુત્ર અને તેમના ભાઈનો આરોપ છે કે EDએ તેમના પર માનસિક દબાણ કર્યું હતું. પરમારના પરિવારે એજન્સી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમના ઘરમાં રાહુલ ગાંધી સાથે પાડેલો ફોટો જોયા બાદ ઈડીના અધિકારીઓએ કહ્યું હતું કે, આ ફોટાના કારણે જ આ બધું થઈ રહ્યું છે. એ પછી તેમણે મનોજ અને તેમની પત્ની પર દબાણ વધારી દીધું હતું. જેનાથી કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate">દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 16 Dec 2024 14:03:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1707</Articleid>
                    <excerpt>મૃતકે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેના ઘરમાં રાહુલ ગાંધી સાથે ફોટો હોવાથી ED એ તેમને ફસાવ્યા છે. ઈડીની ધમકીથી દલિત દંપતિએ આત્મહત્યા કરી લીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675fe4081f85f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675fe407dda0b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675fe407dda0b.jpg" length="66530" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Manoj Parmar suicide, ED action, photo with Rahul Gandhi</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરી WPLની સૌથી મોંઘી ખેલાડી બની</title>
                    <link>https://khabarantar.com/a-girl-from-a-slum-in-dharavi-becomes-the-most-expensive-player-in-wpl</link>
                    <guid>https://khabarantar.com/a-girl-from-a-slum-in-dharavi-becomes-the-most-expensive-player-in-wpl</guid>
                    <description>
                        <![CDATA[ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતી એક દીકરીએ વુમન્સ પ્રિમિયર લીગની સૌથી મોંઘી ખેલાડી બનીને અનેક યુવતીઓને પ્રેરણા પુરી પાડી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાવીનું નામ પડે એટલે મોટાભાગના લોકોના માનસપટ પર ઝૂપડપટ્ટી, સાંકડી ગલીઓ, ગંદા રસ્તા અને ભીડભાડ જેવા દ્રશ્યો તરવરવા માંડતા હોય છે. પણ અહીં રહેતી એક દીકરીએ આ તમામ માન્યતાઓનો છેદ ઉડાડી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાવીની ઝૂંપડીમાં રહેતી સિમરન શેખ વુમન પ્રીમિયર લીગ(WPL) 2025ની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે. સિમરનને ગુજરાત જાયન્ટ્સે રૂ. 1.9 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી છે. મુંબઈના ઓલરાઉન્ડરને સાઈન કરવા ગુજરાતે આ જોરદાર દાવ લગાવ્યો હતો. યુપી વોરિયર્સ ટીમનો ભાગ રહી ચૂકેલી સિમરન ઓકશનમાં હવે સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિમરન ધારાવીની ગલીઓમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમીને આગળ વધી છે. તેણે 15 વર્ષની ઉંમરથી જ તેની ક્રિકેટ રમવાની સફર શરૂ કરી દીધી હતી. પહેલા તે યુનાઈટેડ ક્લબમાં જોડાઈ હતી. તેને વિમેન્સ પ્રીમિયર લીગમાં 9 મેચનો અનુભવ છે. દિલ્હી કેપિટલ્સ અને જાયન્ટ્સ વચ્ચે સિમરનને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ભારે સ્પર્ધા થઇ હતી. કેપિટલ્સે રૂ. 1.80 કરોડની બિડ કરી હતી, પરંતુ એ પછી ગુજરાત જાયન્ટ્સે રૂ. 1.90 કરોડની બિડ સાથે તેનો ટીમમાં સમાવેશ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિમરનના પિતા વાયરમેન છે અને તેના પરિવારમાં  ચાર બહેનો તથા ત્રણ ભાઈઓનો સમાવેશ થાય છે. સિમરનના માતા-પિતાએ તેને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. સ્થાનિક ટુર્નામેન્ટમાં પોતાની ક્ષમતા સાબિત કર્યા બાદ સિમરને મુંબઈની અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. અને બાદમાં મહિલા પ્રીમિયર લીગમાં પ્રવેશ કર્યો હતો. હવે તેની નજર ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા પર છે. સિમરનની આ સફળતાને અનેક લોકોએ બિરદાવી છે. તેના સંઘર્ષમાંથી બીજી યુવતીઓ પણ પ્રેરણા મેળવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/shailaja-paik-first-dalit-woman-from-slum-to-genius-grant"><span style="font-size: 14pt;"> shailaja paik : ઝૂંપડપટ્ટીથી જિનિયસ ગ્રાન્ટ સુધી પહોંચનાર પ્રથમ દલિત મહિલા</span></a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Dec 2024 21:37:17 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1706</Articleid>
                    <excerpt>ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતી એક દીકરીએ વુમન્સ પ્રિમિયર લીગની સૌથી મોંઘી ખેલાડી બનીને અનેક યુવતીઓને પ્રેરણા પુરી પાડી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675efdb5483b6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675efdb512f24.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675efdb512f24.jpg" length="72157" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Women&#039;s Premier League (WPL) 2025, Simran Sheikh, Dharavi slum</media:keywords>
                </item>
                        <item>
                    <title>જો કુંભ મેળામાં નાસભાગ થશે તો ભગવાનની ધરપકડ થશે?</title>
                    <link>https://khabarantar.com/if-there-is-a-stampede-at-the-kumbha-mela-will-god-be-arrested</link>
                    <guid>https://khabarantar.com/if-there-is-a-stampede-at-the-kumbha-mela-will-god-be-arrested</guid>
                    <description>
                        <![CDATA[ પોતાના આખા બોલા સ્વભાવને કારણે જાણીતા ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ અલ્લુ અર્જુનની ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટે હોબાળો મચાવ્યો છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેલંગાણા પોલીસે 'પુષ્પા ૨' ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં શુક્રવારે બપોરે એક્ટર અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરી હતી. એ પછી પોલીસે તેને નીચલી કોર્ટમાં રજૂ કર્યો જ્યાં તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો. મોડી સાંજે તેને આ કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. જો કે, અભિનેતાને મુક્તિ મળી શકી ન હતી અને શુક્રવારની રાત તેણે જેલમાં વિતાવવી પડી હતી. એ પછી અભિનેતા શનિવારે સવારે જેલમાંથી બહાર આવ્યો હતો. જો કે, અલ્લુ અર્જુનની ધરપકડને કારણે ફિલ્મ ઉદ્યોગ બે જૂથોમાં વહેંચાયેલો જોવા મળ્યો હતો. કેટલાકે કાયદાની ન્યાયી કાર્યવાહીની પ્રશંસા કરી જ્યારે અન્ય લોકોએ અલ્લુ અર્જુનની ધરપકડને ખોટી ગણાવી હતી. હવે અલ્લુને ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માનો સપોર્ટ મળ્યો છે. અભિનેતાની તરફેણમાં અવાજ ઉઠાવતા રામુએ અધિકારીઓને ચાર મહત્વના પ્રશ્નો પૂછ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાના એક્સ હેન્ડલ પર રામગોપાલ વર્માએ લખ્યું, અલ્લુ અર્જુનની ધરપકડ મામલે મારા અધિકારીઓને ચાર સવાલ છે. એક - કુંભ મેળા કે બ્રહ્મોત્સવ જેવા સ્થળોએ નાસભાગ થાય તો શું દેવતાઓની ધરપકડ કરવામાં આવશે? બીજું- રાજકીય સભાઓ કે રેલીઓમાં નાસભાગને કારણે થતા મૃત્યુના કિસ્સામાં રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામ ગોપાલ વર્માએ આગળનો પ્રશ્ન પૂછ્યો - જાહેર ફિલ્મ કાર્યક્રમોમાં નાસભાગ મચી જવાના કિસ્સામાં પોલીસ સિવાય હીરો-હીરોઈનોની ધરપકડ કરવામાં આવશે? અને આયોજકો સિવાય આ નાસભાગને બીજું કોણ નિયંત્રિત કરી શકે?' રામુની અગાઉની પોસ્ટના જવાબમાં આ એક પોસ્ટ હતી જેમાં તેણે નાસભાગના કેસ માટે અલ્લુ અર્જુનને દોષી ઠેરવવાની ટીકા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે લખ્યું હતું કે, 'પુષ્પા ૨ દર્શાવતા થિયેટરની બહાર નાસભાગમાં એક મહિલાના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ માટે અલ્લુ અર્જુનને દોષી ઠેરવવો ખરેખર હાસ્યાસ્પદ છે. સેલિબ્રિટીઓ તેમની અપીલથી ભારે ભીડને આકર્ષિત કરે છે, પછી તે ફિલ્મ સ્ટાર્સ, રોક સ્ટાર્સ અને ભગવાન પણ હોય. અને નાસભાગ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ભારે ભીડ હોય અને નાસભાગની આ પહેલી ઘટના નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામ ગોપાલ વર્મા પહેલા, રવિ કિશન, રશ્મિકા મંદન્ના, નાની, વિવેક ઓબેરોય અને વરુણ ધવન જેવા સ્ટાર્સ પણ પોલીસની આ કાર્યવાહીની ટીકા કરતા અને તેને અન્યાયી ગણાવતા જોવા મળ્યા છે. અલ્લુ અર્જુન જેલમાંથી છૂટ્યો પછી, 'પુષ્પા ૨' ના નિર્દેશક સુકુમાર, વેંકટેશ અને વિજય દેવરાકોંડા તેને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. જ્યારે પ્રભાસે અભિનેતા સાથે ફોન પર પણ વાત કરી અને તેની ખબર પૂછી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/there-was-a-lot-of-bickering-and-arguing-between-saints-and-mahants-at-the-mahakumbh-meeting-in-prayagraj">પ્રયાગરાજમાં મહાકુંભની બેઠકમાં સંતો-મહંતો વચ્ચે ઢીંકાપાટુ-લાફાવાળી થઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Dec 2024 20:53:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1705</Articleid>
                    <excerpt>પોતાના આખા બોલા સ્વભાવને કારણે જાણીતા ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ અલ્લુ અર્જુનની ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટે હોબાળો મચાવ્યો છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675ef4279ca63.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ef427648c6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ef427648c6.jpg" length="68369" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ram Gopal Varma  Social Media Post, Allu Arjun, Pushpa 2</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોંગ્રેસે ડો.આંબેડકરને ભારતરત્ન નહોતો આપ્યો : માયાવતી</title>
                    <link>https://khabarantar.com/congress-did-not-give-bharat-ratna-to-dr-ambedkar-mayavati</link>
                    <guid>https://khabarantar.com/congress-did-not-give-bharat-ratna-to-dr-ambedkar-mayavati</guid>
                    <description>
                        <![CDATA[ બીએસપી સુપ્રીમોએ બંધારણના 75 વર્ષે સંસદમાં થઈ રહેલી ચર્ચા મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને સપા સહિતના પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચાલી રહેલી ચર્ચા પર ભાજપ, કોંગ્રેસ અને સપાને ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે બાબા સાહેબે રાજીનામું આપી દીધું હતું અને લોકસભામાં તેમના વિચારો રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કોંગ્રેસે તેમને બોલવા દીધા ન હતા. એ પછી તેમણે મીડિયા સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. માયાવતીએ કહ્યું કે, કોગ્રેસની સરકાર હતી ત્યારે ડો.આંબેડકર દરેક બાબતમાં લાયક હોવા છતાં કોંગ્રેસે તેમને ભારત રત્ન નહોતો આપ્યો. માન્યવર કાંશીરામના નિધન દરમિયાન કોંગ્રેસ સરકારે એક દિવસનો પણ રાષ્ટ્રીય શોક જાહેર નહોતો કર્યો. માયાવતીએ આ દરમિયાન ત્રણ મુખ્ય વાતો કહી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'સપા-કોંગ્રેસના કારણે અનામત બિલ પાસ ન થઈ શક્યું'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું કે બંધારણ પર સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં એસસી-એસટી, ઓબીસી સમાજના લોકો અને ખાસ કરીને અનામત વિશે જે કહેવામાં આવી રહ્યું છે તેમાં એક અંશ પણ સત્ય નથી. એ વખતે કોંગ્રેસની જ સરકાર હતી, જ્યારે સમાજવાદી પાર્ટીએ પ્રમોશનમાં અનામત બિલને ફાડીને સંસદમાં ફેંકી દીધું હતું અને તેનો ભારે વિરોધ કર્યો હતો અને બસપાએ આ બિલને પાસ કરાવવા માટે અથાગ મહેનત કરી હતી. જો કે, આ પક્ષોના કારણે આ બિલ હજુ સુધી પસાર થઈ શક્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'80 કરોડ લોકો રસ્તા પર રહેવા મજબૂર'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ કહ્યું કે, જો સત્તામાં રહેલા પક્ષોએ બંધારણના નિયમોનું પાલન કરવામાં ઈમાનદારી અને દેશભક્તિ બતાવી હોત તો આજે દેશની આ હાલત ન હોત. આજે દેશમાં 80 કરોડ લોકોને બેરોજગારીને કારણે અનાજ અને આજીવિકાની શોધમાં રસ્તાઓ પર રહેવું પડે છે. હાલમાં દેશમાં વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, મજૂરો અને મહિલાઓ પોતાની સમસ્યાઓથી ચિંતિત છે. જો શાસક પક્ષોએ બંધારણનું યોગ્ય રીતે પાલન કર્યું હોત અને રોજગાર પર કામ કર્યું હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'દેશ ચલાવનારા લોકોએ બંધારણને નિષ્ફળ ગયા'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ-ભાજપનું નામ લીધા વિના માયાવતીએ કહ્યું કે બંધારણ નિષ્ફળ ગયું નથી, પરંતુ દેશમાં સરકાર ચલાવી રહેલા લોકો અને પક્ષોએ બંધારણને નિષ્ફળ બનાવવાનું કામ કર્યું છે. માયાવતીએ કહ્યું કે જ્યારે સંસદમાં બંધારણ પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સમાન પ્રકારના આક્ષેપો થઈ રહ્યા હતા. બંને પક્ષો અમારા કરતાં તમે વધુ દોષી છો એમ સાબિત કરવામાં વ્યસ્ત રહી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામત પર માયાવતીએ કહ્યું કે બંને પાર્ટીઓ મળીને કોર્ટની આડમાં અનામત પર હુમલો કરી રહ્યાં છે. બીએસપી વડાએ આરોપ લગાવ્યો કે સત્તાપક્ષ અને વિપક્ષે પોત પોતાના અંગત સ્વાર્થ માટે બંધારણનું રાજનીતિકરણ કર્યું છે. સંસદમાં થયેલી ચર્ચા જોયા બાદ આવું જ જણાય છે. બસપાના વડાએ કહ્યું કે જો સત્તામાં રહેલી કોઈપણ પાર્ટી કોઈ ચોક્કસ સંસ્થાને લાભ આપવા માટે બંધારણમાં સુધારો કરે છે તો તેમની પાર્ટી તેનું સમર્થન કરશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/Messiah-of-OBC-community-Karpuri-Thakur-to-get-Bharat-Ratna,-announcement-on-eve-of-birth-centenary"><strong>ઓબીસી સમાજના મસીહા કર્પૂરી ઠાકુરને મળશે ભારતરત્ન, જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ જાહેરાત</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Dec 2024 20:11:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1704</Articleid>
                    <excerpt>બીએસપી સુપ્રીમોએ બંધારણના 75 વર્ષે સંસદમાં થઈ રહેલી ચર્ચા મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને સપા સહિતના પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675ee9b0d2064.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ee9b0a3610.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ee9b0a3610.jpg" length="70822" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bharat Ratna, Bharat Ratna to Dr. Ambedkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;નહેરૂ, ઈંદિરા, રાજીવ ગાંધી અનામત વિરોધી હતા&amp;apos; &amp; દલિત સાંસદના કોંગ્રેસ પર આક્ષેપ</title>
                    <link>https://khabarantar.com/shambhavi-chaudhary-said-nehru-Indira-gandhi-and-rajiv-gandhi-were-against-reservation</link>
                    <guid>https://khabarantar.com/shambhavi-chaudhary-said-nehru-Indira-gandhi-and-rajiv-gandhi-were-against-reservation</guid>
                    <description>
                        <![CDATA[ દેશની સૌથી નાની ઉંમરની સાંસદ શાંભવી ચૌધરીએ સંસદમાં કોંગ્રેસ પર મોટો આક્ષેપ કરતા કહ્યું કે, નહેરુ, ઈન્દિરા અને રાજીવે ક્યારેકને ક્યારેક અનામતનો વિરોધ કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ની યુવા સાંસદ શાંભવી ચૌધરી (Shambhavi Chaudhary) એ કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. બંધારણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમણે ત્રણ પૂર્વ કોંગ્રેસી વડાપ્રધાનોના અનામતને લઈને વિચારો પર કોંગ્રેસને આક્રમકતાથી ઘેરી હતી. ગૃહને સંબોધિત કરતી વખતે દેશની સૌથી યુવા સાંસદ પૈકીની એક એવી દલિત સમાજમાંથી આવતી શાંભવી ચૌધરીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી દ્વારા સંસદમાં અનામતને લઈને અલગ-અલગ સમયે આપેલા નિવેદનોનો ઉલ્લેખ કર્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંસદ શાંભવી ચૌધરીએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાનો - પંડિત જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ એક યા બીજા સમયે અનામતનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીને લાગતું હતું કે આ સિસ્ટમમાંથી સેકન્ડ ક્લાસ નાગરિકો પેદા થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાંભવીએ કહ્યું, 'સૌથી પહેલા જવાહરલાલ નેહરુએ 1961માં લખ્યું હતું કે મને અનામત કોઈ પણ રીતે પસંદ નથી. ખાસ કરીને નોકરીમાં. હું એવી કોઈપણ વ્યવસ્થાનો વિરોધ કરું છું જેના દ્વારા અક્ષમ લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. જ્યારે ઈન્દિરા ગાંધીએ મંડલ કમિશનના રિપોર્ટ પર કહ્યું હતું કે એવી પદ્ધતિ અપનાવવી જોઈએ જેમાં સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજીવ ગાંધીએ માર્ચ 1985માં આપેલા ઈન્ટરવ્યુનો ઉલ્લેખ કરતા શાંભવી ચૌધરીએ કહ્યું, 'રાજીવ ગાંધીએ કહ્યું હતું કે અનામતના નામે મૂર્ખ લોકોને પ્રોત્સાહન ન આપવું જોઈએ. આવા લોકો દેશને નુકસાન કરે છે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજીવ ગાંધીએ શું કહ્યું હતું? </span></strong></span><br><span style="font-size: 14pt;">2 માર્ચે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, 'બંધારણ બનાવતી વખતે પછાત વર્ગો માટે જે અનામતની જોગવાઈ કરવામાં આવી છે તેને લઈને પાછલા વર્ષોમાં ઘણી રાજનીતિ થઈ છે. તેથી, હવે આ તમામ જોગવાઈઓ પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. વાસ્તવમાં, આ સુવિધા દબાયેલા અને પછાત વર્ગને આપવી જોઈએ, પરંતુ તેને વિસ્તારીને વિવિધ ક્ષેત્રોના બુદ્ધુઓને વધારવાથી આખાદેશને નુકસાન થશે."</span><br><span style="font-size: 14pt;">શાંભવી ચૌધરીએ લોકસભામાં 'સંવિધાનની 75 વર્ષની ભવ્ય સફર' પર ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું હતું કે, "સંવિધાન નેતાના હાથમાં નહીં પરંતુ હૃદયમાં હોવું જોઈએ" તેમણે કોંગ્રેસ પર કટોકટી દ્વારા બંધારણને નુકસાન પહોંચાડવાનો અને બંધારણના નિર્માતા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો પણ આરોપ મૂક્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rulings-on-reservation-have-mostly-been-given-in-favor-of-the-so-called-upper-castes">અનામત પરના ચુકાદા મોટાભાગે કથિત સવર્ણોની તરફેણમાં અપાયા છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 14 Dec 2024 19:58:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1703</Articleid>
                    <excerpt>દેશની સૌથી નાની ઉંમરની સાંસદ શાંભવી ચૌધરીએ સંસદમાં કોંગ્રેસ પર મોટો આક્ષેપ કરતા કહ્યું કે, નહેરુ, ઈન્દિરા અને રાજીવે ક્યારેકને ક્યારેક અનામતનો વિરોધ કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675d95d4071c8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d95d3c0094.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d95d3c0094.jpg" length="78621" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Shambhavi Chaudhary, said on Nehru, Indira and Rajiv, reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેન્યુઅલ સ્કેવેન્જિંગ ખતમ કરવા માટે કોઈપણ હદ સુધી જઈશું : સુપ્રીમ કોર્ટ</title>
                    <link>https://khabarantar.com/supreme-court-says-will-go-to-any-extent-to-end-manual-scavenging</link>
                    <guid>https://khabarantar.com/supreme-court-says-will-go-to-any-extent-to-end-manual-scavenging</guid>
                    <description>
                        <![CDATA[ સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ માનવીય ગરિમા સાથે જોડાયેલો મુદ્દો છે અને આ કુપ્રથાને ખતમ કરવા માટે જે કરવું પડે તે કરીશું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે કહ્યું કે તે ગટર અને સેપ્ટિક ટેંકની હાથથી સફાઈ કરવાની (manual scavenging) કુપ્રથાને ખતમ કરવા માટે 'કોઈપણ હદ સુધી' જશે. આ માનવીય ગૌરવ સાથે જોડાયેલો મુદ્દો છે.</span><br><span style="font-size: 14pt;">ધ હિંદુના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને અરવિંદ કુમારની વિશેષ બેન્ચે કેન્દ્ર સરકારને સંબોધતા કહ્યું, 'આ મુદ્દો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તેને એમ જ છોડી નહીં દઈએ. અમે ઓક્ટોબર 2023 ના અમારા નિર્ણયનું પાલન સુનિશ્ચિત કરવા માટે કોઈપણ હદ સુધી જઈશું, પછી ભલે ગમે તે થાય. કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી દ્વારા કરવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટ 20 ઓક્ટોબર, 2023ના તેના નિર્ણયનો ઉલ્લેખ કરી રહી હતી, જેમાં તેણે કેન્દ્ર અને રાજ્યોને દેશમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ અને સફાઈની ખતરનાક પદ્ધતિઓને દૂર કરવા માટે પગલાં લેવા માટે સૂચનાઓ જારી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ 'અમાનવીય' કામો હજુ પણ સતત ચાલુ છે, જેના કારણે ઘણીવાર કામદારો શ્વાસ રુંધાવાને કારણે મૃત્યુ પામે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું હતું કે મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકે રોજગાર પર પ્રતિબંધ અને તેમના પુનર્વસન અધિનિયમ, 2013ના એક દાયકા પછી પણ જો સમાજનો એક મોટો વર્ગ જીવન જીવવા માટે ગટરોમાં ઉતરવા માટે મજબૂર છે અને તેમાં ફસાઈને મૃત્યુ પામે છે, તો નાગરિકો વચ્ચે ભાઈચારા, સમાનતા અને સન્માનના દાવાઓ માત્ર ભ્રમ બની ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/three-cleaners-dead-by-poisonous-gas-while-cleaning-sewage-tank">ગટર ટેંક સાફ કરતી વખતે ઝેરી ગેસથી ત્રણ સફાઈ કર્મીઓના મોત</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું હતું કે, 'આપણામાંથી પ્રત્યેક વ્યક્તિ વસ્તીના આ મોટા હિસ્સાનો ઋણી છે, જે અદૃશ્ય, વણસાંભળ્યા અને મૂક બનેલા છે અને આ અમાનવીય પરિસ્થિતિમાં ફસાયેલા છે. અગાઉ કોર્ટે ગટર સફાઈમાં મોતને ભેટલા લોકો માટેનું વળતર રૂ. 10 લાખથી વધારીને રૂ. 30 લાખ કરી દીધું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિર્ણયના એક વર્ષ કરતાં વધુ સમય બાદ બુધવારે કોર્ટની વિશેષ બેન્ચે ટિપ્પણી કરી હતી કે રાજ્યોએ ચુકાદામાં આપવામાં આવેલા નિર્દેશોને લાગુ કરવામાં કોઈ કસર છોડી નથી. જો કે, જસ્ટિસ ધુલિયાએ કહ્યું, 'પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ નાબૂદીની વાત છે, તે ક્યાંય થયું નથી, એક પણ નગરપાલિકામાં પણ નહીં...અમને એક એવી મોડેલ નગરપાલિકા બતાવો જ્યાં આ ખતરનાક સફાઈ ન થતી હોય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેસના એમિકસ ક્યુરી વરિષ્ઠ એડવોકેટ કે. પરમેશ્વરાએ જણાવ્યું હતું કે ગટર સફાઈ દરમિયાન થતા મોતને અટકાવવાના પુરાવા દિલ્હી હાઈકોર્ટના તાજેતરના ત્રણ ચુકાદાઓમાં જોવા મળે છે, જેમાં પીડિતોના પરિવારોને વધારા મુજબનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરમેશ્વરે કહ્યું, 'અમારે પુરાવા માટે બહુ દૂર જવાની જરૂર નથી, તેનું ઉદાહરણ દેશની રાજધાનીમાં જ હાજર છે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે પૂછ્યું કે સરકારની નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (નમસ્તે) યોજના છે, જે અંતર્ગત કોઈપણ સફાઈ કર્મીને ગટર અને સેપ્ટિક ટેંકની અંદર ઉતરીને સફાઈ નથી કરવી પડતી તેવી સ્પષ્ટ જોગવાઈ છે, તેમ છતાં આ કુપ્રથા કેવી રીતે ચાલુ રહે છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/now-the-upperclassmen-also-started-cleaning-drains-and-septic-tanks">હવે સવર્ણો પણ ગટર અને સેપ્ટિક ટેન્ક સાફ કરવા લાગ્યા?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે સામાજિક ન્યાય મંત્રાલયને આગામી બે અઠવાડિયામાં રાજ્યો સાથે બેઠક યોજવા અને ઓક્ટોબર 2023ના નિર્ણયના અમલ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સરકારને અમલીકરણમાં રહેલી ખામીઓને દૂર કરવા કહ્યું છે અને જો તે આમ કરવામાં નિષ્ફળ જશે તો તેને અવમાનના પગલાંનો સામનો કરવો પડશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌપ્રથમ વખત 1993માં મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ પછી, 2013 માં કાયદો બનાવીને તેને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવી હતી. જો કે, આજે પણ આ કુપ્રથા સમાજમાં અસ્તિત્વ ધરાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ 2013 હેઠળ, કોઈપણ વ્યક્તિને ગટરમાં મોકલવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં કોઈ સફાઈ કામદારને ગટરની અંદર મોકલવામાં આવે છે, તો તેના માટે 27 પ્રકારના નિયમોનું પાલન કરવું પડશે. જો કે, આ નિયમોના સતત ઉલ્લંઘનને કારણે ગટરની સફાઈ કરતી વખતે અનેક સફાઈકર્મીઓના મોત થાય છે. અહીં એ કહેવું જરૂરી છે કે, અનામત વ્યવસ્થાનો વિરોધ કરતા લોકોને આ કામમાં આટલા વર્ષે પણ 100 ટકા દલિત-વાલ્મિકી સમાજના લોકોની અનામત જરાય ખટકતી નથી. દલિતોમાં પેટાવર્ગીકરણ કરવાની તરફેણ કરનારા તત્વોને આ અમાનવીય કામમાં ઈશ્વરી તત્વના દર્શન થાય છે તેનાથી શરમજનક બીજું શું હોય?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/75-people-drowned-in-sewers-in-15-years-only-1-was-punished">15 વર્ષમાં 75 લોકો ગટરમાં ગૂંગળાઈ મર્યા, સજા ફક્ત 1 ને થઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 14 Dec 2024 18:56:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1702</Articleid>
                    <excerpt>સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ માનવીય ગરિમા સાથે જોડાયેલો મુદ્દો છે અને આ કુપ્રથાને ખતમ કરવા માટે જે કરવું પડે તે કરીશું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675d8757c09f9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d875790bf7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d875790bf7.jpg" length="47755" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>manual scavenging, Supreme Court, any extent to end</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંદુ યુવતી&amp;મુસ્લિમ યુવકના લગ્નનું રિસેપ્શન હિંદુ સંગઠનોએ રદ કરાવ્યું?</title>
                    <link>https://khabarantar.com/hindu-girl-muslim-boy-wedding-reception-cancel-by-hindu-organizations-in-aligarh-uttar-pradesh-gujarati</link>
                    <guid>https://khabarantar.com/hindu-girl-muslim-boy-wedding-reception-cancel-by-hindu-organizations-in-aligarh-uttar-pradesh-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ નાનપણથી સાથે ભણતા મુસ્લિમ યુવક-હિંદુ યુવતીએ વિદેશમાં લગ્ન કર્યા હતા. તેમનું રિસેપ્શન ભારતમાં રાખ્યું હતું, પણ કાર્યક્રમનું કાર્ડ વાયરલ થતા જ હિંદુત્વવાદીઓ એક્ટિવ થઈ ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્તાપક્ષ દ્વારા સામાન્ય માણસમાં ભરવામાં આવેલું કોમવાદી ઝેર હવે કઈ હદે વકરી રહ્યું ગયું છે તેની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકે પોતાની મરજીથી વિદેશમાં રહેતા હોવાથી લગ્ન કર્યા હતા. જેનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. પણ તેનું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિંદુ સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો. આખરે પરિવારજનોએ રિસેપ્શન રદ કરી દેવું પડ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે. અહીં અલીગઢ જિલ્લામાં એક હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્ન પછીનો આશીર્વાદ સમારોહ રદ કરી દેવો પડ્યો. બન્યું હતું એવું કે, સમારંભનું ડિજિટલ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હોબાળો મચી ગયો હતો. કાર્ડમાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા હોવાનું સામે આવતા જ હિંદુત્વવાદી સંગઠનોના કથિત કાર્યકરો તેનો વિરોધ કરવા મેદાનમાં આવી ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/entire-colony-protests-sale-of-house-opposite-temple-to-muslim-doctor-in-moradabad">મુસ્લિમ ડોક્ટરને મંદિર સામેનું ઘર વેચતા આખી કોલોની વિરોધમાં ઉતરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા અનુસાર શહેરના એક હિંદુ વેપારી પરિવારની એક છોકરીએ માર્ચ મહિનામાં મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા હતા. બંને વિદેશમાં સાથે રહે છે અને ત્યાં કામ કરે છે. બંનેના પરિવારે લગ્ન બાદ સગાસંબંધીઓ માટે આશીર્વાદ રિસેપ્શન રાખ્યું હતું. યુવતીના પક્ષે 21મી ડિસેમ્બરે હોટલમાં એક કાર્યક્રમ યોજીને આમંત્રણ પત્રિકાઓનું વિતરણ શરૂ કર્યું હતું. જ્યારે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું અને છોકરીની સાથે મુસ્લિમ છોકરાનું નામ જોવા મળ્યું, ત્યારે વિવિધ હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકો તેના વિરોધમાં ઉતરી પડ્યા હતા. કાર્ડની સાથે વિરોધ સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીધી ચેતવણી આપવામાં આવી હતી કે શહેરમાં આવા જાહેર કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે નહીં. સંગઠનના લોકોએ કાર્યક્રમના સ્થળ પર પહોંચીને વિરોધ કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવક અને યુવતી બંને બાળપણથી સાથે ભણ્યા હતા અને તેમના લાંબા સમયના સંબંધો બાદ હવે મામલો લગ્ન સુધી પહોંચ્યો હતો. પણ હિંદુત્વાદી સંગઠનો આ મામલે તેમનો વિરોધ કરવા ઉતરી પડ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે હિન્દુત્વવાદી સંગઠનના તમામ કાર્યકરોએ જવાહર પાર્કથી રેલી કાઢી અને કલેક્ટર કચેરીએ પહોંચીને એડીએમ સિટીને આવેદનપત્ર આપ્યું. કલેક્ટર કચેરીમાં મેમોરેન્ડમ આપતાં પૂર્વ મેયર શકુંતલા ભારતીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ કોઈપણ ભોગે થવો જોઈએ નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bjp-leader-threatens-muslim-owner-of-shop-in-baghpat-uttar-pradesh-because-it-has-hindu-name">દુકાનનું નામ હિંદુ હોવાથી ભાજપ નેતાએ મુસ્લિમ માલિકને ધમકાવી તોડફોડ કરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડીએમ સિટી અમિત કુમાર ભટ્ટે કહ્યું કે હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલા મેમોરેન્ડમને ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે. દરેક પરિસ્થિતિ પર નજર રાખીને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શુક્રવારે છોકરીના પરિવારે તેમના પરિચિતોને ઈ-કાર્ડ મોકલવાનું શરૂ કર્યું. જે બપોર સુધીમાં વાયરલ થયું હતું. સીઓ બીજા સંજીવ તોમરના જણાવ્યા અનુસાર, ગુરુવારથી આ બાબત પર નજર રાખવામાં આવી રહી છે. એ વાત સાચી છે કે હવે ઈવેન્ટ મોકૂફ રાખવાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળી છે. તેમ છતાં કાળજી લેવામાં આવી રહી છે. વિરોધ કરી રહેલા લોકો સાથે પણ વાતચીત ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">હિંદુત્વવાદી સંગઠનોની લુખ્ખી દાદાગીરીને કારણે હવે પરિવારે કાર્યક્રમ રદ કરી દીધો છે. તેમણે એક મેસેજ જારી કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, "અમને તમને જણાવતા ખેદ થાય છે કે જીટી રોડ હોટેલ ખાતે 21મી ડિસેમ્બર 2024ના રોજ અમારો કાર્યક્રમ અગમ્ય કારણોસર રદ કરવામાં આવ્યો છે. આપને પડેલી અસુવિધા બદલ અમે ખેદ વ્યક્ત કરીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/three-muslim-children-beaten-with-slippers-and-forced-to-chant-jai-shri-ram-in-ratlam-mp">ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે 'જય શ્રી રામ' બોલાવડાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 14 Dec 2024 14:05:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1701</Articleid>
                    <excerpt>નાનપણથી સાથે ભણતા મુસ્લિમ યુવક-હિંદુ યુવતીએ વિદેશમાં લગ્ન કર્યા હતા. તેમનું રિસેપ્શન ભારતમાં રાખ્યું હતું, પણ કાર્યક્રમનું કાર્ડ વાયરલ થતા જ હિંદુત્વવાદીઓ એક્ટિવ થઈ ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675d433c0b9d2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d433bc9c4a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d433bc9c4a.jpg" length="83516" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Hindu girl-Muslim boy, Hindu organizations, cancel wedding reception, Aligarh Uttar Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</title>
                    <link>https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate</link>
                    <guid>https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate</guid>
                    <description>
                        <![CDATA[ મહારાષ્ટ્રના પરભણીથી યુપી, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં સુનિયોજિત રીતે ડો.આંબેડકરની પ્રતિમાઓને તોડવામાં આવી રહી છે. કોણ છે આની પાછળ, ઉદ્દેશ્ય શું છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં 10 ડિસેમ્બરની સાંજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે રાખવામાં આવેલી બંધારણની પ્રતિકૃતિને નુકસાન થયું હતું. આ ઘટના માત્ર બંધારણનું અપમાન નથી પરંતુ દલિત સમાજની અસ્મિતા અને ઓળખ પર પણ હુમલો છે. આ ઘટનાથી સમગ્ર પરભણીમાં રોષ ફેલાયો હતો. 11 ડિસેમ્બરે બોલાવવામાં આવેલા “પરભણી બંધ”એ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં ટાયર સળગાવવા, પરભણી-નાંદેડ હાઈવેને બ્લોક કરવા અને પથ્થરમારો કરવા જેવી ઘટનાઓ બની હતી. હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વહીવટીતંત્રે જિલ્લામાં કલમ 144 લાગુ કરી હતી અને લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી હતી. પોલીસના લાઠીચાર્જનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જાતિગત એંગલ અને આક્ષેપોએ આ ઘટનાને વધુ ભડકાવી હતી. બાકી રહેલું હતું તો મનુવાદી મીડિયાએ તેને 'જુઓ, જુઓ દલિતો કેવા તોફાને ચડ્યાં છે?' એ રીતે દર્શાવી આખી ઘટનામાં દલિતોને વિલન ચીતરવાનો ખેલ કર્યો હતો. મનુવાદી મીડિયા વર્ષોથી આ કરતું આવ્યું છે. દલિતોને યેનકેન પ્રકારે બદનામ કરવા તે તેમની વર્ષો જૂની ચાલાકી છે. જે પરભણીમાં પણ જોવા મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પરભણી બંધ અને હિંસક સ્વરૂપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">11 ડિસેમ્બરે પરભણી બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું, પરંતુ વિરોધ ટૂંક સમયમાં જ હિંસક બની ગયો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો, પરંતુ પ્રયાસ નિષ્ફળ ગયો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક પોલીસકર્મી લાકડી લઈ એક વ્યક્તિની પાછળ દોડતો અને તેને નિર્દયતાથી મારતો જોવા મળ્યો હતો. તેને ઘણી દલિત સંસ્થાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા જાતિનો એંગલ આપીને શેર કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસે આ આરોપને નકારી કાઢતા કહ્યું કે લાઠીચાર્જ માત્ર ભીડને કાબૂમાં કરવા માટે કરવામાં આવ્યો હતો અને કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવા માટે નહોતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675d21f5b4edc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના ઈતિહાસમાં દલિત સમુદાયની ઓળખ અને અધિકારોના પ્રતીકો પર હુમલા એ દુઃખદ અને સતત ઘટના રહી છે. મહારાષ્ટ્રમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ, તેમના વિચારો અને દલિત પ્રતીકો પર હુમલા હવે નવી વાત નથી રહી. આ હુમલાઓ માત્ર પ્રતિમાઓ પર જ નથી થતા પરંતુ દલિત સમાજે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય મેળવવા માટે કરેલા સંઘર્ષ અને આંદોલનને પણ નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. આ હુમલાઓ દ્વારા સમાજમાં જાતિવાદ અને અસમાનતાના મૂળને વધુ ઉંડા કરવામાં આવે છે. આ હુમલાઓ દર્શાવે છે કે, સામાજિક પરિવર્તન અને સમાનતા વિરોધી તાકાતો આજેય સક્રિય છે. અગાઉ પણ આવા પ્રયત્ન થઈ ચૂક્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મરાઠવાડા યુનિવર્સિટી નામકરણનું આંદોલન (1978)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1978 માં, મરાઠવાડા યુનિવર્સિટીના નામકરણને લઈને એક મોટું આંદોલન થયું હતું, જેમાં યુનિવર્સિટીનું નામ બાબા સાહેબ આંબેડકરના નામ પર રાખવાની માંગ કરવામાં આવી હતી. આ આંદોલન એ વાતનું પ્રતિક હતું કે દલિત સમાજ પોતાના અધિકારો અને ઓળખની રક્ષા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. જો કે, આ આંદોલન હિંસક બન્યું અને એ દરમિયાન દલિત વસાહતો પર હુમલાઓ થયા, આગચંપીનાં બનાવો બન્યા. આ આંદોલને સમાજમાં જાતિ ભેદભાવ અને અસમાનતાના ઊંડા મૂળને વધુ ઉંડા કર્યા. આ ઘટના દર્શાવે છે કે જ્યારે પણ દલિત સમાજ તેના અધિકારોની વાત કરે છે, ત્યારે તેને એક ખતરનાક પડકાર તરીકે જોવામાં આવે છે, અને જાતિવાદી તાકાતો તેની સામે આવીને ઉભી રહી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રમાબાઈ નગર ગોળીબાર (1997)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી એક દર્દનાક ઘટના 1997માં મુંબઈના રમાબાઈ નગરમાં બની હતી, જ્યારે દલિત સમાજે આંબેડકરની પ્રતિમાના અપમાનનો વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. આ ઘટના મહારાષ્ટ્રમાં જાતિવાદ સામે દલિતોના સંઘર્ષનું મુખ્ય ઉદાહરણ બની હતી. રમાબાઈ નગર ગોળીબારની ઘટનાએ ફરી સાબિત કર્યું કે જ્યારે પણ દલિત સમાજ તેના અધિકારો અને ગૌરવ માટે ઉભો થાય છે ત્યારે રાજ્ય અને સત્તા દ્વારા તેમના પર નિર્દયતાથી દમન કરવામાં આવે છે. આ ઘટનાએ જાતિવાદ સામે દલિતોના સંઘર્ષને વધુ મજબૂત બનાવ્યો અને પરિણામે સમગ્ર દેશમાં દલિત સમાજના અધિકારો માટે જાગૃતિ વધી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીમા-કોરેગાંવની ઘટના (2018)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 1818ના ભીમા-કોરેગાંવના ઐતિહાસિક યુદ્ધમાં દલિત સૈનિકોએ પેશવાઓને ભૂંડી રીતે હરાવ્યા હતા. આ જીત દલિતો માટે ગૌરવનું પ્રતીક બની ગઈ. દર વર્ષે દલિત સમાજ આ જીતની યાદમાં કોરેગાંવમાં એક સભાનું આયોજન કરે છે. પરંતુ 2018માં આ સભા પર હુમલો કરવામાં આવ્યો, જે ફરી એક વખત દર્શાવે છે કે દલિત સમાજના ઇતિહાસ અને સંઘર્ષોને ભૂંસી નાખવાના પ્રયાસો ક્યારેય બંધ થતા નથી. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. આ ઘટના માત્ર સામૂહિક સભા પરનો હુમલો નહોતો, પરંતુ તે દલિત સમુદાયની સંસ્કૃતિ, ઇતિહાસ અને સંઘર્ષ પર હુમલો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારતના વિવિધ રાજ્યોમાં આંબેડકરની પ્રતિમાઓ પર હુમલા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના વિવિધ રાજ્યોમાં સમયાંતરે આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાઓ થયા છે અને આ ઘટનાઓ માત્ર મહારાષ્ટ્ર પુરતી મર્યાદિત નથી. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ તેમના વિચારો અને સંઘર્ષનું પ્રતીક છે, જે સમાજમાં સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની વાત કરે છે. જ્યારે આ પ્રતિમાઓ પર હુમલો કરવામાં આવે છે, ત્યારે તે માત્ર ભૌતિક નુકસાન નથી, પરંતુ સમાજમાં જાતિવાદ અને અસમાનતા સામેની તેમની લડત પર હુમલો છે. આ હુમલાઓ પાછળની માનસિકતા અને ઉદ્દેશ્ય દલિતોની અસ્મિતા અને ઓળખને નબળી પાડવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓ પર હુમલો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશમાં આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાની ઘટનાઓ વધી છે, જે જાતિગત તણાવ અને અસમાનતાની વધતી જતી ખાઈને દર્શાવે છે. 2018માં, આઝમગઢમાં આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પ્રદેશમાં તણાવ અને હિંસા થઈ હતી. 2021માં બુલંદશહેરમાં પણ બાબા સાહેબની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ ત્યાં જોરદાર વિરોધ પ્રદર્શનો થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પેરિયારની ભૂમિ તમિલનાડુમાં આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાનો વિરોધ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તામિલનાડુમાં પણ આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ગુસ્સો અને વિરોધ જોવા મળ્યો હતો. 2023 માં, વિલ્લુપુરમમાં દલિત વસાહતમાં આંબેડકરની પ્રતિમા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે રાજ્યભરમાં દલિતોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ હુમલા બાદ જાતિગત તણાવ વધશે તેવી આશંકા હતી અને સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અનેક પગલાં લીધા હતા. મદુરાઈ અને તંજાવુરમાં પણ આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675d220d7800b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકરની મૂર્તિઓની તોડફોડની ઘટનાઓ મધ્યપ્રદેશમાં પણ પ્રકાશમાં આવી છે, જેમાં ગ્વાલિયર અને વિદિશાનો સમાવેશ થાય છે. આ હુમલાઓના વિરોધમાં અનેક પ્રદર્શનો થયા હતા અને દલિત સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં જાતિગત તણાવ અને આંબેડકરની પ્રતિમાઓ પર હુમલા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં પણ આંબેડકરની પ્રતિમાઓ પર હુમલા થયા છે. જયપુર અને જોધપુર જેવા મોટા શહેરોમાં જાતિગત તણાવ દરમિયાન બાબા સાહેબની પ્રતિમાઓની તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાઓએ રાજ્યના દલિત સમુદાયમાં ઘેરા રોષ અને અસંતોષને જન્મ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ ષડયંત્ર પાછળ જાતિવાદી તાકાતાનો હાથ છેઃ પ્રકાશ આંબેડકર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો.આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ ડો. પ્રકાશ આંબેડકરે આ ઘટનાઓને જાતિવાદી તાકાતાોનું ષડયંત્ર ગણાવ્યું. તેમનું માનવું હતું કે દલિત પ્રતીકો અને વિચારો પર હુમલા માત્ર એક વ્યક્તિ અથવા જૂથ દ્વારા કરવામાં નથી આવતા પરંતુ તેની પાછળ મોટા સામાજિક અને રાજકીય ઉદ્દેશ્યો હોય છે. આરોપીઓને તાત્કાલિક સજાની માંગ કરતા તેમણે કહ્યું કે સમાજમાં જાતિવાદને વધુ વેગ આપવા માટે આ હુમલા કરવામાં આવે છે. તેમના મતે, બાબા સાહેબ આંબેડકર અને તેમના વિચારોને નિશાન બનાવવું જાતિવાદી માનસિકતાને સમર્થન આપે છે અને સમાજના નબળા વર્ગો સામે હિંસાને પ્રોત્સાહન આપે છે. તેમણે રાજકીય પક્ષો અને રાજ્ય સરકારને આ મામલે કડક પગલાં લેવાની અપીલ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માયાવતી અને ચંદ્રશેખર આઝાદે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપા પ્રમુખ માયાવતીએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને દલિત સમાજ પર હુમલો ગણાવ્યો હતો. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આવા હુમલાઓ સમાજમાં અસમાનતા અને જાતિવાદને પ્રોત્સાહન આપે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675d21d5e97e2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ એમ પણ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરના વિચારો અને તેમના સંઘર્ષની નિંદા કરવાની આ ઘટના દલિતો માટે મોટો ફટકો છે, અને તેને સહન કરવામાં આવશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-five-times-in-two-months-in-uttar-pradesh">બે મહિનામાં ડો.આંબેડકરની પ્રતિમા તોડવાની પાંચમી ઘટના બની, દલિતોમાં રોષ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખરે પણ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી અને તેની સખત નિંદા કરી. તેને જાતિવાદીઓનું કૃત્ય ગણાવતા ચંદ્રશેખરે કહ્યું કે આંબેડકરની પ્રતિમાઓ માત્ર પ્રતિમાઓ નથી, પરંતુ તે આપણા અધિકારો અને સંઘર્ષના પ્રતિક છે. તેમણે રાજ્ય સરકાર પાસે માંગ કરી છે કે ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને કડક સજા આપવામાં આવે. ચંદ્રશેખરે એમ પણ કહ્યું કે આવી ઘટનાઓ સમાજને વધુ વિભાજિત કરે છે, અને આપણે આવા હુમલાઓ સામે એકસાથે ઊભા રહેવું પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તમામ નેતાઓ અને સંગઠનોની પ્રતિક્રિયાઓ સાબિત કરે છે કે આંબેડકરની પ્રતિમાઓ અને તેમના વિચારો પરના હુમલા એ માત્ર રાજકીય કે સામાજિક મુદ્દો નથી, પણ બંધારણીય અને માનવ અધિકારનો મુદ્દો પણ છે. સમાજમાં સમાનતા, ન્યાય અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે દરેક નાગરિકે આગળ આવીને પોતાની જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબા સાહેબના સપનાનું ભારત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકરની પ્રતિમાઓ પરના હુમલા માત્ર ભૌતિક નુકસાન નથી, પરંતુ સમાજમાં ઊંડો જ્ઞાતિ ભેદભાવ, અસમાનતા અને સંઘર્ષને ઉશ્કેરવાનો પ્રયાસ છે. આ હુમલાઓનો ઉદ્દેશ્ય દલિત સમુદાયની ઓળખ, તેમના અધિકારો અને તેમના સંઘર્ષોને નબળી પાડવાનો છે. પરભણીની ઘટના માત્ર ગુનો નથી, પરંતુ સમાજની અંદરના ઊંડા જ્ઞાતિ ભેદભાવનું સૂચક છે. સમય પાકી ગયો છે કે, આપણે બાબા સાહેબ આંબેડકરના સમાનતા અને ન્યાયના વિચારોને આત્મસાત કરીએ. દલિત સમુદાયની ઓળખ અને અધિકારોનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે. આવી ઘટનાઓ ભારતીય લોકશાહી અને બંધારણની મૂળ ભાવના પર હુમલો છે અને તેને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. બાબા સાહેબના સપનાનું ભારત ત્યારે જ શક્ય છે જ્યારે દરેક નાગરિકને સમાન અધિકાર અને સન્માન મળે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/violence-parbhani-maharashtra-desecration-of-dr-ambedkar-statue">મહારાષ્ટ્રના પરભણીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અપમાન થતાં હિંસા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 14 Dec 2024 11:48:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1700</Articleid>
                    <excerpt>મહારાષ્ટ્રના પરભણીથી યુપી, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં સુનિયોજિત રીતે ડો.આંબેડકરની પ્રતિમાઓને તોડવામાં આવી રહી છે. કોણ છે આની પાછળ, ઉદ્દેશ્ય શું છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675d21b59b4a0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d21b56491c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d21b56491c.jpg" length="95917" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>attacks on dr ambedkars statue, Babasaheb, Bahujan News</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજ્યની ડિગ્રી ઈજનેરી કોલેજોના 4000 અધ્યાપકો મળવાપાત્ર લાભથી વંચિત</title>
                    <link>https://khabarantar.com/state-degree-engineering-colleges-4000-Professors-deprived-of-benefits</link>
                    <guid>https://khabarantar.com/state-degree-engineering-colleges-4000-Professors-deprived-of-benefits</guid>
                    <description>
                        <![CDATA[ ટેકનિકલ શિક્ષણ વિભાગનો વહીવટ રેઢિયાળ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. એક અધ્યાપક પર વિશેષ પ્રેમથી ઓફલાઇન લાભ અપાયાનો આક્ષેપ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની સરકારી ઇજનેરી તેમજ પોલિટેકનિક કોલેજોના ૪૦૦૦ અધ્યાપકોના કિસ્સામાં પણ ઓફલાઈન ચકાસણી પ્રક્રિયા ઝડપથી કરીને સમય મર્યાદામાં ગ્રેડ-પે નો  લાભ આપવાની માંગ ગુજરાત કોંગ્રેસે કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ટેકનિકલ શિક્ષણની કચેરી દ્વારા ડીપ્લોમા કોલેજના એક જ અધ્યાપકના સ્પેશિયલ કેસમાં માત્ર એક જ મહિનાના સમય ગાળામાં કેસની ત્રણ ગ્રેડની પ્રક્રિયા ઓફલાઈન પૂર્ણ કરી આદેશ કરાયેલ છે. જેમાં ગ્રેડ પે 8000 થી 9000 મંજૂરીની તારીખ 1 જાન્યુઆરી 2016 પછી હોવા છતાં કોજન્ટ પોર્ટલ ઉપર પ્રકિયા કર્યા વગર ઓફ લાઈન ચકાસણી કરી 29 નવેમ્બરેના રોજ મંજૂરીનો આદેશ કરાયો છે. બીજી બાજુ રાજ્યની ૧૬ ડીગ્રી અને ૩૧ ડીપ્લોમા સરકારી ઈજનેરી કોલેજના 4 હજાર અધ્યાપકોને મળવાપાત્ર લાભથી વંચિત રહે તે રીતે ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આશરે 4000 અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ(કેસ) માટે પોર્ટલની ઓનલાઈન ચકાસણીની પ્રક્રિયા માટે ફરજીયાત પરિપત્ર કરાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એઆઇસીટીઇના તા. 1 માર્ચ 2019ના પરિપત્રના પાંચ વર્ષ બાદ 1 માર્ચ 2024ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા કેસ અંગે પરિપત્ર કરાયો હતો. વર્ષોની રજૂઆત બાદ પરિપત્ર થતા સરકારી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજોના અધ્યાપકો તેમના 7-8 વર્ષોથી લંબિત કેસ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા જન્મી હતી. આ અંતર્ગત અરજીઓ મંગાવી ઓફલાઈન ચકાસણી કરી સત્વરે આદેશ થાય એવી વ્યવસ્થા ઉભી કરવાની બદ્લે  ઓનલાઇન ચકાસણી કરવા અંગે કમિશનર ઓફ ટેકનિકલ શિક્ષણ દ્વારા નિર્ણય કરાયો હતો. 30 જુલાઈ 2024ના પરિપત્ર દ્વારા તમામ અધ્યાપકોને કેસની અરજી ફરજિયાત કોજન્ટ પોર્ટલ ઉપર કરવા માટે સૂચના આપી હતી. પરંતુ કોજન્ટ પોર્ટલ યોગ્ય રીતે થયેલ ન હોવાના કારણે ટેકનિકલ ક્ષતિઓને લીધે પોર્ટલ પર અરજી કરવામાં મોટાભાગના અધ્યાપકોએ વ્યાપક હેરાનગતિ ભોગવી હતી તેમ કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્યું હતું કે, ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા અધ્યાપકોને કોજન્ટ પોર્ટલ પર કેસ માટે ઓનલાઈન અરજી કરવા માટે ૨૦ ઓગસ્ટ 2024ની સમયમર્યાદા આપી હતી. પરંતુ ટેકનિકલ ક્ષતિઓને લીધે ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા અરજી કરવા માટેની છેલ્લી તારીખ બે વખત લંબાવી અનુક્રમે 5 સપ્ટેમ્બર કરવાની ફરજ પડી હતી. તેમાં પણ આજદિન સુધી કોજન્ટ પોર્ટલના 5 તબક્કામાંથી માત્ર બે તબક્કાની ચકાસણી પૂર્ણ થઇ છે, બાકીના 3 તબક્કાની પરિપત્રના ૬ મહિના થયા છતાં અમલીકરણ થયું નથી. જે રાજ્યના 4000 જેટલા અધ્યાપકો માટે ખૂબ જ નિરાશાજનક બાબત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેકનિકલ શિક્ષણ વિભાગનું કોજન્ટ પોર્ટલ જે ગતિથી ચાલી રહ્યું છે તે જોતા હજુ આગામી તા. ૩૧/૦૩/૨૦૨૫ સુધીમાં અધ્યાપકોની ગ્રેડ-પે ૬૦૦૦ થી ૭૦૦૦ તેમજ ગ્રેડ-પે ૭૦૦૦ થી ૮૦૦૦ એમ બે ઇવેન્ટ તો દૂર રહી, પરંતુ પ્રથમ ઇવેન્ટ પણ પૂરી થઇને જરૂરી આદેશ થશે કે કેમ એ પણ અનિશ્ચિત જણાય છે. આ રીતે ટેકનિકલ ક્ષતિઓ તેમજ સંવેદનશીલતાના અભાવે સરકારે કેસ જાહેર કર્યાને અંદાજે ૧૦ મહિના થયા છતાં હક/ન્યાય/લાભથી વંચિત 4000 જેટલા અધ્યાપકોને નાણાકીય તેમજ તેમની કારકિર્દીને ભારે નુકસાન થઇ રહ્યું છે. તો આ અંગે સરકાર દ્વારા તાકીદે ઘટતી કાર્યવાહી ઝડપભેર થાય તેવી માંગણી પણ કોંગ્રેસ પ્રવક્તાએ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/engineering-professor-working-as-a-delivery-boy-in-telangana">એન્જિનિયરિંગના પ્રોફેસરો ડિલિવરી બોયનું કામ કરી રહ્યા છે...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Dec 2024 20:58:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1699</Articleid>
                    <excerpt>ટેકનિકલ શિક્ષણ વિભાગનો વહીવટ રેઢિયાળ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. એક અધ્યાપક પર વિશેષ પ્રેમથી ઓફલાઇન લાભ અપાયાનો આક્ષેપ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675c50e8a96f7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675c50e86a19d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675c50e86a19d.jpg" length="84957" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>state degree engineering colleges</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;એક દેશ એક ચૂંટણી&amp;apos; પ્રાદેશિક અવાજને ખતમ કરી દેવાનું કાવતરું છે : સ્ટાલિન</title>
                    <link>https://khabarantar.com/tamil-nadu-chief-minister-and-dmk-chief-mk-stalin-said-on-one-nation-one-election</link>
                    <guid>https://khabarantar.com/tamil-nadu-chief-minister-and-dmk-chief-mk-stalin-said-on-one-nation-one-election</guid>
                    <description>
                        <![CDATA[ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ભાજપના એક દેશ, એક ચૂંટણીના એજન્ડા સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે આ મામલે બીજા પણ અનેક ભયસ્થાનો રજૂ કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુ (Tamil nadu) ના મુખ્ય પ્રધાન (Chief Minister) અને ડીએમકે (DMK) ના વડા (Chief) એમકે સ્ટાલિને (MK Stalin) કેન્દ્રીય કેબિનેટ દ્વારા વન નેશન, વન ઇલેક્શન (One Nation One Election) પર પસાર કરાયેલા ઠરાવ સામે વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે આ પગલું પ્રાદેશિક અવાજોને ખતમ કરી નાખશે અને સંઘવાદનો અંત લાવશે. મુખ્યમંત્રી સ્ટાલિને લોકોને આની સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, "કેન્દ્રીય કેબિનેટે સંસદમાં કઠોર 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી બિલ' રજૂ કરવાની મંજૂરી આપી છે. આ અવ્યવહારુ અને લોકશાહી વિરોધી પગલું છે, જે પ્રાદેશિક અવાજોને અને સંઘવાદને ખતમ કરી તંત્રને ખોરવી નાખશે. જાગો ભારત! ચાલો ભારતીય લોકશાહી પરના આ હુમલાનો આપણી પૂરી તાકાતથી વિરોધ કરીએ!”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પહેલા મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે (INC) પણ કેન્દ્ર સરકારના આ પગલા પર સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્રીય કેબિનેટે 'એક દેશ, એક ચૂંટણી' વ્યવસ્થાને લાગુ કરવા માટેના બિલને મંજૂરી આપ્યા પછી, કોંગ્રેસે ગુરુવારે આરોપ લગાવ્યો કે સરકાર ચૂંટણી પર ઉઠાવવામાં આવતા પ્રશ્નો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' લાગુ કરવા માટેના બિલને મંજૂરી આપી દીધી છે અને વર્તમાન શિયાળુ સત્રમાં ડ્રાફ્ટ કાયદો સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિને લખેલા પત્રને ટાંકીને કહ્યું કે પાર્ટીના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. ખડગેએ આ વર્ષે 17 જાન્યુઆરીએ સમિતિને પત્ર લખીને 'એક દેશ, એક ચૂંટણી'ના વિચારનો સખત વિરોધ કર્યો હતો. લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈ (Gaurav Gogoi) એ ગુરુવારે કહ્યું હતું કે, આ પહેલા પણ તેમની પાર્ટીએ ચૂંટણી, ચૂંટણી પદ્ધતિ અને ચૂંટણીની અખંડિતતા સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોગોઈએ કહ્યું, “હવે આ બિલ આવવા દો, ચાલો જોઈએ કે તેઓ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમે અગાઉ પણ કહ્યું છે કે આ બિલના માધ્યમથી આપણા દેશના સંઘીય ચરિત્ર પર પ્રભાવને લઈને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે અનેક ચિંતાઓ છે. તેમણે કહ્યું કે, "વડાપ્રધાન મોદી તેમની વાત નથી પાળી રહ્યા તેઓ 'એક દેશ, એક ચૂંટણી'ની વાત કરે છે, પરંતુ જ્યારે તે તેમને અનુકૂળ આવે છે ત્યારે તેઓ હરિયાણા અને મહારાષ્ટ્ર માટે અલગ ચૂંટણીઓ કરાવે છે. તેઓ ગુજરાતની ચૂંટણી અલગથી કરાવે છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોગોઈએ કહ્યું કે, “ભારતના લોકો ખૂબ જ સમજદાર છે અને સમજે છે કે આખી ચૂંટણી પ્રક્રિયાના સંબંધમાં ચૂંટણી કમિશનરોની ભૂમિકા અને તેમની નિમણૂક જેવા ઘણા મોટા પ્રશ્નો ઉઠાવવાની જરૂર છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ સાંસદે કહ્યું, "મને લાગે છે કે તેઓ માત્ર એ સવાલોથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે જે આપણી લોકશાહી પદ્ધતિની ચૂંટણીની શુચિતાના સંબંધમાં લોકોના મનમાં ઉઠી રહ્યાં છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/scheduled-caste-federation-will-contest-amc-elections-will-field-candidates-in-all-wards">શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન AMC ની ચૂંટણી લડશે, તમામ વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Dec 2024 19:16:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1698</Articleid>
                    <excerpt>તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ભાજપના એક દેશ, એક ચૂંટણીના એજન્ડા સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે આ મામલે બીજા પણ અનેક ભયસ્થાનો રજૂ કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675c3a6c763da.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675c3a6c3d381.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675c3a6c3d381.jpg" length="59477" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dmk chief mk stalin, tamil nadu chief minister, one nation one election</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકની હત્યામાં ન્યાય માંગવા આખું શહેર રસ્તા પર ઉતર્યું</title>
                    <link>https://khabarantar.com/balotara-dalit-youth-vishnaram-meghwal-murder-case-update-gujarati</link>
                    <guid>https://khabarantar.com/balotara-dalit-youth-vishnaram-meghwal-murder-case-update-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ મંડપ સર્વિસનું કામ કરતા દલિત યુવકના 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેની પત્ની પ્રેગનેન્ટ છે અને  આરોપી હત્યા કરી ફરાર થઈ ગયો છે. ન્યાય માટે આખું શહેર ઉમટી પડ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Balotara Dalit youth Vishnaram Meghwal murder case : મામલો સાવ સામાન્ય ભલે હોય પરંતુ જ્યારે તેમાં સવર્ણ જાતિના લોકોને ખ્યાલ હોય છે કે સામેની વ્યક્તિ દલિત-આદિવાસી કે ઓબીસી સમાજની છે. ત્યારે તેમનામાં અચાનક કોઈ જુદા પ્રકારની હિંમત આવી જતી હોય છે, કાયદાની બીક ખતમ થઈ જાય છે અને પોતાની જાતિના વર્ચસ્વનો કેફ મગજ પર ચડી જાય છે. એ પછી તેઓ સામેની વ્યક્તિ પર ગમે તે હદે હુમલો કરી શકે છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે. દલિત યુવકની સાવ સામાન્ય બાબતમાં હિસ્ટ્રીશિટર આરોપીએ છરી મારીને હત્યા કરી નાખી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનનો છે. અહીં નજીવી તકરારમાં દલિત યુવક વિશનારામ મેઘવાલની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ. બનાવને પગલે દલિત સમાજમાં રોષ ફેલાયો છે. લોકો મૌન રેલી કાઢી દેખાવો કરવા રસ્તા પર ઉતરી રહ્યા છે અને આરોપીની ધરપકડ અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. આરોપી હર્ષદાન ચારણ હિસ્ટ્રીશીટર છે, જેની ધરપકડ માટે પોલીસે ટીમો બનાવી છે. સમગ્ર વિસ્તારમાં તણાવ વચ્ચે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span><a href="https://x.com/nirmal_pareek93/status/1867158123657764911">https://x.com/nirmal_pareek93/status/1867158123657764911</a></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના બાલોતરામાં નહેરુ કોલોનીમાં 10 ડિસેમ્બરના રોજ નજીવી તકરારે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મંડપ સર્વિસ અને લાઈટિંગનું કામ કરતો વિશનારામ મેઘવાળ લગ્ન સમારોહ બાદ પોતાનો સામાન લેવા આવ્યો હતો. તેનું વાહન ઘરની બહાર પાર્ક કરવામાં આવ્યું હતું, જેના કારણે તેને હટાવવા બાબતે આરોપી હર્ષદાન ચારણ સાથે બોલાચાલી થઈ હતી. આ વિવાદે અચાનક હિંસક વળાંક લીધો હતો અને હર્ષદાને છરી વડે વિશનારામ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત વિશનારામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હત્યા બાદ દલિત સમાજમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનો થયા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ બનાવથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે. દલિત સમાજ અને અન્ય સંગઠનોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. મૃતકના સંબંધીઓ અને સમર્થકોએ આરોપીની તાત્કાલિક ધરપકડ અને ન્યાયની માંગ સાથે બાલોતરાના માર્ગો પર મૌન રેલી કાઢી હતી. જેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય મદન પ્રજાપત, મંત્રી ભગવત સિંહ અને તારારામ મેહલા જેવી અગ્રણી હસ્તીઓ જોડાઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધરણા સ્થળ પર ભારે ભીડ જામી, પોલીસ દળ તૈનાત</span></strong></span><br><span style="font-size: 14pt;">ધરણાના સ્થળે મૃતકના સંબંધીઓએ યુવકને મૃતદેહ ઉપાડવાનો ઇનકાર કર્યો હતો. વહીવટીતંત્ર દ્વારા વારંવાર સલાહ આપવામાં આવી હતી, પરંતુ વિરોધ કરનારા લોકો તેમની માંગ પર અડગ રહ્યા હતા અને પોલીસ પ્રશાસન પ્રત્યે ઊંડો રોષ વ્યક્ત કર્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં તણાવને જોતા બાલોતરા ડીએસપી સુશીલ માન અને સિવાના ડીએસપી નીરજ શર્માના નેતૃત્વમાં ભારે પોલીસ ફોર્સ અને આરએસી જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આરોપી હર્ષદાન ચારણ બાલોતરા હિસ્ટ્રીશીટર</span></strong><br><span style="font-size: 14pt;">આ કેસનો આરોપી હર્ષદાન ચારણ બાલોતરા પોલીસ સ્ટેશનનો કુખ્યાત હિસ્ટ્રીશીટર છે. તેની સામે હત્યાના પ્રયાસ, લૂંટ અને હુમલાના અનેક કેસ નોંધાયેલા છે. ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેની ઓળખ કરી હતી અને એસપી કુંદન કંવરિયાએ 10 વિશેષ ટીમો બનાવી આરોપીની શોધ શરૂ કરી હતી. પોલીસે આરોપીનો ફોટોગ્રાફ જાહેર કર્યો છે અને સામાન્ય લોકોને જો કોઈ સુરાગ મળે તો તાત્કાલિક માહિતી આપવા અપીલ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમગ્ર શહેરમાં તણાવપૂર્ણ માહોલ</span></strong></span><br><span style="font-size: 14pt;">મૃતક યુવક વિશનારામ મેઘવાળની હત્યાથી સમગ્ર બાલોતરા શહેરમાં શોક અને આક્રોશ વ્યાપી ગયો છે. વિશનારામના લગ્ન થોડા મહિના પહેલા જ થયા હતા, જેના કારણે પરિવાર વધુ આઘાતમાં છે. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો શબઘરની બહાર એકઠા થયા હતા. દેખાવકારોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વહીવટીતંત્ર માટે પડકારજનક પરિસ્થિતિ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલો પોલીસ અને પ્રશાસન માટે પડકાર બની ગયો છે. બાલોતરામાં શાંતિ-વ્યવસ્થા જાળવવાની સાથે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવી એ વહીવટી તંત્રની પ્રાથમિકતા બની છે. આ ઘટનાએ દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. લોકો તંત્ર પાસેથી કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી રહ્યા છે. પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અશોક ગેહલોતે ગંભીર આક્ષેપો કર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે. રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે  X પર લખ્યું, "બાલોતરામાં દલિત યુવકની હત્યા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નબળી પડવાનું ઉદાહરણ છે. ધોળા દિવસે થયેલી હત્યાના કેસમાં પણ પીડિત પક્ષે આરોપીની ધરપકડ માટે આંદોલન કરવું પડે છે તે અત્યંત નિંદનીય છે. છેલ્લા એક વર્ષમાં દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો સામેના ગુનાઓમાં સતત વધારો થયો છે. રાજ્ય સરકારે આ બાબતે તાકીદે પગલાં લેવા જોઈએ અને પીડિત પરિવારને ન્યાય અપાવવો જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'ભજનલાલ સરકાર ઈવેન્ટ બાજીમાં વ્યસ્ત છે'</span></strong></span><br><span style="font-size: 14pt;">રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરાએ ટ્વિટર પર લખ્યું, "બાલોતરામાં વિશનારામ મેઘવાલની ઘાતકી હત્યા અત્યંત દુઃખદ અને અત્યંત નિંદનીય છે. મેઘવાલ પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. રાજ્યમાં નબળી કાયદો અને વ્યવસ્થાના કારણે ગુનેગારોનું મનોબળ વધ્યું છે. ભાજપ સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે ઈવેન્ટ બાજીમાં વ્યસ્ત છે. દલિતો પર સતત થઈ રહેલા અત્યાચારો અને હજુ સુધી આ ઘટનામાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી તે ભાજપ સરકારની દલિત વિરોધી માનસિકતા દર્શાવે છે. સરકાર દ્વારા આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારના સભ્યોને યોગ્ય </span><span style="font-size: 14pt;">આર્થિક સહાય સાથે નોકરી આપવામાં આવે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પરિવારને યોગ્ય વળતર સાથે ન્યાય અને નોકરી આપો</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકારામ જુલીએ ટ્વિટર પર લખ્યું, "હું બાલોત્રામાં વિશનારામ મેઘવાલની ઘાતકી હત્યાની નિંદા કરું છું. મેઘવાલ પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળ સ્થિતિ તરફ નિર્દેશ કરે છે, જે ગુનેગારોને પ્રોત્સાહન આપી રહી છે. ભાજપ સરકારે માત્ર ઈવેન્ટબાજીમાં વ્યસ્ત રહેવાને બદલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નક્કર કાર્યવાહી કરવી જોઈએ. દલિતો પર સતત થઈ રહેલા અત્યાચાર અને આ મામલે અત્યાર સુધી નક્કર કાર્યવાહીનો અભાવ સરકારની દલિત વિરોધી માનસિકતા દર્શાવે છે. હું સરકાર પાસે માંગ કરું છું કે આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારના સભ્યને યોગ્ય આર્થિક સહાય સાથે નોકરી આપવામાં આવે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/discrimination-against-rajasthans-dalit-deputy-chief-minister-premchand-bairwa">રાજસ્થાનના દલિત નાયબ મુખ્યમંત્રી Premchand Bairwa સાથે ભેદભાવ?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Dec 2024 14:49:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1697</Articleid>
                    <excerpt>મંડપ સર્વિસનું કામ કરતા દલિત યુવકના 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેની પત્ની પ્રેગનેન્ટ છે અને  આરોપી હત્યા કરી ફરાર થઈ ગયો છે. ન્યાય માટે આખું શહેર ઉમટી પડ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675bfb805c7a1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675bfb801e4f6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675bfb801e4f6.jpg" length="130174" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>balotara, dalit youth murder, vishnaram meghwal murder case, update, बालोतरा, विशनाराम मेघवाल मर्डर केस, भजनलाल शर्मा, राजस्थान</media:keywords>
                </item>
                        <item>
                    <title>જિલ્લા ઉપાધ્યક્ષના પતિએ આદિવાસી યુવકની મારી&amp;મારીને ચામડી ઉતરડી નાખી</title>
                    <link>https://khabarantar.com/in-bijawar-mp-the-husband-of-the-district-vice-president-along-with-his-brothers-beat-up-a-tribal-youth</link>
                    <guid>https://khabarantar.com/in-bijawar-mp-the-husband-of-the-district-vice-president-along-with-his-brothers-beat-up-a-tribal-youth</guid>
                    <description>
                        <![CDATA[ નેતાએ તેના બે ભાઈઓ સાથે મળીને તેમની સામે થયેલા એટ્રોસિટીના કેસમાં જુબાની આપવા જતા આદિવાસી યુવકને આંતરીને તેના શરીર પર ચાઠાં પડી ગયા ત્યાં સુધી માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટીના એક કેસમાં જુબાની આપવા જઈ રહેલા એક આદિવાસી યુવકને જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષના પતિ અને તેના બે ભાઈઓએ મળીને નિર્દયતાથી માર્યો અને તેને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યો. મામલો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બિજાવર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આદિવાસી યુવક રાજબહાદુરસિંહ બાઇક પર પાટણ ખાતે પોતાના ઘરે જઇ રહ્યો હતો. દરમિયાન બીજાવર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષના સીતા યાદવના પતિએ તેના બે સગા ભાઈઓ સાથે મળીને તેના પર લાકડીઓ અને દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાયો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજબહાદુર એટ્રોસિટીના એક કેસમાં આરોપીઓ સામે જુબાની આપવાનો હતો. જેની દાઝ રાખીને આ લોકો તેને મારવા માટે મોકાની રાહ જોઈને તૈયાર હતા. જિલ્લા ઉપાધ્યક્ષના પતિ દેવી સિંહ યાદવ તેના બે ભાઈઓ મુલાયમ સિંહ યાદવ અને માધવ સિંહ યાદવે આદિવાસી યુવકને લાકડીઓ વડે નિર્દયતાથી માર્યો હતો. રાજબહાદુર સિંહ ગંભીર રીતે ઘાયલ થતા તેને ગંભીર હાલતમાં બિજાવરના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી બાદમાં તેને છતરપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધાક જમાવવા માટે હુમલો કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈજાગ્રસ્ત આદિવાસી રાજબહાદુર સિંહે કહ્યું, “દેવી સિંહ અને તેના બે ભાઈઓએ તેના પર હુમલો કર્યો હતો કારણ કે તે એટ્રોસિટી એક્ટના એક કેસમાં તેમની સામે જુબાની આપી રહ્યો હતો. પાટણના એક દલિત પરિવારે બાજણા પોલીસ સ્ટેશનમાં દેવી સિંહ વિરુદ્ધ એટ્રોસિટીનો કેસ નોંધાવ્યો હતો, જેને લઈને આજે તેમણે દાદાગીરી બતાવી પીડિતો પર ધાક જમાવવા માટે આ હુમલો કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ હુમલો કરી ફરાર થઈ ગયા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિજાવર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કમલજીત સિંહ મબઈએ કહ્યું, “3 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પીડિતને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસી યુવકનો રસ્તો રોકી હુમલો કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શનિવારે રાજબહાદુર આદિવાસીને ગંભીર હાલતમાં સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ગામના એક દલિત વ્યક્તિને દેવીસિંહ યાદવના પરિવાર દ્વારા માર મારવામાં આવ્યો હતો, જે મામલે બજાણા પોલીસે એટ્રોસિટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસમાં પોલીસે સાક્ષી તરીકે રાજબહાદુરનું નિવેદન નોંધ્યું હતું. જેની જાણ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સીતા યાદવના પતિ દેવી સિંહ અને તેના ભાઈ માધવ સિંહ, મુલાયમ સિંહને થતાં જ તેમણે ભેગા થઈને રાજબહાદુરને રસ્તામાં રોક્યો હતો અને લાકડીઓ, લાતો, મુક્કાઓ અને પથ્થર મારીને તેના પર જીવલેણ હુમલો કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકના પગની ચામડી કાળી પડી ગઈ, કમર પર દંડાના નિશાન</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજબહાદુરને આ હુમલામાં ગંભીર ઇજાઓ થઇ છે. તેના બંને ઘૂંટણની ચામડી કાળી થઈ ગઈ છે અને સોજાઈ ગઈ છે, કમરની નીચે ડંડાના નિશાન પડી ગયા છે અને બંને હાથ પર ગંભીર ઈજાના નિશાન પડી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘાયલ રાજ બહાદુરના પરિવારજનોએ જણાવ્યું કે, હુમલાખોરોએ પહેલા પણ દલિતોને માર માર્યો હતો. પોલીસે તેમના પર કાર્યવાહી કરવામાં વિલંબ અને બેદરકારી દાખવી તેના કારણે તેમની સાથે આ બીજો કિસ્સો બન્યો છે. પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે, જો હુમલાખોરોની વહેલીતકે ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ ફરીથી તેમના પર હુમલો કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/he-did-wrong-by-complaining-leave-the-village-now-we-wont-let-him-live-anymore">'તેં ફરિયાદ કરીને ખોટું કર્યું, હવે ગામ છોડી દો, બાકી જીવવા નહીં દઈએ'</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Dec 2024 13:08:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1696</Articleid>
                    <excerpt>નેતાએ તેના બે ભાઈઓ સાથે મળીને તેમની સામે થયેલા એટ્રોસિટીના કેસમાં જુબાની આપવા જતા આદિવાસી યુવકને આંતરીને તેના શરીર પર ચાઠાં પડી ગયા ત્યાં સુધી માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675be46308d55.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675be462b7559.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675be462b7559.jpg" length="86899" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>tribal youth beaten up, Bijawar, MP, husband of the district vice-president, atrocity act, FIR Atrocity Act, Adivasi News, ST News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત વડીલે પાઘડી ઉતારીને પગમાં મૂકી, અંતે આત્મહત્યા કરી લીધી</title>
                    <link>https://khabarantar.com/dalit-elder-commits-suicide-in-banda-uttar-pradesh-fed-up-with-land-grabbing</link>
                    <guid>https://khabarantar.com/dalit-elder-commits-suicide-in-banda-uttar-pradesh-fed-up-with-land-grabbing</guid>
                    <description>
                        <![CDATA[ આખી જિંદગી કાળી મજૂરી કરીને ભેગી કરેલી મૂડીમાંથી દલિત વડીલે થોડી જમીન ખરીદી હતી પણ જાતિવાદીઓની તેના પર નજર બગડી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ બાદ ખેડે તેની જમીન જેવા નિયમો બાદ રાજા-મહારાજાઓ પાસે રહેલી જમીનો એક ચોક્કસ જાતિના લોકો પાસે આવવા લાગી હતી અને તેઓ સમૃદ્ધ થવા માંડ્યા હતા. જો કે કહેવાતી એ લોકશાહી પ્રથામાં પણ દલિતો-આદિવાસીઓ જમીનોના માલિકો ન બની જાય તેની ખાસ કાળજી રખાઈ હતી. આજે પણ આ બાબતનું ખાસ ધ્યાન રખાય છે કે, ગામડાઓમાં ખેતીની જમીનનો એક ટુકડો પણ કોઈ દલિત-આદિવાસી પાસે ન જવો જોઈએ. ભલેને પછી તેના માટે તેનો જીવ કેમ ન લેવો પડે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં કંઈક આવું જ બન્યું છે. આખી જિંદગી પરિવાર સાથે ખેતમજૂરી કરીને જે થોડીઘણી મૂડી બચી હતી તેમાંથી દલિત વડીલે થોડી જમીન ખરીદી હતી. પણ એ પછી ગામના માથાભારે તત્વોએ તેના પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હતો અને તેઓ કોઈ કાળે જમીન પરનો કબ્જો છોડતા નહોતા. દલિત વડીલે તેમના પગમાં પોતાની આબરૂ જેવી પાઘડી મૂકી, પણ જાતિવાદી આ તત્વોએ તેને લાત મારીને ફગાવી દીધી અને જાતિસૂચક ગાળો બોલી દલિત વડીલને અપમાનિત કર્યા. આ અપમાન અને કોર્ટમાં આખો મામલો ફસાઈ જતા તંગ આવી ગયેલા દલિત વડીલે આખરે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના બાંદાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના બાંદા (Banda)ની છે. અહીં બિસંડા પોલીસ સ્ટેશન(Bisanda Police Station)માં આવતા હનુમાન નગર (Hanuman Nagar)માં રહેતા 65 વર્ષના દલિત (Dalit) વડીલ રામબહોરી (Rambahori) એ જાતિવાદીઓની દાદાગીરી અને જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લેવાની વૃત્તિથી તંગ આવી ટોઈલેટમાં ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી. ગામની માથાભારે કોમના ગુંડાઓએ રામબહોરીએ મરણમૂડીમાંથી ખરીદેલી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હતો અને તેઓ કોઈ કાળે તે જમીન છોડતા નહોતા. આ માટે રામબહોરીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પણ તેમાં સતત મુદતો પડતી જતી હોવાથી ખુદની જમીન હોવા છતાં કોઈ નિર્ણય નહોતો આવતો. આ બધાંથી તેઓ ભારે પરેશાન હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટોઈલેટમાં દોરી બાંધી આત્મહત્યા કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">65 વર્ષના દલિત રામબહોરી શિવલોચન રૈદાસે ગત શનિવારે સવારે ઘરની બહાર બનેલા શૌચાલયનો દરવાજો બંધ કરીને અંદર દોરડું બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. લાંબા સમય બાદ પણ તેઓ રૂમમાંથી બહાર ન આવતાં પરિવારજનોએ ટોઈલેટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અંદરથી કોઈ હલચલ જણાતી ન હતી. જેથી પરિવારજનોએ જેમતેમ કરીને દરવાજો તોડ્યો હતો અને અંદર જોયું તો રામબહોરીની લાશ લટકતી હતી. મૃતદેહ જોતા જ પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઠાકુરોએ જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાવની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. મૃતકના પુત્ર વિનોદે જણાવ્યું કે તેના પિતા મજૂરી કામ કરતા હતા. તેમણે 9 સપ્ટેમ્બર 2021ના રોજ પાડોશી પાસેથી 17 બિસ્વા જમીન ખરીદી હતી. દરમિયાન, ગામના ઠાકુર સમાજના ગુંડાઓએ તે જમીન કબજે કરી લીધી. રામબહોરીએ તેમને જમીનનો કબ્જો છોડી દેવા કહ્યું તો ગુંડાઓએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. એ પછી પણ તેમણે જમીન પરનો ગેરકાયદે કબ્જો છોડ્યો નહોતો. આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેનાથી કંટાળીને રામબહોરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાઘડી ઉતારી પગમાં મૂકી તો લાત મારી ફગાવી દીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક રામબહોરીએ ઠાકુર કોમના ગુંડાઓને તેમની જમીન છોડી દેવા વિનંતી કરી હતી, પરંતુ ગુંડાઓએ કબ્જો છોડ્યો નહોતો. જમીનનો કબ્જો છોડાવવા માટે રામબિહોરીએ પોતાની આબરૂસમી પાઘડી ઠાકુરોના પગમાં મૂકી દીધી હતી. પણ ગુંડાઓએ તેને લાત મારીને ફેંકી દીધી હતી અને જાતિસૂચક ગાળો ભાંડી રામબિહોરી સહિત તેમના આખા પરિવારનું અપમાન કર્યું હતું અને થાય તે કરી લેવાનો પડકાર ફેંક્યો હતો. ત્યારથી તેઓ હતાશ થઈ ગયા હતા. આખરે તેમણે જીવન ટૂંકાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/casteists-snatch-8.5-bighas-of-land-from-dalit-family-in-gokulpur-mainpuri-uttar-pradesh">જાતિવાદીઓએ દલિત મહિલાની 8.5 વીઘા જમીન પડાવી લીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Dec 2024 11:30:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1695</Articleid>
                    <excerpt>આખી જિંદગી કાળી મજૂરી કરીને ભેગી કરેલી મૂડીમાંથી દલિત વડીલે થોડી જમીન ખરીદી હતી પણ જાતિવાદીઓની તેના પર નજર બગડી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675bccbea4528.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675bccbe7420c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675bccbe7420c.jpg" length="48530" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Banda, Dalit News, land grabbing in banda</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઓશો રજનીશ પર દલિત&amp;બહુજન સમાજ પુનર્વિચાર કરે</title>
                    <link>https://khabarantar.com/osho-rajneesh-dalit-bahujan-community-should-reconsider</link>
                    <guid>https://khabarantar.com/osho-rajneesh-dalit-bahujan-community-should-reconsider</guid>
                    <description>
                        <![CDATA[ રજનીશે બુદ્ધની અત્યાધિક પ્રશંસા અને ગાંધીજીની અત્યંત નિંદા કરી છે, એટલે દલિત-બહુજન સમાજ ઓશોની વ્યાખ્યાઓની જાળમાં આસાનાથી ફસાતો જઈ રહ્યો છે. પણ હવે સમય પાકી ગયો છે કે... ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><em><span style="font-size: 14pt;">“હું માત્ર ધનિકોનો ગુરુ છું, ગરીબ માણસ આધ્યાત્મિક ન હોઈ શકે”</span></em></p>
<p style="text-align: justify;"><br><em><span style="font-size: 14pt;">“ગૌતમ બુદ્ધ આધ્યાત્મનો હિમાલય છે અને ભવિષ્યનો ધર્મ બુદ્ધનો ધર્મ હશે”</span></em></p>
<p style="text-align: justify;"><br><em><span style="font-size: 14pt;">“ગૌતમ બુદ્ધ મારા શરીરમાં પ્રવેશ્યા, તેમના કારણે મારા માથામાં દુખાવો થઈ ગયો, મેં તેમને કહ્યું કે હવે તમે આઉટ ડેટેડ થઈ ગયા છો, મારા શરીરમાંથી નીકળી જાવ”</span></em></p>
<p style="text-align: justify;"><br><em><span style="font-size: 14pt;">“ગાંધી મહાત્મા નહોતા, તેઓ એક ચાલાક વાણિયા(વેપારી) હતા”</span></em></p>
<p style="text-align: justify;"><br><em><span style="font-size: 14pt;">“આંબેડકરે પણ ગાંધી વિરુદ્ધ ઉપવાસ બેસી જવું જોઈતું હતું. આંબેડકર મોટા માણસ હતા, ગાંધી તેમની સામે લાંબો સમય ટકી શક્યા ન હોત.”</span></em></p>
<p style="text-align: justify;"><br><em><span style="font-size: 14pt;">“હિંદુઓનો કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત જાતિ વ્યવસ્થાને જાળવી રાખવાનું શસ્ત્ર છે”</span></em></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ બધાં વાક્યો આચાર્ય રજનીશ એટલે કે ઓશોના છે. 11મી ડિસેમ્બરે તેમની જન્મતિથિ ગઈ. જે લોકોએ તેમને વાંચ્યા છે અને સાંભળ્યા છે તેઓ ઓશો વિશે તટસ્થ રહી શકતા નથી, તેઓએ કાં તો તેમનો વિરોધ કરવો પડશે અથવા તેમને સમર્થન આપવું પડશે. ઓશોએ પોતે આ વાત કહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓશો - પોતાના સમયના સ્વ-ઘોષિત વિદ્રોહી</span></strong></span><br><span style="font-size: 14pt;">ભારતમાં 1980-2000 ની વચ્ચે સમજણ પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિએ આચાર્ય રજનીશ ઉર્ફે ઓશો વિશે ચોક્કસપણે વાંચ્યું અને સાંભળ્યું હશે. આઝાદી પહેલા 1920-1950ના દાયકાઓમાં એવું કોઈ નહોતું જેણે ગાંધીજીને વાંચ્યા કે જાણ્યા ન હોય. આ સમયગાળામાં સામાજિક-રાજકીય પરિવર્તનની વાત કરનારાઓએ કાર્લ માર્ક્સને પણ જાણ્યા અને વાંચ્યા હશે. ઓશોના ભક્તો દાવો કરે છે કે તેઓ બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, મુહમ્મદ, ઈસુ વગેરેની કક્ષાના રહસ્યવાદી અને ગુરુ હતા. તેમનો દાવો છે કે ઓશોએ ભારતના ધાર્મિક અને આધ્યાત્મિક વિમર્શને બદલી નાખ્યું છે. ઓશોના વિરોધીઓ તેમને સેક્સ ગુરુ, અરાજકતાવાદી અને તકવાદી પણ કહે છે. તેમના પર 'સંભોગ સે સમાધિ' જેવા વિવાદાસ્પદ ટાઈટલ અને આક્રમક મીડિયા યુક્તિઓનો ઉપયોગ કરવાનો આરોપ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/devadasi-pratha-trading-the-bodies-of-shudra-daughters-in-the-name-of-god">દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Netflix પર તેમના વિશે 'વાઇલ્ડ-વાઇલ્ડ કન્ટ્રી' નામની વેબ સિરીઝ આવી હતી. જેમાં ઓશો અને તેમના આશ્રમનું સત્ય શું છે તે બતાવવામાં આવ્યું હતું. ઓશોના ભક્તો કહે છે કે અમેરિકામાં સાચો 'કોમ્યુન' રચાઈ રહ્યો હતો, એટલે જ અમેરિકાની રોનાલ્ડ રીગન સરકારે ઓશોને ઝેર આપીને મારી નાખ્યા. અમેરિકી સરકારે કહ્યું કે ઓશોના આશ્રમની નજીકના શહેરમાં જૈવિક આતંકવાદના પ્રયોગો ચાલી રહ્યા છે. ઓશો આશ્રમ પર આક્ષેપો થયા હતા કે ત્યાં પોતાના જ સન્યાસીઓની હત્યાના ષડયંત્ર ચાલી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક ઓશોની અંદર અનેક માણસ</span></strong></span><br><span style="font-size: 14pt;">શું ઓશો રજનીશ વિશે કોઈ તાર્કિક વાત થઈ શકે છે? શું આપણે ઓશોનું કોઈ મૂલ્યાંકન તેમના પોતાના કાર્યોના આધારે કરી શકીએ? આજકાલ ભારત પર ફાઈવ સ્ટાર બાબાઓ, ગુરુઓ અને ઉપદેશકોનો પ્રકોપ છવાયેલો છે. દરેક શહેરમાં કોઈને કોઈ બાબા અજીબોગરીબ વાર્તાઓ કહી લોકોને છેતરી રહ્યાં છે. તેમની વાતોમાં ન તો કોઈ તર્ક હોય છે, ન શૈવ, વૈષ્ણવ, યૌગિક, તાંત્રિક શાસ્ત્રોનું સત્ય હોય છે. તેઓ માત્ર ફૂલગુલાબી ભાષણો આપીને જનતાને મૂંઝવણમાં રાખે છે. આ સિવાય આ તમામ કથાકાર બાબા વગેરે અબજો-ખર્વોની સંપત્તિના માલિક હોય છે. તેમના પોતાના જીવનમાં કોઈ શુદ્ધતા કે નૈતિકતા નથી હોતી. તેઓ અપરિગ્રહ, અચૌર્ય, બ્રહ્મચર્ય, સાદગી, ત્યાગ વગેરેની બાબતો શીખવે છે. પરંતુ તેઓ પોતે ફાઈવ સ્ટાર લાઈફ જીવે છે. દુઃખની વાત એ છે કે ભારતના ગરીબ અને અભણ લોકો આ બધું જોઈ સમજી શકતા નથી અને તેમની જાળમાં ફસાયેલા રહે છે. આવા અનેક બાબાઓ અને કથાકારો આજકાલ જેલમાં છે. એજ કારણોસર આજે આપણે ઓશો રજનીશ પર પુનર્વિચાર કરવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓશો રજનીશે પોતાના જીવનમાં ઘણી વખત નામ બદલ્યું હતું. નામ બદલતાની સાથે જ તેમની કામ કરવાની રીત, તેમની ભાષા શૈલી, તેમનું સ્ટેન્ડ અને જીવનશૈલી પણ બદલાઈ જતી હતી. ઉદાહરણ તરીકે, 1965-70 ની વચ્ચે તેઓ ધાર્મિક પાખંડો અને ધર્મગુરૂઓ સામે ડાબેરી ક્રાંતિકારીની ભાષા બોલતા હતા. પછી તેમણે પોતાનું નામ આચાર્ય રજનીશ અને શ્રી રજનીશ રાખ્યું. પછી 1970 ના દાયકાની શરૂઆતમાં, તેઓ પોતે જ નવ-સન્યાસ ચળવળ શરૂ કરીને ભગવાન રજનીશ બન્યા. પછી 1980 થી 1985 સુધી તેઓ ભગવાન અને ભગવાન શ્રી રજનીશ બનતા રહ્યાં હતા. પછી 1988-89 ની વચ્ચે તેઓ ઓશો રજનીશ અને અંતે માત્ર ઓશો બની જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">એકથી વધુ વખત નામ બદલવા પાછળનું કારણ</span></strong><br><span style="font-size: 14pt;">આ રીતે નામ બદલવા પાછળ નક્કર કારણ હતું. આ વાત તેણે પોતે પણ ઘણી વખત કહી છે. ઉદાહરણ તરીકે, 1965-68 ની વચ્ચે ઘણાં વિદ્રોહી અને ડાબેરીઓ તેમની સાથે જોડાયા, આ લોકોથી છૂટકારો મેળવવા માટે તેમણે ધર્મ, રહસ્યવાદ, સાધના, મોક્ષ અને ગાંધીની પ્રશંસા કરવાનું શરૂ કર્યું, એટલે ડાબેરીઓ ભાગી ગયા. પછી 1968-72 વચ્ચે ગાંધીવાદીઓ તેમની સાથે જોડાવા લાગ્યા, પછી તેમણે ગાંધી વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું અને ગાંધીવાદીઓ ભાગી ગયા. એ જ રીતે તેઓ અનુક્રમે હિંદુ ધર્મ, જૈન ધર્મ, યોગ, તંત્ર, સૂફી, કબાલા, ખ્રિસ્તી ધર્મ, સામ્યવાદ, સમાજવાદ વગેરે જેવા નવા વિષયો પર બોલીને જુના લોકોથી છૂટકારો મેળવતા રહ્યા અને નવા લોકોને આકર્ષતા રહ્યા. આ તેમના પોતાના શબ્દો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/shailaja-paik-first-dalit-woman-from-slum-to-genius-grant">shailaja paik : ઝૂંપડપટ્ટીથી જિનિયસ ગ્રાન્ટ સુધી પહોંચનાર પ્રથમ દલિત મહિલા</a></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓશો અન્ય રીતે પણ નવા લોકોને આકર્ષતા હતા અને ઘણા પૈસા પણ એકઠા કરતા હતા. ઉદાહરણ તરીકે, એંશીના દાયકાના અંત ભાગમાં તેમણે કેટલાક લોકોના બુદ્ધત્વની જાહેરાત કરી, પછી તે લોકોએ ઓશોને ભારે દાન આપ્યું. ઓશોના ખૂબ જ નજીકના શિષ્યા શીલા કહે છે કે જ્યારે પણ તેમને અમેરિકામાં પૈસાની જરૂર પડતી ત્યારે તેઓ તેમના કેટલાક શ્રીમંત સન્યાસીઓમાંથી અમુકને 'ઈનલાઈટેંડ' જાહેર કરી દેતા હતા. તેઓ આશ્રમની બહારના લોકોનો જ નહીં પણ અંદરના લોકોનો પણ એ જ રીતે ઉપયોગ કરતા હતા. ઓશોએ તેમના સમયના સૌથી પ્રતિભાશાળી લોકોને આકર્ષવા માટે ફાઇવ-સ્ટાર ગુરુની છબી બનાવી હતી. તેથી જ તેઓ 99 રોલ્સ રોયસ કારનો કાફલો, ફાઈવ સ્ટાર આશ્રમ, પ્રાઈવેટ જેટ, પોતાનું એરપોર્ટ વગેરે ઈચ્છતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શા માટે ઓશો રજનીશ પર પુનર્વિચાર કરવો?</span></strong></span><br><span style="font-size: 14pt;">આજ આપણે રજનીશ પર પુનર્વિચાર કરવાની શું જરૂર છે? આના ત્રણ મોટા કારણો છે. પ્રથમ, આજે ભારતમાં ધર્મ અને ધાર્મિકતા સહિત સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના નામે એક મોટી ઠગાઈ ચાલી રહી છે, જેમાં ભારતના ગરીબ ખેડૂતો, મજૂરો અને ગ્રામીણ વર્ગો સાથે છેતરપિંડી થઈ રહી છે. બીજું કારણ, આજે સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ભારતના ગરીબ લોકોમાં ગૌતમ બુદ્ધને લઈને જે નવી તૃષ્ણા પેદા થઈ છે, તે તરસને 'ઈશ્વર-આત્મા-પુનર્જન્મ'ની ઝેરી ત્રિમૂર્તિ દ્વારા નષ્ટ કરવાના પ્રયાસો તેજ થયા છે. અને તેની શરૂઆત થિયોસોફિકલ સોસાયટી દ્વારા કરવામાં આવી હતી અને સ્વયં ઓશો રજનીશે પોતે આ કાર્યને આગળ વધાર્યું હતું. રજનીશે જે રીતે બુદ્ધની વ્યાખ્યા કરી છે તેમાં બુદ્ધના મોંએથી સાશ્વત આત્મા અને પુ્નર્જન્મ સહિત ઈશ્વરની પણ પ્રશંસા કરવામાં આવી છે. ત્રીજું કારણઃ ઓશો રજનીશે બુદ્ધની અત્યાધિક પ્રશંસા અને ગાંધીજીની અતિશયોક્તિપૂર્વક નિંદા કરી હોવાથી દલિત-બહુજન સમાજ ઓશોની વ્યાખ્યાની જાળમાં સરળતાથી ફસાઈ રહ્યો છે. આ કારણથી સમગ્ર ભારતમાં એક ખાસ પ્રકારનું ધાર્મિક ધ્રુવીકરણ અને કોમવાદનું ઝેર ફેલાઈ રહ્યું છે. મારા મતે, આ ત્રણ પરિબળો ભારતના ગરીબ લોકોની પ્રગતિની સંભાવનાઓ સહિત ભારતની લોકશાહી માટે મોટા જોખમો લઈને આવે છે. તેથી જ ઓશોના પ્રમાણિક મૂલ્યાંકનની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓશો રજનીશની પોતાની સમજ અને શૈલી</span></strong></span><br><span style="font-size: 14pt;">ઓશોએ નાનપણથી જ વાર્તા કહેવાની અને લોકોના મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવાની ટેકનિક શીખી લીધી હતી. તેમની આત્મકથા ‘ગ્લિમ્પ્સ ઑફ ગોલ્ડન ચાઇલ્ડહુડ’માં તેઓ જણાવે છે કે તેઓ લોકોના વર્તનનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને તેમને કેવી રીતે ફોસલાવવા, નારાજ કરવા, ખુશ કરવા વગેરે શીખી લીધું હતું. તેઓ આના દ્વારા ઘણાં ફાયદા પણ ઉઠાવતા હતા અને ઘણાં લોકોની મદદ પણ કરતા હતા. તેઓ લોકો સાથે ખૂબ જ છટાદાર અને મનમોહક ભાષામાં વાત કરવાનું શરૂઆતમાં જ શીખી ગયા હતા. તેઓ ખૂબ જ સારા વાચક હતા અને ઘણા પુસ્તકો ખૂબ જ ઝડપથી અને સ્પષ્ટ રીતે વાંચીને તેનો પોતાની વાર્તા કહેવાની શૈલીમાં ઉપયોગ કરતા હતા. તેથી જ તેમની આસપાસના લોકો પર તેમનો બૌદ્ધિક પ્રભાવ હતો. યુવાવસ્થામાં તેમણે તેમની આ કળાનો ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/when-gandhiji-arrived-to-meet-savarkar-he-was-frying-shrimp">ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ પોતે કહે છે કે એકવાર તેમણે ડૉ. માનવેન્દ્રનાથ રોય સાથે વાત કરી હતી. ડો. રોય 1925માં ભારતમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના સ્થાપકોમાંના એક હતા. જોકે, રોય ભારતમાં વધુ સફળતા મેળવી શક્યા ન હતા. પછી ડૉ.રૉયની નિષ્ફળતા જોઈને તેમણે કહ્યું કે ભારતમાં કંઈ કરવું હોય તો એક પવિત્ર માણસ, ગુરુ કે બાબાની છબી બનાવવી પડે છે. તેમણે ગાંધીજીનું ઉદાહરણ આપતા કહ્યું કે ગાંધીજી ફકીર અને સન્યાસીની જેમ કામ કરતા રહ્યા, તેથી જ તેઓ સફળ થયા. ડો. રોયે તેમની વાત સાંભળી કે નહીં તે ખ્યાલ નથી, પરંતુ ઓશોએ પોતે વીસ વર્ષ સુધી આ ટેકનિકનો ઉપયોગ કર્યો. શરૂઆતમાં તેણે ખૂબ જ સાદો પોશાક પહેર્યો - સફેદ ચાદર અને ધોતી. એક પરંપરાગત સાધુનું જીવન જીવ્યા. પછી જેમ જેમ લોકો જોડાયા અને પૈસા આવવા લાગ્યા તેમ તેમ તેમણે પણ નવી ટેકનિકનો ઉપયોગ કર્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા સમય પછી તેઓ ખૂબ જ વૈભવી અને મોંઘા વસ્ત્રો પહેરવાનું શરૂ કરે છે. તેઓ આ બધું વિદેશી લોકોને આકર્ષવા માટે કરે છે. તે સમયે બે વિશ્વ યુદ્ધો પછી થિયોસોફિકલ સોસાયટીએ ગૌતમ બુદ્ધના પુનર્જન્મનો માહોલ બનાવી દીધો હતો. શીતયુદ્ધના યુગમાં અમેરિકા અને યુરોપમાં હિપ્પી ચળવળ ચાલી રહી હતી. હિપ્પી યુવાનો અમીરી અને સુખ સાહ્યબીથી કંટાળીને એશિયાના ધર્મોનો સ્વાદ ચાખવા માંગતા હતા. તેમની પાસે ઘણા પૈસા હતા. આ લોકોને આકર્ષવા માટે ઓશોએ બૌદ્ધ ધર્મમાંથી ધ્યાન અને સમાધિ, વિલિયમ રીકની હ્યુમન પોટેન્શિયલ મૂવમેન્ટમાંથી કોન્શિયસ કૈથાર્સિસ, સાઈકોથેરાપી, ફ્રાયડીયન મનોવિજ્ઞાન વગેરે લઈને તેમાં રશિયન ગુરૂ ગુર્જિયેફની ગુર્જિયેફ મુવમેન્ટ અને ભારતના વજ્રયાન બૌદ્ધ તંત્રને મેળવીને એક નવો ફોર્મ્યુલા તૈયાર કર્યો. આ પ્રયોગો ખૂબ સફળ રહ્યા. તેની સફળતા તેમને સમગ્ર વિશ્વમાં પહોંચાડી દીધાં. પછી જ્યારે તેઓ ખૂબ જ સફળ અને શક્તિશાળી બની ગયા, ત્યારે તેમના જ આશ્રમમાં શિષ્યો વચ્ચે સમસ્યાઓ ઉભી થવા લાગી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નૈતિકતા અને તંદુરસ્ત ઉદાહરણનો અભાવ</span></strong></span><br><span style="font-size: 14pt;">ઓશોની વાતો ગમે તેટલી સફળ રહી હોય, તેમના શિષ્યો અને આશ્રમના સંચાલકો જાણતા હતા કે આ બધી વ્યૂહાત્મક ટેકનિકો છે. તે પોતાનું નામ, શૈલી, ભાષા, પહેરવેશ વગેરે ખૂબ સમજી વિચારીને બદલતા હતા. તેઓ 'સંભોગ સે સમાધિ' જેવા ટાઇટલ દ્વારા યુરોપની સેક્સથી ઉબાઈ ચૂકેલી યુવા પેઢી સાથે ભારતના સેક્સ ભૂખ્યા લોકોને એક સાથે પકડી લેતા હતા. તેમની આક્રમક મીડિયા વ્યૂહરચના ધીમે ધીમે તેમના પર ભારે પડવા લાગી. જેમ જેમ તેઓ બીમાર અને નબળા પડતા ગયા તેમ તેમ તેમના શિષ્યો વચ્ચે મોટા ઝઘડા અને વિવાદ થવા લાગ્યા. આશ્રમની પ્રોપર્ટી અને કોપીરાઈટને લઈને હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/gandhiji-representative-personality-of-kind-hearted-golden-mentality-towards-dalits">ગાંધીજીઃદલિતો પ્રત્યે 'કૃપાળુ-માયાળુ' સવર્ણ માનસિકતાનું પ્રતિનિધિ વ્યક્તિત્વ</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે બુદ્ધ, મહાવીર અને ઈસુના જીવનને જુઓ. તેઓ હંમેશા તેમના જીવનમાં સર્વોચ્ચ નૈતિક આચરણ કરીને બતાવે છે. તેઓ ક્યારેય તેમના શબ્દો અથવા વર્તનથી કોઈને લલચાવવાનો કે લૂંટવાનો પ્રયાસ કરતા નથી. બુદ્ધે તો રાજમહેલને પણ લાત મારી. બુદ્ધ અને મહાવીર સાધુ જીવન જીવતા અને સામાન્ય રોગોથી સામાન્ય માણસની જેમ મૃત્યુ પામ્યા. ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને સંકટ સમયે એકલા છોડ્યા ન હતા. તેમને ભાગવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેઓ ભાગ્યા નહોતા અને ધરપકડ વહોરીને વધસ્તંભે ચડી ગયા હતા. એ જ રીતે કબીર, નાનક, ગુરુ અર્જુનદેવ અને રૈદાસનું જીવન છે, તેમણે સર્વોચ્ચ નૈતિક આચરણ દર્શાવ્યું. આ કારણોસર બુદ્ધ, મહાવીર, જીસસ, કબીર અને નાનક પછી, કરુણાવાન અને નૈતિક શિષ્યોની ફૌજ ઊભી થઈ. એ જ લોકોએ તેમની ચળવળને આગળ વધારી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓશોનું આંદોલન આજે ક્યાં છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">આ બધાંની સામે આજે ઓશોનું આંદોલન લગભગ સમાપ્ત થઈ ગયું છે. ઓશોના પોતાના વર્તનમાં નૈતિકતા અને શુચિતાની સાથે સહજ માનવીય કરુણાનો અભાવ હતો. તેથી જ તેમના શિષ્યોમાં નૈતિકતા તો છોડો, સામાન્ય સામાજિક શિષ્ટાચાર પણ વિકસિત થઈ શક્યો નહીં. તેઓ ભારતના ગરીબ ખેડૂતો, મજૂરો અને ગ્રામજનોને મૂર્ખ, અધાર્મિક, કુંઠિત વગેરે કહેતા રહ્યા અને તેમની સાથે ક્યારેય જોડાઈ ન શક્યા. તેમણે ભારતના ગરીબોની સામાજિક-આર્થિક અને રાજકીય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત અને સામાજિક નૈતિકતાને ઉપર ઉઠાવવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. આ કારણોસર ઓશો અને ઓશોના શિષ્યોમાં ન કોઈ મોટી નૈતિકતા જન્મી કે ન મોટી કોઈ પ્રતિભા જન્મી. જ્યારે ગુરુનું જ આચરણ વિચિત્ર હતું તો શિષ્યોમાં સારી પ્રેરણા ક્યાંથી આવે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>(ડૉ. સંજય જોઠેનો આ લેખ હિન્દીમાં પ્રકાશિત થયો હતો, જેનો આ ગુજરાતી અનુવાદ છે.)</strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/rss-says-there-is-no-untouchable-in-hindu-scriptures-then-what-is-there-in-manusmriti">RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' માં શું છે?</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Dec 2024 09:01:00 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 13 Dec 2024 09:43:16 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1694</Articleid>
                    <excerpt>રજનીશે બુદ્ધની અત્યાધિક પ્રશંસા અને ગાંધીજીની અત્યંત નિંદા કરી છે, એટલે દલિત-બહુજન સમાજ ઓશોની વ્યાખ્યાઓની જાળમાં આસાનાથી ફસાતો જઈ રહ્યો છે. પણ હવે સમય પાકી ગયો છે કે...</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675b3e0b8d590.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675b3e0b5103f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675b3e0b5103f.jpg" length="107703" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>osho rajneesh, dalit bahujan community, reconsider</media:keywords>
                </item>
                        <item>
                    <title>મસ્જિદો નીચે મંદિરના દાવાઓના નવા કેસ હવે દાખલ નહીં કરી શકાય</title>
                    <link>https://khabarantar.com/places-of-worship-act-1991-new-cases-of-temple-cannot-be-filed-under-mosques</link>
                    <guid>https://khabarantar.com/places-of-worship-act-1991-new-cases-of-temple-cannot-be-filed-under-mosques</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને આ કાયદાની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજીઓ પર સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વોચ્ચ અદાલતે (SC), પૂજા સ્થળ અધિનિયમ, 1991 વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરતી વખતે નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી આ અરજીઓનો નિકાલ ન થાય ત્યાં સુધી દેશમાં આ કાયદા હેઠળ કોઈ નવા કેસ નોંધવામાં આવશે નહીં. આનો અર્થ એ થયો કે હવે મસ્જિદો નીચે મંદિરો હોવાના દાવાઓ સાથેના નવા કેસ દાખલ કરવામાં આવશે નહીં. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ કાયદાની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજીઓ પર સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્રને ચાર અઠવાડિયામાં અરજીઓ પર જવાબ દાખલ કરવા જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર દ્વારા અરજીઓ પર જવાબ દાખલ કરવામાં આવ્યા બાદ કોર્ટે સંબંધિત પક્ષકારોને રિજાઇન્ડર દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. અદાલતે કાર્યવાહીમાં હસ્તક્ષેપની માંગ કરતી મુસ્લિમ સંસ્થાઓ સહિત વિવિધ પક્ષકારોની અરજીઓને પણ સ્વીકારી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આગળના આદેશો સુધી કોઈ પણ કોર્ટમાં સર્વેક્ષણ માટે કોઈ નવો દાવો દાખલ કરવામાં આવશે નહીં અથવા નોંધવામાં આવશે નહીં. વધુમાં, અદાલતો આગળના આદેશો સુધી પડતર કેસોમાં કોઈ અસરકારક વચગાળાનો અથવા અંતિમ આદેશ પસાર કરશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે મામલો? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વોચ્ચ અદાલતે ગુરુવારે પૂજા સ્થાન અધિનિયમ, 1991 ની કેટલીક જોગવાઈઓની માન્યતાને પડકારતી પીઆઈએલ પર સુનાવણી શરૂ કરી છે. સંબંધિત કાયદો જણાવે છે કે 15 ઓગસ્ટ, 1947 ના રોજ અસ્તિત્વમાં રહેલા પૂજા સ્થાનોની ધાર્મિક પ્રકૃતિ તે દિવસે હતી તેવી જ રહેશે. તે ધાર્મિક સ્થળ પર ફરીથી દાવો કરવા અથવા તેના પાત્રને બદલવા માટે દાવો દાખલ કરવા પર પ્રતિબંધ મૂકે છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરે તેવી શક્યતા છે. ચીફ જસ્ટિસે કહ્યું કે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. જ્યાં સુધી અમે કેસની સુનાવણી અને નિકાલ ન કરીએ ત્યાં સુધી કોઈ વધુ કેસ દાખલ કરી શકાશે નહીં. અમારી પાસે રામજન્મભૂમિનો મામલો પણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ પેન્ડિંગ છે, જેમાંથી એક અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવી છે. ઉપાધ્યાયે પૂજાના સ્થળો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, 1991ની કલમ બે, ત્રણ અને ચારને રદ કરવાની વિનંતી કરી છે. અરજીમાં કરાયેલી દલીલો પૈકીની એક એવી છે કે આ જોગવાઈઓ કોઈ વ્યક્તિ અથવા ધાર્મિક જૂથના પૂજા સ્થળ પર ફરીથી દાવો કરવા માટે ન્યાયિક નિવારણ મેળવવાના અધિકારને છીનવી લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને મહારાષ્ટ્રના વિધાનસભ્ય જિતેન્દ્ર સતીશ આવ્હાડે પણ પ્લેસ ઓફ વર્શીપ (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, 1991ની બંધારણીય માન્યતાને પડકારતી અનેક પડતર અરજીઓ સામે અરજીઓ દાખલ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કાયદો જાહેર વ્યવસ્થા, બંધુત્વ, એકતા અને બિનસાંપ્રદાયિકતાના રક્ષણ માટે ખતરો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસની સુનાવણી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ અને સંભલમાં શાહી જામા મસ્જિદ સહિત વિવિધ અદાલતોમાં દાખલ કરાયેલા અનેક મુકદ્દમાઓની પૃષ્ઠભૂમિમાં થશે. આ કિસ્સાઓમાં, એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સ્થળો પ્રાચીન મંદિરોના વિનાશ પછી બનાવવામાં આવ્યા હતા અને હિન્દુઓને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમાંના મોટાભાગના કેસોમાં, મુસ્લિમ પક્ષે 1991ના કાયદાને ટાંકીને દલીલ કરી છે કે આવા કેસ સ્વીકાર્ય નથી. આ કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી એક અરજી સહિત છ અરજીઓ દાખલ કરવામાં આવી છે. સ્વામી ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ પર દાવો કરી શકે તે માટે કેટલીક જોગવાઈઓનું ફરીથી અર્થઘટન કરે, ઉપાધ્યાયે દાવો કર્યો કે આખો કાયદો ગેરબંધારણીય છે અને તેના પર પુનર્વિચાર કરવો પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/there-was-no-ram-temple-under-babri-masjid-the-verdict-against-secularism">બાબરી મસ્જિદ નીચે રામમંદિર નહોતું, ચૂકાદો સેક્યુલરિઝમની વિરુદ્દ હતો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Dec 2024 20:08:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1693</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને આ કાયદાની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજીઓ પર સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675af383a5b4f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675af3836a9cf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675af3836a9cf.jpg" length="57298" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Places of Worship Act, 1991, suprem court, temple disput mosques</media:keywords>
                </item>
                        <item>
                    <title>રસ્તાના અભાવે આદિવાસી મહિલાએ ઝોળીમાં જ બાળકને જન્મ આપ્યો</title>
                    <link>https://khabarantar.com/gujarat-garudeshwar-tribal-woman-gives-birth-to-baby-in-a-sling</link>
                    <guid>https://khabarantar.com/gujarat-garudeshwar-tribal-woman-gives-birth-to-baby-in-a-sling</guid>
                    <description>
                        <![CDATA[ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના ચાપટ ગામની ઘટના. રસ્તાના અભાવે પ્રસૂતાને ઝોળીમાં દવાખાને લઈ જવાઈ રહી હતી. પણ દવાખાને પહોંચે તે પહેલા જંગલમાં જ પ્રસૂતિ થઈ ગઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના કહેવાતા વિકાસનો ફૂગ્ગો આમ તો વર્ષો પહેલા ફૂટી ગયો છે, છતાં તેમાં રહીસહી હવા કાઢી નાખતી કેટલીક ઘટનાઓ પણ સમયાંતરે બનતી રહે છે. હાલમાં જ કૂપોષણ મામલે દેશના ટોપ 10 જિલ્લાઓમાં ગુજરાતના 5 આદિવાસી જિલ્લાઓ આવ્યા હતા. એ પહેલા રસ્તાના અભાવે આદિવાસી વિસ્તારોમાં પડતી હાલાકીને લઈ હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. આ ઘટનાઓની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ગુજરાતના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં નર્મદા જિલ્લામાં રસ્તાના અભાવે એક પ્રસૂતાએ જંગલ વચ્ચે ઝોળીમાં જ બાળકને જન્મ આપ્યો છે. અગાઉ આવી જ એક ઘટના છોટા ઉદેપુરમાં બની હતી અને ત્યારે ગુજરાત હાઇકોર્ટે સરકારને ભારે ફટકાર લગાવી રસ્તા બનાવવાનો આદેશ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામમાં પાયલ વસાવા નામની મહિલાને રાત્રે પ્રસવની પીડા ઉપડી હતી. જોકે, ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ ન હોવાથી પરિવારે પ્રસૂતાને સાડીની ઝોળી બનાવી હૉસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી. જો કે, પરિવારજનો પ્રસૂતાને હૉસ્પિટલ સુધી પહોંચાડે તે પહેલાં જ તેણે જંગલમાં બાળકને જન્મ આપી દીધો હતો. બાળકને જન્મ આપ્યા બાદ પરિવારજનો ફરી મહિલા અને બાળકને ઝોળીમાં નાખી હૉસ્પિટલ સારવાર માટે લઈ જવા નીકળી પડ્યાં હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ચાપટ ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે. અહીંથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે 10 કિલોમીટર સુધી જંગલમાંથી પસાર થવું પડે છે. રસ્તો ન હોવાથી ગામમાં કોઈ એમ્બ્યુલન્સ જેવું વાહન આવી શકતું નથી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675ae2b471506.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન આ શરમજનક વીડિયો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે ખુલાસો આપ્યો છે કે, 19 વર્ષીય પાયલ વસાવા સગર્ભા બનતાં આરોગ્ય વિભાગ સતત કાળજી લેતું હતું. તેઓ મમતા દિવસમાં તપાસ માટે આવ્યા ત્યારે કોઈ તકલીફ નહોતી તેથી તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા. જોકે, ઘરે પહોંચ્યા બાદ રાત્રે પ્રસવ પીડા ઉપડતાં રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ ગધેર ગામ પાસેથી મહિલા અને બાળકને લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુર લાવ્યા. ત્યાં મેડિકલ ઑફિસર અને નર્સ દ્વારા બાળક અને માતાની જરૂરી સારવાર કરવામાં આવી. હાલ, બાળક અને માતા બંને સુરક્ષિત છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું રહ્યું કે, અગાઉ 2 ઑક્ટોબરે છોટાઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી. જ્યાં 108ના અભાવના કારણે મહિલા સમયસર હૉસ્પિટલ ન પહોંચી શકી અને હૉસ્પિટલના પ્રાંગણમાં જ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળકના જન્મ બાદ માતાનું મોત થઈ જતાં સરકાર અને તંત્રની ભારે ટીકા થઈ હતી. ત્યારબાદ હાઇકોર્ટે સુઓમોટો લઈ સરકારનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે, આ ઘટનાથી અમારા  માથા શરમથી ઝૂકી ગયા છે. ત્યારબાદ હાઇકોર્ટે 15 દિવસમાં રોડ બનાવવાનો સરકારને આદેશ આપ્યો હતો. જો કે એ ઘટના પછી પણ બીજી એવી જ એક ઘટના પણ બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/due-to-the-lack-of-roads-the-tribal-pregnant-woman-had-to-be-carried-to-the-hospital-in-a-zoli">રસ્તાના અભાવે આદિવાસી પ્રસુતાને ઝોળીમાં નાખી દવાખાને લઈ જવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Dec 2024 18:53:52 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 12 Dec 2024 18:54:53 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1692</Articleid>
                    <excerpt>નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના ચાપટ ગામની ઘટના. રસ્તાના અભાવે પ્રસૂતાને ઝોળીમાં દવાખાને લઈ જવાઈ રહી હતી. પણ દવાખાને પહોંચે તે પહેલા જંગલમાં જ પ્રસૂતિ થઈ ગઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675ae29f86d5c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ae29f49782.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ae29f49782.jpg" length="69092" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Garudeshwar News, Chapat Village</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિવાદાસ્પદ જજ શેખર કુમાર યાદવ સામે વિપક્ષ મહાભિયોગ લાવશે?</title>
                    <link>https://khabarantar.com/india-alliance-to-bring-impeachment-against-allahabad-high-court-judge-shekhar-kumar-yadav-gujarati</link>
                    <guid>https://khabarantar.com/india-alliance-to-bring-impeachment-against-allahabad-high-court-judge-shekhar-kumar-yadav-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં જઈને વિવાદાસ્પદ નિવેદનો કરનાર અલાહાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ હવે બરાબરના ભેરવાયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Opposition to bring impeachment against Judge Shekhar Kumar Yadav: ઈન્ડિયા એલાયન્સે (India Alliance) અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) ના જજ શેખર કુમાર યાદવ (Judge Shekhar Kumar Yadav) વિરુદ્ધ મહાભિયોગ (impeachment) પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી લીધી છે. આ માટે એક પિટિશન તૈયાર કરવામાં આવી છે અને ઘણા સાંસદોએ તેના પર હસ્તાક્ષર પણ કર્યા છે. જસ્ટિસ શેખર કુમાર યાદવે VHPના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટ સંકુલમાં VHPના લીગલ સેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટિસ શેખર કુમાર યાદવે એમ કહીને વિવાદ સર્જ્યો હતો કે, "આ ભારત છે અને દેશ બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે. ન્યાયાધીશે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા અને કહ્યું હતું કે બહુમતીનું કલ્યાણ અને સુખ અન્યની ઈચ્છાથી ઉપર છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ન્યાયાધીશે વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુસ્લિમો વિરુદ્ધ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા 'કઠમુલ્લા' શબ્દનો ઉપયોગ કરવા સહિત અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. ઉગ્રવાદીઓને 'કઠમુલ્લા' ગણાવતા તેમણે કહ્યું કે દેશે તેમનાથી સતર્ક રહેવું જોઈએ. તેમણે કહ્યું, 'પણ આ જે કઠમુલ્લાઓ છે... આ સાચો શબ્દ નથી... પરંતુ કહેવામાં કોઈ સંકોચ નથી કારણ કે તે દેશ માટે ખરાબ છે... તે દેશ માટે ખતરનાક છે, તે દેશની વિરુદ્ધ છે. આ એવા લોકો છે જે જનતાને ઉશ્કેરે છે... દેશ આગળ ન વધી શકે તે પ્રકારના લોકો છે...તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-junior-judges-sitting-in-the-lower-courts-want-to-set-the-country-on-fire">સપા નેતાએ કહ્યું - નીચલી કોર્ટમાં બેઠેલાં નાના જજો દેશમાં આગ લગાડવા માંગે છે...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યસભામાં ઈન્ડિયા એલાયન્સની પાર્ટીઓએ અલ્હાબાદ હાઈકોર્ટના આ જજ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપવાની તૈયારી કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે વિવિધ પક્ષોના 36 વિપક્ષી સાંસદોએ અરજી પર હસ્તાક્ષર કરી દીધા છે. આ અરજી રાજ્યસભાના સ્વતંત્ર સાંસદ અને વકીલ કપિલ સિબ્બલે શરૂ કરી છે. હજુ વધુ સહીઓ કરાવીને વિપક્ષ તેને આગળ લઈ જઈ શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયા એલાયન્સના રાજ્યસભામાં 85 સાંસદો છે. રિપોર્ટ અનુસાર, જે લોકોએ પહેલાથી જ તેના પર હસ્તાક્ષર કરી દીધા છે તેમાં કોંગ્રેસના દિગ્વિજય સિંહ, જયરામ રમેશ અને વિવેક તન્ખા, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, તૃણમૂલ કોંગ્રેસના સાકેત ગોખલે અને સાગરિકા ઘોષ, આરજેડીના મનોજ કુમાર ઝા, સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાન, સીપીઆઈએમના જ્હોન બ્રિટાસ અને CPI ના સંદોષ કુમારનો સમાવેશ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોટિસમાં જસ્ટિસ યાદવ સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ન્યાયાધીશ તપાસ અધિનિયમ, 1968 મુજબ, જો કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ લોકસભામાં ફરિયાદ કરવામાં આવે છે, તો તેમાં ઓછામાં ઓછા 100 સભ્યોની સહી હોવી જોઈએ, અને જો રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે તો ઓછામાં ઓછા 50 સાંસદો દ્વારા તે પ્રસ્તાવ પર સહી કરવામાં આવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-reaches-vhp-event">VHPના કાર્યક્રમમાં પહોંચ્યા હાઈકોર્ટના સિટિંગ જજ, રામ મંદિરની પ્રશંસા કરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંસદો દ્વારા દરખાસ્ત રજૂ કર્યા પછી ગૃહના પ્રમુખ અધિકારી તેને સ્વીકારી અથવા નામંજૂર કરી શકે છે. જો સ્વીકારવામાં આવે, તો ફરિયાદની તપાસ કરવા અને મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવા માટે તે યોગ્ય કેસ છે કે કેમ તે નક્કી કરવા માટે બે ન્યાયાધીશો અને એક ન્યાયશાસ્ત્રીની બનેલી ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના જજ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો સમાવેશ થાય છે. જો ફરિયાદ હાઈકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ હોય, અથવા જો ફરિયાદ સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશ વિરુદ્ધ હોય, તો સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશો તેમાં હોય છે. બંધારણની કલમ 124 (4) જણાવે છે કે મહાભિયોગ માટેની દરખાસ્તને સંબંધિત ગૃહના કુલ સભ્યપદના બહુમતી દ્વારા અને ગૃહમાં હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોના બે તૃતીયાંશ કરતા ઓછા ન હોય તેવા બહુમતી દ્વારા સમર્થન હોવું જોઈએ. બંને ગૃહોમાં એનડીએની બહુમતી જોતાં, લોકસભા કે </span><span style="font-size: 14pt;">રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ પસાર થવાની શક્યતા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્યાર સુધીમાં, હાઈકોર્ટના ન્યાયાધીશો પર મહાભિયોગ કરવાના ચાર પ્રયાસો થયા છે અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને દૂર કરવાના બે પ્રયાસો થયા છે, જેમાંથી છેલ્લો પ્રયાસ 2018માં ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. આમાંથી કોઈપણ પ્રસ્તાવ આખી પ્રક્રિયામાં પસાર નહોતો થઈ શક્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/supreme-court-will-take-action-against-allahabad-high-court-justice-shekhar-kumar-yadav-for-making-controversial-statement">'દેશ બહુમતીના હિસાબે ચાલશે' કહેનાર જજ સામે સુપ્રીમ કોર્ટ કાર્યવાહી કરશે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Dec 2024 14:34:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1691</Articleid>
                    <excerpt>વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં જઈને વિવાદાસ્પદ નિવેદનો કરનાર અલાહાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ હવે બરાબરના ભેરવાયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675aa6d96543d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675aa6d930381.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675aa6d930381.jpg" length="80636" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Judge Shekhar Kumar Yadav, Allahabad High Court, Opposition, bring impeachment, VHP legal Cell Programme</media:keywords>
                </item>
                        <item>
                    <title>સતાધારની આપા ગીગા જગ્યાના મહંતે પ્રેમલગ્ન કરી લીધાં? ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા</title>
                    <link>https://khabarantar.com/mahant-vijay-bapu-of-satadhars-aapagiga-mandir-accused-of-adultery-and-corruption-by-his-brother-nitin-chavda</link>
                    <guid>https://khabarantar.com/mahant-vijay-bapu-of-satadhars-aapagiga-mandir-accused-of-adultery-and-corruption-by-his-brother-nitin-chavda</guid>
                    <description>
                        <![CDATA[ આરોપ મૂકનાર મહંતના સગા મોટાભાઈ છે. તેમણે વિજય બાપુના પરસ્ત્રી સાથેના સંબંધો અને કરોડોના ખોટા વહીવટના આક્ષેપો કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Satadhar Aapagiga Mahant controversy: જૂનાગઢના અંબાજી, ભવનાથ મંદિરની ગાદી અને ભ્રષ્ટાચારનો વિવાદ શમ્યો નથી ત્યાં હવે વધુ એક કરોડપતિ મંદિરના મહંત પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. આ વખતે મામલો આપા ગીગાની જગ્યા સતાધારનો છે અને તેના મહંત પર તેમના જ સગાભાઈએ વ્યભિચાર અને કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. તેમણે મહંતે એક મહિલા સાથે ખાનગીમાં લગ્ન કરી લીધા હોવાનો અને તેની સાથે ઘણાં વર્ષોથી સંબંધ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ મામલે મહંતના ભાઈએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવા અને વહીવટદાર નિમવા વિનંતી કરી છે. સાથે જ તેમણે આ મામલે યોગ્ય તપાસ થાય તેવી પણ વિનંતી કરી છે. સતાધારની જગ્યા લાખો લોકોની આસ્થાનું પ્રતિક છે ત્યારે આ જગ્યાના મહંત પર તેમના સગાભાઈએ ગંભીર આક્ષેપ કરતા માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં ચર્ચા જાગી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">જૂનાગઢની સતાધારની જગ્યાના મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે જગ્યાના મહંત દ્વારા ગેરકાયદેસર કરોડોના વ્યવહારો થાય છે અને સતાધારમાં જ રહેતી મહિલા ગીતા વ્યાસ અને જગ્યાના મહંત વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આક્ષેપો કોઈ અન્ય વ્યક્તિને નહીં પરંતુ સતાધારના મહંત વિજયબાપુના ભાઈ નીતિનભાઈ ચાવડાએ કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું છે કે, સતાધારના મહંત વિજય બાપુ કરોડોના ખોટા વ્યવહારો કરે છે અને તેઓ વ્યભિચારી છે. તેમની કથિત પ્રેમિકાના કારણે તેઓ જગ્યામાં સેવા કરતા લોકોને માર મારે છે. આ બાબતે કોઈ નાના માણસો પોલીસ ફરિયાદ પણ કરી શક્યા નથી. જેના કારણે દિવસેને દિવસે તેમની દાદાગીરી વધતી ગઈ છે. જેને લઈ મેં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રજૂઆત કરી આ બાબતે વાકેફ કર્યા છે. ત્યારે સતાધાર ને સરકાર દ્વારા વહીવદારની નિમણૂક થાય તેવી માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહંત વિજય બાપના સગાભાઈ નીતિન ચાવડાએ વધુમાં જણાવ્યું છે કે, વિજય બાપુએ જેની સાથે લગ્ન કરી લીધા છે તે ગીતાબેન વ્યાસ ગોંડલ પાસેના શ્રીનાથગઢના વતની છે. અમારી જાણ મુજબ તેમણે બે-ત્રણ લગ્ન કર્યા છે અને સતાધારમાં છેલ્લા 20 વર્ષથી રહે છે અને સતાધારના મહંત વિજયબાપુ સાથે તેમને પ્રેમ સંબંધ થઈ ગયો છે, જેમણે લગ્ન અને મૈત્રી કરાર પણ કરી લીધા છે. વિજય ભગતને બ્લેકમેલિંગ કરી સતાધારના કરોડો રૂપિયા ગીતાબેન વ્યાસે ઉઠાવી લીધા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675a8e093836d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કરોડો રૂપિયાના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ</span></strong></span><br><span style="font-size: 14pt;">નીતિન ચાવડાએ તા. 3 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે, જૂનાગઢના વિસાવદર તાલુકાના સતાધાર મુકામે આવેલા આપા ગીગાના મંદિરમાં હાલના મહંત અને એકમાત્ર ટ્રસ્ટી વિજય ભગત ગુરૂ જીવરાજ ભગત મંદિરનો વહીવટ સંભાળે છે. છેલ્લા 20 વર્ષથી તેઓ સતાધાર મંદિરના મહંત તરીકે વહીવટ કરી રહ્યા છે, મંદિરની પોતાની 1200થી 1300 વીઘા જમીન છે. તેમજ મંદિર પાસે ગેરકાયદેસર 60 દુકાનો પણ છે, જેનું વાર્ષિક ભાડું બે લાખથી અઢી લાખ છે. મંદિરની મોટી ગૌશાળા સતાધારના ગ્રાઉન્ડમાં આવેલી છે. આ ગૌશાળામાં જે ગાયો છે તેના દૂધની વાર્ષિક આવક એક કરોડથી વધુ છે, તેમજ ખેતીવાડીની વાર્ષિક આવક 50 કરોડ તથા ધર્માદાની વાર્ષિક આવક 100 કરોડ ઉપરની થાય છે. આ તમામ રકમ મહંત વિજય બાપુ દ્વારા ગેરમાર્ગે વાપરવામાં આવે છે. આવું આગળ ન થાય તે માટે સતાધારમાં વહેલી તકે વહીવટદારની નિમણૂક કરવામાં આવે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિજય બાપુ આઈપીએસ-ડીવાયએસપી હોવાનો રોફ મારે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">નીતિન ચાવડાએ અગાઉ એક પત્રમાં ગુહમંત્રીને લખ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી સતાધાર આપાગીગા મંદિરના મહંત તરીકે વિજય ભગત છે. 20 વર્ષ પહેલા વિજય ભગત પોલીસ ખાતાની જુદાજુદા કેડરની પરીક્ષાઓ આપતા હતા, પરંતુ કોઈ પણ કેડરમાં તેઓ પાસ નહોતા થયા. એ પછી વર્ષ 2004 થી તેઓ સતાધાર મંદિરના મહંત તરીકે સતાધારમાં સ્થાયી થયેલ છે. અહીં તહેવારોમાં હજારો ભાવિક ભક્તો આવે છે ત્યારે ભીડને નિયંત્રણ કરવા માટે મહંત દ્વારા અનેકવાર લોકોને મારકૂટ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ વિજય ભગતનો પ્રતિકાર કરે તો વિસાવદર પોલીસ સ્ટેશનમાં પી.આઇ કે પી.એસ.આઇને એવું કહેવામાં આવે છે કે વિજય ભગત પોતે IPS કે DySP હતો. આવો ખોટો રોફ ઝાડીને લોકોને ડરાવાય છે. વિજય બાપુએ અનેક વાર કાયદો હાથમાં લઇ લોકોને બેફામ માર પણ માર્યો છે. ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી નીતિન ચાવડાએ માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સગાભાઈએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">સતાધાર જગ્યાના મહંત વિજય બાપુના ભાઈ નીતિન ચાવડાએ તારીખ 09/05/2023ના કોર્ટમાં સોગંદનામુ કરી જણાવ્યું હતું કે, તેનું મૂળ વતન અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું બોરડી ગામ છે. તેઓ છ ભાઈઓ છે. જેમાં સૌથી નાના વાલજીભાઈ એટલે કે હાલના સતાધારના મહંત વિજય બાપુ છે. તેમના બાપદાદાની ખેતીની જમીન અને ઘર સહિતનું બધું બોરડી ગામે આવેલું છે તેઓ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જ્ઞાતિના છે, સૌથી નાના વાલજી મોહન ચાવડા જે હાલ સતાધારના મહંત હોવાથી વિજય બાપુ તરીકે ઓળખાય છે તેમને નીતિનભાઈ ચાવડાએ અમરેલી ખાતે કોલેજમાં ગુજરાતી વિષય સાથે બી.એ.નો અભ્યાસ કરાવ્યો હતો. નિતીન ચાવડાએ સોગંદનામાં લખ્યું હતું કે વિજય બાપુની પ્રવૃત્તિઓ કોલેજકાળથી ખરાબ હતી. તે અશોભનીય પ્રવૃત્તિ કરતા અને દારૂ પી પરસ્પર ગમન જેવી પ્રવૃત્તિઓ કરતા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675a8e0893aad.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">વિજય બાપુ પરસ્ત્રી સાથે સંબંધથી બિમાર પડ્યા હતા</span></strong><br><span style="font-size: 14pt;">નીતિન ચાવડાએ સોગંદનામામાં ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મારો નાનો ભાઈ વાલજી મોહન ચાવડા એટલે કે સતાધારનો મહંત વિજય કંઈપણ પ્રકારનો કામ ધંધો ન કરતો હોવાના કારણે મારા ઘરના સભ્યો વારંવાર તેને ઠપકો આપતા અને એકવાર તે ઘરેથી ચાલ્યા ગયા અને મુંબઈ જતા રહ્યા હતા. જ્યાં એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવાથી બીમાર પડેલો અને જેની મેં તપાસ કરાવતા તેને ગંભીર બીમારી થયાનું જાણવા મળેલ હતું. ત્યારે મેં તેને સ્ત્રીથી છોડાવેલ અને મેં સારવાર કરાવેલ ત્યાર બાદ અમારા જ્ઞાતિના આગેવાનના સહકારથી ગીતા વ્યાસ નામની સ્ત્રી સાથે લગ્ન કરેલા અને તેને રહેવા માટે જૂની સતાધાર અને મોટી સતાધારની વચ્ચે બંગલા ની વ્યવસ્થા પણ મેં કરી આપેલ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નીતિન ચાવડાના સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે કે, ગીતા વ્યાસે વિજય બાપુની કોઈ સીડી બનાવી લીધી છે અને તે પેનડ્રાઈવમાં પોતાની પાસે રાખીને બ્લેકમેઈલ કરે છે. જેના કારણે વિજય ભગતે ગીતા વ્યાસની શરણાગતિ સ્વીકારી લીધી છે અને બધી વ્યવસ્થા કરી આપી છે. મહંત વિજય બાપુ અને ગીતા વ્યાસે આપાગીગાની જગ્યામાંથી વર્ષોથી સેવા-પૂજા કરતા લોકોને જગ્યામાંથી કાઢી મુકેલ છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/did-the-daughter-of-the-father-of-kabarau-mogal-dham-marry-a-bookie">કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બુકી સાથે લગ્ન કરી લીધાં?</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Dec 2024 12:49:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1690</Articleid>
                    <excerpt>આરોપ મૂકનાર મહંતના સગા મોટાભાઈ છે. તેમણે વિજય બાપુના પરસ્ત્રી સાથેના સંબંધો અને કરોડોના ખોટા વહીવટના આક્ષેપો કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675a8e09e4d92.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675a8e09b759c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675a8e09b759c.jpg" length="54223" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>aapagiga mandir, satadhar, mahant vijay bapu, accused of adultery and corruption, Brother Nitin Chavda</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદીઓએ દલિત વરરાજાની બગી તોડી નાખી, જાનૈયાને દોડાવીને માર્યા</title>
                    <link>https://khabarantar.com/thakur-attack-dalit-grooms-procession-in-damoh-madhya-pradesh-gujarati</link>
                    <guid>https://khabarantar.com/thakur-attack-dalit-grooms-procession-in-damoh-madhya-pradesh-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ આરોપીઓએ અગાઉ જ ધમકી આપી હતી, છતાં દલિત વરરાજા બગીમાં બેસીને નીકળતા હુમલો કર્યો. બગી તોડી નાખી, ઘોડીને ઈજાગ્રસ્ત કરી, તેના માલિક અને જાનૈયાને દોડાવીને ફટકાર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Thakurs attack Dalit groom's procession : દેશભરમાં એકબાજુ લગ્નની સિઝન જામી છે, બીજી બાજુ જાતિવાદી તત્વોની 'અમે જ સર્વોપરી' પ્રકારની જાતિવાદી માનસિકતા પણ ઉછળી ઉછળીને બહાર આવવા માંડી છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા પછી પણ ભારત દેશમાં લુખ્ખા તત્વો દલિતો વરઘોડો કાઢવા દેતા નથી અને તેમની જાન પર હુમલો કરે છે અને ન્યાય તંત્ર તેને સામાન્ય ઘટના ગણીને આરોપીઓને જામીન પર છોડી દે છે. જેના કારણે આરોપીઓની હિંમત વધી જાય છે અને તેઓ ફરી આવું કૃત્ય કરવા પ્રેરાય છે. આવું ન થાય તેના માટે આવા લુખ્ખા તત્વોને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશ (Madhya Pradesh)ની છે. અહીંના દમોહ (Damoh) જિલ્લાના ચૌરાઈ ગામમાં મંગળવારે એક દલિત પરિવારના લગ્નમાં વરરાજા (Dalit Grooms) ને બગીમાં બેસાડીને જાન જોડવામાં આવી હતી. જેનાથી ગામના જાતિવાદી તત્વોને માઠું લાગી ગયું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675a7b6f7a038.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘોડી પર તો અમારી જાતિના લોકો જ નીકળી શકે એવી લુખ્ખી દાદાગીરીમાં માનતા ઠાકુર સમાજના લોકોએ તરત તો કશું નહોતું કર્યું. પરંતુ જેવી જાન પરત ફરી કે તરત તેમણે હુમલો કરી દીધો અને બગીના ચાલકો રાહુલ રજક, જગદીશ અને ક્રિષ્ના રજકને ઢોર માર માર્યો હતો. આ સાથે જ જાનૈયાઓનો પીછો કરીને તેમને દોડાવી દોડાવીને માર્યા હતા. એટલું જ નહીં જાતિવાદી તત્વોએ જાનમાં આવેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પહેલા જ બગીમાં બેસવા મુદ્દે ધમકી આપી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઠાકુર સમાજના આ લુખ્ખા તત્વોની દાદાગીરી એ હદે જોવા મળી કે તેમણે બગીવાળાને પહેલા જ ધમકી આપી હતી કે દલિત વરરાજો બગીમાં ન બેસવો જોઈએ. પરંતુ બગીવાળો માન્યો નહોતો. કેટલાક સ્થાનિક નેતાઓએ બગીવાળાને સલામતીની ખાતરી આપીને વરઘોડામાં બગી લઈને આવવા મનાવી લીધો હતો. જો કે, જાતિવાદી ઠાકુરો તેમની ધાક યથાવત રહે તે માટે બગીવાળાને પણ માર માર્યો હતો. ઈજાગ્રસ્ત બગીચાલકો જેમ તેમ કરીને આ હુમલામાંથી નાસી છૂટ્યા હતા અને જબલપુર નાકા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવાની સાથે ઘટનાની તપાસ શરૂ કરી છે. ચોકીના ઈન્ચાર્જ આનંદ અહિરવાલે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદનું વર્ચસ્વ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી ભારત દેશમાં કથિત સવર્ણોમાંથી આજેય પોતાની જાતિનો અહમ દૂર થતો નથી. જેના કારણે તેઓ હજુ પણ પોતાને રાજા સમજીને દલિતો પર અત્યાચાર કરતા રહે છે. કમનસીબી એ છે કે, આ મામલે એટ્રોસિટી જેવો કડક કાયદો હાજર હોવા છતાં આવા તત્વો ખૂલ્લેઆમ ફરી રહ્યાં છે. દમોહના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ જાતિ ભેદભાવ અને અસ્પૃશ્યતા પ્રવર્તે છે. દલિતોને ઘોડા કે બગીમાં વરઘોડો કાઢતા અટકાવવાની ઘટનાઓ અહીં વારંવાર બને છે. ત્યારે આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રવર્તતા ભેદભાવને ઉજાગર કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીડિત બગીચાલકે કહ્યું- અમારે ન્યાય જોઈએ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનામાં ઘાયલ થયેલા બગીના ચાલક રાહુલ રજકે જણાવ્યું હતું કે, જાતિવાદી ઠાકુર સમાજના ગુંડાઓની ધમકીઓ છતાં અમે દલિત વરરાજાને બગીમાં બેસાડીને જાન લઈને નીકળ્યા હતા. પરંતુ પાછા ફરતી વખતે આરોપીઓએ અમને નિર્દયતાથી માર્યા હતા. આવા તત્વોને કડક સજા થવી જોઈએ. રાહુલના ભાઈ જયકિશન રજકે જણાવ્યું કે અમે સ્થાનિક નેતાઓએ આપેલી સુરક્ષાની ખાતરીના ભરોસે બગી લઈને જાનમાં આવ્યા હતા. પરંતુ જાતિવાદી ગુંડાઓએ હુમલો કર્યો. અમને ન્યાય જોઈએ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બગી તોડી નાખી, ડીજેના કાચ ફોડી નાખ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી ઠાકુરોએ દલિત વરરાજાની જાન પર હુમલો કરતા બગી તોડી નાખી હતી. તેમણે ઘોડાને પણ લાકડીઓ વડે માર મારીને ઘાયલ કરી નાખ્યો હતો અને ડીજે વાહનના પણ કાચ તોડી નાખ્યા હતા. પીડિત દલિતોએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગામના રત્નેશ ઠાકુરના ઢાબા પર કામ કરતા લોકોએ આ હુમલો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદીનું ઝેર આજેય ઓસરતું નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પણ દમોહના ગ્રામ્ય વિસ્તારોમાં જ્ઞાતિવાદ અને અસ્પૃશ્યતા પ્રવર્તે છે. દલિત વરરાજાને ઘોડી પર બેસવાની અને બગીમાં જાન જોડીને લગ્ન કરવા જવા પર પ્રતિબંધ છે. જ્યારે ઘોડા-બગીઓવાળા આ જાતિવાદી તત્વોની વાત નથી માનતા ત્યારે તેઓ આ જ રીતે જાન પર હુમલો કરી દે છે. જબલપુર નાકા ચોકીના પ્રભારી આનંદ અહિરવારે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જેમ જેમ હકીકતો બહાર આવશે, તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચૌરાઈ ગામમાં બનેલી આ ઘટનાથી દલિત સમાજ અને બગી ચલાવીને ધંધો કરતા લોકોને ભારે દુઃખ થયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/fear-of-casteists-dalit-bridegroom-had-to-call-the-police-to-sit-the-horse">જાતિવાદીઓનો ખૌફઃ દલિત વરરાજાએ ઘોડી બેસવા પોલીસ બોલાવવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Dec 2024 11:33:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1689</Articleid>
                    <excerpt>આરોપીઓએ અગાઉ જ ધમકી આપી હતી, છતાં દલિત વરરાજા બગીમાં બેસીને નીકળતા હુમલો કર્યો. બગી તોડી નાખી, ઘોડીને ઈજાગ્રસ્ત કરી, તેના માલિક અને જાનૈયાને દોડાવીને ફટકાર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675a7a3ddfebd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675a7a3dabe8a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675a7a3dabe8a.jpg" length="66468" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit groom, Dalit News, thakur attack dalit grooms procession, Damoh Madhya Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઈચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?</title>
                    <link>https://khabarantar.com/who-should-have-the-right-to-decide-on-euthanasia-in-india-gujarati</link>
                    <guid>https://khabarantar.com/who-should-have-the-right-to-decide-on-euthanasia-in-india-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૯માં આત્મહત્યાનો પ્રયાસ દંડનીય અપરાધ હતો પરંતુ નવી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એકાદ મહિના પહેલાં ઈચ્છામૃત્યુ અંગે માર્ગદર્શિકાનો મુસદ્દો જાહેર કર્યો હતો અને લોકોના સૂચનો માંગ્યા હતા. એટલે ઈચ્છામૃત્યુના કાનૂની, નૈતિક, તબીબી અને ભાવનાત્મક પાસાંની ફરી એકવાર ચર્ચા ઉઠી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્રીક વાક્યાંશ યૂ થાનાટોસ પરથી યુથેનેશિયા (ઈચ્છામૃત્યુ) શબ્દ ઉતરી આવ્યાનું કહેવાય છે. જેમાં યૂ નો અર્થ સારું અને થાનાટોસનો અર્થ મૃત્યુ થાય છે. ઈચ્છામૃત્યુ એટલે આસાન, સરળ કે પોતાની મરજીથી મોત. સત્તરમી સદીમાં ફ્રાન્સિસ બેકને આ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ કર્યો હતો. ભારતસહિત આખી દુનિયામાં ઈચ્છામૃત્યુની અવારનવાર માંગ ઉઠે છે અને ચર્ચા થાય છે. વિશ્વના બહુ થોડા દેશોએ ઈચ્છામૃત્યુની શરતી કે બિનશરતી, પૂર્ણ કે અંશત: મંજૂરી આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુંબઈની એક હોસ્પિટલમાં વિનયભંગનો ભોગ બનેલાં નર્સ અરુણા શાનબાગ બેતાળીસ વરસો સુધી બેહોશીની અવસ્થામાં જીવતાં (?) હતાં. તેમનાં ઈચ્છામૃત્યુની માંગ દેશની સર્વોચ્ચ અદાલત સુધી કરવામાં આવી હતી. સંતાનવિહોણા વૃધ્ધ, અશક્ત અને બીમાર દંપતીઓ પણ આવી માંગ કરતા હોય છે. એક બુઝુર્ગ દંપતીએ અગિયાર વરસથી ગંભીર રીતે અચેત અને પથારીવશ પુત્રના ઈચ્છામૃત્યુની માંગણી કરી હતી. નળી વાટે ખોરાક અપાતો રહે અને દિવસો કાઢે તેવા દર્દીઓ પણ ઈચ્છામૃત્યુ ચાહે છે. ઉત્તરપ્રદેશની ટ્રાયલ કોર્ટના મહિલા જજ વર્કપ્લેસ પર યૌન શોષણથી એ હદે ત્રસ્ત હતાં કે તેમણે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસને પત્ર લખી  ઈચ્છામૃત્યુની  યાચના કરી હતી. અન્યાય અત્યાચારોનો ભોગ બનેલા દલિત-આદિવાસી ઘણીવાર સરકાર સમક્ષ ન્યાય આપો કે મોત આપોની માંગ કરે છે.  મારું શરીર અને મારી મરજી કે મારી ઈચ્છા મહત્વની કે સરકારનો કાયદો?  એવા તર્ક પણ  ઈચ્છામૃત્યુની ચાહત રાખનાર આપતા હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/gujarati-translation-of-an-article-written-by-rahul-gandhi">કોઈ મસીહા કે અવતારની જરૂર જ નથી, તમે જ પરિવર્તનના વાહકો છો</a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ઈચ્છામૃત્યુની અનુમતિ આપતો કોઈ કાયદો નથી.સર્વોચ્ચ અદાલતે  ૨૦૧૮માં કેટલીક શરતો સાથે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. ૨૦૨૩માં તેમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ સરળ બનાવી હતી. બંધારણના અનુચ્છેદ ૨૧નો હવાલો આપીને અદાલતે કહ્યું હતું કે  જીવનના અધિકારમાં ગરિમાપૂર્ણ મોતનો અધિકાર પણ સામેલ છે. એટલે તેણે ઈચ્છામૃત્યુની માંગ સ્વીકારીને તે અંગેના દિશાનિર્દેશો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારને આ અંગેનો કાયદો ઘડવા વિનંતી કરી હતી. કેન્દ્રે કાયદા પંચને કાયદાની વ્યવહાર્યતા પર વિચાર કરવા સૂચવ્યું હતું. તેના અનુસંધાને લો કમિશને અસાધ્ય રીતે બીમાર માટે તબીબી ઉપચાર (દર્દી અને ડોકટરોનું સંરક્ષણ) વિધેયક, ૨૦૦૬ તૈયાર કર્યું હતું. પરંતુ હજુ તે ચર્ચામાં આવ્યું નથી. એટલે જ્યાં સુધી સંસદ આ અંગેનો કાયદો ના ઘડે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય જ કાયદો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સક્રિય ઈચ્છામૃત્યુની ભારતમાં અનુમતિ નથી. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ કે અન્ય જાણીબૂઝીને સભાન રીતે દર્દીને ઘાતક ઈન્જેકશન આપે કે જેનાથી તેનું મરણ થાય તે સક્રિય ઈચ્છામૃત્યુનો પ્રકાર છે. જ્યારે સુપ્રીમ કોર્ટે  નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની જ મંજૂરી આપી છે. જેમાં ડોકટરને અને પરિવારને ખાતરી હોય કે દર્દીના રોગનો હવે કોઈ ઈલાજ નથી અને જીવન રક્ષક પ્રણાલીથી માત્ર દર્દીની પીડા વધી રહી છે કે જિંદગીના થોડા કલાકો કે દિવસો વધી રહ્યા છે પરંતુ તેમના જીવવાના જરાય ચાન્સ નથી. એટલે દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવી કે વધુ તબીબી સારવાર બંધ કરવી તે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ છે. સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતાં ચુકાદામાં કહ્યું હતું તેમ ડોકટર કોઈને સક્રિય બની મારી નાંખતા નથી પરંતુ તેને બચાવવાના પ્રયાસો અટકાવી દે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો નિર્ણય મેડિકલ , પેથિકલ અને લીગલ બાબતોને ધ્યાનમાં રાખીને લેવાનો હોય છે. આ નિર્ણયને કારણે દર્દીને અસહ્ય દર્દ અને પીડાથી મુક્તિ મળી શકે છે. પરિવારના સભ્યોનો માનસિક તણાવ પણ તેનાથી ઘટે છે. આર્થિક બાબતોનો પણ ખ્યાલ રાખીને આ નિર્ણય કરવામાં આવે છે.એટલે દર્દીને દવા અને સારવારનો કોઈ જ ફાયદો ના થવાનો હોય તો બિનજરૂરી આર્થિક અને ભાવનાત્મક બોજો વધારવાની જરૂર નથી.  જે તબીબી ઉપચારો જીવનને થોડું લંબાવે પણ મોતને ટાળી ન શકે તો મોત શું ખોટું?  એવી તરફદારોની દલીલ છે. સંસાધનો કે રિસોર્સિસની દ્રષ્ટિએ પણ આ બાબતનો વિચાર કરવો ઘટે. મર્યાદિત હેલ્થ રિસોર્સ ધરાવતા દેશમાં તેના સર્વશ્રેષ્ઠ ઉપયોગનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. જો કોઈ દર્દીના બચવાની કોઈ ઉમ્મીદ જ ન હોય તો તેની પાછળ સંસાધનો રોકી રાખવાને બદલે જેના બચવાની તક રહેલ છે તે દર્દી માટે આ સંસાધનો વપરાય તે વધુ યોગ્ય ગણાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/fearful-mankind-longs-for-freedom-from-war-and-weapons-hear-anyone">ભયભીત માનવજાત યુદ્ધ-હથિયારોથી મુક્તિ ઝંખે છે, કોઈને સંભળાય છે?</a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માનવ જીવન અમૂલ્ય છે અને આયુષ્યની દોરી આમ ટૂંકાવી ના દેવી જોઈએ તેવા નૈતિક અને ધાર્મિક તર્ક ઈચ્છામૃત્યુના વિરોધમાં આપવામાં આવે છે. વળી આવા નિર્ણયનો દુરપયોગ થવાની પણ શક્યતાઓ જણાવાય છે.ખાસ કરીને સંતાનો જેમને બોજારૂપ ગણતા હોય તેવા ઘરડા માતા-પિતાના કિસ્સામાં કે મિલકતના ઝઘડાના કિસ્સામાં આવું બની શકે છે. તબીબો તેમના મેડિકલ પ્રોફેશનના એથિક્સનો મુદ્દો આગળ ધરે છે.ડોકટરી વ્યવસાય લોકોની જિંદગી બચાવવાનો છે. આખરી ક્ષણ સુધી તે દર્દીને બચાવવા મથે છે અને શક્ય તે તમામ ઉપચારો અજમાવે છે. જેનો વ્યવસાય જ જિંદગી બચાવવાનો કે લંબાવવાનો છે તે જીવન ટૂંકાવે કે જિંદગીના અંત માટે હા ભણે તે યોગ્ય નથી તેમ તબીબોને લાગે છે. પ્રોફેશનલ એથિક્સની દ્રષ્ટિએ વિચારતાં તેમની વાતમાં દમ છે. પરંતુ નાઈલાજ બીમારીના કિસ્સામાં આ નિર્ણય તેમણે કરવાનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સના ડ્રાફટમાં ઈચ્છામૃત્યુનો નિર્ણય લેવાની જવાબદારી ડોકટરોના શિરે મુકવામાં આવી છે. તેનાથી તબીબી આલમમાં અસંતોષ અને વિરોધ ઉભો થયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને  લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવાના નિર્ણયની જવાબદારી ડોકટરોને આપી છે તેને અયોગ્ય ગણાવી છે. જોકે સરકારના મુસદ્દામાં દર્દીને બ્રેનસ્ટેમ ડેડ જાહેર કરાયો હોય, ડોકટરને પૂર્ણ તબીબી તપાસ પછી ખાતરી થાય કે વધુ ઈલાજનો કોઈ લાભ નથી, દર્દીના સગાવહાલા જીવન રક્ષક પ્રણાલી હઠાવવા કે સારવાર બંધ કરવા સંમત હોય અને લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબની હોય તો જ ડોકટરો નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો નિર્ણય કરે તેમ સ્પષ્ટ કર્યું છે. વળી સરકારના ડ્રાફ્ટમાં પ્રાઈમરી અને સમીક્ષા માટે સેકન્ડરી મેડિકલ બોર્ડની રચના કરીને નિર્ણય કરવા અને તમામ બાબતોમાં દર્દીના કુટુંબીજનોની સંમતિ  આખરી ગણવા જણાવ્યું છે. સરકાર લોકોના સૂચનો સામેલ કરેલી માર્ગદર્શિકા જાહેર કરે તેની પ્રતીક્ષા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકાર પાસે માર્ગદર્શિકાની નહીં કાયદાની અપેક્ષા છે. ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૯માં આત્મહત્યાનો પ્રયાસ દંડનીય અપરાધ હતો પરંતુ નવી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઈચ્છામૃત્યુના કાયદાની દિશામાં આ બાબત નોંધપાત્ર છે. આધુનિક વિશ્વમાં  ઈચ્છામૃત્યુનો વિચાર પ્રાસંગિકતા પ્રાપ્ત  કરી રહ્યો હોય ત્યારે ભારત પણ તર્ક્સંગત અને માનવીય દ્રષ્ટિકોણ અપનાવે તે ઈચ્છનીય છે.</span><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><em><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/97.8-percent-of-woman-have-to-give-up-paid-work-for-the-family">97.8 ટકા મહિલાઓને પરિવાર માટે સવેતન કામ છોડવું પડે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Dec 2024 08:59:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1688</Articleid>
                    <excerpt>ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૯માં આત્મહત્યાનો પ્રયાસ દંડનીય અપરાધ હતો પરંતુ નવી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675a5688234c1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675a5687ddbbb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675a5687ddbbb.jpg" length="61726" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>euthanasia in india, right to decide, Passive euthanasia, Active euthanasia, Euthanasia legal, Euthanasia debate</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહારાષ્ટ્રના પરભણીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અપમાન થતાં હિંસા</title>
                    <link>https://khabarantar.com/violence-parbhani-maharashtra-desecration-of-dr-ambedkar-statue</link>
                    <guid>https://khabarantar.com/violence-parbhani-maharashtra-desecration-of-dr-ambedkar-statue</guid>
                    <description>
                        <![CDATA[ બાબાસાહેબની પ્રતિમા સાથે રાખવામાં આવેલા બંધારણની કોપીને કોઈએ નુકસાન પહોંચાડ્યું હતું. ભીમયોદ્ધાઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા ત્યાં કોઈએ છમકલું કર્યું અને હિંસા ફાટી નીકળી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના પરભણીમાં ડો.આંબેડકરની પ્રતિમાનું અપમાન થયા બાદ આજે અપાયેલા શાંતિપૂર્ણ બંધમાં તોફાની તત્વોએ છમકલું કરતા સમગ્ર મામલો હિંસક બની ગયો હતો. તોફાની તત્વોએ ડો.આંબેડકરના અનુયાયીઓને ઉશ્કેર્યા હતા. જેના કારણે સંયમ જાળવીને બેઠેલા વિફરેલા ભીમયોદ્ધાઓ આખરે વિફર્યા હતા. પ્રદર્શનકારીઓએ કાબૂમાં કરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. અમુક જગ્યાએ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને તણાવપૂર્ણ શાંતિ છે. જિલ્લાધિકારીએ કોઈ પણ અફવા પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરભણી શહેરમાં કલેક્ટર કાર્યાલય સામે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભારતીય બંધારણની એક કોપી રાખવામાં આવી છે. મંગળવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે કોઈ અજાણ્યા શખ્સે સંવિધાનની કોપી ખરાબ કરી નાખી હતી. તેની જાણકારી મળતા જ પરભણી શહેરમાં તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. ગુસ્સે થયેલા ભીમયોદ્ધાઓએ મંગળવારે શાંતિપૂર્ણ રીતે બંધનું એલાન આપ્યું હતું. એ દરમિયાન કોઈ તોફાની તત્વોએ ફરીથી છમકલું કરતા મામલો બિચક્યો હતો અને રસ્તો રોકો, રેલ રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. આજે પણ પરભણી બંધ છે. ભીમયોદ્ધાઓની માંગ છે કે આ મામલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6759b9564c71f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજના બંધ દરમ્યાન ભીડ અચાનક આક્રમક થઈ ગઈ હતી. અમુક જગ્યા પર રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા, તો વળી રસ્તા પર ઊભેલી ગાડીઓમાં તોડફોડ કરી હતી. અમુક દુકાનોના બોર્ડ પણ તોડી નાખ્યા હતા. અમુક જગ્યાએ ભીડને કાબૂમાં કરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, તો વળી અમુક જગ્યાએ હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પરભણીમાં હાલ કર્ફ્‌યૂની સ્થિતિ છે. જ્યાં સુધી આગળનો આદેશ ન આવે ત્યાં સુધી લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6759b96c7eeee.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પરભણી બંધને લોકોનો મોટી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો હતો. અહીં હિંસા બાદ કલમ 144 લાગુ કરવામાં આવી છે. શહેરના કેટલાય વિસ્તારો સવારથી જ બંધ રહ્યા હતા. કોઈ અપ્રિય ઘટના ન થાય, તે માટે જિલ્લામાં કેટલીય જગ્યાએ ભારે પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/napa-talpad-of-borsad-dr-ambedkars-statue-vandalized-uproar">બોરસદના નાપા તળપદમાં ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા હોબાળો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 21:48:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1687</Articleid>
                    <excerpt>બાબાસાહેબની પ્રતિમા સાથે રાખવામાં આવેલા બંધારણની કોપીને કોઈએ નુકસાન પહોંચાડ્યું હતું. ભીમયોદ્ધાઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા ત્યાં કોઈએ છમકલું કર્યું અને હિંસા ફાટી નીકળી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6759b939a8dee.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6759b93973a01.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6759b93973a01.jpg" length="118093" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>violence parbhani maharashtra, dr ambedkar statue</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશના ટોપ 10 અતિ કૂપોષિત જિલ્લાઓમાં ગુજરાતના 5 આદિવાસી જિલ્લા</title>
                    <link>https://khabarantar.com/5-tribal-districts-of-gujarat-among-top-10-most-malnourished-districts</link>
                    <guid>https://khabarantar.com/5-tribal-districts-of-gujarat-among-top-10-most-malnourished-districts</guid>
                    <description>
                        <![CDATA[ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેએ પોલ ખોલી. દેશના ગુજરાતના ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલ અને તાપી એમ પાંચ આદિવાસી જિલ્લાઓ અતિ કૂપોષિત પ્રથમ 10 જિલ્લાઓમાં સામેલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત કોંગ્રેસે કૂપોષણને લઈને કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાઓને ટાંકીને ગુજરાત મોડેલની આબરૂની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૪ પછી મોદી સરકારે કોંગ્રેસની મધ્યાહન ભોજન યોજનાનંત નામ બદલીને પીએમ પોષણ યોજના કર્યું પણ રાજયમાં કુપોષિત બાળકોની વધતી સંખ્યા ઉપર કોઈ નક્કર કામન કર્યું એટલે તેમાં સતત વધારો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, આજે વિશ્વમાં કુપોષણનો સામનો કરી રહેલા ૮૨ કરોડ લોકોમાંથી ૨૨ કરોડ લોકો ભારતમાં છે. ભારતમાં ૩૩ લાખ બાળકો કુપોષિત છે તેમાં અડધાથી વધુ અતિ ગંભીર કુપોષિત છે, જેમાં ડબલ એન્જિન ધરાવતું ગુજરાત ટોચ પર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૮ મા અન્ન ત્રિવેણી યોજના અંતર્ગત ૧૪ આદિજાતી જિલ્લાઓમાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતાને અનાજ આપવાની અને દૂધ સંજીવની યોજના અંતર્ગત શાળાના બાળકોને દૂધ આપવાની યોજના શરૂ કરી પરંતુ રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે.જે સ્પષ્ટ કરે છે આ યોજનાઓ માત્ર કાગળ ઉપર ચાલે છે અને જનતા સામે માત્ર ડ્રામા થઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેને ટાંકીને જણાવ્યું હતું કે, ભારતના સૌથી કુપોષિત જિલ્લાઓના એક સર્વે મુજબ દેશમાં કુલ અતિકુપોષિત ટોપ ૧૦ જિલ્લાઓમાં ગુજરાતના ૫ જિલ્લાઓ ડાંગ ૫૩.૧% ટકા અને દાહોદ ૫૩% સહિત, નર્મદા, પંચમહાલ અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે સુપોષિત ટોપ ૧૦ જિલ્લાઓમાં ગુજરાતનો એકપણ જિલ્લો સામેલ નથી. આ આદિવાસી જિલ્લાઓમાં સરકારે કરેલા કામોનો કરુણતા ભરેલો વહીવટી હિસાબ છે. માર્ચ ૨૦૨૨માં મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંસદમાં રજૂ કરે નેશનલ ફેમિલી હેલ્થના સર્વે કહે છે ગુજરાત ૩૯.૭ ટકા બાળકોમાં સૌથી વધુ કુપોષિત છે, એ રીતે કુપોષણ મામલે ગુજરાત દેશભરમાં સૌથી ઉપર આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે માંગ કરી છે કે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારનાં જિલ્લાઓમાં કુપોષણથી થતા “સિકલ સેલ એનિમીયા” રોગથી પિડીત દર્દીઓ સૌથી વધુ સંખ્યા છે પણ તે વધી પણ રહી છે. આ રોગ સામે લડવા માટે રાજ્ય કે કેન્દ્રની સરકારે આજ દિવસ સુધી કોઇ નક્કર કાર્યક્રમ કે યોજના શરૂ કરી નથી. ”સિકલ સેલ એનિમીયા” ખતરનાક રોગ છે, દેશના યુવાધનને નાશ કરનારો છે, ઘણીવાર તે બાળકને ગર્ભમાંથી પણ મળે છે. આ રોગથી પ્રભાવીત વિસ્તાર અને લોકો માટે નિયમિત લોક જાગૃતિ-નિદાન અને તેના ખોરાક ઉપર રાજ્ય સરકારે સતત નિરિક્ષણ કરીને લાબાગાળાની યોજના તૈયાર કરી તેને વહેલી તકે કાર્યાંન્વિત કરવામા આવે અને ગમે તેમ કરીને આ રોગ પર કાબૂ મેળવવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/will-children-get-nutrition-even-after-spending-rs-617-crore-a-year">વર્ષે 617 કરોડ ખર્ચ્યા પછી પણ બાળકોને પોષણ મળશે ખરું?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 19:27:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1686</Articleid>
                    <excerpt>નેશનલ ફેમિલી હેલ્થ સર્વેએ પોલ ખોલી. દેશના ગુજરાતના ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલ અને તાપી એમ પાંચ આદિવાસી જિલ્લાઓ અતિ કૂપોષિત પ્રથમ 10 જિલ્લાઓમાં સામેલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67599862dc308.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67599862a8ee8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67599862a8ee8.jpg" length="61877" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Malnourished districts, Gujarat, tribal malnourished districts</media:keywords>
                </item>
                        <item>
                    <title>પતિનું દેવું ચૂકવવા પત્નીએ 1.5 લાખમાં પોતાના 30 દિવસના બાળકને વેચી દીધું</title>
                    <link>https://khabarantar.com/karnataka-wife-sells-one-month-old-baby-boy-for-rs-1.5-lakh-to-pay-husbands-debt</link>
                    <guid>https://khabarantar.com/karnataka-wife-sells-one-month-old-baby-boy-for-rs-1.5-lakh-to-pay-husbands-debt</guid>
                    <description>
                        <![CDATA[ મજૂર પરિવાર પર ત્રણ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પત્નીએ પતિનું દેવું ચૂકવવા મહિના પહેલા જન્મેલા દીકરાને નિઃસંતાન દંપતીને વેચ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકના રામનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મજૂર પરિવારની મહિલાએ પતિનું દેવું ચૂકવવા માટે થઈને પોતાના એક મહિનાના દીકરાને રૂ. દોઢ લાખમાં વેચી દીધો હતો. ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મહિલાના પતિએ પોલીસમાં તેનો પુત્ર ગુમ હોવાની ફરિયાદ નોંધાવી. પતિએ પત્ની પર શંકા વ્યક્ત કરી હતી, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને મહિલાએ જ તેના બાળકને 1.5 લાખ રૂપિયામાં વેચી નાખ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે મહિલા અને તેના બે સહયોગીઓ તથા ખરીદનારની પણ ધરપકડ કરી છે. પોલીસે બાળકને બચાવીને બાળ કલ્યાણ ગૃહમાં મોકલી દીધું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાના પતિએ 7 ડિસેમ્બર, 2024ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો નવજાત પુત્ર ઘરેથી ગુમ થયો હતો અને તેને તેની પત્નીની મિલીભગતથી કંઈક ખોટું થયું હોવાની શંકા હતી. પતિ-પત્ની બંને મજૂરી કરે છે અને તેમને પાંચ બાળકો છે. ઓછી આવકના કારણે દંપતીને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/being-a-dalit-the-teacher-made-the-6-year-old-child-clean-the-toilet">દલિત હોવાને કારણે 6 વર્ષના બાળક પાસે શિક્ષિકાએ ટોઈલેટ સાફ કરાવ્યું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ બાળકના પિતાએ પોલીસને જણાવ્યું કે, “મારા પર 3 લાખ રૂપિયાથી વધુની લોન છે અને મારી પત્નીએ થોડા દિવસો પહેલા મને સૂચન કર્યું હતું કે લોનની ચુકવણી કરવા માટે આપણે આપણા નવજાત બાળકને એક નિઃસંતાન દંપતીને વેચી દઈએ, પરંતુ મેં સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે તેણે આવું ક્યારેય ન વિચારવું જોઈએ.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે વધુમાં જણાવ્યું હતું કે, “5 ડિસેમ્બરની સાંજે હું કામ પરથી ઘરે પાછો આવ્યો અને જોયું કે મારો પુત્ર ગુમ હતો. જ્યારે મેં પૂછપરછ કરી તો મારી પત્નીએ મને કહ્યું કે તેને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓ હતી અને તેણે તેને એક સંબંધી પાસે રાખ્યો હતો. આ વાત માનીને હું કામ પર ગયો અને રાત્રે પાછો આવ્યો, પરંતુ મારી પત્નીએ તે જ વાતનું પુનરાવર્તન કર્યું, પરંતુ આ વખતે મને શંકા હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદીએ જણાવ્યું હતું કે, “જ્યારે મને શંકા થઈ, ત્યારે મેં મારી પત્ની પાસે એ ડૉક્ટર અથવા સંબંધીનો નંબર માંગ્યો કે જેમની પાસે મારો પુત્ર હતો, પરંતુ તેણીએ ના પાડી. જેના કારણે અમારી વચ્ચે ઝપાઝપી થઈ.” ફરિયાદ બાદ મહિલા પોલીસ બાળકની માતાને મળવા ગઈ હતી. રિપોર્ટ અનુસાર, એક તપાસ અધિકારીએ કહ્યું, “આરોપીઓએ બાળક તેના સંબંધી પાસે હોવાનું કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ પછી મહિલાએ કબૂલાત કરી હતી કે તેણે તેનું બાળક બેંગલુરુની એક મહિલાને 1.5 લાખ રૂપિયામાં વેચ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/40-dalit-children-dropped-out-of-education-due-to-harassment-by-headstrong-elements">માથાભારે તત્વોના ત્રાસના કારણે 40 દલિત બાળકોએ ભણતર છોડી દીધું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 15:01:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1685</Articleid>
                    <excerpt>મજૂર પરિવાર પર ત્રણ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પત્નીએ પતિનું દેવું ચૂકવવા મહિના પહેલા જન્મેલા દીકરાને નિઃસંતાન દંપતીને વેચ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67595b3ebb57d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67595b3e8aa76.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67595b3e8aa76.jpg" length="47884" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Karnataka News, Wife sells one-month-old baby, for Rs 1.5 lakh, pay husband&#039;s debt</media:keywords>
                </item>
                        <item>
                    <title>આજે કેરળમાં એમ.કે.સ્ટાલિન પેરિયાર સ્મારક&amp;પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે</title>
                    <link>https://khabarantar.com/cm-stalin-to-inaugurate-periyar-memorial-library-in-keral-today</link>
                    <guid>https://khabarantar.com/cm-stalin-to-inaugurate-periyar-memorial-library-in-keral-today</guid>
                    <description>
                        <![CDATA[ રૂ. 10 કરોડના ખર્ચે પુનઃનિર્માણ પામેલા આ સ્મારક પુસ્તકાલયમાં બે રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અનેક હસ્તીઓ હાજર આપશે. આવું પહેલીવાર બની રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દ્રવિડ કઝગમના સ્થાપક ઈ.વી. રામાસામી પેરિયારને સમર્પિત બહુપ્રતિક્ષિત થંથાઈ પેરિયાર મેમોરિયલ અને પેરિયાર લાઈબ્રેરીનું ઉદ્ઘાટન 12 ડિસેમ્બરે કેરળના વાઈકામમાં થશે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સત્તાવાર રીતે આ સ્મારક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે, જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સમારંભની અધ્યક્ષતા કરશે અને મુખ્ય વક્તવ્ય આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુના જાહેર બાંધકામ વિભાગના મંત્રી ઈ.વી. વેલુએ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરતા કહ્યું હતું કે, "આ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને મુખ્યમંત્રી સ્ટાલિન આજે કોટ્ટાયમ પહોંચશે," વેલુએ કેરળના દેવસ્વમ અને પોર્ટ મંત્રી વી.એન. વસવન સાથે મળી મીડિયાને આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંત્રી વેલુ છેલ્લા ત્રણ દિવસથી આ સ્મારક અને પુસ્તકાલયની અંતિમ તૈયારીઓનું મોનિટરિંગ કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેરળના મંત્રી વી.એન. સહિત અનેક મહાનુભાવો પણ ભાષણો આપશે. જેમાં કેરળના મંત્રી વી.એન. વસવન, સાજી ચેરિયન અને તમિલનાડુના મંત્રીઓ દુરાઈમુરુગન, ઈ.વી. વેલુ અને એમ.પી. સામીનાથનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળના મુખ્ય સચિવ શારદા મુરલીધરન, તમિલનાડુના મુખ્ય સચિવ એન. <span style="color: rgb(0, 0, 0);">મુરુગાનંદમ</span> અને કોટ્ટાયમના જિલ્લા કલેક્ટર જોન વી. સેમ્યુઅલ પણ હાજર રહે તેવી શક્યતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે થંથાઈ પેરિયાર સ્મારક?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થંથાઈ પેરિયાર મેમોરિયલ અને પેરિયાર લાઇબ્રેરીને મહાન સમાજ સુધારક ઈ.વી.રામાસામી પેરિયારના સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપવાના તેમના કાયમી વારસાને શ્રદ્ધાંજલિ તરીકે જોવામાં આવે છે. વૈક્કમ, જે સામાજિક ન્યાય આંદોલન માટે એક ઐતિહાસિક મહત્વનું સ્થાન છે ત્યાં આ સ્મારક બની રહ્યું છે. કોટ્ટાયમ સ્થિત પેરિયાર સ્મારક અને પુસ્તકાલય રૂ. 10 કરોડના ખર્ચે પુનઃનિર્મિત કરવામાં આવ્યું છે. આ સ્મારક સામાજિક ન્યાય માટે પેરિયારના સંઘર્ષ અને તેમની જીતને દર્શાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> 70 એકર જમીનમાં ફેલાયેલા આ સ્મારક કમ લાઈબ્રેરીમાં એક કાયમી ફોટો પ્રદર્શન હોલ, એક વિશાળ પુસ્તકાલય, એક ગેસ્ટ હાઉસ, બાળકો માટે પાર્ક અને પેરિયારની બેઠેલી અવસ્થામાં મૂર્તિ હશે. ઉદ્ઘાટન સમારોહ વૈકમ વિરોધની શતાબ્દિ મહોત્વ સાથે મેળ ખાય છે, જે સામાજિક ન્યાયના સંઘર્ષમાં એક મહત્વની ઘટના છે. કેરળના મુખ્યમંત્રી પી. વિજયન આ કાર્યક્રમમાં ખાસ સંબોધન કરશે. જ્યારે તમિલનાડુની આખી સરકાર કાર્યક્રમમાં ભાગ લેશે. </span><span style="font-size: 14pt;">આ પહેલીવાર બની રહ્યું છે કે, પેરિયારનું સ્મારક કેરળમાં બની રહ્યું હોવા છતાં તેનું ઉદ્ઘાટન કરવા માટે તમિલનાડુના મુખ્યમંત્રી આવી રહ્યાં છે. આ પેરિયારની વિચારધારામાં જ શક્ય બની શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/How-is-Periyars-book-Sachi-Ramayana-useful-in-the-fight-against-Brahminism">બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 13:16:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1684</Articleid>
                    <excerpt>રૂ. 10 કરોડના ખર્ચે પુનઃનિર્માણ પામેલા આ સ્મારક પુસ્તકાલયમાં બે રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અનેક હસ્તીઓ હાજર આપશે. આવું પહેલીવાર બની રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6759419ff2e54.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6759419fc3235.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6759419fc3235.jpg" length="44229" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>cm stalin, tamil nadu cm stalin, periyar memorial library, periyar</media:keywords>
                </item>
                        <item>
                    <title>જેલમાં કેદીઓને કયા માનવ અધિકારો મળે છે?</title>
                    <link>https://khabarantar.com/what-human-rights-do-prisoners-receive-in-prison</link>
                    <guid>https://khabarantar.com/what-human-rights-do-prisoners-receive-in-prison</guid>
                    <description>
                        <![CDATA[ માણસ જન્મે છે ત્યારથી તેને અમુક કુદરતી અધિકારો પ્રાપ્ત થાય છે અને તે જેલમાં ગયા પછી પણ બદલાતા નથી. ચાલો જાણીએ જેલમાં માણસને કેવા અધિકારો મળી શકે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે જન્મ લે છે તેને જન્મ લેવાનાં કારણોસર જીવવાનો અધિકાર આપોઆપ પ્રાપ્ત થાય છે. માનવ સમાજના દરેક માનવ સભ્યના મૂળભૂત અધિકારો કોઈએ બક્ષેલી બક્ષિસ કે સવલત નથી પરંતુ આવા અધિકાર જન્મસિદ્વ છે. અને તેથી કોઈ વ્યકિત, સમાજ, સંગઠન કે સત્તાધીશને આ અધિકારો અટકાવવાની સત્તા નથી. કોઈ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે તે માનવ તરીકે મટી જતો નથી. તેથી ગુનેગારોને કેદમાં રાખવામાં આવેલ છે. કોઈપણ વ્યક્તિ જેલવાસ દરમિયાન નિયમોની જોગવાઈ મુજબ નિયંત્રણ હેઠળ જીવન જીવતો હોવાના કારણસર મજબૂર હોઈ તેના માનવ અધિકારની જાળવણી પ્રત્યે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા રહે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક સમય હતો જ્યારે કેદીઓને તુચ્છ ગણવામાં આવતા હતા અને તિરસ્કારની નજરે જોવામાં આવતા હતા. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આંતરરાષ્ટ્રીય ફલક પર સુધારણાનો સૂરજ ઊગી રહેલ છે. સુધારણા ત્યારે જ શક્ય બને જ્યારે માનવ અધિકારની જાળવણી કરવામાં આવે એ દ્રષ્ટિએ જેલ સંચાલન, સુધારણા પ્રવૃત્તિઓ માનવ અધિકારની જાળવણીના તાણાવાણા વણાયેલા છે. એ માનવ અધિકારો જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કેદીઓ માટે સૂચવવામાં આવ્યા છે. તેનો આપણા બંધારણીય મૂળભૂત અધિકારોમાં સમાવેશ થયેલો જ છે. પ્રસંગોપાત્ત સર્વોચ્ચ અદાલત દ્વારા પણ આ બાબત પ્રસ્થાપિત થયેલી છે. ચાલો જાણીએ કેદીઓના મૂળભૂત માનવ અધિકાર શું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માનવીય ગરિમાની જાળવણીઃ</span></strong></span><br><span style="font-size: 14pt;">-કેદીની જેલમા દાખલ થવાથી મુક્તિ ગાળામાં કેદીની માવજત અને માનવીય ધોરણે ગરિમાની સાચવણી કરવી.</span><br><span style="font-size: 14pt;">-કેદીને માનસિક કે શારીરિક પીડા પહોંચે તેવો ક્રૂરતાભર્યો અને અપમાનજનક વ્યવહાર કરવો નહી.</span><br><span style="font-size: 14pt;">-કેદીઓ ઉપર સ્વબચાવ અને સલામતીનાં કારણો સિવાય બળનો ઉપયોગ કરી શકાશે નહીં.</span><br><span style="font-size: 14pt;">-જેલમાં દાખલ થતી વખતે કેદીને જેલના નીતિનિયમો તેમના હક્ક અને મળવાપાત્ર સવલત વગેરેથી વાકેફ કરવા.</span><br><span style="font-size: 14pt;">-રહેણાંક, આરોગ્ય, કપડાં અને બિસ્તર, ખોરાક અને કસરતની વ્યવસ્થા ધોરણસરની મળવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેલમાં કેદીઓ સ્વાસ્થ્ય સબંધી અધિકારો</span></strong></span><br><span style="font-size: 14pt;">-આરોગ્યની જાળવણી કેદીના ખર્ચ વગરની નિષ્‍ણાત તબીબ દ્વારા હોવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-તબીબી મહેકમ તાલીમબદ્વ હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-જેલના તબીબી અધિકારી કેદીના જેલમાં દાખલ થવાથી મુક્તિ સુધી આરોગ્ય અંગે જવાબદાર રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેલ એ કેદીઓની સુરક્ષાની જગ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">-કેદીઓનું જોખમના ધોરણે વર્ગીકરણ કરી, શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછી સલામતી વ્યવસ્થા હેઠળ રાખવો.</span><br><span style="font-size: 14pt;">-અંકુશ માટેનાં સાધનોનો ઉપયોગ કેદીને સજા આપવા કરી શકાશે નહીં.</span><br><span style="font-size: 14pt;">-કેદી પર શારીરિક કાર્યકારી અને સઘન સલામતી વ્યવસ્થા સંતુલિત હોવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-જેલમાં સલામત વાતાવરણ હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-જેલમાં પ્રેરણા, પ્રોત્સાહન અને શિસ્તમય વાતાવરણ હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-જેલમાં શિસ્તપાલન કુદરતી ન્યાયના સિદ્વાંત અનુસાર હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેલમાં જીવનનો સદ્ઉપયોગ</span></strong></span><br><span style="font-size: 14pt;">જેલ જીવનનો મુખ્ય હેતુ કેદીનું સમાજમાં પુનઃસ્થાપન હોવો જોઈએ, કેદીઓની નીચે જણાવેલી જરૂરિયાતો પરિપૂણ થાય તે મુજબના કાર્યક્રમો હોવા જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-કામ કરવાની ટેવ અને આવડત</span><br><span style="font-size: 14pt;">-શિક્ષણ અને તાલીમ.</span><br><span style="font-size: 14pt;">-શારીરિક શિક્ષણ અને તાલીમ.</span><br><span style="font-size: 14pt;">-ટૂંકાગાળા અને કાયમી મુક્તિ માટેની પૂર્વતૈયારી.</span><br><span style="font-size: 14pt;">-ધાર્મિક માન્યતાઓ ધરાવવાની અને પ્રાર્થના, સ્તુતિ કરવાની સ્વતંત્રતા.</span><br><span style="font-size: 14pt;">-જેલના કર્મચારી-અધિકારીઓએ દ્રષ્ટાંતરૂપ ફરજ અદા કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેદીઓનો બહારની દુનિયા સાથે સંપર્ક </span></strong></span><br><span style="font-size: 14pt;">-જેલ સમાજનો એક ભાગ છે. કેદીઓ તેમનાં સગાં-સંબંધી-મિત્રો, કાયદાકીય સલાહકાર વગેરે સાથે પત્ર અને મુલાકાત દ્વારા સંપર્ક સાધી શકે છે.</span><br><span style="font-size: 14pt;">-કેદીઓ પુસ્તકો, વર્તમાનપત્રો વગેરે મેળવી શકશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેલમાં કેદીઓની ફરિયાદ</span></strong></span><br><span style="font-size: 14pt;">-કેદીઓ પોતાની મુશ્કેલી રજૂ કરી શકે તે માટે યોગ્ય સ્થળ પર ફરિયાદ પેટી મૂકવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;">-એક ફરિયાદ પેટી નામદાર સેશન્સ કોર્ટના જજશ્રીની કચેરી તરફથી રાખવામાં આવી છે. જે કોર્ટ સ્ટાફ મારફત ખોલવામાં આવે છે. અને નામદાર સેશન્સ જજશ્રી દ્વારા નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">-દરેક જેલ ઉપર એક ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. જેમાં આવી ફરિયાદોનો નિકાલ જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીની કચેરી મારફત કરવામાં આવે છે. આ પેટીઓની ચાવી જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીની કચેરીના અધિકારી પાસે રહે છે. તેઓ દ્વારા પેટીમાંથી ફરિયાદોનો વહીવટી અધિકારી મારફત જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીના પરામર્શમાં રહી યોગ્ય નિકાલ કરવામાં આવે છે. જેલ વિજિટર્સ બોર્ડના સરકારી તેમ જ બિનસરકારી સભ્યો દર ત્રણ મહિને જેલની મુલાકાત લઈ કેદીઓની ફરિયાદ સાંભળી તેનો નિકાલ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ખાસ પ્રકારના કેદીઓ સ્ત્રી કેદી</span></strong></span><br><span style="font-size: 14pt;">-પુરુષ આધિપત્યવાળા સમાજમાં સ્ત્રી કેદીઓ લઘુમતીમાં છે તેથી તેમની અવગણના ન થાય તેની કાળજી રાખવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">-સ્ત્રી કેદીઓને પુરુષથી અલાયદા સ્ત્રી " Enclosure" માં રાખવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">-સગર્ભા સ્ત્રી કેદીઓ તથા સ્તનપાન કરાવતી સ્ત્રી કેદીઓને વિશેષ આહાર, દૂધ, ટોનિક વગેરે</span><br><span style="font-size: 14pt;">આપવામાં આવે છે. તથા ગાયનેકોલોજિસ્ટની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">-સ્ત્રી કેદી સાથે રહેલાં બાળકોને પણ વિશેષ આહાર, દૂધ, રમકડાં વગેરેની સગવડો પૂરી પાડવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">-અમદાવાદ-વડોદરા-રાજકોટ જેલો ખાતે અલગ મહિલા જેલ બનાવવામાં આવી રહી છે. જેનું સંચાલન મહિલા સ્ટાફ દ્વારા કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બધા કેદીઓ સાથે સમાન વ્યવહાર</span></strong><br><span style="font-size: 14pt;">બધા જ પ્રકારના માનવો જન્મે સ્વતંત્ર છે અને સમાન હક્કો ધરાવે છે.</span><br><span style="font-size: 14pt;">-દરેક કેદીને વિચારસરણી અને ધર્મની સ્વતંત્રતા છે. દરેક કેદીને ધાર્મિક વિચારસરણીની સ્વતંત્રતા છે.</span><br><span style="font-size: 14pt;">-જેલમાં જાતીય-પ્રાદેશિક ભેદભાવ ન હોવા જોઈએ.</span><br><span style="font-size: 14pt;">મૃત્યુદંડની સજાવાળા કેદીઃ</span><br><span style="font-size: 14pt;">-મૃત્યુદંડની શિક્ષાનો અમલ શક્ય તેટલી ઓછી તકલીફયુક્ત પદ્વતિથી કરવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-મૃત્યુદંડની શિક્ષાના કેદી અને તેના કુટુંબની જરૂરિયાતો પ્રત્યે જેલના કર્મચારી, અધિકારીઓએ સંવેદનશીલતા દાખવવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સજા સિવાયના કેદીઓ</span></strong></span><br><span style="font-size: 14pt;">-ગુનેગારોનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ હોવાનું માનવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;">-જામીન પર છૂટવા તેમ જ જેલમાં અટકમાં રાખવાની કોર્ટ દ્વારા વિચારણા કરવાની કાર્યવાહી ત્વરાથી થવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-પોતાનો બચવા કરવા કાયદાકીય સલાહકાર સાથે ગુપ્ત મુલાકાત કરી શકે.</span><br><span style="font-size: 14pt;">-યોગ્ય સમયમાં કેસ ચલાવવો જોઈએ અથવા મુક્તિ મળવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-સજાવાળા કેદીઓથી અલગ રાખવા જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-ખોરાક, કપડાં, બિસ્તરા, વાસણો અને વાંચનસામગી વગેરે પોતાના સ્રોતથી મેળવી શકે છે.</span><br><span style="font-size: 14pt;">જેલમાં સંચાલન અને સ્ટાફઃ</span><br><span style="font-size: 14pt;">-જેલનું સંચાલન લશ્કરી અને પોલીસ દળથી તદન અલગ રીતે સિવિલિયન સંસ્થા તરીકે હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;">- કેદી, કેદીના સગાંસંબંધીઓ અને જેલ સ્ટાફ વચ્ચે વિશ્વાસનો સેતુ અકબંધ રહે તે જેલ તંત્રની સફળતા માટેની ચાવી છે.</span><br><span style="font-size: 14pt;">-જેલમાં જેલનો સ્ટાફ યોગ્ય રીતે તાલીમબદ્વ, સંસ્કારી અને માનવીય અભિગમવાળો હોય તે અતિઆવશ્યક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">કાંતિલાલ પરમાર (લેખક સામાજિક કાર્યકર છે અને નવસર્જન ટ્રસ્ટ સાથે જોડાયેલા છે.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/can-the-constitution-of-India-be-changed-by-the-force-of-majority">શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 12:05:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1683</Articleid>
                    <excerpt>માણસ જન્મે છે ત્યારથી તેને અમુક કુદરતી અધિકારો પ્રાપ્ત થાય છે અને તે જેલમાં ગયા પછી પણ બદલાતા નથી. ચાલો જાણીએ જેલમાં માણસને કેવા અધિકારો મળી શકે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6759319ce5a26.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6759319cb56f8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6759319cb56f8.jpg" length="56271" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Human rights of prisoners, Human Rights Commission, Human Rights</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;દેશ બહુમતીના હિસાબે ચાલશે&amp;apos; કહેનાર જજ સામે સુપ્રીમ કોર્ટ કાર્યવાહી કરશે</title>
                    <link>https://khabarantar.com/supreme-court-will-take-action-against-allahabad-high-court-justice-shekhar-kumar-yadav-for-making-controversial-statement</link>
                    <guid>https://khabarantar.com/supreme-court-will-take-action-against-allahabad-high-court-justice-shekhar-kumar-yadav-for-making-controversial-statement</guid>
                    <description>
                        <![CDATA[ અલાહાબાદ હાઈકોર્ટના સિટીંગ જજ હોવા છતાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમ જઈને દેશ અને બંધારણ વિરોધી ભાષણ આપનાર સંઘી જજ સામે હવે સુપ્રીમ કોર્ટે કાર્યવાહી શરૂ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે દિવસ પહેલા વિશ્વ હિંદુ પરિષદ (Vishva Hindu Parishad) ના એક કાર્યક્રમમાં જઈને દેશ અને બંધારણ વિરોધી ભાષણ આપનાર અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)ના જજ શેખર કુમાર યાદવ (Justice Shekhar Kumar Yadav) ની મુશ્કેલીઓ વધી છે. જજ સાહેબે આરએસએસને વહાલા થવાની લ્હાયમાં પોતાના પદની ગરિમાની પણ પરવા નહોતી કરી. તેમણે કહ્યું હતું કે ભારતમાં કાયદો બહુમતી લોકોના હિસાબે ચાલશે. આ નિવેદન બાદ રાજકીય અને સામાજિક નેતાઓએ તેમની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. હવે સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલાની તપાસ માટે અલ્હાબાદ હાઈકોર્ટ પાસે રિપોર્ટ માંગ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શેખર કુમાર યાદવે 9 ડિસેમ્બર, 2024ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, જેના કારણે દેશવ્યાપી વિવાદ સર્જાયો હતો. તેમણે કહ્યું, “આ ભારત છે અને તે ભારતમાં રહેતા બહુમતીઓના હિસાબે ચાલશે. આ કાયદો છે અને તે બહુમતીના હિસાબે કામ કરશે.” જસ્ટિસ યાદવનું આ નિવેદન તરત જ ચર્ચામાં આવ્યું કારણ કે તેમાં તેમણે બહુમતી સમાજની ઇચ્છાને દેશના કાયદા અને બંધારણનો આધાર ગણાવ્યો હતો. આ નિવેદન માત્ર બંધારણ અને ન્યાયતંત્રની નિષ્પક્ષતા પર જ સવાલો ઉઠાવતું નથી પરંતુ હાઈકોર્ટના જજ માટે તેને ગેરબંધારણીય પણ માનવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે તરત મામલો હાથમાં લીધો</span></strong></span><br><span style="font-size: 14pt;">આ વિવાદ બાદ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ શેખર કુમાર યાદવના ભાષણની નોંધ લીધી છે અને મામલાની તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટ પાસેથી ન્યાયાધીશના ભાષણની સંપૂર્ણ વિગતો માંગી છે જેથી તે નક્કી કરી શકાય કે નિવેદન ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નિષ્પક્ષતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે કે કેમ. સુપ્રીમ કોર્ટનું આ પગલું આ મામલાની ગંભીરતા દર્શાવે છે અને સ્પષ્ટ કરે છે કે ન્યાયતંત્રમાં કોઈપણ પ્રકારનું પક્ષપાતી નિવેદન સ્વીકાર્ય નથી.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ટીકા થઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">જસ્ટિસ યાદવના ભાષણે માત્ર સુપ્રીમ કોર્ટમાં જ નહીં પરંતુ રાજકીય વર્તુળોમાં પણ હોબાળો મચાવ્યો હતો. AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ જજ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતી નોટિસ પર સહી કરી હતી. ઓવૈસીએ પોતાની ટિપ્પણીમાં કહ્યું કે જસ્ટિસ યાદવનું આ નિવેદન બંધારણની વિરુદ્ધ છે અને તે ગેરબંધારણીય અભિગમને પ્રોત્સાહન આપે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીપીઆઈ નેતા વૃંદા કરાતે (Vridha Karat) પણ જસ્ટિસ યાદવના ભાષણને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. કરાતે કહ્યું કે જે લોકો આવા પક્ષપાતી વિચારોનું સમર્થન કરે છે તેમના માટે ન્યાયતંત્રમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક સંસ્થાઓએ પણ ટીકા કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">સામાજિક ન્યાય માટે કામ કરતી સંસ્થા “કોઓર્ડિનેશન ઑફ જસ્ટિસ ફોર એલિયન રિજેક્ટર્સ” (CJAR) એ પણ જસ્ટિસ શેખર યાદવના ભાષણ પર ચિંતા વ્યક્ત કરી છે. સંગઠને સુપ્રીમ કોર્ટને જસ્ટિસ યાદવ સામે ઇન-હાઉસ તપાસ શરૂ કરવા વિનંતી કરી હતી. સંગઠને એમ પણ કહ્યું કે જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જસ્ટિસ યાદવ પાસેથી તેમની ન્યાયિક ફરજો પરત ખેંચી લેવી જોઈએ. તેમના નિવેદનથી સ્પષ્ટ છે કે તેઓ ન્યાયિક કાર્યવાહીમાં નિષ્પક્ષતા જાળવી શકતા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સિટીંગ જજ આવું નિવેદન આપે તે કેવી રીતે ચલાવી લેવાય?</span></strong></span><br><span style="font-size: 14pt;">જસ્ટિસ શેખર યાદવના નિવેદન બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે શું કોઈ જજને આવા પક્ષપાતી વિચારો જાહેરમાં વ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઈએ. તેમનું નિવેદન ભારતના બિનસાંપ્રદાયિક અને લોકશાહી સિદ્ધાંતોની વિરુદ્ધ હોવાનું જણાય છે, કારણ કે બંધારણ દરેક વ્યક્તિને તેમની ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં લીધા વિના સમાજમાં સમાનતાની ખાતરી આપે છે. જસ્ટિસ યાદવનું આ નિવેદન ન માત્ર ન્યાયતંત્રની સ્વતંત્રતાના સિદ્ધાંતને પડકારે છે પરંતુ તે </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોકશાહીમાં વૈવિધ્યતાના અભિગમની પણ વિરુદ્ધ છે.</span></strong></span><br><span style="font-size: 14pt;">હવે અલાહાબાદ હાઈકોર્ટના જજ દ્વારા આપવામાં આવેલા આ નિવેદનને લઈને કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની તાત્કાલિક નોંધ લીધી છે અને તપાસ શરૂ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. હવે જોવાનું એ રહે છે કે જસ્ટિસ યાદવ સામે શું પગલાં લેવામાં આવે છે અને ન્યાયતંત્રમાં આવો વિચાર રાખનારાઓ માટે કોઈ સજા નક્કી કરવામાં આવશે કે કેમ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંધારણ અને ન્યાયતંત્ર પર સવાલો ઉભા થયા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલાએ ફરી એકવાર બંધારણ અને ન્યાયતંત્રની ભૂમિકા પર સવાલો ઉભા કર્યા છે. શું ન્યાયાધીશને કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ જાહેરમાં નિવેદન આપવાનો અધિકાર હોવો જોઈએ? શું આવા નિવેદનો ભારતના ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન નથી કરતા? આ સવાલોના જવાબ આવનારા સમયમાં કોર્ટના નિર્ણય પરથી મળી જશે, જે ભારતીય ન્યાય વ્યવસ્થા માટે મહત્વનું ઉદાહરણ બની શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-reaches-vhp-event">VHPના કાર્યક્રમમાં પહોંચ્યા હાઈકોર્ટના સિટિંગ જજ, કહ્યું - દેશ બહુમતીના હિસાબે ચાલશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 11:19:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1682</Articleid>
                    <excerpt>અલાહાબાદ હાઈકોર્ટના સિટીંગ જજ હોવા છતાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમ જઈને દેશ અને બંધારણ વિરોધી ભાષણ આપનાર સંઘી જજ સામે હવે સુપ્રીમ કોર્ટે કાર્યવાહી શરૂ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67592784ac82f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675927846b4c7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675927846b4c7.jpg" length="65544" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Justice Shekhar Kumar Yadav, Allahabad High Court, Controversial statement, Supreme Court, Vishva Hindu Parishad</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુહાગરાતે વહુએ બાગેશ્વર ધામ જવાની જીદ પકડી, અને પછી..</title>
                    <link>https://khabarantar.com/in-sirohi-rajasthan-the-bride-insisted-on-going-to-bageshwar-dham-on-her-wedding-night-and-then-ran-away</link>
                    <guid>https://khabarantar.com/in-sirohi-rajasthan-the-bride-insisted-on-going-to-bageshwar-dham-on-her-wedding-night-and-then-ran-away</guid>
                    <description>
                        <![CDATA[ લગ્નની પહેલી રાત્રે યુવતીએ બાગેશ્વર ધામની માનતા હોવાનું કહી આખા પરિવારને મધ્યપ્રદેશ લઈ ગઈ પછી જે થયું તેની અપેક્ષા વરરાજા કે તેના પરિવારને નહોતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના સિરોહી જિલ્લામાં લૂંટેરી દુલ્હને જોરદાર નાટક કર્યું. સાસરિયે પહોંચતાની સાથે જ નવવધુ 'બાગેશ્વર ધામ' જવાની જીદ કરવા લાગી. પરિવાર જેવો બીજા દિવસે તેને ત્યાં લઈ ગયો કે તરત દુલ્હન મોકો જોઈને ભાગી ગઈ હતી. વરરાજાએ સ્વરૂપગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુલ્હન સહિત ચાર લોકોની ધરપકડ કરી ચારેયને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને જેલમાં ધકેલી દેવાયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસપી અનિલ કુમારે જણાવ્યું કે આ કેસ 4 જુલાઈએ સ્વરૂપગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. અચપુરાના રહેવાસી અશોક કુમારે રિપોર્ટ નોંધાવ્યો અને કહ્યું કે દલાલે તેના લગ્ન અન્ય સમાજમાં કરાવ્યા હતા. તેના બદલામાં 2.5 લાખ રૂપિયા લીધા હતા. દલાલે પંઢરી, અમરાવતી મહારાષ્ટ્રમાં સંબંધ ગોઠવ્યો હતો. પછી સુષ્મા અભ્યંકર નામની છોકરી સાથે મુલાકાત કરાવી હતી. 5 મે, 2024ના રોજ અમરાવતીની સુષ્મા સહિત દલાલ અને તેના સંબંધીઓ સ્વરૂપગંજની એક હોટલમાં રોકાયા હતા. હોટલમાં દોઢ લાખ રૂપિયા લીધા. પછી કાશી વિશ્વનાથ મંદિર કાસિન્દ્રા ગયા. ત્યાં સુષ્મા સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન થયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત અશોકે જણાવ્યું કે દુલ્હનના કહેવા પર તેણે બાબા બાગેશ્વર ધામ જવાની યોજના બનાવી. 26મીએ આબુ રોડથી જયપુર ગયો હતો. ટ્રેન દ્વારા ખજૂરાહો થઈને બાગેશ્વરધામ પહોંચ્યા હતા. ત્યાંથી અજમેર-પુષ્કર પરત ફર્યા. ત્યારબાદ સાલાસર બાલાજી ધામના દર્શન કરવા ગયા હતા. જ્યાં દર્શન કર્યા બાદ સુષ્મા દુકાનમાં ખરીદી કરતી વખતે ભાગી ગઈ હતી. આખી ટોળકીએ તેની સાથે છેતરપિંડી કરીને લગભગ ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસપી અનિલ કુમારની સૂચનાથી વિશેષ ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી. વિશેષ ટીમે કન્યા સુષ્મા (26) કૈલાશ સુખદેવ અગ્રવાલ (62) સિંધુ વિલાસરાવ ઇગડે અને રાજકન્યા વિજય ટેલમોરની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓની ધરપકડ કરીને સોમવારે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલ હવાલે કરાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ<a href="https://khabarantar.com/clashes-between-devotees-during-mangala-aarti-at-ranchhodji-temple-in-dakor"> ડાકોરના રણછોડજી મંદિરમાં મંગળા આરતી વખતે ભક્તો વચ્ચે મારામારી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 09:53:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1681</Articleid>
                    <excerpt>લગ્નની પહેલી રાત્રે યુવતીએ બાગેશ્વર ધામની માનતા હોવાનું કહી આખા પરિવારને મધ્યપ્રદેશ લઈ ગઈ પછી જે થયું તેની અપેક્ષા વરરાજા કે તેના પરિવારને નહોતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675913487d2b4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675913484802a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675913484802a.jpg" length="97938" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Sirohi Rajasthan, Bride going to Bageshwar Dham, wedding night, ran away, Baba Bageshwar, Dhirendra Shastri</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘તારી ઔકાત શું છે?’ કહી સરપંચે દલિતનું જાહેરમાં અપમાન કરતા ફરિયાદ</title>
                    <link>https://khabarantar.com/sarpanch-publicly-insults-dalit-by-saying-what-is-your-status-complaint-filed</link>
                    <guid>https://khabarantar.com/sarpanch-publicly-insults-dalit-by-saying-what-is-your-status-complaint-filed</guid>
                    <description>
                        <![CDATA[ મહેમદાવાદના મોદજની ઘટના. આવકનો દાખલો કઢાવવા ગયેલા દલિત યુવાનનું સરપંચે જાતિસૂચક અપશબ્દો બોલી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ ભારતના ગામડાઓમાં લોકશાહી ઢબે ચૂંટાતા હોવા છતાં કેટલાક સરપંચો તેમની ચોક્કસ જાતિની ધાકને કારણે આજેય દલિત-બહુજન સમાજને ધમકાવવાનું ચૂકતા નથી. આવા તત્વો એમ માનતા હોય છે કે, દલિતો સાથે આમ જ વર્તાય અને તો જ તેઓ માપમાં રહે. જો કે તેઓ એ ભૂલી જાય છે કે, કાયદાના રાજમાં તમારી આ બધી દાદાગીરી સોંસરી નીકળી જાય તેમ છે. સવાલ માત્ર તેના યોગ્ય અમલનો હોય છે. જ્યારે કાયદો કાયદાનું કામ કરે, ત્યારે આવા જાતિવાદી તત્વોની સાન સેકન્ડોમાં ઠેકાણી આવી જતી હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવું જ કંઈક ખેડા જિલ્લાના મહેમદાવાદના એક ગામમાં બન્યું છે. અહીં મોદજ ગામના સરપંચ સહિત અન્ય એક સામે દલિત સમાજના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. આવકનો દાખલો લેવા ગયેલા દલિત અરજદારને સરપંચે જાતિસૂચક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને આવકનો દાખલો પણ નહોતો કાઢી આપ્યો. એટલું જ નહીં સરપંચે તેમને આરટીઆઈ કરી ગ્રામ પંચાયતની માહિતી માગવા બદલ ધમકી પણ આપી હતી. જેનાથી અપમાનિત થયેલી દલિત વ્યક્તિએ મહેમદાવાદ પોલીસમાં ફરિયાદમાં નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ દલિત સમાજની આ વ્યક્તિએ અગાઉ ગામને મળતી ગ્રાન્ટને લઈને RTI અરજી કરતા સરપંચ અને અન્ય એક શખ્સને તેમના પર ખાર હતો. આથી તેમણે આવકનો દાખલો કાઢવા આવતી વખતે તે દાઝ ઉતારી હતી અને દલિત વ્યક્તિને જાતિસૂચક અપશબ્દો બોલી ધમકાવી હતી. આ બાબતની પોલીસ ફરિયાદ મહેમદાવાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેમદાવાદ તાલુકાના મોદજ ગામે રોહિત વાસમાં 38 વર્ષિય જયંતિભાઈ બાબુભાઈ મકવાણા રહે છે. તેમના સંતાનને સ્કૂલ તરફથી સ્કોલરશીપનો લાભ મેળવવાનો હોય અને તેના માટે જયંતિભાઈને આવકના દાખલાની જરૂર હોવાથી તેઓ ગત 5 ડિસેમ્બર 2024ના રોજ આ દાખલો મેળવવા પોતાની કૌટુંબીક વ્યક્તિઓ સાથે ગ્રામપંચાયત ઓફિસે ગયા હતા. જ્યાં અરજીમાં સાક્ષી તરીકે પુરૂષોની સહી ચાલશે સ્ત્રીની નહી ચાલે તેમ કહીને તેમને કોમ્પ્યુટર ઓપરેટરે બેસાડ્યા હતા. એ દરમિયાન સાક્ષીઓની સહી કરી દાખલો લેવા બેઠેલા જયંતભાઈને ત્યાં હાજર ગામના સરપંચ બેચરભાઈ રાજાભાઈ ચૌહાણે (રહે.મોદજ) એકાએક અકળાઈને, “તારી શું ઔકાત છે?” તેમ કહી જાતિસૂચક અપશબ્દો બોલી અપમાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે બાદમાં મામલો થાડે પડ્યો હતો પરંતુ આ સરપંચે આ ઘટનાનો ખાર રાખી જયંતિભાઈને આવકનો દાખલો કાઢી આપ્યો નહોતો. જેથી અરજદાર જયંતિભાઈએ બીજા દિવસે તલાટી કમ મંત્રી મોદજ ગ્રામ પંચાયત પાસે મોદજ ગ્રામ પંચાયતને મળતી તમામ ગ્રાન્ટની માહિતી આપવા બાબતે આર.ટી.આઈ.થી અરજી કરી હતી. જેથી આ દિવસે મોદજ ગામના સરપંચ બેચરભાઈ રાજાભાઇ ચૌહાણે સાંજના આશરે સાડા છ વાગ્યાના સુમારે મોદજ ગામના બસ સ્ટેશન નજીક જયંતિભાઈને મળેલા અને ગામમાં રહેવું ભારે પડશે તેવી ધમકી આપી હતી અને બીજા દિવસે પણ સરપંચે જયંતિભાઈને ફોન પર ગાળો ભાંડતા આખરે તેમણે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/you-look-like-a-thief-just-from-your-face-arent-you">‘તું તો ચહેરા પરથી જ ચોર લાગે છે, ચમાર છો ને?’</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Dec 2024 19:57:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1680</Articleid>
                    <excerpt>મહેમદાવાદના મોદજની ઘટના. આવકનો દાખલો કઢાવવા ગયેલા દલિત યુવાનનું સરપંચે જાતિસૂચક અપશબ્દો બોલી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67584e3dca3eb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67584e3d981fd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67584e3d981fd.jpg" length="66481" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, mehmedabad  News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતા યુવકનું અપહરણ કરી માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/two-darbar-youth-kidnap-and-beat-up-a-dalit-youth-in-khambhaliya-devbhoomi-dwarka</link>
                    <guid>https://khabarantar.com/two-darbar-youth-kidnap-and-beat-up-a-dalit-youth-in-khambhaliya-devbhoomi-dwarka</guid>
                    <description>
                        <![CDATA[ યુવક 6ઠ્ઠી ડિસેમ્બરે ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતો હતો ત્યારે કારમાં આવેલા બે દરબારોએ તેને આંતરી, અપહરણ કરી દૂર લઈ જઈ ઢોર માર માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિપ્રધાન ભારત દેશમાં આઝાદી પછી પણ અમુક જાતિના લોકો પોતાને રાજા સમજી ટંગડી ઊંચી રાખવા મથતા રહે છે. આ એ લોકો છે જે કારણ વિના દલિત-આદિવાસી-ઓબીસી સમાજના લોકોને માર મારવો, જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કરવાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર સમજે છે. આ લોકોને કાયદા સામે સૌથી મોટો વાંધો હોય છે, કેમ કે તેમાં સૌને સરખા ગણી સમાન વ્યવહારની જોગવાઈ છે, જ્યારે આ જાતિવાદી તત્વો પોતાને તમામ પ્રકારના કાયદાથી પર સમજે છે અને ગમે તે વ્યક્તિ પર કારણ વિના હુમલો કરવાને પોતાનો અધિકાર સમજે છે. આવી અનેક ઘટનાઓ ગુજરાતના ગામડાઓમાં દરરોજ ક્યાંકને ક્યાંક બનતી રહે છે પરંતુ પોલીસ ચોપડા સુધી પહોંચતી ન હોવાથી તે મીડિયામાં ચમકતી નથી. હકીકતે આવા તત્વોની ધાકને કારણે પોલીસ સ્ટેશનોમાં બેઠેલા અધિકારીઓ ફરિયાદ નોંધતા નથી, પરિણામે પીડિતોને ન્યાય મળતો નથી અથવા સમાધાન કરી લેવું પડે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-woman-constable-was-attacked-with-a-sword-by-a-darbar-neighbor">દલિત મહિલા કોન્સ્ટેબલ પર દરબાર પડોશીએ તલવારથી હુમલો કર્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે જાતિવાદી તત્વો દરેક વખતે ધારતા હોય છે તેમ છૂટી પણ નથી જતા. ક્યાંક કોઈક ન્યાય માટે લડત આપનાર વીરલો તેમને પણ ભટકાઈ જતો હોય છે. આ ઘટનામાં આવું જ થયું છે, જેમાં બે દરબારોએ એક દલિત યુવકને માત્ર એટલા માટે કારમાં અપહરણ કરીને માર માર્યો, કારણ કે તેણે તેમને કાર વ્યવસ્થિત ચલાવવા માટે કહ્યું હતું. આટલા માત્રથી બંને શખ્સોઓ યુવકને રસ્તામાં રોકી તેની જાતિ વિશે પૂછ્યા બાદ માર મારી કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું અને દૂર લઈ જઈ ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, જાતિવાદી આ તત્વોએ દલિત યુવકને ધમકી આપતા કહ્યું કે, તારો આખો સમાજ ભેગો થઈ જાય તો પણ મારું કશું બગાડી શકે તેમ નથી. જો કે દલિત યુવકે હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવતા હવે બંને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">6ઠ્ઠી ડિસેમ્બરની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાનો છે. અહીંના મેઘપર ટીંટોડીનો રહેવાસી 25 વર્ષીય દલિત યુવક કિશન રાઠોડ 6ઠ્ઠી ડિસેમ્બરે ડો.આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે સાંજે 4.30 આસપાસ મિત્રો સાથે પોતાનું ટુવ્હિલર લઈને ડો.આંબેડકરના સ્ટેચ્યૂને હાર ચડાવવા જતો હતો. એ દરમિયાન GJ-04-CR-0003 નંબરની કાર તેની બાજુમાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ હતી. કિશને સાદ પાડીને કારચાલકને કાર વ્યવસ્થિત ચલાવવા કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા કારચાલકે તેનો છેક સુધી પીછો કર્યો હતો અને રેલવે ફાટક આવતા કાર બાઈકની આગળ લાવીને ઉભી રાખી દીધી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી તેમાંથી ઉતરેલા બે શખ્સોએ તેનું અપહરણ કરી એક સોસાયટી પાસે લઈ જઈ ઢોર માર માર્યો હતો. તપાસ કરતા આરોપી યુવકનું નામ જયદિપસિંહ જાડેજા હોવાનું અને તેની સાથે તેનો મિત્ર હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ કિશન રાઠોડને જાતિ પૂછીને ઢોર માર મારેલ અને કારમાં સાથે બેસાડી અપહરણ કરી બાજુની સોસાયટીમાં લઇ જઇ જાતિસૂચક અપમાનિત શબ્દો કહી તમારી સમાજ આખી ભેગી થાય તોય મારું કશું કરી ના શકે તેમ કહી હડધૂત કરી ફરીથી પીઠમાં ફટકા માર્યા હતા અને ફરાર થઈ ગયા હતા. </span><span style="font-size: 14pt;">એ પછી યુવક તેના મિત્રોની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે અટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/you-are-not-a-courtier-why-are-you-posting-a-clean-picture-kahi-killed-the-dalit-youth">'તું દરબાર નથી, સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?' કહી દલિત યુવકને માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Dec 2024 14:46:52 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 10 Dec 2024 14:47:51 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1679</Articleid>
                    <excerpt>યુવક 6ઠ્ઠી ડિસેમ્બરે ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતો હતો ત્યારે કારમાં આવેલા બે દરબારોએ તેને આંતરી, અપહરણ કરી દૂર લઈ જઈ ઢોર માર માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67580623c9243.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6758062392bd5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6758062392bd5.jpg" length="96839" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit youth beaten up, kidnap and beat up, khambhaliya, devbhoomi dwarka, atrocity FIR, SC-ST act</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉલટી સાફ કરનાર દલિત બાળકે આઘાતમાં આવીને શાળા છોડી</title>
                    <link>https://khabarantar.com/pranav-sijoy-of-st-benedict-lp-school-slivamala-ldukki-dropped-out-of-school</link>
                    <guid>https://khabarantar.com/pranav-sijoy-of-st-benedict-lp-school-slivamala-ldukki-dropped-out-of-school</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી શિક્ષિકાએ શાળામાં દલિત બાળક પાસે અન્ય બાળકની ઉલટી સાફ કરાવડાવી હતી. જેનાથી આઘાત લાગતા બાળકે શાળા છોડી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રગતિશીલ ગણાતા કેરળ રાજ્યમાં થોડા દિવસ પહેલા જાતિવાદનો એક વરવો ચહેરો સામે આવ્યો હતો. જેમાં એક સ્કૂલમાં જાતિવાદી શિક્ષિકાએ એક બિમાર વિદ્યાર્થીએ કરેલી ઉલટીને એક દલિત વિદ્યાર્થી પાસે સાફ કરાવડાવી હતી. આ ઘટનાથી દલિત વિદ્યાર્થી એટલો આઘાતમાં આવી ગયો છે કે તેણે આખરે આ શાળા છોડી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈડુક્કી જિલ્લાના સ્લિવમલા સ્થિત સેન્ટ બેનેડિક્ટ એલ.પી. શાળામાં જ્ઞાતિ આધારિત ભેદભાવનો ભોગ બનેલા ધોરણ 2 ના વિદ્યાર્થી પ્રણવ સિજોયે આખરે શાળા છોડી દીધી છે. શાળાના વહીવટીતંત્રે અનેક ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેતા પ્રણવના માતાપિતાએ તેનું એલસી કઢાવી લીધું છે. પ્રણવને હવે સરકારી શાળામાં દાખલ કરવામાં આવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રણવની માતા પ્રિયંકા સોમણે કહ્યું, "અમે પ્રણવને અમારા ઘરથી 12 કિલોમીટર દૂર રાજક્કડની એક સરકારી શાળામાં દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. તે ઘટના બાદથી પ્રણવ શાળાએ જતો નથી અને તે ખૂબ જ ડરી ગયો છે. શાળા બદલવી તેના માટે જરૂરી હતી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">13 નવેમ્બરના રોજ ધોરણ 2 ના વિદ્યાર્થી પ્રણવ સિજોયને તેના ક્લાસ ટીચર મારિયા જોસેફે આખા ક્લાસની સામે ગુસ્સો કરીને તેના બીમાર ક્લાસમેટની ઉલ્ટી સાફ કરવા કહ્યું હતું, જેના કારણે તેને નાનકડા પ્રણવને ઊંડો આઘાત લાગ્યો હતો. પ્રણવ દલિત સમાજમાંથી આવે છે અને તેની માતાનું માનવું છે કે જાતિવાદી વિચારસરણીના કારણે જ પ્રણવને બીમાર વિદ્યાર્થીની ઉલટી સાફ કરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે તેના મિત્રએ તેને આ કામમાં મદદ કરવા કહ્યું તો શિક્ષકે તેને ના પાડી અને કહ્યું કે આ કામ પ્રણવ જ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રણવની માતા શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રણવની માતા પ્રિયંકાએ જણાવ્યું કે બુધવારે તેને લીવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું, સ્કૂલ મેનેજમેન્ટે પ્રણવની બાકી રહેલી સ્કૂલ બસની ફી માફ કરી દીધી. જોકે, પ્રિયંકાએ કહ્યું હતું કે, "અમે ફી ભરવા તૈયાર હતા, પરંતુ તેમણે તે માફ કરવાનો આગ્રહ રાખ્યો હતો. જો કે તેનાથી મારા બાળકને થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવી શાળામાં પ્રણવના એડજસ્ટમેન્ટ અંગે પ્રિયંકાએ પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, "પ્રણવ સરકારી શાળામાં જવાથી ખુશ નથી કારણ કે તે તેના માટે તદ્દન નવી છે. તે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં જવા ઉત્સુક છે, કારણ કે તેના ઘણા મિત્રો ત્યાં અભ્યાસ કરે છે. પરંતુ અમને શંકા છે કે ત્યાં પણ તેની સાથે યોગ્ય વ્યવહાર થશે કે કેમ કે, કારણ કે એ પણ આ જ મિશનરી હેઠળ આવે છે, અમે તેને ખૂબ વિચારણા કર્યા પછી સરકારી શાળામાં એડમિશન આપી રહ્યા છીએ, કારણ કે તે અમારા માટે ફાયદાકારક છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રણવની માતા પ્રિયંકાએ શાળા પ્રશાસન પર જવાબદારીથી બચવાનો આરોપ મૂક્યો અને દાવો કર્યો કે જાતિ આધારિત ભેદભાવના આરોપોને નબળા પાડવા વિદ્યાર્થીઓના નિવેદનોને ટ્વિસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રિયંકાએ કહ્યું, "પ્રણવના સહપાઠીઓને શિક્ષકો/મુખ્ય શિક્ષિકાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બધા બાળકોએ ઉલ્ટી સાફ કરી છે, પરંતુ આ સાચું નથી. હકીકતમાં, ફક્ત મારા બાળકને જ આ કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અન્ય વાલીઓ સ્કૂલના બચાવમાં બોલ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિયંકાએ શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ અંગે પણ નિરાશા વ્યક્ત કરી હતી. તેની નારાજગી એટલા માટે છે કારણ કે અન્ય વાલીઓ, જેઓ સ્કૂલ મેનેજમેન્ટથી પ્રભાવિત હતા, તેમણે એમ કહ્યું હતું કે તેમને વિદ્યાર્થીઓ વાસણ સાફ કરે તેની સામે કોઈ વાંધો નથી. પ્રિયંકા કહે છે - "તેઓ કેટલા અસંવેદનશીલ છે? તેઓ સ્કૂલનો બચાવ કરી રહ્યાં છે. બાળકોને ગંદકી સાફ કરવા માટે ન કહેવું જોઈએ. આ શરમજનક અને અસ્વીકાર્ય છે".</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિયંકાએ એમ પણ કહ્યું કે આ બાબતને પ્રકાશમાં લાવવા માટે, શાળા સત્તાવાળાઓ વિપરીત યુક્તિઓ અપનાવી રહ્યા છે. શાળાની ફી અંગેના જૂના વિવાદ અને આ બાબતને અતિશયોક્તિ કરીને પૈસા પડાવી લેવાના ઈરાદા જેવા ખોટા નિવેદનો આપવામાં આવી રહ્યા છે, જ્યારે પ્રિયંકાનું કહેવું છે કે, 13મી નવેમ્બરે જ્ઞાતિના ભેદભાવની આ ઘટનાને કારણે શાળા સમક્ષ તેનો કોઈ પ્રકારનો વિવાદ થયો ન હતો. તેઓ આ ઘટનાથી નારાજ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">FIRમાં વિલંબ, વહેલી સવાર સુધી બેસાડી રાખ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં પણ વિલંબ થયો હતો, ફરિયાદ દાખલ થયાના 8 દિવસ પછી એફઆઈઆર જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ નોંધવામાં આવી હતી, પરંતુ પ્રક્રિયા દરમિયાન, પ્રિયંકા અને તેના પુત્રને પોલીસ દ્વારા માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ સ્ટેશનમાં તેમને વહેલી સવારે બોલાવી બેસાડી રખાયા હતા. હવે આ કેસની તપાસ એડિશનલ એસપી આઈપીએસ રાજેશ કુમારને સોંપવામાં આવી છે. દલિત અધિકાર કાર્યકરોએ ન્યાય સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ પાસેથી નિર્ણાયક પગલાંની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, પ્રિયંકા તેના પુત્ર સાથે થયેલા અન્યાય સામે લડી લેવા માંગે છે. તે કહે છે- "મારો સવાલ એકદમ સ્પષ્ટ છેઃ બાળકોને ગંદકી સાફ કરવા માટે દબાણ શા માટે કરવું જોઈએ? આ માત્ર મારા પુત્રની વાત નથી, પરંતુ તે તમામ વિદ્યાર્થીઓની ગરિમા અને સુરક્ષાની વાત છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/three-dalit-children-playing-near-the-temple-were-beaten-to-death-by-racists">મંદિર પાસે રમતા ત્રણ દલિત બાળકોને જાતિવાદીઓએ ઢોર માર માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Dec 2024 12:34:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1678</Articleid>
                    <excerpt>જાતિવાદી શિક્ષિકાએ શાળામાં દલિત બાળક પાસે અન્ય બાળકની ઉલટી સાફ કરાવડાવી હતી. જેનાથી આઘાત લાગતા બાળકે શાળા છોડી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6757e61d30a19.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6757e61cedf92.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6757e61cedf92.jpg" length="52719" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kerala School Caste Discrimination, st benedict lp school slivamala ldukki, pranav sijoy</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકની અનોખી જાનમાં બકરી, ઊંટ, વાંદરા, ઘોડા જાનૈયા બન્યાં</title>
                    <link>https://khabarantar.com/goat-monkey-camel-horse-became-wedding-guests-at-dalit-youths-wedding-in-dig-bharatpur-rajasthan</link>
                    <guid>https://khabarantar.com/goat-monkey-camel-horse-became-wedding-guests-at-dalit-youths-wedding-in-dig-bharatpur-rajasthan</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકોને લગ્નોમાં ઘોડી પર બેસીને નીકળવા નથી દેવાતા. ત્યારે એક દલિત યુવકે 12 ડીજે સાથે ઘોડે ચડી તેમાં ઉંટ, બકરી, વાંદરા સહિતના પ્રાણીઓની આખી ફૌજને સામેલ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના ડીગ જિલ્લામાં ગઈકાલે એક દલિત યુવકની દિલ્હીથી આવેલી જાને જોરદાર ચર્ચા જગાવી છે. જાતિવાદ માટે કુખ્યાત રાજસ્થાનમાં દલિત વરરાજાના ઘોડી પર બેસવા ન દેવાની અનેક ઘટનાઓ બને છે. ત્યારે દિલ્હીથી આવેલી જાનમાં દલિત વરરાજા ઘોડી સહિત અનેક પ્રાણીઓની આખી ફૌજ લઈને પહોંચી ગયા હતા. જેમાં બકરી, ઉંટ અને વાંદરાનો પણ સમાવેશ થતો હતો. આ જાનમાં 12 ડીજે સાઉન્ડ સામેલ કરાયા હતા, આ સિવાય બહુજન મહાપુરુષોના ટેબ્લો સહિત બીજી પણ અનેક ચીજો આકર્ષણનું કેન્દ્ર બની હતી. જાનમાં સામેલ બધાં પ્રાણીઓ ટ્રેઈન થયેલા હોવાથી તેમણે લગ્નમાં ડીજેના તાલે જોરદાર ડાન્સ કર્યો હતો. જેને જોવા માટે થઈને આખું શહેર રસ્તા પર ઉમટી પડ્યું હતું. પોલીસની સુરક્ષા વચ્ચે નીકળેલી આ જાનમાં બહુજન મહાપુરૂષોની ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હીથી આવેલી જાનમાં બકરી, વાંદરા જોઈ આશ્ચર્ય ફેલાયું</span></strong></span><br><span style="font-size: 14pt;">રાજસ્થાનના ડીગ જિલ્લામાં યોજાયેલા આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. દલિત પરિવારના પુત્ર સાહિલે બબીતા ​​સાથે લગ્ન કર્યાં અને પરંપરાઓ અને સામાજિક સીમાઓ તોડીને એક નવો દાખલો બેસાડ્યો. આ અનોખી જાનમાં બકરાં અને વાંદરા મહેમાન તરીકે જોવા મળ્યા હતા, તેણે મહેમાનો વચ્ચો જોરદાર ડાન્સ કર્યો હતો. દિલ્હીથી આવેલી આ જાને સમગ્ર ડીગ જિલ્લામાં એવો માહોલ સર્જ્યો કે ઠંડી રાતમાં પણ લોકો કલાકો સુધી તેને જોવા માટે રસ્તા પર ઉભા રહી ગયા હતા. આ જાન શહેરના ક્લોક ટાવરથી શરૂ થઈને દલિતવાસ સુધી ગઈ હતી અને તેને જોવા માટે સમગ્ર રૂટમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. ગોવર્ધન માર્ગ પર એટલી બધી ભીડ હતી કે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉંટ, ઘોડા અને જૂની ગાડીઓ આકર્ષણનું કેન્દ્ર બની</span></strong></span><br><span style="font-size: 14pt;">આ જાનની સૌથી મોટી વિશેષતા ઉંટ, ઘોડા અને જૂના જમાનાની ગાડીઓ હતી. સામાન્ય રીતે દલિત સમાજના લગ્નોમાં વરરાજાનો ઘોડી પર બેસાડવાનો વિરોધ થતો હોય છે, પરંતુ આ લગ્નની જાનમાં આ તમામ માન્યતાઓનો છેદ ઉડી ગયો હતો. લગ્ન એટલા ભવ્ય હતા કે ભલભલાં લોકો તેની ભવ્યતા જોઈને અંજાઈ ગયા હતા. બેન્ડ અને ડીજેના તાલે નાચતા જાનૈયાઓ સાથે ઊંટ અને જૂની ગાડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોભાયાત્રાના રૂટ પર બહુજન મહાનાયકોની ભવ્ય ઝાંખીઓ પણ કાઢવામાં આવી હતી, જેણે લોકોના દિલ જીતી લીધા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોક કલાકારો અને બકરીના તાલે લોકો નાચ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ જાનમાં રાજસ્થાનના લોક કલાકારોએ તેમના અદ્દભૂત પરફોર્મન્સથી ચાર ચાંદ લગાવી દીધા હતા. મહેમાનો તેમની ધૂન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સૌથી અનોખી વાત એ હતી કે જાનમાં સામેલ બકરા અને વાંદરાઓએ પણ લોકગીતોની ધૂન પર ડાન્સ કર્યો હતો. આ અદ્ભુત નજારો જોઈને બધા ખુશ થઈ ગયા હતા. જાનનો નજારો એટલો ભવ્ય હતો કે, રસ્તાની બંને તરફ લોકો પોતાના મોબાઈલ કેમેરા લઈને આખી જાનનો વીડિયો કેદ કરવાનું ચૂક્યા ન હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાનમાં ડાન્સિંગ કાર પણ જોવા મળી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ જાન દિલ્હીથી લક્ઝરી કારમાં આવી હતી, જેમાં ડાન્સિંગ કાર પણ સામેલ હતી. વર પક્ષના લોકોએ જણાવ્યું કે લગ્નની જાનનો તમામ ખર્ચ વરરાજાએ ઉઠાવ્યો હતો. વર સાહિલ દિલ્હીમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણનું કામ કરે છે. કન્યા બબીતાના પિતા ડીગ નગરપાલિકામાં સ્વચ્છતા કાર્યકર તરીકે કામ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાનમાં 12 ડીજે બેન્ડ જોડાયા, ધાબાઓ પર લોકો ઉમટી પડ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">સામાન્ય જાનમાં એક ડીજે બેન્ડ જોવા મળતું હોય છે, પરંતુ દલિત પરિવારના સાહિલની આ જાનમાં 12 ડીજે બેન્ડ જોડાયા હતા. આ નજારો જોવા માટે લોકો ધાબાઓ પર કડકડતી ઠંડીમાં પણ ઉમટી પડ્યા હતા. સામાજિક માળખું અને અસામાજિક તત્વોની આશંકાને ધ્યાનમાં રાખીને જાન માટે વિશેષ પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક રહ્યું હતું. મુખ્ય બજાર અને દલિત વસ્તી તરફ જતા રસ્તા પર લોકોની ભીડ એટલી બધી હતી કે લોકો રસ્તા પર અને ઘરોની છત પર પણ ઉભા રહીને જાનનો આનંદ માણ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">સામાજિક સંદેશ સાથે આનંદનું વાતાવરણ</span></strong><br><span style="font-size: 14pt;">આ લગ્ને માત્ર સામાજિક સીમાઓને જ પડકારી નથી પરંતુ સમાજમાં એકતા અને સંવાદિતાનો સંદેશો પણ આપ્યો છે. સાહિલ અને બબીતાના લગ્ન માત્ર એક પ્રસંગ નહીં પરંતુ દલિત સમાજના સશક્તિકરણનું અને પરંપરાઓને નવા સ્વરૂપમાં રજૂ કરવાનું પ્રતીક બની ગયા હતા. તેમના આ અનોખા લગ્નના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-chandkheda-a-unique-group-marriage-was-held-by-women-breaking-casteism">ચાંદખેડામાં મહિલાઓ દ્વારા પેટાજાતિવાદ તોડતા અનોખા સમૂહલગ્ન યોજાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Dec 2024 11:25:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1677</Articleid>
                    <excerpt>દલિત યુવકોને લગ્નોમાં ઘોડી પર બેસીને નીકળવા નથી દેવાતા. ત્યારે એક દલિત યુવકે 12 ડીજે સાથે ઘોડે ચડી તેમાં ઉંટ, બકરી, વાંદરા સહિતના પ્રાણીઓની આખી ફૌજને સામેલ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6757d6778bcb1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6757d67753dfa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6757d67753dfa.jpg" length="79705" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>goat, monkey, camel, horse, became wedding guests, dalit youths wedding, dig, bharatpur, rajasthan</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં મંદીનો મારઃ 10 લાખથી વધુ લોકોએ રોજગારી ગુમાવી</title>
                    <link>https://khabarantar.com/more-than-10-lakh-people-lost-their-jobs-due-to-recession-in-gujarat</link>
