<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
    xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
    xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
    xmlns:admin="http://webns.net/mvcb/"
    xmlns:rdf="http://www.w3.org/1999/02/22-rdf-syntax-ns#"
    xmlns:atom="http://www.w3.org/2005/Atom"
    xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
    xmlns:media="http://search.yahoo.com/mrss/">
    <channel>
        <atom:link href="https://khabarantar.com/rss/category/%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80,-aadivasi" rel="self" type="application/rss+xml" />
        <title>KhabarAntar.com &amp; : આદિવાસી</title>
        <link>https://khabarantar.com/rss/category/આદિવાસી,-aadivasi</link>
        <description>KhabarAntar.com &amp; : આદિવાસી</description>
        <dc:language>gu</dc:language>
                <dc:rights>Copyright 2024 Khabar Antar&amp; All Rights Reserved.</dc:rights>
                        <item>
                    <title>ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા, અલગ Bhilistan ની માંગ તેજ બની</title>
                    <link>https://khabarantar.com/another-movement-is-brewing-in-gujarat-demand-for-a-separate-bhilistan-has-become-stronger</link>
                    <guid>https://khabarantar.com/another-movement-is-brewing-in-gujarat-demand-for-a-separate-bhilistan-has-become-stronger</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢની જેમ અલગ Bhilistan ની માંગ તેજ બની. ચૈતર વસાવા, મહેશ વસાવા બાદ છોટુ વસાવાએ પણ અલગ ભીલીસ્તાનની માગને ટેકો આપ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં છેલ્લાં 15 વર્ષથી આદિવાસી સમાજના અલગ રાજ્ય ભીલીસ્તાન (Bhilistan)ની માગણી સાથે આંદોલન ચાલી રહ્યું છે. મુખ્યધારાના મીડિયા દ્વારા આ આંદોલનને કવરેજ ન અપાતું હોવાથી મોટાભાગના લોકોને ખ્યાલ પણ નથી કે આવું કોઈ આંદોલન ચાલી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપ ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને ભાજપ નેતા મહેશ વસાવા (Mahesh Vasava) બાદ દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવા (Chhotu Vasava) એ અલગ ભીલીસ્તાન (Bhilistan) ની માંગણીને ટેકો આપતા ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છોટુ વસાવા ઝઘડિયાના ૭ ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી પટ્ટાને અલગ રાજ્યનો દરજ્જો આપવાની તેમણે માંગ કરી છે. સાથે જ હાલના શાસકો સામેના જંગમાં આદિવાસીઓ સાથે ઓબીસી સમાજને પણ જોડાવા હાંકલ કરી છે. આ પહેલા ભીલીસ્તાન વિકાસ મોરચા (Bhilistan Vikas Morcha) અને ભીલીસ્તાન ટાઈગર સેના (Bhilistan Tiger Sena) ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા (Mahesh Vasava) એ અલગ ભીલીસ્તાન (Separate Bhilistan) રાજ્યની માંગણી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (droupadi murmu) , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની સરકારને મળી અલગ ભીલીસ્તાન રાજ્યની માંગણી સાથે રાજયપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમાજ વસવાટ કરે છે. તેમનો વિકાસ થવાની સાથે વિવિધ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખ ટકી રહે તે માટે એક રાજ્યની રચનાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમાજો અપૂરતા વિકાસ અને રાજકીય તેમજ નીતિગત નિર્ણયોમાં ઉપેક્ષા સામે વિરોધ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/it-is-easy-to-be-a-kanshi-ram-but-it-is-difficult-to-be-a-mayawati-gujarati"><span style="font-size: 14pt;"> 'માન્યવર' બનવું સહેલું છે, 'બહેનજી' બનવું અઘરું છે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા ૧૫ વર્ષથી ભીલિસ્તાન વિકાસ મોરચાના બેનર હેઠળ શિસ્તબદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ મામલે સમયાંતરે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢનું નિર્માણ કર્યું હતું તેવી જ રીતે ભીલીસ્થાનને અલગ રાજ્ય જાહેર કરવાની  માંગણી કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી જનનેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ ફરી એકવાર ભીલ પ્રદેશ (Bhil Pradesh) ની માગ ઉચ્ચારી છે. જેને પગલે હવે આદિવાસી સમાજના અન્ય નેતાઓએ પણ તેમાં જોડાયા છે. નર્મદા જિલ્લાનાં સાગબારા (Sagbara) તાલુકાના નાનીનાલ (Naninal) ગામે લોક સંઘર્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ ફરી ભીલ પ્રદેશની માગ કરી હતી. ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “સરકારનાં તમામ વાયદાઓ હજું પણ અધૂરા છે. રોજગારી અને ખેડૂતોની જમીનની વાયદા અધૂરા છે. આપણી જમીનની લડતમાં આપણે જરા પણ પાછી પાની નહીં કરીએ. આપણે આપણી જમીનો બચાવીશું. વન વિભાગ દ્વારા જેસીબી અને મજૂરોને સાથે રાખી આપણા લોકોનાં મકાનો-ઝુંપડા અને ઊભા પાકનો નાશ કરવામાં આવ્યો છે. આ મુદ્દે સરકારને રજુઆત કરીશું. આજે સિસ્ટમમાં આપણા લોકો મોટા પદો પર ન હોવાનાં કારણે આપણી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૈતર વસાવા (Chaitar Vasava) એ આગળ કહ્યું કે, “ભીલ પ્રદેશની લડાઈને આપણે સાથે મળીને આગળ લઈ જવી પડશે. ત્યારે જ આપણે આપણા સમાજનો વિકાસ કરી શકીશું. આદિવાસી લોકોના વિકાસ માટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનાં આદિવાસી લોકોએ સાથે મળીને દેશનું ૨૯ મું રાજ્ય બનાવવાની કવાયત હાથ ધરી છે. ચારેય રાજ્યનાં જેટલા પણ આદિવાસી લોકો છે તેમાંથી ૫૦% લોકો પોતાનાં ધર્મ, સંપ્રદાય અને પાર્ટીને બાજુમાં મૂકીને ૨૯માં રાજ્યની લડાઇ લડવા માટે તૈયાર છે. નર્મદાનું પાણી ૫૦૦ કેએમ દૂર પહોંચાડવામાં આવે છે, પરંતુ જે લોકોએ નર્મદા ડેમ માટે પોતાનાં ઘર અને ગામ ગુમાવ્યા તે લોકોને હજું પણ ન્યાય મળ્યો નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૈતર વસાવા (Chaitar Vasava) એ પ્રહાર કરતા કહ્યું કે, “સરકારે જે વચન આપ્યા હતા કે પરિવારનાં એક સભ્યને સરકારી નોકરી મળશે, જમીન મળશે, સિંચાઈ માટે પાણી મળશે, વીજળી મળશે એ તમામ વાયદાઓ હજું પણ અધૂરા છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <strong><a href="https://khabarantar.com/chaitar-vasava-warns-gujarat-government-to-resume-pg-scholarship-for-tribal-students">સ્કોલરશીપ ફરી શરૂ કરો, નહીંતર આદિજાતિ કમિશનર કચેરીને તાળાં મારીશું...</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 30 Jan 2025 10:33:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1909</Articleid>
                    <excerpt>ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢની જેમ અલગ Bhilistan ની માંગ તેજ બની. ચૈતર વસાવા, મહેશ વસાવા બાદ છોટુ વસાવાએ પણ અલગ ભીલીસ્તાનની માગને ટેકો આપ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679b07e95b6df.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b07e9296d0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b07e9296d0.jpg" length="90398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bhilistan, movement  in gujarat, Gujarat news</media:keywords>
                </item>
                        <item>
                    <title>Infosys ના Co&amp;Founder સહિત 18 લોકો સામે SC/ST Act હેઠળ કેસ નોંધાયો</title>
                    <link>https://khabarantar.com/infosys-co-founder-including-18-people-against-case-registered-under-sc-st-act</link>
                    <guid>https://khabarantar.com/infosys-co-founder-including-18-people-against-case-registered-under-sc-st-act</guid>
                    <description>
                        <![CDATA[ Infosys Co-Founder સેનાપતિ ક્રિસ ગોપાલકૃષ્ણન, ભૂતપૂર્વ IISc ડિરેક્ટર બલરામ અને 16 અન્ય લોકો સામે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જાણો શું છે મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Infosys Co-Founder ક્રિસ ગોપાલકૃષ્ણન (Kris Gopalakrishnan), ભૂતપૂર્વ IISc ડિરેક્ટર બલરામ (Balram)અને અન્ય 16 લોકો સામે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ (SC/ST Prevention of Atrocities Act) ગુનો નોંધવામાં આવ્યો હતો. IISc ફેકલ્ટી કે IISc બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્ય ક્રિસ ગોપાલકૃષ્ણન (Kris Gopalakrishnan) તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૭૧મી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ (CCH) ના નિર્દેશોના આધારે સદાશિવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી દુર્ગાપ્પા (Durgappa) , જે આદિવાસી બોવી સમાજ (Bovi community) ના છે, તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીમાં ફેકલ્ટી સભ્ય હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે દાવો કર્યો હતો કે તેમને 2014 માં ખોટી રીતે હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે તેમને જાતિસૂચક ગાળો ભાંડી અને ધમકીઓ આપવામાં આવી હતી. આ કેસમાં અન્ય આરોપીઓમાં ગોવિંદન રંગરાજન, શ્રીધર વોરિયર, સંધ્યા વિશ્વેશ્વરૈયા, હરિ કેવીએસ, દાસપ્પા, બલરામ પી, હેમલતા મિશી, ચટ્ટોપાધ્યાય કે, પ્રદીપ ડી સાવરકર અને મનોહરનનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે ક્રિસ ગોપાલકૃષ્ણન?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રિસ ગોપાલકૃષ્ણનની LinkedIn પ્રોફાઇલ અનુસાર, તેઓ 2013-14માં ભારતના ટોચના ઉદ્યોગ ચેમ્બર, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અને જાન્યુઆરી 2014 માં તેમણે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સહ-અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાન્યુઆરી ૨૦૧૧ માં, ભારત સરકારે ગોપાલકૃષ્ણનને દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી નવાજ્યા. ક્રિસ ગોપાલકૃષ્ણન પાસે IIT મદ્રાસમાંથી ભૌતિકશાસ્ત્ર અને કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી છે. આ ઉપરાંત, ગોપાલકૃષ્ણન ઇન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયર્સ (INAE) ના ફેલો છે. અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર્સ (IETE) ના માનદ ફેલો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આટલા મોટા પદો પર રહેલી ચૂકેલી વ્યક્તિ પણ જાતિવાદથી ગ્રસ્ત હોય ત્યાં બીજા લોકો કેવી માનસિકતામાં રાચતા હશે તે સમજી શકાય તેમ છે. દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાંથી ચાણક્ય નીતિ મુજબ સામ, દામ, દંડ અને ભેદમાંથી કોઈપણ રસ્તો અપનાવીને દલિત, આદિવાસી અને ઓબીસી ફેકલ્ટીઓનો એકડો કાઢી નાખવાનું એક સુનિશ્ચિત તંત્ર કામ કરી રહ્યું છે અને ક્રિષ ગોપાલકૃષ્ણને પણ તે જ કર્યું હોય તેમ લાગે છે. જોવાનું એ છે કે, એટ્રોસિટી એક્ટમાં રહેલી જોગવાઈઓ મુજબ આ લોકોને સજા થાય છે કે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Terrible-nonsense:-Narayan-Murthy-became-the-symbol-of-shameless-and-ruthless-bazaar">ભયંકર નોનસેન્સ: નારાયણ મૂર્તિ બેશરમ અને નિર્દય બજારનું પ્રતીક બની ગયા!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 Jan 2025 09:25:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1897</Articleid>
                    <excerpt>Infosys Co-Founder સેનાપતિ ક્રિસ ગોપાલકૃષ્ણન, ભૂતપૂર્વ IISc ડિરેક્ટર બલરામ અને 16 અન્ય લોકો સામે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જાણો શું છે મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6798535e0bcc9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6798535dce363.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6798535dce363.jpg" length="70555" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Infosys Co-Founder, SC/ST Act, Senapathy kris gopalakrishnan, Atrocity</media:keywords>
                </item>
                        <item>
                    <title>નકલી ST સર્ટિફિકેટ કઢાવી બ્રાહ્મણ યુવક Deputy Collector બની ગયો</title>
                    <link>https://khabarantar.com/brahmin-youth-becomes-deputy-collector-after-getting-fake-st-certificate-In-ratlam</link>
                    <guid>https://khabarantar.com/brahmin-youth-becomes-deputy-collector-after-getting-fake-st-certificate-In-ratlam</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી ધારાસભ્ય Kamleshwar Dodiyar એ ફરિયાદ કરી છે કે, Ajay Gupta  નામના યુવકે Caste Certificate માં ચેડાં કરી પોતાને ST ગણાવી Deputy Collector બની ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">Brahmin youth becomes Deputy Collector on fake ST certificate : મનુવાદીઓ મોકો મળે ત્યારે દલિતો</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> આદિવાસીઓ અને ઓબીસી સમાજને તેમની સાથે થતા સામાજિક ભેદભાવોને કારણે મળેલી અનામતને ભાંડવાનો એક મોકો નથી ચૂકતા. પણ આ જ તત્વોને આ વર્ગની અનામત પર તરાપ મારવામાં જરાય લાજશરમ નથી આવતું. હમણાં એક એઈમ્સના ડિેરેક્ટરે નકલી ઓબીસી સર્ટિફિકેટ કઢાવી તેમના દીકરાને એમબીબીએસમાં અનામત ક્વોટા સીટ પર એડમિશન અપાવી દીધું હતું. ગુજરાતમાં પણ આવા સેંકડો કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ખોટા એસટી સર્ટિફિકેટ કઢાવીને સામાન્ય કેટેગરીના લોકોએ તેમની નોકરીઓ તફડાવી પાડી હોય.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આવો જ એક ચોંકાવનારો કિસ્સો મધ્યપ્રદેશ</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"> (Madhya Pradesh) </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ના રતલામ</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"> (Ratlam) </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">માંથી સામે આવ્યો છે. જ્યાં એક બ્રાહ્મણ યુવક </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">(Brahmin Youth) </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">નકલી આદિવાસી સર્ટિફિકેટ</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"> (Fake ST Certificate)</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> બનાવી ડેપ્યૂટી કલેક્ટર</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"> (Deputy Collector) </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ની પોસ્ટ સુધી પહોંચી ગયો હતો. જેની જાણ સ્થાનિક ધારાસભ્યને થતા હવે તેમણે આ નકલી આદિવાસી ડેપ્યૂટી કલેક્ટર સામે મોરચો માંડ્યો છે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; color: rgb(224, 62, 45);">મામલો શું છે</span></strong><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><strong><span style="color: rgb(224, 62, 45);">?</span></strong><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">મધ્યપ્રદેશના રતલામ જિલ્લાની સૈલાના વિધાનસભા</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"> (Sailana Assembly Ratlam) </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ના ધારાસભ્ય કમલેશ્વર ડોડિયારે (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">MLA Kamleshwar Dodiyar</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) રાજ્યપાલ મંગુભાઈ પટેલ (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Governor Mangubhai Patel</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) ને પત્ર લખીને અજય ગુપ્તા (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Ajay Gupta</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) નામના વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ડોડિયારે આરોપ લગાવ્યો છે કે અજય ગુપ્તાએ </span>2015<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> માં મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (</span>PSC) <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ની પરીક્ષા અનુસૂચિત જનજાતિ (</span>ST) <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ક્વોટામાંથી નકલી જાતિ પ્રમાણપત્ર (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Fake caste certificate</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) નો ઉપયોગ કરીને પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Deputy Collector</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) નું પદ મેળવ્યું હતું. ધારાસભ્યએ આને આદિવાસી સમાજના અધિકારો પર તરાપ ગણાવી છે અને આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/tribal-reservation-removed-from-birsa-munda-adivasi-university-in-rajpipla">બિરસા મુંડા ‘આદિવાસી’ યુનિવર્સિટીમાંથી ‘આદિવાસી’ અનામત કાઢી નાખી?</a></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ધારાસભ્ય કમલેશ્વર ડોડિયારે પોતાના પત્રમાં લખ્યું છે કે અજય ગુપ્તાએ પોતાના પિતાના નામ અને જાતિ પ્રમાણપત્રમાં છેડછાડ કરીને પોતાને </span>ST <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">શ્રેણીના હોવાનું દર્શાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે અજય ગુપ્તા સામાન્ય જાતિના છે અને તેમણે પોતાના નકલી દસ્તાવેજોના આધારે અનામત શ્રેણી હેઠળ નોકરી મેળવી છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ડોડિયારે એમ પણ ઉલ્લેખ કર્યો કે તેમને આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળી હતી</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જ્યાં ઘટના સંબંધિત દસ્તાવેજો અને માહિતી સામે આવી હતી. ધારાસભ્યના જણાવ્યા મુજબ</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">અજય ગુપ્તાએ માત્ર સરકારી તંત્ર સાથે છેતરપિંડી કરી નથી પરંતુ આ પદો માટે ખરેખર લાયક આદિવાસી ઉમેદવારોના અધિકારોનું પણ ઉલ્લંઘન કર્યું છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આદિવાસી સમાજમાંથી આવતા ધારાસભ્ય કમલેશ્વર ડોડીયારે માંગ કરી છે કે</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> અજય ગુપ્તા અને તેમના પરિવારના તમામ સભ્યોના જાતિ પ્રમાણપત્રોની સંપૂર્ણ ચકાસણી થવી જોઈએ. અને જો અજય ગુપ્તા દોષિત ઠરે છે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તો તેમને તાત્કાલિક સરકારી સેવામાંથી બરતરફ કરવા જોઈએ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. નકલી દસ્તાવેજો પર અનામતનો દુરુપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આદિવાસી સમાજના અસલી દાવેદારોના અધિકારોનું રક્ષણ થાય.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/kadaknath-the-film-kaushik-garasia-from-dahod-made-a-film-on-atrocities-in-bhil-dialect">દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી</a></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ધારાસભ્ય ડોડિયારે (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">MLA Kamleshwar Dodiyar</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) આ મુદ્દા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અનુસૂચિત જનજાતિ શ્રેણી માટે અનામત સરકારી નોકરીઓ આદિવાસી યુવાનોના અધિકારો અને જીવનને સશક્ત બનાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. નકલી દસ્તાવેજો (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Fake</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">certificate</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) ના આધારે અનામતનો દુરુપયોગ કરવો એ માત્ર બંધારણમાં આપવામાં આવેલી અનામતની જોગવાઈઓનું ઉલ્લંઘન નથી પરંતુ તે સરકારી નાણાં અને સંસાધનોનો પણ દુરુપયોગ છે. આવા કિસ્સાઓને કારણે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">લાયક આદિવાસી ઉમેદવારો તેમના અધિકારોથી વંચિત રહી રહ્યા છે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જે અન્યાયી છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આદિવાસી અધિકારોનું ઉલ્લંઘન સહન નહીં કરીએ: </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Kamleshwar Dodiyar</span></span></strong></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ધારાસભ્ય કમલેશ્વર ડોડિયારે (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">MLA Kamleshwar Dodiyar</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) કહ્યું</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> હતું કે</span><span style="mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span>"<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ મામલો ફક્ત એક વ્યક્તિએ લઈ લીધેલી નોકરીનો નથી</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પરંતુ સમગ્ર આદિવાસી સમાજના અધિકારો પર હુમલો છે. અજય ગુપ્તા જેવા લોકો નકલી દસ્તાવેજોના આધારે ન માત્ર સરકારી વ્યવસ્થાની મજાક ઉડાવી રહ્યાં છે પરંતુ એ ગરીબ અને વંચિત આદિવાસી યુવાનોનું ભવિષ્ય પણ છીનવી રહ્યા છે જેઓ આ પોસ્ટ પરના અસલી દાવેદાર છે. આ જરાય સહન કરવામાં આવશે નહીં. અમે રાજ્યપાલ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે જેથી આવી છેતરપિંડી કરનારાઓને કડક મેસેજ જાય.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">”</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">MLA Kamleshwar Dodiyar</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> એ વધુમાં કહ્યું</span>, "<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જો વહીવટીતંત્ર અને સરકાર આ બાબતે નક્કર પગલાં નહીં ભરે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તો તે આદિવાસી સમાજ પ્રત્યે તેમની ઉદાસીનતા દર્શાવશે. અનામત એ આદિવાસીઓનો બંધારણીય અધિકાર (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Constitutional rights of tribals</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) છે અને તેને કોઈ છીનવી શકશે નહીં. અમે કૌભાંડી અજય ગુપ્તા (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Ajay Gupta</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) ને બરતરફ કરીને જ જંપીશું. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જો જરૂર પડશે તો હું રસ્તા પર ઉતરીને વિરોધ કરતા અચકાઈશ નહીં. હું આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશ."</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/first-olympic-gold-medal-in-hockey-a-tribal-captain-gave-it-to-me">દેશને હોકીમાં પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ એક આદિવાસી કેપ્ટને અપાવ્યો હતો</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 Jan 2025 14:32:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1895</Articleid>
                    <excerpt>આદિવાસી ધારાસભ્ય Kamleshwar Dodiyar એ ફરિયાદ કરી છે કે, Ajay Gupta  નામના યુવકે Caste Certificate માં ચેડાં કરી પોતાને ST ગણાવી Deputy Collector બની ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67974b7623fa6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67974b75e603b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67974b75e603b.jpg" length="47130" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kamleshwar Dodiyar, Ajay Gupta, Fake ST Certificate, Deputy Collector, Ratlam, MP, Constitutional rights of tribals</media:keywords>
                </item>
                        <item>
                    <title>કુંભ મેળા વાળી મોનાલીસા કઈ જાતિની છે?</title>
                    <link>https://khabarantar.com/monalisa-bhonsle-caste-viral-girl-maha-kumbh-pardhi-tribe-history</link>
                    <guid>https://khabarantar.com/monalisa-bhonsle-caste-viral-girl-maha-kumbh-pardhi-tribe-history</guid>
                    <description>
                        <![CDATA[ કુંભમેળામાં માળા વેચતી મોનાલીસા રાતોરાત દુનિયા આખીમાં છવાઈ ગઈ છે. હવે લોકોએ ઈન્ટરનેટ પર તેની જાતિ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું છે. જો કે તેની જાતિ જાણીને મનુવાદીઓ નિરાશ થશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">monalisa bhonsle caste : મધ્યપ્રદેશનું મહેશ્વર અહિલ્યાદેવી, કિલ્લા, મંદિરો, સાડીઓ અને નર્મદા નદી માટે જાણીતું છે, પરંતુ હાલ તે કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છે. મોનાલિસા ઉર્ફે મોની નામની એક સુંદર આંખોવાળી છોકરી પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં માળા વેચતી હતી. એ દરમિયાન તે મીડિયાના કેમેરાની નજરે ચડી ગઈ. એ પછી જે થવાનું હતું તે જ થયું, સોશિયલ મીડિયા પર મોનાલીસા અચાનક છવાઈ ગઈ અને સૌ કોઈ આ પીંગળી આંખોવાળી છોકરી વિશે જાણવા તત્પર બન્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં કોઈ વ્યક્તિ રાતોરાત ફેમસ બને ત્યારે અહીંની જાતિવાદી પ્રજા સૌથી પહેલું કામ તેની જાતિ શોધવાનું કરતી હોય છે. મોનાલીસાના કેસમાં પણ એવું જ બન્યું. નેટિઝન્સ રાતોરાત તેની જાતિ કઈ છે તે શોધવામાં ઈન્ટરનેટ પર ફરી વળ્યાં. પણ મનુવાદીઓને ત્યારે નિરાશા હાથ લાગી જ્યારે આટલી સુંદર આંખોવાળી એ છોકરી એક દલિત વિચરતી જાતિમાંથી આવતી હોવાનું સામે આવ્યું. જી હા, દુનિયાભરમાં છવાઈ જનાર મોનાલીસા કોઈ કથિત સવર્ણ જાતિમાંથી નહીં પરંતુ આ જ મનુવાદીઓ આજે પણ જેમને ગુનેગારોની જેમ ટ્રીટ કરે છે વિચરતી વિમુક્ત જાતિના પારધી સમાજમાંથી આવે છે. મોનાલીસા મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલા મહેશ્વરના વોર્ડ નંબર 9 ની રહેવાસી છે અને તે વિચરતી વિમુક્ત જાતિના પારધી સમાજમાંથી આવે છે. </span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">હવે મોનાલીસાની જાતિની વાત નીકળી જ છે તો ચાલો તેના પારધી સમાજનો ઈતિહાસ પણ જાણી લઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/celina-jaitley-said-If-i-get-another-birth-i-would-like-to-be-dr-ambedkar">સેલિના જેટલીએ કહ્યું હતું, "બીજો જન્મ મળે તો ડો.આંબેડકર બનવા માંગીશ"</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પારધી સમાજનો ઈતિહાસ</span></strong></span><br><span style="font-size: 14pt;">સમાજના લોકો કહે છે કે તેઓ મૂળ રાજસ્થાની રાજપૂત જાતિના છે, જેઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાં સ્થળાંતર કરી ગયા હતા. તેઓ જ્યાં પણ જાય છે, તેમની ભાષા તે જગ્યાની ભાષા સાથે ભળી જાય છે. અગાઉ તેઓ શિકાર અને ગેરિલા યુદ્ધમાં પણ નિષ્ણાત હતા. કેટલાક વિસ્તારોમાં તે ગુના સાથે સંકળાયેલા હતા પરંતુ હવે તે મુખ્ય પ્રવાહમાં આવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ સમાજ પહેલા તંબૂમાં રહેતો હતો</span></strong></span><br><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ મહેશ્વરમાં પારધી સમાજ પહેલા તંબૂઓમાં રહેતો હતો, પરંતુ લગભગ ત્રણ દાયકા પહેલા મહાનગરપાલિકાએ તેમને ઢાપલા રોડ, જેલ રોડ પર જમીન આપી અને પટ્ટા આપ્યા. એ પછી તેમણે અહીં કાયમી મકાનો બનાવ્યા. પારધી સમાજ પોતાની મજામાં વ્યસ્ત રહે છે અને દેશભરમાં કંઠી અને રુદ્રાક્ષની માળા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ સમાજની છોકરીઓ બેફિકર હોય છે અને કોઈ મુદ્દા પર ચર્ચા કરવામાં તે કોઈથી ડરતી નથી, કે તેને કોઈની બીક પણ નથી લાગતી. આ જ વસ્તુ મોનાલીસામાં પણ લોકોએ નોંધી હશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છોકરીઓ દરેક વ્યક્તિને 'મામા' કહે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">મોનાલીસાના સમાજની છોકરીઓ દરેક વ્યક્તિને મામા કહે છે. ખરગોન જિલ્લાના નાની ખરગોન અને મહેશ્વરમાં લગભગ 700 પારધી લોકો છે, જેમાંથી 50 પરિવારોના 450 લોકો એકલા મહેશ્વરમાં રહે છે. તેઓ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મેળાઓમાં માળા, રુદ્રાક્ષ વગેરે વેચે છે. પારધી પુરુષો સામાન્ય રીતે શર્ટ પેન્ટ પહેરે છે જ્યારે સ્ત્રીઓ અને છોકરીઓ શર્ટ/ટી-શર્ટ અને ઘાઘરા પહેરે છે. તેઓ શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના શોખીન છે અને ઘણીવાર મ્યુઝિક સિસ્ટમ ભાડે લઈને મનોરંજન માટે નૃત્ય કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પારધી સમાજમાં સાક્ષરતા ઘટી રહી છે</span></strong></span><br><span style="font-size: 14pt;">અન્ય વિચરતી વિમુક્ત જાતિઓની જેમ મોનાલીસાનો પારધી સમાજ પણ શિક્ષણમાં પાછળ છે. બાળકોને બાળપણથી જ માળા વેચવાના વ્યવસાયમાં લગાડી દેવામાં આવે છે. તેઓ ભલે ઓછું ભણતા હોય પરંતુ તેમનું સામાન્ય જ્ઞાન જબરદસ્ત હોય છે અને તેઓ દેશભરમાં મુસાફરી કરવા માટે બસો, ટ્રેનો, રસ્તા અને ભૌગોલિક પરિસ્થિતિઓ વિશે સારી રીતે જાણે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહેશ્વરમાં ત્રણ વિઘા જમીન છે</span></strong></span><br><span style="font-size: 14pt;">મોનાલિસાના પરિવાર પાસે આજે પણ મહેશ્વરમાં ત્રણ વિઘા જમીન છે. મોનાલિસાના કાકા વિજય પટેલ સમાજના પટેલ છે. આ સમાજના લોકો મૂળે વિચરતી જાતિના છે અને તેમના રીતિરિવાજો અલગ છે. ખાસ કરીને તે આદિવાસી સમાજની પરંપરાઓ સાથે ઘણો મેળ ખાય છે. આદિવાસી સમાજની જેમ તેઓ દેશમાં ગમે ત્યાં રહેતા હોય પણ હોળીના બે થી ત્રણ દિવસ પહેલા મહેશ્વર પાછા ફરે છે. તેઓ હોળીના પ્રસંગે પરિવારના દેવતાને બલિ ચઢાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પંચાયત વ્યવસ્થામાં વધુ વિશ્વાસ છે</span></strong></span><br><span style="font-size: 14pt;">પારધી સમાજને આજે પણ દેશના ન્યાયતંત્ર કરતા પોતાની પંચાયતમાં વધુ વિશ્વાસ છે. કોઈપણ વિવાદ કે સંઘર્ષના કિસ્સામાં આ સમાજ પટેલને પોતાની સમસ્યા જણાવે છે અને તે મુજબ વિવાદનું સમાધાન કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બ્રિટિશકાળમાં ગુનેગાર જાહેર કરી દેવાયા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">બ્રિટિશરાજમાં પારધીઓને 'ગુનેગાર જનજાતિ' જાહેર કરવામાં આવ્યા હતા. ૧૮૭૧માં લાગુ કરાયેલા 'ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ'માં લગભગ ૫૦૦ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૯૫૨માં જવાહરલાલ નેહરુની પહેલથી આ જાતિઓને 'વિમુક્ત' કરવામાં આવી હોવા છતાં, સમાજમાં તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો નહીં. આજે પણ તેમને 'વિમુક્ત જનજાતિ' કહેવામાં આવે છે, જે તેમના ભૂતકાળની યાદ અપાવે છે. આ કલંકને કારણે તેમને સમાજ અને સરકાર બંને દ્વારા સંપૂર્ણપણે સ્વીકારવામાં આવ્યા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/kadaknath-the-film-kaushik-garasia-from-dahod-made-a-film-on-atrocities-in-bhil-dialect">દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 23 Jan 2025 11:47:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1877</Articleid>
                    <excerpt>કુંભમેળામાં માળા વેચતી મોનાલીસા રાતોરાત દુનિયા આખીમાં છવાઈ ગઈ છે. હવે લોકોએ ઈન્ટરનેટ પર તેની જાતિ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું છે. જો કે તેની જાતિ જાણીને મનુવાદીઓ નિરાશ થશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6791dea0bf65f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6791dea08ad66.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6791dea08ad66.jpg" length="90076" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>monalisa bhonsle caste, viral girl, maha kumbh, pardhi tribe history</media:keywords>
                </item>
                        <item>
                    <title>બિરસા મુંડા ‘આદિવાસી’ યુનિવર્સિટીમાંથી ‘આદિવાસી’ અનામત કાઢી નાખી?</title>
                    <link>https://khabarantar.com/tribal-reservation-removed-from-birsa-munda-adivasi-university-in-rajpipla</link>
                    <guid>https://khabarantar.com/tribal-reservation-removed-from-birsa-munda-adivasi-university-in-rajpipla</guid>
                    <description>
                        <![CDATA[ રાજપીપળામાં આદિવાસી મહાનાયક બિરસા મુંડાના નામે બનેલી યુનિવર્સિટીમાંથી સરકારે આદિવાસીઓની જ બાદબાકી કરી નાખી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીમાંથી ટ્રાઈબલોનો જ એકડો કાઢી નાખવાનો પેંતરો રચાયો હોવાના આક્ષેપો લાગ્યા છે. મળતી માહિતી પ્રમાણે યુનિવર્સિટીમાંથી આદિવાસી સહિત દલિત અને ઓબીસી અનામતને પણ ઉડાડી દેવામાં આવી છે અને અન્ય યુનિવર્સિટીઓની જેમ મોટાભાગનો સ્ટાફ સવર્ણ પ્રોફેસરોથી ભરી દેવાનો પેંતરો રચાયો હોવાનો વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા યુનિવર્સિટીને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. આદિવાસી વિસ્તારમાં બિરસા મુંડા યુનિવર્સિટી સ્થપાવાને કારણે શિક્ષણ ક્ષેત્રમાં આદિવાસી સમાજ માટે નવી અનેક તકો ઊભી થઈ છે. જોકે હવે બિરસા મુંડા યુનિવર્સિટીના પદ ઉપર જે વ્યક્તિઓ ફરજ બજાવી રહ્યા છે તેમને લઈને રાજકારણ શરૂ થયું છે. આ યુનિવર્સિટીનું નામ જ ટ્રાઈબલ યુનિવર્સિટી હોવા છતાં તેમાં આદિવાસીઓની અનામત સાથે અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. યુનિવર્સિટીના જે વહીવટી પદો છે તેમાં અનામતની કેટેગરીની જોગવાઈ કરવામાં આવી નથી. જેને કારણે આદિવાસી સમાજને અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/huge-protest-in-danta-over-stopping-scholarships-for-tribal-students"><span style="font-size: 14pt;">આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા દાંતામાં ભારે વિરોધ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ સુરતની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, “બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીમાં મહત્વના હોદ્દાઓ જેમ કે રજીસ્ટાર, પરીક્ષા નિયામક વગેરે પર ઉપર અનામત માટેની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. એસસી, એસટી અને ઓબીસી માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. બિરસા મુંડાના નામ પરથી આ યુનિવર્સિટીને ટ્રાઈબલ યુનિવર્સિટીનું બિરુદ્ધ અપાયું છે અને તેમ છતાં તેમાંથી આદિવાસીઓનો એકડો કાઢી નાખવામાં આવે, તેમને અન્યાય કરવામાં આવે તે દુઃખદ બાબત છે. જે સ્પષ્ટ રીતે બંધારણમાં કરાયેલી અનામતની જોગવાઈનું ઉલ્લંઘન છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ સરકારની જે નીતિ અને નિયત છે તે અનામતને ખતમ કરવાની છે, અને એ દિશામાં આ એક વધુ નિર્ણય લેવાયો છે. સરકારે લાખો યુવાનોનું કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના માધ્યમથી આર્થિક રીતે શોષણ કર્યું છે. કાયમી ભરતી ન થતી હોવાને કારણે તેમાં પણ અનામત ખતમ થઈ ગઈ છે. બિરસા મુંડા યુનિવર્સિટીમાં અનામત ખતમ કરવાની દિશામાં લેવાયેલા નિર્ણયને લઈને અમે આગામી દિવસોમાં વિધાનસભામાં આ મુદ્દાને ઉઠાવવાના છીએ. જો ત્યાં અમને યોગ્ય રીતે સાંભળવામાં નહીં આવે તો અમે અંબાજીથી ઉમરગામ વચ્ચે આદિવાસી સમાજ વચ્ચે જઈશું.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Who-was-Birsa-Munda,-how-did-he-become-the-God-of-tribal-society">કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Jan 2025 11:09:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1865</Articleid>
                    <excerpt>રાજપીપળામાં આદિવાસી મહાનાયક બિરસા મુંડાના નામે બનેલી યુનિવર્સિટીમાંથી સરકારે આદિવાસીઓની જ બાદબાકી કરી નાખી હોવાનો આક્ષેપ લાગ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678f329e45736.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f329e1677a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f329e1677a.jpg" length="56428" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Birsa munda, birsa munda adivasi university, rajpipla news, tribal reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભિલોડામાંથી પસાર થતાં બાયપાસમાં અનેક આદિવાસીઓની જમીન જશે</title>
                    <link>https://khabarantar.com/the-land-of-many-tribals-will-be-acquired-in-the-bypass-road-being-built-in-bhiloda</link>
                    <guid>https://khabarantar.com/the-land-of-many-tribals-will-be-acquired-in-the-bypass-road-being-built-in-bhiloda</guid>
                    <description>
                        <![CDATA[ ભિલોડા તાલુકા આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીન સંપાદિત ન કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેને ધ્યાને લેવાઈ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિકાસના નામે ગુજરાતમાં મોટાભાગે ગરીબ દલિત, આદિવાસી અને મુસ્લિમોની જમીનો સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવે છે. આવું આપણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી લઈને અમદાવાદ મેટ્રો રેલવે સુધીના વિકાસ કાર્યોમાં જોતા આવ્યા છીએ. હવે આ જ તર્જ પર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાંથી પસાર થતા બાયપાસમાં પણ અનેક ગરીબ આદિવાસીઓની જમીનો સંપાદિત થવા જઈ રહી છે. જેને લઈને સમસ્ત આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિકાસ માટે કાયમ આદિવાસીઓએ જ ભોગ આપવાનો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભિલોડામાંથી પસાર થતાં બાયપાસમાં સરકાર દ્વારા જમીન સંપાદન શરૂ કરવામાં આવ્યું છે અને તેમાં મોટાભાગના ગરીબ આદિવાસી ખેડૂતો છે, જેમના માટે આ જમીનો જ તેમનું એકમાત્ર આજીવિકા અને જીવનનિર્વાહનું સાધન છે. આથી આદિવાસી સમાજના જાગૃત નાગરિકો દ્વારા જમીન સંપાદન મામલે અસરકર્તા ખેડૂતો તથા આદિવાસી સમાજ વતી સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જમીન સંપાદન રોકવા વિનંતી કરાઈ હતી. જો કે આદિવાસી કલ્યાણ યાત્રા કાઢતી સરકારે આદિવાસીઓની આ માગણીને ફગાવી દીધી હોય તેમ તેમની જમીનના સંપાદનની કામગીરી ચાલુ રાખી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલમ 04 ના જાહેરનામા મુજબ જમીન સંપાદન કરવામાં આવે તો આદિવાસી સમાજના અનેક ગરીબ ખેડૂતોની જમીન છીનવાઈ જશે અને તેઓ જમીનવિહોણા બની જઈ પાયમાલ થઈ જશે. ત્યારે ભિલોડા તાલુકા આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી આદિવાસી ખેડૂતોના હિતમાં જમીનોમાંથી પસાર થતો રોડ સ્થગિત કરવા જણાવ્યું હતું. જો કે સરકારે આ રજૂઆતોને ગણકારી હોય તેમ લાગતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ખુદ સરકાર જ કાયદાનો ભંગ કરી રહી છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ભિલોડા તાલુકો બંધારણની જોગવાઇ મુજબના શિડયુઅલ પાંચ વિસ્તારમાં આવતો આદિવાસી તાલુકો છે. જ્યાં પેસા કાનૂન 1996 લાગુ પડે છે અને જોગવાઇ મુજબ રૂઢિગત ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિની જમીન સંપાદન થઈ શકે નહિ. તે મુજબ સવાલ વાળા ગામોમાં કોઈ મંજૂરી મેળવેલ નથી અને લાગતી વળગતી ગામ સમિતિઓએ તમોને વાંધા અરજીઓ પણ આપેલ છે. ગામોની જમીન સંપાદન થતાં કેટલાક ખેડૂતો જમીન વિહોણા બને છે અને કેટલાક ના રહેઠાણના ઘરો પણ કપાતમાં જાય છે. તેનાથી તેઓ રોડ ઉપર આવી જશે અને બિલકુલ બેરોજગાર બની જશે. મૂળ રજૂઆતમાં સૂચવેલ છે કે બાયપાસના બદલે હયાત રોડ ને ઓવરહેડ રોડ બનાવવામાં આવે તો રોડમાં પૂરતી જમીન છે તથા કોઈ દબાણ હોવાનું પણ જણાતું નથી અને અન્ય કોઈ અગવડતા પડશે નહિ, પરંતુ તે દિશામાં સરકારે વિચાર્યું હોય તેમ લાગતું નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસી સમાજની માગણીઓ શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચના મહામંત્રી બી.એમ.ખાણમા સહિતના હોદ્દેદારોએ આ બાયપાસ રૂટના કારણે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં જમીન ગુમાવનાર અને અસરકર્તા આદિવાસી સમાજના ગરીબ ખેડૂતોના હિતમાં રોડનો રૂટ બદલી નાખવા અને ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન સંપાદિત કરવાની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવા માંગ કરી છે. જો કે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સરકારે તેમની માગણીને કાને ધરીને આદિવાસીઓની જમીન સંપાદન કરવાનું કામ અટકાવ્યું નથી. ત્યારે જોવાનું એ રહેશે કે આદિવાસીઓના હામી હોવાની વાતો કરતી ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકાર આ મામલે આદિવાસીઓની લાગણી અને માગણીઓને ધ્યાનમાં રાખે છે કે પછી વિકાસના નામે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ ફરી એકવાર આદિવાસીઓની જમીન સંપાદિત કરીને તેમને જમીનવિહોણાં કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/land-mafia-grabs-dalit-land-with-pistol-on-earlobe">કાનપટ્ટી પર પિસ્તોલ રાખી ભૂમાફિયાએ દલિતની જમીન પડાવી લીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 20 Jan 2025 20:15:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1863</Articleid>
                    <excerpt>ભિલોડા તાલુકા આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીન સંપાદિત ન કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેને ધ્યાને લેવાઈ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678e611079f97.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678e61103b1e0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678e61103b1e0.jpg" length="80739" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>tribals land acquired, bhiloda bypass, Adivasi news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડાંગની દીકરીએ ખોખો વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં મેળવ્યું સ્થાન</title>
                    <link>https://khabarantar.com/dangs-daughter-secures-place-in-indian-team-in-khokho-world-cup</link>
                    <guid>https://khabarantar.com/dangs-daughter-secures-place-in-indian-team-in-khokho-world-cup</guid>
                    <description>
                        <![CDATA[ બીલીઆંબા ગામની ઓપીના ભીલારે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું.13થી 19 જાન્યુઆરી વચ્ચે યોજાશે વિશ્વકપ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Kho Kho World Cup 2025 India: ડાંગની યુવતીએ દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે, જેમાં ખો-ખોની ભારતીય ટીમમાં ડાંગની દીકરીને સ્થાન મળ્યું છે. બીલીઆંબા ગામની રહેવાસી ઓપીના ભીલારે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. વિશ્વકપ ૧૩થી ૧૯ જાન્યુઆરી વચ્ચે યોજાશે. આદિવાસી પરિવારની દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઓપીનાએ અત્યાર સુધી અનેક મેડલ મેળવ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુબીર તાલુકાના બીલીઆંબા ગામની યુવતી ઓપીના ભીલારને ખો-ખો વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તારીખ ૧૩ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન યોજાનાર ખો-ખો વર્લ્ડ કપમાં ઓપીના ભારત વતી ખો-ખો રમશે. ડાંગ જિલ્લાની મુળ વતની ઓપીના ભીલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખો-ખો રમતમાં પોતાનુ નામ રોશન કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય ખો-ખો વર્લ્ડ કપમા દેશનુ પ્રતિનિધિત્વ કરનાર વુમન્સ ખો ખો ટીમના ખેલાડીઓની યાદી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિયંકા ઇંગલે (કેપ્ટન)</span><br><span style="font-size: 14pt;">અશ્વિની શિંદે</span><br><span style="font-size: 14pt;">રેશમા રાઠોડ</span><br><span style="font-size: 14pt;">ર્નિમલા ભાટી</span><br><span style="font-size: 14pt;">નીતા દેવી</span><br><span style="font-size: 14pt;">ચિત્રા આર</span><br><span style="font-size: 14pt;">શુભાશ્રી સિંધ</span><br><span style="font-size: 14pt;">મદાઇ માંઝી</span><br><span style="font-size: 14pt;">અંશુ કુમારી</span><br><span style="font-size: 14pt;">વૈષ્ણવી બજગંરી</span><br><span style="font-size: 14pt;">નશરીન શૈખ</span><br><span style="font-size: 14pt;">મીનુ</span><br><span style="font-size: 14pt;">મોનીકા</span><br><span style="font-size: 14pt;">નાઝીયા બીબી </span><br><span style="font-size: 14pt;">ઓપીના ભીલાર</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓપીના ભીલાર આગામી તારીખ ૧૩ થી ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન પ્રથમ વખત દિલ્હી ખાતે આયોજીત, ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમા ભારત દેશની ટીમ સાથે ભાગ લેવા જઇ રહી છે. તાપી અને ડાંગ જિલ્લાના સરહદિય વિસ્તારમા આવેલા સુબીર તાલુકાના બીલીઆંબા ગામના આદિવાસી પરિવારની આ દિકરી ઓપીના ભીલાર, ખો-ખોના વર્લ્ડ કપમા ભાગ લેવા જઇ રહી છે, તે ડાંગ સહિત સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય ખો-ખો ટીમમા પસંદગી પામી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ખ્યાતિ હાંસલ કરનાર ઓપીના ભીલારે, શાળા તથા જિલ્લા કક્ષાએ અનેક મેડલ પ્રાપ્ત કર્યા છે. આ સાથે જ રાજ્યકક્ષાની ૪ સ્પર્ધાઓમા તેણીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. તો ૧૪ જેટલી ‘રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા’ મા પણ તેણી ભાગ લઈ ચુકી છે. જેમા તેણીએ ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓપીના ભીલારની ભારતીય ટીમમા પસંદગી થતા, તેણીની આ સિદ્ધિથી બીલીઆંબા ગામ, અને ડાંગ જિલ્લાની સાથે સાથે ગુજરાત રાજ્યનુ પણ નામ રોશન થયું છે. જેને લઈને સમગ્ર રાજ્યના ખો-ખો પ્રેમીઓ તરફથી વર્લ્ડ કપ-૨૦૨૫ માટેની શુભેચ્છાઓ પાઠવવામા આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Pride-of-tribal-society:-Dang-Express-Murali-Gavit-won-silver-medal-in-5-thousand-meters-race-in-National-Games">આદિવાસી સમાજનું ગૌરવઃ  National Gamesમાં ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે 5 હજાર મીટર દોડમાં Silver મેડલ મેળવ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 14 Jan 2025 10:43:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1842</Articleid>
                    <excerpt>બીલીઆંબા ગામની ઓપીના ભીલારે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું.13થી 19 જાન્યુઆરી વચ્ચે યોજાશે વિશ્વકપ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6785f17f3901f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6785f17f029fc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6785f17f029fc.jpg" length="86903" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kho Kho World Cup 2025 India, opina bhilare</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી</title>
                    <link>https://khabarantar.com/kadaknath-the-film-kaushik-garasia-from-dahod-made-a-film-on-atrocities-in-bhil-dialect</link>
                    <guid>https://khabarantar.com/kadaknath-the-film-kaushik-garasia-from-dahod-made-a-film-on-atrocities-in-bhil-dialect</guid>
                    <description>
                        <![CDATA[ FTII પૂણેમાં ભણેલા એક આદિવાસી યુવકે ભીલી ભાષામાં આદિવાસી સમાજની વ્યથાને વાચા આપતી એક અદ્દભૂત ફિલ્મ બનાવી છે. શું છે આ ફિલ્મમાં જેની ચોતરફ ચર્ચા થઈ રહી છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્તમાન સમયમાં ગુજરાતના આદિવાસીઓ માત્ર જંગલ રખવાલાની ઈમેજમાં કેદ થાય તેમ નથી. આજના આદિવાસી યુવાનો માત્ર જંગલ રખવાલા બનીને બેસી નથી રહેતા, હવે તે ટેકનોલોજી થકી પોતાની સમસ્યાઓને વાચા આપવા માટે પણ હવે આગળ આવી રહ્યો છે. દાહોદનો કૌશિક ગરાસિયા આવો જ એક યુવક છે. જેણે આદિવાસી સમાજની વ્યથા-કથાને વાચા આપતી એક ફિલ્મ બનાવી છે, જેની ચોતરફ ચર્ચા થઈ રહી છે. શું છે આ ફિલ્મ અને શા માટે તે ચર્ચામાં છે તેની અહીં વાત કરીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મનું નામ 'કડકનાથ' છે અને તે આદિવાસી સમાજ પર થતા અત્યાચારો પર આધારિત છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે તેને મૂળ દાહોદના અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પૂનામાં ભણેલા આદિવાસી યુવક કૌશિક ગરાસિયાએ ભીલી ભાષામાં બનાવી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a43a118174.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"મારું મૂળ ગામ ભમરી-કુંડા છે, જે માનગઢની પહાડીઓમાં આવેલું છે. જ્યાં દેશ માટે આદિવાસીઓએ પોતાના જીવનની આહુતિ આપી હતી, તે ગામ મારું વતન છે." એમ કહેનાર કૌશિક ગરાસીયા પોતાના વિશે જણાવતાં કહે છે કે, "મારા માતા-પિતાની નોકરીને કારણે હું દાહોદમાં મોટો થયો અને રહ્યો છું. મારા પિતા ભીલ સેવા મંડળમાં સેક્રેટરી છે અને મારી માતા એ જ ટ્રસ્ટની સંસ્થા ભીલ કન્યા છાત્રાલયમાં ગૃહમાતા તરીકે સર્વિસ કરતા હતા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશિક ગરાસીયાના અભ્યાસની વાત કરીએ તો તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ દાહોદની નામાંકિત શાળા એમ. વાય. હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું હતું. દાહોદમાં જ પોતાનો બેઝિક અભ્યાસ કર્યા બાદ તેઓ પત્રકારત્વમાં સ્નાતક થવા માટે એસ.પી. યુનિવર્સિટી, આણંદ ખાતે એડમિશન લીધું હતું. ત્યાર બાદ તેમણે ફિલ્મમેકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન FTII પુણેમાં પૂર્ણ કર્યું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a43b9c02a4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે આપણે ત્યાં નવા ફિલ્મમેકરો અન્ય ડિરેક્ટરોની ફિલ્મો જોઈને પ્રભાવિત થયા બાદ ફિલ્મજગતમાં આવતા હોય છે. પણ કૌશિક ગરાસિયાની વાત અલગ છે. તેણે ફિલ્મ જગતમાં પગ મૂકવાનો વિચાર પોતાના સમાજની પરિસ્થિતિને સુધારી શકાય તે માટે કર્યો. આ માટે તેણે પહેલા પત્રકારત્વ કર્યું અને પછી ફિલ્મમેકીંગની તાલીમ લીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પત્રકારત્વ થકી સમાજ વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવવાની તેની પ્રબળ ઈચ્છા હતી. પરંતુ ડોક્યુમેન્ટરી ફિલ્મોની પહોંચ મર્યાદિત હોવાને કારણે તેણે વિચાર કર્યો કે પોતાની લખેલી વાર્તાઓ પર જો ફિલ્મ બને તો કેવું..! જે એ લોકો સુધી પહોચી શકે કે જેઓ ખરા અર્થમા ફિલ્મના કેંદ્રમાં છે. બસ ત્યાંથી શરૂ થઇ ફિલ્મ જગતમાં કૌશિક દ્વારા લખેલી ફિક્શન શોર્ટ ફિલ્મસ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે ડિરેક્ટ કરવાનું ચાલું કર્યુ અને ત્યાંથી તેની લખેલી વાર્તાઓ પડદા પર આકાર લેવા માંડી હતી. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) માં અભ્યાસ કરવાનો અનુભવ જણાવતાં કૌશિક કહે છે, "FTII થી એક માધ્યમ તરીકે સિનેમાના સંદર્ભમાં મારો પૂરો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. ત્યાં જઈ ને સમજાયુ કે, ફિલ્મ મેકિંગ શીખવામાં લાંબો સમય લાગશે. પણ FTII ને કારણે જ ફિલ્મ બનાવવાનો મારો આત્મવિશ્વાસ વધ્યો. ત્યાં દુનિયાભરમાં બનેલી અદ્ભુત ફિલ્મો જોવાની તક મળી. તે ફિલ્મ્સ જોઈને દાહોદ જેવી જગ્યા પર ફિલ્મ્સ કઈ રીતે બની શકે તે વિશેની નવી દિશા મળી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Kaala---The-roar-of-Dalit-identity-presented-on-the-cinema-screen"><span style="font-size: 14pt;"> Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશિક એની પહેલી ફિલ્મ વિશે જણાવે છે કે, “કડકનાથ” પહેલી એવી ફિલ્મ છે તે સ્થાનિક ભીલી બોલીમાં બની હોય અને એક આદિવાસી ફિલ્મ મેકર દ્વારા બનાવવામાં આવી હોય. આ ફિલ્મ પ્રેક્ષકોને આદિવાસી દુનિયાની અનુભૂતિ કરાવશે. અહીં અમે આદિવાસી સમાજ પર થતા અત્યાચારોને અલગ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે ફિલ્મમાં બે ભાઈઓની વાર્તા છે જેમાં એક ઘટનાને પરિણામે બંને અલગ-અલગ માર્ગે આગળ વધે છે. જેમ-જેમ ફિલ્મ આગળ વધે છે તેમ-તેમ સમગ્ર કથા આદિવાસી સમાજની જટિલ સમસ્યાઓને આવરી લઇને આગળ ધપતી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશિક કહે છે, "ફિલ્મમાં મોટાભાગના પાત્રો દાહોદના જ હોવાથી આદિવાસી જીવન, બોલી અને સંસ્કૃતિને રજૂ કરવામાં સફળતા મળી છે. ફિલ્મમાં દાહોદના આદિવાસી સમાજના ઘણા બધા સાંસ્કૃતિક રીતિ -રિવાજને આવરી લીધા છે જે પહેલી વખત સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મમાં સ્થાનિક બોલી પોતે જ એક ફિલ્મના મજબૂત પાસા તરીકે બહાર આવી રહી છે, જે અગાઉ ક્યારેય કોઈ ફિલ્મમાં સાંભળવામાં ન આવી હોય. આ ફિલ્મ આદિવાસી સમાજની ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક પાસાઓને પ્રદર્શિત કરવા માટેનો એક પ્રયત્ન હશે. ફિલ્મના કેમેરા પાછળ રહેલી મોટાભાગની ટીમ પણ આદિવાસી હોવાને કારણે આ એક મૂળભૂત આદિવાસી ફિલ્મ કહી શકાય છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમે અત્યારે "કડકનાથ" ના પોસ્ટ-પ્રોડક્શનના અંતિમ તબક્કા પર છીએ અને તેને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવાનો પણ વિચાર કરી રહ્યા છીએ. આ ફિલ્મ વર્ષ ૨૦૨૫ ના અંતમાં રજૂ કરી શકાય તેવી શક્યતાઓ છે. આદિવાસી વિસ્તારમાં બનેલી આગળની ફિલ્મો વિશે કૌશિકનું માનવું છે કે, આદિવાસી વિસ્તારને ભાગ્યે જ ફિલ્મોમાં પ્રમાણિક રીતે રજૂ કરવામાં આવે છે. જ્યારે કેટલીક ફિલ્મો આ પ્રદેશમાં શૂટ કરવામાં આવી છે, ત્યારે તેમાં આ વિસ્તારોની માત્ર સુંદરતા અને લેન્ડસ્કેપનો બેકડ્રોપ તરીકે ફિલ્મોમાં વપરાતા હોય છે. તેમા મોટેભાગે આદિવાસી સમાજ વિશે કોઇ વાત નથી હોતી. એક આદિવાસી ફિલ્મમેકર તરીકે હું ‘કડકનાથ’ દ્વારા દાહોદવાસીઓના અસલ સામાજિક ચિત્રને સચોટ રીતે પરદા પર ઉતારવા પ્રયત્ન કરી રહ્યો છું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a43d22f2bd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફિલ્મ દાહોદની અનોખી સંસ્કૃતિને રજુ કરે છે, જેમાં દાહોદની આસ-પાસના લગભગ ૧૫ જેટલા ગામડાઓમાં શૂટ થયેલા દ્રશ્યો છે. આ ફિલ્મની અંદર એવો પ્રયાસ કરાયો છે કે ધાર્મિક ગતિ-વિધિઓ અને સાંસ્કૃતિક રિવાજો પર પણ એક પ્રકાશ પડે. એક આદિવાસી હીરો કેમ ના હોઈ શકે? કૌશિક તેમની ફિલ્મમેકિંગને સમજાવતા કહે છે કે, હંમેશા આદિવાસીઓને રમુજી, મૂંગા, લાચાર અને મૂર્ખ તરીકે રજૂ કરવામાં આવે છે. એક આદિવાસી ફિલ્મમેકર તરીકે હું આ સમગ્ર ધારણાને બદલવા માંગુ છું. મારી ફિલ્મોમાં એ પ્રયાસ રહેશે જ કે મુખ્ય પાત્ર આદિવાસી હોય. હું એ બાબતે સભાન રીતે પ્રયત્ન કરવા માંગુ છું કે સમગ્ર કથા આદિવાસી નાયક-નાયિકા માટે ઘડાયેલી હોય. મારી ફિલ્મોનો ઉદ્દેશ્ય આદિવાસી જીવનની ગરિમા અને સંસ્કૃતિને રજૂ કરવાનો છે, હું આદિવાસી ફિલ્મોની પહોંચ વધારવા માંગુ છું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશિક બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા કહે છે કે, “શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરો” એ એક બુનિયાદી વિચારની સાથે આદિવાસી સમાજ બધી દિશામાં આગળ વધી શકે છે. એ જ વિચારથી પ્રભાવિત થઈને તે તેમના આદિવાસી મિત્રોએ ભેગા થઈને ફિલ્મ મેકિંગની નવી કેડી કંડારી આગળ વધી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૌશિક આજના યુવાનોને સંદેશ આપતાં કહે છે કે, આ બધું સાધારણ વાંચવા અને લખવાની આદતથી જ શરૂ થઈ શકે છે. ફોનથી જ વાંચવા - લખવાનું તેમજ શૂટિંગ કરી શકે છે. ફોન એ છેલ્લા અમુક વરસોમાં આવેલો એક અદ્ભુત આવિષ્કાર છે. ના માધ્યમથી તમે શીખી શકો છો. ફોનથી ફિલ્મ બનાવીને એક સામાન્ય વાર્તા કહેવાની રીતને સમજી શકાય છે. આમ કરતા જે ભૂલો થાય તે થયેલી ભૂલોમાંથી શીખો અને ફરીથી નવી શરૂઆત કરો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/know-about-tamil-film-director-pa-ranjith">મારી માં મને કહેતી, "તું તારી જાતિ વિશે કંઈ ન બોલતો.."</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 Jan 2025 14:07:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1809</Articleid>
                    <excerpt>FTII પૂણેમાં ભણેલા એક આદિવાસી યુવકે ભીલી ભાષામાં આદિવાસી સમાજની વ્યથાને વાચા આપતી એક અદ્દભૂત ફિલ્મ બનાવી છે. શું છે આ ફિલ્મમાં જેની ચોતરફ ચર્ચા થઈ રહી છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677a438a5a4ad.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a438a2870f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a438a2870f.jpg" length="69443" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kedarnath movie, film on atrocities in bhil, Atrocity</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશને હોકીમાં પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ એક આદિવાસી કેપ્ટને અપાવ્યો હતો</title>
                    <link>https://khabarantar.com/first-olympic-gold-medal-in-hockey-a-tribal-captain-gave-it-to-me</link>
                    <guid>https://khabarantar.com/first-olympic-gold-medal-in-hockey-a-tribal-captain-gave-it-to-me</guid>
                    <description>
                        <![CDATA[ આજથી 100 વર્ષ પહેલા એ આદિવાસી યુવક ઓક્સફર્ડ યુનિ.માં ભણ્યો હતો. &#039;હોકીના જાદુગર&#039; તેમની કેપ્ટનશીપમાં રમ્યાં હતા. જાણો એ યુવકે પછી દેશના આદિવાસીઓ માટે શું કર્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજથી 100 વર્ષ પહેલા કોઈ આદિવાસી યુવક ઓક્સફર્ડ યુનિ.માં ભણતો હોય એવું કોઈને કહીએ તો તે માને ખરું? એમાંય પાછું એમ કહો કે એ આદિવાસી યુવકે ભારતને તેનો પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો તો એ સાંભળીને તો મનુવાદીઓનો જીવ બળીને રાખ થઈ જાય. પણ આ હકીકત છે અને તેને કોઈ બદલી શકે તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત છે આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડાની. હજુ ગઈકાલે જ તેમનો જન્મદિવસ ગયો. 3 જાન્યુઆરી 1903ના રોજ ઝારખંડમાં જન્મેલા જયપાલસિંહ “મરાંગ ગોમકે” તરીકે ઓળખાતા હતા. તેમણે આદિવાસી અધિકારો, રમતગમત અને રાજકારણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/jharkhand-kharsawan-golikand-a-village-where-the-first-day-of-the-year-begins-with-tears">એવું ગામ, જ્યાં વર્ષના પહેલા દિવસની શરૂઆત આંસુઓ સાથે થાય છે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6779478d2c467.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનુવાદીઓથી જરાય સહન ન થાય તેવી વાત એ છે કે તેઓ એ જમાનામાં ઓક્સફર્ડ જેવી વિખ્યાત યુનિવર્સિટીમાં ભણ્યા હતા. અહીં અભ્યાસ કરતી વખતે તેમણે હોકીમાં 'ઓક્સફર્ડ બ્લુ'નો ખિતાબ જીત્યો હતો અને 1928ના ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની કેપ્ટનશીપ કરી દેશને પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. ભારતીય સિવિલ સર્વિસ છોડીને તેમણે આદિવાસી મહાસભા અને ઝારખંડ પાર્ટી દ્વારા ઝારખંડ રાજ્યની માંગ પર ભાર મૂક્યો હતો. બંધારણ સભાના સભ્ય અને આદિવાસી અધિકારોના કટ્ટર હિમાયતી તરીકેની તેમની ભૂમિકા ઐતિહાસિક હતી. તેમની 121મી જન્મજયંતિ પર, ઝારખંડના આદિવાસી ભાઈઓ-બહેનો, મુખ્યમંત્રી હેમંત સોરેન સહિતના સૌએ મળીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અસાધારણ પ્રતિભાને ઓળખી સ્કૂલે બ્રિટન મોકલ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">3 જાન્યુઆરી 1903ના રોજ ઝારખંડના ખુંટી જિલ્લાના ટકરા ગામમાં જન્મેલા જયપાલ સિંહ મુંડા, જેઓ "મરાંગ ગોમકે" (મહાન નેતા) તરીકે જાણીતા છે, તેમણે તેમના સંઘર્ષ અને સિદ્ધિઓથી ઈતિહાસ રચ્યો હતો. બાળપણમાં પ્રમોદ પાહણ તરીકે ઓળખાતા જયપાલ સિંહે રાંચીની સેન્ટ પોલ સ્કૂલમાં પોતાની પ્રતિભા બતાવી હતી. તેમની અસાધારણ ક્ષમતાઓને ઓળખીને શાળાના બ્રિટિશ આચાર્યએ તેમને 1918માં ઈંગ્લેન્ડ મોકલ્યા હતા. ત્યાં તેમણે સેન્ટ ઓગસ્ટાઈન કોલેજ, સેન્ટ જૉન્સ કૉલેજમાં અભ્યાસ કરીને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારતીય હોકીને પ્રથમ ગોલ્ડ અપાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓક્સફર્ડમાં અભ્યાસ દરમિયાન જયપાલ સિંહે હોકીમાં પોતાની પ્રતિભા બતાવી હતી. એ જમાનામાં કોઈ આદિવાસી યુવક વિદેશ જાય અને ત્યાં આટલી મોટી સિદ્ધિ મેળવે તે કેટલી મોટી ઘટના હશે તેની કલ્પના કરો! 1925 માં તેમને 'ઓક્સફોર્ડ બ્લુ' નું બિરુદ આપવામાં આવ્યું હતું, જે કોઈપણ આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી માટે એક દુર્લભ સન્માન હતું. 1928 માં તેમની કપ્તાની હેઠળ ભારતીય હોકી ટીમે એમ્સ્ટરડેમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમની નેતૃત્વ ક્ષમતા અને ટીમ વ્યૂહરચના ભારતીય હોકીને પ્રથમ વખત વૈશ્વિક મંચ પર લઈ આવી હતી. જો કે દેશમાં આદિવાસી મહાનાયકોની સિદ્ધિઓને ભૂંસી નાખવા માટે કુખ્યાત મનુવાદીઓએ જયપાલસિંહ મુંડાની આ સિદ્ધિને પણ કોરાણે મૂકી દીધી છે. તેમની આ સુવર્ણ સફરમાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ પણ ટીમનો ભાગ હતા, જેમણે પોતાની શાનદાર રમતથી દુનિયાને ચોંકાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસીઓના અધિકારો માટે સંઘર્ષ કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હોકીમાં સુવર્ણ સફળતા પછી જયપાલ સિંહે આદિવાસી સમાજના ઉત્થાન અને તેમના અધિકારો માટે લડવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. 1938માં તેમણે આદિવાસી મહાસભાની રચના કરી અને 1939માં તેનું પ્રમુખપદ સંભાળ્યું. તેઓ સુભાષ ચંદ્ર બોઝને મળ્યા અને ઝારખંડ રાજ્યની માંગ પર ભાર મૂક્યો. 1946 માં તેઓ બંધારણ સભાના સભ્ય બન્યા અને આદિવાસી સમાજના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઝારખંડ પાર્ટીની રચના અને રાજકીય સંઘર્ષ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1949 માં તેમણે આદિવાસી મહાસભાને ઝારખંડ પાર્ટીમાં પરિવર્તિત કરી. 1952ની લોકસભા ચૂંટણીમાં તેમનો પક્ષ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. તેમના નેતૃત્વમાં ઝારખંડ પાર્ટીએ પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં 32 બેઠકો જીતી હતી. વર્ષ 1963માં તેમણે ઝારખંડને અલગ રાજ્યનો દરજ્જો આપવાના વચન પર પોતાના પક્ષનું કોંગ્રેસમાં વિલિનીકરણ કર્યું. અલગ ઝારખંડ રાજ્યનું તેમનું આ સ્વપ્ન છેક વર્ષ 2000 માં સાકાર થયું. આજે ઝારખંડમાં આદિવાસી સમાજમાંથી આવતા હેમંત સોરેનની સરકાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">121મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">3 જાન્યુઆરી, 2025 ના રોજ, ઝારખંડે તેના આ મહાન નાયકને તેની 121મી જન્મજયંતિ પર ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડાએ ખુંટીના ટકરા ગામમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપી હતી. ઝારખંડ આંદોલનના સેંકડો કાર્યકરો અને સમર્થકો રાંચીના જયપાલ સિંહ સ્ટેડિયમ ખાતે એકઠા થયા હતા અને જયપાલસિંહ મુંડાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે ઝારખંડ સરકાર અને જનતાએ તેમના મહાન વારસાને યાદ કર્યો અને આદિવાસી સમાજના ઉત્થાન પ્રત્યેના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયપાલ સિંહ મુંડા માત્ર એક નામ નહોતા, પરંતુ એક મહાનાયક હતા જેમણે આદિવાસી અધિકારો, રમતગમત અને રાજકારણમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમનું જીવન સંઘર્ષ, સમર્પણ અને આદિજાતિના અવાજનું પ્રતીક છે. તેમનો વારસો ઝારખંડ અને સમગ્ર ભારત માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Strong-voice-of-tribal-rights:-Jaipal-Singh-Munda">આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 04 Jan 2025 20:12:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1806</Articleid>
                    <excerpt>આજથી 100 વર્ષ પહેલા એ આદિવાસી યુવક ઓક્સફર્ડ યુનિ.માં ભણ્યો હતો. &#039;હોકીના જાદુગર&#039; તેમની કેપ્ટનશીપમાં રમ્યાં હતા. જાણો એ યુવકે પછી દેશના આદિવાસીઓ માટે શું કર્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677947707d0f1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6779477047c3a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6779477047c3a.jpg" length="114940" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>jaipal singh munda hockey, first olympic gold medal in hockey</media:keywords>
                </item>
                        <item>
                    <title>એવું ગામ, જ્યાં વર્ષના પહેલા દિવસની શરૂઆત આંસુઓ સાથે થાય છે</title>
                    <link>https://khabarantar.com/jharkhand-kharsawan-golikand-a-village-where-the-first-day-of-the-year-begins-with-tears</link>
                    <guid>https://khabarantar.com/jharkhand-kharsawan-golikand-a-village-where-the-first-day-of-the-year-begins-with-tears</guid>
                    <description>
                        <![CDATA[ દુનિયાભરમાં એકબાજુ 1લી જાન્યુઆરીએ સૌ ન્યૂ યરની ઉજવણીમાં મસ્ત હોય છે ત્યારે બીજી તરફ એક એવું ગામ છે જ્યાંના રહીશોની શરૂઆત આંસુઓ સાથે થાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે 12ના ટકોરે એકબાજુ દુનિયા આખીમાં લોકો નવા વર્ષના સ્વાગતમાં સેલિબ્રેશનના મૂડમાં હોય છે ત્યારે ભારતમાં એક ગામ એવું પણ છે જ્યાં લોકો એકઠા તો થાય છે પરંતુ જશ્ન મનાવવા માટે નહીં પરંતુ શોક મનાવવા માટે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં મેળો ભરાય છે પણ તેનું આયોજન કોઈ પર્વ કે તહેવાર કે ખુશીના પ્રસંગે નહીં પરંતુ અહીં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ તેમના પૂર્વજોને યાદ કરવા માટે એકઠો થાય છે. આ એ જગ્યાએ છે જ્યાં આદિવાસી સમાજ વર્ષના પહેલા દિવસની શરૂઆત આંસુઓ સાથે કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત છે આઝાદ ભારતના સૌથી પહેલા ગોળીબાર કાંડની. જેમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા પણ વધુ લોકો માર્યા ગયા હતા. આવતીકાલે 1 લી જાન્યુઆરી છે ત્યારે ભીમા કોરેગાંવના મહાન મહાર યોદ્ધાઓની સાથે આદિવાસી સમાજના વીર શહીદોને પણ યાદ કરીએ. ચાલો જાણીએ આઝાદ ભારતની સૌથી દર્દનાક ઘટનાની વણકહી વાત.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઝારખંડના આદિવાસી યોદ્ધાઓની કહાની</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1લી જાન્યુઆરીનો દિવસ દુનિયાભરમાં નવા વર્ષ તરીકે ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. લોકો નવું વર્ષ ધામધૂમથી નવા ઉમંગો સાથે સાથે ઉજવે છે. પણ ઝારખંડના આદિવસી લોકો માટે આ દિવસ દુઃખ ભરી યાદો લઈને આવે છે. ઝારખંડના આદિવસી આ દિવસને કાળા દિવસ તરીકે મનાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે આદિવસીઓનો ના નેતા જયપાલસી મુંડાની આગેવાનીમાં સ્વતંત્ર  રાજ્યની માગને લઈને ખરસાવાંમાં ૫૦૦૦૦ લોકોની ભીડ ભેગી થઇ હતી. તેમની માત્ર એક જ માંગ હતી કે આ અમારી માટી છે, અમારી જમીન છે, અમારું રાજ છે, અહીં આદિવસી રાજ જોઈયે અને અહીં બીજુ કોઈ રાજ મંઝૂર નથી. આઝાદી સમયે રાજ્યોનું વિલીનીકરણ ચાલતું હતું, ત્યારે તે સમયનું બિહાર ઓડીસામાં વિલય થવા જઈ રહ્યું હતું. ત્યારે આદિવસીઓની માંગ હતી કે અમારે બિહાર પણ નહીં અને ઓડિસા પણ નહિ અમને સ્વતંત્ર રાજ્ય આપો. અને આ માંગ ઉપર તેમનું ઉગ્ર આંદોલન ચાલતું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Who-was-Birsa-Munda,-how-did-he-become-the-God-of-tribal-society">કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_677397e5533c6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જલિયાવાલા બાગ હત્યાકાંડની તો બધાંને ખબર છે, પણ ખરસાવાં ગોલીકાંડ વિષે તો બહુ જ ઓછા લોકોને જાણકારી છે. કારણ કે આ વિષય ઉપર ક્યાંય ભણાવવામાં નથી આવતું, કે ક્યાંય ખરસાવાં ગોલીકાંડનો ઉલ્લેખ પણ જોવા મળતો નથી, આવા કોઈ મોટા હત્યાકાંડની જ્યારે વાત ચાલે તો સૌથી પહેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડ બધાની નજર આગળ ઉપસી આવે છે, કારણકે તે શાળાઓમાં ભણાવવામાં આવે છે, અને આ ખરસાવાં ગોલીકાંડ જલિયાવાલા બાગ કરતા પણ મોટો હતો છતાં પણ જાણી જોઈને છુપાવવા કે ભૂસી નાંખવામાં આવી રહ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા પાંચ ગણા લોકો શહીદ થયા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જલિયાવાલા બાગમાં ૨૦૦૦ જેટલા ભારતીયો શહીદ થયા હતા. જ્યારે ખરસાવાં ગોલીકાંડમાં તેના કરતા પાંચ ગણા લોકો શાહિદ થઇ ગયા હતા. પણ જલિયાંવાલા હત્યાકાંડ અંગ્રેજો દ્વારા થયો હતો એટલે લોકો સમક્ષ વિદ્યાર્થીકાળથી જ મુકવામાં આવે છે. જ્યારે આ ખરસાવાં ગોલીકાંડ એ ઓડિસાની પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો અને આદિવાસી લોકો જ તેનો ભોગ બન્યા હતા, તો જાણી જોઈને તેને દબાવવામાં આવી રહ્યો છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વતંત્રતા પછી રાજ્યોનું સરકાર સાથે વિનિમય થઇ રહ્યું હતું, ત્યારે તો ઓડિસામાં સરાઈકેલા ખરસવાં ક્ષેત્રના વિલયને લઈને લોકો એ વિરોધ કર્યો હતો. આદિવસીઓ તેમને સ્વતંત્ર રાજ્ય કે પ્રદેશમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી રહયા હતા. એ બાબતે સર્વસંમતિથી આંદોલન માટે ખરસાવાહટ મેદાનમાં ૧ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ એક વિશાળ આમસભા યોજાઈ હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_677398003a27f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> તે સમયના આદિવાસી નેતા જયપાલસિંહ મુંડાની આગેવાની હેઠળ હજારોની સંખ્યામાં લોકો તે દિવસે ભેગા થઇ ગયા હતા. કોઈ કારણસર જયપાલસિંહ આંદોલન સ્થળ ઉપર તે મેદાનમાં સમયસર પહોંચી શક્યા નહોતા. અને ત્યાં તૈનાત કરેલી ઓડિસા પોલીસ અને લોકોની ભીડ વચ્ચે ઘર્ષણ ઉભું થયું, પોલીસ અને લોકો વચ્ચે વિવાદ વધતો ગયો અને ઓડિસા પોલીસે તે નિહત્થી ભીડ ઉપર મશીન ગનથી ગોળીઓ ચલાવવાનું ચાલુ કરી દીધું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટોળાં પર 15 મિનિટ સુધી ગોળીબાર ચાલ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીડ ઉપર પોલીસે ૧૫ મિનિટ સુધી અનેક રોઉન્ડ ગોળીઓ ચલાવી, અને  મેદાનમાં રહેલ ભીડને  તહેસનહેસ કરી નાખી. મેદાન માંથી ભાગવા માટે રસ્તો નહીં હોવાના કારણે જલિયાંવાલા બાગની જેમ જ અહીં પણ મેદાનમાં એક કૂવો હતો, પોલીસની ગોળીઓથી બચવા લોકો કુવામાં કૂદવા લાગ્યા. અને જોતજોતામાં કૂવો પણ લોકોથી ભરાઈ ગયો, આ ગોળીકાંડ પછી ત્યાં પડેલી લાશોને પણ એ જ કુવામાં નાખી દેવામાં આવી અને તે કૂવાને બંધ કરી દેવાયો. આ હત્યા કાંડના શાક્ષી ભુરકુલીના દશરત માંજી ૮૫ વર્ષની ઉંમરે ૧૩મી એપ્રિલ ૧૯૭૦ના રોજ અવસાન પામ્યા, તેમને કહ્યું કે એ દિવસ ગુરુવારનો દિવસ હતો. મશીન ગનથી ધણી ફૂટે તેમ ગોળીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો. જે લોકો ઘાયલ હતા લોહી લુહાણ હાલતમાં હતા પણ જીવતા હતા, તેમને પણ લાશોની સાથે આ કુવામાં નાખીને કૂવો બંધ કરી દેવાયો હતો. આ જગ્યા ઉપર આજે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. પેહલી જાન્યુઆરીએ આ જગ્યા ઉપર ફૂલો અને તેલ નાખીને શહીદોને યાદ કરી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આટલા મોટો નરસંહાર પાઠ્યપુસ્તકોમાં ભણાવાતો નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે  ભારત આઝાદ થયો બધા આઝાદીનો ઉત્સવ મનાવી રહયા હતા, ત્યારે તે જ દિવસથી આ આદિવસીઓ એ તેમની મા એટલે કે જમીન અને સ્વતંત્ર રાજ્ય માટે આંદોલન ચાલુ કરી દીધું હતું. આપણા સ્વતંત્ર ભારતના પુરા ઇતિહાસમાં આ પહેલો નરસંહાર કરતો આટલો મોટો ગોલીકાંડ  થયો, અને ક્યાંય ભણાવવામાં આવતો નથી, આદિવાસીઓ સિવાય કોઈ યાદ પણ કરતુ નથી, મોટાભાગે આ ઇતિહાસ થી લોકો અજાણ છે. કુવામાં જેમ આંદોલનકારીઓ ને દફનાવી દેવાયા તેમ આદિવસીઓના આ ઇતિહાસને દફનાવાઈ રહ્યો છે. આ દિવસ આદિવાસીઓ કાળા દિવસ તરીકે મનાવે છે. આઝાદ ભારત માટેના આ કાળા અધ્યાયે આપણે પણ આદિવાસી મહાયોદ્ધાઓને નમન કરી શ્રદ્ધાંજલિ પાઠવીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી હેમંત સોરેન પરિવાર સાથે ખરસાવા જશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝારખંડના આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેને ખરસાવાના શહીદોને અંજલિ માટે આપવા રાખવામાં આવેલા કાર્યક્રમમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. ખરસાવાના ધારાસભ્ય દશરથ ગારગાઈએ જણાવ્યું છે કે, સીએમ હેમંત સોરેને આવતીકાલે અહીં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. તેમની સાથે તેમના પત્ની અને ગાંડેય વિધાનસભાના ધારાસભ્ય કલ્પના સોરેન પણ હાજર રહેશે. આ સિવાય રાજ્ય સરકારના મંત્રી દીપક બિરુવા, શિક્ષણ મંત્રી રામદાસ સોરેન, સિંહભૂમની સાંસદ જોબા માઝી, ખુંટીના સાંસદ કાલીચરણ મુંડા સહિત અન્ય ધારાસભ્યો પણ હાજર રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>જિતેન્દ્ર વાઘેલા</strong></span> <span style="font-size: 12pt;"><em><strong>(લેખક વ્યવસાયે એન્જિનિયર અને બહુજન-રેશનલ વિચારોના પક્ષધર છે.)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Strong-voice-of-tribal-rights:-Jaipal-Singh-Munda">આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા</a></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 31 Dec 2024 12:47:40 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 04 Jan 2025 16:47:01 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1786</Articleid>
                    <excerpt>દુનિયાભરમાં એકબાજુ 1લી જાન્યુઆરીએ સૌ ન્યૂ યરની ઉજવણીમાં મસ્ત હોય છે ત્યારે બીજી તરફ એક એવું ગામ છે જ્યાંના રહીશોની શરૂઆત આંસુઓ સાથે થાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_677397cba4b5c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_677397cb73bdc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_677397cb73bdc.jpg" length="102721" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kharsawan golikand, jharkhand kharsawan goli kand, jallianwala bagh hatyakand</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી મહિલાઓને ઝાડ સાથે બાંધી ‘જય શ્રી રામ’ના નારા લગાવડાવ્યા</title>
                    <link>https://khabarantar.com/tribal-woman-tied-to-trees-and-made-to-chant-jai-shri-ram</link>
                    <guid>https://khabarantar.com/tribal-woman-tied-to-trees-and-made-to-chant-jai-shri-ram</guid>
                    <description>
                        <![CDATA[ હિંદુત્વવાદી ટોળાંએ બર્બરતાની હદ વટાવી. બંને મહિલાઓ પર ધર્મ પરિવર્તનનો આરોપ મૂકી મોં પર કેક લગાડી માર માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુત્વવાદીઓ જ્યારથી સત્તામાં મજબૂત થયા છે ત્યારથી દેશભરમાં દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ પર કટ્ટર તત્વોના ટોળાં દ્વારા કાયદો હાથમાં લઈને હુમલા કરવાની, ન્યાય તોળવા બેસી જવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ટોળાંએ બે આદિવાસી મહિલાઓને ઝાડ સાથે બાંધીને માર મારી બળજબરીથી જયશ્રી રામ ના નારા લગાવવા મજબૂર કરી હતી. આખી ઘટના ક્રિસમસના દિવસે બની હોવાનું કહેવાય છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો સામે આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ક્રિસમસના બીજા દિવસની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રિસમસના બીજા દિવસે એટલે કે 26મી ડિસેમ્બરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બે મહિલાઓ ઝાડ સાથે બાંધેલી હાલતમાં જોવા મળી રહી છે. તેમની આસપાસ ટોળું જમા થઈ ગયું છે અને તે બંને મહિલાઓને પરાણે જયશ્રી રામ બોલવા માટે મજબૂર કરી રહ્યું છે. મોત ભાળી ગયેલી બંને મહિલાઓ ભયની મારી પરાણે જયશ્રી રામ બોલી રહી છે. બંનેમાંથી એક મહિલાના મોં પર ટોળાંએ કેક લગાવી દીધો હતો. બંનેની ઉંમર 40 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહિલાઓ પર બળજબરીથી ધર્માંતરણનો આક્ષેપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટોળાંનો દાવો છે કે બંને મહિલાઓ ધર્માંતરણની ઉજવણી કરવા માટે થઈને કેક લાવી હતી. બંને મહિલાઓ પૈકી એકનું નામ સુભાસિની સિંહ અને બીજીનું સુકાંતિ સિંહ હોવાનું સામે આવ્યું છે. ટોળાંથી ઘેરાયેલી આ બંને આદિવાસી મહિલાઓની પાછળ જ ઈસુ ખ્રિસ્તનો ફોટો દેખાઈ રહ્યો છે. આરોપ છે કે ટોળાંએ બંનેને નિર્દયતાથી માર માર્યો હતો. મામલો ઓડિશાના બાલાસોર જિલ્લાના આદિવાસી ગામ છનખાનપુરનો છે. આ મહિલાઓ પર ગામના જ એક વ્યક્તિનું બળજબરીથી હિંદુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં ઝાડ સાથે બાંધેલી આ બંને મહિલાઓની સાથે સફેદ શર્ટ પહેરેલ એક વ્યક્તિ પણ જોવા મળી રહી છે. તે કહે છે, "આ બંને હિંદુ ધર્મ અને સંસ્કૃતિને નષ્ટ કરવા માટે જવાબદાર છે." </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67715389a9ddd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કપાળ પર તિલક લગાવેલી આ વ્યક્તિ પાછળથી "ભારત માતા કી જય" અને "જય શ્રી રામ" ના નારા લગાવે છે. બંને મહિલાઓ તેની સામે લાચાર નજરે જોતી રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી પેલી વ્યક્તિ કહે છે, “જુઓ, આ કેવી રીતે ધર્માંતરણ કરાવી રહી છે. જ્યારે આપણે આપણા ધર્મ માટે પૂરા દિલથી કામ કરીએ છીએ, ધર્મ માટે દિવસ-રાત મહેનત કરીએ છીએ. ત્યારે આવા લોકો સમાજને બગાડે છે. જો તમે તમારા વિસ્તારમાં આવી કોઈ ઘટના જોતા હોવ તો અમને જણાવો, અમે તમારો સંપર્ક કરીશું. જો આજે આપણે આવી બાબતો પર ધ્યાન નહીં આપીએ તો આપણી આવનારી પેઢીઓ બગડી જશે. બાંગ્લાદેશમાં શું થયું તે તમે જોઈ રહ્યા છો! તેથી, તમને વિનંતી કરવામાં આવે છે કે જો તમે આવા કોઈ કાવતરાખોરોને જાણો છો, તો તેમને પકડો અને અમને જણાવો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી બંને મહિલાઓને "જય શ્રી રામ" બોલવા માટે અને હવે પછી તેઓ ધર્મ પરિવર્તન નહીં કરાવે તેમ બોલવા માટે મજબૂર કરવામાં આવે છે. એ પછી એક મહિલા ત્યાં આવે છે અને બેમાંથી એક મહિલાને માર મારે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે બંને મહિલાઓ સામે ફરિયાદ નોંધી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના અન્ય એક વીડિયોમાં પોલીસ ઝાડ સાથે બાંધેલી આ બંને મહિલાઓને ખોલી રહી છે. બાલાસોર પોલીસના એસપી રાજ પ્રસાદે કહ્યું છે કે આ કેસમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે. બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના આરોપમાં બંને મહિલાઓ સહિત એ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી છે, જેનું કથિત રીતે ધર્મ પરિવર્તન કરવાનું હતું. બીજી એફઆઈઆર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 (એટ્રોસિટી એક્ટ) હેઠળ ટોળાં સામે નોંધવામાં આવી છે. આ રીતે આ કેસમાં કુલ સાત લોકો પોલીસ કસ્ટડીમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસની તપાસ હજુ ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/attacking-the-sweeper-saying-you-are-bhangi-paran-chanted-jai-shri-ram">'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 29 Dec 2024 19:24:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1778</Articleid>
                    <excerpt>હિંદુત્વવાદી ટોળાંએ બર્બરતાની હદ વટાવી. બંને મહિલાઓ પર ધર્મ પરિવર્તનનો આરોપ મૂકી મોં પર કેક લગાડી માર માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67715373ccfc8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6771537397c03.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6771537397c03.jpg" length="89946" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Chhankhanpur News, jai shri ram, viral video</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;આદિલોક&amp;apos; મેગેઝિને 100 અંક પૂર્ણ કર્યા, વેબસાઈટનું લોકાર્પણ કરાયું</title>
                    <link>https://khabarantar.com/adilok-magazine-completes-100-issues-website-launched</link>
                    <guid>https://khabarantar.com/adilok-magazine-completes-100-issues-website-launched</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી સમાજના અવાજને મજબૂતીથી સમાજ વચ્ચે મૂકતા &#039;આદિલોક&#039; મેગેઝિનનું લવાજમ ભરીને મૂળનિવાસીઓના પત્રકારત્વને ટેકો કરવા સૌને અપીલ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં આદિવાસી સમાજના અવાજને મજબૂતીથી સમાજ અને દેશ વચ્ચે મૂકી શકે તેવા માધ્યમની ભારે તાણ વર્તાઈ રહે છે ત્યારે ગુજરાતમાં છેલ્લાં 16 વર્ષથી સતત પ્રકાશિત થતા આદિલોક મેગેઝિને તેના 100 અંક પૂર્ણ કર્યા છે. વર્ષ ૨૦૦૮થી સતત પ્રકાશિત થતા આદિવાસી સમાજકેન્દ્રિત દ્વિમાસિકના 100 મા અંકના પ્રાગટ્ય નિમિત્તે એક દિવસીય સેમિનાર અને લેખક-વાચક મિલનનો કાર્યક્રમ અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ કોલેજના હર્બર્ટ ડિસોઝા હોલમાં તારીખ ૧૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય ઉમટની અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે રમેશ તન્ના અને ભરત મહેતાએ વક્તવ્યો રજૂ કર્યા હતા. ડાંગથી લઈને અમીરગઢ સુધીના પૂર્વપટ્ટીના આદિવાસી પ્રતિનિધિઓ, અમદાવાદની કોલેજ-યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં આદિવાસી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સમારંભનો શુભારંભ આદિવાસી ભાષામાં પ્રકૃતિવંદના ગાઈને કરાયો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676cf3920f67e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'</span><span style="font-size: 14pt;">આદિલોક'ના તંત્રી આનંદ વસાવાએ આદિલોક સામયિકની 17 વર્ષની સંઘર્ષમય યાત્રાનો આછો પરિચય આપી તેના ધ્યેયકથનનો દિશાનિર્દેશ કર્યો હતો. આદિલોકના પ્રકાશક ડૉ. કનુ વસાવાએ આદિલોકમાં પ્રકાશિત સામગ્રીની સૂચિનો પરિચય કરાવી 'આદિલોક' સામયિકની સિદ્ધિઓ વર્ણવી હતી. અતિથિ વિશેષ તરીકે રમેશ તન્નાએ આદિવાસી સમાજ ના હકારાત્મક પાસાઓ રજૂ કર્યા હતા અને તેમનો હરખ વ્યક્ત કર્યો હતો. પ્રો. ભરત મહેતાએ ભારતીય પત્રકારત્વમાં આદિવાસીઓની ભૂમિકા સમજાવી આદિવાસી પત્રકારત્વની સંઘર્ષપૂર્ણ ભૂમિકાની સદ્રષ્ટાંત રજૂઆત કરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676cf3a58514f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમારંભના અધ્યક્ષ અજય ઉમટે આદિવાસી સમાજનું માધ્યમોમાં નિરૂપણ વિશે તેમનો દ્રષ્ટિકોણ રજૂ કરી પત્રકારત્વના વિદ્યાર્થીઓને પ્રતિનિધિત્વ કરવા આહવાન કર્યું હતું. ભોજન બાદની બેઠકમાં વિશિષ્ટ પ્રદાન કરનાર તાલુકા જિલ્લા સંયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત પ્રતિનિધિઓએ આદિલોક વિશેના તેમના અભિપ્રાયો રજૂ કર્યા હતા. ગુજરાતના આદિવાસી ઇતિહાસમાં સૌથી લાબું આયુષ્ય ધરાવતા 'આદિલોક' સામયિકની વેબસાઈટનું લોકાર્પણ સમારંભના અધ્યક્ષના હાથે કરવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676cf3c0d370c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમીરગઢથી લઈને ડાંગ વિસ્તારના આદિલોકના તાલુકા-જિલ્લા સંયોજકોએ તેમની સમસ્યાઓ રજૂ કરી હતી. લેખન, ફોટોગ્રાફી અને પ્રચાર-પ્રસાર ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર સંયોજકોને સ્મૃતિભેટ આપીને સન્માન કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે વંચિતોના પત્રકારત્વ સાથે સંકળાયેલા અગ્રણીઓ નટુભાઈ પરમાર, નરેશ મકવાણા, મૂળચંદ રાણા, હર્ષદ પરમાર, ભગવાનદાસ પટેલ, વગેરે અગ્રણીઓએ ઉપસ્થિત કહીને આદિલોકની સિદ્ધિને બિરદાવીને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. આદિલોકના માર્ગદર્શક ફાધર એન્થની પિચ્ચાઈએ આદિલોક ટ્રસ્ટ વતી સૌનો આભાર માનીને આ પ્રકારની પ્રવૃત્તિ માટે હંમેશા મદદરૂપ થવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. અંતે આસ્થા વસાવાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><strong>આદિલોક મેગેઝિન વિશે વધુ જાણકારી માટે અને તેનું લવાજમ ભરી આદિવાસી સમાજના અવાજને મજબૂત કરવા તેની વેબસાઈટ</strong></em> <a href="https://adilok.com/">https://adilok.com/</a> પર ક્લિક કરો.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/Adivasi-society-has-lost-its-ratan,-editor-of-Adilok-Prof.-Anand-Vasavas-spouse-Bhanubahen-passes-away">આદિવાસી સમાજે પોતાનું રતન ગુમાવ્યું, ‘આદિલોક’ના તંત્રી પ્રો. આનંદ વસાવાના જીવનસાથી ભાનુબહેનનું અવસાન</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Dec 2024 11:44:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1763</Articleid>
                    <excerpt>આદિવાસી સમાજના અવાજને મજબૂતીથી સમાજ વચ્ચે મૂકતા &#039;આદિલોક&#039; મેગેઝિનનું લવાજમ ભરીને મૂળનિવાસીઓના પત્રકારત્વને ટેકો કરવા સૌને અપીલ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676cf37b4b2c9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676cf37b1709a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676cf37b1709a.jpg" length="107406" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>adilok magazine, completes 100 issues, website launched</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્કોલરશીપ ફરી શરૂ કરો, નહીંતર આદિજાતિ કમિશનર કચેરીને તાળાં મારીશું...</title>
                    <link>https://khabarantar.com/chaitar-vasava-warns-gujarat-government-to-resume-pg-scholarship-for-tribal-students</link>
                    <guid>https://khabarantar.com/chaitar-vasava-warns-gujarat-government-to-resume-pg-scholarship-for-tribal-students</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી વિદ્યાર્થીઓની પીજી સ્કોલરશીપ ફરી શરૂ કરવા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને ખૂલ્લી ચેતવણી આપી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની ભાજપ સરકારે આદિજાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજયુએટ સ્કોલરશીપ રદ કરીને પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરી છે તેવો આરોપ આમ આદમી પાર્ટી-'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર રદ કરીને આદિજાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ ફરી શરૂ કરાય તો આગામી દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જેટલા સરકારી કાર્યક્રમો યોજાશે તેનો બહિષ્કાર કરાશે. એટલું જ નહીં, ચૈતર વસાવાએ આગામી દિવસોમાં આદિજાતિ વિકાસ કમિશનરની કચેરીને તાળાબંધી પણ કરવાની ચીમકી આપી છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ રદ્દ કરાઇ છે તે મામલે આમ આદમી પાર્ટી -'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર પ્રહાર કર્યા છે. અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં 'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે 2010થી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપની યોજના ચાલુ હતી. જેના થકી બીએસસી નર્સિંગ, જીએનએમ નર્સિંગ સહીત ડિગ્રી એન્જિનિયરિંગના અનેક ઉચ્ચકક્ષાના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હતી અને આદિવાસી વિદ્યાર્થીઓ ભણી શકતા હતા. પરંતુ ફરી એકવાર ગુજરાતની ભાજપ સરકારે આદિવાસી વિરોધની માનસિકતા છતી કરી છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગે ગત તા. 28-10-2024 ના રોજ એક પરિપત્ર પ્રસિદ્ધ કરીને આદિજાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજયુએટ સ્કોલરશીપને બંધ કરી દીધી છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, જે પણ વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધા છે અને હવે આ સ્કીમ બંધ કરવાથી હવે જે પણ વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ અપાયા છે, તે ફ્રી શીપ કાર્ડ હવે માન્ય નથી. આ સાથે જે સ્વનિર્ભર કોલેજો હતી, જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા હતા. હવે આ કોલેજો આવા આદિજાતિના વિદ્યાર્થીઓ પર પ્રેશર કરી રહ્યા છે કે, કાં તો તમે રોકડા ભરીને ફી જમા કરાવો કાં તો તમારું એડમિશન કેન્સલ કરાવી લો. જેના કારણે રાજ્યના 50 થી 60 હજાર જેટલા આદિજાતિના વિદ્યાર્થીઓ પર આની ખરાબ અસર પડી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ મુદ્દા પર અમે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરીને બીરસા મુંડા ભવનનો ઘેરાવ કર્યો હતો અને સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ સરકારે આ મુદ્દા પર કોઈ કાર્યવાહી કરી નથી. તેથી હવે આવનાર સમયમાં તમામ જિલ્લાની આદિજાતિ મદદનીશ કમિશનર કચેરીએ આ મુદ્દા પર રજૂઆતો કરવા જઈશું. અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે જો આ પરિપત્રને રદ કરવામાં નહીં આવે અને સ્કોલરશીપને ફરીથી શરૂ નહીં કરાય તો આગામી દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જે પણ સરકારી કાર્યક્રમો હશે તેનો અમે આ વિદ્યાર્થીઓ સાથે રહીને બહિષ્કાર કરીશું. એટલું જ નહીં, આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીની પણ તાળાબંધી કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/huge-protest-in-danta-over-stopping-scholarships-for-tribal-students">આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા દાંતામાં ભારે વિરોધ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Dec 2024 20:02:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1741</Articleid>
                    <excerpt>આદિવાસી વિદ્યાર્થીઓની પીજી સ્કોલરશીપ ફરી શરૂ કરવા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને ખૂલ્લી ચેતવણી આપી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67682288376ab.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67682287f1a4a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67682287f1a4a.jpg" length="45458" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>chaitar vasava, pg scholarship for tribal students</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી યુવકને કાર સાથે 500 મીટર સુધી ઢસડ્યો, હોસ્પિટલમાં ભરતી</title>
                    <link>https://khabarantar.com/wayanad-kerala-a-tribal-man-was-dragged-for-500-meters-in-a-car-by-the-accused</link>
                    <guid>https://khabarantar.com/wayanad-kerala-a-tribal-man-was-dragged-for-500-meters-in-a-car-by-the-accused</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી યુવક બબાલમાં વચ્ચે પડતા આરોપીઓએ તેનો અંગૂઠો કારના કાચમાં ફસાવી રોડ પર ઢસડ્યો. યુવક ગંભીર રીતે ઘાયલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">tribal man dragged in car in Wayanad : કેરળ (Kerala) ના વાયનાડ (Wayanad) જિલ્લામાં એક આદિવાસી (Tribal) વ્યક્તિને કારમાં અડધો કિલોમીટર સુધી ખેંચી જવા (Drag into car)નો મામલો સામે આવ્યો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે બે લોકો હજુ પણ ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે પોલીસે જણાવ્યું હતું કે કારના દરવાજામાં એક આદિવાસી વ્યક્તિનો અંગૂઠો ફસાઈ જતાં કારમાં મુસાફરી કરી રહેલા લોકોએ કાર રોકી ન હતી. તેના બદલે, આદિવાસીઓએ માણસને અડધો કિલોમીટર સુધી રસ્તા પર ખેંચી લીધો. આ ઘટના 15 ડિસેમ્બરની સાંજે મનંતવાડીના કુડલ કદાવુ ખાતે ચેક ડેમ પાસે બની હતી. મંગળવારે તેના ફૂટેજ ટીવી ચેનલો પર બતાવવામાં આવતા પોલીસ હરકતમાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા અનુસાર, ચેમ્માડુના રહેવાસી મંથનને જ્યારે કારમાં સવાર લોકો રસ્તા પર ખેંચી ગયા ત્યારે તેને હાથ, કમર અને પગમાં ઈજા થઈ હતી. કારમાં સવાર લોકો પ્રવાસીઓ હતા જેઓ અહીં ચેકડેમ જોવા આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયનાડના કનિયામબટ્ટાનો રહેવાસી હર્ષિદ અને તેના મિત્રો આ કેસમાં આરોપી છે. આરોપી જે કારમાં મંથનને ખેંચી ગયા હતા તેનો રજીસ્ટ્રેશન નંબર KL 52 H 8733 હતો. આ કાર કુટ્ટીપુરમના રહેવાસી મોહમ્મદ રિયાસ નામના વ્યક્તિના નામે રજીસ્ટર છે. પોલીસે કાર કબજે કરી છે. કારમાં ચાર લોકો હતા. આ મામલે મનંતવાડી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 110 (ગુનેગાર હત્યાનો પ્રયાસ) સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-bijawar-mp-the-husband-of-the-district-vice-president-along-with-his-brothers-beat-up-a-tribal-youth">જિલ્લા ઉપાધ્યક્ષના પતિએ આદિવાસી યુવકની મારી-મારીને ચામડી ઉતરડી નાખી</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6767ba8774af3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે આ વિસ્તારની મુલાકાત લેતા પ્રવાસીઓના બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી અને મંથન સહિતના સ્થાનિકોએ તેમાં દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે આરોપીઓ તેમના પર દાઝ રાખી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે 49 વર્ષીય આદિવાસી મંથનનો અંગૂઠો કારના દરવાજામાં ફસાઈ ગયો હતો. આરોપીઓને કાર રોકવાનું કહેવામાં આવ્યું છતાં તેમણે કાર રોકી નહોતી અને મંથને અડધો કિલોમીટર સુધી રોડ પર ઢસડી ગયા હતા. એ પછી કારમાં સવાર ચાર આરોપીઓ નાસી ગયા હતા. સ્થાનિકો દ્વારા ઘાયલ મંથનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના પ્રધાન ઓઆર કેલુએ આ ઘટનાની સખત નિંદા કરી અને જિલ્લા પોલીસ વડાને ગુનેગારો સામે કડક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે સરકાર આદિવાસી યુવાનો પરના હુમલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને ગુનેગારોને શોધીને તેમને સજા કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. તેમણે આરોગ્ય અધિકારીઓને ઇજાગ્રસ્ત આદિવાસી વ્યક્તિને તમામ પ્રકારની સારવાર અને સંભાળ પૂરી પાડવાનો પણ નિર્દેશ આપ્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્યોની શોધખોળ ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/gujarat-garudeshwar-tribal-woman-gives-birth-to-baby-in-a-sling">રસ્તાના અભાવે આદિવાસી મહિલાએ ઝોળીમાં જ બાળકને જન્મ આપ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Dec 2024 12:43:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1738</Articleid>
                    <excerpt>આદિવાસી યુવક બબાલમાં વચ્ચે પડતા આરોપીઓએ તેનો અંગૂઠો કારના કાચમાં ફસાવી રોડ પર ઢસડ્યો. યુવક ગંભીર રીતે ઘાયલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6767ba8705b3c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6767ba86c31c6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6767ba86c31c6.jpg" length="93418" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>tribal man dragged in car, Wayanad, Kerala</media:keywords>
                </item>
                        <item>
                    <title>પપ્પા..હું નહીં બચું...નહીં બચું...</title>
                    <link>https://khabarantar.com/ten-year-old-girl-raped-by-neighbor-in-bharuchs-zaghadiya-gidc</link>
                    <guid>https://khabarantar.com/ten-year-old-girl-raped-by-neighbor-in-bharuchs-zaghadiya-gidc</guid>
                    <description>
                        <![CDATA[ ઝઘડિયા જીઆઈડીસીમાં મજૂર પરિવારની 10 વર્ષની દીકરી પર પડોશી નરાધમે બળાત્કાર ગુજારતા માસુમ દીકરી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Ten-year-old girl raped by neighbor in Bharuch's Zaghadiya GIDC: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં 10 વર્ષીય બાળકીના અપહરણ અને દુષ્કર્મની ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. ઝારખંડથી પેટિયું રળવા ઝઘડિયા આવેલા મજૂર પરિવારની માસુમ પર બાજુમાં જ રહેતા 36 વર્ષના હવસખોરે એકલતાનો લાભ લઈ બળાત્કાર કર્યો હતો. હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ, પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે 10 વર્ષની માસુમ દીકરી પપ્પા હું નહીં બચું...એમ કહીને જીવનમરણ વચ્ચે દવાખાનામાં ઝોલાં ખાઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું બન્યું હતું?</span></strong></span><br><span style="font-size: 14pt;">ઝઘડિયા GIDC વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર દુઃખના ડુંગર તૂટી પડ્યાં છે. માતાપિતા મજૂરીએ ગયા હતા ત્યારે પોતાના ઘર નજીક રમી રહેલી 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય શખ્સ અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દીવાલ કૂદાવીને ઝાડીઓમાં લઇ ગયો હતો. ત્યાં આ નારાધમે 10 વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમની વિકૃતતાનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને માસુમ દર્દથી કણસી રહી હોવા છતાં તેણે જરાય દયા દાખવ્યા વિના પોતાની હવસ સંતોષી હતી. બાળકીના હોઠ પણ તેણે કરડી ખાધા હતા અને ચહેરો પર પથ્થરમારીને વિકૃત કરી નાખ્યો હતો. એ પછી તે બાળકીને લોહીલુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સારવાર કરનાર ડોક્ટરોના હાથ પણ ધ્રુજી ઉઠ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">બાળકી સાથે કઈ હદે વિકૃતતા દાખવવામાં આવી છે તે તેના પરથી પણ સમજી શકાય છે કે, તેની સારવાર કરતાં તબીબોના હાથ પણ ધ્રુજી ઉઠ્યા હતા. બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઉભું પણ થવાતું ન હતું. જેથી તે ત્યાંથી ઢસડાતી ઢસડાતી પોતાના ઘરની  દીવાલ સુધી પહોંચીને પોતાની માતાને બુમો પાડવા લાગી હતી. એ દરમિયાન ત્યાં વાસણ માંજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતાં જ ઉપર ચઢીને જોતા જ ચોકી ઉઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતાં અન્ય લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી. જ્યાં હાજર તબીબો બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા ધ્રુજી ઉઠ્યાં હતા. દરમિયાન બાળકીને વધુ સારવારની જરૂર પડતાં તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67624daf2fcd0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે નરાધમને ઝડપી પાડ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">આ બાજુ ઘટનાની જાણ થતાં પોલીસકર્મીઓએ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા હવસખોરને ઝડપી પાડ્યો હતો અને તેની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતનો કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બાળકીની તબિયત સ્થિર છેઃ ડોક્ટર</span></strong><br><span style="font-size: 14pt;">આ તરફ વડોદરા હોસ્પિટલના ડોક્ટરોએ સારવાર દરમિયાન જણાવ્યું હતું કે, હાલ બાળકીની તબિયત સ્થિર છે અને તેને આરામની જરૂર છે. બીજી તરફ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં નરાધમ આરોપીને ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી દીધી છે. આરોપી પણ ઝારખંડનો રહેવાસી છે અને બાળકીની બાજુમાં જ રહેતો હતો અને મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. હાલ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-young-man-molested-a-tribal-woman-and-put-human-feces-in-her-mouth">આદિવાસી મહિલાની છેડતી કરી યુવકે તેના મોંમાં માનવમળ ઠૂંસી દીધું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 09:59:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1715</Articleid>
                    <excerpt>ઝઘડિયા જીઆઈડીસીમાં મજૂર પરિવારની 10 વર્ષની દીકરી પર પડોશી નરાધમે બળાત્કાર ગુજારતા માસુમ દીકરી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67624daea5dc1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67624dae732b5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67624dae732b5.jpg" length="39863" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ten-year-old girl raped, Bharuch, Zaghadiya GIDC</media:keywords>
                </item>
                        <item>
                    <title>જિલ્લા ઉપાધ્યક્ષના પતિએ આદિવાસી યુવકની મારી&amp;મારીને ચામડી ઉતરડી નાખી</title>
                    <link>https://khabarantar.com/in-bijawar-mp-the-husband-of-the-district-vice-president-along-with-his-brothers-beat-up-a-tribal-youth</link>
                    <guid>https://khabarantar.com/in-bijawar-mp-the-husband-of-the-district-vice-president-along-with-his-brothers-beat-up-a-tribal-youth</guid>
                    <description>
                        <![CDATA[ નેતાએ તેના બે ભાઈઓ સાથે મળીને તેમની સામે થયેલા એટ્રોસિટીના કેસમાં જુબાની આપવા જતા આદિવાસી યુવકને આંતરીને તેના શરીર પર ચાઠાં પડી ગયા ત્યાં સુધી માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટીના એક કેસમાં જુબાની આપવા જઈ રહેલા એક આદિવાસી યુવકને જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષના પતિ અને તેના બે ભાઈઓએ મળીને નિર્દયતાથી માર્યો અને તેને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યો. મામલો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બિજાવર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આદિવાસી યુવક રાજબહાદુરસિંહ બાઇક પર પાટણ ખાતે પોતાના ઘરે જઇ રહ્યો હતો. દરમિયાન બીજાવર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષના સીતા યાદવના પતિએ તેના બે સગા ભાઈઓ સાથે મળીને તેના પર લાકડીઓ અને દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાયો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજબહાદુર એટ્રોસિટીના એક કેસમાં આરોપીઓ સામે જુબાની આપવાનો હતો. જેની દાઝ રાખીને આ લોકો તેને મારવા માટે મોકાની રાહ જોઈને તૈયાર હતા. જિલ્લા ઉપાધ્યક્ષના પતિ દેવી સિંહ યાદવ તેના બે ભાઈઓ મુલાયમ સિંહ યાદવ અને માધવ સિંહ યાદવે આદિવાસી યુવકને લાકડીઓ વડે નિર્દયતાથી માર્યો હતો. રાજબહાદુર સિંહ ગંભીર રીતે ઘાયલ થતા તેને ગંભીર હાલતમાં બિજાવરના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી બાદમાં તેને છતરપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધાક જમાવવા માટે હુમલો કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈજાગ્રસ્ત આદિવાસી રાજબહાદુર સિંહે કહ્યું, “દેવી સિંહ અને તેના બે ભાઈઓએ તેના પર હુમલો કર્યો હતો કારણ કે તે એટ્રોસિટી એક્ટના એક કેસમાં તેમની સામે જુબાની આપી રહ્યો હતો. પાટણના એક દલિત પરિવારે બાજણા પોલીસ સ્ટેશનમાં દેવી સિંહ વિરુદ્ધ એટ્રોસિટીનો કેસ નોંધાવ્યો હતો, જેને લઈને આજે તેમણે દાદાગીરી બતાવી પીડિતો પર ધાક જમાવવા માટે આ હુમલો કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ હુમલો કરી ફરાર થઈ ગયા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિજાવર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કમલજીત સિંહ મબઈએ કહ્યું, “3 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પીડિતને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસી યુવકનો રસ્તો રોકી હુમલો કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શનિવારે રાજબહાદુર આદિવાસીને ગંભીર હાલતમાં સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ગામના એક દલિત વ્યક્તિને દેવીસિંહ યાદવના પરિવાર દ્વારા માર મારવામાં આવ્યો હતો, જે મામલે બજાણા પોલીસે એટ્રોસિટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસમાં પોલીસે સાક્ષી તરીકે રાજબહાદુરનું નિવેદન નોંધ્યું હતું. જેની જાણ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સીતા યાદવના પતિ દેવી સિંહ અને તેના ભાઈ માધવ સિંહ, મુલાયમ સિંહને થતાં જ તેમણે ભેગા થઈને રાજબહાદુરને રસ્તામાં રોક્યો હતો અને લાકડીઓ, લાતો, મુક્કાઓ અને પથ્થર મારીને તેના પર જીવલેણ હુમલો કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકના પગની ચામડી કાળી પડી ગઈ, કમર પર દંડાના નિશાન</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજબહાદુરને આ હુમલામાં ગંભીર ઇજાઓ થઇ છે. તેના બંને ઘૂંટણની ચામડી કાળી થઈ ગઈ છે અને સોજાઈ ગઈ છે, કમરની નીચે ડંડાના નિશાન પડી ગયા છે અને બંને હાથ પર ગંભીર ઈજાના નિશાન પડી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘાયલ રાજ બહાદુરના પરિવારજનોએ જણાવ્યું કે, હુમલાખોરોએ પહેલા પણ દલિતોને માર માર્યો હતો. પોલીસે તેમના પર કાર્યવાહી કરવામાં વિલંબ અને બેદરકારી દાખવી તેના કારણે તેમની સાથે આ બીજો કિસ્સો બન્યો છે. પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે, જો હુમલાખોરોની વહેલીતકે ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ ફરીથી તેમના પર હુમલો કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/he-did-wrong-by-complaining-leave-the-village-now-we-wont-let-him-live-anymore">'તેં ફરિયાદ કરીને ખોટું કર્યું, હવે ગામ છોડી દો, બાકી જીવવા નહીં દઈએ'</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Dec 2024 13:08:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1696</Articleid>
                    <excerpt>નેતાએ તેના બે ભાઈઓ સાથે મળીને તેમની સામે થયેલા એટ્રોસિટીના કેસમાં જુબાની આપવા જતા આદિવાસી યુવકને આંતરીને તેના શરીર પર ચાઠાં પડી ગયા ત્યાં સુધી માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675be46308d55.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675be462b7559.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675be462b7559.jpg" length="86899" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>tribal youth beaten up, Bijawar, MP, husband of the district vice-president, atrocity act, FIR Atrocity Act, Adivasi News, ST News</media:keywords>
                </item>
                        <item>
                    <title>રસ્તાના અભાવે આદિવાસી મહિલાએ ઝોળીમાં જ બાળકને જન્મ આપ્યો</title>
                    <link>https://khabarantar.com/gujarat-garudeshwar-tribal-woman-gives-birth-to-baby-in-a-sling</link>
                    <guid>https://khabarantar.com/gujarat-garudeshwar-tribal-woman-gives-birth-to-baby-in-a-sling</guid>
                    <description>
                        <![CDATA[ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના ચાપટ ગામની ઘટના. રસ્તાના અભાવે પ્રસૂતાને ઝોળીમાં દવાખાને લઈ જવાઈ રહી હતી. પણ દવાખાને પહોંચે તે પહેલા જંગલમાં જ પ્રસૂતિ થઈ ગઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના કહેવાતા વિકાસનો ફૂગ્ગો આમ તો વર્ષો પહેલા ફૂટી ગયો છે, છતાં તેમાં રહીસહી હવા કાઢી નાખતી કેટલીક ઘટનાઓ પણ સમયાંતરે બનતી રહે છે. હાલમાં જ કૂપોષણ મામલે દેશના ટોપ 10 જિલ્લાઓમાં ગુજરાતના 5 આદિવાસી જિલ્લાઓ આવ્યા હતા. એ પહેલા રસ્તાના અભાવે આદિવાસી વિસ્તારોમાં પડતી હાલાકીને લઈ હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. આ ઘટનાઓની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ગુજરાતના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં નર્મદા જિલ્લામાં રસ્તાના અભાવે એક પ્રસૂતાએ જંગલ વચ્ચે ઝોળીમાં જ બાળકને જન્મ આપ્યો છે. અગાઉ આવી જ એક ઘટના છોટા ઉદેપુરમાં બની હતી અને ત્યારે ગુજરાત હાઇકોર્ટે સરકારને ભારે ફટકાર લગાવી રસ્તા બનાવવાનો આદેશ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામમાં પાયલ વસાવા નામની મહિલાને રાત્રે પ્રસવની પીડા ઉપડી હતી. જોકે, ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ ન હોવાથી પરિવારે પ્રસૂતાને સાડીની ઝોળી બનાવી હૉસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી. જો કે, પરિવારજનો પ્રસૂતાને હૉસ્પિટલ સુધી પહોંચાડે તે પહેલાં જ તેણે જંગલમાં બાળકને જન્મ આપી દીધો હતો. બાળકને જન્મ આપ્યા બાદ પરિવારજનો ફરી મહિલા અને બાળકને ઝોળીમાં નાખી હૉસ્પિટલ સારવાર માટે લઈ જવા નીકળી પડ્યાં હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ચાપટ ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે. અહીંથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે 10 કિલોમીટર સુધી જંગલમાંથી પસાર થવું પડે છે. રસ્તો ન હોવાથી ગામમાં કોઈ એમ્બ્યુલન્સ જેવું વાહન આવી શકતું નથી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675ae2b471506.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન આ શરમજનક વીડિયો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે ખુલાસો આપ્યો છે કે, 19 વર્ષીય પાયલ વસાવા સગર્ભા બનતાં આરોગ્ય વિભાગ સતત કાળજી લેતું હતું. તેઓ મમતા દિવસમાં તપાસ માટે આવ્યા ત્યારે કોઈ તકલીફ નહોતી તેથી તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા. જોકે, ઘરે પહોંચ્યા બાદ રાત્રે પ્રસવ પીડા ઉપડતાં રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ ગધેર ગામ પાસેથી મહિલા અને બાળકને લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુર લાવ્યા. ત્યાં મેડિકલ ઑફિસર અને નર્સ દ્વારા બાળક અને માતાની જરૂરી સારવાર કરવામાં આવી. હાલ, બાળક અને માતા બંને સુરક્ષિત છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું રહ્યું કે, અગાઉ 2 ઑક્ટોબરે છોટાઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી. જ્યાં 108ના અભાવના કારણે મહિલા સમયસર હૉસ્પિટલ ન પહોંચી શકી અને હૉસ્પિટલના પ્રાંગણમાં જ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળકના જન્મ બાદ માતાનું મોત થઈ જતાં સરકાર અને તંત્રની ભારે ટીકા થઈ હતી. ત્યારબાદ હાઇકોર્ટે સુઓમોટો લઈ સરકારનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે, આ ઘટનાથી અમારા  માથા શરમથી ઝૂકી ગયા છે. ત્યારબાદ હાઇકોર્ટે 15 દિવસમાં રોડ બનાવવાનો સરકારને આદેશ આપ્યો હતો. જો કે એ ઘટના પછી પણ બીજી એવી જ એક ઘટના પણ બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/due-to-the-lack-of-roads-the-tribal-pregnant-woman-had-to-be-carried-to-the-hospital-in-a-zoli">રસ્તાના અભાવે આદિવાસી પ્રસુતાને ઝોળીમાં નાખી દવાખાને લઈ જવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Dec 2024 18:53:52 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 12 Dec 2024 18:54:53 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1692</Articleid>
                    <excerpt>નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના ચાપટ ગામની ઘટના. રસ્તાના અભાવે પ્રસૂતાને ઝોળીમાં દવાખાને લઈ જવાઈ રહી હતી. પણ દવાખાને પહોંચે તે પહેલા જંગલમાં જ પ્રસૂતિ થઈ ગઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675ae29f86d5c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ae29f49782.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ae29f49782.jpg" length="69092" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Garudeshwar News, Chapat Village</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશના ટોપ 10 અતિ કૂપોષિત જિલ્લાઓમાં ગુજરાતના 5 આદિવાસી જિલ્લા</title>
                    <link>https://khabarantar.com/5-tribal-districts-of-gujarat-among-top-10-most-malnourished-districts</link>
                    <guid>https://khabarantar.com/5-tribal-districts-of-gujarat-among-top-10-most-malnourished-districts</guid>
                    <description>
