<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
    xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
    xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
    xmlns:admin="http://webns.net/mvcb/"
    xmlns:rdf="http://www.w3.org/1999/02/22-rdf-syntax-ns#"
    xmlns:atom="http://www.w3.org/2005/Atom"
    xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
    xmlns:media="http://search.yahoo.com/mrss/">
    <channel>
        <atom:link href="https://khabarantar.com/rss/category/%E0%AA%93%E0%AA%AC%E0%AB%80%E0%AA%B8%E0%AB%80-,-OBC," rel="self" type="application/rss+xml" />
        <title>KhabarAntar.com &amp; : ઓબીસી</title>
        <link>https://khabarantar.com/rss/category/ઓબીસી-,-OBC,</link>
        <description>KhabarAntar.com &amp; : ઓબીસી</description>
        <dc:language>gu</dc:language>
                <dc:rights>Copyright 2024 Khabar Antar&amp; All Rights Reserved.</dc:rights>
                        <item>
                    <title>સિસોદિયા, જૈન, ચઢ્ઢા, પાઠક! Kejriwal ની ટીમમાં કેમ કોઈ SC&amp;ST&amp;OBC નથી?</title>
                    <link>https://khabarantar.com/sisodia-jain-chadha-pathak-why-is-there-no-sc-st-obc-in-arvind-kejriwals-team</link>
                    <guid>https://khabarantar.com/sisodia-jain-chadha-pathak-why-is-there-no-sc-st-obc-in-arvind-kejriwals-team</guid>
                    <description>
                        <![CDATA[ Arvind Kejriwal ની AAP ના ઉદય વખતથી SC-ST-OBC સમાજ જે સવાલ ઉઠાવી રહ્યો હતો તે સવાલ હવે Delhi Assembly Election ટાણે ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Election) માટે મતદાનનો દિવસ નજીક આવતા જ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની આમ આદમી પાર્ટી (AAP) પર જે સવાલ દેશના દલિતો(SC), આદિવાસીઓ (ST) અને ઓબીસી (OBC) મતદારો તેના ઉદય કાળથી ઉઠાવી રહ્યા હતા તે ફરી એકવાર અચાનક ચર્ચામાં આવી ગયો છે. કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul) એ ગઈકાલે આમ આદમી પાર્ટીના મૂળમાં ઘા કરતા હોય તેમ તેને કનડતો સૌથી આકરો સવાલ જાહેરમાં મૂકી દીધો હતો. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ગઈકાલે (31 જાન્યુઆરી, 2025) માદીપુરમાં એક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં જાહેર સભામાં રાહુલ ગાંધીએ દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું અને કહ્યું કે AAPમાં કોઈ દલિત, આદિવાસી અને લઘુમતી નહીં મળે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી સરકારમાં ટીમ કેજરીવાલ છે અને તેમાં AAPના નવ રત્નો પણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં ટીમ કેજરીવાલ છે. તેમના 9 રત્નો પણ છે. આમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, આતિશી સિંહ, સંજય સિંહ, અવધ ઓઝા, રાઘવ ચઢ્ઢાનો સમાવેશ થાય છે. મને આમાં એક દલિત, આદિવાસી કે લઘુમતીનું નામ બતાવો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'આખો દેશ જાણે છે કે દારૂ કૌભાંડ કોણે કર્યું'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ યમુનાને સ્વચ્છ કરશે. આખો દેશ જાણે છે કે કેજરીવાલ અને સિસોદિયાએ દારૂનીતિની આડમાં ભ્રષ્ટાચાર કર્યો છે. અરવિંદ કેજરીવાલ, યમુનાનું પાણી બાજુ પર રાખો અને એક સામાન્ય ઝૂંપડીનું પાણી પીને બતાવો. જ્યારે રમખાણો થયા, જ્યારે હિંસા થઈ, ત્યારે કોણ તમારી સાથે ઉભું હતું તે યાદ કરો. અમે ડૉ.આંબેડકરનું બંધારણ બચાવવા માટે કામ કરી રહ્યાં છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહુલ ગાંધીએ કહ્યું, “હું ખોટા વચનો નહીં આપું. મેં ક્યાંય કહ્યું નથી કે આપણે યમુનાને સ્વચ્છ કરી દઈશું. આપણી લડાઈ તકવાદી નથી, તે વિચારોની લડાઈ છે, તે બંધારણને બચાવવાની લડાઈ છે. કેજરીવાલ જ્યારે આવ્યા ત્યારે વેગન આર કારમાં આવ્યા હતા અને સીધા શીશ મહેલમાં જતા રહ્યા. તેઓ ફક્ત ખોટા વચનો આપે છે. મોદી અને કેજરીવાલના ભાષણો એકસરખી રીતે ખોટા છે. મેં ક્યારેય કોઈ ખોટા વચનો આપ્યા નથી. મનરેગા અને ખેડૂતોના દેવા માફ કરી શકાય છે. અમે તે કરીશું. જો દિલ્હીમાં ફ્લાયઓવર બની શકે તો અમે તે કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મીડિયા પર સીધું નિશાન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાહેર સભામાં રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું, “ તમે ટીવી જોતા હશો તો ખ્યાલ હશે કે, ત્યાં ફક્ત મોદી અને અદાણી જ દેખાય છે. કોંગ્રેસની લડાઈ એવા લોકો સામે છે જેઓ બંધારણને ખતમ કરવા માંગે છે અને નફરત ફેલાવવા માંગે છે. એટલું જ નહીં, દિલ્હીમાં છેલ્લા દસ વર્ષથી ભાજપે ભાઈને ભાઈ સામે લડાવ્યો છે. એક ભાષાને બીજી ભાષા સાથે અને જાતિઓ-ધર્મોને સામસામે લડાવ્યા છે. અમે નફરતના આ વાતાવરણમાં પ્રેમનો ફેલાવો કરવા માટે ચાર હજાર કિલોમીટરની મુસાફરી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'નાણામંત્રીની ટીમમાં એક પણ દલિત દેખાશે નહીં'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા પર નિશાન સાધતા તેમણે કહ્યું, “ટીવી પર અંબાણીના લગ્ન બતાવવામાં આવે છે, પણ દિલ્હીની સમસ્યાઓ બતાવવામાં આવતી નથી. તેમનો ટાર્ગેટ જનતાના પૈસા ભારતના સૌથી મોટા અબજોપતિઓ સુધી પહોંચાડવાનો છે. 25 ઉદ્યોગપતિઓમાં 16 હજાર કરોડ રૂપિયા વહેંચી દેવામાં આવ્યા. બજેટમાં પણ તમે જોશો તો ખ્યાલ આવશે કે નાણામંત્રી બ્રીફકેસ લઈને જશે તેમની ટીમમાં તમને એકેય આદિવાસી કે દલિત દેખાશે નહીં. બજેટ તૈયાર કરનારા 90 અધિકારીઓ છે અને 90 માંથી 3 અધિકારીઓ OBC સમાજના છે. કાલે જો બજેટમાં ૧૦૦ રૂપિયા વહેંચવામાં આવશે તો તમારા અધિકારીઓ ફક્ત ૫ રૂપિયાનો નિર્ણય લેશે. દલિત અધિકારી ૧ રૂપિયાનો નિર્ણય લેશે. આદિવાસી ૧૦ પૈસાનો નિર્ણય લેશે. ૯૦ ટકા લોકો પાસે કંઈ નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/rahul-gandhi-said-congress-broke-the-trust-of-dalit-obc-thats-why-rss-is-in-power">કોંગ્રેસે દલિતોનો વિશ્વાસ તોડ્યો એટલે RSS સત્તામાં છે : Rahul Gandhi</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 01 Feb 2025 10:54:18 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 01 Feb 2025 11:35:25 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1916</Articleid>
                    <excerpt>Arvind Kejriwal ની AAP ના ઉદય વખતથી SC-ST-OBC સમાજ જે સવાલ ઉઠાવી રહ્યો હતો તે સવાલ હવે Delhi Assembly Election ટાણે ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_679dafb425e90.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_679dafb3e5ed4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_679dafb3e5ed4.jpg" length="74169" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>arvind kejriwals, Dalit, Adivasi, obc</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોંગ્રેસે દલિતોનો વિશ્વાસ તોડ્યો એટલે RSS સત્તામાં છે : Rahul Gandhi</title>
                    <link>https://khabarantar.com/rahul-gandhi-said-congress-broke-the-trust-of-dalit-obc-thats-why-rss-is-in-power</link>
                    <guid>https://khabarantar.com/rahul-gandhi-said-congress-broke-the-trust-of-dalit-obc-thats-why-rss-is-in-power</guid>
                    <description>
                        <![CDATA[ Rahul Gandhi એ પોતાના જ પક્ષ વિરુદ્ધ વાત કરતા કહ્યું કે આ નિવેદન મને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તેનાથી મને કોઈ ફરક પડતો નથી કારણ કે તે સત્ય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભામાં વિપક્ષના નેતા (Leader of Opposition in Lok Sabha) અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ગુરુવારે કહ્યું કે જો તેમની પાર્ટીએ દલિતો (SC), પછાત (backward) અને અતિ પછાત વર્ગો (extremely backward classes) નો વિશ્વાસ જાળવી રાખ્યો હોત તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ક્યારેય સત્તામાં ન આવી શક્યો હોત. દલિત ઈન્ફ્લુએન્સર્સ (Dalit Influencers) ને સંબોધતા રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે તેઓ તેમના પક્ષમાં 'આંતરિક ક્રાંતિ' (internal revolution) લાવશે અને વંચિત વર્ગના લોકોને સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે તેમને એ સ્વીકારવામાં કોઈ વાંધો નથી કે 1990 ના દાયકાથી કોંગ્રેસ વંચિત વર્ગોના હિતોનું રક્ષણ તે રીતે કરી શકી નથી જે રીતે તેણે કરવું જોઈએ. તેમણે કહ્યું, "જો અમે દલિતો, પછાત અને અતિ પછાત વર્ગોનો વિશ્વાસ જાળવી રાખ્યો હોત, તો RSS ક્યારેય સત્તામાં ન આવ્યું હોત. ઇન્દિરા ગાંધી (Indira Gandhi) ના સમયમાં વિશ્વાસ અકબંધ હતો. દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓ બધા જાણતા હતા કે ઇન્દિરાજી તેમના માટે લડશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/say-less-stay-at-home-this-is-rsss-view-on-women"><strong>ઓછું બોલો, ઘરે રહો, આ RSS નો મહિલાઓને લઈને વિચાર છે...</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, “૧૯૯૦ પછી આ વિશ્વાસમાં ઘટાડો થયો. કોંગ્રેસે (Congress) આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે. કોંગ્રેસે જે રીતે તમારા હિતોનું રક્ષણ કરવું જોઈતું હતું તે રીતે નથી કર્યું. આ નિવેદન મને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તેનાથી મને કોઈ ફરક પડતો નથી કારણ કે તે સત્ય છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભામાં વિપક્ષના નેતાએ દલિત સમાજના લોકોને કહ્યું, "પહેલા કોંગ્રેસમાં આંતરિક ક્રાંતિ લાવવી પડશે જેમાં અમે તમને સંગઠનમાં સામેલ કરીશું." તેમણે દાવો કર્યો કે ભારતની શિક્ષણ પદ્ધતિ દલિતો અને પછાત વર્ગોના હાથમાં ક્યારેય નથી રહી. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, "વર્તમાન માળખામાં દલિતો અને પછાત વર્ગોની સમસ્યાઓનો ઉકેલ આવવાનો નથી કારણ કે ભાજપ અને આરએસએસે સમગ્ર વ્યવસ્થા પર કબજો જમાવી લીધો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો માટે 'બીજી આઝાદી' (second freedom) આવવાની છે જેમાં તેમણે માત્ર રાજકીય પ્રતિનિધિત્વ માટે જ નહીં પરંતુ સંસ્થાઓ અને કોર્પોરેટ જગતમાં પણ હિસ્સો લેવો પડશે. રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની જેમ દલિત વિરોધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, "હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે જ્યારે કેજરીવાલજી (Kejriwal) રાજકારણમાં આવ્યા, ત્યારે મેં શરૂઆતમાં તેમને સમજવાનો પ્રયાસ કર્યો. મને સમજાયું કે નરેન્દ્ર મોદીની જેમ કેજરીવાલ પણ અનામત વિરોધી અને દલિત વિરોધી છે. તેઓ મોદીજી કરતા થોડા વધુ શિષ્ટ છે. જ્યારે ભાજપના લોકો પુરેપુરા ફ્રોડ છે, તેઓ દેશ ચલાવી શકતા નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/gujarati-translation-of-an-article-written-by-rahul-gandhi">કોઈ મસીહા કે અવતારની જરૂર જ નથી, તમે જ પરિવર્તનના વાહકો છો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 30 Jan 2025 21:07:42 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 30 Jan 2025 23:14:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1912</Articleid>
                    <excerpt>Rahul Gandhi એ પોતાના જ પક્ષ વિરુદ્ધ વાત કરતા કહ્યું કે આ નિવેદન મને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તેનાથી મને કોઈ ફરક પડતો નથી કારણ કે તે સત્ય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679b9c5234efc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b9c51ed917.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b9c51ed917.jpg" length="68575" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>rahul gandhi, congress, Rss</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત, ઓબીસીને રિઝવવા ભાજપ કુંભમેળાનો ઉપયોગ કરી રહી છે?</title>
                    <link>https://khabarantar.com/bjp-is-using-kumbh-mela-to-appease-dalits-and-obc-voters</link>
                    <guid>https://khabarantar.com/bjp-is-using-kumbh-mela-to-appease-dalits-and-obc-voters</guid>
                    <description>