                    <guid>https://khabarantar.com/more-than-10-lakh-people-lost-their-jobs-due-to-recession-in-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ વિકસિત ગણાતા ગુજરાતમાં મંદી ભરડો લઈ ગઈ છે. હીરા, સ્ટીલ, કાપડ અને એમએસએમઈ સેક્ટરની મંદીએ ગુજરાતમાં સામાન્ય માણસની કમર તોડી નાખી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં હાલ સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે મોંઘવારી, બેરોજગારી, બેકારી અને ઓછી આવક છે. સરકાર આ મુખ્ય સમસ્યાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે જાતભાતના ઉત્સવોનું આયોજન કરી સમસ્યાને વધુ વકરાવી રહી છે. પરંતુ અર્થતંત્રને લઈને આવતા સર્વેના આંકડાઓ વાસ્તવિકતા છતી કરી દે છે. ગુજરાતને રોજગારી પુરી પાડવા માટે દેશમાં અગ્રેસર ગણવામાં આવે છે. દેશભરમાંથી લોકો રોજગારી મેળવવા માટે ગુજરાત આવે છે. સૌથી વધુ રોજગારી હીરા, સ્ટીલ, કાપડ ઉદ્યોગ અને એમએસએમઇમાં મેળવી રહ્યા છે. પરંતુ મંદીએ ગુજરાતની કમર ભાંગી નાખી છે અને અંદાજે 10 લાખથી વધુ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જિન, બ્રાસપાર્ટ સહિતના 55 હજાર ઉદ્યોગોને સરકારની નીતિને કારણે મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. હીરાના હજારો એકમો બંધ છે. વેપારી અને સાહસી લોકોના કારણે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે, નહીં કે સરકારના કારણે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં જુલાઈ 2020થી 2024ના 4 વર્ષમાં 4,861 મધ્યમ, નાના, લઘુ ઉદ્યોગો એમએસએમઈ બંધ થયા છે. જેમાં 5876 માઈક્રો, 89 સ્મોલ અને 7 મિડિયમ એકમો બંધ થયા હતા. જે દેશના ત્રીજા નંબરે મહારાષ્ટ્ર અને તમિલનાડુ બાદ ગુજરાતમાં ઉદ્યોગો મંદીના ઝપેટમાં છે. સરકારના એમએસએમઈ મંત્રાલયના જણાવ્યા મુજબ, આમ વાઈબ્રન્ટ ગુજરાતમાં રોજના ત્રણથી ચાર ઉદ્યોગ માંદા પડી રહ્યાં છે. સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં 19.60 લાખ એકમોની નોંધણી થઈ હતી. જેમાં 1.07 કરોડ લોકોને રોજગારી મળતી હોવાનું સરકાર અગાઉ જાહેર કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">38 હજાર ફેક્ટરીઓમાંથી 9800 બંધ પડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">4 વર્ષમાં દેશમાં 49,342 એકમોને તાળાં વાગ્યા છે. 2022-2023માં ઉત્પાદન ક્ષેત્રમાં લગભગ 1 કરોડ 78 લાખ કારખાના ચાલતા હતા. જે 2015-16માં 1 કરોડ 97 લાખ હતા. 9.3 ટકા ઓછા થયા હતા. તેમાં કામ કરતા લોકોની સંખ્યામાં 15 ટકા ઘટી હતી. 2014માં ગુજરાતમાં લગભગ 3 લાખ નોંધાયેલા નાના અને મધ્યમ ઉદ્યોગો હતા જેમાં લગભગ 95 ટકા નોંધણી થયા વગરના હતા. 9 ટકા નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ પડી ગયા હતા. 2021માં જીઆઈડીસીમાં આવેલા 1500 ઉદ્યોગો બંધ પડી ગયા હતા. 2024માં ઈન્ડસ્ટ્રીયલ ડાયરેક્ટરની વેબસાઈટ પ્રમાણે 48 હજાર નોંધાયેલી ફેક્ટરીઓમાંથી 38 હજાર ફેક્ટરી ચાલુ હતી અને 9800 ફેક્ટરીઓ બંધ પડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં કુલ આશરે પાંચ લાખ એકમો છે જેમાં 70 હજાર એકમ જીઆઇડીસીમાં આવેલા છે. ગુજરાતમાં જ ઔદ્યોગિક વસાહતોમાં 8500 પ્લોટ અને 500 શેડ ખાલી પડેલા છે. જ્યારે 2200 ઉદ્યોગો બંધ હાલતમાં છે. 36000 હેક્ટર જગ્યામાં 228 ઔધોગિક વસાહતો છે. 1 લાખ હેક્ટરમાં 500થી વધુ ખાનગી વસાહતો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2024 ફેબ્રુઆરીમાં 2020થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ભારતમાં 3 કરોડ 70 લાખ નાની અને મધ્યમ કદની ફેક્ટરીઓમાંથી 35,680 ફેક્ટરીઓ બંધ થઈ છે. જેમાં 2022-23માં 13,290 એકમો બંધ થયા હતા. 2021-22 માં 6,222 બંધ થયા હતા. જેમાં ગુજરાતમાં 3,243 નાના એકમો બંધ થયા હતા. 34 હજાર ઉદ્યોગો બંધ થવાના કારણે 17 કરોડ નોકરીઓમાંથી 1 લાખ 20 હજાર લોકોએ નોકરી ગુમાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાતમાં સ્ટીલના 30-35 ટકા એકમો બંધ થયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓક્ટોબરને મીની મંદીનો મહિનો તરીકે ગણવામાં આવે છે. ઓક્ટોબર મહિનો એપ્રિલ 2020 પછીનો સૌથી ખરાબ જોવાયો છે. સ્ટેનલેસ સ્ટીલના દેશમાં 80 ટકા એમએસએમઈ ગુજરાતમાં છે. 30-35 ટકા એકમોએ ધંધો બંધ કરવામાં આવ્યા હતા. અલંગમાં પણ આવી જ હાલત છે. અમદાવાદની 80 ઇન્ડક્શન ફર્નેસ કંપનીઓમાંથી 20 કંપનીઓએ બિઝનેસ બંધ કરી દીધો છે. તે જ સમયે સસ્તી આયાતને કારણે 100થી વધુ રી-રોલર (વાસણો જેવી વિવિધ વસ્તુઓના નિર્માતાઓ) બંધ થઈ ગયા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાપડ ઉદ્યોગમાં ઉત્પાદન 40 ટકા સુધી ઘટ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2023માં સુરત અને અમદાવાદમાં વિશ્વમાં કાપડ ઉદ્યોગ સારો વ્યવસાય કરતો હતો તેમ છતાં દક્ષિણ ગુજરાતમાં 400 ટેક્સટાઇલ પ્રોસેસીંગ યુનિટમાંથી રૂ.5 કરોડનું 1 લાખ મીટર કાપડ બનાવતાં 20 મોટા યુનિટ બંધ થઈ ગયા હતા. 2023માં ગુજરાતમાં સુરત કાપડ ઉદ્યોગના ઉત્પાદનમાં 30-40% ઘટાડો થયો હતો. ઉત્પાદન અને રોજગારીમાં 50 ટકાનો કાપ મૂક્યો હતો. તમિલનાડુમાં તિરૂૂપુર પછી સુરત એ ભારતનું બીજું સૌથી મોટું રૂૂ.80 હજાર કરોડનું કાપડ ઉત્પાદન કેન્દ્ર છે. 20 લાખ બહારના રાજ્યના મજુરોને રોજગારી આપે છે. 4.5 કરોડ મીટર કાપડની સામે 2.5 કરોડ મીટર પ્રતિદિન થઈ ગઈ હતી. સુરતમાં અંદાજે 50 હજાર કાપડ ઉત્પાદન એકમો છે. ઉદ્યોગમાં એકંદર ઉત્પાદન લગભગ 30% ઘટ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હીરાના 60 લાખમાંથી 50 ટકા લોકો બેકાર બન્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરતની હીરા બનાવતી કંપનીમાં 4 ડિસેમ્બર 2024માં મારૂતિ ઈમ્પેક્ષ કંપનીમાં 15 હજાર કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. મારૂતિ ઈમ્પેક્ષના માલિક સુરેશ ભોજપરાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. 2023 ઓક્ટોબરમાં બોટાદમાં 20 ટકા મંદીને કારણે 40 ટકાથી વધુ હીરાના કારખાના બંધ થઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરતમાં 6 લાખ ડાયમંડ પોલિમર્સ છે અને 5 હજાર નાની, મધ્યમ અને મોટી ફેક્ટરી છે. એક યુનિટમાં 10 લોકોને રોજગારી મળતી હોય છે. સુરતમાં પણ આવી જ હાલત હતી. હીરાના કારખાનામાં કામ કરતા 60 લાખ લોકોમાંથી 50 ટકા બેકાર બની ગયા હતા. સુરત વિશ્વના 85% હીરા બનાવે છે. સુરત ડાયમંડ બોર્સનું ઉદઘાટન 17મી ડિસેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કર્યું હતું. ત્યારથી ભારે મંદી ચાલી રહી છે. 4,200 ઓફિસ રૂમ સાથે વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ તો બન્યું પણ મંદીએ કમર તોડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હીરાના 75 ટકા નાના એકમો હજુ શરૂ થયા નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિસેમ્બર 2024 સુધીમાં દિવાળી બાદ 50 ટકા કારખાના શરૂ થયા નથી. કુદરતી હીરાના કુલ 75 ટકા સુધી નાના ઉદ્યોગો ફરીથી શરૂ થયા નથી. 2 વર્ષથી મંદી હોવાથી હીરાના ભાવમાં 40 ટકા ઘટાડો થયો છે. પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ પછી 2 હજાર નાના ઉદ્યોગો બંધ થયા હતા. 50 હજાર લોકોને રોજગારી પર અસર થઈ હતી. મોટા ભાગના એકમો પંચમહાલ જિલ્લાના હાલોલ, વડોદરા અને વાઘોડિયાના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં 30 હજાર એકમો પ્લાસ્ટિક ઉત્પાદન કરે છે. જેમાં 90% નાના એકમો છે. જેમાંથી ૠીષફફિિં માં 10 હજાર એકમો છે. જેમાંથી લગભગ 80% નાના પાયાના ક્ષેત્રમાં છે જે લગભગ રૂૂ. 10 હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. દેશમાં કુલ ટર્નઓવર 38,500 કરોડ રૂૂપિયા છે. જેમાં ભારે મંદી છે. 50 હજાર લોકોને સીધી રોજગારીની અસર થઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિવાળી બાદ 70 હજાર વતનથી પરત ફર્યા જ નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત ડાયમંડ વર્કર સંગઠનના ભાવેશ ટાંકે નવેમ્બરમાં જ ધ્યાન દોર્યું હતું કે, 10 મહિનામાં 50 હજાર કારીગરો સુરતમાં બેકાર થયા છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ જેમાં અમરેલીમાં 1.5 લાખ, ભાવનગર 3.50 લાખ, જૂનાગઢ, બોટાદમાં 2 લાખ કારીગરો કામ કરતા હતા. જેમાં 1 લાખ બેકાર છે. સુરતથી એસટીની 1 હજાર બસમાં વતન ગયેલા 70 હજાર લોકો પરત ફર્યા નથી. બોટાદમાં 1,500 હીરાના કારખાનામાં 70 હજાર લોકો કામ કરતા હતા. 2 મહિનામાં 40 ટકાથી વધુ નાની અને મધ્યમ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી. બેકાર બનેલા 42 કારીગરોએ આત્મહત્યા કરી હતી. કુટુંબોની આર્થિક હાલત ખરાબ છે. અમરેલીમાં 960 કારખાના છે જેમાં 2024ની દિવાળી પછી 30 ટકા કારખાના ફરી શરૂૂ ન થતા 42 હજાર કારીગરોને અસર થઈ છે. સરકાર સમક્ષ મદદ માટે માંગણી કરી છે. પણ સરકારે કોઈ મદદ કરી નથી. 2023માં 5.1% વૃદ્ધિ થવાની ધારણા હતી, પણ ઉદ્યોગ પર આફત આવી હતી. 5 મહિનામાં 30થી વધુ હીરાના કારીગરોએ પોતાનો જીવ લીધો છે. 2 મહિનાથી હીરાના કારખાના બંધ રાખવા પડ્યા હતા. હીરાની નિકાસ ત્રણ મહિનામાં રૂ. 77,500 કરોડથી ઘટીને રૂ. 60,222 કરોડ થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">1800 કંપનીઓ બંધ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2020 એપ્રિલથી 29 નવેમ્બર, 2021 સુધી 1,938 કંપનીઓએ સમગ્ર ગુજરાતમાં શટર ડાઉન કર્યા છે. પ્રવાસન અને પર્યટન ક્ષેત્રની કંપનીઓ હતી. કોવીડના કારણે બંધ થઈ છતાં સરકારે કોઈ મદદ ન કરી. 2023 જૂન સુધીમાં ગુજરાતમાં 100 કાગળ મીલોમાંથી 20 મિલો 6 મહિનામાં બંધ હતી. મોરબી, અમદાવાદ, સુરત, વાપીમાં બંધ થઈ ગઈ છે. જેનાથી 26 હજાર લોકો બેકાર થઈ ગયા છે. મિલો 3 લાખ મેટ્રિક ટનની માંગ હતી. 50 ટકા ઉત્પાદન ઘટાડી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્રની નિકાસ વાર્ષિક 1.50 લાખ ટન હતી, જે ઘટીને 30,000 ટન થઈ ગઈ છે. નિકાસ સ્થળો ચીન, મધ્ય પૂર્વ વગેરે હતા. એક એક પેપર મિલ 300 લોકોને સીધી રોજગાર અને 1,000 લોકોને આડકતરી રોજગારી પૂરી પાડે છે. એક મિલનું રોજનું ઉત્પાદન 150 ટન છે. પેપરને પેકેજિંગ મટિરિયલ્સ માટે વપરાય છે. વાપીમાં બે મહિનામાં ચાર મિલો બંધ થઈ ગઈ છે.ૠીષફફિિં માં વાપી અને મોરબીમાં પેપર મિલો આવેલી છે. 100 પેપર મિલોમાંથી 20 વલસાડ જિલ્લાના વાપી જીઆઇડીસીમાં હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિક્ષિત બેરોજગારોમાં છ ટકાનો વધારો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદી રાજના 10 વર્ષમાં શિક્ષિત બેરોજગારોમાં છ ટકાનો વધારો થયો છે. ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024માં સ્પષ્ટ કહેવાયું છે કે, ભારતમાં શિક્ષિત યુવાનોમાં બેરોજગારી વધી છે. માધ્યમિક કે તેથી વધુ શિક્ષણ ધરાવતા બેરોજગાર યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. બેરોજગારીમાં શિક્ષિત યુવાનોનો હિસ્સો 54.2 ટકા હતો, જે 2022માં વધીને 65.7 ટકા થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/Unemployment-rate-rises-to-two-year-high-of-10.09-percent-in-October---report"><strong>ઓક્ટોબરમાં બેરોજગારી દર વધીને બે વર્ષની સર્વોત્તમ સપાટી 10.09 ટકાએ પહોંચ્યો - રિપોર્ટ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Dec 2024 09:50:40 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 10 Dec 2024 09:51:57 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1676</Articleid>
                    <excerpt>વિકસિત ગણાતા ગુજરાતમાં મંદી ભરડો લઈ ગઈ છે. હીરા, સ્ટીલ, કાપડ અને એમએસએમઈ સેક્ટરની મંદીએ ગુજરાતમાં સામાન્ય માણસની કમર તોડી નાખી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6757c09ada2f0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6757c09aa0b2a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6757c09aa0b2a.jpg" length="111568" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Educated unemployed, to recession in Gujarat, Unemployment</media:keywords>
                </item>
                        <item>
                    <title>રામ મંદિરના ચૂકાદા બાદ હવે જસ્ટિસ નરીમને EWS અનામતને ખોટી ગણાવી</title>
                    <link>https://khabarantar.com/justice-nariman-calls-ews-reservation-wrong</link>
                    <guid>https://khabarantar.com/justice-nariman-calls-ews-reservation-wrong</guid>
                    <description>
                        <![CDATA[ જસ્ટિસ નરીમને કહ્યું કે સંસદે કલમ 46 નો ઉલ્લેખ કરતા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામતની વાત કરી હતી, પરંતુ આમાં એવું કંઈ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ રોહિન્ટન ફલી નરીમને, જેમણે તાજેતરમાં રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને બંધારણ અને બિનસાંપ્રદાયિક મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યો હતો, તેમણે હવે EWS અનામત પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સંસદે કલમ 46 નો ઉલ્લેખ કરીને આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામતની વાત કરી હતી, પરંતુ આમાં એવું કંઈ નથી. આ આર્ટિકલ આર્થિક આધાર પર અનામતની વાત નથી કરતો. આ રીતે, 103માં બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવેલી અનામત બંધારણને જ માથાના ટેકે ઉભા રાખવા જેવું છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6757027e7ef6e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે જસ્ટિસ કૃષ્ણ અય્યર મેમોરિયલ લેક્ચરમાં કહ્યું કે, “અનામતનો વિચાર સૌથી નીચલા સ્તરના લોકો સુધી પહોંચવાનો હતો. પરંતુ EWS અનામતમાં આવી વિચારણાને ધ્યાનમાં રાખવામાં આવી ન હતી. આ સિવાય તેમણે સુપ્રીમ કોર્ટના આ ક્વોટાને યથાવત રાખવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ કેસમાં સર્વોચ્ચ અદાલતની 5 સભ્યોની બેન્ચે 3-2ની બહુમતીથી ક્વોટાને યથાવત રાખ્યો હતો. તેમણે કહ્યું, 'આર્થિક માપદંડો પર આધારિત આ નિર્ણય ન તો બંધારણીય કાયદામાં યોગ્ય છે અને ન તો કોઈપણ પ્રકારના સિદ્ધાંતમાં યોગ્ય છે. આ હકીકતમાં કલમ 46ની વિરુદ્ધ છે. ચોક્કસપણે કલમ 15(1) અને 16(1)ની વિપરિત છે, જેવું અલ્પમતના ન્યાયાધીશ જસ્ટિસ ભટે માન્યું છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને કહ્યું કે, “આ 10 ટકા અનામતના દાયરામાંથી SC, ST અને OBCને જ બહાર રાખવામાં આવ્યા છે. આ બંધારણને જ માથાના ટેકે ઉભા કરવા જેવો નિર્ણય હતો. આ અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી અને એવી દલીલ કરવામાં આવી હતી કે 10 ટકા EWS ક્વોટા 50 ટકાની મર્યાદા કરતાં વધી જાય છે, જેને ખુદ સુપ્રીમ કોર્ટ દ્વારા જ નક્કી કરવામાં આવી હતી. પરંતુ 5-સભ્યની બંધારણીય બેન્ચે અનામતને એમ કહીને સમર્થન આપ્યું હતું કે, માત્ર આર્થિક માપદંડોના આધારે અનામતની 50% મર્યાદાને વટાવી દેવાથી બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન થતું નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે અલ્પમતમાં રહેલા અન્ય બે ન્યાયાધીશો, રવિન્દ્ર ભટ અને તત્કાલીન સીજેઆઈ યુ યુ લલિતે અનામતની 50 ટકાની ની મહત્તમ મર્યાદાનું ઉલ્લંઘન કરવું અને SC/ST/OBC ના ગરીબોને EWS ક્વોટામાંથી બાકાત રાખવાના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અનામતની 50 ટકાની મર્યાદા તોડવી યોગ્ય નથી. આ સિવાય સામાજિક રીતે પછાત લોકોને પણ આ અનામતના દાયરામાં સામેલ ન કરવા તે પણ ખોટું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Why-EWS-Quota-Benefit-Only-General-Category,-Madhya-Pradesh-High-Court-Seeks-Answer-From-Central-Govt"> EWS ક્વૉટાનો લાભ ફક્ત જનરલ કેટેગરીને જ કેમ?, મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 09 Dec 2024 20:22:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1675</Articleid>
                    <excerpt>જસ્ટિસ નરીમને કહ્યું કે સંસદે કલમ 46 નો ઉલ્લેખ કરતા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામતની વાત કરી હતી, પરંતુ આમાં એવું કંઈ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675702677c588.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675702674a1fe.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675702674a1fe.jpg" length="38599" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>justice rohinton nariman, Judge R.F. Narima, EWS, Reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ વિનોદ કાંબલીની મદદ કરશે</title>
                    <link>https://khabarantar.com/1983-world-cup-winning-team-to-help-vinod-kambli</link>
                    <guid>https://khabarantar.com/1983-world-cup-winning-team-to-help-vinod-kambli</guid>
                    <description>
                        <![CDATA[ ક્રિકેટર વિનોદ કાંબલીની પરિસ્થિતિ હાલ નાજુક છે, તેના ખાસ મિત્ર સચિન તેંદુલકરે ભલે તેની બાજુથી મોં ફેરવી લીધું હોય પણ વર્ષ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ કાંબલીની વ્હારે આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાદુરસ્ત તબિયત અને આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહેલા એક સમયના દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલી (Vindo Kambli) થોડા દિવસ પહેલા તેના કોચ રમાકાંત આચરેકર (Ramakant Acharekar)ની પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં જે રીતે ક્રિકેટરના ભગવાન ગણાતા સચિન તેંદુલકરે (Sachin Tendulkar) કાંબલીથી અંતર જાળવ્યું હતું તેની ચોતરફ ટીકા થઈ રહી છે. અગાઉ પણ કાંબલીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ ચાલી પણ શકતા નહોતા. વિનોદ કાંબલીની આવી હાલતમાં તેના મિત્રે ભલે તેની મદદ ન કરી, પણ વર્ષ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમે (1983 World Cup winning team) તેની મદદ કરવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે 1983ની ભારતની પ્રથમ વર્લ્ડ કપ વિજેતા ટીમ વિનોદ કાંબલીની સંભાળ લેશે અને તેને પગભર કરવામાં મદદ કરશે. ક્રિકેટર સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) જેઓ આ ટીમના સભ્ય હતા તેમણે આ વાતની પુષ્ટિ કરી છે. 1983ની ટીમના કેપ્ટન કપિલ દેવે પણ આ વાતનો સંકેત આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુનીલ ગાવસ્કરે વિનોદ કાંબલીને પોતાનો પુત્ર ગણાવીને કાંબલીના ચાહકોને આશ્વસ્ત કર્યા કે 1983ની ટીમના સભ્યો તેમના વિનોદ કાંબલી સહિત અન્ય ક્રિકેટરોને મદદ કરવા માટે એકસાથે આવશે. ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચ સિરીઝ દરમિયાન આ વાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વાતચીતમાં ગાવસ્કરે કહ્યું કે, 1983ની ટીમ યુવા ખેલાડીઓને લઈને ખૂબ જ સભાન છે. તે (વિનોદ કાંબલી) મારા માટે પૌત્ર જેવો છે. મને મદદ શબ્દ ગમતો નથી. 1983ની આખી ટીમ તેની કાળજી લેવા માંગે છે. અમે વિનોદ કાંબલીની સંભાળ રાખીશું અને તેને ફરી તેના પગ પર ઉભો થવામાં મદદ કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુનીલ ગાવસ્કરે વધુમાં કહ્યું, 'અમે એવા ક્રિકેટરોની સંભાળ લેવા માંગીએ છીએ જેઓ સંઘર્ષ કરી રહ્યા છે.' અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે કપિલ દેવ (Kapil Dev) પણ વિનોદ કાંબલીની મદદ કરવા માંગે છે. 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય બલવિંદર સિંહ સંધુ (Balwinder Singh Sandhu)એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 83ની ટીમના કેપ્ટન કપિલ દેવે મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો વિનોદ કાંબલી રિહેબમાં જવા માંગે છે તો અમે તેને આર્થિક મદદ કરવા તૈયાર છીએ. જો કે, તેણે પહેલા જાતે રિહેબ સેન્ટરમાં જવું પડશે. જો તે જાતે ત્યાં જશે તો અમે તેનો તમામ ખર્ચ ઉપાડવા તૈયાર છીએ. પછી સારવાર કેટલો સમય ચાલે છે તે મહત્વનું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેવી છે વિનોદ કાંબલીની હાલત?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વિનોદ કાંબલી બરાબર ચાલી શકતા ન હતા. તેને સંતુલન જાળવવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. જેના કારણે તેમના ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. કહેવાય છે કે વિનોદ કાંબલી દારૂની લત સામે ઝઝૂમી રહ્યાં છે. કાંબલીના નજીકના મિત્ર માર્કસ કોઉટોએ તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી. આ વાતચીતમાં તેણે જણાવ્યું કે તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે વધુમાં કહ્યું કે, તેના રિહેબમાં જવાનો કોઈ અર્થ નથી. કાંબલી 14 વખત રિહેબમાં ગયો છે! ત્રણ વાર અમે તેને વસઈમાં પુનર્વસન માટે લઈ ગયા હતા. હાલમાં જ વિનોદ કાંબલીનો સચિન તેંડુલકર સાથેનો એક વીડિયો વાયરલ થયો હતો. એમાં જેવો સચિન તેની પાસે આવે છે કે તરત કાંબલી તેનો હાથ પકડી લે છે અને થોડી સેકન્ડ માટે છોડતો નથી. જો કે, બાદમાં બાજુમાં બેઠેલો વ્યક્તિ આવીને તેમાં દરમિયાનગીરી છે. સચિન અને કાંબલીની આ મુલાકાત બાળપણના કોચ રમાકાંત આચરેકરની પ્રતિમાના અનાવરણ સમારોહમાં થઈ હતી. બંને ખેલાડીઓ રમાકાંત આચરેકરના શિષ્ય રહી ચૂક્યા છે. જો કે, સચિન જાતિના કારણે તેને સતત તકો મળતી ગઈ, જ્યારે કાંબલીને તેની દલિત જાતિના કારણે વર્ષ 1996ના વર્લ્ડ કપ બાદ કોઈ મોટી તક અપાઈ નહોતી અને તેની કરિયર ખતમ કરી દેવાઈ હતી. એ પછી કાંબલી તાણમાં આવી ગયા હતા અને દારૂની લતે ચડી ગયા હતા. તેમાંથી આ સમસ્યા ઉભી થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-lord-of-cricket-is-nowhere-behind-vinod-kamblis-record">વિનોદ કાંબલીના રેકોર્ડ સામે 'ક્રિકેટના ભગવાન' ક્યાંય પાછળ છે!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 09 Dec 2024 13:55:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1674</Articleid>
                    <excerpt>ક્રિકેટર વિનોદ કાંબલીની પરિસ્થિતિ હાલ નાજુક છે, તેના ખાસ મિત્ર સચિન તેંદુલકરે ભલે તેની બાજુથી મોં ફેરવી લીધું હોય પણ વર્ષ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ કાંબલીની વ્હારે આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6756a8d3762ca.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6756a8d33ff50.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6756a8d33ff50.jpg" length="62331" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>1983 World Cup winning team, vinod kambli</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલા શિક્ષિકા પર ભાજપ યુવા મોરચાના અધ્યક્ષે બળાત્કાર ગુજાર્યો</title>
                    <link>https://khabarantar.com/bjp-yuva-morcha-president-rapes-dalit-female-teacher-in-sohagpur,-balaghat-mp</link>
                    <guid>https://khabarantar.com/bjp-yuva-morcha-president-rapes-dalit-female-teacher-in-sohagpur,-balaghat-mp</guid>
                    <description>
                        <![CDATA[ ઘટનાના 15 દિવસ પછી પણ આરોપીનો કોઈ પત્તો નહીં. પોલીસે ઈનામ જાહેર કર્યું, મહિલા શિક્ષિકા ન્યાયની રાહ જોઈ રહી છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેટી બચાવો, બેટી પઢાઓની વાતો કરનાર ભાજપ જ્યારે તેમના ખુદના પક્ષના નેતાઓ બળાત્કાર જેવી જઘન્ય ઘટનામાં સંડોવાયેલા જોવા મળે ત્યારે કોઈ પગલાં લેતા નથી. દીકરીઓની સલામતીને લઈને ભાજપે આપેલુ સૂત્ર ખુદ તેમના જ પક્ષના નેતાઓ ખૂલ્લેઆમ ફગાવી બળાત્કાર જેવા કૃત્યો કરતા અચકાતા નથી. આવી જ એક ઘટનામાં ભાજપ યુવા મોરચાના એક જિલ્લા અધ્યક્ષે એક દલિત મહિલા શિક્ષિકા પર બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશનો છે. અહીં એક દલિત મહિલા શિક્ષિકા પર ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભૂપેન્દ્ર સોહાગપુરે વિરુદ્ધ 17 નવેમ્બરે કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તે હજુ સુધી પકડાયો નથી. પોલીસે તેના પર 3000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. ઘટનાને લઈને કોંગ્રેસ અને અન્ય દલિત સંગઠનોએ આરોપીઓને રાજકીય રક્ષણ મળવાનો આરોપ લગાવીને મોટા આંદોલનની ચેતવણી આપી છે. પોલીસનો દાવો છે કે આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બાલાઘાટ જિલ્લાના સોહાગપુર વિસ્તારનો છે. અહીં એક દલિત મહિલા શિક્ષિકા પર બળાત્કારની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આરોપ છે કે ભાજપ યુવા મોરચાના જિલ્લા પ્રમુખ ભૂપેન્દ્ર સોહાગપુરે લગ્નના બહાને મહિલાનું વર્ષો સુધી શારીરિક શોષણ કર્યું હતું. 17 નવેમ્બરના રોજ મહિલા પોલીસે દલિત શિક્ષિકાની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાયાના 15 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી આરોપીઓ પોલીસની પહોંચની બહાર છે જેના કારણે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિપક્ષ અને દલિત સંસ્થાઓએ હોબાળો મચાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે કોંગ્રેસ અને અનુસૂચિત જાતિના સંગઠનોએ પોલીસ અને પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, આરોપી ભાજપ જિલ્લા પ્રમુખ હોવાને કારણે તેને રાજકીય રક્ષણ મળી રહ્યું છે અને પોલીસ તેની ધરપકડ કરવામાં ઢીલ કરી રહી છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈને કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ દલિત સંગઠનો અને સામાજિક કાર્યકરોએ પોલીસની નિષ્ક્રિયતા સામે આવેદનપત્ર આપ્યું છે અને ચેતવણી આપી છે કે જો આરોપીઓની જલ્દી ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ બાલાઘાટ બંધ જેવા મોટા આંદોલનનો આશરો લેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે ઈનામની જાહેરાત કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિક્ષક નાગેન્દ્ર સિંહે આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે પીડિતાની ફરિયાદ નોંધાતા જ મામલાની ગંભીરતા સમજીને તરત જ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ આરોપીને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે અને તેને પકડવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરોપીઓની ધરપકડ અંગે સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી છે. પોલીસે ભૂપેન્દ્ર સોહાગપુરે પર 3000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ રકમ એવા કોઈપણ વ્યક્તિને આપવામાં આવશે જે આરોપી વિશે માહિતી આપશે અને તેની ધરપકડ કરવામાં મદદ કરશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ, કોંગ્રેસે આખા મામલાને રાજકીય અખાડો બનાવી દીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસ હવે માત્ર ફોજદારી કેસ નથી રહ્યો, પરંતુ રાજકીય અખાડો બની ગયો છે. કોંગ્રેસ આ મુદ્દાને ભાજપ સરકારની દલિતો પ્રત્યેની નીતિઓ અને વલણ પર સવાલ ઉઠાવવાની તક તરીકે જોઈ રહી છે. જો કે, ભાજપ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ નિવેદન અપાયું નથી. પીડિતા અને તેના પરિવારે ન્યાયની અપીલ કરી છે. તેમણે વહીવટીતંત્ર પાસે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડક સજાની માંગ કરી છે. આ ઘટનાથી દલિત સમાજમાં આક્રોશ અને અસુરક્ષાની લાગણી તીવ્ર બની છે. શું પોલીસ અને વહીવટીતંત્ર તેમની જવાબદારી નિભાવશે? પીડિતાને ન્યાય મળશે? આ પ્રશ્નોના હાલ તો કોઈ જવાબ મળી શક્યા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/tribal-woman-mother-of-three-raped-and-burned-alive-in-jiribam-manipur">બળાત્કાર કર્યો, જાંઘ માં ખીલા ઠોક્યાં, પછી જીવતી સળગાવી દીધી...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 09 Dec 2024 11:31:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1673</Articleid>
                    <excerpt>ઘટનાના 15 દિવસ પછી પણ આરોપીનો કોઈ પત્તો નહીં. પોલીસે ઈનામ જાહેર કર્યું, મહિલા શિક્ષિકા ન્યાયની રાહ જોઈ રહી છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675686e648f58.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675686e61745d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675686e61745d.jpg" length="63574" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bjp yuva morcha, Rape, Dalit Crime, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>VHPના કાર્યક્રમમાં પહોંચ્યા હાઈકોર્ટના સિટિંગ જજ, રામ મંદિરની પ્રશંસા કરી</title>
                    <link>https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-reaches-vhp-event</link>
                    <guid>https://khabarantar.com/allahabad-high-court-judge-shekhar-kumar-yadav-reaches-vhp-event</guid>
                    <description>
                        <![CDATA[ દેશના ન્યાયતંત્રમાં RSSની વિચારધારામાં માનતા જજો હવે ખૂલીને સામે આવી રહ્યાં છે. અગાઉ એક જજે કોર્ટમાં સંઘની પ્રશંસા કરી હતી, હવે આ જજ તેનાથી એક ડગલું આગળ ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ શેખર કુમાર યાદવ ગઈકાલે 8 ડિસેમ્બરે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે હિંદુઓ એવી અપેક્ષા રાખતા નથી કે મુસ્લિમો તેમની સંસ્કૃતિનું પાલન કરે, પરંતુ તેઓ ઈચ્છે છે કે તેઓ તેનો અનાદર ન કરે. તેમણે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC વિશે પણ વાત કરી. ઉપરાંત, તેમણે કહ્યું કે આ ભારત છે અને તે તેની બહુમતી વસ્તીની ઈચ્છા અનુસાર ચાલશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમમાં ઘણા વકીલો અને VHP કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. તેમને સંબોધતા જસ્ટિસ શેખર કુમાર યાવદ(Justice Shekhar Kumar Yadav) એ વધુમાં કહ્યું કે, "અમે અમારા બાળકોને જન્મથી જ સહનશીલતા અને દયા શીખવીએ છીએ. અમે તેમને પ્રાણીઓ અને પ્રકૃતિને પ્રેમ કરવાનું શીખવીએ છીએ. બીજાના દુઃખ જોઈ અમને દુઃખ થાય છે. પણ તમને એવું નથી લાગતું. શા માટે... જ્યારે તમે પ્રાણીઓને તેમની સામે મારશો ત્યારે તમારું બાળક સહનશીલતા અને દયા કેવી રીતે શીખશે?"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મીડિયા રિપોર્ટ મુજબ તેણે ભારતની બહુમતી વસ્તી વિશે પણ વાત કરી હતી. જસ્ટિસ શેખર કુમારે કહ્યું, મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ ભારત છે અને તે પોતાની બહુમતી વસ્તીની ઈચ્છા પ્રમાણે ચાલશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-did-the-two-retired-judges-of-the-supreme-court-attend-the-meeting-of-vhp">સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજો વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં શું કામ ગયા હતા?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ રીતિ-રિવાજો અને મહિલાઓના આદર અંગે તેમણે કહ્યું હતું કે, "અમને એવી અપેક્ષા નથી કે તમે લગ્ન કરતી વખતે અગ્નિની આસપાસ સાત ફેરા લેશો. અમે અપેક્ષા નથી રાખતા કે તમે ગંગામાં ડૂબકી મારશો. પરંતુ અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તમે દેશની સંસ્કૃતિ, દેવતાઓ અને મહાન નેતાઓનો અનાદર ન કરો. હિંદુ શાસ્ત્રો અને વેદોમાં દેવી ગણાતી સ્ત્રીનું તમે અપમાન ન કરી શકો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં VHP legal cell દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં જસ્ટિસ શેખર કુમાર યાદવે 'UCCની બંધારણીય આવશ્યકતા' વિશે વાત કરી. એ દરમિયાન જસ્ટિસ શેખર કુમારે કહ્યું હતું કે, "તમે ચાર પત્નીઓ રાખવાનો, હલાલા કરવાનો અથવા ટ્રિપલ તલાકના હકનો દાવો ન કરી શકો. મહિલાઓને ભરણપોષણ આપવાનો ઇનકાર અને અન્ય પ્રકારનો અન્યાય કામ કરશે નહીં. શાહ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે પણ સંમતિ આપી હતી કે પીડિત છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણપોષણ ભથ્થું આપવામાં આવે. પરંતુ તત્કાલીન કેન્દ્ર સરકારે કેટલાક લોકો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ શેખર કુમારે વધુમાં કહ્યું કે હિંદુ સમાજે સતી પ્રથા અને બાળ વિવાહ સહિત અનેક ખરાબ પ્રથાઓમાંથી મુક્તિ મેળવી છે. ભૂલો સ્વીકારીને સમયસર સુધારી લેવામાં કંઈ ખોટું નથી. હિંદુ હોવાને કારણે તે પોતાના ધર્મનું સન્માન કરે છે. પરંતુ આનો અર્થ એ નથી કે તેમની અન્ય ધર્મો કે આસ્થાઓ પ્રત્યે દુર્ભાવના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/i-was-and-am-a-member-of-rss-retiring-judge-chittaranjan-das">"હું RSS નો સભ્ય હતો અને છું", નિવૃત્ત થઈ રહેલા જજ ચિત્તરંજન દાસ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">UCC પર વાત કરતા તેણે કહ્યું, "યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની હિમાયત કરનાર માત્ર RSS, VHP કે હિન્દુઓ જ નથી. દેશની સર્વોચ્ચ અદાલત પણ આનું સમર્થન કરે છે. જો કે, તેણે વધુમાં કહ્યું કે તેમણે જે કહ્યું તે કોઈ ખાસ ધર્મ માટે નથી. આ આપણા બધાં પર લાગુ પડે છે. દરેક ધર્મે પોતે બધી ખોટી પ્રથાઓથી દૂર રહેવું જોઈએ. જો તેઓ આમ નહીં કરે, તો દેશ તમામ નાગરિકો માટે સમાન કાયદા લાવશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) 2025માં તેનું શતાબ્દી વર્ષ ઉજવશે. સાથે જ એ પણ જણાવ્યું કે કેવી રીતે સંઘ પરિવાર અને તેની પાંખ VHP 'મહત્વપૂર્ણ મુદ્દાઓ' પર કામ કરી રહી છે. તેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની પણ પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે આ વાત કરવા પર તેમન કોઈ સવાલ નહીં કરી શકે. કારણ કે તેઓ કાયદાની વાત કરી રહ્યા છે અને મીડિયા આ ભાષણમાં જે ઈચ્છે તે છાપી શકે છે. આ કાર્યક્રમમાં અન્ય એક સિટીંગ જજ દિનેશ પાઠક પણ હાજર રહ્યા હતા. જો કે, તેમણે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું પરંતુ ત્યાં કોઈ ભાષણ આપ્યું ન હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-junior-judges-sitting-in-the-lower-courts-want-to-set-the-country-on-fire">નીચલી કોર્ટમાં બેઠેલાં નાના જજો દેશમાં આગ લગાડવા માંગે છે...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 09 Dec 2024 10:18:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1672</Articleid>
                    <excerpt>દેશના ન્યાયતંત્રમાં RSSની વિચારધારામાં માનતા જજો હવે ખૂલીને સામે આવી રહ્યાં છે. અગાઉ એક જજે કોર્ટમાં સંઘની પ્રશંસા કરી હતી, હવે આ જજ તેનાથી એક ડગલું આગળ ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675673eb3af9c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675673eb06c20.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675673eb06c20.jpg" length="71073" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>judge shekhar kumar yadav, allahabad high court, reaches VHP event, RSS, Ram Mandir, VHP legal cell</media:keywords>
                </item>
                        <item>
                    <title>12 લોકોની હત્યા કરનાર વઢવાણના ભૂવાનું પોલીસ કસ્ટડીમાં મોત</title>
                    <link>https://khabarantar.com/wadhwans-bhuva-who-killed-12-people-dies-in-police-custody</link>
                    <guid>https://khabarantar.com/wadhwans-bhuva-who-killed-12-people-dies-in-police-custody</guid>
                    <description>
                        <![CDATA[ તાંત્રિક વિધિથી લોકોના રૂપિયા ચાર ગણા કરી આપવાની લાલચ આપી અત્યાર સુધીમાં 12 લોકોને મોતને ઘાટ ઉતારનાર વઢવાણના ભૂવાનો ચકચારી ખેલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાંત્રિક વિધિ કરીને લોકોના પૈસા ચાર ગણા કરી આપવાની લાલચ આપી તેમને દારૂમાં સોડિયમ નાઈટ્રેટ પીવડાવી મોતને ઘાટ ઉતારી, રૂપિયા લઈ ફરાર થઈ જનાર કથિત ભૂવાનું મોત થયું છે. મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના નવલસિંહ ચાવડા નામના આ કથિત ભૂવાને સરખેજ પોલીસે પાંચ દિવસ પહેલા એક વ્યક્તિને આ જ મોડસ ઓપરેન્ડીથી મોતને ઘાટ ઉતારવાના કાવતરા સબબ ઝડપી પાડ્યો હતો. ત્યારથી તે પોલીસ કસ્ટડીમાં હતો અને તેના રિમાન્ડ ચાલી રહ્યા હતા. એ દરમિયાન તેણે અત્યાર સુધીમાં 12 લોકોની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું. ગઈકાલે પોલીસ કસ્ટડીમાં અચાનક તેની તબિયલ લથડતા લોક અપમાં જ ઢળી પડ્યો હતો અનો ઉલટી કર્યા બાદ મોતને ભેટ્યો હતો. આરોપી કથિત ભૂવા નવલસિંહે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું કે અત્યાર સુધીમાં તેણે તાંત્રિક વિધિના નામે 12 લોકોની હત્યા કરી નાખી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તાંત્રિક વિધિથી રૂપિયા ચાર ગણાં કરી દેવાની લાલચ આપતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપી નવલસિંહ ચાવડા પૈસાદાર લોકોને શીંશામાં ઉતારતો હતો અને તેમને તાંત્રિક વિધિ કરી રૂપિયા ચાર ગણાં કરી દેવાની લાલચ આપતો હતો. આ રીતે તેણે સુરેન્દ્રનગર અને અમદાવાદમાં અનેક લોકોને છેતર્યા હતા. અમદાવાદમાં તેણે એક ફેક્ટરીના માલિક સાથે ષડયંત્ર રચ્યું હતું. ફેક્ટરીના માલિકને તેણે તાંત્રિક વિધિના નામે સોડિયમ નોઇટ્રેટ નેનો 3 પીવડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોતાને મસાણી મેલડી માતાનો ભૂવો કહેતો નવલસિંહ આ રીતે અત્યાર સુધીમાં 12 લોકોને મોતને ઘાટ ઉતારી ચૂક્યો હતો, તેવી તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. છેલ્લે તેણે તાંત્રિક વિધિના નામે ફેક્ટરીના માલિકને લૂંટી લીધો હતો અને બાદમાં તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરખેજ પોલીસ સમયસર પહોંચી જતા ફેક્ટરી માલિકનો આબાદ બચાવ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચાંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતને કથિત ભૂવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ કરીને તેમના રૂપિયાના ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી. આ માટે નવલસિંહે ફેક્ટરીના માલિકને 1લી ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને ઝેરી પદાર્થવાળું પ્રવાહી ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાની યોજના ઘડી હતી. ફેક્ટરીના માલિકની હત્યા કરી નવલસિંહ બધાં રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6755a0b6db60f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ નવલસિંહના જ એક મિત્રએ પોલીસને આખા મામલાની જાણ કરી દેતા સરખેજ પોલીસ સમયસર ઘટના સ્થળે પહોંચી જતા ફેક્ટરીના માલિક અભિજિતસિંહનો જીવ બચી ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે નવલસિંહની ચાલમાં ફસાયેલો અભિજિતસિંહ તેનો કૌટુંબિક સંબંધી થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મસાણી મેલડી નામે યુટ્યુબ ચેનલ ચલાવતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી ભૂવો નવલસિંહ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી હતો અને લોકોમાં પોતાનો પ્રભાવ ઉભો કરવા માટે થઈને મસાણી મેલડી નામની યુટ્યૂબ ચેનલ ચલાવતો હતો. જેમાં તે આ જ પ્રકારના તંત્ર વિદ્યા અને મેલડી માતાની શક્તિના વીડિયો બનાવી પોતાને શક્તિશાળી ભૂવા તરીકે સ્થાપિત કરતો હતો. યુટ્યૂબ ચેનલના તેના વીડિયો જોઈને અનેક લોકો તેના પ્રભાવમાં આવી જતા હતા. થોડા દિવસ પહેલાં જ તે અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો હતો. તે વઢવાણમાં મસાણી મેલડી માતાનો મઢ ચલાવતો હતો અને ત્યાં ભૂવા તરીકે તાંત્રિક વિધિ કરી લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. યુટ્યૂબ ચેનલમાં તે તાંત્રિક વિદ્યા કરતા વીડિયો પણ શેર કરતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ક્રાઈમ પેટ્રોલ શો જોઈને ગુનો શીખતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરખેજ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી નવલસિંહ જાણીતો ટીવી શો ક્રાઈમ પેટ્રોલ નિયમિત રીતે જોતો હતો અને તેમાંથી જ તે સોડિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવાનું શીખ્યો હતો. તેણે કોઈ લેબમાંથી સોડિયમ નાઇટ્રેટ ખરીદ્યુ હતું. તે તાંત્રિક વિધિ કરી રૂપિયા ચાર ગણાં કરી દેવાની લાલચ આપી પૈસાદાર લોકોને મોટી રકમ લઈને અવાવરૂ જગ્યાએ બોલાવતો. જ્યાં તે વિધિના બહાને તેમને સોડિયમ નાઈટ્રેટ પીવડાવી દેતો, જેથી તે વ્યક્તિનું મોત થઈ જતું અને નવલસિંહ રૂપિયા લઈને ફરાર થઈ જતો. વિધિ પહેલા તે વ્યક્તિ પાસેથી મોતને લઈને ચિઠ્ઠી લખાવી લેતો હતો, જે પછી મરનાર વ્યક્તિના ખિસ્સામાં મૂકી હત્યાને આપઘાતમાં ખપાવી દેતો. આ રીતે તે 12 જેટલી હત્યાઓ કરી ચૂક્યો હોવાનું કબૂલ્યું હતું. તેણે અભિજિતસિંહ રાજપૂતને રૂ. 15 લઈને વિધિ માટે બોલાવ્યો હતો. જો કે તેના સાથીએ પોલીસને આખા મામલાની જાણ કરી દેતા નવલસિંહનો ભાંડો ફૂટી ગયો હતો અને સરખેજ પોલીસે તેને ઝડપી લીધો હતો. હવે તે ખુદ ગુના કબૂલ કર્યા બાદ વોમીટ થતા મોતને ભેટ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહુજન સમાજે આમાંથી શું શીખવાનું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાંથી બહુજન સમાજના લોકોએ એટલું જ શીખવાનું કે તાંત્રિક વિધિ એક પ્રકારની અંધશ્રદ્ધા છે, તેનાથી કદી કોઈનું ભલું કે બુરું કરી શકાય નહીં. તે મનુવાદીઓના ભગવાન જેવું જ છળકપટ છે. તેમાં પડવું નહીં, કહેવાતા ભૂવાઓ જો રૂપિયા ચાર ગણાં કરી શકતા હોય તો તેઓ ખુદ કેમ માંગતા ફરે છે? તેમનો પરિવાર કેમ કામ ધંધા કરીને ઘર ચલાવે છે. કેમ મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી તેમનાથી વધારે પૈસાદાર છે? ઈશ્વરી શક્તિ જેવું કશું હોતું નથી, તમારે તમારો ઉદ્ધાર જાતે કરવાનો છે અને તેના માટે લક્ષ્ય નક્કી કરી યોગ્ય દિશામાં મહેનત કરીને ફળ મેળવી શકાય છે, નહીં કે નવલસિંહ જેવા ઢોંગી તાંત્રિકો કે ભૂવાઓ પાસે વિધિ કરાવવાથી</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/tantrik-rapes-parinita-on-the-pretext-of-vastu-dosha-removal-ritual">વાસ્તુદોષ દૂર કરવાની વિધિના બહાને તાંત્રિકે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 08 Dec 2024 19:10:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1671</Articleid>
                    <excerpt>તાંત્રિક વિધિથી લોકોના રૂપિયા ચાર ગણા કરી આપવાની લાલચ આપી અત્યાર સુધીમાં 12 લોકોને મોતને ઘાટ ઉતારનાર વઢવાણના ભૂવાનો ચકચારી ખેલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6755a081c56a7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6755a0819296e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6755a0819296e.jpg" length="80731" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>wadhwans News, surendranagar</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદમાં પુરૂષો કરતા વધારે મહિલાઓએ દારૂની પરમિટ લીધી</title>
                    <link>https://khabarantar.com/more-woman-than-obtained-liquor-premits-in-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/more-woman-than-obtained-liquor-premits-in-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ દારૂની પરમિટ મેળવવામાં છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ શહેરમાં સ્ત્રીઓએ પુરૂષોને પાછળ ધકેલી દીધાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાણીને ચોંકી જવાશે પણ હકીકત એ છે કે, અમદાવાદ શહેરમાં સ્ત્રીઓએ લિકર પરમિટ મેળવવામાં પુરૂષોને પાછળ ધકેલી દીધાં છે. આવું કોઈ હવાઈ સર્વેના આધારે નહીં પરંતુ આંકડાઓ કહે છે. મળતી માહિતી પ્રમાણે વર્ષ 2023 અને 2024માં અપાયેલી હેલ્થ પરમિટ એટલે કે લિકર પરમિટમાં પુરૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 1,277 નવી લિકર પરમિટ અપાઈ છે. તેમાં 690 પરમિટ મહિલાઓને અપાઈ છે જ્યારે પુરૂષોને 587 પરમિટ અપાઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લિકર પરમિટમાં મહિલાઓનું પ્રમાણ 40 ટકા વધ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં 2019થી 2024ના મે સુધીમાં કુલ 14,132 લોકોની લિકર પરમિટ રિન્યૂ કરવામાં આવી હતી. તેમાં 8115 પુરૂષ અને 6257 મહિલા છે. એક દાયકા પહેલાં અમદાવાદમાં અપાતી લિકર પરમિટમાં 90 ટકા પરમિટ પુરૂષોને અપાતી હતી. પરંતુ મહિલાઓ પણ ધીરે ધીરે લિકર પરમિટ લેવા માંડી તેના કારણે રિન્યુઅલ અરજીઓમાં હવે પુરૂષોનું પ્રમાણ 60 ટકાથી ઓછું થઈ ગયું છે. જ્યારે મહિલાઓનું પ્રમાણ 40 ટકાથી વધારે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છેલ્લાં બે વર્ષમાં બમણી મહિલાઓએ પરમિટ લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં મહિલાને લિકર પરમિટમાં વધારાના આંકડો ધ્યાન ખેંચનારો છે. 2019થી 2022 દરમિયાન છ વર્ષમાં કુલ 275 મહિલાઓને નવી લિકર પરમિટ અપાઈ હતી. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં તેના કરતાં લગભગ બમણી મહિલાઓને લિકર પરમિટ અપાઈ છે. અમદાવાદમાં છેલ્લા એક દાયકામાં પરમિટ લેનારાંની સંખ્યામાં પણ જંગી વધારો થયો છે. અમદાવાદમાં 31મી ડિસેમ્બર 2013 સુધીમાં કુલ 11,890 લોકોને પરમીટ આપવામાં આવી હતી. છેલ્લા એક દાયકામાં રીન્યુઅલ લિકર પરમિટ સાથે કુલ 20,339 લોકો પાસે લિકર પરમિટ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હોટલો કરોડોનો દારૂ વેચે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ અને ગાંધીનગરમાં 25 જેટલી હોટલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટલો સામાન્ય સંજોગોમાં 3 કરોડ રૂપિયાની આસપાસનો દારૂ વેચે છે. દિવાળીના તહેવારમાં 4 કરોડ રૂપિયાથી વધારેનો દારૂ વેચાયો હતો. અત્યારે પણ ઠંડીની સિઝન અને લગ્નની સિઝન ચાલુ હોવાથી લિકર પરમિટવાળી હોટલોનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. અત્યારે લિકર પરમિટ ધરાવતી હોટલોમાંથી દારૂ અને બિયર મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/in-andhra-pradesh-you-will-get-high-quality-liquor-for-just-99-ropees"><strong>આંધ્રપ્રદેશમાં માત્ર 99 રૂપિયામાં ઉચ્ચ ગુણવત્તાનો દારૂ મળશે</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 08 Dec 2024 13:42:17 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 08 Dec 2024 13:43:20 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1670</Articleid>
                    <excerpt>દારૂની પરમિટ મેળવવામાં છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ શહેરમાં સ્ત્રીઓએ પુરૂષોને પાછળ ધકેલી દીધાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67555422a2a61.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67555422703bc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67555422703bc.jpg" length="86877" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>liquor permit near Ahmedabad, Gujarat, Ahmedabad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;માન્યવર&amp;apos; બનવું સહેલું છે, &amp;apos;બહેનજી&amp;apos; બનવું અઘરું છે</title>
                    <link>https://khabarantar.com/it-is-easy-to-be-a-kanshi-ram-but-it-is-difficult-to-be-a-mayawati-gujarati</link>
                    <guid>https://khabarantar.com/it-is-easy-to-be-a-kanshi-ram-but-it-is-difficult-to-be-a-mayawati-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ સમાજમાં કામ કરતા ઘણાં સાથીદારો &#039;બહેનજી&#039; જેવા બનવા માંગે છે, પરંતુ &#039;માન્યવર&#039; જેવા બનવાની કોશિશ બહુ ઓછા લોકો કરે છે. આંદોલન સામે આ સૌથી મોટો પડકાર છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય રાજનીતિમાં ગળાકાપ સ્પર્ધા, જીવલેણ સંઘર્ષ, કાવતરાં અને ચાલાકીનો દબદબો છે. અહીં અસંખ્ય હરીફો અને દુશ્મનો છે - આપણાં, અજાણ્યા, અંદરથી અને બહારથી પણ. આવી સ્થિતિમાં આજે બહેનજી કે તેમના જેવા કોઈ નેતાના વિકલ્પ તરીકે ઉભરી આવવું કોઈપણ માટે અત્યંત મુશ્કેલ લાગે છે. આ સ્થાને પહોંચવા માટે વ્યક્તિએ આખું જીવન સંઘર્ષમાં પસાર કરવું પડે છે, અને તો જ કેટલીક શક્યતાઓ પેદા થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1977 થી તેમના સંઘર્ષ અને યોગ્ય સમયે સચોટ નિર્ણય લેવાની તેમની અદ્વિતીય ક્ષમતાના બળ પર બહેનજી (માયાવતી) એ તમામ વિરોધીઓ અને અવરોધોને પાર કર્યા અને આજે બહુજન રાજકારણમાં ટોચ પર પહોંચી ગયા છે. તેમના હરીફો પણ તેમના સંઘર્ષના વખાણ કરે છે. તેમના નેતૃત્વની વિશેષતા એ છે કે તેમણે તેમના અંગત અને રાજકીય જીવનમાં સતત પડકારોનો સામનો કર્યો અને તેને હરાવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માન્યવર કાંશીરામ બનવું કેમ સરળ છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેનાથી વિપરીત, માન્યવર કાંશીરામ બનવું પ્રમાણમાં સરળ છે. અહીં કોઈ સીધો હરીફ નથી - ન બહારથી, ન અંદરથી. તેમજ કોઈ જીવલેણ સંઘર્ષ પણ કરવો પડતો નથી. મિશનનું મેદાન ખાલી છે, જ્યાં માત્ર દ્રઢ નિશ્ચય, ત્યાગ, બલિદાન, સમર્પણ અને અસરકારક કાર્ય યોજનાની મદદથી તમે એ મુકામ સુધી પહોંચી શકો છો જ્યાં માન્યવર સાહેબ કાંશીરામ પહોંચ્યા હતા. તેમનું વ્યક્તિત્વ એવું છે કે જે કોઈપણ એકવાર તેમના વિચારો સાથે જોડાય છે, તે હંમેશને માટે તેમના મિશનનો હિસ્સો બની જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'માન્યવર' બનવા માટે બીજા કોઈ સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી. તે સંપૂર્ણપણે પોતાના પર જીત મેળવવાનો મામલો છે. જ્યારે 'બહેનજી' બનવા માટે વ્યક્તિએ ન માત્ર પોતાની જાતને મજબૂત બનાવવી પડે છે, પરંતુ હજારો-લાખો પ્રતિસ્પર્ધીઓને પણ પછાડવા પડે છે. આ તાકાત અને વ્યૂહરચનાનો ખેલ છે, જેમાં વિરોધીને નબળો પાડીને જ જીત મેળવી શકાય છે. રાજકારણનું આ એક મોટું સત્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજકારણ અને મિશનની વાસ્તવિકતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં રાજકારણ હવે સામ, દામ, દંડ, ભેદ અને છળકપટનું પર્યાય બની ગયું છે. આમાં દરેક પગલે ષડયંત્ર અને ચાલાકીથી આગળ વધવું પડે છે. પરંતુ મિશનનો માર્ગ આનાથી અલગ છે. મિશનમાં કોઈને હરાવીને આગળ વધવાની ફરજ નથી. તે એક સ્પર્ધા-મુક્ત પ્રક્રિયા છે, જ્યાં સ્વ-વિકાસ અને સામાજિક પરિવર્તન માટે કામ કરવાનું હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'માન્યવર' કાંશીરામ સાહેબ મિશનનું પ્રતીક છે, જ્યારે 'બહેનજી' સંગઠનની સંરચનાનું પ્રતિનિધિત્વ કરે છે. બંને એકબીજાના પૂરક છે. 'માન્યવર' વિના 'બહેનજી' બની શકવું લગભગ અશક્ય છે, કારણ કે માન્યવરે એ મિશનનો પાયો નાખ્યો છે, જેના વિના સંગઠનાત્મક રાજકારણનું માળખું ઊભું રહી શકે નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાઠ અને પડકાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિડંબના એ છે કે સમાજમાં કામ કરતા ઘણા સાથીદારો 'બહેનજી' જેવા બનવા માંગે છે, જ્યારે 'માન્યવર' જેવા બનવાની કોશિશ બહુ ઓછા લોકો કરે છે. આંદોલન સામે આ સૌથી મોટો પડકાર છે. માન્યવર જેવા બન્યા વિના બહેનજી બનવું અશક્ય છે. એ ત્યાં સુધી કે બહેનજી પોતે પણ કોઈને રાજકારણના શિખર સુધી ન પહોંચાડી શકે, કારણ કે તેઓ પોતે સાહેબ નથી.</span><br><span style="font-size: 14pt;">તેથી, એ જરૂરી છે કે આપણે સૌથી પહેલા 'માન્યવર' બનવાના માર્ગને સમજીએ, કારણ કે ત્યાંથી જ નેતૃત્વની સાચી શરૂઆત થાય છે. મિશન અને રાજનીતિના આ સત્યને જેટલું જલ્દી સ્વીકારવામાં આવશે તેટલું બહુજન આંદોલન માટે સારું રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>ડૉ. રાજકુમાર</strong></span> <span style="font-size: 12pt;"><em><strong>(લેખક દિલ્હી યુનિવર્સિટીની દયાળસિંહ કૉલેજમાં ભણાવે છે.)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/babasaheb-is-theoretical-manyavar-is-practical"> બાબાસાહેબ થિયરી છે તો માન્યવર પ્રેક્ટિકલ છે</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 08 Dec 2024 11:48:34 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 08 Dec 2024 11:50:37 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1669</Articleid>
                    <excerpt>સમાજમાં કામ કરતા ઘણાં સાથીદારો &#039;બહેનજી&#039; જેવા બનવા માંગે છે, પરંતુ &#039;માન્યવર&#039; જેવા બનવાની કોશિશ બહુ ઓછા લોકો કરે છે. આંદોલન સામે આ સૌથી મોટો પડકાર છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6755323276a42.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6755323244a9f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6755323244a9f.jpg" length="82497" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>manyavar kanshiram, mayawati, BSP</media:keywords>
                </item>
                        <item>
                    <title>જસ્ટિસ નરીમને મસ્જિદ નીચે મંદિર શોધતા કેસો રોકવાનો ઉપાય બતાવ્યો</title>
                    <link>https://khabarantar.com/justice-rohinton-nariman-said-ayodhya-case-verdict-should-be-read-in-every-court-of-the-country</link>
                    <guid>https://khabarantar.com/justice-rohinton-nariman-said-ayodhya-case-verdict-should-be-read-in-every-court-of-the-country</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરમાં મનફાવે તેમ મસ્જિદ નીચે મંદિર હોવાના દાવાઓ કરતી અરજીઓ થઈ રહી છે, તેને રોકવા માટે જસ્ટિસ રોહિંટન નરીમને એક સ્પષ્ટ ઉપાય જણાવ્યો છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રોહિંટન નરીમને દેશભરમાં એક પછી એક મસ્જિદો વિરુદ્ધ કેસ દાખલ થતા રોકવાનો ઉપાય સૂચવ્યો છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે અયોધ્યા કેસમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ન્યાયતંત્રની મજાક હતો, પરંતુ વર્ષ 1991ના પૂજા સ્થાન અધિનિયમની પુષ્ટિ કરનારા પાંચ પાના એક આશાનું કિરણ છે. તેમણે કહ્યું કે ચુકાદાના એ પાંચ પાના દેશભરની નીચલી કોર્ટો અને હાઈકોર્ટોમાં વાંચવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને વધુમાં જણાવ્યું હતું કે, અયોધ્યા વિવાદ પર બંધારણીય બેંચના ચુકાદાના તે પાંચ પાના દેશભરમાં ચાલી રહેલા એ તમામ કેસોનો જવાબ છે, જેમાં અગાઉ કથિત રીતે મંદિરની ઉપર બનાવવામાં આવેલી મસ્જિદોના સર્વેની માંગ કરવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને કહ્યું, 'આ જ બંધારણીય બેંચ આવા કેસો મામલે પાંચ પાના ખર્ચીને કહી ચૂકી છે કે, સેક્યુલરિઝમમાં આ જ યોગ્ય છે અને તે મૂળભૂત માળખાનો એક ભાગ છે. તમે પાછળ નથી જઈ શકતા, તમારે આગળ જોવું પડશે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમન અહમદી ફાઉન્ડેશનના ઉદ્ઘાટન પ્રવચનમાં બોલી રહ્યા હતા, જે ભારતના 26માં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અઝીઝ મુશબ્બર અહમદીની યાદમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વિવિધ ધાર્મિક સંરચના સામે આવા દાવાઓને રોકવા માટે તે પાંચ પાના દેશની દરેક જિલ્લા કોર્ટ અને હાઈકોર્ટમાં વાંચવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું જોઈએ કે, મસ્જિદોની નીચે મંદિર હોવાનો દાવો કરવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. અજમેરમાં ઐતિહાસિક 'અઢાઈ દિન કા ઝોંપડા' માટે પણ આવી જ માંગ ફરી ઉઠી છે. તે રાજ્ય અને દેશની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. અજમેરના ડેપ્યુટી મેયર નીરજ જૈને દાવો કર્યો છે કે અહીં એક સંસ્કૃત કોલેજ અને મંદિરના પુરાવા મળ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/appeal-in-supreme-court-against-the-places-of-worship-act-of-1991"><strong>નવું કાવતરું: 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ સુપ્રીમમાં અપીલ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ અજમેર શરીફ દરગાહની નીચે મંદિર હોવાના દાવા કરવામાં આવ્યા હતા. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પોતાના દાવાના સમર્થનમાં અરજદાર વિષ્ણુ ગુપ્તાએ કહ્યું હતું કે, બ્રિટિશ શાસન દરમિયાન મહત્વના પદ પર રહેલા હર બિલાસ સારદાએ 1910માં અહીં હિન્દુ મંદિરની હાજરી વિશે લખ્યું હતું. એક ન્યાયાધીશ, રાજકારણી અને શિક્ષણશાસ્ત્રી એવા સારદા તેમના એક પુસ્તકમાં દરગાહ વિશે લખે છે, 'પરંપરા કહે છે કે ભોંયરામાં અંદર એક મંદિરમાં મહાદેવની મૂર્તિ છે, જેની દરરોજ એક બ્રાહ્મણ પરિવાર દ્વારા પૂજા કરવામાં આવતી હતી, જેને આજે પણ દરગાહ દ્વારા ઘડીયાળી(ઘંટ વગાડનાર) તરીકે જાળવી રાખવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મસ્જિદોના નિર્માણ માટે અગાઉ કથિત રૂપે નષ્ટ કરવામાં આવેલા મંદિરોની 'પુનઃસ્થાપના'ની માંગણી કરવા માટે વર્ષ 2019થી સિવિલ કોર્ટો, ખાસ કરીને ઉત્તર ભારતમાં અનેક કેસો દાખલ કરવામાં આવ્યા છે. પૂજા સ્થળ અધિનિયમ - એ કાયદો જે 15મી ઓગસ્ટ 1947 થી કોઈપણ પૂજા સ્થળની સ્થિતિમાં ફેરફાર કરવા પર પ્રતિબંધ લગાવે છે - તેને હાલ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જો કે 2019માં અયોધ્યા વિવાદ પર પોતાના મહત્વના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે 1991ના કાયદાની પ્રશંસા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, '15 ઓગસ્ટ 1947ના રોજ અસ્તિત્વમાં રહેલા સાર્વજનિક પૂજાના સ્થળોના ધાર્મિક ચરિત્રની જાળવણીની બાંયધરી આપવા અને આવા સ્થળોના રૂપાંતર સામે સંસદે નક્કી કર્યું છે કે તેમના પૂજા સ્થળોનું સંરક્ષણ કરવામાં આવશે અને તેના ચરિત્રમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.' કોર્ટે વધુમાં કહ્યું હતું કે, 'આ કોર્ટ હિંદુ પૂજા સ્થળોની વિરુદ્ધ મોગલ શાસકોની કાર્યવાહીથી ઉપજેલા દાવાઓ પર વિચાર ન કરી શકે. કોઈપણ વ્યક્તિ માટે, જે કોઈપણ પ્રાચીન શાસકોની કાર્યવાહીની સામે સાંત્વના કે સહારો ચાહે છે, કાયદો તેનો જવાબ નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને ચુકાદાના આ પાસાની પ્રશંસા કરી હતી કે, બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, 'પૂજા સ્થળ અધિનિયમ ભારતીય બંધારણ હેઠળ બિનસાંપ્રદાયિકતા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને લાગુ કરવા માટેની એક અટલ જવાબદારી લાદે છે. તેથી, આ કાયદો ભારતીય રાજનીતિની બિનસાંપ્રદાયિક વિશેષતાઓના રક્ષણ માટે રચાયેલ એક કાયદાકીય સાધન છે, જે બંધારણની મૂળભૂત વિશેષતાઓમાંની એક છે.' </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને તેમના સંબોધનમાં કહ્યું કે 1991નો કાયદો પૂજા સ્થાનોને 15 ઓગસ્ટ, 1947ના સમયની સ્થિતિમાં સ્થિર રાખે છે. આજે આપણે જોઈએ છીએ કે જેમ આખા દેશમાં હાઈડ્રા હેડ્સ ઉભરી રહ્યા છે, એવી જ રીતે દરેક જગ્યાએ કેસ દાખલ થઈ રહ્યા છે, ન માત્ર મસ્જિદોના સંબંધમાં પરંતુ દરગાહના સંબંધમાં પણ આવું થઈ રહ્યું છે. આ બધાંને રોકવાનો અને આ બધાં હાઈડ્રા હેડ્સને ખતમ કરી નાખવાનો એકમાત્ર રસ્તો એ છે કે આ જ ચુકાદામાં આ પાંચ પાનાનો અમલ કરવો અને દરેક ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટ સમક્ષ તેને વાંચવો. કારણ કે આ પાંચ પાના સુપ્રીમ કોર્ટ દ્વારા કાયદાની ઘોષણા છે જે તે બધા માટે બંધનકર્તા છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/there-was-no-ram-temple-under-babri-masjid-the-verdict-against-secularism">બાબરી મસ્જિદ નીચે રામમંદિર નહોતું, ચૂકાદો સેક્યુલરિઝમની વિરુદ્દ હતો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 08 Dec 2024 11:01:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1668</Articleid>
                    <excerpt>દેશભરમાં મનફાવે તેમ મસ્જિદ નીચે મંદિર હોવાના દાવાઓ કરતી અરજીઓ થઈ રહી છે, તેને રોકવા માટે જસ્ટિસ રોહિંટન નરીમને એક સ્પષ્ટ ઉપાય જણાવ્યો છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6755118d75ea1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6755118d3e7d5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6755118d3e7d5.jpg" length="52129" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>justice rohinton nariman, ram mandir ayodhya babri masjid, Judge R.F. Narima</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાની ગોળી મારી હત્યા, બંદૂક&amp;તલવારો સાથે 30 લોકોનો હુમલો</title>
                    <link>https://khabarantar.com/dalit-woman-geetabai-shot-dead-in-mandsaur-madhya-pradesh</link>
                    <guid>https://khabarantar.com/dalit-woman-geetabai-shot-dead-in-mandsaur-madhya-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ 5 ગાડી ભરીને આવેલા 30થી વધુ માથાભારે તત્વોએ બંદૂક, તલવારો અને લાકડીઓ વડે દલિત પરિવાર પર હુમલો કર્યો. સમગ્ર વિસ્તારમાં સન્નાટો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતીય હિંસા માટે કુખ્યાત થઈ ચૂકેલા મધ્યપ્રદેશમાં દલિત પરિવાર પર હિંસાની વધુ એક ઘટના સામે આવી છે. અહીં 5 ગાડીઓ ભરીને આવેલા 30 જેટલા માથાભારે તત્વોએ બંદૂક, તલવારો અને લાકડીઓ વડે દલિત પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 42 વર્ષીય મહિલા ગીતા બાઈનું ગોળી વાગવાથી મોત થયું હતું, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાનું કારણ જમીન વિવાદ હોવાનું કહેવાય છે. ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ મૃતદેહને રસ્તા વચ્ચે રાખીને ચક્કાજામ કરી આરોપીઓની ધરપકડની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાની છે. અહીં જાતીય હિંસાનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. અહીં પાંચ વાહનોમાં સવાર થઈને આવેલા 30 જેટલા લોકોએ દલિત પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરો બંદૂકો, તલવારો અને લાકડીઓથી સજ્જ હતા. તેમણે દલિત પરિવારના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ગીતાબાઈ નામની 42 વર્ષીય મહિલાનું ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષની લાગણી ફેલાઇ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મોડી રાત્રે હુમલો થયો, જીવ બચાવવાની પણ તક ન મળી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રવિવારે રાત્રે આ દલિત પરિવારના ઘર પર હુમલો થયો હતો. હુમલાખોરોએ પહેલા ઘરને ચારે બાજુથી ઘેરી લીધું અને પછી અચાનક હુમલો શરૂ કરી દીધો. પરિવારે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હથિયારો સાથે આવેલા હુમલાખોરોએ તેમને કોઈ તક આપી ન હતી. હુમલા દરમિયાન ઘરની અંદર રહેલી ગીતાબાઈને નિશાન બનાવીને ગોળી મારવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જમીન અને મિલકતના વિવાદનું પરિણામ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારના સભ્યોનો આરોપ છે કે આ હુમલો ગામના માથાભારે સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો, જેઓ લાંબા સમયથી તેમની જમીન અને મિલકત પર કબજો કરવા માંગતા હતા. પરિવારે આ અંગે પોલીસને અનેક વખત ફરિયાદ કરી હતી પરંતુ તેમની ફરિયાદને અવગણવામાં આવી હતી. આ હુમલો એ દુશ્મનાવટનું પરિણામ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘાયલોની હાલત ગંભીર છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હુમલામાં ઘાયલ અન્ય ચાર લોકોમાં એક 12 વર્ષની બાળકી પણ સામેલ છે. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે. ડૉક્ટરોએ જણાવ્યું કે ઘાયલોમાં બે લોકોને ગોળી વાગી હતી, જ્યારે અન્ય લોકોને તલવાર અને લાકડીઓથી ઈજા થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૃતદેહને રસ્તે રાખીને વિરોધ પ્રદર્શન કરાયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનો અને પરિવારજનોએ મૃતક ગીતાબાઈના મૃતદેહને રસ્તા પર મૂકી દીધો હતો અને ચક્કાજામ કર્યો હતો. તેમણે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે. વિરોધ પ્રદર્શનને કારણે મુખ્ય માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. પ્રદર્શનકારીઓએ વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ મૂક્યો અને કહ્યું કે જો તેમની ફરિયાદ પર સમયસર પગલાં લેવામાં આવ્યા હોત તો આ ઘટના ટાળી શકાઈ હોત.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67550e0ba3a82.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલાની ગંભીરતા જોઈને વરિષ્ઠ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસપીએ ઘટનાની તપાસ કરવા અને આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવા માટે વિશેષ ટીમ બનાવવાની ખાતરી આપી હતી. જો કે, વહીવટીતંત્ર તેમની તમામ માંગણીઓ લેખિતમાં સ્વીકારે નહીં ત્યાં સુધી ગ્રામજનો શાંત થયા ન હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો સામે વધી રહેલી હિંસા, વહીવટીતંત્રની નિષ્ફળતા છતી થઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાએ ફરી એકવાર દલિત સમાજ સામેની હિંસા અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતા છતી કરી છે. પીડિત પરિવાર ન્યાય માટે લડત ચલાવી રહ્યો છે, પરંતુ આ ઘટના સમાજમાં પ્રવર્તતા જાતિ ભેદભાવ અને હિંસાના મૂળ કેટલા ઊંડા છે તે દર્શાવે છે. ગ્રામજનો અને પરિવારજનોએ ચીમકી આપી છે કે આરોપીઓ સામે વહેલીતકે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. આ ઘટના માત્ર મંદસૌર જિલ્લા માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર ચેતવણી છે કે જો જાતિ ભેદભાવ અને જાતીય હિંસા રોકવામાં નહીં આવે તો આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dalit-woman-killed-for-asking-why-are-you-grazing-cattle-in-my-field"> 'મારા ખેતરમાં ઢોર કેમ ચરાવો છો?' પૂછતા દલિત મહિલાની હત્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 08 Dec 2024 09:34:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1667</Articleid>
                    <excerpt>5 ગાડી ભરીને આવેલા 30થી વધુ માથાભારે તત્વોએ બંદૂક, તલવારો અને લાકડીઓ વડે દલિત પરિવાર પર હુમલો કર્યો. સમગ્ર વિસ્તારમાં સન્નાટો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67550eefbce2c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67550eef8e515.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67550eef8e515.jpg" length="36373" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit woman Murder case, Dalit crime, Dalit News, Mandsaur News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે &amp;apos;જય શ્રી રામ&amp;apos; બોલાવડાવ્યું</title>
                    <link>https://khabarantar.com/three-muslim-children-beaten-with-slippers-and-forced-to-chant-jai-shri-ram-in-ratlam-mp</link>
                    <guid>https://khabarantar.com/three-muslim-children-beaten-with-slippers-and-forced-to-chant-jai-shri-ram-in-ratlam-mp</guid>
                    <description>
                        <![CDATA[ 16 વર્ષના છોકરાએ 6, 9 અને 11 વર્ષના ત્રણ મુસ્લિમ બાળકોને વારંવાર ચંપલથી મારી &#039;જયશ્રી રામ&#039; બોલવા મજબૂર કર્યા. વીડિયો વાયરલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Ratlam News: ભાજપ, આરએસએસ સહિતના હિંદુત્વવાદીઓ દ્વારા ફેલાવાતી મુસ્લિમ વિરોધી નફરતની આગ હવે કઈ હદે રાક્ષસી સ્વરૂપ ધારણ કરી ચૂકી છે તેનું એક ચોંકાવનારું ઉદાહરણ ભાજપ સાશિત રાજ્ય મધ્યપ્રદેશમાંથી સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીંના રતલામથી એક વીડિયો સામે આવ્યો છે જે બતાવે છે કે કેવી રીતે દેશમાં હિન્દુ-મુસ્લિમ નફરત વધી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક 16 વર્ષનો કિશોર 6, 9 અને 11 વર્ષના ત્રણ મુસ્લિમ બાળકોને તેના ચપ્પલ વડે વારંવાર મારતો અને તેમને 'જય શ્રી રામ' બોલવાનું કહેતો જોવા મળે છે. આ કિશોર ત્રણેય છોકરાઓને ગાળો ભાંડે છે અને તેમના પર સિગરેટ પીતા શીખવાનો આરોપ લગાવી તેમની પાસે સગાસંબંધીઓનો નંબર માંગી રહ્યો છે. જ્યારે ત્રણેય બાળકો અલ્લાહ બોલે છે, તો તેમને જોરથી ફટકારવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે રતલામના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર ઘટનાને લઈને કેસ નોંધવામાં આવ્યો છે અને વીડિયો શૂટ કરનાર કિશોર અને અન્ય 14 વર્ષના છોકરાની અટકાયત કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/entire-colony-protests-sale-of-house-opposite-temple-to-muslim-doctor-in-moradabad">મુસ્લિમ ડોક્ટરને મંદિર સામેનું ઘર વેચતા આખી કોલોની વિરોધમાં ઉતરી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વીડિયો રતલામમાં અમૃતસાગર તળાવ પાસેના એક નિર્માણાધીન મનોરંજન પાર્કનો હોવાનું કહેવાય છે. શહેરના માણકચોક વિસ્તારના રહેવાસીઓ બાળકો રડતા, સૂત્રોચ્ચાર કરતા અને કિશોરના હુમલાથી પોતાના ચહેરાને બચાવતા એમ કહેતા જોઈ શકાય છે કે, તેણે જે કંઈ કર્યું છે ફરીથી નહીં કરે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસને આપેલી ફરિયાદમાં 13 વર્ષના પીડિત બાળકે જણાવ્યું કે, “હું, મારા બે મિત્રો સાથે અમૃત સાગર તળાવ પાસે ફરવા ગયો હતો. અમે ત્યાં બેઠા હતા ત્યારે બે જણ ત્યાં આવ્યા અને અમારા નામ પૂછ્યા. ત્યારબાદ તેમણે અમને ગાળો દેવાનું શરૂ કરી દીધું અને પછી અમને માર માર્યો. તેમણે અમને 'જય શ્રીરામ' બોલવા માટે દબાણ કર્યું અને અમારો વીડિયો બનાવી લીધો. તેમનામાંથી એકે અમારી સાથે મારામારી કરી હતી. ત્યારબાદ તેમણે અમને ધમકી આપી કે જો અમે આ ઘટના વિશે કોઈને કહીશું તો તેઓ અમને જાનથી મારી નાખશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના લગભગ દોઢ મહિના પહેલા બની હતી પરંતુ તેનો વીડિયો આજે સામે આવ્યો છે. વીડિયો વાયરલ થતા સ્થાનિકો રોષે ભરાયા હતા. ગુરુવારે રાત્રે સ્થાનિક પોલીસ સ્ટેશનની બહાર ભીડ એકઠી થઈ હતી, જેના માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી હતી. બાદમાં અધિકારીઓએ કાર્યવાહીનું વચન આપતાં ભીડ વિખેરાઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bjp-leader-threatens-muslim-owner-of-shop-in-baghpat-uttar-pradesh-because-it-has-hindu-name">દુકાનનું નામ હિંદુ હોવાથી ભાજપ નેતાએ મુસ્લિમ માલિકને ધમકાવી તોડફોડ કરી</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> 13 વર્ષના બાળકના પરિવારને ફરિયાદ કરવામાં મદદ કરનાર કાર્યકર ઈમરાન ખોખરે જણાવ્યું હતું કે, ઘટના એક મહિના પહેલા ઘટી હતી પરંતુ તેનો વીડિયો એક સંદિગ્ધ શખ્સ દ્વારા તે નશામાં હતો ત્યારે લીક કરી દેવામાં આવ્યો હતો. તેણે આ વીડિયો 'મનોરંજન' માટે શેર કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, ત્રણેય બાળકો આ ઘટનાથી એટલા ગભરાઈ ગયા હતા કે તેમણે આ ઘટના વિશે કોઈને પણ જાણ નહોતી કરી અને પોતાના સુધી જ મર્યાદિત રાખ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈમરાન ખોખરે બાળકો વિશે વધુમાં જણાવ્યું કે, "છ વર્ષનો છોકરો તેની દાદી અને કાકી સાથે રહે છે અને 10 મહિના પહેલા એક અકસ્માતમાં તેના માતા-પિતા ગુમાવી ચૂક્યો છે. જ્યારે તેમને ખબર પડી કે વીડિયો લીક થઈ ગયો છે, ત્યારે તેણે પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો. તેને બહાર કાઢવા માટે અમારે દરવાજો તોડવા માટે પોલીસની મદદ લેવી પડી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણેય બાળકોના માનસપટ પર ઘટનાની ગંભીર અસર પડી</span></strong></span><br><span style="font-size: 14pt;">13 વર્ષીય ફરિયાદીના પિતાએ કહ્યું, “તે છેલ્લા દોઢ મહિનાથી અલગ પ્રકારનું વર્તન કરી રહ્યો હતો. તે શાળાએ જવાનું ટાળે છે, હવે તે બહાર રમતો નથી, અને જ્યારે તે મારી શાકભાજીની લારીએ આવે છે ત્યારે પણ તે તેની સાથે કોઈને રાખવાનો આગ્રહ રાખે છે. તે સમયે મને ખ્યાલ નહોતો કે તેને આટલી હેરાનગતિ સહન કરવી પડશે. જ્યારે અમે વીડિયો જોયો ત્યારે ખબર પડી કે તેને કેટલો હેરાન કરવામાં આવ્યો હતો. મેં તેને કહ્યું છે કે હવે તું એ બાબતે ચિંતા ન કર, બધું સારું થઈ જશે. આ ઘટનાના જવાબદારોને કડક સજા મળવી જોઈએ જેથી કરીને આવી ઘટનાઓ ફરી ન બને.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય એક બાળકના પિતાએ કહ્યું, “મેં મારા પુત્રને પૂછ્યું કે તેણે આ મામલે કેમ કોઈને કશું કહ્યું નહીં? તેનું વર્તન સામાન્ય લાગતું હતું પણ અંદરથી તે ખૂબ જ ડરેલો હતો અને એટલે જ અમને કહેવાથી ડરતો હતો. આપણા દેશનું વાતાવરણ એટલું ઝેરી બની ગયું છે કે નાના બાળકો પણ નફરતનો શિકાર બની રહ્યા છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/who-are-the-rioters-in-jamia-millia-in-the-name-of-diwali">જામિયા મિલિયા માં દિવાળીના નામે દંગા કરનારા તત્વો કોણ છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 07 Dec 2024 18:14:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1666</Articleid>
                    <excerpt>16 વર્ષના છોકરાએ 6, 9 અને 11 વર્ષના ત્રણ મુસ્લિમ બાળકોને વારંવાર ચંપલથી મારી &#039;જયશ્રી રામ&#039; બોલવા મજબૂર કર્યા. વીડિયો વાયરલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6754423cd54bb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6754423ca6312.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6754423ca6312.jpg" length="70232" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>three muslim children, beaten with slippers, forced to chant Jai Shri Ram, Ratlam MP</media:keywords>
                </item>
                        <item>
                    <title>વડોદરામાં મહાપરિનિર્વાણ દિવસે આંબેડકર વંદના પરિસંવાદ યોજાયો</title>
                    <link>https://khabarantar.com/ambedkar-vandana-seminar-held-in-vadodara-on-mahaparinirvana-day</link>
                    <guid>https://khabarantar.com/ambedkar-vandana-seminar-held-in-vadodara-on-mahaparinirvana-day</guid>
                    <description>
                        <![CDATA[ મહાનાયક ડૉ.આંબેડકરને હડધૂત કરીને કાઢી મૂકનાર કહેવાતી સંસ્કાર નગરી વડોદરામાં બહુજન વિદ્વાનોએ આંબેડકર વંદના પરિસંવાદમાં અનેક પ્રસંગોને ઉજાગર કર્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'દક્ષિણ આફ્રિકામાં ટ્રેનના ડબ્બામાંથી બ્લેક - એશિયન મિ.ગાંધીને હડધૂત કરીને અંગ્રેજો દ્વારા સામાન સહિત પ્લેટફોર્મ પર બહાર ફેંકી દેવાયા તે પછી જ આ દેશને 'મહાત્મા ગાંધી' નામક મહાન પ્રતિભાની ભેટ મળી, બરાબર એજ રીતે વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડને ત્યાં નોકરી કરવા આવેલા ડો.આંબેડકરને અપમાનિત કરીને તેમના સામાન સહિત પારસી મકાન માલિક દ્વારા બહાર ફેંકી દેવાયા તે પછી જ આ દેશને 'ડો.બાબાસાહેબ આંબેડકર' નામક મહાન પ્રતિભાની ભેટ મળી. બેય મહાનુભાવો સાથે ઘટેલી આ બે ઘટનાઓ યુગ પરિવર્તનની સાક્ષી બની રહી છે.'</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6754025160e33.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે વડોદરાના કમાટી બાગના ઝાડ નીચે ફેંકાઈ દેવાયેલા સામાનને સમેટીને સજળ આંખોએ ડો.આંબેડકરે જાતિભેદ નાબૂદીનો કૃતસંકલ્પ કર્યો હતો તે સ્થળ આજે તો 'સંકલ્પ ભૂમિ' રૂપે ખ્યાત છે. આંબેડકરી તવારિખમાં મહત્વના સ્થાને રહેલા શહેર વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા 'ડો.બી.આર. આંબેડકર ભવન' ખાતે ગઈકાલે 6 ડિસેમ્બર 2024ના રોજ મહામાનવ ડો. આંબેડકરના 68માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે બાબાસાહેબને સ્મૃતિવંદના અર્પણ કરવાની સાથે એક ખાસ પરિસંવાદ યોજાયો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67540266d2bfa.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમમાં પૂર્વ મેયર જીવરાજભાઈ ચૌહાણ, 'ભવન'ના પ્રમુખ શ્રી મણિભાઈ પરમાર, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પી.એમ.ચાવડા, પારૂલ યુનિવર્સિટીના ડો. જી.કે.વણકર, અગ્રીમ સાહિત્યકાર પ્રવીણ ગઢવી, વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર્સ બહેનો - લીનાબેન મકવાણા અને રશ્મીબેન વાઘેલા, સેન્ટ્રલ યુનિવર્સિટી(ગુજરાત)ના ડો.રાજેશ મકવાણા, સરદાર પટેલ યુનિવર્સિટીના ડો.બલદેવ આગજા, યુવા દલિત લેખક મયૂર વાઢેર સાથે  પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમારે 'ડો.આંબેડકર અને આજના રાજકીય પક્ષો' વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6754028035460.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમમાં પ્રવીણ શ્રીમાળી, વસંત જાદવ, સાહિલ પરમાર, રમણ વાઘેલા, ગિરીશ સેંગાલ, અશોક વાણીયા, કે.પી.વાઘેલા, મુકેશ હેલૈયા, અજય ડાભી સહિત અનેક મહાનુભાવો, લેખકો, કવિઓ અને ડો.આંબેડકરના ચાહકો ઉપસ્થિત રહ્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/A-State-Level-Seminar-on-Dalit-Literature-and-Neglected-Society-was-held-at-Ahmedabad">અમદાવાદ ખાતે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 07 Dec 2024 13:44:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1665</Articleid>
                    <excerpt>મહાનાયક ડૉ.આંબેડકરને હડધૂત કરીને કાઢી મૂકનાર કહેવાતી સંસ્કાર નગરી વડોદરામાં બહુજન વિદ્વાનોએ આંબેડકર વંદના પરિસંવાદમાં અનેક પ્રસંગોને ઉજાગર કર્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67540237a3207.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675402377404a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675402377404a.jpg" length="85430" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkar mahaparinirvan din, mahaparinirvan din 2024</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશના 30 મુખ્યમંત્રીઓમાં એક પણ દલિત મુખ્યમંત્રી કેમ નથી?</title>
                    <link>https://khabarantar.com/why-is-there-not-a-single-dalit-minister-among-the-30-chief-ministers-of-the-country</link>
                    <guid>https://khabarantar.com/why-is-there-not-a-single-dalit-minister-among-the-30-chief-ministers-of-the-country</guid>
                    <description>
                        <![CDATA[ દેશના 30 મુખ્યમંત્રીઓમાં 4 બ્રાહ્મણ, 5 ઠાકુર, 7 ઓબીસી અને 4 આદિવાસી સમાજમાંથી છે, પરંતુ 20 ટકાથી વધુ વસ્તી ધરાવતા SC સમાજમાંથી એકેય નથી. શું છે તેની પાછળનું કારણ? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય રાજકારણમાં જાતિ સમીકરણોનો પ્રભાવ હંમેશા ઊંડો રહ્યો છે. હાલમાં, દેશના ચાર રાજ્યોમાં બ્રાહ્મણ મુખ્યમંત્રીઓ છે દેવેન્દ્ર ફડણવીસ (મહારાષ્ટ્ર), હિમંતા બિસ્વા સરમા (આસામ), મમતા બેનર્જી (પશ્ચિમ બંગાળ) અને ભજનલાલ શર્મા (રાજસ્થાન). અહીં એ ખાસ નોંધવું જોઈએ કે બ્રાહ્મણોની વસ્તી દેશની કુલ વસ્તીના 5% માંડ છે, તેઓ અપ્રમાણસર રીતે ટોચના પદો પર કબ્જો જમાવીને બેઠાં છે. પછી તે ભારતરત્ન એવોર્ડ હોય, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હોય, કેન્દ્ર સરકારમાં સચિવનું પદ હોય કે પછી અન્ય મહત્વના પદ હોય, દરેક જગ્યાએ તેઓ અન્ય કોઈ સમાજના લોકોને પ્રવેશવા દેતા નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ રીતે ઠાકુર સમાજના 5 મુખ્યમંત્રીઓ છે. જેમાં ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી, હિમાચલ પ્રદેશના સુખવિંદર સિંહ સુખુ, મણિપુરના એન. બિરેન સિંહ અને દિલ્હીના આતિશીનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે બ્રાહ્મણ અને ઠાકુર સમાજો, જે પ્રમાણમાં ઓછી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓ સત્તા પર પ્રભુત્વ ધરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">20 ટકા દલિત સમાજમાં નેતૃત્વનો અભાવ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં દલિત સમાજ દેશની કુલ વસ્તીના લગભગ 20% છે, પરંતુ હાલમાં કોઈ મુખ્ય પ્રધાન દલિત સમાજમાંથી નથી. 2022 માં, ચરણજીત સિંહ ચન્ની પંજાબના મુખ્યમંત્રી તરીકે દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, પરંતુ તેમના પદ પરથી ગયા પછી, દલિત નેતૃત્વ સાવ ખતમ થઈ ગયું છે. આ સ્થિતિ માત્ર ભારતીય રાજકારણની જ્ઞાતિની અસમાનતાને જ નહીં પરંતુ દલિત સમાજ પ્રત્યે રાજકીય પક્ષોની ઉદાસીનતા પણ દર્શાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સમાજને ચૂંટણીના સમીકરણોને બેલેન્સ કરવા માટે એક વોટ બેંક તરીકે જોવામાં આવે છે, પરંતુ નેતૃત્વના સ્તરે તેમને પ્રતિનિધિત્વ આપવાની જરૂરિયાતને અવગણવામાં આવે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોમાં ચોક્કસપણે દલિત નાયબ મુખ્યમંત્રી છે, પરંતુ આ પૂરતું નથી. એક દલિત મુખ્યમંત્રી ન માત્ર સમાજનો અવાજ બની શકે, પરંતુ દલિત અધિકારો અને સામાજિક ન્યાય માટે મજબૂત પહેલ પણ કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓબીસી અને આદિવાસી નેતૃત્વનો ઉદય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરના વર્ષોમાં ઓબીસી અને આદિવાસી સમાજે રાજકીય સત્તામાં મજબૂત પ્રગતિ કરી છે. હાલ OBC સમાજના 6 મુખ્યમંત્રીઓ છે, જેમાં મુખ્ય નામ બિહારના નીતિશ કુમાર, કર્ણાટકના સિદ્ધારમૈયા અને હરિયાણાના નાયબ સિંહ સૈની મુખ્ય છે. એ જ રીતે, આદિવાસી સમાજના 4 મુખ્યમંત્રીઓ છે - ઝારખંડના હેમંત સોરેન, છત્તીસગઢના વિષ્ણુદેવ સાઈ, ઓડિશાના મોહન માંઝી અને નાગાલેન્ડના ને ફ્યૂ રિયો સત્તામાં તેમની ભૂમિકા ભજવી રહ્યા છે. આદિવાસી સમાજનું નેતૃત્વ સામાજિક ન્યાય તરફ સકારાત્મક સંકેત છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે રાજકીય પક્ષો દલિત સમાજને સમાન તકો કેમ આપતા નથી?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતીય વિવિધતા અને નાસ્તિક મુખ્યમંત્રીઓની ભૂમિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના રાજકારણમાં જાતીય અને ધાર્મિક વિવિધતા દર્શઆવતા અનેક મુખ્યમંત્રીઓ પણ છે. જમ્મુ અને કાશ્મીરના ઓમર અબ્દુલ્લા, પંજાબના ભગવંત માન, મેઘાલયના કોનરાડ સંગમા અને અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ જેવા લઘુમતી સમાજના નેતાઓ ભારતીય રાજકારણની વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. એ જ રીતે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયન પોતાને નાસ્તિક અને જાતિ વ્યવસ્થાના વિરોધી ગણાવે છે. તેમની પ્રગતિશીલ વિચારસરણી સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માટે પ્રેરણારૂપ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત નેતૃત્વ: ભારતીય લોકશાહીની જરૂરિયાત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય લોકશાહીની સફળતા ત્યારે જ શક્ય છે જ્યારે તે તમામ સમાજોને સમાન પ્રતિનિધિત્વ આપે. દલિત મુખ્યમંત્રીની ગેરહાજરી ભારતીય લોકશાહીની ઊંડી ખામીઓને દર્શાવે છે. એક દલિત મુખ્યમંત્રી માત્ર દલિત સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે સમાનતા અને સમરસતાનું પ્રતીક બની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકીય પક્ષોએ જ્ઞાતિ સમીકરણોથી ઉપર ઊઠીને દલિતોને નેતૃત્વની તકો પૂરી પાડવી જોઈએ. જ્યારે દલિત મુખ્યમંત્રી સત્તામાં હશે, તો નીતિઓ અને યોજનાઓ સીધી દલિતો અને અન્ય વંચિત સમાજોના ઉત્થાન પર કેન્દ્રિત હશે. સામાજિક ન્યાયની દિશામાં આ એક મોટું પગલું હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત મુખ્યમંત્રીઃ મજબૂત લોકશાહી માટે જરૂરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય રાજનીતિએ જાતિગત સમીકરણોથી ઉપર ઊઠીને દલિત સમુદાયને મજબૂત નેતૃત્વ પૂરું પાડવું પડશે. આનાથી સમાજમાં પ્રવર્તતી અસમાનતા તો દૂર થશે જ, પરંતુ લોકશાહી પણ મજબૂત થશે. સામાજિક ન્યાય, સમાનતા અને સંવાદિતાના પાયા પર આધારિત દલિત મુખ્યમંત્રીની પસંદગી ભારતીય લોકશાહી માટે એક ઐતિહાસિક પગલું હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/from-sanjeevayya-to-pahadia-these-are-the-first-4-dalit-chief-ministers-of-the-country"><strong>સંજીવય્યાથી પહાડિયા સુધી, આ છે દેશના પ્રથમ 4 દલિત મુખ્યમંત્રીઓ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 07 Dec 2024 11:51:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1664</Articleid>
                    <excerpt>દેશના 30 મુખ્યમંત્રીઓમાં 4 બ્રાહ્મણ, 5 ઠાકુર, 7 ઓબીસી અને 4 આદિવાસી સમાજમાંથી છે, પરંતુ 20 ટકાથી વધુ વસ્તી ધરાવતા SC સમાજમાંથી એકેય નથી. શું છે તેની પાછળનું કારણ?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6753e8abe1c5b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6753e8abaefb8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6753e8abaefb8.jpg" length="104011" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Chief Minister, Dalit News, SC CM</media:keywords>
                </item>
                        <item>
                    <title>પતિ દલિત&amp;પત્ની બિનદલિત હોય તો તેમના સંતાનોને અનામત મળે?</title>
                    <link>https://khabarantar.com/if-the-husband-is-a-dalit-and-the-wife-is-a-non-dalit-will-their-children-get-reservation-gujarati</link>
                    <guid>https://khabarantar.com/if-the-husband-is-a-dalit-and-the-wife-is-a-non-dalit-will-their-children-get-reservation-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ વિશેષાધિકારનો ઉપયોગ કરીને, બિન-દલિત મહિલા અને એક દલિત પુરુષના લગ્નને રદ કરી દીધાં. જાણો કોર્ટે શું ચૂકાદો આપ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 (Article 142 of the Constitution) હેઠળ એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને બિન-દલિત મહિલા અને દલિત પુરુષના લગ્ન રદ કરી દીધા છે. સાથે કોર્ટે આદેશ આપ્યો કે મહિલાના બાળકોને અનુસૂચિત જાતિ (SC) પ્રમાણપત્ર મળવું જોઈએ, કારણ કે તેમના પિતા દલિત સમાજના છે. જુહી પોરિયા અને પ્રદીપ પોરિયાના છૂટાછેડાના કેસમાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બિન-દલિત મહિલા લગ્ન દ્વારા અનુસૂચિત જાતિનું સભ્યપદ મેળવી શકતી નથી, પરંતુ અનુસૂચિત જાતિના વ્યક્તિથી જન્મેલા બાળકો SC પ્રમાણપત્ર મેળવવા માટે હકદાર રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે પતિને આદેશ આપ્યો કે તેઓ છ મહિનાની અંદર બાળકો માટે એસસી પ્રમાણપત્ર મેળવે અને પીજી સુધીના તેમના શિક્ષણ સંબંધિત તમામ ખર્ચ ઉઠાવે. વધુમાં કોર્ટે પતિને ₹42 લાખની એકસાથે ચુકવણી કરવા અને પત્નીને રાયપુરમાં એક પ્લોટ આપવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે એવું પણ કહેવામાં આવ્યું કે, છૂટાછેડા પછી બાળકોનો ઉછેર માતાના ઘરે થશે, પરંતુ તેમને SCનો દરજ્જો મળશે. તેનાથી તેમને સરકારી શિક્ષણ અને નોકરીઓમાં ફાયદો થશે. કોર્ટે પતિ-પત્ની વચ્ચે નોંધાયેલા તમામ કેસો ફગાવી દીધા હતા અને બાળકોને તેમના પિતા સાથે મળવા માટેના નિર્દેશો આપ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંધારણની કલમ 142માં શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">બંધારણની કલમ 142 ની જોગવાઈ દેશની સુપ્રીમ કોર્ટને ખાસ સત્તાઓ આપે છે. આ અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને એ સત્તા મળેલી છે કે તે ન્યાયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કોઈપણ આદેશ કે દિશા આપી શકે છે, પછી ભલે તે કોઈ કાયદાકીય જોગવાઈમાં સ્પષ્ટપણે જણાવવામાં ન આવી હોય. તેને સર્વગ્રાહી શક્તિ પણ કહેવામાં આવે છે, કારણ કે તેનો ઉપયોગ કોર્ટ કોઈ ચોક્કસ કેસના નિકાલ માટે કરી શકે છે, જેમાં કાયદાકીય મર્યાદાઓની બહાર જઈને પણ ન્યાયનો રસ્તો શોધવાની જરૂર હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">142 કેવી રીતે કામ કરે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">બંધારણીય નિષ્ણાતોના મતે, કલમ 142 હેઠળ, સુપ્રીમ કોર્ટને એવો આદેશ આપવાનો અધિકાર છે, જે કોઈપણ અન્ય કાયદાની બહાર જઈને ન્યાય અને સમજદારીના આધારે હોય. તેનો ઉદ્દેશ્ય એ નક્કી કરવાનો છે કે કોઈપણ પક્ષ પોતાની કાયદાકીય સ્થિતિનો લાભ ન ઉઠાવે અને વાસ્તવિક ન્યાયને રોકવામાં ન આવે. ઉદાહરણ તરીકે, જો કાયદાની નબળાઈને કારણે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં ન્યાય ન થઈ રહ્યો હોય તો સુપ્રીમ કોર્ટ આ કલમનો ઉપયોગ કરીને ન્યાય આપવાનો આદેશ આપી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ક્યાં ઉપયોગ થાય છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">વ્યવહારિક રીતે જો કૌટુંબિક વિવાદો કે છૂટાછેડાના કેસોમાં જો કોઈ કાયદાકીય ટેકનિકલ કારણ ન્યાયમાં અવરોધ બને છે, તો સુપ્રીમ કોર્ટ કલમ 142 નો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ન્યાય વ્યવસ્થામાં સુધારા માટે પણ થાય છે. જો કોઈ ચોક્કસ કેસમાં ન્યાય પ્રક્રિયામાં અડચણ પેદા થાય છે, તો કોર્ટ આ કલમ થકી ઉકેલ લાવી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય ચોક્કસ કેસોમાં, જ્યારે કાયદાનું પાલન કરવું અશક્ય અથવા અત્યંત જટિલ હોય, ત્યારે સુપ્રીમ કોર્ટ આ જોગવાઈનો ઉપયોગ તેના નિર્દેશો અને આદેશો આપવા માટે કરી શકે છે. આ ઉપરાંત, કલમ 142નો ઉપયોગ એ સુનિશ્ચિત કરવાનો છે કે ભારતીય ન્યાય વ્યવસ્થામાં કોઈપણ પક્ષ ન્યાયથી વંચિત ન રહી જાય, ભલે કાયદામાં કોઈ ખામી કે અસ્પષ્ટતા હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/even-supreme-court-is-not-impartial-this-is-bjps-bishnoi-gang-sanjay-raut">સુપ્રીમ કોર્ટ પણ નિષ્પક્ષ નથી, આ ભાજપની બિશ્નોઈ ગેંગ છેઃ સંજય રાઉત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 07 Dec 2024 10:33:34 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 07 Dec 2024 10:59:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1663</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ વિશેષાધિકારનો ઉપયોગ કરીને, બિન-દલિત મહિલા અને એક દલિત પુરુષના લગ્નને રદ કરી દીધાં. જાણો કોર્ટે શું ચૂકાદો આપ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6753dd29b7839.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6753dd2986d10.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6753dd2986d10.jpg" length="104415" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Article 142 of the Constitution, Supreme Court, Special Powers</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાબરી મસ્જિદ નીચે રામમંદિર નહોતું, ચૂકાદો સેક્યુલરિઝમની વિરુદ્દ હતો</title>
                    <link>https://khabarantar.com/there-was-no-ram-temple-under-babri-masjid-the-verdict-against-secularism</link>
                    <guid>https://khabarantar.com/there-was-no-ram-temple-under-babri-masjid-the-verdict-against-secularism</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ આર.એફ. નરિમાને બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યા સ્થિત બાબરી મસ્જિદના ચૂકાદાને લઈને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ આર.એફ. નરિમાને મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે, બાબરી મસ્જિદ નીચે રામ મંદિર નહોતું અને સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો દેશના સેક્યુલરિઝમની વિરુદ્ધ હતો. અગાઉ CJI રંજન ગોગોઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે સર્વસંમતિથી ચુકાદો આપ્યો હતો કે અયોધ્યામાં 2.77 એકરની સમગ્ર વિવાદિત જમીન રામ મંદિરના નિર્માણ માટે સોંપી દેવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આરએફ નરીમને બાબરી મસ્જિદ વિવાદ સંબંધિત સુપ્રીમ કોર્ટના નિર્ણયો પર અસહમતિ વ્યક્ત કરતા કહ્યું કે, આ નિર્ણયોમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંત હેઠળ ન્યાય આપવામાં આવ્યો નથી. તેમણે વર્ષ 2019ના સીમાચિહ્નરૂપ ચૂકાદાની પણ ટીકા કરી હતી જેણે વિવાદિત સ્થળ પર રામ મંદિરના નિર્માણની મંજૂરી આપી હતી. જસ્ટિસ નરીમને તેને 'ન્યાયતંત્રની મજાક' ગણાવીને કહ્યું કે આ નિર્ણયોમાં સેક્યુલરિઝમના સિદ્ધાંત મુજબ ન્યાય આપવામાં નથી આવ્યો. જસ્ટિસ નરીમને આ ટિપ્પણી ‘સેક્યુલરિઝમ એન્ડ ધ ઈન્ડિયન કોન્સ્ટિટ્યુશન’ વિષય પર આયોજિત પ્રથમ જસ્ટિસ એ.એમ. અહમદી મેમોરિયલ લેક્ચરમાં કરી હતી. તેમણે કહ્યું કે 'સુપ્રીમ કોર્ટે પોતે સ્વીકાર્યું હતું કે બાબરી મસ્જિદની નીચે રામ મંદિર નથી.' તેમણે આ મામલાને લગતા અગાઉના નિર્ણયો પર પણ ખુલીને વાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લિબ્રહાન કમિશન અને રાષ્ટ્રપતિના સંદર્ભ પર શું કહ્યું </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને કહ્યું, "સૌથી પહેલા સરકારે લિબ્રહાન કમિશનની નિમણૂક કરી, જે 17 વર્ષ સુધી સૂતું રહ્યું અને પછી 2009માં રિપોર્ટ સબમિટ કર્યો. બીજું, તેણે મસ્જિદની નીચે હિંદુ મંદિર છે કે નહીં તે નક્કી કરવા માટે અયોધ્યા અધિગ્રહણ ક્ષેત્ર અધિનિયમ અને સાથે સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રપતિનો સંદર્ભ આપ્યો. જેથી એ નિર્ધારિત કરી શકાય કે મસ્જિદ નીચે કોઈ હિંદુ મંદિર નહોતું. તેમણે તેને "ભ્રામક અને તોફાની પ્રયાસ" ગણાવ્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">1994નો ઈસ્માઈલ ફારુકી કેસ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમાને ઈસ્માઈલ ફારુકી વિરુદ્ધ ભારત સરકાર (1994)ના ચુકાદાનો ઉલ્લેખ કર્યો, જેમાં અયોધ્યા વિસ્તાર સંપાદન અધિનિયમ, 1993ની માન્યતા અને રાષ્ટ્રપતિના સંદર્ભની સુનાવણી થઈ હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે 67 એકર જમીનના સંપાદનને કાયદેસર ઠેરવ્યું હતું, પરંતુ જસ્ટિસ અહમદીએ અસહમતી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ કાયદો ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્ષ 2019નો રામજન્મભૂમિનો ચૂકાદો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને રામ જન્મભૂમિ કેસ (2019)ના અંતિમ ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો. જેમાં તત્કાલિન CJI રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે સર્વસંમતિથી ચુકાદો આપ્યો હતો કે અયોધ્યામાં 2.77 એકરની સમગ્ર વિવાદિત જમીન રામ મંદિરના નિર્માણ માટે સોંપવામાં આવે. સાથે જ સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદના નિર્માણ માટે 5 એકર વૈકલ્પિક જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, કોર્ટે એમ પણ કહ્યું હતું કે 1992માં મસ્જિદ તોડી પાડવી એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન હતું. ન્યાયાધીશ નરીમને આ નિર્ણયની ટીકા કરતા કહ્યું, "કોર્ટે સ્વીકાર્યું કે મુસ્લિમોએ 1857 થી 1949 સુધી ત્યાં નમાજ અદા કરી હતી. પરંતુ એમ કહેવાયું કે તેઓ આ સ્થળ પર ‘એકમાત્ર કબ્જેદાર’ તરીકેનો દાવો નથી કરી શકતા, ભલેને હિંદુ પક્ષે અનેકવાર કાયદાથી વિપરીત કામો કર્યા હોય. તેમ છતાં કોર્ટે આખી જગ્યા હિંદુ પક્ષને સોંપી દીધી. આ ન્યાયની મોટી મજાક છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને આ નિર્ણય વિશે કહ્યું કે, "મસ્જિદ 1528માં બનાવવામાં આવી હતી અને ત્યારથી તે મસ્જિદ તરીકે અસ્તિત્વમાં હતી. પરંતુ તે 1853માં પહેલીવાર તેમાં વિવાદ થયો. જેવી બ્રિટિશ સામ્રાજ્યએ 1858માં ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી સત્તા સંભાળી કે તરત અંદર અને બહાર એક દિવાલ ઉભી કરી દેવામાં આવી. આ દિવાલ પછી અંદરના ભાગમાં મુસ્લિમો નમાઝ પઢતા હતા અને બહાર હિંદુઓ પૂજા કરતા હતા. આ તથ્ય નોંધાયેલું છે કે 1857થી લઈને 1949 સુધી બંને પક્ષોની પ્રાર્થનાઓ થતી રહેતી હતી. પરંતુ 1949માં કેટલાક લોકોએ મસ્જિદમાં ઘૂસીને અંદર મૂર્તિઓ સ્થાપિત કરી દીધી, ત્યારબાદ મુસ્લિમોની નમાજ બંધ થઈ ગઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ASI રિપોર્ટ અને ઐતિહાસિક સંદર્ભ </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2003માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ રિપોર્ટમાં વિવિધ ધર્મોની પ્રાચીન વસ્તુઓ મળી આવી હતી, જેમાં શૈવ, બૌદ્ધ અને જૈન સંસ્કૃતિના ચિહ્નો પણ હતા. જસ્ટિસ નરીમને ધ્યાન દોર્યું કે સુપ્રીમ કોર્ટને જાણવા મળ્યું હતું કે "બાબરી મસ્જિદની નીચે કોઈ રામ મંદિર નથી." તેમ છતાં કોર્ટે ટિપ્પણી કરી કે 1857 થી 1949 વચ્ચે એ સ્થળ પર મુસ્લિમોને "વિશિષ્ટ અધિકારો" નથી, કારણ કે તે સ્થળ વિવાદિત હતું. તેમણે કહ્યું કે, કોર્ટે સ્વીકાર્યું હતું કે, આ જગ્યાએ હિંદુ પક્ષે કાયદાનો ભંગ કર્યો છે અને તેથી આ કેસમાં કોઈ એકપક્ષીય દાવો કરી શકાય નહીં." </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિનસાંપ્રદાયિકતાની અવગણના પર રોષ ઠાલવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને ભારપૂર્વક જણાવ્યું કે, "દરેક વખતે હિન્દુ પક્ષે કાયદાનું ઉલ્લંઘન કર્યું, પરંતુ તેનું પરિણામ મસ્જિદના પુન:નિર્માણને બદલે માત્ર વૈકલ્પિક જમીન આપવા તરીકે સામે આવ્યું. આ સેક્યુલરિઝમ સાથે અન્યાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે પણ કાયદાનું ઉલ્લંઘન થયું છે, તે હિન્દુ પક્ષ દ્વારા થયું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, "શું ન્યાયનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું? આ ચુકાદામાં કોઈ પણ રીતે બિનસાંપ્રદાયિકતાનો આદર કરવામાં આવ્યો નહોતો, જે મારા વ્યક્તિગત મતે ન્યાયનું એક મોટું અપમાન છે. તેમણે બાબરી ધ્વંસ ષડયંત્ર કેસનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું, "આ ચુકાદો આપનાર ન્યાયાધીશની નિવૃત્તિ પછી ઉત્તર પ્રદેશના ઉપ-લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે આપણા દેશની સ્થિતિ દર્શાવે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/appeal-in-supreme-court-against-the-places-of-worship-act-of-1991">નવું કાવતરું: 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ સુપ્રીમમાં અપીલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Dec 2024 21:20:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1662</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ આર.એફ. નરિમાને બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67531bce8d411.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67531bce5c5a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67531bce5c5a7.jpg" length="43213" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ram mandir ayodhya babri masjid, Judge R.F. Narima</media:keywords>
                </item>
                        <item>
                    <title>મુસ્લિમ ડોક્ટરને મંદિર સામેનું ઘર વેચતા આખી કોલોની વિરોધમાં ઉતરી</title>
                    <link>https://khabarantar.com/entire-colony-protests-sale-of-house-opposite-temple-to-muslim-doctor-in-moradabad</link>
                    <guid>https://khabarantar.com/entire-colony-protests-sale-of-house-opposite-temple-to-muslim-doctor-in-moradabad</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદીઓ હિંદુઓની માંગ છે કે મુસ્લિમ મહિલા ડોક્ટરને વેચવામાં આવેલું મકાન પાછું લેવામાં આવે અને તે કોઈ હિંદુને વેચવામાં આવે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો હવે ખૂલીને સામે આવવા લાગ્યા છે. ખાસ કરીને મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં એક સમયે તેને બંધારણમાં રહેલી ધર્મનિરપેક્ષતા અને અન્ય કાયદાકીય જોગવાઈઓની બીક હતી. પરંતુ જાતિવાદીઓને પંપાળતા લોકો સત્તામાં મજબૂત થતાની સાથે જ હવે ગેરબંધારણીય અને લોકશાહી વિરોધી બાબતો જાહેરમાં થવા માંડી છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીડીઆઈ સિટીને યુપીના મુરાદાબાદમાં સૌથી પોશ કોલોની કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં એક મકાનના વેચાણને લઈને હોબાળો થયો છે. આ ઘર ડૉ. અશોક બજાજનું હતું અને તેણે તેને ડૉ. ઇકરા ચૌધરીને વેચી દીધું હતું. બસ આ વાતને લઈને કોલોનીના જાતિવાદી હિંદુઓમાં હોબાળો મચી ગયો છે. આ મામલે કોલોનીના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. આ ઘર ઇકરા ચૌધરી પાસેથી પાછું લઇ લેવામાં આવે અને તેનો માલિક હિંદુ સમુદાયમાંથી આવતો વ્યક્તિ બને તેવી માંગ કરવામાં આવી છે. કોલોનીના રહીશો આ માટે અધિકારીઓ અને નેતાઓ સુધી પહોંચ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે TDI સિટી કોલોનીના રહેવાસી અરવિંદ અગ્રવાલે કહ્યું, "અહીં 450 ઘરો હિન્દુઓના છે, જેમાં 1700 થી 1800 લોકો રહે છે. ડૉ. અશોક બજાજ કોલોનીમાં રહેતા હતા અને તેમણે આ ઘર ઈકરા ચૌધરીને વેચી દીધું હતું. જ્યારે આ કોલોનીની સ્થાપના કરવામાં આવી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે અહીં અન્ય કોઈ બીજા સમાજની કોઈ વ્યક્તિને ઘર ફાળવવામાં આવશે નહીં. તેમ છતાં તેમણે ઈકરા ચૌધરીના નામની નોંધણી કરાવી લીધી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/order-to-register-fir-against-those-calling-for-economic-boycott-of-Muslims">મુસ્લિમોના આર્થિક બહિષ્કારની હાકલ કરનારા સામે FIR નોંધવા આદેશ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરવિંદ અગ્રવાલ વધુમાં કહે છે કે, "ઘર મંદિરની સામે જ છે. તેથી તંત્ર પાસે દરેકની માંગ છે કે જે સમાજની વ્યક્તિ પાસેથી આ ઘર લેવામાં આવ્યું છે તે વ્યક્તિને તે પરત કરવામાં આવે. જે પૈસા તેણે ડોક્ટર બજાજને આપ્યા છે તેટલા પૈસા કોલોનીવાળા તેને દેવા તૈયાર છે. લોકોનું કહેવું છે કે વસાહતની સ્થાપના સમયે નિર્ણય લેવામાં આવ્યો હતો કે અહીં કોઈ અન્ય સમાજની વ્યક્તિને ઘર આપવામાં નહીં આવે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરવિંદ અગ્રવાલે એમ પણ કહ્યું કે, "હિંદુ-મુસ્લિમ ભાઈચારાને ઠેસ ન પહોંચે તેની ખાતરી કરવા માટે અમે આ મામલે એડીએમ સિટી, એસપી સિટી અને ભાજપના ધારાસભ્ય રિતેશ ગુપ્તા સાથે વાત કરી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે તેઓ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરશે. અમારી સુનાવણી તંત્ર સુધી પહોંચે અને તેઓ સમસ્યાનો ઉકેલ લાવે તે માટે આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર મામલે મુરાદાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ કુમાર સિંહનું નિવેદન પણ આવ્યું છે. તેમનું કહેવું છે કે ટીડીઆઈ સિટીના લોકોએ ફરિયાદ કરી છે કે કોઈ ચોક્કસ વ્યક્તિએ અન્ય ધર્મની વ્યક્તિને મકાન વેચી દીધું છે. આ અંગે ત્યાંના લોકોને વાંધો હતો. ડીએમના જણાવ્યા અનુસાર, "આ મામલો તંત્ર અને પોલીસના ધ્યાને છે અને તમામ પક્ષો સાથે સતત વાતચીત ચાલી રહી છે. અમારો પ્રયાસ છે કે ઉકેલ દરેકની સહમતિથી બને અને માહોલ ન બગડે." અનુજ કુમાર સિંહે વધુમાં જણાવ્યું હતું કે તેઓ તમામ લોકોના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં તેનો ઉકેલ આવી જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/pm-modi-made-anti-muslim-statements-in-110-out-of-173-election-speeches">PM મોદીએ 173 ચૂંટણી ભાષણો પૈકી 110માં મુસ્લિમ વિરોધી નિવેદનો કર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Dec 2024 13:50:17 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1661</Articleid>
                    <excerpt>જાતિવાદીઓ હિંદુઓની માંગ છે કે મુસ્લિમ મહિલા ડોક્ટરને વેચવામાં આવેલું મકાન પાછું લેવામાં આવે અને તે કોઈ હિંદુને વેચવામાં આવે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6752b3a5e3272.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6752b3a5addca.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6752b3a5addca.jpg" length="112246" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>TDI city Moradabad, Entire colony protests, sale of house, opposite temple, Muslim doctor</media:keywords>
                </item>
                        <item>
                    <title>બજરંગ દળના કાર્યકરોએ દલિત પ્રોફેસરને ઓફિસમાં ઘૂસી માર્યા</title>
                    <link>https://khabarantar.com/bajrang-dal-workers-barge-into-dalit-professors-office-and-beat-him-up</link>
                    <guid>https://khabarantar.com/bajrang-dal-workers-barge-into-dalit-professors-office-and-beat-him-up</guid>
                    <description>
                        <![CDATA[ ડીન જેવા પ્રતિષ્ઠિત હોદ્દા પર રહેલા પ્રોફેસર સાથે બજરંગ દળના કાર્યકરોએ મારામારી કરી, જેમાં પ્રોફેસર ઘાયલ થઈ ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારથી આરએસએસ સાથે જોડાયેલો પક્ષ સત્તામાં આવ્યો છે ત્યારથી બજરંગદળ, વીએચપી જેવા કથિત સંગઠનોના મનમાંથી જાણે કાયદો-વ્યવસ્થાનો ડર ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ છે. સામાન્ય માણસ જે કરતા કાયદાનો ડર અનુભવે તેવું કૃત્ય આ લોકો જાહેરમાં અને ખૂલ્લેઆમ કરતા ખચકાતા નથી. જાણે લોકોને સંદેશો ન આપતા હોય કે, સરકાર અમારી છે અને અમારું કોઈ કશું કરી લે તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીએચપી, બજરંગ દળ સહિતના સંગઠનોના નામે કાયદો વ્યવસ્થાને પડકારતા અનેક કારનામા બોલે છે અને તેમાં વધુ એક ઉમેરો આંધ્રપ્રદેશમાં થયો છે. અહીં તિરુપતિની શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીના કેમ્પસમાં બુધવારે એક દલિત પ્રોફેસર ડૉ. ચંગૈયા પર જમણેરી જૂથના સભ્યો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. ડૉ. ચાંગૈયા, જેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના ડીન છે, અને સામાજિક ન્યાય તથા દલિત અધિકારો માટે તેમની સક્રિયતા માટે જાણીતા છે, તેમની સાથે આ બન્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના ત્યારે ઘટી જ્યારે બજરંગ દળ સાથે જોડાયેલા હોવાનું કહેતા કેટલાક લોકો યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી ગયા અને ડૉ. ચંગૈયા સાથે દલીલ કરવા લાગ્યા. થોડા સમય પછી દલીલ મારામારીમાં ફેરવાઈ ગઈ, જેમાં પ્રોફેસર ઘાયલ થઈ ગયા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હુમલાથી દલિત સમાજના લોકોની સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે, કારણ કે એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે. અગાઉ 27 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં 27 વર્ષીય દલિત યુવક નારદ જાટવને ખેતરમાં પાણી વાળતી વખતે ગામના સરપંચ અને તેના સાગરિતોએ મળીને હત્યા કરી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય એક ઘટનામાં લખનૌ યુનિવર્સિટીના એક દલિત આસિસ્ટન્ટ પ્રોફેસર પર કેમ્પસમાં સમાજવાદી છાત્ર સભાના સભ્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ આ જ પ્રોફેસર પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યકરો દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, આ બાબતોમાં યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાઓએ શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સ્થળોએ દલિત સમાજના લોકો સામે વધતી હિંસાને ઉજાગર કરી છે. જે કાનૂની કાર્યવાહી અને સંસ્થાકીય જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/in-the-up-by-elections-rss-workers-will-explain-the-reservation-constitution-issue-to-dalits"> યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત-બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Dec 2024 11:43:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1660</Articleid>
                    <excerpt>ડીન જેવા પ્રતિષ્ઠિત હોદ્દા પર રહેલા પ્રોફેસર સાથે બજરંગ દળના કાર્યકરોએ મારામારી કરી, જેમાં પ્રોફેસર ઘાયલ થઈ ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675295052fc4c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67529504ec5f1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67529504ec5f1.jpg" length="82603" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, Lucknow University</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાએ મજૂરી કરી બે દીકરીઓને કુસ્તીબાજ બનાવી</title>
                    <link>https://khabarantar.com/dalit-woman-works-as-a-laborer-and-makes-her-two-daughters-wrestlers</link>
                    <guid>https://khabarantar.com/dalit-woman-works-as-a-laborer-and-makes-her-two-daughters-wrestlers</guid>
                    <description>
                        <![CDATA[ ખાધેપીધે સુખી સવર્ણ પરિવારમાં જન્મેલી કુસ્તીબાજ ગીતા-બબીતાની કહાની તમે જાણતા હશો. હવે એક દલિત મજૂર મહિલાની દીકરીઓ મુસ્કાન અને કાજલ વિશે પણ જાણી લો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા તેના કટ્ટર જાતિવાદની સાથે કુશ્તીના કારણે પણ જાણીતું છે. આમીર ખાનની ફિલ્મ દંગલ બાદ અહીંના સવર્ણ જાટ પરિવારની બે દીકરીઓ ગીતા-બબીતાની સાથે તેની બહેન વિનેશ ફોગાટને પણ હવે સૌ ઓળખે છે. સવર્ણ જાતિમાં જન્મી હોવાથી ત્રણેય અમુક હક-અધિકારો અને સુવિધાઓ આપમેળે મળી ગયા હતા. હવે તો લોકલાગણીનો ફાયદો ઉઠાવીને આ ફોગાટ બહેનો કુશ્તીમાંથી નિવૃત્તિ લઈને ભાજપ અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય પણ બની ગઈ છે. તેમના પરિવાર પાસે ઘણી બધી ખેતીની જમીન પણ છે અને સરકારી ક્વોટામાંથી પણ તેઓ ભરપૂર લાભ મેળવે છે. આટલી બધી સગવડો કોઈ દલિત-આદિવાસી કે ઓબીસીને ક્યારેય મળતી નથી. કમનસીબે રાજકીય પક્ષો પણ તેમની જાતિના કારણે તેમને મહત્વ આપતા નથી. પરિણામે આ ત્રણેય જાતિના લોકોએ તેમની લડાઈ જાતે જ લડવી પડે છે. આ કહાની પણ આવી જ છે, જેમાં એક દલિત મજૂર મહિલા તેની દીકરી અને પૌત્રીને કુશ્તીબાજ બનાવવા માટે તનતોડ મજરી કરીને પણ સતત લાગેલી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મજૂરીના પૈસામાંથી કુશ્તીની તાલીમની ફી ભરે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાના દાદરીમાં રહેતી સુશીલા અને તેમના પતિ ખેતમજૂરી કરે છે અને તેમના પરિવારની બે દીકરીઓ મુસ્કાન અને કાજલને કુશ્તીબાજ બનાવવા મહેનત કરી રહી છે. આર્થિક સંકટ વચ્ચે પણ આ પરિવાર બંને દીકરીઓના ભવિષ્યને લઈને કોઈ કસર બાકી છોડવા માંગતો નથી. સુશીલાની દીકરી મુસ્કાનને એક દિવસ તેની સ્કૂલના શિક્ષકે કોઈપણ પ્રકારની તાલીમ વિના હિસારમાં યોજાયેલી કુશ્તી સ્પર્ધામાં ભાગ લેવા મોકલી દીધી હતી. જ્યાં આ 'ભીમ કી બેટી' સિલ્વર મેડલ લઈ આવી હતી. તેની આ સફળતા જોઈને તેના શિક્ષકે તેની માતા અને પરિવારને મુસ્કાનને કુશ્તીમાં આગળ વધારવા માટે વિનંતી કરી. તેમની એ વિનંતી તેની માતા સુશીલાએ માની લીધી અને બંને દીકરીઓને કુશ્તીની તાલીમ આપવાનું શરૂ કર્યું. એ પછી યોજાયેલી રાજ્ય સ્તરની કુશ્તી સ્પર્ધામાં તેણે ફરી મેડલ જિત્યો એટલે સુશીલાએ તેને વધુ આકરી તાલીમ આપવાનું શરૂ કર્યું છે. હાલ સુશીલા તેની પુત્રી મુસ્કાન અને પૌત્રી કાજલને કુશ્તીની તાલીમ અપાવવા માટે રાજસ્થાનના ભરતપુરના મહારાણી કિશોરી કેસરી દંગલમાં લઈને આવી છે. દલિત દીકરીઓ મુસ્કાન અને કાજલનું સપનું છે કે, તેઓ દેશ તરફથી ઓલિમ્પિકમાં મેડલ જીતે અને ભારતને ગૌરવ અપાવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પરિવાર મજૂરી કરે છે, દીકરી દંગલની પ્રેક્ટિસ કરે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં આયોજિત અખિલ ભારતીય મહારાણી કિશોરી કેસરી દંગલમાં સુશીલા તેની પુત્રી મુસ્કાન અને પૌત્રી કાજલ સાથે પહોંચી હતી. મુસ્કાન અને કાજલ બંનેએ કુસ્તીમાં રાજ્ય કક્ષાએ મેડલ જીત્યા છે. સુશીલાએ જણાવ્યું કે તે, તેના પતિ, પુત્ર અને પુત્રવધૂ બધા મજૂરી કરે છે, તેમ છતાં તેઓ તેમની પુત્રીઓ અને પૌત્રીઓને કુસ્તીની તાલીમ આપી રહ્યા છે. સુશીલાએ જણાવ્યું કે તેઓ જે કંઈ કમાય છે તેનો ઉપયોગ તેઓ તેમની દીકરીઓને કુસ્તી માટે તૈયાર કરવા માટે કરે છે. સુશીલાએ એ પણ જણાવ્યું કે એકવાર તેમની દીકરી મુસ્કાનને સ્કૂલના શિક્ષકે કોઈ તૈયારી વિના હિસારમાં કુસ્તી લડવા માટે મોકલી હતી. એમાં મુસ્કાનને સિલ્વર મેડલ જિત્યો હતો એ પછી તેને કુશ્તીમાં રસ પડ્યો અને ત્યારથી તે નિયમિતપણે તેની પ્રેક્ટિસ કરવા લાગી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્કાન એ દિવસ યાદ કરતા કહે છે કે, તે પાંચમા ધોરણમાં હતી ત્યારની એ વાત છે. શિક્ષકે તેને કહ્યું કે, તું કુસ્તી લડવા જઈશ અને મેં હા પાડી દીધી. હું કોઈપણ પ્રકારની તૈયારી વિના ત્યાં ભાગ લેવા પહોંચી ગઈ. મારો પરિવાર મજૂરી કરે છે એટલે અમારે તો જિંદગી અને જાતિવાદ બંને સામે દરરોજ કુસ્તી લડવાની હોવાથી અમને સંઘર્ષની જરાય નવાઈ નથી. કદાચ એટલે જ હું એ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી લાવી હતી. એ પછી મેં કદી પાછું વળીને જોયું નથી. મેં નિયમિત રેસલિંગની પ્રેક્ટિસ શરૂ કરી. મારું સપનું ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવાનું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાજલને ઈન્ડિયન આર્મીમાં જવું છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુશીલાની પૌત્રી કાજલે કહે છે કે, તેણે એક વર્ષ પહેલા તેની કાકી મુસ્કાનને જોઈને કુસ્તી શરૂ કરી હતી. હવે તે પણ રાજ્ય સ્તરે મેડલ જીતીને ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું સેવીને તૈયારીઓ કરી રહી છે. કાજલનું સપનું ઈન્ડિયન આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવાનું છે. બહુજન સમાજની આ દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ક્રાંતિકારી જય ભીમ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Siddhi-of-Neha-Chauhan-from-Jamnagar,-Valmiki-became-the-first-air-hostess-from-the-community">જામનગરની નેહા ચૌહાણની સિદ્ધી, વાલ્મિકી સમાજમાંથી પ્રથમ એર હોસ્ટેસ બની</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Dec 2024 10:30:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1659</Articleid>
                    <excerpt>ખાધેપીધે સુખી સવર્ણ પરિવારમાં જન્મેલી કુસ્તીબાજ ગીતા-બબીતાની કહાની તમે જાણતા હશો. હવે એક દલિત મજૂર મહિલાની દીકરીઓ મુસ્કાન અને કાજલ વિશે પણ જાણી લો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675284373231f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67528436f3f92.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67528436f3f92.jpg" length="81600" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>wrestlers, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>આજે 68મા મહાપરિનિર્વાણ દિવસે SSD દ્વારા સુરતમાં મહારેલી</title>
                    <link>https://khabarantar.com/on-the-68th-mahaparinirvana-day-a-grand-rally-was-held-in-surat-by-ssd</link>
                    <guid>https://khabarantar.com/on-the-68th-mahaparinirvana-day-a-grand-rally-was-held-in-surat-by-ssd</guid>
                    <description>
                        <![CDATA[ ડૉ.બાબાસાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે દેશભરમાં ભીમ યોદ્ધાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાનાર છે. સૌથી મોટો કાર્યક્રમ SSD દ્વારા સુરતમાં યોજાશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકરનો 68મો મહાપરિનિર્વાણ દિવસ છે. આજના દિવસે બહુજન સમાજના ઉદ્ધારક મહાનાયક બાબાસાહેબે અંતિમ શ્વાસ લીધા હતા. આ દિવસે દેશભરમાં બહુજન સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં પણ લગભગ તમામ શહેરો અને નાના કસ્બાઓમાં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌથી મોટો કાર્યક્રમ આ વખતે સુરતમાં યોજાઈ રહ્યો છે. જ્યાં સ્વયં સૈનિક દળ (SSD) દ્વારા જંગી ભીમ રેલી અને મહા સલામીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય એસએસડીના તમામ યુનિટ દ્વારા દરેક શહેરો, ગામડાઓમાં પણ આ જ પ્રકારના શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરતના કાર્યક્રમની વાત કરીએ તો વહેલી સવારે 9 વાગ્યે ભીમ રેલીનું પ્રસ્થાન શ્યામધામ મંદિર કામરેજ રોડથી થશે. આ જંગી રેલીમાં એસએસડી રીતસરનું શક્તિ પ્રદર્શન કરશે. આ ભીમ રેલીમાં 500 જેટલી વોલ્વો બસ, 1400થી વધુ કાર અને 3000થી વધુ બાઈક તથા અન્ય વાહનો જોડાશે. રેલી સવારે 9 વાગ્યે શરૂ થશે. ત્યારબાદ વીઆઈપી સર્કલ મોટા વરાછા ખાતે મહા સલામીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યાં મહાનાયક ડો.આંબેડકરને ગુજરાતભરમાંથી આવેલા એસએસડીના કાર્યકરો અને ભીમયોદ્ધાઓ સલામી આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ બપોરે 2.00 વાગ્યાથી 4.00 વાગ્યા સુધી કેપિટલ ગ્રાઉન્ડ, વીઆઈપી સર્કલની બાજુમાં, મોટા વરાછા ખાતે જંગી મહાસભાનું આયોજન કરાયું છે. જેમાં પણ હજારો લોકો ઉમટી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, એસએસડી ગુજરાત સહિત દેશભરમાં ડો.આંબેડકરની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતું સૌથી મોટું સંગઠન છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, અહીં કોઈ નેતા નથી, સૌ કાર્યકરો છે અને એટલે જ તેના કાર્યક્રમોમાં હાજર રહેતો સ્વયંસેવક સ્વખર્ચે ત્યાં પહોંચે છે. SSD આ પ્રકારના કાર્યક્રમો દરમિયાન ભવિષ્યના કાર્યક્રમોની રૂપરેખા પણ આપતું હોય છે. એ મુજબ આગામી ચાર વર્ષમાં 6ઠ્ઠી ડિસેમ્બરના કાર્યક્રમો હવે ભૂજ, ગોધરા અને પાટણ ખાતે યોજાશે. જ્યારે 14મી એપ્રિલનું રાષ્ટ્રીય સ્તરનું આયોજન વર્ષ 2025માં કલકત્તામાં, 2026માં ભોપાલમાં અને 2027માં બેંગલુરુમાં થશે. જ્યારે વર્ષ 2028માં ચૈત્યભૂમિ દાદર-મુંબઈમાં 2 કરોડ મૂળનિવાસીઓ એકસાથે બૌદ્ધ ધર્મ અંગિકાર કરશે તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમોમાં એસએસડીનું માઈક્રો મેનેજમેન્ટ અને કાર્યકરોનું સમર્પણ સ્પષ્ટ રીતે ઉડીને આંખે વળગે છે. જેમાથી અન્ય સંગઠનો પણ ઘણું બધું શીખી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/6th-December-Special:-There-is-a-difference-between-Nirvana,-Parinirvana-and-Mahaparinirvana">6th December Special: નિર્વાણ, પરિનિર્વાણ અને મહાપરિનિર્વાણમાં ફરક છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Dec 2024 08:36:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1658</Articleid>
                    <excerpt>ડૉ.બાબાસાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે દેશભરમાં ભીમ યોદ્ધાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાનાર છે. સૌથી મોટો કાર્યક્રમ SSD દ્વારા સુરતમાં યોજાશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675268b6b927a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675268b68119c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675268b68119c.jpg" length="152762" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkar mahaparinirvan din, mahaparinirvan din 2024</media:keywords>
                </item>
                        <item>
                    <title>નવું કાવતરું: 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ સુપ્રીમમાં અપીલ</title>
                    <link>https://khabarantar.com/appeal-in-supreme-court-against-the-places-of-worship-act-of-1991</link>
                    <guid>https://khabarantar.com/appeal-in-supreme-court-against-the-places-of-worship-act-of-1991</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરમાં જે રીતે મસ્જિદો નીચે મંદિર હોવાની એક પછી એક અરજીઓ થઈ રહી છે, તેમાં આ કાયદાનો ઉલ્લેખ ચોક્કસ જોવા મળે છે. હવે તેની સામે જ સુપ્રીમમાં અપીલ થઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટમાં ૧૯૯૧ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી દાખલ કરનાર એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, જમીયત-ઉલેમા-એ-હિંદ અને કેટલાક અન્ય લોકો વતી આ કાયદા વિશે કહેવામાં આવે છે કે આ અંતર્ગત તમે રામ મંદિર સિવાય અન્ય કોઈ કેસમાં કોર્ટનો સંપર્ક કરી શકતા નથી, આ ખોટું છે. આ કાયદા હેઠળ કટ ઓફ ડેટ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ રાખવામાં આવી છે. પરંતુ તે ૭૧૨ AD હોવી જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે મોહમ્મદ બિન કાસિમે ૭૧૨માં હુમલો કર્યો હતો. ત્યારપછી હુમલા ચાલુ રહ્યા અને મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા તેથી, જો કોઈ તારીખ નક્કી કરવી હોય તો તે ૭૧૨ની હોઈ શકે છે, તેના પછી ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૈને કહ્યું કે, આ એક્ટ અંતર્ગત કટ ઓફ ડેટ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ નક્કી કરવી એ ગેરબંધારણીય છે. સંસદ એવો કાયદો કેવી રીતે બનાવી શકે, જે લોકોના કોર્ટમાં જવાના મૂળભૂત અધિકારને નકારે છે. આ બંધારણની મૂળ ભાવનાની પણ વિરુદ્ધ છે. આ કાયદો બંધારણની કલમ ૧૪,૧૫, ૧૯,૨૧ અને ૨૫માં આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ કાયદાને પડકારતી અરજી માર્ચ ૨૦૨૧માં જ દાખલ કરવામાં આવી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. એ પછી તેણે તમામ અરજીઓ એકસાથે સાંભળવાનું નક્કી કર્યું હતું. આજે ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, વર્ષ 1991માં જ્યારે રામ મંદિર આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ લાવવામાં આવ્યો હતો. આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે રામ મંદિર સિવાય અન્ય તમામ ધાર્મિક સ્થળોમાં ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ની સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં આવે. એટલે કે જો ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ મસ્જિદ હતી તો તેને સમાન ગણવી જોઈએ અને જો મંદિર હતું તો તેની રચનામાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ. આ મામલે કોર્ટનો સંપર્ક કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાની ચર્ચા છે. હવે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે આ એક્ટ પોતે જ ગેરબંધારણીય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/some-illusions-and-lies-spread-about-wakf-board">વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Dec 2024 21:31:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1657</Articleid>
                    <excerpt>દેશભરમાં જે રીતે મસ્જિદો નીચે મંદિર હોવાની એક પછી એક અરજીઓ થઈ રહી છે, તેમાં આ કાયદાનો ઉલ્લેખ ચોક્કસ જોવા મળે છે. હવે તેની સામે જ સુપ્રીમમાં અપીલ થઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6751cd31b365e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6751cd318051a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6751cd318051a.jpg" length="43390" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>The Places Of Worship (Special Provisions) Act-1991, supreme court</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહેસાણામાં યુવકની જાણ બહાર નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું</title>
                    <link>https://khabarantar.com/a-young-man-was-sterilised-without-his-knowledge-in-mehsana</link>
                    <guid>https://khabarantar.com/a-young-man-was-sterilised-without-his-knowledge-in-mehsana</guid>
                    <description>
                        <![CDATA[ વગડામાં રહેતા ગરીબ યુવકને દારૂ પીવડાવી હોસ્પિટલ લવાયો, બીજા દિવસે નસબંધી થઈ હોવાની ખબર પડી. યુવકના એક મહિના પછી લગ્ન થવાના હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી જે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે તે જોતા એવું લાગે જાણે કોઈ ધણીધોરી જ નથી. ખ્યાતિ જેવી કોર્પોરેટર હોસ્પિટલો કતલખાનું હોય તેમ દર્દીઓની બિનજરૂરી સર્જરીઓ કરીને કરોડો રૂપિયા ઓળવી જાય છે. ટાર્ગેટ પુરો કરવાની લ્હાયમાં આવી જ એક ઘટના મહેસાણામાંથી સામે આવી છે. જ્યાં એક ગરીબ યુવકનું તેની જાણ બહાર નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, યુવકના આવતા મહિને લગ્ન થવાના હતા. સમગ્ર મામલે યુવકના પરિવારે હોબાળો મચાવતા જવાબદારોએ ઓપરેશન ખોલવાની હિલચાલ શરૂ કરી હોવાની માહિતી મળી છે. આરોગ્ય વિભાગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6751bd8883fcc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે મહેસાણાના નવી શેઢાવી ગામમાં વગડામાં રહેતા 31 વર્ષના આ ગરીબ યુવાનને વાડીમાંથી ચીકુ, જામફળ ઉતારવાના છે એમ કહી મજૂરીએ લઈ જવાયો હતો, જ્યાં તેને દારૂ પીવડાવી નશો ચડ્યો એટલે નસબંધીનું ઓપરેશન કરી દીધાનો આક્ષેપ છે. ચોંકી જવાય તેવી વાત એ છે કે, યુવકને બીજા દિવસે ખ્યાલ આવ્યો કે તેનું નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને મહેસાણા જિલ્લા આસિસ્ટન્ટ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે, યુવકને સૂરજ PHCના ધનાલી ગામના મેન હેલ્થવર્કર શેહજાદ અજમેરી લઈ ગયા હતા. યુવકને અડાલજ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે સરકારી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ એકબીજા અધિકારી પર ખો આપતા જોવા મળ્યા. સમગ્ર મામલે ઉપરી અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં જિલ્લાના આરોગ્ય વિભાગને દર વર્ષે 175 પુરુષોની નસબંધી કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. આ ટાર્ગેટ પુરો કરવા માટે પુરુષોને ગેરમાર્ગે દોરીને અથવા છેતરીને ઓપરેશન કરી દેવામાં આવે છે. આ ગંભીર મામલે યોગ્ય તપાસ થાય તો આવા અન્ય પુરુષોની વિગતો પણ સામે આવે તેવી શક્યતા છે. જો કે, હાલત તો આરોગ્ય વિભાગના બેદરકાર અધિકારીઓના ટાર્ગેટ પૂર્ણ કરવાની લાલચમાં એક નિર્દોષ ગરીબ યુવકનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-youth-from-amraiwadi-dies-after-stent-placement-at-bjp-leaders-hospital">અમરાઈવાડીના દલિત યુવકનું ભાજપ નેતાની હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Dec 2024 20:22:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1656</Articleid>
                    <excerpt>વગડામાં રહેતા ગરીબ યુવકને દારૂ પીવડાવી હોસ્પિટલ લવાયો, બીજા દિવસે નસબંધી થઈ હોવાની ખબર પડી. યુવકના એક મહિના પછી લગ્ન થવાના હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6751bd73991f6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6751bd7363a9f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6751bd7363a9f.jpg" length="79629" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mehsana News, Sterilization operation</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવક શિવ મંદિરમાં જળ ચઢાવવા ગયો, જાતિવાદીઓએ મોં પર પેશાબ કર્યો</title>
                    <link>https://khabarantar.com/casteists-urinated-on-dalit-youth-who-went-to-offer-water-at-shiva-temple-in-meerut</link>
                    <guid>https://khabarantar.com/casteists-urinated-on-dalit-youth-who-went-to-offer-water-at-shiva-temple-in-meerut</guid>
                    <description>
                        <![CDATA[ યુવક મોટા ઉપાડે હિંદુ બનીને મંદિરમાં પ્રસાદ ચડાવવા ગયો હતો. જાતિવાદી તત્વો તેને જોઈ ગયા અને હાથ ભાંગી નાખ્યો. એ પછી મોં પર પેશાબ કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના મેરઠમાં એક દલિત યુવકને હિંદુ બનીને મંદિરમાં ભગવાનને પ્રસાદ ચડાવવા જવું ભારે પડી ગયું. જાતિવાદી તત્વો યુવકને મંદિરમાં પ્રવેશતા જોઈ ગયા અને તરત તેને પકડીને મારવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, લુખ્ખા તત્વોએ તેના મોં પર પેશાબ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મેરઠના જાની પોલીસ સ્ટેશનની છે. અહીં કુરાલી ગામમાં એક દલિત યુવકે સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે જ્યારે તેણે મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો ત્યારે ગુંડાઓએ તેને નિર્દયતાથી માર્યો, તેનો હાથ તોડી નાખ્યો અને તેના ચહેરા પર પેશાબ કર્યો. દલિત યુવકનો આરોપ છે કે તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી પરંતુ કાર્યવાહી ન થઈ. એટલે તેણે એસએસપી ઓફિસમાં ફરિયાદ કરી છે અને ત્યાંથી કાર્યવાહીના આશ્વાસન સાથે તપાસના આદેશ અપાયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">1 ડિસેમ્બરની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">એસએસપીને આપેલી ફરિયાદમાં યુવકે જણાવ્યું હતું કે તે કડિયાકામ કરે છે. 1લી ડિસેમ્બરે તે ગંગા સ્નાન કરવા ગઢમુક્તેશ્વર ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે તે ગઢગંગાનું પાણી લાવ્યો હતો અને પોતાના ગામ કુરાલીમાં આવેલા શિવ મંદિરમાં તે ગંગા જળ ચઢાવવા ગયો હતો. એ વખતે ગામના દીપુ ઉર્ફે શિવા, નિશાંત, આકાશ અને કેટલાક અજાણ્યા યુવકો રસ્તામાં આવી પહોંચ્યા અને તેની સાથે મારામારી કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેમ તેમ કરીને જીવ બચાવી ભાગ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત યુવકનો આરોપ છે કે આ લોકોએ તેને રસ્તામાં રોક્યો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને જાતિ સંબંધિત ગાળો ભાંડી. એટલું જ નહીં તેની પાસે રહેલા પૈસા અને મોબાઈલ પણ લૂંટી લીધો હતો. યુવકનો આરોપ છે કે, આ લોકોએ તેને લાકડીથી ફટકારીને નાળામાં ફેંકી દીધો હતો, જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. યુવકે કહ્યું કે, આરોપીઓએ તેના મોં પર પેશાબ પણ કર્યો હતો. આ બધી ઘટનાઓથી ગભરાઈને તે જેમતેમ કરીને ત્યાંથી ભાગી છુટ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોએ જાનથી મારી નાખવાની ધમકી આપી</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત યુવકનું કહેવું છે કે તેણે આરોપી વિરુદ્ધ જાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કાર્યવાહીની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી પોલીસે ગુનો નોંધ્યો નથી. જ્યારે આરોપીઓને તે પોલીસ ફરિયાદ કરવા ગયો હતો તેની જાણ થઈ ત્યારે તેમણે તેને ધમકી આપી હતી. યુવકનો આરોપ છે કે લુખ્ખા તત્વો તેના ઘરે આવ્યા હતા અને જો તે ફરિયાદ પાછી નહીં ખેંચે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આરોપીઓ સામે FIR દાખલ</span></strong><br><span style="font-size: 14pt;">એસએસપીના આદેશ બાદ યુવકની ફરિયાદના આધારે જાની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એસએસપી ડો.વિપિન ટાડાનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવશે અને આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એસપી (ગ્રામ્ય)ને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસે પણ એક્શનમાં આવી અને આરોપીના ઘરે દરોડા પાડ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/manuwadi-cleaned-theurine-of-a-disabled-dalit-teenagar-by-takingoff-his-shirt">વિકલાંગ દલિત કિશોર પાસે મનુવાદીએ શર્ટ ઉતરાવી પેશાબની સફાઈ કરાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Dec 2024 14:37:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1655</Articleid>
                    <excerpt>યુવક મોટા ઉપાડે હિંદુ બનીને મંદિરમાં પ્રસાદ ચડાવવા ગયો હતો. જાતિવાદી તત્વો તેને જોઈ ગયા અને હાથ ભાંગી નાખ્યો. એ પછી મોં પર પેશાબ કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67516d417155b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67516d4141705.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67516d4141705.jpg" length="68467" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit youth Beaten, casteists, urinated, dalit youth, offer water at shivji, meerut UP</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત શિક્ષકની મંગેતરના એકતરફી પ્રેમી યુવકે અપહરણ કરી હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/dalit-teacher-kidnapped-and-murdered-by-fiancees-one-sided-lover-in-ups-muzaffarnagar</link>
                    <guid>https://khabarantar.com/dalit-teacher-kidnapped-and-murdered-by-fiancees-one-sided-lover-in-ups-muzaffarnagar</guid>
                    <description>
                        <![CDATA[ દલિત શિક્ષકના જે યુવતી સાથે લગ્ન થવાના હતા, તેને એકતરફી પ્રેમ કરતા યુવકે કાવતરું રચી અપહરણ કરી હત્યા કરી લાશ નાળામાં ફેંકી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રેમ આંધળો હોય છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ અને તેના ગંભીર પરિણામો પણ જોયા-સાંભળ્યા છે. આવી જ એક ઘટનામાં સાવ નિર્દોષ દલિત શિક્ષકનો ભોગ લેવાયો છે. દલિત શિક્ષકના જે યુવતી સાથે લગ્ન થવાના હતા તેને એક યુવક એકતરફી પ્રેમ કરતો હતો. જેવી તેને ખબર પડી કે તે જેને પ્રેમ કરે છે તે યુવતીના આ શિક્ષક સાથે લગ્ન થવાના છે, કે તરત તેણે શિક્ષક યુવકને ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે એ પછી નિર્દોષ શિક્ષકને મોતને ઘાટ ઉતારી દીધાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો છે. અહીંના ચરથાવલ વિસ્તારમાં દલિત સમાજમાંથી આવતા 28 વર્ષીય શિક્ષક યોગેશ કુમારની હત્યાની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. બરલા ઇન્ટર કોલેજમાં હિન્દી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પોતાની પ્રામાણિકતા અને નિષ્ઠા માટે જાણીતા યોગેશના જીવનનો આટલો દુઃખદ અંત આવશે તેની કોઈએ કલ્પના નહોતી કરી. રસૂલપુર ગામના જંગલમાં નાળામાંથી તેમની લાશ મળી આવી હતી, જ્યાં તેને લાકડીઓ વડે નિર્દયતાથી મારવામાં આવ્યા હતા. અપહરણ અને એકતરફી પ્રેમના કારણે બનેલી આ જઘન્ય ઘટનાએ પરસ્પર સમજણ પર પણ સવાલો ઉભા કરી દીધાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અપહરણ અને હત્યાનું કાવતરું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષક યોગેશ કુમારના અપહરણની ફરિયાદ તેની બહેન સિમલેશ દ્વારા નોંધાવવામાં આવી હતી. તેણે જણાવ્યું કે રસૂલપુરના રહેવાસી પરમજીત અને અમિતે અગાઉ પણ તેના ભાઈને ધમકી આપી હતી. સોમવારે રાત્રે દાખલ કરવામાં આવેલી આ ફરિયાદે થોડા કલાકોમાં જ એક ભયંકર સત્યનો પર્દાફાશ કર્યો. કાર્યવાહી કરતા પોલીસે આરોપી પરમજીતની સૈયદપુરા શનિદેવ મંદિર નજીકથી ધરપકડ કરી હતી અને તેણે આપેલી માહિતીના આધારે શિક્ષક યોગેશનો મૃતદેહ કબજે કર્યો હતો. હત્યા પાછળનું કારણ તે યુવતી હતી જેની સાથે યોગેશની 8 ડિસેમ્બરે સગાઈ થવા જઈ રહી હતી. અમિત આ યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો અને યોગેશ સાથે તેની સગાઈ થવાની હોવાનું જાણીને તેણે તેને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કારમાં અપહરણ કરી જંગલમાં લઈ જઈ ગળું દબાવી દીધું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યાના દિવસે પરમજીત અને અમિતે મળીને યોગેશનું તેમની કારમાં અપહરણ કર્યું હતું. એ પછી તેને જંગલમાં લઈ જઈ લાકડી વડે માર માર્યો અને દોરડા વડે ગળું દબાવી હત્યા કરી નાખી અને લાશને નાળામાં ફેંકી દીધી હતી. પોલીસે ઘટના સ્થળેથી કાર, હત્યામાં વપરાયેલી બે લાકડીઓ અને દોરડું કબજે કર્યું છે. ધરપકડ બાદ પરમજીતે કબૂલ્યું હતું કે અમિતે શિક્ષક યોગેશના યુવતી સાથે લગ્ન થવાના હોવાથી આ કાવતરું ઘડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપી પરમજીત જે શિક્ષકનો કૌટુંબિક ભાઈ હતો તે થોડા વર્ષો પહેલા અટાલી ગામમાંથી રસૂલપુરમાં સ્થાયી થયો હતો. બંને પરિવારો વચ્ચેના સંબંધો પહેલાથી જ વણસેલા હતા, જે આ ઘટના પાછળ બીજું કારણ હોઈ શકે છે. જોકે મુખ્ય કારણ અમિતનો એકતરફી પ્રેમ અને ઈર્ષ્યા હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફરાર આરોપીઓની ધરપકડ અને શોધખોળ ચાલુ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે પરમજીતની ધરપકડ કરી લીધી છે, પરંતુ મુખ્ય આરોપી અમિત હજુ ફરાર છે. પોલીસ તેને જલ્દી પકડવા માટે દરોડા પાડી રહી છે. બુઢાણાના પોલીસ અધિકારી ગજેન્દ્ર પાલ સિંહે કહ્યું કે આ ઘટનાએ સમાજમાં પ્રેમ અને વિશ્વાસની વ્યાખ્યાને હચમચાવી દીધી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હત્યાએ ન માત્ર એક નિર્દોષ શિક્ષકનો જીવ લીધો છે, પરંતુ પ્રેમ, ઈર્ષ્યા અને સંબંધોમાં તણાવ કેટલો વિનાશક હોઈ શકે તેની પણ સમાજને ચેતવણી આપી છે. આ ઘટના એ પણ સ્પષ્ટ કરે છે કે કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવી અને સમાજમાં જાગૃતિ ફેલાવવી કેટલી જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો: </span> <a href="https://khabarantar.com/bjp-leader-brandished-a-gun-dragged-a-dalit-woman-by-the-hair">ભાજપ નેતાએ બંદૂક બતાવી, દલિત મહિલાને વાળ પકડી ઢસડી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Dec 2024 13:06:00 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 05 Dec 2024 13:07:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1654</Articleid>
                    <excerpt>દલિત શિક્ષકના જે યુવતી સાથે લગ્ન થવાના હતા, તેને એકતરફી પ્રેમ કરતા યુવકે કાવતરું રચી અપહરણ કરી હત્યા કરી લાશ નાળામાં ફેંકી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675156f2de7dd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675156f2aa8d3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675156f2aa8d3.jpg" length="117653" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Dalit crime, muzaffarnagar News</media:keywords>
                </item>
                        <item>
                    <title>પોલીસે દલિત યુવકના પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખી કરંટ આપ્યો?</title>
                    <link>https://khabarantar.com/in-rajgarh-mp-police-poured-petrol-on-the-private-parts-of-a-dalit-youth-and-gave-him-electric-shock</link>
                    <guid>https://khabarantar.com/in-rajgarh-mp-police-poured-petrol-on-the-private-parts-of-a-dalit-youth-and-gave-him-electric-shock</guid>
                    <description>
                        <![CDATA[ યુવક સીએમ કાર્યાલયની પોતાની અરજી પરત ખેંચવા માટે પોલીસ સ્ટેશન ગયો હતો, જ્યાં તેના પર આ ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનું તે કહે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ મધ્યપ્રદેશના ડીજીપી તરીકે પહેલીવાર એક વાલ્મિકી દલિત બહુજન સમાજની વ્યક્તિ પદભાર સંભાળી ચૂકી છે. બીજી તરફ એજ મધ્યપ્રદેશમાં પોલીસ પર એક દલિત યુવક પર અમાનુષી અત્યાચારની ઘટના સામે આવી છે. અહીં એક દલિત યુવકે પોલીસ પર તેના પ્રાઈવેટ પાર્ટ પર પેટ્રોલ રેડીને ત્યાં ઈલેક્ટ્રીક શોક આપવાનો અને પેશાબ કરવાનો આરોપ લગાવ્યો છે. યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને આ દાવો કર્યો છે. સામે આ તમામ આરોપોને ખોટા ગણાવતા પોલીસે સીસીટીવી ફૂટેજનો હવાલો આપીને જણાવ્યું છે કે, આવી કોઈ ઘટના બની નથી. મોકો જોઈને વિપક્ષ કોંગ્રેસે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">મધ્યપ્રદેશના રાજગઢની ઘટના</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનની છે. જ્યાં અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા દીપક માલવિયા નામના યુવકે પોલીસ પર અમાનવીય અત્યાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. દીપકે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો અને તેની સાથે ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય કરવામાં આવ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકના કહેવા પ્રમાણે, પોલીસે તેને પાણીની ટાંકીમાં ડુબાડ્યો અને પછી વીજ કરંટ આપ્યો. એટલું જ નહીં, તેના પ્રાઈવેટ પાર્ટ પર પેટ્રોલ રેડ્યું અને ત્યાં પણ કરંટ આપ્યો. યુવકે એવો પણ આરોપ લગાવ્યો કે એક પોલીસકર્મીએ તેના મોં પર પેશાબ કર્યો, જેના કારણે તેના કપડાં ભીના થઈ ગયા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકે વીડિયોમાં રડતાં રડતાં કહ્યું હતું કે, તે માત્ર મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણની પોતાની ફરિયાદ બંધ કરાવવા માટે પોલીસ સ્ટેશને ગયો હતો, પરંતુ તેની સાથે આ રીતે અત્યાચાર કરવામાં આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે આ ઘટના દલિતો પરના અત્યાચારની જમીની વાસ્તવિકતાને ઉજાગર કરે છે અને રાજ્ય સરકારની દલિત વિરોધી માનસિકતાનું પ્રતિક છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે સીસીટીવી ફૂટેજનો હવાલો આપીને ઘટનાને નકારી</span></strong></span><br><span style="font-size: 14pt;">દીપકના આરોપો પર રાજગઢ જિલ્લાના નરસિંહગઢ એસડીઓપી ઉપેન્દ્ર સિંહ ભાટીએ જવાબ આપતા સમગ્ર મામલાને પાયાવિહોણો અને ખોટો ગણાવ્યો. તેમણે કહ્યું કે બોડા પોલીસ સ્ટેશનમાં આવી કોઈ ઘટના બની નથી. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ સ્ટેશનમાં 12-13 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના ફૂટેજની તપાસ કરવામાં આવી છે. આ ફૂટેજમાં ક્યાંય પણ દીપક સાથે મારપીટ કે અમાનવીય વર્તનની કોઈ પુષ્ટિ નથી. ભાટીએ યુવકના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે આ મામલો સંપૂર્ણપણે બનાવટી છે. તેમણે કહ્યું, “અમારી પાસે CCTV ફૂટેજ છે, જે સત્ય સાબિત કરે છે. સમગ્ર જિલ્લામાં આવી કોઈ ઘટના બની નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકનું નિવેદન અને વીડિયો વાયરલ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ તરફ પીડિત યુવક દીપકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જણાવ્યું હતું કે તે ઝાડ પીપલિયા ગામનો રહેવાસી છે. પોલીસે તેને બપોરે 12:30 વાગ્યાથી સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હતો. સાંજે, પોલીસકર્મીઓ તેને એક રૂમમાં લઈ ગયા અને તેના પર અમાનવીય ત્રાસ ગુજાર્યો. દીપકે એમ પણ કહ્યું કે તેણે પોતાના ભીના કપડા સાચવીને રાખ્યા છે, જે ઘટનાના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. વીડિયોમાં તેણે 'જય ભીમ'ના નારા લગાવ્યા હતા અને દલિત સમાજને મદદ માટે અપીલ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિપક્ષ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલાએ રાજકીય રંગ લીધો છે. ભાજપ સરકારને ભીંસમાં મૂકતા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે અને સરકાર સંપૂર્ણ સંવેદનહીન બની ગઈ છે. કોંગ્રેસે એમ પણ કહ્યું કે જો દોષિત પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે સરકારની દલિત વિરોધી માનસિકતાનો પુરાવો હશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોકોમાં પોલીસ સામે ભારે રોષ</span></strong></span><br><span style="font-size: 14pt;">યુવકના આક્ષેપ બાદ આ વિસ્તારના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. શું ખરેખર પોલીસ આટલી ક્રૂર હોઈ શકે કે પછી આ મામલો કોઈ અંગત અદાવતનું પરિણામ છે તેવી ચર્ચા લોકો કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોએ સરકાર પાસે આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાચું કે ખોટું?</span></strong></span><br><span style="font-size: 14pt;">આખો મામલો હવે સાચા અને ખોટા વચ્ચે ફસાઈ ગયો છે. પોલીસ CCTV ફૂટેજના આધારે પોતાનો ખુલાસો કરી રહી છે, જ્યારે યુવક પોતાના નિવેદન પર અડગ છે. આવા સંજોગોમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની જરૂર છે, જેથી સત્ય બહાર લાવી શકાય અને ગુનેગારોને સજા મળી શકે, પછી તે પોલીસ હોય કે જુઠ્ઠા આક્ષેપો કરનાર યુવક.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bloody-fight-over-tractor-removal-dalit-youth-dies-after-being-shot">ટ્રેક્ટર હટાવવા મુદ્દે લોહીયાળ જંગ, ગોળી વાગતા દલિત યુવકનું મોત</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Dec 2024 11:35:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1653</Articleid>
                    <excerpt>યુવક સીએમ કાર્યાલયની પોતાની અરજી પરત ખેંચવા માટે પોલીસ સ્ટેશન ગયો હતો, જ્યાં તેના પર આ ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનું તે કહે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6751421bb0be6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6751421b7fa76.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6751421b7fa76.jpg" length="54578" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rajgarh News, police poured petrol, on the private parts, dalit youth, gave him electric shock</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગર્વની ઘડી : વાલ્મિકી સમાજના Kailash Makwana બન્યા મધ્યપ્રદેશના DGP</title>
                    <link>https://khabarantar.com/ips-kailash-makwana-becomes-dgp-of-madhya-pradesh</link>
                    <guid>https://khabarantar.com/ips-kailash-makwana-becomes-dgp-of-madhya-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરના બહુજન સમાજની છાતી ગર્વથી ફૂલી જાય તેવા સમાચાર છે. મધ્યપ્રદેશના DGP તરીકે વાલ્મિકી સમાજમાંથી આવતા IPS Kailash Makwana એ પદભાર સંભાળ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરના સમસ્ત બહુજન સમાજ માટે ગઈકાલનો દિવસ ખૂબ મહત્વનો રહ્યો. મધ્યપ્રદેશ (MP)માં વાલ્મિકી સમાજમાંથી આવતા IPS Kailash Makwana એ રાજ્યના DGP તરીકે પદભાર સંભાળ્યો છે. જે જાતિના લોકોને કથિત સવર્ણો અસ્પૃશ્ય ગણીને ઘરના આંગણામાં પણ પ્રવેશવાથી દૂર રાખે છે તે સમાજમાંથી આવતી એક વ્યક્તિ આજે રાજ્યના પોલીસ વિભાગના સર્વોચ્ચ પદે બિરાજમાન થઈ છે તે વાત કોઈ પરીકથાથી જરાય ઉતરતી નથી. IPS Kailash Makwana ની પ્રામાણિક છબિને કારણે અત્યાર સુધીમાં 7 વખત ટ્રાન્સફર થઈ ચૂકી છે. ભ્રષ્ટ્રાચારીઓ તેમના નામથી થથરે છે. પ્રામાણિક અધિકારી તરીકેની તેમની છાપને કારણે અગાઉ તેમણે ઘણું સહન કરવું પડ્યું છે. પણ હવે તેમને તેમની ઈમાનદારીનું ફળ મળ્યું હોય તેમ લાગી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IPS કૈલાશ મકવાણાને મધ્યપ્રદેશના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ મધ્યપ્રદેશ કેડરના 1988 બેચના IPS છે. તેઓ પોતે પણ મધ્યપ્રદેશના છે. IIT માંથી M.Tec કર્યા બાદ તેણે UPSCની પરીક્ષા પાસ કરી હતી. એ પછી છત્તીસગઢમાં રાયપુર, દંતેવાડા, બસ્તરમાં સેવા આપી હતી. છેલ્લે તેઓ મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન પદે હતા અને હવે તેમણે મધ્યપ્રદેશના 32મા ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IPS Kailash Makwana ને મધ્યપ્રદેશના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન ડીજીપી સુધીર કુમાર સક્સેના આ મહિને 30મી નવેમ્બરે નિવૃત્ત થવાના હોવાથી મુખ્યમંત્રી મોહન યાદવ તેમની યુકે અને જર્મની યાત્રા પર જતા પહેલા Kailash Makwana ને તેમના સ્થાને ડીજીપી તરીકે નિયુક્ત કરવાની મહોર મારી દીધી હતી. એ પછી ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એસએન મિશ્રાએ Kailash Makwana ના નામે આદેશ જારી કર્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ સરકારે UPSCને નવ વરિષ્ઠ IPS અધિકારીઓના નામોની પેનલ મોકલી હતી. 21 નવેમ્બરે દિલ્હીમાં UPSCની બેઠક યોજાઈ હતી જેમાં UPSC તરફથી ત્રણ નામોની પેનલ તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. જેમાં 1988 બેચના IPS IPS Kailash Makwana નું નામ તેમાં પ્રથમ નંબરે હતું. આ ઉપરાંત 88 બેચના IPS અને DG હોમગાર્ડ અરવિંદ કુમાર અને 1989 બેચના IPS અને DG EOW અજય શર્માના નામ પણ પેનલમાં હતા. જેમાં મુખ્યમંત્રી મોહન યાદવે IPS Kailash Makwana ના નામ પર સહમતિ દર્શાવી હતી. મકવાણાનો કાર્યકાળ 30 ડિસેમ્બર 2025 સુધી રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જન્મ અને શિક્ષણ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Kailash Makwana નો જન્મ 11 ડિસેમ્બર 1965ના રોજ મધ્યપ્રદેશના માલવાંચલમાં થયો હતો. તેમણે MACT (મેનિટી) એન્જિનિયરિંગ કોલેજ, ભોપાલમાંથી બેચલર ઑફ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. અભ્યાસ દરમિયાન તેમને 15મી ઓગસ્ટ 1983ના રોજ સમૂહ ગાયનમાં પ્રથમ ઇનામ પણ મળ્યું હતું. તાજેતરમાં જ 18 નવેમ્બરે તેમણે એ ઇનામ મેળવ્યાનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ત્યારબાદ દિલ્હી IITમાંથી M.Tech નો અભ્યાસ કર્યો. એમટેક કર્યા પછી તેમણે યુપીએસસી ક્રેક કરી અને આઈપીએસ બન્યાં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રોફેશનલ કરિયર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Kailash Makwana 30 ઓગસ્ટ 1988ના રોજ IPS સેવામાં જોડાયા હતા. તાલીમ પૂર્ણ કર્યા પછી તેઓ અવિભાજિત મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં રહેતા હતા. તેઓ 1989 થી 1993 સુધી દુર્ગ, મુરૈના અને જબલપુરના એડિશનલ એસપી હતા. ત્યારબાદ 1994 થી 1999 સુધી તેઓ અવિભાજિત મધ્ય પ્રદેશ (હવે છત્તીસગઢ) ના દંતેવાડા અને બસ્તર જિલ્લાઓમાં એસપી હતા. આ સિવાય મધ્યપ્રદેશના મંદસૌર અને બેતુલમાં પણ એસપી રહ્યા. એસપી લોકાયુક્ત ઉપરાંત તેઓ ડીઆઈજી ઈન્ટેલિજન્સ અને ડીઆઈજી એજેકે, સીઆઈડી અને નાર્કોટિક્સ વિભાગના સ્પેશિયલ ડીજી, લોકાયુક્તના ડીજી અને એડીજી નાર્કોટિક્સ, એડીજી ઇન્ટેલિજન્સ અને એડીજી એડમિનિસ્ટ્રેશન પણ રહી ચૂક્યા છે. 2022 થી તેઓ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડીજીનો હવાલો સંભાળી રહ્યા હતા અને હવે તેઓ રાજ્યના ડીજીપી પદે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રામાણિક છબીના કારણે સાડા ત્રણ વર્ષમાં 7 વખત બદલી થઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Kailash Makwana ની ગણતરી તેજતર્રાર અને પ્રમાણિક પોલીસ અધિકારીઓમાં થાય છે. તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, છેલ્લાં સાડા ​​ત્રણ વર્ષમાં તેમની સાત વખત બદલી થઈ હતી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કમલનાથની સરકારમાં પણ તેમને ઓછા સમયમાં ત્રણ વખત ટ્રાન્સફર કરી દેવાયા હતા. Kailash Makwana એ શિવરાજસિંહ ચૌહાણની સરકારના કાર્યકાળ દરમિયાન લોકાયુક્તના ડીજીનું પદ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન, તેણે એક IAS અને એક IFS વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી ઝડપી કરીને લાંબા સમયથી પડતર કેસોની તપાસ શરૂ કરી હતી. મકવાણાએ મહાકાલ લોક કોરિડોરમાં થયેલા કૌભાંડો અંગે તેમના હેઠળના ટેકનિકલ સેલમાંથી તપાસ શરૂ કરી હતી. જો કે, તત્કાલીન શિવરાજ સરકારે તેમના નિર્ણય પર નારાજગી દર્શાવતા, તેમને 6 મહિનામાં જ લોકાયુક્ત પદેથી હટાવી દીધા અને તેમને મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અધ્યક્ષ બનાવી દીધા હતા અને તેમની જગ્યાએ શિવરાજ સિંહના ઓએસડી યોગેશ </span><span style="color: rgb(0, 0, 0);"><span style="font-size: 14pt;">ચૌધરીને લોકાયુક્તના ડીજી બનાવવામાં આવ્યા હતા. </span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરકારે 10 માંથી 10 માર્ક્સ આપ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારે એવું માનવામાં આવતું હતું કે યોગેશ ચૌધરી સાથે Kailash Makwana ને બહુ બનતું નથી. તેમને હટાવવાની સાથે જ તેમની પ્રામાણિકતા પર આંગળીઓ ચિંધવાનું શરૂ થયું હતું. જો કે આ બધા પડકારોમાંથી તેઓ સાંગોપાંગ પાર ઉતર્યા હતા. તેમણે 9 મહિના પહેલા મધ્યપ્રદેશ સરકારને તેની ગોપનીય પ્રોફાઇલ સુધારવા માટે અપીલ કરી હતી. તેમણે રિપ્રેઝન્ટેશન મોકલીને સરકારને કહ્યું હતું કે જ્યારે તેઓ 6 મહિના માટે લોકાયુક્તમાં ડીજી હતા, ત્યારે પ્રભાવશાળી અધિકારીઓ સામે તપાસ કરતી વખતે તેમનો ACR જાણીજોઈને ખરાબ કરવામાં આવ્યો હતો, જેના પર સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. તત્કાલીન મોહન યાદવ સરકારે Kailash Makwana ની ગુપ્ત પ્રોફાઇલ સુધારી હતી. મળતી માહિતી મુજબ મોહન યાદવ સરકારે તેમને 10માંથી 10 માર્ક્સ આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત શનિવારે વિદેશ પ્રવાસે જતા પહેલા મુખ્યમંત્રી મોહન યાદવે Kailash Makwana ના નામની મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી મોહન યાદવના પરત ફર્યા બાદ જ મકવાણા ઔપચારિક રીતે તેમની સામે ડીજીપીનો ચાર્જ સંભાળશે. તેમનો કાર્યકાળ 30 ડિસેમ્બર 2025 સુધી રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/jayantilal-makwana-a-dalit-industrialist-from-keshod-passes-away">ગરીબ દલિત માબાપના 'જયંતિલાલ' ની 'જે.બી. સિમેન્ટ' ના માલિક સુધીની સફર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Dec 2024 10:20:24 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 05 Dec 2024 10:23:44 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1652</Articleid>
                    <excerpt>દેશભરના બહુજન સમાજની છાતી ગર્વથી ફૂલી જાય તેવા સમાચાર છે. મધ્યપ્રદેશના DGP તરીકે વાલ્મિકી સમાજમાંથી આવતા IPS Kailash Makwana એ પદભાર સંભાળ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67512f81237ce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67512f80e3d94.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67512f80e3d94.jpg" length="87549" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>IPS Kailash Makwana, Dalit News, DGP, Madhya Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢના ભગવાધારી બાબાએ ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું</title>
                    <link>https://khabarantar.com/junagadhs-saffron-clad-baba-sexually-abused-a-transgender-girl</link>
                    <guid>https://khabarantar.com/junagadhs-saffron-clad-baba-sexually-abused-a-transgender-girl</guid>
                    <description>
                        <![CDATA[ ધર્મની આડમાં જાતીય ઈચ્છાઓ સંતોષતા ઢોંગી બાબાઓનો આપણે ત્યાં તોટો નથી. જૂનાગઢમાં એક આવા જ નકલી બાબાએ એક ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના એક અખાડા સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક ભગવાધારી બાબાએ એક ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું હોવાના આરોપો લાગ્યા છે. બાબા અને ટ્રાન્સજેન્ડર યુવતીની અનેક રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર ફરી રહી છે. આ બાબાનું નામ ગોવિંદગિરી હોવાનું અને તે જૂનાગઢના અખાડા સાથે સંકળાયેલો હોવાનો તે દાવો કરે છે. ટ્રાન્સજેન્ડર યુવતી પણ જૂનાગઢની જ વતની છે. તેણે બાબા પર લગ્નના બહાને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ ભાગીદારે પૈસાની છેતરપિંડી કર્યાની પણ વાત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રાન્સજેન્ડર યુવતી અને ગોવિંદગિરીની ઈન્સ્ટાગ્રામ પર ઘણી અશ્લિલ તસવીરો છે. જેમાં તેઓ સાથે ફરતા અને ડાન્સ કરતા દેખાય છે. ચોંકાવનારી વાત એ છે કે, બંને સોશિયલ મીડિયા પર ઘણી બધી રીલ શેર કરતા હતા અને તેમના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હતો. સામે પક્ષે ગોવિંદગિરીએ બચાવમાં કહ્યું છે કે આ સનાતનને બદનામ કરવાનો પ્રયાસ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રાન્સજેન્ડર યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશન જઈને સાધુ ગોવિંદગિરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે, ગોવિંદગિરી લગ્નના બહાને તેની સાથે સંબંધો રાખતો હતો, પરંતુ પછી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતીએ વધુમાં જણાવ્યું કે ગોવિંદગિરી મૂળ રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે. તે ઘણા મહિનાઓ સુધી તેની સાથે રહેતી હતી. યુવતીએ ગોવિંદગિરી પર રૂ. ૫૦ હજારની છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. યુવતીનું કહેવું છે કે પૈસા લીધા બાદ ગોવિંદગિરી તેને છોડીને જતો રહ્યો હતો અને તેનો ફોન પણ બંધ કરી દીધો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-case-has-been-registered-against-the-impostor-indian-baba-who-committed-1320-rapes-in-22-years-in-london">લંડનમાં 22 વર્ષમાં 1320 રેપ કરનાર ઢોંગી ભારતીય બાબા પર કેસ નોંધાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 21:45:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1651</Articleid>
                    <excerpt>ધર્મની આડમાં જાતીય ઈચ્છાઓ સંતોષતા ઢોંગી બાબાઓનો આપણે ત્યાં તોટો નથી. જૂનાગઢમાં એક આવા જ નકલી બાબાએ એક ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67507fa51cf1b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67507fa4e0904.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67507fa4e0904.jpg" length="51336" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Junagadh News, Sexual abuse case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસીઓની શિષ્યવૃત્તિ સામેનો નિર્ણય રદ કરો, નહીંતર તાળાં લાગી જશે</title>
                    <link>https://khabarantar.com/cancel-the-decision-against-tribal-scholarships-otherwise-there-will-be-lockdown</link>
                    <guid>https://khabarantar.com/cancel-the-decision-against-tribal-scholarships-otherwise-there-will-be-lockdown</guid>
                    <description>
                        <![CDATA[ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવા નિર્ણયના વિરોધમાં જંગી ધરણાં પ્રદર્શન યોજી ઘણી મહત્વની વાત કરી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સાથે ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે ધરણાં પ્રદર્શન યોજ્યું હતું. તેમણે સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણયને રદ કરવા અને આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવાની માગ કરી હતી. ચૈતર વસાવાએ ચીમકી આપી છે કે જો શિષ્યવૃત્તિનો નિર્ણય રદ નહીં કરાય તો તમામ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાં મારવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજનાં બાળકો મેટ્રિક પછી સારા કોર્સમાં અભ્યાસ કરી શકે એ માટે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિની યોજના જાહેર કરાઇ હતી. આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતી હતી, પરંતુ હાલની સરકાર દ્વારા આદિવાસી સમાજનાં બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને પરિપત્ર બહાર પાડી હવે પછી કોઇપણ આદિવાસી બાળક મેટ્રિક પછી મેનેજમેન્ટ ક્વોટામાં ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કરેલો છે. ચૈતર વસાવાએ આ નિર્ણય સામે ધરણાં પ્રદર્શન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે નહીં. આ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકારે 28 ઓક્ટોબર 2024નો વધારે ઉમેરા સાથેનો પરિપત્ર કરેલો કે જે વિદ્યાર્થી vacant ક્વોટામાં પ્રવેશ મેળવે છે તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે. રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર 28/10ના રોજ કર્યો ત્યારે પ્રવેશની પ્રક્રિયા પૂરી થઈ ગયેલી હતી. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે. આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજના 50000 કરતાં પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675075b552a74.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પરિપત્રની અગાઉ જ જે સંસ્થાઓએ vacant ક્વોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે. અનુસૂચિત જનજાતિની ગુજરાતમાં અલગ અલગ કચેરીઓ દ્વારા vacant ક્વોટામાં પ્રવેશ પણ આપી દીધો છે અને પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યાં છે, તો હવે આ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત કઈ રીતે રહી શકે? એટલે રાજ્ય સરકારે આ અણઘડ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચાવો જોઈએ, નહીં તો તમામ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાં મારવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૈતર વસાવાએ કહ્યું હતું કે, આ પરિપત્ર તાત્કાલિક રદ કરો, જેથી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શકાય. રાજ્ય સરકાર દ્વારા જો આ પરિપત્ર દિન 10માં પાછો ખેંચવામાં નહીં આવે તો અમે આદિવાસી વિસ્તારોમાં જઈને આ તઘલખી નિર્ણય સામે જનજાગૃતિ કરીશું, વિદ્યાર્થીઓને આ બાબતમાં માહિતગાર કરી ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ સાથે ઘેરાવો પણ કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/huge-protest-in-danta-over-stopping-scholarships-for-tribal-students">આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા દાંતામાં ભારે વિરોધ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 21:05:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1650</Articleid>
                    <excerpt>ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવા નિર્ણયના વિરોધમાં જંગી ધરણાં પ્રદર્શન યોજી ઘણી મહત્વની વાત કરી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6750759e8c77c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6750759e564a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6750759e564a7.jpg" length="100202" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>tribal scholarships, chaitar vasava</media:keywords>
                </item>
                        <item>
                    <title>કબરાઉ મોગલ ધામના બાપુની દીકરી ઘરે પરત ફરી, બાપુએ મૌન તોડ્યું</title>
                    <link>https://khabarantar.com/kabarau-mogal-dham-bapu-daughter-returned-home-manidhar-bapu-broke-the-silence</link>
                    <guid>https://khabarantar.com/kabarau-mogal-dham-bapu-daughter-returned-home-manidhar-bapu-broke-the-silence</guid>
                    <description>
                        <![CDATA[ ભચાઉના કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બૂકી સાથે લગ્ન કર્યા બાદ હવે ઘરે પરત ફરતા 10 દિવસથી મૌન રહેલા મણિધર બાપુએ મૌન તોડ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના ભચાઉમાં આવેલા કબરાઉ મોગલ ધામ (kabrau mogal dham) ના મણિધર બાપુ (manidhar bapu mogal dham) ની દીકરીએ (kabrau mogal dham bapu daughter) થોડા દિવસ પહેલા ભૂજના બૂકી સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધી હતા. આ મામલો આખા ગુજરાત સહિત જ્યાં પણ ગુજરાતીઓ વસે છે ત્યાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. 25મી નવેમ્બરે બાપુની દીકરીનું અપહરણ થયાનું સામે આવ્યું હતું, એ પછી ખ્યાલ આવ્યો કે દીકરી ભાગીને અમદાવાદ આવી ગઈ છે અને અહીં પ્રેમ લગ્ન કરી લીધા છે. ભૂજના બુકી યુવક અને મણિધર બાપુની દીકરીના લગ્નના ફોટા અને સર્ટિફિકેટ પણ વાયરલ થયા હતા. આ મામલે પહેલા ભચાઉ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પણ ફોટા વાયરલ થયા બાદ મામલો પ્રેમ લગ્નનો નીકળ્યો હતો. એ પછી પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા અને હવે બાપુની દીકરીને કબરાઉ ધામ પરત મોકલી દીધી છે. આ મામલે અત્યાર સુધી મૌન રહેલા કબરાઉ ધામના મણિધર બાપુએ હવે પોતાનું મૌન તોડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેણે કર્યું હશે તેને મારી માતા જોઈ લેશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાપુએ કહ્યું કે, 'બાપુને કોઈ ફરક પડવાનો નથી. મારે મોગલથી મતલબ છે અને જે કરશે એ મોગલ જ કરશે. જે પણ લોકો આમા સામેલ હશે, આંગળી ચિંધનારો, રસ્તો બતાવનારો તેમજ સાચું-ખોટું બોલનારાનું કશું નહીં વધે. બાપુ પાસે અહીં અઢારેય વર્ણની દીકરીઓ આવે છે અને સેવા કરે છે. અમે તો સંત છીએ અને અમારો સ્વભાવ તો ક્ષમા કરવાનો છે. હું દુઃખનો ભિખારી છું. તમારા તમામ દુઃખ મને આપો. આટલાં બધાં દુઃખ લીધા બાદ આ દુઃખ મને શું નડવાનું? પણ એટલું ધ્યાન રાખજો કે, જેણે પણ આ કર્યું હશે તેને મારી માતાજી જોઈ લેશે.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિંમત રાખજો, કોઈની વાતમાં ન આવતા..</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મણિધર બાપુએ વધુમાં કહ્યું કે, "મારે કંઈ નથી કરવું. કેમકે, મારી પાસે મારી મોગલ છે. મોટા-મોટા અધિકારીઓથી લઈને બધાને ખબર છે કે, મારૂ હથિયાર મોગલ છે. હું સાચું કહેવાવાળો ચારણ છું. પોતાની દીકરી સાથે લગ્ન કરેલા વ્યક્તિ વિશે વાત કરતાં બાપુએ કહ્યું કે, આવા ઉંદરડા કદાચ ઠેકડા મારતા હોય તો એ કરે.. સમાજ તો બધો આ ઉંદરડાથી દૂર ભાગી ગયો છે અને ઉંદરડાને એકલો મૂકી દીધો છે. હું તો અઢારેય વર્ણની દીકરીને કહું છું કે, તમે બધી મારી રાજબાય છો. હું તમને આદેશ કરૂ છું કે, હિંમત રાખજો અને કોઈની પણ વાતમાં ન આવતાં." </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એકવાર સામે આવીને ઉભા રહો એટલે ખબર પડે..</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાપુએ સમગ્ર મામલે સંડોવાયેલા લોકોને ચેતવણી આપતા કહ્યું કે, "તમારે બેન છે, દીકરી છે, મા છે. આ તો બાપુનું કામ છે અઢારેય વર્ણના અવળા રસ્તે ગયેલાં ને સવળા રસ્તે લાવવાનું. કોઈ પક્ષપાત નથી, પરંતુ આ ષડયંત્રમાં જેટલાં છે એમને કહેવું છે કે, તમારી તાકાત નથી બાપુને ઝૂકાવી શકો. તમારી તાકાત હોય તો સામે આવીને આંખ મેળવીને વાત કરો. એકવાર સામે આવીને ઉભા રહો એટલે ખબર પડે કે બાપુ સામે કેમ બોલાય અને ઉભા રહેવાય."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/did-the-daughter-of-the-father-of-kabarau-mogal-dham-marry-a-bookie">કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બુકી સાથે લગ્ન કરી લીધાં?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 15:07:52 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 04 Dec 2024 15:14:55 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1649</Articleid>
                    <excerpt>ભચાઉના કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બૂકી સાથે લગ્ન કર્યા બાદ હવે ઘરે પરત ફરતા 10 દિવસથી મૌન રહેલા મણિધર બાપુએ મૌન તોડ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675022ca60cf4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675022ca2c2b1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675022ca2c2b1.jpg" length="85049" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kabrau Mogal Dham, Kutch Kabrau, Mogal Dham, Kabrau Bapu</media:keywords>
                </item>
                        <item>
                    <title>97.8 ટકા મહિલાઓને પરિવાર માટે સવેતન કામ છોડવું પડે છે</title>
                    <link>https://khabarantar.com/97.8-percent-of-woman-have-to-give-up-paid-work-for-the-family</link>
                    <guid>https://khabarantar.com/97.8-percent-of-woman-have-to-give-up-paid-work-for-the-family</guid>
                    <description>
                        <![CDATA[ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ ભારતમાં મહિલાઓની શ્રમબળમાં ભાગીદારી કેમ ઘટી રહી છે તેનો વિસ્તૃત ચિતાર આપે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વ બેન્કના અહેવાલ પ્રમાણે ભારતના પુરુષોની શ્રમબળમાં ભાગીદારી ૧૯૯૦માં ૮૪ ટકા અને ૨૦૧૯માં ૭૬ ટકા હતી. જોકે મહિલાઓની ભાગીદારી ૧૯૯૦માં ૩૦ ટકા, ૨૦૦૫માં ૩૨ ટકા અને ૨૦૧૯માં ૨૧ ટકા જ હતી. દેશમાં મહિલાઓની વસ્તી આશરે ૪૮.૫ ટકા છે. પરંતુ ૧૫ વરસથી ઉપરની ૨૫ ટકા મહિલાઓને જ સવેતન કામ મળે છે અને તેમાં સતત ઘટાડો થતો રહે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રમબળમાં મહિલાઓની ભાગીદારીની વૈશ્વિક ટકાવારી  પચાસ છે જ્યારે ભારતમાં તેનાથી અડધી જ છે. ભારતમાં આજે મહિલાઓની વર્કફોર્સમાં જે ૨૧ થી ૨૫ ટકા ભાગીદારી છે તે અમેરિકામાં સો વરસો પહેલાં ૧૯૨૦માં હતી. અર્થાત સદી પૂર્વેના અમેરિકાની સ્થિતિએ ભારત છે. આજના ભારતની મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારીનો દર વિયેટનામથી અડધો જ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં પણ ભારતની મહિલાઓ વર્કફોર્સમાં ઓછી છે. આ સઘળી વિગતો દર્શાવે છે કે મહિલાઓની શ્રમબળ ભાગીદારીમાં આપણે કેટલા પાછળ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આશરે ૧૨ ટકા ભારતીય મહિલાઓને લગ્નના કારણે નોકરી, કામ કે રોજી છોડવી પડતી હોવાનું તાજેતરના વલ્ડ બેન્કના સાઉથ એશિયા મેરેજ અપડેટમાં જણાવ્યું છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ ‘ધ ઈમ્પેક્ટ ઓફ કેર રિસ્પોન્સિબિલિટીઝ ઓફ વિમેન્સ લેબર પાર્ટીસિપેટન્સ’  પ્રમાણે ભારતની ૫૩ ટકા મહિલાઓ લગ્ન પછી પતિ, બાળકો અને વડીલોની સારસંભાળની જવાબદારીને કારણે  શ્રમબળની બહાર ધકેલાય છે. કેરિયર અને કુટુંબમાંથી એકની પસંદગી કરવાની થાય છે ત્યારે ૯૭.૮ ટકા મહિલાઓને પરિવારની જવાબદારી નિભાવવા તે જે સવેતન કામ કરે છે તેને છોડવું પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લગ્ન અને બાળકોની દેખભાળ ઉપરાંતનાં ઘણાં પરિબળો મહિલાઓને શ્રમબળની બહાર રહેવાની ફરજ પાડે છે. આપણી પિતૃસત્તાત્મક સામાજિક-સાંસ્કૃતિક બાંધણીમાં જ મહિલાઓનું સ્થાન ઘરમાં માનવામાં આવે છે.સામંતી, સંકીર્ણ અને લિંગભેદી સમાજમાં મહિલાઓ વગર પૈસે ઘરનું  કામ કરે અને પુરુષો બહાર કમાવા જાય તેવી માન્યતા અને પરંપરા છે. બહારના કામો માટે પુરુષોને અને ઘરના કામો માટે મહિલાઓને સીમિત રાખી છે. ઘરની મહિલા કમાવા બહાર જતી હોય તો તેનું કારણ ઘરની આર્થિક હાલત નબળી હોવી કે સ્ત્રીનું ચારિત્ર્ય સારું નહીં હોવાની વ્યાપક માન્યતા ઘર કરી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રમબળમાં મહિલાઓની ઓછી ભાગીદારીનું એક મહત્વનું પરિબળ અસલામત કાર્યસ્થળો છે. મોડીરાત સુધી કે પાળી પધ્ધતિમાં કામ કરવા માટેના સાનુકૂળ વાતાવરણનો અભાવ અને કાર્યસ્થળે થતી અનેક પ્રકારની સતામણી પણ મહિલાને કામથી દૂર રાખે છે. કામના સ્થળો દૂર આવેલા હોય તો જાહેર પરિવહનનો અભાવ કે તે અસુરક્ષિત હોવાનું પરિબળ મહિલાઓને વર્કફોર્સની બહાર કરે  છે. એક સર્વે મુજબ અર્ધી આબાદીની અડધી મહિલાઓને એકલા ઘરની બહાર આવવા-જવાની છૂટ નથી.પચાસ ટકા મહિલાઓ ઘરનું કરિયાણું લેવા પણ એકલી જઈ શકતી નથી.  સગવડયુક્ત માળખાકીય સવલતો અને કાર્યસ્થળે જવા-આવવાના પરિવહનનો અભાવ મહિલાઓ માટે મોટો પડકાર છે. જે તેમને સવેતનિક કામોથી વંચિત રાખે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૃષિકામોમાં યંત્રોના વધેલા વપરાશે પણ મહિલાઓને ખેતમજૂરીથી વંચિત કરી છે. જો મહિલા કમાતી હશે તો તે આર્થિક રીતે પગભર હશે એટલે ઘરમાં તેનું ધાર્યું થશે કે તે કોઈને ગાંઠશે નહીં તેવો ખોટો ડર ઉભો કરવામાં આવ્યો છે. એટલે ઘણાં શહેરી-શિક્ષિત કુટુંબો પતિ-પત્ની બંને કમાતાં હશે તો જીવન ધોરણ ઊંચું હશે તેને બદલે મહિલાને ઘરમાં રાખવાને પ્રાથમિકતા આપે છે. ૧૯૪૭માં આઝાદીની સાથે જ પુરુષોના જેટલો મતનો અધિકાર મહિલાઓને મળ્યો છે અને તેનો બરાબર અમલ થાય છે. મહિલાઓ પુરુષો કરતાં વધુ મતદાન કરે છે એવું પણ બને છે. પરંતુ દેશના શ્રમબળમાં પુરુષોના જેટલી જ મહિલાઓની ભાગીદારી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સશક્ત અને સુરક્ષિત શ્રમશક્તિ શ્રમબળમાં મહિલાઓની બરાબરીની ભાગીદારીથી જ ઊભી થઈ શકે છે.એટલે સરકારે અને સમાજે શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસો કરવા પડશે. બાળઉછેર અને વડીલોની સારસંભાળ મહિલાઓની ચિંતાનો વિષય છે કે તે જ વધુ સારી રીતે નભાવી શકે છે તે માનસિકતામાં બદલાવ આવવો જોઈએ. હાલમાં માંડ એક ટકો પુરુષો જ બાળકોની દેખભાળ માટે સવેતન કામ છોડે છે તે યોગ્ય નથી. વળી સ્ત્રી-પુરુષ બંને કામ કરે અને છતાં બાળકો અને વૃધ્ધોની દેખભાળ થઈ શકે તેવી સવલતો ઉભી થવી જોઈએ. સુલભ અને સલામત ઘોડિયાઘર, બાલવાડી, સારસંભાળ કેન્દ્રો અને વૃધ્ધાશ્રમો હોવાં જોઈએ. જે દેશો તેમના જીડીપીનો ૧ ટકો અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન (ઈસીસીઈ)માં  ખર્ચે છે તે દેશોની ઓછી મહિલાઓ કામ છોડે છે.ભારતે પણ આ દિશામાં વિચારવું પડશે. જો આપણે બાળકો, બીમાર અને વૃધ્ધોની દેખભાળની વ્યવસ્થા વિકસિત કરી શકીશું તો શ્રમબળમાં મહિલાઓ વધશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યસ્થળે પહોંચવાનો પડકાર મહિલાઓને કામથી વંચિત કરે છે તેના નિવારણ માટે મહિલાઓને વાહન ચલાવવા-ખરીદવા પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વિમેન્સ ફ્રેન્ડલી વાહનોનું ઉત્પાદન, વાહન ખરીદવા સસ્તા વ્યાજ દરની સરળ લોન વ્યવસ્થા, કેટલાક કરવેરામાં રાહત, સરળતાથી ડ્રાઈવિંગ લાઈસન્સની ઉપલબ્ધિ  જેવાં પગલાં લઈ શકાય.સલામત રહેઠાણો અને સુરક્ષિત કાર્યસ્થળોને પ્રાથમિકતા આપવી જોઈએ. પિતૃસત્તાની બેડીઓથી મહિલાઓ મુક્ત રહે તે માટે છોકરા-છોકરી વચ્ચેનો ભેદ અને પૂર્વગ્રહ બાળપણથી જ પેદા ના થાય તેનું ધ્યાન રાખવું. ઘરના અને બહારના કામોના કાર્યવિભાજનમાં રહેલો લિંગભેદ દૂર કરવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેટલાક અર્થશાસ્ત્રીઓ કાર્યબળમાં મહિલાઓના અલ્પ પ્રમાણને સ્વીકારતા નથી. તેઓ ઓછા પ્રમાણ માટે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની શ્રમની વ્યાખ્યાને જવાબદાર માને છે. આઈ. એલ. ઓ ની શ્રમની પરિભાષામાં વેતન અને આર્થિક લાભ મળતા હોય તે કામોનો જ સમાવેશ થાય છે. ભારતની મહિલાઓ જીવતર આખું  રસોઈ, ઘરકામ, પશુઓની દેખભાળ કે ખેતીનાં કામો વગર પૈસે કર્યા કરે છે. આ કામોના બદલામાં તેમને કોઈ આર્થિક ચુકવણું થતું નથી કે આવા કામોની કદી કોઈએ આર્થિક ગણતરી કરી  નથી. એટલે ભારતની મહિલાઓના આવા વૈતરાં વાજબી રીતે શ્રમબળની બહારના ગણાય છે. પરંતુ તેથી વર્કફોર્સમાં તેમનું પ્રમાણ વધુ છે તેવું પ્રતિપાદિત કરી શકાય નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના અગ્રણી ગીતા ગોપીનાથનું માનવું છે કે મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારી વધાર્યા સિવાય ભારતની આર્થિક આકાંક્ષા પૂર્ણ થઈ શકે તેમ નથી. વિશ્વની ત્રીજી આર્થિક વ્યવસ્થા બનવા માટે વર્કફોર્સમાં મહિલા ભાગીદારીનો હાલનો દર બમણો હોવો જોઈએ.મહિલાઓના કામ અંગેના જે પુરુષ કેન્દ્રી સામાજિક-પારિવારિક-સાંસ્કૃતિક વિચારો છે તે બદલવા પડશે. વળી મહિલાઓ સવેતનિક કામ માટે તૈયાર છે તો નવી રોજગારીની તકો સર્જવાની જરૂર રહેશે. દેશની પ્રગતિનો આધાર મહિલાઓની પ્રગતિમાં રહેલો છે તે બાબત નીતિનિર્માતાઓ એ બરાબર સમજી લેવી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">maheriyachandu@gmail.com<em><span style="font-size: 12pt;"><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</strong></span></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/if-taj-mahal-is-history-where-is-the-history-of-its-sculptors">તાજમહેલને ઈતિહાસ ગણીએ તો તેના શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં છે?</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 14:17:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1648</Articleid>
                    <excerpt>ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ ભારતમાં મહિલાઓની શ્રમબળમાં ભાગીદારી કેમ ઘટી રહી છે તેનો વિસ્તૃત ચિતાર આપે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6750169abbf41.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6750169a88b08.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6750169a88b08.jpg" length="94211" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>International Labor Organization report, Women in the workforce</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશની 8 IIT, 7 IIM માં 80 ટકાથી વધુ શિક્ષકો સવર્ણ જાતિના</title>
                    <link>https://khabarantar.com/casteism-in-indias-iits-and-iims-revealed-in-rti-80-percent-of-staff-are-upper-caste</link>
                    <guid>https://khabarantar.com/casteism-in-indias-iits-and-iims-revealed-in-rti-80-percent-of-staff-are-upper-caste</guid>
                    <description>
                        <![CDATA[ દેશની લગભગ તમામ આઈઆઈટી, આઈઆઈએમમાં 80 ટકાથી વધુ શિક્ષકો સવર્ણો છે. સૌથી વધુ ખાલી જગ્યા ઓબીસીની છે. વાંચો શિક્ષણ જગતમાં ચાલતા જાતિવાદને નગ્ન કરતો રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ જેવું કશું ક્યાં હવે છે જ - એવું કહેનારના મોં પર સણસણતો તમાચો મારતો એક રિપોર્ટ સામે આવ્યો છે. એક આરટીઆઈમાં થયેલા ખૂલાસા મુજબ દેશની 8 આઈઆઈટી અને 7 આઈઆઈએમમાં 80 ટકાથી પણ વધુ શિક્ષકો કથિત સવર્ણ જાતિના છે. એમાં પણ બે IIT અને ત્રણ IIM માં તો 90 ટકાથી વધુ સંખ્યા જનરલ કેટેગરીના શિક્ષકોની છે. એ જ રીતે અન્ય છ આઈઆઈટી અને ચાર આઈઆઈએમમાં ​​આ સંખ્યા 80-90 ટકાની વચ્ચે છે. આ આંકડા આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સામે આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં ચોંકાવનારી બાબત એ છે કે, કેન્દ્ર સરકારે અન્ય પછાત વર્ગો એટલે કે OBC માટે આ સંસ્થાઓમાં 27 ટકા બેઠકો, SC માટે 15 ટકા અને આદિવાસી સમુદાય માટે 7.5 ટકા બેઠકો અનામત રાખી છે. તેમ છતાં 90 ટકાથી વધુ શિક્ષકો સવર્ણો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIM ઇન્દોરમાં, 109 માંથી 106 પોસ્ટ સામાન્ય કેટેગરીના લોકો પાસે છે. અહીં એસસી અને એસટી કેટેગરીના કોઈ શિક્ષક નથી. જ્યારે IIM ઉદયપુરમાં સામાન્ય વર્ગના શિક્ષકોની સંખ્યા 90 ટકાથી વધુ છે. IIM લખનૌમાં આ સંખ્યા વધીને 95 ટકા થઈ ગઈ છે. છ આઈઆઈએમમાં ​​એસટી કેટેગરીના એક પણ શિક્ષક નથી. IIM બેંગ્લોરમાં, જ્યાં અનામત લાગુ કરવા માટે નિયમિત વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, ત્યાં 85 ટકા ફેકલ્ટી જનરલ કેટેગરીના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIT મુંબઈ અને IIT ખડગપુરના 700 શિક્ષકોમાંથી 90 ટકા શિક્ષકો જનરલ કેટેગરીના છે. જ્યારે મંડી, ગાંધીનગર, કાનપુર, ગુવાહાટી અને દિલ્હી IITમાં આ આંકડો 85 ટકા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/casteism-at-iim-lucknow-86-percent-faculty-are-general-sc-2-percent-st-zero"><span style="font-size: 12pt;"> </span></a><a href="https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general"><span style="font-size: 12pt;"></span></a></strong></span><a href="https://khabarantar.com/dalits-share-only-2.6-percent-of-the-countrys-wealth-89-percent-of-the-general"><strong> દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકંદરે 13 IIM માં 82.8 ટકા ફેકલ્ટી જનરલ કેટેગરીના છે. જ્યારે 5 ટકા એસસી અને 1 ટકા એસટી કેટેગરીના છે. જ્યારે 9.6 ટકા ફેકલ્ટી સભ્યો ઓબીસી કેટેગરીના છે. બાકીના EWS અને શારીરિક રીતે વિકલાંગ લોકો માટે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">21 IIT માં, 80 ટકા શિક્ષકો જનરલ કેટેગરીમાંથી છે. જ્યારે 6 ટકા SC અને 1.6 ટકા ST અને 11.2 ટકા ઓબીસી કેટેગરીના છે. બાકીની સીટો EWS અને વિકલાંગ વર્ગ માટે અનામત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે તમામ IIT અને IIM આવી નથી. IIT પટનામાં 38 ટકા ફેકલ્ટી OBC સમાજની છે. જ્યારે 22 ટકા SC અને 13 ટકા ST સમાજના છે. અહીં માત્ર 12 ટકા જ જનરલ કેટેગરીના છે. IIT ભિલાઈ અને ઈન્દોરમાં પણ 50 ટકા ફેકલ્ટી જનરલ કેટેગરીના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેવી જ રીતે IIM જમ્મુમાં 51 ટકા ફેકલ્ટી જનરલ કેટેગરીના છે. 19 ટકા SC, 5 ટકા ST, 23 ટકા OBC અને 2 ટકા EWS કેટેગરીના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે સંસ્થાઓએ વિગતો પુરી પાડી છે તેમાં 7 IIM માં કુલ 256 જગ્યાઓ ખાલી હતી. જેમાં તમામ કેટેગરીમાં સૌથી વધુ ઓબીસી કેટેગરીની હતી, જેની સંખ્યા 88 છે. આ સિવાય SC સમાજની 54 જગ્યાઓ ખાલી છે. જ્યારે STની 30 જગ્યાઓ ખાલી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેવી જ રીતે, 11 IITમાં 1557 જગ્યાઓ ખાલી છે. જેમાં સૌથી વધુ 415 ઓબીસીની છે અને 223 SC અને 129 ST સમાજની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/casteism-at-iim-lucknow-86-percent-faculty-are-general-sc-2-percent-st-zero"><span style="font-size: 12pt;"> </span>IIM લખનઉમાં જાતિવાદઃ 86 ટકા ફેકલ્ટી સવર્ણ, SC 2 ટકા, ST ઝીરો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 13:10:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1647</Articleid>
                    <excerpt>દેશની લગભગ તમામ આઈઆઈટી, આઈઆઈએમમાં 80 ટકાથી વધુ શિક્ષકો સવર્ણો છે. સૌથી વધુ ખાલી જગ્યા ઓબીસીની છે. વાંચો શિક્ષણ જગતમાં ચાલતા જાતિવાદને નગ્ન કરતો રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6750067100bcb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67500670c3b58.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67500670c3b58.jpg" length="129537" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>casteism in iit iim, iim indore</media:keywords>
                </item>
                        <item>
                    <title>દુકાનનું નામ હિંદુ હોવાથી ભાજપ નેતાએ મુસ્લિમ માલિકને ધમકાવી તોડફોડ કરી</title>
                    <link>https://khabarantar.com/bjp-leader-threatens-muslim-owner-of-shop-in-baghpat-uttar-pradesh-because-it-has-hindu-name</link>
                    <guid>https://khabarantar.com/bjp-leader-threatens-muslim-owner-of-shop-in-baghpat-uttar-pradesh-because-it-has-hindu-name</guid>
                    <description>
                        <![CDATA[ મુસ્લિમ યુવક વેજ બિરીયાની વેચી રહ્યો હતો. હિંદુ વાહિની અને ભાજપના નેતાએ હોબાળો મચાવી દુકાનના પોસ્ટર ફાડી નાખી તોડફોડ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુત્વવાદીઓને જાણે કાયદો વ્યવસ્થાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ વર્તી રહ્યાં છે. ખાસ કરીને મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં તેઓ કાયદો વ્યવસ્થાની ચિંતા કર્યા વિના, પોલીસની બીક રાખ્યા વિના કાયદો પોતાના હાથમાં લઈને મારામારી પર ઉતરી આવે છે. આવી જ એક વધુ ઘટના સામે આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના બાગપતમાં ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય મનુપાલ બંસલે એક શાકાહારી રેસ્ટોરન્ટની નેમપ્લેટ તોડી નાખી અને દુકાનનું નામ હિન્દુ હોવા પર મુસ્લિમ માલિકને ધમકી અને ચેતવણી આપી. બંસલે 4 દિવસ પહેલા પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેને હેટ ડિટેક્ટરે આની જાણ કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ ખૈલા વળાંક પર મુસ્લિમ યુવક વેજ બિરયાની વેચી રહ્યો હતો જેને લઈને હિંદુ વાહિનીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે દુકાનના પોસ્ટર અને બેનરો ફાડી નાખ્યા હતા અને દુકાનનું મુસ્લિમ નામ રાખીને તેને ચલાવવાની ધમકી આપી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રતૌલના મુસ્લિમ યુવકે અહીં અમૃતસરી નાન અને શુદ્ધ શાકાહારી વેજ બિરયાનીનું બોર્ડ લગાવીને દુકાન ખોલી હતી. જેની માહિતી મળતાં બુધવારે હિન્દુ યુવા વાહિનીના તાલુકા પ્રમુખ આકાશ ત્યાગી, જિલ્લા પંચાયત સભ્ય મનુપાલ બંસલ તેમના કાર્યકરો સાથે ત્યાં પહોંચ્યા અને હંગામો મચાવ્યો. તેમને આવતા જોઈ દુકાનદાર શટર બંધ કરીને ભાગી ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિલ્લા પંચાયત સભ્યે કહ્યું કે, ધર્મ છુપાવીને ત્રિલોક તીર્થ ધામ જૈન મંદિરના નામે હોટલ ચલાવવામાં આવી રહી છે અને વેજ બિરયાની પણ વેચાઈ રહી છે. ત્રિલોક તીર્થ ધામ સનાતન સંસ્કૃતિના અનુયાયીઓ માટે એક તીર્થસ્થાન છે, જ્યારે બિરયાની શબ્દ તેમની આસ્થા પર હુમલો કરે છે અને તેમની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. કાર્યકરોએ દુકાનમાં મંદિરના નામવાળા પોસ્ટરો અને બેનરો ફાડી નાખ્યા હતા અને પોલીસને માહિતી આપવામાં આવી હતી. કાર્યકરોમાં મયંક ત્યાગી, રાહુલ ત્યાગી, મુકેશ, મોનુ વગેરે હાજર રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દેશભરમાં મુસ્લિમ દુકાનદારોને તેમના નામની નેમપ્લેટ લગાવવા માટે હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા નિશાન બનાવવાની ઘટનાઓ સામે આવી છે. આ સંદર્ભમાં બાગપતની આ ઘટના પ્રકાશમાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હીના વિનોદ નગર વોર્ડના ભાજપના MCD કાઉન્સિલર રવિન્દર સિંહ નેગીએ દુકાનદારો પર તેમના સાચા નામની નેમપ્લેટ લગાવવા માટે દબાણ કર્યું હતું. તેણે તેની એક્સ પોસ્ટ પર તેનો વીડિયો પણ શેર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ કાઉન્સિલરે ટ્વિટર પર લખ્યું, “તોમર પટપડગંજ વિધાનસભાના મંડાવલી વોર્ડમાં તોમર ડેરી (હિંદુ નામ)ના છે, પરંતુ તેનું અસલી નામ મુસ્લિમ છે. અમે દુકાનદારને તેનું સાચું નામ રાખવા કહ્યું છે. હિંદુ નામો રાખીને હિંદુઓ સાથે કેમ રમત રમો છો? અમે પટપડગંજ વિધાનસભામાં આવી દુકાનો ચલાવવાની મંજૂરી આપીશું નહીં, જે હિન્દુ નામ રાખીને મુસ્લિમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">નોંધનીય છે કે આ વર્ષે ઉત્તર પ્રદેશ પ્રશાસને કાવડ યાત્રાના રૂટ પર ખાદ્યપદાર્થો વેચનારાઓને તેમના નામ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. નવભારત ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ ઓર્ડરમાં ઢાબા, હોટલ, ઠેલા, ખુમચા અને સ્ટ્રીટ વેન્ડર્સ સહિતના તમામ દુકાનદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક વર્ગ આને મુસ્લિમો વિરુદ્ધ લેવાયેલું પગલું માને છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તો તેને હિટલરશાહી ગણાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bjps-hindu-candidate-defeated-11-muslim-candidates-in-ups-kundarki-assembly-seat">જાળીદાર ટોપી પહેરી હિંદુ નેતાએ 11 મુસ્લિમ ઉમેદવારોને હરાવ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 11:35:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1646</Articleid>
                    <excerpt>મુસ્લિમ યુવક વેજ બિરીયાની વેચી રહ્યો હતો. હિંદુ વાહિની અને ભાજપના નેતાએ હોબાળો મચાવી દુકાનના પોસ્ટર ફાડી નાખી તોડફોડ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674fef3fa817e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674fef3f7903a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674fef3f7903a.jpg" length="47457" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>baghpat News, bjp leader, threatens muslim shop owner, hindu name, UP Govt., yogi adityanath</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલા ડેપ્યૂટી મેયર શાકભાજી વેચી જીવન ગુજારવા મજબૂર</title>
                    <link>https://khabarantar.com/chinta-devi-a-dalit-deputy-mayor-in-gaya-bihar-makes-a-living-by-selling-vegetables</link>
                    <guid>https://khabarantar.com/chinta-devi-a-dalit-deputy-mayor-in-gaya-bihar-makes-a-living-by-selling-vegetables</guid>
                    <description>
                        <![CDATA[ દલિત હોવાથી મહાનગર પાલિકાના સવર્ણ નેતાઓ-અધિકારીઓ દ્વારા તેમને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. આર્થિક સંકડામણ અને ઉપેક્ષાથી કંટાળી તેઓ શાકભાજી વેચે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ ભારત દેશનો સ્થાયી ભાવ છે. અહીં તમારા કર્મ કરતા પણ પહેલા તમારી જાતિનું મહત્વ છે. તમે ગમે તેવા મોટા બંધારણીય હોદ્દા પર હો તો પણ જો તમે કથિત નીચી જાતિના છો તો ત્રણ દિવસે નહાતો નહીં હોય તેવો ગંદોગોબરો તમારાથી કથિત ઉંચી જાતિનો નોકર પણ તમારું જાતિગત અપમાન કરતા ખચકાશે નહીં. રાષ્ટ્રપતિ હોવા છતાં દ્રૌપદી મુર્મુને રામ મંદિરના ઉદ્ઘાટનમાંથી બાકાત રખાયા હતા. અગાઉ યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ એક મંદિરમાં ગયા બાદ પૂજારીઓ આખું મંદિર ધોવડાવ્યું હતું. આ દેશના બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરને પણ જાતિવાદીઓએ છોડ્યા નહોતા. કહેવાતી સંસ્કારીનગરી વડોદરાના જાતિવાદી લોકો તેમને રહેવા માટે એક રૂમ આપી શક્યા નહોતા. હવે જે લોકો મહાનાયક આંબેડકરને ન છોડતા હોય તેઓ તેમનાથી નીચલા સ્તરના લોકોને છોડે તેવી અપેક્ષા રાખવી પણ નકામી છે. બાબાસાહેબને જેમ જાતિવાદીઓએ વડોદરા છોડાવ્યું હતું, એમ હવે એક મહાનગરપાલિકામાં જાતિવાદીઓએ ડેપ્યૂટી મેયરને તેમની જાતિના કારણે હેરાન કરી રહ્યાં છે. જેનાથી કંટાળીને દલિત ડેપ્યૂટી મેયર રસ્તા પર શાકભાજી વેચવા મજબૂર બન્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત ડેપ્યૂટી મેયર શાકભાજી વેચે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બિહારના ગયાનો છે. અહીં ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનના દલિત ડેપ્યુટી મેયર ચિંતા દેવીને આર્થિક સંકડામણ અને વહીવટી ઉપેક્ષાને કારણે રસ્તા પર શાકભાજી વેચવાની ફરજ પડી છે. ઘરે ગેસ કે ચા માટે પણ પૈસા નથી અને મહાનગરપાલિકામાં પણ તેમને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. જ્ઞાતિના ભેદભાવ અને ઉપેક્ષાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિંતા દેવીના જીવનનું એક એવું દર્દનાક અને ચોંકાવનારું પાસું સામે આવ્યું છે, જેણે માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસનને જ નહીં પરંતુ સમગ્ર સમાજને વિચારવા મજબૂર કરી દીધા છે. સોમવારે, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પાસે રસ્તાના કિનારે શાકભાજી વેચતી તેમની તસવીરો વાયરલ થઈ, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674fe41ab99b6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિંતા દેવીએ પોતાની પરિસ્થિતિ જણાવતી વખતે કહ્યું હતું કે, "મહાનગરપાલિકાના અધિકારીઓ તેમની સતત અવગણના કરી રહ્યા છે. કચેરીમાં તેમની હાજરીને મહત્વ આપવામાં આવતું નથી અને તેમના અધિકારોની સદંતર અવગણના કરવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે વહીવટમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે કારણ કે તેઓ અનુસૂચિત જાતિના છે. તેમણે જણાવ્યું કે આર્થિક સંકડામણના કારણે તેઓ આ પગલું ભરવા મજબૂર બન્યાં છે અને શાકભાજી વેચીને રોજના ત્રણ-ચારસો રૂપિયા માંડ કમાઈ શકી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આર્થિક તંગીએ શાંતિ છીનવી લીધી, ચૂલા પર ભોજન બનાવવા મજબૂર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિંતા દેવીની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે તેમના ઘરમાં એલપીજી ગેસ પણ નથી. આજે પણ તેને ચૂલા પર ખોરાક રાંધવાની ફરજ પડે છે. તેમણે તેની પુત્રીના લગ્ન માટે 3 લાખ રૂપિયા ઉધાર લીધા હતા જે તે આજ સુધી ચૂકવી શક્યા નથી. તેમણે કહ્યું કે ડેપ્યુટી મેયર બન્યા પછી પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. તેમને ન તો કોઈ સરકારી યોજના વિશે માહિતી આપવામાં આવી છે અને ન તો કોઈ આર્થિક મદદ આપવામાં આવી છે. આ સ્થિતિ તેમના માટે અત્યંત અપમાનજનક અને પીડાદાયક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિ ભેદભાવ અને રાજનીતિનો શિકાર બન્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે અંગે ચિંતા દેવીએ કહ્યું કે, તે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા હોવાથી શરૂઆતથી જ તેમની સાથે ભેદભાવનું રાજકારણ કરવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું, “અમે સાચું બોલીએ છીએ, એટલે બધાને કડવું લાગે છે. જ્યારે અમે જનહિતની વાત કરીએ છીએ અને અધિકારીઓ દ્વારા યોજનાઓના અમલીકરણ પર પ્રશ્નો ઉઠાવીએ છીએ ત્યારે તેઓ અમારી અવગણના કરે છે. અમારી હાજરીનું સન્માન કરવામાં આવતું નથી અને અમારા મંતવ્યોને બિનમહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમને મીટિંગ્સ અને મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જાણ કરવામાં આવતી નથી, જેના કારણે તે મહાનગરપાલિકામાં સંપૂર્ણપણે એકલતા અનુભવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમાજ અને વહીવટ માટે પ્રશ્નો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિંતા દેવીની આ લડત માત્ર વહીવટી બેદરકારીને જ ઉજાગર કરતી નથી પરંતુ સમાજમાં પ્રવર્તતા જાતિ ભેદભાવ અને આર્થિક અસમાનતાનું કડવું સત્ય પણ બહાર લાવે છે. સવાલ એ છે કે પ્રજાની સેવા કરવા માટે ચૂંટાયેલા ડેપ્યુટી મેયરને આવી સ્થિતિમાંથી કેમ પસાર થવું પડે છે?</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674fe43a7f660.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના સામાજિક અને વહીવટી ખામીઓને ઉજાગર કરે છે, જેને સુધારવાની જરૂર છે. ચિંતા દેવીનો આ સંઘર્ષ સમાજ અને વહીવટ બંને માટે અરીસો છે, જે દર્શાવે છે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ન્યાય અને સમાનતાની આશા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના એક ચેતવણી છે કે જો સમાજ અને વહીવટીતંત્ર આવી ઘટનાઓમાંથી બોધપાઠ નહીં લે, તો તે આપણા લોકતાંત્રિક મૂલ્યો માટે જ નહીં, પરંતુ ન્યાય અને સમાનતા માટે દરરોજ લડતા વંચિત સમાજો માટે પણ ખતરનાક બની રહેશે. ચિંતા દેવીની આ વ્યથા આપણને વિચારવા મજબૂર કરે છે કે શું ખરેખર આપણા સમાજમાં દરેક માટે સમાન તક અને સન્માન છે કે પછી તે માત્ર કાગળ પરની વાતો છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચિંતા દેવી 40 વર્ષથી સફાઈકામ કરતા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિંતા દેવી ડેપ્યૂટી મેયર બન્યાં તે પહેલા 40 વર્ષ સુધી ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા. તેઓ વર્ષ 2023માં ચૂંટણી લડ્યાં અને ડેપ્યૂટી મેયર બન્યા હતા. ચિંતા દેવીએ માથે મેલું ઉપાડવાનું કામ કર્યું છે, જ્યારે તેઓ ડેપ્યૂટી મેયર બન્યાં ત્યારે મનુવાદી મીડિયાએ તેમને ભારે કવરેજ આપ્યું હતું અને હવે જાતિ ભેદભાવ જેવું કશું રહ્યું નથી તેવો પ્રચાર કર્યો હતો. પણ એક જ વર્ષની અંદર વાસ્તવિકતા સામે આવી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગેસનો બાટલો ભરાવવાના પણ પૈસા નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિંતા દેવીનું ઘર ગયા શહેરના મદનપુરની મંગલાગુરી લટ્ટુ ગલીમાં છે. તેમના ઘર સુધી પહોંચવા માટે સાંકડી શેરીઓમાંથી પસાર થવું પડે છે. શેરી સાવ જર્જરિત છે અને ચિંતા દેવીના ઘરમાં ખોરાક પણ લાકડાના ચૂલા પર રાંધવામાં આવે છે. અગાઉ તેમને ઉજ્જવલા સ્કીમ હેઠળ ગેસ કનેક્શન મળ્યું હતું, પરંતુ પૈસાના અભાવે તેઓ ગેસ ફરીથી પુરાવી શક્યા નહોતા તેથી ચૂલા પર જ ભોજન રાંધવામાં આવે છે. ચિંતા દેવીના પરિવારમાં ત્રણ પુત્રો, ભોલા માંઝી, બબલુ માંઝી, મોહિત કુમાર અને બે પુત્રવધૂ દેવદંતિ દેવી અને સોની દેવી છે. તેમના પુત્રો અને પુત્રવધુ ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દૈનિક સફાઈ કામદાર તરીકે કામ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/racism-land-lust-forced-phoolan-to-become-a-bandit-queen">જાતિવાદ, જમીન અને હવસે ફૂલનને 'બેન્ડિટ ક્વિન' બનવા મજબૂર કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 10:43:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1645</Articleid>
                    <excerpt>દલિત હોવાથી મહાનગર પાલિકાના સવર્ણ નેતાઓ-અધિકારીઓ દ્વારા તેમને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. આર્થિક સંકડામણ અને ઉપેક્ષાથી કંટાળી તેઓ શાકભાજી વેચે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674fe4068e56e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674fe4065a113.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674fe4065a113.jpg" length="89382" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>chinta devi, chinta devi gaya deputy mayor</media:keywords>
                </item>
                        <item>
                    <title>CREDAI ની ચેતવણી : નવી જંત્રી કોઈ કાળે સ્વીકાર્ય નથી, ફેર વિચારણા કરે</title>
                    <link>https://khabarantar.com/credais-warning-new-jantri-is-not-acceptable-at-any-time-reconsider</link>
                    <guid>https://khabarantar.com/credais-warning-new-jantri-is-not-acceptable-at-any-time-reconsider</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય સરકારની નવી સૂચિત જંત્રીને લઈને વિરોધના સૂર ઉઠવા શરૂ થઈ ગયા છે. બિલ્ડરો અને ડેવલપરોની સંસ્થા ક્રેડાઈએ મોરચો માંડી અનેક વાંધા રજૂ કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા આગામી 1 એપ્રિલ, 2025 થી સૂચિત નવી જંત્રી અમલમાં લાવવા માટે જંત્રીના ભાવ જાહેર કર્યા છે. જો કે, રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલી સૂચિત નવી જંત્રી સામે રાજ્યના બિલ્ડર્સ અને ડેવલોપર્સ એસોશિએશનની સંસ્થા એવી ક્રેડાઈએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, ક્રેડાઈ દ્વારા એવો દાવો કરાયો છે, રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સૂચિત જંત્રીના દરમાં જે વધારો કરાયો છે, તે વાસ્તવિક નથી. તેમજ જંત્રીના દરોમાં કરાયેલા સૂચિત વધારાની દરખાસ્તો ખેડૂતો, મકાન ખરીદનાર સામાન્ય વર્ગની મુશ્કેલીમાં વધારો કરનાર છે. સરકારના મહેસૂલ વિભાગ દ્વારા નવી જંત્રીના દરોમાં 200થી 2000 ટકાનો અણઘડ વધારો ઝીકયો છે તે ખેડૂતો અને મકાન ખરીદવા ઇચ્છતા સામાન્ય વર્ગના લોકોની કમર તોડી નાખશે. જેથી સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે સૂચિત જંત્રીના દરોમાં ઘટાડો કરવા, જંત્રી માટે મંગાવવામાં આવેલા વાંધા સૂચનોની મર્યાદાને 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવે તેમજ વાંધા સૂચનો ઓનલાઈનની સાથોસાથ ઓફલાઇન ધોરણે જે તે જિલ્લા અને તાલુકા મથકથી આપી શકાય તેવી વ્યવસ્થા કરવાની માંગણી ક્રેડાઈ દ્વારા કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા કોઈ પણ જાતના સાયન્ટિફિક રીતે સર્વે કર્યા વિના નવી સૂચિત જંત્રીના દર આગામી તા. 31. માર્ચ 2025થી અમલમાં મૂકવાનો નિર્ણય કરાયો છે. એટલું જ નહીં, આ નવી જંત્રીના દરમાં 200થી 2000 ટકા સુધીનો ધરખમ વધારો કરાયો છે. આ નવી જંત્રીના દર અંગે આગામી તા. 20 નવેમ્બર સુધીમાં ઓનલાઈન દ્વારા વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. સરકારનો આ નિર્ણય રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર ગંભીર અસર પહોંચાડી શકે છે. સરકારના આ નિર્ણયથી સૌથી વધુ કફોડી સ્થિતિ ખેડૂતો તેમજ ઘર (મકાન) ખરીદનાર સામાન્ય વર્ગના લોકો તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રના લોકોની બનશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારના આ નિર્ણય અંગે કોન્ફેડેરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોશિએશન ઓફ ઈન્ડિયા (ક્રેડાઈ) અમદાવાદ ગાહેડના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2011 માં જંત્રી આવી હતી, તેના બાદ 12 વર્ષ સુધી કોઈ જ વધારો કરાયો ન હતો. ડેવલપમેન્ટને ધ્યાને રાખી ક્રેડાઈ દ્વારા સરકારને અવારનવાર સૂચનો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ 2023 માં એક સરપ્રાઈઝ તરીકે જંત્રી ડબલ કરવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે પણ ક્રેડાઈએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. હવે 12 વર્ષ પછી આ જંત્રીમાં વધારો કરાયો છે તે અંગે સરકારે વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરી જંત્રીમાં સુધારો કરાયો હોવાની વાત કરી છે. રાજ્ય સરકારે એપ્રિલ 2023 થી અત્યાર સુધી સર્વે કર્યો અને 20 ઓક્ટોબર 2024ના રોજ એ સૂચિત જંત્રી જાહેર કરી છે. અને આગામી તા. 20 નવેમ્બર સુધીમાં વાંધા સૂચનો ઓનલાઈન મંગાવવામાં આવ્યા છે. જેથી અમે આ મામલે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી કે, રાજ્યમાં 40,000 વેલ્યૂ ઝોન આવેલા છે. આ ઝોનને ધ્યાનમાં રાખ્યા વિના નવી જંત્રીના દર નક્કી કરાયા છે. આ વેલ્યૂ ઝોનની અનેક પ્રકારની જમીનના મુદ્દા રાજ્યના ખેડૂતોથી લઇ તમામ લોકોને લાગુ પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પોતે નવી જંત્રી માટે દોઢ વર્ષ લીધું, પરંતુ જનતાના વાંધા સૂચનો માટે ફક્ત 1 મહિનો આપ્યો, તે વ્યાજબી નથી. હાલની સૂચિત જંત્રીમાં અમારા સર્વે મુજબ 200 ટકાથી લઈને 2000 ટકા સુધીનો સરેરાશ વધારો કરાયો હોવાનું જણાય રહ્યું છે. વિકાસ અને સમય મુજબ જંત્રી વધવી જોઈએ એ અમે પણ માનીએ છીએ, પણ એક ઝાટકે આટલો ધરખમ વધારો અમને સ્વીકાર્ય નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પોતે રિવ્યૂ કરવા માટે દોઢ વર્ષનો સમય લે છે અને પ્રજાને તેના વાંધા સૂચનો માટે ફક્ત 1 મહિનો અને તે પણ ઓનલાઈન સિસ્ટમ દ્વારા આપે છે. જે બિલકુલ યોગ્ય નથી. અમારી માંગણી છે કે, આગામી તા. 31 માર્ચ 2025 સુધી અમને રિવ્યૂ કરવાનો સમય આપો. એટલું જ નહીં, ઓનલાઇન રિવ્યૂનો વિકલ્પ બિલકુલ ઉપયોગી (યુઝર ફ્રેન્ડલી) નથી, ઓનલાઈન સિસ્ટમમાં અનેક ટેકનિકલ ક્ષતિઓ આવી રહી છે. જેના કારણે અમદાવાદ જેવા મહાનગરમાં અમારા જેવા શિક્ષિત લોકોએ અનેક મુશ્કેલીઓ પડી રહી છે, તો ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાદાન અને નાસમજ લોકો આ વાંધા સૂચનો કરી જ નહીં શકે. આ માટે રાજ્યના તાલુકા અને જિલ્લા મથકો ખાતે નાગરિકોના ઓફલાઈન પદ્ધતિથી પણ વાંધા સૂચનો સ્વીકારવામાં આવે એવી અમારી માંગણી છે. એટ્લે કે આ માટે મામલતદાર અને કલેકટર કચેરીએ પણ  લેખિતમાં વાંધા સૂચનો સ્વીકારવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રેડાઈના પ્રમુખ ધ્રુવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ સૂચિત જંત્રી મામલે અમારે પણ હજી સંપૂર્ણ અભ્યાસ કરવો શક્ય નથી. તેથી આ જંત્રી હાલના સંજોગોમાં અમારા માટે કોઈ કાળે સ્વીકાર્ય નથી. જેથી આ નવી જંત્રીના ધરખમ દર વધારાનો અમલ કરવા માટે રાજ્ય સરકાર અમને વધુ મુદત આપે તે જરૂરી છે. સાથોસાથ ઓફલાઈન વાંધા સૂચન સ્વીકારવાનો પણ સરકાર વિકલ્પ આપે. તેમજ જંત્રીનો વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે થવો જોઈએ પરંતુ હાલની જંત્રી કયા ધારા ધોરણોથી જાહેર કરવામાં આવી છે તેનો અમને જરા પણ અંદાજ નથી આવતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાન્ય વર્ગના લોકોને ઘરનું ઘર ખરીદવું સપનું બની રહેશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે ક્રેડાઈના પ્રમુખે જણાવ્યું હતું કે, સરકારની આ નવી સૂચિત જંત્રીમાં જમીન ફેરફાર માટેનું પ્રીમિયમ અનેકગણું વધી જાય છે. જેના કારણે અનેક કિસ્સાઓમાં જમીનની કિંમત કરતા પ્રીમિયમની રકમ ઘણી વધારે થાય છે. આ ઉપરાંત દસ્તાવેજની કિંમતમાં પણ વધારો થતાં મકાન કે ઘર ખરીદનાર સામાન્ય વર્ગના નાગરિકોને મોટી તકલીફ થશે. રાજ્ય સરકારની આ નવી સૂચિત જંત્રીથી અમદાવાદ, ગાંધીનાર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતના શહેરો અને નગરોમાં મકાનોની કિંમતમાં 30 થી 40 ટકા જેટલો ધરખમ વધારો થશે. જેના કારણે સામાન્ય વર્ગના લોકોને ઘરનું ઘર ખરીદવું એક સપનું બની જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવના બળવત્તર બની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવા તેમજ રિડેવલપમેન્ટની યોજનાઓ પડી ભાંગશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવી જંત્રીથી આવનારી મુશ્કેલીઓ વિશે ક્રેડાઈના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, નવી જંત્રીથી ટીડીઆરમાં પણ મુશ્કેલી થતા સ્લમ ડેવલપમેન્ટ તેમજ રિડેવલોપમેન્ટની યોજનાઓ પડી ભાંગશે. રિડેવલપમેન્ટ સહિતના પ્રોજેક્ટ પણ વિવાદમાં સપડાશે. ગ્રાહકો અને બિલ્ડરો વચ્ચે વર્તમાન પ્રોજેક્ટને લઈને અનેક કાનૂની ગુંચવણ ઉભી થશે. જંત્રીનો દર બજાર કિંમતની નજીક હોવો જોઈએ એ અમે પણ માનીએ છીએ. પણ આ ટૂંકા ગાળાની જાહેરાતથી આટલો મોટો વધારો પચાવવો શક્ય નથી. એક તરફ અમદાવાદમાં ઓલિમ્પિક યોજવા માટેની અરજી કરાઈ છે, અને અમદાવાદમાં મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનવાનું છે. કોઈપણ સિટીનું રિયલ એસ્ટેટ એની ઓળખ બને છે, પરંતુ આ નવી જંત્રીના કારણે આ આખું માર્કેટ 3 થી 4 વર્ષ પાછળ જતું રહેશે. આની સૌથી મોટી અસર જમીન માલિક એવા ખેડૂતોને થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજયમાં કલેકટરને આવેદનપત્ર આપવા ઉપરાંત જરૂર પડે મુખ્યમંત્રીને ફરી મળીશું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રેડાઈ પ્રમુખે જણાવ્યું હતું કે, આ તમામ મામલે આગામી સમયમાં અમે રાજ્યભરમાં કલેક્ટરને આવેદન પત્રો આપી વાસ્તવિકતા જણાવીશું. સમય આવે મુખ્યમંત્રીને પણ પુનઃ મળવા જઈશું. જરૂર પડ્યે કોર્ટનો પણ સહારો લેવાની વાત અમારા સભ્યોએ કરી છે. કોઈપણ ઘર્ષણ વગર જંત્રીનો યોગ્ય અમલ થાય એવી અમારી સરકારને રજૂઆત છે. હાલની જાહેર કરાયેલી જંત્રીના સર્વેના ધારાધોરણ જાહેર કરવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/now-land-can-be-acquired-by-collecting-10-percent-of-the-jantri">હવે જંત્રીના 10 ટકા વસૂલ કરીને જમીન એનએ કરાવી શકાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Dec 2024 21:31:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1644</Articleid>
                    <excerpt>રાજ્ય સરકારની નવી સૂચિત જંત્રીને લઈને વિરોધના સૂર ઉઠવા શરૂ થઈ ગયા છે. બિલ્ડરો અને ડેવલપરોની સંસ્થા ક્રેડાઈએ મોરચો માંડી અનેક વાંધા રજૂ કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674f2a2c830ed.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674f2a2c4b791.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674f2a2c4b791.jpg" length="87227" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>CREDAI, Jantri</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપના ધારાસભ્યે રાષ્ટ્રધ્વજ ઉતારીને ભગવો ફરકાવ્યો, કહ્યું, હિંદુ રાષ્ટ્રની શરૂઆત</title>
                    <link>https://khabarantar.com/bjp-mla-hoists-saffron-flag-after-lowering-national-flag-says-hindu-rashtra-is-beginning</link>
                    <guid>https://khabarantar.com/bjp-mla-hoists-saffron-flag-after-lowering-national-flag-says-hindu-rashtra-is-beginning</guid>
                    <description>
                        <![CDATA[ મધ્યપ્રદેશમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ભાજપના એક ધારાસભ્યે રાષ્ટ્રધ્વજ ઉતારીને તેની જગ્યાએ ભગવો ધ્વજ ફરાવી ભારતમાં હિંદુ રાષ્ટ્રની શરૂઆત થઈ ચૂક્યાનું જાહેર કરી દીધું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભાજપના ધારાસભ્ય અમર સિંહ યાદવે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરતા ભારતીય રાષ્ટ્રધ્વજ ઉતારી લીધો અને તેની જગ્યાએ ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. એ દરમિયાન તેમણે કહ્યું કે, આજથી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે. તેમણે "હિન્દુ રાષ્ટ્ર ઝિંદાબાદ" અને "જય શ્રી રામ" ના નારા પણ લગાવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટનાનું લોકેશન અને વીડિયો વાયરલ થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે અને લોકો જાતભાતની ચર્ચાઓ કરી રહ્યા છે. ઘટના મધ્યપ્રદેશના રાજગઢના ભારત માતા ચોક પર બની હતી. ભાજપના ધારાસભ્યએ ચાર રસ્તા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ઉતારી લીધો હતો અને તેની જગ્યાએ હિંદુત્વની નિશાનીસમો ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધારાસભ્ય અમર સિંહ યાદવ ચાર રસ્તા પર ભગવો ઝંડો ફરકાવતા જોવા મળે છે અને તેની સાથે કેટલાક અન્ય લોકો પણ હાજર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં મીડિયા સાથે વાત કરતા ભાજપના ધારાસભ્ય અમર સિંહ યાદવે કહ્યું કે, "આજથી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની પ્રક્રિયા રાજગઢથી શરૂ થઈ રહી છે. અમે ભારતને હિંદુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવાની પહેલ રાજગઢથી શરૂ કરી રહ્યા છીએ." તેમણે એમ પણ કહ્યું કે ભગવો ધ્વજ લહેરાવીને આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, અને હવે સમગ્ર હિન્દુ સમાજ એકત્ર થયો છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે તેઓ આ મિશનને આગળ વધારવા માટે પગપાળા કૂચ શરૂ કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવાનો છે. આ ઘટના સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે અને ભાજપના ધારાસભ્યના આ નિવેદન અને કાર્યવાહી અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/savarkar-an-attempt-to-distort-the-truth-to-strengthen-hindutva-politics"> સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Dec 2024 20:26:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1643</Articleid>
                    <excerpt>મધ્યપ્રદેશમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ભાજપના એક ધારાસભ્યે રાષ્ટ્રધ્વજ ઉતારીને તેની જગ્યાએ ભગવો ધ્વજ ફરાવી ભારતમાં હિંદુ રાષ્ટ્રની શરૂઆત થઈ ચૂક્યાનું જાહેર કરી દીધું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674f1adb4963c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674f1adb15840.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674f1adb15840.jpg" length="62443" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>National Flag, Hindu Nation, BJP MLA Amar Singh Yadav, viral video</media:keywords>
                </item>
                        <item>
                    <title>મળો કર્ણાટકની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઓટો&amp;રિક્ષા ડ્રાઈવરને...</title>
                    <link>https://khabarantar.com/kaveri-mary-dsouza-karnatakas-first-transgender-auto-rickshaw-driver-gujarati</link>