                        <![CDATA[ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેએ પોલ ખોલી. દેશના ગુજરાતના ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલ અને તાપી એમ પાંચ આદિવાસી જિલ્લાઓ અતિ કૂપોષિત પ્રથમ 10 જિલ્લાઓમાં સામેલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત કોંગ્રેસે કૂપોષણને લઈને કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાઓને ટાંકીને ગુજરાત મોડેલની આબરૂની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૪ પછી મોદી સરકારે કોંગ્રેસની મધ્યાહન ભોજન યોજનાનંત નામ બદલીને પીએમ પોષણ યોજના કર્યું પણ રાજયમાં કુપોષિત બાળકોની વધતી સંખ્યા ઉપર કોઈ નક્કર કામન કર્યું એટલે તેમાં સતત વધારો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, આજે વિશ્વમાં કુપોષણનો સામનો કરી રહેલા ૮૨ કરોડ લોકોમાંથી ૨૨ કરોડ લોકો ભારતમાં છે. ભારતમાં ૩૩ લાખ બાળકો કુપોષિત છે તેમાં અડધાથી વધુ અતિ ગંભીર કુપોષિત છે, જેમાં ડબલ એન્જિન ધરાવતું ગુજરાત ટોચ પર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૮ મા અન્ન ત્રિવેણી યોજના અંતર્ગત ૧૪ આદિજાતી જિલ્લાઓમાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતાને અનાજ આપવાની અને દૂધ સંજીવની યોજના અંતર્ગત શાળાના બાળકોને દૂધ આપવાની યોજના શરૂ કરી પરંતુ રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે.જે સ્પષ્ટ કરે છે આ યોજનાઓ માત્ર કાગળ ઉપર ચાલે છે અને જનતા સામે માત્ર ડ્રામા થઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેને ટાંકીને જણાવ્યું હતું કે, ભારતના સૌથી કુપોષિત જિલ્લાઓના એક સર્વે મુજબ દેશમાં કુલ અતિકુપોષિત ટોપ ૧૦ જિલ્લાઓમાં ગુજરાતના ૫ જિલ્લાઓ ડાંગ ૫૩.૧% ટકા અને દાહોદ ૫૩% સહિત, નર્મદા, પંચમહાલ અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે સુપોષિત ટોપ ૧૦ જિલ્લાઓમાં ગુજરાતનો એકપણ જિલ્લો સામેલ નથી. આ આદિવાસી જિલ્લાઓમાં સરકારે કરેલા કામોનો કરુણતા ભરેલો વહીવટી હિસાબ છે. માર્ચ ૨૦૨૨માં મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંસદમાં રજૂ કરે નેશનલ ફેમિલી હેલ્થના સર્વે કહે છે ગુજરાત ૩૯.૭ ટકા બાળકોમાં સૌથી વધુ કુપોષિત છે, એ રીતે કુપોષણ મામલે ગુજરાત દેશભરમાં સૌથી ઉપર આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે માંગ કરી છે કે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારનાં જિલ્લાઓમાં કુપોષણથી થતા “સિકલ સેલ એનિમીયા” રોગથી પિડીત દર્દીઓ સૌથી વધુ સંખ્યા છે પણ તે વધી પણ રહી છે. આ રોગ સામે લડવા માટે રાજ્ય કે કેન્દ્રની સરકારે આજ દિવસ સુધી કોઇ નક્કર કાર્યક્રમ કે યોજના શરૂ કરી નથી. ”સિકલ સેલ એનિમીયા” ખતરનાક રોગ છે, દેશના યુવાધનને નાશ કરનારો છે, ઘણીવાર તે બાળકને ગર્ભમાંથી પણ મળે છે. આ રોગથી પ્રભાવીત વિસ્તાર અને લોકો માટે નિયમિત લોક જાગૃતિ-નિદાન અને તેના ખોરાક ઉપર રાજ્ય સરકારે સતત નિરિક્ષણ કરીને લાબાગાળાની યોજના તૈયાર કરી તેને વહેલી તકે કાર્યાંન્વિત કરવામા આવે અને ગમે તેમ કરીને આ રોગ પર કાબૂ મેળવવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/will-children-get-nutrition-even-after-spending-rs-617-crore-a-year">વર્ષે 617 કરોડ ખર્ચ્યા પછી પણ બાળકોને પોષણ મળશે ખરું?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Dec 2024 19:27:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1686</Articleid>
                    <excerpt>નેશનલ ફેમિલી હેલ્થ સર્વેએ પોલ ખોલી. દેશના ગુજરાતના ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલ અને તાપી એમ પાંચ આદિવાસી જિલ્લાઓ અતિ કૂપોષિત પ્રથમ 10 જિલ્લાઓમાં સામેલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67599862dc308.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67599862a8ee8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67599862a8ee8.jpg" length="61877" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Malnourished districts, Gujarat, tribal malnourished districts</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસીઓની શિષ્યવૃત્તિ સામેનો નિર્ણય રદ કરો, નહીંતર તાળાં લાગી જશે</title>
                    <link>https://khabarantar.com/cancel-the-decision-against-tribal-scholarships-otherwise-there-will-be-lockdown</link>
                    <guid>https://khabarantar.com/cancel-the-decision-against-tribal-scholarships-otherwise-there-will-be-lockdown</guid>
                    <description>
                        <![CDATA[ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવા નિર્ણયના વિરોધમાં જંગી ધરણાં પ્રદર્શન યોજી ઘણી મહત્વની વાત કરી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સાથે ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે ધરણાં પ્રદર્શન યોજ્યું હતું. તેમણે સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાના નિર્ણયને રદ કરવા અને આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવાની માગ કરી હતી. ચૈતર વસાવાએ ચીમકી આપી છે કે જો શિષ્યવૃત્તિનો નિર્ણય રદ નહીં કરાય તો તમામ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાં મારવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજનાં બાળકો મેટ્રિક પછી સારા કોર્સમાં અભ્યાસ કરી શકે એ માટે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિની યોજના જાહેર કરાઇ હતી. આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતી હતી, પરંતુ હાલની સરકાર દ્વારા આદિવાસી સમાજનાં બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરીને પરિપત્ર બહાર પાડી હવે પછી કોઇપણ આદિવાસી બાળક મેટ્રિક પછી મેનેજમેન્ટ ક્વોટામાં ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કરેલો છે. ચૈતર વસાવાએ આ નિર્ણય સામે ધરણાં પ્રદર્શન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે નહીં. આ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકારે 28 ઓક્ટોબર 2024નો વધારે ઉમેરા સાથેનો પરિપત્ર કરેલો કે જે વિદ્યાર્થી vacant ક્વોટામાં પ્રવેશ મેળવે છે તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે. રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર 28/10ના રોજ કર્યો ત્યારે પ્રવેશની પ્રક્રિયા પૂરી થઈ ગયેલી હતી. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે. આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજના 50000 કરતાં પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675075b552a74.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પરિપત્રની અગાઉ જ જે સંસ્થાઓએ vacant ક્વોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે. અનુસૂચિત જનજાતિની ગુજરાતમાં અલગ અલગ કચેરીઓ દ્વારા vacant ક્વોટામાં પ્રવેશ પણ આપી દીધો છે અને પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યાં છે, તો હવે આ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત કઈ રીતે રહી શકે? એટલે રાજ્ય સરકારે આ અણઘડ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચાવો જોઈએ, નહીં તો તમામ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાં મારવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૈતર વસાવાએ કહ્યું હતું કે, આ પરિપત્ર તાત્કાલિક રદ કરો, જેથી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શકાય. રાજ્ય સરકાર દ્વારા જો આ પરિપત્ર દિન 10માં પાછો ખેંચવામાં નહીં આવે તો અમે આદિવાસી વિસ્તારોમાં જઈને આ તઘલખી નિર્ણય સામે જનજાગૃતિ કરીશું, વિદ્યાર્થીઓને આ બાબતમાં માહિતગાર કરી ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ સાથે ઘેરાવો પણ કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/huge-protest-in-danta-over-stopping-scholarships-for-tribal-students">આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા દાંતામાં ભારે વિરોધ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 21:05:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1650</Articleid>
                    <excerpt>ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવા નિર્ણયના વિરોધમાં જંગી ધરણાં પ્રદર્શન યોજી ઘણી મહત્વની વાત કરી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6750759e8c77c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6750759e564a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6750759e564a7.jpg" length="100202" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>tribal scholarships, chaitar vasava</media:keywords>
                </item>
                        <item>
                    <title>લંપટ શિક્ષકે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં</title>
                    <link>https://khabarantar.com/lustful-teacher-had-physical-contact-with-a-minor</link>
                    <guid>https://khabarantar.com/lustful-teacher-had-physical-contact-with-a-minor</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં વધુ એક વખત શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">chhota udepur માં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનામાં પોલીસે આરોપી શિક્ષક સંજય પારેખને ઝડપી પાડ્યો છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થી સાથે અડપલા કર્યાનો શિક્ષક પર આરોપ છે. અડપલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી શિક્ષકને આણંદ જિલ્લાના ખોળલગામમાંથી ઝડપી પાડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર ઘટનાની વાત કરીએ તો છોટાઉદેપુરની એક શાળામાં અંગ્રેજીનું શિક્ષણ આપતા નરાધમ શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થિની પર નજર બગાડી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધોરણ ૯માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની સગીરા પર ૫૧ વર્ષીય વર્ગ શિક્ષકે વારંવાર શારીરિક અડપલાં કરતો હતો. એટલું જ નહીં કોઈ પણ વ્યક્તિને આ અંગે જાણ કરી તો હોસ્ટેલમાં ફોટા વાયરલ કરવાની સગીરાને ધમકી આપતો હતો. આખરે કંટાળીને સગીરાએ તેના માતા-પિતાને જાણ કરી અને વાલીઓએ પણ હિંમત દાખવી લંપટ શિક્ષક સંજય પારેખ સામે ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી સમાજની બાળકી સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય થતા સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા સુખરામ રાઠવાએ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાથે જ સમગ્ર પ્રકરણને દબાવવાનો પ્રયાસ ન કરવાની પણ તંત્ર સામે અપીલ કરી છે. તો પોલીસે પણ ફરિયાદ દાખલ કરીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Inquiring-of-3-teachers-started-in-motavada-high-school-students-suicide">મોટાવડા હાઈસ્કૂલના વિદ્યાર્થીની આત્મહત્યામાં 3 શિક્ષકોની પૂછપરછ શરૂ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Dec 2024 17:10:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1636</Articleid>
                    <excerpt>ગુજરાતમાં વધુ એક વખત શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674d9c0c7128f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d9c0c330b1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d9c0c330b1.jpg" length="80606" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>chhota udepur, Crime, Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેરીના ગોટલાનો રસો પીવાથી 3 આદિવાસી મહિલાઓના મોત, 7 બીમાર</title>
                    <link>https://khabarantar.com/3-tribal-women-die-7-fall-ill-after-eating-aam-ka-daliya-in-odishas-mandipanka-village</link>
                    <guid>https://khabarantar.com/3-tribal-women-die-7-fall-ill-after-eating-aam-ka-daliya-in-odishas-mandipanka-village</guid>
                    <description>
                        <![CDATA[ ભૂખમરાનો સામનો કરી રહેલી આદિવાસી પરિવારે કેરીના ગોટલામાંથી બનેલી વાનગી ખાધી હતી, જેની ઝેરી અસરને કારણે આખી ઘટના ઘટી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓડિશા (Odisha) ના કંધમાલ જિલ્લા (Kandhamal district) ના મંડીપાંકા ગામ (Mandipanka village) માં ભૂખમરાનો સામનો કરી રહેલી ત્રણ આદિવાસી મહિલાઓના મોત (3 tribal women die) થઈ ગયા. આ મહિલાઓએ જમવા માટે અનાજ ન મળતા કેરીના ગોટલામાંથી દલિયા (Aam ka Daliya) નામની વાનગી બનાવી ખાધી હતી. જો કે તેના ઝેરની અસરથી ત્રણેયનું મોત થઈ ગયું હતું. આ મામલે ઓડિશા સરકારના કઠેડામાં ઉભી કરતા વિપક્ષ બીજેડી અને કોંગ્રેસે વિધાનસભામાં હોબાળો મચાવ્યો હતો અને ઓડિશાની ભાજપની મોહન ચરણ માંઝી સરકાર (Mohancharan Manjhi Govt.) ખાદ્ય સુરક્ષા જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવી જાહેર અન્ન વિતરણ પદ્ધતિને વધુ સારી બનાવવા આગ્રહ કર્યો હતો. આ ઘટનાને 20 દિવસ કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે સમગ્ર મામલો?</span></strong></span><br><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ ગયા મહિને કંધમાલ જિલ્લામાં કેરીના ગોટલામાંથી બનાવેલી વાનગી ખાવાથી બે આદિવાસી મહિલાઓના મોત થયા હતા અને અન્ય સાત લોકો બીમાર પડી ગયા હતી. આ ઘટના દરિંગબાડી તાલુકાના મંડીપાંકા ગામમાં બની હતી, જ્યાં કેટલાક ગામલોકોએ થોડા દિવસ પહેલા કેરીના ગોટલામાંથી બનેલી વાનગી ખાધી હતી. બીમાર લોકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત નાજુક હોવાથી તેમને બરહામપુર મોકલવામાં આવી રહ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બે મહિલાઓના મોત થયા હતા. એક મહિલાનું આરોગ્ય કેન્દ્રમાં મૃત્યુ થયું હતું જ્યારે બીજી મહિલાનું એમ્બ્યુલન્સમાં બરહામપુર જતા રસ્તામાં મોત થયું હતું. મૃતક મહિલાઓની ઓળખ 30 વર્ષની રૂની માઝી અને 28 વર્ષની રનીતા પટામાઝી તરીકે થઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં સુભદ્રા યોજનાનો કોઈ લાભ નથી મળ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે સત્તાવાર તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં એક NGO, રિપબ્લિક રાઈટ્સ સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશન (GASS), ઓડિશાની બે સભ્યોની ટીમે મંડીપંકા ગામની મુલાકાત લીધી હતી. ટીમે ગામના લોકો, પીડિત પરિવારો, સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓ અને બીડીઓ સાથે વાતચીત કરી. તેમણે પ્રભાતી પટ્ટામાઝી, સુઝાના પટ્ટામાઝી અને જીબંતી પટ્ટામાઝીની લીધી હતી, જેઓ બેરહામપુર હોસ્પિટલ ખાતે સારવાર બાદ ઘરે પરત ફરી હતી. તેમણે અન્ય પાંચ લોકો સાથે જણાવ્યું કે તેમને સુભદ્રા યોજના હેઠળ કોઈ ચૂકવણી કરવામાં આવી નથી, જે ઓડિશામાં વર્તમાન સરકાર દ્વારા મહિલાઓ માટે સૌથી વધુ પ્રમોટ કરવામાં આવેલી યોજના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસીઓ ભૂખમરાને કારણે ગોટલી ખાવા મજબૂર</span></strong></span><br><span style="font-size: 14pt;">ઓરિસ્સાની બીજુ જનતા દળ સરકાર વખતથી ભૂખમરાનો સામનો કરી રહેલા ઓડિશાના આદિવાસીઓ હજુ પણ એ જ નર્કાગાર જેવી સ્થિતિમાં જીવન જીવવા મજબૂર છે. બે ટંકનું ભોજન પુરું કરવા માટે આદિવાસીઓ કેરીના ગોટલા એકઠાં કરી તેનો સંગ્રહ કરે છે અને તેમાંથી દલિયા જેવી વાનગી બનાવી જીવન પસાર કરે છે. જ્યારે ચોખા અને અન્ય અનાજનો સ્ટોક સમાપ્ત થઈ જાય છે ત્યારે તેઓ કેરીના ગોટલામાંથી દલિયો બનાવી ખાય છે. તેમાં ગોટલાની અંદરના ભાગને કાઢીને તેને ઝીણો પીસીને ચૂર્ણ બનાવવામાં આવે છે. એ પછી તેને 12 કલાક સુધી પાણીમાં પલાળીને રખાય છે. આ પલાળેલી ગોટલીના ચૂર્ણને ઉકાળીને આખો ડિસેમ્બર </span><span style="font-size: 14pt;">મહિનો ભૂખમરામાંથી રાહત મેળવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અધિકારીઓની દલીલઃ ગોટલી પૌષ્ટિક ખોરાક છે</span></strong></span><br><span style="font-size: 14pt;">સામે ભાજપની માંઝી સરકારના અધિકારીઓ દલીલ કરે છે કે ગોટલીની આ વાનગી એક પૌષ્ટિક ખોરાક છે. પણ સવાલ એ છાય કે, જો એમ હોય તો તેને ચોખા, કઠોળ, ઈંડા અને લીલા શાકભાજીની સાથે શાળાના પુસ્તકોમાં સંતુલિત આહાર કે પોષણ ચાર્ટમાં શા માટે સામેલ કરવામાં આવતી નથી? એ વાત સાચી છે કે ઓડિશાના દલિતો-આદિવાસીઓ કેરીની ગોટલી ભેગી કરીને તેનો ખોરાકમાં ઉપયોગ કરે છે. પરંતુ તે તેમની મજબૂરી છે. કેમ કે, તેમને પોષણયુક્ત અનાજ પુરતા પ્રમાણમાં મળતું નથી. જ્યારે ખેતરોમાં નવો પાક તૈયાર થાય ત્યારે તરત તેઓ આ ગોટલા ફેંકી દે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગોટલીઓ ઝેરી બની ગઈ હતી </span></strong></span><br><span style="font-size: 14pt;">કેરીની ગોટલીઓને કાળજીપૂર્વક ત્રણ વર્ષ માટે સંગ્રહિત કરીને જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવી હતી. ઘણા આદિવાસી પરિવારોમાં ગોટલી સૂકી ઋતુ દરમિયાન એક વિકલ્પ તરીકે ઉપયોગ થાય છે. ભૂખ ભાંગવા માટે તેને ધોઈ, સૂકવી અને ભારે મહેનતથી પીસીને મોટાભાગે ચોખા સાથે દલિયા બનાવીને ખાવામાં આવે છે. પણ તે દિવસે સંગ્રહ કરવામાં આવેલી ગોટલીઓ ઝેરી થઈ ગઈ હતી, જેના કારણે મહિલાઓ સહિત અનેક લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">તાત્કાલિક અનાજનું વિતરણ કરાયું પણ કાયમી ઉકેલ નહીં</span></strong><br><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સમગ્ર ઘટનામાં તપાસના આદેશ આપ્યા હતા અને કામચલાઉ રાહતના પગલા તરીકે અસરગ્રસ્ત વિસ્તારોમાં ત્રણ મહિનાના ચોખાનું વિતરણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ, વિપક્ષી નેતાઓ, ખાસ કરીને બીજેડી અને કોંગ્રેસે, સરકાર તરફથી મોડેથી કાર્યવાહી કરવામાં આવી હોવાને લઈને ટીકા કરતા જણાવ્યું કે, પરિસ્થિતિ ગંભીર હોવા છતાં ન તો મુખ્યમંત્રીએ, ન તો કોઈ કેબિનેટ મંત્રીએ આ વિસ્તારની મુલાકાત લીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ, અસરગ્રસ્ત વિસ્તારમાં આદિવાસી પરિવારોને તાત્કાલિક અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ અન્ન સુરક્ષા અને આદિવાસી કલ્યાણના મોટા મુદ્દાઓ હજુ પણ વણઉકેલાયેલા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-leopard-was-left-behind-to-drive-tribals-out-of-the-forest">આદિવાસીઓને જંગલમાંથી ખદેડવા ત્યાં દીપડો છોડી દેવાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 30 Nov 2024 11:59:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1626</Articleid>
                    <excerpt>ભૂખમરાનો સામનો કરી રહેલી આદિવાસી પરિવારે કેરીના ગોટલામાંથી બનેલી વાનગી ખાધી હતી, જેની ઝેરી અસરને કારણે આખી ઘટના ઘટી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674ab09eeac48.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674ab09eb059f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674ab09eb059f.jpg" length="74041" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>3 tribal women die, 7 fall ill, Odisha, mandipanka village, Mohancharan Manjhi</media:keywords>
                </item>
                        <item>
                    <title>બહુજન મહાનાયક બિરસા મુંડાના પ્રપૌત્ર મંગલ મુંડાનું નિધન</title>
                    <link>https://khabarantar.com/mangal-munda-great-grandson-of-bahujan-mahanayak-birsa-munda-passes-away</link>
                    <guid>https://khabarantar.com/mangal-munda-great-grandson-of-bahujan-mahanayak-birsa-munda-passes-away</guid>
                    <description>
                        <![CDATA[ રાંચીની રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે ગઈકાલે સવાલે 12.30 કલાકે અંતિમ શ્વાસ લીધાં. પીએમ મોદી, હેમંત સોરેન સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">mangal munda great grandson of  birsa munda passes away : બહુજન મહાનાયક અને ધરતી આબા તરીકે વિખ્યાત ભગવાન બિરસા મુંડા (Birsa Munda) ના પ્રપૌત્ર (great-grandson) મંગલ મુંડા (Mangal Munda) નું ગઈકાલે નિધન (passes away) થયું. તેમણે રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ખાતે સવારે ૧૨.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સમસ્ય આદિવાસી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) થી લઈને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Jharkhand CM Hemant Soren) સુધીના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને મુંડાના નિધનને ઝારખંડના આદિવાસી સમાજ માટે મોટી ખોટ ગણાવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી</span></strong></span><br><span style="font-size: 14pt;">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કહ્યું, ઠસ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાના પ્રપૌત્ર મંગલ મુંડાના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમનું અવસાન તેમના પરિવાર તેમજ ઝારખંડના આદિવાસી સમાજ માટે પુરી ન શકાય તેવી ખોટ છે. ભગવાન તેમના પરિવારને આ શોકની ઘડીમાં શક્તિ આપે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અકસ્માતની સારવાર બાદ હૃદય બંધ પડી ગયું</span></strong></span><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, મંગલ મુંડાનું શુક્રવારે હૃદય બંધ પડી જવાને કારણે નિધન થયું હતું. તેઓ ફક્ત ૪૫ વર્ષના હતા. રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ખાતે સવારે ૧૨.૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. ઝારખંડના ખુંટી જિલ્લામાં ૨૫ નવેમ્બરે તેમને પેસેન્જર વાહનની છત પરથી પડી જવાથી માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ મંગલ મુંડા ટાટા મેજિક મીની ટ્રકના પાછળના ભાગ પર સવાર થઈને તેમના ગામ ઉલિહાટુ જઈ રહ્યા હતાં, ત્યારે વાહન કાબુ બહાર જઈને પલટી ગયું હતું. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ખુંટીમાં પ્રાથમિક સારવાર માટે તેમને રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS) માં રિફર કરવામાં આવ્યા હતાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને શ્રદ્ધાંજલિ પાઠવી</span></strong></span><br><span style="font-size: 14pt;">ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાજ્યપાલ સંતોષ ગંગવારે પણ મંગલ મુંડાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સીએમએ કહ્યું, 'મંગલ મુંડાના નિધનના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. રિમ્સમાં તેની સારવાર ચાલી રહી હતી. મરાંગ બુરુ (સર્વોચ્ચ આદિવાસી દેવતા) દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ મુશ્કેલ સમયને સહન કરવાની શક્તિ આપે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યપાલ સંતોષ ગંગવારે ટિ્‌વટર પર કહ્યું, 'ભગવાન બિરસા મુંડાના વંશજ મંગલ મુંડાના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન શોકાતુર પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રિમ્સના સુપરિટેન્ડન્ટે શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">રિમ્સના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. હિરેન બિરુઆએ જણાવ્યું હતું કે, "બિરસા મુંડાના પ્રપૌત્ર મંગલ મુંડાનું રાત્રે ગઈકાલે લગભગ ૧૨.૩૦ વાગ્યે હૃદય બંધ થવાને કારણે મૃત્યુ થયું હતું. ગંભીર રીતે ઘાયલ મંગલ મુંડાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અમે તેમને બચાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ નિષ્ફળ ગયા. મંગલ મુંડાને મંગળવારે ખુંટી સદર હોસ્પિટલમાંથી રિમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા. રિમ્સના ડોકટરોના જણાવ્યા મુજબ, તેમને મગજમાં ગંભીર ઈજા થઈ હતી અને મગજની બંને બાજુ લોહીના ગંઠાવાનું શરૂ થઈ ગયું હતું. મંગળવારે, રિમ્સના ન્યુરોસર્જરી વિભાગના વડા ડો. આનંદ પ્રકાશના નેતૃત્વમાં તેમની સર્જરી કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્યાલય, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા અને ઝારખંડના મુખ્ય પ્રધાન કાર્યાલય મંગલ મુંડાની સારવાર અંગે રિમ્સના અધિકારીઓના સંપર્કમાં હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઝારખંડના નિર્માણમાં બિરસા મુંડાનું મોટું યોગદાન</span></strong></span><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, હાલના ઝારખંડમાં ૧૮૭૫માં જન્મેલા આદિવાસી મહાનાયક બિરસા મુંડાએ બ્રિટિશ શાસનને પડકાર્યું હતું. બ્રિટિશ સામ્રાજ્ય સામે આદિવાસીઓને સંગઠિત કરવાનો શ્રેય આપવામાં આવે છે. ૨૫ વર્ષની વયે બ્રિટિશ કસ્ટડીમાં તેમનું અવસાન થયું. ઝારખંડની રચના ૧૫ નવેમ્બરે થઈ હતી. આદિવાસી પ્રતીક 'ધરતી આબા' (પૃથ્વીના પિતા) ની જન્મજયંતિ ૧૫ નવેમ્બરે ઉજવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rajbha-gadhvi-creates-uproar-calling-dang-tribals-robbers">રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને 'લૂંટારા' ગણાવતા હોબાળો મચ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 30 Nov 2024 08:25:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1624</Articleid>
                    <excerpt>રાંચીની રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે ગઈકાલે સવાલે 12.30 કલાકે અંતિમ શ્વાસ લીધાં. પીએમ મોદી, હેમંત સોરેન સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674a7e960f86b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674a7e95d4aff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674a7e95d4aff.jpg" length="70188" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>mangal munda, great grandson of birsa munda, passes away, bahujan mahanayak, hemant soren, PM Modi</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા દાંતામાં ભારે વિરોધ</title>
                    <link>https://khabarantar.com/huge-protest-in-danta-over-stopping-scholarships-for-tribal-students</link>
                    <guid>https://khabarantar.com/huge-protest-in-danta-over-stopping-scholarships-for-tribal-students</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી વિદ્યાર્થીઓને મેટ્રીક બાદ મળતી શિષ્યવૃત્તિ રાજ્ય સરકારે બંધ કરતા તેના વિરોધમાં ધારાસભ્યની આગેવાનીમાં અનેક ગામોના સરપંચો, સ્થાનિકો રસ્તા પર ઉતર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત આદિવાસીઓના હામી હોવાની વાતો કરતી, તેમના મહાનાયકોની તસવીરો સાથે ફોટાં પડાવી ઉજવણી કરતી ભાજપ સરકાર અંદરખાને આ સમાજની યોજનાઓને ખતમ કરી રહી છે. હાલમાં જ રાજ્ય સરકારે મેટ્રિક બાદ વધુ અભ્યાસ માટે આદિવાસી વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. જેને લઈને હવે આદિવાસી સમાજે સરકાર સામે મોરચો માંડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આદિવાસી સમાજે આ યોજના બંધ થવા સામે મોરચો માંડ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે દાંતાના આદિવાસી ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં અહીંના અનેક ગામોના સરપંચો અને સ્થાનિકોએ મળીને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાની સરકારની મેલી મુરાદ સામે વિરોધ નોંધાવી આ યોજનાને ફરીથી ચાલુ કરવા માટે દાંતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67473f101ab90.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, અંબાજીથી ઉમરગામ સુધી લગભગ 14 જેટલાં જીલ્લાઓમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. સમાજના બાળકો વધુ અભ્યાસ કરીને પગભર બની શકે તે માટે વર્ષ 2010થી એસટી વિદ્યાર્થીઓને મેટ્રિક બાદ વધુ અભ્યાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા 75 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 25 ટકા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. જેને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ એક પરિપત્ર જારી કરીને રદ કરી દીધી હતી. સરકારના આ પગલા સામે સમસ્ત આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકાર એકબાજુ આદિવાસીઓની હામી હોવાની વાતો કરે છે, બીજી તરફ તેમના બાળકો ભણીગણીને આગળ ન વધી શકે તે માટે શિષ્યવૃત્તિ યોજના બંધ કરી રહી છે. આવા બેવડા ધોરણો સામે આદિવાસી સમાજ રોષે ભરાયો છે અને લડી લેવા મકક્મ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની અધ્યક્ષતામાં આદિવાસી સમાજે એક રેલી યોજી દાંતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને તેમાં આદિવાસી વિદ્યાર્થીઓની બંધ કરવામાં આવેલી શિષ્યવૃત્તિ ફરીથી ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો આદિવાસી સમાજના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ મેટ્રિક બાદ નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઇજનેરી, ડિપ્લોમા ઇજનેરી, એમબીએ, એમસીએ, એમઇ, એમ ફાર્મા તેમજ પેરા મેડિકલનો અભ્યાસ કરવા માટે લાભ લેતા હતા. આ યોજના થકી આદિવાસી સમાજના અનેક બાળકોએ પોતાનું ભાવિ ઘડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે આ વર્ષે દાંતા તાલુકાના આદિવાસી સમાજના 3700 વિદ્યાર્થીઓ જેમણે મેટ્રિકમાં પ્રવેશ મેળવ્યો છે તેમને આ શિષ્યવૃત્તિનો લાભ નહીં મળે. સરકાર દ્વારા રદ્દ કરાયેલી આ શિષ્યવૃત્તિના પરિપત્ર સામે આદિવાસી સમાજની મહિલાઓ, પુરુષોએ સાથે મળી આદિવાસી ધારાસભ્ય કાંતિ ખરાડી સાથે દાંતા મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું અને આ યોજનાને ફરી શરૂ કરવા માટે સરકારમાં રજૂઆત કરવા કહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરીને સમાજના હક પર તરાપ મારી રહી છે. તે ચલાવી નહીં લેવાય. એકબાજુ સરકાર આદિવાસીઓની હામી હોવાની જાહેરમાં વાતો કરે છે અને અંદરખાને પરિપત્ર જાહેર કરીને આદિવાસી વિદ્યાર્થીઓના હક છીનવી લે છે. અમે તેનો વિરોધ કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/thousands-of-cycles-of-tribal-girls-rights-are-gathering-dust-in-danta">દાંતામાં આદિવાસી દીકરીઓના હકની હજારો સાઈકલો ધૂળ ખાય છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 21:21:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1616</Articleid>
                    <excerpt>આદિવાસી વિદ્યાર્થીઓને મેટ્રીક બાદ મળતી શિષ્યવૃત્તિ રાજ્ય સરકારે બંધ કરતા તેના વિરોધમાં ધારાસભ્યની આગેવાનીમાં અનેક ગામોના સરપંચો, સ્થાનિકો રસ્તા પર ઉતર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67473eed0594c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67473eecc4578.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67473eecc4578.jpg" length="102807" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Tribal students scholarships, Danta  News</media:keywords>
                </item>
                        <item>
                    <title>મને અભિનંદનમાં બુકે નહીં, પુસ્તક ભેટમાં આપજો : હેમંત સોરેન</title>
                    <link>https://khabarantar.com/dont-congratulate-me-with-bouquets-gift-me-books-hemant-soren</link>
                    <guid>https://khabarantar.com/dont-congratulate-me-with-bouquets-gift-me-books-hemant-soren</guid>
                    <description>
                        <![CDATA[ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ધમાકેદાર જીત બાદ દિગ્ગજ આદિવાસી નેતાએ બુકેની જગ્યાએ પુ્સ્તકોની ભેટ માંગીને નવો ચીલો ચાતર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડમાં સતત બીજી વાર જીત મેળવીને મુખ્યમંત્રી બનવા જઈ રહેલા દિગ્ગજ આદિવાસી નેતા અને ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ હેમંત સોરેન પર ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. જો કે હેમંત સોરેને અભિનંદનમાં એક મજાની શરત રાખીને સમસ્ત બહુજન સમાજનું દિલ જીતી લીધું છે. તેમણે શુભેચ્છકો પાસે અભિનંદનમાં ફૂલોના બુકેને બદલે પુસ્તકોની માંગણી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, "દેશભરમાંથી મને જે શુભકામનાઓ મળી રહી છે તેના માટે હું હૃદયપૂર્વક સૌ કોઈનો આભાર માનું છું. 2019 ની જેમ, હું બધાને વિનંતી કરીશ કે જો તમે મને મળવા આવો છો, તો મને ગુલદસ્તાને બદલે પુસ્તક આપો." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, "જ્યારે હું જેલમાં હતો ત્યારે મને તમારા બધાં દ્વારા ભેટમાં આપવામાં આવેલા પુસ્તકો વાંચવા માટે ઘણો સમય મળ્યો હતો. તેના માટે દરેકનો આભાર. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ચૂંટણી જીત્યા પછી પણ હેમંત સોરેને કહ્યું હતું કે જ્યારે તેઓ ફૂલોની સંભાળ રાખી શકતા નથી ત્યારે તેમને ખરાબ લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, હેમંત સોરેનના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા ગઠબંધનને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ બે તૃતીયાંશ બહુમતી મળી છે. 81 બેઠકોની આ ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને 56 બેઠકો મળી અને બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરી છે. </span><span style="font-size: 14pt;">જ્યારે ભાજપને માત્ર 24 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોરેન 28 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે અને ત્યાં સુધી તેઓ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે. રવિવારે તેઓ રાજ્યપાલ સંતોષ ગંગવારને મળ્યા હતા અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. સાથે જ નવી સરકારની રચના માટે ધારાસભ્યોના ટેકાનો પત્ર પણ આપ્યો હતો. અગાઉ, ઈન્ડિયા ગઠબંધનના ધારાસભ્યોની બેઠકમાં, હેમંત સોરેનને વિધાનસભા ગૃહના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> </span><a href="https://khabarantar.com/If-you-dare-give-proof-of-the-scandal,-I-will-leave-politics-Hemant-Sorens-open-challenge-in-Jharkhand-Assembly">હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 25 Nov 2024 17:08:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1600</Articleid>
                    <excerpt>ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ધમાકેદાર જીત બાદ દિગ્ગજ આદિવાસી નેતાએ બુકેની જગ્યાએ પુ્સ્તકોની ભેટ માંગીને નવો ચીલો ચાતર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6744601c580bc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6744601c22b53.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6744601c22b53.jpg" length="60013" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Hemant soren book gift, Jharkhand, Hemant Soren</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી મહિલાની છેડતી કરી યુવકે તેના મોંમાં માનવમળ ઠૂંસી દીધું</title>
                    <link>https://khabarantar.com/a-young-man-molested-a-tribal-woman-and-put-human-feces-in-her-mouth</link>
                    <guid>https://khabarantar.com/a-young-man-molested-a-tribal-woman-and-put-human-feces-in-her-mouth</guid>
                    <description>
                        <![CDATA[ બિન આદિવાસી યુવક મહિલાના ખેતર વચ્ચેથી ટ્રેક્ટર ચલાવતો હતો, મહિલાએ વિરોધ કર્યો તો હલકાઈ પર ઉતરી આવ્યો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓડિશાના બોલાંગીર જિલ્લામાં એખ આદિવાસી મહિલા સાથે માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. આ મહિલા સાથે ન માત્ર ગેરવર્તન કરાયું પરંતુ તેના મોંમાં બળજબરીથી (માનવ) મળમૂત્ર પણ નાખવામાં આવ્યું હતું. મામલો બંગામુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના જુરાબંધા ગામનો છે. કહેવાય છે કે આરોપી યુવકે 20 વર્ષની મહિલા પર હુમલો કર્યો અને તેની છેડતી પણ કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાએ પોતાની સાથે થયેલા આ શરમજનક કૃત્ય અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી જે બિન-આદિવાસી હતો, તે આદિવાસી મહિલાના ખેતરમાંથી ટ્રેક્ટર હાંકીને લઈ જઈ રહ્યો હતો, જેના કારણે ખેતરમાં પાકને નુકસાન થઈ રહ્યું હતું. મહિલાએ તેનો વિરોધ કર્યો અને તેને ટ્રેક્ટર ન હાંકવાનું કહ્યું હતું. જેનાથી આરોપીએ તેના પર હુમલો કર્યો અને તેના મોંમાં બળજબરીથી માનવ મળ ઠૂંસી દીધું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપી ફરાર, પોલીસે તપાસ શરૂ કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">આરોપી યુવકે મહિલા સાથે દુર્વ્યવહાર કરતા તેની જાતિ પર વાંધાજનક ટિપ્પણી પણ કરી હતી. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે. મહિલાએ બંગોમુંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 288/24 હેઠળ ગુનો નોંધ્યો છે. કાંટાબાંજી એસડીપીઓ ગૌરાંગ ચરણ સાહુએ જણાવ્યું કે પીડિતા વતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ આરોપી ફરાર છે પરંતુ તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. તે જલ્દી પકડાઈ જશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટનાને લઈને આદિવાસી સમાજમાં રોષ</span></strong></span><br><span style="font-size: 14pt;">દરમિયાન વિપક્ષ બીજુ જનતા દળ (બીજેડી)ના સાંસદ નિરંજન બીસીએ આરોપ લગાવ્યો કે પોલીસે આરોપી સામે કોઈ કાર્યવાહી કરી નથી, જેના કારણે આદિવાસી સમાજમાં ગુસ્સો છે. ઘટના બાદ સ્થાનિક આદિવાસી સંગઠનો ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમણે ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જો વહીવટી તંત્ર તાકીદે પગલાં નહીં ભરે તો તેઓ સાથે મળીને આંદોલન કરશે તેવી ચેતવણી પણ આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સ્થાનિક સામાજિક કાર્યકર અજીત જોશીએ આ સમગ્ર ઘટનાની નિંદા કરી છે અને ગુનેગારને કડક સજાની માંગ કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ ઘટના અસહ્ય છે અને માનવતાને શર્મશાર કરે છે. આવી ઘટનાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને કડક સજા મળવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/tribal-woman-mother-of-three-raped-and-burned-alive-in-jiribam-manipur">આદિવાસી યુવતી પર બળાત્કાર કર્યો, જાંઘમાં ખીલા ઠોક્યા અને પછી જીવતી સળગાવી દીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Nov 2024 17:18:00 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 21 Nov 2024 17:21:46 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1584</Articleid>
                    <excerpt>બિન આદિવાસી યુવક મહિલાના ખેતર વચ્ચેથી ટ્રેક્ટર ચલાવતો હતો, મહિલાએ વિરોધ કર્યો તો હલકાઈ પર ઉતરી આવ્યો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673efee80ba9e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673efee7c4fcc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673efee7c4fcc.jpg" length="56811" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ST news, aadivasi news, tribal woman molested</media:keywords>
                </item>
                        <item>
                    <title>મોદી દેશ&amp;વિદેશમાં ફરે છે, મણિપુર કેમ નથી જતા?</title>
                    <link>https://khabarantar.com/modi-travels-around-the-country-and-abroad-why-doesnt-he-go-to-manipur</link>
                    <guid>https://khabarantar.com/modi-travels-around-the-country-and-abroad-why-doesnt-he-go-to-manipur</guid>
                    <description>
                        <![CDATA[ મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે અને પીએમ મોદી વિદેશ પ્રવાસે ગયા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના પર નિશાન સાધ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે. મણિપુરના જીરીબામમાં ગુમ થયેલા છ લોકોમાંથી ચારના મૃતદેહ મળી આવતા રાજ્યમાં તણાવ વધી ગયો છે. મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનાઓને લઈને કોંગ્રેસે ફરી એકવાર ભાજપને ઘેરી લીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન દેશ-વિદેશનો પ્રવાસ કરે છે પરંતુ મણિપુર જતા નથી. તેમણે કહ્યું કે જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મણિપુર જઈ શકે છે તો તમે કેમ નથી જઈ શકતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કરીને કહ્યું છે કે મણિપુરમાં ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે અને રાજ્ય હિંસામાંથી પસાર થઈ રહ્યું છે અને તેના કારણે લોકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. તેમણે કહ્યું કે ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે અને તેની વિભાજનકારી રાજનીતિ માટે આવું કરી રહી છે. ખડગેએ કહ્યું કે મણિપુરના લોકો તમને ક્યારેય માફ નહીં કરે કારણ કે તમે તેમને તેમના ભાગ્ય પર છોડી દીધા છે અને આ સમસ્યાના ઉકેલ માટે મણિપુર જવાનું ક્યારેય યોગ્ય નથી માન્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે. મણિપુરના જીરીબામમાં ગુમ થયેલા છ લોકોમાંથી ચારના મૃતદેહ મળી આવતા રાજ્યમાં તણાવ વધી ગયો છે. શનિવારે રાત્રે શહેરમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને લોકોએ ચર્ચમાં તોડફોડ કરી આગ ચાંપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે લોકોના મૃતદેહ મળ્યા છે તે બધા મૈઈતૈઈ સમાજના હતા અને તેઓ આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળ્યા પછી પોલીસ દ્વારા બનાવવામાં આવેલા રાહત કેમ્પમાં રહેતા હતા. મણિપુરમાં કુકી અને મૈઈતૈઈ સમાજ વચ્ચે ગયા વર્ષથી હિંસા ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે હિંસાની આગ પાટનગર ઇમ્ફાલ સુધી પહોંચી ગઈ હતી અને ટોળાંએ ઘણાં નેતાઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. જેના કારણે અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ટોળાંએ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના ખાનગી નિવાસસ્થાને પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિને જોતા ઈમ્ફાલના પૂર્વ અને પશ્ચિમ સહિત 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે આજે મણિપુરની સરકારમાં રહેલી નેશનલ પિપલ્સ પાર્ટીએ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. છેલ્લાં ઘણાં સમયથી અહીં ચાલી રહેલી હિંસાની ઘટનાઓ છતાં પીએમ મોદી એકવાર પણ મણિપુરની મુલાકાતે નથી ગયા. જેના કારણે તેઓ સતત વિપક્ષના નિશાન પર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/victims-of-manipur-violence-have-not-yet-received-full-cpmpensation">મણિપુર હિંસાના પીડિતોને હજુ સુધી પુરું વળતર મળ્યું નથી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 17 Nov 2024 21:27:25 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 17 Nov 2024 21:27:59 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1564</Articleid>
                    <excerpt>મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે અને પીએમ મોદી વિદેશ પ્રવાસે ગયા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના પર નિશાન સાધ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673a11993b42e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673a119903076.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673a119903076.jpg" length="77330" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Manipur news, Manipur violence</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાંતામાં આદિવાસી દીકરીઓના હકની હજારો સાઈકલો ધૂળ ખાય છે</title>
                    <link>https://khabarantar.com/thousands-of-cycles-of-tribal-girls-rights-are-gathering-dust-in-danta</link>
                    <guid>https://khabarantar.com/thousands-of-cycles-of-tribal-girls-rights-are-gathering-dust-in-danta</guid>
                    <description>
                        <![CDATA[ વહીવટીતંત્રના પાપે 2500 જેટલી સાઈકલો બે વર્ષે પણ દીકરીઓ સુધી ન પહોંચી. સાઈકલો પર જંગલી વેલા વીંટળાયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ આજે રાજ્ય સરકાર આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ ઉજવી રહી છે, બીજી તરફ અંબાજીના આદિવાસી વિસ્તાર દાંતાની સેંકડો આદિવાસી દીકરીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત મળતી સાઈકલો સમયસર વિતરણ કરવામાં ન આવતા ધૂળ ખાતી પડી છે. છેલ્લાં બે વર્ષથી દાંતાની એક છાત્રાલયના ખૂલ્લા મેદાનમાં આ સાઈકલો પડી છે અને તેના પર જંગલી વનસ્પતિ અને વેલા વીંટળાઈ વળ્યાં છે. આ સાઈકલો વર્ષ 2023માં આદિવાસી વિસ્તારની કન્યાઓને ફાળવવાની હતી પરંતુ આજે 2024નું વર્ષ પણ પુરું થવા આવ્યું છે, બે મહિના પછી 2025નું વર્ષ શરૂ થઈ જશે. તેમ છતાં આ વિસ્તારની દીકરીઓને સાઈકલ મળી શકી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્ષ 2023માં વહેંચવાની સાઈકલો હજુ પડી છે</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67376a358fa24.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે. આ તાલુકામાં અભ્યાસ કરતી ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓને પોતાના દૂર ઘરેથી શાળાએ ચાલતા ન જવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ સાઇકલોની ફાળવણી કરવામાં આવે છે. પણ દાંતા તાલુકા મથકે આ સરસ્વતી સાધના યોજના હેઠળની હજારો સાયકલોનો ખડકલો દાંતાના એક છાત્રાલયના પ્રાંગણમાં ધૂળ ખાતો પડ્યો છે. જેના ઉપર વરસાદી પાણી પડતા સાયકલો ઉપર કાટ પણ ચઢી ગયો છે ને આજે આ સાયકલો જંગલી વેલાઓમાં વીંટાયેલી જોવા મળે છે. 2500 જેટલી સાયકલો શાળા પ્રવેશોત્સવ 2023 માં આપવા માટે આવી હોવાનું સાયકલો ઉપર લખેલું જોવા મળી રહ્યું છે. જ્યારે હાલમાં 2024 પૂર્ણતાને આરે છે, અને બે મહિના પછી 2025ની પણ શરૂઆત થશે. પણ આ લાખો રૂપિયાની સાયકલોનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. મોટાભાગની સાયકલોના અનેક પાર્ટ્સ પણ નીકળી ગયા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ લોકોના ટેક્સના નાણાનો બગાડ છે: ઉપસરપંચ, દાંતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે દાંતા ગ્રામ પંચાયતના ઉપસરપંચે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, લોકોના ટેક્સના નાણાનો આ રીતે દુરુપયોગ થતો જોઈને અમારું લોહી ઉકળી ઉઠે છે. આ રીતે લાખોની કિંમતની સાઈકલો ભંગાર થઈને પડી છે ત્યારે શા માટે તેને સમયસર લાભાર્થી દીકરીઓને ફાળવવામાં ન આવી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67376a57c444b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો હજુ પણ સમય હોય તો આ સાઈકલોનું વિતરણ કરી દેવું જોઈએ, જેથી ગરીબ દીકરીઓને ભણવા જતી વખતે સમસ્યા ન નડે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વાવની ચૂંટણીનું બહાનું આગળ ધરી દેવાયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, હાલ બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર પેટાચૂંટણી હોવાથી આ સાઈકલોનું વિતરણ કરવામાં નથી આવ્યું. હવે ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ વિતરણ કરાશે. જો કે, અહીં સવાલ એ પણ થાય કે, ચૂંટણી તો હજુ એકાદ મહિનાથી જામી હતી. જ્યારે આ સાઈકલો તો એક વર્ષથી અહીં પડી છે, તો ત્યાં સુધી તંત્રને કેમ તેનું વિતરણ કરવાનું યાદ ન આવ્યું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67376ab263f99.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમાજ કલ્યાણ વિભાગ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે બનાસકાંઠા જિલ્લાના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના જિલ્લા નાયબ નિયામક મનીષ સોલંકીએ જણાવ્યું હતું કે. આ સાયકલો રાજ્ય સરકારની ગ્રીમકો નિગમ દ્વારા ખરીદી કરવામાં આવે છે. આ એજન્સી એસેમ્બલિંગ કરીને જિલ્લામાં સોંપણી કરતી હોય છે, પણ હાલમાં આ સાયકલો સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી. તેથી તેનો હવાલો એજન્સી પાસે જ છે અને આ હજારો સાયકલો હાલ એજન્સી હસ્તક જ પડી છે, તેની સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ડિલિવરી સ્વીકારવામાં આવી નથી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67376a7fbe47c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમસ્યા જો કે માત્ર દાંતામાં જ નહીં પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જોવા મળે છે. આણંદ જિલ્લામાં પણ આ જ રીતે સેંકડો સાઈકલો પડી પડી સડી રહી છે. ત્યારે સરકાર આ મામલે સાઈકલ તૈયાર કરતી ગ્રીમકો એજન્સી સાથે વાટાઘાટો કરીને સમસ્યાનો નિકાલ લાવે તે ઈચ્છનીય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Hundreds-of-kits-of-Manav-Garima-Yojana-have-been-gathering-dust-in-Veergam-for-2-years">વીરમગામમાં માનવ ગરિમા યોજનાની સેંકડો કિટો 2 વરસથી ધૂળ ખાય છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 15 Nov 2024 21:13:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1555</Articleid>
                    <excerpt>વહીવટીતંત્રના પાપે 2500 જેટલી સાઈકલો બે વર્ષે પણ દીકરીઓ સુધી ન પહોંચી. સાઈકલો પર જંગલી વેલા વીંટળાયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67376a15344eb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67376a14e970c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67376a14e970c.jpg" length="208811" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Saraswati Sadhana Yojana, Bicycle, Danta News</media:keywords>
                </item>
                        <item>
                    <title>આજે ક્રાંતિસૂર્ય બહુજન નાયક બિરસા મુંડાની જન્મજયંતિ</title>
                    <link>https://khabarantar.com/today-is-the-birth-anniversary-of-revolutionary-bahujan-hero-birsa-munda</link>
                    <guid>https://khabarantar.com/today-is-the-birth-anniversary-of-revolutionary-bahujan-hero-birsa-munda</guid>
                    <description>
                        <![CDATA[ મૂળનિવાસી આદિવાસી સમાજ માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે.SSD સહિતના સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે બહુજન નાયક, ક્રાંતિસૂર્ય, જનનાયક બિરસા મુંડાનો જન્મ દિવસ છે. મૂળનિવાસી આદિવાસી સમાજ માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. કેમ કે 15મી નવેમ્બર 1875ના રોજ ઝારખંડના રાંચીના ઉલિહાતું ગામમાં આદિવાસી જનનાયક બિરસા મુંડાનો જન્મ થયો હતો. ઝારખંડ રાજ્ય માટે પણ આજનો દિવસ અત્યંત મહત્વનો છે. કેમ કે આ જ દિવસે વર્ષ 2000માં ઝારખંડ અલગ રાજ્ય બન્યું હતું. આમ બિરસા મુંડાની જન્મજયંતિ અને ઝારખંડનો સ્થાપના દિવસ એક જ દિવસે આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિરસા મુંડાએ લોકોના જીવન પર એવી છાપ છોડી હતી કે આદિવાસી સમાજે તેમને ભગવાનનો દરજ્જો આપ્યો હતો. બિરસા મુંડાએ પણ એક દિવસ જાહેરાત કરી હતી કે તેઓ પૃથ્વીના પિતા એટલે કે 'ધરતી આબા' છે.<span style="color: rgb(0, 0, 0); font-size: 14pt;">જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું.</span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જનનાયક બિરસા મુંડાની જન્મ જયંતિને લઈને દેશભરમાં આદિવાસી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો આદિવાસી વિસ્તારો ઉપરાંત જ્યાં પણ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓ આવેલી છે ત્યાં તમામ સ્થળે બહુજન સમાજ દ્વારા ફૂલહાર કરીને બહુજન નાયકના કાર્યોને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અનેક સ્થળોએ આજના દિવસે બાળકોને પુસ્તક વિતરણ, શેરીનાટકો, રેલીઓ અને જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય અનેક ગામો, શહેરોમાં તેમની યાદમાં બહુજન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં તમામ આદિવાસી સંગઠનો ઉપરાંત SSD સહિતના સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના આમોદ ખાતે એસએસડી દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય નાના શહેરો અને ગામોમાં પણ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો યોજાયા છે. અમુક જગ્યાએ સમૂહ ભોજન ઉપરાંત પુસ્તક વિતરણ અને સાંજે લાઈવ કાર્યક્રમોનું પણ આયોજન થનાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Who-was-Birsa-Munda,-how-did-he-become-the-God-of-tribal-society">કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 15 Nov 2024 09:25:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1551</Articleid>
                    <excerpt>મૂળનિવાસી આદિવાસી સમાજ માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે.SSD સહિતના સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6736c47f6a579.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6736c47f3b938.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6736c47f3b938.jpg" length="58701" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Birsa Munda Birthday Specia, Birsa Munda, Adivasi</media:keywords>
                </item>
                        <item>
                    <title>બળાત્કાર કર્યો, જાંઘ માં ખીલા ઠોક્યાં, પછી જીવતી સળગાવી દીધી...</title>
                    <link>https://khabarantar.com/tribal-woman-mother-of-three-raped-and-burned-alive-in-jiribam-manipur</link>
                    <guid>https://khabarantar.com/tribal-woman-mother-of-three-raped-and-burned-alive-in-jiribam-manipur</guid>
                    <description>
                        <![CDATA[ manipur news : મણિપુરમાં ત્રણ બાળકોની માતા એવી એક આદિવાસી મહિલા સાથે હુમલાખોરોએ જે કર્યું તેણે બર્બરતાની હદ વટાવી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Manipur News : મણિપુરમાં ફરીથી હિંસા ભડકી ઉઠી છે ત્યારે અહીં એક ગામમાં એક આદિવાસી મહિલા સાથે હુમલાખોરોએ ભયંકર બર્બરતા દાખવી તેના પર બળાત્કાર ગુજારી, તેની જાંઘમાં ખીલા ઠોકીને પછી જીવતી સળગાવી દીધી હતી. હુમલાખોરોએ અહીં 17થી વધુ ઘરો પણ સળગાવી દીધા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ગુરુવારે રાત્રે કેટલાક હુમલાખોરોએ પહેલા ત્રણ બાળકોની માતા પર બળાત્કાર કર્યો અને પછી તેને જીવતી સળગાવી દીધી. આ કેસના ઓટોપ્સી રિપોર્ટમાં હુમલાખોરો દ્વારા મહિલા પર આચરવામાં આવેલી નિર્દયતાનો ખુલાસો થયો છે. જે વાંચીને તમારા રુંવાડા ઉભા થઈ જશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મણિપુરના જીરીબામ જિલ્લાની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના મણિપુરના જીરીબામ જિલ્લાની છે. અહીં ગુરુવારે રાત્રે શંકાસ્પદ હુમલાખોરો ત્રણ બાળકોની માતા એવી એક આદિવાસી મહિલા પર તૂટી પડ્યા હતા. કથિત રીતે હુમલાખોરોએ મહિલા પર બળાત્કાર કર્યો અને તેને જીવતી સળગાવી દીધી. એટલું જ નહીં તેમણે ઓછામાં ઓછા 20 ઘરોને આગ ચાંપી દીધી હતી. મહિલાનો અટોપ્સી રિપોર્ટ આવી ગયો છે અને તેમાં હુમલાખોરોનું આ ભયાનક કૃત્ય સામે આવી ગયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસી મહિલાને થર્ડ ડિગ્રી ટોર્ચર કરાઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">અટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પીડિતા જીવતી હતી ત્યારે જ તેની જાંઘમાં ખીલા ઠોકી દેવામાં આવ્યા હતા અને પછી સળગાવતી વખતે પણ થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવી હતી. ઘટના 7 નવેમ્બરની છે. જેમાં મણિપુરના જીરીબામમાં સશસ્ત્ર ઘૂસણખોરો દ્વારા 31 વર્ષીય ત્રણ બાળકોની માતા પર કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટના પછી અહીં હિંસા વધુ ભડકી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અટોપ્સી રિપોર્ટમાં ચોંકાવનારી બાબતો સામે આવી</span></strong></span><br><span style="font-size: 14pt;">જિરીબામમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં પીડિતાના પતિને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેની પત્ની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેને ઘરમાં જ નિર્દયતાથી મારી નાખવામાં આવી હતી. એ રાત્રે જૈરાવનમાં 17 ઘરોમાં લૂંટફાટ અને આગ લગાડવામાં આવી હતી. આ ઘટનાના આરોપીઓ ખીણ વિસ્તારમાં સક્રિય એક સંગઠનના સભ્યો હોવાની શંકા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહિલાનું 99 ટકા શરીર બળી ગયું</span></strong></span><br><span style="font-size: 14pt;">બીજી તરફ મહિલાના અટોપ્સી રિપોર્ટમાં "જમણી જાંઘના પાછળના ભાગમાં ઘા" અને "ડાબી જાંઘના મધ્ય ભાગમાં ખીલો ઘૂસેડી દેવાયા" નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શરીર 99% બળી ગયેલું મળી આવ્યું હતું, એટલું જ નહીં, હાડકાના ટુકડા પણ સળગી ગયા હતા. અહેવાલમાં જણાવાયું છે કે, "જમણું ઉપરનું અંગ, બંને નીચલા અંગોનો ભાગ અને આખો ચહેરો ઓળખી ન શકાય તે હદે ગાયબ છે." </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય વિગતો વધુ સ્પષ્ટ છે, જે દર્શાવે છે કે મહિલાને તેના પતિ અને બાળકો સાથે ઘરમાં આગની ઝપટમાં આવતા પહેલા અનેક યાતનાઓ આપવામાં આવી હતી. જો કે હુમલાખોરો આવ્યા ત્યારે પીડિતાનો પતિ અને બાળકો ક્યાં હતા તે સ્પષ્ટ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિંસા નહીં રોકાય તો વધુ અશાંતિ ફેલાશે</span></strong></span><br><span style="font-size: 14pt;">ફેરઝાવલ અને જિરીબામની સ્વદેશી જનજાતિ હિમાયત સમિતિએ જોડિયા આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓના કુકી-ઝોમી-હમાર લોકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. ચુરાચંદપુરના આદિવાસીઓના એક જૂથ ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે હુમલાખોરોની ધરપકડ નહીં કરવામાં આવે તો વધુ અશાંતિ ફેલાશે તેવી ચેતવણી આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/victims-of-manipur-violence-have-not-yet-received-full-cpmpensation">મણિપુર હિંસાનો ભોગ બનેલા લોકોને હજુ સુધી પુરું વળતર મળ્યું નથી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 14 Nov 2024 14:33:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1548</Articleid>
                    <excerpt>manipur news : મણિપુરમાં ત્રણ બાળકોની માતા એવી એક આદિવાસી મહિલા સાથે હુમલાખોરોએ જે કર્યું તેણે બર્બરતાની હદ વટાવી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6735bcd452c33.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6735bcd40e94c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6735bcd40e94c.jpg" length="69693" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Manipur News, Manipur violence, Amit shah, ST News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દોઢ વર્ષ સુધી આદિવાસી યુવતીને કોટડીમાં પુરી રાખી, પ્રાઈવેટ પાર્ટ સળગાવી દીધો</title>
                    <link>https://khabarantar.com/tribal-girl-was-kept-in-a-hut-for-one-and-a-half-years-her-private-paerts-were-burnt</link>
                    <guid>https://khabarantar.com/tribal-girl-was-kept-in-a-hut-for-one-and-a-half-years-her-private-paerts-were-burnt</guid>
                    <description>
                        <![CDATA[ યુવતીના ગળા પર કાચ મૂકી અપહરણ કરી યુવક મુંબઈ લઈ ગયો. પછી જે થયું તે ભલભલા કઠણ કાળજાના લોકોને પણ હચમચાવી મૂકે તેવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી વિસ્તારમાંથી યુવતીઓને બળજબરીથી અન્ય વિસ્તારોમાં લઈ જઈને તેમના પર અત્યાચાર ગુજારવાની ઘટનાઓ ગુજરાત સહિત ભારતના અલગ અલગ રાજ્યોમાંથી સામે આવતી હોય છે. આ મામલે જાણે તંત્રને પણ કોઈ પડી ન હોય તેવી સ્થિતિ છે. પણ આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે, કેમ કે અહીં યુવતીના પ્રાઈવેટ પાર્ટને આરોપીએ કેમિકલ નાખીને સળગાવી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના છત્તીસગઢ (Chhattisgarh)ની છે. અહીં બર્બરતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રાયપુર (Raipur)ના કોંડાગાંવ (Kondagaon) માં એક યુવક આદિવાસી યુવતી (Tribal Girl) નું અપહરણ (Kidnapping) કરીને તેને મુંબઈ (Mumbai) લઈ ગયો અને તેના પર દોઢ વર્ષ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો. ચોંકાવનારી વાત એ છે કે યુવકે યુવતીના પ્રાઈવેટ પાર્ટને સળગાવ્યો હતો જેમાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ દોઢ વર્ષ પહેલા ફિરોઝ નામના શખ્સે 22 વર્ષની આદિવાસી યુવતીનું અપહરણ કરીને તેને મુંબઈના ધારાવી વિસ્તારમાં એક અંધારા રૂમમાં બંધક બનાવી હતી. આ દરમિયાન તેણે લગભગ દોઢ વર્ષ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે જણાવ્યું હતું કે ફિરોઝે છોકરીના પ્રાઈવેટ પાર્ટ પર કેમિકલ નાખીને સળગાવી દીધું હતું. જો કે, છોકરી કોઈક રીતે ફિરોઝની ચુંગાલમાંથી છટકીને કોંડાગાંવ પહોંચી અને પરિવારને આ અંગે જાણ કરી. યુવતીના પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું છે કે કર પોલીસ આરોપીઓની ધરપકડ માટે રવાના થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે બસ્તર ડિવિઝનના કોંડાગાંવ જિલ્લાના માકડી પોલીસ સ્ટેશન વિસ્તારની યુવતીએ પૂછપરછ દરમિયાન કહ્યું કે તેને વર્ષ 2022-23માં એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. તે નંબર ફિરોઝનો હતો. તે તેને નવા-નવા નંબરોથી ફોન કરતો રહ્યો અને તેને મળવાનું કહ્યું, પરંતુ યુવતીએ ના પાડી દીધી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન એક દિવસ યુવતીની તબિયત ખરાબ થતા તે દવા લેવા માટે કોંડાગાંવ ગઈ હતી. જેની જાણ ફિરોઝને થતાં જ તે ત્યાં પહોંચી ગયો અને યુવતીના ગળા પર કાચ રાખી તેણીને ડરાવીને પોતાની સાથે મુંબઈ લઈ ગયો. આદિવાસી યુવતીએ જણાવ્યું કે ફિરોઝ ધારાવીમાં એક નાના રૂમમાં રહેતો હતો, જ્યાં બારી પણ નહોતી. તેણે રોજ તેના પર બળાત્કાર ચાલુ રાખ્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતીએ જણાવ્યું કે જ્યારે તેણે આનો વિરોધ કર્યો તો ફિરોઝે તેના પ્રાઈવેટ પાર્ટ પર કેમિકલ નાખીને બાળી નાખ્યું. તેણે તેને માર પણ માર્યો અને ઘણા દિવસો સુધી ખાવાનું પણ ન આપ્યું. આ સિવાય તેણે તેના મોબાઈલ પરથી યુવતીના પરિવારને મેસેજ કર્યો હતો કે તે સુરક્ષિત છે અને તેને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે અને સાથે તે લગ્ન કરવા જઈ રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dalit-woman-axed-on-chest-private-part-cut-critical-condition">દલિત મહિલાની છાતી પર કુહાડી મારી, પ્રાઈવેટ પાર્ટ કાપ્યું, હાલત ગંભીર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 14 Nov 2024 11:11:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1546</Articleid>
                    <excerpt>યુવતીના ગળા પર કાચ મૂકી અપહરણ કરી યુવક મુંબઈ લઈ ગયો. પછી જે થયું તે ભલભલા કઠણ કાળજાના લોકોને પણ હચમચાવી મૂકે તેવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67358cf7afed4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67358cf77e9a5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67358cf77e9a5.jpg" length="66678" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Chhattisgarh, Raipur, Kondagaon, Tribal Girl, Adivasi Crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>મણિપુર હિંસાના પીડિતોને હજુ સુધી પુરું વળતર મળ્યું નથી</title>
                    <link>https://khabarantar.com/victims-of-manipur-violence-have-not-yet-received-full-cpmpensation</link>
                    <guid>https://khabarantar.com/victims-of-manipur-violence-have-not-yet-received-full-cpmpensation</guid>
                    <description>
                        <![CDATA[ ગૃહમંત્રી અમિત શાહે મે 2023માં મણિપુર હિંસામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને રૂ. 10 લાખની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી તેના માટે પુરી રકમ ફાળવાઈ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાંબા સમય સુધી હિંસાગ્રસ્ત રહેલા મણિપુરમાં હજુ પણ જાતિ આધારિત સંઘર્ષના સમાચારો આવતા રહે છે ત્યારે અહીંના હિંસાગ્રસ્ત વિસ્તારના પીડિતોને હજુ સુધી પુરતું વળતર ન મળ્યાંનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ મે 2023 માં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેતી વખતે ઘણી જાહેરાતો કરી હતી, જેમાંથી એક જાહેરાત હિંસામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવાની હતી. આરટીઆઈ દ્વારા મળેલી માહિતી મુજબ આ માટે હજુ સુધી પૂરતું ભંડોળ પુરું પાડવામાં આવ્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુલાકાત દરમિયાન અમિત શાહ મેઈતેઈ અને કુકી સમાજના નાગરિક સંગઠનોને મળ્યા હતા અને 1 જૂન, 2023 ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજી, તેમાં પીડિતો માટે ઘણી જાહેરાતો કરી હતી. એ વખતે તેમણે એક જાહેરાત એવી પણ કરી હતી કે આ હિંસામાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ વખતે તેમણે કહ્યું હતું કે, 'હિંસામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારજનોને 10 લાખ રૂપિયા (મણિપુર સરકારથી 5 લાખ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી 5 લાખ મળીને)ની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આપવામાં આવશે. '</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ વાયરે કરેલી એક આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મણિપુરને નાણાકીય સહાય તરીકે રૂ. 7.35 કરોડ જાહેર કર્યા છે. તાજા આંકડાઓ મુજબ 3 મે, 2023 થી અત્યાર સુધીમાં મણિપુરમાં 226 લોકોના મોત થયા છે. મતલબ કે આ પરિવારોને વળતર આપવા માટે રૂ. 11.30 કરોડની ફાળવણી કરવામાં આવવી જોઈએ. મતલબ ગૃહ મંત્રાલય દ્વારા હજુ પણ 3.95 કરોડ રૂપિયા ફાળવવાના બાકી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે વધુ જાણકારી માટે ધ વાયરે મણિપુર સરકારનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નથી. અમિત શાહના નેજા હેઠળ કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી રૂ. 7.35 કરોડની રકમમાંથી 226 પરિવારો પૈકી 147ને રૂ. 5 લાખનું વળતર આપવામાં આવી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આરટીઆઈના જવાબમાં જણાવાયું છે કે, ગૃહ મંત્રાલય દ્વારા મણિપુરના લોકોને આપવામાં આવતી નાણાકીય સહાય નાગરિક પીડિતો/આતંકવાદી/કોમ્યુનલ/ ડાબેરી ઉગ્રવાદના પીડિતોના પરિવારોને સહાયતા માટેની કેન્દ્રીય યોજના અંતર્ગત કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-manipur-it-was-the-police-who-handed-over-the-two-women-to-the-mob"><span style="font-size: 14pt;">મણિપુરમાં પોલીસે જ બંને મહિલાઓને ટોળાને હવાલે કરી હતી</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યોજના આતંકવાદી અથવા સાંપ્રદાયિક હિંસા, ડાબેરી ઉગ્રવાદ, તેમજ ભારતીય ક્ષેત્રમાં સીમાપાર ગોળીબાર અને લેન્ડમાઈન અથવા આઈઈડી વિસ્ફોટો સાથે સંકળાયેલી ઘટનાઓમાં નાગરિક પીડિતોના મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં નાણાકીય સહાય પૂરી પાડે છે. સહાય સામાન્ય રીતે હયાત જીવનસાથીને આપવામાં આવે છે, અથવા જો બંને જીવનસાથી એક જ ઘટનામાં મૃત્યુ પામે છે, તો સમગ્ર પરિવારને આપવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહમંત્રી અમિત શાહ કે મણિપુર સરકારે જાહેરમાં ઉલ્લેખ કર્યો નથી કે વળતર CSACV યોજનાનો ભાગ છે કે કેમ. 1 જૂનના રોજ ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટ, જે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તેમાં પણ CSACV યોજનાનો કોઈ ઉલ્લેખ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂન 2023માં તેમની મુલાકાત દરમિયાન અમિત શાહે હિંસા પ્રભાવિત વિસ્તારમાં ઓનલાઈન શિક્ષણ માટેની યોજના તૈયાર કરવાનું વચન પણ આપ્યું હતું. જો કે, તેનો અમલ હજુ અસ્પષ્ટ છે. ઘણા કુકી વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ માટે ઇમ્ફાલની મુસાફરી કરી શકતા ન હતા, તેમણે શહેરની બહાર પ્રવેશ માંગ્યો હતો, કેરળની કન્નુર યુનિવર્સિટી અશાંતિને કારણે વિસ્થાપિત થયેલા કુકી વિદ્યાર્થીઓને આવકારતી પ્રથમ યુનિવર્સિટી બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય શાહે મણિપુરના તત્કાલીન રાજ્યપાલ અનુસુયા ઉઇકેની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. આ સમિતિમાં મુખ્યમંત્રી એન. બિરેન સિંહ સહિત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ કુકી અને મેઈતેઈ સમાજના સભ્યો અને વિવિધ સામાજિક સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, પછીથી ઘણી વ્યક્તિઓએ પેનલમાં બીરેન સિંહની હાજરીમાં સેવા આપવાની અનિચ્છા દર્શાવીને શાંતિ સમિતિ છોડી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમિત શાહે મેડિકલ વળતરનું પણ વચન આપ્યું હતું, ખાસ કરીને પર્વતીય વિસ્તારો માટે, જ્યાં લોકોને તાત્કાલિક તબીબી સારવાર મેળવવામાં પડકારોનો સામનો કરવો પડે છે. સ્થાનિક આરોગ્ય સુવિધાઓના અભાવને કારણે ઘણા લોકોને સારવાર માટે અન્ય રાજ્યોમાં જવાની ફરજ પડી છે અને મણિપુરમાં તબીબી કટોકટીના કારણે ઓછામાં ઓછા 35 લોકો મૃત્યુ પામ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, 3 મે, 2023 ના રોજ કુકી અને મેઇતેઇ સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ ત્યારથી 543 દિવસમાં 60,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Manipur-violence,-Soma-Laishram,-and-football:-Lets-erase-the-streak">મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 16:34:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1523</Articleid>
                    <excerpt>ગૃહમંત્રી અમિત શાહે મે 2023માં મણિપુર હિંસામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને રૂ. 10 લાખની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી તેના માટે પુરી રકમ ફાળવાઈ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673092509dfd2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673092506a325.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673092506a325.jpg" length="134588" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Manipur, Manipur violence, Amit shah</media:keywords>
                </item>
                        <item>
                    <title>હોટલમાં આદિવાસી શિક્ષકની કોણી અડી જતા ચાર શખ્સોએ હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/tribal-teacher-killed-by-four-men-after-elbowing-him-in-hotel</link>
                    <guid>https://khabarantar.com/tribal-teacher-killed-by-four-men-after-elbowing-him-in-hotel</guid>
                    <description>
                        <![CDATA[ શિક્ષકે &#039;સૉરી&#039; કહ્યું છતાં આરોપીઓએ તેમને બહાર ઢસડી જઈ હત્યા કરી નાખી. પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડી ભરબજારમાં વગર ચંપલે ફેરવી હાથ જોડાવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત કે આદિવાસી સમાજની વ્યક્તિ સાથે માથાભારે તત્વો કેવી રીતે વર્તતા હોય છે તેના વિશે વધુ કશું કહેવાની જરૂર નથી. નજીવી બાબતે તેમને જાતિસૂચક ગાળો ભાંડી હત્યા સુદ્ધાં કરી દેવાતી હોય છે. આવી જ એક ઘટના ચાર દિવસ પહેલા બની ગઈ, જેમાં હોટલમાં જમવા બેઠેલા એક આદિવાસી શિક્ષકને ચાર લોકોએ નજીવી બાબતે મોતને ઘાટ ઉતારી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનની છે. અહીં બૂંદી શહેરમાં 4 નવેમ્બરના રોજ લંકા ગેટ સ્થિત ઢાબા પર આદિવાસી સમાજમાંથી આવતા મનીષ મીણા જમવા માટે આવ્યા હતા. એ દરમિયાન તેમની આરોપીઓ સાથે માથાકૂટ થઈ ગઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આરોપીઓ પોતાના અલગ ટેબલ પર જમી રહ્યા હતા. શિક્ષક મનીષ મીણા પણ તેમના મિત્રો સાથે અલગ ટેબલ પર જમી રહ્યા હતા. એ દરમિયાન ઉભા થતી વખતે મનીષ અને આરોપીઓની કોણી એકબીજા સાથે અથડાઈ હતી. મનીષે સૌજન્યતા દાખવી સોરી પણ કહ્યું. પણ આરોપીઓને ગુસ્સો આવી ગયો અને આટલી સામાન્ય બાબતમાં તેમણે શિક્ષક સાથે ગાળાગાળી કરવાનું શરૂ કરી દીધું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે મનીષ મીણાએ તેમને ગાળો ન બોલવા કહ્યું તો આખો વિવાદ હોટલમાંથી રસ્તા પર આવી ગયો. એ દરમિયાન આરોપી ગુરપ્રીત અને તેના સાગરિતોએ મનીષ મીણાને મારવાનું શરૂ કરી દીધું. જેનાથી બચવા તેઓ રસ્તા પર ભાગ્યા તો આરોપીઓ તેમની પાછળ દોડ્યા અને રસ્તા વચ્ચે તેમની ચાકૂના ઘા મારીને હત્યા કરી દીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં સીસીટીવી સામે આવ્યા બાદ અલગ-અલગ 3 ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવીની ચકાસણીમાં આરોપીઓની ઓળખ થઈ હતી. જ્યારે તેમના ક્રિમિનલ રેકોર્ડની તપાસ કરવામાં આવી ત્યારે આ ખ્યાલ આવ્યો કે આરોપીઓ અગાઉ પણ હત્યા જેવા કેસમાં સંડોવાયેલા હતા. આરોપીઓની શોધ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે તેઓ પંજાબ ભાગવા માટે જયપુર તરફ જઈ રહ્યા છે. દરમિયાન પોલીસે દરોડો પાડી સોનુ, દીપક અને વિશાલની ધરપકડ કરી લીધી હતી. પોલીસને જોઈને ત્રણેય ખેતરોમાં ભાગવા લાગ્યા હતા જેના કારણે તેમના પગ અને હાથમાં ઈજા થઈ હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુખ્ય આરોપી ગુરપ્રિત સોપારી કિલર છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગુરપ્રીત ઉર્ફે ગોપી સોપારી કિલર છે. હાલ તે કોટામાં રહીને પણ ગેંગનું સંચાલન કરતો હતો. તે બુંદી અને અન્ય જિલ્લાના ગુનેગારોના રેકેટ સાથે જોડાયેલો છે. તે જમીનના વિવાદો, દબાણ દૂર કરવા અને કોઈપણની લડાઈ-ઝઘડાની સોપારી લે છે. તેણે અગાઉ પણ તાલેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છરાબાજીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના ઘટી ત્યારથી તે ફરાર હતો. ગુરપ્રીત બહુચર્ચિત બંતા સિંહ હત્યા કેસમાં આરોપી હતો. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ પણ હત્યા અને લૂંટ જેવા કેસમાં વોન્ટેડ ગુનેગાર રહ્યાં છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_672df57a0cda6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મીણા સમાજે પણ રોષ વ્યક્ત કર્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ મીણા સમાજના લોકો એકઠા થયા હતા અને હત્યારાની ધરપકડની માંગણી સાથે બુંદી જિલ્લા કલેક્ટર કચેરીએ બે વખત ચક્કાજામ કર્યો હતો. તેમણે પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવા અને ઓફિસર સ્કીમ હેઠળ કેસ ચલાવવાની માંગ કરી હતી. આ અંગે વહીવટીતંત્રે લેખિત સમજૂતી કરી હતી, ત્યારબાદ જ મામલો શાંત પડ્યો હતો.</span><br><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે આરોપીઓને ઉઘાડા પગે શહેરમાં ફેરવી માફી મગાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બદમાશોની ધરપકડ કરવા સાથે પોલીસે તમામને ઉઘાડા પગે આખા શહેરમાં ફેરવી સરઘસ કાઢ્યું હતું. પોલીસ આરોપીઓને શહેરમાં ફેરવતી ફેરવતી ઘટના સ્થળે લઈ ગઈ જ્યાં તેમણે મનીષ મીણાની હત્યા કરી હતી. આરોપીઓ બધાંની સામે તેમણે કરેલા ગુનાની કબૂલાત કરી હતી અને 'ગુનો કરવો પાપ છે, પોલીસ અમારી બાપ છે' જેવા નારા લગાવ્યા હતા. આરોપીઓનું સરઘસ પોલીસ કંટ્રોલથી કલેક્ટર કચેરી, બસ સ્ટેન્ડ થઈને શહેરના સૌથી વ્યસ્ત રોડ પર કાઢવામાં આવ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોકોનો ગભરાટ ઓછો થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન આરોપીને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ આરોપીઓએ આદિવાસી શિક્ષકની ભરબજારે ચાકૂથી હત્યા કરી હતી. પોલીસે એ જ જગ્યાએ તેમને લઈ જઈને બધાં વચ્ચે માફી મગાવી, ગુનો કબૂલ કરાવડાવી તેમનો ભય દૂર કરવા પ્રયત્ન કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/i-am-illiterate-but-what-happened-to-my-son-should-happen-to-a-murderer">"હું તો અભણ છું, પણ મારા દીકરા સાથે જે થયું તે હત્યારા સાથે થાય..."</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 08 Nov 2024 17:01:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1513</Articleid>
                    <excerpt>શિક્ષકે &#039;સૉરી&#039; કહ્યું છતાં આરોપીઓએ તેમને બહાર ઢસડી જઈ હત્યા કરી નાખી. પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડી ભરબજારમાં વગર ચંપલે ફેરવી હાથ જોડાવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672df556cca65.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672df55694e03.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672df55694e03.jpg" length="128677" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bundi city, Rajasthan, Tribal teacher killed</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્ટેજ પર મરઘી કાપી, પછી લોહી પીધું, ગાયક સામે કેસ નોંધાયો</title>
                    <link>https://khabarantar.com/chicken-slaughtered-on-stage-then-drank-blood-case-registered-against-singer</link>
                    <guid>https://khabarantar.com/chicken-slaughtered-on-stage-then-drank-blood-case-registered-against-singer</guid>
                    <description>
                        <![CDATA[ લાઈવ સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન ગાયકે સ્ટેજ પર આ કૃત્ય કરતા હોબાળો મચી ગયો. કાર્યક્રમમાં હાજર અનેક લોકોને કંપારી છુટી ગઈ. પોલીસે કેસ નોંધ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોનવેજનો શોખીન માણસ પણ તેની નજર સામે જ્યારે કોઈ મરઘી કે અન્ય જાનવરને કાપવામાં આવે તો એક ક્ષણ માટે ચોક્કસ કમકમાટી અનુભવતો હોય છે. તો વિચારો, કોઈ ગાયક કલાકાર અચાનક સ્ટેજ પર મરઘી મગાવે અને તેનું ગળું કાપીને સ્ટેજ પર જ તેનું લોહી ચૂસવા માંડે તો શું હાલત થાય? આવું ખરેખર બન્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો અરૂણાચલ પ્રદેશના પાટનગર ઇટાનગરનો છે. અહીં એક કોન્સર્ટ દરમિયાન, કોન વાય સોન નામના સ્થાનિક કલાકારે સ્ટેજ પર જાહેરમાં એક મરઘીની કતલ કરી અને પછી તેનું લોહી નિચોવીને પી લીધું. આ અંગેની ફરિયાદ પોલીસમાં પહોંચતા ગુનો નોંધાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંગીતકાર કોન વાય સોન અરુણાચલ પ્રદેશના પૂર્વી કામેંગ જિલ્લાના સેપ્પાનો રહેવાસી છે અને તેના ગીતોને કારણે તે રાજ્યમાં ખૂબ પ્રખ્યાત છે. સોન પોતાના ગીતો પોતે જ લખે છે અને તેનું સંગીત પણ કંપોઝ કરે છે. સ્થાનિક ભાષાના ગાયક સોનની અરુણાચલ પ્રદેશના યુવાનોમાં સારી ફેન ફોલોઈંગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">27 ઓક્ટોબરના રોજ તેના એક લાઇવ સ્ટેજ શો દરમિયાન સોને સ્ટેજ પર એક મરઘીનું ગળું કાપી નાખ્યું અને તેને નિચોવીને લોહી પીવાનું શરૂ કર્યું. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો, ત્યારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ હેઠળ કેસ નોંધ્યો. જોકે ગાયકે આ ઘટના માટે માફી માંગી છે અને કહ્યું કે સ્ટેજ પર જે થયું તે નહોતું થવું જોઈએ, જો તેનાથી કોઈને દુઃખ થયું હોય તો હું તેના માટે માફી માંગુ છું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ વિશ્વભરમાં પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) ઈન્ડિયાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆર દાખલ કર્યા પછી PETA ઈન્ડિયાએ માંગ કરી હતી કે સિંગર સોનની માનસિક તપાસ થવી જોઈએ, સ્ટેજ પર તેમણે જે કર્યું તે તેમની ઉંડી મનોવૈજ્ઞાનિક અસ્વસ્થતા દર્શાવે છે. પ્રાણીઓની સુરક્ષા માટે કામ કરતી સંસ્થા PETAએ અગાઉ પણ ભારત સરકારને લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા માટે સજા વધારવાની અને આકરી સજા આપવાની માંગ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-chamar-singer-whose-songs-the-whole-of-punjab-used-to-sing">એક ચમાર ગાયક, જેના ગીતો પર આખું પંજાબ ઝૂમી ઉઠતું હતું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 08 Nov 2024 09:38:24 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 08 Nov 2024 10:02:12 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1510</Articleid>
                    <excerpt>લાઈવ સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન ગાયકે સ્ટેજ પર આ કૃત્ય કરતા હોબાળો મચી ગયો. કાર્યક્રમમાં હાજર અનેક લોકોને કંપારી છુટી ગઈ. પોલીસે કેસ નોંધ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672d8d59ca30c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672d8d599826d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672d8d599826d.jpg" length="53996" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kon waii son, chicken video, Arunachal Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>9 વર્ષની આદિવાસી બાળકીના હત્યારાને કોર્ટે ફાંસીની સજા ફટકારી</title>
                    <link>https://khabarantar.com/court-sentences-death-sentence-to-murderer-of-9-year-old-tribal-girl</link>
                    <guid>https://khabarantar.com/court-sentences-death-sentence-to-murderer-of-9-year-old-tribal-girl</guid>
                    <description>
                        <![CDATA[ કમલેશ રાજપૂત નામના આરોપીએ 8 વર્ષની માસુમ આદિવાસી બાળકી પર રેપ કરી તેની ટુકડા કરીને હત્યા કરી નાખી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયદો જ્યારે યોગ્ય રીતે તેનું કામ કરે ત્યારે કેટલો જડબેસલાક ન્યાય મળતો હોય છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં એક આદિવાસી બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાખનાર આરોપીને પોક્સો કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. એટલું જ નહીં, આ હત્યા બાદ પુરાવા છુપાવવામાં મદદ કરનાર આરોપીના માતાપિતાને પણ કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનના ઉદયપુરના માવલીની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના રાજસ્થાનના ઉદયપુરની છે. અહીં માવલી ​​વિસ્તારમાં 8 વર્ષની આદિવાસી બાળકી પર બળાત્કાર કરી તેના ટુકડા કરીને હત્યા કરી નાખવાના કેસમાં સ્પેશિયલ POCSO-2 કોર્ટે સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે મુખ્ય આરોપી કમલેશ રાજપૂતને ફાંસીની સજા સંભળાવી હતી, જ્યારે પુરાવા છુપાવવામાં મદદ કરવા બદલ તેના માતા-પિતાને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જજ સંજય ભટનાગરની કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર સૈયદ હુસૈનના જણાવ્યાનુસાર કોર્ટે આ કેસમાં નક્કર પુરાવાના આધારે આ નિર્ણય આપ્યો છે. આરોપીના  માતા-પિતા કિશન કંવર અને રામ સિંહને પણ ગુનામાં મદદ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે તરત કાર્યવાહી કરી ચાર્જશીટ દાખલ કરી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટમાંથી બહાર નીકળતી વખતે ગુનેગાર કમલેશ રાજપૂતે મીડિયા સામે પોતે નિર્દોષ હોવાનું કહીને હોબાળો મચાવી પોલીસે તેના પર દબાણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે તમામ પુરાવા અને જુબાનીના આધારે કોર્ટે તેને દોષિત ઠેરવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલો માત્ર ઉદયપુરમાં જ નહીં પરંતુ સમગ્ર રાજસ્થાનમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ નિર્ણયથી સગીરો સામે અપરાધ કરનારાઓને કડક મેસેજ ગયો છે. પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">21 વર્ષના આરોપી કમલેશ રાજપૂતે 29 માર્ચ 2023ના રોજ પડોશમાં રહેતી 9 વર્ષની આદિવાસી બાળકીને ચોકલેટ આપવાના બહાને બોલાવી તેણી પર બળાત્કાર ગુજરાતીને પછી હત્યા કરી દીધી હતી. એ પછી પોતાના જ ઘરમાં તીક્ષ્ણ હથિયાર વડે બાળકીના શરીરના 10 ટુકડા કરી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીના માતા-પિતાએ પણ આ જઘન્ય ગુનામાં તેમના પુત્રનો સાથ આપ્યો હતો. આરોપીએ જ્યાં સુધી બાળકીના શરીરના ટુકડાને કોથળામાં ભરીને ઘરમાં સંતાડી ન દીધાં ત્યાં સુધી તેના માતાપિતાએ તેને સાથ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હત્યા બાદ આરોપીઓ બાળકીને શોધવામાં જોડાઈ ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ બાળકીની હત્યા કર્યા બાદ તેના પરિવાર સાથે શોધખોળમાં જોડાઈ ગયા હતા, જેથી કોઈને શંકા ન જાય. બાળકીનો પરિવાર અને ગામલોકો દીકરીને શોધતા રહ્યા પણ કોઈ પત્તો મળ્યો નહોતો. બીજી તરફ બાળકીની હત્યા કરીને પોતાના જ ઘરમાં તેની લાશના ટુકડા છુપાવીને બેઠેલો આ પરિવાર સમગ્ર મામલે અજાણ હોવાનો ઢોંગ કરતો રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૃતદેહમાંથી ગંધ આવતા ગામના ખંડેરમાં ફેંકી આવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓ બાળકીના ગુમ થયા પછી તેના મૃતદેહના ટુકડા પોતાના ઘરમાં છુપાવીને બેઠા હોવા છતાં અજાણ્યા હોવાનો ડોળ કરતા હતા પણ જ્યારે મૃતદેહના ટુકડામાંથી દુર્ગંધ આવવા લાગી, ત્યારે તેઓ તેને ગામની બહાર આવેલા એક ખંડેરમાં ફેંકી આવ્યા હતા. આ વાત ત્યારે સામે આવી જ્યારે 1 એપ્રિલના રોજ ખંડેરમાંથી આ મૃતદેહના ટુકડા મળી આવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતદેહ મળ્યા બાદ પોલીસે સૌથી પહેલા હત્યારા કમલેશ રાજપૂતની ધરપકડ કરી હતી. બાદમાં તેના માતા-પિતાની પણ સંડોવણી બહાર આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના ઘરેથી બાળકીની હત્યા માટે વપરાયેલ છરી પણ મળી આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસી-દલિત સમાજ રોષે ભરાયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હત્યાકાંડને લઈને સમગ્ર રાજસ્થાનમાં આદિવાસી-દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આદિવાસી અને દલિત સંગઠનો ઉપરાંત ઘણા યુનિયનો અને સામાજિક સંગઠનોએ બાળકી માટે ન્યાયની માંગ કરી હતી. ભીમ આર્મી ઉદયપુર અને અખિલ ભારતીય આદિવાસી મહાસભા માવલીના બેનર હેઠળ સેંકડો લોકોએ ઉદયપુર જિલ્લા મુખ્ય મથક ખાતે આક્રોશ રેલી કાઢીને વિરોધ કર્યો હતો. આ દરમિયાન બહુજન સંગઠનોએ મુખ્યમંત્રીના નામે કલેક્ટર, પોલીસ અધિક્ષક અને માવલીના સબ-ડિવિઝનલ ઓફિસરને આવેદનપત્રો પણ આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તમામ સંગઠનોના આંદોલન અને મહેનત રંગ લાવી છે અને આજે આરોપી કમલેશ રાજપૂતને ફાંસીની સજા સંભળાવાઈ છે. સાથે જ તેના માતાપિતાને પણ 4 વર્ષની જેલ ફટકારાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/tribal-minor-raped-by-mothers-lover-in-dabhoi-vadodara">ડભોઈમાં આદિવાસી સગીરા પર માતાના પ્રેમીએ દુષ્કર્મ આચર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 11:54:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1492</Articleid>
                    <excerpt>કમલેશ રાજપૂત નામના આરોપીએ 8 વર્ષની માસુમ આદિવાસી બાળકી પર રેપ કરી તેની ટુકડા કરીને હત્યા કરી નાખી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6729b97282849.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729b9724ac91.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729b9724ac91.jpg" length="59583" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને &amp;apos;લૂંટારા&amp;apos; ગણાવતા હોબાળો મચ્યો</title>
                    <link>https://khabarantar.com/rajbha-gadhvi-creates-uproar-calling-dang-tribals-robbers</link>
                    <guid>https://khabarantar.com/rajbha-gadhvi-creates-uproar-calling-dang-tribals-robbers</guid>
                    <description>
                        <![CDATA[ કથિત લોકસાહિત્યકાર અને કલાકાર રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને લૂંટારા ગણાવીને સમસ્ત આદિવાસી સમાજનું અપમાન કરતા હોબાળો મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ઘણાં એવા કલાકારો છે જે રાજ્યના નાગરિકોના મહત્વના પ્રશ્નોને લઈને કદી મોંઢું ખોલતા નથી, પરંતુ જેવો સત્તાપક્ષની ચાંપલૂસી કરતો મુદ્દો ચર્ચામાં આવે, એટલે તરત ઉછળી ઉછળીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા માંડે છે. આવા જ એક કથિત લોકસાહિત્યકાર કમ કલાકાર એટલે રાજભા ગઢવી (Rajbha Gadhvi) . સત્તાપક્ષની ચાંપલૂસી કરીને પોતાના રોટલાં શેકવામાં માહેર આ કથિત કલાકારે આ વખતે ડાંગ (Dang) સહિત સમસ્ત આદિવાસી (Tribes of Dang) સમાજની અસ્મિતા પર ઘા કર્યો છે અને તેમને 'લૂંટારા' (robbers) ગણાવી દીધાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">રાજભા ગઢવીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જબરજસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ડાંગ અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજને લૂંટારા ગણાવી રહ્યાં છે. આ વીડિયોને લઈને આદિવાસી સમાજમાંથી આકરી પ્રતિક્રિયાઓ આવી છે અને રાજનેતાઓથી લઈને સામાજિક કાર્યકરો અને આદિવાસી અગ્રણીઓ તરફથી રાજભાને આ મામલે સ્પષ્ટતા કરવા અને નિવેદન પાછું ખેંચવા કહેવામાં આવી રહ્યું છે. સાથે જ રાજભા ગઢવી પર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">વીડિયોમાં શું છે?</span></strong><br><span style="font-size: 14pt;">વાયરલ વીડિયોમાં રાજભા ગઢવી ઉપસ્થિત જનમેદનીને ખુશ કરવા માટે ગીરના લોકોની દરિયાદિલીની બઢાવી ચઢાવીને વાતો કરતા જોવા મળે છે. વીડિયોમાં તેઓ બોલતા દેખાય છે કે, "ગુજરાતના ડાંગ આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડા પણ રહેવા દેતા નથી. આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે ભુલા પડો તો નેહડા વાડા આડા ફરી લઈ જાય." </span><br><span style="font-size: 14pt;">રાજભાનો આ વીડિયો વાયરલ થતા જ ડાંગ જ નહીં પરંતુ ગુજરાતભરના આદિવાસી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે અને આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં</span></strong><br><span style="font-size: 14pt;">રાજભા ગઢવીના ડાંગ વિશેના વિવાદાસ્પદ વીડિયોને લઈ ડાંગના રાજા (Dang King) ધનરાજસિંહ સુર્યવંશી (Dhanrajsingh Suryavanshi) એ નિવેદન આપ્યું છે. તેમણે રાજભાને ચેલેન્જ આપતાં જણાવ્યું છે કે, આ વિવાદાસ્પદ ટિપ્પણી પાછી ખેંચે અને અમારી પ્રજા પાસે માફી માગે નહીં તો આવનારા દિવસોમાં આ મુદ્દે આવેદનપત્ર આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવી જ પ્રતિક્રિયા ડેડિયાપાડા (Dediyapada) ના આપ (AAP)ના ધારાસભ્ય (MLA) ચૈતર વસાવા (Chaitar Vasava) એ આપી છે. ચૈતરભાઈએ કહ્યું છે કે, આદિવાસી સમાજને લૂંટારા ગણાવતો રાજભાનો વીડિયો મેં જોયો છે અને તેનાથી સમસ્ત આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. આ મામલે રાજભા આદિવાસી સમાજની માફી માંગે. નહીંતર આના માટે આદિવાસી સમાજ રસ્તા પર ઉતરીને આંદોલન કરવા મજબૂર થશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધવલ પટેલે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજભા ગઢવીના નિવેદન બાદ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજમાં રાજભા ગઢવી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. વલસાડ (Valsad) ના સાંસદ (MP) ધવલ પટેલે (Dhaval Patel) રાજભા ગઢવીના નિવેદનને લઇ વિરોધ નોંધાવ્યો છે. ધવલ પટેલે રાજભા ગઢવી આદિવાસી સમાજની માફી માંગે તેવી માગ કરી છે. તેમણે કહ્યું કે, ડાંગ સાપુતારાના આદિવાસીઓ મહેમાનગતિમાં પાછળ પડતા નથી. રાજભા ગઢવી માફી નહીં માગે ત્યાં સુધી આદિવાસી સમાજ તેમનો વિરોધ કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટી ફરિયાદની માંગ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડાંગના સામાજિક કાર્યકર (Social activist) સ્નેહલ ઠાકરે (Snehal Thakar)એ આ વાયરલ વિડિયોને લઈ ડાંગ જીલ્લા આદિવાસી સમાજ વતી આ બાબતે તાત્કાલિક ધોરણે એટ્રોસિટી એકટ (ST atrocity act) મુજબ FIR કરી ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/doctors-were-sleeping-tribal-girl-died-due-to-lack-of-tratment">ડોક્ટરો સૂતા રહ્યાં અને આદિવાસી દીકરી સારવારના અભાવે મોતને ભેટી</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 25 Oct 2024 09:43:44 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 25 Oct 2024 09:44:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1458</Articleid>
                    <excerpt>કથિત લોકસાહિત્યકાર અને કલાકાર રાજભા ગઢવીએ ડાંગના આદિવાસીઓને લૂંટારા ગણાવીને સમસ્ત આદિવાસી સમાજનું અપમાન કરતા હોબાળો મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671b1aa2612aa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b1aa22ce26.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b1aa22ce26.jpg" length="58402" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rajbha Gadhvi Official, Gir, adivasi</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS સાથે જોડાયેલા હવસખોરે આદિવાસી સગીરા પાસે બિભત્સ માંગણી કરી</title>
                    <link>https://khabarantar.com/rss-affiliated-hawaskhor-made-a-nasty-demand-to-the-tribal-minor</link>
                    <guid>https://khabarantar.com/rss-affiliated-hawaskhor-made-a-nasty-demand-to-the-tribal-minor</guid>
                    <description>
                        <![CDATA[ RSS અને VHP સાથે જોડાયેલા 42 વર્ષના પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહે આદિવાસી સગીરાનો ફોન નંબર મેળવી લઈ તેના નગ્ન ફોટા મોકલવાની માંગ કરી હતી.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના ગૃહમંત્રી મહિલા સુરક્ષાની મસમોટી વાતો કરતા હોય છે પરંતુ તેમનો પક્ષ જેની છત્રછાયા નીચે કામ કરે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ એક કાર્યકરે એક આદિવાસી સગીરા પાસે બિભત્સ માંગણી કરી તેના અશ્લિલ ફોટા માંગતા ખળભળાટ મચી ગયો છે. વિશ્વ હિંદુ પરિષદનો પૂર્વ પ્રમુખ અને આરએસએસ સાથે જોડાયેલા આ લંપટ શખ્સ સામે પોક્સો જેવા ગંભીર ગુના હેઠળ કેસ નોંધાયો હોવા છતાં જજે તેના રિમાન્ડ નકારી કાઢ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો સુરતના માંડવીનો છે. અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલો અને VHPનો પૂર્વ ઉપપ્રમુખ રહેલો 42 વર્ષીય પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહ પોક્સો જેવા ગંભીર ગુનામાં સપડાયો છે. પપ્પ શાહ પરિણીત અને એક પુત્રના પિતા છે. તેમ છતાં તેણે 14 વર્ષની આદિવાસી સગીરાનો નંબર લઈ પહેલા સામાન્ય વાતો કરી ત્યારબાદ તેની સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, થોડા સમય બાદ પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહ સગીરા પાસે બિભત્સ માંગણી કરવા લાગ્યો હતો અને તેના અશ્લીલ ફોટા મોકલવા દબાણ કરવા લાગ્યો હતો. જેનાથી ગભરાઈને સગીરાએ પોતાના પરિવારને પપ્પની હરકતોની જાણ કરી દેતા પરિવારજનોએ તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માંડવી પોલીસે પોકસો એક્ટ હેઠળ આરોપી પપ્પ ઉર્ફે પ્રિતેશ શાહની ધરપકડ કરી રિમાન્ડની માંગ કરી હતી. જો કે આટલો ગંભીર ગુનો હોવા છતાં આશ્ચર્યજનક રીતે કોર્ટે પપ્પના રિમાન્ડની અરજીને ફગાવી દીધી હતી. હાલ દેશની સુપ્રીમ કોર્ટ પણ નીચલી કોર્ટોના જજો દ્વારા આપવામાં આવતા મનઘડંત ચૂકાદાઓ પર રોષ વ્યક્ત કરી ચૂકી છે. શીવસેનાના સાંસદ સંજય રાઉતે સુપ્રીમ કોર્ટ પર પણ નિષ્પક્ષ નહીં હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે નીચલી કોર્ટના જજે આટલા ગંભીર ગુનામાં પણ કેમ પપ્પુ શાહના રિમાન્ડ નામંજૂર કર્યા તે મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોર્ટના વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, આરોપી આરએસએસ સાથે સંકળાયેલો છે એટલે તેના રિમાન્ડ નામંજૂર કરાયા છે. હાલ દેશમાં આદિવાસી મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાનો પ્રશ્ન ચિંતાજનક છે ત્યારે સરકાર સંઘના આ કાર્યકરને શું સજા કરે છે (કે બચાવ કરે છે) તેના પર સૌ કોઈની નજર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:  <a href="https://khabarantar.com/For-the-first-time-in-the-history-of-Gujarat,-a-Sidi-girl-became-a-doctor-and-made-history"><span style="font-size: 14pt;">ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો</span></a></strong></span><span style="color: rgb(255, 255, 255); background-color: rgb(0, 0, 0);"></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 22 Oct 2024 12:33:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1442</Articleid>
                    <excerpt>RSS અને VHP સાથે જોડાયેલા 42 વર્ષના પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહે આદિવાસી સગીરાનો ફોન નંબર મેળવી લઈ તેના નગ્ન ફોટા મોકલવાની માંગ કરી હતી. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67174d4ed8fcd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67174d4ea3918.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67174d4ea3918.jpg" length="107744" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>News of molestation</media:keywords>
                </item>
                        <item>
                    <title>રસ્તાના અભાવે આદિવાસી પ્રસુતાને ઝોળીમાં નાખી દવાખાને લઈ જવી પડી</title>
                    <link>https://khabarantar.com/due-to-the-lack-of-roads-the-tribal-pregnant-woman-had-to-be-carried-to-the-hospital-in-a-zoli</link>
                    <guid>https://khabarantar.com/due-to-the-lack-of-roads-the-tribal-pregnant-woman-had-to-be-carried-to-the-hospital-in-a-zoli</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાંથી ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના સામે આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરી એકવાર છોટા ઉદેપુરથી કહેવાતા વિકાસશીલ ગુજરાતના દાવાની પોલ ખોલતા સમાચાર આવ્યા છે. અહીંના તુરખેડામાં પ્રસુતાના મોતની ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી એ જ ગામના માનુકલા ફળીયાની પ્રસુતાને રસ્તાના અભાવે ઝોળીમાં નાખીને દવાખાને લઈ જવાની ફરજ પડી છે.  ગામમાં સારો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ પહોંચે તે શક્ય ન હોવાથી છાશવારે બને છે તેમ જ સગર્ભાઓને ઝોળીમાં નાખીને લઈ જવાનો વારો આવે છે. આ મામલે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ બજેટ ફાળવાયું છે અને રસ્તાની કામગીરી શરૂ થઈ છે, પરંતુ પરિસ્થિતિમાં હજુ ત્વરિત કોઈ સુધારો થયો હોય તેમ જણાતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક તરફ મહિલાને પ્રસુતીની પીડા ઉપડી હતી અને ઉપરથી ઉબડ-ખાબડ રસ્તા પર જીવના જોખમે તેને દવાખાને પહોંચાડવાની હતી. એક – બે મીટર નહીં પરંતુ આ રીતે ત્રણ કિલોમીટરનો રસ્તો સગર્ભાને આ રીતે ઝોળીમાં નાખીને પસાર કરાવવામાં આવ્યો અને આંબા ડુંગર સુધી પહોંચાડવામાં આવી. એ પછી ત્યાં ૧૦૮ આવી પહોંચતા મહિલાને ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવી હતી. પ્રસુતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. પરંતુ મુદ્દો એ છે કે સારવાર મોડી મળવાને લીધે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મુદ્દે હાઈકોર્ટ પણ ફટકાર લગાવી ચુકી છે. કોર્ટે પણ સુઓમોટો લઈ ગામની સુવિધા વધારવા ટકોર કરી છે પરંતુ તંત્ર માત્ર સરવે કરાવીને સંતોષ માની રહ્યું છે. સરકારે કરોડોના ખર્ચે રસ્તો બનાવવાની જાહેરાત તો કરી દીધી પરંતુ જમીન પર કોઈ કામગીરી દેખાતી નથી. સવાલ એ છે કે ગૃહમંત્રી કે પ્રધાનમંત્રી મુલાકાત લેવાના હોય તો રાતોરાત નવાનક્કોર રસ્તા તૈયાર થઈ જાય છે પરંતુ સામાન્ય લોકો માટે રસ્તો બનાવવામાં વર્ષો નીકળી જાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિકોના જણાવ્યા મુજબ કડીપાણી આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબ પણ નથી. આ અંગે ધારાસભ્યને પૂછવામાં આવતા તેમણે પણ કાયમી ડૉક્ટર ન હોવાનો સ્વીકાર કર્યો હતો. જો કે લુલો બચાવ કરતા સ્થાનિક ધારાસભ્ય જયંતી રાઠવાએ વહેલી તકે રસ્તો બનાવવાની ખાતરી આપી હતી. હવે આ વહેલી તકે ક્યારે આવશે તે તો તેઓ જ જાણે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છોટાઉદેપુરના આ અંતરિયાળ જિલ્લાઓની વરવી હકીકત એ છે કે અહીં ૨૦ દિવસના અંતરાલે આવા ચિંતાજનક દૃશ્યો જોવા મળી રહ્યાં છે. તુરખેડામાં પણ રસ્તાના અભાવે સગર્ભાને ઝોળીમાં લઈ જવાનો વારો આવ્યો હતો અને તે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકી અને બાળકને જન્મ આપી મોતને ભેટી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના અઠવાડિયા બાદ જ ફરી એવા જ દ્રશ્યો સામે આવતા ગુજરાતના કહેવાતા વિકાસની પોલ ખૂલી ગઈ હતી. સારવાર માટે પહોંચેલી ખાનગી એમ્બ્યુલન્સ જ અટવાઈ ગઈ. આખરે ગ્રામજનોએ ધક્કો મારીને એમ્બ્યુલન્સને બહાર કાઢી હતી. સારી વાત એ હતી કે એ દરમિયાન સગર્ભાની મદદ માટે આવેલી ૧૦૮ સમયસર ગામે પહોંચી અને એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસૂતિ કરાવાઈ. પરંતુ, તે વખતે પણ ૩ કિ.મી. સુધી સગર્ભાને ઝોળીમાં લઈ જવાનો વારો આવ્યો હતો. અને આ વખતે ફરી માનકુલા ફળિયામાંથી કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સવાલ એ છે વિકાસના દાવા વચ્ચે લોકોને પાયાની સુવિધા ક્યારે મળશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકતરફ આઝાદીના અમૃત મહોત્સવની રંગે ચંગે ઉજવણી તો કરાઈ રહી છે પરંતુ આ અંતરિયાળ વિસ્તારના લોકો સુધી રોડ રસ્તાની સુવિધા પણ પહોંચી નથી. તેઓ તો એ જ નર્કાગારની સ્થિતિમાં જીવવા મજબુર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-cremation-procession-had-to-be-carried-out-from-vatrak-river-in-meghrajs-ghorwara">મેઘરજના ઘોરવાડામાં વાત્રકના વાંઘામાંથી સ્મશાનયાત્રા કાઢવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 20 Oct 2024 21:56:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1434</Articleid>
                    <excerpt>આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાંથી ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના સામે આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67152e6668557.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67152e662c481.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67152e662c481.jpg" length="122836" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Tribal area Chotaudepur, Chotaudepur</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગીરના ગામડાઓમાં ઈકો સેન્સેટિવ ઝોનને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો</title>
                    <link>https://khabarantar.com/protests-over-eco-sensitive-zones-in-gir-villages-intensified</link>
                    <guid>https://khabarantar.com/protests-over-eco-sensitive-zones-in-gir-villages-intensified</guid>
                    <description>
                        <![CDATA[ જૂનાગઢના ગીર જંગલને લઈને જાહેર કરાયેલા નવા ઈકો સેન્સેટિવ ઝોનને લઈને સ્થાનિકો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના ગીરના જંગલ આસપાસના વિસ્તારમાં જાહેર કરાયેલા નવા ઈકો સેન્સેટિવ ઝોનને લઈને વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. ઈકો ઝોનનો વિરોધ હવે સરકાર માટે મોટી સમસ્યા બની રહ્યો છે. આપના નેતાઓએ આજે કરેલા સંમેલન દરમિયાન આપ પ્રવક્તા કરશન બાપુએ ચીમકી ઉચ્ચારી હતી કે, સરકાર ઇકો ઝોન સંપૂર્ણ નાબૂદ કરે, નહિતર હું દેહ ત્યાગ કરીશ. ટૂંક સમયમાં હું સમય અને સ્થળ જાહેર કરીશ. ગીરગઢડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મળેલા સંમેલન દરમિયાન કરશન બાપુએ આ એલાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગીર જંગલના બોર્ડરના ગામોમાં ઈકો સેન્સેટિવ ઝોનના કાયદા વિરૂદ્ધ જનઆક્રોશ થમી નથી રહ્યો. નવરાત્રી પર ગીરના ગામેગામ ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ કરતા ગરબા યોજાયા હતા. એ પછી દશેરા દરમિયાન ખેડૂતોએ ઈકોઝોનના પૂતળાનું દહન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડૂત આગેવાનો પોતાના પક્ષની લાઈન છોડીને પણ પોતાની ખેતીની રક્ષા માટે ખુલીને ઈકો સેન્સેટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે. ભાજપ સમર્થિત તાલાળા મેંગો માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરવા ઠરાવ કરાયો છે. તાલાલા એપીએમસીના તમામ ૧૬ સભ્યોની સહમતિથી ઠરાવ મંજૂર કરાયો છે કે ગીર ઈકોઝોનનો કાયદો અને જાહેરનામાને રદ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/The-Hool-Mutiny:-A-Heroic-Story-of-Santhal-Tribes-Including-Tilka-Manjhi-and-Seedo-Kanhu">હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડૂતોનો આરોપ છે કે રાજકીય મોટા માથાઓને છાવરીને જ્યાં ખનન પ્રવૃત્તિ ચાલે છે તે વિસ્તારોને ઇકોઝોનના સીમાંકનની બહાર રાખવામાં આવ્યા છે અને માત્ર નાના ખેડૂતોને દબાણમાં લેવામાં આવ્યા છે. બીજી તરફ વન વિભાગ દ્વારા ઈકોઝોન ફાયદાકારક છે એવા કાગળ ગામે-ગામ ખેડૂતોને આપવામાં આવી રહ્યાં છે પણ એની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠી રહ્યાં છે. કારણ કે આ કાગળો પર ન તો વનવિભાગ કે ન તો સરકારના કોઈ અધિકૃત હસ્તાક્ષર છે. ત્યારે ખેડૂતો એમ પણ કહી રહ્યા છે કે વનવિભાગ દ્વારા અત્યારે પણ પોતે જમીનના માલિક છે તેમ વર્તન કરી અને ખેડૂતોને વૃક્ષો વાવવા માટે પણ પરવાનગી લેવી પડે તેવું જકકી વલણ દાખવાઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે વનવિભાગ સામે ઉભો થયેલા વિરોધને શાંત કરવા માટે અને આ મુદ્દે રહેલી ગેરસમજ દૂર કરવા માટે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈકો સેન્સેટીવ ઝોનથી કોઈપણ પ્રકારની અડચણો ઉભી થવાની નથી. ઈકો સેન્સેટિવ ઝોન માત્રને માત્ર મોટા ઉદ્યોગો અને પ્રદૂષણ ફેલાવતા એકમો માટે જ છે. ખેડૂતોને કોઈ પરેશાની નહી થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન ઈકો સેન્સેટીવ ઝોન ૩૮૯ ગામોમાં લાગુ છે. પરંતુ હવે આ નવું નોટિફીકેશન લાગુ થતાની સાથે માત્ર ૧૯૬ ગામોનો તેમાં સમાવેશ થશે. એટલે એક રીતે નવા ઈકો સેન્સેટિવ ઝોનમાં ક્ષેત્રફળ ઘટાડવામાં આવશે. જો કે આ તમામ સરકારી દાવાઓ વચ્ચે ગીરના ખેડૂતોના મનમાં પેદા થયેલી શંકાનું નિરાકરણ થઈ રહ્યું નથી. પરિણામે આગામી દિવસોમાં આ મામલે રાજકારણ ગરમાય તો નવાઈ નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/police-kidnap-tribal-youths-to-save-contractor-chaitar-vasava">કોન્ટ્રાક્ટરને બચાવવા પોલીસે આદિવાસી યુવકોને ચોર ખપાવ્યાઃ ચૈતર વસાવા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 20 Oct 2024 21:23:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1433</Articleid>
                    <excerpt>જૂનાગઢના ગીર જંગલને લઈને જાહેર કરાયેલા નવા ઈકો સેન્સેટિવ ઝોનને લઈને સ્થાનિકો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6715267e833df.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6715267e50ae2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6715267e50ae2.jpg" length="113574" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gir forest of Junagadh, New Eco Sensitive Zones, Opposition from locals</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેઘરજના ઘોરવાડામાં વાત્રકના વાંઘામાંથી સ્મશાનયાત્રા કાઢવી પડી</title>
                    <link>https://khabarantar.com/a-cremation-procession-had-to-be-carried-out-from-vatrak-river-in-meghrajs-ghorwara</link>
                    <guid>https://khabarantar.com/a-cremation-procession-had-to-be-carried-out-from-vatrak-river-in-meghrajs-ghorwara</guid>
                    <description>
                        <![CDATA[ વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે અંતરિયાળ ગામોની વરવી વાસ્તવિકતા. 10 વર્ષથી ગામમાં યોગ્ય રસ્તાના અભાવે હજારો લોકો હેરાન પરેશાન. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <ul>
<li style="text-align: justify; font-weight: bold; font-size: 12pt;"><span style="font-size: 12pt;"><strong>વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે અંતરિયાળ ગામોની વરવી વાસ્તવિકતા</strong></span><br><span style="font-size: 12pt;"><strong></strong></span></li>
<li style="text-align: justify; font-weight: bold; font-size: 12pt;"><span style="font-size: 12pt;"><strong>ગ્રામ પંચાયતે 10 વર્ષથી લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી</strong></span><br><span style="font-size: 12pt;"><strong></strong></span></li>
<li style="text-align: justify; font-weight: bold; font-size: 12pt;"><span style="font-size: 12pt;"><strong>ભારે વરસાદને કારણે વાત્રક નદી પાણથી ભરપૂર હોવાથી પાણી ભરાયેલું રહે છે</strong></span><br><span style="font-size: 12pt;"><strong></strong></span></li>
<li style="text-align: justify; font-weight: bold; font-size: 12pt;"><span style="font-size: 12pt;"><strong>12 ગામના ખેડૂતો, શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ વાંઘામાંથી પસાર થવા મજબૂર</strong></span><br><span style="font-size: 12pt;"><strong></strong></span></li>
<li style="text-align: justify; font-weight: bold; font-size: 12pt;"><span style="font-size: 12pt;"><strong>રસ્તાના અભાવે 108 પહોંચી શકતી નથી, દર્દીને ઉચકીને બહાર સુધી લઈ જવા પડે છે</strong></span></li>
</ul>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">The reality of Gujarat's development : તંત્ર દ્વારા ગામડે ગામડે વિકાસ પહોંચ્યો હોવાની વાતો થઈ રહી છે, વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યા છે પરંતુ હજુ પણ એવા કેટલાક ગામડાઓ છે કે જ્યાં પાયાની સુવિધાઓ પણ પહોંચી નથી અને પ્રજાજનોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. વાત છે મેઘરજના અંતરિયાળ ઘોરવાડાથી ઓઢા (પાણીબાર) વાડા રસ્તાની. આ 4 કિલોમીટરનો રસ્તો બનાવવા માટે ઘોરવાડા ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરીને છેલ્લા 10 વર્ષથી તંત્રમાં માગ કરી છે પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેથી આજે પણ આ વિસ્તારના લોકોને રસ્તા વગર ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બે ગામ વચ્ચે વાત્રક નદીનું વાંઘુ આવે છે. આ ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદના કારણે વાત્રક નદી ફૂલ છે, જેથી વાંઘામાં પાણી ભરેલું છે. કોઈપણ કામકાજ માટે જવું હોય તો આ વાંઘુ પસાર કરીને જ જવાય. બંને તરફના લગભગ 12 ગામોના લોકોની ખેતીવાડીના કામકાજ માટે વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા માટે અથવા કોઈ બીમારી હોય એવા સમયે 108ની સેવા પણ પહોંચી શકતી નથી. આ સમયે દર્દીઓને ઊંચકીને હોસ્પિટલમાં લઇ જવા ગામલોકો મજબૂર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેન્કનું કામ હોય, બીજા કોઈ વહીવટી કામકાજ હોય તો પણ આજ રસ્તે થઈને જવું પડે છે. ત્યારે ગઈકાલે ગામમાં એક વૃદ્ધાનું અવસાન થતાં વૃદ્ધાની અંતિમ યાત્રા પણ કમરસમા પાણીમાં થઈને કાઢવા ડાઘુઓ મજબૂર બન્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તંત્ર આશ્વાસનો આપે છે પણ કામ કરતું નથી: સરપંચ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ અંગે ઘોરવાડા ગામના સરપંચ જશોદાબેનને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ 4 કિમીના રસ્તા માટે ગ્રામપંચાયતમાં ઠરાવ કરીને માર્ગ અને મકાન વિભાગમાં રસ્તો બનાવવા અને વાત્રક નદીના વાંઘા પર ડીપ અથવા પુલ બનાવવા માટેની માગ કરી છે. તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે પણ કામ થતું નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">દરખાસ્ત મોકલી છે, મંજૂર થયે કામ કરવામાં આવશે</span></strong><br><span style="font-size: 14pt;">મેઘરજ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર ચિરાગ નિનામાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ રસ્તા માટે માર્ગ અને મકાન વિભાગ સર્કલ ઓફીસ અમદાવાદમાં 21-6-2024ના રોજ 4 કિમી રસ્તા માટે અંદાજીત 191 લાખ રૂપિયાની દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપી છે. સર્કલમાંથી મંજૂરી આવ્યા બાદ સરકારમાં મંજૂર કરાવીને કામ શરૂ કરાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધારાસભ્ય શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ પ્રજાજનો વહીવટી કામગીરી વચ્ચે પીસાઈ રહ્યા છે ત્યારે, જનતાના સેવક ભિલોડા મેઘરજના ધારાસભ્ય પીસી બરંડા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, "આ બાબતે બે માસ પહેલાં જ મેં તંત્રમાં રજૂઆત કરી છે. સરકારમાં પણ મેં કુલ 6 પુલ બનાવવા રજૂઆત કરી છે. એમાં ઘોરવાડાથી ઓઢા વચ્ચે વાંઘા પર પુલ બનાવવા માટે માગણી કરી છે. મેઘરજ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર દ્વારા દરખાસ્ત તૈયાર કરાવીને સરકારમાં મંજૂરી માટે મૂકી દીધી છે એટલે ખૂબ ઝડપી આ કામગીરી થઈ જશે. સરપંચ ધારાસભ્ય અને માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર દ્વારા કામગીરી કરાઈ રહી હોવાની વાતો કરાય છે પણ આ રસ્તા માટેના કામની શરૂઆત ક્યારે કરાશે તે જોવું રહ્યું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-leopard-was-left-behind-to-drive-tribals-out-of-the-forest">આદિવાસીઓને જંગલમાંથી હાંકી કાઢવા માટે ત્યાં દીપડો છોડી દેવાયો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 10:24:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1423</Articleid>