                        <![CDATA[ કુંભમેળામાં પીએમના સફાઈકર્મીઓના પગ ધોતા હોય તેવા અનેક બેનરો લગાવાયા છે. સાથે રામની નિષાદ રાજ સાથે પ્રતિમા મૂકાઈ છે. જાણો બીજી કઈ કઈ ચાલાકીઓ કરાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે, જેને લઈને મસમોટા દાવાઓ થઈ રહ્યાં છે. કરોડો લોકો કુંભમાં આવી રહ્યાંના આંકડાઓ મીડિયા જાહેર કરે છે, જે શંકા પેદા કરે છે. બીજી તરફ ભાજપ માટે મહાકુંભ મોટી મતબેંક ઉભી કરવાની તક બનીને આવ્યો હોય તેવી સ્થિતિ છે. ખાસ કરીને બંધારણ અને ડો.આંબેડકર પર ભાજપ દ્વારા કરવામાં આવતા સતત હુમલાઓને લઈને દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજ ભારે નારાજ છે. એવામાં ભાજપે મહાકુંભનો ઉપયોગ આ વર્ગને રિઝવવા માટે શરૂ કર્યો હોવાનું કહેવાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી આદિત્યનાથે મહાકુંભને 'સામાજિક સમાનતાનો ભવ્ય ઉત્સવ' ગણાવ્યો છે. યુપી સરકારે મહાકુંભ માટે કેટલાક પોસ્ટર પણ બહાર પાડ્યા છે. આમાંથી એક પોસ્ટરમાં પ્રયાગરાજના શ્રૃંગવેરપુરમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલા નિષાદ રાજ પાર્કમાં ભગવાન રામની નિષાદ રાજ સાથે કાંસાની પ્રતિમા દર્શાવવામાં આવી છે. બીજા એક સત્તાવાર પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં આયોજિત 2019 કુંભ દરમિયાન સફાઈ કર્મચારીઓના પગ ધોતા દર્શાવવામાં આવ્યા છે. આ રીતે ભાજપ પોતાને દલિતો, ઓબીસીના હામી હોવાનું પ્રસ્થાપિત કરવા માંગે છે કે શું? તે સવાલ ચર્ચાઈ રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામની સાથે નિષાદ રાજની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય સ્વાભાવિક રીતે નિષાદ સમાજને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન સફાઈ કર્મચારીઓના પગ ધોતા હોય તેવી તસવીરને દલિતોને આકર્ષવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું જરૂરી છે કે, ઉત્તર પ્રદેશમાં નિષાદ પાર્ટી અને અપના દળ (સોનેલાલ) જેવા NDAના સાથી પક્ષો હવે ભાજપ પ્રત્યે નારાજગી દર્શાવી રહ્યા છે. નિષાદ પાર્ટીના વડા સંજય નિષાદ યોગી આદિત્યનાથ કેબિનેટમાં મંત્રી છે, તેમની પાર્ટી નિષાદ સમાજ પર પોતાની પકડ મજબૂત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે તાજેતરની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએનું પ્રદર્શન નબળું રહ્યું છે, ત્યારે આ પાર્ટી માટે ચિંતાનો વિષય બની શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/kranti-kumar-said-tulsidas-did-not-say-a-word-against-the-mughals-and-rss-against-the-british"><span style="font-size: 14pt;">તુલસીદાસ મોગલો સામે અને RSS બ્રિટિશરો સામે એક શબ્દ નથી બોલ્યું?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટીની ૩૭ બેઠકો સામે તે માત્ર ૩૩ બેઠકો જીતી શક્યો હતો. ભાજપની હારનું કારણ રાજ્યમાં દલિત અને ઓબીસી મતોનું અખિલેશ યાદવના સમાજવાદી પાર્ટીના નેતૃત્વ હેઠળના વિપક્ષી પક્ષમાં ટ્રાન્સફર થવાને આભારી છે. એવું માનવામાં આવે છે કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો આગામી ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જ કારણ છે કે ભાજપ હવે દલિતો અને ઓબીસીને પોતાના પક્ષમાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ ભાજપના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરીએ અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારી મહત્વપૂર્ણ પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને દલિતો અને નિષાદોને આકર્ષવાના પક્ષના પ્રયાસો પણ મહત્વપૂર્ણ રહેશે. ત્યાં દલિતો અને બ્રાહ્મણો ઉપરાંત નિષાદ મતોની પણ નોંધપાત્ર સંખ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહાકુંભમાં દલિતો અને ઓબીસીને અપીલ કરે તેવા નિર્ણયો લેવામાં આવશે. યોગી આદિત્યનાથની સરકાર કરોડો લોકોની હાજરીમાં યોજાયેલા આ 45 દિવસના કાર્યક્રમનો ઉપયોગ સામાજિક સમાનતાનો સંદેશ આપવા માટે પણ કરી રહી છે. તેને પણ આ જ સંદર્ભમાં જોવામાં આવે છે. ઈન્ડિયન એક્સપ્રેસે ભાજપના આંતરિક સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે પાર્ટીએ અનુસૂચિત જાતિ(SC) તેમજ અન્ય પછાત વર્ગો(OBC) ખાસ કરીને નિષાદ જેવા સૌથી પછાત સમાજોને આકર્ષવા માટે આ સંદેશ તૈયાર કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<span style="font-size: 14pt;"> <a href="https://khabarantar.com/rss-says-there-is-no-untouchable-in-hindu-scriptures-then-what-is-there-in-manusmriti">RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' માં શું છે?</a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની સરકારે મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખીને કેટલાક પોસ્ટરો પણ બહાર પાડ્યા છે, જે આ મેસેજ સાથે જોડાયેલા છે. આમાંથી એક પોસ્ટરમાં પ્રયાગરાજના શ્રૃંગાવરપુરમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલા નિષાદ રાજ પાર્કમાં ભગવાન રામની નિષાદ રાજ સાથે કાંસાની પ્રતિમા દર્શાવવામાં આવી છે. બીજા એક સત્તાવાર પોસ્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં આયોજિત 2019 કુંભ દરમિયાન સફાઈ કર્મચારીઓના પગ સાફ કરતા દર્શાવવામાં આવ્યા છે. </span><br><span style="font-size: 14pt;">અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આદિત્યનાથ સરકારે 2019ના કુંભમાં અજમાવેલી પહેલને આગળ ધપાવતા મહાકુંભમાં કામ કરતા 15,000 થી વધુ સફાઈ કર્મચારીઓ માટે પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા વર્ષે ૧૩ ડિસેમ્બરે પીએમ મોદીએ મહાકુંભ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરવા પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. તે સમય દરમિયાન તેમણે આ ઘટનાને 'એકતાનો મહાયજ્ઞ' કહ્યું હતું. એ દરમિયાન તેમણે પ્રયાગરાજને 'નિષાદ રાજની ભૂમિ' કહી હતી. નિષાદ રાજ પાર્કનું ઉદ્ઘાટન કરતી વખતે મોદીએ રામ અને નિષાદ રાજની "દિવ્ય મિત્રતા"નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેમની નવી પ્રતિમા ભવિષ્યની પેઢીઓ માટે સમાનતા અને સંવાદિતાની કાલાતીત યાદ અપાવશે. ત્યારબાદ પીએમએ સફાઈ કર્મચારીઓની પણ પ્રશંસા કરી હતી, અને યાદ કર્યું હતું કે તેમણે 2019ના કુંભ દરમિયાન તેમના પગ ધોઈને તેમનો આભાર માન્યો હતો. આ પગલાને દલિતો અને ઓબીસીને આકર્ષવાના પગલા તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/370-dalit-saints-to-be-made-mahamandaleshwar-mandaleshwar-peethadhishwar-at-kumbh-mela">કુંભમેળામાં 370 દલિત સંતોને મહામંડળેશ્વર, મંડળેશ્વર, પીઠાધિશ્વર બનાવાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 17 Jan 2025 13:17:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1847</Articleid>
                    <excerpt>કુંભમેળામાં પીએમના સફાઈકર્મીઓના પગ ધોતા હોય તેવા અનેક બેનરો લગાવાયા છે. સાથે રામની નિષાદ રાજ સાથે પ્રતિમા મૂકાઈ છે. જાણો બીજી કઈ કઈ ચાલાકીઓ કરાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678a09a66f487.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678a09a639c4c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678a09a639c4c.jpg" length="103628" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kumbh mela 2025, BJP, Dalit voter, OBC voter, appease, PM Modi, yogi adityanath</media:keywords>
                </item>
                        <item>
                    <title>કડાણાના વિસ્થાપિત આદિવાસીની આ દીકરીનો કોઈ &amp;apos;દ્રોણ&amp;apos; અંગૂઠો ન કાપી લે!</title>
                    <link>https://khabarantar.com/sushila-meena-lady-zaheer-khan-pratapgarh-rajasthan-viral-girl-story</link>
                    <guid>https://khabarantar.com/sushila-meena-lady-zaheer-khan-pratapgarh-rajasthan-viral-girl-story</guid>
                    <description>
                        <![CDATA[ સોશિયલ મીડિયામાં ઝહીર ખાનની અદાથી બોલિંગ કરતી એક 13 વર્ષની છોકરીનો વીડિયો વાયરલ થયો છે. આ દીકરીનું ગુજરાત સાથે કનેક્શન છે અને અસલી ચિંતા હવે શરૂ થઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં ગામડાની એક નાનકડી છોકરીની ધાંસુ બોલિંગની નાનકડી ક્લિપ વાયરલ થઈ છે. ક્લિપમાં જોઈ શકાય છે કે, ગામઠી પોશાક પહેરેલી એ છોકરી ટીમ ઈન્ડિયાના એક સમયના સ્ટાર બોલર ઝહીર ખાનની એક્શનથી ફાસ્ટ બોલિંગ કરી રહી છે. તેની અને ઝહીર ખાનની બોલિંગ એક્શનમાં અનેક સમાનતા જોવા મળી રહી હોવાથી અનેક લોકો તેને 'લેડી ઝહીર ખાન' કહેવા લાગ્યા છે. વીડિયો વાયરલ થતા સચિન તેંદુલકરે તેને પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો હતો. એ પછી ઝહીર ખાને પણ દીકરીના વખાણ કર્યા હતા. કોણ છે આ દીકરી, શું કરે છે, તેનું વતન ક્યું છે એ બધી બાબતો સાથે એક ચિંતાજનક બાબતની પણ અહીં ચર્ચા કરવી છે. પહેલા જાણીએ કોણ છે આ દીકરી.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે 'લેડી ઝહીર ખાન'?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયામાં લેડી ઝહીર ખાન તરીકેની ઉપમા મેળવનાર રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરિયાવદ તાલુકાના નાનકડા ગામ રામેર તળાવની રહેવાસી 13 વર્ષની સુશીલા મીણા છે. આદિવાસી સમાજમાંથી આવતી સુશીલા હાલ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. પાંચમા ધોરણમાં ભણતી સુશીલાની ફાસ્ટ બોલિંગનો વીડિયો હાલ જબરજસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. તે ડાબા હાથે ફાસ્ટ બોલિંગ કરે છે અને તેની બોલિંગ એક્શન ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન સાથે મળતી આવે છે. સુશીલા મીણા ગરીબ પરિવારમાંથી આવે છે. તેના પિતાનું નામ રતનલાલ મીણા અને માતાનું નામ શાંતિબાઈ મીના છે અને તેઓ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 1980માં ગુજરાતના કડાણા ડેમમાં તેનો પરિવાર વિસ્થાપિત થયો હતો અને પછી રાજસ્થાન આવી ગયો હતો. સુશીલાના ગામમાં લગભગ 250 ઘરો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુશીલા દેશને ગૌરવ અપાવશેઃ માતાપિતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારને આશા છે કે 12 વર્ષની સુશીલા મીના ભવિષ્યમાં દેશને ગૌરવ અપાવશે. આ માટે તેઓ પ્રશાસન પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી સુશીલા નવી ઊંચાઈએ પહોંચી શકે. અભ્યાસની સાથે સાથે સુશીલા મીણાને ક્રિકેટમાં પણ ઘણો રસ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામના ગુલાબ સિંહ મીણા કહે છે કે અહીં મોટાભાગના લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અહીં કોઈ સુવિધા નથી. ગામમાં રમતનું મેદાન હોવું ખૂબ જ જરૂરી છે. અહીં પ્રતિભાઓ ઉભરી રહી છે, તેથી તેને દત્તક લઈને સરકાર તરફથી મદદ મળવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સચિન તેંદુલકરે પણ વખાણ કર્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુશીલા મીણાનો વાયરલ વીડિયો જોઈને સચિન તેંદુલકર પણ તેના ફેન બની ગયા છે. સચિને સુશીલાનો વીડિયો પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે, </span><span style="font-size: 14pt;">જેમાં તે બોલિંગ કરતી દેખાય છે, </span><span style="font-size: 14pt;">સચિને લખ્યું, "સ્મૂધ, સહજ અને જોવો ગમે તેવો વીડિયો. સુશીલા મીણાની બોલિંગ એક્શનમાં તમારી ઝલક જોવા મળે છે ઝહીર ખાન.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676668d781a6d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> શું તમે પણ આ વીડિયો જોયો છે?"  એ પછી ઝહીર ખાને પણ તેમાં જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, આ સર તમે એકદમ સાચા છો. હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. તેની બોલિંગ ખૂબ જ પ્રભાવશાળી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આવી પ્રતિભાઓના દ્રોણાચાર્યો અંગૂઠા કાપી લે છે...</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુશીલા મીણાનો વીડિયો વાયરલ થયા બાદ રાજસ્થાનના બાંસવાડા-ડુંગરપુરના ભારત આદિવાસી પાર્ટીના સાંસદ રાજકુમાર રોતે સોશિયલ મીડિયા પર આ વિશે પોસ્ટ કરી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676669195b65b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે આવી પ્રતિભાઓને આગળ આવવા દેવામાં નથી આવતી. 'દ્રોણાચાર્યો' દ્વારા તેમના અંગૂઠા કાપી લેવામાં આવે છે. તેમણે ગ્રામીણ વિસ્તારોની પ્રતિભાઓને આગળ લાવવામાં સહકારની પણ વાત કરી હતી. કૃષિ પ્રધાન કિરોડીલાલ મીણા પણ રમતગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ પાસે સુશીલા મીણાને તાલીમ અપાવવાની માંગ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જો સોશિયલ મીડિયા ન હોત તો સુશીલા ઉભરી ન આવી હોત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ શેર કરતી વખતે BAP સાંસદ રાજકુમાર રોતે લખ્યું કે, ઓલિમ્પિક્સ અને વર્લ્ડ કપ જેવી રમતોમાં ભારતનું પ્રદર્શન સરેરાશ અથવા નિરાશાજનક રહ્યું છે. કારણ કે સુશીલા જેવી પ્રતિભાઓને આગળ આવવા દેવામાં નથી આવતી અને દ્રોણાચાર્યો દ્વારા તેમના અંગૂઠા કાપી નાખવામાં આવે છે. જો સોશિયલ મીડિયા ન હોત તો આજે પ્રતાપગઢની આદિવાસી દીકરીની પ્રતિભા લોકોની સામે ન આવી હોત. અમે ગ્રામીણ વિસ્તારોમાં આવી છુપાયેલી પ્રતિભાઓને આગળ લાવવાના તમામ પ્રયાસો કરીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Palwankar-Baloo:-The-Dalit-cricketer,-who-saved-the-nation-despite-being-untouchable">Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 21 Dec 2024 12:41:37 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 21 Dec 2024 12:42:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1733</Articleid>
                    <excerpt>સોશિયલ મીડિયામાં ઝહીર ખાનની અદાથી બોલિંગ કરતી એક 13 વર્ષની છોકરીનો વીડિયો વાયરલ થયો છે. આ દીકરીનું ગુજરાત સાથે કનેક્શન છે અને અસલી ચિંતા હવે શરૂ થઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67666891decb2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67666891a9b39.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67666891a9b39.jpg" length="72149" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>sushila meena, lady zaheer khan, rajkumar roat, pratapgarh  Rajasthan News, viral girl</media:keywords>
                </item>
                        <item>
                    <title>OBC સમાજને સ્થાનિક ચૂંટણીઓમાં બેઠકોની ફાળવણીમાં મોટો અન્યાય</title>
                    <link>https://khabarantar.com/obc-communiry-major-injustice-in-the-allocation-of-seats-in-local-elections</link>
                    <guid>https://khabarantar.com/obc-communiry-major-injustice-in-the-allocation-of-seats-in-local-elections</guid>
                    <description>