                    <guid>https://khabarantar.com/kaveri-mary-dsouza-karnatakas-first-transgender-auto-rickshaw-driver-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ વાંચો &#039;ડેક્કન હેરાલ્ડ ચેન્જમેકર 2024&#039; એવોર્ડ વિજેતા એક એવી વ્યક્તિને ટ્રાન્સ કોમ્યુનિટી પ્રત્યેની રૂઢિચુસ્ત માનસિકતાને પડકારીને નોખો ચિલો ચાતર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિનેમા હોય કે વાસ્તવિકતા, આપણે સમાજના મુખ્ય પ્રવાહ સાથે ટ્રાન્સજેન્ડર સમાજના લોકોનું જોડાણ ન તો જોઈએ છીએ અને ન બતાવવામાં આવે છે. સમાજે તેમને હંમેશા હાંસિયામાં ધકેલી દીધા છે, જ્યાં તેઓ આર્થિક સંકડામણને કારણે ભીખ માંગવા જેવું કામ કરવા મજબૂર છે. પરંતુ આ બધા પડકારોને પાર કરીને કર્ણાટકની એક ટ્રાન્સ મહિલા આત્મનિર્ભર બની અને ઓટો ડ્રાઈવર બની અને આજે હજારો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી લઈ જઈ રહી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાવેરી મેરી ડિસોઝાને કર્ણાટકની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઓટો-રિક્ષા ડ્રાઈવર બનવાનું ગૌરવ મળ્યું છે. તેણે સમાજની રૂઢિચુસ્ત વિચારસરણી અને ટ્રાન્સ કોમ્યુનિટી પ્રત્યેની રૂઢિચુસ્ત માનસિકતાને પડકારી એક અલગ રસ્તો પસંદ કર્યો, જે આજે પ્રેરણાનું પ્રતીક બની ગયો છે. સમાજને નવી દિશા આપતા કાવેરી કહે છે કે અમને બદલવા માટે કહેવામાં આવે છે. સત્ય એ છે કે અમે ઘણા સમય પહેલા બદલાઈ ચૂક્યા છીએ. હવે તમારો દ્રષ્ટિકોણ બદલવાનો સમય છે. આ વાક્ય તેમના સંઘર્ષ અને સફળતાની વાર્તાને સંપૂર્ણ રીતે વર્ણવે છે. ઉડુપીના એક નાનકડા ગામ પેથરીમાં જન્મેલી કાવેરીએ પોતાના કપરા પરિસ્થિતિને તાકાત બનાવી તાકાત બનાવી અને સખત મહેનત દ્વારા પોતાનું ભાગ્ય જાતે જ લખ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નાનપણમાં રૂ. 20 સાથે ઘર છોડ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાવેરીનો જન્મ ઉડુપીના પેથરીમાં સ્ટેની ડિસોઝા તરીકે થયો હતો. બાળપણમાં ભારે ગરીબીમાં ઉછેર થયો. બાળપણથી જ તેને લાગતું હતું કે તે એક સ્ત્રી જેવી લાગે છે. તેથી 10મા ધોરણના અભ્યાસ દરમિયાન તેણે માત્ર 20 રૂપિયા સાથે ઘર છોડવું પડ્યું અને ત્રણ મહિના માટે સુરથકલની હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાવેરી કહે છે કે, મને આ કામ કરતી વખતે અપરાધ બોધ થતો હતો, કારણ કે મારી લાગણીઓને સમજવાવાળું કોઈ નહોતું. એ પછી તે હોટલની નોકરી છોડીને મૈસુર જતી રહી. ત્યાં તે કોઈને ઓળખતી ન હતી. તેથી બસ સ્ટોપ જ તેનું ઘર બની ગયું હતું. આ મુશ્કેલ સમયમાં, તે મંદિરોમાં અથવા લગ્નોમાં આપવામાં આવતા ભોજનથી પેટ ભરતી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ક્રમ લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યો. ત્યારે જ એક દિવસ તેણે બસ સ્ટેન્ડ પાસે ટ્રાન્સ કોમ્યુનિટીના કેટલાક લોકોને જોયા અને ત્યાંથી તે NGO ગ્રુપ 'Geleya'ના સંપર્કમાં આવી. એ લોકો તેને બેંગ્લોર લઈ ગયા અને રહેવા માટે જગ્યા આપી. બેંગલુરુમાં, કાવેરીને સમજાયું કે ટ્રાન્સજેન્ડર સમુદાયના મોટાભાગના લોકો કાં તો ભીખ માંગે છે અથવા સેક્સ વર્કમાં જોડાવાની ફરજ પાડવામાં આવે છે. તેણે પણ તેના જીવનના પ્રારંભિક તબક્કામાં આ અપનાવ્યું હતું પરંતુ ટૂંક સમયમાં જ તેને સમજાયું કે તે પોતાની જિંદગીને પોતાના દમ પર બદલી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સર્જરી કરાવી નવી ઓળખ તરફ કદમ માંડ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોકરીની થોડી ઓછી સલામતી અને ઘરના આરામ ના  અભાવે ઘરે પાછા ફરવાનો વિચાર તેના મનમાં ઘર કરી ગયો અને તે ઘરે પરત ફરી. જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે આખું ગામ ભેગું થઈ ગયું હતું. કેટલાક લોકો રડતા હતા, કેટલાકે તેને સ્વીકારી, કેટલાકે નકાર્યો. કાવેરી કહે છે,  અમારી કોમ્યુનિટીમાં એક નિયમ છે કે સેક્સ-રિ-અસાઇનમેન્ટ સર્જરી માટે આપણે જાતે પૈસા કમાવા પડે છે. તેણે પણ આકરી મહેનત કરીને પૈસા ભેગા કર્યા અને પોતાની સર્જરી કરાવી. આ પરિવર્તને તેને તેના સમાજમાં એક નવી ઓળખ આપી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્વાસ્થ્ય સમસ્યાઓ વચ્ચે ઓટો ડ્રાઈવર બનવાની સફર</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેંગલુરુમાં કામ કરતી વખતે કાવેરીને ટીબી થયો, જેમાંથી તેને સાજા થવામાં બે વર્ષ લાગ્યાં. આ સમય દરમિયાન તેના સમાજ અને મિત્રોએ તેનાથી અંતર જાળવ્યું. માત્ર તેના માતા-પિતા અને કેટલાક નજીકના લોકો તેની પડખે ઉભા હતા. તેના સમાજના બે વડાઓ, મેઘા અમ્મા અને પ્રેમાએ કાવેરીની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્વસ્થ થયા પછી કાવેરીએ ઘણી નોકરીઓ માટે અરજી કરી, પરંતુ તે ટ્રાન્સજેન્ડર હોવાને કારણે વારંવાર અસ્વીકારનો સામનો કરવો પડ્યો. પછી તેણે ઓટો ચલાવવાનું નક્કી કર્યું. તેણે બેંગલુરુમાં એક પાડોશી પાસેથી ઓટો ચલાવવાનું શીખી અને પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે સમૃદ્ધિ મહિલા મંડળીની મદદ લીધી. આ સંસ્થાએ તેને આર્થિક મદદ કરી, જેની મદદથી તેણે પોતાની ઓટો-રિક્ષા ખરીદી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાવેરીનું નવું જીવન અને પ્રેરણા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે કાવેરી તેના ગામ પેથરીમાં ઓટોરિક્ષા ચલાવે છે. તેનું જીવન સ્થિર છે અને તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. કાવેરીને 'ડેક્કન હેરાલ્ડ ચેન્જમેકર 2024' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કાવેરીનું સપનું છે કે તેનું પોતાનું ઘર હોય અને તે એક બાળકની માતા બને. તે એક બાળકને દત્તક લેવા અને તેને શિક્ષિત કરીને સફળ બનાવવા માંગે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાવેરી કહે છે કે, જરૂરી નથી કે દરેક ટ્રાન્સ વ્યક્તિ ઓટો ચલાવે. દરેક વ્યક્તિએ પોતાની પસંદગીનું કામ કરવું જોઈએ. કાવેરી મેરી ડિસોઝાએ સમાજની ધારણાઓને તોડીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમનો સંઘર્ષ અને આત્મનિર્ભરતા માત્ર ટ્રાન્સજેન્ડર સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. કાવેરીનું જીવન આપણને શીખવે છે કે જો હિંમત અને નિશ્ચય હોય તો પરિવર્તન શક્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/jharkhands-hemant-soren-government-gsve-government-jobs-to-transgenders-for-the-first-time">ઝારખંડની હેમંત સોરેન સરકારે પહેલીવાર ટ્રાન્સજેન્ડરને સરકારી નોકરી આપી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Dec 2024 14:15:02 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 03 Dec 2024 14:23:13 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1642</Articleid>
                    <excerpt>વાંચો &#039;ડેક્કન હેરાલ્ડ ચેન્જમેકર 2024&#039; એવોર્ડ વિજેતા એક એવી વ્યક્તિને ટ્રાન્સ કોમ્યુનિટી પ્રત્યેની રૂઢિચુસ્ત માનસિકતાને પડકારીને નોખો ચિલો ચાતર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674ec3b3b3470.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674ec3b378d96.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674ec3b378d96.jpg" length="112798" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kaveri Mary D&#039;Souza, karnatakas first transgender auto-rickshaw driver</media:keywords>
                </item>
                        <item>
                    <title>15 વર્ષમાં 75 લોકો ગટરમાં ગૂંગળાઈ મર્યા, સજા ફક્ત 1 ને થઈ</title>
                    <link>https://khabarantar.com/75-people-drowned-in-sewers-in-15-years-only-1-was-punished</link>
                    <guid>https://khabarantar.com/75-people-drowned-in-sewers-in-15-years-only-1-was-punished</guid>
                    <description>
                        <![CDATA[ ગટરની સફાઈ કરતી વખતે મોતને ભેટેલા સફાઈકર્મીઓના અનેક કેસો કોર્ટમાં ફસાયેલા પડ્યાં છે. કેટલાક કેસમાં તપાસ પૂર્ણ થઈ નથી. કેટલાક કેસમાં કોઈ સાક્ષી નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની રાજધાની દિલ્હીમાં પરપ્રાંતિય મજૂરો કાયમી અને કોન્ટ્રાક્ટના ધોરણે ગટરની સફાઈનું કામ કરે છે. આ મજૂરોની જરૂર દરેકને છે પરંતુ કોઈને તેમના જીવની પરવા નથી, કે નથી તેમને ન્યાય આપવાની ઈચ્છા. છેલ્લા 15 વર્ષમાં બનેલી ઘટનાઓ તેની ચાડી ખાય છે. એ દરમિયાન 94 સફાઈ કામદારોએ ગટરની સફાઈ કરતી વખતે ઝેરી ગેસની ઝપટમાં આવી જવાથી પોતાનો જીવ ગુમાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">94 કર્મચારીઓના મોત છતાં લેખિત દસ્તાવેજોમાં આ આંકડો માત્ર 75 છે. નવાઈની વાત એ પણ છે કે 75 લોકોના જીવ ગુમાવવાના મામલામાં માત્ર એક જ વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવી છે અને સજા થઈ છે, જેના કારણે સવાલ એ ઊભો થાય છે કે શું આ 75 કે 94 મોત માટે માત્ર એક દોષિત વ્યક્તિ જ જવાબદાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગટરમાં થયેલા મોતના માત્ર 9 કેસ ઉકેલાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસની આરટીઆઈ ટીમે ભેગી કરેલી માહિતી ચોંકાવનારી છે. દસ્તાવેજો અનુસાર, આ 75 લોકોમાંથી 38 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમાંથી માત્ર 9 કેસ જ ઉકેલાયા છે અને તે 19 લોકોના જીવ લેતો મામલો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ આરોપીઓને શોધી શકી નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગટરની સફાઈમાં થયેલા મોતને લગતા કેસોમાંથી માત્ર એક કેસમાં જ આરોપી ગુનો સાબિત થયો છે અને બે કેસમાં તો લોકોને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં હાઈકોર્ટે ગટર અકસ્માતને લગતા બે કેસ રદ કર્યા છે. એક કેસમાં સમાધાન થઈ ગયું છે અને બીજા કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ બે કેસમાં આરોપીઓને શોધી શકી નથી. આરટીઆઈ રેકોર્ડ દર્શાવે છે કે પોલીસે હજુ સુધી નિર્દોષ છોડવામાં આવેલા આદેશોને હાઈકોર્ટમાં પડકાર્યા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અલગ અલગ કારણોસર કેસો પેન્ડિંગ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ ગટર અકસ્માતના ઘણા કેસો દિલ્હીની વિવિધ અદાલતોમાં પેન્ડિંગ છે, જેના ઘણા કારણો છે. કેટલાક કિસ્સામાં અધિકારીઓ આવતા નથી, તો કેટલાક કિસ્સામાં સ્ટાફની અછત છે. ઓછામાં ઓછા ત્રણ કેસમાં પોલીસે કહ્યું છે કે તેઓ આરોપીઓને શોધી શક્યા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- બે કેસ એવા છે જેમાં તપાસકર્તાઓને કોઈ સાક્ષી મળ્યાં નથી.</span><br><span style="font-size: 14pt;">- પાંચ કેસમાં સાક્ષીઓ કે તપાસ અધિકારીઓ સમયસર કોર્ટમાં પહોંચ્યા ન હતા, જેના કારણે કેસ આગળ વધી રહ્યો નથી.</span><br><span style="font-size: 14pt;">- કુલ 5 કેસ એવા છે જેમાં પોલીસે હજુ સુધી તપાસ પૂર્ણ કરી નથી અને ચાર્જશીટ પણ દાખલ કરી નથી.</span><br><span style="font-size: 14pt;">- અન્ય કેટલાક કિસ્સામાં સ્ટાફના અભાવે સુનાવણી પૂર્ણ થઈ શકી ન હોવાનું ધ્યાને આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;">- આટલું જ નહીં, પોલીસ અધિકારીઓનો સહકાર ન મળવાને કારણે અનેક મામલા અટવાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સફાઈ કામદારો માટે કેટલાક ખાસ નિયમો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકે રોજગાર પર પ્રતિબંધ અને તેમના પુનર્વસન અધિનિયમ, 2013 જોખમી સફાઈને પ્રતિબંધિત કરે છે, પરંતુ ગટર અને સેપ્ટિક ટાંકીઓના મેન્યુઅલ સફાઈ પર કોઈ ચોક્કસ પ્રતિબંધ નથી. કાયદામાં 44 પ્રકારના રક્ષણાત્મક ગિયરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં શ્વાસ લેવા માટેનું માસ્ક, ગેસ મોનિટર અને ફુલ-બોડી વેડર સૂટનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દરેક મોત માટે જવાબદારી નક્કી થવી જોઈએ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ એમ. વેંકટેશને કહ્યું કે પોલીસનું કહેવું છે કે તેઓ આ કેસોમાં પુરાવા એકત્ર કરવામાં સક્ષમ નથી. ધારો કે ઘટનાસ્થળે માત્ર બે જ લોકો હાજર હતા, સુપરવાઈઝર અને સફાઈ કામદાર – અને સફાઈ કામદાર ગટરમાં ઉતર્યા પછી મૃત્યુ પામ્યો. એવામાં સુપરવાઈઝરે સફાઈ કામદારને ગટરમાં પ્રવેશવાનું કહ્યું હતું કે કેમ તે કોણ સાબિત કરશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે આ માટે કાયદામાં કેટલાક ફેરફારોની જરૂર છે. ગટરોમાં થતા મૃત્યુના કિસ્સામાં, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સામે પણ એફઆઈઆર નોંધવી જોઈએ, તો જ મ્યુનિસિપલ સંસ્થાઓ નિયમોનું યોગ્ય રીતે પાલન કરશે. જ્યારે દરેક મૃત્યુ માટે જવાબદારી હશે ત્યારે જ નિયમોનું પાલન કરવાનો સંકેત મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/three-cleaners-dead-by-poisonous-gas-while-cleaning-sewage-tank">ગટર ટેંક સાફ કરતી વખતે ઝેરી ગેસથી ત્રણ સફાઈ કર્મીઓના મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Dec 2024 11:48:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1641</Articleid>
                    <excerpt>ગટરની સફાઈ કરતી વખતે મોતને ભેટેલા સફાઈકર્મીઓના અનેક કેસો કોર્ટમાં ફસાયેલા પડ્યાં છે. કેટલાક કેસમાં તપાસ પૂર્ણ થઈ નથી. કેટલાક કેસમાં કોઈ સાક્ષી નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674ea17de7c97.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674ea17dafbb9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674ea17dafbb9.jpg" length="100848" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Sewer cleaning, Cleaners</media:keywords>
                </item>
                        <item>
                    <title>નેહાકુમારીની મુશ્કેલી વધી: રાષ્ટ્રીય અનુ. જાતિ આયોગે DGP પાસે રિપોર્ટ માંગ્યો</title>
                    <link>https://khabarantar.com/nehakumaris-troubles-increase-national-commission-for-scheduled-castes-seeks-report-from-dgp</link>
                    <guid>https://khabarantar.com/nehakumaris-troubles-increase-national-commission-for-scheduled-castes-seeks-report-from-dgp</guid>
                    <description>
                        <![CDATA[ મહીસાગરના જાતિવાદી કલેક્ટર નેહાકુમારીની મુશ્કેલીમાં વધારો થયો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે મોટી કાર્યવાહી કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગરના કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટના દુરુપયોગ બાબતે કોમેન્ટને લઈને આગામી 6 ડિસેમ્બરે આંદોલન થવા જઈ રહ્યું છે, ત્યારે આંદોલન અગાઉ નેહાકુમારી સામે વધુ એક નવી સમસ્યા આવી છે. જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા DGPને નોટિસ મોકલીને 15 દિવસની અંદરમાં સમગ્ર ઘટનાનો એક્શન ટેકન રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે એક અરજદાર સંજય પરમારે  રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નેહા કુમારી સામે એટ્રોસિટી એક્ટ સહિત માનવ અધિકાર હનન જેવા ગંભીર આરોપો સાથે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા કાર્યવાહી કરતા ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ને નોટિસ મોકલવામાં આવી છે. જેમાં ડીજીપીએ સમગ્ર ઘટના અંગે 15 દિવસની અંદરમાં આયોગને એક્શન ટેકન રિપોર્ટ મોકલવા જણાવ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોની સમક્ષ જાહેર પ્રશ્નો બાબતે વાર્તાલાપમાં નાગરિકો સાંભળી શકે તે રીતે તિરસ્કાર અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેમાં નેહાકુમારીએ 'ચપ્પલ ખોલ કે મારને જેસી હૈ' જેવા શબ્દોથી અનુસૂચિત જાતિના અરજદારનું અપમાન કર્યું હતું. આ મામલે દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને દલિતો દ્વારા વિરોધ નોંધાવી રહ્યાં છે. સમગ્ર મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આગામી છઠ્ઠી ડિસેમ્બરના રોજ લુણાવાડા ખાતે મોટો કાર્યક્રમ આયોજિત કરવાની જાહેરાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/mahisagar-collector-nehakumari-dubey-said-90-percent-of-atrocity-cases-are-committed-for-blackmail">એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઇલ કરવા માટે કરાય છે : મહીસાગર કલેક્ટર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Dec 2024 10:28:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1639</Articleid>
                    <excerpt>મહીસાગરના જાતિવાદી કલેક્ટર નેહાકુમારીની મુશ્કેલીમાં વધારો થયો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે મોટી કાર્યવાહી કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674de32e99df0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674de32e668f4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674de32e668f4.jpg" length="58257" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mahisagar Collector Nehakumari, National Commission for Scheduled Castes</media:keywords>
                </item>
                        <item>
                    <title>ABP ન્યૂઝની એન્કર ચિત્રા ત્રિપાઠીની POCSO હેઠળ ધરપકડનો આદેશ, જેલમાં જશે?</title>
                    <link>https://khabarantar.com/order-for-arrest-of-abp-news-anchor-chitra-tripathi-under-pocso-will-she-go-to-jail</link>
                    <guid>https://khabarantar.com/order-for-arrest-of-abp-news-anchor-chitra-tripathi-under-pocso-will-she-go-to-jail</guid>
                    <description>
                        <![CDATA[ સમગ્ર મામલો આસારામ બાપુ અને 10 વર્ષની બાળકી સાથે જોડાયેલા વીડિયો સાથે જોડાયેલો છે. કોર્ટે ચિત્રાના આગોતરા જામીન ફગાવી દીધા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ABP NEWS ની એન્કર (Anchor) ચિત્રા ત્રિપાઠી (Chitra Tripathi) ની મુશ્કેલીઓ વધી રહી છે. ગુરુગ્રામ કોર્ટે ચિત્રા ત્રિપાઠીની ધરપકડનો આદેશ જાળવી રાખ્યો છે. 2013ના એક કેસમાં ચિત્રા ત્રિપાઠી વિરુદ્ધ POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો આસારામ બાપુ અને 10 વર્ષની બાળકી સાથે જોડાયેલા વીડિયો સાથે જોડાયેલો છે. આ કેસમાં ચિત્રા ત્રિપાઠીએ કોર્ટ પાસે આગોતરા જામીનની માંગણી કરી હતી પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી છે. આ પહેલા કોર્ટે ચિત્રા ત્રિપાઠી સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. સોશિયલ મીડિયા પર લોકોને એ જાણવામાં ખૂબ જ રસ છે કે હવે ચિત્રા ત્રિપાઠી સામે મોટી કાર્યવાહી થશે કે કેમ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દીપક ચૌરસિયા, સૈયદ સુહેલ, અજીત અંજુમ પણ આરોપી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં ચિત્રા ત્રિપાઠી ઉપરાંત ન્યૂઝ એન્કર દીપક ચૌરસિયા, સૈયદ સુહેલ, અજીત અંજુમ, રાશિદ હાશ્મી, રિપોર્ટર સુનીલ દત્ત અને લલિત સિંહ બડગુર્જર અને ઈન્ડિયા ન્યૂઝ માટે કામ કરતા નિર્માતા અભિનવ રાજ સામેલ છે. તેમની સામે પહેલાથી જ આરોપો ઘડવામાં આવ્યા છે. આ તમામ લોકો પર દસ વર્ષની બાળકી અને તેના પરિવારના 'મોર્ફ્ડ, એડિટ અને અશ્લીલ' વીડિયો ફરતા કરવાનો આરોપ છે. આ વીડિયોને આસારામ બાપુ સામેના જાતીય સતામણીના કેસ સાથે જોડવાનો પણ આરોપ છે. આ તમામ લોકો પર IPCની કલમ 120B, 469 અને 471, કલમ 67B અને 67 IT એક્ટ અને POCSO એક્ટની કલમ 23 અને 13C હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હવે ચિત્રા ત્રિપાઠી સામે શું પગલાં લેવાશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે જોવાનું એ રહે છે કે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે અને ચિત્રા ત્રિપાઠી સામે શું કાયદાકીય પગલાં ભરાય છે? ચિત્રા ત્રિપાઠી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું જ્યારે કોર્ટે તેના જામીન રદ કર્યા હતા અને કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માટેની તેની અરજીને ફગાવી દીધી હતી. ચિત્રા ત્રિપાઠીએ કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માંગી હતી કારણ કે તેને મહારાષ્ટ્રની ચૂંટણી કવર કરવાની હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રની ચૂંટણી કવર કરવાનું બહાનું કાઢ્યું હતું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિત્રા ત્રિપાઠીએ કહ્યું હતું કે તે મહારાષ્ટ્રની ચૂંટણીને કવર કરવા અને નાયબ મુખ્યમંત્રીનો ઈન્ટરવ્યૂ કરવા મહારાષ્ટ્રના નાસિક જઈ રહી છે. જો કે, આ દલીલો સાંભળ્યા પછી, કોર્ટે કહ્યું કે તે કોર્ટની કાર્યવાહીને હળવાશથી લઈ રહી છે. ચિત્રા ત્રિપાઠીના આ કેસમાં તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે, તેની ધરપકડ કરવામાં આવશે કે નહીં…હાલ આ અંગે કોઈ માહિતી નથી. તેમજ ચિત્રા ત્રિપાઠીએ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. જો કે, કાયદાકીય પ્રક્રિયા મુજબ, એકવાર ધરપકડ વોરંટ જારી થયા પછી પોલીસને આરોપીની ધરપકડ કરવાનો અધિકાર મળે છે. આથી વોરંટ જારી થયા બાદ ચિત્રા ત્રિપાઠીએ તેના વકીલ મારફત આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ હવે આ પણ ફગાવી દેવામાં આવ્યું છે. આથી હવે ગમે ત્યારે ચિત્રાની ધરપકડ થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ સાથે ઘરોબો હોવાથી કશું નહીં થાય?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ ચિત્રા ત્રિપાઠી વગદાર હોવાથી અને સત્તાધારી ભાજપ સાથે તેનો સારો એવો ઘરોબો હોવાથી તેના પર તરત કાર્યવાહી નથી થઈ રહી. જેના કારણે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે છેલ્લી બે તારીખો પર આરોપી ચિત્રા ત્રિપાઠીને સ્વાસ્થ્યના કારણોસર હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ હવે આરોપીને હાજર થવામાંથી મુક્તિ આપવા માટે કોઈ યોગ્ય કારણ નથી. જો કે આ કેસમાં ચિત્રા ત્રિપાઠીને જેલમાં મોકલવામાં આવશે કે કેમ તે અંગે હાલ કોઈ અપડેટ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/aaj-tak-anchor-sudhir-chaudhary-not-arrested-in-case-of-objectionable-statement-on-tribal-society">AAJ TAK ના એન્કર સુધીર ચૌધરીની આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદન કેસમાં ધરપકડ નહીં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Dec 2024 09:43:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1640</Articleid>
                    <excerpt>સમગ્ર મામલો આસારામ બાપુ અને 10 વર્ષની બાળકી સાથે જોડાયેલા વીડિયો સાથે જોડાયેલો છે. કોર્ટે ચિત્રાના આગોતરા જામીન ફગાવી દીધા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674e842eb8b11.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674e842e8460e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674e842e8460e.jpg" length="64436" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Chitra Tripathi, News anchor chitra tripathi, Chitra Tripathi POCSO</media:keywords>
                </item>
                        <item>
                    <title>વર્ષે 617 કરોડ ખર્ચ્યા પછી પણ બાળકોને પોષણ મળશે ખરું?</title>
                    <link>https://khabarantar.com/will-children-get-nutrition-even-after-spending-rs-617-crore-a-year</link>
                    <guid>https://khabarantar.com/will-children-get-nutrition-even-after-spending-rs-617-crore-a-year</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય સરકારે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોના પોષણ માટે વાર્ષિક રૂ. ૬૧૭ કરોડના ખર્ચે નવી યોજના શરૂ કરી છે, પણ તેનો લાભ બાળકોને મળશે ખરો? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં અપાતાં બપોરના ભોજન ઉપરાંત 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' અંતર્ગત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની ૩૨,૨૭૭ શાળાના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણકાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યના આદિજાતિ વિસ્તારના 52 તાલુકા તથા બિન આદીજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના અન્વયે ૨૦૦ મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક અપાય છે. આવા ૮૧ તાલુકાઓની ૧૨,૫૨૨ શાળાઓમાં નોંધાયેલા ૧૫.૦૫ લાખ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણના બપોરના ભોજન બાદની નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં પીએમ પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી-પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હેતુસર મટિરિયલ કોસ્ટ માટે રૂ. ૪૯૩ કરોડ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને ૫૦ ટકા માનદવેતન વધારા માટે રૂ. ૧૨૪ કરોડ મળીને 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' માટે કુલ મળીને વાર્ષિક રૂ. ૬૧૭ કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સંચાલકોનું માસિક માનદ વેતન વધારાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તદ્અનુસાર, પીએમ પોષણ યોજનાના માનદ વેતનધારક સંચાલકને હવે રૂ.૪૫૦૦નું માસિક માનદવેતન, ૨૬ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રૂ.૩૭૫૦ તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂ.૧૫૦૦ માનદવેતન અપાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'નો અમલ થવાથી સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણ સહ પોષણ, આરોગ્ય અને શારીરિક સૌષ્ઠવના માપદંડો પર મોટી હકારાત્મક અસરો પડશે તેમ કહેવાય છે. જો કે ગુજરાતમાં આંગણવાડીઓ, મધ્યાહન ભોજન સહિતની યોજનાઓમાં જે રીતે ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે તે જોતા પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ બાળકોના પેટ સુધી પહોંચશે કે કેમ તે મુખ્ય સવાલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/hundreds-of-poor-children-will-not-be-able-to-get-the-scholarship-as-the-process-becomes-difficult">પ્રક્રિયા અઘરી બનતા સેંકડો ગરીબ બાળકો શિષ્યવૃત્તિ નહીં મેળવી શકે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Dec 2024 21:03:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1638</Articleid>
                    <excerpt>રાજ્ય સરકારે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોના પોષણ માટે વાર્ષિક રૂ. ૬૧૭ કરોડના ખર્ચે નવી યોજના શરૂ કરી છે, પણ તેનો લાભ બાળકોને મળશે ખરો?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674dd269d21d3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674dd2699ca9f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674dd2699ca9f.jpg" length="102671" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Nutritious snack plan, Gujarat Govt</media:keywords>
                </item>
                        <item>
                    <title>કાકડિયા હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દલિત યુવકનો મૃતદેહ આખરે સ્વીકારાયો</title>
                    <link>https://khabarantar.com/body-of-dalit-youth-who-died-at-kakadia-hospital-finally-accepted</link>
                    <guid>https://khabarantar.com/body-of-dalit-youth-who-died-at-kakadia-hospital-finally-accepted</guid>
                    <description>
                        <![CDATA[ બાપુનગરની કાકડીયા હોસ્પિટલમાં મોતને ભેટેલા અમરાઈવાડીના દલિત યુવકનો મૃતદેહ પરિવારે સ્વીકારી લીધો છે. હોસ્પિટલ દ્વારા તેમને અનેક પ્રકારની ખાતરીઓ આપવામાં આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર નજીક આવેલ  કાકડીયા હોસ્પિટલમાં દર્દીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. મૃતકના પરિવારજનોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે પોલીસ અને હોસ્પિટલ મેનેજમેન્ટ તંત્ર તેમજ હોસ્પિટલના ટ્રસ્ટી અને ભાજપના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડીયા દ્વારા સંપૂર્ણપણે ન્યાયિક તપાસ કરવાની અને મૃતકનું યોગ્ય રીતે પોસ્ટમોર્ટમ કરવાની ખાતરી તેમજ ભારે સમજાવટ બાદ પરિવારજનો દ્વારા મૃતદેહને સ્વીકારવામાં આવ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને શહેર કોટડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ હવે મૃતકના પરિવારજનો અને હોસ્પિટલમાં સર્જરી કરનાર ડોકટર અને હાજર સ્ટાફના નિવેદનો નોંધશે. સાથે પીએમ રિપોર્ટના આધારે શહેર કોટડા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાકડીયા હોસ્પિટલ તરફથી સત્તાવાર રીતે પ્રેસનોટ જાહેર કરી અને માહિતી આપવામાં આવી હતી કે, રવિવારે સવારે 10.30 વાગ્યે હૃદયના અને ડાબા ખભાના દુખાવાની ફરિયાદ સાથે એક દર્દી કાકડીયા હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. તેમની મેડિકલ તપાસ અને કાર્ડીઓગ્રામ કરતા તેમને હૃદયનો ભારે હુમલો (Inferior wall ST Elevation MI) હોવાથી તેમનું નિદાન કરવામાં આવ્યું હતું. તાત્કાલિક સારવાર તરીકે તેમને Anti-Platelet Loading Dose, Heparin ઈન્જેકશન આપ્યા પછી રોગની ગંભીરતાના કારણે તાત્કાલિક એન્જીઓગ્રાફી માટે સમજાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દર્દીના સગાની સંમતિ પછી PMJAY ઓફિસમાંથી ઇમરજન્સી એપ્રુવલ સરકારની ગાઈડલાઈન પ્રમાણે લેવામાં આવ્યું હતું. જેનું VTPN NO. 138342 છે. આ વર્તમાન AMERICAN HEART ASSOCIATION (AHA) 11 PMJAYની ગાઈડલાઈન મુજબ તાત્કાલિક સારવાર માટે (PRIMARY ANGIOPLASTY IN ACUTE MI- PAMI) તેમને કેથલેબમાં એન્જીઓગ્રાફીમાં લીધેલાં હતા. એન્જીઓગ્રાફીમાં હૃદયની મુખ્ય નળીમાં - LEFT CIRCUMFLEX ARTERYમાં 100 ટકા બ્લોકેજ જોવા મળ્યું હતું. દર્દીના હાજર સગાને એન્જીઓગ્રાફીનો વીડિયો બતાવી અને સ્ટેન્ટ મુકવાની ઇમરજન્સીમાં જરૂર છે. ઓપરેશનના ફાયદા અને જોખમ વિષે સમજવામાં આવ્યા બાદ દર્દીના સગાએ 10 મિનિટ જેટલા સમય પછી લેખિતમાં સંમતિ આપ્યા બાદ તેમની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે બાદ દર્દીને સ્વસ્થ અવસ્થામાં ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેમના સગા સબંધી સાથે સભાન પૂર્વક વાતચીત પણ કરી હતી. આશરે 30 મિનિટ બાદ દર્દીને Malignant VENTICULAR TACHYCARDIAVENTICULAR FIBRIILLATION (65 ટકા ધબકારાની તકલીફો થતા Advance Cardiovascular Life Support (ACLS)ની ગાઈડ લાઈન મુજબ 40થી 50 મિનિટ સુધી અનુભવી ડૉક્ટરની ટીમ દ્વારા RESUSCITATION (CPR) કરવામાં આવ્યું હતું. આ બધી સારવારની વિગતવાર માહિતી દર્દીના હાજર સગાને સમયે સમયે સમજવામાં આવી હતી. હોસ્પિટલ અને સ્ટાફના અથાગ પ્રયાસ પછી પણ દર્દીનું દુઃખદ અવસાન થવાથી સમગ્ર હોસ્પિટલ અને ડોક્ટર્સની ટીમ દિલગીર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વલ્લભ કાકડિયાએ ઉચ્ચ અધિકારીઓને ફોન કરી મામલે થાળે પાડ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાકડીયા હોસ્પિટલમાં દર્દીના મોત બાદ તેના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં ખૂદ હોસ્પિટલના ટ્રસ્ટી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વલ્લભ કાકડીયાને મૃતકના પરિવારજનોને યોગ્ય તપાસ થાય તે માટે સહકાર આપીશું તેમ સમજાવવા દોડી આવવું પડયું હતું. વલ્લભ કાકડીયાએ ઉચ્ચ અધિકારીઓને ફોન કરી અમારા ડોકટર અને જવાબદાર અન્ય સ્ટાફની જો કોઈ પણ બેદરકારી તપાસ દરમિયાન બહાર આવે તો તેની ન્યાયિક તપાસ કરી કાયદાકીય પગલા ભરવાની છૂટ છે તેમ કહેવાની ફરજ પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-youth-from-amraiwadi-dies-after-stent-placement-at-bjp-leaders-hospital">અમરાઈવાડીના દલિત યુવકનું ભાજપ નેતાની હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Dec 2024 20:13:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1637</Articleid>
                    <excerpt>બાપુનગરની કાકડીયા હોસ્પિટલમાં મોતને ભેટેલા અમરાઈવાડીના દલિત યુવકનો મૃતદેહ પરિવારે સ્વીકારી લીધો છે. હોસ્પિટલ દ્વારા તેમને અનેક પ્રકારની ખાતરીઓ આપવામાં આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674dc6cce842c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674dc6ccb5302.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674dc6ccb5302.jpg" length="63669" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kakadia Hospital, Ahmedabad</media:keywords>
                </item>
                        <item>
                    <title>લંપટ શિક્ષકે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં</title>
                    <link>https://khabarantar.com/lustful-teacher-had-physical-contact-with-a-minor</link>
                    <guid>https://khabarantar.com/lustful-teacher-had-physical-contact-with-a-minor</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં વધુ એક વખત શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">chhota udepur માં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનામાં પોલીસે આરોપી શિક્ષક સંજય પારેખને ઝડપી પાડ્યો છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થી સાથે અડપલા કર્યાનો શિક્ષક પર આરોપ છે. અડપલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી શિક્ષકને આણંદ જિલ્લાના ખોળલગામમાંથી ઝડપી પાડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર ઘટનાની વાત કરીએ તો છોટાઉદેપુરની એક શાળામાં અંગ્રેજીનું શિક્ષણ આપતા નરાધમ શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થિની પર નજર બગાડી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધોરણ ૯માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની સગીરા પર ૫૧ વર્ષીય વર્ગ શિક્ષકે વારંવાર શારીરિક અડપલાં કરતો હતો. એટલું જ નહીં કોઈ પણ વ્યક્તિને આ અંગે જાણ કરી તો હોસ્ટેલમાં ફોટા વાયરલ કરવાની સગીરાને ધમકી આપતો હતો. આખરે કંટાળીને સગીરાએ તેના માતા-પિતાને જાણ કરી અને વાલીઓએ પણ હિંમત દાખવી લંપટ શિક્ષક સંજય પારેખ સામે ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી સમાજની બાળકી સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય થતા સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા સુખરામ રાઠવાએ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાથે જ સમગ્ર પ્રકરણને દબાવવાનો પ્રયાસ ન કરવાની પણ તંત્ર સામે અપીલ કરી છે. તો પોલીસે પણ ફરિયાદ દાખલ કરીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Inquiring-of-3-teachers-started-in-motavada-high-school-students-suicide">મોટાવડા હાઈસ્કૂલના વિદ્યાર્થીની આત્મહત્યામાં 3 શિક્ષકોની પૂછપરછ શરૂ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Dec 2024 17:10:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1636</Articleid>
                    <excerpt>ગુજરાતમાં વધુ એક વખત શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674d9c0c7128f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d9c0c330b1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d9c0c330b1.jpg" length="80606" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>chhota udepur, Crime, Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાંધીનગરના દલિત અધ્યાપકને મનુવાદી પ્રિન્સિપાલ હેરાન કરી રહ્યાં છે</title>
                    <link>https://khabarantar.com/manuwadi-principal-harassing-dalit-professor-in-gandhinagar</link>
                    <guid>https://khabarantar.com/manuwadi-principal-harassing-dalit-professor-in-gandhinagar</guid>
                    <description>
                        <![CDATA[ ગાંધીનગરની સરકારી આર્ટ્સ કોલેજના એક દલિત પ્રોફેસરને કોલેજના જાતિવાદી પ્રિન્સિપાલ છેલ્લાં ઘણાં સમયથી હેરાન કરી તેમની કરિયર ખતમ કરવા મથી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NCSC-National Commission for SC એ બંધારણીય સંસ્થા છે. તેની સ્થાપના 19 ફેબ્રુઆરી 2004 ના રોજ સંસદ દ્વારા કરવામાં આવી છે. આ કમિશનના કર્યો છેઃ [1] દલિત સમુદાયનું શોષણ અને ભેદભાવથી રક્ષણ કરવું. દલિતોના અધિકારો અને સુરક્ષાના અભાવ બાબતેની ચોક્કસ ફરિયાદોની તપાસ કરવી. [2] દલિત સમુદાયના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સાંસ્કૃતિક હિતોને પ્રોત્સાહન આપવું. [3] બંધારણ હેઠળ દલિત સમુદાયને પ્રદાન કરેલ સુરક્ષાને લગતી તમામ બાબતોની તપાસ/ દેખરેખ રાખવી અને આવા સલામતીના કાર્યનું મૂલ્યાંકન કરવું. [4] દલિત સમુદાયને સામાજિક ન્યાય મળે છે કે નહીં, તેની તકેદારી રાખવી. દલિતોના સંરક્ષણ, કલ્યાણ અને સામાજિક-આર્થિક વિકાસ માટે કેન્દ્ર અથવા કોઈપણ રાજ્ય દ્વારા લેવામાં આવતા પગલાં વિશે ભલામણો કરવી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કમિશન કોર્ટની માફક કેસની સુનાવણી કરી શકે છે/પુરાવા મેળવી શકે છે અને પોતાનો નિર્ણય આપી શકે છે. તેમના નિર્ણયનો અમલ કરવો પડે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ગુજરાત સરકાર આ કમિશનને યોગ્ય મહત્વ આપતી નથી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગરમાં સરકારી આર્ટ્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડો. મહેશકુમાર મકવાણા ફરજ બજાવે છે. તેમની સાથે તેમના પ્રિન્સિપાલ ડો. અનૂપા ચૌહાણ પૂર્વગ્રહયુક્ત વ્યવહાર કરે છે. ડો. મહેશકુમારને ગુજરાતની સરકારી કોલેજોમાં પ્રથમ મેજર પ્રોજેક્ટ ICSSR-ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રીસર્ચ, નવી દિલ્હી તરફથી માર્ચ 2023માં મળ્યો હતો, જે માટે 9 લાખની ગ્રાન્ટ મળી હતી. આ પ્રોજેક્ટ 2 વરસમાં પૂર્ણ કરવાનો હતો. પણ આ પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલે વિઘ્નો નાખ્યાં? ગ્રાન્ટ માટે પ્રિન્સિપાલના નામનું બેન્ક એકાઉન્ટ ખોલવામાં/પ્રોજેક્ટ માટે રુમ ફાળવવામાં/પ્રોજેક્ટ  માટે આસિસ્ટન્ટ તથા ફિલ્ડ ઈન્વેસ્ટિગેટર ફાળવવામાં અને અન્ય બાબતોમાં પ્રિન્સિપાલે આડોડાઈ કરી. પ્રિન્સિપાલનો ઈરાદો શક્ય તેટલાં અવરોધો ઊભા કરી આ પ્રોજેક્ટને વિલંબમાં નાખી આખરે રદ કરાવવાનો હતો. ડો. મહેશકુમારે આ અંગે શિક્ષણ સચિવ/ મુખ્યમંત્રી/ગવર્નરને ફરિયાદ કરી છતાં પ્રિન્સિપાલ સામે કોઈ પગલાં લેવાયા નહીં. શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને 2 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રિન્સિપાલના પૂર્વગ્રહયુક્ત/સામંતવાદી વલણ અંગે વિસ્તૃત ફરિયાદ કરી. છતાં પરિણામ શૂન્ય! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-brahmin-teachers-washed-the-feet-of-the-dalit-student-his-brother-and-asked-for-forgiveness"><span style="font-size: 14pt;">બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી, તેના ભાઈ પાસે પગ ધોવડાવી માફી મગાવી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિન્સિપાલ ડો. અનૂપા ચૌહાણની ખાસિયત મનસ્વી/અપમાનિત વર્તન કરવાની છે. 17 ફેબ્રુઆરી 2021ના રોજ, 27 પ્રાધ્યાપકોએ/શૈક્ષણિક કર્મચારીઓએ તુમાખીભર્યા વર્તન અંગે પ્રિન્સિપાલને ચેતવ્યા હતા! તેમજ 28 જાન્યુઆરી 2023ના રોજ અધ્યાપક ગણે ‘સરકારી કોલેજ અધ્યાપક મંડળ’ને પ્રિન્સિપાલ અનૂપા ચૌહાણની વહીવટી બિનકાર્યક્ષમતા/શિક્ષણ પ્રત્યેના ઉદાસીન વલણ/ અધ્યાપકો સાથેના ગેરવર્તન અંગે ફરિયાદ કરી હતી. પ્રિન્સિપાલ, સીનિયર અધ્યાપકોને તેમના જુનિયર અધ્યાપક હેઠળ ફરજ સોંપી અપમાનિત કરતા હતાં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેવટે હારી થાકીને ડો. મહેશકુમારે NCSC સમક્ષ ફરિયાદ કરી. NCSCએ નોટિસ કાઢી એટલે CHE-કમિશ્નર ઓફ હાયર એજ્યુકેશને તપાસ સમિતિ નીમી. તપાસ સમિતિએ ડો. મહેશકુમારને સાંભળ્યા વિના પ્રિન્સિપાલ અનૂપા ચૌહાણને ક્લીન ચિટ આપી દીધી! 6 ઓગસ્ટ 2024ના રોજ NCSC સમક્ષ સુનાવણી થઈ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કમિશને નોંધ્યું કે “ડો. મહેશકુમાર મકવાણાને માર્ચ 2023 માં ICSSR તરફથી એક મેજર સંશોધન પ્રોજેક્ટ એનાયત કરવામાં આવ્યો હતો; જે કોલેજ અને ગુજરાત સરકાર માટે ગૌરવની વાત છે. ચોક્કસપણે આ પ્રોજેક્ટ દલિત અરજદારની શૈક્ષણિક કારકિર્દીમાં ઉજ્જવળ ભવિષ્ય લાવશે. સંશોધન પ્રોજેક્ટના કામમાં વિવિધ અવરોધોને કારણે, અરજદાર સરળતાથી કામ કરી શક્યા નથી અને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનો છે અને માત્ર 8 મહિના બાકી છે. કોલેજે નિમેલી તપાસ સમિતિનો અહેવાલ પક્ષપાતી છે, કારણ કે અરજદાર તપાસના દિવસે હાજર ન હતા અને તેમને તપાસ સમિતિ વિશે કોઈ જાણકારી ન હતી. તેઓ તપાસ સમિતિ સમક્ષ પોતાની તમામ ફરિયાદો મૂકી શક્યા ન હતા. વળી કમિશને આ કેસમાં સુનાવણી નક્કી કર્યા બાદ તપાસ સમિતિએ તપાસ હાથ ધરી હતી.  પ્રિન્સિપાલનું વર્તન અરજદાર ડો. મહેશકુમાર પ્રત્યે પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ હતું. પ્રિન્સિપાલ અરજદારના સંશોધન/શૈક્ષણિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા દેવાને બદલે તેને નાની વહીવટી બાબતોમાં સામેલ કરીને તેના સંશોધનને પૂર્ણ કરવામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે પ્રોજેક્ટ પૂર્ણ ન થવા પર અરજદારને નાણાકીય નુકસાન તરફ દોરી જશે. પ્રિન્સિપાલ દલિત અરજદારને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે અને તેમની ઉજ્જવળ કારકિર્દીના વિકાસને અવરોધે છે. કમિશન ભલામણ કરે છે કે નિયામક, ઉચ્ચ શિક્ષણ તેમના સ્તરે એક બેઠક યોજી આ બાબતમાં તમામ મુદ્દાઓને ઉકેલે. ઉચ્ચ શિક્ષણ નિયામકે આ સમગ્ર મામલાની તપાસ કરવી અને અરજદારની વ્યક્તિગત સુનાવણી કરવી.” કમિશને 15 દિવસમાં ગુજરાત સરકાર પાસેથી ‘એક્શન ટેકન’ રીપોર્ટ માંગ્યો, પરંતુ પરિણામ શૂન્ય! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NCSCએ તપાસ સમિતિના રીપોર્ટને માન્ય ન રાખ્યો એટલે 13 ઓગસ્ટ 2024ના રોજ, CHE-કમિશ્નર ઓફ હાયર એજ્યુકેશને ફરી તપાસ સમિતિ નીમી. આ સમિતિએ NCSCએ દોષિત ઠરાવેલ અનૂપા ચૌહાણને ફરી ક્લીન ચિટ આપી! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NCSCના નિર્ણય બાદ પણ પ્રિન્સિપાલે પ્રોજેક્ટમાં સતત અવરોધ ચાલુ રાખ્યો એટલે ડો. મહેશકુમારે NCSC સમક્ષ ફરી ફરિયાદ કરી. ફરી વખત 25 ઓક્ટોબર 2024ના રોજ ICSSR સમક્ષ સુનાવણી થઈ. કમિશને નોંધ કરી કે “કોલેજના પ્રિન્સિપાલ પ્રોજેકટની સુચારૂ કામગીરી માટે અડચણો ઉભી કરી રહ્યા છે. અરજદાર ડો. મહેશકુમારને પ્રોજેક્ટ અને તેને ચલાવવા માટે કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો છે. અરજદાર,  નિયામક ઉચ્ચ શિક્ષણ, ગુજરાત સરકારનો સંપર્ક કરી શકે છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કમિશને ફરી 15 દિવસમાં ગુજરાત સરકાર પાસેથી ‘એક્શન ટેકન’ રીપોર્ટ માંગ્યો, પરંતુ ફરી પરિણામ શૂન્ય! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડાં પ્રશ્નો : [1] National Commission for SC પ્રિન્સિપાલ ડો. અનૂપા ચૌહાણને દોષિત ઠરાવે છે છતાં ગુજરાત સરકાર તેમની સામે પગલાં લેતાં શરમાતી કેમ હશે? શું શિક્ષણમંત્રી આ પ્રિન્સિપાલને છાવરતા હશે? [2] શું એક પ્રિન્સિપાલ, અનુસૂચિત જાતિના આસિસ્ટન્ટ પ્રોફેસરને હેરાન પરેશાન કરે/તેમની સાથે ભેદભાવ કરે તે ગુજરાત સરકારને ગમતું હશે? શું શિક્ષણ સચિવને પણ આવો અન્યાય ગમતો હશે? [3] SC કમિશન તરફથી લેખિત સૂચના આપવામાં આવે/ એક્શન ટેકન રીપોર્ટ માંગવામાં આવે છતાં સરકાર નિષ્ક્રિય રહે? [4] આ પ્રોજેક્ટની મુદત એપ્રિલ 2025માં પૂર્ણ થાય છે. નવેમ્બર પૂરો થયો હવે 4 મહિનામાં આ પ્રોજેક્ટ પૂરો થાય તેવી શક્યતા નથી, ICSSR-ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રીસર્ચ તરફથી ફાળવેલ 9 લાખની ગ્રાન્ટ પરત જશે. આ માટે પ્રિન્સિપાલ ડો. અનૂપા ચૌહાણની જવાબદારી બને કે નહીં? આ રીતે એક દલિત અધ્યાપકની કારકિર્દી સાથે ગંદી રમત રમનાર પ્રિન્સિપાલને છાવરીને સરકાર શું સંદેશો આપતી હશે? [5] ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 16 ઓક્ટોબર 2024ના રોજ 38 સરકારી કોલેજોના પ્રિન્સિપાલોની બદલી કરી, પરંતુ NCSCએ દોષિત ઠરાવેલ અને 20 વર્ષથી અધ્યાપક અને 5 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે રહેલ ડો. અનૂપા ચૌહાણની બદલી ન કરી; એ શું સૂચવે છે? [6] જે અધ્યાપકો, ડો. મહેશકુમારને મદદ કરી; તેમની બદલી પણ અનૂપા ચૌહાણે કરાવી નાખી! શું અનૂપા ચૌહાણ સરકારી કોલેજને રજવાડું માનતા હશે? [7] પ્રિન્સિપાલ અનૂપા ચૌહાણે અગાઉ અંગ્રેજી વિષયના દલિત અધ્યાપક રવિકાન્ત સોલંકીની બદલી ગાંધીનગર નગરથી ઝાલોદ કરાવી હતી; તેઓ દિવ્યાંગ હતા છતાં દૂરની જગ્યાએ બદલી કરાવી! રવિકાન્ત સોલંકીને ત્રણ વર્ષ પૂરા થયા ન હતા છતાં તેમની બદલી કરાવી નાખી! રવિકાન્ત સોલંકી કોર્ટમાં ગયા, પછી સરકારે તેમને ગાંધીનગર અન્ય કોલેજમાં મૂકવા પડ્યા હતા! શું અનૂપા ચૌહાણ દલિત વિરોધી માનસિકતા ધરાવતા નથી? [8] ચમત્કાર તો જૂઓ : ડો. મહેશકુમારની ફરિયાદ અંગે બે વખત તપાસ સમિતિ નીમવામાં આવી. તપાસ સમિતિમાં કોલેજના આચાર્યો હતા. તેમણે પ્રિન્સિપાલ અનૂપા ચૌહાણને; NCSCના બે વખતના નિર્ણયો વિરુદ્ધ જઈને; બે વખત ક્લીન ચિટ આપી ! તપાસ સમિતિના આચાર્યો સર્વોચ્ચ કે બંધારણીય સંસ્થા-National Commission for SC? શું આ NCSCનું ઘોર અપમાન નથી? [9] એક શિક્ષિત અધ્યાપક, દલિત હોવાથી તેમની સાથે ભેદભાવ/ અન્યાય થાય તો ગરીબ દલિતોની સ્થિતિ કેટલી કફોડી હશે? શું શિક્ષણમંત્રી/ શિક્ષણ સચિવ/ પ્રિન્સિપાલ આટલાં બેશરમ/ સંવેદનહીન હોઈ શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રમેશ સવાણી</span></strong></span><span style="font-size: 12pt;"><em><strong>(લેખક પૂર્વ આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-teacher-in-keralas-Idukki-district-made-a-dalit-student-clean-up-another-students-vomit"><span style="font-size: 14pt;">6 વર્ષના દલિત વિદ્યાર્થી પાસે શિક્ષિકાએ અન્ય વિદ્યાર્થીની ઉલ્ટી સાફ કરાવી</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Dec 2024 14:24:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1635</Articleid>
                    <excerpt>ગાંધીનગરની સરકારી આર્ટ્સ કોલેજના એક દલિત પ્રોફેસરને કોલેજના જાતિવાદી પ્રિન્સિપાલ છેલ્લાં ઘણાં સમયથી હેરાન કરી તેમની કરિયર ખતમ કરવા મથી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674d7537bd17a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d75378d64d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d75378d64d.jpg" length="59023" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Gandhinagar News</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;તેં ફરિયાદ કરીને ખોટું કર્યું, હવે ગામ છોડી દો, બાકી જીવવા નહીં દઈએ&amp;apos;</title>
                    <link>https://khabarantar.com/he-did-wrong-by-complaining-leave-the-village-now-we-wont-let-him-live-anymore</link>
                    <guid>https://khabarantar.com/he-did-wrong-by-complaining-leave-the-village-now-we-wont-let-him-live-anymore</guid>
                    <description>
                        <![CDATA[ વાલ્મિકી મહિલાના પુત્રને જાતિવાદી તત્વોએ કારણ વિના જ માર મારતા તેણે પોલીસમાં ફરિયાદ કરી, હવે આરોપીઓ તેમને ગામ છોડી જતા રહેવાની ધમકી આપે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ આ દેશનું પહેલું અને એકમાત્ર સત્ય છે તે સમજવામાં હજુ પણ જો તમે અસમંજસમાં હો તો તમારે તમારી સમજણ પર નવેસરથી વિચાર કરવાની જરૂર છે. કેમ કે, રાજકારણથી લઈને ધર્મ, બિઝનેસ, રહેણાંક અને પ્રતિષ્ઠા સુધીનું બધું અહીં માત્ર અને માત્ર તમારી જાતિને ધ્યાનમાં રાખીને મળે છે. સુપ્રીમ કોર્ટના જજો, ભારતરત્નો, ફિલ્મો, સંગીત, રમતગમતના ખેલાડીઓ, તેના બોર્ડના અધ્યક્ષોમાં કઈ જાતિના લોકોની બહુમતી છે તેના પર નજર કરો એટલે આપોઆપ મામલો સમજાઈ જશે. બાકી દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજમાં પ્રતિભાની જરાય કમી નથી. છતાં તેમના પર માત્ર તેમની જાતિના કારણે ચોક્કસ પ્રકારના ભેદભાવ થતા રહે છે. ક્યારેક તો કશા જ કારણ વિના પણ જાતિવાદી તત્વો તેમના પર અત્યાચાર કરવા પર ઉતરી આવે છે. આ ઘટના પણ કંઈક આવી જ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના સિવિલ લાઈન્સ વિસ્તારના ભાટાવલી ગામમાં રહેતા એક દલિત પરિવાર સાથે બનેલી ઘટનાએ સમાજમાં જાતિ ભેદભાવ અને અત્યાચારના કાળી બાજુને ફરી ઉજાગર કરી દીધી છે. અહીં હરજ્ઞાન વાલ્મિકીની પત્ની સંગીતા પર જે વીતી રહ્યું છે તે ભારતમાં પ્રવર્તમાન જાતિવાદને નગ્ન કરી મૂકે છે. સંગીતાના જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો નિખિલ ઘરની બહાર રસ્તા પર ઉભો હતો, ત્યારે ગામનો કમલ, તેનો ભાઈ અરવિંદ, પિતા રતન સિંહ, શિવમ અને પંકજ ત્યાં આવ્યા હતા. આ બધાંએ મળી નિખિલને કારણ વિના જ ઢોર માર માર્યો અને જાતિસૂચક ગાળો ભાંડી બધાં વચ્ચે અપમાનિત કર્યો. નાનકડો દીકરો આ ઘટનાથી ભારે ડરી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફરિયાદ બાદ જાતિવાદી તત્વો વધારે છાકટાં થયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ન્યાય મળવાની આશાએ સંગીતાએ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેનાથી જાતિવાદી તત્વો ડરવાને બદલે વધુ છાકટા થઈ ગયા છે. એક વાલ્મિકી સમાજની મહિલાએ પોતાના પર ફરિયાદ નોંધાવી તેને આ જાતિવાદી તત્વોએ પોતાની પ્રતિષ્ઠા પર હુમલો માની લીધી છે અને સંગીતાના પરિવારને ધમકાવવાનું શરૂ કર્યું છે. આરોપીએ સંગીતાને કહ્યું છે કે, "તેં અમારી સામે ફરિયાદ કરીને સારું નથી કર્યું.  હવે ગામ છોડી દો, નહીંતર પરિણામ ખરાબ આવશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓના પરિવારની મહિલાઓએ ઘરમાં ઘૂસી બબાલ કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે મદનપાલની પત્ની મુન્ની દેવી, કમલની પત્ની જ્યોતિ અને અરવિંદની પત્ની નિધિએ સંગીતાના ઘરમાં ઘૂસીને તેની સાથે અભદ્ર વર્તન કર્યું. આ મહિલાઓએ સંગીતાને ન માત્ર અપમાનજનક શબ્દો કહ્યાં પરંતુ તેના પરિવારને માનસિક ત્રાસ પણ આપ્યો. આ ઘટના માત્ર સંગીતાના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર દલિત સમાજ માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે કેસ નોંધ્યો પરંતુ ડર યથાવત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના અર્પિત કપૂરે જણાવ્યું કે પીડિતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ મારામારી, ધમકી અને એસસી-એસટી એક્ટ સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, સંગીતા અને તેનો પરિવાર હજુ પણ ડરેલો છે. તેમના મનમાં એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો છે કે, શું તેઓ પોતાના જ ગામમાં સુરક્ષિત છે? આ ઘટના માત્ર એક દલિત પરિવારની કહાની નથી, પરંતુ સમાજમાં પ્રવર્તી રહેલી એ કુપ્રથાનું પ્રતિબિંબ છે, જેમાં જાતિ ભેદભાવ અને અત્યાચાર હજુ પણ ચાલુ છે. સંગીતા અને તેના પરિવારે આ મામલામાં ન્યાયની ગુહાર લગાવી છે છતાં સવાલ એ છે કે શું તેમના અવાજનો પડઘો ન્યાય તંત્રમાં બરાબર પડશે ખરો? શું સંગીતા અને તેના દીકરાને તેમનો અધિકાર મળશે કે પછી ગામ છોડવાની ફરજ પડશે?</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ન્યાયની લડત અને સમાજની જવાબદારી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના દલિત સમાજના દરેક વ્યક્તિ માટે ચેતવણી સમાન છે કે, જો જાતિ ભેદભાવ સામે અવાજ નહીં ઉઠાવવામાં આવે તો આ સમસ્યા વધુ ઘેરી બનશે. એ જરૂરી છે કે, પોલીસ તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરે અને પીડિત પરિવારને સુરક્ષા પુરી પાડે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-mps-chhatarpur-casteist-elements-beat-up-a-dalit-youth-for-sitting-on-a-bike">"દલિત થઈને અમારી સાથે બેસવું છે?" કહી દલિત યુવકના દાંત તોડી નાખ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Dec 2024 11:54:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1634</Articleid>
                    <excerpt>વાલ્મિકી મહિલાના પુત્રને જાતિવાદી તત્વોએ કારણ વિના જ માર મારતા તેણે પોલીસમાં ફરિયાદ કરી, હવે આરોપીઓ તેમને ગામ છોડી જતા રહેવાની ધમકી આપે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674d5197539db.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d51971fb54.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d51971fb54.jpg" length="43937" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Dalit Crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદીઓનો ખૌફ : બંદૂકના નાળચે દલિત દીકરીની જાન પાછી કાઢી</title>
                    <link>https://khabarantar.com/casteist-elements-stopped-the-procession-of-a-dalit-with-weapons-in-jagannathpur-bareilly-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/casteist-elements-stopped-the-procession-of-a-dalit-with-weapons-in-jagannathpur-bareilly-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ બંદૂક સહિતના ઘાતક હથિયારો સાથે ગામના જાતિવાદી તત્વોએ એક દલિત દીકરીની જાન રોકી, જાનૈયાઓને જાતિસૂચક ગાળો ભાંડી જાન પાછી લઈ જવા મજબૂર કર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે અને તેની સાથે જ દલિતોની જાન પર હુમલાની ઘટનાઓ પણ શરૂ થઈ છે. જાતિવાદી હિંદુઓ ગામમાંથી જાન લઈ જવી, વરઘોડો કાઢવો, ફટાકડાં ફોડવા, ડીજે વગાડવું અને નાચવું-ગાવું જાણે તેમના જ બાપનો અધિકાર હોય તેમ વર્તે છે. કમનસીબી એ છે કે, આ દેશનું બંધારણ દરેક માણસને અમુક કુદરતી અધિકારો આપે છે તેમાં આ બધી બાબતોનો પણ સમાવેશ થતો હોવા છતાં કાયદો-વ્યવસ્થા જાળવવાની જેમની જવાબદારી છે તે પોલીસ આવા જાતિવાદી તત્વોને તેમની જાતિના કારણે છાવરે છે. પરિણામે દર વર્ષે દલિતોની જાન રોકવાના કે તેના પર હુમલો થવાની ઘટનાઓ બનતી રહે છે અને પોલીસ ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળા મારવા નીકળીને છેલ્લે એકાદ વ્યક્તિની અટકાયત કરીને છોડી દે છે. પરિણામે દલિતોની જાન પર હુમલા થવાનો સિલસિલો યથાવત રહે છે અને જાતિવાદી તત્વોની હિંમત ખૂલી જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે અહીં જે ઘટનાની વાત કરવી છે તેમાં જાતિવાદીઓએ તમામ હદ પાર કરી નાખી હતી અને ન માત્ર દલિત દીકરીની જાનને રોકી પરંતુ તેને બંદૂકના નાળચે અને ઘાતક હથિયારો સાથે પાછી કાઢી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં બરેલીના સિરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના જગન્નાથપુર ગામમાં દલિત પરિવારની દીકરીના લગ્ન દરમિયાન બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધો છે. ગામના જાતિવાદી તત્વોએ બંદૂક, પિસ્તોલ સહિતના ઘાતક હથિયારો સાથે દલિત દીકરીની જાનને અટકાવી હતી. સમગ્ર માહોલ ઉત્સાહ અને ખુશીથી ભરેલો હતો. ગામની શેરીઓ બેન્ડના સંગીત અને જાનૈયાઓના નાચ-ગાનથી ગૂંજી રહી હતી. પણ એ દરમિયાન અચાનક જાતિવાદી તત્વોનું એક જૂથ પિસ્તોલ અને અન્ય હથિયારો સાથે ત્યાં પહોંચી ગયું અને હોબાળો મચાવી દીધો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/for-the-first-time-a-dalit-youths-wedding-procession-took-place-between-cid-and-about-100-policeman">CID અને 100 જેટલી પોલીસ વચ્ચે પહેલીવાર દલિત યુવકનો વરઘોડો નીકળ્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંદૂકના નાળચે જાનને રોકી</span></strong></span><br><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોએ જાનૈયાઓને ધમકી આપીને કહ્યું કે અમારી શેરીઓમાં જાન નહીં નીકળે. એમ કહીને તેમણે ડીજે બંધ કરાવી દીધું અને વરરાજાના પરિવારને પણ ધમકી આપી. જાતિવાદીઓની ધમકીએ લગ્નમાં આવેલા મહેમાનોમાં ખળભળાટ મચાવી દીધો. બંદૂકની બીક બતાવી જાતિવાદીઓએ દલિત દીકરીની જાનને પાછી વળવા મજબૂર કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં જાતિવાદીઓ જાનૈયાઓ સાથે દુર્વ્યવહાર કરતા અને ધમકાવતા જોવા મળ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત પરિવારે ફરિયાદ નોંધાવી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાથી દુઃખી થયેલા દલિત પરિવારે સિરૌલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે જાનને રોકવાનો પ્રયાસ અગાઉ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તેની અવગણના કરી હતી. જાતિવાદી તત્વોની આ હરકત કોઈ ઊંડા જાતિવાદી તિરસ્કાર તરફ ઈશારો કરે છે. ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે ફક્ત એક શખ્સની ધરપકડ કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">આટલી મોટી ઘટના ઘટી તેમાં પોલીસે માત્ર એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું કહેવાય છે. જે ઘટનાઓ વીડિયો વાયરલ થયેલો છે, તેમાં પોલીસે ફક્ત એક વ્યક્તિની ધરપકડ કરી તે જ બચાવે છે કે, પોલીસ જાતિવાદી તત્વોની તરફેણમાં કામ કરી રહી છે. પોલીસ અધિક્ષકે કહ્યું કે આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરી છે જેથી કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં પરિસ્થિતિ તંગ બની, ગમે ત્યારે હુમલાની શક્યતા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દલિતો, સવર્ણો વચ્ચે માહોલ તંગ બન્યો છે. સ્થિતિ ગમે ત્યારે વણસી શકે તેમ હોવાથી પોલીસ સતર્ક છે. દલિત સમાજના લોકોમાં ભય અને રોષ છે. સ્થાનિક સામાજિક સંગઠનોએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને આરોપીઓને તાત્કાલિક સજા કરવાની માંગ કરી છે. દલિત પરિવારે જાનને ફરીથી કાઢવા અને લગ્નની વિધિઓ પૂર્ણ કરવા માટે વહીવટીતંત્ર પાસેથી સુરક્ષાની માંગ કરી છે. આ ઘટના ફરી એકવાર યુપીમાં જાતિગત ભેદભાવ અને જાતિવાદી તત્વોની દાદાગીરીને સામે લાવી દીધી છે. જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ કેસમાં કેટલી ઝડપથી અને અસરકારક રીતે દલિત પરિવારને ન્યાય આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ</span> <a href="https://khabarantar.com/In-Dangarwa-village-of-Detroj,-a-Dalit-daughters-life-has-come-to-an-end-amid-police-presence">દેત્રોજના ડાંગરવા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત દીકરીની જાનનો વરઘોડો નીકળ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Dec 2024 10:29:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1633</Articleid>
                    <excerpt>બંદૂક સહિતના ઘાતક હથિયારો સાથે ગામના જાતિવાદી તત્વોએ એક દલિત દીકરીની જાન રોકી, જાનૈયાઓને જાતિસૂચક ગાળો ભાંડી જાન પાછી લઈ જવા મજબૂર કર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674d3d3d6698b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d3d3d3679b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d3d3d3679b.jpg" length="61807" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, UP, Dalit procession stopped, Jagannathpur village, Bareilly, Atrocity complaint, SC ST Act</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમરાઈવાડીના દલિત યુવકનું ભાજપ નેતાની હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ મોત</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-from-amraiwadi-dies-after-stent-placement-at-bjp-leaders-hospital</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-from-amraiwadi-dies-after-stent-placement-at-bjp-leaders-hospital</guid>
                    <description>
                        <![CDATA[ અમરાઈવાડીના એક દલિત યુવકનું ભાજપના પૂર્વ ધારાસભ્યની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશન કરી સ્ટેન્ટ મૂકાવ્યા બાદ અચાનક મોત થઈ જતા હોબાળો મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ બાદ મોત થયાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર નજીક આવેલ કાકડીયા હોસ્પિટલમાં એક દલિત યુવકને સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ મુળજીભાઈ પરમાર(અંદાજે ઉ.47)ને મોડી રાત્રે છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યો હતો. પહેલા તેને દવાથી સારૂ થઈ જશે અને કોઈ તકલીફ જેવું નથી તેમ કહ્યાં બાદ અન્ય ડોક્ટરે આવીને હુમલો આવ્યાનું કહી એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યું હતું. એ પછી યુવકની તબિયત વધારે બગડી હતી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાના અમદાવાદના દલિત-બહુજન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલની બેદરકારીથી સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થયું. આ હોસ્પિટલમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા ટ્રસ્ટી છે. સમગ્ર બનાવ અંગે શહેર કોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674c7bcd15bc3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, “અરવિંદભાઈને ગળામાં દુખતું હતું એટલે અમે કાકડિયા હોસ્પિટલ લઈને આવ્યા હતા. આખા શરીરના રિપોર્ટ કાઢ્યા તો કહ્યું કે, બધું બરોબર છે કોઈ તકલીફ નથી, અત્યારે તમને ઈન્જેક્શન અને દવા લખી દીધી હતી એટલે તમને દુખાવામાં આરામ આવી જશે. જો કે, એ પછી અચાનક ડોક્ટર આવ્યા હતા અને તેમણે સારવાર દરમિયાન તેમને ઇન્જેક્શન આપ્યું હતું અને દવા આપી હતી. ત્યારબાદ જ્યારે આવ્યા ત્યારે તેમના રિપોર્ટ કર્યા હતા અને તેમાં કહ્યું હતું કે તેમની નળી બ્લોક છે જેથી તેમને ઓપરેશન કરવા માટે અંદર લઈ ગયા હતા અને એક નળી નાખી અને ઓપરેશન કર્યું હતું. જ્યારે તેઓ અમને નળી બતાવતા હતા ત્યારે એક નળી તૂટેલી હતી અને વિમાન જેવું દેખાતું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેથી, તેઓએ કહ્યું હતું કે આ નળી ફાટી ગઇ છે. અમારાથી ભૂલથી આ થઈ ગયું છે પણ અમે સ્ટેન્ટ મૂક્યું છે જેથી સારા થઈ જશે.ઓપરેશનમાંથી બહાર લાવ્યા બાદ તેઓને આઈસીયુમાં લાવવામાં આવ્યા હતા પરંતુ થોડી જ વારમાં તેમના હૃદય પર સોજો આવવા લાગ્યો હતો અને ડોક્ટરે કહ્યું હતું કે- હવે તે સિરિયસ થઈ ગયો છે. અમે કહ્યું- યુવકને  સાજો લઈને આવ્યા હતા અને અચાનક કેવી રીતે થઈ ગયું હવે એક જ માંગ છે કે, અમને ન્યાય મળવો જોઈએ.પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત તેનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં રોકકળ કરી મૂકી હતી. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો છે કે, સાજા માણસને મારી નાખ્યો છે. પરિવાર હોસ્પિટલના આઇસીયુની બહાર હોબાળો કરી અને તોડફોડ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હોસ્પિટલમાં ભાજપના નેતાઓ ટ્રસ્ટી છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હોસ્પિટલના ટ્રસ્ટી વલ્લભભાઈ કાકડીયા હોસ્પિટલ ખાતે પહોંચતાની સાથે જ દર્દીના પરિવારજનો તેમને ઘેરી વળ્યા હતા. લોકોએ કાકડિયા હોસ્પિટલ ‘હાય હાય’ના નારા લગાવ્યા હતા. વલ્લભભાઈ કાકડીયા હોસ્પિટલના પ્રમુખ છે. જ્યારે અશોકભાઈ સવાણી વહીવટી હોદ્દેદાર તરીકે કાર્યરત છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674c7c0a9df6b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં ‘હાય હાય’ના નારા લગાવ્યા. તમારુ નખોદ જાય, હાય હાયના નારા લગાવી હોસ્પિટલ પર બળાપો કાઢ્યો હતો.બાપુનગર વિસ્તારમાં અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મીબેન લાલજીભાઈ કાકડીયા નામની હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા ટ્રસ્ટી તરીકે છે. ભાજપના નેતાઓ આ હોસ્પિટલના ટ્રસ્ટી છે અને વહીવટ પણ ચલાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, “ડોકટર બારોટ સાહેબને એકવાર દેખાડવા માટે કહ્યું. તે તમને દવાઓ પણ લખી આપશે એમ જણાવ્યું. આ ડોકટરે ફાઈલ જોઈને તેમાં ECG જોયું ને કહ્યું કે, આ ભાઈને અટેક છે તાત્કાલિક સારવારમાં લઈ લો. હવે સાહેબ આમાં તો ખબર જ નથી શું બન્યું? તપાસ કરીને કહે કે, દર્દીની એક નળી બ્લોક છે. બીજી નળીમાં વિમાન જતું હતું એટલે અમે તેનું કારણ પૂછ્યું. ફરીવાર જોયું તો ફાટેલી નળી બતાવતી હતી એટલે એ ડૉક્ટરે એમ કીધુ કે, હા અમારાથી ફાટી ગઈ પણ અમે સ્ટેન્ટ મૂકી દીધુ એટલે હવે વાંધો નહી આવે. સ્ટ્રેચરમાં બહાર લઈને આવ્યા ત્યારે અમારા વ્યક્તિને પૂછ્યંય કે, હવે કેમ છે? તો તેણે કહ્યું હવે સારુ છે. સારવાર માટે અંદર લઈ ગયા ને પછી ત્યાં અમને અંદર જવા ન દીધા. આઈસીયુમાં સારવાર માટે લઈ ગયાના થોડા સમય બાદ ડૉક્ટરે બોલાવીને કહ્યું કે- પહેલા તેની તબિયત સારી હતી પણ થોડી તબિયત લથડી અને હૃદય પર સોજો આવી ગયો.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674c7be913a23.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે શહેરકોટડા પોલીસ મથકના પીઆઈ મનીષ ચંદ્રાવડિયાએ જણાવ્યું હતું કે. કાકડીયા હોસ્પિટલમા ડોકટરની બેદરકારીથી યુવકનું મોત થયાના આક્ષેપો સાથે તેમના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. સર્જરી કરનાર ડોકટર સામે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.ઠ</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાર્ડમાં એપ્રુવલ વિના કેવી રીતે દર્દીનું ઓપરેશન કરાયું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડીયાની હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીનું મા કાર્ડ આવ્યું ને તરત જ નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરી દીધું હતું. PMJAY કાર્ડમાંથી એપ્રૂવ કરાવ્યા પહેલા ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. કાર્ડમાં એપ્રુવલ વિના કેવી રીતે દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું જો સારવારનો ખર્ચ મોટો થાય તો પરિવારજનો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હોત તેને લઈને અનેક સવાલ ઊભા થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકના પત્નીનો વિલાપ- “મારે એનો જ આધાર હતો”</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે, ડૉક્ટરોની બેદરકારીથી મારા પતિનું મોત થયું, હું તો સાજા લઈને આવી હતી. તેમને ખાલી ગેસની તકલીફ હતી. કોઈ એટેકય નહોતો. એમનેમ જ ચીરી નાખ્યા આ લોકોએ. મને ન્યાય જોઈએ...મારે મારો ઘરવાળો જોઈએ. હવે મારે કોનો આધાર? મારે કોઈ બાળક પણ નથી, મારે એ જ આધાર હતો. મારે ન્યાય જોઈએ, મારે મારો ઘરવાળો પાછો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/real-gujarat-model-bootlegger-starts-hospital-in-surat-calls-police-at-inauguration">ગુજરાત મોડેલ : બુટલેગરે હોસ્પિટલ શરૂ કરી, ઉદ્ઘાટનમાં પોલીસને બોલાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 01 Dec 2024 20:45:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1632</Articleid>
                    <excerpt>અમરાઈવાડીના એક દલિત યુવકનું ભાજપના પૂર્વ ધારાસભ્યની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશન કરી સ્ટેન્ટ મૂકાવ્યા બાદ અચાનક મોત થઈ જતા હોબાળો મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674c7badc2e6f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674c7bad8f642.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674c7bad8f642.jpg" length="62038" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kakadia Hospital, Amraiwadi, Khyati Hospital</media:keywords>
                </item>
                        <item>
                    <title>કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીએ બુકી સાથે લગ્ન કરી લીધાં?</title>
                    <link>https://khabarantar.com/did-the-daughter-of-the-father-of-kabarau-mogal-dham-marry-a-bookie</link>
                    <guid>https://khabarantar.com/did-the-daughter-of-the-father-of-kabarau-mogal-dham-marry-a-bookie</guid>
                    <description>
                        <![CDATA[ કબરાઉ ધામના બાપુની દીકરીનું પહેલા અપહરણ થયાની વાત ઉડી હતી,પણ હવે તેણે રાજીખુશીથી લગ્ન કરી લીધાં હોવાનું સામે આવ્યું છે ત્યારે શું થશે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે કચ્છના ભચાઉમાં આવેલા મોગલ ધામ કબરાઉના બાપુને ન ઓળખતી હોય. તેમના વીડિયોમાં તેઓ લોકોને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને ચાલવાની સલાહ આપે છે અને તેમની માનતાના પૈસા પરત આપીને બહેન દીકરીઓમાં વહેંચી દેવાની વાત કરતા દેખાતા હોય છે. આવા અનેક વીડિયોની રિલ્સ સોશિયલ મીડિયામાં ફરી રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મોગલ ધામ કચ્છના ભચાઉ પાસે કબરાઉમાં આવેલું છે જે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. કબરાઉ ધામના બાપુની દીકરીનું થોડા દિવસ પહેલા અપહરણ થયું હોવાની વાત સામે આવી હતી. પણ હવે તેમાં અણધાર્યો ટ્વિસ્ટ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે બાપુની પુખ્ય વયની દીકરીએ ભૂજના એક બૂકી સાથે કાયદેસર રીતે લગ્ન કરી લીધાં છે અને તેના ફોટા તથા સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. હાલ પોલીસ બાપુની દીકરી અને યુવકને વલસાડથી પકડીને ભચાઉ લઈને આવી રહ્યાં છે ત્યારે પોલીસ તેમની સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરે છે તે જોવાનું રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છ (Kutch)ના ભચાઉ (Bhachau) તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાઉ (Kabrau) ના બાપુની પુખ્ત વયની દીકરીને ભૂજનો એક બુકી પાંચ દિવસ પહેલા 25મી નવેમ્બરે ઉઠાવીને લઈ જતા ખળભળાટ મચી ગયો હતો. જો કે હવે મળતી માહિતી પ્રમાણે બૂકીએ યુવતી સાથે કાયદેસર લગ્ન કરી લીધા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ ભચાઉ પોલીસની ટીમ તેમને લઈને કચ્છ આવી રહી છે. દીકરીના કુટુંબીજનો પોલીસ સ્ટેશનમાં હાજર છે. બીજી તરફ ભુજથી બુકી યુવાનના ફેમેલી મેમ્બર પણ ભચાઉ જવા રવાના થઇ ગયા છે. અત્યાર સુધી આ મામલામાં એવું લાગતું હતું કે, ભૂજનો બૂકી યુવાન ઓમ ડાભી બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે. પરંતુ જે રીતે બંનેના લગ્ન ફોટા અને મેરેજ સર્ટિફિકેટના ફોટા વાયરલ થઇ રહ્યા છે તેના ઉપરથી એમ લાગે છે કે દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમ નોંધને પગલે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે બંનેને પાંચ દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી ગઈ હતી. યુવક ત્રણ વર્ષથી કબરાઉ દર્શન માટે આવતો હતો, એવામાં તેણે બાપુની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લેતા શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે શરૂઆતથી જ પૂર્વ કચ્છ પોલીસની ભૂમિકા અતિ શંકાસ્પદ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભૂજના બુકી યુવક અને મોગલધામના બાપુની દીકરીના લગ્ન અને તેમને ભચાઉ લઇ આવવા અંગે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે કશું કહેવાનું ટાળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના એક લોકલ ન્યૂઝ પોર્ટલ દ્વારા પૂર્વ કચ્છના SP સાગર બાગમાર, ભચાઉના ડેપ્યુટી એસપી સાગર સાંબડ તેમજ ભચાઉના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રભાઈ સીસોદીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કારણ કે, ભાગેલા બંને યુવક-યુવતી પુખ્ત વયના છે. વળી તેમણે લગ્ન પણ કરી લીધા છે. એટલે સમગ્ર મામલે હવે પોલીસનું વલણ કેવું રહેશે તે જાણવું જરૂરી હતું. પરંતુ પોલીસે ફોન ન ઉપાડીને ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/fifty-crore-bharati-ashram-bapu-took-over-with-bouncers">50 કરોડના ભારતી આશ્રમ પર બાપુએ બાઉન્સરો સાથે કબ્જો મેળવ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 01 Dec 2024 12:47:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1631</Articleid>
                    <excerpt>કબરાઉ ધામના બાપુની દીકરીનું પહેલા અપહરણ થયાની વાત ઉડી હતી,પણ હવે તેણે રાજીખુશીથી લગ્ન કરી લીધાં હોવાનું સામે આવ્યું છે ત્યારે શું થશે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674c0c032e933.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674c0c02ef251.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674c0c02ef251.jpg" length="109535" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kabrau Mogal Dham, Kutch Kabrau</media:keywords>
                </item>
                        <item>
                    <title>દો દિન કી ઈસ બચ્ચી કે બાપ કો ઢૂંઢો, હમેં ન્યાય દો યા ઝહર દે દો...</title>
                    <link>https://khabarantar.com/a-dalit-girl-who-became-a-single-mother-in-nawabganj-bareilly-uttar-pradesh-reached-the-co-office-with-her-two-day-old-daughter-seeking-justice</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-girl-who-became-a-single-mother-in-nawabganj-bareilly-uttar-pradesh-reached-the-co-office-with-her-two-day-old-daughter-seeking-justice</guid>
                    <description>
                        <![CDATA[ સવર્ણ યુવક દલિત યુવતીને કુંવારી માતા બનાવી તરછોડીને જતો રહ્યો. યુવતી 2 દિવસની બાળકીને લઈને ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેટી બચાવો, બેટી પઢાઓના સરકારી સ્લોગન વચ્ચે કડવી વાસ્તવિકતા એ છે કે, મહિલાઓ, યુવતીઓ પર અત્યાચારો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં. ખાસ કરીને મામલો જ્યારે દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજની મહિલાઓનો હોય અને આરોપીઓ કથિત ઉચ્ચ જાતિના હોય ત્યારે કાયદો જાતિવાદી સવર્ણોની તરફેણમાં કામ કરવા લાગે છે. આવા હજારો ઉદાહરણોની દેશની કોર્ટ કચેરીઓ અને પોલીસ સ્ટેશનો ભર્યા પડ્યાં છે અને તેમાં વધુ એક કરૂણ કિસ્સો ઉમેરાયો છે, જેમાં એક યુવકે લગ્નના બહાને દલિત યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તે ગર્ભવતી બની જતાં તેને ત્યજી દીધી હતી. યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ દોઢ મહિના પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી. તાજેતરમાં તેણે એક પુત્રીને જન્મ આપ્યો છે અને કુંવારી માતા આ યુવતી પોતાની બે દિવસની દીકરીને લઈને ન્યાય માંગવા સરકારી કચેરીએ પહોંચી ગઈ ત્યારે સૌ કોઈની આંખો પહોળી થઈ ગઈ અને આરોપીઓ તથા સરકારી તંત્ર પર ફિટકાર વરસાવવા લાગ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફરિયાદ નોંધાવવા છતાં પોલીસ કાર્યવાહી નથી કરતી</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત થઈ ચૂકેલા ઉત્તરપ્રદેશનો છે. અહીં બરેલીમાં એક યુવકે એક દલિત યુવતીને લગ્નના બહાને પોતાની પ્રેમજાળમાં ફસાવી અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. એ દરમિયાન યુવતી ગર્ભવતી બની જતાં યુવક તેને છોડીને ભાગી ગયો હતો. યુવતીએ દોઢ મહિના પહેલા હાફિઝગંજ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટ દાખલ કર્યાને દોઢ મહિના પછી પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. બુધવારે યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. કુંવારી માતા તેની બે દિવસની પુત્રી સાથે કેસની તપાસ કરી રહેલા નવાબગંજ સીઓની ઓફિસે પહોંચી અને ન્યાયનો પોકાર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ </span><span style="color: rgb(35, 111, 161);"><a href="https://khabarantar.com/You-belong-to-low-caste,-dont-marry-now---Ankit-Agrawat-exposes-himself-after-6-years-of-living-in-Rajkot,-Dalit-girl-drinks-acid" style="color: rgb(35, 111, 161);">"તું નીચી જાતિની છે, હવે લગ્ન નથી કરવા" રાજકોટમાં 6 વર્ષ લિવ ઈનમાં રહ્યાં બાદ અંકિત અગ્રાવતે પોત પ્રકાશ્યું, </a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવક પ્રેમજાળમાં ફસાવી તરછોડીને જતો રહ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી એક દલિત છોકરી તેની માતા અને નાની બહેન સાથે હરિયાણાના સોનીપત જિલ્લામાં એક ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતી હતી. પરિવાર સોનીપતમાં એક રૂમમાં ભાડેથી રહેતો હતો. ભુતા પોલીસ સ્ટેશન વિસ્તારના ઢાંકણી ગામનો વિપિન પણ તેની સાથે આ જ ફેક્ટરીમાં કામ કરતો હતો. તે પણ એ જ મકાનમાં ભાડા પર રહેતો હતો. દરમિયાન યુવકે દલિત યુવતીને લગ્નના બહાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. થોડા દિવસો પછી યુવતી તેના ગામ પાછી આવી અને યુવક પણ તેના ગામ પાછો ગયો. અહીં પણ યુવક પીડિતાના ગામ તેને મળવા જતો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી. આરોપ છે કે જ્યારે યુવતીએ તેને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું તો તે સતત વાત ટાળતો રહ્યો હતો અને બાદમાં તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. લગભગ દોઢ મહિના પહેલા યુવતીની ફરિયાદના આધારે આરોપી વિપિન વિરુદ્ધ હાફિઝગંજ પોલીસ સ્ટેશનમાં SC-ST અને બળાત્કારની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. મામલો SC-ST એક્ટ સાથે સંબંધિત હોવાથી તપાસ સીઓ નવાબગંજ હર્ષ મોદીને સોંપવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નિષ્ઠુર પોલીસના પેટનું પાણી પણ હલતું નથી</span></strong></span><br><span style="font-size: 14pt;">યુવતીનો આરોપ છે કે હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ બુધવારે નવાબગંજ સીએચસીમાં યુવતીએ પુત્રીને જન્મ આપ્યો હતો. શુક્રવારે અપરિણીત માતા બનેલી આ દલિત યુવતી તેની બે દિવસની પુત્રીને ખોળામાં લઈને સીઓ હર્ષ મોદીની ઓફિસે પહોંચી હતી અને રડતા રડતા ન્યાયની ગુહાર લગાવી હતી. આ ઘટનાને બે દિવસ થઈ ગયા છે, પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/5-youths-gang-raped-a-dalit-girl-after-forcing-her-to-drink-alcohol">દલિત યુવતીને ગોંધી રાખી પરાણે દારૂ પીવડાવી 5 યુવકોએ ગેંગરેપ કર્યો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 01 Dec 2024 11:01:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1630</Articleid>
                    <excerpt>સવર્ણ યુવક દલિત યુવતીને કુંવારી માતા બનાવી તરછોડીને જતો રહ્યો. યુવતી 2 દિવસની બાળકીને લઈને ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674bf47734f70.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674bf4770459d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674bf4770459d.jpg" length="36620" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>SC ST Act Complaint, Dalit Girl Raped, Dalit News, UP News, POCSO CRIME, bareilly</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી દ્વારા શ્રી પી.ડી.વાઘેલાનું સન્માન કરાયું</title>
                    <link>https://khabarantar.com/shri-p-d-vaghela-was-honored-by-gujarati-dalit-sahitya-akademi</link>
                    <guid>https://khabarantar.com/shri-p-d-vaghela-was-honored-by-gujarati-dalit-sahitya-akademi</guid>
                    <description>
                        <![CDATA[ TRAIના પૂર્વ અધ્યક્ષનું ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી દ્વારા સ્મૃતિચિહ્ન અને પુસ્તકો આપી સન્માન કરાયું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">TRAI -ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અને 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ના શુભચિંતક શ્રી પી.ડી.વાઘેલા IAS (નિ.)ને  'અકાદમી' દ્વારા સ્મૃતિચિન્હ અને પુસ્તકોથી સન્માનિત કરાયા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674be4c8809c8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ની સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓના ચાહક, પ્રશંસક અને માર્ગદર્શક એવા શ્રી પી..ડી.વાઘેલાને 'અકાદમી'ના પેટ્રન હરીશ મંગલમે સ્મૃતિચિન્હ અને પુસ્તકો આપી સન્માન્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674be4c91247b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમાં 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી' દ્વારા તાજેતરમાં પ્રકાશિત અને ઈન્તાજ મલેક અનુવાદિત હરીશ મંગલમ્ અને અરવિંદ વેગડાના દલિત કાવ્યસંગ્રહો અનુક્રમે  'Untouched Harvest' અને 'Forgotten Sorrows' તેમજ પ્રવીણ ગઢવી લિખિત 'દલિતવાણી' કાવ્યસંગ્રહો શ્રી વાઘેલાને ભેટ આપવામાં આવ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674be4c99463a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં Barbeque Nations-પ્રહલાદનગર ખાતે આયોજિત નાનકડા આ સ્નેહમિલનમાં સર્વશ્રી પ્રવીણ ગઢવી  IAS(નિ.) ('અકાદમી' અધ્યક્ષ), ઈન્તાજ મલેક (Ex.Joint Commissioner GST), ડો.રતિલાલ રોહિત (મુંબઈ યુનિ.), કવિ અરવિંદ વેગડા, નટુભાઈ પરમાર (લેખક-પત્રકાર), પ્રિન્સિપાલ ડો.હર્ષદ પરમાર (માંડલ), ડો.દિનુ ભદ્રેસરિયા(દામિની પબ્લીકેશન્સ) સૌ ઉપસ્થિત રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Savaya-Dalit-writer-Praveen-Gadhvis-new-book-Truth-of-Indian-Culture-published">સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીનું નવું પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિનું સત્ય’ પ્રકાશિત થયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 01 Dec 2024 09:56:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1629</Articleid>
                    <excerpt>TRAIના પૂર્વ અધ્યક્ષનું ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી દ્વારા સ્મૃતિચિહ્ન અને પુસ્તકો આપી સન્માન કરાયું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674be4c79eaf6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674be4c76dcbc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674be4c76dcbc.jpg" length="109530" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarati Dalit Sahitya Akademi, Shri P.D. Vaghela, honored, Pravin Gadhvi IAS, Harish Manglam</media:keywords>
                </item>
                        <item>
                    <title>એ બંને ડાકણ છે, રાતે ઉંદરડી&amp;બિલાડીનું રૂપ ધારણ કરે છે...</title>
                    <link>https://khabarantar.com/bharat-jan-vigyan-jatha-exposes-witchcraft-superstition-in-vagra-bharuch</link>
                    <guid>https://khabarantar.com/bharat-jan-vigyan-jatha-exposes-witchcraft-superstition-in-vagra-bharuch</guid>
                    <description>
                        <![CDATA[ ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન જાથાની ટીમે એક મોટી અંધશ્રદ્ધાનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક પરિવારની મહિલા બીજી બે મહિલાઓ પર દ્વેષ-દાઝ રાખી બદનામ કરતી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિજ્ઞાન જાથાએ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સાવ નકામું ધૂણીને પરિવારની જ બે મહિલાઓને ડાકણ ચીતરીને બદનામ કરતી એક મહિલાનો પર્દાફાશ કરી તેમની પાસે માફી મગાવી હતી. મળતી માહિતી પ્રમાણે વાગરાના કલાદરા ગામની જેલીબેન નામની મહિલા દરગાહમાં હાજરી ભરવા જતી હતી અને ત્યાં ધૂણીને પરિવારની જ બે મહિલાઓ ઉપર ડાકણનો આરોપ મૂકીને બંનેને ફસાવી દેવા પ્રયત્ન કરી હતી. આ મામલે બંને મહિલાના પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતા તેમણે જેલીબેન આહિરના ઢોંગનો પર્દાફાશ કર્યો હતો અને ભૂલ કબૂલ કરાવડાવી, માફી મગાવતા મામલો થાળે પડ્યો હતો. સાથે જ તેમણે કોઈ સમસ્યા હોય તો ભૂવા ભારાડી કે દરગાહમાં જવાને બદલે ડોક્ટર પાસે જઈને માનસિક સારવાર લેવી જોઈએ તેવી સલાહ આપવાનું પણ કબૂલ કરાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાવની વિગત પ્રમાણે ભરૂચના કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઇ આહિરે જણાવ્યું હતું તેમના કુટુંબી જેલીબેન આહિર અવારનવાર કીમ પાસેની દરગાહમાં ગુરૂવાર ભરવા જાય છે અને ત્યાં તેમને હાજરી આવતી હોવાથી તેઓ ધૂણવા માંડતા હતા અને પરેશભાઈ તથા ઠાકોરભાઈના મમ્મી જશુબેન અને દેવીબેન બંને ડાકણ છે અને મેલીવિદ્યા જાણે છે તેવું બોલી તેમને બદનામ કરતા હતા. જેલીબેન ધૂણતી વખતે કહેતા બંને રાત પડ્યે બિલાડી અને ઉંદરડી બની મેલી વિદ્યા કરી બધાને હેરાન કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/as-feared-the-dalit-youth-was-arrested-under-the-anti-superstition-act">ડર હતો એજ થયું, અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ દલિત યુવકની ધરપકડ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પરેશભાઈ અને ઠાકોરભાઈએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો અને તેમને આ મામલામાં મદદ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોઇકનો જીવ જાય તે પહેલા સત્ય ઉજાગર કરો, મારી મમ્મી અને બીજી મહિલા નિર્દોષ છે. મેલીવિદ્યા શું કહેવાય તે પણ તેમને ખબર નથી. જેલીબેન માત્ર ઇર્ષા, દ્વેષ અને સમાજમાં બહિષ્કૃત કરવા અમારી મમ્મીને બદનામ કરવા આવું કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી જાથાની ટીમના સદસ્યો દરગાહમાં હાજર રહી જેલીબેન ઉપર દેખરેખ રાખતા હતા. દરગાહની બહાર આવતાની સાથે કલાદરા ગામના બંને આહિર પરિવારો ભેગા થઇ ગયા. જેલીબેન બહાર આવતાની સાથે પરિસ્થિતિનો તાગ મળતા ધૂણવા લાગ્યા હતા અને હાથમાં રહે નહીં તેમ કુદાકુદ કરવા લાગ્યા હતા. એ પછી મહિલા પોલીસ તેમજ જાથાની મહિલા સદસ્યએ તેમને પકડીને માંડ માંડ ગાડીમાં બેસાડ્યા હતા. જો કે અહીં પણ તેમણે ધૂણવાનું ચાલુ રાખ્યું હતું. આખરે પોલીસે કડક શબ્દોમાં વાત કરતા તેઓ શાંત પડ્યા હતા અને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાથાના જયંત પંડયાએ જેલીબેન પાસે આ બંને મહિલાઓ ડાકણ હોવાની અને મેલીવિદ્યા જાણતી હોવાની સાબિતી માંગી હતી. પણ જેલીબેન કશા પુરાવા આપી શક્યા નહોતા. આખરે પોલીસનો ડર લાગતા જેલીબેનના પતિ, દીકરો સંજય માફી માગવા લાગ્યા હતા. અંતે જેલીબહેને પોતે ખોટું બોલી રહ્યા હતા અને ઈર્ષા તથા દ્વેષના કારણે આવું કરતા હોવાનું કબૂલ કર્યું હતું. સાથે જ તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે તેમને દરગાહમાં જવાથી કોઈ ધૂણું આવતું નહોતું અને તેઓ ખોટેખોટાં ધૂણી રહ્યાં હતા, જેથી લોકો તેમને દૈવીશક્તિ માનીને માન આપે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-vigyan-jatha-stopped-the-satyanarayan-katha-running-in-the-rajkots-pardi-power-office">વિજ્ઞાન જાથાએ વીજ કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવતા હોબાળો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 30 Nov 2024 22:00:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1628</Articleid>
                    <excerpt>ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન જાથાની ટીમે એક મોટી અંધશ્રદ્ધાનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક પરિવારની મહિલા બીજી બે મહિલાઓ પર દ્વેષ-દાઝ રાખી બદનામ કરતી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674b3be297ca0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674b3be26440b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674b3be26440b.jpg" length="109088" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bharat jan vigyan jatha, exposes, witchcraft superstition, vagra, bharuch</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદીઓએ દલિત મહિલાની 8.5 વીઘા જમીન પડાવી લીધી</title>
                    <link>https://khabarantar.com/casteists-snatch-8.5-bighas-of-land-from-dalit-family-in-gokulpur-mainpuri-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/casteists-snatch-8.5-bighas-of-land-from-dalit-family-in-gokulpur-mainpuri-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ આરોપીઓએ દલિત મહિલા અને તેના પરિવારને જાતિસૂચક ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Casteists snatch 8.5 bighas of land from Dalit woman : ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં ગામડાઓમાં સ્થાયી અને કાયમી આવકનું એકમાત્ર સાધન ખેતીની જમીન છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં નજર કરશો તો ખ્યાલ આવશે કે આ જમીનોની માલિકી મોટાભાગે કથિત સવર્ણ જાતિના લોકો પાસે જ છે. હરિયાણા-પંજાબમાં જાટ, મહારાષ્ટ્રમાં મરાઠા, ગુજરાતમાં દરબાર અને પટેલ જાતિઓ, યુપીમાં ઠાકુરો સૌથી વધુ ખેતીની જમીન પર કબ્જો જમાવીને બેઠાં છે. ખેતીની જમીન કાયમી આવક રળી આપે છે અને તેનાથી સમૃદ્ધિ મેળવીને બે પાંદડે થઈ શકાય છે, તે સમજી ચૂકેલા સવર્ણો તસુભાર ખેતીની જમીન પણ દલિતો, આદિવાસીઓ કે ઓબીસી સમાજના લોકોના હાથમાં ન જાય તેનું ધ્યાન રાખે છે. પરિણામે આખા દેશમાં એસસી, એસટી ઓબીસી સમાજ ભૂમિહીન ખેતમજૂર બનીને રહી ગયો છે. જે થોડાં ઘણાં દલિતો, આદિવાસીઓ પાસે ગામડાઓમાં ખેતીની જમીન બચી છે, તેમને પણ જાતિવાદી તત્વો પડાવી લેવા સતત અધીરા રહે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુપીના મૈનપુરીના ગોકુલપુર ગામની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">કંઈક આવું જ આ ઘટનામાં પણ બન્યું છે. ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીની છે. અહીં મૈનપુરીના કરહાલ વિસ્તારમાં જાતિવાદી તત્વોએ એક દલિત પરિવારની 8.5 વીઘા જમીન કબજે કરી લીધી. જ્યારે દલિત મહિલાએ તેનો વિરોધ કર્યો તો તેમને જાતિસૂચક ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપી. દલિત પરિવારે એસસી-એસટી કોર્ટમાં ફરિયાદ કરી, જેના આધારે પાંચ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/you-look-like-a-thief-just-from-your-face-arent-you">જાતિવાદી શિક્ષકે દલિત વિદ્યાર્થીને કહ્યું, ‘તું તો ચહેરા પરથી જ ચોર લાગે છે, ચમાર છો ને?’</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મૈનપુરી જિલ્લાના કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોકુલપુર ગામનો છે. અહીં કેટલાક જાતિવાદી તત્વોએ એક દલિત મહિલાના પરિવારની સાડા આઠ વીઘા જમીન પર દાદાગીરીથી કબજો જમાવ્યો હતો. જ્યારે દલિત પરિવારે તેનો વિરોધ કર્યો તો તેમને ન માત્ર જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યા પરંતુ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ જમીન રામરતિ નામની મહિલાના નામે નોંધાયેલી હતી, જે તેના પુત્ર ભૂપસિંહે ખરીદી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોએ દાદાગીરી કરી કબ્જો જમાવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત સમાજમાંથી આવતા ભૂપસિંહ બરનાહલના આલમપુર દેહા ગામના વતની છે. તેમણે આ જમીન ગોકુળપુરના વિદ્યારામ અને બદનસિંહ યાદવ પાસેથી ખરીદી હતી. જમીનની ખરીદી કર્યા બાદ તેમણે જમીનનો કબજો મેળવીને કાયદાકીય પ્રક્રિયા મુજબ જમીન પોતાની માતા રામરતિના નામે નોંધાવી હતી. બધું બરાબર ચાલતું હતું ત્યાં જ ગામના ગુંડાઓ અજીત, અંશુલ, રમેશ, મહેન્દ્ર અને ઉપેન્દ્રએ કાવતરું ઘડી આ જમીન કબજે કરી લીધી અને ભૂપસિંહ અને તેની માતાને જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યા. આરોપીઓએ તેમને ધમકી આપી કે ફરીથી </span><span style="font-size: 14pt;">આ જમીન પર દેખાયા તો જાનથી મારી નાખીશું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભૂપસિંહ અને તેની માતાએ જાતિવાદીઓનો સામનો કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ભૂપ સિંહે જણાવ્યું કે જ્યારે તેણે તેની માતા સાથે મળીને જાતિવાદીઓ સામે અવાજ ઉઠાવ્યો ત્યારે તેમને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ જમીન પર પોતાનો હક જમાવવાનો પ્રયાસ કરશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. જાતિવાદીઓએ તેમની માતા રામરતિનું અપમાન કરવામાં પણ જરાય શરમ નહોતી અનુભવી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-grooms-should-not-appear-before-us-on-a-horse">જે થવું હોય તે થાય, બાકી દલિત વરરાજો અમારી સામે ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ભૂપસિંહ અને તેની માતાએ સ્થાનિક પોલીસને ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. અંતે તેણે હિંમત ભેગી કરી અને SC-ST કોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટની સૂચના પર કરહાલ પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ એસસી-એસટી એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં તંગદિલી ફેલાઈ, દલિત પરિવારને ન્યાયની આશા</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના બાદ ગામમાં તંગદિલીનો માહોલ છે. જાતિવાદી તત્વોનું મનોબળ ઉંચુ છે અને પીડિત પરિવાર ન્યાયની આશાએ કોર્ટ અને પોલીસના ચક્કર લગાવી રહ્યો છે. આ ઘટનાએ સામાજિક અન્યાય અને ભેદભાવનું ચિત્ર તો રજૂ કર્યું જ છે, પણ સાથે સાથે એવો પ્રશ્ન પણ ઊભો કર્યો છે કે નબળા વર્ગના લોકોએ તેમના અધિકારો અને સન્માન માટે ક્યાં સુધી આવી લડાઈ લડવી પડશે.</span><br><span style="font-size: 14pt;">ભૂપ સિંહનું કહેવું છે કે જમીનની ખરીદી અને વેચાણ સંપૂર્ણપણે કાયદેસર હતું અને તેની પાસે તેના તમામ દસ્તાવેજો છે. તેમ છતાં જાતિવાદીઓએ તેમની જમીન પર કબ્જો જમાવી લીધો છે અને તેમની તથા તેમના પરિવારની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તેમણે કહ્યું, “અમે ડૉ. આંબેડકરના સંતાનો છીએ. અમે કાયદામાં વિશ્વાસ રાખીએ છીએ અને અમને ન્યાય મળવાની આશા છે. પરંતુ જાતિવાદીઓની બીક અને સામાજિક ભેદભાવ અમારા સંઘર્ષને વધુ મુશ્કેલ બનાવી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વહીવટીતંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાએ વધુ એકવાર યુપીના સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ક્રિયતા પણ છતી કરી છે. ગામલોકોનું કહેવું છે કે આ પહેલીવાર નથી જ્યારે જાતિવાદીઓએ દલિતોને તેમના અધિકારોથી વંચિત રાખવાનો પ્રયાસ કર્યો હોય. પોલીસની ઢીલી નીતિ અને જાતિવાદીઓનો રાજકીય પ્રભાવ ઘણીવાર પીડિતોને ન્યાયથી દૂર રાખે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે જોવાનું એ રહે છે કે કોર્ટના આદેશ બાદ વહીવટીતંત્ર કેટલી કાર્યવાહી કરે છે અને પીડિત પરિવારને ન્યાય અપાવે છે. આ ઘટના માત્ર જમીનનો વિવાદ નથી, પરંતુ સામાજિક અસમાનતા અને જાતિગત ભેદભાવ સામેનો એક મોટો પડકાર છે, જે આજે પણ આપણા સમાજમાં ઊંડા જડ ઘાલી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bloody-fight-over-tractor-removal-dalit-youth-dies-after-being-shot">ટ્રેક્ટર હટાવવા મુદ્દે લોહીયાળ જંગ, ગોળી વાગતા દલિત યુવકનું મોત</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 30 Nov 2024 14:55:45 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 30 Nov 2024 15:02:13 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1627</Articleid>
                    <excerpt>આરોપીઓએ દલિત મહિલા અને તેના પરિવારને જાતિસૂચક ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674adb9323893.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674adb92e5eb0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674adb92e5eb0.jpg" length="111257" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>UP News, Dalit News, Dalit times, SC ST Act, casteists, snatch, 8.5 bighas land, dalit family, gokulpur, mainpuri</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેરીના ગોટલાનો રસો પીવાથી 3 આદિવાસી મહિલાઓના મોત, 7 બીમાર</title>
                    <link>https://khabarantar.com/3-tribal-women-die-7-fall-ill-after-eating-aam-ka-daliya-in-odishas-mandipanka-village</link>
                    <guid>https://khabarantar.com/3-tribal-women-die-7-fall-ill-after-eating-aam-ka-daliya-in-odishas-mandipanka-village</guid>
                    <description>
                        <![CDATA[ ભૂખમરાનો સામનો કરી રહેલી આદિવાસી પરિવારે કેરીના ગોટલામાંથી બનેલી વાનગી ખાધી હતી, જેની ઝેરી અસરને કારણે આખી ઘટના ઘટી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓડિશા (Odisha) ના કંધમાલ જિલ્લા (Kandhamal district) ના મંડીપાંકા ગામ (Mandipanka village) માં ભૂખમરાનો સામનો કરી રહેલી ત્રણ આદિવાસી મહિલાઓના મોત (3 tribal women die) થઈ ગયા. આ મહિલાઓએ જમવા માટે અનાજ ન મળતા કેરીના ગોટલામાંથી દલિયા (Aam ka Daliya) નામની વાનગી બનાવી ખાધી હતી. જો કે તેના ઝેરની અસરથી ત્રણેયનું મોત થઈ ગયું હતું. આ મામલે ઓડિશા સરકારના કઠેડામાં ઉભી કરતા વિપક્ષ બીજેડી અને કોંગ્રેસે વિધાનસભામાં હોબાળો મચાવ્યો હતો અને ઓડિશાની ભાજપની મોહન ચરણ માંઝી સરકાર (Mohancharan Manjhi Govt.) ખાદ્ય સુરક્ષા જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવી જાહેર અન્ન વિતરણ પદ્ધતિને વધુ સારી બનાવવા આગ્રહ કર્યો હતો. આ ઘટનાને 20 દિવસ કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે સમગ્ર મામલો?</span></strong></span><br><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ ગયા મહિને કંધમાલ જિલ્લામાં કેરીના ગોટલામાંથી બનાવેલી વાનગી ખાવાથી બે આદિવાસી મહિલાઓના મોત થયા હતા અને અન્ય સાત લોકો બીમાર પડી ગયા હતી. આ ઘટના દરિંગબાડી તાલુકાના મંડીપાંકા ગામમાં બની હતી, જ્યાં કેટલાક ગામલોકોએ થોડા દિવસ પહેલા કેરીના ગોટલામાંથી બનેલી વાનગી ખાધી હતી. બીમાર લોકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત નાજુક હોવાથી તેમને બરહામપુર મોકલવામાં આવી રહ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બે મહિલાઓના મોત થયા હતા. એક મહિલાનું આરોગ્ય કેન્દ્રમાં મૃત્યુ થયું હતું જ્યારે બીજી મહિલાનું એમ્બ્યુલન્સમાં બરહામપુર જતા રસ્તામાં મોત થયું હતું. મૃતક મહિલાઓની ઓળખ 30 વર્ષની રૂની માઝી અને 28 વર્ષની રનીતા પટામાઝી તરીકે થઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં સુભદ્રા યોજનાનો કોઈ લાભ નથી મળ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે સત્તાવાર તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં એક NGO, રિપબ્લિક રાઈટ્સ સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશન (GASS), ઓડિશાની બે સભ્યોની ટીમે મંડીપંકા ગામની મુલાકાત લીધી હતી. ટીમે ગામના લોકો, પીડિત પરિવારો, સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓ અને બીડીઓ સાથે વાતચીત કરી. તેમણે પ્રભાતી પટ્ટામાઝી, સુઝાના પટ્ટામાઝી અને જીબંતી પટ્ટામાઝીની લીધી હતી, જેઓ બેરહામપુર હોસ્પિટલ ખાતે સારવાર બાદ ઘરે પરત ફરી હતી. તેમણે અન્ય પાંચ લોકો સાથે જણાવ્યું કે તેમને સુભદ્રા યોજના હેઠળ કોઈ ચૂકવણી કરવામાં આવી નથી, જે ઓડિશામાં વર્તમાન સરકાર દ્વારા મહિલાઓ માટે સૌથી વધુ પ્રમોટ કરવામાં આવેલી યોજના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસીઓ ભૂખમરાને કારણે ગોટલી ખાવા મજબૂર</span></strong></span><br><span style="font-size: 14pt;">ઓરિસ્સાની બીજુ જનતા દળ સરકાર વખતથી ભૂખમરાનો સામનો કરી રહેલા ઓડિશાના આદિવાસીઓ હજુ પણ એ જ નર્કાગાર જેવી સ્થિતિમાં જીવન જીવવા મજબૂર છે. બે ટંકનું ભોજન પુરું કરવા માટે આદિવાસીઓ કેરીના ગોટલા એકઠાં કરી તેનો સંગ્રહ કરે છે અને તેમાંથી દલિયા જેવી વાનગી બનાવી જીવન પસાર કરે છે. જ્યારે ચોખા અને અન્ય અનાજનો સ્ટોક સમાપ્ત થઈ જાય છે ત્યારે તેઓ કેરીના ગોટલામાંથી દલિયો બનાવી ખાય છે. તેમાં ગોટલાની અંદરના ભાગને કાઢીને તેને ઝીણો પીસીને ચૂર્ણ બનાવવામાં આવે છે. એ પછી તેને 12 કલાક સુધી પાણીમાં પલાળીને રખાય છે. આ પલાળેલી ગોટલીના ચૂર્ણને ઉકાળીને આખો ડિસેમ્બર </span><span style="font-size: 14pt;">મહિનો ભૂખમરામાંથી રાહત મેળવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અધિકારીઓની દલીલઃ ગોટલી પૌષ્ટિક ખોરાક છે</span></strong></span><br><span style="font-size: 14pt;">સામે ભાજપની માંઝી સરકારના અધિકારીઓ દલીલ કરે છે કે ગોટલીની આ વાનગી એક પૌષ્ટિક ખોરાક છે. પણ સવાલ એ છાય કે, જો એમ હોય તો તેને ચોખા, કઠોળ, ઈંડા અને લીલા શાકભાજીની સાથે શાળાના પુસ્તકોમાં સંતુલિત આહાર કે પોષણ ચાર્ટમાં શા માટે સામેલ કરવામાં આવતી નથી? એ વાત સાચી છે કે ઓડિશાના દલિતો-આદિવાસીઓ કેરીની ગોટલી ભેગી કરીને તેનો ખોરાકમાં ઉપયોગ કરે છે. પરંતુ તે તેમની મજબૂરી છે. કેમ કે, તેમને પોષણયુક્ત અનાજ પુરતા પ્રમાણમાં મળતું નથી. જ્યારે ખેતરોમાં નવો પાક તૈયાર થાય ત્યારે તરત તેઓ આ ગોટલા ફેંકી દે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગોટલીઓ ઝેરી બની ગઈ હતી </span></strong></span><br><span style="font-size: 14pt;">કેરીની ગોટલીઓને કાળજીપૂર્વક ત્રણ વર્ષ માટે સંગ્રહિત કરીને જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવી હતી. ઘણા આદિવાસી પરિવારોમાં ગોટલી સૂકી ઋતુ દરમિયાન એક વિકલ્પ તરીકે ઉપયોગ થાય છે. ભૂખ ભાંગવા માટે તેને ધોઈ, સૂકવી અને ભારે મહેનતથી પીસીને મોટાભાગે ચોખા સાથે દલિયા બનાવીને ખાવામાં આવે છે. પણ તે દિવસે સંગ્રહ કરવામાં આવેલી ગોટલીઓ ઝેરી થઈ ગઈ હતી, જેના કારણે મહિલાઓ સહિત અનેક લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">તાત્કાલિક અનાજનું વિતરણ કરાયું પણ કાયમી ઉકેલ નહીં</span></strong><br><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સમગ્ર ઘટનામાં તપાસના આદેશ આપ્યા હતા અને કામચલાઉ રાહતના પગલા તરીકે અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્રણ મહિનાના ચોખાનું વિતરણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ, વિપક્ષી નેતાઓ, ખાસ કરીને બીજેડી અને કોંગ્રેસે, સરકાર તરફથી મોડેથી કાર્યવાહી કરવામાં આવી હોવાને લઈને ટીકા કરતા જણાવ્યું કે, પરિસ્થિતિ ગંભીર હોવા છતાં ન તો મુખ્યમંત્રીએ, ન તો કોઈ કેબિનેટ મંત્રીએ આ વિસ્તારની મુલાકાત લીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ, અસરગ્રસ્ત વિસ્તારમાં આદિવાસી પરિવારોને તાત્કાલિક અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ અન્ન સુરક્ષા અને આદિવાસી કલ્યાણના મોટા મુદ્દાઓ હજુ પણ વણઉકેલાયેલા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-leopard-was-left-behind-to-drive-tribals-out-of-the-forest">આદિવાસીઓને જંગલમાંથી ખદેડવા ત્યાં દીપડો છોડી દેવાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 30 Nov 2024 11:59:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1626</Articleid>
                    <excerpt>ભૂખમરાનો સામનો કરી રહેલી આદિવાસી પરિવારે કેરીના ગોટલામાંથી બનેલી વાનગી ખાધી હતી, જેની ઝેરી અસરને કારણે આખી ઘટના ઘટી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674ab09eeac48.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674ab09eb059f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674ab09eb059f.jpg" length="74041" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>3 tribal women die, 7 fall ill, Odisha, mandipanka village, Mohancharan Manjhi</media:keywords>
                </item>
                        <item>
                    <title>જય ભીમ બોલો! કચ્છના જડસા&amp;ખોડાસરમાં 102 એકર જમીન દલિતોને સોંપાઈ</title>
                    <link>https://khabarantar.com/say-jai-bhim-102-acres-of-land-in-kutchs-jadsa-khodasar-handed-over-to-dalits</link>
                    <guid>https://khabarantar.com/say-jai-bhim-102-acres-of-land-in-kutchs-jadsa-khodasar-handed-over-to-dalits</guid>
                    <description>
                        <![CDATA[ સામાજિક કાર્યકરોની અથાગ મહેનતને કારણે દલિતોને વર્ષો બાદ માથાભારે તત્વોએ પચાવી પાડેલી તેમની જમીનો પરત મળી રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છમાં માથાભારે તત્વો દ્વારા વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓ કે સ્થાનિક દલિતોને સરકારી ધોરણે કાયદેસર રીતે ફાળવવામાં આવેલી હજારો એકર જમીનો પડાવી લેવામાં આવી છે. અનેક સરકારો આવીને ગઈ પણ જાતિવાદી તત્વો આ જમીનોનો કબ્જો તેના અસલી માલિકો એવા દલિતોને સોંપતા નહોતા. દલિત સમાજના લોકો જો તેમના હકની આ જમીનોની માંગ કરવા જાય તો આ તત્વો નાગાઈ પર ઉતરી આવતા હતા. પણ હવે અનુસૂચિત જાતિ સમાજના સક્રિય આગેવાનોની મહેનતને કારણે ધીરેધીરે આ જમીનો તેના અસલી લાભાર્થીઓ એવા દલિત સમાજના લોકો અને મંડળીઓને મળી રહી છે. ગઈકાલે આ રીતે વધુ 2 ગામોમાં કુલ 102 એકર જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અનુસૂચિત જાતિ સમાજની સામુદાયિક મંડળીઓને કબ્જા પાવતી સાથે સોંપવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભચાઉના જડસા અને ખોડાસરમાં જમીન સોંપાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે કચ્છના ભચાઉ તાલુકાના જડસા અને ખોડાસર ગામમાં આવેલી ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળી લિ.ની જમીનો પૈકી જડસા ગામે કુલ 8 રે.સ.ન. મળીને 52 એકર ગુંઠા અને ખોડાસર ગામે કુલ 7 રે.સ.ન. મળીને 50 એકર ગુંઠા જમીન એમ બંને ગામની મળીને કુલ 102 એકર ગુંઠા જેટલી જમીન કચ્છ જિલ્લા કલેક્ટરની સૂચનાથી ભચાઉ પ્રાંત અધિકારીના માર્ગદર્શનમાં ભચાઉ મામલતદાર,  સર્કલ ઓફિસર, ડીઆઈએલઆર ભૂજના સર્વેયર, સ્થાનિક રેવન્યૂ તલાટી, ગ્રામ પંચાયત તલાટી સહિત પોલીસતંત્રની હાજરીમાં મંડળીના સભાસદોને જમીનની માપણી કરી, ચર્તુદિશા નક્કી કરીને સ્થળ પર જ પ્રત્યક્ષ સોંપવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">4-5 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં એક મહિનાથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી દલિતોની જમીનો તેમને પરત સોંપવાની કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આગામી 4-5 ડિસેમ્બર 2024 સુધીમાં ભચાઉ તાલુકાની તમામ અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની માલિકીની જમીનોનો સ્થળ પર જ પ્રત્યક્ષ કબ્જો સોંપી દેવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છમાં દલિત સમાજના લોકોને તેમના હકની આ જમીનો અપાવવામાં સામાજિક કાર્યકર અને મહેશ્વરી સમાજના આગેવાન નરેશભાઈ મહેશ્વર અને તેમની ટીમનો સિંહફાળો છે. તેઓ છેલ્લાં ઘણાં મહિનાઓથી આ મામલે રાતદિવસ જોયા વિના મહેનત કરી રહ્યાં છે અને તેનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ સમાજને તેમના હકની જમીન મળે તે જ લક્ષ્ય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખબરઅંતર.કોમ સાથે વાત કરતા નરેશભાઈ મહેશ્વરી જણાવે છે કે, અનુસૂચિત જાતિ સમાજની સામુદાયિક મંડળીઓને તેમના હકની જમીનો, જે માથાભારે તત્વોએ વર્ષોથી દબાવી રાખી છે, તે પરત મળે તે જ અમારું લક્ષ્ય છે. અમારી સતત રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીની સીધી સૂચના બાદ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ મામલો હાથમાં લીધો હતો. તેમના માર્ગદર્શનમાં જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ 13 નવેમ્બર 2024થી દલિત સમાજની મંડળીઓને તેમના હકની જમીનો કબ્જા સોંપવાની કામગીરી ચાલી રહી છે. કોઈપણ પ્રકારના વાદવિવાદ કે અનિચ્છનીય ઘટના ઘટ્યાં વિના આ જમીનોનો પ્રત્યક્ષ કબ્જો તેના અસલી માલિકો એવા દલિત સમાજને મળી રહ્યો છે. અમે સ્થળ પર જઈને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચતુર્થદિશા નક્કી કરીને તમામ જરૂરી કાર્યવાહી કર્યા બાદ સ્થળ પર જઈને જ મંડળીઓને જમીનનો કબ્જો મળે તેની કાળજી રાખીએ છીએ, જેથી પાછળથી કોઈ સમસ્યા ન સર્જાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામુદાયિક મંડળીના આગેવાનો, કાર્યકરો જોડાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભચાઉમાં જમીનના પ્રત્યક્ષ કબ્જાની આ કામગીરીમાં ભચાઉ મામલતદાર, ડીઆઈએલઆર ભૂજના સર્વેયર, નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર, રેવન્યૂ તલાટી, પંચાયત તલાટી સાથે પોલીસ તંત્ર પણ જોડાયું હતું. જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવાની આ કામગીરીમાં સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીનીસાથે નીલ વિંઝોડા, મંડળીના સભાસદો સુરેશ કાઠેચા, સુરેશભાઈ વાઘેલા, રમેશભાઈ દાફડા, રાહુલ ખાણીયા, વિશાલ પંડ્યા, ભરતભાઈ દાફડા, કિશન ચૌહાણ, સુમિતભાઈ દાફડા, હિમેશભાઈ કાઠેચા, સંજુ મહેશ્વરી સહિતના આગેવાનો જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નરેશભાઈ મહેશ્વરની મહેનત ફળી રહી છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કચ્છના સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી પક્ષાપક્ષીના રાજકારણમાં પડ્યાં વિના વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજ માટે જમીની લેવલે કામ કરી રહ્યાં છે. અગાઉ તેઓ આ જમીનોના મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાને પણ રજૂઆત કરી ચૂક્યા છે. હાલમાં એસસી-એસટી પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયરના મુદ્દે પણ તેમણે ખૂલીને વિરોધ કર્યો હતો. સામાન્ય રીતે સત્તાપક્ષ સાથે જોડાયેલી વ્યક્તિ પક્ષ સામે પડવાથી ડરતી હોય છે. પરંતુ નરેશ મહેશ્વરી કોઈની પણ પરવા કર્યા વિના માત્ર અનુસૂચિત જાતિ સમાજને વફાદાર રહીને કામ કરતા રહે છે. હાલ તેમણે કચ્છમાં દલિત સમાજની સામાજિક મંડળીઓની માથાભારે તત્વોએ વર્ષોથી દબાવી રાખેલી જમીનો પરત અપાવવાનું બીડું ઝડપ્યું છે અને તેમાં તેમને મહદઅંશે સફળતા મળી છે. નરેશભાઈ મહેશ્વરી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/direct-possession-of-147-acres-of-land-given-to-dalits-in-8-villages-of-kutch">કચ્છના 8 ગામોમાં દલિતોને 147 એકર જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપાયો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 30 Nov 2024 10:02:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1625</Articleid>
                    <excerpt>સામાજિક કાર્યકરોની અથાગ મહેનતને કારણે દલિતોને વર્ષો બાદ માથાભારે તત્વોએ પચાવી પાડેલી તેમની જમીનો પરત મળી રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674a947b0517d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674a947ac02b2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674a947ac02b2.jpg" length="150572" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>jadsa khodasar, Kutch News, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>બહુજન મહાનાયક બિરસા મુંડાના પ્રપૌત્ર મંગલ મુંડાનું નિધન</title>
                    <link>https://khabarantar.com/mangal-munda-great-grandson-of-bahujan-mahanayak-birsa-munda-passes-away</link>
                    <guid>https://khabarantar.com/mangal-munda-great-grandson-of-bahujan-mahanayak-birsa-munda-passes-away</guid>
                    <description>
                        <![CDATA[ રાંચીની રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે ગઈકાલે સવાલે 12.30 કલાકે અંતિમ શ્વાસ લીધાં. પીએમ મોદી, હેમંત સોરેન સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">mangal munda great grandson of  birsa munda passes away : બહુજન મહાનાયક અને ધરતી આબા તરીકે વિખ્યાત ભગવાન બિરસા મુંડા (Birsa Munda) ના પ્રપૌત્ર (great-grandson) મંગલ મુંડા (Mangal Munda) નું ગઈકાલે નિધન (passes away) થયું. તેમણે રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ખાતે સવારે ૧૨.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સમસ્ય આદિવાસી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) થી લઈને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Jharkhand CM Hemant Soren) સુધીના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને મુંડાના નિધનને ઝારખંડના આદિવાસી સમાજ માટે મોટી ખોટ ગણાવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી</span></strong></span><br><span style="font-size: 14pt;">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કહ્યું, ઠસ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાના પ્રપૌત્ર મંગલ મુંડાના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમનું અવસાન તેમના પરિવાર તેમજ ઝારખંડના આદિવાસી સમાજ માટે પુરી ન શકાય તેવી ખોટ છે. ભગવાન તેમના પરિવારને આ શોકની ઘડીમાં શક્તિ આપે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અકસ્માતની સારવાર બાદ હૃદય બંધ પડી ગયું</span></strong></span><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, મંગલ મુંડાનું શુક્રવારે હૃદય બંધ પડી જવાને કારણે નિધન થયું હતું. તેઓ ફક્ત ૪૫ વર્ષના હતા. રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ખાતે સવારે ૧૨.૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. ઝારખંડના ખુંટી જિલ્લામાં ૨૫ નવેમ્બરે તેમને પેસેન્જર વાહનની છત પરથી પડી જવાથી માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ મંગલ મુંડા ટાટા મેજિક મીની ટ્રકના પાછળના ભાગ પર સવાર થઈને તેમના ગામ ઉલિહાટુ જઈ રહ્યા હતાં, ત્યારે વાહન કાબુ બહાર જઈને પલટી ગયું હતું. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ખુંટીમાં પ્રાથમિક સારવાર માટે તેમને રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS) માં રિફર કરવામાં આવ્યા હતાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને શ્રદ્ધાંજલિ પાઠવી</span></strong></span><br><span style="font-size: 14pt;">ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાજ્યપાલ સંતોષ ગંગવારે પણ મંગલ મુંડાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સીએમએ કહ્યું, 'મંગલ મુંડાના નિધનના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. રિમ્સમાં તેની સારવાર ચાલી રહી હતી. મરાંગ બુરુ (સર્વોચ્ચ આદિવાસી દેવતા) દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ મુશ્કેલ સમયને સહન કરવાની શક્તિ આપે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યપાલ સંતોષ ગંગવારે ટિ્‌વટર પર કહ્યું, 'ભગવાન બિરસા મુંડાના વંશજ મંગલ મુંડાના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન શોકાતુર પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રિમ્સના સુપરિટેન્ડન્ટે શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">રિમ્સના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. હિરેન બિરુઆએ જણાવ્યું હતું કે, "બિરસા મુંડાના પ્રપૌત્ર મંગલ મુંડાનું રાત્રે ગઈકાલે લગભગ ૧૨.૩૦ વાગ્યે હૃદય બંધ થવાને કારણે મૃત્યુ થયું હતું. ગંભીર રીતે ઘાયલ મંગલ મુંડાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અમે તેમને બચાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ નિષ્ફળ ગયા. મંગલ મુંડાને મંગળવારે ખુંટી સદર હોસ્પિટલમાંથી રિમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા. રિમ્સના ડોકટરોના જણાવ્યા મુજબ, તેમને મગજમાં ગંભીર ઈજા થઈ હતી અને મગજની બંને બાજુ લોહીના ગંઠાવાનું શરૂ થઈ ગયું હતું. મંગળવારે, રિમ્સના ન્યુરોસર્જરી વિભાગના વડા ડો. આનંદ પ્રકાશના નેતૃત્વમાં તેમની સર્જરી કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્યાલય, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા અને ઝારખંડના મુખ્ય પ્રધાન કાર્યાલય મંગલ મુંડાની સારવાર અંગે રિમ્સના અધિકારીઓના સંપર્કમાં હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઝારખંડના નિર્માણમાં બિરસા મુંડાનું મોટું યોગદાન</span></strong></span><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, હાલના ઝારખંડમાં ૧૮૭૫માં જન્મેલા આદિવાસી મહાનાયક બિરસા મુંડાએ બ્રિટિશ શાસનને પડકાર્યું હતું. બ્રિટિશ સામ્રાજ્ય સામે આદિવાસીઓને સંગઠિત કરવાનો શ્રેય આપવામાં આવે છે. ૨૫ વર્ષની વયે બ્રિટિશ કસ્ટડીમાં તેમનું અવસાન થયું. ઝારખંડની રચના ૧૫ નવેમ્બરે થઈ હતી. આદિવાસી પ્રતીક 'ધરતી આબા' (પૃથ્વીના પિતા) ની જન્મજયંતિ ૧૫ નવેમ્બરે ઉજવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rajbha-gadhvi-creates-uproar-calling-dang-tribals-robbers">રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને 'લૂંટારા' ગણાવતા હોબાળો મચ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 30 Nov 2024 08:25:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1624</Articleid>
                    <excerpt>રાંચીની રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે ગઈકાલે સવાલે 12.30 કલાકે અંતિમ શ્વાસ લીધાં. પીએમ મોદી, હેમંત સોરેન સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674a7e960f86b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674a7e95d4aff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674a7e95d4aff.jpg" length="70188" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>mangal munda, great grandson of birsa munda, passes away, bahujan mahanayak, hemant soren, PM Modi</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગિરનાર બાદ હવે કાંકરેજના જાગીર મઠના મહંતનો વિવાદ શરૂ</title>
                    <link>https://khabarantar.com/after-girnar-now-the-controversy-over-the-mahant-of-kankrejs-jagir-math-has-begun</link>
                    <guid>https://khabarantar.com/after-girnar-now-the-controversy-over-the-mahant-of-kankrejs-jagir-math-has-begun</guid>
                    <description>
                        <![CDATA[ જાગીર મઠના મહંતનું અવસાન થયા બાદ નવા મહંત કોણ તેનો વિવાદ એટલો વધી ગયો છે કે કેટલાય દિવસોથી મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાતા સાધુ-સંતો લોકોને ભલેને ત્યાગ અને સમર્પણની સલાહો આપતા હોય, પણ વાત જ્યારે તેમના ખુદના ધન સંપત્તિ છોડવાની આવે ત્યારે તેમનામાં રહેલું સામાન્ય માણસનું તત્વ પ્રગટ થાય છે. જૂનાગઢના ગિરનારમાં અંબાજી મંદિરના મહંત પદને લઈને ઘણાં દિવસોથી અખાડાના સાધુઓ સામસામે આક્ષેપો કરી રહ્યાં છે અને રાજકારણીઓને પણ શરમાવે તેવું રાજકારણ રમી રહ્યાં છે. અગાઉ અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમની માલિકીને લઈને પણ બે સાધુઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જેમાં એક સાધુએ બાઉન્સરો સાથે આશ્રમ પર કબ્જો જમાવ્યો હતો. ભારતી આશ્રમ અને જૂનાગઢના મહંતનો વિવાદ હજુ ભૂલાયો પણ નથી ત્યાં હવે વધુ એક આશ્રમમાં મહંતની નિમણૂકને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. અહીં સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે છેલ્લાં કેટલાય દિવસથી આખો મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાંકરેજના થળી જાગીર મઠનો મામલો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠનો છે. અહીં મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઇ વિવાદ છેડાયો છે. વિવાદ એટલો વકર્યો છે કે છેલ્લાં કેટલાય દિવસથી આખો મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરૂ ગાદી સોપાઈ. તો બીજી તરફ થળી મઠ નજીક આવેલા ગામોના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઓઢાડાતા વિવાદ વકર્યો છે. જો કે મહંતના વિવાદમાં સપડાયેલી આ થળી ખાતે કાયદો વ્યવસ્થા ન કથળે તેને લઈને પોલીસ ખડકી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં બનાસ નદી નજીક આવેલો થળી જાગીર મઠ એ વર્ષો જૂની ધાર્મિક જગ્યા છે અને સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ જાગીર મઠમાં અત્યાર સુધી ૧૩ જેટલાં મહંત ગુરૂગાદીએ બિરાજી ચૂક્યા છે. જો કે તાજેતરમાં મહંત જગદીશપુરી કે જે છેલ્લાં કેટલાય સમયથી આ મઠનો કારભાર સંભાળતા તેઓ ૧૯ નવેમ્બરે હાર્ટએટેકના કારણે તેઓ દેવલોક પામ્યા હતા. મહંત દેવલોક પામ્યા બાદ તેમના દેહને મઠની જગ્યામાં જ સમાધિ અર્પણ કરાઈ હતી. એ પછી ગુરૂગાદી દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ અને થરા સ્ટેટના આગેવાનો દ્વારા થળી જાગીર મઠના મહંત તરીકે મહંત શંકરપુરીને ચાદર ઓઢાડીને ગુરૂગાદી સોપાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ આ મઠની આસપાસના ગામોના લોકો દ્વારા દેવ દરબાર અને થરા સ્ટેટ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો વિરોધ કરાયો અને ૨૨ નવેમ્બર આસપાસના ગામોના હજારો લોકોએ થળી જાગીર મઠ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું તું. એ દરમ્યાન સ્થાનિકો દ્વારા મઠ બહાર જ મહંત કાર્તિકપુરીને થળી જાગીર મઠના મહંત તરીકે સ્થાપિત કરવા નિર્ણય લેવાયો હતો અને તેમને ચાદર ઓઢાડી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમર્થકોનો રોષ જોતા પોલીસ ખડકી દેવી પડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ સમગ્ર મામલામાં શંકપુરી અને કાર્તિકપુરીના સમર્થકો મહંતપદને લઈને સામસામે આવી ગયા છે અને કોઈપણ ભોગે મહંતપદું મેળવવા તત્પર છે. સ્થિતિની ગંભીરતા પારખીને જાગીર મઠ ખાતે કાયદો વ્યવસ્થા કથળે નહીં તે માટે બનાસકાંઠા એસપી સહિત પોલીસ કાફલો ખડકી દેવાયો છે અને બંને પક્ષોને પોલીસ દ્વારા સમજાવવા પ્રયાસ કરાયા છે. પરંતુ એક પણ પક્ષ કોઈ વાતે ન સમજતા આખરે બનાસકાંઠા એસપી દ્વારા થળી જાગીર મઠ ખાતે એસઆરપીની ટુકડી ઉતારી જાગીર મઠને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. મહંત કાર્તિકપુરીના સમર્થનમાં ઉમટેલા લોકોએ આક્ષેપ કર્યા કે મહંત શંકરપુરીને ખોટી રીતે ગાદીએ બેસાડવામાં આવ્યા છે. તો કેટલાક લોકોએ તો મઠની તિજોરીના તાળા તૂટી ગયા હોવાના પણ આક્ષેપો કરી દીધા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કથિત સાધુ-સંતોનો દંભ ખૂલ્લો પડ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં પરિણામ જેની પણ તરફેણમાં આવે તેનાથી કોઈ ફરક નથી પડતો. પરંતુ આખા મામલામાંથી એટલો બોધ ચોક્કસ મળે છે કે કહેવાતા સાધુ-સંતો જ્યારે તેમની ગાદીઓનો ત્યાગ કરવાનો વખત આવે ત્યારે સામાન્ય સમજણ પણ વિસરી જાય છે. જે લોકો ખુદ ભોગવિલાસનો ત્યાગ નથી કરી શકતા તેઓ એક સામાન્ય માણસ, જેણે હજુ દુનિયાના રંગો પુરા જોયા પણ નથી તેને ત્યાગ કરવાની સલાહ આપે ત્યારે દંભની પરાકાષ્ઠા આવ્યા વિના રહેતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/fifty-crore-bharati-ashram-bapu-took-over-with-bouncers">50 કરોડના ભારતી આશ્રમ પર બાપુએ બાઉન્સરો સાથે કબ્જો મેળવ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 29 Nov 2024 21:00:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1623</Articleid>
                    <excerpt>જાગીર મઠના મહંતનું અવસાન થયા બાદ નવા મહંત કોણ તેનો વિવાદ એટલો વધી ગયો છે કે કેટલાય દિવસોથી મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6749dcad23e78.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6749dcace48c9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6749dcace48c9.jpg" length="95246" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kankarej, Jagir Math, Banaskantha</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત મહિલા પરિષદને 5 વર્ષ પૂર્ણ થવા પર વાર્ષિક અધિવેશન યોજાયું</title>
                    <link>https://khabarantar.com/gujarat-mahila-parishad-held-its-annual-convention-on-completion-of-5-years</link>
                    <guid>https://khabarantar.com/gujarat-mahila-parishad-held-its-annual-convention-on-completion-of-5-years</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં વંચિત સમાજની મહિલાઓ માટે જમીની લેવલ પર કામ કરતા આ સંગઠને આપબળે આગવી ઓળખ ઉભી કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં દલિત આદિવાસી અને ઓબીસી તથા લઘુમતી સમાજની મહિલાઓ માટે કામ કરતા સંગઠનો અનેક છે. એમાં કેટલાક તો એવા પણ છે જેના કર્તાહર્તા સવર્ણ પુરુષો છે અને એનજીઓ માફિયા તરીકે કુખ્યાત થઈ ચૂક્યા છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદમાં આજથી પાંચ વર્ષ પહેલા વંચિત સમાજમાંથી આવતી મહિલાઓએ મળીને ગુજરાત મહિલા પરિષદની સ્થાપના કરી હતી. આજે આ સંગઠનની મહિલાઓ વંચિત સમાજની મહિલાઓ માટે જમીની લેવલે કામ કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ થઈ છે. હાલમાં આ પરિષદને પાંચ વર્ષ પૂણ થયા છે અને તેનું વાર્ષિક અધિવેશન અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં યોજાઈ ગયું. જેમાં ગુજરાતભરમાંથી પરિષદની બહેનોને ઉપસ્થિત થઈ પોતાના કામકાજની પ્રગતિનો હિસાબ-કિતાબ મેળવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્ષ 2019માં શરૂઆત થઈ હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત મહિલા પરિષદ સ્થાપના 2019 માં કરવામાં આવી હતી. શરૂઆતના બે વર્ષોમાં કોરોના કાળ દરમિયાન મહિલાઓ તથા અન્ય ગરીબ/વંચિત સમુદાયના લોકોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. એ સમયે અત્યાચારનો સિલસિલો ચાલુ રહ્યો, મહિલાઓ સાથે ઘરેલું હિંસા, જાતીય હિંસાનાં અને ખાસ કરીને આશિફા અને અંજલી જેવી નાની બાળકીઓ સાથે બળાત્કાર અને હત્યાઓ કરવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6749a73038aff.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ મામલે મહિલા પરિષદ દ્વારા આવેદનપત્ર આપી, રેલી અને ધરણા યોજી લડત આપવામાં આવી હતી. ગુજરાત મહિલા પરિષદની પહેલી કાર્યશાળા અમરાઈવાડી ખાતે રાખવામાં આવી હતી અને બીજી કાર્યશાળા માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર સેન્ટ ઝેવિયર્સ કોલેજ કેમ્પસ ખાતે રાખવામાં આવી હતી. એ સિવાય અમદાવાદનાં અલગ અલગ વિસ્તારોમાં મહિલા જાગૃતિ મીટિંગો, શિબિરો, વર્કશોપ યોજવામાં આવ્યાં હતાં. અમરાઈવાડી અને બાપુનગરમાં મ્યુનિસિપલ સ્કૂલો તથા પ્રાઇવેટ સ્કૂલોમાં ધોરણ 6 થી 8 ની બાળાઓને પોક્સોની તાલીમ આપવામાં આવી હતી. સાથે સંગઠન દ્વારા 8 માર્ચ, માનવ અધિકાર દિવસ તથા મહાપુરૂષોની જન્મજયંતિ અને સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>હાલમાં જ મહિલા પરિષદને 5 વર્ષ પૂર્ણ થયા છે</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં પરિષદનાં પાંચ વર્ષ પૂરા થતાં છે. એ નિમિત્તે તારીખ 10/11/24 નાં રોજ મહિલા અધિવેશન રાખવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ જિલ્લાના (શહેર, ગ્રામ્ય) નાં મહિલા આગેવાન, કર્મશીલો, મહિલા સંસ્થા/ સંગઠનો સાથે 126 લોકોએ ભાગ લીધો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6749a7570badf.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંપ્રત સમયમાં આખાં ગુજરાતમાં મહિલાઓ સાથે અને નાની બાળકીઓ સાથે જાતિય હિંસાનાં બનાવો ખૂબજ વધી રહ્યા છે ત્યારે સૌ સાથે મળીને, સંકલન કરીને કામ કરવું  જોઈએ તેવા સંકલ્પ સાથે જરાત મહિલા પરિષદના ગામી આયોજનો વિશે આ અધિવેશનમાં ચર્ચા કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાત મહિલા પરિષદ સાથે કોણ કોણ સંકળાયેલું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગુજરાત મહિલા પરિષદ સાથે મંજુલા, પ્રદિપ, ડો. મિતાલી સમોવા, મધુબહેન કોરડિયા, ઉષાબહેન પરમાર, એડવોકેટ રત્નાબહેન વોરા જેવા બહુજન સમાજની અનેક પ્રતિભાશાળી અને હિંમતવાન મહિલાઓ સંકળાયેલી છે. આ તમામ મહિલાઓ કોઈ ઓળખાણની મહોતાજ નથી અને એટલે જ આ પરિષદ પાસેથી બહુજન સમાજને બહુ મોટી અપેક્ષા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-fifth-conference-of-gujarati-dalit-sahitya-pratishthan-was-held">ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું પાંચમું અધિવેશન યોજાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 29 Nov 2024 17:10:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1622</Articleid>
                    <excerpt>ગુજરાતમાં વંચિત સમાજની મહિલાઓ માટે જમીની લેવલ પર કામ કરતા આ સંગઠને આપબળે આગવી ઓળખ ઉભી કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6749a7102b47b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6749a70fe9824.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6749a70fe9824.jpg" length="85473" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarat Mahila Parishad, Annual Session</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીની અસલિયત</title>
                    <link>https://khabarantar.com/the-reality-of-internal-democracy-in-political-parties</link>
                    <guid>https://khabarantar.com/the-reality-of-internal-democracy-in-political-parties</guid>
                    <description>
                        <![CDATA[ ભારતમાં રાજકીય પક્ષો ચૂંટણી ટાણે લોકશાહીની દુહાઈ દેતા હોય છે. પરંતુ તેમના ખુદના પક્ષમાં આંતરિક લોકશાહીની વાસ્તવિકતા શું છે? વાંચો વરિષ્ઠ પત્રકાર-રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયાનો આ લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>ચંદુ મહેરિયા</strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જુલાઈ, ૨૦૨૨માં આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને વાય. એસ. આર. કોંગ્રેસ (યુવજન શ્રમિક રાયથ કોંગ્રેસ)ના આજીવન પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યા હતા. આ બાબત લોકશાહીને હાનિકારક છે એમ કહીને ઈલેકશન કમિશને નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ બાળાસાહેબ ઠાકરેની શિવસેના અને માયાવતીની બહુજન સમાજ પાર્ટીને પણ ચૂંટણી પંચે પક્ષના સંગઠનની વરસોથી કોઈ ચૂંટણીઓ ના યોજવા બદલ ટપારી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યોના મુખ્ય મંત્રીઓની પસંદગી ચૂંટાયેલા ધારાસભ્યોના મતદાનથી કરવાને બદલે પક્ષનું મોવડી મંડળ(ખરેખર તો વડાપ્રધાન કે સર્વોચ્ચ નેતા)  કરે તે આંતરિક લોકશાહીના અભાવનું અને લોકતંત્ર વિરોધી પગલું  છે. તાજેતરમાં જમ્મુ કશ્મીર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થતાં હતાં અને તેમાં નેશનલ કોન્ફરન્સને બહુમતી મળવાની શક્યતા જોતાં જ ફારુક અબ્દુલ્લાએ ઓમર અબ્દુલા મુખ્ય મંત્રી બનશે તેમ જાહેર કરી દીધું હતું. હિમાચલપ્રદેશમાં કોંગ્રેસના સુખ્ખુની સી.એમ તરીકે પસંદગી પ્રિયંકા ગાંધીની હોવાનું કહેવાય છે. તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી તરીકે નવા જ નેતાઓની પસંદગી વડાપ્રધાન અને ગૃહપ્રધાને કરી હોવાનું સ્પષ્ટ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશના બે મોટા રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ મુખ્યમંત્રીની પસંદગી આંતરિક લોકતંત્રથી થયાનો દેખાડો જરૂર કરે છે. કેન્દ્રિય નિરીક્ષકો રાજ્યમાં જાય છે, ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિપ્રાય જાણે છે પરંતુ ધારાસભ્યોની બેઠકમાં પક્ષના હાઈ કમાન્ડને નેતા નક્કી કરવા સત્તા આપતો એક લીટીનો ઠરાવ કરવામાં આવે છે. તેથી લોકશાહીના નામે થતી રમત જણાઈ આવે છે. પ્રાદેશિક પક્ષોમાં તો નામની ય આંતરિક લોકશાહી જોવા મળતી નથી અને રાષ્ટ્રીય પક્ષો લોકતંત્રના નામે દેખાડો કરે છે. ભારતના ડાબેરી પક્ષોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષમાં આંતરિક લોકતંત્ર જોવા મળે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/is-our-caste-society-changing-stable-or-regressing">આપણો જ્ઞાતિસમાજ બદલાઈ રહ્યો છે, સ્થિર છે કે પાછા પગલાં ભરી રહ્યો છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીનો મતલબ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, પક્ષમાં અને સરકારમાં નેતૃત્વની પસંદગી, સરકાર અને સંગઠન સંબંધી નિર્ણય કરવાની પ્રક્રિયા, નીતિ નિર્માણ અને પક્ષના નેતૃત્વનું સભ્યો પ્રત્યેનું ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરવામાં પક્ષના તમામ કે પ્રતિનિધિરૂપ સભ્યોની સક્રિય સામેલગીરી હોવી તે છે. પરંતુ આ પ્રકારનું કોઈ આંતરિક લોકતંત્ર ભારતના રાજકીય પક્ષોમાં જોવા મળતું નથી.વળી આવું લોકતંત્ર ન હોય તો કોઈ પગલાં લઈ શકાતા નથી. કેમ કે તે માટેની કોઈ કાયદાકીય જોગવાઈ જ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતનું ચૂંટણી પંચ રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેને માન્યતા આપે છે. રાજકીય પક્ષો ઈલેકશન કમિશન સમક્ષ રજિસ્ટ્રેશન માટે અરજી કરે ત્યારે તેમાં જણાવવું પડે છે કે પક્ષ દર પાંચ વરસે તેના હોદ્દેદારોની સ્વતંત્ર, પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવશે. પક્ષના એક તૃતીયાંશથી વધુ હોદ્દા પર વગર ચૂંટણીએ વરણી કરાશે નહીં. પરંતુ હકીકતમાં આ બાંહેધરીનો ભાગ્યે જ અમલ થાય છે. પંચ રાજકીય પક્ષોને દર પાંચ વરસે સંગઠનની ચૂંટણી કરાવવા અને નેતૃત્વ પરિવર્તન કરવા યાદ કરાવતું રહે છે. પરંતુ પંચની આ વિનંતી પક્ષોને કાનૂની રીતે બાધ્યકારી નથી હોતી અને નૈતિકતા અને રાજકીય પક્ષોને તો કોઈ સંબંધ હોતો નથી. એટલે અમલના નામે મીંડુ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વના કેટલાક લોકશાહી દેશોના રાજકીય પક્ષોમાં પ્રવર્તતી આંતરિક લોકશાહીની સ્થિતિ જાણવા જેવી છે. યુનાઈટેડ કિંગડમ (યુ.કે.)માં રાજકીય પક્ષોના સભ્યોની ભાગીદારી પક્ષના તમામ સ્તરે હોય છે. યુ.કેની રૂઢિવાદી પાર્ટી( કન્જર્વેટિવ પાર્ટી) એ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે પ્રાથમિક ચૂંટણી શરૂ કરી છે. તે પ્રમાણે ઉમેદવારોની સૂચિ અંતિમ નિર્ણય માટે સ્થાનિક એકમોને મોકલવામાં આવે છે. અમેરિકામાં રાજકીય પ્રતિનિધિત્વના બધા જ સ્તરે ઉમેદવારોને હરીફાઈની તક મળે છે. જર્મનીના બંધારણમાં જ રાજકીય પક્ષોના કામકાજને નિયંત્રિત કરવાની જોગવાઈ છે. તેને અનુસરીને કાયદો પણ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/gandhiji-representative-personality-of-kind-hearted-golden-mentality-towards-dalits">ગાંધીજીઃદલિતો પ્રત્યે 'કૃપાળુ-માયાળુ' સવર્ણ માનસિકતાનું પ્રતિનિધિ વ્યક્તિત્વ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાય છે કે લોકતંત્ર ભારતની સંસ્કૃતિ છે. ભારતીયોના સંસ્કારોમાં લોકશાહી અંતર્નિર્હિત છે. લોકશાહી તો ભારતનો વારસો છે. જો તેને સત્ય ઠેરવવું હોય તો દેશના સમગ્ર લોકતાંત્રિક તાણાવાણા માટે પોલિટિકલ પાર્ટીઓમાં આંતરિક લોકતંત્ર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકતાંત્રિક  સંસ્કૃતિના પોષણ અને લોકતાંત્રિક મૂલ્યોના જતન  માટે પાર્ટીઓની ભીતર લોકશાહી આવશ્યક જ નહીં અનિર્વાય છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી આંતરિક લોકશાહીથી પારદર્શી પ્રક્રિયા દ્વારા કરવાના અભાવે  અસંતોષ વધે છે અને પક્ષપલટા થાય છે. નેતૃત્વ પ્રત્યેની વફાદારી અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગીનો માપદંડ રાજકીય પક્ષોમાં નવા નેતૃત્વને ઉભરવા દેતું નથી. વળી પક્ષને બદલે નેતા પ્રત્યેની વફાદારીથી પણ પક્ષ નબળો પડે છે. પૂર્વે સંસ્થા કોંગ્રેસ કે નજીકના ભૂતકાળમાં તૃણમૂલ કોંગ્રેસ, એન. સી. પી અને વાય. એસ. આર. કોંગ્રેસની રચના પાર્ટીની ભીતર સંવાદના અભાવે અને નેતાઓની મહત્વાકાંક્ષાઓને કારણે જ સર્જાઈ હતી. ભીતરી લોકતંત્રના અભાવે જ પક્ષોમાં જૂથવાદ વકરે છે. આજીવન અધ્યક્ષ કે આજીવન  અધ્યક્ષના જેવું વરસોથી પક્ષનું નેતૃત્વ કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય તે વાસ્તવિકતા રાજકીય પક્ષોની અંદર નેતૃત્વમાં પરિવર્તન અને નિષ્પક્ષ પ્રતિનિધિત્વના બુનિયાદી ખ્યાલનો છેદ ઉડાડે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસે આંતરિક લોકતંત્રના પ્રદર્શન માટે પક્ષ પ્રમુખની ચૂંટણી કરી હતી અને મલ્લિકાર્જુન ખડગે સામે શશિ થરૂરે ઉમેદવારી કરી હતી. પરંતુ પાર્ટીના અન્ય હોદ્દેદારોની ચૂંટણી થઈ હતી ખરી? પાર્ટીઓ ઉપપ્રમુખ, મહામંત્રી અને ખજાનચીના પદો તો કેટલાક લોકો માટે કાયમ અનામત રાખે છે. વ્યક્તિગત નેતાના કરિશ્મા પરથી તેની નેતૃત્વ માટે પસંદગી લોકતંત્ર માટે ઘાતક પણ બની શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/lateral-entry-is-not-panacea-for-administrative-problems">વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી નથી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીને જ નહીં સમગ્ર પ્રધાન મંડળને રૂખસદ આપી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભૂપેન્દ્ર પટેલને સી.એમ પદે નિયુક્ત કર્યા હતા. શું આ નિર્ણય પક્ષના ધારાસભ્યોનો હતો કે પક્ષના શીર્ષ નેતૃત્વનો? આંતરિક લોકશાહીના અભાવે  આવા મોટા નિર્ણયો ધારાસભ્યોની નારાજગી વહોરીને લેવામાં આવે છે. દિલ્હી નિમ્યા દંડનાયકોની પરંપરા હજુ ય યથાવત છે અને તેને પડકાર અપવાદરૂપ બીના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૭૩માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પછી વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સી.એમ તરીકે પસંદ કાંતિલાલ ઘીયા હતા. પરંતુ ઈન્દિરાઈના દિલ્હી નિમ્યા દંડનાયકને ચીમનભાઈ પટેલે પડકારતા પક્ષને ધારાસભ્યોના ગુપ્ત મતદાનથી પસંદગી કરવાની ફરજ પડી હતી. તેમાં ઈન્દિરાજીના ઉમેદવારને હરાવી ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે પસંદ થયા હતા. પરંતુ આ પ્રકારના અપવાદો કેટલા ?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈલેકશન કમિશનને જો રાજકીય પક્ષોના રજિસ્ટ્રેશન અને માન્યતાની સત્તા હોય તો આંતરિક લોકશાહીના મુદ્દે તેને માન્યતા રદ કરવાની સત્તા મળવી જોઈએ. આ માટે કાયદામાં સુધારો કે નવો કાયદો ઘડાવો જોઈએ. રાજકીય પક્ષો આ પ્રકારના કાયદા કે ચૂંટણી સુધારા માટે સ્વાભાવિક રીતે જ રાજી નથી. એટલે ભારતના મતદારોએ જ રાજકીય પક્ષોમાં રહેલા આંતરિક લોકતંત્રના આધારે રાજકીય પક્ષની સત્તા માટે પસંદગી કરવી જોઈએ. લોકોનું દબાણ કદાચ રાજકીય પક્ષોને આ દિશામાં વિચારવા મજબૂર કરશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a><span style="color: rgb(224, 62, 45);"> </span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><em><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/being-the-tenth-topper-of-prachi-nigam-in-the-beauty-filled-society">સુંદરતા ઘેલા સમાજમાં પ્રાચી નિગમનું દસમી ટોપર થવું...</a></strong></span><br><span style="font-size: 14pt;">  </span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 29 Nov 2024 13:53:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1621</Articleid>
                    <excerpt>ભારતમાં રાજકીય પક્ષો ચૂંટણી ટાણે લોકશાહીની દુહાઈ દેતા હોય છે. પરંતુ તેમના ખુદના પક્ષમાં આંતરિક લોકશાહીની વાસ્તવિકતા શું છે? વાંચો વરિષ્ઠ પત્રકાર-રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયાનો આ લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67497774dfe45.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67497774a943f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67497774a943f.jpg" length="114520" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Political Parties, Internal Democracy, Reality, BJP, Congress, Shiv Sena, NCP, Left Parties, BSP</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહારાષ્ટ્રની ચૂંટણીમાં 5,04,313 &amp;apos;વધારાના&amp;apos; મતોનો હિસાબ કોણ આપશે?</title>
                    <link>https://khabarantar.com/who-will-account-for-the-504313-extra-votes-in-the-maharashtra-elections</link>
                    <guid>https://khabarantar.com/who-will-account-for-the-504313-extra-votes-in-the-maharashtra-elections</guid>
                    <description>
                        <![CDATA[ EVM નો મુદ્દો ફરી ચગ્યો છે ત્યારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદારોના ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે મતોની ગણતરી અને પડેલા મતો વચ્ચે મોટો તફાવત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રની ચૂંટણીમાં આવેલા પરિણામો બાદ કોંગ્રેસે ફરી એકવાર ઈવીએમનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈવીએમના વિરોધમાં સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રા જેવી જ ઈવીએમ છોડો યાત્રા કાઢવાની વાત કરી છે. ઈવીએમનો મુદ્દો પહેલેથી જ શંકાસ્પદ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં 5 લાખ જેટલા મતો વધુ પડ્યાં હોવાનું એક વિશ્લેષણમાં સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના મતદારોના ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે મતોની ગણતરી અને પડેલા મતો વચ્ચે મોટો તફાવત છે. કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) અનુસાર, અંતિમ મતદાન 66.05% હતું, જેમાં કુલ 64,088,195 મતદારોએ મત આપ્યા હતા. પરંતુ ગણતરી કરાયેલા કુલ મતોમાં 64,592,508 નો ઉમેરો થાય છે, જે કુલ પડેલા મતો કરતાં 504,313 વધુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">8 વિધાનસભા સીટો પર ગણતરી કરાયેલા મતોની સંખ્યા મતદાન કરતા ઓછી નીકળી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">5,04,313 નો આ તફાવત સમગ્ર રાજ્યમાં ગણવામાં આવેલા વધારાના મત દર્શાવે છે. જ્યારે આઠ વિધાનસભા મતવિસ્તારમાં ગણતરી કરાયેલા મતોની સંખ્યા મતદાન કરતાં ઓછી હતી, જ્યારે બાકીના 280 મતવિસ્તારમાં ગમવામાં આવેલા મત નાખવામાં આવેલા મતથી વધુ હતા. સૌથી મોટી વિસંગતતા અષ્ટી મતવિસ્તારમાં જોવા મળી હતી, જ્યાં મતદાન કરતાં 4,538 વધુ મત ગણવામાં આવ્યા હતા. મતલબ જેટલા મત પડ્યા નહોતા તેનાથી વધુ મત ગણવામાં આવ્યા. ઉસ્માનાબાદ મતવિસ્તારમાં પણ તફાવત 4,155 મતોનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિધાનસભા ચૂંટણીની આ ગેરરીતિઓ મે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન મતદાર મતદાનના ડેટા અને ફોર્મ 17C સંબંધિત ચિંતાઓની યાદ અપાવે છે. વાસ્તવમાં, ફોર્મ 17C દરેક મતદાન મથક પર પડેલા મતોની સંખ્યા રેકોર્ડ કરે છે. ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ દરેક મતદાન તબક્કાના 48 કલાકની અંદર મતદાન મથક મુજબ મતદાર મતદાનનો ડેટા જાહેર કરવા જણાવ્યું હતું, જેમાં પ્રારંભિક અને અંતિમ મતદાનના આંકડાઓ વચ્ચે 5-6% ની વિસંગતતા હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની દલીલોને ટાંકીને આ વિનંતીને ફગાવી દીધી હતી કે આ પ્રકારનો ખુલાસાથી તાર્કિક સમસ્યાઓ પેદા થઈ શકે છે, ડેટાના દુરુપયોગ અંગે ચિંતા વધી શકે છે અને તેમાં સ્પષ્ટ કાયદાકીય આધારનો અભાવ છે. ECIએ જણાવ્યું હતું કે ફોર્મ 17C ડેટા ઉમેદવારોના એજન્ટોને આપવામાં આવે છે, પરંતુ તે જાહેર પ્રચાર માટે નથી. પરંતુ 10 વર્ષ પહેલા આ ફોર્મ 17Cનો ડેટા સાર્વજનિક કરવામાં આવ્યો હતો. આના પર ક્યારેય કોઈ પ્રતિબંધ નહોતો. ચૂંટણી પંચ તેના ભૂતકાળના રેકોર્ડ કેમ તપાસતું નથી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીએ ચૂંટણી પ્રક્રિયામાં ડેટાની પારદર્શિતા પર નવા પ્રશ્નો ઉભા કર્યા છે. ચૂંટણી પંચે ભૂતકાળની વિસંગતતાઓ માટે ડેટા અપડેટ કરવાની અને એકત્ર કરવાની પ્રક્રિયાને જવાબદાર ઠેરવી છે. જાહેરમાં ઉપલબ્ધ વિસ્તૃત મતદાન કેન્દ્ર ડેટાનું ન હોવું, જેમ કે ફોર્મ 17સી સંબંધમાં એડીઆરની અગાઉની અરજીમાં દર્શાવવામાં આવ્યું હતું, એ જ સ્થિતિ આજે પણ છે. ફોર્મ 17સી દ્વારા ન મળનારો ડેટા અને તેની ખરાઈના અભાવમાં સમગ્ર પ્રક્રિયા પડકારરૂપ બની ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં, હાલની વિસંગતતાઓ ચૂંટણી પરિણામો પર તેમની સંભવિત અસર વિશે પ્રશ્નો ઉભા કરે છે. ખાસ કરીને જ્યાં ઓછા મતોથી જીત અને હાર થઈ છે. આવા વિધાનસભા મતવિસ્તારોમાં આ આંકડાઓ પડેલા અને ગણેલા મતોમાં તફાવતની કોઈપણ પેટર્નને જાહેર નથી કરતી. પરંતુ અમુક સો કે હજાર મતોનો તફાવત નિર્ણાયક બની શકે છે અને હકીકત એ છે કે આવી વિસંગતતાઓ ઘણા મતવિસ્તારોમાં બહાર આવી છે. આવી સ્થિતિમાં, પરિણામો કેવી રીતે વિશ્વસનીય હોઈ શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવાપુરનું ઉદાહરણ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી પંચના ડેટા અનુસાર, નવાપુર (અનુસૂચિત જનજાતિ) વિધાનસભા મતવિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા 2,95,786 છે અને મતદાન 81.15% થયું હતું. મતલબ કે 20 નવેમ્બરે 2,40,022 વોટ પડ્યા હતા. જો કે, કમિશન દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર, કુલ 2,41,193 મતોની ગણતરી કરવામાં આવી હતી, જે મતદાન કરતાં 1,171 મત વધુ છે. હવે જુઓ - અહીં જીતનું માર્જિન 1,122 જેવા નજીવા મતોનું હતું. એટલે 1171 મત જે વધારે હતા, અને હારજીતનું અંતર 1122 મતોનું છે, તો આ જે 1171 વધારાના મતો છે, તે આ વિધાનસભા સીટના પરિણામોને સંદિગ્ધ બનાવે છે, કેમ કે હારજીતમાં માત્ર 1122 મતોનું જ અંતર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માવલ વિધાનસભા મતવિસ્તાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા મતવિસ્તારનું ઉદાહરણ લઈએ જ્યાં મતદાનની તુલનામાં ઓછા મતોની ગણતરી કરવામાં આવી હતી. ચૂંટણી પંચના ડેટા અનુસાર, માવલ વિધાનસભા ક્ષેત્રમાં કુલ મતદારોની સંખ્યા 3,86,172 છે અને 72.59% મતદાન થયું હતું. મતલબ કે 20 નવેમ્બર 2024ના રોજ 2,80,319 મત પડ્યા હતા. જો કે, કમિશન દ્વારા પ્રકાશિત પરિણામો અનુસાર, કુલ મતોની ગણતરી 2,79,081 હતી, જે મળેલા મતો કરતાં 1,238 મત ઓછા છે. આ વિધાનસભા મતવિસ્તારના પરિણામોને શું કહેવું જોઈએ?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને વોટર વેરીફાઈએબલ પેપર ઓડિટ ટ્રેઈલ (VVPAT) સ્લીપના સંચાલન દરમિયાન ક્લાર્કની ભૂલો, ડેટા એન્ટ્રી અથવા ટેકનિકલ ક્ષતિઓ સહિતના વિવિધ કારણોસર વિસંગતતાઓ આવી શકે છે, પરંતુ પારદર્શિતા માટે મજબૂત ઓડિટ કેમ કરવામાં આવતું નથી તે સવાલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/evms-can-be-tampered-with-i-have-studied-it-for-years-sam-pitroda">EVMમાં ચેડાં કરી શકાય છે, મેં વર્ષો સુધી તેનો અભ્યાસ કર્યો છે - સામ પિત્રોડા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 28 Nov 2024 18:08:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1620</Articleid>
                    <excerpt>EVM નો મુદ્દો ફરી ચગ્યો છે ત્યારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદારોના ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે મતોની ગણતરી અને પડેલા મતો વચ્ચે મોટો તફાવત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67485654e4673.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67485654ac3a6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67485654ac3a6.jpg" length="80738" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Maharashtra elections, EVM</media:keywords>
                </item>
                        <item>
                    <title>નીચલી કોર્ટમાં બેઠેલાં નાના જજો દેશમાં આગ લગાડવા માંગે છે...</title>
                    <link>https://khabarantar.com/the-junior-judges-sitting-in-the-lower-courts-want-to-set-the-country-on-fire</link>
                    <guid>https://khabarantar.com/the-junior-judges-sitting-in-the-lower-courts-want-to-set-the-country-on-fire</guid>
                    <description>
                        <![CDATA[ એક સરખી પેટર્ન પર દરગાહો નીચે મંદિર હોવાના વાત કોઈ હિંદુત્વવાદી ચગાવે પછી નીચલી કોર્ટમાં અરજી કરે અને કોર્ટ સર્વે કરવા કહે. - જજો દેશમાં આગ લગાડવા માગે છે, સપા નેતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના અજમેર શરીફની દરગાહ નીચે શિવમંદિર હોવાની વાતો ઉડી છે, તેને લઈને સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે નીચલી કોર્ટમાં બેઠેલા જજોની માનસિકતાને ખૂલ્લી પાડતું નિવેદન કર્યું છે. રામગોપાલ યાદવે કહ્યું કે, આપણા વડાપ્રધાન પોતે ચદ્દર મોકલે છે. દેશ અને દુનિયાભરમાંથી લોકો ત્યાં જાય છે. તેને વિવાદોમાં મૂકવો એ ખૂબ જ ઘૃણાજનક અને હલકી </span><span style="font-size: 14pt;">માનસિકતાનું પ્રતીક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે અજમેર શરીફ દરગાહને મંદિર જાહેર કરતી અરજી સ્વીકારીને દરગાહ પક્ષને નોટિસ જારી કરી છે. આ અંગે સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે કહ્યું છે કે, "નીચલી કોર્ટમાં બેઠેલા નાના-નાના જજો દેશમાં આગ લગાડવા માંગે છે. ભાજપ દ્વારા સમર્થિત લોકો સત્તામાં રહેવા માટે કંઈ પણ કરી શકે છે, દેશને આગ લગાડવામાં આવે તો તેમને કોઈ ફરક પડતો નથી." રામ ગોપાલ યાદવ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના રાજ્યસભાના સભ્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિન્દુ સેનાના વિષ્ણુ ગુપ્તાએ અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ એક મંદિર હોવાનો દાવો કર્યો હતો. તેણે કોર્ટમાં અરજી કરી હતી, જેને સ્વીકારીને નીચલી કોર્ટે દરગાહ પક્ષને નોટિસ પાઠવી છે. જેની આગામી સુનાવણી 20મી ડિસેમ્બરે થશે. અજમેર શરીફ દરગાહના વડા નસરુદ્દીન ચિશ્તીએ પણ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે આ એક નવો ટ્રેન્ડ છે. ગમે તે વ્યક્તિ ઉભો થઈને આવી જાય છે અને દરગાહ-મસ્જિદ મંદિર હોવાનો દાવો કરવા માંડે છે. ટ્રેન્ડ સમાજ અને દેશના હિતમાં નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું- દરગાહ 850 વર્ષ જૂની છે</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે આજે ભારત વૈશ્વિક શક્તિ બનવા જઈ રહ્યું છે અને અત્યારે પણ આપણે મંદિરો અને મસ્જિદો શોધી રહ્યા છીએ. જે વ્યાજબી નથી. જ્યાં સુધી અજમેર શરીફની દરગાહની વાત છે તો અહીંનો ઈતિહાસ છેલ્લા 100 થી 150 વર્ષનો નથી પણ 850 વર્ષ જૂનો છે. ખ્વાજા ગરીબ નવાઝ 1195 માં અજમેર આવ્યા અને 1236 માં મૃત્યુ પામ્યા. ત્યારથી આજ સુધી દરગાહ અકબંધ છે. આ દરગાહ તમામ ધર્મોની આસ્થાનું કેન્દ્ર છે. આ દરગાહ 800 વર્ષથી રાજાઓ, રજવાડાઓ, મહારાજાઓ અને બ્રિટિશ રાજાઓ માટે પણ વાસ્તવિકતાનું કેન્દ્ર રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અસદુદ્દીન ઓવૈસીએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "સુલ્તાન-એ-હિંદ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ભારતના મુસલમાનોના સૌથી મહત્વના ઓલિયા ઈકરામમાંથી એક છે. તેમની દરવાજે સદીઓથી લોકો આવી રહ્યાં છે અને આવતા રહેશે. અનેક રાજા મહારાજા અને બાદશાહો આવ્યા અને ગયા, પરંતુ ખ્વાજા અજમેરીની આસ્થા આજે પણ આબાદ છે. 1991નો ધર્મસ્થાનોનો કાયદો સ્પષ્ટ કહે છે કે, કોઈપણ ધર્મસ્થળની ધાર્મિક ઓળખ બદલી શકાતી નથી અને ન તો કોર્ટમાં આ કેસોની સુનાવણી થશે. એ અદાલતોની કાયદાકીય ફરજ છે કે, 1991 એક્ટને અમલમાં લાવે. એ ખૂબ જ અફસોસની વાત છે કે, હિંદુત્વના એજન્ડાને આગળ ધપાવવા માટે કાયદા અને બંધારણનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/say-bharat-mata-ki-jai-by-saluting-the-national-flag-21-times">21 વાર રાષ્ટ્રધ્વજને સલામી આપી ભારત માતા કી જય બોલો...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 28 Nov 2024 13:49:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1619</Articleid>
                    <excerpt>એક સરખી પેટર્ન પર દરગાહો નીચે મંદિર હોવાના વાત કોઈ હિંદુત્વવાદી ચગાવે પછી નીચલી કોર્ટમાં અરજી કરે અને કોર્ટ સર્વે કરવા કહે. - જજો દેશમાં આગ લગાડવા માગે છે, સપા નેતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6748263a161b2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67482639d5d49.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67482639d5d49.jpg" length="101479" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>khwaja moinuddin chishti dargah, Ram Gopal Yadav</media:keywords>
                </item>
                        <item>
                    <title>શું ISKCON એક કટ્ટરપંથી સંગઠન છે? બાંગ્લાદેશ તો આવું જ કહે છે!</title>
                    <link>https://khabarantar.com/is-iskon-a-radical-organization-bangladesh-says-so</link>
                    <guid>https://khabarantar.com/is-iskon-a-radical-organization-bangladesh-says-so</guid>
                    <description>
                        <![CDATA[ બાંગ્લાદેશમાં ઈસ્કોનના એક પૂજારી પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે અને જામીન પણ નથી મળી રહ્યાં. બાંગ્લાદેશ શા માટે ઈસ્કોનને એક કટ્ટરપંથી સંગઠન માને છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે વધી રહેલી હિંસા વચ્ચે બુધવારે ત્યાંની હાઈકોર્ટમાં International Society for Krishna Consciousness (ISKCON) પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં અશાંતિને રોકવા માટે ચટગાવ અને રંગપુરમાં કટોકટી લાદવાની પણ માંગ કરવામાં આવી હતી. અરજીમાં ઈસ્કોનને કટ્ટરવાદી સંગઠન ગણાવ્યું છે. બાંગ્લાદેશ સરકારે પણ હાઈકોર્ટમાં આ જ વાત કહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ, હાઈકોર્ટ એ જાણવા માગે છે કે બાંગ્લાદેશ સરકારે ઈસ્કોનની તાજેતરની પ્રવૃત્તિઓ અંગે શું પગલાં લીધાં છે. કોર્ટે એટર્ની જનરલ એમડી અસદુઝમાનને કહ્યું કે તેઓ આજે (ગુરુવાર 28 નવેમ્બર) સુધીમાં કોર્ટને સરકારની કાર્યવાહી વિશે જણાવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના વકીલ મોનીરુઝમાને ઇસ્કોન પરના બે અખબારોના અહેવાલોને બેંચ સમક્ષ મૂક્યા બાદ જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશિષ રોય ચૌધરીની હાઇકોર્ટ બેન્ચે આ આદેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાંગ્લાદેશ હાઈકોર્ટે દેશમાં ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા સરકારને પરિસ્થિતિનો સામનો કરવા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. બાંગ્લાદેશમાં તાજેતરની અશાંતિની શરૂઆત 25 નવેમ્બરના રોજ ઢાકા એરપોર્ટ પર અગ્રણી હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ (chinmay krishna das prabhu) ની ધરપકડથી થઈ હતી. ધાર્મિક લઘુમતીઓના અધિકારો અને રક્ષણની તરફેણ કરવા માટે જાણીતા ચિન્યમ કૃષ્ણ પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને જામીન નકારવામાં આવ્યા હતા. તેમની ધરપકડ પછી, સમગ્ર બાંગ્લાદેશમાં વિરોધ ફાટી નીકળ્યો અને હિંદુઓએ તેમની મુક્તિની માંગ શરૂ કરી. ચિત્તાગોંગ કોર્ટની બહાર પ્રદર્શન હિંસક બન્યું, જેના પરિણામે ટોળાના હાથે વકીલનું મૃત્યુ થયું. સંબંધિત અથડામણમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઇસ્કોને સમગ્ર દુનિયા પાસે સમર્થન માંગ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા, ઇસ્કોને ધરપકડની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય સમાજને દરમિયાનગીરી કરવા વિનંતી કરી. ઇસ્કોનના પ્રવક્તાએ કહ્યું- “સંયુક્ત રાષ્ટ્રોએ બાંગ્લાદેશમાં લઘુમતીઓને બચાવવા માટે પગલાં લેવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારતે ચિંતા વ્યક્ત કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં "ઊંડી ચિંતા" વ્યક્ત કરી. વિદેશ મંત્રાલયે કહ્યું- “આ ઘટના બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો દ્વારા હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર અનેક હુમલાઓ બાદ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લઘુમતીઓના ઘરો અને વેપાર સંસ્થાઓમાં આગ અને લૂંટફાટ તેમજ ચોરી, તોડફોડ અને દેવી-દેવતાઓના મંદિરોને અપવિત્ર કરવાના અનેક મામલા સામે આવ્યા છે. તેમણે હિંદુઓ દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પરના હુમલાની પણ નિંદા કરી હતી. વિદેશ મંત્રાલયે લખ્યું, "અમે બાંગ્લાદેશના સત્તાવાળાઓને વિનંતી કરીએ છીએ કે હિંદુઓ અને તમામ લઘુમતીઓની સલામતી સુનિશ્ચિત કરે, જેમાં શાંતિપૂર્ણ સભા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર પણ સામેલ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમારી આંતરિક બાબતોમાં દખલ ન કરોઃ બાંગ્લાદેશ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતના જવાબની ટીકા કરતા કહ્યું કે આ મુદ્દો બાંગ્લાદેશનો "આંતરિક મામલો" છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અત્યંત નિરાશા અને ઊંડા દુઃખ સાથે બાંગ્લાદેશ સરકાર નોંધે છે કે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનું અમુક લોકો દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે કારણ કે ચિન્મય કૃષ્ણ દાસની ચોક્કસ આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાંગ્લાદેશે એમ પણ કહ્યું કે ભારતનું નિવેદન તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે અને પડોશી દેશો વચ્ચે મિત્રતા અને સમજણની ભાવનાનું ખંડન કરે છે. બાંગ્લાદેશના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતનું નિવેદન તમામ ધર્મના લોકો વચ્ચે ઉપસ્થિત સદ્ભાવ અને આ સંબંધમાં સરકાર અને લોકોની પ્રતિબદ્ધતા અને પ્રયત્નોને પ્રતિબિંબિત નથી કરતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂળ સવાલ એ છે કે, ભારતમાં ધાર્મિક લઘુમતીઓની સ્થિતિ શું છે? સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ લઘુમતીઓમાં છે તેની ચિંતા કરે છે, પણ ખુદ ભારતમાં લઘુમતી સમાજના ઘરો તોડી પાડે છે. તેમની સામે અત્યાચારની સેંકડો ઘટનાઓ બને છે તેમાં ન્યાય નથી મળતો તેના વિશે કેમ કશું બોલતી નથી. એવું નથી લાગતું કે આપણે પહેલા પોતાનું મોં ચહેરામાં જોવાની જરૂર છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/what-is-the-foreign-media-saying-about-Indian-elections">ભારતની ચૂંટણી પર વિદેશી મીડિયા શું કહે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 28 Nov 2024 11:57:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1618</Articleid>
                    <excerpt>બાંગ્લાદેશમાં ઈસ્કોનના એક પૂજારી પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે અને જામીન પણ નથી મળી રહ્યાં. બાંગ્લાદેશ શા માટે ઈસ્કોનને એક કટ્ટરપંથી સંગઠન માને છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67480c9d936ac.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67480c9d617f1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67480c9d617f1.jpg" length="93648" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ISKCON, Bangladesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>શાહી પરિવારનો યુવક 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ગયો</title>
                    <link>https://khabarantar.com/a-young-man-from-the-royal-family-left-behind-a-fortune-of-40-thousand-crores-and-became-a-buddhist-monk</link>
                    <guid>https://khabarantar.com/a-young-man-from-the-royal-family-left-behind-a-fortune-of-40-thousand-crores-and-became-a-buddhist-monk</guid>
                    <description>
                        <![CDATA[ અદાણી જેવા લોકો જ્યાં ભારતને ચોતરફથી લૂંટીને ધન ભેગું કરી રહ્યાં છે, ત્યારે એક શાહી પરિવારનો યુવાન રૂ. 40 હજાર કરોડની સંપત્તિ છોડીને બૌદ્ધ સાધુ બની ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત જેવા દેશમાં એકબાજુ લોકોને બે ટંકના ભોજનના સાંસા પડી ગયા છે, પાંચ કિલો રાશન પર જીવવા મજબૂર થઈ ગયા છે. બીજી તરફ ગૌતમ અદાણી જેવા બિઝનેસમેનો સરકાર પર પકડ જમાવી દેશની સંપત્તિ લૂંટીને વધુને વધુ ધન ભેગું કરી રહ્યાં છે. ગૌતમ અદાણી પાસેથી ત્યાગની અપેક્ષા રાખવી નકામી છે પરંતુ એક એવા માણસની અહીં વાત કરવી છે જેણે માત્ર 18 વર્ષની ઉંમરે રૂ. 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ભિક્ષા માંગીને પોતાનું જીવન ગુજારવાનું નક્કી કર્યું છે. નામ છે એમનું વેન અજાહન સિરિપાન્યો (Ven Ajahn siripanyo).</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે વેન અજાન સિરિપાન્યો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોણ છે વેન અજાન સિરિપાન્યો (Who is Ven Ajahn siripanyo), જેણે 40,000 કરોડનો વારસો છોડી દીધો અને બૌદ્ધ સાધુ બનવાનું નક્કી કર્યું? તો જાણી લો કે, તેઓ મલેશિયાના ટેલિકોમ ટાયકૂન તરીકે જાણીતા આનંદ કૃષ્ણનના પુત્ર છે અને તેઓ 18 વર્ષની ઉંમરે બૌદ્ધ ભિક્ષુક બની ગયા છે. AK તરીકે પ્રખ્યાત કૃષ્ણન મલેશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે અને તેમની નેટવર્થ રૂ. 40,000 કરોડ (US$5 બિલિયનથી વધુ) કરતાં વધુ છે. આટલી નાની ઉંમરે તેમના પુત્ર વેન અજાન સિરીપાન્યોના તમામ સુખ-સુવિધાઓ છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવવાના નિર્ણયે સૌને ચોંકાવી દીધા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને સ્પોન્સર કરી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આનંદ કૃષ્ણનનો બિઝનેસ ટેલિકોમ્યુનિકેશન, મીડિયા, તેલ, ગેસ અને રિયલ એસ્ટેટમાં ફેલાયેલો છે. તેઓ ટેલિકોમ કંપની એરસેલના માલિક પણ રહી ચૂક્યા છે. એરસેલ એક સમયે IPL ક્રિકેટ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને સ્પોન્સર કરતી હતી. વેઈન અજાન સિરીપાન્યોના પિતા આનંદ કૃષ્ણન એક બિઝનેસમેન છે, તો તેમની માતા મોમવાજારોંગસે સુપ્રિંદા ચક્રબન </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">થાઈલેન્ડના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">18 વર્ષની ઉંમરે, વેન અજાહન સિરીપાન્યોએ આટલું વિશાળ બિઝનેસ સામ્રાજ્ય છોડીને સાધુ બનવાનું નક્કી કર્યું. તેના પિતાએ આ નિર્ણયનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો. કેમ કે તેઓ પોતે એક બૌદ્ધ ધર્મના મજબૂત સમર્થક અને સેવાભાવી વ્યક્તિ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મઠમાં દીક્ષા લીધી અને ત્યાં જ રોકાઈ ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અજાન સિરીપાન્યોની આધ્યાત્મિક યાત્રા વિશે વાત કરીએ તો તેઓ થાઈલેન્ડની મુલાકાત દરમિયાન થોડો સમય બૌદ્ધ રિટ્રીટમાં રહ્યા હતા. આ મઠમાં તેમણે દીક્ષા લીધી અને આ ટૂંકા ગાળાના અનુભવે જીવનની જીવવા વિશેની તેમની વિચારસરણીને બદલી નાખી અને તેણે કાયમ માટે મઠવાસી બનવાનું નક્કી કર્યું. હવે તેઓ થાઈલેન્ડ-મ્યાનમાર સરહદ પર સ્થિત દમ મઠના મઠાધિપતિ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વેઇન અજાન સિરીપાન્યોનો જન્મ અને ઉછેર લંડનમાં થયો હતો અને તેઓ શહેરી વાતાવરણમાં ઉછર્યા છે. તેઓ કુલ 8 ભાષાઓ વાંચી, લખી અને બોલી શકે છે. સાધુ જીવન જીવવા છતાં તે હજુ પણ સમયાંતરે તેમના પિતાની મુલાકાત લેતા રહે છે. તે તેમની આધ્યાત્મિક પ્રતિબદ્ધતાઓ અને કૌટુંબિક સંબંધો વચ્ચે સંતુલન જાળવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-actress-who-rivaled-aishwarya-sushmita-has-embraced-buddhism">ઐશ્વર્યા-સુસ્મિતા ને ટક્કર આપનારી અભિનેત્રીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 28 Nov 2024 10:39:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1617</Articleid>
                    <excerpt>અદાણી જેવા લોકો જ્યાં ભારતને ચોતરફથી લૂંટીને ધન ભેગું કરી રહ્યાં છે, ત્યારે એક શાહી પરિવારનો યુવાન રૂ. 40 હજાર કરોડની સંપત્તિ છોડીને બૌદ્ધ સાધુ બની ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6747f969de471.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6747f969a8bb5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6747f969a8bb5.jpg" length="109871" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ven Ajahn Siripanyo, Buddhist</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા દાંતામાં ભારે વિરોધ</title>
                    <link>https://khabarantar.com/huge-protest-in-danta-over-stopping-scholarships-for-tribal-students</link>
                    <guid>https://khabarantar.com/huge-protest-in-danta-over-stopping-scholarships-for-tribal-students</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી વિદ્યાર્થીઓને મેટ્રીક બાદ મળતી શિષ્યવૃત્તિ રાજ્ય સરકારે બંધ કરતા તેના વિરોધમાં ધારાસભ્યની આગેવાનીમાં અનેક ગામોના સરપંચો, સ્થાનિકો રસ્તા પર ઉતર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત આદિવાસીઓના હામી હોવાની વાતો કરતી, તેમના મહાનાયકોની તસવીરો સાથે ફોટાં પડાવી ઉજવણી કરતી ભાજપ સરકાર અંદરખાને આ સમાજની યોજનાઓને ખતમ કરી રહી છે. હાલમાં જ રાજ્ય સરકારે મેટ્રિક બાદ વધુ અભ્યાસ માટે આદિવાસી વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. જેને લઈને હવે આદિવાસી સમાજે સરકાર સામે મોરચો માંડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આદિવાસી સમાજે આ યોજના બંધ થવા સામે મોરચો માંડ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે દાંતાના આદિવાસી ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં અહીંના અનેક ગામોના સરપંચો અને સ્થાનિકોએ મળીને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાની સરકારની મેલી મુરાદ સામે વિરોધ નોંધાવી આ યોજનાને ફરીથી ચાલુ કરવા માટે દાંતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67473f101ab90.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, અંબાજીથી ઉમરગામ સુધી લગભગ 14 જેટલાં જીલ્લાઓમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. સમાજના બાળકો વધુ અભ્યાસ કરીને પગભર બની શકે તે માટે વર્ષ 2010થી એસટી વિદ્યાર્થીઓને મેટ્રિક બાદ વધુ અભ્યાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા 75 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 25 ટકા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. જેને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ એક પરિપત્ર જારી કરીને રદ કરી દીધી હતી. સરકારના આ પગલા સામે સમસ્ત આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકાર એકબાજુ આદિવાસીઓની હામી હોવાની વાતો કરે છે, બીજી તરફ તેમના બાળકો ભણીગણીને આગળ ન વધી શકે તે માટે શિષ્યવૃત્તિ યોજના બંધ કરી રહી છે. આવા બેવડા ધોરણો સામે આદિવાસી સમાજ રોષે ભરાયો છે અને લડી લેવા મકક્મ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની અધ્યક્ષતામાં આદિવાસી સમાજે એક રેલી યોજી દાંતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને તેમાં આદિવાસી વિદ્યાર્થીઓની બંધ કરવામાં આવેલી શિષ્યવૃત્તિ ફરીથી ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો આદિવાસી સમાજના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ મેટ્રિક બાદ નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઇજનેરી, ડિપ્લોમા ઇજનેરી, એમબીએ, એમસીએ, એમઇ, એમ ફાર્મા તેમજ પેરા મેડિકલનો અભ્યાસ કરવા માટે લાભ લેતા હતા. આ યોજના થકી આદિવાસી સમાજના અનેક બાળકોએ પોતાનું ભાવિ ઘડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે આ વર્ષે દાંતા તાલુકાના આદિવાસી સમાજના 3700 વિદ્યાર્થીઓ જેમણે મેટ્રિકમાં પ્રવેશ મેળવ્યો છે તેમને આ શિષ્યવૃત્તિનો લાભ નહીં મળે. સરકાર દ્વારા રદ્દ કરાયેલી આ શિષ્યવૃત્તિના પરિપત્ર સામે આદિવાસી સમાજની મહિલાઓ, પુરુષોએ સાથે મળી આદિવાસી ધારાસભ્ય કાંતિ ખરાડી સાથે દાંતા મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું અને આ યોજનાને ફરી શરૂ કરવા માટે સરકારમાં રજૂઆત કરવા કહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરીને સમાજના હક પર તરાપ મારી રહી છે. તે ચલાવી નહીં લેવાય. એકબાજુ સરકાર આદિવાસીઓની હામી હોવાની જાહેરમાં વાતો કરે છે અને અંદરખાને પરિપત્ર જાહેર કરીને આદિવાસી વિદ્યાર્થીઓના હક છીનવી લે છે. અમે તેનો વિરોધ કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/thousands-of-cycles-of-tribal-girls-rights-are-gathering-dust-in-danta">દાંતામાં આદિવાસી દીકરીઓના હકની હજારો સાઈકલો ધૂળ ખાય છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 21:21:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1616</Articleid>
                    <excerpt>આદિવાસી વિદ્યાર્થીઓને મેટ્રીક બાદ મળતી શિષ્યવૃત્તિ રાજ્ય સરકારે બંધ કરતા તેના વિરોધમાં ધારાસભ્યની આગેવાનીમાં અનેક ગામોના સરપંચો, સ્થાનિકો રસ્તા પર ઉતર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67473eed0594c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67473eecc4578.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67473eecc4578.jpg" length="102807" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Tribal students scholarships, Danta  News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતનું માંસ ઉત્પાદન 5% વધીને 1.02 કરોડ ટન સુધી પહોંચી ગયું</title>
                    <link>https://khabarantar.com/indias-meat-production-increased-by-5-percent-to-10.2-million-tonnes</link>
                    <guid>https://khabarantar.com/indias-meat-production-increased-by-5-percent-to-10.2-million-tonnes</guid>
                    <description>
                        <![CDATA[ નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું માંસ ઉત્પાદન લગભગ પાંચ ટકા વધીને 1.02 કરોડ ટન થયું છે. કુલ માંસ ઉત્પાદનમાં મુખ્ય ફાળો 12.62 ટકા હિસ્સા સાથે પશ્ચિમ બંગાળનો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું માંસ ઉત્પાદન લગભગ પાંચ ટકા વધીને 1.02 કરોડ ટન થયું છે. 2023-24 દરમિયાન દેશમાં માંસનું કુલ ઉત્પાદન 10.2 મિલિયન ટન રહેવાનો અંદાજ છે એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. 2014-15માં 66.9 લાખ ટનના અંદાજની સરખામણીએ છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 4.85 ટકાનો વધારો નોંધાયો છે. વધુમાં, 2022-23ની સરખામણીમાં 2023-24માં ઉત્પાદનમાં 4.95 ટકાનો વધારો થયો છે. કુલ માંસ ઉત્પાદનમાં મુખ્ય ફાળો 12.62 ટકા હિસ્સા સાથે પશ્ચિમ બંગાળનો છે. તે પછી ઉત્તર પ્રદેશ (12.29 ટકા), મહારાષ્ટ્ર (11.28 ટકા), તેલંગાણા (10.85 ટકા) અને આંધ્રપ્રદેશ (10.41 ટકા) આવે છે. વાર્ષિક વૃદ્ધિ દરના સંદર્ભમાં, સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ દર (એજીઆર) આસામમાં (17.93 ટકા) નોંધવામાં આવ્યો છે. તે પછી ઉત્તરાખંડ (15.63 ટકા) અને છત્તીસગઢ (11.70 ટકા) આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઇંડાના ઉત્પાદનમાં આંધ્ર પ્રદેશ મોખરે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપલબ્ધ ડેટા અનુસાર 2023-24 દરમિયાન દેશનું કુલ ઇંડા ઉત્પાદન 142.77 અબજ હોવાનો અંદાજ છે અને 2014-15 દરમિયાન 78.48 અબજના અંદાજની સરખામણીએ છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 6.8 ટકા વૃદ્ધિ નોંધાવી છે. વધુમાં, પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં 2023-24 દરમિયાન ઉત્પાદનમાં 3.18 ટકાનો વધારો થયો છે. ઇંડાના કુલ ઉત્પાદનમાં મોટો ફાળો આંધ્રપ્રદેશનો છે, જેનો કુલ ઈંડા ઉત્પાદનમાં હિસ્સો 17.85 ટકા છે. આ પછી તમિલનાડુ (15.64 ટકા), તેલંગાણા (12.88 ટકા), પશ્ચિમ બંગાળ (11.37 ટકા) અને કર્ણાટક (6.63 ટકા) આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઊનના ઉત્પાદનમાં રાજસ્થાનનો હિસ્સો સૌથી વધુ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉનના ઉત્પાદનમાં એજીઆરની દ્રષ્ટિએ સૌથી વધુ વૃદ્ધિ દર લદ્દાખ (75.88 ટકા)માં નોંધાયો હતો, ત્યારબાદ મણિપુર (33.84 ટકા) અને ઉત્તર પ્રદેશ (29.88 ટકા)નો નંબર આવે છે. ડેટા અનુસાર, 2023-24 દરમિયાન કુલ ઊનનું ઉત્પાદન 3.36 કરોડ કિલો થવાનો અંદાજ છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 0.22 ટકાનો નજીવો વધારો છે. કુલ ઊનના ઉત્પાદનમાં રાજસ્થાનનો મોટો ફાળો છે, જેનો હિસ્સો 47.53 ટકા છે. એ પછી જમ્મુ અને કાશ્મીર (23.06 ટકા), ગુજરાત (6.18 ટકા), મહારાષ્ટ્ર (4.75 ટકા) અને હિમાચલ પ્રદેશ (4.22 ટકા) આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/savarkar-ate-beef-despite-being-a-brahmin-minister-of-karnataka">સાવરકર બ્રાહ્મણ હોવા છતાં ગૌમાંસ ખાતા હતા: કર્ણાટકના મંત્રી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 19:50:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1615</Articleid>
                    <excerpt>નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું માંસ ઉત્પાદન લગભગ પાંચ ટકા વધીને 1.02 કરોડ ટન થયું છે. કુલ માંસ ઉત્પાદનમાં મુખ્ય ફાળો 12.62 ટકા હિસ્સા સાથે પશ્ચિમ બંગાળનો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67472a02d5c2d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67472a02a55e0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67472a02a55e0.jpg" length="67072" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>indias meat production, Meat</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત વિદ્યાર્થીને બળજબરીથી સિગરેટ પીવડાવી જૂતા પર નાક રગડાવ્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-student-forced-to-smoke-cigarette-and-rub-nose-on-shoe</link>
                    <guid>https://khabarantar.com/dalit-student-forced-to-smoke-cigarette-and-rub-nose-on-shoe</guid>
                    <description>
                        <![CDATA[ ધોરણ 10માં ભણતા એક દલિત વિદ્યાર્થીને ચાર યુવકોએ માર માર્યો, બળજબરીથી સિગરેટ પીવડાવી અને તેમના પગમાં નાક રગડીને માફી માગવા મજબૂર કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાના રેવાડીના રોહરદાઈ પોલીસ સ્ટેશનના એક ગામમાં કેટલાક યુવકોએ ધોરણ 10માં ભણતા એક સગીર દલિત વિદ્યાર્થીને ખરાબ રીતે માર માર્યો છે. એટલું જ નહીં, આરોપી યુવકોએ દલિત કિશોરને બળજબરીથી સિગરેટ પીવડાવી હતી. લુખ્ખા તત્વોનું મન આટલેથી પણ ન ભરાતા તેમણે દલિત સગીરને તેમના પગમાં માથું રાખી નાક રગડીને માફી માંગવા મજબૂર કર્યો હતો. એ પછી સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. દલિત વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તનનો આ વીડિયો સામે આવ્યા બાદ તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચાર યુવકો વિરુદ્ધ એસસી-એસટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત કિશોર મિત્ર પાસે પુસ્તક લેવા ગયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસને આપેલી ફરિયાદમાં દલિત વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું છે કે તેમનો પુત્ર 10મા ધોરણનો વિદ્યાર્થી છે. 24મી નવેમ્બરે બપોરે તે ગામમાં તેના મિત્ર પાસે પુસ્તક લેવા ગયો હતો. રસ્તામાં કેટલાક છોકરાઓએ તેને ચોકમાં રોક્યો અને બળજબરીથી મેદાનની અંદર લઈ ગયા. એ પછી તેની સાથે અમાનવીય વર્તન કરી અત્યાચાર ગુજારવામાં આવ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હુમલાખોર યુવકોએ કહ્યું - ચાલ હવે અમને 'પપ્પા' કહે!</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયરલ થયેલા દલિત વિદ્યાર્થી પર હુમલાના વીડિયોમાં ચાર યુવકો તેને બળજબરીથી સિગરેટ પીવડાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જ્યારે દલિત કિશોર સિગારેટ પીવાની ના પાડે છે તો તેને ખૂબ મારવામાં આવે છે. હુમલાખોર છોકરાઓ કિશોરને તેમને પપ્પા કહેવા માટે કહે છે. આરોપી યુવકો આટલેથી અટકતા નથી. તેઓ દલિત વિદ્યાર્થીને તેમના પગમાં પડી, નાક રગડીને માફી માંગવા મજબૂર કરે છે. અંદાજે 10 મિનિટના આ વીડિયોમાં દલિત વિદ્યાર્થી પર ભારે માનસિક અને શારીરિક અત્યાચારો કરવામાં આવે છે અને તેના માનવગૌરવનો ભંગ કરવામાં આવે છે. આરોપીઓ તેને માર મારીને જાતિસૂચક ગાળો પણ ભાંડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વીડિયો વાયરલ થયા વિદ્યાર્થીના પિતાને ખ્યાલ આવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત કિશોરના પિતાએ પોલીસને જણાવ્યું છે કે ઘટના બાદ તેમનો પુત્ર ઘરે આવીને ચૂપ રહ્યો હતો, તેણે કોઈને કંઈ કહ્યું નહોતું. પરંતુ સાંજે પડોશમાં રહેતા યુવકે તેમને આ વાયરલ વીડિયો બતાવ્યો. જેમાં ગામના કેટલાક યુવાનો તેમના પુત્રને મારતા જોવા મળે છે. જ્યારે તેમણે તેના પુત્રને આ વિશે પૂછ્યું ત્યારે તેણે તેની આપવીતી જણાવી હતી. દલિત કિશોરના કહેવા પ્રમાણે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આરોપીઓએ લખ્યું છે કે, "હમ સે જો ટકરાયેગા, ઉસકા યહી હાલ હોગા"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે રોહડાઈ પોલીસ સ્ટેશનના પ્રભારી ભગવતી પ્રસાદે જણાવ્યું હતું કે, જૂની અદાવતના કારણે દલિત વિદ્યાર્થી સાથે મારપીટની ફરિયાદ મળી છે. વીડિયોમાં કેટલાક યુવકો વિદ્યાર્થીને મારતા જોવા મળી રહ્યા છે. દલિત કિશોરના પિતાની ફરિયાદ પર ચાર યુવકો વિરુદ્ધ એસસી, એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પુખ્ત છે કે સગીર છે તેની તપાસ કરવામાં આવશે. એ પછી કાર્યવાહી કરવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓના નામ જાતિ છુપાવાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં થાય છે તેમ આ કેસમાં પણ મનુમીડિયાએ આરોપી યુવકોની જાતિ અને નામ છુપાવ્યા છે. આવું મોટાભાગના દલિત-આદિવાસી અત્યાચારના કેસોમાં થાય છે. તેના માટે જ જરૂરી છે કે, દલિતો-આદિવાસીઓનું પોતાનું મીડિયા પ્લેટફોર્મ મજબૂત બને.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-dalit-student-died-in-a-group-clash-at-a-school-in-muzaffarpur-bihar">શાળા બની સમરાંગણ : દલિત વિદ્યાર્થીને માથામાં વાંસડો ફટકારી દેતા મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 17:39:44 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 27 Nov 2024 17:40:45 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1614</Articleid>
                    <excerpt>ધોરણ 10માં ભણતા એક દલિત વિદ્યાર્થીને ચાર યુવકોએ માર માર્યો, બળજબરીથી સિગરેટ પીવડાવી અને તેમના પગમાં નાક રગડીને માફી માગવા મજબૂર કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67470b339b128.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67470b335f71a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67470b335f71a.jpg" length="59166" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rewari News, Rohardai Police Station, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધંધુકામાં સંવિધાન દિવસે 53 ગામોમાં બંધારણ વહેંચવામાં આવ્યું</title>
                    <link>https://khabarantar.com/constitution-distributed-in-53-villages-on-constitution-day-in-dhandhuka-city-of-ahmedabad-district</link>
                    <guid>https://khabarantar.com/constitution-distributed-in-53-villages-on-constitution-day-in-dhandhuka-city-of-ahmedabad-district</guid>
                    <description>
                        <![CDATA[ ધંધુકામાં ગઈકાલે બંધારણ અર્પણ દિવસ નિમિત્તે બંધારણની 200થી વધુ કોપીઓ આસપાસના 53 ગામોમાં વહેંચવામાં આવી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે બંધારણ અર્પણ દિવસ નિમિત્તે ભારતભરમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આ ઉજવણી ખાસ બની રહી. કેમ કે અહીં એકસાથે 53 ગામોમાં બંધારણની 200થી વધુ કોપીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6746d3cb05b1e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધંધુકાના ઓમ અલખગુરુ જ્ઞાન સેવા આશ્રમ પ્લોટ વિસ્તારમાં સંવિધાન અર્પણ દિવસ નિમિત્તે સંવિધાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સૌપ્રથમ બોધિસ્તવ ડૉ.બાબાસાહેબની પ્રતિમાને અનુસૂચિત સમાજના વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા પુષ્પમાળા અર્પણ કરી વિવિધ ગૌરવશાળી સૂત્રોચ્ચાર સાથે વધાવી લેવાયા હતા. એ પછી ધંધુકા સહિત આસપાસના ૫૩ ગામોમાં ૨૦૦ જેટલા સંવિધાન પુસ્તકની વહેંચણી કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;">આ સિવાય આ કાર્યક્રમમાં હાજર સામાજિક સંસ્થાના આગેવાનો, કાર્યકર્તાઓને પણ સંવિધાન પુસ્તક ભેટ આપી સન્માન કરાયું હતું. સ્વાગત પ્રવચન ગીતાબેન પરમારે આપ્યું હતું. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6746d3ca64e06.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે મુખ્ય મહેમાન તરીકે મુંબઈથી અનુપમભાઈ પડાયા, પૂજ્ય. રતાબાપા અને અમદાવાદથી સામાજિક કાર્યકર પ્રકાશ બેન્કરે ખાસ હાજરી આપી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ મહાનુભાવોએ ડૉ.બાબાસાહેબ દ્વારા તૈયાર કરાયેલા સંવિધાન થકી મળેલા હક્કો અને વિવિધ કાયદાકીય પીઠબળની સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન બોધિરાજ બૌદ્ધ ઉર્ફ પરેશ રાઠોડ (સમતા બુદ્ધ વિહાર, બોટાદ) દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આભારવિધિ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બોટાદ જિલ્લા પ્રમુખ કીર્તિભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કિર્તિભાઈ ચાવડા, ગીતાબેન પરમાર તેમજ સમાજના આગેવાનો, મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/37-people-took-initiation-into-buddhism-in-amraiwadi-ahmedabad">અમદાવાદના અમરાઈવાડીમાં 37 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 13:42:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1613</Articleid>
                    <excerpt>ધંધુકામાં ગઈકાલે બંધારણ અર્પણ દિવસ નિમિત્તે બંધારણની 200થી વધુ કોપીઓ આસપાસના 53 ગામોમાં વહેંચવામાં આવી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6746d3cbc931c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6746d3cb8e17f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6746d3cb8e17f.jpg" length="113981" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>constitution distributed, 53 villages, constitution day, dhandhuka, ahmedabad district</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેતરમાં પાણી વાળતા દલિત યુવકની સરપંચ અને સાગરિતોએ હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-killed-by-sarpanch-and-his-associates-while-collecting-water-in-the-field</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-killed-by-sarpanch-and-his-associates-while-collecting-water-in-the-field</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવક તેના મામાના ઘરે રજા ગાળવા આવ્યો હતો. તે ખેતરમાં પાણી પાતો હતો ત્યારે જ માથાભારે સરપંચ સહિત 8 લોકો ત્યાં આવી પહોંચ્યાં અને લાકડી-દંડા લઈ તૂટી પડ્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ જિલ્લો દલિતો, આદિવાસીઓ માટે નર્કાગાર બનતો જઈ રહ્યો છે. અહીં ઉત્તરપ્રદેશની જેમ દરરોજ કોઈને કોઈ ખૂણેથી દલિત કે આદિવાસી સમાજના લોકો પર અત્યાચારની ઘટના સામે આવતી રહે છે. આવી જ વધુ એક ઘટના ઘટી છે, જેમાં એક ગામમાં માથાભારે સરપંચ અને તેના પરિવારજનોએ મળીને એક દલિત યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની છે. અહીં એક ગામમાં સરપંચ અને તેના પરિવારના સભ્યોએ એક દલિત યુવકને માર માર્યો હતો. દલિત યુવક તેના મામાના ખેતરમાં પાણી પાઈ રહ્યો હતો. એ દરમિયાન અચાનક સરપંચ અને તેના સાગરિતો આવી પહોંચે છે અને વિવાદ કરે છે, જે જોતજોતામાં મામલો મારામારી અને પછી હત્યામાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં માથાભારે સરપંચ તેના પરિવારના સભ્યો સાથે યુવકને જમીન પર પછાડીને મારતો જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિવપુરીના ઈન્દરગઢ ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવપુરી જિલ્લાના સુભાષપુરા પોલીસ સ્ટેશનના ઈન્દરગઢ ગામમાં સુભાષપુરાના સરપંચ અને તેના માણસોએ એક દલિત યુવકની નિર્દયતાથી હત્યા કરી દીધી છે. ગ્વાલિયરનો રહેવાસી વિષ્ણુ જાટવ (27) તેના મામાના ઘરે આવ્યો હતો. 26 નવેમ્બરના રોજ તે ખેતરમાં પાણી પાઈ રહ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6746c2c9e87d8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન અચાનક સરપંચ પદમસિંહ ધાકડ અને તેમના પરિવારના સભ્યો બેતાલ ધાકડ, જસવંત ધાકડ, અવધેશ ધાકડ, અંકેશ ધાકડ, મોહરપાલ ધાકડ, દાખાબાઈ ધાકડ અને વિમલ ધાકડ આવી પહોંચ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવાનનું સારવાર દરમિયાન મોત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખી ઘટનાનો વીડિયો વાયરલ થયેલો છે. જેમાં જોઈ શકાય છે કે, સરપંચ અને તેના પરિવારના સભ્યો પહેલા દલિત યુવક વિષ્ણુ જાટવ સાથે ગાળાગાળી કરે છે. એટલાથી તેમનું પેટ ન ભરાતા તેઓ લાકડીઓ લઈને વિષ્ણુ પર તૂટી પડે છે. યુવકના પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તેઓ તેઓ ખેતરમાં પહોંચી ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા વિષ્ણુને તાકીદે શિવપુરી મેડિકલ કોલેજ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી દલિત પરિવાર આઘાતમાં સરી પડ્યો છે અને રડી રડીને તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. સાથે જ પરિવારજનો આરોપીઓ સામે કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરપંચ સહિત 8 લોકો સામે એફઆઈઆર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસની માહિતી આપતા સુભાષપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ક્રિપાલ સિંહ રાઠોડે જણાવ્યું કે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે સરપંચ અને તેના પરિવારના આઠ સભ્યો વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dalit-youth-murdered-in-mumbais-mira-bhayander-body-cut-into-seven-pieces-and-thrown-into-the-drain"><span style="font-size: 12pt;"> </span>પ્રેમની સજા : દલિત યુવકના સાત ટુકડા કરી, ડોલમાં ભરીને ગટરમાં ફેંકી દીધાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 12:27:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1612</Articleid>
                    <excerpt>દલિત યુવક તેના મામાના ઘરે રજા ગાળવા આવ્યો હતો. તે ખેતરમાં પાણી પાતો હતો ત્યારે જ માથાભારે સરપંચ સહિત 8 લોકો ત્યાં આવી પહોંચ્યાં અને લાકડી-દંડા લઈ તૂટી પડ્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6746c19daefda.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6746c19d73abd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6746c19d73abd.jpg" length="51777" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Shivpuri, Indergarh Village, Dalit Crime, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ નેતાએ બંદૂક બતાવી, દલિત મહિલાને વાળ પકડી ઢસડી?</title>
                    <link>https://khabarantar.com/bjp-leader-brandished-a-gun-dragged-a-dalit-woman-by-the-hair</link>
                    <guid>https://khabarantar.com/bjp-leader-brandished-a-gun-dragged-a-dalit-woman-by-the-hair</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપનો નેતા દલિત પરિવારને મારવા બંદૂક લઈને પહોંચી ગયો, દલિત મહિલાને રસ્તા વચ્ચે ઢસડી અને તેના બાળકોનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના જબલપુરમાં દલિત પરિવારની જમીન પડાવી લેવા માટે થઈને ભાજપના એક સ્થાનિક નેતાએ દલિત પરિવાર પર જીવલેણ હુમલો કરી પરિવારની મહિલાને વાળ પકડી રસ્તા વચ્ચે ઢસડીને અપમાનિત કરી હતી. એટલું જ નહીં માથાભારે આ નેતા દલિત પરિવારના ઘરે બંદૂક લઈને પહોંચી ગયો હતો અને દલિત બાળકોનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. દલિત પરિવારના કહેવા પ્રમાણે છેલ્લાં 30 વર્ષથી જે જમીન પર તેઓ રહે છે તે ભાજપના નેતા પડાવી લેવા માંગે છે. તેના માટે તે વારંવાર દલિત પરિવારને હેરાન-પરેશાન કરતો રહે છે. ખોટા વાંધા ઉભા કરીને દલિત પરિવારને અહીંથી ખદેડવા માંગે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ નેતાએ સાગરિતો સાથે હુમલો કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોમવારે દલિત પરિવાર પોતાના ઘરની બહાર બાથરૂમ બનાવી રહ્યો હતો ત્યારે ભાજપના આ સ્થાનિક નેતાએ તેના પરિવારજનો અને સાગરિતો સાથે આવીને બબાલ શરૂ કરી દીધી હતી. એ દરમિયાન બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. વિવાદ દરમિયાન ભાજપ નેતાએ દલિત પરિવારના એક સભ્યને જૂતા અને ચપ્પલથી માર માર્યો હતો અને પરિવારની એક મહિલાના વાળ ખેંચી તેને રસ્તા પર ઢસડી હતી તેવો આરોપ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આઘાતજનક વાત એ છે કે, પોલીસે પીડિત દલિત પરિવારને બદલે ભાજપ નેતાની ફરિયાદ નોંધીને દલિત પરિવાર પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે ભાજપના નેતાની ફરિયાદના આધારે દલિત પરિવાર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જો કે દલિત પરિવાર તેની પહેલા ફરિયાદ કરવા ગયો હોવા છતાં તેની ફરિયાદ લેવામાં આવી નહોતી, જેના કારણે તેમણે એસપીને ન્યાયની અપીલ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જબલપુરના રામનગરની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જબલપુરના રામનગર શાહનાળાનો છે. અહીં દલિત સમાજમાંથી આવતા અનિલ ઝારિયા અને વર્ષા ઝરિયાએ ભાજપ નેતા અમિત દ્વિવેદી પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમનો પરિવાર ત્રણ દાયકાથી લીઝ પર આપવામાં આવેલી જમીનમાં રહે છે. મહિલાઓ અને બાળકોને શૌચક્રિયા માટે તકલીફ પડતી હોવાથી તેમના ઘરની બહાર બાથરૂમ બનાવવામાં આવી રહ્યું હતું. પણ ભાજપના બૂથ પ્રમુખ અમિત દ્વિવેદી તેનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ તેમની જમીન પડાવી લેવા માંગે છે અને તેના માટે તે સતત કોઈને કોઈ પેંતરા રચતો રહે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6746b17703bed.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોમવારે સવારે અમિત તેના માતા-પિતા અને મિત્રો સાથે અનિલના ઘરે આવ્યો હતો અને વિરોધ કરીને તેમના બાળકોને ગાડીમાં બેસાડવાનું શરૂ કર્યું હતું. જ્યારે અનિલ ઝારિયાએ તેનો વિરોધ કર્યો તો અમિત દ્વિવેદી મારામારી પર ઉતરી આવ્યો હતો. આ દરમિયાન અમિતની માતા અને અન્ય લોકો પણ આવી પહોંચ્યા હતા અને જાતિસૂચક ગાળો ભાંડીને જૂતાથી માર મારવા લાગ્યા હતા. તેમણે અનિલ ઝારિયાની પત્ની વર્ષાને વાળ પકડીને રસ્તા વચ્ચે ઢસડીને માર માર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે દલિત પરિવારની ફરિયાદ ન લીધી, ભાજપ નેતાની લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખો મામલો શુદ્ધ રીતે જાતિવાદ અને દલિત અત્યાચારનો હોવા છતા સ્થાનિક પોલીસે ભાજપ નેતાને છાવરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે ફરિયાદ નોંધાવવા પહોંચેલા દલિત પરિવારની ફરિયાદ નહોતી લીધી પરંતુ જેવો ભાજપ નેતા દલિત પરિવાર સામે ફરિયાદ નોંધવા ગયો એટલે તરત તેની ફરિયાદ નોંધી લીધી હતી. એટલું જ નહીં પોલીસ આખા મામલે સામાન્ય ઝઘડામાં ફેરવવા માંગતી હોય તેમ લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તિલવાડા પોલીસ સ્ટેશનના પ્રભારી બ્રિજેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, અમિત અને અનિલ ઝરિયા વચ્ચે રવિવારે સવારે ઝાડ કાપવાના મુદ્દે ઝઘડો થયો હતો. સ્થાનિક કાઉન્સિલર સુનિલ કુમાર ગોસ્વામીએ વિવાદનો ઉકેલ લાવી દીધો હતો. પણ સોમવારે સવારે બંને પક્ષો વચ્ચે ફરીથી ઝઘડો અને મારામારી થઈ હતી. વાયરલ વીડિયોમાં બંને પક્ષો એકબીજા સાથે લડતા જોવા મળે છે. અમિતની ફરિયાદના આધારે પોલીસે અનિલ અને અન્ય સામે ગુનો નોંધ્યો છે. બનાવ અંગે અનિલે પોલીસ અધિક્ષક કચેરીમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પણ તેમની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી કરશે અને ગુનેગારો સામે કેસ નોંધશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/casteist-elements-poured-hot-mutton-water-on-the-dalit-youth">જાતિવાદી તત્વોએ દલિત યુવક પર મટનનું ગરમ પાણી રેડ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 11:13:34 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 27 Nov 2024 11:15:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1611</Articleid>
                    <excerpt>ભાજપનો નેતા દલિત પરિવારને મારવા બંદૂક લઈને પહોંચી ગયો, દલિત મહિલાને રસ્તા વચ્ચે ઢસડી અને તેના બાળકોનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6746b163c1f7f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6746b16389bd3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6746b16389bd3.jpg" length="95569" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jabalpur News, Dalit Crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>બોરસદમાં 118 જેટલા સામાજિક આગેવાનોએ મળી બંધારણ દિવસ ઉજવ્યો</title>
                    <link>https://khabarantar.com/around-118-social-leaders-celebrated-constitution-day-in-borsad</link>
                    <guid>https://khabarantar.com/around-118-social-leaders-celebrated-constitution-day-in-borsad</guid>
                    <description>
                        <![CDATA[ વંચિત વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આણંદ અને ખેડા જિલ્લાના તમામ તાલુકાના વિવિધ ગામોમાંથી 118થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૬ નવેમ્બરના રોજ વંચિત વિકાસ સંગઠન બોરસદ દ્વારા બોરસદ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે, તેમાં આણંદ તથા ખેડા જિલ્લાના બોરસદ, પેટલાદ, ખંભાત, તારાપુર, આંકલાવ, ઠાસરા અને ગળતેશ્વર સહિતના તમામ તાલુકાઓના જુદાજુદા ગામોમાંથી ૧૧૮થી વધુ સામાજિક આગેવાન ભાઈ - બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_674696af55860.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ઉજવણીની શરૂઆત સવારે ૧૦:૦૦ વાગે મૌન રેલી સ્વરૂપે બોરસદ સારથીનગર ખાતેથી નીકળી હતી. રેલીમાં નાના બાળકો ડૉ.બાબા સાહેબ, સાવિત્રીબાઈ ફૂલે, ફાતિમા શેખ અને પંડિત જવાહરલાલ નહેરૂના પહેરવેશ સાથે જોડાયા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સારથીનગરથી અંદાજિત એક કી.મી. પગપાળા ચાલીને રેલી સ્ટેશન રોડ પર આવેલ બાબા સાહેબની પ્રતિમાએ પહોંચી હતી જ્યાં વંચિત વિકાસ સંગઠન બોરસદના કન્વીનર ડૉ.રમણ માધવ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ચઢાવવામાં આવ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_674696b0b3726.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રસંગે સામૂહિક રીતે બંધારણના આમુખનું પઠન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી પરત સારથીનગર આવી હતી જ્યાં બંધારણ દિનને ધ્યાનમાં રાખીને હિર શ્રીમાળી, યાસ્મીન સૈયદ, ડૉ.રમણ માધવ ફાધર જોન કેનેડી, નગીનભાઇ મકવાણા દ્વારા પ્રવચનો કરવામાં આવ્યા હતાં. બંધારણ પ્રતિ લોકજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી ક્વિઝ કોમ્પીટીશન પણ યોજવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-words-socialist-and-secular-will-not-be-removed-from-the-preamble-of-the-constitution">બંધારણના આમુખમાં 'સમાજવાદી' અને 'સેક્યુલર' શબ્દ નહીં હટે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 09:56:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1609</Articleid>
                    <excerpt>વંચિત વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આણંદ અને ખેડા જિલ્લાના તમામ તાલુકાના વિવિધ ગામોમાંથી 118થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674696b00fbbf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674696afcf058.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674696afcf058.jpg" length="149908" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Constitution Day Celebration, Borsad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>મુસ્લિમ સંસ્થાએ દબદબાભેર બંધારણ દિવસની ઉજવણી કરી</title>
                    <link>https://khabarantar.com/muslim-organization-celebrates-constitution-day-with-promp</link>
                    <guid>https://khabarantar.com/muslim-organization-celebrates-constitution-day-with-promp</guid>
                    <description>
                        <![CDATA[ ઉર્જાઘર સંસ્થા દ્વારા ક્રેસન્ટ સ્કૂલના સહયોગથી શાળામાં બંધારણના 75માં વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરે તૈયાર કરેલા ભારતના બંધારણને 75 વર્ષ પૂરા થયા છે. આ ઐતિહાસિક ક્ષણની યાદમાં દેશભરમાં બંધારણને લગતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે અમદાવાદ સ્થિત ઉર્જાઘર સંસ્થા દ્વારા ક્રેસન્ટ સ્કૂલના સહયોગથી શાળામાં બંધારણના 75માં વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોમ્યુટિની - ધ યુથ કલેક્ટિવ અને વાર્તાલિપિના સહયોગથી શાળામાં 'સંવિધાન લાઈવ પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું જે એક રમતના સ્વરૂપમાં હતી. જેને રમીને યુવા વિદ્યાર્થીઓ મનોરંજક રીતે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીને કાર્યો કરે છે, શીખે છે અને બંધારણને તેમના રોજિંદા જીવન સાથે જોડે છે. આ રમતમાં યુવાનો અનુભવ આધારિત શિક્ષણ મેળવવાના હેતુથી ભારતીય બંધારણમાં દર્શાવેલ મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજોને આધારે કાર્યો કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કર્યું હતું અને બંધારણીય મૂલ્યોને મજબૂત કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67469856e9f1e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉર્જાઘર સંસ્થા વતી સંસ્થાના ડાયરેક્ટર વકાર કાઝી અને શકીલ શેખે ભારતીય બંધારણ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની જવાબદારી' અને ક્રેસન્ટ સ્કૂલના આચાર્ય અબ્દુલ કય્યુમ સાહેબે 'અભ્યાસની સાથે સક્રિય નાગરિકતાની જરૂરિયાત' વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરના દિવસે ઉજવાયો 'બંધારણ દિવસ' દરેક ભારતીય નાગરિક માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. બંધારણ વિના કોઈ દેશ ચાલી શકે નહીં. તે બંધારણ જ છે જે ભારતની 140 કરોડની વસ્તી, કે જે વિવિધ ધર્મો અને જાતિઓમાં વહેંચાયેલી છે તેને એક દેશના નાગરિકની ઓળખ સાથે એક કરે છે. બંધારણમાં જ દેશના સિદ્ધાંતો અને તેને ચલાવવાની પદ્ધતિઓ સામેલ છે. બંધારણ દ્વારા આપવામાં આવેલ મૂળભૂત અધિકારો આપણી ઢાલ તરીકે કામ કરે છે અને આપણને આપણા અધિકારો આપે છે, જ્યારે કે તેમાં આપવામાં આવેલ મૂળભૂત ફરજો આપણને આપણી જવાબદારીઓનું પણ સ્મરણ કરાવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણી પાસે આપણું પોતાનું કોઈ બંધારણ નહોતું. બંધારણ વિના દેશ ચલાવી શકાય નહીં તેમ સમજી ચૂકેલા આઝાદ ભારતના સમજુ નેતાઓએ દેશનું બંધારણ ઘડવાની જવાબદારી ડો.આંબેડકરને સોંપી હતી અને તેમણે તેને સુપેરે નિભાવીને ભારતને દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ તૈયાર કરીને આપ્યું હતું. ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા. તેમની એકલપંડની મહેનતને કારણે જ તેમને બંધારણના એકમાત્ર ઘડવૈયા કહેવામાં આવે છે. બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. તે 26મી નવેમ્બર, 1949 ના રોજ પૂર્ણ થયું અને અપનાવવામાં આવ્યું. એ પછી 26મી જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/police-officials-and-the-government-came-together-to-paralyze-the-atrocities-act">પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 09:32:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1610</Articleid>
                    <excerpt>ઉર્જાઘર સંસ્થા દ્વારા ક્રેસન્ટ સ્કૂલના સહયોગથી શાળામાં બંધારણના 75માં વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67469857a1009.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674698576bc04.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674698576bc04.jpg" length="140001" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Urjaghar Institute, Crescent School, Celebrates Constitution Day</media:keywords>
                </item>
                        <item>
                    <title>જન હિતના કોઈપણ કામ માટે &amp;apos;ફ્રી હેન્ડ&amp;apos; એ બંધારણનું હાર્દ : મુખ્યમંત્રી</title>
                    <link>https://khabarantar.com/free-hand-for-any-work-of-public-interest-is-the-heart-of-the-constitution-chief-minister</link>
                    <guid>https://khabarantar.com/free-hand-for-any-work-of-public-interest-is-the-heart-of-the-constitution-chief-minister</guid>
                    <description>
                        <![CDATA[ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, સચિવોએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું, ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગર ખાતે ૨૬ નવેમ્બરે બંધારણના અંગીકરણના ૭૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું હતું કે, બંધારણને માત્ર પુસ્તક સ્વરૂપે ન જોતા તેના રાષ્ટ્રહિત સર્વોપરિના ભાવને આપણી જીવન શૈલી બનાવીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા.૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ અંગીકાર થયેલા આપણા બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રહિત ભાવના ઉજાગર કરવા સમગ્ર દેશમાં ૨૦૧૫થી દર વર્ષે ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષે બંધારણના ઘડતરના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે તે સંદર્ભમાં “હમારા સંવિધાન, હમારા સ્વાભિમાન” થીમ સાથે અમૃતકાળનો આ બંધારણ દિવસ દેશભરમાં ઉજવાયો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી અન્વયે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સૌએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6745e35b21ff5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીયતા આપણો ધર્મ છે તો બંધારણ આપણો ધર્મગ્રંથ છે એટલું જ નહીં, નાગરિક ધર્મ નિભાવવામાં આ બંધારણ આપણા સૌનું પથદર્શન કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જનહિતના કોઈપણ કામ માટે 'ફ્રી હેન્ડ' એ આપણા બંધારણનું હાર્દ છે. આ ઉપરાંત ‘વી ધ પીપલથી’ શરૂ થતું બંધારણ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની ભાવના પણ સાકાર કરનારું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણ અને સ્વીકારમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુન્શી,  હંસાબેન મહેતા જેવા ગરવા ગુજરાતીઓના પ્રદાનનું પણ સ્મરણ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અગાઉ બંધારણ દિવસની ઉજવણી રૂપે યુવાશક્તિને રાષ્ટ્રહિત સ્વાભિમાન માટે પ્રેરિત કરી “હમારા સંવિધાન, હમારા સ્વાભિમાન” સૂત્ર સાથેની સંવિધાન ગૌરવ પદયાત્રાને પ્રસ્થાન કરાવીને પોતે પણ પદયાત્રામાં જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અગાઉ સેન્ટ્રલ વિસ્ટા ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને મંત્રીઓએ બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ વિકસિત ભારત યંગ લીડર ડાયલોગના પોસ્ટરનંડ લોન્ચિંગ પણ કર્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન ગૌરવ પદયાત્રાને પ્રસ્થાન કરાવીને પોતે પણ પદયાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રામાં ગાંધીનગર શહેરની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, એન.વાય.કે.એસ.ના કર્મીઓ, સ્વૈચ્છિક સંગઠનો તથા નાગરિકો જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-blindfold-of-the-goddess-of-justice-came-off-the-constitution-replaced-the-sword-in-her-hand">ન્યાયની દેવીની આંખેથી પટ્ટી ઉતરી, હાથમાં તલવારને બદલે બંધારણ અપાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Nov 2024 20:40:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1608</Articleid>
                    <excerpt>ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બંધારણ દિવસની ઉજવણી કરાઈ. મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, સચિવોએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું,</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6745e330b07ab.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6745e3307a426.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6745e3307a426.jpg" length="96896" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Constitution Day Celebration, Preamble of the Constitution, Gandhinagar News</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ભારતનું બંધારણ ઉપલબ્ધ</title>
                    <link>https://khabarantar.com/now-the-constitution-of-india-is-available-in-sanskrit-and-maithili-languages-too</link>
                    <guid>https://khabarantar.com/now-the-constitution-of-india-is-available-in-sanskrit-and-maithili-languages-too</guid>
                    <description>
                        <![CDATA[ ભારતીય બંધારણના નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા પર તે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Now the Constitution of India is available in Sanskrit and Maithili languages ​​too : ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ વાંચી શકાશે. આજે બંધારણના નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ બંને ભાષાઓમાં ભારતીય બંધારણની નકલો બહાર પાડવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા હતા, જ્યારે બંને ગૃહોના સ્પીકર, પીએમ નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. બંધારણ દિવસ પર એક ખાસ ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો છે. આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ બંધારણ દેશને તેજસ્વી લોકોની ભેટ છે. તેણે દેશની વિવિધતાને અભિવ્યક્તિ આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રપતિએ કહ્યું કે છેલ્લા 75 વર્ષોમાં આપણો દેશ વિશ્વબંધુ તરીકે ઉભરી આવ્યો છે. આજે કૃતજ્ઞ રાષ્ટ્ર તેના બંધારણના નિર્માતાઓને વંદન કરે છે. આપણે આ સમયગાળા દરમિયાન ઘણી પ્રગતિ કરી છે અને હવે મહિલા સશક્તિકરણ તરફ આગળ વધ્યા છીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન રાષ્ટ્રપતિએ મહિલા સાંસદોના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે અમારી સરકારે આવશ્યક જાહેર સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આપણા બંધારણનો એ જ હેતુ એ છે કે કાર્યપાલિકા, ન્યાયતંત્ર અને ધારાસભાએ સામાન્ય લોકોના હિત માટે સાથે મળીને કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે બધા રાષ્ટ્રના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સાથે છીએ અને વિવિધતામાં એકતા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ સાથે જોવા મળ્યાં. બંધારણની મૈથિલી અને સંસ્કૃતિ નકલના વિમોચન દરમિયાન જ્યારે પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સાથે મંચ પર હતા, ત્યારે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જેવા વિપક્ષી નેતાઓ પણ હાજર હતા. આ સિવાય બંને ગૃહોના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પણ મંચ પર જોવા મળ્યા. 75માં સંવિધાન દિવસ નિમિત્તે ખાસ સ્ટેમ્પ અને સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે બંધારણ દિવસના અવસર પર ગૃહની સામાન્ય કાર્યવાહી નથી થઈ રહી પરંતુ બંનેનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તમામ સભ્યો પાસે બંધારણની પ્રસ્તાવનાનું વાંચન પણ કરાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Constitution-Day-Special:-Know-what-fundamental-rights-the-Constitution-of-India-gives-us">બંધારણ દિવસ વિશેષઃ જાણો ભારતનું બંધારણ આપણને ક્યા મૂળભૂત અધિકારો આપે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Nov 2024 16:01:51 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 26 Nov 2024 16:05:22 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1607</Articleid>