                    <excerpt>વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે અંતરિયાળ ગામોની વરવી વાસ્તવિકતા. 10 વર્ષથી ગામમાં યોગ્ય રસ્તાના અભાવે હજારો લોકો હેરાન પરેશાન.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671339e32e2be.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671339e2ea425.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671339e2ea425.jpg" length="87800" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Development of Gujarat, reality, no road in the village, Ghorwada village, Aravalli District</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં મહાતો&amp;માંઝી રાજ્યનું ભાગ્ય લખશે</title>
                    <link>https://khabarantar.com/mahato-manjhi-will-write-the-fate-of-the-state-in-the-jharkhand-assembly-elections</link>
                    <guid>https://khabarantar.com/mahato-manjhi-will-write-the-fate-of-the-state-in-the-jharkhand-assembly-elections</guid>
                    <description>
                        <![CDATA[ હેમંત સોરેન આદિવાસી વોટબેંક અકબંધ રાખીને ભાજપના ઓબીસી મતો તોડવા મથી રહ્યાં છે. ભાજપ સામે ફરી આદિવાસીઓનો વિશ્વાસ જીતવાનો પડકાર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઝારખંડમાં વિપક્ષી ભારતીય ગઠબંધન કરતા દસ ટકા વધુ મત મળવા છતાં રાજ્યની તમામ પાંચ અનામત બેઠકો ગુમાવવી પડી હતી. મુખ્ય પ્રધાન હેમંત સોરેનને ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં ધકેલી દેવાયા પછી સ્થાનિક નેતા પ્રત્યે આદિવાસી સમાજમાં ઉભી થયેલી સહાનુભૂતિ તેનું કારણ હતું. હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને આદિવાસી સમુદાયમાં તેની ખોવાયેલી વિશ્વસનીયતા પાછી મેળવવાનો પડકાર છે, જ્યારે હેમંત સોરેન સામે સહાનુભૂતિની લહેર જાળવી રાખવાનો પડકાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ ૨૦૦૦ ના અંતમાં અસ્તિત્વમાં આવેલા આ રાજ્યમાં રાજકીય પક્ષો ડબલ એમ એટલે કે મહતો (કુર્મી) અને માંઝી (આદિવાસી) દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીમાં આ બે સમુદાયોનો હિસ્સો ૫૦ ટકાથી વધુ છે. બંને સમુદાયો લગભગ ૮૦ ટકા બેઠકો પર ઉમેદવારોની જીત અને હાર નક્કી કરે છે. આ કારણે રાજ્યમાં બંને ગઠબંધનની રણનીતિમાં આ બે સમુદાયો કેન્દ્રસ્થાને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર અને લોકસભાની ચૂંટણીમાં વિખરાયેલી આદિવાસી વોટબેંકમાંથી બોધપાઠ લઈને ભાજપે ઘણી ભૂલો સુધારી છે. બિન-આદિવાસી રઘુવર દાસને આદિવાસી બહુમતીવાળા રાજ્યમાં મુખ્યમંત્રી બનાવીને અને પોતાના દમ પર ચૂંટણી લડવાથી થયેલા રાજકીય નુકસાન પછી પાર્ટીએ આદિવાસી નેતૃત્વને આગળ લઈને ફરીથી સ્થાનિક પક્ષ સાથે જોડાણ કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/jharkhands-hemant-soren-government-gsve-government-jobs-to-transgenders-for-the-first-time">ઝારખંડની હેમંત સોરેન સરકારે પહેલીવાર ટ્રાન્સજેન્ડરને સરકારી નોકરી આપી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોરેન પરિવારની વહુ સીતા સોરેન પછી હેમંતના નજીકના સાથી ચંપાઈ સોરેનને ઝારખંડ મુક્તિ મોરચાની આદિવાસી વોટ બેંકમાં ગાબડું પાડવા માટે પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓબીસી વોટ બેંક પર પકડ જાળવી રાખવા માટે પાર્ટી જેડીયુ સાથે સંકલન કરવાની પણ યોજના ધરાવે છે. આ સમયગાળા દરમિયાન પાર્ટીએ પરિવર્તન યાત્રાઓ દ્વારા વાતાવરણને પોતાની તરફેણમાં બદલવાનો પ્રયાસ કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેએમએમની આગેવાની હેઠળના શાસક ગઠબંધનની આશા સીએમ હેમંત સોરેનના કરિશ્મા પર ટકી છે. જામીન પર બહાર આવ્યા બાદ સરકારની બાગડોર સંભાળતાની સાથે જ હેમંતે મતબેંકને ફરી એક કરવી શરૂ કરી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપે ઓબીસી વોટ બેંકને ખેંચવા અને જેએમએમની આદિવાસી વોટ બેંકમાં ગાબડું પાડવાની રણનીતિ બનાવી છે. સામે જેએમએમની વ્યૂહરચના આદિવાસી વોટ બેંકને અકબંધ રાખીને ભાજપની ઓબીસી વોટ બેંકમાં ગાબડું પાડવાની છે. પાર્ટીને લાગે છે કે કોંગ્રેસ અને આરજેડી આમાં મદદરૂપ સાબિત થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘૂસણખોરી અને ભ્રષ્ટાચારના કારણે આદિવાસી વિસ્તારોની વસ્તીમાં ફેરફારને ભાજપે મુદ્દો બનાવ્યો છે. સામે જેએમએમના નેતૃત્વમાં શાસક ગઠબંધન આદિવાસીઓના સ્વાભિમાનને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગઠબંધન કરતા દસ ટકા વધુ મત મળ્યા હતા. જો કે, ૨૦૧૯ કરતાં છ ટકા વધુ મત મેળવીને ઈન્ડિયા ગઠબંધન પાંચ બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/will-jmm-collapse-after-champai-sorens-rebellion-5-parties-broke-up-in-5-years">ચંપાઈ સોરેનના બળવા પછી JMM નું પતન થઈ જશે? 5 વર્ષમાં 5 પક્ષો તૂટ્યાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 17 Oct 2024 20:49:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1412</Articleid>
                    <excerpt>હેમંત સોરેન આદિવાસી વોટબેંક અકબંધ રાખીને ભાજપના ઓબીસી મતો તોડવા મથી રહ્યાં છે. ભાજપ સામે ફરી આદિવાસીઓનો વિશ્વાસ જીતવાનો પડકાર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67112ae4b4392.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67112ae479323.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67112ae479323.jpg" length="103671" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jharkhand assembly elections, Hemant Soren, Tribal votebank</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડભોઈમાં આદિવાસી સગીરા પર માતાના પ્રેમીએ દુષ્કર્મ આચર્યું</title>
                    <link>https://khabarantar.com/tribal-minor-raped-by-mothers-lover-in-dabhoi-vadodara</link>
                    <guid>https://khabarantar.com/tribal-minor-raped-by-mothers-lover-in-dabhoi-vadodara</guid>
                    <description>
                        <![CDATA[ વિધવા માતા સાથે પ્રેમી તરીકે રહેતા શખ્સે દીકરી જેવી સગીરા પર દાનત બગાડી બે વાર દુષ્કર્મ આચર્યું ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરા (Vadodara) ના ડભોઈ (Dabhoi) માં એક આદિવાસી (Tribal) સમાજની સગીરા (Minor)  પર તેની માતાના પ્રેમી (Mother's Lover) એ બે વાર દુષ્કર્મ (Raped) આચર્યાની ઘટના ઘટી છે. વિધવા માતાના પ્રેમી તરીકે સાથે રહેતા લાલા વસાવા નામના શખ્સે સગીરા પર બે બે વાર એકલતાનો લાભ લઈને દુષ્કર્મ કરતા આખરે પીડિતાએ હિંમત કરીને તેની નાની અને માતાને મામલાની જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હવસખોર લાલા વસાવાની ધરપકડ કરતા પીડિતાએ તેને ફાંસીની સજા આપવા માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડભોઇમાં શ્રમજીવી પરિવારની સગીરા કન્યાના પિતાનું 11 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. સગીરા તેના ભાઈ અને માતા સાથે રહેતી હતી. તેમની સાથે માતાના પતિ તરીકે છેલ્લા સાત વર્ષથી લાલા વસાવા નામનો શખ્સ રહેતો હતો. સગીરાની માતા મજૂરી કામે જાય ત્યારે આ હવસખોર તેની દીકરી સમાન સગીરા ઉપર દાનત બગાડતો હતો અને અવારનવાર અડપલા કરતો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રણ માસ પહેલા સગીરા ઘરમાં એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈને હવસખોર લાલાએ દુષ્કર્મ આચર્યું હતું. એ પછી તેણે કોઇને આ બાબતની જાણ ન કરવા માટે ધમકી આપી હતી. એ પછી તેણે ત્રણ દિવસ બાદ ફરી એકવાર સગીરાની એકલતાનો લાભ લઇને મરજી વિરુદ્ધ ઘરમાં જ દુષ્કર્મ આચર્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન થોડા દિવસ પહેલા સગીરા ઘરમાં રડતી હતી. ત્યારે ત્યાં પહોંચેલી તેની નાનીએ સગીરાને રડવાનું કારણ પૂછ્યું હતું. તેણે લાલાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. તે જ સમયે મજૂરી કામેથી પરત ફરેલી  સગીરાની માતાએ પણ દીકરીને રડવાનું કારણ પૂછતાં સગીરાએ લાલાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. તેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે લાલાને શોધી કાઢી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/suspecting-witchcraft-the-mob-stripped-and-killed-two-tribal-women">મેલી વિદ્યાની આશંકાએ ટોળાંએ બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને મારી નાખી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 17 Oct 2024 14:38:56 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 17 Oct 2024 14:40:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1410</Articleid>
                    <excerpt>વિધવા માતા સાથે પ્રેમી તરીકે રહેતા શખ્સે દીકરી જેવી સગીરા પર દાનત બગાડી બે વાર દુષ્કર્મ આચર્યું</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6710d46749ac8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6710d4671872c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6710d4671872c.jpg" length="63785" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Tribal minor, raped, Dabhoi, Vadodara</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસીઓને જંગલમાંથી ખદેડવા ત્યાં દીપડો છોડી દેવાયો?</title>
                    <link>https://khabarantar.com/a-leopard-was-left-behind-to-drive-tribals-out-of-the-forest</link>
                    <guid>https://khabarantar.com/a-leopard-was-left-behind-to-drive-tribals-out-of-the-forest</guid>
                    <description>
                        <![CDATA[ શું આદિવાસીઓને જંગલમાંથી ખદેડવા માટે કોઈ આદમખોર દીપડાને તેમના વિસ્તારમાં ઉતારી શકે ખરું? આ સવાલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના ઉદયપુર અને તેની આસપાસના આદિવાસી વિસ્તારમાં છેલ્લાં 23 દિવસથી દીપડાએ આતંક મચાવ્યો છે. અહીંના ગોગુંદા અને સાયરા વિસ્તારમાં દીપડો અત્યાર સુધીમાં 7 લોકોને શિકાર બનાવી ચૂક્યો છે, જ્યારે ઝાડોલ વિસ્તારમાં બે અન્ય લોકો માર્યા ગયા છે. આમ છેલ્લાં 23 દિવસમાં દીપડો કુલ 9 લોકોને શિકાર બનાવી ચૂક્યો છે. આદિવાસી વિસ્તારમાં આ રીતે અચાનક દીપડો આતંક મચાવતા એક ચર્ચા એવી શરૂ થઈ ગઈ છે કે, આદિવાસીઓને જંગલ વિસ્તારમાંથી ખદેડવા માટે આદમખોર દીપડાને આ વિસ્તારમાં ઉતારવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે હવે ભાજપ અને ભારત આદિવાસી પાર્ટી (BAP) ના સાંસદો એકબીજા પર શાબ્દિક પ્રહારો પર ઉતરી આવ્યા છે. બીજી તરફ 23 દિવસથી સર્ચ ઓપરેશન ચાલુ હોવા છતાં દીપડાને પકડવામાં વન વિભાગ નિષ્ફળ રહ્યું છે. સીસીટીવી કેમેરામાં દીપડાની કોઈ તસવીર કેદ થઈ નથી અને વન વિભાગ હજુ માત્ર તેના ફૂટ માર્કના આધારે તેની ભાળ મેળવવામાં લાગેલું છે. જેના કારણે એક એવી શંકા ઉભી કરવામાં આવી છે કે, આદિવાસીઓને જંગલ વિસ્તારમાંથી ખદેડવા માટે જાણીજોઈને અહીં આદમખોર દીપડાને ઉતારવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ઉદયપુરના ભાજપના સાંસદ મન્નાલાલ રાવતે ફેસબુક પર એક પોસ્ટ દ્વારા BAP પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું, "ગોગુંડા-સાયરાના જંગલોમાં આ દીપડાને ક્યાંય BAP તો નછી છોડ્યાં ને?" </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાવતનું નિવેદન BAP ના કાર્યકરોના નિવેદન બાદ આવ્યું હતું, જેમાં કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો હતો કે દીપડાને જાણીજોઈને આદિવાસી વિસ્તારોમાં છોડવામાં આવ્યા હતા જેથી આદિવાસી સમાજને ત્યાંથી ભગાડી શકાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/two-tribal-youths-were-tied-up-and-killed-from-8-am-to-2-pm"><span style="font-size: 14pt;">બે આદિવાસી યુવકોને સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી બાંધીને માર્યા</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંસદ રાવતે તેમની પોસ્ટ પર સ્પષ્ટતા કરતા કહ્યું, "BAP સભ્યો સતત સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે કે અમે આદિવાસીઓને જંગલોમાંથી દૂર કરવા માટે દીપડાને છોડ્યા છે. મેં જનતાને માત્ર એક પ્રશ્ન પૂછ્યો છે. - શું આ BAPનું કાવતરું તો નથી ને?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાવતે એમ પણ કહ્યું હતું કે દીપડાના હુમલા શરૂ થતાંની સાથે જ તેઓ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પીડિતોને રાહત અને વળતરની વ્યવસ્થા કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાવતના આ નિવેદન સામે બાંસવાડા-ડુંગરપુરના BAP સાંસદ રાજકુમાર રોતે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એક વિડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે, "મન્નાલાલ રાવતનું માનસિક સંતુલન બગડી ગયું છે. જો તેમને તાવ આવે તો પણ તે તેના માટે BAP ને દોષી ઠેરવશે. જ્યારે દીપડો ગોગુંડામાં સતત માણસ અને પશુઓનું મારણ કરી રહ્યો છે ત્યારે ભાજપના નેતાઓ તેમની જવાબદારીઓથી ભાગી રહ્યા છે અને સસ્તી રાજનીતિ કરે છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાપ સાંસદ રાજકુમાર રોતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગ્રામજનોને દીપડાના આતંકથી બચાવવા માટે રેલીમાં ભાગ લેનારા 16 BAP કાર્યકરો સામે ખોટા કેસ નોંધવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્રને ચેતવણી આપવા માટે કાર્યકરોએ એક નાના રસ્તા પર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ભાજપે તેમને પણ છોડ્યા ન હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકુમાર રોત અને મન્નાલાલ રાવત વચ્ચેની આ શાબ્દિક ટપાટપીને કારણે સ્થાનિકોમાં એ સવાલે શંકા ઉભી થઈ છે કે, શું ખરેખર આદિવાસીઓને આ વિસ્તારમાંથી ખદેડવા માટે કોઈએ અહીં આદમખોર દીપડાને ઉતાર્યો છે? બીજી તરફ આ બંને સાંસદો વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધને કારણે ઉદયપુરના આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે અને દીપડાના આતંકના મુદ્દાએ હવે રાજકીય રંગ લઈ લીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/bjp-leader-rammed-tractor-on-tribal-farmer-died-on-the-spot">ભાજપ નેતાએ આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દીધું, ઘટના સ્થળે જ મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 17 Oct 2024 13:47:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1409</Articleid>
                    <excerpt>શું આદિવાસીઓને જંગલમાંથી ખદેડવા માટે કોઈ આદમખોર દીપડાને તેમના વિસ્તારમાં ઉતારી શકે ખરું? આ સવાલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6710c7b3867ca.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6710c7b34b65f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6710c7b34b65f.jpg" length="139236" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Man-eating leopard, Udaipur, Rajasthan, Gonguda Saira, Tribal area, Rajkumar Rot, Mannalal Rawat</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી યુવકને માર મારી તેના મોં પર પેશાબ કર્યો</title>
                    <link>https://khabarantar.com/a-tribal-youth-was-beaten-and-urinated-on-his-mouth</link>
                    <guid>https://khabarantar.com/a-tribal-youth-was-beaten-and-urinated-on-his-mouth</guid>
                    <description>
                        <![CDATA[ સ્કૂટી પાર્ક કરવા જેવી બાબતમાં માનવતાને શર્મશાર કરતી આ ઘટના બની હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">a tribal youth was beaten and urinated on his mouth : માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. કેટલાક યુવકોએ એક આદિવાસી યુવકને માર માર્યો અને પછી તેના પર પેશાબ કર્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માનવતાને શરમાવે તેવી આ ઘટના યુપી(UP)ના સોનભદ્ર(Sonbhadra)માંથી સામે આવી છે. જ્યાં એક આદિવાસી યુવક(Tribal youth) સાથે મારપીટ કરી અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. કેટલાક યુવકોએ તેને નિર્દયતાથી માર્યા બાદ તેના મોં પર પેશાબ કર્યો(urinated) હતો. બુધવારે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો. માહિતી મળતાં પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી અને એક આરોપીની ધરપકડ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સોનભદ્રના શક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના શક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ચિલ્કાદાદમાં બની હતી. પોલીસ અધિક્ષક કાલુ સિંહે જણાવ્યું કે 26 સપ્ટેમ્બરે સાંજે લગભગ 7 વાગે, બેરિયર નંબર એક પાસે પવન ખરવારને તેના જ મહોલ્લામાં રહેતા અન્ય સાત-આઠ યુવકોએ ઘેરી લીધો અને તેની મારપીટ કરી. એ પછી એક યુવકે તેના મોં પર પેશાબ કર્યો હતો, જ્યારે અન્ય યુવકો ઉભા રહીને તેનો વીડિયો બનાવતા રહ્યા. આ વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો</span></strong></span><br><span style="font-size: 14pt;">વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, યુવકો પવનને નિર્દયતાથી માર મારે છે અને એક યુવક તેના મોં પર પેશાબ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પવનના ગળા પાસે શર્ટનો કોલર લોહીથી લથપથ છે અને તે જમીન પર બેઠો છે. જ્યારે હાફ પેન્ટ પહેરેલો એક યુવક તેના પર પેશાબ કરી રહ્યો છે અને કેટલાક લોકો તેના ગાળો દેતા રહીને વીડિયો પણ બનાવી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીડિત યુવકના ભાઈએ ટ્વિટ કરતા મામલો સામે આવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસ અધિકારીએ કહ્યું કે હાલમાં વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. અધિક પોલીસ અધિક્ષક કાલુ સિંહે જણાવ્યું કે ઘટના બાદ ઘાયલ પવન ખરવાર તેના ભાઈ શિવ કુમાર ખરવાર સાથે મધ્યપ્રદેશના બૈઢન ગયો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. જ્યારે તે આજે શક્તિનગર પાછો આવ્યો ત્યારે પીડિતાના ભાઈ શિવ કુમાર ખરવારે ટ્વીટ કરીને પોલીસ અધિકારીઓ, પીએમઓ અને મુખ્યમંત્રીને ઘટનાની માહિતી આપી. પોલીસ શિવ કુમાર ખરવાર અને તેના પીડિત ભાઈ પવન ખરવાર પાસેથી ઘટનાની માહિતી લઈને કેસની તપાસ કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સમાજના યુવકને મુખ્ય આરોપી બનાવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે, આ કેસમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત છે કે, એકથી વધુ આરોપીઓ હોવા છતાં પોલીસે એક દલિત યુવકને તેમાં મુખ્ય આરોપી બનાવી દીધો છે. આશ્ચર્ય એ વાતનું પણ થાય છે કે, અન્ય જાતિના આરોપીઓનો હજુ સુધી કોઈ પત્તો નથી, પરંતુ પોલીસે મુખ્ય આરોપી તરીકે એક દલિત યુવક અંકિત ભારતીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી રહી છે. એડિશનલ એસપીએ કહ્યું કે, અન્ય આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. મામલો અમાનવીય કૃત્યોનો છે, તેથી કડક કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ બાઈકચોરી સહિતના ગુનામાં સામેલ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનામાં પકડાયેલા આરોપી યુવકોનો આ વિસ્તારમાં ભારે ખૌફ હોવાનું કહેવાય છે. તેઓ માદક પદાર્થોની દાણચોરી કરતા હોવાનું કહેવાય છે. મુખ્ય આરોપી બાઈક ચોરીના આરોપીમાં સંડોવણી હોવાનું પણ કહેવાય છે અને તેમાં તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. આ ગેંગના યુવકો ગુનેગારોની સ્ટાઈલમાં સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવીને છાકો પાડી દેવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/8-persons-gang-raped-a-tribal-girl-at-the-fair">મેળામાં આવેલી આદિવાસી યુવતી પર 8 લોકોએ ગેંગરેપ કર્યો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 04 Oct 2024 10:41:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1331</Articleid>
                    <excerpt>સ્કૂટી પાર્ક કરવા જેવી બાબતમાં માનવતાને શર્મશાર કરતી આ ઘટના બની હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66ff78ef1c05e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66ff78eede694.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66ff78eede694.jpg" length="75945" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>tribal youth, tribal youth. urinated on his mouth, Sonbhadra, Uttar Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડોક્ટરો સૂતા રહ્યાં, આદિવાસી દીકરી સારવારના અભાવે મોતને ભેટી</title>
                    <link>https://khabarantar.com/doctors-were-sleeping-tribal-girl-died-due-to-lack-of-tratment</link>
                    <guid>https://khabarantar.com/doctors-were-sleeping-tribal-girl-died-due-to-lack-of-tratment</guid>
                    <description>
                        <![CDATA[ ભરૂચના નેત્રંગમાં દોઢ વર્ષની એક આદિવાસી દીકરીને ઈમરજ્ન્સી સારવાર માટે ખસેડાઈ હતી, પણ ડોક્ટરો તેમની ફરજ ચૂક્યાં અને એક પરિવારની લાડલીનો જીવ ગયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં અનેક શહેરોમાં હાલ ચોમાસા બાદ પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ઝાડાઉલટી, મેલેરિયા, તાવ અને કોલેરા જેવી બીમારીઓનો સૌથી વધુ ભોગ બહુજન સમાજ બને છે. આવી જ એક ઘટના ભરૂચના નેત્રંગમાં સામે આવી છે. જ્યાં એક દોઢ વર્ષની આદિવાસી બાળકીને ઝાડાઉલટી થયા બાદ સરકારી દવાખાને લઈ ગયા પરંતુ સમયસર સારવાર ન મળતા તેનું મોત થઈ ગયું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેત્રંગમાં ઝાડા ઊલટીના કેસોમાં ઉછાળો નોંધાયા બાદ સરકારી દવાખાનામાં લોકો સારવાર માટે લાઈનમાં લાગ્યા છે. વચ્ચે આ રોગચાળાને કારણે જ 2 મહિલાઓના મોત થયા હતા. અઠવાડિયા પહેલા અહીં 26 જેટલા દર્દીઓને ઝાડાઉલટીને કારણે દાખલ કરવા પડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ હાલમાં દોઢ વર્ષની એક આદીવાસી બાળકીએ માત્ર ૧૨ કલાકમાં દમ તોડી દેતા  લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, વહીવટીતંત્ર હજુ પણ દીકરીના મોતનું સાચું કારણ અને બીમારીનું મારણ શોધી શક્યું નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂળ આંજોલી ગામના અને હાલ નેત્રંગના કોસ્યાકોલામાં રહીને મજૂરી કરતા નીતિનભાઈ વસાવાની દોઢ વર્ષની દીકરી આર્વીને 27મી સપ્ટેમ્બરે રાત્રે અચાનક ઝાડા ઊલટી શરૂ થઈ જતા પરિવારજનો નેત્રંગના બે ખાનગી ક્લિનીકોમાં લઇને દોડ્યા હતા. જો કે બંને જગ્યાએ ડોક્ટરો સુઈ રહ્યા હતા, જેથી ઈમરજન્સી સારવાર માટે આવ્યા ન હતા. બીજા દિવસે બાળકીની તબિયત વધુ બગડતા પરિજનો ફરી ડોકટરને ત્યાં લઇ જતા તેમણે દીકરીને સરકારી દવાખાનામાં લઇ જાઓ એમ જણાવી દેતા સરકારી દવાખાને લઇને દોડવું પડ્યું હતું. જો કે સરકારી દવાખાને તેને સારવાર મળે એ પહેલા દીકરીએ દમ તોડી દીધો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આર્વીના પરિજનોએ ભારે આક્રોશ અને દુઃખી હૃદયે જણાવ્યું કે, નેત્રંગમાં તબીબોમાં હવે માણસાઈ મરી પરવારી છે. તબીબી સિધ્ધાંતોને અવગણીને ખાનગી ડોકટરો સુઈ રહ્યાં અને મારી દીકરીએ સારવારના અભાવે જીવ ગુમાવ્યો.</span><br><span style="font-size: 14pt;">સરકારી તંત્ર શું કરી રહ્યું છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આર્વીના પિતા નીતિન વસાવાએ તંત્ર સામે પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગંદુ પાણી પીવાથી મારી દીકરી મોતને ભેટી. હજુ સુધી તંત્રે ગ્રામ પંચાયત હસ્તક કુવા, બોર અને પાઈપલાઈનોની તપાસ કરી રોગચાળો કેવી રીતે વકર્યો તે જાણવાની પણ તસ્દી નથી લીધી. શું તંત્ર હજુ પણ રોગાચાળો વધુ લોકો મોતના ખપ્પરમાં હોમાય તેની રાહ જોઈ રહ્યું છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આર્વીના મોતનું કારણ અકબંધ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.એન. સિંઘએ જણાવ્યું હતું કે બાળકીના મોતનું કારણ તપાસવા અહીંથી ટીમ તેના ઘરે મોકલી હતી, પરંતુ કશું મળ્યું નથી. હવે વડોદરા SSG હોસ્પિટલથી કારણ જાણવા ખાસ ટીમ આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નેતંત્ર વિસ્તારમાં અનેક 'મુન્નાભાઈ'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભરૂચના નેત્રંગ અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક મુન્નાભાઈ ટાઈપ ડોક્ટરો દવાખાના ખોલીને બેસી ગયાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળે છે. ખાસ કરીને અંતરિયાળ આદિવાસી પટ્ટામાં, જ્યાં સરકારી તંત્રની પહોંચ મર્યાદિત છે, ત્યાં અનેક બોગસ ડિગ્રીધારી ડોક્ટરો દવાખાના ખોલીને ગેરકાયદે પ્રેક્ટિસ કરી રહ્યાં છે. જો તેની તપાસ કરાય તો ઘણા અંતરિયાળ વિસ્તારોમાં ડીગ્રી વિનાના ડોકટરો પણ ખુલ્લા પડી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/the-system-of-pmjay-scheme-has-crashed-in-gujarat"><span style="font-size: 14pt;"> ગુજરાતમાં PMJAY યોજનાની સિસ્ટમ ક્રેશ થઈ ગઈ છે</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 02 Oct 2024 11:59:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1317</Articleid>
                    <excerpt>ભરૂચના નેત્રંગમાં દોઢ વર્ષની એક આદિવાસી દીકરીને ઈમરજ્ન્સી સારવાર માટે ખસેડાઈ હતી, પણ ડોક્ટરો તેમની ફરજ ચૂક્યાં અને એક પરિવારની લાડલીનો જીવ ગયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fce7066d8c1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fce7063acac.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fce7063acac.jpg" length="95927" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Death due to lack of treatment, Netrang.Bharuch</media:keywords>
                </item>
                        <item>
                    <title>તાડના પાંદડામાંથી પંખા બનાવવાની અદ્ભુત કલાનો કોઈ કદરદાન નથી</title>
                    <link>https://khabarantar.com/there-is-no-appreciation-of-the-wonderful-art-of-making-fans-out-of-palm-leaves</link>
                    <guid>https://khabarantar.com/there-is-no-appreciation-of-the-wonderful-art-of-making-fans-out-of-palm-leaves</guid>
                    <description>
                        <![CDATA[ નસવાડીના જેઠાભાઈ રાઠવા તાડના પાનમાંથી અદ્દભૂત પંખા બનાવી જાણે છે, પણ તેમની આ કળાનું કોઈ કદરદાન નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર આદિવાસી સમાજના ઉત્થાન માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે પણ તે તેના અસલ લાભાર્થી સુધી ભાગ્યે જ પહોંચે છે. વચેટિયાઓને કારણે તેના અસલ લાભાર્થીઓ વંચિત રહી જાય છે અને છેલ્લે અસલી કલાકારો જ્યાંના ત્યાં જ રહી જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવુ જ કંઈક છોટાઉદેપુરના એક આદિવાસી કલાકાર સાથે થઈ રહ્યું છે. અહીં નસવાડી તાલુકાના રતનપુર ગામે એક આદિવાસી કારીગર તાડના વૃક્ષના સૂકા પાંદડા માંથી રંગબેરંગી પંખા બનાવે છે. પણ તંત્ર દ્વારા તેમને આજદિન સુધી કોઈ પણ જાતની સહાય ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવી નથી. પંખા બનાવવાની અદ્ધભૂત કલા આ કારીગર પાસે છે. પરંતુ ગરીબ હોવાથી પંખા બનાવ્યા બાદ વેચવા માટે તેની પાસે કોઈ સુવિધા નથી. સરકાર આવા કારીગરો પાસેથી હસ્ત કલા માં વેચાતી વસ્તુઓમાં આ કારીગર ના પંખા ખરીદી ને રોજગારી આપે તેવી આ પરિવાર માંગ કરી રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આવકનું કોઈ સાધન નથી</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના રતનપુર ગામનો છે. અહીં રહેતા રાઠવા જેઠાભાઇ છોડાભાઈના તાડના પાંદડામાંથી અદ્દભૂત પંખા બનાવી જાણે છે પણ તેમની આ કળાની કોઈને કદર જ નથી. તેમના પરિવારમાં બે પુત્રો છે, જે રોજગારી ન હોવાથી સૌરાષ્ટ્રમાં મજૂરી કામે જાય છે. જયારે પતિ પત્ની બંને સાથે રહે છે. તેઓ પાસે રોજગારીનું કોઈ સાધન ના હોવાથી તાડના વૃક્ષના પાંદડા તોડીને તેને સુકવેલા પાંદડાને ગુંથીને પંખા બનાવે છે. તેની અદ્ધભૂત કલા મન મોહી લે છે. પંખામાં અલગ અલગ કલર પુરવામા આવે છે. એક પંખો 50 રૂપિયામાં વેચાણ કરે છે. પરંતુ ગામડું હોવાથી પંખા નું વેચાણ ઓછું થાય છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આવા પંખા તમને આખા પંથકમાં નહીં મળેઃ જેઠાભાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારે આવા કારીગરોને જીવન નિર્વાહ માટે આધુનિક સાધનો ગરીબ કલ્યાણ મેળામાં આપવા જોઈએ અને હસ્ત કલા થી બનાવેલા પંખાની ખરીદી સરકારે કરવી જોઈએ એવી માંગ ઉઠી છે.</span><br><span style="font-size: 14pt;">જેઠાભાઈ કહે છે, "આટલા વર્ષોમાં સરકારે કોઈ લાભ આપ્યો નથી. હું જે પ્રકારના પંખા બનાવું છું તે સમગ્ર પંથકમાં તમને ક્યાંય જોવા નહીં મળે. શહેરોમાં ચાલતા ખાદી ગ્રામોદ્યોગમાં હસ્તકલાથી બનાવેલી અનેક વસ્તુઓનું વેચાણ થાય છે. પણ મારા પંખાને મારે ક્યાં વેચવા તે સવાલ છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આદિવાસી જાતિ વિકાસ વિભાગ મદદ કરશે?</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારનો આદિજાતિ વિકાસ વિભાગ વર્ષોથી આદિવાસી સમાજ માટે કાર્યરત છે. પણ હજુ સુધી તે સમાજનો ઉદ્ધાર કરી શક્યો નથી. સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે પણ તે તેના અસલ લાભાર્થીઓ સુધી કદી પહોંચતું નથી. આદિવાસી વિકાસ મંત્રી આ પરિવારની મદદે આવે તો આ પરિવારની કળા ખુદની સાથે બીજા પણ અનેક લોકોને રોજીરોટી પુરી પાડી શકે તેમ છે.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 02 Oct 2024 10:33:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1316</Articleid>
                    <excerpt>નસવાડીના જેઠાભાઈ રાઠવા તાડના પાનમાંથી અદ્દભૂત પંખા બનાવી જાણે છે, પણ તેમની આ કળાનું કોઈ કદરદાન નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fcd3ffcc1bb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fcd3ff99de2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fcd3ff99de2.jpg" length="109871" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>art of making fans, Tribal art, palm leaves, Chhotaudepur District, Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી લેખિકા&amp;કવિ જેસિંટા કેરકેટ્ટાએ વધુ એક પુરસ્કાર ફગાવ્યો</title>
                    <link>https://khabarantar.com/tribal-writer-poet-jacinta-kerketta-turn-down-another-award</link>
                    <guid>https://khabarantar.com/tribal-writer-poet-jacinta-kerketta-turn-down-another-award</guid>
                    <description>
                        <![CDATA[ ઈન્ડિયા ટુડે ગ્રુપનો એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કર્યા બાદ આદિવાસી લેખિકા-કવિ જેસિંટા કેરકેટ્ટાએ વધુ એક પુરસ્કાર ફગાવી દીધો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી કાર્યકર અને લેખક-કવિ જેસિન્ટા કેરકેટ્ટા(Jacinta Carcetta)એ વધુ એક પુરસ્કાર લેવાનો ઈનકાર કરી દીધો છે. જેસિંટાએ યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) અને રૂમ ટુ રીડ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવતો પુરસ્કાર પેલેસ્ટાઇન સામે ઇઝરાયેલ દ્વારા છેડવામાં આવેલા યુદ્ધના પીડિતોના સમર્થનમાં સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.</span><br><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><a href="https://thewirehindi.com/286085/writer-poet-jacinta-kerketta-turns-down-award-co-sponsored-by-us-aid-says-for-children-of-palestine/" style="color: rgb(224, 62, 45);">ધ વાયર</a></strong></span>ના એક રિપોર્ટ અનુસાર, તેમના કાવ્યસંગ્રહ 'જીરહુલ'ને બાળ સાહિત્યકારો માટેના એવોર્ડની કેટેગરીમાં 'રૂમ ટુ રીડ યંગ ઓથર એવોર્ડ' માટે પસંદ કરવામાં આવ્યો છે. એવોર્ડ આપતી સંસ્થાઓએ હજુ સુધી આ નિર્ણય અંગે જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે બાળ સાહિત્ય પુરસ્કારની બીજી આવૃત્તિનો સમારોહ 7 ઓક્ટોબરે યોજાવાનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરકેટાએ યુએસએઆઈડી અને રૂમ ટુ રીડ ઈન્ડિયા ટ્રસ્ટ બંનેને પત્રો લખીને ઉપરોક્ત એવોર્ડ સ્વીકારવાનો ઈન્કાર કરવાના કારણો સમજાવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરકટ્ટાએ કહ્યું કે બાળકો માટે પુસ્તકો મહત્વપૂર્ણ છે, પરંતુ મોટેરાઓ તે બાળકોને બચાવી શકતા નથી, એ બાળકો જેમાંથી હજારો પેલેસ્ટાઈનમાં માર્યા ગયા છે. રૂમ ટુ રીડ ઈન્ડિયા ટ્રસ્ટ બાળકોના શિક્ષણ માટે બોઈંગ કંપની સાથે સંકળાયેલું છે. જ્યારે બાળકોની દુનિયા એ જ કંપની દ્વારા બનાવવામાં શસ્ત્રોથી નાશ પામી રહી છે, ત્યારે હથિયારોનો વેપાર અને બાળકોની સંભાળ એક સાથે કેવી રીતે ચાલી શકે?'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એરોસ્પેસ દિગ્ગજ બોઈંગનો દાવો છે કે તે 75 વર્ષથી ઈઝરાયેલની સેના સાથે જોડાયેલી છે. ગયા વર્ષે ટ્રસ્ટ અને બોઇંગ વચ્ચે શિક્ષણ કાર્યક્રમ પર ભાગીદારીના સમાચાર આવ્યા હતા. જેને તત્કાલીન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લીલી ઝંડી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભોપાલના ઈકતારા ટ્રસ્ટના પ્રકાશન ગૃહ, જુગ્નુ પ્રકાશન દ્વારા આ વર્ષે ‘જીરહુલ’ નામથી જેસિંડા કેરકેટ્ટાનું આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. આ કાવ્ય સંગ્રહમાં ફૂલો પરની કવિતાઓ છે જે આદિવાસી વિસ્તારના જંગલોમાં રહેતા લોકોના જીવન સાથે સંબંધિત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેસિન્ટાએ કહ્યું, 'આ સામાજિક-રાજકીય ચેતનાને જાગૃત કરવા માટે લખવામાં આવી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે દેશના બાળકો માત્ર ગુલાબ અને કમળ વિશે વાંચીને મોટા થઈ રહ્યા છે. સાહિત્ય ક્ષેત્રે વિવિધતા જાળવીને બાળકોને ધ્યાનમાં રાખીને બહુ ઓછું કામ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં બાળકો માટે લખાયેલા કાવ્યસંગ્રહને એવોર્ડ મળે તો સારું થયું હોત.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન સંજોગોને જોતા બાળસાહિત્ય માટેનો આ એવોર્ડ સ્વીકારવો તેમના માટે મુશ્કેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરકેટાએ 'ઈશ્વર અને બજાર', 'જેસિન્ટાની ડાયરી' અને 'લેન્ડ ઓફ ધ રૂટ્સ' સહિત સાત પુસ્તકો લખ્યા છે. ગયા વર્ષે, તેમના કામ માટે ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જોકે તેમણે મણિપુરમાં આદિવાસીઓ પર થઈ રહેલા અત્યાચારો અને તેના પર દાખવવામાં આવતી બેદરકારીના વિરોધમાં તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, હજુ ગયા અઠવાડિયે જ લેખક અને અનુવાદક ઝુમ્પા લાહિરીએ ન્યૂયોર્કના નોગુચી મ્યુઝિયમ તરફથી એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે મ્યુઝિયમે ત્રણ કર્મચારીઓને 'કેફિયેહ' સ્કાર્ફ પહેરવા બદલ કાઢી મૂક્યા હતા, જે પેલેસ્ટાઈનની એકતાનું પ્રતિક છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Noted-tribal-writer-Jacinta-Kerketta-refuses-to-accept-India-Today-Group-award,-knowing-it-would-feel-like-saluting">પ્રખ્યાત આદિવાસી લેખિકા જેસિંટા કેરકેટ્ટાએ ઈન્ડિયા ટુડે ગ્રુપનો એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Sep 2024 12:09:42 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 30 Sep 2024 12:10:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1302</Articleid>
                    <excerpt>ઈન્ડિયા ટુડે ગ્રુપનો એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કર્યા બાદ આદિવાસી લેખિકા-કવિ જેસિંટા કેરકેટ્ટાએ વધુ એક પુરસ્કાર ફગાવી દીધો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66fa477c34106.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fa477c01e47.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fa477c01e47.jpg" length="50736" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jacinta Carcetta, Refusal to accept award, USAID, Room to Read India, Children of Palestine</media:keywords>
                </item>
                        <item>
                    <title>DNA રિપોર્ટ તપાસ્યા વિના જજે આદિવાસી આરોપીને 20 વર્ષની સજા ફટકારી</title>
                    <link>https://khabarantar.com/the-judge-sentenced-the-tribal-accused-to-20-years-without-checking-the-dna-report</link>
                    <guid>https://khabarantar.com/the-judge-sentenced-the-tribal-accused-to-20-years-without-checking-the-dna-report</guid>
                    <description>
                        <![CDATA[ દેશના ન્યાયતંત્રમાં કઈ હદે લહેરિયું ખાતું ચાલે છે, કઈ હદે જજો બેદરકારી દાખવી સામાન્ય માણસની જિંદગી સાથે રમત કરે છે તેનો આ કેસ ઉત્તમ નમૂનો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ન્યાયતંત્રમાં બેઠેલો લોકો કઈ રીતે આ દેશના ગરીબ, અભણ અને લાચાર લોકોની જિંદગી સાથે રમત રમી નાખે છે તેનું આ કેસ વરવું ઉદાહરણ છે. ભારતમાં આમ પણ નીચલી કોર્ટોમાં જે પ્રકારની માનસિકતા ધરાવતા જજો બેઠઆં છે અને તેઓ જે પ્રકારના નિવેદનો આપીને આજકાલ મીડિયામાં ચમકી રહ્યાં છે, તે જોતા આવા વધુને વધુ કિસ્સા સામે ન આવે તો જ નવાઈ લાગે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો કંઈ આવો છે. એક આદિવાસી વ્યક્તિ પર એક મહિલાએ તેની સગીર વયની દીકરી પર તેણએ બળાત્કાર કર્યાનો આરોપ મૂકીને કેસ કર્યો હતો. આ મામલે તપાસ દરમિયાન પોલીસે આરોપીનો ડીએનએ રિપોર્ટ કઢાવ્યો હતો, જેમાં સાબિત થતું હતું કે પીડિતાના આંતરવસ્ત્રોમાં કે અન્ય કોઈ જગ્યાએ સ્પર્મના નમૂના મળ્યાં નથી. ટૂંકમાં ડીએનએ રિપોર્ટ સંપૂર્ણપણે નેગેટિવ આવ્યો હતો. જેના પરથી કથિત પીડિતા પર કોઈ બળાત્કાર થયો ન હોવાનું ફલિત થતું હતું, આ સિવાય બીજા પણ અનેક પુરાવા પીડિતાની વિરુદ્ધમાં જતા હતા. તેમ છતાં નીચલી કોર્ટના પોક્સો સ્પેશિયલ જજ અને ADPO(Assistant District Prosecution Officer) એ આ તમામ પુરાવાઓને અવગણીને એ આદિવાસી વ્યક્તિને 20 વર્ષની જેલની સજા ફટકારી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/apply-reservation-in-posts-of-high-court-supreme-court-judges-too-mayawati">હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેની સામે આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ત્યાં ડીએનએ રિપોર્ટ સહિતના મામલે જજ અને એડીપીઓએ જે બેદરકારી દાખવી હતી તેનો ભાંડો ફૂટ્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું કે જજ અને એડીપીઓએ ડીએનએ રિપોર્ટની સદંતર અવગણના કરીને આ મનઘડંત ચૂકાદો આપ્યો છે. હવે હાઈકોર્ટે જજ અને એડીપીઓ સામે તપાસના આદેશો આપ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચારો થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીં જબલપુર હાઈકોર્ટે ઉમરિયા જિલ્લાના બળાત્કારના એક કેસમાં નીચલી અદાલતે આપેલા ચૂકાદાને રદ કર્યો છે. આ સાથે જ હાઈકોર્ટે આ ચૂકાદો આપનાર જજ અને સરકારી વકીલની તપાસનો આદેશ પણ આપ્યો છે. આ અપીલ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, 2012 (POCSO) હેઠળ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આમાં ગંભીર ગેરરીતિઓ શોધી કાઢી છે. હાઈકોર્ટે કેસની સુનાવણીમાં બેદરકારી દાખવવા બદલ સ્પેશ્યિલ જજ અને સહાયક જિલ્લા પ્રોસિક્યુશન ઓફિસર (ADPO) સામે તપાસનો આદેશ આપ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">વર્ષ 2020 માં ઉમરિયા જિલ્લાની એક મજૂર મહિલાની પુત્રીએ આરોપ મૂક્યો હતો કે તે જે મકાનમાં બાંધકામ કરતી હતી તેના માલિકે તેની પર બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં, આરોપીના પુત્રએ તેના પર ગરમ પાણી ફેંક્યું હતું. કથિત પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો કે ઘટના બાદ આરોપીની પત્નીએ તેને ધમકી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કથિત પીડિતાની ફરિયાદ પર આરોપી, તેની પત્ની અને પુત્ર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366-A, 376(2)(n) અને POCSO એક્ટની કલમ 5/6 હેઠળ FIR નોંધવામાં આવી હતી. કેસની તપાસ દરમિયાન પોલીસે ડીએનએ રિપોર્ટ મેળવ્યો હતો, જે રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, સાગર દ્વારા 31 ઓક્ટોબર, 2022 ના રોજ તૈયાર કરવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-did-the-two-retired-judges-of-the-supreme-court-attend-the-meeting-of-vhp">સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજો વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં શું કામ ગયા હતા?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રિપોર્ટ સ્પેશિયલ જજ વિવેક સિંહ રઘુવંશી(Vivek Singh Raghuvanshi) અને ADPO બી.કે. વર્મા (B.K. Varma) પાસે પહોંચ્યો હતો. પરંતુ રિપોર્ટને અવગણીને જજે આદેશ જારી કર્યો હતો. આ DNA રિપોર્ટ ન તો સરકારના એડવોકેટ દ્વારા રેકોર્ડ પર લાવવામાં આવ્યો હતો, ન તો સુનાવણી દરમિયાન આરોપીને ક્રોસ એક્ઝામિનેશનમાં તેને સંબંધિત કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">DNA રિપોર્ટ સહિતના સાક્ષીઓ આરોપીની તરફેણમાં</span></strong><br><span style="font-size: 14pt;">આ કેસની સુનાવણી જસ્ટિસ વિવેક અગ્રવાલ(Vivek Aggarwal) અને જસ્ટિસ દેવનારાયણ મિશ્રા(Devnarayan Mishra)ની બેન્ચમાં થઈ હતી. એ દરમિયાન એ વાત સામે આવી હતી કે ડીએનએ રિપોર્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે કથિત પીડિતાના આંતરવસ્ત્રોમાં પુરૂષનું કોઈ ડીએનએ નહોતું. આ સિવાય સ્પર્મ સ્લાઈડ્સ સહિત અન્ય ટેસ્ટમાં પણ કોઈપણ પ્રકારની ઈજા કે બળાત્કારની પુષ્ટિ થઈ નહોતી. સાથે જ કોર્ટમાં પીડિતા અને તેની માતાની ક્રોસ એક્ઝામિનેશનથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે કથિત પીડિતાએ તેની માતાને માત્ર લડાઈ ઝઘડાની વાત કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-was-heard-in-the-drawing-room-of-savarna-the-judge-wrote-in-the-judgment">સવર્ણોના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું, તે જજોએ અનામત વિશેના ચૂકાદામાં લખ્યું છે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી ગ્રામજનો સાથે ચર્ચા કર્યા બાદ ઘટનાના બીજા દિવસે આ બળાત્કારની FIR દાખલ કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ એ હકીકત પણ સામે આવી કે કથિત પીડિતાએ આ પહેલા પણ ઘણા લોકો સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. એ પછી પણ નીચલી કોર્ટે આ તમામ તથ્યોને અવગણીને આરોપીઓ વિરુદ્ધ આદેશ કર્યો હતો અને તેને 20 વર્ષની સજા ફટકારી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">જજ અને ADPO ની ગંભીર બેદરકારી</span></strong><br><span style="font-size: 14pt;">હાઈકોર્ટે અવલોકન કર્યું કે ડીએનએ રિપોર્ટ 14 નવેમ્બર, 2022ના રોજ નીચલી કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્પેશ્યિલ જજે તેને exhibit નહોતો કર્યો. તેમજ ADPO એ ફરિયાદ પક્ષ વતી રજૂ કરવામાં બેદરકારી દાખવી હતી. આ ગંભીર ભૂલ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે કોર્ટે જોયું કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 313 હેઠળ આરોપીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, પરંતુ ડીએનએ રિપોર્ટ પર આરોપીઓને કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો ન હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હાઈકોર્ટે જજ અને ADPO ની આકરી ઝાટકણી કાઢી</span></strong></span><br><span style="font-size: 14pt;">અદાલતે પ્રથમ દૃષ્ટિએ ADPO અને સ્પેશ્યિલ જજ બંને પર બેદરકારીનો આરોપ મૂક્યો છે. આ બેદરકારીને જોતા કોર્ટે નિર્ણય લીધો કે કેસને પાછો ટ્રાયલ કોર્ટમાં મોકલવામાં આવે, જેથી ડીએનએ રિપોર્ટને યોગ્ય રીતે રજૂ કરી શકાય, આરોપીઓનું નિવેદન ફરીથી નોંધવામાં આવે અને આ મામલામાં ટ્રાયલ 3 મહિનામાં પૂર્ણ કરવામાં આવે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જજ અને ADPO ઓની તપાસનો આદેશ અપાયો</span></strong></span><br><span style="font-size: 14pt;">કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ડીએનએ રિપોર્ટ સહિત તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને ત્રણ મહિનાની અંદર કેસને ખતમ કરવામાં આવે. તેમજ ADPO બી.કે. વર્મા અને વિશેષ ન્યાયાધીશ વિવેક સિંહ રઘુવંશી વિરુદ્ધ બેદરકારીના આરોપોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાદ તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચુકાદો આપતા પહેલા પુરાવાની તપાસ કરવી જરૂરી છે</span></strong></span><br><span style="font-size: 14pt;">જબલપુર હાઈકોર્ટનો આ નિર્ણય ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશોની જવાબદારીના મહત્વને દર્શાવે છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. આવી કોઈપણ બેદરકારીને સાંખી લેવામાં નહીં આવે. કારણ કે તેમાં મુખ્ય તથ્યોની અવગણના કરવામાં આવી હતી. આ ચૂકાદો કોઈ નિર્દોષને જેલમાં રાખવાનું કારણ બની શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલ્પના કરો, 20 વર્ષની સજા થઈ હોત તો શું થાત?</span></strong></span><br><span style="font-size: 14pt;">હવે કલ્પના કરો કે, આ કેસમાં જો આરોપીએ હાઈકોર્ટમાં અપીલ ન કરી હોય તો તેની શું દશા થાત? જિંદગીના 20 વર્ષ જેલમાં કાઢવા પડત. આ કલ્પના જ એટલી ભયાનક છે, તો વિચારો કે ખરેખર જ્યારે જજે આ સજા આરોપી આદિવાસી શખ્સને સંભળાવી હશે ત્યારે તેની મનોદશા શું હશે? કોઈ જજ હમણાં જ કહ્યું હતું કે, ન્યાયની દેવી અંધ છે, પણ જજોને તો આંખો છે ને?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-is-the-contribution-of-collegium-judges-regarding-classification-into-sc-st">એસસી, એસટીમાં પેટા વર્ગીકરણ બાબતે કોલેજિયમ જજોની દાનત શું છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Sep 2024 09:18:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1281</Articleid>
                    <excerpt>દેશના ન્યાયતંત્રમાં કઈ હદે લહેરિયું ખાતું ચાલે છે, કઈ હદે જજો બેદરકારી દાખવી સામાન્ય માણસની જિંદગી સાથે રમત કરે છે તેનો આ કેસ ઉત્તમ નમૂનો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f5b2903ace8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f5b2900ab37.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f5b2900ab37.jpg" length="80272" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jabalpur High Court, Umaria Rape Case, Judgment of the lower court, Vivek Singh Raghuvanshi, B K Verma</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાહોદની બાળકીનો હત્યારો આચાર્ય VHP, RSS, BJP સાથે જોડાયેલો છે?</title>
                    <link>https://khabarantar.com/dahod-girl-killer-acharya-connected-with-vhp-rss-bjp</link>
                    <guid>https://khabarantar.com/dahod-girl-killer-acharya-connected-with-vhp-rss-bjp</guid>
                    <description>
                        <![CDATA[ દાહોદમાં માસૂમ બાળકીની હત્યા કરનાર શાળાનો આચાર્ય ગોવિંદ નટ VHP, RSS, BJP સાથે સંકળાયેલો હોવાના પુરાવા મળ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- આરોપી આચાર્ય ગોવિંદ નટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ સાથે ઘરોબો ધરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- દાહોદની ઘટનાનો આરોપી રાજકીય વ્યક્તિ, તેની સામે પગલાં લેવાશે? : પાર્થિવરાજ કઠવાડિયા</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- દુષ્કર્મની ફરિયાદ થયેલા ભાજપના પૂર્વ મંત્રી અર્જુન ચૌહાણ સાથે આરોપી ગોવિંદનો ફોટો</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દાહોદ ખાતે માસૂમ બાળકીની હત્યા કરનાર શાળાનો આચાર્ય ગોવિંદ નટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ સાથે ઘરોબો ધરાવે છે, ત્યારે તેની સામે કડક પગલાં લેવાશે કે કેમ? તેવી આશંકા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ વ્યક્ત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ દાહોદના સિંધવડમાં છ વર્ષની દીકરીની તેની જ શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવેલી હત્યા મામલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. કઠવાડિયાએ તે ઘટનાના આરોપી એવા શાળાના આચાર્ય ગોવિંદ નટના સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ સાથે ઘરોબો હોવાના ફોટો રજૂ કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, "ગોવિંદ નટ સંઘના ગણવેશ સાથે શિબિરમાં ભાગ લીધાનો ફોટો, વિશ્વ હિન્દુ પરિષદની શિબિરમાં ભાગ લીધાના ફોટો તેમજ ભાજપ સરકારના પૂર્વ મંત્રી અર્જુન ચૌહાણ સાથેના ફોટો જોવા મળ્યા છે. ત્યારે શું સંઘ, વીએચપી અને ભાજપના આગેવાનો કે કાર્યકરો કોઈ વિરોધ કરશે ખરાં? દાહોદની દીકરી માટે કેન્ડલ માર્ચ કાઢશે ખરાં?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/say-less-stay-at-home-this-is-rsss-view-on-women">ઓછું બોલો, ઘરે રહો, આ RSS નો મહિલાઓને લઈને વિચાર છે...</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f256f01001d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કઠવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, "ગોવિંદ નટના ભાજપ સરકારના પૂર્વ મંત્રી અર્જુન ચૌહાણ સાથે ફોટા છે તે પૂર્વ મંત્રી અર્જુન ચૌહાણ સામે પણ ભૂતકાળમાં દુષ્કર્મની ફરિયાદ થયેલી છે." ત્યારે આ ગોવિંદ નટ સામે ભાજપ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે ખરાં તેવો ગંભીર સવાલ ઉઠાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પણ આ મામલે વેઘક સવાર ઉઠાવતા કહ્યું હતું કે, "સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસૂમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર ક્યારે સઘન પગલાં ભરશે? તેવો વેધક સવાલ કોંગ્રેસનાં પ્રદેશ પ્રવકતા ડૉ. મનીષ દોશીએ કર્યો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, "સમગ્ર ગુજરાતમાં વધતા જતા માસૂમ દિકરીઓ પરના દુષ્કર્મ અને જાતીય સતામણીના વધતા જતાં કિસ્સા વાલીઓ માટે પણ ચિંતાનો વિષય છે. શાળા અને કોલેજોમાં વાલીઓ પોતાની દિકરીઓને અભ્યાસ કરવા મોકલે છે, ત્યારે તેની સાથે જ્યારે આવી કાળજુ કંપાવનારી ઘટનાઓ બને ત્યારે શૈક્ષણિક સંકુલોમાં દિકરીઓની સલામતિ માટે ગંભીર પગલાં લેવાનો સમય પાકી ગયો છે."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f256fe4831d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, "દાહોદ અને અન્ય શૈક્ષણિક સંસ્થામાં છેલ્લા 72 કલાકમાં બનેલી ઘટનાઓ અંગે સંડોવાયેલા નરાધમો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ. એટલું જ નહીં, સમગ્ર કેસને ફાસ્ટ-ટ્રેકમાં ચલાવાય અને દાખલારૂપ સજા થાય તે રીતે કાર્યવાહી કરાય તેવી માંગણી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "દાહોદની શાળામાં આચાર્ય દ્વારા આચરેલું કૃત્ય શિક્ષણજગતને શર્મસાર કરે તેવી ઘટના છે. દાહોદની સાથે બોટાદ, અમદાવાદ, રાજકોટમાં શિક્ષણ સંસ્થાનમાં જાતીય સતામણીની ફરિયાદો ઉઠી છે, ત્યારે કોની ઉપર ભરોસો મૂકવો તે સવાલ થાય છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, "ગુજરાત રાજ્યમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ફક્ત કાગળ ઉપર છે. આ પ્રકારના બનાવોમાં શિક્ષણ વિભાગ લીપાપોતી કરવાને બદલે સંગીન પગલાં ભરે તેવી માંગણી છે. કર્મયોગી જેવી અનેક તાલીમોમાં લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવે છે ત્યારે કઈ પ્રકારની તાલીમ આ કૃત્ય આચરનાર નરાધમ શિક્ષકો મેળવી રહ્યા છે?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/in-dahods-torani-the-principal-turned-out-to-be-the-killer-of-the-girl"><strong>દાહોદના તોરણીમાં આચાર્ય જ બાળકીનો હત્યારો નીકળ્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Sep 2024 11:41:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1263</Articleid>
                    <excerpt>દાહોદમાં માસૂમ બાળકીની હત્યા કરનાર શાળાનો આચાર્ય ગોવિંદ નટ VHP, RSS, BJP સાથે સંકળાયેલો હોવાના પુરાવા મળ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f256bf1e403.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f256bedc7f3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f256bedc7f3.jpg" length="115295" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>VHP, RSS, BJP, Dahod Killed a Girl</media:keywords>
                </item>
                        <item>
                    <title>શિક્ષકોની ભરતીમાં બંધારણીય અનામતની ઠંડા કલેજે હત્યા</title>
                    <link>https://khabarantar.com/constitutional-reservation-in-recruitment-of-teachers-killed-by-cold-college</link>
                    <guid>https://khabarantar.com/constitutional-reservation-in-recruitment-of-teachers-killed-by-cold-college</guid>
                    <description>
                        <![CDATA[ 12 સપ્ટેમ્બરે બહાર પડેલી શિક્ષકોની ભરતીમાં કેવી રીતે એસસી, એસટી, ઓબીસીની અનામતની ઠંડા કલેજે હત્યા થઈ રહી છે તે સમજો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Gujarat Teacher Recruitment: બાબાસાહેબ ડૉ. આંબેડકરના મહાસંઘર્ષ અને અસીમ બલિદાનના પ્રતાપે SC–ST-OBCને પ્રાપ્ત થયેલ બંધારણીય અનામતની ઠંડે કલેજે હત્યા કરી દેવાનો સરકારી કારસો સામે આવ્યો છે. 12 સપ્ટેમ્બર, 2024ના રોજ જાહેર થયેલી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા શિક્ષકોની ભરતીમાં કેટેગરી મુજબ ખાલી શિક્ષકોની જગ્યાઓમાં SC કેટેગરીના ઉમેદવારને ફરી  એકવાર સરકારી નીતિનો વરવો અનુભવ થયો છે. ઉચ્ચત્તર માધ્યમિકમાં જુદાજુદા વિષયોની કુલ 2,989 જગ્યાઓમાં SC કેટેગરીની માત્ર 84 જગ્યાઓ અને માધ્યમિક વિભાગમાં કુલ 2669 જગ્યાઓમાં SC કેટેગરીને માત્ર 72 જગ્યાઓ ફાળવવામાં આવી છે. સરકારના અણઘડ નિયમો અને રોસ્ટરના આટાપાટા વચ્ચે SC–ST-OBC કેટેગરીના ઉમેદવારો ભયંકર રીતે કચડાઈ રહ્યા છે તેઓ આ તાજો દાખલો તમારૂ લોહી લાવા બનાવી દે તેવો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f231a042c8c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ભરતીમાં  વર્ષ 2016 અને તે પહેલાની ભરતીમાં નોકરીમાં જોડાયેલા SC-ST-OBC અને જનરલ કેટેગરીના શિક્ષકો ઉમેદવારી નોંધાવી શકે છે, તો EWS કેટેગરીનાં ઉમેદવારોની એકપણ જગ્યા હોવી જોઈએ નહીં, કારણ તે સમયે EWS કેટેગરીનું અસ્તિત્વ જ ન હતું. છતાં આ ભરતીમાં ઉ.માધ્યમિક વિભાગમાં EWSની 255 અને માધ્યમિક વિભાગમાં EWSની 328 જગ્યાઓ આપવામાં આવી છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f2319fb42bc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મુદ્દે બીજી આંખે ખૂંચનારી વાત એ છે કે આ ભરતી જૂના શિક્ષકોની છે, જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી 10 લાખ કરતા વધુની છે, જ્યારે EWSનો લાભ 8 લાખથી ઓછી આવકના ઉમેદવારોને મળે તેવી સરકારી જોગવાઈ છે. છતાં  EWSની બંન્ને વિભાગોમાં કુલ 583 જગ્યાઓ ફાળવવામાં આવી છે. સંઘ અને ભાજપની જુગલજોડીથી બનેલી આ સરકાર બંધારણીય જોગવાઈના ગાલ પર છડેચોક તમાચો મારી રહી છે અને છતાં સૌ ચૂપ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ભરતીમાં એકને ગોળ અને બીજાને ખોળ નહીં પણ ધૂળ જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે આ મુદ્દો હાઈકોર્ટમાં ચેલેન્જ થવો જોઈએ, જો ન થાય તો શિક્ષિતોની નસોમાં દોડતું લોહી, લોહી નહી પણ પાણી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(0, 0, 0);"><strong>અહેવાલઃ</strong></span> <strong><span style="color: rgb(224, 62, 45);">મયૂર વાઢેર</span></strong> (<span style="font-size: 12pt;"><em><strong>લેખક વ્યવસાયે અંગ્રેજીના શિક્ષક અને બહુચર્ચિત પુસ્તક 'પૂના કરાર' ના લેખક છે.</strong></em></span>)</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Sep 2024 09:05:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1261</Articleid>
                    <excerpt>12 સપ્ટેમ્બરે બહાર પડેલી શિક્ષકોની ભરતીમાં કેવી રીતે એસસી, એસટી, ઓબીસીની અનામતની ઠંડા કલેજે હત્યા થઈ રહી છે તે સમજો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f2319f4acc4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f2319f1df4d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f2319f1df4d.jpg" length="32305" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>SC ST reservation, EWS, teacher recruments, Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>IIM ઈન્દોરમાં SC&amp;ST ફેકલ્ટીની તમામ જગ્યાઓ ખાલી, GENERALની બધી ભરાઈ</title>
                    <link>https://khabarantar.com/all-sc-st-faculty-vacancies-in-iim-indore-all-general-vacancies</link>
                    <guid>https://khabarantar.com/all-sc-st-faculty-vacancies-in-iim-indore-all-general-vacancies</guid>
                    <description>
                        <![CDATA[ એક RTI માં થયેલા ખુલાસા મુજબ અહીં SC-ST ફેકલ્ટીઓની તમામ જગ્યાઓ ખાલી છે, જ્યારે GENERAL કેટેગરીની તમામ જગ્યાઓ ભરી દેવાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ મળીને સત્તાને માફક આવે તે રીતે એસસી-એસટી વર્ગની અનામતમાં પેટા વર્ગીકરણ અને ક્રીમીલેયર દાખલ કરવાનો ચૂકાદો તો આપી દીધો, પણ આ બંને સમાજને જે લાભો મળવા જોઈએ તેમાં વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે તેના વિશે કોઈ મોં ખોલવા તૈયાર નથી. હવે એ વાત કોઈનાથી છુપી નથી કે, સરકારી નોકરીઓમાં દલિત-આદિવાસી અને ઓબીસી સમાજની સેંકડો જગ્યાઓ દેશભરમાં ભરવામાં જ નથી આવતી. ઉલટાનું યેનકેન પ્રકારે તેમની અનામત જગ્યાઓ જનરલમાં ફેરવવા માટે પેંતરાઓ રચાતા રહે છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એસસી, એસટી, ઓબીસી વર્ગનું પ્રતિનિધિત્વ અત્યંત ઓછું છે અને જાતિવાદી સરકારો તેને પણ સાવ ખતમ કરી દેવા મથી રહી છે. આવા અનેક ઉદાહરણો નજર સામે છે અને તેમાં વધુ એક ઉદાહરણ આઈઆઈએમ ઈન્દોર અને આઈઆઈએમ તિરુચિરાપલ્લીનું ઉમેરાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક આરટીઆઈમાં થયેલા ખુલાસા પ્રમાણે આ બંને આઈઆઈએમમાં એસસી-એસટી વર્ગની ફેકલ્ટીઓની જગ્યાઓ ભરવામાં આવી નથી. ઈન્દોરમાં તો આ બંને વર્ગની ફેકલ્ટીઓની તમામ જગ્યાઓ ખાલી છે. આરટીઆઈના જવાબ દ્વારા મળેલી માહિતી દર્શાવે છે કે આઈઆઈએમ ઈન્દોરમાં એસસી અને એસટી કેટેગરીમાંથી એકપણ શિક્ષક નથી. તેની સામે જનરલ કેટેગરીની તમામ જગ્યાઓ ભરી દેવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓલ ઈન્ડિયા ઓબીસી સ્ટુડન્ટ્સ એસોસિએશન (AIOBCSA) ના પ્રમુખ કિરણ કુમાર ગૌંડ દ્વારા કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં આઈઆઈએમ ઈન્દોર તરફથી મળેલા જવાબ મુજબ, સંસ્થામાં 150 ફેકલ્ટીની જગ્યાઓમાંથી ઘણી અનામત કેટેગરીની જગ્યાઓ ખાલી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/13,626-SC,-ST,-OBC-students-left-IITs,-IIMs-and-central-universities-in-last-5-years">છેલ્લા 5 વર્ષમાં 13,626 SC, ST, OBC વિદ્યાર્થીઓએ IIT, IIM અને કેન્દ્રીય યુનિ.ઓ છોડી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરટીઆઈમાં મળેલા જવાબ પ્રમાણે ઓબીસી જગ્યાઓ પર માત્ર 2 આસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિ (ST)માંથી કોઈ ફેકલ્ટી સભ્યની નિમણૂક કરવામાં આવી નથી. 1 આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂક EWS માંથી કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">150 ફેકલ્ટીની જગ્યાઓમાંથી 106 જનરલ કેટેગરીના ઉમેદવારોથી ભરાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આરટીઆઈમાંથી મળતી માહિતી પ્રમાણે આઈઆઈએમ ઈન્દોરમાં કુલ 150 ફેકલ્ટીની જગ્યાઓમાંથી 106 જનરલ કેટેગરીના ઉમેદવારો દ્વારા ભરવામાં આવી છે. જ્યારે 41 જગ્યાઓ ખાલી છે. એસસી અને એસટીની સંપૂર્ણ બાદબાકી અને ઓબીસીની ઓછી સંખ્યા સ્પષ્ટ રીતે જાતિવાદી ષડયંત્ર રચાયું હોવાની ચાડી ખાય છે અને આખી સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">IIM તિરુચિરાપલ્લીમાં SC-ST-OBC ની 86 થી 100 ટકા જગ્યાઓ ખાલી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરટીઆઈના જવાબ મુજબ IIM તિરુચિરાપલ્લીની સ્થિતિ પણ ચિંતાજનક છે. ત્યાં 83.33% OBC, 86.66% SC, અને 100% ST ફેકલ્ટીની જગ્યાઓ ખાલી છે, જેની સામે જનરલ કેટેગરીની તમામ જગ્યાઓ ભરી દેવામાં આવી છે. જે સ્પષ્ટ રીતે બતાવે છે કે ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિઓ થઈ છે અને અનામતના નિયમોનો ઉલાળિયો કરી દેવાયો છે. એ રીતે વંચિત સમાજના લોકોને મુખ્યધારાની સરકારી નોકરીઓમાં આવતા રોકવામાં આવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરટીઆઈમાં સામે આવેલા આ ચોંકાવનારા ખુલાસાઓ સામે વિવિધ નાગરિક સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે, આ એક ષડયંત્ર છે, જે ન માત્ર સામાજિક ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે પરંતુ ઐતિહાસિક રીતે વંચિત સમાજોની શૈક્ષણિક મહત્વકાંક્ષાઓને નબળી પાડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">AIOBCSA પ્રમુખ કિરણ કુમાર ગૌંડે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ બંધારણની જોગવાઈઓનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન છે. IIM જેવી સંસ્થાઓએ તો બંધારણના દાયરામાં રહીને જ કામ કરવું જોઈએ. પરંતુ આ આંકડા ભેદભાવ અને જાતિ અસમાનતાની કઠોર વાસ્તવિકતાને ઉજાગર કરે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાણકારોના મતે, સીટો ખાલી હોવા છતાં અને લાયકાત ધરાવતા OBC, SC, ST કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ હોવા છતાં આ કેટેગરીના પ્રોફેસરોની ભરતી કરવામાં આવતી નથી. જે સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે, સરકારમાં બેઠેલાં સવર્ણો દલિત, આદિવાસી કે ઓબીસી સમાજ સાથે જાતિ આધારિત ભેદભાવ રાખે છે. સરકારી નોકરીઓને તેઓ પોતાનો એકાધિકાર માને છે અને તેમાં આ સમાજના લોકો અનામત અને લાયકાતના આધારે પ્રવેશે તે તેમને જરાય મંજૂર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફેકલ્ટીઓના પ્રતિનિધિત્વમાં વિવિધતાઓનો અભાવ લાંબાગાળાની નકારાત્મક અસરો જન્માવશે. તે માત્ર સામાજિક ન્યાય માટે જ નહીં, પરંતુ અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓમાં શિક્ષણની ગુણવત્તા અને વિવિધ દ્રષ્ટિકોણના પ્રતિનિધિત્વ માટે યોગ્ય નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવાલ એ છે કે, આ બધું જ ખૂલ્લેઆમ થઈ રહ્યું હોવા છતાં દલિત, આદિવાસીઓના હામી હોવાની વાતો કરતી સરકારો કે તેમના મંત્રીઓ, નેતાઓ આ મામલે કોઈ જ પગલાં લેતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/98-of-faculties-in-countrys-TOP-5-IITs-are-said-to-be-upper-caste:-Shocking-report-by-Nature-magazine">દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 21 Sep 2024 11:53:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1247</Articleid>
                    <excerpt>એક RTI માં થયેલા ખુલાસા મુજબ અહીં SC-ST ફેકલ્ટીઓની તમામ જગ્યાઓ ખાલી છે, જ્યારે GENERAL કેટેગરીની તમામ જગ્યાઓ ભરી દેવાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ee6512882c6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ee6512533e5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ee6512533e5.jpg" length="77612" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>IIM Indore, SC-ST Faculty, General Faculty, IIM</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેલી વિદ્યાની શંકાએ ટોળાએ બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી મારી નાખી</title>
                    <link>https://khabarantar.com/suspecting-witchcraft-the-mob-stripped-and-killed-two-tribal-women</link>
                    <guid>https://khabarantar.com/suspecting-witchcraft-the-mob-stripped-and-killed-two-tribal-women</guid>
                    <description>
                        <![CDATA[ મેલી વિદ્યાની શંકાએ ગામલોકોએ બે આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરી, માર મારી મારીને હત્યા કરી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ મણિપુરમાં છેલ્લાં એક વર્ષથી આદિવાસી કુકી અને નાગા સમાજ અસ્તિત્વ બચાવવા સંઘર્ષ કરી રહ્યો છે. બીજી તરફ દેશના અન્ય રાજ્યોમાં પણ આદિવાસીઓ પર અત્યાચાર ખતમ થવાનું નામ નથી લઈ રહ્યાં. આવી જ એક ઘટના ગઈકાલે બની ગઈ જેમાં બે આદિવાસી મહિલાઓને એક ગામમાં લોકોએ જાદુટોણાંની આશંકાએ નિર્વસ્ત્ર કરી, લાકડીઓથી માર મારીને હત્યા કરી નાખી અને પછી લાશોને નહેરમાં ફેંકી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના હરિસારા ગામની છે. અહીં બે આદિવાસી મહિલાઓને મેલીવિદ્યાની શંકામાં ગામલોકોએ મળીને બંનેને નગ્ન કરી માર માર્યો હતો. ટોળાંએ બંને મહિલાઓને ત્યાં સુધી લાકડીઓથી મારવાનું ચાલું રાખ્યું, જ્યાં સુધી બંનેનો જીવ ન નીકળી ગયો. એ પછી બંનેની લાશોને ગામ પાસેની એક નહેરમાં ફેંકી દીધી હતી. આ મામલે પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના આદિવાસી સમાજના તહેવાર કરમ પૂજાના એક દિવસ પહેલા શુક્રવારે, 13 સપ્ટેમ્બરના રોજ બની હતી. હુમલાના એક દિવસ બાદ નજીકની નહેરમાંથી મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્થાનિક નેતાએ ઉશ્કેરણી કરી અને ટોળું બંને પર તૂટી પડ્યું </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હુમલાનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જે હુમલાખોરોમાંથી જ કોઈ દ્વારા બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બંને મહિલાઓને નિર્વસ્ત્ર કરીને લાકડીઓથી સતત મારવામાં આવી રહી છે. લોકોએ તેમને ત્યાં સુધી માર માર્યો હતો, જ્યાં સુધી તેમનો જીવ ન નીકળી ગયો. મૃતક મહિલાઓની ઓળખ 54 વર્ષીય લોદગી કિસ્કૂ અને 40 વર્ષીય ડોલી સોરેન તરીકે થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/adivasi-mass-marriage-in-ambaji-attendance-of-son-grandson-at-parents-wedding">અંબાજીમાં આદિવાસી સમૂહલગ્નઃ માબાપના લગ્નમાં પુત્ર-પૌત્રની હાજરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોદગી કિસ્કૂના પરિવારે ગામના સ્થાનિક નેતા પર તેને બળજબરીથી ઘરેથી લઈ જવાનો અને ગ્રામજનોને તેના પર હુમલો કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. બીજી મૃત મહિલા પડોશી ગામની ડોલી સોરેન હતી, જે લોદગીને મળવા આવી હતી અને તે પણ ટોળાની હિંસાનો શિકાર બની ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોદગીને ડાકણ ચિતરી હત્યા કરી દેવાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે લોદગીની પુત્રી રાની કિસ્કુએ જણાવ્યું કે, 'ગામના આગેવાન લક્ષ્મીરામ મારી માતાને અમારા ઘરેથી લઈ ગયા હતા. અમને ખબર નહોતી કે મારી માતાએ શું ખોટું કર્યું છે. બાદમાં અમને જાણવા મળ્યું કે તેમણે મારી માતાને મારી નાખી છે. હવે અમને ડર છે કે તેઓ અમને પણ મારી નાખશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સ્થાનિક નેતા લક્ષ્મીરામની પત્નીએ દાવો કર્યો હતો કે, 'મારા પતિ એક દેવાંશી(સ્વયંભૂ આધ્યાત્મિક નેતા) છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોદગીને જોયા પછી મારું બાળક બેહોશ થઈ ગયું ત્યારે તેઓ સૂતા હતા. લોદગીએ કહ્યું કે તે બધાંનું લોહી પી જશે. એટલે મેં રાડો પાડવાનું શરૂ કરી દીધું, મારી ચીસો સાંભળીને બધાં દોડતા પહોંચી ગયા અને લોદગીને ખેંચીને દૂર લઈ ગયા. તે એક રાક્ષસી હતી અને તેણે અમારા ગામના ઘણાં લોકોને નુકસાન પહોંચાડ્યું હતું. ગામે મળીને તેને મારી નાખી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હત્યા કરી લાશો કેનાલમાં ફેંકી દીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામની બીજી અનેક મહિલાઓએ પણ આ વાત દોહરાવી હતી અને આરોપ લગાવ્યો કે મૃતક બંને મહિલાઓ મેલીવિદ્યા કરવા માટે જાણીતી હતી. એક ગ્રામીણ શર્મિલા કિસ્કુએ કહ્યું, 'એવું માનવામાં આવે છે કે તે પોતાની ધાર્મિક વિધિઓ દ્વારા અન્ય લોકોને નુકસાન પહોંચાડતી હતી.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આ બંને મહિલાઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમને નિર્વસ્ત્ર કરીને બાંધી દેવામાં આવી હતી અને મારી મારીને મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી. તેમની હત્યા પછી તેમના મૃતદેહને અપવિત્ર માનીને નજીકની કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ હુમલામાં કથિત રીતે ગામના અનેક સ્ત્રી-પુરૂષો સામેલ હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેલી વિદ્યાના નામે ઘર પડાવી લેવાય છે </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં કેટલાક વર્ષોમાં બીરભૂમ જિલ્લામાં આવી હિંસાની અનેક ઘટનાઓ બની છે. જેમાં ઘણીવાર મહિલાઓ પર મેલીવિદ્યાનો આરોપ લગાવીને તેમની કાંતો હત્યા કરી દેવામાં આવે છે અથવા ઘરમાંથી તગેડી મૂકવામાં આવે છે. શાંતિનિકેતન નજીકના ગામોમાં પરિવારો પર મેલીવિદ્યાના આરોપ મૂકવામાં આવ્યા બાદ અનેક પરિવારોએ ઘર છોડીને જતા રહેવું પડ્યું છે. એ પછી તેમના ઘરો પર કબજો કરવામાં આવ્યો હતો. કેટલાક આદિવાસી વિસ્તારોમાં આ કુપ્રવૃત્તિ વધતી જઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">RSS અહીં મેલી વિદ્યા જેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે જ્યાં આ ઘટના બની તે વિસ્તાર મયુરેશ્વર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે, જે લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સંગઠનાત્મક ગઢ છે. હિન્દુત્વવાદી જૂથો દાયકાઓથી અહીં સક્રિય રીતે કાર્યરત છે, જેઓ કથિત રીતે આદિવાસી વસ્તીમાં તેમનો પ્રભાવ વધારવા માટે મેલીવિદ્યા જેવી પ્રથાઓનો ઉપયોગ કરે છે. વનવાસી કલ્યાણ આશ્રમ અને સરસ્વતી શિશુ મંદિર જેવી સંસ્થાઓ વિવિધ એનજીઓ સાથે 30 વર્ષથી વધુ સમયથી આ પ્રદેશમાં તેમની પહોંચ વિસ્તારી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે આદિવાસી અધિકાર મંચના સ્થાનિક આદિવાસી નેતા સુફલ મુર્મુએ જણાવ્યું કે, 'આવી હિંસા પહેલા સામાન્ય નહોતી, પરંતુ હવે આ વિસ્તારોમાં યજ્ઞ અને પૂજા વિધિ જેવી હિંદુ પ્રથાઓ વધુને વધુ પ્રચલિત બની રહી છે. તેની પાછળનો રાજકીય ઈરાદો સ્પષ્ટ છે. આવી ક્રૂર હત્યાઓથી આદિવાસી સમાજને ન્યાય કેવી રીતે મળી શકે, જ્યારે વાસ્તવમાં નિર્ણયો ક્યાંય બીજેથી લેવામાં આવી રહ્યા હોય?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા ધીરેન્દ્ર નાથ બંદોપાધ્યાયે કહ્યું, 'અહીં 'દેવાંશી' જેવું કંઈ નથી. એ કમનસીબી છે કે, ગામડાઓમાં આવી ઘટનાઓને બનતી રોકવામાં આવતી નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 15 લોકોની અટકાયત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Overwhelmed,-cant-even-make-eye-contact-with-people-anymore---Tribal-women-victims-of-nude-parades-in-Manipur">"આબરૂ ગઈ, હવે લોકો સામે આંખ પણ મિલાવી શકતી નથી" - મણિપુરમાં નગ્ન પરેડનો શિકાર બનેલી આદિવાસી મહિલાઓ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Sep 2024 11:55:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1222</Articleid>
                    <excerpt>મેલી વિદ્યાની શંકાએ ગામલોકોએ બે આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરી, માર મારી મારીને હત્યા કરી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e91fb607f1f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e91fb5c4270.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e91fb5c4270.jpg" length="102232" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>West Bengal, Rss, Adivasi Women Murder</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેધા પાટકર 24 કલાકથી નર્મદા ડેમના અસરગ્રસ્તો સાથે પાણીમાં ઊભા છે</title>
                    <link>https://khabarantar.com/medha-patkar-has-been-standing-in-the-water-with-narmada-dam-victims-for-24-hours</link>
                    <guid>https://khabarantar.com/medha-patkar-has-been-standing-in-the-water-with-narmada-dam-victims-for-24-hours</guid>
                    <description>
                        <![CDATA[ નર્મદા બચાવો આંદોલન(NBA)ના પ્રણેતા મેધા પાટકર છેલ્લાં 24 કલાકથી નર્મદાના વિસ્થાપિતો સાથે પાણીમાં ઉભા છે. જાણો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાનપણમાં જો તમે તળાવ કે નદીમાં વધારે સમય નહાયા હશો તો યાદ હશે કે તમારું શરીર કાળું પડી જાય અથવા હથેળીઓ સંકોચાવા લાગે. જો યુવાન વયે પણ અમુક સમય કરતા વધુ સમય પાણીમાં રહેવાથી શરીર પર આટલી અસર થતી હોય તો વિચારો કે એક 70 વર્ષની મહિલા 48 કલાક સુધી પાણીમાં ઉભી રહે તો શું થાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ માત્ર એક કલ્પના નથી, હકીકત છે. અને એ મહિલા એટલે મેધા પાટકર. જેઓ હાલ મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં સરદાર સરોવર ડેમના વધતા જળ સ્તરને કારણે વિસ્થાપિત થયેલા ગામલોકોની સમસ્યાઓને લઈને છેલ્લાં 24 કલાક કરતા વધુ સમયથી પાણીમાં વચ્ચે ઉભા રહીને જળ સત્યાગ્રહ શરૂ કર્યો છે. તેમની સાથે કસરવાડ ગામની મહિલાઓ અને અન્ય લોકો પણ પાણીમાં ઉભા છે. આ સત્યાગ્રહ બે દિવસથી ચાલી રહ્યો છે, જેમાં મેધા પાટકર અને આંદોલનકારીઓ છેલ્લા 24 કલાક કરતા વધુ સમયથી નર્મદા નદીના પાણીમાં ઉભા છે. ચળવળનો મુખ્ય ઉદ્દેશ્ય નર્મદા ડેમના પાણીના સ્તરને ઘટાડવાનો અને વિસ્થાપિત પરિવારોના સંપૂર્ણ પુનર્વસનનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/from-sanjeevayya-to-pahadia-these-are-the-first-4-dalit-chief-ministers-of-the-country">સંજીવય્યાથી પહાડિયા સુધી, આ છે દેશના પ્રથમ 4 દલિત મુખ્યમંત્રીઓ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેધા પાટકરે આરોપ લગાવ્યો કે સરદાર સરોવર ડેમનું પાણીનું સ્તર ગેરકાયદેસર રીતે વધારવામાં આવી રહ્યું છે, જેના કારણે નજીકના ગામોમાં પાણી પ્રવેશી રહ્યું છે અને ઘરો, ખેતીની જમીનો અને ગામલોકોની રોજીરોટી ખતમ થઈ રહી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં કહ્યું કે, ડેમનું જળસ્તર 136 મીટરે પહોંચી ગયું છે, તેને નિયંત્રિત કરીને 122 મીટર રાખવું જોઈતું હતું. ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગયા વર્ષે 170 ગામો પ્રભાવિત થયા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">પાટકરે આક્ષેપ કર્યો હતો કે સેન્ટ્રલ વોટર કમિશનના નિયમોનું ઉલ્લંઘન કરીને ડેમનું જળ સ્તર વધારવામાં આવ્યું હતું, જેના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના હજારો ગ્રામજનોને અસર થઈ હતી. ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન 170 ગામો આવી જ રીતે પ્રભાવિત થયા હતા અને તેમનું પુનર્વસન હજુ પણ બાકી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેધા પાટકરના આ જળ સત્યાગ્રહ દરમિયાન બડવાનીના ધારાસભ્ય રાજન મંડલોઈ મોડી રાત્રે આંદોલનકારીઓ અને અસરગ્રસ્ત ગ્રામજનોને મળ્યા હતા અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. તેમણે વિસ્થાપિતો સાથેની ચર્ચા દરમિયાન આશ્વાસન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં આ મામલે સરકાર સાથે વાત કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિસ્થાપિતોનું પુનર્વસન ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે</span></strong></span><br><span style="font-size: 14pt;">મેધા પાટકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી વિસ્થાપિત પરિવારોનું સંપૂર્ણ પુનર્વસન ન થાય અને સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં ન આવે ત્યાં સુધી તેમનો જળ સત્યાગ્રહ ચાલુ રહેશે. પાટકરે એવો પણ દાવો કર્યો હતો કે સમયસર ડેમના પાણીના સ્તરને નિયંત્રિત ન કરવાને કારણે મોટી સંખ્યામાં મકાનો ડૂબી ગયા છે અને લોકોની આજીવિકાને અસર થઈ રહી છે. સરકારે ડેમના દરવાજા ખોલવા અને અસરગ્રસ્ત વિસ્તારોના પુનર્વસન માટે નક્કર પગલાં લેવા પડશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/india-discoverd-america-not-columbus-madhya-pradesh-education-minister">કોલંબસે નહીં, ભારતે અમેરિકાની શોધ કરી હતીઃ મધ્યપ્રદેશના શિક્ષણમંત્રીનું હાસ્યાસ્પદ નિવેદન</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાટકરના નેતૃત્વમાં જળ સત્યાગ્રહમાં ભાગ લેનાર ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી વિસ્થાપનનો સામનો કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો અધૂરા છે. ઘણા અસરગ્રસ્ત પરિવારો હજુ પણ યોગ્ય પુનર્વસનની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોની જમીનો ડૂબી ગઈ છે, જેના કારણે તેમની આવકના સ્ત્રોતો ખોવાઈ ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્રામજનોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર તરફથી તેઓને વારંવાર માત્ર આશ્વાસનો મળે છે, પરંતુ જમીની સ્તરે તેમની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી. ગયા વર્ષે પણ જળસ્તર વધવાને કારણે તેમની ખેતીની જમીન નાશ પામી હતી અને આ વર્ષે પણ એ જ સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rss-says-there-is-no-untouchable-in-hindu-scriptures-then-what-is-there-in-manusmriti">RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' શું કહે છે?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Sep 2024 23:16:59 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 16 Sep 2024 08:33:40 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1214</Articleid>
                    <excerpt>નર્મદા બચાવો આંદોલન(NBA)ના પ્રણેતા મેધા પાટકર છેલ્લાં 24 કલાકથી નર્મદાના વિસ્થાપિતો સાથે પાણીમાં ઉભા છે. જાણો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e71b88d3474.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e71b88a08c4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e71b88a08c4.jpg" length="101181" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Nardaba bachao Andolan, NBA, medha patkar, MP, Badwani</media:keywords>
                </item>
                        <item>
                    <title>નશામાં ધૂત શિક્ષકે કાતર લઈ આદિવાસી વિદ્યાર્થિનીની ચોટલી કાપી નાખી</title>
                    <link>https://khabarantar.com/a-drunken-teacher-took-a-pair-of-scissors-and-cut-off-tuft-a-tribal-student</link>
                    <guid>https://khabarantar.com/a-drunken-teacher-took-a-pair-of-scissors-and-cut-off-tuft-a-tribal-student</guid>
                    <description>
                        <![CDATA[ નશામાં ધૂત એક સરકારી શાળાના શિક્ષકે ક્લાસમાં જ એક આદિવાસી વિદ્યાર્થિનીની ચોટલી કાપી નાખી હતી. ઘટનાનો વીડિયો વાયરલ થતા હવે નશેડી શિક્ષક પર કાર્યવાહી થઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Drunk teacher cuts student's hair: 5મી સપ્ટેમ્બરે આ દેશના સવર્ણોએ સૌ કોઈના માથે થોપી બેસાડેલા 'થિસીસ ચોર' ડૉ. રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવાઈ રહ્યો હતો. સૌ શિક્ષકના મહત્વના ગુણગાન ગાઈને આડકતરી રીતે મનુવાદના મૂળિયા મજબૂત કરી રહ્યા હતા. એ જ વખતે એક અંતરિયાળ આદિવાસી સરકારી શાળામાં દારૂના નશામાં ધૂત એક શિક્ષકે માસુમ આદિવાસી વિદ્યાર્થિનીની ક્લાસમાં બધાંની હાજરીમાં જ ચોટલી કાપી નાખ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે હવે જિલ્લા કલેક્ટરે નશેડી શિક્ષક સામે કડક પગલાં ભરવાના આદેશ આપ્યા છે અને તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો છે. નશેડી શિક્ષક ધરપકડના ડરથી ઘર છોડીને ફરાર થઈ ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસી દીકરી રડતી રહી, દારૂડિયા શિક્ષકે ચોટલી કાપી નાખી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના આદિવાસીઓ પર સૌથી વધુ અત્યાચારો થાય છે તે મધ્યપ્રદેશ(MP)ની છે. અહીંના રતલામ(Ratlam) જિલ્લાના આદિવાસી વિસ્તાર રાવટી(Rawti)ના સેમલખેડી(Semalkhedi) ગામની પ્રાથમિક શાળા(Primary School) નંબર 2માં શિક્ષક દિવસે જ સમગ્ર શિક્ષણ જગતને શરમજનક સ્થિતિમાં મૂકી દેતો કિસ્સો સામે આવ્યો હતો. અહીં સહાયક શિક્ષક(Teacher) વીરસિંહ મેંડા(Veer Singh Menda)દારૂના નશામાં ધૂત થઈને શાળામાં આવ્યો હતો. એ પછી તેણે એક આદિવાસી વિદ્યાર્થિની(tribal girl student)ને 'બરાબર ભણતી નથી' એમ કહીને કાતરથી તેના માથાની ચોટલી કાપી નાખી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વીડિયો વાયરલ થતા તંત્ર એક્શનમાં આવ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષકના આવા વર્તનથી હતપ્રભ માસુમ વિદ્યાર્થિની રડવા લાગી હતી. જેને જોઈને અન્ય વિદ્યાર્થીઓ પણ રડવા લાગ્યા હતા. હોબાળો થતા શાળાની બહારથી એક વ્યક્તિ દોડી આવ્યો હતો. તેણે જોયું તો શિક્ષક વીરસિંહ મેંડા હાથમાં કાતર લઈને ઉભો હતો અને જમીન પર આદિવાસી વિદ્યાર્થિનીની કપાયેલી ચોટલી પડી હતી અને વિદ્યાર્થિની રડી રહી હતી. તેની સાથે અન્ય બાળકો પણ રડી રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/tribal-daughter-grazes-goats-despite-securing-824th-rank-in-jee">JEEમાં 824મો રેન્ક મેળવ્યો છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવે છે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહારથી આવેલા શખ્સે આખી ઘટનાનો વીડિયો ઉતારી લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા તે વાયરલ(Viral video) થયો હતો. એ પછી જિલ્લા શિક્ષણ વિભાગ અને કલેક્ટર સહિતનું તંત્ર એક્શનમાં આવ્યું હતું અને દારૂડિયા શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો હતો. જો કે, પોલીસ વીરસિંહને પકડે તે પહેલા જ તે શાળા છોડીને ભાગી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માસુમ દીકરીને રડતી જોઈ અન્ય વિદ્યાર્થીઓ પણ રડવા લાગ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 4 સપ્ટેમ્બરને બુધવારના રોજ બની હતી પરંતુ મામલો ગુરુવારે શિક્ષક દિને સામે આવ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું હતું કે શિક્ષક વીર સિંહ મેંડાના હાથમાં કાતર છે. 5મા ધોરણની વિદ્યાર્થિની તેની પાસે ઉભી છે અને સતત રડી રહી છે. જમીન પર તેની કપાયેલી ચોટલી પડી છે. નજીકમાં અન્ય એક વિદ્યાર્થી પણ ઉભો છે. સ્કૂલ પાસે રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે, હું તે સમયે ઘરે હતો. અચાનક શાળાના 5-6 બાળકોની બૂમો સાંભળી. જ્યારે હું અહીં આવ્યો ત્યારે જોયું કે શિક્ષક વીર સિંહ બાળકીના વાળ કાતરથી કાપી રહ્યો હતો. મેં પૂછ્યું તો, તેણે કહ્યું- આ લોકો ભણતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલેક્ટરે દારૂડિયા શિક્ષકને સસ્પેન્ડ કરવા આદેશ આપ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો પ્રકાશમાં આવ્યા બાદ કલેક્ટર રાજેશ બાથમે મદદનીશ કમિશનર (આદિજાતિ જાતિ) રંજના સિંહને તપાસના આદેશ આપ્યા હતા. ગુરુવારે આદિજાતિ કલ્યાણ વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. તેઓએ વિદ્યાર્થિનીનું નિવેદન પણ લીધું હતું. આ દરમિયાન દીકરીએ અધિકારીઓને તેની કાપેલી ચોટલી પણ બતાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બાદ રતલામ કલેક્ટરે આરોપી શિક્ષક વીર સિંહને સસ્પેન્ડ કરી દીધો છે. કલેક્ટર રાજેશ બાથમે જણાવ્યું હતું કે, "વીર સિંહે શિક્ષક પદની ગરિમા વિરુદ્ધનું વર્તન કર્યું, જે અસ્વીકાર્ય છે. શિક્ષકનું આવું અભદ્ર વર્તન શિક્ષણના મૂલ્યોની વિરુદ્ધ છે અને આ માટે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે." આ સાથે જ જિલ્લા વહીવટી તંત્રે શિક્ષક વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેની સામે ફોજદારી કેસ નોંધવાની સૂચના પણ આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/if-taj-mahal-is-history-where-is-the-history-of-its-sculptors">તાજમહેલને ઈતિહાસ ગણીએ તો તેના શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના અંગે શિક્ષણ વિભાગે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "શિક્ષક દિવસે આવી ઘટના માત્ર શિક્ષણ જગત માટે જ નહીં પરંતુ સમાજના નૈતિક મૂલ્યો માટે પણ આંચકાજનક છે. આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દારૂડિયો શિક્ષક હજુ ફરાર છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયો વાયરલ થયો અને તંત્ર એક્શનમાં આવ્યું ત્યારથી આરોપી શિક્ષક વીર સિંહ મેંડા ફરાર છે. સ્થાનિક પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ, વહીવટીતંત્રે આ ઘટનાની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી છે, જે સુનિશ્ચિત કરશે કે આ ઘટનામાં સામેલ અન્ય કોઈ વ્યક્તિ સામે પણ યોગ્ય પગલાં લેવામાં આવે. આ ઉપરાંત શાળાના અન્ય સ્ટાફ અને બાળકોના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે, જેથી ઘટનાના તમામ પાસાઓ વિશે સાચી માહિતી મેળવી શકાય. શિક્ષણ વિભાગે નિર્દેશ આપ્યો છે કે ભવિષ્યમાં કોઈપણ શિક્ષકના વર્તન પર ઝીણવટભરી નજર રાખવામાં આવે અને આવી ઘટનાઓને રોકવા માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસી સમાજમાં ભારે રોષ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. આદિવાસી કાર્યકર્તા સુનિલ આદિવાસીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "વહીવટીતંત્ર દ્વારા લેવાયેલ તાત્કાલિક પગલાં ચોક્કસપણે પ્રશંસનીય છે, પરંતુ શિક્ષકોને તેમની જવાબદારી અને ગરિમાનું ભાન કરાવવું ખૂબ જરૂરી છે. જેથી તેઓ પોતાના પદની ગરિમા જાળવી રાખે અને વિદ્યાર્થીઓ માટે એક આદર્શ રજૂ કરી શકે. જિલ્લા તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા આ ઘટનામાં હજુ પણ કડક પગલાં ભરવાની અપેક્ષા છે, જેથી ભવિષ્યમાં કોઈ શિક્ષક આવું વર્તન ન કરે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/tribal-teacher-suspended-for-saying-tribals-are-not-hindus">'આદિવાસીઓ હિંદુ નથી' કહેનાર આદિવાસી શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Sep 2024 12:37:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1191</Articleid>
                    <excerpt>નશામાં ધૂત એક સરકારી શાળાના શિક્ષકે ક્લાસમાં જ એક આદિવાસી વિદ્યાર્થિનીની ચોટલી કાપી નાખી હતી. ઘટનાનો વીડિયો વાયરલ થતા હવે નશેડી શિક્ષક પર કાર્યવાહી થઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e141a218650.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e141a1d0bf4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e141a1d0bf4.jpg" length="55322" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Adivasi Girl</media:keywords>
                </item>
                        <item>
                    <title>મણિપુરમાં સ્થિતિ ફરીથી વણસી, ૧૫મી સપ્ટેમ્બર સુધી ઈન્ટરનેટ બંધ</title>
                    <link>https://khabarantar.com/the-situation-worsened-again-in-manipur-internet-shutdown-till-15th-september</link>
                    <guid>https://khabarantar.com/the-situation-worsened-again-in-manipur-internet-shutdown-till-15th-september</guid>
                    <description>
                        <![CDATA[ મણિપુરમાં મૈતઈ સમાજને એસટીનો દરજ્જો આપવાને મુદ્દે 16 મહિના પહેલા શરૂ થયેલી હિંસા હજુ અટકવાનું નામ નથી લઈ રહી. સ્થિતિ ફરીથી વણસી ગઈ છે. વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે RAFને રાયોટ કંટ્રોલ વાહનો સાથે બોલાવવામાં આવ્યા છે. દેખાવકારોએ રસ્તાઓ બંધ કરી દીધા છે અને પોલીસને પીછેહઠ કરવાની ફરજ પડી છે. પથ્થરમારો સતત ચાલુ છે. ભીડને વિખેરવા માટે બીજી બાજુથી પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. સમગ્ર મણિપુરમાં ૧૫ સપ્ટેમ્બર સુધી ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મણિપુરમાં ૩ મે ૨૦૨૩થી હિંસાની શરૂઆત થઈ હતી. પરંતુ ૧૬ મહિના પછી પણ રાજ્યમાં શાંતિ સ્થપાઈ નથી. શનિવારે જીરીબામ જિલ્લામાં તાજેતરની હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા. મણિપુરની પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે ત્યાં હિંસામાં સામેલ બંને સમુદાયો પાસે હવે એવા શસ્ત્રો છે જેનો ઉપયોગ સામાન્ય રીતે યુદ્ધમાં થાય છે. સેના એટલી લાચાર છે કે તેણે એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવી પડી છે. લોકોએ પહાડો અને ખીણોમાં બંકરો બનાવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Overwhelmed,-cant-even-make-eye-contact-with-people-anymore---Tribal-women-victims-of-nude-parades-in-Manipur">"આબરૂ ગઈ, હવે લોકો સામે આંખ પણ મિલાવી શકતી નથી" - મણિપુરમાં નગ્ન પરેડનો શિકાર બનેલી આદિવાસી મહિલાઓ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખો મામલો કુકી અને મૈતઈ સમાજ વચ્ચેનો છે. મૈતઈ સમાજના લોકો ખીણ વિસ્તારમાં રહે છે અને રાજકીય તથા આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ છે. જ્યારે કુકી સમુદાયના લોકો પહાડોમાં રહે છે અને અત્યંત ગરીબીમાં વસે છે. દરેક મોરચે સમૃદ્ધ હોવા છતાં મૈતઈ સમાજને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની વાત આગળ ધરાઈ હતી. જેના વિરોધમાં કુકી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૈતઈ સમાજની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આયોજિત ‘આદિવાસી એકતા માર્ચ’ને પગલે ગત વર્ષે ૩ મેના રોજ હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અહીં ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. મણિપુરની વસ્તીના લગભગ ૫૩ ટકા મૈતઈ છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. જ્યારે નાગા અને કુકી સહિતના આદિવાસીઓ ૪૦ ટકા છે અને મુખ્યત્વે પહાડી જિલ્લાઓમાં રહે છે. હિંસા બાદ આ બંને સમુદાયોએ એકબીજાના સ્થળોએ જવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. હિંસા બંધ ન થવા પાછળ સ્થાનિક રાજકારણ પણ જવાબદાર છે. બંનેના અલગ-અલગ લોકેશનના કારણે સમગ્ર વિસ્તાર સરહદમાં ફેરવાઈ ગયો છે. રિપોર્ટ અનુસાર બંને સમાજે પોતાના માટે સુરક્ષિત બંકર બનાવ્યા છે. બંને પાસે મોટી માત્રામાં હથિયારો છે. જેના કારણે જ્યારે પણ તેમને મોકો મળે છે ત્યારે તેઓ એકબીજા પર હુમલો કરે છે અને પછી બંકરમાં છુપાઈ જાય છે. મણિપુર રાજ્યમાં આવેલી ખીણો અને પહાડોના કારણે તેમને રોકવા મુશ્કેલ બની ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Manipur-violence,-Soma-Laishram,-and-football:-Lets-erase-the-streak"><span style="font-size: 12pt;"> </span>મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Sep 2024 20:52:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1189</Articleid>
                    <excerpt>મણિપુરમાં મૈતઈ સમાજને એસટીનો દરજ્જો આપવાને મુદ્દે 16 મહિના પહેલા શરૂ થયેલી હિંસા હજુ અટકવાનું નામ નથી લઈ રહી. સ્થિતિ ફરીથી વણસી ગઈ છે. વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e0636713cb6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e06366d95a2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e06366d95a2.jpg" length="65069" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Manipur, Manipur violence</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ નેતાએ આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દીધું, ઘટના સ્થળે જ મોત</title>
                    <link>https://khabarantar.com/bjp-leader-rammed-tractor-on-tribal-farmer-died-on-the-spot</link>
                    <guid>https://khabarantar.com/bjp-leader-rammed-tractor-on-tribal-farmer-died-on-the-spot</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી ખેડૂતના ખેતરમાંથી ભાજપ નેતા દાદાગીરી કરીને ટ્રેક્ટરમાં ગેરકાયદે રેતી ભરીને નીકળતો હતો, આદિવાસી ખેડૂતે તેનો વિરોધ કર્યો તો તેના પર ટ્રેક્ટર ચડાવી દીધું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Singrauli News: મત લેવાના હોય ત્યારે દલિતો, આદિવાસીઓને હિંદુ ગણાવતા ભાજપના નેતાઓ ચૂંટણી જીતી ગયા પછી તેમના પર અત્યાચાર કરવામાં પાછું વળીને જોતા નથી. આવી આમ તો એક કરતા વધુ ઘટનાનો એસસી, એસટી સમાજ સાક્ષી છે. પરંતુ હાલમાં જ આવી વધુ એક ઘટના બની છે. જેમાં ભાજપના એક નેતાએ આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દેતા તેનું મોત થઈ ગયું છે. ભાજપનો નેતા આદિવાસી ખેડૂતના ખેતરમાંથી ટ્રેક્ટરમાં ગેરકાયદે રેતી ભરીને નીકળતો હતો. જેનાથી તેના ખેતરમાં નુકસાન થતું હોવાથી ખેડૂતે તેને પોતાના ખેતરમાંથી આ રીતે રેતી ભરીને ન નીકળવા કહ્યું હતું. જેનાથી ભાજપના નેતાનો પિત્તો ગયો હતો અને તેણે ખેતરના માલિક આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. જેમાં ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચારો થાય છે તે પૈકીના એક એવા મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની છે. અહીં સિંગરૌલી(Singrauli) જિલ્લાના ગન્નાઈ ગામમાં ગત રવિવારે રાત્રે બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. પોતાના ખેતરમાંથી ગેરકાયદેસર રેતીનું વહન થતું અટકાવવાનો પ્રયાસ કરી રહેલા આદિવાસી ખેડૂત(Tribal farmer) ઈન્દરપાલ અગરિયા(Inderpal agaria) પર આરોપી ભાજપના નેતાઓએ(BJP leader Lale Vaishya) સાગરિતો સાથે મળીને ટ્રેક્ટર ચડાવી દીધું હતું, જેમાં તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટનાના મુખ્ય આરોપીમાં ભાજપના નેતા લાલે વૈશ્યનો સમાવેશ થાય છે જે હજુ પણ ફરાર છે અને તેના કારણે અહીં આદિવાસી સમાજમાં ભારે રોષ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/leave-vrat-fast-mangalsutra-sindoor-we-are-not-hindus-tribal-society">વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, આપણે હિંદુ નથીઃ આદિવાસી સમાજ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગન્નાઈના રહેવાસી ઈન્દરપાલ અગરિયાએ ખેતરમાં ડાંગર વાવી હતી. પણ તેણે જોયું કે ખેતરમાંથી કોઈએ ટ્રેક્ટર ચલાવ્યું છે ત્યારે તેને પાકની ચિંતા થવા લાગી. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે ભાજપના નેતાનું એક ટ્રેક્ટર અહીં ગેરકાયદે ખનન કરીને ભરેલી રેતી લઈને તેના ખેતરમાંથી બેફામ રીતે નીકળે છે. તેથી તેણે એક દિવસ ટ્રેક્ટર રોકીને તેમને અહીંથી ન નીકળવા કહ્યું. જેનાથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે કશું પણ વિચાર્યા વિના ઈન્દરપાલ પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. જેમાં ઈન્દરપાલનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાથી સ્થાનિક આદિવાસી સમાજ હચમચી ગયો છે. ગ્રામજનોએ પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી છે. આ ઘટના બાદ પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે અગાઉ આ ઘટનાને ટ્રેક્ટરથી ખેડૂતને કચડી નાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ બાદમાં એએસપી શિવકુમાર વર્માએ પોતાનું નિવેદન ફેરવી નાખ્યું હતું અને કહ્યું હતું કે, મૃતકના પરિવારજનો ઈન્દરપાલનું મોત ટ્રેક્ટરની ટક્કરથી થયું હતું, કચડાઈ જવાથી નહીં. આ નિવેદનથી પોલીસની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે અને પોલીસની નિષ્પક્ષતા પર પણ આદિવાસી સમાજ શંકા વ્યક્ત કરી રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/pa-ranjiths-entry-into-bollywood-will-be-a-film-on-birsa-munda">પા. રંજિથની બોલીવૂડમાં એન્ટ્રી, આદિવાસી મહાનાયક બિરસા મુંડા પર ફિલ્મ બનાવશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના રાજકીય પ્રત્યાઘાતો પણ તેજ બન્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સમગ્ર ઘટનાને આદિવાસી સમાજ પર અત્યાચારની બીજી ઘૃણાસ્પદ ઘટના ગણાવી છે. તેમણે આ મામલે મુખ્યમંત્રી ડો. મોહન યાદવ પાસે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી છે. કમલનાથે આ ઘટનાને લઈને સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે રાજ્યમાં આદિવાસીઓ પર અત્યાચાર અટકી રહ્યો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને સમગ્ર મામલે કડક પગલાં લેવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં અને પોલીસ પાસેથી સંપૂર્ણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. જો કે તેમ છતાં, આરોપી ભાજપ નેતા લાલે વૈશ્ય હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. </span><br><span style="font-size: 14pt;">આ ઘટનાનો મુખ્ય આરોપી લાલે વૈશ્ય ભાજપના સરાય મંડળનો પૂર્વ ઉપપ્રમુખ રહી ચુક્યો છે. તેણે થોડા સમય પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. લાલે વૈશ્યના પરિવારની આ વિસ્તારમાં ભારે ધાક છે. લોકો તેનાથી ડરે છે. તેની પાસે અહીં 60 એકર કરતા પણ વધુ જમીન છે. આદિવાસી ખેડૂત ઈન્દ્રપાલ અગરિયાની ટ્રેક્ટર ચડાવીને હત્યા થઈ ત્યારથી તે ગાયબ છે. આશ્ચર્યની વાત એ છે કે, મુખ્યમંત્રીનો આદેશ હોવા છતાં પોલીસ હજુ સુધી તેને પકડી શકી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/8-persons-gang-raped-a-tribal-girl-at-the-fair">મેળામાં આવેલી આદિવાસી યુવતી પર 8 શખ્સોએ ગેંગરેપ કર્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ હજુ સુધી આરોપીઓ સામે કોઈ કડક કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ વધ્યો છે. તેમનું કહેવું છે કે પોલીસ અને વહીવટીતંત્રની બેદરકારીને કારણે ગુનેગારો છૂટથી ફરે છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય અને મૃતકના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે.</span><br><span style="font-size: 14pt;">આ બાજુ એસપી ઓફિસ તરફથી આરોપીઓ લાલે વૈશ્ય, આશિષ કોલ અને અન્યો વિરુદ્ધ એસસી એસટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપીઓની ભાળ આપનારને રૂ. 10 હજારનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/tribal-daughter-grazes-goats-despite-securing-824th-rank-in-jee">જેઈઈમાં 824મો રેન્ક મેળવ્યો છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવવા મજબૂર</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Sep 2024 14:09:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1168</Articleid>
                    <excerpt>આદિવાસી ખેડૂતના ખેતરમાંથી ભાજપ નેતા દાદાગીરી કરીને ટ્રેક્ટરમાં ગેરકાયદે રેતી ભરીને નીકળતો હતો, આદિવાસી ખેડૂતે તેનો વિરોધ કર્યો તો તેના પર ટ્રેક્ટર ચડાવી દીધું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d96e2696226.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d96e265a477.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d96e265a477.jpg" length="116964" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Adivasi Farmer murder, MP, singrauli, BJP Leader Accused, SC ST Act, FIR File, DR. mohan Yadav, Congress, Kamalnath</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ&amp;કૉંગ્રેસ દલિત સમાજના સૌથી મોટા દુશ્મન છેઃ આકાશ આનંદ</title>
                    <link>https://khabarantar.com/bjp-congress-are-biggest-enemies-of-dalit-society-akash-anand</link>
                    <guid>https://khabarantar.com/bjp-congress-are-biggest-enemies-of-dalit-society-akash-anand</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સમાજ પાર્ટી(BSP)ના પૂર્વ રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદ ભાજપ અને કોંગ્રેસ પર ફરી એકવાર નિશાન સાધ્યું છે. જાણો યુવા નેતાએ શું શું કહ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીએસપી(BSP) સુપ્રીમો માયાવતીના ભત્રીજા અને પક્ષના પૂર્વ રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદે ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બંને પક્ષોને દલિતો વિરોધી ગણાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આકાશ આનંદે કહ્યું કે, "ભાજપ અને કોંગ્રેસ બંને એક જ સિક્કાની બે બાજુ છે. બસપાના વડા માયાવતીજી હંમેશા કહે છે કે આ બંને પક્ષો દલિત સમુદાયના સૌથી મોટા દુશ્મન છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આકાશ આનંદનું આ નિવેદન રાજકીય વાતાવરણમાં ચર્ચાનો વિષય બની ગયું છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશના રાજકારણમાં, જ્યાં બસપા દલિત રાજકારણનો સૌથી પ્રમુખ ચહેરો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આકાશ આનંદે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે "ભાજપ અને કોંગ્રેસ પહેલા એસસી-એસટી, ઓબીસીના અધિકારો પર તરાપ મારે છે અને પછી સંસદમાં બંધારણ બચાવવાનું નાટક કરે છે. આ લોકો સામાજિક ન્યાયના મુદ્દાઓ પર માત્ર દેખાડા પુરતું રાજકારણ કરે છે પરંતુ હાંશિયામાં ધકેલાઈ ગયેલા સમાજના વાસ્તવિક હિતોનું રક્ષણ કરતા નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-supreme-courts-verdict-is-going-to-prove-to-be-a-turning-point-for-the-bsp"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટનો ચુકાદો BSP માટે 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થવા જઈ રહ્યો છે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આકાશ આનંદે ટ્વિટર પર એક પોસ્ટમાં અખબારના કેટલાક નમૂના શેર કર્યા અને લખ્યું, "આ સમાચારપત્રની એક એક લાઇન વાંચો અને સમજો કે કેવી રીતે SC/ST OBC સાથે કાવતરું રચવામાં આવી રહ્યું છે." ખેડૂતોના હિતની વાત કરતાં તેમણે કહ્યું કે કૃષિ સંસ્થાઓમાં આ સમુદાયોના અધિકારોનું હનન થઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે 2007 થી ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) માં ઉચ્ચ હોદ્દા પર નિમણૂકોમાં અનામતના નિયમોની અવગણના કરવામાં આવી રહી છે અને તમામ જગ્યાઓ લેટરલ એન્ટ્રી દ્વારા ભરવામાં આવી હતી. આ પ્રક્રિયા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે કારણ કે તેમાં અનામત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આકાશ આનંદે પોતાના નિવેદનમાં ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા, જેઓ દલિત, ઓબીસી અને એસસી-એસટી સમાજ સાથે માત્ર મત મેળવવા માટે જોડાય છે, પરંતુ તેમના અધિકારોનું રક્ષણ કરતા નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, “આ અજબ ગજબ લોકો છે. તેમને ફક્ત આપણા મતોથી મતલબ છે.  આ લોકો આપણા હકો પર તરાપ મારશે તેઓ બંધારણના શપથ લેશે અને પછી અનામતનો અંત લાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/if-bjp-comes-hit-them-with-shoes-akash-anand"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"> </span>‘ભાજપવાળા આવે તો જૂતા-ચપ્પલથી ફટકારો’- આકાશ આનંદ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Sep 2024 13:23:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1162</Articleid>
                    <excerpt>બહુજન સમાજ પાર્ટી(BSP)ના પૂર્વ રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદ ભાજપ અને કોંગ્રેસ પર ફરી એકવાર નિશાન સાધ્યું છે. જાણો યુવા નેતાએ શું શું કહ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d8117762d8c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d811772ff09.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d811772ff09.jpg" length="63715" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BSP, Mayavati, Bahujan Samaj Party, Akash Annad</media:keywords>
                </item>
                        <item>
                    <title>Pa. Ranjithની બોલીવૂડમાં એન્ટ્રી, Birsa Munda પર ફિલ્મ બનાવશે</title>
                    <link>https://khabarantar.com/pa-ranjiths-entry-into-bollywood-will-be-a-film-on-birsa-munda</link>
                    <guid>https://khabarantar.com/pa-ranjiths-entry-into-bollywood-will-be-a-film-on-birsa-munda</guid>
                    <description>
                        <![CDATA[ આંબેડકરવાદી ફિલ્મ ડિરેક્ટર પા. રંજિથે બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારી કરી લીધી છે. તેમની ફિલ્મ બહુજન મહાનાયક બિરસા મુંડા પર હશે. વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Birsa Munda Film Pa. Ranjith: આંબેડકરવાદી ફિલ્મ નિર્દેશક પા. રંજિથ(Pa. Ranjith) હાલ તેમની સુપરહિટ ફિલ્મ થંગાલન(Thangalaan)ની સફળતાની મજા માણી રહ્યાં છે. હવે રંજિથે તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે તેમની આગામી ફિલ્મ બહુજન મહાનાયક બિરસા મુંડા(Birsa Munda) પર હશે. આ ફિલ્મ તેઓ પહેલીવાર હિંદીમાં બનાવવા જઈ રહ્યાં છે. એ રીતે કબાલી(Kabali), કાલા(Kaala) અને સરપટ્ટા પરમ્બરાઈ(sarpatta parambarai) જેવી પ્રખ્યાત ફિલ્મોના ડિરેક્ટર પા. રંજીત બિરસા મુંડાથી બોલીવૂડમાં ડેબ્યૂ કરશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રંજિથ છેલ્લાં ઘણાં વર્ષોથી તેમની પ્રથમ હિન્દી ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા. વચ્ચે આ પ્રોજેક્ટ થોડો વિલંબમાં મૂકાયો હતો પરંતુ હવે ફરીથી તે હાથ પર લેવામાં આવ્યો છે. આ ફિલ્મ ભારતીય સ્વતંત્રતાસેનાની અને સમસ્ત બહુજન સમાજના હીરો બિરસા મુંડા પર આધારિત હશે. જોકે, પા. રંજિથે હજુ સુધી ફિલ્મનો પ્લોટ કે તેને લગતી કોઈ માહિતી આપી નથી. પણ જે રીતે તેઓ આંબેડકરવાદી વિચારધારા અને બહુજન સમાજના મુદ્દાઓ આધારિત ફિલ્મો માટે જાણીતા છે, તે જોતા તેમની પહેલી બોલીવૂડ ફિલ્મ "બિરસા મુંડા" પણ મજબૂતીથી બહુજન સમાજની સંસ્કૃતિ, ત્યાગ, બલિદાન અને સ્વાભિમાનને દર્શાવશે તે નક્કી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પા. રંજીતે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં એ વાતની પુષ્ટિ કરી છે કે તેની આગામી ફિલ્મનું નામ 'બિરસા મુંડા' છે અને તેની સ્ક્રિપ્ટ તેઓ તેમના મિત્ર સાથે મળીને લખી રહ્યાં છે. સ્ક્રીપ્ટ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને હાલ ફિલ્મના કલાકારોની પસંદગી કરી રહ્યાં છે અને ટૂંક સમયમાં તેને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સૂત્રોના મતે આ ફિલ્મ માટે અક્ષય કુમાર(Akshay Kumar) અને રણવીર સિંહ(Ranveer Singh)ના નામની ચર્ચા થઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પા. રંજિથ માટે આ ફિલ્મ ખૂબ મહત્વની છે, કેમ કે, તેઓ તેના પર છેક 2019થી મહાનાયક બિરસા મુંડાની બાયોપિક પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ તેમનો પહેલો બિન-તમિલ પ્રોજેક્ટ માનવામાં આવે છે. ફિલ્મનું નિર્માણ નમહ પિક્ચર્સ(namah pictures) દ્વારા કરવામાં આવનાર હતું, જેણે 2018માં ઈરાની ફિલ્મ નિર્માતા માજિદ મજીદી(majid majidi)ની બિયોન્ડ ધ ક્લાઉડ્સ(beyond the clouds)નું સહ-નિર્માણ કર્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/why-pa-ranjiths-film-thangalaan-not-being-released-in-gujarat">પા. રંજિથની ફિલ્મ Thangalaan ને ગુજરાતમાં કેમ રિલીઝ થવા દેવાતી નથી?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2019 માં પ્રોડક્શન શરૂ કરવાની યોજના હોવા છતાં, પ્રોજેક્ટ થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યો હતો, જે પછી રંજીથે સરાપટ્ટા પરમબરાઈની સ્ક્રિપ્ટ લખી અને તેનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મ પણ ધમાકેદાર સફળતાને વરી હતી. એ પછી તેમણે થંગાલાનનું કામ હાથ પર લીધું હતું અને તે હાલ દુનિયાભરમાં સફળતા મેળવી રહી છે. એ પછી હવે રંજિથે ફરી બિરસા મુંડાની બાયોપિક પરની તેમની બોલીવૂડ ડેબ્યૂ ફિલ્મ પર ફોકસ કર્યું છે, જેમાં તેઓ આદિવાસી મહાનાયકની શૌર્ય કથાને સિનેમાના પડદા પર જીવંત કરશે. રંજિથ તેમની ફિલ્મોમાં બહુજન મહાનાયકોની લાર્જર ધેન લાઈફ છબિને રજૂ કરવા માટે જાણીતા છે ત્યારે બહુજન મહાનાયક બિરસા મુંડાને તેઓ કેવી રીતે રૂપેરી પડદે રજૂ કરે છે તેને લઈને સૌ કોઈ ઉત્સાહિત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પા રંજિથની આ ફિલ્મ બિરસા મુંડાના જીવન અને સંઘર્ષને દર્શાવશે, જેમણે આદિવાસી સમાજના અધિકારો માટે અંગ્રેજો સામે લડત લડી હતી. તેમના નેતૃત્વમાં થયેલા મુંડા વિદ્રોહ અથવા ઉલગુલાનને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું એક મહત્વપૂર્ણ પ્રકરણ માનવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ પા રંજીથની સાઉથ સુપરસ્ટાર ચિયાન વિક્રમ(chiyaan vikram) અને માલવિકા મોહનન(malavika mohanan) અભિનીત ઐતિહાસિક ફિલ્મ 'થંગાલન'(thangalaan) 15 ઓગસ્ટના રોજ રીલિઝ થયા બાદ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં વ્યાપક પ્રશંસા અને બોક્સ ઓફિસ સફળતા મેળવી છે. આ ફિલ્મને તેના બહુજન સમાજ આધારિત વિષયને કારણે હિન્દી બેલ્ટ અને ગુજરાતમાં રિલીઝ થવા દેવાઈ નથી. આવું અગાઉ પણ બની ચૂક્યું છે અને તેમાં હવે કોઈને નવાઈ નથી લાગતી. કેમ કે રંજિથની ફિલ્મોના ચાહકો ગમે તેમ કરીને પણ તેમની ફિલ્મ જોઈ લેતા હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ હતા બિરસા મુંડા?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિરસા મુંડા એક આદિવાસી સ્વાતંત્ર્યસેનાની, ધાર્મિક નેતા અને છોટાનાગપુર ઉચ્ચપ્રદેશના મુંડા જાતિના લોક નાયક હતા. 19મી સદીમાં, બિરસા મુંડાએ બંગાળ પ્રેસિડેન્સી (હાલના ઝારખંડ)માં આદિવાસી ધાર્મિક સહસ્ત્રાબ્દી ચળવળ શરૂ કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર, 1875ના રોજ ઝારખંડના ખુંટી જિલ્લાના ઉલિહાટુ ગામમાં થયો હતો. તેઓ માત્ર ભારતીય સ્વતંત્રતા સંગ્રામના લડવૈયા અને આદિવાસી નેતા ન હતા, પરંતુ એક ધાર્મિક સુધારક પણ હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/to-kill-a-tiger-a-shocking-documentary-film">ટુ કિલ અ ટાઈગર- એક હચમચાવી નાખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે બ્રિટિશ સરકારે છોટાનાગપુરમાં જમીનદારી જેવી નવી જમીન અધિગ્રહણ પ્રથા દાખલ કરી અને સમગ્ર આદિવાસી સમાજને જમીનનો માલિકી હક આપ્યો હતો તે હાલની આદિવાસી પ્રથા 'ખુંટકટ્ટી'ને બદલી નાખી ત્યારે તેની આદિવાસીઓના જીવન અને કામકાજ પર ઊંડી અસર પડી હતી. આ નવી પ્રથાને કારણે બહારના લોકો જેમ કે શાહુકારો, જમીનદારો અને વેપારીઓએ આદિવાસીઓની જમીનો પર કબજો કર્યો અને આદિવાસીઓને જમીન માલિકોમાંથી ભૂમિહીન ખેતમજૂરો બનાવી દીધા હતા. નવા જમીનદારોએ બંધુઆ મજૂરી અને પરાણે મજૂરી પ્રથા દાખલ કરી હતી. એટલું જ નહીં ઘણીવાર આદિવાસીઓને પુરતા વેતન વિના પ્રતિકૂળ પરિસ્થિતિમાં કામ કરવા મજબૂર કર્યા. આ સિવાય જો મુંડા આદિવાસીઓ કોઈ જમીન પર ખેતી કરે, તો જમીનદારો તેમની પાસેથી ઊંચી રકમ વસૂલતા હતા. એ રીતે તેઓ વ્યાજના વિષચક્રમાં ફસાતા જતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુંડા વિદ્રોહ જેને 'ઉલ્ગુલાન' અથવા 'મહાન ઉથલપાથલ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આ જમીન અતિક્રમણ અને બળજબરીથી ધર્મપરિવર્તનની પ્રથાઓ સામેની પ્રતિક્રિયા તરીકે ઉભરી આવ્યો હતો. બિરસાએ 1894થી મુંડા આદિવાસીઓને "દીકુ" કહેવાતા સંસ્થાનવાદીઓ અને બહારના લોકો સામે સંગઠિત કરવાનું શરૂ કર્યું હતું અને 1895માં સ્વતંત્ર 'મુંડા રાજ'ની સ્થાપના કરી હતી. તેમણે સફેદ ધ્વજ પણ અપનાવ્યો અને તેને સ્વતંત્ર મુંડા રાજનું પ્રતીક જાહેર કર્યું. આ જૂથના બળવાખોરોએ ગેરિલા યુદ્ધની રણનીતિ અપનાવી અને ચર્ચો, પોલીસ સ્ટેશનો અને બ્રિટિશ શાસનના અન્ય પ્રતીકો પર સશસ્ત્ર હુમલાઓ કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિરસા મુંડાએ સંગઠનાત્મક અને વક્તૃત્વ કુશળતાથી છોટાનાગપુર, બંગાળ અને ઓડિશાના જંગલોના વિવિધ આદિવાસી સમાજોને એક કર્યા અને ખારિયા, ઓરાઓન સમુદાયોને અંગ્રેજો સામે એક મંચ પર લાવ્યા. જો કે, માર્ચ 1900માં જ્યારે બિરસા અને તેમના સાથીઓ જંગલમાં સૂતા હતા ત્યારે બ્રિટિશ સેનાએ તેમની ધરપકડ કરી હતી. તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને થોડા મહિનાઓ પછી કોલેરાથી તેનું મૃત્યુ થયું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના મૃત્યુથી આદિવાસી આંદોલનને મોટો ફટકો પડ્યો અને અંગ્રેજોએ નિયમિત વળતા હુમલાઓ દ્વારા તેને દબાવી દીધું. ઘણા બળવાખોરોની ધરપકડ કરવામાં આવી, અનેકને કેદ કરવામાં આવ્યા કે ફાંસી આપી દેવામાં આવી હતી, જેના કારણે ઓગણીસમી સદીના મધ્ય સુધીમાં બળવો સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. જો કે, બળવો દબાવવામાં આવ્યો હોવા છતાં, તેણે અન્યાય સામે લડવાની અને અત્યાચારનો સામનો કરવાની આદિવાસીઓની તાકાતને ઉજાગર કરી હતી. એટલે જ આદિવાસી આંદોલનમાં આજે પણ બિરમા મુંડાને માત્ર મહાનાયક નહીં પરંતુ ભગવાન તરીકે પૂજવામાં આવે છે. એવામાં પા. રંજિથ જેવા આંબેડકરવાદી ફિલ્મ ડિરેક્ટર જ તેમને યોગ્ય અંજલિ આપી શકે તેમ છે તે સ્વીકારવું રહ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/Who-was-Birsa-Munda,-how-did-he-become-the-God-of-tribal-society"><strong>કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 30 Aug 2024 11:44:11 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 30 Aug 2024 10:46:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1131</Articleid>