                        <![CDATA[ સમર્પિત આયોગના રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટની સૂચનાઓને ભાજપ સરકાર ઘોળીને પી ગઈ. રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવા માંગ ઉઠી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની ડબલ એન્જિનની સરકાર રાજ્યના ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરતી આવી છે તેમજ તેની સાથે સતત ભેદભાવ રાખી રહી હોવાનો આક્ષેપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ લગાવ્યો છે. રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસીની બેઠક ફાળવણીમાં મોટો અન્યાય કરી રહી છે. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર નહીં કરાય તો મુખ્યમંત્રી કાર્યાલય પર ધરણાં કરવાની ચીમકી પણ અમિત ચાવડાએ આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે વિધાનસભા ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રેસ-મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં ચાવડાએ સરકાર સામે મોટા આરોપ લગાવીને કહ્યું છે કે, ઓબીસી સમાજને બજેટની ફાળવણીમાં ભેદભાવનો તો સામનો કરવો પડે પણ એનું રાજકીય પ્રતિનિધિત્વ સીમિત કરવા માટેના પ્રયત્ન થઇ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી.ની અનામત બેઠકો નક્કી કરવા માટે કમિશન બનાવવાની સૂચના અપાઈ હતી. જેના ભાગરૂપે જુલાઈ ૨૦૨૨માં જસ્ટીસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને સમર્પિત આયોગની રચના કરાઇ. આયોગ દ્વારા અભ્યાસ કરીને નગરપાલિકા, તાલુકા, જિલ્લા, મહાનગર અને ગ્રામ પંચાયત જેને યુનિટ દીઠ ગણી યુનિટમાં ઓબીસીની કેટલી વસ્તી છે એને ૫૦%ની અપર લિમિટને ધ્યાનમાં રાખીને કેટલી અનામત આપી શકાય એનો અભ્યાસ કરવા માટે આયોગની રચના કરાઇ હતી. અને આયોગ દ્વારા વિગતવાર અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરાયો હતો. જો કે, કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળની રાજ્યપાલને રજૂઆત બાદ રાજ્યપાલની સૂચના બાદ લગભગ ૧૦ મહિના બાદ એપ્રિલ ૨૦૨૩માં સરકારે આયોગનો રિપોર્ટ સ્વીકાર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં સ્વાભિમાન ધરણાં બાદ સરકારે કમિટી રચી અને સપ્ટેમ્બર-૨૦૨૩માં વિધાનસભામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭ ટકા ઓબીસી અનામત અંગેનું વિધેયક લવાયું હતું. જો કે સરકાર દ્વારા જસ્ટિસ ઝવેરીએ સમર્પિત આયોગમાં શું શું ભલામણો કરી છે? તેણે જાહેર કરવી જોઈએ તેવી માંગણી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર એક અઠવાડિયામાં આ અંગે કાર્યવાહી નહિ કરે તો અમે મુખ્યમંત્રી પાસે છેલ્લે પત્રવ્યવહાર કરીને માંગણી કરી છે એ મુજબ રિપોર્ટ નહિ આપે તો ના છૂટકે મુખ્યમંત્રીના કાર્યાલય સામે ધરણાં કરવાની ચીમકી આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-obc-commission-in-gujarat-is-run-only-on-paper-with-one-member">ગુજરાતમાં OBC Commission ફક્ત કાગળ પર, એક સભ્યથી ચાલે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Dec 2024 21:20:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1714</Articleid>
                    <excerpt>સમર્પિત આયોગના રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટની સૂચનાઓને ભાજપ સરકાર ઘોળીને પી ગઈ. રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવા માંગ ઉઠી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67619cb090f55.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67619cb06143f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67619cb06143f.jpg" length="58818" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>obc communiry, Injustice in seat allocation, obc News</media:keywords>
                </item>
                        <item>
                    <title>સોમનાથમાં કોળી સમાજનું મોટું આંદોલન, જંગી બાઈક રેલી નીકળી</title>
                    <link>https://khabarantar.com/big-movement-of-koli-community-in-somnath-huge-bike-raily-takes-out</link>
                    <guid>https://khabarantar.com/big-movement-of-koli-community-in-somnath-huge-bike-raily-takes-out</guid>
                    <description>
                        <![CDATA[ 40 વર્ષથી કોળી સમાજ પાસે રહેલી જમીન પર અચાનક ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ. 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આજે જંગી બાઈક રેલી નીકળી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોમનાથમાં કોળી સમાજને સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેક 1994માં ફાળવવામાં આવેલી જમીન પર નગરપાલિકાએ અચાનક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી દેતા રોષ ફાટી નીકળ્યો છે. કોળી સમાજ છેલ્લા ચાર દિવસથી આ મામલે આંદોલન કરી રહ્યો છે અને આજે જંગી બાઈક રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોમનાથ ખાતે વર્ષ 1994થી ઠરાવ કરી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને જગ્યા ફાળવવામાં આવી હતી. આ જગ્યા છેલ્લાં 30 વર્ષથી કોળી સમાજ પાસે છે. અહીં રામદેવપીરનું મંદિર અને ગૌશાળા આવેલી છે, જેમાં અપંગ, નિરાધાર અને અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સારવાર અને સેવા કરવામાં આવે છે. આ જગ્યામાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની જાણ વગર ગાયોને વેરાવળ પાંજરાપોળમાં ટ્રાન્સફર કરીને જગ્યાના ડિમોલેશન કરવા જણાવ્યું હતું. જો કે કોળી સમાજના આગેવાનો ભેગાં થઈ જતા ડિમોલેશન અટકી ગયું હતું. એ પછી આ જગ્યા ઉપર કોળી સમાજના આગેવાનો અને લોકોએ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આંદોલનના ચોથા દિવસે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીએ કલેક્ટર કચેરીએ પહોંચી કલેકટરના માધ્યમથી પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરી હતી કે આ જગ્યા કોળી સમાજની છે અને તેમને જ આપવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધારાસભ્યથી લઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાઈકરેલીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા, માંધાતા ગ્રુપના પ્રમુખ રામભાઇ ચૌહાણ, સમસ્ત કોળી સમાજના પ્રમુખ લખમણભાઇ સોલંકી, સુત્રાપાડા કોળી સેનાના પ્રમુખ દેવેન્દ્રભાઈ સોલંકી, મોટા કોળી સમાજના પ્રમુખ દિનેશભાઇ બામણીયા, નાના કોળી સમાજના પ્રમુખ પ્રવિણભાઇ ચુડાસમા, વેરાવળ કોળી સમાજના પ્રમુખ વીરજીભાઈ જેઠવા સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં સમાજના યુવાનો બાઈક રેલીમાં જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુખ્ય બજારો સમર્થનમાં બંધ રહ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આંદોલનના સમર્થનમાં પ્રભાસ પાટણના મુખ્ય બજારોના વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. સોમનાથ શોપીગ સેન્ટરના દુકાનદારો, પાથરણાવાળા, દરિયાકિનારે ચોપાટી ઉપરના દુકાનદારો અને પ્રભાસ પાટણના મુખ્ય બજારના વેપારીઓએ દુકાનો બંધ રાખી આંદોલનને સમર્થન આપ્યું હતું. કોળી સમાજે વધુમાં જણાવ્યું છે કે, આ જગ્યા તેમની છે અને જો તેમને નહીં ફાળવાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને ભૂખ હડતાળથી લઈને રાજ્ય સ્તરે આંદોલન કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/how-much-truth-in-gondal-yard-and-84-village-bandh-in-support-of-ganesh">ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 12:54:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1576</Articleid>
                    <excerpt>40 વર્ષથી કોળી સમાજ પાસે રહેલી જમીન પર અચાનક ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ. 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આજે જંગી બાઈક રેલી નીકળી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673d8da356a6f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673d8da306b9f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673d8da306b9f.jpg" length="170304" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Somnath Demolition News, bulldozer Demolition</media:keywords>
                </item>
                        <item>
                    <title>વટવામાં ડબગર યુવકને ટોળાએ ઢોર માર મારી પતાવી દીધો</title>
                    <link>https://khabarantar.com/a-dabgar-youth-was-beaten-to-death-by-a-mob-in-vatwa</link>
                    <guid>https://khabarantar.com/a-dabgar-youth-was-beaten-to-death-by-a-mob-in-vatwa</guid>
                    <description>
                        <![CDATA[ ટોળું યુવક પર તૂટી પડ્યું અને ઢોર મારથી યુવક બેભાન થઈ ગયો તો દુર્ગાનગર નજીક બુલેટ ટ્રેન પિલ્લર પાસે છોડીને સૌ ભાગી ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટોળા દ્વારા લોકો પર થઈ રહેલા હિંસક હુમલાઓનો સિલસિલો યથાવત છે અને આ વખતે ઘટના અમદાવાદમાં ઘટી છે. અહીં વટવાના દુર્ગાનગર નજીક આવેલા બુલેટ ટ્રેનના પીલ્લર પાસે મંગળવારે સવારે એક યુવકની લાશ મળી આવી હતી. તપાસ કરવા ગયેલી વટવા પોલીસને જાણવા મળ્યું કે મૃતક યુવક રાજ ડબગર (ઉં.૨૨)ને ટોળાએ હિંસક હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં ટોળું ફરાર થઈ ગયું હતું. વધુ તપાસમાં સામે આવ્યું કે મૃતક યુવક મોબાઈલ ચોરીને નાસી રહ્યો હતો તેથી લોકોએ તેને પકડીને ઢોર માર મારીને મોંઢાના ભાગે, પગના ભાગે તથા પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે ૭ શંકાસ્પદ શખ્સોને વટવા પોલીસ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવીને વધુ તપાસ આરંભી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની મળતી વિગતો મુજબ વટવા વિસ્તારમાં આવેલા બુલેટ ટ્રેનના પીલ્લર પાસે મંગળવારે સવારે કેટલાક શખ્સોનું ટોળું એક યુવકને ઢોર માર મારી રહ્યું હતું. આ જોઇને સ્થાનિક દુકાનદારને લાગ્યું કે લોકો ઝઘડો કરી રહ્યા છે. માટે દુકાનદારે ટોળાને આગળ જઈને ઝઘડો કેમ કરો છો તેમ કહ્યું હતું. ત્યારબાદ ટોળામાં રહેલા શખ્સો યુવકને ટીંગાટોળી કરીને થોડે દૂર વટવા બ્રિજની નીચે લઇ જઈને ઢોર માર મારી રહ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોબાઈલ ચોરી કરી હોવાના આરોપસર ટોળાના લોકોએ રાજ ડબગરને એટલી હદે માર માર્યો હતો કે તે અર્ધબેભાન હાલતમાં જમીન પર પટકાઈ પડ્યો હતો. રાજને બેભાન થઈ જતો જોઇને ટોળાના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ સમયે અન્ય સ્થાનિકે પોલીસને જાણ કરતા વટવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા યુવકનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ મૃતક યુવકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે  તપાસ કરી રહેલી વટવા સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એ.બી.ગંધાણીની ટીમે ઘટનાના પગલે ૭ થી વધુ શખ્સોને રાઉન્ડઅપ કરીને ગુનામાં સંડોવાયેલા વધુ આરોપીઓની તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/brawl-between-players-during-garba-in-vadodara">વડોદરામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 23 Oct 2024 21:09:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1448</Articleid>
                    <excerpt>ટોળું યુવક પર તૂટી પડ્યું અને ઢોર મારથી યુવક બેભાન થઈ ગયો તો દુર્ગાનગર નજીક બુલેટ ટ્રેન પિલ્લર પાસે છોડીને સૌ ભાગી ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671917a489bca.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671917a44eefe.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671917a44eefe.jpg" length="65634" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Durganagar, beaten to death, Vatwa</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ નેતાએ OBC મહિલા સાથે દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી</title>
                    <link>https://khabarantar.com/in-mp-damoh-bjp-leader-threatens-to-kill-obc-woman-rapist</link>
                    <guid>https://khabarantar.com/in-mp-damoh-bjp-leader-threatens-to-kill-obc-woman-rapist</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ નેતા પર ઓબીસી મહિલાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો છે. પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ નથી કરી, જેને લઈને ઓબીસી મહાસભાએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ (MP) ના દમોહ (Damoh) જિલ્લાના સુનવાહા ગામ (Sunwaha Village)માં એક મહિલા (Women) પર બળાત્કાર (Rape) અને જાનથી મારી નાખવાની ધમકી (threatens to kill) નો મામલો સામે આવ્યો છે. 28 વર્ષની મહિલાએ પતિ સાથે નરસિહગઢ પોલીસ ચોકી પહોંચી અને ભાજપના નેતા (BJP Leader) અનિલ પાઠક (Anil Pathak) વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો છે અને મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાએ જણાવ્યું કે 6 સપ્ટેમ્બર 2024ના રોજ ત્રીજ પૂજાના અવસરે તે તેના ગામના રામજી પાઠકના ઘરે પૂજા કરવા ગઈ હતી. અન્ય કેટલીક મહિલાઓ પણ હાજર હતી, જેમાંથી એક અનિલ પાઠકની પત્ની પ્રીતિ પાઠક હતી. પ્રીતિ પાઠકે પૂજાને તેના ઘરે ચા પીવા આમંત્રણ આપ્યું હતું. પૂજા તેની સાથે ગઈ હતી, પરંતુ જ્યારે તેઓ તેના ઘરે પહોંચ્યા ત્યારે પ્રીતિ કોઈ કામ માટે બહાર ગઈ હતી અને અનિલ પાઠકે તક ઝડપીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાનો આરોપ છે કે અનિલ પાઠકે તેના પર બળજબરી કરી હતી. જ્યારે તેણે રાડો પાડવાનો પ્રયાસ કર્યો તો અનિલ પાઠકે તેનું મોં દબાવીને ધમકી આપી કે જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તે તેને અને તેના પતિને મારી નાખશે. ઘટના બાદ પીડિતા ડરીને ઘરે પરત ફરી અને ડરના કારણે ઘણા દિવસો સુધી તેણે આ વાત કોઈને જણાવી નહીં. આ પછી 3 ઓક્ટોબર 2024ના રોજ સવારે 9 વાગ્યે અનિલ પાઠક પીડિતાના ઘરે આવ્યો હતો અને તેના પતિને મારી નાખવાની ધમકી આપી હતી. એ પછી પૂજાએ આખી ઘટના તેના પતિને જણાવી અને બંનેએ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી. આ મામલે ચોકી નરસિહગઢના સબ ઈન્સ્પેક્ટર પ્રતિમા કુર્મીએ આરોપી અનિલ પાઠક વિરુદ્ધ કલમ 64 અને 351 (2) BNS 2023 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી સામે પ્રથમદર્શી ગુનો સાબિત થયો છે અને કેસની તપાસ ચાલુ છે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના બાદ ગામમાં ભય અને રોષનો માહોલ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ તરફ ગ્રામજનોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. ગામના લોકોનું કહેવું છે કે આવી ઘટથી ગામનું શાંતિપૂર્ણ વાતાવરણ બગડી રહ્યું છે અને મહિલાઓની સુરક્ષાની ચિંતા વધી ગઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસે આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસનું કહેવું છે કે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને જલ્દી જ કસ્ટડીમાં લેવામાં આવશે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ આરોપી ફરાર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓબીસી મહાસભાએ તંત્રને ચેતવણી આપી</span></strong></span><br><span style="font-size: 14pt;">ભાજપના નેતા અનિલ પાઠક પર એક ઓબીસી મહિલા પર બળાત્કારનો આરોપ છે. આ કેસમાં હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી, જેને લઈને ઓબીસી મહાસભાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. મહાસભા કોર કમિટીના સભ્ય ધર્મેન્દ્ર કુશવાહાએ એક્સ (ટ્વીટ) પર પોસ્ટ કરીને વહીવટીતંત્ર પર સરકારના દબાણ હેઠળ આરોપીઓની ધરપકડ ન કરવાનો આરોપ લગાવ્યો. ધર્મેન્દ્રએ વહીવટીતંત્રને ચેતવણી આપતા કહ્યું કે, 'જો આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો મહાસભા મોટા આંદોલનની તૈયારી કરશે.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-obc-commission-in-gujarat-is-run-only-on-paper-with-one-member">ગુજરાતમાં ઓબીસી કમિશન ફક્ત કાગળ પર, એક સભ્યથી ચાલે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 22 Oct 2024 11:24:18 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 22 Oct 2024 11:26:44 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1441</Articleid>