                    <excerpt>ભારતીય બંધારણના નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા પર તે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67459f81c7bab.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67459f8196508.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67459f8196508.jpg" length="71395" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>constitution of india, sanskrit, maithili languages, 75th constitution day</media:keywords>
                </item>
                        <item>
                    <title>હોટલોમાં ઘૂસી યુવતીઓના વીડિયો બનાવતો વિશ્વ હિંદુ મહાસંઘનો નેતા ઝડપાયો</title>
                    <link>https://khabarantar.com/vishwa-hindu-mahasangh-leader-caught-making-videos-of-girls-entering-hotel</link>
                    <guid>https://khabarantar.com/vishwa-hindu-mahasangh-leader-caught-making-videos-of-girls-entering-hotel</guid>
                    <description>
                        <![CDATA[ હિન્દુ સંગઠનની આડમાં ટોળકી યુવતીઓની છેડતી કરતી હતી અને પશુઓ ભરેલી ગાડીઓને જે તે વિસ્તાર પાર કરાવવા ખંડણી વસૂલતી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હોટેલો પર દરોડા પાડવા, રૂમ ખોલીને અંદર જોવું, ત્યાં આવતા પ્રેમીપંખીડાઓનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવવા, છોકરીઓને હાથ પકડીને ખેંચવી, હોટલ માલિકને ધમકાવી ખંડણી માંગવી - આ તમામ ગુનાઓ અંતર્ગત યુપીના બદાયૂમાં વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા પ્રમુખ વિશાલ ઠાકુર સહિત છ સામે નામજોગ અને ત્રણ અજાણ્યા તત્વો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બદાયૂના કબૂલપુરની છે. અહીં હિન્દુ સંગઠનની આડમાં આ ટોળકી ઘણા દિવસોથી યુવતીઓની છેડતી અને ખંડણીનો ધંધો કરતી હતી અને તેમની સામે કાર્યવાહી કરાઈ છે. ભૂતકાળમાં મળેલી ફરિયાદના આધારે પણ પોલીસે આ કાર્યવાહી કરી છે. આમાં કેટલાક કહેવાતા મીડિયાકર્મીઓ પણ સામેલ છે. પોલીસે વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા પ્રમુખ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના કબુલપુર વિસ્તારના રહેવાસી ધર્મેન્દ્ર કુમારની સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના પટેલ ચોક પાસે મિડટાઉન હોટેલ છે. જેમાં તેઓ ઓનલાઈન હોટલ બૂકિંગ સર્વિસ ઓયેની ફ્રેન્ચાઈઝી ધરાવે છે. પોલીસને ફરિયાદ આપતાં ધર્મેન્દ્રએ કહ્યું કે ગુરુવારે કેટલાક લોકો હોટલના રૂમમાં રોકાયા હતા. નિયમો અનુસાર, તેમને તેમના ઓળખ કાર્ડ વગેરે સબમિટ કર્યા પછી જ રૂમ આપવામાં આવ્યા હતા. રૂમમાં રહેલા તમામ લોકો પુખ્ત વયના હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દાદાગીરી કરી હોટલના રૂમમાં પ્રવેશી ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદીએ જણાવ્યું કે, બપોરે વિશાલ ઠાકુર, કરણ પટેલ, તેજેન્દ્ર કુમાર, બબલુ અને અન્ય ચાર-પાંચ લોકો આવ્યા અને હોટલના રૂમમાં રોકાયેલા ગ્રાહકોના ઓળખ કાર્ડ દાદાગીરી કરીને ચેક કરવા લાગ્યા. જ્યારે ગ્રાહકોએ વિરોધ કર્યો તો તેઓ બળજબરીથી તેમના રૂમમાં પ્રવેશ્યા અને તેમના આઈડી ચેક કર્યા. તમામ ગ્રાહકોના આઈડી ચેક કર્યા બાદ પણ તેમણે છેડતીના ઈરાદે ત્યાં આવેલી યુવતીઓનો હાથ પકડી લીધો હતો. એ પછી ગાળો ભાંડી ધમકીઓ આપવા લાગ્યા. આ ગેંગે પોતાના મોબાઈલમાં ગ્રાહકોનો વીડિયો બનાવી લીધો હતો અને તેને વાયરલ કરી દેવાની ધમકી આપવા લાગ્યા હતા. હોટલમાં કેટલાક કપલ્સ પણ રોકાયેલા હોવાથી તેમને ધમકાવવાનું શરૂ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વીડિયો વાયરલ ન કરવા માટે પૈસાની માંગણી કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે આ લોકોએ કપલ્સને કહ્યું હતું કે, જો તમે ઈચ્છો છો કે વીડિયો વાયરલ ન થાય તો રૂપિયા આપો. ફરિયાદના આધારે પોલીસે વિશાલ ઠાકુર, કરણ પટેલ, તેજેન્દ્ર કુમાર, બબલુ અને અજાણ્યા વિરુદ્ધ FIR નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વિશાલ ઠાકુર, અમિત પિપ્પલ અને કરણ પટેલનો સમાવેશ થાય છે, જે પોતાને વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા પ્રમુખ કહે છે. ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેટલાક સાગરિતો હજુ પણ ફરાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિવિલ લાઇન્સના ઇન્સ્પેક્ટર સંજય સિંહે જણાવ્યું કે આરોપીઓએ હોટલમાં દરોડા પાડવાનો વીડિયો પણ સર્ક્યુલેટ કર્યો છે. જેમાં યુવતીઓનો હાથ પકડનારો બબલુ અને અન્ય કેટલાક લોકો જોવા મળે છે. આ તમામ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. પોલીસે FIR નોંધાયા બાદ તપાસ શરૂ કરી અને વીડિયો તથા CCTV ફૂટેજના આધારે વધુ બે નામ ઉમેર્યા છે. જેમાં અમિત પિપ્પલ પહેલેથી જ પોલીસને મળી આવ્યો હતો. જ્યારે અજયની શોધખોળ ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિંદુ સંગઠન અને ગૌરક્ષક દળની આડમાં કાળા કામો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આ મામલે અન્ય કેટલાક આરોપીઓની ઓળખ કરી છે, પરંતુ તેમના નામ મળી શક્યા નથી. થોડા દિવસો પહેલા વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા પ્રમુખ વિશાલ ઠાકુરનો ઓડિયો અને વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. ઓડિયોમાં તે પશુઓના વેપારી સાથે વાત કરી રહ્યો હતો. આ સાથે સ્ક્રીન શોટ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં દસ હજાર રૂપિયા નાખવામાં આવ્યા હતા. ઓડિયોમાં પશુઓ ભરેલા વાહનોને બહાર કાઢવા માટેની વાત ચાલી રહી હતી. એ પછી આ ગેંગ પર આરોપો લાગ્યા હતા કે તેઓ હિંદુ સંગઠન અને ગૌરક્ષક દળની આડમાં પશુઓની હેરાફેરી કરતી ગાડીઓને જે તે વિસ્તારમાંથી કઢાવવાનું કામ કરે છે. તેમ છતાં પોલીસે તે સમયે કોઈ કાર્યવાહી કરી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/now-to-indulge-the-dalits-the-vishwa-hindu-parishad-will-go-and-eat-at-their-homes">હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Nov 2024 13:07:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1606</Articleid>
                    <excerpt>હિન્દુ સંગઠનની આડમાં ટોળકી યુવતીઓની છેડતી કરતી હતી અને પશુઓ ભરેલી ગાડીઓને જે તે વિસ્તાર પાર કરાવવા ખંડણી વસૂલતી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674579bfcd148.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674579bf8d839.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674579bf8d839.jpg" length="84381" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vishwa Hindu Mahasangh, Badayu, Kabulpur</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમરેલીના ચિત્તલમાં આજે સંવિધાન સન્માન મહોત્સવ ઉજવાશે</title>
                    <link>https://khabarantar.com/constitution-respect-festival-to-be-celebrated-in-chital-amreli-today</link>
                    <guid>https://khabarantar.com/constitution-respect-festival-to-be-celebrated-in-chital-amreli-today</guid>
                    <description>
                        <![CDATA[ 75માં બંધારણ અર્પણ દિવસ નિમિત્તે રાજરત્ન ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જાણો  શું છે તેની વિશેષતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ ભારતને લોકશાહી વ્યવસ્થાની અણમોલ ભેટ આપનાર મહાનાયક ડો.આંબેડકરે બંધારણ સભાની ડ્રાફ્ટિંગ સમિતિના ચેરમેન પદ પરથી ભારતના બંધારણની રચના કરીને 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ દેશને અર્પણ કર્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને આજે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ભારતભરમાં બહુજન સમાજ દ્વારા તેની અલગ અલગ રીતે ઉજવણીઓ થઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક અનોખી ઉજવણી અમરેલી જિલ્લાના ચિત્તલમાં આજે થવા જઈ રહી છે. જ્યાં રાજરત્ન ફાઉન્ડેશન દ્વારા સંવિધાન સન્માન મહોત્સવ 2024-25નું આયોજન કરવામાં આવ્યું છે. 75માં બંધારણ અર્પણ દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં જૂનાગઢ, અમરેલી અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભીમયોદ્ધાઓ ઉમટી પડશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67456159d8f83.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે રાત્રે 9.00 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં બહુજન સમાજના બે તેજસ્વી યુવા વક્તાઓ આયુ. મયૂર વાઢેર અને આયુ. ડૉ. ભાવિન પરમાર મુખ્ય વક્તવ્ય આપશે. આ સાથે જ વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશન કાથડની ભીમ સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી યુવા વર્ગ મોટી સંખ્યામાં ઉમટી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમમાં ભીમપુત્રી સ્વરા વાણવીને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને તે પણ પોતાની વાતોથી ઉપસ્થિત ભીમબંધુઓને મહાનાયક ડો.આંબેડકરના કાર્યોને યાદ કરાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમમાં પોતાની આદિવાસી કળાને કારણે સોશિયલ મીડિયાથી જાણીતા બનેલા અર્ધનારી પાયલ રાઠવા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમ વિશે વધુ જાણકારી મેળવવા માટે આપ રાજરત્ન ફાઉન્ડેશન ચિત્તલ દ્વારા આપવામાં આવેલા 96871 52635, 81603 84544 પર સંપર્ક કરી શકો છો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/around-50-youth-from-rajaratna-foundation-voted-together">રાજરત્ન ફાઉન્ડેશનના 50 જેટલા યુવાનોએ એકસાથે મતદાન કર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Nov 2024 11:24:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1605</Articleid>
                    <excerpt>75માં બંધારણ અર્પણ દિવસ નિમિત્તે રાજરત્ન ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જાણો  શું છે તેની વિશેષતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674561418a67b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6745614141069.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6745614141069.jpg" length="79644" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Constitution Day, Dr. Ambedkar, Rajaratna Foundation</media:keywords>
                </item>
                        <item>
                    <title>બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અંતિમ ભાષણ</title>
                    <link>https://khabarantar.com/dr-babasaheb-ambedkars-last-speech-in-the-constituent-assembly</link>
                    <guid>https://khabarantar.com/dr-babasaheb-ambedkars-last-speech-in-the-constituent-assembly</guid>
                    <description>
                        <![CDATA[ દીર્ઘદ્રષ્ટા ડો.આંબેડકરે બંધારણ સભામાં પોતાના અંતિમ ભાષણમાં આપેલી ચેતવણીઓ સાચી સાબિત થઈ રહી છે. વાંચો મહાનાયક આંબેડકરના ભાષણના એ અંશો જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિદાયત પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોતરફથી ડો.આંબેડકરે લખેલા બંધારણ પર હુમલા વચ્ચે આજે બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ડો.આંબેડકરે બંધારણ સભામાં પોતાના અંતિમ ભાષણમાં કહેલા શબ્દો ફરીથી ગાંઠે બાંધવા પડશે. વાંચો મહાનાયક ડો.આંબેડકરે બંધારણ સભામાં પોતાના ઐતિહાસિક અંતિમ ભાષણમાં શું કહ્યું હતું તે જાણીએ.</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણ સભાના અધયક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 26 નવેમ્બર, 1949ના દિને કરેલા અંતિમ સંબોધન બાદ ભારતીય બંધારણના ઘડતરનું કાર્ય સંપન્ન થયું. તેના એક દિવસ અગાઉ 25 નવેમ્બર, 1949 ના દિવસે ડૉ. આંબેડકરે બંધારણ સભામાં કરેલ છેલ્લું સંબોધન યાદગાર છે. આપણે ત્યાં ગાંધીજી, નહેરૂએ કરેલા ભાષણોને મીડિયામાં જેટલી પ્રસિદ્ધી મળતી રહે છે, તેની સરખામણીએ ડો.આંબેડકરે બંધારણ સભામાં કરેલું અંતિમ ભાષણ અનેક રીતે મહત્વનું, તાર્કિક અને ઐતિહાસિક હોવા છતાં મનુમીડિયા તેને અવગણે છે. ત્યારે ડો.આંબેડકરે તે દિવસે શું કહેલું તે સમજીએ. બાબાસાહેબે કહેલુંઃ</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“મારા અભિપ્રાય મુજબ, બંધારણ ભલે ગમે તેટલું સારું હોય, તો પણ તેના અમલની જવાબદારી જેના પર છે, તે જો ઈમાનદાર ન હોય, તો બંધારણ ખરાબ પુરવાર થઈ શકે છે. તે જ રીતે બંધારણ ગમે તેટલું ખરાબ હોય, તો પણ તેના અમલની જવાબદારી જેમના પર છે, તેઓ જો ઈમાનદાર હોય, તો બંધારણ સારું પુરવાર થશે જ. બંધારણનો અમલ પૂર્ણત: બંધારણના સ્વરૂપ પર આધારિત નથી. બંધારણીય સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર જેવા રાજ્યના વિભાગો અસ્તિત્વમાં આવે છે. રાજ્યના આ વિભાગોનું કાર્ય લોકો અને લોકો દ્વારા તેમની અપેક્ષાઓ અને રાજનીતિ માટે સાધનના રૂપમાં રચાયેલ રાજકીય પક્ષ, તેના પર આધારિત છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/had-it-not-been-for-dr-ambedkar-the-struggle-of-phule-couple-would-have-been-buried-in-history">ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"માત્ર બાહ્ય સ્વરૂપમાં નહિ, પરંતુ વાસ્તવમાં લોકતંત્ર અસ્તિત્વમાં આવે તેવી આપણી ઇચ્છા હોય તો આપણે શું કરવું જોઈએ? મારા મત મુજબ સૌ પ્રથમ આવશ્યક બાબત એ છે કે આપણે સામાજિક અને આર્થિક ઉદ્દેશોની પૂર્તિ માટે આપણે વૈધાનિક માર્ગનો જ આશ્રય લેવો જોઈએ. એટલે કે ક્રાંતિનો લોહિયાળ રસ્તો આપણે એક તરફ ત્યજી દેવો જોઈએ. એટલે કે કાનૂન ભંગ, અસહકાર અને સત્યાગ્રહ જેવા માર્ગોથી આપણે દૂર રહેવું જોઈએ. જ્યારે આર્થિક અને સામાજિક ઉદ્દેશોની પૂર્તિ માટે વૈધાનિક માર્ગ જેવો કોઈ અન્ય માર્ગ બાકી રહેતો ન હતો, ત્યારે આપણે ત્યાં અવૈધાનિક માર્ગનું મોટા પ્રમાણમાં સમર્થન કરવામાં આવતું હતું, પરંતુ જ્યારે વૈધાનિક માર્ગો ઉપલબ્ધ છે, ત્યારે અવૈધાનિક માર્ગનું સમર્થન કરી શકાય નહીં. આ અવૈધાનિક માર્ગ બીજું કંઈ નહિ પરંતુ અરાજકતાનું વ્યાકરણ છે. અને જેટલી જલ્દીથી આપણે તેમને દૂર કરીએ, તેટલું જ આપણા હિતમાં છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"બીજી મહત્ત્વની બાબત એ છે કે લોકતંત્રમાં આસ્થા ધરાવનાર લોકોએ જહોન સ્ટુઅર્ટ મિલે ઉચ્ચારેલી ચેતવણી યાદ રાખવી જોઈએ, “લોકોએ પોતાનું સ્વાતંત્ર્ય બીજી કોઈ વ્યક્તિ ગમે તેટલી મહાન હોય તો પણ, તેમના ચરણોમાં સમર્પિત કરી દેવું જોઈએ નહિ. સાથે તેના પર એટલો વિશ્વાસ પણ મૂકી દેવો ન જોઈએ કે જેનાથી આપણને મળેલા અધિકારોનો નાશ થાય.' પોતાનું જીવન સંપૂર્ણપણે દેશ સેવામાં અર્પણ કરનાર મહાપુરુષો તરફ કૃતજ્ઞતા પ્રગટ કરવાનું અનુચિત નથી, પરંતુ કૃતજ્ઞતા પ્રગટ કરવાની પણ એક મર્યાદા હોવી જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"આયરીશ દેશભક્ત ડેનિયલ ઓકોનેલે યોગ્ય જ કહ્યું છે - “કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વાભિમાનનું બલિદાન આપીને કૃતજ્ઞતા પ્રગટ કરી શકતી નથી, કોઈ પણ મહિલા પોતાના શીલનું બલિદાન આપીને કૃતજ્ઞતા પ્રગટ કરી શકતી નથી. અન્ય દેશોની સરખામણીમાં ભારતે આ ચેતવણી તરફ ધ્યાન આપવાનું વિશેષ જરૂરી છે. કારણ કે ભારતની ભક્તિ અથવા ભક્તિ માર્ગ અથવા વ્યક્તિ પૂજા જેટલા પ્રમાણમાં ભારતની રાજનીતિમાં દેખાય છે, તેટલા પ્રમાણમાં અન્ય કોઈ દેશની રાજનીતિમાં જોવા મળતી નથી. ધર્મની ભક્તિ આત્માની મુક્તિ માટેનો માર્ગ હોઈ શકે છે, પરંતુ રાજનીતિમાં ભક્તિ અથવા વ્યક્તિ પૂજા અધ:પતન અને તાનાશાહી તરફ દોરી જનારો નિશ્ચિત માર્ગ છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkars-11-visits-to-gujarat-and-lectures-delivered-in-gujarati">ડૉ. આંબેડકરની ગુજરાતની 11 મુલાકાતો અને ગુજરાતીમાં આપેલું પ્રવચન</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"ત્રીજી વાત આપણે એ યાદ રાખવાની છે કે માત્ર રાજકીય લોકતંત્ર પર આપણે મન મનાવી લેવાનું નથી. આપણા રાજકીય લોકતંત્રનું આપણે એક સામાજિક લોકતંત્રમાં પરિવર્તન કરવું જ જોઈએ. રાજકીય લોકતંત્રના મૂળમાં સામાજિક લોકતંત્રનો આધાર ન હોય તો તે વધુ વખત ટકી શકે નહીં."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"સામાજિક લોકતંત્ર શું છે? તે એક જીવન માર્ગ છે, જે સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુતાને જીવન તત્ત્વના રૂપમાં માન્યતા આપે છે. સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુતા, આ ત્રણેયનો અલગ અલગ વિચાર કરી શકાય નહીં. સમાનતાથી સ્વાતંત્ર્ય અલગ નથી. સમાનતા વિના સ્વાતંત્ર્ય સંભવ નથી. બંધુત્વ વગર સ્વાતંત્ર્ય અને સમાનતા સ્વાભાવિક રીતે અસ્તિત્વમાં હોતી નથી. ભારતના સમાજમાં બે બાબતોની પૂર્ણ ગેરહાજરી છે. તેમાંની એક સમાનતા છે. સામાજિક ક્ષેત્રમાં આપણો સમાજ અનેક વિષમતાઓથી ભરપૂર છે. એટલે કે કેટલાક લોકો ઊંચા સ્તરે છે તો બાકીના લોકો નિકૃષ્ઠ અવસ્થામાં છે. આર્થિક ક્ષેત્રમાં આપણા સમાજમાં કેટલાક લોકો પાસે વિપુલ સંપત્તિ છે. તો અનેક લોકો ધૃણાસ્પદ ગરીબીમાં જીવન ગુજારી રહ્યા છે. 26 જાન્યુઆરી, 1950 ના દિવસે આપણે એક વિસંગતીપૂર્ણ જીવનમાં પ્રવેશ કરવાના છીએ, રાજકીય રીતે આપણે સમાનતા સિદ્ધ કરીશું, પરંતુ સામાજિક અને આર્થિક જીવનમાં વિષમતા રહેશે. રાજકીય રીતે દરેક વ્યક્તિ એકમત અને દરેક મતનું સમાન મૂલ્ય, આ સિદ્ધાંતને આપણે માન્યતા આપીશું. જ્યારે સામાજિક અને આર્થિક જીવનમાં આ માન્યતાનો આપણે ઇન્કાર કરીશું. આવા પરસ્પર વિરોધી જીવનમાં આપણે કેટલો સમય રહીશું. જો આપણે વધારે સમય તેને ઇન્કાર કરતા રહીશું, તો આપણું રાજકીય લોકતંત્ર પણ કપટી થયા વગર રહેશે નહિ. આ વિસંગત આપણે તત્કાળ દૂર કરવી જોઈએ. અન્યથા જેમણે આ વિષમતાના પરિણામો ભોગવ્યા છે, તેઓ આ બંધારણ સભા દ્વારા ખૂબ જ પરિશ્રમપૂર્વક નિર્માણ કરાયેલ રાજકીય લોકતંત્ર ઉખાડીને ફેંકી દેશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/mother-ramabai-to-dr-ambedkars-touching-historical-letter">માતા રમાબાઈને ડૉ. આંબેડકરનો હૃદયસ્પર્શી ઐતિહાસિક પત્ર</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"આપણી ક્ષતિની બીજી વાત એટલે કે બંધુત્વના તત્ત્વને માન્યતા આપવાની છે. બંધુત્વ શું છે ? જો ભારતીય લોકો એક બને, તો તમામ ભારતીયોમાં સમાન ભાવના પેદા થાય તે બંધુત્વ છે. આ તત્ત્વ સામાજિક જીવનને એકતા આપે છે. બંધુત્વ પ્રાપ્ત કરવાનું ઘણું કઠિન છે. આ કેટલું મુશ્કેલ છે, તે અમેરિકાની બાબતમાં જેમ્સ બ્રાઈસે વર્ણવેલી કથાથી ખ્યાલ આવશે. બ્રાઈસના શબ્દોમાં - </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘કેટલાક વર્ષો અગાઉ અમેરિકન પ્રોટેસ્ટ એટ એપિસ્કોપલ ચર્ચના ત્રિવાર્ષિક અધિવેશનમાં સમૂહ પ્રાર્થનામાં ફેરફાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો હતો. એમ વિચારાયું કે પ્રાર્થના નાના વાક્યોની બનાવીને તેમાં તમામ લોકો માટે ઉપયોગી પ્રાર્થનાનો સમાવેશ કરવામાં આવે. ન્યુ ઇંગ્લેન્ડના પ્રમુખ ધર્મોપદેશક કે શબ્દોનું સૂચન કર્યું, “હે પ્રભુ, અમારા રાષ્ટ્રને આશીર્વાદ આપો.' તે દિવસે આ શબ્દો સ્વીકારાય. તેના પર બીજા દિવસે ફરી વિચાર કરવામાં આવ્યો. બીજા દિવસે તેમાં “રાષ્ટ્ર” શબ્દ દૂર કરીને નવા શબ્દો એમ ઉમેરવામાં આવ્યા, “હે પ્રભુ, સંયુક્ત રાજ્યોને આશીર્વાદ આપો.' આ શબ્દોનો સ્વીકાર કરવામાં આવ્યો."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/while-sitting-under-the-banyan-tree-dr-ambedkar-choudhar-burst-into-tears">જ્યારે વડના ઝાડ નીચે બેસીને ડૉ. આંબેડકર ચોધાર આંસુએ રડેલાં...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે સમયે અમેરિકાના લોકોમાં એકતાની ભાવના એટલી ઓછી હતી કે તેમને એમ લાગતું ન હતું કે આપણે એક રાષ્ટ્ર છીએ. જો અમેરિકાના લોકોમાં પોતે એક રાષ્ટ્ર હોવાની ભાવના પેદા ન થતી હોય તો, ભારતીય લોકોમાં આ પ્રકારની ભાવના હોવાનું સંભવિત નથી. મારા મતે આપણે એક રાષ્ટ્ર હોવાની વાત પર વિશ્વાસ રાખવો એટલે કે જે અસ્તિત્વમાં નથી તેના અસ્તિત્વનો સ્વીકાર કરવા જેવું છે. હજારો જાતિઓમાં વિભાજિત લોકોનું રાષ્ટ્ર કેવી રીતે બની શકે ? સામાજિક અને માનસિક દૃષ્ટિથી આપણે આજે એક રાષ્ટ્ર નથી. તેનું ભાન આપણને જેટલું જલદી થાય, તેટલું આપણા હિતમાં છે. તેના પછી જ એક રાષ્ટ્ર હોવાની જરૂરિયાત પર આપણે ગંભીરતાથી વિચાર કરી શકીશું. આ ધ્યેય સુધી પહોંચવાનું ઘણું મુશ્કેલ છે. અમેરિકામાં જાતિ સમસ્યા નથી. ભારતમાં જાતિઓ છે. જાતિઓ રાષ્ટ્ર વિરોધી છે. પ્રથમ બાબત એ છે કે જાતિઓથી સમાજમાં વિભાજન થાય છે. કારણ કે જાતિ-જાતિમાં તિરસ્કાર અને ઘૃણાની ભાવના પેદા થાય છે. વાસ્તવમાં આપણે એક રાષ્ટ્ર બનવું હોવાની, આપણે આ બધી હરકતો ખતમ કરવી જોઈએ.રાષ્ટ્રનિર્માણ બાદ જ બંધુત્વ વાસ્તવમાં જોઈ શકાશે. બંધુત્વ વિના સમાનતા અને સ્વાતંત્ર્ય ઉપરના સ્તરનો બાહ્ય દેખાવ હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/80-years-ago-Dr.-What-did-Ambedkar-say-about-Indian-media-and-what-is-its-condition-today">80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમાં કોઈ શંકા નથી કે સ્વાતંત્ર્ય આનંદની બાબત છે, પરંતુ તેનાથી આપણે ભૂલવું જોઈએ નહિ કે સ્વાતંત્ર્યથી આપણી પણ મોટી જવાબદારીઓ ઊભી થાય છે. સ્વાતંત્ર્યના કારણથી આપણે ખરાબ બાબતોનું અંગ્રેજો પર દોષારોપણ કરી શકીશું નહી. સ્વાતંત્ર્ય બાદ ખરાબ ઘટનાઓ માટે આપણો આપણા સિવાય અન્ય કોઈને દોષિત ઠરાવી શકીશું નહિ. કંઈક અનુચિત બનવાની શંકા છે. સમય ઘણો ઝડપથી બદલાઈ રહ્યો છે. આપણા લોકો પણ નવા વિચારો અનુસરી રહ્યા છે. લોકો હવે ‘લોકોનું રાજ્ય' થી તંગ આવી ગયા છે. તેમને હવે’ લોકો માટે રાજ્ય' જોઈએ છે. રાજ્ય લોકોથી ચૂંટાયેલ છે કે કેમ તેની લોકોને ચિંતા નથી. બંધારણમાં આપણે “લોકોનું, લોકો માટે ચૂંટાયેલ રાજ્ય તંત્ર” તત્ત્વનું પાલન કર્યું છે અને આપણે તેની સુરક્ષા કરવાની છે. આપણે રસ્તામાં આવનારી મુશ્કેલીઓ ઓળખવી પડશે અને આપણે’ લોકો માટે બનેલી સરકાર' ને મહત્ત્વ આપવાની દિશા તરફ આગળ વધવું જોઈએ. તે માટે પહેલ કરવામાં આપણે નબળા પુરવાર થવા જોઈએ નહિ.દેશની સેવા કરવાનો આ એક માત્ર માર્ગ છે. બીજો કોઈ સારો માર્ગ હોવાની મને ખબર નથી.'</span><br><em><span style="font-size: 12pt;"><strong>(સૌજન્યઃ ચાલો જાણીએ આપણું ભવિષ્ય ભારતીય બંધારણ પુસ્તક (લેખક - અશ્વિનકુમાર ન. કારીઆ)</strong></span></em></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-those-11-days-dr-ambedkar-saw-the-true-character-of-a-civilized-city">એ 11 દિવસમાં ડૉ. આંબેડકરે 'સંસ્કારી નગરી'નું અસલી ચરિત્ર જોયું...</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Nov 2024 09:58:25 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 26 Nov 2024 10:11:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1604</Articleid>
                    <excerpt>દીર્ઘદ્રષ્ટા ડો.આંબેડકરે બંધારણ સભામાં પોતાના અંતિમ ભાષણમાં આપેલી ચેતવણીઓ સાચી સાબિત થઈ રહી છે. વાંચો મહાનાયક આંબેડકરના ભાષણના એ અંશો જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67454b693b384.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67454b69038ad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67454b69038ad.jpg" length="82157" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr babasaheb ambedkar, last speech, constituent assembly, Constitution Day, Dr. Ambedkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>રોહિત સમાજના ધર્મના ભાઈએ ગોસ્વામી બહેનનું લાખોનું મામેરું ભર્યું</title>
                    <link>https://khabarantar.com/rohit-samajs-religious-brother-cheated-goswami-sister-of-lakhs-of-ruoees</link>
                    <guid>https://khabarantar.com/rohit-samajs-religious-brother-cheated-goswami-sister-of-lakhs-of-ruoees</guid>
                    <description>
                        <![CDATA[ વડગામના સલેમકોટ ગામની ઘટના. ગોસ્વામી દીકરીને ભાઈ નહોતો, રોહિત સમાજના હોનહાર યુવાને ધર્મની બહેનનો પ્રસંગ સાચવ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો દલિત સમાજના યુવાનોને માત્ર ધિક્કાર અને અસ્પૃશ્યતાની નજરે જ જોવા ટેવાયેલા છે. ભાગ્યે જ એવું બનતું હશે કે કોઈ કથિત સવર્ણ જાતિનો વ્યક્તિ દલિત સમાજ સાથે સામાન્ય માણસ જેવો વ્યવહાર કરતા ખચકાતો ન હોય. પણ ઈતિહાસ સાક્ષી છે કે, દલિત સમાજ જ્યારે પણ સ્વમાન અને સમય સાચવી લેવાની વાત આવે ત્યારે કદી પાછું વળીને જોતો નથી, કે નથી રૂપિયાની પરવા કરતો. એવા ટાણે જે માહોલ સર્જાય છે તે કાયમ માટે ઈતિહાસ બની જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવી જ ઘટના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના એક ગામમાં બની છે. અહીં ગોસ્વામી સમાજની એક દીકરીને સગો ભાઈ ન હોવાથી તેણે રોહિત સમાજના યુવાનને ધર્મનો ભાઈ માન્યો હતો. બહેનના લગ્ન થઈ ગયા બાદ તેમની ભાણીના લગ્નનો પ્રસંગ આવી પહોંચ્યો અને રોહિત યુવાને જરાય પાછી પાની કર્યા વિના સૌ મોંમાં આંગળા નાખી જાય તેવું મામેરું ભરી બહેનનો પ્રસંગ સાચવી લઈને સગા ભાઈની ખોટ જરાય સાલવા દીધી નથી. આ ઘટનાએ સમગ્ર બનાસકાંઠા પંથકમાં વાહવાહી મેળવીને સામાજિક એકતાની દિશામાં એક મહત્વનું ઉદાહરણ પુરું પાડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે વડગામના સલેમકોટ ગામમાં રહેતી બહેનને માડીજાયો ભાઇ ન હોવાથી તેણે ગામના રોહિત સમાજના એક યુવકને ધર્મનો ભાઇ બનાવ્યો હતો. આ ધર્મના માનેલા ભાઈએ ભાણીના લગ્ન પ્રસંગે રૂપિયા 1.85 લાખનું મામેરૂ ભરી સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ ઘટનાની લોકો ચોમેર પ્રશંસા કરી રહ્યાં છે. યુવકે સમગ્ર પરિવાર સાથે જ્યારે મામા બની માનેલી બહેનના ઘરે ધામધૂમથી મામેરું ભર્યું હતું ત્યારે હાજર સૌ કોઈ હર્ષથી ઝૂમી ઉઠ્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડગામ તાલુકાના સલેમકોટ ગામે રહેતા કોકિલાબેન લાલગીરી ગૌસ્વામીને સગો ભાઈ નહોતો. આથી તેમણે ગામના નરસિંહભાઇ રામજીભાઈ પરમારને ધર્મના ભાઇ બનાવ્યા હતા. દરમિયાન બહેનના દિકરા અને દીકરીનો લગ્ન પ્રસંગ આવતાં નરસિંહભાઈએ તેમની ફરજ નિભાવી હતી. તેમણે પરિવારજનો કાન્તિલાલ, નાનજીભાઈ અને એમના લાલપુરા પરમાર કુટુંબીજનો સાથે મળીને કોકિલાબેનના ઘરે ગયા હતા. જ્યાં સોનાની વિંટી, બુટ્ટી, કપડાં તેમજ રોકડ રકમ આપી રૂપિયા 1,85,000નું મામેરૂ ભર્યુ હતું. આ પ્રસંગે કોકિલાબહેનની આંખોમાંથી હરખના આંસુ પણ સરી પડ્યા હતા. રોહિત સમાજના ધર્મના ભાઇએ બહેનને ત્યાં 1.85 લાખનું મામેરૂ ભર્યુ એ જાણીને સૌ કોઈ આ પરિવારના બે મોઢે વખાણ કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/The-Thakor-Samaj-of-Charadu-village-in-Kalol-filled-the-marriage-of-Valmiki-Samajs-daughter">કલોલના ચરાડુ ગામના ઠાકોર સમાજે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 25 Nov 2024 20:49:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1603</Articleid>
                    <excerpt>વડગામના સલેમકોટ ગામની ઘટના. ગોસ્વામી દીકરીને ભાઈ નહોતો, રોહિત સમાજના હોનહાર યુવાને ધર્મની બહેનનો પ્રસંગ સાચવ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6744943778ecb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674494374159b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674494374159b.jpg" length="105888" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vadgam News, Salemkot Village, Rohit Samaj, Mameru</media:keywords>
                </item>
                        <item>
                    <title>બંધારણના આમુખમાં &amp;apos;સમાજવાદી&amp;apos; અને &amp;apos;સેક્યુલર&amp;apos; શબ્દ નહીં હટે</title>
                    <link>https://khabarantar.com/the-words-socialist-and-secular-will-not-be-removed-from-the-preamble-of-the-constitution</link>
                    <guid>https://khabarantar.com/the-words-socialist-and-secular-will-not-be-removed-from-the-preamble-of-the-constitution</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટે બંધારણના આમુખમાંથી આ બંને શબ્દોને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે બંધારણ દિવસ પહેલા મોટો નિર્ણય આપતાં બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ 'સમાજવાદી' અને 'સેક્યુલર' શબ્દોને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. આ બંને શબ્દો 1976માં બંધારણના 42મા સુધારા પછી આમુખમાં સામેલ કરવામાં આવ્યા હતા. સીજેઆઈ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારે કહ્યું કે બંધારણના મૂળ તત્વને નુકસાન પહોંચાડ્યા વિના સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે 26 નવેમ્બર 1949 જેવું આમુખ બનાવવા માટે આ બે શબ્દોને આમુખમાંથી દૂર શકાય નહીં. એ વાત સાચી કે છે કે, 26 નવેમ્બર 1949ના બંધારણ આ દેશના લોકોને સોંપવામાં આવ્યું હતું. પરંતુ બંધારણના સ્વીકારની તારીખ કલમ 368 હેઠળ આપવામાં આવેલા અધિકારોને છીનવી શકે નહીં. ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, સામાજિક કાર્યકર્તા બલરામ સિંહ અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે 42માં સુધારા બાદ બંધારણના ઘડવૈયાઓના મૂળ દ્રષ્ટિકોણને ખતમ કરી દેવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, 'સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો 1976 માં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા અને તે હકીકતથી કોઈ ફરક પડતો નથી કે બંધારણ 1949માં અપનાવવામાં આવ્યું હતું...જો આ દલીલો, જે અગાઉના કેસોમાં પ્રભાવી હતી તેને સ્વીકારવામાં આવે તો તે બધા સુધારાઓને લાગુ પડશે.’</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુબ્રમણ્યમ સ્વામીએ તેમની અરજીમાં કહ્યું હતું કે બંધારણ અપનાવવાની તારીખે જે પ્રસ્તાવના હતી તેને બદલવામાં આવી હતી. એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે તેમને ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક’ શબ્દો સામે કોઈ વાંધો નથી પરંતુ જે ગેરકાયદેસર રીતે તેને બંધારણમાં સામેલ કરવામાં આવ્યા હતા તેના પર વાંધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/will-the-words-secular-and-socialist-remain-in-the-constitution-or-be-removed">‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો બંધારણમાં રહેશે કે દૂર થશે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 25 Nov 2024 20:26:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1602</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટે બંધારણના આમુખમાંથી આ બંને શબ્દોને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67448eed20191.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67448eece1878.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67448eece1878.jpg" length="108828" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>secular, socialis, Constitution</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડી.વાય. ચંદ્રચૂડનું નામ ઈતિહાસમાં કાળા અક્ષરોમાં લખાશે, કોર્ટો ICU માં છે...</title>
                    <link>https://khabarantar.com/d-y-chandrachuds-name-will-be-written-in-black-letters-in-history-the-courts-are-in-icu</link>
                    <guid>https://khabarantar.com/d-y-chandrachuds-name-will-be-written-in-black-letters-in-history-the-courts-are-in-icu</guid>
                    <description>
                        <![CDATA[ મહારાષ્ટ્રમાં હાર બાદ શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડ પર ગંભીર આરોપ લગાવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે ગઈકાલે પૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પર આકરા પ્રહારો કર્યા હતા. રાઉતે પૂર્વ સીજેઆઈ પર ગંભીર આરોપ લગાવ્યો કે તેમણે મહારાષ્ટ્રમાં પક્ષપલટો કરનારા નેતાઓના મનમાંથી કાયદાનો ડર દૂર કરી દીધો છે. રાઉતે દાવો કર્યો હતો કે પક્ષપલટુ નેતાઓની અયોગ્યતાની અરજીઓ પર નિર્ણય ન લઈને ચંદ્રચૂડે પક્ષપલટા માટે દરવાજા અને બારીઓ ખુલ્લી છોડી રાખી હતી. શિવસેના (UBT) નેતા રાઉતનું આ નિવેદન રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની કારમી હાર પછી આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ જ્યાં મહા વિકાસ અઘાડી (MVA) હેઠળ 95 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ માત્ર 20 બેઠકો જીતી શકી હતી.  મહા વિકાસ અઘાડીના અન્ય ગઠબંધન ભાગીદારોનું પ્રદર્શન પણ સારું નહોતું રહ્યું. કોંગ્રેસે 101 બેઠકોમાંથી માત્ર 16 બેઠકો જીતી હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદપવાર) 86 બેઠકોમાંથી માત્ર 10 જ જીતી શકી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે આરોપ લગાવ્યો કે, 'ચંદ્રચૂડે પક્ષપલટુઓના મનમાંથી કાયદાનો ડર દૂર કરી દીધો છે. તેમનું નામ ઇતિહાસમાં કાળા અક્ષરે લખવામાં આવશે.' </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2022માં અવિભાજિત શિવસેનાના ભાગલા બાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથે એકનાથ શિંદે સાથે પક્ષપલટો કરનારા પક્ષના ધારાસભ્યોની ગેરલાયકાતને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની ગેરલાયકાત અંગે નિર્ણય લેવાની જવાબદારી મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ પર છોડી દીધી હતી. એ પછી વિધાનસભા અધ્યક્ષે એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથને 'અસલી રાજકીય પક્ષ' જાહેર કર્યો હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાઉતે આક્ષેપ કર્યો હતો કે વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલાથી જ નક્કી થઈ ગયા હતા. તેમણે કહ્યું કે જો તત્કાલિન સીજેઆઈએ આ ધારાસભ્યોની ગેરલાયકાતની અરજીઓ પર સમયસર નિર્ણય કર્યો હોત તો આજે પરિણામ અલગ હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અદાલતો હવે ICUમાં છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજય રાઉતે કહ્યું, 'અમે દુઃખી છીએ, પરંતુ નિરાશ નથી. અમે લડાઈને નહીં છોડીએ. મતોનું વિભાજન પણ એક પરિબળ હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નફરતનું ઝેર ફેલાવતા અભિયાને અમારા પર નકારાત્મક અસર પાડી.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાઉતે કહ્યું કે, નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ પડોશી રાજ્ય ગુજરાતમાં યોજવો જોઈએ. દરમિયાન, પક્ષના મુખપત્ર 'સામના'માં તેમની સાપ્તાહિક કૉલમ 'રોકઠોક' માં રાઉતે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે, તેણે ચૂંટણીમાં ધનબળના ઉપયોગ તરફ આંખ આડા કાન કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કોર્ટ લાંબા સમયથી ICUમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/there-is-nothing-wrong-with-pm-coming-to-my-house-on-ganpati-puja-dy-chandrachud">ગણપતિ પૂજા પર PM મારા ઘરે આવે એમાં કંઈ ખોટું નથી: ડી.વાય. ચંદ્રચૂડ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 25 Nov 2024 17:43:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1601</Articleid>
                    <excerpt>મહારાષ્ટ્રમાં હાર બાદ શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડ પર ગંભીર આરોપ લગાવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674468be9999c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674468be66644.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674468be66644.jpg" length="84806" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>D.Y. Chandrachud, Shiv Sena UBT, Sanjay Raute</media:keywords>
                </item>
                        <item>
                    <title>મને અભિનંદનમાં બુકે નહીં, પુસ્તક ભેટમાં આપજો : હેમંત સોરેન</title>
                    <link>https://khabarantar.com/dont-congratulate-me-with-bouquets-gift-me-books-hemant-soren</link>
                    <guid>https://khabarantar.com/dont-congratulate-me-with-bouquets-gift-me-books-hemant-soren</guid>
                    <description>
                        <![CDATA[ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ધમાકેદાર જીત બાદ દિગ્ગજ આદિવાસી નેતાએ બુકેની જગ્યાએ પુ્સ્તકોની ભેટ માંગીને નવો ચીલો ચાતર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડમાં સતત બીજી વાર જીત મેળવીને મુખ્યમંત્રી બનવા જઈ રહેલા દિગ્ગજ આદિવાસી નેતા અને ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ હેમંત સોરેન પર ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. જો કે હેમંત સોરેને અભિનંદનમાં એક મજાની શરત રાખીને સમસ્ત બહુજન સમાજનું દિલ જીતી લીધું છે. તેમણે શુભેચ્છકો પાસે અભિનંદનમાં ફૂલોના બુકેને બદલે પુસ્તકોની માંગણી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, "દેશભરમાંથી મને જે શુભકામનાઓ મળી રહી છે તેના માટે હું હૃદયપૂર્વક સૌ કોઈનો આભાર માનું છું. 2019 ની જેમ, હું બધાને વિનંતી કરીશ કે જો તમે મને મળવા આવો છો, તો મને ગુલદસ્તાને બદલે પુસ્તક આપો." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, "જ્યારે હું જેલમાં હતો ત્યારે મને તમારા બધાં દ્વારા ભેટમાં આપવામાં આવેલા પુસ્તકો વાંચવા માટે ઘણો સમય મળ્યો હતો. તેના માટે દરેકનો આભાર. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ચૂંટણી જીત્યા પછી પણ હેમંત સોરેને કહ્યું હતું કે જ્યારે તેઓ ફૂલોની સંભાળ રાખી શકતા નથી ત્યારે તેમને ખરાબ લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, હેમંત સોરેનના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા ગઠબંધનને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ બે તૃતીયાંશ બહુમતી મળી છે. 81 બેઠકોની આ ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને 56 બેઠકો મળી અને બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરી છે. </span><span style="font-size: 14pt;">જ્યારે ભાજપને માત્ર 24 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોરેન 28 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે અને ત્યાં સુધી તેઓ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે. રવિવારે તેઓ રાજ્યપાલ સંતોષ ગંગવારને મળ્યા હતા અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. સાથે જ નવી સરકારની રચના માટે ધારાસભ્યોના ટેકાનો પત્ર પણ આપ્યો હતો. અગાઉ, ઈન્ડિયા ગઠબંધનના ધારાસભ્યોની બેઠકમાં, હેમંત સોરેનને વિધાનસભા ગૃહના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> </span><a href="https://khabarantar.com/If-you-dare-give-proof-of-the-scandal,-I-will-leave-politics-Hemant-Sorens-open-challenge-in-Jharkhand-Assembly">હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 25 Nov 2024 17:08:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1600</Articleid>
                    <excerpt>ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ધમાકેદાર જીત બાદ દિગ્ગજ આદિવાસી નેતાએ બુકેની જગ્યાએ પુ્સ્તકોની ભેટ માંગીને નવો ચીલો ચાતર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6744601c580bc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6744601c22b53.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6744601c22b53.jpg" length="60013" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Hemant soren book gift, Jharkhand, Hemant Soren</media:keywords>
                </item>
                        <item>
                    <title>BSP ને મતનો દુકાળ, સળંગ ત્રીજી ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન</title>
                    <link>https://khabarantar.com/bsp-faces-vote-drought-poor-performance-in-third-consecutive-election</link>
                    <guid>https://khabarantar.com/bsp-faces-vote-drought-poor-performance-in-third-consecutive-election</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં પણ બહુજન સમાજ પાર્ટીનું નબળું પ્રદર્શન યથાવત રહ્યું છે. પક્ષના ચાર ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશના દલિતો-વંચિતો જેના રાજકારણના કેન્દ્રમાં છે તેવો દેશનો એકમાત્ર રાજકીય પક્ષ બીએસપી હાલ તેના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. હાલમાં જ આવેલા યુપી વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં પણ પક્ષની સ્થિતિમાં બહુ ફરક નથી પડ્યો અને પક્ષના ઉમેદવારો મત માટે તરસતા જોવા મળ્યાં. પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે 2022ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે BSPની 60 ટકાથી વધુ વોટ બેંક અન્ય પાર્ટીઓમાં શિફ્ટ થઈ છે. એટલું જ નહીં દલિત વોટ બેંકે પણ તેને ફગાવી દીધી હતી. આ સિવાય પાર્ટી મુસ્લિમ મતદારોનો વિશ્વાસ પણ જીતી શકી નથી. પેટાચૂંટણી લડવાનું બીએસપીનું બીજું પગલું પણ તેને નવી દિશા બતાવી શક્યું નથી. અગાઉ લોકસભા ચૂંટણી દરમિયાન 5 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પણ બસપાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">4 સીટો પર ડિપોઝિટ ગુમાવવી પડી</span></strong></span><br><span style="font-size: 14pt;">ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો કરહલ, કુંડારકી, મીરાપુર અને સીસામઉમાં બસપાની હાર થઈ છે. ચારેય બેઠકો પર બસપાનો મત પાંચ આંકડા સુધી પણ પહોંચી શક્યો ન હતો. તેના કારણે ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી. મીરાપુર અને કુંડાર્કીમાં મતદારોએ બસપા કરતાં આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તિહાદુલ મુસલમીન (AIMIM)ને પ્રાધાન્ય આપ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2022ની સરખામણીએ ઓછા મતો મળ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">BSPનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કથેરી સીટ પર હતું, જ્યાં પાર્ટીના ઉમેદવાર અમિત વર્માને 41,647 મત મળ્યા હતા. અહીં મઝવાંના ઉમેદવાર દીપક તિવારી ઉર્ફે દીપુ તિવારીને 34,927 અને ફુલપુરના ઉમેદવાર જિતેન્દ્ર કુમાર સિંહને 20,342 મત મળ્યા હતા. જોકે, 2022ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ત્રણેય બેઠકો પર ઓછા મત મળ્યા છે. ગાઝિયાબાદમાં, બસપા માટે ટિકિટ બદલવાનો ખેલ પક્ષને મોંઘો પડ્યો છે અને તેના ઉમેદવાર પરમાનંદ ગર્ગ માત્ર 10,736 મત મેળવી શક્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મોટા નેતાઓએ પ્રચારથી અંતર જાળવ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">બસપાના આ ખરાબ પ્રદર્શનનું કારણ પાર્ટીના મોટા નેતાઓ છે, જેમણે પેટાચૂંટણીમાં પ્રચાર કરવાની પણ તસ્દી લીધી નહોતી. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પક્ષને મજબૂત કરવાના પ્રયત્નોમાં પાર્ટીએ યુપીમાં પોતાના મતદારો ગુમાવી દીધાં હોવાનું સ્પષ્ટ વર્તાય છે. પેટાચૂંટણીમાં ઉમેદવારોએ પોતાના દમ પર પ્રચાર કર્યો, જે વિજયમાં પરિવર્તિત થઈ શક્યો નહીં. બસપા સુપ્રીમો માયાવતી ઉમેદવારોને મળ્યા હતા, પરંતુ પાર્ટી દ્વારા તેમના નામની જાહેરાત છેલ્લી ઘડીએ કરવામાં આવી હતી, જેના કારણે મતદારોમાં મૂંઝવણ હતા. સોશિયલ એન્જિનિયરિંગના આધારે ચૂંટણી જીતવાના પક્ષના પ્રયાસો કામમાં ન આવ્યા. ટિકિટની વહેંચણીમાં અજાણ્યા ચહેરા પર દાવ લગાવવાની કિંમત પાર્ટીને ચૂકવવી પડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બસપાના ઉમેદવારોને મત મળ્યા હતા</span></strong></span><br><strong><span style="font-size: 14pt;">સીટ - ઉમેદવાર – કેટલા મત મળ્યાં - 2022માં કેટલા મત મળ્યાં</span></strong><br><span style="font-size: 14pt;">મીરાપુર - શાહનઝર - 3248 - 23797</span><br><span style="font-size: 14pt;">મઝવાં - દીપક તિવારી - 34927 - 52990</span><br><span style="font-size: 14pt;">કટેહરી - અમિત વર્મા - 41647 - 58482</span><br><span style="font-size: 14pt;">ફુલપુર - જિતેન્દ્ર કુમાર સિંઘ - 20342 - 33036</span><br><span style="font-size: 14pt;">સીસામઉ - વિરેન્દ્ર કુમાર - 1410 - 2937</span><br><span style="font-size: 14pt;">કરહલ - અવનીશ શાક્ય - 8409 - 15701</span><br><span style="font-size: 14pt;">ગાઝિયાબાદ - પરમાનંદ ગર્ગ - 10736 - 32691</span><br><span style="font-size: 14pt;">કુંદરકી - રફ્તઉલ્લાહ - 1051 - 42742</span><br><span style="font-size: 14pt;">ખૈર - પહેલ સિંહ - 13365 - 65302</span><br><span style="font-size: 14pt;">કુલ મત - 1,35,135 - 3,27,678</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-youth-fired-at-for-campaigning-for-bsp-in-karhal-mainpuri-accused-absconding">BSPનો પ્રચાર કરવા બદલ દલિત યુવક પર ફાયરિંગ, આરોપી ફરાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 25 Nov 2024 13:22:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1599</Articleid>
                    <excerpt>ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં પણ બહુજન સમાજ પાર્ટીનું નબળું પ્રદર્શન યથાવત રહ્યું છે. પક્ષના ચાર ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67442ca15c4c4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67442ca1257ad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67442ca1257ad.jpg" length="94857" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BSP, Mayavati, Bahujan Samaj Party, UP by election 2024</media:keywords>
                </item>
                        <item>
                    <title>અયોધ્યા બાદ હવે ભોલે બાબાની નગરી દેવઘરમાં પણ ભાજપની હાર</title>
                    <link>https://khabarantar.com/after-ayodhya-bjp-loses-in-bhole-babas-city-of-deoghar-too</link>
                    <guid>https://khabarantar.com/after-ayodhya-bjp-loses-in-bhole-babas-city-of-deoghar-too</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં મળેલી શરમજનક હાર જેવી જ હાર ભાજપને  પેટાચૂંટણીમાં ઝારખંડની દેવધર બેઠકમાં મળી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Jharkhand Assembly by-election : ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કોંગ્રેસ, RJD અને CPI(ML) ના ગઠબંધને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં તેની સત્તા જાળવી રાખી છે. રાજ્યની 81 બેઠકોમાંથી JMM 34, BJP 21, કોંગ્રેસ 16, RJD 4, CPI (ML/L) 2, ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચા, AJSU, LJP રામવિલાસ અને JDUએ એક-એક બેઠક જીતી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડ વિધાનસભા ચૂંટણીના આ પરિણામોમાં ભોલે બાબાની નગરી તરીકે જાણીતા  દેવઘરનું ચૂંટણી પરિણામ ચોંકાવનારું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર સુરેશ પાસવાન દેવઘરમાં ઈન્ડિયા ગઠબંધનમાંથી જીત્યા છે. સુરેશ પાસવાને તેમના હરીફ ભાજપના ઉમેદવાર નારાયણ દાસને 39 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. આરજેડીના સુરેશ પાસવાનને 22 રાઉન્ડની મતગણતરી બાદ 1 લાખ 56 હજાર 079 વોટ મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર નારાયણ દાસને 1 લાખ 16 હજાર 358 વોટ મળ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અયોધ્યા બાદ હવે દેવઘરમાં ભાજપની હાર</span></strong></span><br><span style="font-size: 14pt;">હિન્દુત્વ ભાજપનો મુખ્ય મુદ્દો રહ્યો છે. આ જ કારણ છે કે જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી ભાજપે એવા શહેરોમાં વિકાસના ઘણા કામો કર્યા છે જે હિન્દુઓના મુખ્ય તીર્થસ્થળો છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોર હોય, ઉજ્જૈનમાં મહાકાલ લોકની સ્થાપના હોય કે પછી અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના હોય. ભાજપે તમામ ધાર્મિક શહેરોમાં વિકાસના કામો કર્યા છે. આ જ તર્જ પર ભોલે બાબાના શહેર દેવઘરમાં એક એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું. જો કે અયોધ્યાની જેમ અહીં પણ મતદારોએ ભાજપને આંચકો આપ્યો છે. ધાર્મિક નગરોમાં વિકાસના કામો કર્યા બાદ પણ આ સ્થળોએ ભાજપનો પરાજય થઈ રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીની મત ગણતરીમાં દેવઘર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવારનો પરાજય થયો છે. દેવઘર વિધાનસભા સીટ પર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર સુરેશ પાસવાને જીત મેળવી છે. જ્યારે બીજેપીના ઉમેદવાર નારાયણ દાસ બીજા ક્રમે રહ્યા હતા. સુરેશ પાસવાનને 1 લાખ 56 હજાર 079 વોટ મળ્યા. જ્યારે તેમના હરીફ ભાજપના ઉમેદવાર નારાયણ દાસને 1,16,358 મત મળ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં ભાજપની હાર થઈ હતી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં આવતી ફૈઝાબાદ લોકસભા સીટ પર ભાજપનો શરમજનક પરાજય થયો હતો. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદે ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા પછી ઈન્ડિયા ગઠબંધને અયોધ્યામાં ભાજપની હારનો વ્યાપક પ્રચાર કર્યો હતો. હવે દેવઘરમાં ભાજપના ઉમેદવારની હારથી ઈન્ડિયા એલાયન્સને વધુ એક તક મળી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પહેલા કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે ચૂંટણી પ્રચારમાં બજરંગબલીનું નામ વટાવવા પ્રયત્ન કર્યો હતો. તે ચૂંટણીમાં પણ ભાજપ કોંગ્રેસ સામે હારી ગઈ હતી. કર્ણાટકમાં હાર બાદ કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ કહેતા રહ્યાં કે બજરંગબલીએ ભાજપને પાઠ ભણાવ્યો. આ સિવાય 2024ની લોકસભા ચૂંટણીમાં વારાણસી લોકસભા સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતનો માર્જીન પણ ઓછો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/if-ayodhya-is-far-away-the-bjp-could-not-win-in-the-surrounding-100-km-area">અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં પણ ભાજપ જીતી ન શક્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 24 Nov 2024 14:43:15 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 24 Nov 2024 14:51:52 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1598</Articleid>
                    <excerpt>લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં મળેલી શરમજનક હાર જેવી જ હાર ભાજપને  પેટાચૂંટણીમાં ઝારખંડની દેવધર બેઠકમાં મળી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6742ed6177ea9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6742ed61467db.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6742ed61467db.jpg" length="68295" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jharkhand Assembly by-election, Degohar Assembly seat, BJP defeat, India Alliance, Ayodhya</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાળીદાર ટોપી પહેરી હિંદુ નેતાએ 11 મુસ્લિમ ઉમેદવારોને હરાવ્યા</title>
                    <link>https://khabarantar.com/bjps-hindu-candidate-defeated-11-muslim-candidates-in-ups-kundarki-assembly-seat</link>
                    <guid>https://khabarantar.com/bjps-hindu-candidate-defeated-11-muslim-candidates-in-ups-kundarki-assembly-seat</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપના હિંદુ નેતાએ જાળીદાર ટોપી પહેરીને 11 મુસ્લિમ નેતાઓને ચૂંટણીમાં હરાવીને સૌ કોઈને ચોંકાવી દીધઆં છે. બધાં સમીકરણો ધ્વસ્ત થઈ ગયા. જાણો કેવી રીતે જીત મેળવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. સૌથી ચોંકાવનારું પરિણામ કુંદરકી વિધાનસભાનું છે. મુરાદાબાદ જિલ્લાની આ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક ભાજપે જીતી છે. અહીંની 64 ટકા વસ્તી મુસ્લિમ છે તેમ છતાં ભાજપના રામવીર સિંહ ઠાકુરે બમ્પર જીત નોંધાવી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં ઈવીએમમાં ​​13 ઉમેદવારોની યાદી હતી. તેમાંથી એક ભાજપના રામવીરસિંહ હતા અને બીજો NOTA હતો. બાકીના 11 ઉમેદવારો મુસ્લિમ હતા. તેમ છતાં રામવીરસિંહે એક લાખથી વધુ મતોથી જીત મેળવી હતી. પરિણામો પછી દરેકના મોં પર એક જ ચર્ચા છે કે આ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠક પર હિન્દુ ઉમેદવાર કેવી રીતે જીત્યો? આ લખાઈ રહ્યું છે ત્યારે આ સીટ પર ભાજપની જીતનું માર્જીન 1 લાખ 43 હજાર છે. અહીં ભાજપે એવી ચાલ ચાલી હતી કે તમામ સમીકરણો ધ્વસ્ત થઈ ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામવીસિંહ પછી મોહમ્મદ રિઝવાન બીજા ક્રમે છે, જેમને 25 હજાર 334 વોટ મળ્યા છે. ચાંદ બાબુ 14 હજાર 142 મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા. ઓવૈસીની પાર્ટીના નેતા મોહમ્મદ વારિસને 7973 વોટ મળ્યા. આ પછી અન્ય ઉમેદવારો છે- રફતુલ્લાહ, રિઝવાન હુસૈન, રિઝવાન અલી, શૌકીન, મોહમ્મદ ઉબૈશ, મસરૂર, મોહમ્મદ ઉબૈશ, સજૈબ. આ તમામને દસથી માંડીને 100થી વધુ મતો મળ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">64 ટકા મુસ્લિમો વચ્ચે એક હિંદુ નેતા</span></span><br><span style="font-size: 14pt;">મુરાદાબાદ જિલ્લાની કુંદરકી બેઠકનું ગણિત અલગ છે. 64 ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી આ વિધાનસભા બેઠકમાં લઘુમતીઓ બહુમતીમાં છે. અહીં 12 ઉમેદવારોમાંથી માત્ર એક હિંદુ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા અન તે - રામવીર સિંહ ઠાકુર હતા, જેમને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને આખરે તેમની ચાલ સફળ રહી હતી. અહીં ભાજપનો દાવ મુસલમાનોના તુર્ક અને રાજપૂત સમુદાયને આકર્ષવા પર હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તુર્ક અને રાજપૂત મુસ્લિમોનું પરિબળ</span></strong></span><br><span style="font-size: 14pt;">વાસ્તવમાં હિંદુઓની જેમ મુરાદાબાદ અને સંભલ પ્રદેશમાં મુસ્લિમોમાં પણ વિવિધ જાતિઓ છે. કુંદરકી સીટ પર લગભગ 64 ટકા મુસ્લિમ મતદારો છે, જેમની સંખ્યા લગભગ 1.5 લાખ છે. અહીં લગભગ 40 હજાર તુર્ક મુસ્લિમો છે. આ સિવાય લગભગ 1 લાખ 10 હજાર અન્ય મુસ્લિમ જાતિઓ છે. જ્યારે મુસ્લિમ રાજપૂત મતદારોની સંખ્યા 45 હજાર જેટલી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટોપી પહેરીને ખુદાના નામે મત માંગ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">ભાજપ અને સીએમ યોગી આદિત્યનાથનું સમગ્ર ફોકસ મુસ્લિમોની રાજપૂત વસ્તીને ભગવા ઝંડા હેઠળ લાવવા પર હતું. યુપી ભાજપ અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ કુંવર બાસિત અલી પણ રામવીર ઠાકુરના સમર્થનમાં મુસ્લિમોની સભાઓ કરતા રહ્યા. ભાજપ નેતાની વિનંતી પર અહીં આવેલા મુસ્લિમોએ હાથ ઉંચા કરીને ખુદાના નામે શપથ લીધા અને રામવીરસિંહેને મત આપવાનું વચન આપવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હાજી રિઝવાન સામેનો રોષ મોંઘો પડ્યો?</span></strong></span><br><span style="font-size: 14pt;">સપાના ઉમેદવાર હાજી રિઝવાનને લોકોને નકારી કાઢ્યા હતા. મુસ્લિમોમાં તેમની મજબૂત પકડનો અભાવ પણ ભાજપ માટે ફાયદાકારક સાબિત થયો. એટલું જ નહીં, મુસ્લિમ તુર્ક જ્ઞાતિના હોવાના કારણે અન્ય મુસ્લિમ સમુદાયોએ પણ ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું. રામવીર સિંહ પોતાને મુસ્લિમોના તરફદાર ગણાવતા રહ્યા, જેના કારણે તેમના પક્ષમાં ભારે મતદાન થયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુસ્લિમ ટોપી, અરબી રૂમાલ બાંધી મત માંગ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">રામવીરસિંહ ઠાકુર પણ જાળીદાર મુસ્લિમ ટોપી અને અરબી રૂમાલ પહેરીને મુસ્લિમ સભામાં મત માંગતા જોવા મળ્યા હતા. તુર્ક મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી કુંડરકી બેઠકમાં ભાજપે મુસ્લિમ રાજપૂતોને રીઝવવા માટેનો દાવ ખેલ્યો હતો, જે જીતમાં પરિણમ્યો હતો. વાસ્તવમાં, અહીં પ્રભુત્વ તુર્ક મુસ્લિમો અથવા સહસપુર બિલારી શાહી પરિવારનું રહ્યું છે. પણ આ વખતે રામવીરસિંહે તમામ સમીકરણો તોડી નાખ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkar-was-ready-to-accept-islam-dalits-would-have-been-muslims-congress-leader">ડો.આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર હતા, તો એમ થયું હોય તો દલિતો મુસ્લિમ હોતઃ કોંગ્રેસ નેતા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 24 Nov 2024 13:10:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1597</Articleid>
                    <excerpt>ભાજપના હિંદુ નેતાએ જાળીદાર ટોપી પહેરીને 11 મુસ્લિમ નેતાઓને ચૂંટણીમાં હરાવીને સૌ કોઈને ચોંકાવી દીધઆં છે. બધાં સમીકરણો ધ્વસ્ત થઈ ગયા. જાણો કેવી રીતે જીત મેળવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6742d7a395ce5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6742d7a3635da.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6742d7a3635da.jpg" length="102326" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kundarki Assembly constituency, By-election, BJP candidate, Ramveersinh Thakur</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભગવદ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નહીં, ભારતીય સંસ્કૃતિ&amp;સભ્યતાનો ભાગ છે : હાઈકોર્ટ</title>
                    <link>https://khabarantar.com/bhagavad-gita-is-not-just-a-religious-scripture-it-is-part-of-Indian-culture-and-civilization-gujarat-high-court</link>
                    <guid>https://khabarantar.com/bhagavad-gita-is-not-just-a-religious-scripture-it-is-part-of-Indian-culture-and-civilization-gujarat-high-court</guid>
                    <description>
                        <![CDATA[ શાળાઓમાં પ્રાર્થના દરમિયાન ભગવદ ગીતાના શ્લોકોને સામેલ કરવા અંગે થયેલી પીઆઈએલમાં ગુજરાત હાઈકોર્ટે તર્કને બદલે ધર્મની ભેળસેળ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના દરમિયાન ભગવદ ગીતા (Bhagavad Gita) ના શ્લોકો ઉમેરવાને લઈને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં જમિયત ઉલેમા-એ-હિંદ (Jamiyat Ulema-e-Hind) દ્વારા પીઆઈએલ (PIL) દાખલ કરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે ઠરાવ પસાર કરીને ગુજરાતની શાળાઓમાં પ્રાર્થના વગેરે દરમિયાન ભગવદ ગીતાના શ્ર્લોકો ઉમેરવામાં આવ્યા છે, જે અભ્યાસક્રમનો પણ એક ભાગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે સરકારી દરખાસ્તને મૂળ પિટિશનમાં પડકારવામાં આવી છે. સંસ્થાની દલીલ હતી કે, નેશનલ એજ્યુકેશન પોલિસી અનુસાર, તમામ ધર્મોની સારી બાબતો શીખવતા બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનો અભ્યાસમાં સમાવેશ થવો જોઈએ, માત્ર ભગવત ગીતા જ નહીં.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સંસ્થાની દલીલ તાર્કિક હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે તેને સ્વીકારવાને બદલે ભારતીય સંસ્કૃતિ અને સભ્યાનો ભાગ ગણાવીને આખા મામલાને છાવર્યો હોય તેમ જણાય છે. હાઈકોર્ટે કહ્યું કે ભગવદ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો એક ભાગ છે. તેમાં રહેલા સિદ્ધાંતો નૈતિક મૂલ્યો શીખવે છે. તેથી, ભગવદ ગીતા એક પ્રકારનું નૈતિક વિજ્ઞાન છે. </span><br><span style="font-size: 14pt;">હાઈકોર્ટની બેન્ચે એમ પણ કહ્યું કે અમે વર્ષોથી પશ્ચિમી વિશ્વના નૈતિક પાઠ શીખી રહ્યા છીએ. આ અરજી એક પ્રચાર અને સ્ટંટ સિવાય બીજું કંઈ નથી અને તેમાં રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ કંઈ નથી. અભ્યાસક્રમમાં સામેલ કરવા માટે અરજદારોએ તેમના ધર્મની યોગ્યતાઓ સરકાર સમક્ષ રજૂ કરવાની રહેશે. સરકાર પછી સરકાર તેને પોતાની રીતે ઉમેરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ સંદર્ભમાં અરજદારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીને પણ ટાંકી હતી અને એમ પણ કહ્યું કે સરકાર દ્વારા અરજી અંગે કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યો નથી. અરજદારે કહ્યું કે, એક વિશેષ સંસ્થા છે જે અભ્યાસક્રમ નક્કી કરે છે. તેમણે અભ્યાસ નક્કી કરવો જોઈએ, સરકારે તેમાં દખલ ન કરવી જોઈએ. જો કે, હાઈકોર્ટે કહ્યું કે ભગવદ ગીતા માત્ર ધાર્મિક શિક્ષણ નથી, પરંતુ જીવનના મૂળભૂત નીતિ-નિર્માણ મૂલ્યો શીખવે છે. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વિરુદ્ધ નથી. હાઈકોર્ટે અરજદારને મૂળ અરજી પર સુનાવણી માટે એક મહિના પછીની તારીખ આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/from-the-new-academic-session-st-bhagwat-gita-lessons-will-be-taught-in-6th-to-8th">નવા શૈક્ષણિક સત્રથી ધો. 6 થી 8માં ભગવદ ગીતાના પાઠ ભણાવાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 24 Nov 2024 10:56:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1596</Articleid>
                    <excerpt>શાળાઓમાં પ્રાર્થના દરમિયાન ભગવદ ગીતાના શ્લોકોને સામેલ કરવા અંગે થયેલી પીઆઈએલમાં ગુજરાત હાઈકોર્ટે તર્કને બદલે ધર્મની ભેળસેળ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6742b9068b2d2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6742b90650f4c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6742b90650f4c.jpg" length="48475" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bhagavad Gita, Gujarat High Court, Jamiyat Ulema-e-Hind, School Syllabus</media:keywords>
                </item>
                        <item>
                    <title>BSPનો પ્રચાર કરવા બદલ દલિત યુવક પર ફાયરિંગ, આરોપી ફરાર</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-fired-at-for-campaigning-for-bsp-in-karhal-mainpuri-accused-absconding</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-fired-at-for-campaigning-for-bsp-in-karhal-mainpuri-accused-absconding</guid>
                    <description>
                        <![CDATA[ &quot;તું બસપાનો બહુ મોટો નેતા બની ગયો છે?&quot; કહી આરોપીઓએ દલિત યુવક પર ફાયરિંગ કર્યું. ટોળું ભેગું થઈ જતા આરોપીઓ ફરાર થઈ ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીની પેટાચૂંટણી બહુજન સમાજ પાર્ટી માટે પ્રચાર કરવા નીકળેલા એક દલિત યુવક પર કેટલાક યુવકોએ હુમલો કરી દીધો. આરોપીઓએ યુવક પર ફાયરિંગ કર્યું. જો કે ટોળું ગોળીનો અવાજ સાંભળીને એકઠું થઈ જતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના કરહાલ વિસ્તારમાં બની છે. અહીં એક દલિત યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના 18 નવેમ્બરની સાંજે બની હતી, જ્યારે રાજપુર ગામના રિશુ જાટવે BSP માટે પ્રચાર કર્યો હતો. એ પછી રિશુ કોઈ કામ અર્થે ઘરેથી બજારમાં જઈ રહ્યો હતો ત્યારે જૈન ઈન્ટર કોલેજ પાસે કેટલાક યુવકોએ તેને રોક્યો હતો. આરોપીઓમાં મનોજ યાદવ, વેદ સિંહ, માધૌ સિંહ, વિમલ કુમાર યાદવ, અજય યાદવ અને સુરજીત સિંહના નામ સામે આવ્યા છે. બધાંએ રિશુને ઘેરી લીધો અને જાતિ આધારિત અપશબ્દો બોલી, “તું બસપાનો બહુ મોટો નેતા બની ગયો છે? કાલે જ અમે તને પ્રચાર કરતો જોયો હતો." કહી હુમલો કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રિશુએ વિરોધ કર્યો તો ફાયરિંગ કર્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">જ્યારે રિશુએ આરોપીઓનો સામનો કરીને વિરોધ કર્યો તો આરોપીઓએ તેના પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોના ટોળાંને જોઈને આરોપી રિશુને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા હતા. આ હુમલાથી ફરી એકવાર દલિતોની સલામતી અને દલિત રાજકારણનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસમાં કેસ નોંધાયો, આરોપીઓની શોધખોળ ચાલું</span></strong></span><br><span style="font-size: 14pt;">બીએસપીના કાર્યકર રિશુ જાટવે આ મામલાની પોલીસમાં ફરિયાદ કરી હતી, જે બાદ પોલીસે આરોપી મનોજ યાદવ, વેદ સિંહ, વિમલ યાદવ, અજય યાદવ અને અન્ય લોકો વિરુદ્ધ એસસી-એસટી એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસનું કહેવું છે કે આરોપીઓની શોધ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો પર હુમલાની ઘટનાઓ વધી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાએ ફરી એક વખત પ્રશ્ન ઉભો કર્યો છે કે દલિત સમાજ પર થતા અત્યાચારો ક્યારે અટકશે? આ ઘટના એ સમયની છે જ્યારે દેશભરમાં બંધારણ અને સમાનતાની વાત થઈ રહી છે. દલિત યુવક પર ગોળીબાર અને જાતિસૂચક ગાળો ભાંડવાથી એ સાબિત થાય છે કે, સામાજિક ભેદભાવ અને રાજકીય હિંસા હજુ પણ સમાજમાં ઊંડે સુધી વ્યાપેલી છે અને તે આસાનીથી જાય તેમ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકરો અને દલિત નેતાઓમાં આક્રોશ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના બાદ દલિત આગેવાનો અને સામાજિક કાર્યકરોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. સૂરજ કુમાર બૌદ્ધે ટ્વીટ કરીને લખ્યું, “હવે અમે કાયદાની મદદથી તમારી દરેક ગુંડાગીરીનો જવાબ આપીશું. બાબાસાહેબના અનુયાયીઓ અત્યાચાર નહીં સહે." બીજી તરફ આ ઘટનાને લઈને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ અને કથિત આગેવાનો મૌન જોવા મળ્યા છે. ખાસ કરીને બંધારણ બચાવવાની વાતો કરતા પક્ષો આ બાબતે તદ્દન મૂંગા થઈ ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો માટે રાજકીય પ્રચાર ખતરો બની રહ્યો છે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના બાદ દલિતો માટે રાજકીય પ્રચાર કરવો ખતરનાક બની ગયો છે. આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચુકી છે, જેમાં દલિત સમાજના લોકોને તેમના રાજકીય દ્રષ્ટિકોણને કારણે હિંસાનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ દિવસ પહેલા સમાજવાદી પાર્ટીને મત ન આપવા બદલ એક દલિત યુવતીની હત્યા કરીને લાશને બોરીમાં ભરીને ફેંકી દેવાઈ હતી. એ ઘટનાને લોકો ભૂલ્યાં નથી ત્યાં હવે બસપાના પ્રચાર માટે નીકળેલા દલિત યુવક પર ફાયરિંગ થયું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે રાજકીય પ્રચાર દલિત સમુદાય માટે ખતરો બની રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સમાજની એકતાનો સંદેશ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાએ ફરી એકવાર દલિત સમાજને એક થવાની પ્રેરણા આપી છે. બાબાસાહેબ આંબેડકરે આપેલા અધિકારો માટે હવે કાનૂની લડત ઉગ્ર બનાવાશે તેવું સામાજિક કાર્યકરોનું કહેવું છે. આવી ઘટનાઓ યાદ અપાવે છે કે જ્યાં સુધી સમાજમાં સમાનતા અને ન્યાયની સ્થાપના નહીં થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/haryanas-ateli-seat-where-hathi-made-the-bjp-sweat">હરિયાણાની એ સીટ જ્યાં 'હાથી'એ ભાજપને પરસેવો છોડાવી દીધો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 23 Nov 2024 19:04:58 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 23 Nov 2024 19:07:24 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1595</Articleid>
                    <excerpt>&quot;તું બસપાનો બહુ મોટો નેતા બની ગયો છે?&quot; કહી આરોપીઓએ દલિત યુવક પર ફાયરિંગ કર્યું. ટોળું ભેગું થઈ જતા આરોપીઓ ફરાર થઈ ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6741d9ee0b4f2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6741d9edca2d0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6741d9edca2d0.jpg" length="37808" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BSP, Mayawati, Bahujan Samaj Party, UP News, Firing</media:keywords>
                </item>
                        <item>
                    <title>14 વર્ષ બાદ દલિત મહિલાને ન્યાય મળ્યો, 21 ને આજીવન કેદ</title>
                    <link>https://khabarantar.com/after-14-years-dalit-woman-gets-justice-21-gets-life-imprisonment</link>
                    <guid>https://khabarantar.com/after-14-years-dalit-woman-gets-justice-21-gets-life-imprisonment</guid>
                    <description>
                        <![CDATA[ આરોપીઓમાં 19 પુરૂષ અને 2 મહિલાઓ સામેલ. દરેકને 13,500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદથી ગ્રસ્ત ભારત દેશમાં એટ્રોસિટીના કેસોમાં એકબાજુ કલેક્ટર કક્ષાની મહિલા અધિકારીઓ ખોટા કેસોના આરોપ લગાવે છે. બીજી તરફ વાસ્તવિકતા એ છે કે, બહુ ઓછા કેસોમાં પીડિત દલિત પરિવારોને ન્યાય મળે છે. ઘણીવાર તો ન્યાય મળવામાં પેઢીઓ બદલાઈ જાય છે. આવા જ એક કેસમાં એક દલિત મહિલાને 14 વર્ષ બાદ ન્યાય મળ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો કર્ણાટકનો છે. અહીં 28 જૂન 2010ના રોજ દલિત મહિલા દબા હોનમ્માની હત્યાના કેસમાં 14 વર્ષ બાદ 21 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ આરોપીઓમાં 19 પુરૂષ અને 2 મહિલાઓ સામેલ છે અને પ્રત્યેકને 13,500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ન્યાય મળતા સુધીમાં 27 આરોપીઓમાંથી 6ના મોત થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">28 જૂન, 2010ના રોજ કર્ણાટકના તુમકુર જિલ્લાના ગોપાલપુર ગામમાં દબા હોનમ્મા નામની દલિત મહિલાની પથ્થર મારીને કરીને હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ હત્યા જાતિવાદના કારણે થઈ હતી. કેસની તપાસ કરી રહેલા ડીએસપી શિવરુદ્રસ્વામીએ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. હવે 14 વર્ષ બાદ જિલ્લા સેશન્સ કોર્ટે 21 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં 19 પુરૂષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. કોર્ટે દરેક આરોપીને 13,500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.</span><br><span style="font-size: 14pt;">27માંથી 6 આરોપીઓ મૃત્યુ પામ્યા</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં કુલ 27 આરોપી હતા, જેમાંથી 6ના મોત થયા છે. કોર્ટે બાકીના 21 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે અને તેમને દંડ પણ ફટકાર્યો છે. આ નિર્ણય દલિત સમુદાય માટે મોટી રાહત અને ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કોર્ટનો આ ચૂકાદો જાતિવાદ અને ભેદભાવ સામે મજબૂત સંદેશો આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિર્ણયને લઈને ગોપાલપુર ગામમાં લોકોના અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે. દલિત સમાજે આને ન્યાય અને બંધારણની જીત ગણાવી છે. તેમના મતે આ ચૂકાદો સમાજમાં સમાનતા અને ન્યાયની દિશામાં એક મોટું પગલું છે. જોકે કેટલાક સામાજિક કાર્યકરોએ તેને મોડેથી મળેલો ન્યાય ગણાવી ટીકા કરી હતી. તેમના મતે જાતિવાદ સામે હજુ વધુ કડક પગલાં લેવા જોઈએ. ખાસ કરીને એટ્રોસિટીના કેસોમાં ફરિયાદો લેવામાં આવતી નથી, ફરિયાદ બાદ ન્યાય મળવામાં વર્ષો નીકળી જાય છે, તેના કારણે અનેક દલિતોને ન્યાય મળતો નથી. જો સમયસર ન્યાય મળે અને જાતિવાદી તત્વોને સજા પડે તો આવા લોકો માથું ઉચકતા બંધ થઈ જાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ ચૂકાદાને પડકારશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં કેટલાક આરોપીઓ ચુકાદા સામે હાઈકોર્ટમાં પડકારવાનું વિચારી રહ્યા છે, જેના કારણે કેસ વધુ ખેંચાશે. તેમ છતાં આગામી સમયમાં જાતિવાદ અને અસમાનતાના મામલામાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા સ્થાનિક દલિતો રાખી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-one-atrocity-case-98-out-of-101-accused-received-life-imprisonment">એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 23 Nov 2024 14:32:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1594</Articleid>
                    <excerpt>આરોપીઓમાં 19 પુરૂષ અને 2 મહિલાઓ સામેલ. દરેકને 13,500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67419916e5377.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67419916b0e19.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67419916b0e19.jpg" length="127120" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Justice for Dalit women, Dalit News, Atrocity, Karnataka, Tumkur district, Gopalpur</media:keywords>
                </item>
                        <item>
                    <title>CID અને 100 જેટલી પોલીસ વચ્ચે પહેલીવાર દલિત યુવકનો વરઘોડો નીકળ્યો</title>
                    <link>https://khabarantar.com/for-the-first-time-a-dalit-youths-wedding-procession-took-place-between-cid-and-about-100-policeman</link>
                    <guid>https://khabarantar.com/for-the-first-time-a-dalit-youths-wedding-procession-took-place-between-cid-and-about-100-policeman</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી તત્વો 80 વર્ષથી દલિતોને ગામમાં વરઘોડો કાઢવા નહોતા દેતા. એક દલિત યુવકે હિંમત કરી અને જાતિવાદી તત્વોનું નાક કાપી લીધું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં જાતિવાદી તત્વો હજુ પણ કઈ હદે છાકટા થઈને ફરે છે તેનું વધું એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે. જાતિવાદ અને મહિલા અત્યાચારો માટે કુખ્યાત રાજસ્થાનમાં ખૈરથલ-ભિવાડીમાં 80 વર્ષ બાદ એક દલિત વરરાજાએ ઘોડી પર બેસીને ગામમાંથી વરઘોડો કાઢ્યો. જાતિવાદી તત્વોની બીક એટલી બધી હતી કે 8-8 દાયકાથી અહીં કોઈ દલિતે વરઘોડો કાઢવાની હિંમત નહોતી કરી. પરંતુ એક દલિત યુવકે આ હિંમત બતાવી અને પોલીસ સુરક્ષા માંગી. એ પછી બે પોલીસ સ્ટેશનના 100થી વધુ પોલીસના જાપ્તા અને સીઆઈડીના અધિકારીઓની હાજરીમાં પહેલીવાર દલિત યુવકનો વરઘોડો ગામ વચ્ચેથી નીકળ્યો હતો. એ રીતે જાતિવાદી તત્વોને બંધારણની તાકાત અને તેમની હેસિયતનું પોલીસે ભાન કરાવ્યું હતું. આ સાથે જ આ ગામમાં 80 વર્ષથી કોઈ દલિત વરઘોડો ન કાઢી શક્યો તે ઘટનાક્રમ પણ તૂટ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવકે હિંમત દાખવી અને ઈતિહાસ રચાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ખૈરથલ ભિવાડીના લાહડોદ ગામની છે. જ્યાં પહેલીવાર કોઈ દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, લાહડોદ ગામના દલિત યુવક આશિષ (23 વર્ષ)ના ગઈકાલે રાત્રે લગ્ન થયા હતા. આ ગામના કોઈ દલિતે હજુ સુધી તેના લગ્નમાં ઘોડી પર બેસીને વરઘોડો નહોતો કાઢ્યો. કેમ કે, ગામના ચોક્કસ જાતિના લોકોની ભારે દાદાગીરી ચાલતી હતી. તેઓ એમ સમજતા હતા કે ઘોડી પર બેસીને વરઘોડો કાઢવો માત્ર તેમના બાપદાદાનો જ અધિકાર છે અને દલિતો તેવું ન કરી શકે. પરંતુ આશિષ આ પરંપરાનો અંત લાવવા મક્કમ હતો. જો કે, આશિષના પરિવારના સભ્યો તેના આ નિર્ણયથી ડરી ગયા હતા. આવી સ્થિતિમાં તેમણે પોલીસની મદદ માંગી હતી. એ પછી જે થયું તે ઈતિહાસ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બે પોલીસ સ્ટેશનનો જાપ્તો ગોઠવાયો, સીઆઈડી પણ હાજર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આશિષ અને તેનો પરિવાર દાયકાઓથી ગામમાં જાતિ ભેદભાવને કારણે ચાલી આવતી આ પરંપરાને ખતમ કરવા માગતો હતો. પરંતુ તેમને ડર હતો કે ગામના જાતિવાદી તત્વો આની સામે વાંધો ઉઠાવશે. આથી તેણે કોટકાસીમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ કોટકસિમ અને કિશનગઢબાસ પોલીસ સ્ટેશનના અધિકારી જિતેન્દ્ર સિંહ અને ભિવાડી CID ઈન્ચાર્જ પ્રીતિ રાઠોડે ભારે પોલીસ ફોર્સ સાથે ગામમાં ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પહેલીવાર દલિત વરરાજા આશિષનો વરઘોડો નીકળ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. એ રીતે આઠ દાયકાથી ચાલતી જાતિવાદી તત્વોની દાદાગીરી સોંસરી નીકળી ગઈ હતી. એટલું જ નહીં તેમની ધાક પણ નીકળી ગઈ હતી. પોલીસે તેમને ડો. આંબેડકરના બંધારણની તાકાતનું ભાન કરાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વરરાજાના પરિવારે કહ્યું- સમાનતા માટે આ પગલું ભર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરરાજાના પરિવારે કહ્યું કે આ પગલું માત્ર તેમના માટે જ નહીં પરંતુ સમસ્ત દલિત સમાજમાં સમાનતા અને સન્માનની નવી લહેર પેદા કરવા માટે લેવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં પોલીસનો સહકાર ખૂબ જ મહત્વપૂર્ણ હતો. તેમણે ખરેખર ખૂબ પ્રસંશનીય કામગીરી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સ્ટેશનના અધિકારી નંદલાલ જાંગીડે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા ફરિયાદ મળી હતી. એ પછી તાત્કાલિક પગલા લીધા અને દલિત યુવકને વરઘોડો કાઢવામાં કોઈ સમસ્યા ન નડે અને માથાભારે તત્વો તેને કનડે નહીં તેની તકેદારી રાખી હતી. આખરે બધું શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના પરથી એ પણ સાબિત થાય છે કે, પોલીસ જો જાતિવાદી તત્વોને છાવરે નહીં અને માત્ર કાયદો કાયદાની રીતે કામ કરે તો પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જાય તેમ છે. જરૂર માત્ર મજબૂત ઈચ્છાશક્તિની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-rajkots-ramod-the-bride-will-get-married-upside-down-again-in-the-crematorium">રાજકોટના રામોદમાં વરકન્યા ઊંધા ફેરા ફરી સ્મશાનમાં લગ્ન કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 23 Nov 2024 13:04:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1593</Articleid>
                    <excerpt>જાતિવાદી તત્વો 80 વર્ષથી દલિતોને ગામમાં વરઘોડો કાઢવા નહોતા દેતા. એક દલિત યુવકે હિંમત કરી અને જાતિવાદી તત્વોનું નાક કાપી લીધું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674184b08864a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674184b058d51.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674184b058d51.jpg" length="60589" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit groom, Dalit News, Khairthal Bhiwadi, Lahdod Village</media:keywords>
                </item>
                        <item>
                    <title>6 વર્ષના દલિત વિદ્યાર્થી પાસે શિક્ષિકાએ અન્ય વિદ્યાર્થીની ઉલ્ટી સાફ કરાવી</title>
                    <link>https://khabarantar.com/a-teacher-in-keralas-Idukki-district-made-a-dalit-student-clean-up-another-students-vomit</link>
                    <guid>https://khabarantar.com/a-teacher-in-keralas-Idukki-district-made-a-dalit-student-clean-up-another-students-vomit</guid>
                    <description>
                        <![CDATA[ બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી આ ઘટનાથી હતપ્રભ થઈ ગયો છે અને શાળાએ જતા ડરે છે. શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી ન થતા વિદ્યાર્થિની માતાએ પોલીસ ફરિયાદ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરળ (Kerala) ના ઇડુક્કી (idukki) જિલ્લાના સ્લીવામાલા સ્થિત સેન્ટ બેનેડિક્ટ્સ એલપી સ્કૂલમાં જાતિગત ભેદભાવ (Caste discrimination) નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક છ વર્ષના દલિત વિદ્યાર્થી (dalit student) પાસે શિક્ષિકા (teacher) એ તેના સાથી વિદ્યાર્થિની ઉલ્ટી સાફ કરાવી (clean up vomit) હતી. આ મામલાની જ્યારે વિદ્યાર્થીની માતાને ખબર પડી તો તેણે શાળાના આચાર્ય અને શિક્ષણ વિભાગને ફરિયાદ કરી, તેમ છતાં શિક્ષિકા સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે વિદ્યાર્થીના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 13 નવેમ્બરની છે. અહીં બીજા ધોરણમાં ભણતા પ્રણવ સિજોયને તેની ક્લાસ ટિચર મારિયા જોસેફે આખા ક્લાસ સામે અપમાનિત કરીને તેના બીમાર ક્લાસમેટની ઉલ્ટી સાફ કરવા કહ્યું હતું, જેના કારણે સિજોય ખૂબ જ આઘાતમાં આવી ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિજોયની માતા પ્રિયંકા સોમણના જણાવ્યા અનુસાર, ક્લાસમાં એક બીમાર બાળકને ઉલ્ટી થયા બાદ શિક્ષિકા પહેલા તમામ વિદ્યાર્થીઓને ગંદકી પર રેતી નાખવા કહ્યું હતું. એ પછી ફરી ક્લાસ શરૂ થયો હતો. પરંતુ એ પછી શિક્ષિકાએ પ્રણવને એકલાને ગંદકી સાફ કરવા કહ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે પ્રણવે કહ્યું કે તે ભણવા માંગે છે અને ગંદકી સાફ નહીં કરે, ત્યારે શિક્ષિકાએ ગુસ્સે થઈને તેને ઠપકો આપી અપમાનિત કરી ઉલટી સાફ કરવા મજબૂર કર્યો હતો. પ્રણવે ડરના માર્યા ધ્રૂજતા ધ્રૂજતા ઉલ્ટી સાફ કરી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ બેંચ પર બેસીને ભણી રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન પ્રણવના મિત્ર નિકેતે કહ્યું કે, તે પ્રણવને મદદ કરવા માંગે છે, તો શિક્ષિકાએ તેને ના પાડતા કહ્યું કે, આ કામ ફક્ત પ્રણવ જ કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ પ્રણવ સ્કૂલે જતા ડરવા લાગ્યો હતો. તેની માતા પ્રિયંકાને લાગ્યું કે પ્રણવ લેશન કર્યું નહીં હોય એટલે આવું કરી રહ્યો છે. પણ તપાસ કરતા તેને આ ઘટનાની જાણ થઈ હતી. એ પછી તરત તેણે સ્કૂલ મેનેજમેન્ટને આ મામલે ફરિયાદ કરી હતી. પણ પ્રિન્સિપાલે માત્ર શિક્ષિકાને ઠપકો આપીને માફ કરી દીધી હતી. એ પછી પ્રણવની માતાએ શિક્ષણાધિકારીને ફરિયાદ કરી, </span><span style="font-size: 14pt;">પરંતુ ત્યાં પણ કોઈ કાર્યવાહી ન કરાઈ. આથી તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યાર્થી પ્રણવની માતા પ્રિયંકા કહે છે, “છ વર્ષના બાળક માટે આ એક આઘાતજનક અનુભવ છે, શિક્ષિકાને એક બાળકને આવું કામ કરવા માટે દબાણ કરવાનો કોઈ હક નથી. શાળામાં સફાઈ માટે સફાઈ કર્મચારીઓ હોય છે. આ સ્પષ્ટ રીતે જાતિવાદનો મામલો છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાથી દલિત અધિકાર કાર્યકરો અને વાલીઓમાં પણ રોષ છે. અનેક લોકોએ શિક્ષણ વિભાગની કાર્યવાહી ન કરવા બદલ ટીકા કરી છે. એક્ટિવિસ્ટોનું કહેવું છે કે, સ્કૂલ મેનેજમેન્ટની નિષ્ક્રિયતા જાતિ આધારિત ભેદભાવ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો પ્રત્યે ઉદાસીનતા દર્શાવે છે. આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ. જો શિક્ષિકા દોષિત ઠરે તો તેને બરતરફ કરવી જોઈએ. પરંતુ ફરિયાદ કરવા છતાં મેનેજમેન્ટ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-brahmin-teachers-washed-the-feet-of-the-dalit-student-his-brother-and-asked-for-forgiveness">બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી અને તેના ભાઈ પાસે પગ ધોવડાવી, માફી મગાવી</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 23 Nov 2024 11:47:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1592</Articleid>
                    <excerpt>બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી આ ઘટનાથી હતપ્રભ થઈ ગયો છે અને શાળાએ જતા ડરે છે. શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી ન થતા વિદ્યાર્થિની માતાએ પોલીસ ફરિયાદ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674173587951d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6741735846fe4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6741735846fe4.jpg" length="39845" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit student, clean up vomit, kerala, idukki, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>એક રેશનાલીસ્ટ અખબારનો તંત્રી જેલમાં જતા બચી ગયો...</title>
                    <link>https://khabarantar.com/the-editor-of-a-rationalist-newspaper-escaped-prison</link>
                    <guid>https://khabarantar.com/the-editor-of-a-rationalist-newspaper-escaped-prison</guid>
                    <description>
                        <![CDATA[ ધર્માંધ લોકો કેવી રીતે ન્યાયતંત્રના સહારે રેશનાલિસ્ટોને હેરાન-પરેશાન કરતા હોય છે તેની એક સત્ય ઘટના. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખંભાત શહેરમાં એનવી ચાવડા દ્વારા લખાયેલ એક લેખ, જેનું હેડિંગ "તુલસીદાસ સાચા કે વાલ્મિકી? કે મોરારીબાપુ" તેમજ "હિન્દુઓએ કાઢેલો ભાગવત ગીતા વિરુદ્ધનો મોરચો" તેવા હેડિંગ સાથેના લેખ પ્રસિદ્ધ થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખંભાતમાંથી બહાર પડતા પાક્ષિક 'તીસરી આઝાદી' ના તંત્રી અને ઉપરોક્ત લેખો દ્વારા રેશનાલિસ્ટ વિચારોને પ્રકાશિત કરનાર શ્રી જોન ડી'કોસ્ટા  વિરુદ્ધ ફરિયાદ થયેલી.  વિશ્વ હિંદુ પરિષદ ખંભાતના પ્રમુખ દ્વારા આઈ.પી.સી.ની કલમ 295(ક) તથા કલમ 153(ક) એટલે કે ધાર્મિક લોકોની લાગણી દુભાવવી અને પ્રાદેશિક અને જ્ઞાતિઓ અને કોમો વચ્ચે દુશ્મનાવટ અને દ્વેષની લાગણી ફેલાવવી અને તેથી શાંતિ ભંગ થાય તેવું કૃત્ય કરવા બદલ ૩ માર્ચ 2020 ના રોજ કેસ ચલાવી ટ્રાયલ કોર્ટ દ્વારા જોન ડી'કોસ્ટા તંત્રીને ત્રણ વર્ષની કેદની અને દંડની સજા કરવામાં આવેલી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં અનેક સિનિયર વકીલોએ અપીલ કરવા કે બચાવવા આવા કેસ લડવાની ના પાડેલી અને હિન્દુ ધર્મ વિશે ટિપ્પણી કરતા હોવાથી સજા ભોગવવા કહેલું. આરોપી કંટાળીને સજા ભોગવવા પણ તૈયાર થયેલ. આખરે ખંભાતથી જ્હોન ડી'કોસ્ટાએ એડવોકેટ પિયુષ જાદુગરનો સંપર્ક કર્યો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ વખતે કોરોનાનો ભયાનક સમય હતો અને સૌ ઘરમાં પુરાયેલા હતા. તેમ છતાં એડવોકેટ પિયુષ જાદુગરે એડવોકેટ તરીકેની ફરજ બજાવવા તમામ સાથ સહકાર આપી ઓનલાઇન અપીલ કરી જામીન અપાવેલા અને ફરી અપીલ દાખલ કરી આપેલી. એ અપીલમાં સેશન્સ અપીલ કોર્ટે ટ્રાયલ કોર્ટનો ત્રણ વર્ષની કેદની સજાનો હુકમ રદ કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં ધર્માંધ લોકો રેશનાલિસ્ટોને ટાર્ગેટ કરીને, ખોટા કેસ કરીને હેરાન કરવા માંગતા હોય છે. સરકારના કેટલાક લોકો પણ આમાં સામેલ રહે છે અથવા આડકતરી મદદ કરતા હોય છે. આવી સ્થિતિમાં રેશનાલિસ્ટો સાચાં હોવા છતાં તેમને મદદ નથી કરતું (ડૉ. વલિ કેસનો કેસ) તે નોંધવું રહ્યું. આથી સાવચેત રહેવું જરૂરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવર્ણ ધાર્મિક જજ અને સવર્ણ ધાર્મિક સરકારી વકીલ અને ક્યારેક તો આરોપી તરફે પણ ધાર્મિક વકીલ ડિફેન્સ તરીકે હોય ત્યારે રેશનાલિસ્ટને  સજા થવાના ચાન્સ વધુ હોય છે તે પણ નોંધવું રહ્યું. </span><br><span style="font-size: 14pt;">જ્હોન ડી કોસ્ટના આ કેસમાં અપીલ સમયે એડવોકેટ પિયુષ જાદુગર સાથે કોર્ટ પ્રોસિજર જોવા અને જાણવા દરેક મુદ્દતે હાજર હતો અને કોર્ટની કાર્યવાહીથી માહિતગાર છું. ઘણીવાર કોર્ટ પણ પોતાની ધાર્મિક આસ્થાને કારણે પોતાની અંગત માન્યતાઓને કેસમાં જોડી દે છે અને રેશનલ વાતો, તર્ક અને સત્ય સ્વીકારવા તૈયાર નથી હોતી, તે મેં નજરે જોયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એન. વી. ચાવડા પ્રખર રેશનાલીસ્ટ અને લેખક તો હાલ હયાત નથી. પરંતુ આજે એક રેશનાલિસ્ટ અખબારના તંત્રી ત્રણ વર્ષની કેદની સજામાંથી બચી ગયેલ છે. જે રેશનાલીસ્ટ લોકો માટે ખૂબ આનંદની વાત છે. </span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-hard-work-of-the-rationalists-paid-off:-More-than-4000-Bahujans-flocked-to-the-Ahmedabad-crematorium-leaving-behind-the-fear-of-Kali-Chaudash.">કાળી ચૌદશનો ડર છોડી અમદાવાદમાં 4000થી બહુજનો સ્મશાનમાં ઉમટી પડ્યાં</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 23 Nov 2024 10:45:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1591</Articleid>
                    <excerpt>ધર્માંધ લોકો કેવી રીતે ન્યાયતંત્રના સહારે રેશનાલિસ્ટોને હેરાન-પરેશાન કરતા હોય છે તેની એક સત્ય ઘટના.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674164dfc3def.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674164df91c1f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674164df91c1f.jpg" length="110595" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>rationalist, Media, newspaper, teesri azadi, morari bapu, valmiki ramayan, tulsidas</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો બંધારણમાં રહેશે કે દૂર થશે?</title>
                    <link>https://khabarantar.com/will-the-words-secular-and-socialist-remain-in-the-constitution-or-be-removed</link>
                    <guid>https://khabarantar.com/will-the-words-secular-and-socialist-remain-in-the-constitution-or-be-removed</guid>
                    <description>
                        <![CDATA[ સુબ્રમણ્યમ સ્વામી સહિતના લોકોએ બંધારણમાં ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક’ શબ્દને સામેલ કરવાના વિરોધમાં આ અરજી દાખલ કરી છે. ચૂકાદો 25મી નવેમ્બરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોના સમાવેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચ પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, એડવોકેટ વિષ્ણુ શંકર જૈન અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી. આ અરજદારોએ આ બે શબ્દોને બંધારણમાં સામેલ કરવાના વિરોધમાં અરજી દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૯૭૬માં ૪૨મો સુધારો પસાર થયા બાદ આ બંને શબ્દોને બંધારણની પ્રસ્તાવનામાં સામેલ કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન સીજેઆઇએ કહ્યું કે. બંધારણમાં ૪૨મો સુધારો આ અદાલત દ્વારા ઘણી ન્યાયિક સમીક્ષાઓને આધિન છે. તે સમયે (ઇમરજન્સી) સંસદે જે પણ કર્યું તે અમાન્ય હતું એવું આપણે કહી શકીએ નહીં. ચુકાદો અનામત રાખતી વખતે બેન્ચે અરજદારોની આ કેસને બંધારણીય બેન્ચને મોકલવાની માંગને ફગાવી દીધી હતી. બેન્ચે એ પણ કહ્યું કે ભારતીય અર્થમાં "સમાજવાદી બનવું" એ "કલ્યાણકારી રાજ્ય" ગણાય છે. સીજેઆઈની બેન્ચે આ મુદ્દે ચુકાદો આપવા માટે ૨૫ નવેમ્બરની તારીખ નક્કી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૭૬માં ઈન્દિરા ગાંધીની સરકારે ૪૨મો બંધારણીય સુધારો કરીને બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદી”, “સેક્યુલર” અને “અખંડિતતા” શબ્દોનો સમાવેશ કર્યો હતો. આ સુધારા પછી પ્રસ્તાવનામાં ભારતનું સ્વરૂપ "સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક" થી "સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક" માં ફેરવાયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Stop-worship-at-court-events-just-bow-before-the-Constitution-Justice-Abhay-Oka">અદાલતોના કાર્યક્રમોમાં પૂજા-અર્ચના બંધ કરો, ફક્ત બંધારણ આગળ માથું નમાવોઃ જસ્ટિસ અભય ઓકા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Nov 2024 21:46:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1590</Articleid>
                    <excerpt>સુબ્રમણ્યમ સ્વામી સહિતના લોકોએ બંધારણમાં ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક’ શબ્દને સામેલ કરવાના વિરોધમાં આ અરજી દાખલ કરી છે. ચૂકાદો 25મી નવેમ્બરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6740ad44337d5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740ad43ec842.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740ad43ec842.jpg" length="111249" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>secular, socialis, Constitution, Subramanian Swamy</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘તું તો ચહેરા પરથી જ ચોર લાગે છે, ચમાર છો ને?’</title>
                    <link>https://khabarantar.com/you-look-like-a-thief-just-from-your-face-arent-you</link>
                    <guid>https://khabarantar.com/you-look-like-a-thief-just-from-your-face-arent-you</guid>
                    <description>
                        <![CDATA[ આ શબ્દો વાંચીને જ જો તમને અપમાનજનક લાગતું હોય, તો વિચારો જેને આવું કહેવામાં આવ્યું હશે તેના પર શું વિતતી હશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરની યુનિવર્સિટીઓમાં આજેય દ્રોણાચાર્યો બેઠાં છે અને તેઓ આજેય દલિત-આદિવાસી વિદ્યાર્થીઓના અંગૂઠા કાપવા માટેની તકની રાહ જોતા હોય છે. આવી વધુ એક ઘટના દિલ્હીમાંથી સામે આવી છે, જ્યાં એક કોલેજના આચાર્યે દલિત વિદ્યાર્થીને વોટ્સએપ ગ્રુપ હેક કરવાનો આરોપ લગાવીને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાનિત કર્યો હતો. હવે આ મામલે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ સામે મોરચો માંડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના દિલ્હી યુનિવર્સિટીની શહીદ ભગત સિંહ કોલેજની છે. અહીં એક વિદ્યાર્થીને પ્રિન્સિપાલ દ્વારા માનસિક ત્રાસ આપવાનો અને જાતિસૂચક અપશબ્દો કહેવાનો મામલો સામે આવ્યો છે. નારાજ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો છેલ્લાં ઘણા દિવસોથી આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી રહ્યા છે. જ્યારે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનને આ ઘટનાની જાણ થઈ તો તેઓ પણ આ વિરોધમાં જોડાયા હતા. શહીદ ભગત સિંહ કોલેજમાં 18 નવેમ્બરે વિદ્યાર્થીઓએ પહેલીવાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ત્યારથી વિદ્યાર્થીઓ સતત વિરોધ કરી રહ્યા છે. આજે પણ તેમણે માલવિયા નગર પોલીસ સ્ટેશન સામે પ્રદર્શન કર્યું અને ન્યાયની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી યુનિવર્સિટીના AISAની સચિવ અંજલિએ આરોપ લગાવ્યો કે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. ગયા મહિને, 24 ઓક્ટોબરની આસપાસ કોલેજના ક્લાસના એક વોટ્સએપ ગ્રુપ પર કેટલાક વિદ્યાર્થીઓના ફોનમાંથી અશ્લીલ વીડિયો મોકલવામાં આવ્યો હતો. છેલ્લા સેમેસ્ટરમાં પણ આવું જ કંઈક બન્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષકોને પત્ર લખીને આ મામલે તપાસ કરવાની માંગ કરી હતી. એ પછી શંકાના આધારે કોલેજતંત્ર દ્વારા બે વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમને એક ફોર્મ ભરવા અને સહી કરવાનું કહેવામાં આવ્યું હતું, જેના આધારે એવું માનવામાં આવતું હતું કે આ વિદ્યાર્થીઓએ આ ભૂલ કરી છે, જેમાં તે ભૂલ સ્વીકારી રહ્યાં છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવું વચન આપી રહ્યાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે, વિદ્યાર્થીઓએ ફોર્મ પર સહી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, તેમણે ગ્રુપમાં આ વીડિયો મોકલ્યા જ નથી તો, તેઓ શું કામ તેનો સ્વીકાર કરે. જો કે, ભારે દબાણ બાદ વિદ્યાર્થીઓએ ફોર્મ પર સહી કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6740a531f0cfb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે વર્ગના વોટ્સએપ ગ્રુપમાં તેમના નંબર પરથી અશ્લીલ વીડિયો કેવી રીતે આવ્યો, તો તે વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમનું વોટ્સએપ હેક થઈ ગયું હતું. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ સારી રીતે જાણે છે કે જો તેઓ આવું જાણી જોઈને કરે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. એટલે અમે આવું શા માટે કરીએ?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુ થોડા દિવસો સુધી ચાલેલી તપાસ દરમિયાન ક્લાસના કુલ વિદ્યાર્થીઓમાંથી લગભગ 10-12 વિદ્યાર્થીઓને આ ઘટનામાં શંકાના દાયરામાં રાખવામાં આવ્યા હતા. અને દરેકના ફોનમાં તેમની અંગત માહિતી, ફોટા, ઓડિયો વગેરે હોવા છતાં, તેમની સંમતિ વિના તમામના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમના ફોન જપ્ત કરવામાં આવ્યા તેમાં એક સુમિત ચૌહાણ પણ હતો. જોકે, વીડિયો તેના ફોનમાંથી શેર નહોતો થયો. પરંતુ તે પણ શંકાના દાયરામાં હતો. તપાસ દરમિયાન કોલેજ પ્રશાસનને જાણવા મળ્યું કે સુમિતના ફોન પર બે વોટ્સએપ એપ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુનિવર્સિટીએ માત્ર બે વોટ્સએપ એકાઉન્ટના આધારે જાતે એ ધારી લીધું કે આ કોઈ નવી ટેક્નોલોજી હોવી જોઈએ અને તેણે કદાચ વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું હશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી તમામ શિક્ષકોએ સુમિતને એક ફોર્મ ભરવા અને તેના પર સહી કરવા દબાણ કરવાનું શરૂ કર્યું. જેથી તે સ્વીકારી લે કે તેણે આ કર્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે, સુમિતે એમ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે, તેણે જે કર્યું જ નથી તેનો કેવી રીતે સ્વીકાર કરે? એ પછી શિક્ષકો અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તેનું જાહેરમાં અપમાન થવા લાગ્યું. જેના કારણે તે માનસિક ત્રાસ અનુભવવા લાગ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુમીતે આક્ષેપ સ્વીકાર ન કરતા તેને આચાર્ય પાસે લઈ જવાયો હતો. આરોપ છે કે, આચાર્ય અરુણ કુમાર અત્રીએ સુમિતને કહ્યું હતું કે - “તું તો ચહેરાથી જ ગુનેગાર જેવો દેખાય છે. તું કઈ જાતિનો છે? ચમાર છો!”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી આચાર્યે સુમિતને 4-5 થપ્પડ મારી દીધી હતી અને મારવા માટે શિક્ષકો પાસેથી દંડો મગાવ્યો હતો. એ પછી સુમિત આચાર્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે માલવિયા નગર પોલીસ સ્ટેશન ગયો હતો, જો કે પોલીસે તેની ફરિયાદ લીધા બાદ પણ એફઆઈઆર નોંધી નહોતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્ટુડન્ટ યુનિયનની સચિવ અંજલિ કહે છે, એક યુવક હાંશિયામાં ધકેલાઈ ગયેલા સમાજમાંથી આવે છે. તેથી તેને ધમકાવવામાં આવે છે, માનસિક ત્રાસ અપાય છે. અમે 4-5 દિવસથી સતત વિરોધ કરી રહ્યા છીએ. અમારી માંગ છે કે આરોપીઓ વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ FIR નોંધવામાં આવે અને આચાર્યની ધરપકડ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે આચાર્ય અરૂણકુમાર અત્રીએ કહ્યું હતું કે, "આ તમામ આરોપો ખોટા, પાયાવિહોણા અને પ્રાયોજિત છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ લખી હતી. આઝાદે લખ્યું, "અમે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને દિલ્હી યુનિવર્સિટી પાસેથી માંગ કરીએ છીએ કે પ્રિન્સિપાલ અરુણ કુમાર અત્રીને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે અને આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ન્યાય આપવામાં આવે. જો ન્યાય નહીં મળે તો અમે ચૂપ નહીં બેસીએ અને વિરોધ ચાલું રાખીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/i-will-not-die-of-hunger-chamar-i">મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Nov 2024 21:13:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1589</Articleid>
                    <excerpt>આ શબ્દો વાંચીને જ જો તમને અપમાનજનક લાગતું હોય, તો વિચારો જેને આવું કહેવામાં આવ્યું હશે તેના પર શું વિતતી હશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6740a5015ba2a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740a501208c9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740a501208c9.jpg" length="119291" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Shaheed bhagat singh college, Racism</media:keywords>
                </item>
                        <item>
                    <title>બે મહિનામાં ડો.આંબેડકરની પ્રતિમા તોડવાની પાંચમી ઘટના બની, દલિતોમાં રોષ</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-five-times-in-two-months-in-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-five-times-in-two-months-in-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ સ્થાનિક દલિતોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની અને પ્રતિમાને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણીનો માહોલ હોય ત્યારે મનુવાદી તત્વો દ્વારા અચાનક બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની પ્રતિમાઓને તોડી પાડવાની ઘટનાઓ વધી જતી હોય છે. આવું જ કંઈક ઉત્તરપ્રદેશમાં થઈ રહ્યું છે. જ્યાં હાલ વિધાનસભાની પેટાચૂંટણી વચ્ચે છેલ્લાં બે મહિનામાં 5 વાર ડો. આંબેડકરની પ્રતિમા તોડી પાડવાની ઘટના બની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં સમાચાર મુજબ અહીં ગોંડાના સમરુપુર ગામમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરની પ્રતિમાની તોડફોડના પગલે સમગ્ર ઉત્તર પ્રદેશમાં વ્યાપક વિરોધ થયો છે. 16 નવેમ્બરની રાત્રે બનેલી આ ઘટના છેલ્લા બે મહિનામાં રાજ્યમાં આંબેડકરની પ્રતિમાઓની તોડફોડની પાંચમી ઘટના છે. આનાથી દલિત સમુદાયને ટાર્ગેટ કરીને નફરતની ઘટનાઓમાં વધારો થવાની ચિંતા વધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ ગામમાં 25 વર્ષથી વધુ સમયથી દલિત સમુદાય માટે ગૌરવનું પ્રતિક બનેલી ડૉ. આંબેડકરની પ્રતિમાને ખરાબ રીતે નુકસાન થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક દલિત લોકોએ તેની તાત્કાલિક ધરપકડ કરવાની અને પ્રતિમાને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમ આર્મીના કાર્યકર દીપક ગૌતમે તોડફોડની નિંદા કરી અને તેને સમાનતા અને સશક્તિકરણના મૂલ્યો પર સીધો હુમલો ગણાવ્યો. ગૌતમે કહ્યું, "ભારતીય બંધારણના એકમાત્ર ઘડવૈયા ડો. આંબેડકરની પ્રતિમા તોડવાની ઘટના અત્યંત નિંદનીય છે. સામંત તત્વોએ બહુજન સમાજ માટે સમાનતા અને સશક્તિકરણના પ્રતીક ડૉ. બાબાસાહેબની પ્રતિમાને વારંવાર નિશાન બનાવી છે. આ કોઈ કાળે ચલાવી લેવાય તેમ નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરીને રાજ્ય સરકારને ગુનેગારો સામે કડક પગલાં ભરવા માંગ કરી છે અને શક્ય તેટલી વહેલી તકે પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસે આ હુમલાને ઉત્તર પ્રદેશમાં ભાજપની આગેવાની હેઠળની સરકારના "નફરતની રાજનીતિ" સાથે જોડ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ શાહનવાઝ આલમે જણાવ્યું હતું કે આ કોઈ પહેલી ઘટના નથી, છેલ્લાં બે મહિનામાં રાજ્યભરમાં ડો. આંબેડકરની પ્રતિમાઓ તોડી પાડવાની પાંચ ઘટના બની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આલમે કહ્યું કે, "આ કૃત્યો ભાજપના દલિત વિરોધી એજન્ડાનો ભાગ છે," “ભાજપના ભાગલાવાદી રાજકારણથી ઉત્સાહિત સામંતવાદી તત્વો દલિતોના પ્રતીકો અને સ્વાભિમાનને કચડી નાખવા માંગે છે. આ સમાજને અત્યાચારનો સંદેશો આપવાનો એક ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના હક્કો અને ગૌરવ માટે લડનારા ડૉ. આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાની વધતી જતી સંખ્યાએ દલિત સમાજમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/unveiling-of-babasahebs-enthroned-statue-in-labor-village">અમદાવાદના મજૂરગામમાં ડો.આંબેડકરની સિંહાસન પર બિરાજતી પ્રતિમાનું અનાવરણ કરાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Nov 2024 14:09:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1588</Articleid>
                    <excerpt>સ્થાનિક દલિતોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની અને પ્રતિમાને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6740422ef1734.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740422eb0f0a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740422eb0f0a.jpg" length="111510" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkars statue, vandalised, five times in two months, uttar pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભવનાથ મંદિરના મહંત બનવા માટે ભાજપને 5 કરોડનું ફંડ આપ્યું</title>
                    <link>https://khabarantar.com/junagadh-sadhu-gave-rs-five-crore-to-bjp-to-become-mahant-of-bhavnath-temple</link>
                    <guid>https://khabarantar.com/junagadh-sadhu-gave-rs-five-crore-to-bjp-to-become-mahant-of-bhavnath-temple</guid>
                    <description>
                        <![CDATA[ રાજકારણીઓને શરમાવે તેવા સાધુઓના કરતૂતો. મંદિરના મહંત બનવા સાધુએ ભાજપને 5 કરોડનું ફંડ આપ્યું. કલેક્ટર અને બીજા સાધુઓને પણ લાખો રૂપિયા ખવડાવ્યા? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાતા સાધુ સંતો હવે રાજકારણીઓને પણ શરમાવે તેવા કાંડ કરવા લાગ્યા છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ હાલ જૂનાગઢમાંથી સામે આવી રહ્યું છે. અહીં અંબાજી મંદિરના મહંત બનવા માટે કહેવાતા સાધુસંતો એકબીજાને તોડી પાડવા તમામ તાકાત કામે લગાડીને મચી પડ્યાં છે. આ બધાં વચ્ચે એક સાધુએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કર્યું કે, અન્ય સાધુએ મંદિરના બનવા માટે થઈને ભાજપ પક્ષને રાષ્ટ્રીય ફંડમાં રૂ. 5 કરોડ દાન કર્યું છે. આ સિવાય બે કલેક્ટરો અને અખાડાના અન્ય સાધુઓને પણ લાખોની રકમ આપી છે. આ મામલો સામે આવતા જ સાધુ સંતોના રાજકારણીઓને પણ શરમાવે તેવા કરતૂતો પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા ગાદી માટેનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે. સાધુ-સંતોમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ચાલે છે તે પણ આનાથી ખૂલ્લું પડી ગયું છે. ભૂતનાથના મહંત મહેશગિરિએ શ્રી પંચ દશનામ જૂના અખાડાનો પત્ર જાહેર કરી ભવનાથના મહંત હરિગિરિ પર ગંભીર આરોપ લગાવ્યો છે. અખાડામાંથી હરિગિરિએ રકમ લઈ ભાજપ પાર્ટી ફંડમાં તથા બે કલેક્ટર, ભવનાથના સાધુ-સંતોને મળી કુલ 8 કરોડ રૂપિયા આપ્યા હોવાનું દર્શાવતો કથિત પત્ર તેમણે રજૂ કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખાડા પરિષદના મહામંત્રી અને જુના અખાડાના સંરક્ષક તથા ભવનાથના મહંત હરિગિરિની સહીવાળો શ્રી પંચ દશનામ જુના અખાડાનો પત્ર ભૂતનાથના મહંત મહેશગિરિએ જાહેર કર્યો છે. પત્રમાં કથિતપણે હરિગિરિના લખ્યા મુજબ, 'મહંત હરીગિરિ ગુરૂ દત્તાત્રેગિરિ ભવનાથ મંદિરને અખાડામાં સામેલ કરવા માટે હરીગિરિના નામ જોગ કલેક્ટર અને મહમંડલેશ્વર ભારતી બાપુ, ઈન્દ્રભારથી, મહાદેવગિરિ, મુક્તાનંદગિરિ સહિતનાઓએ મળી ભવનાથ મંદિરનો કબ્જો ભોગવટો મને સોંપવા માટે સહયોગ આપ્યો છે તે માટે મારા પાસે રહેલા નાણાંમાંથી તમામને આપ્યા છે. મારો કાયમી હુકમ કલેક્ટર કરી દેશે ત્યારે ભવનાથ મંદિર મારી માલિકીનું થઈ જશે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભૂતનાથના મહંત મહેશગિરિએ આક્ષેપ કર્યો છે કે, ભવનાથના મહંત હરીગિરિ ટોચના નેતાના નામે તંત્ર અને લોકોને દબાવી રહ્યા છે, જો તેઓ ભવનાથ અને ગિરનાર નહી છોડે તો હજુ તેના એક-એક કરતુત જાહેર કરી દઈશ, અખાડાઓમાંથી પૈસાની હેરાફેરી કરી છે, આવી રીતે સાધુ-સંતો, તંત્રને ભડકાવ્યા છે, ધર્મને નુકસાન કર્યું છે અને અખાડાની આબરૂને બટ્ટો લગાડયો છે. આમ, ભવનાથના મહંત બનવા માટે ભાજપ, સાધુ-સંતોને નાણાં આપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપથી ચકચાર મચી ગઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહંતે અખાડામાંથી ભાજપને ફંડમાં રૂ. 5 કરોડ આપ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">પત્રમાં ઉલ્લેખ મુજબ ભાજપના રાષ્ટ્રીય ફંડમાં પાંચ કરોડ આપવામાં આવ્યા છે. જૂનાગઢના બે કલેક્ટરો અને મહામંડલેશ્વર ભારતીબાપુને 50-50 લાખ રૂપિયા, ઈન્દ્રભારથી, સિધ્ધેશ્વરગિરિ, મહાદેવગિરિ, મુક્તાનંદગિરિ કમંડલકુંડ, જયશ્રીગિરિને 25-25 લાખ, શિવધુણાવાળા મહંત, સેવાદેવી પુનીતાચાર્યને 15-15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જૂનાગઢના કલેક્ટરની શંકાસ્પદ ભૂમિકા</span></strong></span><br><span style="font-size: 14pt;">ભવનાથના મહંત તરીકેનો ઓર્ડર કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. આ ઓર્ડર કરવાની ભૂમિકા પણ શંકાસ્પદ રહેલી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જૂનાગઢના તત્કાલીન કલેક્ટર રચીત રાજ દ્વારા ભવનાથ મહંત હરીગિરિની મુદ્દત પુરી થતી હતી તેના ચાર માસ પહેલા તેમને ફરી મહંત તરીકે વર્ષ 2025 સુધીનો ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે મહંતની મુદ્દત પુરી થતી હોય તેવા કિસ્સામાં પંદેરેક દિવસ અગાઉ નિર્ણય થતો હોય છે. તત્કાલીન કલેક્ટર દ્વારા ચાર માસ અગાઉ જે ઓર્ડર કરવામાં આવ્યો તે શા માટે થયો? તે મહત્વનું છે. કલેક્ટરે ઓર્ડર કરી દીધા બાદ તેની બદલી થઈ ગઈ હતી. પોતાની બદલી પહેલા ભવનાથના મહંતનો રિન્યુઅલ ઓર્ડર અને એ પણ અગાઉ શંકાસ્પદ ભૂમિકા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અંબાજી મંદિરની ગાદીનો વિવાદ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ તરફ અંબાજી મંદિરની ગાદી માટે પણ મોટો વિવાદ ચાલી રહ્યો છે. ભવનાથના મહંત હરિગીરી સહિતનાઓએ અંબાજીના મહંત તરીકે  પ્રેમગીરીની નિમણૂક કરી પરંતુ તે અંગે મોટો વિવાદ સર્જાતાં કલેક્ટરે ચેરિટી કમિશનરમાંથી અંબાજી, ભીડભંજન મંદિર ટ્રસ્ટના કાગળો મંગાવી તપાસ શરૂ કરી છે. હાલ ભીડભંજન ખાતે હરિગીરીએ તેમના બે સાધુઓને બેસાડી દીધા છે, જ્યારે અંબાજી મંદિરે કબ્જો લેવાની ગતિવિધિઓ પડતી મુકવી પડી છે. કોઈ અનિચ્છનીય બનાવ રોકવા ભીડભંજન ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક સાધુને સમાધિ આપ્યા પહેલા વારસને લઈને બબાલ</span></strong></span><br><span style="font-size: 14pt;">તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા અને હજુ તેને સમાધી પણ આપવામાં ન આવી હતી, તેમનો પાર્થિવ દેહ ભીડભંજન ખાતે હતો ત્યારે ગાદી માટે વિવાદ શરૂ કરી દેવામાં આવતા સભ્ય સમાજમાં આકરી ટીકા શરૂ થઈ ગઈ છે. તનસુખગીરી બાપુના ટ્રસ્ટ અંગેના તમામ કાગળો ચેરીટી કમિશનર પાસેથી કલેક્ટરે મંગાવી તેના બંધારણમાં શું જોગવાઈ છે તે અંગેની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બુધવારે હરીગીરીના જૂથ દ્વારા ઉગ્ર વિરોધ વચ્ચે ધરાર પ્રેમગીરીની તનસુખગીરીના ઉતરાધીકારી તરીકે ચાદરવિધી કરી નાખી હતી. બાદમાં બુધવારથી જ ત્યાં બે સાધુઓને બેસાડી દેતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાધુઓના ડરથી પોલીસ ગોઠવવી પડી</span></strong></span><br><span style="font-size: 14pt;">જવાહર રોડ પર આવેલા ભીડભંજનને ચાદરવિધી કર્યા બાદ ગુરૂવારે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરે કબજો લઈ ત્યાં પણ સાધુઓની નિમણુંક કરવાની ગતિવિધીઓ થવાની શક્યતાઓ હતી પરંતુ કોઈપણ કારણોસર તે પ્રક્રિયા બંધ રાખવાની ફરજ પડી છે. ભીડભંજન ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. સમગ્ર ડખ્ખા મુદ્દે સરકાર દ્વારા હાલ પુરતો મંદિરનો સમગ્ર વહિવટ હસ્તગત કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સરકાર દ્વારા થોડા સમય માટે મંદિરનું સંચાલન વહિવટી તંત્રને સોંપી ત્યારબાદ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ કરી જો નિયમ મુજબ શક્ય હશે તો અન્યને મહંત તરીકે નિમણુંક કરવામાં આવે તેવી સંભાવના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીડભંજન મહાદેવ મંદિરના સંપત્તિ પર અનેકનો ડોળો</span></strong></span><br><span style="font-size: 14pt;">ભીડભંજન મહાદેવ મંદિરની જગ્યામાં એક રૂમમાં બ્રહ્મલીન મહંતની બચત કરેલી મોટી રકમ, સોના-ચાંદીના આભૂષણો, દાગીના સહિતની અનેક કિંમતી જરઝવેરાતો છે. આ તમામ કિંમતી ચીજવસ્તુઓ પર અનેક લોકોનો ડોળો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કલેક્ટર દ્વારા તાત્કાલિક આ રૂમને સીલ મારી દેવામાં આવે ત્યારબાદ તમામ વિવાદનો અંત આવ્યા બાદ જ તેમનું સીલ ખોલવું જોઈએ તેવી પણ પ્રબુદ્ધ નાગરિકોમાંથી માંગ ઉઠી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dispute-between-mahants-family-and-Akhara-parishad-over-appointment-of-new-mahant-of-ambaji-temple-in-girnar-junagadh">ગિરનાર મંદિરના વિવાદમાં મહંત પરિવારે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Nov 2024 12:12:35 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 22 Nov 2024 13:05:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1587</Articleid>
                    <excerpt>રાજકારણીઓને શરમાવે તેવા સાધુઓના કરતૂતો. મંદિરના મહંત બનવા સાધુએ ભાજપને 5 કરોડનું ફંડ આપ્યું. કલેક્ટર અને બીજા સાધુઓને પણ લાખો રૂપિયા ખવડાવ્યા?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674027bed1fa1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674027bea0f94.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674027bea0f94.jpg" length="60779" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>maheshgiri, harigiri, bhavnath, girnar ambaji temple controversy, BJP</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;ભંગી&amp;apos; જાતિ નથી કહી હાઈકોર્ટે સલમાન ખાન, શિલ્પા શેટ્ટીને જામીન આપી દીધાં</title>
                    <link>https://khabarantar.com/jodhpur-high-court-grants-relief-to-salman-khan-shilpa-shetty-in-atrocity-case</link>
                    <guid>https://khabarantar.com/jodhpur-high-court-grants-relief-to-salman-khan-shilpa-shetty-in-atrocity-case</guid>
                    <description>
                        <![CDATA[ ફિલ્મના પ્રમોશન વખતે વાલ્મિકી સમાજનું જાહેર અપમાન કરનાર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીને કોર્ટે એટ્રોસિટી કેસમાં વિચિત્ર તર્ક આપીને રાહત આપી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સામે એસસી એસટી એક્ટ (Atrocity Act) હેઠળ નોંધાયેલી ફરિયાદમાં જોધપુરની કોર્ટે (Jodhpur Court) રાહત આપી છે. બંને સામે ચૂરુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે ગઈકાલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જોધપુર હાઈકોર્ટ (Jodhpur High Court) ની બેંચે આ કેસમાં શિલ્પા શેટ્ટી અને સલમાન ખાનની તરફેણમાં ચુકાદો આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં કેસ નોંધાયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના ચુરુ પોલીસ સ્ટેશનમાં એસસી એસટી એક્ટ હેઠળ સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ગુરુવારે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન શિલ્પા શેટ્ટી વતી એડવોકેટ પ્રશાંત પાટીલે તેનો પક્ષ રજૂ કર્યો હતો. બીજી તરફ શક્તિ પાંડે અને ગોપાલ સાંડુએ અરજદારનો પક્ષ રજૂ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફિલ્મના પ્રમોશનમાં વાલ્મિકી સમાજનું અપમાન કર્યું હતું</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના સલમાનની ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ' (Tiger Zinda Hai) રિલીઝ થવા જઈ રહી હતી ત્યારની છે. કહેવાય છે કે ફિલ્મની એક પ્રમોશનલ ઈવેન્ટમાં અભિનેતાએ એસસી-એસટી સમાજને લઈને વાંધાજનક નિવેદન કર્યું હતું. એ પછી તરત સલમાન અને કેટલાક ફિલ્મ કલાકારો વિરુદ્ધ પટિયાલા કોર્ટમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી પર વાલ્મિકી સમાજ માટે જાતિગત અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોર્ટનો તર્ક - 'ભંગી' શબ્દ કોઈ જાતિ નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિલ્પા શેટ્ટીને હાઈકોર્ટના જસ્ટિસ અરુણ મોગાની કોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે શિલ્પા વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ નોંધાયેલી એફઆઈઆર રદ કરી હતી. શિલ્પાને આપવામાં આવેલી રાહત પાછળનો કોર્ટનો તર્ક છે કે, એસસી-એસટી એક્ટમાં એફઆઈઆર મંજૂરી અને તપાસ વિના નોંધી શકાય નહીં સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે 'ભંગી' શબ્દ કોઈ જાતિ નથી પણ સ્લર (Slur) છે. આમાંની એક દલીલ એવી છે કે શિલ્પાએ કોઈને નીચું દેખાડવા માટે આ શબ્દોનો પ્રયોગ નહોતો કર્યો પરંતુ ખુદને આ શબ્દોથી સંબોધિત કરી હતી. આ મામલે શિલ્પાએ વર્ષ ૨૦૧૭માં જ સોશિયલ મીડિયા પર માફી માંગી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર મામલો વર્ષ ૨૦૧૭ નો છે. ૨૩ વર્ષના અશોક પંવારે ચુરુ જિલ્લામાં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. તેણે કહ્યું હતું કે ૨૨ ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ, તેણે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીને ખુલ્લેઆમ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા સાંભળ્યા હતા, જેનાથી વાલ્મિકી સમાજની લાગણીઓને ઠેસ પહોંચી હતી. ત્યારબાદ સલમાન અને શિલ્પા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 153એ (ધર્મ, જાત વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) એક્ટની વિવિધ કલમો હેઠળ ચુરુ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/attacking-the-sweeper-saying-you-are-bhangi-paran-chanted-jai-shri-ram">'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Nov 2024 10:50:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1586</Articleid>
                    <excerpt>ફિલ્મના પ્રમોશન વખતે વાલ્મિકી સમાજનું જાહેર અપમાન કરનાર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીને કોર્ટે એટ્રોસિટી કેસમાં વિચિત્ર તર્ક આપીને રાહત આપી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6740128f66c8a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740128f31ac7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740128f31ac7.jpg" length="79700" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>jodhpur high court, grants relief, salman khan, shilpa shetty, atrocity case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયું</title>
                    <link>https://khabarantar.com/arrest-warrant-issued-against-gautam-adani-in-us</link>
                    <guid>https://khabarantar.com/arrest-warrant-issued-against-gautam-adani-in-us</guid>
                    <description>
                        <![CDATA[ ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપમાં દોષિત  ઠેરવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપમાં દોષિત  ઠેરવ્યા છે. જે લોકો પર લાંચ આપવાના અને ફ્રોડનો આરોપ લાગ્યો છે તેમાં ગ્રુપ સંબંધિત સાત અન્ય લોકો પણ સામેલ છે. આરોપો બાદ અદાણી એન્ટરપ્રાઈસિસે બોન્ડ દ્વારા ૬૦ કરોડ ડોલર ભેગા કરવાની યોજના રદ કરી છે. અહેવાલ મુજબ આ લાંચ સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને અપાઈ હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદાણી તરફથી તાજેતરમાં ગ્રીન એનર્જી સેક્ટરમાં ભારે રોકાણ કરવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તરફથી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર શુભેચ્છા આપવાની સાથે કરાઈ હતી. ટ્રમ્પે એનર્જી કંપનીઓ માટે નિયમોને સરળ બનાવવાનું વચન આપ્યું છે. જેનાથી તેમને ફેડરલ લેન્ડ પર ડ્રિલિંગ કરવામાં અને પાઈપલાઈન બનાવવામાં સરળતા રહેશે. બીજી બાજુ અમેરિકાના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન તરફથી ગૌતમ અદાણી પર અમેરિકી રોકાણકારોને દગો કરવાના અને અધિકારીઓને લાંચ આપવાના આરોપ લગાવવામાં આવ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી (૩૦), અદાણી ગ્રીન એનર્જીના અધિકારી અને એજ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના એક એક્ઝિક્યુટિવ સિરિલ કેબનેસ પર મલ્ટી બિલિયન ડોલરની યોજના હેઠળ અમેરિકી રોકાણકારો અને ગ્લોબલ ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટથી પૈસા મેળવવા માટે ખોટા અને ભ્રામક નિવેદનો દ્વારા પ્રતિભૂતિ અને વાયર ફ્રોડ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આ આરોપોનો સંબંધ એક અબજો ડોલરના પ્રોજેક્ટ સાથે હોવાનું કહેવાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ પત્રમાં કહેવાયું છે કે અદાણી અને અન્ય લોકોએ લગભગ ૨૬૫ મિલિયન ડોલરની લાંચ આપી છે. તેમને આશા હતી કે આ કોન્ટ્રાક્ટથી આગામી બે દાયકામાં ૨ બિલિયન ડોલરથી વધુનો ફાયદો થશે. એવો પણ દાવો છે કે યોજનામાં સામેલ કેટલાક લોકોએ ગૌતમ અદાણી માટે 'ન્યૂમેરો ઉનો' અને 'ધ બિગ મેન' જેવા કોડ વર્ડ વાપર્યા હતા. આરોપ છે કે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને એક અન્ય એક્ઝીક્યુટિવ વિનીત જૈને અદાણી ગ્રીન એનર્જી માટે ૩ અબજ ડોલરથી વધુની લોન અને બોન્ડ મેળવવા માટે લેણદારો અને રોકાણકારોથી લાંચને છૂપાવી રાખી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/lok-sabha-election-results-dealt-a-big-blow-to-adani-Group"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીના પરિણામોથી અદાણી ગ્રુપને મોટો ફટકો</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બધા આરોપ Foreign Corrupt Practices Act હેઠળ આવે છે જે વિદેશી વ્યાપારિક લેવડદેવડમાં લાંચ વિરુદ્ધના અમેરિકી કાયદા છે. આસિસ્ટન્ટ એટોર્ની જનરલ લિસા એચ મિલરે કહ્યું કે આરોપ પત્રમાં ભારતીય સરકારી અધિકારીઓને ૨૫૦ મિલિયન યુએસ ડોલરથી વધુની લાંચ આપવા, રોકાણકારો અને બેંકોથી અબજો ડોલર ભેગા  કરવા માટે ખોટું બોલવા અને તપાસમાં વિધ્ન નાખવાની યોજનાઓનો આરોપ લગાવવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેસમાં જેમના નામ છે તેમાં - ગૌતમ અદાણી (૬૨), સાગર એસ અદાણી (૩૦), વિનિત એસ. જૈન (૫૩)- રંજીત ગુપ્તા(૫૪), સિરિલ કબાનેસ (૫૦), સૌરભ અગ્રવાલ (૪૮), દીપક મલ્હોત્રા(૪૫), રૂપેશ અગ્રવાલ (૫૦) નો સમાવેશ થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ્‌સમાં દાવો કરાયો છે કે ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરાયું છે. અમેરિકી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશનએ બે લોકો અને એક અન્ય વ્ય્કતિ, સિરિલ કેબનેસ વિરુદ્ધ સંબંધિત દીવાની આરોપ દાખલ કર્યા છે. અમેરિકી સરકારે હજુ સુધી  અદાણી અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ વિશિષ્ટ આરોપો વિશે પૂરી જાણકારી આપી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદાણી ગ્રુપે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. જૂથે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અદાણી ગ્રીનના ડિરેક્ટરો પર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદાણી ગ્રૂપે નિવેદનમાં જણાવ્યું હતું કે, "યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જ જણાવવામાં આવ્યું છે તેમ, "તપાસમાં મૂકવામાં આવેલા આરોપો સમાન છે અને જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી પ્રતિવાદીઓ નિર્દોષ હોવાનું માનવામાં આવે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'અદાણી જૂથ હંમેશા ઉચ્ચતમ ધોરણોનું પાલન કરે છે અને તેના તમામ ઓપરેટિંગ ક્ષેત્રોમાં શાસન, પારદર્શિતા અને નિયમનકારી અનુપાલન જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે અમારા હિતધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતી સંસ્થા છીએ, તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીએ છીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૌતમ અદાણી પર યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા ભારતમાં સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને ઇં૨૫૦ મિલિયન લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય પર ૨૦૨૦ અને ૨૦૨૪ ની વચ્ચે સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે ભારતીય સરકારી અધિકારીઓને ૨૫૦ મિલિયન ડોલરથી વધુ લાંચ આપવાનો આરોપ મૂક્યો હતો. એક અંદાજ મુજબ, આનાથી અદાણી જૂથને બે અબજ ડોલરથી વધુનો નફો થવાની સંભાવના હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુએસ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો હતો કે આ બધું અમેરિકન બેંકો અને રોકાણકારોથી છુપાવવામાં આવ્યું હતું, જેમની પાસેથી અદાણી ગ્રુપે પ્રોજેક્ટ માટે અબજો ડોલર એકત્ર કર્યા હતા. ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લાના યુએસ એટર્ની બ્રાયન પીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પ્રતિવાદીઓએ અબજો ડોલરના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવાનું એક વિસ્તૃત કાવતરું ઘડ્યું હતું.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/hindenburg-rocked-adanis-empire-billions-hit">હિંડનબર્ગે અદાણીનું સામ્રાજ્ય હચમચાવી દીધું, અબજોનો ફટકો પડ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Nov 2024 20:39:36 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 21 Nov 2024 20:40:37 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1585</Articleid>
                    <excerpt>ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપમાં દોષિત  ઠેરવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673f4b9ea5cdb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673f4b9e71139.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673f4b9e71139.jpg" length="59466" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gautam adani usa news, Gautam adani news</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી મહિલાની છેડતી કરી યુવકે તેના મોંમાં માનવમળ ઠૂંસી દીધું</title>
                    <link>https://khabarantar.com/a-young-man-molested-a-tribal-woman-and-put-human-feces-in-her-mouth</link>
                    <guid>https://khabarantar.com/a-young-man-molested-a-tribal-woman-and-put-human-feces-in-her-mouth</guid>
                    <description>
                        <![CDATA[ બિન આદિવાસી યુવક મહિલાના ખેતર વચ્ચેથી ટ્રેક્ટર ચલાવતો હતો, મહિલાએ વિરોધ કર્યો તો હલકાઈ પર ઉતરી આવ્યો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓડિશાના બોલાંગીર જિલ્લામાં એખ આદિવાસી મહિલા સાથે માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. આ મહિલા સાથે ન માત્ર ગેરવર્તન કરાયું પરંતુ તેના મોંમાં બળજબરીથી (માનવ) મળમૂત્ર પણ નાખવામાં આવ્યું હતું. મામલો બંગામુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના જુરાબંધા ગામનો છે. કહેવાય છે કે આરોપી યુવકે 20 વર્ષની મહિલા પર હુમલો કર્યો અને તેની છેડતી પણ કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાએ પોતાની સાથે થયેલા આ શરમજનક કૃત્ય અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી જે બિન-આદિવાસી હતો, તે આદિવાસી મહિલાના ખેતરમાંથી ટ્રેક્ટર હાંકીને લઈ જઈ રહ્યો હતો, જેના કારણે ખેતરમાં પાકને નુકસાન થઈ રહ્યું હતું. મહિલાએ તેનો વિરોધ કર્યો અને તેને ટ્રેક્ટર ન હાંકવાનું કહ્યું હતું. જેનાથી આરોપીએ તેના પર હુમલો કર્યો અને તેના મોંમાં બળજબરીથી માનવ મળ ઠૂંસી દીધું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપી ફરાર, પોલીસે તપાસ શરૂ કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">આરોપી યુવકે મહિલા સાથે દુર્વ્યવહાર કરતા તેની જાતિ પર વાંધાજનક ટિપ્પણી પણ કરી હતી. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે. મહિલાએ બંગોમુંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 288/24 હેઠળ ગુનો નોંધ્યો છે. કાંટાબાંજી એસડીપીઓ ગૌરાંગ ચરણ સાહુએ જણાવ્યું કે પીડિતા વતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ આરોપી ફરાર છે પરંતુ તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. તે જલ્દી પકડાઈ જશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટનાને લઈને આદિવાસી સમાજમાં રોષ</span></strong></span><br><span style="font-size: 14pt;">દરમિયાન વિપક્ષ બીજુ જનતા દળ (બીજેડી)ના સાંસદ નિરંજન બીસીએ આરોપ લગાવ્યો કે પોલીસે આરોપી સામે કોઈ કાર્યવાહી કરી નથી, જેના કારણે આદિવાસી સમાજમાં ગુસ્સો છે. ઘટના બાદ સ્થાનિક આદિવાસી સંગઠનો ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમણે ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જો વહીવટી તંત્ર તાકીદે પગલાં નહીં ભરે તો તેઓ સાથે મળીને આંદોલન કરશે તેવી ચેતવણી પણ આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સ્થાનિક સામાજિક કાર્યકર અજીત જોશીએ આ સમગ્ર ઘટનાની નિંદા કરી છે અને ગુનેગારને કડક સજાની માંગ કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ ઘટના અસહ્ય છે અને માનવતાને શર્મશાર કરે છે. આવી ઘટનાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને કડક સજા મળવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/tribal-woman-mother-of-three-raped-and-burned-alive-in-jiribam-manipur">આદિવાસી યુવતી પર બળાત્કાર કર્યો, જાંઘમાં ખીલા ઠોક્યા અને પછી જીવતી સળગાવી દીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Nov 2024 17:18:00 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 21 Nov 2024 17:21:46 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1584</Articleid>
                    <excerpt>બિન આદિવાસી યુવક મહિલાના ખેતર વચ્ચેથી ટ્રેક્ટર ચલાવતો હતો, મહિલાએ વિરોધ કર્યો તો હલકાઈ પર ઉતરી આવ્યો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673efee80ba9e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673efee7c4fcc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673efee7c4fcc.jpg" length="56811" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ST news, aadivasi news, tribal woman molested</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગિરનાર મંદિરના વિવાદમાં મહંત પરિવારે આત્મવિલોપનની ચિમકી આપી</title>
                    <link>https://khabarantar.com/dispute-between-mahants-family-and-Akhara-parishad-over-appointment-of-new-mahant-of-ambaji-temple-in-girnar-junagadh</link>
                    <guid>https://khabarantar.com/dispute-between-mahants-family-and-Akhara-parishad-over-appointment-of-new-mahant-of-ambaji-temple-in-girnar-junagadh</guid>
                    <description>
                        <![CDATA[ ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના નવા મહંતને લઈને ભારે વિવાદ જામ્યો છે. લોકોને મોહમાયા છોડી દેવાની શિખામણો આપતા કથિત સંતો અહીં ગાદી માટે લડી લેવા માંગે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઐતિહાસિક પુરાવાઓ મુજબ જૂનાગઢ જિલ્લામાં આવેલા મોટાભાગના સ્થાપત્યો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે અને તેમાં ગિરનાર પર્વત અને તેની ઉપરના તમામ સ્થાપત્યો પણ સામેલ છે. જો કે બૌદ્ધ ધર્મના પતન બાદ હિંદુત્વવાદી તાકાતોએ તેને પોતાના નામે ચડાવી દીધાં હતા. આવું જ એક મહત્વનું સ્થાપત્ય ગિરનાર પર આવેલું હાલનું અંબાજી મંદિર છે. જેના મહંતનો વિવાદ હાલ ચગ્યો છે. મળતી માહિતી મુજબ આ મંદિરના વર્તમાન મહંત બ્રહ્મલીન થયા બાદ નવા મહંતની નિમણૂંકને લઈને પૂર્વ મહંતના પરિવારજનો અને અખાડા પરિષદ વચ્ચે જ મોટો અખાડો થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજ બ્રહ્મલીન થયા હતા. એ બાદ નવા મહંતની નિમણૂંકને લઈને વિવાદ ઊભો થયો છે. ભારે હોબાળો વચ્ચે મંદિરના નવા મહંત તરીકે અખાડા પરિષદે પ્રેમગીરીબાપુની નિયુક્તિ કરી છે. જેને લઈને પૂર્વ મહંતના પરિવારે ઉગ્ર વિરોધ કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બ્રહ્મલીન તનસુખગીરી મહારાજના પરિવારજનોએ માગ કરી છે કે, તેમની પરંપરામાંથી અંબાજી મંદિરની ગાદી આપવામાં આવે. અન્ય મહંતની ચાદરવિધિ કે જાહેરાત સ્વીકારવામાં નહીં આવે. તનસુખગીરી બાપુના પરિવારજનોએ આત્મવિલોપનની ચીમકી આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ પ્રેમગીરી બાપુએ કહ્યું કે, ગાદીપતિ કંઈક લખીને ગયા હોત અથવા કોઈને ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરીને ગયા હોત તો કોઈ વિરોધ ન થાત. જ્યારે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, અખાડાના સર્વે સંતોએ નિર્ણય લઈને પ્રેમગીરી મહારાજને મહંત ઘોષિત કર્યા છે. છતાં આ મામલે અંતિમ નિર્ણય કલેક્ટર લેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ જૂના અખાડા દ્વારા અંબાજી મંદિરના નવા મહંત તરીકે અખાડાની પરંપરા મુજબ પ્રેમગીરી મહારાજની ચાદરવિધિ કરવામાં આવી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે અન્ય એક મહંત મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જે પણ વિવાદ થયો છે એ મુદ્દે મેં સ્પષ્ટતા આપી છે. આ વિવાદ મારી જગ્યામાં નથી. ગિરનાર અને ધર્મમાં કોઈ આંચ ન આવે, એ વિશે વધુ ધ્યાન આપવું જોઈએ. અખાડા સંરક્ષણની ભૂમિકામાં હોય છે. નવા મહંતની ચાદરવિધિ સહમતીથી થવી જોઈએ. કલેક્ટરે આ બાબતે ધ્યાન આપવાની જરૂર નથી. હું અંબાજી મંદિરના મહંત બનવા માટે સામેથી દાવો નહી કરું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાન્ય માણસને ત્યાગ કરવાનું કહેતા સંતો શું કરી રહ્યાં છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિવાદમાં એટલું તો સ્પષ્ટ વર્તાય છે કે, સામાન્ય માણસને ધન, પૈસાની લાલચ છોડી દેવાની, આ બધું મોહમાયા છે કહીને ઈશ્વરના ચરણોમાં ધરી દેવાની સલાહો આપતા આ કથિત સંતોથી ગાદીનો મોહ છુટતો નથી અને તેના માટે કોર્ટ સુધી જવા તૈયાર હોય છે. હમણાં સરખેજના ભારતી આશ્રમમાં પણ બે સાધુઓના જૂથો ગાદી મેળવવા માટે થઈને બાઉન્સરો સાથે ફરતા હતા. આ શું સૂચવે છે? એ જ કે, કહેવાતા સંતો ખુદ રૂપિયા, પૈસા, ધન અને ગાદીનો મોહ છોડી શકતા નથી, તેના માટે તેઓ બાઉન્સરો રાખી મારામારી પર ઉતરી આવતા કે સામેના મહંતને ઉતારી પાડતી ચેષ્ટા કરવામાં પણ નાનપ નથી અનુભવતા. આ લોકો સામાન્ય માણસને શું રસ્તો બતાવવાના? તથાગત ગૌતમ બુદ્ધે એટલે જ કહ્યું છે, અપ્પો દીપો ભવ, અર્થાત તું જ તારો પ્રકાશ બન. આ ઘટનામાંથી સામાન્ય માણસે બસ આટલો જ ધડો લેવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-the-crowd-gathering-in-the-green-circle-a-sign-of-severe-unemployment">લીલી પરિક્રમામાં ઉમટતી ભીડ તીવ્ર બેરોજગારી-બેકારીનો સંકેત છે?</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Nov 2024 13:32:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1583</Articleid>
                    <excerpt>ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના નવા મહંતને લઈને ભારે વિવાદ જામ્યો છે. લોકોને મોહમાયા છોડી દેવાની શિખામણો આપતા કથિત સંતો અહીં ગાદી માટે લડી લેવા માંગે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673ee91779fba.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ee9173bc94.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ee9173bc94.jpg" length="100496" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Girnar, Junagarh, Ambaji Temple, Controversy over the new Mahant, Akhara Parishad</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંદુ દેવી&amp;દેવતાઓ પરની પોસ્ટ બદલ પ્રો. વિક્રમ હરિજન સામે કાર્યવાહી થશે</title>
                    <link>https://khabarantar.com/action-will-be-taken-against-prof-vikram-harijan-for-his-post-on-hindu-gods-and-aoddesses</link>
                    <guid>https://khabarantar.com/action-will-be-taken-against-prof-vikram-harijan-for-his-post-on-hindu-gods-and-aoddesses</guid>
                    <description>
                        <![CDATA[ પ્રો. જી.એન. સાંઈબાબા, પ્રો. લક્ષ્મણ યાદવ બાદ હવે અલાહાબાદ યુનિ.ના ઈતિહાસ વિભાગના સહાયક પ્રોફેસર વિક્રમ હરિજનની નોકરી ખાઈ જવા દ્રોણાચાર્યો સક્રિય થયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત ભારતભરની યુનિવર્સિટીઓમાં દ્રોણાચાર્યો બેઠેલા છે અને તેઓ હવે દલિત, આદિવાસી વિદ્યાર્થીઓની સાથે આ સમાજના પ્રોફેસરોની નોકરીઓ ખાઈ જવા માંગે છે. અગાઉ પ્રો. જી.એન. સાંઈબાબાને ખોટા કેસમાં ફસાવી દઈ જીવતેજીવ મૃતપ્રાય સ્થિતિમાં લાવી દીધા હતા. 90 ટકા અપંગ જી.એન.સાંઈબાબાને તદ્દન ખોટા કેસમાં વર્ષો સુધી જેલમાં ભયંકર યાતનાઓ આપવામાં આવી હતી. અંતે જ્યારે તેમને જામીન મળ્યાં તો તેઓ જેલની યાતનાઓના કારણે માંડ 6 મહિના જીવી શક્યા. આ જ રીતે અગાઉ આંબેડકરી વિચારધારાના વાહક પ્રો. લક્ષ્મણ યાદવને પણ યુનિ.એ એડહોક પ્રોફેસર તરીકે રિપીટ નહોતા કર્યા. તેઓ દોઢ દાયકાથી નોકરી પર હતા. છતાં તેમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નહોતો કરાયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવો જ પેંતરો દ્રોણાચાર્યોએ અલાહાબાદ યુનિ.ના ઈતિહાસ વિભાગના પ્રોફેસર વિક્રમ હરિજનની નોકરી ખાઈ જવા માટે કર્યો છે. મધ્યયુગીન અને આધુનિક ઇતિહાસ વિભાગના સહાયક પ્રોફેસર ડૉ. વિક્રમ હરિજનને યુનિવર્સિટી તરફથી એક લેખિત ચેતવણી આપવામાં આવી છે જેમાં તેમને હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ પ્રો. વિક્રમે સોશિયલ મીડિયા પર હિંદુ દેવી-દેવતાઓ પર ટિપ્પણી કરી હતી, એ પછી સોશિયલ મીડિયા પર હોબાળો થયો હતો. આરોપ હતો કે તેમની ટિપ્પણીથી હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જોકે બાદમાં પ્રોફેસરે માફી પણ માંગી હતી. આખું પ્રકરણ પુરું થઈ ગયા બાદ ફરીથી તેને ઉખેળવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રો.વિક્રમ હરિજન ફરીથી કોઈ ટિપ્પણી ન કરે તે માટે 3 ઓક્ટોબરના રોજ કુલપતિ પ્રો. સંગીતા શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, જો યુનિવર્સિટીના કોઈ શિક્ષક કે કર્મચારી યુનિવર્સિટીની છબી ખરડવામાં સંડોવાયેલા જણાશે તો તેમને નિવૃત્તિ બાદ ગ્રેચ્યુઈટીનો લાભ આપવામાં આવશે નહીં. યુનિવર્સિટીના કર્મચારીઓ વાઇસ ચાન્સેલરની મંજૂરી બાદ જ યુનિવર્સિટી વિશે સોશિયલ મીડિયા પર લખી શકશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે મદદનીશ પ્રોફેસર ડો.વિક્રમ હરિજનને દેવી-દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કરવા બદલ ચેતવણી આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જ ક્રમમાં 14 નવેમ્બરે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રો. આશિષ ખરે દ્વારા જારી કરાયેલા પત્ર દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા પ્રો. વિક્રમ હરિજનને ચેતવણી આપવામાં આવી છે કે, તમે ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ ટાળો અને ધર્મ અને સંસ્કૃતિ જેવા સંવેદનશીલ મુદ્દાઓને લઈને કોઈપણ જાહેર કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ ભડકાઉ ટીપ્પણી ન કરો, કારણ કે તેનાથી યુનિ.ની છબિ ખરડાય છે. જો ભવિષ્યમાં તમે સોશિયલ મીડિયા/પ્રિન્ટ મીડિયા પર આવી બદનક્ષીભરી ટિપ્પણીઓ લખવાનું ચાલુ રાખશો, તો યુનિવર્સિટી તમારી સામે કડક કાર્યવાહી કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પ્રોફેસર ડૉ. વિક્રમ હરિજને કહ્યું કે, "એવું નથી કે નોટિસ મળ્યા પછી હું અટકી ગયો છું. જો ધર્મ, જાતિ અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપશે તો હું ચોક્કસપણે તેના પર ચોક્કસ બોલીશ અને આજેય બોલી રહ્યો છું. માત્ર કોઈ એક ધર્મની વિરુદ્ધ જ નહીં, હું એવા તમામ ધર્મોની વિરુદ્ધ બોલું છું જે જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપે છે. મેં એક એવો કોર્સ બનાવ્યો છે જેમાં એક સેગમેન્ટ છે - Religion in Marginal communities. હું શીખવું છું કે દરેક ધર્મ જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો છે તેમને કોઈ સ્થાન નથી મળ્યું. હિંદુ, ઈસ્લામ કે શીખ એકેય ધર્મમાં તેમના માટે સ્થાન નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Who-is-Professor-Vikram-Harijan,-against-whom-VHP,-Bajrang-Dal-filed-FIR">કોણ છે પ્રોફેસર વિક્રમ હરિજન, જેમની સામે VHP, બજરંગ દળે FIR કરી છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Nov 2024 11:20:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1582</Articleid>
                    <excerpt>પ્રો. જી.એન. સાંઈબાબા, પ્રો. લક્ષ્મણ યાદવ બાદ હવે અલાહાબાદ યુનિ.ના ઈતિહાસ વિભાગના સહાયક પ્રોફેસર વિક્રમ હરિજનની નોકરી ખાઈ જવા દ્રોણાચાર્યો સક્રિય થયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673ec8c9dd015.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ec8c9aad79.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ec8c9aad79.jpg" length="74072" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>prof vikram harijan, University of Allahabad</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;તું બાકી 50 રૂ. કેમ નથી આપતો?&amp;apos; કહી દલિત ભાઈબહેનને ફટકાર્યા</title>
                    <link>https://khabarantar.com/why-dont-you-give-me-the-remaining-rs-50-dalit-siblings-were-beaten-up</link>
                    <guid>https://khabarantar.com/why-dont-you-give-me-the-remaining-rs-50-dalit-siblings-were-beaten-up</guid>
                    <description>
                        <![CDATA[ ગેરેજના માથાભારે વ્યક્તિએ દલિત યુવક સાથે માથાકૂટ કરી કર્મચારીઓ સાથે મળીને ભાઈબહેનને ઢોર માર માર્યો. ભીમ આર્મી મદદે આવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદના એપીસેન્ટર યુપીમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર 50 રૂપિયા જેવી નજીવી બાબતે એક દલિત યુવકને માર મારવામાં આવ્યો. તેની બહેન તેને બચાવવા વચ્ચે પડી તો તેની પણ એ જ હાલત કરવામાં આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મથુરાની છે. જ્યાં માથાભારે તત્વોએ એક દલિત યુવકને નિર્દયતાથી ફટકાર્યો હતો. એ દરમિયાન તેને બચાવવા આવેલી તેની બહેનને પણ લુખ્ખાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. મામલાની જાણ થતા જ ભીમ આર્મીના કાર્યકરો પહોંચી ગયા હતા અને આ મામલે ફરિયાદ લઈને SSP ઓફિસ પહોંચ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મથુરાના મગોરા પોલીસ સ્ટેશન વિસ્તારના સોંખ વિસ્તારમાં 50 રૂપિયાની ઉધાર ન ચૂકવવા બદલ માથાભારે તત્વોએ એક દલિત યુવકને માર માર્યો. બદમાશોએ યુવકને બચાવવા આવેલી તેની બહેનને પણ બક્ષી નહીં અને તેને પણ માર મારવાનું શરૂ કરી દીધું. ભીમ આર્મીના કાર્યકરો પીડિત ભાઈબહેન સાથે એસએસપી ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ તેમને મળી શક્યા નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોંખનો રહેવાસી સુંદર રવિવારે આ વિસ્તારના એક બાઈક રિપેરીંગ સેન્ટરમાં ગયો હતો. અહીં તેણે સ્ટાફને તેની બાઇક ધોવાનું કહ્યું હતું. કહેવાય છે કે સુંદરે ગેરેજના માલિકને 50 રૂપિયા આપવાના બાકી હતા. તેણે બાઈકને વોશ કરતા પહેલા તેના બાકી 50 રૂપિયા માંગ્યા હતા. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપ છે કે ગેરેજના માલિક અને તેના કર્મચારીઓએ મળીને દલિત યુવક સુંદરને માર માર્યો હતો. એ દરમિયાન તેની બહેન ત્યાં પહોંચી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે તેણે તેના ભાઈને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેને પણ માર મારવામાં આવ્યો અને જાતિસૂચક ગાળો ભાંડી હતી. સોમવારે ભીમ આર્મીની ફતેહપુર સીકરી ટીમના જનરલ સેક્રેટરી ભૂપેન્દ્ર ગૌતમ આ ભાઈબહેનની સાથે એસએસપી ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ એસએસપીને મળી શક્યા નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે જો ભાઈબહેનને ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે. આ દરમિયાન ભીમ આર્મી સેક્ટરના પ્રમુખ સત્યપાલ સિંહ, રાજકુમાર ભારતી, જય કિશન, નિતેશ, રિંકુ, પિન્ટો, ધીરજ, મોનુ કર્દમ, ભોલો, પ્રદીપ વગેરે લોકોએ હાજર રહીને આ ભાઈબહેનને સહકાર પુરો પાડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરવખતની જેમ આ ઘટનામાં પણ મનુમીડિયાએ આરોપીઓની ઓળખ છતી ન થઈ જાય તે માટે તેમના નામ કે અટક પબ્લિશ કર્યા નથી. જેના કારણે આ ઘટનામાં આરોપીઓ કઈ જાતિના છે, તેમના નામ શું છે અને તેમની કરમકુંડળી શું છે, તેમાંની એકેય બાબત જાહેરમાં આવી શકી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/two-tribal-youths-were-tied-up-and-killed-from-8-am-to-2-pm"> બે આદિવાસી યુવકોને સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી બાંધીને માર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Nov 2024 10:14:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1581</Articleid>
                    <excerpt>ગેરેજના માથાભારે વ્યક્તિએ દલિત યુવક સાથે માથાકૂટ કરી કર્મચારીઓ સાથે મળીને ભાઈબહેનને ઢોર માર માર્યો. ભીમ આર્મી મદદે આવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673eb9ab5e896.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673eb9ab2d639.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673eb9ab2d639.jpg" length="62700" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Lives Matter, Dalit Crime, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>આણંદ શહેરમાં દાયકા જૂનું ડૉ. આંબેડકર ભવન ખંડેર હાલતમાં</title>
                    <link>https://khabarantar.com/decade-old-dr-ambedkar-bhavan-in-anand-city-in-ruins</link>
                    <guid>https://khabarantar.com/decade-old-dr-ambedkar-bhavan-in-anand-city-in-ruins</guid>
                    <description>
                        <![CDATA[ આંબેડકર ભવનનું રિનોવેશન ન થતા સમાજના કાર્યક્રમોને લઈને હાલાકી. ભવનમાં બેઠક અને સ્ટેજની વ્યવસ્થા નથી, સાઉન્ડ સિસ્ટમનો પણ અભાવ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ જોવા જઈએ તો આ સ્થિતિ લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે, જ્યાં દલિત સમાજ માટે ડો. આંબેડકરના નામે નિર્માણ પામેલી જગ્યાઓ ખંડેર હાલતમાં હોય. અમદાવાદમાં રાણીપ સ્થિત ડો. આંબેડકર સ્મારક ભવનને લઈને દલિત સમાજ આંદોલન કરી રહ્યો છે, છતાં હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. ત્યાં હવે આણંદમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં ડો. આંબેડકર ભવન ખખડધજ હાલતમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે આણંદ શહેરના વ્યાયામ શાળા નજીક 2013માં ડો. આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ વખતે સરકાર દ્વારા માત્ર હોલ બનાવીને આપવામાં આવતો અને બાકીની વ્યવસ્થા સ્થાનિક લોકોની મદદથી કરવાની હતી. પરંતુ હાલમાં સરકાર દ્વારા આંબેડકર ભવનમાં સિટીંગ વ્યવસ્થા સહિત સુવિધા પુરી પાડવામાં આવે છે છતાં અહીં યોગ્ય બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. અહીં સ્ટેજની પણ વ્યવસ્થા નથી અને સાઉન્ડ સીસ્ટમના અભાવે કાર્યક્રમોમાં કરવામાં પણ તકલીફો પડે છે. ભવન ખાતે યોગ્ય વાહન પાર્કિંગની વ્યવસ્થા પણ નથી. સાથે સાથે કેટલાક સ્થળોએ બ્લોક પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ ભવનને 10 વર્ષ થઇ ગયા હોવાથી કેટલીક જગ્યાએ હોલમાં મરામતની જરૂરીયાત ઉભી થઇ છે. જેથી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આણંદ માર્ગ મકાન વિભાગને લેખિતમાં રજૂઆત કરીને રીનોવેશન અને ઇલેક્ટ્રીક સમારકામ માટે બે થી ત્રણ વખત રજૂઆત કરાઈ છે પરંતુ કામગીરી હાથ ધરાતી નથી. જેના કારણે દલિત સમાજનો લોકો સામાજીક કાર્યક્રમો યોજી શકતા નથી. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ડો આંબેડકર ભવનનું નવેસરથી રીનોવેશન કરીને બાકી કામગીરી પૂર્ણ કરવી જોઈએ તેવી માગ ઉઠી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ માર્ગ અને મકાન વિભાગના સૂત્રો કહે છે કે, ડો આંબેડકર ભવનના બિલ્ડીંગનો માર્ગ મકાન વિભાગમાં સમાવેશ થતો નથી. જેથી તેની ગ્રાન્ટ જે તે વિભાગને મળતી હોય છે. સમાજ કલ્યાણ વિભાગની રજૂઆતના પગલે વિભાગ તપાસ કરીને એસ્ટીમેટ કાઢી આપશે. તે મુજબની ગ્રાન્ટ જે તે વિભાગ દ્વારા ફાળવવામાં આવશે એટલે રિનોવેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. જોવાનું એ રહેશે કે સરકાર ગ્રાન્ટ ક્યારે ફાળવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/minister-bhanuben-applied-for-pending-works-of-dr-ambedkar-foundation"> ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના બાકી કામો મુદ્દે મંત્રી ભાનુબહેનને અરજી કરાઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 21:15:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1580</Articleid>
                    <excerpt>આંબેડકર ભવનનું રિનોવેશન ન થતા સમાજના કાર્યક્રમોને લઈને હાલાકી. ભવનમાં બેઠક અને સ્ટેજની વ્યવસ્થા નથી, સાઉન્ડ સિસ્ટમનો પણ અભાવ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673e037887a06.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673e03784f3d4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673e03784f3d4.jpg" length="70174" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr. Ambedkar Bhavan, Anand</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપને મત આપવા માંગતી દલિત યુવતીની સપા નેતાએ હત્યા કરી?</title>
                    <link>https://khabarantar.com/did-a-dalit-girl-who-wanted-to-vote-for-bjp-get-murdered-by-an-sp-leader</link>
                    <guid>https://khabarantar.com/did-a-dalit-girl-who-wanted-to-vote-for-bjp-get-murdered-by-an-sp-leader</guid>
                    <description>
                        <![CDATA[ યુવતી ભાજપને મત આપવાની હોવાથી સપા સમર્થકોએ તેના પર બળાત્કાર કરી, હત્યા કરી લાશ કોથળામાં ભરીને ફેંકી દીધી હોવાનો આરોપ લાગ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકશાહીમાં મતદાન શા માટે ગુપ્ત રાખવામાં આવ્યું છે અને તેની પાછળનું કારણ શું છે તે સમજાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકીય પક્ષોને જો તમે ક્યા પક્ષના સમર્થક છો તેની જાણ થઈ જાય તો તે તમારી સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરી શકે છે. આવું ન થાય તે માટે તમે કોને મતદાન કર્યું તે ગુપ્ત રહે તે જરૂરી છે. કેમ કે, જો એ ગુપ્ત ન રહે તો, યુપી જેવા રાજ્યમાં તમારી હત્યા પણ થઈ શકે છે. આ ઘટના તેનો પુરાવો છો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીમાં થઈ રહેલા મતદાન દરમિયાન એક દલિત યુવતની હત્યા કરી દેવાઈ હોવાના સમાચાર મળ્યાં છે. સૂત્રોના મતે યુવતી ભાજપને મત આપવા માંગતી હોવાથી સમાજવાદી પાર્ટીના નેતાઓએ તેની હત્યા કરી હોવાની ચર્ચા ચાલી છે. જો કે, સાચું કારણ તપાસ બાદ જ સામે આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના યુપીની કરહાલ વિધાનસભા સીટના કજરા ગામમાં બની છે. મતદાન કરવા આવેલી દલિત યુવતીની હત્યાને લઈને સમાજવાદી પાર્ટીના નેતા પર યુવતીની હત્યાનો આરોપ લાગતા ભાજપના ઉમેદવાર અનુજેશ પ્રતાપે હોબાળો મચાવ્યો હતો. અનુજેશ પ્રતાપે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ગુંડાગીરીની તમામ હદ વટાવીને અને માનવતાને શરમમાં મૂકી કરહાલના કજરા ગામ બૂથ નંબર 13માં દલિત સમુદાયની એક દીકરીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કરવા પાછળનું કારણ યુવતી ભાજપને મત આપવા માંગતી હતી તે હતું. આ બાજુ યુવતીના પરિવારજનોએ પણ આક્ષેપો કર્યા હતા કે, યુવતીએ ભાજપને મત આપવાનું કહ્યું હતું એટલે તેની હત્યા કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવતીની કોથળામાંથી લાશ મળી આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી દલિત યુવતીની લાશ બોરીમાં પડેલી મળી આવી હતી. આજે સવારે 8 વાગ્યાની આસપાસ કરહાલથી બરનહાલ રોડ પર સેંગર નદીના પુલ પાસે ઝાડીઓમાંથી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે, યુવતીએ ભાજપને મત આપવાનું નક્કી કર્યું હોવાથી સપા સમર્થકોએ તેના પર બળાત્કાર કરી તેની હત્યા કરી અને લાશ ફેંકી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવતીના પિતાએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતીના પિતા શિશુપાલ સિંહે પોલીસમાં ફરિયાદ દાખલ કરીને માહિતી આપી હતી કે, "મારી 23 વર્ષની પુત્રી દુર્ગા મંગળવારે બપોરે 12 વાગ્યાથી ગુમ હતી. આ વખતે મારી પુત્રી ભાજપને મત આપવા માંગતી હતી, જેથી સપા સમર્થક પ્રશાંત યાદવ, ભૂપેન્દ્ર યાદવનો પુત્ર, તાપા, નગરીયા કરહાલ, રહેવાસી, રવીન્દ્ર કથેરિયાનો પુત્ર મોહન, મોહલ્લા કાસાવન, મોહલ્લા કાસાવન, તેને બાઇક પર ઉઠાવીને લઈ ગયા હતા અને ડો. ઝહીરની હોસ્પિટલ સામે અને તેની હત્યા કરી દીધી હતી અને મૃતદેહને સેંગર નદીના પુલ પાસે ઝાડીઓમાં ફેકી દેવામાં આવ્યો હતો." </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે બે આરોપીઓને કસ્ટડીમાં લીધાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી હતી અને યુવતીનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. એસપી વિનોદ કુમાર પણ ત્યાં પહોંચ્યા અને ઘટના અંગે વિગતે માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. યુવતીનું મોત કેવી રીતે થયું અને બળાત્કાર થયો છે કે કેમ તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-dead-bodies-of-two-dalit-girls-were-found-hanging-from-a-mango-tree">આંબાના ઝાડ પર બે દલિત યુવતીઓની લાશ લટકતી મળી આવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 19:29:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1579</Articleid>
                    <excerpt>યુવતી ભાજપને મત આપવાની હોવાથી સપા સમર્થકોએ તેના પર બળાત્કાર કરી, હત્યા કરી લાશ કોથળામાં ભરીને ફેંકી દીધી હોવાનો આરોપ લાગ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673de9ed9ed67.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673de9ed6b332.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673de9ed6b332.jpg" length="67176" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Anujesh Pratap, Bjp, SP, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેયર વલ્લભભાઈએ દલિત ચાલીઓમાં 1000 નાવણિયા બનાવડાવ્યા હતા</title>
                    <link>https://khabarantar.com/mayor-vallabhbhai-had-1000-navanias-built-in-dalit-chawls</link>
                    <guid>https://khabarantar.com/mayor-vallabhbhai-had-1000-navanias-built-in-dalit-chawls</guid>
                    <description>
                        <![CDATA[ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું આ વર્ષ છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે તેમણે કરેલી કેટલીક ઉત્કૃષ્ટ કામગીરી વિશે જાણીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરદાર પટેલ (જન્મ ૩૧.૧૦.૧૮૭૫, અવસાન ૧૫.૧૨.૧૯૫૦) ના જન્મના દોઢસોમા વરસનો આરંભ થયો છે. સરદારના અમદાવાદ શહેર સુધરાઈના પ્રમુખ તરીકેનું આ શતાબ્દી વરસ પણ છે. સ્વરાજની લડતના ઘણા મોટા નેતાઓના જાહેરજીવનનો આરંભ શહેરોની સુધરાઈઓના સભ્ય તરીકે થયો હતો. શહેરોની સુધરાઈઓનું તંત્ર દેશની આઝાદીનો પાયો માનવામાં આવતું હતું. એટલે જવાહરલાલ નહેરુ અલ્હાબાદ, રાજેન્દ્ર પ્રસાદ પટણા, ચિતરંજન દાસ કલકત્તા, વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈ અને વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય અને પછી પ્રમુખ તરીકે જાહેરજીવન આરંભ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વલ્લભભાઈ હજુ સરદાર બન્યા નહોતા ત્યારે પાંચમી જાન્યુઆરી ૧૯૧૭ના રોજ તેઓ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી પેટા ચૂંટણી દ્વારા અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા હતા. પંદરમી જુલાઈ ૧૯૨૯ના રોજ તેમણે શહેર સુધરાઈનું સભ્યપદ છોડ્યું હતું. ખાસ્સો સવા દાયકો અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય, સેનેટરી, મેનેજિંગ અને સ્ટેન્ડિગ કમિટીના અધ્યક્ષ અને મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદના વિકાસમાં તેમનું અનન્ય યોગદાન હતું. અમદાવાદ શહેર સુધરાઈ સાથેનો વલ્લભભાઈ પટેલનો નાતો એ કક્ષાનો હતો કે ગાંધીજીએ અમદાવાદ મ્યુનિસિપાલિટીને “વલ્લભભાઈનું માનીતું સ્થાન”  ગણાવ્યું હતું. વલ્લભભાઈ પટેલના સ્વપ્નસમી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની મુલાકાતપોથીમાં પણ ગાંધીજીએ લખ્યું હતું કે, ‘ સરદાર વલ્લભભાઈનો જય હો. આ ઈસ્પિતાલ જોઈને હું રાજી થયો છું.’</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે ૧૯૧૩માં અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી એ સમયે તેમનું વલણ જાહેરજીવનથી અળગા રહેવાનું હતું. જોકે જાહેર બાબતોથી તે બેખબર રહેતા નહોતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલી પાંખ પર કમિશનર નિમવાની અંગ્રેજ સરકારની પધ્ધતિના તે વિરોધી હતા. પૂર્ણપણે જડ અમલદારશાહી માનસ ધરાવતા કમિશનર જહોન.એ. શિલીડીને સીધા કરવાના ઉદ્દેશથી ગુજરાત કલબના મિત્રોના આગ્રહવશ વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા. ૧૯૧૭ ની પાંચમી જાન્યુઆરી કે મે ની ચૌદમીના દિવસે તેમના રાજકારણમાં પ્રવેશથી જ અમદાવાદની શહેર સુધરાઈ રાષ્ટ્રીય ફલક પર મુકાઈ હતી અને સ્વરાજની લડતમાં પણ તે અવ્વલ બની હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરદારના સભ્યપદના ત્રણેક મહિનામાં જ શિલીડી કમિશનરના પદેથી ગયા હતા. સરદાર ચૂંટાઈને તુરત જ  સેનેટરી સમિતિના અધ્યક્ષ બન્યા હતા. કર્મને વરેલા વલ્લભભાઈના કામની કસોટી કરવાની હોય તેમ શહેરમાં પ્લેગ ફાટી નિકળ્યો. બીજા આગેવાનોની જેમ પ્લેગથી બચવા સરદારે શહેર ના છોડ્યું પણ તેમના કામમાં મંડ્યા રહ્યા હતા. તેઓ અમદાવાદની શેરીઓમાં જતા, ગટરો સાફ કરાવતા અને જંતુનાશક દવાઓ છંટાવતા. “કચરો સાફ કરવાનું કામ રાજકારણની ગંદકી સાફ કરવા કરતાં  ઘણું જુદું છે” એમ માનનાર વલ્લભભાઈ એ દિવસોમાં કહેતા કે સફાઈ સમિતિના પ્રમુખ તરીકે પ્લેગ સામે નાગરિકોના બચાવના પ્રયાસો કરવા તે મારી ફરજ છે. તે છોડીને ભાગવું એ તો જનતાનો દ્રોહ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૨૪ની અમદાવાદ શહેર સુધરાઈની ચૂંટણી સરદારના નેતૃત્વમાં લડાઈ અને જંગી બહુમતીથી જીતાઈ હતી. સરદાર અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. નવમી ફેબ્રુઆરી ૧૯૨૪થી તેરમી એપ્રિલ ૧૯૨૮ સુધીના એમના પ્રમુખપદના ગાળામાં  આરોગ્ય, શિક્ષણ, સફાઈ, ગટર અને રસ્તાના કામોને પ્રાધાન્ય આપ્યું હતું. એમનો ઉદ્દેશ શહેરની સુખાકારી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદનો કેમ્પ વિસ્તાર મ્યુનિસિપાલિટીની હદમાં નહોતો છતાં તેને પાણી મ્યુનિસિપાલિટી પૂરું પાડતી હતી. તે પણ અમદાવાદના નાગરિકો કરતાં વધારે અને ઓછા દરે. મુખ્યત્વે સરકારી અફસરોની વસ્તીના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આ પ્રમાણે સગવડો આપવી તે સરદારને અમદાવાદના નાગરિકો સાથે અન્યાય લાગ્યો હતો. એટલે મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા કે તુરત સરદારે આ બાબતે વિરોધ નોંધાવ્યો અને શહેરીઓને ન્યાય કરતો નિર્ણય લેવડાવ્યો હતો. દલિત મિલ કામદારોની ચાલીઓની અગવડોથી તેઓ વાકેફ હતા. દલિત મહિલાઓને ખુલ્લામાં નહાવું પડતું હતું. તેના નિવારણ માટે મેયર વલ્લભભાઈએ ચાલીઓમાં હજારેક નાવણિયા બનાવડાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અસહકાર આંદોલન વખતે શહેરની મ્યુનિસિપલ શાળાઓને મળતી સરકારી ગ્રાન્ટ લેવાની બંધ કરી શહેરની શાળાઓને અંગ્રેજ સરકારની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. સ્વરાજ આંદોલનમાં સામેલગીરીના કારણે ત્રણેક વખત મ્યુનિસિપાલિટીને અંગ્રેજ સરકારે સસ્પેન્ડ કરી હતી. બ્રિટિશ ગુલામીકાળમાં મ્યુનિસિપાલિટીની સામાન્ય સભાઓ માટે બંધાયેલા હોલનું નામ “ગાંધી હોલ” રાખવું, મ્યુનિસિપાલિટી વતી ગાંધીજીનું જાહેર નાગરિક અભિવાદન કરવું અને કોંગ્રેસની કારોબારી ગાંધી હોલમાં યોજવી તે નાનીસૂની વાત નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/there-is-an-election-expenditure-limit-for-candidates-not-for-political-parties"><span style="font-size: 14pt;">ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા છે, રાજકીય પક્ષો માટે નથી!</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદારનું કામ આસાન નહોતું. તેમણે બાકી કરવેરા મેળવવા ઝુંબેશ કરી એટલે કોંગ્રેસનો એક વર્ગ તેમનો વિરોધી બન્યો હતો. જોકે સરદાર તેની તમા રાખ્યા  સિવાય કામ કરતા રહ્યા. ૧૯૨૭ના જુલાઈ મહિનાની આખરના છ દિવસમાં અમદાવાદમાં ૫૧ ઈંચ વરસાદ પડ્યો હતો. અતિવૃષ્ટિની આ આફતને સરદાર કુનેહથી ઉકેલી શક્યા. પ્રમુખ તરીકે તેઓ જાતે ફરીને નાળાં સાફ કરાવવામાં અને પાણીના નિકાલની વ્યવસ્થામાં લાગ્યા હતા. અમદાવાદ શહેર ભવિષ્યમાં વિકસે તેને ધ્યાનમાં લઈને તેમણે રિલીફ રોડ ભારે વિરોધ છતાં બંધાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દાદાસાહેબ માવળંકર અને ચંદુલાલ ભગુભાઈ દલાલ લિખિત દસ્તાવેજી પુસ્તક ‘ રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ફાળો’ માં સરદારના પ્રમુખ તરીકેના કાર્ય સંદર્ભે લખ્યું છે કે, “વલ્લભભાઈએ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય પક્ષની કાર્યપધ્ધતિની નવી જ ભાત પાડી અને લોકો ઉપર એની બહુ સરસ છાપ પડી. જાહેર જીવન એ જ એમનો વ્યવસાય બન્યો. એ વખતે જાહેર જીવન મુખ્યત્વે મ્યુનિસિપલ જીવન જ હતું. એમણે પોતાનો આખો સમય મ્યુનિસિપલ કામકાજને આપ્યો” (પૃષ્ઠ- ૧૬૨)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શહેર સુધરાઈના કામકાજમાં સરદાર કેવા અનોખા હતા એના બે નમૂના: મ્યુનિસિપાલિટીનું સઘળું કામ એ સમયે અંગ્રેજીમાં ચાલતું હતું. જનરલ બોર્ડના ઠરાવો પણ અંગ્રેજીમાં લખાતા હતા.  જ્યારે બોર્ડની બેઠકમાં વહીવટ ગુજરાતીમાં ચલાવવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે સરકાર નિયુક્ત અંગ્રેજીભાષી સભ્યોએ તેની તરફેણ કરી હતી. પણ સરદારે વિરોધ કર્યો હતો! ૧૯૨૬માં નવા મ્યુનિસિપલ એક્ટ પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થઈ. ચેરમેન તરીકે વલ્લભભાઈનું નામ મુકવામાં આવ્યું. સામે વિપક્ષ તરફથી દોલતરામનું નામ આવ્યું. જ્યારે બેઉને એક સરખા મત મળ્યા ત્યારે સભાના પ્રમુખ તરીકે સરદારે તેમનો કાસ્ટિંગ વોટ પોતાને આપવા કે તટસ્થ રહેવાને બદલે દોલતરામને આપ્યો હતો!. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૨૭માં પ્રમુખની ચૂંટણીમાં દોલતરામના નામની દરખાસ્ત આવી. સુધારા દરખાસ્તમાં વલ્લભભાઈનું નામ સૂચવાયું. મતદાનમાં સરદાર પટેલના નામની દરખાસ્તને ૪૮ અને દોલતરામના નામની દરખાસ્તને ૭ મત મળ્યા હતા. વલ્લભભાઈ આ મતદાનમાં તટસ્થ રહ્યા હતા જ્યારે દોલતરામે પોતે પોતાનો મત આપ્યો હતો.  ૧૯૨૮માં બારડોલીની લડતના સુકાની સરદારને મ્યુનિસિપાલિટીના માનપત્રની દરખાસ્તનો એ સમયના મ્યુનિસિપાલિટીના પ્રમુખ દોલતરામે વિરોધ કર્યો હતો. મતદાનમાં દોલતરામ સહિતના ૪ સભ્યો વિરોધમાં હતા જ્યારે ૪૩ તરફેણમાં હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંગ્રેજ કમિશનર શિલીડીને સીધો કરવા સરદાર પટેલ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ્યા હતા. પરંતુ મ્યુનિસિપાલિટીના દેશી ચીફ ઓફિસર ઈશ્વરલાલ રણછોડલાલ ભગતની કાર્યપધ્ધતિથી કંટાળી સરદારને પહેલા પ્રમુખ પદ અને પછી સભ્યપદ છોડવું પડ્યું હતું. તે કેટલી મોટી કરુણા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૩૫માં અમદાવાદ મ્યુનિસિપાલિટીની શતાબ્દી પ્રસંગે એક સંદેશમાં ગાંધીજીએ તેમની કલ્પનાના અમદાવાદ વિશે કહ્યું હતું કે, “એ મ્યુનિસિપાલિટીના પાયખાનાં વાચનાલય જેવાં સાફ થશે, એની પોળો સ્વચ્છતાનો નમૂનો થશે, એનાં બધાં બાળકો પાઠશાળામાં જતાં હશે, ત્યાં રોગોનું પ્રમાણ ઓછું હશે, ત્યાં મજૂરો અને માલિકો વચ્ચે ઊંચનીચના ભેદ નહીં હોય, ત્યાં મજૂરોનાં મકાનોમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખ સૂઈ શકતા હશે - એવી કોઈ દિવસ થશે, અને એ જોવા હું પામીશ, એવું સ્વપ્ન સેવ્યા કરું છું. એ સિધ્ધ કરવું તો શહેરીઓના હાથમાં છે. એને સારુ, આપણામાં સરદારની સેવાવૃતિ અને ત્યાગ વૃતિ જોઈએ”  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરદારના સાર્ધ શતાબ્દી, મેયર તરીકેના શતાબ્દી અને આઝાદીના અમૃત વરસોમાં કર્ણાવતી, આશાપલ્લી, અહમદાબાદ અને અમદાવાદ રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, કાંકરિયા કાર્નિવલ અને એવી જાતભાતની ઝાકમઝાળ અને રોશનીના દેખાડાથી સોહે છે. પરંતુ શહેરના સત્તાવાળાઓ અને શહેરીઓમાં સરદારની સેવા અને ત્યાગવૃતિના અભાવે ગાંધીની કલ્પનાનું અમદાવાદ સ્વપ્નવત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a>   </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/being-the-tenth-topper-of-prachi-nigam-in-the-beauty-filled-society">સુંદરતા ઘેલા સમાજમાં પ્રાચી નિગમનું દસમી ટોપર થવું...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 17:15:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1578</Articleid>
                    <excerpt>લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું આ વર્ષ છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે તેમણે કરેલી કેટલીક ઉત્કૃષ્ટ કામગીરી વિશે જાણીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673dcb22abac1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673dcb2278733.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673dcb2278733.jpg" length="96920" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Sardar Vallabhbhai Patel, Iron Man, 150th Birth Anniversary</media:keywords>
                </item>
                        <item>
                    <title>શિવલિંગની પૂજા કરતી વખતે જ વૃદ્ધને હાર્ટ એટેક આવતા મોત</title>
                    <link>https://khabarantar.com/an-elderly-man-died-of-a-heart-attack-while-worshipping-a-shivlinga</link>
                    <guid>https://khabarantar.com/an-elderly-man-died-of-a-heart-attack-while-worshipping-a-shivlinga</guid>
                    <description>
                        <![CDATA[ વૃદ્ધ શિવલિંગની પૂજા કરી રહ્યાં હતા એ દરમિયાન જ હાર્ટ એટેક આવતા ત્યાં જ ઢળી પડ્યા. યુવકે સીપીઆર આપ્યું પણ જીવ ન બચ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોરોના કાળમાં મૂકવામાં આવેલી રસી બાદ દેશભરમાં લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ અચાનક વધી ગયું છે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોના રસી બાદ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું હોવાનું સાબિત થતું હોવા છતાં સરકાર આ બાબતને સ્વીકારતી નથી. ગુજરાતમાં નાની ઉંમરના અનેક યુવાનોથી લઈને બાળકો પણ હાર્ટ એટેકનો ભોગ બની ચૂક્યા છે ત્યારે એક મંદિરમાં શિવલિંગની પૂજા કરી રહેલા વૃદ્ધને હાર્ટ એટેકે આવતા ઢળી પડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના વલસાડના પારનેરા ગામની છે. અહીં 65 વર્ષના એક વૃદ્ધને શિવજીની પૂજા કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો અને તેનો ત્યાં જ ઢળી પડ્યા હતા. વૃદ્ધ કિશોરભાઈ પટેલ શિવાલય ખાતે દર્શન કરવા ગયા હતા. જ્યાં શિવજીની પૂજા કરતી વખતે તેઓ અચાનક ઢળી પડ્યા હતા. એ દરમિયાન મંદિરમાં ઉભેલા એક યુવકે તાત્કાલિક તેમને CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના શ્વાસ ચાલુ થઈ શક્યા નહોતા. ત્યારબાદ વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કિશોરભાઈ પારનેરા ગામના સેકન્ડ ગેટ ખાતે રહેતા હતા અને અહીં જ ફાઇબર રિપેરીંગનું કામ કરતા હતા. પારનેરા ડુંગર ઉપર આવેલા શિવાલયમાં આરતી ગ્રુપના સક્રિય સભ્ય તરીકે તેઓ સેવા આપતા હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ નિત્ય ક્રમ મુજબ પારનેરા ડુંગર ઉપર આવેલા શિવાલયમાં રોજ દર્શન કરવા જતાં હતાં. આજે પણ કિશોરભાઈ રોજની જેમ શિવાલયમાં શિવજીના દર્શન કરવા આવ્યા હતા અને એ વખતે જ તેમને હાર્ટએટેક આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/ram-leelas-ram-died-of-a-heart-attack-on-stage-in-delhi">રામલીલાના રામનું સ્ટેજ પર હાર્ટ એટેક આવતા મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 14:15:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1577</Articleid>
                    <excerpt>વૃદ્ધ શિવલિંગની પૂજા કરી રહ્યાં હતા એ દરમિયાન જ હાર્ટ એટેક આવતા ત્યાં જ ઢળી પડ્યા. યુવકે સીપીઆર આપ્યું પણ જીવ ન બચ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673da1241db2e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673da123dc89f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673da123dc89f.jpg" length="98968" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Heart attack, shivlinga</media:keywords>
                </item>
                        <item>
                    <title>સોમનાથમાં કોળી સમાજનું મોટું આંદોલન, જંગી બાઈક રેલી નીકળી</title>
                    <link>https://khabarantar.com/big-movement-of-koli-community-in-somnath-huge-bike-raily-takes-out</link>
                    <guid>https://khabarantar.com/big-movement-of-koli-community-in-somnath-huge-bike-raily-takes-out</guid>
                    <description>
                        <![CDATA[ 40 વર્ષથી કોળી સમાજ પાસે રહેલી જમીન પર અચાનક ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ. 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આજે જંગી બાઈક રેલી નીકળી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોમનાથમાં કોળી સમાજને સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેક 1994માં ફાળવવામાં આવેલી જમીન પર નગરપાલિકાએ અચાનક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી દેતા રોષ ફાટી નીકળ્યો છે. કોળી સમાજ છેલ્લા ચાર દિવસથી આ મામલે આંદોલન કરી રહ્યો છે અને આજે જંગી બાઈક રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોમનાથ ખાતે વર્ષ 1994થી ઠરાવ કરી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને જગ્યા ફાળવવામાં આવી હતી. આ જગ્યા છેલ્લાં 30 વર્ષથી કોળી સમાજ પાસે છે. અહીં રામદેવપીરનું મંદિર અને ગૌશાળા આવેલી છે, જેમાં અપંગ, નિરાધાર અને અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સારવાર અને સેવા કરવામાં આવે છે. આ જગ્યામાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની જાણ વગર ગાયોને વેરાવળ પાંજરાપોળમાં ટ્રાન્સફર કરીને જગ્યાના ડિમોલેશન કરવા જણાવ્યું હતું. જો કે કોળી સમાજના આગેવાનો ભેગાં થઈ જતા ડિમોલેશન અટકી ગયું હતું. એ પછી આ જગ્યા ઉપર કોળી સમાજના આગેવાનો અને લોકોએ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આંદોલનના ચોથા દિવસે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીએ કલેક્ટર કચેરીએ પહોંચી કલેકટરના માધ્યમથી પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરી હતી કે આ જગ્યા કોળી સમાજની છે અને તેમને જ આપવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધારાસભ્યથી લઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાઈકરેલીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા, માંધાતા ગ્રુપના પ્રમુખ રામભાઇ ચૌહાણ, સમસ્ત કોળી સમાજના પ્રમુખ લખમણભાઇ સોલંકી, સુત્રાપાડા કોળી સેનાના પ્રમુખ દેવેન્દ્રભાઈ સોલંકી, મોટા કોળી સમાજના પ્રમુખ દિનેશભાઇ બામણીયા, નાના કોળી સમાજના પ્રમુખ પ્રવિણભાઇ ચુડાસમા, વેરાવળ કોળી સમાજના પ્રમુખ વીરજીભાઈ જેઠવા સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં સમાજના યુવાનો બાઈક રેલીમાં જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુખ્ય બજારો સમર્થનમાં બંધ રહ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આંદોલનના સમર્થનમાં પ્રભાસ પાટણના મુખ્ય બજારોના વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. સોમનાથ શોપીગ સેન્ટરના દુકાનદારો, પાથરણાવાળા, દરિયાકિનારે ચોપાટી ઉપરના દુકાનદારો અને પ્રભાસ પાટણના મુખ્ય બજારના વેપારીઓએ દુકાનો બંધ રાખી આંદોલનને સમર્થન આપ્યું હતું. કોળી સમાજે વધુમાં જણાવ્યું છે કે, આ જગ્યા તેમની છે અને જો તેમને નહીં ફાળવાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને ભૂખ હડતાળથી લઈને રાજ્ય સ્તરે આંદોલન કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/how-much-truth-in-gondal-yard-and-84-village-bandh-in-support-of-ganesh">ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 12:54:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1576</Articleid>
                    <excerpt>40 વર્ષથી કોળી સમાજ પાસે રહેલી જમીન પર અચાનક ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ. 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આજે જંગી બાઈક રેલી નીકળી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673d8da356a6f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673d8da306b9f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673d8da306b9f.jpg" length="170304" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Somnath Demolition News, bulldozer Demolition</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત વરરાજો અમારી સામે ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ...</title>
                    <link>https://khabarantar.com/dalit-grooms-should-not-appear-before-us-on-a-horse</link>
                    <guid>https://khabarantar.com/dalit-grooms-should-not-appear-before-us-on-a-horse</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકના લગ્ન હતા, વરઘોડો ગામમાંથી નીકળવાનો હતો, પણ જાતિવાદી તત્વોએ ધમકી આપી કે દલિત વરરાજો ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ. જાણો પછી શું થયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત સૌથી પહેલા જાતિપ્રધાન દેશ છે, ખેતીપ્રધાન કે અન્ય પ્રધાન પછી છે. આવું ભારતમાં દરરોજ ખૂણેખાંચરે બનતી જાતિવાદની ઘટનાઓ કહે છે. અમુક જાતિવાદી તત્વો દેશ આઝાદ થયા પછી પણ અમુક રીતિરિવાજો જાણે તેમના બાપની જાગીર હોય એમ વર્તતા હોય છે. એટલું જ નહીં, જો કોઈ અન્ય જાતિના લોકો એ રિવાજ કે પરંપારને અનુસરે તો તેનો વિરોધ કરે છે અને તેમના સજારૂપે માર મારવા કે હુમલો કરવાથી પણ પાછા નથી પડતા. કમનસીબે એ વખતે કાયદો આવા જાતિવાદી તત્વોની તરફેણમાં કામ કરતો હોવાથી આવા લુખ્ખા તત્વોની હિંમત વધી જાય છે અને તેઓ ફરી આવું જ કૃત્ય કરવાની હિંમત કરે છે. પણ જો, કાયદો કાયદાનું કામ કરે ત્યારે આવા તત્વોની બધી દાદાગીરી સોંસરી નીકળી જતી હોય છે. આ ઘટના તેનું ઉદાહરણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બુંદેલખંડના ટીકમગઢના હટા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશના બુંદેલખંડનો છે. અહીં ફરી એકવાર સામંતવાદી માનસિકતા અને સામાજિક ભેદભાવનો મામલો સામે આવ્યો છે. ટીકમગઢ જિલ્લાના હટા ગામમાં 17 નવેમ્બર 2024ના રોજ જીતેન્દ્ર અહિરવાર નામના દલિત યુવકના લગ્ન હતા, પરંતુ વરરાજાને ઘોડી પર બેસાડવાની પરંપરાને લઈને ગામના માથાભારે જાતિવાદી તત્વોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે, એક દલિત વરરાજો અમારી સામે ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ. જો કે, વરરાજા અને તેના પરિવારે હિંમત દાખવીને પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું. જેના કારણે જાતિવાદી તત્વોની કોઈ કારી ફાવી નહોતી અને રંગેચંગે ગામ વચ્ચેથી દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળી શક્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાંથી વરઘોડો કાઢવા જાતિવાદીઓની મંજૂરી લેવી પડે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના લગભગ તમામ ગામડાઓની જેમ બુંદેલખંડમાં પણ જાતિવાદી વિચારસરણીના મૂળ હજુ પણ મજબૂત છે, જેના કારણે નીચલી જાતિના લોકો સામાન્ય રીતિરિવાજોનું પણ પાલન કરી શકતા નથી. જીતેન્દ્ર અહિરવારના લગ્ન વખતે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. "રછવાઈ" અથવા "રાછ ફેરવવાની" લગ્ન પહેલાની વિધિમાં વરરાજા ઘોડા પર બેસીને ગામની આસપાસ ફરે છે, જેમાં સગાસંબંધીઓ અને પરિવારના સભ્યો તેને સન્માન સાથે ભેટસોગાદો આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, ભૂતકાળમાં આ ગામમાં આ પરંપરાને લઈને વિવાદ થયો હતો, જ્યારે દલિત વરરાજાને ઘોડી પર બેસવાની ગામના જાતિવાદી તત્વોએ મંજૂરી નહોતી આપી. જી હા, આઝાદ ભારતમાં આજે પણ એવા અનેક ગામો છે, જ્યાં ઘોડી પર કોણ બેસશે, કોણ નહીં, તે ગામની માથાભારે કોમના જાતિવાદી તત્વો નક્કી કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાયદાએ કાયદાનું કામ કર્યું, જાતિવાદીઓની બોલતી બંધ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વખતે પણ કેટલાક સ્થાનિક માથાભારે તત્વોએ જીતેન્દ્રની ઘોડી પર સવારી કરવાનો વિરોધ કર્યો હતો. પણ જીતેન્દ્ર ડરે તેવો યુવક નહોતો. તેણે ભૂતકાળની ઘટનામાંથી બોધપાઠ લીધો હોવાથી તરત પોલીસ પાસે રક્ષણની માંગ કરી દીધી હતી. બલદેવગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી અને જીતેન્દ્રના લગ્નના દિવસે સુરક્ષા વ્યવસ્થા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે સૌપ્રથમ ગામમાં જઈને જાતિવાદી તત્વોને સમજાવ્યા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાતરી કરી. જિતેન્દ્રને પોલીસ સુરક્ષામાં ઘોડી પર બેસાડવામાં આવ્યો હતો અને અડધો ડઝન પોલીસકર્મીઓ તેની સાથે હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, પોલીસે સુનિશ્ચિત કર્યું કે રછવાઈ વિધિ શાંતિપૂર્ણ રીતે થાય અને વરરાજાને સંપૂર્ણ સુરક્ષા મળે. પોલીસે કાયદો વ્યવસ્થાનું કડકાઈથી પાલન કર્યું, જેના કારણે જાતિવાદી તત્વોની સાન ઠેકાણે આવી ગઈ. જો આ જ રીતે પોલીસ જાતિવાદીઓ, માથાભારે તત્વોની રાજકીય વગ કે જાતિ જોયા વિના માત્ર કાયદાના આધારે કામ કરે તો આ દેશમાંથી જાતિવાદ સહિત સેંકડો ગુનાઓ ઓછા થઈ શકે તેમ છે. પણ કમનસીબે એવું બહું ઓછી ઘટનાઓમાં થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બુંદેલખંડ જાતિવાદી માનસિકતાનો ગઢ રહ્યું છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિતેન્દ્ર અહિરવારના લગ્નનો આ કિસ્સો સામાજિક પરિવર્તનની દિશામાં એક પગલું સાબિત થયો છે, જ્યાં દલિત સમાજના લોકો પણ સમાન અધિકારો માટે લડી રહ્યા છે. આ ઘટના દર્શાવે છે કે આઝાદીના 77 વર્ષ પછી પણ ભારતમાં ચોતરફ જાતિવાદી માનસિકતાનો પ્રભાવ છે. બુંદેલખંડમાં આ પહેલા પણ ઘણી વખત એવી ઘટના બની છે, જેમાં કથિત નીચલી જાતિના વરરાજાને ઘોડી પર સવારી કરતા અટકાવવામાં આવી હોય અને પછી પોલીસની મદદથી આ વિધિઓ પૂર્ણ કરવામાં આવી છે. જાતિવાદી તત્વોની સાન ઠેકાણે લાવવાનું કામ પોલીસનું હોય છે, જો પોલીસ કાયદામાં રહેલી જોગવાઈઓનો યોગ્ય રીતે અમલ કરે તો પણ આવા તત્વો હેઠાં બેસી જાય. બુંદેલખંડ પોલીસની આ કામગીરીની ચોક્કસ પ્રશંસા થવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/fear-of-casteists-dalit-bridegroom-had-to-call-the-police-to-sit-the-horse">જાતિવાદીઓનો ખૌફઃ દલિત વરરાજાએ ઘોડી બેસવા પોલીસ બોલાવવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 11:49:11 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 20 Nov 2024 12:08:28 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1575</Articleid>
                    <excerpt>દલિત યુવકના લગ્ન હતા, વરઘોડો ગામમાંથી નીકળવાનો હતો, પણ જાતિવાદી તત્વોએ ધમકી આપી કે દલિત વરરાજો ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ. જાણો પછી શું થયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673d7e1fb8c8e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673d7e1f7c6be.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673d7e1f7c6be.jpg" length="73218" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bundelkhand News, Dalit Wedding, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;ભંગી&amp;apos; જાતિસૂચક શબ્દ નથી કહી હાઈકોર્ટ જજે 4 આરોપીને નિર્દોષ છોડી મૂક્યાં</title>
                    <link>https://khabarantar.com/rajasthan-high-court-judge-acquits-4-accused-saying-bhangi-is-not-a-casteist-term</link>
                    <guid>https://khabarantar.com/rajasthan-high-court-judge-acquits-4-accused-saying-bhangi-is-not-a-casteist-term</guid>
                    <description>
                        <![CDATA[ સરકારી વકીલ દલીલ કરતા રહ્યાં  કે &#039;ભંગી&#039; જાતિસૂચક શબ્દ છે, બધાં વકીલો પણ તેમની સાથે સહમત થયા, તેમ છતાં જજ સહમત ન થયા અને ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">rajasthan high court acquits 4 accused says bhangi is not a caste-descriptive term : રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર ખંડપીઠના ન્યાયાધીશ બિરેન્દ્ર કુમારે સરકારી અધિકારીઓ સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનારા ચાર આરોપીઓને એમ કહીને નિર્દોષ છોડી મૂક્યા કે, 'ભંગી', 'નીચ', 'ભિખારી', 'મંગની' જેવા શબ્દો જાતિના નામ નથી. આ રીતે કોર્ટે ચારેય આરોપીઓને 'એસસી-એસટી એક્ટ'માંથી મુક્ત કરી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બિરેન્દ્ર કુમારે કહ્યું કે, "ઉપયોગમાં લેવાયેલા શબ્દોમાં ન તો કોઈ જાતિનો સંદર્ભ હતો, ન તો એવું કશું હતું જેનાથી એ સંકેત મળતો હતો કે સરકારી અધિકારીઓને આરોપીઓ તેની જાતિના આધારે અપમાનિત કરવા માંગતા હતા.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાન્યુઆરી 2011ની ઘટના સાથે જોડાયેલો છે. હરીશ ચંદ્ર અને કેટલાક અન્ય અધિકારીઓ સરકારી જમીન પર સંભવિત દબાણની આકારણી કરવા જેસલમેરના એક વિસ્તારમાં ગયા હતા. નિરીક્ષણ દરમિયાન, અંચલ સિંહ અને અન્ય કેટલાક લોકોએ કથિત રીતે અધિકારીઓના કામમાં વિક્ષેપ પાડ્યો અને તેમને ગાળો ભાંડી હતી. અધિકારીઓએ પોલીસને ઘટનાની જાણ કરી અને કલમ 353 (જાહેર સેવકને ફરજથી રોકવા માટે ગુનાઈત બળનો ઉપયોગ કરવો), 332 (જાહેર સેવકને રોકવા માટે ઈજા પહોંચાડવી) અને SC/ST એક્ટ 1989ની કલમ 3(1)(x) હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, પ્રારંભિક તપાસમાં, પોલીસને SC/ST એક્ટના આરોપો માટે પૂરતા પુરાવા મળ્યા ન હતા અને તેના આધારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પરંતુ સત્તાવાળાઓએ તેની સામે અરજી દાખલ કરી અને કેસ એસસી/એસટી એક્ટ હેઠળ ચાલવા લાગ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંચલ સિંહ અને અન્ય લોકોએ આને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં તાજેતરનો નિર્ણય આવ્યો છે અને તમામ ચાર આરોપીઓને SC/ST એક્ટ હેઠળના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોર્ટે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બિરેન્દ્ર કુમારની બેંચ અંચલ સિંહ અને અન્ય લોકોની અપીલ પર સુનાવણી કરી રહી હતી. અપીલકર્તાઓ વતી એડવોકેટ લીલાધર ખત્રીએ દલીલો કરી હતી. રાજસ્થાન સરકાર અને હરીશ ચંદ્રા તરફથી સરકારી વકીલ સુરેન્દ્ર બિશ્નોઈ હાજર રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લીલાધર ખત્રીએ દલીલ કરી હતી કે કથિત નિવેદનો કોઈપણ જાતિ સાથે સંબંધિત નથી અને અરજીકર્તાઓને અધિકારીઓની જાતિની પૃષ્ઠભૂમિ વિશે જાણકારી નહોતી. તેમણે દાવો કર્યો હતો કે આ વિવાદ જાતિ આધારિત ભેદભાવને કારણે નથી પરંતુ સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવેલા માપની ચોક્સાઈ પર અપીલકર્તાઓના વાંધાઓથી ઉભો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બિરેન્દ્ર કુમાર આ દલીલ સાથે સહમત હતા. સાથે જ તેમણે એ પણ કહ્યું કે કથિત ઘટના જાહેરમાં બની હોવાના દાવાને સમર્થન આપવા માટે કોઈ સ્વતંત્ર સાક્ષી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બિરેન્દ્રએ તેમના ચુકાદામાં લખ્યું હતું કે, 'પ્રથમ દૃષ્ટિએ આરોપ છે કે અરજદારોએ પ્રતિવાદી દ્વારા જાહેર ફરજના સત્તાવાર નિકાલમાં અવરોધ ઉભો કર્યો હતો અને તેથી અરજદારો સામે તે કૃત્ય માટે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ વાયર સાથે વાત કરતા સરકારી વકીલ સુરેન્દ્ર બિશ્નોઈએ કહ્યું, 'મેં જસ્ટિસ બિરેન્દ્ર કુમારને કહ્યું કે રાજસ્થાનમાં 'ભંગી' શબ્દ જાતિસૂચક છે. આખી કોર્ટ તેની સાથે સહમત હતી પરંતુ ન્યાયાધીશ સંમત થયા નહોતા. તેઓ બિહારના છે. મારા મતે આ નિર્ણય યોગ્ય નથી. તેની સામે અપીલ થવી જોઈએ. હું અપીલ કરીશ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વકીલોનું માનવું છે કે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જાતિ આધારિત છે અને તેનો ઉપયોગ લોકોને અપમાન કરવા માટે પણ કરવામાં આવે છે. આ કેસમાં ચુકાદો 17 ઓક્ટોબરે જ અનામત રાખવામાં આવ્યો હતો, જે 12 નવેમ્બરે સંભળાવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/veraval-atrocities-court-refuses-to-hear-ora-larguments-in-unakand-case">ઉનાકાંડ કેસમાં વેરાવળ એટ્રોસિટી કોર્ટનો મૌખિક દલીલો સાંભળવા ઈનકાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 10:32:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1574</Articleid>
                    <excerpt>સરકારી વકીલ દલીલ કરતા રહ્યાં  કે &#039;ભંગી&#039; જાતિસૂચક શબ્દ છે, બધાં વકીલો પણ તેમની સાથે સહમત થયા, તેમ છતાં જજ સહમત ન થયા અને ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673d6ca16cd01.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673d6ca13c957.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673d6ca13c957.jpg" length="67275" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rajasthan High Court, Justice Birendra Kumar, SC-ST act accused</media:keywords>
                </item>
                        <item>
                    <title>જમીન કાયદામાં સુધારાથી ખેડૂતોની જમીન મૂડીપતિઓના હાથમાં જશે</title>
                    <link>https://khabarantar.com/land-law-amendments-will-cause-farmers-land-to-go-into-the-hands-of-capitalists</link>
                    <guid>https://khabarantar.com/land-law-amendments-will-cause-farmers-land-to-go-into-the-hands-of-capitalists</guid>
                    <description>
                        <![CDATA[ ખેડૂતની જમીન બિન ખેડૂતને આપવાની સરકારની હિલચાલ સામે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. જાણો શું તર્ક આપ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ સરકારે ખેતમજૂરો-ગણોતિયાઓને કાયદા દ્વારા ખેડૂતો બનાવ્યા હતા. કોંગ્રેસ સરકારના બનાવેલા કાયદાથી તેમની જમીન સચવાઇ રહી છે. પરંતુ ભાજપ સરકાર દ્વારા જમીન કાયદામાં સુધારા કરીને ખેડૂતોને જમીન વિહોણા બનાવશે અને તેમની જમીનો મૂડીપતિઓના હાથમાં આવશે તેવું આયોજન કર્યું હોવાનો આરોપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કર્યો છે. રાજ્ય સરકારના આ કાયદાથી ખેડૂતો જમીન મૂડીપતિઓના હાથમાં આવતા ખેત ઉત્પાદનમાં ઘટાડો થશે તેવી આશંકા અમિત ચાવડાએ વ્યક્ત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જમીન બિન ખાતેદાર (બિન ખેડૂત) ખરીદી શકે તે અંગે જમીન કાયદામાં સુધારા કરવાનું આયોજન કરાયું છે. જે અંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૫૬ લાખ કરતા વધુ ખેડૂત ખાતેદારો છે. છેલ્લા ૩૦ વર્ષથી રાજ્યમાં રાજ કરતી ભાજપ સરકારની નીતિ અને નિયતના કારણે દિવસે-દિવસે ગુજરાતમાં ખેતી અને ખેડૂતો બરબાદ થઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો બરબાદ થાય એવો એક નિર્ણય કરવાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતમાં બિન ખેડૂત હોય તે પણ ખેતીની જમીન ખરીદી શકશે, જેના કારણે તેની મોટી દુરોગામી અસરો પડશે અને ખેડૂતોને નુકસાન થવાનું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશ આઝાદ થયો ત્યારે દેશમાં મોટાભાગની જમીનો દેશી રજવાડા, ગરાસદાર કે ગામધણી સાથે જમીનદારોના કબ્જામાં હતી. તે વખતે સામાન્ય ગરીબ લોકો ખાસ કરીને એસ.સી., એસ.ટી. પછાતવર્ગના લોકોએ જમીનોમાં ખેત મજૂરી કરતા હતા, ગણોતિયા હતા. આવા લોકોને સમૃદ્ધ બનાવવા કોંગ્રેસ સરકાર અને એની નીતિઓ દ્વારા જમીનના કાયદા લાવ્યા હતા. જેના કારણે જે જમીનમાં ખેતમજૂરો, ગણોતિયા, ભાગિયા લોકોને "ખેડે એની જમીન" નો કાયદો લાવી જમીનના માલિકો બનાવ્યા હતા. આવા કાયદા દ્વારા એક વ્યક્તિ પાસેથી જમીન લઇને નાના-નાના લોકોને આપી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સમૃદ્ધિ વધી અને લોકોનું જીવન ધોરણ સુધર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અનેક સરકારી વિભાગોમાં ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર ૨૦૨૩માં જમીનમાં સુધારણા કરવા, નિયમો બદલવા, એના માટેની જોગવાઈ કરવા માટે સી. એલ. મીના અધ્યક્ષ પદે એક કમિટીની રચના કરાઇ હતી. ફેબ્રુઆરી ૨૦૨૪માં આ કમિટીએ ગુજરાત સરકારમાં અહેવાલ રજૂ કર્યો છે. જે અંગે સરકારે ચર્ચા-વિચારણા કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાવડાએ જણાવ્યું હતું કે, આ અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં જમીન કાયદામાં સુધારો કરીને સરકાર "બિન ખેડૂત હોય તેવી વ્યક્તિ પણ ખેતીની જમીન ધારણ કરી શકે" એવો કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. જેના માટે પૂર્વ કાયદામાં પણ સુધારા કરવા પડશે, સરકારનું પગલું રાજ્ય માટે ખૂબ જોખમી પુરવાર થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજયમાં ખેતી અને ખેડૂતને ખતમ કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર વર્ષોથી ચાલી રહ્યું છે એને અમલમાં મુકવા માટેનું આ પગલું છે. આ કાયદામાં સુધારાથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં બિન ખેડૂતને ખોટી રીતે ખેડૂત બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. જેના આધારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. ભાજપ સરકાર જમીન કાયદામાં સુધારો કરી "બિન ખેડૂત ખેતીની જમીન ધારણ કરી શકશે" તેવો સુધારો કરશે તો કોંગ્રેસ પક્ષ સડકથી લઇ વિધાનસભા સુધી ખેતી અને ખેડૂતોને બચાવવા ઉગ્ર વિરોધ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/why-do-cage-builders-remain-silent-when-pressured-on-the-ground-by-gauchers">પાંજરાપોળો બંધાવનારા ગૌચરની જમીન પરના દબાણ વખતે કેમ ચૂપ રહે છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 19 Nov 2024 22:26:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1573</Articleid>
                    <excerpt>ખેડૂતની જમીન બિન ખેડૂતને આપવાની સરકારની હિલચાલ સામે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. જાણો શું તર્ક આપ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673cc2368f044.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673cc23658023.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673cc23658023.jpg" length="62252" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Farmers&#039; land icongree, Amit chavda</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે જંત્રીના 10 ટકા વસૂલ કરીને જમીન એનએ કરાવી શકાશે</title>
                    <link>https://khabarantar.com/now-land-can-be-acquired-by-collecting-10-percent-of-the-jantri</link>
                    <guid>https://khabarantar.com/now-land-can-be-acquired-by-collecting-10-percent-of-the-jantri</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય સરકારે રિવાઇઝ્ડ બિન ખેતીની પરવાનગીના નિયમોમાં ફેરફાર કર્યો. પ્રીમિયમ ભર્યા વિના ખેતી થયેલી જમીનના પુન: હેતુફેર સમયે પ્રવર્તમાન જંત્રીના 10 ટકા વસૂલાશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજયમાં કોઈપણ હેતુ માટે અગાઉ પ્રીમિયમ વસૂલ કરવા પાત્ર હોવા છતાં પ્રીમિયમ વસૂલ કર્યા વિના બિનખેતી થયેલી જમીન હવે પુન: હેતુફેર કરવી રાજ્ય સરકારે સરળ બનાવી છે. આવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે તે જમીનને પ્રવર્તમાન જંત્રીની કિંમત ના 10 ટકા વસૂલાત કરીને બિન ખેતી કરી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલમાં આવી જમીન માટે પ્રવર્તમાન જંત્રીના 30 ટકા પ્રમાણે પ્રીમિયમની વસૂલાત કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ બિન ખેતી (એનએ) થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જે તે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય છે. તો ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલના સમયમાં આવું પ્રિમીયમ પ્રવર્તમાન જંત્રી દરના ૩૦ ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા કિસ્સામાં જે તે જમીન બિનખેતી થયા સમયે પ્રીમિયમ વસૂલ ન કરાયું હોય તો આસામીને પ્રવર્તમાન જંત્રીની રકમના 30 ટકા પ્રમાણે પ્રીમિયમની રકમ ભરવાની થાય છે. જેના કારણે મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ વર્ગો દ્વારા રજૂઆતો થઈ હતી. જે અંગે રાજ્ય સરકાર દ્વારા આ મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરીને મહેસુલ વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય કરાયો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રીમિયમની રકમ વસુલવાની પાત્ર હતી, પરંતુ તે રકમ વસુલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે. આવી જમીનમાં હાલના અરજદાર/કબજેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦ ટકા પ્રીમિયમની રકમ વસુલ કરીને રિવાઇઝડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> </span><a href="https://khabarantar.com/a-new-chapter-in-the-land-scam-in-the-name-of-ram-in-ayodhya">અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 19 Nov 2024 21:59:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1572</Articleid>
                    <excerpt>રાજ્ય સરકારે રિવાઇઝ્ડ બિન ખેતીની પરવાનગીના નિયમોમાં ફેરફાર કર્યો. પ્રીમિયમ ભર્યા વિના ખેતી થયેલી જમીનના પુન: હેતુફેર સમયે પ્રવર્તમાન જંત્રીના 10 ટકા વસૂલાશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673cbb81a3fbe.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673cbb816dae7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673cbb816dae7.jpg" length="56460" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jantri Rate 2024, NA land, Jantri</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે RSS નો પ્લાન શું છે?</title>
                    <link>https://khabarantar.com/what-is-rsss-plan-for-bjp-in-maharashtra-assembly-elections</link>
                    <guid>https://khabarantar.com/what-is-rsss-plan-for-bjp-in-maharashtra-assembly-elections</guid>
                    <description>
                        <![CDATA[ આરએસએસ અને તેની સાથે સંકળાયેલા 37 સંગઠનો ભાજપની તરફેણમાં વાતાવરણ ઉભું કરવા કામે લાગ્યા છે. જામો સંઘે મતદારો સુધી સીધા પહોંચવા શું વ્યૂહરચના અપનાવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું કોમ્બિનેશન ફરી એકવાર સમાચારોમાં છે. આરએસએસ અને તેની સાથે સંકળાયેલા 37 સંગઠનોએ તેમની કેડરને ભાજપ માટે પૂરી તાકાત સાથે કામે લગાડી દીધી છે. આ વખતે, સંઘે તેની ચૂંટણી ભૂમિકામાં નવા પરિમાણો ઉમેરતા મતદારો સુધી સીધા પહોંચવાની વ્યૂહરચના અપનાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ્સ મુજબ, આરએસએસએ જુલાઈથી જ પોતાની રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. સંઘના સહ મહાસચિવ અતુલ લિમયેને ભાજપના ચૂંટણી પ્રચારના સંકલનની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ઘણી બેઠકો કરી હતી. ગડકરી અને ફડણવીસે રાજ્યભરમાં 70 થી વધુ જાહેર સભાઓને સંબોધી હતી. આરએસએસની મહિલા પાંખ રાષ્ટ્ર સેવિકા સમિતિ પણ ચૂંટણી પ્રચારમાં પાછળ રહી નથી. સમિતિની મહિલા કાર્યકરો દિવસ-રાત પ્રચારમાં વ્યસ્ત રહી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસે મરાઠા, કુણબી અને માલી સમુદાયો જેવા વિવિધ સમુદાયોના નેતાઓ સાથે સંવાદ સ્થાપિત કર્યો હોવાનું કહેવાય છે. આ સાથે યુવાનો અને શહેરી મતદારોને આકર્ષવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આઇટી સેક્ટર અને અન્ય વ્યવસાયોમાં કામ કરતા યુવા મતદારોને તેમના ગૃહ જિલ્લામાં મતદાન કરવા માટે બસો અને મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંઘે 100 ટકા મતદાન સુનિશ્ચિત કરવા માટે ઘણી યોજનાઓ બનાવી છે. નાગપુર જેવા મુખ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો છે. રામનગર જેવા વિસ્તારોમાં આરએસએસના કાર્યકરોએ બે વખત મતદારોનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણીમાં આ વખતે આરએસએસ અને ભાજપ વચ્ચેનો તાલમેલ પહેલા કરતા વધુ મજબૂત જણાય છે. ટિકિટ વિતરણથી લઈને બૂથ મેનેજમેન્ટ સુધી સંઘે દરેક પાસાઓમાં ઉંડાણપૂર્વકનો રસ લીધો હતો. સંઘના વરિષ્ઠ કાર્યકર દિલીપ દેવધરે દાવો કર્યો કે આ પહેલીવાર છે જ્યારે RSSએ કોઈ ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં આવતીકાલે ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણીનું પરિણામ 23મીએ જાહેર થશે. મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે કે સંઘ અને ભાજપની આ રણનીતિ કેટલી સફળ રહી અને આરએસએસ-ભાજપના સંયુક્ત પ્રયાસોએ ચૂંટણીના માહોલને કેટલી પોતાના તરફ વાળી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-voters-confused-due-to-differences-among-ambedkarite-parties-in-maharashtra">મહારાષ્ટ્રમાં આંબેડકરવાદી પક્ષોમાં મતભેદને કારણે દલિત મતદારો મૂંઝવણમાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 19 Nov 2024 21:07:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1571</Articleid>
                    <excerpt>આરએસએસ અને તેની સાથે સંકળાયેલા 37 સંગઠનો ભાજપની તરફેણમાં વાતાવરણ ઉભું કરવા કામે લાગ્યા છે. જામો સંઘે મતદારો સુધી સીધા પહોંચવા શું વ્યૂહરચના અપનાવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673caff065efc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673caff032ad1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673caff032ad1.jpg" length="79578" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Maharashtra Assembly Elections, BJP, RSS</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહીસાગરના જાતિવાદી કલેક્ટર નેહા કુમારી સામે આર યા પારની લડાઈ શરૂ</title>
                    <link>https://khabarantar.com/a-fight-begins-across-the-board-against-mahisagars-casteist-collector-neha-kumari</link>
                    <guid>https://khabarantar.com/a-fight-begins-across-the-board-against-mahisagars-casteist-collector-neha-kumari</guid>
                    <description>
                        <![CDATA[ 22 નવેમ્બરે ગુજરાતના 250 તાલુકા પોલીસ સ્ટેશનોમાં ગુનો દાખલ કરવા ફરિયાદ કરાશે. 6 ડિસેમ્બરે મહીસાગરમાં એસસી-એસટીના 12 સાંસદો ધરપકડ માટે વિરોધ પ્રદર્શન કરશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમુદાયે એક થઈને 22 નવેમ્બર 2024 ના રોજ એક કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. ગુજરાતમાં 250 તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા ફરિયાદ કરવામાં આવશે અને 6 ડિસેમ્બર 2024ના  રોજ ડો. આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે 33 જિલ્લામાં આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 6 ડિસેમ્બરના રોજ મહીસાગર ખાતે રેલીમાં દલિત આદિવાસી સમાજના 12 સાંસદો અને ધારાસભ્યો હજાર રહી કલેક્ટર નેહા કુમારીની ધરપકડ માટે અવાજ ઉઠાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શામાટે ગુજરાત વ્યાપી આંદોલન કરવાની જરૂર પડી? 23 ઓક્ટોબર 2024ના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં તાલુકામાં ‘સ્વાગત કાર્યક્રમ’ હતો, તેમાં દલિત અરજદાર વિજય પરમારને કલેક્ટર નેહા કુમારી ધમકાવી રહ્યા છે તે અંગેનો એક વીડિયો વાઈરલ થયો હતો. તે બાબતે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ 29 ઓક્ટોબર 2024ના રોજ પત્રકાર પરિષદ યોજી હતું કે, “અરજદારોને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં શાંતિથી સાંભળવા જોઈએ. તેમની સાથે વિવેકથી વર્તવું જોઈએ. તેના બદલે કલેક્ટર IAS નેહા કુમારીએ અશોભનીય વર્તન કરેલ છે. ‘વકીલો અને પત્રકારો બની બેઠા છે’ તેવી કોમેન્ટ કરી. 'કામ-ધામ કુછ હૈ નહીં, પઢાઈ લિખાઈ કુછ હૈ નહીં, વકીલાત મેં ચપ્પલ સે માર ખાને કે કામ કરતે હૈ' એવી શરમજનક ટિપ્પણી કરી. આદિવાસી અને દલિતો 90% એટ્રોસિટીના કેસ બ્લેકમેઇલિંગ માટે કરે છે. એમ કહીને નેહા કુમારીએ જનરલ સમાજના લોકોના મનમાં આદિવાસી અને દલિત સમાજના લોકો ખોટા કેસો કરે છે એવો ખોટો ભાવ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે, જે સાંખી લેવાય નહીં.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલેક્ટર જાણે સત્તાપક્ષના એજન્ટ હોય તે રીતે પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના ધારાસભ્યની ઠેકડી ઉડાવી હતી. સવાલ એ છે કે શું કોઈ IAS/ IPS સત્તાપક્ષના ધારાસભ્યની ઠેકડી ઉડાવે છે? વિપક્ષના ધારાસભ્યની ઠેકડી કલેક્ટર ઉડાવી શકે? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ મુજબ જિલ્લા તકેદારી સમિતિના અધ્યક્ષ કલેકટર હોય છે. તેની જવાબદારી એટ્રોસિટી એક્ટનો અમલ કરાવવાની છે. જો કલેક્ટર ખુદ એવું માનતા હોય કે એટ્રોસિટી એક્ટ હેઠળ 90% ગુનાઓ ખોટા દાખલ થાય છે તો દલિતોને/ આદિવાસીઓને ન્યાય મળે ખરો? શું આવી માનસિકતાવાળા અધિકારી કલેક્ટરના હોદ્દા પર રહેવા લાયક છે ખરા? દલિતોના હાથપગ ભાંગી નાખે છે/ બળાત્કાર થાય છે/ મર્ડર થાય છે/ તેમની જમીનો પર 30-35 વરસથી કબજો કરી લીધો છે; આ શું ખોટા ગુનાઓ છે? શું કાયદાઓ આર્થિક/ રાજકીય/ સામાજિક મોભા મુજબ કામ કરતાં નથી? જો એક શિક્ષિત/ ઊંચ કક્ષાની તાલીમ પામેલ કલેકટર દલિતો પ્રત્યે પૂર્વગ્રહ રાખે તો સમાજમાં દલિતોને કેટલાં પૂર્વગ્રહોનો સામનો કરવો પડતો હશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલેક્ટરે All India Services (Conduct) Rules, 1968ના નિયમ-3(1), 3(2A)નો ભંગ કરેલ છે. નિયમ-3(1) કહે છે : ‘Every member of the Service shall at all times maintain absolute integrity and devotion to duty and shall do nothing which is unbecoming of a member of the Service-સેવાના દરેક સભ્યએ હંમેશા ફરજ પ્રત્યે સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા જાળવી રાખવી જોઈએ અને સેવાના સભ્ય માટે અયોગ્ય હોય તેવું કંઈપણ કરવું નહીં’. નિયમ- 3(2A) કહે છે, ‘Every member of the service shall in the discharge of his duties act in a courteous manner and shall not dilatory tactics in his dealings with the public or otherwise-સેવાના દરેક સભ્યએ તેમની ફરજો નિભાવતી વખતે નમ્રતાપૂર્વક વર્તવું જોઈએ અને જાહેર જનતા સાથે અથવા અન્યથા તેમના વ્યવહારમાં દ્વેષપૂર્ણ યુક્તિઓ કરવી જોઈએ નહીં.’ </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ સરકાર કલેક્ટર સામે આ નિયમો હેઠળ ત્યારે જ પગલાં ભરે જો સત્તા પક્ષના ધારાસભ્ય સાથે ગેરવર્તન થયું હોય. વિપક્ષના ધારાસભ્ય સાથે કલેક્ટર ગેરવર્તન કરે તો સરકાર કલેક્ટર સામે પગલાં ભરતી નથી. આ સ્થિતિમાં શું થઈ શકે? બે રસ્તા છે, [1] માનવ અધિકાર કમિશન/ SC/ST કમિશનમાં ફરિયાદ કરવી અને છેલ્લે હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ કરવી. [2] IAS/IPSના તાલીમ સંસ્થાઓને ફરિયાદ કરવી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">18 નવેમ્બર 2024ના રોજ જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે, “NCRBના આંકડા મુજબ ભારતમાં રોજે 4 દલિત મહિલા પર બળાત્કાર થાય છે. રોજે 3 દલિતોની હત્યા થાય છે. દર અઠવાડિયે 10 કે તેથી વધુ દલિતોના ઘરને આગ ચાંપવામાં આવે છે કે ગામમાંથી કાઢી મૂકવામાં આવે છે. આજે દલિત/ આદિવાસી/ OBC જાતિવાદના શિકાર છે. હજુ માથા પર મેલું લઈ જવાની વ્યવસ્થા નાબૂદ થઈ નથી. દલિતો ગટરમાં ગૂંગળાઈને મરે છે. આ સમુદાયને સામાજિક ન્યાય આપવાની જવાબદારી કલેક્ટરની છે. પરંતુ નેહા કુમારી જેવા અધિકારી આ ભૂમિકા નિભાવવા નથી અને દલિતોનું અપમાન કરે છે. કલેક્ટરને તાલીમ આપનાર સંસ્થા મસૂરીમાં છે. અમે એ સંસ્થાને વિનંતી કરીશું કે ભવિષ્યમાં કોઈ કલેક્ટર દલિતો/ આદિવાસી/ OBC/ લઘુમતી સમુદાયનું અપમાન ન કરે તે પ્રકારની તાલીમનું આયોજન કરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>રમેશ સવાણી</strong></span><span style="font-size: 12pt;"><em><strong> (લેખક પૂર્વ આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારોના પક્ષધર છે)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/mahisagar-collector-nehakumari-dubey-said-90-percent-of-atrocity-cases-are-committed-for-blackmail">એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઇલ કરવા માટે કરાય છે : મહીસાગર કલેક્ટર</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 19 Nov 2024 11:55:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1570</Articleid>
                    <excerpt>22 નવેમ્બરે ગુજરાતના 250 તાલુકા પોલીસ સ્ટેશનોમાં ગુનો દાખલ કરવા ફરિયાદ કરાશે. 6 ડિસેમ્બરે મહીસાગરમાં એસસી-એસટીના 12 સાંસદો ધરપકડ માટે વિરોધ પ્રદર્શન કરશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673c2e61f3f4e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673c2e61c1f24.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673c2e61c1f24.jpg" length="77811" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mahisagar Collector Neha Kumari, Jignesh Mevani</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત મોડેલ : બુટલેગરે હોસ્પિટલ શરૂ કરી, ઉદ્ઘાટનમાં પોલીસને બોલાવી</title>
                    <link>https://khabarantar.com/real-gujarat-model-bootlegger-starts-hospital-in-surat-calls-police-at-inauguration</link>
                    <guid>https://khabarantar.com/real-gujarat-model-bootlegger-starts-hospital-in-surat-calls-police-at-inauguration</guid>
                    <description>