                    <excerpt>આંબેડકરવાદી ફિલ્મ ડિરેક્ટર પા. રંજિથે બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારી કરી લીધી છે. તેમની ફિલ્મ બહુજન મહાનાયક બિરસા મુંડા પર હશે. વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66d1553b531d6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d1553b21af4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d1553b21af4.jpg" length="81986" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Birsa Munda Film Pa. Ranjith</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચંપાઈ સોરેનના બળવા પછી JMM નું પતન થઈ જશે? 5 વર્ષમાં 5 પક્ષો તૂટ્યાં</title>
                    <link>https://khabarantar.com/will-jmm-collapse-after-champai-sorens-rebellion-5-parties-broke-up-in-5-years</link>
                    <guid>https://khabarantar.com/will-jmm-collapse-after-champai-sorens-rebellion-5-parties-broke-up-in-5-years</guid>
                    <description>
                        <![CDATA[ દેશમાં આદિવાસી સમાજના મજબૂત પક્ષની ઓળખ ધરાવતા ઝારખંડ મુક્તિ મોરચા(JMM)માં તડાં પડ્યાં છે. કહેવાય છે કે, JMM હવે NCP, શિવસેનાના માર્ગે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડ મુક્તિ મોરચામાં(JMM)થી ચંપાઈ સોરેન(Champai Soren)ના બળવા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જેએમએમ પણ હવે એનસીપી, શીવસેનાના માર્ગે છે અને પતી જશે. જો ખરેખર એવું થશે તો તે બહુજન રાજનીતિ માટે મોટો ફટકો હશે. આમ પણ દેશમાં આદિવાસી સમાજને કેન્દ્રમાં રાખીને કામ કરતા રાજકીય પક્ષોની કમી છે. એવામાં ઝારખંડ મુક્તિ મોરચામાં તડાં પડશે તો ચોક્કસ તેનો ફાયદો મનુવાદી પક્ષો લેવા પ્રયત્નો કરશે. સરવાળે આદિવાસી સમાજમાં જ ભાગલા પડશે. હાલ ચંપાઈ સોરેન પોતાનો પક્ષ બનાવશે અને ભાજપમાં નહીં જોડાય તેવી વાત ચાલી રહી છે. અહીં બે સવાલો ઉભા થઈ રહ્યા છે. પહેલો પ્રશ્ન એ છે કે શા માટે ચંપાઈ સોરેને પાર્ટી સામે બળવો કર્યો? બીજું કે ભારતીય જનતા પાર્ટી ચંપાઈ પ્રત્યે આટલી લાગણી કેમ બચાવી રહી છે? પહેલા સવાલના જવાબમાં ચંપાઈ સોરેને કહ્યું છે કે, તેમનું માન સન્માન જળવાયું નથી એટલે તેઓ પક્ષ છોડી રહ્યાં છે. પણ બીજા સવાલનો જવાબ હજુ આવવાનો બાકી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંપાઈ ભાજપમાં જોડાશે કે નહીં તે પ્રશ્ન સિવાય એક આંકડો ઘણો ચોંકાવનારો છે. આ આંકડો દેશમાં પ્રાદેશિક પક્ષોના ભંગાણ સાથે સંબંધિત છે. છેલ્લા ૫ વર્ષમાં દેશમાં ૫ પ્રાદેશિક પક્ષો તૂટ્યાં છે અને રસપ્રદ રીતે આ પૈકી 4 મામલામાં ભાજપને સીધો ફાયદો થયો છે. વિસ્તારથી સમજીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌ પ્રથમ વર્ષ 2018-19માં ઈન્ડિયન નેશનલ લોકદળ તૂટ્યું હતું. તે પારિવારિક કારણોસર થયું હતું. JJPA એ INLD થી અલગ થઈને નવી પાર્ટી બનાવી. ૨૦૨૦માં મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના નેતૃત્વમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હતું. પહેલા આ જૂથ નવો પક્ષ બનવાની ચર્ચા શરૂ થઈ. આખરે સિંધિયાના નેતૃત્વમાં ૨૮ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2021માં બિહારમાં લોક જનશક્તિ પાર્ટી(LJP)માં વિભાજન થયું હતું. આ ભંગાણ પણ પારિવારિક કારણોસર થયું હતું. આ કારણે એલજેપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. મહારાષ્ટ્રમાં ૨૦૨૨માં શિવસેનામાં ભાગલા પડ્યા હતા. એકનાથ શિંદેના નેતૃત્વમાં ૫૬માંથી ૪૦ ધારાસભ્યોએ ઉદ્ધવ વિરુદ્ધ બળવો કર્યો હતો. ૨૦૨૩માં અજિત પવારે તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો હતો. અજીતના નેતૃત્વમાં ૪૦ ધારાસભ્યો અને એક સાંસદે એનસીપી પર દાવો કર્યો હતો. તેનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/kalpana-soren-a-strong-voice-of-tribal-women-in-the-political-arena">કલ્પના સોરેનઃ રાજકીય મેદાનમાં આદિવાસી મહિલાઓનો મજબૂત અવાજ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૮ના અંતમાં ઓમ પ્રકાશ ચૌટાલાની પાર્ટીમાં ભંગાણ પડ્યું હતું. પાર્ટીને તોડવાનું કામ અન્ય કોઈએ નહીં પરંતુ તેમના પુત્ર અજય ચૌટાલાએ કર્યું હતું. અજય ચૌટાલાએ તેમના બે પુત્રો સાથે મળીને હરિયાણામાં જનનાયક જનતા પાર્ટી(JJP)ની રચના કરી. INLDના ભાગલાનો સીધો ફાયદો ભાજપને થયો. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે હરિયાણાની તમામ ૧૦ સીટો જીતી હતી. ૨૦૧૪માં તેને માત્ર ૭ બેઠકો મળી હતી INLD ને ૨ અને કોંગ્રેસને એક સીટ મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આઈએનએલડીની વોટ બેંક ૩ ભાગમાં વહેંચાઈ ગઈ. તેના ૩ ટકા વોટ ભાજપને, ૧૪ ટકા વોટ જેજેપીને અને ૭ ટકા વોટ કોંગ્રેસને ગયા. બેઠકો પર પણ મતદાનની અસર જોવા મળી હતી. હરિયાણા વિધાનસભામાં જેજેપીને ૧૦, ભાજપને ૪૦ અને કોંગ્રેસને ૩૨ બેઠકો મળી છે. ચૂંટણી બાદ જેજેપીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. બંનેની સરકાર લગભગ ૪ વર્ષ અને ૪ મહિના સુધી ચાલી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૨માં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં વિભાજન થયું હતું. શિવસેનામાં વિભાજનને કારણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર પડી ગઈ. ઉદ્ધવ સરકારના પતન પછી એકનાથ શિંદેએ ભાજપના ૧૦૫ ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તે સમયે શિંદેને ૪૦ ધારાસભ્યોનું સમર્થન હતું. રાજ્યપાલે શિંદેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. શિવસેનામાં ભંગાણનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/consider-curbing-inequality">અસમાનતાને અંકુશમાં લેવાનું વિચારો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના એક વર્ષ બાદ એનસીપી(NCP)માં ભાગલા પડ્યા હતા. અજિત પવારના નેતૃત્વમાં એનસીપીના ૪૦ ધારાસભ્યો શરદ પવાર સામે બળવો કરીને અલગ થઈ ગયા હતા. એવું કહેવાય છે કે એનસીપીમાં વિભાજનથી મહારાષ્ટ્રમાં NDA સરકાર બની ગઈ. એટલું જ નહીં, રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં પણ NDAને આનો ફાયદો થયો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૮માં જ્યારે મધ્યપ્રદેશની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ ૧૧૪ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી. કોંગ્રેસને સરકાર બનાવવા માટે માત્ર ૨ ધારાસભ્યોની જરૂર હતી, જેને BSPએ સમર્થન આપીને ઉકેલી હતી. BSPએ ૨૦૧૮માં ૨ સીટો જીતી હતી. કોંગ્રેસની સરકાર ૧૫ મહિના સુધી સરળતાથી ચાલી, પરંતુ પાર્ટીના જ શક્તિશાળી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાએ કોંગ્રેસ પાસેથી મધ્યપ્રદેશની સત્તા છીનવી લીધી. સિંધિયા સાથે કોંગ્રેસના ૨૮ ધારાસભ્યો ભાજપમાં જોડાયા, જેના કારણે કોંગ્રેસની સરકાર પડી ગઈ. ત્યારબાદ શિવરાજ સિંહના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવવાનો દાવો કર્યો. રાજ્યપાલે સંખ્યાના આધારે ભાજપનો દાવો સ્વીકાર્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે ઝારખંડની વાત. અહીં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચંપાઈ સોરેન કોલ્હન વિસ્તારમાંથી આવે છે. આ વિસ્તારમાં ૧૪ વિધાનસભા બેઠકો છે, જેમાંથી ૧૩ છેલ્લી ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા જીતવામાં આવી હતી. આ વિસ્તારમાં ભાજપને એક પણ બેઠક મળી નથી. ચંપાઈની મદદથી ભાજપ કોલ્હનમાં પોતાનું મેદાન મજબૂત કરવા માંગે છે. હાલ ભાજપ પાસે કોલ્હનમાં કોઈ મોટો નેતા નથી. અગાઉ આ વિસ્તારમાં ભાજપના ૩ નેતાઓ (રઘુબર દાસ, સરયુ રાય અને લક્ષ્મણ ગિલુઆ) હતા. ગિલુઆનું અવસાન થયું છે, જ્યારે દાસ રાજ્યના રાજકારણમાંથી બહાર છે અને સરયુ રાય ભાજપ છોડીને JDUમાં જોડાઈ ગયા છે. સૂત્રોના મતે, ભાજપ ચંપાઈ સોરેનને પક્ષમાં સામેલ કરવા માંગતી હતી, પણ ચંપાઈ ધાર્યા કરતા વધુ હોંશિયાર નીકળ્યા અને તેમણે ભાજપમાં જોડાવાને બદલે પોતાનો પક્ષ સ્થાપીને સ્વયંનું સ્થાન મજબૂત કરવાનું નક્કી કર્યું છે, જેથી આગળ જતા કોઈની પણ સાથે હાથ મિલાવીને ધાર્યું નિશાન પાર પાડી શકાય. ચંપાઈના મનમાં જે પણ ચાલતું હોય, પણ તેનાથી આદિવાસી સમાજના મતોમાં ભાગલા પડશે અને સરવાળે આદિવાસી-બહુજન રાજનીતિને નુકસાન થશે તે નક્કી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/If-you-dare-give-proof-of-the-scandal,-I-will-leave-politics-Hemant-Sorens-open-challenge-in-Jharkhand-Assembly">હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 22 Aug 2024 14:35:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1113</Articleid>
                    <excerpt>દેશમાં આદિવાસી સમાજના મજબૂત પક્ષની ઓળખ ધરાવતા ઝારખંડ મુક્તિ મોરચા(JMM)માં તડાં પડ્યાં છે. કહેવાય છે કે, JMM હવે NCP, શિવસેનાના માર્ગે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c6fed005ba0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c6fecfc728f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c6fecfc728f.jpg" length="80513" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>JMM, NCP, Shivsena, ઝારખંડ મુક્તિ મોરચા</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેળામાં આવેલી આદિવાસી યુવતી પર 8 શખ્સોએ સામૂહિક બળાત્કાર કર્યો</title>
                    <link>https://khabarantar.com/8-persons-gang-raped-a-tribal-girl-at-the-fair</link>
                    <guid>https://khabarantar.com/8-persons-gang-raped-a-tribal-girl-at-the-fair</guid>
                    <description>
                        <![CDATA[ રક્ષાબંધનના તહેવાર પર મેળામાં ફરવા આવેલી એક આદિવાસી યુવતી પર 8 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ દલિત-આદિવાસીઓની અનામતમાં ભાગલા પાડી તેમને અંદરોઅંદર લડાવી મારવાનું કાવતરું રચાઈ રહ્યું છે, દેશભરનો એસસી-એસટી સમાજ તેમના હક માટે મેદાને પડ્યો છે, બીજી તરફ તેમના પર અત્યાચારો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલા બની ગઈ. જેમાં એક આદિવાસી યુવતી પર 8 શખ્સોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના આદિવાસી બહુમતિ ધરાવતા છત્તીસગઢની છે. અહીં રાયપુર જિલ્લામાં ૨૭ વર્ષીય આદિવાસી મહિલા પર ૮ શખ્સો દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘટના સોમવારે પુસૌર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં બની હતી જ્યારે પીડિતા રક્ષાબંધનનો તહેવાર મનાવીને સ્થાનિક મેળામાં જઈ રહી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, મહિલાએ મંગળવારે આ સંબંધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. ફરિયાદ મુજબ, કેટલાક લોકોએ મહિલાને રોકી હતી અને બળજબરીથી નજીકના તળાવના કિનારે લઈ ગયા. જ્યાં બધાએ એક પછી એક તેના પર બળાત્કાર કર્યો હતા. પીડિતાની ફરિયાદના આધારે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/a-dalit-girl-was-raped-and-stabbed-to-death"><strong>દલિત કિશોરી પર દુષ્કર્મ આચરી છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિલાસપુરના રેન્જ આઈજી સંજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, આ ઘટના સોમવારે સાંજે બની હતી. મહિલા રક્ષાબંધનનો તહેવાર હોવાથી સ્થાનિક મેળામાં ગઈ હતી. એ દરમિયાન મુખ્ય આરોપી તેને મેળામાં મળી ગયો હતો, તેની સાથે બીજા આરોપીઓ પણ હતા. યુવતી મુખ્ય આરોપીને ઓળખતી હોવાથી તેના ભસોરે મેળામાં મહાલી રહી હતી. એ પછી આ લોકો તેને તળાવના કાંઠે બળજબરી કરીને લઈ ગયા હતા. જ્યાં મુખ્ય આરોપી સાથે રહેલા આઠ શખ્સોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. ઘટના બાદ આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રેન્જ આઈજીએ કહ્યું કે મંગળવાર રાત સુધીમાં છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બે આરોપીઓ ફરાર છે. રાયગઢના પોલીસ અધિક્ષક દિવ્યાંગ પટેલે જણાવ્યું હતું કે તેઓ આ મામલામાં સંડોવાયેલા અન્ય લોકો વિશે જાણવા માટે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહ્યાં છે અને તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસપીએ કહ્યું કે પુસૌર પોલીસે આ મામલે સામૂહિક બળાત્કારનો કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. અમે આરોપીની ઓળખ જાહેર કરી રહ્યા નથી કારણ કે તેનાથી તપાસમાં અવરોધ આવી શકે છે. મામલો ગંભીર છે. દરમિયાન, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટનાને ગંભીર ગણાવી હતી અને તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને સજાની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/a-doctor-committed-rape-with-a-dalit-nurse-posted-on-night-duty"> નાઈટ ડ્યૂટી પર તૈનાત દલિત નર્સ સાથે ડોક્ટરે દુષ્કર્મ આચર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 22 Aug 2024 10:02:29 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 22 Aug 2024 10:04:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1110</Articleid>
                    <excerpt>રક્ષાબંધનના તહેવાર પર મેળામાં ફરવા આવેલી એક આદિવાસી યુવતી પર 8 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c6beb30ec7c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c6beb2d31d4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c6beb2d31d4.jpg" length="71131" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Adivasi Girl, Rape</media:keywords>
                </item>
                        <item>
                    <title>સાબરકાંઠાના ઈડર, વડાલી, વિજયનગર સહિતના શહેરો સંપૂર્ણ બંધ રહ્યાં</title>
                    <link>https://khabarantar.com/cities-including-eder-wadali-vijayanagar-of-sabarkantha-remained-completely-closed</link>
                    <guid>https://khabarantar.com/cities-including-eder-wadali-vijayanagar-of-sabarkantha-remained-completely-closed</guid>
                    <description>
                        <![CDATA[ એસસી-એસટી અનામતમાં પેટાવર્ગીકરણના સુપ્રીમ કોર્ટના ચૂકાદાના વિરોધમાં આપવામાં આવેલા ભારત બંધને સાબરકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં જોરદાર સમર્થન મળ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો દ્વારા એસસી-એસટી સમાજની અનામતમાં કોઈપણ પ્રકારના ડેટા વિના તેનું પેટાવર્ગીકરણ કરવા અને ક્રીમીલેયર દાખલ કરવાના ચૂકાદાના વિરોધમાં આજે દેશભરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. અહીં વાત સાબરકાંઠા જિલ્લાની કરીએ. જ્યાં દલિત અને આદિવાસી સંગઠનોએ સાથે મળીને સમગ્ર જિલ્લામાં બંધને મજબૂત જનસમર્થન પ્રાપ્ત કરાવ્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c5f0ba541f8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈડર ખાતે જય ભીમ યુવા સંગઠન અને એકલવ્ય ટ્રાઈબલ યુવા સંગઠન દ્વારા બંધની આગેવાની લેવામાં આવી હતી. જેને વિવિધ સંગઠનો અને સમસ્ત એસસી, એસટી સમાજે ટેકો આપ્યો હતો. અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના સંગઠનના અગ્રણીઓ અને યુવાનો જૂના પોલીસ સ્ટેશનના સંવિધાન ચોક ખાતે એકત્ર થઈ ઈડર ટાવરથી રેલી સ્વરૂપે તિરંગા સર્કલ પાસે આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ બેસી સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ અનામત બચાવોના પોસ્ટરો અને બેનરો સાથે ઈડર પ્રાંત કચેરી ખાતે જઈ વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરી, તેને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/babasaheb-is-theoretical-manyavar-is-practical"><strong>બાબાસાહેબ થિયરી છે તો માન્યવર પ્રેક્ટિકલ છે</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c5f0cc9c8aa.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં કહેવાયું હતું કે, સર્વોચ્ચ અદાલત દ્વારા પંજાબ સરકાર/રાજ્ય સરકારના સંદર્ભમાં આપવામાં આવેલા ચુકાદામાં રાજ્યોને SC(અ.જા.), ST(અ.જ.જા.) કેટેગરીના અનામતના લાભોમાં વર્ગીકરણની અનુમતી આપવામાં આવી છે. આ ચુકાદા થકી SC(અ.જા.), ST(અ.જ.જા.) કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરી તેમની કેટેગરી બનાવવા અને તે પ્રમાણે/આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યોને જે પાવર આપવામા આવ્યા છે તે બંધારણના વિરુદ્ધમા છે. આ વર્ગ/કેટેગરીમાં જાતિઓના સ્વીકાર-અસ્વીકારની સત્તા બંધારણીય રીતે આર્ટિકલ ૩૪૧ મુજબ રાષ્ટ્રપતિ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/those-10-revolutionary-ideas-of-manyavar-kanshiram-which-are-proving-to-be-true-even-today"><strong>માન્યવર કાંશીરામના એ 10 ક્રાંતિકારી વિચારો, જે આજેય એટલા જ સત્ય સાબિત થઈ રહ્યાં છે</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c5f0e735b85.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમ છતાં સુપ્રિમ કોર્ટ દ્વારા આ કેટેગરીમાં પેટા વર્ગીકરણનો અને અનામત વ્યવસ્થાના વિભાજનની તરફેણ કરતો ચૂકાદો આપી પોતાની સત્તા બહારનો નિર્ણય કરેલો છે, જે દેશની અનુસુચિત જાતિઓ તથા જનજાતિઓ માટે વિભાજનકારી તથા ઘાતક પુરવાર થઈ શકે છે. સાથે જ એસસી, એસટી સંગઠનોએ આવેદનપત્રમાં આ ચુકાદાને નિરસ્ત કરી, બંધારણીય પદ્ધતિને અનુસરી ઘટતું કરવા રજૂઆત કરાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસસી, એસટી સમાજના સમર્થનમાં સાબરકાંઠા જીલ્લાના ઈડરમાં બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા. આવી જ અસર અહીંના અન્ય શહેરો, વડાલી, વિજયનગરમાં પણ જોવા મળી હતી જ્યાં બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા. ઈડરમાં એસસી- એસ.ટી સમાજના સમર્થનમાં સૌ કોઈએ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે બંધ પાળી ટેકો આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/how-did-the-slogan-of-jai-bheem-outweigh-jai-shri-ram">'જય શ્રીરામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 21 Aug 2024 19:24:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1109</Articleid>
                    <excerpt>એસસી-એસટી અનામતમાં પેટાવર્ગીકરણના સુપ્રીમ કોર્ટના ચૂકાદાના વિરોધમાં આપવામાં આવેલા ભારત બંધને સાબરકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં જોરદાર સમર્થન મળ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c5f0a4ccdd3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c5f0a498056.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c5f0a498056.jpg" length="134425" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bharat Band, Reservation Quota</media:keywords>
                </item>
                        <item>
                    <title>સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું &amp;apos;21 ઓગસ્ટ ભારત બંધ&amp;apos;</title>
                    <link>https://khabarantar.com/august-21-bharat-bandh-trended-on-social-media</link>
                    <guid>https://khabarantar.com/august-21-bharat-bandh-trended-on-social-media</guid>
                    <description>
                        <![CDATA[ આવતીકાલે અનામતને લઈને સુપ્રીમ કોર્ટના ચૂકાદાની વિરુદ્ધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તે સોશિયલ મીડિયામાં પહેલા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">21_August_Bharat_Bandh આ હેશટેગ હાલ સોશિયલ મીડિયા પર દાવાનળની જેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ખાસ કરીને X પર તેની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. હેશટેગ #21_August_Bharat_Band અત્યારે ટ્રેન્ડમાં છે. X પર આ હેશટેગ સાથે 45 હજારથી વધુ પોસ્ટ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયના વિરોધમાં આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ આ બંધનું આહ્વાન કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટની બહુમતી સવર્ણ જજોની બંધારણીય બેંચે 1 ઓગસ્ટ 2024ના રોજ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. તેમણે રાજ્યોને SC અને ST જૂથોમાં પેટા-શ્રેણીઓ બનાવવાની મંજૂરી આપી ઉમેર્યં હતું કે, "જેને ખરેખર તેની જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ." આ નિર્ણયને કારણે દેશભરમાં એસસી, એસટી સમાજમાં હોબાળો મચી ગયો છે. છેવાડા માણસ સુધી તેણે ચર્ચા જગાવી છે અને તેના વિરોધમાં આવતીકાલે ભારત બંધની હાકલ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધ દરમિયાન વિરોધ અને તેના પગલે સંભવિત હિંસાની શક્યતાને લઈને ટોચના પોલીસ અધિકારીઓએ તૈયારીઓ માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો. મુખ્ય સચિવ ગૃહ અને પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) એ બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને 21 ઓગસ્ટે વિરોધ પ્રદર્શન માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/everyone-had-the-same-voice-we-will-not-let-the-meli-murad-of-the-government-be-fulfilled"><span style="font-size: 12pt;"> </span>મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પશ્ચિમ ઉત્તર પ્રદેશને ખાસ કરીને સંવેદનશીલ માનવામાં આવે છે, જેના કારણે ત્યાંની પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સત્તાવાળાઓ વ્યાપક પગલાં લઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારત બંધ પાછળનું કારણ શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત બંધનો મુખ્ય ઉદ્દેશ્ય અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારવાનો અને તેને ઉલટાવવાની માંગ કરવાનો છે. આ બંધને વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો તરફથી સમર્થન મળવાની અપેક્ષા છે. વિરોધનો ઉદ્દેશ્ય કોર્ટના અન્યાયી નિર્ણયને સરકાર દ્વારા રદ કરવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષે ભારત બંધનો આ પહેલો પ્રસંગ નથી. ફેબ્રુઆરી 2024માં, ખેડૂત સંગઠનોએ તેમની માંગણીઓ માટે 16 ફેબ્રુઆરીએ બંધનું આયોજન કર્યું હતું. જો કે ભારતના મોટાભાગના ભાગોમાં તેની કોઈ ખાસ અસર થઈ ન હતી, પરંતુ પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના આંદોલનને કારણે વિક્ષેપ પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારત બંધ દરમિયાન શું ખુલ્લું રહેશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા બંધ દરમિયાન, એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહે છે. હોસ્પિટલો અને તબીબી સેવાઓ પણ સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખે છે. જો કે, સાર્વજનિક પરિવહન સામાન્ય રીતે બંધ હોય છે, અને ખાનગી કંપનીઓ સામાન્ય રીતે તેમના કામકાજ બંધ રાખતી હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રીમી લેયરને અનામતમાંથી દૂર કરવાને લઈને સોશિયલ મીડિયા પર અભિયાન તેજ થયું છે. આ આંદોલન અંતર્ગત બહુજન સંગઠનોએ ભારત બંધમાં જોડાવાની જાહેરાત કરી છે. ભારત બંધનો હેતુ હાંશિયામાં ધકેલાઈ ગયેલા સમાજો માટે અનામતને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય અયોગ્ય છે તે દિશામાં ધ્યાન દોરવાનો છે. આ પ્રદર્શનને લઈને દેશના તમામ મોટા રાજ્યોના મુખ્ય શહેરોમાં બહુજન સમાજના સંગઠનોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ગુજરાતમાં પણ નાનામોટાં તમામ શહેરોમાં આ મુદ્દે સજ્જડ બંધ પળાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભૂજ, જૂનાગઢ સહિતના શહેરોમાં મોટાપાયે વિરોધ પ્રદર્શનો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. વહીવટી તંત્ર વિરોધ પ્રદર્શન દરમિયાન વ્યવસ્થા જાળવવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/karo-Ya-maro-nationwide-bandh-announced-on-august-21-over-reservation-issue">કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 20 Aug 2024 10:07:01 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 20 Aug 2024 10:07:25 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1098</Articleid>
                    <excerpt>આવતીકાલે અનામતને લઈને સુપ્રીમ કોર્ટના ચૂકાદાની વિરુદ્ધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તે સોશિયલ મીડિયામાં પહેલા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c41cb4b776c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c41cb4841ad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c41cb4841ad.jpg" length="68388" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Reservation, 21 st August bharatbandh, social media trend</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિ ગણતરી શા માટે જરૂરી છે અને તેનું પરિણામ શું હશે?</title>
                    <link>https://khabarantar.com/why-caste-census-is-necessary-and-what-will-be-its-result</link>
                    <guid>https://khabarantar.com/why-caste-census-is-necessary-and-what-will-be-its-result</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સમાજના મોટાભાગના લોકો જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દાને ટેકો આપે છે, પણ શા માટે તે જરૂરી છે, તેની વાત અહીં કરવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરની લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં (મે 2024), INDIA ગઠબંધને તેના ચૂંટણી પ્રચારમાં જાતિની વસ્તી ગણતરીના મુદ્દાને મહત્વનું સ્થાન આપ્યું હતું. અન્ય પરિબળો ઉપરાંત, આ મુદ્દાએ પણ ચૂંટણીમાં તેના સારા પ્રદર્શનમાં ફાળો આપ્યો હતો. જો કે, આ ગઠબંધન સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો મેળવી શક્યું નહોતું. બીજેપીના સહયોગી નીતીશ કુમાર બિહારમાં જ્ઞાતિની વસ્તી ગણતરી કરી ચૂક્યા છે, જોકે તેમણે આ મુદ્દાને હાલ પૂરતો સ્થગિત રાખ્યો છે. નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ પર ચર્ચા દરમિયાન વિપક્ષે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમાં જાતિ ગણતરીની માંગ ખૂબ જ મજબૂત અને અસરકારક રીતે ઉઠાવવામાં આવી હતી. ખાસ કરીને બજેટનો ફોટો બતાવીને રાહુલ ગાંધીએ જ્યારે કહ્યું કે, બજેટ તૈયાર કરનારા મોટાભાગના સવર્ણો છે અને બજેટના લાભાર્થીઓ માત્ર અમુક ઉચ્ચ વર્ગના લોકો જ છે ત્યારે જાતિની ગણતરી મહત્વની બની જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના અનુરાગ ઠાકુરે સંસદમાં કહ્યું કે, જેમને પોતાની જાતિની ખબર નથી, તેઓ જાતિની ગણતરીની માંગ કરી રહ્યાં છે. એ પછી હોબાળો મચી ગયો હતો. અખિલેશ યાદવથી લઈને તમામ વિપક્ષી નેતાઓએ આ બાબતનો વિરોધ કર્યા પછી અનુરાગ ઠાકુરના આ નિવેદનને લોકસભાની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવી હતી પરંતુ વડાપ્રધાને ટ્વિટ કરીને તેમના ભાષણને સહમતી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિની વસ્તી ગણતરી જરૂરી છે. કારણ એ છે કે અનામતની ટકાવારી દાયકાઓ પહેલા નક્કી કરવામાં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ વસ્તીમાં વિવિધ જાતિઓના હિસ્સામાં ઘણું પરિવર્તન આવી ગયું છે. અનુરાગ ઠાકુર અને નરેન્દ્ર મોદી જે વિચારધારા સાથે જોડાયેલા છે, તે વિચારધારા સકારાત્મક ભેદભાવની નીતિ અપનાવીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજોને અન્ય સમાજોની સમકક્ષ લાવવાના પ્રયત્નોની વિરુદ્ધ છે. જો કે દલિતોની સામાજિક સમસ્યાઓ માત્ર આર્થિક રીતે સક્ષમ બનવાથી ખતમ નહીં થાય, પણ એમાં કોઈ શંકા નથી કે સારી આર્થિક સ્થિતિ સામાજિક સ્થિતિમાં પણ સુધારો લાવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/modi-does-not-conduct-caste-based-census-as-he-is-pro-caste">મોદી સવર્ણોના તરફદાર હોવાથી જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરાવતા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય સમાજ જાતિ પ્રથાની ચુંગાલમાં ઊંડે સુધી ફસાયેલો છે. જેના કારણે જાતિ વ્યવસ્થાના પીડિતોને સામાજિક ન્યાય, સન્માન અને પ્રતિષ્ઠા મળે તે સુનિશ્ચિત કરવું આસાન નથી. દલિતોને સન્માન અને સમાનતા અપાવવાનો સંઘર્ષ ઘણો લાંબો અને મુશ્કેલ રહ્યો છે. આ દિશામાં પહેલો પ્રયાસ જોતિરાવ ફુલેએ કર્યો હતો. તેમને સમજાયું કે જાતિ પ્રથા એ હિંદુ સમાજની સૌથી મોટી નબળાઈ છે. દલિતોને ભણવા અને લખવાની છૂટ ન હોવાથી ફુલેએ દલિતો માટે શાળાઓ ખોલી. જાતિપ્રથાને જાળવી રાખવામાં લૈંગિક અસમાનતા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી સાવિત્રીબાઈ ફુલેએ કન્યાઓ માટે શાળાઓ ખોલી. જાતિ અને લૈંગિક સમાનતા સ્થાપિત કરવાના આ પ્રયાસો લગભગ એક સદી પહેલા કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. બાબાસાહેબ આંબેડકરે આ વર્ગોને વધુ જાગૃત કર્યા. દલિતોને સમજાયું કે મહારાષ્ટ્રમાં શેઠજી-ભટ્ટજી તરીકે ઓળખાતી જમીનદાર-પુરોહિતોની જોડી તેમની સૌથી મોટી વિરોધી છે. આ કારણે બ્રાહ્મણ વિરોધી ચળવળ શરૂ થઈ. બ્રાહ્મણોના વર્ચસ્વને પડકારતી આ ચળવળનો માર્ગ સરળ નહોતો. હિન્દુ-મુસ્લિમ એકતા સ્થાપવાના ગાંધીજીના પ્રયાસોથી ઉચ્ચ જાતિના લોકો પહેલેથી જ નારાજ હતા. એવામાં સમાન અધિકારો માટેની દલિતોની માંગે ઉચ્ચ જાતિઓને વધુ પરેશાન કરી. ઉચ્ચ જાતિના શ્રેષ્ઠીઓએ RSSની સ્થાપના કરી, જેનો ઉદ્દેશ્ય હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાનો હતો. હિન્દુ રાષ્ટ્રની કલ્પના મનુસ્મૃતિ પર આધારિત છે. RSS એ ભારતના બંધારણનો એ આધાર પર વિરોધ કર્યો હતો કે, તેમાં ભારતના 'સુવર્ણ ભૂતકાળ'ના મૂલ્યોને સ્થાન આપવામાં આવ્યું નહોતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની અનામતની ધીમે ધીમે સમાજ પર અસર થવા લાગી. આ સાથે અફવાઓ ફેલાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ. અનામતનો લાભ મેળવનારાઓને 'સરકારી જમાઈ' કહેવાવા માંડ્યા અને એવી દલીલ કરવામાં આવી હતી કે તેઓ જે હોદ્દા ધરાવે છે તેને તેઓ લાયક નથી. એવું પણ કહેવામાં આવ્યું કે અનામતપ્રથા લાયક યુવાનોના માર્ગમાં અડચણરૂપ છે. ઉચ્ચ જ્ઞાતિના લોકોનો ગુસ્સો સૌથી પહેલા ગુજરાતના અમદાવાદમાં સામે આવ્યો હતો. માધવસિંહ સોલંકીની KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) થિયરીની સફળતાના વિરોધમાં તીવ્ર પ્રતિક્રિયા સામે આવી અને 1981માં ગુજરાતમાં દલિત વિરોધી હિંસા ફાટી નીકળી હતી. વિદ્વાન અચ્યુત યાજ્ઞિક લખે છે: "શિક્ષિત મધ્યમવર્ગ જેમાં બ્રાહ્મણો, વાણિયા અને પાટીદારો સામેલ છે, તેમણે 1981માં અનામત વિરોધી આંદોલન શરૂ કર્યું હતું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/rss-mouthpiece-panchjanya-termed-caste-system-as-necessary"> RSSના મુખપત્ર ‘પાંચજન્ય’માં જાતિ પ્રથાને 'જરૂરી' ગણાવવામાં આવી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1985માં પ્રમોશનમાં અનામતના વિરોધમાં ગુજરાતમાં ફરી એકવાર દલિત વિરોધી હિંસા થઈ હતી. તે જ સમયે વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિર આંદોલનને હવા આપવાનું શરૂ કર્યું અને લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ કરી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વી.પી. સિંહ, જેમની સરકારને એક તરફ ભાજપ અને બીજી તરફ ડાબેરી પક્ષોના ટેકાથી ચાલી રહી હતી, તેમણે પોતાની ખુરશી બચાવવા માટે મંડલ કમિશનના રિપોર્ટને અમલમાં મૂક્યો અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) જે કુલ વસ્તીના 55 ટકા છે, તેમને 27 ટકા અનામત આપી. ઉચ્ચ જાતિના લોકો મંડલ કમિશનની વિરુદ્ધ હતા. પરંતુ ચૂંટણીલક્ષી કારણોસર ભાજપ મંડલનો સીધો વિરોધ કરી શક્યો ન હતો. તેણે રથયાત્રાને સફળ બનાવવા તમામ પ્રયાસો કર્યા હતા. આ કૂચને મંડલ વિરોધી ઉચ્ચ જાતિઓ તરફથી જબરદસ્ત સમર્થન મળ્યું હતું. 'યુથ ફોર ઇક્વાલિટી' જેવી સંસ્થાઓ મંડલનો વિરોધ કરવા સામે આવી.    </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શરદ યાદવ, લાલુ યાદવ અને રામવિલાસ પાસવાન જેવા નેતાઓ મંડલ રાજકારણમાંથી સામે આવ્યા. ભાજપના ટોચના નેતા અટલ બિહારી વાજપેયીએ કહ્યું, "તેઓ મંડલ લાવ્યા તો અમે સામે કમંડલ લાવ્યા." ભાજપ સામાજિક ન્યાયનો વિરોધી રહ્યો છે અને એ વિરોધને તેણે મુસ્લિમ વિરોધના વાઘા પહેરાવ્યા છે. સુનિયોજિત કાવતરાના ભાગરૂપે બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. ભાજપનો ઉદ્દેશ્ય જાતિ આધારિત ઉંચનીચને જાળવી રાખીને હિંદુઓને એક વોટબેંક તરીકે એક કરવાનો છે. મંડલ પક્ષો ઘણી બાબતોમાં સફળ રહ્યા હતા પરંતુ તેમાંથી કેટલાકે પોતાના સંકુચિત હિતોને ખાતર મનુવાદી રાજનીતિ સાથે સમાધાન કરી લીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ કેટલાક પક્ષો મંડલના વિરોધી રહ્યા છે. પરંતુ ભારત જોડો યાત્રા દરમિયાન ભારતના સામાન્ય લોકોની હાલત જોઈને તેમન સમજાઈ ગયું છે કે, જાતિ આધારિત વસ્તી ગણતરી તેમને અને દલિત, આદિવાસીઓ અને ઓબીસી સહિત સૌ કોઈના ફાયદામાં છે. એટલે વિપક્ષ તેના સમર્થનમાં છે. અનામતની ટકાવારી નક્કી કરવા માટે વિવિધ જાતિઓની વસ્તીના આંકડા જ આધાર ગણાય. પણ પીએમ મોદી સામાન્ય વસ્તી ગણતરી પણ કરાવવા તૈયાર નથી. જેના પરથી જ ખ્યાલ આવી જાય છે કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાથી તેઓ અને તેમનો પક્ષ શા માટે ડરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/sc-st-obc-need-to-be-counted-to-know-true-population-ajit-pawar"> SC-ST-OBC ની સાચી વસ્તી જાણવા ગણતરી કરવી જરૂરી: અજિત પવાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 18 Aug 2024 17:37:13 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 18 Aug 2024 17:37:54 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1089</Articleid>
                    <excerpt>બહુજન સમાજના મોટાભાગના લોકો જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દાને ટેકો આપે છે, પણ શા માટે તે જરૂરી છે, તેની વાત અહીં કરવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c1e32bb31c0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c1e32b80016.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c1e32b80016.jpg" length="105858" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Cast, Census</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિવંગત રોમેલ સુતરિયાની યાદમાં &amp;quot;રોમેલને સલામ&amp;quot; કાર્યક્રમ યોજાયો</title>
                    <link>https://khabarantar.com/a-salute-to-rommel-program-was-held-in-memory-of-late-rommel-sutaria</link>
                    <guid>https://khabarantar.com/a-salute-to-rommel-program-was-held-in-memory-of-late-rommel-sutaria</guid>
                    <description>
                        <![CDATA[ દિવંગત એક્ટિવિસ્ટ રોમેલ સુતરિયા(Romel Sutariya) ની યાદમાં ગઈકાલે અમદાવાદમાં તેને ગમતી કવિતાઓ અને સંઘર્ષના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ માટે રાતદિવસ જોયા વિના કામ કરતા યુવા એક્ટિવિસ્ટ રોમેલ સુતરિયા(Romel Sutariya) નું થોડાદિવસ પહેલા હૃદયરોગ(Heart Attack)ના હુમલાને કારણે અવસાન થયું હતું. યુવા એક્ટિવની આ રીતે અણધારી વિદાયને કારણે તેના પરિવારજનો, મિત્રવર્તુળ સહિત સમગ્ર બહુજન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રોમેલના સાથીઓ, મિત્રો દ્વારા તેની યાદમાં ગઈકાલે અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં "રોમેલને સલામ-થોડી કવિતાઓ, થોડાં ગીતો" કાર્યક્રમ યોજાઈ ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમમાં રોમેલના સંઘર્ષભર્યા જીવનને નજીકથી જાણતા-સમજતા કવિઓએ અને ગાયકોએ સંઘર્ષની કવિતાઓ અને સંઘર્ષનાં ગીતો રજૂ કર્યાં હતા. અપવાદને બાદ કરતા બોલનારાનાં જીવન પણ સંઘર્ષભર્યાં અને સાંભળનારાનાં જીવન પણ સંઘર્ષભર્યાં હોવાથી આ કાર્યક્રમ ખરા અર્થમાં રોમેલ સુતરિયાને પરફેક્ટ અંજલિસમો બની ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Adivasi-society-has-lost-its-ratan,-editor-of-Adilok-Prof.-Anand-Vasavas-spouse-Bhanubahen-passes-away">આદિવાસી સમાજે પોતાનું રતન ગુમાવ્યું, ‘આદિલોક’ના તંત્રી પ્રો. આનંદ વસાવાના જીવનસાથી ભાનુબહેનનું અવસાન</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66befd93b64b1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગીતામંદિર સ્થિત લક્ષ્મી કોલોનીમાં યોજાયેલો આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ચાલ્યો હતો. જેમાં કવિ કુસુમ ડાભી, ઉમેશ સોલંકી, આતિષ ઈન્દ્રેકર, સચિન સોનીબેન, સની પટણી, જયરાજ રાજવી, હોઝેફા ઉજ્જૈનીએ રોમેલના મિજાજ અને સંઘર્ષને અભિવ્યક્ત કરતી કવિતાઓ રજૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે મહેન્દ્ર સોલંકી, ચિરાગ વર્ષાબહેન, અનિષ ગારંગે, અઝિઝ મીનટ, અશ્વિન વાઘેલા અને જયેન્દ્ર માછરેકરે રોમેલને ગમતા અને તેના સંઘર્ષનું પ્રતિબિંબ પાડતા ગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોમેલ સુતરિયાના સંઘર્ષના સાથીઓ અને મિત્રો-સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે આજીવન આદિવાસી સમાજના હકો-અધિકારો માટે સંઘર્ષ કરનાર એક્ટિવિસ્ટ રોમેલ સુતરિયાનું ગત તા. 1લી ઓગસ્ટના રોજ હૃદયરોગનો હુમલો આવવાને કારણે નિધન થયું હતું. અણધારી આ ઘટનાથી ગુજરાતભરનાં આદિવાસી સમાજમાં સોંપો પડી ગયો હતો. એસસી, એસટી સમાજ દ્વારા તેમના હોનહાર યોદ્ધાને વિવિધ રીતે અંજલિ આપવામાં આવી હતી. જે અંતર્ગત આ કાર્યકર્મ યોજાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/author-journalist-rti-activist-dr-Swapnil-Mehta-no-more"><span style="font-size: 14pt;">લેખક, પત્રકાર, આરટીઆઈ એક્ટિવિસ્ટ ડૉ. સ્વપ્નિલ મહેતા ની વિદાય</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 16 Aug 2024 12:52:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1079</Articleid>
                    <excerpt>દિવંગત એક્ટિવિસ્ટ રોમેલ સુતરિયા(Romel Sutariya) ની યાદમાં ગઈકાલે અમદાવાદમાં તેને ગમતી કવિતાઓ અને સંઘર્ષના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66befd847c8b7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66befd8445a29.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66befd8445a29.jpg" length="99435" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Romel Sutariya, Heart Attack, Adivasi</media:keywords>
                </item>
                        <item>
                    <title>હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી</title>
                    <link>https://khabarantar.com/apply-reservation-in-posts-of-high-court-supreme-court-judges-too-mayawati</link>
                    <guid>https://khabarantar.com/apply-reservation-in-posts-of-high-court-supreme-court-judges-too-mayawati</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટમાં જે રીતે ચોક્કસ પરિવારના જ લોકો જજ બનીને ન્યાય તોળવા બેસી જાય છે, તેને લઈને હવે BSP સુપ્રીમો માયાવતીએ પણ મોટી માંગણી કરી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે સમય પાકી ગયો છે કે, હવે દેશની હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં પણ અનામત લાગુ કરવામાં આવે. આ સમયનો તકાજો છે અને તેનાથી એસસી, એસટી સમાજના લોકોને તેમની વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં જ એસસી, એસટી સમાજની અનામતમાં ભાગલા પાડવાનો અને ક્રિમીલેયર દાખલ કરવાનો ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ ચૂકાદો આપનાર સુપ્રીમ કોર્ટની 7 સભ્યોની બેંચમાં 6 જજો કથિત સવર્ણ જાતિના હતા અને તેમણે એસસી, એસટીની અનામતમાં ભાગલા પાડવાનું સમર્થન કર્યું હતું. એ પછી દેશભરમાં સુપ્રીમ કોર્ટમાં પણ એસસી, એસટીના જજોની હાજરી હોવી જોઈએ તેવી માંગ ઉઠી હતી. આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર રાવણ અને બીએસપી સહિતના બહુજન પક્ષોએ સીધો સવાલ કર્યો હતો કે, આ ચૂકાદો આપનારા જજોમાંથી કેટલાં એસસી, એસટી છે. જેને લઈને હવે માયાવતીએ પણ નિવેદન આપ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાથે જ તેમણે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરુદ્ધ સંસદમાં કાયદો લાવીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ તેવી પણ માંગ કરી હતી. બીએસપી સુપ્રીમોએ આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથે સંબંધિત આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં મજબૂત રીતે રજૂઆત કરવામાં નથી આવી. બહેનજીએ કહ્યું કે, જો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે મજબૂતીથી રજૂઆત કરી હોત તો આ નોબત ન આવત. સરકારે જાણી જોઈને આ મામલે ઢીલ દાખવી તેનું આ પરિણામ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/my-lord-why-should-the-burden-of-social-justice-be-shouldered-by-dalits-tribals">માય લોર્ડ, સામાજિક ન્યાયનો ભાર દલિતો, આદિવાસીઓના ખભે જ શા માટે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાથે જ માયાવતીએ જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જાતિ ગણતરી કરાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે અને બસપા પહેલાથી જ તેની તરફેણમાં રહી છે. </span><br><span style="font-size: 14pt;">માયાવતી બસપા કાર્યાલયે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે ભાજપ-કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પહેલાથી જ એસસી-એસટીની અનામતના વિરોધમાં છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ-એસપી અને અન્ય પક્ષોએ અનામત અને બંધારણ બચાવવાની વાત કરીને આ વર્ગોનું સમર્થન મેળવ્યું હતું, જેના કારણે આ વર્ગોની સાચી શુભેચ્છક બસપાને નુકસાન થયું છે. હવે આ પક્ષો પણ ચૂપ થઈ ગયા છે. તેમણે તેમનું સ્ટેન્ડ પણ સ્પષ્ટ કરવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ માંગણી કરી હતી કે, હવે સમય આવી ગયો છે કે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પદોમાં પણ અનામત લાગુ કરવામાં આવે, જેથી અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને આ જગ્યાઓ પર હિસ્સો મળી શકે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/80-years-ago-Dr.-What-did-Ambedkar-say-about-Indian-media-and-what-is-its-condition-today">80 વર્ષ અગાઉ ડો. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે ભાજપ પર સરકારી નોકરીઓ ખતમ કરીને અનામતને નબળી પાડવાનો આરોપ લગાવતા કહ્યું કે એસસી-એસટી કેટેગરીની અનામત જગ્યાઓ પર ભરતી ન કરીને ભાજપે કોંગ્રેસ અને સપાની જેમ જ એસસી, એસટી સમાજને નુકસાન પહોંચાડ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાજુ એસસી, એસટી સમાજનો અનામતમાં ભાગલા અને ક્રિમીલેયર મામલે ભયંકર વિરોધ પારખીને કેન્દ્રની એનડીએ સરકારે પણ પારોઠના પગલાં ભરવા પડ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે અનામતમાં ક્રિમીલેયરનો નિર્ણય લાગુ કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પ્લાનિંગ મુજબ એસસી-એસટી કેટેગરીના સાંસદો શુક્રવારે કેબિનેટની બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વડાપ્રધાને સાંસદોને આશ્વાસન પણ આપ્યું હતું કે એસસી, એસટી અનામતમાં ક્રિમીલેયરની જોગવાઈને લાગુ કરવામાં નહીં આવે. સાંસદોએ ક્વોટામાં ક્વોટા દાખલ નહીં કરવાની પણ માંગ કરી હતી. જેના પર વડાપ્રધાને વિચાર કરવાની ખાતરી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/the-supreme-courts-verdict-is-going-to-prove-to-be-a-turning-point-for-the-bsp">સુપ્રીમ કોર્ટનો ચૂકાદો BSP માટે 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થવા જઈ રહ્યો છે</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 11 Aug 2024 14:49:38 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 11 Aug 2024 14:50:36 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1057</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટમાં જે રીતે ચોક્કસ પરિવારના જ લોકો જજ બનીને ન્યાય તોળવા બેસી જાય છે, તેને લઈને હવે BSP સુપ્રીમો માયાવતીએ પણ મોટી માંગણી કરી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b87bc98adc5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b87bc95ca61.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b87bc95ca61.jpg" length="71562" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, BSP, mayawati</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોન્ટ્રાક્ટરને બચાવવા પોલીસે આદિવાસી યુવકોને ચોર ખપાવ્યાઃ ચૈતર વસાવા</title>
                    <link>https://khabarantar.com/police-kidnap-tribal-youths-to-save-contractor-chaitar-vasava</link>
                    <guid>https://khabarantar.com/police-kidnap-tribal-youths-to-save-contractor-chaitar-vasava</guid>
                    <description>
                        <![CDATA[ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બે આદિવાસી યુવકોને ચોરીની આશંકાએ કોન્ટ્રાક્ટરોએ ઢોર માર મારતા મોત થયું હતું. જેના વિરોધમાં આજે કેવડિયા બંધનું એલાન અપાયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક બાજુ આજે દુનિયાભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે, સરકાર આદિવાસીઓની ગ્રાન્ટ તેમના ઉત્થાનને બદલે સરકારી તાયફાઓ અને પોતાની વાહવાહી પાછળ વાપરી રહી છે, આદિવાસી સમાજની અનામતમાં સવર્ણ જજો દ્વારા સરકારના ઈશારે ભાગલા પાડી આદિવાસીઓને અંદરોઅંદર લડાવી ભાગલા પાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. આ બધાં વચ્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બે આદિવાસી યુવકોની ચોરીની આશંકાએ કોન્ટ્રાક્ટરો દ્વારા ઢોર માર મારવામાં આવતા બંનેનું મોત થયું હતું. આદિવાસી સમાજે બંનેને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના ભણી છે ત્યારે આ મામલે આજે કેવડિયામાં આદિવાસી સમાજ દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા 6 લોકોએ કેવડિયા અને ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોને ચોરીની આશંકાએ પડકક્યા હતા અને રાત્રે કપડાં ઉતરાવી, દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોનું મોત થયું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક યુવાન જયેશ તડવીનું ઘટનાસ્થળે મોત થયું, જ્યારે બીજા યુવક સંજય તડવીનું બીજા દિવસે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગરુડેશ્વર પોલીસે આ મુદ્દે 6 લોકો વિરુદ્ધ હત્યા, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. ઘટનાને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બંને યુવાનોને ન્યાય અપાવવાની સાથે સરકારી સહાય આપવાની માંગ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના જણાવ્યા મુજબ આદિવાસી મ્યુઝિયમમાં 6 ઓગસ્ટની રાત્રે કેવડિયા ગામના જયેશ શનાભાઈ તડવી અને ગભાણા ગામના સંજય ગજેન્દ્ર તડવી ચોરીની ઈરાદે આવ્યા હતા. આ દરમિયાન ત્યાં કામ કરતા 6 લોકોએ તેમને પકડી, હાથ-પગ બાંધી દઈ કેબિનમાં લઈ જઈ પૂછપરછ કરી ઢોર માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારને કારણે જયેશ શનાભાઈ તડવી બેભાન થઈ જતાં એને ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સંજય ગજેન્દ્ર તડવીને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/adivasi-mass-marriage-in-ambaji-attendance-of-son-grandson-at-parents-wedding"><span style="font-size: 14pt;">અંબાજીમાં આદિવાસી સમૂહલગ્નઃ માબાપના લગ્નમાં પુત્ર-પૌત્રની હાજરી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ગરુડેશ્વર પોલીસે આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા માર્ગીશ હીરપરા, દેવલ પટેલ, દીપુ યાદવ, વનરાજ તાવિયાડ, શૈલેષ તાવિયાડ અને ઉમેશ ગુપ્તા વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી એમની ધરપકડ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે આદિવાસી યુવકોના મોત મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલમાં પી.એમ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તું-તું મે-મે અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આદિવાસી પરિવારને ન્યાય આપવા એજન્સીના મુખ્ય માલિકો અને મારનારનું નામ આપી મૃતદેહ નહીં સ્વીકારવા કહ્યું હતું. સાથે જ આજે ગરુડેશ્વર અને કેવડિયા બંધનું એલાન પણ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને ભરૂચના આદિવાસી સાંસદ મનસુખ વસાવાએ પણ સખ્ત શબ્દોમાં વખોડી છે. સાંસદ મનસુખ વસાવાએ કેવડિયામાં થયેલ હુમલાની ઘટનામાં બંને પરિવારજનોને ન્યાય મળે માટે તંત્રને અપીલ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/The-Hool-Mutiny:-A-Heroic-Story-of-Santhal-Tribes-Including-Tilka-Manjhi-and-Seedo-Kanhu"> <span style="font-size: 14pt;">હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે આદિવાસી યુવાનોની હત્યા મુદ્દે મનસુખ વસાવાએ કહ્યું કે બંને યુવાનોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. આ ઘટના પર રાજનીતિ કરવાને બદલે બંને યુવાનોને ન્યાય મળે તેવા પ્રયાસ કરવા જોઈએ. તંત્ર જરાય નમતું જોખ્યા વિના આ મામલે કડક કાર્યવાહી કરે. મૃતકોના પરિવારજનોને દરેક પ્રકારની સહાય મળે અને ન્યાય મળે તે દિશામાં પગલાં લેવાવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, બુધવારે મૃતક જયેશભાઈ શનાભાઈ તડવીને કંપની તરફથી ૨૦ લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવ્યું છે. જ્યારે સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને પહેલાં ૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને બાકીના ૧૫ લાખ રૂપિયા ચુકવવાની કાર્યવાહી ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, પોલીસે મૃતક યુવકોને ચોરમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. કેસને રફેદફે કરવા માટે ચોરીનો આરોપ લગાવાયો છે. માર મારવામાં વપરાયેલા કોઈ જ સાધનો રિકવર નથી કર્યા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૈતર વસાવાએ FIR માં કંપનીનાં માલિક અને નોડલ અધિકારીનું નામ ઉમેરવાની સાથે નિષ્પક્ષ અને જલ્દી તપાસ થાય તેવી માગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<span style="font-size: 14pt;"> <a href="https://khabarantar.com/Chaitar-Vasava-released-from-jail-after-48-days,-tribal-community-welcomes-him">ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા, આદિવાસી સમાજે કર્યું દબદબાભેર સ્વાગત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 09 Aug 2024 11:23:41 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 09 Aug 2024 11:24:43 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1045</Articleid>
                    <excerpt>સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બે આદિવાસી યુવકોને ચોરીની આશંકાએ કોન્ટ્રાક્ટરોએ ઢોર માર મારતા મોત થયું હતું. જેના વિરોધમાં આજે કેવડિયા બંધનું એલાન અપાયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b5ae447a7fe.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b5ae4449605.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b5ae4449605.jpg" length="80827" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;પૈસા લેવા કેમ નથી જવું?&amp;quot; કહી દલિત યુવકને બાંધીને પેશાબ પીવડાવ્યો</title>
                    <link>https://khabarantar.com/why-dont-you-go-get-the-money-kahi-tied-the-dalit-youth-and-made-him-drink-urine</link>
                    <guid>https://khabarantar.com/why-dont-you-go-get-the-money-kahi-tied-the-dalit-youth-and-made-him-drink-urine</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં જાતિવાદી તત્વોએ એક દલિત યુવકનું નજીવી બાબતમાં અપહરણ કરી, અવાવરુ જગ્યાએ ગોંધી રાખી, પેશાબ પીવા માટે મજબૂર કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામતનો મૂળ આધાર સામાજિક ન્યાય છે પણ તેને બદલે આર્થિક આધાર પર કોઈપણ હિસાબે તેને ખેંચી જઈને આખી અનામત પ્રથા જ બદલીને દલિતો, આદિવાસીઓને આઝાદી પહેલાની સ્થિતિમાં લાવી દેવાનું એક સુનિયોજિત કાવતરું જોર પકડી રહ્યું છે ત્યારે પણ દલિતો પર અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ એક વ્યક્તિ પાસેથી રૂપિયા લઈ આવવા કહ્યું હતું, પણ દલિત યુવકે તેનો ઈનકાર કરતા લુખ્ખા તત્વો તેને બળજબરીથી બાઈક પર બેસાડીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને બાંધી રાખ્યો હતો. એ પછી તેને જાતિસૂચક ગાળો ભાંડી, માર મારી પેશાબ પીવા માટે મજબૂર કર્યો હતો. ઘટનાથી હતપ્રભ થઈ ગયેલા યુવકે આખરે પોલીસને ફરિયાદ કરી હતી એ પછી એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના આદિવાસી સમાજ પર જ્યાં સૌથી વધુ અત્યાચાર થાય છે તે મધ્યપ્રદેશની છે. અહીં નરસિંહપુર જિલ્લાના મોટા બરહા ગામે એક 34 વર્ષના દલિત યુવકને ગામના જાતિવાદી તત્વોએ પેશાબ પીવડાવી, જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કર્યો હતો. એટલું જ નહીં તેને ગોંધી રાખીને નિર્દયતાથી માર માર્યો હતો. ઘટના 30 જુલાઈના રોજ ગાડરવાડા તાલુકાના મોટા બરહા ગામ પાસે ઘટી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-politics-from-here-to-the-desert-from-here-to-the-river"><span style="font-size: 14pt;">દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીટીઆઈના રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ બુઘૌલિયા અને કચેરાએ દલિત યુવકને ગામની પ્રેમનારાયણ વર્મા નામની એક વ્યક્તિ પાસેથી રૂ. 2 લાખ રૂપિયા લઈ આવવા માટે કહ્યું હતું, પણ યુવતે તેનો ઈનકાર કરી દીધો હતો. આથી ઉશ્કેરાયેલા બંને તેને બળજબરીથી મોટરસાઈકલ પર ઉપાડીને લઈ ગયા હતા અને એક અવાવરુ જગ્યાએ ગોંધીને રાખી દીધો હતો. એ પછી તેમણે તેને જાતિસૂચક ગાળો ભાંડીને નિર્દયતાથી માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત યુવકનું કહેવું છે કે, આરોપીઓ તેને સમયાંતરે માર મારતા રહ્યાં અને પ્રેમનારાયણ પાસેથી પૈસા લઈ આવવા માટે કહેતા હતા. પણ તે સતત ઈનકાર કરતો રહ્યો તેથી તેને વધુને વધુ માર માર્યો હતો. એ દરમિયાન આરોપીઓએ તેને તેમનું પેશાબ પીવા માટે પણ મજબૂર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે હવે દલિત યુવકે ફરિયાદ નોંધાવતા એસસી એસટી પોલીસ સ્ટેશને ત્રણ આરોપીઓ સલ્લૂ, બુઘૌલિયા અને સૂરજ કચેરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો 293, 115, 352, 351(2), 3(5) અને એસસી એસટી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા પ્રમાણે ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરતા તેણે આરોપીઓની અટકાયત કરી લીધી છે. નરસિંહપુરના પોલીસ અધિક્ષક અમિત કુમારના જણાવ્યા પ્રમાણે યોગ્ય દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/we-dont-trust-the-police-so-we-leave-the-village"><strong>પોલીસ પર અમને વિશ્વાસ નથી એટલે ગામ છોડીને જઈએ છીએ...</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 06 Aug 2024 14:02:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1034</Articleid>
                    <excerpt>એક ગામમાં જાતિવાદી તત્વોએ એક દલિત યુવકનું નજીવી બાબતમાં અપહરણ કરી, અવાવરુ જગ્યાએ ગોંધી રાખી, પેશાબ પીવા માટે મજબૂર કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b1dec855860.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b1dec81ed79.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b1dec81ed79.jpg" length="77428" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન</title>
                    <link>https://khabarantar.com/karo-Ya-maro-nationwide-bandh-announced-on-august-21-over-reservation-issue</link>
                    <guid>https://khabarantar.com/karo-Ya-maro-nationwide-bandh-announced-on-august-21-over-reservation-issue</guid>
                    <description>
                        <![CDATA[ એસસી, એસટી અનામતમાં સુપ્રીમ કોર્ટના ભાગલાવાદી નિર્ણયના વિરોધમાં 21મી ઓગસ્ટે દેશના તમામ બહુજન સંગઠનોએ સજ્જડ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની અનામતમાં પેટા વર્ગીકરણને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયના વિરોધમાં બહુજન સંગઠનોએ 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન કર્યું છે. ભીમ સેનાના સતપાલ તંવરના આ એલાનને દેશના તમામ બહુજન સંગઠનો અને બુદ્ધિજીવીઓએ વધાવી લીધું છે, બહેન કુમારી માયાવતીજીએ પણ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, એસસી, એસટી સમાજ માટે આ કટોકટીનો સમય છે અને સૌ આર યા પારની લડાઈ માટે તૈયાર થઈ જાવ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રામદાસ આઠવલે, વંચિત બહુજન અઘાડીના પ્રકાશ આંબેડકર અને લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન સહિતના દિગ્ગજ દલિત નેતાઓએ ખૂલ્લેઆમ સુપ્રીમ કોર્ટના આ ભાગલાવાદી નિર્ણયની ટીકા કરી છે ત્યારે આ મામલે ફરી એકવાર દેશમાં વર્ષ 2018માં થયેલા મહાઆંદોલન જેવો જ માહોલ ઉભો થઈ ચૂક્યો છે. બહુજન સમાજના આ બંધનું એલાન સોશિયલ મીડિયા પર દાવાનળની માફક ફેલાઈ રહ્યું છે અને વધુને વધુ લોકો તેના સમર્થનમાં સામે આવી રહ્યાં છે. બંધના આ એલાનને સેંકડો ભીમ યોદ્ધાઓ અને બહુજન સમાજની આગેવાની હેઠળના સામાજિક-રાજકીય સંગઠનો તરફથી વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્વોચ્ચ અદાલતનો નિર્ણય દેશભરના બહુજન સમાજના સામાજિક અને રાજકીય સંગઠનોમાં અસંતોષ પેદા કરી રહ્યો છે. તેઓ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને અનામતની મૂળ ભાવનાની વિરુદ્ધનો માને છે. તેમનું સ્પષ્ટ રીતે માનવું છે કે, આ ક્વોટા સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો દ્વારા એસસી, એસટી વર્ગને અંદરોઅંદર લડાવવાનું કાવતરું છે. વર્તમાન સરકારે ખાનગીકરણ કરીને આમ પણ અનામત જેવું કશું રહેવા દીધું નથી. એવામાં સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી દલિત, આદિવાસી સમાજનો બોલકો વર્ગ અનામતમાંથી બહાર નીકળી જશે, એ પછી બાકી વધેલા વર્ગને પણ અનામતનો લાભ બંધ કરીને આખી અનામત વ્યવસ્થાને જ ખતમ કરી નાખવાનું આ સુનિયોજિત કાવતરું છે. આ પરિસ્થિતિ દેશના દલિત, આદિવાસી સમાજ માટે કરો યા મરો જેવી છે અને તેના માટે સૌએ એક થઈને લડવું પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/some-lies-connected-with-reservation-and-exposed"><span style="font-size: 14pt;"> અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધના એલાનને બહુજન કાર્યકરો અને નાગરિક સમાજ સંગઠનો તરફથી મજબૂત ટેકો મળ્યો છે. ભારતભરના મુખ્ય શહેરો અને નગરોમાં દેખાવો થવાની ધારણા છે. આયોજકોનો હેતુ બંધને લઈને આ ગંભીર મુદ્દા તરફ રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિર્ણયના જવાબમાં બહુજન સમાજનું એક જૂથ સુપ્રીમ કોર્ટ સમક્ષ રિવ્યુ પિટિશન દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં આ ચૂકાદાને રદ કરી દેવાની કે તેમાં ફેરફારની માંગ કરવામાં આવી છે. તેમની દલીલ કરે છે કે આ નિર્ણય ભારતીય બંધારણમાં સમાવિષ્ટ સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોનો ભંગ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતે સામાજિક કાર્યકર અને ટ્રાઈબલ આર્મીના સ્થાપક હંસરાજ મીણાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, "મનુવાદીઓનું કહેવું છે કે, આ રાજુને અનામતનો લાભ મળે તેના માટે એસસી અનામતના ભાગલા પડવા જોઈએ. પણ રાજુનું બજેટ તો ભાજપે ગાય અને ધર્મના કલ્યાણમાં વાપરવા આપી દીધું છે. જેના કારણે રાજુના બાળકો ભણી જ નહીં શકે. પછી એ બાળક ક્યાંથી પહોંચી શકે? તો શું તેનો હક એનએફએસમાંથી તમને મળવા દે? ક્યારેય નહીં. 21 ઓગસ્ટ, ભારત બંધ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, "દલિત અને આદિવાસી સમાજ કોઈ નેતા કે પક્ષની પાછળ નથી. તેઓ તેમના હક અને અધિકારોના રક્ષણ માટે અમારી સાથે ઉભો છે. સમાજ આંધળો નથી, તે બધું જોઈ રહ્યો છે. બહેરા અને મૂંગા ન બનો. બંધારણ અને અનામત બચાવવાના નામે મત માંગ્યા છે તો તેમની સાથે ઉભા રહેવાની પ્રામાણિકતા પણ બતાવો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાઉથના જાણીતા ફિલ્મ નિર્માતા, નિર્દેશક પા રંજીથે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું, "એસસી/એસટી અનામતમાં 'ક્રીમી લેયર' દાખલ કરવાનો સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય અત્યંત ચિંતાજનક છે અને તેની આકરી નિંદા કરું છું. જાતિ એ એક સામાજિક-સાંસ્કૃતિક ઓળખ છે, જે આર્થિક સ્થિતિથી બદલી શકાતી નથી. એસસી,એસટી અનામતમાં 'ક્રીમી લેયર' સામાજિક ન્યાયના હેતુની સકારાત્મક કાર્યવાહીના સારને નબળો પાડે છે. એસસી, એસટીની વસ્તીની તુલનામાં તેમને મળતી અનામત પહેલેથી જ અપુરતી છે, જેના કારણે આ સમાજને દરેક ક્ષેત્રમાં ઓછું પ્રતિનિધિત્વ મળી રહ્યું છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો બ્રાહ્મણવાદી દ્રષ્ટિકોણ એસસી-એસટી દ્વારા સહન કરવામાં આવતા પરંપરાગત દમનને સમજવામાં નિષ્ફળ રહે છે, અને તેના કારણે તેમના બહિષ્કારને પ્રોત્સાહન મળે છે. ધ્યાન વસ્તી વિષયક વાસ્તવિકતાઓને ધ્યાને લઈને અનામતના ક્વોટાનું વિસ્તરણ કરવા પર હોવું જોઈએ, નહીં કે નવા ભાગલા ઉભા કરવા પર."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખા મામલાએ બંધારણ બચાવવાની વાતો કરતા રાષ્ટ્રીય પક્ષોના મહોરાં પણ ઉતારી નાખ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આપ, ટીએમસી, આરજેડી, ડીએમકે, શિવસેના, એસપી, સીપીઆઈ સહિતના એકેય પક્ષે આ મામલે સમ ખાવા પુરતું પણ એસસી, એસટી વર્ગની તરફેણમાં મોં ખોલ્યું નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/how-many-sc-st-judges-who-gave-this-order"><span style="font-size: 14pt;">જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66b06b6e8c28c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એનો અર્થ એ પણ થાય કે આ પક્ષો માત્ર દલિતો, આદિવાસીઓના મતો લેવા માટે જ ચૂંટણીમાં બંધારણ બચાવોની વાતો કરતા હતા. અને હવે જ્યારે ખરેખર એસસી, એસટીના હકો પર ખતરો પેદા થયો છે ત્યારે આ પક્ષો અન્ય વોટબેંક નારાજ ન થઈ જાય તેના માટે મૌન ધારણ કરીને બેસી ગયા છે. આખી ઘટનામાં કોંગ્રેસ અને તેના તેના રાહુલ ગાંધીનું મૌન દલિત, આદિવાસી સમાજને ઘણું બધું સમજાવી ગયું છે. રાહુલે આ મામલે એક શબ્દ નથી કહ્યો, જે તેમની કથની અને કરણીના ફરકને સ્પષ્ટ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેખીતી રીતે, રાષ્ટ્રીય રાજકીય પક્ષો સુપ્રીમ કોર્ટના ચુકાદા પર મોટે ભાગે મૌન રહ્યા છે અને તેમની સ્થિતિ સ્પષ્ટ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેનાથી વિપરીત બહુજન સમાજ પાર્ટી (BSP) અને વંચિત બહુજન અઘાડી (VBA) જેવા આંબેડકરવાદી પક્ષોએ આ નિર્ણયની સખત નિંદા કરી છે અને ખૂલીને દલિતો, આદિવાસીઓની તરફેણ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીએસપી સુપ્રીમો બહેન કુમારી માયાવતીજીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જે વાતો લોકો સમક્ષ મૂકી છે તેનાથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે, બીએસપી એકમાત્ર રાજકીય પક્ષ છે જે વોટબેંકની ચિંતા કર્યા વિના આ મામલે ખૂલીને એસસી, એસટી સમાજની તરફેણમાં અડીખમ ઉભો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/If-you-do-not-have-a-meal,-eat-bread-in-hand-and-teach-your-children"><span style="font-size: 14pt;">ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ વંચિત બહુજન અઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરે પણ સુપ્રીમ કોર્ટની દલિતો, આદિવાસીઓ પ્રત્યેના તેના વલણની ટીકા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, "ન્યાયતંત્રને સૌથી પહેલા એસસી, એસટીના પ્રતિનિધિત્વની જરૂર છે. કોર્ટ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજની અનામત પર ચુકાદાઓ આપીને જાતે જ પોતાની પીઠ થપથપાવી રહી છે. પરંતુ તે એ ભૂલી જાય છે કે, ન્યાયતંત્રમાં એસસી, એસટી સમાજનું કોઈ પ્રતિનિધિત્વ નથી. એસસી, એસટીની સરખામણીમાં કથિત ઉચ્ચ જાતિઓમાં સ્પષ્ટ પછાતપણું છે તેથી એસસી, એસટીની પહેલા જનરલ કેટેગરીની અંદર વર્ગીકરણ વિશે ચર્ચા થવી જોઈએ. પણ તે નથી થતું, આટલો બધો ઢોંગ કેમ?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રકાશ આંબેડકરે દલિતોને ભાજપ, કોંગ્રેસ જેવા કહેવાતા દલિત તરફી પક્ષોના ચરિત્રને ઓળખી લેવાની પણ વિનંતી કરી છે, જેમણે અનામતમાં ભાગલાના સપ્રીમ કોર્ટના નિર્ણય પર મૌન રહીને તેને આડકતરું સમર્થન આપ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયા ગઠબંધનના મોટાભાગના મુખ્ય પક્ષો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC), આમ આદમી પાર્ટી (AAP), તૃણમૂલ કોંગ્રેસ (TMC), રાષ્ટ્રીય જનતા દળ (RJD), દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), શિવસેના (UBT), સમાજવાદી પાર્ટી (SP), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) , કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) એ હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આશ્ચર્યની વાત એ છે કે, સીપીઆઈ(એમ) સિવાય બીજા એકેય પક્ષે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી નથી, હકીકતે અનામતના પેટા વર્ગીકરણ માટે સીપીઆઈનું સમર્થન વિવાદાસ્પદ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીએસપી જેવા બહુજનવાદી પક્ષ સિવાયના પક્ષોનું સ્ટેન્ડ જે પણ હોય તેનાથી કોઈ ફરક નથી પડતો. હાલ તો ફરી એકવાર એસસી, એસટી સમાજ તેની અનામત બચાવવા માટે આંદોલને ચડવા તૈયાર થયો છે અને આ વખતે તે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ સિસ્ટમને પણ ઝપટમાં લેવાનો છે તેવું જાણવા મળ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયામાં આ મામલે જોરદાર ચર્ચા ચાલી રહી છે અને તેમાં કોઈ જ લાયકાતની પરીક્ષા પાસ કર્યા વિના માત્ર બાપ-દાદાઓ જજ હોવાને કારણે અને સવર્ણ જાતિના હોવાને કારણે સુપ્રીમ કોર્ટમાં જજ બની જતા લોકો સુધી પણ આંદોલનની આગ પહોંચશે તે નક્કી લાગી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Is-there-any-poverty-alleviation-plan-in-reserve"><span style="font-size: 14pt;">શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 05 Aug 2024 11:39:53 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 05 Aug 2024 11:49:21 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1027</Articleid>
                    <excerpt>એસસી, એસટી અનામતમાં સુપ્રીમ કોર્ટના ભાગલાવાદી નિર્ણયના વિરોધમાં 21મી ઓગસ્ટે દેશના તમામ બહુજન સંગઠનોએ સજ્જડ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b06b4de6c87.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b06b4db7598.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b06b4db7598.jpg" length="176818" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;આદિવાસીઓ હિંદુ નથી&amp;apos; કહેનાર આદિવાસી શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવાયા</title>
                    <link>https://khabarantar.com/tribal-teacher-suspended-for-saying-tribals-are-not-hindus</link>
                    <guid>https://khabarantar.com/tribal-teacher-suspended-for-saying-tribals-are-not-hindus</guid>
                    <description>
                        <![CDATA[ &quot;આદિવાસીઓ હિંદુ નથી. તેમણે મંગળસૂત્ર, સિંદૂર, વ્રત, ઉપવાસનો ત્યાગ કરવો જોઈએ&quot; એવું કહેનાર આદિવાસી શિક્ષિકાને રાજસ્થાન સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">18 જુલાઈએ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આદિવાસી સમાજની મહાન ક્રાંતિના પ્રતિક માનગઢ ધામમાં 'ભીલપ્રદેશ'ના સમર્થનમાં સમસ્ત આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા. આ મહાસંમેલનમાં એક આદિવાસી શિક્ષિકાએ પોતાના ભાષણમાં, "આદિવાસીઓ હિંદુ નથી અને તેની મહિલાઓએ સિંદૂર, મંગળસૂત્ર, વ્રત, ઉપવાસનો ત્યાગ કરવો જોઈએ." કહીને સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. તેમનું ભાષણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયું હતું, ખાસ કરીને યુવા આદિવાસીઓમાં તેની જબરજસ્ત અસર થઈ હતી. આ મહિલા એટલે ડુંગરપુરના સરકારી શિક્ષિકા મેનકા ડામોર.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ભાષણ વાયરલ થતા જ રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે મેનકા ડામોરને શિક્ષિકા તરીકે સસ્પેન્ડ કરી દીધા છે. તેમની નોકરી ડુંગરપુરના સાદડિયા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં હતી. જ્યાંથી તેમને સસ્પેન્ડ કરીને મુખ્ય બ્લોક એજ્યુકેશન ઓફિસર તરીકે દૌડાની મુખ્ય કચેરીમાં મોકલી દેવાયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/tribal-daughter-grazes-goats-despite-securing-824th-rank-in-jee">JEE માં 824મો રેન્ક મેળવ્યો, છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવવા મજબૂર છે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારી આદેશમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેનકા ડામોરે રાજસ્થાન સરકારના નિયમોનો ભંગ કર્યો છે અને તેમના ભાષણથી શિક્ષણ વિભાગની છબિ ખરડાઈ છે, તેથી આ નિયમ અંતર્ગત ખાતાકીય તપાસ અને સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેનકા ડામોરે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "મેં કોઈ પણ મહિલાને સિંદૂર કે મંગળસૂત્ર પહેરતા અટકાવી નથી, મારો હેતુ તો સભાને એ સમજાવવાનો હતો કે આદિવાસીઓ હિન્દુ નથી અને અગાઉ આદિવાસી મહિલાઓ સિંદૂર અને મંગળસૂત્ર પહેરતી નહોતી. મને પણ જ્યાં સુધી આ વાતની ખબર નહોતી ત્યાં સુધી હું પણ માથે સિંદૂર લગાવતી હતી અને ગળામાં મંગળસૂત્ર પહેરતી હતી. પણ 2016માં હું આદિવાસી પરિવાર સાથે જોડાઈ ત્યારે મને ખબર પડી કે આ આદિવાસી સંસ્કૃતિ નથી. એ પછી મેં સિંદૂર પુરવાનું અને મંગળસૂત્ર પહેરવાનું બંધ કરી દીધું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/two-tribal-youths-were-tied-up-and-killed-from-8-am-to-2-pm">માથાભારે તત્વોએ બે આદિવાસી યુવકોને સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી બાંધીને માર્યા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ આગળ કહે છે, "અમે ક્યારેય શાળાઓમાં હિંદુ દેવી-દેવતાઓની પૂજાનો વિરોધ કર્યો નથી, પણ હમણાં એક શાળામાં જ્યારે બાળકોને ભીલપ્રદેશનું સમૂહ ગીત ગવડાવ્યું ત્યારે ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મેં આ ઘટના અંગે કહ્યું કે, "તમને શરમ આવવી જોઈએ." બસ તેના માટે સરકાર મને ટાર્ગેટ કરી રહી છે અને મારી સામે પગલાં લેવામાં આવ્યા છે. બાકી મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કહ્યું છે અને તેનાથી શિક્ષણ વિભાગની છબીને નુકસાન પહોંચાડ્યું છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેનકા ડામોરે માનગઢના મહાસંમેલનમાં શું કહ્યું હતું?</span></strong></span><br><span style="font-size: 14pt;">18 જુલાઈના રોજ માનગઢમાં ભારત આદિવાસી પાર્ટી(BAP) સહિત અનેક આદિવાસી સંગઠનો દ્વારા ભીલપ્રદેશના સમર્થનમાં આયોજિત આદિવાસી મહાસંમેલનમાં મેનકા ડામોરે પોતાની સ્પીચથી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે કહ્યું હતું, "હું ન તો મંગળસૂત્ર પહેરું છું, ન તો સિંદૂર લગાવું છું, ન કોઈ ઉપવાસ કરું છું. જે પોતે ગોળ ખાતા હોય તેમણે બીજાને ગોળ ન ખાવાની સલાહ ન અપાય. આપણી શાળાઓને દેવી-દેવતાઓનું ઘર બનાવી દેવામાં આવી છે, અનેક તહેવારોની ઉજવણીઓ થાય છે. શાળા શિક્ષણનું કેન્દ્ર છે અને ત્યાં બાળકો માત્ર ભણવા માટે આવે છે, અહીં કોઈ ઉજવણી ન કરવી જોઈએ. શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ત્રાડ પાડશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સ્પીચ પછી કેટલાક સંગઠનોએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમનો આક્ષેપ હતો કે મેનકા ડામોરના ભાષણથી શિક્ષણ વિભાગની છબી ખરડાઈ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/even-if-you-become-sarpanch-because-of-reservation-the-work-will-be-according-to-our-will">અનામતને કારણે ભલે તું સરપંચ બની ગયો, પણ કામ અમારી મરજી મુજબ થશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેનકા ડામોર સંસ્કૃતના શિક્ષિકા છે. માનગઢમાં તેમણે આપેલા ભાષણના સમર્થનમાં તેઓ વધુમાં કહે છે, ઠપહેલા હું પણ હિંદુ રીતિ-રિવાજોનું પાલન કરતી હતી, મંગળસૂત્ર પહેરતી હતી અને સેંથામાં સિંદૂર પુરતી હતી. પરંતુ છેલ્લાં 5-7 વર્ષથી આદિવાસી પરિવાર સાથે સંપર્કમાં આવ્યા બાદ જ્યારે મને ખબર પડી કે આદિવાસીઓ હિન્દુ નથી ત્યારથી મેં હિંદુ રીતિરિવાજોનું પાલન કરવાનું બંધ કરી દીધું છે, મેં આ વિશે ઘણાં પુસ્તકો વાંચ્યા છે, દસ્તાવેજોમાંથી માહિતી મેળવી છે,એ દરમિયાન મને 5 જાન્યુઆરી 2011ના સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે ખબર પડી, જેમાં કોર્ટે પણ સ્વીકાર્યું હતું કે આદિવાસીઓ હિન્દુ નથી, તે પછી મારા જીવનમાં પરિવર્તન આવ્યું અને મને સમજાયું કે આદિવાસીઓના મનમાં ખોટી બાબતો ફીટ કરીને તેમના પર હિંદુઓની ધાર્મિક વિધિઓ થોપવામાં આવી રહી છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ આગળ કહે છે, "મને એટલું સમજાઈ ગયું છે કે, શિક્ષણ જ એકમાત્ર માધ્યમ છે જેને અપનાવીને આદિવાસી સમાજ જાગૃત થઈ શકે છે અને પોતાના અધિકારોની માંગ કરી શકે છે. મેં કોઈ મહિલાને સિંદૂર કે મંગળસૂત્ર પહેરવાની મનાઈ નથી કરી. તે દિવસના ભાષણના વીડિયો ઉપલબ્ધ છે, તે જોશો તો સમજાશે કે મેં કહ્યું છે કે હું મંગળસૂત્ર નથી પહેરતી કે સિંદૂર નથી લગાવતી અને એમાં કશું ખોટું નથી. આદિવાસી સમાજમાં શિક્ષણનો અભાવ છે અને તેમને શિક્ષણ માટે પ્રેરિત કરવો કોઈપણ રીતે ખોટું નથી. મારા સસ્પેન્શનનો આદેશ ખોટો છે અને તેના માટે હું હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની તૈયારીઓ કરી રહી છું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/whether-the-tribals-are-hindu-or-not-we-will-do-dna-test-education-minister-of-rajasthan">આદિવાસીઓ હિંદુ છે કે નહીં, તે ડીએનએ તપાસ કરીને ચેક કરાવીશુંઃ રાજસ્થાનના શિક્ષણમંત્રી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેનકા ડામોરના પતિ ગુજરાતમાં સરકારી શિક્ષક છે અને તેમના બે પુત્રો છે, જે નવમા અને સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેઓ તેમના પુત્રોને પણ શીખવે છે કે તેઓ ધાર્મિક છેતરપિંડીથી દૂર રહે અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવે. તેમના બંને પુત્રો પણ માને છે કે તેમની મમ્મીએ કશું ખોટું નથી કર્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેનકા ડામોરના ભાઈ સમગ્ર મામલાને લઈને રિટ પિટિશનની તૈયારીઓ કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે, "તેમની બહેનના સસ્પેન્શનનો આધાર સર્વિસ રૂલ્સ અને આચરણ છે, પણ તેમના બહેને કોઈ અભદ્ર કે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કર્યો નથી. જો કોઈ ફરિયાદ હોય તો કાયદા મુજબ શિક્ષણ વિભાગે કારણદર્શક નોટિસ પાઠવવી જોઈએ, તપાસ કરવી જોઈએ અને શિક્ષિકાનો પક્ષ જાણ્યા બાદ કાર્યવાહી થવી જોઈએ. પણ અહીં તો એવી કશી કાર્યવાહી કર્યા વિના સીધો સસ્પેન્ડનો ઓર્ડર કરી દીધો છે. આ ખોટું છે અને અમે તેને હાઈકોર્ટમાં પડકારવા જઈ રહ્યાં છીએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/leave-vrat-fast-mangalsutra-sindoor-we-are-not-hindus-tribal-society">વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, આપણે હિંદુ નથીઃ આદિવાસી સમાજ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 30 Jul 2024 17:16:28 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 30 Jul 2024 17:19:17 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>1002</Articleid>
                    <excerpt>&quot;આદિવાસીઓ હિંદુ નથી. તેમણે મંગળસૂત્ર, સિંદૂર, વ્રત, ઉપવાસનો ત્યાગ કરવો જોઈએ&quot; એવું કહેનાર આદિવાસી શિક્ષિકાને રાજસ્થાન સરકારે સસ્પેન્ડ કરી દીધા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a8d335eadd4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a8d335bbe29.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a8d335bbe29.jpg" length="43333" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વડાલીમાં ઝાડ નીચે ઉભેલા મજૂર પર વીજળી પડતા મોત, એક ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/a-laborer-standing-under-a-tree-in-wadali-was-struck-dead-by-lightning-one-injured</link>
                    <guid>https://khabarantar.com/a-laborer-standing-under-a-tree-in-wadali-was-struck-dead-by-lightning-one-injured</guid>
                    <description>
                        <![CDATA[ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ઝાડ નીચે ઉભેલા ખેતમજૂરો પર વીજળી પડતા એક યુવાનનું મોત થઈ ગયું છે. જ્યારે એક કિશોર ઘાયલ થયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં ચોમાસું જામ્યું છે. ધોધમાર વરસાદ વચ્ચે અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ એક ઘટના સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામે આવી છે. અહીં વડાલી તાલુકાના થુરાવાસમાં એક ખેતરમાં લીમડાના ઝાડ નીચે ઉભેલા ખેતમજૂરો પર વીજળી પડી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમાં એક મજૂરનું મોત થયું હતું જ્યારે બીજાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે વડાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/61-deaths-535-rescued-4238-people-evacuated-in-rain"><span style="font-size: 14pt;">વરસાદમાં 61 મોત, 535નું રેસ્ક્યૂ, 4238 લોકોનું સ્થળાંતર કરાયું</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના થુરાવાસ ગામના પટેલ વિજય માધાભાઈના ખેતરોમાં ભાગીયા તરીકે કામ કરતા ચારથી પાંચ ખેતમજૂરો બપોરે વરસાદ ચાલુ હોવાથી ખેતરમાં આવેલા લીમડાના ઝાડ નીચે ઉભા હતા. એ દરમિયાન અચાનક વીજળી પડી હતી. જેમાં બે મજૂરો પર સીધી વીજળી પડી હતી જ્યારે અન્ય લોકો ઝાટકો લાગવાથી દૂર ફેંકાયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં ૧૪ વર્ષીય કિરણ હદાભાઈ ડાભી ગંભીર રીતે ઘાયલ થતાં વડાલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે પોશીના તાલુકાના સાલેરા ગામના ૨૧ વર્ષના કિરણભાઈ રાઈસાભાઈ નામના યુવકનું મોત થતા તેમને પીએમ માટે વડાલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે વડાલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/three-workers-died-of-poisonous-gas-after-entering-the-drain-without-safety-equipment"><strong>સુરક્ષા સાધનો વિના ગટરમાં ઉતરેલા ત્રણ કામદારોના ઝેરી ગેસથી મોત</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 29 Jul 2024 19:36:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>997</Articleid>
                    <excerpt>સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ઝાડ નીચે ઉભેલા ખેતમજૂરો પર વીજળી પડતા એક યુવાનનું મોત થઈ ગયું છે. જ્યારે એક કિશોર ઘાયલ થયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a7a17398067.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a7a17367543.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a7a17367543.jpg" length="99099" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સરકારી શાળાઓના નામમાંથી &amp;apos;આદિવાસી&amp;apos; શબ્દ હટાવોઃ મદ્રાસ હાઈકોર્ટ</title>
                    <link>https://khabarantar.com/remove-the-word-tribal-from-the-names-of-government-schools-madras-high-court</link>
                    <guid>https://khabarantar.com/remove-the-word-tribal-from-the-names-of-government-schools-madras-high-court</guid>
                    <description>
                        <![CDATA[ મદ્રાસ હાઈકોર્ટે રાજ્યની સરકારી શાળાઓના નામમાંથી &#039;આદિવાસી&#039; શબ્દ હટાવવાનો આદેશ કરતા જણાવ્યું છે કે, શાળા સાથે આદિવાસી શબ્દ જોડવાથી બાળકોના માનસ પર અસર પડે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને રાજ્યની તમામ સરકારી શાળાઓના નામમાંથી જાતિ અને સમાજના નામ દૂર કરવા માટે આદેશ કર્યો છે. કોર્ટે રાજ્યના મુખ્ય સચિવને આદેશ કરતા જણાવ્યું હતું કે તેનાથી તેમાં ભણતા વિદ્યાર્થીઓના માનસપટ પર ચોક્કસ અસર થાય છે. આમ હાઈકોર્ટે મુખ્ય સચિવને તમામ સરકારી શાળાઓના નામોમાંથી સમાજ અને જાતિના નામ દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પીટીઆઈના એક રિપોર્ટ મુજબ, જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને જસ્ટિસ સી કુમારપ્પનની ડિવિઝન બેંચે આદેશ આપતા કહ્યું હતું કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે, કલવરાયણ પહાડોમાં 'સરકારી ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ'ના નામે સરકારી શાળાઓ ચલાવવામાં આવી રહી છે. આ પ્રકારની સરકારી શાળાના નામ સાથે 'આદિવાસી' શબ્દનો ઉપયોગ યોગ્ય નથી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ખંડપીઠે વધુમાં કહ્યું કે, શાળાના નામમાં સમાજનું નામ ઉમેરવાથી ત્યાં ભણતા બાળકો પર ચોક્કસપણે તેની અસર થશે. તેમને એવો અહેસાસ થશે કે તેઓ 'આદિવાસી શાળા'માં ભણે છે નહીં કે એક એવી સંસ્થામાં, જ્યાં તેમની આસપાસના બીજા બાળકો પણ અભ્યાસ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/tribal-daughter-grazes-goats-despite-securing-824th-rank-in-jee">JEE માં 824મો રેન્ક મેળવ્યો, છતાં આદિવાસી દીકરી સીમમાં બકરીઓ ચરાવવા મજબૂર</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે કોઈ પણ સંજોગોમાં કોર્ટ અને સરકાર દ્વારા બાળકોને અપમાનિત કરવાની મંજૂરી ન આપી શકાય.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">કોર્ટે પોતાના આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે જ્યાં પણ આવા નામનો ઉપયોગ કોઈ ચોક્કસ સમુદાય કે જાતિને દર્શાવવા માટે કરવામાં આવે છે, તો તેને હટાવી દેવું જોઈએ અને સંસ્થાઓનું નામ 'સરકારી શાળા' રાખવું જોઈએ અને તે વિસ્તારમાં રહેતા બાળકોને તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે ત્યાં પ્રવેશ આપવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ખંડપીઠે કહ્યું કે આ દુઃખદ છે કે 21મી સદીમાં પણ સરકાર પોતાના દ્વારા સંચાલિત શાળાઓમાં આવા શબ્દોનો ઉપયોગ કરવાની છૂટ આપી રહી છે, જે લોકોના પૈસાથી ચલાવવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;">હાઈકોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે તમિલનાડુ સામાજિક ન્યાયમાં અગ્રણી રાજ્ય હોવાના કારણે સરકારી શાળાઓ અથવા કોઈપણ સરકારી સંસ્થાના નામમાં 'ઉપસર્ગ' અથવા 'પ્રત્યય' જેવા અયોગ્ય શબ્દો ઉમેરવાની મંજૂરી આપી શકે નહીં. તમિલનાડુ સરકારના મુખ્ય સચિવે આ મામલે યોગ્ય પગલાં લેવા પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/leave-vrat-fast-mangalsutra-sindoor-we-are-not-hindus-tribal-society">વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, આપણે હિંદુ નથીઃ આદિવાસી સમાજની હાકલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 27 Jul 2024 14:17:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>985</Articleid>
                    <excerpt>મદ્રાસ હાઈકોર્ટે રાજ્યની સરકારી શાળાઓના નામમાંથી &#039;આદિવાસી&#039; શબ્દ હટાવવાનો આદેશ કરતા જણાવ્યું છે કે, શાળા સાથે આદિવાસી શબ્દ જોડવાથી બાળકોના માનસ પર અસર પડે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a4b3d623d98.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a4b3d5de548.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a4b3d5de548.jpg" length="95428" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>JEEમાં 824મો રેન્ક મેળવ્યો છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવે છે</title>
                    <link>https://khabarantar.com/tribal-daughter-grazes-goats-despite-securing-824th-rank-in-jee</link>
                    <guid>https://khabarantar.com/tribal-daughter-grazes-goats-despite-securing-824th-rank-in-jee</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી સમાજની અત્યંત ગરીબીમાં ઉછરેલી એક દીકરીએ આઈઆઈટીમાં પ્રવેશ માટેની JEE પરીક્ષામાં 824મો રેન્ક મેળવ્યો છે, છતાં તે ખેતરમાં બકરીઓ ચરાવવા મજબૂર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેરિટની પૂંછડીઓ આજકાલ દલિતો અને આદિવાસીઓની અનામત સીટો પર નકલી એસસી, એસટી સર્ટિફિકેટ બનાવડાવીને તેમના હકની નોકરીઓ અને શિક્ષણમાં ભાગ પડાવી જાય છે. જેના કારણે અનેક હોંશિયાર દલિત, આદિવાસી યુવક-યુવતીઓ તેમના હકથી વંચિત રહી જાય છે. તો ઘણીવાર ગરીબીના કારણે એસસી, એસટી સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તકનો લાભ ઉઠાવી શકતા નથી. કંઈક આવું જ તેલંગાણાની મધુલતા સાથે થયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધુલતાએ JEEમાં ૮૨૪મો રેન્ક મેળવ્યો છે. જો તમને એમ લાગતું હોય કે, વાહ હવે તો તેને આઈઆઈટીમાં એડમિશન મળશે અને જિંદગી સેટ થઈ જશે, તો થોભજો. કેમ કે, અહીં મામલો ધારીએ છીએ તેવો સરળ નથી, કેમ કે જમીની વાસ્તવિકતા તદ્દન ભિન્ન છે. પરીક્ષામાં સારું પ્રદર્શન કરવા છતાં મધુલતા આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા નથી જઈ રહી પરંતુ ખેતરમાં બકરીઓ ચરાવે છે. તેની પાછળનું કારણ છે તેના પરિવારની નબળી આર્થિક સ્થિતિ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ અનુસાર, તેલંગાણાના રાજન્ના સરસિલ્લા ગામની રહેવાસી બદાવત મધુલતા હોંશિયાર દીકરી છે. તેણે એસ.ટી. એટલે કે અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં JEE પરીક્ષા આપી હતી અને ૮૨૪મો રેન્ક હાંસલ કર્યો હતો. આ પછી તેને આઈઆઈટી-પટણામાં સીટ પણ મળી ગઈ હતી, પરંતુ આર્થિક તંગીને કારણે હવે તેની શિક્ષણ જગતમાં સફર અહીં જ અટકતી જોવા મળી રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેના ઇન્ટર કોલેજના શિક્ષક બુક્યા લિંગમ નાયક કહે છે, છોકરી આર્થિક રીતે પછાત પરિવારમાંથી આવે છે, તેથી તે ફી ચૂકવવાની સ્થિતિમાં નથીઆઈઆઈટીની ફીની વાત તો છોડો, તેનો પરિવાર તેને રાજ્યની કોઈપણ સામાન્ય ડિગ્રી કોલેજમાં પણ મોકલી શકવા સમર્થ નથી. જો તેને મદદ નહીં મળે તો મધુલતાએ આઈઆઈટીમાં ભણવાની તક અહીં જ અધૂરી છોડવી પડશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/amid-the-plight-of-pakistan-a-dalit-daughter-made-history"> <span style="font-size: 14pt;">પાકિસ્તાનની દુર્દશા વચ્ચે એક દલિત દીકરીએ ઈતિહાસ રચ્યો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિજાતિ કલ્યાણ જુનિયર કોલેજની વિદ્યાર્થીની મધુલતાએ હોસ્ટેલ ફી અને અન્ય ખર્ચ માટે ૨૭ જુલાઈ સુધીમાં ૩ લાખ રૂપિયા જમા કરાવવાના થાય છે. આ કર્યા પછી જ તે આઈઆઈટીમાં પોતાની સીટ સુનિશ્ચિત કરી શકશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, રહેઠાણ અને અન્ય ઘણાં ખર્ચમાંથી મુક્તિ મળે છે, પરંતુ તે બાદ કર્યા પછી કરવાનો થતો ખર્ચ પણ મધુલતાના પરિવાર માટે ઘણો જ વધારે છે. નાયકે જણાવ્યું કે મધુલતાના પિતા બીમાર છે અને તેથી તેમની દીકરીએ પરિવારની મદદ માટે બકરીઓ ચરાવવાનો ર્નિણય કર્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધુલતાની બહેન સિરિષાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે મંગળવારે તેમનો સંપર્ક કર્યો હતો અને પરિવારને મદદ માટેની આશા બંધાવી હતી. હવે રાજ્ય સરકાર તરફથી મદદની ખાતરી મળતાં મધુલતા માટે આશાનું કિરણ જાગ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આઈઆઈટી પટના મધુલતાને ફ્રીમાં ભણાવશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધુલતાની સ્ટોરી મીડિયામાં પ્રકાશિત થતા આઈઆઈટી પટના તેની મદદ માટે આગળ આવી છે અને તેને ફ્રીમાં ભણાવવાનો નિર્ણય કર્યો છે. એક રિપોર્ટ મુજબ 29 જુલાઈના રોજ મધુલતા અને તેના પરિવારનું આઈઆઈટી પટનામાં સ્વાગત કરવામાં આવશે. તેનો પરિવાર કોલેજની 2.5 લાખની ફી જમા કરાવી શક્યો નહોતો. તેણે જેમ તેમ કરીને પોતાનું એડમિશન કન્ફર્મ કરવા માટે જરૂરી 17500 રૂપિયા જ ભરી શકી હતી. આર્થિક તંગીના કારણે અને તેના પિતાની બીમારીને કારણે બાકીની 2.51 લાખની રકમ તે જમા કરાવી શકી નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઈઆઈટી પટનાના ડિરેક્ટર પ્રો. ટી.એન.સિંહે કહ્યું છે કે, પહેલા પણ આઈઆઈટી પટના દ્વારા આ રીતે આર્થિક રીતે નબળા વર્ગની વિદ્યાર્થિનીઓને મદદ કરવામાં આવી છે. સંસ્થાએ બીટેકના એકેડેમિક પ્રોગ્રામમાં એડમિશન લેનારી મધુલતાના ભણતર, હોસ્ટેલ અને મેસ સુવિધા સહિતનો તમામ ખર્ચ ઉપાડવાનું નક્કી કર્યું છે. હવે મધુલતાને આર્થિક બાબતો અંગે કોઈ ચિંતા નહીં રહે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ આ મામલો સામે આવતા રાજ્યના આદિજાતિ વિભાગને મધુલતાને મદદ કરવા માટે આદેશ આપ્યા હતા. એ પછી આદિજાતિ કલ્યાણ વિભાગે રૂ. 2.51 લાખની સહાય માંગી હતી, જેમાં રાજ્ય સરકારે મધુલતાની એક લાખની ટ્યુશન ફી માફ કરાઈ અને શિક્ષણ ફી, હોસ્ટેલ ફી, જીમખાના, ટ્રાન્સપોર્ટ, મેસ ફી, લેપટોપ અને અન્ય ફી માટે 1,51,831 રૂપિયા મંજૂર કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/seeing-the-villagers-deprived-of-health-facilities-the-tribal-daughter-become-a-doctor"><strong>ગામલોકોને આરોગ્ય સુવિધાથી વંચિત જોઈ આદિવાસી દીકરી ડૉક્ટર બની ગઈ</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 26 Jul 2024 10:22:37 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 26 Jul 2024 10:28:19 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>976</Articleid>
                    <excerpt>આદિવાસી સમાજની અત્યંત ગરીબીમાં ઉછરેલી એક દીકરીએ આઈઆઈટીમાં પ્રવેશ માટેની JEE પરીક્ષામાં 824મો રેન્ક મેળવ્યો છે, છતાં તે ખેતરમાં બકરીઓ ચરાવવા મજબૂર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a32a4bdaf6a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a32a4ba77bb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a32a4ba77bb.jpg" length="90167" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, આપણે હિંદુ નથીઃ આદિવાસી સમાજ</title>
                    <link>https://khabarantar.com/leave-vrat-fast-mangalsutra-sindoor-we-are-not-hindus-tribal-society</link>
                    <guid>https://khabarantar.com/leave-vrat-fast-mangalsutra-sindoor-we-are-not-hindus-tribal-society</guid>
                    <description>
                        <![CDATA[ રાજસ્થાનના માનગઢ ધામ ખાતે ગઈકાલે 4 રાજ્યોના 49 જિલ્લાનો ભીલપ્રદેશ બનાવવાની માંગને લઈને આદિવાસી સમાજની મહારેલી યોજાઈ હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત અને ત્રણ પડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓ છેલ્લાં ઘણાં સમયથી તેમના અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યાં છે. ૪ રાજ્યોના ૪૯ જિલ્લાઓનું વિલીનીકરણ કરીને ભીલ પ્રદેશ બનાવવાની માંગ દિવસેને દિવસે જોર પકડી રહી છે ત્યારે ગઈકાલે રાજસ્થાનના બાંસવાડાના માનગઢ ધામમાં આદિવાસી સમાજની એક મહારેલી યોજાઈ ગઈ. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આદિવાસી સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ રેલીમાં ઘણાં સાંસદો અને ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માનગઢ ધામ આદિવાસી સમાજની આસ્થાનું પ્રતિક છે, અહીં અંગ્રેજકાળમાં મોટું આંદોલન થયું હતું અને 1500થી વધુ આદિવાસી યોદ્ધાઓ શહીદ થયા હતા. રાજસ્થાન સરકારે ભીલ પ્રદેશની માંગને ફગાવી દીધા બાદ આયોજીત રેલીમાં ભારત આદિવાસી પાર્ટી (બાપ) સાંસદ રાજકુમાર રાઉતે કહ્યું હતું કે ભીલ રાજ્યની માંગ નવી નથી.  બાપ આ માંગને જોરદાર રીતે ઉઠાવી રહ્યું છે.  મેગા રેલી બાદ એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આ પ્રસ્તાવ સાથે મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/even-if-you-become-sarpanch-because-of-reservation-the-work-will-be-according-to-our-will"><span style="font-size: 14pt;">અનામતના કારણે ભલે તું સરપંચ બન્યો, કામ અમારી મરજી મુજબ થશે...</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીલ સમાજના સૌથી મોટા સંગઠન આદિવાસી પરિવાર સહિત ૩૫ સંસ્થાઓ દ્વારા આ મેગા રેલી બોલાવવામાં આવી હતી. આદિવાસી પરિવાર સંસ્થાના સ્થાપક સભ્ય મેનકા ડામોરે મંચ પરથી જણાવ્યું હતું કે "આદિવાસી મહિલાઓએ પંડિતોની સલાહ ન માનવી જોઈએ.  આદિવાસી પરિવારોમાં કોઈ મહિલા સિંદૂર લગાવતી નથી કે મંગળસૂત્ર પહેરતી નથી. આપણી મહિલાઓ અને છોકરીઓએ શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. હવેથી બધા ઉપવાસ બંધ કરો.  આપણે હિંદુ નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રેલીમાં આદિવાસી પરિવારના સ્થાપક ભંવરલાલ પરમારે જણાવ્યું હતું કે "માનગઢમાં આપણા પૂર્વજોએ ૧૦૦-૨૫૦ વર્ષ પહેલાં આંદોલન શરૂ કર્યું હતું, અને ૧૫૦૦ લોકો માર્યા ગયા હતા. તેમનો શું વાંક હતો?  હવે અમે ફરી આંદોલન શરૂ કર્યું છે.  કોઈ માતાનો દીકરો આપણને રોકી શકશે નહીં.  ભીલ પ્રદેશની માંગ ચોક્કસ સમયસર પૂરી થશે.  તેની એક પ્રક્રિયા છે.  આ આંદોલન આદિવાસી સમાજને જોડવાનું છે.  ભીલ પ્રદેશ એ આપણા પૂર્વજોની અધૂરી ઈચ્છા છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/remember-i-will-kill-you-wherever-you-find-me-and-thats-what-happened"><strong>"યાદ રાખજે! જ્યાં મળીશ ત્યાં જ મારી નાખીશ" અને એવું જ થયું...</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 19 Jul 2024 10:12:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>940</Articleid>
                    <excerpt>રાજસ્થાનના માનગઢ ધામ ખાતે ગઈકાલે 4 રાજ્યોના 49 જિલ્લાનો ભીલપ્રદેશ બનાવવાની માંગને લઈને આદિવાસી સમાજની મહારેલી યોજાઈ હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6699edbfcdf87.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6699edbf9ecae.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6699edbf9ecae.jpg" length="84305" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આર્મસ્ટ્રોંગની હત્યાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે: માયાવતી</title>
                    <link>https://khabarantar.com/armstrongs-murder-should-be-handed-over-to-cbi-mayavati</link>
                    <guid>https://khabarantar.com/armstrongs-murder-should-be-handed-over-to-cbi-mayavati</guid>
                    <description>
                        <![CDATA[ તમિલનાડુમાં બીએસપી અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની હત્યાને લઈને બીએસપી સુપ્રીમો માયાવતીએ સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની બે દિવસ પહેલા તેમના ઘરે જ કેટલાક અજાણ્યા હુમલાખોરોએ આવીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને તમિલનાડુમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો પેદા થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે બીએસપી સુપ્રીમો માયાવતી આકાશ આનંદ સાથે ચેન્નાઈ સ્થિત કે. આર્મસ્ટ્રોંગના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. સાથે જ કે. આર્મસ્ટ્રોંગને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મુલાકાત દરમિયાન બસપા સુપ્રીમોએ હત્યાને લઈને તમિલનાડુ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સારી નથી અને આ કેસમાં હજુ સુધી સાચા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી નથી. અમે આ હત્યામાં સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીએસપી સુપ્રીમોએ કહ્યું હતું કે, “મને એ પણ ખબર પડી છે કે હત્યારાઓ હજુ સુધી પકડાયા નથી. કેટલાક ફૂડ ડિલિવરી કરતા લોકોની ધરપકડ થઈ છે પરંતુ મુખ્ય આરોપીઓ હજુ ફરાર છે. તેથી અમે રાજ્ય સરકાર પાસે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ. જેથી સાચા ગુનેગારોને પકડીને સજા કરી શકાય.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Gandhis-Gujarat-top-in-dalit-atrocities,-total-5588-incidents-of-dalit-atrocities-reported-in-last-4-years"><span style="font-size: 14pt;">ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_668ab5653afe1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાના વડાએ કહ્યું, “આ કોઈ એક દલિત નેતાની હત્યાનો મામલો નથી પરંતુ સમગ્ર દલિત સમાજની સુરક્ષાનો સવાલ છે. ઘણાં દલિત નેતાઓ ડરેલા છે કેમ કે તેમના જીવને જોખમ છે. રાજ્ય સરકાર આ હત્યા અંગે ગંભીર નથી. નહીંતર અત્યાર સુધીમાં ગુનેગારો જેલના સળિયા પાછળ હોવા જોઈએ. જો રાજ્ય સરકાર હત્યારાઓને પકડી શકતી ન હોય અને મૃતકના પરિવારજનોને ન્યાય આપી શકતી ન હોય, તો આ કેસ સીબીઆઈને સોંપી દેવો જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપા સુપ્રીમોએ કહ્યું, “હું રાજ્ય સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તેઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરે. ખાસ કરીને નબળા વર્ગના લોકોને સલામતીનો અહેસાસ કરાવવો જોઈએ. જો સરકાર ગંભીર હોત તો આરોપીઓ ઝડપાયા હોત. પણ એવું થયું નથી. અમે રાજ્ય સરકારને આ કેસ સીબીઆઈને સોંપવા વિનંતી કરીએ છીએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, બીએસપી સુપ્રીમો માયાવતી આજે સવારે પક્ષના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદ સાથે ચેન્નાઈ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કે. આર્મસ્ટ્રોંગને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ૫ જુલાઈના રોજ કે. આર્મસ્ટ્રોંગ પેરામ્બુરમાં તેમના નિવાસસ્થાને પક્ષના કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા છ શખ્સોએ તેમના પર છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો. ચાર હુમલાખોરો ફૂડ ડિલિવરી એજન્ટના વેશમાં હતા. હુમલા બાદ આર્મસ્ટ્રોંગને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે, મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/in-tamil-nadu-6-people-broke-into-the-house-of-the-bsp-president-and-killed-him"><strong>તમિલનાડુમાં BSP અધ્યક્ષની ઘરમાં ઘૂસીને 6 લોકોએ હત્યા કરી </strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 07 Jul 2024 21:04:49 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 07 Jul 2024 21:04:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>884</Articleid>
                    <excerpt>તમિલનાડુમાં બીએસપી અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની હત્યાને લઈને બીએસપી સુપ્રીમો માયાવતીએ સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668ab5516103a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668ab55132426.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668ab55132426.jpg" length="84426" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;યાદ રાખજે! જ્યાં મળીશ ત્યાં જ મારી નાખીશ&amp;quot; અને એવું જ થયું...</title>
                    <link>https://khabarantar.com/remember-i-will-kill-you-wherever-you-find-me-and-thats-what-happened</link>
                    <guid>https://khabarantar.com/remember-i-will-kill-you-wherever-you-find-me-and-thats-what-happened</guid>
                    <description>
                        <![CDATA[ કથિત સવર્ણ જાતિની યુવતીએ આદિવાસી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. એ પછી પરિવારે તેની સાથે જ કર્યું તે રૂંવાડા ઉભા કરી દે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ તોડવા માટેનું સૌથી કારગર શસ્ત્ર આંતરજાતિય લગ્નોને માનવામાં આવે છે. પણ મનુવાદી વર્ણવ્યવસ્થાને કાયમી રાખવા માટેનો ઠેકો જેઓ લઈને ફરે છે તેઓ આવા લગ્નો મામલે ભારે કટ્ટરતા દાખવે છે અને એવું ઉદાહરણ સ્થાપિત કરવા મથતા રહે છે, જેથી ફરી કોઈ છોકરો કે છોકરી પોતાની જ્ઞાતિ, સમાજની બહાર લગ્ન કરતા સો વાર વિચાર કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ગામમાં એક કથિત ઉચ્ચ જાતિની યુવતીએ આદિવાસી ભીલ સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. એ વખતે યુવતીના પરિવારજનોએ તેને ધમકી આપી હતી કે, "યાદ રાખજે, તેં લગ્ન ભલે તારી મરજીથી કરી લીધા પણ હવે તું જ્યાં પણ મળીશ ત્યાં તને મારી નાખીશું." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અને થયું પણ એવું જ. યુવતી તેના પતિ સાથે બજારમાં ખરીદી કરવા માટે બેંકમાંથી રૂપિયા ઉપાડવા માટે આવી હતી ત્યારે તેના પરિવારના કોઈ વ્યક્તિની નજરે ચડી ગઈ. એ પછી તેનું અપહરણ કરવામાં આવ્યું અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. એટલું જ નહીં પોલીસને આખા મામલાની ગંધ પણ ન આવે તે માટે યુવતીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. જો કે, યુવતીના પતિએ પોલીસમાં જાણ કરતા આખરે પોલીસ સ્મશાને પહોંચી હતી અને યુવતીના અર્ધ બળેલા શબનો કબ્જો લઈને તપાસ હાથ ધરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનને મહિલાઓ, બહેન, દીકરીઓ માટે નર્ક શા માટે ગણવામાં આવે છે તેનો વધુ એક પુરાવો આ ઘટના છે. મામલો ઝાલાવાડ જિલ્લાના જાવર પોલીસ સ્ટેશનના શૌરતી ગામનો છે જ્યાં ઓનર કિલીંગનો આ ક્રૂર મામલો સામે આવ્યો છે. અહીં યુવતીના પ્રેમ લગ્નથી નારાજ તેના પરિવારજનોએ તેને શોધીને તેની હત્યા કરી નાખી હતી. પરિવારજનોએ બેંકમાં રૂપિયા ઉપાડવા આવેલી યુવતીને ઉપાડી લીધી અને તેને ઘરે લઈ જઈ તેને મોતને ઘાટ ઉતારી દીધી. એ પછી તેઓ છાનામાના તેની અંતિમવિધિ કરી રહ્યા હતા. યુવતીની લાશ આખી સળગી પણ નહોતી એ પહેલા પોલીસ આવી પહોંચી. પોલીસને જોતા જ આરોપીઓ ભાગી ગયા. એ પછી પોલીસે સ્મશાનમાં યુવતીની સળગતી લાશને પોતાના કબ્જામાં લઈને તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે યુવતીનું નામ શિમલા કુશવાહા હતું અને તેણે એક વર્ષ પહેલા ગામના જ આદિવાસી સમાજના યુવક રવિ ભીલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. છ મહિનાથી બંને બારા જિલ્લામાં ક્યાંક રહેતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/five-people-hit-the-dalit-youth-saying-why-are-you-playing-magic-on-us"><span style="font-size: 14pt;">તું અમારા પર જાદુટોણાં કેમ કરે છે કહી પાંચ લોકોએ દલિત યુવકને ફટકાર્યો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક દિવસ શિમલા બેંકમાંથી પૈસા ઉપાડવા માટે પોતાના પતિ રવિ ભીલ સાથે બારા જિલ્લાના હરનાવડાની સેન્ટ્રલ બેંકમાંથી પૈસા ઉપાડવા માટે આવી હતી. જ્યાં તેને તેના પરિવારજનોએ જોઈ લીધી હતી. એ પછી તરત તેમણે ભેગાં થઈને બળજબરીથી તેનું અપહરણ કર્યું હતું અને પોતાની સાથે લઈને ભાગી ગયા હતા. એ દમરિયાન તેમણે યુવતીના પતિ રવિ ભીલને પણ મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભગાડી દીધો હતો અને તરત પોતાના ઓળખીતાઓને ઘટનાની જાણ કરી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દસ્તાવેજો પરથી મળતી માહિતી પ્રમાણે શિમલા કુશવાહા અને રવિ ભીલે ગત તા. 17 જુલાઈ 2023ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. બંનેએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જઈને આર્ય સમાજમાં પહેલા વિધિવત રીતે લગ્ન કર્યા હતા અને પછી ત્યાં જ લગ્ન નોંધણી ઓફિસમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિકારી જયપ્રકાશ અટલના જણાવ્યા પ્રમાણે યુવતીના પતિ રવિ ભીલની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી તો સીસીટીવી ફૂટેજમાં તેના પરિવારજનો તેને બળજબરીથી સાથે લઈ જતા જોવા મળ્યા હતા. તેઓ તેને તેમના ગામ શૌરતી તરફ લઈ જતા જોવા મળ્યા હતા. એ પછી પોલીસ ત્યાં પહોંચી તો ખ્યાલ આવ્યો કે હરનાવડા પોલીસ પણ ત્યાં તપાસ માટે પહોંચી ગઈ છે. પોલીસ સ્મશાનમાં પહોંચી તો આરોપીઓ તેમને જોઈને ભાગી ગયા અને જોયું તો યુવતીની લાશ સળગી રહી હતી. પોલીસે તેને જેમતેમ કરીને પોતાના કબ્જામાં લઈને તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતીના પતિ રવિ ભીલનું કહેવું છે કે, શિમલાને ઉપાડી જવામાં ચારથી પાંચ લોકો સામેલ હતા અને તેમણે જ તેની હત્યા કરી છે. પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે તેમાં અંદાજે 6 લોકો યુવતીનું અપહરણ કરતા દેખાય છે. તેમાં તેના પિતા કજોડીલાલ કુશવાહા, એક યુવતી સહિતના લોકો સામેલ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવતી શિમલાની હરનાવડામાં જ ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે. તેના 80 ટકા બળી ગયેલા મૃતદેહને મેડિકલ બોર્ડ પાસે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/seven-people-raped-a-dalit-woman-who-had-left-home-to-take-medicine"><strong>ઘરેથી દવા લેવા નીકળેલી દલિત મહિલા પર 7 લોકોએ બળાત્કાર કર્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 05 Jul 2024 18:08:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>873</Articleid>
                    <excerpt>કથિત સવર્ણ જાતિની યુવતીએ આદિવાસી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. એ પછી પરિવારે તેની સાથે જ કર્યું તે રૂંવાડા ઉભા કરી દે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6687e80657b04.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6687e80626aa4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6687e80626aa4.jpg" length="96358" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બિહારમાં 65 ટકા અનામત રદ કરવાને નીતિશ સરકાર સુપ્રીમમાં પડકારશે</title>
                    <link>https://khabarantar.com/the-nitish-government-will-challenge-the-cancellation-of-65-percent-reservation-in-bihar-in-the-supreme-court</link>
                    <guid>https://khabarantar.com/the-nitish-government-will-challenge-the-cancellation-of-65-percent-reservation-in-bihar-in-the-supreme-court</guid>
                    <description>
                        <![CDATA[ બિહારમાં સરકારે જાતિઓની વસ્તી ગણતરી કર્યા બાદ જેમની સંખ્યાના આધારે અનામતમાં વધારો કર્યો હતો. જેને હાઈકોર્ટે રદ કરતા નીતિશ સરકાર તેને સુપ્રીમમાં પડકારશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારની નીતિશકુમાર સરકારે ૬૫ ટકા અનામત પર પ્રતિબંધ મૂકવાના પટના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે. આ માટે તેણે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી દીધી છે. પટના હાઈકોર્ટે બિહારમાં સંશોધિત અનામત કાયદાને રદ્દ કરી દીધો હતો. બિહાર સરકારના વકીલ મનીષ સિંહે આ નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો માટેનો ક્વોટા ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કરવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો હતો કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકાર બિહારમાં અનામત વધારવા માંગતી નથી. ભાજપ અનામત સાથે રમવા માંગે છે. થોડા દિવસો પહેલા જ તેજસ્વી યાદવે કહ્યું હતું કે અમને પહેલાથી જ શંકા હતી કે ભાજપના લોકો કોઈપણ સંજોગોમાં અનામત રોકવાનું કામ કરશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમે ચૂંટણીમાં પણ કહ્યું હતું કે ભાજપના લોકો અનામત વિરોધી છે. વિપક્ષના આ આરોપો વચ્ચે એનડીએ સરકારનો સુપ્રીમ કોર્ટમાં જવાનો અભિગમ તેના વિરોધીઓને જવાબ તરીકે માનવામાં આવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/some-lies-connected-with-reservation-and-exposed"><span style="font-size: 14pt;">અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦મી જૂને પટના હાઈકોર્ટે અનુસૂચિત જાતિ, જનજાતિ, અત્યંત પછાત અને અન્ય પછાત વર્ગોને ૬૫ અનામત આપતો બિહાર સરકારનો કાયદો રદ કર્યો હતો. હાઈકોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. અર્થાત હવે અનુસૂચિત જાતિ, જનજાતિ, અતિ પછાત અને અન્ય પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 65 ટકા અનામત નહીં મળે અને ૫૦ ટકા અનામતની જૂની વ્યવસ્થા અમલમાં રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહાર સરકારે રિઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ દ્વારા અનામતનો વિસ્તાર વધારીને ૬૫ ટકા કર્યો હતો. આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા અનામતનો ઉમેરો કરતા અનામતનો કુલ લાભ ૭૫ ટકા થવા જઈ રહ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૧ નવેમ્બર ૨૦૨૩ના રોજ બિહાર સરકારે આ અંગે એક ગેઝેટ પ્રકાશિત કર્યું હતું. આ પછી, અનુસૂચિત જાતિ-જનજાતિ, પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં ૬૫ ટકા અનામતનો લાભ મળતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Is-there-any-poverty-alleviation-plan-in-reserve"><strong>શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 03 Jul 2024 19:11:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>863</Articleid>