                    <excerpt>ભાજપ નેતા પર ઓબીસી મહિલાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો છે. પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ નથી કરી, જેને લઈને ઓબીસી મહાસભાએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67173df94f271.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67173df918fea.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67173df918fea.jpg" length="74874" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મોટાવડા હાઈસ્કૂલના વિદ્યાર્થીની આત્મહત્યામાં 3 શિક્ષકોની પૂછપરછ શરૂ</title>
                    <link>https://khabarantar.com/Inquiring-of-3-teachers-started-in-motavada-high-school-students-suicide</link>
                    <guid>https://khabarantar.com/Inquiring-of-3-teachers-started-in-motavada-high-school-students-suicide</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટના મોટાવડાની હાઈસ્કૂલના વિદ્યાર્થીના ગળેફાંસો ખાઈ લેવાના કેસમાં આચાર્ય સચિન વ્યાસ અને બે શિક્ષિકાઓ વિભૂતિ જોષી અને મૌસમી શાહ પર સકંજો કસાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Rajkot Motavada Student Suicide case : રાજકોટ (Rajkot) ના લોધિકા તાલુકા (Lodhika Taluka)ની મોટાવડા હાઈસ્કૂલ (Motavada High School) ના ધો.11ના વિદ્યાર્થી ધ્રુવિલ ભરતભાઈ વરૂ (Dhruvil Bharatbhai Varu) (ઉ.વ.16)એ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો (Suiside) ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે તેના પિતા ભરતભાઈ વરૂએ શાળાના શિક્ષકો "તું પેપર ઘરેથી કેમ લખી લાવ્યો, તારી પર પોલીસ કેસ કરવો છે" તેમ કહી પેપરમાં ચોકડી મારી ધમકી આપી મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે શાળાના આચાર્ય અને બે શિક્ષક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી ત્રણેયને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોધિકા તાલુકાના મોટાવડા ગામની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય સચિનભાઈ વ્યાસ, શિક્ષક મૌસમીબેન શાહ અને વિભૂતીબેન જોશી સામે નોંધાવેલી ફરિયાદમાં મૃતક વિદ્યાર્થી ધ્રુવીલના પિતા ભરતભાઈ વરૂએ જણાવ્યું હતું કે, "મારા પરિવારમાં મારા પત્ની જયાબેન ઉપરાંત દિકરો ધ્રુવીલ (ઉ.વ. 16) તથા પુત્રી શ્રૃતિ (ઉ.વ.13) છે જે છાપરા ગામે પ્રાથમિક શાળામાં ધો. 8માં અભ્યાસ કરે છે. નાનો દિકરો સોહમ (ઉ.વ. 9) જે મારા મોટાભાઈને દત્તક આપેલ છે. મારો દિકરો ધ્રુવીલ મોટાવડા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શાળામાં ધો.11માં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો હતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભરતભાઈ આગળ જણાવે છે કે, "ગઈ તા. 19ના રોજ છ માસિક પરીક્ષાનું પેપર હોવાથી ધ્રુવીલ સવારે સ્કૂલ જવા નીકળી ગયો હતો. ત્યારબાદ મને ફોન આવતા હું ઘરે પહોંચ્યો ત્યારે મારા દીકરા ધ્રુવિલે ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ અમે તેનો મોબાઈલ ચેક કરતાં તેમાં વીડિયો જોવા મળ્યો હતો. જેમાં એક વીડિયોમાં તે રડતા રડતા બોલતો હતો અને તેના હાથમાં એક ચીઠ્ઠી હતી. ધ્રુવિલના પેન્ટના ખિસ્સામાંથી જે ચીઠ્ઠી મળી આવી હતી તેમાં તેણે, "બધાં પત્ર વાંચી લેજો. મમ્મી મને માફ કરી દેજો. આજે મેં આ પગલું ન ભર્યું હોત તો મને પોલીસ મને લઈ જાત, મારો કોઈ વાંક ન હતો, પેપર મેં ઘરેથી લખ્યું નથી છતાં પણ મને પોલીસની ધમકી આપીને પેપરમાં ચોકડા માર્યા. આવું પહેલીવાર નથી બન્યું તેની વિગતો સાથે મૌસમી મેડમ, સચિન સર અને વિભૂતી મેડમે આવું કર્યું તેનો ઉલ્લેખ કર્યો હતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રકારની વિગતો સાથે મૃતક વિદ્યાર્થી ધ્રુવિલના પિતાએ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં શાળાના આચાર્ય સચિન વ્યાસ, મૌસમી શાહ અને વિભૂતી જોષી સામે પોતાના પુત્રને મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી ત્રણેય આરોપી શિક્ષકોની પૂછપરછ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : <a href="https://khabarantar.com/the-brahmin-teachers-washed-the-feet-of-the-dalit-student-his-brother-and-asked-for-forgiveness">બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી અને તેના ભાઈ પાસે પગ ધોવડાવી માફી મગાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 21 Oct 2024 14:09:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1437</Articleid>
                    <excerpt>રાજકોટના મોટાવડાની હાઈસ્કૂલના વિદ્યાર્થીના ગળેફાંસો ખાઈ લેવાના કેસમાં આચાર્ય સચિન વ્યાસ અને બે શિક્ષિકાઓ વિભૂતિ જોષી અને મૌસમી શાહ પર સકંજો કસાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6716132096d59.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6716132060de5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6716132060de5.jpg" length="56913" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Motavada High School, The student hanged himself</media:keywords>
                </item>
                        <item>
                    <title>હાર્ટ એટેકથી મોતને ભેટેલા પોલીસકર્મી માટે પોલીસે 7.25 લાખ એકઠા કર્યા</title>
                    <link>https://khabarantar.com/7.25-lakh-was-collected-by-the-police-for-the-policeman-who-died-of-heart-attack</link>
                    <guid>https://khabarantar.com/7.25-lakh-was-collected-by-the-police-for-the-policeman-who-died-of-heart-attack</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું હૃદય રોગના કારણે અકાળે અવસાન થતા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વ્હારે આવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસની છાપ સામાન્ય માણસમાં જરા પણ સારી નથી. પોલીસનું નામ પડતા જ લોકો તેમના પરથી વિશ્વાસ ગુમાવી બેસે છે. પણ હમણાં અમદાવાદમાં પોલીસનું એક અલગ સ્વરૂપ જોવા મળ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ચનાભાઈ સોલંકીનું ગત 27 એપ્રિલ 2024ના રોજ હૃદય રોગના કારણે અકાળે અવસાન થયુ હતું. જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન- 5  બળદેવ દેસાઈ દ્વારા અરવિંદભાઈના પરિવારને શક્ય તેટલી આર્થિક મદદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને ઝોન - 5 હસ્તકના પોલીસ સ્ટેશન તેમજ વિશેષ કરીને ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કર્મચારી અને અધિકારીઓએ કુલ રૂપિયા 7,25,000 ની આર્થિક મદદ કરી છે. જે રકમ નાયબ પોલીસ કમિશનર ઝોન -5 બળદેવ દેસાઈના હસ્તે અરવિંદભાઈના ઘરે જઈ અને તેમના પત્ની અને પિતાજીને આપી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરવિંદભાઈનો પુત્ર ખોખરામાં આવેલી જય સોમનાથ સ્કૂલમાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે. ખોખરાના પીઆઈ એન.કે રબારી દ્વારા તે શાળાના ટ્રસ્ટીઓને મળીને અરવિંદભાઈના પુત્રની ધોરણ 12 સુધીની અડધી ફી કરાવી આપી છે અને એ  ભરવાની જવાબદારી તેમણે જાતે ઉપાડી લીધી છે. આ સિવાય પણ કોઈ મદદની જરૂર પડે તો તેના માટ નિ:સંકોચ સંપર્ક કરવા જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/The-noble-work-of-Jai-Bhim-Donor-Club,-the-daughter-of-a-poor-family-received-Rs.-25-thousand-paid-education-fee">જય ભીમ ડૉનર ક્લબનું ઉમદા કાર્ય, ગરીબ પરિવારની દીકરીની રૂ. 25 હજાર શિક્ષણ ફી ભરી આપી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 18 Oct 2024 21:04:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1421</Articleid>
                    <excerpt>અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું હૃદય રોગના કારણે અકાળે અવસાન થતા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વ્હારે આવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67127e54d0078.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67127e549f738.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67127e549f738.jpg" length="77258" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Financial assistance</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચિત્તા કૉરિડોર બનાવવા આદિવાસીઓના 11 ગામો ખાલી કરાવાયા</title>
                    <link>https://khabarantar.com/eleven-tribal-villages-were-vacated-to-make-the-leopard-corridor</link>
                    <guid>https://khabarantar.com/eleven-tribal-villages-were-vacated-to-make-the-leopard-corridor</guid>
                    <description>
                        <![CDATA[ મધ્યપ્રદેશ સરકારે કૂનો નેશનલ પાર્ક ખાતે ચિત્તા માટે કૉરિડોર બનાવવા આદિવાસીઓના 11 ગામોને ખાલી કરાવી દીધાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">11 tribal villages were vacated to make the leopard corridor : મધ્યપ્રદેશ સરકારે (MP Govt.) ચિત્તાના સુરક્ષિત રહેઠાણ અને સંરક્ષણ માટે અહીંના કૂનો પાલપુર નેશનલ પાર્ક (Kuno Palpur National Park) માંથી આદિવાસી (Tribal) સમાજ (Community)ની બહુમતી ધરાવતા 11 ગામો (11 Villages)ને ખાલી કરાવી (Vacated) દીધા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ એ જ નેશનલ પાર્ક છે, જ્યાં અગાઉ ગુજરાતમાંથી કેટલાક સિંહોને વસવાટ માટે લઈ જવામાં આવ્યા હતા. આ ગામોની જમીન હવે નેશનલ પાર્કનો હિસ્સો બની ગઈ છે અને તેને ફોરેસ્ટ રિઝર્વ (Forest Reserve) તરીકે જાહેર કરવામાં આવી છે. કુનોમાં આવેલા 18 ગામોને ધીમે-ધીમે ખાલી કરાવવામાં આવી રહ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 11 ગામોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને બાકીના ગામોને પણ ટૂંક સમયમાં ખાલી કરાવવાની યોજના છે. આ ગામોના બદલામાં સરકારે તેમને બીજી જગ્યાએ 3,720.9 હેક્ટર જમીન આપી છે. જો કે, આ મામલે કેટલાક ગ્રામજનો વચ્ચે આંતરિક વિખવાદ પણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">ચિત્તાના વસવાટ માટે આદિવાસીઓને ખસેડાયા</span></strong></span><br><span style="font-size: 14pt;">ચિત્તાના કુદરતી વસવાટને વિસ્તારવા માટે આ ગામોની જમીનને રક્ષિત જંગલ જાહેર કરવામાં આવી છે. ચિત્તાના લાંબા ગાળાના સંરક્ષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી તેમના માટે સલામત અને અવિરત વન વિસ્તાર પ્રદાન કરી શકાય. સરકારની યોજના અનુસાર, ચિત્તાઓનો વસવાટ માત્ર કુનો પૂરતો મર્યાદિત રહેશે નહીં, પરંતુ તેમને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરહદો સુધી ફરવા માટે પૂરતો જંગલ વિસ્તાર આપવામાં આવશે. આ ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે, ત્રણ રાજ્યો વચ્ચે ચિતા કોરિડોર વિકસાવવાની યોજનાઓ ચાલી રહી છે. સૌથી મહત્વની વાત એ કે, પ્રાણીઓ માટે થઈને અહીં વર્ષોથી વસતા આદિવાસીઓને ખસેડવામાં આવી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">જંગલ વિસ્તારની ઘોષણા</span></strong></span><br><span style="font-size: 14pt;">કુનો નેશનલ પાર્કની અંદર આવેલા 18 ગામોમાંથી અત્યાર સુધીમાં જે 11 ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે તેમાં બરેડ, લાદર, પાંડરી, ખજૂરી (ખજુરી કલાં અને ખજુરી ખુર્દ), પૈરા, પાલપુર, જાખોદ, મેઘપુરા અને બસંતપુરા જેવા ગામોનો સમાવેશ થાય છે. આ તમામ ગામોની કુલ જમીન 1,854.932 હેક્ટર છે, જેને હવે જંગલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;">વન વિભાગના જણાવ્યા અનુસાર, બાકીના ગામોને પણ ટૂંક સમયમાં દૂર કરીને ફોરેસ્ટ બ્લોક તરીકે જાહેર કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય આ સંરક્ષિત જંગલ વિસ્તારોમાં દીપડાઓ માટે એક આદર્શ વાતાવરણ ઊભું કરવાનો છે, જેથી તેમની સંખ્યામાં વધારો થાય અને તેમનું કુદરતી જીવનચક્ર સુરક્ષિત રહે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">ચિત્તાના રહેઠાણનું વિસ્તરણ કરાશે</span></strong></span><br><span style="font-size: 14pt;">ચિત્તાના સંરક્ષણ માટે મધ્યપ્રદેશ સરકારે કુનો નેશનલ પાર્કનો વિસ્તાર પણ વધાર્યો છે. અગાઉ આ પાર્કનો વિસ્તાર 54,249.316 હેક્ટર હતો, પરંતુ તાજેતરના વિસ્તરણ પછી તે 1,77,761.816 હેક્ટર થઈ ગયો છે. આ વિસ્તરણ ચિત્તાઓને વિશાળ અને મુક્ત જંગલ વિસ્તાર આપશે, જ્યાં તેઓ ખુલ્લામાં મુક્તપણે ફરી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">ચિત્તાના પુનર્વસનમાં અનેક પડકારો</span></strong></span><br><span style="font-size: 14pt;">ભારતમાં ચિત્તા પુનર્વસન