                        <![CDATA[ બુટલેગરે બે નકલી ડોક્ટરો સાથે મળીને 24 કલાકની હોસ્પિટલ શરૂ કરી દીધી અને કોઈને ખબર પણ ન પડી. પત્રિકા ઓનલાઈન વાયરલ થતા ભાંડો ફૂટ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ખરા અર્થમાં બધું રામભરોસે ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ પ્રવર્તે છે. નકલી પીએમઓ-સીએમઓ અધિકારીથી શરૂ થયેલો સિલસિલો નકલી જજ સુધી પહોંચ્યો છે. ત્યારે હવે સુરતમાં એક બુટલેગરે નકલી ડોક્ટરો સાથે મળીને હોસ્પિટલ શરૂ કરી દીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં તેણે પોલીસને આમંત્રણ આપ્યું હતું અને એક આઈપીએસ અધિકારીને મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા હતા. સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થતા આખા મામલાનો પર્દાફાશ થયો હતો અને તંત્રનું ધ્યાન જતા એક જ દિવસમાં હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">શહેરના પાંડેસરા વિસ્તારમાં નકલી તબીબોએ ભેગા મળી હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી. જન સેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું. જેમાં 24 કલાક ઈમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું. આ સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં પ્રિન્ટ કરાવ્યું હતું. જોકે એક જ દિવસમાં દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બે નકલી ડોક્ટરો, ત્રીજો બુટલેગર</span></strong></span><br><span style="font-size: 14pt;">આ હોસ્પિટલ શરૂ કરનારમાં બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજો સામે દારૂની ફેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. એસઓજી દ્વારા બબલુ શુકલા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો. પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દૂબે સામે ફરિયાદ નોંધી હતી. બોગસ ડો.જી.પી.મિશ્રા સામે તો વર્ષ 2022 માં દારૂની ફેરાફેરીનો કેસ નોંધાયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બે માળની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર પણ બનાવ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">નવાઈની વાત એ છે કે હોસ્પિટલનું ઉદ્દઘાટન થતાં જ અહીં દર્દીઓની લાઈન લાગી ગઈ હતી. 24 કલાક ઇમર્જન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા બે માળમાં આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઓપરેશન થિયેટર પણ હતું. આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટરો ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય, તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવીને ફરીથી આવી પોતાની જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાત સરકારે સર્ટિફિકેટ પણ આપી દીધું</span></strong></span><br><span style="font-size: 14pt;">હોસ્પિટલના સંચાલક ડોક્ટર સજ્જન કુમારે જણાવ્યું હતું કે, અમારી પાસે ગુજરાત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ છે અને અમે એ પ્રમાણે જ હોસ્પિટલની શરૂઆત કરી છે. બબલુ શુકલા, રાજારામ દુબે અને ડોક્ટર મીશ્રા MD ડોક્ટર્સની નજર હેઠળ અહીં RMO તરીકે ફરજ બજાવે છે અને ફક્ત અહીં કામ કરે છે. ઓર્થોપેડિક ડોક્ટર તરીકે પ્રત્યુષ ગોહિલ અને MD ડોક્ટર તરીકે સજ્જન કુમાર મીના છે અને તે ત્રણેય ડોક્ટરો ફક્ત અમારા નિમંત્રણ પર આવ્યા છે કહીને લુલો બચાવ કર્યો હતો અને પોતે જ આપેલા RMOના નિવેદન પરથી ફરી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <strong><a href="https://khabarantar.com/20-Hindus-took-admission-in-mbbs-with-fake-buddhist-certificate">20 હિંદુઓએ નકલી બૌદ્ધ સર્ટિફિકેટ બનાવડાવી એમબીબીએસમાં એડમિશન લઈ લીધું</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 19 Nov 2024 09:55:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1569</Articleid>
                    <excerpt>બુટલેગરે બે નકલી ડોક્ટરો સાથે મળીને 24 કલાકની હોસ્પિટલ શરૂ કરી દીધી અને કોઈને ખબર પણ ન પડી. પત્રિકા ઓનલાઈન વાયરલ થતા ભાંડો ફૂટ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673c132134338.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673c1320f306b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673c1320f306b.jpg" length="92241" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Surat News, bootlegger starts hospital, calls police at inauguration, gujarat model</media:keywords>
                </item>
                        <item>
                    <title>બે સાધુઓએ મળી ત્રીજા સાધુની જટા કાપી રૂ. 21 હજારની મત્તા લૂંટી લીધી</title>
                    <link>https://khabarantar.com/two-sadhus-got-together-and-cut-the-locks-of-a-third-sadhu-and-robbed-him-of-rs-21-thousand</link>
                    <guid>https://khabarantar.com/two-sadhus-got-together-and-cut-the-locks-of-a-third-sadhu-and-robbed-him-of-rs-21-thousand</guid>
                    <description>
                        <![CDATA[ અમરેલીના ખાંભાની ઘટના. ખોડીયાર આશ્રમમાં બે સાધુઓ ત્રીજા સાધુની જટા કાપતા હોય તેવો વીડિયો વાયરલ. પોલીસે હળવદની એક આરોપી સાધુને ઝડપી પાડ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમરેલીના ખાંભામાં એક સાધુને અન્ય બે સાધુઓએ માર મારી, તેમની જટા કાપી નાખીને મોબાઈલ, કાજુ-બદામ અને રોકડ સહિત રૂ. 21 હજાર લૂંટી લીધા હોવાની ઘટના સામે આવતા ધર્મપ્રેમીઓની લાગણી દુભાઈ છે. મળતી માહિતી પ્રમાણે અમરેલીના ખાંભાની રાજધાની ચોકડી પાસે ખોડીયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગુડાના સાધુ પાસે બે અજાણ્યા સાધુઓ આવીને 'તું નકલી સાધુ છે' કહીને મારમારી કરી હતી અને ભગુડાના સાધુની જટા કાપી નાખી હતી. એટલું જ નહીં, આરોપી સાધુઓ ભગુડાના સાધુના થેલામાંથી રોકડ અને મોબાઈલ સહિત કુલ 21 હજારની લૂંટ કરીને ભાગી ગયા હતા. આ મામલે ભગુડાના સાધુએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની હળવદથી ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપી સાધુની શોધખોળ ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ખાંભા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને આરોપીઓ હળવદના અર્જુનગીરી અને બ્રિજેશગીરી હોવાની જાણકારી મળતા હળવદ પહોંચી મુખ્ય આરોપી અર્જુનગીરીને દબોચીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, અમરેલીના ખાંભા ખાતે આવેલા ખોડીયાર આશ્રમમાં ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યાં હતા. એ દરમિયાન અર્જુનગીરી નામનો સાધુ અને અન્ય એક અજાણ્યો સાધુ ત્યાં આવ્યાં હતા. આ બંનેએ ભગુડાના સાધુને 'તું વિધર્મી, નકલી સાધુ છે' કહીને મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે બંનેએ ભગુડાના સાધુના માથાની જટા કાપીની વીડિયો બનાવી વાઈરલ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંને આરોપી સાધુઓ ભગુડાના સાધુ પાસે રહેલા 10,805 રોકડ, એક મોબાઈલ અને 300 ગ્રામના કાજુ-બદામ મળીને કુલ 21 હજાર લૂંટ કરીને ભાગી ગયા હતા. આ મામલે ભગુડાના સાધુએ બંને આરોપી સાધુ વિરુદ્ધમાં ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે સુલેહ શાંતિનો ભંગ અને ધાર્મિક માન્યતાઓનું અપમાન કરનારા બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/anupam-swaroop-swamis-controversial-statement-regarding-navratri">"વાસનાના પૂજારીના દિવસો આવ્યા" નવરાત્રી મુદ્દે સ્વામીનારાયણ સાધુ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 18 Nov 2024 20:04:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1568</Articleid>
                    <excerpt>અમરેલીના ખાંભાની ઘટના. ખોડીયાર આશ્રમમાં બે સાધુઓ ત્રીજા સાધુની જટા કાપતા હોય તેવો વીડિયો વાયરલ. પોલીસે હળવદની એક આરોપી સાધુને ઝડપી પાડ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673b4f6734563.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673b4f670435e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673b4f670435e.jpg" length="92645" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>News of theft</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત પ્રોફેસરની PHD ડિગ્રી છીનવાઈ, પ્રોફેસરે કહ્યું, &amp;quot;દલિત છું એટલે...&amp;quot;</title>
                    <link>https://khabarantar.com/bhu-cancels-dalit-Professor-ashok-kumar-sonkars-phd-degree</link>
                    <guid>https://khabarantar.com/bhu-cancels-dalit-Professor-ashok-kumar-sonkars-phd-degree</guid>
                    <description>
                        <![CDATA[ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં બેઠેલા દ્રોણાચાર્યો હવે માત્ર દલિત, આદિવાસી વિદ્યાર્થીઓના જ અંગૂઠા નથી કાપતા પરંતુ SC-ST પ્રોફેસરોના અંગૂઠા પણ કાપી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"સાહિત્ય ચોરીનો કાયદો 2018માં આવ્યો હતો, મેં 2010માં રિસર્ચ પેપર સબમિટ કર્યું હતું. 2019 થી આર્કેડ સોફ્ટવેરનો ઉપયોગ કરીને થીસીસની તપાસ કરવામાં આવે છે. મારું સંશોધન 2020 માં પરીક્ષણ માટે મૂકવામાં આવ્યું હતું. જો કોપી મળી પણ આવે, એટલે કે જો કોઈ અન્યના સંશોધન પેપર સાથે મારી થીસીસની સમાનતા જોવા મળે, તો પણ 10 ટકા સુધીની છુટ અપાય છે. મારા કિસ્સામાં, માત્ર સાત ટકા જેટલી વિગતોને તેમણે કોપી હોવાનું કહ્યું છે, તેમ છતાં મારી વાત સાંભળવામાં આવી નથી. આવું થવું સંશોધનમાં સામાન્ય છે. પરંતુ હું અનુસૂચિત જાતિનો હોવાથી મારી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ શબ્દો એક દલિત પ્રોફેસરના છે. તેમને શિક્ષણ સંસ્થાઓમાં બેઠેલા દ્રોણાચાર્યોએ નિશાન બનાવ્યા છે. હવેના સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠેલા દ્રોણો માત્ર દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓના જ અંગૂઠા નથી કાપી રહ્યાં પરંતુ એસસી, એસટી શિક્ષકોના અંગૂઠા પણ કાપી લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલો ઉત્તર પ્રદેશની બનારસ હિન્દુ યુનિવર્સિટીનો છે. જ્યાં દલિત પ્રોફેસર અશોક કુમાર સોનકરની પીએચડી ડિગ્રી રદ કરવામાં આવી છે. ડિગ્રી રદ કરવા પાછળનું કારણ એવું કહેવાય છે કે અશોક કુમારે તેમની પીએચડીમાં 7 ટકા જેટલા સાહિત્યની ચોરી કરી છે. જેના કારણે તેમની પાસેથી પીએચડીની ડિગ્રી છીનવી લેવામાં આવી છે. હવે અશોક કુમાર પોતાના નામની સાથે ડોક્ટરની ઉપાધિ ત્યાં સુધી નહીં લગાવી શકે જ્યાં સુધી તેઓ ફરી પીએચડીનું સંશોધન નહીં કરી લે. આ રિસર્ચને પૂર્ણ કરવા માટે તેમને 2 વર્ષનો સમય આપવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત પ્રોફેસર અશોક સોનકરે તેમની ડિગ્રી છીનવી લેવાયા બાદ પોતાનું દર્દ વ્યક્ત કર્યું અને કહ્યું કે, મારી સાથે આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે હું અનુસૂચિત જાતિમાંથી આવું છું. તેણે કહ્યું, "સાહિત્ય ચોરીનો કાયદો 2018માં આવ્યો હતો, મેં 2010માં રિસર્ચ પેપર સબમિટ કર્યું હતું. 2019 થી આર્કેડ સોફ્ટવેરનો ઉપયોગ કરીને થીસીસની તપાસ કરવામાં આવે છે. મારું સંશોધન 2020 માં પરીક્ષણ માટે મૂકવામાં આવ્યું હતું. જો કોપી મળી પણ આવે, એટલે કે જો કોઈ અન્યના સંશોધન પેપર સાથે મારી થીસીસની સમાનતા જોવા મળે, તો પણ 10 ટકા સુધીની છુટ અપાય છે. મારા કિસ્સામાં, માત્ર સાત ટકા જેટલી વિગતોને તેમણે કોપી હોવાનું કહ્યું છે, તેમ છતાં મારી વાત સાંભળવામાં આવી નથી. આવું થવું સંશોધનમાં સામાન્ય છે. પરંતુ હું અનુસૂચિત જાતિનો હોવાથી મારી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતે લખનૌ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રવિકાંતે સોશિયલ મીડિયા પર લખ્યું, “માત્ર 7 ટકા કોપી કરવાના આરોપમાં BHUના આસિસ્ટન્ટ પ્રોફેસર અશોક કુમાર સોનકરની પીએચડી રદ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. જો તમારામાં હિંમત હોય તો દરેકની થીસીસ તપાસો! દલિતની ડિગ્રી છીનવવી કેટલી આસાન છે! દરેક શિક્ષણ સંસ્થાઓમાં દ્રોણાચાર્ય બેઠા છે! જ્યાં સુધી તેમનો એટલે કે દ્રોણાચાર્યનો અંગૂઠો કાપવામાં નહીં આવે ત્યાં સુધી ન્યાય નહીં મળે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BHUના કંટ્રોલર ઑફ એજ્યુકેશન એન. કે. મિશ્રાએ કહ્યું, “એકેડમિક કાઉન્સિલ વતી અશોક કુમાર સોનકર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પીએચડીvr ડિગ્રી પાછી ખેંચી લેવામાં આવી છે. આવા કૃત્યો સામે કડક કાર્યવાહી થવી જોઈએ." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BHUમાં ફેકલ્ટી ઓફ સોશિયલ સાયન્સના ડીન ડો પ્રો. બ્રિન્દા પરાંજપેએ કહ્યું કે, "અશોક કુમાર સોનકર વિરુદ્ધ સાહિત્યચોરીના આરોપો સાબિત થયા છે. આ ખૂબ જ ગંભીર ગુનો છે અને તેને જે સજા આપવામાં આવી છે તે ઘણી ઓછી છે. યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને એક દાખલો બેસાડી શકાય.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/engineering-professor-working-as-a-delivery-boy-in-telangana"><span style="font-size: 12pt;"> </span>એન્જિનિયરિંગના પ્રોફેસરો ડિલિવરી બોયનું કામ કરી રહ્યા છે...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 18 Nov 2024 13:34:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1567</Articleid>
                    <excerpt>ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં બેઠેલા દ્રોણાચાર્યો હવે માત્ર દલિત, આદિવાસી વિદ્યાર્થીઓના જ અંગૂઠા નથી કાપતા પરંતુ SC-ST પ્રોફેસરોના અંગૂઠા પણ કાપી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673af3e29eb5d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673af3e25efc9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673af3e25efc9.jpg" length="89540" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BHU, Dalit Professor, PHD, cancel</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખંભાતના પાંદડ માં 44 લોકોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો</title>
                    <link>https://khabarantar.com/44-people-renounced-hinduism-and-embraced-buddhism-in-khambhats-Pandad-village</link>
                    <guid>https://khabarantar.com/44-people-renounced-hinduism-and-embraced-buddhism-in-khambhats-Pandad-village</guid>
                    <description>
                        <![CDATA[ સર્વજન સમાનમાં માનતા બૌદ્ધ ધર્મ પ્રત્યે વધુને વધુ લોકો આકર્ષાતા જાય છે. ખંભાતના પાંદડ ગામમાં એક સાથે 44 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીનનો કૃત્રિમ સૂર્ય કાર્યરત થઈ જશે અને ઈલોન મસ્કનું સ્પેસ એક્સ અવકાશની ટુર કરતું હશે, પણ કથિત મહાન હિંદુ ધર્મમાંથી જાતિવાદ અને અસ્પૃશ્યતા જાય તેવું નજીકના ભવિષ્યમાં તો દૂર દૂર સુધી ક્યાંય દેખાતું નથી. કહેવાતું નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે પણ દલિત-આદિવાસીઓ પર અત્યાચારની વણથંભી વણઝાર ચાલુ રહેવા પામી છે. પરિણામે બહુજન સમાજમાં જાતિવાદી હિંદુ ધર્મ પ્રત્યે દિન-પ્રતિદિન ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. કથિત ગૌરક્ષકો અને હિંદુત્વવાદી સંગઠનો દ્વારા જે રીતે કાયદો હાથમાં લઈને બંધારણના છડેચોક લીરાં ઉડાડવામાં આવે છે, બહુજન સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, તેનાથી દલિતો-આદિવાસીઓમાં ભારે ભયનો માહોલ છે. જાતિવાદી તત્વો દ્વારા તેમને સતત અપમાનિત કરવામાં આવે છે, વર્ણ વ્યવસ્થાના આધારે તેમને સેકન્ડ ક્લાસ સિટિઝન તરીકે ટ્રીટ કરાય છે. આ બધાં કારણોસર દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે. આવી વધુ એક ઘટના આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પાંદડ ગામમાં બની ગઈ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673adc6e53ed8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા. 17 નવેમ્બર 2024ને રવિવારના રોજ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પાંદડ ગામમાં એક સાથે 44 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા આયોજિત આ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673adc6ee7cf7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહમાં પાંદડ ગામના કુલ 44 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. દીક્ષા સમારોહની શરૂઆતમાં દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને દીપ પ્રજ્વલિત કરી, ફૂલહાર અર્પિત કરવામાં આવેલ. ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673adc717c071.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673adc703b446.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span><span style="font-size: 14pt;">એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673adc70d1cf0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span><span style="font-size: 14pt;">ત્યારબાદ સૌ સાથે મળીને ભોજનદાન ગ્રહણ કરેલ. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673adc6f901e3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દીક્ષા કાર્યક્રમના આયોજક મહા ગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદના આયુ. સિંહલ બોધિધર્મનજીએ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ગુજરાત સહિત દેશભરમાં સતત દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને જે રીતે હિંદુ ધર્મીઓ દ્વારા ભેદભાવ, અસ્પૃશ્યતા દાખવવામાં આવે છે તેનાથી આ સમાજના લોકો ભારે વ્યથિત છે. કાયદો અમલમાં હોવા છતાં જાતિવાદી અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. મનુવાદી વર્ણવ્યવસ્થાની ધરી પર ટકેલા હિંદુ ધર્મમાં દલિતો, આદિવાસીઓ ગમે તેટલાં ભણીગણીને આગળ વધી જાય તો પણ તેમને નિમ્ન સ્તરના ગણીને ઉતારી પાડવામાં આવે છે. એક બાજુ દુનિયાના એઆઈના યુગમાં પહોંચી ગઈ છે, જ્યારે ભારત સતત જાતિ, ધર્મના નામે દલિતો પર અત્યાચાર કરીને અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે. એ સ્થિતિમાં દલિતો સર્વને સમાન માનતા બૌદ્ધ ધર્મ તરફ વળે તેમાં મને કશી નવાઈ નથી લાગતી. આ સ્થિતિ હજુ ચાલુ રહેશે તો હજુ વધુ લોકો હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ બનતા અચકાશે નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-junagadh-father-in-law-remarries-daughter-in-law-through-buddhist-rituals">જૂનાગઢમાં સાસરિયાઓએ બૌદ્ધ વિધિથી પુત્રવધુના પુનઃલગ્ન કરાવ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 18 Nov 2024 11:54:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1566</Articleid>
                    <excerpt>સર્વજન સમાનમાં માનતા બૌદ્ધ ધર્મ પ્રત્યે વધુને વધુ લોકો આકર્ષાતા જાય છે. ખંભાતના પાંદડ ગામમાં એક સાથે 44 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673adc7251284.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673adc7215746.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673adc7215746.jpg" length="128939" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Buddhist initiation, Khambhat, Pandad Village, Mahagujarat Buddhist Sangha Ahmedabad</media:keywords>
                </item>
                        <item>
                    <title>SC&amp;STની વસ્તી 38 ટકા પણ હાઈકોર્ટમાં 1956થી એકેય SC&amp;ST જજ નથી</title>
                    <link>https://khabarantar.com/sc-st-population-in-38-percent-but-there-has-not-been-a-single-sc-st-judje-in-the-high-court-since-1956</link>
                    <guid>https://khabarantar.com/sc-st-population-in-38-percent-but-there-has-not-been-a-single-sc-st-judje-in-the-high-court-since-1956</guid>
                    <description>
                        <![CDATA[ આ સવાલ ખુદ મુખ્ય ન્યાયધીશે ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મોજૂદ હોવા છતાં આવું કેમ થયું, તેની પાછળનું કારણ શું? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં સફાઈ અને મજૂરીકામમાં જ દલિત-આદિવાસીઓ માટે સો ટકા અનામત છે અને તે કથિત સવર્ણોને ખટકતી નથી. આ સિવાયના લગભગ દરેક મોરચે આ બંને વર્ગની બંધારણીય રીતે ફાળવવામાં આવેલી અનામતનો પણ જાતિવાદી તત્વો અમલ થવા દેતા નથી. આવું જ એક ક્ષેત્ર ન્યાયતંત્ર છે. નીચલી કોર્ટોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીમાં SC-ST જજોની સંખ્યાને સતત વિવાદનો મુદ્દો રહ્યો છે. અનામત જેવા આ સમાજ માટે અતિ સંવેદનશીલ મુદ્દાઓમાં ચૂકાદો સવર્ણ જજો આપે છે અને દલિતો-આદિવાસીઓએ તેમની વિરુદ્ધનો નિર્ણય પણ મૂંગા મોંઢે સ્વીકારી લેવો પડે છે. હવે દલિતો-આદિવાસીઓમાં આ મામલે જાગૃતિ વધતી જાય છે, પરંતુ એક હાઈકોર્ટ એવી પણ છે જેમાં છેક વર્ષ 1956થી એકપણ દલિત-આદિવાસી વ્યક્તિ જજ બની શકી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ હાઈકોર્ટની વાત છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત છે મધ્યપ્રદેશ હાઈકોર્ટની છે, આ રાજ્યમાં દલિતોની વસ્તી 16 ટકા છે, જ્યારે આદિવાસી સમાજની વસ્તી 22 ટકા છે. બંને મળીને રાજ્યની 38 ટકા વસ્તી ધરાવે છે પણ ન્યાયતંત્રમાં તેમનો સમખાવા પુરતો એક જજ નથી. છેક 1956થી અત્યાર સુધીમાં એકપણ આદિવાસી-દલિત જજ કેમ નથી બની શક્યાં, આ સવાલ ખુદ મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુરેશકુમાર કૈતે ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશ હાઈકોર્ટની રચના થઈ ત્યારથી આજ સુધી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીમાંથી કોઈ વ્યક્તિ ન્યાયાધીશ બની શક્યો નથી. જ્યારે લાયક ઉમેદવારો હાજર હતા ત્યારે આવું કેમ થયું? આ નિવેદન તેમણે એક સેમિનારમાં આપ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લાયક ઉમેદવાર હોવા છતાં આવું કેમ થયું?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ હાઈકોર્ટની રચના વર્ષ 1956માં થઈ હતી અને અત્યાર સુધીમાં સર્વિસ કે વકીલોમાંથી એસસી, એસટી વર્ગમાંથી એક પણ વ્યક્તિ જજ બની શકી નથી. આવું કેમ થયું એની મને ખબર નથી, એ દરમિયાન એવી વ્યક્તિઓ હતી, જે જજ બની શકે તેમ હતી, તેમ છતાં આવું થયું તેની પાછળ ચોક્કસ કારણ રહ્યું હશે. આજે જ્યારે આપણે સમાનતાની વાત કરીએ છીએ ત્યારે આપણે ફરી એકવાર વિચારવું જોઈએ કે આવું કેમ થઈ રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કડક નિયમો અડચણરૂપ બની રહ્યાં છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્ય ન્યાયાધીશ કૈતે તેમના સંબોધનમાં કહ્યું કે માત્ર સમાનતા વિશે વાત કરવી પૂરતી નથી; આજના સમયમાં ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં જ્યુડિશિયલ ઓફિસરોની નિમણૂક માટે બનાવવામાં આવેલા કડક નિયમો એસસી/એસટી વર્ગના લોકો માટે મોટી અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, તેમણે કહ્યું કે રાજ્યમાં અનુસૂચિત જનજાતિ વર્ગ માટે અનામત 109 જગ્યાઓ હજુ પણ ખાલી છે કારણ કે આ વર્ગના વિદ્યાર્થીઓ આ નિયમોને પરિપૂર્ણ કરવામાં અસમર્થ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્ય ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સમાજ આ વર્ગોને મદદ કરશે અને તેમના શિક્ષણ અને તાલીમ માટે વિશેષ પગલાં લેશે તો જ તેઓ ન્યાયિક ક્ષેત્રે આગળ વધી શકશે અને પોતાની ઓળખ ઉભી કરી શકશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક ન્યાય માટે અનામત જરૂરી છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્ય ન્યાયાધીશ કૈતે અનામતની જરૂરિયાત અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સદીઓથી અધિકારોથી વંચિત રહેલા વર્ગોને યોગ્ય સ્થાન આપીને જ સમાજમાં સમાનતા સ્થાપિત કરી શકાય છે. તેમણે અનામતને સામાજિક સમરસતા અને ન્યાયનો આધાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું, "ગુનાખોરીનું સૌથી મોટું કારણ શિક્ષણનો અભાવ છે. જેમ જેમ શિક્ષણ ફેલાશે તેમ ગુનાઓ ઘટશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કડક નિયમો ધ્યાનમાં લેવાની જરૂર છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીફ જસ્ટિસે કહ્યું કે હાઈકોર્ટમાં ન્યાયિક અધિકારીઓની નિમણૂક માટે બનાવેલા નિયમો એટલા કડક છે કે એસસી/એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ આ નિયમોનું પાલન કરી શકતા નથી. તેમણે સૂચન કર્યું કે આ વિભાગોને મદદ અને માર્ગદર્શન આપવા માટે વિશેષ કાર્યક્રમો શરૂ કરવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જે નિયમો ફક્ત ઉચ્ચ સામાજિક અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો માટે અનુકૂળ છે તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અન્ય ન્યાયાધીશોએ પણ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સેમિનારમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેકે મહેશ્વરી અને ગ્વાલિયર હાઈકોર્ટના જસ્ટિસ આનંદ પાઠકે પણ વક્તવ્ય આપ્યું હતું. સામાજિક ન્યાય અને સમરસતા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે સમાજમાં શિક્ષણ અને તકની સમાનતા લાવવા માટે અસરકારક પગલાં લેવાની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/79-percent-of-the-judges-appointed-to-the-High-Court-in-the-last-5-years-are-from-caste-SC-2.8-percent,-ST-1.3-percent,-Minorities-only-2-percent">છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 18 Nov 2024 10:08:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1565</Articleid>
                    <excerpt>આ સવાલ ખુદ મુખ્ય ન્યાયધીશે ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મોજૂદ હોવા છતાં આવું કેમ થયું, તેની પાછળનું કારણ શું?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673ac33313e1d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ac332d6912.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ac332d6912.jpg" length="66303" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Madhya Pradesh High Court, SC-ST Judge, Chief Justice Suresh Kumar Kaite</media:keywords>
                </item>
                        <item>
                    <title>મોદી દેશ&amp;વિદેશમાં ફરે છે, મણિપુર કેમ નથી જતા?</title>
                    <link>https://khabarantar.com/modi-travels-around-the-country-and-abroad-why-doesnt-he-go-to-manipur</link>
                    <guid>https://khabarantar.com/modi-travels-around-the-country-and-abroad-why-doesnt-he-go-to-manipur</guid>
                    <description>
                        <![CDATA[ મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે અને પીએમ મોદી વિદેશ પ્રવાસે ગયા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના પર નિશાન સાધ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે. મણિપુરના જીરીબામમાં ગુમ થયેલા છ લોકોમાંથી ચારના મૃતદેહ મળી આવતા રાજ્યમાં તણાવ વધી ગયો છે. મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનાઓને લઈને કોંગ્રેસે ફરી એકવાર ભાજપને ઘેરી લીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન દેશ-વિદેશનો પ્રવાસ કરે છે પરંતુ મણિપુર જતા નથી. તેમણે કહ્યું કે જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મણિપુર જઈ શકે છે તો તમે કેમ નથી જઈ શકતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કરીને કહ્યું છે કે મણિપુરમાં ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે અને રાજ્ય હિંસામાંથી પસાર થઈ રહ્યું છે અને તેના કારણે લોકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. તેમણે કહ્યું કે ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે અને તેની વિભાજનકારી રાજનીતિ માટે આવું કરી રહી છે. ખડગેએ કહ્યું કે મણિપુરના લોકો તમને ક્યારેય માફ નહીં કરે કારણ કે તમે તેમને તેમના ભાગ્ય પર છોડી દીધા છે અને આ સમસ્યાના ઉકેલ માટે મણિપુર જવાનું ક્યારેય યોગ્ય નથી માન્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે. મણિપુરના જીરીબામમાં ગુમ થયેલા છ લોકોમાંથી ચારના મૃતદેહ મળી આવતા રાજ્યમાં તણાવ વધી ગયો છે. શનિવારે રાત્રે શહેરમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને લોકોએ ચર્ચમાં તોડફોડ કરી આગ ચાંપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે લોકોના મૃતદેહ મળ્યા છે તે બધા મૈઈતૈઈ સમાજના હતા અને તેઓ આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળ્યા પછી પોલીસ દ્વારા બનાવવામાં આવેલા રાહત કેમ્પમાં રહેતા હતા. મણિપુરમાં કુકી અને મૈઈતૈઈ સમાજ વચ્ચે ગયા વર્ષથી હિંસા ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે હિંસાની આગ પાટનગર ઇમ્ફાલ સુધી પહોંચી ગઈ હતી અને ટોળાંએ ઘણાં નેતાઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. જેના કારણે અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ટોળાંએ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના ખાનગી નિવાસસ્થાને પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિને જોતા ઈમ્ફાલના પૂર્વ અને પશ્ચિમ સહિત 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે આજે મણિપુરની સરકારમાં રહેલી નેશનલ પિપલ્સ પાર્ટીએ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. છેલ્લાં ઘણાં સમયથી અહીં ચાલી રહેલી હિંસાની ઘટનાઓ છતાં પીએમ મોદી એકવાર પણ મણિપુરની મુલાકાતે નથી ગયા. જેના કારણે તેઓ સતત વિપક્ષના નિશાન પર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/victims-of-manipur-violence-have-not-yet-received-full-cpmpensation">મણિપુર હિંસાના પીડિતોને હજુ સુધી પુરું વળતર મળ્યું નથી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 17 Nov 2024 21:27:25 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 17 Nov 2024 21:27:59 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1564</Articleid>
                    <excerpt>મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે અને પીએમ મોદી વિદેશ પ્રવાસે ગયા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના પર નિશાન સાધ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673a11993b42e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673a119903076.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673a119903076.jpg" length="77330" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Manipur news, Manipur violence</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ નેતાએ બી.એડ. કોલેજ હડપ કરી, હાઈકોર્ટેનો FIR નોંધવા આદેશ</title>
                    <link>https://khabarantar.com/bjp-leader-usurps-b.ed.college-high-court-orders-registration-of-fir</link>
                    <guid>https://khabarantar.com/bjp-leader-usurps-b.ed.college-high-court-orders-registration-of-fir</guid>
                    <description>
                        <![CDATA[ બનાસકાંઠા જિલ્લા ભાજપના નેતા સામે રૂ. ૬૦ લાખની છેતરપિંડી-ઠગાઇ મામલે એફઆઇઆર નોંધવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાલનપુરની ઉમિયા બીએડ કોલેજ પાલનપુર હડપ કરવાના મામલે હાઇકોર્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ભાજપના નેતા સામે છેતરપિંડી અને ઠગાઇની એફઆઇઆર નોંધવા માટે આદેશ કર્યો છે. જે અંગે પાલનપુર પૂર્વ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લા ભાજપના મોટા નેતા ગણાતા અને અરવલ્લી જિલ્લા ભાજપના પ્રભારી ગિરીશ જેઠાભાઇ જગાણિયા સામે પાલનપુરની ઉમિયા બીએડ કોલેજ પચાવી પાડવા અંગે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ પાલનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ડૉ. ભરતભાઈએ આરોપી ગિરીશ જગાણિયા સામે એવી ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ગિરીશ જગાણિયાએ ડૉ. ભરત બાન્ટિયાને રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને બંધ પડેલી ઉમિયા બીએડ કોલેજ ચલાવવા માટે કુલમુખત્યારનામું કરી આપ્યું હતું. ત્યાર બાદ ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ બીએડ કોલેજને શરૂ કરવા માટે સમયાંતરે રૂ. ૬૦ લાખથી વધુનો ખર્ચ કર્યો હતો. જેના કારણે ઉમિયા બીએડ કોલેજ સારી ચાલવા લાગી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉમિયા બીએડ કોલેજ સારી ચાલવા લાગતાં ગિરીશ જગાણિયાએ કોલેજનો વહીવટ પડાવી લેવા માટે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયા સાથે કરેલા કરારનો ભાગ કર્યો હતો. એટલું જ નહીં, ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ કોલેજ શરૂ કરવા માટે તેમજ અન્ય બાબતો માટે કરેલા ખર્ચ પેટેના રૂ. ૬૦ લાખની રકમ પરત આપી ન હતી. આમ કરીને ગિરીશ જગાણિયાએ ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયા સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જે તે સમયે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ પોલીસ ફરિયાદ કરવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ તે સમયે પોલીસ દ્વારા ગિરીશ જગાણિયા સામે ફરિયાદ લેવામાં આવી ન હતી. જેના કારણે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ મામલે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેમાં હાઈકોર્ટે સ્પષ્ટ અને કડક શબ્દોમાં ગિરીશ જગાણિયા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ કર્યો હતો. જેના અંતર્ગત પાલનપુર પોલીસ દ્વારા ભાજપના નેતા ગિરીશ જગાણિયા સામે રૂ. ૬૦ લાખની છેતરપિંડી અને ઠગાઇની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-mp-damoh-bjp-leader-threatens-to-kill-obc-woman-rapist">ભાજપ નેતાએ OBC મહિલા સાથે દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 17 Nov 2024 20:55:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1563</Articleid>
                    <excerpt>બનાસકાંઠા જિલ્લા ભાજપના નેતા સામે રૂ. ૬૦ લાખની છેતરપિંડી-ઠગાઇ મામલે એફઆઇઆર નોંધવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673a095cb4324.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673a095c7edaf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673a095c7edaf.jpg" length="64377" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Palanpur b.ed college, umiya b ed college palanpur</media:keywords>
                </item>
                        <item>
                    <title>કુંભમેળામાં 370 દલિત સંતોને મહામંડળેશ્વર, મંડળેશ્વર, પીઠાધિશ્વર બનાવાશે</title>
                    <link>https://khabarantar.com/370-dalit-saints-to-be-made-mahamandaleshwar-mandaleshwar-peethadhishwar-at-kumbh-mela</link>
                    <guid>https://khabarantar.com/370-dalit-saints-to-be-made-mahamandaleshwar-mandaleshwar-peethadhishwar-at-kumbh-mela</guid>
                    <description>
                        <![CDATA[ દલિતોને બુદ્ધ અને આંબેડકરી વિચારધારા તરફ આગળ વધતા રોકવા RSS ના ઈશારે નવો આઈડિયા અમલમાં મૂકવાની તૈયારીઓ થઈ ચૂકી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં સમય જતા બહુજન સમાજના વધુને વધુ લોકો ડો. આંબેડકરના રસ્તે ચાલીને શિક્ષિત, સંગઠિત બનીને સમાજ માટે સંઘર્ષ કરતા થઈ રહ્યાં છે. જેના કારણે જાતિવાદી તત્વોના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે. દલિત-આદિવાસી-ઓબીસી સમાજ કદી એક ના થાય અને તેમનું રાજ કાયમ રહે તે માટે મનુવાદીઓ સમયાંતરે નિતનવા પેંતરાઓ અજમાવતા રહે છે. હાલ દિનપ્રતિદિન બહુજન સમાજ જાતિવાદી હિંદુ ધર્મથી દૂર જઈ રહ્યો છે. મનુવાદી વર્ણવ્યવસ્થા તેમને અન્યાય કરી રહી હોવાનું સમજી ચૂકેલા દલિતો પોતાનું રાજકીય અસ્તિત્વ ઉભું કરવા મથી રહ્યાં છે, જેના કારણે સવર્ણ હિંદુઓ માટે કામ કરતું RSS એક્ટિવ થઈ ગયું છે અને તેણે ફરી દલિતોને હિંદુ ધર્મ સાથે ગમે તે ભોગે જોડી રાખવા નવો પેંતરો અજમાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કુંભમેળાના બહાને દલિત મતો સાધવાનો પેંતરો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ આ વખતે મહાકુંભ 2025ની તૈયારીઓના ભાગરૂપે પ્રયાગરાજમાં હિન્દુ સંતોની પ્રતિષ્ઠિત સંસ્થા જુના અખાડાએ મહાકુંભ દરમિયાન 370 દલિતોને સંત દીક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. આ પગલા પાછળ જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી મહેન્દ્રાનંદ ગીરીનો મોટો ફાળો છે, જેઓ સનાતન ધર્મમાં દલિત સમુદાયને યોગ્ય સ્થાન આપવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. આ આખો પ્લાન સંઘના ઈશારે ગોઠવાયો હોવાનું કહેવાય છે. સૂત્રોના મતે, આરએસએસ માને છે કે, દલિતોને સંતોનો દરજ્જો આપવાથી દલિતોનું હિંદુ ધર્મ સાથેનું જોડાણ મજબૂત બનશે અને એ રીતે ભાજપને સત્તામાં ટકી રહેવામાં મદદ મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સંઘના ઈશારે અખાડાઓએ રાજકીય દાવ ખેલ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જૂના અખાડાના વડા સ્વામી મહેન્દ્રાનંદ ગિરીએ જણાવ્યું હતું કે સંત સમાજમાં દલિત સમાજને સન્માન અને અધિકાર આપવાના હેતુથી આ પહેલ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં જાતિ કે વર્ગના આધારે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. દલિતોને સંતની દીક્ષા આપવાથી સમાજમાં સકારાત્મક સંદેશ જશે કે કોઈપણ જ્ઞાતિની વ્યક્તિ ધર્મની સેવા કરવાને પાત્ર છે. આ પહેલમાં કુલ 907 લોકોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 370 દલિત છે. આ તમામ દલિતોને મહાકુંભ દરમિયાન સંત તરીકે માન્યતા આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં સવાલ એ થાય કે કોણ સંત હશે અને કોણ નહીં, તે જે તે વ્યક્તિના ચરિત્ર, આચરણ અને વાણી-વર્તન પરથી નક્કી થાય, જૂના અખાડા કોણ છે એ નક્કી કરનાર કે કોણ સંત છે અને કોણ નહીં? તેઓ કોણ છે સંત તરીકેની પદવી આપનાર, તેમને આ ઓથોરિટી કોણે અને ક્યારે આપી? આ સવાલના જવાબો અંગે દલિતો વિચારી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવનિયુક્ત સંતોને વિવિધ જવાબદારીઓ સોંપાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નવનિયુક્ત દલિત સંતોને મહાકુંભમાં વિવિધ હોદ્દાઓ અને જવાબદારીઓ આપવામાં આવશે, જે સમાજમાં તેમની ભૂમિકાને મજબૂત બનાવશે. જેમાં મહામંડલેશ્વર, મંડલેશ્વર, મહંત, પીઠાધીશ્વર, શ્રીમહંત, થાનાપતિ સહિત અનેક મહત્વપૂર્ણ પદોનો સમાવેશ થશે. આનાથી દલિતોને તેમના ધર્મમાં સમાન રીતે સેવા અને યોગદાન આપવાની તક મળશે અને તેમનું આત્મસન્માન પણ વધશે</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાધુ સંતોને કોણ સમજાવે કે દલિતો ધર્મની સેવા કરવા નથી માંગતા, તેમને સારું શિક્ષણ, રોજગારી અને સન્માનજનક જીવન જોઈએ છે અને તે વર્ણવ્યવસ્થાથી ગ્રસ્ત હિંદુ ધર્મમાં તેમને કદી મળી શકે તેમ નથી. દરરોજ તેમના પર જાતિ આધારિત ભેદભાવ રાખી માર મારવામાં આવે છે, તેમની સાથે આભડછેટ પાળવામાં આવે છે. આ સંતો આભડછેટ દૂર કરવાનું વિચારતા નથી, તેના માટે સવર્ણોને સુધારવાની કોઈ ચળવળ કે આંદોલન ચલાવતા નથી અને દલિતોને હિંદુ ધર્મની સેવા કરવાની તક આપવાની વાતો કરી ભ્રમમાં નાખે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પહેલ પાછળ અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી હરિગિરિનું માર્ગદર્શન રહેલું છે. તેમણે સ્વામી મહેન્દ્રાનંદ ગિરીને આ પગલું ભરવા કહ્યું છે. તેમનું માનવું છે કે ધર્મના પ્રસારમાં દલિતોને પણ એવું જ સન્માન મળવું જોઈએ જેવું અન્ય સંતોને મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૌજગીરી આશ્રમ દલિત સંત સમાજને વિસ્તારવા મથી રહ્યો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લગભગ ચાર મહિના પહેલા દલિત સમાજમાંથી આવતા કૈલાશાનંદને મૌજગીરી આશ્રમમાં મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું હતું. સ્વામી મહેન્દ્રાનંદ ગિરીએ જણાવ્યું કે આવી જ રીતે હવે મહાકુંભ દરમિયાન 370 દલિતોને સંત દીક્ષા આપવામાં આવશે. આ પહેલ દલિત સમુદાયને ધર્મના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો પ્રયાસ છે અને સમાજમાં તેમના યોગદાનને વધુ સન્માન આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધર્મમાં સમરસતાની ભેળસેળ અને સત્તાનો સ્વાર્થ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાકુંભ દરમિયાન દલિત સમાજને સંતની પદવી આપવાનો નિર્ણય સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. સંઘ અને ભાજપ સાથે જોડાયેલા અખાડાના સંતોનું માનવું છે કે, આવું કરવાથી દલિતોમાં હિંદુ ધર્મ પ્રત્યે એક સકારાત્મક સંદેશ જશે કે આ ધર્મ કોઈ ચોક્કસ જાતિ માટે નથી પરંતુ દરેક માટે છે. સંત સમાજમાં દલિત સમાજને સામેલ કરીને તેમને એક મહત્વની ઓળખ આપવામાં આવી રહી છે. તેની પાછળ લાંબા ગાળાનું આયોજન છે. આ દલિત સંતોને અખાડાઓ સંઘના ઈશારે જે દલિત વિસ્તારો ભાજપ-સંઘની વિચારધારાની અલગ મત ધરાવે છે ત્યાં પ્રવાસે મોકલશે અને ત્યાં તેઓ હિંદુ ધર્મનો પ્રચાર કરી દલિતોને હિંદુત્વ તરફ વાળવા પ્રયત્ન કરશે. એ રીતે હિંદુત્વની વોટબેંકને સાધવામાં આવશે અને બહુજન રાજનીતિના મજબૂત થઈ રહેલા ગઢમાં ગાબડાં પાડવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોને નહીં, સમજાવવાની જરૂર સવર્ણોને છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખાડાઓનું માનવું છે કે, આ પહેલ આગામી સમયમાં સમાજમાં જાતિ આધારિત ભેદભાવ ઘટાડવામાં મદદ કરશે. 370 દલિતોને સંતની પદવી આપવાથી ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સમરસતાની દિશામાં પણ મોટું પરિવર્તન આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આધારભૂત સૂત્રોના મતે, અખાડાના આ સંતોની પહેલને લઈને મીડિયામાં ભલે સમરસતાના દાવાઓ થઈ રહ્યાં હોય પરંતુ આખો મામલો દલિતોને હિંદુત્વ સાથે જોડી રાખવાનો છે. હાલ વધુને વધુ દલિતોનો ભાજપ-સંઘની જાતિવાદી રાજનીતિથી મોહભંગ થઈ રહ્યો છે. જે રીતે એસસી-એસટી એક્ટમાં ક્રિમીલેયર લાગુ કરાયું, તેમની અનામતમાં ભાગલા પડાયા, અનામતનો ક્વોટા ભરવામાં નથી આવતો, સરકારી ધંધા સંઘ સાથે જોડાયેલા સવર્ણ કોન્ટ્રાક્ટરોને આપી દલિતો-આદિવાસીઓની અનામતને ખતમ કરી દેવાઈ આ આખી ગેમ દલિતો સમજતા થઈ ગયા છે અને એટલે જ તેઓ ભાજપ-સંઘથી વિમુખ થઈ રહ્યાં છે. ભાજપ કે સંઘના નેતાઓ સીધા દલિતો વચ્ચે જઈને તેમની સાથે રહેવા સમજાવી શકે તેમ નથી. આથી તેમણે હવે દલિત સંતોને આગળ કરવાનો પેંતરો રચ્યો છે. સંઘ જેવા સંગઠનો સવર્ણોને તેમની જાતિવાદી માનસિકતા બદલવા સમજાવતા નથી, તેઓ દલિતો સાથે રખાતી અસ્પૃશ્યતા દૂર કરવા, આંતરજાતિય લગ્નોને પ્રોત્સાહન આપવાથી દૂર રહે છે. ત્યારે જોવાનું એ રહેશે કે દલિતો તેમની આ ચાલને કેવી રીતે લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/if-dalit-monks-are-declared-mahamandaleshwar-the-respect-of-monks-will-decrease">દલિત સાધુઓને મહામંડળેશ્વર જાહેર કરાશે તો સાધુઓનું સન્માન ઘટશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 17 Nov 2024 12:08:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1562</Articleid>
                    <excerpt>દલિતોને બુદ્ધ અને આંબેડકરી વિચારધારા તરફ આગળ વધતા રોકવા RSS ના ઈશારે નવો આઈડિયા અમલમાં મૂકવાની તૈયારીઓ થઈ ચૂકી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67398d7fb90e7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67398d7f79a05.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67398d7f79a05.jpg" length="109728" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Maha kumbh mela 2025, Prayagraj kumbh mela 2025, Kumbh mela</media:keywords>
                </item>
                        <item>
                    <title>પ્રેમની સજા : દલિત યુવકના સાત ટુકડા કરી, ડોલમાં ભરીને ગટરમાં ફેંકી દીધાં</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-murdered-in-mumbais-mira-bhayander-body-cut-into-seven-pieces-and-thrown-into-the-drain</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-murdered-in-mumbais-mira-bhayander-body-cut-into-seven-pieces-and-thrown-into-the-drain</guid>
                    <description>
                        <![CDATA[ યુવક-યુવતી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. લગ્ન કરવા માંગતા, પણ યુવતીના ભાઈએ દલિત યુવકની હત્યા કરી લાશના 7 કટકા કરી ફેંકી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit Lives Matter : મુંબઈમાંથી એક દલિત યુવકની હત્યાનો હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાથી યુવકનો પરિવાર અને આખું ગામ ચોંકી ગયું છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે. ઘટના 31મી ઓક્ટોબરની છે, જ્યારે મોહમ્મદ સત્તાર નામના યુવકે 21 વર્ષના રઘુનંદન પાસવાનને તેના ઘરે બોલાવ્યો અને તેની બહેન સાથે તેને પ્રેમ છે કે નહીં તે કન્ફર્મ કર્યા બાદ તેની ઘાતકી રીતે હત્યા કરી નાખી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">યુવકના શરીરના 7 ટુકડા કરી નાખ્યા</span></strong><br><span style="font-size: 14pt;">દલિત યુવકે જ્યારે સ્વીકાર્યું કે મોહમ્મદની બહેન સાથે તેને પ્રેમ છે અને તે પણ તેને પ્રેમ કરે છે અને બંને લગ્ન કરવા માંગે છે. એ પછી મોહમ્મદ સતારે તેના સાથીઓ સાથે મળીને દલિત યુવક રઘુનંદન પાસવાનની નિર્દયતાથી હત્યા કરી નાખી. એટલું જ નહીં હત્યા બાદ રઘુનંદનની લાશના છરી વડે 7 ટુકડા કરી તેની પેઈન્ટની ખાલી ડોલમાં ભરીને ગોરાઈના નિર્જન વિસ્તારમાં ફેંકી દીધા. મળતી માહિતી મુજબ યુવતીનો ભાઈ મુંબઈમાં બકરાં વેચવાનું કામ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયામાં ઘટના વાયરલ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ સમગ્ર કેસમાં પોલીસે ગુનેગાર મોહમ્મદ સતારની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ તેણે રઘુનંદનના મિત્ર સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની એક તસવીર વાયરલ થઈ છે. એ તસવીર દલિત યુવકના જમણા હાથની છે જેના પર ટેટૂમાં RA લખેલું છે. દલિત યુવકના પિતા જિતેન્દ્ર પાસવાને તેમના પુત્રના શરીરને આ ટેટૂ પરથી ઓળખી કાઢ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “મેં તેને તેના જમણા હાથ પરના “RA” ટેટૂથી ઓળખ્યો હતો. આમાં R રઘુનંદનનો હતો અને A તેની ગર્લફ્રેન્ડના નામનો શરૂઆતનો અક્ષર હતો. જિતેન્દ્ર પાસવાને જણાવ્યું કે તેના પુત્રને પહેલા પણ યુવતીના ભાઈઓ તરફથી ખતરો હતો, તેમણે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિહારના ગામમાં પ્રેમ કહાની શરૂ થઈ હતી</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત યુવક રઘુનંદન અને યુવતી બંને બિહારના દરભંગા જિલ્લાના મણિગાછીના રહેવાસી છે. રઘુનંદન દરભંગાની હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. આ જ ગામમાં રહેતી એક મુસ્લિમ યુવતી તેની ભાભીની સારવાર માટે તે હોસ્પિટલમાં જતી હતી. અહીંથી જ રઘુનંદન અને યુવતી વચ્ચેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. યુવતીનો પરિવાર આ પ્રેમ સંબંધની વિરુદ્ધ હતો. આ મામલે હોબાળો થયો તેથી એક પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રઘુનંદનને પુણે મોકલી દેવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવતનો પરિવાર આઘાતમાં</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે વાત આટલેથી અટકી નહોતી. યુવતીના ભાઈ મોહમ્મદ સતારે રઘુનંદનને મીરા-ભાયંદર બોલાવ્યો અને તેની હત્યા કરી લાશના 7 ટુકડા કરી ઓટોમાં ભરીને અંધારામાં ફેંકી દીધા હતા. દલિત છોકરો અને મુસ્લિમ છોકરી બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ દલિત-મુસ્લિમ વચ્ચેની લડાઈમાં યુવકે જીવ ગુમાવ્યો અને યુવતીએ તેનો પ્રેમ ગુમાવ્યો. રઘુનંદનની આ ઘાતકી હત્યાએ માત્ર તેના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર ગામને આઘાત ધકેલી દીધું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkar-was-ready-to-accept-islam-dalits-would-have-been-muslims-congress-leader">ડો.આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર હતા, તો દલિતો મુસ્લિમ હોતઃ કોંગ્રેસ નેતાનો બફાટ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 17 Nov 2024 10:13:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1561</Articleid>
                    <excerpt>યુવક-યુવતી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. લગ્ન કરવા માંગતા, પણ યુવતીના ભાઈએ દલિત યુવકની હત્યા કરી લાશના 7 કટકા કરી ફેંકી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67397457e0c94.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67397457aa3f9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67397457aa3f9.jpg" length="97572" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit lives Matter, Dalit youth murder, Dalit news, mumbai news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપને મત ન આપતા દલિતોના ઘર સળગાવ્યા, બાબાસાહેબની પ્રતિમા તોડી</title>
                    <link>https://khabarantar.com/houses-of-dalits-who-did-not-vote-for-bjp-were-burnt-down-babasahebs-statue-was-destroyed</link>
                    <guid>https://khabarantar.com/houses-of-dalits-who-did-not-vote-for-bjp-were-burnt-down-babasahebs-statue-was-destroyed</guid>
                    <description>
                        <![CDATA[ મતદાન ન કરવા બદલ ભાજપ સમર્થકોએ દલિતોના ઘરો સળગાવ્યા, પથ્થરમારો કર્યો, બાબાસાહેબની પ્રતિમા પણ તોડી નાખી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થિતિ એ આવીને ઉભી રહી છે કે, આ દેશનું બંધારણ અને કાયદા ઘડનાર, દેશના પ્રથમ કાયદામંત્રી ડો. આંબેડકરની પ્રતિમાને જાતિવાદી તત્વો તોડવા માંડ્યા છે. એક ગામમાં દલિતવાસ પર હુમલો થયો છે, જેમાં કથિત રીતે ભાજપના સમર્થકોએ મત નહીં આપવા બદલ દલિતોના ઘરોને આગ લગાવી દીધી હતી. હુમલખોરોએ દલિતવાસ પર પથ્થરમારો કર્યો અને ડો. આંબેડકરની પ્રતિમાને તોડી નાખી. ચોંકાવનારી વાત એ છે કે, આ દરમિયાન પોલીસની ગાડીઓ ઘટના સ્થળે હાજર હતી, પરંતુ તેમણે કોઈ કાર્યવાહી નહોતી કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના વિજયપુરના ગોહટા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના વિજયપુર જિલ્લાના ગોહટા ગામની છે. અહીં ગામના કેટલાક લોકોએ દલિત સમાજના ઘરો પર હુમલો કર્યો હતો, કારણ કે તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ને મત નહોતો આપ્યો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. હુમલો બુધવારે મોડી રાત્રે થયો હતો. એ વખતે ભાજપ સાથે કથિત રીતે સંકળાયેલા કેટલાક માથાભારે લોકો દલિતવાસમાં ઘૂસી ગયા હતા અને તેમના ઘરોને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ દલિતોના ઘરોમાં તોડફોડ કરી હતી અને અનેક ઝૂંપડીઓને સળગાવી દીધી હતી. આ ઘટના બાદ આ વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મતદાન બાદ દલિતવાસને નિશાન બનાવાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોહટા ગામમાં બનેલી આ ઘટનામાં એક ડઝનથી વધુ માથાભારે તત્વો દલિતવાસમાં ઘૂસી ગયા હતા. તેમણે માત્ર ઘરો જ નહોતા સળગાવ્યા પરંતુ ભારે પથ્થરમારો પણ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ વીજળીના થાંભલા તોડી નાખ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી થાંભલાને ઉખાડી નાખી સમગ્ર દલિતવાસની વીજળી કાપી નાખી હતી. આ ઘટનાથી દલિતોને લાખોનું નુકસાન થયું છે અને તેમનામાં ભયનો માહોલ છે. ગામલોકોએ આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરો ભાજપના સમર્થકો હતા અને ધમકી આપી હતી કે દલિત સમાજે ભાજપને મત ન આપ્યો હોવાથી આ સજા આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડો. આંબેડકરની પ્રતિમા તોડી નાખી, ગામમાં તણાવ વધ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હુમલાખોરોએ ન માત્ર દલિતોના ઘરોને નિશાન બનાવ્યા હતા પરંતુ બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પણ તોડી નાખી હતી. ગામલોકાના કહેવા પ્રમાણે, આ પ્રતિમા દલિત સમાજ માટે આદર અને પ્રેરણાનું પ્રતિક હતી, પરંતુ આરોપીઓએ તેને પણ છોડી નહોતી. આ ઘટના બાદ ગામમાં ભારે આક્રોશ અને નિરાશાનું વાતાવરણ છે, કારણ કે દલિત સમાજ બાબાસાહેબની પ્રતિમાને તોડવાને તેમની ઓળખ અને અધિકારો પર સીધો હુમલો માની રહ્યો છે. બાબાસાહેબની પ્રતિમા તોડ્યા બાદ ગ્રામજનોમાં રોષ વધી ગયો છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસની ગાડીઓ ઘટના સ્થળે હાજર હતી, છતાં કોઈ કાર્યવાહી ન કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે, હુમલાખોરોએ હુમલો કર્યો ત્યારે પોલીસના વાહનો ત્યાં હાજર હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. સ્થાનિકોનું કહેવું છે કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં પોલીસના વાહનો સ્પષ્ટપણે જોઈ શકાય છે, તેમ છતાં અધિકારીઓ આ ઘટના અંગે ખૂલીને બોલવાથી દૂર ભાગી રહ્યાં છે. આ ઘટના બાદ પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતાને કારણે ગામલોકો લાચારી અનુભવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિજયપુરમાં પણ મતદાન દરમિયાન હોબાળો થયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પહેલા પણ વિજયપુરમાં મતદાન દરમિયાન તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ પ્રિસાઇડિંગ ઓફિસર પર હુમલો કરીને મતદાનમાં ભારે અડચણો પેદા કરી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે વહીવટીતંત્રે બંને ઉમેદવારોને નજરકેદ કરી દીધા હતા અને આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી દરમિયાન અહીં ભારે તણાવનો માહોલ હતો જે બાદમાં આ હિંસક ઘટનામાં પરિવર્તિત થઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના બાદ ગામલોકોની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હુમલા બાદ સ્થાનિક તંત્ર પર આકરા સવાલો ઉઠી રહ્યા છે કે તેણે આ મામલે યોગ્ય પગલાં કેમ ન લીધા. દલિતવાસના લોકોએ હવે સુરક્ષાની માંગ કરી છે. આ ઘટનાથી માત્ર વિજયપુરમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં, ખાસ કરીને દલિત સમાજમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસની નિષ્ક્રિયતા અને વહીવટીતંત્રનું મૌન બંને સવાલોના ઘેરામાં છે અને તેનાથી દલિતોની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/brahmins-attack-in-buddha-katha-babasahebs-photo-torn-six-dalit-injured">બુદ્ધ કથામાં બ્રાહ્મણોનો હુમલોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 17 Nov 2024 09:08:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1560</Articleid>
                    <excerpt>મતદાન ન કરવા બદલ ભાજપ સમર્થકોએ દલિતોના ઘરો સળગાવ્યા, પથ્થરમારો કર્યો, બાબાસાહેબની પ્રતિમા પણ તોડી નાખી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673960bb2bb76.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673960bae690f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673960bae690f.jpg" length="82380" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>babasaheb, Bjp, Madhya Pradesh News.Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ટ્રેક્ટર હટાવવા મુદ્દે લોહીયાળ જંગ, ગોળી વાગતા દલિત યુવકનું મોત</title>
                    <link>https://khabarantar.com/bloody-fight-over-tractor-removal-dalit-youth-dies-after-being-shot</link>
                    <guid>https://khabarantar.com/bloody-fight-over-tractor-removal-dalit-youth-dies-after-being-shot</guid>
                    <description>
                        <![CDATA[ દલિતો અને સવર્ણો વચ્ચે એક વર્ષથી બબાલ ચાલતી હતી. 6 મહિના અગાઉ એક દલિત યુવકનું ખૂન થયું હતું, આજે ફરી એક યુવકની હત્યા થઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો દલિતો સાથે માથાકૂટ થાય ત્યારે કાયદો વ્યવસ્થાની જરાય પરવા નથી કરતા. દલિતોની રાજકીય પહોંચ ઓછી હોવાથી તેઓ નિર્દોષ હોવા છતાં તેમને અન્યાય થાય છે. પરિણામે આરોપીઓની હિંમત વધે છે અને તેઓ ફરી દલિતોને સબક શીખવાડવાની તક શોધતા રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના ગઈકાલે ઘટી ગઈ. જેમાં એક ગામમાં દલિતો અને કથિત સવર્ણો સાથે વચ્ચે જૂથ અથડામણ થઈ ગઈ, જેમાં એક દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થઈ ગયું. જ્યારે બીજા અનેક લોકો ઘાયલ થયા છે. મામલો જાતિવાદ અને લુખ્ખાગીરી માટે કુખ્યાત યુપીનો છે. અહીં ગ્રેટર નોઈડામાં ગઈકાલે સવારે રસ્તા પરથી ટ્રેક્ટર હટાવવાના વિવાદને લઈને બે પક્ષો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. રબુપુરાના ભીકનપુર ગામમાં એક પક્ષે દલિતો પર હુમલો કર્યો, જેમાં મારામારી, પથ્થરમારો અને ગોળીબારના કારણે એક દલિત યુવકનું મોત થઈ ગયું. ઘટનાના વિરોધમાં ગામલોકોએ પોલીસ સ્ટેશનમાં હંગામો કર્યો. ગામમાં એક વર્ષથી જાતિગત નફરતની આગ સળગી રહી હતી. અહીં એક વર્ષ પહેલા એક દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી બંને કોમ વચ્ચે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પ્રવર્તે છે. પોલીસે આ મામલે 14 લોકો સામે નામજોગ જ્યારે 12 અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. મારામારી બાદ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજકારણ પણ ભળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું બન્યું હતું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા પ્રમાણે ભીકનપુર ગામનો દલિત યુવક શીશપાલ શુક્રવારે સવારે 6.30 વાગ્યે ટ્રેક્ટર લઈને ખેતર તરફ જઈ રહ્યો હતો. આરોપ છે કે ગામના અન્ય સમાજના વ્યક્તિની કાર રસ્તા વચ્ચે ઉભી હતીય શિશપાલે તેને કાર હટાવવાનું કહ્યું, પરંતુ પેલાએ કાર હટાવવાને બદલે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું અને તેમાં બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ. જ્યારે શિશપાલના પિતા વિજયપાલ આરોપીને આ મામલે ફરિયાદ કરવા પહોંચ્યા તો તેમણે તેને લોખંડના સળિયાથી માર્યો અને તેનું માથું ફોડી નાખ્યું. એટલું જ નહીં, આરોપીઓએ તેમને બચાવવા આવેલા અન્ય લોકો પર પણ હુમલો કર્યો હતો. જોતજોતામાં આખો મામલો જૂથ અથડામણમાં પરિવર્તિત થઈ ગયો હતો. ઘટનામાં કમલ, શનિ અને શરબતી નામના દલિત યુવકો ગોળી વાગવાથી ઘાયલ થયા હતા, જેમાં કમલનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોએ પાંચ કલાક સુધી સૂત્રોચ્ચાર કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીખાનપુર ગામમાં બે પક્ષો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતા ભારે હોબાળો થયો હતો. દલિત સમાજના લોકોએ રબુપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને આરોપીઓની ધરપકડની માંગ સાથે લગભગ પાંચ કલાક સુધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. એ પછી એડિશનલ પોલીસ કમિશનર લો એન્ડ ઓર્ડર શિવ હરિ મીણા ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને શાંત કર્યા.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પોલીસ પર આરોપીઓને છોડી મૂકવાનો આક્ષેપ</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવતા દલિત પક્ષના લોકોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ગામલોકોએ આરોપ છે કે, ગોળીબાર થયાની સૂચના મળતા ગામમાં પહોંચેલી પોલીસની ગાડીએ બે હુમલાખોરોને પકડી લીધા હતા, અને પછી તેમને રસ્તામાં જ છોડી દીધા હતા. જ્યારે તેઓ ઘાયલોને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા તો પોલીસે તેમના પર જ મારામારી કરવાનો આરોપ લગાવ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6738ae463c13b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોળીથી ઘાયલ થયેલા લોકો લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનમાં હાલાકી ભોગવતા રહ્યા, પરંતુ પોલીસ મામલો દબાવવામાં વ્યસ્ત હતી. બાદમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જતી વખતે પોલીસે તેમના પરિવારજનોને સાથે લઈ જવાનો ઈન્કાર કર્યો હતો, જેના કારણે દલિતોએ પોલીસ પર આરોપીઓ સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્યાગી સમાજના ત્રણ આરોપીઓની ધરપકડ કરાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયદો અને વ્યવસ્થા વિભાગના પોલીસ કમિશનર શિવહરી મીણાએ જણાવ્યું હતું કે પીડિત પક્ષની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધ્યો છે. મારામારી દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ અન્ય આરોપીઓની શોધમાં દરોડા પાડી રહી છે. આ મામલામાં કેસ નોંધ્યા પછી પોલીસે ત્રણ ટીમો બનાવી છે, જે ટૂંક સમયમાં નામજોગ આરોપીઓ નીતિન ત્યાગી, નિખિલ ત્યાગી અને આશુ ત્યાગીની ધરપકડ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અગાઉ પણ જૂથ અથડામણમાં હત્યા થઈ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીકનપુર ગામમાં ગયા વર્ષે પણ દલિતો અને આરોપીઓ વચ્ચે જાતીય તંગદિલી સર્જાઈ હતી, જેમાં એક દલિત યુવકની ચાકૂના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતક યુવકના પરિવારજનોએ ગામના અનેક લોકો સામે કેસ કર્યો હતો. આ કેસના આરોપીઓ હજુ પણ જેલમાં છે. આ ઘટનાના પડઘા હજુ શમ્યાં નથી ત્યાં ફરી બબાલ થઈ છે. ગઈકાલે બનેલી ઘટના પાછળ પણ આ જ વિવાદ જવાબદાર હોવાનું મનાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકનો મૃતદેહ દલિતવાસમાં પહોંચતા દલિતોનો રોષ ભભૂકી ઉઠ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકનો મૃતદેહ ગઈકાલે રાત્રે લગભગ 9 વાગે ગામમાં પહોંચ્યો હતો, એ વખતે દલિત સમાજના લોકો રોષે ભરાયા હતા અને બદલો લેવા માટે આરોપીના ઘર તરફ આગળ વધ્યાં હતા. પરંતુ પોલીસે કોઈક રીતે તેમને અટકાવ્યા હતા. દલિત સમાજના લોકોએ ન્યાયની સાથે મૃતકના પરિવારને આર્થિક મદદની માંગ કરી છે. પોલીસ અને કેટલાક રાજકીય લોકોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા દરમિયાનગીરી કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હજુ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિકારીઓએ આર્થિક મદદની ખાતરી આપી, જેના કારણે લોકો શાંત થયા હતા. ત્યારબાદ પોલીસે યુવકના અંતિમ સંસ્કાર કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિવારે રાત્રિનો સમય હોવાનું કહીને અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી હતી. આજે સવારે દલિત યુવકના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જો કે, હજુ પણ ગામમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે અને ગમે ત્યારે પરિસ્થિતિ વણસી શકે તેમ હોવાથી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/bloody-war-over-installation-of-dr-ambedkars-statue-8-dalits-injured">ડૉ. આંબેડકરની પ્રતિમા લગાવવા મુદ્દે લોહીયાળ જંગ, 8 દલિતો ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 16 Nov 2024 20:13:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1559</Articleid>
                    <excerpt>દલિતો અને સવર્ણો વચ્ચે એક વર્ષથી બબાલ ચાલતી હતી. 6 મહિના અગાઉ એક દલિત યુવકનું ખૂન થયું હતું, આજે ફરી એક યુવકની હત્યા થઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6738ae2210127.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6738ae21d171e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6738ae21d171e.jpg" length="130856" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit youth murder, Greater Noida, Noida News, Dalit Crime News</media:keywords>
                </item>
                        <item>
                    <title>કચ્છના 8 ગામોમાં દલિતોને 147 એકર જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપાયો</title>
                    <link>https://khabarantar.com/direct-possession-of-147-acres-of-land-given-to-dalits-in-8-villages-of-kutch</link>
                    <guid>https://khabarantar.com/direct-possession-of-147-acres-of-land-given-to-dalits-in-8-villages-of-kutch</guid>
                    <description>
                        <![CDATA[ આ જમીનો પર વર્ષોથી માથાભારે તત્વો કબ્જો જમાવીને બેસી ગયા હતા. પણ સામાજિક કાર્યકરોની અથાગ મહેનતને કારણે જમીન પરત મળી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છમાં માથાભારે તત્વો દ્વારા વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓ કે સ્થાનિક દલિતોને સરકારી ધોરણે કાયદેસર રીતે ફાળવવામાં આવેલી હજારો એકર જમીનો પડાવી લેવામાં આવી છે. અનેક સરકારો આવીને ગઈ પણ જાતિવાદી તત્વો આ જમીનો પર કાળોતરા નાગની જેમ અડિંગો જમાવીને બેસી ગયા હતા. દલિત સમાજના લોકો જો તેમના હકની આ જમીનોની માંગ કરવા જાય તો આ તત્વો દાદાગીરી પર ઉતરી આવતા હતા. પણ હવે અનુસૂચિત જાતિ સમાજના સક્રિય આગેવાનોની મહેનતને કારણે ધીરેધીરે આ જમીનો તેના અસલી લાભાર્થીઓ એવા દલિત સમાજના લોકો અને મંડળીઓને મળી રહી છે. હાલમાં જ આ રીતે વધુ 8 ગામોમાં કુલ 147 એકર જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને કબ્જા પાવતી સાથે સોંપવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગાંધીનગર સુધી રજૂઆત કરાઈ હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના સામાજિક કાર્યકરો દ્વારા આ મામલે છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી સૂચના અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાની દરમિયાનગીરીથી તાત્કાલિક માથાભારે તત્વો દ્વારા દબાવી રાખવામાં આવેલી આ જમીનોની વિગતો માંગવામાં આવી હતી અને સ્થાનિક તંત્રને આ જમીનો તેના અસલી માલિકો એવા દલિતોને સોંપી દેવા આદેશ કરાયો હતો. જેનો હવે ધીરેધીરે અમલ થઈ રહ્યો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673881c772a7a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટરની સૂચનાથી તા. 13-14 નવેમ્બરના રોજ ભચાઉ પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી મંડળીની જમીનો અહીંના સુખપર, મોરગર, વાકિયા, લાખાપર, ધોળાવીરા, જમાણ, નારણસીરી, શિકારપુર સહિતના 8 ગામોમાં અલગ અલગ રેવન્યૂ સર્વે નંબર મળીને કુલ 147 એકર ગુંઠા જેટલી જમીન ખૂલ્લી કરાવી, તેમાં ડીઆઈએલઆર ભૂજની ટીમ દ્વારા સ્થળ પર જઈ ચતુર્દિશા નક્કી કરી કાયમી ખૂંટ ખોડીને અનુસૂચિત જાતિ સમાજની મંડળીના પ્રમુખ વીરજભાઈ દાફડા અને ગામના સભાસદોને સોંપણી કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંડળીના પ્રમુખ શું કહે છે?</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6738824937b63.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભચાઉ અનુસૂચિત જાતિ ખેતી મંડળીના પ્રમુખ વીરજીભાઈ દાફડાએ ખબરઅંતર.કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "મુખ્યમંત્રીની સીધી સૂચના બાદ સાંસદશ્રીના સક્રિય પ્રયાસોને કારણે આજે અમને વર્ષોથી માથાભારે તત્વોએ દબાવી રાખેલી જમીનોનો પ્રત્યક્ષ કબ્જો મળી શક્યો છે. ભચાઉ મામલતદારે તા. 13 નવેમ્બર 2024 થી 5 ડિસેમ્બર 2024 સુધીમાં તમામ બાકી રહેતી જમીનોના પ્રત્યક્ષ કબ્જા સ્થળ પર સોંપવામાં આવશે તેમ જણાવ્યું છે. કચ્છ જિલ્લામાં કાર્યરત અનુસૂચિત જાતિની મંડળીઓની જમીનોના સ્થળ પર કબ્જા મળે તેના માટે સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી અને નીલ વિંઝોડા વર્ષોથી સતત લેખિત-મૌખિક રજૂઆતો કરતા હતા. આ બંને કાર્યકરોની રાતદિવસની મહેનત અને પ્રયાસો તથા સાંસદ વિનોદ ચાવડાના માર્ગદર્શનને કારણે આ કામગીરી ઝડપી બની છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાકીની મંડળીઓને પણ ટૂંક સમયમાં જમીન સોંપાશે</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6738819f8bbfd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલન કરી આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં કાર્યરત અનુસૂચિત જાતિ ખેતી મંડળીની બાકી રહેતી તમામ જમીનોના પ્રત્યક્ષ કબ્જા, હિસ્સા માપણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. ટૂંક સમયમાં રાપર તાલુકા અનુસૂચિત જાતિ ખેતી મંડળીની ગેડી ગામે આવેલી જમીન પર પણ કબ્જા સોંપણી, હિસ્સા માપણી અને ખૂંટ ખોડી જમીન બતાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ સિવાય ભૂજ તાલુકા અનુસૂચિત જાતિની મંડળીની જમીનો પૈકી કનૈયાબે, કુમરીયા અને ધ્રંગ સહિત ચાર ગામમાં પણ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીનોના પ્રત્યક્ષ કબ્જા સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંડળીના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6738825bd3d18.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી મંડળીને જમીનોના પ્રત્યક્ષ કબ્જાની સોંપણી વખતે મંડળીના પ્રમુખ વિરજીભાઈ દાફડા, સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી, નીલ વિંઝોડા, ભીમા કોરેગાંવના પ્રમુખ સુરેશભાઈ કાઠેચા, સુરેશભાઈ વાઘેલા, વિશાલભાઈ પંડ્યા, અજય મહેશ્વરી, હરીભાઈ પરમાર, લખુભાઈ વાઘેલા, હંસાબેન ચાવડા, પારૂબેન લૌયા, સંજુભાઈ ભોઈયા, રમેશભાઈ દાફડા, ભચાઉ મામલતદાર, સર્વેયરો, સ્થાનિક તલાટી મંત્રી તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર પણ જોડાયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીની મહેનત રંગ લાવી</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673882047a968.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કચ્છના સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી પક્ષાપક્ષીના રાજકારણમાં પડ્યાં વિના વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજ માટે જમીની લેવલે કામ કરી રહ્યાં છે. અગાઉ તેઓ આ જમીનોના મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાને પણ રજૂઆત કરી ચૂક્યા છે. હાલમાં એસસી-એસટી પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયરના મુદ્દે પણ તેમણે ખૂલીને વિરોધ કર્યો હતો. સામાન્ય રીતે સત્તાપક્ષ સાથે જોડાયેલી વ્યક્તિ પક્ષ સામે પડવાથી ડરતી હોય છે. પરંતુ નરેશ મહેશ્વરી કોઈની પણ પરવા કર્યા વિના માત્ર અનુસૂચિત જાતિ સમાજને વફાદાર રહીને કામ કરતા રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/direct-possession-of-50-acres-of-land-in-kachchh-was-handed-over-to-scheduled-caste-societies"> કચ્છમાં 50 એકર જમીનનો પ્રત્યક્ષ કબજો અનુસૂચિત જાતિની મંડળીઓને સોંપાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 16 Nov 2024 17:04:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1558</Articleid>
                    <excerpt>આ જમીનો પર વર્ષોથી માથાભારે તત્વો કબ્જો જમાવીને બેસી ગયા હતા. પણ સામાજિક કાર્યકરોની અથાગ મહેનતને કારણે જમીન પરત મળી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67388184aef11.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6738818476e14.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6738818476e14.jpg" length="145619" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bhachau Scheduled Caste Agriculture Society, Dalit Land</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજપૂત પરિવારે વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન પોતાના ઘરે કરાવ્યા</title>
                    <link>https://khabarantar.com/rajput-family-gets-valmiki-community-daudhter-married-at-their-home</link>
                    <guid>https://khabarantar.com/rajput-family-gets-valmiki-community-daudhter-married-at-their-home</guid>
                    <description>
                        <![CDATA[ આભડછેટ-જાતિવાદને તોડતી ઘટના. આખું ગામ દીકરીના લગ્નમાં સહભાગી થયું. દરેકે કોઈને કોઈ ભેટસોગાદો આપી.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાન તેની જાતિવાદી માનસિકતા અને મહિલા અત્યાચારો માટે કુખ્યાત છે. મહિલાઓ માટે રીતસર નર્ક મનાતા આ પ્રદેશમાં એક મજાની ઘટના બની છે. જાતિવાદી માનસિકતા ધરાવતા આ રાજ્યમાં જાતિવાદ અને આભડછેટના છોતરાં કાઢી નાખતી એક ઘટના ઘટી છે, જ્યાં એક વાલ્મિકી પરિવારની દીકરીના લગ્ન ગામના રાજપૂત પરિવારના ઘરે થયા હતા. દીકરીના લગ્નથી માંડીને તમામ રીતિરિવાજો રાજપૂત પરિવારના ઘરમાં થયા હતા. લગ્નનો તમામ ખર્ચ રાજપૂત પરિવારે ઉપાડી લીધો હતો અને સમગ્ર ગામ આ લગ્નમાં સહભાગી થયું હતું અને દીકરીને યથાશક્તિ ભેટ પણ આપી હતી. જ્યારે રાજપૂત પરિવારના આંગણામાંથી દલિત દીકરીની ડોલી ઉઠી ત્યારે સૌ કોઈની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનના બાલોતરાના નાગાણા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બાડમેર પાસેના બાલોતરા જિલ્લાના નાગાણા ગામની છે. જ્યાં એક વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન ગામના રાજપૂત પરિવારે પોતાના ઘરે યોજ્યા હતા. આ ઘટના એટલા માટે મહત્વની છે કેમ કે, રાજસ્થાનમાં આજે પણ અનેક ગામોમાં દલિત વરરાજાને ઘોડી પર બેસીને પરણવા જવા માટે પોલીસ સુરક્ષા માંગવી પડે છે, નજીવી બાબતમાં દલિતોને માર મારવામાં આવે છે, હત્યા પણ થઈ જાય છે. આવી મોટાભાગની ઘટનાઓમાં કથિત ઉચ્ચ જાતિના લોકો સામેલ હોય છે. ત્યારે આ ઘટનાએ સૌને સુખદ આંચકો આપ્યો છે. અહીં રાજપૂત પરિવારે દલિત દીકરીના લગ્ન પોતાના આંગણે યોજીને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું જેની પહેલની ચોતરફ પ્રશંસા થઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સજ્જનસિંહે લગ્નનો તમામ ખર્ચ ઉપાડ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, નાગાણા ગામના સજ્જનસિંહ રાવલે પોતાના ઘરે દલિત દીકરીના લગ્ન કરાવ્યા હતા. આ સમગ્ર લગ્નનો ખર્ચ પણ સજ્જન સિંહે ઉઠાવ્યો હતો. આ લગ્નમાં રાજપૂત પરિવાર સાથે આખું ગામ સામેલ થયું હતું. અહીં વાલ્મિકી સમાજના જસારામ વાલ્મિકીની પુત્રી કુસુમલતાના બે દિવસ પહેલા લગ્ન થયા હતા. કુસુમલતા સાથે લગ્ન કરવા આવેલો વર સંજય કુમાર નાગૌરનો રહેવાસી છે અને જાન પણ નાગૌરથી જ આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સજ્જનસિંહે અને તેમના પત્નીએ કન્યાદાન કર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામના રાજપૂત સજ્જન સિંહે કુસુમલતાના પરિવારને વિનંતી કરી હતી કે તેઓ તેના લગ્ન પોતાના ઘરે કરવા પરવાનગી આપે. જેને કુસુમલતાના પરિવારે ખુશીથી સ્વીકારી લીધો હતો. ત્યારપછી લગ્નની તમામ વિધિ સજ્જન સિંહના ઘરે જ થઈ હતી. એટલું જ નહીં, તેમણે અને તેમના પત્નીએ દીકરીના લગ્નનની તમામ વિધિ કરી હતી. સજ્જનસિંહે દીકરીના પરિવાર સાથે કન્યાદાન પણ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજપૂત પરિવારે વરરાજાને જાતે ઘોડી પર બેસાડી ઓવારણાં લીધાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાગૌરથી આવેલી જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વરરાજાને ઘોડી પર બેસાડીને તોરણ વંદન કરાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં રાજપૂત પરિવારની મહિલાઓ-દીકરીઓએ વરરાજાનું સ્વાગત કરી ઓવારણાં પણ લીધાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સજ્જન સિંહ કહે છે, "મારા ઘરે વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન થયા એ સૌભાગ્યની વાત છે. અસ્પૃશ્યતાનો ત્યાગ કરવો જોઈએ અને સમગ્ર દેશમાં પરસ્પર ભાઈચારો અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવું જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અજમેરમાં પણ આવી સુખદ ઘટના બની હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ અજમેરમાં પણ આવી જ પહેલ કરવામાં આવી હતી. જ્યાં એક દલિત દીકરીના લગ્ન દરમિયાન રાજપૂત સમાજ દ્વારા ઘોડી પર બિંદૌલી કાઢવામાં આવી હતી. રાજપૂત સમાજના પ્રબુદ્ધ લોકોએ દલિત દીકરીની ઘોડીની લગામ પકડી રાખી હતી. હવે પશ્ચિમી રાજસ્થાન, જે ભારે જાતિવાદી વિસ્તાર ગણાય છે ત્યાં એક રાજપૂતના ઘરે દલિત દીકરીના લગ્ન થવાથી એક નવો ચીલો ચાતરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/The-Thakor-Samaj-of-Charadu-village-in-Kalol-filled-the-marriage-of-Valmiki-Samajs-daughter">કલોલના ચરાડુ ગામના ઠાકોર સમાજે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 16 Nov 2024 14:44:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1557</Articleid>
                    <excerpt>આભડછેટ-જાતિવાદને તોડતી ઘટના. આખું ગામ દીકરીના લગ્નમાં સહભાગી થયું. દરેકે કોઈને કોઈ ભેટસોગાદો આપી. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67386200efa02.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67386200be30e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67386200be30e.jpg" length="85560" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rajput family, Valmiki community</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢમાં સસરાએ પુત્રવધુના બૌદ્ધ વિધિથી પુનઃ લગ્ન કરાવ્યા</title>
                    <link>https://khabarantar.com/in-junagadh-father-in-law-remarries-daughter-in-law-through-buddhist-rituals</link>
                    <guid>https://khabarantar.com/in-junagadh-father-in-law-remarries-daughter-in-law-through-buddhist-rituals</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતના દલિત-બહુજન સમાજમાં કદાચ આ પહેલો પ્રસંગ છે, જેમાં સાસરિયાએ પુત્રવધુના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેના બૌદ્ધવિધિથી પુનઃલગ્ન કરાવ્યા હોય. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી નીકળીને કંઈક નવો ચિલો ચાતરવો દરેકના હાથની વાત નથી. તેના માટે મક્કમ મનોબળ સાથે સમાજ સામે પડીને પ્રગતિશીલ વિચારને અમલમાં મૂકવા માટેની તૈયારી રાખવી પડે. ભારતમાં બાળકીઓને દૂધ પીતી કરી દેવી, સતી પ્રથા અને વિધવા વિવાહ નિષેધ જેવા કુરિવાજોએ વર્ષો સુધી સમાજમાં જડ ઘાલી દીધી હતી. પણ સમાજ સુધારકોએ તેનો વિરોધ કર્યો અને ધીરે ધીરે આ કુપ્રથાઓ બંધ થઈ. એ વાત જુદી છે કે, એકવીસમી સદીમાં બાળકીઓને દૂધ પીતી નથી કરાતી પરંતુ ગર્ભમાં જ મારી નાખવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. દીકરીઓ માટે સમાજના નિયમો વધુને વધુ કડક બનતા જાય છે. એમાં પણ પુત્રવધુ માટે તો તેણે શું ખાવું, પીવું, પહેરવું, ઓઢવુંથી લઈને કોની સાથે કેવી રીતે વર્તવું ત્યાં સુધીના બંધનો છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ સાસુ-સસરા તેમની પુત્રવધુના પુનઃલગ્ન કરાવે તો તમે શું માનો?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહુજન સમાજને ગર્વ થાય તેવી ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલીવારમાં માનવામાં ન આવે તેવી આ ઘટના જૂનાગઢજિલ્લામાં બની છે. અહીં એક દલિત-બહુજન પરિવારે તેમના એકના એક દીકરાનું અચાનક અવસાન થતા પુત્રવધુના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજીખુશીથી તેના પુનઃલગ્ન કરાવ્યા હતા. એટલું જ નહીં તેનો તમામ ખર્ચ પણ પોતે ઉપાડ્યો હતો. આ ઘટનાએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં દલિત-બહુજન સમાજનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. ગુજરાતમાં કદાચ આ પહેલો એવો પ્રસંગ છે જેમાં કોઈ દલિત-બહુજન પરિવારે તેમની પુત્રવધુના લગ્ન કરાવ્યા હોય અને એ પણ બૌદ્ધ રીતિરિવાજોથી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673842f5b3fc7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની મળતી માહિતી મુજબ જૂનાગઢના નાની ખોડિયાર ગામના વતની અને આરોગ્ય વિભાગમાં નોકરી કરીને નિવૃત્ત થયેલા કર્મચારી મનસુખભાઈ પરમારના એકના એક પુત્ર સુનીલનું ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું, જેના કારણે પરિવારનો માળો વેરવિખેર થઈ ગયો હતો. જો કે પ્રગતિશીલ વિચારો ધરાવતા મનસુખભાઈએ પ્રકૃતિને ગમ્યું તે ખરું તેમ માનીને યુવાનવયે વિધવા થયેલા પુત્રવધુના ભવિષ્યની ચિંતા કરીને તેમના પુનઃલગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘટનાની નોંધ લેવાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ રીતે તેમણે ગત તા. 8 નવેમ્બર 2024ના રોજ તાલાળા તાલુકાના ચિત્રાવડ ગામના વતની અને સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા પ્રકાશકુમાર આમલ સાથે પુત્રવધુ કિરણના બૌદ્ધ સંસ્કારથી પુનઃલગ્ન કરાવી સમાજમાં એક આગવો દાખલો બેસાડ્યો હતો. મનસુખભાઈએ નવદંપતીને આશીર્વાદ આપી જે રીતે બાપ દીકરીને સાસરે વળાવે તેમ કાળજે પત્થર મૂકી પોતાની પુત્રવધૂને સાસરે વળાવી હતી. ઉલ્લેખનીય છે કે, દલિત બહુજન સમાજમાં કદાચ આ પહેલો એવો પ્રસંગ છે, જેમાં કોઈ સાસરિયાએ તેમની વિધવા પુત્રવધુના પુનઃલગ્ન કરાવ્યા હોય.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673843109196d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દલિત બહુજન સમાજમાં મનસુખભાઈ પરમાર અને તેમના પરિવારના સરાહનિય, હિંમતભર્યા અને પ્રેરણાદાયી નિર્ણયની પ્રશંસા થઈ રહી છે અને બહુજન સમાજ તેમને અભિનંદન પાઠવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સસરા મનસુખભાઈ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખબરઅંતર.કોમ સાથે સમગ્ર મામલે વિસ્તારથી વાત કરતા ડૉ. મનસુખભાઈ પરમાર કહે છે, "મારું મૂળ વતન જૂનાગઢના મેંદરડા તાલુકાનું નાની ખોડીયાર ગામ છે અને હાલ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી એન્જલ પાર્ક સોસાયટીમાં રહું છું. વર્ષ 2022માં જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આરોગ્ય વિભાગમાં વહીવટી ખાતામાં સર્વિસ કચેરી અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થયા બાદ ત્યાં ફરી ત્યાં જ કરાર આધારિત સેવા આપી રહ્યો છું. મારા પુત્ર સુનીલના વર્ષ 2011માં લગ્ન થયા હતા. તેનું 1-8-2022ના રોજ ડેન્ગ્યૂના કારણે અવસાન થયું હતું. તેને રૂહી નામની 8 વર્ષની દીકરી છે. સુનીલના પત્ની કિરણ બે વર્ષથી અમારી સાથે જ રહેતા હતા. પણ અમારાથી તેમનું દુઃખ જોવાતું નહોતું. મને સતત એવું લાગતું હતું કે, પુત્રના જવાથી અમારી જિંદગીથી બગડી છે, પણ પુત્રવધુની જિંદગી પણ અમે બગાડી રહ્યાં છે. આથી અમે તેમના માતાપિતા સાથે વાત કરી, પુત્રવધુ કિરણને વિશ્વાસમાં લઈને પુનઃલગ્ન માટે મનાવ્યા. એ પછી મેં તેમના માટે યોગ્ય પાત્રની શોધ શરૂ કરી. એમાંથી ચિત્રાવડના પ્રકાશકુમાર આમલનો સંપર્ક થયો. તેમના પત્નીનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. તેમની સ્થિતિ પણ અમારા જેવી જ હતી. તેમના પ્રગતિશીલ વિચારો અમારા પરિવાર સાથે અને પુત્રવધુ કિરણ સાથે સારા મેળ ખાતા હોવાથી આખરે અમે આ લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને 8 નવેમ્બર 2024ના રોજ પુત્રવધુ કિરણના પ્રકાશકુમાર સાથે લગ્ન કરાવ્યા."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મનસુખભાઈ નાનપણથી બુદ્ધ-આંબેડકરને અનુસરે છે</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6738432e1a6f3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પુત્રવધુના પુનઃલગ્ન કરાવનાર મનસુખભાઈ પરમાર જૂનાગઢમાં જાણીતું નામ છે. તેઓ નાનપણથી જ બુદ્ધ અને ડો. આંબેડકરના રસ્તે ચાલી રહ્યાં છે. તેમણે તેમના ભાઈના લગ્નમાં બ્રાહ્મણે કહ્યું હતું તેનાથી વિરુદ્ધનું સૌથી ખરાબ મૂહુર્ત પસંદ કરીને લગ્ન લેવડાવ્યા હતા અને એ રીતે મનુવાદ સામે જંગ છેડેલો. તેમના પિતા જૂનાગઢ શહેર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. મનસુખભાઈ પોતે અનેક સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. દર વર્ષે તેઓ બહુજન સમાજના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહન પુરું પાડે છે. આ સિવાય આરોગ્ય વિભાગમાં પણ તેઓ સક્રીય રીતે ગરીબ દર્દીઓને મદદરૂપ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બુદ્ધ, આંબેડકર જ બહુજનોનો ઉદ્ધાર કરી શકે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનસુખભાઈ કહે છે, "બહુજન સમાજે મનુવાદી વિચારોને જેમ બને તેમ ત્યજીને ડો. આંબેડકર અને બુદ્ધના રસ્તે ચાલવાનું નક્કી કરી લેવું પડશે. મનુવાદ હાલ જે રીતે માથું ઉચકી રહ્યો છે, તે બહુજન સમાજ માટે ઘાતક છે. તે આપણને અંધશ્રદ્ધામાં ધકેલી મનુવાદીઓના ગુલામ બનાવી રાખે છે. તેમાંથી નીકળવા માટે બહુજન સમાજે એક થઈને શિક્ષણ પર ફોકસ કરવું પડશે, યુવાનોને વ્યસનો, ધાર્મિક મેળાવડાઓથી દૂર રહી રોજગારી મેળવવા તરફ પ્રેરવા પડશે. સમાજ એક થશે તો આવતા દિવસોમાં તેનું ફળ ચોક્કસ મળશે. બહુજન સમાજે પ્રગતિ કરવી હશે તો સાચો રસ્તો માત્ર ડો. આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધે જે માર્ગ અપનાવ્યો હતો તે જ દિશામાં છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/37-people-took-initiation-into-buddhism-in-amraiwadi-ahmedabad">અમદાવાદના અમરાઈવાડીમાં 37 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 16 Nov 2024 12:40:40 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 16 Nov 2024 13:37:55 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1556</Articleid>
                    <excerpt>ગુજરાતના દલિત-બહુજન સમાજમાં કદાચ આ પહેલો પ્રસંગ છે, જેમાં સાસરિયાએ પુત્રવધુના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેના બૌદ્ધવિધિથી પુનઃલગ્ન કરાવ્યા હોય.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673842e0cca8f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673842e0991eb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673842e0991eb.jpg" length="84869" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Buddhism, Gautam Buddha</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાંતામાં આદિવાસી દીકરીઓના હકની હજારો સાઈકલો ધૂળ ખાય છે</title>
                    <link>https://khabarantar.com/thousands-of-cycles-of-tribal-girls-rights-are-gathering-dust-in-danta</link>
                    <guid>https://khabarantar.com/thousands-of-cycles-of-tribal-girls-rights-are-gathering-dust-in-danta</guid>
                    <description>
                        <![CDATA[ વહીવટીતંત્રના પાપે 2500 જેટલી સાઈકલો બે વર્ષે પણ દીકરીઓ સુધી ન પહોંચી. સાઈકલો પર જંગલી વેલા વીંટળાયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ આજે રાજ્ય સરકાર આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ ઉજવી રહી છે, બીજી તરફ અંબાજીના આદિવાસી વિસ્તાર દાંતાની સેંકડો આદિવાસી દીકરીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત મળતી સાઈકલો સમયસર વિતરણ કરવામાં ન આવતા ધૂળ ખાતી પડી છે. છેલ્લાં બે વર્ષથી દાંતાની એક છાત્રાલયના ખૂલ્લા મેદાનમાં આ સાઈકલો પડી છે અને તેના પર જંગલી વનસ્પતિ અને વેલા વીંટળાઈ વળ્યાં છે. આ સાઈકલો વર્ષ 2023માં આદિવાસી વિસ્તારની કન્યાઓને ફાળવવાની હતી પરંતુ આજે 2024નું વર્ષ પણ પુરું થવા આવ્યું છે, બે મહિના પછી 2025નું વર્ષ શરૂ થઈ જશે. તેમ છતાં આ વિસ્તારની દીકરીઓને સાઈકલ મળી શકી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્ષ 2023માં વહેંચવાની સાઈકલો હજુ પડી છે</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67376a358fa24.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે. આ તાલુકામાં અભ્યાસ કરતી ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓને પોતાના દૂર ઘરેથી શાળાએ ચાલતા ન જવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ સાઇકલોની ફાળવણી કરવામાં આવે છે. પણ દાંતા તાલુકા મથકે આ સરસ્વતી સાધના યોજના હેઠળની હજારો સાયકલોનો ખડકલો દાંતાના એક છાત્રાલયના પ્રાંગણમાં ધૂળ ખાતો પડ્યો છે. જેના ઉપર વરસાદી પાણી પડતા સાયકલો ઉપર કાટ પણ ચઢી ગયો છે ને આજે આ સાયકલો જંગલી વેલાઓમાં વીંટાયેલી જોવા મળે છે. 2500 જેટલી સાયકલો શાળા પ્રવેશોત્સવ 2023 માં આપવા માટે આવી હોવાનું સાયકલો ઉપર લખેલું જોવા મળી રહ્યું છે. જ્યારે હાલમાં 2024 પૂર્ણતાને આરે છે, અને બે મહિના પછી 2025ની પણ શરૂઆત થશે. પણ આ લાખો રૂપિયાની સાયકલોનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. મોટાભાગની સાયકલોના અનેક પાર્ટ્સ પણ નીકળી ગયા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ લોકોના ટેક્સના નાણાનો બગાડ છે: ઉપસરપંચ, દાંતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે દાંતા ગ્રામ પંચાયતના ઉપસરપંચે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, લોકોના ટેક્સના નાણાનો આ રીતે દુરુપયોગ થતો જોઈને અમારું લોહી ઉકળી ઉઠે છે. આ રીતે લાખોની કિંમતની સાઈકલો ભંગાર થઈને પડી છે ત્યારે શા માટે તેને સમયસર લાભાર્થી દીકરીઓને ફાળવવામાં ન આવી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67376a57c444b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો હજુ પણ સમય હોય તો આ સાઈકલોનું વિતરણ કરી દેવું જોઈએ, જેથી ગરીબ દીકરીઓને ભણવા જતી વખતે સમસ્યા ન નડે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વાવની ચૂંટણીનું બહાનું આગળ ધરી દેવાયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, હાલ બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર પેટાચૂંટણી હોવાથી આ સાઈકલોનું વિતરણ કરવામાં નથી આવ્યું. હવે ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ વિતરણ કરાશે. જો કે, અહીં સવાલ એ પણ થાય કે, ચૂંટણી તો હજુ એકાદ મહિનાથી જામી હતી. જ્યારે આ સાઈકલો તો એક વર્ષથી અહીં પડી છે, તો ત્યાં સુધી તંત્રને કેમ તેનું વિતરણ કરવાનું યાદ ન આવ્યું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67376ab263f99.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમાજ કલ્યાણ વિભાગ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે બનાસકાંઠા જિલ્લાના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના જિલ્લા નાયબ નિયામક મનીષ સોલંકીએ જણાવ્યું હતું કે. આ સાયકલો રાજ્ય સરકારની ગ્રીમકો નિગમ દ્વારા ખરીદી કરવામાં આવે છે. આ એજન્સી એસેમ્બલિંગ કરીને જિલ્લામાં સોંપણી કરતી હોય છે, પણ હાલમાં આ સાયકલો સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી. તેથી તેનો હવાલો એજન્સી પાસે જ છે અને આ હજારો સાયકલો હાલ એજન્સી હસ્તક જ પડી છે, તેની સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ડિલિવરી સ્વીકારવામાં આવી નથી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67376a7fbe47c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમસ્યા જો કે માત્ર દાંતામાં જ નહીં પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જોવા મળે છે. આણંદ જિલ્લામાં પણ આ જ રીતે સેંકડો સાઈકલો પડી પડી સડી રહી છે. ત્યારે સરકાર આ મામલે સાઈકલ તૈયાર કરતી ગ્રીમકો એજન્સી સાથે વાટાઘાટો કરીને સમસ્યાનો નિકાલ લાવે તે ઈચ્છનીય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Hundreds-of-kits-of-Manav-Garima-Yojana-have-been-gathering-dust-in-Veergam-for-2-years">વીરમગામમાં માનવ ગરિમા યોજનાની સેંકડો કિટો 2 વરસથી ધૂળ ખાય છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 15 Nov 2024 21:13:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1555</Articleid>
                    <excerpt>વહીવટીતંત્રના પાપે 2500 જેટલી સાઈકલો બે વર્ષે પણ દીકરીઓ સુધી ન પહોંચી. સાઈકલો પર જંગલી વેલા વીંટળાયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67376a15344eb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67376a14e970c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67376a14e970c.jpg" length="208811" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Saraswati Sadhana Yojana, Bicycle, Danta News</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્કૂલે જતા 73 ટકા બાળકો મોબાઈલમાં અશ્લીલ સામગ્રી જુએ છે</title>
                    <link>https://khabarantar.com/73-percent-of-school-going-children-watch-pornographic-content-on-mobile-phones</link>
                    <guid>https://khabarantar.com/73-percent-of-school-going-children-watch-pornographic-content-on-mobile-phones</guid>
                    <description>
                        <![CDATA[ બાળકો એકવાર પોર્ન જોયા પછી વારંવાર તેને શોધે છે. ભારતમાં આવા બાળકોની ઉંમર 12 થી 16 વર્ષની છે. દરેક માતાપિતાએ વાંચીને અન્ય માતાપિતાને શેર કરવા જેવો રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં માતાપિતા કે વાલીઓ માટે સૌથી મોટો પડકાર તેમના બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવાનો છે. એમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયા પર આવતી રિલ્સ અને અન્ય અશ્લીલ સામગ્રીથી તેમનો પીછો છોડાવવાનું કામ સૌથી મોટી ચેલેન્જ છે. કમનસીબે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાના પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે અને તેની ખરાબ અસરો પણ પ્રકાશમાં આવવા લાગી છે. દેશ અને વિશ્વના ઘણા અભ્યાસો દર્શાવે છે કે બાળકો અભ્યાસ દરમિયાન દર 20 મિનિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મુલાકાત લે છે. એ દરમિયાન 13 થી 17 વર્ષની વયના 73 ટકા બાળકો જાણે-અજાણે વાંધાજનક અને અશ્લીલ સામગ્રી જુએ છે અને તેમને શાળામાંથી આપવામાં આવેલું હોમવર્ક કરવામાં મોડું થાય છે. જો માતાપિતા ધ્યાનથી જોશે તો તેમને સમજાશે કે, બાળક શાળાનું હોમવર્ક એક કલાકને બદલે ત્રણ કલાકમાં પૂરું કરી રહ્યું છે તેનું કારણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પોર્ન સામગ્રી છે. તેની આડઅસર એવી છે કે પોર્ન જોવાના વ્યસની બાળકો બળાત્કારને સામાન્ય બાબત સમજવા લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માતાપિતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો દુરુપયોગ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પર બાળકોના એકાઉન્ટ ખોલી શકાતા નથી કે તેમના નામે સીમકાર્ડ ખરીદી શકાતા નથી, તેમ છતાં બાળકો તેમના માતા-પિતા અથવા વાલીઓના ફોન અને એકાઉન્ટનો દુરુપયોગ કરી રહ્યા છે. શાળા કે ઘરે અભ્યાસમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની વધતી જતી ભૂમિકાને કારણે માતાપિતા પણ તેમના બાળકોને તેનો ઉપયોગ કરવા દેવા માટે બંધાયેલા છે. ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. બ્રિટન સહિત યુરોપના ઘણા દેશોમાં બાળકોને અઠવાડિયામાં એકવાર સેક્સ એજ્યુકેશન અને સોશિયલ મીડિયાની ખરાબ બાબતોથી કેવી રીતે બચવું તે વિશે શીખવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">80 ટકા સગીરો દરરોજ બે કલાક સોશિયલ મીડિયા વાપરે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગવર્નન્સ પોલિસીસ એન્ડ પોલિટિક્સે સોશિયલ મીડિયા મેટર્સ અને યુથ ઓનલાઈન લર્નિંગ ઓર્ગેનાઈઝેશન સાથે મળીને ભારતીય બાળકોમાં ઈન્ટરનેટના ઉપયોગની રીતો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. અભ્યાસ અનુસાર, દેશના 80 ટકા સગીરો દરરોજ સરેરાશ બે કલાક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેમાંથી 30 ટકા લોકોએ આ સમયગાળા દરમિયાન ઓનલાઈન મિત્રો સાથે સંવેદનશીલ માહિતી શેર કરી હતી અને 15 ટકાએ ઓનલાઈન પોર્નોગ્રાફી જોયાનું સ્વીકાર્યું હતું. 40 ટકાએ એવા લોકો સાથે પરિચિત હોવાનું જણાવ્યું જેમણે ઇન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી જોઈ છે. સર્વેમાં સૌથી વધુ પ્રતિક્રિયાઓ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી આવી છે. કોરોનાકાળ (જુલાઈ 2020) થી શરૂ થયેલો આ સર્વે દર વર્ષે વિવિધ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માનસિક રીતે બીમાર બનવું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુનિવર્સિટી ઓફ મિડલસેક્સ, લંડન તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે બાળકો એકવાર પોર્ન જોયા પછી વારંવાર તેને શોધે છે. ભારતમાં આવા બાળકોની ઉંમર 12 થી 16 વર્ષની છે. પોર્નોગ્રાફીના પ્રભાવને કારણે બાળકો મહિલાઓને સેક્સ ઓબ્જેક્ટ સમજવા લાગે છે. તેઓ માને છે કે બળાત્કાર એ સામાન્ય જાતીય પ્રક્રિયા છે. આ બાળકો નાની ઉંમરમાં જ સેક્સ કરવાનો પ્રયાસ કરે છે અને જ્યારે તેઓ નિષ્ફળ જાય છે ત્યારે તેઓ ડ્રગની લતનો શિકાર બને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોર્નોગ્રાફીને કારણે ગુનામાં વધારો થયો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાની ઝુંબેશ ચલાવી રહેલા બેંગલુરુ સ્થિત NGO રેસ્ક્યૂના જણાવ્યા અનુસાર, મેટ્રો શહેરોમાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ પોર્ન જુએ છે. 10 કોલેજોના 400 વિદ્યાર્થીઓના સર્વેના આધારે એનજીઓએ જણાવ્યું કે હિંસક પોર્નોગ્રાફી જોનારા યુવાનોની સંખ્યા વધી રહી છે. જેમાં કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સંખ્યામાં બહુ ફરક નથી. પોર્નોગ્રાફી યુવાનોને જાતીય અપરાધો તરફ દોરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાયદો શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં માત્ર પોર્ન સામગ્રી જોવી એ ગુનો નથી પરંતુ પોર્નોગ્રાફી પણ ગેરકાયદેસર છે. તેને સ્ત્રી, પત્ની કે મિત્રને બતાવવું ગેરકાયદેસર છે. ફિલ્મ, ફોટા, લિંક્સ શેર કરવી અથવા ગ્રુપમાં જોવાનું ગેરકાયદેસર છે. POCSO એક્ટ હેઠળ ચાઈલ્ડ પોર્નોગ્રાફીમાં સજાની જોગવાઈ છે. જો કે, સામાન્ય કેસમાં પાંચ વર્ષની જેલ અથવા 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાળકોના વર્તન પર આ રીતે નજર રાખો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-શાળાઓમાં સેક્સ એજ્યુકેશન ફરજિયાત હોવું જોઈએ અને બાળકો-યુવાનો સાથે ખુલ્લી ચર્ચા થવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;">-બાળકોના મોબાઈલ પર કોઈપણ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્ટિવેટ ન કરો.</span><br><span style="font-size: 14pt;">-શાળામાં છોકરા-છોકરીઓ પ્રત્યે બાળકના વર્તન વિશે શિક્ષકને પૂછો.</span><br><span style="font-size: 14pt;">-બાળક સાથે મૈત્રીપૂર્ણ બનો અને બ્રાઉઝર હિસ્ટ્રી પણ ચેક કરતા રહો.</span><br><span style="font-size: 14pt;">-બાળક કહ્યા વગર મોબાઈલ ન લે, શક્ય હોય તો તમારી સામે જ ભણે.</span><br><span style="font-size: 14pt;">-દરરોજ બાળકને શાળાના અભ્યાસ, મિત્રો અને રમતગમત વિશે પૂછો.</span><br><span style="font-size: 14pt;">-બાળકને તેની ભૂલ માટે ઠપકો ન આપો, બલ્કે તેને બેસાડો અને તેને પ્રેમથી સમજાવો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/israels-attack-on-lebanon-left-400000-children-homeless">લેબનોન પર ઈઝરાયલના હુમલામાં 4 લાખ બાળકો બેઘર બન્યાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 15 Nov 2024 14:15:51 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 15 Nov 2024 14:23:56 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1554</Articleid>
                    <excerpt>બાળકો એકવાર પોર્ન જોયા પછી વારંવાર તેને શોધે છે. ભારતમાં આવા બાળકોની ઉંમર 12 થી 16 વર્ષની છે. દરેક માતાપિતાએ વાંચીને અન્ય માતાપિતાને શેર કરવા જેવો રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673708a05c90f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673708a029052.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673708a029052.jpg" length="102874" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Child Pornography, Porn</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;તારો સાળો એ મારો સાળો&amp;quot; ની મશ્કરીમાં દલિત યુવકે જીવ ગુમાવ્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-lost-his-life-in-a-joke-of-your-brother-in-law-is-my-brother-in-law</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-lost-his-life-in-a-joke-of-your-brother-in-law-is-my-brother-in-law</guid>
                    <description>
                        <![CDATA[ સુરેન્દ્રનગરમાં મિત્રની પાર્ટીમાં મિત્રો વચ્ચે બહેન અંગે કરાયેલી મશ્કરીમાં એક દલિત યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાંચો આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગરની ઉમિયા-3 સોસાયટીમાં મિત્રના બર્થડે પર ખાનગીમાં યોજાયેલી પાર્ટીમાં મશ્કરી બાદ થયેલી બોલાચાલીમાં એક દલિત યુવકે જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક મિત્રના જન્મદિવસે સુરેન્દ્રનગર આવ્યો હતો. જ્યાં રાત્રે એક ધાબા પર પાર્ટી યોજાઈ હતી. એ દરમિયાન એક યુવક સાથે બહેનને લઈને મશ્કરી થતા બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર બનતા સાળાા-બનેવીએ યુવકને ધક્કો મારી દેતા તે ધાબા પરથી નીચે પટકાયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. આ મામલે બી ડીવીઝન પોલીસ મથકે સાળા-બનેવી સામે ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેવી રીતે ઘટના ઘટી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગરની સીંધી સોસાયટીમાં રહેતો 34 વર્ષીય ચંદનભાઈ જગદીશભાઈ પરમાર હાલ રાજકોટ રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તા. 13 નવેમ્બરના રોજ તે સુરેન્દ્રનગર જ રહેતા તેના મિત્ર હિતેશ મકવાણાનો જન્મદિવસ હોઈ સુરેન્દ્રનગર આવ્યો હતો અને રાતના સમયે વઢવાણના નવા 80 ફુટ રોડ પર આવેલ ઉમીયા-3 સોસાયટીના ગેટ પાસે ર માળના કોમ્પલેક્ષના ધાબે તેઓ પાર્ટી કરતા હતા. એ દરમિયાન નવજીવન સોસાયટીમાં રહેતો વિશાલ સોલંકી અને તેનો સાળો પાર્થ વાઘેલા પણ હાજર હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઝપાઝપીમાં ધાબા પરથી ધક્કો મારી દીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાર્ટીના દરમિયાન વિશાલ અને ચંદનને બોલાચાલી થઈ હતી. જેમાં વિશાલ અને પાર્થે ચંદન સાથે ઝપાઝપી કરી હતી અને કોમ્પલેક્ષના ધાબા ઉપરથી નીચે ધક્કો મારી દેતા ચંદનનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. બનાવની જાણ થતા આસપાસના લોકો ઉમટી પડયાં હતાં. જયારે બી ડીવીઝન પીએસઆઈ એસ.એમ.શેખ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની લાશને પીએમ માટે ગાંધી હોસ્પીટલ લઈ જવાઈ હતી. આ બનાવમાં મૃતક ચંદનના પિતા જગદીશભાઈ સોમાભાઈ પરમારની ફરિયાદને આધારે બન્ને સાળા-બનેવી સામે હત્યાનો ગુનો નોંધાયો છે. આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધાબા પરથી પ્લાસ્ટિકના ગ્લાસ મળ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકના ભાઈ મુકુંદ પરમારે જણાવ્યુ કે, હું કામસર તા. 13મીએ ભાવનગર ગયો હતો. જયાં મને ફોન દ્વારા ચંદનનું કોમ્પલેક્ષના ધાબા પરથી પડવાથી મોત થયાની જાણ થઈ હતી. એથી સુરેન્દ્રનગર આવીને જોતા ચંદનનો મૃતદેહ જોવા મળ્યો હતો. ધાબા પરથી પ્લાસ્ટીકના ગ્લાસ અને ચંદનની તુટેલી ઘડીયાળ મળી આવી છે. આથી બનાવ સમયે તેની સાથે ઝપાઝપી કરાઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહેનને લઈને કરાયેલી મશ્કરી હત્યા સુધી પહોંચી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મિત્ર હિતેશની બર્થડે પાર્ટી કરી રહેલા ચારેય વચ્ચે સામાન્ય મશ્કરીઓ ચાલતી હતી. ત્યારે આવેલો વિશાલ તેની સાથે તેના સાળા પાર્થ વાઘેલાને લઈને આવ્યો હતો અને ચંદન સાથે ઓળખાણ કરાવી હતી. આ સમયે "તારો સાળો એ મારો સાળો" તેમ ચંદને કહેતા મામલો બીચકયો હતો અને વિશાલ તથા ચંદન વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી ઉગ્ર બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ન્યાયની માગણી સાથે લાશ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક ચંદનના મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોએ પોલીસને આરોપીઓને પકડો ત્યારબાદ જ લાશ સ્વીકારાશે તેમ કહીને ઈન્કાર કરી દીધો હતો. આથી ડીવાયએસપી વી. બી. જાડેજા ગાંધી હોસ્પિટલ દોડી ગયા હતા અને મૃતકને ન્યાય મળશે તેવી કાર્યવાહીની ખાતરી આપી હતી. અને બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. આથી મોડી સાંજે પરિવારજનોએ લાશને સ્વીકારી અંતીમ સંસ્કાર કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/was-she-sitting-on-the-living-pyre-of-her-own-accord-or-was-she-put-on-it">એ પોતાની મરજીથી જીવતી ચિતા પર બેઠી હતી કે બેસાડવામાં આવી હતી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 15 Nov 2024 12:08:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1553</Articleid>
                    <excerpt>સુરેન્દ્રનગરમાં મિત્રની પાર્ટીમાં મિત્રો વચ્ચે બહેન અંગે કરાયેલી મશ્કરીમાં એક દલિત યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાંચો આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6736ebd096e6d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6736ebd06092d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6736ebd06092d.jpg" length="101687" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Surendra Nagar News</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરિયાણામાં આજથી સરકારી નોકરીઓમાં SC પેટા વર્ગીકરણ લાગુ</title>
                    <link>https://khabarantar.com/sc-sub-categorization-to-be-implemented-in-government-jobs-in-haryana-from-today</link>
                    <guid>https://khabarantar.com/sc-sub-categorization-to-be-implemented-in-government-jobs-in-haryana-from-today</guid>
                    <description>
                        <![CDATA[ દલિતોને &#039;બટેંગે તો કટેંગે&#039;ની ચર્ચામાં વ્યસ્ત રાખીને હરિયાણામાં ભાજપની નાયબસિંહ સૈનીની સરકારે છાનામાના દલિતોને બાંટી દીધાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા સરકારે રાજ્યમાં સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ (SC) ના આરક્ષણમાં પેટા-વર્ગીકરણ માટેનો આદેશ જારી કર્યો છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ મંગળવારે વિધાનસભામાં આ નિર્ણયની જાણકારી આપી. આ સાથે જ હરિયાણામાં સાંજે 5 વાગ્યાથી અનુસૂચિત જાતિમાં પેટા-વર્ગીકરણ લાગુ થઈ ગયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાથે જ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હરિયાણા પહેલું એવું રાજ્ય બની ગયું છે જેણે દલિતોમાં ફાટફૂટ પડાવતા આ વિવાદિત નિર્ણયનો સૌથી પહેલા અમલ કર્યો છે. હરિયાણાની ભાજપ સરકારના આ નિર્ણય પરથી તેમની દલિત વિરોધી હોવાની છાપ વધુ સ્પષ્ટ બની છે. એક બાજુ વડાપ્રધાન મોદીથી લઈને ભાજપના અનેક મોટા નેતાઓ જાહેરમાં વિપક્ષો દલિતોની અનામત ખતમ કરી દેશે તેવી વાતો કરે છે, બીજી તરફ દલિતોમાં ભાગલા પાડી અનામતને ખતમ કરી દેવાનું સૌથી પહેલું પગલું ભાજપની જ સરકારે ઉઠાવ્યું છે. નાયબ સૈનીએ તો સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો એ જ દિવસે તેઓ આ નિર્ણયનો અમલ કરશે તેવી જાહેરાત કરી દીધી હતી. પરંતુ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી હોવાથી તેઓ મૌન થઈ ગયા હતા. હવે ફરી જ્યારે તેઓ સત્તામાં પરત ફર્યા છે ત્યારે તેમણે અસલી દલિત વિરોધ રંગ બતાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના 1 ઓગસ્ટ, 2024ના આદેશને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે રાજ્ય સરકારોને SC અને ST અનામતમાં પેટા-વર્ગીકરણ કરવાની મંજૂરી આપી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સામાજિક અને આર્થિક દૃષ્ટિકોણથી એસસી અને એસટી સમાજોમાં ફરક છે અને કેટલીક જાતિઓ અન્ય કરતાં વધુ પછાત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા સરકારે 18 ઓક્ટોબરે તેની પ્રથમ કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા રચાયેલ હરિયાણા રાજ્ય અનુસૂચિત જાતિ આયોગે અનુસૂચિત જાતિ અનામતને બે કેટેગરીમાં વિભાજીત કરવાની ભલામણ કરી હતી - અત્યંત પછાત અનુસૂચિત જાતિ (DSC) અને અન્ય અનુસૂચિત જાતિ (OSC).</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">DSC કેટેગરીમાં 36 જાતિઓનો સમાવેશ થાય છે, જેમાં ધનક, બામિક, મજહબી શીખ, ખટીક જેવી જાતિઓનો સામેલ છે, જેમને સરકારી નોકરીઓમાં અનામતના 50 ટકા હિસ્સાનો લાભ મળશે. જ્યારે OSC કેટેગરીમાં ચમાર, જટિયા ચમાર, રેહગર, રૈગર, રામદાસી, રવિદાસી, જાટવ, મોચી અને રામદાસિયા જેવી જાતિઓનો સમાવેશ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાની સરકાર આ પગલાને અનુસૂચિત જાતિના નબળા વર્ગોને વધુ પ્રતિનિધિત્વ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માની રહી છે, પણ વાસ્તવમાં તે દલિતોમાં કાયમી વૈમનસ્ય પેદા કરીને તેમને એક થતા રોકવાનું ભયંકર ષડયંત્ર છે એવું દલિત સમાજનો બૌદ્ધિક વર્ગ માને છે. જોવાનું એ રહેશે કે 22 ટકા વસ્તી ધરાવતો હરિયાણાનો દલિત સમાજ આ નિર્ણયને લઈને શું પ્રતિક્રિયા આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/everyone-had-the-same-voice-we-will-not-let-the-meli-murad-of-the-government-be-fulfilled">મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 15 Nov 2024 11:00:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1552</Articleid>
                    <excerpt>દલિતોને &#039;બટેંગે તો કટેંગે&#039;ની ચર્ચામાં વ્યસ્ત રાખીને હરિયાણામાં ભાજપની નાયબસિંહ સૈનીની સરકારે છાનામાના દલિતોને બાંટી દીધાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6736dc672f4fd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6736dc66ecf5e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6736dc66ecf5e.jpg" length="93924" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>DSC, OSC, Reservation, SC Sub-classification</media:keywords>
                </item>
                        <item>
                    <title>આજે ક્રાંતિસૂર્ય બહુજન નાયક બિરસા મુંડાની જન્મજયંતિ</title>
                    <link>https://khabarantar.com/today-is-the-birth-anniversary-of-revolutionary-bahujan-hero-birsa-munda</link>
                    <guid>https://khabarantar.com/today-is-the-birth-anniversary-of-revolutionary-bahujan-hero-birsa-munda</guid>
                    <description>
                        <![CDATA[ મૂળનિવાસી આદિવાસી સમાજ માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે.SSD સહિતના સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે બહુજન નાયક, ક્રાંતિસૂર્ય, જનનાયક બિરસા મુંડાનો જન્મ દિવસ છે. મૂળનિવાસી આદિવાસી સમાજ માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. કેમ કે 15મી નવેમ્બર 1875ના રોજ ઝારખંડના રાંચીના ઉલિહાતું ગામમાં આદિવાસી જનનાયક બિરસા મુંડાનો જન્મ થયો હતો. ઝારખંડ રાજ્ય માટે પણ આજનો દિવસ અત્યંત મહત્વનો છે. કેમ કે આ જ દિવસે વર્ષ 2000માં ઝારખંડ અલગ રાજ્ય બન્યું હતું. આમ બિરસા મુંડાની જન્મજયંતિ અને ઝારખંડનો સ્થાપના દિવસ એક જ દિવસે આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિરસા મુંડાએ લોકોના જીવન પર એવી છાપ છોડી હતી કે આદિવાસી સમાજે તેમને ભગવાનનો દરજ્જો આપ્યો હતો. બિરસા મુંડાએ પણ એક દિવસ જાહેરાત કરી હતી કે તેઓ પૃથ્વીના પિતા એટલે કે 'ધરતી આબા' છે.<span style="color: rgb(0, 0, 0); font-size: 14pt;">જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું.</span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જનનાયક બિરસા મુંડાની જન્મ જયંતિને લઈને દેશભરમાં આદિવાસી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો આદિવાસી વિસ્તારો ઉપરાંત જ્યાં પણ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓ આવેલી છે ત્યાં તમામ સ્થળે બહુજન સમાજ દ્વારા ફૂલહાર કરીને બહુજન નાયકના કાર્યોને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અનેક સ્થળોએ આજના દિવસે બાળકોને પુસ્તક વિતરણ, શેરીનાટકો, રેલીઓ અને જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય અનેક ગામો, શહેરોમાં તેમની યાદમાં બહુજન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં તમામ આદિવાસી સંગઠનો ઉપરાંત SSD સહિતના સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના આમોદ ખાતે એસએસડી દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય નાના શહેરો અને ગામોમાં પણ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો યોજાયા છે. અમુક જગ્યાએ સમૂહ ભોજન ઉપરાંત પુસ્તક વિતરણ અને સાંજે લાઈવ કાર્યક્રમોનું પણ આયોજન થનાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Who-was-Birsa-Munda,-how-did-he-become-the-God-of-tribal-society">કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 15 Nov 2024 09:25:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1551</Articleid>
                    <excerpt>મૂળનિવાસી આદિવાસી સમાજ માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે.SSD સહિતના સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6736c47f6a579.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6736c47f3b938.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6736c47f3b938.jpg" length="58701" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Birsa Munda Birthday Specia, Birsa Munda, Adivasi</media:keywords>
                </item>
                        <item>
                    <title>SC&amp;ST એક્ટ હેઠળ દોષી ઠેરવાયેલા 101 પૈકી 99ને એક સાથે જામીન અપાયા</title>
                    <link>https://khabarantar.com/99-out-of-101-convicted-under-sc-st-act-granted-bail-simultaneously</link>
                    <guid>https://khabarantar.com/99-out-of-101-convicted-under-sc-st-act-granted-bail-simultaneously</guid>
                    <description>
                        <![CDATA[ હાઈકોર્ટે કહ્યું કે મામલો દસ વર્ષ જૂનો છે અને આરોપીઓએ એવું કોઈ કાર્ય નથી કર્યું જેનાથી ફરિયાદીઓને કોઈ તકલીફ થાય. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટક હાઈકોર્ટે SC-ST એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવેલા 101 લોકોમાંથી 99 લોકોને એક સાથે જામીન આપ્યા છે. માત્ર એક મહિના પહેલા જ રાજ્યના મારાકુંબી ગામમાં દલિતો વિરુદ્ધ હિંસા અને ઉત્પીડનના કેસમાં 101 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હવે કોર્ટે તેમને આ આધાર પર રાહત આપી છે કે આ કેસ 10 વર્ષ જૂનો છે, પરંતુ આ દોષિત લોકોએ એવું કંઈ કર્યું નથી જેનાથી કેસને અસર થાય. આવી સ્થિતિમાં તેના જેલમાંથી બહાર આવવાથી કેસ પર કોઈ ખાસ અસર નહીં પડે. જેના આધારે કોર્ટે આ લોકોને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઈકોર્ટની ધારવાડ બેંચના જસ્ટિસ એસ. હરીશ કુમાર અને જસ્ટિસ ટીજી શિવશંકર ગૌડાએ આ લોકોની સજાને સ્થગિત કરી અને તેમને જામીન આપ્યા હતા. બેંચે કહ્યું કે આ કેસમાં નીચલી કોર્ટે 10 વર્ષમાં ચુકાદો આપ્યો અને આ દરમિયાન આ તમામ લોકો જામીન પર હતા. પરંતુ તેમના દ્વારા એવું કોઈ કૃત્ય કરવામાં નથી આવ્યું જેનાથી પીડિત પરિવારોને કોઈ મુશ્કેલી પડે અથવા કેસને અસર થાય. આવી સ્થિતિમાં તેમને જામીન મળી શકે છે કારણ કે જો તેઓ બહાર રહે તો કોઈ નુકસાન થવાની શક્યતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસસી-એસટી એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવેલા આ લોકોના વકીલે કહ્યું કે આ કેસ 10 વર્ષ જૂનો છે. હવે પીડિતો અને આ લોકો આ ઘટનાને ભૂલી ગયા છે. હાલમાં ગામમાં બંને પક્ષોના પરિવારો અને સમાજના લોકો શાંતિથી રહે છે. ખંડપીઠે પણ આ અંગે સહમતિ દર્શાવી હતી. આ દલીલો અને હકીકતોના આધારે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. બેન્ચે કહ્યું, 'તમામ આરોપીઓ ટ્રાયલ દરમિયાન જામીન પર હતા. આ લોકોએ જામીનનો દુરુપયોગ કર્યો હોવાના કોઈ પુરાવા નથી. પીડિતોને થયેલી ઇજાઓ સામાન્ય છે. તેમના બળી ગયેલા ઘરોની તસવીરો પણ સામે આવી છે. અમારું માનવું છે કે નીચલી અદાલતના નિર્ણય પર વિચાર કરવાની જરૂર છે અને ત્યાં સુધી સજાને સ્થગિત કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના 28 ઓગસ્ટ, 2014 ના રોજ બની હતી, જ્યારે મારકુંબી ગામમાં કેટલાક દલિતોને સલૂન અને હોટલોમાં પ્રવેશવાની ના પાડી હતી. આ ગામ કોપ્પલ જિલ્લાના ગંગાવટી તાલુકામાં આવે છે. તે જ દિવસે હિંસા ફાટી નીકળી હતી. આરોપ છે કે કહેવાતા ઉચ્ચ જાતિના લોકોએ દલિતો પર ઈંટો, પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. એ દરમિયાન મહિલાઓ અને બાળકો સહિત દલિતોને મોટા પાયે માર મારવામાં આવ્યો હતો. વૃદ્ધોને પણ માર મારવામાં આવ્યો અને તેમના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ કેસમાં 25 ઓક્ટોબરે કોપ્પલ જિલ્લા કોર્ટે 101 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમાંથી 98ને આજીવન કેદની સજા સંભળાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-one-atrocity-case-98-out-of-101-accused-received-life-imprisonment">એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 14 Nov 2024 22:15:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1550</Articleid>
                    <excerpt>હાઈકોર્ટે કહ્યું કે મામલો દસ વર્ષ જૂનો છે અને આરોપીઓએ એવું કોઈ કાર્ય નથી કર્યું જેનાથી ફરિયાદીઓને કોઈ તકલીફ થાય.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6736283612dc7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67362835d44f8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67362835d44f8.jpg" length="90676" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Atrocity Case, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હીને મળ્યાં દલિત મેયર, AAP ના મહેશ ખીંચી ત્રણ મતથી જિત્યા</title>
                    <link>https://khabarantar.com/delhi-gets-dalit-mayor-aaps-mahesh-khinchi-wins-by-three-votes</link>
                    <guid>https://khabarantar.com/delhi-gets-dalit-mayor-aaps-mahesh-khinchi-wins-by-three-votes</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ અને આપની જાતિવાદી રાજનીતિને કારણે દિલ્હીમાં દલિત મેયરનો કાર્યકાળ 7 મહિનાથી ઘોંચમાં પડ્યો હતો. જો કે ફાઈનલી દિલ્હીને દલિત મેયર મળ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના મેયર પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મહેશ કુમાર ખીંચીએ જીત મેળવી છે. તેમણે ભાજપના ઉમેદવાર કિશનલાલને 3 મતથી હરાવ્યા હતા. જીત બાદ ખીંચીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો દિલથી આભાર માન્યો હતો અને ચૂંટણીમાં વિલંબ માટે ભાજપને જવાબદાર ગણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;">મેયરની ચૂંટણી માટે કુલ 263 વોટ પડ્યા હતા, જેમાંથી AAPના ઉમેદવાર મહેશ ખીંચીને 133 વોટ મળ્યાં હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કિશનલાલને 130 વોટ મળ્યા હતા. જ્યારે 2 મત અમાન્ય બન્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશ ખીચીની જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા અને લખ્યું, “દલિત વિરોધી ભાજપે કાવતરું ઘડ્યું અને મેયરની ચૂંટણીમાં વિલંબ કર્યો. પરંતુ ફરી એકવાર બાબા સાહેબના બંધારણની જીત થઈ છે. આમ આદમી પાર્ટીના કારણે દિલ્હીને એક દલિત મેયર મળ્યો. મહેશ ખીંચીજીને મેયર બનવા બદલ અભિનંદન! હું આશા રાખું છું કે તમારા નેતૃત્વમાં MCDમાં અરવિંદ કેજરીવાલજીના કાર્યની રાજનીતિ આગળ વધશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે મહેશ ખીંચી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશ ખીંચી દિલ્હીના કરોલ બાગના દેવનગર વોર્ડ-84ના આમ આદમી પાર્ટીના કાઉન્સિલર છે. મેયરની ચૂંટણીમાં તેમને કુલ 133 વોટ મળ્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિશનલાલને તેમના કરતા માત્ર 3 મત ઓછા મળ્યા હતા. એટલે કે કુલ 130 મળ્યા હતા. મહેશ ખીંચી અનુસૂચિત જાતિમાંથી ત્રીજા મેયર બનશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ખીંચી લોકસભા ચૂંટણી ભારે સક્રીય હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશ ખીંચી જે લોકસભાની ચૂંટણી દરમિયાન ખૂબ જ સક્રિય જોવા મળ્યા હતા. તેમણે દિલ્હીની મોતીલાલ નેહરુ કોલેજમાંથી B.Com નો અભ્યાસ કર્યો છે. તેમના શિક્ષણ પછી તેઓ તેમના વોર્ડમાં ખૂબ જ સક્રિય રહ્યાં છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ તેઓ ખૂબ જ સક્રિય જોવા મળ્યા હતા. તેમણે નવી દિલ્હી લોકસભા સીટ પરથી ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર સોમનાથ ભારતી માટે મત માંગ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શેલી ઓબેરોય બાદ મેયર પદ સંભાળશે </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્યાર સુધી મેયર પદે શેલી ઓબેરોય એક્સટેન્શન પર હતા. તેઓ ફેબ્રુઆરી 2023 માં મેયર તરીકે ચૂંટાયા હતા અને ત્યારથી આ પદ સંભાળી રહ્યા હતા. આ વર્ષે એપ્રિલ 2024 સુધીમાં મેયરની ચૂંટણી યોજાવાની હતી, પરંતુ કેટલીક વહીવટી સમસ્યાઓના કારણે તે યોજાઈ શકી ન હતી. પણ હવે ચૂંટણી યોજાઈ છે અને તેમાં મહેશ ખીંચીનો વિજય થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફાઈનલી દિલ્હીને મળ્યાં દલિત મેયર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી કે દલિત વિરોધી ભાજપે કાવતરું ઘડ્યું અને મેયરની ચૂંટણીમાં વિલંબ કર્યો. પરંતુ ફરી એકવાર બાબા સાહેબના બંધારણની જીત થઈ છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના કારણે દિલ્હીને દલિત મેયર મળ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/so-that-the-son-of-a-dalit-does-not-become-the-mayor-the-savarna-parties-are-struggling"> દલિતનો દીકરો મેયર ન બની જાય તે માટે સવર્ણ પાર્ટીઓ ત્રાગા કરે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 14 Nov 2024 21:19:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1549</Articleid>
                    <excerpt>ભાજપ અને આપની જાતિવાદી રાજનીતિને કારણે દિલ્હીમાં દલિત મેયરનો કાર્યકાળ 7 મહિનાથી ઘોંચમાં પડ્યો હતો. જો કે ફાઈનલી દિલ્હીને દલિત મેયર મળ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67361b45272c3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67361b44e8696.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67361b44e8696.jpg" length="89340" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mayoral elections, AAP, BJP, Delhi MCD, Mahesh Khinchi</media:keywords>
                </item>
                        <item>
                    <title>બળાત્કાર કર્યો, જાંઘ માં ખીલા ઠોક્યાં, પછી જીવતી સળગાવી દીધી...</title>
                    <link>https://khabarantar.com/tribal-woman-mother-of-three-raped-and-burned-alive-in-jiribam-manipur</link>
                    <guid>https://khabarantar.com/tribal-woman-mother-of-three-raped-and-burned-alive-in-jiribam-manipur</guid>
                    <description>
                        <![CDATA[ manipur news : મણિપુરમાં ત્રણ બાળકોની માતા એવી એક આદિવાસી મહિલા સાથે હુમલાખોરોએ જે કર્યું તેણે બર્બરતાની હદ વટાવી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Manipur News : મણિપુરમાં ફરીથી હિંસા ભડકી ઉઠી છે ત્યારે અહીં એક ગામમાં એક આદિવાસી મહિલા સાથે હુમલાખોરોએ ભયંકર બર્બરતા દાખવી તેના પર બળાત્કાર ગુજારી, તેની જાંઘમાં ખીલા ઠોકીને પછી જીવતી સળગાવી દીધી હતી. હુમલાખોરોએ અહીં 17થી વધુ ઘરો પણ સળગાવી દીધા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ગુરુવારે રાત્રે કેટલાક હુમલાખોરોએ પહેલા ત્રણ બાળકોની માતા પર બળાત્કાર કર્યો અને પછી તેને જીવતી સળગાવી દીધી. આ કેસના ઓટોપ્સી રિપોર્ટમાં હુમલાખોરો દ્વારા મહિલા પર આચરવામાં આવેલી નિર્દયતાનો ખુલાસો થયો છે. જે વાંચીને તમારા રુંવાડા ઉભા થઈ જશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મણિપુરના જીરીબામ જિલ્લાની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના મણિપુરના જીરીબામ જિલ્લાની છે. અહીં ગુરુવારે રાત્રે શંકાસ્પદ હુમલાખોરો ત્રણ બાળકોની માતા એવી એક આદિવાસી મહિલા પર તૂટી પડ્યા હતા. કથિત રીતે હુમલાખોરોએ મહિલા પર બળાત્કાર કર્યો અને તેને જીવતી સળગાવી દીધી. એટલું જ નહીં તેમણે ઓછામાં ઓછા 20 ઘરોને આગ ચાંપી દીધી હતી. મહિલાનો અટોપ્સી રિપોર્ટ આવી ગયો છે અને તેમાં હુમલાખોરોનું આ ભયાનક કૃત્ય સામે આવી ગયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસી મહિલાને થર્ડ ડિગ્રી ટોર્ચર કરાઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">અટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પીડિતા જીવતી હતી ત્યારે જ તેની જાંઘમાં ખીલા ઠોકી દેવામાં આવ્યા હતા અને પછી સળગાવતી વખતે પણ થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવી હતી. ઘટના 7 નવેમ્બરની છે. જેમાં મણિપુરના જીરીબામમાં સશસ્ત્ર ઘૂસણખોરો દ્વારા 31 વર્ષીય ત્રણ બાળકોની માતા પર કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટના પછી અહીં હિંસા વધુ ભડકી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અટોપ્સી રિપોર્ટમાં ચોંકાવનારી બાબતો સામે આવી</span></strong></span><br><span style="font-size: 14pt;">જિરીબામમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં પીડિતાના પતિને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેની પત્ની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેને ઘરમાં જ નિર્દયતાથી મારી નાખવામાં આવી હતી. એ રાત્રે જૈરાવનમાં 17 ઘરોમાં લૂંટફાટ અને આગ લગાડવામાં આવી હતી. આ ઘટનાના આરોપીઓ ખીણ વિસ્તારમાં સક્રિય એક સંગઠનના સભ્યો હોવાની શંકા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહિલાનું 99 ટકા શરીર બળી ગયું</span></strong></span><br><span style="font-size: 14pt;">બીજી તરફ મહિલાના અટોપ્સી રિપોર્ટમાં "જમણી જાંઘના પાછળના ભાગમાં ઘા" અને "ડાબી જાંઘના મધ્ય ભાગમાં ખીલો ઘૂસેડી દેવાયા" નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શરીર 99% બળી ગયેલું મળી આવ્યું હતું, એટલું જ નહીં, હાડકાના ટુકડા પણ સળગી ગયા હતા. અહેવાલમાં જણાવાયું છે કે, "જમણું ઉપરનું અંગ, બંને નીચલા અંગોનો ભાગ અને આખો ચહેરો ઓળખી ન શકાય તે હદે ગાયબ છે." </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય વિગતો વધુ સ્પષ્ટ છે, જે દર્શાવે છે કે મહિલાને તેના પતિ અને બાળકો સાથે ઘરમાં આગની ઝપટમાં આવતા પહેલા અનેક યાતનાઓ આપવામાં આવી હતી. જો કે હુમલાખોરો આવ્યા ત્યારે પીડિતાનો પતિ અને બાળકો ક્યાં હતા તે સ્પષ્ટ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિંસા નહીં રોકાય તો વધુ અશાંતિ ફેલાશે</span></strong></span><br><span style="font-size: 14pt;">ફેરઝાવલ અને જિરીબામની સ્વદેશી જનજાતિ હિમાયત સમિતિએ જોડિયા આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓના કુકી-ઝોમી-હમાર લોકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. ચુરાચંદપુરના આદિવાસીઓના એક જૂથ ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે હુમલાખોરોની ધરપકડ નહીં કરવામાં આવે તો વધુ અશાંતિ ફેલાશે તેવી ચેતવણી આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/victims-of-manipur-violence-have-not-yet-received-full-cpmpensation">મણિપુર હિંસાનો ભોગ બનેલા લોકોને હજુ સુધી પુરું વળતર મળ્યું નથી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 14 Nov 2024 14:33:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1548</Articleid>
                    <excerpt>manipur news : મણિપુરમાં ત્રણ બાળકોની માતા એવી એક આદિવાસી મહિલા સાથે હુમલાખોરોએ જે કર્યું તેણે બર્બરતાની હદ વટાવી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6735bcd452c33.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6735bcd40e94c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6735bcd40e94c.jpg" length="69693" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Manipur News, Manipur violence, Amit shah, ST News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હીમાં AAP&amp;BJP નો જાતિવાદ દલિત મેયરના 7 મહિના ખાઈ ગયો</title>
                    <link>https://khabarantar.com/aap-bjps-casteism-in-delhi-ate-up-7-months-of-dalit-mayor</link>
                    <guid>https://khabarantar.com/aap-bjps-casteism-in-delhi-ate-up-7-months-of-dalit-mayor</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હીમાં આજે દલિત મેયર માટે ચૂંટણી યોજાવાની છે. પણ આપ-ભાજપના જાતિવાદને કારણે દલિત મેયરનો કાર્યકાળ 12 મહિનાને બદલે માત્ર 5 મહિના જ રહેશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ આદમી પાર્ટી (AAP) સત્તામાં આવ્યા બાદ આજે દિલ્હી (Delhi) MCDમાં ત્રીજા મેયરની ચૂંટણી (Mayoral elections) યોજાવા જઈ રહી છે. MCD હાઉસની બેઠક આજે બપોરે 2 વાગ્યે યોજાશે. જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર ભાજપના કાઉન્સિલર સત્યા શર્મા (BJP Councilor Satya Sharma) મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હાથ ધરશે. MCDના એડમિનિસ્ટ્રેટર એલજી હોય છે, તેમણે સત્યાની નિમણૂંક કરી છે. સિનિયર મોસ્ટ કાઉન્સિલર હોવાના કારણે સત્યાને આ જવાબદારી સોંપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">AAPએ વર્ષ 2023માં સત્યાની નિમણૂકનો વિરોધ કર્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિસેમ્બર 2022 અને 2023માં પહેલીવાર મેયરની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર બનવા પર પહેલા એલ્ડરમેનો અને બાદમાં ચૂંટાયેલા કાઉન્સિલરોના શપથ લેવાને લઈને MCD હાઉસમાં ભારે હોબાળો થયો હતો. આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ઘણી બેઠકો પછી પણ મેયરની ચૂંટણી શક્ય બની ન હતી. તે સમયે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના કાઉન્સિલર હોવાને કારણે સત્યા શર્માએ ઘણાં એવા પગલાં લીધાં જે ગેરબંધારણીય હતા પરંતુ તેનો સીધો ફાયદો ભાજપને થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાર્ટી દ્વારા કાઉન્સિલરોને આપવામાં આવેલા આદેશો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોનું કહેવું છે કે પાર્ટીએ તમામ કાઉન્સિલરોને પ્રિસાઇડિંગ ઓફિસરના આદેશનું પાલન કરીને ચૂંટણી કરાવવાના આદેશ આપ્યા છે. પાર્ટી હેડક્વાર્ટર ખાતે મનીષ સિસોદિયા ઉપરાંત સંજય સિંહ, કોર્પોરેશનના પ્રભારી દુર્ગેશ પાઠકે વિજયનો મંત્ર આપ્યો હતો. જેનો એજન્ડા મેયરની ચૂંટણી જીતવાનો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગૃહમાં મતદાન સમયે મોબાઈલ ફોન સાથે લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સ્થાયી સમિતિના સભ્યની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો દ્વારા માર્ગદર્શિકાનો વિરોધ કરવામાં આવ્યો હતો. એમસીડીના 249 કાઉન્સિલરો ઉપરાંત 14 ધારાસભ્યો, દિલ્હીથી લોકસભાના સાત સાંસદો અને રાજ્યસભાના ત્રણ સાંસદો પણ મેયરની ચૂંટણીમાં ભાગ લેશે, પરંતુ તેમને ગૃહમાં મોબાઈલ ફોન સાથે લઈ જવા દેવામાં આવશે નહીં. આ સંદર્ભમાં MCDએ તમામ કાઉન્સિલરો, ધારાસભ્યો અને સાંસદોને માહિતી મોકલી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ છે મેયર પદના ઉમેદવારો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">AAPએ દેવ નગરના વોર્ડ 84માંથી અનુસૂચિત જાતિના કાઉન્સિલર મહેશ ખીંચીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે શકૂરપુરથી કિશન લાલને મેયર પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. AAP એ અમન વિહારના કાઉન્સિલર રવિન્દર ભારદ્વાજને ડેપ્યુટી મેયર માટે નોમિનેટ કર્યા છે. આ પદ માટે ભાજપે સાદતપુરથી નીતા બિષ્ટને મેદાનમાં ઉતાર્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેયર તરીકે ચૂંટાયા બાદ વર્તમાન મેયર શૈલી ઓબેરોય પૂર્વ મેયર બની જશે. નવા મેયરની ચૂંટણી એપ્રિલ 2024થી અટકી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિનિયમ કહે છે કે નવા મેયરની ચૂંટણીની તારીખ અને સમય મેયર દ્વારા નક્કી કરવામાં આવે છે અને ચૂંટણી યોજવા માટેના પ્રિસાઇડિંગ ઓફિસર દિલ્હીના એલજી દ્વારા નક્કી કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને AAP બંને પોતાનો મેયર ઈચ્છે છે જેથી તેઓ ઉત્સાહ સાથે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેયરની ચૂંટણીના નિયમો શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાયદો મેયરની ચૂંટણી મુદ્દે સ્પષ્ટ કહે છે કે, દર વર્ષે એપ્રિલમાં મેયરની ચૂંટણી યોજાવી જોઈએ. જ્યારે ડિસેમ્બર 2022 માં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે AAPએ 134 બેઠકો જીતી હતી. એ પછી AAP કાઉન્સિલર ડૉ. શૈલી ઓબેરોય ફેબ્રુઆરી 2023માં મેયર બન્યા. જ્યારે નાણાકીય વર્ષ પૂરું થયું ત્યારે એપ્રિલ 2023 માં યોજાયેલી મેયરની ચૂંટણીમાં શૈલી ઓબેરોય ફરીથી મેયર તરીકે ચૂંટાયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત મેયર બનાવવાના આવ્યા ત્યાં જાતિવાદ શરૂ થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતોને મહત્વના પદોથી દૂર રાખવા માટે સવર્ણ જાતિવાદી પક્ષો એક થઈ જતા હોય છે એવું સૌ કહે છે. પણ તેનું મોટું ઉદાહરણ દિલ્હીમાં દલિત મેયર વખતે જોવા મળ્યું. એપ્રિલ 2024માં કાયદા મુજબ દલિત મેયર બનાવવાના આવ્યા ત્યારે બધાંને પેટમાં દુખવા લાગ્યું અને આપ-ભાજપે મળીને રાજકારણ રમવાનું શરૂ કરી દીધું અને આખો મામલો ઘોંચમાં નાખી દીધો. પરિણામે 7 મહિના સુધી મેયરની ચૂંટણી થઈ શકી ન હતી. MCD એક્ટ મુજબ, મેયરના પદ પર પ્રથમ વર્ષ મહિલા કાઉન્સિલર માટે, બીજું જનરલ માટે અને ત્રીજું વર્ષ અનુસૂચિત જાતિના કાઉન્સિલર માટે અનામત છે. આ સિવાય બાકીના બે વર્ષ જનરલ માટે હોય છે. મતલબ પાંચ વર્ષના કાર્યકાળમાં ત્રણ વર્ષ જનરલ માટે હોય છે. MCD એક્ટ મુજબ મેયરની ચૂંટણી દર વર્ષે એપ્રિલમાં યોજાય છે. દર 5 વર્ષે, પાંચ અલગ-અલગ લોકોને દર એક વર્ષ માટે મેયર બનવાની તક મળે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવા મેયરનો કાર્યકાળ માત્ર 5 મહિનાનો રહેશે.</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વખતે બંને પક્ષો વચ્ચેની ખેંચતાણના કારણે નવા મેયરનો કાર્યકાળ માત્ર પાંચ મહિનાનો રહેશે. AAP અને BJP વચ્ચેના સાત મહિનાના લાંબા સંઘર્ષને કારણે MCD હાઉસમાં વારંવાર વિક્ષેપો સર્જાયો અને એપ્રિલમાં યોજાનારી ચૂંટણીમાં વિલંબ થયો. દલિતોએ સમજવાનું એ છે કે, આ રાજકારણ દલિત મેયર ન બની જાય તે માટેનું હતું અને તેમાં ભાજપ-આપની મિલીભગત હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ રીતે દલિત મેયર ન બનાવી વર્તમાન સવર્ણ મેટરને એક્ટેન્શન આપ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એપ્રિલ 2024 માં મેયરની ચૂંટણી સમયે, ભાજપ અને AAPએ ઉમેદવારો જાહેર કર્યા હતા, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર નક્કી કરવા માટેની ફાઇલ પર મુખ્યમંત્રીની ભલામણ ન હોવાનું કહીને પરત કરવામાં આવી હતી. નવા મેયરની પસંદગી ન થાય ત્યાં સુધી વર્તમાન મેયરને હોદ્દા પર રહેવા જણાવાયું હતું. તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તે સમયે જેલમાં હતા, તેથી તેઓ ભલામણ કરી શક્યા ન હતા. ત્યારથી એપ્રિલ 2024ની મેયરની ચૂંટણી બાકી છે. એ રીતે એક દલિત મેયરના કાર્યકાળના મહત્વના 7 મહિના જાતિવાદી પક્ષો ચાંઉ કરી ગયા હતા. હવે 5 મહિના માટે દલિતને મેયર બનાવવા ચૂંટણી યોજાઈ રહી છે. હવે કેજરીવાલ જેલમાંથી બહાર આવી ગયા છે અને દલિત મેયર તેમની મરજી વિરુદ્ધ કશું કામ કરી શકશે નહીં તે સ્પષ્ટ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/so-that-the-son-of-a-dalit-does-not-become-the-mayor-the-savarna-parties-are-struggling">દલિતનો દીકરો મેયર ન બની જાય તે માટે સવર્ણ પાર્ટીઓ ત્રાગા કરે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 14 Nov 2024 12:38:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1547</Articleid>
                    <excerpt>દિલ્હીમાં આજે દલિત મેયર માટે ચૂંટણી યોજાવાની છે. પણ આપ-ભાજપના જાતિવાદને કારણે દલિત મેયરનો કાર્યકાળ 12 મહિનાને બદલે માત્ર 5 મહિના જ રહેશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6735a13006c38.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6735a12fc376e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6735a12fc376e.jpg" length="95546" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mayoral elections, AAP, BJP, Delhi MCD</media:keywords>
                </item>
                        <item>
                    <title>દોઢ વર્ષ સુધી આદિવાસી યુવતીને કોટડીમાં પુરી રાખી, પ્રાઈવેટ પાર્ટ સળગાવી દીધો</title>
                    <link>https://khabarantar.com/tribal-girl-was-kept-in-a-hut-for-one-and-a-half-years-her-private-paerts-were-burnt</link>
                    <guid>https://khabarantar.com/tribal-girl-was-kept-in-a-hut-for-one-and-a-half-years-her-private-paerts-were-burnt</guid>
                    <description>
                        <![CDATA[ યુવતીના ગળા પર કાચ મૂકી અપહરણ કરી યુવક મુંબઈ લઈ ગયો. પછી જે થયું તે ભલભલા કઠણ કાળજાના લોકોને પણ હચમચાવી મૂકે તેવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી વિસ્તારમાંથી યુવતીઓને બળજબરીથી અન્ય વિસ્તારોમાં લઈ જઈને તેમના પર અત્યાચાર ગુજારવાની ઘટનાઓ ગુજરાત સહિત ભારતના અલગ અલગ રાજ્યોમાંથી સામે આવતી હોય છે. આ મામલે જાણે તંત્રને પણ કોઈ પડી ન હોય તેવી સ્થિતિ છે. પણ આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે, કેમ કે અહીં યુવતીના પ્રાઈવેટ પાર્ટને આરોપીએ કેમિકલ નાખીને સળગાવી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના છત્તીસગઢ (Chhattisgarh)ની છે. અહીં બર્બરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રાયપુર (Raipur)ના કોંડાગાંવ (Kondagaon) માં એક યુવક આદિવાસી યુવતી (Tribal Girl) નું અપહરણ (Kidnapping) કરીને તેને મુંબઈ (Mumbai) લઈ ગયો અને તેના પર દોઢ વર્ષ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો. ચોંકાવનારી વાત એ છે કે યુવકે યુવતીના પ્રાઈવેટ પાર્ટને સળગાવ્યો હતો જેમાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ દોઢ વર્ષ પહેલા ફિરોઝ નામના શખ્સે 22 વર્ષની આદિવાસી યુવતીનું અપહરણ કરીને તેને મુંબઈના ધારાવી વિસ્તારમાં એક અંધારા રૂમમાં બંધક બનાવી હતી. આ દરમિયાન તેણે લગભગ દોઢ વર્ષ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે જણાવ્યું હતું કે ફિરોઝે છોકરીના પ્રાઈવેટ પાર્ટ પર કેમિકલ નાખીને સળગાવી દીધું હતું. જો કે, છોકરી કોઈક રીતે ફિરોઝની ચુંગાલમાંથી છટકીને કોંડાગાંવ પહોંચી અને પરિવારને આ અંગે જાણ કરી. યુવતીના પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું છે કે કર પોલીસ આરોપીઓની ધરપકડ માટે રવાના થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે બસ્તર ડિવિઝનના કોંડાગાંવ જિલ્લાના માકડી પોલીસ સ્ટેશન વિસ્તારની યુવતીએ પૂછપરછ દરમિયાન કહ્યું કે તેને વર્ષ 2022-23માં એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. તે નંબર ફિરોઝનો હતો. તે તેને નવા-નવા નંબરોથી ફોન કરતો રહ્યો અને તેને મળવાનું કહ્યું, પરંતુ યુવતીએ ના પાડી દીધી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન એક દિવસ યુવતીની તબિયત ખરાબ થતા તે દવા લેવા માટે કોંડાગાંવ ગઈ હતી. જેની જાણ ફિરોઝને થતાં જ તે ત્યાં પહોંચી ગયો અને યુવતીના ગળા પર કાચ રાખી તેણીને ડરાવીને પોતાની સાથે મુંબઈ લઈ ગયો. આદિવાસી યુવતીએ જણાવ્યું કે ફિરોઝ ધારાવીમાં એક નાના રૂમમાં રહેતો હતો, જ્યાં બારી પણ નહોતી. તેણે રોજ તેના પર બળાત્કાર ચાલુ રાખ્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતીએ જણાવ્યું કે જ્યારે તેણે આનો વિરોધ કર્યો તો ફિરોઝે તેના પ્રાઈવેટ પાર્ટ પર કેમિકલ નાખીને બાળી નાખ્યું. તેણે તેને માર પણ માર્યો અને ઘણા દિવસો સુધી ખાવાનું પણ ન આપ્યું. આ સિવાય તેણે તેના મોબાઈલ પરથી યુવતીના પરિવારને મેસેજ કર્યો હતો કે તે સુરક્ષિત છે અને તેને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે અને સાથે તે લગ્ન કરવા જઈ રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dalit-woman-axed-on-chest-private-part-cut-critical-condition">દલિત મહિલાની છાતી પર કુહાડી મારી, પ્રાઈવેટ પાર્ટ કાપ્યું, હાલત ગંભીર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 14 Nov 2024 11:11:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1546</Articleid>
                    <excerpt>યુવતીના ગળા પર કાચ મૂકી અપહરણ કરી યુવક મુંબઈ લઈ ગયો. પછી જે થયું તે ભલભલા કઠણ કાળજાના લોકોને પણ હચમચાવી મૂકે તેવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67358cf7afed4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67358cf77e9a5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67358cf77e9a5.jpg" length="66678" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Chhattisgarh, Raipur, Kondagaon, Tribal Girl, Adivasi Crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>લીલી પરિક્રમામાં ઉમટતી ભીડ તીવ્ર બેરોજગારી&amp;બેકારીનો સંકેત છે?</title>
                    <link>https://khabarantar.com/is-the-crowd-gathering-in-the-green-circle-a-sign-of-severe-unemployment</link>
                    <guid>https://khabarantar.com/is-the-crowd-gathering-in-the-green-circle-a-sign-of-severe-unemployment</guid>
                    <description>
                        <![CDATA[ ગિરનારની લીલી પરિક્રમમાં બહુજન યુવાનોની વધતી જતી ભીડ તેમનામાં પ્રવેશી ચૂકેલી ભારે હતાશા, બેકારી અને બેરોજગારીનો સંકેત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમામાં દર વર્ષે ભીડમાં વધારો થઈ રહ્યો છે તે શેનો સંકેત આપે છે? અત્યાત સુધીમાં 9 ના મોત થયા છે અને  ૬ બાળકો સહિત ૪૩ લોકો ગુમ થયા છે તેની કોઈ ચર્ચા નથી કરતું અને આસ્થાનો ઢોળ ચડાવે જાય છે. પરિક્રમમાં બહુજન યુવાનોની વધતી જતી સંખ્યા પણ એક મોટી ચિંતાનો વિષય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં ધાર્મિક મેળાવડાઓ, ઉત્સવોમાં દર વર્ષે કોઈને કોઈ અકસ્માતો, દુર્ઘટનાઓ, ભાગદોડમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. મોંઘવારી, બેરોજગારીના કારણે તણાવમાં રહેતા લોકોને વ્યસ્ત રાખવામાં મોટો ફાળો આપતા આવા મેળાવડાઓ સત્તાધારીઓ માટે એક અગત્યનું ટૂલ બની ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવું જ એક ટૂલ એટલે દર વર્ષે જૂનાગઢમાં યોજાતી ગિરનારની લીલી પરિક્રમા. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. જો કે એ પહેલા સાત લાખ લોકો પરિક્રમાના રુટ પર પ્રવેશ કર્યો છે. હાલમાં પરિક્રમાના રૂટ પર ૪ લાખ યાત્રાળુઓ છે અને ૩ લાખ જેટલા યાત્રાળુઓ નળ પાણીની ઘોડી વટાવી ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બધી ચર્ચાઓ વચ્ચે લીલી પરિક્રમામાં અત્યાર સુધી ૯ લોકોના મોત થયા છે તેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે. આ સિવાય બે દિવસમાં ૬ બાળકો સહિત ૪૩ લોકો ગુમ થયા છે. લીલી પરિક્રમાની શરૂઆત પહેલા જ ૨ શ્રદ્ધાળુઓના હાર્ટ એટેકથી મોત થયા હતા. મૃતકનું નામ પરસોત્તમભાઈ છે, જ્યારે અન્ય એક રાજકોટના મહેશ રૂડાભાઈનું પણ એટેકથી મોત થયુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લીલી પરિક્રમામાં વીસ લાખ લોકોના આવવાના અંદાજને ધ્યાને લઇ એસ પી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. શહેરના ૪૨૭ કેમેરાઓ થી સતત નજર રાખવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગિરનાર પરિક્રમા માટે કુલ ૨૪૨૭ પોલીસ કર્મી ફરજ બજાવી રહ્યાં છે. આ ઉપરાંત બોડીવોર્ન કેમેરા ૨૧૦, રસા ૧૯, અગ્નિશામક ૪૯, વાયરલેસ સેટ ૪૦, રાવટી ૪૭ ,વોકીટોકી ૧૯૫ જેવા આધુનિક સાધનો સાથે પોલીસ કર્મી ફરજ પર રહેશે. ચોરી, લૂંટફાટ જેવી ઘટના કે આકસ્મિક ઘટનાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આશ્ચર્યની વાત એ છે કે, દર વર્ષે અનેક લોકો આ રીતે ગુમ થઈ જાય છે કે મોતને ભેટે છે, તેમ છતાં લીલી પરિક્રમામાં લોકોનો ધસારો જરાય ઓછો નથી થતો. જે સેંકડો લોકો આ પરિક્રમમાં ઉમટી પડે છે તેમાં બહમતી દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના હોય છે. કથિત ઉચ્ચ જાતિના બહુ ઓછા લોકો આમાં નજરે પડતા હોય છે. જે રીતે લાખો લોકો આ પરિક્રમમાં ઉમટી પડે છે તે બેરોજગારી અને બેકારીનો પણ સંકેત આપતા હોય છે. તમને શું લાગે છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/The-Controversy-of-the-Steps-Above-the-Fifth-Step-of-Mount-Girnar:-A-Perspective-on-the-Historical-Evidence"> Exclusive - ગિરનાર પર્વતની પાંચમી ટૂંક ઉપર આવેલા પગલાંનો વિવાદ: ઐતિહાસિક પુરાવા પર એક દ્રષ્ટિપાત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 14 Nov 2024 10:22:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1545</Articleid>
                    <excerpt>ગિરનારની લીલી પરિક્રમમાં બહુજન યુવાનોની વધતી જતી ભીડ તેમનામાં પ્રવેશી ચૂકેલી ભારે હતાશા, બેકારી અને બેરોજગારીનો સંકેત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673581e8bcd4e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673581e88ab7b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673581e88ab7b.jpg" length="156149" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Girnarlili Parikrama, Lili Parikrama 2024, Girnar, Unemployment</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહીસાગરના કલેક્ટર સામે હવે ગુજરાતના વકીલોએ મોરચો માંડ્યો</title>
                    <link>https://khabarantar.com/gujarat-lawyers-now-take-up-the-front-against-mahisagar-collector</link>
                    <guid>https://khabarantar.com/gujarat-lawyers-now-take-up-the-front-against-mahisagar-collector</guid>
                    <description>
                        <![CDATA[ એડવોકેટ એસોસિએશના પ્રમુખે કહ્યું, આ અધિકારીને સસ્પેન્ડ કરીને તેમની સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરાવી જોઈએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગરના જાતિવાદી માનસિકતાના કલેક્ટર નેહા કુમારી દુબે દ્વારા એટ્રોસિટીના કેસોમાં કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીને લઈને સમસ્ત દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે ત્યારે આ મામલે હવે વકીલોએ પણ કલેક્ટર સામે મોરચો માંડ્યો છે. મળતી માહિતી પ્રમાણે નેહા કુમારી દુબેએ વકીલો અંગે પણ અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો હોવાથી ગુજરાતભરના વકીલોમાં ભારે રોષ ફેલાયો છે અને આ મામલે ગુજરાત એડવોકેટ કેર સોસાયટીએ કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ મોરચો માંડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ કેર સોસાયટીએ કલેક્ટર નેહાકુમારીનો વિરોધ નોંધાવતા એ દિવસને ગુજરાતી વહીવટી વિભાગના કાળા દિવસ સમાન ગણાવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ અને તેમની સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવી જોઈએ. આ ઘટના સંદર્ભે બહાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના બાર કાઉન્સિલના પ્રમુખ જે.જે પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, જે પ્રમાણે પોલીસ અને વહીવટી અધિકારીઓ વકીલો વિશે અયોગ્ય શબ્દો વાપરે છે, તેમજ તેમની સાથે અયોગ્ય વર્તન કરે છે. તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના અંગે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે. દેશમાં એડવોકેટ પ્રોટેકશન એક્ટર જરૂર છે. દેશમાં રાજકીય નેતાઓ જે રીતે કોમી વૈમનસ્ય ફેલાય તેવા ભાષણો આપી રહ્યા છે. તેમની વિરુદ્ધ બોલવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં હેટ સ્પીચ અંગે સ્પષ્ટ અને કડક પગલાની જોગવાઈ છે. પણ શા માટે હાઇકોર્ટ આ પગલાં લેતા પાછી પાની કરે છે તે ખબર પડતી નથી. સારા સમાજ માટે ધર્મનિરપેક્ષતા હોવી જરૂરી છે. સામાન્ય રીતે ભૂતકાળમાં અધિકારીઓ સામે પગલાં લેવાયા હોવાના દાખલા મળે છે, પરંતુ મંત્રીઓ સામે પગલાં લેવાયા હોય તેવું દેખાતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/congress-launches-nationwide-agitation-against-mahisagar-collector-neha-kumari-dubey">જાતિવાદી કલેક્ટર નેહા કુમારી દુબે વિરુદ્ધ કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 22:08:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1544</Articleid>
                    <excerpt>એડવોકેટ એસોસિએશના પ્રમુખે કહ્યું, આ અધિકારીને સસ્પેન્ડ કરીને તેમની સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરાવી જોઈએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6734cdef569bc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6734cdef2506a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6734cdef2506a.jpg" length="102462" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mahisagar Collecto, r Neha Kumari Dubey, Atrocity Cases</media:keywords>
                </item>
                        <item>
                    <title>રેલવે તંત્ર અમને ગાંઠતું નથી, ભાજપના સાંસદે બળાપો ઠાલવ્યો</title>
                    <link>https://khabarantar.com/the-railway-system-does-not-bother-us-bjp-mp-laments</link>
                    <guid>https://khabarantar.com/the-railway-system-does-not-bother-us-bjp-mp-laments</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટમાં રેલવેના જાહેર કાર્યક્રમમાં સાંસદે બળાપો ઠાલવતા કહ્યું, બે વર્ષ અગાઉ જાહેર કરાયેલી 6 ટ્રેન હજુ સુધી શરૂ કરાઇ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રેલવે તંત્ર ભાજપના નેતાઓને ગાંઠતું નથી, બે વર્ષ અગાઉ જાહેર કરાયેલી છ નવી ટ્રેનોને હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. આ માટે અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં રેલવે તંત્ર દ્વારા તેની નોંધ લેવામાં આવતી ન હોવાનો બળાપો ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટ ખાતે રેલવેના જાહેર કાર્યક્રમમાં વ્યક્ત કર્યો હતો.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બિહાર ખાતેથી રાજકોટ રેલવે સ્ટેશન સહિતના ભારતનાં 18 સ્થળોએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા. જેના અંતર્ગત રાજકોટ રેલવે સ્ટેશન ખાતે રૂ. ૧૦.૨૩ લાખના ખર્ચે નિર્માણ થયેલ જન ઔષધિ કેન્દ્રનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતું. જેના કારણે મુસાફરો અને મુલાકાતીઓને 50 થી 90 ટકા સુધી ઓછી કિંમતમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ થશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટ ખાતે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રેલવે તંત્ર દ્વારા બે વર્ષ અગાઉ જાહેરાત કરાયેલી છ નવી ટ્રેનો શરૂ કરવામાં આવતી ન હોવા અંગે પોતાનો બળાપો જાહેરમાં ઠાલવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, રાજકોટને જરૂરિયાત મુજબની ટ્રેનો દોડાવવામાં આવે તે જરૂરી છે. પરંતુ રેલવે તંત્રને તેની કોઈ ગંભીરતા નથી. બે વર્ષ અગાઉ તત્કાલિન કેન્દ્રિય રેલ મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં રાજકોટથી નવી છ ટ્રેનો દોડાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ ટ્રેનોને હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. આ મામલે મે અનેક વખત રાજકોટ ડીઆરએમ સહિત કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતના તમામને રજૂઆતો કરી છે. પરંતુ રેલવે તંત્ર દ્વારા હજુ સુધી આ છ ટ્રેનોને શરૂ કરવા માટે ગંભીરતાપૂર્વક નોંધ લેતું નથી તેવું લાગી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/railways-has-given-100-vande-bharat-trains-rs-canceled-orders-worth-30-thousand-crores">રેલવેએ 100 વંદે ભારત ટ્રેનોનો રૂ. 30 હજાર કરોડનો ઓર્ડર રદ કર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 21:09:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1543</Articleid>
                    <excerpt>રાજકોટમાં રેલવેના જાહેર કાર્યક્રમમાં સાંસદે બળાપો ઠાલવતા કહ્યું, બે વર્ષ અગાઉ જાહેર કરાયેલી 6 ટ્રેન હજુ સુધી શરૂ કરાઇ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6734c809741dd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6734c80945515.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6734c80945515.jpg" length="82706" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BJP leader, Rajya abha MP Ram Mokaria</media:keywords>
                </item>
                        <item>
                    <title>વટની બેઠક ગણાતી વાવની પેટાચૂંટણીમાં ૭૦ ટકા જેટલું મતદાન થયું</title>
                    <link>https://khabarantar.com/around-70-percent-voting-was-recorded-in-the-by-election-in-vav</link>
                    <guid>https://khabarantar.com/around-70-percent-voting-was-recorded-in-the-by-election-in-vav</guid>
                    <description>
                        <![CDATA[ ઠાકોર, રાજપૂત અને ચૌધરી વચ્ચેના જંગમાં મતદારોએ જંગી મતદાન કર્યું. મતદાન દરમિયાન ૧ બેલેટ યુનિટ, ૧ કંટ્રોલ યુનિટ અને ૩ વીવીપીએટી બદલ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની બહુચર્ચિત એવી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આજે યોજાઇ હતી. જેમાં ઠાકોર, રાજપૂત અને ચૌધરી વચ્ચેના જંગમાં મતદારોએ જંગી મતદાન કર્યું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૭.૧૩ ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, સાંજે છ વાગ્યા સુધીમાં ૭૦ ટકાની આસપાસ મતદાન થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. મતદાન દરમિયાન ૧ બેલેટ યુનિટ, ૧ કંટ્રોલ યુનિટ અને ૩ વીવીપીએટી બદલવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીમાં ભાજપના ક્લીન સ્વીપની હેટ્રીકના સ્વપ્નને બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વાવના તત્કાલિન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચકનાચૂર કર્યું હતું. બનાસકાંઠા લોકસભા બેઠક જીત્યા બાદ ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને ભાજપના બંડખોર નેતા માવજી પટેલ (ચૌધરી)એ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે આ પેટા ચૂંટણી ભારે રસાકસીભરી બની રહેશે તેવું જણાય રહ્યું છે. ત્યારે આજે ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસનાં ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલનું ભાવિ આજે ઇવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે. આ ત્રણ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ બની રહે તેવી સંભાવના છે. પરંતુ વટની બેઠકના કોણ ધારાસભ્ય બનશે તે આગામી તા. 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાયા બાદ જ જાણવા મળી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વટની બેઠક ગણાતી એવી વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી માટે આજે તા.૧૩ નવેમ્બરના રોજ મતદાન હાથ ધરાયું હતું. આ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણી જંગમાં કુલ ૩.૧૦ લાખથી વધુ મતદારોમાંથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૬૭.૧૩ ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્રે ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા બેઠકના તમામ ૩૨૧ જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. મતદાન દરમિયાન સાંજના પાંચ વાગ્યા સુધીમાં ૧ બેલેટ યુનિટ (બીયુ), ૧ કંટ્રોલ યુનિટ (સીયુ) અને ૩ વીવીપીએટી બદલવામાં આવ્યા હતા. જે પણ મતદાન મથકે બીયુ, સીયુ અથવા વીવીપીએટી બદલવાની જરૂર પડી તે કિસ્સામાં સૅક્ટર ઑફિસર પાસેના રિઝર્વ મશીનમાંથી બીયુ, સીયુ અથવા વીવીપીએટી બદલવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/by-election-declared-for-banaskanthas-vav-assembly-seat"><span style="font-size: 14pt;">બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 20:30:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1542</Articleid>
                    <excerpt>ઠાકોર, રાજપૂત અને ચૌધરી વચ્ચેના જંગમાં મતદારોએ જંગી મતદાન કર્યું. મતદાન દરમિયાન ૧ બેલેટ યુનિટ, ૧ કંટ્રોલ યુનિટ અને ૩ વીવીપીએટી બદલ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6734be257263f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6734be25348a5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6734be25348a5.jpg" length="80465" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vav Assembly Constituency, By-election</media:keywords>
                </item>
                        <item>
                    <title>શું RSS અગ્નિવીર યોજના દ્વારા નાગરિકોનું લશ્કરીકરણ કરવા માંગે છે?</title>
                    <link>https://khabarantar.com/does-rss-want-to-militarize-citizens-through-agniveer-yojna</link>
                    <guid>https://khabarantar.com/does-rss-want-to-militarize-citizens-through-agniveer-yojna</guid>
                    <description>
                        <![CDATA[ RSS ના મુખપત્ર ઓર્ગેનાઇઝરના સંપાદક પ્રફુલ્લ કેતકરે તાજેતરમાં જણાવ્યું હતું કે અગ્નિપથ યોજના નાગરિકોને સેના માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગ્નિવીર યોજના થકી સેનામાં ચાર વર્ષના કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાની યોજનાએ ઘણા વિવાદોને જન્મ આપ્યો છે. જેના કારણે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને કેટલીક બેઠકો ગુમાવવી પડી હતી. તેમ છતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આ યોજનાને સમર્થન આપી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં, એક સંસ્થા દ્વારા આયોજિત પ્રવચનમાં, RSS સાથે જોડાયેલા મેગેઝિન 'ઓર્ગેનાઇઝર'ના એડિટર પ્રફુલ્લ કેતકરને પૂછવામાં આવ્યું હતું કે શું ભારતમાં પણ નાગરિકોએ ઇઝરાયેલ જેવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેના જવાબમાં તેમણે કહ્યું કે આ હેતુ માટે અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ લોકોને સેના માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રફુલ્લ કેતકરનું નિવેદન અગ્નિપથ યોજના માટે રજૂ કરવામાં આવેલી સરકારી દલીલોથી સંપૂર્ણપણે અલગ એક નવી વાત સામે લાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગ્નિપથ યોજનાની તરફેણમાં એક વાત કહેવામાં આવી છે કે તે સેનાને વધુ યુવા બનાવશે અને સરકાર માટે નાણાં બચાવશે. આ યોજના હેઠળ, સરકાર માટે તેના નિયમિત દળમાંથી એક ભાગને છુટો કરી શકશે અને એ રીતે તે પેન્શન અને અન્ય લાભો હેઠળ આપવામાં આવતી રકમને બચાવી શકશે. સરકાર માટે આ નફાકારક સ્થિતિ હશે કારણ કે દર વર્ષે સંરક્ષણ બાબતો માટેના 5 લાખ કરોડ રૂપિયાના બજેટમાંથી તેને આ કામ હેઠળ 2.6 લાખ કરોડ રૂપિયા ચૂકવવા પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તો પછી કેતકર શા માટે કહી રહ્યા છે કે આંતરિક કટોકટી વખતે ઈઝરાયેલની જેમ લશ્કરી તાલીમ મેળવનાર અગ્નિવીરોની મદદ લેવામાં આવશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોક્કસપણે આ એક વિવાદાસ્પદ સમજ છે. ઇઝરાયેલ તેના પોતાના પેલેસ્ટિનિયન નાગરિકોને બીજા વર્ગના નાગરિકો જેવો વ્યવહાર કરે છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં તેના પર 'નરસંહાર જેવો કેસ વર્તાવવાનો' આરોપ લાગ્યો છે, પરંતુ સંઘના વરિષ્ઠ સ્વયંસેવકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, વિશ્લેષકો અગાઉ અગ્નિપથ યોજનાને લઈને આવી વાતો કહી ચૂક્યા છે કે તે કેવી રીતે ભારતીય સમાજનું લશ્કરીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ એકવાર આ યોજના પર કહ્યું હતું કે તે ભારતીય સેનાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિયંત્રણમાં લાવવાની યોજના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/sikh-leader-demands-ban-on-rss-network-in-canada"><span style="font-size: 14pt;">શીખ નેતાએ કેનેડામાં RSS ના નેટવર્ક પર પ્રતિબંધની માંગ કરી</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રફુલ્લ કેતકરે જે ખુલાસો કર્યો છે તે પુષ્ટિ કરે છે કે ઘણા નિવૃત્ત લશ્કરી અધિકારીઓએ આ યોજના પર પ્રશ્નો ઉઠાવ્યા હોવા છતાં, આ યોજનાને ચાલુ રાખવામાં સરકારનું જિદ્દી વલણ એમ જ નથી ઉભું થયું. આની પાછળ હિંદુત્વ વર્ચસ્વવાદી વિચારધારાથી ચાલતી વર્તમાન સરકારનો વ્યાપક એજન્ડા કામ કરી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંઘ તેની શરૂઆતથી જ લોકોને હથિયારબંધ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે જેથી કરીને 'ધર્મદ્રોહિયો' વિરુદ્ધ અસરકારક રીતે તેમનો ઉપયોગ કરી શકાય. ત્રીસના દાયકાથી જ 'હિંદુઓના લશ્કરીકરણ'ની વાતો કરવામાં આવી હતી. હેડગેવાર, બાબારાવ સાવરકર વગેરે સાથે મળીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરનાર હિંદુ મહાસભાના તેમના વરિષ્ઠ સાથીદાર/માર્ગદર્શક બી.એસ. મુંજે તેમની ઇટાલીની મુલાકાત દરમિયાન મુસોલિનીને મળ્યા હતા અને પરત ફર્યા પછી ભોંસલા સૈનિક શાળાની સ્થાપના કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ દળો સક્રિય હતા ત્યારે હિંદુ મહાસભાએ બ્રિટિશ સેનામાં હિંદુ યુવાનોની ભરતી કરવા માટે નિયમિત અભિયાન ચલાવ્યું હતું. અભિયાનનું સૂત્ર 'સેનાનું હિંદુકરણ અને રાષ્ટ્રનું લશ્કરીકરણ' હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેન્દ્ર મોદીના કાર્યકાળના છેલ્લા દાયકા દરમિયાન, સમાજનું લશ્કરીકરણ કરવાના ઇરાદાઓ વિશે વારંવાર વાતો કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંઘના સુપ્રીમો મોહન ભાગવતે 2018 માં બિહારના મુઝફ્ફરપુરમાં તેમની બેઠકમાં જાહેરાત કરી હતી કે તેમના સ્વયંસેવકો પાસે માત્ર ત્રણ દિવસમાં સેનાનું ગઠન કરી શકે છે, જેને સરહદો પર તૈનાત કરી શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકારે એ પણ નિર્ણય લીધો હતો કે તે 67 ટકા સૈનિક શાળાઓ સંઘ પરિવાર અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ અને ભાજપના નેતાઓને હવાલે કરી દેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શસ્ત્રોની તાલીમથી સજ્જ બેરોજગાર લોકોની આ ભીડ હિંદુત્વના પ્રસાર માટે એક સરળ માધ્યમ બનશે અને ભારતના ઘડતર માટે એક મોટો પડકાર રજૂ કરશે અને પ્રજાસત્તાકના ભવિષ્ય માટે ચિંતાજનક રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે સમાજમાં ભારે સૈન્યીકરણ થયું છે, ત્યાં વિવાદની સ્થિતિમાં બહુમતીવાદી દળો લઘુમતી સમાજોને પાયમાલ કરી શકે છે. એવામાં તેની આસાનીથી કલ્પના કરી શકાય છે કે, અગ્નિવીરની સેવા પૂરી કરીને હથિયારોની તાલીમ પામેલા યુવાનો જ્યારે સમાજમાં પરત ફરશે ત્યારે તેની કેવી વિપરિત અસર સમાજ પર પડી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;">(મૂળ લેખ ડાબેરી કાર્યકર, લેખક અને અનુવાદક સુભાષ ગાતાડે દ્વારા ધ વાયરમાં લખવામાં આવ્યો હતો, અહીં તેનો અનુવાદ પ્રસ્તુત છે.)</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/rss-will-hold-a-two-day-manthan-in-mathura-to-indulge-dalits">દલિતોને રીઝવવા RSS મથુરામાં બે દિવસ મંથન કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 16:44:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1541</Articleid>
                    <excerpt>RSS ના મુખપત્ર ઓર્ગેનાઇઝરના સંપાદક પ્રફુલ્લ કેતકરે તાજેતરમાં જણાવ્યું હતું કે અગ્નિપથ યોજના નાગરિકોને સેના માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67348960e6cda.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67348960b0ca1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67348960b0ca1.jpg" length="86529" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, Agniveer Scheme, Militarization, Agniveer Yojana</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોઈ એક કેસના આરોપીનું ઘર તોડીને તેના પરિવારને સજા કેમ અપાય છે?</title>
                    <link>https://khabarantar.com/supreme-court-bans-bulldozer-action-and-issues-guidelines-for-it</link>
                    <guid>https://khabarantar.com/supreme-court-bans-bulldozer-action-and-issues-guidelines-for-it</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપસાશિત રાજ્યોમાં લઘુમતી સમાજના લોકોના ઘરો પર થતી બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકીને કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. વાંચો કોર્ટે શું શું કહ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહીને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે કોઈપણ પરિવાર માટે પોતાનું ઘર એક સપનું હોય છે અને તે વર્ષોની મહેનત પછી બને છે. તેથી, કોઈનું ઘર ફક્ત એટલા માટે તોડી શકાય નહીં કે તે કોઈ કેસમાં આરોપી અથવા દોષિત છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેન્ચે કહ્યું કે વહીવટીતંત્ર ન્યાયાધીશ ન બની શકે અને કોઈની મિલકત માત્ર એટલા માટે તોડી ન શકાય કારણ કે સંબંધિત વ્યક્તિ આરોપી અથવા દોષિત છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચે કહ્યું કે બદલો લેવા માટે બુલડોઝરની કાર્યવાહી કરી શકાય નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે ઘર એ મૂળભૂત અધિકાર છે અને નિયમોનું પાલન કર્યા વિના તેને છીનવી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મનસ્વી કાર્યવાહીને બદલે નિયમોનું પાલન કરવું જોઈએ. સરકારમાં જનતાનો વિશ્વાસ તેના પર નિર્ભર કરે છે કે તે લોકો પ્રત્યે કેટલી જવાબદાર છે અને તે તેમના અધિકારોનું કેટલું રક્ષણ કરે છે. તેમની મિલકતો પણ સુરક્ષિત હોવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે વહીવટીતંત્ર ન્યાયાધીશ ન બની શકે અને કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના બુલડોઝરની કાર્યવાહી જેવી બાબતો થઈ શકે નહીં. એટલું જ નહીં, બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહીને લઈને સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા નક્કી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બુલડોઝર એક્શન પર કોર્ટે શું માર્ગદર્શિકા નક્કી કરી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે, લેખિત સૂચના આપ્યા વિના કોઈની મિલકત તોડી ન શકાય. આ નોટિસ ઓછામાં ઓછા 15 દિવસ પહેલા મળવી જોઈએ. આ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવું જોઈએ અને સંબંધિત બિલ્ડિંગ પર પણ ચોંટાડવું જોઈએ. સાથે જ એ પણ જણાવવું જોઈએ કે શા માટે ઈમારત તોડી પાડવામાં આવી રહી છે. આ જ નોટિસમાં એ પણ જણાવવાનું રહેશે કે આ કાર્યવાહીને રોકવા માટે શું કરી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/supreme-court-refuses-to-ban-bulldozer-operation-in-somnath">સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી પ્રતિબંધ મૂકવા સુપ્રીમનો ઈનકાર</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈપણ મિલકત પર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરતા પહેલા તેના માલિકને વ્યક્તિગત સુનાવણીની તક આપવી પડશે. આ સિવાય અધિકારીઓએ આદેશ અંગે મૌખિક માહિતી આપવાની રહેશે. બુલડોઝર કાર્યવાહીની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે જેથી કોર્ટની માર્ગદર્શિકાનું પાલન થયું કે નહીં તે અંગે પુરાવા મળી શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે એ જોવાનું રહેશે કે બુલડોઝર કાર્યવાહીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં. તેમણે નક્કી કરવાનું રહેશે કે જે ઈમારતો ગેરકાયદે છે તેને જ તોડી પાડવામાં આવે અને તેમાં પણ નિયમોનું પાલન કરવામાં આવે. નિયમોનું પાલન કર્યા વિના મકાનો કે બિલ્ડીંગ તોડી પાડનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી પણ થઈ શકે છે. આ સિવાય દંડ પણ થઈ શકે છે. એટલું જ નહીં, મિલકતને તોડી પાડવાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ પણ સત્તાવાળાઓ પાસેથી થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે કાયદા હેઠળ તમામ નાગરિકો સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. કોઈનું ઘર તોડવું એ તેના મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે. કોર્ટમાં કેટલાક રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કોઈનું ઘર કોઈ ગુના માટે તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ તે જ ગુનો કરવા બદલ અન્ય સમાજની વ્યક્તિ સામે આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે જો કોઈ ગેરકાયદે બાંધકામ તોડવું હોય તો તેમાં કોઈ પક્ષપાત ન કરવો જોઈએ અને આરોપી કે તેના સમાજના બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને કાર્યવાહી ન કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ ગવઈએ કહ્યું કે, એ નક્કી કરવું જોઈએ કે કોઈપણ આરોપીના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ન થાય. વહીવટીતંત્ર કોઈપણ વ્યક્તિને દોષિત ઠેરવી શકે નહીં અને તેના આધારે મકાન તોડી શકાય નહીં. આવી ઘટનાઓ સીધી કાયદાની ભાવના પર પ્રહાર કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-case-of-bulldozer-justice-reached-the-supreme-court-hearing-on-september-2">'બુલડોઝર ન્યાય'નો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, ૨ સપ્ટેમ્બરે સુનાવણી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 13:54:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1540</Articleid>
                    <excerpt>ભાજપસાશિત રાજ્યોમાં લઘુમતી સમાજના લોકોના ઘરો પર થતી બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકીને કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. વાંચો કોર્ટે શું શું કહ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6734606a0470c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67346069c5ef3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67346069c5ef3.jpg" length="117237" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bulldozer action, supreme court, Guidelines</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;દલિત થઈને અમારી સાથે બેસવું છે?&amp;quot; કહી દલિત યુવકના દાંત તોડી નાખ્યા</title>
                    <link>https://khabarantar.com/in-mps-chhatarpur-casteist-elements-beat-up-a-dalit-youth-for-sitting-on-a-bike</link>
                    <guid>https://khabarantar.com/in-mps-chhatarpur-casteist-elements-beat-up-a-dalit-youth-for-sitting-on-a-bike</guid>
                    <description>
                        <![CDATA[ MP News :  દલિત યુવકે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પ્રયત્ન કર્યો પણ પોલીસે બે દિવસ સુધી એફઆઈઆર ન નોંધી. હવે એસપી સુધી મામલો પહોંચ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">casteist elements beat up a dalit youth for sitting on a bike : જાતિવાદી તત્વોને ક્યારે કઈ બાબતને લઈને માઠું લાગી જાય કે અભડાઈ જવાની માનસિકતા ઘૂસી જાય કળી શકાય તેમ નથી હોતું. એટલે જ સાવ સામાન્ય બાબતને લઈને પણ દલિતો પર હુમલાના બનાવો બનતા રહે છે. આવી જ એક ઘટનામાં એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ માર મારતા તેના દાંત તોડી નાખ્યા હતા. આ મામલે દલિત યુવક બે દિવસ સુધી ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને ગયો હતો, પણ પોલીસે તેની ફરિયાદ નોંધી નહોતી. આખરે તેણે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ નોંધવામાં મદદ કરવા વિનંતી કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના છત્તરપુર વિસ્તારની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચાર થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીં છત્તરપુર જિલ્લામાં એક દલિત યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો છે. સવર્ણ જ્ઞાતિના વ્યક્તિ સાથે બાઇક પર જતાં યુવક પર આરોપીઓએ હુમલો કર્યો હતો. માર મારવાથી દલિત યુવકનો દાંત તૂટી ગયો છે અને તેના શરીર પર ઈજાઓ થઈ છે. યુવકે પોલીસ અધિક્ષકને ન્યાય માટે અરજી કરતા હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવકને બાઈક પર બેસવા પર માર માર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના મલહરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. દલિત યુવકને એટલા માટે મારવામાં આવ્યો કારણ કે તે ઉચ્ચ જાતિની વ્યક્તિ સાથે બાઇક પર બેસીને જઈ રહ્યો હતો. યુવકનો આરોપ છે કે તે જેની સાથે બાઇક પર બેસીને જઈ રહ્યો હતો તેના મોટા ભાઈએ જ તેની સાથે મારામારી કરી હતી. યુવકને માર મારવાનું એકમાત્ર કારણ તેની દલિત જાતિ હતી. યુવક દલિતોની વંશકર જાતિનો છે અને આરોપીઓ કથિત ઉચ્ચ જાતિના છે. આ મારામારીમાં દલિત યુવકનો આગળનો એક દાંત પણ તૂટી ગયો હતો અને તેના શરીર પર ગંભીર ઈજાના નિશાન છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હાથમાં સોઈ સાથે યુવક એસપી કચેરીએ પહોંચ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">પીડિત યુવક જ્યારે ફરિયાદ કરવા એસપી ઓફિસ પહોંચ્યો ત્યારે તેના હાથમાં દવાખાનામાંથી નાખવામાં આવેલી સોય હતી. તેણે જણાવ્યું કે તે હોસ્પિટલમાં દાખલ છે. તેની સારવાર ચાલી રહી છે. તે તેના માતા-પિતા અને પત્ની સાથે એસપી ઓફિસમાં ફરિયાદ કરવા પહોંચ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત યુવક ખેમચંદ્ર વંશકરનું કહેવું છે કે 9 નવેમ્બરના રોજ તે હીરાપુર બેંકમાંથી પાસબુક લઈને તેના ગામ કેલાઈ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને જીતેન્દ્ર પાઠકને મળ્યો હતો. તેણે તેને લિફ્ટ આપી પરંતુ રસ્તામાં જિતેન્દ્રના મોટા ભાઈને કોઈએ જાણ કરી કે તે મારી સાથે છે. આ પછી તેના મોટા ભાઈએ મને રસ્તામાં રોકી અને "તું નીચી જાતિનો છે, તું મારા ભાઈ સાથે બાઇક પર બેસીને કેમ જાય છે, તારી હિંમત કેવી રીતે થઈ?" એમ કહીને માર માર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંદૂકની ખૂંધથી માર મારતા દાંત તૂટી ગયા</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત યુવક ખેમચંદે જણાવ્યું કે આરોપી બંટી પાઠક સાથે અન્ય ત્રણ લોકો પણ હતા. તે તમામ લોકોએ મળીને મને લાકડી-દંડા વડે માર માર્યો અને બંદૂકની ખૂંધ મારા મોં પર મારી દીધી હતી, જેના કારણે મારા બેં દાત તૂટી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે ફરિયાદ ન લેતા એસપી કચેરીએ પહોંચ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ચોંકાવનારી વાત એ છે કે બે દિવસ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ખેમચંદની ફરિયાદ નોંધવામાં આવી નહોતી.ત્યારબાદ તે પરિવાર સાથે છતરપુર એસપી ઓફિસ પહોંચ્યો હતો. તેણે એસપી અગમ જૈનને મદદ માટે અપીલ કરી હતી. એ પછી એસપીએ તાત્કાલિક અસરથી અરજીની તપાસનો આદેશ આપ્યો હતો અને શક્ય તમામ મદદ કરવાનું વચન આપ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દરેક પાસાની તપાસ કરવામાં આવશે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે વધુ માહિતી આપતા એસપી આગમ જૈને જણાવ્યું હતું કે, કે બડા મલહરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ મામલો અકસ્માતનો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ યુવકે ફરિયાદ કરી હોવાથી દરેક પાસાઓની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-madhya-pradesh-government-allocated-crores-of-rupees-for-sc-st-entitlements-for-cows">મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે એસસી-એસટીના હકના કરોડો રુપિયા ગાયો માટે ફાળવી દીધાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 11:24:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1539</Articleid>
                    <excerpt>MP News :  દલિત યુવકે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પ્રયત્ન કર્યો પણ પોલીસે બે દિવસ સુધી એફઆઈઆર ન નોંધી. હવે એસપી સુધી મામલો પહોંચ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67343eee11753.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67343eedd2c28.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67343eedd2c28.jpg" length="80856" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>MP News, chhatarpur News, Dalit News, Atrocity News, Dalit youth beaten up, SC-ST act FIR</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગોંડલના ભોજપરામાં આધેડે શિવલિંગ સામે ગળું કાપી કમળપૂજા કરી?</title>
                    <link>https://khabarantar.com/in-bhojpara-gondal-a-middle-aged-man-cut-his-throat-in-front-of-a-shivling-and-performed-kamal-puja</link>
                    <guid>https://khabarantar.com/in-bhojpara-gondal-a-middle-aged-man-cut-his-throat-in-front-of-a-shivling-and-performed-kamal-puja</guid>
                    <description>
                        <![CDATA[ ગોંડલનાં ભોજપરા ગામે આવેલા શિવમંદિરની ઘટના. આધેડે શિવલિંગ સામે બેસી પોતાનું જ ગળું કાપી કમળપૂજા કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">man cut his throat in front of a shivling and performed kamal puja : રાજકોટ (Rajkot) ના ગોંડલ (Gondal) ના ભોજપુરા ગામે (Bhojpura Village) અંધશ્રદ્ધા (Superstition) નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આધેડે ચંદ્રમૌલેશ્વર મહાદેવ (Chandramauleshwar Mahadev) મંદિરે ગળું કાપી કમળ પૂજા કરવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયાં તેણે આજે સવારે પોતાનું ગળુ કાપી જાતબલી ચડાવવાનો પ્રયાસ કર્યાનું બહાર આવ્યું છે. આ બાબતે ગોંડલ પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચીને આધેડના પરિવારના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બનાવની મળતી માહિતી મુજબ ગોંડલ-જેતપુર રોડ પર આવેલ આશોપાલવ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.47) નામના આધેડ ગઈકાલે સવારે પોતાના ઘરેથી નીકળી ભોજપરા ગામે આવેલ નૂતન સ્કૂલ પાસેના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. ત્યાં પુજા કર્યા બાદ આજુબાજુમાં કોઇ નહીં દેખાતા પોતાની પાસે રહેલી ધારદાર છરી વડે પોતાનું ગળું કાપી બલી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન એક દર્શાનાર્થી મંદિરમાં પહોંચ્યો હતો અને તેણે ધર્મેન્દ્રસિંહને લોહીલુહાણ હાલતમાં શિવલિંગ પાસે પડેલો જોઈ આજુબાજુના લોકોને જાણ કરી હતી. એ પછી તેને પહેલા ગોંડલ અને બાદમાં એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આધેડની ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આધેડ મુંબઈમાં કોન્ટ્રાક્ટર સાથે કામ કરે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આધેડ વયનો ધર્મેન્દ્રસિંહ ઝાલા મુંબઇમાં કોન્ટ્રાકટર સાથે કામ કરે છે અને શિવજીના મોટા ભક્ત છે. તેમને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. તેઓ બે મહીનાથી </span><span style="font-size: 14pt;">ગોંડલ તેમના ઘરે આવ્યા હતા. પોતે બે ભાઇમાં મોટા હોવાનું જાણવા મળી રહ્યું છે. </span><span style="font-size: 14pt;">ધર્મેન્દ્રસિંહને સારવાર માટે લઇને આવેલા તેમના નાના ભાઇ ક્રિપાલસિંહે જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રસિંહ આજે સવારે મંદિરે જાવ છું તેમ કહી નિકળ્યા બાદ તેઓ મંદિરેથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેમણે કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો હાલ સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/brahmin-grandson-killed-his-grandmother-with-a-trident-and-offered-the-blood-to-the-shivalinga">બ્રાહ્મણ પૌત્રએ ત્રિશૂળથી દાદીની હત્યા કરી લોહી શિવલિંગને ચઢાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 09:47:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1538</Articleid>
                    <excerpt>ગોંડલનાં ભોજપરા ગામે આવેલા શિવમંદિરની ઘટના. આધેડે શિવલિંગ સામે બેસી પોતાનું જ ગળું કાપી કમળપૂજા કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673426cf5f2b9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673426cf2c43e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673426cf2c43e.jpg" length="87220" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Superstition News, Bhojpara Village Gondal, કમળ પૂજા, Chandramauleshwar Mahadev</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડો. આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર હતા, દલિતો મુસ્લિમ હોત: કોંગ્રેસ નેતા</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkar-was-ready-to-accept-islam-dalits-would-have-been-muslims-congress-leader</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkar-was-ready-to-accept-islam-dalits-would-have-been-muslims-congress-leader</guid>
                    <description>
                        <![CDATA[ કોંગ્રેસના એક નેતા અને પૂર્વ ધારાસભ્યે દાવો કર્યો છે કે, ડો. આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા. તેમણે બીજા પણ અનેક ચોંકાવનારા દાવા કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટક કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય સૈયદ અઝીમ પીર ખાદરીએ એક વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે, ડો. આંબેડકર ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે તૈયાર હતા. તેમણે કહ્યું છે કે જો આવું થયું હોત તો રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વર અને બીજા ઘણા દલિતો આજે મુસ્લિમ હોત. ખાદરી સોમવારે કર્ણાટકના શિવગાંવમાં એક રાજકીય રેલીને સંબોધિત કરી રહ્યા હતા. ભાજપે તેમના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ખાદરીનું નિવેદન તેમની પાર્ટીના વિચારોને પ્રતિબિંબિત કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના નેતા અઝીમ પીર ખાદરીએ ભાષણમાં કહ્યું, "મેં વાંચ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડકર તેમના અંતિમ દિવસોમાં બૌદ્ધ ધર્મમાં જોડાયા હતા પરંતુ જો તેમણે બૌદ્ધ ધર્મ ન સ્વીકાર્યો હોત તો તેઓ ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા." ખદરીએ વધુમાં કહ્યું કે, “જો બાબાસાહેબ આંબેડકરે ઈસ્લામ કબૂલ કર્યો હોત તો તેમનું નામ એલ હનુમંથૈયા હસન સાબ હોત.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખાદરીએ વધુમાં કહ્યું, “આજે પણ મુસ્લિમો અને દલિતો વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યાં પણ તમે દલિતોને જોશો ત્યાં ઘણીવાર મુસ્લિમ દરગાહ પણ હશે.” તેમના મતે બંને સમાજો વચ્ચે ઉંડું જોડાણ છે અને ડો. આંબેડકર પણ આ સંબંધને સમજતા હતા. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, "જો બાબાસાહેબ આંબેડકર ઈસ્લામમાં જોડાયા હોત તો રામપ્પા (તિમ્માપુર) રહીમ હોત, ડૉ. જી પરમેશ્વર 'પીર સાહેબ' હોત, હનુમંત ગૌડા હસન હોત અને મંજુનાથ તિમ્માપુર 'મહેબૂબ' હોત."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ખાદરીના નિવેદનથી કોંગ્રેસે અંતર જાળવ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ ખાદરીનું આ નિવેદન વાયરલ થતા જ કોંગ્રેસે તેનાથી અંતર જાળવ્યું છે. ખાદરીના ભાષણ દરમિયાન મંચ પર હાજર MLC નાગરાજ યાદવે એક મીડિયાને આપેલા નિવેદનમાં તેને 'અયોગ્ય' ગણાવતા કહ્યું કે તેઓ આ નિવેદનનું બિલકુલ સમર્થન કરતા નથી. તેમણે કહ્યું, “ડો. આંબેડકર ભારતના અત્યાર સુધીના મહાનતમ નેતાઓ પૈકીના એક હતા. તેઓ સર્વ ધર્મ સમભાવમાં માનતા હતા અને ઈચ્છતા હતા કે બધા લોકો બધા ધર્મોનો સ્વીકાર કરે. ખાદરીએ આવા નિવેદનો આપવાનું બંધ કરવું જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપે કોંગ્રેસ પર વળતો હુમલો કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિવેદનને લઈને કોંગ્રેસ નેતા પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે ખાદરીનું નિવેદન તેમની અને તેમની પાર્ટીની અજ્ઞાનતા દર્શાવે છે. ભાજના નેતા સીટી રવિએ કહ્યું, "હૈદરાબાદના નિઝામ દ્વારા આંબેડકરને ઈસ્લામમાં ધર્માંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેમણે ડો. આંબેડકરને કરોડો રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. આંબેડકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે </span><span style="color: rgb(0, 0, 0);"><span style="font-size: 14pt;">ઈસ્લામમાં કોઈ સમાનતા નથી અને તેમાં અસહિષ્ણુતા છે."</span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે સૈયદ અઝીમ પીર ખાદરીએ ટિકિટ ન મળતા પાર્ટી સામે બળવો કર્યો હતો અને શિગગાંવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અગાઉ 8 નવેમ્બરના રોજ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને આરએસએસ ડો. આંબેડકરના બંધારણને ખતમ કરવા માંગે છે અને તેની જગ્યાએ મનુસ્મૃતિની વિચારધારા પર આધારિત બંધારણ લાવવા માંગે છે. કોંગ્રેસે એમ પણ કહ્યું કે એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિ આધારિત વસ્તી ગણતરીને દેશના ભાગલા પાડવાનો પ્રયાસ ગણાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/buddhist-community-in-melbourne-australia-remembers-ambedkar-buddha">ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બૌદ્ધ સમાજે આંબેડકર-બુદ્ધને યાદ કર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Nov 2024 19:05:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1537</Articleid>
                    <excerpt>કોંગ્રેસના એક નેતા અને પૂર્વ ધારાસભ્યે દાવો કર્યો છે કે, ડો. આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા. તેમણે બીજા પણ અનેક ચોંકાવનારા દાવા કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673358b136c04.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673358b1014a3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673358b1014a3.jpg" length="67974" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr. Ambedkar, Islam, Syed Azim Pir Khadri, Karnataka Congress leader</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદી કલેક્ટર નેહા કુમારી દુબે વિરુદ્ધ કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડ્યું</title>
                    <link>https://khabarantar.com/congress-launches-nationwide-agitation-against-mahisagar-collector-neha-kumari-dubey</link>
                    <guid>https://khabarantar.com/congress-launches-nationwide-agitation-against-mahisagar-collector-neha-kumari-dubey</guid>
                    <description>
                        <![CDATA[ 90 ટકા એટ્રોસિટી કેસ બ્લેકમેઈલ કરવા થાય છે એવું આધારહીન નિવેદન આપનાર mahisagar જિલ્લાની જાતિવાદી collector nehakumari dubey ની મુશ્કેલીઓ વધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગર (Mahisagar)જિલ્લાના એક દલિત યુવક સાથે તોછડાઈભર્યું વર્તન કરી સમસ્ત દલિત સમાજનું અપમાન કરનાર મનુવાદી કલેક્ટર (Collector) નેહા કુમારી દુબે (Neha kumari Dubey) ની મુશ્કેલી વધી છે. કોંગ્રેસે (Congress) જાતિવાદી માનસિકતાની આ કલેક્ટર સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન (Nationwide agitation) છેડ્યું છે અને ફરી એકવાર આ કલેક્ટરને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવે તેવી માંગ દોહરાવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">23 ઓક્ટોબરે બનેલી આ ઘટનાથી નારાજ કોંગ્રેસે ભારતભરમાં તેના રાજ્ય એકમોને એક થઈને જાતિવાદી આ કલેક્ટરનો વિરોધ કરવાની રણનીતિ બનાવી છે. પાર્ટીના એસસી વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ લિલોઠિયા (Rajesh Lilothia) એ 11 નવેમ્બરના રોજ તમામ રાજ્યોના એસસી વિભાગના વડાઓને મહીસાગરની જાતિવાદી કલેક્ટર નેહાકુમારી દુબે સામે તાત્કાલિક પગલાં લેવા માટે એક નિર્દેશ જારી કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાના ઓફિશ્યિલ કોમ્યુનિકેશનમાં રાજેશ લિલોઠિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર સેવકોની મૂળભૂત ફરજ તમામ નાગરિકોની, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના લોકોનું રક્ષણ કરવાની છે. તેમણે દલીલ કરી હતી કે આવી કથિત જાતિવાદી માનસિકતા ધરાવતા અધિકારીઓ જાહેર સેવક તરીકે કામ કરવા માટે સ્વાભાવિક રીતે અયોગ્ય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસે કહ્યું છે કે, તેની પાસે પુરાવા તરીકે આ આખી ઘટનાનો વીડિયો છે. આ વાયરલ વિડિયોમાં કલેકટરે એટ્રોસિટીના 90 ટકા કેસોને 'બ્લેકમેઇલિંગ'નું સાધન ગણાવ્યા છે અને કહ્યું કે મોટાભાગની મહિલાઓ પણ 498A હેઠળ ખોટા કેસ દાખલ કરે છે. આ ઉપરાંત, તેણે વકીલો પર પણ ટિપ્પણી કરી હતી, જેમાં તેમને "ચપ્પલથી મારવા યોગ્ય" ગણાવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લિલોઠિયાએ પાર્ટીના SC વિભાગના તમામ પ્રદેશ પ્રમુખોને નેહા કુમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા, સંબંધિત રાજ્યના રાજ્યપાલોને આવેદનપત્ર આપવા અને નેહાકુમારી દુબેને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરવાનો નિર્દેશ આપ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી માનસિકતા ધરાવતી નેહાકુમારી દુબે સામે અનુશાસનાત્મક કાર્યવાહી માટે દબાણ કરવા કોંગ્રેસ અન્ય દલિત-બહુજન સંગઠનો સાથે સંકલન કરી રહી છે. પરિણામે હવે આ મામલો માત્ર મહીસાગર જિલ્લા પુરતો મર્યાદિત ન રહેતા રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમામ અગ્રણી નેતાઓને પત્ર મોકલાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પત્રની નકલ કોંગ્રેસના અગ્રણી નેતાઓને પણ મોકલવામાં આવી છે. જેમાં  કે.સી. વેણુગોપાલ, કે. રાજુ અને કોંગ્રેસના SC વિભાગના તમામ રાષ્ટ્રીય સંયોજકો સામેલ છે. </span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">આ સંગઠિત પ્રયત્ન દ્વારા કોંગ્રેસ સ્પષ્ટ મેસેજ આપવા માંગે છે કે, જાહેર સેવામાં રહેલા અધિકારીઓ તરફથી દાખવવામાં આવતા જાતિવાદી વર્તનને ચલાવી નહીં લેવાય અને આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને નિર્ણાયક પગલાં ભરાશે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ પત્રને ટ્વિટર પર શેર કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિજય પરમારના નામના અરજદાર તા. 23 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારના તાલુકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પોતાની ફરિયાદ લઈને ગયા હતા. તેઓ જ્યારે પોતાના પ્રશ્નની રજૂઆત કરી રહ્યા હતા ત્યારે કલેક્ટર નેહાકુમારી અચાનક જ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વિજય પરમાર સાથે તોછડાઈથી વાત કરવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો યુવકે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો, જેના કારણે મનુવાદી માનસિકતાની આ કલેક્ટરનો પર્દાફાશ થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલેક્ટર નેહાકુમારીએ દલિત અરજદારને ધમકાવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">અરજદાર વિજય પરમારની દલીલ દરમિયાન કલેક્ટર નેહાકુમારી અચાનક તેમના અસલ સવર્ણ મનુવાદી રંગમાં આવી જાય છે અને અરજદાર વિજય પરમારના સવાલોના જવાબ આપવાને બદલે તેને તોછડી ભાષામાં કહે છે, "જ્યાદા ઓવર સ્માર્ટ બને કી કોશિશ મત કરો, મુજે હલકે મેં મત લો. ફાલતુ કી બકવાસ નહીં કરને કા, સબ કો બ્લેકમેઈલ કરના હૈ?"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટીના 90 ટકા કેસો ખોટા હોય છેઃ નેહા કુમારી</span></strong></span><br><span style="font-size: 14pt;">કલેક્ટર નેહાકુમારી દુબે આટલેથી અટક્યા નહોતા. તેમણે એટ્રોસિટના કાયદા અને તેની હેઠળ નોંધવામાં આવતા કેસોને લઈને પણ અત્યંત નિમ્ન સ્તરનું નિવેદન કર્યું હતું. વાયરલ વીડિયોમાં નેહાકુમારી બોલતી જણાય છે કે, "એટ્રોસિટીના કેસોમાંના 90 ટકા કેસો બ્લેકમેઈલવાળા હોય છે. આ કાયદાનો જેટલો ઉપયોગ નથી તેનાથી વધુ દૂરુપયોગ છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પત્રકારો અને વકીલોનું પણ અપમાન કર્યું હતું</span></strong></span><br><span style="font-size: 14pt;">આ સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા મામલતદાર પત્રકારો અને વકીલોને લઈને પણ મોટું નિવેદન આપે છે અને કહે છે કે, "અહીંયા બની બેઠેલા પત્રકારો અને વકીલો આવતા હોય છે."  આ સાંભળીને કલેકટર નેહા દુબે એવું કહે છે કે, "યહાં ઓવરસ્માર્ટ લોગોં કી કમી નહીં હૈ. એ લોગોં કો જૂતે સે મારના ચાહિએ." આવું કહીને એમણે સમગ્ર દેશના વકીલો અને પત્રકારોનું પણ અપમાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/mahisagar-collector-nehakumari-dubey-said-90-percent-of-atrocity-cases-are-committed-for-blackmail">એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઈલ કરવા માટે કરાય છે - મહીસાગર કલેક્ટર નેહાકુમારી દુબેનો બફાટ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Nov 2024 16:44:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1536</Articleid>
                    <excerpt>90 ટકા એટ્રોસિટી કેસ બ્લેકમેઈલ કરવા થાય છે એવું આધારહીન નિવેદન આપનાર mahisagar જિલ્લાની જાતિવાદી collector nehakumari dubey ની મુશ્કેલીઓ વધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67331a5e289cc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67331a5de9722.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67331a5de9722.jpg" length="89656" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Neha kumari dubey, Mahisagar Collector, SC-ST news, Congress, agitation</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગોધરામાં &amp;apos;પરિવેશ&amp;apos; સામયિક દ્વારા સર્જક સ્નેહમિલન યોજાયું </title>
                    <link>https://khabarantar.com/creator-meet-up-organized-by-parivesh-magazine-in-godhra-gujarat</link>
                    <guid>https://khabarantar.com/creator-meet-up-organized-by-parivesh-magazine-in-godhra-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ છેલ્લાં 12 વર્ષથી ગોધરાથી પ્રગટ થતા પરિવેશ સામયિક દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોધરાથી પ્રગટ થતા આંતરરાષ્ટ્રીય પીયર રિવ્યુડ ત્રિમાસિક સામયિક 'પરિવેશ' દ્વારા સર્જક સ્નેહ મિલન યોજાઈ ગયું. આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં કવિઓ, લેખકો, તંત્રીઓ, પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6733018d7cd24.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા 12 વર્ષથી કલા,સાહિત્ય, સમાજ અને શિક્ષણને વરેલું આંતરરાષ્ટ્રીય ત્રિમાસિક સામયિક ચાલી રહ્યું છે. આ સામયિકના ઉપક્રમે ગોધરા ખાતે સર્જક સ્નેહમિલન યોજાઈ ગયું. કાર્યક્રમમાં ઉપસ્થિત પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજીએ ઉપસ્થિત શ્રોતાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે, "કવિતા યુગપ્રવર્તક હોય છે. કવિતા કોઈની સેવા કરવા માટે કે પ્રશસ્તી માટે નહીં પણ સત્યને ઉજાગર કરવા માટે હોય છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673301a6af80e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રસંગે સર્જક વિશેષ એવા કાનજી પટેલે દેશીવાદ વિશે વક્તવ્ય આપ્યું હતું તો અમેરિકાથી આવેલા કવિ અને અનુવાદક હિમાંશુ પટેલે કવિતાનું મહત્વ સમજાવ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો સાહિત્ય સામાજિક સેવા બદલ દિલુ હાજી, ઉત્તમ વિચારક ડૉ. મનહર સુથાર, સામાજિક કાર્યકર રમણભાઈ રેતીવાળાનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;">કાર્યક્રમને સફળ બનાવવા  પરિવેશના તંત્રી શીતલ શૌહણ, સંપાદકો વિનુ બામણિયા, રાજેશ વણકર, સતીષ પ્રિયદર્શી અને પ્રવીણ ખાંટે જહેમત ઉઠાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-fifth-conference-of-gujarati-dalit-sahitya-pratishthan-was-held">ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું પાંચમું અધિવેશન યોજાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Nov 2024 12:56:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1535</Articleid>
                    <excerpt>છેલ્લાં 12 વર્ષથી ગોધરાથી પ્રગટ થતા પરિવેશ સામયિક દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6733016764ea4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6733016718d24.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6733016718d24.jpg" length="83049" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Parivesh magazine, Godhra</media:keywords>
                </item>
                        <item>
                    <title>શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન AMC ની ચૂંટણી લડશે, તમામ વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખશે</title>
                    <link>https://khabarantar.com/scheduled-caste-federation-will-contest-amc-elections-will-field-candidates-in-all-wards</link>
                    <guid>https://khabarantar.com/scheduled-caste-federation-will-contest-amc-elections-will-field-candidates-in-all-wards</guid>
                    <description>
                        <![CDATA[ ડો.આંબેડકર સ્થાપિત Scheduled Caste Federation ને જાણીતા આંબેડકરી લેખક બાલકૃષ્ણ આનંદે પુનઃ સ્થાપિત કરી છે. હવે પાર્ટી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી લડવા જઈ રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરે (Dr. Ambedkar) વર્ષ ૧૯૪૬માં Scheduled Caste Federation of India ની સ્થાપના કરી હતી, જેનું પાછળથી તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ આ વિસર્જન કરીને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (RPI)ની સ્થાપનાની જાહેરાત કરી હતી. આ વિસર્જિત શિડયુઅલ કાસ્ટસ ફેડરેશનને ૬૮ વર્ષ બાદ ગુજરાતના જાણીતા આંબેડકરી લેખક અને આંદોલનકાર બાલકૃષ્ણ આનંદ (Balakrishna Anand) એ ગત ૧૪ એપ્રિલ ૨૦૨૪ ના રોજ પુનઃ સ્થાપન (Restoration) કર્યું છે. હવે નવા સમાચાર મુજબ પાર્ટી પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે અને વર્ષ 2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (AMC Elections) લડવાની તૈયારી કરી રહી છે. પાર્ટી અમદાવાદના તમામ 48 મ્યુનિસિપલ વોર્ડમાં સંગઠન બનાવીને ચાર ચારની પેનલ બનાવી કુલ 192 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉભા રાખશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમામ 48 વોર્ડમાં પેનલ બનાવી 192 ઉમેદવારો ઉભા રાખશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનના સંયોજક બાલકૃષ્ણ આનંદે ખબરઅંતર.કોમને જણાવ્યા પ્રમાણે, હાલ તેઓ પાર્ટીને અમદાવાદ શહેરમાં સક્રિય કરવાના પ્રયાસ કરી રહ્યા છે અને વર્ષ ૨૦૨૬માં થનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લક્ષમાં રાખી શહેરના તમામ ૪૮ મ્યુનિસિપલ વોર્ડમાં સંગઠન બનાવી ચાર-ચાર ઉમેદવારોની પેનલ બનાવી ૧૯૨ ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિધાનસભા અને લોકસભા ચૂંટણી પણ લડશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિડયુઅલ કાસ્ટ ફેડરેશન ૩૫ વર્ષ બાદ અમદાવાદ શહેરને મુસ્લિમ મેયર અને સામાન્ય બેઠક ઉપર દલિત મેયર આપવાની દિશામાં કામ કરી રહ્યું છે. આગામી મ્યુનિસિપલ ચૂંટણી બાદ પાર્ટી સમગ્ર ગુજરાતમાં જનાધાર બનાવી આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં પણ મોટા પ્રમાણમાં ઝંપલાવશે. રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાઓની શાખાઓની રચના કરવા માટે તથા અમદાવાદના તમામ ૪૮ વોર્ડમાં અત્યારથી જ પેનલો બનાવવાની હોઈ સમાજકારણ અને રાજકારણમાં રસ ધરાવતા સક્રિય કાર્યકરોએ શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનના સંયોજક બાલકૃષ્ણ આનંદનો મોબાઈલ નંબર ૯૮૨૪૫૦૭૫૬૯ ઉપર સંપર્ક કરવા કહેવાયું છે.પ</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Dr.-Rameshchandra-Parmar:-An-Aggressive-Voice-of-Dalit-Movement-in-Gujarat">ડો. રમેશચંદ્ર પરમારઃ ગુજરાતમાં દલિત આંદોલનનો એક આક્રમક અવાજ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Nov 2024 11:50:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1534</Articleid>
                    <excerpt>ડો.આંબેડકર સ્થાપિત Scheduled Caste Federation ને જાણીતા આંબેડકરી લેખક બાલકૃષ્ણ આનંદે પુનઃ સ્થાપિત કરી છે. હવે પાર્ટી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી લડવા જઈ રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6732f3127a2bc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732f31245e0b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732f31245e0b.jpg" length="57302" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Scheduled Caste Federation, Dr. Ambedkar, AMC Elections</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગામના સમૂહ ભોજનમાં દલિત યુવાનને એંઠા વાસણમાં ભોજન પીરસ્યું</title>
                    <link>https://khabarantar.com/a-dalit-youth-was-served-food-in-a-dirty-vessel-during-a-group-meal-in-the-vaillage</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-youth-was-served-food-in-a-dirty-vessel-during-a-group-meal-in-the-vaillage</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકને એંઠા વાસણમાં ભોજન પીરસવામાં આવતા તેણે વિરોધ નોંધાવતા જાતિવાદી તત્વોએ તેને માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી ભગાડી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો સાથે ભેદભાવની વધુ એક ઘટના સામે આવી છે. મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીનો છે. અહીં ફૈઝાબાદના અઢુપુર ગામમાં યોજાયેલા સમૂહ ભોજન કાર્યક્રમમાં સ્થાનિક જાતિવાદી તત્વોએ દલિત સમાજના એક યુવકને એંઠા વાસણમાં ભોજન પીરસ્યું હતું. જેને લઈને દલિત સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દલિત યુવકે આ મામલે વિરોધ નોંધાવતા જાતિવાદી તત્વોએ તેને જાતિસૂચક ગાળો ભાંડી, મારામારી કરીને ભગાડી દીધો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદીઓએ એંઠી થાળીમાં ભોજન પીરસ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે અઢુપુરમાં રહેતા રજનીશ કથેરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પુત્ર સૌરભ 30મી ઓક્ટોબરની રાત્રે 8.30 વાગ્યે ગામના એક સમૂહ ભોજનમાં જમવા માટે ગયો હતો. એ દરમિયાન ગામના બદનસિંહ યાદવ, અવનીશ સિંહ યાદવ, જેકી યાદવ, ધીરેન્દ્ર યાદવ અને ત્રણ અજાણ્યા તેની સામે એંઠી થાળી રાખીને ભોજન પીરસ્યું હતું. જ્યારે સૌરભે આ મામલે વાંધો ઉઠાવ્યો તો આ લોકો મારામારી પર ઉતરી આવ્યા હતા અને જાતિસૂચક ગાળો ભાંડી તેને ત્યાંથી ભગાડી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદીઓએ ઘરે પહોંચીને મારામારી કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી આ તમામ લોકોએ સૌરભનો પીછો કર્યો હતો અને તેના ઘર સુધી પહોંચી ગયા હતા. જ્યાં સૌરભ, તેના પિતા રજનીશ કથેરિયા સહિતના લોકોને માર માર્યો હતો અને જાતિસૂચક ગાળો ભાંડી તોફાન મચાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીઓ સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પીઆઈ રોહિતાશ સિંહનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/He-said-that-if-the-village-eats,-then-you-too-should-come-to-eat-the-way-you-have-always-come.-Now-means-forever">એમણે કહ્યું કે ગામ જમે છે તો તમે પણ ‘કાયમ આવો છો એ રીતે’ જમવા આવજો. હવે કાયમની જેમ એટલે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Nov 2024 10:57:03 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 12 Nov 2024 10:57:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1533</Articleid>
                    <excerpt>દલિત યુવકને એંઠા વાસણમાં ભોજન પીરસવામાં આવતા તેણે વિરોધ નોંધાવતા જાતિવાદી તત્વોએ તેને માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી ભગાડી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6732e674ea897.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732e674b4981.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732e674b4981.jpg" length="82923" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Faizabad News, Adhupur village</media:keywords>
                </item>
                        <item>
                    <title>કટ્ટર જાતિવાદઃ દલિતોને મંદિરમાં પ્રવેશ અપાયો, જાતિવાદીઓ મૂર્તિઓ ઉપાડી ગયા</title>
                    <link>https://khabarantar.com/radical-casteism-dalits-were-denied-entry-into-the-temple-casteists-removed-idols</link>
                    <guid>https://khabarantar.com/radical-casteism-dalits-were-denied-entry-into-the-temple-casteists-removed-idols</guid>
                    <description>