                    <excerpt>બિહારમાં સરકારે જાતિઓની વસ્તી ગણતરી કર્યા બાદ જેમની સંખ્યાના આધારે અનામતમાં વધારો કર્યો હતો. જેને હાઈકોર્ટે રદ કરતા નીતિશ સરકાર તેને સુપ્રીમમાં પડકારશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668553cfe6a79.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668553cfb101f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668553cfb101f.jpg" length="113204" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બે આદિવાસી યુવકોને સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી બાંધીને માર્યા</title>
                    <link>https://khabarantar.com/two-tribal-youths-were-tied-up-and-killed-from-8-am-to-2-pm</link>
                    <guid>https://khabarantar.com/two-tribal-youths-were-tied-up-and-killed-from-8-am-to-2-pm</guid>
                    <description>
                        <![CDATA[ રાહુલ શર્મા ઉર્ફે પંડિતે તેના સાગરિતો સાથે મળીને બે આદિવાસી યુવકોને ઝાડ સાથે બાંધી સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી નિર્દય રીતે ફટકાર્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મિર્ઝાપુર વેબ સિરીઝમાં જેવા હિંસાત્મક દ્રશ્યો બતાવવામાં આવે છે, તેને મળતી આવતી એક ઘટના અસલી મિર્ઝાપુરમાં બની છે. ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં બે આદિવાસી યુવકોને ગામના માથાભારે રાહુલ શર્મા ઉર્ફે પંડિત અને તેના સાગરિતોઓ મોબાઈલ ચોરીની આશંકાએ તાલીબાની સજા આપી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સજા કેટલી ભયંકર હતી તેનો અંદાજ તમે એના પરથી પણ લગાવી શકશો કે, માથાભારે તત્વોએ બંને યુવકોને સવારે 8 વાગ્યે ગામથી બહાર લઈ જઈને ઝાડ સાથે બાંધીને માર મારવાનું શરૂ કર્યું હતું, તે છેક બપોરના 2 વાગ્યા સુધી આ સિલસિલો યથાવત રહ્યો હતો. એ પછી પીડિતના પરિવારે જેમ તેમ કરીને બંનેને છોડાવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત આદિવાસી યુવક સૂરજ કહે છે, "હું રાડો પાડતો રહ્યો, માફી માંગતો રહ્યો, તેમના પગ પકડતો રહ્યો પણ તેઓ ટસના મસ ન થયા. મારું કોઈ સાંભળનાર નહોતું. તેમણે મારા શરીર પરના કપડાં ઉતરાવ્યા અને મારવા લાગ્યા. તેનાથી પણ ધરાયા નહીં તો માથાના વાળ ખેંચીને અમને માર્યા. આટલાથી પણ તેને સંતોષ ન થયો તો અમને મારતા મારતા ઢસડીને ગામની બહાર લઈ ગયા અને ત્યાં લીમડાના ઝાડ સાથે બાંધીને ફરી મારવા લાગ્યા. લોકોનું ટોળું એકઠું થયું હતું પણ કોઈ અમને બચાવવા ન આવ્યું. બધાં તમાશો જોતા હતા. કોઈએ પણ આ માથાભારે તત્વોને રોકવાની હિંમત નહોતી કરી. અમે બંને રડી રડીને અમને છોડી દેવાની ભીખ માંગતા હતા, પણ કોઈ અમને બચાવવા આગળ નહોતું આવ્યું. ટોળું મૂકપ્રેક્ષક બનીને અમારી દયનિય હાલતની મજા લઈ રહ્યું હતું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના મડિહાન પોલીસ સ્ટેશન વિસ્તારના ખંતરા ઠક્કરનગર ગામનો છે. આ આખી ઘટના યુપીની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠાવે છે. અહીં બે આદિવાસી યુવાનોને ઝાડ સાથે બાંધીને તાલીબાની સજા આપી રહ્યાંનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોબાળો મચી ગયો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, લોકોમાં વીડિયો જેટલી જ ચર્ચા અહીં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ચર્ચાઈ રહી છે. કેમ કે, સવારના 8 વાગ્યાથી લઈને બપોરના 2 બે વાગ્યા સુધી બંને યુવાનોને આરોપીઓ બાંધીને મારતા રહ્યાં ત્યાં સુધી પોલીસ આવી નહોતી. બોલીવૂડની ફિલ્મોની જેમ પોલીસ છેલ્લે આવી અને પછી સામાન્ય કલમો સાથે કેસ નોંધીને આરોપીઓને રાહત આપી દીધી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આશ્ચર્યની વાત એ છે કે ગામથી પોલીસ સ્ટેશન માત્ર 8 કિમી દૂર છે. આદિવાસી સમાજની બહુમતી વસ્તી ધરાવતું આ ગામ જંગલ વિસ્તાર સાથે જોડાયેલું છે. આદિવાસીઓ અહીં ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">27 જૂનના રોજ 22 વર્ષનો પીડિત યુવક સુરેશ ઉર્ફે કલ્લુ કોલ વહેલી સવારે દાતણ કરી રહ્યો હતો. ત્યારે જ ત્યાં અરુણ કૌલનો જમાઈ રાહુલ શર્મા ઉર્ફે પંડિત ત્યાં તેના સાગરિતો સાથે આવી પહોંચ્યો હતો. અને સુરેશ કંઈક સમજે તે પહેલા જ દાતણ પણ ન કરવા દઈને તેને ઢસડીને ઘર બહાર ખેંચી ગયો હતો અને તેને મારવા લાગ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેશે જ્યારે તેને મારવાનું કારણ પૂછ્યું તો તેણે મોબાઈલ ચોરીનો આરોપ લગાવ્યો. એ પછી તેને જંગલ વિસ્તારમાં ઢસડીને લઈ ગયા અને ત્યાં તેના કપડાં પણ ફાડી નાખ્યા અને ઢોર માર માર્યો. એ દરમિયાન આરોપીઓ સુગાપાખ ગામના છોટક પટેલ નામના અન્ય એક આદિવાસી યુવકને પણ માર મારતા લઈ આવ્યા અને તેને પણ ચપ્પલથી લઈને હાથપગથી અને દંડાથી ફટકારવા લાગ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/whether-the-tribals-are-hindu-or-not-we-will-do-dna-test-education-minister-of-rajasthan">આદિવાસી હિન્દુ છે કે નહીં, ડીએનએ ટેસ્ટ કરાવીશું-રાજસ્થાનના શિક્ષણમંત્રી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આશ્ચર્ય એ વાતનું પણ થાય છે કે, રાહુલ શર્મા ઉર્ફે પંડિતે પોતાના મોબાઈલ ફોન ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશને આપી નહોતી અને પોતે સીધી આ બંને યુવાનોને શંકાના આધારે તાલીબાની સજા આપવાનું નક્કી કરી લીધું હતું. આરોપી રાહુલ શર્મા બંને યુવકોને ત્યાં સુધી મારતો રહ્યો જ્યાં સુધી તેઓ બંને બેહોશ ન થયા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવારે આઠ વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી આ ઘટનાક્રમ ચાલ્યો. આખરે પીડિતના પરિવારજનોએ જેમ તેમ કરીને બંનેને છોડાવ્યા અને ઘરે લઈ આવ્યા. પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસને જાણ કરવા છતાં તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નહોતી અને તરત કાર્યવાહી કરવાની પણ તસ્દી લીધી નહોતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપી રાહુલ શર્મા ઉર્ફે પંડિત પશ્ચિમી મિર્ઝાપુરાનો રહેવાસી હોવાનું કહેવાય છે અને તેના સાસરિયામાં જ રહે છે. 26 જૂનની રાત્રે તે સૂતો હતો ત્યારે તેનો મોબાઈલ ફોન કોઈ ચોરી ગયું હતું. બીજા દિવસે સવારે તેણે પોતાના સાગરિતો સાથે મળીને આદિવાસી યુવકો સુરેશ ઉર્ફે કલ્લૂ કોલ અને સુગાપાખ ગામના છોટક પટેલને શંકાના આધારે ઘરે જઈને માર મારતો જંગલમાં લઈ ગયો હતો અને ત્યાં સવારથી બપોર સુધી ઝાડ સાથે બાંધીને મારતો રહ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત સુરેશ અને છોટકના મનમાં ભય પેસી ગયો છે કે આરોપીઓ ગમે ત્યારે આવીને ફરી તેમને આ રીતે મારશે. પોલીસે હાલ તો આરોપીઓ રાહુલ શર્મા ઉર્ફે પંડિત, પ્રદીપ કુમાર, રાકેશ શ્રીરામ અને ક્રિષ્નાને કસ્ટડીમાં લઈ લીધા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામલોકોનું માનવું છે કે, જો પોલીસે સમયસર પહોંચીને યોગ્ય કાર્યવાહી કરી હોત તો સુરેશ અને છોટકને આ રીતે માર ન પડત. પોલીસ જાણે રાહુલ શર્માનો બચાવ કરી રહી હોય તેવું લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/even-if-you-become-sarpanch-because-of-reservation-the-work-will-be-according-to-our-will">અનામતના કારણે તું ભલે સરપંચ બની ગયો, કામ અમારી મરજી મુજબ થશે...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 29 Jun 2024 20:18:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>843</Articleid>
                    <excerpt>રાહુલ શર્મા ઉર્ફે પંડિતે તેના સાગરિતો સાથે મળીને બે આદિવાસી યુવકોને ઝાડ સાથે બાંધી સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી નિર્દય રીતે ફટકાર્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66801e225a1bd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66801e2228b06.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66801e2228b06.jpg" length="122507" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને આખરે જામીન મળ્યાં</title>
                    <link>https://khabarantar.com/former-jharkhand-chief-minister-hemant-soren-finally-got-bail</link>
                    <guid>https://khabarantar.com/former-jharkhand-chief-minister-hemant-soren-finally-got-bail</guid>
                    <description>
                        <![CDATA[ 31 જાન્યુઆરી 2024થી જેલમાં રહેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને આખરે કથિત મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કથિત જમીન કૌભાંડ મામલે લોકસભા ચૂંટણી પહેલા જ જેલમાં ધકેલી દેવાયેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને આખરે જામીન મળ્યાં છે. હાઇકોર્ટે હેમંત સોરેનને મોટી રાહત આપતા કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે જામીન આપ્યા છે. કોર્ટે ૧૩ જૂને સોરેનની જામીન અરજી પર પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. સોરેનના વરિષ્ઠ વકીલ અરુણાભ ચૌધરીએ કહ્યું કે સોરેનને જામીન મળી ગયા છે. આજે કોર્ટના આદેશની નકલ મોકલવામાં આવશે અને આવતીકાલે તેઓ બહાર આવી શકે છે. કોર્ટે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ તેઓ દોષિત નથી અને જામીન પર છૂટતી વખતે અરજદારે કોઈ ગુનો કર્યો હોવાની કોઈ શક્યતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ સોરેનની મની લોન્ડરિંગ કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૩૧ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. સોરેન હાલ બિરસા મુંડા જેલમાં છે. સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વકીલ એસ.વી. રાજુએ દલીલ કરી હતી કે જો સોરેનને જામીન પર છોડવામાં આવશે તો તે ફરીથી આવો જ ગુનો કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોરેન સામેની તપાસ રાંચીમાં ૮.૮૬ એકર જમીન સાથે જોડાયેલી છે. ઈડીનો આરોપ છે કે તેમણે આ જમીન ગેરકાયદેસર રીતે જપ્ત કરી હતી. એજન્સીએ ૩૦ માર્ચે અહીંની વિશેષ પીએમએલએ કોર્ટમાં સોરેન, પ્રસાદ, સોરેનના કથિત 'ફ્રન્ટમેન' રાજ કુમાર પહાન અને હિલારિયાસ અને સોરેનના કથિત સહયોગી બિનોદ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોરેને રાંચીની સ્પેશિયલ કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની ધરપકડ રાજકારણ પ્રેરિત છે અને તેમને ભાજપમાં જોડાવા માટે દબાણ કરવાના આયોજિત કાવતરાનો ભાગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/If-you-dare-give-proof-of-the-scandal,-I-will-leave-politics-Hemant-Sorens-open-challenge-in-Jharkhand-Assembly"><strong>હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 28 Jun 2024 18:40:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>837</Articleid>
                    <excerpt>31 જાન્યુઆરી 2024થી જેલમાં રહેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને આખરે કથિત મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667eb5d145b31.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667eb5d114f1b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667eb5d114f1b.jpg" length="80638" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી હિન્દુ છે કે નહીં, ડીએનએ તપાસ કરાવીશું&amp; રાજસ્થાનના શિક્ષણમંત્રી</title>
                    <link>https://khabarantar.com/whether-the-tribals-are-hindu-or-not-we-will-do-dna-test-education-minister-of-rajasthan</link>
                    <guid>https://khabarantar.com/whether-the-tribals-are-hindu-or-not-we-will-do-dna-test-education-minister-of-rajasthan</guid>
                    <description>
                        <![CDATA[ રાજસ્થાનના શિક્ષણમંત્રીએ દેશના આદિવાસી સમાજનું ઘોર અપમાન કરતું નિવેદન કરતા તેના પડઘા દેશભરમાં પડ્યાં છે. વાંચો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે કહ્યું છે કે, આદિવાસીઓ હિંદુ છે કે નહીં તેની તપાસ અમે તેમનું ડીએનએ ચેક કરીને કરાવીશું. શિક્ષણમંત્રી જેવા હોદ્દે રહેલી વ્યક્તિનું આવું નીચલી કક્ષાનું નિવેદન આવતા તેના પડઘાં દેશભરના આદિવાસી સમાજમાં પડ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરા, ભારતીય આદિવાસી પાર્ટીના સાંસદ રાજકુમાર રોતે મદન દિલાવરના નિવેદનની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું છે કે ભાજપે હવે આવી ટિપ્પણીના પરિણામ ભોગવવા પડશે. જો કે, નિવેદન પર વધતાં વિવાદને જોતા મદન દિલાવરે સ્પષ્ટતા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે આદિવાસી સમાજ અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે “આદિવાસીઓ હિન્દુ છે કે નહીં તે તેમના પૂર્વજોને પૂછે. પેઢીનામું લખનારા લોકોને ન પૂછે કે તે કોણ છે? જો તે હિન્દુ નથી તો અમે તેમના ડીએનએ ટેસ્ટ કરાવીશું અને જાણીશું કે તે તેમના બાપની ઔલાદ છે કે નહીં.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત આદિવાસી પાર્ટીના સભ્યો દ્વારા આદિવાસીઓ હિન્દુ નથી એવો દાવો કરાયા બાદ મદન દિલાવરે આ પ્રકારની ટિપ્પણી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/If-there-is-a-separate-religion-code-only-for-the-Jains-with-a-population-of-40-lakhs,-why-not-for-the-11-crore-tribals"> <span style="font-size: 14pt;">ફક્ત 40 લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો 11 કરોડ આદિવાસીઓ માટે કેમ નહીં?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના શિક્ષણમંત્રીના વિવાદિત નિવેદનની ચોતરફી ટીકા કરતાં આદિવાસી સમાજમાંથી આવતા સાંસદ રાજકુમાર રોતે કહ્યું હતું કે, અમે મદન દિલાવર સામે આદિવાસી વિરોધી અભિયાન ચલાવીશું અને આદિવાસીઓના ડીએનએ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ મોકલીશું. આ સેમ્પલ રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મદન દિલાવરને મોકલાશે. મદન દિલાવરે અમારા પર આરોપ લગાડવા જે પ્રકારની ભાષા વાપરી છે તે આદિવાસી સમુદાયનું અપમાન કરનારી છે. મારે તેમને એટલું જ કહેવું છે કે બીએપીથી હેરાન થઇને તમે આવા પાયા વગરના નિવેદનો કરી રહ્યા છો. તમે જે નિવેદન આપ્યું તે સમગ્ર દેશના આદિવાસીઓ માટે એક ચેલેન્જ છે અને ભાજપે તેના કારણે પરિણામો ભોગવવાનો વારો આવશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકુમાર રોતે ભારપૂર્વક કહ્યું કે, “મારે સમગ્ર દેશના આદિવાસીઓને એટલું જ કહેવું છે કે હવે તમારા બ્લડ સેમ્પલ રાજસ્થાનના મુખ્યમંત્રી અને મદન દિલાવરને મોકલો. જો મદન દિલાવર રાજીનામું નહીં આપે તો ભાજપ તેમને બરતરફ કરે. કેમ કે રાજસ્થાનના શિક્ષણમંત્રીએ સમગ્ર આદિવાસી સમુદાય સામે આરોપ મૂક્યો છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/ramanlal-vora-insulted-tribal-women-activist-in-public"><strong>રમણલાલ વોરાએ આદિવાસી મહિલા કાર્યકરને જાહેરમાં અપશબ્દો કહ્યાં</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 23 Jun 2024 20:39:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>814</Articleid>
                    <excerpt>રાજસ્થાનના શિક્ષણમંત્રીએ દેશના આદિવાસી સમાજનું ઘોર અપમાન કરતું નિવેદન કરતા તેના પડઘા દેશભરમાં પડ્યાં છે. વાંચો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667839f12f3dc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667839f101819.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667839f101819.jpg" length="67851" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>11 દલિત પરિવારોની જમીન જિલ્લા શિક્ષણ અધિકારીએ પડાવી લીધી?</title>
                    <link>https://khabarantar.com/land-of-11-dalit-families-seized-by-district-education-officer</link>
                    <guid>https://khabarantar.com/land-of-11-dalit-families-seized-by-district-education-officer</guid>
                    <description>
                        <![CDATA[ ગ્રામ પંચાયત દ્વારા 11 દલિત પરિવારોને ઘરનું ઘર બનાવવા જમીન ફાળવી હતી. પણ મોકાની એ જમીન પર જિલ્લા શિક્ષણાધિકારી દાનત બગડતા પડાવી લીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારી ધોરણે દલિતોને મળેલી જમીન જો મોકાની હોય, ત્યાં કશીક કોમર્શીયલ એક્ટિવિટી માટે તક હોય તો સવર્ણ અધિકારીઓ અને ગ્રામ પંયાચતમાં બેઠેલા તેમના મળતિયાઓ ભેગાં થઈ જાય છે. પછી કાયદેસર રીતે ભલેને તે જમીન દલિતોની હોય, પણ તેમને તે પડાવી લેવામાં જરાય લાજ શરમ કે કાયદો નડતો નથી. તમારી આપસાસ નજર કરશો તો પણ તમને આવા અનેક ઉદાહરણો મળી આવશે જેમાં ગ્રામ પંચાયતના માથાભારે સવર્ણ લોકો ગરીબ અભણ દલિતને મળેલી સરકારી જમીન ગમે તેમ કરીને પડાવી લેવા માટે મથતા રહેતા હોય. જો આ જમીન વધારે હોય અને તે મોકાની જગ્યાએ આવેલી હોય તો આવા તત્વો તેમાં સરકારમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ કે સ્થાનિક રાજકારણીને તેમાં સામેલ કરીને પણ અંતે પડાવી લેતા હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જેમાં એક ગામમાં 11 દલિત પરિવારોને પોતાનું ઘર બનાવવા માટે સરકારી ધોરણે ગામમાં જમીન ફાળવવામાં આવી હતી. તેના માટે તેમને જરુરી તમામ કાગળો પણ સરકાર તરફથી ફાળવી દેવામાં આવ્યા હતા. પણ જેવું આ દલિત પરિવારોએ અહીં પોતાનું ઘર બનાવવાનું શરૂ કર્યુ કે તરત સરકારના માણસો આવી ગયા અને તેમને આ જમીન તેમની નથી અને તમે ગેરકાયદે અહીં બાંધકામ કરી રહ્યાં છો તેમ કહીને તેમની જમીન પડાવી લીધી હતી અને કામ અટકાવી દીધું હતું. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ જમીનની બાજુમાં જ એક સવર્ણોની કોલોની આવેલી છે અને તે જિલ્લા શિક્ષણાધિકારીની માલિકીની છે. તેમને દલિતો પોતાની સોસાયટીની બાજુમાં આવીને વસે તે પસંદ નહોતું. બીજું કે આ જમીન પર તેમની ખુદની નજર બગડી હતી. તેઓ પોતે જ આ જમીન પર કબ્જો જમાવીને અહીં બીજી કોલોની બનાવવા માંગતા હતા. આથી તેમણે પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને દલિત પરિવારો પાસેથી આ જમીન આંચકી લેવા માટે તંત્રને કામે લગાડ્યું હતું. હવે આ મામલે તમામ 11 દલિત પરિવારો પણ લડી લેવાના મૂડમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/In-Kutchs-Mundra,-the-lands-given-to-Dalits-in-Santhani-6-decades-ago-have-not-been-regularized-yet"><strong>કચ્છના મુંદ્રામાં દલિતોને 6 દાયકા પહેલા સાંથણીમાં મળેલી જમીનો હજુ નિયમિત નથી થઈ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો આદિવાસી સમાજ પર જ્યાં સૌથી વધુ અત્યાચારો થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીં શાજાપુર જિલ્લાના મૂળીખેડા ગામમાં વર્ષ 2019માં 11 દલિત પરિવારનો ઘરનું ઘર બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા જમીન મળી હતી. તેના માટે ગ્રામ પંચાયત દ્વારા જરૂરી દસ્તાવેજો પણ કરી આપવામાં આવ્યા હતા. પણ જ્યારે દલિત પરિવારોએ ઘરનું કામ શરૂ કર્યું કે તરત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા અને તમે અહીં ગેરકાયદે કબ્જો કરી રહ્યાં છો તેમ કહીને તેમના ઘરના બાંધકામ તોડી પાડ્યા હતા. આ મામલે જ્યારે મીડિયામાં રિપોર્ટ આવ્યો અને નાયબ કલેક્ટરને પૂછવામાં આવ્યું તો તેમણે કશું કહેવાનો ઈનકાર કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાદમાં ગામલોકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ દલિતોને મળેલી મોકાની જમીન પોતાના નામે કરી લેવાનું ષડયંત્ર છે. ગ્રામ પંચાયત તરફથી જેમને અહીં જમીન મળી છે તેવા દલિત સમાજના પ્રભુલાલ ભંડોર કહે છે કે, "તેમને જ્યાં જમીન મળી હતી તેની પાસે શાજાપુરના જિલ્લા શિક્ષણાધિકારી વિવેક દુબેની કોલોની આવેલી છે. તેઓ જિલ્લા શિક્ષણાધિકારી હોવા છતાં તેમની કોલોની શંકાસ્પદ છે. હવે તેમની નજર અમારી જમીન પર છે, અને તેને ધ્યાનમાં રાખીને જ જિલ્લા તંત્રે અમને અમારી જ જમીન પરથી દૂર કરી દીધાં છે." હવે આ મામલો જિલ્લા કક્ષાએ ગરમાયો છે, ત્યારે 11 દલિત પરિવારો પણ પોતાના હકની જમીન માટે લડી લેવાના મૂડમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong><strong> <a href="https://khabarantar.com/the-heady-elements-do-not-leave-my-land-despite-the-collectors-order">કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 17 Jun 2024 13:18:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>778</Articleid>
                    <excerpt>ગ્રામ પંચાયત દ્વારા 11 દલિત પરિવારોને ઘરનું ઘર બનાવવા જમીન ફાળવી હતી. પણ મોકાની એ જમીન પર જિલ્લા શિક્ષણાધિકારી દાનત બગડતા પડાવી લીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666fe8bb35376.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666fe8baf403f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666fe8baf403f.jpg" length="99980" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અંબાજીમાં આદિવાસી સમૂહલગ્નઃ માબાપના લગ્નમાં પુત્ર&amp;પૌત્રની હાજરી</title>
                    <link>https://khabarantar.com/adivasi-mass-marriage-in-ambaji-attendance-of-son-grandson-at-parents-wedding</link>
                    <guid>https://khabarantar.com/adivasi-mass-marriage-in-ambaji-attendance-of-son-grandson-at-parents-wedding</guid>
                    <description>
                        <![CDATA[ ગઈકાલે અંબાજી ખાતે ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજના 121 યુગલોના સમૂહલગ્ન યોજાઈ ગયા. આ યુગલોમાં ઘણાં વડીલો પણ હતા. તેની પાછળનું કારણ સમજવા જેવું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત ભારતભરમાં આજની તારીખે પણ સ્ત્રીઓ, દીકરીઓને સૌથી વધુ સ્વતંત્રતા જો કોઈ સમાજમાં મળતી હોય, તો તે આદિવાસી સમાજ છે. કથિત ઉજળિયાત કોમો તેમની બહેન-દીકરીઓ પર જબરજસ્ત નિયંત્રણો લાદીને રાખે છે. ખાસ કરીને લગ્ન બાબતે કથિત સવર્ણ કોમ અત્યંત કટ્ટર રીતે વર્તે છે. તેમની બહેન-દીકરીઓ તેમની મરજી મુજબ જ લગ્ન કરે, ઘરના પુરૂષો જ્યાં નક્કી કરે ત્યાં જ લગ્ન કરે તેવો કડક દુરાગ્રહ સેવવામાં આવે છે. આટલાં કડક બંધનો વચ્ચે પણ જો કોઈ યુવતી અન્ય સમાજના, ખાસ કરીને તેમનાથી કહેવાતી નીચી જાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરી લે તો જાતિવાદી તત્વો તે યુવક અને તેના પરિવારનું ખૂન કરવા સુધીની હદે જતા અચકાતા નથી. નાગરાજ મંજુળેએ ફિલ્મ 'સૈરાટ'માં બતાવ્યું છે તેમ કથિત નીચી જાતિનો યુવક, કથિત ઉચ્ચ જાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કરે તો યુવતીના પરિવારજનો તેનું ખૂન કરતા પણ અચકાતા નથી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666699d439551.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડુંગરી ગરાસિયા સમાજના અનોખી પરંપરા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ આપણો આદિવાસી સમાજ આ બધી બાબતોમાં પણ સદીઓથી કહેવાતા પ્રગતિશીલ સમાજોને રાહ ચીંધે તેવો છે. આદિવાસી સમાજમાં સ્ત્રીઓનું જે માન-સન્માન અને દબદબો હોય છે તેવો બીજા કોઈ સમાજમાં જોવા મળતો નથી. આજેય આદિવાસી દીકરીને તેણે ક્યાં લગ્ન કરવા છે તેનો નિર્ણય તે સ્વયં કરી શકે છે. ખાસ કરીને ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજમાં તો યુવક-યુવતી લગ્ન કર્યા વિના જ આખી જિંદગી સાથે કાઢી નાખે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66669a26498dd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના સંતાનોના પણ સંતાનો થઈ જાય ત્યારે કદાચ મોકો મળે તો લગ્નની પરંપરા નિભાવે છે. વિચારો, કશી જ કોઈ ઔપચારિકતા વિના માત્ર સામેની વ્યક્તિના પ્રેમ અને વિશ્વાસના સહારે આખી જિંદગી તેની સાથે કાઢી નાખવી, આટલો વિશ્વાસ આજના જમાનામાં કોણ કરે? કારમી ગરીબીને કારણે આદિવાસી સમાજમાં અનેક યુગલો વગર લગ્ને પણ જિંદગી પસાર કરી નાખતા હોય છે, પણ સામાજિક પરંપરાની દુહાઈ દેતા લોકોને સમજાવવા માટે તેઓ જતી જિંદગીએ પણ લગ્ન કરતા હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-chandkheda-a-unique-group-marriage-was-held-by-women-breaking-casteism">ચાંદખેડામાં મહિલાઓ દ્વારા પેટાજાતિવાદ તોડતા અનોખા સમૂહલગ્ન યોજાયા</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66669a3ec4196.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા જ એક લગ્ન ગઈકાલે ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજનો ગઢ ગણાતા અંબાજી ખાતે યોજાઈ ગયા. જ્યાં માતાપિતા પરણતા હોય અને તેમના દીકરા-દીકરીઓ તથા પૌત્ર-પૌત્રીઓ હાજર રહ્યાં હોય તેવા અનોખા દ્રશ્યો સર્જાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લગ્નના રિવાજો નહીં પ્રેમ-વિશ્વાસ પર ચાલતો સમાજ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજના યુવક-યુવતીઓ જો એકબીજાને પસંદ હોય તો લગ્ન વિના ઘરસંસાર શરૂ કરી શકે છે. અનેક કિસ્સાઓમાં આવા યુગલોના સંતાનો થઈ જાય પછી લગ્ન થાય છે. જ્યારે તેમના સંતાનોના લગ્ન થાય એ પહેલા માતાપિતાનું પરણવું ફરજિયાત હોવાથી તેઓ લગ્નગ્રંથિથી જોડાતા હોય છે. આથી અહીં એવા લગ્નોની નવાઈ નથી, જ્યાં પહેલા માતાપિતા લગ્નગ્રંથિથી જોડાય અને પછી તેમના સંતાનોના લગ્ન થાય. ક્યારેક તો એવું પણ બને છે કે, દાદા-દાદીના લગ્નમાં </span><span style="font-size: 14pt;">પૌત્રો હાજર હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી સમાજની એક માન્યતા છે કે, પિતા કે દાદા જો લગ્ન કર્યા વિના મૃત્યુ પામે તો તેની બારમાની વિધિમાં સમાજનો કોઈ વ્યક્તિ જાય નહીં. આ મેણું પોતાના માથે ન લાગે તે માટે આદિવાસી સમાજના મોટી ઉંમરના યુગલો પણ લગ્ન કરતા જોવા મળે છે. અંબાજી ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યાત્રાધામ અંબાજી માત્ર આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને કારણે જ નહીં, પરંતુ અહીં વસતા મોજીલા, ખરા અર્થમાં પ્રકૃતિપ્રેમી આદિવાસીઓ માટે પણ જાણીતું છે. "શામળાજીને મેળે રણઝણિયું રે પંજણિયું વાગે..." એ ગીત આપણે સૌએ સાંભળ્યું છે. એ ગીત મોજીલા આદિવાસીઓનો પ્રકૃતિપ્રેમ અને મેળા માટેનો હરખ વ્યક્ત કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/for-the-first-time-in-kutch-a-multi-caste-mass-wedding-will-be-held-by-women-from-the-bahujan-society"><span style="font-size: 14pt;">કચ્છમાં પહેલીવાર બહુજન સમાજની મહિલાઓ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાશે</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66669a6549c40.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રકૃતિ જેટલા જ નિખાલસ આદિવાસી સમાજ માટે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા 8મો સમૂહ લગ્નોત્સવ બે દિવસ પહેલા યોજાઈ ગયો. જેમાં અંબાજી અને તેની આસપાસના આદિવાસી વિસ્તારના 121 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. સમૂહ લગ્ન પહેલા અહીં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ વરઘોડો નીકળ્યો હતો. સમૂહલગ્નને જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલ અને દાંતા સ્ટેટના રાજવીઓએ દીપ પ્રગટાવી ઉદ્ગાઘટન કર્યું હતું. આ સમૂહ લગ્નમાં 121 આદિવાસી યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. નવયુગલોને દોઢથી બે લાખ રૂપિયાની ઘરવખરી પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કુંવારાપણું ભાંગવા લગ્ન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમૂહલગ્નમાં ઘણાં વડીલોએ પણ લગ્ન કર્યા હતા અને તેમના દીકરા-દીકરીઓ તેમના લગ્નના સાક્ષી બન્યા હતા. આદિવાસી સમાજમાં સામાન્ય રીતે યુવકો ગમતી કન્યા સાથે લગ્ન કર્યા વિના જ માત્ર એકબીજાના વિશ્વાસે ઘરસંસાર શરૂ કરી દે છે. પણ જ્યારે તેમના સંતાનો લગ્ન કરવા જાય ત્યારે તેમનું પરણવું ફરજિયાત હોય છે. પછી ભલેને તેમની ઉંમર ગમે તેટલી હોય. ઘણીવાર 80-90 વર્ષના દાદા-દાદી પણ લગ્ન કરતા જોવા મળે છે. વડીલો કુંવારાપણાંનું મેણું ભાંગવા લગ્ન કરે છે અને સૌ તેમાં હોંશેહોંશે ભાગ લે છે. આ સમૂહલગ્નમાં પણ આવા અનેક ઉદાહરણો જોવા મળ્યા હતા.</span></p>
<p>.<img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66669ac23f59c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમૂહલગ્નના આયોજક રાવતાજી ખરાડી કહે છે, એક સમયે રાજાઓના ડરથી આદિવાસી યુવકો તેમની ગમતી કન્યાને લઈને ડુંગરોમાં જતા રહેતા હતા અને ત્યાં જ વસવાટ કરતા અને સંતાનોને જન્મ આપી ઉછેરતા હતા. હવે રાજાશાહી તો છે નહીં, પણ ગરીબી ચોકક્સ છે. અનેક કિસ્સાઓમાં આદિવાસી યુવકો પોતાને ગમતી કન્યાઓ સાથે લગ્ન કરીને સંસાર માંડી શકે તેટલા રૂપિયા ભેગા કરી શકતા નથી, જેથી તેઓ લગ્ન વિના જ ઘરસંસાર શરૂ કરી દેતા હોય છે. પણ તેમના સંતાનોના લગ્ન થાય તે પહેલા તેમના લગ્ન થવા જરૂરી છે, નહીંતર સમાજ તેમને સ્વીકારે નહીં.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66669a94ecf24.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો લગ્ન કર્યા વિના જ યુગલમાંથી કોઈ મૃત્યુ પામે તો સમાજ તેમની બારમાની વિધિમાં પણ હાજર ન રહે અને કાયમનું મ્હેણું રહી જાય. આવું ન થાય તે માટે આવા સમૂહલગ્નોમાં આદિવાસી વડીલો પણ લગ્નગ્રંથિથી જોડાતા હોય છે. આ સમૂહલગ્નમાં પણ આવા અનેક વડીલોએ લગ્ન કર્યા હતા અને તેમના સંતાનોએ હોંશેહોંશે તેમને વધાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/the-first-mass-marriage-program-of-valmiki-samaj-was-held-in-malgarh-disa"><strong>ડીસાના માલગઢમાં વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 10 Jun 2024 11:56:46 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 10 Jun 2024 11:56:32 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>744</Articleid>
                    <excerpt>ગઈકાલે અંબાજી ખાતે ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજના 121 યુગલોના સમૂહલગ્ન યોજાઈ ગયા. આ યુગલોમાં ઘણાં વડીલો પણ હતા. તેની પાછળનું કારણ સમજવા જેવું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666699b97f174.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666699b94c8be.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666699b94c8be.jpg" length="123473" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અનામતના કારણે ભલે તું સરપંચ બન્યો, કામ અમારી મરજી મુજબ થશે...</title>
                    <link>https://khabarantar.com/even-if-you-become-sarpanch-because-of-reservation-the-work-will-be-according-to-our-will</link>
                    <guid>https://khabarantar.com/even-if-you-become-sarpanch-because-of-reservation-the-work-will-be-according-to-our-will</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં અનામત સીટ પર ચૂંટાયેલા સરપંચને માથાભારે તત્વો ધમકી આપે છે કે, &#039;અનામતને કારણે તું ભલે સરપંચ બની ગયો, પણ સરપંચપદું તો અમે જ ચલાવીશું.&quot; ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં એકબાજુ મોદી સરકારની ત્રીજી ટર્મ માટે શપથગ્રહણની તૈયારીઓ ચાલી રહી હતી. એ જ દિવસે દેશના આદિવાસીઓ મહાન ક્રાંતિકારી ધરતી આબા બિરસા મુંડાની જન્મજયંતિ પર તેમન યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા. તો ત્રીજી તરફ એક આદિવાસી સરપંચને તેમની માથાભારે તત્વો હેરાન કરીને અપહરણ કરી જવાની ધમકી આપતા હતા. બે દિવસ પહેલા એક વાલ્મિકી સમાજના સરપંચને જાતિવાદીઓએ ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. એ પછી તેમણે ગામ છોડીને અન્ય જગ્યાએ રહેવા જતા રહેવું પડ્યું હતું. આ ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં એક આદિવાસી સમાજની અનામત સીટ પર ચૂંટાઈને આવેલા સરપંચનું અપહરણ કરી, માર મારી, ધાક-ધમકી આપી જાતિવાદી તત્વોએ તેમને પોતાની મરજી પ્રમાણે કામ કરવા દાટી મારી છે. સરપંચે જો કે, આ મામલે માથાભારે તત્વોનો સામનો કર્યો છે અને તેમની સામે પોલીસ, કલેક્ટર સહિતના અધિકારીઓને ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. છતાં માથાભારે તત્વો કોઈને ગાંઠતા નથી. જાતિવાદી તત્વોએ આદિવાસી વ્યક્તિ સરપંચ બન્યા ત્યારથી તેમને હોદ્દા પરથી દૂર કરવા માટે સતત મથી રહ્યાં છે. અગાઉ પણ તેમણે સરપંચને ધાક-ધમકી આપીને તેમની ઈચ્છા મુજબ કામ કરવા ધમકી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસી સરપંચને માથાભારે તત્વોની હેરાનગતિ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના ગીલા રોપા ગામનો છે. અહીં માથાભારે જાતિવાદી તત્વોએ ગામના આદિવાસી સરપંચ સાથે મારામારી કરી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે અનુસૂચિત જનજાતિ સમાજની અનામત સીટ હતી. જેના પર સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા આદિવાસી યુવકને ગામના માથાભારે તત્વો પોતાના તાબા હેઠળ કામ કરવા માટે મજબૂર કરવા માંગતા હતા, આ લોકો ઈચ્છતા હતા કે પંચાયતનો વહીવટ તેમની મરજી પ્રમાણે ચાલવો જોઈએ. પણ આદિવાસી સરપંચે ઈનકાર કરી દેતા તેઓ તેને હેરાન કરવા લાગ્યા હતા. કેટલાક લોકોએ આદિવાસી સરપંચ કામ નથી કરતા તેવો આરોપ લગાવીને તેમના પર હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. એ પછી માથાભારે તત્વોએ સ્થાનિક નેતાની મદદથી જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરીને આદિવાસી સરપંચ દ્વારા ગામમાં શરૂ કરવામાં આવેલા વિવિધ વિકાસ કામોને અટકાવી દીધા હતા. માથાભારે તત્વો આદિવાસી સરપંચના ઘરે આવીને તેમને ધમકીઓ આપે છે કે, 'અનામતના કારણે ભલે સરપંચપદે તું ચૂંટાઈને આવ્યો હોય, પરંતુ સરપંચપદું તો અમે જ ચલાવીશું, અને એ પ્રમાણે જ કામ થશે.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણ મહિના પહેલા પણ માર માર્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગીલા રોપા ગ્રામ પંચાયતના આદિવાસી સરપંચ પહાડસિંહ કહે છે, "ગામના સુનીલ કટારિયા અને અજબસિંહ કટારિયા મને ધમકીઓ આપે છે કે, સરપંચ ભલે તું હોય, પણ સરપંચપદું તો અમે જ ચલાવીશું અને તારે અમે કહીએ તે પ્રમાણે જ કામ કરવું પડશે. પણ હું તેમને તાબે થયો નહોતો. એટલે તેમણે ત્રણ મહિના પહેલા પહેલીવાર મારા પર હુમલો કર્યો હતો અને મને માર માર્યો હતો. હવે સ્થાનિક નેતાઓની મદદથી તેમણે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરીને ગામના વિકાસ બધાં જ કામોને અટકાવી દીધા છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહાડ સિંહ કહે છે, "આ લોકો મને મારા ઘરે આવીને ધમકાવે છે, ડરાવે છે અને કહે છે કે, અનામતને કારણે ભલે તું સરપંચ બની ગયો હો, પણ કામ તો અમારી મરજી પ્રમાણે જ થશે, સરપંચપદું તો અમારું જ ચાલશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે પહાડ સિંહે જિલ્લા કલેક્ટર, ડીડીઓને લેખિત અરજી કરીને સરપંચપદું છીનવી લેનારા માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/sarpanch-and-panchayat-members-will-be-held-responsible-if-child-marriage-takes-place-in-the-village">ગામમાં બાળ લગ્ન થશે તો સરપંચ અને પંચાયતના સભ્યો જવાબદાર ગણાશે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666683fc5aafd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ</span><span style="font-size: 14pt;">હાડ સિંહ આગળ કહે છે, "પહેલીવાર 29 ફેબ્રુઆરી 2024ના રોજ સુનીલ કટારિયા અને રાજપાલ કટારિયાને બહાદુરપુરથી મારું અપહરણ કર્યું હતું અને મારી સાથે મારામારી કરી હતી. બાદમાં મારા પરિવારજનોએ મને છોડાવ્યો હતો. આ મામલે મેં 1 માર્ચના રોજ બહાદુરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલામાં સમાધાન કરવા માટે પણ માથાભારે તત્વો સતત મને ધમકી આપતા રહે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહાદુરપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરવિંદ સિંહ કછવાહ કહે છે કે, "સરપંચ પહાડ સિંહની ફરિયાદના આધારે પહેલા જ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આરોપીઓ વિરુદ્ધ મારામારી, ગાળાગાળી કરવી અને ધમકી આપવાની સાથે એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ લોકો હાલ જામીન પર બહાર છે. જો હજુ પણ તેઓ ધમકી આપી રહ્યાં છે, તો અમે નિયમાનુસાર કાર્યવાહી કરીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આદિવાસીઓ પર અત્યાચાર મામલે મધ્યપ્રદેશ પહેલા ક્રમે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હજુ ગઈકાલે જ ધરતી આબા બિરસા મુંડાની જન્મજયંતિ ગઈ. અપેક્ષા એવી હોય કે આઝાદીના 75 વર્ષ પછી તો આદિવાસી સમાજ પર હુમલાઓ, મારામારી ઘટે અને તેમને તેમના બંધારણીય હકો મુજબ જીવન જીવવાનો હક મળે. પણ એવું થઈ રહ્યું નથી. દેશભરમાં આજે પણ આદિવાસી સમાજ પર અત્યાચારોનો સિલસિલો યથાવત છે અને તેમાં મધ્યપ્રદેશ પહેલા નંબરે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ મુજબ વર્ષ 2022માં આદિવાસીઓ પર અત્યાચારની 2979 ઘટનાઓ સામે આવી હતી. જે ગત વર્ષના ગુનાઓની સરખામણીએ 13 ટકા વધુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં મધ્યપ્રદેશ આદિવાસીઓ પર અત્યાચારો મામલે ટોચ પર રહેલું છે. બીજા ક્રમે 2521 મામલાઓ સાથે રાજસ્થાન બીજા અને 742 ઘટનાઓ સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/a-headstrong-sarpanch-broke-into-a-dalit-womans-house-at-midnight-and-broke-her-arm"><strong>માથાભારે સરપંચે મધરાતે દલિત મહિલાના ઘરમાં ઘૂસીને હાથ ભાંગી નાખ્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 10 Jun 2024 10:15:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>743</Articleid>
                    <excerpt>એક ગામમાં અનામત સીટ પર ચૂંટાયેલા સરપંચને માથાભારે તત્વો ધમકી આપે છે કે, &#039;અનામતને કારણે તું ભલે સરપંચ બની ગયો, પણ સરપંચપદું તો અમે જ ચલાવીશું.&quot;</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666683fd01082.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666683fcc6d50.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666683fcc6d50.jpg" length="72535" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સતત હિંસાની આગમાં સળગતા રહેલા મણિપુરમાં ભાજપના સૂપડાં સાફ</title>
                    <link>https://khabarantar.com/in-manipur-which-is-burning-in-the-fire-of-continuous-violence-bjps-soup-is-clean</link>
                    <guid>https://khabarantar.com/in-manipur-which-is-burning-in-the-fire-of-continuous-violence-bjps-soup-is-clean</guid>
                    <description>
                        <![CDATA[ છેલ્લાં એક વર્ષથી જાતિગત હિંસામાં સળગી રહેલા મણિપુરમાં સત્તાધારી ભાજપનું લોકસભા ચૂંટણીમાં પત્તું સાફ થઈ ગયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે ગયા વર્ષે જૂન 2023માં શરૂ થયેલી જાતિગત હિંસા એક વર્ષ કરતા પણ વધુ સમય સુધી ચાલી હતી. અહીં કેન્દ્ર સરકાર બધું જાણતી હોવા છતાં કોઈ પગલાં ન લીધાં, યોગ્ય રીતે હસ્તક્ષેપ ન કર્યો, મેઈતેઈ સમાજના મુખ્યમંત્રીએ કુકી આદિવાસીઓને હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. જેના કારણે મેઈતેઈ સમાજ બેફામ થઈ ગયો હતો અને કુકીઓને ભયંકર રીતે હેરાન કર્યા હતા. કુકી સમાજની બે મહિલાઓની અહીં નગ્ન પરેડ કરાવાઈ હતી, તેમ છતાં કેન્દ્ર સરકાર યોગ્ય કાર્યવાહી ન કરી, વડાપ્રધાન કાયમની જેમ આ બાબતે પણ મૌન રહ્યાં. આ બધાં કારણોસર અહીં લોકસભા ચૂંટણીમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થઈ હયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મણિપુરમાં લોકસભાની બે બેઠકો છે- આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર. આ બંને બેઠકો પર ભાજપની ભૂંડી રીતે હાર થઈ છે. મંગળવારે 4 જૂને જાહેર કરાયેલા લોકસભાના પરિણામોમાં અહીં કોંગ્રેસે જીત મેળવી છે. આંતરિક મણિપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અંગોમચા બિમોલ અકોઈજામને 3,74,017 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર થૌનાઓજમ બસંત કુમાર સિંહ માત્ર 2,64,216 મતો મેળવીને હારી ગયા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે બહારની મણિપુર સીટ પર કોંગ્રેસના આલ્ફ્રેડ કાન-નગામ આર્થરને કુલ 3,84,954 વોટ મળ્યા, જ્યારે પ્રાદેશિક પાર્ટી નાગા પીપલ્સ ફ્રન્ટના ઉમેદવાર કાચુઈ ટીમોથી ઝિમિક 2,99,536 મત મળતા હારી ગયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિકોનું કહેવું છે કે, આ લોકોની જીત છે અને મણિપુરના લોકોને તેનાથી સંતોષ છે. અમે શાંતિ માટે મત આપ્યો હતો. મણિપુરમાં ભાજપની સત્તા છે અને તેના મુખ્યમંત્રી એન.બિરેન સિંઘ મેઈતેઈ સમાજમાંથી આવતા હોવાથી તેમણે કુકી આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં કશું પણ બાકી નહોતું રાખ્યું. તેઓ રાજ્યની શાંતિ માટે વિચારવાને બદલે મેઈતેઈ સમાજ તરફી કુણું વલણ દાખવીને કુકીઓના હકો પર તરાપ મારી રહ્યા હતા. હિંસા દરમિયાન તેઓ નિષ્ક્રિય થઈ ગયા હતા. અસંતોષ, અસુરક્ષા, પીડા અને અશાંતિના વાતાવરણમાં લોકોએ વિપક્ષને સમર્થન આપીને સંદેશો આપ્યો છે કે તેઓ હવે શાંતિ અને સમૃદ્ધિના તેમના જૂના દિવસોમાં પરત ફરવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કી સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તાર ચુરાચંદપુરના એક સામાજિક કાર્યકર કહે છે, "અમારા અધિકારોનું રક્ષણ કરવા માટે અમને લોકો તરફથી આદેશ મળ્યો છે. બિનસાંપ્રદાયિકતા જાળવી રાખવામાં આવી છે અને વાણી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતા ફરી પ્રાપ્ત થઈ છે. હવે રાજ્યમાં ભાજપને અમારા અસ્તિત્વનો અહેસાસ થશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Manipur-violence,-Soma-Laishram,-and-football:-Lets-erase-the-streak"><strong>મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 07 Jun 2024 11:21:32 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 07 Jun 2024 11:24:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>730</Articleid>
                    <excerpt>છેલ્લાં એક વર્ષથી જાતિગત હિંસામાં સળગી રહેલા મણિપુરમાં સત્તાધારી ભાજપનું લોકસભા ચૂંટણીમાં પત્તું સાફ થઈ ગયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66629fca7c7a8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66629fca49cf1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66629fca49cf1.jpg" length="120879" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>યુવકને 3 દિવસ બાંધીને પેશાબ પીવડાવ્યો, ઘાઘરો પહેરાવી ગામમાં ફેરવ્યો</title>
                    <link>https://khabarantar.com/the-young-man-was-tied-up-and-made-to-drink-urine-for-3-days-dressed-in-ghaghra-and-taken-to-the-village</link>
                    <guid>https://khabarantar.com/the-young-man-was-tied-up-and-made-to-drink-urine-for-3-days-dressed-in-ghaghra-and-taken-to-the-village</guid>
                    <description>
                        <![CDATA[ આપણી કલ્પનામાં પણ ન આવે તેવા અત્યાચારો ક્યારેક પોતાના જ લોકો નિર્દોષ વ્યક્તિ સાથે કરતા હોય છે. આ ઘટના કંઈક આવી જ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકવીસમી સદીના વિકસિત ભારતમાં દલિતો, આદિવાસીઓ અને ભટકતું જીવન ગાળતા સમાજ પર અત્યાચારની જે ઘટનાઓ બને છે તે આપણને વિચારતા કરી મૂકી તેવી છે. ખાસ કરીને હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યો, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કથિત નીચી ગણાતી જાતિના લોકો સાથે થતા અત્યાચારની વાત કરતા પણ ક્યારેક કંપારી છુટી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો રખડતું-ભટકતું જીવન ગાળતા વણઝારા સમાજનો છે અને એ પણ આંતરિક છે. એક વણઝારા યુવકને તેના જ સમાજના લોકોએ પકડીને બાંધી દીધો અને પછી પેશાબ પીવડાવ્યો, માથું મુંડાવ્યું અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી આખા ગામમાં ફેરવ્યો હતો. આ ઘટનાથી યુવક એટલો આઘાતમાં આવી ગયો કે તેણે પોલીસમાં ફરિયાદ કરી છે કે, જો મને ન્યાય નહીં મળે તો હું આત્મહત્યા કરી લઈશ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશના ગુના વિસ્તારનો છે. અહીં વણઝારા સમાજના એક વ્યક્તિ સાથે અમાનવીય અત્યાચારની એક અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. યુવકના સંબંધીઓએ મહેન્દ્રસિંહ નામના આ વ્યક્તિને ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યો હતો. એ દરમિયાન તેને પેશાબ પીવડાવીને જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો, માથું મુંડાવીને તેનું મોં કાળું કરવામાં આવ્યું. એ પછી તેને ઘાઘરો પહેરાવીને આખા ગામમાં ફેરવવામાં આવ્યો. આ આખી ઘટનાનો આરોપીઓએ વીડિયો બનાવીને વાયરલ કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-dalit-student-jumped-off-the-roof-after-being-discriminated-against-in-a-hostel">દલિત વિદ્યાર્થિની સાથે હોસ્ટેલમાં ભેદભાવ થતાં ધાબા પરથી કૂદી ગઈ</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6656b1da2663a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત યુવક મહેન્દ્ર વણઝારાના જણાવ્યા પ્રમાણે તે ગામમાં નાનુંમોટું કામ કરે છે. અહીંના ફતેહગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સેનબોટ ચોક પર સૌદાન સિંહ, ગુમાન સિંહ, ઓમકાર સિંહ વણઝારાએ તેનું અપહરણ કરી લીધું હતું. એ પછી તેને રાજસ્થાનના અટરુ, ઝાલાવાડમાં લઈ જવાયો. જ્યાં બદન વણઝારા, છોટૂ, રમેશ, તોફાન, પ્રેમ, ગેંદા, કાલુરામ, ગુલાબ અને મથુરીબાઈએ માર માર્યો. એ પછી તેને પેશાબ પીવડાવવામાં આવ્યો, જૂતાની માળા પહેરાવીને માથું મુંડાવી દેવામાં આવ્યું. મોં કાળું કરીને ઘાઘરો પહેરાવવામાં આવ્યો અને પછી ગામમાં ફેરવવામાં આવ્યો. પીડિત મહેન્દ્રનું કહેવું છે કે, આ ઘટનાથી તે એટલો હતપ્રભ થઈ ગયો છે કે તે ઘરની બહાર પણ નીકળવામાં શરમ અનુભવે છે. જો આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવતીના વાંકે યુવક સાથે બર્બરતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત મહેન્દ્રનું કહેવું છે કે, તેની સાથેની બર્બરતાનો વીડિયો બનાવીને રૂ. 25 લાખની માંગ કરવામાં આવી હતી. પણ આખરે 20 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો ત્યારે જતાં આરોપીઓએ ત્રણ દિવસ બાદ તેને છોડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે મહેન્દ્રના કાકાની દીકરીના લગ્ન રાજસ્થાનમાં રમેશ વણઝારા સાથે થયા હતા. રમેશ અને તેના પરિવારજનો દીકરીને માર મારતા હતા એટલે તે સાસરિયું છોડીને ભાગી ગઈ હતી. એ વાતથી નારાજ થઈને આરોપીઓએ તેના કાકાના દીકરા મહેન્દ્રનું અપહરણ કરી લીધું અને ગોંધી રાખ્યો. પછી લગ્નમાં થયેલા ખર્ચ ઉપરાંત વધારાનો દંડ ઉમેરીને રૂ. 25 લાખની માંગણી કરી હતી. અંતે જેમતેમ કરીને 20 લાખમાં મામલો સેટલ કરવામાં આવ્યો હતો અને મહેન્દ્રને છોડી મૂકવામાં આવ્યો. સાથે જ ત્રણ દિવસની અંદર તમામ રકમ ચૂકવવા માટેની શરત રખાઈ હતી. જો કે મહેન્દ્ર સાથેના બર્બરતાપૂર્ણ અત્યાચારની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દેશભરમાં હોબાળો મચી ગયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પોલીસ અધિકારી સંજીવકુમાર સિંહાએ જણાવ્યું હતું કે, પીડિતે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુનેગારો રાજસ્થાનના રહેવાસી છે. વાયરલ વીડિયો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને ઝડપથી પકડી લેવામાં આવશે. મામલાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/when-a-dalit-woman-went-to-a-public-well-manuwadi-beat-her-and-tore-her-blouse"> <strong>દલિત મહિલા જાહેર કૂવા પાસે ગઈ તો મનુવાદીએ માર મારી બ્લાઉઝ ફાડી નાખ્યું</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 May 2024 10:15:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>677</Articleid>
                    <excerpt>આપણી કલ્પનામાં પણ ન આવે તેવા અત્યાચારો ક્યારેક પોતાના જ લોકો નિર્દોષ વ્યક્તિ સાથે કરતા હોય છે. આ ઘટના કંઈક આવી જ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6656b174cc51d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6656b1749d46f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6656b1749d46f.jpg" length="53121" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટી એક્ટ જાહેર સ્થળે થતા ગુનામાં જ લાગુ થશે અલ્હાબાદ હાઈકોર્ટ</title>
                    <link>https://khabarantar.com/atrocities-act-will-be-applicable-only-in-crimes-committed-in-public-places-allahabad-high-court</link>
                    <guid>https://khabarantar.com/atrocities-act-will-be-applicable-only-in-crimes-committed-in-public-places-allahabad-high-court</guid>
                    <description>
                        <![CDATA[ એટ્રોસિટી એક્ટ જેવા દલિત-આદિવાસી સમાજના આધારસ્તંભ જેવા કાયદા સામે અલાહાબાદ હાઈકોર્ટે સંભળાવેલો આ ચૂકાદો બીજા અનેક વમળો સર્જશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯, જેને સામાન્ય રીતે એસસી-એસટી એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તેને લઈને ઉત્તરપ્રદેશની અલાહાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે એક મુખ્ય આદેશ જારી કરીને કહ્યું કે ઈરાદાપૂર્વક અપમાનનું કથિત કૃત્ય એસસી-એસટી એક્ટ હેઠળનો ગુનો તો જ ગણાશે જો તે સાર્વજનિક સ્થળે કરવામાં આવે. આ સાથે જ કોર્ટે અરજદાર પિન્ટુ સિંહ અને અન્ય બે લોકોની અરજીને આંશિક રીતે સ્વીકારી અને એસસી-એસટી એક્ટના સંબંધમાં તેમની સામેનો કેસ રદ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">અરજદાર પિન્ટુ કુમાર અને અન્ય બે લોકો સામે નવેમ્બર ૨૦૧૭માં ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને એસસી-એસટી એક્ટની કલમ ૩(૧)(ઈ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કેસમાં આરોપ એવો હતો કે આરોપીએ ફરિયાદીના ઘરમાં ઘૂસીને તેના પર જાતિ આધારિત અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને તેને અને તેના પરિવારને માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-complete-understanding-of-the-atrocities-act-social-justice-warriors-take-it-easy">એટ્રોસિટી એક્ટની સંપૂર્ણ સમજઃ સામાજિક ન્યાયના યોદ્ધાઓ આટલું મોઢે કરી લો</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_665023d6649ba.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે ગુનો ફરિયાદીના ઘરની અંદર થયો હતો. આ કોઈ સાર્વજનિક સ્થળ નથી અને સામાન્ય લોકોએ આ ઘટના જોઈ નથી. </span><span style="font-size: 14pt;">વકીલે કહ્યું કે આ કારણોસર આ કેસમાં એસસી-એસટી કાયદા હેઠળ કોઈ ગુનો નોંધાયો નથી. અરજદારના વકીલે કહ્યું કે એસસી-એસટી એક્ટ હેઠળનો કેસ ત્યારે જ બને છે જ્યારે જાહેરમાં કોઈ વ્યક્તિનું જાણી જોઈને અપમાન કરવામાં આવે છે. તે જ સમયે, સરકારી વકીલે આ દાવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. જો કે, વકીલે કહ્યું કે આ ઘટના ફરિયાદીના ઘરની અંદર બની હોવાથી તેને નકારી શકાય નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટને ફરિયાદીના નિવેદન અને એફઆઈઆર પરથી જાણવા મળ્યું કે જે જગ્યાએ ઘટના બની હતી ત્યાં કોઈ બહારની વ્યક્તિ હાજર ન હતી. એ પછી કોર્ટે પોતાનો આદેશ આપ્યો અને કહ્યું કે એસસી-એસટી એક્ટની કલમ ૩(૧) હેઠળ તે જરૂરી છે કે ગુનો સાર્વજનિક સ્થળે કરવામાં આવ્યો હોય. અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસને રદબાતલ કરતા જસ્ટિસ વિક્રમ બી. ચૌહાણે કહ્યું કે જો, ગુનો સામાન્ય લોકોની સામે કરવામાં આવ્યો હોય તો એસસી-એસટી એક્ટની જોગવાઈઓ લાગુ થશે, પરંતુ આ કેસમાં આવું થયું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-do-the-accused-get-away-with-such-a-strong-atrocity-law">એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 24 May 2024 11:18:46 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 16 Nov 2024 09:05:14 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>657</Articleid>
                    <excerpt>એટ્રોસિટી એક્ટ જેવા દલિત-આદિવાસી સમાજના આધારસ્તંભ જેવા કાયદા સામે અલાહાબાદ હાઈકોર્ટે સંભળાવેલો આ ચૂકાદો બીજા અનેક વમળો સર્જશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_665023d7192ea.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_665023d6dc98f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_665023d6dc98f.jpg" length="101300" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનની વચગાળાની જામીન અરજી ફગાવી</title>
                    <link>https://khabarantar.com/the-supreme-court-rejected-hemant-sorens-interim-bail-plea</link>
                    <guid>https://khabarantar.com/the-supreme-court-rejected-hemant-sorens-interim-bail-plea</guid>
                    <description>
                        <![CDATA[ ઝારખંડના પૂર્વ આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. વાંચો શા માટે આવું થયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની વચગાળાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે અરજી ફગાવી દેતા ઝારખંડના પૂર્વ સીએમનું કેજરીવાલની જેમ જામીન મેળવવાનું સપનું રોળાયું છે. હેમંત સોરેન હાલમાં જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ મામલે રાંચીની જેલમાં બંધ છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વકીલ કપિલ સિબ્બલને કહ્યું કે, અમે જામીન અરજીને મંજૂરી ન આપી શકીએ તેથી તમે પોતે જ અરજી પાછી ખેંચી લો. જેના પર વકીલે સુપ્રીમ કોર્ટના આદેશનો સ્વીકાર કરીને અરજી પાછી ખેંચી લીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરતા કહ્યું કે અરજદાર દ્વારા જામીન અરજીમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે, ટ્રાયલ કોર્ટે આ કેસમાં ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું હતું. ત્યારબાદ હેમંત સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, અમે વચગાળાના જામીનની માગ કરતી અરજી પાછી ખેંચીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનની જામીન અરજી પર ટિપ્પણી કરતા કહ્યું કે કોર્ટમાં એક સાથે બે માગણીઓ કરવામાં આવી છે. પ્રથમ માગ વચગાળાના જામીનની છે અને બીજી માગમાં ધરપકડને પડકારવામાં આવી છે. આ દરમિયાન ઈડીએ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરતા કહ્યું કે જો હેમંત સોરેનને ચૂંટણી પ્રચાર માટે જામીન મળશે તો જેલમાં બંધ તમામ નેતાઓ જામીનની માગ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડના પૂર્વ સીએમની જામીન અરજીમાં સીએમ અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી રાહતનો હવાલો આપવામાં આવ્યો હતો. તેમણે પોતાની અરજીમાં આવી જ રીતે જામીન આપવાની અપીલ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરતા અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો આરોપ છે કે, હેમંત સોરેને રાંચીમાં ગેરકાયદેસર રીતે ૮.૮૬ એકર જમીન અધિગ્રહણ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/If-you-dare-give-proof-of-the-scandal,-I-will-leave-politics-Hemant-Sorens-open-challenge-in-Jharkhand-Assembly">હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 23 May 2024 11:30:17 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 01 Jun 2024 21:10:46 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>652</Articleid>
                    <excerpt>ઝારખંડના પૂર્વ આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. વાંચો શા માટે આવું થયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665b40f639c71.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665b40f60caa8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665b40f60caa8.jpg" length="53070" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>44 હજાર દલિત&amp;આદિવાસીઓના હકના 1140 કરોડ ક્યાં ખવાઈ ગયા?</title>
                    <link>https://khabarantar.com/1140-crores-of-rights-of-44-thousand-dalit-tribals-have-been-wasted</link>
                    <guid>https://khabarantar.com/1140-crores-of-rights-of-44-thousand-dalit-tribals-have-been-wasted</guid>
                    <description>
                        <![CDATA[ એક સ્વૈચ્છિક સંસ્થાના તારણ પ્રમાણે છેલ્લાં 8 વર્ષમાં ભારતમાં દલિત અને આદિવાસી સમાજના 44 હજારથી વધુ પીડિતો તેમના હકની 1140 કરોડની સહાયથી વંચિત રહી ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં દલિતો-આદિવાસીઓ પર અત્યાચાર થાય છે. જેમને જાતિસૂચક ગાળો આપવાથી લઈને માર મારવો, અમાનવીય અત્યાચાર ગુજારવો કે ઘર-ગામ છોડીને હિજરત કરવા મજબૂર કરાતા હોય છે. કાયદાકીય જોગવાઈ મુજબ તેમને સરકાર દ્વારા વળતર આપવાનું હોય છે. પણ બહુમતી કિસ્સામાં તે મળતું નથી, અથવા તો નિયત રકમ કરતા ઓછું વળતર આપવામાં આવે છે. એક સામાજિક સંસ્થાના રિસર્ચમાં સામે આવ્યું છે કે ભારતભરમાં આવા 44 હજારથી વધુ પીડિતો છે અને તેઓ અધધધધ...1140 કરોડ રૂપિયાની તાત્કાલિક સહાયની રકમથી વંચિત રહી ગયા છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે આ આંકડો આનાથી વધુ હોઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિટીજન્સ વિજિલન્સ એન્ડ મોનિટરીંગ કમિટી(CVMC) ચેન્નાઈના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે વર્ષ 2015થી લઈને 2022 સુધીના સમયગાળામાં એસસી એસટી એક્ટ અંતર્ગત પીડિતોને તાત્કાલિક કરવામાં સહાયની રકમના 1140 કરોડ રૂપિયા નથી આપવામાં આવ્યા. જ્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના વાર્ષિક રિપોર્ટ મુજબ છેલ્લાં 8 વર્ષના આ સમયગાળામાં એસસી-એસટી એક્ટ અંતર્ગત હત્યા, બળાત્કાર અને આગચંપીના 44,377 કેસો નોંધાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, એસસી એસટી એક્ટ અંતર્ગત થયેલી ફરિયાદોમાં પીડિતો અને તેમના આશ્રિતોને તાત્કાલિક સહાય માટેની પહેલેથી જોગવાઈ છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ આંબેડકર રાષ્ટ્રીય રાહત યોજના (ડેનવાસ) નામની યોજના પૂર્વની સરકાર દ્વારા કરવામાં આવેલી સમીક્ષા પછી બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પીડિત પરિવારને તાત્કાલિક સહાયની રકમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો યોગદાન 50-50 ટકા હોય છે. પણ સમીક્ષામાં ખ્યાલ આવ્યો હતો સહાયની રકમ પીડિતો સુધી પહોંચતી નથી રહી. કેમ કે રાજ્યોનો દાવો હતો કે તેમની પાસે આ પીડિતોને સહાય આપવા માટે પૈસા નથી. આ નવી યોજના અંતર્ગત કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના ડો. આંબેડકર ફાઉન્ડેશન નામની સ્વાયત્ત સંસ્થાને પીડિતો માટે તાત્કાલિક સહાય રકમ મંજૂર કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2015 માં હરિયાણાના ફરિદબાદ જીસ્સાના વલ્લભગઢમાં એક દલિત પરિવારનું ઘર કથિત ઊંચી જાતિના લોકોએ સળગાવી દીધું હતું. આ ઘટનામાં બે બાળકોના મોત થયા હતા. આવી હત્યાની ઘટનામાં જો મૃતક પરિવારનો કમાનાર સભ્ય હોય તો પાંચ લાખ રૂપિયા અને કમાતો ન હોય તો બે લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે. એ જ રીતે બળાત્કાર અને આગના મામલામાં આ રકમ અનુક્રમે 2 લાખ અને 3 લાખ રૂપિયા હતી. જ્યારે કાયમી અપંગતાના મામલામાં પીડિતના પરિવારનો કમાનાર સભ્ય હોય તો 3 લાખ રૂપિયા અને કમાનાર ન હોવાની સ્થિતિમાં 1.5 લાખ રૂપિયાની સહાયની જોગવાઈ હતી. જો કે આમાં શરત એ હતી કે તમામ કેસો એસસી એસટી એક્ટ અંતર્ગત નોંધાવા જોઈએ અને સહાયની રકમ પ્રાપ્ત કરવા માટે આવેદનપત્રની સાથે એફઆઈઆરની કોપીની સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મેડિકલ સર્ટિફિકેટની કોપી અને સંબંધિત મામલાને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોકલવો જરૂરી હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો અને ડો. આંબેડકર ફાઉન્ડેશનના વાર્ષિક રિપોર્ટ અને સંસદમાં પૂંછવામાં આવેલા એક પ્રશ્નના જવાબના રિસર્ચ પરથી સીવીએમસીના બે સંશોધકો દીપ્તિ સુકુમાર અને ગીતા વાણીએ જોયું કે વર્ષ 2015 થી 2020ની વચ્ચે જેમને સહાય મળવાપાત્ર હતી તેવા પીડિતોમાંથી ફક્ત 2 ટકાને જ સહાયની રકમ મળી હતી. એમાં પણ વચ્ચે વર્ષ 2021 અને 2022માં લાભાર્થીઓનો આંકડો ઉપલબ્ધ નહોતો. તેથી તેણે આ સંખ્યાને ગયા વર્ષોના સરેરાશના આધારે 50 પીડિત પ્રતિ વર્ષ માનીને ગણતરી કરી હતી. સુકુમાર અને વાણીના રિસર્ચમાંથી એ પણ સામે આવ્યું કે કમ સે કમ 44 હજાર એસસી એસટી પીડિતો 1140 કરોડની તાત્કાલિક સહાયની રકમથી વંચિત રહી ગયા છે. આ આકલન વાસ્તવિક આંકડાઓથી ઓછું હોઈ શકે છે કેમ કે, એનસીઆરબીના વાર્ષિક રિપોર્ટમાં વિકલાંગોના મામલાઓમાં આવો કોઈ ડેટા ઉપલબ્ધ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Did-the-upper-classes-build-flats-by-taking-crores-of-government-land-in-the-name-of-dalit-tribals">દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 13 May 2024 11:43:13 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 13 May 2024 11:53:53 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>611</Articleid>
                    <excerpt>એક સ્વૈચ્છિક સંસ્થાના તારણ પ્રમાણે છેલ્લાં 8 વર્ષમાં ભારતમાં દલિત અને આદિવાસી સમાજના 44 હજારથી વધુ પીડિતો તેમના હકની 1140 કરોડની સહાયથી વંચિત રહી ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6641aef3ac532.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6641aef379cef.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6641aef379cef.jpg" length="64932" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઝારખંડની આદિવાસી દીકરી સલીમા ટેટે બની ભારતીય હૉકી ટીમની કેપ્ટન</title>
                    <link>https://khabarantar.com/salima-tete-a-tribal-daughter-of-jharkhand-became-the-captain-of-the-indian-hockey-team</link>
                    <guid>https://khabarantar.com/salima-tete-a-tribal-daughter-of-jharkhand-became-the-captain-of-the-indian-hockey-team</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી સમાજ માટે લાપશીના આંધણ મૂકવા જેવા સમાચાર આવ્યા છે. આદિવાસી પરિવારની એક દીકરી ભારતીય હોકી ટીમની કેપ્ટન બની છે ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા દિવસ પહેલા વર્ષ 2023 માટે પ્લેયર ઓફ ધ યર માટે પ્રતિષ્ઠિત હોકી ઈન્ડિયા બલબીર સિંહ સીનિયર પુરસ્કાર મેળવનારી ઝારખંડની આદિવાસી સમાજની દીકરી સલીમા ટેટેને ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. એપઆઈ પ્રો લીગ માટે 24 સભ્યોની ભારતીય મહિલા હોકી ટીમની જાહેરાત કરવાની સાથે જ તેની કમાન સલીમા ટેટેના હાથમાં સોંપી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સલીમા આદિવાસી સમાજમાંથી આવે છે અને તેણે અહીં સુધી પહોંચવા માટે ભારે સંઘર્ષ કર્યો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ઝારખંડમાંથી મહિલા હોકીમાં સતત આ રાજ્યના ખેલાડીઓને દબદબો બનેલો છે. આ વખતે પણ ભારતીય મહિલા હોકી ટીમમાં ઝારખંડમાંથી ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં સલીમા ટેટે ઉપરાંત  સંગીતાકુમારી, દીપિકા સોરેંગ અને નિક્કી પ્રધાનનું નામ સામેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/A-tribal-woman-who-acted-like-Dashrath-Manjhi">એક આદિવાસી મહિલા, જેણે દશરથ માંઝી જેવું કામ કરી બતાવ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6639ccdb92c12.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય મહિલા હોકી ટીમ બેલ્જિયમ અને ઈંગ્લેન્ડ સામે 22 મેથી 9 જૂન વચ્ચે મેર રમશે. ટીમ પહેલા 22 થી 26 મે સુધી બેલ્જિયમનો પ્રવાસ કરશે, અને પછી 1 જૂનથી 9 જૂન વચ્ચે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ઉલ્લેખનીય છે કે, મહિલા હોકી ટીમની નવી કેપ્ટન સલીમા ટેટે ઝારખંડના સિમડેગા જિલ્લાની રહેવાસી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે સલીમા ટેટે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">22 વર્ષી સલીમા ટેટેનો જન્મ ઝારખંડના સિમડેગા જિલ્લાના નાનકડા ગામ બડકી છાપરમાં થયો હતો. તેના પિતા એક ખેતમજૂર છે. એક સમયે તેના પિતા પણ સ્થાનિક હોકી ખેલાડી હતા. એટલે સલીમાએ પિતાના પગલે ચાલીને હોકીમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. સલીમા તેના ગામમાં વાંસના લાકડામાંથી બનેલી લાકડાની હોકીથી રમતી હતી. તેની માતા લોકોના ઘરે ઘરકામ કરતી હતી અને તેની મોટી બહેન લોકોના વાસણ માંજીને ગુજરાન ચલાવતી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/For-the-first-time-in-the-history-of-Gujarat,-a-Sidi-girl-became-a-doctor-and-made-history">ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6639ccfe5d944.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સલીમાની મોટી બહેન અનિમા પણ હોકી રમતી હતી. પરંતુ નાની બહેન માટે તેણે પોતાનું સપનું છોડી દીધું હતું અને ઘરકામ કરવા લાગી હતી. અનિમા સિમડેગાથી બેગ્લુરુ સુધી ઘરકામ માટે જઈ ચૂકી છે. સલિમાની નાની બહેન મહિમા ટેટે પણ ઝારખંડની જૂનિયર મહિલા હોકી ટીમમાં રમે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અંતરિયાળ ગામથી આતરષ્ટ્રીય સ્તર સુધીની સફર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2013માં સલીમા ટેટેની પ્રતિભાનો લોકોને પરિચય થયો હતો. એ વખતે સિમડેગામાં ઝારખંડ સરકારના દ્વારા સંચાલિત રેસિડેન્શિયલ હોકી સેન્ટર માટે તેની પસંદગી કરવામાં આવી હતી. એ પછી તેને રાજ્યની ટીમમાં રમવાની તક મળી હતી અને પછી તેણે નેશનલ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.</span></p>
<p><span style="font-size: 12pt;">.</span><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/23-year-old-V.-Sripati-made-history,-becoming-the-first-tribal-woman-civil-judge-in-Tamil-Nadu">23 વર્ષની વી. શ્રીપતિએ ઈતિહાસ રચ્યો, તમિલનાડુની પહેલી આદિવાસી મહિલા સિવિલ જજ બની</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6639cd3adb37e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2016માં સલીમાને જુનિયર ભારતીય મહિલા ટીમમાં પસંદ કરવામાં આવી હતી. જે તેની ઈન્ટરનેશનલ ડેબ્યૂ મેચ હતી. એ પછી તે ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં શાનદાર દેખાવ કરતી જોવા મળી છે. સલિમા અત્યાર સુધીમાં ટોક્યો ઓલિમ્પિક, વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં રમી ચૂકી છે. હવે જ્યારે તે ટીમ ઈન્ડિયાની કેપ્ટન બની છે ત્યારે દેશભરની મહિલાઓ માટે તે આદર્શ બની ચૂકી છે. આદિવાસી સમાજની સેંકડો યુવતીઓ માટે તેણે પ્રેરણારૂપ ઉદાહરણ પુરું પાડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Pride-of-tribal-society:-Dang-Express-Murali-Gavit-won-silver-medal-in-5-thousand-meters-race-in-National-Games">આદિવાસી સમાજનું ગૌરવઃ National Gamesમાં ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે 5 હજાર મીટર દોડમાં Silver મેડલ મેળવ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 07 May 2024 12:16:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>589</Articleid>
                    <excerpt>આદિવાસી સમાજ માટે લાપશીના આંધણ મૂકવા જેવા સમાચાર આવ્યા છે. આદિવાસી પરિવારની એક દીકરી ભારતીય હોકી ટીમની કેપ્ટન બની છે</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6639ccc09a0b1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6639ccc06bff7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6639ccc06bff7.jpg" length="93712" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સત્તાપક્ષ કે વિપક્ષ, સૌ કોઈની નજર 131 SC&amp;ST અનામત બેઠકો પર</title>
                    <link>https://khabarantar.com/ruling-or-opposition-all-eyes-on-131-sc-st-reserved-seats</link>
                    <guid>https://khabarantar.com/ruling-or-opposition-all-eyes-on-131-sc-st-reserved-seats</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે અહીં ભારતભરની દલિત-આદિવાસી અનામત સીટો વિશે વિગતે માહિતી મેળવીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Lok Sabha Elections 2024: ગુજરાતની 26 લોકસભા બેઠકો સહિત 12 રાજ્યોની 94 સીટો પર આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. આ સિવાયના પક્ષો પણ પાછી પાની કરી રહ્યાં નથી. આ બધી કવાયતો વચ્ચે તમામ રાજકીય પક્ષોની દેશભરની 131 અનામત બેઠકો પર નજર મંડાયેલી છે. લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 131 બેઠકો અનામતની શ્રેણીમાં આવે છે. એમાંથી 84 લોકસભા બેઠકો અનુસૂચિત જાતિ (એસસી) માટે અને 47 બેઠકો અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત છે. આ બેઠકો પર દલિત અને આદિવાસી સમાજના ઉમેદવારો જ ચૂંટણી લડી શકે છે. પરિણામે દરેક પક્ષોએ દલિતો, આદિવાસીઓને ફરજિયાત પ્રતિનિધિત્વ આપવું પડે છે. બધાં પક્ષોએ દલિતસમાજના ઉમેદવારોને ટિકિટ આપવી ફરજિયાત છે અને એસટી અનામત સીટ પર આદિવાસી સમુદાયના ઉમેદવારોને ટિકિટ આપવી અનિવાર્ય છે. આ 131 અનામક બેઠકો જે તરફ ઢળે એ પક્ષને દિલ્હી સુધી પહોંચવામાં સરળતા રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનામત સીટો પર કોંગ્રેસની મજબૂત પકડ હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદી પછી વર્ષો સુધી આદિવાસી-દલિત વોટબેંક પર કોંગ્રેસની મજબૂત પકડ હતી. ગુજરાત સહિતના દેશભરના આદિવાસી બેલ્ટમાં વિધાનસભાથી લઈને લોકસભાની બેઠકો સુધી સર્વત્ર કોંગ્રેસને જ સફળતા મળતી હતી. અનામત શ્રેણીની બેઠકોમાંથી એક સમયે કોંગ્રેસને 60-70 ટકા બેઠકો મળતી હતી આ ટ્રેન્ડ 1990ના દશકા પછી બદલાયો હતો. કોંગ્રેસની મજબૂત પકડ ઢીલી થવાની શરૂઆત એ દાયકામાં થઈ હતી અને ભાજપે ધીમે ધીમે આદિવાસી-દલિત મતદારોને પોતાની તરફ વાળવામાં સફળતા મેળવી હતી. 1989થી 2014 સુધીના ઈલેક્શનમાં ચિત્ર એટલું બદલાઈ ગયું હતું કે આ ગાળામાં એસસી-એસટી શ્રેણીના કુલ 975 સંસદસભ્યો ચૂંટાયા હતા. એમાંથી 28 ટકા કોંગ્રેસના હતા તો 30 ટકા ભાજપના હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2014ની ચૂંટણીથી અનામત સીટો પર ભાજપનું વર્ચસ્વ વધ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2014ની ચૂંટણીમાં ભાજપને આ અનામત બેઠકોમાં પણ લાભ મળ્યો હતો. એ વખતે એસસી અનામત 84 બેઠકોમાંથી 40 બેઠકો ભાજપને મળી હતી. કોંગ્રેસને માત્ર 7 બેઠકોથી સંતોષ માનવો પડયો હતો. આ સિવાયની બેઠકો પ્રાદેશિક પાર્ટીઓને મળી હતી. આટલી મોટી સંખ્યામાં ભાજપે અગાઉ ક્યારેય દલિત વોટબેંક પ્રભુત્વ જમાવ્યું ન હતું અને કોંગ્રેસનું અગાઉ આ હદે ક્યારેય ધોવાણ થયું ન હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવા મતદારો નિર્ણાયક બન્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ વખતે 47 આદિવાસી અનામત બેઠકોમાંથી 27 બેઠકોમાં કમળ ખીલ્યું હતું. કોંગ્રેસને માત્ર 5 જ બેઠકો મળી હતી. એ સિવાયની બેઠકો પ્રાદેશિક પક્ષોને મળી હતી. આ પરિવર્તન પાછળ યુવા મતદારોનું ફેક્ટર બહુ જ મહત્ત્વની ભૂમિકામાં રહ્યું હતું. દલિત અને આદિવાસી સમાજના યુવા મતદારોને નરેન્દ્ર મોદીના વાયદામાં ભરોસો બેઠો હતો અને તેનો સીધો ફાયદો ભાજપને થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2024માં અનામત બેઠકો માટે ભાજપનો વ્યૂહ કેવો છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધને એસસી-એસટી અનામત બેઠકો માટે વ્યૂહ ઘડયો છે. એ બેઠકો જીતનાર પાર્ટી કે ગઠબંધન માટે દિલ્હી પહોંચવાનો માર્ગ વધુ સરળ બની જતો હોવાથી ભાજપ-કોંગ્રેસ બંનેએ મેનિફેસ્ટોમાં તેમને ધ્યાનમાં રાખીને વાયદાઓ કર્યા છે. પીએમ મોદી પીએમજનમન યોજનાથી આદિવાસી સમુદાયનું જીવનધોરણ બદલી જશે એવો દાવો કરે છે. ભાજપે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવીને દેશના વિશાળ દલિત સમુદાયમાં સકારાત્મક અસર કરી હતી. 2022માં દ્રોપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યાં હતાં. તેમને સર્વોચ્ચ બંધારણીય સ્થાન આપીને ભાજપે આદિવાસી સમુદાયને પોતાની તરફ વાળવાની દિશામાં પ્રચાર કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/if-bjp-comes-hit-them-with-shoes-akash-anand"><span style="font-size: 14pt;">‘ભાજપવાળા આવે તો જૂતા-ચપ્પલથી ફટકારો’- આકાશ આનંદ</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6638a2397058b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે દલિતો, આદિવાસીઓને તેમના બંધારણીય હકો, ખાસ કરીને અનામત, સરકારી નોકરીઓ અને અન્ય લાભોથી દૂર રાખવા જેવા મુદ્દાઓ દલિત અને આદિવાસી મતદારો સમજી ચૂક્યા હોવાથી આ વખતે ભાજપ માટે અનામત સીટો પર ખાસ કરીને દલિત, આદિવાસી સમાજના મતો મેળવવા અઘરાં પડી જવાના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોંગ્રેસની વ્યૂહરચના શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આદિવાસી-દલિત સમુદાયમાં ફરીથી પાર્ટીને મજબૂત કરવા માટે વારંવાર તેમને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. એ મુદ્દે રાહુલ કેન્દ્ર સરકારને પણ ઘેરી રહ્યા છે. કોંગ્રેસે દલિત નેતા મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવીને દલિત સમુદાયને કોંગ્રેસ મહત્ત્વ આપતી હોવાનો મેસેજ આપ્યો હતો. તેનાથી કોંગ્રેસને કર્ણાટક અને તેલંગણાની વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો મળ્યો હોવાનું તારણ પણ રજૂ થાય છે. લોકસભામાં એ સમાજના મતદારોને કોંગ્રેસ તરફ ફરીથી વાળવા માટે કોંગ્રેસે મથામણ આદરી છે. મેનિફેસ્ટોમાં પણ ઘણાં વાયદાઓ કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2019માં ભાજપે પ્રભુત્વ જાળવી રાખ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2019ની ચૂંટણીમાં 2014ના પરિણામોને રિપીટ કરવામાં ભાજપને ધારી સફળતા મળી હતી. અનામત શ્રેણીની બેઠકોમાં ભાજપે વધારે મજબૂત પક્કડ જમાવી હતી અને કોંગ્રેસનો દેખાવ વધારે કથળ્યો હતો. ભાજપે એસસી શ્રેણીની 84માંથી 46 બેઠકોમાં કમળ ખીલવ્યું હતું. કોંગ્રેસના પંજામાં પાંચ બેઠકો જ આવી હતી. આદિવાસી અનામત બેઠકો પર પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">47માંથી 31 બેઠકો ભાજપને મળી હતી. તો કોંગ્રેસને ચાર જ બેઠકોથી સંતોષ માનવો પડયો હતો. કોંગ્રેસની એક બેઠક ઘટી હતી. ભાજપે 2014ની તુલનાએ ચાર બેઠકો વધુ મેળવી હતી. આદિવાસી અને દલિત સમુદાય માટે ભાજપે પાંચ વર્ષમાં જે યોજનાઓ શરૂ કરી હતી તેનો લાભ 2019ની ચૂંટણીમાં મળ્યો હતો. વળી, ભાજપે આદિવાસી અને દલિત સમુદાયમાં મજબૂત યુવા નેતાગીરીને આગળ કરીને પણ મેદાન માર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ કોંગ્રેસ સિવાયની પાર્ટીઓના પ્રયાસો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય પાર્ટી હોવાથી ભાજપ અને કોંગ્રેસની નજર તો 131 બેઠકો પર રહેતી આવે છે, પરંતુ તે સિવાયની ઘણી પ્રાદેશિક પાર્ટીઓ કે બે-પાંચ રાજ્યોમાં પ્રભુત્વ ધરાવતી પાર્ટીઓ પણ વિવિધ વ્યૂહ બનાવે છે. બહુજન સમાજ પાર્ટીની સ્થાપના દલિત અધિકાર માટે જ થઈ હતી અને યુપીમાં પાર્ટીને સત્તા પણ મળી હતી. આ સિવાય યુપીમાં સમાજવાદી પાર્ટી પણ દલિત વોટબેંક ધરાવે છે. બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાજદ દલિત-આદિવાસી સમુદાયમાં સારી એવી પકડ ધરાવે છે. તો અહીં જ રામ વિલાસ પાસવાને પણ દલિત મતબેંકને ધ્યાનમાં રાખીને એલજેપીની સ્થાપના કરેલી. શિબુ શોરેને સ્થાપેલી ઝારખંડ મુક્તિ મોરચા રાજ્યના આદિવાસી સમુદાય પર પક્કડ ધરાવે છે. આમ આદમી પાર્ટી પણ દલિત સમુદાયની વોટબેંકને ધ્યાનમાં રાખીને વ્યૂહ બનાવે છે. પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં આપને તેનો ફાયદો પણ મળ્યો હતો. જો કે આપે જ્યારે રાજ્યસભામાં સભ્યો મોકલવામાં આવ્યા ત્યારે કથિત સવર્ણ જાતિના લોકોને મોકલ્યા હોવાથી દલિતોનો આપથી મોહભંગ થઈ ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બીએસપી(BSP) સિવાય ઉદ્ધાર નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની વાત કરીએ તો અહીં, આજે પણ દલિતોનો એક મોટો વર્ગ છે જે સમજી ચૂક્યો છે કે, બહુજન સમાજ પાર્ટી સિવાયના એકેય રાજકીય પક્ષનો કેન્દ્રવર્તી એજન્ડા દલિતો કે આદિવાસીઓ નથી. એ સ્થિતિમાં તેવો બીએસપી વધુને વધુ મજબૂત થાય તે દિશામાં વિચારી રહ્યાં છે. જો કે, હાલ તો એવી સ્થિતિ દેખાતી નથી. તેવામાં દલિત, આદિવાસી સમાજ માટે કામ કરી શકે તેવા મજબૂત નેતાઓ અનામત સીટ પર ચૂંટાય તે જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/congress-wants-to-take-away-your-property-and-give-it-to-its-favourite-votebank">કૉંગ્રેસ તમારી મિલકત છીનવી તેની ‘મનપસંદ વોટબેંક’ને આપવા માંગે છે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">. </span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 06 May 2024 18:41:25 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 06 May 2024 18:41:13 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>586</Articleid>
                    <excerpt>ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે અહીં ભારતભરની દલિત-આદિવાસી અનામત સીટો વિશે વિગતે માહિતી મેળવીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6638a21dc9b01.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6638a21d9b399.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6638a21d9b399.jpg" length="96282" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>મણિપુરમાં પોલીસે જ બંને મહિલાઓને ટોળાને હવાલે કરી હતી</title>
                    <link>https://khabarantar.com/in-manipur-it-was-the-police-who-handed-over-the-two-women-to-the-mob</link>
                    <guid>https://khabarantar.com/in-manipur-it-was-the-police-who-handed-over-the-two-women-to-the-mob</guid>
                    <description>
                        <![CDATA[ ગયા વરસે મણિપુરની બે મહિલાઓને ટોળાંએ નગ્ન કરીને પરેડ કરાવી હતી. આ મામલે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મણિપુરમાં ગયા વર્ષે થયેલી જાતીય હિંસાની કાળી બાજુ સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે જે બે કૂકી આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ફેરવવામાં આવી હતી તેમને પોલીસે જ ટોળાંને સોંપી દીધી હતી. સીબીઆઈની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે જ્યારે ઉશ્કેરાયેલા ટોળાથી બચીને બંને મહિલાઓ પોલીસની મદદ માટે પહોંચી તો પોલીસે તેમનું રક્ષણ કરવાને બદલે બંનેને ટોળાને સોંપી દીધી હતી. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પોલીસ બંને મહિલાઓને પોતાના વાહનમાં બેસાડીને 100 મૈતેઈ તોફાનીઓના ટોળા પાસે લઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા વર્ષે મણિપુરમાં જાતીય હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા હતા. આમાં એક એવી ઘટના પણ સામે આવી હતી જેણે સમગ્ર દેશને ખળભળાવી મૂક્યો હતો. કુકી સમાજની બે મહિલાઓને મૈતેઈ સમાજના તોફાનીઓએ નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ફેરવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો પણ આ ઘટના બન્યાંના ઘણાં દિવસો પછી સામે આવ્યો હતો, જેનાથી ખ્યાલ આવ્યો હતો કે મણિપુર જાતીય હિંસામાં કઈ હદે સળગી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને હવે સીબીઆઈએ પોતાના ચાર્જશીટમાં અનેક મોટા ખુલાસાઓ કર્યા છે. સીબીઆઈએ પોતાના આરોપનામામાં કહ્યું છે કે, બંને મહિલાઓ સાથે સામૂહિક દુષ્કર્મ કરતા પહેલા તેમને નગ્ન કરીને રસ્તા ફેરવવામાં આવી હતી. આ ઘટના રાજ્યમાં જાતીય હિંસા દરમિયાન બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણ મહિલાઓ ટોળાંનો શિકાર બનવાની હતી, એક કેવી રીતે બચી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીબીઆઈએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે, ટોળાંએ એ જ પરિવારની ત્રીજી મહિલા પર પણ હુમલો કર્યો હતો અને તેને પણ નગ્ન કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં તે નિષ્ફળ રહ્યું હતું, કેમ કે, તે તેની પૌત્રીને જોરથી પકડીને બેસી રહી હતી. આ ત્રીજી મહિલા ત્યારે ભાગવામાં સફળ રહી હતી જ્યારે તેના પર હુમલો કરનારું ટોળું એ બે મહિલાઓ તરફ આગળ વધ્યું જેમના પર ડાંગરના ખેતરમાં અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીડિતોમાંથી એક કારગિલ યુદ્ધના શહીદની પત્ની</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણેય પીડિતાએ સ્થળ પર હાજર પોલીસકર્મીઓની મદદ માંગી હતી પરંતુ તેમને કોઈ મદદ મળી નહોતી. ચાર્જશીટની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, પીડિત મહિલાઓમાંની એક મહિલા કારગિલ યુદ્ધમાં સેવા આપનાર સૈનિકની પત્ની હતી. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, બંને પીડિત મહિલાઓએ પોલીસકર્મીઓને વાહનમાં બેસાડીને તેમને સલામત સ્થળે લઈ જવા માટે કહ્યું હતું, પરંતુ પોલીસકર્મીઓએ કથિત રીતે તેમને કહ્યું હતું કે, તેમની પાસે વાહનની ચાવી નથી અને તેઓ તેમની કોઈ મદદ કરી શકે તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Manipur-violence,-Soma-Laishram,-and-football:-Lets-erase-the-streak">મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એ દિવસે શું બન્યું હતું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં ગયા વર્ષે 4 મેની ઘટનાના લગભગ બે મહિના પછી જુલાઈમાં આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, જેમાં બે મહિલાઓ પુરૂષોના ટોળાં દ્વારા ઘેરાયેલી જોવા મળે છે અને ટોળું બંનેની નગ્ન પરેડ કરાવી રહ્યું છે. સીબીઆઈએ ગયા વર્ષએ 16 ઓક્ટોબરના રોજ ગુવાહાટીમાં સ્પેશ્યિલ જજ, સીબીઆઈ કોર્ટ સમક્ષ 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમાં કહેવામાં આવ્યું છે કે, બંને મહિલાઓ એકે રાઈફલ, એસએલઆર, ઈન્સાસ અને 303 રાઈફલો જેવા અત્યાધુનિક હથિયારોથી સજજ અંદાજે 900-1000 લોકોના ટોળાંથી બચવા ભાગી રહી હતી. એક ટોળાએ સૈકુલ પોલીસ સ્ટેશનથી લગભગ 68 કિમી દક્ષિણમાં કાંગપોકપી જિલ્લામાં તેમના ગામમાં જબરદસ્તીથી પ્રવેશ કર્યો હતો. ટોળાથી બચવા માટે મહિલાઓ અન્ય પીડિતો સાથે જંગલમાં ભાગી હતી, પરંતુ તોફાનીઓએ તેમને જોયા હતા. દરમિયાન કેટલાક લોકોએ મહિલાઓને મદદ માટે રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા પોલીસ વાહન પાસે જવા કહ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંને મહિલાઓ પોલીસ વાહનમાં પ્રવેશવામાં સફળ થઈ જેમાં બે પોલીસકર્મીઓ અને ડ્રાઈવર પહેલેથી બેઠા હતા. જ્યારે ત્રણ-ચાર પોલીસકર્મીઓ વાહનની બહાર હતા. એક પુરૂષ પીડિત પણ વાહનની અંદર પ્રવેશવામાં સફળ રહ્યો હતો અને ડ્રાઈવરને સલામત સ્થળે લઈ જવા માટે વિનંતી કરી રહી. પરંતુ તેમની પાસે કોઈ ચાવી ન હોવાનું કહેવામાં આવ્યું હતું. પીડિતોમાંથી એકના પતિએ ભારતીય સૈન્યમાં આસામ રેજિમેન્ટના સુબેદાર તરીકે સેવા આપી હતી. સીબીઆઈનો આરોપ છે કે, પોલીસે પણ ટોળાના હુમલાથી વાહનમાં બેઠેલા વ્યક્તિના પિતાને બચાવવામાં મદદ કરી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંને મહિલાઓ પોલીસ સામે કરગરતી રહી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીબીઆઈએ વધુમાં જણાવ્યું છે કે, પછી ડ્રાઈવરે વાહન આગળ લીધું અને અંદાજે 1000 લોકોના ટોળા સામે જઈને રોકી દીધું હતું. પીડિતાઓએ પોલીસકર્મીઓને તેમને સલામત સ્થળે લઈ જવા માટે વિનંતી કરી હતી, પણ તેમણે કોઈ મદદ કરી નહોતી. તપાસ એજન્સીઓએ કહ્યું કે, ટોળાએ પહેલા તે વ્યક્તિના પિતાની હત્યા કરી જે આ બંને મહિલાઓ સાથે કારમાં બેઠો હતો. એ પછી પુરૂષ પીડિત પર ટોળું તૂટી પડ્યું હતું અને તેને મારીમારીને જીવ લઈ લીધો હતો. આ બંનેના મૃતદેહને ગામ પાસેની એક સૂકાયેલી નદીમાં ફેંકી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી પોલીસ બંને પીડિતાઓને હિંસક ટોળાને હવાલે કરીને ચાલ્યા ગયા હતા. હુમલાખોરોએ મહિલાઓને પોલીસ વાહનમાંથી બહાર ખેંચી અને તેમનું જાતીય શોષણ કરતા પહેલા નગ્ન પરેડ કરાવી હતી. ચાર્જશીટમાં જણાવાયું છે કે, ત્રીજી મહિલાએ તેની પૌત્રી સાથે બીજા ગામમાં ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો અને તે બીજા દિવસે કોઈ બીજા ગામમાં તેના પરિવારને મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીબીઆઈએ હુઈરેમ હેરોદાસ મૈઈતી અને પાંચ અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે અને એક સગીર વિરુદ્ધ રિપોર્ટ પણ દાખલ કર્યો છે. મણિપુર પોલીસે જુલાઈમાં હેરોદાસની ધરપકડ કરી હતી. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે, જેમાં ગેંગરેપ, હત્યા, એક મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી અને ગુનાઈત ષડયંત્ર સંબંધિત કલમો સામેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો</strong>:</span> <a href="https://khabarantar.com/Overwhelmed,-cant-even-make-eye-contact-with-people-anymore---Tribal-women-victims-of-nude-parades-in-Manipur"><strong>"આબરૂ ગઈ, હવે લોકો સામે આંખ પણ મિલાવી શકતી નથી" - મણિપુરમાં નગ્ન પરેડનો શિકાર બનેલી આદિવાસી મહિલાઓ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 May 2024 10:12:32 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 01 May 2024 10:15:28 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>565</Articleid>
                    <excerpt>ગયા વરસે મણિપુરની બે મહિલાઓને ટોળાંએ નગ્ન કરીને પરેડ કરાવી હતી. આ મામલે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6631c73f77c74.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6631c73f493fc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6631c73f493fc.jpg" length="64863" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કલ્પના સોરેનઃ રાજકીય મેદાનમાં આદિવાસી મહિલાઓનો મજબૂત અવાજ</title>
                    <link>https://khabarantar.com/kalpana-soren-a-strong-voice-of-tribal-women-in-the-political-arena</link>
                    <guid>https://khabarantar.com/kalpana-soren-a-strong-voice-of-tribal-women-in-the-political-arena</guid>
                    <description>
                        <![CDATA[ કલ્પના સોરેનનું નામ હાલ રાજકીય ગલિયારામાં ચર્ચામાં છે. ફક્ત આદિવાસી જ નહીં પરંતુ તમામ મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહેલા કલ્પના સોરેન વિશે અહીં વિસ્તારથી જાણીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના રાજકારણમાં આદિવાસી સમાજનો મજબૂત ચહેરો રહેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેનની રાજકારણમાં એન્ટ્રી થવા જઈ રહી છે. ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન જેલમાં હોવાથી તેમના પત્ની કલ્પના સોરેન હવે પક્ષની કમાન સંભાળીને ચૂંટણીના રાજકીય મેદાનમાં ઉતરી ગયા છે. ગાંડેય વિધાનસભા સીટથી થનારી પેટાચૂંટણીમાં ઝારખંડ મક્તિ મોર્ચાએ તેમને ઉમેદવાર જાહેર કર્યા છે. કલ્પના સોરેન આમ તો ચૂંટણી રેલીમાં જોવા મળતા જ હતા, પણ તેઓ ખુદ ચૂંટણીમાં ઊભા રહેશે કે નહીં તેને લઈને ચર્ચાઓ થઈ રહેતી હતી. હવે ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થઈ ગઈ છે. આ સીટ પર ૨૦ મેના રોજ મતદાન થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેએમએમે કહ્યું કે, લોકસભા ચૂંટણી ૨૦૨૪ અને ગાંડેય વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૪માં ઝારખંડ મુક્તિ મોર્ચાના ઉમેદવારની છેલ્લી યાદી જાહેર કરવામાં આવે છે. જમશેદપુર લોકસભા વિસ્તારથી સમીર મોહન્તી ચૂંટણી લડશે. તો ગાંડેય વિધાનસભા સીટથી કલ્પના સોરેનને ઉમેદવાર બનાવામાં આવ્યા છે. નામની જાહેરાત પહેલાથી જ કલ્પના સોરેને ગાંડેય સીટ પર પોતાની તૈયારી શરૂ કરી દીધી હતી. આ સીટ ઝારખંડ ગિરિડીહ જિલ્લામાં આવે છે. તાજેતરના દિવસોમાં કલ્પનાએ જેએમએમના કાર્યકર્તા સંમેલનને પણ સંબોધન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/my-society-does-not-allow-me-to-go-to-temples-how-can-I-be-tolerated">મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662df3ef9d369.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હેમંત સોરેનની ધરપકડ પહેલા જ કલ્પના સોરેનના નામની ચર્ચા ઝારખંડના રાજકારણમાં થવા લાગી હતી. જ્યારે હંમેત સોરેનની ઈડી ધરપકડ કરશે તેવી શક્યતા જણાતી હતી ત્યારે તેમણે પાર્ટી નેતાઓની એક બેઠક પોતાના નિવાસસ્થાને બોલાવી હતી. આ બેઠકમાં કલ્પના સોરેન પણ જોડાયા હતા. આ બેઠકમાં તેમની તસ્વીર વાયરલ થઈ હતી. એ વખતે જ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે જો હેમંત સોરેનને ઈડી જેલમાં ધકેલી દેશે તો કલ્પના સોરેન રાજકારણમાં એન્ટ્રી કરશે. અને તે સાચું પડ્યું છે ત્યારે કલ્પના સોરેન વિશે જાણવું જરૂરી બની જાય છે. અત્યાર સુધી રાજનીતિથી દૂર રહેલા કલ્પના સોરેન આદિવાસી સમાજની એવી સેંકડો મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ ભણીગણીને જિંદગીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા માંગે છે. અહીં કલ્પના સોરેન વિશે વધુ જાણીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે કલ્પના સોરેન?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન કોઈ રાજકીય પૃષ્ઠભૂમિમાંથી નથી આવતા. તેઓ મૂળે ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર વિસ્તારના છે, જ્યાંથી વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો પણ સંબંધ છે, જેઓ બલહદાના તેંતલા ગામના રહેવાસી છે. આ ગામ રાયરંગપુર તાલુકામાં આવેલું છે. કલ્પના સોરેન બહુભાષી છે અને સ્થાનિક સંથાલી, ઉડિયા ઉપરાંત હિંદી અને અંગ્રેજી ભાષા પર પણ જબરજસ્ત પકડ ધરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/my-society-does-not-allow-me-to-go-to-temples-how-can-I-be-tolerated">મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662df411357e9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલ્પના સોરેનનો જન્મ 1976માં રાંચીમાં થયો હતો. તેમના પિતાનો પોતાનો વ્યવસાય છે અને માતા ગૃહિણી છે. કલ્પનાના લગ્ન 7 ફેબ્રુઆરી 2006માં હેમંત સોરેન સાથે થયા હતા. હાલ તેમના બે સંતાનો છે, જેમના મ નિખિલ અને અંશ છે જેઓ પ્રચાર માધ્યમોથી દૂર રહેવાનું પસંદ કરે છે. કલ્પના સોરેને બિઝનેસ અને ચેરિટીના કામ સાથે જોડાયેલી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી અમ્પા મુર્મૂના પહેલા સંતાન કલ્પના સોરેનનું શરૂઆતનું શિક્ષણ બારીપદાની કેન્દ્રિય વિદ્યાલયમાં થયું છે. એ પછી તેમણે ભુવનેશ્વરની એક કોલેજમાંથી બીટેકનું શિક્ષણ મેળવ્યું હતું. બિઝનેસ મેનેજમેન્ટમાં રસ હોવાને કારણે તેમણે એમબીએની ડિગ્રી પણ મેળવી. આદિવાસી બહુમતી ધરાવતા ઝારખંડમાં કલ્પના સોરેનની છબિ આદિવાસી સમાજની મહિલાઓની પ્રગતિ તરીકે જોવામાં આવે છે. અહીં તેમની ઓળખ એક બિઝનેસ વુમન અને સમાજસેવિકા તરીકેની છે. તેઓ રાંચીમાં એક પ્લે સ્કૂલની સંચાલિકા તરીકે કામ કરે છે અને એક ખાનગી કંપનીના ડિરેક્ટર પણ છે. સાથે જ તેઓ પ્રાકૃતિક ખેતીમાં પણ રસ ધરાવે છે અને તેના માટે સક્રિય રીતે કામ પણ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/aaj-tak-anchor-sudhir-chaudhary-not-arrested-in-case-of-objectionable-statement-on-tribal-society"><strong>AAJ TAK ના એન્કર સુધીર ચૌધરીની આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદન કેસમાં ધરપકડ નહીં</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662df444a7d72.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ મહિલા અને બાળ સશક્તિકરણના કાર્યક્રમોમાં પણ નિયમિત રીતે સામેલ થાય છે. જો કે અન્ય મુખ્યમંત્રીઓની પત્નીઓની જેમ તેમણે કદી પક્ષના કામોમાં હસ્તક્ષેપ નથી કર્યો. તેઓ મોટાભાગનો સમય પોતાની સ્કૂલના કામોમાં અને ઘરે વિતાવતા આવ્યા છે. પરીક્ષાના સમયે તેઓ સ્કૂલના આદિવાસી બાળકોને પાસ થવાની ટિપ્સ આપતા હોય તેવા કેટલાક વીડિયોમાં જોવા મળે છે જે લોકોને ગમ્યાં છે. તેઓ ઝારખંડના હસ્તશિલ્પ અને તેની સાથે જોડાયેલા કારીગરોના વિકાસ, આદિવાસી કળા-પેઈન્ટિંગ અને પર્યટનમાં તેમનો ઘણો રસ છે. તેઓ પોતાની સ્કૂલમાં બ્લડ ડોનેશન કાર્યક્રમ પણ ચલાવે છે. આવા જ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી હેમંત સોરેન પણ ચીફ ગેસ્ટ તરીકે સામેલ થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેટલી સંપત્તિની ધરાવે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયનેતા.કોમ પર વર્ષ 2019માં રજૂ કરવામાં આવેલા ચૂંટણી સોગંદનામા મુજબ કલ્પના સોરેન પાસે અલગ અલગ બેંકોમાં તેમના બેંક ખાતાઓમાં 2.55 લાખ રૂપિયા છે. તેમના પોસ્ટ ઓફિસ ખાતામાં 6.79 હજાર રૂપિયા છે. સાથે એલઆઈસી અને આઈસીઆઈસીઆઈ બેંકની 24 લાખ રૂપિયાની પોલિસી પણ છે. તેમના નામે એક મારૂતિ સિયાઝ કાર પણ છે. આ સિવાય 24.85 લાખની કિંમતના 655 ગ્રામ સોનાના ઘરેણાં છે. અંદાજે 9 લાખ રૂપિયાથી વધુનું 20 કિલો ચાંદી છે. કલ્પના સોરેનના નામે 3 કોમર્શીયલ બિલ્ડીંગ પણ છે. એફિડેવિટમાં તેમની કુલ સંપત્તિ 4 કરોડ 87 લાખ રૂપિયા બતાવવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Did-the-upper-classes-build-flats-by-taking-crores-of-government-land-in-the-name-of-dalit-tribals"><strong>દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662df4742f281.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલ્પના સોરેન ઝારખંડના પહેલા મહિલા મુખ્યમંત્રી બનશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2020માં એક ઈન્ટરવ્યૂમાં કલ્પના સોરેને કહ્યું હતું કે, “હું રાજનીતિ વિશે તો કશું કહી નથી શકતી પણ જો પક્ષ મારા માટે કોઈ કામગીરી નક્કી કરે છે તો હું પાછી નહીં પડું. હેમંતજી સાથે મારે કદી રાજકીય મુદ્દાઓ પર ચર્ચા નથી થતી. તેઓ એક આઈકોન છે અને ઝારખંડના વિકાસ માટે કામ કરી રહ્યાં છે. એટલે અમારા નેતા તો તેઓ જ છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાય છે કે કલ્પનાનું પોતાનું ફ્રેન્ડ સર્કલ છે. તેમને પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો ગમે છે. પરંતુ જો હેમંત સોરેન તેમને પોતાના અનુગામી તરીકે નિયુક્ત કરે છે તો કલ્પનાના જીવનમાં મોટો બદલાવ આવી શકે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662df49c14405.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ કલ્પનાને સીએમ બનાવવા માટે હેમંત સોરેનને તેમના પિતા શિબુ સોરેનના આશીર્વાદ લેવા પડશે. પિતાની સંમતિની સાથે તેને પરિવારની સંમતિની પણ જરૂર પડશે. જો કલ્પના ઝારખંડના સીએમ બને છે તો તેઓ રાજ્યના પહેલા આદિવાસી મહિલા મુખ્યમંત્રી બની જશે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નહીં હોય. દેશમાં આજે પણ જ્યાં દલિત-આદિવાસી સમાજના ભલભલાં મોટા નેતાઓને પણ સવર્ણ નેતાઓ મુખ્યમંત્રી તો દૂર કેબિનેટ મંત્રી પણ બનાવવા રાજી નથી થતાં, ત્યાં એક આદિવાસી સમાજની એક મહિલા મુખ્યમંત્રી બને તે કેટલી મોટી વાત કહેવાય? હાલમાં તેમના મોટા ભાભી સીતા સોરેન અને નાના ભાઈ બસંત સોરેન પણ ધારાસભ્ય છે. કહેવાય છે કે હેમંત સોરેને તેમની ધરપકડની શક્યતાઓને ધ્યાને રાખીને પહેલેથી જ પિતા શિબુ સોરેનને કલ્પનાને આગળ કરવા માટે મનાવી લીધા હતા. હવે જ્યારે કલ્પના સોરેન વિધિવત વિધાનસભાની પેટાચૂંટણી લડવા જઈ રહ્યાં છે ત્યારે તેઓ ઝારખંડના પહેલા મહિલા મુખ્યમંત્રી બને તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/If-you-dare-give-proof-of-the-scandal,-I-will-leave-politics-Hemant-Sorens-open-challenge-in-Jharkhand-Assembly">હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 28 Apr 2024 12:46:20 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 28 Apr 2024 12:44:31 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>553</Articleid>
                    <excerpt>કલ્પના સોરેનનું નામ હાલ રાજકીય ગલિયારામાં ચર્ચામાં છે. ફક્ત આદિવાસી જ નહીં પરંતુ તમામ મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહેલા કલ્પના સોરેન વિશે અહીં વિસ્તારથી જાણીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_662df3c9a293a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662df3c97088b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662df3c97088b.jpg" length="70972" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જો ભાજપ ફરી સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશેઃ પ્રિયંકા ગાંધી</title>
                    <link>https://khabarantar.com/will-change-constitution-if-bjp-comes-back-to-power-priyanka-gandhi</link>
                    <guid>https://khabarantar.com/will-change-constitution-if-bjp-comes-back-to-power-priyanka-gandhi</guid>
                    <description>
                        <![CDATA[ કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગઈકાલે ધરમપુરમાં સભા સંબોધી હતી. જેમાં તેમણે દલિત-આદિવાસી સમાજને લગતા મુદ્દાઓ પર વિગતે વાત કરી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે દાવો કર્યો હતો કે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની ટોચની નેતાગીરી ભલે તેને નકારવાનો ઢોંગ કરી રહી હોય, પરંતુ જો ભાજપ ફરી સત્તામાં આવશે તો ચોક્કસ જ બંધારણને બદલી નાખશે અને લોકોને તેમનાથી બંધારણીય હકોથી વંચિત કરી નાખશે. પ્રિયંકાએ વલસાડ એસટી(અનુસૂચિત જનજાતિ) અનામત બેઠકના કોંગ્રેસના યુવા નેતા અનંત પટેલના સમર્થનમાં આયોજિત રેલીમાં સત્તાધારી ભાજપ અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિયંકાએ કહ્યું, “શરૂઆતમાં તેઓ જે કરવા માગે છે તે હંમેશા નકારશે પરંતુ સત્તામાં આવ્યા બાદ તેઓ તેનો અમલ કરશે. તેઓ સામાન્ય લોકોને કમજોર કરવા અને આપણા બંધારણમાં આપેલા અધિકારોથી આપણને વંચિત રાખવા બંધારણમાં ફેરફાર કરવા માંગે છે.'' વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે “તેઓ ચૂંટણી વખતે 'સુપરમેન'ની જેમ સ્ટેજ પર આવતા હતા તેમને "ઇન્ફ્લેશન મેન" તરીકે યાદ કરો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિયંકાએ કહ્યું, "ભાજપના નેતાઓ વડા પ્રધાનને એક શક્તિશાળી નેતા તરીકે રજૂ કરે છે અને (રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં) કહે છે કે તેઓ 'ચપટી વગાડીને યુદ્ધ રોકી દે છે', તો પછી તે ગરીબી વિશે કેમ વાત કરી શકતા નથી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662dd067e6023.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “એક તીર એક કમાન, આદિવાસીઓ એક સમાન. આદિવાસીઓની જ્યાં વધારે સંખ્યા છે એને અમે અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરીશું, જેથી તમને વધારે લાભ મળી શકે. તમે બધા જોઈ રહ્યા છો, તમારી જોડે અન્યાય થી રહ્યો છે, એટલે રાહુલજીએ ન્યાય યાત્રા શરૂ કરી' </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, 'સરકારે મોટા મોટા દાવા કર્યા પણ કંઈ થયું નહીં. ૧૦ વર્ષમાં સરકારે દલિતો કે આદિવાસી કે સામાન્ય જનતાને મજબૂત કરવા માટે કોઈ કામ કર્યું નથી. ભાજપ સરકારના કામ ટીવી પર દેખાઈ રહ્યા છે, એવું કંઈ વાસ્તવમાં થયું નથી. છેલ્લા ૧૦ વર્ષથી ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે અને જો હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. અમારી સરકાર આવશે, ત્યારે તમને એટલી મદદ મળશે કે આવનાર થોડા જ સમયમાં તમે ખુદના પગ પર ઊભા થઈ શકશો. અમે ખાલી વાયદો નથી કરતા, રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે કરી બતાવ્યું છે. ૪૫ વર્ષમાં બેરોજગારી આપણા દેશમાં સૌથી વધારે છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે જેની કોઈ હદ નથી. ચપટી વગાડતા યુદ્ધ રોકાવી શક્યા તો ચપટી વગાડીને મોંઘવારી અને ગરીબી કેમ દૂર નથી કરી રહી સરકાર? પીએમ મોદી “મોંઘવારી મેન” છે. સરકાર મોટા મોટા દાવાઓ કરી રહી છે કે, અમે આ કરીશું પેલુ કરીશું પણ કંઈ થયું નથી. દેશમાં હાથરસ જેવા પણ કિસ્સા બન્યા. મોંઘવારી અને બેરોજગારીને દેશની સૌથી મોટી સમસ્યા છે. મોદી સરકારના શાસનમાં છેલ્લા દસ વર્ષમાં મોંઘવારી અને બેરોજગારીમાં વધારો થયો છે. આજે દરેક વસ્તુ પર જીએસટી  લાદવામાં આવ્યો છે. ખેતીમાંથી કોઈ આવક નથી. ભાજપ સરકારે કરોડો લોકોને ગરીબીમાં ધકેલી દીધા છે. મોદી જનતાથી દૂર થઈ ગયા છે. એટલા માટે તે સામાન્ય માણસની સમસ્યાઓ વિશે વાત નથી કરી રહ્યાં”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/after-rajasthan-madhya-pradesh-now-the-entry-of-bap-in-gujarat-elections">રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતની ચૂંટણીમાં ‘બાપ’ની એન્ટ્રી</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662dd0676ae4e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓને 33 ટકા અનામત આપવા મુદ્દે પ્રિયંકાએ કહ્યું, મહિલાઓને અપાયેલી અનામત માત્ર નામની છે. તે હજુ ૫ – ૬ વર્ષ સુધી લાગુ જ નહી થાય. સરકારે ઉદ્યોગપતિના ૧૬ લાખ કરોડ રૂપિયા માફ કરી દીધાં પણ ગરીબો માટે શું કર્યું? કોઈ રોજગાર નથી મોંઘવારી ઓછી નથી થઈ રહી. આજથી ૫ વર્ષ પછી જોશો તો પણ દેશની સ્થિતિ તેની તે જ હશે, આ છે મોદી સરકારના કામો. મેડલ જીતનારી મહિલાઓ સાથે ચા પીનારા મોદીજી કેમ તેમની સમસ્યા સાંભળવા તૈયાર નથી. દેશના સરકારી અધિકારીઓ ગભરાયેલા છે મિડીયા સાથે પણ મોદી સરકાર તાનાશાહી વર્તન કરી રહી છે. તેમને પર ભારે દબાણ છે. જો કશું પણ સરકારની વિરુદ્ધનું છપાય કે બતાવાય તો કાર્યવાહી કરાય છે. સરકાર દેશના આદિવાસીઓ , દલિતો અને ખેડૂતોને સરકાર છેતરી રહી છે અને કોઈ કામ કરી રહી નથી. અનાજ અને રાશન આપવો અને ગરીબોએ મેળવવો તેમનો અધિકાર છે પણ આ રાશનથી તમારા દિકરાનું ભવિષ્ય નહી બંધાય.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, “મોદી કહે છે કે તેઓ એકલા ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે. પણ એવું નથી. હકીકતે તેઓ ખુદ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. અનેક ભ્રષ્ટ નેતાઓને તેમણે સજા કરવાને બદલે ભાજપમાં સમાવ્યા છે. તેઓ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા નથી, પરંતુ વિપક્ષી નેતાઓને ચૂપ કરવા માંગે છે.” </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/kosambas-vasava-family-decorated-the-wedding-hall-on-the-theme-of-bahujan-great-heroes">કોસંબાના વસાવા પરિવારે બહુજન મહાનાયકોની થીમ પર લગ્નમંડપ સજાવ્યો</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662dd0686ae98.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિયંકા ગાંધીએ ભ્રષ્ટાચાર સામે લડવાના મોદીના દાવાઓને પોકળ ગણાવતા કહ્યું, “મોદીએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ દ્વારા ભ્રષ્ટ લોકો પાસેથી કરોડો રૂપિયાનું દાન લીધું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ એ વાત સામે આવી છે કે મોદી સરકાર દ્વારા કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા અને તે જ કંપનીઓ પાસેથી ભાજપે ડોનેશન લીધું હતું. તપાસ એજન્સીઓએ કંપનીઓ સામે કાર્યવાહી કરી, પછી ભાજપે એ જ કંપનીઓ પાસેથી ડોનેશન લીધું. આનાથી મોટો ભ્રષ્ટાચાર બીજો કોઈ હોઈ ન શકે. પાછા આ જ લોકો ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરે છે.”</span><br><span style="font-size: 14pt;">તપાસ એજન્સીઓના દુરૂપયોગનો મુદ્દો ઉઠાવતા પ્રિયંકાએ કહ્યું, “આજે બે મુખ્યમંત્રીઓને ભ્રષ્ટાચારના બહાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. ઈડી, સીબીઆઇ અને આવકવેરા વિભાગ વિપક્ષી નેતાઓ પર દબાણ બનાવી રહ્યા છે. એ જ વિપક્ષી નેતાઓ જ્યારે ભાજપમાં જોડાય છે ત્યારે અચાનક ભ્રષ્ટાચારના કેસોની ફાઈલો અટકી જાય છે. મોદી જેમના પર હજારો કરોડના કૌભાંડનો આરોપ લગાવે છે તે નેતાઓ ભાજપમાં જોડાયા પછી ભ્રષ્ટાચારનો કેસ બંધ થઈ જાય છે. મોદીની કથની અને કરણી સાવ અલગ છે. તેમના પર વિશ્વાસ કરવા જેવો નથી. તેઓ મોંઘવારી અને બેરોજગારી અને યુવાનોને નોકરીના કરેલા વાયદાઓનો જવાબ ન આપવો પડે એટલે દર વખતે જુઠી વાતો ફેલાવ્યા કરે છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/only-dr-I-became-a-judge-because-of-ambedkar-justice-b-r-gawai">ફક્ત ડૉ. આંબેડકરના કારણે જજ બની શક્યો છું – જસ્ટિસ બી.આર. ગવઈ</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 28 Apr 2024 10:06:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>552</Articleid>
                    <excerpt>કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગઈકાલે ધરમપુરમાં સભા સંબોધી હતી. જેમાં તેમણે દલિત-આદિવાસી સમાજને લગતા મુદ્દાઓ પર વિગતે વાત કરી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_662dd0691630b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662dd068dcc59.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662dd068dcc59.jpg" length="83716" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Priyanka Gandhi, Congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોસંબાના વસાવા પરિવારે બહુજન મહાનાયકોની થીમ પર લગ્નમંડપ સજાવ્યો</title>
                    <link>https://khabarantar.com/kosambas-vasava-family-decorated-the-wedding-hall-on-the-theme-of-bahujan-great-heroes</link>
                    <guid>https://khabarantar.com/kosambas-vasava-family-decorated-the-wedding-hall-on-the-theme-of-bahujan-great-heroes</guid>
                    <description>
                        <![CDATA[ કોસંબાના આદિવાસી પરિવારે લગ્ન કંકોતરીમાં આદિવાસી વારલી આર્ટ અને બિરસા મુંડા, ડો.આંબેડકરને સ્થાન આપ્યું છે, આ કંકોતરી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી સમાજ પણ હવે ધીમી પણ મકકમ ગતિએ મનુવાદીઓના ભગવાન અને તેમના રીતિરિવાજોને ફગાવવા માંડ્યો છે. સુરતના માંગરોળ તાલુકાના કોસંબામાં એક આદિવાસી પરિવારે બહુજન મહાનાયકો બિરસા મુંડા, ટંટ્યા ભીલ અને ડો. આંબેડકરના વિચારો આધારિત લગ્ન કંકોતરી છપાવી છે. સાથે જ તેમણે લગ્નનો મંડપ પણ બહુજન મહાનાયકોના વિચારોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. વસાવા પરિવારની આ લગ્ન કંકોતરી અને લગ્ન મંડપના ફોટા અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોસંબાના આદિવાસી પરિવારે આદિવાસી સમાજની વારલી કળાને જીવંત કરતી અદ્દભૂત લગ્ન કંકોતરી છપાવીને સૌ કોઈનું ધ્યાન ખેચ્યું છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી કોસંબાની દાદરી લોધર ચાલમાં રહેતા વસાવા પરિવારે આદિવાસી સમાજના પ્રકૃતિ એજ જીવનના મંત્રનો મેસેજ આપતી લગ્ન કંકોતરી છપાવી છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો :</strong></span> <a href="https://khabarantar.com/Buddhist-marriage-trend-in-Scheduled-Caste-society,-first-Buddhist-marriage-ceremony-held-in-Kadi"><strong>અનુસૂચિત જાતિ સમાજમાં બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કરવાનો ટ્રેન્ડ, કડીમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6625ed1af1b6c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">22 અને 23 એપ્રિલે લગ્ન યોજાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોસંબાના રામુભાઈ અને કવિતાબેન વસાવાના સંતાનો ભૂમિકા અને હાર્દિકના લગ્ન તા. 22 અને 23 એપ્રિલ 2024ના રોજ યોજાનાર છે. ભૂમિકાના લગ્ન નવા છાપરાના જગદીશભાઈ વસાવાના દીકરા ઉપેન્દ્ર સાથે જ્યારે હાર્દિકના લગ્ન કોસંબાની જ કન્યા કોમલ સાથે આવતીકાલે યોજાનાર છે. આ પરિવારે લગ્ન માટેની જે કંકોતરી છપાવી છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. એટલું જ નહીં આ પરિવારે લગ્ન મંડપને પણ આદિવાસી સમાજની પ્રકૃતિ પૂજક તરીકેની થીમ પર તૈયાર કર્યો છે. તેમાં આદિવાસી સમાજની વિવિધ પરંપરાઓ વારલી આર્ટમાં રજૂ કરવામાં આવેલી છે. લગ્નના મંડપ પર તેમણે ડો. ભીમરાવ આંબેડકર અને મહાનાયક બિરસા મુંડાનો ફોટો લગાવીને ભવિષ્યમાં તેઓ કઈ દિશામાં જશે તેનો સંકેત પણ આપી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે વરરાજ હાર્દિક વસાવા ખબરઅંતર.કોમ સાથે વાત કરતા કહે છે, “અમારા ફળિયામાં અમારા 25-30 મિત્રોનું ગ્રુપ છે. જેઓ ડો. ભીમરાવ આંબેડકર અને ભગવાન બિરસા મુંડા સહિતના મહાનુભાવોના વિચારોથી પ્રભાવિત છીએ. વારલી આર્ટની થીમ પ્રમાણેની કંકોતરી છપાવવાનો વિચાર આ ગ્રુપમાંથી જ આવ્યો હતો. અગાઉ અમે એક મિત્રના લગ્નમાં મંડપની સજાવટમાં આદિવાસી સમાજના અસલી હીરો એવા ભગવાન બિરસા મુંડા અને ડો. આંબેડકરના વિચારધારાની થીમ પર મંડપ, રિસેપ્શન એરિયાની સજાવટ કરી હતી. જેણે ખાસ કરીને યુવાનોનું ધ્યાન ખેંચ્યું હતું. હું ધોરણ 10 પાસ છું અને અહીં એક ગ્લાસની ફેક્ટરીમાં કામ કરું છું. મને વાંચવાનો શોખ હતો અને એમાંથી જ મહાનાયક બિરસા મુંડા અને ડો. આંબેડકરે બહુજન સમાજ માટે જે કામ કર્યું છે તેનો પરિચય થયો. પછી તો બીજા મહાનાયકો વિશે પણ વાંચતો થયો. આદિવાસી સમાજના રીતિરિવાજો વિશે વાંચ્યું અને બીજા મિત્રોને પણ તે વાંચવા માટે પ્રેરિત કર્યા. એ રીતે બહુજન વિચારધારામાં માનતા લોકોનું અમારું ગ્રુપ મોટું થતું ગયું. અમે વિચારધારાને લોકો વચ્ચે લઈ જવા માંગતા હતા અને તેના માટે લગ્નથી મોટો પ્રસંગ અમને બીજો કોઈ લાગતો નહોતો. અમે એક મિત્રના લગ્નમાં આ રીતે બાબાસાહેબ અને ભગવાન બિરસા મુંડાના ફોટા સાથે બહુજન મહાનાયકો અને તેમણે સમાજ માટે કરેલા મહાન કાર્યોને લોકો વચ્ચે લઈ જવાનો પ્રયોગ કર્યો હતો, જે સારો એવો સફળ રહ્યો. પછી અમે અમારા ગ્રુપના છોકરાઓના લગ્નમાં આ જ રીતે આગળ વધવાનું નક્કી કર્યું છે. આવતીકાલે મારા લગ્ન છે અને તેમાં અમે આ જ રીતે બહુજન સમાજના મહાનાયકોના વિચારો સાથે આદિવાસી સમાજની વિવિધ કળાઓને જીવંત કરવા પ્રયત્ન કર્યો છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Answer-to-racists:-In-Bhavnagars-Jaliya,-a-father-put-his-daughter-on-a-horse-and-took-her-out,-drove-her-around-the-village-for-3-hours"><strong>જાતિવાદીઓને જવાબઃ ભાવનગરના જાળીયામાં પિતાએ દીકરીને ઘોડી પર બેસાડી ફુલેકું કાઢ્યું, ગામમાં 3 કલાક ફેરવી</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6625ed33662eb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મનુવાદી વિચારોને ધીરેધીરે પાછળ છોડી દેવા છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખબરઅંતર.કોમે હાર્દિક વસાવાને પૂછ્યું હતું કે, તમે લગ્ન મંડપ અને કંકોતરી ઉપર બહુજન મહાનાયકોના ફોટોગ્રાફ્સ મૂક્યા છે, વારલી કળાને સ્થાન આપ્યું છે એ બરાબર, પણ અંદર મહાકાળી માતા અને ગણપતિનો ફોટો કેમ મૂક્યો છે? આ બાબતે હાર્દિક વસાવાએ કહ્યું, “અમારા ગામમાં હજુ પણ વડીલો અને મનુવાદી વિચારસરણીમા માનતા લોકો બહુમતીમાં છે. અમારે સામા પ્રવાહે તરવાનું છે. એટલે ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધવા માંગીએ છીએ. જો એક ઝાટકે મનુવાદી માતાઓ અને દેવતાઓનો એકડો કાઢી નાખીએ તો અહીં હોબાળો મચી જાય એમ છે. શક્ય છે પરિવારના કેટલાક વડીલો પણ અમારાથી નારાજ થઈ જાય. એટલે અમે 80 ટકા સ્થાન બહુજન મહાનાયકોને અને 20 ટકા જગ્યામાં મનુવાદી ભગવાનોને જગ્યા આપી છે. જેથી વડીલો ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો અમારો વિરોધ ન કરે. અમે 80 ટકા સુધી પહોંચી ગયા છીએ એ અમારી સફળતા છે. આગામી દિવસોમાં બાકી બચેલી 20 ટકા જગ્યામાંથી પણ મનુવાદના મૂળ ઉખેડી નાખીશું. સોશિયલ મીડિયાને કારણે આદિવાસી સમાજ અને યુવાનોમાં બહુજન મહાનાયકો અને તેમના કાર્યોને લઈને હવે લોકો અજાણ નથી. એમને સમજાવા માંડ્યું છે કે મનુવાદ જ આપણો સૌથી મોટો દુશ્મન છે. તેના રીતિરિવાજોથી લઈને બધું જ આપણને ગુલામ બનાવી રાખે છે. બાબસાહેબ કહે છે, અંગ્રેજી શિક્ષણ એ સિંહણનું દૂધ છે અને જે પીશે એ ત્રાડ નાખશે. બસ આ મંત્ર અમે પકડી લીધો છે. મને વાંચવાની પ્રેરણા બાબાસાહેબમાંથી મળી છે. મહાનાયક ભગવાન બિરસા મુંડા મને લડવાની પ્રેરણા આપે છે. વારલી આર્ટ મને મારી સમાજનો ભવ્ય વારસો યાદ અપાવે છે. આ બધું આગળ જતા ચોક્કસ બીજી ક્રાંતિને જન્મ આપશે. જય આદિવાસી, જય જોહાર.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/at-ramod-the-cremation-ceremony-was-solemnized-with-the-fragrance-of-the-constitution">રામોદ ખાતે સ્મશાનમાં બંધારણના સોગંધ સાથે બૌદ્ધિવિધિથી લગ્ન યોજાયા</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 22 Apr 2024 10:30:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>533</Articleid>
                    <excerpt>કોસંબાના આદિવાસી પરિવારે લગ્ન કંકોતરીમાં આદિવાસી વારલી આર્ટ અને બિરસા મુંડા, ડો.આંબેડકરને સ્થાન આપ્યું છે, આ કંકોતરી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6625ecff4116e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6625ecff0e379.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6625ecff0e379.jpg" length="119995" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?</title>