કાર્યક્રમ 2022 માં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓને લાવીને કુનો નેશનલ પાર્કમાં મુક્ત કરીને શરૂ કરવામાં આવ્યો હતો. ભારતમાં લુપ્ત થઈ ગયેલા ચિત્તાને પુનઃસ્થાપિત કરવાનો આ પગલું એક ઐતિહાસિક પ્રયાસ હતો. સરકાર અને વન વિભાગ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસો છતાં, ચિત્તાના સફળ સંરક્ષણ માટે ઘણા પડકારો છે, જેમાંથી મુખ્ય પડકાર પર્યાવરણમાં કુદરતી જીવન જીવવાની તેમની અનુકૂલન અને ક્ષમતા છે. આ ઉપરાંત સ્થાનિક સમુદાયોનું પુનર્વસન અને તેમને વૈકલ્પિક રોજગારની તકો પૂરી પાડવી એ પણ એક મોટો મુદ્દો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(186, 55, 42);">સ્થાનિક આદિવાસીઓમાં ભારે રોષ</span></strong><br><span style="font-size: 14pt;">ગામડાઓને ખાલી કરાવ્યા પછી ગ્રામજનોનું પુનર્વસન એ એક મહત્વપૂર્ણ પગલું છે. દૂર કરાયેલા ગામોના રહેવાસીઓને અન્ય સ્થળોએ જમીન અને વળતર આપવામાં આવી રહ્યું છે. જો કે, ગામલોકોમાં પુનર્વસન પ્રક્રિયા સામે આંતરિક વિરોધ છે. કારણ કે તેમને તેમના પરંપરાગત રહેઠાણોમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. ઘણા આદિવાસીઓનું કહેવું છે કે તેઓ આ નવી પરિસ્થિતિમાં અનુકૂલન સાધી શકવા સક્ષમ નથી અને રોજગાર અને આજીવિકાના નવા માધ્યમો અપનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">પીએમ મોદીએ ચિત્તા જંગલમાં છોડ્યા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ વિસ્તારમાં વર્ષ 2022માં 70 વર્ષ પછી ચિત્તા છોડવામાં આવ્યા હતા. પીએમ મોદીએ કુનો નેશનલ પાર્કમાં બનેલા ખાસ એન્ક્લોઝરમાં નામીબિયાથી હવાઈ માર્ગે લાવવામાં આવેલા ચિત્તાઓને છોડ્યા હતા, ત્યારબાદ તેમણે પોતાના કેમેરાથી કેટલીક તસવીરો ક્લિક કરી સોશિયલ મીડિયામાં મૂકી હતી. આફ્રિકન દેશથી સ્પેશિયલ બોઈંગ પ્લેન લાકડાના ખાસ બોક્સમાં ચિત્તાને લઈને લગભગ 10 કલાકની મુસાફરી બાદ ભારત પહોંચ્યું હતું. ચિત્તાને લાવવા માટે પ્લેનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">અત્યાર સુધીમાં 20 માંથી 8 ચિત્તા મોતને ભેટ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">કૂનો પાલપુર નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 20 ચિત્તા છોડવામાં આવ્યા છે. જો કે 25 મે 2022 થી 16 જાન્યુઆરી 2024 સુધીમાં 8 ચિત્તા કોઈને કોઈ કારણોસર મોતને ભેટ્યાં છે. એ સ્થિતિમાં આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો ગણાય. પરંતુ તેમ છતાં સરકાર તેને આગળ ધપાવવા મક્કમ છે અને તેના માટે ભોગ નિર્દોષ આદિવાસીઓનો લેવાઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bjp-leader-rammed-tractor-on-tribal-farmer-died-on-the-spot">ભાજપ નેતાએ આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દીધું, ઘટના સ્થળે જ મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 08 Oct 2024 14:59:09 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 08 Oct 2024 15:12:16 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1364</Articleid>
                    <excerpt>મધ્યપ્રદેશ સરકારે કૂનો નેશનલ પાર્ક ખાતે ચિત્તા માટે કૉરિડોર બનાવવા આદિવાસીઓના 11 ગામોને ખાલી કરાવી દીધાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6704fb4ccb8cb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6704fb4c9653f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6704fb4c9653f.jpg" length="115894" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Leopard Corridor, Kuno Palpur, 11 tribal villages, Vacated, MP Govt.</media:keywords>
                </item>
                        <item>
                    <title>મણિનગરમાં પૂજારીએ સગીરાને બિભત્સ મેસેજ કરી તેના પિતાને માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/in-maninagar-the-priest-sent-an-ugly-message-to-saghira-and-beat-up-her-father</link>
                    <guid>https://khabarantar.com/in-maninagar-the-priest-sent-an-ugly-message-to-saghira-and-beat-up-her-father</guid>
                    <description>
                        <![CDATA[ મણિનગરના એક મંદિરના પૂજારીએ દર્શનાર્થી મહિલાની સગીર દીકરીનો નંબર મેળવી બિભત્સ મેસેજ કર્યા હતા. દીકરીના પિતાએ વાંધો ઉઠાવ્યો તો માર માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મની આડમાં રહીને પોતાની વાસનાને પંપાળતા તત્વોના કરતૂતો હવે લોકોથી પણ અજાણ્યા નથી. શ્રદ્ધાળુઓની આસ્થાનો લાભ લઈને આવા તત્વો પોતાની મહેચ્છાઓ સંતોષવામાં પાવરધા હોય છે. દુનિયાને કામેચ્છા પર નિયંત્રણ રાખવાની અને ભોગવિલાસ ત્યજી દેવાની સલાહો આપતા આવા તત્વો ખુદ કેટલાક નિમ્નકક્ષાની માનસિકતા ધરાવતા હોય છે તેના અનેક ઉદાહરણો મોજૂદ છે અને તેનું વધુ એક ઉદાહરણ અમદાવાદના મણિનગરમાં સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે અમદાવાદના કાંકરિયા તળાવમાં આવેલા હનુમાનજી મંદિરનો પૂજારી મનોજ ખલાસ અહીં દર્શન કરવા આવતા એક પરિવારની સગીર દીકરીને બિભત્સ મેસેજ કરતો હતો. આ અંગે વારંવાર સમજાવવા છતાં તે સગીરાને પરેશાન કરતો રહેતો હતો. જો કે પૂજારી સુધરતો ન હોવાથી સગીરાના પિતા તેને સમજાવવા માટે ગયા હતા. જો કે ત્યાં તેણે મારામારી કરી હતી. જેને લઈને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને પૂજારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મણિનગરમાં રહેતી એક મહિલા મોર્નિંગ વોક કરવા માટે કાંકરિયા તળાવ જતી હતી. અહીં તળાવ કાંઠે આવેલા હનુમાનજી મંદિરમાં કામ કરતા એક મહિલા સાથે તેમનો સંપર્ક થયો હતો. એ રીતે તેમના દીકરા મનોજ ખલાસ જે અહીં પૂજારી તરીકે કામ કરે છે તેનો સંપર્ક થયો હતો. મહિલા મનોજને ભાઈ જેવો માનતી હતી. જેનો લાભ લઈને લંપટ મનોજ અવારનવાર પ્રસાદ આપવાના બહાને મહિલાના ઘરે આવતો જતો હતો અને તેની સગીર દીકરી વિશે પૂછપરછ કરતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનોજે જેમ તેમ કરીને સગીરાનો ફોન નંબર મેળવી લીધો હતો અને તેને મેસેજ કરીને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. પૂજારી મનોજ સગીરાને મેસેજ કરીને કેમ આવા કપડાં પહેરે છે? ઈન્સ્ટાગ્રામમાં આવા ફોટો કેમ મુકે છે? તેવી વાતો કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, ઘરે આવીને તેણે સગીરા સાથે ફોટો પડાવ્યો હતો. જેની જાણ સગીરાએ તેની માતાને કરતા તેમણે દીકરીનો ફોન બંધ કરાવી દીધો હતો અને તે ફોનનું સિમકાર્ડ તેના પુત્રના ફોનમાં નાખી દીધું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે એ પછી પણ લંપટ મનોજ સુધર્યો નહોતો અને તેણે મેસેજ કરવાનું ચાલું રાખ્યું હતું પરંતુ પરિવારે ધ્યાન આપ્યું નહોતું. એ દરમિયાન પૂજારીએ મહિલાને ફોન કરીને તેમની દીકરીને પીઝા ખાવા મોકલો તેવી માગણી કરી હતી. પણ મહિલાએ ધ્યાન આપ્યું નહોતું. આથી મનોજે ફોનમાં બીભત્સ મેસેજ અને વોઈસ મેસેજ કર્યા હતા. આથી મહિલાએ તેનો નંબર બ્લોક લિસ્ટમાં મૂકી દીધો હતો. મનોજની આવી લાંબા સમયની હરકતોથી કંટાળીને સગીરાના પિતા તેને મળવા માટે ગયા હતા અને કેમ તેમની દીકરીને મેસેજ કરે છે તેમ પૂછતાં લંપટ મનોજે લાજવાને બદલે ગાજવાનું શરૂ કર્યું હતું અને મારામારી પર ઉતરી આવ્યો હતો. જેથી મહિલાએ પૂજારી સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/the-priest-of-khatla-bhawani-temple-in-kutch-rs-caught-with-36-thousand-ganja"><strong>કચ્છમાં ખટલા ભવાની મંદિરનો પૂજારી રૂ. 36 હજારના ગાંજા સાથે ઝડપાયો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Sep 2024 14:23:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1279</Articleid>
                    <excerpt>મણિનગરના એક મંદિરના પૂજારીએ દર્શનાર્થી મહિલાની સગીર દીકરીનો નંબર મેળવી બિભત્સ મેસેજ કર્યા હતા. દીકરીના પિતાએ વાંધો ઉઠાવ્યો તો માર માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f5209745c5b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f5209712d42.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f5209712d42.jpg" length="86468" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Nasty message, The priest, Maninagar, beaten up</media:keywords>
                </item>
                        <item>
                    <title>IIM Ahmedabad ના PhD કાર્યક્રમમાં પહેલીવાર અનામત લાગુ કરાશે</title>
                    <link>https://khabarantar.com/reservation-will-be-implemented-for-the-first-time-in-the-phd-program-of-iim-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/reservation-will-be-implemented-for-the-first-time-in-the-phd-program-of-iim-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ અનામતનો અમલ કરવાથી બચતી રહેતી IIM Ahmedabad એ આખરે હાઈકોર્ટ સામે ઝૂકવું પડ્યું છે. જાણો હવે શું શું લાભ મળશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Reservation applicable in IIM Ahmedabad: IIM Ahmedabad માં ફાઈનલી અનામતનો અમલ શરૂ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી અનામતથી બચતી રહેતી આ સરકારી સંસ્થામાં આવતા વર્ષથી સરકારી માર્ગદર્શિકા મુજબ પીએડી એડમિશનમાં અનામતનો અમલ શરૂ થઈ જશે. IIM Ahmedabad એ તેના PhD કાર્યક્રમમાં પ્રવેશ માટે ક્વોટા રજૂ કર્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પગલાંનો હેતુ અનુસૂચિત જાતિ(SC), અનુસૂચિત જનજાતિ(ST), અન્ય પછાત વર્ગો(OBC) અને વિકલાંગ(handicapped) વ્યક્તિઓ સહિત અનામત વર્ગોના ઉમેદવારોને દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજોના PhD પ્રોગ્રામનો લાભ આપવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાત વર્ષના લાંબા સંઘર્ષ પછી, સામાજિક ન્યાય અને સમાવેશ માટે લડતા કાર્યકરો હવે વિજયની ઉજવણી કરી રહ્યા છે કારણ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટએ જાહેરાત કરી છે કે તે ૨૦૨૫ થી તેના પીએચડી કાર્યક્રમોમાં અનામત લાગુ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIM અમદાવાદ પ્રથમ વખત PHDમાં પ્રવેશ માટે અનામત નીતિ લાગુ કરવા જઈ રહી છે, જે અંતર્ગત ઓબીસી, એસસી, એસટી અને વિકલાંગ ઉમેદવારોને પીએચડી કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉમેદવારો માટે અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં ભણવાની ઉત્તમ તક ઉભી થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIM Ahmedabad એ ગયા વર્ષે એક PILના જવાબમાં ગુજરાત હાઇકોર્ટને જણાવ્યું હતું કે તે વર્ષ 2025 થી માનદ ડિગ્રી પ્રોગ્રામ્સમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ (OBC) તેમજ વિકલાંગ ઉમેદવારો માટે અનામત લાગુ કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/unprecedented-employment-crisis-in-countrys-iits-38-percent-students-unemployed">દેશની IITs માં અભૂતપૂર્વ રોજગારી સંકટઃ 38 ટકા વિદ્યાર્થીઓ બેરોજગાર</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIM Ahmedabad ની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલ ‘PhD Admission 2025’ ની જાહેરાત જણાવે છે કે “પ્રવેશ દરમિયાન આરક્ષણ માટેની ભારત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે”. આગામી વર્ષથી સંસ્થામાં ક્વોટા શરૂ કરવામાં આવશે. PhD પ્રોગ્રામ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2025 છે અને ઇન્ટરવ્યું આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં યોજાય તેવી શક્યતા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIM અમદાવાદે 19મી સપ્ટેમ્બરથી PhD ની પ્રેક્ટિસ માટે ઓનલાઈન અરજી ફોર્મ બહાર પાડ્યા છે. જેમાં અરજી ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે પરંતુ અનામત ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા રહેશે. આ પહેલી વખત છે જ્યારે IIM અમદાવાદ અનામત હેઠળ PHD કોર્સમાં ઉમેદવારોને પ્રવેશ આપશે, આ પહેલાં IIM અમદાવાદે PHD પ્રવેશ પ્રક્રિયામાં અનામત નીતિ લાગુ કરી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIM Ahmedabad માંથી અત્યાર સુધીમાં કુલ 471 ડોક્ટરલ વિદ્યાર્થીઓ ડોક્ટરલ પ્રોગ્રામમાંથી સ્નાતક થયા છે. વર્ષ 2025 માટે IIM અમદાવાદે 20 જાન્યુઆરી 2025 સુધીમાં PhD માં પ્રવેશ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. IIM Ahmedabad એ ઇકોનોમિક્સ, ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ, ફૂડ એન્ડ એગ્રીબિઝનેસ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ, ઇનોવેશન એન્ડ મેનેજમેન્ટ ઇન એજ્યુકેશન, માર્કેટિંગ, ઓપરેશન એન્ડ ડિસીઝન સાયન્સ, ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, પબ્લિક સિસ્ટમ્સ અને સ્ટ્રેટેજી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી છે. તે પછી, ઉમેદવારોને માર્ચ અને એપ્રિલ 2025 માં ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા શરતોનું પાલન કરીને પ્રવેશ આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong><a href="https://khabarantar.com/98-of-faculties-in-countrys-TOP-5-IITs-are-said-to-be-upper-caste:-Shocking-report-by-Nature-magazine"><strong>દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Sep 2024 13:57:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1271</Articleid>
                    <excerpt>અનામતનો અમલ કરવાથી બચતી રહેતી IIM Ahmedabad એ આખરે હાઈકોર્ટ સામે ઝૂકવું પડ્યું છે. જાણો હવે શું શું લાભ મળશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f3c835c5e42.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f3c83594e46.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f3c83594e46.jpg" length="112455" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Reservation applicable in IIM, Phd, Reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગોરખપુર&amp;પટના AIIMS ના ડિરેક્ટરના પુત્રના OBC પ્રમાણપત્રની તપાસ થશે</title>