                        <![CDATA[ જિલ્લા વહીવટી તંત્રે દલિતોને મંદિરમાં પ્રવેશ માટે પરવાનગી આપી હતી. પણ સવર્ણો તેમના ભગવાન અભડાઈ ન જાય તે માટે મૂર્તિ જ ઉપાડીને બીજી જગ્યાએ લઈ ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુપ્રથાઓ સમયની સાથે ધીરે ધીરે નષ્ટ થતી હોય છે અથવા કાયદા દ્વારા તેને પ્રતિબિંધિત કરવામાં આવતી હોય છે. ભૂતકાળમાં સતીપ્રથા, દીકરીઓને દૂધ પીતી કરી દેવી, બાળલગ્નો, વિધવા લગ્ન નિષેધ જેવી કુપ્રથાઓમાં આ બાબત આપણે જોઈ છે. જો કે આ બધી કુપ્રથાઓ વચ્ચે જાતિવાદ એવો હઠીલો રોગ છે જેનો ઈલાજ આજની તારીખે હાથવગો હોવા છતાં તેને જાણીજોઈને વકરાવવામાં આવી રહ્યો છે. વર્તમાન ભારતમાં જાતિવાદ નામનો આ રોગ સતત વકરતો જાય છે અને સંસદ, કારોબારી, ન્યાયતંત્રથી લઈને મીડિયા અને આર્થિક-સામાજિક ક્ષેત્રે વગદાર સવર્ણ લોબી તેમાં તસુભાર પણ ઘટાડો થાય તેવું ઈચ્છતી નથી. પરિણામે દિન-પ્રતિદિન જાતિવાદની નવી અને વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોને ભગવાનથી દૂર રાખવા મૂર્તિ જ ઉપાડી ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક વિચિત્ર અને કટ્ટર જાતિવાદની ઘટના ગઈકાલે સામે આવી. જેમાં એક ગામમાં કાળભૈરવના મંદિરમાં દલિતોને પ્રવેશવા દેવાની જિલ્લા વહીવટીતંત્રે મંજૂરી આપી હતી. જો કે ગામના સવર્ણો દલિતો મંદિરમાં પ્રવેશે તો ભગવાન અને મંદિર બંને અભડાઈ જાય તેમ માનતા હોવાથી તેમણે આ બાબતે વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો કે, તંત્ર સામે તેમનું કશું ચાલ્યું નહોતું. પરિણામે કટ્ટર જાતિવાદી ગામલોકો મંદિરમાંથી ભગવાનની મૂર્તિ જ ઉપાડીને બીજી જગ્યાએ લઈ ગયા હતા. અગાઉ આવી જ એક ઘટના અન્ય એક ગામમાં પણ બની હતી જ્યાં દલિતોના મંદિર પ્રવેશ પર જાતિવાદી તત્વોએ આખું મંદિર જ તોડી પાડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કર્ણાટકના માંડ્યા જિલ્લાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના કર્ણાટકના માંડ્યા જિલ્લાના હનકેરે ગામનો છે. અહીં ગઈકાલે 10 ઓક્ટોબરે જિલ્લા પ્રશાસને દલિતોને 'કાલભૈરવેશ્વર' મંદિરમાં પ્રવેશવાની અને પ્રથમ વખત પૂજા કરવાની મંજૂરી આપી હતી. જો કે, વહીવટીતંત્રનો આ નિર્ણય ગામમાં રહેતા કથિત 'ઉચ્ચ જાતિ'ના લોકોને ગમ્યો હતો અને તેમણે આ તંત્રના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો કે તંત્રે તેમની જાતિવાદી માનસિકતાને પંપાળી નહોતી અને પોતાના નિર્ણયને યથાવત રાખ્યો હતો. જો દલિતો મંદિરમાં પ્રવેશશે તો તેમના ભગવાન અને મંદિર બંને અભડાઈ જશે તેવી માનસિકતામાં રાચતા ગામના સવર્ણોએ આખરે કટ્ટર જાતિવાદી રસ્તો અપનાવ્યો હતો અને "ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી" ની તર્જ પર મંદિરમાં ભગવાન જ નહીં હોય તો દલિતો કોના દર્શન કરવા આવશે? એમ વિચારીને મંદિરમાંથી ભગવાનની મૂર્તિ જ ઉપાડી લીધી હતી અને અન્ય જગ્યાએ લઈ ગયા હતા. કટ્ટર જાતિવાદી આ ઘટનાના ઘેરા પ્રત્યાધાતો પડ્યાં છે અને ગામમાં તણાવભરી સ્થિતિ પેદા થઈ છે, જેના કારણે પોલીસ ખડકી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ, કાલ ભૈરવેશ્વર સ્વામીનું આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે અને દલિતોને ક્યારેય તેમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા. લગભગ બે વર્ષ પહેલા મંદિરના જીર્ણોદ્ધારનું કામ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એમ. શ્રીનિવાસની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. બાદમાં આ મંદિર રાજ્ય સરકારના ધાર્મિક વિકાસ વિભાગના નિયંત્રણ હેઠળ આવ્યું હતું. આ મંદિરમાં પ્રવેશ ન મળવા અંગે દલિતોએ જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી. જેના કારણે વહીવટીતંત્ર દ્વારા બે શાંતિ બેઠક યોજવામાં આવી હતી. જો કે, બંને બેઠકમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. જેથી દલિતોને મંદિરમાં પ્રવેશની પરવાનગી મળી ગઈ હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6732d7ddef5c1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો મંદિરમાં પ્રવેશ્યા અને મૂર્તિ ઉપાડી લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે 10 નવેમ્બરે દલિતો પોલીસ સુરક્ષા વચ્ચે મંદિરમાં પ્રવેશ્યા હતા. દલિતોને મંદિરમાં પ્રવેશ મળવાથી નારાજ કેટલાક કથિત 'ઉચ્ચ જાતિ'ના લોકો મંદિરમાં રહેલી કાળભૈરવની મૂર્તિનેજ ઉપાડીને લઈ ગયા હતા અને અન્ય જગ્યાએ મૂકી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિક દલિત નેતા ગંગારાજુએ જણાવ્યું કે, દલિત સમાજના લોકો મંદિરના જીર્ણોદ્ધારના સમયથી અહીં આવતા રહે છે અને તેઓ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે થયેલા ધાર્મિક વિધિઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. પણ છેલ્લા ત્રણ મહિનાથી કેટલાક લોકોએ આ બાબતે વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું હતું અને હવે તેઓ મૂર્તિ જ ઉપાડીને લઈ ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમે લોકજાગૃતિ અભિયાન ચલાવીશુંઃ તાલુકા અધિકારી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર મામલે સ્થાનિક તાલુકા અધિકારી શિવકુમાર બિરાદરે જણાવ્યું છે કે દલિતોના મંદિરમાં પ્રવેશનો વિરોધ કરનારાઓને શિક્ષિત કરવા માટે જાગૃતિ અભિયાન અને કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવશે. જો એ પછી પણ આ લોકો વિરોધ કરવાનું ચાલું રાખશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટીડીઓ સાહેબ, જાતિવાદ જાગૃતિ અભિયાનથી નહીં જાય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવકુમાર બિરાદર કાં તો ગાંધીજીની જેમ બહુ આદર્શવાદી લાગે છે અથવા વાસ્તવિકતા જાણે છે પરંતુ ઉપરી દબાણને કારણે તરત કાયદાનો દંડો ઉગામીને સવર્ણોને સીધાદોર કરવાની મનાઈ હોવાથી જાગૃતિ અભિયાન અને કાઉન્સેલિંગના નાટકો કરતા હોય એવું બની શકે. બાકી જાતિવાદ એવો હઠીલો રોગ છે, જે નજીકના ભવિષ્યમાં તો આ દેશના સવર્ણોમાંથી જાય તેમ લાગતું નથી. જો એવું જ હોત તો કાગળ પર તો દેશ આઝાદ થયો ત્યારથી જાતિવાદ, આભડછેટ કાયદા દ્વારા નાબૂદ થયેલી છે. તેમ છતાં ભારત દેશમાં એકેય ગામ એવું નહીં હોય જ્યાં દલિતો, આદિવાસી સાથે અસ્પૃશ્યતા ન પળાતી હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો મંદિરમાં જવાનું બંધ કરો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે પણ હોય, આપણે આશા રાખીએ કે કાયદો કાયદાનું કામ અને આવા મનુવાદી તત્વોને કાયદાનું ભાન કરાવી સીધા દોર કરે. સાથે જ એ પણ આશા રાખીએ દલિતો મંદિર પ્રવેશ માટે આંદોલન કરવાનું બંધ કરી દે, કેમ કે તેનાથી તેમનામાં અંધશ્રદ્ધા જ ફેલાવાની છે, પ્રગતિ નહીં. પ્રગતિ માટે શિક્ષણ અને મહાપુરૂષો ડો. આંબેડકર, પેરિયારના માર્ગે ચાલવું પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/what-will-the-devotees-do-after-eating-laddus-made-from-cow-pig-fiash-fat">ગાય-ડુક્કર-માછલીની ચરબીમાંથી બનેલા લાડુ ખાધા પછી ભક્તો શું કરશે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Nov 2024 09:55:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1532</Articleid>
                    <excerpt>જિલ્લા વહીવટી તંત્રે દલિતોને મંદિરમાં પ્રવેશ માટે પરવાનગી આપી હતી. પણ સવર્ણો તેમના ભગવાન અભડાઈ ન જાય તે માટે મૂર્તિ જ ઉપાડીને બીજી જગ્યાએ લઈ ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6732d7f1bc06f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732d7f189d47.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732d7f189d47.jpg" length="124048" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Karnataka, Mandya district, Hankare Village, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઇરાકમાં પુરૂષો 9 વર્ષની છોકરીઓ સાથે લગ્ન કરી શકશે, કાયદામાં સુધારાની તૈયારી</title>
                    <link>https://khabarantar.com/men-in-iraq-will-be-able-to-marry-9-year-old-girl-preparations-for-law-reform</link>
                    <guid>https://khabarantar.com/men-in-iraq-will-be-able-to-marry-9-year-old-girl-preparations-for-law-reform</guid>
                    <description>
                        <![CDATA[ એકબાજુ દુનિયા આખી બાળલગ્નને ખતમ કરવાના પ્રયાસો કરી રહી છે, બીજી તરફ આ દેશ ઉંધી દિશામાં આગળ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુનિયા આખીમાં એકબાજુ બાળ લગ્નની દુષ્ટતાને ખતમ કરવાના પ્રયાસો ચાલુ છે. ત્યારે હજુ પણ એવા ઘણા દેશો છે જે બાળ લગ્નને કાયદેસર બનાવવા માટે મથી રહ્યાં છે. વાત ઈરાકની છે, જ્યાં લગ્નની ઉંમરમાં સુધારાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર છોકરીઓની લગ્નની ઉંમર ઘટાડવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પુરુષો નવ વર્ષની છોકરી સાથે લગ્ન કરી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો આ સુધારો અહીં પસાર થશે તો માત્ર લગ્નની ઉંમર જ નહીં પરંતુ છૂટાછેડા, બાળકોની કસ્ટડી અને સંપત્તિ જેવા મહિલાઓના વિશેષ અધિકારો પર પણ અંકુશ આવી જશે. આ બિલ ઇરાકી નાગરિકોને પારિવારિક બાબતો પર નિર્ણય લેવા માટે ધાર્મિક અધિકારીઓ અથવા નાગરિક ન્યાયતંત્રની પસંદગી કરવાની પણ મંજૂરી આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મિડલ ઈસ્ટ આઈ અનુસાર, પર્સનલ સ્ટેટસ એક્ટ ૧૯૫૯ના નિયમ ૧૮૮ને બદલવાની વાત થઈ રહી છે. જૂનો નિયમ અબ્દુલ કરીમ કાસિમ સરકારે બનાવ્યો હતો. કાસિમ એક પ્રગતિશીલ ડાબેરી તરીકે જાણીતા હતા, જેમના સમય દરમિયાન ઘણા મોટા ફેરફારો લાવવામાં આવ્યા હતા. આમાંથી એક હતી છોકરીઓના લગ્ન ૧૮ વર્ષની થાય પછી જ કરવાનો ફેરફાર. તેને પચાસના દાયકાના અંતમાં સમગ્ર મધ્ય પૂર્વમાં શ્રેષ્ઠ કાયદાઓમાંનો એક માનવામાં આવતો હતો. માત્ર ચોક્કસ ઉંમરે લગ્ન જ નહીં, આ નિયમમાં બીજી ઘણી બાબતો પણ કહેવામાં આવી છે, જેમ કે પુરુષો તેમની ઈચ્છા મુજબ બીજી વાર લગ્ન કરી શકતા નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયદા અનુસાર, જો કોઈ મુસ્લિમ પુરુષ અને બિન-મુસ્લિમ મહિલા લગ્ન કરવા ઈચ્છે છે, તો તેના પર કોઈ શરત અથવા પૂર્વ શરત રહેશે નહીં. જો કે, કાયદો લાગે તેટલો સીધો ન હતો. વસ્તીને ખુશ કરવા માટે, એક નિયમ પણ દાખલ કરવામાં આવ્યો હતો કે જો પરિવાર અને ન્યાયાધીશની પરવાનગી હોય તો ૧૫ વર્ષની ઉંમરે પણ લગ્ન થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં ઈરાકમાં મોહમ્મદ શિયા અલ-સુદાનીની સરકાર છે, જે પોતે શિયા મુસ્લિમ છે અને તેને શિયા પક્ષોનું સમર્થન છે. શિયા પક્ષોના ગઠબંધનની આગેવાની હેઠળની ઇરાકની સરકારે કહ્યું છે કે સુધારો ઇસ્લામિક શરિયા કાયદા હેઠળ છે અને તેનો ઉદ્દેશ્ય યુવાન છોકરીઓની સુરક્ષા કરવાનો છે. ખાસ વાત એ છે કે ઈરાકી મહિલા સમૂહના સતત વિરોધ છતાં ઈરાક સરકાર આ કાયદો પસાર કરવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયદામાં સુધારો કરવા માટે પહેલાથી જ પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે, પહેલીવાર એવું લાગી રહ્યું છે કે સાંસદો કાયદો પસાર કરવામાં સફળ થઈ શકે છે. આ પહેલા કાયદામાં બીજો સુધારો ૧૬ સપ્ટેમ્બરે પસાર કરવામાં આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર તેને લો ૧૮૮ નામ આપવામાં આવ્યું છે. આ કાયદો ઇરાકમાં રહેતા તમામ સંપ્રદાયોના પરિવારોને સમાનરૂપે લાગુ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/evrything-from-parliament-ro-airport-is-built-on-waqf-land"> સંસદથી લઈ એરપોર્ટ સુધી બધું જ વકફની જમીન પર બનેલું છે…</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 11 Nov 2024 20:49:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1531</Articleid>
                    <excerpt>એકબાજુ દુનિયા આખી બાળલગ્નને ખતમ કરવાના પ્રયાસો કરી રહી છે, બીજી તરફ આ દેશ ઉંધી દિશામાં આગળ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67321fd46560e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67321fd437139.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67321fd437139.jpg" length="52548" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Child marriage, Iraq</media:keywords>
                </item>
                        <item>
                    <title>42 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ તોડીને નવો બનાવવા હવે 118 કરોડ ખર્ચાશે</title>
                    <link>https://khabarantar.com/it-will-now-cost-118-crores-to-demolish-the-hatkeshwar-bridge</link>
                    <guid>https://khabarantar.com/it-will-now-cost-118-crores-to-demolish-the-hatkeshwar-bridge</guid>
                    <description>
                        <![CDATA[ આ છે એએમસી અને ભાજપના ભ્રષ્ટ નેતાઓનું અસલી ચરિત્ર. બે મહિના પહેલા બ્રિજને તોડીને નવો બનાવવાનો ખર્ચ 55 કરોડ હતો, હવે ડબલ થઈ ગયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 118 કરોડ રૂપિયા થશે. હાટકેશ્વર બ્રિજને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ફરી એક વખત AMC પર સવાલ ઉઠાવ્યા છે. શહેજાદ ખાન પઠાણે કહ્યું કે, 'બે મહિના પહેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 55 કરોડ હતો જ્યારે હવે બે મહિના પછી જ તેનો ખર્ચ વધીને 118 કરોડ પહોંચી ગયો છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવતા કહ્યું કે, 'અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો એ છે હાટકેશ્વર બ્રિજમાં થયો છે. 2017માં 42 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર થતા પાંચ વર્ષ પછી આ બ્રિજ જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર બ્રિજનો બે વર્ષ પછી પણ કોઈ નિકાલ આવ્યો નથી.2 મહિના પહેલા ભાજપના નેતાઓએ મોટા મોટા દાવા કર્યા હતા કે હાટકેશ્વર બ્રિજને તોડીને ફરી નવો બનાવવા પાછળ 52 કરોડનો ખર્ચ થશે અને આ </span><span style="font-size: 14pt;">તમામ ખર્ચ અગાઉના કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6732183cb3923.jpg" alt=""></p>
<p>.<span style="font-size: 14pt;">વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે, "2 મહિના પહેલા ભાજપના નેતાઓ 52 કરોડમાં બ્રિજને તોડીને નવો બનાવવાનો દાવા કર્યા હતા અને હાલમાં બ્રિજની કોસ્ટ 118 કરોડએ પહોંચી ગઈ છે. હાલમાં અધિકારીઓ તરફથી જાણવા મળી રહ્યું છે કે હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળ 118 કરોડનો ખર્ચ થશે. બીજી તરફ અમદાવાદની જનતા ટ્રાફિકથી પરેશાન થઈ રહી છે અને તેનો કોઈ નિકાલ નથી આવી રહ્યો. હાટકેશ્વર બ્રિજ મામલે પાંચ વર્ષથી ભાજપના નેતા અમદાવાદ શહેરની જનતાને વાયદા ઉપર વાયદા આપી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળ ખર્ચ માટે જે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાં વર્ષ 2015-16ના જુના S0R મુજબ ગણતરી કરી અને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં તોડી અને નવો બનાવવા પાછળ 54 કરોડ રૂપિયા જેટલો ખર્ચનો અંદાજ હતો. જે તે સમયે સ્ટીલ, સિમેન્ટ, રેતી સહિતનો ભાવ હતો તે ભાવ ગણતરી કરી અને મૂકવામાં આવ્યો છે. પરંતુ હવે અત્યારના સ્ટીલ સહિતની ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે, જે મુજબ ખર્ચ વધી ગયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનની કંપની આ બ્રિજને તોડીને નવો બનાવવા માટે ક્વોલિફાઇ થઈ છે. કોન્ટ્રાકટર સાથે આ ખર્ચ મામલે હાલ નેગોશીએશન ચાલી રહ્યું છે. જુના ભાવ અને નવા ભાવમાં વચ્ચે તફાવત છે, જેથી ખર્ચમાં વધારો થયો છે. આ તમામ ખર્ચ જૂના કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પાસેથી જ વસૂલ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર સાથે આ મામલે વાતચીત ચાલી રહી છે, જો કોન્ટ્રાક્ટર તરફથી નેગોએએશન નહીં સ્વીકારવામાં આવે તો ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/ahmedabads-roads-are-deadly-with-870-deaths-in-2023">અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે, ૨૦૨૩માં ૮૭૦નાં મોત થયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 11 Nov 2024 20:20:02 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 11 Nov 2024 20:42:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1530</Articleid>
                    <excerpt>આ છે એએમસી અને ભાજપના ભ્રષ્ટ નેતાઓનું અસલી ચરિત્ર. બે મહિના પહેલા બ્રિજને તોડીને નવો બનાવવાનો ખર્ચ 55 કરોડ હતો, હવે ડબલ થઈ ગયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6732182f8d37a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732182f5156e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732182f5156e.jpg" length="94252" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ahmedabad Hatkeshwar Bridge, AMC</media:keywords>
                </item>
                        <item>
                    <title>જશવંતગઢના દલિતે અર્ધનગ્ન હાલતમાં ઢસડાતા જઈ કલેક્ટર પાસે ન્યાય માંગ્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-from-jashwantgarh-crawled-half-naked-and-sought-justice-from-the-collector</link>
                    <guid>https://khabarantar.com/dalit-from-jashwantgarh-crawled-half-naked-and-sought-justice-from-the-collector</guid>
                    <description>
                        <![CDATA[ અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામના જાતિવાદી સરપંચ દલિતને વીજળી-પાણી આપતા નહોતા. કંટાળીને દલિત વ્યક્તિએ ઢસડાતા કલેક્ટર કચેરીએ પહોંચી ન્યાય માંગ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં જાતિવાદી તત્વો કઈ હદે બેફામ થઈ ગયા છે તે સૌ જાણે છે. પણ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ગમે તેવા કઠોર હૃદયના વ્યક્તિને પણ રડાવી મૂકે તેવો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક દલિત વ્યક્તિ એક સરકારી કચેરીમાં અર્ધનગ્ન સ્થિતિમાં જમીન પર ઢસડાતા જઈને ન્યાય માંગી રહ્યાં છે. એ દલિત વ્યક્તિની પાછળ અરજીઓની યાદી લબડી રહી છે અને તેઓ ઢસડાઈને પોતાને ન્યાય આપવા માટે વિનંતી કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઢસડાતા કલેક્ટર કચેરીએ પહોંચી ન્યાય માંગવો પડ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીની છે અને કચેરીમાં ઢસડાઈને રજૂઆત કરવા જઈ રહેલી વ્યક્તિ અહીંના જશવંતગઢ ગામના દલિત સમાજના વ્યક્તિ છે. પ્રવીણભાઈ નાથાભાઈ પરમાર ગામના જાતિવાદી સરપંચ દ્વારા તેમની સાથે કરવામાં આવતા અન્યાયને લઈને જિલ્લા કલેક્ટર સામે ન્યાયની ગુહાર લગાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટનાનો વીડિયો વાયરલ થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રવીણભાઈ વાયરલ વીડિયોમાં જણાવી રહ્યાં છે કે, તેમના ગામના સરપંચ તેમને પીવાનું પાણી અને સ્ટ્રીટલાઈટ જેવી પાયાની જરૂરિયાતો આપવામાં અન્યાય દાખવી રહ્યાં છે. તેઓ સમાજમાંથી આવતા હોવાથી જાતિવાદી સરપંચ તેમને ગાંઠતા નથી અને પાણી, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખીને હેરાન પરેશાન કરી રહ્યાં છે. આ મામલે તેમણે અનેકવાર ગ્રામ પંચાયતથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ તેમનું સાંભળતું નહોતું. આથી તેમણે અનોખી રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. અને તેથી તેઓ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ અર્ધનગ્ન હાલતમાં અત્યાર સુધી તેમણે જેટલી પણ અરજીઓ કરી છે, તેની યાદીનું પૂંછડું બનાવીને ઢસડાતા ઢસડાતા કલેક્ટરને મળવા માટે પહોંચી ગયા હતા. જો કે, કલેક્ટર કચેરીના સ્ટાફે તેમને ન્યાય અપાવવાને બદલે પોલીસને બોલાવીને તેમની અટકાયત કરાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરપંચ અમને મારવા માણસો મોકલે છે...</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયરલ વીડિયોમાં પીડિત પ્રવીણભાઈ પરમાર કહે છે, "દલિતની માથે કેટલો અત્યાચાર છે. આ કોઈ મારું સાંભળતું નથી. આટલી બધી પીડા છતાં કોઈને મારા પર દયા નથી આવતી. કેટલી અરજીઓ કરી, પણ આ કાગળિયાનું કશું આવતું નથી. સરપંચ મને મરવા મજબૂર કરે છે. અમે અનુસૂચિત જાતિ સમાજના હોઈ સરપંચ અમારું સાંભળતા નથી. અમારી સાથે અન્યાય થાય છે. સરપંચ અમને પાણી, લાઈટ આપતા નથી અને માણસોને અમારા ઘરે મારવા માટે મોકલે છે. આમાં અમારે કઈ રીતે જીવવું?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગામોગામ આ સ્થિતિ છે જ્યાં દલિતો સાથે અનેક મોરચે અત્યાચાર થાય છે. ગામના માથાભારે સરપંચો દલિતોની પ્રાથમિક જરૂરિયાતો અટકાવી દે છે. આ મામલે તંત્ર સરપંચ અને તેમની રાજકીય રીતે મજબૂત જાતિની તરફેણમાં હોવાથી દલિતોને ન્યાય મળતો નથી. આવા અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે, પરંતુ તેમાં આગળ ન્યાય મળ્યો કે નહીં તેની કોઈ વિગતો સામે આવતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગૌચરની જમીન પર પંચાયતે પીએમ આવાસ ફાળવી દીધું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રવિણભાઈને થઈ રહેલા અન્યાયમાં ગ્રામ પંચાયતની લાલિયાવાડી મુખ્ય કારણ છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રવિણભાઈ પરમારે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પંચાયતમાં અરજી કરી હતી. જેમાં તેમને મકાન બનાવી દેવાનું નક્કી થયું હતું અને વર્ષ 2020-21માં તેમણે ઘર બનાવ્યું દીધું છે. અશોક માંગરોળિયા, જેઓ બીજી ટર્મ માટે સરપંચ તરીકે ચૂંટાયા છે અને ભાજપના સમર્થક છે, તેમણે પુરતી તપાસ કર્યા વિના પ્રવિણભાઈ પરમારને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઘર બનાવવા આ જમીન ફાળવી દીધી હતી, જે ગૌચરમાં છે. હવે જ્યારે પ્રવિણભાઈનું ઘર તૈયાર થઈ ગયું છે અને તેમણે વીજળી, પાણીની માંગ કરી છે ત્યારે સરપંચે અસલ રંગ બતાવવો શરૂ કર્યો છે અને તમારું ઘર ગૌચરમાં છે એટલે સુવિધા નહીં મળે તેમ દાદાગીરી શરૂ કરી દીધી છે. આ અન્યાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું ગ્રામ પંચાયતમાં અભણ લોકો બેઠાં છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં સવાલ એ થાય કે, જ્યારે ગ્રામ પંચાયત દ્વારા આ જમીન ફાળવવામાં આવી હતી ત્યારે પંચાયત કે સરપંચને આ બાબતનું ભાન કેમ નહોતું? વાંક તેમનો છે અને છતાં દલિત પ્રવિણભાઈને હેરાન કરવામાં કેમ આવે છે? શું સરપંચમાં એટલી બુદ્ધિ નહોતી કે આ ગૌચરની જમીન છે? પંચાયતના ચોપડે નોંધાયેલી જમીનની વિગતો તેમને દેખાઈ નહોતી? હવે જ્યારે આખું ઘર બનીને તૈયાર થઈ ગયું છે, ત્યારે તેના રહેવાસી પર દોષનો ટોપલો કેમ ઢોળી દેવાયો છે? શું આ સો ટકા અન્યાય નથી? આ તમામ સવાલો હાલ ઉભા છે અને સરપંચ મૌન છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જશવંતગઢનું સામાજિક માળખું કેવું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, જશવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ અશોક માંગરોળિયા બીજી વખત સરપંચપદે ચૂંટાયેલા છે અને ભાજપના ચુસ્ત ટેકેદાર છે. ગામમાં તેમના પટેલ સમાજની વસ્તી 70 ટકા આસપાસ હોવાથી તેઓ આર્થિક અને રાજકીય રીતે વર્ચસ્વ ધરાવે છે. ગામમાં અનુસૂચિત જાતિના 88 જેટલા ઘરો છે. આ સિવાય ભરવાડ, મુસ્લિમ, કાંગસિયા સમાજના પણ કેટલાક ઘરો છે, આ સિવાય ગઢવી સમાજના પણ બે ઘર છે. પીડિત પ્રવિણભાઈ પરમારનું ઘર દલિતવાસથી 300 મીટર દૂર બનાવવામાં આવ્યું છે અને તેના માટે જમીન ગ્રામ પંચાયતે જ ફાળવી હતી. હવે આ જ પંચાયત કહે છે કે, આ ઘર ગૌચરની જમીન પર છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/what-would-the-pandians-who-had-quarreled-with-mevani-do-with-a-common-dalit">મેવાણી સાથે તોછડાઈ કરનાર પાંડિયન સામાન્ય દલિત સાથે શું કરતા હશે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 11 Nov 2024 14:46:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1529</Articleid>
                    <excerpt>અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામના જાતિવાદી સરપંચ દલિતને વીજળી-પાણી આપતા નહોતા. કંટાળીને દલિત વ્યક્તિએ ઢસડાતા કલેક્ટર કચેરીએ પહોંચી ન્યાય માંગ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6731caaf309dd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6731caaee8cd6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6731caaee8cd6.jpg" length="101399" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Amreli News, Atrocity Act</media:keywords>
                </item>
                        <item>
                    <title>મારી માં મને કહેતી, &amp;quot;તું તારી જાતિ વિશે કંઈ ન બોલતો..&amp;quot;</title>
                    <link>https://khabarantar.com/know-about-tamil-film-director-pa-ranjith</link>
                    <guid>https://khabarantar.com/know-about-tamil-film-director-pa-ranjith</guid>
                    <description>
                        <![CDATA[ &quot;થંગલાન&quot;, &quot;કાલા&quot;, &quot;કબાલી&quot;, &quot;સરપટ્ટા પરંબરાઈ&quot; જેવી સુપરહિટ ફિલ્મોના નિર્દેશક પા. રંજિથ પોતાની ફિલ્મો, કરિયર, ડો. આંબેડકર અને જાતિવાદ વિશે શું માને છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પા રંજીથ (Pa Ranjith) હાલ તેમની સુપરહિટ ફિલ્મ થંગાલન(Thanglan)ની સફળતાની મજા માણી રહ્યાં છે. આ સિવાય તેઓ તેમની પહેલી બોલીવૂડ ફિલ્મ બિરસા મુંડાને લઈને પણ ચર્ચામાં છે. સૌ કોઈ તેમના કામના વખાણ કરી રહ્યું છે, તો બીજી બાજુ મનુવાદી વિચારસરણીના લોકો એક દલિત ફિલ્મમેકરની આ સફળતા જોઈ અંદરને અંદર બળબળી રહ્યાં છે. તેઓ રંજિથની ફિલ્મોને ઉતારી પાડવાની એક પણ તક છોડતા નથી. તેઓ તેમની ફિલ્મનો કોઈને કોઈ રીતે વિરોધ કરે છે, પણ તેનાથી રંજિથ કે એમની ફિલ્મને તસુભાર પણ ફરક પડતો નથી. આવું ત્યારે જ થઈ શકે જ્યારે દર્શકોને એક ફિલ્મમેકર અને તેમની સ્ટોરીટેલિંગ સ્ટાઈલ પર સંપૂર્ણ ભરોસો હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થંગાલન દ્વારા રંજિથ અનુસૂચિત જાતિ અને દલિતોના સંઘર્ષને કોઈપણ સંકોચ વગર સિનેમાના પડદા પર લાવ્યા છે. તેમણે હંમેશા દલિતોના સંઘર્ષને પોતાની ફિલ્મો દ્વારા સમાજ સમક્ષ રજૂ કર્યો છે. તેઓ પોતે દલિત સમાજમાંથી આવે છે અને વ્યવસાયિક રીતે સફળ થનાર દેશના પ્રથમ દલિત ફિલ્મ નિર્માતા છે. રંજિથ તેમની ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રીમાં દલિત પાત્રોને હીરો તરીકે બતાવે છે. તેઓ પોતાની ફિલ્મોમાં મુખ્યત્વે જાતિ આધારિત દમન અને ભેદભાવને ઉજાગર કરવા પ્રયત્ન કરે છે, જેના માટે દેશમાં કાયદાઓ તો છે, તેમ છતાં તેનું યોગ્ય રીતે પાલન થતું નથી. રણજીતની આંબેડકરવાદી વિચારસરણીએ તેમને હંમેશા તેમની ફિલ્મો થકી "અસ્પૃશ્ય" ગણાતા દલિત સમાજને સશક્ત બનાવવા માટે પ્રેરણા આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મારી માં જાતિ વિશે બોલવાની ના પાડતી હતી- પા રંજિથ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વોશિંગ્ટન પોસ્ટને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પા રંજિથે કહ્યું હતું કે, તેમની માં તેમને ઘણીવાર કહેતી હતી કે તે તેની જાતિ જાહેર ન કરે. પરંતુ તેમ છતાં રંજિથે એવા ક્ષેત્રમાં પગ મૂક્યો જેમાં અત્યાર સુધી બહુ ઓછા લોકો પ્રગતિ કરી શક્યા હતા. તેમણે તેમના કામ દ્વારા દલિતોને ઓળખ આપવાનું શરૂ કર્યું, માત્ર થોડા વર્ષોમાં રંજિથે એવી ફિલ્મો બનાવી છે જેમાં દલિતોને સ્પર્શતા મુદ્દાઓને મજબૂતીથી ઉઠાવવામાં આવ્યા છે. તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશતા પહેલા, પા રંજીથે દલિત સમાજના લોકોને સિનેમાના પડદે શરાબી, મૂર્ખ, ગુંડા અને ગામડાના ગરીબડાં ગમાર તરીકે જોયા હતા. પરંતુ રણજિતની ફિલ્મોમાં વંચિત સમાજમાંથી આવતા પાત્રો પરિસ્થિતિનો શિકાર, હારેલા અને લાચાર નથી હોતા. તેઓ ગમે તેવી વિપરીત પરિસ્થિતિનો સામનો કરે છે, લડી લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફિલ્મોનો રસ્તો કેવી રીતે પસંદ કર્યો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રણજીતનો જન્મ 8 ડિસેમ્બર 1982ના રોજ ચેન્નાઈના કરાલાપક્કમ અવડી વિસ્તારના એક રૂમના એક ઘરમાં થયો હતો. આ ફ્લેટ AIADMKના સ્થાપક M.G. રામચંદ્રનની એક સરકારી યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા હતા. રણજીતે એનિમેશનના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મદ્રાસ ફાઈન આર્ટસ કોલેજમાં એડમિશન લીધું હતું. પરંતુ તેઓ તેમના મોટા ભાઈ પ્રભુથી ખૂબ પ્રભાવિત હતા, જેઓ દલિત સંગઠનો સાથે સંકળાયેલા વકીલ હતા. પ્રભુએ જ રંજિથને આંબેડકરનો પરિચય કરાવ્યો હતો. જ્યારે રંજિથ કોલેજમાં હતા ત્યારે તેઓ એક ફિલ્મ ચેમ્બરમાં જોડાયા હતા, અહીં તેમણે વિશ્વ સિનેમાનો બારીકાઈથી અભ્યાસ કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માજિદ મજીદીની ફિલ્મ જોઈને હું બહુ રડ્યો..</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રણજીતે ઈન્ડિયન એક્સપ્રેસને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે કોલેજમાં સેંકડો ફિલ્મો જોઈ હતી, જેમાં માજિદ મજીદીની ચિલ્ડ્રન ઓફ હેવન (1997) પણ સામેલ છે, જેનું નિર્દેશન ઈરાની દ્વારા કરવામાં આવ્યું હતું. આ મારા જીવનમાં એક મહત્વનો વળાંક હતો. મારી નબળી અંગ્રેજીને કારણે હું ફિલ્મના સબટાઈટલ વાંચી શકતો ન હતો. જો કે, મને સારી રીતે યાદ છે કે એ ફિલ્મ જોયા પછી હું બહુ રડ્યો હતો. આ ફિલ્મમાંથી મને પ્રેરણા મળી અને મેં ફિલ્મમેકરની જેમ વિચારવાનું શરૂ કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રંજિથનો પહેલો મોટો બ્રેક</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2006માં, રંજીથે ફિલ્મ થાગપંસમી માટે સહાયક દિગ્દર્શક તરીકે તેમની કરિયરની શરૂઆત કરી. તેમને પહેલો બ્રેક ત્યારે મળ્યો જ્યારે તેમના મિત્ર મણિએ તેમને એક ઉત્સાહી નિર્માતા સી.વી. કુમાર પાસે મોકલ્યા. 2012માં સી.વી. કુમાર જેઓ એક ટ્રાવેલ બિઝનેસ ચલાવતા હતા, તેમણે રંજીથની પહેલી ફિલ્મ અટ્ટકથીનું નિર્માણ કર્યું. તેમની ફિલ્મે વધુ લોકપ્રિયતા ત્યારે મેળવી જ્યારે તમિલ સિનેમાના સૌથી મોટા સ્ટુડિયો પૈકીના એક સ્ટુડિયો ગ્રીને મળીને ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂશનના રાઈટ્સ મેળવ્યા. સ્ટુડિયો ગ્રીને એ પછી રંજિથની આગામી ફિલ્મ મદ્રાસનું નિર્માણ કર્યું, ત્યારબાદ સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ રંજિથ સાથે ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આંબેડકર મારી શક્તિ અને હિંમત છેઃ પા રંજિથ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ વાયરને આપેલા ઈન્ટરવ્યુમાં રણજીતે કહ્યું હતું કે, "જ્યારે હું દલિત પાત્રો વિશે લખું છું ત્યારે સૌથી પહેલા હું મારી જાતને આ વાર્તાઓમાં સ્થાન આપું છું અને પૂછું છું કે હું સમાજમાં ક્યાં ઊભો છું? મારા માટે સૌથી મોટા રોલ મોડલ બાબા સાહેબ એટલે કે ડૉ. ભીમરાવ આંબેડકર રહ્યા છે. બાબા સાહેબે ગાંધી અને કોંગ્રેસનો વિરોધ ત્યારે કર્યો જ્યારે તેમને લાગ્યું કે તેઓ (ગાંધી અને કોંગ્રેસ) દલિતોના મુદ્દાઓને મહત્વ નથી આપતા. મેં તેમને પ્રેરણા તરીકે જોયા છે. મને આંબેડકર પાસેથી હિંમત મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Kaala---The-roar-of-Dalit-identity-presented-on-the-cinema-screen"><span style="font-size: 12pt;"> </span>Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 11 Nov 2024 13:05:54 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 11 Nov 2024 13:12:09 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1528</Articleid>
                    <excerpt>&quot;થંગલાન&quot;, &quot;કાલા&quot;, &quot;કબાલી&quot;, &quot;સરપટ્ટા પરંબરાઈ&quot; જેવી સુપરહિટ ફિલ્મોના નિર્દેશક પા. રંજિથ પોતાની ફિલ્મો, કરિયર, ડો. આંબેડકર અને જાતિવાદ વિશે શું માને છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6731b2611a78b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6731b260d73d1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6731b260d73d1.jpg" length="77788" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Thangalan, Pa. Ranjith, Dr. Ambedkar, Washington Post</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;ગાંડો&amp;apos;, &amp;apos;કાળો&amp;apos;, &amp;apos;કચરો&amp;apos;, &amp;apos;કાળી&amp;apos; જેવા અપમાનજનક નામો સામેની લડાઈ</title>
                    <link>https://khabarantar.com/samata-sangthan-an-organization-fighting-against-derogatory-names-of-dalits-and-tribals</link>
                    <guid>https://khabarantar.com/samata-sangthan-an-organization-fighting-against-derogatory-names-of-dalits-and-tribals</guid>
                    <description>
                        <![CDATA[ એક એવું ગામ, જે સવર્ણો દ્વારા દલિત-આદિવાસી બાળકોના આવા અપમાનજનક નામો પાડવાનો અનોખી રીતે વિરોધ કરી રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામડાઓમાં જઈને તમે દલિતવાસના વડીલોના નામ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે તેમાનાં મોટાભાગના લોકોના નામ અત્યંત તોછડાં અને અપમાનજનક પ્રકારના હશે. "ડાયો", "મીઠો", "તેજો", "કાળો", "ગાંડો", "કચરો", "પૂંજો", "ભીખો" વગેરે. આવું જ સ્ત્રીઓના નામમાં પણ જોવા મળશે, જેમ કે "કાળી", "કશ્લી", "સવલી", "કુશલી", "ડાઈ", "ચંપલી", "મંજુડી", "શાંતુડી" વગેરે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામડાના અભણ દલિતોને પહેલી નજરે આ નામોમાં કદી કશું અપમાનજનક નહોતું લાગતું. કેમ કે, તેની પાછળનો તર્ક તેઓ સમજી શકતા નહોતા. મનુવાદીઓ તેમને જાતભાતની અંધશ્રદ્ધાઓથી ભરમાવીને આવા નામો રાખવા મનાવી લેતા. જેમ કે, જે પરિવારમાં કોઈ દીકરો વારંવાર બીમાર પડતો હોય કે સંતાન મૃત્યુ પામતું હોય તેવા પરિવારમાં જન્મેલા બાળકને બામણો 'ગાંડો' નામ રાખવાનું સૂચન કરતા, તેની પાછળનો તર્ક એવો આપવામાં આવતો કે આવું નામ રાખવાથી બાળકને કોઈની નજર નહીં લાગે અને તે આરોગ્યપ્રદ અને લાંબુ આયુષ્ય ભોગવશે. એટલે એક જ ગામમાં તમને એકથી વધુ "ગાંડા" નામધારી દલિતો જોવા મળશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નામ પાછળનો મનુવાદી એજન્ડા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવું કરવા પાછળ મનુવાદીઓનો ચોક્કસ એજન્ડા હતો અને આજે પણ છે. તેઓ એમ માને છે કે સન્માનજનક જીવનની જેમ સન્માનજનક નામો પણ માત્ર તેમના દીકરા-દીકરીઓના જ હોઈ શકે. એટલે કોઈ દલિત-આદિવાસી કે ઓબીસી માતાપિતા તેમના દીકરાનું કોઈ સારું નામ રાખે તો તરત મનુવાદીઓ તેને અવગણીને તેનું અપમાનજનક નામ આપી દેતા. જેમ કે, બાળક શ્યામવર્ણું હોય તો તરત તેને "કાળિયો" નામ આપી દેતા. જે એટલું અપમાનજનક લાગતું કે લોકો એ બાળક પર આખી જિંદગી હસતા રહેતા. ગામડાઓમાં દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના અનેક વડીલોના આવા અપમાનજનક નામો તમે સાંભળ્યા હશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અપમાનજનક નામો સામે દલિત-આદિવાસીઓનો જંગ</span></strong></span><br><span style="font-size: 14pt;">પણ અહીં એક એવા ગામની વાત કરવી છે જે આવા અપમાનજનક નામો પાછળ રહેલા જાતિવાદને સમજી ગયો છે અને તેનો અનોખી રીતે વિરોધ કરી રહ્યું છે. આજે પણ દેશના ઘણા ભાગોમાં દલિતો સામે ભેદભાવ અને હીનતા સંકુલ પ્રવર્તે છે. પોતાને શ્રેષ્ઠ બતાવવા માટે, નીચલી જાતિઓને વિચિત્ર અને અપમાનજનક નામોથી બોલાવવામાં આવે છે અને આ ચલણ સદીઓથી ચાલ્યું આવે છે. </span><span style="font-size: 14pt;">દા.ત., જો કોઈ દલિત દીકરીનો રંગ કાળો હોય તો તેનું નામ 'કૃષ્ણા' નહીં પણ 'કાળી' કે 'બેરી' રાખી દેવામાં આવતું. આ ષડયંત્ર સામે એક ગામના દલિત-આદિવાસી સમાજે મળીને વિરોધ શરૂ કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાની છે. અહીં ભીલ આદિવાસીઓ અને દલિત બાળકોને એવા અપમાનજનક નામ આપવામાં આવે છે જેના કારણે તેઓ જીવનભર ઉપહાસનો વિષય બનીને રહી જાય છે. અહીંના કરજાળી ગામમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તે છે. અહીં 'શ્યામ' છોકરીને બધાં 'કાળી' કહેવા લાગે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67319bb8288d6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અપમાનજનક આ પ્રથાનો અહીંના ચાર દલિત કાર્યકરોના ગ્રુપે વિરોધ કરવાનું શરૂ કર્યું અને આ પદ્ધતિ સામે દલિત-આદિવાસી બાળકોને સન્માનજનક નામ મળે તેવા પ્રયત્નો શરૂ કર્યા. આ ચારેય કાર્યકરોએ ગરિમા ભવન એટલે કે હાઉસ ઓફ ડિગ્નિટી બનાવ્યું, જેની દિવાલો પર ડો. આંબેડકરના ફોટા નીચે વૈકલ્પિક નામો અને તેમના અર્થોની લાંબી યાદી બનાવવામાં આવી. અને આ રીતે "કાળી" નામની યુવતીને "રિયા" નામ આપીને એક અલગ ઓળખ અપાઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવા નામથી અલગ ઓળખ મળી</span></strong></span><br><span style="font-size: 14pt;">સમતા સંગઠને 2021માં આ પહેલ શરૂ કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 40થી વધુ દલિત-આદિવાસી બાળકોને 'સન્માનજનક' નામ આપવામાં આવ્યા છે. આમાં 26 છોકરીઓ છે. આ બાળકોમાં 30 અનુસૂચિત જાતિ (SC) સમાજમાંથી અને 10 અનુસૂચિત જનજાતિ (ST)માંથી છે. ‘કથિત ઉચ્ચ જાતિ’ના લોકો સમતા સંગઠનના આ પ્રયાસોનો વિરોધ કરી રહ્યા છે, ખાસ કરીને બ્રાહ્મણ પૂજારીઓ તેમના આ પ્રયત્નોનો સૌથી વધુ વિરોધ કરી રહ્યાં છે. તેની પાછળ સંગઠનના લોકોનું માનવું છે કે, તેમના આ પ્રયત્નોથી લોકો બ્રાહ્મણો પાસે નામકરણ માટે જતા ઘટ્યાં છે અને તે રીતે તેમનો ધંધો ભાંગ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કરજળી ગામના SC-ST સમાજના પંડિત રામલાલ ગર્ગ કહે છે, “અમે નક્ષત્રના આધારે નામ આપીએ છીએ. મને નથી લાગતું કે નામકરણ જાતિગત ભેદભાવ પર આધારિત હોય.” રામલાલ છેલ્લા 20 વર્ષથી બાળકોનું નામકરણ કરી રહ્યા છે, અને તેમની નામકરણ પદ્ધતિ ગમે તે હોય, તે રામલાલ દ્વારા કહેવાયેલી વાતોથી વિપરીત છે. તેમણે કહ્યું, “જો કોઈનું નામ ઉદય રાખવામાં આવે છે અને જો તે રાજપૂત છે, તો તેનું નામ "ઉદય સિંહ" હશે. અને જો તે કથિત નિમ્ન જાતિનો હશે તો તેનું નામ "ઉદય લાલ" હશે. આ જે તે સમાજના કામકાજ પર નિર્ભર કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચોતરફ નામના કારણે અપમાન</span></strong></span><br><span style="font-size: 14pt;">ચિંતાજનક બાબત એ છે કે દલિતો-આદિવાસી કે ઓબીસી સમાજના બાળકોના આવા ભેદભાવપૂર્ણ નામકરણ માત્ર રાજસ્થાન પૂરતા મર્યાદિત નથી પરંતુ દેશભરમાં પ્રચલિત છે. રાજસ્થાનના પડોશમાં આવેલા હરિયાણામાં વણજોઈતી દીકરીઓનું નામ મોટાભાગે 'ભટેરી' કે 'ભોટા' (જેનો અર્થ છે સેક્સની જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ઉપલબ્ધ). મહારાષ્ટ્રમાં, છોકરીઓને "ફસીબાઈ" (દગાબાજ) અને "નકોશી" ('વણજોઈતી') જેવા નામો આપવામાં આવતા હતા. પરંતુ છેલ્લા એક દાયકામાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યની 1,000 ગ્રામ પંચાયતોમાં મોટા પાયે ઝુંબેશ શરૂ કરી છે. સમતા સંગઠનના કાર્યકર બૈરવ કહે છે, “ભેદભાવ જન્મથી શરૂ થાય છે. તેથી અમે નામકરણની પદ્ધતિ બદલવાનું નક્કી કર્યુંઃ એક સમયે એક નામ રાખવું એ અમારો નિયમ છે. જેથી કોઈ હુલામણા નામ તરીકે પણ અપમાનજનક નામ ન આપી દે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નામમાં શું રાખ્યું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં ભેદભાવપૂર્ણ નામકરણની પ્રથાઓ સામાન્ય છે. OBC જાતિના ખેડૂતને દલિત અથવા આદિવાસી સમાજના સભ્ય દ્વારા "કાકાજી" તરીકે સંબોધિત કરવામાં આવવા જોઈએ. રાજપૂત માટે “દાતા” શબ્દ વપરાય છે. અન્ય કથિત નીચી જાતિના ગમે તેટલી તેટલી મોટી ઉંમરની વ્યક્તિએ પણ રાજપૂત બાળકોને અનિચ્છાએ "કુંવર સા" કહીને સંબોધન કરવું પડે છે. જેની સામે એ બાળક તે વડીલને પણ તોછડી ભાષામાં બોલાવે તો પણ વાંધો ઉઠાવી શકાતો નથી. દલિતો અને આદિવાસીઓને સમાજમાં ઉચ્ચ જાતિના લોકોના પ્રથમ નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. તેમને તેમની "કથિત હેસિયત" વિશે સતત યાદ અપાવવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિક્ષણ અને જાગૃતિને કારણે પરિસ્થિતિ બદલાઈ રહી છે</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે, 2017માં સમતા સંગઠનની સ્થાપના પછી, તેના કાર્યકરોએ ચિત્તોડગઢના કરજાળી, મેવાડા કોલોની, સૂરજપુરા, ભીમનગર, અમરપુરા, ઉમેદપુરા જેવા ગામોમાં કેન્દ્રો ખોલ્યા. દર મહિને સમુદાયના લોકો આ કેન્દ્રો પર ભેગા થાય છે અને લોકોને તેમના બંધારણીય અધિકારો વિશે જાગૃત કરવામાં આવે છે. આ પ્રવૃત્તિને કારણે પરિસ્થિતિ સારી એવી બદલાઈ છે અને દલિત-આદિવાસી માતાપિતા તેમના બાળકોના અપમાનજનક નામો રાખવાથી દૂર થવા લાગ્યા છે. એક નાનકડો પ્રયાસ હવે રાજસ્થાનમાં પરિવર્તનનો પવન લઈને આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Wind-of-change:-Amreli-bride-and-groom-get-married-under-constitution-witness">પરિવર્તનનો પવનઃ અમરેલીમાં વર-કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 11 Nov 2024 11:23:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1527</Articleid>
                    <excerpt>એક એવું ગામ, જે સવર્ણો દ્વારા દલિત-આદિવાસી બાળકોના આવા અપમાનજનક નામો પાડવાનો અનોખી રીતે વિરોધ કરી રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67319bb8e9c86.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67319bb8b64d1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67319bb8b64d1.jpg" length="108930" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>SC-ST news, Rajasthan news, Chittorgarh Rajasthan</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉમરેઠમાં BAPS મંદિરના પૂજારીએ મંદબુદ્ધિની યુવતીને ગર્ભવતી બનાવી દીધી</title>
                    <link>https://khabarantar.com/baps-temple-priest-in-umreth-impregnated-mentally-retarded-girl</link>
                    <guid>https://khabarantar.com/baps-temple-priest-in-umreth-impregnated-mentally-retarded-girl</guid>
                    <description>
                        <![CDATA[ પૂજારી દીકરીને ધાકધમકી આપી બળાત્કાર ગુજારતો હતો, અસ્થિર મગજની દીકરીને ગર્ભ રહી જતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉમરેઠ સ્વામીનારાયણ મંદિરના એક પૂજારી પર મંદબુદ્ધિની યુવતી પર ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેવાનો ગંભીર આરોપ લાગ્યો છે. અસ્થિત મગજની યુવતીના ભોળપણનો લાભ લઈને લંપટ પૂજારી વારંવાર તેના પર બળજબરી કરીને દુષ્કર્મ કરતો હોવાથી યુવતીને ગર્ભ રહી જતા લંપટ પૂજારીની હવસનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે યુવતીના પરિવારે ઉમરેઠ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે યુવતીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. યુવતીના પરિવારજનોનો આરોપ છે કે, પૂજારીએ તેમની મંદબુદ્ધિની દીકરીના ભોળપણનો લાભ ઉઠાવી તેની હવસ સંતોષી, વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે પીડિતાના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, “આ સ્વામિનારાયણ મંદિરની જ્યારથી ઈંટ મૂકી ત્યારથી મારા માતા અહીં કામ કરતા હતા. તેમના ગુજરી ગયા બાદ મારી પત્ની અને મંદબુદ્ધિની દીકરી અહીં કામ કરતી હતી. મારી દીકરીને પૂજારીએ બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી છે. મારી દીકરી સવારે ચાર વાગે આંગણવાડી પાસે પેશાબ કરવા ગઈ હતી. ત્યારે તેનું બાળક ગરી ગયું હતું. જે બાદ તે બાળકને અમે બાજુમાં મૂક્યું અને દીકરીને અમે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જે બાદ ત્યાંથી અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસની પૂછપરછમાં અમારી દીકરીએ જણાવ્યું છે કે, “આ મંદિરના પૂજારીએ મારી સાથે દુષ્કર્મ કર્યું છે. એટલું જ પૂજારીએ કોઈને આ અંગેની જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી અમારે હવે ન્યાય જોઈએ છે. આ મંદિરને સીલ લાગવું જોઈએ. આ સંસ્થા મોટી છે અને ગરીબનું કોઈ ન સાંભળે તેવું ન થવું જોઈએ. ન્યાય એવો આપો કે, અન્ય કોઈ યુવતી સાથે આવું ન થાય.”</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/swaminarayan-literature-contains-nonsense-and-outright-lies">સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 20:36:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1526</Articleid>
                    <excerpt>પૂજારી દીકરીને ધાકધમકી આપી બળાત્કાર ગુજારતો હતો, અસ્થિર મગજની દીકરીને ગર્ભ રહી જતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6730cae7f041f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730cae7bbaed.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730cae7bbaed.jpg" length="118793" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BAPS temple in Umreth</media:keywords>
                </item>
                        <item>
                    <title>પૂજારીએ દલિત મહિલાઓને મંદિરમાં દૂધ ચઢાવતા રોકી, દલિતો રસ્તા પર ઉતર્યા</title>
                    <link>https://khabarantar.com/priest-stops-dalit-women-from-offering-milk-in-temple-dalits-take-to-the-streets</link>
                    <guid>https://khabarantar.com/priest-stops-dalit-women-from-offering-milk-in-temple-dalits-take-to-the-streets</guid>
                    <description>
                        <![CDATA[ દલિત મહિલાઓ મંદિરમાં દેવતાને દૂધ ચઢાવવા માટે ગઈ હતી પણ મંદિરના પૂજારીએ તેમની જાતિના કારણે તેમને દૂધ ચઢાવવા દીધું નહોતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાંથી દલિત મહિલાઓને મંદિરમાં દેવતાને દૂધ ચડાવવાથી રોકવામાં આવતા હોબાળો મચી ગયો છે. મહિલાઓનો આરોપ છે કે મંદિરના પૂજારીઓ અને કથિત ઉચ્ચ જાતિના કેટલાક લોકો તેમને આ ધાર્મિક વિધિ કરવા દેતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેન્દ્રપારા જિલ્લાના ગરજંગા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ગઈકાલની છે. અહીં કેન્દ્રપારા જિલ્લાના એક મંદિરમાં કેટલીક દલિત મહિલાઓ દેવતાને દૂધ ચઢાવવા માટે મંદિરમાં ગઈ હતી. પણ મંદિરના પૂજારીએ તેઓ દલિત જાતિની હોવાથી મંદિરમાં દૂધ ચઢાવતા રોકી હતી. જેને લઈને હોબાળો મચી ગયો હતો અને દલિત સમાજના લોકો તેના વિરોધમાં ધરણાં પર ઉતરી આવ્યા હતા. મહિલાઓ પૂજારીની જાતિવાદી માનસિકતાના વિરોધમાં રસ્તા પર બેસી ગઈ હતી. મહિલાઓનું કહેવું છે કે તેમની દલિત જાતિના કારણે તેમને ગરજંગા ગામના સિદ્ધેશ્વરી રામચંડી શક્તિ મંદિરમાં ધાર્મિક વિધિ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂજારીની જાતિવાદી માનસિકતા પર હોબાળો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓનો આરોપ છે કે મંદિરના પૂજારીઓ અને ઉચ્ચ જાતિના કેટલાક લોકોએ તેમને આ ધાર્મિક વિધિ કરવા દીધી નહોતી. આ અંગે તેણે મરસાઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમને મંદિરમાં પ્રવેશતી અટકાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પોલીસે જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે પોલીસે કહ્યું કે કથિત ઉચ્ચ જાતિ અને દલિત સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસે ગામમાં શાંતિ જાળવવા વધારાના પોલીસ જવાનોને તૈનાત કર્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/due-to-the-lack-of-roads-the-tribal-pregnant-woman-had-to-be-carried-to-the-hospital-in-a-zoli"> રસ્તાના અભાવે આદિવાસી પ્રસુતાને ઝોળીમાં નાખી દવાખાને લઈ જવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 17:30:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1525</Articleid>
                    <excerpt>દલિત મહિલાઓ મંદિરમાં દેવતાને દૂધ ચઢાવવા માટે ગઈ હતી પણ મંદિરના પૂજારીએ તેમની જાતિના કારણે તેમને દૂધ ચઢાવવા દીધું નહોતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67309f53a4e10.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67309f536b5b8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67309f536b5b8.jpg" length="82785" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Siddheshwari Ramchandi Shakti Temple, Odisha News</media:keywords>
                </item>
                        <item>
                    <title>બંદૂક બતાવી IAS અધિકારીએ 6 મહિના સુધી દલિત કર્મચારીનું જાતીય શોષણ કર્યું</title>
                    <link>https://khabarantar.com/ias-officer-sexually-abused-dalit-employee-for-6-months-at-gunpoint</link>
                    <guid>https://khabarantar.com/ias-officer-sexually-abused-dalit-employee-for-6-months-at-gunpoint</guid>
                    <description>
                        <![CDATA[ વિકૃત માનસિકતાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટે કોન્ટ્રાક્ટર પર કામ કરતા દલિત યુવકની મજબૂરીનો ફાયદો ઉઠાવી છ મહિના સુધી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધુનું કૃત્ય કર્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાના IAS અધિકારી કુલભૂષણ બંસલની કોન્ટ્રાક્ટર પરના એક દલિત કર્મચારીનું જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે બંસલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિસારના અધિક પોલીસ અધિક્ષક રાજેશ કુમાર મોહને જણાવ્યું છે કે હરિયાણાના જાહેર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા એક દલિત કર્મચારીએ IAS કુલભૂષણ બંસલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે બંસલ પર 6 મહિના સુધી જાતિવાદી નિવેદનો કરીને અપમાન કરવાનો અને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફરિયાદના આધારે કુલભૂષણ બંસલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 377 (અકુદરતી ગુનો) અને 506 (ગુનાહિત ધમકી) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST act)ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના છ મહિના પહેલા બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપી કુલભૂષણ બંસલ હાંસીના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા એસડીએમ તરીકે કામ કરતો હતો. તેને આ ફરિયાદ બાદ ગુરુવારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ફરિયાદી દલિત કર્મચારીએ દાવો કર્યો હતો કે SDMએ તેમને કોન્ટ્રાક્ટ પર પટાવાળા તરીકે નિયુક્ત કર્યા હોવાથી તે તેમના આદેશ પર તેમના ઘરે જતો-આવતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત યુવકે કહ્યું, “તે મને તેના સત્તાવાર નિવાસસ્થાને મસાજ માટે બોલાવતો હતો અને ત્યાં તે મારી સાથે ખોટું કામ કરવાનો પ્રયાસ કરતો હતો. મેં ના પાડી તો તેણે બંદૂકના નાળચે મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. તેણે મને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. નોકરી જવાની બીકે હું આ બધું સહન કરતો રહ્યો. આ ઘટનાક્રમ છ મહિના સુધી ચાલ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંસલની વિકૃત્તિથી પરેશાન દલિત યુવકે તેના આ કૃત્યનો વીડિયો બનાવી લીધો હતો. એ પછી તેણે નક્કી કર્યું કે ભલે તેણે પોતાનો જીવ આપવો પડે, પરંતુ તે બંસલના કહેવા પર તેના ઘરે નહીં જાય. આ કેસનો વીડિયો વાયરલ થયા બાદ પીડિત દલિત યુવકે આરોપી અધિકારી બંસલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. હાલ બંસલ જેલમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/devadasi-pratha-trading-the-bodies-of-shudra-daughters-in-the-name-of-god">દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 17:03:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1524</Articleid>
                    <excerpt>વિકૃત માનસિકતાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટે કોન્ટ્રાક્ટર પર કામ કરતા દલિત યુવકની મજબૂરીનો ફાયદો ઉઠાવી છ મહિના સુધી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધુનું કૃત્ય કર્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6730991d1b9a3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730991cda4f6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730991cda4f6.jpg" length="88550" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Haryana IAS officer Kulbhushan Bansal, SC ST Act</media:keywords>
                </item>
                        <item>
                    <title>મણિપુર હિંસાના પીડિતોને હજુ સુધી પુરું વળતર મળ્યું નથી</title>
                    <link>https://khabarantar.com/victims-of-manipur-violence-have-not-yet-received-full-cpmpensation</link>
                    <guid>https://khabarantar.com/victims-of-manipur-violence-have-not-yet-received-full-cpmpensation</guid>
                    <description>
                        <![CDATA[ ગૃહમંત્રી અમિત શાહે મે 2023માં મણિપુર હિંસામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને રૂ. 10 લાખની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી તેના માટે પુરી રકમ ફાળવાઈ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાંબા સમય સુધી હિંસાગ્રસ્ત રહેલા મણિપુરમાં હજુ પણ જાતિ આધારિત સંઘર્ષના સમાચારો આવતા રહે છે ત્યારે અહીંના હિંસાગ્રસ્ત વિસ્તારના પીડિતોને હજુ સુધી પુરતું વળતર ન મળ્યાંનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ મે 2023 માં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેતી વખતે ઘણી જાહેરાતો કરી હતી, જેમાંથી એક જાહેરાત હિંસામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવાની હતી. આરટીઆઈ દ્વારા મળેલી માહિતી મુજબ આ માટે હજુ સુધી પૂરતું ભંડોળ પુરું પાડવામાં આવ્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુલાકાત દરમિયાન અમિત શાહ મેઈતેઈ અને કુકી સમાજના નાગરિક સંગઠનોને મળ્યા હતા અને 1 જૂન, 2023 ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજી, તેમાં પીડિતો માટે ઘણી જાહેરાતો કરી હતી. એ વખતે તેમણે એક જાહેરાત એવી પણ કરી હતી કે આ હિંસામાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ વખતે તેમણે કહ્યું હતું કે, 'હિંસામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારજનોને 10 લાખ રૂપિયા (મણિપુર સરકારથી 5 લાખ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી 5 લાખ મળીને)ની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આપવામાં આવશે. '</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ વાયરે કરેલી એક આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મણિપુરને નાણાકીય સહાય તરીકે રૂ. 7.35 કરોડ જાહેર કર્યા છે. તાજા આંકડાઓ મુજબ 3 મે, 2023 થી અત્યાર સુધીમાં મણિપુરમાં 226 લોકોના મોત થયા છે. મતલબ કે આ પરિવારોને વળતર આપવા માટે રૂ. 11.30 કરોડની ફાળવણી કરવામાં આવવી જોઈએ. મતલબ ગૃહ મંત્રાલય દ્વારા હજુ પણ 3.95 કરોડ રૂપિયા ફાળવવાના બાકી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે વધુ જાણકારી માટે ધ વાયરે મણિપુર સરકારનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નથી. અમિત શાહના નેજા હેઠળ કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી રૂ. 7.35 કરોડની રકમમાંથી 226 પરિવારો પૈકી 147ને રૂ. 5 લાખનું વળતર આપવામાં આવી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આરટીઆઈના જવાબમાં જણાવાયું છે કે, ગૃહ મંત્રાલય દ્વારા મણિપુરના લોકોને આપવામાં આવતી નાણાકીય સહાય નાગરિક પીડિતો/આતંકવાદી/કોમ્યુનલ/ ડાબેરી ઉગ્રવાદના પીડિતોના પરિવારોને સહાયતા માટેની કેન્દ્રીય યોજના અંતર્ગત કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-manipur-it-was-the-police-who-handed-over-the-two-women-to-the-mob"><span style="font-size: 14pt;">મણિપુરમાં પોલીસે જ બંને મહિલાઓને ટોળાને હવાલે કરી હતી</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યોજના આતંકવાદી અથવા સાંપ્રદાયિક હિંસા, ડાબેરી ઉગ્રવાદ, તેમજ ભારતીય ક્ષેત્રમાં સીમાપાર ગોળીબાર અને લેન્ડમાઈન અથવા આઈઈડી વિસ્ફોટો સાથે સંકળાયેલી ઘટનાઓમાં નાગરિક પીડિતોના મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં નાણાકીય સહાય પૂરી પાડે છે. સહાય સામાન્ય રીતે હયાત જીવનસાથીને આપવામાં આવે છે, અથવા જો બંને જીવનસાથી એક જ ઘટનામાં મૃત્યુ પામે છે, તો સમગ્ર પરિવારને આપવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહમંત્રી અમિત શાહ કે મણિપુર સરકારે જાહેરમાં ઉલ્લેખ કર્યો નથી કે વળતર CSACV યોજનાનો ભાગ છે કે કેમ. 1 જૂનના રોજ ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટ, જે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તેમાં પણ CSACV યોજનાનો કોઈ ઉલ્લેખ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂન 2023માં તેમની મુલાકાત દરમિયાન અમિત શાહે હિંસા પ્રભાવિત વિસ્તારમાં ઓનલાઈન શિક્ષણ માટેની યોજના તૈયાર કરવાનું વચન પણ આપ્યું હતું. જો કે, તેનો અમલ હજુ અસ્પષ્ટ છે. ઘણા કુકી વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ માટે ઇમ્ફાલની મુસાફરી કરી શકતા ન હતા, તેમણે શહેરની બહાર પ્રવેશ માંગ્યો હતો, કેરળની કન્નુર યુનિવર્સિટી અશાંતિને કારણે વિસ્થાપિત થયેલા કુકી વિદ્યાર્થીઓને આવકારતી પ્રથમ યુનિવર્સિટી બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય શાહે મણિપુરના તત્કાલીન રાજ્યપાલ અનુસુયા ઉઇકેની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. આ સમિતિમાં મુખ્યમંત્રી એન. બિરેન સિંહ સહિત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ કુકી અને મેઈતેઈ સમાજના સભ્યો અને વિવિધ સામાજિક સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, પછીથી ઘણી વ્યક્તિઓએ પેનલમાં બીરેન સિંહની હાજરીમાં સેવા આપવાની અનિચ્છા દર્શાવીને શાંતિ સમિતિ છોડી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમિત શાહે મેડિકલ વળતરનું પણ વચન આપ્યું હતું, ખાસ કરીને પર્વતીય વિસ્તારો માટે, જ્યાં લોકોને તાત્કાલિક તબીબી સારવાર મેળવવામાં પડકારોનો સામનો કરવો પડે છે. સ્થાનિક આરોગ્ય સુવિધાઓના અભાવને કારણે ઘણા લોકોને સારવાર માટે અન્ય રાજ્યોમાં જવાની ફરજ પડી છે અને મણિપુરમાં તબીબી કટોકટીના કારણે ઓછામાં ઓછા 35 લોકો મૃત્યુ પામ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, 3 મે, 2023 ના રોજ કુકી અને મેઇતેઇ સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ ત્યારથી 543 દિવસમાં 60,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Manipur-violence,-Soma-Laishram,-and-football:-Lets-erase-the-streak">મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 16:34:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1523</Articleid>
                    <excerpt>ગૃહમંત્રી અમિત શાહે મે 2023માં મણિપુર હિંસામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને રૂ. 10 લાખની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી તેના માટે પુરી રકમ ફાળવાઈ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673092509dfd2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673092506a325.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673092506a325.jpg" length="134588" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Manipur, Manipur violence, Amit shah</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઈતિહાસની આડમાં ટીપુ સુલતાનને બદનામ કરવાના પેંતરાનો પર્દાફાશ</title>
                    <link>https://khabarantar.com/the-ploy-to-defame-tipu-sultan-under-the-guise-of-history-exposed</link>
                    <guid>https://khabarantar.com/the-ploy-to-defame-tipu-sultan-under-the-guise-of-history-exposed</guid>
                    <description>
                        <![CDATA[ મૈસુરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાનને ઈતિહાસકારોએ કેવી રીતે એક કટ્ટર મુસ્લિમ રાજા તરીકે બદનામ કર્યા, તેની તથ્યો સાથેની વાત પાલનપુરી પત્રકાર હિદાયત પરમાર અહીં રજૂ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>- હિદાયત પરમાર</strong></span><br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીપુ સુલતાન ધાર્મિક સંવાદિતા માટે ગમે તેટલા ઉચ્ચ વિચારો ધરાવતા હતા, પણ કેટલાંક સ્થાપિત હિતોએ ઇતિહાસને વિકૃત કરી નાખ્યો અને પોતાનાં લખાણોમાં ટીપુને બિન-મુસ્લિમો વિરુદ્ધ ક્રૂર રીતે વર્તતા એક કટ્ટર ધર્માંધ તરીકે દર્શાવ્યા. જે અંગ્રેજોએ આ ધરતી પર કબજો જમાવ્યો અને કેટલાક સ્થાનિક ઇતિહાસકારો કે જેમનું દિમાગ મુસ્લિમ વિરોધી લાગણીઓથી ભરેલું હતું તેમણે આ કામ કર્યું. લાંબા સમય સુધી ચાલેલી આ ખોટી ઝુંબેશને પરિણામે લોકો સામાન્ય અને વિશિષ્ટ એમ બન્ને રીતે, જૂઠાણાંઓ અને વિકૃતિઓને સાચાં માનવા લાગ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આ જૂઠાણા લાંબો સમય ટકી શક્યા નહીં. કેટલાક સંશોધકોએ કરેલા પ્રયત્નોના પરિણામે સત્ય હકીકતો બહાર આવી છે, જે સ્થાપિત હિતો દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાઓ અને વિકૃતિઓની ઝુંબેશ પાછળના દુષ્ટ હેતુને છતી કરે છે. ટીપુ સામે મુખ્ય આરોપ હતો કે "ત્રણ હજાર બ્રાહ્મણો આત્મહત્યા કરવા માગે છે, કારણ કે ટીપુ તેમને બળજબરીથી ઇસ્લામમાં પરિવર્તિત કરવા માંગતા હતા." ('ઔરંગઝેબ એન્ડ ટીપુ સુલતાન', ડૉ. બી. એન. પાંડે, પાના નં. ૧૪)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આરોપને કલકત્તા યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વડા ડૉ. હરપ્રસાદ શાસ્ત્રીએ પોતાના પુસ્તકમાં સમાવ્યો હતો અને આ પુસ્તકનો મેટ્રિકની કક્ષામાં સમાવેશ કરાયો હતો. આ પુસ્તક લાંબા સમયથી બંગાળ, આસામ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનું પાઠ્યપુસ્તક રહ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાંબા સમય પછી આ બાબત ડો. બી. એન. પાંડેના ધ્યાનમાં આવી, જેઓ તે સમયે જાણીતા ઇતિહાસકાર હતા અને પછીથી સંસદસભ્ય બન્યા હતા અને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે પણ કામ કર્યું હતું. તે સમયે તેઓ 'ટીપુ સુલતાનની ધાર્મિક નીતિ' વિષય પર સંશોધન કરી રહ્યા હતા. એક વ્યક્તિ કે જેણે અનેક પુરાવાઓનો અભ્યાસ કર્યો છે, જેમ કે, ફરમાન(હુકમો), ટીપુએ મઠ અને પીઠના વડા, જગદગુરુઓને લખેલા સેંકડો પત્રો વગેરેનો. જે ટીપુ એક બિનસાંપ્રદાયિક શાસક હોવાનું સાબિત કરે છે, ટીપુ પરનો આ આરોપ આશ્ચર્યજનક લાગે છે અને માની શકાય એમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. બી.એન. પાંડે આ બાબતે જિજ્ઞાસુ બન્યા અને સત્ય શોધવા માંગતા હતા. તેમણે ડો. હરપ્રસાદ શાસ્ત્રીને અનેક પત્રો લખીને આરોપોના પુરાવા જાહેર કરવા વિનંતી કરી હતી પરંતુ ડો.શાસ્ત્રી તરફથી તેમને કોઈ જવાબ મળ્યો ન હતો. ડો. પાંડે પત્રો લખતા રહ્યાં. છેલ્લા પત્રમાં ડો.પાંડેએ ડો.શાસ્ત્રીને ચેતવણી આપી હતી કે જો તેઓ તે પત્રનો જવાબ નહીં આપે તો તેમણે ટીપુ સામેના તેમના આક્ષેપોને બૌદ્ધિક અપ્રમાણિકતા તરીકે ગણવા પડશે. ત્યારે ડો.શાસ્ત્રીએ એક પત્ર લખીને માત્ર એટલું જ કહ્યું હતું કે આ ઘટનાની વિગતો મૈસુર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Who-really-gave-the-slogan-Jai-Bheem,-Babu-Hardas,-Mahar-soldiers-or-someone-else"><span style="font-size: 14pt;">'જય ભીમ' નો નારો ખરેખર કોણે આપ્યો હતો, બાબુ હરદાસે, મહાર સૈનિકોએ કે પછી બીજા કોઈએ?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. બી. એન. પાંડેએ મૈસૂર ગેઝેટમાં આ માહિતીની તપાસ કરી. તેમણે પ્રા. કંથૈય્યા અને શ્રી બ્રિજેન્દ્રનાથ સીલની સલાહ લીધી, જેઓ મૈસૂર રાજ્યના ઇતિહાસના નિષ્ણાત હતા. પ્રો. કંથૈયાએ જવાબ આપ્યો, "મૈસુરમાં ૩૦૦૦ બ્રાહ્મણોની આત્મહત્યાનો એપિસોડ ક્યાંય નથી. ગેઝેટ અને મૈસૂરના ઇતિહાસના એક વિદ્યાર્થી તરીકે મને ખાતરી છે કે આવો કોઈ બનાવ બન્યો જ નથી.' ('ઔરંગઝેબ એન્ડ ટીપુ સુલતાન', બી. એન. પાંડે, પૃષ્ઠ ૧૪)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રો. કંથૈય્યા આટલેથી અટક્યા નહિ. આ બાબતમાં ડૉ. પાંડેએ જે ઊંડો રસ દાખવ્યો હતો તેની નોંધ લીધા પછી પ્રો. કંથૈય્યાએ તેમને કેટલાક મહત્ત્વના દસ્તાવેજોની નકલો મોકલી, જે પુરવાર કરતી હતી કે ટીપુ સુલતાન બિનસાંપ્રદાયિક શાસક હતા. દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ ડો.પાંડે એવા તારણ પર આવ્યા હતા કે ડો.શાસ્ત્રીએ ચોક્કસ હેતુ સાથે ટીપુ પર આરોપ મૂક્યો હતો. ડૉ. પાંડેએ તેમને એક પત્ર લખીને પ્રા. કંથૈય્યા પાસેથી મળેલા દસ્તાવેજોની નકલો વિષે ધ્યાન દોર્યું. પત્રમાં તેમણે ડો.શાસ્ત્રીને વિનંતી કરી હતી કે તેઓ બ્રાહ્મણોની સામૂહિક આત્મહત્યાના કથિત એપિસોડ અંગેના તથ્યો સાથે સામે આવે. તેમણે અનેક પત્રો લખ્યા પણ ડો.શાસ્ત્રી તરફથી કોઈ જવાબ ન મળ્યો. ત્યારે ડો.પાંડે એ અંતિમ તારણ પર આવ્યા કે ૩૦૦૦ બ્રાહ્મણોએ આત્મહત્યા કરી હોવાનો કથિત એપિસોડ બનાવટી હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે આ મામલે વધુ સંશોધન કર્યું અને પુષ્ટિ કરી કે ડો.હરપ્રસાદ શાસ્ત્રીએ જાણીજોઈને ટીપુ સુલતાન પર ખોટો આરોપ લગાવ્યો હતો. એ પછી તેમણે આ બાબતને લગતા બધા જ દસ્તાવેજો કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મોકલી આપ્યા અને ડૉ. શાસ્ત્રીએ ટીપુ પર ખોટો આરોપ કેવી રીતે મૂક્યો તે તેમના ધ્યાન પર આવ્યું. યુનિવર્સિટીના અધિકારીઓની સુધારણા સમિતિ અનુસાર તપાસ કરવામાં આવી હતી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દસ્તાવેજોના આધારે, વાઇસ ચાન્સેલરે ડૉ. શાસ્ત્રીના પુસ્તકને કલકત્તા યુનિવર્સિટીએ સૂચવેલાં પુસ્તકોની યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. વી.સી.ના નિર્ણયની સાથે સાથે, પુસ્તકને આખરે દૂર કરવામાં આવ્યું, જે  ઘણાં વર્ષો પહેલાંથી જ આ પાઠ્યપુસ્તક અમલમાં રહ્યું, આટલા બધાં વર્ષો સુધી ખોટા આરોપને ટેક્સ્ટ બુકમાં સ્થાન મળવાને કારણે તેણે ઘણી પ્રસિદ્ધિ મેળવી લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીપુ સામે બીજો આરોપ જેણે વ્યાપક પ્રસિદ્ધિ મેળવી તે એ હતો કે તેમણે માલાબારમાં હિન્દુ સમાજ વિરુદ્ધ ખૂબ જ ક્રૂર વર્તન કર્યું હતું. ડૉ. બી. એન. પાંડે જેવા કેટલાક સંશોધકોએ આ બાબતમાં ઊંડા ઊતર્યા અને હકીકતો બહાર આવી. તે બધાએ એક અવાજમાં કહ્યું કે ટીપુએ મલબારના લોકો પર કડક કાર્યવાહી કરી હતી, પરંતુ તે રાજકીય કારણોસર હતી, લોકોની ધાર્મિક આસ્થાને કારણે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વ્યાપક બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ ધરાવતા ટીપુએ તેમના દરજ્જા અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના તેમના આદેશોનો ભંગ કરનારાઓ પર કડક કાર્યવાહી કરી. મલબારના લોકોએ અંગ્રેજો સાથે હાથ મિલાવ્યા હતા, આ ઉપરાંત મહિલાઓએ બ્લાઉઝ પહેરવા જોઈએ ના ટીપુના આદેશનો પણ અનાદર કર્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Ambedkar-were-you-like-that"><span style="font-size: 14pt;">આંબેડકર તમે આવા ય હતા?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથની કઠપૂતળીઓ બનીને મૈસૂરના રાજ્યની વિરુદ્ધ થઈ જતાં લોકો વિરુદ્ધ ટીપુનો ક્રોધ જોઈ મેંગ્લોરના ખ્રિસ્તીઓ આકર્ષાયા. કુર્ગના લોકોએ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાના ટીપુના આદેશોનું પાલન નકાર્યું હતું અને મૈસૂર રાજ્યના લોકો સાથે સાંઠગાંઠ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુર્ગના લોકો દ્વારા કરવામાં આવેલા આ રાજદ્રોહના કૃત્યોથી ગુસ્સે ભરાયેલા, ટીપુએ નિર્દયતાથી તેમને સજા કરી. ટીપુનાં આ બધાં કાર્યો પાછળ રાજકીય કારણો હતા, પરંતુ તેમાં ધાર્મિક લાગણીઓની કોઈ ભૂમિકા નહોતી એ બાબતને ડી. એલ. નિગમ ('ટીપુ કી જીવની'), ડૉ. વિશ્વેશ્વરૈયા ('બોન્ડેજ એન્ડ ફ્રીડમ- બંધન અને સ્વતંત્રતા') અને શ્રી રંભા સયમ સુંદર જેવા પ્રખ્યાત ઇતિહાસકારોએ પૂરાવા સાથે સમજાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીપુ પોતાના સમયના અન્ય રાજાઓની જેમ જ, જેમને તે પોતાના શત્રુ માનતા હતા તેમના પ્રત્યે પણ ક્રૂર હતા, તેમ છતાં ધર્મની બાબતમાં, ખાસ કરીને હિન્દુઓ પ્રત્યે તે ક્રૂર નહોતા. તેમણે કેનેરામાં ખ્રિસ્તીઓ પર અથવા માલાબારના નાયરો પર કડક કાર્યવાહી ફક્ત રાજકીય કારણોસર કરી હતી, નહીં કે ધાર્મિક નફરતને કારણે. જો તે નાયરોથી ગુસ્સે હતા, તો તેનું કારણ એ હતું કે તેમણે તેમના આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું, જેનો ઉદ્દેશ તેમના બહુપત્નીત્વના રિવાજો અને તેમની સ્ત્રીઓ બ્લાઉઝ વિના ફરતી તેમના સમાજમાં સુધારણા કરવાનો હતો. એકંદરે ટીપુ પર મુસ્લિમો પ્રત્યે પક્ષપાત રાખીને હિન્દુઓ સાથે ભેદભાવ રાખવાનો અને હિન્દુઓ પર અત્યાચાર કરવાનો અને તેમને બળજબરીથી ઇસ્લામમાં રૂપાંતરિત કરવાનો આરોપ મૂકવો અન્યાયી લાગે છે. ('ઈદી ચરિત્ર' (તેલુગુ), એમ.વી.આર.શાસ્ત્રી, દુર્ગા પ્રકાશનો હૈદરાબાદ, ૨૦૦૫, પાના નં. ૨૦૧)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીપુ મુસ્લિમ મોપિલાઓ સાથે પણ નિર્દય હતા, જેમણે તેમના આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે લોખંડી પંજાથી તેમના બળવાને સંપૂર્ણપણે દબાવી દીધો. તેણે સોવનૂર, કુર્નૂલ અને કડપ્પાના નવાબો સામે નિર્દયતાથી કામ કર્યું, જેઓ તેમની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા. તે દિવસોમાં કોઈ પણ શાસકો, જેમને તેઓ તેમના દુશ્મન માનતા હતા તેમની સામે ક્રૂર વર્તન કરતા હતા અને ટીપુ પણ તેમાં અપવાદ ન હતા. આ બાબતે અંગ્રેજ લશ્કરના એક અધિકારી મેજર ડાયરોમે ટિપ્પણી કરી હતી કે, "તેમની ક્રૂરતાઓ સામાન્ય રીતે માત્ર એ લોકો પર જ આધારિત હતી જેમને તે પોતાનો શત્રુ માનતા હતા." (એડવાન્સ્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. આર.સી. મજુમદાર, પૃષ્ઠ ૭૦૮)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીપુને તેમની નિષ્પક્ષતા અને ધાર્મિક સંવાદિતાની નીતિ માટે પ્રજાનો ટેકો મળ્યો. ધાર્મિક સંવાદિતાની નીતિ માટે ટીપુની પ્રશંસા કરતાં ગાંધીજીએ પણ ટિપ્પણી કરી હતી કે "મૈસૂરના ફતેહ અલી ટીપુ સુલતાનનું પ્રતિનિધિત્વ વિદેશી ઇતિહાસકારો દ્વારા એક કટ્ટરપંથી તરીકે કરવામાં આવે છે, જેમણે તેમની હિન્દુ પ્રજાનો વિરોધ કર્યો હતો અને બળજબરીથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરવ્યો હતો. પણ એવું કશું જ નહોતું. હિન્દુ પ્રજા સાથેના તેમના સંબંધો સંપૂર્ણપણે સૌહાર્દપૂર્ણ હતા. (યંગ ઇન્ડિયા', ૨૩ જાન્યુઆરી, ૧૯૩૦, પેજ. ૩૧)</span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;">સૌજન્ય/સાભાર : ટાઈગર ઓફ મૈસૂર ટીપુ સુલતાન</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Why-is-Emperor-Ashoka-untouchable-for-the-so-called-upper-castes-of-India">શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 12:03:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1522</Articleid>
                    <excerpt>મૈસુરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાનને ઈતિહાસકારોએ કેવી રીતે એક કટ્ટર મુસ્લિમ રાજા તરીકે બદનામ કર્યા, તેની તથ્યો સાથેની વાત પાલનપુરી પત્રકાર હિદાયત પરમાર અહીં રજૂ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6730532e95aa4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730532e65573.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730532e65573.jpg" length="99030" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Tipu Sultan</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોઈ મસીહા કે અવતારની જરૂર જ નથી, તમે જ પરિવર્તનના વાહકો છો</title>
                    <link>https://khabarantar.com/gujarati-translation-of-an-article-written-by-rahul-gandhi</link>
                    <guid>https://khabarantar.com/gujarati-translation-of-an-article-written-by-rahul-gandhi</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભામાં વિપક્ષના નેતા રહેલા રાહુલ ગાંધીએ ઈન્ડિયન એક્સપ્રેસમાં હાલમાં એક લેખ લખ્યો હતો. પ્રો. હેમંતકુમાર શાહ અહીં તેનો વિસ્તૃત અનુવાદ રજૂ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">લેખક : રાહુલ ગાંધી (લોકસભામાં વિપક્ષી નેતા)</span></strong></span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">અનુવાદક : પ્રો. હેમંતકુમાર શાહ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના મોં પર તાળું મારી દીધું હતું. તેણે તેની ધંધાકીય કુશળતા દ્વારા નહિ પણ ગળે ટૂંપો દઈને ભારતને ચૂપ કરી દીધું હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ત્યારના મહારાજાઓ અને નવાબો સાથે ભાગીદારી કરીને, તેમને બક્ષિસો આપીને અને ધમકીઓ આપીને ભારતને શાંત કરી નાખ્યું હતું અને તેઓ તેને ચરણે બેસી ગયા હતા. તેણે આપણી બેંકો, અમલદારો અને માહિતીનાં માળખાં પર અંકુશ જમાવ્યો હતો. આપણે આપણી સ્વતંત્રતા કંઈ બીજા દેશ પાસે ગુમાવી નહોતી, પણ એક ઇજારાશાહી કંપનીના દ્વારે ગુમાવી હતી કે જે દમનકારી સાધનો અપનાવતી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપારની શરતો પર નિયંત્રણ ધરાવતી હતી અને હરીફાઈને બજારમાંથી નાબૂદ કરી નાખી હતી. કોણ કોને શું વેચે તે એ જ નક્કી કરતી હતી. તેણે આપણા કાપડ ઉદ્યોગને અને આપણી ઉત્પાદન વ્યવસ્થાને સાફ કરી નાખ્યાં. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોઈ નવી વસ્તુ શોધી કાઢી હોય કે પછી નવા બજારનો વિકાસ કર્યો હોય એવું મારી જાણમાં નથી. પરંતુ હું એ જાણું છું કે તેણે એક પ્રદેશમાં અફીણની ખેતીમાં પોતાનો ઈજારો ઊભો કર્યો અને બીજા પ્રદેશમાં એના બંધાણીઓનું આંતરિક બજાર ઊભું કર્યું. તેમ છતાં, કંપની ભારતને લૂંટતી રહી ત્યારે તેણે બ્રિટનના એક નમૂનારૂપ કોર્પોરેટ નાગરિક તરીકેનું વર્તન કર્યું. તેના વિદેશી શેરધારકોને એ બહુ ગમ્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂળ ઇસ્ટ ઇન્ડિયા કંપની તો આશરે દોઢસો વર્ષ અગાઉ ભારતમાંથી સમેટાઈ ગઈ, પણ તેણે જે ભારે ડર ઊભો કરેલો તે પાછો આવેલો દેખાય છે. તેને સ્થાને ઇજારદાર મહાકાય કંપનીઓનો એક નવો ફાલ પેદા થયો છે. તેમણે વિપુલ પ્રમાણમાં સંપત્તિ એક્ઠી કરી છે, કે જ્યારે આખું ભારત બીજા સૌ માટે અસમાનતા અને અન્યાયથી પીડાતું થયું છે. આપણી સંસ્થાઓ હવે આપણા લોકોની રહી નથી, એ ઇજારદાર કંપનીઓનું ઓશીકું બની ગઈ છે. લાખો નાના ધંધાઓનું નિકંદન નીકળી ગયું છે અને ભારતમાં તેના યુવાનો માટે રોજગાર ઊભા થઈ શકતા નથી. ભારત માતા તેનાં બધાં સંતાનોની માતા છે. ભારત માતામાં સંસાધનો અને સત્તાના ઈજારા ઊભા થયા છે અને પસંદીદા થોડાક લોકો માટે અનેક લોકોને એ સંસાધનો અને સત્તા આપવાનો ઇનકાર કરવામાં આવે છે અને તેથી ભારત માતા ઇજાગ્રસ્ત થઈ છે એમ કહેવાય. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મને ખબર છે કે ભારતના ધંધા ક્ષેત્રના અંતરમાં થનગનાટ ધરાવતા સેંકડો  હોંશિયાર નેતાઓ આ ઇજારદાર મહાકાય કંપનીઓથી ડરી ગયા છે. શું તમે એમાંના એક છો? ફોન પર વાત કરતાં પણ ડરો છો? શું તમને એવો ડર છે કે તમે કોઈક ધંધામાં પ્રવેશો તો આ ઇજારદાર મહાકાય કંપનીઓ રાજ્ય સાથેની મિલીભગતથી તમને કચડી નાખશે? ઇન્કમ ટેક્સ, સીબીઆઈ અને ઇડીના દરોડાથી તમે ડરી ગયા છો અને તેથી તમે તમારો ધંધો એ જ મહાકાય કંપનીઓને વેચી રહ્યા છો?  શું તમારે જ્યારે મૂડીની તાતી જરૂર છે ત્યારે જ તમને તેનાથી વંચિત રહી જવાનો ડર છે? તમારી પર હુમલો કરવા માટે જ રમતમાં અધવચ્ચે જ એના નિયમો બદલી નાખવામાં આવે તેનો ડર તમને સતાવે છે? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે જાણો છો કે આ ઉમરાવશાહી જૂથોને જો ઉદ્યોગધંધા તરીકે ઓળખવામાં આવે તો તે ગેરમાર્ગે દોરનારી બાબત છે. તમે જ્યારે એમની સાથે હરીફાઈ કરો છો ત્યારે, તમે ખરેખર તો કોઈ કંપની સાથે હરીફાઈ નથી કરતા, પણ તમે ભારતના રાજતંત્ર સામે લડી રહ્યા છો. તેમની સ્પર્ધા કરવાની તાકાત એ તેમની વસ્તુઓ, ગ્રાહકો કે વિચારો નથી; પણ એ તો ભારત પર શાસન કરતી સંસ્થાઓ અને નિયમનકારી વ્યવસ્થાઓ ઉપર અંકુશ રાખવાની તેમની ક્ષમતામાં, અને તમારા પર નિગરાની રાખવામાં છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને ન ગમે તો પણ, આ મહાકાય ઇજારદાર કંપનીઓ નક્કી કરે છે કે ભારતના લોકો શું વાંચે અને જુએ, તેઓ ભારતના લોકો શું વિચારે અને બોલે તેના પર પ્રભાવ પાડે છે. આજે બજારનાં પરિબળો તમારી સફળતા નક્કી નથી કરતાં, સત્તા સાથેના તમારા સંબંધો તમારી સફળતા કે નિષ્ફળતા નક્કી કરે છે. તમારા હૃદયમાં ડર પેસી ગયો છે, પણ આશાનું કિરણ પણ દેખાય છે. </span><br><span style="font-size: 14pt;">મેચ ફિક્સિંગ કરનારાં ઇજારદાર ઉદ્યોગગૃહોની સામે ભારતમાં મોટી સંખ્યામાં નિયમ મુજબ રમત રમનારી કંપનીઓ પણ છે જ. એ સૂક્ષ્મ, નાનકડાં સાહસો પણ છે અને મોટી કંપનીઓ પણ છે. પણ તમે બધાં ચૂપ થઈ ગયાં છો. દમનકારી વ્યવસ્થાને તમે સહન કરી રહ્યા છો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પિયુષ બંસલને જુઓ. તેઓ પ્રથમ પેઢીના સાહસિક છે અને કોઈ રાજકીય સંપર્કો નથી ધરાવતા. તેમણે ૨૨ વર્ષની વયે ધંધો શરૂ કર્યો. તેમણે જ પછી ૨૦૧૦માં લેન્સકાર્ટ કંપનીની સ્થાપના કરી. આંખોના ચશ્માના ક્ષેત્રને તેમણે નવો જ આકાર આપી દીધો. આજે આ કંપની આખા દેશમાં હજારો લોકોને રોજગારી આપે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફકીરચંદ કોહલીની વાત કરો. તેમણે એક મેનેજર તરીકે ૧૯૭૦ના દાયકામાં ટાટા કન્સલ્ટન્સી ઊભી કરી. એ ભય સામે મહત્ત્વાકાંક્ષાનો વિજય હતો. તેનામાં આઇબીએમ અને એસેંચર જેવી કંપનીઓ સામે ઝીંક ઝીલવાની હિંમત હતી. ટીસીએસ અને ઈન્ફોટેક ક્ષેત્રની ભારતની કંપનીઓએ દુનિયાના ઈન્ફોટેક સેવા ક્ષેત્રને એક નાનકડી દુકાનમાંથી ઉદ્યોગ બનાવી દીધો. હું પિયુષ બંસલ કે સ્વ. ફકીરચંદ કોહલીને વ્યક્તિગત રીતે જાણતો પણ નથી. એ શક્ય છે કે તેમની રાજકીય પસંદગીઓ મારાથી અલગ હોય. પણ તેથી શું? </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમ લાગે છે કે ટાયનોર, ઇન્મોબી, માન્યવર, ઝોમેટો, ફ્રેક્ટલ એનાલિટિક્સ, એરાકુ કોફી, ટ્રેન્ડન્સ, એમાગી, આઇડી ફ્રેશ ફૂડ, ફોનપે, મોગ્લિક્સ, સુલા વાઇન્યર્ડ્સ, જસ્ટ પે, ઝેરોધા, વેરિતાસ, ઓક્સિઝો, એવેન્ડસ આવી જ નવી નવી કંપનીઓ છે. અને એલ એન્ડ ટી, હલ્દીરામ, અરવિંદ આઇ હોસ્પિટલ, ઇન્ડિગો, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી જૂથ, બજાજ ઓટો અને બજાજ ફાયનાન્સ, સિપ્લા, મહિન્દ્ર ઓટો, ટાઇટન વગેરે જૂની કંપનીઓ છે. એમાંની મોટા ભાગના સાથે મારે વ્યક્તિગત સંબંધ નથી. આ બધાં જ દેશી કંપનીઓનાં થોડાંક ઉદાહરણો છે કે જેમણે નવીનતમ પ્રયોગો કર્યા અને રમતના નિયમોનું પાલન કરવાનું પસંદ કર્યું. મને ખબર છે કે મેં હજુ સેંકડો કંપનીઓનાં નામ નથી દીધાં. તેઓ કદાચ આનાથી પણ સારા દાખલા હોય. પણ મને લાગે છે તમે મારો મુદ્દો સમજી જશો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારું રાજકારણ હંમેશાં નબળા અને અવાજવિહીન લોકોનું રક્ષણ કરવાનું રહ્યું છે. હું ગાંધીજીના શબ્દોમાંથી પ્રેરણા લઉં છું. કતારમાં ઊભેલા મૂંગા થઈ ગયેલા છેલ્લા માણસનું રક્ષણ કરવાની પ્રેરણા મને તેઓ આપે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રતિબદ્ધતાને લીધે જ મેં મનરેગા, અન્નનો અધિકાર અને જમીન સંપાદન ધારાના સુધારાને ટેકો આપેલો. હું નિયમગિરિ ખાતે આદિવાસીઓ સાથે તેમના સંઘર્ષમાં ઊભો રહેલો. મેં આપણા ખેડૂતોને તેમની ત્રણ કાળા કાયદા સામેની લડતમાં ટેકો આપેલો. મેં મણિપુરના લોકોનું દર્દ સાંભળ્યું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ મને લાગ્યું કે હું ગાંધીજીના કહેવાનો સંપૂર્ણ અર્થ પકડી શક્યો નહિ. કતાર શબ્દ તેમાં અનેક અર્થો સાથે છે. વાસ્તવમાં, સમાજમાં અનેક કતારો છે. એક કતારમાં તમે પણ ઊભા છો, કે જે ઉદ્યોગધંધાની કતાર છે. તમારું શોષણ થઈ રહ્યું છે, તમે લાભવાંચિત બની રહ્યા છો. અને તેથી મારું રાજકારણ તમને જે આપવાનો ઇનકાર કરવામાં આવે છે તે અપાવવાનો છે: કામ કરવાની સ્વતંત્રતા અને ન્યાયીપણું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારને બીજા બધાને ભોગે એક જ કંપનીને ટેકો આપવા દઈ શકાય નહિ; અને ધંધાકીય વ્યવસ્થામાં બેનામી સમીકરણોને તો નહિ જ. સરકારી સંસ્થાઓ કંઈ ઉદ્યોગ ધંધાઓને ડરાવવા અને તેમના પર હુમલા કરવા માટે નથી. એ જ રીતે, તમે મોટી ઇજારદાર કંપનીઓને ભય પમાડો એમ પણ નહિ, હું એમાં માનતો નથી. એ કંઈ દુષ્ટો નથી, પરંતુ તેઓ તો આપણા સામાજિક અને રાજકીય પર્યાવરણની જ પેદાશ છે. તેમને ધંધો કરવાનો અવકાશ મળે, એમ તમને પણ અવકાશ મળે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દેશ આપણા બધાનો છે. આપણી બેંકોએ મોટી રાજકીય સંપર્કો ધરાવતી ૧૦૦ કંપનીઓને જ લોન આપવાના ચક્કરમાંથી બહાર આવવું જોઈએ કે જેઓ પછી એનપીએ ઊભી કરે છે. બેંકોએ લોનમાં નફો થાય તે રીતે આપવી જોઈએ અને બજારની રમત નિયમાનુસાર રમતા ધંધાઓને બેંકોએ ટેકો આપવો જોઈએ. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંતે એટલું કહું કે, આપણે રાજકીય વર્તનને ઘડવામાં સામાજિક દબાણ અને પ્રતિકારની તાકાતને ઓછી આંકવી જોઈએ નહિ. કોઈ મસીહા કે અવતારની જરૂર જ નથી. તમે જ પરિવર્તનના વાહકો છો, તમે જ સૌને માટે સંપત્તિ અને રોજગારનું સર્જન કરશો. મારું માનવું છે કે પ્રગતિશીલ ભારતીય ઉદ્યોગધંધા માટેના નૂતન સમયનું આગમન થઈ ચૂક્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>સ્રોત: ઇન્ડિયન એક્સપ્રેસ, તા.૫-૧૧-૨૦૨૪</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/By-putting-a-gun-to-the-right-of-the-economy,-political-power-suppresses-it">અર્થતંત્રને લમણે બંદૂક મૂકીને રાજકીય સત્તા તેને નચાવે છે</a> </span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 11:08:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1521</Articleid>
                    <excerpt>લોકસભામાં વિપક્ષના નેતા રહેલા રાહુલ ગાંધીએ ઈન્ડિયન એક્સપ્રેસમાં હાલમાં એક લેખ લખ્યો હતો. પ્રો. હેમંતકુમાર શાહ અહીં તેનો વિસ્તૃત અનુવાદ રજૂ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673046adbe294.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673046ad908ff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673046ad908ff.jpg" length="59594" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rahul Gandhi, article, indian express</media:keywords>
                </item>
                        <item>
                    <title>જામજોધપુરમાં પૂજારીએ દલિત કોન્સ્ટેબલને ભોજનશાળામાં પ્રવેશતા અટકાવ્યા</title>
                    <link>https://khabarantar.com/priest-in-jamjodhpur-stops-dalit-constable-from-entering-cantine</link>
                    <guid>https://khabarantar.com/priest-in-jamjodhpur-stops-dalit-constable-from-entering-cantine</guid>
                    <description>
                        <![CDATA[ પૂજારી સહિત ત્રણ શખ્સોએ દલિત પોલીસ કોન્સ્ટેબલને મહાદેવ મંદિરની ભોજનશાળામાં જતા અટકાવી જાતિસૂચક શબ્દો બોલી હડધૂત કર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો બધું જાણે તેમના બાપની જાગીર હોય તેમ વર્તતા હોય છે. એમાંય સામેની વ્યક્તિ જ્યારે દલિત સમાજની હોય ત્યારે તેઓ વધુ ગેલમાં આવી જતા હોય છે. આવું જ કંઈક જામનગરના મોટી ગોપ ગામે બન્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જામજોધપુરના મોટી ગોપ ગામની છે. અહીં ગોપનાથ મહાદેવના મંદિરની ભોજનશાળામાં પ્રવેશેલા એક દલિત પોલીસ કોન્સ્ટેબલને મંદિરના પૂજારી સહિત ત્રણ શખ્સોએ જાતિસૂચક શબ્દો બોલીને ભોજનશાળામાં જતા અટકાવી હડધૂત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે પોલીસ કોન્સ્ટેબલે પૂજારી સહિત ત્રણ શખ્સો સામે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવતા ભારે ચર્ચા જાગી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાણવડ તાલુકાના ભરતપુર ગામમાં રહેતા અને લોકરક્ષક દળમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયેશ ગોવિંદભાઈ ખરા થોડા દિવસ પહેલા જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં આવેલા ગોપનાથ મહાદેવના મંદિરની ભોજનશાળામાં પ્રવેશવા જઈ રહ્યા હતા. દરમિયાન ત્યાં હાજર રસોઈ કામ કરતા બાબુભાઈ પટેલ, સંજયભાઈ તેમજ હંસગીરીબાપુએ તેમને ભોજનશાળામાં પ્રવેશ કરવાની ના પાડી હતી. એટલું જ નહીં આ ત્રણેય તત્વોએ ભરતભાઈ દલિત હોવાથી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાહેરમાં અપમાન કર્યું હતું. જેનાથી જયેશભાઈને ભારે લાગી આવતા પોલીસ મથકે પહોંચ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયેશભાઈ ખરાએ જાતે ફરિયાદી બની મોટી ગોપના હંસગીરીબાપુ, બાબુભાઈ પટેલ અને સંજયભાઈ એમ ત્રણેય જાતિવાદી તત્વો સામે પોતાને હડધુત કરી જાતિસૂચક શબ્દો કહીને અપમાન કર્યું હોવા અંગેની ફરિયાદ નોંધાવતા જામજોધપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાય ધરી છે. ફરિયાદના બનાવે ભાર ચકચાર જગાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/on-labh-panchame-smugglers-stole-the-ornaments-of-8-gods-including-goga-maharaj">લાભ પાંચમે તસ્કરો ગોગા મહારાજ સહિત 8 દેવોના ઘરેણાં ચોરી ગયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 10:14:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1520</Articleid>
                    <excerpt>પૂજારી સહિત ત્રણ શખ્સોએ દલિત પોલીસ કોન્સ્ટેબલને મહાદેવ મંદિરની ભોજનશાળામાં જતા અટકાવી જાતિસૂચક શબ્દો બોલી હડધૂત કર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6730392f77124.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730392f47f8d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730392f47f8d.jpg" length="33503" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jamjodhpur News, Bhanvad Taluka, Bharatpur Village</media:keywords>
                </item>
                        <item>
                    <title>વાલ્મિકી દીકરીના લગ્ન છે, પણ જાતિવાદીઓ હોલ ભાડે આપતા નથી?</title>
                    <link>https://khabarantar.com/valmikis-daughter-is-getting-married-but-casteists-dont-rent-the-hall</link>
                    <guid>https://khabarantar.com/valmikis-daughter-is-getting-married-but-casteists-dont-rent-the-hall</guid>
                    <description>
                        <![CDATA[ દીકરીનો પરિવાર મેરેજ માટે હોલ બુકિંગ કરાવવા મથી રહ્યો છે. દરેક વખતે તેમની દલિત વાલ્મિકી જાતિ આડે આવી જાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્ક્રાંતિનો નિયમ છે કે માણસ આદિમાનવથી આધુનિક હોમો સેપિયન્સ માનવ સુધી પહોંચ્યો છે. જો કે આ નિયમ ભારત સિવાયના માનવ માટે લાગુ પડતો હોય તેમ લાગે છે. આવું એટલા માટે લાગે, કેમ કે, દુનિયાના અન્ય દેશોમાં માણસ તેની જાતિના કારણે નહીં પરંતુ તેના કર્મો અને લાયકાતના કારણે ઓળખ પામે છે. પણ આપણે ત્યાં તેનાથી તદ્દન ઉલટી સ્થિતિ પ્રવર્તે છે અને માણસની ઓળખ તેના કર્મો અને લાયકાતના આધારે નહીં પરંતુ તેની જાતિના આધારે પહેલા કરવામાં આવે છે. તદ્દન બોગસ માણસ પણ જો કથિત ઉચ્ચ જાતિનો હોય તો તેના તમામ ગુનાઓને અવગણીને પણ તેની જાતિના લોકો તેને માથે ચડાવે છે. તેના સો ગુનાઓ માફ કરીને તેને હીરો બનાવી દે છે. પણ જો તેનાથી ક્યાંય સારો, દરેક મોરચે લાયક માણસ પણ જો કથિત નીચી જાતિનો હોય, તો તેને તોડી પાડવામાં કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. આંબેડકરે જાતિવાદનો તોડવા માટે આંતરજાતિય લગ્નને પ્રોત્સાહનની વાત કરી હતી. પણ જાતિ અને જાતિવાદના સતત વધતા પ્રભુત્વને કારણે જાતિ તૂટવાને બદલે વધુને વધુ મજબૂત થી જાય છે. પરિણામે કથિત નીચી જાતિના લોકોને ફરી પાછા એ જ જૂના દિવસો વેઠવાના આવી રહ્યાં છે જે આઝાદી પહેલા તેમણે જોવા પડતા હતા. એકવીસમી સદીના આઝાદ ભારતમાં પણ દલિતો, આદિવાસીઓની સ્થિતિમાં તસુભાર પણ ફરક પડ્યો નથી તેના અનેક ઉદાહરણો દરરોજ ભારતમાંથી ક્યાંયને ક્યાંક સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો હાલ જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીમાંથી સામે આવ્યો છે. જ્યાં એક દલિત વાલ્મિકી પરિવારની દીકરીના લગ્ન હોવા છતાં તેની જાતિના કારણે કોઈ મેરેજ હોલનો માલિક તેમને હોલ ભાડે આપવા તૈયાર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના બદાયૂની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બદાયૂ જિલ્લાના સહસવાણની છે. અહીં વાલ્મિકી સમાજની એક દીકરીના લગ્ન માટે જાતિવાદી તત્વો મેરેજ હોલ ભાડે ન આપતા હોવાની ચર્ચા ઉઠી છે.  આ મામલે સોશિયલ મીડિયા પર એક ફરિયાદ પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન નક્કી થઈ ગયા છે પણ કોઈ મેરેજ હોલ ભાડે આપવા માટે તૈયાર નથી. પોલીસે વાયરલ થઈ રહેલા ફરિયાદ પત્રની સત્યતા તપાસવાનું શરૂ કરી દીધું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દીકરીના પિતાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બદાયૂ જિલ્લાના સહસવાણ તાલુકાના નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટના નામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરનો આ ફરિયાદ પત્ર વાયરલ થયો છે. વાયરલ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે સહસવાણના નીચી નિન્હોર વિસ્તારમાં રહેતા આગનલાલના પુત્ર અચ્છન લાલની દીકરીના લગ્ન 4 ફેબ્રુઆરી 2025ના રોજ નિર્ધારિત કર્યા છે. તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જાન આવવાની હોવાથી દીકરીનો પરિવાર સૌથી પહેલા મેરેજ હોલ શોધવામાં લાગ્યો હતો. પણ તેઓ અનુસૂચિત જાતિ સમાજના વાલ્મિકી હોવાથી કોઈ મેરેજ હોલના માલિક તેમને હોલ ભાડે આપવા માટે તૈયાર નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિ જાણીને હોલ આપવાનો ઈનકાર કરાય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અચ્છન લાલે તેની પુત્રીના લગ્ન માટે મેરેજ હોલ બુક કરાવવા માટે સહસવાણના ઘણાં મેરેજ હોલના માલિકોનો સંપર્ક કર્યો. જો કે તેમની જાતિ વિશે જાણીને તેઓ હોલ આપવાનો ઈનકાર કરી દે છે. અચ્છન લાલના ફરિયાદ પત્ર મુજબ, તે જ તારીખે બુકિંગ માટે અન્ય જ્ઞાતિના લોકોનું નામ લઈને સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મેરેજ હોલ માટે બુકિંગની પરવાનગી આપવામાં આવી હતી. અચ્છન લાલે એસડીએમ સહસવાણને આ મામલાની તપાસ કરવાની માંગ કરી છે અને દીકરીના લગ્ન સમારોહ માટે મેરેજ હોલ અપાવવા વિનંતી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સીએમ યોગીને ફરિયાદ કરવામાં આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સહસવાણ પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પીડિત અચ્છન લાલનો તેના વાયરલ ફરિયાદ પત્રમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમના પુત્ર અરુણ કુમારે ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે બહેનના લગ્ન 4 ફેબ્રુઆરીએ થવાના છે. અમે જ્યાં પણ મેરેજ હોલ બુક કરાવવા જઈએ છીએ ત્યાં જ્ઞાતિ વિશે પૂછીને પછી ના પાડવામાં આવે છે. આ મામલાની ફરિયાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, એસડીએમ સહસવાણ અને પોલીસને કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/action-initiated-against-casteists-who-boycotted-dalits-in-karnataka">કર્ણાટકમાં દલિતોનો બહિષ્કાર કરનાર જાતિવાદીઓ સામે કાર્યવાહી શરૂ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Nov 2024 16:55:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1519</Articleid>
                    <excerpt>દીકરીનો પરિવાર મેરેજ માટે હોલ બુકિંગ કરાવવા મથી રહ્યો છે. દરેક વખતે તેમની દલિત વાલ્મિકી જાતિ આડે આવી જાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672f459325b80.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f4592e9b35.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f4592e9b35.jpg" length="72691" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Badayu News</media:keywords>
                </item>
                        <item>
                    <title>તુલસીદાસ મોગલો સામે અને RSS બ્રિટિશરો સામે એક શબ્દ નથી બોલ્યું?</title>
                    <link>https://khabarantar.com/kranti-kumar-said-tulsidas-did-not-say-a-word-against-the-mughals-and-rss-against-the-british</link>
                    <guid>https://khabarantar.com/kranti-kumar-said-tulsidas-did-not-say-a-word-against-the-mughals-and-rss-against-the-british</guid>
                    <description>
                        <![CDATA[ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જાણીતા કાર્યકર અને લેખક ક્રાંતિ કુમારે એક પોસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ગંભીર આરોપ લગાવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જાણીતા કાર્યકર અને લેખક ક્રાંતિ કુમારે એક પોસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આરએસએસની સ્થાપના વર્ષ 1925માં થઈ હતી પરંતુ તેણે ક્યારેય આઝાદીની લડાઈમાં ભાગ લીધો નથી અને બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. કુમારે પોતાના નિવેદનના સમર્થનમાં ઘણા અગ્રણી ઈતિહાસકારોના મંતવ્યો પણ ટાંક્યા છે, એ મુજબ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આરએસએસનું વલણ હંમેશા બ્રિટિશ સરકારની તરફેણમાં હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સંદર્ભમાં તુલસીદાસ અને મુઘલ સામ્રાજ્યનું ઉદાહરણ આપતા ક્રાંતિ કુમારે કહ્યું હતું કે જેમ ગોસ્વામી તુલસીદાસે મુઘલો સામે એક શબ્દ પણ લખ્યો નથી તેવી જ રીતે RSSએ પણ અંગ્રેજો સામે કશું કહ્યું નથી. તેના બદલે, કુમારના જણાવ્યા મુજબ, આરએસએસે પોતાના વિચારોનું કેન્દ્ર ગાંધી અને આંબેડકર વિરુદ્ધ કેન્દ્રિત રાખ્યું હતું અને પછાત જાતિઓ પ્રત્યે અપમાનજનક વર્તન દર્શાવ્યું હતું. ક્રાંતિકુમારનો દાવો છે કે આરએસએસ માત્ર રાષ્ટ્રીય નેતાઓ અને સમાજ સુધારકો સામે અવાજ ઉઠાવીને માત્ર પોતાનો વૈચારિક વિરોધને વ્યક્ત કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રાંતિ કુમારે કહ્યું કે, "ગાંધી, નેહરૂ, સરદાર સહિત અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ જેલમાં ગયા અને દેશ માટે બલિદાન આપ્યું, જ્યારે RSSના સ્થાપક કેશવ બલીરામ હેડગેવાર અને પછી ગુરુ ગોલવલકર જેવા નેતાઓ ક્યારેય જેલમાં ગયા નથી," </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુમારે આ નિવેદન દ્વારા આરએસએસના ઐતિહાસિક યોગદાન પર સવાલો ઉઠાવ્યા હતા અને તેને વૈચારિક હુમલો ગણાવી ટીકા કરી હતી. આ નિવેદન કેટલાક અગ્રણી નેતાઓ દ્વારા વારંવાર આરએસએસ પર લગાવવામાં આવતા આરોપોની શ્રેણીમાં એક નવો અધ્યાય ઉમેરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુમારના નિવેદને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. સમર્થકો અને વિરોધીઓ બંને પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. ઘણાં માને છે કે કુમારનું નિવેદન ઈતિહાસના કડવા સત્યો તરફ ઈશારો કરે છે જેને ઘણીવાર અવગણવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાના નિવેદનના અંતે ક્રાંતિ કુમારે પડકારજનક સ્વરમાં કહ્યું, "તમે ખુલીને બેટિંગ કરો છો, હવે અમે પણ ખુલીને બોલિંગ કરીશું." ઘણા લોકો તેમના નિવેદનને નવા વૈચારિક સંઘર્ષની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે. આ ટિપ્પણીને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rss-says-there-is-no-untouchable-in-hindu-scriptures-then-what-is-there-in-manusmriti">RSS કહે છે હિંદુ ધર્મમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ'માં શું છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Nov 2024 14:51:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1518</Articleid>
                    <excerpt>સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જાણીતા કાર્યકર અને લેખક ક્રાંતિ કુમારે એક પોસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ગંભીર આરોપ લગાવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672f293c52be3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f293c1a51e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f293c1a51e.jpg" length="93349" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, British Empire, Tulsidas, Mughal Empire, Did not say a word</media:keywords>
                </item>
                        <item>
                    <title>દારૂ પીને અશ્લીલ ગીતો વગાડતા ભાજપ નેતાને રોકતા 3 પોલીસકર્મી સસ્પેન્ડ</title>
                    <link>https://khabarantar.com/3-policeman-suspended-for-stopping-bjp-leader-from-playing-obscene-songs-after-drinling-alcohol</link>
                    <guid>https://khabarantar.com/3-policeman-suspended-for-stopping-bjp-leader-from-playing-obscene-songs-after-drinling-alcohol</guid>
                    <description>
                        <![CDATA[ મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ ભાજપ નેતા અશ્લીલ ગીતો વગાડી દારૂ પાર્ટી કરતા હતા, પોલીસે રોક્યા તો પીઆઈ સહિત બે પોલીસવાળાને સસ્પેન્ડ કરી દેવાયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતાઓ જ્યારે સત્તાના મદમાં આંધળા થઈ જાય ત્યારે કાયદો વ્યવસ્થાની શું સ્થિતિ થાય તેની આ વાત છે. છત્તીસગઢના બલોદા બજાર જિલ્લામાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી ગઈ છે. આ વખતે ભાજપના નેતાઓની દારૂની મહેફિલના કારણે પોલીસ સ્ટેશનના અધિકારી સહિત બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈના કાર્યક્રમ બાદ ભાજપના નેતાઓ પલારી પોલીસ સ્ટેશનની સામેના બસ સ્ટેન્ડ પર દારૂની મહેફિલ જમાવી રહ્યા હતા. તેઓ તેમની કારમાં હાઈ વોલ્યુમમાં અશ્લીલ ગીતો વગાડી રહ્યા હતા, જેને પોલીસ રોકવા ગઈ હતી. જો કે ભાજપ નેતાઓએ પોતાની વગનો ઉપયોગ કરીને પોલીસને જ સસ્પેન્ડ કરાવી દીધાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પલારી નગરપાલિકાના પ્રમુખ યશવર્ધન મોનુ વર્મા અને પલારી પોલીસ વચ્ચેનો આ વિવાદ છે. પોલીસ સ્ટેશન સામે બસ સ્ટેન્ડ પર ભાજપના નેતાઓ કારમાં મોટા અવાજે અશ્લીલ ગીતો વગાડી રહ્યા હતા. જેનાથી પરેશાન સ્થાનિકોએ પલારી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેને લઈને પોલીસ કાફલો તેને અટકાવવા પહોંચ્યા હતા. જો કે ભાજપ નેતાઓ પોલીસનું માન્યા નહોતા અને તેમણે પોલીસ સામે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું હતું અને તેમની ટ્રાન્સફર કરાવી દેવાની ધમકી આપી હતી. જેને લઈને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના નેતાઓએ પોલીસ અધિકારીઓને સરકારમાં પોતાની પહોંચની દાટી મારીને બસ્તરમાં ટ્રાન્સફર કરાવી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન વિવાદ વધી ગયો હતો અને બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ભારે મારામારી થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે એક તરફ પોલીસકર્મીઓ પોતાની ખાખી વર્દીનો પાવર બતાવતા હતા, તો બીજી તરફ ભાજપના નેતાઓએ સત્તાનો પાવર બતાવીને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં પોલીસ અધિક અધિક્ષક સહિત મોટી સંખ્યામાં પોલીસ દોડી આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાજુ રાજકીય દબાણને કારણે પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ અધિક્ષકે પીઆઈ કેશર પરાગ વણઝારા અને 2 કોન્સ્ટેબલ રામ મોહન રાય અને મનીષ વણઝારાને સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે નાયબ પોલીસ અધિક્ષક રાજેશ શ્રીવાસ્તવને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-dakor-asi-arrived-to-answer-the-departmental-inquiry-after-taking-liquor">ડાકોરમાં ASI દારૂ ઢીંચી ખાતાકીય તપાસમાં જવાબ લખાવવા પહોંચ્યાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Nov 2024 14:02:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1517</Articleid>
                    <excerpt>મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ ભાજપ નેતા અશ્લીલ ગીતો વગાડી દારૂ પાર્ટી કરતા હતા, પોલીસે રોક્યા તો પીઆઈ સહિત બે પોલીસવાળાને સસ્પેન્ડ કરી દેવાયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672f1d2468687.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f1d2433da1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f1d2433da1.jpg" length="61867" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>President Yashvardhan Monu Verma, palari police</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોંગ્રેસના ધારાસભ્યે દલિત એન્જિનિયરના 22 હાકડાં ભાંગી નાખ્યા</title>
                    <link>https://khabarantar.com/congress-mla-breaks-22-bones-of-dalit-engineer</link>
                    <guid>https://khabarantar.com/congress-mla-breaks-22-bones-of-dalit-engineer</guid>
                    <description>
                        <![CDATA[ કોંગ્રેસના એક ધારાસભ્યે વીજળી વિભાગના એક દલિત એન્જિનિયરના 22 જેટલા હાકડા ભાંગી નાખ્યા હતા, તે હજુ પથારીવશ છે. હવે સુપ્રીમ કોર્ટે ધારાસભ્યને હાજર થવા આદેશ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત એન્જિનિયરની મારપીટના મામલામાં પૂર્વ ધારાસભ્ય ગિરીરાજ મલિંગાને સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મલિંગાને સરેન્ડર કરવા કહ્યું છે. જસ્ટિસ વી સુબ્રમણ્યમ અને જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે ગિરરાજ મલિંગાની ધરપકડ પર પ્રતિબંધ મૂકતા હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે અને તેને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે મલિંગાને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધૌલપુરના બારીના પૂર્વ ધારાસભ્ય ગિરીરાજ મલિંગા અને તેમના કાર્યકરો પર માર્ચ 2022 માં વીજળી વિભાગના દલિત સમાજમાંથી આવતા સહાયક ઇજનેર હર્ષાધિપતિને નિર્દયતાથી માર મારવાનો આરોપ છે. ગિરીરાજ મલિંગાએ દલિત એન્જિનિયરના 22 જેટલા હાડકા ભાંગી નાખ્યા હતા અને તે આજે પણ પથારીવશ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધૌલપુરના એક ગામમાં ગામલોકો ટ્રાન્સફોર્મર બદલવા માટે વિરોધ કરી રહ્યા હતા ત્યારે તત્કાલિન ધારાસભ્ય મલિંગા તેના સમર્થકો સાથે મદદનીશ એન્જિનિયરની ઓફિસમાં ઘૂસી ગયો હતો અને દલિત એન્જિનિયરને નિર્દયતાથી માર માર્યો હતો. આ હુમલામાં દલિત એન્જિનિયરના શરીરના અનેક હાડકા ભાંગી ગયા હતા. આ મામલે કેસ ચાલી રહ્યો છે, જેમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એસપી સહિત ઘણા પોલીસ અને સરકારી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. એ વખતે મલિંગાને તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના ઘરે બોલાવ્યા હતા અને સીએમ હાઉસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં મલિંગા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મલિંગા એન્જિનિયરને મારવાના આરોપને નકારી રહ્યો છે અને તેને પોતાની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવી રહ્યો છે. ભાજપમાં જોડાયા બાદ મલિંગાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસમાં તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમની સામે ખોટો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. સીએમ અશોક ગેહલોતના પ્રેશર પોલિટિક્સના કારણે આવું કરવામાં આવ્યું હતું. મલિંગાએ એન્જિનિયરો પર હુમલાના કેસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્યારે મેં આ કેસના તપાસ અધિકારીને બદલવાની માંગ કરી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં મારી વાત સાંભળવામાં આવી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડાકુ જગનની ધમકીને કારણે ચર્ચામાં આવ્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાસભ્ય ગિરીરાજ મલિંગા 2022ની શરૂઆતમાં ચંબલના કુખ્યાત ડાકુની ધમકીને કારણે ચર્ચામાં આવ્યો હતો. એ વખતે ડાકુ જગન સિંહ ગુર્જરનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં જગને મલિંગા વિશે વાંધાજનક ટિપ્પણી કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જગનનો વીડિયો સામે આવ્યા બાદ મલિંગાએ પણ જવાબ આપ્યો હતો કે જો જગનની બંદૂકમાંથી ગોળીઓ ચાલે છે તો મારી બંદૂકમાં પણ પાણી નથી ભર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/why-congress-could-not-penetrate-bjps-fortress-even-after-10-years-in-haryana">હરિયાણામાં કોંગ્રેસ 10 વર્ષ પછી પણ ભાજપનો કિલ્લો કેમ ન ભેદી શકી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Nov 2024 12:41:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1516</Articleid>
                    <excerpt>કોંગ્રેસના એક ધારાસભ્યે વીજળી વિભાગના એક દલિત એન્જિનિયરના 22 જેટલા હાકડા ભાંગી નાખ્યા હતા, તે હજુ પથારીવશ છે. હવે સુપ્રીમ કોર્ટે ધારાસભ્યને હાજર થવા આદેશ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672f0a7491113.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f0a745b8c0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f0a745b8c0.jpg" length="55243" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Congress MLA, Giriraj Malinga</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગરીબ દલિત માબાપના &amp;apos;જયંતિલાલ&amp;apos; ની &amp;apos;જે.બી. સિમેન્ટ&amp;apos; ના માલિક સુધીની સફર</title>
                    <link>https://khabarantar.com/jayantilal-makwana-a-dalit-industrialist-from-keshod-passes-away</link>
                    <guid>https://khabarantar.com/jayantilal-makwana-a-dalit-industrialist-from-keshod-passes-away</guid>
                    <description>
                        <![CDATA[ જૂનાગઢના કેશોદના એક નાનકડા ગામના ગરીબ દલિત પરિવારમાં જન્મેલા &#039;જયંતિલાલ&#039; કેવી રીતે &#039;જે.બી. સિમેન્ટ પ્રોડક્ટ&#039; સહિતની કંપનીના માલિક બન્યા તેની આ કહાની લાખો બહુજનોને પ્રેરણા આપશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">jayantilal makwana a dalit industrialist from keshod passes away : બહુજન સમાજ અને આંબેડકરી ચળવળ બંને હાલ તેના અસ્તિત્વની લડત લડી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં તેને મોટો ઝટકો લાગ્યો છે. આંબેડકરી વિચારધારાના મજબૂત ટેકેદાર, બહુજન સમાજ માટે સ્થળ-કાળ જોયા વિના મદદે દોડી આવનાર, બહુજન સમાજના રત્ન એવા કેશોદના દિગ્ગજ ઉદ્યોગપતિ જયંતિલાલ ભીખાભાઈ મકવાણાનું અકાળે અવસાન થયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની અણધારી વિદાયથી સૌરાષ્ટ્રભરમાં બહુજન ચળવળને મોટો ફટકો પડયો છે. બહુજન સમાજના યુવાનોને ઉદ્યોગ સાહસિક બનાવવા તરફનું લક્ષ્ય લઈને આગળ વધી રહેલા જયંતિલાલ ઉર્ફે જે.બી. મકવાણા વિખ્યાત ઉદ્યોપતિ હોવા છતાં સમાજ સાથે જમીની સ્તરે જોડાયેલા હતા. આ પ્રકારનું વ્યક્તિત્વ આજના જમાનામાં મળવું અત્યંત દુર્લભ છે. ગત 4 નવેમ્બર 2024ના રોજ રાત્રે તેમને હૃદય અને મગજનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેમને જૂનાગઢ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. એક તબક્કે તેમની તબિયત સુધારા પર હતી પરંતુ 5 નવેમ્બરની સવારે તેમનું અવસાન થયું હતું. તેમની અણધારી વિદાયથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યાં જેવી સ્થિતિ પેદા થઈ છે, તો સૌરાષ્ટ્રભરમાં બહુજન ચળવળને મોટો ફટકો પડ્યો છે. તેઓ પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી ઉપરાંત વિશાળ બહુજન સમાજને વિલાપ કરતા છોડી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગરીબ પરિવારમાં જન્મેલા જયંતિલાલ આપબળે ઉદ્યોગપતિ બન્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">બહુજન સમાજ માટે આજની પરિસ્થિતિમાં ઉદ્યોગસાહસિક બનવું ફરજિયાત બની ચૂક્યું છે ત્યારે દિવગંત જે.બી. મકવાણા બિઝનેસ કરવાનું સપનું જોતા બહુજન સમાજના સેંકડો યુવાનોને પ્રેરણા પુરી પાડે છે. 1 જૂન 1962ના રોજ જૂનાગઢના કેશોદના મોવાણા ગામમાં અત્યંત ગરીબ દલિત પરિવારમાં જન્મેલા જયંતિલાલ મકવાણા આપબળે ઉદ્યોગપતિ સુધીની સફર ખેડી બતાવી હતી. મોવાણામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેઓ સાયન્સ ભણવા માટે કેશોદની પી.વી.એમ. વિદ્યામંદિર હાઈસ્કૂલમાં દાખલ થયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાયન્સ લીધું પણ ભણતર પુરું ન કરી શક્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે ડો. આંબેડકરથી લઈને દરેક જાણીતા બહુજન મહાનાયકો સાથે થયું છે તેમ કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે જે.બી. આગળ અભ્યાસ ન કરી શક્યા અને વતન છોડીને પેટિયું રળવા માટે 1998માં કેશોદમાં રહેવા આવી ગયા. સાયન્સના વિદ્યાર્થી રહ્યાં હોવાથી દરેક બાબતમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોવાની તેમની ટેવને કારણે તેઓ સતત પ્રગતિ કરતા રહ્યાં અને ધાર્યું લક્ષ્યાંક પાર પાડ્યું. સાયન્ટિફિક દ્રષ્ટિકોણને કારણે તર્કથી વિપરિત વિચાર તેમને ગળે નહોતો ઉતરતો. દરેક મહત્વની બાબતના લાભાલાભનો વિચાર કર્યા પછી જ તેઓ તેમાં આગળ વધવું કે નહીં તે નક્કી કરતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ગરીબ માબાપના દીકરાએ આપબળે ઈન્ડસ્ટ્રી ઉભી કરી</span></strong><br><span style="font-size: 14pt;">કેશોદ આવ્યા બાદ તેમણે સૌથી પહેલા જે.બી. સિમેન્ટ પ્રોડક્ટ નામે કારખાનું શરૂ કરેલું. એ પછી પરિશ્રમ એન્જિનિયરીંગ વર્ક્સ શરૂ કર્યું, જે આજે સમગ્ર ભારતમાં જાણીતું છે. ઉદ્યોગજગતમાં આગળ વધીને તેમણે જે.બી. બ્લોક ટેક અને હમણાં જ આર.જે. ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરી છે, જેમાં બાયો કોલસો બનાવવામાં આવે છે. તેમનું દિમાગ સતત ઉદ્યોગોને આગળ ધપાવવા માટે વિચારતું રહેતું હતું. એટલે જ ગુજરાત, એમાં પણ સૌરાષ્ટ્રમાં તેમની ઉદ્યોગપતિ તરીકે છાપ વધુ મજબૂત બની હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બહુજન સમાજને દરેક મોરચે મદદ માટે તૈયાર રહેતા</span></strong><br><span style="font-size: 14pt;">તેમનો સરળ સ્વભાવ, ઉદ્યમી, પરિશ્રમી, સતત કાર્યશીલ, કર્મનિષ્ઠ, સત્યવાદી, તર્કશીલ વ્યક્તિત્વ સૌ કોઈને આકર્ષતું હતું. સામાન્ય રીતે બહુજન સમાજના પૈસાદાર વર્ગ પર એક આરોપ કાયમી લાગતો રહ્યો છે કે, તેઓ સમાજને આર્થિક કે અન્ય કોઈપણ રીતે મદદ કરવામાં ઉણાં ઉતરે છે. પણ દિવંગત જે.બી. મકવાણા તેમાં મોટો અપવાદ હતા. તેઓ સતત કોઈને કોઈ સામાજિક કાર્યમાં આર્થિક રીતે મદદરૂપ થતા રહેતા. પછી તે બહુજન સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીને અભ્યાસ અર્થે મદદ કરવાની વાત હોય, દીકરીઓના લગ્નમાં કરિયાવર/દાન આપવાની વાત હોય, કે પછી સમાજમાં બનતા ભવનોમાં દાન કરવાની વાત હોય, તેમણે કદી પાછી પાની નહોતી કરતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_672ef822dc6ed.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આંબેડકરી ચળવળ સાથે આજીવન નાતો રહ્યો</span></strong><br><span style="font-size: 14pt;">દિવંગત જે.બી. મકવાણાની સૌથી મોટી ઓળખ તેમની આંબેડકરી ચળવળ સાથેનું જોડાણ હતું. વર્ષ 1998માં કેશોદમાં રહેવા આવ્યા બાદ તેઓ સૌથી પહેલા બામસેફ સાથે જોડાયા હતા. તેની સાથે તેમણે 25 વર્ષ સુધી જમીની સ્તરે કામ કર્યું હતું. તે સમયે મુવમેન્ટ ચલાવવા માટે તેમના સાથી મિત્રો સાથે તેઓ ગામડે- ગામડે જઈ લોકજાગૃતિનું કામ કરતા હતા. ફૂલે/આંબેડકરી મુવમેન્ટની  સાથે સાચી વિચારધારા ગામોગામ પહોંચે અને લોકો નિર્વ્યસની બને, ઉદ્યોગ-ધંધામાં આગળ વધે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેમજ અંધશ્રદ્ધા નાબૂદ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉદ્યોગપતિ હોવા છતાં બુદ્ધને કારણે સાદું જીવન જીવ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">બુદ્ધ અને બુદ્ધિઝમ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લેવી, તેના વિશે જાણવું એ તેમનો કાયમી શોખ હતો. તેમણે ફૂલે/આંબેડકર/બૌદ્ધ સાહિત્યનું વાંચન અને ગહન અભ્યાસ કર્યો હતો. બુદ્ધના કારણે તેમણે ઉદ્યોગપતિ હોવા છતાં સાદુ જીવન જાળવી રાખ્યું હતું. તેઓ પંચશીલનું પાલન કરતા અને આજીવન બહુજન મહાનાયકોની વિચારધારાને વળગેલા રહ્યાં. બહુજન સમાજના ઉત્થાન માટે તેઓ વહેલી સવારે મોર્નિંગ વોક કર્યા બાદ કામે લાગી જતા અને છેક મોડી રાત સુધી કોઈ અંતરિયાળ ગામમાં મુવમેન્ટનું કામ પતાવીને પરત ફરતા. તેમના પરિવારે જાણે તેમને સમાજને અર્પણ કરી દીધા હોય તેવી સ્થિતિ હતી. હવે તેઓ આપણી વચ્ચે નથી, ત્યારે તેમના પુત્રો પ્રતિક અને મયૂર તથા સાસરે રહેલા તેમના દીકરી તેમણે અધૂરી છોડેલી બહુજન ચળવળની મશાલને આગળ ધપાવે એ જ દિવંગત જે.બી. મકવાણાને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હશે.</span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;">વિશેષ માહિતીઃ ભૂપતભાઈ ચાવડા, ઉના</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Hindi-edition-of-Nilesh-Kathads-book-Buddhist-Caves-of-Saurashtra-Kutch-to-be-launched-in-Aurangabad">નિલેશ કાથડના પુસ્તક 'સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાઓ'ની હિન્દી આવૃત્તિનું લોકાર્પણ થશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Nov 2024 11:25:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1515</Articleid>
                    <excerpt>જૂનાગઢના કેશોદના એક નાનકડા ગામના ગરીબ દલિત પરિવારમાં જન્મેલા &#039;જયંતિલાલ&#039; કેવી રીતે &#039;જે.બી. સિમેન્ટ પ્રોડક્ટ&#039; સહિતની કંપનીના માલિક બન્યા તેની આ કહાની લાખો બહુજનોને પ્રેરણા આપશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672ef82c17761.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672ef82bdbffb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672ef82bdbffb.jpg" length="91403" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit industrialist, keshod</media:keywords>
                </item>
                        <item>
                    <title>AMUના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય,  જાણો CJI ચંદ્રચુડે શું કહ્યું?</title>
                    <link>https://khabarantar.com/supreme-courts-decision-on-amus-minority-status-know-what-cji-chandrachud-said</link>
                    <guid>https://khabarantar.com/supreme-courts-decision-on-amus-minority-status-know-what-cji-chandrachud-said</guid>
                    <description>
                        <![CDATA[ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને લઈને 7 ન્યાયાધીશોની બેન્ચે નવી સમિતિની રચના કરી છે, જે AMUના લઘુમતી દરજ્જાની દિશા નક્કી કરશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના લઘુમતી દરજ્જાને લઈને સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. 7 ન્યાયાધીશોની બેન્ચે યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા અંગે નિર્ણય લેવા માટે નવી સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ત્રણ જજ હશે, જે AMUના લઘુમતી દરજ્જાની દિશા નક્કી કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટના 7 જજોની બેન્ચમાં ચાર જજોએ સર્વસંમતિથી નિર્ણય આપ્યો છે.જ્યારે ત્રણ ન્યાયાધીશોએ અસંમતિ દર્શાવી છે. CJI ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાએ સર્વસંમતિથી એએમયુ લઘુમતી સંસ્થા છે કે નહીં તે અંગે ચુકાદો આપવાનો ઇનકાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બેન્ચે, 4:3 બહુમતીના નિર્ણયમાં, એસ અઝીઝ બાશા વિ યુનિયન ઓફ ઈન્ડિયામાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદિયો આપ્યો, જેમાં સંસ્થાનો માનદ દરજ્જો કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે નિર્ધારિત કર્યું. અલ્હાબાદ હાઈકોર્ટે 2006માં પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે 1920માં શાહી કાયદા દ્વારા સ્થાપિત AMU લઘુમતી સંસ્થા નથી. જો કે, આ નિર્ણયમાં આપવામાં આવેલી દલીલોના આધારે AMUનો લઘુમતી દરજ્જો ફરીથી નક્કી કરવાનું કામ ત્રણ જજોની બેંચ પર છોડી દેવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું છે કે ત્રણ ન્યાયાધીશોની બનેલી સમિતિએ નક્કી કરવું પડશે કે આ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી અને આવું કરવાનો ઈરાદો શું હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સર સૈયદ અહેમદ ખાને 1875માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની 'અલીગઢ મુસ્લિમ કોલેજ' તરીકે સ્થાપના કરી હતી. તેને વર્ષ 1920 માં યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો, ત્યારબાદ તેનું નામ 'અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી' રાખવામાં આવ્યું. વર્ષ 1955માં યુનિવર્સિટીના દરવાજા બિન-મુસ્લિમો માટે પણ ખોલવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Mirza-Ghalib:-Shayar-to-wo-achcha-hai,-par-badnam-bahut-hai">મિર્ઝા ગાલિબ : શાયર તો વો અચ્છા હૈ, પર બદનામ બહુત હૈ...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 08 Nov 2024 19:06:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1514</Articleid>
                    <excerpt>અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને લઈને 7 ન્યાયાધીશોની બેન્ચે નવી સમિતિની રચના કરી છે, જે AMUના લઘુમતી દરજ્જાની દિશા નક્કી કરશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672e12e8c7e1e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672e12e891fed.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672e12e891fed.jpg" length="75476" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Minority Status, Aligarh Muslim University, CJI Chandrachud</media:keywords>
                </item>
                        <item>
                    <title>હોટલમાં આદિવાસી શિક્ષકની કોણી અડી જતા ચાર શખ્સોએ હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/tribal-teacher-killed-by-four-men-after-elbowing-him-in-hotel</link>
                    <guid>https://khabarantar.com/tribal-teacher-killed-by-four-men-after-elbowing-him-in-hotel</guid>
                    <description>
                        <![CDATA[ શિક્ષકે &#039;સૉરી&#039; કહ્યું છતાં આરોપીઓએ તેમને બહાર ઢસડી જઈ હત્યા કરી નાખી. પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડી ભરબજારમાં વગર ચંપલે ફેરવી હાથ જોડાવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત કે આદિવાસી સમાજની વ્યક્તિ સાથે માથાભારે તત્વો કેવી રીતે વર્તતા હોય છે તેના વિશે વધુ કશું કહેવાની જરૂર નથી. નજીવી બાબતે તેમને જાતિસૂચક ગાળો ભાંડી હત્યા સુદ્ધાં કરી દેવાતી હોય છે. આવી જ એક ઘટના ચાર દિવસ પહેલા બની ગઈ, જેમાં હોટલમાં જમવા બેઠેલા એક આદિવાસી શિક્ષકને ચાર લોકોએ નજીવી બાબતે મોતને ઘાટ ઉતારી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનની છે. અહીં બૂંદી શહેરમાં 4 નવેમ્બરના રોજ લંકા ગેટ સ્થિત ઢાબા પર આદિવાસી સમાજમાંથી આવતા મનીષ મીણા જમવા માટે આવ્યા હતા. એ દરમિયાન તેમની આરોપીઓ સાથે માથાકૂટ થઈ ગઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આરોપીઓ પોતાના અલગ ટેબલ પર જમી રહ્યા હતા. શિક્ષક મનીષ મીણા પણ તેમના મિત્રો સાથે અલગ ટેબલ પર જમી રહ્યા હતા. એ દરમિયાન ઉભા થતી વખતે મનીષ અને આરોપીઓની કોણી એકબીજા સાથે અથડાઈ હતી. મનીષે સૌજન્યતા દાખવી સોરી પણ કહ્યું. પણ આરોપીઓને ગુસ્સો આવી ગયો અને આટલી સામાન્ય બાબતમાં તેમણે શિક્ષક સાથે ગાળાગાળી કરવાનું શરૂ કરી દીધું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે મનીષ મીણાએ તેમને ગાળો ન બોલવા કહ્યું તો આખો વિવાદ હોટલમાંથી રસ્તા પર આવી ગયો. એ દરમિયાન આરોપી ગુરપ્રીત અને તેના સાગરિતોએ મનીષ મીણાને મારવાનું શરૂ કરી દીધું. જેનાથી બચવા તેઓ રસ્તા પર ભાગ્યા તો આરોપીઓ તેમની પાછળ દોડ્યા અને રસ્તા વચ્ચે તેમની ચાકૂના ઘા મારીને હત્યા કરી દીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં સીસીટીવી સામે આવ્યા બાદ અલગ-અલગ 3 ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવીની ચકાસણીમાં આરોપીઓની ઓળખ થઈ હતી. જ્યારે તેમના ક્રિમિનલ રેકોર્ડની તપાસ કરવામાં આવી ત્યારે આ ખ્યાલ આવ્યો કે આરોપીઓ અગાઉ પણ હત્યા જેવા કેસમાં સંડોવાયેલા હતા. આરોપીઓની શોધ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે તેઓ પંજાબ ભાગવા માટે જયપુર તરફ જઈ રહ્યા છે. દરમિયાન પોલીસે દરોડો પાડી સોનુ, દીપક અને વિશાલની ધરપકડ કરી લીધી હતી. પોલીસને જોઈને ત્રણેય ખેતરોમાં ભાગવા લાગ્યા હતા જેના કારણે તેમના પગ અને હાથમાં ઈજા થઈ હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુખ્ય આરોપી ગુરપ્રિત સોપારી કિલર છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગુરપ્રીત ઉર્ફે ગોપી સોપારી કિલર છે. હાલ તે કોટામાં રહીને પણ ગેંગનું સંચાલન કરતો હતો. તે બુંદી અને અન્ય જિલ્લાના ગુનેગારોના રેકેટ સાથે જોડાયેલો છે. તે જમીનના વિવાદો, દબાણ દૂર કરવા અને કોઈપણની લડાઈ-ઝઘડાની સોપારી લે છે. તેણે અગાઉ પણ તાલેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છરાબાજીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના ઘટી ત્યારથી તે ફરાર હતો. ગુરપ્રીત બહુચર્ચિત બંતા સિંહ હત્યા કેસમાં આરોપી હતો. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ પણ હત્યા અને લૂંટ જેવા કેસમાં વોન્ટેડ ગુનેગાર રહ્યાં છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_672df57a0cda6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મીણા સમાજે પણ રોષ વ્યક્ત કર્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ મીણા સમાજના લોકો એકઠા થયા હતા અને હત્યારાની ધરપકડની માંગણી સાથે બુંદી જિલ્લા કલેક્ટર કચેરીએ બે વખત ચક્કાજામ કર્યો હતો. તેમણે પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવા અને ઓફિસર સ્કીમ હેઠળ કેસ ચલાવવાની માંગ કરી હતી. આ અંગે વહીવટીતંત્રે લેખિત સમજૂતી કરી હતી, ત્યારબાદ જ મામલો શાંત પડ્યો હતો.</span><br><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે આરોપીઓને ઉઘાડા પગે શહેરમાં ફેરવી માફી મગાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બદમાશોની ધરપકડ કરવા સાથે પોલીસે તમામને ઉઘાડા પગે આખા શહેરમાં ફેરવી સરઘસ કાઢ્યું હતું. પોલીસ આરોપીઓને શહેરમાં ફેરવતી ફેરવતી ઘટના સ્થળે લઈ ગઈ જ્યાં તેમણે મનીષ મીણાની હત્યા કરી હતી. આરોપીઓ બધાંની સામે તેમણે કરેલા ગુનાની કબૂલાત કરી હતી અને 'ગુનો કરવો પાપ છે, પોલીસ અમારી બાપ છે' જેવા નારા લગાવ્યા હતા. આરોપીઓનું સરઘસ પોલીસ કંટ્રોલથી કલેક્ટર કચેરી, બસ સ્ટેન્ડ થઈને શહેરના સૌથી વ્યસ્ત રોડ પર કાઢવામાં આવ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોકોનો ગભરાટ ઓછો થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન આરોપીને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ આરોપીઓએ આદિવાસી શિક્ષકની ભરબજારે ચાકૂથી હત્યા કરી હતી. પોલીસે એ જ જગ્યાએ તેમને લઈ જઈને બધાં વચ્ચે માફી મગાવી, ગુનો કબૂલ કરાવડાવી તેમનો ભય દૂર કરવા પ્રયત્ન કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/i-am-illiterate-but-what-happened-to-my-son-should-happen-to-a-murderer">"હું તો અભણ છું, પણ મારા દીકરા સાથે જે થયું તે હત્યારા સાથે થાય..."</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 08 Nov 2024 17:01:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1513</Articleid>
                    <excerpt>શિક્ષકે &#039;સૉરી&#039; કહ્યું છતાં આરોપીઓએ તેમને બહાર ઢસડી જઈ હત્યા કરી નાખી. પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડી ભરબજારમાં વગર ચંપલે ફેરવી હાથ જોડાવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672df556cca65.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672df55694e03.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672df55694e03.jpg" length="128677" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bundi city, Rajasthan, Tribal teacher killed</media:keywords>
                </item>
                        <item>
                    <title>લાભ પાંચમે તસ્કરો ગોગા મહારાજ સહિત 8 દેવોના ઘરેણાં ચોરી ગયા</title>
                    <link>https://khabarantar.com/on-labh-panchame-smugglers-stole-the-ornaments-of-8-gods-including-goga-maharaj</link>
                    <guid>https://khabarantar.com/on-labh-panchame-smugglers-stole-the-ornaments-of-8-gods-including-goga-maharaj</guid>
                    <description>
                        <![CDATA[ લાભ પાંચમની રાતે જ તસ્કરોએ વિવિધ સમાજના 8 કુળદેવી-દેવતાના મંદિરોમાં ચોરી કરીને હાહાકાર મચાવી દીધો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાભ પાંચમનો દિવસ શુભ માનવામાં આવે છે. વેપારીઓ દિવાળી બાદ નવા વર્ષમાં લાભ પાંચમે મૂહુર્ત કરીને ધંધા-રોજગારનો પ્રારંભ કરતા હોય છે. જો કે કચ્છના રાપર તાલુકામાં આવેલા વિખ્યાત ચિત્રોડ ગામમાં તસ્કરોએ એક જ રાતમાં અહીંના વિવિધ સમાજના 8 જેટલા મંદિરોને ટાર્ગેટ કરીને ચોરી કરી હતી. એક રીતે કહીએ તો વેપારીઓની જેમ તસ્કરોએ પણ પોતાના ચોરીના ધંધાની જાણે શરૂઆત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે લાભ પાંચમે તસ્કરોએ ચિત્રોડ ગામે એક જ રાત્રિમાં એક સામટા આઠ જેટલા દેવ મંદિરોને સામૂહિક તસ્કરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઇ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાવમાં ચાંદીના છત્ર, માતાજીની મૂર્તિઓ ઉપર ભાવિકોએ ચડાવેલા વિવિધ ઘરેણાં અને દાન પેટીમાં પડેલી રકમ તસ્કરો ઉઠાવી ગયા છે. આ અંગે ગાગોદર પોલીસની ઘટનાસ્થળે દોડી ગઈ છે અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. કુલ કેટલી રકમની ચોરી થઈ છે તે વિધિવત ફરિયાદ દાખલ થયા બાદ જાહેર થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચિત્રોડમાં ગત રાતથી આજ સવાર સુધીના અરસામાં આઠ જેટલા અલગ અલગ મંદિરોમાં ચોરી થઈ છે. આ મંદિરોમાં આઈ દેવ માંનું મંદિર, જેઠા શ્રી ગોગા મહારાજ, મોમાઈ માતાજી મંદિર, વાળંદ સમાજનું મંદિર, પ્રજાપતિ સમાજનું મંદિર, પટ્ટણી સમાજનું મંદિર, રાજપૂત સમાજનું મંદિર અને કોળી સમાજના મંદિરનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/smuggler-stole-shanidevs-ornments-cash-from-donation-box-in-dakor">ડાકોરમાં તસ્કરો શનિદેવના આભૂષણો, દાનપેટીની રોકડ ચોરી ગયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 08 Nov 2024 13:25:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1512</Articleid>
                    <excerpt>લાભ પાંચમની રાતે જ તસ્કરોએ વિવિધ સમાજના 8 કુળદેવી-દેવતાના મંદિરોમાં ચોરી કરીને હાહાકાર મચાવી દીધો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672dc38be0e53.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672dc38bad3a8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672dc38bad3a8.jpg" length="64552" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Labh Pancham, News of theft</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહારાષ્ટ્રમાં આંબેડકરવાદી પક્ષોમાં મતભેદને કારણે દલિત મતદારો મૂંઝવણમાં</title>
                    <link>https://khabarantar.com/dalit-voters-confused-due-to-differences-among-ambedkarite-parties-in-maharashtra</link>
                    <guid>https://khabarantar.com/dalit-voters-confused-due-to-differences-among-ambedkarite-parties-in-maharashtra</guid>
                    <description>
                        <![CDATA[ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી તેની ચરમસીમા તરફ જઈ રહી છે પણ આંબેડકરવાદી પક્ષોના જૂથવાદને કારણે મહાનાયક ડો. આંબેડકરની જન્મભૂમિ-કર્મભૂમિનો દલિત મતદાર મૂંઝાયેલો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ભાજપ, એકનાથ શિંદેની શિવસેના, અજીત પવારની એનસીપી સામે કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પોતપોતાના સોગઠાં ગોઠવી દીધાં છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ક્યારનો શરૂ થઈ ચૂક્યો છે. રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને ટિકિટ ન મળતા નારાજ નેતાઓ બળવો કરીને અપક્ષ તરીકે મત તોડવાના કામે લાગી ગયા છે. ચોતરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે, પણ આંબેડકરવાદી પક્ષો શાંત છે, જેના કારણે મહાનાયક ડો. આંબેડકરની જન્મભૂમિનો દલિત મતદાર ભારે મૂંઝવણમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવર્ણ પક્ષોના નેતાઓએ પક્ષ પ્રત્યેની નિષ્ઠા છોડી દીધી છે અને ધારાસભ્યની ટિકિટ માટે અહીંતહીં ઝાંવા મારવા લાગ્યા છે. તેમને અન્ય કોઈ મોટી પાર્ટીમાંથી ટિકિટ ન મળતા તેઓ વંચિત બહુજન અઘાડી અને બહુજન સમાજ પાર્ટી તરફ વળ્યા છે. આ નેતાઓને બસપા અને વંચિત બહુજન અઘાડી જેવા પક્ષોના પરંપરાગત મતો અને પોતાના પ્રભાવવાળા મતવિસ્તારના મતોના દમ પર ચૂંટણી જીતવાની આશા છે. બીજી તરફ આ બંને પક્ષોએ પણ એમ માનીને આવા નેતાઓને ટિકિટ આપી છે કે આમ કરવાથી તેમની પાર્ટીનો વોટશેર વધશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં BSP અને વંચિત બહુજન આઘાડીએ અનુક્રમે 288 અને 208 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અન્ય આંબેડકરવાદી પક્ષો પણ ગઠબંધનમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ કોઈ નવી વાત નથી. સફળતાની પરવા કર્યા વિના દરેક ચૂંટણીમાં આવું થાય છે. આંબેડકરવાદી પક્ષોના જૂથવાદનો અંત આવે તેની સામાન્ય દલિત મતદારો ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યાં છે. પરંતુ તેમણે એ સમજવું જોઈએ કે વાસ્તવમાં આવું થવાનું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં બે મોટા ગઠબંધન છે અને ત્રીજા મહત્વના પક્ષ તરીકે વંચિત બહુજન અઘાડીનું નામ લઈ શકાય છે. મહાવિકાસ આઘાડીમાં મુખ્યત્વે કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને NCP (શરદ પવાર જૂથ)નો સમાવેશ થાય છે. મહાગઠબંધનમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ)નો હિસ્સો છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા 2024ની ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો, મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્રમાં પોતાના દમ પર સરકાર બનાવવાની સ્થિતિમાં હોવાનું જણાય છે. પરંતુ પહેલા છત્તીસગઢ અને રાજસ્થાન અને તાજેતરમાં હરિયાણાના પરિણામો દર્શાવે છે કે સ્થિતિ પલટાઈ શકે છે. આવી સ્થિતિમાં, મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો પણ ચોંકાવનારા હોઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/why-dr-ambedkar-did-not-fought-bhagat-singhs-case-despite-being-a-lawyer"><span style="font-size: 14pt;"> વકીલ હોવા છતાં ડૉ.આંબેડકર ભગતસિંહનો કેસ કેમ નહોતા લડ્યા?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા સમયે આંબેડકરવાદી પક્ષોની સ્થિતિ શું હશે? બહુજન મતદારોની ભૂમિકા આ ​​પક્ષોની સાથે જવાની હશે કે તેની વિરુદ્ધ મત આપવાની? એ સમજવું પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું લાગે છે કે મહારાષ્ટ્રના દલિત મતદારો અને બૌદ્ધિકો આંબેડકરવાદી નેતાઓના રાજકારણ અને ભૂમિકાઓથી કંટાળી ગયા છે. આંબેડકરવાદી રાજકારણીઓ બહુજન સમુદાયના હિત અને વિકાસ વિશે વિચારતા નથી. તેઓ માત્ર તેમના હિતોનું રક્ષણ કરવાનું પસંદ કરે છે. આથી મહારાષ્ટ્રમાં આંબેડકરવાદી બુદ્ધિજીવીઓએ કહેવાતા નેતાઓની સામે મોરચો સંભાળી લીધો છે અને જનતાને સ્પષ્ટ અપીલ કરી રહ્યાં છે કે તેમણે કઈ પાર્ટીને મત આપવો જોઈએ. આ પરિવર્તન શા માટે થઈ રહ્યું છે? ખરેખર તો આંબેડકરવાદી નેતાઓએ આ અંગે વિચારવાની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં આંબેડકરવાદી પક્ષોની સ્થિતિ ઘણી જટિલ હોય છે. મહારાષ્ટ્રના ઘણા વિધાનસભા વિસ્તારોમાં ફૂલે-આંબેડકરવાદી મતદારોની નોંધપાત્ર સંખ્યા છે અને તેમનો મત કોઈને પણ જીતવા કે હરાવવા માટે નિર્ણાયક છે. પરંતુ આ મતોનો ઉપયોગ તેમના વિકાસ માટે થતો નથી તે દુઃખદ છે. સમાજના સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે માત્ર રાજકીય પ્રતિનિધિત્વ જરૂર છે કે સંકલિત મતબેંકની, તેના પર રાજકીય નેતાઓ અને બૌદ્ધિકો ચર્ચા કરવા તૈયાર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ જોવા જઈએ તો આવા મુદ્દાઓથી બચવું આંબેડકરવાદી પક્ષો માટે આત્મહત્યા સમાન છે, કારણ કે આજના બદલાતા ભારતમાં રાજદ્વારી નિર્ણયોથી જ પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય છે. આનો અર્થ દલિત રાજકીય પક્ષોને વિખેરી નાખવાનો નથી, પરંતુ તેને કૂટનીતિક રાજકીય સમજૂતી માટે વધુ સક્ષમ બનાવવાનો છે. એક પક્ષ-એક સંગઠન તેની ફોર્મ્યુલા હોઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આંબેડકરવાદી પક્ષોનું કોઈ ગઠબંધન બને તેવી કોઈ શક્યતા નથી. તેનું કારણ દલિતોમાં રહેલી વિસંવાદિતા છે. મહારાષ્ટ્રમાં આંબેડકરવાદી પક્ષો ઘણા જૂથોમાં વહેંચાયેલા છે અને તેઓ માત્ર વિવિધ પેટા જૂથોને પોતાના તરફ ખેંચીને પ્રતીકાત્મક મતો મેળવવા માંગે છે. એકેય પક્ષ જીતની ફોર્મ્યુલાને જોયા વિના માત્ર પોતાનું અસ્તિત્વ દેખાડવા પૂરતો જ મર્યાદિત જણાય છે. દરેક ચૂંટણીમાં આ જ બાબતનું પુનરાવર્તન થવાના કારણે દલિત મતદારો પણ અન્યત્ર વિખેરવા લાગ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/why-dr-ambedkar-did-not-fought-bhagat-singhs-case-despite-being-a-lawyer"><span style="font-size: 14pt;"> </span></a></span></strong></span> <strong><a href="https://khabarantar.com/in-those-11-days-dr-ambedkar-saw-the-true-character-of-a-civilized-city">એ 11 દિવસમાં ડૉ. આંબેડકરે 'સંસ્કારી નગરી'નું અસલી ચરિત્ર જોયું...</a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ અને ભાજપ આ વિખરાયેલા મતદારોને આકર્ષવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ આ માટે બંધારણની રક્ષા અને જાતિ ગણતરી જેવા મુદ્દાઓને પ્રચારમાં લાવી છે, જ્યારે ભાજપ અનામતમાં પેટા વર્ગીકરણનો મુદ્દો લાવીને કેટલીક દલિત જાતિઓની સહાનુભૂતિ મેળવવા માંગે છે. તેથી આ બંને પક્ષો તરફ દલિત મતદારોનો ઝુકાવ હોઈ શકે છે. મહિલાઓને આકર્ષવા માટે ભાજપે લાડલી બહિના યોજના શરૂ કરી છે, જેના દ્વારા સીધા તેમના બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવી રહ્યા છે. આમ રીતે ભાજપ મુખ્યત્વે વંચિત દલિત મહિલાઓને નિશાન બનાવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવમાં બહુજનવાદી વિચારની ઓળખ વંચિત લોકો સુધી પહોંચાડવી જરૂરી હતી. સામાજિક અને આર્થિક અધિકારો સાથે શિક્ષણનું મહત્વ સમજાવીને તેમને જાગૃત કરવાની જરૂર હતી. આ કામ માત્ર દલિતોની સરકાર જ કરી શકે છે અને લોકોને પાર્ટીનો ભાર જાતે ઉઠાવવા માટે પ્રેરિત કરવાની જરૂર હતી. બસપાના સંસ્થાપક માન્યવર કાંશીરામે આ કર્યું હતું. પરંતુ માયાવતી માન્યવરની વ્યૂહરચના જાળવી શક્યા નહીં. મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી કેટલીક બેઠકો પર મજબૂત છે, પરંતુ છેલ્લી વિધાનસભા અને લોકસભાના પરિણામોને જોતા તે જીતવાની સ્થિતિમાં જણાતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ બાબાસાહેબના બીજા પૌત્ર આનંદ આંબેડકર અને પ્રપૌત્ર રાજરત્ન આંબેડકરે મતવિસ્તાર 40 અને 20 મતવિસ્તારોમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. બીજી તરફ સુરેશ માને, સંજય કોકરે અને પ્રકાશ શેડગેએ એક સ્વતંત્ર રાજકીય ગઠબંધન બનાવ્યું છે. BAMCEF દ્વારા રચાયેલ પીપલ્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (D) અને બહુજન મુક્તિ મોરચા પણ મેદાનમાં છે. રામદાસ આઠવલે, જોગેન્દ્ર કવાડે અને સુલેખા કુંભારે છેલ્લા કેટલાક દાયકાઓથી ભાજપ સાથે છે, જ્યારે બૌદ્ધિકોનો ઝુકાવ કોંગ્રેસ તરફ છે. આવા બહુઆયામી રાજકારણમાં દલિત મતદારો કોને મત આપે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે મહારાષ્ટ્રમાં આંબેડકરવાદી રાજકારણ ખૂબ જ ગતિશીલ દેખાઈ રહ્યું હોવા છતાં તેમાં વિભાજનનો એક મોટો પડકાર છે. તેમ છતાં વંચિતોની સંખ્યાને જોતાં સંયુક્ત અભિગમ, નક્કર સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો સાથે એક મજબૂત રાજકીય વિકલ્પ ઊભો કરી શકાયો હોત, પરંતુ સ્વાર્થી તત્વોએ એ તક ગુમાવી દીધી. મહારાષ્ટ્રમાં સામાજિક વસ્તીના આંકડાઓ પર નજર નાખીએ તો ડો. આંબેડકરના નામ પર આટલા બધી પાર્ટીઓનું બનવું તકવાદ નામના નવા રોગનું લક્ષણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/while-sitting-under-the-banyan-tree-dr-ambedkar-choudhar-burst-into-tears">જ્યારે વડના ઝાડ નીચે બેસીને ડૉ. આંબેડકર ચોધાર આંસુએ રડેલાં...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 08 Nov 2024 11:28:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1511</Articleid>
                    <excerpt>મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી તેની ચરમસીમા તરફ જઈ રહી છે પણ આંબેડકરવાદી પક્ષોના જૂથવાદને કારણે મહાનાયક ડો. આંબેડકરની જન્મભૂમિ-કર્મભૂમિનો દલિત મતદાર મૂંઝાયેલો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672da7aee3545.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672da7aeb575c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672da7aeb575c.jpg" length="67930" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Maharashtra Assembly Elections, Ambedkarite Parties, Dalit Voters</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્ટેજ પર મરઘી કાપી, પછી લોહી પીધું, ગાયક સામે કેસ નોંધાયો</title>
                    <link>https://khabarantar.com/chicken-slaughtered-on-stage-then-drank-blood-case-registered-against-singer</link>
                    <guid>https://khabarantar.com/chicken-slaughtered-on-stage-then-drank-blood-case-registered-against-singer</guid>
                    <description>
                        <![CDATA[ લાઈવ સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન ગાયકે સ્ટેજ પર આ કૃત્ય કરતા હોબાળો મચી ગયો. કાર્યક્રમમાં હાજર અનેક લોકોને કંપારી છુટી ગઈ. પોલીસે કેસ નોંધ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોનવેજનો શોખીન માણસ પણ તેની નજર સામે જ્યારે કોઈ મરઘી કે અન્ય જાનવરને કાપવામાં આવે તો એક ક્ષણ માટે ચોક્કસ કમકમાટી અનુભવતો હોય છે. તો વિચારો, કોઈ ગાયક કલાકાર અચાનક સ્ટેજ પર મરઘી મગાવે અને તેનું ગળું કાપીને સ્ટેજ પર જ તેનું લોહી ચૂસવા માંડે તો શું હાલત થાય? આવું ખરેખર બન્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો અરૂણાચલ પ્રદેશના પાટનગર ઇટાનગરનો છે. અહીં એક કોન્સર્ટ દરમિયાન, કોન વાય સોન નામના સ્થાનિક કલાકારે સ્ટેજ પર જાહેરમાં એક મરઘીની કતલ કરી અને પછી તેનું લોહી નિચોવીને પી લીધું. આ અંગેની ફરિયાદ પોલીસમાં પહોંચતા ગુનો નોંધાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંગીતકાર કોન વાય સોન અરુણાચલ પ્રદેશના પૂર્વી કામેંગ જિલ્લાના સેપ્પાનો રહેવાસી છે અને તેના ગીતોને કારણે તે રાજ્યમાં ખૂબ પ્રખ્યાત છે. સોન પોતાના ગીતો પોતે જ લખે છે અને તેનું સંગીત પણ કંપોઝ કરે છે. સ્થાનિક ભાષાના ગાયક સોનની અરુણાચલ પ્રદેશના યુવાનોમાં સારી ફેન ફોલોઈંગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">27 ઓક્ટોબરના રોજ તેના એક લાઇવ સ્ટેજ શો દરમિયાન સોને સ્ટેજ પર એક મરઘીનું ગળું કાપી નાખ્યું અને તેને નિચોવીને લોહી પીવાનું શરૂ કર્યું. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો, ત્યારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ હેઠળ કેસ નોંધ્યો. જોકે ગાયકે આ ઘટના માટે માફી માંગી છે અને કહ્યું કે સ્ટેજ પર જે થયું તે નહોતું થવું જોઈએ, જો તેનાથી કોઈને દુઃખ થયું હોય તો હું તેના માટે માફી માંગુ છું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ વિશ્વભરમાં પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) ઈન્ડિયાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆર દાખલ કર્યા પછી PETA ઈન્ડિયાએ માંગ કરી હતી કે સિંગર સોનની માનસિક તપાસ થવી જોઈએ, સ્ટેજ પર તેમણે જે કર્યું તે તેમની ઉંડી મનોવૈજ્ઞાનિક અસ્વસ્થતા દર્શાવે છે. પ્રાણીઓની સુરક્ષા માટે કામ કરતી સંસ્થા PETAએ અગાઉ પણ ભારત સરકારને લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા માટે સજા વધારવાની અને આકરી સજા આપવાની માંગ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-chamar-singer-whose-songs-the-whole-of-punjab-used-to-sing">એક ચમાર ગાયક, જેના ગીતો પર આખું પંજાબ ઝૂમી ઉઠતું હતું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 08 Nov 2024 09:38:24 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 08 Nov 2024 10:02:12 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1510</Articleid>
                    <excerpt>લાઈવ સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન ગાયકે સ્ટેજ પર આ કૃત્ય કરતા હોબાળો મચી ગયો. કાર્યક્રમમાં હાજર અનેક લોકોને કંપારી છુટી ગઈ. પોલીસે કેસ નોંધ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672d8d59ca30c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672d8d599826d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672d8d599826d.jpg" length="53996" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kon waii son, chicken video, Arunachal Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા</title>
                    <link>https://khabarantar.com/ahmedabad-municipal-corporation-will-implement-the-vaya-vandana-scheme</link>
                    <guid>https://khabarantar.com/ahmedabad-municipal-corporation-will-implement-the-vaya-vandana-scheme</guid>
                    <description>
                        <![CDATA[ ૭૦ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મળશે લાભ, આવક મર્યાદા વિના, તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકારની વય વંદના યોજનાને અમદાવાદ મહાનગરપાલિકાએ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ શહેરના ૭૦ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં મફત સારવાર મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અગાઉની પીએમજે યોજનામાં આવક મર્યાદા હતી, પરંતુ વય વંદના યોજનામાં આવક મર્યાદા નથી. ૭૦ વર્ષથી ઉપરના કોઈપણ વૃદ્ધ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ૮૫ અર્બન હેલ્થ સેન્ટર પર વય વંદના કાર્ડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાગરિકો માત્ર આધાર કાર્ડ સાથે આ સેન્ટર પર જઈને કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડથી તેઓ ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા જ સત્તાવાર રીતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્માન ભારત યોજનાની સુવિધાની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય દેશના દરેક વૃદ્ધ વ્યક્તિને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે. તેથી, સરકારે વૃદ્ધો માટે આવક અથવા અન્ય કોઈ માપદંડ નક્કી કર્યા નથી અને દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યોજના હેઠળ, ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્માન ભારત કાર્ડને ‘આયુષ્માન વય વંદના કાર્ડ’ કહેવામાં આવશે. આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. (ગુજરાતમાં આ રકમ ૧૦ લાખ રૂપિયા છે) આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચના બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવર્ત્રિક આરોગ્ય કવરેજ હશે. દેશના લગભગ ૪.૫ કરોડ પરિવારો અથવા ૬ કરોડ વરિષ્ઠ નાગરિકોને આ વિશેષ સુવિધાનો લાભ મળશે. જે પરિવારો પહેલેથી જ આયુષ્માન ભારત યોજનાનો હિસ્સો છે, જાે તેમના પરિવારમાં એક વ્યક્તિ પણ ૭૦ વર્ષથી વધુ વયની હોય, તો તેમને પ્રતિ વર્ષ ૧૦ લાખ રૂપિયાના દરે ટોપ-અપ હેલ્થ કવરેજ મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યોજનાનો લાભ લેવા વૃદ્ધો માટે 'આયુષ્માન વય વંદના કાર્ડ' બહાર પાડવામાં આવ્યું છે. જેનો મતલબ છે કે આ યોજનાનો લાભ લેવા માટે આયુષ્માન ભારત કાર્ડ માન્ય નહીં ગણવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/under-pm-unemployment-allowance-rs-3500-did-you-get-the-message">પીએમ બેરોજગારી ભથ્થાં હેઠળ મહિને રૂ. 3500 મળશે, તમને મેસેજ આવ્યો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Nov 2024 21:17:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1509</Articleid>
                    <excerpt>૭૦ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મળશે લાભ, આવક મર્યાદા વિના, તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672ce04178d54.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672ce0414a856.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672ce0414a856.jpg" length="68372" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vaya Vandana Yojana, Ahmedabad Municipal Corporation</media:keywords>
                </item>
                        <item>
                    <title>પ્રયાગરાજમાં મહાકુંભની બેઠકમાં સંતો&amp;મહંતો વચ્ચે ઢીંકાપાટુ&amp;લાફાવાળી થઈ</title>
                    <link>https://khabarantar.com/there-was-a-lot-of-bickering-and-arguing-between-saints-and-mahants-at-the-mahakumbh-meeting-in-prayagraj</link>
                    <guid>https://khabarantar.com/there-was-a-lot-of-bickering-and-arguing-between-saints-and-mahants-at-the-mahakumbh-meeting-in-prayagraj</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભને લઈને યોજાયેલી સંતોની એક બેઠકમાં અખાડાના બે જૂથ વચ્ચે ભારે મારામારી થઈ હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંતનો દરજ્જો ભારતમાં ઈશ્વરના દૂત તરીકે ગણવામાં આવે છે પરંતુ કેટલાક લેભાગુ લોકો સંતોની ગરિમાને લાંછન લગાડે તેવા કૃત્યો કરતા હોય છે. આવું જ કંઈક આજે યુપીના પ્રયાગરાજમાં બન્યું હતું. અહીં મહાકુંભને લઈને યોજાયેલી અખાડાઓની બેઠકમાં સંતો-મહંતો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. એટલું જ નહીં અખાડાઓથી જોડાયેલા સંતોએ એકબીજાને લાફાવાળી કરી હતી અને ઢીકાપાટુ પણ માર્યા હતા. મહાકુંભના મેળા વહિવટી તંત્રની અખાડાઓની બેઠક કાર્યાલયમાં થવાની હતી. અખાડા પરિષદ હાલના દિવસોમાં બે ભાગમાં વહેંચાયેલું છે. બંને જૂથોના પદાધિકારી આ બેઠકમાં આમને-સામને થઈ ગયા અને વાદ વિવાદ બાદ મારામારી પણ થઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારામારીના કારણે મોડે સુધી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સંતો વચ્ચે થયેલી મારામારીના કારણે બેઠક યોજાઈ શકી નહોતી. આજે પ્રયાગરાજ મેળા વહિવટી તંત્રની બેઠક યોજાવાની હતી. વહિવટી તંત્રની બેઠક માટે અખાડા પરિષદના બંને જૂથોને બોલાવવામાં આવ્યા હતા. ઓપચારિક રીતે બેઠકની શરૂઆત થતા પહેલા જ હોબાળો શરૂ થઈ ગયો હતો. મારામારીના કારણે આ ઘટનામાં કેટલાક સંતોને સામાન્ય ઈજા પણ આવી છે. મળતી માહિતી અનુસાર, પૂર્વ અધ્યક્ષ નરેન્દ્ર ગિરીના મોત બાદથી અખાડા પરિષદ બે જૂથમાં વહેંચાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીજીએ જણાવ્યું હતું કે, 'જમીન વહેંચણીને લઈને વિવાદ થયો છે, કેટલાક સંતો તરફથી હોબાળો કરાયો હતો. મહાકુંભ માટે જમીન વહેંચણીને લઈને એકબીજા બંને જૂથોની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સંતો ઝઘડ્યા હતા.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્ર દાસે કહ્યું કે, 'જ્યારે પણ કોઈ મેળો થાય છે ત્યારે અખાડાના પદાધિકારીઓને બોલાવવામાં આવે છે. પરંતુ કુંભ મેળામાં આવું બે-ત્રણ વાર થયું છે કે પદાધિકારીઓને બદલે અન્યને બેસાડવામાં આવે છે. જૂના અખાડાઓનો રેકોર્ડ સારો નથી, ઝઘડા કરવા અને વિવાદ કરવો એ જ તેમનું કામ છે. અમને ત્યાં બેસવા માટેની જગ્યા મળી નથી, જેના કારણે અમે વાત કરી હતી. જેને લઈને જૂના અખાડાના પ્રેમ ગિરીએ હુમલો કરી દીધો હતો.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/saints-of-vadtal-swaminarayan-collected-rs-1.55-crore-freaud">વડતાલ સ્વામીનારાયણના સંતોએ રૂ. 1.55 કરોડની છેતરપિંડી આચરી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Nov 2024 19:29:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1508</Articleid>
                    <excerpt>ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભને લઈને યોજાયેલી સંતોની એક બેઠકમાં અખાડાના બે જૂથ વચ્ચે ભારે મારામારી થઈ હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672cc6846a878.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672cc6843bb28.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672cc6843bb28.jpg" length="84599" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Prayagraj, Mahakumbh, Uttar Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બૌદ્ધ સમાજે આંબેડકર&amp;બુદ્ધને યાદ કર્યા</title>
                    <link>https://khabarantar.com/buddhist-community-in-melbourne-australia-remembers-ambedkar-buddha</link>
                    <guid>https://khabarantar.com/buddhist-community-in-melbourne-australia-remembers-ambedkar-buddha</guid>
                    <description>
                        <![CDATA[ મેલબોર્નમાં રહેતા ભારતીય બૌદ્ધ સમાજે એકઠા થઈને મહાનાયક ડો. આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધને યાદ કર્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ભારતીય બૌદ્ધ સમુદાયે 19 ઓક્ટોબર 2024ના રોજ 68મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન મેલબોર્ન બુદ્ધિસ્ટ સેન્ટર અને ભારતીય બૌદ્ધ સમાજ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બૌદ્ધ સમાજે બાબાસાહેબ ડો.આંબેડકર અને તથાગત બુદ્ધના વિચારોનો પુનરોચ્ચાર કર્યો હતો. આ કાર્યક્રમમાં તમામ ઉંમરના લોકોએ હાજરી આપી હતી અને તેમાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોનો પણ સમાવેશ થતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">14 ઓક્ટોબર 1956ના રોજ, ડૉ. ભીમરાવ આંબેડકરે મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર શહેરમાં તેમના પાંચ લાખથી વધુ અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. તેના માત્ર બે દિવસ પછી 16 ઓક્ટોબર 1956ના રોજ, મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પણ ધમ્મ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રપુરમાં આ સમારોહનું આયોજન કરનાર સમિતિમાં સ્વ. ડૉ. જમનાદાસ ખોબ્રાગડેની મુખ્ય ભૂમિકા હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_672ca98f057c8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">19 ઓક્ટોબરે મેલબોર્નમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દિવંગત ડૉ. જમનાદાસ ખોબ્રાગડેના પુત્ર ડૉ. પ્રશાંત ખોબરાગડે પણ સિડનીથી મેલબોર્ન પહોંચ્યા હતા. તેમના સંબોધન દરમિયાન, તેમણે 1956માં ચંદ્રપુરમાં બનેલી ઐતિહાસિક ઘટના વિશે તેમના પિતા પાસેથી સાંભળેલી વાતો શેર કરી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન ડૉ. સંજય લોહટે ડૉ. આંબેડકરના પુસ્તક “ધ બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ” વાંચવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. આ દરમિયાન હાજર રહેલા સ્વરૂપ લાંડગેએ ડો. આંબેડકરની ચળવળમાં ભાગ લેનાર તેમના પરિવારના સભ્યોના અનુભવો પણ શેર કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સભાને સંબોધિત કરનારા અગ્રણી મહેમાનોમાં ડૉ. સંજય લોહત, ડૉ. પ્રશાંત ખોબ્રાગડે, ધમ્મચારી શીલદાસ, શ્રી સ્વરૂપ લાંડગેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, કે ધમ્મ દીક્ષા દિવસ અથવા ધમ્મ ચક્ર પ્રવર્તન દિવસ દર વર્ષે ભારતના બૌદ્ધો દ્વારા ઉજવવામાં આવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેલબોર્ન બુદ્ધિસ્ટ સેન્ટર ત્રિરત્ન બૌદ્ધ સમાજ દ્વારા ચલાવવામાં આવે છે. તે અગાઉ ફ્રેન્ડ્સ ઓફ ધ વેસ્ટર્ન બૌદ્ધ ઓર્ડર (FWBO) તરીકે ઓળખાતું હતું. તે એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે જે સમગ્ર વિશ્વમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને ફેલાવવાનું કામ કરે છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય બૌદ્ધ સમાજે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/in-kakarwa-village-of-kutch-16-dalits-renounced-hinduism-and-became-buddhists">કચ્છના કકરવા ગામે 16 દલિતો હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ બન્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Nov 2024 17:28:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1507</Articleid>
                    <excerpt>મેલબોર્નમાં રહેતા ભારતીય બૌદ્ધ સમાજે એકઠા થઈને મહાનાયક ડો. આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધને યાદ કર્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672ca97324c13.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672ca972e5cdb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672ca972e5cdb.jpg" length="115567" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Australia, Melbourne, Buddhist Society, Dhamma initiation program</media:keywords>
                </item>
                        <item>
                    <title>શું છે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના? જાણો કેવી રીતે તેનો લાભ મેળવી શકાય</title>
                    <link>https://khabarantar.com/what-is-pm-vidya-lakshmi-scheme-know-how-to-avail-its-benefits</link>
                    <guid>https://khabarantar.com/what-is-pm-vidya-lakshmi-scheme-know-how-to-avail-its-benefits</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્ર સરકારે ગેરેન્ટર વિના 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન માટેની પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે. જાણો છે આ યોજના અને કેવી રીતે તેનો લાભ મળી શકે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">What is PM VidyaLakshmi Scheme : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) ની આગેવાની હેઠળની કેબિનેટે (Cabinet) બુધવારે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના (PM Vidyalakshmi Scheme) ને મંજૂરી આપી દીધી છે. સરકારે 2024-25 થી 2030-31 માટે રૂ. 3,600 કરોડ ફાળવ્યા છે, જેનો હેતુ નવી યોજના સાથે 7 લાખ નવા વિદ્યાર્થીઓને સહાય કરવાનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવી યોજનાનો ઉદ્દેશ્ય સ્થાનિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો છે. આ યોજનામાં દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓ માટે 3% વ્યાજ સબસિડી અને ઈ-વાઉચરનો સમાવેશ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યોજના અંતર્ગત વાર્ષિક ₹8 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારોના બાળકોને ₹10 લાખ સુધીની એજ્યુકેશન લૉન મળશે. એક પ્રેસ કૉન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બાબતની વિસ્તૃત જાણકારી આપી હતી અને ઉમેર્યું હતું કે આ યોજનાનો હેતુ કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સ્થિતિના કારણે પાછળ ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો છે. સરકાર આના પર 3 ટકા વ્યાજ સબસિડી આપશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનમાં પ્રવેશ લેનાર કોઈપણ વિદ્યાર્થી પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ લઈ શકે છે. આ સ્કીમ દ્વારા લોન લેવા માટે કોઈ ગેરેન્ટરની પણ જરૂર રહેશે નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યાર્થીઓ કોઈપણ બેંકોમાં અરજી કરીને “PM-વિદ્યાલક્ષ્મી” પોર્ટલ દ્વારા લોન અને વ્યાજનો લાભ મેળવવા માટે અરજી કરી શકે છે. ઇ-વાઉચર અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) વૉલેટ દ્વારા વ્યાજ સબવેન્શન પેમેન્ટની પ્રક્રિયા કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 થી વિકસાવવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (QHEIs)માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ટ્યુશન ફી અને કોર્સ-સંબંધિત ખર્ચાઓને આવરી લેવા માટે કોલેટરલ ફ્રી, ગેરેંટર-ફ્રી લોન મેળવી શકે. જે એક ડિજિટલ, પારદર્શક અને સ્ટુડન્ટ ફ્રેન્ડલી સિસ્ટમ દ્વારા થશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યોજના NIRF રેન્કિંગની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં ટોચની 100 શ્રેણી-વિશિષ્ટ અને ડોમેન-વિશિષ્ટ સરકારી અને ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યોજનામાં 101-200 રેન્ક ધરાવતી રાજ્ય સરકારની સંસ્થાઓ અને કેન્દ્ર સરકારની તમામ સંસ્થાઓ પણ પાત્ર છે. NIRF રેન્કિંગ પર આધારિત વાર્ષિક અપડેટમાં હાલમાં 860 QHEIનો સમાવેશ થાય છે, જેનાથી અંદાજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">7.5 લાખ સુધીની લોન માટે વિદ્યાર્થીઓને બાકી ડિફોલ્ટ સામે 75% ક્રેડિટ ગેરંટી મળશે, જેનાથી બેંકોને આ યોજના હેઠળ એજ્યુકેશન લોન આપવા માટે પ્રોત્સાહન મળશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">8 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓ, જેઓ અન્ય સરકારી શિષ્યવૃત્તિ અથવા વ્યાજના લાભો માટે પાત્ર નથી, તેઓ રૂ. 10 લાખ સુધીની લોન માટે મોરેટોરિયમ સમયગાળા દરમિયાન 3% વ્યાજ સબવેન્શન મેળવી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સહાયનો ઉદ્દેશ્ય દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સહાય કરવાનો છે, જેમાં ટેકનિકલ/વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં ભણતા સરકારી સંસ્થાઓના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા અપાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/under-pm-unemployment-allowance-rs-3500-did-you-get-the-message">પીએમ બેરોજગારી ભથ્થાં હેઠળ મહિને રૂ. 3500 મળશે, તેમને મેસેજ આવ્યો હોય તો ચેતી જજો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Nov 2024 13:40:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1506</Articleid>
                    <excerpt>કેન્દ્ર સરકારે ગેરેન્ટર વિના 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન માટેની પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે. જાણો છે આ યોજના અને કેવી રીતે તેનો લાભ મળી શકે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672c7428095c5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672c7427ce9fd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672c7427ce9fd.jpg" length="59387" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>PM Vidya Lakshmi Yojana, PM Vidya Lakshmi scheme</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દલિત યુવકનો મૃતદેહ 8 કલાક સુધી રઝળ્યો</title>
                    <link>https://khabarantar.com/body-of-dalit-youth-lay-in-junagadh-civil-hospital-for-8-hours</link>
                    <guid>https://khabarantar.com/body-of-dalit-youth-lay-in-junagadh-civil-hospital-for-8-hours</guid>
                    <description>
                        <![CDATA[ તાલાલાના દલિત યુવાનને અગાશી પરથી પટકાતા સિવિલમાં દાખલ કરાયો હતો, પણ ડોક્ટરોની બેદરકારીને કારણે તેણે જીવ ગુમાવવો પડ્યો? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો દ્વારા યોગ્ય સારવારના અભાવે દર્દીનું મોત થઈ જવાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યાં છે. આવો વધુ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. અહીં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા તાલાલાના દલિત યુવકની સારવારમાં ફરજ પરના ડોક્ટરોએ બેદરકારી દાખવતા તેનું મોત થઈ ગયું હોવાનું મૃતકના પરિવારજનોનું કહેવું છે. આ મામલે હવે પરિવારજનોએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ ઘટનાની જાણ થતા દલિત સમાજના જાગૃત નાગરિકો હોસ્પિટલે પહોંચી ગયા હતા અને પરિવારની પડખે ઉભા રહ્યા હતા. એક તબક્કે હોસ્પિટલમાં ધાંધલ ધમાલ થાય તેવી શક્યતા ઉભી થઈ હતી. જો કે સમાજના લોકોએ સમગ્ર મામલો શાંતિથી થાળે પાડ્યો હતો. પરિસ્થિતિ વણસે તે પહેલા જ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જો કે, ડોક્ટરો અને હોસ્પિટલની બેદરકારીને કારણે મૃતદેહ 8 કલાક સુધી રઝળતો રહેવાથી મૃતકના પરિવારજનો સહિત સમગ્ર દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર બનાવની પ્રાપ્ત વિiતો મુજબ તાલાલામાં પીપળવા રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા પ્રકાશભાઈ કાળાભાઈ કાથડ (ઉ.વ.38) ગત તા. 1 નવેમ્બરની રાત્રે નવ વાગ્યા આસપાસ તેમના ઘરની અગાશી પરથી અકસ્માતે ગબડી પડ્યા હતા. પ્રકાશભાઈને બેભાન હાલતમાં સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તા. 4ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તબીબોએ સારવારમાં બેદરકારી દાખવ્યાનો આક્ષેપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અકસ્માત બાદ પ્રકાશભાઈને પહેલા તાલાલાની સિવિલ હોસ્પિટલ અને બાદમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારજનોનો આક્ષેપ છે કે, દાખલ કર્યાના બે દિવસ સુધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમની યોગ્ય સારવાર કરી નહોતી. ફરજ પરના ડોક્ટરોએ પ્રકાશભાઈનું સીટીસ્કેન ન કરતા તેમનું મોત થઈ ગયું હતું. પ્રકાશભાઈના પરિવારજનોએ રોષ પ્રદર્શિત કરતા હોસ્પિટલે દલિત સમાજના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ-આરએમઓએ મામલો થાળે પાડ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રકાશભાઈનું મોત તબીબોની બેદરકારીના કારણે થયું હોવાના તેમના પરિવારજનોના આક્ષેપ બાજ સમગ્ર જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાંથી જાગૃત દલિત સમાજ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો. એક તબક્કે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહે તેવી સ્થિતિ હતી. એ દરમિયાન પ્રદ્યુમન નગર પોલીસના પીઆઈ ભાર્ગવ જણકાર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. એ પછી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. દુસરાનને સાથે રાખી સમગ્ર મામલો જાણી પ્રકાશભાઈના પરિવારજનોને સાંત્વના પાઠવી ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું. જો કે, એ દરમિયાન 8 કલાક સુધી મૃતદેહ રઝળ્યો હોવાથી પરિવારજનોમાં સિવિલ હોસ્પિટલ તંત્ર સામે ભારે રોષ ફેલાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/scam-of-turning-civil-hospital-patients-into-bjp-members-was-caught"> સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાનું કૌભાંડ ઝડપાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Nov 2024 10:54:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1505</Articleid>
                    <excerpt>તાલાલાના દલિત યુવાનને અગાશી પરથી પટકાતા સિવિલમાં દાખલ કરાયો હતો, પણ ડોક્ટરોની બેદરકારીને કારણે તેણે જીવ ગુમાવવો પડ્યો?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672c4e53e86db.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672c4e53b3b50.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672c4e53b3b50.jpg" length="71204" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Junagadh Civil Hospital</media:keywords>
                </item>
                        <item>
                    <title>એન્જિનિયરિંગના પ્રોફેસરો ડિલિવરી બોયનું કામ કરી રહ્યા છે...</title>
                    <link>https://khabarantar.com/engineering-professor-working-as-a-delivery-boy-in-telangana</link>
                    <guid>https://khabarantar.com/engineering-professor-working-as-a-delivery-boy-in-telangana</guid>
                    <description>
                        <![CDATA[ એઆઈના આગમન બાદ સૌથી મોટી અસર એન્જિનિયરીંગના શિક્ષણ પર પડી છે. એક સમયે દોઢ લાખ પગાર મેળવતા પ્રોફેસરો આજે રૂ. 20 હજારમાં કામ કરવા મજબૂર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેલંગાણામાં એન્જિનિયરિંગની બેઠકોમાં 70 ટકાના ઘટાડા પછી કૉલેજના પ્રોફેસરો રસ્તા પર આવી ગયા છે અને ઘર ચલાવવા માટે ડિલિવરી બોયનું કામ કરી રહ્યાં છે. પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી અને દાયકાઓનો અનુભવ ધરાવતા ઘણા વરિષ્ઠ પ્રોફેસરો હાલમાં ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યાં છે અને લોકોના ઘરે કરિયાણું અને અન્ય ખાદ્યસામગ્રી પહોંચાડી રહ્યાં છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમાંના ઘણા પ્રોફેસરો તો એવા છે કે જેઓ ઘર ખર્ચ પુરો કરવા માટે રસ્તાની બાજુમાં બેસીને શાકભાજી વેચી રહ્યાં છે. તેઓ દરરોજ 500 થી 1000 રૂપિયાની કમાણી કરે છે, જે તેની પ્રોફેસરશિપ દરમિયાન કમાણી કરેલ 40 હજારથી 1.5 લાખ રૂપિયા કરતા ઘણી ઓછી છે. જો કે, આમાંના કેટલાક લોકો કે જેઓ ફ્રીલાન્સ શિક્ષકો અથવા આઉટસોર્સ કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે તેમની સ્થિતિ વધુ સારી છે. પરંતુ હજુ પણ ઘણા લોકો બેરોજગાર છે. જ્યારે તેમને નોકરી ગુમાવ્યાને લગભગ બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે. તેમને અચાનક તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં તેલંગાણામાં એન્જિનિયરિંગની 86943 બેઠકો છે. જે EAP અને CET દ્વારા ભરવામાં આવે છે. તેમાંથી 61587 બેઠકો કોમ્પ્યુટર સાયન્સ અને તેની સંબંધિત શાખાઓની છે. જ્યારે સિવિલ, મિકેનિકલ અને તેની સાથે જોડાયેલી બ્રાન્ચ માટે માત્ર 7458 બેઠકો છે. જ્યારે વર્ષ 2020 પહેલા તેમાં પણ 18 હજાર સીટો હતી. એટલું જ નહીં, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સની પણ મહત્તમ સીટો 4751 છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/how-will-gujarat-learn-in-this">આમાં કેવી રીતે 'ભણશે ગુજરાત'?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્ય એન્જિનિયરિંગ સેક્ટરમાં આટલી મર્યાદિત સીટો હોવા છતાં દર વર્ષે 25 ટકા સીટો ખાલી જઈ રહી છે. અપેક્ષા મુજબ મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રીકલના મુખ્ય ક્ષેત્રો AI, ડેટા સાયન્સ, LOT અને સાયબર સિક્યોરિટી તરફ વળ્યા પછી તેલંગાણાની 175 થી વધુ એન્જિનિયરિંગ કોલેજો તેમની સીટોમાં 50-75 ટકા ઘટાડો કરશે.</span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">આનું પરિણામ શું આવશે? </span><span style="font-size: 14pt;">આ કોર્સના ફેકલ્ટી મેમ્બર્સને છુટા કરવામાં આવશે અથવા ખૂબ જ ઓછા પગારમાં તેમની પોતાની શરતો પર કામ કરવાની ફરજ પાડવામાં આવશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અચ્યુત વીએ નામના એક પ્રોફેસરે કહ્યું કે, મેં પ્રોફેસર તરીકે નોકરી કરવાનું છોડી દીધું છે, કારણ કે મને મારા પહેલાથી ઓછા પગારમાં પણ 50 ટકા કાપની ઓફર કરવામાં આવી હતી. અચ્યુત શહેરની એક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ ભણાવતા હતા. હવે તે ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યા છે જેના માટે તેને રોજના 600 રૂપિયા મળે છે. જ્યારે પણ તેમને સમય મળે છે ત્યારે તેઓ ટુ-વ્હીલર ટેક્સી ડ્રાઈવર તરીકે પણ કામ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/land-of-11-dalit-families-seized-by-district-education-officer">જિલ્લા શિક્ષણાધિકારીએ 11 દલિત પરિવારોની જમીન પડાવી લીધી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, પહેલા મને શરૂઆતમાં 40 હજાર રૂપિયા મળતા હતા પરંતુ મેનેજમેન્ટે તેને ઘટાડીને 20 હજાર રૂપિયા કરી દીધા હતા. જે બાદ વધુ કાપ મુકવાની વાત થઈ હતી. મારે તે નોકરી છોડી દેવી પડી, કારણ કે મારો પરિવાર 10,000 રૂપિયામાં જીવન જીવી શકે તેમ ન હતો. અચ્યુતને બે બાળકો પણ છે. એક 7મા ધોરણમાં ભણે છે જ્યારે બીજો 8મા ધોરણમાં ભણે છે. તે બાળકોને ખબર નથી કે તેમના પિતા ડિલિવરી બોય તરીકે કામ કરે છે. અચ્યુતે અન્ય જગ્યાએ ભણાવવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. તેમણે કહ્યું કે ઘણી કોલેજોની બ્રાન્ચો બંધ કરી દેવામાં આવી છે અથવા તો સીટોની સંખ્યા ઘટાડીને 30 કરી દેવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">19 વર્ષનો અનુભવ ધરાવતા ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર ચૌધરી વામસી કૃષ્ણનને પણ આવા જ અનુભવનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, "મને દર મહિને 1.30 લાખ રૂપિયા મળતા હતા. જે બાદ મેનેજમેન્ટે મને 50 હજાર રૂપિયામાં કામ કરવાનું કહ્યું હતું. મને અત્યંત અપમાનજનક લાગ્યું. અત્યારે હું મારી બચત પર જ જીવન જીવી રહ્યો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-higher-the-education-the-lower-the-job-opportunities-reports-ilo">શિક્ષણ જેટલું વધુ એટલી જ નોકરીની તકો ઓછીઃ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Nov 2024 09:47:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1504</Articleid>
                    <excerpt>એઆઈના આગમન બાદ સૌથી મોટી અસર એન્જિનિયરીંગના શિક્ષણ પર પડી છે. એક સમયે દોઢ લાખ પગાર મેળવતા પ્રોફેસરો આજે રૂ. 20 હજારમાં કામ કરવા મજબૂર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672c3f310c4d3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672c3f30cb919.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672c3f30cb919.jpg" length="59248" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>telangana news, engineering professor, working, delivery boy, janchowk.com</media:keywords>
                </item>
                        <item>
                    <title>યોગી આદિત્યનાથ સામે અમદાવાદમાં એટ્રોસિટી ફરિયાદની અરજી અપાઈ</title>
                    <link>https://khabarantar.com/atrocity-complaint-filed-against-yogi-adityanath-in-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/atrocity-complaint-filed-against-yogi-adityanath-in-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે અરજી અપાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ અનુસૂચિત જાતિ સમાજ માટે પ્રતિબંધિત જાતિ વિષયક શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતે હવે તેમની વિરુદ્ધ અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે એક અરજી આપવામાં આવી છે. તે બાબતે આજરોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા રત્ના વોરા દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રત્ના વોરાએ જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથનો ૧૯ સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે અનુસુચિત જાતિ સમાજ માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કર્યો છે. ૨૨ જાન્યુઆરી ૧૯૩૮એ ડો. બાબાસાહેબ આંબેડકરે આ શબ્દ નહીં સ્વીકારવામાં આવે એવું કહીને વોકઆઉટ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ પ્રવક્તા રત્ના વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં સમાજ કલ્યાણ અધિકારીઓએ નવી નીતિ જાહેર કરી હતી અને ૨૦૧૭ માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે આ પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે, તેમ છતાં આ શબ્દનો ઉપયોગ કરીને યોગી આદિત્યનાથે ગુનો કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રતના વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે તેમના દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે અને જો ત્રણ દિવસમાં અરજી નહીં સ્વીકારાય તો અમે આ મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ગુજરાત કોંગ્રેસ એસસી એસટી સેલના ચેરમેન હિતેન્દ્ર પિઠડીયા જણાવ્યું હતું કે, ૧૪૦૦ કરતા વધારે એટ્રોસિટીની ફરિયાદ થાય છે. ગુજરાતમાં દલિતો સામે સતત અત્યાચારની ઘટનાઓ બનતી રહે છે. હાલમાં જ આઇપીએસ રાજકુમાર પાંડિયન દ્વારા દલિતોનું અપમાન કરવામાં આવ્યું હતું. એ પછી મહીસાગરના કલેક્ટર નેહા કુમારીએ નેવું ટકા એટ્રોસિટીના કેસો ખોટા હોય છે અને બ્લેકમેઈલ કરવા માટે થાય છે તેમ કહીને દલિત અત્યાચારોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું હતું. હવે યોગી આદિત્યનાથનો વીડિયો સામે આવ્યો છે અને તેમાં તેઓ દલિતો માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરતા જણાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/bulldozer-a-major-factor-in-bjps-defeat-in-ayodhya">બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Nov 2024 21:41:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1503</Articleid>
                    <excerpt>યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે અરજી અપાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672b93df6016e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b93df2f77d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b93df2f77d.jpg" length="60894" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Yogi Adityanath, Atrocity Act, Scheduled Caste Society, Ratna Vora</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજ્યની 1 જિલ્લા, 3 તાલુકા પંચાયતની બેઠકો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું</title>
                    <link>https://khabarantar.com/notification-published-for-1-district-3-taluka-panchayat-seats-in-the-state</link>
                    <guid>https://khabarantar.com/notification-published-for-1-district-3-taluka-panchayat-seats-in-the-state</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવંજ તથા ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">-ખેડા જિલ્લા પંચાયતની ૪૪ બેઠકમાં ૧૨ ઓબીસી, ૨ એસસી અને ૧ એસટી માટે અનામત</span><br><span style="font-size: 14pt;">-કપડવંજમાં ૭ ઓબીસી અને કઠલાલમાં ૬ ઓબીસી માટે જ્યારે એસસી-એસસી માટે ૧-૧ બેઠક અનામત</span><br><span style="font-size: 14pt;">-ગાંધીનગર તાલુકા પંચાયતની ૨૮માંથી ૮ ઓબીસી અને એસસી-એસટી માટે ૧-૧ બેઠક અનામત  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની એસસી, એસટી અને ઓબીસી બેઠકો અંગેની જાહેરાત કરાઇ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકારના વિકાસ કમિશનર કચેરીના અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયા દ્વારા ઉક્ત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની  અનામત બેઠકો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ખેડા જિલ્લા પંચાયતની કુલ ૪૪ બેઠકો પૈકીની અનામત બેઠકો જાહેર કરાઇ છે. તેમાં ઓબીસી માટે ૧૨ બેઠકો, એસસી માટે ૨ અને એસટી માટે ૧ બેઠક જાહેર કરાઇ છે તો બિન અનામત વર્ગ માટે ૨૯ બેઠકો રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની બેઠકોને માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેમાં કપડવંજ તાલુકા પંચાયતની કુલ ૨૬ બેઠકોમાંથી ૧ એસસી, ૧ એસટી, ૭ ઓબીસી માટે અને બાકીની ૧૭ બેઠક બિનઅનામત બેઠક જાહેર કરાઇ છે. તો કઠલાલ તાલુકા પંચયતની કુલ ૨૪ બેઠકોમાંથી ૧ એસસી માટે, ૧ એસટી માટે, ૬ ઓબીસી માટે અને બાકીની ૧૬ બેઠક બિનઅનામત બેઠક જાહેર કરાઇ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તો ગાંધીનગર તાલુકા પંચાયતની કુલ ૨૮ બેઠકોમાંથી ૧ એસસી, ૧ એસટી માટે, ૮ ઓબીસી માટે અને બાકીની ૧૮ બેઠક બિનઅનામત બેઠક જાહેર કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/elections-to-7000-gram-panchayats-of-the-state-will-be-held-next-september">આગામી સપ્ટેમ્બરમાં રાજ્યની 7 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Nov 2024 21:09:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1502</Articleid>
                    <excerpt>રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવંજ તથા ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672b8d02a2bf4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b8d0271c0e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b8d0271c0e.jpg" length="68771" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Panchayat Meetings, Notification</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતોને સ્મશાનભૂમિ મળતા નારાજ સવર્ણોએ અંતિમયાત્રા પર પથ્થરમારો કર્યો</title>
                    <link>https://khabarantar.com/upper-castes-angry-over-dalits-getting-cremation-ground-pelted-stones-at-funeral-procession</link>
                    <guid>https://khabarantar.com/upper-castes-angry-over-dalits-getting-cremation-ground-pelted-stones-at-funeral-procession</guid>
                    <description>
                        <![CDATA[ સવર્ણોએ દલિતોને બહિષ્કાર કર્યો છે અને ધમકી આપી છે કે, પ્રાથમિક શાળા અને રાશનની દુકાન અમારા વિસ્તારમાં છે. એકવાર અહીં આવી જુઓ પછી તમને બતાવીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ભીમ પોલીસ સ્ટેશનમાં જાતિ ભેદભાવની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક અનુસૂચિત જાતિ સમાજની એક વ્યક્તિનું મોત થઈ જતા સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. જો કે ગામના સવર્ણોએ તેનો વિરોધ કર્યો હતો અને અંતિમયાત્રા પર પથ્થરમારો કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના કુશલપુરાના દેવડુંગરી ગામની છે. અહીં વહીવટીતંત્ર દ્વારા ફાળવવામાં આવેલા સ્મશાનભૂમિમાં મૃતક ઘીસા રામનો પરિવાર અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યો હતો ત્યારે આ ઝઘડો થયો હતો. સ્થાનિક રાવત સમાજે મૃતકના પરિવારને અહીં મૃતદેહને દફનાવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તંગદિલી સર્જાઈ હતી. મામલો એટલો ઉગ્ર બની ગયો કે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો. આખરે પોલીસની દરમિયાનગીરી, કડકાઈ અને સમજાવટ બાદ પોલીસ જાપ્તા વચ્ચે મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 31 ઓક્ટોબરની છે. અહીં ઘીસા રામ નામના દલિત વ્યક્તિનું અવસાન થયું હતું. જેની અંતિમવિધિની તૈયારીઓ ચાલી રહી હતી. તેમના પુત્ર ગંગા રામે સમાજના લોકો સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફાળવવામાં આવેલા સ્મશાન ખાતે અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગંગારામના જણાવ્યા પ્રમાણે, જ્યારે દફનવિધિ માટે જેસીબી મશીનથી ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે મહિલાઓ સહિત રાવત સમાજના લગભગ 50 થી 100 લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પથ્થરમારામાં જેસીબી મશીનનો કાચ તૂટી ગયો હતો અને ડ્રાઇવરને પણ માર મારવામાં આવ્યો હતો. સાથે જ સાળવી સમાજના લોકોને જાતિસૂચક ગાળો ભાંડવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/the-road-to-the-crematorium-is-closed-the-body-of-the-dalit-daughter-has-been-lying-on-the-road-for-18-hours"><span style="font-size: 14pt;"> સ્મશાનનો રસ્તો બંધ, દલિત દીકરીનો મૃતદેહ 18 કલાકથી રસ્તામાં પડ્યો છે</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_672b83d88464b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના દરમિયાન આરોપીઓએ સાળવી સમાજના લોકોને ધમકી આપીને કહ્યું હતું કે, “તમે નીચી જાતિના લોકો અમારી જમીન પર અંતિમ સંસ્કાર ન કરી શકો.” આરોપીઓએ અંતિમયાત્રામાં વિક્ષેપ પાડ્યો હતો અને અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને સ્થળ છોડી દેવાનો આદેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાળવી સમાજનો સામાજિક બહિષ્કાર કરાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગંગા રામે આરોપ લગાવ્યો છે કે રાવત સમાજના લોકો તેમને સ્મશાન પર જવાથી રોકી રહ્યાં છે અને તેમના સમાજની મહિલાઓને પણ મનરેગા કાર્યસ્થળ અને વાજબી ભાવની દુકાનમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈપણ દુકાનમાંથી સામાન ખરીદવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ રીતે તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગંગારામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ મૃતકના પુત્ર ગંગારામે એફઆઈઆર દાખલ કરી છે. જેમાં 22 લોકોના નામજોગ જ્યારે 50-100 અજાણ્યા લોકો વિરુદ્ધ જાતિ આધારિત દુર્વ્યવહાર, ધમકીઓ આપવી અને મારામારી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. FIRમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 3(1)(r)(s), 3(2)(v)(a)નો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષકે આ કેસની તપાસ ડીવાયએસપી પારસ ચૌધરીને સોંપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોને સ્મશાન માટે જમીન ફાળવાતા સવર્ણોને ન ગમ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખા મામલામાં દલિતોને સ્મશાન માટે ગામની નજીક ફાળવવામાં આવેલી જમીન કારણભૂત છે. સવર્ણો જાણે ગામ આસપાસની જમીન તેમના બાપદાદાની જ જાગીર હોય તેમ વર્તતા હોવાથી ડખો ઉભો થયો હતો. સરકારી ધોરણે જમીન દલિતોને સ્મશાન માટે ફાળવવામાં આવી હોવા છતાં સવર્ણો દાદાગીરી કરીને તેમને આ જમીન છોડી દેવા ધમકી આપતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા ત્રણ મહિનામાં જ્યારે વહીવટીતંત્રે સાળવી સમાજને સ્મશાન માટે ગૌચરની જમીન ફાળવી ત્યારથી બંને સમાજો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. એ પહેલા દલિતો માટે કોઈ સ્મશાન નહોતું. હાઈવેની આજુબાજુ, ખાલી ખાનગી જમીન હતી જેના માલિકો બહાર રહેતા હોવાથી વર્ષોથી સાળવી સમાજ તેમના મૃતકોની અંતિમવિધિ કરતો હતો. પરંતુ વરસાદમાં ત્યાં પહોંચવું મુશ્કેલ બનતું હતું. પંચાયત તરફથી સુવિધાના અભાવે, તળાવ ભરાઈ જવાથી અને જમીનમાં પાણી ભરાઈ જવાથી મૃતદેહને દફનાવવાની સમસ્યાને જોતા સાળવી સમાજે સરકાર પાસે સ્મશાનભૂમિની માંગણી કરી હતી. જેના આધારે ત્રણ મહિના પહેલા જ તેમને ગૌચરમાંથી હાલની જગ્યા ફાળવવામાં આવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાવતો દલિતોને ધમકી આપી રહ્યાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમીન મળ્યા બાદ રાવત સમુદાયે અગાઉ પણ એક વખત મૃતદેહને દફનાવવા સામે વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ આ વખતે મામલો વધુ વણસી ગયો હતો. ગામમાં સાળવી સમાજના 20-25 ઘર છે જ્યારે રાવત સમુદાયના ઘરો વધુ છે. તેમના વર્ચસ્વને કારણે બંને સમાજ વચ્ચે કડવાશ વધી છે. જમીનની ફાળવણી બાદ તેમને મનરેગા રોસ્ટરમાં મસ્ટર રોલ પણ અલગ કરી દેવાયા છે. ગામની પ્રાથમિક શાળા અને સસ્તા અનાજની દુકાન રાવતોના વિસ્તારમાં છે. તેઓ અમને ધમકી આપે છે કે, “એકવાર અમારી બાજુ આવીને બતાવો, પછી અમે તમને બતાવીએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/there-is-no-road-to-the-crematorium-the-dalit-elderly-had-to-be-cremated-in-the-courtyard">સ્મશાન સુધીનો રસ્તો નથી, આંગણામાં દલિત વૃદ્ધની અંતિમવિધિ કરવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Nov 2024 20:32:07 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 06 Nov 2024 20:33:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1501</Articleid>
                    <excerpt>સવર્ણોએ દલિતોને બહિષ્કાર કર્યો છે અને ધમકી આપી છે કે, પ્રાથમિક શાળા અને રાશનની દુકાન અમારા વિસ્તારમાં છે. એકવાર અહીં આવી જુઓ પછી તમને બતાવીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672b83b8bcbe7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b83b88afa6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b83b88afa6.jpg" length="106412" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Caste Discrimination, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને આખરે એક &amp;apos;દલિત મેયર&amp;apos; મળશે</title>
                    <link>https://khabarantar.com/delhi-municipal-corporation-will-finally-get-a-dalit-mayor</link>
                    <guid>https://khabarantar.com/delhi-municipal-corporation-will-finally-get-a-dalit-mayor</guid>
                    <description>
                        <![CDATA[ ભારે રાજકીય ખેંચતાણ બાદ દિલ્હી એમસીડીને આ મહિને દલિત મેયર મળશે. કોઈ દલિત મેયર ન બની જાય તે માટે જાતિવાદી પક્ષોએ અનેક રોડાં નાખ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નવેમ્બરમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ને ત્રીજા મેયર મળશે અને તે અનુસૂચિત જાતિ (SC) સમાજમાંથી હશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ મુજબ, મેયરનો કાર્યકાળ દર વર્ષે અનામત શ્રેણીઓ અનુસાર નક્કી કરવામાં આવે છે, જેમાં પ્રથમ વર્ષ મહિલા કાઉન્સિલર માટે, બીજો કાર્યકાળ જનરલ કેટેગરી માટે અને ત્રીજો અનુસૂચિત જાતિના કાઉન્સિલર માટે અનામત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">MCDના વર્તમાન મેયર શૈલી ઓબેરોયે 14 નવેમ્બરે યોજાનારી MCD હાઉસની બેઠકમાં નવા મેયરની ચૂંટણીની જાહેરાત કરી છે. MCD એક્ટ હેઠળ, નિવૃત્ત થવા જઈ રહેલા મેયર ચૂંટણીની તારીખ અને સમય નક્કી કરે છે, જ્યારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) ચૂંટણી પ્રક્રિયા માટે પ્રમુખપદ અધિકારીની ભૂમિકા ભજવે છે. વિધાનસભા ચૂંટણીના માત્ર ત્રણ મહિના પહેલા યોજાનારી આ મેયરની ચૂંટણીનું મહત્વ વધી ગયું છે, કારણ કે તે બંને પક્ષો ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) માટે નિર્ણાયક તક સાબિત થઈ શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૂંટણીમાં દલિત મેયર બનવાનાં હોવાથી વિલંબ કરાયો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના વર્તમાન મેયર શૈલી ઓબેરોયનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે અને તેઓ એક્સટેન્શન પર છે. નવા મેયરની ચૂંટણી એપ્રિલ 2024થી યોજાવાની હતી, પરંતુ વિવિધ ટેકનિકલ અને રાજકીય મુદ્દાઓને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. આ સાથે ભાજપે આમ આદમી પાર્ટી પર દલિત સમાજના કાઉન્સિલરને મેયર બનાતા રોકવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના નેતા અને MCDમાં વિરોધ પક્ષના નેતા રાજા ઈકબાલ સિંહે આમ આદમી પાર્ટી પર તેમની 'દલિત વિરોધી માનસિકતા'ના કારણે દલિત મેયરની ચૂંટણીમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે AAPએ એક દલિત મેયરને સાત મહિના સુધી સત્તામાં આવતા રોક્યા છે, જેના કારણે હવે દલિત સમુદાયમાં AAP પ્રત્યે નારાજગી છે. ઈકબાલ સિંહે એમ પણ કહ્યું કે, ભાજપ શેરીઓથી લઈને ગૃહ સુધી લડ્યું, જેના કારણે આખરે આમ આદમી પાર્ટીએ ચૂંટણીની મંજૂરી આપી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આમ આદમી પાર્ટીનું વલણ અને રાજકીય દબાણ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">MCDમાં AAPની બહુમતી હોવા છતાં મેયરની ચૂંટણીમાં આ વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એપ્રિલ 2024 માં ચૂંટણીની જાહેરાત સમયે ભાજપ અને AAPએ તેમના ઉમેદવારો જાહેર કર્યા હતા, પરંતુ લેફ્ટનન્ટ ગવર્નરે એમ કહીને ફાઈલ પરત કરી હતી કે તેના પર તત્કાલિન મુખ્યમંત્રી તરફથી કોઈ ભલામણ પત્ર નથી. તે સમયે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા, જેના કારણે તેઓ ભલામણ કરી શક્યા ન હતા. જેના કારણે ચૂંટણી પ્રક્રિયા સ્થગિત થઈ ગઈ હતી. ત્યારબાદ ઓક્ટોબરમાં શૈલી ઓબેરોયે જાહેરાત કરી હતી કે દિવાળી પછી ચૂંટણી યોજાશે. આખરે 28 ઓક્ટોબરે MCD હાઉસની બેઠકમાં ઓબેરોયે નવી ચૂંટણીની તારીખ 14 નવેમ્બર નક્કી કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૂંટણી સમયે રાજકારણ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેયરની ચૂંટણી ભાજપ અને AAP બંને પક્ષો માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આ તેમના માટે તાકાત બતાવવાનો સમય છે. આમ આદમી પાર્ટીની સ્થિતિ અંગે ભાજપે આરોપ લગાવ્યો છે કે તેમણે દલિત મેયર અંગે નિષ્ક્રિયતા દર્શાવી છે, જ્યારે AAPએ તેને ભાજપનું રાજકીય દબાણ ગણાવ્યું છે. ભાજપનું એમ પણ કહેવું છે કે આ ચૂંટણીને લઈને દલિત સમાજમાં AAP પ્રત્યે અસંતોષ છે અને તેની અસર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પડી શકે છે. ભાજપે દાવો કર્યો છે કે આ અસંતોષને કારણે દિલ્હીના SC સમાજનું સમર્થન ભાજપને મળશે અને વિધાનસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ આમ આદમી પાર્ટી વિરુદ્ધ કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેયકની ચૂંટણીની વિધાનસભા ચૂંટણી પર શું અસર થશે?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી દર વર્ષે એપ્રિલમાં યોજાય છે, પરંતુ આ વખતે ચૂંટણી પ્રક્રિયામાં વિલંબે તેને રાજકીય મુદ્દો બનાવી દીધો છે. જ્યારે ડિસેમ્બર 2022 માં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે આમ આદમી પાર્ટીએ 134 બેઠકો જીતી હતી અને તે પછી ફેબ્રુઆરી 2023 માં શૈલી ઓબેરોય મેયર બન્યા હતા. પરંતુ એપ્રિલ 2024માં મેયરની ચૂંટણી અટકી પડી હતી, જેના કારણે ભાજપ અને AAP વચ્ચે રાજકીય ખેંચતાણ વધી ગઈ હતી. ભાજપે AAP પર અનુસૂચિત જાતિ (SC) સમાજના કાઉન્સિલરને મેયર બનતા અટકાવવાનો આરોપ લગાવ્યો હતો. હવે મેયરની ચૂંટણી વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા યોજાઈ રહી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર તેની કેટલી અસર થાય છે તે જોવું રસપ્રદ રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/so-that-the-son-of-a-dalit-does-not-become-the-mayor-the-savarna-parties-are-struggling">દલિતનો દીકરો મેયર ન બની જાય તે માટે સવર્ણ પાર્ટીઓ ત્રાગા કરે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Nov 2024 13:45:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1500</Articleid>
                    <excerpt>ભારે રાજકીય ખેંચતાણ બાદ દિલ્હી એમસીડીને આ મહિને દલિત મેયર મળશે. કોઈ દલિત મેયર ન બની જાય તે માટે જાતિવાદી પક્ષોએ અનેક રોડાં નાખ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672b24e1247b3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b24e0e805b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b24e0e805b.jpg" length="70218" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Delhi Municipal Corporation, Dalit Mayor</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઝોળાછાપ ડોક્ટરે યુટ્યુબમાં જોઈ દલિત સગર્ભાનું ઓપરેશન કરતા મોત</title>
                    <link>https://khabarantar.com/quack-doctor-seen-on-you-tube-dalit-pregnant-woman-dies-while-operating</link>
                    <guid>https://khabarantar.com/quack-doctor-seen-on-you-tube-dalit-pregnant-woman-dies-while-operating</guid>
                    <description>
                        <![CDATA[ 24 કલાક સુધી ઓપરેશન ચાલ્યું પણ મહિલા બચે તેમ ન લાગતા ડોક્ટર દવાખાનું છોડી ફરાર થઈ ગયો અને મહિલાનું મોત થયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોતરફ નકલીઓની બોલબોલા વધતી જઈ રહી છે. નકલી આઈએએસ-આઈપીએસ, નકલી પીએમઓ-સીએમઓ અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી જજ સુધી પહોંચી ગયા છીએ ત્યારે એક એવી ઘટના સામે આવી છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બન્યું છે એવું કે એક ઝોળાછાપ ડોક્ટર વર્ષોથી ક્લિનિક ચલાવતો હતો. આસપાસના એરિયામાં તેનું સારું એવું નામ થઈ જતા તેણે ક્લિનિકનો વિસ્તાર કર્યો હતો. અહીં એક દલિત સગર્ભાને દાખલ કરવામાં આવી હતી. જેનું આ કથિત ડોક્ટરે યુટ્યુબમાં જોઈને ઓપરેશન કર્યું હતું. ચોવીસ કલાક સુધી ઓપરેશન ચાલ્યા બાદ પણ સગર્ભાની તબિયત ન સુધરતા ડોક્ટર પોતાની પોલ ખૂલી જવાની બીકે ક્લિનિક છોડીને ભાગી ગયો હતો, બીજી તરફ ખોટી સારવારના કારણે સગર્ભાનું મોત થઈ ગયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિહારના બેગુસરાયના ખોડાવંદપુરની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બિહારના બેગુસરાય જિલ્લાના ખોડાવંદપુર તાલુકાનો છે. અહીં રાજનંદની ક્લિનિક નામે એક દવાખાનું ખોલવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં જિલ્લાના ઘણા પ્રખ્યાત ડૉક્ટરોની તસવીરો ચોંટાડવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે તે એક રજિસ્ટર્ડ હોસ્પિટલ છે. આ જોઈને ચેરિયા બરિયારપુર બ્લોકના અર્જૂનટોલ ગામની 30 વર્ષીય અમૃતા કુમારીને તેના પરિવારના સભ્યોએ દાખલ કરી હતી. 2જી નવેમ્બરે દાખલ કરાયેલી અમૃતાનું 5મી નવેમ્બરે સાંજે મોત થયું હતું. દર્દી સાથે રહેતી તેની બહેન કાજલ કુમારીએ જણાવ્યું કે ડોકટર મોબાઈલમાં યુટ્યુબ વીડિયો જોઈને ઓપરેશન કરી રહ્યા હતા. છેલ્લા 24 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું હતું અને જ્યારે તેની બહેનની તબિયત બગડવા લાગી અને તે મૃત્યુની નજીક પહોંચી ગઈ ત્યારે ડોક્ટર બાઇક પર ભાગી ગયો હતો. એ પછી પરિવારજનોમાં હોબાળો મચી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જિલ્લામાં સૌથી વધુ નકલી હોસ્પિટલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના ખોડાવંદપુર તાલુકા કચેરી, પોલીસ સ્ટેશન અને સરકારી હોસ્પિટલની સામે બની છે. સ્થાનિક પ્રશાસનની બેદરકારીને કારણે ખોડાવંદપુર બ્લોક હેડક્વાર્ટરમાં ઘણી નકલી હોસ્પિટલો ચાલી રહી છે. આમાંની મોટાભાગની હોસ્પિટલો સ્થાનિક પીએસસીના ડોકટરો સાથે જોડાયેલી છે. આ મામલે ખોડાવંદપુર પીએચસીના ઈન્ચાર્જ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે બહાર આવ્યું કે તે ભાગ્યે જ તેની હોસ્પિટલમાં ફરજ માટે આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-dalit-doctor-has-been-struggling-to-get-a-house-on-rent-for-four-years-in-visakhapatnam-andhra-pradesh">એક દલિત ડોક્ટર ચાર વર્ષથી ભાડે મકાન મેળવવા રઝળી રહ્યાં છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Nov 2024 11:22:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1499</Articleid>
                    <excerpt>24 કલાક સુધી ઓપરેશન ચાલ્યું પણ મહિલા બચે તેમ ન લાગતા ડોક્ટર દવાખાનું છોડી ફરાર થઈ ગયો અને મહિલાનું મોત થયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672b02e68a97a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b02e64d1ff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b02e64d1ff.jpg" length="68699" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>YouTube Video, Bihar, Begusarai, Khodavandpur</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;ગાળ ન બોલો...&amp;quot; કહેતા જાતિવાદીઓએ દલિત યુવકની હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/dont-insult-casteists-killed-dalit-youth</link>
                    <guid>https://khabarantar.com/dont-insult-casteists-killed-dalit-youth</guid>
                    <description>
                        <![CDATA[ લુખ્ખા તત્વો રસ્તાની વચ્ચોવચ બાઈકો લઈને ઉભા હતા. દલિત યુવક ટ્રેક્ટર કાઢી શકે તેમ નહોતો, તેણે બાઈક હટાવવા કહ્યું અને જાતિવાદીઓએ હત્યા કરી નાખી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગમે તેટલી દિવાળી કે બેસતા વર્ષ આવીને જતા રહે, પણ આ દેશના જાતિવાદી તત્વોની દલિતો, આદિવાસીઓ પ્રત્યેની માનસિકતામાં તસુભાર પણ ફરક આવે તેવી દૂર દૂર સુધી કોઈ શક્યતા જણાતી નથી. આવું એટલા માટે લાગે છે, કેમ કે દિવાળી અને બેસતા વર્ષે પણ દલિતો પર અત્યાચારની અનેક ઘટનાઓ ઘટી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટનામાં નજીવી બાબતે જાતિવાદી તત્વોએ એક દલિત યુવકને લાકડીઓ-દંડાથી ઢોર માર માર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ થતા યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. આ મામલે હવે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે અને એક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના પીલીભીતના પ્રતાપદાંડીની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીનો છે. અહીં પીલીભીતના બરખેડા પોલીસ સ્ટેશનમાં આવતા પ્રતાપદાંડી ગામમાં એક દલિત યુવકની જાતિવાદી તત્વોએ માર મારીને હત્યા કરી નાખી. મૃતક દલિત યુવક સીતારામ 42 વર્ષનો હતો અને તે ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત શનિવારે સાંજે તેનો ભાઈ હરિઓમ ટ્રેક્ટર લઈને ઘરે આવી રહ્યો હતો. એ દરમિયાન ગામના કેટલાક જાતિવાદી તત્વોએ તેમની બાઇક રોડ પર પાર્ક કરી હતી. સીતારામે તેમને બાઇક હટાવવાનું કહેતાં તેમણે ગાળાગાળી કરીને મારામારી શરૂ કરી હતી. જો કે પરિવારના અન્ય સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિવાદ શાંત પાડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો થાળે પડ્યાં બાદ ઘરે જઈને હુમલો કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો થાળે પડી ચૂક્યો હતો. પરંતુ થોડા સમય બાદ ગામના ગંગાપ્રસાદ, ઓમપાલ, સુરેન્દ્ર અને રામનિવાસ સહિતના જાતિવાદીઓ સીતારામના ઘરે આવ્યા અને અપશબ્દો બોલી લાકડીઓ-દંડાથી હુમલો કર્યો હતો. જ્યારે સીતારામે તેમનો પ્રતિકાર કર્યો તો તેના પર તૂટી પડ્યા હતા અને જાતિસૂચક ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હોબાળો થતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા, જેનાથી આરોપીઓ સીતારામના પરિવારને ધમકી આપીને ભાગી ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સીતારામનું સારવાર દરમિયાન મોત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હુમલા બાદ દરમિયાન ઈજાગ્રસ્ત સીતારામને તાત્કાલિક બરખેડા સીએચસીમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો. અહીં પણ તેની તબિયતમાં સુધારો ન થતાં તેને બરેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં રવિવારે સવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી મામલો હત્યામાં પલટાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ પોલીસે ચારેય આરોપીઓ સામે મારામારીનો ગુનો નોંધ્યો હતો. રવિવારે સીતારામના મોતની માહિતી મળતાની સાથે જ પોલીસે ગામમાં પહોંચીને કાર્યવાહી તેજ કરી હતી. બિસલપુરના સીઓ પ્રતિક દહિયા પણ ગામમાં પહોંચ્યા હતા અને ઘટનાની તપાસ કરી હતી. પોલીસે એક આરોપીને પણ કસ્ટડીમાં લીધો છે.</span><br><span style="font-size: 14pt;">સીતારામના મોત બાદ પરિવારનો આક્રંદ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાજુ સીતારામના મોત બાદ તેના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. તેની પત્ની પાર્વતીદેવીની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. મૃતક સીતારામને બે પુત્રો અરવિંદ અને ધર્મેન્દ્ર છે અને બંનેની જવાબદારી હવે પાર્વતીદેવી પર આવી પડી છે. તેમની આ સ્થિતિ જોઈને દલિતવાસમાં સોંપો પડી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બરખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ મુકેશ શુક્લાના જણાવ્યા પ્રમાણે, હુમલા બાદ પરિવારની ફરિયાદના આધારે મારામારી અને એસસીએસટી એક્ટ હેઠળ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. સીતારામનું બરેલીની હોસ્પિટલમાં મોત થયું હતું અને બરેલી પોલીસ દ્વારા જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અગાઉ દાખલ કરાયેલી ફરિયાદમાં હત્યાની કલમો ઉમેરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-dalit-youth-was-killed-and-his-face-was-burnt-with-acid">દલિત યુવકની હત્યા કરી ચહેરો તેજાબ નાખી સળગાવી દીધો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Nov 2024 09:44:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1498</Articleid>
                    <excerpt>લુખ્ખા તત્વો રસ્તાની વચ્ચોવચ બાઈકો લઈને ઉભા હતા. દલિત યુવક ટ્રેક્ટર કાઢી શકે તેમ નહોતો, તેણે બાઈક હટાવવા કહ્યું અને જાતિવાદીઓએ હત્યા કરી નાખી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672aec6538ea9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672aec64f1345.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672aec64f1345.jpg" length="113030" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit crime, Atrocity, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>વાસદમાં બુલેટ ટ્રેન બ્રિજનો એક હિસ્સો ધરાશાયી, 4 મજૂરો દટાયા, બેનાં મોત</title>
                    <link>https://khabarantar.com/a-portion-of-the-bullet-train-bridge-collapsed-in-vasad-4-laborers-were-burried-two-died</link>
                    <guid>https://khabarantar.com/a-portion-of-the-bullet-train-bridge-collapsed-in-vasad-4-laborers-were-burried-two-died</guid>
                    <description>
                        <![CDATA[ આણંદના વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ગડરનો એક હિસ્સો ધરાશાયી થતા ચાર મજૂરો દટાઈ ગયા છે, જેમાં બેનાં મોત થયા છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરત બાદ હવે આણંદમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના ઘટી છે. આણંદના વાસદ નજીક રાજપુરા ખાતે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી, એ દરમિયાન બ્રિજ પર ગડરનો ભાગ ધરાશાયી થતાં કોંક્રિટના કાટમાળમાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોને બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે શ્રમિકોના મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે. જ્યારે હજુ એક શ્રમિકની શોધખોળ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ મહીસાગર બ્રિજ પર લોખંડની ગડર નાખવાની અને પથ્થરો બેસાડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ ઘટના ઘટી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે, “આજે સાંજે ચાર કામદારો મહી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર કોંક્રીટ બ્લોક વચ્ચે ફસાયા હતા. જેમાંથી બેના મોત થયા છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે. ત્રણ મજૂરને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી બેના મોત નીપજ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના અંગે ડીએસપી આનંદ ગૌરવ જસાણીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર લગાવવામાં આવેલો ગર્ડર આજે પડી ગયો હતો. આ ઘટનામાં ત્રણ મજૂરોને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ હજુ એક મજૂર તેમાં ફસાયેલો છે અને તેને બચાવવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ દુર્ઘટના સર્જાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તંત્રના અધિકારીઓ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ સહિતના કાફલા દ્વારા તાબડતોબ બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ. જેસીબી-ક્રેન વડે પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/150-dalits-houses-of-girdharnagar-destroyed-in-bullet-train-project-no-compensation">બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગિરધરનગરના 150 દલિતોના ઘર તૂટ્યાં, વળતર નહીં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 21:59:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1497</Articleid>
                    <excerpt>આણંદના વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ગડરનો એક હિસ્સો ધરાશાયી થતા ચાર મજૂરો દટાઈ ગયા છે, જેમાં બેનાં મોત થયા છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672a4724747d7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672a47244004f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672a47244004f.jpg" length="78413" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Major accident in bullet train project, Anand, Vasad village</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગણપતિ પૂજા પર PM મારા ઘરે આવે એમાં કંઈ ખોટું નથી: ડી.વાય. ચંદ્રચૂડ</title>
                    <link>https://khabarantar.com/there-is-nothing-wrong-with-pm-coming-to-my-house-on-ganpati-puja-dy-chandrachud</link>