                    <link>https://khabarantar.com/my-society-does-not-allow-me-to-go-to-temples-how-can-I-be-tolerated</link>
                    <guid>https://khabarantar.com/my-society-does-not-allow-me-to-go-to-temples-how-can-I-be-tolerated</guid>
                    <description>
                        <![CDATA[ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ Indian Express ને આપેલી એક મુલાકાતમાં દલિત અને આદિવાસી સમાજના મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, અનુસૂચિત જાતિ (SC) ના લોકોને હજુ પણ દેશભરમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. ખડગેએ મોદી સરકાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેમના પુરોગામી રામનાથ કોવિંદને ‘અપમાનિત’ કરવાનો આરોપ મૂક્યો છે કારણ કે "તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છે". તેમણે કહ્યું કે મુર્મુને અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ અને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જ્યારે કોવિંદને નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખડગેએ વધુમાં કહ્યું કે, "આજે પણ મારી સમાજના લોકોને બધાં મંદિરોમાં જવાની મંજૂરી નથી. રામ મંદિર છોડો, ગમે ત્યાં જાઓ, મારા સમાજના લોકોના મંદિર પ્રવેશ પર મારામારી થઈ રહી છે. ગામમાં નાના-મોટા મંદિરો છે ત્યાં જવાની પરવાનગી નથી. તમે પીવાનું પાણી નથી આપતા, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ નથી દેતા.  એક વરરાજાને પણ સહન નથી કરી શકતા જે ઘોડા પર બેસીને પરણવા જાય છે. લોકો તેને નીચે ઉતારી મૂકે છે અને મારે છે. એવામાં તમે મારી પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકો છો? જો હું રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જાત તો શું તેઓ સહન કરી શકત?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીના એ આરોપને પણ ફગાવી દીધો હતો કે કોંગ્રેસ રાજકીય મજબૂરીઓને કારણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી દૂર રહી હતી. આ મામલે તેમણે કહ્યું હતું કે, હજુ પણ અનુસૂચિત જાતિના લોકોને ઘણાં મંદિરોમાં જવાની મંજૂરી નથી, એવામાં જો હું અયોધ્યા ગયો હોત તો શું તેઓ સહન કરી શક્યા હોત? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/K.R.-Narayans-birthday:-The-journey-to-becoming-Indias-first-Dalit-President-was-not-an-easy-one"><strong>કે.આર. નારાયણનો જન્મદિવસઃ ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર આસાન નહોતી  </strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6622784abc580.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ કોંગ્રેસ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવા પર ભાજપ પર નિશાન સાધતી રહી છે. ફેબ્રુઆરી 2024માં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દલિતો અને આદિવાસીઓનું અપમાન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન પ્રતાપગઢમાં આ આરોપો લગાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, અદાણી, અંબાણી અને અભિતાભ બચ્ચનને આ સમારોહમાં આમંત્રણ આપીને મોદીએ સંદેશ આપ્યો કે દેશની 73 ટકા વસ્તીનું કોઈ મહત્વ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે ખડગેને પૂછવામાં આવ્યું કે શું તેમણે પછીથી વિચાર્યું કે તેમણે આ સમારોહમાં ભાગ લેવો જોઈતો હતો? તો તેમણે કહ્યું કે આ વ્યક્તિગત માન્યતાનો વિષય છે. જે ચાહે તે કોઈપણ દિવસે જઈ શકે છે. મોદી પૂજારી નથી. તેમણે રામ મૂર્તિની સ્થાપનાનું નેતૃત્વ કેમ કરવું જોઈએ? મોદીજીએ આ માત્ર રાજકીય હેતુ માટે કર્યું હતું. મંદિરનું ત્રીજા ભાગનું કામ હજુ પૂર્ણ થયું નથી. શું આ રાજકીય કાર્ય છે કે ધાર્મિક કાર્ય? તમે ધર્મને રાજકારણ સાથે કેમ ભેળવી રહ્યા છો? વાતચીતમાં ખડગેએ મોદી સરકારના 400 સીટો પાર કરવાના દાવાને પણ ફગાવી દીધો હતો. તેમણે કહ્યું કે ત્રીજી ટર્મનું તેમનું સપનું પૂરું નહીં થાય. કારણ કે લોકો પરિવર્તન માટે આતુર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/after-rajasthan-madhya-pradesh-now-the-entry-of-bap-in-gujarat-elections">રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતની ચૂંટણીમાં ‘બાપ’ની એન્ટ્રી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 19 Apr 2024 19:32:44 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 05 Jun 2024 11:47:26 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>527</Articleid>
                    <excerpt>કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ Indian Express ને આપેલી એક મુલાકાતમાં દલિત અને આદિવાસી સમાજના મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666002ed33fee.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666002eced401.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666002eced401.jpg" length="74945" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતની ચૂંટણીમાં ‘બાપ’ની એન્ટ્રી</title>
                    <link>https://khabarantar.com/after-rajasthan-madhya-pradesh-now-the-entry-of-bap-in-gujarat-elections</link>
                    <guid>https://khabarantar.com/after-rajasthan-madhya-pradesh-now-the-entry-of-bap-in-gujarat-elections</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતના રાજકારણમાં પાંચમા પક્ષ તરીકે બાપની એન્ટ્રી થઈ રહી છે. શું છે બાપ અને તે શા માટે ગુજરાતના બહુજન સમાજ માટે અગત્યનો પક્ષ છે તે સમજવા જેવું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં અત્યાર સુધી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓ મોટાભાગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાતી આવી છે. અત્યાર સુધીનો રાજકીય ઈતિહાસ કહે છે કે, જ્યારે પણ ત્રીજા પક્ષની એન્ટ્રી થઈ છે ત્યારે ભાજપને તેનો ફાયદો થયો છે અને કોંગ્રેસનું ધોવાણ થયું છે. વર્ષ 2012માં કેશુભાઈની જીપીપીએ ત્રિકોણીય જંગ કર્યો હતો. એ પછી ગયા વર્ષે આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસના મતો તોડ્યા હતા. મતોના વહેંચાઈ જવાથી સત્તાધારી પક્ષને ફાયદો થતો હોય છે. પણ તેનાથી દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના પોતાના પ્રશ્નોને વાચા મળે તેવા પોતાના રાજકીય પક્ષની આશા ફળીભૂત થતી નથી. તેઓ કથિત સવર્ણોના રાજકીય એજન્ડા પર ચાલતા પક્ષો પર જ નિર્ભર રહી જાય છે. પણ હવે લાગે છે તેમાં પરિવર્તન થઈ રહ્યું છે. કેમ કે, હવે આદિવાસી સમાજના પક્ષ તરીકે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પહેલા જ ધડાકે ચાર સીટો સાથે ખાતું ખોલાવનાર બાપ પક્ષની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં અત્યાર સુધી લોકસભાની ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ જોવા મળી રહ્યો હતો. પરંતું હવે પાંચમો પક્ષ મેદાનમાં આવ્યો છે. ભારત આદિવાસી પાર્ટી(BAP) ઉર્ફે બાપે દાદરા નગર હવેલી પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ બેઠક પર ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દિપકભાઈ કુરાડાએ ઉમેદવારીપત્ર ભર્યું છે. ગુજરાતના પડોશી સંઘપ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર હાલ ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અહીં સૌ પ્રથમ ફોર્મ બાપ પક્ષના ઉમેદવાર દિપકભાઈ કુરાડાએ ભર્યું હતું. આમ દાદરા નગર હવેલીના રસ્તે ગુજરાતના રાજકારણમાં હવે BAPની એન્ટ્રી થઈ ગઈ છે. જોવાનું એ રહેશે કે છોટુભાઈ વસાવાની બીટીપીની જેમ તે પોતાનો રસ્તો કંડારી શકે છે કે કેમ. હાલ દાદરા નગરહવેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ કલાબેન ડેલકર ચૂંટણી મેદાનમાં છે. તો કોંગ્રેસે આ બેઠક પર અજીત મહાલાને ઉમેદવાર જાહેર કર્યા છે. આમ અત્યાર સુધી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારોની ચર્ચા હતી. એવામાં બાપ પક્ષના ઉમેદવારે ફોર્મ ભરતા રાજનીતિમાં અચાનક ગરમાવો આવી ગયો છે. આજે ઉમેદવારી પત્ર ભર્યા બાદ બાપ પાર્ટીના ઉમેદવાર દીપક કુરાડા એ સ્થાનિક મુદ્દાઓને લઈ લોકો નું સમર્થન માગ્યું હતું</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661df8c2180c8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>ભારત આદિવાસી પાર્ટીનો રસપ્રદ ઈતિહાસ</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત આદિવાસી પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ છે. તેણે ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં પહેલી જ વખત ચૂંટણી લડતી હોવા છતાં રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક બેઠક જીતી હતી. તેનું ચૂંટણીચિહ્ન હોકી સ્ટીક અને દડો છે. દિગ્ગજ આદિવાસી નેતા છોટુભાઈ વસાવાની બીટીપી(ભારતીય ટ્રાઈબલ પાર્ટી)માં ભાગલા પડ્યા બાદ કેટલાક આદિવાસી નેતાઓએ નવા રાજકીય સંગઠનનો પાયો નાંખ્યો. 2023ની વિધાનસભાની ચૂંટણીમાં તેમાંથી BAP ની સ્થાપના કરવામાં આવી હતી અને તેણે ન માત્ર રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો પરંતુ પહેલા જ ધડાકે ચાર વિધાનસભા બેઠકો પણ જીતી હતી. સાવ નવાસવા પક્ષ માટે બહુ મોટી અપેક્ષા જગાવે તેવા પરિણામો હતા. ખાસ કરીને આદિવાસી સમાજની ખતમ થઈ રહેલી રાજનીતિ માટે આ સંજીવની સમાન હતું. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતોમાં ભાજપ અને કોંગ્રેસે બીટીપીના ગઢમાં ગાબડાં પાડ્યા બાદ આદિવાસી સમાજનું નેતૃત્વ ખતમ થવાની અણીએ હતું. છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા આજે ભાજપ સાથે છે અને એક સમયે છોટુદાદા સાથે રહેલા ચૈતર વસાવા આજે ભરૂચ લોકસભા બેઠક પરથી આપના ઉમેદવાર છે. આ બધાં સમીકરણોને કારણે આદિવાસી મતોમાં ભાગલા પડ્યાં હતા. જેનો સીધો ફાયદો મનુવાદી પક્ષોને થયો હતો. હવે બાપના સ્વરૂપે ફરી એકવાર આદિવાસી સમાજના પોતાના પક્ષની આશા ફળીભૂત થતી નજરે પડી રહી છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના હજારો આદિવાસી કાર્યકરો આજે બાપના સભ્ય છે અને તેની તરફ આશાભરી મીટ માંડી રહ્યાં છે. બાપના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનલાલ રોતે પણ ચૂંટણી લડી ચૂક્યા છે. 2024ની ચૂંટણીમાં ગુજરાતની પ્રથમ એવી બેઠક બની હતી, જેમાં ચતુષ્કોણીય જંગ જોવા મળવાનો છે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મનસુખ વસાવા અને ઈન્ડિયા ગઠબંધનાં આપનાં ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે જંગ જામ્યો હતો. પરંતુ તેમાં AIMIM અને છોટુ વસાવાના પક્ષે પણ મેદાનમાં ઝંપલાવ્યુ હતું. પરંતું ભારત આદિવાસી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતની ચૂંટણીમાં પાંચમા પક્ષની એન્ટ્રી થઈ છે. હવે સૌની નજર તેના પર્ફોર્મન્સ પર છે. જો કે, આદિવાસી સમાજ માટે પરિણામ જે પણ આવે, બાપની એન્ટ્રીથી તેમના પોતાના રાજકીય પક્ષનું સપનું જીવતું રહે તે મહત્વનું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661df8d198ae9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">BAP એ વિધાનસભાની કઈ સીટો જીતી હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BAP એ રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી લડી હતી. બાપને પહેલી જ ચૂંટણીમાં 4 સીટો મળી છે, જે કોઈ નાનસૂની સફળતા નથી. રાજસ્થાનમાં પાર્ટીએ ચૌરાસી, આસપુર અને ધારિયાવાડ સીટો પર જીત મેળવી છે. જ્યારે મધ્યપ્રદેશની સલાણા બેઠક પર જીતનો ઝંડો લહેરાવીને તેણે વિધાનસભામાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી દીધી છે. BAP ને ચૂંટણી પંચે હોકી અને દડાનું ચૂંટણી ચિહ્ન આપ્યું હતું અને આ ચિહ્ને ખરેખર વિરોધીઓને તેમની સફળતાથી દડાની જેમ ફરતા કરી દીધાં છે. ચાર સીટો પર જીત મેળવ્યા બાદ BAP ના રાષ્ટ્રીય મહાસચિવ દિલીપ વસાવાએ પક્ષના વિજેતા ઉમેદવારોને અભિનંદન આપતા લખ્યું હતું કે, “ભારતીય આદિવાસી પાર્ટી(BAP) ના ત્રણ ભીલ આદિવાસી યુવાનો વિજેતા થયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં એક સીટ પર જીત મળી છે. જય આદિવાસી, જય જોહાર. શુભેચ્છાઓ.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Party-formed-three-months-ago,-won-4-seats-in-two-states,-know-who-is-the-face-behind-BAP-party-that-shows-the-strength-of-tribal-society">ત્રણ મહિના પહેલા બની પાર્ટી, બે રાજ્યોમાં જીતી 4 સીટ, જાણો કોણ છે આદિવાસી સમાજની તાકાત દર્શાવતી BAP પાર્ટી પાછળનો ચહેરો</a></strong></span></p>
<div class="post-text">
<p><span><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
</div>
<section id="comments" class="section">
<div class="col-sm-12 col-xs-12">
<div class="row">
<div class="comment-section">
<ul class="nav nav-tabs">
<li class="active"></li>
</ul>
</div>
</div>
</div>
</section>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 16 Apr 2024 11:08:33 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 16 Apr 2024 09:40:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>511</Articleid>
                    <excerpt>ગુજરાતના રાજકારણમાં પાંચમા પક્ષ તરીકે બાપની એન્ટ્રી થઈ રહી છે. શું છે બાપ અને તે શા માટે ગુજરાતના બહુજન સમાજ માટે અગત્યનો પક્ષ છે તે સમજવા જેવું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_661df8d28e342.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661df8d23dcff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661df8d23dcff.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ટુ કિલ અ ટાઈગર&amp; એક હચમચાવી નાખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ</title>
                    <link>https://khabarantar.com/to-kill-a-tiger-a-shocking-documentary-film</link>
                    <guid>https://khabarantar.com/to-kill-a-tiger-a-shocking-documentary-film</guid>
                    <description>
                        <![CDATA[ આ કોઈ વાઘના શિકારને લગતી ફિલ્મ નથી. વર્ષ 2024માં ઓસ્કારમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થયેલી આ ફિલ્મનો વિષય તમને હચમચાવી નાખશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'To Kill a Tiger' એ નિશા પાહુજા દ્વારા દિગ્દર્શિત એક ડોક્યુમેન્ટરી છે જે 2024ના આ વર્ષમાં ઓસ્કારમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. 'ટુ કીલ અ ટાઈગર' નામ સાંભળતા જ મનમાં પહેલો વિચાર એ આવે કે આ ફિલ્મ કોઈ વન્ય જીવન પર હશે. પરંતુ ફિલ્મ એક એવા મુદ્દા પર છે જે રૂંવાડા ઉભા કરી દે છે. આ ફિલ્મ ડરાવે છે અને તેને જોતી વખતે ઘણી વખત રડાવે પણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મના શરૂઆતના દ્રશ્યમાં, એક પિતા પ્રેમથી તેની મોટી પુત્રી વિશે કહી રહ્યા છે અને સ્ક્રીન પર તે જ પુત્રી એક રૂમમાં તેના વાળમાં કાંસકો ફેરવતી જોવા મળે છે. એ છોકરી તેના વાળમાં એક રંગીન રિબીનને એવી રીતે બાંધી રહી હતી જાણે તે કોઈ મોટું ફૂલ હોય. આ ફૂલ પલાશ જેવું જ દેખાય છે, જે ઝારખંડનાં સ્ટેટ ફ્લાવર પલાશ જેવું જ મોટું અને આકર્ષક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાડકોડથી મોટી કરેલી પોતાની ફૂલ જેવી દીકરી વિશે પિતા કહે છે, "જેટલો પ્રેમ તેને આપ્યો છે ને, એટલો પ્રેમ કોઈને આપી નથી શક્યો. મને લાગે છે જેટલો પ્રેમ એને મળ્યો છે, તે જોતા બીજા માટે બચ્યો જ નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફિલ્મને ઓસ્કાર પહેલા નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. વિશ્વભરમાં અનેક મોટા સન્માનો મેળવ્યા બાદ અને જાણીતા પ્લેટફોર્મ પર ચર્ચામાં આવ્યા બાદ આ ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચી હતી. જોકે ફિલ્મ આ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી, પરંતુ આ ફિલ્મનું બનવું જ પોતે એક મોટી વાત છે. આ કેટેગરીમાં રશિયા-યુક્રેન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ '20 ડેઝ ઇન મેરીયુપોલ'ને એવોર્ડ મળ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660e4f4fd331d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે ફિલ્મની વાર્તા?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'ટુ કીલ અ ટાઈગર' નામની આ ડોક્યુમેન્ટ્રી ઝારખંડની 13 વર્ષની એક છોકરી સાથે થયેલા ગેંગરેપ અને ત્યારબાદ ન્યાય માટેની તેની લડત પર આધારિત છે. આ વાર્તા પીડિત છોકરી વિશે છે તેના કરતાં વધુ તેના પિતા વિશે છે. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ સમાજે ઓઢેલી એ દંભની ચાદરના એક એક તારને ઉખેડી નાખે છે, જેની નીચે એ ધૃણાસ્પદ સત્ય છુપાયેલું છે, જે છોકરી સાથે થયેલા જઘન્યમાં જઘન્ય અપરાધમાં પણ તેની ભૂલ શોધી લે છે. દંભી સમાજની આ એક એવી નાગાઈ છે જે નિર્દોષ છોકરીઓને પણ બક્ષતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બળાત્કારી સાથે લગ્નનું દબાણ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગેંગરેપ પછી ગામલોકોએ પીડિતાના ત્રણ આરોપીઓ પૈકીના એક (જેને પછીથી દોષિત ઠેરવવામાં આવ્યો હતો) સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકીને તેના પરિવારને સમાધાન કરવાની સલાહ આપી હતી. પીડિતા તે વખતે ફક્ત 13 વર્ષની હતી, એ છોકરી જેની સાથે અન્યાય થયો હતો, તેને આજીવન એ જાનવર સાથે સંબંધ બાંધીને જીવન વિતાવવાની સલાહ આપવામાં આવી રહી હતી જે તેનો ગુનેગાર હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે પીડિતાનો પરિવાર સમાધાન કરવા તૈયાર ન હતો ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. પરિવારના મોભી સામે એક એવો સમય પણ આવ્યો જ્યારે તે હિંમત હારતા દેખાયા, પરંતુ જ્યારે પિતાએ તેની પુત્રીની હિંમત જોઈ તો તેને ફરી ન્યાય માટે લડવાની હિંમત મળી. પીડિતાના પિતા કદાચ ભાગ્યશાળી હતા કે તેમને આવી બહાદુર પુત્રી મળી જેણે પીછેહઠ ન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ દરેક કિસ્સામાં આવું બનતું નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગેંગરેપ બાદ આત્મહત્યા કરનાર દીકરીઓના પિતાએ પણ આત્મહત્યા કર્યાના કિસ્સા છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે સગીર દીકરીઓએ ગેંગરેપ બાદ આત્મહત્યા કરી લીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને પિતરાઈ બહેનો હતી, તેમનો પરિવાર ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો અને ત્યાં જ તેમની સાથે આ જઘન્ય અપરાધ થયો. આરોપીઓની ધરપકડ તો કરવામાં આવી હતી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈંટના ભઠ્ઠાના માલિક તરફથી સમાધાનનું દબાણ કરવામાં આવતું હોવાથી પીડિત છોકરીઓમાંથી એકના પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. વિચારો, પરિવાર પર કેવું દબાણ આવ્યું હશે કે પિતાએ આત્મહત્યા કરી? કેમ પીડિત પક્ષ પર દુઃખના વાદળો તૂટી પડે છે? કાયદો, સમાજ, દબાણ અને ધમકીઓ માત્ર પીડિત પરિવારને જ કેમ ઘેરે છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ન્યાય મળવાની ગતિ ધીમી છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની રાજધાની દિલ્હી હોય કે દૂરના ગામડાઓ, નાની છોકરીઓથી લઈને મોટી ઉંમરની મહિલાઓ બળાત્કારનો શિકાર બની રહી છે. ઘણાં કિસ્સાઓમાં તો છોકરીઓને બળાત્કાર બાદ મારી નાખવામાં આવે છે. જ્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો(NCRB)એ 'ક્રાઈમ ઈન ઈન્ડિયા 2022' રિપોર્ટ બહાર પાડ્યો ત્યારે દેશમાં છોકરીઓ સાથે થતો અન્યાય અને ન્યાય મેળવવાની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660e4fea97ca0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં બાળકો વિરુદ્ધ અપરાધોના કુલ 1,62,449 કેસ નોંધાયા હતા, જે 2021 (1,49,404 કેસ) ની સરખામણીમાં 8.7% નો વધારો દર્શાવે છે. તેમાંથી 39.7 ટકા એવા કેસ હતા જે POCSO એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, 2012 હેઠળ નોંધાયા હતા, જેમાં બાળ બળાત્કારનો પણ સમાવેશ થાય છે. આ અહેવાલના થોડા દિવસો પછી એનજીઓ ઈન્ડિયા ચાઈલ્ડ પ્રોટેક્શન ફંડ (આઈસીપીએફ) એ એક સંશોધન પેપર 'જસ્ટિસ અ વેઈટ્સઃ એન એનાલિસિસ ઓફ જસ્ટિસ ડિલિવરી મિકેનિઝમ ઈન કેસીસ ઓફ ચાઈલ્ડ એબ્યુઝ' બહાર પાડ્યું છે જેમાં POCSO કેસોની સુનાવણીમાં વિલંબની વિગતે માહિતી આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રિસર્ચ પેપર મુજબ 31 જાન્યુઆરી, 2023 સુધી POCSO કેસોની સુનાવણી માટે બનાવવામાં આવેલી વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દેશમાં 2,43,237 કેસ પેન્ડિંગ હતા. આટલા પેન્ડિંગ કેસોમાં એક પણ નવો કેસ ઉમેરવામાં ન આવે તો પણ આ તમામ કેસોના નિકાલમાં ઓછામાં ઓછા નવ વર્ષનો સમય લાગશે. રિપોર્ટ દર્શાવે છે કે વર્ષ 2022માં POCSO કેસોમાં માત્ર 03 ટકા જ સજા સંભળાવવામાં આવી હતી. આ તમામ આંકડા કાયદા અને ન્યાય મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા પર આધારિત છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660e4fbb9c1fe.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં ચૂંટણી દરમિયાન મહિલા મતદારોને રીઝવવા માટે રેલીઓમાં ભાષણો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા ઘણી ડરામણી છે. મહિલાઓ વિરૂદ્ધ દર વર્ષે વધી રહેલા ગુનાઓ ભયાનક છે. આખરે શું કારણ છે કે મહિલાઓ સામેના ગુનાઓ નથી ઘટી રહ્યા? શું સમસ્યા સમાજના કોઈ ખૂણામાં છુપાયેલી છે કે પછી શિક્ષણનો મૂળભૂત ઢાંચો એવો છે જે છોકરાઓમાં એ શિક્ષણ અને સમજ પેદા કરવામાં નિષ્ફળ રહ્યો છે જે મહિલાઓ અને છોકરીઓને એક સલામત વાતાવરણ પૂરું પાડી શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">"અમે છોકરી છીએ, એ કાયમ યાદ રાખવું પડશે"</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઘટના બાદ ગામ અને સમાજના લોકો જ પીડિત યુવતીને ઘટના માટે જવાબદાર ઠેરવતી વાત કરવા લાગ્યા હતા. આરોપીની મહિલા વકીલ પણ પીડિત છોકરી માટે એમ કહે છે કે, “લગ્ન સમારંભમાં રાત્રે 12 વાગ્યા પછી તું ત્યાં કેમ હતી, આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે એક છોકરી છીએ. તું હોય કે હું, આ તો હંમેશા યાદ રાખવું પડશે, આ ઝારખંડ છે વિદેશ નહીં. સમાજ-વ્યવસ્થા અને સરકાર ભલે સુરક્ષિત વાતાવરણ આપવામાં નિષ્ફળ જાય, પણ છોકરીએ એ ન ભૂલવું જોઈએ કે તે છોકરી છે!”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષિત વકીલ સાહિબા કહે છે કે "તમે એ ભૂલશો નહીં કે તમે છોકરી છો", તો શું છોકરીનું શરીર જ તેના માટે સૌથી મોટો ખતરો છે? સમાજ, સિસ્ટમ કે સરકાર મહિલાઓ અને છોકરીઓને સુરક્ષિત વાતાવરણ પુરું પાડવામાં નિષ્ફળ રહી શકે છે, પરંતુ મહિલાઓ અને છોકરીઓએ હંમેશા એ યાદ રાખવું જોઈએ કે તેઓ છોકરીઓ છે, આ કેવી માનસિકતા છે? દુઃખની વાત એ છે કે આ વિચાર માત્ર તેમનો નથી પરંતુ સમાજનો છે અને તે ક્યારે અને કેવી રીતે બદલાશે તે કોઈ નથી જાણતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઝારખંડમાં વિદેશી મહિલા સાથે ગેંગરેપનો આરોપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિચારસરણીનું ઉદાહરણ તાજેતરમાં જ ઝારખંડમાં જોવા મળ્યું, જ્યારે એક સ્પેનિશ મહિલા તેના પતિ સાથે દુનિયા ફરવા નીકળી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ કપલે બાઇક દ્વારા 66 દેશોની યાત્રા કરી હતી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા દેશોમાં પણ તે નિર્ભય રહ્યું, જેને હ્યુમન રાઈટ્સ વોચ સંસ્થાએ રહેણાંકના દૃષ્ટિકોણથી સૌથી ખતરનાક વિસ્તારો ગણાવ્યા છે. આ યુગલ ભારતમાં ઝારખંડના દુમકા ખાતે રોકાયું હતું. એવો આરોપ છે કે અહીં મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના પતિ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો, ધરપકડ કરવામાં આવી હતી અને પીડિત દંપતીને વળતર આપીને રવાના કરવામાં આવ્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660e4f85cdba9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓની સુરક્ષા અને સન્માનના મુદ્દા પર ક્યારેય સમાપ્ત ન થાય તેવી ચર્ચા થઈ શકે છે. દેશમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ એક મોટી સમસ્યા છે. એક અંદાજ મુજબ છોકરીઓ અને મહિલાઓ સાથે બનતા ગુનાઓના જેટલા કેસો પોલીસ ચોપડે નોંધાય છે તેના કરતા વધુ તો નોંધાતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફિલ્મ ખાસ છે, 13 વર્ષની બાળકી પર ગેંગરેપ અને ત્યારબાદ સમાધાન કરાવવાના પ્રયત્નો, ધમકીઓ અને સમાજ તરફથી જે ટેકો મળવો જોઈએ તે ન મળતો જોઈને રડવું આવી જાય છે, ઉદાસ થઈ જવાય છે, ગુસ્સો અને ચીડ ચડે છે, પણ પછી આશા બંધાય છે. કારણ કે એવા બહુ ઓછા પિતા હોય છે જેઓ પોતાની દીકરી માટે સમાજ સામે લડી પણ લે છે. એક ગરીબ ખેડૂત પિતા માટે કોર્ટના ચક્કર લગાવવા અને પરિવારની સલામતી માટે રાતોની રાત જાગતા રહીને ચોકી કરવી સહેલી નથી. જે સમયે એક દીકરીના પિતાને સમાજે એકલો છોડી દીધા હતા એ વખતે તેને જે હિંમત આપી રહી હતી તે તેની એ પીડિત દીકરી હતી, જેનો આત્મા સુદ્ધાં ઘાયલ હતો. ફિલ્મમાં એક જગ્યાએ પીડિત બાળકીના પિતા કહે છે કે, “કોઈએ મને કહ્યું હતું કે એકલો માણસ વાઘને ન મારી શકે. ત્યારે મેં તેમને કહ્યું હતું કે, હું તમને એ કરી બતાવીશ.” પીડિત બાળકી અને તેના પરિવારે કાયદાકીય રીતે ન્યાય મળવા સુધી લડાઈ લડી. તેમને ન્યાય મળી પણ ગયો, પણ બાળકીના મનમાં જે ઘા લાગ્યા છે, તેમાંથી તે બહાર આવી શકશે કે નહીં તે કોઈ નથી જાણતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/a-chamar-singer-whose-songs-the-whole-of-punjab-used-to-sing"> </a></span></strong></span><a href="https://khabarantar.com/a-chamar-singer-whose-songs-the-whole-of-punjab-used-to-sing"><strong><span style="font-size: 14pt;">એક ચમાર ગાયક, જેના ગીતો પર આખું પંજાબ ઝૂમી ઉઠતું હતું</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 04 Apr 2024 12:40:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>466</Articleid>
                    <excerpt>આ કોઈ વાઘના શિકારને લગતી ફિલ્મ નથી. વર્ષ 2024માં ઓસ્કારમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થયેલી આ ફિલ્મનો વિષય તમને હચમચાવી નાખશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_660e4ee57beb7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_660e4ee548387.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_660e4ee548387.jpg" length="83391" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રમણલાલ વોરાએ આદિવાસી મહિલા કાર્યકરને જાહેરમાં અપશબ્દો કહ્યાં</title>
                    <link>https://khabarantar.com/ramanlal-vora-insulted-tribal-women-activist-in-public</link>
                    <guid>https://khabarantar.com/ramanlal-vora-insulted-tribal-women-activist-in-public</guid>
                    <description>
                        <![CDATA[ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ ભાજપના જ એક મહિલા કાર્યકર્તાને જાહેરમાં અપશબ્દો બોલતા મામલો બિચક્યો છે. શું છે આખો મામલો વાંચો આ રિપોર્ટમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીનો માહોલ જામેલો છે ત્યારે ઈડરના અનુસૂચિત જાતિ સમાજની અનામત સીટ પર ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ તેમના જ પક્ષની એક આદિવાસી મહિલા કાર્યકરને જાહેરમાં અપશબ્દો કહેતા હોબાળો મચી ગયો છે. માહોલ વધુ ઉગ્ર બનતા અન્ય સિનિયર નેતાઓએ વચ્ચે પડવું પડ્યું હતું, જો કે એ પછી પણ તેમણે અન્ય એક કાર્યકર સાથે પણ ગેરવર્તન કરતા મામલો બિચક્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી વિગતો પ્રમાણે ગઈકાલે સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં આવેલ કચ્છી સમાજવાડી ખાતે ભાજપના કાર્યકરોની ઘર ઘર સંપર્ક માટેની એક બેઠક ચાલી રહી હતી. જેમાં લોકસભા બેઠકના દુષ્યંત પંડ્યા, સંયોજક જે.ડી. પટેલ, જિલ્લા પ્રભારી ગજેન્દ્ર સકસેના સહિતના નેતાઓ, પદાધિકારીઓ પણ હાજર હતા. આ સિવાય સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા પણ ઉપસ્થિત હતા. હાલમાં જ ભાજપે અહીં લોકસભા ચૂંટણી માટે કૉંગ્રેસના આયાતી ઉમેદવારના પત્ની શોભના બારૈયાની ટિકિટ આપી છે, જેની સામે ભાજપના સંનિષ્ઠ કાર્યકરોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ અંગે રજૂઆત કરવા માટે કેટલાક કાર્યકરો અને મહિલા કાર્યકરો બેઠકના સ્થળે પહોંચી હતી. એ દરમિયાન ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ પિત્તો ગુમાવ્યો હતો અને ઉપસ્થિત મહિલા કાર્યકરોને અપશબ્દો કહ્યા હતા. જેને લઈને હોબાળો મચી ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_6604f53075831.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના સ્થાનિક કાર્યકરો પાસેથી મળતી માહિતી પ્રમાણે રમણલાલ વોરાએ જેમને અપશબ્દો કહ્યા હતા તે અનસુયાબેન ગામેતી સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન છે અને આદિવાસી સમાજમાંથી આવે છે. ભાજપના એક કાર્યકરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, એક બાજુ પક્ષ મહિલા સશક્તિકરણની વાતો કરે છે, બીજી તરફ ખુદ ચૂંટાયેલા ધારાસભ્યો જાહેરમાં મહિલાઓને બેફામ અપશબ્દો બોલે છે, જે સાંખી લેવાય તેમ નથી. તેમણે જે મહિલાને ગાળો ભાંડી તેઓ ઉચ્ચ હોદ્દા પર બિરાજે છે જેને લઈને હવે આદિવાસી સમાજમાં પણ રોષ છે. આ મામલે આગળ કંઈ નવાજૂની થાય તો નવાઈ નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">મહિલા કાર્યકરોએ પોલીસ ફરિયાદ કરવા સુધીની વાત કરી હતી</span></strong><br><span style="font-size: 14pt;">આ હોબાળો નજરે જોનાર એક કાર્યકરે જણાવ્યું હતું કે, રમણલાલ વોરાએ જે રીતે આદિવાસી મહિલા કાર્યકરનું અપમાન કર્યું હતું તેને લઈને તેઓ ભારે રોષે ભરાયા હતા અને પોલીસ ફરિયાદ કરવા સુધીની વાત કરતા હતા. પરંતુ પક્ષના અન્ય સિનિયર નેતાઓએ તેમને રોક્યા હતા. જો કે વાત આટલેથી અટકી નહોતી અને રમણલાલ વોરાએ ઈડર તાલુકા પંચાયતના સભ્ય નવીન પટેલને પણ રજૂઆત કરતા અટકાવ્યા હતા અને તેમને પણ અપશબ્દો કહ્યાં હોવાનું કહેવાય છે. જેના કારણે તેમના વર્ચસ્વ ધરાવતા ઈડર તાલુકાના જવાનગઢ, વસાઈ સહિતના ગામોના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_6604f52f72870.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તલોદ શહેર ભાજપ મહામંત્રીએ વી.ડી. ઝાલા વિરુદ્ધ સી.આર. પાટિલને પત્ર લખ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">હિંમતનગરમાં યોજાયેલી આ બેઠકમાં બીજો પણ એક મોટો ડખો સામે આવ્યો હતો. જેમાં તલોદ શહેર ભાજપના મહામંત્રી વિનુ સુથાર સાથે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ગેરવર્તન કર્યું હતું. આ મામલે વિનુ સુથારે છેક ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલને પત્ર લખ્યો છે. પત્રમાં વિનુ સુથારે લખ્યું હતું કે, તા.૨૭-૦૩-૨૦૨૪ના રોજ હિંમતનગર ખાતે જિલ્લા સંગઠનની ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગતની બેઠકમાં મેં હાજરી આપી હતી. મિટીંગ પુરી થયા બાદ સૌ બહાર નીકળતા હતા એ દરમિયાન સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાના વિરોધમાં જિલ્લા ભાજપની અનેક મહિલા સભ્યો અને કાર્યકર્તાઓ દેખાવો કરી રહ્યા હતા. જેમાં બડોલીના જિલ્લા સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન, અનસુયાબેન ગામેતી પણ હતા. એ દરમિયાન પૂર્વ શિક્ષણમંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને તેમની સાથે બોલાચાલી થઈ હતી. જેમાં તેમણે વચ્ચે પડીને રમલાલ વોરાને આવું વર્તન ન કરવા વિનંતી કરી હતી. આથી બાજુમાં ઉભેલા પૂર્વ કાયદામંત્રી અને હિંમતનગરના વર્તમાન ધારાસભ્ય વી.ડી.ઝાલાએ તેમની સાથે અશોભનીય વર્તન કર્યું હતું. હું સંઘનો જૂનો કાર્યકર છું અને હાલ તલોદ શહેરમાં મહામંત્રી તરીકે સેવા આપી રહ્યો છું, પાર્ટીમાં વફાદારી સાથે કામ કરું છું તેમ છતાં પક્ષના જ ધારાસભ્ય મારા જેવા કાર્યકર સાથે અશોભનીય વર્તન કરે છે તે દુઃખની વાત છે. આ બાબતને ધ્યાનમાં લઈને ધારાસભ્ય સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં લેશો.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_6604f52ee862c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા લોકસભા બેઠક પર હાલ ભાજપ માટે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. અહીં પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ અપાઈ હતી, પણ સૂત્રોના મતે તેમની અટક ઠાકોર નહીં ડામોર છે એ પ્રકારની પત્રિકા ખુદ પક્ષના જ અસંતુષ્ટોએ વહેતી કરીને તેમને ચૂંટણી ન લડવાનો નિર્ણય લેવા મજબૂર કર્યા હતા. એ પછી ભાજપ મોવડીમંડળે કૉંગ્રેસના આયાતી ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભના બારૈયાને ટિકિટ આપી હતી. પરંતુ તેમની સામે તેનાથી પણ વધુ મોટો વિરોધ થઈ રહ્યો છે. આ જ બાબતે ભાજપની મહિલા કાર્યકરો વિરોધ નોંધાવવા પહોંચી હતી, જ્યાં રમણલાલ વોરાએ પિત્તો ગુમાવ્યો હતો અને પક્ષની મહિલાઓને અપશબ્દો કહ્યાં હતા. જેના પડઘા સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડ્યાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/considered-as-a-political-powerhouse-ahmedabad-west-sc-reserved-seat-Makwana-vs-battle-of-makwana">રાજકીય પાવરહાઉસ ગણાતી અમદાવાદ પશ્ચિમ SC અનામત બેઠક પર ‘મકવાણા Vs. મકવાણા’નો જંગ</a><br></span></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 28 Mar 2024 10:17:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>448</Articleid>
                    <excerpt>ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ ભાજપના જ એક મહિલા કાર્યકર્તાને જાહેરમાં અપશબ્દો બોલતા મામલો બિચક્યો છે. શું છે આખો મામલો વાંચો આ રિપોર્ટમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_6604f53019971.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_6604f52fdf21a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_6604f52fdf21a.jpg" length="90268" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ગામલોકોને આરોગ્ય સુવિધાથી વંચિત જોઈ આદિવાસી દીકરી ડૉક્ટર બની ગઈ</title>
                    <link>https://khabarantar.com/seeing-the-villagers-deprived-of-health-facilities-the-tribal-daughter-become-a-doctor</link>
                    <guid>https://khabarantar.com/seeing-the-villagers-deprived-of-health-facilities-the-tribal-daughter-become-a-doctor</guid>
                    <description>
                        <![CDATA[ એક Adivasi  દીકરીએ ગામલોકોને આરોગ્ય સુવિધાઓથી વંચિત થતા જોયા અને ડૉક્ટર બનવાનું સપનું જોયું, એ પછી આ અંતરિયાળ આદિવાસી ગામમાં જે થયું તે અનેક લોકોને પ્રેરણા આપશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં સિરોહી જિલ્લાના શિવગંજ શહેરથી અંદાજે 20 કિમી દૂર શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ વંચિત આદિવાસી(Adivasi) વિસ્તારના પ્રવેશદ્વારા કહેવાતા અંદાજે 15 હજારની વસ્તી ધરાવતા બેડા ગામની એક આદિવાસી દીકરી પિનલ પંવારે ઈતિહાસ રચી દીધો છે. તેણે ગામની પહેલી મહિલા ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરીને પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેડા ગામમાં શિક્ષણ અને આરોગ્ય સહિત અન્ય પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. આ એક એવો વિસ્તાર છે જ્યાંથી આદિવાસી વિસ્તાર શરૂ થાય છે. ગામમાં શિક્ષણ ક્ષેત્રે હજુ સુધી કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી. ગામ અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓના અભાવે સામાન્ય લોકોને પરેશાન થતા જોઈને ગામની દીકરી પિનલ પંવારે ડૉક્ટર બનવાનું નક્કી કર્યું અને એ સપનું પૂરું કરવા સખત મહેનત શરૂ કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/the-youth-of-the-halpati-tribal-community-built-a-library-in-the-village-from-the-rupees-they-collected-through-labour"><strong><span style="font-size: 14pt;">હળપતિ આદિવાસી સમાજના યુવાનોએ મજૂરી કરીને એકઠાં કરેલા રૂપિયામાંથી ગામમાં લાઈબ્રેરી બનાવી</span></strong></a></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આ વિસ્તારમાં અભ્યાસના યોગ્ય વાતાવરણના અભાવે પિનલને તેનું સ્વપ્ન સાકાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેના પરિવારે તેનું સ્વપ્ન સાકાર કરવામાં તેને પૂરો સાથ આપ્યો હતો. પિનલના પિતા મહેન્દ્ર સિંહ પંવાર કે જેઓ ફાર્માસિસ્ટ છે, તેના દાદા પૂર્વ સરપંચ અર્જુન સિંહ અને માતા સંગીતા પંવર, તેના ભાઈ પિંકલ સિંહ પંવાર અને બહેન ઈશા રાઠોડે તેનું સ્વપ્ન સાકાર કરવામાં તેને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. આનું પરિણામ એ આવ્યું કે ગામની આ દીકરીએ એમબીબીએસ કરીને ડોક્ટર બનવાનું સપનું પૂરું કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગ્રામજનોને આરોગ્ય સેવાઓ માટે ચિંતિત જોઈને ડૉક્ટર બનવાનું નક્કી કર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પિનલે તેનું શાળાકીય શિક્ષણ મુંબઈમાં તેની માતાના ઘરે રહીને મેળવ્યું હતું. આ પછી, ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા માટે તે રાજસ્થાન આવી અને NEETની તૈયારી કરવા લાગી. તેમાં સફળતા મળ્યા બાદ તેણે 2019માં ઉદયપુર મેડિકલ કોલેજમાંથી MBBS પૂર્ણ કર્યું. ગામમાં અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓના અભાવે લોકો પરેશાની ભોગવે છે. તેને જોઈને જ તેણે ડોક્ટર બનીને ગામની સેવા કરવાનું નક્કી કર્યું અને આજે MBBSની ડિગ્રી મેળવ્યા બાદ એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. તેમનું સપનું છે કે આરોગ્યની જાગૃતિ કેળવવી અને આરોગ્ય સેવાઓથી વંચિત ગામડાઓ અને આસપાસના વિસ્તારોમાં દર્દીઓની સેવા કરવી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સફળતાનો કોઈ શોર્ટકટ નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીનલ આજના યુવાનોને કહે છે કે આગળ વધવા માટે સપના જોવા જરૂરી છે, તમે સપના જોશો તો જ આગળ વધશો. જો તમારામાં કંઈક કરવાનો જુસ્સો હોય તો પ્રતિકૂળ સંજોગોમાં પણ સફળતા તમારા કદમ ચૂમશે. આ માટે યુવાનોએ સ્વપ્ન જોવું જોઈએ અને તેને સાકાર કરવા સખત મહેનત કરવી જોઈએ. સફળતા માટે કોઈ શોર્ટકટ નથી, તેના માટે સખત મહેનત જરૂરી છે. એક દિવસ તમને ચોક્કસ સફળતા મળશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માતાપિતા દીકરીઓને પ્રોત્સાહન આપે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો.પિનલ હવે પિડિયાટ્રિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને ગામમાં બાળકોના સ્વાસ્થ્ય માટે કામ કરવા માંગે છે. ડો. પિનલ કહે છે, “દરેક છોકરીની સફળતા પાછળ ખાસ કરીને તેના પરિવારના સભ્યોનું સમર્પણ હોય છે. તેના પરિવારે તેને સાચી દિશામાં મદદ કરી છે. હું તમામ પુત્રીઓના પરિવારોને વિનંતી કરું છું કે તેઓ તેમની પુત્રીઓ પર વિશ્વાસ રાખે અને તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે, જેથી તેઓ સ્વતંત્ર બનીને ગામની પ્રગતિમાં યોગદાન આપી શકે અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:</span></strong><span style="font-size: 14pt;"> </span></span><a href="https://khabarantar.com/23-year-old-V.-Sripati-made-history,-becoming-the-first-tribal-woman-civil-judge-in-Tamil-Nadu"><strong><span style="font-size: 14pt;">23 વર્ષની વી. શ્રીપતિએ ઈતિહાસ રચ્યો, તમિલનાડુની પહેલી આદિવાસી મહિલા સિવિલ જજ બની</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></span></strong></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Mar 2024 19:42:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>433</Articleid>
                    <excerpt>એક Adivasi  દીકરીએ ગામલોકોને આરોગ્ય સુવિધાઓથી વંચિત થતા જોયા અને ડૉક્ટર બનવાનું સપનું જોયું, એ પછી આ અંતરિયાળ આદિવાસી ગામમાં જે થયું તે અનેક લોકોને પ્રેરણા આપશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65fd8fed5a5c7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fd8fed2ab93.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fd8fed2ab93.jpg" length="120831" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મણિપુરમાં 5000 કલાકનું ઈન્ટરનેટ શટડાઉન નોંધાયું, અર્થતંત્રને 585 મિલિયન ડોલરનું નુકસાન</title>
                    <link>https://khabarantar.com/manipur-records-5000-hours-of-internet-shutdown-585-million-liss-to-economy</link>
                    <guid>https://khabarantar.com/manipur-records-5000-hours-of-internet-shutdown-585-million-liss-to-economy</guid>
                    <description>
                        <![CDATA[ એક રિપોર્ટ મુજબ ઈન્ટરનેટ શટડાઉન કરવાના મામલે ભારત દુનિયાભરમાં ત્રીજા ક્રમે છે. ગયા વર્ષે મણિપુરમાં સૌથી લાંબું ઇન્ટરનેટ શટડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં કેટલાક વર્ષોથી સલામતીનું બહાનું આગળ ધરીને જ્યારે પણ દેશમાં કોઈ આંદોલન કે સત્તાવિરોધી વિચાર જન્મ લે છે ત્યારે સરકાર દ્વારા ત્યાં ઈન્ટરનેટ શટડાઉન કરી દેવામાં આવે છે. મણિપુર હોય કે દિલ્હીમાં ચાલેલું ખેડૂત આંદોલન, ઈન્ટરનેટ બંધ કરવું જાણે સામાન્ય થઈ ગયું છે. હવે તેની વૈશ્વિક અસર પણ જોવા મળી રહી છે. એક રિપોર્ટ મુજબ ભારત મ્યાનમાર અને સુદાન બાદ ઈન્ટરનેટ શટડાઉન કરનાર ત્રીજા ક્રમનો દેશ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્ફ શાર્કના દ્વિવાર્ષિક વિશ્લેષણ મુજબ, ભારતમાં 2023ના પ્રથમ છ મહિનામાં ઇન્ટરનેટ શટડાઉનમાં વધારો જોવા મળ્યો હતો અને 2023માં વૈશ્વિક સ્તરે તે બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બન્યો હતો. મ્યાનમાર આ મામલે પ્રથમ આવે છે, જ્યાં ઇન્ટરનેટ શટડાઉનને કારણે લગભગ $793.6 મિલિયનનું નુકસાન થયું છે, જે તેને અત્યાર સુધીનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બનાવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રેકર Top10VPN ના તારણો અનુસાર, ભારતમાં વપરાશકર્તાના કલાકોની દ્રષ્ટિએ સૌથી લાંબો ઇન્ટરનેટ બ્લેકઆઉટનો રેકોર્ડ પણ છે. આ શટડાઉન મણિપુરમાં 2023 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં થયું હતું, જ્યાં મણિપુરમાં કુકી અને મૈઈતેઈ આદિવાસી સમાજ વચ્ચે વધતા વંશીય તણાવ અને માનવ અધિકારોના ઉલ્લંઘન વચ્ચે ભારત સરકારે ઈન્ટરનેટ શટડાઉન લાદી દીધું હતું, જે સમગ્ર વર્ષ દરમિયાન 5,000 કલાકથી વધુ ચાલ્યું હતું. આ એક જ ઘટનાને કારણે સમગ્ર દેશમાં 7,956 કલાક સુધી ઇન્ટરનેટ સેવાઓમાં વિક્ષેપ પડ્યો હતો, જેના કારણે આશરે 59.1 મિલિયન વપરાશકર્તાઓને અસર થઈ હતી. તેની અસર રાષ્ટ્રીય સરહદોથી ઘણી આગળ વધી અને વૈશ્વિક અર્થતંત્ર સુધી પહોંચી, જેના કારણે અંદાજે 585 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમયગાળામાં ભારતમાં 7812 કલાકનું ઇન્ટરનેટ બ્લેકઆઉટ પણ હતું, જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 144 કલાક સુધી પહોંચથી બહાર રહ્યું હતું. 1 જાન્યુઆરીથી 30 જૂન, 2023 વચ્ચે વિશ્વભરમાં નોંધાયેલી 42 ઈન્ટરનેટ શટડાઉનની ઘટનાઓમાંથી 09 ભારતમાં નોંધાઈ હતી. ટ્રેકર વેબસાઈટ Internetshutdowns.in અનુસાર, એકલા જમ્મુ અને કાશ્મીરમાં 2024માં સૌથી વધુ 433 જેટલા ઈન્ટરનેટ શટડાઉન થયા હતા. જ્યારે 100 શટડાઉન સાથે રાજસ્થાન બીજા અને મણિપુર 47 શટડાઉન સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019 પછી 56 દેશોમાં 609 થી વધુ મોટા ઇન્ટરનેટ શટડાઉન નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન સરકારની આગેવાની હેઠળના ઈન્ટરનેટ શટડાઉનના સીધા પરિણામ સ્વરૂપે વિશ્વ અર્થતંત્રને અંદાજે 52.96 બિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Manipur-violence,-Soma-Laishram,-and-football:-Lets-erase-the-streak"><strong>મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"> અહીં ક્લિક કરો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Mar 2024 20:57:23 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 21 Mar 2024 20:54:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>430</Articleid>
                    <excerpt>એક રિપોર્ટ મુજબ ઈન્ટરનેટ શટડાઉન કરવાના મામલે ભારત દુનિયાભરમાં ત્રીજા ક્રમે છે. ગયા વર્ષે મણિપુરમાં સૌથી લાંબું ઇન્ટરનેટ શટડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65fc42bea8656.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fc42be74b7a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fc42be74b7a.jpg" length="83050" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>હળપતિ આદિવાસી સમાજના યુવાનોએ મજૂરી કરીને એકઠાં કરેલા રૂપિયામાંથી ગામમાં લાઈબ્રેરી બનાવી</title>
                    <link>https://khabarantar.com/the-youth-of-the-halpati-tribal-community-built-a-library-in-the-village-from-the-rupees-they-collected-through-labour</link>
                    <guid>https://khabarantar.com/the-youth-of-the-halpati-tribal-community-built-a-library-in-the-village-from-the-rupees-they-collected-through-labour</guid>
                    <description>
                        <![CDATA[ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના છીણમ ગામના  જાગૃત યુવાનોએ ફંડ એકઠું કરીને વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી બનાવી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો વર્તમાન પરિસ્થિતિમાં કોઈ યુવક આવીને તમને એમ કહે કે, “મારે ગામમાં લાઈબ્રેરી બનાવવી છે, આ લો મારા તરફથી આટલું ફંડ” તો તમારી પ્રતિક્રિયા શું હોય? આજે જ્યારે કોઈ સ્માર્ટફોનની સ્ક્રીનની બહાર જોવાની તસ્દી પણ લેતું નથી, પુસ્તક વાંચનનું પ્રમાણ દિન-પ્રતિદિન ઘટતું જઈ રહ્યું છે ત્યારે કોઈ ગામના યુવાનો જો લાઈબ્રેરી બનાવવા માટે થઈને મજૂરી કરીને ફંડ એકઠું કરે તો તમે માનો ખરા? પહેલીવારમાં માનવામાં ન આવે તેવી આ વાત છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના છીણમ ગામની, જ્યાં ગામના જાગૃત યુવાનોએ ફંડ એકઠું કરીને વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી બનાવી રહ્યાં છે. આ પુસ્તકાલય બની ગયા પછી ગામના વિદ્યાર્થીઓએ વાંચવા અને ભણવા માટે બહાર નહીં જવું પડે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં નવસારીને એક પછાત જિલ્લો ગણવામાં આવે છે, પણ અહીંના છીણમ ગામે પ્રગતિશીલતાનું ઉદાહરણ પુરું પાડ્યું છે. ગામના જાગૃત યુવાનોએ ઘરઆંગણે લાઈબ્રેરી તૈયાર કરવા માટેની એક ઝુંબેશ શરૂ કરી હતી. જે અંતર્ગત તેઓ ફંડ એકઠું કરી રહ્યાં હતા. તેના માટે તેમણે મજૂરી કરીને રૂ. 51 હજાર જેટલી રકમ એકઠી કરી હતી. હવે આ રકમ અને ગામલોકો દ્વારા મળેલા ફંડમાંથી આદિવાસી હળપતિ સમાજના યુવાનો લાઈબ્રેરીનું નિર્માણ કરી રહ્યાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/A-tribal-woman-who-acted-like-Dashrath-Manjhi"><strong><span style="font-size: 14pt;">એક આદિવાસી મહિલા, જેણે દશરથ માંઝી જેવું કામ કરી બતાવ્યું</span></strong></a></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65f9505dbc114.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ છીણમના વિદ્યાર્થીઓને ભણવા માટે અન્ય સ્થળોએ જવું પડે છે. જેના કારણે તેમનો ઘણો સમય આવવા જવામાં વેડફાઈ જાય છે. ઘણીવાર બહાર જવાની યોગ્ય સગવડ ન મળતા તેમનો આખો દિવસ બગડે છે. આવી સ્થિતિમાં તેમને વાંચવા માટે જરાય સમય મળતો નથી. આ સમસ્યાનું કાયમી સમાધાન પોતાના ગામમાં જ પુસ્તકાલય હોય તો જ આવી શકે તે સમજી ચૂકેલા આદિવાસી યુવાનોએ આ દિશામાં પ્રયત્નો શરૂ કર્યા હતા. તેના માટે તેમણે ખેતમજૂરી કરી, વિવિધ પ્રસંગોમાં પીરસવાનું કામ કર્યું. આ રીતે રૂ. 51 હજાર જેટલી રકમ તેમણે એકઠી કરી હતી. જો કે આટલી રકમથી લાઈબ્રેરી તૈયાર ન થાય, આથી તેમણે હળપતિ સમાજના આગેવાનો પાસે મદદ માંગી. તેમણે ખૂટતી રકમ પુરી પાડી. હવે આ યુવાનોની મજૂરીના રૂપિયા અને હળપતિ  સમાજ  સેવા મંડળ દ્વારા આપવામાં આવેલા ફંડથી ગામમાં જ લાઈબ્રેરી નિર્માણ થઈ રહી છે, જે તૈયાર થઈ ગયા પછી ગામના 80 જેટલા વિદ્યાર્થીઓને ભણવાની સુવિધા મળી રહેશે. હાલ છીણમ ગામના યુવાનો લાઈબ્રેરીનું પોતાનું સપનું પૂર્ણ કરવા માટે રાતદિવસ જોયા વિના મહેનત કરી રહ્યાં છે. લાઈબ્રેરીનું મકાન તૈયાર થઈ રહ્યું છે અને આગામી એક મહિનામાં તે બનીને તૈયાર થઈ જશે, એ પછી તેનું ઉદ્ઘાટન કરીને લોકાર્પણ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હળપતિ સેવા સમાજ મંડળ જલાલપોરના પ્રમુખ અને સામાજિક કાર્યકર યતીન રાઠોડે એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ગામના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પડતી સમસ્યાઓની એકવાર અમારા મંડળની મીટિંગમાં ચર્ચા થઈ હતી. જેને કાર્યકરોએ વધાવી લીધો હતો. એ પછી યુવાનોએ પોતાની રીતે મહેનત મજૂરી કરીને રૂ. 51 હજાર ભેગાં કર્યા હતા. આ સિવાયની રકમ ગામલોકોએ અને સમાજના આગેવાનોએ આપી હતી. એ રીતે હવે લાઈબ્રેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અડધું ગામ થઈ ગયું છે અને બાકીનું થઈ રહ્યું છે, જે આવતા એક મહિનાની અંદર થઈ જશે. એ પછી લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરીને લોકાર્પણ કરીશું. અમે યુવાનોના મજૂરી કરીને એકઠાં કરેલા રૂપિયા સિવાય બીજું રૂ. 1.50 લાખનું ફંડ ભેગું કર્યું છે. જેમાંથી આ કામ પૂર્ણ કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, છીણમમાં આદિવાસી હળપતિ સમાજના 200થી વધુ ઘરો આવેલા છે અને તેમાં મોટાભાગના યુવાનો મજૂરીકામ કરે છે. ત્યારે આગામી પેઢી પણ તેમની જેમ મજૂરી કરવામાં જ ન રહી જાય અને ભણગણીને આગળ વધે તે માટે આદિવાસી હળપતિ સમાજના જાગૃત લોકોએ આ પહેલ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો :  </span></strong></span><a href="https://khabarantar.com/If-you-say-something,-I-say-you-are-Naxalites,-if-you-want-rights,-I-say-that-you-are-Naxalites"><strong><span style="font-size: 14pt;">કુછ બોલતા હું તો કહેતે હૈ નક્સલી, હક માંગતા હું તો કહેતે હૈ નક્સલી</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 19 Mar 2024 19:31:02 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 19 Mar 2024 14:24:55 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>424</Articleid>
                    <excerpt>નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના છીણમ ગામના  જાગૃત યુવાનોએ ફંડ એકઠું કરીને વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી બનાવી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65f9505e6a09d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f9505e390c1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f9505e390c1.jpg" length="107413" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>AAJ TAK ના એન્કર સુધીર ચૌધરીની આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદન કેસમાં ધરપકડ નહીં</title>
                    <link>https://khabarantar.com/aaj-tak-anchor-sudhir-chaudhary-not-arrested-in-case-of-objectionable-statement-on-tribal-society</link>
                    <guid>https://khabarantar.com/aaj-tak-anchor-sudhir-chaudhary-not-arrested-in-case-of-objectionable-statement-on-tribal-society</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદન કરવા બદલ આજ તક ન્યૂઝ ચેનલના એન્કર સુધીર ચૌધરી પર એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં હવે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે આદિવાસી સમાજ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં આરોપી આજ તક ટીવી ન્યૂઝના એન્કર સુધીર ચૌધરીને મોટી રાહત આપી છે. કોર્ટે ઝારખંડની રાંચી પોલીસને આરોપી સુધીર ચૌધરીની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે. આદિવાસી સેનાએ રાંચીમાં સુધીર ચૌધરી વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ FIR નોંધાવી હતી. જેમાં સુધીર ચૌધરી પર આદિવાસી સમાજ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આરોપ છે કે આજતક ચેનલના એન્કર સુધીર ચૌધરીએ ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ધરપકડ દરમિયાન આદિવાસી સમાજ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ મામલામાં સુધીર ચૌધરી તરફથી ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે તેને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સુધીર ચૌધરીની ધરપકડ પર રોક લગાવવાનો ઇનકાર કરતાં હાઈકોર્ટે એપ્રિલમાં કેસને આગળની કાર્યવાહી માટે સૂચિબદ્ધ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">દરમિયાન ઝારખંડ હાઈકોર્ટમાંથી રાહત ન મળતા સુધીર ચૌધરીએ સુપ્રીમ કોર્ટમાં SLP (સ્પેશિયલ લીવ પિટિશન) દાખલ કરી હતી. આ સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે સુધીર ચૌધરીની ધરપકડ પર રોક લગાવી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટમાં સુધીર ચૌધરી વતી વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે સુધીર ચૌધરી વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ પ્રથમ દ્રષ્ટિએ કોઈ કેસ કરવામાં આવ્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Complaint-under-SC-ST-Act-against-Aaj-Tak-anchor-Sudhir-Chaudhary-for-making-objectionable-statement-on-tribal-society">આજ તકના એન્કર સુધીર ચૌધરી પર SC-ST એક્ટ હેઠળ ફરિયાદ, આદિવાસી સમાજ પર કર્યું હતું વાંધાજનક નિવેદન</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Mar 2024 10:01:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>408</Articleid>
                    <excerpt>આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદન કરવા બદલ આજ તક ન્યૂઝ ચેનલના એન્કર સુધીર ચૌધરી પર એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં હવે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65eff257cc0bb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65eff2579ea29.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65eff2579ea29.jpg" length="85305" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કવિ વજેસિંહ પારગીના ત્રીજા કાવ્યસંગ્રહ ‘ડાગળે દીવો’નું કલેશ્વરની મેળામાં વિમોચન</title>
                    <link>https://khabarantar.com/Release-of-Poet-Wajesingh-Pargis-third-poetry-collection-Dagle-Divo-at-Kaleshwar-Mela</link>
                    <guid>https://khabarantar.com/Release-of-Poet-Wajesingh-Pargis-third-poetry-collection-Dagle-Divo-at-Kaleshwar-Mela</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી સમાજ સાથે સમસ્ત ગુજરાતી સાહિત્ય જગતનું ગૌરવ એવા વજેસિંહ પારગીના કાવ્યસંગ્રહ ‘ડાગળે દીવો’નું ગઈકાલે કલેશ્વરીના મેળામાં વિમોચન કરાયું હતું, ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી સમાજ સાથે સમસ્ત ગુજરાતી સાહિત્ય જગતનું ગૌરવ એવા વજેસિંહ પારગીના કાવ્યસંગ્રહ ‘ડાગળે દીવો’નું ગઈકાલે કલેશ્વરીના મેળામાં વિમોચન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વજેસિંહના પરિવારજનો, મિત્રો, સ્નેહીઓ અને ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ebf929a8271.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વજેસિંહ પારગીએ ગત 23 સમ્ટેમ્બર 2023ના આપણી વચ્ચેથી સદેહે આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. એ પહેલાં તેમણે જે સર્જન કર્યું હતું તેને શોધી શોધીને આ પુસ્તક તૈયાર કરાયું છે. તેમના મિત્રો વિનુભાઈ બામણીયા, ઉમેશ સોલંકી અને કનુભાઈ પટેલે વજેસિંહને આ પુસ્તક થકી યોગ્ય અંજલિ આપી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ebf949bb4fb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વજેસિંહનો આ ત્રીજો કાવ્યસંગ્રહ છે. અગાઉ તેઓ ‘આગિયાનું અજવાળું’ અને ‘ઝાકળનાં મોતી’ જેવા બે મજબૂત કાવ્યસંગ્રહો આપીને ગયા છે. ‘ડાગળે દીવા’ તેમનો ત્રીજો કાવ્યંસગ્રહ છે, જેમાં તેમણે એક આદિવાસી તરીકે અનુભવેલી દુનિયાને શબ્દોમાં ઉતારી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો :</span></strong></span> <a href="https://khabarantar.com/Releasing-program-of-well-known-Dalit-storyteller-Dharmabhai-Shrimalis-short-story-Nadi-and-Kinaro-was-held"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">જાણીતા દલિત વાર્તાકાર ધરમાભાઈ શ્રીમાળીની લઘુનવલ ‘નદી અને કિનારો’નો વિમોચન કાર્યક્રમ યોજાયો</span></strong></span></a></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ebf94a49605.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાણીતા લેખક, વજેસિંહના મિત્ર અને આદિવાસી એકેડમી તેજગઢના પૂર્વ ડિરેક્ટર કાનજીભાઈ પટેલ વજેસિંહના અંતિમ દિવસો સુધી તેમના સંપર્કમાં હતા. એ દિવસો યાદ કરતા તેઓ કહે છે, “ એક દિવસ વજેસિંહનો વોટ્સએપ મેસેજ આવ્યો. લખ્યું હતું, ‘સાહેબ, જિંદગીનો લય ખોરવાઈ ગયો છે. કશું સમજાતું નથી. બધું અર્થહીન થઈ ગયું લાગે છે. ઓછી પીડાવાળું જીવન ઝંખ્યું પણ જીવવું પડે છે પીડાથી ભરચક. હિંદી અનુવાદ વાંચ્યો સાહેબ. બરાબર કસ કાઢ્યો છે. ખૂબ ખૂબ આભાર. હવે મારા બાકીનાં કાવ્યો ડાગળે દીવો કરવાનો છે એ તમારે જ કરવાનો છે.’ – અવસાન પહેલા વજેસિંહે આ પ્રકારનો મેસેજ મને કરેલો. જે તેમનો અંતિમ મેસેજ બની રહેલો. એમના બે કાવ્યસંગ્રહ 'આગિયાનું અજવાળું' અને 'ઝાકળનાં મોતી'નાં એમનાં ટૂંકાં પણ અસરકારક કાવ્યો ગુજરાતી કાવ્યરસિકોનું ધ્યાન ખેંચે છે. એમણે પંચમહાલી ભીલી ભાષામાં પણ ખુબ ચોટદાર અને આદિવાસી પ્રત્યેના અન્યાય અને પોતાના દારુણ, વિકટ જીવનને આલેખતાં કાવ્યો લખ્યાં છે. એમાંનાં કેટલાંક અનન્ય કાવ્યોનો PARI વેબસાઈટ પર અનુવાદ, લેખ સહિત વજેસિંહના અવસાન પૂર્વે અને પછી પ્રગટ કર્યાં. દેશના અનેકાનેક ભાવકોએ એમની કવિતાને અનુવાદરુપે માણી વખાણ્યાં છે. વીરલ જોડણીજ્ઞાતા જ નહિ અસામાન્ય શબ્દ સુઝ ધરાવતા આ સાહિત્યકારનો આદર્શ હતા મહાત્મા ગાંધી. સાહિત્ય, સમાજ અને વ્યવસાયમાં એમને થતા અન્યાય સામે એકલા હાથે એક શ્રમિક આદિવાસીને ગૌરવ અપાવતા, લડતા રહ્યા હતા. આવા વીરલ આદિવાસીની જીવન અને શબ્દપ્રીતિ મને સ્પર્શી ગઈ. એમનાં અગ્રંસ્થ કાવ્યો ધરાતલના લોકના, આદિવાસીના કલેશ્વરી મેળામાં લોકોની હાજરીમાં લોકાર્પિત થાય એ વિચાર એમના કવિત્વને અંજલિ આપવા માટે થયો. એમના છેલ્લા કવનના સંગ્રહ 'ડાગળે દીવો' આદિવાસી જીવનની વિકટતા, ઓછા પ્રકાશ અને વધુ અંધકારને વ્યક્ત કરે છે. ઝિંદાદિલ અને ખુદ્દારી, અદના અને એકલવીરતાના સંઘર્ષને પ્રગટ કરે છે. એ શીર્ષક એમણે જ સૂચવ્યું હતું. આગામી વર્ષમાં એમના સંઘર્ષમય અને સત્યાગ્રહી જીવન વિશે એક પુસ્તક પ્રગટ કરવામાં આવશે. હતાશા અને શૂન્યતાનો ગજબ ઉદઘોષ એમના પ્રકોપપૂર્ણ સર્જનનો મુખ્ય સ્વર છે. બિંદુમાં સિંધુ ભરીને એમણે નાની નાની તમામ કવિતાઓ કરી છે. ચાર છ લીટીની કવિતાઓમાં એમણે જે  કથનની કમાલ કરી છે એ રીતનું એમનામાં જ્વલંત  ઉદાહરણ મળે  છે.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ebf94936b2a.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ebf948afb89.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, વજેસિંહ પારગીના આ પુસ્તકને તૈયાર કરવા માટે વિનુભાઈ બામણીયા, ઉમેશ સોલંકી સહિતના તેમના મિત્રો, પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી છે. તેમણે અલગ અલગ પ્લેટફોર્મ પર રજૂ થયેલી તેમની કવિતાઓને સંકલિત કરી હતી, ફેસબૂક જેવા સોશિયલ મીડિયામાં વિખરાઈને પડેલી રચનાઓને શોધી કાઢી હતી. એ રીતે ભારે જહેમત બાદ આ કાવ્યસંગ્રહ તૈયાર થયો છે. સવર્ણોની મોનોપોલી ધરાવતા ગુજરાતી સાહિત્ય જગતમાં વજેસિંહ જેવા આદિવાસી સમાજમાંથી આવતા હીરાના મૂલ કોણ કરે? એ બાબતને બરાબર સમજતા તેમના મિત્રોએ વજેસિંહના અવસાન બાદ તેમના મનગમતા કલેશ્વરીના મેળામાં તેમના આ કાવ્યસંગ્રહનું વિમોચન કરીને તેમને ખરી અંજલિ અર્પણ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વજેસિંહ પારગીનો કાવ્યસંગ્રહ ‘ડાગળે દીવો’ મેળવવા માટે કાનજીભાઈ પટેલ (Mo. 94262 22534) તથા વિનુભાઈ બામણીયા (Mo. 97274 50754) નો સંપર્ક કરી શકો છો.</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Documentary-film-Mhara-Pitcher-directed-by-Dakshina-Bajranghe-will-be-released-at-Dharamshala-International-Film-Festival"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">દક્ષિણ બજરંગે છારા નિર્દેશિત Documentary ફિલ્મ 'મ્હારા પિચર' Dharamshala ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે</span></strong></span></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span></span></strong><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42); text-decoration: underline;">. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Mar 2024 11:28:26 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 09 Mar 2024 11:57:34 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>399</Articleid>
                    <excerpt>આદિવાસી સમાજ સાથે સમસ્ત ગુજરાતી સાહિત્ય જગતનું ગૌરવ એવા વજેસિંહ પારગીના કાવ્યસંગ્રહ ‘ડાગળે દીવો’નું ગઈકાલે કલેશ્વરીના મેળામાં વિમોચન કરાયું હતું,</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65ebf90b8bb25.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ebf90b5d897.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ebf90b5d897.jpg" length="104964" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>એક આદિવાસી મહિલા, જેણે દશરથ માંઝી જેવું કામ કરી બતાવ્યું</title>
                    <link>https://khabarantar.com/A-tribal-woman-who-acted-like-Dashrath-Manjhi</link>
                    <guid>https://khabarantar.com/A-tribal-woman-who-acted-like-Dashrath-Manjhi</guid>
                    <description>
                        <![CDATA[ Women&#039;s Day Special: આજે વિશ્વ મહિલા દિવસે એક એવી મહિલાની વાત કરીએ જેણે દશરથ માંઝીની જેમ પોતાના ગામથી મુખ્ય માર્ગ સુધીનો રસ્તો બનાવી આપ્યો. વાંચો આ અહેવાલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Women's Day Special: વિશ્વ મહિલા દિવસે કથિત સવર્ણ જાતિની, માત્ર પોતાની જાતિના કારણે અમુક સ્થાન પહોંચેલી મહિલાઓની જ વાતો મુખ્યધારાના મીડિયામાં ચર્ચાતી હોય છે. તેમના માટે દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજની મહિલાઓ કે તેમના સંઘર્ષનું જાણે કોઈ અસ્તિત્વ જ નથી. આવી સ્થિતિમાં આપણે અહીં એક એવી આદિવાસી મહિલાની વાત કરવી છે, જેણે ગર્ભવતી મહિલાઓને પડતી સમસ્યાઓના નિરાકરણ માટે દશરથ માંઝી જેવું કામ કરી બતાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના થોટાગોડીપુટ ગામની 28 વર્ષની આદિવાસી મહિલા બુરીડી જેમ્માની આ કહાની સાંભળીને તમારી છાતી ગર્વથી ભરાઈ જશે. જેમ્માની કહાની દશરથ માંઝી જેવી જ છે. જ્યારે જેમ્મા ગર્ભવતી હતી, ત્યારે તેણે હોસ્પિટલ સુધી પહોંચવામાં ઘણાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેના ગામથી મુખ્ય માર્ગ સુધી કોઈ રસ્તો નહોતો. કાંટાળી ઝાડીઓ અને અવરોધોથી ભરેલા ખતરનાક રસ્તાઓમાંથી પસાર થઈને હોસ્પિટલ સુધીની તેની મુસાફરી જોખમોથી ભરેલી હતી. જેમ તેમ કરીને તેને દવાખાને પહોંચાડવામાં આવી અને તેણે બાળકને જન્મ આપ્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Nari-Gunjan-Sargam-Band:-Dalit-Womens-Band-of-Bihar-Challenging-the-Patriarchal-Social-System">નારી ગુંજન સરગમ બેન્ડઃ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને પડકાર ફેંકતું બિહારની દલિત મહિલાઓનું બેન્ડ</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે એ પછી તેણે વિચાર્યું કે, આ તો કાયમી સમસ્યા છે અને તેનો ઉકેલ લાવવો જ રહ્યો. આમ પોતાને પડી તેવી મુશ્કેલી અન્ય લોકોને ન પડે તે માટે તેણે એક નિર્ણય લીધો અને તેમના ગામથી મુખ્યમાર્ગ સુધીનો રસ્તો બનાવવાનું નક્કી કર્યું. ગામને નજીકના મુખ્ય માર્ગ સાથે જોડવા માટે 3 કિમીનો કાચો રોડ બનાવવા માટે પોતાની મહેનતની કમાણી વાપરી નાખી. જે કામ સરકારી તંત્રએ કરવાનું હોય તે કામ જેમ્માએ હાથ પર લીધું અને બે લાખ રૂપિયા ખર્ચીને કાચો રસ્તો બનાવ્યો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">જેમ્માના આ પ્રયત્નોના કારણે હવે થોટાગોડિપુટ સુધી બાઈક અને ઑટોરિક્ષા દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. જેમ્માએ બનાવેલા રસ્તાને કારણે હવે મેડિકલ ઈમરજન્સી, તબીબી સુવિધાઓ સુધી પહોંચવા માટે પગપાળા કે કામચલાઉ સ્ટ્રેચર પરની મુશ્કેલ મુસાફરીઓમાંથી ગામલોકોને છુટકારો મળ્યો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે કપચી-ડામરથી રસ્તો બનાવવાથી એમ્બ્યુલન્સ 10 પરિવારોના આ ગામ સુધી પહોંચી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/For-the-first-time-in-the-history-of-Gujarat,-a-Sidi-girl-became-a-doctor-and-made-history">ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ea8dddeb146.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અધિકારીઓએ ન સાંભળી વાત</span></strong></span><br><span style="font-size: 14pt;">બે બાળકોની માતા જેમ્મા તેના સંઘર્ષ વિશે વાત કરતા જણાવે છે કે, “મારો જન્મ અને ઉછેર અરાકૂ નજીકના નાના ગામ અંજોડામાં થયો હતો. ડોરા વેંકટ રાવ સાથે લગ્ન પછી હું થોટાગોડીપુટ ગામમાં આવી. અહીં કોઈ રસ્તા નહોતા અને અમારે સાંકડા રસ્તાઓમાંથી પસાર થવું પડતું હતું. પાકા રસ્તા માટે સત્તાવાળાઓને અરજી સાથે અનેકવાર રજૂઆતો કરી પણ કોઈએ ધ્યાન આપ્યું નહીં. રસ્તો ન હોવાથી સૌથી વધુ મુશ્કેલી મહિલાઓ અને વૃદ્ધોને પડતી હતી. ખાસ કરીને ડિલિવરી કે અન્ય મેડિકલ ઈમરજન્સીમાં રસ્તો ન હોવાથી ગામલોકો કામચલાઉ સ્ટ્રેચર બનાવી વ્યક્તિને ઉચકીને ઝાડી-ઝાંખરા વચ્ચેથી ચાલીને મુખ્ય રસ્તે પહોંચતા અને ત્યાંથી વાહનમાં બેસતા. ઈમરજન્સી ગમે ત્યારે આવી શકે છે, ક્યારેક અંધારું હોય, ક્યારેક વરસાદ વરસતો હોય ત્યારે પરિસ્થિતિ વિકટ બની જતી. આ બધી સમસ્યાનો ઉકેલ એક જ હતો, અમારા ગામ સુધી કમ સે કમ એક રસ્તો બની જાય. હું આશાવર્કર તરીકે કામ કરું છું. મહિને 4000 કમાઉ છું. સતત 4 વર્ષ સુધી બચત કરીને પૈસા બચાવ્યા અને તેમાંથી રૂ. 2 લાખ જેટલી રકમ ખર્ચીને આ રસ્તો બનાવડાવ્યો. આ બચત મેં ઘર બનાવવા માટે જમા કરી હતી, પણ પછી લાગ્યું કે ઘર તો હું પછી પણ બનાવી લઈશ, પણ રસ્તો નહીં હોય તો કાયમની ઝંઝટ રહેશે. થોડા મહિના પહેલા અમે રોડ બનાવવાનું શરૂ કરવા માટે એક જેસીબી મશીન ભાડે રાખ્યું હતું. મારા પતિ, ખેડૂત અને ગામલોકોએ મજૂરી કરીને ટેકો આપ્યો જેના કારણે આ રોડ બની શક્યો.”</span><br><span style="font-size: 14pt;">જેમ્મા કહે છે, અમે બનાવેલો કાચો રસ્તો લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો કામચલાઉ ઉકેલ છે.</span><span style="font-size: 14pt;">વરસાદમાં આ કાચા રોડને નુકસાન થવાની સંભાવના છે. મારી અંતિમ ઈચ્છા ગામ સુધી આવતો કોંક્રિટનો પાકો રસ્તો જોવાની છે. અત્યાર સુધીમાં આસપાસના અનેક ગામોના લોકો રસ્તો ન હોવાને કારણે ગામ છોડીને અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. પણ જેમ્માએ પરિસ્થિતિથી ભાગવાને બદલે તેમનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો અને આજે પરિણામ સૌની સામે છે. જેમ્મા જેવી મહિલાઓ જ વિશ્વ મહિલા દિવસની ઉજવણીને સાર્થક કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>આગળ વાંચોઃ</strong> <a href="https://khabarantar.com/Kalpana-Saroj---The-countrys-first-Dalit-woman-entrepreneur-who-broke-the-upper-caste-monopoly-in-business"><strong><span style="color: rgb(224, 62, 45);">કલ્પના સરોજ - દેશની પ્રથમ દલિત મહિલા આંત્રપ્રિન્યોર, જેણે બિઝનેસમાં સવર્ણોની મોનોપોલીને તોડી બતાવી</span></strong></a><br></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"> </span></a><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 08 Mar 2024 09:44:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>395</Articleid>
                    <excerpt>Women&#039;s Day Special: આજે વિશ્વ મહિલા દિવસે એક એવી મહિલાની વાત કરીએ જેણે દશરથ માંઝીની જેમ પોતાના ગામથી મુખ્ય માર્ગ સુધીનો રસ્તો બનાવી આપ્યો. વાંચો આ અહેવાલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65ea8de712d67.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ea8de6d924e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ea8de6d924e.jpg" length="121843" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી સમાજે પોતાનું રતન ગુમાવ્યું, ‘આદિલોક’ના તંત્રી પ્રો. આનંદ વસાવાના જીવનસાથી ભાનુબહેનનું અવસાન</title>
                    <link>https://khabarantar.com/Adivasi-society-has-lost-its-ratan,-editor-of-Adilok-Prof.-Anand-Vasavas-spouse-Bhanubahen-passes-away</link>
                    <guid>https://khabarantar.com/Adivasi-society-has-lost-its-ratan,-editor-of-Adilok-Prof.-Anand-Vasavas-spouse-Bhanubahen-passes-away</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી સમાજે પોતાનું એક મોંઘેરું રતન ગુમાવ્યું છે. &#039;આદિલોક&#039; સામયિકના તંત્રી અને આદિવાસી સમાજ માટે પ્રતિબદ્ધ  પ્રો. આનંદ વસાવાના જીવનસાથી ભાનુબહેન વસાવા લાંબા સંઘર્ષ બાદ કેન્સર સામેનો જંગ હારી ગયા છે. તેમના અકાળે અવસાનથી સમગ્ર આદિવાસી-બહુજન સમાજને મોટી ખોટ પડી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના આદિવાસી સમાજ સહિત સમગ્ર બહુજન સમાજે પોતાનું એક મોંઘેરું રતન ગુમાવ્યું છે. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિના હિન્દી વિભાગના પ્રોફેસર ભાનુબહેન વસાવાનું ગત રાત્રે કેન્સરના કારણે અકાળે નિધન થયું છે. અણધારી આ ઘટનાથી સમગ્ર આદિવાસી સમાજ ઉપરાંત ગુજરાતભરના બહુજન સમાજમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. ભાનુબહેન વિખ્યાત આદિવાસી સામયિક ‘આદિલોક’ના તંત્રી અને આદિવાસી સમાજ માટે પ્રતિબદ્ધ પ્રોફેસર આનંદ વસાવાના જીવસંગિની હતા. છેલ્લાં બે વર્ષ કરતા વધુ સમયથી તેઓ કેન્સરનો સામનો કરી રહ્યા હતા. તેમના પતિ પ્રોફેસર આનંદ વસાવા સાથે તેમણે આદિવાસી સમાજની ઉન્નતિ માટે ખભેખભો મિલાવીને રાતદિવસ જોયા વિના કામ કર્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાનુબહેન વસાવા અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠના તેજસ્વી વિદ્યાર્થિની હતા. વિદ્યાપીઠમાંથી શિક્ષણ મેળવ્યા બાદ તેમણે વિવિધ જગ્યાએ અધ્યાપિકા તરીકે ફરજ બજાવી હતી. જેમાં ઉત્તર ગુજરાતની જાદર કોલેજમાં અધ્યાપિકા તરીકે લાંબા સમય સુધી સેવા આપી હતી. ગુજરાતના આદિવાસી સમાજ માટેના પ્રતિબદ્ધ મેગેઝિન ‘આદિલોક’ના તંત્રીમંડળમાં પણ તેમણે સક્રિય રીતે કાર્યરત રહીને સેવાઓ આપી હતી. આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય પરના તેમના અનેક સંશોધન લેખો ‘આદિલોક’ ઉપરાંત વિવિધ સામયિકો, દૈનિકોમાં નિયમિત રીતે પ્રકાશિત થતા હતા. ‘આદિલોક’ સામયિક આજે જે સ્થાન પર બિરાજે છે તેને ત્યાં સુધી પહોંચાડવામાં, ટકાવી રાખવામાં પતિ પ્રો. આનંદ વસાવાને સૌથી મોટું પીઠબળ અને સહકાર તેમના પત્ની ભાનુબહેન તરફથી મળતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના કોઈપણ ખૂણે આદિવાસી સમાજને ધ્યાનમાં રાખીને યોજાતા સેમિનારો, કાર્યક્રમોમાં ભાનુબહેનની હાજરી ફરજિયાતપણે જોવા મળતી. તેઓ કુકણા આદિવાસી સમાજમાંથી આવતા હતા અને આદિવાસી સમાજની મહિલાઓ માટે તેમણે અનેક ઉત્તમ સંશોધન લેખો, ઈન્ટરવ્યૂ, રિપોર્ટ ‘આદિલોક’માં લખ્યા હતા. ભાનુબહેન છેલ્લાં એક દાયકાથી તેઓ ગુજરાત યુનિવર્સિટીના હિન્દી વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યાં હતાં. તેમના હાથ નીચે અનેક ઉત્તમ વિદ્યાર્થીઓ તૈયાર થયા છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">છેલ્લાં બે વર્ષથી તેઓ કેન્સરથી પિડાતા હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલ સ્થિત કેન્સર વિભાગમાં તેમની સારવાર ચાલતી હતી. જો કે તેમને નવજીવન આપી શકાયું નહોતું અને ગત રાત્રે દોઢ વાગ્યા આસપાસ તેમનું અવસાન થયું હતું. આજે તેમના અંતિમ સંસ્કાર સુરત નજીકના તેમના વતન ઝંખવાવ ખાતે કરવામાં આવ્યા હતા. તેઓ તેમની પાછળ પતિ આનંદ વસાવા અને બે દીકરીઓ સહિત સમગ્ર આદિવાસી-બહુજન સમાજને વિલાપ કરતો મૂકી ગયા છે.</span></p>
<div class="post-text">
<p><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></strong></span></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 26 Feb 2024 21:27:05 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 26 Feb 2024 21:41:47 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>370</Articleid>
                    <excerpt>આદિવાસી સમાજે પોતાનું એક મોંઘેરું રતન ગુમાવ્યું છે. &#039;આદિલોક&#039; સામયિકના તંત્રી અને આદિવાસી સમાજ માટે પ્રતિબદ્ધ  પ્રો. આનંદ વસાવાના જીવનસાથી ભાનુબહેન વસાવા લાંબા સંઘર્ષ બાદ કેન્સર સામેનો જંગ હારી ગયા છે. તેમના અકાળે અવસાનથી સમગ્ર આદિવાસી-બહુજન સમાજને મોટી ખોટ પડી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65dcb2a630cbf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65dcb2a5d210d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65dcb2a5d210d.jpg" length="92791" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>23 વર્ષની વી. શ્રીપતિએ ઈતિહાસ રચ્યો, તમિલનાડુની પહેલી આદિવાસી મહિલા સિવિલ જજ બની</title>
                    <link>https://khabarantar.com/23-year-old-V.-Sripati-made-history,-becoming-the-first-tribal-woman-civil-judge-in-Tamil-Nadu</link>
                    <guid>https://khabarantar.com/23-year-old-V.-Sripati-made-history,-becoming-the-first-tribal-woman-civil-judge-in-Tamil-Nadu</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી સમાજમાં મહિલાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચવું આજે પણ કોઈ પરીકથા જેવી વાત ગણાય છે. એન્કર સુધીર ચૌધરી જેવા તત્વો તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ તેઓ જંગલમાં જ રહે તેવું જાતિવાદથી ગ્રસ્ત નિવેદન કરીને આદિવાસી સમાજને નીચો પાડવાની એક તક જવા દેતો નથી. આવી પરિસ્થિતિ વચ્ચે પેરિયારની ભૂમિ તમિલનાડુથી સુધીર ચૌધરી જેવા તત્વોને ઈંટનો જવાબ પથ્થરથી મળ્યો હોય તેવી એક ઘટના સામે આવી છે. વાંચો આ અહેવાલ ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી સમાજની મહિલાઓ માટે ગૌરવ લેવા જેવી એક ઘટના બની છે. પેરિયારની ભૂમિ તમિલનાડુમાં એક 23 વર્ષની આદિવાસી સમાજની દીકરીએ રાજ્યની પહેલી આદિવાસી મહિલા સિવિલ જજ બનીને ઈતિહાસ રચી દીધો છે. એ રીતે આ દીકરીએ ન માત્ર ઈતિહાસ રચ્યો છે પરંતુ આદિવાસી સમાજની હજારો મહિલાઓ માટે કાયદાના ક્ષેત્રમાં પણ સફળતાના દ્વારા ખોલી નાખ્યા છે. નાની ઉંમરે લગ્ન, મર્યાદિત સગવડો સાથે દૂરના ગામડામાં રહેતી અને પુત્રીને જન્મ આપ્યાના માત્ર બે જ દિવસ પછી ઈન્ટરવ્યૂ આપવા જવું જેવા અનેક પડકારોનો સામનો કરીને તેણીએ આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d999c3717ea.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેનું નામ વી. શ્રીપતિ. તિરુવન્નામલાઈ જિલ્લાના ધુરિજીકુપ્પમ ગામમાં તેનો જન્મ થયો હતો અને ઉછેર તિરુપત્તુર જિલ્લામાં યેલાગિરી હિલ્સમાં થયેલો. તે મલયાલી જનજાતિમાંથી આવે છે જે તમિલનાડુના જાવધુ હિલ્સમાં રહેતા મૂળનિવાસી સમુદાયો પૈકીનો એક છે. તેના પિતા કાલિદાસ ઘરોમાં નોકર તરીકે કામ કરે છે અને પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. તેમણે સરકારી લો કોલેજ, તિરુવન્નામલાઈમાંથી કાયદાની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી અને પછી ચેન્નાઈની ડૉ. આંબેડકર લૉ યુનિવર્સિટીમાંથી કાયદાની માસ્ટર ડિગ્રી મેળવી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગર્ભવતી હોવા છતાં પરીક્ષા માટે 200 કિ.મી થી વધુની મુસાફરી કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વી. શ્રીપતિ કાયદા અને ન્યાય પ્રત્યેના જુસ્સાને કારણે પહેલેથી ન્યાયાધીશ બનવા માંગતી હતી. તેણીએ તમિલનાડુ સિવિલ જજની પરીક્ષા માટે તૈયારી કરવા માંડી હતી,  જે તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશન (TNPSC) દ્વારા લેવામાં આવે છે. તેમાં પ્રારંભિક પરીક્ષા, મુખ્ય લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. તેની તૈયારી દરમિયાન તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જેમ કે કોચિંગનો અભાવ, અભ્યાસ સામગ્રી અને ઇન્ટરનેટ ઍક્સેસ વગેરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે પોતાની ઘરની જવાબદારીઓ અને ગર્ભાવસ્થાની સાથે પોતાના અભ્યાસને પણ બેલેન્સ કરવાનું હતું. નવેમ્બર 2023માં લેવાયેલી મુખ્ય લેખિત પરીક્ષા દરમિયાન તે ગર્ભવતી હતી. તેણે પરીક્ષા આપવા માટે તેના ગામથી પાટનગર ચેન્નાઈ સુધી 200 કિલોમીટરથી વધુની મુસાફરી કરી. તેણે 27 નવેમ્બર 2023 ના રોજ પુત્રીને જન્મ આપ્યો અને બે દિવસ પછી તે મૌખિક ઇન્ટરવ્યુ માટે હાજર થઈ ગઈ. જેમાં તેણે નોંધપાત્ર હિંમત અને આત્મવિશ્વાસ બતાવ્યો અને પોતાના નોલેજ અને કુશળતાથી ઇન્ટરવ્યુ લેનારાઓને પ્રભાવિત કર્યા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d999c2ede79.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોકોની ટીકા છતા પતિએ શ્રીપતિને પ્રોત્સાહન આપ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રીપતિએ પરીક્ષા પાસ કરી અને 176 અન્ય ઉમેદવારો સાથે સિવિલ જજ તરીકે પસંદગી પામી. તેને 13 ફેબ્રુઆરી 2024ના રોજ તેની નિમણૂકનો ઓર્ડર મળ્યો હતો. તેમના પતિ વેંકટરામન વ્યવસાયે વકીલ છે. તે જવવાડુ ટેકરીની બાજુમાં આવેલી આદિવાસી વસાહત પુલીપુરના રહેવાસી છે. તેમણે શ્રીપતિના સપના અને મહત્વાકાંક્ષાઓને પ્રોત્સાહન આપીને શિક્ષણ અને કારકિર્દીને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરી. તેમણે શ્રીપતિની સાથે ઘરનું કામકાજ અને બાળકોની સારસંભાળની જવાબદારીઓ પણ વહેંચી લીધી હતી. એક સમયે શ્રીપતિને ભણવાની મંજૂરી આપવા બદલ લોકોએ તેમની ભારે ટીકા કરી હતી. કેટલાક તેમની મજાક પણ ઉડાવી હતી. તેમ છતા તેઓ પત્નીના પક્ષે ઉભા રહ્યા, જેનું પરિણામ આજે શ્રીપતિએ આપી દીધું છે. હવે જે લોકો તેમની ટીકા કરતા હતા, તે જ સૌ શ્રીપતિ અને તેમના વખાણ કરતા થાકતા નથી. વેંકટરામનને પત્ની શ્રીપતિ પર ગર્વ છે અને તેઓ ઈચ્છે છે કે આદિવાસી સમાજની બીજી દીકરીઓ પણ શ્રીપતિએ કંડારેલી કેડી પર આગળ વધે. તેઓ ઈચ્છે છે કે તેમની દીકરી પણ આગળ જતા માતાના પગલે કાયદાના ક્ષેત્રમાં આગળ વધશે તો તેમને ગમશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/For-the-first-time-in-the-history-of-Gujarat,-a-Sidi-girl-became-a-doctor-and-made-history"><strong><span style="font-size: 14pt;">ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 24 Feb 2024 13:04:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>366</Articleid>
                    <excerpt>આદિવાસી સમાજમાં મહિલાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચવું આજે પણ કોઈ પરીકથા જેવી વાત ગણાય છે. એન્કર સુધીર ચૌધરી જેવા તત્વો તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ તેઓ જંગલમાં જ રહે તેવું જાતિવાદથી ગ્રસ્ત નિવેદન કરીને આદિવાસી સમાજને નીચો પાડવાની એક તક જવા દેતો નથી. આવી પરિસ્થિતિ વચ્ચે પેરિયારની ભૂમિ તમિલનાડુથી સુધીર ચૌધરી જેવા તત્વોને ઈંટનો જવાબ પથ્થરથી મળ્યો હોય તેવી એક ઘટના સામે આવી છે. વાંચો આ અહેવાલ</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65d999c22082f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d999c1e5d05.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d999c1e5d05.jpg" length="90722" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ફક્ત 40 લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો 11 કરોડ આદિવાસીઓ માટે કેમ નહીં?</title>
                    <link>https://khabarantar.com/If-there-is-a-separate-religion-code-only-for-the-Jains-with-a-population-of-40-lakhs,-why-not-for-the-11-crore-tribals</link>
                    <guid>https://khabarantar.com/If-there-is-a-separate-religion-code-only-for-the-Jains-with-a-population-of-40-lakhs,-why-not-for-the-11-crore-tribals</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી સમાજની અલગ ધર્મકોડની માંગણી વર્ષો જૂની છે, જેને યેનકેન પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા ટાળવામાં આવતી રહી છે. એક બાજુ કેન્દ્રનો વસ્તીગણતરી વિભાગ કહે છે કે, આદિવાસી સમાજની અલગ ધર્મકોડની માંગનો અમલ કરવો વ્યવહારમાં શક્ય નથી કેમ કે, ૨૦૦૧ની વસ્તી ગણતરીમાં ૧૦૦થી વધુ જનજાતિ ધર્મોની માહિતી મળી હતી. સામે આદિવાસી બૌદ્ધિકોનો તર્ક છે કે માત્ર 40 લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો 11 કરોડથી વધુની વસ્તી ધરાવતા આદિવાસીઓ માટે કેમ નહીં? આ દલીલો વચ્ચે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં ધર્મની ઓળખથી પણ આગળ વધીને કેટલીક પાયાની બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- ચંદુ મહેરિયા</span></strong></span><br><br><span style="font-size: 14pt;">૨૦૨૩ના વરસના અંતિમ દિને ઝારખંડના આદિવાસીઓએ વસ્તીગણતરીમાં અલગ ધર્મ કોડની માંગ સાથે રાજ્યવ્યાપી બંધ પાળ્યો હતો. રાજ્યના સત્તાપક્ષ  ઝારખંડ મુક્તિ મોરચાનું પણ તેને સમર્થન હતું. ૨૦૨૦માં ઝારખંડ વિધાનસભાના એક દિવસીય ખાસ સત્રમાં આગામી વસ્તી ગણતરીમાં આદિવાસીઓ માટે અલગ ધર્મકોડની માંગણીનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. અલગ ઝારખંડ રાજ્યની રચના જેટલી જ જૂની માંગ અલગ આદિવાસી ધર્મકોડની પણ છે. ઝારખંડ મુક્તિ મોરચાએ વિધાનસભા ચૂંટણીમાં અલગ ધર્મકોડનું વચન આપ્યું હતું. એ જ પક્ષ રાજ્યમાં સત્તામાં આવતાં માંગણીને બળ મળ્યું. દેશના અનેક રાજ્યોના આદિવાસીઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ આ માંગ વરસોથી કરતા રહ્યા છે. ઝારખંડના આદિવાસી સંગઠનો કોરોનાકાળમાં પણ અલગ ધર્મકોડ માટે ઉગ્ર આંદોલન કરી રહ્યા હતા. એટલે સરકારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જમણેરી બળો આદિવાસીઓને હિંદુ જ ગણે છે. પરંતુ  આદિવાસીઓના મત ગુમાવવા ન પડે એટલે રાજ્યના મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પક્ષને પણ સરના-આદિવાસી એવા અલગ ધર્મકોડની માંગણીનું સમર્થન કરવું પડે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આદિવાસીઓની જીવન અને ઉપાસના પધ્ધતિ પ્રકૃતિકેન્દ્રી છે. તેઓ પ્રકૃતિપૂજક સમાજ છે. હિંદુ અને અન્ય ધર્મ જેવા લેખિત શાસ્ત્ર, ધર્મગ્રંથ અને ધર્મસ્થળો આદિવાસીઓ ધરાવતા નથી. તેઓ પોતાને કોઈ સંગઠિત ધર્મનો હિસ્સો માનતા નથી. ભારતીય સંસ્કૃતિની બે મુખ્યધારા વૈદિક અને અવૈદિકમાંથી આદિવાસીઓ અવૈદિક અર્થાત પ્રકૃતિ કે માતૃસત્તાક સંસ્કૃતિનું અનુસરણ કરે છે. પણ કેટલાક ધર્મો યોજનાબધ્ધ રીતે પોતાનો ધર્મ, તહેવારો, ભાષા, ખોરાક, પહેરવેશ અને રિવાજો આદિવાસીઓ પર થોપે છે. હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થાને આદિવાસીઓ નકારે છે. માનવીની ઉત્પત્તિ મુખ, ભુજા, જાંઘ કે પગ જેવા માનવ શરીરના અંગમાંથી થયાની માન્યતા તે સ્વીકારતા નથી. તેઓ માને છે કે પ્રત્યેક માનવીની ઉત્પત્તિ માના ગર્ભમાંથી જ થાય છે અને તે સિવાયની માન્યતાઓને વિજ્ઞાન કે તર્કનો આધાર નથી. “સરના” એ આદિવાસી સમુદાયના ધર્મનું નામ છે જે પ્રકૃતિવાદ પર આધારિત છે. આદિવાસીઓનો તે આદિધર્મ છે પણ તેમની આ અલગ ધાર્મિક ઓળખ હવે રહી નથી. તેથી આદિવાસીઓ તેમની અલગ સરના અદિવાસીની ધાર્મિક ઓળખ માટે મથે છે અને વસ્તી ગણતરીમાં આદિવાસી ધર્મકોડની માંગ કરે છે. અલગ આદિવાસી ધર્મકોડની માંગ આદિવાસીઓની રાષ્ટ્રીય કક્ષાએ અલગ અને સ્વતંત્ર ધાર્મિક ઓળખ ઉભી કરવા  માટેની છે. આદિવાસી સંસ્કૃતિ અને ધાર્મિક આઝાદીના રક્ષણ માટે તથા આદિવાસીઓને એક સૂત્રે બાંધવા માટે તેઓ અલગ ધર્મકોડને જરૂરી માને છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c9e684bd600.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">વીસ વરસ પહેલાં બિહારના વિભાજનથી ઝારખંડના અલગ રાજ્યની રચના થઈ હતી. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં આદિવાસીઓની વસ્તી ૨૬.૨૦ ટકા છે. રાજ્ય વિધાનસભાની કુલ ૮૧ બેઠકોમાં ૨૮ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. છેલ્લા ૨૦ વરસમાં બીજેપીના રઘુવર દાસ સિવાયના તમામ મુખ્યમંત્રીઓ પણ આદિવાસી સમાજમાંથી આવ્યા છે. ઝારખંડની કુલ ૮૬.૪૫ લાખ અદિવાસી વસ્તીમાં ૪૬.૪ ટકા(૪૦.૧૨ લાખ) સરના આદિવાસી, ૩૭ ટકા(૩૨.૪૫ લાખ) હિંદુ-આદિવાસી, ૧૫.૫ ટકા(૧૩.૩૮ લાખ) ખ્રિસ્તી-આદિવાસી છે. તે ઉપરાંત ૧૮,૧૦૭ મુસ્લિમ, ૨,૯૪૬ બૌધ્ધ અને ૯૮૪ શીખ આદિવાસી છે. આમ  તેઓની અલગ ધાર્મિક ઓળખના બદલે તેઓ  દેશના મુખ્ય ધર્મોમાં વહેંચાયેલા છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અંગ્રેજોના શાસનકાળમાં ઈ.સ. ૧૮૭૨થી આરંભાયેલી અને દર દાયકે થતી વસ્તી ગણતરીમાં પહેલાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, શિખ, જૈન, બૌધ્ધ, પારસી અને યહુદી એવા આઠ ધર્મકોડ પ્રમાણે  ગણતરી થતી હતી. ઈ.સ. ૧૮૯૧માં આદિવાસીઓ માટે  ટ્રાઈબ કે જનજાતિધર્મ એવો નવમો ધર્મકોડ દાખલ થયો હતો. એ રીતે આદિવાસીઓની અલગ ધાર્મિક ઓળખ સ્થાપિત થઈ હતી. ઈ.સ. ૧૯૫૧ની, આઝાદ ભારતની પહેલી વસ્તી ગણતરીમાં, આદિવાસીઓનો અલગ ધર્મકોડ નાબૂદ કરી અન્યનો વિકલ્પ આપવામાં આવ્યો. તે પછીની વસ્તી ગણતરીમાં અન્યનો વિકલ્પ પણ દૂર કરવામાં આવ્યો. હવેની વસ્તી ગણતરીમાં માત્ર છ જ મુખ્ય ધર્મો (હિંદુ, ઈસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌધ્ધ અને જૈન)ના એક થી છ ધર્મકોડ જ છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સંવિધાનના અનુચ્છેદ ૩૪૨થી આદિજાતિઓને અલગ જાતિની ઓળખ તો મળી છે પરંતુ  ધાર્મિક ઓળખ અન્ય ધર્મોમાં વિલોપિત થઈ ગઈ છે. આદિવાસી બૌધ્ધિક ડો.રામદયાલ મુંડા વરસોથી વસ્તી ગણતરીમાં અલગ આદિવાસી ધર્મકોડની માંગણી તર્કબધ્ધ દલીલોથી રજૂ કરતા રહ્યા હતા. આ મામલો આદિવાસી સાંસદોએ સંસદમાં પણ ઉઠાવ્યો હતો. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આદિવાસીઓની અનેક પ્રકારની ધાર્મિક માન્યતાઓની માહિતી મળે છે. ૨૦૧૧માં દેશના ૨૧ રાજ્યોમાં  આદિવાસીઓની વસ્તી છે. ઝારખંડ ઉપરાંત અસમ, ઓડિસા, બિહાર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ  અને મહારાષ્ટ્રમાં સરના આદિવાસીઓ જોવા મળે છે. વિવિધ ૭૫૦ જ્ઞાતિઓમાં વહેંચાયેલા અને ૨૦૧૧માં ૮.૬ ટકા કે ૧૦.૪૨ કરોડ આદિવાસીઓની અલગ અને સ્વતંત્ર ધાર્મિક ઓળખનો આ સવાલ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c9e6859def0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">વસ્તી ગણતરીમાં નવો ધર્મકોડ દાખલ કરવાની કે કોઈને  ધર્મનો દરજ્જો આપવાની સત્તા કેન્દ્ર સરકાર હસ્તક છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે બીજેપીએ પણ ઝારખંડના અદિવાસીઓની અલગ ધર્મકોડની માંગનું સમર્થન કર્યું હતું. વિધાનસભાના બીજેપી સમર્થિત સર્વાનુમત પ્રસ્તાવ પછી કેન્દ્ર પર આ માંગણીના સ્વીકારનું દબાણ આવશે. અગાઉ ૨૦૧૮માં કર્ણાટકની કોંગ્રેસી સરકારે લિંગાયતોને અલગ ધાર્મિક ઓળખ આપવા કેન્દ્રને દરખાસ્ત કરી જ હતી. લિંગાયત કર્ણાટકની ઉચ્ચવર્ણીય અને રાજકીય-આર્થિક રીતે વગદાર કોમ છે. રામકૃષ્ણ હેગડેથી યેદિરુપ્પા જેવા લિંગાયત નેતાઓ મુખ્યમંત્રી બન્યા છે. લિંગાયતો પણ ઘણા સમયથી અલગ લિંગાયત ધર્મની માંગણી કરે છે. પાર્ટીની ઉપરવટ જઈને યેદિરુપ્પાએ કોંગ્રેસના અલગ લિંગાયત ધર્મની દરખાસ્તનું સમર્થન કર્યું હતું તે હજુ તાજો ઈતિહાસ છે.  કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હતી ત્યારે લિંગાયતોની માંગણી વિસારે પાડી દેવાઈ હતી. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ઝારખંડ અને પછી પશ્ચિમ બંગાળ વિધાનસભાના પ્રસ્તાવથી દેશના આદિવાસીઓના અલગ ધાર્મિક ઓળખ આંદોલનને બળ મળ્યું છે. ઘણા આદિવાસી આગેવાનો અને બૌધ્ધિકો સરનાને બદલે દેશવ્યાપી સર્વસંમત આદિવાસી ધાર્મિક ઓળખરૂપ શબ્દની તરફેણ કરે છે. તે માટે અગાઉના ટ્રાઈબ, મૂળનિવાસી કે આદિજાતિ ધર્મ જેવા શબ્દો પર સર્વાનુમતિ સાધવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. બીજી તરફ કેન્દ્રના ગૃહ મંત્રાલય હસ્તકના વસ્તી ગણતરી વિભાગના મહાનિયામક અલગ આદિવાસી ધર્મકોડની માંગનો અમલ કરવો વ્યવહારમાં શક્ય ન હોવાનું જણાવે છે. કેમ કે ૨૦૦૧ની વસ્તી ગણતરીમાં ૧૦૦થી વધુ જનજાતિ ધર્મોની માહિતી મળી હતી. છ મુખ્ય ધર્મકોડ ઉપરાંત ૫૦ રજિસ્ટર્ડ ધર્મો છે. ૨૦ ધર્મોના નામ જનજાતિ પરથી છે. એટલે દરેકને ધર્મકોડ આપવાનું શક્ય નથી. જવાબમાં અલગ આદિવાસી ધર્મકોડના તરફદારો સવાલ કરે છે કે માંડ ૪૦ લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો ૧૧ કરોડ આદિવાસીઓની માંગણી કઈ રીતે અવ્યવહારુ છે?  એકલા ઝારખંડમાં ૧૯૩૧માં અલગ આદિવાસી ધર્મની ઓળખ ધરાવતા આદિવાસીઓ ૩૮.૩ ટકા હતા.  હવે તે ઘટી ગયા છે કેમ કે અન્ય ધર્મોએ તેમની ધાર્મિક ઓળખ મિટાવીને તેને પોતાનામાં સમાવી લીધા છે. એ અટકાવવા પણ અલગ ધર્મકોડ જરૂરી છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c9e683eaa26.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આદિવાસીઓ પોતાની અલાયદી રાષ્ટ્રીય ધાર્મિક ઓળખ માંગે અને તે માટે આંદોલન કરે તેમાં કંઈ ખોટું નથી. પરંતુ સંગઠિત ધર્મોથી વેગળો રહેલો આ સમુદાય વળી કોઈ નવો ધર્મસમૂહ ન બની જાય તેની પણ ભીતિ રહે છે. આદિવાસીઓના જળ, જમીન, જંગલ જેવા કુદરતી સંસાધનો પરની માલિકી, શિક્ષણ, રોજગાર, આરોગ્ય, રહેઠાણ, ગરીબી અને વિકાસવંચિતતા જેવા પાયાના સવાલો વણઉકલ્યા છે. તેને બદલે ધર્મની ઓળખના લટકણિયા માટે સમય, શક્તિના ઉપયોગને કેટલી પ્રાથમિકતા આપવી કે હાલનું અસરકારક અને રાષ્ટ્રવ્યાપી આંદોલન કેટલું અગ્રતાક્રમે હોવું જોઈએ તે બાબત પણ આદિવાસી આંદોલને વિચારવી જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt; color: rgb(19, 58, 229);"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><em>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)</em></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ </span></span><span style="color: rgb(19, 58, 229); font-size: 14pt;"><a href="https://khabarantar.com/Jharkhand-Chief-Minister-Hemant-Soren-filed-a-complaint-against-the-ED-under-the-SC-SC-Act" style="color: rgb(19, 58, 229);">ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ED સામે SC-SC એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી</a></span><em><br></em></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><span style="font-size: 12pt;"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</strong></span><span><strong> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 13 Feb 2024 10:18:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>340</Articleid>
                    <excerpt>આદિવાસી સમાજની અલગ ધર્મકોડની માંગણી વર્ષો જૂની છે, જેને યેનકેન પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા ટાળવામાં આવતી રહી છે. એક બાજુ કેન્દ્રનો વસ્તીગણતરી વિભાગ કહે છે કે, આદિવાસી સમાજની અલગ ધર્મકોડની માંગનો અમલ કરવો વ્યવહારમાં શક્ય નથી કેમ કે, ૨૦૦૧ની વસ્તી ગણતરીમાં ૧૦૦થી વધુ જનજાતિ ધર્મોની માહિતી મળી હતી. સામે આદિવાસી બૌદ્ધિકોનો તર્ક છે કે માત્ર 40 લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો 11 કરોડથી વધુની વસ્તી ધરાવતા આદિવાસીઓ માટે કેમ નહીં? આ દલીલો વચ્ચે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં ધર્મની ઓળખથી પણ આગળ વધીને કેટલીક પાયાની બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65c9e6868fcda.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c9e686472f0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c9e686472f0.jpg" length="143064" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો&amp;કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા</title>
                    <link>https://khabarantar.com/The-Hool-Mutiny:-A-Heroic-Story-of-Santhal-Tribes-Including-Tilka-Manjhi-and-Seedo-Kanhu</link>
                    <guid>https://khabarantar.com/The-Hool-Mutiny:-A-Heroic-Story-of-Santhal-Tribes-Including-Tilka-Manjhi-and-Seedo-Kanhu</guid>
                    <description>
                        <![CDATA[ ગઈકાલે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી, અમર બલિદાની, આદિવાસી નેતા જબરા પહાડી ઉર્ફે તિલકા માંઝીની જન્મજયંતિ હતી. તિલકા માંઝી પ્રથમ સ્વાતંત્ર્યસેનાની હતા. 1771માં હૂલ વિદ્રોહ તરીકે ઓળખાતો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તિલકા માંઝીએ શરૂ કર્યો હતો. જેને 1855માં સિદો-કાન્હુએ સંથાલ વિદ્રોહ તરીકે આગળ ધપાવ્યો હતો. જો કે તમામ પુરાવાઓ હોવા છતાં ભારતીય ઈતિહાસમાં સંથાલોના વિદ્રોહ પર બહું ઓછો પ્રકાશ પડ્યો છે, ત્યારે હૂલ દિવસ નિમિત્તે મહાન સંથાલ ક્રાંતિકારીઓને યાદ કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ગઈકાલે સંથાલ હૂલ દિવસ એટલે કે અંગ્રેજોના શાસન સામે વિદ્રોહનો દિવસ હતો. પ્રાથમિક શાળાથી જ આપણને એવું ભણાવવામાં આવ્યું છે કે ભારતીય ઈતિહાસમાં બ્રિટિશ શાસન સામેનો પહેલો વિદ્રોહ </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1857</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">નો છે</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> પરંતુ જ્યારે આપણે આદિવાસીઓના ઈતિહાસ પર નજર કરીએ છીએ તો જાણવા મળે છે કે આ વિદ્રોહની શરૂઆત </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1771</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">માં તિલકા માંઝીએ કરી દીધી હતી.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">તે જ સમયે</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> 30</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> જૂન </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1855</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> ના રોજ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">સીદો</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">કાન્હુ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ચાંદ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ભૈરવ અને તેમની બહેન ફૂલો</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ઝાનોના નેતૃત્વમાં સાહેબગંજ જિલ્લાના ભોગનાડીહમાં </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">400</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> ગામોના </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">40,000</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> આદિવાસીઓ બહાદુરોએ અંગ્રેજોને મહેસૂલ ચૂકવવાનો ઇનકાર કરી દીધો.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">એ દરમિયાન સિદોએ કહ્યું હતું કે, હવે ફિરંગીઓને ભગાડવાનો સમય આવી ગયો છે. આ માટે "કરો યા મરો</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">અંગ્રેજો આપણી જમીન છોડી દે" સૂત્ર આપવામાં આવ્યું હતું. અંગ્રેજોએ તરત જ આ ચારેય ભાઈઓની ધરપકડ કરવાનો આદેશ જારી કર્યો. તેમની ધરપકડ કરવા આવેલા ઈન્સ્પેક્ટરનું સંથાલ આંદોલનકારીઓએ ગળું કાપી નાખ્યું હતું. એ પછી સંથાલ પરગણાના સરકારી અધિકારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">એવું કહેવાય છે કે જ્યારે પણ આદિવાસી સમાજની પરંપરા</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">સંસ્કૃતિ અને તેમની જળ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">જંગલ જમીનને હડપ કરી લેવાનો પ્રયાસ થયો છે ત્યારે પ્રતિકારની ચિનગારીઓ ભડકી ઉઠી છે.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">30</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> જૂન </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1855</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ના રોજનો હૂલ આ જ કડીનો એક ભાગ છે. જ્યારે શાહુકારો</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">જમીનદારો અને અંગ્રેજ શાસન દ્વારા આદિવાસીઓની જમીનો કબજે કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની સામે આદિવાસીઓનો ગુસ્સો એટલો પ્રબળ બન્યો કે આ લડાઈમાં સીદો</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">કાન્હુ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ચાંદ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ભૈરવ સહિત તેમની બહેન ફૂલો</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ઝાનો સહિત લગભગ </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">20</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> હજાર સંથાલોએ જળ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">જંગલ અને જમીનના રક્ષણ માટે પોતાના જીવનની આહૂતિ આપી દીધી.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">અગાઉ ગોડ્ડા સબ-ડિવિઝનના સુંદર પહાડી બ્લોકના બારીખટંગા ગામના બાજલા નામના સંથાલ યુવકની અંગ્રેજ શાસન દ્વારા બળવાના આરોપમાં હત્યા કરવામાં આવી હતી.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">અંગ્રેજ ઈતિહાસકાર વિલિયમ વિલ્સન હન્ટરે તેમના પુસ્તક </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">'</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ધ એનલ્સ ઓફ રૂરલ બેંગાલ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">'</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">માં લખ્યું છે કે એવો કોઈ અંગ્રેજ સૈનિક નહોતો જે આદિવાસીઓના બલિદાનથી શરમિંદા ન થયો હોય. તેમના કેટલાક વિશ્વાસુ સાથીઓના વિશ્વાસઘાતને કારણે</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">સિદો અને કાન્હુને પકડી લેવામાં આવ્યા અને ભોગનાડીહ ગામમાં બધાની સામે એક ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા. </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">20</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> હજાર સંથાલોએ જળ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">જંગલ અને જમીનની રક્ષા માટે બલિદાન આપ્યું હતું.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">વહીવટીતંત્રની પકડ નબળી પડતી જોઈને</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">અંગ્રેજોએ ચળવળને કચડી નાખવા લશ્કરને મેદાનમાં ઉતાર્યું અને લશ્કરી કાયદો લાદવામાં આવ્યો. હજારો સંથાલ આદિવાસીઓની ધરપકડ કરવામાં આવી</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">લાઠીઓ ચલાવવામાં આવી</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ગોળીઓ ચલાવવામાં આવી. છેલ્લો આંદોલનકારી જીવતો હતો ત્યાં સુધી લડાઈ ચાલુ રહી.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">આ પહેલા</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, 1771</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> થી </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1784</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> સુધી</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">તિલકા માંઝી ઉર્ફે જબરા પહાડીયાએ બ્રિટિશ સત્તા સામે લાંબી અને ક્યારેય આત્મસમર્પણ ન થાય તેવી લડાઈ લડી સ્થાનિક શાહુકારો-સામંતો અને અંગ્રેજ શાસકોની ઊંઘ હરામ કરી નાખી હતી.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">વિશ્વના પ્રથમ બળવાખોર રોમના પૂર્વજ આદિવાસી લડવૈયા સ્પાર્ટાકસને માનવામાં આવે છે. જ્યારે ભારતના વસાહતી યુદ્ધોના ઈતિહાસમાં</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">પ્રથમ બળવાખોર બનવાનો શ્રેય ઝારખંડના રાજમહેલની ટેકરીઓ પર બ્રિટિશ શાસન સામે લડનારા પહાડીયા આદિમ આદિવાસી સમુદાયના લડવૈયાઓને જાય છે.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">આ પહાડિયા લડવૈયાઓમાં સૌથી વધુ લોકપ્રિય આદિ બળવાખોર જબરા અથવા જૌરાહ પહાડીયા ઉર્ફે તિલકા માંઝી છે. </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1778</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">માં</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">તેમણે પહાડીયા સરદારો સાથે મળીને રામગઢ છાવણી પર કબજો મેળવનારા અંગ્રેજોને હાંકી કાઢીને કેમ્પને મુક્ત કરાવ્યો હતો.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt; line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">જબરાએ </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1784</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">માં ક્લીવલેન્ડને મારી નાખ્યો. પાછળથી</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">આયરકુટની આગેવાની હેઠળ જબરાની ગેરિલા સેના પર ભારે હુમલો કરવામાં આવ્યો જેમાં ઘણા લડવૈયાઓ માર્યા ગયા અને જબરાની ધરપકડ કરવામાં આવી. કહેવાય છે કે તેમને ચાર ઘોડા સાથે બાંધી ઘસડીને ભાગલપુર લાવવામાં આવ્યા હતા. પરંતુ માઈલો સુધી ઘસડાયા છતાં તિલકા માંઝી જીવીત હતા. લોહીથી લથપથ તેમનું શરીર હજુ પણ ગુસ્સામાં હતું અને તેમની લાલ આંખો બ્રિટિશ રાજને ડરાવતી હતી. અંગ્રેજોએ પછી ભાગલપુરના ચોકડી પર સ્થિત એક વિશાળ વડના ઝાડ પર જાહેરમાં તેમને લટકાવી દીધા હતા.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">તિલકા માંઝી હસતા-હસતા હજારોની ભીડ સામે ફાંસી પર લટકી ગયા હતા. તારીખ કદાચ </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">13</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> જાન્યુઆરી </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1785</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> હતી. પાછળથી</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">હજારો સ્વાતંત્ર્યસેનાનીઓ તેમને અનુસર્યા અને ફાંસી પર લટકતી વખતે ગીત ગાયું – હાંસી-હાંસી ચઢબો ફાંસી! તે આજે પણ આપણને આ આદિવાસી વિદ્રોહીઓની યાદ અપાવે છે.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c9bb59d1c06.jpg" alt=""></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">તિલકા માંઝી સંથાલ હતા કે પહાડિયા તે અંગે વિવાદ છે. સામાન્ય રીતે તિલકા માંઝીને મુર્મ ગોત્ર તરીકે વર્ણવતા</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ઘણા લેખકોએ તેમને સંથાલ આદિવાસી તરીકે વર્ણવ્યા છે.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">પરંતુ તિલકાના સંથાલ હોવાના કોઈ ઐતિહાસિક દસ્તાવેજ અને લેખિત પુરાવા નથી. તે જ સમયે</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, 1770</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> ના દુષ્કાળને કારણે સંતાલ આદિવાસી સમુદાયના લોકો </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1790</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> પછી સંતાલ પરગણામાં આવ્યા અને સ્થાયી થયા.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">સર વિલિયમ વિલ્સર હંટને</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, '</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ધ એનલ્સ ઓફ રૂરલ બંગાળ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">', 1868</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ના પ્રથમ ખંડમાં (પાના નં. </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">219-227) </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">સ્પષ્ટપણે લખ્યું છે કે સંથાલો બીરભૂમથી હાલના સિંહભૂમ તરફ રહેતા હતા.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1790</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> ના દુષ્કાળ દરમિયાન</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">તેઓ હાલના સંથાલ પરગણામાં સ્થળાંતર કરી ગયા. હન્ટરે લખ્યું</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, '1792</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">થી સંથાલોનો નવો ઇતિહાસ શરૂ થાય છે</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">'(</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">પૃ. </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">220). 1838</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> સુધીમાં</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">હન્ટર સંથાલ પરગણામાં તેમના </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">40</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> ગામોની વસાહતનો અહેવાલ આપે છે જેની કુલ વસ્તી </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">3000</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> હતી (પૃ. </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">223). </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">હન્ટર એમ પણ જણાવે છે કે </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1847</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> સુધીમાં મિ. વોર્ડે </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">150</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> ગામોમાં લગભગ એક લાખ સંથાલોને વસાવ્યા હતા.(પૃ. </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">224).<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1910</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">માં પ્રકાશિત </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">'</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">બંગાલ ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયરઃ સંથાલ પરગણા</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">', </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ભાગ </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">13</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">માં </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">L.S.S. </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ઓ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">'</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">મેલીએ લખ્યું છે કે જ્યારે મિ. વોર્ડ </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1827</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">માં દામીન કોહની સીમા નક્કી કરી રહ્યો હતો</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ત્યારે તેને પતસુંડામાં ત્રણ સંથાલ ગામો અને બરકોપમાં </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">27</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> ગામો મળ્યાં હતાં.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">વોર્ડ મુજબ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, '</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">આ લોકો પોતાને સાંતારો કહે છે જેઓ સિંહભૂમ અને તે વિસ્તારના રહેવાસી છે.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">' (</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">પૃ. </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">97) </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">દામિનેકોહમાં સંથાલોની વસાહતનો અધિકૃત અહેવાલ બંગાળ ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયરઃ સાંથાલ પરગણાના પૃષ્ઠ </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">97</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> થી </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">99</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> પર ઉપલબ્ધ છે.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">વધુમાં આર.કારસ્ટેયર્સ </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1885</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> થી </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">1898</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> સુધી સાંથાલ પરગણાના ડેપ્યુટી કમિશનર રહી ચૂકેલા તેમની નવલકથા </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">'</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">હાડમા કા ગાંવ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">' </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ની શરૂઆત એ હકીકતથી કરે છે કે સંથાલો પહાડીયા લોકોના વિસ્તારમાં સ્થાયી થયા હતા.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">પ્રખ્યાત બંગાળી લેખિકા મહાશ્વેતા દેવીએ તિલકા માંઝીના જીવન અને વિદ્રોહ પર બંગાળી ભાષામાં નવલકથા </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">'</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">શાલગીરર ડાકે</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">'</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">ની રચના કરી છે. આ નવલકથામાં મહાશ્વેતા દેવીએ તિલકા માંઝીને મુર્મુ ગોત્રના સંથાલ આદિવાસી ગણાવ્યા છે. તે જ સમયે</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">હિન્દી નવલકથાકાર રાકેશ કુમાર સિંહે તેમની નવલકથા </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">'</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">હૂલ પહાડીયા</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">'</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">માં તિલકા માંઝીને જબરા પહડીયા તરીકે ચિત્રિત કર્યા છે. જો કે</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">હૂલ વિદ્રોહના કારણો </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">18</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">મી સદીમાં હતા</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">જે આજે પણ આદિવાસી વિસ્તારોમાં પ્રવર્તી રહેલા સંજોગો જેવા જ છે.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">આદિવાસીઓને મૂડીવાદી ઘરો માટે જળ</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">જંગલો અને જમીનથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. વિરોધ કરવા પર</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">તેમને નક્સલવાદી કહીને સરકારી હત્યાકાંડ પણ ચાલુ જ છે. ઝારખંડમાં જ </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">CNT </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">અને </span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">CST </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';">એક્ટમાં ફેરફાર કરીને આદિવાસીઓની જમીન હડપ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં હૂલ વિદ્રોહની પ્રાસંગિકતા વધુ વધી જાય છે.</span><span style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: red;">(મૂળ લેખ ફોરવર્ડ પ્રેસમાં પ્રમોદ રંજન દ્વારા હિન્દીમાં લખાયો હતો, જેને હિદાયત પરમારે ગુજરાતીમાં અનુવાદિત કર્યો છે.)</span></span><b><i><span style="font-size: 12.0pt; line-height: 107%; font-family: 'Shruti','sans-serif'; mso-bidi-language: GU;"><o:p></o:p></span></i></b></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: red;">આ પણ વાંચો : </span></span><a href="https://khabarantar.com/Strong-voice-of-tribal-rights:-Jaipal-Singh-Munda"><span style="font-size: 14pt;">આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા</span></a></strong></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 12 Feb 2024 12:06:46 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 12 Feb 2024 12:09:16 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>339</Articleid>