                    <link>https://khabarantar.com/obc-certificate-of-son-of-director-of-gorakhpur-patna-aiims-will-be-checked</link>
                    <guid>https://khabarantar.com/obc-certificate-of-son-of-director-of-gorakhpur-patna-aiims-will-be-checked</guid>
                    <description>
                        <![CDATA[ એઈમ્સના ડિરેક્ટર રાજપૂત હોવાથી પુત્રના ઓબીસી પ્રમાણપત્રમાં ગેરરીતિ થઈ હોવાથી સ્વાસ્થ્ય મંત્રાલયે તપાસ સમિતિ બનાવી ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પટના એઈમ્સ(Patna AIIMS)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. ગોપાલ કૃષ્ણ પાલ(Dr. Gopal Krishna Pal)ના પુત્ર ડૉ. અરુ પ્રકાશ પાલ(Dr. Aaru Prakash Pal)ના નોન-ક્રિમી લેયર(Non crème layer) ઓબીસી (OBC)પ્રમાણપત્રમાં ગેરરીતિની ફરિયાદો મળી છે. આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે, જેને એક સપ્તાહમાં તપાસ રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, ફરિયાદોમાં ડો. અરુ પ્રકાશ પાલને ઓબીસી (નોન-ક્રિમી લેયર) પ્રમાણપત્ર આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સંબંધમાં મળેલી ફરિયાદોને ગંભીરતાથી લઈને મંત્રાલયે તાત્કાલિક પગલાં લીધાં છે અને એક સમિતિની રચના કરી છે, જે તમામ તથ્યો અને પુરાવાઓની તપાસ કરશે. કમિટી આ બાબતની સંપૂર્ણ તપાસ કરશે અને ખાતરી કરશે કે પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા કે નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમિતિને તેની તપાસ પૂર્ણ કરવા અને એક સપ્તાહની અંદર આરોગ્ય મંત્રાલયને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. આ બાબતે આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે અનિયમિતતાની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી છે અને જો કોઈ ખામી જણાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, આ પહેલા ગોરખપુર(AIIMS Gorakhpur) અને પટના એઈમ્સ(AIIMS Patna)ના ડાયરેક્ટર ડો. ગોપાલ કૃષ્ણ પાલ(Dr. Gopal Krishna Pal) પર નકલી ઓબીસી (નોન-ક્રિમી લેયર) સર્ટિફિકેટ બનાવીને ગોરખપુર અને પટના એમ્સમાં પોતાના પુત્ર અને પુત્રીને નોકરી અપાવવાના ગંભીર આરોપો લાગ્યા છે. ગોરખપુર એઈમ્સના સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ગુપ્તાએ તેમની વિરુદ્ધ ગોરખપુર એઈમ્સ  પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ડિરેક્ટરે તેમના બાળકોને નકલી ઓબીસી પ્રમાણપત્રો બનાવીને નિયુક્ત કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/fake-dalits-fake-tribals-who-are-eating-the-jobs-of-sc-sts">નકલી દલિત - નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. ગૌરવ ગુપ્તાના જણાવ્યા અનુસાર ડૉ. ગોપાલ કૃષ્ણ પાલ અને તેમનો પરિવાર સામાન્ય કેટેગરી(General Category) મા આવતા ઠાકુર સમાજમાંથી આવે છે, પરંતુ તેમણે તેમના પુત્ર અરુ પ્રકાશ પાલ અને પુત્રી માટે બનાવટી ઓબીસી પ્રમાણપત્રો મેળવ્યા હતા. આ સર્ટિફિકેટમાં તેમની કૌટુંબિક આવક ૮૦ લાખને બદલે માત્ર ૮ લાખ રૂપિયા દર્શાવવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ છેતરપિંડીમાં ડૉ. ગોપાલ કૃષ્ણ પાલ, તેમની પત્ની પ્રભાતિ પાલ અને તેમનો પુત્ર અરુ પ્રકાશ પાલ સામેલ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદમાં આ ત્રણેય વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. કેસની તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે ડૉ. ગોપાલ કૃષ્ણ પાલે તેમના પુત્ર અરુપ્રકાશ પાલને ગોરખપુર એમ્સમાં એમડી-પીજી કોર્સમાં પ્રવેશ અપાવવા માટે નકલી ઓબીસી પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો હતો. ૨૭ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ, અરુપ્રકાશ પાલે એમ્સ ગોરખપુરના માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રવેશ લીધો. તેણે બિહારના દાનાપુરના સરનામે જારી કરેલા ઓબીસી પ્રમાણપત્રમાં તેની કૌટુંબિક આવક રૂ. ૮ લાખથી ઓછી દર્શાવી હતી અને નોન-ક્રિમી લેયરનું સોગંદનામું આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડૉ. ગોપાલ કૃષ્ણ પાલ અને તેમની પત્ની પ્રભાતી પાલની સંયુક્ત વાર્ષિક આવક રૂ. ૮૦ થી ૯૦ લાખ છે, જે ઓબીસી નોન-ક્રિમી લેયરની શરતોથી વિપરીત છે. આ છેતરપિંડીનો પર્દાફાશ થતાં જ તેમના પુત્ર અરુપ્રકાશ પાલની નિમણૂક રદ કરવામાં આવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ડો. ગોપાલ કૃષ્ણ પાલે તેમની પુત્રીને પણ બનાવટી ઓબીસી પ્રમાણપત્ર દ્વારા પટના એઈમ્સના ફોરેન્સિક મેડિસિન વિભાગમાં વરિષ્ઠ નિવાસી પદ પર નિયુક્ત કર્યા હતા. એઈમ્સ પટનામાં વરિષ્ઠ નિવાસી પદ માટે જારી કરાયેલ સૂચનામાં, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ઓબીસી નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર એક વર્ષની અંદર હોવું જાેઈએ. તેમજ ઉમેદવારોના માતા-પિતાની વાર્ષિક આવક આઠ લાખથી ઓછી હોવી જાેઈએ. જાે કે, ડાયરેક્ટરની કૌટુંબિક આવક ઓબીસી નોન-ક્રિમી લેયરની જરૂરિયાતો કરતા અનેકગણી વધુ હોવાનું જાણવા મળ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ છેતરપિંડી પ્રકાશમાં આવતાની સાથે જ અરુ પ્રકાશ પાલની નિમણૂક અંગત કારણોસર રદ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એમ્સ પ્રશાસને તપાસ શરૂ કરી છે. જો કે, એઈમ્સના મીડિયા ઈન્ચાર્જ અરૂપ મોહંતીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિવાદ વકર્યો હતો. બનાવટી ઓબીસી પ્રમાણપત્રના આ મામલાએ ગોરખપુર અને પટના એઈમ્સમાં હલચલ મચાવી દીધી હતી. જે બાદ એઈમ્સ તંત્રે આ મામલે એફઆઇઆર નોંધવાની પ્રક્રિયા શરૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/director-of-aiims-rajput-but-his-son-daughter-obc"><strong>AIIMS ના ડિરેક્ટર 'રાજપૂત', પણ એમનો દીકરો-દીકરી 'OBC'</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Sep 2024 20:52:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1267</Articleid>
                    <excerpt>એઈમ્સના ડિરેક્ટર રાજપૂત હોવાથી પુત્રના ઓબીસી પ્રમાણપત્રમાં ગેરરીતિ થઈ હોવાથી સ્વાસ્થ્ય મંત્રાલયે તપાસ સમિતિ બનાવી</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f2d81fd9b74.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f2d81fa7767.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f2d81fa7767.jpg" length="86454" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Director of Gorakhpur AIIMS, Krishna Gopal Pal, Rajput, Obc, Fake Obc Certificate, Gorakhpur-Patna AIIMS</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉચ્ચ OBC ને 7 ટકા, પછાત OBC ને 20 ટકા અનામત આપો: ગેનીબેન ઠાકોર</title>
                    <link>https://khabarantar.com/give-7-percent-reservation-to-upper-obcs-20-percent-to-backward-obcs-ganiben-thakor</link>
                    <guid>https://khabarantar.com/give-7-percent-reservation-to-upper-obcs-20-percent-to-backward-obcs-ganiben-thakor</guid>
                    <description>
                        <![CDATA[ OBC અનામત મુદ્દે કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે વડાપ્રધાનને પત્ર લખી ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માંગ કરતાં મોટો વિવાદ સર્જાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓબીસી અનામતને લઈને કોંગ્રેસનાં બનાસકાંઠાના મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માગણી કરી છે. તેમણે એવું જણાવ્યું છે કે, ઓબીસી અનામતનો લાભ મેળવતી 23 જાતિઓમાં ભારે સમાનતા જોવા મળી રહી છે. સુખી સમૃદ્ધ હોવા છતાં 5થી 10 જાતિ ઓબીસી અનામતનો મોટાભાગનો લાભ લઈ રહી છે. જ્યારે બાકીની અન્ય ઘણી જાતિઓ અનામતના લાભથી વિકાસ મેળવવામાં વંચિત રહી છે. તો ઉચ્ચ ઓબીસી સમાજની જાતિને 7 ટકા અને બાકીની પછાત ઓબીસી જાતિને 20 ટકા ઓબીસી અનામતનો લાભ મળે તેવી રજૂઆત કોંગ્રેસનાં મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે કરતાં ભારે વિવાદ સર્જાયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભામ ગુજરાતના કોંગ્રેસનાં એક માત્ર મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે ઓબીસી અનામત સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે 27 ટકા ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માંગણી કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, સરકાર દ્વારા 27 ટકા ઓબીસી સમાજને અનામત ફાળવી છે. પરંતુ તેનો વધુ પડતો લાભ 5થી 10 જાતિના લોકો મેળવી રહ્યા છે. આવી જાતિઓએ ઓબીસી સમાજની અનામતનો સૌથી વધુ લાભ લીધો છે. જ્યારે બાકીની જાતિઓ અનામતનો લાભ લેવાથી વંચિત રહ્યા છે. આવી જાતિઓને અનામતનો લાભ મળે તેવી માંગણી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ઓબીસી સમાજમાં જે જ્ઞાતિઓએ અનામતનો લાભ વધુ લીધો છે તેવી જ્ઞાતિઓને ફક્ત 7 ટકા જ અનામત મળવી જોઈએ. જ્યારે ઠાકોર, કોળી, ધોબી, મોચી, રાવળ, ડબગર અને વણઝારા સહિતની 23થી વધારે પછાત ઓબીસી જ્ઞાતિઓને 27 ટકામાંથી 20 ટકા અનામત આપવા માટે અલગ ક્વોટા ફાળવવામાં આવે તેવી માંગણી કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/today-in-ahmedabad-anamat-Bachao-mahasmelan-bhimoyddhas-horse-drawn-carriage">આજે અમદાવાદમાં 'અનામત બચાવો મહાસંમેલન', ભીમયોદ્ધાઓનું ઘોડાપૂર</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગેનીબેન ઠાકોરે કોઈ પણ જાતિના નામ લીધા વિના ઓબીસી સમાજની 5થી 10 જ્ઞાતિઓ પર સીધો આરોપ લગાવ્યો છે કે, ઓબીસી અનામતનો લાભ ફક્ત 5-10 જ્ઞાતિઓને જ સૌથી વધુ મળ્યો છે. બાકીની જ્ઞાતિઓ ઓબીસી અનામતનો લાભ લેવામાં ઘણી પાછળ રહી છે, તો તેવી જ્ઞાતિઓ માટે સરકાર દ્વારા 27 ટકા ઓબીસી અનામતમાંથી 20 ટકાનો ક્વોટા ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતનાં કોંગ્રેસનાં એકમાત્ર બનાસકાંઠાનાં મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવા સમયે આ પત્ર લખ્યો છે કે, જ્યારે તેમના સાંસદ બનવાથી તેમની ખાલી પડેલી વાવ-ભાભર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગેનીબેને ઓબીસી અનામતનો લાભ ગુજરાતમાં કઈ જ્ઞાતિઓને કેટલા પ્રમાણમાં મળ્યો છે? તેનો સર્વે કરાવવાની પણ માગણી કરી છે. તેમણે અન્ય રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પણ આવી અનામત વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે જણાવ્યું હતું કે, આ રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓબીસી અનામતમાં બે ભાગ પાડવામાં આવે અને પછાત ઓબીસી જ્ઞાતિઓને શિક્ષણ તેમજ નોકરીઓમાં વધારે લાભ આપવામાં આવે. ગેનીબેન ઠાકોરની આવી માંગણીથી રાજયમાં એક નવો વિવાદ સર્જાય તેવી પુરી શક્યતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </span><a href="https://khabarantar.com/in-banaskantha-thakor-samajs-ganiben-made-a-dent-in-bjps-stronghold">બનાસકાંઠામાં ઠાકોર સમાજના ગેનીબેને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Sep 2024 19:30:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1266</Articleid>
                    <excerpt>OBC અનામત મુદ્દે કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે વડાપ્રધાનને પત્ર લખી ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માંગ કરતાં મોટો વિવાદ સર્જાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f2c5007cfc4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f2c5004d6be.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f2c5004d6be.jpg" length="64859" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ganiben Thakor, Reservation, Obc Reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>AIIMS ના ડિરેક્ટર &amp;apos;રાજપૂત&amp;apos;, પણ એમનો દીકરો&amp;દીકરી &amp;apos;OBC&amp;apos;</title>
                    <link>https://khabarantar.com/director-of-aiims-rajput-but-his-son-daughter-obc</link>
                    <guid>https://khabarantar.com/director-of-aiims-rajput-but-his-son-daughter-obc</guid>
                    <description>