                    <guid>https://khabarantar.com/there-is-nothing-wrong-with-pm-coming-to-my-house-on-ganpati-puja-dy-chandrachud</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે ગણપતિ પૂજા દરમિયાન પીએમ મોદી તેમના ઘરે આવ્યા તે મામલે હવે નિવેદન આપ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીજેઆઈ ધનંજય ચંદ્રચૂડને વડાપ્રધાન તેમના ઘરે ગણપતિ પૂજામાં હાજરી આપવા આવે તેમાં કશું ખોટું નથી લાગતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણપતિ પૂજા પર તેમના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લે છે તેમાં “કંઈ ખોટું નથી” અને આવા મુદ્દાઓ પર “રાજકીય વર્તુળોમાં પરિપક્વતાની ભાવના” ની જરૂર છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીજેઆઈએ કહ્યું હતું કે એ બાબતનું સન્માન થવું જોઈએ કે ન્યાયતંત્ર અને કારોબારી વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા મજબૂત આંતર-સંસ્થાકીય મિકેનિઝમ્સ હેઠળ થાય છે અને સત્તાના વિભાજનનો અર્થ એ નથી કે તેઓ એકબીજાને મળશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગણેશોત્સવ દરમિયાન પીએમ મોદી ચંદ્રચૂડના ઘરે ગણપતિ પૂજામાં હાજરી આપવા ગયા હતા. જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આ મામલે સીજેઆઈની આકરી ઝાટકણી કાઢી હતી. શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, હવે કદાચ અમારા પેન્ડિંગ કેસો મામલે અમારા વિરોધમાં કોઈ ચૂકાદો આવે છે તો અમને ખ્યાલ આવી જશે કે આવું શા માટે થયું. આ મામલે ચોતરફથી ટીકાઓ થઈ રહી હતી ત્યારે સીજેઆઈ ચંદ્રચૂડે કશો પણ જવાબ વાળ્યો નહોતો. હવે તેમણે આ મામલે ખુલાસો કર્યો છે કે, એમાં કશું ખોટું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બની એ દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળ વિરોધ પક્ષો અને વકીલોના એક વર્ગ દ્વારા વડા પ્રધાનની ચંદ્રચૂડના ઘરની મુલાકાતની યોગ્યતા અને ન્યાયતંત્ર અને કાર્યપાલિકાની મર્યાદાઓ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. બીજી તરફ, ભાજપે ટીકાને અવગણીને કહ્યું હતું કે “આ દેશની સંસ્કૃતિનો એક ભાગ છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રચુડે કહ્યું, “સત્તાઓના વિભાજનની વિભાવનાનો અર્થ એ નથી કે ન્યાયતંત્ર અને કાર્યપાલિકા એકબીજાથી અલગ છે તે અર્થમાં તેઓ એકબીજાને મળશે નહીં અથવા તર્કસંગત સંવાદ નહીં કરે. રાજ્યોમાં મુખ્ય ન્યાયાધીશનો પ્રોટોકોલ હોય છે અને હાઈકોર્ટની વહીવટી સમિતિ મુખ્ય પ્રધાન અને મુખ્ય ન્યાયાધીશને તેમના નિવાસસ્થાને મળે છે. આમાંની મોટાભાગની બેઠકોમાં બજેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી વગેરે જેવા મૂળભૂત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીએમ મોદીની તેમના ઘરની મુલાકાતને લઈને ચંદ્રચૂડે કહ્યું, “વડાપ્રધાન મારા ઘરે ગણપતિ પૂજા માટે આવ્યા હતા. આમાં કંઈ ખોટું નથી કારણ કે સામાજિક સ્તરે ન્યાયતંત્ર અને કાર્યપાલિકા સાથે જોડાયેલા લોકો વચ્ચે નિયમિત બેઠકો થતી રહે છે. આપણે રાષ્ટ્રપતિ ભવન, પ્રજાસત્તાક દિવસ વગેરે પર મળીએ છીએ. અમે વડાપ્રધાન અને મંત્રીઓ સાથે વાત કરીએ છીએ. આ સમય દરમિયાન અમે એવા મુદ્દાઓની ચર્ચા કરતા નથી કે જેના પર અમારે નિર્ણય લેવાનો હોય, પરંતુ સામાન્ય રીતે જીવન અને સમાજ સાથે સંબંધિત બાબતોની ચર્ચા કરીએ છીએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, “રાજકીય પદ્ધતિમાં આને સમજવા અને તેના ન્યાયાધીશો પર વિશ્વાસ કરવા માટે પરિપક્વતાની ભાવના હોવી જોઈએ, કારણ કે અમે જે કામ કરીએ છીએ તેનું મૂલ્યાંકન અમારા લેખિત શબ્દો દ્વારા કરવામાં આવે છે. અમે જે પણ નિર્ણય લઈએ છીએ તે ગુપ્ત રાખવામાં આવતો નથી અને ખુલ્લેઆમ ચર્ચા કરી શકાય છે. એ રીતે વહીવટી સ્તરે કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેની વાતચીતને ન્યાયિક બાજુ સાથે કોઈ લેવાદેવા નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/my-lord-why-should-the-burden-of-social-justice-be-shouldered-by-dalits-tribals">માય લોર્ડ, સામાજિક ન્યાયનો ભાર દલિતો-આદિવાસીઓને ખભે શા માટે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 21:12:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1496</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે ગણપતિ પૂજા દરમિયાન પીએમ મોદી તેમના ઘરે આવ્યા તે મામલે હવે નિવેદન આપ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672a3cbc6a1a8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672a3cbc37f71.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672a3cbc37f71.jpg" length="115195" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Chief Justice of the Supreme Court, D.Y. Chandrachud, PM Modi</media:keywords>
                </item>
                        <item>
                    <title>હાઈકોર્ટમાં 1.70 લાખ, નીચલી કોર્ટોમાં 15 લાખથી વધુ કેસો પેન્ડિંગ</title>
                    <link>https://khabarantar.com/1.70-lakh-cases-pending-in-high-court-more-than-15-lakh-cases-pending-in-lower-courts</link>
                    <guid>https://khabarantar.com/1.70-lakh-cases-pending-in-high-court-more-than-15-lakh-cases-pending-in-lower-courts</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં હાઈકોર્ટથી લઈને નીચલી કોર્ટ સુધી પેન્ડિંગ કેસોનો ખડકલો વધતો જઈ રહ્યો છે. આ રિપોર્ટ વાંચશો તો કેવી દયનિય સ્થિતિ પ્રવર્તે છે તેનો ખ્યાલ આવશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં હાઈકોર્ટથી લઈને છેક નીચલી કોર્ટો સુધીમાં લાખો કેસો પેન્ડિંગ હોવાની વિગતો મળી રહી છે. 4 નવેમ્બર, 2024ની દ્રષ્ટીએ ગુજરાત હાઇકોર્ટમાં કુલ 1.70 લાખ જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 1.15 લાખ જેટલા કેસો દીવાની પ્રકારના છે. જ્યારે 54 હજાર કરતાં વધુ કેસો ફોજદારી પ્રકારના છે. ગુજરાત હાઇકોર્ટમાં કુલ 21 હજાર જેટલા કેસો 10 વર્ષ કરતાં વધુ સમયથી જૂના છે. જ્યારે 200થી વધુ કેસો 25 વર્ષ કરતાં પણ જૂના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જિલ્લા-તાલુકાની કોર્ટોમાં 15.62 લાખ કેસો પેન્ડિંગ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં આવેલી કોર્ટોની વાત કરીએ તો આ કોર્ટોમાં પેન્ડિંગ કેસોની કુલ સંખ્યા 15.62 લાખ જેટલી છે. આ 15.62 લાખ કેસો પૈકી 77,000 જેટલા કેસો 10 વર્ષ કરતા જૂના છે. જ્યારે 4,641 જેટલા કેસો 25 વર્ષ કરતાં વધુ જૂના છે. ગુજરાતમાં આવેલી તમામ લેબરકોર્ટમાં કુલ 41,364 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 3,068 કેસો 10 વર્ષ કરતા વધુ જુના અને 388 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે. ગુજરાતમાં આવેલી તમામ જિલ્લાની ફેમિલી કોર્ટ મળીને આશરે 54 હજાર જેટલા કેસ પેન્ડિંગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમદાવાદ જિલ્લા-તાલુકા કોર્ટોમાં 80 હજારથી વધુ કેસોનો ખડકલો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ જિલ્લા કોર્ટ અને તેની અંતર્ગત આવતી તાલુકા કોર્ટોની વાત કરીએ તો કુલ 80,485 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 8,241 કેસો 10 વર્ષ કરતાં વધુ જુના અને 1225 કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે. અમદાવાદ શહેરમાં આવેલી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં કુલ 26,784 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 2,958 કેસો 10 વર્ષ કરતાં વધુ જુના અને 423 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના જિલ્લામાં આવેલી તમામ ફેમિલી કોર્ટમાં 11,133 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 10 વર્ષ કરતા વધુ જુના કેસો 23 છે. અમદાવાદ મેટ્રો કોર્ટમાં સૌથી વધુ 4,21,091 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 16,317 કેસો 10 વર્ષ કરતાં વધુ જુના, જ્યારે આશરે 4,800 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજકોટ, સુરત, વડોદરાની કોર્ટોમાં પણ હજારો કેસો પેન્ડિંગ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપરાંત રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લા અને તેમાં તાલુકા કોર્ટની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં આવેલી કોર્ટોમાં કુલ 96,412 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 3600 કેસો 10 વર્ષ કરતાં વધુ સમય જૂના અને આશરે 760 કરતાં વધુ કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના છે. જ્યારે ફેમિલી કોર્ટમા 3925 કેસો પૈકી 02 કેસ 10 વર્ષ કરતા જૂના છે. સુરતમાં જિલ્લામાં આવેલી કોર્ટોમાં 1.32 લાખ જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 6,332 કેસો 10 વર્ષ કરતાં વધુ જુના અને આશરે 1200 કરતા વધુ કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના છે. સુરતની ફેમિલી કોર્ટમાં 5801 કેસ પેન્ડિંગ છે. જે પૈકી 01 કેસ 10 વર્ષ જૂનો છે. જ્યારે વડોદરા જિલ્લામાં આવેલી કોર્ટોમાં 87,962 જેટલા કેસો પેન્ડિંગ છે તે પૈકી 4,668 જેટલા કેસો 10 વર્ષ કરતાં વધુ જૂના અને આશરે 1180 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે. વડોદરા ફેમિલી કોર્ટમા 6924 કેસો પૈકી 07 કેસ 10 વર્ષ કરતા વધુ જૂના છે</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/97-percent-of-dalit-atrocities-cases-reported-in-just-13-states-report">દલિત અત્યાચારના 97 ટકા કેસો માત્ર 13 રાજ્યોમાં નોંધાય છેઃ રિપોર્ટ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 20:14:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1495</Articleid>
                    <excerpt>ગુજરાતમાં હાઈકોર્ટથી લઈને નીચલી કોર્ટ સુધી પેન્ડિંગ કેસોનો ખડકલો વધતો જઈ રહ્યો છે. આ રિપોર્ટ વાંચશો તો કેવી દયનિય સ્થિતિ પ્રવર્તે છે તેનો ખ્યાલ આવશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672a2e576c5dc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672a2e572ecff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672a2e572ecff.jpg" length="117809" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarat High Court, Lower Court, Pending Cases</media:keywords>
                </item>
                        <item>
                    <title>સરપંચ પુત્રએ દલિત તલાટીનું અપહરણ કરી કચેરીમાં પૂરી માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/sarpanchs-son-kidnaps-dalit-talati-and-beats-him-up-in-office</link>
                    <guid>https://khabarantar.com/sarpanchs-son-kidnaps-dalit-talati-and-beats-him-up-in-office</guid>
                    <description>
                        <![CDATA[ સરપંચે ખોટું બિલ પાસ કરવાનું કહેતા દલિત તલાટીએ ના પાડી દીધી. ઉશ્કેરાયેલા સરપંચપુત્રે તલાટીનું અપહરણ કર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી અને કચેરીમાં પુરી માર માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીને કૃ્ત્રિમ સૂર્ય બનાવ્યો છે, ઈલોન મસ્ક મગજમાં ચીપ ફીટ કરી માણસને વધુ સશક્ત બનાવવા જઈ રહ્યો છે. આપણા નેતાઓ સાયન્સ અને ટેકનોલોજીના વધતા પ્રભાવ અને મહત્વથી સારી પેઠે વાકેફ છે એટલે તેઓ તેમના દીકરા-દીકરીઓને વિદેશોની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં કરોડો રૂપિયા ખર્ચીને ભણાવા મોકલી રહ્યાં છે, બીજી તરફ આ જ લોકો જાતિવાદ અને ધર્માંધતાને ઉત્તેજન આપીને દલિતો, આદિવાસીઓને પછાત રાખવા વર્ણ વ્યવસ્થા આધારિત જાતિવાદ ફેલાતો રહે તે માટે પ્રયત્નો કરતા રહે છે. એનું જ કારણ છે કે, દેશનું બંધારણ દરેક રીતે સર્વોત્તમ હોવા છતાં જાતિવાદી તત્વોને કાયદો વ્યવસ્થાનો જાણે કોઈ ડર જ નથી.</span><br><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક ગામના દલિત તલાટીને સરપંચના છોકરાએ અન્ય જાતિવાદી તત્વો સાથે મળી, તેમનું અપહરણ કરી, ગ્રામ પંચાયતની કચેરીમાં પુરીને માર માર્યો હતો. આ મામલો હોબાળો થતા તલાટી સંઘે તમામ લાગતા વળગતા ખાતાઓના અધિકારીઓને જાણ કરતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત તલાટીને સરપંચપુત્રે ધમકી આપી</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત બની ચૂકેલા ઉત્તરપ્રદેશનો છે. અહીંના શિવરાજપુરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બ્લોકમાં તૈનાત એક ગામના દલિત તલાટી પર પૈસા ચૂકવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેમણે ગેરકાયદે રીતે તે ચૂકવવાની ના પાડી ત્યારે તેમના પર દબાણ કરવામાં આવ્યું. જો કે પ્રામાણિક દલિત તલાટી એ પછી પણ નમતું ન જોખતા જાતિવાદીઓએ તેમનું અપહરણ કર્યું હતું અને તેમને ગ્રામ પંચાયત કચેરીમાં પુરીને તાળું મારી દીધું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">તલાટીને જાતિસૂચક ગાળો ભાંડી મોબાઈલ છીનવી લીધો</span></strong><br><span style="font-size: 14pt;">તલાટી સત્ય પ્રકાશે પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સવારે જ્યારે તેઓ પોતાના વિસ્તારમાં સરકારી કામ કરી રહ્યા હતા ત્યારે ગામના સરપંચની ઉશ્કેરણી પર તેમનો દીકરો અને તેના સાગરિતો તેમની પાસે આવ્યા હતા અને એક કામના પૈસાનું તાત્કાલિક ચૂકવણું કરવા દબાણ કરવા લાગ્યા હતા. જ્યારે તેમણે આવું કરવાનું ના પાડી દીધી તો આ લોકો ઉશ્કેરાઈ ગયા અને તેમને જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કરવા લાગ્યા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા અને તેમનો મોબાઈલ પણ છીનવી લીધો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તલાટીનું અપહરણ કરી પંચાયતમાં પુરી દીધાં</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત તલાટી જેમતેમ કરીને પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યા. તલાટી જીવ બચાવીને રસ્તે ભાગી રહ્યા હતા ત્યારે સરપંચપુત્રના સાગરિતો એક કુખ્યાત આરોપી સાથે તેમનો પીછો કરતા આવી પહોંચ્યા અને રસ્તામાંથી તેમનું અપહરણ કરી લીધું અને ગ્રામ પંચાયત કચેરીમાં લઈ જઈને તેમને રૂમમાં પુરી તાળું મારી દીધું હતું. અહીં પણ તેમની સાથે ગાળાગાળી કરીને જાતિસૂચક ગાળો ભાંડવામાં આવી હતી. એ પછી કેટલાક લોકોની દરમિયાનગિરી બાદ મામલો થાળે પડ્યો હતો અને દલિત તલાટીને છોડવામાં આવ્યા હતા. એ પછી તેમણે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તલાટી સંઘે ફરિયાદ કરતા તંત્ર હરકતમાં આવ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">એ દરમિયાન તેમણે જિલ્લા તલાટી સંઘને પણ તેમની સાથે જે બન્યું તે અંગે ફરિયાદ કરી હતી. એ પછી તલાટી સંઘના જિલ્લા અધ્યક્ષ સંજય મિશ્રા અને પદાધિકારીઓ શિવરાજપુર પોલીસ સ્ટેશન ગયા અને ઇન્સ્પેક્ટર તથા બીડીઓ શિવરાજપુરને ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એસીપીને તપાસ સોંપવામાં આવી</span></strong></span><br><span style="font-size: 14pt;">બીડીઓ શિવરાજપુરનું કહેવું છે કે સમગ્ર મામલાની જાણકારી અધિકારીઓને આપવામાં આવી છે. શિવરાજપુરના ઈન્સપેક્ટરના જણાવ્યા અનુસાર, તલાટીએ ફરિયાદ આપી છે અને સમગ્ર મામલાની માહિતી એસીપીને આપવામાં આવી છે. આ મામલે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/upsarpanch-talati-did-not-give-chair-to-dalit-women-sarpanch">દલિત મહિલા સરપંચને તલાટી-ઉપસરપંચે બેસવા માટે ખુરશી ન આપી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 17:07:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1494</Articleid>
                    <excerpt>સરપંચે ખોટું બિલ પાસ કરવાનું કહેતા દલિત તલાટીએ ના પાડી દીધી. ઉશ્કેરાયેલા સરપંચપુત્રે તલાટીનું અપહરણ કર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી અને કચેરીમાં પુરી માર માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6729e716f2c12.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729e716bdb7f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729e716bdb7f.jpg" length="47949" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, UP News, UP crime, atrocity case, Shivarajpur news</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદના અમરાઈવાડીમાં 37 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી</title>
                    <link>https://khabarantar.com/37-people-took-initiation-into-buddhism-in-amraiwadi-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/37-people-took-initiation-into-buddhism-in-amraiwadi-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારના 37 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મથી કંટાળીને ડો. આંબેડકરના રસ્તે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાતું નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે પણ દલિત-આદિવાસીઓ પર અત્યાચારની વણથંભી વણઝાર ચાલુ રહેવા પામી છે. પરિણામે બહુજન સમાજમાં જાતિવાદી હિંદુ ધર્મ પ્રત્યે દિન-પ્રતિદિન ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. કથિત ગૌરક્ષકો અને હિંદુત્વવાદી સંગઠનો દ્વારા જે રીતે કાયદો હાથમાં લઈને બંધારણના છડેચોક લીરાં ઉડાડવામાં આવે છે, બહુજન સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, તેનાથી દલિતો-આદિવાસીઓમાં ભારે ભયનો માહોલ છે. જાતિવાદી તત્વો દ્વારા તેમને સતત અપમાનિત કરવામાં આવે છે, વર્ણ વ્યવસ્થાના આધારે તેમને સેકન્ડ ક્લાસ સિટિઝન તરીકે ટ્રીટ કરાય છે. આ બધાં કારણોસર દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે. આવી વધુ એક ઘટના અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બે દિવસ પહેલા બની ગઈ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6729d173f3343.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા. 3 નવેમ્બર 2024ને રવિવારના રોજ અમરાઈવાડીના સુખરામનગરમાં આવેલા પ્રબુદ્ધ બુદ્ધ વિહાર ખાતે અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કુલ 37 લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા આયોજિત આ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહમાં અમદાવાદ જિલ્લાના કુલ 37 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. દીક્ષા સમારોહની શરૂઆતમાં દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને દીપ પ્રજ્વલિત કરી, ફૂલહાર અર્પિત કરવામાં આવેલ. ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dhammapada-was-the-first-book-printed-after-the-invention-of-printing-machine-in-china"><span style="font-size: 14pt;">ચીનમાં પ્રિન્ટીંગ મશીન શોધાયા બાદ છપાયેલું પ્રથમ પુસ્તક ‘ધમ્મપદ’ હતું?</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6729d182c1591.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. ત્યારબાદ સૌ સાથે મળીને ભોજનદાન ગ્રહણ કરેલ. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-buddhist-monk-turned-a-girl-who-was-scavenging-for-food-into-a-doctor">કચરામાં ખાવાનું શોધતી દીકરીને એક બૌદ્ધ ભિક્ષુકે ડોક્ટર બનાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 13:35:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1493</Articleid>
                    <excerpt>અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારના 37 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મથી કંટાળીને ડો. આંબેડકરના રસ્તે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6729d15a2f9d9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729d159f1625.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729d159f1625.jpg" length="131121" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Buddhism, Gautam Buddha</media:keywords>
                </item>
                        <item>
                    <title>9 વર્ષની આદિવાસી બાળકીના હત્યારાને કોર્ટે ફાંસીની સજા ફટકારી</title>
                    <link>https://khabarantar.com/court-sentences-death-sentence-to-murderer-of-9-year-old-tribal-girl</link>
                    <guid>https://khabarantar.com/court-sentences-death-sentence-to-murderer-of-9-year-old-tribal-girl</guid>
                    <description>
                        <![CDATA[ કમલેશ રાજપૂત નામના આરોપીએ 8 વર્ષની માસુમ આદિવાસી બાળકી પર રેપ કરી તેની ટુકડા કરીને હત્યા કરી નાખી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયદો જ્યારે યોગ્ય રીતે તેનું કામ કરે ત્યારે કેટલો જડબેસલાક ન્યાય મળતો હોય છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં એક આદિવાસી બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાખનાર આરોપીને પોક્સો કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. એટલું જ નહીં, આ હત્યા બાદ પુરાવા છુપાવવામાં મદદ કરનાર આરોપીના માતાપિતાને પણ કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનના ઉદયપુરના માવલીની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના રાજસ્થાનના ઉદયપુરની છે. અહીં માવલી ​​વિસ્તારમાં 8 વર્ષની આદિવાસી બાળકી પર બળાત્કાર કરી તેના ટુકડા કરીને હત્યા કરી નાખવાના કેસમાં સ્પેશિયલ POCSO-2 કોર્ટે સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે મુખ્ય આરોપી કમલેશ રાજપૂતને ફાંસીની સજા સંભળાવી હતી, જ્યારે પુરાવા છુપાવવામાં મદદ કરવા બદલ તેના માતા-પિતાને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જજ સંજય ભટનાગરની કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર સૈયદ હુસૈનના જણાવ્યાનુસાર કોર્ટે આ કેસમાં નક્કર પુરાવાના આધારે આ નિર્ણય આપ્યો છે. આરોપીના  માતા-પિતા કિશન કંવર અને રામ સિંહને પણ ગુનામાં મદદ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે તરત કાર્યવાહી કરી ચાર્જશીટ દાખલ કરી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટમાંથી બહાર નીકળતી વખતે ગુનેગાર કમલેશ રાજપૂતે મીડિયા સામે પોતે નિર્દોષ હોવાનું કહીને હોબાળો મચાવી પોલીસે તેના પર દબાણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે તમામ પુરાવા અને જુબાનીના આધારે કોર્ટે તેને દોષિત ઠેરવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલો માત્ર ઉદયપુરમાં જ નહીં પરંતુ સમગ્ર રાજસ્થાનમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ નિર્ણયથી સગીરો સામે અપરાધ કરનારાઓને કડક મેસેજ ગયો છે. પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">21 વર્ષના આરોપી કમલેશ રાજપૂતે 29 માર્ચ 2023ના રોજ પડોશમાં રહેતી 9 વર્ષની આદિવાસી બાળકીને ચોકલેટ આપવાના બહાને બોલાવી તેણી પર બળાત્કાર ગુજરાતીને પછી હત્યા કરી દીધી હતી. એ પછી પોતાના જ ઘરમાં તીક્ષ્ણ હથિયાર વડે બાળકીના શરીરના 10 ટુકડા કરી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીના માતા-પિતાએ પણ આ જઘન્ય ગુનામાં તેમના પુત્રનો સાથ આપ્યો હતો. આરોપીએ જ્યાં સુધી બાળકીના શરીરના ટુકડાને કોથળામાં ભરીને ઘરમાં સંતાડી ન દીધાં ત્યાં સુધી તેના માતાપિતાએ તેને સાથ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હત્યા બાદ આરોપીઓ બાળકીને શોધવામાં જોડાઈ ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ બાળકીની હત્યા કર્યા બાદ તેના પરિવાર સાથે શોધખોળમાં જોડાઈ ગયા હતા, જેથી કોઈને શંકા ન જાય. બાળકીનો પરિવાર અને ગામલોકો દીકરીને શોધતા રહ્યા પણ કોઈ પત્તો મળ્યો નહોતો. બીજી તરફ બાળકીની હત્યા કરીને પોતાના જ ઘરમાં તેની લાશના ટુકડા છુપાવીને બેઠેલો આ પરિવાર સમગ્ર મામલે અજાણ હોવાનો ઢોંગ કરતો રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૃતદેહમાંથી ગંધ આવતા ગામના ખંડેરમાં ફેંકી આવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓ બાળકીના ગુમ થયા પછી તેના મૃતદેહના ટુકડા પોતાના ઘરમાં છુપાવીને બેઠા હોવા છતાં અજાણ્યા હોવાનો ડોળ કરતા હતા પણ જ્યારે મૃતદેહના ટુકડામાંથી દુર્ગંધ આવવા લાગી, ત્યારે તેઓ તેને ગામની બહાર આવેલા એક ખંડેરમાં ફેંકી આવ્યા હતા. આ વાત ત્યારે સામે આવી જ્યારે 1 એપ્રિલના રોજ ખંડેરમાંથી આ મૃતદેહના ટુકડા મળી આવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતદેહ મળ્યા બાદ પોલીસે સૌથી પહેલા હત્યારા કમલેશ રાજપૂતની ધરપકડ કરી હતી. બાદમાં તેના માતા-પિતાની પણ સંડોવણી બહાર આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના ઘરેથી બાળકીની હત્યા માટે વપરાયેલ છરી પણ મળી આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસી-દલિત સમાજ રોષે ભરાયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હત્યાકાંડને લઈને સમગ્ર રાજસ્થાનમાં આદિવાસી-દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આદિવાસી અને દલિત સંગઠનો ઉપરાંત ઘણા યુનિયનો અને સામાજિક સંગઠનોએ બાળકી માટે ન્યાયની માંગ કરી હતી. ભીમ આર્મી ઉદયપુર અને અખિલ ભારતીય આદિવાસી મહાસભા માવલીના બેનર હેઠળ સેંકડો લોકોએ ઉદયપુર જિલ્લા મુખ્ય મથક ખાતે આક્રોશ રેલી કાઢીને વિરોધ કર્યો હતો. આ દરમિયાન બહુજન સંગઠનોએ મુખ્યમંત્રીના નામે કલેક્ટર, પોલીસ અધિક્ષક અને માવલીના સબ-ડિવિઝનલ ઓફિસરને આવેદનપત્રો પણ આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તમામ સંગઠનોના આંદોલન અને મહેનત રંગ લાવી છે અને આજે આરોપી કમલેશ રાજપૂતને ફાંસીની સજા સંભળાવાઈ છે. સાથે જ તેના માતાપિતાને પણ 4 વર્ષની જેલ ફટકારાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/tribal-minor-raped-by-mothers-lover-in-dabhoi-vadodara">ડભોઈમાં આદિવાસી સગીરા પર માતાના પ્રેમીએ દુષ્કર્મ આચર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 11:54:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1492</Articleid>
                    <excerpt>કમલેશ રાજપૂત નામના આરોપીએ 8 વર્ષની માસુમ આદિવાસી બાળકી પર રેપ કરી તેની ટુકડા કરીને હત્યા કરી નાખી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6729b97282849.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729b9724ac91.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729b9724ac91.jpg" length="59583" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;મારા ખેતરમાં ઢોર કેમ ચરાવો છો?&amp;apos; પૂછતા દલિત મહિલાની હત્યા</title>
                    <link>https://khabarantar.com/dalit-woman-killed-for-asking-why-are-you-grazing-cattle-in-my-field</link>
                    <guid>https://khabarantar.com/dalit-woman-killed-for-asking-why-are-you-grazing-cattle-in-my-field</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી તત્વોએ દલિત પરિવારના ખેતરમાં તેમના ઢોર ચરવા મૂકવા દીધા હતા. મહિલાએ વિરોધ કર્યો તો તેના ઘરે જઈને લાકડી, દંડા, સળિયાથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ ધર્મમાં દિવાળી બાદ શરૂ થતા નવા વર્ષમાં લોકો એકબીજાને મળી નવું વર્ષ સારું નીવડે તેવા શુભેચ્છાઓ પાઠવતા હોય છે. જો કે વાસ્તવિકતા એ છે કે આવી સેંકડો દિવાળીઓ આવીને ગઈ હોવા છતાં દલિતોની સ્થિતિમાં તસુભાર પર ફેર પડતો નથી. આવું એટલા માટે કહેવું પડે કેમ કે, દિવાળી, બેસતા વર્ષ દરમિયાન પણ દેશના અલગ અલગ ખૂણે દલિતો પર અત્યાચારના સમાચારો આવતા રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટનામાં કેટલાક જાતિવાદી તત્વોએ એક દલિત મહિલાના ખેતરમાં તેમના ઢોર ચરાવવા માટે છોડી દીધા હતા. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો, તો જાતિવાદી તત્વોએ દલિત મહિલાને ખેતરમાં જ માર માર્યો. એટલું જ નહીં, તેનાથી તેમનું મન ન ભરાયું તો ફરી લાકડીઓ, દંડા, સળિયા વગેરે લઈને તેના ઘરે પહોંચી ગયા હતા અને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં દલિત મહિલાના પુત્રોને પણ ઈજા થઈ છે. આ મામલે હવે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે, આરોપીઓ ફરાર થઈ ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઢોર ચરાવવાની ના પાડી તો હુમલો કરી દીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનનો છે. અહીં ધૌલપુર જિલ્લાના કંચનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુર્રીપુરા ગામમાં ગત મંગળવારે એક દલિત મહિલાના બાજરીના ખેતરમાં માથાભારે જાતિવાદી તત્વોએ તેમના પશુઓ ચરવા મૂકી દીધા હતા. જેનો મહિલાએ વિરોધ કર્યો હતો. જેનાથી ઉશ્કેરાયેલા જાતિવાદી તત્વોએ દલિત મહિલા પર ખેતરમાં જ હુમલો કરી દીધો હતો. એ પછી પણ તેમનું મન ન ભરાયું તો ફરી તેઓ ટોળું રચીને મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને તેમને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. જેમાં મહિલાનું મોત થઈ ગયું હતું અને તેમના ત્રણ દીકરા પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક દિવસથી રાજસ્થાનમાં દલિતો પર અત્યાચારની એકથી વધુ ઘટનાઓ ઘટી છે અને તેના વીડિયો પણ વાયરલ થયા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી. જેના કારણે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત મંગળવારે કુર્રીપુરા ગામના દેવેન્દ્ર (મનુ મીડિયાએ આરોપીઓની જાતિ છુપાવી રાખી હોવાથી તેઓ કઈ જાતિના છે તે ખ્યાલ આવ્યો નથી) અને તેમની જાતિના લોકોએ 60 વર્ષની રામો રામબાબુ જાટવના બાજરાના ખેતરમાં તેમના ઢોર ચરવા છોડી દીધા હતા. જ્યારે રામોબાઈને તેની જાણ થઈ તો તેમણે વિરોધ નોંધાવ્યો. જેનાથી ઉશ્કેરાયેલા દેવેન્દ્ર અને તેના સાગરિતોએ રામોબાઈને લાકડી અને દંડાથી માર માર્યો હતો. આ મારામારી પછી રામોબાઈ તેમના પરિવારના સભ્યોને લઈને પોતાના ઘરે જતા રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આરોપીઓનો ગુસ્સો હજુ પણ શાંત નહોતો થયો અને તેઓ દલિત પરિવારને પાઠ ભણાવવા માંગતો હતો. આથી બીજા દિવસે બુધવારે દેવેન્દ્ર અને તેની જાતિના 12 જેટલા લોકોનું ટોળું લાકડીઓ અને સળિયા લઈને રામોબાઈના ઘરે પહોંચી ગયા હતા અને તેમના ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં રામોબાઈનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. જ્યારે તેમના પુત્ર અસ્તવીર, તારાચંદ્ર, કિશન અને યોગેશની પત્ની સૂરજવતી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓએ ઘર પર ગોળીબાર કરી ભય ફેલાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓએ આટલે પણ અટક્યા નહોતા અને તેમણે રામોબાઈના ઘર પર ગોળીબાર કરીને સમગ્ર દલિતવાસમાં ભય ફેલાવ્યો હતો. ઘટના અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શૈતાન સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહને કબજામાં લીધો હતો. જ્યારે ઘાયલોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે રામોબાઈના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને પગલે દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રભારી શૈતાન સિંહે કહ્યું કે તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. પરિવારજનોની હાજરીમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પરિવારજનોએ ગામના માથાભારે તત્વો પર હત્યાનો આરોપ લગાવી નામજોગ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ પહોંચે તે પહેલા આરોપી ફરાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોટાભાગના દલિત અત્યાચારોના કેસોમાં બને છે તેમ આ ઘટનામાં પણ પોલીસ કેસ નોંધાતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કંચનપુર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ પોલીસ આવી રહી હોવાની જાણ થતા જ હુમલાખોરો ગામ છોડીને ભાગી ગયા હતા. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે પોલીસની ટીમ આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે અને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/a-dalit-youth-who-was-running-to-escape-from-a-dog-was-tied-up-and-killed-by-upper-castes-mistaking-him-for-a-thief"> કૂતરાથી બચવા ભાગી રહેલા દલિત યુવકને સવર્ણોએ ચોર સમજી બાંધીને માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 10:36:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1491</Articleid>
                    <excerpt>જાતિવાદી તત્વોએ દલિત પરિવારના ખેતરમાં તેમના ઢોર ચરવા મૂકવા દીધા હતા. મહિલાએ વિરોધ કર્યો તો તેના ઘરે જઈને લાકડી, દંડા, સળિયાથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6729a6e103f13.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729a6e0c2954.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729a6e0c2954.jpg" length="101568" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Crime, Rajasthan News</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે ધર્મ પરિવર્તન કરનારા દલિતોને અનામતનો લાભ નહીં મળે?</title>
                    <link>https://khabarantar.com/now-dalits-who-convert-will-not-get-the-benefits-of-reservation</link>
                    <guid>https://khabarantar.com/now-dalits-who-convert-will-not-get-the-benefits-of-reservation</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્ર સરકાર ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મનો સ્વીકાર કરનાર દલિતોને ટૂંક સમયમાં મોટો ઝટકો આપવાની તૈયારીઓ કરી રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગીને અન્ય ધર્મમાં પરિવર્તિત થનારા દલિતોને કેન્દ્ર સરકાર મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. કેન્દ્રે અનામત આપવાને લઈને ઓક્ટોબર 2022 માં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કેજી બાલકૃષ્ણ (KG Balakrishnan) ની આગેવાની હેઠળ તપાસ પંચ (Inquiry Commission) ની રચના કરી હતી. હવે કેન્દ્ર સરકારે તપાસ પંચને વધુ એક વર્ષનો સમય આપ્યો છે, એ જાણવા માટે કે ધર્મ પરિવર્તન કરનારા તમામ દલિતોને અનુસૂચિત જાતિ (Scheduled Caste) નો દરજ્જો આપી શકાય કે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ વિરોધ કરશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મ પરિવર્તન કરનારા દલિતોને મોટો આંચકો લાગી શકે છે. એવા સમાચાર છે કે NCSC (National Commission for Scheduled Castes) એટલે કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ઇસ્લામ (Islam) અને ખ્રિસ્તી (Christianity) ધર્મ અપનાવનારાઓને SCનો દરજ્જો આપવાનો વિરોધ કરશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ધર્માંતરણ કરનારા દલિતોને એસસીનો દરજ્જો આપવાની તપાસ કરી રહેલા તપાસ પંચને વધુ એક વર્ષનો સમયગાળો આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કિશોર મકવાણાએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, NCSC ના પ્રમુખ કિશોર મકવાણા (Kishor Makwana) એ કહ્યું કે, અનુચ્છેદ 341 અંતર્ગત બંધારણ (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર, 1950 માં કહેવાયું છે કે, હિંદુ, શીખ અથવા બૌદ્ધ સિવાય કોઈ પણ ધર્મનું પાલન કરતી વ્યક્તિ SC સમાજના સભ્ય ગણવામાં આવશે નહીં. રિપોર્ટ અનુસાર, 1950ના રાષ્ટ્રપતિના આદેશમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ, શીખ અને બૌદ્ધ ધર્મના દલિતોને SC સૂચિના સભ્ય ગણી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કે જી બાલકૃષ્ણન પંચને વધુ એક વર્ષ અપાયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રએ ઓક્ટોબર 2022 માં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કેજી બાલકૃષ્ણની આગેવાનીમાં તપાસ પંચની રચના કરી હતી. હવે કેન્દ્ર સરકારે તપાસ પંચને વધુ એક વર્ષનો સમય આપ્યો છે, જેથી એ જાણી શકાય કે ધર્મ પરિવર્તન કરનારા તમામ દલિતોને એસસીનો દરજ્જો આપી શકાય કે નહીં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કમિશનની રચના એ શક્યતાઓ પર વિચાર કરવા માટે કરવામાં આવી હતી કે, ઐતિહાસિક રીતે SC સમુદાયના લોકો, જેમણે હવે તેમનો ધર્મ બદલી નાખ્યો છે, તેમને SC નો દરજ્જો આપી શકાય કે નહીં. તપાસ પંચને 10 ઓક્ટોબર 2024 સુધીમાં રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધર્માંતરણ કરનારને એસસીનો દરજ્જાથી ધર્માંતરણને પ્રોત્સાહન મળશેઃ કિશોર મકવાણા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા સાથે વાત કરતાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોર મકવાણાએ કહ્યું કે અનામત પ્રથા જાતિ આધારિત છે. તેમણે કહ્યું, 'ધર્મ પરિવર્તન કરનારા લોકો હવે હિંદુ નથી, તો બંધારણના અર્થઘટન મુજબ તેમનો અનુસૂચિત જાતિમાં સામેલ થવાનો સવાલ જ ખતમ થઈ જાય છે.' તેમણે કહ્યું કે આ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. ધર્મ પરિવર્તન કરનારા દલિતોને SC નો દરજ્જો આપવાથી ધર્માંતરણને પણ પ્રોત્સાહન મળશે. આ SC સમુદાયના લોકો સાથે મોટો અન્યાય હશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ અનુસાર, કિશોર મકવાણાએ કહ્યું કે જો ધર્માંતરણ કરનારાઓને એસસીનો દરજ્જો આપવામાં આવશે તો ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો કોઈ અર્થ રહેશે નહીં. તેમણે કહ્યું, 'આ આંબેડકર અને સમગ્ર SC સમુદાય સાથે વિશ્વાસઘાત હશે.' અહેવાલ છે કે ઘણા દલિત જૂથો ધર્મ પરિવર્તન કરનારા દલિતોને એસસીનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Appointment-of-noted-writer-orator-Kishore-Makwana-as-Chairman-of-National-Scheduled-Castes-Commission">જાણીતા લેખક-વક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂંક</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 09:18:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1490</Articleid>
                    <excerpt>કેન્દ્ર સરકાર ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મનો સ્વીકાર કરનાર દલિતોને ટૂંક સમયમાં મોટો ઝટકો આપવાની તૈયારીઓ કરી રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67299492bf42e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672994928d912.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672994928d912.jpg" length="107930" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kishore Makwana, Religious conversion, Reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહત્વના પદો પર SC&amp;ST કેટલાં? ચંદ્રશેખર આઝાદે હિસાબ માંગ્યો</title>
                    <link>https://khabarantar.com/how-many-sc-sts-are-there-in-important-posts-chandrashekhar-azad-demands-an-account</link>
                    <guid>https://khabarantar.com/how-many-sc-sts-are-there-in-important-posts-chandrashekhar-azad-demands-an-account</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીમાં મહત્વના પદો પર કેટલા દલિત, આદિવાસી અધિકારીઓ છે તેની ચંદ્રશેખર આઝાદે માહિતી માંગતા નવેસરથી આખો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમ આર્મી ચીફ (Bhim Army) અને નગીનાના સાંસદ (Nagina MP) ચંદ્રશેખર આઝાદે (Chandrashekhar Azad Ravan) ઉત્તરપ્રદેશ (UP) માં મહત્વના પદો પર કેટલા દલિત, આદિવાસી અધિકારીઓ (SC-ST officials) છે તેની વિગતો માંગી છે. વિધાનસભાની પેટાચૂંટણી પહેલા ચંદ્રશેખરે માંગેલી આ માહિતને લઈને બીએસપી (BSP) અને આઝાદ સમાજ પાર્ટી (ASP-Kanshiram)વચ્ચે દલિત સમાજના મતોને લઈને ખેંચતાણ ફરીથી શરૂ થઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમ આર્મી ચીફ અને ASP(K) ના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહા (Manoj kumar sinha) ને પત્ર લખીને અધિક મુખ્ય સચિવથી લઈને પોલીસ સ્ટેશનોના એસપી સુધીના પદો પર દલિત અધિકારીઓની નિમણૂંકને લઈને હિસાબ માંગ્યો છે. જેના કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે. આઝાદના આ પગલાને કારણે યોગી સરકાર ભીંસમાં મૂકાઈ છે, તો બીજી તરફ રાજ્યના રાજકારણમાં ફરી એકવાર દલિત અધિકારીઓ સાથે થતો ભેદભાવનો મુદ્દો કેન્દ્રમાં આવી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભેદભાવના આક્ષેપોનો પણ ઉલ્લેખ કરાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રશેખરે પત્ર લખીને નિમણૂંક વિભાગ, ગૃહ વિભાગ અને ડીજીપી પાસેથી આ જાણકારી માંગી છે. તેની સાથે જ ચંદ્રશેખરે દલિતો સાથે થતા ભેદભાવો અને અન્યાયનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે વર્તમાનમાં આ મુખ્ય પદો પર બેઠેલા અધિકારીઓ દ્વારા દલિતો સાથે થતા અન્યાયના મામલાઓમાં ન્યાય અપાવવામાં જાણી જોઈને ઢીલ દાખવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-madhya-pradesh-government-allocated-crores-of-rupees-for-sc-st-entitlements-for-co"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ સરકારે SC-ST ના હકના કરોડો રૂપિયા ગાયો માટે ફાળવી દીધાં</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખીય છે કે, ચંદ્રશેખરે હાલમાં જ લખનઉમાં પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા એક દલિત યુવકના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને ન્યાયનું આશ્વાસન આપ્યું હતું. સામાન્ય રીતે બીએસપીના નેતાઓ દલિત અત્યાચારની ઘટનાઓમાં ન્યાય અપાવવા માટે સૌથી પહેલા પહોંચી જતા હોય છે. પરંતુ આ કેસમાં હજુ સુધી બીએસપીના કોઈ મોટા નેતા પહોંચ્યા નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">22 ટકા દલિત વસ્તી સાથે અન્યાય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રશેખરે પોતાના પત્રમાં લખ્યું હતું કે, દલિતોની અંદાજે 22 ટકા વસ્તી છે, જેમની સાથે જાતિ આધારિત અત્યાચારો, શોષણ અને અન્યાય થઈ રહ્યો છે. તેમને પોલીસ સ્ટેશનમાંથી ભગાડી દેવામાં આવે છે, પોલીસ તેમની સાથે અભદ્ર વર્તન કરે છે, કેસ નોંધવામાં નથી આવતો અને મજબૂરીમાં કેસ નોંધવામાં પણ આવે તો તેમાં ચેડાં કરવામાં આવે છે અને હકીકત બદલી દેવામાં આવે છે, જેથી આખો કેસ નબળો પડી જાય છે અને આરોપીઓ છટકી જાય છે. અનેક કેસોમાં હળવી કલમો લગાવીને પોલીસ કથિત ઉચ્ચ જાતિના આરોપીઓને છાવરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કઈ કઈ માહિતી માંગવામાં આવી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રશેખરે મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ, સચિવ, વિભાગીય કમિશનર, DG, ADG, IG, DIG, DM, SSP, SP, ADM અને પોલીસ સ્ટેશનોના એસપી સુધીમાં દલિત-આદિવાસી સમાજના અધિકારીઓની વસ્તી કેટલી છે તેની માહિતી માંગી છે. જો આ માહિતી મળી જાય છે, તો યુપીમાં દલિત અધિકારીઓ કેટલા છે, તેનો ખ્યાલ આવી જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/fake-dalits-fake-tribals-who-are-eating-the-jobs-of-sc-sts">નકલી દલિત - નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 03 Nov 2024 11:42:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1489</Articleid>
                    <excerpt>જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીમાં મહત્વના પદો પર કેટલા દલિત, આદિવાસી અધિકારીઓ છે તેની ચંદ્રશેખર આઝાદે માહિતી માંગતા નવેસરથી આખો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672712e9e1a1e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672712e9ae524.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672712e9ae524.jpg" length="70558" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bhim Army, Chandrashekhar Azad Ravan, BSP, ASP-Kanshiram, Manoj kumar sinha</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિવાળીની રાતે ગાંજો પીવા માચિસ ન આપી તો દલિતોના ઘર સળગાવી દીધાં</title>
                    <link>https://khabarantar.com/dalit-houses-were-burnt-down-when-they-were-not-given-matches-to-smoke-ganja-on-diwali-night</link>
                    <guid>https://khabarantar.com/dalit-houses-were-burnt-down-when-they-were-not-given-matches-to-smoke-ganja-on-diwali-night</guid>
                    <description>
                        <![CDATA[ હિંદુઓનું નવું વર્ષ શરૂ થયું એના આગલા દિવસે દલિતો પર અત્યાચારની ઘટનાઓ પણ નવેસરથી શરૂ થઈ ચૂકી છે, નવા વર્ષની સાથે જાતિવાદી તત્વોની માનસિકતામાં તસુભાર પણ ફરક પડ્યો નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ દેશ આખો દિવાળીની રાત્રે દીવડા પ્રગટાવી ઉત્સવ ઉજવવામાં મગ્ન હતો, બીજી તરફ એક ગામ એવું પણ હતું જ્યાં જાતિવાદી તત્વો દલિત પરિવારના ઘરને આગ લગાવી રહ્યા હતા. કથિત રીતે અંધકારમાંથી ઉજાસ તરફ જવાના ઉત્સવની રાતે જ જાતિવાદી તત્વો દલિત પરિવારની પરવા કર્યા વિના તેમના ઘરો સળગાવી રહ્યા હતા. પરિવારમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ છે, જેમના માથે હવે છત નથી રહી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિહારના નાલંદાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બિહારના નાલંદાની છે. અહીં ગાંજો-સિગરેટ ફૂંકવા માટે માચિસ ન આપવા બદલ જાતિવાદી તત્વોએ એક દલિત પરિવારના ઘરને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં બીજા 5-6 પરિવારોના ઘર પણ આગની ઝપટે ચડી ગયા હતા અને તેઓ પણ ઘરવિહોણા થઈ ગયા હતા. આ તમામ પરિવારો દલિત સમાજના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના છિતર બિગહા ગામની છે, જ્યાં દિવાળીની રાત્રે જ આ ઘટના બની હતી. આ આગના કારણે 5-6 ઘર બળી ગયા હતા અને તેમાં તેમના ઢોર પણ મરી ગયા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પીડિતોએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગાંજો-સિગરેટ પીવા માચિસ ન આપી એટલે ઘર સળગાવી દીધું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે જાતિવાદી તત્વોએ એક મહાદલિત પરિવાર પાસે સિગરેટ અને ગાંજો ફૂંકવા માટે માચિસની માંગ કરી હતી, જો કે તેમની પાસે માચિસ ન હોવાથી તેમણે ના પાડી હતી. જેનાથી ઉશ્કેરાયેલા જાતિવાદી તત્વોએ તેની થોડી જ વારમાં પરત આવીને ઘરને સળગાવી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત દલિત મહિલાએ જણાવ્યું કે દિવાળીના દિવસે ઘરે પૂજા ચાલી રહી હતી ત્યારે ચાર લોકો માચીસ માંગવા આવ્યા હતા. મારી દીકરીએ માચીસ આપવાની ના પાડી. થોડીવાર પછી એ લોકો પાછા આવ્યા અને મારામારી કરીને અમારા ઘરને આગ ચાંપી દીધી. આ ઘટનામાં 6 ઘર બળીને રાખ થઈ ગયા હતા. એક બાજુ શિયાળો શરૂ ચૂક્યો છે અને બરાબર નવા વર્ષે જ અમારા માથે છત નથી. આવું કોઈની સાથે ન થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગમાં દલિત પરિવારના 6 ઘર બળીને ખાખ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના દિવાળીની રાત્રે બની હતી, જેને લઈને સમગ્ર નાલંદા જિલ્લામાં હોબાળો મચી ગયો હતો. લુખ્ખા તત્વોએ રસ્તાના કિનારે આવેલી દલિત વસાહતમાં આગ લગાડી દીધી હતી. જેમાં 6 ઘર બળી ગયા હતા. એક સાથે આટલા બધાં ઘરો સળગતા જોઈને ગામમાં આક્રોશ ફેલાયો હતો. માચિસ ન આપવા જેવી નજીવી બાબતે એક મહાદલિત પરિવારની ઝૂંપડીને આગ લગાવી દીધી હોવાનું જાણ્યા પછી આ વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં જ પોલીસ પહોંચી ગઈ અને મામલાની તપાસ શરૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આજુબાજુની ઝૂંપડીઓ પર ઝપટમાં આવી ગઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં જેમનું ઘર સળગી ગયું હતું તે, મંગલ માંઝીએ જણાવ્યું કે કેટલાક લોકો ઘરની નજીકમાં બેસીને દારૂ પીને જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે સિગરેટ અને ગાંજો પીવા માટે દિવાસળીની માંગ કરી, જે આપવાનો તેમની દીકરીએ ઈનકાર કરી દીધો હતો. જેનાથી ગુસ્સે ભરાયેલા લુખ્ખા તત્વોએ તેમના ઘરમાં ઘુસીને મારામારી અને તોડફોડ કરી તેમના ઘરને આગ લગાડી દીધી. જેના કારણે આસપાસના ઝૂંપડા પણ આગની લપેટમાં આવી ગયા હતા. ભીષણ આગને ગ્રામજનોએ ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી. ત્યાં સુધીમાં ઝૂંપડું અને તેમાં રાખેલી તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી.</span><br><span style="font-size: 14pt;">હજુ સુધી કોઈની પણ ધરપકડ નથી કરાઈ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/First-dalit-actress-played-a-romantic-scene,-people-burnt-her-house,-know-what-happened-next"><span style="font-size: 14pt;">ભારતની પહેલી દલિત અભિનેત્રીએ ફિલ્મમાં એક સવર્ણ મહિલાનું પાત્ર ભજવ્યું તો જાતિવાદીઓએ તેનું ઘર સળગાવી નાખ્યું!</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને હિલસાના ડીએસપી સુમિત કુમારે જણાવ્યું હતું કે મંગલ માંઝીની પત્નીના નિવેદનના આધારે ચાર લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસને બે પક્ષો વચ્ચે બબાલ થયાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બિગહા છિતર ગામના મંગલ માંઝીના ઘરમાં આગ લાગી હતી. મંગલ માંઝીની પત્ની ધર્મશીલા દેવીએ આ કેસમાં ચાર લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય લોકોની શોધખોળ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મનુવાદી મીડિયાએ ફરી એકવાર પોત પ્રકાશ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત અત્યાચારની દરેક મોટી ઘટનામાં આ દેશનું જાતિવાદી મીડિયા જે રીતે જાતિવાદી તત્વોનો બચાવ કરે છે તેવું આ ઘટનામાં પણ જોવા મળ્યું હતું. ખબરઅંતર.કોમ દ્વારા આ ઘટનામાં આરોપીઓ કઈ જાતિના છે તેની તપાસ કરવા માટે હિંદી ભાષાના અનેક મોટા સમાચારપત્રો અને ન્યૂઝ પોર્ટલ પર તપાસ કરી હતી. પણ એકેય મીડિયા હાઉસના રિપોર્ટમાં ન તો આરોપીઓનું નામ જોવા મળે છે, ન તેમની જાતિનો ઉલ્લેખ છે. જે સ્પષ્ટ કરે છે કે, ભારતનું મીડિયા દલિત અત્યાચારના કેસોમાં સંપૂર્ણપણે સવર્ણોની તરફેણ કરે છે. એ સ્થિતિમાં દલિત-બહુજન સમાજના પ્રશ્નોને મનુમીડિયા કદી ન્યાય આપશે તેવી અપેક્ષા રાખવી નકામી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેનો એકમાત્ર ઉકેલ એ છે કે, દલિતો-આદિવાસીઓ ખબરઅંતર.કોમ જેવા બહુજન મીડિયાને દરેક મોરચે સપોર્ટ કરે અને તેને મજબૂત બનાવે. જેથી જાતિવાદી તત્વોને ખૂલ્લા પાડી શકાય અને મનુમીડિયા દ્વારા દાખવવામાં આવતા જાતિવાદને પણ ખૂલ્લો પાડી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dalits-house-was-burnt-if-he-complained-about-illegal-occupation-of-land">જમીન પર ગેરકાયદે કબ્જાની ફરિયાદ કરી તો દલિતનું ઘર સળગાવી દીધું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 03 Nov 2024 11:07:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1488</Articleid>
                    <excerpt>હિંદુઓનું નવું વર્ષ શરૂ થયું એના આગલા દિવસે દલિતો પર અત્યાચારની ઘટનાઓ પણ નવેસરથી શરૂ થઈ ચૂકી છે, નવા વર્ષની સાથે જાતિવાદી તત્વોની માનસિકતામાં તસુભાર પણ ફરક પડ્યો નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67270affdeb4b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67270affad4a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67270affad4a7.jpg" length="49048" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Nalanda News, Dalit Crime, Dalit News, Diwali</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજસ્થાનની શાળાઓમાં હવે ‘ગૌમાતા’ વિશે ભણાવવામાં આવશે</title>
                    <link>https://khabarantar.com/schools-in-rajasthan-will-now-teach-about-gaumata</link>
                    <guid>https://khabarantar.com/schools-in-rajasthan-will-now-teach-about-gaumata</guid>
                    <description>
                        <![CDATA[ AI ના જમાનામાં ભાજપની ભજનલાલ શર્મા સરકાર ગૌમાતા વિશે બાળકોને ભણાવશે. પેટાચૂંટણી પહેલા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">schools in rajasthan will be taught about gaumata : થોડા દિવસો પહેલા રાજસ્થાન (Rajasthan) માં ગાય (Cow) ને ‘રખડતી’ કહેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને હવે તેમને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર પ્રાથમિક શાળા (primary school) ના પુસ્તકો (text books) માં ગાય આધારિત પ્રકરણ (Lessons related to cows) નો સમાવેશ કરી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં પેટાચૂંટણી યોજાવાની છે અને રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. દરમિયાન રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપ ગાયો પર ભારે મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા રસ્તા પર રખડતી ગાયોને ‘આવારા પશુ કે રખડતા ઢોર’ કહેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અને હવે સરકારી શાળાઓમાં પણ ગાયને અભ્યાસક્રમનો ભાગ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર પ્રાથમિક શાળાના પુસ્તકોમાં ગાય આધારિત પ્રકરણનો સમાવેશ કરી શકે છે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે આ અંગે માહિતી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ મંત્રી મદન દિલાવરે (Madan Dilawar) જણાવ્યું હતું કે, “અમે વિદ્વાનો અને નિષ્ણાતો સાથે વાત કરીશું અને બની શકે તો પ્રાથમિક શાળાના પુસ્તકોમાં ગાય માતા વિશેની માહિતી આપવાનો પ્રયાસ કરીશું. અમે ગાય માતા પર સારી ફિલ્મો બતાવવાનો પણ પ્રયાસ કરીશું. જો કે, આ વિષય પર પહેલા નિષ્ણાતો અને વિદ્વાનો સાથે ચર્ચા કરવામાં આવશે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગાયને ‘રખડતું ઢોર’ કહેવા પર પ્રતિબંધ</span></strong></span><br><span style="font-size: 14pt;">તાજેતરમાં રાજસ્થાનના પશુપાલન વિભાગે ગાયને ‘રખડતું ઢોર’ કહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વિભાગે આવી ગાયો માટે 'રખડતી' ને બદલે 'નિરાધાર' શબ્દ વાપરવાનું કહ્યું હતું. પશુપાલન મંત્રી જોરારામ કુમાવતે ગાયને સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ ગણાવી હતી અને જાહેર સ્થળોએ નિ:સહાય અવસ્થામાં રખડતી ગાયોને ‘રખડતાં ઢોર’ ને બદલે 'નિ:સહાય' કે 'નિરાધાર' કહીને સંબોધવાનું નક્કી કર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવા માંગ</span></strong><br><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર સરકારે દેશી ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. જે બાદ રાજસ્થાનમાં પણ ગાયને રાજ્ય માતા બનાવવાની માંગ ઉઠી છે. રાજસ્થાનમાં ભાજપ અને અપક્ષ ધારાસભ્યોએ ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે એક અભિયાન શરૂ કર્યું છે. તેમની માંગ છે કે ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. રાજસ્થાન સરકારે પણ આ મામલે તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ અંગે જલ્દી નિર્ણય લેશે. અત્યાર સુધી ભાજપ અને અપક્ષ સહિત કુલ 31 ધારાસભ્યોએ આ માટે મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખ્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં સાત વિધાનસભા બેઠકો માટે 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં દૌસા, દેવલી-ઉનિયારા, ઝૂંઝણું. રામગઢ, ચૌરાસી, સલૂંબર અને ખીંવસર સીટનો સમાવેશ થાય છે. 25 ઓક્ટોબર સુધી આ બેઠકો માટે કુલ 118 ઉમેદવારીપત્રો ભરાયા હતા, જેમાંથી 11 રદ થયા છે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ટૂંકમાં આખો મામલો ચૂંટણી આવી રહી હોવાથી હિંદુત્વ મુદ્દે લોકોનું ધ્યાન ખેંચવા માટે કરાઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/leave-vrat-fast-mangalsutra-sindoor-we-are-not-hindus-tribal-society">વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, આપણે હિંદુ નથીઃ આદિવાસી સમાજ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 31 Oct 2024 18:48:20 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 31 Oct 2024 18:50:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1487</Articleid>
                    <excerpt>AI ના જમાનામાં ભાજપની ભજનલાલ શર્મા સરકાર ગૌમાતા વિશે બાળકોને ભણાવશે. પેટાચૂંટણી પહેલા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6723831454a3a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_672383141c55e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_672383141c55e.jpg" length="99010" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rajasthan news, gaumata, school sylebus</media:keywords>
                </item>
                        <item>
                    <title>સત્યનારાયણની કથા બંધ કરાવાતા બ્રાહ્મણોએ જયંત પંડ્યાના ઘરે હલ્લો મચાવ્યો</title>
                    <link>https://khabarantar.com/when-satyanarayans-story-was-stopped-brahmins-rioted-at-jayant-pandyas-house</link>
                    <guid>https://khabarantar.com/when-satyanarayans-story-was-stopped-brahmins-rioted-at-jayant-pandyas-house</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટના કર્મકાંડી બ્રાહ્મણોએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના ઘરે ગંગાજળનો છંટકાવ કરી જયંત પંડ્યા હાય હાયના નારા લગાવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટની પારડી પી.જી.વી.સી.એલ. ખાતે કચેરીમાં ચાલતી સત્યનારાયણ ભગવાનની કથા ભારતીય જનવિજ્ઞાન જાથાએ બંધ કરાવી હતી. આથી આ સંસ્થાના જયંત પંડ્યાના ઘરે ભૂદેવ સેવા સમિતિ મોરચો લઈને વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટમાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા જયંત પંડ્યાના ઘરે ગંગાજળનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને જયંત પંડ્યા હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે જાથા નામની સંસ્થા તોડબાજી કરતી હોવાના આક્ષેપો કરાયા હતા. આ બાબતે વડાપ્રધાન સુધી લેખિત રજૂઆત કરવા માટે એલાન કરાયું હતું. દરમિયાન અધૂરી રહેલી સત્યનારાયણ ભગવાનની કથા આવતીકાલે સાંજે જયંત પંડ્યાના ઘર બહાર જ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત શુક્રવારે રાજકોટના શાપર વેરાવળના પારડી ખાતે આવેલી પી.જી.વી.સી.એલ.ની કચેરી ખાતે ભારતીય જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પહોંચ્યા હતા અને ચાલુ કચેરીએ યોજવામાં આવી રહેલી સત્યનારાયણ ભગવાનની કથાને બંધ કરાવી હતી. જે બાદ બ્રાહ્મણો રોષે ભરાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે રાજકોટમાં ભૂદેવ સેવા સમિતિ દ્વારા તેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ સમિતિના તેજસ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું હતું કે,  તેઓ દાનવના ઘરને શુદ્ધિકરણ કરવા માટે આવ્યા હતા. જેમાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શ્લોકના ઉચ્ચારણ સાથે ગંગાજળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કારણ કે દાનવનું ઘર શુદ્ધ ન હોઈ શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે જણાવ્યું હતું કે, જયંત પંડ્યા ભારતીય જન વિજ્ઞાન જાથાના નામે તોડબાજી થાય છે તે બાબતે રાજ્ય સરકારને અમારું પ્રતિનિધિ મંડળ રજૂઆત કરવા માટે જશે. જયંત પંડ્યા તોડબાજી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેથી રાજ્ય સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે, આ ટ્રસ્ટ બંધ કરાવવામાં આવે. હિન્દુ દેવી દેવતાઓના મંદિરો ઉપર જાથા વારંવાર રેડ પાડે છે. કારણ કે હિન્દુઓની સરકાર છે અથવા તો સરકારે એવી જાહેરાત કરવી પડશે કે જાથાને હિન્દુ દેવી-દેવતાઓને ત્યાં રેડ પાડવા માટેની અમે પરમિશન આપેલી છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ રજૂઆત કરશું અને પૂછશું કે શું સરકારે હિન્દુ દેવી દેવતાઓના મંદિરે રેડ પાડવાની જયંત પંડ્યાને પરમિશન આપેલી છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/at-Somnath-the-local-brahmins-went-on-a-fast-while-worshiping-outside-brahmins">સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 21:38:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1486</Articleid>
                    <excerpt>રાજકોટના કર્મકાંડી બ્રાહ્મણોએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના ઘરે ગંગાજળનો છંટકાવ કરી જયંત પંડ્યા હાય હાયના નારા લગાવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_672259130b5de.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67225912cbb5e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67225912cbb5e.jpg" length="99521" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>The story of Satyanarayana, Jayant Pandya, Indian Anthropology Jatha</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધર્મ પરિવર્તન કરનાર શખ્સની સ્થાનિકોએ અંતિમક્રિયા ન થવા દીધી</title>
                    <link>https://khabarantar.com/locals-did-not-allow-cremation-of-converts</link>
                    <guid>https://khabarantar.com/locals-did-not-allow-cremation-of-converts</guid>
                    <description>
                        <![CDATA[ હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ સ્વીકારનાર શખ્સનું મોત થઈ ગયું, ગામલોકોએ તેની અંતિમવિધિ માટે જમીન ન આપતા 32 કલાક મૃતદેહ પડ્યો રહ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મના નામે લોકોમાં કઈ હદે નફરત ભરી દેવામાં આવી છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ઓડિશાના નવરંગપુર જિલ્લામાં પાપડાહાંડીમાં એક મૃત વ્યક્તિના મૃતદેહને  સ્થાનિકોએ 32 કલાક સુધી રઝળાવ્યો હતો અને દફનાવવાની પરમિશન આપી નહોતી. દફનાવવાની પરવાનગી એટલા માટે ન આપવામાં આવી કારણ કે હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તીમાં ધર્મ પરિવર્તન કર્યું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિક મામલદાર અને પોલીસે આ મામલે દરમિયાનગીરી કરવી પડી, ત્યારે જતા મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ, પંડિકોટ ગામના રહેવાસી ડોમુ જાનીએ લગભગ 2 વર્ષ પહેલા હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. 28 ઓક્ટોબરે સવારે તેનું અવસાન થયું હતું. ધર્મ પરિવર્તનના કારણે તેમના પરિવારજનો તેમના મૃતદેહને દફનાવવાની ચિંતામાં હતા. તેના મૃતદેહને ક્યાં દફનાવવો તે અંગે તેમને મૂંઝવણનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ગ્રામજનોને વિનંતી કરી કે તેઓ તેમને ગામના સ્મશાન ગૃહમાં જગ્યા આપે. પરંતુ ગ્રામજનો કબર માટે જગ્યા આપવા તૈયાર ન હતા. એટલું જ નહીં મૃતદેહને ઉઠાવવા માટે પણ કોઈ આગળ ન આવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પછી અધિકારીઓ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ગ્રામજનોને સ્મશાનમાં જગ્યા આપવા સમજાવતા રહ્યા. પહેલા તો ગ્રામજનો સ્વીકારવા તૈયાર નહોતા પરંતુ લાંબી ચર્ચા બાદ ગ્રામજનો સંમત થયા હતા. ત્યારબાદ અધિકારીએ દફનાવવા માટે જગ્યા નક્કી કરી, જે સરકારી જમીન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામલોકો કાંધ દેવા પણ તૈયાર ન થયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મના નશામાં ગામલોકો એ પણ ભૂલી ગયા કે ડોમુ તેમની વચ્ચે જ રહેતો માણસ હતો. ગામની કોઈ વ્યક્તિ ડોમુ જાનીના મૃતદેહને કાંધ આપવા તૈયાર નહોતો થયો. ત્યારબાદ કેટલાક સ્થાનિક પત્રકારો આગળ આવ્યા અને તેમણે મૃતદેહને કાંધ આપી હતી. પત્રકારોને આગળ આવતા જોઈ ગ્રામજનો પણ સહકાર આપવા આગળ આવ્યા હતા અને આખરે 32 કલાક બાદ ડોમુના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલામાં અધિકારીએ કહ્યું કે તેમને એવા સમાચાર મળ્યા હતા કે ગામલોકોએ મૃતકના મૃતદેહને દફનાવવા માટે જગ્યા આપવાનો ઈન્કાર કરી રહ્યા હતા, કારણ કે તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. આ બાબતની જાણ થતાં જ અમે ગામમાં પહોંચી ગયા હતા અને ગ્રામજનો સાથે વાત કરી હતી. ગ્રામજનો લાંબા સમય સુધી સંમત થયા નહોતા. અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે મૃતકના પરિવારને સરકારી આવાસ પૂરું પાડ્યું હતું એ પછી મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/35-dalits-who-became-christians-were-purified-by-yagna-and-made-hindu-again">ખ્રિસ્તી બનનાર 35 દલિતોને યજ્ઞ શુદ્ધિકરણ કરી ફરી હિંદુ બનાવાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 20:35:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1485</Articleid>
                    <excerpt>હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ સ્વીકારનાર શખ્સનું મોત થઈ ગયું, ગામલોકોએ તેની અંતિમવિધિ માટે જમીન ન આપતા 32 કલાક મૃતદેહ પડ્યો રહ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67224a9fe8df7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67224a9fb6670.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67224a9fb6670.jpg" length="76816" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Conversion of religion, Hinduism, Christianity</media:keywords>
                </item>
                        <item>
                    <title>સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા કરી શકાય, કાયદો શું કહે છે?</title>
                    <link>https://khabarantar.com/satyanarayans-story-can-be-done-in-a-government-office-what-does-the-law-say</link>
                    <guid>https://khabarantar.com/satyanarayans-story-can-be-done-in-a-government-office-what-does-the-law-say</guid>
                    <description>
                        <![CDATA[ શું સરકારી કચેરીઓમાં કામના કલાકો દરમિયાન સત્યનારાયણની કથા કે અન્ય કોઈ ધાર્મિક ક્રિયાકર્મ કરી શકાય? જાણો આ એડવોકેટ પિયુષ જાદુગર પાસેથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટના શાપર-વેરાવળ ખાતે પારડી ગામમાં વીજ કચેરી દ્વારા યોજાયેલી કથામાં રાજકોટના રેશનાલિસ્ટ જયંત પંડ્યા દ્વારા સરકારી કચેરીમાં સરકારી કામકાજના સમયમાં કોઈ પણ ધર્મની કથા કરવી એ કાયદેસરની વાત નથી અને આથી આ કથા બંધ કરવી જોઈએ તે અંગેની રજૂઆત કરતા વીજ કચેરી દ્વારા તેમના અધિકારીઓએ દ્વારા કરેલું આયોજન કાયદાની સમજ મળતા બંધ કરવા માટેનો આદેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલામાં સત્યનારાયણની કથા શરૂઆત થાય તે પહેલાં જ બંધ કરવામાં આવતા કેટલાક કટ્ટર ધાર્મિક લોકોએ તેને પોતાના ધર્મનું અપમાન ગણી લીધેલ હતું. (દેશના બંધારણનું અપમાન થાય, લોકશાહી નષ્ટ થાય, તે ચાલે અને કાયદાની વાત કહેવુ તે પણ ગુનો?) આથી રેશનાલિસ્ટ વિશે વેર રાખીને કાર્યવાહી કરી રહ્યા છે. તે સામે સરકારે પોલીસ રક્ષણ આપેલ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અનુસંધાને કાયદાકીય રીતે શું જોગવાઈ છે તે અંગે સમજવું જરૂરી છે. સરકારી ધારા ધોરણ મુજબ જ્યારે ભારતીય બંધારણ અમલમાં આવ્યું છે ત્યારે કોઈપણ રાજ્યમાં કોઈપણ સરકારી કચેરીમાં કોઈપણ ધર્મનો ક્રિયાકાંડ સરકારી કચેરીના સમય દરમિયાન થઈ શકે નહીં અથવા પરવાનગી પણ આપી શકાય નહીં તે અંગે ગુજરાત સરકાર દ્વારા પણ જરૂરી સર્ક્યુલરો કરવામાં આવેલા છે જે નીચે મુજબ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સર્ક્યુલર મુજબ પણ ગુજરાત સરકારની તમામ સરકારી કચેરી રાજ્યપાલ તથા નિગમોને પણ આ અંગેની માહિતી અને પત્ર વહીવટી શાખા ગુજરાત સરકાર દ્વારા પાઠવવામાં આવેલ છે </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/why-exclude-astrology-vastushastra-from-anti-superstition-act"><span style="font-size: 14pt;">અંધશ્રદ્ધા વિરોધી કાયદામાંથી જ્યોતિષ-વાસ્તુશાસ્ત્રને કેમ બાકાત રખાયા?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયદાની પરિસ્થિતિ જોઈએ તો ભારતીય બંધારણની આર્ટિકલ 25 અને 26 મુજબ કોઈપણ વ્યક્તિ પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર અને ધાર્મિક ક્રિયાકાંડ કરી શકે છે, પરંતુ તે તેના ઘરની હદમાં અને ધાર્મિક મેળાવડામાં હોલમાં કે સમૂહગત હોય શકે છે પરંતુ નીતિમત્તા જાહેર સલામતી કે સ્વાસ્થ્યના ભોગે તો ક્યારેય થઈ શકે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારી કચેરીમાં સરકાર પોતે બિનસાંપ્રદાયિક છે. સરકાર, વહીવટી વિભાગો વિધાનસભા કે સંસદ કે  કોર્ટ વગેરે બંધારણ નીચે સ્થપાયેલ છે આથી તે તમામ કોઈપણ ધર્મને પ્રમોટ કરી શકે નહિ. બિનસાંપ્રદાયિક હોવાને કારણે દેશનો કાયદો કોઈપણ ધર્મને પ્રમોટ કરી શકે નહીં. પાકિસ્તાન મુસ્લિમ દેશ છે આથી તે મુસ્લિમ ધર્મને પ્રમોટ કરે છે. પણ આપણો દેશ લોકશાહી દેશ છે તે યાદ રાખવું જોઈએ. અને આથી જ કોઈપણ સરકારી કચેરીમાં સરકારી સમય દરમિયાન કોઈપણ સરકારી નોકર પોતાની સરકારી ફરજ બજાવવા સિવાય કોઈ ધાર્મિક વિધિવિધાન કરી શકે નહીં અને આથી સરકારી કામકાજ દરમિયાન જો સરકારી કર્મચારી, સરકારી કામ ન કરતો હોય તો એ ગેરશિસ્ત છે અને એના માટે તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકાર સરકારી નોકરીમાં આપેલી ફરજો બજાવવા માટેનો પગાર આપે છે, નહીં કે સરકારી સમયમાં તમે તમારી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ક્રિયાકાંડ કરો તેના માટે. એ યોગ્ય નથી, કાયદેસર નથી. અને આથી મારી માન્યતા મુજબ અને ભારતીય બંધારણમાં જણાવ્યા મુજબ કોઈપણ સરકારી કચેરીમાં કોઈપણ સરકારી નોકર પોતાના અંગત કે બીજાના હિતમાં પણ ધાર્મિક ક્રિયાકાંડ કરી શકે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘણા લોકો એવું માને છે કે લોકોની ધાર્મિક માન્યતા મુજબ તેઓ પ્રાર્થના વગેરે કરી શકે તે માટે મોટા મોલમાં, એરપોર્ટર, રેલવે સ્ટેશનમાં કે કેટલીક સરકારી કચેરીઓમાં એક પ્રેયર રૂમ પણ રાખવામાં આવે છે. એ અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ સરકારી નોકરી કરતો હોય ત્યારે તેને મળતા ફાજલ સમયમાં અથવા તો તે પરવાનગી લઈને, નોકરીમાં રજા લઈ કે રિસેસમાં, મંજૂર કરેલા સમયમાં તે પોતાના ધર્મની બંદગી-પ્રાર્થના-પ્રેયર એક રૂમમાં. કોઈને અડચણ ન થાય તે રીતે કરી શકે છે. અને તે સમયના બદલામાં તેણે પોતાની દિવસભરની ફરજનું કામ પણ પૂર્ણ કરવું પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આથી કોઈપણ વ્યક્તિ જાહેર રસ્તા ઉપર કે કોઈને અડચણરૂપ થાય તે રીતે ક્રિયાકાંડ કે પોતાના ધર્મની બંદગીના ભાગરૂપે જાહેર કચેરીમાં પૂજાપાઠ કરી શકે નહીં. જો આવું કરવામાં આવે તો લોકશાહી રહે નહીં. લોકશાહીનો અર્થ છે બિનસાંપ્રદાયિક દેશ અને જો આવું ચાલુ કરવામાં આવે તો રેલવેના કર્મચારી પૂજા કરવા બેસી જાય તો બે કલાક અને મુસ્લિમ હોય તો 15 થી 20 મિનિટ બગડે અને તો કોઈ ટ્રેન તેના નિર્ધારિત સમય પ્રમાણે ચાલી શકે નહીં, કોઈ વિમાન સમયસર ઉડી શકે નહીં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે લોકો એરપોર્ટ ઉપર અને રેલવે સ્ટેશને પૂજા કરે છે તે ટ્રેન આવે કે વિમાન ઉડવાનો સમય હોય એ પહેલા પોતાની ધાર્મિક ફરજ ફાજલ સમયમાં એક રૂમમાં જઈને કરી શકે છે. એનો અર્થ એ નથી થતો કે સરકારી કામકાજના કલાકોમાં સરકારી કર્મચારી પૂજા પાઠ કરે. આથી રાજકોટની વીજ કચેરી કચેરીમાં કરવામાં આવેલી ઓફિસ કલાકો દરમિયાનની સત્યનારાયણની કથા યોગ્ય નથી તેવી મારી કાયદા મુજબ માન્યતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/as-feared-the-dalit-youth-was-arrested-under-the-anti-superstition-act">ડર હતો એજ થયું, અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ દલિત યુવકની ધરપકડ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 16:53:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1484</Articleid>
                    <excerpt>શું સરકારી કચેરીઓમાં કામના કલાકો દરમિયાન સત્યનારાયણની કથા કે અન્ય કોઈ ધાર્મિક ક્રિયાકર્મ કરી શકાય? જાણો આ એડવોકેટ પિયુષ જાદુગર પાસેથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6722162e57a22.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6722162e24ca9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6722162e24ca9.jpg" length="109448" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Satyanarayan story, Anti-Superstition Laws</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ મધુકાન્ત કલ્પિતને સાહિત્યાંજલિ અર્પી</title>
                    <link>https://khabarantar.com/gujarati-dalit-sahitya-academy-paid-tribute-to-dalit-poet-madhuKant-kalpit</link>
                    <guid>https://khabarantar.com/gujarati-dalit-sahitya-academy-paid-tribute-to-dalit-poet-madhuKant-kalpit</guid>
                    <description>
                        <![CDATA[ દિવંગત મધુકાંત કલ્પિતના પરિવારજનો સમેત મોટી સંખ્યામાં ઉપસ્થિત સાહિત્યભાવકો-ચાહકોની હાજરીમાં ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ કવિને સાહિત્યાંજલિ અર્પણ કરી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'તરજૂમો', 'કેસરિયા ટશરનું આકાશ', 'મધુકાન્ત કલ્પિત એક અફવા છે' જેવી કૃતિઓના સર્જક, ખ્યાતનામ ગીતકવિ-સાહિત્યકાર અને સરળ, સહજ, સંવેદનશીલ માનવી એવા મધુકાન્ત કલ્પિત ૩ મે, ૨૦૨૪એ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ના પાયાના પથ્થર સમા આ સાહિત્યકારને એમના શબ્દો-સર્જન દ્વારા યાદ કરવાનો સાહિત્યાંજલિ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદના ગોવર્ધન ભવન ખાતે તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ના સૂત્રધારો સર્વશ્રી હરીશ મંગલમ્, અરવિંદ વેગડા, ડૉ.દિનુ ભદ્રેસરિયા અને સહયોગીઓના વિશેષ પ્રયાસો થકી સંપન્ન થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિમિત્તે ડૉ.રેખા પરેશ પરમાર સંપાદિત (૧)  'A Critical Study of Dalit Sensibility in Selected Indian Autobiographical Narratives' પુસ્તકનું (૨) વિદ્વાન અભ્યાસુ ડૉ. ઈન્તાજ મલેક સંપાદિત-અનુવાદિત અરવિંદ વેગડાના અંગ્રેજી  કાવ્યસંગ્રહ 'Forgotten Sorrows'નું અને (૩) હરીશ મંગલમ્ ના અંગ્રેજી કાવ્યસંગ્રહ 'Untouched Harvest'નું તથા (૪) હરીશ મંગલમ્ સંપાદિત પ્રવીણ ગઢવીના કાવ્યસંગ્રહ 'દલિત વાણી'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ચારેય પ્રકાશનો 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી' એ પ્રકાશિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે આજ દિન સુધીમાં કેવળ દલિત સાહિત્ય સંદર્ભે જ આ અકાદમીએ ૧૪૧ જેટલા માતબર સંખ્યાના પુસ્તકો પ્રકાશિત કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાહિત્યાંજલિમાં મધુકાન્ત કલ્પિતના પત્ની વિદ્યાબેન, મધુકાન્તભાઈના વેવાઈ અને વેવાણ, કવિયત્રી પુત્રી પ્રિયંકા રાજેશકુમાર, પુત્ર નિકેતન, જસ્મિન ડાભી અને પરિવારજનો પણ ઉપસ્થિતિ રહ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6721ef67f3c1f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રથમ સત્રમાં ગોધરા નિવાસી વિદ્વાન અધ્યાપક ડૉ.વિનોદ ગાંધીએ 'કવિલોક' અને 'બુધવારિયા'થી બચુભાઈ રાવત જેવા ભાષા કસબીની છાયામાં ગીત કવિ તરીકે વિકસેલા અને નીપજી આવેલા મધુકાન્ત કલ્પિતને 'કલ્પનના કવિ કલ્પિત' તરીકે ઓળખાવીને કહ્યું કે, "૧૯૮૧ના અનામત વિરોધી તોફાનો પછી મધુકાન્ત કલ્પિત આપણને એક પ્રતિબધ્ધ દલિત કવિ રૂપે સાંપડ્યા, એ આપણું સદભાગ્ય  છે. કલા અને કથ્યમાં મધુકાન્તનો શબ્દ કાયમ બળવાન બનીને ઉપસ્યો છે. તેમની કવિતામાં પરંપરાનો વિચ્છેદ બળકટ હોવા છતાં આ કવિએ પ્રયોગશીલતાના અભરખા નથી રાખ્યા. મધુકાન્ત કહેતા કે તેમની કવિતાના નાદ અને લય તેમને તેમના સમાજની જાનપદીમાંથી મળ્યા છે અને એણે જ તેમને ગુંજતા રાખ્યા છે. આ કવિ જાત અને અસ્તિત્વને કેન્દ્રમાં રાખી સુક્ષ્મ પીડાને ઉપસાવવામાં કાબેલ હતા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. રતિલાલ રોહિતે તેમના વક્તવ્યમાં મધુકાન્તના અવસાનના એક પખવાડિયા પહેલાં પોતે લીધેલ એમની સુદીર્ઘ મુલાકાતનો ઉલ્લેખ કરીને, આ કવિના લલિત સાહિત્યથી દલિત સાહિત્ય તરફના પ્રયાણને 'સિધ્ધાર્થથી બુદ્ધ બનવા તરફના પ્રયાણ' સાથે સરખાવીને ક્હ્યું કે, "અત્યંત ૠજુ હ્રદયના આ કવિ શોષિત-દલિત સમાજની પીડાથી ભારે વ્યથિત રહેતા. વ્યાધિગ્રસ્ત આ કવિને શરીરની પીડા કરતાય સમાજની કરૂણ પરિસ્થિતિએ વધારે પીડ્યા છે. તેથી તેમની કવિતા સામાજિક વિષમતાની પરંપરાને ધ્વસ્ત કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. ફૂલે-શાહૂ-આંબેડકરી પરંપરાના આ કવિએ શોષિતોના કાળા છમ્મ જન્મારામાં એમની કવિતા દ્વારા પ્રકાશ ભરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પોતે ભલે કહ્યું હોય : 'મધુકાન્ત કલ્પિત એક અફવા છે', પણ આપણે કહીશું : 'મધુકાન્ત કલ્પિત એક સત્ય છે - એક વાસ્તવિકતા છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સાહિત્ય પરના એક સાથે ચાર પુસ્તકોના લોકાર્પણના બીજા સત્રમાં બોલતાં જાણીતા લેખિકા, અનુવાદક અને નિવૃત્ત પ્રિન્સિપાલ ડૉ.ઈન્દિરા નિત્યાનંદમે ગુજરાતી દલિત કૃતિઓ અંગ્રેજી સહિત દેશની વિવિધ ભાષાઓમાં અનુવાદિત થઈ પહોંચે એની નિતાંત આવશ્યકતા નિહાળીને ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીને એવા અનુવાદોમાં પોતાના સક્રિય સહયોગની ખાતરી આપી હતી. તેમણે ઈન્તાજ મલેક અનુવાદિત બેય દલિત કૃતિઓના સુયોગ્ય અનુવાદોની પણ ખૂબ પ્રશંસા કરી હતી. દક્ષિણ ભારતની વિદૂષી દલિત લેખિકા બામાની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ કરનારા ઈન્દિરાએ એમાં નિરૂપિત દલિત સત્યો વિશે અને અનુવાદના પડકારો વિશે પણ અભ્યાસપૂર્ણ હકીકતો રજૂ કરી હતી. તેમણે દલિત સાહિત્ય પરના જ ૧૪૧ પુસ્તકોના પ્રકાશન માટે 'અકાદમી' અને એના પ્રમુખ સંવાહક હરીશ મંગલમ્ ની પ્રતિબધ્ધતાને પણ બિરદાવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6721ef67659fe.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સેન્ટ્રલ યુનિવર્સિટી (ગુજરાત)ના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ અને જાણીતા અનુવાદક - સીખ પરિવારના ડૉ.ઈશ્મિત કૌરે ભારત-પાક.ના ભાગલા પછી સિમલા આવી વસેલા દાદા-પિતા તરફથી પોતાને મળેલા માનવતાના અને સમાનતાના સંસ્કારો વિશે આત્મકથનરૂપ વક્તવ્યમાં એમ કહ્યું કે, સમાજમાં પરિવર્તન આવ્યું છે કે આવી રહ્યું છે ? એ સવાલ આજે પણ મારે માટે એક મુંઝવનારો સવાલ જ બની રહ્યો છે. રેખા પરમારના પુસ્તકને વિચારોત્તજક પુસ્તક તરીકે ઓળખાવીને ડૉ.કૌરે એમ પણ કહ્યું કે પોતે સમાજ વ્યવસ્થાના કેન્દ્રમાં જવા કે રહેવાની ઈચ્છા રાખતા જ નથી, તે તો એક મહિલા તરીકે પીડિત સમાજની પડખે રહી હાંસિયામાં રહેલા તમામની અધિકારપ્રાપ્તિની લડાઈમાં જોરજોરથી બૂમો પાડવા માગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રતિભાવમાં લેખિકા અને અધ્યાપિકા રેખા પરેશ પરમારે પણ, એક તો પોતે દલિત નારી અને છોગાંમાં ક્રિશ્ચિયન, એટલે જાતિગત અને ધર્માધારિત અન્યાય મારે હિસ્સે થોડો વધારે માત્રામાં રહ્યો ! એવી નિખાલસ કેફિયત રજૂ કરતાં એમ પણ કહ્યું કે, જન્મથી થોપી દેવાતી જાતિને કારણે આ દેશમાં તમે ધર્મ બદલો છો ત્યારેય તમારી જાતિને તમે બદલી શકતા નથી. વિદેશમાં રહીને પણ જાતિવાદનો અનુભવ કરનારા રેખાબેને, મહિલાઓ પરના બળાત્કારોમાં પણ જાતિ જોતાં લોકની આકરી આલોચના કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાણીતા સાહિત્યકાર, અનુવાદક અને જોઈન્ટ કમિશનર સેલ્સ ટેક્ષ (નિવૃત્ત) શ્રી ઈન્તાજ મલેકે પણ પોતાના પ્રતિભાવમાં હરીશ મંગલમ્ અને અરવિંદ વેગડાની ચુનંદી દલિત કવિતાઓને પહેલા ગુજરાતીમાં અને પછી પોતે કરેલા એના અંગ્રેજી અનુવાદોમાં રજૂ કરીને સભાગૃહની ભારે દાદ મેળવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેય સત્રના અધ્યક્ષ રહેલા 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર પ્રવીણ ગઢવીએ મધુકાન્તભાઈની સંવેદનાસભર સર્જકતાને બિરદાવીને, 'હરિના મારગની જેમ દલિત સાહિત્યનો મારગ પણ શૂરાઓનો છે, દલિત સાહિત્યનું સર્જન કરવું એ ઢીલાપોચા લેખકોનું કામ નથી' એમ કહી, આ સાહિત્યાંજલિને મધુકાન્ત કલ્પિતને અપાયેલી શ્રેષ્ઠ સ્મરણાંજલિ પણ ગણાવી હતી. તેમણે આ કવિના 'તરજૂમો' કાવ્યસંગ્રહ પર અનેક વિદ્વાનોએ જે લેખો લખ્યા છે તે પુસ્તક રૂપે પ્રકાશિત થાય તેવી કામના વ્યક્ત કરી હતી. તેમણે મધુકાન્તની શબ્દયાત્રા પર અભ્યાસપૂર્ણ અવલોકનો રજૂ કરનારા સૌ વિદ્વાન વક્તાઓ પ્રતિ 'અકાદમી' વતી ૠણસ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી અને હંમેશા નેપથ્યમાં રહી દલિત સાહિત્યના મોટા ઉપક્રમોને પાર પાડનારા હરીશ મંગલમ્ ની દલિત સાહિત્ય પ્રતિની નિષ્ઠા - પ્રતિબધ્ધતાની મુક્તકંઠે સરાહના કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6721ef66c5988.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રથમ સત્રમાં આવકાર પ્રવચનમાં માંડલ કૉલેજના આચાર્ય ડૉ. હર્ષદ પરમારે અને બીજા સત્રના આવકાર પ્રવચનમાં ગુજરાત વિદ્યાપીઠના ડૉ. અતુલ પરમારે ટૂંકા પણ હ્રદયસ્પર્શી ઉદબોધનોમાં મધુકાન્ત કલ્પિતને ભાવપૂર્વક સંભાર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રથમ સત્રનું સુંદર સંચાલન જી.એલ.એસ.કૉલેજ-અમદાવાદના હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. ધીરજભાઈ વણકરે કર્યું હતું, જ્યારે મોટાભાગે અંગ્રેજીમાં ચાલેલા બીજા સત્રનું સંચાલન સેન્ટ્રલ યુનિવર્સિટી (ગુજરાત)ના પીએચ.ડી છાત્ર - સીધા અંગ્રેજીમાં દલિત કવિતાઓ લખતા ગુજરાતના એક માત્ર યુવા દલિત કવિ - ગૌતમ વેગડાએ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાહિત્યાંજલિમાં સર્વશ્રી દલપત ચૌહાણ, સાહિલ પરમાર, રમણ વાઘેલા, પ્રવીણ શ્રીમાળી, નટુભાઈ પરમાર, પ્રિતેશ અમીન, ડૉ.હસમુખ પરમાર, ગીરીશ રઢુકિયા, સોમ વાઘેલા, ભૂપેન્દ્ર શ્રીમાળી, સુમન ચાવડા, બી.કે.પરમાર, રણછોડભાઈ પરમાર, પદ્મરાજ હિતેચ્છુ, 'દિશા' તંત્રી મૂળજીભાઈ ખુમાણ, દિનેશ પરીખ, આર.એલ.સોલંકી, જી.એસ.ટી.ના પૂર્વ અધિકારી જે.સી.શાહ સહિતના દલિત સાહિત્યના ચાહકો-ભાવકો સૌ ઉપસ્થિતિ રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(અહેવાલ: નટુભાઈ પરમાર-ગાંધીનગર)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Poems-of-Parasottam-Jadav,-Sahil-Parmar,-Atmaram-Dodiya-appeared-in-the-Dalit-Chetna-programme">દલિત ચેતના કાર્યક્રમમાં પરસોત્તમ જાદવ, સાહિલ પરમાર, આત્મારામ ડોડીયાની કવિતાઓ છવાઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 14:05:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1483</Articleid>
                    <excerpt>દિવંગત મધુકાંત કલ્પિતના પરિવારજનો સમેત મોટી સંખ્યામાં ઉપસ્થિત સાહિત્યભાવકો-ચાહકોની હાજરીમાં ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ કવિને સાહિત્યાંજલિ અર્પણ કરી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6721ef68b2e1b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6721ef687f47c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6721ef687f47c.jpg" length="96008" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gujarati dalit sahitya academy, tribute, madhuKant kalpit</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિજ્ઞાન જાથાએ વીજ કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવતા હોબાળો</title>
                    <link>https://khabarantar.com/the-vigyan-jatha-stopped-the-satyanarayan-katha-running-in-the-rajkots-pardi-power-office</link>
                    <guid>https://khabarantar.com/the-vigyan-jatha-stopped-the-satyanarayan-katha-running-in-the-rajkots-pardi-power-office</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટના શાપર-વેરાવળના પારડીમાં સરકારી વીજ કચેરીમાં ચાલતી સત્યનારાયણની કથાને વિજ્ઞાન જાથાએ અટકાવતા મનુવાદીઓ એક થઈને જાથાની પાછળ પડી ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથા (vigyan Jatha) ના જયંત પંડ્યા (jayant Padya) એ શાપર વેરાવળના પારડીમાં આવેલી વીજ કચેરી ખાતે રાખવામાં આવેલી સત્યનારાયણની કથા (satyanarayan katha) બંધ (stopped) કરાવતા પક્ષાપક્ષીનું રાજકારણ છોડીને મનુવાદીઓ ખૂલીને જયંત પંડ્યાના વિરોધમાં આવી ગયા છે. આ મામલે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે, જેઓ કોંગ્રેસના પ્રવક્તા પણ છે, તેમણે ખૂલીને વિજ્ઞાન જાથાની ટીકા કરી છે. આ સાથે જ ગુજરાતમાં વિવિધ જગ્યાએ બ્રાહ્મણોએ વિજ્ઞાન જાથાનો વિરોધ કરવો શરૂ કરી દીધો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span><br><span style="font-size: 14pt;">ગત 25 ઓક્ટોબરને શુક્રવારના રોજ સાંજે 5:30 વાગ્યાં આસપાસ રાજકોટના શાપર-વેરાવળમાં આવેલી પારડી-2 વીજ કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા સત્ય નારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી ગઈ હતી અને તેમણે સરકારી કચેરીઓમાં નોકરીના સમય દરમિયાન આ રીતે સત્યનારાયણની કથા કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે કર્મચારીઓએ કથા બંધ કરી દીધી હતી. આ ઘટનાને લઈને મનુવાદીઓ મેદાનમાં આવી ગયા છે અને બ્રાહ્મણ નેતાઓથી માંડી ધર્મનો ધંધો લઈને બેઠેલા સૌ કોઈ વિજ્ઞાન જાથાની કામગીરીનો વિરોધ કરી રહ્યાં છે. આ મામલે હોબાળો વધતા વિજ્ઞાન જાથાએ કાળી ચૌદશનો અંધશ્રદ્ધા જાગૃતિનો કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કચેરીના ડેપ્યૂટી ઈજનેર શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પારડી વીજ કચેરીના ડેપ્યુટી ઈજનેર સંતોષ ત્રાંબડીયાએ એક સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "બહોળો ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા ડિવિઝનના કર્મચારીઓએ ચોમાસા દરમિયાન સારી કામગીરી કરી હતી તેમજ એલઆઈ ઓફિસર તરીકે 35 વર્ષ સુધી સેવા આપનાર સી આર જાડેજા નિવૃત થયાં હોવાથી તેમના વિદાય સમારંભને લઈને અમે ગત શુક્રવારે સાંજે એક સત્યનારાયણની કથાનું કચેરી ખાતે આયોજન કર્યું હતું. ઓફિસનું કામ પૂર્ણ થયાં બાદ અને કેસ બારી 4:30 વાગ્યે બંધ થયા બાદ અંદાજિત 5:30 વાગ્યાં આસપાસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા શરૂ થયાની ગણતરીની મિનિટોમાં જ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સહિતના ચારેક લોકો કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ઓફિસ સમયમાં તમે આ અયોગ્ય કરી રહ્યા છો, ઓફિસ દરમિયાન તમે આવી કોઈ કથાનું આયોજન કરી શકતા નથી તેવું જણાવ્યું હતું. આ દલીલો અને દબાણને પગલે વિવાદ વકરે નહિ તેવા હેતુથી અમે કથા બંધ કરી દીધી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે હવે મનુવાદી સામાજિક, રાજકીય આગેવાનોએ વિવાદમાં ઝંપલાવી જાથાની ઝાટકણી કાઢી છે અને જયંત પંડ્યાને ધમકાવવાનું શરૂ કરતા તેમણે પોતાનો ફોન બંધ કરવાની ફરજ પડી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Real-Women-Empowerment:-4-Daughters-of-Valmiki-Community-Quit-Sweeping-and-Join-Self-Employment-Training">વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડું-વાળુ છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચેરીમાં સત્યનારાયણની કથા કરાવનાર શાસ્ત્રી પ્રદીપભાઈએ એક મીડિયાને જણાવ્યું કે, હજુ તો ગણપતિજીની પૂજા જ ચાલી રહી હતી અને કથા કરવાની પણ બાકી હતી તે પૂર્વે જ જાથાના હોદેદારો આવી પહોચ્યા હતા. તેમણે મને કંઈ જ કહ્યું નથી પણ અધિકારીઓ જે કથામાં બેઠા હતા તેમને તમે આ અયોગ્ય કરી રહ્યા છે, આ સમયગાળામાં કથા કરી શકાય નહિ, તમારી નોકરી ચાલુ છે તેમ કહેતા અધિકારીઓએ કથા શરૂ થાય તે પૂર્વે જ બંધ કરી દીધી હતી."</span><br><span style="font-size: 14pt;">મનુવાદીઓ જયંત પંડ્યાના વિરોધમાં ઉતરી પડ્યાં</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે પણ ધર્મના નામે ચાલતા પોતાના ધંધા પર તરાપ પડતી દેખાય કે તરત મનુવાદીઓ એક થઈ જતા હોય છે. આ ઘટનામાં પણ એવું જ બન્યું છે અને તમામ મનુવાદીઓ એક થઈને વિજ્ઞાન જાથાનો વિરોધ કરવામાં લાગી ગયા છે. આ મામલે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે (Hemang Raval) બંને તરફની વાત કરી હતી. તેમણે એક બાજુ કહ્યું કે અમે અંધશ્રદ્ધા (Superstition) નો વિરોધ કરીએ છીએ અને બીજી બાજુ તેમણે સત્યનારાયણ કથાને હિંદુઓની આસ્થાનો મુદ્દો ગણાવી બચાવ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, "તેમની સંસ્થા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન (World Brahmin Organization) અંધશ્રદ્ધાનો હંમેશા વિરોધ કરે છે પરંતુ ધાર્મિક આસ્થાને સન્માન આપે છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા સનાતન ધર્મમાં રહેલા વિધિ વિધાનોનો હંમેશા વિરોધ કરવામાં આવે છે. વિજ્ઞાન જાથાની ટીમ સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોચાડવાનો કોઈ મોકો છોડતી નથી. રાજકોટ નજીક પારડી ખાતે જાથા દ્વારા સત્યનારાયણની કથા બંધ કરાવવામાં આવી તે ખૂબ જ દુ:ખદ ઘટના છે અને તેને સહેજ પણ ચલાવી ના લેવાય. બ્રહ્મ સમાજ સર્વ સામાજિક સંસ્થાઓને સાથે રાખીને ધાર્મિક આસ્થા પર વાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. આજે જે પ્રમાણે કરોડો હિન્દુઓની જેનામાં આસ્થા છે તેવા ભગવાન સત્યનારાયણની કથા કાર્યક્રમ બંધ કરાવીને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમના મળતીયાઓએ બ્રહ્મ સમાજ અને હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. વારંવાર સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડતા આ વ્યક્તિ સામે આવનારા દિવસોમાં બ્રહ્મ સમાજ દ્વારા સર્વ સમાજને સાથે રાખીને કાયદાકીય કાર્યવાહી કરશે."</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/three-months-old-bhagwati-died-while-burning-incense">ત્રણ માસની 'ભગવતી'ને ભૂવાએ અગરબત્તીના ડામ દેતા મોત થયું</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 12:37:43 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 30 Oct 2024 12:39:20 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1482</Articleid>
                    <excerpt>રાજકોટના શાપર-વેરાવળના પારડીમાં સરકારી વીજ કચેરીમાં ચાલતી સત્યનારાયણની કથાને વિજ્ઞાન જાથાએ અટકાવતા મનુવાદીઓ એક થઈને જાથાની પાછળ પડી ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6721dacc673f4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6721dacc3001e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6721dacc3001e.jpg" length="72574" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>vigyan Jatha, satyanarayan katha, jayant Padya, Superstition</media:keywords>
                </item>
                        <item>
                    <title>પડોશી સવર્ણ પરિવારના ત્રાસથી વાલ્મિકી યુવકે ગળેફાંસો ખાઈ લીધો</title>
                    <link>https://khabarantar.com/in-bareilly-valmiki-youth-hanged-himself-due-to-the-torture-of-the-neighboring-savarna-family</link>
                    <guid>https://khabarantar.com/in-bareilly-valmiki-youth-hanged-himself-due-to-the-torture-of-the-neighboring-savarna-family</guid>
                    <description>
                        <![CDATA[ વાલ્મિકી યુવકે આખી જિંદગીની મૂડી ભેગી કરીને નવું ઘર ખરીદ્યું હતું, પણ સવર્ણ પડોશીઓ તેનું સતત અપમાન કરી ઘર વેચી દેવા દબાણ કરતા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">valmiki youth hanged himself due to the torture of the neighboring savarna family : ગુજરાતમાં જાતિવાદી માનસિકતાની કલેક્ટર નેહાકુમારી દુબેએ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ પર એટ્રોસિટીના ખોટા કેસ કરવાનો તદ્દન પાયાવિહોણો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો છે. બીજી તરફ તેમના નિવેદનને ખોટી પાડતી એક ઘટના સામે આવી છે, જેમાં એક દલિત યુવકે જાતિગત અપમાનોથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકે એક વીડિયો પણ જારી કર્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે, "ચોક્કસ જાતિમાં હું જનમ્યો એમાં મારો શું વાંક?" પોલીસે આ મામલે ત્રણ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મૃતક યુવકના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકનું નામ નીરજ વાલ્મિકી (Neeraj Valmiki) હતું. તેણે આત્મહત્યા કરતા પહેલા જે વીડિયો બનાવ્યો હતો તેના શબ્દો પર ધ્યાન આપો..."મારો જન્મ એક વંચિત જાતિના પરિવારમાં થયો છે, આમાં મારો શું વાંક? પડોશીઓ જાતિ આધારિત શબ્દો બોલીને સતત મારું અપમાન કર્યા કરે છે. શું વંચિત જાતિમાં જન્મ લેવો એ ગુનો છે? એવું લાગે છે કે, વંચિત જાતિમાં જનમ્યો હોવાથી હું મારી જાતને નફરત કરવા લાગ્યો છું..." રવિવારે આ વીડિયો પોલીસને સોંપવામાં આવ્યો હતો અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુપીના બરેલીની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના ઉત્તરપ્રદેશ (UP) ના બરેલી (Bareilly) ની છે. અહીં જિલ્લા હોસ્પિટલમાં સફાઈ કામદાર (cleaner) તરીકે કામ કરતા નીરજ વાલ્મિકી (Neeraj Valmiki) એ જાતિવાદી પડોશીઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા (hanged himself) કરી લીધી છે. નીરજની પત્ની નીતુએ કહ્યું કે જાતિવાદી તત્વો તેના પતિ પર ઘર વેચવાનું દબાણ કરતા હતા. તેનાથી કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી છે. આ મામલે ઈજ્જતનગર પોલીસ સ્ટેશનમાં SC/ST એક્ટ હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. રામભરોસે, હરીશ અને શ્યામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે રામભરોસે અને શ્યામને કસ્ટડીમાં લીધા છે, જ્યારે રામભરોસેનો બીજો પુત્ર હરીશ હાલ રાંચીમાં છે. (સવર્ણ મીડિયાએ ફરી ચાલાકી કરી છે. એક પણ મીડિયા રિપોર્ટમાં આરોપીઓની અટક કે જાતિનો ઉલ્લેખ નથી. જેના કારણે આરોપીઓ કઈ જાતિના છે તે ખ્યાલ ન આવે.)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ જાતિસૂચક ગાળો ભાંડી મકાન વેચવા દબાણ કરતા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">પ્રેમનગરની વાલ્મિકી વસ્તીમાં રહેતા મૃતક નીરજના પત્ની નીતુએ જણાવ્યું કે તેમના પતિ નીરજ ઉર્ફે બલ્લે જિલ્લા હોસ્પિટલમાં સફાઈ કામદાર હતા અને તેમણે ત્રણ વર્ષ પહેલા રાજવીર વર્મા અને કિરણ વર્મા પાસેથી 22 લાખ રૂપિયામાં કૈલાશપુરમ, ડેલાપીરમાં ઘર ખરીદ્યું હતું. આરોપ છે કે પડોશમાં રહેતો એક માથાભારે શખ્સ અને તેના બે પુત્રો ઘર પર કબજો કરવા માંગતા હતા. જેના કારણે તેઓ નીરજ પર ઘર વેચવા માટે સતત દબાણ કરી રહ્યા હતા. કંટાળીને નીરજે નવું લીધેલું ઘર ભાડે આપીને પોતે અન્ય જગ્યાએ રહેવા જવાનું નક્કી કર્યું હતું. આ માટે તે શુક્રવારે એક આશા વર્કરને લઈને કૈલાશપુરમ ખાતેનું પોતાનું ઘર બતાવવા જઈ રહ્યો હતો. જ્યાં આરોપીઓ રસ્તામાં મળી ગયા હતા અને તેને જાતિસૂચક ગાળો ભાંડી જાહેરમાં અપમાનિત કર્યો હતો. આ હેરાનગતિથી કંટાળીને નીરજ વાલ્મિકીએ હતાશ થઈને આત્મહત્યા કરી લીધી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નીરજે ગળેફાંસો ખાઈ લીધો, મોબાઈલમાંથી વીડિયો મળ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">શુક્રવારે નીરજની લાશ લટકતી હાલતમાં મળી આવ્યા બાદ તેના સંબંધીઓ પણ સમજી શક્યા નહોતા કે તેણે આવું પગલું કેમ ભર્યું. બાદમાં તેનો મોબાઈલ ફોન તપાસતા તેમાંથી આત્મહત્યા કરતા પહેલા તેણે બનાવેલો વીડિયો મળી આવ્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે તેણે, "કૈલાશપુરમમાં 20.50 લાખ રૂપિયામાં મકાન ખરીદ્યું છે, ત્યારથી પડોશી તેનું અપમાન કરી રહ્યો હતો. તે કહતો હતો કે એક અસ્પૃશ્ય જાતિના યુવકને મકાન કેમ આપ્યું છે. તે શબ્દોથી ટોર્ચર કરતો હતો. શું વંચિત જાતિના પરિવારમાં જન્મ લેવો ગુનો છે? હું સરકારને કહેવા માંગુ છું કે નવો આદેશ લાવીને આવા શબ્દો દૂર કરે. લોકો આવા જાતિસૂચક શબ્દો કહીને અમારું અપમાન કરે છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સવર્ણ પડોશીઓના ત્રાસથી આત્મહત્યા કરી લીધી</span></strong></span><br><span style="font-size: 14pt;">નીરજ વાલ્મિકીના સંબંધીએ પોલીસને જણાવ્યું હતું કે પ્રેમનગરમાં નીરજનું જૂનું મકાન હતું. થોડા સમય પહેલા જ્યારે તેણે કૈલાશપુરમમાં નવું ઘર ખરીદ્યું ત્યારે તેના પાડોશીએ વાંધો ઉઠાવ્યો હતો અને તેને ત્યાં રહેવા નહોતો દીધો. આથી નીરજ એ મકાન બીજા કોઈને વેચી દેવા માંગતો હતો, પણ પડોશી તેમાં પણ દાદાગીરી કરતો હતો અને તેનું અપમાન કરતો હતો. શુક્રવારે નીરજ એક આશા વર્કરને પોતાનું ઘર બતાવવા લઈને ગયો હતો. તે સમયે પાડોશી અને તેના બે પુત્રોએ તેને ઘેરી લીધો અને જાતિસૂચક ગાળો ભાંડી ધમકી આપી કે જો મકાન બીજા કોઈને વેચવાનું વિચાર્યું તો જોવા જેવી થશે. આરોપીઓ ઈચ્છતા હતા કે નીરજ એ મકાન તેમને આપી દે. જેની સામે તેઓ તેને જે રકમ આપે તે સ્વીકારી લે. પડોશી અને તેના છોકરાઓ નીરજ વાલ્મિકીને ન તો એ ઘરમાં રહેવા દેતા હતા, ન વેચવા દેતા હતા. આ પરિસ્થિતિમાં તેણે કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બે દીકરીઓને ઉછેરવા મહેનત કરજો...</span></strong><br><span style="font-size: 14pt;">વાયરલ થયેલા વીડિયોમાં નીરજ વાલ્મિકી કહે છે કે, મેં લોન લઈને નવું ઘર ખરીદ્યું હતું. જ્યારે આરોપીઓએ દાદાગીરી કરવાનું શરૂ કર્યું તો મેં તેમને કહ્યું કે, "જો તમે અમને અહીં રહેવા દેવા નથી માંગતા તો તમે જ મકાન ખરીદી લો. મેં જેટલી લોન ભરી છે તેટલી રકમ મને રોકડમાં આપી દો. બાકીની રકમ બેંકમાં જમા કરાવી દો અને મકાન લઈ લો. પણ આરોપીઓ તેના માટે પણ તૈયાર નહોતા. મારી બે દીકરીઓ છે જેમને ઉછેરવા અને ઘર-પરિવાર ચલાવવા માટે હું સખત મહેનત કરું છું. હવે પડોશીઓ સાથે લડવા અને કેસ કરવા માટે મારી પાસે પૈસા નથી. આરોપીઓ માથાભારે છે અને તેથી પોલીસમાં પણ તેમની ધાક છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેની પત્ની નીતુએ જણાવ્યું કે નીરજે પડોશીઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. બરેલીના એસપી માનુષ પારેકે જણાવ્યું હતું કે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ મળી છે. વીડિયો પણ જોવા મળ્યો છે, તે ક્યારે બનાવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-true-story-of-a-valmiki-youths-fight-against-social-boycott">એક વાલ્મિકી યુવકની સામાજિક બહિષ્કાર સામેની લડતની પ્રેરણાદાયી કહાની</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 11:14:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1481</Articleid>
                    <excerpt>વાલ્મિકી યુવકે આખી જિંદગીની મૂડી ભેગી કરીને નવું ઘર ખરીદ્યું હતું, પણ સવર્ણ પડોશીઓ તેનું સતત અપમાન કરી ઘર વેચી દેવા દબાણ કરતા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6721c4dc7d5aa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6721c4dc4137a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6721c4dc4137a.jpg" length="101953" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bareilly News, Valmiki youth suicide, Neeraj Valmiki, Atrocity Case, Neighbor father son</media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઇલ કરવા માટે કરાય છે : મહીસાગર કલેક્ટર</title>
                    <link>https://khabarantar.com/mahisagar-collector-nehakumari-dubey-said-90-percent-of-atrocity-cases-are-committed-for-blackmail</link>
                    <guid>https://khabarantar.com/mahisagar-collector-nehakumari-dubey-said-90-percent-of-atrocity-cases-are-committed-for-blackmail</guid>
                    <description>
                        <![CDATA[ આવું નિવેદન કોઈ સડકછાપ ટપોરી કે અભણ હિંદુત્વવાદીએ નહીં પણ મહીસાગર જિલ્લાની મનુવાદી માનસિકતાની કલેક્ટર નેહાકુમારી દુબેએ આપ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં આઈએસ-આઈપીએસ સ્તરે કઈ હદની મનુવાદી દલિત વિરોધી માનસિકતાના લોકો બિરાજે છે તેની ચર્ચા કરવા જઈએ તો વર્ષો નીકળી જાય તેમ છે. પણ તેનું એક ઉદાહરણ આજે મહીસાગર જિલ્લાની કલેક્ટર નેહાકુમારી દુબેએ પુરું પાડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલેક્ટર જેવા પ્રતિષ્ઠિત હોદ્દે બિરાજતા આ જાતિવાદી અધિકારી નેહા કુમારી દુબેએ સમસ્ત દલિત સમાજનું ઘોર અપમાન કરતા કહ્યું છે કે, એટ્રોસિટીની 90 ટકા ફરિયાદો ખોટી હોય છે અને તે બ્લેકમેઈલ કરવા માટે કરાય છે. તેમના આ નિવેદનને લઈને હવે સમસ્ત દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગઈકાલે કોંગ્રેસ ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને નેહાકુમારીની બરાબરની ઝાટકણી કાઢી હતી અને તેમની સામે આજે સવારે 11 વાગ્યે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા અને વિરોધ કરવા માટે લુણાવાડા જવાના છે. મેવાણીએ નેહાકુમારીના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી અને તેની વિરુદ્ધમાં એટ્રોસિટીના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની અને તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિગ્નેશ મેવાણીએ અમદાવાદ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત અનુ. જાતિ મોરચના હોદ્દેદારો સાથે આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં નેહાકુમારીની જાતિવાદી માનસિકતાનો ભોગ બનેલા અરજદાર </span><span style="font-size: 14pt;">વિજય પરમારને પણ હાજર રાખ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રેસ કોન્ફરન્સમાં જિગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે, "આઇપીએસ રાજકુમાર પાંડીયન દ્વારા હાલમાં જ ગુજરાતના 50 લાખ દલિતોનું અપમાન કર્યા બાદ આ બીજી એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહીસાગરના કલેક્ટર નેહાકુમારી દુબે લુણાવાડા તાલુકાના વિજય પરમારના નામના યુવક, જેઓ રાજ્ય સરકારના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ફરિયાદ લઈને આવેલા, તેમની સાથે અત્યંત તોછડી ભાષામાં વાત કરે છે અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કરે છે. આ કોઈ કાળે ચલાવી શકાય તેમ નથી." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, "કલેક્ટર નેહા કુમારી દુબેએ દલિત સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. સાથે જ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ કરીએ છીએ. જેના માટે આજે અમે લુણાવાડા જઈને વિરોધ કરીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિજય પરમારના નામના અરજદાર તા. 23 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારના તાલુકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પોતાની ફરિયાદ લઈને ગયા હતા. તેઓ જ્યારે પોતાના પ્રશ્નની રજૂઆત કરી રહ્યા હતા ત્યારે કલેક્ટર નેહાકુમારી અચાનક જ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વિજય પરમાર સાથે તોછડાઈથી વાત કરવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો યુવકે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો, જેના કારણે મનુવાદી માનસિકતાની આ કલેક્ટરનો પર્દાફાશ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજદાર વિજય પરમારની દલીલ દરમિયાન કલેક્ટર નેહાકુમારી અચાનક તેમના અસલ સવર્ણ મનુવાદી રંગમાં આવી જાય છે અને અરજદાર વિજય પરમારના સવાલોના જવાબ આપવાને બદલે તેને તોછડી ભાષામાં કહે છે, "<strong>જ્યાદા ઓવર સ્માર્ટ બને કી કોશિશ મત કરો, મુજે હલકે મેં મત લો. ફાલતુ કી બકવાસ નહીં કરને કા, સબ કો બ્લેકમેઈલ કરના હૈ?"</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટીના 90 ટકા કેસો ખોટા હોય છેઃ નેહા કુમારી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગરના કલેક્ટર નેહાકુમારી દુબે આટલેથી અટક્યા નહોતા. તેમણે એટ્રોસિટના કાયદા અને તેની હેઠળ નોંધવામાં આવતા કેસોને લઈને પણ અત્યંત નિમ્ન સ્તરનું નિવેદન કર્યું હતું. વાયરલ વીડિયોમાં નેહાકુમારી બોલતી જણાય છે કે, "<strong>એટ્રોસિટીના કેસોમાંના 90 ટકા કેસો બ્લેકમેઈલવાળા હોય છે. આ કાયદાનો જેટલો ઉપયોગ નથી તેનાથી વધુ દૂરુપયોગ છે.</strong>"</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પત્રકારો, વકીલોનું પણ અપમાન કર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા મામલતદાર પત્રકારો અને વકીલોને લઈને પણ મોટું નિવેદન આપે છે અને કહે છે કે, "<strong>અહીંયા બની બેઠેલા પત્રકારો અને વકીલો આવતા હોય છે."</strong>  આ સાંભળીને કલેકટર નેહા દુબે એવું કહે છે કે, "<strong>યહાં ઓવરસ્માર્ટ લોગોં કી કમી નહીં હૈ. એ લોગોં કો જૂતે સે મારના ચાહિએ.</strong>" આવું કહીને એમણે સમગ્ર દેશના વકીલો અને પત્રકારોનું પણ અપમાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેવાણી, ચૈતર વસાવા, ગુલાબસિંહ ચૌહાણ વિરોધ નોંધાવશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગરની કલેક્ટર નેહાકુમારીની આ તોછડાઈને લઈને સમસ્ત દલિત સમાજ રોષે ભરાયો છે. જેને લઈને આજે દલિત સમાજ મોટી સંખ્યામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના નેતૃત્વમાં ઈન્દિરા ગાંધી મેદાન લુણાવાડા ખાતે સભા યોજીને જાતિવાદી કલેક્ટર નેહાકુમારીનો વિરોધ નોંધાવશે અને તેને સસ્પેન્ડ કરવા તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા આંદોલન કરશે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિરોધ કાર્યક્રમની પત્રિકા સોશિયલ મીડિયામાં ફરતી થઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમની એક ડિજિટલ પત્રિકા પણ સોશિયલ મીડિયામાં ફરી રહી છે, જેમાં કહેવાયું છે કે, "સાથીઓ, મહીસાગર જિલ્લા કલેકટર દ્વારા ગત તારીખ 23/10/2023 રોજ જાહેર સરકારી સ્વાગત કાર્યક્રમ દરમિયાન આવેલ એક દલિત અરજદારને તુચ્છ ભાષામાં અપમાનિત કરી વ્યક્તિગત ટિપ્પણીઓ કરવામાં આવી હતી તથા દાહોદ મહીસાગરના દલિત-આદિવાસી બ્લેકમેલ કરવા માટે એટ્રોસીટી મુજબની ફરિયાદ કરાવે અને એટ્રોસીટીની 90 ટકા ફરિયાદો ખોટી હોય છે તેવું નિવેદન આપવામાં આવેલ હતું. સાથે જ વકીલ અને પત્રકારને ચપ્પલ મારવા જોઈએ જેવી ટિપ્પણી કરી તેમના વ્યવસાયનું અપમાન કરવાનો પ્રયત્ન કરેલો હતો તથા મહિલાઓ 498 મુજબની ખોટી ફરિયાદો કરાવે છે પણ તેવી પણ ટિપ્પણી કરી હતી. ઉપરોક્ત તમામ બાબતો ગેરબંધારણીય છે અને કોઈ પણ ભોગે ચલાવી લેવાય તેવી નથી તો આના વિરોધમાં તારીખ 30/10/2024 ના રોજ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ ના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા અને ગુજરાતના દલિત આદિવાસી આગેવાનો સંગઠનો વકિલો, પત્રકાર તથા ન્યાય પ્રિય જનતાને અવાજ બુલંદ રહે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો સૌને પોતાની નૈતિક ફરક સમજી આવતીકાલે લુણાવાડા ખાતે ઉપસ્થિત રહેવું."</span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;">એકઠા થવાનું સ્થળઃ ઈન્દિરા ગાંધી મેદાન</span></strong></em><br><em><strong><span style="font-size: 14pt;">તારીખઃ 30/10/2024 </span></strong></em><br><em><strong><span style="font-size: 14pt;">સમયઃ 11:00 વાગ્યે બુધવાર</span></strong></em></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/what-would-the-pandians-who-had-quarreled-with-mevani-do-with-a-common-dalit">મેવાણી સાથે તોછડાઈ કરનાર પાંડિયન સામાન્ય દલિત સાથે શું કરતા હશે?</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 09:23:02 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 30 Oct 2024 09:58:46 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1480</Articleid>
                    <excerpt>આવું નિવેદન કોઈ સડકછાપ ટપોરી કે અભણ હિંદુત્વવાદીએ નહીં પણ મહીસાગર જિલ્લાની મનુવાદી માનસિકતાની કલેક્ટર નેહાકુમારી દુબેએ આપ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_672136b716f4e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_672136b6d85f8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_672136b6d85f8.jpg" length="61784" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Nehakumari IAS, Nehakumari Dubey, Collector Mahisagar, Atrocity, Jignesh Mevani</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ દબાવેલી 300 વીઘા જમીન દલિતોને મળશે</title>
                    <link>https://khabarantar.com/dalits-will-get-300-bighas-of-land-pressed-by-mekarandada-akhada-in-dhrang</link>
                    <guid>https://khabarantar.com/dalits-will-get-300-bighas-of-land-pressed-by-mekarandada-akhada-in-dhrang</guid>
                    <description>
                        <![CDATA[ કચ્છના ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ 40 વર્ષથી દબાવીને રાખેલી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓની 300 વીઘાથી વધુ જમીનના કબ્જાનો માર્ગ મોકળો થયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મ અને આસ્થાની આડમાં સાધુ-બાવાઓ દ્વારા મંદિરો કે અન્ય કોઈ ધાર્મિક જગ્યા ઉભી કરીને સરકારી જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવી લેવાની ચાલાકી સદીઓ જૂની છે. ગુજરાતમાં આ રીતે દલિતો, આદિવાસીઓના હકની સેંકડો જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ બન્યાં છે. આવો એક કિસ્સો ભૂજમાં પણ નોંધાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીંના ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને 40 વર્ષ પહેલા ફાળવવામાં આવેલી 300 વીઘા જેટલી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો છે. ધર્મ અને આસ્થાની આડમાં આ ટ્રસ્ટે આટલી મોટી ગેરરીતિ આચરી હોવા છતાં સરકાર આટલા વર્ષોથી તેમને છાવરતી આવી છે. જો કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આ મુદ્દો હાથમાં લીધો હતો અને મેકરણ દાદા ટ્રસ્ટના કારનામાઓને કોર્ટમાં પડકાર્યા હતા. આ મામલે કચ્છ કલેક્ટર અને મહેસૂલ સચિવે મેકરણદાદા અખાડાની રિવિઝન અરજીને ફગાવી દેતા હવે આ 300 વીઘા જેટલી જમીન તેના અસલી માલિકો એવા અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને મળવાનો માર્ગ મોકળો થયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેકરણદાદાના નામે દલિતોની જમીનો પચાવી પાડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભુજ તાલુકાના ધ્રંગ ગામે શ્રી ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીને વર્ષ-૧૯૮૩ માં ટોચ-મર્યાદા તળે ફાજલ જમીનોની ફાળવણી કરવામાં આવી હતી. જેના પર ધ્રંગમાં આવેલા મેકરણદાદા અખાડાએ ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. આજકાલ કરતા 40 વર્ષથી તેઓ આ જમીનો ભોગવી રહ્યાં છે અને તેના અસલી માલિકો એવા દલિતોને તેનો કબ્જો મળતો નહોતો. હવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આખો કેસ હાથમાં લેતા આ જમીનની ફાળવણીને મેકરણદાદાના અખાડાના મહંત દ્વારા કલેક્ટર કચ્છ સમક્ષ પડકારવામાં આવી હતી. જેને કલેકટર કચ્છ દ્વારા ગ્રાહ્ય ન રખાતા ખાસ સચિવ મહેસૂલ વિભાગ, અમદાવાદ (SSRD) સમક્ષ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વર્ષ-૨૦૧૯થી યથાસ્થિતિ (status-quo) જાળવી રાખવાનો હુકમ કરવામાં આવેલ હતો. અર્થાત અખાડાએ કરેલા માલિકી હકના દાવાઓને કલેક્ટર અને મહેસૂલ સચિવ બંનેએ ફગાવી દીધાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે મુદ્દો ઉઠાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંડળી તરફથી હાજર રહેલા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ(RDAM)ના એડવોકેટ સુબોધ કુમુદની લેખિત અને મૌખિક દલીલોને પગલે SSRD, અમદાવાદ દ્વારા તા. ૧૬/૧૦/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ હુકમથી અરજદાર મેકરણદાદાના અખાડાના મહંત દ્વારા દાખલ કરેલ રિવિઝન અરજી નામંજુર કરવાનો અને કેસ રજિસ્ટરેથી કમી કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ સાથે આ તમામ જમીનોમાં આપવામાં આવેલ યથાસ્થિતિ જાળવી રાખવાનો સ્ટે પણ હટી ગયેલ છે. જેથી મંડળીને આ જમીનોનો કબજો લેવાનો માર્ગ હવે આસાન બન્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખાડા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ જમીનો ખોટી રીતે ફાજલ કરવામાં આવેલી છે જેથી દલિત મંડળીને કરવામાં આવેલી આ જમીનોની ફાળવણી પણ ગેરકાયદેસર છે અને આ ટ્રસ્ટને ટોચ-મર્યાદાનો કાયદો લાગુ પડતો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના જવાબમાં મંડળી વતી એડવોકેટ સુબોધ કુમુદે આ દલીલો ટકવાપાત્ર નથી તેમ જણાવી હકુમતનો અને સમયમર્યાદાનો બાધ ઉઠાવવામાં આવ્યો હતો. જેના પગલે SSRD દ્વારા અરજદાર મહંતની અરજી નામંજુર કરવાનો હુકમ કરવામાં આવેલ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કચ્છમાં હજારો એકર જમીન દલિતોને મળી શકી નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર કચ્છ જિલ્લામાં આ પ્રકારે દલિતોને મંડળીઓને અને વ્યક્તિગત કિસ્સાઓમાં પણ ટોચમર્યાદા તાલે ફાજલ થયેલી હજારો એકર સરકારી પડતર જમીનોની ફાળવણી કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી મોટાભાગના કિસ્સાઓમાં આ જમીનોનો કબજો તેના મૂળ લાભાર્થીઓ મેળવી શક્યા નથી. જે મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM) અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) દ્વારા સતત રસ્તા પરની લડત ચલાવવામાં આવી અહીં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોની જમીનોને વિવાદિત બનાવી દઈ પચાવી પાડવાનો કારસો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંડળીના પ્રમુખ વિજયભાઈ કાંગી આ મામલે એક અખબારી યાદીમાં <span style="color: rgb(224, 62, 45);"><strong><a href="https://khabarantar.com/" style="color: rgb(224, 62, 45);">ખબરઅંતર.કોમ</a></strong></span>ને જણાવ્યું છે કે, "કચ્છ જિલ્લામાં ફાળવેલી જમીનોનો કબજો મંડળી ના લઈ શકે એ હેતુથી જે શખ્સોની જમીન ફાજલ કરવાં આવેલી એ જમીનોમાં કોર્ટ કેસ દાખલ કરીને આ જમીનો વિવાદિત બનાવી દેવાની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે, જેથી આ જમીનોનો કબજો લઈ શકાય નહીં અને લાંબી તથા ખર્ચાળ કાયદાકીય પ્રક્રિયાના લીધે નિરાશ થઈને દલિતો આવી જમીનોનો કબજો મેળવવાના પ્રયત્નો કરવાનું છોડી દે અને આ શખ્સો પોતાનું દબાણ ચાલુ રાખી શકે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત અધિકાર મંચ લડી લેવા તૈયાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, "આ મોડસ ઓપરેન્ડીથી આ જમીનો જે હેતુ માટે ફાળવવામાં આવી હતી એ હેતુ પાર પડતો નથી અને દલિતોના આર્થિક ઉત્થાનનો એક રસ્તો બંધ જાય છે. પરંતુ, ભુજ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક સહકારી મંડળીને ફાળવવામાં આવેલી અને કોર્ટમાં પેન્ડીંગ કેસોના લીધે આવી જમીનોનો કબજો લેવામાં અડચણ આવી શકે તેમ હોય એવી તમામ જમીનોમાં કાનૂની રહે પણ લડત ચલાવવામાં આવશે અને ટૂંક સમયમાં આવી તમામ જમીનોનો કબજો લેવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની સરાહનીય કામગીરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કચ્છ સહિત ગુજરાતભરમાં અનેક ગામોમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોને કાયદેસર રીતે ફાળવવામાં આવેલી હજારો એકર જમીનો પર માથાભારે તત્વો ગેરકાયદે કબ્જો જમાવીને બેસી ગયા છે. આવી સેંકડો એકર જમીનો આજે પણ લુખ્ખા તત્વોના કબ્જામાં છે. આ જમીનો તેમના કબ્જામાંથી છોડાવી તેના મૂળ માલિક એવા દલિતોને અપાવવા માટે વગડામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નેતૃત્વ હેઠળનું સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વર્ષોથી જમીની સ્તરે લડત ચલાવી રહ્યું છે. અત્યાર સુધીમાં આ સંગઠને આવા અનેક કેસોમાં દલિતોને તેમના હકની જમીનો માથાભારે તત્વોના કબ્જામાંથી છોડાવીને પરત અપાવી છે. હવે મેકરણદાદા અખાડાએ પચાવી પાડેલી જમીનો પણ છોડાવીને તેમના મૂળ માલિકો એવી દલિત મંડળીઓને પરત કરાશે. આ માટે એડવોકેટ સુબોધ કુમુદ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની આખી ટીમ દિવસ-રાત જોયા વિના મહેનત કરતી રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મેટરમાં વધુ કોઈપણ જાણકારી માટે <em><strong>વિજયભાઈ કાંગી, પ્રમુખ, શ્રી ભુજ અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી.નો ૯૬૩૮૮૭૦૯૯૫ </strong></em>પર સંપર્ક કરી શકો છો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/direct-possession-of-50-acres-of-land-in-kachchh-was-handed-over-to-scheduled-caste-societies">કચ્છમાં 50 એકર જમીનનો પ્રત્યક્ષ કબજો અનુસૂચિત જાતિની મંડળીઓને સોંપાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 29 Oct 2024 14:01:35 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 29 Oct 2024 14:33:57 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1479</Articleid>
                    <excerpt>કચ્છના ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ 40 વર્ષથી દબાવીને રાખેલી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓની 300 વીઘાથી વધુ જમીનના કબ્જાનો માર્ગ મોકળો થયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67209c6ae4c90.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67209c6aab940.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67209c6aab940.jpg" length="108381" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mekarandada Akhara, National Dalit Rights Forum, Jignesh Mewani, Dhrang</media:keywords>
                </item>
                        <item>
                    <title>બનાસકાંઠાના ચૂડમેરમાં 31 દલિતોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ દીક્ષા લીધી</title>
                    <link>https://khabarantar.com/31-dalits-renounced-hinduism-and-took-buddhist-initiation-in-banaskanthas-chudmer-village</link>
                    <guid>https://khabarantar.com/31-dalits-renounced-hinduism-and-took-buddhist-initiation-in-banaskanthas-chudmer-village</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી-મનુવાદી હિંદુ ધર્મમાં ગુંગળામણ અનુભવતા 8 પરિવારના 31 સભ્યોએ એકસાથે ડો. આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Buddhist initiation program chudmer banaskantha : દેશમાં ચોતરફ અરાજકતાનો માહોલ છે. ખાસ કરીને હિંદુત્વવાદી તત્વો જે રીતે ગૌરક્ષા સહિતના મામલે બેફામ બની દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને તેમના પર અત્યાચાર ગુજારી રહ્યાં છે તેના કારણે વધુને વધુ દલિતોનો હિંદુ ધર્મથી મોહભંગ થઈ રહ્યો છે. તેમને સતત એ અહેસાસ થઈ રહ્યો છે કે, મનસ્મૃતિના વિચારો પર આધારિત આ ધર્મમાં તેમની જાતિના કારણે તેમની સાથે થતા ભેદભાવો કદી ખતમ થવાના નથી. તેનાથી બહેતર છે કે કોઈ એવો ધર્મ અપનાવવો જેમાં તેમને માણસ તરીકે સમાન ગણીને તેમની સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવતો હોય. એટલે જ વધુને વધુ લોકો ડો. આંબેડકરના માર્ગે ચાલીને તથાગત ગૌતમ બુદ્ધ સ્થાપિત બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_67207e2ec6900.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">અંતરિયાળ ગામો સુધી બૌદ્ધ ધર્મની સુવાસ પહોંચી</span></strong><br><span style="font-size: 14pt;">ગુજરાતમાં સમયાંતરે બૌદ્ધ દીક્ષાના કાર્યક્રમો યોજાતા રહે છે અને આવો વધુ એક કાર્યક્રમ બે દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લામાં યોજાઈ ગયો. અહીં થરાદ તાલુકાના ચૂડમેર ગામે 31 સભ્યોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદના નેજા હેઠળ તા. 27 ઓક્ટોબરને રવિવારના રોજ સવારે 8.30 થી 11.30 દરમિયાન યોજાયેલા આ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કાર્યક્રમમાં 8 પરિવારોના કુલ 31 સભ્યોએ બંધારણીય બૌદ્ધ ધમ્મની દીક્ષા ગ્રહણ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આયુ. રામસેંગ વરણ (રાશિજી બૌદ્ધ) અને સિંહલ કાંતિજી સાથે મહાગુજરાત બૌદ્ધ સંઘના સહકારથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘના સંચાલક માનનીય આયુ. સિંહલ બોધિધર્મનજીના સાન્નિધ્યમાં અહીંના અલગ અલગ 4 તાલુકાના 8 પરિવારોના મળી 31 સભ્યોએ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા ગ્રહણ કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_67207e2d7628f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">શાંતિપૂર્ણ રેલી, ત્રિશરણ, પંચશીલે આકર્ષણ જમાવ્યું</span></strong><br><span style="font-size: 14pt;">કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સવારે 8.00 વાગ્યે ત્રિશરણના શંખનાદ સાથે અને ફોટો બેનર સાથે ગામની શેરીઓમાં શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી. રેલી પૂર્ણ થયા બાદ તમામ દીક્ષાર્થીઓને દીક્ષા સ્થળ પર શિસ્તબદ્ધ રીતે બેસાડવામાં આવ્યા અને તેમના હસ્તે તથાગત બુદ્ધ અને બોધિસત્વ ડૉ. ભીમરાવ આંબેડકરના ફોટાને દીપ પ્રજ્વલિત કરી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરની 22 પ્રતિજ્ઞાનું પઠન કર્યા બાદ મહેમાનોના હસ્તે દરેક દીક્ષાર્થીઓને મહા ગુજરાત બૌદ્ધ સંઘના ધમ્મ દીક્ષાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. અંતે અલ્પાહાર કરી સૌ છુટા પડ્યા હતા. દીક્ષાર્થીઓએ મહાગુજરાત બૌદ્ધ સંઘની ટીમનો આભાર માન્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_67207e2e2bc14.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">AI ના યુગમાં જાતિગત ભેદભાવ સહન ન થાય : આયુ. સિંહલ બોધિ ધર્મનજી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ દીક્ષા કાર્યક્રમના આયોજક મહા ગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદના આયુ. સિંહલ બોધિ ધર્મનજીએ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મનુવાદની ધરી પર ઉભેલો હિંદુ ધર્મ માણસ માણસ વચ્ચે સેંકડો ભેદભાવો કરે છે. ધર્મની આડમાં દલિતો, આદિવાસીઓને સેકન્ડ ક્લાસ સિટિઝન ગણી તેમને સતત અપમાનિત કરાય છે. ગુજરાત સહિત દેશભરમાં સતત દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને જે રીતે હિંદુ ધર્મીઓ દ્વારા ભેદભાવ, અસ્પૃશ્યતા દાખવવામાં આવે છે તેનાથી આ સમાજના લોકો ભારે વ્યથિત છે. કાયદો અમલમાં હોવા છતાં જાતિવાદી અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. મનુવાદી વર્ણવ્યવસ્થાની ધરી પર ટકેલા હિંદુ ધર્મમાં દલિતો, આદિવાસીઓ ગમે તેટલાં ભણીગણીને આગળ વધી જાય તો પણ તેમને નિમ્ન સ્તરના ગણીને ઉતારી પાડવામાં આવે છે. એક બાજુ દુનિયાના એઆઈના યુગમાં પહોંચી ગઈ છે, જ્યારે ભારત સતત જાતિ, ધર્મના નામે દલિતો પર અત્યાચાર કરીને અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે. એ સ્થિતિમાં દલિતો સર્વને સમાન માનતા બૌદ્ધ ધર્મ તરફ વળે તેમાં મને કશી નવાઈ નથી લાગતી. આ સ્થિતિ હજુ ચાલુ રહેશે તો હજુ વધુ લોકો હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ બનતા અચકાશે નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-kakarwa-village-of-kutch-16-dalits-renounced-hinduism-and-became-buddhists">કચ્છના કકરવા ગામે 16 દલિતો જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ બન્યાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 29 Oct 2024 11:52:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1478</Articleid>
                    <excerpt>જાતિવાદી-મનુવાદી હિંદુ ધર્મમાં ગુંગળામણ અનુભવતા 8 પરિવારના 31 સભ્યોએ એકસાથે ડો. આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67207e2fa61ce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67207e2f6a343.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67207e2f6a343.jpg" length="91025" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Buddhist initiation program, banaskantha, Gujarat, chudmer village, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહેસાણામાં દલિત શિક્ષકને સવર્ણ પડોશીએ ગાળો ભાંડી માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-teacher-was-beaten-up-by-a-sawarna-neighbor-in-mehsana</link>
                    <guid>https://khabarantar.com/dalit-teacher-was-beaten-up-by-a-sawarna-neighbor-in-mehsana</guid>
                    <description>
                        <![CDATA[ પડોશી પરિવારે જાતિસૂચક ગાળો ભાંડી, લોખંડની પાઈપ અને બેટથી હુમલો કરતા દલિત શિક્ષક અને તેમના પત્નીને ઈજા પહોંચી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit teacher was beaten up by a Sawarna neighbor in mehsana : મહેસાણામાં એક દલિત શિક્ષક અને તેમના પત્નીને પડોશમાં રહેતા સવર્ણ મોદી પરિવારના ત્રણ સભ્યોએ મળીને જાતિસૂચક ગાળો ભાંડી લોખંડની પાઈપ, બેટ અને ગડદાપાટુનો માર મારતા મહેસાણા પોલીસમાં એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલાની નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી કાર્તિકભાઈ રાજ મહેસાણાના વાઈડ એન્ગલ સામે હિમાલયા રોયલ એપાર્ટમેન્ટના મકાન નંબર 404માં રહે છે. તેમનું મૂળ વતન વીસનગર તાલુકાનું ચિત્રોડીપુરા ગામ છે. મહેસાણામાં તેઓ તેમના પત્ની અને સાત વર્ષના પુત્ર સાથે રહે છે. કાર્તિકભાઈ સીઆરસીસી ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કોર્ડિનેટર મહેસાણા-4માં શિક્ષકના હેડ તરીકે નોકરી કરે છે અને તેમની નીચે 29 સ્કૂલો આવે છે. તેમના માતાપિતા ચિત્રોડીપુરામાં રહે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેસની વિગતો પ્રમાણે તા. 27 ઓક્ટોબરના રોજ રાતના સાડા નવ વાગ્યા આસપાસ કાર્તિકભાઈ તેમના ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમનું એક ચપ્પલ મળતું નહોતું. આથી તેઓ તેને શોધી રહ્યા હતા. એ દરમિયાન તેમની બાજુના ઘરમાં રહેતા પડોશી મનીષ મોદી, તેમનો છોકરો નીશુ અને મનીષભાઈના પત્ની આવી પહોંચ્યા હતા અને કાર્તિકભાઈને "તું શું શોધે છે ઢે#@?" કહીને ત્રણેયે મળી જાતિસૂચક ગાળો ભાંડી, લોખંડની પાઈપ અને બેટથી માર મારી, ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ દરમિયાન કાર્તિકભાઈના પત્ની તેમને છોડાવવા આવી પહોંચતા આરોપીઓએ તેમને પણ વાળ પકડીને માર માર્યો હતો. આ મામલે મહેસાણા સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-the-state-government-tacitly-agreeing-to-weaken-the-atrocities-act">શું રાજ્ય સરકાર એટ્રોસિટી એક્ટને નબળો પાડવા છુપી સહમતી આપી રહી છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 29 Oct 2024 10:10:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1477</Articleid>
                    <excerpt>પડોશી પરિવારે જાતિસૂચક ગાળો ભાંડી, લોખંડની પાઈપ અને બેટથી હુમલો કરતા દલિત શિક્ષક અને તેમના પત્નીને ઈજા પહોંચી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_672066d1135a5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_672066d0d2dff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_672066d0d2dff.jpg" length="81711" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit Atrocity complaint Gujarat, local news, Mehsana</media:keywords>
                </item>
                        <item>
                    <title>નિકોલમાં ભાજપના વોર્ડ પ્રમુખને વ્યાજખોરે ફટકારી સોનું અને રૂ. 3500 લૂંટી લીધા</title>
                    <link>https://khabarantar.com/in-nikol-bjps-ward-president-was-cheated-by-usurer-of-gold-and-rs-3500-looted</link>
                    <guid>https://khabarantar.com/in-nikol-bjps-ward-president-was-cheated-by-usurer-of-gold-and-rs-3500-looted</guid>
                    <description>
                        <![CDATA[ વ્યાજખોરો જો સત્તાપક્ષના વોર્ડ પ્રમુખને ખૂલ્લેઆમ ફટકારતા હોય ત્યાં સામાન્ય માણસનું શું ગજું એ સવાલ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં ભાજપના એક વોર્ડ પ્રમુખને વ્યાજખોરે માર મારી સોનાની ચેઈન અને રૂ. 3500 પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. ભાજપના વિરાટનગર વોર્ડના પ્રમુખને વ્યાજખોર માર મારીને સોનાની ચેઇન, પાકીટ અને રૂ. 3500 લૂંટીને ફરાર થઇ ગયો હતો. વોર્ડ પ્રમુખે આરોપી પાસેથી રૂ. 7 લાખ વ્યાજે લીધા હતા, જેની સામે તેણે રૂ. 35 લાખ ચૂકવ્યા હતા, છતાં આરોપી ઉઘરાણી કરતો હતો. આથી વોર્ડ પ્રમુખે નિકોલ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ નોધાવી છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિકોલમાં રહેતા શાંતિલાલ સોજિત્રા કન્સ્ટ્રક્શનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને ભાજપમાં વિરાટનગર વોર્ડમાં પ્રમુખ તરીકે કામ કરે છે. ગત 9 માર્ચ 2020માં તેમણે એક મિત્રના ઓળખીતા વ્યક્તિ નરસિંહભાઇ સિંધવ પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ. 7 લાખ વ્યાજે લીધા હતા. તે સમયે તેમણે બે ચેક પણ આપ્યા હતા. દરમિયાન કોરોનાકાળમાં દોઢેક વર્ષ સુધી તેઓ હપ્તા ભરી શક્યા ન હતા. એ દરમિયાન શાંતિલાલે ટુકડે-ટુકડે કુલ રૂ. 35 લાખ ચૂકવ્યા હતા. તેમ છતા નરસિંહ તેમની પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હોવાથી રૂ. 1 લાખ આપવાનું નક્કી કર્યુ હતુ. ત્યારે ગત 27 ઓક્ટોબરે શાંતિલાલની ઓફિસે નરસિંહ આવ્યો હતો અને બંને ખુલ્લી જગ્યામાં બેઠા હતા તે સમયે રૂ. 1 લાખ આપ્યા હતા. જેથી શાંતિલાલે આપેલ ચેક પરત માંગતા આપ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ તે ચેક બીજાના છે જેથી નરસિંહે ઓફિસે પડ્યા છે. ત્યારે શાંતિલાલે ચેક પરત માંગતા શખ્સે બિભત્સ ગાળો બોલીને ઝઘડો કરીને માર મારવા લાગ્યો હતો. બાદમાં નરસિંહ સોનાની ચેઇન, પાકીટ અને રૂ. 3500 લૂંટીને ભાગી ગયો હતો. આ અંગે શાંતિલાલે નરસિંહ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-dabgar-youth-was-beaten-to-death-by-a-mob-in-vatwa">વટવામાં ડબગર યુવકને ટોળાએ ઢોર માર મારી પતાવી દીધો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 28 Oct 2024 21:58:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1476</Articleid>
                    <excerpt>વ્યાજખોરો જો સત્તાપક્ષના વોર્ડ પ્રમુખને ખૂલ્લેઆમ ફટકારતા હોય ત્યાં સામાન્ય માણસનું શું ગજું એ સવાલ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671fba1f03d97.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671fba1ec71fa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671fba1ec71fa.jpg" length="112960" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ward president of BJP, News of the robbery, Nikol</media:keywords>
                </item>
                        <item>
                    <title>IPS હસમુખ પટેલની GPSCના ચેરમેન પદે નિયુક્તિ</title>
                    <link>https://khabarantar.com/ips-hasmukh-patel-appointed-as-gpsc-chairman</link>
                    <guid>https://khabarantar.com/ips-hasmukh-patel-appointed-as-gpsc-chairman</guid>
                    <description>
                        <![CDATA[ જીપીએસસીના ચેરમેન નલિન ઉપાધ્યાય ઓક્ટોબરમાં નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે હસમુખ પટેલની તેમની જગ્યાએ નિમણૂંક કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સિનિયર આઇપીએસ અધિકારી હસમુખ પટેલને એક મોટી જવાબદારી સોંપી છે. રાજ્ય સરકારે આઇપીએસ હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. જીપીએસસીના વર્તમાન ચેરમેન નલીન ઉપાધ્યાય ઓક્ટોબરના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સિનિયર આઇપીએસ અધિકારી હસમુખ પટેલને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવ્યા બાદ ફરી એક વખત તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આઇપીએસ અધિકારી હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) ના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરી એચ. કે. ઠાકરે આ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર દ્વારા આઇપીએસ અધિકારી હસમુખ પટેલને ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી), ગાંધીનગરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, હસમુખ પટેલ જે દિવસથી ચાર્જ લેશે તે દિવસથી આ નોટિફિકેશન અમલી બનશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) ના તત્કાલિન ચેરમેન દિનેશ દાસાની નિવૃત્તિ બાદ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) ના ચેરમેન તરીકે નલીન ઉપાધ્યાયને જવાબદારી સોંપવામાં આવી હતી. હવે નલિન ઉપાધ્યાય આ ઓક્ટોબર મહિનાના અંતમાં નિવૃત્ત થવા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે લોક રક્ષક ભરતી બોર્ડ (એલઆરડી) ના ચેરમેન આઇપીએસ હસમુખ પટેલને જીપીએસસીના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્રે ઉલ્લેખનીય છે કે, આઇપીએસ હસમુખ પટેલ દ્વારા એલઆરડીની પરીક્ષા સફળતા પૂર્વક લઈને પેપર ફોડવાનો પ્રયત્ન કરનારા અસમાજિક તત્વોને સામે કડક કાર્યવાહી કરી છે. એટલું જ નહીં, સાથો સાથ તેઓ વિદ્યાર્થી મુંજવતા દરેક પ્રશ્નોનો નિરાકરણ પણ આપી રહ્યા છે. જેના કારણે હસમુખ પટેલ વિદ્યાર્થીઓમાં ભારે લોક ચાહના અને વિશ્વાસ ધરાવે છે. તેવા સંજોગોમાં હવે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1993ની બેચના સિનિયર આઇપીએસ અધિકારી હસમુખ પટેલ જીપીએસસીના ચેરમેન તરીકેની વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે આઇપીએસ અધિકારી હસમુખ પટેલે જણાવ્યું હતું કે, જીપીએસસીના ચેરમેનની ખૂબ મોટી જવાબદારી મળી છે. ત્યારે હું આગામી તા. 11 નવેમ્બરના રોજ ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન તરીકેની કામગીરી સંભાળીશ. હાલમાં જીપીએસસી સારી રીતે કામ કરી રહ્યું છે, આગામી દિવસોમાં વધારે કામ કરીશું તેમ પણ હસમુખ પટેલે જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/107-questions-were-asked-incorrectly-in-20-exams-conducted-by-gpsc"> GPSC દ્વારા લેવાયેલી ૨૦ જેટલી પરીક્ષામાં ૧૦૭ પ્રશ્નો ખોટા પૂછાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 28 Oct 2024 20:03:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1475</Articleid>
                    <excerpt>જીપીએસસીના ચેરમેન નલિન ઉપાધ્યાય ઓક્ટોબરમાં નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે હસમુખ પટેલની તેમની જગ્યાએ નિમણૂંક કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671f9ff910225.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f9ff8d596b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f9ff8d596b.jpg" length="48568" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>IPS Hasmukh Patel, GPSC Chairman</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાયના ચામડામાંથી બનેલી રૂ. 2 લાખની બેગ વાપરતા જયા કિશોરી ટ્રોલ થઈ</title>
                    <link>https://khabarantar.com/made-from-cow-leather-rs-a-girl-was-trolled-while-using-a-bag-worth-2-lakhs</link>
                    <guid>https://khabarantar.com/made-from-cow-leather-rs-a-girl-was-trolled-while-using-a-bag-worth-2-lakhs</guid>
                    <description>
                        <![CDATA[ લોકોને ગૌપ્રેમ, મોહમાયાથી દૂર રહી ત્યાગનો ઉપદેશ આપતી જયા કિશોરી એરપોર્ટ પર રૂ. 2 લાખની કિંમતની ગાયના ચામડામાંથી બનેલી બેગ સાથે જોવા મળતા લોકોએ બરાબરની ટ્રોલ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રસિદ્ધ આધ્યાત્મિક ઉપદેશક જયા કિશોરી (Jaya Kishori) એરપોર્ટ પર બ્રાન્ડેડ બેગ (Branded Bag) સાથે જોવા મળી હતી, જે બાદ તેમને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ (Troll) કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ, આ બેગ બનાવવા માટે ગાયના ચામડા (Cow Leather) નો ઉપયોગ કરવામાં આવે છે અને તેની કિંમત 2 લાખ રૂપિયા (Rs. 2 Lakh) છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની જાણીતી આધ્યાત્મિક ઉપદેશક અને ગાયિકા જયા કિશોરી આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, આ વખતે તેનું કારણ તેમનો પ્રચાર નથી. થોડા દિવસો પહેલા જયા કિશોરી એરપોર્ટ પર બ્રાન્ડેડ બેગ સાથે જોવા મળી હતી. રૂ. 2 લાખથી વધુ કિંમતની કસ્ટમાઈઝ્ડ ડિઓર(Dior) ની બેગને કારણે લોકો તેને બરાબરના ટ્રોલ કરી રહ્યા છે. લોકો જયા કિશોરી પર આરોપ લગાવી રહ્યા છે કે આખી દુનિયાને ભૌતિકવાદથી દૂર રહેવાની અને ત્યાગનો ઉપદેશ આપનારી જયા કિશોરી ખુદ તેમના ઉપદેશથી વિરુદ્ધનું વર્તન કરી રહી છે. 29 વર્ષીય જયા કિશોરી જે 'ડિયોર બુક ટોટ' લઈને જતી જોવા મળી હતી, તેને બનાવવામાં ગાયના ચામડાનો ઉપયોગ થતો હોવાના દાવાને કારણે આ વિવાદ વધુ વકર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું તું કે, હોબાળો થતા અને વિવાદ વધતા જયા કિશોરીએ સોશિયલ મીડિયા પરથી પોતાનો એરપોર્ટ પરનો એ વીડિયો હટાવી લીધો છે. તે પોતે તો બિન-ભૌતિકવાદનો પ્રચાર કરતી દેખાય છે અને પોતાને ભગવાન કૃષ્ણની ભક્ત કહે છે. Dior વાછરડાના ચામડાનો ઉપયોગ કરીને બેગ બનાવે છે." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/about-20-fake-babas-including-bhole-baba-will-be-blacklisted">ભોલે બાબા સહિત 20 જેટલા નકલી બાબાઓને બ્લેકલિસ્ટ કરાશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય યુઝરે લખ્યું, "જયા કિશોરી લોકોને ભૌતિકવાદી ન બનવાનું કહે છે, તેમ છતાં તે પોતે 2 લાખથી વધુની કિંમતની વૈભવી બેગ વાપરે છે." બધા ઉપદેશકો આવા જ છે, જેઓ ધર્મનો ઉપયોગ પૈસા કમાવા વૈભવી જીવન જીવવા માટે કરે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે કેવી રીતે જયા કિશોરી ઝૂંપડીમાં રહેવાનો દાવો કરે છે અને તેના અનુયાયીઓને પૈસા પાછળ ન દોડવાનું કહે છે, જ્યારે તે પોતે 2 લાખ રૂપિયાની બેગ ખરીદે છે. હેન્ડબેગમાં ચામડાના ઉપયોગની પણ આકરી ટીકા થઈ રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું, "ગાયની પૂજા કરવાની વાતો કરનાર ઉપદેશક એક એવી કંપનીની બેગનો ઉપયોગ કરી રહી છે જે ગાયના ચામડામાંથી તેની પ્રોડક્ટ બનાવે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે 13 જુલાઈ 1995ના રોજ કોલકાતામાં જન્મેલી જયા કિશોરી દાવો કરે છે કે તેને નાની ઉમરથી જ આધ્યાત્મિકતા તરફ ઝુકાવ થયો હતો. આજે તે દેશમાં આધ્યાત્મિક વક્તા, ગાયક અને પ્રેરક વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે જે સાદગીપૂર્ણ જીવનનો ઉપદેશ આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયા કિશોરી યુવાન હોવાથી સોશિયલ મીડિયામાં તેની જબરજસ્ત ફેન ફોલોઈંગ છે. તેના આધ્યાત્મિક વીડિયો ભારે લોકપ્રિય છે. યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતના માધ્યમોમાં તેમના વીડિયો જોનારો એક આખો વર્ગ છે. તેમના દેખાવ પાછળ યુવાનો પાગલ છે. પોતાના ભાષણોમાં જયા કિશોરી ગૌપ્રેમ, આધ્યાત્મ, અહિંસા અને ત્યાગની વાતો કરે છે. જો કે થોડા દિવસ પહેલા તે વિદેશથી પરત ફરી રહી હતી ત્યારે તેના ખભે ડિઓર કંપનીની રૂ. 2 લાખની કિંમતની બેગ લટકતી હતી, જે ગાયના ચામડામાંથી બને છે. એ પછી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે અને તેની કથની અને કરણીમાં ફરક હોવાથી લોકો છેતરાયાનું અનુભવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-higher-the-level-of-insecurity-among-the-people-the-more-the-business-of-baba-shines">લોકોમાં અસુરક્ષાનો ભાવ જેટલો વધારે, એટલો બાબાઓનો ધંધો ચમકે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 28 Oct 2024 13:57:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1474</Articleid>
                    <excerpt>લોકોને ગૌપ્રેમ, મોહમાયાથી દૂર રહી ત્યાગનો ઉપદેશ આપતી જયા કિશોરી એરપોર્ટ પર રૂ. 2 લાખની કિંમતની ગાયના ચામડામાંથી બનેલી બેગ સાથે જોવા મળતા લોકોએ બરાબરની ટ્રોલ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671f49f886bc7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f49f858542.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f49f858542.jpg" length="71374" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jaya Kishori, Dior Bag</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગેરકાયદે અમેરિકામાં ઘૂસતા પકડાયેલા 90415 ભારતીયોમાં 50 ટકા ગુજરાતીઓ</title>
                    <link>https://khabarantar.com/50-percent-of-90415-indians-caught-illegally-entering-america-are-gujaratis</link>
                    <guid>https://khabarantar.com/50-percent-of-90415-indians-caught-illegally-entering-america-are-gujaratis</guid>
                    <description>
                        <![CDATA[ અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા ગુજરાતીઓએ આડકતરી રીતે ગુજરાત મોડેલ અને કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Gujarat model expose : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કથિત વિકાસની પોલ ખુદ તેમના જ હોમટાઉન ગુજરાતના લોકોએ ખોલી નાખી છે. સતત વધતી જતી બેરોજગારી, નોકરીની ઘટતી જતી તકો, મોંઘવારીથી કંટાળીને સેંકડો ગુજરાતીઓ અમેરિકામાં ગેરકાયદે ઘૂસી રહ્યાં છે. અમેરિકી કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના આંકડાઓ મુજબ મેક્સિકો અને કેનેડાના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતાં કુલ મળીને 90415 ભારતીયો પકડાયાં છે જેમાં 50 ટકા જેટલા ગુજરાતીઓ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાતના વિકાસના દાવાઓની પોલ ગુજરાતીઓએ જ ખોલી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ આંકડાઓ સ્વયં સ્પષ્ટ કરે છે કે, ગુજરાતનો કહેવાતો વિકાસ કેટલો ખોખલો છે. એક બે ઉદ્યોગપતિઓ માટે કામ કરતી ભાજપ અને પીએમ મોદીની નીતિઓને કારણે બેરોજગારી, મોઁઘવારી એ હદે વધી ચૂકી છે કે, સામાન્ય માણસ માટે જીવવું હરામ થઈ ગયું છે. એ સ્થિતિમાં થોડી ઘણી પણ બચત છે, તે ખર્ચીને પણ તેઓ વિદેશમાં સ્થાયી થઈ રહ્યાં છે. તેમને વીઝા નથી મળતા તેઓ ગેરકાયદે પણ અમેરિકામાં ઘૂસી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">વર્ષ 2022 કરતા 2023માં વધુ ગુજરાતીઓ ભારત છોડ્યું</span></strong><br><span style="font-size: 14pt;">ગુજરાતીઓનો દંભ આમ પણ જાણીતો છે. વિદેશમાં બેઠા બેઠાં પીએમ મોદી અને ભાજપે કરેલા વિકાસની વાતો કરતા એનઆરઆઈને જો ખરેખર દેશ પ્રત્યે પ્રેમ હોય તો તેમણે અહીં પરત આવવું જોઈએ. પણ તેઓ એવું નહીં કરે, કેમ કે તેમને વાસ્તવિકતા શું છે તે ખબર છે. એટલે જ ગુજરાતીઓનું ભારતીય નાગરિકત્વ છોડવાનું પ્રમાણ પણ ધીરે ધીરે વધી રહ્યું છે. ગુજરાતમાં વર્ષ 2022માં 241 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. જે વર્ષ 2023માં બમણી થઈ ગઈ હતી અને 485 લોકોએ નાગરિકતા છોડી દીધી હતી. ચાલુ વર્ષની વાત કરીએ તો વર્ષ 2024માં મે મહિના સુધીમાં જ 244 ગુજરાતી ભારત છોડી ચૂક્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">9 વર્ષમાં 22300 ગુજરાતીઓ વિદેશોમાં સ્થાયી થયા </span></strong></span><br><span style="font-size: 14pt;">છેલ્લાં નવ વર્ષમાં 22300 ગુજરાતીઓ ભારતીય નાગરિકત્વ છોડીને અન્ય દેશોમાં ઠરીઠામ થયાં છે. ભારતીય નાગરિકત્વ છોડીને વિદેશ વસવાટ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે. બેરોજગારી, રોજગારીની અપૂરતી તકો, ધંધામાં મંદી, મોંઘવારી, ટેક્સના નામે સરકાર દ્વારા ચલાવાતી ઉઘાડી લૂંટ સહિતના અનેક કારણોસર વધુને વધુ ગુજરાતીઓ ભારતીય નાગરિકત્વ છોડી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિદેશમાં સ્થાયી થવાની ઘેલછાને લીધે વીઝા કૌભાંડો વધ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">ગુજરાતીઓની વિદેશમાં સ્થાયી થવાની ઘેલછાને કારણે ગુજરાત સહિત દેશભરમાં વીઝા કૌભાંડો, છેતરપિંડીના કેસો વધ્યાં છે. છેલ્લાં એક જ મહિનામાં દસેક ઘટનામાં ગુજરાતીઓના રૂ. 20 કરોડથી વધુ લુંટાઈ ચુક્યાં છે અને આ આંકડો આ વર્ષે 250 કરોડને આંબી જાય તેવી પુરી શક્યતા છે. ગુજરાતમાં વિદેશમાં નોકરી, સ્થાયી નાગરિકતા, એર ટીકીટ બુકિંગ નામે છેતરપિડીં કરી ગુજરાતીઓના ખિસ્સામાંથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવી રહ્યા છે આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મોઘવારી, બેરોજગારી સહિતની અનેક સમસ્યાઓથી ત્રસ્ત ગુજરાતી યુવાનો ઉજજવળ ભવિષ્યની આશા સાથે વિદેશમાં કામ કરવા ઇચ્છતા હોય છે. વિદેશમાં વર્ક વિઝા મેળવવા ખૂબ જ અગત્યના હોય છે. જેનો લાભ લઈને લેભાગુ તત્વો વર્ક વિઝાના નામ પર ગુજરાતના લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. જો કે સવર્ણો માટે કામ કરતી સરકારને તેની પણ કોઈ પરવા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/five-gujaratis-committed-a-big-scam-for-visa-in-america">અમેરિકામાં વીઝા માટે 5 ગુજરાતીઓએ મોટું કૌભાંડ આચર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 28 Oct 2024 11:58:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1473</Articleid>
                    <excerpt>અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા ગુજરાતીઓએ આડકતરી રીતે ગુજરાત મોડેલ અને કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671f2ec66062b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f2ec630c17.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f2ec630c17.jpg" length="80119" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Illegal entry into the US, Gujaratis the most, Gujarat model, Expose</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમે પેરિયારે બતાવેલા માર્ગ પર ચાલીશુંઃ થલાપતિ વિજય</title>
                    <link>https://khabarantar.com/thalapathy-vijay-held-his-partys-first-rally-he-said-we-will-follow-the-path-shown-by-periyar</link>
                    <guid>https://khabarantar.com/thalapathy-vijay-held-his-partys-first-rally-he-said-we-will-follow-the-path-shown-by-periyar</guid>
                    <description>
                        <![CDATA[ થલાપતિ વિજયે (Thalapathy Vijay) પોતાના રાજકીય પક્ષની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે પક્ષની પહેલી રેલી યોજાઈ હતી, જેમાં તેણે પક્ષની વિચારધારા સહિતની બાબતે સ્પષ્ટતા કરી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલ સુપરસ્ટાર (Tamil Super star) અને દેશના હાઈએસ્ટ પેઈડ એક્ટર (The country's highest paid actor) થલાપતિ વિજયે (Thalapathy Vijay) પોતાનો રાજકીય પક્ષ (political party) શરૂ કર્યો છે. ગઈકાલે તેના પહેલી રેલી યોજાઈ હતી, જેમાં વિજયે પક્ષની વિચારધારા (ideology) અને લક્ષ્યાંકો (targets) વિશે વિસ્તારથી વાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિજયે પોતાના લાખો સમર્થકોની હાજરીમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેમનો પક્ષ પેરિયારે (EV Ramasamy Periyar) બતાવેલા માર્ગ પર આગળ વધશે. અને દ્રવિડ રાજનીતિ (Dravidian politics) તથા તમિલ ભાષા (Tamil language) અને તમિલિયનો (Tamilian) માટે સક્રિય રીતે કામ કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં યોજાયેલી ભવ્ય રેલીમાં થલાપતિ વિજયે (Thalapati Vijay) તેમની પાર્ટી, તમિલગા વેટ્ટ્રી કઝગમ (Tamilga Vettri Kazhagam) ની વિચારધારા (ideology) અને ધ્યેયો (targets) શેર કર્યા અને લાખો સમર્થકોને તેમના સંકલ્પ વિશે વિગતવાર સમજાવ્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રેલીમાં લાખોની ભીડ ઉમટી</span></strong></span><br><span style="font-size: 14pt;">તમિલગા વેત્રી કઝગમ (TVK) ની પહેલી રેલી રવિવારે તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના વિકરાવંદીમાં યોજાઈ હતી જેમાં લાખો લોકોની ભીડ ઉમટી હતી. રેલીમાં વિજયે સમર્થકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તમિલને અદાલતો અને મંદિરોની ભાષા તરીકે માન્યતા આપવી જોઈએ. આ માત્ર ભાષાનો પ્રશ્ન નથી પરંતુ તમિલનાડુના સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવાનું અભિયાન છે. કેટલાક પક્ષો લોકોને વિભાજિત કરવાની રાજનીતિ કરી રહ્યાં છે, આવી પાર્ટીઓ વૈચારિક સ્તરે આપણી દુશ્મન છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_671f15ad4764a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ફેબ્રુઆરીમાં પક્ષની સ્થાપના કરી હતી</span></strong><br><span style="font-size: 14pt;">એક્ટર વિજયે આ વર્ષે ફેબ્રુઆરીમાં તમિલનાડુ અને પુડુચેરીમાં કામ કરવા માટે એક અલગ રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. ઓગસ્ટ 2024માં તેણે પાર્ટીનો ધ્વજ અને પ્રતીક પણ લોન્ચ કર્યું હતું. Tamilga Vettri Kazhagam ને સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. આ સાથે પાર્ટીને ચૂંટણી લડવાની મંજૂરી પણ મળી ગઈ છે. પાર્ટીને માન્યતા મળ્યા બાદ થલાપતિ વિજયે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં પાર્ટીની પ્રથમ જાહેર સભા કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટીવીકે પક્ષની વિચારધારા શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">કોઈપણ રાજકીય પક્ષ વિચારધારા વિના ટકી ન શકે. મફતની વીજળી અને લોકસેવાઓ પર જો કોઈ પક્ષ ટકવા જાય તો તેની હાલત આમ આદમી પાર્ટી જેવી થાય. એટલે જ વિજયે પોતાના પક્ષની વિચારધારા પહેલેથી સ્પષ્ટ કરતા કહ્યું કે તેમનો પક્ષ પેરિયારની વિચારધારા પર આગળ વધશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પક્ષની વિચારધારા સમજાવતા વિજયે કહ્યું હતું, અમે દ્રવિડ રાષ્ટ્રવાદ અને તમિલ રાષ્ટ્રવાદને અલગ કરીશું નહીં. આ બે આ માટીની આંખો છે. આપણે આપણી જાતને કોઈ ખાસ ઓળખ સુધી સીમિત ન કરવી જોઈએ. TVKની ઓળખને એક જૂથ સુધી મર્યાદિત રાખવાને બદલે, ન્યાય, એકતા અને સામાજિક વિકાસની સાથે બિનસાંપ્રદાયિકતાની તરફ વાળવી પડશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમે પેરિયારના રસ્તે ચાલીશુંઃ વિજય</span></strong></span><br><span style="font-size: 14pt;">થલાપતિ વિજયે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેમની પાર્ટી પેરિયાર દ્વારા બતાવેલ માર્ગને અનુસરશે, જેમાં મહિલા સશક્તિકરણ અને સામાજિક ન્યાય મુખ્ય મુદ્દો હશે, જો કે, તેણે પેરિયારના નાસ્તિકતાના સિદ્ધાંતને સ્વીકારવાનો ઈનકાર કરીને હિંદુત્વવાદી રાજનીતિ તરફનો રસ્તો ખૂલ્લો રાખ્યો છે. વિજયે સરકારી કામકાજ માટે તમિલ અને અંગ્રેજી ભાષાની હિમાયત કરવાની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરીનું પણ સમર્થન કર્યું હતું. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_671f15ade4c62.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે</span></strong></span><br><span style="font-size: 14pt;">વિજયે કહ્યું કે તેમનો પક્ષ વર્ષ 2026માં યોજાનારી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે. આ સાથે તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેની પાર્ટી ગઠબંધન માટે તૈયાર છે. તમિલનાડુમાં અત્યાર સુધી કરુણાનિધિ અને હવે એમ.કે. સ્ટાલિનની દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને જયલલિતા સ્થાપિત ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)નું વર્ચસ્વ રહ્યું છે. એવામાં થલાપતિ વિજયનો પક્ષ કેટલું જોર લગાવશે તેના પર સૌ કોઈની નજર રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ માટે રસ્તો કપરો બનશે</span></strong></span><br><span style="font-size: 14pt;">બીજી તરફ દક્ષિણના રાજ્યોમાં ગાય-ગોબર-ગૌમૂત્રના રાજકારણ માટે ભાજપની સતત ટીકા થતી આવી છે. પણ હવે ભાજપે (BJP) પણ અન્નામલાઈની આગેવાનીમાં આગળ વધવા કમર કસી લીધી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તમિલનાડુમાં સમ ખાવા પુરતી એક સીટ પણ મળી નહોતી. એવામાં થલાપતિ વિજયના પક્ષની એન્ટ્રીથી ભાજપનો રસ્તો કપરો બનશે તે નક્કી છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Visaranai-%E2%80%93-A-wonderful-movie-based-on-a-novel-written-by-a-rickshaw-puller">વિસરાનાઈ - એક રિક્ષાચાલકે લખેલી નવલકથા પરથી બનેલી અદ્દભૂત ફિલ્મ</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 28 Oct 2024 10:11:36 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 28 Oct 2024 10:12:22 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1472</Articleid>
                    <excerpt>થલાપતિ વિજયે (Thalapathy Vijay) પોતાના રાજકીય પક્ષની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે પક્ષની પહેલી રેલી યોજાઈ હતી, જેમાં તેણે પક્ષની વિચારધારા સહિતની બાબતે સ્પષ્ટતા કરી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671f15acb7062.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f15ac798e1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671f15ac798e1.jpg" length="83464" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Thalapati Vijay, Tamilga Vettri Kazhagam, EV Ramasamy Periyar</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડાકોરમાં ASI દારૂ ઢીંચી ખાતાકીય તપાસમાં જવાબ લખાવવા પહોંચ્યાં</title>
                    <link>https://khabarantar.com/in-dakor-asi-arrived-to-answer-the-departmental-inquiry-after-taking-liquor</link>
                    <guid>https://khabarantar.com/in-dakor-asi-arrived-to-answer-the-departmental-inquiry-after-taking-liquor</guid>
                    <description>
                        <![CDATA[ કાયદાના રક્ષકે જ ખૂલ્લેઆમ ગુજરાતની દારૂબંધીના ધજાગરા ઉડાડતા પ્રોહીબીશનનો ગુનો નોંધાયો ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડાકોર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી દારૂ પી ને જવાબ લખાવવા ઉપલી જિલ્લા કક્ષાની વડી કચેરીએ પહોંચતા સમગ્ર બનાવ મામલે પોલીસે જ પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવી છે. જે અંગે ટેલીફોનિક વર્ધી લખાવ્યા બાદ આ મામલે એ.એસ.આઇ વિરુદ્ધ નડિયાદ ટાઉન મથકે પ્રોહિબિશનની કલમ મુજબ ગુનો નોંધાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડાકોર પોલીસ મથકે એએસઆઈ તરીકે ફરજ બજાવતા ધનાભાઈ વાઘેલા નડિયાદ ખાતે નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં ખાતાકીય તપાસના કામે જવાબ લખાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ નશાના હાલતમાં હોવાથી ડીવાયએસપી કચેરીમાં હાજર પોલીસ કર્મચારી દ્વારા કંટ્રોલમાં ટેલીફોનિક વર્ધી લખાવવામાં આવી હતી. તેના આધારે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીએ તપાસના કામે ડીવાયએસપી કચેરી પહોંચ્યા હતા. જ્યાં હાજર પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરતા ધનાભાઈ વાઘેલા જેઓ પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતા હોય અને ખાતાકીય તપાસ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં આવ્યાં હોવાની જાણ થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેથી ટાઉન પોલીસના કર્મચારીઓએ આ બાબતે પંચોને બોલાવી તપાસ કરતા ધનાભાઈ દારૂ પીધેલી હાલતમાં જણાયા હતા. તેમજ તેમની પાસે દારૂ પીવાનું કોઈ પરવાનો પણ મળ્યો નહોતો. જેથી આ સમગ્ર મામલે એએસઆઈ ધનાભાઈ વાઘેલા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે. આ બનાવ મામલે ડીવાયએસપી સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે, હાલ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે તપાસ કરવામાં આવશે અને જરૂર પડે તો ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Hundreds-of-kits-of-Manav-Garima-Yojana-have-been-gathering-dust-in-Veergam-for-2-years">વીરમગામમાં માનવ ગરિમા યોજનાની સેંકડો કિટો 2 વરસથી ધૂળ ખાય છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 27 Oct 2024 21:06:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1470</Articleid>
                    <excerpt>કાયદાના રક્ષકે જ ખૂલ્લેઆમ ગુજરાતની દારૂબંધીના ધજાગરા ઉડાડતા પ્રોહીબીશનનો ગુનો નોંધાયો</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671e5d6765f32.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671e5d673484d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671e5d673484d.jpg" length="56487" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarat liquor ban, Dakor News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો</title>
                    <link>https://khabarantar.com/devadasi-pratha-trading-the-bodies-of-shudra-daughters-in-the-name-of-god</link>
                    <guid>https://khabarantar.com/devadasi-pratha-trading-the-bodies-of-shudra-daughters-in-the-name-of-god</guid>
                    <description>
                        <![CDATA[ મનુવાદી કુપ્રથાની આડમાં કેવી રીતે નિર્દોષ સગીર દલિત-આદિવાસી દીકરીઓનું ભયાનક જાતીય શોષણ કરવામાં આવતું હતું તેની આ વાત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રથાના નામે કેવી રીતે દલિત-આદિવાસી સમાજની કુંવારી નિર્દોષ દીકરીઓનું જાતીય શોષણ કરાતું હતું તેની આ વાત છે. ભારતમાં આ પ્રથા હજારો વર્ષ જૂની હોવા છતાં સમય સાથે તેનું મૂળ સ્વરૂપ બદલાયું છે. દેવદાસીનો સ્પષ્ટ અર્થ છે દેવતાના સેવક બનવું એટલે કે તમારું આખું જીવન દેવતાના ચરણોમાં સમર્પિત કરવું. જો કે કાયદાકીય રીતે તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં, હજુ પણ તેના અધકચરા સમાચારો ક્યાંક સાંભળવા મળી જાય છે. ચાલો જાણીએ શું છે દેવદાસી પ્રથા.</span><br><span style="font-size: 14pt;">શું છે દેવદાસી પ્રથા?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવદાસી પ્રથાની ગણના કુરિવાજોમાં થાય છે. આ પરંપરા હેઠળ નાની છોકરીઓને દેવી/દેવતાઓને પ્રસન્ન કરવા માટે સેવક તરીકે મંદિરોમાં સમર્પિત કરવાની હોય છે. માતા-પિતા તેમની પુત્રીના લગ્ન દેવતા કે મંદિર સાથે કરી દેતા હતા. પહેલાના જમાનામાં, કોઈપણ ઈચ્છા પૂરી થયા પછી પરિવારો દ્વારા આવું કરવામાં આવતું હતું. દેવતા સાથેના લગ્નને કારણે તે દીકરી દેવદાસી કહેવાતી હતી. આ પ્રથા હેઠળ દલિત અને આદિવાસી મહિલાઓને ભગવાને સોંપી દઈને આસ્થાના નામે તેમનું શોષણ કરવામાં આવતું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દેવદાસી બનવા માટે કોઈ વય મર્યાદા નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવદાસીઓ માટે કોઈ નિશ્ચિત વય મર્યાદા નથી. પાંચ વર્ષની છોકરી પણ દેવદાસી બની શકે છે અને દસ વર્ષની છોકરી પણ. દેવદાસી બનેલી મોટાભાગની છોકરીઓ દલિત પરિવારો અથવા આદિવાસી પરિવારોની હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છઠ્ઠી સદીમાં શરૂઆત થઈ હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈતિહાસકારોના મતે દેવદાસી પ્રથા સંભવતઃ છઠ્ઠી સદીમાં શરૂ થઈ હતી. હવે ભલે આ પ્રથા પર કાયદેસર રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય, તેમ છતાં દક્ષિણ ભારતમાં ઘણા મંદિરોમાં તે આજે પણ જોવા મળે છે. પદ્મપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે કુંવારી કન્યાઓને મંદિરોમાં દાન તરીકે આપવી જોઈએ. શરૂઆતમાં દેવદાસીઓનું સ્થાન ખૂબ જ મજબૂત હતું અને તેઓ સમાજમાં માન-સન્માન ધરાવતી હતી. તે સમય દરમિયાન દેવદાસીઓ બે પ્રકારની હતી. એક, જે નાચ-ગાન કરતી હતી અને બીજી, જે મંદિરની સારસંભાળ કરતી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મનોકામના પૂર્ણ થતા બાળકીઓને દેવદાસી બનાવી દેવાતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલાના સમયમાં, રોગો અને યોગ્ય કાળજીના અભાવને કારણે જન્મ સમયે ખૂબ ઓછા બાળકો બચી શકતા હતા. આવી સ્થિતિમાં લોકો મંદિરોમાં જઈને માનતા માંગતા હતા કે જો તેમના બાળકો જીવિત હશે તો તેઓ તેમાંથી એકને દેવદાસી બનાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દેવતાને મળાવવાના બહાને સંબંધ બનાવાતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌપ્રથમ કુંવારી છોકરીના લગ્ન મંદિરના દેવતા સાથે કરવામાં આવતા હતા. એ પછી તેમને દેવતાની સેવા કરવા માટે મંદિરમાં રાખવામાં આવતી હતી. દરેક મંદિરમાં દેવદાસી માટે એક પૂજારીની નિમણૂક કરવામાં આવતી હતી. દેવતાને મળાવવાના બહાને આ લંપટ પૂજારીઓ દેવદાસીઓ સાથે સેક્સ સંબંધ બાંધતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેવી રીતે દેવદાસી બનાવવામાં આવતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવદાસી બનાવવા માટેની પદ્ધતિ પણ વિચિત્ર રહેતી. યુવતીને મંદિરે લઈ જવામાં આવતી હતી. સૌપ્રથમ કાળો ધાબળો પાથરવામાં આવે છે અને પછી છોકરીને તેના પર બેસાડવામાં આવે છે. છોકરી માટે સફેદ સાડી લવાય છે. તેને લીલા રંગની બંગડીઓ અને ચાંદીની બંગડીઓ પહેરવામાં આવે છે. ત્યારબાદ 5 દેવદાસીઓને બોલાવીને હુદો હુદો હુદો શ્લોકનો પાઠ કરવામાં આવે છે. તેના કપાળ પર સિંદૂર લગાવવામાં આવે છે અને તેના હાથમાં પહેરામણી આપવામાં આવે છે. એટલું જ નહીં, ગળામાં મણિમાળા પહેરાવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દેવદાસી પ્રથા પર અનેક પુસ્તકો લખાયા છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત અને વિદેશના ઈતિહાસકારોએ દેવદાસીઓ વિશે ઘણા પુસ્તકો લખ્યા છે. એન.કે. બાસુનું પુસ્તક 'હિસ્ટ્રી ઓફ પોસ્ટિટ્યૂશન ઈન ઈન્ડિયા', એફએ માર્ગલિનનું પુસ્તક 'વાઇવ્સ ઑફ ધ કિંગ ગોડ, રિચ્યુઅલ્સ ઑફ દેવદાસી', મોતીચંદ્રાનું 'સ્ટડીઝ ઇન ધ કલ્ટ ઑફ મધર ગોડેસ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા', બી.ડી. સાત્સોકરનું 'દેવદાસી પ્રણાલીનો ઇતિહાસ' વગેરેમાં આ પ્રથા વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું છે. જેમ્સ જે ફ્રેઝરના પુસ્તક 'ધ ગોલ્ડન બો'માં પણ આ પ્રથા વિશે વિગતવાર લખવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જ્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નોટિસ મોકલી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દક્ષિણ ભારતના રાજ્યોમાં દેવદાસી પ્રથાની આડમાં દલિત-આદિવાસી મહિલાઓના યૌન શોષણ અને તેમની આજીવિકામાં તેમને પડતી મુશ્કેલીઓ અંગે મીડિયા રિપોર્ટ્સ અને લોકોની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે વર્ષ 2022માં રાજ્યો અને મંત્રાલયોને નોટિસ મોકલી હતી. સદીઓ જૂની આ પ્રથાને કર્ણાટક સરકારે 1982માં અને આંધ્ર પ્રદેશ સરકારે 1988માં ગેરકાયદે જાહેર કરી હતી. એ પછી પણ કર્ણાટકના 15 જિલ્લામાં તે સતત ચાલતી રહી હતી. જેનું પરિણામ એ છે કે આજે પણ દલિત યુવતીઓને દેવદાસી બનાવવામાં આવી રહી છે. દેવદાસી બન્યા બાદ પૂજારીઓ તેમની સાથે શારીરિક સંબંધ બાંધે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગર્ભવતી થાય તો તરછોડી દેવાય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીંથી તેમના જીવનની બરબાદીની વાર્તા શરૂ થાય છે. દેવદાસી બન્યા પછી છોકરીઓ કહેવાતી ઉચ્ચ જાતિના પૂજારીઓની કામવાસનાનો સતત શિકાર બને છે અને ગર્ભવતી થયા પછી તેઓ નિરાધાર બની જાય છે. જેના કારણે તેમની સ્થિતિ દયનીય બની જાય છે. દેવદાસીઓથી જન્મેલા બાળકોને પિતાનું નામ આપવામાં આવતું નથી, બાળકની સંભાળ લેવાની જવાબદારી ફક્ત દેવદાસીઓની જ રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આંકડાઓ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંકડાઓની વાત કરીએ તો, નેશનલ હ્યુમન રાઈટ્સના 2013ના રિપોર્ટ અનુસાર દેશમાં 4.5 લાખ દેવદાસીઓ છે. જ્યારે રઘુનાથ રાવની અધ્યક્ષતામાં બનેલા કમિશનના રિપોર્ટ અનુસાર એકલા તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ 80 હજાર દેવદાસીઓ છે. કર્ણાટકમાં દેવદાસીઓની સંખ્યા લગભગ 46 હજાર હોવાનું કહેવાય છે. જો કે, તેમની સંખ્યા આ આંકડાઓ કરતા ઘણી વધારે હોઈ શકે છે, કારણ કે ઘણાં પરિવારોની દીકરીઓને ખૂબ નાની ઉંમરે દેવદાસી બનાવી દેવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવદાસી પ્રથાને રોકવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં સુપ્રિમ કોર્ટે કર્ણાટક સરકારને છોકરીઓને દેવદાસી બનાવવા પર પ્રતિબંધ લગાવવા સૂચના આપી હતી. 2007માં દેવદાસીઓના બાળકોની વધતી જતી દયનીય સ્થિતિ પર સુપ્રીમ કોર્ટને પત્ર મળ્યો હતો. જેમાં નિરાધાર દેવદાસીઓના બાળકોની દુર્દશા વર્ણવવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો કે દેવદાસીઓના બાળકોના કલ્યાણ માટે શું કરવામાં આવ્યું છે. બીજી બાજુ, 2004ના માનવ અધિકાર અહેવાલ મુજબ, દેશમાં કુલ 45.9% દેવદાસીઓ વેશ્યાવૃત્તિમાં જતી રહી હતી. બાકીની ખેતી અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/do-you-know-why-vaishnavas-are-protesting-against-the-movie-maharaj">તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 27 Oct 2024 18:50:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1469</Articleid>
                    <excerpt>મનુવાદી કુપ્રથાની આડમાં કેવી રીતે નિર્દોષ સગીર દલિત-આદિવાસી દીકરીઓનું ભયાનક જાતીય શોષણ કરવામાં આવતું હતું તેની આ વાત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671e2d3f093ae.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671e2d3ec8355.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671e2d3ec8355.jpg" length="107061" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Manuvadi, Devadasi practice, Shudra daughters</media:keywords>
                </item>
                        <item>
                    <title>shailaja paik : ઝૂંપડપટ્ટીથી જિનિયસ ગ્રાન્ટ સુધી પહોંચનાર પ્રથમ દલિત મહિલા</title>
                    <link>https://khabarantar.com/shailaja-paik-first-dalit-woman-from-slum-to-genius-grant</link>
                    <guid>https://khabarantar.com/shailaja-paik-first-dalit-woman-from-slum-to-genius-grant</guid>
                    <description>
                        <![CDATA[ મેકઆર્થર ફાઉન્ડેશનની પોણા સાત કરોડની જિનિયસ ગ્રાન્ટ મેળવનાર shailaja paik નો સંઘર્ષ એ દરેક દલિત માટે પ્રેરણાદાયી છે, જે કંઈક કરવા ધારે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">Shailaja Paik : First Dalit woman from slum to genius grant : “મૈકઆર્થર ફાઉન્ડેશને (McArthur Foundation) મારી ઘણાં વરસોની મહેનત અને મારા કામની અસરને માન્યતા આપી છે. જ્ઞાનના વિભિન્ન ક્ષેત્રોમાં દલિત અધ્યયનોએ જે યોગદાન આપ્યું છે અને જેમાં દલિત મહિલા વિદ્વાનના રૂપમાં મારી મહેનત પણ સામેલ છે;  તેને મળેલું આ સન્માન છે.”  ૨૦૨૪ની મૈક આર્થર ફાઉન્ડેશનની આઠ લાખ અમેરિકી ડોલર કે પોણા સાત કરોડ રૂપિયાની ‘જીનિયસ ગ્રાન્ટ’ (Genius Grant) થી નવજાયાં ત્યારનો;  ઈન્ડો અમેરિકન દલિત મહિલા ઈતિહાસકાર શૈલજા પાઈક (Shailaja Paik) નો આ તત્કાલ પ્રતિભાવ હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના એક નાના ગામના દલિત પરિવારમાં જન્મેલાં, યરવડાની ઝૂંપડપટ્ટીમાં ઉછરેલાં અને આજે અમેરિકાના ઓહિયો સ્ટેટની સિનસિનાટી યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને સંશોધક ડો. શૈલજા પાઈકની સફર ભારે  દિલચસ્પ અને પ્રેરણાદાયી છે. ૧૯૮૧માં સ્થપાયેલ મૈક આર્થર ફાઉન્ડેશનની આ ‘જીનિયસ ગ્રાન્ટ’  અમેરિકાના ફળદ્રુપ ભેજાંઓને મળે છે તેમની પંગતમાં  પોતાનો પાટલો મંડાવનાર શૈલજા પાઈક પહેલાં દલિત મહિલા છે. ઘરઆંગણે ભારતમાં દલિતોની યોગ્યતા અને ગુણવત્તા સામે સવાલો ઉઠે છે ત્યારે શૈલજા દલિત વિદ્વતા, અધ્યયનશીલતા, ગુણવત્તા અને યોગ્યતાનો નક્કર પુરાવો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/konkana-sen-sharma-said-in-bollywood-who-will-sit-where-what-will-eat-is-determined-by-caste#google_vignette">બોલીવૂડમાં કોણ ક્યાં બેસશે, શું ખાશે તે જાતિ મુજબ નક્કી થાય છે...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પચાસ વરસના શૈલજા મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના મૂળ વતની છે. પાહેગાંવમાં એમનો જન્મ. ૧૯૯૦માં તેમના કુટુંબે પુણેમાં સ્થળાંતર કર્યું હતુ. યરવડાની સિધ્ધાર્થનગર ઝૂંપડપટી એ તેમનું નવું સરનામું બન્યું. દિવસે મજૂરી કરતા પિતા દેવરામ નાઈટ સ્કૂલમાં ભણીને કૃષિ સ્નાતક થયા હતા. ગામના એ પહેલા ગ્રેજ્યુએટ. શૈલજા સહિતની ચારેય દીકરીઓને ભણાવવાની તેમને ભારે હોંશ. એટલે ઝૂંપડામાં રહીને પણ તેમણે દીકરીઓને ઈંગ્લીશ મીડિયમમાં ભણાવી. માતા સરિતાએ તેમને જિંદગીની કઠોર વાસ્તવિકતાઓ અને અભાવોથી અળગી કરી અભ્યાસરત રાખી. શૈલજાએ સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીમાંથી ૧૯૯૪માં આર્ટસમાં ગ્રેજ્યુએશન અને ૧૯૯૬માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૦૫માં એમોરી ફેલોશિપ હેઠળ શૈલજા  ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયાં અને નવાં જીવનનાં દ્વાર ખૂલ્યાં. ૨૦૦૭માં અમેરિકાની વારવિક યુનિવર્સિટીમાંથી તેમણે પીએચ ડી કર્યું. ઘણા તેજસ્વી દલિત યુવાઓની જેમ શૈલજા પણ આઈએએસ અધિકારી બનવા માંગતા હતા. તે માટે યુપીએસસીની એકઝામ પણ આપી હતી. પરંતુ પિતાના અવસાનથી કુટુંબની જવાબદારી માથે આવતાં તેમણે અધ્યાપનનો વ્યવસાય સ્વીકારવો પડ્યો. જે આજે તેમને સિધ્ધિઓના ઉચ્ચ શિખરે લઈ ગયો છે. ૨૦૧૦માં શૈલજા સિનસિનાટી યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યા તે પહેલાં તેમણે યેલ અને બીજી યુનિવર્સિટીઓમાં પણ ભણાવ્યું અને પચીસેક વરસોથી લેખન-સંશોધન કરી રહ્યાં છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શૈલજાને મૈકઆર્થર ફેલોશિપ આપવાનું કારણ, દલિત મહિલાઓના બહુઆયામી અનુભવો પર તેમના ફોક્સથી તેઓ જ્ઞાતિ અને ભેદભાવોનું કાયમીરૂપ અને આભડછેટ ચાલુ રાખવા પાછળની શક્તિઓને સ્પષ્ટ કરે છે તે છે, તેમ ફાઉન્ડેશને જણાવી ઉમેર્યું છે કે શૈલજાએ જ્ઞાતિ , લિંગ અને કામુકતાના આંતરસંબંધો પર ગહન અભ્યાસ કર્યો છે. તેમનું સંશોધન દલિત મહિલાઓના જીવિત અનુભવોમાં અભૂતપૂર્વ અંતદ્રષ્ટિ પ્રદાન કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-it-necessary-to-improve-the-people-at-home-before-improving-the-world">દુનિયાને સુધારતા પહેલા ઘરના લોકોને સુધારવા જરૂરી છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શૈલજાએ જીવનના શરૂઆતના બે દાયકા મહારાષ્ટ્રના યરવડાની ઝૂંપડપટ્ટીમાં પસાર કર્યા છે. તેના જાત અનુભવોએ પણ તેમને આ અભ્યાસ માટે પ્રેરિત કર્યા છે. જાહેર જાજરૂ અને પાણીનો અભાવ તેમનો રોજનો અનુભવ હતો. દાદી સાથે કથિત ઉચ્ચ વર્ણના લોકને ત્યાં જવાનું થયું, ત્યારે ભોંય પર બેસવાનું કે સ્કૂલમાં પટાવાળો દલિત વિધ્યાર્થીઓની કશીક નોંધણી માટે આવ્યો ત્યારે વર્ગમાં બધાની વચ્ચે ઉભા થવાનું અપમાન પણ તેમણે વેઠ્યું છે. કચરો, ગંદકી અને તેમાં રખડતા ભૂંડ તેમના રોજિંદો જીવનનો હિસ્સો હતાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“દલિત વુમન્સ એજ્યુકેશન ઈન મોડર્ન ઈન્ડિયા : ડબલ ડિસ્ક્રિમિનેશન”  નામક શૈલજાનું પ્રથમ સંશોધન પુસ્તક ૨૦૧૪માં પ્રગટ થયું હતું. દલિતથી અદકી દલિત એવી દલિત મહિલાઓને શિક્ષણ માટે લિંગ (મહિલા હોવાના) અને જ્ઞાતિ (દલિત હોવાના) ના બેવડા ભેદભાવોનો સામનો કરવો પડે છે તેની વાત આ પુસ્તકમાં છે. ઔપચારિક શિક્ષણ સુધીની દલિત મહિલાઓની પહોંચ, તેની પ્રક્રિયા અને અસરો તેમના સંશોધનનો વિષય છે. શિક્ષણે દલિત મહિલાઓના જીવનમાં કેવા ફેરફારો આણ્યા છે કે તે જાદુની લાકડી બન્યું છે તે પણ દર્શાવ્યું છે. શિક્ષણ થકી જ દલિત મહિલાઓના જીવનમાં નોંધપાત્ર સામાજિક-આર્થિક પરિવર્તન આવ્યું છે. શિક્ષણે તેમને કાચા –ઝૂંપડાના વસવાટની બહાર કાઢ્યા, રોજગારની નવી તકો આપી અને ભવિષ્ય ઉજળું બનાવ્યું છે તે મહિલાઓના અનુભવો પરથી તારવ્યું છે. મહાત્મા ફુલે અને બાબાસાહેબ ડો.આંબેડકરની કલ્પનાનું શિક્ષણ અને ભારતમાં દલિતોને મળતા વાસ્તવિક શિક્ષણના સ્વરૂપ વચ્ચેના વિરોધાભાસને પણ શૈલજાએ તપાસ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/fearful-mankind-longs-for-freedom-from-war-and-weapons-hear-anyone">શાંતિનું નોબેલ પ્રાઈઝ આપનાર સ્વીડન પણ યુદ્ધના હથિયારો વેચે તે કેટલું આઘાતજનક?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પિતૃસત્તાત્મક સમાજમાં કોઈ દલિત મહિલા ઈતિહાસકાર કાસ્ટ, જેન્ડર અને સેક્સુઆલિટી પર કામ કરે અને તેની વૈશ્વિક લેવલે નોંધ લેવાય તે સિધ્ધિ અસાધારણ છે. ૨૦૨૧માં પ્રગટ શૈલજા પાઈકના બીજા સંશોધનગ્રંથ “ ઘ વલ્ગારિટી ઓફ કાસ્ટ: દલિત્સ, સેક્સુઆલિટી એન્ડ હ્યુમેનિટી ઈન મોડર્ન ઈન્ડિયા” માં લિંગ અને કામુકતા સાથે જોડાઈને જ્ઞાતિ કઈ રીતે મહિલા, ખાસ તો દલિત મહિલા સાથે અત્યાચાર કરે છે તેનો અભ્યાસ કર્યો છે. આ માટે તેમણે મહારાષ્ટ્રના દલિત મહિલા તમાશા કલાકારોને કેન્દ્રમાં રાખ્યા છે. તમાશા એ મહારાષ્ટ્રના દલિતોની એક પારંપરિક કલા છે.  જેમાં ગીત અને નૃત્યનો સમાવેશ થાય છે.  તમાશાના દલિત મહિલા કલાકારો જ્ઞાતિહિંસા અને યૌનહિંસા બંનેનો ભોગ બને છે. કથિત ઉચ્ચ વર્ણના લોકો માટે તમાશાના મહિલા કલાકારો જાહેર વેચાણની વસ્તુ જેવા હોય છે. તેઓ તેમને સ્વચ્છંદી અને ઉપભોગની ચીજ માને છે. ૨૦૦૩થી શૈલજા તમાશા કલાકારો વિષે અધ્યયન કરે છે. જ્ઞાતિ વર્ચસ કામુકતામાં કેવી રીતે કામ કરે છે તેનું સૂક્ષ્મ અધ્યયન તેમણે કર્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/i-also-like-garba-a-lot-but">ગરબા તો મને પણ બહુ ગમતા પણ...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાતેક કરોડની આ ફેલોશિપ દલિત મહિલા ઈતિહાસકાર તરીકેના શૈલજાના અત્યાર લગીના કામનો પુરસ્કાર છે. ફેલોશિપ હેઠળ તેમણે કોઈ નવું કામ કરવાનું હોતું નથી.મૈકઆર્થર ફેલોશિપથી જ્ઞાતિવિરોધી, રંગભેદવિરોધી અને પિતૃસત્તાવિરોધી કાર્યોને વધુ મજબૂતી મળશે. ફેલોશિપ દ્વારા ભારતીય અમેરિકી દલિત મહિલા રૂપે શૈલજા અમેરિકાના પ્રતિભાશાળી, સર્જનાત્મક લોકોના ગ્રુપનો ભાગ બન્યા છે. શૈલજા તેમના આગામી અધ્યયનોમાં સમાજશાસ્ત્ર, ધાર્મિક અધ્યયન, ભૂગોળ, મહિલાઓ અને લિંગ આધારિત અધ્યયન જેવા વિષયો પર ચોવીસ આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના સહયોગમાં કામ કરવાના છે. દલિતો સંબંધી ઐતિહાસિક દસ્તાવેજોનું મરાઠીમાંથી અંગ્રેજીમાં અનુવાદનું કામ પણ તેમના અધ્યયનનો હિસ્સો છે. આધુનિક ભારતમાં જ્ઞાતિ વર્ચસ અને માનક કામુકતા તેમના ત્રીજા સંશોધન ગ્રંથનો વિષય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શૈલજાને મળેલું મોટી ધનરાશિ સાથેનું સન્માન દલિતો, ખાસ કરીને દલિત મહિલાઓના વિચારો, કાર્યો, ઈતિહાસ અને માનવ અધિકારો માટેની લડાઈના વિશાળ યોગદાનનો ઉત્સવ છે. અન્ય મૈકઆર્થર ફેલો સાથે મળીને સામાજિક ન્યાયના વિષય પર કામ કરવાનો તે અવસર પણ બનશે. ભારતમાં દલિતો પ્રત્યે આચરાતા જ્ઞાતિગત ભેદભાવોનું વૈશ્વિકીકરણ કરવાના પ્રયાસોને આ ફેલોશિપ બળ પૂરું પાડશે તેવી પણ આશા જન્મે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/our-very-own-mahisasur">ગૌરી લંકેશનો લેખ - આપણો પોતાનો મહિષાસુર</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 27 Oct 2024 12:09:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1468</Articleid>
                    <excerpt>મેકઆર્થર ફાઉન્ડેશનની પોણા સાત કરોડની જિનિયસ ગ્રાન્ટ મેળવનાર shailaja paik નો સંઘર્ષ એ દરેક દલિત માટે પ્રેરણાદાયી છે, જે કંઈક કરવા ધારે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671ddfc578613.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671ddfc549076.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671ddfc549076.jpg" length="74727" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>shailaja paik, Genius Grant</media:keywords>
                </item>
                        <item>
                    <title>પરિવર્તનનો પવન : બિહારમાં 3 ટ્રાન્સજેન્ડરોને પહેલીવાર પોલીસમાં સામેલ કરાયા</title>
                    <link>https://khabarantar.com/in-bihar-3-transgenders-were-included-in-the-police-for-the-first-time</link>
                    <guid>https://khabarantar.com/in-bihar-3-transgenders-were-included-in-the-police-for-the-first-time</guid>
                    <description>
                        <![CDATA[ કુલ 1249 નવા નિયુક્તિપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ટ્રાન્સજેન્ડર સમાજના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે. આવું પહેલીવાર થયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહાર (Bihar) ના પટના (Patna) માં પોલીસ મેમોરિયલ ડે નિમિત્તે સીએમ નીતિશ કુમારે (CM nitish kumar) 1,249 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રાન્સજેન્ડર (Transgender) સમુદાયના ત્રણ સભ્યો પણ બિહાર પોલીસ (Bihar Police)માં જોડાયા છે. આવું પહેલીવાર બન્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારના ડીજીપી આલોક રાજે કહ્યું, 'બિહાર પોલીસ માટે આજે ગર્વનો દિવસ છે. કારણ કે આજે મુખ્યમંત્રી દ્વારા 1,249 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ નવનિયુક્તોને રાજગીરમાં તાલીમ આપવામાં આવશે અને પછી તેમને વિવિધ સંબંધિત જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવશે. પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર સમાજના ત્રણ સભ્યો બિહાર પોલીસમાં લોકોની સેવા કરવા જોડાઈ રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પ્રથમ ટ્રાન્સજેન્ડર SIએ શું કહ્યું?</span></strong><br><span style="font-size: 14pt;">બિહાર પોલીસના પ્રથમ ટ્રાન્સજેન્ડર SI મધુ કશ્યપે (Madhu Kashyap) કહ્યું, 'હું સીએમ નીતિશ કુમારનો આભાર માનું છું અને મારા સમગ્ર સમાજ વતી તેમનો આભાર વ્યક્ત કરું છું. તેમણે અમારા સમાજના સભ્યોનું જીવન બદલી નાખ્યું છે. હું મારી ફરજ ઈમાનદારીથી નિભાવીશ. મને લાગે છે કે આપણે પણ મુખ્ય પ્રવાહમાં જોડાઈને આપણું જીવન સારી રીતે જીવીશું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સીએમ નીતિશકુમારે અધિકારીઓને શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">સીએમ નીતિશ કુમારે પટનાના બાપુ ઓડિટોરિયમમાં 1239 નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (ઇન્સ્પેક્ટર) ને નિમણૂક પ્રમાણપત્ર આપ્યા. આ દરમિયાન તેમણે ડીજીપી અને મુખ્ય સચિવ તરફ હાથ જોડીને આ પ્રકારની વધુ નિમણૂંક કરવા કહ્યું. જો કે આ પહેલીવાર નથી જ્યારે નીતિશ કુમાર આ સ્ટાઇલમાં જોવા મળ્યા હોય. અગાઉ પણ તેઓ આ રીતે અનેક પ્રસંગે અધિકારીઓને હાથ જોડી ચૂક્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી નીતિશ કુમારે સમ્રાટ અશોક કન્વેન્શન સેન્ટર સ્થિત બાપુ ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં 1239 નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોને નિમણૂક પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરો મધુ કશ્યપ, ગૌતમ કુમાર, શોભા રાની, લાડલી કુમારી, શિવેશ કુમાર ઝા, કોમલ કુમારી, રીના કુમારી અને રોશની કુમારીને પ્રતીકાત્મક રીતે નિમણૂક પ્રમાણપત્ર અર્પણ કર્યા. તમને જણાવી દઈએ કે 1239 નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોમાંથી 442 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/major-attack-on-dalits-in-bihars-Nawada-mob-burns-80-houses">બિહારના નવાદામાં દલિતો પર મોટો હુમલો, 80 જેટલા ઘરો સળગાવી દીધાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 27 Oct 2024 10:21:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1467</Articleid>
                    <excerpt>કુલ 1249 નવા નિયુક્તિપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ટ્રાન્સજેન્ડર સમાજના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે. આવું પહેલીવાર થયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671dc69dc4700.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671dc69d94d6d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671dc69d94d6d.jpg" length="76494" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bihar News, Nitish kumar CM, transgender in police, in the first time</media:keywords>
                </item>
                        <item>
                    <title>કચ્છમાં 50 એકર જમીનનો પ્રત્યક્ષ કબજો અનુસૂચિત જાતિની મંડળીઓને સોંપાયો</title>
                    <link>https://khabarantar.com/direct-possession-of-50-acres-of-land-in-kachchh-was-handed-over-to-scheduled-caste-societies</link>
                    <guid>https://khabarantar.com/direct-possession-of-50-acres-of-land-in-kachchh-was-handed-over-to-scheduled-caste-societies</guid>
                    <description>
                        <![CDATA[ ભચાઉના મનફરા, બંધની અને કળોલમાં અનુસૂચિત જાતિ સમાજની ખેત મંડળીઓને ચાર દાયકા બાદ તેમના હકની જમીનોની કબ્જા પાવતી સોંપવામાં આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Kachchh News : ગુજરાતમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજની ખેત મંડળીઓને વર્ષો પહેલા ફાળવવામાં આવેલી ખેત મંડળીઓની જમીનોનો પ્રત્યક્ષ કબ્જો હજુ પણ ન મળ્યાંની અનેક ફરિયાદો ઉઠી છે. આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને તેમના સાથીઓએ લડત ચલાવીને અનેક જગ્યાએ જમીનો અપાવી પણ છે. ત્યારે આ મામલે મોડે મોડે પણ રાજ્ય સરકારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની રજૂઆતને ધ્યાનમાં લઈને બિનવિવાદાસ્પદ જમીનો તાત્કાલિક મંડળીઓને સોંપવાની સૂચના આપી હતી, જેનો આજે અમલ કરવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ જુલાઈ માસમાં મુખ્યમંત્રીએ કચ્છના સાંસદ વિનોદ ચાવડા સાથે મોરબી-કચ્છમાં આવેલી મંડળીઓની જમીનો અંગે શું સ્થિતિ છે તેની વિસ્તારથી ચર્ચા વિચારણા કરી હતી. એ પછી સાંસદે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરીને તાત્કાલિક બિનવિવાદાસ્પદ જમીનો મંડળીઓના સભાસદોને આપવામાં આવે એવી સૂચના આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંસદ વિનોદ ચાવડાએ એ વખતે કચ્છના રાપર, ભચાઉ, અંજાર અને ભૂજ તાલુકાની અનુસૂચિત જાતિ સમાજની ખેતી સામુદાયિક મંડળીના પ્રમુખો અને સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરી, નીલ વિંઝોડા સાથે બિન વિવાદાસ્પદ જમીનોના સ્થાનિક કબ્જા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સોંપવામાં આવશે તેની બાહેધરી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ મુજબ બે દિવસ પહેલા તા. 24 ઓક્ટોબરના રોજ ભચાઉ તાલુકાના મનફરા, બંધની, કદોલ ગામમાં આવેલી અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીની જમીનોને ભૂમાફિયાઓના કબ્જામાંથી છોડાવી મંડળીના પ્રમુખ વિરજીભાઈ દાફડાને કબ્જા સોંપવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_671cf50c28e59.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં રાપર અને ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીની જમીનોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ બંને તાલુકામાં બાકી રહેતી જમીનો મૂળ સભાસદોને સોંપવામાં આવશે એવું જિલ્લા કલેકટરે જણાવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">24મી ઓક્ટોબરે આ જમીનોની કબ્જા પાવતી સોંપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ઉપરાંત પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મામલતદાર, સર્વેયર, તલાટી સહિત મંડળીના સભાસદો સુરેશ કાંટેચા, સુરેશ વાઘેલા, અશોક હાથી, વાઘજીભાઈ, મોહનભાઈ ચાવડા, રાપર અનુસૂચિત જાતિ સમાજના આગેવાન મેમભાઈ ચૌહાણ, રાપર મંડળીના મંત્રી ગજુભાઈ મેરિયા, મગાભાઈ ગોહિલ, કકરવાના સંજય મહેશ્વરી, મનજીભાઈ કારીયા, ભરૂડીયા અનુસૂચિત જાતિ આગેવાન હીરા રાજાભાઈ મનફરાના સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાંમાં મંડળીના સભાસદો અને સામાજિક રાજકીય આગેવાનો જોડાયા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના સામાજિક કાર્યકર અને સમસ્ત મહેશ્વરી સમાજના આગેવાન નરેશભાઈ મહેશ્વરી આ જમીનો દલિતોને મળે તે માટે વર્ષોથી મહેનત કરી રહ્યા હતા. અગાઉ તેમણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને પણ અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને જમીનો પ્રત્યક્ષ કબ્જો મળે તે માટે ગ્રાસરૂટ લેવલ પર ભારે મહેનત કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_671cf50cb6fed.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/"><span style="color: rgb(224, 62, 45);"><strong>ખબરઅંતર.કોમ</strong></span></a> સાથે આ મામલે વિગતે વાત કરતા નરેશભાઈ મહેશ્વરી જણાવે છે, "કચ્છમાં ચાર દાયકા પહેલા ટોચમર્યાદા ધારા બાદ અનુસૂચિત જાતિ સમાજને હજારો એકર જમીનો સાંથણીમાં મળી હતી. જો કે, માથાભારે લોકોની દાદાગીરીના કારણે તેના અસલી માલિકો એવા અનુસૂચિત જાતિ સમાજને તે જમીનનો કબ્જો મેળી શકતો નહોતો. ચાર દાયકાથી આ લડત ચાલી રહી છે અને હવે ધીરેધીરે તેમાં સફળતા મળી રહી છે. હાલ મનફરા, બંધની અને કદોલમાં આવેલી મંડળીઓને જમીનોના કબ્જા સોંપવામાં આવ્યા છે. આ જ તર્જ પર હવે અન્ય મંડળીઓને પણ જમીનો મળે તેવા પ્રયત્નો કરીશું. હાલ 50 એકર જેટલી જમીનો મંડળીઓનો સોંપવામાં આવી છે જેની બજાર કિંમત કરોડોમાં થવા જાય છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કચ્છના સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી પક્ષાપક્ષીના રાજકારણમાં પડ્યાં વિના વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજ માટે જમીની લેવલે કામ કરી રહ્યાં છે. અગાઉ તેઓ આ જમીનોના મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણાને પણ રજૂઆત કરી ચૂક્યા છે. હાલમાં એસસી-એસટી પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયરના મુદ્દે પણ તેમણે ખૂલીને વિરોધ કર્યો હતો. સામાન્ય રીતે સત્તાપક્ષ સાથે જોડાયેલી વ્યક્તિ પક્ષ સામે પડવાથી ડરતી હોય છે. પરંતુ નરેશ મહેશ્વરી કોઈની પણ પરવા કર્યા વિના માત્ર અનુસૂચિત જાતિ સમાજને વફાદાર રહીને કામ કરતા રહે છે. અનુસૂચિત જાતિ સમાજને હાલ તેમના જેવા વધુને વધુ લોકોની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-atrocity-cases-accused-are-caught-only-after-agitation-naresh-maheshwari">એટ્રોસિટીના કેસમાં આંદોલન પછી જ આરોપીઓ પકડાય છેઃ નરેશ મહેશ્વરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 26 Oct 2024 19:28:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1466</Articleid>
                    <excerpt>ભચાઉના મનફરા, બંધની અને કળોલમાં અનુસૂચિત જાતિ સમાજની ખેત મંડળીઓને ચાર દાયકા બાદ તેમના હકની જમીનોની કબ્જા પાવતી સોંપવામાં આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671cf4f3cd6be.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671cf4f392c85.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671cf4f392c85.jpg" length="111375" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kachchh News, Dalit News, Gujarat Tourism</media:keywords>
                </item>
                        <item>
                    <title>સાધુનો વેશ ધારણ કરી ભીખ માંગતા ત્રણ મુસ્લિમોને ગામલોકો ફટકાર્યા</title>
                    <link>https://khabarantar.com/villagers-beat-up-three-muslims-who-disguised-themselves-as-monks-and-begged</link>
                    <guid>https://khabarantar.com/villagers-beat-up-three-muslims-who-disguised-themselves-as-monks-and-begged</guid>
                    <description>
                        <![CDATA[ બેકારી અને ગરીબીના કારણે મુસ્લિમ સમાજના ત્રણ લોકો સાધુના વેશમાં ભીખ માંગી રહ્યા હતા, ગ્રામજનોએ તેમને પકડી લીધા અને માર માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમ સમાજના ત્રણ લોકોને સાધુનો વેશ ધારણ કરીને ઝૂંપડપટ્ટીમાં ભીખ માંગવી ભારે પડી છે. શંકા જતાં ગ્રામજનોએ તેમની પૂછપરછ કરી હતી. એ પછી ત્રણેયને પકડીને માર માર્યો હતો. સાધુઓ સાથે થયેલી મારામારીના સમાચાર મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંનેની ધરપકડ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના બસ્તીમાં મુસ્લિમ સમુદાયના લોકોને સાધુના વેશમાં ભીખ માંગવા મજબૂર કરવામાં આવ્યા હતા. શંકા જતાં ગ્રામજનોએ તેની પૂછપરછ કરી હતી. આ પછી ત્રણેયને પકડીને માર મારવામાં આવ્યો હતો. સાધુઓની મારપીટના સમાચાર મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેની ધરપકડ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/who-is-hassan-nasrallah-and-hezbollah">કોણ છે હસન નસરલ્લાહ અને હિઝબુલ્લાહ?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો નારાયણપુરના સિસવારી કુંવર ધરિયવા ગામનો છે. મળતી માહિતી મુજબ સાધુના વેશમાં ત્રણ વ્યક્તિઓ ગામમાં ભીખ માંગવા પહોંચ્યા હતા. શંકા જતા ગ્રામજનોએ તેમને પકડી લીધા અને પછી તેની પૂછપરછ શરૂ કરી દીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ગ્રામજનોની શોધખોળ દરમિયાન ત્રણેય પાસેથી શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તપાસમાં સામે આવ્યું હતું કે, ત્રણેય વ્યક્તિઓ મુસ્લિમ સમાજના હતા પણ બેકારીને કારણે કશું કામ ન મળતા સાધુ બનીને ભીખ માંગી પોતાનો ગુજારો કરતા હતા. જેના પર ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને ત્યારબાદ ત્રણેયને માર્યા હતા અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન ગામમાં કોઈએ એવી અફવા ફેલાવી દીધી કે અમુક શંકાસ્પદ લોકો થાઈલેન્ડની વસ્તીમાંથી આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેયની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન પકડાયેલા લોકોએ જણાવ્યું કે તેઓ ગામડે ગામડે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. પોલીસ પૂછપરછ દરમિયાન, તેમના નામ ફૂલ મોહમ્મદ (ગામ- જગતમાફી એકોના, દેવરિયા) મોહમ્મદ હદીશ (રહેવાસી ગોલા બજાર, ગોરખપુર) અને લલકુ (ગોલા બજાર, ગોરખપુર) હોવાનું સામે આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-mob-of-300-killed-two-muslim-youths-mistaking-them-for-thieves-killing-one">300 લોકોના ટોળાએ બે મુસ્લિમ યુવકોને ચોર સમજીને માર્યા, એકનું મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 26 Oct 2024 13:49:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1465</Articleid>
                    <excerpt>બેકારી અને ગરીબીના કારણે મુસ્લિમ સમાજના ત્રણ લોકો સાધુના વેશમાં ભીખ માંગી રહ્યા હતા, ગ્રામજનોએ તેમને પકડી લીધા અને માર માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671ca4b3627ca.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671ca4b324d7c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671ca4b324d7c.jpg" length="73641" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Minority News, UP News</media:keywords>
                </item>
                        <item>
                    <title>20 વર્ષના પતિને ઝાડ સાથે બાંધી 7 લોકોએ 19 વર્ષની નવવધુ પર ગેંગરેપ કર્યો</title>
                    <link>https://khabarantar.com/7-people-gang-raped-a-19-year-old-bride-after-tying-her-20-year-old-husband-to-a-tree</link>
                    <guid>https://khabarantar.com/7-people-gang-raped-a-19-year-old-bride-after-tying-her-20-year-old-husband-to-a-tree</guid>
                    <description>
                        <![CDATA[ કોલેજિયન યુવક-યુવતી લગ્ન બાદ પહેલીવાર ફરવા ગયા હતા. જ્યાં 7 લોકોએ યુવકને ઝાડ સાથે બાંધીને યુવતી પર ગેંગરેપ કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Rewa gang rape case : મધ્યપ્રદેશ (MP) ના રીવા (Rewa) માં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહેલા એક 19-20 વર્ષના નવ પરિણિત યુગલને 7 બદમાશોએ આંતરી યુવકને ઝાડ સાથે બાંધી યુવતી સાથે ગેંગરેપ (Gang rape) ગુજાર્યો છે. ઘટનાના ચાર દિવસ બાદ સાત આરોપીઓની ધરપકડ (7 accused arrested) કરવામાં આવી છે, એક આરોપી હજુ પણ ફરાર છે. આ ઘૃણાસ્પદ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. મંદિરથી બે કિલોમીટર દૂર બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા છે. MP કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ પોલીસ પર ઘટનાને છુપાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં જંગલરાજ છે. અહીં ગુના સૌથી વધુ છે અને દરરોજ 18 થી 20 છોકરીઓ પર બળાત્કાર થાય છે. રીવા ગેંગરેપ પીડિતાનું નિવેદન પણ સામે આવ્યું છે. પીડિતાએ જણાવ્યું કે તેને એક આરોપી છોકરાએ ધમકી આપી હતી કે તે મીડિયા ઈન્ચાર્જનો પુત્ર છે અને પોલીસ-કલેક્ટર પણ તેનું કશું બગાડી શકે તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાચની બોટલ બતાવીને યુવતીને ડરાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાએ જણાવ્યું કે તેને કાચની બોટલ બતાવીને ડરાવવામાં આવી હતી કે જો તે બૂમો પાડશે તો જાનથી મારી નાખીશું. આરોપીઓએ તેમની બાઇકની ચાવી અને મોબાઇલ પણ છીનવી લીધો હતો. પીડિતાના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ તેને માર મારી તેના પતિને અન્ય જગ્યાએ લઈ ગયા હતા. ત્યારબાદ એક પછી એક પાંચ આરોપીઓએ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે આ ઘટનામાં 5 લોકો સામેલ છે. જો કે સમગ્ર ઘટનામાં તેના કેટલાક સાગરિતો પણ સામેલ હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે સાત ગુનેગારોને ઝડપી લીધા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ તેજ કરી છે. આશરે 100 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાએ જણાવ્યું હતું કે એક આરોપીની છાતી અને હાથ પર ટેટૂ હતા. રીવાના પોલીસ અધિક્ષક વિવેક સિંહે જણાવ્યું કે પોલીસે મહિલા પર બળાત્કાર કરનાર શકમંદો સહિત સાત લોકોની અટકાયત કરી છે. એક આરોપી ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે. મામલાની તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત પતિ-પત્નીની ઉંમર 19-20 વર્ષ છે અને તેઓ હજુ કોલેજમાં અભ્યાસ કરે છે. બંનેએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બળાત્કારીઓએ ગુનો કબૂલ કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સ્થળે એફએસએલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પીડિતાની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી. જ્યારે એક આરોપી ફરાર છે અને તેની ધરપકડ કરવામાં આવી રહી છે. એક આરોપીએ કબૂલાત કરી છે કે તે તેના સાથીઓ સાથે ભૈરવ બાબા મંદિર તરફ ગયો હતો. તેઓ પાંચ લોકો હતા. ત્યાં તેમણે દારૂ પીધો, ખાધું અને સ્નાન કર્યું. બાદમાં તેના વધુ ત્રણ મિત્રો આવ્યા હતા. એ દરમિયાન તેમણે એક છોકરા-છોકરીને બેઠેલા જોયા. એટલે તેમનો એક સાથી તેમની પાસે પહોંચી ગયો. એ પછી ધીરેધીરે બધાં ત્યાં પહોંચી ગયા. જ્યાં 4-5 લોકોએ યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ યુવતીનો મોબાઈલ પણ છીનવી લીધો હતો, જે બાદમાં તેને પરત કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના 21 ઓક્ટોબરે બની હતી</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાના જણાવ્યા અનુસાર 21 ઓક્ટોબરે તે તેના પતિ સાથે મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. બપોરે પરત ફરતી વખતે તેઓ મંદિરથી 2 કિલોમીટર દૂર કોડિયા નાળા પાસે એક ખડક પર બેસી ગયા હતા. ત્યારબાદ 5 યુવકોએ તેની સાથે મારામારી કરી તેના પતિને ઝાડ સાથે બાંધીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો અને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશની ધમકી આપી હતી. ઘટના બાદ યુવક-યુવતી જેમતેમ કરીને ઘરે પહોંચ્યા હતા અને બીજા દિવસે 22 ઓક્ટોબરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/rape-victim-dalit-minor-died-during-treatment-within-a-few-days"><span style="font-size: 14pt;">રેપ પીડિત દલિત સગીરાનું થોડા જ દિવસમાં સારવાર દરમિયાન મોત</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 26 Oct 2024 12:22:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1464</Articleid>
                    <excerpt>કોલેજિયન યુવક-યુવતી લગ્ન બાદ પહેલીવાર ફરવા ગયા હતા. જ્યાં 7 લોકોએ યુવકને ઝાડ સાથે બાંધીને યુવતી પર ગેંગરેપ કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671c90f5a75f6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671c90f57694f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671c90f57694f.jpg" length="48817" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rewa gang rape, Dalit Crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરિઓમ, જપઓમ, શિવઓમે કહ્યું &amp; આ તારા બાપનો રસ્તો છે?</title>
                    <link>https://khabarantar.com/in-lucknows-mahingwa-village-upper-castes-attacked-two-dalit-brothers-with-knives-and-sticks</link>
                    <guid>https://khabarantar.com/in-lucknows-mahingwa-village-upper-castes-attacked-two-dalit-brothers-with-knives-and-sticks</guid>
                    <description>
                        <![CDATA[ આ ચારેય કોઈ સંતોના નામ નથી પરંતુ માથાભારે તત્વો છે, જેમણે બે દલિત યુવકોનો રસ્તો રોકી ચાકુ-લાકડીઓથી હુમલો કર્યો છે. હાલ બંને યુવકોની હાલત ગંભીર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">UP News : જાતિવાદી તત્વોને જાણે બધું તેમના બાપની જાગીર હોય તેમ વર્તવા જોઈએ છે. એમાં પણ જો સામે કોઈ દલિત, આદિવાસી મળી જાય તો આ લોકો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના દાદાગીરી પર ઉતરી આવે છે. ઘણીવાર તો કારણ વિના જ તેઓ મારામારી ઉતરી આવતા હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં પણ એવું જ બન્યું હતું. દલિત યુવક ટોઈલેટ જવા માટે નીકળ્યો હતો અને આ લોકો રસ્તો રોકીને ઉભા રહી ગયા. દલિત યુવકે રસ્તો છોડવા કહ્યું તો આ તારા બાપનો રસ્તો છે? કહીને મારામારી પર ઉતરી આવ્યા હતા અને જાતિસૂચક ગાળો ભાંડીને ચાકુ તથા લાકડીઓથી યુવક પર હુમલો કરી દીધો હતો. તેની રાડો સાંભળીને તેનો ભાઈ તેને બચાવવા આવ્યો હતો. જો કે માથાભારે તત્વોએ તેના પર પણ હુમલો કર્યો હતો. દરમિયાન સ્થાનિક દલિતો એકઠાં થઈ જતા આ લુખ્ખા તત્વો ભાગી ગયા હતા. એ પછી બંને ઘાયલ યુવકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને હાલત ગંભીર હોવાનું કહેવાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-sarpanch-beaten-by-racist-men-for-sitting-on-chair">તું ભલે સરપંચ હો, મારી સામે ખુરશી પર બેસવાની તારી હિંમત કેવી રીતે થઈ?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર યુપી (UP) નો છે. અહીં લખનૌ (Lucknow) ના બક્ષીના તળાવ વિસ્તારના મહિંગવા પોલીસ સ્ટેશન (Mahingava Police Station) વિસ્તારમાં બુધવારે રાત્રે એક દલિત યુવક (Dalit youngster) પર ગુંડાઓ (Goons)દ્વારા જીવલેણ હુમલો (attack) કરવામાં આવ્યો હતો, જેણે જાતિવાદ (castiesm) ના ઝેરને ફરી ઉજાગર કરી દીધું હતું. આ ઘટનામાં બદમાશોએ ટોઈલેટ જવા નીકળેલા દલિત યુવક પર છરી અને લાકડીઓથી હુમલો કર્યો. જ્યારે યુવકનો ભાઈ તેને બચાવવા પહોંચ્યો ત્યારે તેને પણ મારવામાં આવ્યો. હાલ બંનેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને બંનેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘાતકી હુમલા બાદ ગામમાં ભય અને રોષનું વાતાવરણ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">મહિંગવા પોલીસ સ્ટેશન વિસ્તારના સોનવા ગામ (Sonava Village)માં રહેતા બૈજનાથ ગૌતમનો પુત્ર દીપક ગૌતમ (Deepak Gautam) બુધવારે રાત્રે ટોઈલેટ જવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. તે ગામના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં હરિઓમ મિશ્રા, જપઓમ મિશ્રા, શિવઓમ મિશ્રા અને ઋષિ સિંહ રસ્તો રોકીને ઉભા હતા. દીપકે તેમને સહેજ દૂર ઉભા રહેવા વિનંતી કરી. પણ જાતિવાદી આ તત્વો સીધા તોછડાઈ પર ઉતરી આવ્યા અને સીધું જ - આ તારા બાપનો રસ્તો છે? એમ કહીને રસ્તો છોડવાની ના પાડી. દીપકે નમ્રતાપૂર્વક તેમને રસ્તો છોડી દેવાની વિનંતી કરી, પરંતુ બદમાશોએ તેને જાતિ આધારિત અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધું. દીપકે ગાળો ન બોલવા કહેતા હરિઓમ મિશ્રાએ તેના પર સીધો ચાકૂથી હુમલો કરી દીધો હતો. દીપક ત્યાં જ દર્દથી ઢળી પડ્યો. એ પછી પણ આ લુખ્ખા તત્વો અટક્યા નહીં અને દીપકને લાકડીઓ વડે માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દીપકને બચાવવા આવનાર તેના ભાઈને પણ માર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">જ્યારે દીપકનો ભાઈ દિલીપ ગૌતમ તેની ચીસો સાંભળીને તેને બચાવવા માટે આવ્યો ત્યારે આ ગુંડાઓએ તેને પણ નિશાન બનાવ્યો હતો. દિલીપને પણ લાકડીઓ મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમગ્ર ઘટના ગામના અન્ય રહેવાસીઓની સામે બની હતી, પરંતુ હુમલાખોરો ત્યાંથી ભાગવા લાગ્યા ત્યારે ગ્રામજનોએ હિંમત એકઠી કરી હતી. ગામલોકોએ દિલીપ અને દીપકને સંભાળ્યાં અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બંને ભાઈઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/three-dalit-children-shaved-their-heads-blackened-their-faces-with-thieves-written-on-their-heads-and-sent-to-the-village">3 દલિત બાળકોનું માથું મૂડ્યું, મોં કાળું કરી માથે 'ચોર' લખીને આખા ગામમાં ફેરવ્યાં</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે લુખ્ખા તત્વોની તરફેણ કરી ફરિયાદમાં ફેરફાર કરાવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના બાદ દીપકે મહિંગવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પોલીસે ફરિયાદમાં ફેરફાર કરાવીને કેસ નોંધ્યો છે. દીપક અને તેના પરિવારનો આરોપ છે કે પોલીસે આ લુખ્ખા તત્વોના દબાણ હેઠળ આ ઘટનાને હળવાશથી લીધી હતી અને તેમની સામે યોગ્ય કલમો હેઠળ કેસ નોંધ્યો નથી. લુખ્ખા તત્વોએ જે ગુનો કર્યો છે તેને ધ્યાનમાં રાખીને જોતા ગંભીર કલમો હેઠળ કેસ દાખલ થવો જોઈએ પરંતુ તેમાં હળવી કલમો લગાવીને બચાવ કરાયો છે. જો કે, પોલીસે દાવો કર્યો છે કે ફરિયાદના આધારે જ તેમણે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં ભયનો માહોલ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ હુમલા બાદ ગામમાં ભય અને રોષનો માહોલ છે. ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં પહેલાથી જ આ ગુંડાતત્વો દ્વારા દાદાગીરી ચાલી રહી છે, અને વહીવટીતંત્રે ક્યારેય તેમની સામે કડક પગલાં લીધા નથી, જેનાથી તેમની હિંમત વધી છે. દીપક અને તેના પરિવારે તંત્ર પાસે ન્યાયની અપીલ કરી છે અને ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગામના દલિત સમાજે પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સંગઠનો મદદે આવ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના બાદ પીડિત પરિવારે સ્થાનિક નેતાઓ અને દલિત સંગઠનો પાસે મદદ માંગી છે. આ હુમલાને લઈને દલિત સમાજમાં ભારે નારાજગી છે અને તેઓ તેને દલિતો સામે વધી રહેલા અત્યાચારની પેટર્ન તરીકે જુએ છે. ઘટનાને લઈને દલિત સંગઠનોએ લડી લેવાનું નક્કી કર્યું છે અને દીપક અને દિલીપની સાથે રહીને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-mob-of-patels-attacked-senma-vas-in-mithiwawadi-patan">પાટણના મીઠીવાવડીમાં સેનમા વાસ પર પટેલોના ટોળાએ હુમલો કર્યો, અનેક લોકો ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 26 Oct 2024 10:59:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1463</Articleid>
                    <excerpt>આ ચારેય કોઈ સંતોના નામ નથી પરંતુ માથાભારે તત્વો છે, જેમણે બે દલિત યુવકોનો રસ્તો રોકી ચાકુ-લાકડીઓથી હુમલો કર્યો છે. હાલ બંને યુવકોની હાલત ગંભીર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671c7d8c6fe47.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671c7d8c3ee50.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671c7d8c3ee50.jpg" length="45432" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, UP News, Lucknow News, SC ST Act, atrocity case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં</title>
                    <link>https://khabarantar.com/no-relief-of-muslim-party-against-bulldozer-action-in-somnath</link>
                    <guid>https://khabarantar.com/no-relief-of-muslim-party-against-bulldozer-action-in-somnath</guid>
                    <description>
                        <![CDATA[ સોમનાથમાં ગેરકાયદે બાંધકામો અને દબાણોને તોડી પાડવા મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ સોમનાથ ખાતે ગેરકાયદે બાંધકામ, દબાણો ઉપર હાથ ધરાયેલ બુલડોઝર એક્શન કેસમાં, આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન અરજદારની ધારદાર દલીલો છતાં સર્વોચ્ચ અદાલતે અરજદાર તરફે કોઈપણ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સરકારી જમીન છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, જમીનનો કબજો આગામી આદેશ સુધી સરકાર પાસે જ રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમ પક્ષ વતી દલીલો રજૂ કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે, આ સંરક્ષિત સ્મારકો છે. કોઈપણ તૃતીય પક્ષના અધિકારો નથી. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે તૃતીય પક્ષના અધિકારો શું છે? આ સરકારી જમીન છે. હાઈકોર્ટ આ બાબતથી વાકેફ છે. સિબ્બલે કહ્યું કે આ તમારા આદેશનું અપમાન છે. સિબ્બલે કહ્યું કે તોડી પાડવાનું કારણ એ છે કે તે સ્મારકો અરબી સમુદ્રની નજીક છે અને જળાશયની તે નજીક હોઈ શકે નહીં. અહીં સંરક્ષિત સ્મારકો તોડી પાડવામાં આવ્યા હતા. શું તમે તમારા આદેશ છતાં તેની કલ્પના કરી શકો છો?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિબ્બલની આ દલીલ પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ત્યાં કોઈ સંરક્ષિત સ્મારક નથી. જસ્ટિસ ગવઈએ કહ્યું કે હાઈકોર્ટનો આ આદેશ ૨૦૧૫માં પસાર કરવામાં આવ્યો હતો. તમે જણાવેલ હેતુઓ માટે જ જમીનનો ઉપયોગ કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટે પણ યથાસ્થિતિ જાળવવા આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોલિસિટર જનરલનું કહેવું છે કે આગળના આદેશ સુધી જમીનનો કબજો સરકાર પાસે રહેશે અને કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં અમને કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જરૂરી લાગતો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ૨૮ સપ્ટેમ્બરના રોજ, ગીર સોમનાથ તંત્રે મુસ્લિમોના કેટલાક ધાર્મિક સ્થાનો, ઘરો અને કબરો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.  તેની સામે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પટની અરજી દાખલ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે બુલડોઝરની કાર્યવાહી રોકવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મોટાપાયે ડિમોલિશનનું કામ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સમગ્ર પટણી મુસ્લિમ જમાતે વહીવટીતંત્રની કાર્યવાહી સામે અરજી કરી છે. અરજીમાં તેમણે સુપ્રીમ કોર્ટના ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના આદેશના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/supreme-court-refuses-to-ban-bulldozer-operation-in-somnath"> સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી પ્રતિબંધ મૂકવા સુપ્રીમનો ઈનકાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 25 Oct 2024 20:13:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1462</Articleid>
                    <excerpt>સોમનાથમાં ગેરકાયદે બાંધકામો અને દબાણોને તોડી પાડવા મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671badd85d6bb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671badd829c3e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671badd829c3e.jpg" length="100178" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bulldozer action in Somnath, Suprem Court</media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ</title>
                    <link>https://khabarantar.com/in-one-atrocity-case-98-out-of-101-accused-received-life-imprisonment</link>
                    <guid>https://khabarantar.com/in-one-atrocity-case-98-out-of-101-accused-received-life-imprisonment</guid>
                    <description>