                    <excerpt>ગઈકાલે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી, અમર બલિદાની, આદિવાસી નેતા જબરા પહાડી ઉર્ફે તિલકા માંઝીની જન્મજયંતિ હતી. તિલકા માંઝી પ્રથમ સ્વાતંત્ર્યસેનાની હતા. 1771માં હૂલ વિદ્રોહ તરીકે ઓળખાતો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તિલકા માંઝીએ શરૂ કર્યો હતો. જેને 1855માં સિદો-કાન્હુએ સંથાલ વિદ્રોહ તરીકે આગળ ધપાવ્યો હતો. જો કે તમામ પુરાવાઓ હોવા છતાં ભારતીય ઈતિહાસમાં સંથાલોના વિદ્રોહ પર બહું ઓછો પ્રકાશ પડ્યો છે, ત્યારે હૂલ દિવસ નિમિત્તે મહાન સંથાલ ક્રાંતિકારીઓને યાદ કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65c9bb5b43f8b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c9bb5b079a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c9bb5b079a7.jpg" length="152500" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સંતરામપુરની આર્ટ્સ કૉલેજના ડૉ. માલિની ગૌતમને મળ્યું પ્રતિષ્ઠિત અમર ઉજાલા શબ્દ સન્માન</title>
                    <link>https://khabarantar.com/Arts-College,-Santrampur-Dr.-Malini-Gautham-received-the-prestigious-Amar-Ujala-Shabd-Samman</link>
                    <guid>https://khabarantar.com/Arts-College,-Santrampur-Dr.-Malini-Gautham-received-the-prestigious-Amar-Ujala-Shabd-Samman</guid>
                    <description>
                        <![CDATA[ આદિવાસી પટ્ટાના સમાચારો આપણે ત્યાં મુખ્યધારાના મીડિયામાં ભાગ્યે જ સ્થાન પામે છે. ઘટના બહુ મોટી હોય તો પણ બને ત્યાં સુધી તેને અવગણવામાં આવે છે. આવું જ કંઈક આ સમાચાર બાબતે પણ કહી શકાય. મહિસાગર જિલ્લાની સંતરામપુર આર્ટ્સ કૉલેજના પ્રોફેસર માલિની ગૌતમને હિન્દીના પ્રતિષ્ઠિત અખબાર અમર ઉજાલાનો ‘ભાષા બંધુ’ ઍવોર્ડ જાહેર થયો છે, પણ તેની નાનકડી નોંધ પણ મુખ્યધારાના મીડિયામાં જોવા મળી નથી. ત્યારે શું છે આ સન્માન અને ડૉ. માલિની ગૌતમની આ સિદ્ધિ શા માટે મહત્વની છે તે વિસ્તારથી સમજીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિન્દીના પ્રતિષ્ઠિત સમાચારપત્ર અમર ઉજાલા દ્વારા દર વર્ષે અમર ઉજાલા શબ્દ સન્માન પુરસ્કાર આપવામાં આવે છે. જે અંતર્ગત વિવિધ ભાષાની શ્રેષ્ઠ કૃતિઓના લેખકને એવોર્ડ આપી સન્માનિત કરાય છે. હાલમાં જ અમર ઉજાલા શબ્દ સન્માન 2023ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના મહિસાગર જિલ્લાના સંતરામપુરની આદિવાસી આર્ટ્સ કોલેજના અંગ્રેજી વિભાગના પ્રોફેસર ડૉ. માલિની ગૌતમની તેમના અનુવાદિત પુસ્તક ‘ગુજરાતી દલિત કવિતા’ માટે "ભાષા બંધુ" પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. અમર ઉજાલા દ્વારા આ પુરસ્કાર અનુવાદના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કૃતિને આપવામાં આવે છે. પુરસ્કાર સ્વરૂપે તેમને માર્ચ મહિનામાં દિલ્હીમાં આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં એક લાખ રૂપિયા, પ્રશસ્તિપત્ર અને ગંગા પ્રતિમા આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. માલિની ગૌતમને અમર ઉજાલા જેવા પ્રતિષ્ઠિત હિન્દી સમાચારપત્રનું આ સન્માન પ્રાપ્ત થતા મહિસાગર જિલ્લા અને દક્ષિણ ગુજરાતના આદિવાસીપટ્ટા ઉપરાંત ગુજરાતભરના વંચિત, શોષિત સમાજમાં ખુશીની લહેર ફરી વળી છે. અમર ઉજાલા શબ્દ સન્માન પુરસ્કાર હેઠળ ભારતીય ભાષાઓમાં અનુવાદ માટે ‘ભાષા બંધુ’ સન્માન એનાયત કરવામાં આવે છે. જેમાં વર્ષ 2023 માટે ડૉ. માલિની ગૌતમને ‘ગુજરાતી દલિત કવિતા’ ના હિન્દી અનુવાદ માટે આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે અમર ઉજાલા શબ્દ સન્માન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમર ઉજાલા શબ્દ સન્માન હિન્દીના પ્રખ્યાત સમાચારપત્ર અમર ઉજાલા દ્વારા આપવામાં આવે છે. અમર ઉજાલા ગ્રુપના સલાહકાર અને શબ્દ સન્માનના સંયોજક યશવંત વ્યાસના જણાવ્યા પ્રમાણે અમર ઉજાલા ફાઉન્ડેશને 2018માં શબ્દ સન્માનની સ્થાપના કરી હતી. જેમાં સર્વોચ્ચ ‘આકાશદીપ’ સન્માન હિન્દી અને અન્ય ભારતીય ભાષાના એક એક સાહિત્યકારને એનાયત કરવામાં આવે છે. જેમાં 5 લાખ રૂપિયાની રકમ, પ્રશસ્તિપત્ર અને પ્રતીકના રૂપમાં ગંગા પ્રતિમા સામેલ છે. તેની સાથે જ વર્ષની શ્રેષ્ઠ કૃતિને પણ સન્માનિત કરવામાં આવે છે. જેમાં ભાષાઓ વચ્ચેનું અંતર દૂર થાય અને તેમની વચ્ચે આદાનપ્રદાન વધે તે માટે ભાષાંતરના ભાષાબંધુ એવોર્ડનો પણ સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમર ઉજાલા શબ્દ સન્માન 2023 અંતર્ગત વર્ષ 2022માં પ્રકાશિત શ્રેષ્ઠ હિન્દી કૃતિઓ માટે શબ્દ સન્માનની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ‘છાપ’ કેટેગરીમાં કવિતા વર્ગમાં કુમાર અમ્બુજના સંગ્રહ ‘ઉપશીર્ષક’ને શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ કરવામાં આવી છે. ફિક્શન કેટેગરીમાં મનોજ રૂપરાના વાર્તા સંગ્રહ 'દહન' અને નોન-ફિક્શન કેટેગરીમાં દલપતસિંહ રાજપુરોહિતની કૃતિ 'સુંદર કે સ્વપ્ન'ને વર્ષની શ્રેષ્ઠ કૃતિ તરીકે સન્માનિત કરવામાં આવશે. ચિન્મયી ત્રિપાઠીને તેમની પહેલી કૃતિ ‘અપની કહી’ને કોઈપણ લેખકની પહેલી કૃતિ માટેનું થાપ સન્માન એનાયત થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે ભારતીય ભાષાઓમાં અનુવાદ માટે ભાષા-બંધુ એવોર્ડ માલિની ગૌતમને તેમના 'ગુજરાતી દલિત કવિતા'ના હિન્દી અનુવાદ માટે એનાયત કરવામાં આવશે. આ સન્માનોમાં પ્રત્યેકને 1 લાખ રૂપિયાની રકમ, પ્રશસ્તિપત્ર અને પ્રતીક તરીકે ગંગા પ્રતિમાનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રસિદ્ધ કવિ નરેશ સક્સેના, જાણીતા વાર્તાકાર ચિત્રા મુદગલ, જાણીતા લેખક શાજી જમાન, જાણીતા લેખક આલોક ભલ્લા અને જાણીતા કવિ અષ્ટભુજા શુક્લાનો સમાવેશ કરતી ઉચ્ચ-સ્તરીય જ્યુરીએ તેમના પોતાના માપદંડો પર આ રચનાઓનું પરીક્ષણ કર્યું છે. આ સન્માન આવતા મહિને એક સમારંભમાં વિજેતાઓને એનાયત કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/In-Kutchs-Mundra,-the-lands-given-to-Dalits-in-Santhani-6-decades-ago-have-not-been-regularized-yet"><strong><span style="font-size: 14pt;">કચ્છના મુંદ્રામાં દલિતોને 6 દાયકા પહેલા સાંથણીમાં મળેલી જમીનો હજુ નિયમિત નથી થઈ</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 09 Feb 2024 12:46:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>331</Articleid>
                    <excerpt>આદિવાસી પટ્ટાના સમાચારો આપણે ત્યાં મુખ્યધારાના મીડિયામાં ભાગ્યે જ સ્થાન પામે છે. ઘટના બહુ મોટી હોય તો પણ બને ત્યાં સુધી તેને અવગણવામાં આવે છે. આવું જ કંઈક આ સમાચાર બાબતે પણ કહી શકાય. મહિસાગર જિલ્લાની સંતરામપુર આર્ટ્સ કૉલેજના પ્રોફેસર માલિની ગૌતમને હિન્દીના પ્રતિષ્ઠિત અખબાર અમર ઉજાલાનો ‘ભાષા બંધુ’ ઍવોર્ડ જાહેર થયો છે, પણ તેની નાનકડી નોંધ પણ મુખ્યધારાના મીડિયામાં જોવા મળી નથી. ત્યારે શું છે આ સન્માન અને ડૉ. માલિની ગૌતમની આ સિદ્ધિ શા માટે મહત્વની છે તે વિસ્તારથી સમજીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65c5d06925bae.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c5d068e4819.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c5d068e4819.jpg" length="86992" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર</title>
                    <link>https://khabarantar.com/If-you-dare-give-proof-of-the-scandal,-I-will-leave-politics-Hemant-Sorens-open-challenge-in-Jharkhand-Assembly</link>
                    <guid>https://khabarantar.com/If-you-dare-give-proof-of-the-scandal,-I-will-leave-politics-Hemant-Sorens-open-challenge-in-Jharkhand-Assembly</guid>
                    <description>
                        <![CDATA[ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન આજે વિશ્વાસનો મત મેળવવા સમયે ઝારખંડ વિધાનસભામાં પહોંચ્યા હતા. ચંપઈ સોરેન સરકારે વિશ્વાસનો મત જીતી લીધા બાદ હેમંત સોરેન વિરોધીઓ પર બરાબરના વરસ્યા હતા. વાંચો તેમણે શું કહ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડ વિધાનસભામાં આજે ચંપઈ સોરેનના ફ્લોર ટેસ્ટ માટે આજે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ સત્રમાં પાર્ટી અને વિપક્ષ બંનેના ધારાસભ્યો હાજર હતા. મુખ્યમંત્રી ચંપઈ સોરેન પછી પૂર્વ સીએમ હેમંત સોરેને વિધાનસભાને સંબોધિત કરી હતી. એ દરમિયાન હેમંત સોરેન વિરોધીઓ પર બરાબરના વરસ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું આંસુ નહીં વહાવું. જો આરોપો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c0fec16f59f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ અને દેશના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી રહેલા હેમંત સોરેને આજે ઝારખંડ વિધાનસભાને સંબોધિત કરી હતી. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે “અમે હજુ હાર સ્વીકારી નથી. જો તેઓ એમ વિચારે છે કે મને જેલમાં નાખીને તેઓ સફળ થશે, તો તેમણે એ સમજી લેવાની જરૂર છે કે આ ઝારખંડ છે, જ્યાં ઘણાં લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હેમંત સોરેને કેન્દ્ર સરકાર, રાજ્યપાલ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “હું ભાજપને મારા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ સાબિત કરવાનો પડકાર ફેંકું છું. આરોપ સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ. રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની સાથે ઝારખંડ પણ છોડી દઈશ. હું હાલ આ કાર્યવાહી અંગે આંસું નહીં પાડું, પરંતુ યોગ્ય સમય આવે ‘સામંતી તાકતો’ને જડબાતોડ જવાબ આપીશ. મને મુખ્યમંત્રીપદેથી હટાવવાના અને ધરપકડ કરાવવાના કેન્દ્ર સરકારના કાવતરામાં રાજભવને પણ મહત્વની ભૂમિકા ભજવી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હેમંત સોરેને વધુમાં કહ્યું કે, “મારી સાડા આઠ એકર જમીન કૌભાંડના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જો એ લોકોમાં હિંમત હોય તો મારા નામે નોંધાયેલા જમીનોના દસ્તાવેજો બતાવે. જો આરોપો સાબિત થશે તો હું હંમેશ માટે રાજકારણ છોડી દઈશ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હેમંત સોરેને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અને બિહારમાં સત્તા પરિવર્તનને સાંકળીને ગૃહમાં ભાજપને આડે હાથ લીધો હતો. તેમણે કહ્યું કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી રામરાજ્ય આવી ગયું અને પછી પહેલો પગ બિહારમાં, બીજો ઝારખંડમાં પડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કોર્ટે હેમંત સોરેનને ફ્લોર ટેસ્ટમાં હાજર રહેવાની મંજૂરી આપી હતી. એ પછી EDની ટીમ તેમને લઈને વિધાનસભામાં પહોંચી હતી. ફ્લોર ટેસ્ટ માટે જેએમએમ-કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનના તમામ ધારાસભ્યો પણ પહોંચ્યા હતા. સાથે જ મુખ્ય વિરોધ પક્ષોના નેતાઓ પણ આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંપઈ સોરેન સરકારે વિશ્વાસનો મત જિત્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ હેમંત સોરેનના રાજીનામા પછી મુખ્યમંત્રી બનેલા ચંપઈ સોરેને વિધાનસભામાં વિશ્વાસનો મત હાંસલ કરી લીધો હતો. વિશ્વાસ મતના પ્રસ્તાવની તરફેણમાં 47 મત જ્યારે વિરોધમાં 29 મતો પડ્યા હતા. ઝારખંડમાં 81 બેઠકોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે 41 ધારાસભ્યોની જરૂર હોય છે. ચંપઈ સોરેને બીજી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા અને બહુમતી સાબિત કરવા માટે 5 ફેબ્રુઆરીની તારીખ નિશ્ચિત થઈ હતી. તેમણે આજે વિશ્વાસ મત રજૂ કર્યો અને ત્યાર પછી તે અંગે ચર્ચા શરૂ થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Jharkhand-Chief-Minister-Hemant-Soren-filed-a-complaint-against-the-ED-under-the-SC-SC-Act"><strong><span style="font-size: 14pt;">ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ED સામે SC-SC એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span><span style="color: rgb(186, 55, 42);"> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 05 Feb 2024 21:04:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>319</Articleid>
                    <excerpt>ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન આજે વિશ્વાસનો મત મેળવવા સમયે ઝારખંડ વિધાનસભામાં પહોંચ્યા હતા. ચંપઈ સોરેન સરકારે વિશ્વાસનો મત જીતી લીધા બાદ હેમંત સોરેન વિરોધીઓ પર બરાબરના વરસ્યા હતા. વાંચો તેમણે શું કહ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65c0fec2574f9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c0fec217de2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c0fec217de2.jpg" length="71289" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આજ તકના એન્કર સુધીર ચૌધરી પર SC&amp;ST એક્ટ હેઠળ ફરિયાદ, આદિવાસી સમાજ પર કર્યું હતું વાંધાજનક નિવેદન</title>
                    <link>https://khabarantar.com/Complaint-under-SC-ST-Act-against-Aaj-Tak-anchor-Sudhir-Chaudhary-for-making-objectionable-statement-on-tribal-society</link>
                    <guid>https://khabarantar.com/Complaint-under-SC-ST-Act-against-Aaj-Tak-anchor-Sudhir-Chaudhary-for-making-objectionable-statement-on-tribal-society</guid>
                    <description>
                        <![CDATA[ હિન્દી ન્યૂઝ ચેનલ આજ તકના એન્કર સુધીર ચૌધરી પર એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. શું છે આખો મામલો વાંચો આ રિપોર્ટમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજ તકના પત્રકાર સુધીર ચૌધરી સામે ઝારખંડના રાંચીમાં SC/ST એક્ટ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. બુધવારે આદિવાસી સેનાના કેટલાક યુવાનોએ SC/ST પોલીસ સ્ટેશનમાં સુધીર ચૌધરી પર ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન વિરુદ્ધ જાતિ વિષયક ટિપ્પણી કરવાનો અને આદિવાસી સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવીને આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી સેનાના મહાનગર અધ્યક્ષ અજિત લકડાએ રાંચીના SC/ST એક્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, દેશની જાણીતી હિન્દી ન્યૂઝ ચેનલ આજ તકના પત્રકાર સુધીર ચૌધરી દ્વારા તેના પ્રાઈમ ટાઈમ શો ‘બ્લેક એન્ડ વ્હાઇટ’માં આદિવાસી સમાજ માટે અભદ્ર અને વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પત્રકાર સુધીર ચૌધરી જાતિ દ્વેષથી પીડિત વ્યક્તિ છે, તેમની નજરમાં આદિવાસી એટલે પછાતપણું અને જંગલીપણું. તેમના દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીથી સમગ્ર આદિવાસી સમુદાય દુઃખી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદી અજિત લકડાએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામા અને ED દ્વારા તેમની ધરપકડ બાદ સુધીર ચૌધરીએ તેના શોમાં કહ્યું હતું કે હેમંત સોરેને 30-40 વર્ષ પહેલાની જેમ હવે જંગલોમાં જઈને એક આદિવાસીની જેમ રહેવું પડશે. આ મામલે અજિત લકડાએ કહ્યું કે આદિવાસી સમાજ જંગલી નથી. દેશની મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ આદિવાસી સમાજમાંથી આવે છે, જેઓ સમગ્ર ન્યાયતંત્રની રક્ષક પણ છે. સુધીર ચૌધરી જાતિવાદી માનસિકતાથી ગ્રસ્ત વ્યક્તિ છે અને તેના પર કડક કાર્યવાહી થવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સુધીર ચૌધરીની ધરપકડની માંગ કરી રહેલા આદિવાસી સેનાના કાર્યકરોનું કહેવું છે કે, સુધીર ચૌધરીએ આદિવાસી સમાજને જંગલી ગણાવીને પોતાની જાતિવાદી અને ઊંચનીચના ભેદભાવથી ગ્રસ્ત હોવાની માનસિકતાનો પરિચય આપ્યો છે. આવા લોકો પોતાને પત્રકાર ગણાવે છે અને નેશનલ ટીવી પર ખૂલ્લેઆમ આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદનો કરે તે શરમજનક છે. તેના આવા વાંધાજનક અને ધૃણાસ્પદ નિવેદનથી સમગ્ર આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. અમે બંધારણીય અને લોકશાહી રીતે આદિવાસી સમાજને નીચું દેખાડવાના તેના ઈરાદાઓનો વિરોધ કરીએ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી સેનાના પ્રમુખ અજીત લકડા અને તેમના કાર્યકરોએ SC/ST પોલીસ સ્ટેશનના પ્રભારીને સુધીર ચૌધરી સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, જાતિ વ્યવસ્થાના કટ્ટર પક્ષધર તરીકેની છાપ ધરાવતા સુધીર ચૌધરી પર અગાઉ પત્રકારત્વના નામે દલાલી કરવાના આરોપો પણ લાગી ચૂક્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુધીર ચૌધરીએ શું કહ્યું હતું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે આજ તક ચેનલના એન્કર સુધીર ચૌધરીએ પોતાના શોમાં કહ્યું હતું કે, “હેમંત સોરેનને ચાર્ટર પ્લેન અને સુવિધાયુક્ત જિંદગી જીવવાની આદત પડી ગઈ છે. પણ સીએમ પદ જતું રહ્યાં પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે તેમણે જંગલમાં આદિવાસીઓની જેમ રહેવું પડશે, જે રીતે તેઓ 30-40 વર્ષ પહેલા રહેતા હતા. તેમના માટે આ ઘણું મુશ્કેલ હશે.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65be20754b3ec.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુધીર ચૌધરીએ માફી માંગી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાંચીમાં એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ થયા બાદ સુધીર ચૌધરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ મૂકીને માફી માંગી હતી. જો કે, તેમાં પણ તેનો ટોન માફી માંગવા કરતા વધુ પોતાનો મત રજૂ કરવાનો વધુ હતો. સુધીરે પોસ્ટમાં લખ્યું હતું કે, હેમંત સોરેનની ટીકા કરવી આદિવાસીઓની ટીકા કે અપમાન માની શકાય નહીં. સુધીર ચૌધરીની આ પોસ્ટ પણ પછી આદિવાસી સમાજ તેને છોડવાના મૂડમાં નથી એ જોતા સુધીર કાયમ માટે આ પ્રકારની ભાષા વાપરતા પહેલા વિચાર કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Jharkhand-Chief-Minister-Hemant-Soren-filed-a-complaint-against-the-ED-under-the-SC-SC-Act"><strong><span style="font-size: 14pt;">ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ED સામે SC-SC એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 03 Feb 2024 16:52:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>313</Articleid>
                    <excerpt>હિન્દી ન્યૂઝ ચેનલ આજ તકના એન્કર સુધીર ચૌધરી પર એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. શું છે આખો મામલો વાંચો આ રિપોર્ટમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65be20a902237.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65be20a8b4fa9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65be20a8b4fa9.jpg" length="49059" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા, આદિવાસી સમાજે કર્યું દબદબાભેર સ્વાગત</title>
                    <link>https://khabarantar.com/Chaitar-Vasava-released-from-jail-after-48-days,-tribal-community-welcomes-him</link>
                    <guid>https://khabarantar.com/Chaitar-Vasava-released-from-jail-after-48-days,-tribal-community-welcomes-him</guid>
                    <description>
                        <![CDATA[ નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભાના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા 48 દિવસના જેલવાસ બાદ આખરે શરતી જામીન પર બહાર આવ્યા છે. શું છે આખો મામલો અને કઈ શરતો હેઠળ તેમને જામીન મળ્યાં છે, વાંચો વિસ્તારથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>Chaitar Vasava</strong></span>: યુવા આદિવાસી નેતા અને નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમુક્ત થયા છે. જેલ બહાર તેમના સમર્થકોએ મોટી સંખ્યામાં ઉમટી પડીને તેમનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ આજે ચૈતર વસાવા ગાંધીનગર ખાતે વિધાનસભામાં બજેટ સત્રમાં હાજરી આપશે. કોર્ટે ચૈતર વસાવાને નર્મદા, ભરુચની હદમાં ન રહેવાની શરતે જામીન આપ્યા છે. શરતી જામીન હોવાથી ચૈતર વસાવા ગાંધીનગરમાં સેક્ટર 7માં જ રહેશે. જો કે તેઓ વિધાનસભાના બજેટ સત્રમાં હાજરી આપી શકશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bbdaa2aa86b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ જેલમાંથી બહાર આવતા જ ચૈતર વસાવાએ કહ્યું હતું કે મને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે અમે હાઇકોર્ટમાં અપીલ કરીશું. હું મારા આદિવાસી સમાજ માટે બોલું છું એટલે રાજ્ય સરકાર ખોટા ષડયંત્ર રચીને મને ફસાવી રહી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bbdaa0cf7e1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૈતર વસાવાએ કહ્યું હતું કે આદિવાસીઓના અધિકારો માટે અમે લડતા રહીશું. જો જરૂર પડશે તો વિધાનસભા પણ લડીશું અને ભરૂચ લોકસભા બેઠક પરથી પણ લડીશું અને જીતીશું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bbdaa22c27f.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bbdaa0cf7e1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૈતર વસાવા પર શેનો કેસ છે? </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક લોકોએ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો. આ જમીનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો હતો જે તંત્રના ધ્યાને આવતા વન વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા અને કામગીરી અટકાવી હતી. દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થતા અમુક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વન વિભાગે ચૈતર વસાવા સામે પણ ફરિયાદ નોંધી હતી. તેમના પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે વન વિભાગે નર્મદા પોલીસ સ્ટેશનમાં આ મામલે રજૂઆત કરી હતી. ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 386 હેઠળ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો. એ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ચૈતર વસાવાને વનકર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bbdaa0597ee.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ આ કેસમાં જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એન. આર. જોશીની કોર્ટે ચૈતર વસાવાને શરતી જામીન આપ્યા છે. જે અંતર્ગત આ કેસની ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે નર્મદા અને ભરૂચ જિલ્લાની હદ બહાર રહેવું પડશે અને રૂ. 1 લાખ ભરવા પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Did-the-upper-classes-build-flats-by-taking-crores-of-government-land-in-the-name-of-dalit-tribals"><strong><span style="font-size: 14pt;">દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 02 Feb 2024 10:04:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>309</Articleid>
                    <excerpt>નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભાના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા 48 દિવસના જેલવાસ બાદ આખરે શરતી જામીન પર બહાર આવ્યા છે. શું છે આખો મામલો અને કઈ શરતો હેઠળ તેમને જામીન મળ્યાં છે, વાંચો વિસ્તારથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65bbdaa3aa9f0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bbdaa37a0d2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bbdaa37a0d2.jpg" length="169198" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ED સામે SC&amp;ST એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી</title>
                    <link>https://khabarantar.com/jharkhand-chief-minister-hemant-soren-filed-a-complaint-against-the-ed-under-the-sc-st-act</link>
                    <guid>https://khabarantar.com/jharkhand-chief-minister-hemant-soren-filed-a-complaint-against-the-ed-under-the-sc-st-act</guid>
                    <description>
                        <![CDATA[ દેશના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી એવા ઝારખંડના સીએમ હેમંત સોરેને પ્રવર્તન નિર્દેશાલય(ED)ના અધિકારીઓ સામે એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આવું કદાચ પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ કેન્દ્રિય તપાસ એજન્સી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હોય. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રવર્તન નિર્દેશાલય(ED)ના અધિકારીઓ સામે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને એસસી-એસટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. સીએમ દ્વારા ફરિયાદની કોપી રાંચીના એસસી-એસટી પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવી છે. હેમંત સોરેને આરોપ લગાવ્યો છે કે તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે એટલે ઈડીના અધિકારીઓ દ્વારા તેમને દિલ્હીમાં હેરાન કરવામાં આવી રહ્યા છે. રાંચી પોલીસના નિવેદન મુજબ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન તરફથી ઈડી અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાની ફરિયાદ મળી છે. ધુર્વા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ મળી છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ઈડીના અધિકારીઓએ ભારે સુરક્ષા વચ્ચે આજે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં તેમના રહેણાંક પર તપાસ શરૂ કરી હતી. સોરેને અહીંના સત્તાધારી પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ પણ છે. આ પહેલા 20 જાન્યુઆરીના રોજ પણ આ મામલામાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ઈડીના અધિકારીઓએ કહ્યું કે ઝારખંડમાં માફિયાઓ દ્વારા જમીનની માલિકીને ગેરકાયદે રીતે ફેરવવાના એક મોટા કૌભાંડની તપાસ હેઠળ હેમંત સોરેન સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સાથે ઈડીની પૂછપરછ શરૂ થયા પહેલા જ ઝારખંડ મુક્તિ મોરચા અને તેમના ગઠબંધનના ધારાસભ્યો તેમના આવાસ પર પહોંચી ગયા હતા. ઝારખંડના આરોગ્યમંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું હતું કે, હેમંત સોરેન તપાસમા સહકાર આપી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે બંધારણીય સંસ્થાઓની એ ફરજ છે કે તેઓ આ પ્રકારની તપાસ ‘યોગ્ય રીતે’ કરે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">રાજ્યના કૃષિમંત્રી બાદલ પત્રલેખે પીટીઆઈ-ભાષાને જણાવ્યું હતું કે, તમામ ધારાસભ્યો મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે છે. બીજી તરફ હેમંત સોરેન સામે ઈડીની કાર્યવાહીને લઈને ઝારખંડ મુક્તિ મોરચાના સમર્થકોએ અહીંના મોરહાબાદી મેદાન અને અન્ય કેટલાક સ્થળો પર વિરોધ પ્રદર્શન કરર્યું હતું. એક પ્રદર્શનકારીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના આદેશો પર ઈડી અમારા મુખ્યમંત્રીને જાણીજોઈને હેરાન કરી રહી છે. અમે આખા રાજ્યની આર્થિક નાકાબંધી કરીશું. રાંચીના મુખ્ય સ્થળો તથા મુખ્યમંત્રી આવાસના 100 મીટરના વિસ્તારમાં સવારના 9 થી રાતના 10 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Who-was-Birsa-Munda,-how-did-he-become-the-God-of-tribal-society" target="_blank" rel="noopener">કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?</a></span></strong></span></p>
<div class="post-text">
<p><span style="font-size: 12pt;"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</strong></span><span><strong> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 31 Jan 2024 20:43:27 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 18 Jul 2024 12:08:04 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>305</Articleid>
                    <excerpt>દેશના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી એવા ઝારખંડના સીએમ હેમંત સોરેને પ્રવર્તન નિર્દેશાલય(ED)ના અધિકારીઓ સામે એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આવું કદાચ પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ કેન્દ્રિય તપાસ એજન્સી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હોય. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65ba638361949.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65ba63832740a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65ba63832740a.jpg" length="52330" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી યુવા નેતા ચૈતર વસાવાને 40 દિવસ બાદ જામીન મળ્યાં, કાલે જેલમાંથી બહાર આવશે</title>
                    <link>https://khabarantar.com/Adivasi-youth-leader-Chaitar-Vasava-gets-bail-after-40-days,-will-be-out-of-jail-tomorrow</link>
                    <guid>https://khabarantar.com/Adivasi-youth-leader-Chaitar-Vasava-gets-bail-after-40-days,-will-be-out-of-jail-tomorrow</guid>
                    <description>
                        <![CDATA[ નર્મદાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે શરતી જામીન મળ્યાં છે. શું છે આખો મામલો અને આગળ તેમને કેવા નિયમોનું પાલન કરવું પડશે, જાણો આ રિપોર્ટમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી સમાજના યુવા નેતા અને AAP ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે 40 દિવસ બાદ શરતી જામીન મળ્યાં છે. ચૈતર વસાવાને વનકર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની શરતે જામીન આપ્યા છે. કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રહેવાનું રહેશે. 40 દિવસ બાદ ચૈતર વસાવાને જામીન મળ્યાં છે. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન્સ જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના જામીન મંજૂર કરતા કાલે તેઓ જેલમાંથી બહાર આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૈતર વસાવા ભરૂચ બેઠકથી લડશે લોકસભાની ચૂંટણી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને ભરૂચના નેત્રંગમાં જનસભાને સંબોધી હતી. જ્યાં કેજરીવાલએ  મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, ભરૂચ લોકસભા માટે ચૈતર વસાવા આપના ઉમેદવાર છે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. ષડયંત્ર રચી જો ચૈતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે. કેજરીવાલની આ જાહેરાત બાદ એટલું નક્કી છે કે ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65af9251c7d3f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ વખતે પંજાબના સીએમ ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ચૈતર વસાવા આદિવાસી સમાજના સિંહ છે. ભાજપ ક્યારેય તેમને ડરાવી, ધમકાવી નહીં શકે. તેઓ સિંહ છે અને સિંહને પાંજરામાં પૂરીને ભાજપ ઘાસ નાખશે તો પણ તે નહીં ખાય. ચૈતર વસાવા સિંહ છે અને પોતાનો શિકાર જાતે જ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે ચૈતર વસાવા?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2019ની વિધાનસભા ચૂંટણીમાં નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી AAP ના ઉમેદવાર તરીકે જીતીને પહેલીવાર વિધાનસભામાં પહોંચેલા ચૈતર વસાવાને મજબૂત આદિવાસી નેતા માનવામાં આવે છે. આ બેઠક પર ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા હતા. જ્યારે બીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 60 હજારથી વધુ વોટ મળ્યા હતા. ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓ છેલ્લાં એક દાયકાથી વધુ સમયથી સક્રિય રાજકારણમાં છે. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂકી છે અને હાલ પણ સભ્યપદે છે. તેમના દાદા ભંગડાભાઈ વર્ષોથી ખેત-મજૂરી કરતા હતા. તેમને પાંચ પુત્રો છે, જેમાં તેમના પિતા દામજીભાઈ વસાવા સૌથી મોટા છે. તેમને ચાર બહેન અને પાંચ ભાઈ છે. દિગ્ગજ આદિવાસી નેતા છોટુભાઈ વસાવા પાસેથી રાજકારણના પાઠ શીખનાર ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના ભવિષ્યના મોટા નેતા માનવામાં આવે છે. ખાસ કરીને યુવા વર્ગમાં તેમની મજબૂત પકડ છે અને આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને સતત અવાજ ઉઠાવતા રહે છે. જો કે, મોટાભાગના નેતાઓ સત્તા માટે આદિવાસી સમાજના ઘોર વિરોધીઓની પંગતમાં બેસી જતા હોય છે, ત્યારે ચૈતર વસાવાના મામલામાં પણ આ પ્રકારની ભીતિ રાજકીય વિશ્લેષકો સેવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો : </span><a href="https://khabarantar.com/Strong-voice-of-tribal-rights:-Jaipal-Singh-Munda">આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા</a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
<p></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 23 Jan 2024 15:51:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>287</Articleid>
                    <excerpt>નર્મદાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે શરતી જામીન મળ્યાં છે. શું છે આખો મામલો અને આગળ તેમને કેવા નિયમોનું પાલન કરવું પડશે, જાણો આ રિપોર્ટમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65af92516e564.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65af9251292ed.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65af9251292ed.jpg" length="52948" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કુછ બોલતા હું તો કહેતે હૈ નક્સલી, હક માંગતા હું તો કહેતે હૈ નક્સલી</title>
                    <link>https://khabarantar.com/If-you-say-something,-I-say-you-are-Naxalites,-if-you-want-rights,-I-say-that-you-are-Naxalites</link>
                    <guid>https://khabarantar.com/If-you-say-something,-I-say-you-are-Naxalites,-if-you-want-rights,-I-say-that-you-are-Naxalites</guid>
                    <description>
                        <![CDATA[ ‘નકસલી’ શબ્દ આવતાની સાથે જ આપણા મનમાં દેશવિરોધી ચિત્ર ઉપસી આવે છે, પણ આ શબ્દ સાથે જોડાયેલું આ ગીત કંઈક જુદી જ વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કુછ બોલતા હૂં તો કહતે હેં નક્સલી</span></strong></span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હક માંગતા હૂં તો કહતે હેં નક્સલી</span></strong></span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાંસ લેતા હૂં તો કહતે હેં નક્સલી</span></strong></span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાન લેકર કે કહતે હેં યે નક્સલી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લાઈનો કોઈ આંદોલન કે વિરોધ પ્રદર્શનમાં પોકારાયેલા સૂત્રો નથી પરંતુ એક રેપ સોંગ છે, જે રાંચીના અમન કચ્છપે ગાયું છે. અમના રૅપ ગીતો કોઈ ક્રાંતિના ગીતો નથી પરંતુ તેના મતે તેણે પોતે આદિવાસી હોવાના કારણે પોતાની આજુબાજુ જે જોયું, સાંભળ્યું અને જેમાંથી પસાર થયો તેનો આ રેપ ગીતમાં ઢાળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘નકસલી’ શબ્દ આવતાની સાથે જ આપણા મનમાં દેશવિરોધી ચિત્ર ઉપસી આવે છે, પણ આ શબ્દ સાથે જોડાયેલું આ ગીત કંઈક જુદી જ વાત કરે છે. આ ગીત કહેવા માંગે છે કે દરેક આદિવાસી અથવા આદિવાસી જેવો લાગતો માણસ ‘નકસલી’ નથી હોતો, પોતાની માતા સમાન જળ, જંગલ અને જમીનની વાત કરવાનો મતલબ નક્સલી નથી હોતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65978c4b0ef65.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">25 વર્ષનો અમન કચ્છપ વિદ્યાર્થી છે. વિદ્યાર્થી હોવાની સાથે જ તે એક કલાકાર અને યુટ્યૂબર પણ છે. આદિવાસી સમાજમાં આવતો હોવાથી અને પોતાના સમાજ પર જે વીતી રહ્યું છે તે અમન સારી રીતે સમજે છે અને એટલે જ પોતાના ગીતોમાં તે આદિવાસી સમાજની સમસ્યાને વણી લે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમન કહે છે, આમ તો હું સંયુક્ત કુટુંબમાંથી નથી આવતો, પણ મારો પરિવાર બહુ મોટો છે. એમ કહું કે રાંચીના દરેક ટોળઆમાં મારો પરિવારવાળા છે, દરેક વ્યક્તિ ઓળખીતો છે. ઝારખંડમાં કુલ 32 પ્રકારના આદિવાસીઓ વસે છે અને હું ઉરાંવ આદિવાસી સમાજમાંથી આવું છું.</span></p>
<p>.</p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65978c49e3c0e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમનનું એક રૅંપ ગીત નક્સલી વાયરલ થઈ રહ્યું છે, આ ગીત નાગપુરી ભાષામાં છે. અમન કહે છે, જે રીતે એક પ્રત્રકારનું કામ હોય છે સમાજમાં જે પણ થઈ રહ્યું છે તેને નિષ્પક્ષ રીતે બતાવવું, લોકો સુધી પહોંચાડવું, એ જ રીતે અમે પણ કળાના સહારે લોકો સુધી અમારા સમાજની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમન ફેમસ નાગપુરી લોકગાયક પદ્મશ્રી મધુ મંસૂરી અને ડૉ. રામ દયાળ મુંડાથી પ્રેરણા લઈને આદિવાસી સમાજની સમસ્યાઓને કળાના માધ્યમથી સામે લાવવા માંગે છે અને તેના માટે તેણે રૅપ સોંગ પર પસંદગી ઉતારી છે. પરંતુ તે ગીતોને હિન્દી કે અંગ્રેજીની જગ્યાએ નાગપુરી ભાષામાં જ ગાય છે, તેની પાછળનું કારણ સ્પષ્ટ કરતા અમન કહે છે, “ઝારખંડમાં 32 પ્રકારના આદિવાસીઓ વસે છે, એટલે અહીં અલગ અલગ બોલી-ભાષા પણ છે, કોઈ મુંડારીમાં વાત કરે છે, તો કોઈ સંથાલીમાં. પણ એક કોમન ભાષા છે જે અહીંનો દરેક આદિવાસી સમજી શકે છે અને તે છે નાગપુરી. અહીંયા જેટલા પણ આદિવાસી સમાજ છે તેઓ હિંદી ભલે ન જાણતા હોય પરંતુ સાદરી નાગપુરી જાણે છે.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65978c4960e17.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમને લોકડાઉન દરમિયાન રેપ ગીતો લખવાનું શરૂ કર્યું અને લોકડાઉનમાં થોડી રાહત મળતાં જ તેણે તરત જ ગીતોનું શૂટિંગ કર્યું અને તેને સોશિયલ મીડિયા પર રિલીઝ કરી દીધુ હતું. તેનું બીજું એક આલ્બમ આવી રહ્યું છે જેનું નામ છે 'ધરતી હોન', અહીં હોનનો અર્થ પુત્ર થાય છે. એ રીતે આ આલ્બમના નામનો અર્થ થયો ‘ધરતી પુત્ર’. જેમાં ગીતો છે 'નકસલવાદી', 'ધરતી એન્થમ' અને 'જામુન ફરે' છે. આ સિવાય પણ કેટલાક ગીતો છે જેમ કે, ‘જત્રા લગાઓ’, જેમાં તે સરના કોડ લાગુ કરવાનો મુદ્દો ઉઠાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમન ‘નક્સલી’ ગીત વિશે જણાવે છે કે, શહેરમાં એટલી અસર નથી દેખાતી પણ રાંચીની બહાર જો કોઈ આદિવાસી ધરણાં કરે છે અથવા કોઈ સમસ્યા સામે અવાજ ઉઠાવે છે તો તેને ગોળી મારી દેવામાં આવે છે અને તેની સામે પણ કોઈ અવાજ ઉઠાવનારું રહેતું નથી. નક્સલી કહીને તેને ગોળી મારી દીધી તો તેની મદદ કરવા માટે કોઈ નહીં આવે અને તે ગુમનામીમાં ધકેલાઈ જશે. મેં તેની ઉપર પણ એક ગીત લખ્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65978c48d8406.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળપણના દિવસો યાદ કરતા અમન કહે છે, “સ્કૂલમાં કેટલાક મોટા છોકરાઓ હતા જે અમારી સાથે બસમાં શાળાએ આવતા-જતા હતા. તેઓ અમને નક્સલી કહીને બોલાવતા હતા. ત્યારે તો મને એટલી સમજ નહોતી પડતી એટલે હું કશું બોલતો નહોતો. ઘરે પૂછ્યું તો કહેવામાં આવ્યું કે એમાં ધ્યાન ન આપ.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65978c474b0d8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમન કહે છે, એ વખતે મારો પરિવાર ઈચ્છતો હતો કે અમે માત્ર ભણવામાં ધ્યાન આપીએ, એટલે અમને તેના વિશે વધુ કશું જણાવવામાં આવ્યું નહોતું. પણ જેમ જેમ અમે મોટા થતા ગયા તેમ તેમ નક્સલી શું છે તે સમજાતું ગયું. ત્યારે મેં વિચાર્યું કે, જો તેઓ અમને નક્સલી કહીને બોલાવે છે તો ભલે બોલાવે, પણ હું અમારી વાત બધાંની સામે ચોક્કસ રાખીશ. અને મેં તે કર્યું. તેના માટે એક લાઈન લખી, ‘નક્સલી નક્સલી.. કુછ બોલો તો કહો ના નક્સલી, હક માંગો તો કહો ના નક્સલી..’ મતલબ અમે કંઈપણ અમારા હકની વાત કરીએ છીએ તો અમને નક્સલી કહેવામાં આવે છે. કશું નથી કરતા અને માત્ર શ્વાસ લઈએ તો પણ અમને નક્સલી કહેવામાં આવે છે. મારો હેતુ કોઈને પ્રમોટ કરવાનો નથી, મેં જે જોયું છે તે લખ્યું છે.</span><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;">સામાન્ય રીતે આપણે ત્યાં રૅપ સોંગના નામે હનીસિંહ કે પછી બાદશાહના ગીતોનો ઉલ્લેખ થાય છે, જેમાં મોંઘી ગાડીઓ, અર્ધનગ્ન છોકરીઓ સાથે વિદેશના કોઈ સ્થળનું શુટિંગ હોય છે. પણ ઝારખંડના રેપર અમન કચ્છપના ગીતોમાં આવી ઝાકઝમાળ નથી. તે પોતાના ગીતોમાં આદિવાસી સમાજની વાત કરે છે, જળ, જંગલ અને જમીન આસપાસના ગીતો બનાવે છે. નાગપુરીમાં ગવાયેલા આ ગીતો ભલે ખૂબ ઓછા લોકોને સમજમાં આવતા હોય. પણ એક વાત ચોક્કસ છે કે, આ ગીતોમાં દેશના એ લોકોની વાત છે, જે આજે પણ પોતાના જંગલોને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65978c486cfd2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું રહ્યું કે, છત્તીસગઢ અને ઝારખંડ આજે પણ નક્સલ પ્રભાવિત રાજ્યો માનવામાં આવે છે અને આજે પણ અહીં આદિવાસીઓને તેમના નામ અને ઓળખના આધારે ધરપકડ કરી નક્સલી જાહેર કરવા સરળ માનવામાં આવે છે. એવા અનેક મીડિયા રિપોર્ટ છે, જેના આધારે એમ કહી શકાય તેમ છે કે, નિર્દોષ આદિવાસીઓને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે. છત્તીસગઢના બુર્કાપલમાં વર્ષ 2017માં સીઆરપીએફ પર હુમલો થયો હતો જેમાં 25 જવાનોના મોત થયા હતા. આ કેસમાં માઓવાદીઓની મદદ કરવાની શંકામાં 121 આદિવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ 5 વર્ષ પછી વર્ષ 2022માં તમામને નિર્દોષ માનીને છોડી મૂકવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ ધરપકડ કરવામાં આવેલા લોકોમાં 5 સગીરો પણ હતા.</span></p>
<p><span style="font-size: 14pt;">એક મીડિયા રિપોર્ટ મુજબ સીપીઆઈએમ ઝારખંડના સચિવ પ્રકાશ વિપ્લવે જણાવ્યું હતું કે, આરટીઆઈમાં મળેલી જાણકારી મુજબ વર્ષ 2009થી 2021 દરમિયાન ઝારખંડમાં UAPAની કલમો હેઠળ 704 કેસો નોંધવામાં આવ્યા હતા, જેમાંથી 52.3 ટકા કેસો આદિવાસીઓ સામે, 23.1 ટકા ઓબીસી વર્ગ સામે અને 6.7 ટકા દલિતો સામે નોંધવામાં આવ્યા હતા. UAPA અંતર્ગત માઓવાદીઓના નામે સૌથી વધુ 187 કેસો પશ્ચિમી સિંહભૂમ જિલ્લાના ચાઈબાસામાં નોંધવામાં આવ્યા છે, એ પછી દુમકામાં 57 અને ગુમલામાં 42 કેસો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65978c47cfe3a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકરોના મતે નક્સલવાદનો સંબંધ ઝારખંડ અને છત્તીસગઢના એ આદિવાસી વિસ્તારો સાથે વધુ જોડવામાં આવે છે જ્યાં કોલસા અને ખનીજ મળી આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Who-was-Birsa-Munda,-how-did-he-become-the-God-of-tribal-society"><strong><span style="font-size: 14pt;">કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?</span></strong></a></p>
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<p><span><strong><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p>
</div>
<div class="post-tags"></div>
</div>
<p></p>
</div>
</div>
</div>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 05 Jan 2024 10:43:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>255</Articleid>
                    <excerpt>‘નકસલી’ શબ્દ આવતાની સાથે જ આપણા મનમાં દેશવિરોધી ચિત્ર ઉપસી આવે છે, પણ આ શબ્દ સાથે જોડાયેલું આ ગીત કંઈક જુદી જ વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65978c4aaa63f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65978c4a67731.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65978c4a67731.jpg" length="59637" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા</title>
                    <link>https://khabarantar.com/Strong-voice-of-tribal-rights:-Jaipal-Singh-Munda</link>
                    <guid>https://khabarantar.com/Strong-voice-of-tribal-rights:-Jaipal-Singh-Munda</guid>
                    <description>
                        <![CDATA[ વીસમી સદીની શરૂઆતમાં વર્તમાન ઝારખંડના અત્યંત ગરીબ આદિવાસી સમાજમાં જન્મેલો એક છોકરો આગળ જતાં અંગ્રેજીમાં શિક્ષણ મેળવે, ઓક્સફોર્ડ યુનિની ડિગ્રી મેળવે, અત્યંત અઘરી ગણાતી ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરે, દેશને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવતી ટીમનો કેપ્ટન બને, દેશના બંધારણમાં આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરે, તો શું તમે માનો ખરાં? વાંચો પરિકથા સેવા સપનાઓને સાકાર કરી બતાવનાર આદિવાસી હીરો જયપાલસિંહ મુંડાની કહાની, સિનિયર પત્રકાર ચંદુ મહેરિયાના શબ્દોમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">દલિતોને બંધારણીય રાહે અનામત અને વિશેષ સગવડો ડો. બાબાસાહેબ આંબેડકરની લડતને કારણે મળી શકી છે. પરંતુ આદિવાસીઓને શું આપમેળે જ અનામત અને અન્ય લાભો મળી ગયા છે? કે તે માટે કોઈએ પ્રયત્નો કર્યા હતા? આ પ્રશ્નનો જવાબ આદિવાસીઓની હાલની પેઢી પણ ઝટ દઈને આપી શકતી ન હોય એ હદે આદિવાસીઓના બંધારણીય અધિકારો માટે સંઘર્ષરત જયપાલ સિંહ મુંડા (૧૯૦૩-૧૯૭૦) ને વિસરી જવાયા છે. ભારતની બંધારણ સભાના અલ્પ આદિવાસી સભ્યો પૈકીના એક જયપાલ સિંહ મુંડાને જ લીધે આદિવાસીઓના અનામત સહિતના લાભોને બંધારણીય સંરક્ષણ પ્રાપ્ત થઈ શક્યું છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આજથી એક સો વીસ વરસ પૂર્વે ત્રીજી જાન્યુઆરી ૧૯૦૩ના રોજ તત્કાલીન બંગાળ પ્રેસિડેન્સીના અને વર્તમાન ઝારખંડના ખૂંટી જિલ્લાના ટકરા ગામે મુંડા આદિવાસી પરિવારમાં જયપાલ સિંહનો જન્મ થયો હતો. બચપણનું નામ પ્રમોદ પાહન. પિતા અમરુ પાહન અને માતા રાધામુનિના આ સંતાનનું આરંભિક શિક્ષણ પૈતૃક ગામમાં થયું હતું. ગામથી માંડ પંદર કિલોમીટર દૂર રાંચીની ખ્રિસ્તી મિશનરીઓની અંગ્રેજી શાળા સેન્ટ પોલ સ્કૂલમાં એ દાખલ થયા અને જાણે કે જીવનની દિશા બદલાઈ ગઈ. આ આદિવાસી બાળકની કુશાગ્ર બુધ્ધિ અને પ્રતિભાને કારણે સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કેનનની તેના પર વિશેષ નજર હતી. એટલે ધર્મ પલટો કરીને તેને ખ્રિસ્તી બનાવાયો. સાથે નામ અને અટકમાં પણ પલટો થયો. મુંડાએ તેમની આત્મકથા Lo Bir Sendra  માં નોંધ્યું છે તેમ પ્રમોદ પાહનમાંથી તેમનું નવું નામ અને અટક જયપાલ સિંહ મુંડા કદાચ તેમને ૧૯૧૧માં સ્કૂલમાં જ મળ્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_659588b04e1f5.jpg" alt=""></p>
<p><strong>(ડો. ભીમરાવ આંબેડકર જેમ શૂટબૂટમાં જયપાલ સિંહ મુંડા)</strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આદિવાસી બાળક જયપાલને અંગ્રેજોની શાળામાં ભણવાનો મોકો તો મળ્યો, ઈ.સ. ૧૯૧૮માં તેમની પંદર જ વરસની વય હતી ત્યારે ફાધર કેનન તેમને બ્રિટન લઈ ગયા. આ વિદેશગમન મુંડાની જિંદગીનું મહત્વનું વળાંક બિંદુ હતું. બ્રિટનમાં રહીને તે ઓકસફર્ડમાં ભણ્યા. અહીં જ તેમણે મેટ્રિકથી અનુસ્નાતક સુધીનો અભ્યાસ ઉંચા મેરિટ સાથે કર્યો. અભ્યાસની સાથે તે હોકી રમતા. તેમાં એવી તો મહારત હાંસલ કરી કે પરતંત્ર ભારતની હોકી ટીમના તે કેપ્ટન બન્યા. ઈ.સ. ૧૯૨૮માં ભારતની હોકી ટીમે ઓલમ્પિક્માં ગોલ્ડ મેળવ્યો તે ટીમના મુંડા કેપ્ટન હતા. ઓકસફર્ડ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી આદિવાસી, કલર્ડ અને એશિયનની ભેદભાવસૂચક ઓળખ અને ભેદભાવ છતાં આગળ વધતો રહ્યો. બ્રિટનમાં ભણતા આદિવાસી યુવાન મુંડાએ આ દિવસોમાં જ ઈન્ડિયન સિવિલ સર્વિસની અઘરી પરીક્ષા પાસ કરી. આવી મોભાદાર નોકરીની પરીક્ષા પાસ કરનારા તેઓ પ્રથમ આદિવાસી હતા. પરંતુ હોકીની ઓલિમ્પિક અને આઈ સી એસની ટ્રેનિંગ વચ્ચે પસંદગી કરવાની આવી ત્યારે એમણે હોકીને પસંદ કરી હતી.,આઈ સી.એસ છોડ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">હોકીમાં કારકિર્દીની ટોચે હતા ત્યારે એમણે હોકીને અલવિદા કરી. ઓલિમ્પિક ગોલ્ડ હોકી ટીમના એમના સાથી મેજર ધ્યાનચંદે આત્મકથા ‘ગોલ’માં મુંડા પ્રત્યે આચરાતો ભેદભાવ તેનું કારણ હોવાનો નિર્દેશ કર્યો છે. કોલકત્તામાં બર્મા ઓઈલ કંપનીમાં મુખ્ય અધિકારી તરીકે તેમની નિમણૂંક થઈ હતી તે દરમિયાન પ્રતિષ્ઠિત બંગાળી રાજકીય ઘરાનાના તારા બેનરજી સાથે ૧૯૩૨માં તેમણે લગ્ન કર્યા. બહુમુખી પ્રતિભા ધરાવતા મુંડાએ દેશમાં અને વિદેશમાં અધ્યાપન પણ કર્યું હતું. બિકાનેર રજવાડાના મહેસૂલ અને વિદેશ સચિવ તથા કશ્મીરના રાજા હરિસિંહના દીકરા કર્ણ સિંહના ટ્યુટર પણ તેઓ હતા. વીસ વરસના વિદેશ વસવાટ પછી તેઓ ભારત પરત આવ્યા ત્યારે મિશનરીઓની અપેક્ષા પ્રમાણે આદિવાસીઓમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારને બદલે તેમણે જાતભાઈઓના શોષણ અને બદતર હાલતમાં પરિવર્તન આણવાનો માર્ગ પસંદ કર્યો. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_659588b197d4d.jpg" alt=""></p>
<p><strong>(અલગ અલગ અંદાજમાં આદિવાસી યોદ્ધા જયપાલ સિંહ)</strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">જયપાલ સિંહ મુંડાએ બિહાર અને અન્યત્ર આદિવાસીઓના રોજગાર અને શિક્ષણની સ્થિતિ નજરે નિહાળી. તત્કાલીન કોંગ્રેસ નેતાઓ તે અંગે કંઈ કરે છે તેમ ના લાગતાં તેમણે આદિવાસીઓમાં રાજકીય જાગ્રતિના પ્રયાસો આદર્યા, ૧૯૩૯માં તેમણે અખિલ ભારતીય આદિવાસી મહાસભાની સ્થાપના કરી. તેમના અધ્યક્ષસ્થાને ચાર જ મહિના પછીની જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં તેમણે ૩૮ બેઠકો મેળવી. એટલે કોંગ્રેસને તેઓ પડકારરૂપ લાગ્યા. ઠક્કરબાપાના પ્રમુખપદે કોંગ્રેસે પણ આદિવાસીઓનું સંગઠન ઉભું કર્યું. ૧૯૪૦માં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન રામગઢમાં યોજાયું ત્યારે મુંડાએ લગભગ તેને સમાંતર એવી આદિવાસીઓની મહાસભા યોજી. તેમાં કોંગ્રેસના નારાજ નેતા સુભાષચંન્દ્ર બોઝને નિમંત્રીને તો વળી નવી ચેલેન્જ ફેંકી. આદિવાસી બહુલ ૨૬ જિલ્લાનું અલગ ઝારખંડ રાજ્ય રચવાની તેમણે માંગ કરી. સુભાષબાબુએ પહેલાં સ્વરાજ પછી અલગ રાજ્યની સલાહ આપતાં આદિવાસી મહાસભા પૂર્ણ સ્વરાજ અને હિંદ છોડો ચળવળમાં જોડાઈ અને હજારો આદિવાસીઓએ જેલ ભોગવી જમશેદપુરના કારખાનાઓમાં કામ કરતા આદિવાસી કામદારોના અધિકારો માટે મુંડાએ આદિવાસી લેબર ફેડરેશન પણ બનાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આઝાદી પહેલાં સ્વતંત્ર ભારતના બંધારણની રચનાની પ્રક્રિયા શરૂ થઈ હતી. મુંડા તેમાં સક્રિય હતા. એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે તેઓ બંધારણ સભામાં ચૂંટાયા હતા. બંધારણ સભામાં તેમણે આદિવાસીઓના અધિકારોની ધારદાર રજૂઆત કરી હતી. આદિવાસીઓ માટે શિક્ષણ, નોકરીઓ અને રાજકારણમાં અનામત બેઠકો મુંડાની રજૂઆતોનું પરિણામ છે. રાજકીય અનામતો માટેની ૧૦ વરસની મર્યાદા તેમને સ્વીકાર્ય નહોતી. બંધારણ સભામાં તેમણે કહ્યું હતું કે દસ વરસમાં ભારત કંઈ સ્વર્ગ નથી બની જવાનું. આટલા વરસોમાં ના તો રાજકીય જાગૃતિ આવશે કે ન તો યોગ્ય પ્રતિનિધિત્વ ઉભું થશે. દર દાયકે લંબાવાતી રાજકીય અનામતોની મુદતે મુંડાને સાચા ઠેરવ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બંધારણ સભામાં અને મહત્વની સમિતિઓમાં આદિવાસીઓના અને ખાસ તો આદિવાસી મહિલાઓના અલ્પ પ્રતિનિધિત્વનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે બંધારણમાં આદિવાસીઓ માટે અનુસૂચિત જાતિને બદલે આદિવાસી શબ્દ જ પ્રયોજાય. દારૂબંધીને બંધારણના માર્ગદર્શક સિધ્ધાંતોમાં સામેલ કરવાના પણ તેઓ વિરોધી હતા. તેઓ દારૂને આદિવાસીઓના જીવનનો ભાગ માનતા હતા. આદિવાસીઓને લગતી બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ પણ તેમની બંધારણ સભાના સભ્ય તરીકેની સબળ રજૂઆતોને કારણે જ શક્ય બની છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_6595899b4cfbe.jpg" alt=""></p>
<p><strong>(જર્જરિત હાલતમાં જયપાલ સિંહ મુંડાની પૈતૃક ધર)</strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૧૯૫૦માં આદિવાસી મહાસભાનું ઝારખંડ પાર્ટીમાં તેમણે રૂપાંતર કરીને આદિવાસીઓનો રાજકીય અવાજ બુલંદ કર્યો. ૧૯૫૨ની ચૂંટણીમાં તેના ૩૨ ઉમેદવારો ધારાસભામાં અને ૪ લોકસભામાં ચૂંટાયા હતા. આ વિજયે મુંડાને આદિવાસી સમાજની રાજનીતિનો પ્રાણવાયુ સાબિત કર્યા. ૧૯૫૭માં તેના વધુ ઉમેદવારો વિજયી બન્યા. એટલે ૩૪ ધારાસભ્યો અને ૫ સંસદસભ્યો બન્યા. જોકે ૧૯૬૨માં તેના લોકસભામાં તો પાંચ ઉમેદવારો જીત્યા પણ ધારાસભ્યો ઘટીને ૨૨ જ થઈ ગયા. મુંડા લાગલગાટ ચાર વખત ખૂંટી મતવિસ્તારમાંથી જ સંસદમાં ચૂંટાતા રહ્યા હતા. ૧૯૬૨માં તેમના પક્ષના ૨૨માંથી ૧૨ ધારાસભ્યોને કોંગ્રેસે પક્ષપલટો કરાવ્યો. તેથી લાચાર મુંડાએ ઝારખંડના અલગ રાજ્યની રચનાની શરતે પક્ષનો કોંગ્રેસમાં વિલય કર્યો. કોંગ્રેસે મુંડાને બિહારના નાયબ મુખ્યમંત્રી તો બનાવ્યા પણ અલગ રાજ્ય ના બનાવ્યું. તેથી નારાજ મુંડાએ એક જ મહિનામાં રાજીનામું આપ્યું. છેક ૨૦૦૦ના વરસમાં ઝારખંડનું નોખું રાજ્ય રચાયું ત્યારે મુંડાનું સ્વપ્ન સાકાર થયું. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૬૭ વરસની વયે ૨૦મી માર્ચ ૧૯૭૦ના દિવસે દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું. હોકીના સર્વોચ્ચ ખેલાડી તરીકે તેમને ઓક્સફર્ડ બ્લૂનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ ખિતાબ મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય છે. ઘર આંગણે આદિવાસીઓએ તેમને પ્રેમ અને આદર સાથે ‘મરાંગ ગોમકે’ ( સર્વોચ્ચ કે મહાન નેતા) નું સન્માન આપ્યું હતું. આ સન્માન મેળવનારા પણ મુંડા એકમાત્ર છે. જ્યારે દેશમાં સંઘર્ષશીલ રાજકીય આદિવાસી નેતૃત્વ દોહ્યલું બની રહ્યું છે ત્યારે જયપાલ સિંહ મુંડાને વિસ્મૃતિની ગર્તામાં બહાર કાઢી અહર્નિશ યાદ કરવાની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">હોકીના સર્વોચ્ચ ખેલાડી તરીકે તેમને ઓક્સફર્ડ બ્લૂનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ ખિતાબ મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય છે. ઘર આંગણે આદિવાસીઓએ તેમને પ્રેમ અને આદર સાથે 'મરાંગ ગોમકે' (સર્વોચ્ચ કે મહાન નેતા) નું સન્માન આપ્યું હતું. આ સન્માન મેળવનારા પણ મુંડા એકમાત્ર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a> </span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સાહિત્યના તલસ્પર્શી અભ્યાસુ છે.)</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ </span></strong></span><a href="https://khabarantar.com/Who-was-Birsa-Munda,-how-did-he-become-the-God-of-tribal-society" target="_blank" rel="noopener"><span style="font-size: 14pt;"><strong>કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?</strong></span></a></p>
<div class="post-meta">
<div class="post-text">
<p><span style="font-size: 14pt;"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p>
</div>
<div class="post-tags"></div>
</div>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;"></span></strong></em></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 03 Jan 2024 21:58:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>250</Articleid>
                    <excerpt>વીસમી સદીની શરૂઆતમાં વર્તમાન ઝારખંડના અત્યંત ગરીબ આદિવાસી સમાજમાં જન્મેલો એક છોકરો આગળ જતાં અંગ્રેજીમાં શિક્ષણ મેળવે, ઓક્સફોર્ડ યુનિની ડિગ્રી મેળવે, અત્યંત અઘરી ગણાતી ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરે, દેશને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવતી ટીમનો કેપ્ટન બને, દેશના બંધારણમાં આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરે, તો શું તમે માનો ખરાં? વાંચો પરિકથા સેવા સપનાઓને સાકાર કરી બતાવનાર આદિવાસી હીરો જયપાલસિંહ મુંડાની કહાની, સિનિયર પત્રકાર ચંદુ મહેરિયાના શબ્દોમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_659588afd9a7b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_659588af9ac94.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_659588af9ac94.jpg" length="64591" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મૌખિક પરંપરાથી લખાતા ઈતિહાસનો નમૂનારૂપ ગ્રંથ &amp;apos;કોઈનો લાડકવાયો:જોરીયો પરમેશ્વર&amp;apos;</title>
                    <link>https://khabarantar.com/Koino-Ladkawayo:-Jorio-Parameshwar-is-a-model-of-oral-history</link>
                    <guid>https://khabarantar.com/Koino-Ladkawayo:-Jorio-Parameshwar-is-a-model-of-oral-history</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત યુનિ.ના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. અરૂણ વાઘેલા આદિવાસી સમાજ પરના તેમના સંશોધનને કારણે જાણીતા છે. હાલમાં જ તેમનું આદિવાસી મહાનાયક જોરીયા પરમેશ્વર પરનું પુસ્તક પ્રકાશિત થયું છે. ઈતિહાસ પર આધારિત હોવા છતાં જે જરાય બોર નથી કરતું તેવા આ પુસ્તકનો પરિચય અહીં પ્રસ્તુત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લેખક - પ્રથમ પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇ.એચ.કારે લખ્યું છે કે, "ભૂતકાળ અને વર્તમાન વચ્ચે અવિરતપણે ચાલતો સંવાદ એટલે ઈતિહાસ” ઈતિહાસ એક એવો વિષય છે જેને ભૂતકાળ સાથે સંબંધ છે પરંતુ શુષ્ક હકીકતો નહીં પરંતુ બનેલી ઘટના કે પ્રસંગનું યોગ્ય મૂલ્યાંકન કરીને તેમાંથી બોધપાઠ લેવો એ ઈતિહાસનું મુખ્ય કાર્ય છે. ઈતિહાસની નિસ્બત ભૂતકાળ સાથે હોવા છતાં તેનો સીધો નાતો બદલાતા જતા વર્તમાન સાથે છે અને એટલે જેમ જેમ વર્તમાન બદલાતો જાય તેમ તેમ વર્તમાનની જરૂરિયાત બદલાતી જાય અને એમ ભૂતકાળ તરફ જોવાની માનવીની દ્રષ્ટિ પણ બદલાતી જાય છે. પ્રાચીન સમયમાં ઈતિહાસ રાજા મહારાજાની યશગાથા અને વીરપૂજામાં જ ઈતિહાસ સીમિત હતો, મધ્યકાળમાં મુસ્લિમ તવારીખકારોએ શાસક તરફી દ્રષ્ટિબિંદુથી ઈતિહાસ લખ્યો અને આજે સાંપ્રત સમયમાં સર્વાંગી દ્રષ્ટિકોણથી ઈતિહાસને મૂલવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ આ સમગ્ર ઈતિહાસલેખન પરંપરા દરમિયાન એક મર્યાદા એ રહી કે તેમાં ક્યાંય વંચિત વર્ગ એટલે કે સ્ત્રીઓ, દલિતો, આદિવાસીઓ, મજૂરો વગેરેની વાત નહોતી એટલે આ વર્ગના પ્રદાનની નોંધ જ્યાં સુધી ઈતિહાસમાં ન લેવામાં આવે ત્યાં સુધી ભારતીય ઈતિહાસ તો શું. કોઈપણ દેશનો ઈતિહાસ અધુરો ગણાય. આથી આ બધાનું ઈતિહાસ ઘડતરમાં પ્રદાન નોંધવા માટે ‘વંચિતલક્ષી ઈતિહાસલેખન' નો ઉદ્દભવ થયો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6582a2ff0443d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વંચિતોના દ્રષ્ટિકોણથી ઈતિહાસલેખન કરવાનો અભિગમ છેલ્લા ચારેક દાયકાથી કાર્યરત છે. તેમના મતે સમાજના માત્ર મુખ્યધારાના વર્ગો જ ઈતિહાસ નિર્માણમાં ભૂમિકા ભજવે એ બાબત ખોટી છે, આથી સમાજનો જે તરછોડાયેલો વર્ગ છે એમનું ઈતિહાસ નિર્માણમાં પ્રદાન પણ નોંધાવું જોઈએ એ ખ્યાલ આ ઈતિહાસલેખન પદ્ધતિના કેન્દ્રમાં હતો. આ ઈતિહાસલેખન માટે 'Subaltern' શબ્દ વપરાય છે જેનો પહેલો પ્રયોગ આંતોનીઓ ગ્રામસીએ કરેલો અને પછી 1980માં રણજીત ગુહાએ આ શબ્દનો ઉપયોગ ઈતિહાસના સંદર્ભે કર્યો. આ ઈતિહાસલેખન પદ્ધતિના સાધનો કે સ્રોતો પણ સામાન્ય રીતે ઈતિહાસલેખનમાં વપરાતા સાધનો કરતા જુદા પ્રકારના હોય છે. No Document, No History એ વિધાન આ ઈતિહાસલેખન પદ્ધતિમાં લાગુ પાડી શકાય એમ નથી. આપદ્ધતિમાં લેખિત દસ્તાવેજોની સાથે સાથે દંતકથા, સર્વહારા વર્ગનું સાહિત્ય અને ખાસ તો મૌખિક પરંપરાને ખાસ મહત્વ આપવામાં આવે છે. કારણ કે સરકારી દસ્તાવેજો માત્ર શાસકોની જ વાત કરે છે એટલે વંચિતોના ઈતિહાસ નિર્માણની પ્રક્રિયા સમજવા માટે ખુદ વંચિતોમાંથી જ સર્જાયેલા સ્રોતો મહત્વના બને છે. આવી સમજ સાથે તાજેતરમાં ડો.અરુણ વાઘેલા દ્વારા 'કોઈનો લાડકવાયો: જોરીયો પરમેશ્વર' પુસ્તક લખાયું છે તેની સમીક્ષા કરવાનો અત્રે ઉદ્દેશ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ કહ્યું તેમ વંચિતોમાં ભારતીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આદિવાસીઓ અંદાજે 10 કરોડ જેટલી વસ્તી ધરાવે છે તેને ધ્યાનમાં લઈ વંચિતલક્ષી ઈતિહાસલેખન અંતર્ગત આદિવાસીઓના પ્રદાન વિશે કેટલાક ઈતિહાસકારોએ ગ્રંથો આપ્યા છે જેમાં કે.એસ. સિંધ દ્વારા 'Birsa Munda and his movements', રણજીત ગુહા દ્વારા 'Subaltern Studies ગ્રંથ શ્રેણી, ડેવિડ હાર્ડીમેન દ્વારા 'C Devi', सुरेश मिश्रा द्वा२। 19वी सदी में भारत में आदिवासी विद्रोह' वगेरे ठेवा ग्रंथोनी 2/7 થાય છે. લેખના કેન્દ્રમાં જે પુસ્તક છે એવા જ ચરિત્રો આ પૂર્વે પણ લખાયા છે અને ઈતિહાસલેખનમાં એક નોખી રીત શરૂ કરી ચૂક્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6582a31608add.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસીઓના ઈતિહાસ અને સ્વતંત્રતા આંદોલનમાં તેમના પ્રદાન વિશે પૂરતા ખંત અને મહેનતથી સંશોધન કરનાર નિષ્ઠાવાન સંશોધક અને અધ્યાપક એટલે અરુણ વાઘેલા. તેમના PHDનો વિષય પણ આદિવાસી ઈતિહાસ જ રહ્યો છે અને હાલ તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં ઈતિહાસ વિભાગના અધ્યક્ષ અને અધ્યાપક તરીકે કાર્યરત છે. ચંદ્રકો, પુસ્તકોને મળેલા ઈનામો જેવી ઔપચારિક બાબતોને બાજુ પર મૂકીએ તો અરુણ વાઘેલાનું સૌથી મહત્વનું પ્રદાન એ ગણાય કે તેમણે માત્ર આદિવાસીઓના ઈતિહાસનું સંશોધન કરવાનું દુષ્કર કાર્ય નથી કર્યું, પરંતુ એની સાથે સાથે આદિવાસીઓના ઈતિહાસમાં અન્ય સંશોધકો રસ લેતા થાય એવો પ્રયાસ પણ હરહમેંશ માટે કર્યો છે. એક સાચો ઈતિહાસકાર માત્ર ઇતિહાસનું સંશોધન કરતો નથી પણ ઈતિહાસ સંશોધન કરી શકે એવા શિષ્યોની એક આખી પરંપરાનું સર્જન કરે છે અને પ્રોફેસર અરુણ વાઘેલા માટે આ બાબત એકદમ સાચી સાબિત થઈ છે. તેમની નિષ્ઠા અને સંશોધન સૂઝનો પરિચય એમના આ પુસ્તક પરથી સુપેરે મળી રહે છે. એમના ઔપચારિક પરિચયમાં વધુ જગ્યા ન રોકતા એમના દ્વારા રચાયેલ જોરીયો પરમેશ્વર પુસ્તકમાં પ્રવેશીએ તો એમની વિદ્વત્તા અને કાર્યદક્ષતાનો વધુ પરિચય મેળવી શકાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંગ્રેજોની વિરુદ્ધ સશસ્ત્ર ચળવળની વાત આવે ત્યારે મોટાભાગની પ્રજા અને ઈતિહાસના અભ્યાસીઓના મોઢે પણ અમુક ગણ્યા ગાંઠ્યા જ નામ આવતા હતા ત્યારે જેના સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય આથમતો નથી એવી બ્રિટિશ સરકારને ૧૮૬૮માં ચૌદ દિવસમાં હંફાવી દેનાર નાયકીરાજ આંદોલનના પ્રણેતા જોરીયા નાયકની અલિપ્ત રહેલી ગાથા લઈને લેખકે આ પુસ્તક લખ્યું છે. જોરીયા નાયક અને રૂપસિંહ નાયક દ્વારા અંગ્રેજોની વિરુદ્ધમાં ચલાવેલ આંદોલનનો આ ઈતિહાસગ્રંથ ઈતિહાસ મટીને એક નવલકથા રસ ઊભો કરે એવો રોમાંચક છે. પુસ્તકના જુદા જુદા પ્રકરણોનો સંક્ષેપ અને એ રીતે રજૂ થયેલી ગાથાની આછેરી ઝલક અહીં અસ્થાને નહીં ગણાય.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6582a32c05277.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પંચમહાલના જંગલમાં રખડનાર એક નાયક આદિવાસી યુવાનમાં આવી મોટી બ્રિટિશ સરકાર સામે નાયકીરાજ આંદોલન ચલાવી એના પાયા હચમચવવાની હિંમત ક્યાંથી આવી? એ સમજશક્તિના વિકાસનો ઉપક્રમ કેવો રહ્યો હશે? જોરીયા નાયકનો ઉછેર, બાળપણ, મસૂરી નાયકણ સાથેની પ્રેમકથા, આદિવાસીઓ પર અંગ્રેજ અમલદારો અને દેશી રાજ્યો દ્વારા થતા અત્યાચારને જોઈને જોરીયા નાયકનું ઘડાયેલું માનસ અને જોરીયા નાયકમાંથી 'જોરીયા પરમેશ્વર' બનવાની તેમની યાત્રાને સમજવાનો પ્રયાસ તથા ઘટનાનો સિલસિલાબંધ ચિતાર લેખકે આ પ્રકરણમાં આપ્યો છે. આ પ્રકરણ જીવનચરિત્રાત્મક ન બનતા, વ્યક્તિત્વ ઘડતરની પ્રક્રિયાને સમજવાનો પ્રયાસ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંગ્રેજો અને કાળા અંગ્રેજો એટલે કે અંગ્રેજોનો સાથ દેતા ભારતીયો દ્વારા આદિવાસીઓ પર મુખ્યત્વે ત્રણ બાબતમાં અત્યાચાર થતો હતો: પહેલું -જંગલોમાંથી વૃક્ષો કાપવા, તેને ઠેકાણે પાડવા મજૂર તરીકે ઉપયોગ કરતા. બીજું - બ્રિટિશ અધિકારીઓ નાટકીય ઢબે વનયજીવોનો બેફામ શિકાર કરતા હતા અને પરિણામે જંગલ તથા વન્યસૃષ્ટિ સાફ થઈ રહી હતી. ત્રીજું - આદિવાસીઓ પાસે સળંગ બે કે ત્રણ દિવસ સુધી વેઠ કરાવતા હતા. આ બધું જોરીયો નાયક જોતો અને એના પરિણામે એના મનમાં કઈ રીતે નાયકીરાજ સ્થાપવાની ઈચ્છા ઘડાવા માંડી અને જોરીયા નાયકના સાથીદાર જાગીરદાર રૂપસિંહ નાયકનું મિલન એનો ચિતાર લેખકે આ પ્રકરણમાં આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોરીયા નાયક અને રૂપસિંહ નાયકને અંગ્રેજો સાથે સંઘર્ષ થયો એ પહેલા નારૂકોટના શાસક જગતા બારીયા સાથે સંઘર્ષ થાય છે. ત્યારબાદ છોટાઉદેપુરના રાજા જીતસિંહ સાથે લડાઈ થઈ અને નાયક આદિવાસીઓએ જાંબુઘોડા થાણા પર આક્રમણ કરી દેશી રાજ્યો તથા અંગ્રેજો સામે ખુલ્લો પડકાર ફેંક્યો. અંગ્રેજો સુધી પહોંચ્યા એ પહેલા નાયક આદિવાસીઓએ દેશી રાજ્યો સાથે જે દિલધડક સંઘર્ષ કર્યો એની વાત આ પ્રકરણમાં છે. આ પ્રકરણમાં ગલાલ નાયક નામનો આદિવાસી યુવાન શિવલાલ મહેતા નામના સરકારી કર્મચારીને જે રીતે મારી નાખે છે તેનો ઉત્તમ ચિતાર આ પ્રકરણનો વિશેષ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6582a341d4468.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માત્ર 30 વર્ષના જોરીયા પરમેશ્વર નામના યુવાને 1868ના વર્ષમાં આદિવાસી સમસ્યાને લઈ શરૂ કરેલી લડતથી સ્થાનિક બ્રિટિશ તંત્રની ઊંઘ હરામ કરી નાખી હતી. અંગ્રેજ સરકારને જોરીયા પરમેશ્વરે ચિંતામાં મૂકી દીધા હતા અને તેથી બ્રિટિશ સરકારે આ આદિવાસી વિદ્રોહને દબાવી દેવાની વ્યૂહરચના ઘડવા માંડી હતી. અંગ્રેજોને સાથ આપનાર ભારતીયોના અનેક દાખલા આ પ્રકરણમાં આપણને મળી આવે છે. કલેકટર પ્રોપર્ટ અને મેજર બાર્ટન તથા સામે પક્ષે જોરીયા પરમેશ્વર, રૂપસિંહ નાયક અને તેમની ટુકડીઓએ યુદ્ધની જોરદાર તૈયારીઓ કરવા માંડી હતી. જોરા સકાઉ જેવા ડુપ્લીકેટ જોરીયાને ઊભો કરવાનો આધુનિક ખ્યાલ, જંગલમાં આદિવાસીઓને કોઈ હરાવી ન શકે તેથી મેદાનમાં ખેંચી લાવવાની અંગ્રેજોની રણનીતિ અને છેક વડેક સળગાવી મૂકી નાયકીરાજના આંદોલનના અંત સુધીની રોમાંચક ઘટનાનું વર્ણન આ પ્રકરણમાં છે. સાથે નાયક આદિવાસી પછાત હોવા છતાં કેવી કુનેહપૂર્વક લડત લડતા હતા તેનું પણ બારીક વર્ણન પણ મળે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીયોએ કરેલ દગાબાજીના પરિણામ સ્વરૂપ જોરીયા પરમેશ્વર, રૂપસિંહ નાયક, ગલાલ નાયક, બાબર નાયક અને રાવજી બારીયા પકડાયા અને તેમને ફાંસી થઈ. અન્ય ૧૭ જેટલા નાયક આદિવાસીઓને કેદની સજા ફરમાવી. આ બધી સજાઓ કરતા પણ એક મોટું કલંક અંગ્રેજોએ આદિવાસીઓને માથે એ થોપી બેસાડયું કે આદિવાસીઓના આ પ્રચંડ વિદ્રોહને ઈતિહાસમાંથી ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો અને આદિવાસીઓને ગુનેગાર જાતિ ગણાવી, ઈતિહાસમાંથી વિસરાયેલા આ પાત્રની કરુણા આ અંતિમ પ્રકરણમાં લેખકે વર્ણવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંશોધકની નિષ્ઠા અને મહેનત એમના લેખનમાં ઝળકી ઉઠે છે. ત્રણ પરિશિષ્ટ, ચિત્રસૂચિ અને સમગ્ર લેખનકાર્ય દરમિયાન લેવાયેલ ઝીણામાં ઝીણી માહિતીની નોંધ એ સંશોધકે આ જોરીયા પરમેશ્વરના ઈતિહાસલેખન માટે લીધેલી મહેનતનો જીવંત પુરાવો છે. દરેક પ્રકરણને અંતે આપેલી પાદટીપ અને અઢાર જેટલા આધારગ્રંથો સંશોધકની સંશોધનવૃત્તિનો વ્યાપ બતાવે છે. ઉપરાંત માત્ર ગેઝેટીયર કે લાયબ્રેરીમાં બેસીને પુરોગામી ઈતિહાસકારોના પુસ્તકોનું અધ્યયન કરવાને બદલે લેખકે અનેક લોકોનો સાક્ષાત્કાર કર્યો છે અને એ રીતે ક્ષેત્રકાર્ય પણ કર્યું છે. Field Visit જેવા મહત્વના મુદ્દાને સંશોધકે પુરી નિષ્ઠા સાથે કરી બતાવ્યો છે એ એમના સ્થળના વર્ણનમાં સ્પષ્ટ દેખાય આવે છે. એટલે એ રીતે સંશોધકના સંશોધનનો વ્યાપ સૂક્ષ્મ કક્ષા સુધી વિસ્તર્યો છે. ગીતો, સંવાદો દ્વારા ઈતિહાસનો એક અલગ મિજાજ પણ અહીં પ્રગટ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6582a31608add.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય શિરસ્તો એવો હોય છે કે આધારસામગ્રી વિના કશું લખવું નહીં પરંતુ આદિવાસીઓ અથવા તો વંચિતોના ઈતિહાસલેખન બાબતમાં બહુધા આ યુરોપિયન ખ્યાલ અપૂરતો લાગે છે. જોરીયા પરમેશ્વરને અને તેના જેવા અનેક આદિવાસી ક્રાંતિકારીને યુરોપિયન દસ્તાવેજોમાં તો ” લૂંટારા તરીકે જ યીતરવામાં આવ્યા છે પરંતુ ખરેખર તે એક ક્રાંતિકારી નેતા હતો. અ બાબતમાં સત્યની શોધ દસ્તાવેજોથી નહિ પરંતુ મૌખિક પરંપરામાં સચવાયેલા લો 4/7 દંતકથા અને વ્યક્તિગત સાક્ષાત્કારથી થાય છે. યુરોપિયન ખ્યાલ No Document, No History કે નામૂલં સ્વિતે કૃિષિત એ અહીં ખોટું તો નહીં પણ અધૂરું સાબિત થાય છે. આથી આ પુસ્તક એ યુરોપિયન ઈતિહાસલેખન વિદ્યા જે બહુધા સામ્રાજ્યવાદી અને અંગ્રેજ અમલદારો દ્વારા નોંધાયેલ વિગત પર જ આધારિત છે એના માટે એક મોટો પડકાર છે.</span></p>
<p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈતિહાસ સંશોધન એ એક વિજ્ઞાન છે તેમ થયેલ સંશોધનની રસપ્રદ રજૂઆત એ એક કળા છે. પુસ્તકના લેખક સંશોધક તરીકે જેટલા ખીલ્યા છે એના કરતાં પણ વધારે તેઓ ઉત્તમ રીતે પોતાની વાતને રજૂ કરી શક્યા છે. એક સાહિત્યકારને શોભે એવી ભાષામાં, કલ્પનાના રંગ ઉમેરી એમને સત્યને પ્રગટ કર્યું છે અને એને લીધે વાચક માટે આ ઈતિહાસગ્રંથનું વાચન કઠિન નથી. રસાળ શૈલીને લીધે વાચકોનું આકર્ષણ ખેંચી શકવાની ક્ષમતા આ પુસ્તકમાં છે અને એટલે જ આ પુસ્તક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં પ્રકાશિત થયું છે. લેખકની આકર્ષક શૈલીના કેટલાક નમૂના:</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"આદિવાસીઓ અને જંગલ વચ્ચે તો નવજાત શિશુ અને પ્રસુતા જેવો સંબંધ હતો, જેને જંગલ કાયદા થકી વિખુટા પાડવાનું કારસ્તાન શરૂ થયું." ( પૃષ્ઠ નંબર : 31)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"ભારતીય પ્રજામાં પગ વિનાની અફવાઓ અણિયાળા હથિયારો કરતાં વધુ અસરકારક ઢબે લડાયક જુસ્સાનો ખાત્મો બોલાવી દે છે." ( પૃષ્ઠ નંબર : 66)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"પાઘડીમાં તાંસળી ઘાલી, છાતી પર ગેંડાનાં ચામડાનાં સુરક્ષા કવચ અને બંને હાથમાં તલવાર ધારણ કરેલો ખભે કામઠી પીઠે તીરનો ભાથો ભરાવી અને તાંડવ નૃત્ય કરતો જોરીયો!" (પૃષ્ઠ નંબર :76)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"જોરીયા અને નાયકીરાજનો ઇતિહાસ સંસ્થાનવાદી-સામંતશાહીની કાવતરાખોરી વચ્ચે પણ નાયકાઓની પરંપરામાં અણનમ ઊભો છે. કારણ, જોરીયા અને નાયકાઓના ઇતિહાસે 'આવજો' નહોતું કહ્યું, 'ફરી મળીશું' કહ્યું હતું." (પૃષ્ઠ નંબર : 95) આવા તો અનેક વિધાનો કે ફકરાથી પ્રસ્તુત જીવનચરિત્ર રસાળ અને વાંચનક્ષમ બન્યું છે.</span></p>
<p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વંચિતલક્ષી ઈતિહાસલેખનના સાધન તરીકે લેખકે અંગ્રેજ સરકારના ગેઝેટીયર, અન્ય દસ્તાવેજોનો અને વ્યક્તિગત મુલાકાતનો ઉપયોગ કર્યો છે પણ આદિવાસીઓની બાબત જાણવાનો મોટો સ્ત્રોત ગણાતા એમના સાહિત્યનો ઉપયોગ પણ લેખક ચૂક્યા નથી. આદિવાસીઓના મુખે શોભતા એમના લોકગીતો, ભજનો વગેરેમાંથી એમના દ્રષ્ટિબિંદુથી ઘટનાને સમજવાનો અવસર આપણને પ્રાપ્ત થાય છે. આ પુસ્તકમાં આદિવાસી ભાષામાં જ મુકાયેલ સંવાદો, જરૂર લાગે ત્યાં મૂકેલ એમના લોકગીતો, એમની પરંપરાની આછી ઝાંખી આ બધું પુસ્તકને વધારે આધારભૂત બનાવે છે અને સંશોધક આદિવાસી સમાજને સમજવા કેટલા ઊંડા જઈ શક્યા છે એનો પણ ખ્યાલ આવે છે. ઉપરાંત ખાસ નોંધપાત્ર બાબત તો એ છે કે લેખકે આદિવાસી ભાષાની શબ્દસૂચિ પણ આપી છે જે ગુજરાતીમાં છેલ્લે મેઘાણીએ લોકસાહિત્યની બાબતમાં કરેલું. મેઘાણીએ જેમ ખૂણે ખૂણે વળીને લોકસાહિત્યની ચેતનાને જીવંત રાખી હતી એ જ રીતે લેખકે આદિવાસી સમાજના ઈતિહાસને જીવંત કરવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે એમ કહેવામાં કોઈ બાધ નથી. પુસ્તકમાં જોરીયા નાયક અને તેમની પ્રેમિકા મસુરી નાયકણ વચ્ચેની પ્રણયકથા બતાવતા બે આદિવાસી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગીતોનો નમૂનો:</span><br><span style="font-size: 14pt;">(જોરીયાએ મસુરી માટે ગાયેલું) </span><br><span style="font-size: 14pt;">"તારા પાડા (ભેંસના બચ્ચા) મારાં રેડાં (વાછરડા) રે, મસુરી નાયકણ આપું ભેળાં કરી સારહું રે, મસુરી નાયકણ, તારા ડોળિયા મારાં મહુડાં રે, મસુરી નાયકણ આપું ભેળાં કરી ખાહું રે, મસુરી નાયકણ"</span><br><span style="font-size: 14pt;">(મસુરીએ પ્રતિસાદ આપતા ગાયેલું) </span><br><span style="font-size: 14pt;">"જોરીયો સાકળિયા સોરાંનો નાઈક રે, જોરીથો બડો સોબીતો, જોરીયા તારે ને મારે માયા લાગી, જોરીયો બડો સોબીતો જોરીયા તારો ને મારો જીવ ઇક, જોરીયો બડો સોબીતો"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે જ્યારે ગુજરાતમાં લાગવગ વિના સારા પુસ્તકનું અને એમાંય ખાસ કરીને શુષ્ક અને નીરસ ગણાતા ઈતિહાસ વિષયના પુસ્તકનું પ્રકાશન કરવું દુષ્કર છે ત્યારે આવા એક અજાણ આદિવાસી નાયકની ગાથાને ઉજાગર કરવા પાર્શ્વ પ્રકાશને આ પુસ્તક છાપ્યું એ પણ પ્રસંશનીય પગલું છે અન્યથા આવી શૌર્યભરી ગાથા આપણા સુધી ક્યારેય ન પહોંચી શકી હોત.</span><br><span style="font-size: 14pt;">આમ તો આ 104 પન્નામાં પથરાયેલા ગ્રંથમાં સંશોધક તરીકે લેખકે પોતાની જાતને બરાબર સાબિત કરી આપી છે તેમ છતાં ઈતિહાસનું કોઈ સંશોધન અંતિમ સત્ય હોતું નથી. જોરીયો નાયક ભલે ભણેલો નહોતો છતાં નાયકીરાજ સ્થાપવાના સ્વપ્ન સેવવા એ કંઈ જેવીતેવી વાત નહોતી આથી તેના રાજકીય, સામાજિક અને ધાર્મિક વિચારો કેવા હશે? મસૂર નાયકણ સાથેની તેની પ્રેમકથા અહીં છે, તો જોરીયા નાયકના સ્ત્રીઓ વિશેના વિચારો કેવા હશે? યુદ્ધની વ્યૂહરચના વિસ્તૃત રીતે બતાવી એ દિશામાં ચિંતન રજૂ થયું હોત તો આ ગ્રંથનું જે મૂલ્ય છે તેમાં ચોક્કસપણે વધારો થાય. અત્યારે ગુણવત્તા ન હોય પરંતુ બાહ્ય રૂપરંગ દ્વારા પુસ્તકોને સજવવાની પ્રવૃતિઓ જોરશોરથી ખીલી છે પરંતુ અહીં આટલું સુંદર વિષયવસ્તુ હોવા છતાં Production ના ક્ષેત્રમાં લેખક અને પ્રકાશક થોડા ઉણા ઉતર્યા છે. અલબત્ત, વિષયવસ્તુથી મોટો વિશેષ બીજો કોઈ હોય ન શકે. ઉપરાંત દરેક લેખકને લાગતું હોય છે એમ સંશોધકને હજુ ઘણું કહેવાનું છે પણ હજુ રહી જાય છે એ બાબત પુસ્તકના આસ્વાદ પછી સ્પષ્ટ રીતે સમજી શકાય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6582a4fb499fa.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતની આઝાદીની ચળવળના ઈતિહાસનું આટલું ઉત્તમ પ્રકરણ આપણે વીસરી ચૂક્યા હતા અને એ પણ અંગ્રેજોની ચાલને લીધે તે અફસોસની વાત છે. પ્રોફેસર અરુણ વાઘેલા અત્યંત મહેનત અને ખંતથી આ વિસ્મૃત પ્રકરણ ઝળહળી ઉઠ્યું છે. એ બદલ તેઓ અભિનંદનના અધિકારી છે. ખરેખર તો જોરીયા પરમેશ્વરનું ચરિત્ર જેવી અદભુત કથા પર ઉત્તમ ફિલ્મ બની શકે તેમ છે. જો આવી કોઈ ઘટના દક્ષિણ ભારતમાં બની હોત તો તેના પર ક્યારની ફિલ્મ બની ગઈ હોત અને ભારતના જન જન સુધી આ વાત પહોંચી ગઈ હોત પણ આપણે એ બાબતે કમનસીબ છીએ એટલે ભવિષ્યમાં કોઈ નિર્માતા આ પુસ્તકના આધારે આદિવાસી નાયકીરાજ આંદોલનને ફિલ્મમાં મઢે એવી આશા વ્યક્ત કરીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(અરુણ વાઘેલા, ‘કોઈનો લાડકવાયો: જોરીયો પરમેશ્વર’, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, 2023, કિંમત ₹ 135)</span></strong></span></p>
<p style="text-align: justify;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></span><a href="https://khabarantar.com/Movement-of-Dalit-leaders-in-Ahmedabad-successful,-Dr.-Police-assured-security,-cleaning-around-Ambedkars-statue"><span style="text-decoration: underline;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં દલિત આગેવાનોનું આંદોલન સફળ, ડો. આંબેડકરની પ્રતિમા આસપાસ સુરક્ષા, સફાઈની પોલીસે ખાતરી આપી</span></span></a></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="text-decoration: underline;"><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42); text-decoration: underline;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></span></strong></p>
<h1 class="title"></h1> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Dec 2023 10:11:19 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 21 Dec 2023 10:14:49 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>214</Articleid>
                    <excerpt>ગુજરાત યુનિ.ના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. અરૂણ વાઘેલા આદિવાસી સમાજ પરના તેમના સંશોધનને કારણે જાણીતા છે. હાલમાં જ તેમનું આદિવાસી મહાનાયક જોરીયા પરમેશ્વર પરનું પુસ્તક પ્રકાશિત થયું છે. ઈતિહાસ પર આધારિત હોવા છતાં જે જરાય બોર નથી કરતું તેવા આ પુસ્તકનો પરિચય અહીં પ્રસ્તુત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6582a2cc21626.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6582a2cbca787.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6582a2cbca787.jpg" length="112533" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત&amp;આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?</title>
                    <link>https://khabarantar.com/Did-the-upper-classes-build-flats-by-taking-crores-of-government-land-in-the-name-of-dalit-tribals</link>
                    <guid>https://khabarantar.com/Did-the-upper-classes-build-flats-by-taking-crores-of-government-land-in-the-name-of-dalit-tribals</guid>
                    <description>
                        <![CDATA[ શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ દલિત, આદિવાસીઓને અગ્રતાના ધોરણે શહેરોમાં જમીન રહેઠાણ-સોસાયટીઓ બનાવી આપવાની જોગવાઈ છે, પણ ખરેખર એવું થાય છે ખરું? વાંચો વાલજીભાઈ પટેલનો આ લેખ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શહેરી જમીન ટોચ મર્યાદા કાયદો (અર્બન લેન્ડ સીલીંગ એક્ટ-1970) અમલમાં  આવ્યો. આ કાયદાનો ઉમદા સામાજિક હેતુ શહેરોમાં ઘરવિહોણા અને ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અનુસુચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગના લોકોને અગ્રતાના ધોરણે આ કાયદા હેઠળ મેળવેલી જમીનો રહેઠાણ/સોસાયટીઓ બનાવવા ફાળવવી. ગુજરાતમાં આ કાયદો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં અમલમાં આવ્યો. સહકારી કાયદામાં જેમની પાસે જમીન હોય તે જ સોસાયટી રજિસ્ટર્ડ કરાવી શકે તેવી જોગવાઈ હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમની પાસે જમીન ન હોય તે હાઉસિંગ સોસાયટી રજિસ્ટર્ડ કરાવી શકે નહીં. એટલે માત્ર ને માત્ર  અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ સરકારે આ સહકારી કાયદામાં ખાસ સુધારો કર્યો કે, આ સમાજના લોકો પાસે જમીન ન હોય તો પણ તેમની હાઉસીંગ સોસાયટીઓ રજીસ્ટર્ડ કરવી. એટલું જ નહીં, આ અનુસુચિત જાતિ/જનજાતિના નામે કોઈ સવર્ણ લાભ ન લઈ જાય એટલા માટે પણ કાયદામાં એ સુધારો કર્યો કે, જે લોકોએ સરકારના સમાજકલ્યાણ ખાતાના અધિકૃત અધિકારી પાસેથી મેળવેલું જાતિ પ્રમાણપત્ર રજૂ કરે પછી જ તેને ગૃહ મંડળીમાં સભ્ય તરીકે દાખલ કરવો. કોઈ પણ સંજોગોમાં અનુસૂચિત જાતિ સિવાયના કોઈ અન્યને સભ્ય બનાવી શકાય નહીં. આમ ગુજરાતમાં શહેરી જમીન ટોચમર્યાદા કાયદા હેઠળ સરકારને આ 6 શહેરોમાં કુલ-13500000 ચોરસ મીટર એટલે કે, 1 કરોડ 35 લાખ ચોરસ મીટર જમીન મળી. અને અગ્રતાના ધોરણે અનુસૂચિત જાતિની મંડળીઓને આ કિંમતી જમીનો મકાન બનાવવા ફાળવી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RTI કાયદા હેઠળ મેં મેળવેલ માહિતી મુજબ  અમદાવાદ શહેરમાં જ 33 અનુસૂચિત જાતિના નામની સોસાયટીઓ છે, જ્યાં બહાર તેના નામના બોર્ડ લાગ્યા છે અને આ કરોડોની કિંમતી જમીનો ઉપર સવર્ણોના વૈભવી ફ્લેટ/બંગલા અસ્તિત્વ ધરાવે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારા સર્વેમાં આવેલ બોડકદેવ જજીઝ બંગલા પાસે પકવાન હોટેલ સામેની વાલ્મિકી સોસાયટીના લાગેલ બોર્ડની જમીન પર ત્રણ-ચાર કરોડની કિંમતના સવર્ણોના દીપ કોમ્પલેક્ષ નામના ફ્લેટ ઊભા છે. આ બોડકદેવ વિસ્તારની પ્રાઈમ લેન્ડ છે જ્યાં હમણાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને એક પ્લોટ હરાજીમાં વેચ્યો. જેની એક ચોરસ મીટરની રૂપિયા 32.24 લાખ કિંમત મળી. ત્યારે તમે કલ્પી શકો છો કે, આ વાલ્મિકી  સોસાયટીની કિંમત કેટલી થઈ?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ રીતે જ્યાં જાગૃત ડિગ્રીધારી વિદ્વાનો, ક્રાંતિકારીઓ અને પૈસાપાત્ર દલિતો રહે છે તેવા રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર શહેરોમાં પણ આ જ સ્થિતી છે. ત્યારે સવાલ થાય છે કે, શું આપણાં ભણેલા, પૈસાપાત્ર અને વિદ્વાન દલિતોની અને અનામતીયા ધારાસભ્યોની કોઈ જવાબદારી છે કે નહીં? કરોડો રૂપિયાની જમીન ગઈ ત્યારે કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસ અને ભાજપ બંને સવર્ણ હિન્દુઓની A અને B ટીમ છે અને ગુનેગાર હું અને તમે અને આપણે બધા જ છીએ. બાબા સાહેબ આંબેડકરે આગ્રામાં દલિત કાર્યકરોની સભાને સંબોધતા કહેલું કે, માત્ર યોજનાઓ જ નહીં, પણ એ યોજનાનો લાભ દલિતોની ઝોળીમાં પડે એ જોવાની જવાબદારી તમારી છે. શું આપણે આ કરીએ છીએ ખરાં?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લેખક - વાલજીભાઈ પટેલ (સંકલનઃ ડો. પારિતોષ સરકાર)</span></strong></span></p>
<p style="text-align: justify;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચો :</span></span></strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;"> </span></span><a href="https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?</span></strong></span></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span></span></strong><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;"><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Dec 2023 12:29:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>213</Articleid>
                    <excerpt>શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ દલિત, આદિવાસીઓને અગ્રતાના ધોરણે શહેરોમાં જમીન રહેઠાણ-સોસાયટીઓ બનાવી આપવાની જોગવાઈ છે, પણ ખરેખર એવું થાય છે ખરું? વાંચો વાલજીભાઈ પટેલનો આ લેખ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_658290c274fd2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_658290c23d009.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_658290c23d009.jpg" length="100575" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ત્રણ મહિના પહેલા બની પાર્ટી, બે રાજ્યોમાં જીતી 4 સીટ, જાણો કોણ છે આદિવાસી સમાજની તાકાત દર્શાવતી BAP પાર્ટી પાછળનો ચહેરો</title>
                    <link>https://khabarantar.com/Party-formed-three-months-ago,-won-4-seats-in-two-states,-know-who-is-the-face-behind-BAP-party-that-shows-the-strength-of-tribal-society</link>
                    <guid>https://khabarantar.com/Party-formed-three-months-ago,-won-4-seats-in-two-states,-know-who-is-the-face-behind-BAP-party-that-shows-the-strength-of-tribal-society</guid>
                    <description>
                        <![CDATA[ ત્રણ મહિના પહેલા બની પાર્ટી, બે રાજ્યોમાં જીતી 4 સીટ, જાણો કોણ છે આદિવાસી સમાજની તાકાત દર્શાવતી BAP પાર્ટી પાછળનો ચહેરો ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાની ટિકિટ બીટીપીના અધ્યક્ષ એવા તેમના દીકરા મહેશ વસાવાએ કાપી નાખી હતી. એ વખતે છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે તેમના નાના દીકરાની પાર્ટીએ આખરે તેમના ચહેરા પર ખુશી પાછી લાવી છે. કેમ કે હાલમાં જ બનેલી ભારત આદિવાસી પાર્ટી(BAP)એ રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક સીટ જીતીને આદિવાસી સમાજની રાજનીતિનો દબદબો ફરી એકવાર પ્રસ્થાપિત કરી દીધો છે. ત્યારે ચાલો જાણીએ પહેલી જ ચૂંટણીમાં આટલી મોટી </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સફળતા મેળવનાર BAP પાર્ટી વિશે.</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તેલંગાણાને બાદ કરતા વિપક્ષની આગેવાની કરેલી રહેલી કોંગ્રેસ પાર્ટીને બધી જગ્યાએ ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ-ભાજપ વચ્ચે થયેલા સીધા જંગમાં ફરી એકવાર ગુજરાતના આદિવાસી સમાજના કદાવર નેતા છોટુભાઈ વસાવાએ આડકતરી રીતે પોતાનો દબદબો પ્રસ્થાપિત કર્યો છે. ગયા વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છોટુદાદાના દીકરાની નવી પાર્ટીએ 4 સીટો જીતીને રાજકીય વિરોધીઓને ફરી એકવાર આદિવાસી સમાજની તાકાતનો પરચો બતાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં એકબાજુ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, પરંતુ ગુજરાતના આદિવાસી સમાજના કદાવર નેતા છોટુભાઈ વસાવાને આ ચૂંટણીઓમાં મોટી તાકાત મળી છે. ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમની ભારતીય ટ્રાઈબલ પાર્ટી(BTP)ના આંતરિક વિખવાદ બાદ છોટુ વસાવાને પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની બનાવેલી પાર્ટીના ભાગલા પડી ગયા હતા ત્યારે રાજકીય વિરોધીઓ એવું માનતા હતા કે, આદિવાસી સમાજના આ કદાવર નેતા અને આદિવાસી પોલિટિક્સ બંનેનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. જો કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા તેમના નાના દીકરા દિલીપ વસાવાએ આદિવાસી નેતાઓ સાથે ભારતીય આદિવાસી પાર્ટી(BAP)ની સ્થાપના કરી હતી. અને ખરેખર આ પાર્ટી બાપ સાબિત થઈ હતી. કેમ કે તેણે રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક સીટ જીતીને ફરી એકવાર આદિવાસી રાજનીતિમાં પોતે બીજા બધાંના બાપ હોવાનું સાબિત કરી દીધું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_657400a2c6757.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">AAP કરતા પણ આગળ નીકળી ગઈ BAP</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત જ નહીં દિલ્હી સુધી BAPની રાજનીતિની ચર્ચા થઈ રહી છે. રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે વિધાનસભા ચૂંટણી વખતે મોટા દીકરા મહેશ વસાવા સાથે મતભેદો હોવાનું અને અપક્ષ ચૂંટણી લડવી એ આ પિતા-પુત્રની રાજનીતિનો એક ભાગ હતો. આ પ્રકારનું રાજકારણ શરદ પવાર પછી એકમાત્ર છોટુભાઈ વસાવાએ કર્યું છે. હવે તેમના નાના દીકરા દિલીપ વસાવાએ નવી પાર્ટી બનાવીને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં 4 સીટો આંચકી લીધી છે. એક રીતે જોવા જઈએ તો પંજાબ અને દિલ્હીમાં સરકાર ચલાવી રહેલી AAP કરતા પણ સાવ નવી BAP આગળ નીકળી ગઈ. આપને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં એકેય સીટ મળી નથી. જ્યારે BAPને ચાર સીટો મળી છે. આ પક્ષના કર્તાહર્તા તરીકે છોટુભાઈ વસાવાના દીકરા દિલીપ વસાવા છે જેઓ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ છે અને તેના અધ્યક્ષ તરીકે મોહનલાલ રોત છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">BAP એ કઈ સીટો જીતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BAP એ રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી લડી હતી. બાપને પહેલી જ ચૂંટણીમાં 4 સીટો મળી છે, જે કોઈ નાનસૂની સફળતા નથી. રાજસ્થાનમાં પાર્ટીએ ચૌરાસી, આસપુર અને ધારિયાવાડ સીટો પર જીત મેળવી છે. જ્યારે મધ્યપ્રદેશની સલાણા બેઠક પર જીતનો ઝંડો લહેરાવીને તેણે વિધાનસભામાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી દીધી છે. BAP ને ચૂંટણી પંચે હોકી અને દડાનું ચૂંટણી ચિહ્ન આપ્યું હતું અને આ ચિહ્ને ખરેખર વિરોધીઓને તેમની સફળતાથી દડાની જેમ ફરતા કરી દીધાં છે. ચાર સીટો પર જીત મેળવ્યા બાદ BAP ના રાષ્ટ્રીય મહાસચિવ દિલીપ વસાવાએ પક્ષના વિજેતા ઉમેદવારોને અભિનંદન આપતા લખ્યું હતું કે, “ભારતીય આદિવાસી પાર્ટી(BAP) ના ત્રણ ભીલ આદિવાસી યુવાનો વિજેતા થયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં એક સીટ પર જીત મળી છે. જય આદિવાસી, જય જોહાર. શુભેચ્છાઓ.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Crimes-against-Dalits-and-tribals-increased-by-46-and-48-since-2013"><strong><span style="font-size: 14pt;">2013 પછીથી દલિત, આદિવાસીઓ સામેના ગુનાઓમાં 46% અને 48%નો વધારો થયો</span></strong></a></p>
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-meta"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </strong></span></div>
<div class="post-meta"><strong><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></div>
</div>
<div class="post-tags"></div>
</div>
<p></p>
</div>
</div>
<div class="post-tags"></div>
</div>
</div>
<div class="post-tags"></div>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Dec 2023 11:26:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>181</Articleid>
                    <excerpt>ત્રણ મહિના પહેલા બની પાર્ટી, બે રાજ્યોમાં જીતી 4 સીટ, જાણો કોણ છે આદિવાસી સમાજની તાકાત દર્શાવતી BAP પાર્ટી પાછળનો ચહેરો</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_65740081d7e29.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_65740081a31dd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_65740081a31dd.jpg" length="31996" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>પ્રખ્યાત આદિવાસી લેખિકા Jacinta Kerkettaએ India Today ગ્રુપનો એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો, કારણ જાણીને સલામ કરવાનું મન થશે</title>
                    <link>https://khabarantar.com/Noted-tribal-writer-Jacinta-Kerketta-refuses-to-accept-India-Today-Group-award,-knowing-it-would-feel-like-saluting</link>
                    <guid>https://khabarantar.com/Noted-tribal-writer-Jacinta-Kerketta-refuses-to-accept-India-Today-Group-award,-knowing-it-would-feel-like-saluting</guid>
                    <description>
                        <![CDATA[ ઝારખંડની પ્રખ્યાત આદિવાસી લેખિકા, કવિયત્રી, પત્રકાર જેસિંટા કેરકેટ્ટાએ ઈન્ડિયા ટુડે ગ્રુપનો એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તેની પાછળ તેણે જે કારણો આપ્યા છે તે ચોક્કસ વિચાર માંગી લે તેવા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">મણિપુર(Manipur)માં આદિવાસીઓ(Tribel) પર થઈ રહેલા અત્યાચારો પર મુખ્યધારાના મીડિયાના મૌનથી વ્યથિત જાણીતી આદિવાસી લેખિકા Jacinta Kerkettaએ પોતાના કામને લઈને ઈન્ડિયા ટુડે ગ્રુપ(India Today) દ્વારા આપવામાં આવતો પુરસ્કાર (Award)સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.</span></strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">કેરકેટ્ટા ઝારખંડની પ્રખ્યાત લેખિકા, કવિ અને પત્રકાર છે. તે ઓરાંવ આદિવાસી સમાજમાંથી આવે છે. તેમના કામે આદિવાસી સમાજની દુર્દશાને ઉજાગર કરી છે. તેમણે કહ્યું કે 2022માં પ્રકાશિત તેમના પુસ્તક ‘ઈશ્વર અને બજાર’ માટે આજ તક સાહિત્ય જાગૃતિ ઉદયમાન પ્રતિભા સન્માન માટે પસંદગી પામ્યા હોવા અંગે તેમને 21મી નવેમ્બરે એક ફોન અને મેસેજ આવ્યો હતો. આ પુરસ્કાર રૂ. 50 હજારની ઈનામી રકમ સાથે આવ્યો હતો. જો કે જસિંતા કેરકેટ્ટીએ તેને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.</span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">કેરકેટ્ટાએ ન્યૂઝલોન્ડ્રી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ પુરસ્કાર એવા સમયે આપવામાં આવી રહ્યો છે જ્યારે મણિપુરના આદિવાસીઓના જીવન પ્રત્યે સન્માન ખતમ થઈ રહ્યું છે. મધ્ય ભારતમાં આદિવાસીઓના જીવન પ્રત્યે સન્માન ખતમ થતું જઈ રહ્યું છે અને વૈશ્વિક સમાજમાં અન્ય સમાજના લોકો પર પણ સતત હુમલાઓ થઈ રહ્યાં છે. મારું મન વ્યથિત રહે છે અને મને આ પુરસ્કાર મળવાથી કોઈ રોમાંચ કે ખુશી અનુભવાતી નથી.”</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">કેરકેટ્ટાએ વધુમાં કહ્યું કે, “આખો દેશ જાણે છે કે અમુક પ્રતિષ્ઠિત મુખ્યધારાના મીડિયા હાઉસો અને સમાચાર ચેનલો મણિપુરની ઘટનાઓ પર મૌન ધારણ કરીને બેઠાં છે. મુખ્યધારાના મીડિયાએ ક્યારેય પણ આદિવાસીઓની દુર્દશાને સન્માનજનક રીતે સામે લાવવાના પ્રયત્નો નથી કર્યા. આ માત્ર એક મીડિયા હાઉસ માટે નથી, પરંતુ હું જે પણ નિર્ણય લઈશ તે ચોક્કસ જ એ બાબતથી પ્રભાવિત હશે કે દેશનું કથિત મુખ્યધારાનું મીડિયા હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પ્રત્યે પોતાની ભૂમિકા કેવી નિભાવે છે”</span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">આગળ તેઓ કહે છે, “જ્યારે આપણે પુસ્તક લખીએ છીએ, ત્યારે તે સમાજ માટે મહત્વનું બની જાય છે પરંતુ લોકો માટે નહીં. આ ચીજોને જોવાની અમારી રીત નથી. અમે અમારા કામનો ઉત્સવ સામૂહિક રીતે મનાવવા માંગીએ છીએ. એક લેખક કે કવિએ માત્ર પોતાના સન્માન માટે શું કરવું જોઈએ? એ જ બાબતોના કારણે મેં આ સન્માન લેવાનો ઈનકાર કર્યો.”</span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે જસિંતા કેરકેટ્ટાનું પુસ્તક ઈશ્વર અને બજાર આદિવાસી સમાજના ધર્મ, સત્તા અને જમીની સંઘર્ષ પર આધારિત છે. અને તે ખૂબ જ જાણીતું છે તેથી ઈન્ડિયા ટુડે ગ્રુપે તેમને આ સન્માન આપવાનું નક્કી કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ</span></strong> <a href="https://khabarantar.com/Overwhelmed,-cant-even-make-eye-contact-with-people-anymore---Tribal-women-victims-of-nude-parades-in-Manipur"><strong>"આબરૂ ગઈ, હવે લોકો સામે આંખ પણ મિલાવી શકતી નથી" - મણિપુરમાં નગ્ન પરેડનો શિકાર બનેલી આદિવાસી મહિલાઓ</strong></a></span></p>
<div class="post-summary">
<div class="post-text">
<div class="post-text">
<p><span><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p>
</div>
</div>
<div class="post-tags"></div>
</div>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 Nov 2023 21:07:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>156</Articleid>
                    <excerpt>ઝારખંડની પ્રખ્યાત આદિવાસી લેખિકા, કવિયત્રી, પત્રકાર જેસિંટા કેરકેટ્ટાએ ઈન્ડિયા ટુડે ગ્રુપનો એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તેની પાછળ તેણે જે કારણો આપ્યા છે તે ચોક્કસ વિચાર માંગી લે તેવા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_6564b77dcc0bf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_6564b77d89a54.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_6564b77d89a54.jpg" length="162805" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;આબરૂ ગઈ, હવે લોકો સામે આંખ પણ મિલાવી શકતી નથી&amp;quot; &amp; મણિપુરમાં નગ્ન પરેડનો શિકાર બનેલી આદિવાસી મહિલાઓ</title>
                    <link>https://khabarantar.com/Overwhelmed,-cant-even-make-eye-contact-with-people-anymore---Tribal-women-victims-of-nude-parades-in-Manipur</link>
                    <guid>https://khabarantar.com/Overwhelmed,-cant-even-make-eye-contact-with-people-anymore---Tribal-women-victims-of-nude-parades-in-Manipur</guid>
                    <description>
                        <![CDATA[ મે 2023માં ઉત્તરપૂર્વી રાજ્ય મણિપુરમાં ફાટી નીકળેલી કોમી હિંસામાં આદિવાસી સમાજની બે મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો વાયરલ થયો હતો. 6 મહિના પછી તેમની સ્થિતિ શું છે, વાંચો આ અહેવાલમાં ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>Manipur Women Naked Parade: </strong>મે 2023ની વાત છે. પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાંથી હિંસાના અહેવાલો આવવા લાગ્યા હતા. અખબારોમાં ઘર સળગાવવા અને હત્યા જેવી હેડલાઈન્સ સામાન્ય બની ગઈ હતી. કાયદાકીય કાર્યવાહી અને રાજકીય આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો તબક્કો ચાલી રહ્યો હતો એ દરમ્યાન એક દિવસ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો. આ વીડિયો મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડનો હતો, એટલું જ નહીં, તેમના પર સામૂહિક બળાત્કાર પણ કરવામાં આવ્યો હોવાનું કહેવાતું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વીડિયો વાયરલ થયાને મહિનાઓ વીતી ગયા છે. આ સમય દરમિયાન, કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ નિર્દયતાનો ભોગ બનેલી મહિલાઓ, મર્સી અને ગ્લોરી (નામ બદલ્યા છે)ની સ્થિતિ સુધારવા માટે આ પગલાં પૂરતા ન હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મીડિયા ચેનલ સાથે વાત કરતી વખતે મર્સી કહે છે, 'તમે જાણો છો કે ભારતીય સમાજ કેવો છે. આવા બનાવ પછી તે મહિલાઓને કેવી રીતે જુએ છે? હવે હું મારા સમાજના લોકો સાથે આંખ મિલાવી શકતી નથી. માન જતું રહ્યું. હવે હું ફરી ક્યારેય પહેલાં જેવી નહિ થઈ શકું.' </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્લોરી કહે છે, 'અમારી સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો, તે આઘાત સાથે જીવવું પહેલેથી જ મુશ્કેલ હતું. ઘટનાના બે મહિના પછી જ્યારે વિડિયો વાયરલ થયો, ત્યારે હું જીવિત રહેવાની ઇચ્છા ગુમાવવા લાગી.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હવે પરિસ્થિતિ કેવી છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુકી-ઝોમી સમુદાયની ગ્લોરી અને મર્સી હવે બીજા શહેરમાં રહે છે. ઘટના બાદ તેમણે ગામ છોડીને ભાગવું પડ્યું હતું. રિપોર્ટ અનુસાર, મર્સી કહે છે, 'મને રાત્રે ભાગ્યે જ ઊંઘ આવે છે અને મને ખૂબ જ બિહામણા સપના આવે છે. હું ઘરની બહાર નીકળી શકતી નથી. હું લોકોને મળવામાં ડર અને શરમ અનુભવું છું.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">Meitei સમાજ તરફ નારાજગી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્લોરી, જે કોલેજની વિદ્યાર્થિની હતી, તેના સહપાઠીઓમાં કુકી અને મેઇતેઈ બંને સમુદાયના લોકો હતા. રિપોર્ટ અનુસાર, હવે તે મેઇતેઈ સમુદાયના કોઈનો ચહેરો પણ જોવા નથી માંગતી. તેણે કહ્યું, 'હું ક્યારેય ગામમાં પાછી નહીં જાઉં. હું ત્યાં મોટી થઈ છું, તે મારું ઘર હતું, પરંતુ ત્યાં રહેવાનો અર્થ છે પડોશી ગામડાના મેઇતેઇ લોકો સાથે વાતચીત કરવી, જે હવે શક્ય નથી.' મર્સી પણ એવું જ માને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાઈ, પિતાને નજર સામે મરતા જોયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંસા દરમિયાન ગ્લોરીના ભાઈ અને પિતાનું મોત થયું હતું. એક મીડિયા ચેનલ સાથે વાત કરતાં તેણે કહ્યું, 'મેં મારી આંખો સામે તેમનું મૃત્યુ જોયું છે.' તે કહે છે કે પોતાનો જીવ બચાવવા માટે તેણે મૃતદેહોને ખેતરમાં છોડીને ભાગવું પડ્યું હતું. તેણે કહ્યું, 'ખબર નથી કે તેમના મૃતદેહ કયા શબઘરમાં છે. હું તેને તપાસી પણ શકતી નથી. સરકારે પોતે જ તે અમને પરત કરવા જોઈએ.'</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">સરકાર પ્રત્યે ભારે નારાજગી</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાતચીતમાં તેમણે મણિપુર સરકાર સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. ગ્લોરીએ કહ્યું, 'મણિપુર સરકારે અમારા માટે કંઈ કર્યું નથી. મને મુખ્યમંત્રી પર વિશ્વાસ નથી. આ બધું તેમના શાસન દરમિયાન અમારી સાથે થયું.' </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંનેનું કહેવું છે કે મુખ્યમંત્રી એન. બિરેન સિંહ જાતિય હિંસાથી પ્રભાવિત કોકી-ઝોમી પરિવારોને મળવા આવ્યા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક તરફ ન્યાયની આશા સાથે ગ્લોરી ભવિષ્યમાં ફરી અભ્યાસ કરીને સેનામાં જોડાવા માંગે છે. જ્યારે, મર્સી કહે છે, 'અમે આદિવાસી મહિલાઓ ખૂબ જ મજબૂત છીએ. અમે હાર માનીશું નહીં.' તે કહે છે કે બાળકોને શીખવવું જોઈએ કે ક્યારેય એ મહિલાઓનું અપમાન ન કરે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ </span></strong></span><a href="https://khabarantar.com/MP-Sidhi-urine-scandal:-Aggrieved-tribal-Dasmat-Rawat-says,-CM-Shivraj-Singh-has-forgotten-his-Sudama..."><span style="text-decoration: underline; font-size: 14pt;"><strong><span style="color: rgb(53, 152, 219);">MP Sidhi પેશાબકાંડઃ પીડિત આદિવાસી દશમત રાવત કહે છે, "CM શીવરાજસિંહ તેમના સુદામાને ભૂલી ગયા છે..."</span></strong></span></a></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Nov 2023 10:37:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>130</Articleid>
                    <excerpt>મે 2023માં ઉત્તરપૂર્વી રાજ્ય મણિપુરમાં ફાટી નીકળેલી કોમી હિંસામાં આદિવાસી સમાજની બે મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો વાયરલ થયો હતો. 6 મહિના પછી તેમની સ્થિતિ શું છે, વાંચો આ અહેવાલમાં</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_65599637349f8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_6559963701512.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_6559963701512.jpg" length="72453" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?</title>
                    <link>https://khabarantar.com/Who-was-Birsa-Munda,-how-did-he-become-the-God-of-tribal-society</link>
                    <guid>https://khabarantar.com/Who-was-Birsa-Munda,-how-did-he-become-the-God-of-tribal-society</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">બિરસા મુંડાએ લોકોના જીવન પર એવી છાપ છોડી હતી કે આદિવાસી સમાજે તેમને ભગવાનનો દરજ્જો આપ્યો હતો. બિરસા મુંડાએ પણ એક દિવસ જાહેરાત કરી હતી કે તેઓ પૃથ્વીના પિતા એટલે કે 'ધરતી આબા' છે. ચાલો આજે એમની જન્મ જયંતિ નિમિત્તે એમના જીવન વિશે વિગતવાર જાણીએ.</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધરતી આબા બિરસા મુંડા 1857 પછી બે દાયકામાં ઉભરી આવ્યા હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઉલિહાટુ, ખુંટીમાં થયો હતો. બિરસાનું પ્રારંભિક શિક્ષણ ચાઈબાસાની જર્મન મિશન સ્કૂલમાં થયું હતું. અભ્યાસ દરમિયાન જ તેમનું ક્રાંતિકારી વલણ સ્પષ્ટ થઈ ગયું હતું. અહીં સરદાર ચળવળ પણ ચાલી રહી હતી જે સરકાર અને મિશનરીઓ વિરુદ્ધ હતી. સરદારોના કહેવા પર જ બિરસા મુંડાને મિશન સ્કૂલમાંથી હટાવવામાં આવ્યા હતા. 1890માં બિરસા અને તેમના પરિવારે ચાઈબાસા અને જર્મન ક્રિશ્ચિયન મિશનનું તેમનું સભ્યપદ પણ છોડી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>રોમન કેથોલિક ધર્મ સ્વીકાર્યો</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે જર્મન મિશન છોડી દીધું અને રોમન કૅથલિક ધર્મ સ્વીકાર્યો હતો. પણ પાછળથી તેમનો આ ધર્મમાંથી પણ રસ ઊડી ગયો હતો. 1891માં તેઓ બંડગાંવના આનંદ પંડના સંપર્કમાં આવ્યા. આનંદ સ્વાંસી જાતિના હતા અને ગરમુંડાના જમીનદાર જગમોહન સિંઘ માટે હિસાબનીશ તરીકે કામ કરતા હતા. બિરસાએ તેમનો મોટાભાગનો સમય આનંદ પંડ અથવા તેમના ભાઈ સુખનાથ પંડ સાથે વિતાવ્યો હતો. અહીં સરકારે પોડાહાટને સંરક્ષિત જંગલ જાહેર કર્યું હતું, જેના કારણે આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">જ્યારે ખુદને 'ધરતી આબા' કહ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંદોલનની ગતિ ધીમી હતી અને બિરસા પણ આ આંદોલનમાં ભાગ લેવા લાગ્યા. આનંદ પંડે સરદાર ચળવળમાં ભાગ લેવા વિશે સમજાવ્યું પણ બિરસાએ આનંદની વાત સાંભળી નહીં. બાદમાં બિરસા પણ આ આંદોલનમાં કૂદી પડ્યા. એક દિવસ બિરસાએ જાહેરાત કરી કે તેઓ પૃથ્વીપિતા એટલે કે 'ધરતી આબા' છે. તેમના અનુયાયીઓ પણ આ સ્વરૂપને માનતા હતા. એક દિવસ તેમની માતા ઉપદેશ સાંભળી રહી હતી. માતા તેને બિરસા બેટા કહેતા. બિરસાએ કહ્યું, તેઓ 'ધરતી આબા' છે અને હવે તેમને આ રીતે સંબોધવા જોઈએ. 1895માં જ્યારે બ્રિટિશ સરકારે પહેલીવાર બિરસા મુંડાની ધરપકડ કરી ત્યારે મુંડા એક ક્રાંતિકારી નેતા તરીકે સમાજમાં સ્થાપિત થઈ ચૂક્યા હતા. જ્યારે તેઓ બે વર્ષ પછી મુક્ત થયા, ત્યારે તેમણે મુંડાઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાનું શરૂ કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાછળથી આ ચળવળ જમીન સંબંધિત રાજકીય ચળવળમાં ફેરવાઈ ગઈ. 6 ઓગસ્ટ, 1895ના રોજ ચોકીદારે તામર પોલીસ સ્ટેશનને જાણ કરી કે 'બિરસા નામના મુંડાએ જાહેરાત કરી છે કે સરકારનું શાસન સમાપ્ત થઈ ગયું છે.' બ્રિટિશ સરકારે આ જાહેરાતને હળવાશથી લીધી ન હતી અને તે બિરસા પ્રત્યે ગંભીર બની ગઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે બલિદાન</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિરસા મુંડાએ મુંડા આદિવાસી સમાજને જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે બલિદાન આપવા માટે પ્રેરિત કર્યા. બિરસા મુંડાનું સમગ્ર આંદોલન 1895થી 1900 સુધી ચાલ્યું હતું. આમાં પણ 1899 ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જાન્યુઆરીના અંત સુધી ખૂબ તીવ્ર હતું. પહેલી ધરપકડ ઓગસ્ટ 1895માં બંધગાંવથી થઈ હતી. આ ધરપકડ પાછળ કોઈ હિલચાલ નહોતી, પરંતુ ઉપદેશ દરમિયાન એકઠી થયેલી ભીડ હતી. અંગ્રેજો ઇચ્છતા ન હતા કે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ભીડ એકઠી થાય, પછી ભલે તે ઉપદેશના નામે હોય. બ્રિટિશ સરકારે ખૂબ જ ચતુરાઈથી બિરસાને રાત્રે પકડ્યા, જ્યારે તે સૂતા હતા. બિરસાને જેલમાં મોકલવામાં આવ્યા હતા. બિરસા અને તેમના સહયોગીઓને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>જેલમાંથી છૂટ્યા ત્યારે</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિરસાને રાંચીની જેલમાંથી હજારીબાગ જેલમાં મોકલવામાં આવ્યા હતા. 30 નવેમ્બર 1897ના રોજ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ તેમને સુરક્ષા હેઠળ લાવી હતી અને તેમને તેમના જૂના વર્તનનું પુનરાવર્તન ન કરવા ચેતવણી આપી હતી. બિરસાએ પણ વચન આપ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારનું આંદોલન શરૂ નહીં કરે, પરંતુ અનુયાયીઓ અને મુંડાઓની હાલત જોઈને બિરસાથી ચૂપ રહી શકાયું નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવા આંદોલનની તૈયારીઓ શરૂ થઈ. સરદાર ચળવળ હવે ધીમી પડી ગઈ હતી, તેના આંદોલનકારીઓ પણ બિરસા સાથે જોડાયા. બિરસાએ ચુટિયા મંદિર અને જગન્નાથ મંદિર સહિત પૈતૃક સ્થળોની મુલાકાત લીધી હતી. ગુપ્ત બેઠકોનો દોર પણ શરૂ થયો. વ્યૂહરચના બનવા લાગી. સિંહભૂમના બસિયા, કોલેબીરા, લોહરદગા, બાનો, કારા, ખુંટી, તમદ, બંદુ, સોનાહાટુ અને પોદાહાટ વિસ્તાર પ્રભાવિત થવા લાગ્યા. બિરસાની અસર તેમના સમુદાય પર પડી રહી હતી અને આ પરિવર્તન તેમને એક કરી રહ્યું હતું. આ બધું કરતી વખતે 1898નું વરસ વીતી ગયું. અંદરથી જંગલો સળગી રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ બિરસા અને તેમના અનુયાયીઓ પર પણ નજર રાખી રહી હતી. તેણે દરેક ક્ષણના સમાચાર પર નજર રાખવા માટે ઘણા જાસૂસો ગોઠવી દીધા હતા. ચોકીદારનું પણ આ કામ હતું. તેમ છતાં બિરસા હાથ તાળી આપી દેતા. ક્યારે, ક્યાં અને કઈ ટેકરી પર બેઠક યોજાવાની છે તે અત્યંત ગુપ્ત રાખવામાં આવતું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>અબુઆ દિશુમ, અબુઆ રાજ</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમીનમાલિકો અને પોલીસનો અત્યાચાર પણ વધી રહ્યો હતો. મુંડાઓનું માનવું હતું કે આદર્શ જમીન વ્યવસ્થા ત્યારે જ શક્ય છે જ્યારે યુરોપિયન અધિકારીઓને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે. તેથી, એક નવું સૂત્ર પ્રચલિત થયું - 'અબુઆ દિશુમ, અબુઆ રાજ' જેનો અર્થ થાય છે આપણો દેશ - આપણું રાજ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિરસા મુંડા અને તેમના અનુયાયીઓ માટે સૌથી મોટા દુશ્મનો જમીનદારો હતા. જમીનદારોની પણ કંપની દ્વારા જ નિમણૂંક કરવામાં આવી હતી. તેથી જ્યારે અંતિમ યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ, ત્યારે પહેલો ટાર્ગેટ તેમને જ કરવામાં આવ્યા. 24 ડિસેમ્બર 1899થી બિરસાની ધરપકડ સુધી રાંચી, ખુંટી અને સિંહભૂમનો આખો વિસ્તાર વિદ્રોહથી સળગી રહ્યો હતો. તેનું કેન્દ્ર ખુંટી હતું. આ બળવાનો હેતુ આદિવાસીઓને તેમના જળ, જંગલ અને જમીનના હકો અપાવવાનો હતો. સૌથી પહેલા ગુમલાના ચક્રધરપુર, ખુંટી, કરરા, તોરપા, તામાડ અને બસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચર્ચો પર હુમલો કરવામાં આવ્યો હતો. તીર છોડવામાં આવ્યા હતા. બિરસા મુંડાના ઉલિહાતુ ગામમાં પણ તીર છોડવામાં આવ્યા હતા. 24મી ડિસેમ્બરની આ ઘટનાથી બ્રિટિશ સરકાર ચોંકી ગઈ હતી. તેથી ધરપકડો શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>પોલીસ અને બળવાખોરો વચ્ચે યુદ્ધ</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસને સમાચાર મળ્યા કે 9 જાન્યુઆરીએ સઇલ રકબ ખાતે મુંડાઓની એક મોટી સભા યોજાવાની છે. પોલીસ મોટા કાફલા સાથે અહીં પહોંચી હતી. ટેકરી લગભગ ત્રણસો ફૂટ ઉંચી હતી. તેના પર એક બેઠક ચાલી રહી હતી. પોલીસ અને વિદ્રોહીઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું, પરંતુ બિરસા મુંડા અહીં મળ્યા નહીં. તેઓ પહેલેથી જ અહીંથી નીકળીને અયુબહાતુ પહોંચ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે પોલીસ અહીં પહોંચી તો તેઓ વેશપલટો કરીને ચાલ્યા ગયા હતા. બિરસા પકડાયા ન હોવાથી પોલીસ ગભરાટમાં હતી. હવે પોલીસે લાલચની યુક્તિ અપનાવી અને બિરસાનું સરનામું આપનારને ઈનામની જાહેરાત કરી. આ જાહેરાત કામ કરી ગઈ. પોડાહાટના જંગલોમાં તેઓ પોતાની જગ્યાઓ બદલતા રહ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનમારુ અને જરિકેલના સાત માણસો ઈનામની લાલચે બિરસાને શોધી રહ્યા હતા. 3 ફેબ્રુઆરીના રોજ, તેમણે સેન્ત્રાના પશ્ચિમી જંગલની અંદરથી થોડે દૂર ધુમાડો ઊઠતો જોયો. તેઓ છુપાઈને સરકતા સરકતા અહીં પહોંચ્યા અને બિરસાને અહીં જોઈને ખૂબ જ આનંદિત થઈ ગયા. જ્યારે બધા જમ્યા પછી સૂઈ ગયા ત્યારે આ લોકોએ તકનો ફાયદો ઉઠાવ્યો અને બધાને પકડીને બંડગાંવમાં ડેપ્યુટી કમિશનરને સોંપી દીધા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આદિવાસી સમાજે ભગવાનનો દરજ્જો આપ્યો</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લોકોને પાંચસો રૂપિયાનું રોકડ ઈનામ મળ્યું. બિરસાને ત્યાંથી રાંચીની જેલમાં મોકલવામાં આવ્યા હતા. અહીં રાંચીની જેલમાં જ બિરસાએ 9 જૂન, 1900ના રોજ કોલેરાને કારણે અંતિમ શ્વાસ લીધા હતા અને કોકર પાસ ડિસ્ટિલરી બ્રિજ પાસે ઉતાવળે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ રીતે એક યુગનો અંત આવ્યો. બિરસા મુંડાએ લોકોના જીવન પર એવી છાપ છોડી કે પછીના સમયમાં આદિવાસીઓએ તેમને ભગવાનનો દરજ્જો આપ્યો. આજે 15મી નવેમ્બરે તેમની જન્મજયંતિની ઉવજણી થઈ રહી છે ત્યારે આ મહામાનવને શત શત નમન. જય આદિવાસી, જય બિરસા મુંડા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ </span></strong></span><a href="https://khabarantar.com/Out-of-4.78-lakh-inmates-in-countrys-jails,-3.15-lakh-belong-to-SC,-ST,-OBC-categories---NCRB"><span style="text-decoration: underline; font-size: 14pt; color: rgb(53, 152, 219);"><strong>દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ SC, ST, OBC વર્ગના - NCRB</strong></span></a></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 15 Nov 2023 17:54:25 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 30 Aug 2024 10:38:20 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>126</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66d153bcd6318.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d153bca66a5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d153bca66a5.jpg" length="128377" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ગઢડાના માંડવધારમાં આજે વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશન કાથડની ભવ્ય ભીમ સંધ્યા</title>
                    <link>https://khabarantar.com/Famous-Bahujan-writer-Vishan-Kathads-grand-Bhim-Sandhya-today-in-Mandavadhar-of-Gadda</link>