                        <![CDATA[ AIIMS ના ડિરેક્ટર પોતે &#039;રાજપૂત&#039; છે પણ પુત્ર-પુત્રીએ &#039;OBC&#039; સર્ટિફિકેટ પર MBBS માં એડમિશન લઈ લીધું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોકો મળ્યો નથી કે તરત અનામતને ગાળો ભાંડવા લાગતા તત્વોની દોગલી નીતિને ઉજાગર કરતો એક સનસનાટીભર્યો કિસ્સો આજકાલ ચર્ચાના ચકડોળે ચડ્યો છે. દેશભરમાં તમે એવા ઘણાં કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં કોઈ જનરલ કેટેગરીની વ્યક્તિ નકલી એસસી, એસટી કે ઓબીસી સર્ટિફિકેટ કઢાવી તેના આધારે અનામત વર્ગના ગરીબ લોકોના હક પર તરાપ મારીને તેમની નોકરી કે શિક્ષણમાં અનામત સીટ પર પોતે બેસી ગયા હોય. લાજશરમ જેવું તો આ લોકોમાં હોતું નથી, એટલે શરમ રાખ્યા વિના આપણે આવા તત્વોને જાહેરમાં ઉઘાડા પાડીએ. જેથી તમને પણ ખબર પડે કે સવર્ણ ગણાતી જાતિઓ કેવી રીતે એસસી, એસટી, ઓબીસીના હક મારી જાય છે. દેશમાં દલિતો, આદિવાસીઓ જેટલા પોતાની અનામતને લઈને સજાગ છે એટલો ઓબીસી સમાજ જાગૃત નથી. એટલે જ કોઈપણ સરકારમાં સૌથી વધુ હક મારી ઓબીસી અનામતની થાય છે અને આ કિસ્સો પણ ઓબીસી સમાજની અનામત પર તરાપનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોટાભાગની ઘટનાઓની જેમ કમનસીબે આ ઘટના પણ જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશની છે અને એ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર એવા ગોરખપુરની. પટના અને ગોરખપુર AIIMSના ડાયરેક્ટર કૃષ્ણ ગોપાલ પાલ પર સર્જરી વિભાગના પ્રોફેસરે ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રોફેસરે AIIMS પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એવું કહેવાય છે કે કૃષ્ણ ગોપાલ પાલે છેતરપિંડી કરીને તેમના પુત્ર અને પુત્રીને અનુક્રમે ગોરખપુર અને પટનાએઈમ્સમાં એડમિશન અપાવી દીધું છે. આરોપ એવો છે કે, તેઓ જે કેટેગરીના નથી આવતા એ કેટેગરીનો લાભ અપાવીને તેમણે પોતાના દીકરા-દીકરીને એડમિશન અપાવી દીધું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાલ 'રાજપૂત' છે અને પુત્ર-પુત્રી 'ઓબીસી'</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પટના અને ગોરખપુર બંને AIIMSનો હવાલો સંભાળી રહેલા ડાયરેક્ટર કૃષ્ણ ગોપાલ પાલ હાલમાં આરોપોથી ઘેરાઈ ગયા છે. ગોરખપુર AIIMSના એડિશનલ પ્રોફેસર અને સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ગુપ્તાએ તેમના પર ગંભીર આરોપ લગાવતા એઈમ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કહેવાય છે કે પોતાના પદનો લાભ લઈને ડાયરેક્ટર સાહેબે તેમના પુત્ર ઓરો પ્રકાશ પાલને ગોરખપુર AIIMSમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં MD PG કોર્સમાં પ્રવેશ અપાવ્યો છે. એટલું જ નહીં, તેમની પુત્રી પટના AIIMSમાં મેડિસિન વિભાગમાં સિનિયર રેસિડેન્સ પદ પર જોડાઈ છે. પરંતુ બંનેના એડમિશન અને નિમણૂંક નિયમો અને ધોરણોના આધારે ખોટા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/fake-dalits-fake-tribals-who-are-eating-the-jobs-of-sc-sts"><strong><span style="color: rgb(224, 62, 45);"> </span></strong></a> <a href="https://khabarantar.com/It-is-high-time-to-identify-the-subversive-fake-activists-and-teach-them-a-lesson"><strong>તોડબાજો, નકલી એક્ટિવિસ્ટોને ઓળખીને બોધપાઠ આપવાનો સમય પાકી ગયો છે</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે જે OBC કેટેગરીના પ્રમાણપત્રના આધારે તેમને જોઈનિંગ અને એડમિશન આપવામાં આવ્યું છે તે નકલી છે. પાલ સાહેબ GENERAL વર્ગની 'રાજપૂત' જાતિમાંથી આવે છે. તેના આધારે પુત્રીના જોઈનિંગમાં જે સર્ટિફિકેટ જોડવામાં આવ્યું છે તે નકલી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એઈમ્સ ડિરેક્ટરના પુત્રે ક્રીમીલેયરનો દુરૂપયોગ કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૃષ્ણ ગોપાલ પાલના પુત્રએ જે ક્રીમી લેયર હેઠળ એડમિશન લીધું છે તે પણ ખોટું છે. કારણ કે ડિરેક્ટર પાલની પત્ની પ્રભારી પાલ પોંડિચેરીમાં પ્રોફેસર છે. બંનેની કુલ આવક 80 થી 90 લાખ રૂપિયા છે, જ્યારે આ કેટેગરીમાં નોન-ક્રિમી લેયર 8 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકો માટે બનાવવામાં આવ્યું છે. તેના આધારે પણ તેમણે મોટી છેતરપિંડી કરી છે, તેમણે એફિડેવિટમાં OBC હોવાનો દાવો પણ કર્યો છે. ડૉ. ગૌરવે ડાયરેક્ટર પાલ, તેની પત્ની અને પુત્ર વિરુદ્ધ કેસ દાખલ કરીને કાર્યવાહીની માંગ કરી છે. આ કેસ 5 સપ્ટેમ્બરે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ મામલે ઢાંકપિછોડા કરવાનું ચાલી રહ્યું હતું. મામલો દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અંતે જેમ તેમ કરીને ઉતાવળમાં ડિરેક્ટરના પુત્રનું એડમિશન રદ્દ કરાવવામાં આવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે જ્યારે ડાયરેક્ટર કૃષ્ણ ગોપાલ પાલ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી. દરમિયાન એઈમ્સ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જનું કહેવું છે કે પ્રોફેસર ગૌરવ ગુપ્તા તરફથી ફરિયાદ મળી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂર્વ ડાયરેક્ટર સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામતની વાત નીકળે ત્યારે વારંવાર મેટિરની દુહાઈ દેતા આવા તત્વો મોકો મળ્યે તરત અનામત કેટેગરીના લોકોનો હક મારી ખાતા જરાય શરમાતા નથી તે આ ઘટના પરથી ફરીથી સાબિત થાય છે. જો કે ગોરખપુર એઈમ્સમાં આવી ઘટનાઓ આજકાલની નથી. અગાઉ જાન્યુઆરી મહિનામાં ભૂતપૂર્વ ડિરેક્ટર સુરેખા કિશોર દ્વારા તેમના પુત્રોને નોકરી આપવાનો મુદ્દો પણ ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. તે કિસ્સામાં પણ પ્રમાણપત્રો નકલી હતા. જેના આધારે સરકારે કાર્યવાહી કરીને તેમને પણ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગૌરવ ગુપ્તા અને પાલના આક્ષેપ પ્રતિઆક્ષેપો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. ગૌરવ ગુપ્તાએ આરોગ્ય મંત્રાલય અને મુખ્યમંત્રી પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે કહ્યું છે કે ઓબીસી નોન-ક્રિમી લેયર માટે અનામત બેઠક પર ખોટી રીતે પ્રવેશ આપવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આ રીતે ગરીબ ઓબીસી વિદ્યાર્થીના અધિકારોનું હનન થયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/gir-somnaths-ddo-became-ias-on-bogus-disability-certificate">ગીર સોમનાથના DDO બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર પર IAS બન્યાં?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, ડો. ગોપાલ કૃષ્ણ પાલે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે આ બધું તેમની વિરુદ્ધનું કાવતરું છે. તેમણે દાવો કર્યો હતો કે ડો. ગુપ્તા અને તેમની પત્ની પહેલાથી જ ઘણા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે અને તેઓ તેમના પર પ્રમોશન મેળવવા માટે દબાણ કરી રહ્યા છે. ડૉ.પાલે જણાવ્યું હતું કે આક્ષેપો કરવાનો હેતુ તેમને આ ફરિયાદો પર પગલાં લેતા રોકવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના પરથી એસસી, એસટી, ઓબીસીએ એટલું શીખવાનું છે કે, છાશવારે તમારી અનામતને ભાંડતા આવા તત્વો મોકો મળ્યે તમારી અનામત છીનવી લેતા અચકાતા નથી. મેરિટની પૂંછડીઓ થઈને ફરતા આ લોકો તમારા સંતાનોની રાતદિવસની મહેનત પર એક નકલી સર્ટિફિકેટના આધારે એડમિશન લઈ લે છે. ત્યારે સૌની ફરજ છે કે, મહામૂલી આ અનામત પર આવા તત્વોનો પંજો ન પડે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/fake-dalits-fake-tribals-who-are-eating-the-jobs-of-sc-sts"><strong><span style="color: rgb(224, 62, 45);"> </span>નકલી દલિત - નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 21 Sep 2024 09:48:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1246</Articleid>
                    <excerpt>AIIMS ના ડિરેક્ટર પોતે &#039;રાજપૂત&#039; છે પણ પુત્ર-પુત્રીએ &#039;OBC&#039; સર્ટિફિકેટ પર MBBS માં એડમિશન લઈ લીધું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ee47ade99f8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ee47adbaa81.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ee47adbaa81.jpg" length="62361" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Director of Gorakhpur AIIMS, Krishna Gopal Pal, Rajput, Obc, Fake Obc Certificate</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;અમે તેને હિંદુ નથી ગણતા&amp;apos;, શંકરાચાર્યે પીએમ મોદીનો ઉલ્લેખ કરીને કહ્યું</title>
                    <link>https://khabarantar.com/we-dont-consider-him-a-hindu-shankaracharya-said-referring-to-pm-modi</link>
                    <guid>https://khabarantar.com/we-dont-consider-him-a-hindu-shankaracharya-said-referring-to-pm-modi</guid>
                    <description>
                        <![CDATA[ જ્યોતિર્મઠના Shankaracharya Swami Avimukteshwaranand  એ પીએમ મોદીનો ઉલ્લેખ કરીને તેમના હિંદુ હોવા મુદ્દે આકરું નિવેદન આપ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Shankaracharya Swami Avimukteshwaranand: ઉત્તરાખંડ સ્થિત જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ PM Narendra Modi ને લઈને મોટું નિવેદન આપ્યું છે. 17મી સપ્ટેમ્બરે જ્યારે દેશભરમાં પીએમના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી હતી ત્યારે શંકરાચાર્યે પીએમના જન્મદિવસને લઈને કહ્યું હતું કે, અમે તેમને હિંદુ નથી માનતા. જે વ્યક્તિ અંગ્રેજી તારીખથી પોતાનો જન્મદિવસ ઉજવે છે તેને અમે હિંદુ કેવી રીતે માની શકાય. કારણ કે હિન્દુઓના દેવી-દેવતાઓની જન્મતિથિ અંગ્રેજી તારીખથી બની નથી.’</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પીએમ અંગ્રેજી કેલેન્ડર પર જન્મદિવસ કેમ ઉજવે છે?</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે, 'અંગ્રેજી કેલેન્ડરની તારીખ મુજબ વ્યક્તિ પોતાનો જન્મદિવસ ઉજવે છે, તેના માતા અથવા તેના પિતા અંગ્રેજ હશે. આ માટે અમે અંગ્રેજી તારીખથી જન્મદિવસ ઉજવતા લોકોને ન તો શુભેચ્છાઓ આપીએ છે, ન તો તેમની કોઈ ચર્ચા કરીએ છે. અમે આવા લોકોને હિન્દુ પણ નથી માનતા, કારણ કે હિન્દુ દેવી-દેવતાઓની જન્મતિથિ અંગ્રેજી તારીખથી બની નથી.’</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ગૌહત્યા પર ભાજપ સરકારને ઘેરી</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૌહત્યા પર તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, 'અમારે વડાપ્રધાન મોદીને એક જ સવાલ કરવો છે કે, તમે હિન્દુ છો, તમારી પાસે તાકાત છે અને તમે ખુરશી પર બેઠા છો. તમે હિન્દુઓના વોટ લીધા છે. તમે ગાયના વાછરડાને રમાડતા પણ જોવા મળો છો. આમ છતાં શું કારણ છે કે, તેઓ ગૌહત્યા બંધ નથી કરાવી રહ્યા? તમારા પર શું દબાણ છે તે જાહેર કરો બાકી આ રીતે જાહેરમાં વારંવાર હિન્દુ-હિન્દુ બોલવાનું બંધ કરો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શંકરાચાર્યે ભાજપના 16 વર્ષના સાશનકાળને યાદ કરીને કહ્યું કે, 'ભાજપ 16 વર્ષોથી દેશની સત્તા પર છે, જેમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇનો કાર્યકાળ પણ આવી જાય છે. છતાં કેમ ગૌહત્યા મામલે કોઈ નક્કર કાર્યવાહી નથી રહી. શું કારણ છે કે ગૌહત્યા મામલે મોડું થઇ રહ્યું છે. હું મોદીને આ પ્રશ્ન કરું છું અને તેમણે આનો જવાબ તમામ હિન્દુઓને આપવો જોઇએ.'</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે શું કહ્યું</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલ ગાંધીની જાતિગત વસ્તી ગણતરીની માંગ પર વાત કરતા શંકરાચાર્યએ કહ્યું કે, 'દેશમાં જાતિગત વસ્તી ગણતરી થાય કે ન થાય બંને બેકાર વાત છે. જો કે, વસ્તી ગણતરી થાય તો જાતિગત વસ્તી ગણતરી થવી જોઇએ, પરંતુ આ અંગે રાજકારણ ન કરવું જોઇએ.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શંકરાચાર્ય અનંત અંબાણીના લગ્નમાં હાજર રહ્યા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સતત તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. અગાઉ પણ તેઓ પીએમ મોદી અને તેમની સરકારની અનેક બાબતે ટીકા કરી ચૂક્યા છે. અગાઉ તેમણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં પણ હાજરી આપી હતી. ત્યારે લોકો સવાલ કરી રહ્યા હતા કે, લોકોને ત્યાગ વિશે પ્રવચનો આપતા શંકરાચાર્ય કેમ ઉદ્યોગપતિનું આમંત્રણ આપીને તેમના મહેમાન બનવા માટે ગયા. આ સવાલનો જો કે તેમણે પછી કોઈ જવાબ આપ્યો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-does-Swami-Ramabhadracharya-say-Chamar,-not-Rama">સ્વામી રામભદ્રાચાર્ય રામને નહીં માનનારને 'ચમાર' કેમ કહે છે?</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Sep 2024 09:22:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1239</Articleid>
                    <excerpt>જ્યોતિર્મઠના Shankaracharya Swami Avimukteshwaranand  એ પીએમ મોદીનો ઉલ્લેખ કરીને તેમના હિંદુ હોવા મુદ્દે આકરું નિવેદન આપ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ecef9b077a5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ecef9ac8b98.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ecef9ac8b98.jpg" length="86802" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ગણેશોત્સવ જોતિરાવ ફૂલેને આદર્શ માનતા OBC બૌદ્ધિકોની હાર છે</title>
                    <link>https://khabarantar.com/ganeshotsav-is-a-defeat-for-obc-intellectuals-who-idealize-jotirao-phule</link>
                    <guid>https://khabarantar.com/ganeshotsav-is-a-defeat-for-obc-intellectuals-who-idealize-jotirao-phule</guid>
                    <description>
                        <![CDATA[ બાળ ગંગાધર તિલક દ્વારા શરૂ કરાયેલા ગણેશોત્સવને તેમના અનુયાયીઓએ જીવંત રાખ્યો, પણ જોતિરાવ ફૂલે-શાહુ મહારાજના સત્યશોધક આંદોલનને તેમના શિષ્યો જીવાડી ન શક્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત ભગવાન અને ધર્મનો દેશ છે. બ્રાહ્મણ ધર્મવાદી લોકો દાવો કરે છે કે ભારતમાં 33 કરોડ દેવતાઓ છે. આ માટે તેઓ વૈદિક સાહિત્યનો સંદર્ભ પણ આપે છે. જો કે, તેઓ જે કાળખંડનો હવાલો આપે છે તે સમયે આ દેશની કુલ વસ્તી 33 કરોડ પણ નહોતી. તો પણ ભારત ગુલામી અને આક્રમણખોરોના ઓછાયા તળે જીવી રહ્યું હતું. મૂળનિવાસીઓએ પોતાનું લોહી વહાવ્યું અને આક્રમણકારોને મારીને ભગાડી દીધા. સવાલ એ થાય કે એ સમયે કહેવાતા ભગવાન શું કરતા હતા? શું તેમનું કામ માત્ર મંદિરમાં પડ્યા રહેવાનું હતું?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમાંથી એક પ્રશ્ન એ પણ થાય છે કે જો ભગવાન છે તો દેશમાં અસમાનતા શા માટે છે, મંદિરોમાં ચોરીઓ અને પુજારીઓ દ્વારા બળાત્કારો કેમ થાય છે? ભગવાનના સત્સંગ કાર્યક્રમોમાં નાસભાગ અને સેંકડો લોકોના મોત શા માટે થાય છે? મંદિરોમાં પૂજા બાદ યાત્રાઓ દરમિયાન અકસ્માતો કેમ થાય છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બધું જોઈને એક તારણ પર પહોંચવામાં મદદ મળે છે કે ભગવાન અને મંદિરોની રચના કાવતરાખોરો, ચાલાક અને ભગવાનનો ભય બતાવીને વર્ણવ્યવસ્થા દ્વારા પોતાનું સ્થાન ઉંચું રાખનારા જૂથે કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/over-19-thousand-sc-st-obc-students-left-central-educational-institutions-in-last-5-years-central-govt">છેલ્લાં 5 વર્ષમાં 19000 ઓબીસી, એસસી, એસટી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં ગણેશોત્સવ ક્યારે, કેવી રીતે અને કોણે શરૂ કર્યો તેની ચર્ચા ચાલી રહી છે. 