                        <![CDATA[ દલિત એટ્રોસિટીના કેસમાં જ્યારે કાયદો કાયદાનું કામ કરે ત્યારે કેટલો મજબૂતીથી ન્યાય મળે છે તેનો આ કેસ પુરાવો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વારંવાર એટ્રોસિટી એક્ટનો દુરૂપયોગ થઈ રહ્યાંના જૂઠ્ઠાં રોદણાં રોતા તત્વોને વાસ્તવમાં મનોમન એમ વિચારતા હોય છે કે, "બસ એકવાર આ કાયદો જો દૂર થઈ જાય ને, તો આમને એમની હેસિયત બતાવી દઉં!" આ માનસિકતાથી ગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. એનું જ કારણ છે કે, દેશભરમાં દલિતો પર અત્યાચારો સતત વધતા જઈ રહ્યાં છે અને છતાં ન્યાયતંત્ર બહુ ઓછા કેસોમાં મજબૂત ચૂકાદાઓ આપે છે. બધું નજર સામે સ્પષ્ટ દેખાતું હોવા છતાં આ દેશમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓને સજાનો દર અત્યંત ઓછો છે. વડાપ્રધાન અને ગૃહ મંત્રીના હોમટાઉન ગુજરાતમાં તો આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શું દેશમાં દલિતોની પરિસ્થિતિ બદલાઈ છે? જો કોઈ એવી દલીલ કરે કે હવે દલિતો પર અત્યાચાર નથી થતા તો તેણે કર્ણાટકની આ ઘટના અને તેના પર કોર્ટે આપેલો ચૂકાદો ખાસ વાંચવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકની એક જિલ્લા અદાલતે ગુરુવારે 10 વર્ષ જૂના દલિત એટ્રોસિટીના કેસમાં 101 લોકોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 (SC-ST Act 1989) હેઠળ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે 98 લોકોને આજીવન કેદ અને બાકીના દોષિતોને પાંચ વર્ષની સજા ફટકારી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટનો આ નિર્ણય 29 ઓગસ્ટ, 2014ના રોજ કોપ્પલ જિલ્લાના મરુકંબી ગામમાં ત્રણ દલિત ઘરોને આગ લગાવી દેવાના મામલે આપવામાં આવ્યો છે.  જાતિ આધારિત હિંસાની આ ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. દલિત પુરૂષો અને મહિલાઓને તેમના ઘરની બહાર ખેંચીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/on-the-issue-of-misinterpretation-of-Arnesh-Kumars-verdict-the-battle-has-started"><span style="font-size: 14pt;">અર્ણેશ કુમારના ચૂકાદાના ખોટા અર્થઘટન મુદ્દે હવે આરપારની લડાઈ શરૂ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે ચાર્જશીટમાં 117 લોકોના નામ નોંધ્યા હતા. કોર્ટે 101 લોકોને દોષી ઠેરવ્યા છે. ટ્રાયલ દરમિયાન 11 આરોપીઓના મોત થઈ ગયા હતા. સજા સંભળાવતી વખતે ન્યાયાધીશ સી. ચંદ્ર શેખરે કહ્યું હતું કે, 'આ કેસ સામાન્ય ટોળાની હિંસાનો નહીં પરંતુ સ્પષ્ટ રીતે જાતિ આધારિત હિંસાનો જણાય છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચુકાદામાં કોર્ટે દલિતોની દયનીય સ્થિતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની સ્થિતિ સુધારવાના તમામ પ્રયાસો છતાં તેમની સામે હિંસા અને અત્યાચાર બંધ થયો નથી. કોર્ટે કહ્યું કે, "અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટેના વિવિધ પગલાઓ છતાં તેમને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. આ સિવાય તેમને વિવિધ ગુનાઓ, અપમાન અને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ કેસના તથ્યો અને પરિસ્થિતિઓ પર વિચાર કરતી વખતે મને રેકોર્ડ પર એકપણ એવી પરિસ્થિતિ દેખાઈ નથી જે કોઈની પ્રત્યે ઉદારતાનું ઔચિત્ય દર્શાવવા પ્રેરતી હોય. આવા કેસમાં દયા બતાવવી એ ન્યાયની મજાક સમાન હશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે તેના નિર્ણયમાં જરાય નરમાશ દાખવી નહોતી. કોર્ટે કહ્યું, "ઘાયલ પીડિતો, પુરૂષો અને સ્ત્રીઓ અનુસૂચિત જાતિના છે અને આરોપીઓએ મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન કર્યું છે. પીડિતો પર લાકડીઓ, પથ્થરો અને ઇંટોથી હુમલો કર્યો છે, જેનાથી તેમને ઈજા પહોંચી છે. હું માનું છું કે આરોપીને નિર્ધારિત મિનીમમ સજા કરતાં વધુ સજા થવી જોઈએ. ઓછી સજા આપવા માટે રેકોર્ડ પર કોઈ કારણ ઉપલબ્ધ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ન્યાયાધીશે કહ્યું, 'આરોપીઓની પૃષ્ઠભૂમિ, ખાસ કરીને તેમની આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતા, મને લાગે છે કે ભારે દંડ લાદવાનો કોઈ ફાયદો થશે નહીં, કારણ કે તેઓ દંડ ચૂકવવા અથવા જમા કરાવવાની સ્થિતિમાં નથી. જો ઓછો દંડ કરવામાં થોડીક નરમાશ દાખવવામાં આવશે અને આરોપી દંડ જમા કરાવે, તો પણ તે રકમ રાજ્ય અને પીડિતો વચ્ચે વહેંચવા માટે પૂરતી નહીં હોય. આથી તેમને કડકમાં કડક સજા થાય અને તેમાંથી જ તેઓ બોધપાઠ મેળવે તે જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે કોપ્પલ જિલ્લો કર્ણાટકના પછાત જિલ્લાઓમાંનો એક છે અને અહીં પહેલા પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ અપરાધના વિચિત્ર કેસો સામે આવતા રહ્યા છે. આ એ જ જિલ્લો છે જ્યાં ત્રણ વર્ષના દલિત બાળકના પિતાને મંદિરમાં પ્રવેશવા બદલ 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, માત્ર કર્ણાટકમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં દલિતોની સ્થિતિ આવી જ છે. દેશના જુદા જુદા ભાગોમાંથી સમયાંતરે દલિત અત્યાચારના અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા રહે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્યારેક મંદિરમાં પ્રવેશવા બદલ, તો ક્યારેક મૂછ રાખવા બદલ 'સજા' આપવામાં આવે છે. ક્યારેક લગ્નમાં ઘોડી પર બેસવાને લઈને, તો ક્યારેક માત્ર પાણીને સ્પર્શ કરવા માટે અત્યાચાર ગુજારાય છે. ચોરીના આરોપમાં માર મારવો, હાથ-પગ દોરડા વડે બાંધવા અને માથું મુંડાવી માથે પેશાબ કરવો, પેશાબ પીવડાવવો, માથે થૂંકવું જેવી ઘટનાઓ પણ બની છે. શરમજનક વાત એ તે, બધું નજર સામે થતું હોવા છતાં આવા કેસોમાં આરોપીઓ જેલમાંથી છૂટી જાય છે. જો એટ્રોસિટીના કેસોમાં આ જ રીતની કડકાઈ દાખવવામાં આવે તો કોઈ માઈનો લાલ દલિતો, આદિવાસીઓ સામે આંખ ઉંચી કરીને જોઈ ન શકે. જરૂર માત્ર ઈચ્છાશક્તિની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/now-the-accused-in-the-case-of-atrocity-will-go-home-after-tea-watering-the-police">હવે એટ્રોસિટીના કેસમાં આરોપીઓ પોલીસના ચા-પાણી કરીને ઘરે જતા રહેશે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 25 Oct 2024 18:53:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1461</Articleid>
                    <excerpt>દલિત એટ્રોસિટીના કેસમાં જ્યારે કાયદો કાયદાનું કામ કરે ત્યારે કેટલો મજબૂતીથી ન્યાય મળે છે તેનો આ કેસ પુરાવો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671b9af8e68d7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b9af8b11a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b9af8b11a7.jpg" length="139175" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Atrocity Case, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાબા બાળકનાથને શોધી લાવો, એક લાખનું ઈનામ આપીશું: ભીમ આર્મી</title>
                    <link>https://khabarantar.com/find-baba-balaknath-we-will-give-a-reward-of-one-lakh-bhim-army</link>
                    <guid>https://khabarantar.com/find-baba-balaknath-we-will-give-a-reward-of-one-lakh-bhim-army</guid>
                    <description>
                        <![CDATA[ દલિત સગીરા પર રેપ કરીને ફરાર થઈ ગયેલા બાબા બાળકનાથને શોધી કાઢનાર માટે ભીમ આર્મીએ એક લાખનું ઈનામ જાહેર કર્યું છે. જાણો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના સીકરમાં એક ઢોંગી બાબાએ દલિત સગીરા પર બળાત્કાર કર્યાની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે. સીકરના લક્ષ્મણગઢના દંતુજલા મંદિરના કથિત બાબા બાળકનાથે એક દલિત સગીરાનું અપહરણ કરી તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી બાબાએ સગીરાનો વીડિયો ઉતારી તેને વારંવાર ધમકી આપી હેરાન કરવાનું ચાલું કરી દીધું હતું. સગીરા આ વાત કોઈને કહી શકતી નહોતી. આખરે તેની હિંમત ખૂલી અને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઢોંગી બાબો બાળકનાથ મંદિર છોડીને ફરાર થઈ ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ દલિત સમાજની સગીર દીકરી પર બાબાએ દુષ્કર્મ ગુજાર્યાની જાણ થતા જ ભીમ આર્મી સહિતના સંગઠનો પીડિતાની પડખે આવ્યા હતા અને પોલીસને ઢોંગી બાબાને ઝડપી પાડવા દબાણ સર્જ્યું હતું. ભીમ આર્મીની સાથે આંબેડકર વેલ્ફેર સોસાયટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંગઠનોએ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપીને આરોપી ઢોંગી બાબા બાળકનાથ અને તેના સાગરિતોની ધરપકડની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સંગઠનોએ ચેતવણી આપી છે કે, જો આરોપીઓને જલ્દી પકડવામાં નહીં આવે તો સમગ્ર રાજસ્થાનમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભીમ આર્મીના જિલ્લા અધ્યક્ષ એડવોકેટ જયસ્વામી કલ્યાણે કહ્યું હતું કે, પોલીસ જો બાબાને ઝડપથી પકડી નહીં શકે તો અમારે નાછૂટકે આ મામલે આંદોલન કરવું પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબાની ભાળ આપનારને એક લાખનું ઈનામ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકર મેમોરિયલ વેલ્ફેર સોસાયટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેશ જોયાએ કહ્યું હતું કે, કથિત આ બાબાએ જે કૃત્ય કર્યું છે કે કોઈ કાળે ચલાવી શકાય તેમ નથી. પોલીસે આરોપીઓની જલદી ધરપકડ કરવી જોઈએ. ફરાર આરોપીની ભાળ આપનારે એક લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયામાં બાબાનો સગીરા સાથેનો વીડિયો વાયરલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ ઢોંગી બાબા બાળકનાથનો દલિત સગીરા સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. વીડિયોમાં સગીરા પણ દેખાઈ રહી છે. આ અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ જ સગીરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીકર જિલ્લાના લક્ષ્મણગઢના ખેડી દાતુંજલાના ક્ષેત્રપાલ મંદિરના બાબા બાળકનાથ સામે એક દલિત સગીરાએ તંત્ર વિદ્યાની આડમાં બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ બાબા અને તેના સાથીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે મંદિરના બાબા બાલકનાથે તંત્ર વિદ્યા દ્વારા પરિવારની સમસ્યાઓ ઉકેલવાના બહાને તેની સાથે બળાત્કાર કર્યો હતો. આરોપી બાબા અને તેના ડ્રાઈવરે ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને કરશે તો અને તેઓ બોલાવે ત્યારે તેમની પાસે નહીં આવે તો તેઓ તેના આખા પરિવારને ખતમ કરી નાખશે અને વીડિયો વાયરલ કરી દેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કારમાં બેસાડી, પેંડા ખવડાવી બળાત્કાર ગુજાર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાએ પોલીસને જણાવ્યું કે થોડા મહિના પહેલા તે મંદિરમાં પૂજા કરવા ગઈ હતી અને ત્યાં તેની મુલાકાત રાજેશ નામના એક છોકરા સાથે થઈ હતી, જેણે તેનો પરિચય બાબા બાળકનાથ સાથે કરાવ્યો હતો. બાબાએ તેને પ્રસાદ આપ્યો અને કહ્યું કે આ પ્રસાદથી તને આશીર્વાદ મળશે. એ પછી થોડા મહિના પહેલા બાબા બાળકનાથે તેને ગામમાં મૂકી જવાના બહાને કારમાં બેસાડી લીધી હતી અને રસ્તામાં પેંડા ખાવા માટે આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સગીરાએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી, બાબો ફરાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેંડા ખાધા પછી તે બેભાન થઈ ગઈ અને બાબાએ તેના પર ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. ડ્રાઈવર યોગેશે તેનો વીડિયો બનાવ્યો. એ પછી આરોપી બાબા અને તેના સાથીઓએ તેને ધમકાવવાનું શરૂ કર્યું અને તેને પોતાની પાસે બોલાવવાની વાત કરી. તેઓ વિડિયો વાયરલ કરવાની ધમકી પણ આપવા લાગ્યા હતા. આથી તંગ આવી ગયેલી સગીરાએ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ SC-ST સેલના ડીવાયએસપી અજીત પાલને સોંપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-case-has-been-registered-against-the-impostor-indian-baba-who-committed-1320-rapes-in-22-years-in-london">લંડનમાં 22 વર્ષમાં 1320 રેપ કરનાર ઢોંગી ભારતીય બાબા પર કેસ નોંધાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 25 Oct 2024 12:34:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1460</Articleid>
                    <excerpt>દલિત સગીરા પર રેપ કરીને ફરાર થઈ ગયેલા બાબા બાળકનાથને શોધી કાઢનાર માટે ભીમ આર્મીએ એક લાખનું ઈનામ જાહેર કર્યું છે. જાણો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671b4211514ff.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b421118280.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b421118280.jpg" length="55956" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bhim Army, Baba Balaknath</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગટર ટેંક સાફ કરતી વખતે ઝેરી ગેસથી ત્રણ સફાઈ કર્મીઓના મોત</title>
                    <link>https://khabarantar.com/three-cleaners-dead-by-poisonous-gas-while-cleaning-sewage-tank</link>
                    <guid>https://khabarantar.com/three-cleaners-dead-by-poisonous-gas-while-cleaning-sewage-tank</guid>
                    <description>
                        <![CDATA[ ગેસના કારણે એક સફાઈકર્મી 20 ફૂટ ઊંડા ખાડામાં પડીને બેભાન થઈ ગયો. તેને બચાવવા તેના બે સાથીઓ અંદર પડ્યાં અને તેઓ પણ બેભાન થઈ જતા મૃત્યુ પામ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Three cleaners dead by poisonous gas while cleaning sewage tank : સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં દેશમાં સફાઈકર્મીઓ પાસે ગટર કે ગટર ટેંકમાં ઉતરીને સફાઈ કરાવવામાં આવે છે. જેના કારણે સમયાંતરે સફાઈકર્મીઓના મોતની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલા રાજસ્થાન (Rajasthan) ના સીકર (Sikar District) ના ફતેહપુર (Fatehpur City) માં બની ગઈ. અહીં મંગળવારે ગટરની ટાંકી સાફ (Sewer tank cleaning) કરતી વખતે ઝેરી ગેસ (Gas leak) શ્વાસમાં જતા ત્રણ સફાઈ કામદારો (Three sanitation works) ના મોત (died) થયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, ગટરની ટાંકી સાફ કરતી વખતે એક સફાઈ કામદાર 20 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો અને બેભાન થઈ ગયો હતો. તેમના બે સાથીઓ તેને બચાવવા અંદર ગયા, પરંતુ તેઓ પણ ઝેરી ગેસને કારણે બેભાન થઈ ગયા. પોલીસની ટીમે ત્રણેયને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરાયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દુર્ઘટના મંગળવારે સાંજે લગભગ 4.30 વાગ્યે સીકરના ફતેહપુરના સરદારપુરા વિસ્તારમાં બની હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને પ્રદેશ ધારાસભ્ય હાકિમ અલી ખાન અને અન્ય લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Govt-to-pay-Rs-30-lakh-compensation-if-employee-dies-while-cleaning-drains:-Supreme-Court-order">ગટરની સફાઈ કરતા કર્મચારીનું મોત થાય તો રૂ. 30 લાખનું વળતર આપવું પડશે, સુપ્રીમ કોર્ટનો આદેશ</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ, વાલ્મિકી સમાજે (Valmiki Community) આ ઘટના બાદ વિરોધ શરૂ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ સરકારી નોકરી અને મૃતકોના પરિવાર માટે 1 કરોડ રૂપિયાની માંગણી કરી છે. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા હોસ્પિટલમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ પછી વાલ્મિકી સમાજના લોકો મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા અને જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી જિલ્લા હોસ્પિટલના ગેટ પર હડતાળ પર બેસી ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંદોલનકારીઓ કલેક્ટર તેમની મુલાકાતે આવે તેની રાહ જોઈ રહ્યાં છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે તેઓ માત્ર કલેક્ટર સાથે વાત કરશે અને જ્યાં સુધી કલેક્ટર આવીને તેમની વાત નહીં સાંભળે ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાલ્મિકી સમાજના લોકોનું કહેવું છે કે ગટરોની સફાઈ માટે કામદારોને સુરક્ષાના સાધનો આપવામાં આવતા નથી. જો તેમની પાસે સુરક્ષાના સાધનો હોત તો કદાચ ત્રણેયના જીવ બચાવી શકાયા હોત. આ સફાઈકર્મીઓના પાડોશી પ્રદીપ હટવાલે જણાવ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા મજૂરોમાં સજ્જન (30), મુકેશ (35) અને મહેન્દ્ર (38)નો સમાવેશ થાય છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Sewage-cleaning-is-claiming-an-estimated-70-lives-every-year">કાયદેસર પ્રતિબંધ હોવા છતાં ગટર સફાઈમાં વર્ષે 70 લોકોના મોત થાય છે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ 2013 શું કહે છે?</span><br><span style="font-size: 14pt;">મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ 2013 (Manual Scavenging Act 2013) હેઠળ, દેશમાં કોઈ પણ વ્યક્તિને ગટર સાફ કરવા માટે ટાંકીમાં કે ગટરમાં ઉતારવા સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જો ખાસ સંજોગોમાં સફાઈકર્મીઓને ગટરની સફાઈ માટે અંદર ઉતારવામાં આવે તો ચોક્કસ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કર્મચારીનો વીમો ઉતરાવેલો હોવો જોઈએ, સુપરવાઈઝરની સૂચનાઓ મુજબ કામ કરવું જોઈએ અને કામ કરવાની લેખિત પરવાનગી હોવી જોઈએ. મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકેve રોજગાર પર પ્રતિબંધ અને તેમનું પુનર્વસન અધિનિયમ, 2013 (MS એક્ટ, 2013) 6 ડિસેમ્બર, 2013 ના રોજ અમલમાં આવ્યો હતો, જે હાથથી થતા સફાઈ કામને પ્રતિબંધિત કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષે જુલાઈમાં મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athavale) એ રાજ્યસભા (rajya sabha) માં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, '2019 થી 2023 સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગટર અને સેપ્ટિક ટેંકોની સફાઈને કારણે કુલ 377 લોકોના મોત થયા છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-the-last-5-years-339-people-died-in-the-country-while-cleaning-drains-and-septic-tanks">છેલ્લાં પાંચ વર્ષમાં ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈ દરમિયાન કેટલાં લોકો મોતને ભેટ્યાં?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 25 Oct 2024 11:08:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1459</Articleid>
                    <excerpt>ગેસના કારણે એક સફાઈકર્મી 20 ફૂટ ઊંડા ખાડામાં પડીને બેભાન થઈ ગયો. તેને બચાવવા તેના બે સાથીઓ અંદર પડ્યાં અને તેઓ પણ બેભાન થઈ જતા મૃત્યુ પામ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671b2ecc9b768.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b2ecc633c5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b2ecc633c5.jpg" length="106578" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rajasthan News, Three sanitation works, died</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને &amp;apos;લૂંટારા&amp;apos; ગણાવતા હોબાળો મચ્યો</title>
                    <link>https://khabarantar.com/rajbha-gadhvi-creates-uproar-calling-dang-tribals-robbers</link>
                    <guid>https://khabarantar.com/rajbha-gadhvi-creates-uproar-calling-dang-tribals-robbers</guid>
                    <description>
                        <![CDATA[ કથિત લોકસાહિત્યકાર અને કલાકાર રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને લૂંટારા ગણાવીને સમસ્ત આદિવાસી સમાજનું અપમાન કરતા હોબાળો મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ઘણાં એવા કલાકારો છે જે રાજ્યના નાગરિકોના મહત્વના પ્રશ્નોને લઈને કદી મોંઢું ખોલતા નથી, પરંતુ જેવો સત્તાપક્ષની ચાંપલૂસી કરતો મુદ્દો ચર્ચામાં આવે, એટલે તરત ઉછળી ઉછળીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા માંડે છે. આવા જ એક કથિત લોકસાહિત્યકાર કમ કલાકાર એટલે રાજભા ગઢવી (Rajbha Gadhvi) . સત્તાપક્ષની ચાંપલૂસી કરીને પોતાના રોટલાં શેકવામાં માહેર આ કથિત કલાકારે આ વખતે ડાંગ (Dang) સહિત સમસ્ત આદિવાસી (Tribes of Dang) સમાજની અસ્મિતા પર ઘા કર્યો છે અને તેમને 'લૂંટારા' (robbers) ગણાવી દીધાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">રાજભા ગઢવીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જબરજસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ડાંગ અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજને લૂંટારા ગણાવી રહ્યાં છે. આ વીડિયોને લઈને આદિવાસી સમાજમાંથી આકરી પ્રતિક્રિયાઓ આવી છે અને રાજનેતાઓથી લઈને સામાજિક કાર્યકરો અને આદિવાસી અગ્રણીઓ તરફથી રાજભાને આ મામલે સ્પષ્ટતા કરવા અને નિવેદન પાછું ખેંચવા કહેવામાં આવી રહ્યું છે. સાથે જ રાજભા ગઢવી પર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">વીડિયોમાં શું છે?</span></strong><br><span style="font-size: 14pt;">વાયરલ વીડિયોમાં રાજભા ગઢવી ઉપસ્થિત જનમેદનીને ખુશ કરવા માટે ગીરના લોકોની દરિયાદિલીની બઢાવી ચઢાવીને વાતો કરતા જોવા મળે છે. વીડિયોમાં તેઓ બોલતા દેખાય છે કે, "ગુજરાતના ડાંગ આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડા પણ રહેવા દેતા નથી. આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે ભુલા પડો તો નેહડા વાડા આડા ફરી લઈ જાય." </span><br><span style="font-size: 14pt;">રાજભાનો આ વીડિયો વાયરલ થતા જ ડાંગ જ નહીં પરંતુ ગુજરાતભરના આદિવાસી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે અને આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં</span></strong><br><span style="font-size: 14pt;">રાજભા ગઢવીના ડાંગ વિશેના વિવાદાસ્પદ વીડિયોને લઈ ડાંગના રાજા (Dang King) ધનરાજસિંહ સુર્યવંશી (Dhanrajsingh Suryavanshi) એ નિવેદન આપ્યું છે. તેમણે રાજભાને ચેલેન્જ આપતાં જણાવ્યું છે કે, આ વિવાદાસ્પદ ટિપ્પણી પાછી ખેંચે અને અમારી પ્રજા પાસે માફી માગે નહીં તો આવનારા દિવસોમાં આ મુદ્દે આવેદનપત્ર આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવી જ પ્રતિક્રિયા ડેડિયાપાડા (Dediyapada) ના આપ (AAP)ના ધારાસભ્ય (MLA) ચૈતર વસાવા (Chaitar Vasava) એ આપી છે. ચૈતરભાઈએ કહ્યું છે કે, આદિવાસી સમાજને લૂંટારા ગણાવતો રાજભાનો વીડિયો મેં જોયો છે અને તેનાથી સમસ્ત આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. આ મામલે રાજભા આદિવાસી સમાજની માફી માંગે. નહીંતર આના માટે આદિવાસી સમાજ રસ્તા પર ઉતરીને આંદોલન કરવા મજબૂર થશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધવલ પટેલે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજભા ગઢવીના નિવેદન બાદ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજમાં રાજભા ગઢવી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. વલસાડ (Valsad) ના સાંસદ (MP) ધવલ પટેલે (Dhaval Patel) રાજભા ગઢવીના નિવેદનને લઇ વિરોધ નોંધાવ્યો છે. ધવલ પટેલે રાજભા ગઢવી આદિવાસી સમાજની માફી માંગે તેવી માગ કરી છે. તેમણે કહ્યું કે, ડાંગ સાપુતારાના આદિવાસીઓ મહેમાનગતિમાં પાછળ પડતા નથી. રાજભા ગઢવી માફી નહીં માગે ત્યાં સુધી આદિવાસી સમાજ તેમનો વિરોધ કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટી ફરિયાદની માંગ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડાંગના સામાજિક કાર્યકર (Social activist) સ્નેહલ ઠાકરે (Snehal Thakar)એ આ વાયરલ વિડિયોને લઈ ડાંગ જીલ્લા આદિવાસી સમાજ વતી આ બાબતે તાત્કાલિક ધોરણે એટ્રોસિટી એકટ (ST atrocity act) મુજબ FIR કરી ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/doctors-were-sleeping-tribal-girl-died-due-to-lack-of-tratment">ડોક્ટરો સૂતા રહ્યાં અને આદિવાસી દીકરી સારવારના અભાવે મોતને ભેટી</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 25 Oct 2024 09:43:44 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 25 Oct 2024 09:44:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1458</Articleid>
                    <excerpt>કથિત લોકસાહિત્યકાર અને કલાકાર રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને લૂંટારા ગણાવીને સમસ્ત આદિવાસી સમાજનું અપમાન કરતા હોબાળો મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671b1aa2612aa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b1aa22ce26.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b1aa22ce26.jpg" length="58402" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rajbha Gadhvi Official, Gir, adivasi</media:keywords>
                </item>
                        <item>
                    <title>બસપાએ ઉત્તરપ્રદેશ પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી</title>
                    <link>https://khabarantar.com/bsp-announced-its-list-of-candidates-for-uttar-pradesh-by-elections</link>
                    <guid>https://khabarantar.com/bsp-announced-its-list-of-candidates-for-uttar-pradesh-by-elections</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સમાજ પાર્ટીએ કુલ 8 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાએ આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને  તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. બસપાએ ૮ વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગાઝિયાબાદ વિધાનસભાથી પરમન્નાદ ગર્ગને ટિકિટ આપવામાં આવી છે. બસપાએ હજુ સુધી ખેર વિધાનસભા બેઠક માટે પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જણાવી દઈએ કે કાનપુરની સિસીમાઉ, પ્રયાગરાજની ફુલપુર, મૈનપુરીની કરહાલ, મિર્ઝાપુરની મઝવાન, અયોધ્યાની મિલ્કીપુર, આંબેડકર નગરની કટેહારી, ગાઝિયાબાદ સદર, અલીગઢની ખેર, મુરાદાબાદની કુંડાર્કી અને મીરાપુર સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાએ આંબેડકરનગર જિલ્લાની કટેહારી વિધાનસભાથી અમિત વર્માને ટિકિટ આપી છે. જિતેન્દ્ર કુમાર સિંહને પ્રયાગરાજ જિલ્લાની ફૂલપુર સીટથી ટિકિટ આપવામાં આવી છે, શાહનઝરને મુઝફ્ફરનગરની મીરાપુર સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય કાનપુર નગરની સિસમાઉ સીટ પરથી વીરેન્દ્ર કુમાર શુક્લા, મૈનપુરીની કરહાલ સીટથી અવનીશ કુમાર શાક્ય, મુરાદાબાદની કુંડારકી સીટથી રફતુલ્લા ઉર્ફે નેતા છિદ્દાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે પરમાનંદ ગર્ગને ગાઝિયાબાદ સીટથી અને દીપક તિવારીને મિર્ઝાપુર જિલ્લાની મઝવાન સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પહેલા ભાજપે યુપી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ માત્ર ૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ પેટાચૂંટણીમાં ફુલપુરથી દીપક પટેલ, ગાઝિયાબાદથી સંજીવ શર્મા, કુંડાર્કીથી રામવીર સિંહ ઠાકુર, ખેરથી સુરેન્દ્ર દિલેર, કરહાલથી અનુજેશ યાદવ, કટેહરીથી ધરમરાજ નિષાદ અને મઝવાનથી સુચિસ્મિતા મૌર્યને ઉમેદવાર બનાવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/what-did-mayavati-say-on-the-issue-of-sub-classification-in-sc-st-reservation"> SC-ST અનામતમાં પેટા વર્ગીકરણ મુદ્દે માયાવતીએ શું કહ્યું?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 21:45:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1457</Articleid>
                    <excerpt>બહુજન સમાજ પાર્ટીએ કુલ 8 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671a7197ad2b7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a71977441d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a71977441d.jpg" length="72616" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Uttar Pradesh by-election, BSP, Mayavati</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુપ્રીમ કોર્ટે યુપી, રાજસ્થાનમાં બુલડોઝર કાર્યવાહી સામેની અરજી ફગાવી</title>
                    <link>https://khabarantar.com/supreme-court-dismisses-plea-against-bulldozer-action-in-up-rajasthan</link>
                    <guid>https://khabarantar.com/supreme-court-dismisses-plea-against-bulldozer-action-in-up-rajasthan</guid>
                    <description>
                        <![CDATA[ કોર્ટે એમ કહીને અરજી ફગાવી કે તે નેશનલ ફેડરેશન ઑફ ઈન્ડિયન વુમન દ્વારા કરાઈ છે, જે બુલડોઝરની કાર્યવાહીની પક્ષકાર નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પ્રતિબંધ હોવા છતાં થઈ રહેલી બુલડોઝરની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજીને ફગાવી દીધી છે. ખંડપીઠે કોર્ટમાં દાખલ કરાયેલી અરજીને એમ કહીને ફગાવી દીધી હતી કે તે ત્રીજા પક્ષ વતી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે આ અરજી નેશનલ ફેડરેશન ઑફ ઈન્ડિયન વુમન દ્વારા દાખલ કરવામાં આવી છે અને તે બુલડોઝરની કાર્યવાહીનો પક્ષકાર નથી તેથી આ અરજી ફગાવી દેવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રણ જજની બેન્ચે કહ્યું, 'તમે ત્રીજા પક્ષકાર છો. તમને શું વાંધો છે? અસરગ્રસ્ત પક્ષોને આ મામલે આગળ આવવા દો. અમે તેમને સાંભળીશું. જો આવા કેસોની સુનાવણી શરૂ થશે તો અરજીઓનું પૂર આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણેય રાજ્યોમાં હજુ પણ બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે કોર્ટે આદેશ આપ્યો હતો કે કોઈપણ સંજોગોમાં આરોપીઓ સામે આવી કાર્યવાહી કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવી જોઈએ. અરજીમાં હરિદ્વાર, કાનપુર અને જયપુરની ત્રણ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણેય જિલ્લાના કલેક્ટરને પક્ષકાર બનાવવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય વહીવટીતંત્ર ભલે આ બાંધકામો ગેરકાયદે હોવાનું કહેતું હોય, પરંતુ કોર્ટે આપેલા આદેશ મુજબ મંજૂરી લેવી જરૂરી હતી. કોઈના ઘર પર આ પ્રકારની કાર્યવાહી કરી શકાય નહીં. કોર્ટે પોતાના આદેશમાં માત્ર એ દબાણો પર જ કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી જે જાહેર સ્થળો, રસ્તાઓ, ફૂટપાથ, રેલ્વે લાઇનની પાસે અને જળાશયોની નજીક કોર્ડન કરીને કરવામાં આવ્યા હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે જે લોકો આ અરજીને રજૂ કરી રહ્યા છે તે વાસ્તવિક પક્ષકારો નથી. આ મામલામાં યુપી સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે કહ્યું હતું કે આ અરજી તથ્યોની વિરુદ્ધ છે અને માત્ર મીડિયાના અહેવાલોના આધારે દાખલ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/supreme-court-refuses-to-ban-bulldozer-operation-in-somnath"><span style="font-size: 14pt;">સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી પ્રતિબંધ મૂકવા સુપ્રીમનો ઈનકાર</span></a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 21:25:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1456</Articleid>
                    <excerpt>કોર્ટે એમ કહીને અરજી ફગાવી કે તે નેશનલ ફેડરેશન ઑફ ઈન્ડિયન વુમન દ્વારા કરાઈ છે, જે બુલડોઝરની કાર્યવાહીની પક્ષકાર નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671a6d6069864.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a6d603757d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a6d603757d.jpg" length="96002" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Supreme Court, UP, Rajasthan Bulldozer action</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરણી બોટકાંડ બાદ સરકારે શાળા પ્રવાસની નવી માર્ગદર્શિકા જાહેર કરી</title>
                    <link>https://khabarantar.com/after-the-harani-boat-incident-the-government-announced-new-guidelines-for-school-travels</link>
                    <guid>https://khabarantar.com/after-the-harani-boat-incident-the-government-announced-new-guidelines-for-school-travels</guid>
                    <description>
                        <![CDATA[ શાળાઓએ પ્રવાસ પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારી, આરટીઓ અને પોલીસ મથકને જાણ કરવાની રહેશે. જાણો બીજી શું જોગવાઈ કરાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરાના હરણી બોટ કાંડની ઘટના બાદ રાજ્યની શાળાઓમાં પ્રવાસને લઈને રાજ્ય સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી આ નવી માર્ગદર્શિકા અંતર્ગત પ્રવાસ યોજતાં પૂર્વે જે તે શાળાએ શિક્ષણાધિકારી, આરટીઓ કચેરી અને સ્થાનિક પોલીસ મથકને જાણ કરવાની રહેશે. રાજ્ય બહારના પ્રવાસ માટે જિલ્લા શિક્ષણાધિકારી અને વિદેશ પ્રવાસ માટે પ્રાથમિક નિયામકની મંજૂરી લેવી પડશે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં થોડા મહિનાઓ અગાઉ વડોદરા ખાતેના હરણી તળાવના પ્રવાસે આવેલી શાળાના બાળકોની બોટ પલટી જતાં ૧૨ વિદ્યાર્થી અને ૨ શિક્ષક સહિત ૧૪ વ્યક્તિના મોત નિપજ્યાં હતા. આ ઘટનાના કારણે રાજયભરમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. વડોદરાના હરણી બોટ કાંડની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ભારે ગંભીર નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં પ્રવાસ પર રોક લગાવવામાં આવી હતી. તેમ છતાં અનેક શાળાઓ દ્વારા પ્રવાસ યોજવામાં આવી રહ્યા હતા. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવી છે. એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા શાળાના પ્રવાસ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં નવા નિયમો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ નવી માર્ગદર્શિકા અનુસાર  રાજ્યની કોઈ પણ શાળાએ પ્રવાસ યોજવા માટે શિક્ષણાધિકારી, આરટીઓ કચેરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણીકાંડની ઘટના બાદ પ્રવાસ પર રોક લગાવવામાં આવી હોવા છતા અમુક શાળાઓ દ્વારા પ્રવાસ કરાવાયા છે. ત્યારે ભવિષ્યમાં આવી અન્ય કોઇ દુર્ઘટના ન બને તેને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સરકારને પ્રવાસ અંગેની નવી માર્ગદર્શિકા સોંપવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, જે તે શાળાઓએ પ્રવાસ યોજવા માટે સૌ પ્રથમ પ્રવાસ માટે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવી પડશે. ત્યાર બાદ ફરજિયાત પણે 15 દિવસ અગાઉ આરટીઓ કચેરીમાં તેમજ સ્થાનિક પોલીસ મથકમાં પ્રવાસ અંગેની જાણ કરવાની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો શાળા દ્વારા રાજ્યની અંદર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવાની રહેશે. પરંતુ રાજ્ય બહારના પ્રવાસ માટેનું આયોજન કરવામાં આવ્યું હશે તો તે માટે શાળાએ રાજ્યના નિયામક, પ્રાથમિક શિક્ષણ કચેરીમાં જાણ કરવાની રહેશે. જેના થકી શાળાઓના પ્રવાસના તમામ આયોજન વ્યવસ્થિત રીતે થાય અને ભવિષ્યમાં થનાર કોઇ અણબનાવ કે દુર્ઘટનાને અટકાવી શકાય તેમ જણાવાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે રાજ્યની કેટલીક શાળાઓ દ્વારા વિદેશ પ્રવાસનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે શાળાના આવા વિદેશ પ્રવાસ માટે રાજ્યના શિક્ષણ વિભાગને 15 દિવસ અગાઉ શાળાએ જાણ કરવાની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, થોડા સમય અગાઉ વડોદરા શહેરના હરણી તળાવમાં શાળાના પ્રવાસ દરમિયાન બોટની સહેલગાહ સમયે બોટ પલટી ગઈ હતી. જેમાં ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકો સહિત ૧૪ વ્યક્તિના મોત નિપજ્યાં હતા. આ હરણી બોટ દુર્ઘટના કાંડ બાદ સરકાર દ્વારા રાજયમાં શાળાઓના પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે, હવે શાળાઓએ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકાના આધારે અને નવા નિયમોના પાલન સાથે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Harani-disaster:-27-were-accommodated-against-the-capacity-of-12,-the-man-driving-the-salvage-lorry-was-driving-the-boat">હરણી હોનારતઃ 12ની ક્ષમતા સામે 27ને બેસાડ્યાં, સેવઉસળની લારી ચલાવતો શખ્સ બોટ ચલાવતો હતો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 20:36:19 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 24 Oct 2024 20:38:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1455</Articleid>
                    <excerpt>શાળાઓએ પ્રવાસ પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારી, આરટીઓ અને પોલીસ મથકને જાણ કરવાની રહેશે. જાણો બીજી શું જોગવાઈ કરાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671a62f9bf7d7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a62f980767.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a62f980767.jpg" length="81236" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>A new guide to school tours, Harani boat scandal</media:keywords>
                </item>
                        <item>
                    <title>વડોદરાના દુમાડની દલિત દીકરી ગુજરાતની સૌથી યુવા સરપંચ બની</title>
                    <link>https://khabarantar.com/dalit-daughter-of-dumad-of-vadadara-became-gujarats-youngest-sarpanch</link>
                    <guid>https://khabarantar.com/dalit-daughter-of-dumad-of-vadadara-became-gujarats-youngest-sarpanch</guid>
                    <description>
                        <![CDATA[ બે વર્ષ પહેલા કલ્પના ચૌહાણ માત્ર 22 વર્ષની ઉંમરે ગામની સરપંચ બની હતી. આ સાથે જ તે ગુજરાતની સૌથી યુવા સરપંચ બની ગઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરા પાસે આવેલા દુમાડ ગામની 24 વર્ષની કલ્પના ચૌહાણ સમગ્ર ગુજરાતમાં સૌથી યુવા સરપંચ બનીને છાકો પાડી દીધો છે. હાલ સોશિયલ વર્ક વિષયમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહેલી આ છાત્રા માત્ર ૨૨ વર્ષની ઉંમરે આ પદ ધારણ કરી ગુજરાતની સૌથી યુવા સરપંચ બની છે. સરપંચ બનતાની સાથે કલ્પનાએ ગામને સ્વચ્છ બનાવવાની સાથે પંચાયતની આવકમાં પણ વૃદ્ધિ કરાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરાની ભાગોળે આવેલા દુમાડ ગામના સૌથી યુવા સરપંચ કલ્પનાબેન ચૌહાણને જૂઓ તો માન્યામાં જ ના આવે કે આવો યુવાન ચહેરો એક આખા ગામનું નેતૃત્વ કરતો હશે, પણ આ હકીકત છે. ગામની આ દલીત દીકરી દુમાડના વિકાસ અને સ્વચ્છતા માટે તનતોડ મહેનત કરી રહી છે. ડિસેમ્બર – ૨૦૨૨ દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં એક હજાર જેટલા મતોથી વિજેતા બનેલી કલ્પનાએ ૧૭-૦૧-૨૦ના રોજ દુમાડ ગામના સરપંચનું પદ ગ્રહણ કર્યું. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૨ વર્ષ હતી. એ વખતે તે બીકોમનો અભ્યાસ પૂર્ણ કોલેજમાંથી સ્નાતક થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલેજથી સીધા ગ્રામ પંચાયતમાં કેવી રીતે આવવાનું થયું? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, “મારા પિતા કાંતિભાઇ ચૌહાણ પોતે ૨૫ વર્ષથી ગ્રામ પંચાયતના સભ્ય છે. તેમના પગલે મને પણ પંચાયતના કામોમાં રસ પડવા માંડ્યો અને હું ચૂંટણી લડી અને જીતી.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_671a50654f813.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરપંચ બન્યા પછી ગામમાં કરવામાં આવેલા વિકાસકામોની રૂપરેખા આપતા કલ્પના કહે છે, “અમે ગ્રામ પંચાયતની આવક વધારી છે. વ્યવસાય વેરાની આવક સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરી આવકનો સ્ત્રોત મજબૂત કરતા આજે ગ્રામ પંચાયતનું સ્વભંડોળ રૂ. ૭૫ લાખ જેટલું છે. આ ઉપરાંત આ કાર્યકાળમાં અમે રૂ. ૧૪થી ૧૫ કરોડના વિકાસના કામો કર્યા છે. જેમાં માર્ગો, ગામના તળાવનું બ્યુટીફિકેશન, આંગણવાડી, પ્રાથમિક શાળાનું નિર્માણ સહિતના કામોનો સમાવેશ થાય છે. અમે પંચાયત કચેરીને જનસેવાનું કેન્દ્ર બનાવ્યું છે. વિધવા સહાય માટે કેમ્પ રાખીને ૨૬૦થી વધુ વિધવા મહિલાઓને માસિક આર્થિક સહાય મેળવવામાં અને ૫૦થી વધુ પરિવારોને એનએફએસએ યોજના હેઠળ અનાજ અપાવવામાં મદદરૂપ થયા છીએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુમાડ ગામને સ્વચ્છ બનાવવા માટે તેમણે કમર કસી લીધી છે. ગામમાં ઘરેઘરે જઇને લોકોને સમજાવ્યા, શેરી બેઠકો કરી. તેનું પરિણામ મળ્યું. ગામ ચોખ્ખું ચણાક થયું. માત્ર જિલ્લા સ્તરે જ નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ દુમાડને માન મળ્યું. બીજી ઓક્ટોબરે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ અને પીએમની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્વચ્છ ભારત દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુજરાતમાંથી એક માત્ર કલ્પનાને આમંત્રણ મળ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુમાડ ગામમાં ઘરેઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે. તેનું સેગ્રિગેશન કરવામાં આવે છે. કચરે સે આઝાદી ફાઉન્ડેશનની મદદથી આ પ્લાસ્ટિકના કચરાને વિવિધ વસ્તુઓમાં પરિવર્તિક કરવામાં આવે છે. ગામના તળાવ ફરતે મૂકવામાં આવેલા બાંકડા પૈકી કેટલાક આ પ્લાસ્ટિકમાંથી બન્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુમાડ ગામમાં ૧૩૨૬ ઘરો છે. ગામની વસ્તી ૫૨૪૪ છે. જેમાંથી સ્ત્રીની સંખ્યા ૨૫૫૭ અને પુરુષની સંખ્યા ૨૬૮૭ છે.  ગામના તલાટી મંત્રી શ્રી મિતાબેન ચૌધરી અને ઉપસરપંચ ઉષાબેન પરમાર છે. ગામનું સુકાન મહિલાઓના હાથમાં છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોના સામુહિક પ્રયત્નોથી દુમાડ આદર્શ ગામ બન્યું છે અને તેનો શ્રેય દલિત સમાજની એક દીકરીને જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/For-the-first-time-in-the-history-of-Gujarat,-a-Sidi-girl-became-a-doctor-and-made-history">ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 19:22:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1454</Articleid>
                    <excerpt>બે વર્ષ પહેલા કલ્પના ચૌહાણ માત્ર 22 વર્ષની ઉંમરે ગામની સરપંચ બની હતી. આ સાથે જ તે ગુજરાતની સૌથી યુવા સરપંચ બની ગઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671a507334e51.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a5072efd2c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a5072efd2c.jpg" length="112774" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Youngest Sarpanch of Gujarat, Vadodara News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ફૂલે&amp;શાહુ&amp;આંબેડકરી વિચારધારાના વાહક દેવજી ભગતની વિદાય</title>
                    <link>https://khabarantar.com/farewell-of-devji-bhagat-carrier-of-phule-shahu-ambedkar-ideoligy</link>
                    <guid>https://khabarantar.com/farewell-of-devji-bhagat-carrier-of-phule-shahu-ambedkar-ideoligy</guid>
                    <description>
                        <![CDATA[ આજીવન ફૂલે-શાહુ, આંબેડકરી વિચારધારાના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત રહેલા ગોંડલના દેરડી કુંભાજી ગામના વતની દેવજી ભગતે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફુલે-શાહુ-આંબેડકરી વિચારધારા આજે પણ અડીખમ ઉભી છે તેની પાછળ નિઃસ્વાર્થભાવે, કોઈપણ પ્રકારની લાઈમલાઈટમાં આવ્યા વિના ચુપચાપ રીતે પાયાનું કામ કરતાં હજારો વિચારધારાના વાહકોની મહેનત રહેલી છે. તેવા જ એક વિચારધારાના વાહક હતાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીની ગામના દેવજી ભગત. જેમણે બે દિવસ પહેલા આપણી વચ્ચેથી વિદાય લીધી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોંડલ પંથક અને મિશનરી માણસો તેમને એકદમ સરસ, નિખાલસ અને પ્રેમાળ સ્વભાવના લીધે દેવજી ભગતના નામથી ઓળખે, પણ અમારા માટે દેવજીમામા, જે હવે આપણી વચ્ચે નથી રહ્યાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવજી ભગતે અમરેલી, જુનાગઢ અને ગોંડલની આસપાસના સોરઠી પંથકમાં પોતાના જીવનના 50 વર્ષો કરતાં પણ વધુ સમય સુધી પોતાના આગવા અંદાજમાં ફુલે-શાહુ, આંબેડકરી, બહુજન વિચારધારાનો પ્રચાર-પ્રસાર કર્યો. સંતોની ભાષામાં અને પોતાની આગવી વાણીમાં બુદ્ધથી લઈને માન્યવર કાંશીરામ સુધીના બહુજન નાયકોના વિચારો સમાજના છેવાડાના માનવીઓ સુધી પહોંચાડ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે પોતાના જીવનપર્યંત અંદાજીત 2,000 કરતાં પણ વધુ ફુલે-શાહુ, આંબેડકરી વિચારધારા ફેલાવનારા ડાયરા અને કાર્યક્રમો નિ:શુલ્ક અથવા સાવ નજીવી રકમે, બસમાં મુસાફરી કરીને કે 5-10 કિલોમીટર પગપાળા ચાલીને એકદમ સાદગીપુર્ણ રીતે 60 વર્ષની ઉંમરે પણ કરેલા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવજી બાપા ડાયરાઓ અને પ્રોગ્રામો સિવાય ફિલ્ડમાં પણ બુદ્ધ, કબીર સાહેબ અને રોહિદાસ બાપાના વિચારોને આધુનિક શૈલીમાં રજૂ કરી યુવાનો અને પછાતોમાં વૈજ્ઞાનિક અભિગમનો પ્રચાર કરતાં. સાથે જ માન્યવર કાંશીરામ સાહેબના રાજકીય વિચારોનું પણ બીજારોપણ કરતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફુલે-શાહુ, આંબેડકરી મિશનરી તો ખરા જ, પણ સમાજમાં અંધશ્રધ્ધા, કુરિવાજો, મહિલાઓના ઉદ્ધાર અને સમાજના આંતરીક કે પારીવારીક વિવાદોમાં પણ સમાજને જોડવા દિવસ રાત જોયા વિના કામ કર્યું હતું અને મદદરૂપ બન્યા હતાં. અનેક યુવાનોના માર્ગદર્શક અને ફુલે-શાહુ આંબેડકરી વિચારધારાના વાહક દેવજી ભગત છેલ્લા શ્વાસ સુધી મિશનનું કામ કરતાં રહ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈપણ માન-સન્માન, સ્ટેજ, પદ-હોદ્દા કે પૈસાની પણ લાલચ વિના કામ કરતાં ખરા અર્થના બહુજન યોદ્ધા એવા દેવજી ભગતની સમગ્ર બહુજન સમાજ અને ફુલે-શાહુ, આંબેડકરી મુવમેન્ટને સદા માટે ખોટ રહેશે. દેવજી ભગતને ક્રાંતિકારી જય ભીમ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(અહેવાલઃ ડૉ. ભાવિન પરમાર, રાજકોટ)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/author-journalist-rti-activist-dr-Swapnil-Mehta-no-more">લેખક, પત્રકાર, આરટીઆઈ એક્ટિવિસ્ટ ડૉ. સ્વપ્નિલ મહેતા ની વિદાય</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 14:19:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1453</Articleid>
                    <excerpt>આજીવન ફૂલે-શાહુ, આંબેડકરી વિચારધારાના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત રહેલા ગોંડલના દેરડી કુંભાજી ગામના વતની દેવજી ભગતે આપણી વચ્ચેથી વિદાય લીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671a09f5290c5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a09f4e6dc3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a09f4e6dc3.jpg" length="85824" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Phule-Shahu-Ambedkari ideology</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતોને રીઝવવા RSS મથુરામાં બે દિવસ મંથન કરશે</title>
                    <link>https://khabarantar.com/rss-will-hold-a-two-day-manthan-in-mathura-to-indulge-dalits</link>
                    <guid>https://khabarantar.com/rss-will-hold-a-two-day-manthan-in-mathura-to-indulge-dalits</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભા ચૂંટણીમાં મળેલી પછડાટમાં દલિતોનો મોટો હાથ હોવાથી RSS હવે દલિતોને કેવી રીતે રીઝવવા તેના પર મથુરામાં બે દિવસ મંથન કરશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીમાં બંધારણ પર પડેલી તરાપ અને દલિતો, આદિવાસીઓના હકો પર ભાજપ દ્વારા મારવામાં આવેલી તરાપને લઈને દલિત સમાજે ભાજપના વિરોધમાં એકતરફી મતદાન કર્યું હતું. જેના કારણે અબ કી બાર 400 પારનો નારો આપનાર ભાજપ 250ની અંદર સમેટાઈ ગયું હતું. હરિયાણામાં પણ દલિત મતો ભાજપ તરફ ખસકે તેવી સ્થિતિ ઓછી જણાતી હોવાથી તેણે ઓબીસી મતો પર ફોકસ કર્યું હતું. હાલ એસસી એસટી પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયરનો મુદ્દો દેશભરમાં ચગેલો છે, હરિયાણાની નાયબ સૈની સરકારે પહેલી જ કેબિનેટ મીટિંગમાં દલિતો વિરોધી એસસી પેટા વર્ગીકરણ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. આ બધાં કારણોસર ભાજપની છાપ દલિતોમાં ભારે નકારાત્મક થઈ ચૂકી છે. એ સ્થિતિમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને આગામી દિવસોમાં બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં દલિત મતો ભાજપને સૌથી વધુ નડી શકે તેમ હોવાથી હવે ભાજપની નૈયા પાર લગાવવા માટે ફરી એકવાર RSS મેદાનમાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;">દલિતોને કેવી રીતે ભાજપ તરફ વાળવા તે અંગે મથુરામાં બે દિવસીય મંથન સત્ર યોજાનાર છે. RSSના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરના જણાવ્યા મુજબ સંઘની અખિલ ભારતીય એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક 25 અને 26 ઓક્ટોબરે મથુરામાં યોજાવા જઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપનું માતૃ સંગઠન આરએસએસ હિન્દુ સમાજમાં સમરસતા માટે એક મોટી પહેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. અત્યાર સુધી, આરએસએસ સમરસતા મંચ જેવા કાર્યક્રમો દ્વારા હિંદુ સમાજની તમામ જાતિઓ સુધી પહોંચવાના પ્રયાસો કરતું રહ્યું છે. પણ હવે જે રીતે દલિત સમાજના મતોનો પ્રભાવ દરેક ચૂંટણીઓમાં દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે તે જોતા તેણે મથુરામાં ખાસ દલિત સમાજના મતોને ભાજપ તરફ કેવી રીતે વાળીને રાખવા તે માટેનું બે દિવસનું મંથન સત્ર યોજવાનું નક્કી કર્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSSના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે માહિતી આપી છે કે, અખિલ ભારતીય એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક 25 અને 26 ઓક્ટોબરે મથુરામાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ, RSSના શતાબ્દી વર્ષની ઉજવણી, OTT પ્લેટફોર્મ માટે નિયમોની માંગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં RSSના 393થી વધુ નેતાઓ હાજર રહેશે. તેમાં પ્રાંતીય પ્રચારકો, પ્રાંતીય સંઘચાલકો અને પ્રાંતીય કાર્યકરો પણ સામેલ હશે. આરએસએસના સૂત્રોએ જણાવ્યું કે વિજયાદશમી પરના તેમના ભાષણમાં સરસંઘચાલક મોહન ભાગવતે બેઠકનો એજન્ડા નક્કી કર્યો હતો. હવે માત્ર કયું કાર્ય કેવી રીતે પૂરું કરવું જોઈએ તેના પર વિગતવાર વિચાર-વિમર્શ કરવાનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીટીંગનો એજન્ડા જણાવતા સુનીલ આંબેકરે કહ્યું કે, 'સમાજને કેવી રીતે એક સાથે રાખી શકાય તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમને ખોટી માહિતીની જાળમાં ફસાતા અટકાવવા જોઈએ. તેમણે બાળકો પર ઈન્ટરનેટ પ્લેટફોર્મ પર આવતી સામગ્રીની પ્રતિકૂળ અસરો વિશે પણ વાત કરી અને તેના નિયમનની જરૂરિયાત વ્યક્ત કરી. તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને સમાજમાં સમરસતા કેવી રીતે બનાવી શકાય તેના પર ચર્ચા થશે. અમે અત્યાર સુધી શું કર્યું છે અને ભવિષ્યમાં શું કરી શકીશું તેના પર મંથન કરીશું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસના નેતાએ કહ્યું કે અમે સ્વામી દયાનંદ સરસ્વતી, બિરસા મુંડા, અહલ્યાબાઈ હોલકર અને રાણી દુર્ગાવતીનો સંદેશ સમાજમાં કેવી રીતે પહોંચાડવો તે અંગે વિચારણા કરીશું. મોહન ભાગવતે પોતાના સંબોધનમાં આ તમામ વ્યક્તિત્વનો ઉલ્લેખ કર્યો હતો. આરએસએસને દલિતો સુધી લઈ જવા અંગે વિચાર-મંથન થશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મંથન ખાસ છે, કારણ કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આવતા મહિને જ ચૂંટણી યોજાવાની છે. આપને જણાવી દઈએ કે સામાન્ય ચૂંટણીમાં ભાજપને માત્ર 240 સીટો મળી હતી અને તેના માટે દલિતોના એક વર્ગની સરકી જવાને પણ કારણ માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખાસ વાત એ છે કે આ વર્ષે દશેરા દ્વારા આરએસએસ તેના 100માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. દેશભરમાં શતાબ્દી વર્ષ નિમિત્તે કેવા અને કેવા કાર્યક્રમો યોજવા જોઈએ. સંઘની આ મહત્વની બેઠકમાં આ અંગે પણ ચર્ચા થવા જઈ રહી છે. સંઘનું કહેવું છે કે ભવિષ્યમાં કેટલાક ફેરફારો પણ જોવા મળશે, જેની રૂપરેખા નક્કી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/the-dalits-of-the-country-have-clearly-recognized-the-manuvadi-face-of-the-bjp-rss">BJP-RSS ના 'મનુવાદી' ચહેરાને આ દેશના દલિતો, આદિવાસીઓ સ્પષ્ટ રીતે પારખી ગયા છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 13:34:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1452</Articleid>
                    <excerpt>લોકસભા ચૂંટણીમાં મળેલી પછડાટમાં દલિતોનો મોટો હાથ હોવાથી RSS હવે દલિતોને કેવી રીતે રીઝવવા તેના પર મથુરામાં બે દિવસ મંથન કરશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6719fe8000d27.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6719fe7fc45fa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6719fe7fc45fa.jpg" length="53070" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, RSS, Mathura Metting, Mohan Bhagwat</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખ્રિસ્તી બનનાર 35 દલિતોને યજ્ઞ શુદ્ધિકરણ કરી ફરી હિંદુ બનાવાયા</title>
                    <link>https://khabarantar.com/35-dalits-who-became-christians-were-purified-by-yagna-and-made-hindu-again</link>
                    <guid>https://khabarantar.com/35-dalits-who-became-christians-were-purified-by-yagna-and-made-hindu-again</guid>
                    <description>
                        <![CDATA[ 35 દલિતોએ આભડછેટ-જાતિવાદથી ગ્રસ્ત હિંદુ ધર્મ છોડી દીધો હતો, પણ બજરંગ દળ, VHP દબાણ કરી તેમને પરત લઈ આવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ ધર્મ અને કથિત હિંદુ સંગઠનો દલિતો સાથે દાખવવામાં આવતા જાતિવાદ, વર્ણ વ્યવસ્થા અને અસ્પૃશ્યતા જેવા ભેદભાવોને દૂર કરવામાં તસુભાર પણ રસ નથી લેતા, પરંતુ આ જ ભેદભાવોથી કંટાળીને જ્યારે કોઈ દલિત બૌદ્ધ કે અન્ય કોઈ ધર્મ અંગીકાર કરી લે છે ત્યારે તેઓ ધર્મ બચાવોની કાગારોળ મચાવી, દાદાગીરી પર ઉતરી આવી હિંદુ ધર્મ છોડી ચૂકેલા દલિતોને ધાકધમકી આપી, દબાણ કરીને પરત લાવવા મચી પડે છે. આવા અનેક ઉદાહરણો આપણે જોયા છે અને તેમાં વધુ એક ઉમેરો થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બુદ્ધની ધરતી બિહાર (Bihar) માં બની છે. અહીં નવાડા (Nawada) જિલ્લામાં હિંદુ ધર્મમાં પાળવામાં આવતી અસ્પૃશ્યતા, જાતિવાદ અને વર્ણ વ્યવસ્થાથી કંટાળીને 15 જેટલા મહાદલિત પરિવારોના 30-35 લોકોએ સ્વેચ્છાએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો. જો કે, કેટલાક હિંદુ સંગઠનોએ તેમને ખ્રિસ્તી ધર્મ છોડી ફરી હિંદુ બનવા દબાણ કર્યું હતું. જેના કારણે આ દલિત પરિવારો ફરી હિંદુ બન્યા હોવાનું જાણવા મળે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિંદુ સંગઠનો શું કહે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">હિંદુત્વવાદી સંગઠનોનું કહેવું છે કે, નવાદા જિલ્લાના અનેક વિસ્તારોમાં વર્ષોથી ધર્મ પરિવર્તનની રમત રમાઈ રહી છે. અહીં ઘણા લોકો હિન્દુમાંથી ખ્રિસ્તી બન્યા છે. આ દલિત પરિવારોને રોગો મટાડવા, દુ:ખ દૂર કરવા, દેવામાંથી મુક્તિ થવા જેવી સમસ્યાઓના સમાધાનની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવાયું હતું. પણ અમે તેમને પરત લઈ આવ્યા છીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">દલિત પરિવારોનું કથિત શુદ્ધિકરણ કરાયું</span></strong><br><span style="font-size: 14pt;">હિંદુ સંગઠનો દ્વારા આ તમામ દલિત પરિવારોની બાદમાં શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હતી અને વૈદિક હવન યજ્ઞ કરીને તેમને ફરી હિંદુ બનાવાયા હતા. બિહારના અલગ-અલગ વિસ્તારોમાં ઘણા દલિત પરિવારો જાતિવાદ, અસ્પૃશ્યતા, વર્ણ વ્યવસ્થા જેવી હિંદુ ધર્મની બદ્દીઓથી કંટાળીને બૌદ્ધ કે ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યાં છે. ત્યારે આ ઘટનાને લઈને ધર્મ પરિવર્તન કરવા માંગતા દલિતોમાં એક આંતરિક ભય પેદા થયો છે. તેમને લાગે છે કે, જો તેઓ હિંદુ ધર્મ છોડી દેશે તો પણ આ સંગઠનો તેમનો પીછો નહીં છોડે. માટે હિંદુ ધર્મ છોડવા માંગતા અનેક દલિતો હાલ શાંત થઈ ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવાદા જિલ્લાના રોહ તાલુકાના સિંઘણા ગામમાં પણ દલિતો સાથે કંઈક આવું જ થઈ રહ્યું હતું. જેના કારણે 15 જેટલા દલિત પરિવારોના 30-35 લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને ખ્રિસ્તી થવાનું પસંદ કર્યું હતું તેમણે પરત હિંદુ બનવું પડ્યું છે. હિંદુત્વવાદી સંગઠનો તેમને પરત લાવી રહ્યાં છે. તેના માટે તમામ પ્રકારના રસ્તાઓ અપનાવાઈ રહ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સંઘણા ગામના મહાદલિત પરિવારોને હિંદુત્વવાદી સંગઠનોએ હિંદુ ધર્મમાં પરત ફરવા દબાણ કર્યું હતું અને તે કામ કરી ગયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પરિવારોમાંથી કેટલાક લોકો હિંદુ ધર્મમાં પરત ફર્યા હતા. એ પછી ગામના શિવ મંદિરમાં હવન અને યજ્ઞ કરીને તેમનું કથિત શુદ્ધિકરણ કરાયું હતું. કથિત શુદ્ધિકરણના આ કાર્યક્રમમાં બજરંગ દળ, વીએચપી, વેદ પ્રચારક દળ અને અન્ય હિન્દુ સંગઠનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેદ પ્રચાર મંડળના અધ્યક્ષ દેવેન્દ્ર શાસ્ત્રીએ આ મામલે દલિત પરિવારો પર હિંદુ ધર્મમાં પરત ફરવા દબાણ કર્યું હતું અને તે કામ કરી ગયું છે. એ પછી મીડિયાને બોલાવાયું હતું અને દેવેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં જ આ પરિવારોને નિવેદન આપવા કહેવાયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં એ પછી દલિત પરિવારોએ જણાવ્યું કે તેમને લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે સમજાવવામાં આવ્યા હતા. અમને કહેવામાં આવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મનું પાલન કરવાથી તમને ઘણો ફાયદો થશે. તમારા જીવનમાંથી તમામ રોગ-કષ્ટો દૂર થઈ જશે. વિધિ કરીને તમામ બિમારીઓ મટાડી દેવાશે. એ પછી અમે ખ્રિસ્તી ધર્મ અંગિકાર કર્યો હતો. પરંતુ જ્યારે અમને ખબર પડી કે અમારી સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે અમે હિંદુ ધર્મમાં પરત ફરવાનું નક્કી કર્યું હતું. અમે હિંદુ હતા અને હિંદુ તરીકે જ જીવન જીવીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Buddhist-marriage-trend-in-Scheduled-Caste-society,-first-Buddhist-marriage-ceremony-held-in-Kadi">દલિત યુવાનોમાં બૌદ્ધ વિધિથી લગ્ન કરવાનો નવો ટ્રેન્ડ, કડીમાં પ્રથમ બૌદ્ધ લગ્ન યોજાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 11:49:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1451</Articleid>
                    <excerpt>35 દલિતોએ આભડછેટ-જાતિવાદથી ગ્રસ્ત હિંદુ ધર્મ છોડી દીધો હતો, પણ બજરંગ દળ, VHP દબાણ કરી તેમને પરત લઈ આવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6719e6c3e7316.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6719e6c3afd54.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6719e6c3afd54.jpg" length="74788" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Nawada Bihar, Conversion to Christianity</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભયભીત માનવજાત યુદ્ધ&amp;હથિયારોથી મુક્તિ ઝંખે છે, કોઈને સંભળાય છે?</title>
                    <link>https://khabarantar.com/fearful-mankind-longs-for-freedom-from-war-and-weapons-hear-anyone</link>
                    <guid>https://khabarantar.com/fearful-mankind-longs-for-freedom-from-war-and-weapons-hear-anyone</guid>
                    <description>
                        <![CDATA[ યુદ્ધને બદલે સંવાદ જરૂરી છે એમ માનતું ભારત યુદ્ધ હથિયારોની નિકાસ કરશે, શાંતિનું નોબેલ આપનાર સ્વીડન પણ યુદ્ધ હથિયારો વેચે છે તે કેટલું આઘાત અને આશ્ચર્યજનક છે?  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણી આરત તો અહિંસક, યુદ્ધરહિત સમાજની કે ‘યુદ્ધ નહીં બુદ્ધ સહી’ ના વિશ્વની છે. પરંતુ દુનિયા તો  જમીનના ટુકડા કે વર્ચસ્વ માટે યુદ્ધરત અને યુદ્ધગ્રસ્ત  છે. સમ્રાટ અશોકને કલિંગના યુદ્ધમાં થયેલી હિંસા પછી કલિંગબોધ લાધ્યો હતો અને તેઓ હથિયારો હેઠા મૂકી બુદ્ધની કરુણા, અહિંસા તથા શાંતિના માર્ગે વળ્યા હતા. પરંતુ આજની લોકશાહી સરકારોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ કલિંગબોધ થતો નથી. એટલે વિશ્વમાં યુદ્ધો ખેલાતા રહે છે. જીનેવા એકેડેમીના અહેવાલ પ્રમાણે આજે દુનિયામાં છવ્વીસ મોટા યુદ્ધો અને સશસ્ત્ર સંઘર્ષો ચાલી રહ્યા છે. તેમાં  સૌથી વધુ બાર મધ્ય પૂર્વમાં, છ યુરોપમાં, પાંચ એશિયામાં અને ત્રણ દક્ષિણ અમેરિકામાં ચાલે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રશિયા-યુક્રેન યુધ્ધ ત્રણ વરસથી તો ઈઝરાયેલ –હમાસ યુધ્ધ એક વરસથી અવિરામ ચાલે છે. તેમાં નવા દેશો ઉમેરાતા રહે છે. ઈરાન, પેલેસ્ટાઈન, લેબેનોન, સિરીયા અને બીજા દેશો ઉપરાંત જગત જમાદાર અમેરિકા પણ આ બધામાં ખૂબ જ સક્રિય છે. યુદ્ધોને કારણે હજારો લોકોના મોત થયા છે. લાખો વિસ્થાપિત થયા છે અને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે પરંતુ યુદ્ધનો કાયમી અંત તો ઠીક, કામચલાઉ  યુદ્ધ વિરામ પણ ક્ષિતિજે ક્યાંય જોવા મળતો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/between-expensive-protective-equipment-and-cleaning-machines-what-is-your-priority">મોંઘા સંરક્ષણ સાધનો અને સફાઈના મશીનો વચ્ચે તમારી પ્રાથમિકતા શું છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુદ્ધની અનેક વિપરીત અસરો છે. દુનિયાના ઘણા દેશોનો સૈન્ય ખર્ચ વધતો જાય છે. ચીન અને પાકિસ્તાન જેવા વસમા પાડોશીથી ઘેરાયેલા ભારતનું સંરક્ષણ બજેટ સતત વધતું રહ્યું છે. એકવીસમી સદીના આરંભના વરસે, ૨૦૦૧માં, ભારતનું સંરક્ષણ બજેટ ૧૪.૬ અબજ ડોલરનું હતું. દાયકા પછી ૨૦૧૧માં તેમાં સાડા ત્રણ ગણી વૃધ્ધિ થઈ અને તે  ૪૯.૬૩ અબજ ડોલર થયું હતું. તેના બીજા દસ વરસ પછી ૨૦૨૦માં ૭૨.૯૪ અબજ ડોલર હતું. ભારતનું સૈન્ય બજેટ પાકિસ્તાનથી તેર ગણું વધારે છે. શિક્ષણ, આરોગ્ય અને લોકકલ્યાણના અન્ય કામોમાં ખર્ચવા યોગ્ય નાણા સરહદો સલામત રાખવા વાપરવા પડે છે. આ કડવી વાસ્તવિકતા બંને દેશોએ સ્વીકારવી પડશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિફેન્સ થિંક ટેન્ક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસના રિપોર્ટ મુજબ લશ્કરી ખર્ચની બાબતમાં આપણો દેશ વિશ્વમાં ત્રીજું અર્થાત અમેરિકા અને ચીન  પછીનું સ્થાન ધરાવે છે. ગાંધીની અહિંસા અને નહેરુના પંચશીલ તથા વિશ્વશાંતિને  વરેલા ભારત માટે આ સ્થાન લગીરે હરખાવા જેવું નથી. ૨૦૨૧માં અમેરિકાનો આર્મી પાછળનો ખર્ચ ૮૦૧ અબજ ડોલર, ચીનનો ૨૯૩ અબજ ડોલર, ભારતનો ૭૬.૬ અબજ ડોલર , યૂ.કે નો ૬૮.૪ અબજ ડોલર, રશિયાનો ૬૫.૯ અબજ ડોલર અને જર્મનીનો ૫૬ અબજ ડોલર હતો. રશિયા કરતાં ભારતનો લશ્કરી ખર્ચ વધારે છે તો આ ખર્ચમાં પ્રથમ ક્રમે રહેલા અમેરિકા અને અન્ય ક્રમના દેશો વચ્ચેનું અંતર અનેક ગણું વધારે છે.</span><br><span style="font-size: 14pt;">અમેરિકા અને અન્ય શસ્ત્ર ઉત્પાદક દેશોનું હિત વિશ્વ યુધ્ધરત રહે અને તેમના હથિયારોનું બજાર ગરમ રહે તેમાં રહેલું છે. એટલે હાલના યુદ્ધોને અટકાવવાના કોઈ ગંભીર પ્રયાસો થતા નથી. વિશ્વનું શસ્ત્ર બજાર જે ગઈકાલ સુધી ૧૮૩ લાખ કરોડનું હતું તે તાજેતરના યુદ્ધોથી વધીને હવે ૨૫૦ લાખ કરોડનું થવાની સંભાવના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/if-taj-mahal-is-history-where-is-the-history-of-its-sculptors">તાજમહેલને ઈતિહાસ ગણીએ તો તેના શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શસ્ત્ર બજારમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. તે પછીના ક્રમે ફ્રાન્સ, રશિયા, ચીન, જર્મની, ઈટલી, યુ.કે અને સ્પેન છે. હવે તેમાં સ્વીડન, તુર્કી, દક્ષિણ કોરિયા અને ભારતનો પણ પ્રવેશ થયો છે. ભારતનું લક્ષ્ય શસ્ત્રોની આયાત લગભગ ઘટાડીને યુદ્ધ હથિયારોમાં સ્વાવલંબી થવાની અને વધારાના હથિયારોની નિકાસ કરવાની છે. યુદ્ધ કોઈને પાલવે નહીં, આ યુદ્ધનો સમય નથી , યુદ્ધને બદલે સંવાદ જરૂરી છે એમ માનતું ભારત યુદ્ધ હથિયારોની નિકાસ કરશે કે શાંતિનું નોબેલ આપનાર સ્વીડન પણ યુદ્ધ હથિયારો વેચે છે તે કેટલું આઘાત અને આશ્ચર્યજનક છે નહીં? </span><br><span style="font-size: 14pt;">હાલમાં જે દેશોમાં યુદ્ધો ચાલે છે તેમની યુદ્ધ હથિયારોમાં એ કે ૪૭ ( એસોલ્ટ કલાશ્વિન કોવ) રાઈફલ અને ફાઈટર ડ્રોનની સવિશેષ માંગણી હોય છે. એટલે ડ્રોનનું હાલનું બજાર,  તેની માંગણીમાં વૃધ્ધિને જોતાં,  રૂ. પાંચ લાખ કરોડનું છે તે વધીને રૂ.પચીસ લાખ કરોડનું થવાનું છે. આધુનિક યુદ્ધો લડાકુ વિમાનો અને મિસાઈલોથી લડાય છે તેથી તેની પણ માંગ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુદ્ધો કેટલાં મોંઘા હોય છે તેનો ખ્યાલ કેટલાક યુધ્ધ હથિયારોની કિંમત પરથી આવે છે. ઈઝરાયેલે આટલી મિસાઈલો છોડી અને ઈરાનની આટલી વિફળ કરી તેવું વાંચી- સાંભળીને મિસાઈલ માનવ જીવ લેવા ઉપરાંત કિંમતમાં કેટલામાં પડે છે તેનો ખ્યાલ આવતો નથી. અમેરિકાની ટોમહોક મિસાઈલ પંદર લાખ ડોલરની તો પૈટ્રિયટ મિસાઈલ ૪૦ લાખ ડોલરની હોય છે. એફ-૧૫ અને એફ-૩૫ લડાકુ વિમાનમાં ઉડાન દરમિયાન દર કલાકે અનુક્રમે ૩૦ અને ૪૨ હજાર ડોલરનું ઈંધણ વપરાય છે. લડાકુ વિમાનોમાં રાખવામાં આવતી જીપીએસ આધારિત બોમ્બ કીટની કિંમત ૨૫ હજાર ડોલર છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/there-is-an-election-expenditure-limit-for-candidates-not-for-political-parties">ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદાઓ છે, તો રાજકીય પક્ષો માટે કેમ નહીં?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હથિયાર ઉત્પાદક દેશો અને કંપનીઓ યુદ્ધો અટકવા દેતા તો નથી જ પણ તેનો હાઉ પણ ફેલાવે છે. તાઈવાનને ચીનનો ખતરો છે એમ ઠસાવીને અમેરિકાએ તાઈવાનને આ વરસોમાં જ ૧૭ લાખ કરોડના હથિયારો પધરાવ્યા છે. હવેના યુદ્ધો જેમ વધુ નિર્મમ છે અને અંધાધૂધ બોમ્બમારો કરવામાં આવે છે તેમ તેમાં બે સૈનિકો સામસામે લડતા હોય તેવું બહુ ઓછું બને છે. એટલે મિસાઈલો તેમાંય ડ્રોન મિસાઈલો અને મશીનોનું આ યુદ્ધ છે. જે દેશોના યુધ્ધ હથિયારો વધુ આધુનિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ હોય તે જીતે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલના નાણાકીય વરસ (૨૦૨૪-૨૫) ના આરંભ પહેલાં ફેબ્રુઆરી-૨૦૨૪માં ભારત સરકારે સશસ્ત્ર દળોની ક્ષમતામાં વૃધ્ધિ માટે ૮૫ હજાર કરોડના શસ્ત્ર સરંજામની ખરીદીને મંજૂરી આપી હતી. આ ખરીદીમાં એવા હથિયારો લેવાના છે જે અત્યાધુનિક ડિફેન્સ ટેકનોલોજીથી બનેલા હોય અને યુદ્ધ ક્ષેત્રમાં નજર સામે ના હોય તેવા લક્ષ્ય પર નિશાન સાધી શકે. આ બધી બાબતો યુદ્ધની વિભીષિકાને ઓર વળ ચડાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-Unrecognized-Suffering-of-the-Dalit-Muslim-and-the-Direction-of-Solution">દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુક્રેનનો દૈનિક યુદ્ધ ખર્ચ ૧૩.૬ કરોડ ડોલરનો છે. આ એ યુક્રેન છે જે ૧૯૨૨ થી ૧૯૯૧ સુધી સોવિયેત સંઘનો ભાગ હતું. અમેરિકાએ તેને ૧૧૩ અબજ ડોલર અને યુરોપિય દેશોએ ૯૧ અબજ ડોલરની સૈન્ય અને અન્ય નાણાકીય સહાય કરી છે. અફઘાનિસ્તાન અને ઈરાક્ના યુદ્ધોમાં અમેરિકાએ ૮૦ ખરબ ડોલર વાપર્યા હતા. બીજી તરફ ગાઝામાં દર દસે સાત લોકો વિશ્વની મદદ પર જીવે છે. જેની રોજની આવક ૨.૧૫ ડોલર કરતાંય ઓછી છે તેવા વિશ્વમાં ૭૦ કરોડ લોકો (વિશ્વની વસ્તીના આશરે દસ ટકા)  બેહદ ગરીબીમાં જીવે છે. ત્યારે યુદ્ધો કોના લાભમાં હોઈ શકે?  </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે વિશ્વ યુદ્ધોની અકથ્ય પીડા આજે પણ વેઠી રહેલું વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધના ઓથાર હેઠળ જીવી રહ્યું છે. પરમાણુ હથિયારોના ઉપયોગની આશંકાએ તે હર પળ ડરેલું છે. હથિયારોની હોડ અને તકનિકીકરણની દોડે માનવજાતને એવા અંધારા ખૂણે ધકેલી દીધી છે જ્યાંથી પાછા ફરવું અશકયવત લાગે છે. ભયભીત  માનવજાત યુદ્ધ અને હથિયારોની વિભીષિકાથી મુક્તિ ઝંખે છે. આ આરત કોઈને સંભળાય છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system">શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 10:31:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1450</Articleid>
                    <excerpt>યુદ્ધને બદલે સંવાદ જરૂરી છે એમ માનતું ભારત યુદ્ધ હથિયારોની નિકાસ કરશે, શાંતિનું નોબેલ આપનાર સ્વીડન પણ યુદ્ધ હથિયારો વેચે છે તે કેટલું આઘાત અને આશ્ચર્યજનક છે? </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6719d49d3e5ac.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6719d49d04798.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6719d49d04798.jpg" length="89706" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Top Ten Arms Supplier Countries, War in the world, Israel Hamas War, Russia Ukraine war</media:keywords>
                </item>
                        <item>
                    <title>પદ્મિનીબાના ત્રાસથી ભાવનગર કરણી સેનાના ઉપપ્રમુખે ઝેરી દવા પી લીધી</title>
                    <link>https://khabarantar.com/the-vice-president-of-bhavnagar-karni-sena-drank-poison-due-to-padminibas-torture</link>
                    <guid>https://khabarantar.com/the-vice-president-of-bhavnagar-karni-sena-drank-poison-due-to-padminibas-torture</guid>
                    <description>
                        <![CDATA[ પદ્મિનીબા વાળા કરણી સેના ઉપપ્રમુખને અવારનવાર માનિસક ત્રાસ ગુજારી, અડધી રાત્રે ફોનમાં ધમકી આપી ખોટા આક્ષેપો કરતા હતા ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં તેમના પતિ સાથે થયેલા ઝઘડાને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થનાર પદ્મિનીબા વાળા પર મોટો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ પદ્મિનીબાના ત્રાસથી ભાવનગર જિલ્લાના કરણી સેનાના ઉપપ્રમુખે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રવિરાજસિંહ ગોહિલ (ખદરપર)એ રાજકોટના ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાના માનસિક ત્રાસથી કંટાળી ખેતીમાં છાંટવાની ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું. હાલ રવિરાજસિંહ ગોહિલને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં રહેતા અને મુળ તળાજા તાલુકાના ખદરપર ગામના અને ભાવનગર જિલ્લાના કરણી સેનાના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી રાજકોટના મહિલા ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળા રવિરાજસિંહ ગોહિલ સાથે કોઇ બાબતે માથાકૂટ ચાલી આવતી હતી. તેમાં પદ્મિનીબા વાળાએ અવારનવાર માનિસક ત્રાસ ગુજારી, અડધી રાત્રે ફોનમાં ધમકી આપી, ખોટા આક્ષેપો કરતા હતા. જેમાં રવિરાજસિંહને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાય છે. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. રવિરાજસિંહ ગોહિલે ઝેરી દવા પીધા બાદ કાળુભા રોડ પર આવેલી રાણા સર્જીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું તબીબે જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/the-kshatriya-movement-did-not-help-the-bjp-in-gujarat-but-in-uttar-pradesh"><strong>ક્ષત્રિય આંદોલન ભાજપને ગુજરાતમાં નહીં ઉત્તરપ્રદેશમાં નડ્યું</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 23 Oct 2024 21:30:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1449</Articleid>
                    <excerpt>પદ્મિનીબા વાળા કરણી સેના ઉપપ્રમુખને અવારનવાર માનિસક ત્રાસ ગુજારી, અડધી રાત્રે ફોનમાં ધમકી આપી ખોટા આક્ષેપો કરતા હતા</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67191c830815b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67191c82c9e30.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67191c82c9e30.jpg" length="99096" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Padminiba, Vice President of Bhavnagar Karni Sena, Raviraj Singh Gohil</media:keywords>
                </item>
                        <item>
                    <title>વટવામાં ડબગર યુવકને ટોળાએ ઢોર માર મારી પતાવી દીધો</title>
                    <link>https://khabarantar.com/a-dabgar-youth-was-beaten-to-death-by-a-mob-in-vatwa</link>
                    <guid>https://khabarantar.com/a-dabgar-youth-was-beaten-to-death-by-a-mob-in-vatwa</guid>
                    <description>
                        <![CDATA[ ટોળું યુવક પર તૂટી પડ્યું અને ઢોર મારથી યુવક બેભાન થઈ ગયો તો દુર્ગાનગર નજીક બુલેટ ટ્રેન પિલ્લર પાસે છોડીને સૌ ભાગી ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટોળા દ્વારા લોકો પર થઈ રહેલા હિંસક હુમલાઓનો સિલસિલો યથાવત છે અને આ વખતે ઘટના અમદાવાદમાં ઘટી છે. અહીં વટવાના દુર્ગાનગર નજીક આવેલા બુલેટ ટ્રેનના પીલ્લર પાસે મંગળવારે સવારે એક યુવકની લાશ મળી આવી હતી. તપાસ કરવા ગયેલી વટવા પોલીસને જાણવા મળ્યું કે મૃતક યુવક રાજ ડબગર (ઉં.૨૨)ને ટોળાએ હિંસક હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં ટોળું ફરાર થઈ ગયું હતું. વધુ તપાસમાં સામે આવ્યું કે મૃતક યુવક મોબાઈલ ચોરીને નાસી રહ્યો હતો તેથી લોકોએ તેને પકડીને ઢોર માર મારીને મોંઢાના ભાગે, પગના ભાગે તથા પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે ૭ શંકાસ્પદ શખ્સોને વટવા પોલીસ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવીને વધુ તપાસ આરંભી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની મળતી વિગતો મુજબ વટવા વિસ્તારમાં આવેલા બુલેટ ટ્રેનના પીલ્લર પાસે મંગળવારે સવારે કેટલાક શખ્સોનું ટોળું એક યુવકને ઢોર માર મારી રહ્યું હતું. આ જોઇને સ્થાનિક દુકાનદારને લાગ્યું કે લોકો ઝઘડો કરી રહ્યા છે. માટે દુકાનદારે ટોળાને આગળ જઈને ઝઘડો કેમ કરો છો તેમ કહ્યું હતું. ત્યારબાદ ટોળામાં રહેલા શખ્સો યુવકને ટીંગાટોળી કરીને થોડે દૂર વટવા બ્રિજની નીચે લઇ જઈને ઢોર માર મારી રહ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોબાઈલ ચોરી કરી હોવાના આરોપસર ટોળાના લોકોએ રાજ ડબગરને એટલી હદે માર માર્યો હતો કે તે અર્ધબેભાન હાલતમાં જમીન પર પટકાઈ પડ્યો હતો. રાજને બેભાન થઈ જતો જોઇને ટોળાના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ સમયે અન્ય સ્થાનિકે પોલીસને જાણ કરતા વટવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા યુવકનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ મૃતક યુવકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે  તપાસ કરી રહેલી વટવા સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એ.બી.ગંધાણીની ટીમે ઘટનાના પગલે ૭ થી વધુ શખ્સોને રાઉન્ડઅપ કરીને ગુનામાં સંડોવાયેલા વધુ આરોપીઓની તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/brawl-between-players-during-garba-in-vadodara">વડોદરામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 23 Oct 2024 21:09:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1448</Articleid>
                    <excerpt>ટોળું યુવક પર તૂટી પડ્યું અને ઢોર મારથી યુવક બેભાન થઈ ગયો તો દુર્ગાનગર નજીક બુલેટ ટ્રેન પિલ્લર પાસે છોડીને સૌ ભાગી ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671917a489bca.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671917a44eefe.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671917a44eefe.jpg" length="65634" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Durganagar, beaten to death, Vatwa</media:keywords>
                </item>
                        <item>
                    <title>જામિયા મિલિયા માં દિવાળીના નામે દંગા કરનારા તત્વો કોણ છે?</title>
                    <link>https://khabarantar.com/who-are-the-rioters-in-jamia-millia-in-the-name-of-diwali</link>
                    <guid>https://khabarantar.com/who-are-the-rioters-in-jamia-millia-in-the-name-of-diwali</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિ.માં દિવાળીની ઉજવણીના બહાને મુસ્લિમ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરનાર તોફાની તત્વોને ઓળખો? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંગળવારે સાંજે જામિયા મિલિયા ઈસ્લામિયા (Jamia Millia Islamia) માં તણાવ (Clash) પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. BJP-RSS ABVP (Akhil Bharatiya Vidyarthi Parishad) સાથે જોડાયેલા સંગઠન રાષ્ટ્રીય કલા મંચ દ્વારા દિવાળી કાર્યક્રમ (Diwali program) નું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં બહારના અસામાજિક તત્વોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જામિયામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ (Muslim students) ની સંખ્યા વધુ છે. તેમની વચ્ચે બહારથી આવેલા અસામાજિક તત્વોએ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા અને છોકરીઓને ધક્કો માર્યો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'જ્યોતિર્મય 2024' નામના કાર્યક્રમમાં RSS અને ABVPના વરિષ્ઠ નેતાઓ સહિત કેમ્પસની બહારના લોકોએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે લાઠીચાર્જ દરમિયાન વિદ્યાર્થિનીઓને ધક્કો મારવાનો અને ધક્કો મારવાનો જેમણે વિરોધ કર્યો હતો તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ એવો પણ દાવો કર્યો હતો કે ઇવેન્ટમાં ભાગ લેનારાઓ જામિયાના વિદ્યાર્થીઓ ન હતા. જામિયા પ્રશાસને કાર્યક્રમ માટે આયોજકોને આપેલો સમય પૂરો થયા પછી પણ આયોજકોએ સ્થળ ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના વીડિયોમાં જામિયા કેમ્પસમાં દિવાળીની ઉજવણી દરમિયાન લોકોનું એક જૂથ સૂત્રોચ્ચાર કરતું જોવા મળે છે. સોશિયલ મીડિયા પરની અન્ય ક્લિપ્સમાં ABVP કાર્યકરોએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓના એક જૂથે દિવાળીની ઉજવણીમાં વિક્ષેપ પાડ્યો હતો અને 'પેલેસ્ટાઈન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/sikh-leader-demands-ban-on-rss-network-in-canada">શીખ નેતાએ કેનેડામાં આરએસએસના નેટવર્ક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસે દક્ષિણ પૂર્વ પોલીસના ડેપ્યુટી કમિશ્નર રવિ કુમારને ટાંકીને કહ્યું કે, “ઘટના મંગળવારે સાંજે સાડા સાતથી આઠ વાગ્યાની આસપાસ ગેટ 7 પાસે બની હતી. ABVP સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું એક જૂથ દિવાળી માટે દીવા પ્રગટાવતું હતું અને રંગોળી બનાવી રહ્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓના અન્ય જૂથ નારાજ થઈ ગયા હતા અને સજાવટ તોડી હતી, જેના કારણે ઝપાઝપી થઈ હતી. બંને પક્ષોએ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું હતું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI), ફ્રેટરનિટી મૂવમેન્ટ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ના JMI યુનિટે હિન્દુત્વ વિદ્યાર્થી પાંખ ABVPની પ્રવૃત્તિઓની નિંદા કરી અને તેના પર કેમ્પસમાં શાંતિ ભંગ કરવાનો આરોપ લગાવ્યો. બંધુત્વ ચળવળ અને SFI એ કાર્યક્રમને મંજૂરી આપવા બદલ યુનિવર્સિટી વહીવટીતંત્રની ટીકા કરી હતી જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">SFI એ તેના નિવેદનમાં દાવો કર્યો કે, "દિવાળીની ઉજવણીની આડમાં એબીવીપીના લોકો તેમની સ્થાનિક ગુંડા ગેંગ સાથે જામિયા કેમ્પસમાં આવ્યા, મુસ્લિમ વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન કર્યું અને તેમની સામે આક્રમક અને સાંપ્રદાયિક સૂત્રોચ્ચાર કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે યુનિવર્સિટીના કેટલાક અસલી વિદ્યાર્થીઓએ ABVP સાથે આવેલા લોકોના વર્તન સામે વાંધો ઉઠાવ્યો ત્યારે ABVP નેતાઓના નેતૃત્વમાં બહારના તત્વોએ જામિયાના વિદ્યાર્થીઓ પર ક્રૂર હિંસા શરૂ કરી. પોલીસે તરત જ ભારે લાઠીચાર્જ સાથે દરમિયાનગીરી કરી, જેણે સામાન્ય વિદ્યાર્થીઓને પણ ઇજા પહોંચાડી અને ભયભીત કર્યા, જ્યારે વાસ્તવિક ગુંડાઓ રક્ષણાત્મક રહ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-judge-granrted-bail-to-the-accused-on-the-condition-that-he-salutes-the-national-flag-21-times">જજનો તરંગી નિર્ણય, આરોપીને 21 વાર રાષ્ટ્રધ્વજને સલામી આપી 'ભારત માતા કી જય' બોલવા કહ્યું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસએફઆઈના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશને જવાબ આપવો જોઈએ કે તેમણે આવી ઘટનાને કેવી રીતે અને શા માટે મંજૂરી આપી હતી જ્યારે સામાન્ય વિદ્યાર્થીઓ પાસે વાંચન વર્તુળનું આયોજન કરવાની સ્વતંત્રતા પણ નથી," </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિસેમ્બર 2019માં CAA વિરોધી આંદોલનને પગલે જામિયા કેમ્પસમાં કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શનો પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે યુનિવર્સિ‌ટી તંત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી નાખવા અને તેમને ચૂપ કરાવવા માટે પોલીસીંગ કરીને બહારના તત્વો સાથે પોતાનું દમનચક્ર ચલાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમે જામિયા મિલિયા ઈસ્લામિયામાં દિવાળીના કાર્યક્રમ દરમિયાન થયેલા હંગામા પર પ્રતિક્રિયા આપી હતી. તેમનું કહેવું છે કે ટુકડે ટુકડે ગેંગ પોતાની ગતિવિધિઓને અંજામ આપી રહી છે. આ લોકો સમસ્યા બની રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-haryana-bjp-announced-itself-supreme-sc-will-implement-sub-classification">હરિયાણામાં જીતતા જ ભાજપે પોત પ્રકાશ્યું, એસસી પેટાવર્ગીકરણનો અમલ કરશે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 23 Oct 2024 14:16:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1447</Articleid>
                    <excerpt>દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિ.માં દિવાળીની ઉજવણીના બહાને મુસ્લિમ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરનાર તોફાની તત્વોને ઓળખો?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6718b5421416b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6718b541cf22c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6718b541cf22c.jpg" length="84375" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jamia Millia Islamia, Diwali Program Friction, ABVP, Muslim students</media:keywords>
                </item>
                        <item>
                    <title>તમને ખબર પડી! ધો. 10&amp;12ની પરીક્ષા ફીમાં 15 ટકા વધારો થઈ ગયો</title>
                    <link>https://khabarantar.com/gujarat-education-board-10-and-12-exam-fee-hiked-by-15-percent</link>
                    <guid>https://khabarantar.com/gujarat-education-board-10-and-12-exam-fee-hiked-by-15-percent</guid>
                    <description>
                        <![CDATA[ લોકો તહેવારો અને હિંદુત્વના નશામાં મસ્ત રહ્યાં અને સરકારે ધો. 10-12ની પરીક્ષા ફીમાં 15 ટકા સુધીનો વધારો ઝીંકી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">exam fee hiked in Gujarat : મોંઘવારી અને બેરોજગારીથી પીડિત આમ આદમી માટે હવે બાકી રહેતું હતું કે શિક્ષણ વિભાગે પણ મોંઘવારીનો કોરડો વીંઝી દીધો છે. ધર્મઝનૂની સમાચારોની આંધી વચ્ચે આ સમાચાર ક્યાંય ફેંકાઈ ગયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટેની ફી જાહેર કરવામાં આવી છે. જેમાં સતત બીજા વર્ષે બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે 10 ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યા બાદ આગામી પરીક્ષા માટેની ફીમાં પણ 5 ટકાનો વધારો કરાયો છે. ધોરણ-10ની પરીક્ષા ફીમાં રૂ. 15, ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફીમાં રૂ. 25, ધોરણ-12 સાયન્સની ફીમાં રૂ. 30નો વધારો કરવામાં આવ્યો છે. આમ, બે વર્ષમાં બોર્ડની પરીક્ષા ફીમાં 15 ટકા જેટલો વધારો થઈ ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી અનુસાર, શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા માટેની ફીનું માળખું જાહેર કર્યું છે. જેમાં સતત બીજા વર્ષે પણ વધારો કરાયો છે. ધોરણ-10ની ફી રૂ. 390 રાખવામાં આવી હતી. જોકે, આ વર્ષે તેમાં વધારો કરી રૂ. 405 ફી નક્કી કરવામાં આવી છે. આમ, ધોરણ-10ની ફીમાં રૂ. 15નો વધારો કરવામાં આવ્યો છે. જે 4 ટકા જેટલો થવા જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી રૂ. 540 રાખવામાં આવી હતી, જેમાં ચાલુ વર્ષે વધારો કરી રૂ. 565 ફી નક્કી કરાઈ છે. આમ, ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફીમાં રૂ. 25નો વધારો કરાયો છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફીમાં સાડા ચાર ટકા કરતા વધુનો વધારો કરવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય ધોરણ-12 સાયન્સની ફી રૂ. 665 હતી, તેમાં વધારો કરીને રૂ. 695 ફી નક્કી કરવામાં આવી છે. આમ, ધોરણ-12 સાયન્સની ફીમાં રૂ. 30નો વધારો કરાયો છે. જે લગભગ 4.5 ટકા કરતા વધુનો વધારો કરવામાં આવ્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ, ધોરણ-10 અને 12ની ફીમાં સતત બીજા વર્ષે વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓ પર વધારાનો બોજો પડશે. ધોરણ-10ની નિયમિત વિદ્યાર્થીઓની નવી ફી રૂ. 405 રાખવા સાથે નિયમિત રિપીટરની એક વિષયની ફી રૂ. 150 નક્કી કરાઈ છે. જ્યારે બે વિષય માટે રૂ. 215, ત્રણ વિષય માટે રૂ. 275 અને ત્રણ કરતા વધુ વિષય માટે રૂ. 395 ફી નક્કી કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ માટે એક વિષયની ફી રૂ. 160, બે વિષયની રૂ. 255, ત્રણ વિષયની ફી રૂ. 330 અને ત્રણ કરતા વધુ વિષય માટે રૂ. 565 ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ માટે એક વિષયની ફી રૂ. 210, બે વિષયની ફી રૂ. 345, ત્રણ વિષયની ફી રૂ. 485 અને ત્રણ કરતા વધુ વિષયની ફી રૂ. 695 નક્કી કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધોરણ-10ની ફીમાં બે વર્ષમાં રૂ. 50નો વધારો થયો છે. 2023ની પરીક્ષા વખતે ધોરણ-10ની ફી રૂ. 355 હતી, જે ચાલુ વર્ષે વધીને રૂ. 405 થઈ ગઈ છે. આ જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફી 2023ની પરીક્ષા માટે રૂ. 490 હતી, જે વધીને ચાલુ વર્ષે 565 થઈ છે. આમ, ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ બે વર્ષમાં ફી રૂ. 75નો વધારો થયો છે. જ્યારે ધોરણ-12 સાયન્સની 2023ની ફી રૂ. 605 હતી અને ચાલુ વર્ષે તે વધીને રૂ. 695 થઈ છે. આમ, ધોરણ-12 સાયન્સની ફીમાં બે વર્ષમાં રૂ. 90નો વધારો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/from-the-next-academic-year-2024-25-the-books-of-class-1-to-12-will-change">આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 થી ધોરણ 1 થી 12ના પુસ્તકો બદલાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 23 Oct 2024 11:45:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1446</Articleid>
                    <excerpt>લોકો તહેવારો અને હિંદુત્વના નશામાં મસ્ત રહ્યાં અને સરકારે ધો. 10-12ની પરીક્ષા ફીમાં 15 ટકા સુધીનો વધારો ઝીંકી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6718947e50c2e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6718947e1f95f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6718947e1f95f.jpg" length="72928" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gujarat exam fee hiked</media:keywords>
                </item>
                        <item>
                    <title>એક દલિત ડોક્ટર ચાર વર્ષથી ભાડે મકાન મેળવવા રઝળી રહ્યાં છે</title>
                    <link>https://khabarantar.com/a-dalit-doctor-has-been-struggling-to-get-a-house-on-rent-for-four-years-in-visakhapatnam-andhra-pradesh</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-doctor-has-been-struggling-to-get-a-house-on-rent-for-four-years-in-visakhapatnam-andhra-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ ડોક્ટરે લખ્યું, &quot;મોટાભાગના મકાનમાલિકો પહેલા મને મારી જાતિ પૂછે છે, હું તેમને દલિત છું એવું કહું એટલે તરત તેઓ ઘર આપવાની ના પાડી દે છે. આવું ચાર વર્ષથી ચાલે છે.&quot; ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત એક જાતિપ્રધાન દેશ છે અને અહીં બધું તમારી જાતિના આધારે નક્કી થાય છે. જાતિગત ભેદભાવને કારણે પરિસ્થિતિ એવી પેદા થઈ ગઈ છે કે, જેમના ઘરનું પાણી પીવામાં પણ ઉબકા આવે એવા લોકો ચોક્કસ જાતિમાં જનમ્યા હોવાનો ગર્વ લઈને તેનાથી ક્યાંય સ્વચ્છ, શિક્ષિત અને પ્રતિષ્ઠિત વ્યક્તિને પણ તેની કથિત નિમ્ન જાતિના કારણે ઉતારી પાડતા શરમાતા નથી. મનુવાદની આ દેને ભારત દેશની ઘોર ખોદવામાં કોઈ કસર બાકી નથી રાખી. એનું જ કારણ છે કે, ગુજરાતના ગિફ્ટ સિટીમાં જેપી મોર્ગન જેવી મલ્ટિનેશનલ કંપનીના ઉચ્ચ અધિકારીપદે રહેલા એક દલિત વ્યક્તિને તેની જાતિના કારણે ગાંધીનગર (Gandhinagar) ગિફ્ટ સિટી (Gift City) માં કોઈએ ઘર નહોતું આપ્યું. અનેક પ્રતિષ્ઠિત દલિત લેખકો, ઉચ્ચ સરકારી અફસરો સાથે પણ પાટનગરમાં આવું બની ચૂક્યું છે. હવે આ જ ક્રમમાં એક ડોક્ટર સાથે જાતિગત ભેદભાવ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્ઞાતિ ભેદભાવ હવે ઘટી રહ્યો છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આવું નથી, પરંતુ તાજેતરમાં વિશાખાપટ્ટનમના એક ડૉક્ટર દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ સ્પષ્ટ કરે છે કે સારું શિક્ષણ અને વ્યાવસાયિક સ્થિતિ હોવા છતાં લોકો જાતિ આધારિત ભેદભાવનો સામનો કરી રહ્યા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/kanpur-posting-the-status-of-jai-bheem-dalit-student-beaten-up-force-to-chant-jai-shri-ram">'જય ભીમ'નું સ્ટેટસ મૂકનાર વિદ્યાર્થીને માર મારી 'જય શ્રી રામ' બોલાવડાવ્યું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Reddit પ્લેટફોર્મ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં, ડૉક્ટરે (Doctor) તેમનો આવો જ એક કડવો અનુભવ શેર કર્યો છે. દલિત સમાજ (Dalit Community) માંથી આવતા એ ડોક્ટર લખે છે કે તેઓ આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં અરિલાવા હેલ્થ સિટી (Arilava Health City) પાસે ભાડા પર ઘર (house on rent) શોધી રહ્યાં છે. એના માટે તેઓ અનેક મકાનમાલિકો (Landlord) ને મળ્યાં છે અને ઘણા મકાનમાલિકોએ પહેલા તેમને તેની જાતિ વિશે પૂછ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડોક્ટર આગળ લખે છે, "જ્યારે હું તેમને કહું છું કે, હું અનુસૂચિત જાતિ (Scheduled Caste (SC)માંથી છું, ત્યારે તેમણે મને ઘર આપવાનો ઇનકાર કર્યો છે. કોઈ વાંધો નહીં, હું હવે આનાથી ટેવાઈ ગયો છું અને ખુશ છું કે તેમણે તરત જ ના પાડી દીધી અને મારો ઓછામાં ઓછો સમય બગાડ્યો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આધારકાર્ડમાં જાતિ જોઈ અને ઘર આપવાની ના પાડી દીધી</span></strong><br><span style="font-size: 14pt;">આ ડોક્ટર હમણાંની એક ઘટનાને યાદ કરતા ભારે નિરાશા વ્યક્ત કરે છે. તેઓ લખે છે, "થોડા દિવસ પહેલાની એક ઘટનાએ મને ભારે નિરાશ કરી દીધો છે. જ્યારે બે દિવસની વાટાઘાટો અને મૌખિક કરાર પછી મકાનમાલિકે જ્યારે ભાડાકરાર કરી શકાય તે માટે મારું આધાર કાર્ડ માંગ્યું. તેણે મારી અટક જોતાની સાથે જ મારી જાતિ વિશે પૂછ્યું અને પછી તરત મકાન આપવાની ના પાડી દીધી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉક્ટરે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું, "તેણે પણ અંતે ના પાડી દીધી... સમય અને પૈસા બંને વેડફાયા. તેણે એ પણ જણાવ્યું કે, તેણે ફર્નિચર અને પૂજા સ્થળનો ઓર્ડર આપી દીધો હતો, જે હવે રદ કરવો પડ્યો છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ચાર વર્ષમાં જાતિવાદ ઘટવાને બદલે વધ્યો</span></strong><br><span style="font-size: 14pt;">ડૉક્ટરે એ પણ કહ્યું કે, ચાર વર્ષ પહેલાં જ્યારે તેઓ છેલ્લીવાર ભાડાનું મકાન શોધી રહ્યા હતા, ત્યારની સરખામણીમાં હવે જાતિ આધારિત ભેદભાવ વધી ગયો છે. ડોક્ટર આગળ લખે છે, "રસપ્રદ વાત એ છે કે હવે જાતિના આધારે મકાન આપવાની ના પાડનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. જે દર્શાવે છે કે કથિત નિમ્ન જાતિના લોકો શહેરી વિસ્તારોમાં પણ હજુ જાતિગત ભેદભાવના પડકારોનો સામનો કરી રહ્યા છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વારંવાર આ રીતે ભાડેથી મકાન માટે ના સાંભળ્યા પછી ડૉક્ટરે નૈતિક મૂંઝવણ પણ શેર કરી. તેમની પત્ની ઉચ્ચ જાતિની છે, તે વિચારી રહ્યા હતા કે તેમણે પોતાની પત્નીની જાતિ જણાવીને પોતાની જાતિ છુપાવી લેવી જોઈએ જેથી તેને ભાડા પર મકાન મળી શકે. જો કે તેમનું અંતરમન તેના માટે તૈયાર નહોતું થતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-student-died-in-a-group-clash-at-a-school-in-muzaffarpur-bihar">શાળા બની સમરાંગણઃ દલિત વિદ્યાર્થીને માથામાં વાંસડો ફટકારી દેતા મોત</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉક્ટરે તેમની પોસ્ટમાં એ પણ સ્પષ્ટ કર્યું કે તમામ મકાનમાલિકોએ તેમને જાતિના આધારે ઘર આપવાની ના નહોતી પાડી. કેટલાક મકાનો તેમના બજેટની બહાર હતા. તેઓ આગળ લખે છે, "મેં મદિલાપાલેમથી યેનાડાડા અને વિશાલાક્ષી નગર સુધી ઘર શોધ્યું, પરંતુ 99% ઘરો મારા બજેટની બહાર છે. મારું બજેટ 2BHK માટે ₹10,000 અને 3BHK માટે ₹15,000 છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમ છતાં જાતિના કારણે ઘર આપવાનો ઈનકાર કરી દેવો તેમના માટે મુખ્ય અવરોધ બની રહ્યો. ડૉક્ટરે અરિલાવા હેલ્થ સિટી પાસે પરવડે તેવા હાઉસિંગ વિકલ્પો વિશે સલાહ માંગી અને કટાક્ષમાં લખ્યું કે શું તેણે તેની પત્નીની જાતિ છુપાવવી જોઈએ કે જેથી તેને ઘર મળી શકે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">શહેરોમાંથી જાતિગત ભેદભાવ વધ્યાં</span></strong><br><span style="font-size: 14pt;">જો કે, તેમણે એ અંગે ચિંતા વ્યક્ત કરી કે, જો મકાનમાલિકને પાછળથી મારી જાતિ વિશે જાણવા મળે તો આનાથી કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. તેમણે લખ્યું, "શું તેનાથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ઉભી થશે જો મકાનમાલિકને ખબર પડે કે તેમના ઘરમાં, તેમની જાણબહાર એક અનુસૂચિત જાતિની વ્યક્તિ રહે છે? "</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડોક્ટર જેવા પ્રતિષ્ઠિત ફિલ્ડમાં રહેલી વ્યક્તિનો આ અનુભવ દર્શાવે છે કે મોટા શહેરોમાં જ્ઞાતિ ભેદભાવ હજુ પણ અસ્તિત્વમાં છે. જો કે સવર્ણો જ એ સ્વીકારવા તૈયાર નથી કે હવે જાતિભેદભાવ જેવું કશું અસ્તિત્વ ધરાવે છે. આ તેમની સત્યને અવગણવાની ચાલાકી છે. એક ડોક્ટરનું તેમની લાયકાતના આધારે મૂલ્યાંકન કરવાને બદલે તેની જાતિના આધારે મૂલ્યાંકન ભારત જેવા જાતિપ્રધાન દેશમાં જ શક્ય છે. આ ઘટના એ લોકોના મોં પર સણસણતો તમાચો છે, જેઓ એ સ્વીકારવા તૈયાર નથી કે શહેરોમાં જાતિભેદભાવ આજેય અસ્તિત્વ ધરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/J.P.-Morgans-Vice-President-Scolds-Racism,-Denies-Racists-Buying-Flats-in-Gift-City">જે.પી. મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટને જાતિવાદીઓએ ગિફ્ટ સિટીમાં ઘર ન ખરીદવા દીધું?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 23 Oct 2024 10:37:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1445</Articleid>
                    <excerpt>ડોક્ટરે લખ્યું, &quot;મોટાભાગના મકાનમાલિકો પહેલા મને મારી જાતિ પૂછે છે, હું તેમને દલિત છું એવું કહું એટલે તરત તેઓ ઘર આપવાની ના પાડી દે છે. આવું ચાર વર્ષથી ચાલે છે.&quot;</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67188493f3597.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67188493c2b8d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67188493c2b8d.jpg" length="35532" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit doctor, struggling, get a house, on rent, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમરેલીના જાફરાબાદમાં પાંચ વર્ષના બાળકને સિંહણ ઉઠાવી ગઈ</title>
                    <link>https://khabarantar.com/a-five-year-old-child-was-mauled-by-a-lioness-in-jafarabad-amreli</link>
                    <guid>https://khabarantar.com/a-five-year-old-child-was-mauled-by-a-lioness-in-jafarabad-amreli</guid>
                    <description>
                        <![CDATA[ ખેતમજૂરી કરતા પરિવારના બાળકને વાડીમાંથી સિંહણ ઉઠાવી ગઈ. જંગલમાંથી બાળકના શરીરના અવશેષો મળ્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p><span style="font-size: 14pt;">સૌરાષ્ટ્રના અમરેલીના જાફરાબાદમાં પાંચ વર્ષનું બાળક સિંહણનો શિકાર બન્યું છે. નવી જીકાદ્રીમાં વાડીમાંથી સિંહણ બાળકને ઉઠાવી ગઈ હતી. સિંહણે ખેતમજૂરી કરતાં પરિવારના બાળકનો શિકાર કર્યો હતો. સ્થાનિકો અને વનવિભાગે શોધખોળ કરતાં બાળકના અવશેષો મળ્યા હતા.</span></p>
<p><span style="font-size: 14pt;">વન્ય પ્રાણીની ગ્રામીણ  વિસ્તારમાં અવરજવરના લીધે ગ્રામજનોમાં આક્રોશ છે. તેમા પણ બાળકને આ રીતે સિંહણ ઉઠાવી જતાં લોકોમાં વન્ય પ્રાણીઓ સામે આક્રોશ છે. વનવિભાગ અને કુટુંબે બાળકના અવશેષો હોસ્પિટલમાં ખસેડ્યા છે. વનવિભાગે બાળકને ઉઠાવી જનારી સિંહણને પકડવાની કામગીરી હાથ ધરી છે.</span></p>
<p><span style="font-size: 14pt;">ગામના સરપંચ લાલભાઈ બોરીયા પણ વન્ય પ્રાણીઓનો ત્રાસ ટાળવા માટે પગલાં લેવા વનવિભાગ સમક્ષ વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે. આમ છતાં વનવિભાગે આ દિશામાં હજી સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. પોલીસ જે રીતે હત્યા થાય પછી તપાસ આદરે છે તેમ વનવિભાગ પણ દુર્ઘટના બની જાય પછી જ જાગે છે. </span></p>
<p><span style="font-size: 14pt;">અમરેલીમાં આમ પણ વન્યપ્રાણીઓ ઘણી વખત રહેણાક વિસ્તારોમાં આંટા મારતો જોવા મળ્યા છે. તે અગાઉ ખેતમજૂરો પર હુમલા કરી ચૂક્યા છે. ઘણા ખેતમજૂરો વન્ય પ્રાણીઓના હુમલામાં ઇજા પામ્યા છે. ખેત માલિકો પણ આ અંગે સરપંચ કક્ષાએ અને સરપંચ પણ વનવિભાગ સમક્ષ આ દિશામાં રજૂઆત કરી ચૂક્યા છે. પણ હજી સુધી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-total-area-of-1.84-lakh-hectares-around-gir-has-been-declared-an-eco-sensitive-zone">ગીર આસપાસનો કુલ ૧.૮૪ લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 22 Oct 2024 21:20:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1444</Articleid>
                    <excerpt>ખેતમજૂરી કરતા પરિવારના બાળકને વાડીમાંથી સિંહણ ઉઠાવી ગઈ. જંગલમાંથી બાળકના શરીરના અવશેષો મળ્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6717c8d187732.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6717c8d14f5d3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6717c8d14f5d3.jpg" length="93059" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Hunting of a baby lioness</media:keywords>
                </item>
                        <item>
                    <title>21 વાર રાષ્ટ્રધ્વજને સલામી આપી ભારત માતા કી જય બોલો...</title>
                    <link>https://khabarantar.com/say-bharat-mata-ki-jai-by-saluting-the-national-flag-21-times</link>
                    <guid>https://khabarantar.com/say-bharat-mata-ki-jai-by-saluting-the-national-flag-21-times</guid>
                    <description>
                        <![CDATA[ દેશની કોર્ટોમાં બેઠેલા જજો કેવા કેવા તરંગી અને મનઘડંત ચૂકાદાઓ સંભળાવે છે તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Madhya Pradesh Jabalpur Bench Strange judgment : રાષ્ટ્ર વિરોધી નારા લગાવવા બદલ ધરપકડ કરાયેલા મધ્યપ્રદેશના યુવક ફૈઝલે મંગળવારે કોર્ટના આદેશ પર 21 વખત ત્રિરંગાને સલામી આપી હતી અને ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેંચના આદેશ બાદ ફૈઝલે ભોપાલ પોલીસ સ્ટેશનમાં 21 વખત 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. તેણે 'પાકિસ્તાન ઝિંદાબાદ અને ભારત મુર્દાબાદ'ના નારા લગાવવા બદલ પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે તેણે રીલ બનાવતી વખતે ભૂલથી તે સ્લોગનનો ઉપયોગ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફૈઝલને જામીન આપતાં મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેંચે એવી શરત મૂકી હતી કે તેણે મહિનામાં બે વખત ભોપાલના મિસ રોડ પોલીસ સ્ટેશનમાં ત્રિરંગાને સલામી આપવી પડશે. જ્યાં સુધી મામલો થાળે ન પડે ત્યાં સુધી તેણે મહિનાના પહેલા અને ચોથા મંગળવારે ત્રિરંગાને સલામી આપવી પડશે અને 'ભારત માતા કી જય' ના નારા લગાવવા પડશે. કોર્ટના આદેશ બાદ ફૈઝલે તેની શરૂઆત કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ ડીકે પાલીવાલે 15 ઓક્ટોબરના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે આરોપીને કેટલીક શરતો લાદીને જામીન પર મુક્ત કરી શકાય છે, જેનાથી તેની અંદર એ જે દેશમાં જન્મ થયો છે અને જ્યાં જીવે છે તેના પ્રત્યે જવાબદારી અને ગર્વની ભાવના પેદા થાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપી ફૈઝલ ઉર્ફે ફૈઝાનની મે મહિનામાં ભોપાલના મિસરોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) (રાષ્ટ્રીય એકીકરણ માટે પ્રતિકૂળ નિવેદનો) ની કલમ 153B હેઠળ એફઆઈઆર દાખલ કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે ફૈઝાને પાકિસ્તાનના સમર્થનમાં અને ભારત વિરુદ્ધ નારા લગાવ્યા હતા. ફરિયાદ પક્ષે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તેની કરતૂતો વિવિધ સમૂહો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સમાન છે અને તે સંવાદિતા અને રાષ્ટ્રીય એકતા માટે જોખમી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે તેમના અસીલને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વકીલે જામીનનો વિરોધ કરતા કહ્યું કે અરજદાર રીઢો ગુનેગાર છે અને તેની સામે 14 ફોજદારી કેસ નોંધાયેલા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દલીલો વચ્ચે કોર્ટે આરોપીને વિચિત્ર આદેશ કર્યો હતો અને તેને મહિનામાં બે વખત પોલીસ સ્ટેશનમાં હાજર રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપીને 21 વાર ભારત માતા કી જય બોલવા આદેશ કર્યો હતો. જે અંતર્ગત આજે આરોપી ફૈઝલ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને તેણે 21 વાર સલામી આપી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-mob-of-300-killed-two-muslim-youths-mistaking-them-for-thieves-killing-one">300 લોકોના ટોળાએ બે મુસ્લિમ યુવકોને ચોર સમજીને માર માર્યો, એકનું મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 22 Oct 2024 14:11:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1443</Articleid>
                    <excerpt>દેશની કોર્ટોમાં બેઠેલા જજો કેવા કેવા તરંગી અને મનઘડંત ચૂકાદાઓ સંભળાવે છે તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671764ffa90fb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671764ff6fa5e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671764ff6fa5e.jpg" length="63985" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Madhya Pradesh Jabalpur Bench, Strange judgment, Justice D K Paliwal</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS સાથે જોડાયેલા હવસખોરે આદિવાસી સગીરા પાસે બિભત્સ માંગણી કરી</title>
                    <link>https://khabarantar.com/rss-affiliated-hawaskhor-made-a-nasty-demand-to-the-tribal-minor</link>
                    <guid>https://khabarantar.com/rss-affiliated-hawaskhor-made-a-nasty-demand-to-the-tribal-minor</guid>
                    <description>
                        <![CDATA[ RSS અને VHP સાથે જોડાયેલા 42 વર્ષના પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહે આદિવાસી સગીરાનો ફોન નંબર મેળવી લઈ તેના નગ્ન ફોટા મોકલવાની માંગ કરી હતી.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના ગૃહમંત્રી મહિલા સુરક્ષાની મસમોટી વાતો કરતા હોય છે પરંતુ તેમનો પક્ષ જેની છત્રછાયા નીચે કામ કરે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ એક કાર્યકરે એક આદિવાસી સગીરા પાસે બિભત્સ માંગણી કરી તેના અશ્લિલ ફોટા માંગતા ખળભળાટ મચી ગયો છે. વિશ્વ હિંદુ પરિષદનો પૂર્વ પ્રમુખ અને આરએસએસ સાથે જોડાયેલા આ લંપટ શખ્સ સામે પોક્સો જેવા ગંભીર ગુના હેઠળ કેસ નોંધાયો હોવા છતાં જજે તેના રિમાન્ડ નકારી કાઢ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો સુરતના માંડવીનો છે. અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલો અને VHPનો પૂર્વ ઉપપ્રમુખ રહેલો 42 વર્ષીય પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહ પોક્સો જેવા ગંભીર ગુનામાં સપડાયો છે. પપ્પ શાહ પરિણીત અને એક પુત્રના પિતા છે. તેમ છતાં તેણે 14 વર્ષની આદિવાસી સગીરાનો નંબર લઈ પહેલા સામાન્ય વાતો કરી ત્યારબાદ તેની સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, થોડા સમય બાદ પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહ સગીરા પાસે બિભત્સ માંગણી કરવા લાગ્યો હતો અને તેના અશ્લીલ ફોટા મોકલવા દબાણ કરવા લાગ્યો હતો. જેનાથી ગભરાઈને સગીરાએ પોતાના પરિવારને પપ્પની હરકતોની જાણ કરી દેતા પરિવારજનોએ તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માંડવી પોલીસે પોકસો એક્ટ હેઠળ આરોપી પપ્પ ઉર્ફે પ્રિતેશ શાહની ધરપકડ કરી રિમાન્ડની માંગ કરી હતી. જો કે આટલો ગંભીર ગુનો હોવા છતાં આશ્ચર્યજનક રીતે કોર્ટે પપ્પના રિમાન્ડની અરજીને ફગાવી દીધી હતી. હાલ દેશની સુપ્રીમ કોર્ટ પણ નીચલી કોર્ટોના જજો દ્વારા આપવામાં આવતા મનઘડંત ચૂકાદાઓ પર રોષ વ્યક્ત કરી ચૂકી છે. શીવસેનાના સાંસદ સંજય રાઉતે સુપ્રીમ કોર્ટ પર પણ નિષ્પક્ષ નહીં હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે નીચલી કોર્ટના જજે આટલા ગંભીર ગુનામાં પણ કેમ પપ્પુ શાહના રિમાન્ડ નામંજૂર કર્યા તે મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોર્ટના વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, આરોપી આરએસએસ સાથે સંકળાયેલો છે એટલે તેના રિમાન્ડ નામંજૂર કરાયા છે. હાલ દેશમાં આદિવાસી મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાનો પ્રશ્ન ચિંતાજનક છે ત્યારે સરકાર સંઘના આ કાર્યકરને શું સજા કરે છે (કે બચાવ કરે છે) તેના પર સૌ કોઈની નજર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:  <a href="https://khabarantar.com/For-the-first-time-in-the-history-of-Gujarat,-a-Sidi-girl-became-a-doctor-and-made-history"><span style="font-size: 14pt;">ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો</span></a></strong></span><span style="color: rgb(255, 255, 255); background-color: rgb(0, 0, 0);"></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 22 Oct 2024 12:33:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1442</Articleid>
                    <excerpt>RSS અને VHP સાથે જોડાયેલા 42 વર્ષના પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહે આદિવાસી સગીરાનો ફોન નંબર મેળવી લઈ તેના નગ્ન ફોટા મોકલવાની માંગ કરી હતી. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67174d4ed8fcd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67174d4ea3918.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67174d4ea3918.jpg" length="107744" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>News of molestation</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ નેતાએ OBC મહિલા સાથે દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી</title>
                    <link>https://khabarantar.com/in-mp-damoh-bjp-leader-threatens-to-kill-obc-woman-rapist</link>
                    <guid>https://khabarantar.com/in-mp-damoh-bjp-leader-threatens-to-kill-obc-woman-rapist</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ નેતા પર ઓબીસી મહિલાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો છે. પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ નથી કરી, જેને લઈને ઓબીસી મહાસભાએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ (MP) ના દમોહ (Damoh) જિલ્લાના સુનવાહા ગામ (Sunwaha Village)માં એક મહિલા (Women) પર બળાત્કાર (Rape) અને જાનથી મારી નાખવાની ધમકી (threatens to kill) નો મામલો સામે આવ્યો છે. 28 વર્ષની મહિલાએ પતિ સાથે નરસિહગઢ પોલીસ ચોકી પહોંચી અને ભાજપના નેતા (BJP Leader) અનિલ પાઠક (Anil Pathak) વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો છે અને મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાએ જણાવ્યું કે 6 સપ્ટેમ્બર 2024ના રોજ ત્રીજ પૂજાના અવસરે તે તેના ગામના રામજી પાઠકના ઘરે પૂજા કરવા ગઈ હતી. અન્ય કેટલીક મહિલાઓ પણ હાજર હતી, જેમાંથી એક અનિલ પાઠકની પત્ની પ્રીતિ પાઠક હતી. પ્રીતિ પાઠકે પૂજાને તેના ઘરે ચા પીવા આમંત્રણ આપ્યું હતું. પૂજા તેની સાથે ગઈ હતી, પરંતુ જ્યારે તેઓ તેના ઘરે પહોંચ્યા ત્યારે પ્રીતિ કોઈ કામ માટે બહાર ગઈ હતી અને અનિલ પાઠકે તક ઝડપીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાનો આરોપ છે કે અનિલ પાઠકે તેના પર બળજબરી કરી હતી. જ્યારે તેણે રાડો પાડવાનો પ્રયાસ કર્યો તો અનિલ પાઠકે તેનું મોં દબાવીને ધમકી આપી કે જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તે તેને અને તેના પતિને મારી નાખશે. ઘટના બાદ પીડિતા ડરીને ઘરે પરત ફરી અને ડરના કારણે ઘણા દિવસો સુધી તેણે આ વાત કોઈને જણાવી નહીં. આ પછી 3 ઓક્ટોબર 2024ના રોજ સવારે 9 વાગ્યે અનિલ પાઠક પીડિતાના ઘરે આવ્યો હતો અને તેના પતિને મારી નાખવાની ધમકી આપી હતી. એ પછી પૂજાએ આખી ઘટના તેના પતિને જણાવી અને બંનેએ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી. આ મામલે ચોકી નરસિહગઢના સબ ઈન્સ્પેક્ટર પ્રતિમા કુર્મીએ આરોપી અનિલ પાઠક વિરુદ્ધ કલમ 64 અને 351 (2) BNS 2023 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી સામે પ્રથમદર્શી ગુનો સાબિત થયો છે અને કેસની તપાસ ચાલુ છે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના બાદ ગામમાં ભય અને રોષનો માહોલ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ તરફ ગ્રામજનોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. ગામના લોકોનું કહેવું છે કે આવી ઘટથી ગામનું શાંતિપૂર્ણ વાતાવરણ બગડી રહ્યું છે અને મહિલાઓની સુરક્ષાની ચિંતા વધી ગઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસે આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસનું કહેવું છે કે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને જલ્દી જ કસ્ટડીમાં લેવામાં આવશે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ આરોપી ફરાર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓબીસી મહાસભાએ તંત્રને ચેતવણી આપી</span></strong></span><br><span style="font-size: 14pt;">ભાજપના નેતા અનિલ પાઠક પર એક ઓબીસી મહિલા પર બળાત્કારનો આરોપ છે. આ કેસમાં હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી, જેને લઈને ઓબીસી મહાસભાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. મહાસભા કોર કમિટીના સભ્ય ધર્મેન્દ્ર કુશવાહાએ એક્સ (ટ્વીટ) પર પોસ્ટ કરીને વહીવટીતંત્ર પર સરકારના દબાણ હેઠળ આરોપીઓની ધરપકડ ન કરવાનો આરોપ લગાવ્યો. ધર્મેન્દ્રએ વહીવટીતંત્રને ચેતવણી આપતા કહ્યું કે, 'જો આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો મહાસભા મોટા આંદોલનની તૈયારી કરશે.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-obc-commission-in-gujarat-is-run-only-on-paper-with-one-member">ગુજરાતમાં ઓબીસી કમિશન ફક્ત કાગળ પર, એક સભ્યથી ચાલે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 22 Oct 2024 11:24:18 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 22 Oct 2024 11:26:44 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1441</Articleid>
                    <excerpt>ભાજપ નેતા પર ઓબીસી મહિલાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો છે. પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ નથી કરી, જેને લઈને ઓબીસી મહાસભાએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67173df94f271.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67173df918fea.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67173df918fea.jpg" length="74874" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;જય ભીમ&amp;apos; નું સ્ટેટસ મૂકતા દલિત વિદ્યાર્થીને મારી &amp;apos;જય શ્રી રામ&amp;apos; બોલાવડાવ્યું</title>
                    <link>https://khabarantar.com/kanpur-posting-the-status-of-jai-bheem-dalit-student-beaten-up-force-to-chant-jai-shri-ram</link>
                    <guid>https://khabarantar.com/kanpur-posting-the-status-of-jai-bheem-dalit-student-beaten-up-force-to-chant-jai-shri-ram</guid>
                    <description>
                        <![CDATA[ વિદ્યાર્થી બૌદ્ધ ધર્મ પાળે છે અને ડો. આંબેડકરની વિચારધારાથી પ્રભાવિત હોવાથી હિંદુત્વવાદી વિદ્યાર્થીઓને ગમતું નહોતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit Student Beaten up force to chant jai shri ram : જાતિવાદી તત્વોને ક્યારે કઈ બાબતોનું માઠું લાગી જશે તે કલ્પી શકાય તેમ નથી. દલિતો સારા કપડાં પહેરે, ખુદના પૈસે મોજશોખ કરે, બાઈક ખરીદીને ચલાવે, લગ્નમાં ખર્ચ કરે, ડીજે સાથે જાન જોડે, મૂછો રાખે કે સોશિયલ મીડિયામાં તેમની વિચારધારાને અનુરૂપ કોઈ સ્ટેટસ કે પોસ્ટ મૂકે - આ તમામ બાબતો પર જાતિવાદી તત્વો દ્વારા અગાઉ અને હાલ વાંધા ઉઠાવવામાં આવતા રહ્યાં છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમાં એક દલિત વિદ્યાર્થીને જાતિવાદી તત્વોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડો. આંબેડકરનું સ્ટેટસ મૂકવા બદલ માર માર્યો હતો અને તેની પાસે બળજબરીથી જયશ્રી રામના નારા લગાવડાવ્યા હતા. આ સમગ્ર મામલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.</span><br><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશ (UP) ની છે. અહીં કાનપુર (Kanpur) માં સેન પશ્ચિમ પરા (Sen West para Police Station) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ (FIR) મુજબ ડૉ. આંબેડકર (Dr. Ambedkar)નું વ્હોટ્સએપ સ્ટેટસ (Status) મૂકવા બદલ એક દલિત વિદ્યાર્થી (Dalit Student)ને માર (Beaten) મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેને 'જય શ્રી રામ'ના નારા લગાવવા માટે બળજબરી (force to Chant Jai shri ram) કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયો હતો. દલિત વિદ્યાર્થી અને તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના શુક્રવારે ઘટી હતી. અહીં સેન વેસ્ટ પરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો હતો. આરોપ છે કે ઇન્ટર કોલેજની બહાર કેટલાક વિદ્યાર્થીઓએ તેના પર હુમલો કર્યો અને બળજબરીથી 'જય શ્રી રામ'ના નારા લગાવડાવ્યા. આ ઘટના ત્યારે બની જ્યારે પીડિત વિદ્યાર્થીએ તેના વોટ્સએપ સ્ટેટસ પર ડો. ભીમરાવ </span><span style="font-size: 14pt;">આંબેડકરનું સ્ટેટસ મૂક્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત વિદ્યાર્થીનું કહેવું છે કે તે અને તેનો પરિવાર બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે અને તે અવારનવાર બાબા સાહેબ આંબેડકરના વિચારો અને પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરે છે. શુક્રવારે શાળા સમાપ્ત થયા પછી, ઈન્ટરમીડિએટ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના એક જૂથે તેને રોક્યો અને 'જય શ્રી રામ' ના નારા લગાવવા દબાણ કર્યું. જ્યારે તેણે ના પાડી તો તેને જાતિ આધારિત અપશબ્દો કહીને માર મારવામાં આવ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">દલિત વિદ્યાર્થીને માર્યા બાદ 'જય શ્રી રામ'ના નારા લાગ્યા</span></strong><br><span style="font-size: 14pt;">વાત આટલેથી અટકતી નથી. આરોપીએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. એ પછી દલિત વિદ્યાર્થી રવિવારે તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે, આરોપી વિદ્યાર્થીઓનું કહેવું છે કે દલિત વિદ્યાર્થી ઘણીવાર સનાતન ધર્મ વિરુદ્ધ પોસ્ટ કરતો હતો, જેની સામે તેમને વાંધો હતો. જોકે, તેમણે મારપીટની કર્યાનો ઈનકાર કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સંગઠનો બચાવમાં આવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને દલિત સંગઠનોએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. દલિત સંગઠનના પ્રમુખ ધનીરામ પેન્થરે કહ્યું કે આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ, નહીં તો તેઓ જનઆંદોલન કરશે. જોઈન્ટ કમિશનર હરિશ્ચંદ્રએ કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને દલિત વિદ્યાર્થીની મેડિકલ તપાસ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે તમામ આરોપીઓ સગીર છે અને મેડિકલ રિપોર્ટમાં હુમલાની પુષ્ટિ થઈ નથી, તેમ છતાં મામલાની તપાસ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : <a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-up-for-saying-jai-bhim-namo-buddhay-on-the-phone">ફોન પર જય ભીમ, નમો બુદ્ધાય બોલવા પર દલિત યુવકને માર માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 22 Oct 2024 10:20:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1440</Articleid>
                    <excerpt>વિદ્યાર્થી બૌદ્ધ ધર્મ પાળે છે અને ડો. આંબેડકરની વિચારધારાથી પ્રભાવિત હોવાથી હિંદુત્વવાદી વિદ્યાર્થીઓને ગમતું નહોતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67172ee1337fa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67172ee0ed7e1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67172ee0ed7e1.jpg" length="50328" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kanpur News, Dalit student beaten up, force chant jai shri ram</media:keywords>
                </item>
                        <item>
                    <title>દુનિયાને સુધારતાં પહેલાં ઘરના લોકોને સુધારવા જરૂરી છે?</title>
                    <link>https://khabarantar.com/is-it-necessary-to-improve-the-people-at-home-before-improving-the-world</link>
                    <guid>https://khabarantar.com/is-it-necessary-to-improve-the-people-at-home-before-improving-the-world</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>કૌશિક શરૂઆત</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણે ઘણીવાર જાહેર મિટિંગમાં કે સોશિયલ મીડિયામાં વાંચતા, સાંભળતા હોઈએ છીએ કે, "તું પહેલા તારા ઘરના લોકોને સુધાર પછી દુનિયા સુધારવા નીકળજે." આ કેટલું તાર્કિક છે?</span><br><span style="font-size: 14pt;">આ બાબતે કેટલીક તાર્કિક દલીલો કરવી છે. સૌને વિનંતી છે કે આને પર્સનલી ના લેવી અને હું જે મુદ્દા રજૂ કરું છું તેના પર ધ્યાન આપજો, તેની જ વાત કરજો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧) ગૌતમ બુદ્ધના પિતરાઈ ભાઈ દેવદત્ત (દેવદહ) તેમના આજીવન વિરોધી રહ્યાં અને કદી બૌદ્ધ ના બન્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨)  ડૉ. બાબાસાહેબ આંબેડકરે "રાજગૃહ" મકાન બનાવ્યું તો પત્નીના આગ્રહથી તેમણે વાસ્તુ કરાવવું પડેલું. જ્યારે બાબાસાહેબ કર્મકાંડના વિરોધી હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૩) ડૉ. આંબેડકરે હિંદુ ધર્મથી ત્રાસી જઈ ધર્માંતરણની જાહેરાત કરી હતી, પણ રમાબાઈની મૃત્યુની ઘડીએ, લાંબી માંદગીમાં પંઢરપુરની યાત્રા કરવાની ઇચ્છા હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૪) જોતિરાવ ફૂલે નાસ્તિક હતા, ગુલામગીરી લખી, કર્મકાંડી બ્રાહ્મણોથી ચીડતા પણ તેમના પિતાજી ધાર્મિક હતા અને બ્રાહ્મણોનું માનતા હતા. બીજા લોકોના કહેવાથી તેમના પિતાજીએ જોતિરાવને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જો કે પાછળથી અપનાવી લીધા હતા પણ જોતિરાવ ફૂલેના વિચારો સાથે તેમના પિતાજી સહમત હતા અથવા પુત્રના કામમાં જોડાયા હતા, તેવો ક્યાંય કરતા ક્યાંય ઉલ્લેખ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૫) ઈ. વી. રામાસામી પેરિયારના માતાપિતા ખૂબ ધાર્મિક હતા અને તેમણે ક્યારેય સામાજિક ન્યાયની લડતમાં પેરિયારને સાથ આપ્યો હતો, તેવું ક્યાંય નોંધાયેલ નથી.</span><br><span style="font-size: 14pt;">હવે તમે લોકો નક્કી કરો કે, બુદ્ધ, બાબાસાહેબ, ફૂલે અને પેરિયાર તેમના ઘરનાને સુધાર્યા વગર સમાજ સુધારવા નીકળી ગયા હતા, તે સારું કર્યું હતું કે ખોટું કર્યું હતું? જો આ લોકો પહેલા ઘરનાને સુધારું પછી સમાજ સુધારવા જાઉં, તેવું વિચાર્યું હોત તો શું તેઓ (તેમના વિચારો) આજે આપણા સુધી પહોંચી શક્યા હોત? પહેલા હું મારા ઘરનાને સામાજિક ન્યાય સમજાવું પછી હું બીજાને સામાજિક ન્યાય સમજાવીશ, જો આવું કર્યું હોત તો શું આપણને આજે તેમનો જેટલો લાભ મળ્યો છે તેટલો લાભ મળી શકત?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિચારધારાની લડાઈ તે વિચારોની લડાઈ છે. તેમાં આપણા પરિવારનું દરેક સભ્ય આપણા જેટલું જ સમજે કે આપણા જેટલું જ યોગદાન આપે તે શક્ય નથી. અને ત્યાં સુધી કે જે તે વિચારધારાના અનુયાયીઓ પણ એકસરખી પ્રગતિ કરે ને એકસરખી સમજ ધરાવે તે પણ શક્ય નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે તમારા જીવનમાં તમારા વિચારો પ્રમાણે ચાલતા જાવ, વિચાર બીજ વેરતા જાવ, જેમનું મનોજગત તમારા વિચારબીજને અનુરૂપ હશે તેમના દિમાગમાં તે ઉતરશે અને ઉગશે. જેને તમારા વિચારોની જરૂર નથી લાગતી તે શું લેવા તમારા વિચારો અપનાવે ? </span><br><span style="font-size: 14pt;">મારી સૌને નમ્ર વિનંતી સાથે સલાહ છે કે,</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧) વિચારધારાના નામે પરિવારમાં કલેશ ના કરશો. પરિવાર માનસિક શાંતિ, હૂંફ, પ્રેમ, વિગેરે માટે હોય છે. આને પ્રાથમિકતા આપો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨) ઘરના સભ્યો સાથે વાતચીત કરો, ચર્ચા કરો પણ ના સમજે તો તે તમારા બાપ, મા, ભાઈ, બહેન, દીકરો, દીકરી મટી નથી જતા. પોતાના સમજાવવામાં ભૂલ છે તેમ જુઓ, અને ઘણીવાર તો જે તે વ્યક્તિને તમારા વિચારો સાથે કોઈ લેવાદેવા ના હોય તો શું લેવા સમજે? વિચારોનું સિંચન કરવામાં જબરજસ્તી, ઉતાવળ ના કરશો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૩) "ઘર કી મુર્ગી દાલ બરાબર" આ કહેવત અહીં પણ લાગુ પડે છે. બહાર ગમે તેટલા મોટા સામાજિક, રાજકીય કાર્યકર્તા, નેતા હોવ પણ ઘરમાં તો તમે કોઈકના પતિ, બાપ, દીકરા, દીકરી છો. એટલે સમાજમાં તમારા શબ્દોની જેટલી અસર પડે તેટલી ઘરમાં ના પડે તે સ્વાભાવિક છે. એટલે પહેલા ઘરનાને સમજાવો તેવો આગ્રહ ખોટો છે. કલેકટર, મામલતદાર, મુખ્યમંત્રી વગેરે બધું ઘરની બહાર હોય, ઘરમાં તો પતિ તરીકે તેમણે જ તેમની પત્નીને સોરી કહેવું પડે. ત્યાં કોઈ પદ, કોઈ સત્તા, ના ચાલે. તેવું જ વિચારધારાનું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૪) વિચારધારા ફેલાવવાનું કામ સમય માંગી લેતું કામ છે અને ભારત જેવા દેશમાં તો દાયકાઓ અને ઘણી બાબતોમાં તો સદીઓ જોઈએ. એટલે ખૂબ ધીરજ  સાથે સતત આગળ વધતા રહો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૫) ઘર એ વિચારધારાનું કેન્દ્ર નથી પણ તમારું મન (દિમાગ) વિચારધારાનું કેન્દ્ર છે. તમે તમારા ઘરને ઘર જ રહેવા દેજો.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(લેખક બહુજન સમાજના પુસ્તકો માટે વિખ્યાત શરૂઆત પબ્લિકેશનના ફાઉન્ડર છે. લેખમાં રજૂ થયેલા વિચારો વ્યક્તિગત છે.)</span></strong></span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચો : <a href="https://khabarantar.com/Hindu-scriptures-written-by-Brahmins-are-a-mountain-of-immorality---Kaushik-beginning">બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 21 Oct 2024 22:19:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[વિચાર સાહિત્ય]]>
                    </category>

                    <Articleid>1439</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671686103c57d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671686100c937.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>વિચાર સાહિત્ય</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671686100c937.jpg" length="75882" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>એ છ દિવસ સુધી તડપતી રહી, અંતે દમ તોડી દીધો...</title>
                    <link>https://khabarantar.com/the-son-of-the-rape-accused-set-the-dalit-girl-on-fire-by-sprinkling-petrol-in-Khandwa</link>
                    <guid>https://khabarantar.com/the-son-of-the-rape-accused-set-the-dalit-girl-on-fire-by-sprinkling-petrol-in-Khandwa</guid>
                    <description>
                        <![CDATA[ Khandwa Crime : આધેડે દલિત યુવતીની છેડતી કરતા યુવતીની ફરિયાદના આધારે તેને જેલમાં પુરી દીધો. જેનો બદલો લેવા તેના છોકરાએ યુવતી પર પેટ્રોલ રેડીને જીવતી સળગાવી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Khandawa Crime Inside Story : આ દેશના કાયદાઓએ દલિત અત્યાચારો મુદ્દે એ હદે ઢીલ દાખવી દીધી છે કે, આરોપીઓને દલિતો પર કોઈ પણ હદનો અત્યાચાર કરવામાં કાયદો વ્યવસ્થા કે ન્યાયતંત્રની જરાય બીક નથી રહી. આવું એટલા માટે લાગે કેમ કે દરરોજ દેશના કોઈને કોઈ ભાગમાં દલિતો પર આવા અરેરાટી વ્યાપી જાય એવા અત્યાચારો થાય છે અને છતાં પોલીસ તેમાં આરોપી તરફે કૂણી લાગણી ધરાવતી હોવાથી તેઓ છૂટી જાય છે. જેના કારણે જાતિવાદી તત્વોની હિંમત વધી જાય છે અને તેઓ ફરી દલિતો, આદિવાસીઓ પર અત્યાચાર કરવા પ્રેરાય છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે. આરોપી યુવકના પિતાએ એક દલિત યુવતીની છેડતી કરી હતી, જેને લઈને યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી પોલીસ આધેડને પકડી ગઈ. પિતાની ધરપકડનો બદલો લેવા માટે થઈને તેના લુખ્ખા છોકરાએ યુવતી પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી. યુવતી છ દિવસ સુધી હોસ્પિટલમાં બળબળતા શરીરે તડપતી રહી અને અંતે મોતને ભેટી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. 7 ઓક્ટોબરના રોજ એક આધેડે દલિત યુવતીની છેડતી કરી હતી. જેને લઈને યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી આધેડની ધરપકડ કરી હતી. જેનો બદલો લેવા માટે થઈને આધેડના લુખ્ખા છોકરાએ 12 ઓક્ટોબરના રોજ યુવતી પર પેટ્રોલ રેડીને તેને સળગાવી દીધી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને ઈન્દોરની MY હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. છ દિવસ પછી છોકરીનું અવસાન થઈ ગયું છે. પોલીસે આરોપી યુવક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ ઉપરાંત તેના પરિવારના સભ્યો સામે પણ વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હવે આરોપી યુવક પર વધુ કલમો લગાવવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">ખંડવા જિલ્લા મુખ્યાલયને અડીને આવેલા ગામમાં 7 ઓક્ટોબરે એક દલિત યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી માંગીલાલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. એ પછી આરોપી માંગીલાલના છોકરા અર્જુને પીડિતાને તેના પિતા પરના આરોપોનો બદલો લેવાની ધમકી આપી હતી. આરોપી અને તેના પરિવારજનોએ પીડિતાના પરિવાર સાથે મારામારી પણ કરી હતી, જેના કારણે યુવતી તણાવમાં હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">12 ઓક્ટોબરના રોજ ઘટના ઘટી</span></strong></span><br><span style="font-size: 14pt;">દશેરાના દિવસે 12 ઓક્ટોબરના રોજ આરોપી અર્જુને યુવતી પર પેટ્રોલ રેડીને તેને આગ ચાંપી દીધી હતી. યુવતીના પિતાએ તરત જ આગ બુઝાવી દીધી અને પુત્રીને ખંડવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી. પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે છેડતીના આરોપી માંગીલાલના છોકરાએ તેના પર પેટ્રોલ રેડીને તેને આગ લગાવી દીધી હતી. ત્યારબાદ પોલીસે આરોપી અર્જુનની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પુત્રીના મોતથી પરિવાર આઘાતમાં છે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને વધુ સારી સારવાર માટે ઈન્દોરની MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ગુરુવારે મોડી રાત્રે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. એ પછી પરિવારના સભ્યો આઘાતમાં છે અને રડી રડીને તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. શુક્રવારે યુવતીના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ખંડવા લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આરોપી અર્જુન સામે નોંધાયેલા કેસમાં પોલીસ વધુ કલમો ઉમેરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ખંડવા પોલીસ બેદરકારી દાખવી રહી છે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના પછી પણ ખંડવા જિલ્લાની મોઘટ પોલીસ સ્ટેશન છેડતીના મામલાને ગંભીરતાથી લઈ રહી નથી. મોઘટ પોલીસ સ્ટેશન એરિયામાં અગાઉ 14 ઓક્ટોબરે એક છોકરીની છેડતી કરવામાં આવી હતી અને તેના માથા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી, એ પછી પોલીસે ચાર દિવસ બાદ એટલે કે 17 ઓક્ટોબરની સાંજે કેસ નોંધ્યો હતો. આ અંગે પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે આરોપી સગીર છે અને પોલીસ સમાધાનથી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ અમે આ માટે તૈયાર નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સરકારને ઘેરી</span></strong></span><br><span style="font-size: 14pt;">યુવતીના મોત બાદ રાજ્યના પૂર્વ સીએમ કમલનાથે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેણે સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, "ખંડવામાં 12 ઓક્ટોબરે પેટ્રોલ રેડીને સળગાવવામાં આવેલી યુવતીનું મોત થઈ ગયું છે. હું યુવતીના અવસાન પર મારી ઉઁડી સંવેદનાઓ વ્યક્ત કરું છું. ખંડવાની દીકરીના મોતથી ફરી એક વાર સાબિત થઈ ગયું છે કે મધ્યપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. દીકરીઓ દરેક જગ્યાએ અસુરક્ષિત છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : <a href="https://khabarantar.com/i-am-illiterate-but-what-happened-to-my-son-should-happen-to-a-murderer">હું તો અભણ છું, પણ મારા દીકરા સાથે જે થયું તે હત્યારા સાથે થવું જોઈએ...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 21 Oct 2024 21:23:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1438</Articleid>
                    <excerpt>Khandwa Crime : આધેડે દલિત યુવતીની છેડતી કરતા યુવતીની ફરિયાદના આધારે તેને જેલમાં પુરી દીધો. જેનો બદલો લેવા તેના છોકરાએ યુવતી પર પેટ્રોલ રેડીને જીવતી સળગાવી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671678e6160a4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671678e5d74c5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671678e5d74c5.jpg" length="43587" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Khandwa Crime, Inside Story</media:keywords>
                </item>
                        <item>
                    <title>મોટાવડા હાઈસ્કૂલના વિદ્યાર્થીની આત્મહત્યામાં 3 શિક્ષકોની પૂછપરછ શરૂ</title>
                    <link>https://khabarantar.com/Inquiring-of-3-teachers-started-in-motavada-high-school-students-suicide</link>
                    <guid>https://khabarantar.com/Inquiring-of-3-teachers-started-in-motavada-high-school-students-suicide</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટના મોટાવડાની હાઈસ્કૂલના વિદ્યાર્થીના ગળેફાંસો ખાઈ લેવાના કેસમાં આચાર્ય સચિન વ્યાસ અને બે શિક્ષિકાઓ વિભૂતિ જોષી અને મૌસમી શાહ પર સકંજો કસાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Rajkot Motavada Student Suicide case : રાજકોટ (Rajkot) ના લોધિકા તાલુકા (Lodhika Taluka)ની મોટાવડા હાઈસ્કૂલ (Motavada High School) ના ધો.11ના વિદ્યાર્થી ધ્રુવિલ ભરતભાઈ વરૂ (Dhruvil Bharatbhai Varu) (ઉ.વ.16)એ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો (Suiside) ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે તેના પિતા ભરતભાઈ વરૂએ શાળાના શિક્ષકો "તું પેપર ઘરેથી કેમ લખી લાવ્યો, તારી પર પોલીસ કેસ કરવો છે" તેમ કહી પેપરમાં ચોકડી મારી ધમકી આપી મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે શાળાના આચાર્ય અને બે શિક્ષક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી ત્રણેયને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોધિકા તાલુકાના મોટાવડા ગામની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય સચિનભાઈ વ્યાસ, શિક્ષક મૌસમીબેન શાહ અને વિભૂતીબેન જોશી સામે નોંધાવેલી ફરિયાદમાં મૃતક વિદ્યાર્થી ધ્રુવીલના પિતા ભરતભાઈ વરૂએ જણાવ્યું હતું કે, "મારા પરિવારમાં મારા પત્ની જયાબેન ઉપરાંત દિકરો ધ્રુવીલ (ઉ.વ. 16) તથા પુત્રી શ્રૃતિ (ઉ.વ.13) છે જે છાપરા ગામે પ્રાથમિક શાળામાં ધો. 8માં અભ્યાસ કરે છે. નાનો દિકરો સોહમ (ઉ.વ. 9) જે મારા મોટાભાઈને દત્તક આપેલ છે. મારો દિકરો ધ્રુવીલ મોટાવડા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શાળામાં ધો.11માં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો હતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભરતભાઈ આગળ જણાવે છે કે, "ગઈ તા. 19ના રોજ છ માસિક પરીક્ષાનું પેપર હોવાથી ધ્રુવીલ સવારે સ્કૂલ જવા નીકળી ગયો હતો. ત્યારબાદ મને ફોન આવતા હું ઘરે પહોંચ્યો ત્યારે મારા દીકરા ધ્રુવિલે ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ અમે તેનો મોબાઈલ ચેક કરતાં તેમાં વીડિયો જોવા મળ્યો હતો. જેમાં એક વીડિયોમાં તે રડતા રડતા બોલતો હતો અને તેના હાથમાં એક ચીઠ્ઠી હતી. ધ્રુવિલના પેન્ટના ખિસ્સામાંથી જે ચીઠ્ઠી મળી આવી હતી તેમાં તેણે, "બધાં પત્ર વાંચી લેજો. મમ્મી મને માફ કરી દેજો. આજે મેં આ પગલું ન ભર્યું હોત તો મને પોલીસ મને લઈ જાત, મારો કોઈ વાંક ન હતો, પેપર મેં ઘરેથી લખ્યું નથી છતાં પણ મને પોલીસની ધમકી આપીને પેપરમાં ચોકડા માર્યા. આવું પહેલીવાર નથી બન્યું તેની વિગતો સાથે મૌસમી મેડમ, સચિન સર અને વિભૂતી મેડમે આવું કર્યું તેનો ઉલ્લેખ કર્યો હતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રકારની વિગતો સાથે મૃતક વિદ્યાર્થી ધ્રુવિલના પિતાએ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં શાળાના આચાર્ય સચિન વ્યાસ, મૌસમી શાહ અને વિભૂતી જોષી સામે પોતાના પુત્રને મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી ત્રણેય આરોપી શિક્ષકોની પૂછપરછ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : <a href="https://khabarantar.com/the-brahmin-teachers-washed-the-feet-of-the-dalit-student-his-brother-and-asked-for-forgiveness">બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી અને તેના ભાઈ પાસે પગ ધોવડાવી માફી મગાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 21 Oct 2024 14:09:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1437</Articleid>
                    <excerpt>રાજકોટના મોટાવડાની હાઈસ્કૂલના વિદ્યાર્થીના ગળેફાંસો ખાઈ લેવાના કેસમાં આચાર્ય સચિન વ્યાસ અને બે શિક્ષિકાઓ વિભૂતિ જોષી અને મૌસમી શાહ પર સકંજો કસાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6716132096d59.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6716132060de5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6716132060de5.jpg" length="56913" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Motavada High School, The student hanged himself</media:keywords>
                </item>
                        <item>
                    <title>બ્રાહ્મણ પૌત્રએ ત્રિશૂળથી દાદીની હત્યા કરી લોહી શિવલિંગને ચડાવ્યું</title>
                    <link>https://khabarantar.com/brahmin-grandson-killed-his-grandmother-with-a-trident-and-offered-the-blood-to-the-shivalinga</link>
                    <guid>https://khabarantar.com/brahmin-grandson-killed-his-grandmother-with-a-trident-and-offered-the-blood-to-the-shivalinga</guid>
                    <description>
                        <![CDATA[ 77 વર્ષના દાદીની ત્રિશૂળથી હત્યા કરી લોહી શિવલિંગને નવડાવ્યું, લોહી ઓછું પડ્યું તો પોતાનું લોહી ચઢાવ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">grandson killed his grandmother with a trident : બ્રાહ્મણોએ પેદા કરેલી અંધશ્રદ્ધા હવે તેમની જ યુવા પેઢીને નડી રહી છે. અનેક યુવાનો ધર્મના નશામાં તેમની કરિયર બરબાદ કરી રહ્યાં છે. જો કે, અમુક તો તેનાથી પણ આગળ વધીને તાંત્રિક વિદ્યાને રવાડે ચડી જાય છે અને કથિત ઈશ્વરને રાજી કરવા પરિવારજનોની બલિ ચડાવવાથી પણ ખચકાતા નથી. આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બ્રાહ્મણ યુવકે તેની સગી દાદીની ત્રિશૂળ વડે હત્યા કરી નાખી અને પછી તેમના લોહીથી શિવલિંગ પર અભિષેક કર્યો. એ દરમિયાન દાદીના શરીરનુ લોહી ખૂટી પડતા તેણે પોતાનું લોહી કાઢીને શિવલિંગ પર ચઢાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છત્તીસગઢના દુર્ગ જિલ્લાની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">છત્તીસગઢ (Chhattisgarh) માં અંધશ્રદ્ધા (Superstition) ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યાં નથી. દુર્ગ જિલ્લા (Durg District) માં શનિવારે સાંજે નંદિની પોલીસ સ્ટેશન (Nandini Police Station) વિસ્તારના નંદકટ્ટી ગામ (Nandkatti Village) માં એક બ્રાહ્મણ પૌત્રએ તેની 77 વર્ષીય દાદીની ત્રિશૂળ વડે હત્યા કરી તેનું લોહી નજીકના શિવલિંગ પર ચડાવ્યું. જ્યારે લોહી ઓછું પડ્યું તો તેણે પોતાને ઘાયલ કરીને ખુદનું લોહી શિવલિંગને ચડાવ્યું હતું. જેના પ્રયાસમાં તે બેભાન થઈ ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિવભક્ત પૌત્રએ દાદીની હત્યા કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની માહિતી મળતાની સાથે જ નંદિની પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આરોપીને કસ્ટડીમાં લઈ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં સમગ્ર મામલો અંધશ્રદ્ધા સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. આરોપી પોતાને શિવ ભક્ત ગણાવે છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6715f7a281bf9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માથામાં ત્રિશૂળ ફટકારી દીધું</span></strong></span><br><span style="font-size: 14pt;">દાદી રૂકમણી ગોસ્વામી અને તેમનો પૌત્ર ગોવિંદ ગોસ્વામી નંદિની પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામે ઘરમાં એકલા રહેતા હતા. ગઈકાલે સાંજે દાદીમા સાથે વાત કરતી વખતે પૌત્રએ અચાનક તેમના માથા પર ત્રિશૂળ વડે હુમલો કર્યો હતો. જેના કારણે વૃધ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દાદીના લોહીથી 'શ્રી શિવાય નમસ્તુભ્યમ' લખ્યું </span></strong></span><br><span style="font-size: 14pt;">આરોપી ગોવિંદ ગોસ્વામી આટલેથી અટક્યો નહોતો. દાદીની હત્યા બાદ તે તેમનું લોહી નજીકના શિવ મંદિરમાં લઈ ગયો અને ત્યાં શિવલિંગ પર તેનાથી અભિષેક કર્યો હતો. એ પછી તેણે લોહીમાં 'શ્રી શિવાય નમસ્તુભ્યમ' પણ લખ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધર્મને રાજકીય પ્રોત્સાહન મળવાની આડઅસર</span></strong></span><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ એક પરિવારના તમામ લોકો સાત દિવસ સુધી કંઈપણ ખાધા-પીધા વગર જય ગુરુદેવનો જાપ કરતા રહ્યા હતા, જેમાં બે લોકોના મોત થયા હતા, બે બેભાન થઈ ગયા હતા અને બેની માનસિક હાલત ખરાબ થઈ ગઈ હતી. સતત ધર્મને જે રીતે રાજકીય પ્રોત્સાહન મળી રહ્યું છે તે જોતા આ પ્રકારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/at-Somnath-the-local-brahmins-went-on-a-fast-while-worshiping-outside-brahmins">સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 21 Oct 2024 12:13:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1436</Articleid>
                    <excerpt>77 વર્ષના દાદીની ત્રિશૂળથી હત્યા કરી લોહી શિવલિંગને નવડાવ્યું, લોહી ઓછું પડ્યું તો પોતાનું લોહી ચઢાવ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6715f7a35c5a9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6715f7a3290a4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6715f7a3290a4.jpg" length="128350" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>grandson killed his grandmother with a trident</media:keywords>
                </item>
                        <item>
                    <title>શાળા બની સમરાંગણ : દલિત વિદ્યાર્થીને માથામાં વાંસડો ફટકારી દેતા મોત</title>
                    <link>https://khabarantar.com/a-dalit-student-died-in-a-group-clash-at-a-school-in-muzaffarpur-bihar</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-student-died-in-a-group-clash-at-a-school-in-muzaffarpur-bihar</guid>
                    <description>
                        <![CDATA[ ધોરણ 10 ના વિદ્યાર્થીઓના એક ગ્રુપે દલિત વિદ્યાર્થી પર વાંસડાથી હુમલો કરતા બ્રેઈન હેમરેજ થયું અને ગરીબ દલિત પરિવારનો દીકરો મોતને ભેટ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit Student Death In School Clash: બિહાર (Bihar) ના મુઝફ્ફરપુર (Muzaffarpur) માં એક શાળામાં બે વિદ્યાર્થી જૂથો (Students groups) વચ્ચે મારામારી (Fight) થતા એક દલિત વિદ્યાર્થી (Dalit Student)નું મોત (Death) થઈ ગયું છે. વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. મૃતક વિદ્યાર્થી સૌરભ કુમાર કુઢણી (Saurabh Kumar Kundhni) અહીંની તુર્કી સરકારી હાઈસ્કૂલ (Turky Govt. High School) માં ભણતો હતો અને શાળાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થતા તે મારામારીમાં પરિણમી હતી અને તેમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ક્લાસરૂમ યુદ્ધ મેદાન બની ગયો</span></strong></span><br><span style="font-size: 14pt;">વર્ગખંડમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે જૂની અદાવતના કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી. 10માં ધોરણના એક વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીઓએ મળીને સૌરભને એટલો માર માર્યો હતો કે તે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. દરમિયાન શનિવારે તેનું બ્રેઈન હેમરેજના કારણે મોત થયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મારામારીનો વીડિયો વાયરલ</span></strong></span><br><span style="font-size: 14pt;">ક્લાસરૂમમાં થયેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દલિત વિદ્યાર્થીને માર માર્યા બાદ હુમલાખોર છોકરાઓ ત્યાંથી ભાગી ગયા હતા. શિક્ષકોએ આ ઘટના અંગે ઘાયલ વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચીને વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વાંસના દંડાથી માર માર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ક્લાસરૂમમાં બનેલી આ સમગ્ર ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓનું એક જૂથ વર્ગખંડમાં સૌરભને માર મારી રહ્યું છે. તેને માર મારવામાં ઘણાં વિદ્યાર્થીઓ સામેલ હતા અને તેઓ વાંસડાથી તેને નિર્દયતાથી ફટકારી રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પરિવારજનોનો આક્રંદ</span></strong></span><br><span style="font-size: 14pt;">સૌરભના આ રીતે અચાનક મોત બાદ તેના પરિવારજનોની હાલત ખરાબ છે અને તેઓ આક્રંદ કરી રહ્યા છે. માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. ગ્રામીણ એસપી વિદ્યા સાગરે જણાવ્યું કે ક્લાસ રૂમમાં કોઈ મુદ્દે વિવાદ થયો હતો. સૌરભ અને તેના મિત્રોની ઓમ પ્રકાશ અને પ્રહલાદ નામના બે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના અન્ય ગ્રુપ સાથે મારામારી થઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક વિદ્યાર્થિની ધરપકડ</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસે વધુમાં જણાવ્યું હતું કે અન્ય જૂથના યુવકે સૌરભને માથા પર વાંસનો દંડો ફટકાર્યો હતો. ઓમ પ્રકાશ અને પ્રહલાદ કુમારે સૌરભને માર માર્યો હતો. હાલ ઓમ પ્રકાશની ધરપકડ કરાઈ છે. બંને પક્ષો તરફથી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ દરેક સંભવિત એંગલથી તપાસ કરી રહી છે, જેમાં એક અફવા એ પણ સામેલ છે કે, આ મારામારી પ્રેમ પ્રકરણને કારણે થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : <a href="https://khabarantar.com/a-21-year-old-dalit-youth-from-bayad-was-shocked-to-find-the-dead-body-of-the-meshwa-river">બાયડના 21 વર્ષના દલિત યુવકનો મેશ્વો નદીમાંથી મૃતદેહ મળ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 21 Oct 2024 09:44:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1435</Articleid>
                    <excerpt>ધોરણ 10 ના વિદ્યાર્થીઓના એક ગ્રુપે દલિત વિદ્યાર્થી પર વાંસડાથી હુમલો કરતા બ્રેઈન હેમરેજ થયું અને ગરીબ દલિત પરિવારનો દીકરો મોતને ભેટ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6715d500db82f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6715d500ab07c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6715d500ab07c.jpg" length="57985" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bihar News, muzaffarpur, dalit student died</media:keywords>
                </item>
                        <item>
                    <title>રસ્તાના અભાવે આદિવાસી પ્રસુતાને ઝોળીમાં નાખી દવાખાને લઈ જવી પડી</title>
                    <link>https://khabarantar.com/due-to-the-lack-of-roads-the-tribal-pregnant-woman-had-to-be-carried-to-the-hospital-in-a-zoli</link>
                    <guid>https://khabarantar.com/due-to-the-lack-of-roads-the-tribal-pregnant-woman-had-to-be-carried-to-the-hospital-in-a-zoli</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાંથી ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના સામે આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરી એકવાર છોટા ઉદેપુરથી કહેવાતા વિકાસશીલ ગુજરાતના દાવાની પોલ ખોલતા સમાચાર આવ્યા છે. અહીંના તુરખેડામાં પ્રસુતાના મોતની ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી એ જ ગામના માનુકલા ફળીયાની પ્રસુતાને રસ્તાના અભાવે ઝોળીમાં નાખીને દવાખાને લઈ જવાની ફરજ પડી છે.  ગામમાં સારો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ પહોંચે તે શક્ય ન હોવાથી છાશવારે બને છે તેમ જ સગર્ભાઓને ઝોળીમાં નાખીને લઈ જવાનો વારો આવે છે. આ મામલે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ બજેટ ફાળવાયું છે અને રસ્તાની કામગીરી શરૂ થઈ છે, પરંતુ પરિસ્થિતિમાં હજુ ત્વરિત કોઈ સુધારો થયો હોય તેમ જણાતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક તરફ મહિલાને પ્રસુતીની પીડા ઉપડી હતી અને ઉપરથી ઉબડ-ખાબડ રસ્તા પર જીવના જોખમે તેને દવાખાને પહોંચાડવાની હતી. એક – બે મીટર નહીં પરંતુ આ રીતે ત્રણ કિલોમીટરનો રસ્તો સગર્ભાને આ રીતે ઝોળીમાં નાખીને પસાર કરાવવામાં આવ્યો અને આંબા ડુંગર સુધી પહોંચાડવામાં આવી. એ પછી ત્યાં ૧૦૮ આવી પહોંચતા મહિલાને ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવી હતી. પ્રસુતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. પરંતુ મુદ્દો એ છે કે સારવાર મોડી મળવાને લીધે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મુદ્દે હાઈકોર્ટ પણ ફટકાર લગાવી ચુકી છે. કોર્ટે પણ સુઓમોટો લઈ ગામની સુવિધા વધારવા ટકોર કરી છે પરંતુ તંત્ર માત્ર સરવે કરાવીને સંતોષ માની રહ્યું છે. સરકારે કરોડોના ખર્ચે રસ્તો બનાવવાની જાહેરાત તો કરી દીધી પરંતુ જમીન પર કોઈ કામગીરી દેખાતી નથી. સવાલ એ છે કે ગૃહમંત્રી કે પ્રધાનમંત્રી મુલાકાત લેવાના હોય તો રાતોરાત નવાનક્કોર રસ્તા તૈયાર થઈ જાય છે પરંતુ સામાન્ય લોકો માટે રસ્તો બનાવવામાં વર્ષો નીકળી જાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિકોના જણાવ્યા મુજબ કડીપાણી આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબ પણ નથી. આ અંગે ધારાસભ્યને પૂછવામાં આવતા તેમણે પણ કાયમી ડૉક્ટર ન હોવાનો સ્વીકાર કર્યો હતો. જો કે લુલો બચાવ કરતા સ્થાનિક ધારાસભ્ય જયંતી રાઠવાએ વહેલી તકે રસ્તો બનાવવાની ખાતરી આપી હતી. હવે આ વહેલી તકે ક્યારે આવશે તે તો તેઓ જ જાણે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છોટાઉદેપુરના આ અંતરિયાળ જિલ્લાઓની વરવી હકીકત એ છે કે અહીં ૨૦ દિવસના અંતરાલે આવા ચિંતાજનક દૃશ્યો જોવા મળી રહ્યાં છે. તુરખેડામાં પણ રસ્તાના અભાવે સગર્ભાને ઝોળીમાં લઈ જવાનો વારો આવ્યો હતો અને તે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકી અને બાળકને જન્મ આપી મોતને ભેટી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના અઠવાડિયા બાદ જ ફરી એવા જ દ્રશ્યો સામે આવતા ગુજરાતના કહેવાતા વિકાસની પોલ ખૂલી ગઈ હતી. સારવાર માટે પહોંચેલી ખાનગી એમ્બ્યુલન્સ જ અટવાઈ ગઈ. આખરે ગ્રામજનોએ ધક્કો મારીને એમ્બ્યુલન્સને બહાર કાઢી હતી. સારી વાત એ હતી કે એ દરમિયાન સગર્ભાની મદદ માટે આવેલી ૧૦૮ સમયસર ગામે પહોંચી અને એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસૂતિ કરાવાઈ. પરંતુ, તે વખતે પણ ૩ કિ.મી. સુધી સગર્ભાને ઝોળીમાં લઈ જવાનો વારો આવ્યો હતો. અને આ વખતે ફરી માનકુલા ફળિયામાંથી કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સવાલ એ છે વિકાસના દાવા વચ્ચે લોકોને પાયાની સુવિધા ક્યારે મળશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકતરફ આઝાદીના અમૃત મહોત્સવની રંગે ચંગે ઉજવણી તો કરાઈ રહી છે પરંતુ આ અંતરિયાળ વિસ્તારના લોકો સુધી રોડ રસ્તાની સુવિધા પણ પહોંચી નથી. તેઓ તો એ જ નર્કાગારની સ્થિતિમાં જીવવા મજબુર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-cremation-procession-had-to-be-carried-out-from-vatrak-river-in-meghrajs-ghorwara">મેઘરજના ઘોરવાડામાં વાત્રકના વાંઘામાંથી સ્મશાનયાત્રા કાઢવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 20 Oct 2024 21:56:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1434</Articleid>
                    <excerpt>આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાંથી ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના સામે આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67152e6668557.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67152e662c481.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67152e662c481.jpg" length="122836" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Tribal area Chotaudepur, Chotaudepur</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગીરના ગામડાઓમાં ઈકો સેન્સેટિવ ઝોનને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો</title>
                    <link>https://khabarantar.com/protests-over-eco-sensitive-zones-in-gir-villages-intensified</link>
                    <guid>https://khabarantar.com/protests-over-eco-sensitive-zones-in-gir-villages-intensified</guid>
                    <description>
                        <![CDATA[ જૂનાગઢના ગીર જંગલને લઈને જાહેર કરાયેલા નવા ઈકો સેન્સેટિવ ઝોનને લઈને સ્થાનિકો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના ગીરના જંગલ આસપાસના વિસ્તારમાં જાહેર કરાયેલા નવા ઈકો સેન્સેટિવ ઝોનને લઈને વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. ઈકો ઝોનનો વિરોધ હવે સરકાર માટે મોટી સમસ્યા બની રહ્યો છે. આપના નેતાઓએ આજે કરેલા સંમેલન દરમિયાન આપ પ્રવક્તા કરશન બાપુએ ચીમકી ઉચ્ચારી હતી કે, સરકાર ઇકો ઝોન સંપૂર્ણ નાબૂદ કરે, નહિતર હું દેહ ત્યાગ કરીશ. ટૂંક સમયમાં હું સમય અને સ્થળ જાહેર કરીશ. ગીરગઢડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મળેલા સંમેલન દરમિયાન કરશન બાપુએ આ એલાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગીર જંગલના બોર્ડરના ગામોમાં ઈકો સેન્સેટિવ ઝોનના કાયદા વિરૂદ્ધ જનઆક્રોશ થમી નથી રહ્યો. નવરાત્રી પર ગીરના ગામેગામ ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ કરતા ગરબા યોજાયા હતા. એ પછી દશેરા દરમિયાન ખેડૂતોએ ઈકોઝોનના પૂતળાનું દહન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડૂત આગેવાનો પોતાના પક્ષની લાઈન છોડીને પણ પોતાની ખેતીની રક્ષા માટે ખુલીને ઈકો સેન્સેટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે. ભાજપ સમર્થિત તાલાળા મેંગો માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરવા ઠરાવ કરાયો છે. તાલાલા એપીએમસીના તમામ ૧૬ સભ્યોની સહમતિથી ઠરાવ મંજૂર કરાયો છે કે ગીર ઈકોઝોનનો કાયદો અને જાહેરનામાને રદ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/The-Hool-Mutiny:-A-Heroic-Story-of-Santhal-Tribes-Including-Tilka-Manjhi-and-Seedo-Kanhu">હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડૂતોનો આરોપ છે કે રાજકીય મોટા માથાઓને છાવરીને જ્યાં ખનન પ્રવૃત્તિ ચાલે છે તે વિસ્તારોને ઇકોઝોનના સીમાંકનની બહાર રાખવામાં આવ્યા છે અને માત્ર નાના ખેડૂતોને દબાણમાં લેવામાં આવ્યા છે. બીજી તરફ વન વિભાગ દ્વારા ઈકોઝોન ફાયદાકારક છે એવા કાગળ ગામે-ગામ ખેડૂતોને આપવામાં આવી રહ્યાં છે પણ એની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠી રહ્યાં છે. કારણ કે આ કાગળો પર ન તો વનવિભાગ કે ન તો સરકારના કોઈ અધિકૃત હસ્તાક્ષર છે. ત્યારે ખેડૂતો એમ પણ કહી રહ્યા છે કે વનવિભાગ દ્વારા અત્યારે પણ પોતે જમીનના માલિક છે તેમ વર્તન કરી અને ખેડૂતોને વૃક્ષો વાવવા માટે પણ પરવાનગી લેવી પડે તેવું જકકી વલણ દાખવાઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે વનવિભાગ સામે ઉભો થયેલા વિરોધને શાંત કરવા માટે અને આ મુદ્દે રહેલી ગેરસમજ દૂર કરવા માટે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈકો સેન્સેટીવ ઝોનથી કોઈપણ પ્રકારની અડચણો ઉભી થવાની નથી. ઈકો સેન્સેટિવ ઝોન માત્રને માત્ર મોટા ઉદ્યોગો અને પ્રદૂષણ ફેલાવતા એકમો માટે જ છે. ખેડૂતોને કોઈ પરેશાની નહી થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન ઈકો સેન્સેટીવ ઝોન ૩૮૯ ગામોમાં લાગુ છે. પરંતુ હવે આ નવું નોટિફીકેશન લાગુ થતાની સાથે માત્ર ૧૯૬ ગામોનો તેમાં સમાવેશ થશે. એટલે એક રીતે નવા ઈકો સેન્સેટિવ ઝોનમાં ક્ષેત્રફળ ઘટાડવામાં આવશે. જો કે આ તમામ સરકારી દાવાઓ વચ્ચે ગીરના ખેડૂતોના મનમાં પેદા થયેલી શંકાનું નિરાકરણ થઈ રહ્યું નથી. પરિણામે આગામી દિવસોમાં આ મામલે રાજકારણ ગરમાય તો નવાઈ નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/police-kidnap-tribal-youths-to-save-contractor-chaitar-vasava">કોન્ટ્રાક્ટરને બચાવવા પોલીસે આદિવાસી યુવકોને ચોર ખપાવ્યાઃ ચૈતર વસાવા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 20 Oct 2024 21:23:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1433</Articleid>
                    <excerpt>જૂનાગઢના ગીર જંગલને લઈને જાહેર કરાયેલા નવા ઈકો સેન્સેટિવ ઝોનને લઈને સ્થાનિકો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6715267e833df.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6715267e50ae2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6715267e50ae2.jpg" length="113574" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gir forest of Junagadh, New Eco Sensitive Zones, Opposition from locals</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેનેડા પ્રત્યે ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ, અરજીઓમાં 80 ટકાનો ઘટાડો</title>
                    <link>https://khabarantar.com/indian-student-disillusionment-with-canada-80-percent-drop-in-applications</link>
                    <guid>https://khabarantar.com/indian-student-disillusionment-with-canada-80-percent-drop-in-applications</guid>
                    <description>
                        <![CDATA[ રાજદ્વારી સંબંધોના ખટાશ ઉપરાંત વિઝા પ્રોસેસિંગમાં વિલંબ અને રોજગારીની મર્યાદિત તકોએ પણ વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત અને કેનેડા વચ્ચે વધતા જતા રાજદ્વારી તણાવને કારણે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવાને લઈને અસમંજસમાં આવી ગયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે ૨૦૨૫ના શૈક્ષણિક સત્ર માટે કેનેડામાં અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ ૮૦%નો ઘટાડો થયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિઝા પ્રોસેસિંગમાં વિલંબ અને રોજગારીની મર્યાદિત તકોએ પણ વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કારકિર્દી માર્ગદર્શન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ૨૦૨૫ સત્ર માટે કેનેડામાં અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ ૮૦% ઘટાડો થયો છે. ભારતીય માતા-પિતા માટે બાળકોની સલામતી એક મુખ્ય મુદ્દો બની ગયો છે અને વર્તમાન રાજકીય વાતાવરણને કારણે કેનેડાને હવે સલામત સ્થળ તરીકે જોવામાં આવતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૫ સત્રમાં ગ્રેજ્યુએશન માટેની અરજીઓ સામાન્ય કરતાં માત્ર એક ક્વાર્ટર છે. ઘણા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા હવે ખાસ કરીને વિઝા અને સુરક્ષા સંબંધિત ચિંતાઓને કારણે કેનેડિયન સંસ્થાઓમાં અરજી કરવા પર પુનર્વિચાર કરી રહ્યા છે. એજ્યુકેશનલ એડવાઈઝર સર્વિસિસ મુજબ વર્ષ ૨૦૨૫ના સત્ર માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦-૬૦% ઘટાડો થયો છે. ખાસ કરીને ગ્રેજ્યુએશન અભ્યાસ માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/50-percent-decrease-in-canadian-student-visa-applications-from-gujarat"><span style="font-size: 14pt;">ગુજરાતમાંથી કેનેડાના સ્ટુડન્ટ વીઝાની અરજીઓમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિષ્ણાતો કહે છે કે આ ઘટાડો માત્ર રાજદ્વારી તણાવને કારણે નથી પરંતુ કેનેડામાં વધતી જતી રહેઠાણની કિંમત, હાઉસિંગ કટોકટી અને મર્યાદિત રોજગારીની તકોને કારણે પણ છે. જેના કારણે વિદ્યાર્થીઓનું આકર્ષણ ઘટ્યું છે. ૨૦૨૧ અને ૨૦૨૩ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા સૌથી લોકપ્રિય સ્થળ હતું, પરંતુ સપ્ટેમ્બર ૨૦૨૩માં શરૂ થયેલા રાજદ્વારી તણાવે પરિસ્થિતિ બદલી નાખી છે. આટલું ઓછું હોય તેમ કેનેડાએ ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા અરજીઓમાં ૩૫% અને ૨૦૨૫ માટે વધુ ૧૦% ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરિયર મોઝેઇકે ૨૦૨૧માં ૧,૦૦૦ વિદ્યાર્થીઓને કેનેડામાં પ્રવેશ આપ્યો હતો, પરંતુ ૨૦૨૪માં તે સંખ્યા ઘટીને ૩૦૦ થઈ ગઈ હતી. કંપનીના સ્થાપક અભિજીત ઝવેરીએ કહ્યું કે ૨૦૨૫માં આ સંખ્યા ઘટીને માત્ર ૨૦૦ થઈ શકે છે. હાઉસિંગ કટોકટી, વિઝા પ્રોસેસિંગમાં વિલંબ અને વિઝા પોલિસીમાં ફેરફાર જેવી સમસ્યાઓના કારણે આ ઘટાડો વધી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં કેનેડિયન યુનિવર્સિટીઓ તરફ વિદ્યાર્થીઓની પૂછપરછમાં પણ ૩૦% ઘટાડો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા માત્ર કેનેડાના શિક્ષણ ક્ષેત્રને જ નહીં પરંતુ અન્ય સંબંધિત ઉદ્યોગો અને હાઉસિંગ ક્ષેત્રોને પણ અસર કરશે. જાણકારોના મતે, કેનેડિયન કંપનીઓ ભારતીય વિદ્યાર્થીઓની ભરતી પર અનૌપચારિક રીતે રોક લગાવી શકે છે, જેનાથી ભારતીયો માટે રોજગારની સ્થિતિ વધુ મુશ્કેલ બને છે. જો કે, જે વિદ્યાર્થીઓએ ૨૦૨૪ માટે અરજી કરી છે અથવા કેનેડામાં પહેલેથી જ અભ્યાસ કરી રહ્યાં છે તેમને વર્તમાન તણાવની સીધી અસર થશે નહીં, પરંતુ ૨૦૨૫માં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/sikh-leader-demands-ban-on-rss-network-in-canada">શીખ નેતાએ કેનેડામાં RSS ના નેટવર્ક પર પ્રતિબંધની માંગ કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 20 Oct 2024 20:46:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1432</Articleid>
                    <excerpt>રાજદ્વારી સંબંધોના ખટાશ ઉપરાંત વિઝા પ્રોસેસિંગમાં વિલંબ અને રોજગારીની મર્યાદિત તકોએ પણ વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67151dd18780e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67151dd15484f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67151dd15484f.jpg" length="124885" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Canada, Reduced application visa</media:keywords>
                </item>
                        <item>
                    <title>પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો આરોપી શિવસેનામાં જોડાયો</title>
                    <link>https://khabarantar.com/the-accused-in-the-murder-of-journalist-gauri-lankesh-joined-the-shiv-sena</link>
                    <guid>https://khabarantar.com/the-accused-in-the-murder-of-journalist-gauri-lankesh-joined-the-shiv-sena</guid>
                    <description>
                        <![CDATA[ ગૌરી લંકેશની હત્યાના આરોપી પૂર્વ મંત્રી શ્રીકાંત પાંગારકરની ઓગસ્ટ 2018માં ધરપકડ કરાઈ હતી. 4 સપ્ટેમ્બર 2024ના રોજ કર્ણાટક હાઈકોર્ટે તેને જામીન આપ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો આરોપી શ્રીકાંત પાંગારકર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયો છે. ગૌરી લંકેશની 5 સપ્ટેમ્બર 2017ના રોજ કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં તેમના ઘરની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કર્ણાટક પોલીસે મહારાષ્ટ્રની એજન્સીઓની મદદથી સમગ્ર પ્રકરણની તપાસ કરી હતી અને અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પાંગારકર 2001 થી 2006 સુધી જાલના નગરપાલિકાનો કાઉન્સિલર હતો. ઓગસ્ટ 2018માં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે 4 સપ્ટેમ્બરે કર્ણાટક હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવસેનાના ભાગલા પડ્યા તે પહેલા વર્ષ 2011માં તેને ટિકિટ ન આપવામાં આવતા પાંગારકર દક્ષિણપંથી હિન્દુ જનજાગૃતિ સમિતિમાં જોડાયો હતો. તે શુક્રવારે પૂર્વ રાજ્ય મંત્રી અર્જુન ખોટકરની હાજરીમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખોટકરે પત્રકારોને કહ્યું, 'શ્રીકાંત પાંગારકર ભૂતપૂર્વ શિવસૈનિક છે અને પાર્ટીમાં પાછો ફર્યો છે. તેને જાલના વિધાનસભા ચૂંટણી પ્રચારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ 288 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગૌરી લંકેશના હત્યારાઓને જામીન મળતા ફૂલહાર કરાયા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજથી બરાબર 10 દિવસ પહેલાં ગૌરી લંકેશ હત્યા કેસના મુખ્ય આરોપીઓને જામીન મળ્યા હતા. આરોપીઓ તેમના વતન પહોંચ્યા ત્યારે કેટલાક હિન્દુત્વવાદી કાર્યકરો દ્વારા તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોર્ટે 9 ઓક્ટોબરે પરશુરામ વાઘમારે, મનોહર યાદવ અને અન્ય 6 આરોપીઓને જામીન આપ્યા હતા અને તેઓ 11 ઓક્ટોબરના રોજ જેલમાંથી મુક્ત થયા હતા. આ તમામ આરોપીઓ 6 વર્ષ કરતા વધુ સમય સુધી જેલમાં રહ્યા હતા. જ્યારે તેઓ તેમના વતન પહોંચ્યા ત્યારે હિન્દુત્વવાદી કાર્યકરો તેમને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે લઈ ગયા, જ્યાં તેમનું ભગવી શાલ અને માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. એ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘સનાતન ધર્મ કી જય’ના નારા લાગ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/how-much-role-did-ram-rahim-play-in-bjps-victory-in-haryana">હરિયાણામાં ભાજપની જીતમાં રામ રહીમે કેટલો ભાગ ભજવ્યો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 20 Oct 2024 19:17:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1431</Articleid>
                    <excerpt>ગૌરી લંકેશની હત્યાના આરોપી પૂર્વ મંત્રી શ્રીકાંત પાંગારકરની ઓગસ્ટ 2018માં ધરપકડ કરાઈ હતી. 4 સપ્ટેમ્બર 2024ના રોજ કર્ણાટક હાઈકોર્ટે તેને જામીન આપ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671508f3e71de.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671508f3b11f4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671508f3b11f4.jpg" length="86141" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gauri Lankesh case, Shiv sena</media:keywords>
                </item>
                        <item>
                    <title>Viral BABA અભિનવ અરોરા અને તેના પરિવારની પોલ ખૂલી ગઈ!</title>
                    <link>https://khabarantar.com/viral-baba-abhinav-arora-and-his-family-is-expose</link>
                    <guid>https://khabarantar.com/viral-baba-abhinav-arora-and-his-family-is-expose</guid>
                    <description>
                        <![CDATA[ ભારતના સૌથી નાની ઉંમરના આધ્યાત્મિક વક્તા તરીકે જેને પ્રમોટ કરવામાં આવે છે તે Abhinav Arora અને તેના પરિવારની પોલ ખૂલી ગઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Viral Baba Abhinav Arora Exposes: ધર્મ લોકોનું અફીણ છે - કાર્લ માર્ક્સે વર્ષો પહેલા કહેલું આ વાક્ય આઝાદ ભારતની એકવીસમી સદીમાં જાણે દરરોજ દિવસ ઉગે અને નવી ઉંચાઈ હાંસલ કરે છે. ધર્મના નામે સતત આ દેશના લોકોને મૂર્ખ બનાવી રાખવા માટે સમયાંતરે કોઈને કોઈ નવી ટ્રીક માર્કેટમાં આવતી રહે છે. સોશિયલ મીડિયાના આજના જમાનામાં આ તૂત કરવું વધારે સરળ બન્યું છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ વાયરલ બાબા (Viral Baba) તરીકે જાણીતો બની ગયેલો 10 વર્ષનો ટેણિયો અભિનવ અરોરા (Abhinav Arora) છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો તમે યુટ્યુબ (YouTube) કે અન્ય સોશિયલ મીડિયા (Social Media) પર રિલ્સ (Reel) જોવાના શોખીન હશો તો એક હ્યુષ્ટપુષ્ટ બાળકની રાધા-કૃષ્ણ, ગોપીઓ, રાસલીલાની આધ્યાત્મિક વાતો કરતી રીલ ચોક્કસ તમારા ધ્યાનમાં આવી હશે. એ બાળકનું નામ અભિનવ અરોરા (Abhinav Arora) છે અને તે પોતે ભારતનો સૌથી યુવા આધ્યાત્મિક વક્તા (India's Youngest Spiritual Speaker) હોવાનો દાવો કરે છે. જો કે આ દાવાઓની પોલ ખૂલી (Expose) ગઈ છે અને આખો મામલો ધર્મ અને આધ્યાત્મિકતાનું માર્કેટિંગ કરીને રૂપિયા રળી લેવાનો હોવાનું સામે આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/when-gandhiji-arrived-to-meet-savarkar-he-was-frying-shrimp">ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થયું છે એવું કે, એક યુટ્યુબરે આ મામલે એક વીડિયો બનાવ્યો છે અને તેમાં તેણે અભિનવને પ્રસિદ્ધ કરીને તેના નામે રૂપિયા રળી લેવાની તેના પરિવારની પોલ ખોલ નાખી છે. યુટ્યુબરે વીડિયોમાં દાવો કર્યો છે કે, અભિનવ અરોરા, જેને તેનો પરિવાર ભારતનો સૌથી યુવા આધ્યાત્મિક વક્તા તરીકે પ્રોજેક્ટ કરે છે, તે ખરેખર મોટું જૂઠ (lie) છે અને એવું કશું નથી. અભિનવનો પરિવાર લોકોને મૂર્ખ બનાવી રહ્યો છે અને આ બધું તેઓ પૈસા અને પ્રસિદ્ધિ માટે કરી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુટ્યુબરે દાવો કર્યો છે કે, અભિનવમાં કોઈ દૈવી શક્તિ નથી અને જ્ઞાન પણ નથી. તે માત્ર ગોખેલી સ્ક્રિપ્ટ બોલે છે. જ્યારે તેને ગોખાવવામાં આવેલી સ્ક્રીપ્ટ સિવાય અન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે તે જવાબ આપી શકતો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુટ્યુબરે એવો પણ આરોપ લગાવ્યો છે કે અભિનવ અરોરા 10 વર્ષના એક સામાન્ય બાળક જેવો જ બાળક છે, તેનામાં કોઈ એવી દૈવી શક્તિ નથી અને તે ઈશ્વરનું બાળક નથી. હકીકતે ધંધામાં ખોટ જતાં તેના પરિવારના સભ્યોએ પ્લાન મુજબ આ આખો ભ્રમ ઉભો કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/i-also-like-garba-a-lot-but">ગરબા તો મને પણ બહુ ગમતા પણ...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અભિનવને લગતો રિયાલિટી ચેક વીડિયો Only Desi Youtube ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અભિનવના પિતા (Abhinav's father) તરુણ રાજ અરોરા (Tarun Raj Arora) એ અગાઉ 'ફાલુદા એક્સપ્રેસ' (Faluda Express) ના નામથી આઈસ્ક્રીમનો બિઝનેસ (Ice cream business) શરૂ કર્યો હતો અને તેની ફ્રેન્ચાઈઝી વહેંચી હતી. આ બિઝનેસના પ્રમોશન માટે એક વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો, જેમાં અભિનવ પણ હતો. વીડિયોમાં તે સાવ સામાન્ય બાળક જેવો દેખાઈ રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુટ્યુબરનો આરોપ છે કે બિઝનેસમાં નુકસાન અને રોકાણકારોને પૈસા પરત ન કરી શકવાની સ્થિતિમાં અભિનવના પિતા તરુણ રાજ અરોરાએ પત્ની સાથે મળીને અભિનયના બાળપણને દાવ પર લગાડી દીધું હતું અને એક દૈવી બાળક તરીકે તેનો પ્રચાર-પ્રસાર કરવાનું શરૂ કરી દીધું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેના પરિવારજનોએ દાવો કર્યો છે કે 10 વર્ષના અભિનયનો કોઈ મિત્ર નથી અને ન તો તેને કોઈને મિત્ર બનાવવાની ઈચ્છા છે. તેને રમકડાં કે સ્માર્ટફોનમાં કોઈ રસ નથી અને તેણે કદી રમકડાં કે સ્માર્ટફોનનો ઉપયોગ પણ કર્યો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-those-11-days-dr-ambedkar-saw-the-true-character-of-a-civilized-city">એ 11 દિવસમાં ડૉ. આંબેડકરે 'સંસ્કારી નગરી'નું અસલી ચરિત્ર જોયું...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારના સભ્યોના જણાવે છે કે, અભિનવ ટીવીને એક ધ્યાન ભટકાવનારી ચીજ માને છે એટલે તે ટીવી જોતો નથી. તે માત્ર રાધા અને કૃષ્ણ સાથે વાત કરવા માંગે છે. તેને વાર્તાઓ સાંભળવી ગમે છે, તે ધાર્મિક ગ્રંથોનું વાંચન કરીને તેનું મહત્વ સમજાવે છે. તે ધોતી અને કુર્તો પહેરે છે. તેને ભગવદ ગીતા વાંચવી, કૃષ્ણના જન્મસ્થળ વૃંદાવનની મુલાકાત લેવી અને ઘરમાં વિશાળ પૂજા રૂમમાં મૂર્તિઓની સંભાળ લેવી ગમે છે. અભિનવ પણ કહે છે કે તે ખુશ છે કે રાધા રાણીએ તેને પોતાના ભક્ત તરીકે પસંદ કર્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અભિનવ એક જ વાત વારંવાર રિપીટ કરતો જોવા મળ્યો. તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે એક સામાન્ય બાળકની જેમ વિસર્જન દરમિયાન ગણપતિને અલવિદા કહેતો જોવા મળે છે. હાલમાં આ સમગ્ર મામલે અભિનવ કે તેના પરિવારજનો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તો સામે યુટ્યુબરના દાવાઓની પણ પુષ્ટિ કરવામાં આવી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-the-game-going-on-to-make-reservation-based-on-economic-rather-than-social-basis">અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 20 Oct 2024 09:31:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1430</Articleid>
                    <excerpt>ભારતના સૌથી નાની ઉંમરના આધ્યાત્મિક વક્તા તરીકે જેને પ્રમોટ કરવામાં આવે છે તે Abhinav Arora અને તેના પરિવારની પોલ ખૂલી ગઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6713ff9ee082a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6713ff9eaa8af.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6713ff9eaa8af.jpg" length="127305" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Abhinav Arora, Viral Baba, Expose, Tarun Raj Arora</media:keywords>
                </item>
                        <item>
                    <title>નડિયાદના જોષીપુરામાં બે વાંદરાએ દિવ્યાંગ મહિલાને ફાડી ખાધી</title>
                    <link>https://khabarantar.com/two-monkeys-mauled-a-disabled-woman-in-joshipura-nadiad</link>
                    <guid>https://khabarantar.com/two-monkeys-mauled-a-disabled-woman-in-joshipura-nadiad</guid>
                    <description>
                        <![CDATA[ હિચકારા આ હુમલામાં વાનરોએ મનોદિવ્યાંગ મહિલાને ચૂંથી નાખી, શરીર પર એકપણ વસ્ત્ર ન રહેવા દીધું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નડિયાદ નજીકના જોષીપૂરા વિસ્તારમાં બે વાનરોએ 40 વર્ષિય દિવ્યાંગ મહિલા ઉપર હિચકારો હુમલો કરતાં, મહિલાનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે નાનકડાં ગામમાં ભય ફેલાયો છે. અગાઉ પણ આ વિસ્તારમાં વાનરના હુમલાની ફરિયાદો ઉઠી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નડિયાદ તાલુકાના ફતેપુરા ગામમાં આવેલા જોષીપુરા સીમમાં રહેતાં સોમાભાઈ પરમારની દિકરી સુમિત્રાબેન (ઉ.વ.40) નાનપણથી માનસિક દિવ્યાંગ હતા. બુધવારે બપોરના સમયે સુમિત્રાબેન ખેતર પાસે ઉભા હતા. ત્યારે આસપાસ વાનર ટોળકી હાજર હતી. અચાનક જ ખેતર પાસે ઉભેલા સુમિત્રાબેન ઉપર બે વાનરોએ હુમલો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાનરના હુમલાથી ડઘાઇ ગયેલા સુમિત્રાબેને બૂમાબૂમ કરી હતી પરંતુ કોઇએ તેમની બૂમ સાંભળી ન હતી. હિંસક બનેલાં બંને વાનરોએ ગણતરીની મિનિટોમાં જ સુમિત્રાબેનને ફાડી ખાધા હતા. વાનરો એ હદે હિંસક બન્યા હતા કે સુમિત્રાબેનના શરીર પર વસ્ત્ર પણ રહ્યા ન હતા. વાનરો હુમલાને કારણે ગંભીર રીતે ઘવાયેલાં સુમિત્રાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા સમય બાદ ત્યાંથી પસાર થયેલા સુમિત્રા બેનના કાકાએ તેમને બૂમ પાડી, પણ કોઇ પ્રત્યુત્તર ન મળતાં તેમણે પોતાના પરિવારજનોને બોલાવ્યા હતા અને તપાસ કરતાં સુમિત્રાબેનના શરીરને બંને વાનરોએ ચૂંથી નાખ્યા હોવાનું જોઇને પરિવાર પણ ડઘાઇ ગયો હતો. ઘટનાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં વાનરોના હુમલાની ઘટના બની છે. સમગ્ર વિસ્તારમાં વાનરોનો આતંક છે ત્યારે આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં રહેતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/suspecting-witchcraft-the-mob-stripped-and-killed-two-tribal-women">મેલી વિદ્યાની શંકાએ ટોળાએ બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી મારી નાખી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 22:00:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1429</Articleid>
                    <excerpt>હિચકારા આ હુમલામાં વાનરોએ મનોદિવ્યાંગ મહિલાને ચૂંથી નાખી, શરીર પર એકપણ વસ્ત્ર ન રહેવા દીધું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6713ddf422240.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6713ddf3e2f88.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6713ddf3e2f88.jpg" length="70689" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Nadiad News, Attack the monkey hiccups</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓને જગાડી ભાજપના સભ્ય બનાવ્યા</title>
                    <link>https://khabarantar.com/cataract-operation-patients-in-junagadh-were-woken-up-and-made-bjp-members</link>
                    <guid>https://khabarantar.com/cataract-operation-patients-in-junagadh-were-woken-up-and-made-bjp-members</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે એક હોસ્પિટલમાં મોતિયાના દર્દીઓને જગાડીને સભ્ય બનાવાયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપનું સદસ્યતા અભિયાન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે દાખલ થયેલા દર્દીઓને ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જૂનાગઢમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના દર્દીઓની સાથે આવેલા વ્યક્તિએ ત્રિમૂર્તિ હોસ્પિટલમાંથી આવેલા આંખના દર્દીઓની ભાજપના સદસ્ય તરીકે નોંધણી કરાવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ દર્દીઓને રાજકોટ ખાતે રણછોડદાસ ચેરિટેલબ ટ્રસ્ટની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં 400 જેટલા દર્દીઓ હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અડધી રાત્રે એક શખ્સે આવીને દર્દીઓને જગાડીને તેમના મોબાઈલમાં ઓટીપી માંગીને ભાજપના સભ્ય બનાવી દીધા હતા. આ રીતે તેણે 200થી વધુ દર્દીઓને સભ્ય બનાવ્યા હતા. એ દરમિયાન જૂનાગઢના એક વ્યક્તિએ આખી ઘટનાનો વીડિયો ઉતારી લેતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે રાજકોટ ભાજપ પ્રમુખે કાર્યકરોને મર્યાદામાં રહેવા ટકોર કરી છે અને આવું કૃત્ય કોઈ રીતે સાંખી લેવામાં નહીં આવે તેમ સ્પષ્ટ જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોનું માનીએ તો ભાજપના નેતાઓ અને કાર્યકરોને ભાજપના સભ્યો બનાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને તેને પુરો કરવા માટે તેઓ જ્યાં તક મળે ત્યાં લોકોને ભાજપના સદસ્ય બનાવવા માટે અધીરા બની જાય છે. થોડા સમય પહેલા વિસનગરની સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. એ પછી સસ્તા અનાજની દુકાને રાશન લેવા ગયેલા વ્યક્તિને પણ તેની જાણ બહાર ઓટીપી લઈને સભ્ય બનાવી દેવાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના જણાવ્યા પ્રમાણે તો હોસ્પિટલમાં કામ કરતો એક પ્યૂન જે ભાજપનો કાર્યકર છે તેના દ્વારા આ રીતે દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવતા હતા. આ પ્યૂન દર્દીઓ પાસેથી તેમના મોબાઈલમાં આવતો ઓટીપી માંગી લઈને તેમને સભ્ય બનાવી દેતો હતો. દરમ્યાન એક વ્યક્તિ પાસે તેણે એ રીતે ઓટીપી લીધો હતો કે ઇન્જેક્શન લેવું હોય તો ઓટીપી આપવો પડશે. જેને લઈને હોબાળો મચ્યો હતો અને એ વ્યકિતએ ફરિયાદ કરતા ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા આખો મામલો સામે આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-law-college-student-was-made-a-bjp-member-and-threatened">ભાજપનો સભ્ય બની જા પછી ભણજે, બાકી અમે તને ભણવા નહીં દઈએ?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 21:07:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1428</Articleid>
                    <excerpt>ભાજપનું સદસ્યતા અભિયાન ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે એક હોસ્પિટલમાં મોતિયાના દર્દીઓને જગાડીને સભ્ય બનાવાયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6713d19619473.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6713d195d944e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6713d195d944e.jpg" length="75526" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BJP Membership Campaign, BJP for Gujarat, Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>300 લોકોના ટોળાએ બે મુસ્લિમ યુવકને ચોર સમજીને માર્યા, એકનું મોત</title>
                    <link>https://khabarantar.com/a-mob-of-300-killed-two-muslim-youths-mistaking-them-for-thieves-killing-one</link>
                    <guid>https://khabarantar.com/a-mob-of-300-killed-two-muslim-youths-mistaking-them-for-thieves-killing-one</guid>
                    <description>
                        <![CDATA[ ગેરેજમાં કામ કરતા ત્રણેય યુવકો મોડી રાત્રે ચા પીવા નીકળ્યા હતા. ટોળું તેમને ચોર સમજીને તૂટી પડ્યું. એક યુવકનું મોત થઈ ગયું,  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Mob lynching in Vadodara: ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જઈ રહી હોય તેવી સ્થિતિ છે. ખાસ કરીને ટોળું બેફામ બની ગમે તે વ્યક્તિ પર હુમલો કરી દે તેવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે અને પોલીસ તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોતું રહી જાય છે. આ ઘટના વડોદરાની છે. જ્યાં ગઈકાલે મોડી રાત્રે વારસિયા ઝૂલેલાલ મંદિર પાસે બે ત્રણ મુસ્લિમ યુવકો ચા પીવા બહાર નીકળ્યા હતા. એ દરમિયાન 300થી વધુ લોકોના ટોળાએ તેમને ચોર સમજીને માર માર્યો હતો. એક યુવક જેમતેમ કરીને ભાગવામાં સફળ રહ્યો હતો પણ બે યુવકો ટોળાંની ઝપટમાં આવી ગયા હતા. ટોળાએ બંનેને પકડીને જાહેરમાં માર મારી વીડિયો વાયરલ કર્યો હતો. બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા એક યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક સારવાર ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વડોદરાના વારસિયા વિસ્તારની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">શુક્રવારે મોડી રાત્રે વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર પાસેથી પસાર થતાં ત્રણ યુવકો ચા પીવા નીકળ્યા હતા. દરમિયાનમાં તેમની બાઈક અચાનક બંધ પડી જતા તે યુવકો બાઈક ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન કેટલાક લોકોને ચોર હોવાની શંકા જતા તેઓએ બહાર આવી ગયા હતા અને ચોર-ચોરની બૂમો પાડી હતી. આ દરમિયાન 300 જેટલા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું, જેમાં ત્રણ યુવકમાંથી બે યુવકને પકડી પાડ્યા હતા અને જાહેરમાં માર માર્યો હતો. દરમિયાનમાં પોલીસને જાણ થતા પોલીસે સ્થળ પર આવી બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર રીતે ઈજા થઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણેય યુવકો ગેરેજમાં કામ કરતા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસે તપાસ કરતા ત્રણેય યુવકો ફતેપુરા વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા શહેબાઝ પઠાણ, ઈકરમ અલી અને સાહિલ હતા. મોડી રાત્રે પોતાની બાઈક લઈને વારસિયા વિસ્તારમાં ચા પીવા નીકળ્યા હતા. તે દરમિયાન ઝૂલેલાલ મંદિર પાસે તેમની બાઈક બંધ પડી ગઈ હતી ત્યારે લોકોએ ચોર ચોર સમજીને તેઓને માર માર્યા હતા. અને તેમાંથી સાહિલ નામનો યુવક ટોળામાંથી બચીને નીકળી ગયો હતો તેનો હજી કોઈ પત્તો નથી. જ્યારે લોકોના ટોળાએ ચોર સમજીને પકડી પાડીને સખત માર મારતા બંને યુવકો શહેબાઝ પઠાણ, ઈકરમ અલીને પોલીસે ઘવાયેલી હાલતમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમાં મોડી રાત્રે શહેબાઝ પઠાણનું મોત થયું હતું. જ્યારે ઈકરામ અલી સારવાર હેઠળ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પરિવારને ન્યાયની માંગ કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">આજે વહેલી સવારે તેમના પરિવારજનો અને મિત્રોને જાણ થતા સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને લોકોએ ચોર સમજીને હુમલો કર્યો તે અંગે ન્યાય અપાવવાની માગણી કરવાની સાથે મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ ન્યાય નહીં મળે ત્યાં સુધી હોસ્પિટલમાંથી લઈ જવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી</span></strong></span><br><span style="font-size: 14pt;">બીજી બાજુ સાહિલ નામનો યુવકનો કોઈ પત્તો. તેના મિત્રોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની હાજરીમાં આ બંને યુવકોને ટોળાએ માર માર્યો હતો તેમ છતાં પોલીસે ટોળાને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. જે લોકોએ બંનેને અર્ધનગ્ન કરીને માર માર્યો છે તે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે આથી તેમની સામે કડક કાર્યવાહી જવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-patidars-donated-one-and-a-half-bigha-of-land-to-the-muslims-to-build-an-eidgah">પાટીદારોએ મુસ્લિમોને ઈદગાહ બનાવવા માટે દોઢ વીઘા જમીન દાનમાં આપી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 14:54:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1427</Articleid>
                    <excerpt>ગેરેજમાં કામ કરતા ત્રણેય યુવકો મોડી રાત્રે ચા પીવા નીકળ્યા હતા. ટોળું તેમને ચોર સમજીને તૂટી પડ્યું. એક યુવકનું મોત થઈ ગયું, </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67137ac7e12f2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67137ac7ae05d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67137ac7ae05d.jpg" length="106096" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Minority News, mob attack on muslim youth, one dead, Mob lynching in Vadodara</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરિયાણામાં ભાજપે પોત પ્રકાશ્યું, સુપ્રીમના SC પેટા વર્ગીકરણનો અમલ કરશે</title>
                    <link>https://khabarantar.com/in-haryana-bjp-announced-itself-supreme-sc-will-implement-sub-classification</link>
                    <guid>https://khabarantar.com/in-haryana-bjp-announced-itself-supreme-sc-will-implement-sub-classification</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપનો દલિત વિરોધી ચહેરો ફરી એકવાર ખૂલ્લો પડી ગયો છે. નાયબ સૈનીની સરકારે પહેલી જ બેઠકમાં દલિત વિરોધી નિર્ણય લીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">SC sub-categorization in Haryana: હરિયાણામાં સત્તામાં આવતાની સાથે જ ભાજપે તેનો દલિતો વિરોધી અસલી ચહેરો બતાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપની નાયબ સૈની સરકારે પહેલી કેબિનેટ મીટિંગમાં જ અનામત પર મોટો નિર્ણય લઈ અનુસૂચિત જાતિની અનામતમાં પેટા વર્ગીકરણ કરવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિર્ણયથી ભાજપ અને વડાપ્રધાન મોદીની દલિતો પ્રત્યેની બેવડી નીતિઓ પણ ખૂલ્લી પડી ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ ભાજપના દલિત સાંસદોએ પીએમને મળીને આ ચૂકાદો લાગુ ન કરવા વિનંતી કરી હતી. એ વખતે પીએમ મોદીએ તેઓ તેને લાગુ નહીં કરે તેવું મૌખિક આશ્વાસન આપ્યું હતું. એ વખતે હરિયાણાના મુખ્યમંત્રી રહેલા નાયબ સૈનીએ સૌ પ્રથમ આ ચૂકાદાનો અમલ કરીશું તેમ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું. જો કે, માથે ચૂંટણી હોવાથી તેમણે આ મામલે યુ ટર્ન લઈ લીધો હતો. પણ હવે જેવા ફરી સત્તામાં આવ્યા કે તરત તેમણે અનુસૂચિત જાતિની અનામતમાં પેટાવર્ગીકરણ કરવાની જાહેરાત કરી દલિતોની પીઠમાં ખંજર ભોંક્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીએમ નાયબ સિંહ સૈનીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે અનુસૂચિત જાતિની અનામતમાં પેટા વર્ગીકરણ કરવામાં આવશે. આ નિર્ણય કેબિનેટની પ્રથમ બેઠકમાં જ લેવામાં આવ્યો છે અને અમે આજથી જ તેનો અમલ કરીશું. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ અંગે રાજ્યોને સત્તા આપી છે. હવે વંચિત અનુસૂચિત જાતિઓને તેમના માટે ક્વોટા બનાવીને અનામત આપી શકાય છે. હરિયાણા સરકાર હવે રાજ્યમાં અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ અન્ય જાતિઓને ક્વોટા આપશે અને એ રીતે દલિતોને અંદરોઅંદર જ લડાવવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/bharat-bandh-live-update-roads-are-quiet-in-bihar-there-is-a-fire-incident-somewhere"><span style="font-size: 14pt;">ભારત બંધ Live update: બિહારમાં રસ્તા સૂમસામ, ક્યાંક આગની ઘટના</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી નાયબ સૈનીએ કહ્યું કે આ બેઠકમાં અમારી કેબિનેટે સુપ્રીમ કોર્ટના નિર્ણયને માન આપ્યું છે, અને અનુસૂચિત જાતિ- SC ની અનામતમાં પેટા વર્ગીકરણ કરવાનું નક્કી કર્યું છે. અમારી કેબિનેટે આજથી જ તેનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ચુકાદો આપ્યો હતો કે રાજ્ય સરકારોને SC-ST અનામતમાં પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર છે. આ તે જાતિઓ માટે કરી શકાય છે જે વધુ પછાત છે. ક્વોટાની અંદર તેમના માટે અલગ ક્વોટા નક્કી કરવાથી તેમના વિકાસમાં મદદ મળશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો દલિતોના બહુમતી વર્ગ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ઓગસ્ટ મહિનામાં દેશવ્યાપી જબરજસ્ત આંદોલન થયું હતું અને બંધ પાળવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બંધની વ્યાપક અસરને કારણે ભાજપે પારોઠના પગલાં ભરવા પડ્યા હતા અને પ્લાન મુજબ ભાજપના અનુસૂચિત જાતિના સાંસદો વડાપ્રધાનને મળવા ગયા હતા અને પીએમે પણ ચૂંટણી આવતી હોવાથી સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અમલ નહીં કરવાની મૌખિક ખાતરી આપી હતી. જો કે, વડાપ્રધાન હરિયાણામાં ચૂંટણી જીતવાની સાથે જ તેમણે આપેલી મૌખિક ખાતરી પર ફેરવી તોળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા સરકારના આ નિર્ણયની અન્ય રાજ્યો પર પણ અસર પડશે અને તેઓ પણ આવું પગલું લેવાની હિંમત કરશે. અગાઉ કોંગ્રેસની તેલંગાણા સરકારે સૌ પ્રથમ આ ચૂકાદાના લાગુ કરવાની જાહેરાત કરી હતી. પછી દબાણ વધતા ફેરવી તોળ્યું હતું. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ મામલે શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. આ સ્થિતિમાં અનુસૂચિત જાતિ સમાજનો પ્રબુદ્ધ વર્ગ ફરી એકવાર આંદોલનના માર્ગે જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/hundreds-of-bhimayodhas-have-left-from-ahmedabad-to-save-the-reservation">અમદાવાદ થી સેંકડો ભીમયોદ્ધા અનામત બચાવવા નીકળી પડ્યાં છે...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 13:51:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1426</Articleid>
                    <excerpt>ભાજપનો દલિત વિરોધી ચહેરો ફરી એકવાર ખૂલ્લો પડી ગયો છે. નાયબ સૈનીની સરકારે પહેલી જ બેઠકમાં દલિત વિરોધી નિર્ણય લીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67136a8af067f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67136a8aa6bb5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67136a8aa6bb5.jpg" length="88637" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>આઠ દિવસથી ગુમ દલિત સગીરાનો અર્ધનગ્ન હાલતમાં વાડમાંથી મૃતદેહ મળ્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-minor-missing-for-eight-days-was-found-half-naked-in-the-fence</link>
                    <guid>https://khabarantar.com/dalit-minor-missing-for-eight-days-was-found-half-naked-in-the-fence</guid>
                    <description>
                        <![CDATA[ પરિવારજનોનો આક્ષેપ છે કે સગીરાની રેપ બાદ હત્યા કરવામાં આવી છે. અમુક યુવકો તેનો વાંધાજનક વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી રહ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit Minor Girl Rape and Murder: જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશમાંથી ફરી એકવાર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કાનપુરના અંતરિયાળ ગામમાં એક દલિત સગીરા પર બળાત્કાર અને હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આઠ દિવસથી ગુમ થયેલા દલિત સગીરાનો મૃતદેહ ગામની ઝાડીઓમાંથી અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારનો આરોપ છે કે બે યુવકો યુવતીનો વાંધાજનક વીડિયો બનાવીને બ્લેકમેલ કરી રહ્યા હતા. 10 ઓક્ટોબરે ઘરેથી નીકળેલી સગીરાનો હવે આઠ દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો છે. ઘટના શિવલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારજનોનો આરોપ છે કે દીકરીને બ્લેકમેલ કરીને પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને પછી તેની હત્યા કરવામાં આવી છે. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસે હોબાળા વચ્ચે મૃતદેહ કબ્જે કરીને બળાત્કાર અને બ્લેકમેલિંગની કલમો સાથે રમત રમી છે.</span><br><span style="font-size: 14pt;">એવી પણ ચર્ચા છે કે, પોલીસ બળપ્રયોગ કરીને બળજબરીથી મૃતદેહને પોસ્ટ મોર્ટમ હાઉસ લઈ ગઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સગીરા પર બળાત્કાર અને હત્યાના આ મામલામાં રાજકારણ પણ ગરમાયું છે. ઇટાવાના સપા સાંસદ જિતેન્દ્ર દોહરે અને કાનપુર ગ્રામ્યના સપાના અધ્યક્ષ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા છે. અહીં તેઓ પરિવારના સભ્યોને મળ્યાં હતા. સાંસદે કહ્યું કે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે આંદોલન ચલાવવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-body-of-dalit-minor-missing-for-four-days-was-found-in-the-lake">ચાર દિવસથી ગુમ દલિત સગીરાની તળાવમાં તરતી લાશ મળી આવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 12:47:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1425</Articleid>
                    <excerpt>પરિવારજનોનો આક્ષેપ છે કે સગીરાની રેપ બાદ હત્યા કરવામાં આવી છે. અમુક યુવકો તેનો વાંધાજનક વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી રહ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67135d0bab2ce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67135d0b7b085.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67135d0b7b085.jpg" length="72445" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Minor Girl Rape and Murder</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુપ્રીમ કોર્ટ પણ નિષ્પક્ષ નથી, આ ભાજપની બિશ્નોઈ ગેંગ છેઃ સંજય રાઉત</title>
                    <link>https://khabarantar.com/even-supreme-court-is-not-impartial-this-is-bjps-bishnoi-gang-sanjay-raut</link>
                    <guid>https://khabarantar.com/even-supreme-court-is-not-impartial-this-is-bjps-bishnoi-gang-sanjay-raut</guid>
                    <description>
                        <![CDATA[ પહેલીવાર કોઈ નેતાએ ED, CBI, IT, EC ની સાથે દેશની Supreme Court ને પણ ભાજપની ટીમ ગણાવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) સુપ્રીમ કોર્ટ (Supreme Court) પર નિશાન સાધ્યું છે અને તેની સરખામણી ભાજપ (BJP)ની બી, સી અને ડી ટીમ (B C D team) સાથે કરી છે. રાઉતે સુપ્રીમ કોર્ટને ભાજપની બિશ્નોઈ ગેંગ (BJP's Bishnoi Gang)માં સામેલ કરીને આકરી ઝાટકણી કાઢી છે. આવું પહેલીવાર બની રહ્યું છે ત્યારે કોઈ નેતાએ દેશની સર્વોચ્ચ અદાલતને કોઈ સત્તાપક્ષની બી ટીમ ગણાવી હોય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાઉતે કહ્યું કે "મારા જેવા લોકો જેલમાં ગયા અને પાછા પણ આવ્યા. અમે જાણીએ છીએ કે ટાર્ગેટ કોણ છે અને ભાજપ શું કરી રહી છે. આ ભાજપની બિશ્નોઈ ગેંગ છે. તેમના હાથમાં હથિયાર નથી, પરંતુ તેમની પાસે CBI અને ED છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Vidhansabha Election)ની જાહેરાત બાદ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) (Shivsena-UBT) સાંસદ (MP) સંજય રાઉત કેન્દ્ર સરકાર (Central Govt.) અને સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો બન્યા છે. આ સાથે તેઓ ચૂંટણી પંચ (Election Commission) અને સુપ્રીમ કોર્ટ (Supreme Court) પર પણ પ્રહારો કરી રહ્યા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાઉતે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ કે સુપ્રીમ કોર્ટ પણ નિષ્પક્ષ નથી. તેમણે ચૂંટણી પંચ પર કટાક્ષ કર્યો અને દાવો કર્યો કે ત્યાં બેઠેલા લોકો પક્ષપાતી છે. તેમણે શુક્રવારે સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, "ચૂંટણી પંચે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે અને અમને લાગે છે કે તે નિર્ણયો મહા વિકાસ અઘાડી (MVA)ના હિતોની વિરુદ્ધ છે, અને તે નિર્ણયો એકનાથ શિંદે (Eknath Shinde) અને ભાજપને મદદ કરશે," </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજય રાઉત આટલેથી અટક્યા ન હતા. તેમણે કહ્યું, "ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ તટસ્થ નથી. તેઓ ભાજપની B, C અને D ટીમ છે." રાઉતે ભાજપ પર વિપક્ષી પાર્ટીઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે આ પ્રયાસોની સરખામણી શિવસેના અને એનસીપી સામેના પોલિટિકલ એન્કાઉન્ટર સાથે કરી હતી. તેમણે કહ્યું, "મારા જેવા લોકો જેલમાં ગયા અને પાછા પણ આવ્યા. અમે જાણીએ છીએ કે ટાર્ગેટ કોણ છે અને ભાજપ શું કરી રહ્યું છે. આ ભાજપની બિશ્નોઈ ગેંગ છે. તેમના હાથમાં હથિયાર નથી, પરંતુ તેમની પાસે CBI અને ED છે. તેઓ આનો ઉપયોગ અમારા પર હુમલો કરવા માટે કરી રહ્યા છે તેમ છતાં અમે મજબૂતીથી ઊભા છીએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાવિકાસ અઘાડીમાં સીટોની વહેંચણીના મુદ્દે રાઉતે કહ્યું કે, "રાજ્યની 288 સીટોમાંથી ગઠબંધન વચ્ચે સહમતિ બની ગઈ છે અને કેટલીક સીટો પર નિર્ણય લેવાનો બાકી છે. તેમણે કહ્યું કે બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવા માટે તેઓ રાહુલ ગાંધી સાથે વાત કરશે કારણ કે કેટલીક બેઠકો પર લાંબા સમયથી મડાગાંઠ ચાલી રહી છે. તેમણે બેઠકની વહેંચણીમાં વિલંબને લઈને સાથી પક્ષ કોંગ્રેસ પર પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ દરેક યાદીને મંજૂરી માટે દિલ્હી મોકલતા રહે છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, “એનસીપી અને શિવસેના વચ્ચે કોઈ મોટા મતભેદ નથી, કોંગ્રેસમાં પણ નથી પરંતુ કેટલીક બેઠકો છે જેના પર ત્રણેય પક્ષોએ દાવો કર્યો છે. નાના પટોલે મહારાષ્ટ્રમાં અમારા સાથી છે, પરંતુ કેટલીક બેઠકો પર સમસ્યા છે, તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે 15 ઓક્ટોબર, 2024 ના રોજ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ અને સંયુક્ત શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ સરકારની રચનાને લઈને મડાગાંઠ પછી શિવસેનાએ કોંગ્રેસ અને સંયુક્ત NCP સાથે મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન કર્યું અને સરકારની રચના કરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, આ વખતે શિવસેના (UBT), શરદ પવારની NCP અને કોંગ્રેસ સત્તાધારી ભાજપની આગેવાની હેઠળના જોડાણનો સામનો કરવા માટે સાથે આવ્યા છે. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં એમવીએ રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી 30 બેઠકો જીતી હતી, જ્યારે શાસક ગઠબંધન માત્ર 17 બેઠકો જીતી શક્યું હતું. એક બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ. એ સ્થતિમાં ભાજપ અને સાથી પક્ષો અહીં હરિયાણાની જેમ કોઈ ચમત્કાર કરી શકે છે કે કેમ તેના પર નજર રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ</strong></span> <strong><a href="https://khabarantar.com/supreme-courts-judgment-on-reservation-is-just-a-joke-prakash-ambedkar">અનામતમાં ભાગલા પાડવાનો સુપ્રીમ કોર્ટનો ચૂકાદો કેવળ જુમલાબાજી છે - પ્રકાશ આંબેડકર</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 11:44:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[સ્પેશ્યલ સ્ટોરી]]>
                    </category>

                    <Articleid>1424</Articleid>
                    <excerpt>પહેલીવાર કોઈ નેતાએ ED, CBI, IT, EC ની સાથે દેશની Supreme Court ને પણ ભાજપની ટીમ ગણાવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67134e1286ac4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67134e1255aa3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>સ્પેશ્યલ સ્ટોરી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67134e1255aa3.jpg" length="63898" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Sanjay Raut, supreme Court, bishnoi gang, BJP</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેઘરજના ઘોરવાડામાં વાત્રકના વાંઘામાંથી સ્મશાનયાત્રા કાઢવી પડી</title>
                    <link>https://khabarantar.com/a-cremation-procession-had-to-be-carried-out-from-vatrak-river-in-meghrajs-ghorwara</link>
                    <guid>https://khabarantar.com/a-cremation-procession-had-to-be-carried-out-from-vatrak-river-in-meghrajs-ghorwara</guid>
                    <description>
                        <![CDATA[ વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે અંતરિયાળ ગામોની વરવી વાસ્તવિકતા. 10 વર્ષથી ગામમાં યોગ્ય રસ્તાના અભાવે હજારો લોકો હેરાન પરેશાન. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <ul>
<li style="text-align: justify; font-weight: bold; font-size: 12pt;"><span style="font-size: 12pt;"><strong>વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે અંતરિયાળ ગામોની વરવી વાસ્તવિકતા</strong></span><br><span style="font-size: 12pt;"><strong></strong></span></li>
<li style="text-align: justify; font-weight: bold; font-size: 12pt;"><span style="font-size: 12pt;"><strong>ગ્રામ પંચાયતે 10 વર્ષથી લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી</strong></span><br><span style="font-size: 12pt;"><strong></strong></span></li>
<li style="text-align: justify; font-weight: bold; font-size: 12pt;"><span style="font-size: 12pt;"><strong>ભારે વરસાદને કારણે વાત્રક નદી પાણથી ભરપૂર હોવાથી પાણી ભરાયેલું રહે છે</strong></span><br><span style="font-size: 12pt;"><strong></strong></span></li>
<li style="text-align: justify; font-weight: bold; font-size: 12pt;"><span style="font-size: 12pt;"><strong>12 ગામના ખેડૂતો, શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ વાંઘામાંથી પસાર થવા મજબૂર</strong></span><br><span style="font-size: 12pt;"><strong></strong></span></li>
<li style="text-align: justify; font-weight: bold; font-size: 12pt;"><span style="font-size: 12pt;"><strong>રસ્તાના અભાવે 108 પહોંચી શકતી નથી, દર્દીને ઉચકીને બહાર સુધી લઈ જવા પડે છે</strong></span></li>
</ul>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">The reality of Gujarat's development : તંત્ર દ્વારા ગામડે ગામડે વિકાસ પહોંચ્યો હોવાની વાતો થઈ રહી છે, વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યા છે પરંતુ હજુ પણ એવા કેટલાક ગામડાઓ છે કે જ્યાં પાયાની સુવિધાઓ પણ પહોંચી નથી અને પ્રજાજનોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. વાત છે મેઘરજના અંતરિયાળ ઘોરવાડાથી ઓઢા (પાણીબાર) વાડા રસ્તાની. આ 4 કિલોમીટરનો રસ્તો બનાવવા માટે ઘોરવાડા ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરીને છેલ્લા 10 વર્ષથી તંત્રમાં માગ કરી છે પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેથી આજે પણ આ વિસ્તારના લોકોને રસ્તા વગર ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બે ગામ વચ્ચે વાત્રક નદીનું વાંઘુ આવે છે. આ ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદના કારણે વાત્રક નદી ફૂલ છે, જેથી વાંઘામાં પાણી ભરેલું છે. કોઈપણ કામકાજ માટે જવું હોય તો આ વાંઘુ પસાર કરીને જ જવાય. બંને તરફના લગભગ 12 ગામોના લોકોની ખેતીવાડીના કામકાજ માટે વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા માટે અથવા કોઈ બીમારી હોય એવા સમયે 108ની સેવા પણ પહોંચી શકતી નથી. આ સમયે દર્દીઓને ઊંચકીને હોસ્પિટલમાં લઇ જવા ગામલોકો મજબૂર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેન્કનું કામ હોય, બીજા કોઈ વહીવટી કામકાજ હોય તો પણ આજ રસ્તે થઈને જવું પડે છે. ત્યારે ગઈકાલે ગામમાં એક વૃદ્ધાનું અવસાન થતાં વૃદ્ધાની અંતિમ યાત્રા પણ કમરસમા પાણીમાં થઈને કાઢવા ડાઘુઓ મજબૂર બન્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તંત્ર આશ્વાસનો આપે છે પણ કામ કરતું નથી: સરપંચ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ અંગે ઘોરવાડા ગામના સરપંચ જશોદાબેનને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ 4 કિમીના રસ્તા માટે ગ્રામપંચાયતમાં ઠરાવ કરીને માર્ગ અને મકાન વિભાગમાં રસ્તો બનાવવા અને વાત્રક નદીના વાંઘા પર ડીપ અથવા પુલ બનાવવા માટેની માગ કરી છે. તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે પણ કામ થતું નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">દરખાસ્ત મોકલી છે, મંજૂર થયે કામ કરવામાં આવશે</span></strong><br><span style="font-size: 14pt;">મેઘરજ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર ચિરાગ નિનામાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ રસ્તા માટે માર્ગ અને મકાન વિભાગ સર્કલ ઓફીસ અમદાવાદમાં 21-6-2024ના રોજ 4 કિમી રસ્તા માટે અંદાજીત 191 લાખ રૂપિયાની દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપી છે. સર્કલમાંથી મંજૂરી આવ્યા બાદ સરકારમાં મંજૂર કરાવીને કામ શરૂ કરાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધારાસભ્ય શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ પ્રજાજનો વહીવટી કામગીરી વચ્ચે પીસાઈ રહ્યા છે ત્યારે, જનતાના સેવક ભિલોડા મેઘરજના ધારાસભ્ય પીસી બરંડા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, "આ બાબતે બે માસ પહેલાં જ મેં તંત્રમાં રજૂઆત કરી છે. સરકારમાં પણ મેં કુલ 6 પુલ બનાવવા રજૂઆત કરી છે. એમાં ઘોરવાડાથી ઓઢા વચ્ચે વાંઘા પર પુલ બનાવવા માટે માગણી કરી છે. મેઘરજ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર દ્વારા દરખાસ્ત તૈયાર કરાવીને સરકારમાં મંજૂરી માટે મૂકી દીધી છે એટલે ખૂબ ઝડપી આ કામગીરી થઈ જશે. સરપંચ ધારાસભ્ય અને માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર દ્વારા કામગીરી કરાઈ રહી હોવાની વાતો કરાય છે પણ આ રસ્તા માટેના કામની શરૂઆત ક્યારે કરાશે તે જોવું રહ્યું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-leopard-was-left-behind-to-drive-tribals-out-of-the-forest">આદિવાસીઓને જંગલમાંથી હાંકી કાઢવા માટે ત્યાં દીપડો છોડી દેવાયો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 10:24:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1423</Articleid>
                    <excerpt>વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે અંતરિયાળ ગામોની વરવી વાસ્તવિકતા. 10 વર્ષથી ગામમાં યોગ્ય રસ્તાના અભાવે હજારો લોકો હેરાન પરેશાન.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671339e32e2be.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671339e2ea425.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671339e2ea425.jpg" length="87800" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Development of Gujarat, reality, no road in the village, Ghorwada village, Aravalli District</media:keywords>
                </item>
            </channel>
</rss>