                    <guid>https://khabarantar.com/Famous-Bahujan-writer-Vishan-Kathads-grand-Bhim-Sandhya-today-in-Mandavadhar-of-Gadda</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ધીમી પણ મક્કમ ગતિએ બહુજન સાહિત્ય પોતાના મૂળ મજબૂત કરી રહ્યું છે ત્યારે આજે ક્રાંતિસૂર્ય બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે બોટાદ જિલ્લાના માંડવધારમાં વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશનભાઈ કાથડનો ભવ્ય ભીમ સંધ્યાનો કાર્યક્રમ યોજાનાર છે. જેને લઈને સમગ્ર બોટાદ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં બહુજન સાહિત્યના ચાહકોએ હાલ માંડવધારની વાટ પકડી છે. માંડવધાર યુવા આઝાદ ગ્રુપ તથા બોટાદ જિલ્લા બહુજન સમાજ આયોજિત 'એક શામ બહુજન મહાપુરુષો કે નામ' સૂત્ર હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશનભાઈ કાથડ બહુજન સાહિત્યના રંગ પ્રસરાવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાનકડી ભીમપુત્રી સ્વરા વાણવીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્વરાને જે લોકો ઓળખે છે, તેમને તેના વિશે વધુ કશું જણાવવાની જરૂર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમ પહેલા બોટાદના ગોકુળિયાનાથની જગ્યા ખસ રોડ પરથી ગઢડા જીનના નાકાથી માંડવધાર સુધી એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_6554add8ef325.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમ પહેલા બહુજન સાહિત્યકાર વિશન કાથડે khabarantar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ કાર્યક્રમ વિશેષ એટલા માટે છે કેમ કે આજે ક્રાંતિસૂર્ય, બહુજન જનનાયક બિરસા મુંડાની જન્મજયંતિનો દિવસ છે. સામાન્ય રીતે આદિવાસી સમાજમાં આ દિવસની ભવ્ય ઉજવણી થતી હોય છે અને અન્ય સમાજના લોકો તેનાથી અજાણ કે અલિપ્ત રહેતા હોય છે. પણ હવે આ વાડાઓ તૂટી રહ્યાં છે કેમ કે, બોટાદના માંડવધારમાં આદિવાસી સમાજની વસ્તી નહિવત છે, તેમ છતાં આ દિવસે બહુજન સમાજ તેના વીર યોદ્ધાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યો છે. આ એક ક્રાંતિકારી પગલું છે, જે ભવિષ્યમાં બહુજન સમાજને એક મજબૂત મિશન તરફ દોરી જશે. આજે હું, ડો. બાબાસાહેબ આંબેડકર, ફૂલે, પેરિયાર, શાહુજી મહારાજ સાથે ક્રાંતિસૂર્ય બિરસા મુંડાની વાત પણ મજબૂતીથી સમાજ વચ્ચે મૂકવાનો છું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ઉમટી પડનાર સંભવિત મેદની અને જોશને પહોંચી વળવા માટે માંડવધાર યુવા આઝાદ ગ્રુપ દ્વારા માઈક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આમ પણ વિશનભાઈ કાથડની લોકપ્રિયતાના કારણે ધાર્યા કરતા બમણી જનમેદની ઉમટી પડવાની વાતની કોઈ નવાઈ નથી. ત્યારે આ કાર્યક્રમમાં પહેલેથી જ આયોજકોએ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ </span></strong></span><strong><a href="https://khabarantar.com/Pride-of-tribal-society:-Dang-Express-Murali-Gavit-won-silver-medal-in-5-thousand-meters-race-in-National-Games"><span style="text-decoration: underline;"><span style="font-size: 14pt; color: rgb(53, 152, 219);">આદિવાસી સમાજનું ગૌરવઃ National Gamesમાં ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે 5 હજાર મીટર દોડમાં Silver મેડલ મેળવ્યો</span></span></a></strong></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 15 Nov 2023 17:13:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>125</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_6554add9e93ee.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_6554add9aadaf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_6554add9aadaf.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આજે ક્રાંતિસૂર્ય બહુજન નાયક બિરસા મુંડાની જન્મજયંતિ, SSD સહિતના સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન</title>
                    <link>https://khabarantar.com/Today-is-the-birth-anniversary-of-Krantisurya-Bahujan-hero-Birsa-Munda,-statewide-programs-organized-by-organizations-including-SSD</link>
                    <guid>https://khabarantar.com/Today-is-the-birth-anniversary-of-Krantisurya-Bahujan-hero-Birsa-Munda,-statewide-programs-organized-by-organizations-including-SSD</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે બહુજન નાયક, ક્રાંતિસૂર્ય, જનનાયક બિરસા મુંડાનો જન્મ દિવસ છે. મૂળનિવાસી આદિવાસી સમાજ માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. કેમ કે 15મી નવેમ્બર 1875ના રોજ ઝારખંડના રાંચીના ઉલિહાતું ગામમાં આદિવાસી જનનાયક બિરસા મુંડાનો જન્મ થયો હતો. ઝારખંડ રાજ્ય માટે પણ આજનો દિવસ અત્યંત મહત્વનો છે. કેમ કે આ જ દિવસે વર્ષ 2000માં ઝારખંડ અલગ રાજ્ય બન્યું હતું. આમ બિરસા મુંડાની જન્મજયંતિ અને ઝારખંડનો સ્થાપના દિવસ એક જ દિવસે આવે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_655478c81b115.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જનનાયક બિરસા મુંડાની જન્મ જયંતિને લઈને દેશભરમાં આદિવાસી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો આદિવાસી વિસ્તારો ઉપરાંત જ્યાં પણ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓ આવેલી છે ત્યાં તમામ સ્થળે બહુજન સમાજ દ્વારા ફૂલહાર કરીને બહુજન નાયકના કાર્યોને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અનેક સ્થળોએ આજના દિવસે બાળકોને પુસ્તક વિતરણ, શેરીનાટકો, રેલીઓ અને જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય અનેક ગામો, શહેરોમાં તેમની યાદમાં બહુજન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં તમામ આદિવાસી સંગઠનો ઉપરાંત SSD સહિતના સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના આમોદ ખાતે એસએસડી દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય નાના શહેરો અને ગામોમાં પણ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો યોજાયા છે. અમુક જગ્યાએ સમૂહ ભોજન ઉપરાંત પુસ્તક વિતરણ અને સાંજે લાઈવ કાર્યક્રમોનું પણ આયોજન થનાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ </span></strong></span><a href="https://khabarantar.com/MP-Sidhi-urine-scandal:-Aggrieved-tribal-Dasmat-Rawat-says,-CM-Shivraj-Singh-has-forgotten-his-Sudama..."><span style="text-decoration: underline; color: rgb(53, 152, 219);"><strong><span style="font-size: 14pt;">MP Sidhi પેશાબકાંડઃ પીડિત આદિવાસી દશમત રાવત કહે છે, "CM શીવરાજસિંહ તેમના સુદામાને ભૂલી ગયા છે..."</span></strong></span></a></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 15 Nov 2023 13:23:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>124</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_655478306006a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_655478302648d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_655478302648d.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>એ દિવસે પહેલીવાર મારા પિતાએ ‘ભૂત’ જોયું! &amp; પિયુષ જાદુગર</title>
                    <link>https://khabarantar.com/That-day-for-the-first-time-my-father-saw-a-ghost---Piyush-Jadugar</link>
                    <guid>https://khabarantar.com/That-day-for-the-first-time-my-father-saw-a-ghost---Piyush-Jadugar</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- પિયુષ જાદુગર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિન્દુ કેલેન્ડરમાં વર્ષના અંતે આવતા તહેવારોમાં કાળી ચૌદશ એક દિવસ છે, જે ખાસ કરીને મેલીવિદ્યાની સાધના માટેનો દિવસ ગણાય છે. એ દિવસે રાતના બાર વાગ્યા પછી કેટલાક ભેદી લોકો કુંવારી છોકરીનું કાળજું, ઘુવડ,  કાળો દોરો,  કાળી અડદનાં દાણાં, ચોખા, કંકુ, લોહી, દારૂ જેવી ઘણી બધી ચીજવસ્તુઓ લઈને તંત્ર વિદ્યાના નામે મેલી વિદ્યાની સાધના કરતા હોય તેવું લોકો માને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખરેખર આ શું છે? શું ખરેખર કોઈ મેલી વિદ્યા હોય છે? એ અંગે કોઈએ સંશોધન કર્યું નહોતું. લોકો માની લેતા હતા કે મેલીવિદ્યા હોય છે અને તેનાથી કોઈપણ વ્યક્તિને મારી શકાય, વશમાં કરી શકાય, નુકસાન પહોંચાડી શકાય. કેટલાક લોકો મેલી વિદ્યાથી પોતાની જાતને બચાવવા માટે ઘરમાંથી કકળાટ કાઢે છે. કેટલાક લોકો લીંબુ, વડા વગેરે ઉપર જાણે ભૂતને નૈવેધ ધરાવતા હોય તેમ ચાર રસ્તે જઈને મૂકી આવે છે. કેટલાક લોકો લાલ કપડામાં શ્રીફળ બાંધીને એમાં જુદી જુદી વસ્તુઓ મૂકીને ચાર રસ્તે મૂકી આવે છે જેથી ભૂત એમના ઘર સુધી ના આવે. આ એક પ્રકારનો ડર છે અને તે નાના બાળકથી માંડીને વૃદ્ધો સુધીના સૌને સતાવતો હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષો પહેલાની વાત છે. એકવાર મારા પિતાજી ચતુરભાઈ ચૌહાણ રોજની ટેવ પ્રમાણે ચાલવા જતા હતા અને ત્યાં વચ્ચે સ્મશાન આવતું હતું. સ્મશાન પાસેથી રોજ મોર્નિંગ વોક માં જાય ત્યારે કોઈને કોઈ લોકો મળતા હોય પરંતુ ક્યારેય ભૂત દેખાયું નહોતું. આથી ભૂત કેવું હોય, કેવું દેખાય એ જોવા માટે તેઓ દરરોજ સ્મશાન પાસેથી નીકળતી વખતે તેની આજુબાજુ ઝીણવટપૂર્વક જોતા રહેતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકવાર કડકડતી ઠંડીમાં રોજની જેમ ચાલવા નીકળેલા તેમને દૂરથી એક આકાર દેખાયો. તે માણસ જેવો હતો, ઓછામાં ઓછો 15 ફૂટ ઊંચો તે આકાર સિગારેટ પીતો હોય એવું લાગ્યું. કોઈ જાતનો અવાજ આવે નહીં અને ધીમે ધીમે દૂરથી જાણે તેમની તરફ આવતો હોય એવું લાગ્યું. શિયાળાની વહેલી સવાર હતી એટલે ભારે ધુમ્મસ પણ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> તેમને લાગ્યું કે આજે નક્કી ભૂત મળ્યું છે. આથી થોડો ડર લાગ્યો પણ પછી ચકાસણી કરવાની હિંમત ભેગી કરી ભાગવું નથી એમ વિચારી સામનો કરવા તૈયારી કરી, અને એક ઝાડ પાછળ છુપાઈ ગયા. દૂર દેખાતો કાળો 15 ફૂટ ઊંચો માણસ જેવો આકાર ધીમે ધીમે નજીક આવતો હતો.  કારતક માસની કાતિલ ઠંડી, જંગલ અને સ્મશાનમાં કંઈ દેખાય નહીં. કોઈપણ જાતનો અવાજ નહીં અને વારેવારે બીડી પીતો હોય એ રીતે ધુમાડો નીકળતો હતો. બીડી  સળગે એ પણ ૧૫ ફૂટ ઊંચે દેખાય. અંગારા જેવું ચમકે ત્યારે માણસના ચહેરાનો આકાર સ્પષ્ટ દેખાય. ૧૫ ફૂટ ઊંચો માણસ હોય નહિ. નક્કી એ ભૂત જ હોય!</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> ધીમે ધીમે આકાર નજીક આવ્યો ત્યારે ખબર પડી કે એ તો કાળા ઊંટ માથે મૂકેલા ઘાસચારા પર બેઠેલો એક માણસ હતો, જે ધાબળો ઓઢીને ઠંડીથી બચવા માટે વારેઘડીએ હોલવાઈ જતી બીડી સળગાવતો જતો હતો. તેના કારણે તેનો ચહેરો વચ્ચે વચ્ચે ચમકી જતો હતો. ઊંટ કાળું હોવાથી દેખાતું નહોતું અને દૂરથી તેની ઉપર બેઠેલો માણસ સિગારેટ સળગાવી તેના કસ ખેંચે એટલે 15 ફૂટ ઊંચા માણસ જેવો આકાર દેખાતો હતો. ટૂંકમાં એ ભૂત નહોતું, એટલે ઝાડ નીચે સફેદ જોગિંગ કપડાં પહેરીને સંતાયેલા મારા પિતાજીએ બહાર નીકળીને દોડવાનું ચાલું કર્યું. એટલે પેલો ઊંટ પર બેઠેલો માણસ મારા પિતાજીને સફેદ કપડાંવાળું ભૂત સમજી ભડકી ગયો અને ઊંટલારી પરથી નીચે પટકાયો. એટલું જ નહીં, ભૂ....ત.. ભૂતની રાડો પાડતો ધ્રુજવા લાગ્યો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">હકીકતે ઊંટ પર બેઠેલો એ માણસ સ્મશાન પાસેથી પસાર થતી વખતે મનમાં વિચારતો હતો કે ભૂત હોય તો વળગે જ. ભૂત હોય તો તેણે સફેદ કપડાં પહેર્યાં હોય અને ઝડપથી દૂર જતું રહે. મારા પિતાજીએ સફેદ કપડાં પહેર્યાં હતા. તેઓ અચાનક દોડીને જતા રહ્યા હતા. પેલાના મનમાં લોકો પાસેથી સાંભળેલી વાતો ઘર કરી ગઈ હતી કે, ભૂત દેખાય તો પાછું વળીને જોવું નહીં, નહીંતર વળગે. આથી મારા પિતાને સફેદ કપડા પહેરીને બાજુમાંથી ઝડપથી પસાર થતા જોયા એટલે તેણે તેમને ભૂત માની લીધાં.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પણ પેલો જેવો નીચે પટકાયો અને ભૂત..ભૂતની રાડો પાડવા લાગ્યો એટલે મારા પિતાજી પાછા વળ્યાં અને તેની પાસે જઈ, ઉભો કરીને તેને સમજાવ્યું કે, ભાઈ હું ભૂત નથી, હું તો તને ભૂત માનતો હતો. પેલાએ તેમના હાથ પકડીને ખાતરી કરી. પછી કહ્યું કે, સારું થયું તમે ઉભા રહ્યાં, બાકી હું તો આ સ્મશાનની બાજુમાંથી પસાર થતી વખતે એમ જ વિચાર કરતો નીકળ્યો હતો કે અહીં ભૂત હોય જ. અને ઉપરથી હું વિચારતો હતો એ જ સમયે તમે સફેદ કપડાં પહેરીને ઝડપથી રોડ પસાર કરી ગયા એટલે મેં માની લીધું કે ચોક્કસ ભૂત મારી ઊંટગાડી સામેથી પસાર થયું. જો તમે પાછા વળીને ન આવ્યા હોય તો હું ભૂવા પાસે જઈને ભૂતથી બચવાની વિધિ કરાવત, જે મને ઓછામાં ઓછા રૂ. 50 હજારમાં પડત.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ પ્રસંગ ટાંકવાનો અર્થ એટલો જ લોકો સ્મશાન આગળથી પસાર થતી વખતે ભૂત વિશેની સાંભળેલી વાતો વિશે વિચારતા થઈ જાય છે અને તેને મળતી આવતી નાની અમથી પણ ઘટના બને તો તેને ભૂત માની બેસે છે. તેની પાછળનું કારણ નાનપણમાં સાંભળેલી ભૂત વિશેની વાતો હોય છે. ભૂત અંગે પણ પાછી દરેક ધર્મમાં અલગ-અલગ વાર્તાઓ છે. હિન્દુ ધર્મમાં ભૂતપ્રેત હોય છે, ઈસ્લામમાં જિન્નાત થાય છે. ખ્રિસ્તીઓમાં ભૂતને ડ્રેક્યૂલા કહેવાય છે. પાછું દરેક ધર્મના ભૂતનો એક નિશ્ચિત ડ્રેસકોડ હોય છે. આ તમામ વાતો આપણે વડીલો પાસેથી, મિત્રો પાસેથી સાંભળી છે અથવા તો ટીવી, ફિલ્મોમાં જોતા આવ્યા છીએ. એમાં પછી આપણી કલ્પનાના રંગો ભળે છે અને તે આપણાં મનમાં ગોઠવાતા જાય છે. એ પછી જ્યારે પણ એકાંત, અંધારું અને કલ્પનાઓ ભેગી થાય છે ત્યારે ભૂત આપણાં મગજમાં જન્મે છે. આ એક પ્રકારનો વહેમ છે અને તેને જ્ઞાન થકી દૂર કરી શકાય છે. એટલે મારા પિતા ચતુરભાઈ એક પુસ્તક લખ્યું હતુઃ ‘વહેમનું ઓસડ જ્ઞાન’. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્ઞાન આવે એટલે વહેમ જાય એ વાત સમજાતા તેમણે કાળી ચૌદશે સ્મશાનમાં જઈને ભૂતને શોધવાનો કાર્યક્રમ શરૂ કર્યો. દર વર્ષે કાળી ચૌદશે સ્મશાનમાં જઈને ‘આજા..આજા..’ ગીત ગાવાનું. જો પત્ની સાથે હોય તો તેણે પણ શણગાર સજી, વાળ ખુલ્લાં રાખી, લાલ સાડી પહેરી અને આ ગીત ગાતા ગાતા સ્મશાનમાં ચાલતા જવાનું એટલું જ નહીં, પાછું વળીને જોવાનું અને ભૂત,પ્રેત, ડાકણ, ચૂડેલને આમંત્રણ આપવાનું કે ભાઈ(કે બહેન) આવ અને મને વળગ!</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">એ રીતે ભૂતપ્રેતની માન્યતાને ચકાસવાનું અને લોકજાગૃતિ પ્રસરાવવાનું શરૂ થયું. એ પછી ભૂતપ્રેત શોધ કાર્યક્રમ કરવાનું નક્કી થયું અને વર્ષ 1982થી પાલીતાણામાં આસપાસના તમામ સ્મશાનોમાં તેમણે આ રીતે લોકજાગૃતિ ફેલાવવી શરૂ કરી. પિતાના પગલે ચાલીને મેં પણ વર્ષ 1995થી વકીલાત કરવા અમદાવાદ આવ્યો પછી આસપાસના સ્મશાનોમાં જઈને ભૂતપ્રેત શોધ કાર્યક્રમને આગળ ધપાવવો શરૂ કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલીવાર 1995માં લંકેશ ચક્રવર્તી, કિરણ નાણાવટી, સુનિલ ગુપ્તા, કિરીટ શાહ, કૌશિક જાદુગર સાથે મળીને અમદાવાદના પોટલીયા સ્મશાન ગૃહથી શરૂ કરીને થલતેજ, સરગાસણ, સપ્તઋષિ, મોક્ષ ધામ, ચામુંડા, દૂધેશ્વર, સાબરમતી, ગાંધીનગર, ચાંદખેડા અને  ધોળકા સુધીના સ્મશાનગૃહોમાં જઈને ભૂતપ્રેત શોધ કાર્યક્રમો શરૂ કરેલા છે, જે આજદિન સુધી ચાલુ છે. હવે તો ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી યુવાનો અમારી આ પ્રવૃત્તિમાં જોડાતા થયા છે અને પોતપોતાના ગામ કે શહેરના સ્મશાનમાં કાળી ચૌદશે જઈને ભૂતપ્રેત શોધ કાર્યક્રમ અચૂક રાખે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અમે અમદાવાદ શહેર તથા આસપાસના સ્મશાન ગૃહોમાં આવા કાર્યક્રમમાં કરીએ છીએ. તેમાં સુરેશ પરીખ, ડો. પારિતોષ શાહ, પ્રકાશ બેન્કર, અરૂણ પટેલ, મહેશ પરમાર, પિયૂષ સોલંકી વગેરેનો સદા સહકાર મળતો રહ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમે રાત્રે 12 વાગ્યા પછી સ્મશાનમાં જઈએ છીએ, માનસિક રોગોની જાગૃતિ અંગેના પેમ્પલેટ, પોસ્ટર વગેરે વહેંચીએ છીએ, જેથી લોકો ભૂતપ્રેત જેવી કાલ્પનિક વાતો પ્રત્યે જાગૃત થાય અને માનસિક રોગો અંગે સાચી સમજણ કેળવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાળી ચૌદશની રાતે અમે અમારા કાર્યક્રમમાં પહેલીવાર આવતા લોકોને ભૂતના ભડકા કેવી રીતે થાય છે, ભૂત પાણી કઈ રીતે પીવે છે તે પ્રયોગો કરીને સમજાવીએ છીએ કે આ બધા કેમિકલ ના પ્રયોગો છે, હાથ ચાલાકીના પ્રયોગો છે, હકીકતમાં ભૂતપ્રેત જેવું કંઈ હોતું નથી અને ભૂત એક માનસિક રોગ છે. તમને ભૂતપ્રેત, ડ્રેક્યૂલા દેખાય પણ તમારી બાજુમાં ઉભેલા મિત્રને નહીં દેખાય તેનો અર્થ એ કે તમે તમારા મનમાં ભૂત વિશેની જેવી માન્યતાઓ ધરાવો છો તેવું ભૂત તમને દેખાય છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભૂતપ્રેતની માન્યતા દૂર કરવા માટે મારા પિતાએ વર્ષો સુધી કામ કર્યું હતું. ચમત્કાર ચકાસણી કેન્દ્ર પાલીતાણાના નામથી તેમણે દેશભરમાં ચમત્કાર પર્દાફાશના કાર્યક્રમો કર્યા હતા. એ નામની તેમણે એક પુસ્તિકા પણ બહાર પાડી હતી, જેમાં ચમત્કારના નામે ચાલતા ધુપ્પલોનો પર્દાફાશ કરીને દરેક વ્યક્તિ તે કરી શકે તે રીતે મૂકવામાં આવ્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પિતાની આ પ્રવૃત્તિઓનો વારસો મેં પણ મારી યથાશક્તિ મુજબ જાળવી રાખવા પ્રયત્ન કર્યો છે. અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશનના સચિવ તરીકે સંકળાયેલા રહીને હવે હું પણ છેલ્લાં ત્રણેક દાયકાથી અમદાવાદના જમાલપુર સ્થિત સપ્તર્ષિ સ્મશાનગૃહમાં દર વર્ષે કાળી ચૌદશની રાત્રે નિયમિતપણે જાઉ છું. અહીં સેંકડો લોકો ચમત્કારો, ભૂતપ્રેતના વહેમોને દૂર કરવા માટે આવે છે. સારી વાત એ છે કે યુવાનો તેમાં મોટી સંખ્યામાં જોડાવા લાગ્યા છે. અમુક લોકોનો એ દિવસે જન્મદિવસ હોય તો તેઓ સ્મશાનમાં જ બર્થડે કેક કાપીને તેની ઉજવણી કરે છે. બે વર્ષ પહેલા રેશનાલિસ્ટ મિત્ર જીતેન્દ્ર વાઘેલાએ પોતાના પુસ્તક ‘અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર’ના લોકાર્પણનો કાર્યક્રમ આ સ્મશાનમાં રાખ્યો હતો. હવે તો લોકો કાળી ચૌદશે અમારા કાર્યક્રમોમાં આવીને સ્મશાનમાં જ મોડી રાત સુધી બેસીને ચાપાણી-નાસ્તો પણ કરે છે. કેટલાક લોકો તો મોક્ષ ધામની ભઠ્ઠીઓમાં બેસીને ફોટાં પણ પડાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓ ભૂતપ્રેતની બીક દૂર થતા હવે અહીં કાળી ચૌદશે રાત્રે 12.00 વાગ્યે ખુલ્લાં વાળ રાખી, રંગીન કપડાં પહેરી, આજા..આજા..ગીત ગાય છે. તેમ છતાં હજુ સુધી કોઈ મહિલાને ભૂત વળગ્યું નથી. મહિલાઓ એ ગીત રેકોર્ડ કરીને તેમના મિત્રોને પણ મોકલે છે જેથી તેમનામાં પણ જાગૃતિ આવે. અમદાવાદના ગણ્યાંગાંઠ્યા મિત્રો સાથે મળીને શરૂ કરેલી એક પહેલ આજે બહુજન સમાજમાં સ્વીકૃતિ પામી છે તેને હું રેશનાલિસ્ટ પ્રવૃત્તિની સફળતા માનું છું.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><em>(લેખક અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ, ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશનના સચિવ અને વરિષ્ઠ એડવોકેટ છે.)</em></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(186, 55, 42);"><em>આગળ વાંચોઃ </em></span></strong><a href="https://khabarantar.com/Know,-enjoy,-understand-and-explain-Indian-Constitution"><span style="text-decoration: underline; color: rgb(53, 152, 219);"><strong>ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો</strong></span></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 Nov 2023 09:59:28 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 11 Nov 2023 11:18:34 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>114</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_654e74e9a264a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_654e74e9662fe.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_654e74e9662fe.jpg" length="66733" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કાળી ચૌદશ &amp;apos;અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર&amp;apos; કરવા માટેની ઉત્તમ તક છેઃ જીતેન્દ્ર વાઘેલા</title>
                    <link>https://khabarantar.com/Kali-Chaudhas-is-an-excellent-opportunity-to-encounter-superstition:-Jitendra-Vaghela</link>
                    <guid>https://khabarantar.com/Kali-Chaudhas-is-an-excellent-opportunity-to-encounter-superstition:-Jitendra-Vaghela</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>કાળી ચૌદશને લઈને આપણે જાતભાતની અંધશ્રદ્ધાની વાતો વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. મેલી વિદ્યા, મંત્રતંત્ર, જાદુટોના, વશીકરણ, ભૂતપ્રેતનો ઓછાયો જેવી અનેક અંધશ્રદ્ધાઓ આજે પણ લોકોમાં ફેલાયેલી છે, ત્યારે કેટલાક બહુજન યુવાનોએ આ અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર કરી નાખવાનું બીડું ઝડપ્યું છે. એમાંના એક છે અમદાવાદના જીતેન્દ્રભાઈ વાઘેલા. છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓ કાળી ચૌદશની રાત્રે તેમના મિત્રો સાથે ગુજરાતના જે પણ ગામમાંથી આમંત્રણ મળે ત્યાંના સ્મશાનમાં પહોંચી જાય છે. ત્યાં પહોંચીને તેઓ ચા-પાણી-નાસ્તો કરે છે અને એ રીતે તેઓ વર્ષોથી લોકોના મનમાં પેસી ગયેલા ભૂતપ્રેતના ડરને ભગાડવા પ્રયત્ન કરે છે. અહીં તેમના અનુભવોની વાત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...  </strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાનો હતો ત્યારે મારી મમ્મી કહેતી કે “કાળી ચૌદશે નાના બાળકોએ સાંજ પડતા જ ઘરમાં પુરાઈ જવાનું, ક્યાંય બહાર નહીં નીકળવાનું. કાળો જાદુ કરનારા તાંત્રિકો, ભૂત, ચુડેલ સાધનારા સાધકો આ રાત્રે સ્મશાનમાં ખાસ વિધિ કરી ભૂતને બોલાવી, તેને મનગમતા ભોગ ધરાવી તેને રીઝવીને વશમાં કરી લે છે. આ મનગમતા ભોગમાં કુંવારી છોકરીઓ કે નાના બાળકોનું કાળજું પણ હોય.” આવી બિહામણી વાતો સાંભળી દિવાળી જેવા રોશનીથી ઝળહળતા તહેવારમાં પણ કાળી ચૌદશ આવતા જ મારું કાળજું કંપી ઉઠતું. કાળી ચૌદશની રાતનો મને ભારે ડર લાગતો. ઘરમાં માબાપની છત્રછાયામાં હોવા છતાં કાલ્પનિક દ્રશ્યો મારી આંખો સામે છવાયેલા રહેતાં. જાણે કે સ્મશાનમાં કોઈ બિહામણો તાંત્રિક કોઈ છોકરીનું કાળજું કાઢીને ભૂતોને તેનો ભોગ ન ધરતો હોય! આવા ડરના માહોલ વચ્ચે હું ઉછર્યો હોઈ કાળરાત્રિનો એ ડર મારા મનમાંથી કદી જશે તેવો વિચાર તો દૂર દૂર સુધી પણ ક્યાંથી હોય! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ સમય જતા વાંચન અને તર્ક કરવાની આદત ના કારણે રેશનલ વિચારો તરફ વળ્યો. પિયુષભાઈ જાદુગર અને તેમની ટીમ વર્ષોથી સ્મશાનમાં જઈને ભૂતપ્રેત જેવું કંઈ હોતું નથી એ સાબિત કરતા કાર્યક્રમો કરતી હોવાનું મેં જાણ્યું. એટલે મારામાં પડેલા ડરને ભગાડવા માટે હું પણ તેમના કાર્યક્રમોનો  હિસ્સો બન્યો. શરૂઆતમાં ડર લાગતો હતો પણ પછી ધીમેધીમે અદ્રશ્ય થઈ ગયો. હવે તો અમદાવાદ, કલોલ, રાંધેજાના સ્મશાનમાં કાળી ચૌદશની અડધી રાત્રે ગરમાગરમ ભજીયા ખાતા જઈએ અને ભૂત, પલીત, ચૂડેલને આહ્વાન કરીએ કે, “હે ભૂત, જો ખરેખર તું હો તો આજે અહીં કાળી ચૌદશની તારી ફેવરેટ રાત્રે બહેનદીકરીઓ સાથે અમે અહીં જમીએ છીએ. તું પણ આવ. જો તું રસ્તે ચાલતા ‘ચલ’ કહેવાથી કોઈને વળગી શકતું હોય તો ચાલ આવ, અમે તને આવકારીએ છીએ. ખુલ્લા વાળ રાખવાથી કે અત્તરની સુગંધથી કે શણગાર સજેલી મહિલાઓને તું વળગતું હોય તો આવ અહીં આ બધી મહિલાઓ બેખૌફ ઉભી છે.” - આવું આવાહન કરીએ છીએ પણ આટલાં વર્ષોથી એક પણ અનુભવ એવો થયો નથી કે કોઈ એ ભૂત જોયું હોય કે કોઈને વળગ્યું હોય. ઉપરથી ફાયદો એ થયો છે કે જે પણ લોકો આવા કાર્યક્રમનો હિસ્સો બન્યા છે તે બધાં કાયમ માટે ભૂતના કાલ્પનિક ડરથી મુક્ત થઈ ગયા છે. જે લોકો આવા કાર્યક્રમમાં જોડાય છે એ લોકોને કે એમના પરિવારને કોઈ ભુવો ભૂત વળગ્યાના નામે છેતરી શક્યો નથી. જાદુટોણાં કે વિધિઓ કરવાના બહાને કોઈ ઠગ બહેન-દીકરીઓની આબરૂ ઉપર હાથ નાખી શક્યો નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જાતઅનુભવો પછી, એક અંધશ્રદ્ઘામાં માનતા પરિવારમાંથી આવતો હોવા છતાં મેં તર્કના સહારે આગળ વધી અન્યોમાં પણ એ તાર્કિક શક્તિ ખીલે તે માટે ‘અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર’ નામનું પુસ્તક લખ્યું, જેમાં સમાજમાં પ્રવર્તતી નાનીમોટી અંધશ્રદ્ધાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પુસ્તકનું વિમોચન પણ એક અલગ ઇતિહાસ ધરાવે છે. કદાચ ભારતભરમાં આ પહેલું પુસ્તક હશે જેનું વિમોચન સ્મશાનમાં કરવામાં આવ્યું હોય! એ પણ કાળી ચૌદશની રાત્રે. કાળી ચૌદશની અડધી રાત્રે સ્મશાનમાં પુસ્તકના વિમોચનની સાથે પુસ્તકનો સ્ટોલ પણ લાગ્યો હતો અને એ એક જ રાતમાં એ પુસ્તકની 1 હજાર પુસ્તકોની આખી આવૃત્તિ વેચાઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પુસ્તક લખ્યાં પછી મને કેટલીક શાળાઓ, મહિલા મંડળો, ભજન મંડળીઓ, કન્સ્ટ્રક્શન સાઈટ પરની મજૂર કોલોનીઓ વગેરે જગ્યાએ જઈને અંધશ્રદ્ધા નિર્મૂલન માટેના મારા વિચારો વ્યક્ત કરવાની તક મળી. એ દરમિયાન અનેક પડકારો પણ ઉભા થયા હતા. એક ભાઈના ઘેર કોઈ કંકુ, નાડાછડી અને અડદની દાળ સાથે લીંબુ મૂકીને ટોટકો કરી ગયેલું. એ પરિવાર ભારે ડરી ગયો હતો. એમનો ડર દૂર કરવા માટે મેં એમના ઘેર જઈ એ કહેવાતા મંત્રેલા લીંબુને લોકોની હાજરીમાં જ ધોઈ સાફ કરી શરબત બનાવી પી ગયો. એ પછી મને કશું થયું નહીં એ જાણીને પરિવારને મારી વાતમાં ભરોસો બેઠો કે આ લીંબુ કોઈએ માત્ર તેમને ડરાવવા માટે જ મૂક્યું હતું અને તેમાં કોઈ તંત્રમંત્ર, જાદુટોણાં નહોતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ અન્ય એક ઘટનામાં એક વિધવા બહેનના ઘરે ચાર ઈંટોથી બનેલા એક મંદિર બાબતે મારે એક ભુવા સાથે વાદવિવાદ થયો. મેં કહ્યું કે “આ મંદિરમાં કંઈ નથી, એટલે કોઈ નૈવેધ કે યજ્ઞ કરવાની જરૂર નથી. તમે આ બહેનને ખોટો ખર્ચ કરાવો છો.” આ સાંભળીને ભુવાએ મને ચેલેન્જ આપી કે જો એવું હોય તો તેમાંથી એક ઉખાડીને બતાવ. અને મેં ચારેચાર ઈંટો ઉખાડીને ફેંકી દીધી. ન મને કશું થયું, ન એ વિધવા બહેનને કંઈ થયું. એ બહેનનો ડર તો કાયમ માટે ગયો જ, સાથે વિધિઓના નામે થતો ખોટો ખર્ચ પણ બંધ થઈ ગયો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષોથી ચાલી આવતી અંધશ્રદ્ધાની પરંપરાઓની વિરુદ્ધ ચાલીને લોકોને જાગૃત કરવાનું બીડું ઝડપીએ ત્યારે આવા પડકારોનો પણ સામનો કરવો પડતો હોય છે. જો કે, એકવાર ભૂત, ચૂડેલ, જિન્નાત જેવું કશું હોતું નથી એ સમજી લીધા પછી તેનો કાલ્પનિક ડર કાયમ માટે આપણામાંથી જતો રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> ભૂત,વળગાડનો ડર ગરીબ પ્રજાને વધુ ગરીબ બનાવે છે. અભણ સ્ત્રીઓનું શોષણ કરવાનો આ સૌથી સરળ રસ્તો છે, એટલે સ્ત્રીઓને વહેલી તકે આમાંથી બહાર લાવવી એ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. એટલે ભજન મંડળીની ધાર્મિક બહેનોની નારાજગી વ્હોરીને, ક્યારેક કોઈ મહિલાની ગાળો ખાઈને પણ અંધશ્રદ્ધા નિર્મૂલનનો સંદેશ લઈને પહોંચી જાઉં છું. કાળી ચૌદશ મારા માટે લોકોને ભૂતપ્રેતના કાલ્પનિક ડરમાંથી બહાર લાવવાની એક તક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><span style="color: rgb(186, 55, 42);">(લેખક વ્યવસાયે એન્જિનિયર છે અને રેશનલ પ્રવત્તિઓમાં સક્રીય રીતે કાર્યરત છે.)</span></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(186, 55, 42);"><strong>આ પણ વાંચોઃ</strong> </span><a href="https://khabarantar.com/Why-is-Emperor-Ashoka-untouchable-for-the-so-called-upper-castes-of-India"><span style="color: rgb(53, 152, 219);"><strong>શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?</strong></span></a></span></p>
<div class="post-meta" style="text-align: justify;"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 10 Nov 2023 23:08:27 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 10 Nov 2023 23:20:28 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>113</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_654e6872db7e7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_654e6872a1ed6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_654e6872a1ed6.jpg" length="95135" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>MP Sidhi પેશાબકાંડઃ પીડિત આદિવાસી દશમત રાવત કહે છે, &amp;quot;CM શીવરાજસિંહ તેમના સુદામાને ભૂલી ગયા છે...&amp;quot;</title>
                    <link>https://khabarantar.com/MP-Sidhi-urine-scandal:-Aggrieved-tribal-Dasmat-Rawat-says,-CM-Shivraj-Singh-has-forgotten-his-Sudama...</link>
                    <guid>https://khabarantar.com/MP-Sidhi-urine-scandal:-Aggrieved-tribal-Dasmat-Rawat-says,-CM-Shivraj-Singh-has-forgotten-his-Sudama...</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>MP Sidhi Urination Case: <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મધ્યપ્રદેશની સિધી વિધાનસભા સીટ છેલ્લાં ઘણાં મહિનાઓથી ચર્ચામાં છે. હાલમાં આ સીટ પર રાજકારણ ગરમાયું છે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પરંતુ થોડા મહિના પહેલા એટલે કે જુલાઈ </span>2023<span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">માં અહીંથી એક વીડિયો વાયરલ થયો હતો જેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ હતી. આ વીડિયો આદિવાસી દશમત રાવત(</span>Dashmat Rawat) <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પર પેશાબની ઘટનાનો હતો. આ વીડિયોએ દેશના દરેક સંવેદનશીલ માણસની આંખમાં આંસુ લાવી દીધા હતા. તો સામે સરકાર અને વહીવટીતંત્ર સામે સવાલો ઉભા કરી દીધા હતા. સીધી જિલ્લાના કુબરી ગામના બ્રાહ્મણ પ્રવેશ શુક્લા(</span>Pravesh Shukla)<span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એ દારૂના નશામાં આદિવાસી(</span>Adivasi) <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દશમત રાવત પર પેશાબ કર્યો હતો.</span></strong></span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">વીડિયો વાયરલ થયા બાદ પ્રવેશ શુક્લા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જેમાં ખુલાસો થયો હતો કે પ્રવેશ શુક્લા સીધીના </span>BJP<span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ના ધારાસભ્ય કેદારનાથ શુક્લાનો કાર્યકર હતો. આ મામલો સામે આવતાની સાથે જ રાજકીય ઉત્તેજના એટલી વધી ગઈ હતી કે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહે દશમત રાવતના પગ ધોવા પડ્યા હતા. સરકારે આ બાબતે ગંભીરતા દાખવી કારણ કે મધ્યપ્રદેશની </span>230 <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">બેઠકોમાંથી </span>47 <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આદિવાસી પ્રભુત્વવાળી બેઠકો છે. સીધી બેઠક વિસ્તારમાં પણ આદિવાસી મતદારો વધુ છે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તેથી આ વિડીયો ભાજપની અન્ય સીટોને પણ પ્રભાવિત કરી શકે તેમ હતો. ટૂંકમાં, માનવીય સંવેદનાઓથી પ્રેરાઈને નહીં પરંતુ રાજકીય નુકસાન અટકાવવા માટે શિવરાજસિંહે આવું કર્યું હોવાનું કહેવાય છે.</span></span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સીએમ શિવરાજ સિંહે(</span>Shivraj singh Chauhan) <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મામલો શાંત પાડવા માટે કોઈ કસર છોડી નહોતી. પ્રવેશ શુક્લા સામે તરત જ કેસ નોંધવામાં આવ્યો હતો અને દશમતને ભોપાલ સીએમ હાઉસમાં બોલાવીને</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મુખ્યમંત્રી દ્વારા માત્ર તેમનું સન્માન જ નહોતું કરવામાં આવ્યું પરંતુ તેમને </span>6 <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">લાખ રૂપિયા</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પોલીસ સુરક્ષા અને નોકરીનું વચન પણ આપ્યું હતું. જો કે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મુખ્યમંત્રીનું નોકરીનું વચન હજુ અધુરું છે અને હવે વહીવટીતંત્ર આ બાબતને સંપૂર્ણપણે ભૂલી ગયું છે.</span></span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(255, 3, 30);">બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ</span></strong></span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મહિનાઓ વીતી ગયા પણ દશમત અત્યારે કઈ સ્થિતિમાં છે એ જાણવાનો કોઈએ પ્રયત્ન કર્યો નથી. ત્યારે એક ન્યૂઝ પોર્ટલની ટીમ દશમતના ઘરે તેની પરિસ્થિતિ જાણવા પહોંચી હતી ત્યારે ત્યાં એક મકાનનું બાંધકામ અધૂરું જોયું.</span> <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ઘર દશમત રાવતના જૂના ઘરને પાડીને બનાવવામાં આવી રહ્યું છે.</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દશમત રાવતે ઘરનું માળખું મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા પૈસાથી તૈયાર કરાવ્યું હતું. દશમતની પત્નીનું કહેવું છે કે ઘર અધુરું છે, કેમ કે આગળ કામ કરાવવા માટે પૈસા નથી. દિવસમાં બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ છે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આવી સ્થિતિમાં ઘરના કામ વિશે કેવી રીતે વિચારી શકાય</span>?</span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દશમતનો પરિવાર પોલીસની સુરક્ષા અને મીડિયાના કેમેરાથી સંપૂર્ણપણે કંટાળી ગયો છે. દશમતે વાત કરવાની પણ ના પાડી દીધી</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જ્યારે કેમેરો બંધ હતો ત્યારે તેની પત્નીએ ટીમને તેની સમસ્યાઓ જણાવી. દશમતની પત્ની ઈચ્છે છે કે તેમનું જીવન આ ઘટના પહેલા જેવું હતું તેવું બની જાય. ગમે</span>  <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તેમ કરીને મજૂરી કરીને તેઓ પોતાનું ઘર સંભાળશે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પરંતુ પોલીસ સુરક્ષા તેના ગળામાં ફાંસો બની ગઈ છે. પોલીસ તેમને ક્યાંય પણ કામ પર જવા દેતી નથી.</span> </span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(255, 3, 30);">પોલીસ દશમતને કામ નથી કરવા દેતી</span></strong></span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આદિવાસી દશમત રાવતનો આરોપ છે કે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પોલીસ તેને મજૂરી કરવાથી રોકી રહી છે. તે છેલ્લાં </span>3 <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મહિનાથી ઘરે બેઠા છે. પૈસા ખતમ થઈ ગયા પછી એક દિવસ તે મજૂરી કરવા એક દુકાને ગયા હતા, પણ જેવું તેમણે કામ શરૂ કર્યું ત્યાં પોલીસ પહોંચી ગઈ અને તેને જીપમાં બેસાડીને ઘરે મૂકી ગઈ. દશમતે જણાવ્યું કે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પોલીસે તેમને કહ્યું કે તારે કામ પર નથી જવાનું</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ઘરે જ રહેવાનું છે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આ અમારા મોટા અધિકારીઓનો ઓર્ડર છે.</span></span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દશમતે જણાવ્યું કે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તે </span>24 <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કલાક પોલીસ સુરક્ષામાં રહે છે. હવે તેને પોલીસ સુરક્ષાની નહીં પણ</span>  <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કામની જરૂર છે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પણ ન તો સરકાર વાયદા પ્રમાણે નોકરી આપી રહી છે કે ન મને મજૂરી કરવા દઈ રહી છે. દશમતે કહ્યું કે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">તે સીધીમાં પોલીસ અધિક્ષક પાસે ગયા હતા અને પોલીસ સુરક્ષા પરત ખેંચી લેવા કહ્યું હતું. પણ તેમને જણાવવામાં આવ્યું કે </span>19 <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">નવેમ્બરે સુરક્ષા પરત ખેંચી લેવાશે. હાલ દશમતની સાથે દિવસ દરમિયાન એક કોન્સ્ટેબલ રહે છે. જ્યારે રાત્રે ઘરની બહાર ત્રણ કોન્સ્ટેબલો ગોઠવી દેવામાં આવે છે.</span></span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(255, 3, 30);">મુખ્યમંત્રી શીવરાજસિંહ તેમના સુદામાને ભૂલી ગયા..</span></strong></span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દશમતના ઘરનું કામ હાલ અધુરું પડ્યું છે તેને લઈને તે કહે છે કે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પૈસા ખતમ થઈ ગયા છે. આ કહેતી વખતે દશમત રડી પડે છે. તે આગળ કહે છે કે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">મુખ્યમંત્રી ફોન નથી ઉપાડતા. પોલીસ ઘરની બહાર મજૂરી કરવા જવા નથી દેતી. મુખ્યમંત્રીએ જ્યારે ભોપાલ બોલાવ્યો ત્યારે કહ્યું હતું કે</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પહેલા તારું ઘર બનાવીશ પછી નોકરી આપીશ. હવે ન તો આખું મકાન બન્યું છે ન નોકરી મળી છે. હવે સીએમને ફોન કરું છું તો તેઓ ઉપાડતા નથી. ભોપાલથી આવ્યાના એક અઠવાડિયા પછી મુખ્યમંત્રી અને તેમના પીએ સાથે એક-એક વાર વાત થઈ હતી. એ પછી તેમણે મારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. હવે તેમને મારી કોઈ ચિંતા નથી</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">હું મરું છું કે જીવું છું</span>, <span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કઈ હાલતમાં છું તે ભૂલીને તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે.</span><o:p></o:p></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દશમત રાવત આગળ કહે છે કે, મુખ્યમંત્રીએ જ્યારે મને ભોપાલ સીએમ હાઉસમાં બોલાવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે તું મારો સુદામા છે, હવે આપણે મિત્રો બની ગયા છીએ. તો હવે પોતાના મિત્રનો ફોન કેમ નથી ઉપાડતા શિવરાજસિંહ</span>?<span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';"> તેમણે નોકરી અને ઘરનું વચન આપ્યું હતું. નોકરી આપી નથી અને ઘરનું કામ અધુરું પડ્યું છે. હવે મારી પાસે પૈસા નથી, પોલીસ મજૂરી કરવા જવા દેતી નથી, મારે શું કરવું</span>?<o:p></o:p></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">આરોપી પ્રવેશ શુક્લાનું ઘર બની ગયું છે</span></b><b><span style="color: red;"><o:p></o:p></span></b></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">એક બાજુ પીડિત દશમત રાવતનું ઘર સરકારી સહાયના અભાવે અધુરું પડ્યું છે, બીજી તરફ આ કેસના કુખ્યાત આરોપી પ્રવેશ શુક્લાનું મકાન સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. પેશાબકાંડ વખતે સ્થાનિક તંત્રએ તેના ઘરના ગેરકાયદે હિસ્સાને બુલડોઝરથી તોડી પાડ્યો હતો. પ્રવેશ શુક્લાના પિતા રમાકાંત શુક્લાએ જણાવ્યું કે, તેમના મકાનના સમારકામ માટે અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભા અને બ્રાહ્મણ સમાજના અન્ય લોકોએ અંદાજે રૂ. 6 લાખની આર્થિક મદદ કરી હતી. એ પૈસામાંથી તેમણે મકાન નવેસરથી ઉભું કરી નાખ્યું છે. રમાકાંત શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે, પેશાબકાંડના તમામ આરોપોમાંથી દીકરા પ્રવેશ શુક્લાને જામીન મળી ગયા છે.</span><o:p></o:p></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';"><strong><span style="color: rgb(255, 3, 30);">Read Also:</span></strong> </span><a href="https://khabarantar.com/What-can-Bahujan-Samaj-learn-from-Mohammed-Shami"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?</strong></span></a></span></p>
<div class="post-meta"></div>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 Nov 2023 10:05:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>94</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_65471b4cbfde6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_65471b4c8e20b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_65471b4c8e20b.jpg" length="194649" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજપીપળામાં Rashtriya Ekta Diwasના કાર્યક્રમના વિરોધમાં આદિવાસીઓએ અનેક ગામોમાં કાળા વાવટા ફરકાવ્યા</title>
                    <link>https://khabarantar.com/Tribals-unfurled-black-banners-in-several-villages-to-protest-Rashtriya-Ekta-Diwas-program-in-Rajpipla.</link>
                    <guid>https://khabarantar.com/Tribals-unfurled-black-banners-in-several-villages-to-protest-Rashtriya-Ekta-Diwas-program-in-Rajpipla.</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">૩૧ ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે છેલ્લાં ૬ વર્ષથી વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ સરદાર જયંતિ નિમિત્તે દેશમાં ઠેર ઠેર રાષ્ટ્રીય એકતા દિવસ(Rashtriya Ekta Diwas)ની ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ એકતાનગર(Ekta Nagar) ખાતે આ રાષ્ટ્રીય કાર્યક્ર્મને આખરી ઓપ અપાઈ રહ્યો હતો તો બીજી બાજુ આસપાસના ગામોના લોકોએ આ કાર્યક્રમનો વિરોધ નોંધાવી કાળી ઝંડીઓ લગાવી વિરોધ નોંધાવ્યો હતો. જોકે પોલીસે રાતોરાત એ કાળી ઝંડીઓ ઉતારી લીધી હતી.</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/Pride-of-tribal-society:-Dang-Express-Murali-Gavit-won-silver-medal-in-5-thousand-meters-race-in-National-Games"><span style="color: rgb(43, 26, 235);"><strong><span style="color: rgb(255, 3, 30);">આ પણ વાંચોઃ</span></strong><strong>  આદિવાસી </strong></span><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>સમાજનું ગૌરવઃ National Gamesમાં ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે 5 હજાર મીટર દોડમાં Silver મેડલ મેળવ્યો</strong></span></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકતાનગર નજીકના ગાડકોઈ(Gadkoi) અને આમદલા(Aamdala) ગામના લોકોએ સરકાર પાસે પોતાની જમીનની સામે જમીન અને પેકેજની માંગણી કરી રહ્યા છે. એ મુદ્દે સ્થાનિક આદિવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. જેથી કેવડિયા નજીકના ગામો ગાડકોઇ, આમદલા ગામોમાં લોકોના ઘરોમાં, ગામના બોર્ડ પર, સ્કૂલના બોર્ડ પર કાળી ઝંડીઓ લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે આ બાબતની જાણ થતાં કેવડીયા પોલીસ(Kevadiya Police) દોડતી થઈ હતી અને તાત્કાલિક રાત્રીના સમયે આ તમામ કાળી ઝંડીઓ હટાવી લીધી હતી. તો બીજી બાજુ વડાપ્રધાન મોદી(PM Modi)ના કાર્યક્રમના સંભવિત વિરોધને પગલે રાજપીપળા પોલીસે(Rajpipla Police) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી ચેરમેન ઈમ્તિયાઝ અલી કાદરી, નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રોહિત પટેલ, રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિતેશ પટેલ, માલવ બારોટ, કેવડીયા બચાવો આંદોલન સમિતિના ડો.પ્રફુલ વસાવા, ગરૂડેશ્વર કોંગ્રેસ પ્રમુખ શૈલેશ તડવી સહિતના કાર્યકરોને ડીટેઇન કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ </strong></span><a href="https://khabarantar.com/Out-of-4.78-lakh-inmates-in-countrys-jails,-3.15-lakh-belong-to-SC,-ST,-OBC-categories---NCRB"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ SC, ST, OBC વર્ગના - NCRB</strong></span></a></span></p>
<div class="post-meta"></div>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટના નિર્માણ વખતથી જ આદિવાસી સમાજ તેનો વિરોધ કરી કર્યો છે. અનેક ગરીબ આદિવાસીઓની ખેતીની જમીનો આ પ્રોજેક્ટ માટે રીતસરના છીનવી લેવામાં આવી છે. અનેક લોકોને આજની તારીખે પણ યોગ્ય વળતર મળ્યું નથી. જેના કારણે આદિવાસી સમાજ અહીં પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. છેલ્લાં કેટલાક વર્ષોથી અહીં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાનની હાજરી વખતે આદિવાસી સમાજ કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ કરી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(255, 3, 30);"><strong>આગળ વાંચોઃ </strong></span><a href="https://khabarantar.com/The-rate-of-conviction-of-the-accused-in-atrocity-cases-in-Gujarat-is-only-3.065-percent"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા!</strong></span></a></span></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 02 Nov 2023 21:53:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>86</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_6543c8fac8812.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_6543c8fa78a09.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_6543c8fa78a09.jpg" length="75636" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આદિવાસી સમાજનું ગૌરવઃ  National Gamesમાં ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે 5 હજાર મીટર દોડમાં Silver મેડલ મેળવ્યો</title>
                    <link>https://khabarantar.com/Pride-of-tribal-society:-Dang-Express-Murali-Gavit-won-silver-medal-in-5-thousand-meters-race-in-National-Games</link>
                    <guid>https://khabarantar.com/Pride-of-tribal-society:-Dang-Express-Murali-Gavit-won-silver-medal-in-5-thousand-meters-race-in-National-Games</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ગોવા ખાતે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">26 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઓક્ટોબર </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2023</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના રોજ નેશનલ ગેમ્સનો પ્રારંભ થયો હતો. જેમાં દોડમાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">5000 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મીટર એથ્લેટિક્સ ગેમ્સમાં ગુજરાતના ડાંગ જિલ્લાના ખેલાડી અને ડાંગ એક્સપ્રેસથી લોકપ્રિય મુરલી ગાવિતે(</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(32, 33, 36); background: white;">Murali Kumar Gavit</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">) સિલ્વર મેડલ જીતીને ડાંગ સહિત ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છએ. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(32, 33, 36); background: white;">Murali Kumar Gavit</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> ની સિદ્ધિના કારણે રાજ્યભરમાં ઉત્સાહ સાથે ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="color: rgb(245, 16, 10); font-size: 14pt;"><strong><span style="font-family: Arial, 'sans-serif';"></span></strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="color: rgb(245, 16, 10); font-size: 14pt;"><strong><span style="font-family: Arial, 'sans-serif';">આ પણ વાંચોઃ</span></strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નેશનલ ગેમ્સમાં જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસમાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">5000 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મીટર એથ્લેટિક્સ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું હતું. રાજ્યના વનવિસ્તાર એવા ડાંગ જિલ્લાના ખેલાડી અને ખૂબ ઝડપથી દોડતા મુરલી ગાવિતે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">14 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મિનિટ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">13 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સેકન્ડમા </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">5 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">હજાર મીટર દોડ પૂરી કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો.</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નેશનલ ગેમ્સમાં આ રેસમાં હિસ્સો લેનાર મુરલિ ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(245, 16, 10);"><strong><span style="font-family: Arial, 'sans-serif';">આ પણ વાંચોઃ </span></strong></span></span><a href="https://khabarantar.com/Manipur-High-Court-gets-first-woman-tribal-judge-Justice-Golmei-Gaifulshilu-Kabui-hails-from-the-Naga-tribal-community"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>મણિપુર હાઈકોર્ટને પ્રથમ મહિલા આદિવાસી જજ મળ્યાં; નાગા આદિવાસી સમાજમાંથી આવે છે જસ્ટિસ ગોલમેઈ ગૈફુલ્શિલુ કાબુઈ</strong></span></a></span></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">મુરલી ગાવિતે અગાઉ પણ મેડલ જીત્યા છે</span></b><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;"><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી કરનાર </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Murali Kumar Gavit</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> આ અગાઉની રમતોમાં નેશનલ ગેમ્સ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલાય મેડલ હાંસલ કરી ચુક્યો છે. તાજેતરના સમયમાં બેંગ્લોર ખાતે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">National Open</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2023</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">13 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઓક્ટોબર રોજ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">National Championship</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં મુરલી ગાવિતે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">5000 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મીટર દોડમાં પ્રથમ ક્રમાંક મેળવી મેડલ જીત્યો હતો. ગત વર્ષે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2022</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં યોજાયેલ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Open Athletics Meet</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">10000 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મીટર દોડમાં પણ મુરલી ગાવિતે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Gold</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> મેડલ જીત્યો હતો.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> <o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(245, 16, 10);"><strong><span style="font-family: Arial, 'sans-serif';">આ પણ વાંચોઃ </span></strong></span></span><a href="https://khabarantar.com/For-the-first-time-in-the-history-of-Gujarat,-a-Sidi-girl-became-a-doctor-and-made-history"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો</strong></span></a></span></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">ઓલિમ્પિકમાં </span></b><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;">Gold Medal </span></b><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">જીતવાનું સ્વપ્ન</span></b><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;"><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ગુજરાતના ખેલ મહાકુંભથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Murali Kumar Gavit</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> છેલ્લા કેટલાય વર્ષોથી અથાક પરિશ્રમ કરી રહ્યો છે.</span><span lang="GU" style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રાજ્ય સહિત દેશ વિદેશની ધરતી પર ડાંગનું નામ રોશન કરી શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે. હાલમાં પણ મુરલી ગાવિત એક પછી એક સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની કારકિર્દીને શિખર પર લઈ જઈ રહ્યો છે. તેનું સ્વપ્ન ઓલમ્પિક રમતોમાં ભાગ લઈ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">દેશ માટે ગોલ્ડ જીતવાનું છે. મુરલી ગાવિત હંમેશાં આગળ વધી ગામ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રાજ્ય અને દેશનું નામ રોશન કરે તે માટે સૌ ડાંગવાસીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. નેશનલ ગેમ્સમાં મુરલી ગાવિતને પ્રોત્સાહિત કરનાર ગુજરાતના કોચ મોહન મોર્યા તેમજ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Sports Authority of Gujarat</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ની શક્તિદૂત યોજનાનો મુરલી ગાવિતે આભાર વ્યક્ત કર્યો હતો.</span><span lang="GU" style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(245, 16, 10);"><strong><span style="font-family: Arial, 'sans-serif';">આગળ વાંચોઃ </span></strong></span></span><a href="https://khabarantar.com/Out-of-4.78-lakh-inmates-in-countrys-jails,-3.15-lakh-belong-to-SC,-ST,-OBC-categories---NCRB"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ SC, ST, OBC વર્ગના - NCRB</strong></span></a></span></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14.0pt; line-height: 107%;"><o:p> </o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Nov 2023 20:01:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>81</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_6542611d263b2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_6542611ce108c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_6542611ce108c.jpg" length="50498" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો</title>
                    <link>https://khabarantar.com/For-the-first-time-in-the-history-of-Gujarat,-a-Sidi-girl-became-a-doctor-and-made-history</link>
                    <guid>https://khabarantar.com/For-the-first-time-in-the-history-of-Gujarat,-a-Sidi-girl-became-a-doctor-and-made-history</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">સૌરાષ્ટ્રના ગીરના જંગલમાં વસતા આદિવાસી સીદી</span><span style="font-family: Arial;">(</span>Siddi<span style="font-family: Arial;">) </span><span style="font-family: Shruti;">સમાજની વાત આવે એટલે લોકો સૌથી પહેલા ધમાલ નૃત્યને યાદ કરતા હોય છે</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">જો કે</span><span style="font-family: Arial;">, </span><span style="font-family: Shruti;">આ સદીઓ જૂના ઈતિહાસને બદલીને પહેલીવાર આ સમાજમાંથી એક યુવતીએ ડોક્ટર બનીને ઈતિહાસ સર્જી દીધો છે</span><span style="font-family: Arial;">.</span></span></strong></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"> </span></strong></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">Siddi <span style="font-family: Shruti;">સમાજ</span> મોટા ભાગે પછાત અને શ્રમિક ગણા<span style="font-family: Shruti;">ય છે</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">વર્ષોથી તેમની ઓળખ ધમાલ નૃત્ય પુરતી મર્યાદિત થઈ ગઈ છે ત્યારે ઈતિહાસમાં પહેલીવાર આ સમાજની એક યુવતી ડોક્ટર બનવા જઈ રહી છે</span><span style="font-family: Arial;">. </span>સીદી સમુદાયમાં અત્યાર સુધીમાં પુરુષ તબીબ બની ચૂક્યા છે પણ એક મહિલા ડોક્ટર બની હોવાનું પહેલીવાર બન્યું છે. આ યુવતીનું નામ છે મુસ્કાન મકવા(Muskan Makwa). 21 વર્ષીય મુસ્કાન હવે સ્ત્રીરોગ નિષ્ણાત (gynecologist) બનીને તેના સમાજની સ્ત્રીઓના <span style="font-family: Shruti;">ચહેરા</span> પર <span style="font-family: Arial;">‘</span>મુસ્કાન<span style="font-family: Arial;">’ </span>લાવવાનું સપનું પણ સેવે છે.  </span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-family: Shruti; color: rgb(243, 16, 16);">મુસ્કાનને નાનપણથી ડોક્ટર બનવું હતું</span></strong><b></b></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">એક મીડિયા રિપોર્ટ</span> મુજબ ભાવનગરની રહેવાસી મુસ્કાન હાલમાં છ મહિનાની ઇન્ટર્નશિપ કરી રહી છે. તે પ્રસૂતિશાસ્ત્ર, સ્ત્રીરોગવિજ્ઞાન અને મહિલા આરોગ્ય તથા પોષણમાં નિષ્ણાત બનવા માંગે છે. મુસ્કાન કહે છે, ‘11 વર્ષની હતી ત્યારથી જ મને ડૉક્ટર બનવાની ઇચ્છા હતી. ડૉક્ટરોને ઘણું માન મળે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ ક્યારેય બેરોજગાર નથી રહેતા.’ </span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં મુસ્કાન કહે છે, ‘ગાયેનેકોલોજીએ મને હંમેશાં આકર્ષિત કરી છે. એમાં તમે બે જિંદગીની કાળજી રાખો છો. તે સ્ત્રીને સ્વાસ્થ્ય અને શક્તિ પૂરાં પાડે છે. હું હજી પણ આશ્ચર્યચકિત છું કે કેવી રીતે એક મહિલા પ્રસૂતિ સાથે આવતી પીડાને સહન કરવા માટે આટલી શક્તિ, ધીરજ અને હિંમત એકઠી કરે છે અને બાળકને જન્મ આપે છે. પછી એ તેના બાળકના ઉછેરમાં પોતાની જાતને પરોવી દે છે.’</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="color: rgb(243, 16, 16);"><strong><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">સીદી</span> <span style="font-family: Shruti;">સમાજની હાલત સારી નથી</span></span></strong></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીદી સમુદાયમાં શિક્ષણની હાલત વિશે મુસ્કાન કહે છે, ‘સીદી પરિવારો તેમના બાળકોના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડી શકતા નથી. તેમાંના મોટા ભાગના શ્રમિકો છે. તેથી તેમના બાળકોને શાળાએ મોકલીને તેમને અભ્યાસમાં પ્રોત્સાહન આપે એવું બનતું નથી. છોકરીઓને પણ મોટી થયા બાદ તરત પરણાવી દેવામાં આવે છે. હું ડૉક્ટર બની શકી એ એક ચમત્કાર જ કહેવાય.’  </span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્કાને તેના બોર્ડ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોઈ કોચિંગ લીધું નથી. પાંચ વર્ષ પહેલાં જ્યારે તેણે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પાસ કરી, ત્યારે તેના પિતા રેલવેમાં ગેટમેન તરીકે નોકરી કરતા હતા.</span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="color: rgb(243, 16, 16);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Nari-Gunjan-Sargam-Band:-Dalit-Womens-Band-of-Bihar-Challenging-the-Patriarchal-Social-System"><span style="text-decoration: underline;"><strong><span style="color: rgb(43, 26, 235);"><span style="font-size: 14pt;">નારી ગુંજન સરગમ બેન્ડઃ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને પડકાર ફેંકતું બિહારની દલિત મહિલાઓનું બેન્ડ</span></span></strong></span></a><strong></strong></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong><span style="color: rgb(43, 26, 235); text-decoration: underline;"><span style="font-size: 14pt;"></span></span></strong></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="color: rgb(243, 16, 16);"><strong><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">મુસ્કાન મહિલા આરોગ્યમાં નક્કર કામગીરી કરવા માંગે છે</span><span style="font-family: Arial;">.</span></span></strong></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીદી સમુદાયમાં શિક્ષણનું સ્તર ઘણું નીચું છે. એમાંય બાળકીઓમાં શિક્ષણની હાલત અત્યંત નીચા સ્તરે છે. એવા સંજોગો વચ્ચે ઉચ્ચ શિક્ષણ મેળવીને તબીબ બનેલી મુસ્કાન ભાવનગરમાં રહીને તેના સમુદાયની સેવા કરવા માટે સંકલ્પબદ્ધ છે. તે તેના સીદી સમુદાયની જરૂરિયાતો અને મર્યાદાઓને સમજે છે. તે કહે છે, ‘જે કલંક આપણી પ્રગતિને અટકાવે છે અને આપણા બાળકોને શિક્ષણ અને મૂળભૂત આરોગ્યસંભાળથી વંચિત રાખે છે તે દૂર કરવું પડશે. હું મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે ઘણું કરવા માંગુ છું અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવા માંગુ છું.’ </span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">મુસ્કાનને આજે પણ યાદ છે કે જ્યારે તેણે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તેના સમુદાયના સભ્યોએ ગર્વ અનુભવ્યો હતો.</span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Oct 2023 12:08:41 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 30 Oct 2023 17:20:46 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>68</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_653f4beddf123.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_653f4beda5cb3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_653f4beda5cb3.jpg" length="80722" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સાબરકાંઠાના ખેરોજની નચિકેતા વિદ્યાલયમાં 13 જેટલાં બાળકોને ડામ અપાતા ચકચાર, તંત્રને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા વાલીઓમાં આક્રોશ</title>
                    <link>https://khabarantar.com/In-Nachiketa-Vidyalaya-of-Kheroj-Sabarkantha,-as-many-as-13-children-are-being-given-shelter-but-no-action-is-being-taken-despite-submission-to-Chakchar-system-outrage-among-parents</link>
                    <guid>https://khabarantar.com/In-Nachiketa-Vidyalaya-of-Kheroj-Sabarkantha,-as-many-as-13-children-are-being-given-shelter-but-no-action-is-being-taken-despite-submission-to-Chakchar-system-outrage-among-parents</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p dir="ltr" style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">સાબરકાંઠા જિલ્લાના ખેરોજની નચિકેતા સ્કૂલમાં 13 જેટલા બાળકોને શાળામાં મસ્તી કરતા હોવાને કારણે ડામ આપવામાં આવ્યો હોવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વાલીઓએ પોલીસ, કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. વાલીઓનો આક્ષેપ છે કે આ ગંભીર ઘટનાને લઈને તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નથી કરાઈ.</span></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202310/image_870x_653a27daa21cc.jpg" alt=""></p>
<p>.<strong><span style="font-size: 14pt;"><span style="color: #ff0000;">વિદ્યાર્થીઓને ડામ અપાતા ખળભળાટ</span></span></strong></p>
<p>.<span style="font-size: 14pt;">મળતી વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લાના ખરોજની નચિકેતા વિદ્યાલય વિવાદમાં સપડાઈ છે. નિધિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી નચિકેતા વિદ્યાલયમાં 13 જેટલા બાળકોને ડામ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. વાલીઓ દ્વારા જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. નચિકેતા વિદ્યાલયમાં થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોવાથી 13 જેટલા બાળકોને ડામ આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્કૂલના પ્રિન્સિપાલને આ મામલે ફરિયાદ કરી હતી. એ પછી તેઓ સીધા ખેરોજ પોલીસ સ્ટેશન ગયા હતા અને ત્યાં સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉપરાંત વાલીઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. જો કે તંત્રમાં લેખિત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.</span></p>
<p>.</p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Oct 2023 14:21:33 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 15 Mar 2024 11:03:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>49</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_653a27ab43b73.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_653a27ab15336.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_653a27ab15336.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મણિપુર હાઈકોર્ટને પ્રથમ મહિલા આદિવાસી જજ મળ્યાં; નાગા આદિવાસી સમાજમાંથી આવે છે જસ્ટિસ ગોલમેઈ ગૈફુલ્શિલુ કાબુઈ</title>
                    <link>https://khabarantar.com/Manipur-High-Court-gets-first-woman-tribal-judge-Justice-Golmei-Gaifulshilu-Kabui-hails-from-the-Naga-tribal-community</link>
                    <guid>https://khabarantar.com/Manipur-High-Court-gets-first-woman-tribal-judge-Justice-Golmei-Gaifulshilu-Kabui-hails-from-the-Naga-tribal-community</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><strong>દેશમાં સંસદ, કારોબારીથી લઈને ન્યાયતંત્ર સુદ્ધામાં કથિત સવર્ણ જાતિઓના લોકોનું એકહથ્થુ શાસન છે ત્યારે છેલ્લાં 5 મહિના કરતા વધુ સમયથી સળગી રહેલા મણિપુરમાં એક ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. </strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;">મળતી વિગતો પ્રમાણે મણિપુર હાઈકોર્ટને તેના પ્રથમ મહિલા આદિવાસી જજ મળ્યાં છે. ન્યાયિક અધિકારી ગોલમેઈ ગૈફુલ્શિલુ કાબુઈ મણિપુર હાઈકોર્ટમાં ન્યાયધીશ તરીકે નિયુક્ત થનાર પહેલા આદિવાસી મહિલા બની ગયા છે. તેમની નિયુક્તિ કેન્દ્રિય કાયદા અને ન્યાય મંત્રાલયે દ્વારા કરવામાં આવી છે. કાબુઈ મણિપુરના નાગા આદિવાસી સમાજમાંથી આવે છે. ભારે સંઘર્ષ કરીને આ પદ સુધી પહોંચીને તેમણે મણિપુરની અનેક આદિવાસી મહિલાઓને પ્રેરણા પુરી પાડી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક ઓફિશ્યિલ પત્રમાં કહ્યું છે કે, તેમને ગોલમેઈ ગૈફુલ્શિલુ કાબુઈને મણિપુર હાઈકોર્ટની ન્યાયધીશ નિયુક્ત કરતા અત્યંત આનંદની લાગણી થઈ રહી છે.</span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કેન્દ્ર સરકારે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">13 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઓક્ટોબરે મદ્રાસ અને મણિપુરની હાઈકોર્ટમાં ત્રણ જજોની નિમણૂક માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આમાં એક ન્યાયિક અધિકારીનો પણ સમાવેશ થાય છે જે મણિપુર હાઈકોર્ટમાં જજ બનનાર અનુસૂચિત જનજાતિમાંથી પ્રથમ મહિલા બનશે. કેન્દ્ર દ્વારા સ્વીકૃત અન્ય બે નામો અનુસૂચિત જાતિ અને ઓબીસી સમુદાયના છે.</span></strong><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(243, 16, 16);"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આ ભલામણ </span><span style="font-family: Arial, 'sans-serif';">10 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જાન્યુઆરીથી મંજૂરી માટે રાહ જોઈ રહી હતી</span></strong></span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મણિપુર હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ન્યાયિક અધિકારી ગોલમેઈ ગૈફુલશિલુ કાબુઈની નિમણૂક કરવામાં આવી હતી. નોટિફિકેશન </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">10 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જાન્યુઆરીથી પેન્ડિંગ હતું. બે એડવોકેટ એન સેંથિલકુમાર અને જી અરુલ મુરુગનને મદ્રાસ હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બનેલી સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે જુલાઈમાં તેમના નામની ભલામણ કરી હતી.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(243, 16, 16);"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સેન્થિલકુમાર પાસે કેટલો અનુભવ છે</span><span style="font-family: Arial, 'sans-serif';">?</span></span></strong><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેના ઠરાવમાં કોલેજિયમે જણાવ્યું હતું કે સેંથિલકુમારને બારમાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">28 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">વર્ષથી વધુનો અનુભવ છે અને તેમની પાસે મદ્રાસ હાઈકોર્ટ તેમજ સેશન્સ કોર્ટમાં હાજર રહેવાનો અનુભવ છે. આ સિવાય તેઓ બંધારણીય</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ફોજદારી</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સેવા અને સિવિલ બાબતોમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મુરૂગન અંગે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કોલેજિયમે કહ્યું કે તેમની પાસે બારમાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">24 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">વર્ષનો અનુભવ છે અને તે સિવિલ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ફોજદારી અને રિટ બાબતોમાં નિષ્ણાત છે. તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે. કોલેજિયમે કહ્યું કે ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">OBC </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માટે વધુ પ્રતિનિધિત્વની સુવિધા આપશે. આ સાથે જ હવે હાઈકોર્ટમાં ઓબીસી જજોની સંખ્યા 67 થઈ જશે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ ત્રણ નામો આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી નવ ભલામણોના બેચનો ભાગ છે પરંતુ કેન્દ્ર દ્વારા હજુ સુધી સૂચિત કરવામાં આવ્યા નથી. સૌથી જૂની ભલામણ જાન્યુઆરીથી પેન્ડિંગ હતી.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> <o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; font-size: 14pt;"><o:p> </o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Oct 2023 08:45:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>40</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_6535477b5c645.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_6535477b0d3fc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_6535477b0d3fc.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા!</title>
                    <link>https://khabarantar.com/the-rate-of-conviction-of-the-accused-in-atrocity-cases-in-gujarat-is-only-3.065-percent</link>
                    <guid>https://khabarantar.com/the-rate-of-conviction-of-the-accused-in-atrocity-cases-in-gujarat-is-only-3.065-percent</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના દલિતો આઝાદીનો મૃત મહોત્સવ ઉજવી રહ્યાં હોય તેવો ઘાટ ઘડાયો છે. એટ્રોસિટી એક્ટમાં દોષિત સાબિત થવાના આંકડાઓ કહે છે કે,</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; color: #222222; mso-bidi-language: GU;"> </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">વિકસિત </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">છતાં જાતિવાદથી ખદબદતા </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">ગુજરાતમાં દલિત અત્યાચારના કેસોમાં આરોપીઓના દોષી</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;"> સાબિત થવાનો દર અત્યંત શરમજનક છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ડેટા અનુસાર</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;"> વર્ષ</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;"> </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">2018</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; color: #222222; background: white; mso-bidi-language: GU;"> </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">થી </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">2021 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">સુધીમાં નોંધાયેલા </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">એટ્રોસિટીના </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસોમાં </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">આરોપીઓના </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">દોષી સાબિત થવાનો દર માત્ર 3.065 ટકા </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">રહ્યો છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછો છે.</span></strong><span style="font-family: 'Arial','sans-serif'; mso-bidi-font-family: Shruti; color: #222222; background: white; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">આંકડાઓ પર નજર કરીએ તો</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">, </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">વર્ષ </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">2018</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">માં ગુજરાતમાં </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">એટ્રોસિટીના</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;"> </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">1426 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસ નોંધાયા હતા</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">, </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">જેમાંથી </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">ફક્ત </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">450 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસ</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">ો</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">માં જ સુનાવણી પૂર્ણ થઈ હતી અને માત્ર </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">14 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસમાં </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">જ ગુનો સાબિત થઈ શક્યો હતો. </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">આ વર્ષે માત્ર અમદાવાદમાં જ દલિત અત્યાચારને લગતા </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">140 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસ નોંધાયા </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">હતા</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">, </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">જેમાં </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">5 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">હત્યા અને </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">8 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">બળાત્કારના કેસોનો સમાવેશ થતો હતો.</span><span style="font-family: 'Arial','sans-serif'; mso-bidi-font-family: Shruti; color: #222222; background: white;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34); font-size: 14pt;"><span style="background: white;"><span style="font-variant-ligatures: normal; font-variant-caps: normal; orphans: 2; text-align: start; widows: 2; -webkit-text-stroke-width: 0px; text-decoration-thickness: initial; text-decoration-style: initial; text-decoration-color: initial; word-spacing: 0px;">2019</span></span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">માં </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">1416 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસમાંથી માત્ર </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">387 કેસોની જ સુનાવણી પૂર્ણ થઈ શકી હતી, જ્યારે બાકીના કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. આઘાતજનક બાબત એ છે કે આટલા બધાં કેસોમાંથી ફક્ત 7 કેસોમાં જ આરોપીઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા.</span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222;"><span style="font-family: 'Arial','sans-serif'; mso-bidi-font-family: Shruti; color: #222222; background: white;"><o:p></o:p></span></span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">વર્ષ 2020માં એટ્રોસિટીના કેસોની સંખ્યા 1326 હતી, જેમાંથી 68 કેસોમાં ટ્રાયલ પૂર્ણ થઈ હતી અને ફક્ત 3 કેસોમાં આરોપીઓ દોષી સાબિત થયા હતા. આ એ સમયગાળો હતો જ્યારે કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન ચાલતું હતું અને કોર્ટ ફક્ત જરૂરી કેસોની જ સુનાવણી કરતી હતી.</span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: 'Arial','sans-serif'; mso-bidi-font-family: Shruti; color: #222222; background: white; mso-bidi-language: GU;"><o:p></o:p></span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222;"><span style="background: white;"><span style="font-variant-ligatures: normal; font-variant-caps: normal; orphans: 2; text-align: start; widows: 2; -webkit-text-stroke-width: 0px; text-decoration-thickness: initial; text-decoration-style: initial; text-decoration-color: initial; word-spacing: 0px;">2021</span></span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">માં </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">દલિત અત્યાચારના </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">1201 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસ નોંધાયા હતા</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">, તેમાંથી કોર્ટે 139 કેસોમાં ચુકાદો આપ્યો હતો અને ફક્ત 8 કેસોમાં જ આરોપ સાબિત થયા હતા.</span><span lang="GU" style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;"> </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;"><o:p></o:p></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">આ રીતે</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;"> વર્ષ 2018 થી 2021 સુધીના</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;"> </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">4</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;"> વર્ષ દરમિયાન નોંધાયેલા </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">5369 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસમાંથી માત્ર </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">32 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસમાં </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">જ </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">આરોપીઓ સામે આરોપો સાબિત થયા હતા, જ્યારે</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;"> </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">1044 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસ</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">ો</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">માં ચુકાદો આપવામાં આવ્યો હતો અને</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; color: #222222; background: white; mso-bidi-language: GU;"> </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">1012 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટ્યા હતા.</span><span style="font-family: 'Arial','sans-serif'; mso-bidi-font-family: Shruti; color: #222222; background: white;"></span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">છેલ્લાં 10 વર્ષમાં દલિત મહિલાઓ પર બળાત્કારની 814 ઘટનાઓ નોંધાઈ</span></b><b><span style="font-family: 'Arial','sans-serif'; mso-bidi-font-family: Shruti; color: #222222; background: white; mso-bidi-language: GU;"><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">આ કેસોમાં હત્યા અને બળાત્કાર જેવા ગંભીર કેસોનો પણ સમાવેશ થાય છે.</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">  RTI </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં ગુજરાત પોલીસે જણાવ્યું </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">હતું</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;"> કે છેલ્લા </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">10</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;"> વર્ષમાં અનુસૂચિત જાતિની </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">814 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ બની છે.</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">  </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">આ જ સમયગાળા દરમિયાન અનુસૂચિત જનજાતિની </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">395 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">મહિલાઓ પર બળાત્કાર થયો હતો.</span><span style="font-family: 'Arial','sans-serif'; mso-bidi-font-family: Shruti; color: #222222; background: white;"></span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222;"><br><br style="font-variant-ligatures: normal; font-variant-caps: normal; orphans: 2; text-align: start; widows: 2; -webkit-text-stroke-width: 0px; text-decoration-thickness: initial; text-decoration-style: initial; text-decoration-color: initial; word-spacing: 0px;"></span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;"><span style="font-variant-ligatures: normal; font-variant-caps: normal; orphans: 2; text-align: start; widows: 2; -webkit-text-stroke-width: 0px; text-decoration-thickness: initial; text-decoration-style: initial; text-decoration-color: initial; word-spacing: 0px;">મતલબ</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;"> દર </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">4</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;"> દિવસે </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">એક દલિત મહિલા પર બળાત્કાર થયો હતો, જ્યારે દર 10 દિવસે એક આદિવાસી મહિલા આવી જ ઘટનાનો શિકાર બની હતી. આવા મોટાભાગના કેસો </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">અમદાવાદ</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">, </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">રાજકોટ</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">, </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">બનાસકાંઠા</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">, </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">સુરત અને ભાવનગર</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;"> જિલ્લા</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">માં</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;"> </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">નોંધાયા હતા.</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;"> </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">છેલ્લા </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">10 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">વર્ષમાં અમદાવાદમાં </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">દલિત મહિલા પર બળાત્કારના </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">152 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસ </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">નોંધાયા હતા </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">જ્યારે રાજકોટમાં </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">96 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસ નોંધાયા છે.</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;"> </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">આ સિવાય</span><span lang="GU" style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;"> </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">બનાસકાંઠા</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">, </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">સુરત અને ભાવનગર અનુક્રમે </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">49,</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; color: #222222; background: white; mso-bidi-language: GU;"> </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">45</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; color: #222222; background: white; mso-bidi-language: GU;"> </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">અને </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">36 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">કેસ</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">ો</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;"> સાથે ત્રીજા</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">, </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">ચોથા અને પાંચમા ક્રમે હતા.</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">ચોંકાવનારી બાબત એ છે કે વર્ષ </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">2011</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">માં ગુજરાતમાં </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">દલિત મહિલાઓ પર બળાત્કારની 51 ઘટનાઓ નોંધાઈ હતી, આ આંકડો વર્ષ 2020માં વધીને 102 સુધી પહોંચી ગયો હતો. તેના પરથી જ ગુજરાતમાં દલિતો માટે શું સ્થિતિ પ્રવર્તે છે તેનો અંદાજ લગાવી શકાય છે.</span><span style="font-family: 'Arial','sans-serif'; mso-bidi-font-family: Shruti; color: #222222; background: white; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; mso-bidi-language: GU;">અહીં બીજી એક વાત એ નોંધવી રહી કે</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;"> ગુજરાતમાં </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">30 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">ગામોમાં દલિતોને સુરક્ષા આપવામાં આવી હતી</span><span lang="AR-SA" style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;"> </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">જેમાંથી </span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">20 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">એકલા સૌરાષ્ટ્રના છે.</span><span style="font-family: 'Arial','sans-serif'; mso-bidi-font-family: Shruti; color: #222222; background: white;"></span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; mso-bidi-language: GU;">આ આંકડાઓમાં નોંધવા જેવી બાબત એ છે કે દર વર્ષે ખુલ્લેઆમ દલિતો પર અત્યાચારો થયાની ઘટનાઓ મીડિયામાં ચમકતી રહે છે, છતાં એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતા કેસોની સંખ્યા ઘટતી જઈ રહી છે. તેનો અર્થ એવો જરાય નથી કે અત્યાચારોમાં ઘટાડો થયો છે, પરંતુ કોર્ટમાં આરોપો સાબિત થતા નથી. જેના કારણે પીડિતોની હિંમત તૂટી જાય છે. હમણાં હમણાં જ </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">મૂછ રાખવા બદલ દલિત યુવક પર હુમલો</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">, </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">ઘોડા પર ગામમાં ફરવા બદલ હત્યા</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">, </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">લગ્નમાં દલિત વરરાજા ઘોડી પર સવાર થાય ત્યારે જાનૈયા પર હુમલો જેવા સમાચારો સમાચાર માધ્યમોમાં ચમકતા સૌએ જોયા છે.</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;"> છતાં આ જ આરોપો કોર્ટમાં સાબિત કેમ નથી થઈ રહ્યાં તે મોટો સવાલ છે.</span><span style="font-family: 'Arial','sans-serif'; mso-bidi-font-family: Shruti; color: #222222; background: white; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">અહીં એ યાદ રાખવું રહ્યું કે એટ્રોસિટીના કેસોની</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;"> તપાસ એસીપી કક્ષાના અથવા તેનાથી ઉપરના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે.</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">  </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">પોલીસ ફરિયાદમાં ત્યારે જ ચાર્જશીટ ફાઇલ કરે છે જ્યારે તેની તપાસમાં આરોપીની ભૂમિકા અને ગુનો સાબિત થાય</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">, </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">અન્યથા તપાસ બાદ તપાસ અધિકારી ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરી શકે છે.</span><span style="font-family: 'Arial','sans-serif'; color: #222222; background: white;">  97 </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">ટકા કેસમાં આરોપીનું છૂટી જવું તપાસ પર </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">ગંભીર </span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;">સવાલો </span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white; mso-bidi-language: GU;">પેદા</span><span lang="AR-SA" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-hansi-font-family: Arial; color: #222222; background: white;"> કરે છે.</span></span><span style="font-family: 'Arial','sans-serif'; mso-bidi-font-family: Shruti; color: #222222; background: white; mso-bidi-language: GU;"><o:p></o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Oct 2023 09:09:32 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 31 Oct 2024 19:49:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>35</Articleid>
                    <excerpt>ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_672391b78ed12.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_672391b757486.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_672391b757486.jpg" length="40446" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મજૂરનો દીકરો મજૂર... જાણો દલિતની તુલનાએ સામાન્ય વર્ગના મજૂરોની હાલત 14 વર્ષમાં કેટલી સુધરી?</title>
                    <link>https://khabarantar.com/Labourers-son-Labourer...-Know-how-much-the-condition-of-common-class-laborers-has-improved-in-14-years-compared-to-Dalits</link>
                    <guid>https://khabarantar.com/Labourers-son-Labourer...-Know-how-much-the-condition-of-common-class-laborers-has-improved-in-14-years-compared-to-Dalits</guid>
                    <description>
                        <![CDATA[ પેઢીની માલિકીના ડેટાનું વિશ્લેષણ &#039;સ્ટેટ ઑફ વર્કિંગ ઈન્ડિયા 2023&#039; દર્શાવે છે કે મોટા ઉદ્યોગોમાં સામાન્ય જાતિઓનું વધુ પડતું પ્રતિનિધિત્વ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">દેશમાં ફરી એકવાર અનામત ચર્ચાનો વિષય બન્યો છે. અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ફોર સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ તાજેતરનો અહેવાલ (સ્ટેટ ઑફ વર્કિંગ ઈન્ડિયા </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2023) </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">એ એવા વિસ્તારોમાં દલિતોનું ઓછું પ્રતિનિધિત્વ દર્શાવે છે જ્યાં અનામત લાગુ નથી. પેઢીની માલિકીના ડેટાનું વિશ્લેષણ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> '</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સ્ટેટ ઑફ વર્કિંગ ઈન્ડિયા </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2023' </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">દર્શાવે છે કે મોટા ઉદ્યોગોમાં સામાન્ય જાતિઓનું વધુ પડતું પ્રતિનિધિત્વ છે.</span></strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"></span></strong><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1983 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2021</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ની વચ્ચે દલિત સમુદાયમાંથી નિયમિત વેતન કામદારો (નિયમિત કામ મેળવતા મજૂરો)નું પ્રમાણ વધ્યું છે. જો કે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ હજુ પણ સામાન્ય જાતિના નિયમિત વેતન કામદારોના પ્રમાણ કરતાં ઘણું ઓછું છે. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2021</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં કુલ નિયમિત વેતન કામદારોમાંથી</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, 22% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અનુસૂચિત જાતિ અને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">OBC, 14% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આદિવાસીઓ અને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">32% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સામાન્ય જાતિઓમાંથી હતા. અનુસૂચિત જાતિના કામદારો કરતાં સામાન્ય જાતિના કામદારોમાં સ્વ-રોજગારનો દર પણ વધુ છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(243, 16, 16);"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દલિતો હજુ પણ આકસ્મિક કમાણીના ભરોસે</span></strong></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આવા મજૂરો કે જેમને નિયમિત કામ મળતું નથી એટલે કે રોજની કમાણી નથી થતી</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેમને પરચુરણ કામદારો કહેવામાં આવે છે. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2004</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં દલિત સમુદાયના </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">85.5% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પરચુરણ કામદારો એવા હતા જેમના પુત્રો પણ પરચુરણ કામદારો હતા. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2018</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં પરિસ્થિતિ થોડી બદલાઈ અને આંકડો વધીને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">75.6% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">થયો.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">બીજી તરફ સામાન્ય જ્ઞાતિઓમાં આ પરિવર્તન મોટા પાયે થયું છે. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2004</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં સામાન્ય જાતિના </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">83.2% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કેઝ્યુઅલ કામદારો એવા હતા જેમના પુત્રો પણ પરચુરણ કામદારો હતા. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2018</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં સામાન્ય જાતિના આવા પિતાની સંખ્યા ઘટીને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">53% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">થઈ ગઈ. એટલે કે દલિત સમુદાયની સરખામણીમાં સામાન્ય જાતિના કામદારોની કમાણીમાં વધુ નિયમિતતા જોવા મળી છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2004</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ની સરખામણીમાં</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, 2018</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં કેઝ્યુઅલ વેતન કામદારોના પુત્રો કેઝ્યુઅલ કમાણીવાળી નોકરીઓથી દૂર થઈ ગયા છે અને અનૌપચારિક</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અર્ધ-ઔપચારિક અને ઔપચારિક નિયમિત વેતનના કામ તરફ વળ્યા છે. ઉદાહરણ તરીકે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, 2004</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કેઝ્યુઅલ વેતનમાં નોકરી કરતા માત્ર </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">0.2% SC/ST </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પિતાના પુત્રો ઔપચારિક (નિયમિત) વેતનમાં હતા. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2018</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં આ સંખ્યા વધીને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">થઈ ગઈ. જ્યારે સામાન્ય જાતિઓમાં આ સંખ્યા </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">0% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">થી વધીને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">4.7% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">થઈ છે. આ દર્શાવે છે કે દલિત સમુદાયનો એક મોટો વર્ગ હજુ પણ આકસ્મિક કમાણીની આશાએ રહે છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(243, 16, 16);"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">કચરો ઉપાડવા અને ગટરની સફાઈના કામમાં હજુ પણ દલિતો વધુ</span></strong></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1983 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2021</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ની વચ્ચે તમાકુ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">શિક્ષણ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આરોગ્ય</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સામાજિક કાર્ય અને કાપડ જેવા ઉદ્યોગોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે. સાથે જ મહિલાઓ કચરા-વ્યવસ્થાપન અને ગટરની સફાઈના કામ માટે બહાર આવી છે. એટલે કે આ ક્ષેત્રોમાં તેમની સંખ્યા ઘટી છે. જો કે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ થોડો ફેરફાર હોવા છતાં</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">હજુ પણ આ તમામ ક્ષેત્રોમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ વધુ છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ જ સમયગાળા દરમિયાન (</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1983</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">થી </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2021), </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કચરાના વ્યવસ્થાપન અને ગટરની સફાઈ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ચામડા અને ચામડાના ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં દલિતોની સંખ્યામાં ઘટાડો થયો છે. જો કે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેમની સંખ્યા હજુ પણ અન્ય જાતિઓ કરતા ઘણી વધારે છે. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2021 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સુધીમાં ખનિજો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કોલસો અને લાકડાના ઉત્પાદનો જેવા ઉદ્યોગોમાં દલિત સમુદાયનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે. પરંતુ આ પછી તેમની સંખ્યા સતત ઘટતી રહી અને ઘટતાની સાથે તેઓ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1983</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના સ્તરે અથવા નીચે આવી ગયા.</span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(243, 16, 16);"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દલિત-આદિવાસી મહિલાઓનો રોજગાર દર કેટલો?</span></strong></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સામાન્ય રીતે નીચલી જાતિની સ્ત્રીઓમાં ઉચ્ચ જાતિની સ્ત્રીઓ કરતાં વધુ રોજગાર દર હોય છે. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2021-22 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સુધીમાં</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, 40 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ટકા આદિવાસી અને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">25 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ટકા દલિત મહિલાઓ નોકરી કરતી હતી. જ્યારે સામાન્ય જાતિની માત્ર </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">21 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ટકા મહિલાઓ નોકરી કરતી હતી. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આદિવાસી મહિલાઓનો રોજગાર દર </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2004</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">55 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ટકા હતો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2017</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં ઘટીને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">30 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ટકા થઈ ગયો. બાદમાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2021</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં તે વધીને લગભગ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">40 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ટકા થઈ ગયો. નોન-એસસી/એસટી મહિલાઓનો રોજગાર દર </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2004</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">26 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ટકા હતો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2017</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં વધીને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">16 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ટકા થયો અને પછી ઘટીને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">21 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ટકા થયો.</span></span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p></o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Oct 2023 17:00:00 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 17 Jun 2024 19:19:49 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>32</Articleid>
                    <excerpt>પેઢીની માલિકીના ડેટાનું વિશ્લેષણ &#039;સ્ટેટ ઑફ વર્કિંગ ઈન્ડિયા 2023&#039; દર્શાવે છે કે મોટા ઉદ્યોગોમાં સામાન્ય જાતિઓનું વધુ પડતું પ્રતિનિધિત્વ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66703eeea3b1b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66703eee717f6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66703eee717f6.jpg" length="123092" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>Mizoram Election 2023 &amp; રાજ્યના 39માંથી 35 ધારાસભ્યો કરોડપતિ, વિધાનસભામાં એક પણ મહિલા ધારાસભ્ય નહિ!</title>
                    <link>https://khabarantar.com/Mizoram-Election-2023---35-out-of-39-MLAs-of-the-state-are-millionaires,-not-a-single-woman-MLA-in-the-assembly</link>
                    <guid>https://khabarantar.com/Mizoram-Election-2023---35-out-of-39-MLAs-of-the-state-are-millionaires,-not-a-single-woman-MLA-in-the-assembly</guid>
                    <description>
                        <![CDATA[ ADR રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચૂંટણીમાં વ્યસ્ત આ રાજ્યના 39માંથી 35 ધારાસભ્યોએ 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મિઝોરમ ચૂંટણી પહેલા જાહેર કરાયેલા </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ADR </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચૂંટણીમાં વ્યસ્ત આ રાજ્યના </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">39</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માંથી </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">35 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ધારાસભ્યોએ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. જોકે એ વાત પણ નોંધવા જેવી છે કે વર્તમાન </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">40 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સભ્યોની વિધાનસભામાં એક પણ મહિલા ધારાસભ્ય નથી.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ADR</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">) એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">39 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">વર્તમાન ધારાસભ્યોમાંથી 2-5 પાંચ ટકાએ જ પોતાની વિરુદ્ધના ફોજદારી કેસો જાહેર કર્યા છે. એક ધારાસભ્યએ તેમની સામે ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે. ફોજદારી કેસ જાહેર કરનાર ધારાસભ્યોમાંથી બે મિઝો નેશનલ ફ્રન્ટ (</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">MNF)</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રાજ્ય વિધાનસભામાં ધારાસભ્યોની નાણાકીય પૃષ્ઠભૂમિ પર ટિપ્પણી કરતા</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વિશ્લેષણ કરાયેલા </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">39 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">વર્તમાન ધારાસભ્યોમાંથી </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">35 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કરોડપતિ છે. જેમાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">MNF</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">27</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માંથી </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">23 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ધારાસભ્યો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">,</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઝોરમ પીપલ્સ મૂવમેન્ટના છમાંથી છ ધારાસભ્યો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કોંગ્રેસના પાંચમાંથી પાંચ ધારાસભ્યો અને ભાજપના એક ધારાસભ્યએ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મિઝોરમમાં વર્તમાન ધારાસભ્ય દીઠ સરેરાશ સંપત્તિ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">4.80 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કરોડ રૂપિયા છે. વિશ્લેષણ કરાયેલા </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">27 MNF </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">4.99 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કરોડ છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જ્યારે છ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ZPM </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નેતાઓની ધારાસભ્ય દીઠ સરેરાશ સંપત્તિ રૂ. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">3.89 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કરોડ છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">,</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કોંગ્રેસના 5 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">5.13 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કરોડ છે અને ભાજપના એક ધારાસભ્યની સંપત્તિ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">3.31 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કરોડ રૂપિયા છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મિઝોરમમાં સૌથી ધનાઢ્ય ધારાસભ્ય </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">MNF </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આઈઝોલના રોબર્ટ રોમાવિયા રોયટે છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જે દક્ષિણ-</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેમની સંપત્તિ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">44.74 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કરોડ રૂપિયા છે. રોયટે પછી</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, MNF </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ધારાસભ્ય રામથનમાવિયા </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">16.98 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કરોડની સંપત્તિ સાથે બીજા નંબરે છે. તે પૂર્વ તુઇપુઇની વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ZPM </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ધારાસભ્ય લાલછુઆન થાંગાએ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">12.94 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><o:p> </o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Oct 2023 11:27:18 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 17 Jun 2024 19:09:33 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>29</Articleid>
                    <excerpt>ADR રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચૂંટણીમાં વ્યસ્ત આ રાજ્યના 39માંથી 35 ધારાસભ્યોએ 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66703c6016784.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66703c5fd9b76.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66703c5fd9b76.jpg" length="125774" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ  SC, ST, OBC વર્ગના &amp; NCRB</title>
                    <link>https://khabarantar.com/Out-of-4.78-lakh-inmates-in-countrys-jails,-3.15-lakh-belong-to-SC,-ST,-OBC-categories---NCRB</link>
                    <guid>https://khabarantar.com/Out-of-4.78-lakh-inmates-in-countrys-jails,-3.15-lakh-belong-to-SC,-ST,-OBC-categories---NCRB</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે હોવાનો રિપોર્ટ હાલમાં જ આવ્યો છે. આ આંકડાઓ અને તેની ચર્ચા વચ્ચે વધુ એક મુદ્દો સમજવા જેવો છે, જેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે, અને તે છે જેલમાં બંધ દલિત, આદિવાસી અને ઓબીસી વર્ગના કેદીઓની મોટી સંખ્યા.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(243, 16, 16); font-size: 14pt;"><strong>દેશની જેલો SC, ST અને OBC કેદીઓથી ભરેલી છે.</strong></span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તત્કાલિન કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં આપેલી માહિતી મુજબ, “દેશની જેલોમાં 4,78,600 કેદીઓ છે, જેમાંથી 3,15,409 કેદીઓ SC, ST અને OBC શ્રેણીના છે. આ આંકડા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો એટલે કે NCRBના ડેટા પર આધારિત છે. એવું કહેવામાં આવ્યું હતું કે લગભગ 34 ટકા કેદીઓ ઓબીસી કેટેગરીના છે જ્યારે લગભગ 21 ટકા અનુસૂચિત જાતિ અને 11 ટકા અનુસૂચિત જનજાતિના છે. આ આંકડા આ સમૂહોની વસ્તીના પ્રમાણે ઘણા વધારે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(243, 16, 16);">પૈસાના અભાવે સેંકડો આદિવાસીઓ જેલ ભોગવી રહ્યાં છે.</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં 26 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં તેમના પ્રથમ બંધારણ દિવસના સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ઝારખંડ સિવાય તેમના ગૃહ રાજ્ય ઓડિશાના ગરીબ આદિવાસીઓની આર્થિક સ્થિતિ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે જામીનની રકમ ચૂકવવા માટે પૈસા નથી, જેના કારણે ઘણા આદિવાસીઓ જામીન મળવા છતાં જેલમાં છે. આ મામલે જો કે હજુ પણ કોઈ મોટો ફેરફાર થયો નથી. દેશની અનેક જેલોમાં આદિવાસીઓ જામીનના પૈસાના અભાવે જેલમાં સબડી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કસ્ટોડિયલ ડેથની ઘટનાઓમાં દલિત અને આદિવાસી સમાજના લોકોનો આંકડો બહુ મોટો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા હાલમાં જ રાજ્યસભામાં આપવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુના મામલે દેશભરમાં કુલ 669 કેસ નોંધાયા છે. મૃત્યુનો આ આંકડો 1 એપ્રિલ 2017થી 31 માર્ચ 2022 સુધીનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(243, 16, 16);">કયા વર્ષમાં કેટલાં મોત થયાં?</span></strong></span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">મંત્રી નિત્યાનંદ રાય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગત વર્ષ 2021-2022 દરમિયાન પોલીસ કસ્ટડીમાં મૃત્યુના કુલ 175 કેસ નોંધાયા હતા, જ્યારે 2020-2021માં 100 કેસ, 2019-2021માં 112 કેસ, 2018- 2019માં 136 કેસ નોંધાયા હતા અને 2017-2018માં 146 કેસો નોંધાયા હતા. જોકે, આ આંકડાઓમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ તે પછી ગયા વર્ષના આંકડા ડરામણા છે.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Oct 2023 15:32:59 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 12 Nov 2024 20:17:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[આદિવાસી]]>
                    </category>

                    <Articleid>25</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666c441260e71.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666c441231c57.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>આદિવાસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666c441231c57.jpg" length="56352" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
            </channel>
</rss>