1890 પછી ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતામાં તિરાડ પડવાનું શરૂ થઈ ગયું હતું. જો કે પેશ્વાઓ (ચિતપાવની બ્રાહ્મણો) હૈદર અલી અને ટીપુ સુલતાન સાથે રાજકીય રીતે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતા ન હતા, પણ મુઘલો સાથે તેમના મૈત્રીપૂર્ણ સંબંધો હતા. તેમ છતાં અંગ્રેજોના સમયગાળા દરમિયાન ગૌરક્ષાને લઈને કેટલીક જગ્યાએ ધાર્મિક રમખાણોને કારણે હિન્દુ-મુસ્લિમ એકતામાં ઓટ આવવા લાગી હતી. ભારતમાં પ્રથમ હિંદુ-મુસ્લિમ રમખાણ 1890માં બેલગામ (કર્ણાટક)માં અને બીજું 1891-92માં ગુજરાતના સૌરાષ્ટ્રમાં થયું હતું. ઓગસ્ટ 1893માં બોમ્બેમાં ગૌરક્ષાના નામે હિંદુ-મુસ્લિમ રમખાણો થયા હતા. આ રમખાણોની બંને સમાજ પર ઊંડી અસર પડી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રમખાણોને કારણે બાલ ગંગાધર તિલકના મનમાં સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવાનો વિચાર આવ્યો અને તેમણે 1893માં પુણેમાં પહેલા સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરી. પુણેમાં બાબા મહારાજના ઘરે હિંદુ-મુસ્લિમ રમખાણોને લઈને એક જાહેર સભા યોજાઈ હતી. આ મીટીંગમાં બાલ ગંગાધર ટિળકે ગણેશોત્સવ, તેનું વિસર્જન અને જાહેર સરઘસ કાઢીને સામાજિક રીતે તેની ઉજવણી કરવાના વિચાર પર તેમના મિત્ર નામ જોષી સાથે ચર્ચા કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/cm-belongs-to-our-caste-we-will-give-water-when-we-want">મુખ્યમંત્રી અમારી જાતિનો છે, અમારી ઈચ્છા થશે ત્યારે પાણી આપીશું...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના ઈરાદા કઈ હદે ખતરનાક હતા તે આજના ગણેશોત્સવનું સ્વરૂપ જોઈને સમજી શકાય છે. આમ સાર્વજનિક ગણેશોત્સવની ઉત્પત્તિ મુંબઈમાં થઈ, હિંદુ-મુસ્લિમ રમખાણોને કારણે થઈ અને બાળ ગંગાધર તિલક તેના જનક હતા. ગણેશોત્સવ મામલે સુધારકોના પ્રશ્નોને અવગણવા માટે તિલકે એક નવા સ્વરૂપની લડાઈ લડી અને એમ કહેવું શરૂ કરી દીધું કે આ તહેવાર નવો નથી પણ જૂનો છે. 'કેસરી'માં લેખ લખીને પેશવા અને એક અન્ય સંસ્થાના દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. સત્ય છુપાવવા માટે તિલકે અનેક યુક્તિઓનો આશરો લેવો પડ્યો. જે </span><span style="font-size: 14pt;">સંસ્કારી લોકો ગણેશોત્સવ વિરુદ્ધ તિલકને ફરિયાદ કરતા હતા, તેઓ તેમને ચેતવણી આપીને ચૂપ કરાવતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'સત્યશોધક સમાજ' અને 'સુધારાવાદીઓ' આવા સાર્વજનિક ગણેશોત્સવની વિરુદ્ધ હતા, કારણ કે આ તહેવારમાં સમાજ સુધારકોનો ઉપહાસ અને તિરસ્કાર કરવામાં આવતો હતો. તિલક પણ આ ઉત્સવની ખામીઓથી બરાબર વાકેફ હતા, પરંતુ તેમના અંધ સમર્થકોમાં તેમને પ્રશ્ન કરવાની હિંમત નહોતી. તિલકના મૃત્યુ પછી તેમના સમર્થક બૌદ્ધિકોએ એક નવી દંતકથા ઊભી કરી. એ દંતકથા એટલે - "ગણેશોત્સવની સ્થાપના અંગ્રેજો સામે આઝાદીની લડાઈમાં લોકજાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-EWS-Quota-Benefit-Only-General-Category,-Madhya-Pradesh-High-Court-Seeks-Answer-From-Central-Govt">EWS ક્વોટાનો લાભ ભક્ત જનરલ કેટેગરીને જ કેમ?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દંતકથાનો લોકોમાં વ્યાપકપણે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. વાસ્તવિકતા એ છે કે ગણેશોત્સવની શરૂઆતને સ્વતંત્રતા આંદોલન સાથે કોઈ લેવાદેવા નથી, હકીકતે તે સમાજ સુધારકોને હરાવવા માટે તિલક દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા એક નવા પ્રભાવી હથિયારની 'શોધ' હતી. એ પછીના સમયમાં તિલકે તેમના વિરોધીઓને બદનામ કરવા માટે આ 'ગણેશોત્સવી શસ્ત્ર'નો વ્યાપકપણે ઉપયોગ કર્યો. ગણેશોત્સવને કારણે તિલકનું કાર્યક્ષેત્ર વિસ્તર્યું. પરંતુ ગણેશોત્સવની લોકપ્રિયતા મોટાભાગે બ્રાહ્મણો પુરતી મર્યાદિત હતી. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જ્યોતિરાવ ફુલેના 'સત્યશોધક આંદોલન'ના પ્રભાવને કારણે બ્રાહ્મણ સિવાયના સમાજે ગણેશોત્સવથી મોં ફેરવી લીધું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગણેશોત્સવ દ્વારા તેમના રાજકીય ઈરાદાઓ પૂરા ન થતા જોઈને શિ.એમ. પરાંજપેના સૂચન પર 1895માં તિલકે રાયગઢ, પુણે ખાતે શિવાજી મહારાજની સમાધિને પુનઃસ્થાપિત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું. જો કે, આ સમાધિનો જીર્ણોદ્ધાર જોતિરાવ ફુલે પહેલેથી કરી ચૂક્યા હતા. તિલકનું કાવતરું હતું કે આમ કરવાથી વધુને વધુ બિન-બ્રાહ્મણ લોકો તેમની સાથે જોડાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/youth-committed-suicide-due-to-superstition-on-surapura-dham-bholad">સુરાપુરા ધામ ભોળાદ પરના અંધવિશ્વાસના કારણે યુવકે આત્મહત્યા કરી?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળ ગંગાધર તિલક દ્વારા શરૂ કરાયેલો એ જ ગણેશોત્સવ આજે મોટા પાયે જાહેર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. તિલક દ્વારા શરૂ કરાયેલો આ ઉત્સવ તેમના શિષ્યો દ્વારા સતત વિકસ્યો અને વિસ્તર્યો રહ્યો, પરંતુ જોતિરાવ ફુલે અને શાહુજી મહારાજના 'સત્યશોધક આંદોલન'ને તેમના ઓબીસી શિષ્યો-નેતાઓ વિસ્તારવાનું તો દૂર, જીવંત પણ ન રાખી શક્યા. એટલે એવું કહી શકાય કે તિલકના વિચારો જોતિરાવ ફૂલે અને શાહુજી મહારાજના વિચારો પર ભારે પડ્યાં. યાદ રાખો, આ હાર બહુજન મહાનાયકો મહાત્મા ફુલે અને શાહુ મહારાજના વિચારોને કારણે નહીં, પરંતુ તેમને આદર્શ માનનારા ઓબીસી બૌદ્ધિકો અને નેતાઓના કારણે થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong>(મૂળ લેખ બાપુ રાઉતે હિન્દીમાં લખ્યો હતો જેનો અહીં અનુવાદ પ્રસ્તુત છે.)</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rss-will-now-focus-on-dalit-obc-youth-studying-in-colleges">RSS હવે કૉલેજોમાં ભણતા ઓબીસી-દલિત યુવાનોને ટાર્ગેટ કરશે</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 14 Sep 2024 15:33:38 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 14 Sep 2024 15:34:24 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1207</Articleid>
                    <excerpt>બાળ ગંગાધર તિલક દ્વારા શરૂ કરાયેલા ગણેશોત્સવને તેમના અનુયાયીઓએ જીવંત રાખ્યો, પણ જોતિરાવ ફૂલે-શાહુ મહારાજના સત્યશોધક આંદોલનને તેમના શિષ્યો જીવાડી ન શક્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e559d24a2d4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e559d203bda.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e559d203bda.jpg" length="78166" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ganeshotsav, Bal Gangadhar Tilak, Jyotirao Phule, Chhatrapati Shahuji Maharaj, satyashodhak samaj, satyashodhak movement, OBC</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં OBC Commission ફક્ત કાગળ પર, એક સભ્યથી ચાલે છે</title>
                    <link>https://khabarantar.com/the-obc-commission-in-gujarat-is-run-only-on-paper-with-one-member</link>
                    <guid>https://khabarantar.com/the-obc-commission-in-gujarat-is-run-only-on-paper-with-one-member</guid>
                    <description>
                        <![CDATA[ પીએમ મોદી પોતાને ઓબીસી ગણાવે છે પણ તેમના જ ગૃહ રાજ્યમાં ઓબીસી કમિશન માત્ર કાગળ પર ચાલી રહ્યું છે. એક PILમાં આ મામલે અનેક બેદરકારીઓ સામે આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીએમ મોદી(PM Narendra Modi) જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પોતાને ઓબીસી(OBC) ગણાવીને મત માંગતા રહે છે. 2014 અને 2019 ની લોકસભા ચૂંટણી(Lok Sabha Election)માં તેમણે પોતે ઓબીસી સમાજ(OBC Community)માંથી આવતા હોવાનો મુદ્દો ઉછાળીને રાજકીય લાભ મેળવવા પ્રયત્ન કર્યો હતો. જો કે, વડાપ્રધાનના ગૃહ રાજ્ય ગુજરાતમાં તેમના જ પક્ષની સરકારમાં ઓબીસી કમિશન(OBC Commission) સાવ કાગળ પર ચાલી રહ્યું છે. કમિશનમાં સમ ખાવા પુરતા માત્ર એક સભ્ય છે, જેના કારણે ઓબીસી જ્ઞાતિઓની સમીક્ષા સહિતની કામગીરીઓ અટકી પડી છે અને 27 ટકા ઓબીસી સમાજને જે લાભો મળવા જોઈએ તે તેમના સુધી પહોંચી રહ્યાં નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ દેશભરમાં ઓબીસી રાજકારણ(OBC Politics) જોર પકડી રહ્યું છે. જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો હવે મુખ્યધારાના રાજકારણના કેન્દ્રમાં આવી ગયો છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ઓબીસી સમાજ માટે રચાયેલું ઓબીસી કમિશન સાવ શોભાના ગાંઠીયા જેવું બની ગયું છે. ગુજરાતમાં કાયમી ઓબીસી કમિશનની રચનાને લઈને હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી થયેલી છે. જેમાં કમિશનને લઈને અનેક બેદરકારીઓ સામે આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં કાયમી ઓબીસી કમિશનની રચના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court) સમક્ષ થયેલી જાહેરહિત(PIL)ની અરજીમાં બે દિવસ પહેલા સરકાર તરફથી સંતોષજનક જવાબ નહી મળતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ(Chief Justice Sunita Aggarwal) અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે, "તમારું કમિશન એક સભ્યથી ચાલે છે અને તે કાગળ પર છે. તમે સાત મહિનામાં કર્યું શું તે જણાવો. સરકાર પાસે યોગ્ય જવાબ ના હોય તો કોર્ટ સમક્ષ નકામી દલીલો કરીને સમય બરબાદ ન કરો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/now-the-revenue-record-will-be-accepted-as-proof-to-get-obc-certificate"><span style="font-size: 14pt;">હવે ઓબીસી પ્રમાણપત્ર મેળવવા રેવન્યૂ રેકોર્ડ પુરાવા તરીકે માન્ય ગણાશે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઇકોર્ટે આ કેસમાં રાજ્યના ચીફ સેક્રેટરી(Chief Secretary) પાસેથી હવે જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી આગામી તા. 20 સપ્ટેમ્બર પર નક્કી કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પીઆઈએલમાં જણાવાયું છે કે, ગુજરાતમાં કાયમી ઓબીસી કમિશનની જ નથી, જેના કારણે સુપ્રીમકોર્ટના નિર્દેશોનો પણ ભંગ થાય છે. રાજ્યમાં ઓબીસી કમિશન માત્ર એક સભ્યના સહારે ચાલી રહ્યું છે, જેના ચેરમેન નિવૃત્ત હાઇકોર્ટ જજ છે. દર 10 વર્ષે ઓબીસી જ્ઞાતિઓને લઈને સમીક્ષા સહિતની કામગીરી કરવાની હોય છે, પણ અહીં એક જ સભ્ય હોવાથી તે કામગીરી જ ખોરંભે પડી છે. કમિશનમાં ચેરપર્સનની સાથે બીજા બે સભ્યોની નિમણુક હજુ સુધી કરાઈ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓબીસી કમિશનમાં બાકી બે સભ્યોની નિમણૂંક કેમ નથી કરી તે અંગે સરકારનો જવાબ સાંભળી હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. તેણે સરકારની ઝાટકણી કાઢતાં સવાલ કર્યો હતો કે, "તમે શું કામ થયું છે તે વિશે જણાવો. ઓબીસી કમિશન માત્ર કાગળ પર જ છે. સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, એક સભ્યનું કમિશન હોઈ શકે નહીં. જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું તમારી રીતે અર્થઘટન કરી સરકાર એક મેમ્બરના કમિશનથી કામ ચલાવવા માંગતી હોય તો શા માટે બીજા બે મેમ્બર લેવા માટે ઠરાવ કરવામાં આવ્યો? સરકાર પાસે જો યોગ્ય જવાબ ના હોય તો, સમય માંગે પણ નકામી દલીલો કરે નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઇકોર્ટે વઘુમાં ટકોર કરી હતી કે, સરકારે જાન્યુઆરી મહિનામાં કોર્ટને બે સભ્યોની નિમણુક કરવા બાબતે બાંહેધરી આપી હતી, આજકાલ કરતા તેને પણ સાત મહિના વીતી ગયા છે, પણ બે સભ્યોની નિમણૂંક થઈ નથી, આવું કેમ, આ સાત મહિનામાં આ દિશામાં શું કામ કર્યું? કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ના કરશો. આખરે હાઇકોર્ટે સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈ હવે આ કેસમાં ખુદ રાજ્યના ચીફ સેક્રેટરી પાસેથી જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી તા. 20મી સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/The-OBC-Commission-in-Gujarat-is-run-by-just-1-member,-just-like-Shobhana-Nattiya"><strong>ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Sep 2024 12:29:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1187</Articleid>
                    <excerpt>પીએમ મોદી પોતાને ઓબીસી ગણાવે છે પણ તેમના જ ગૃહ રાજ્યમાં ઓબીસી કમિશન માત્ર કાગળ પર ચાલી રહ્યું છે. એક PILમાં આ મામલે અનેક બેદરકારીઓ સામે આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66dfedc5679aa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dfedc538410.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dfedc538410.jpg" length="33274" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>OBC Commission, Gujarat, PM Narendra Modi</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગૃહ વિભાગનો છબરડો: AAP  નેતા ગોપાલ ઈટાલિયાને પ્રમોશન આપ્યું</title>
                    <link>https://khabarantar.com/home-departments-crackdown-aap-leader-gopal-Italyan-promoted</link>
                    <guid>https://khabarantar.com/home-departments-crackdown-aap-leader-gopal-Italyan-promoted</guid>
                    <description>
                        <![CDATA[ ગૃહ વિભાગનો એક ગંભીર છબરડો,જેમાં 2015માં પોલીસમાંથી રાજીનામું આપી ચૂકેલા AAP નેતા ગોપાલ ઈટાલિયાને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપી દેવાયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">The Home Department's crackdown:ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી તંત્ર જાણે સાવ રામ ભરોસે ચાલતું હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. નકલી પીએમઓ, સીએમઓ અધિકારીઓ, નકલી કચેરી, નકલી ટોલનાકું પકડાયા બાદ લોકો આધાત અનુભવી રહ્યાં હતા. ત્યાં હવે રાજ્યના ગૃહ વિભાગે મોટું ભોપાળું વાળ્યું છે. જેમાં આપ નેતા ગોપાલ ઈટાલિયા, જેઓ વર્ષો પહેલા ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે, તેમને પણ પ્રમોશન આપી દેવાયું છે. ગોપાલ ઈટાલિયાએ ગૃહ મંત્રાલયના આ ગંભીર છબરડા પર સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને અનેક સવાલો કર્યા છે. આ સાથે જ તેમણે પ્રમોશનના લિસ્ટમાં પોતાના નામ સાથેની પોસ્ટ પણ મૂકી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોપાલ ઈટાલિયાએ ટિ્‌વટ કરીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કરતા લખ્યું હતું કે, “વર્ષ-૨૦૧૫માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/65-percent-of-bharat-ratna-has-been-given-to-brahmins-none-to-tribals"> 65 ટકા ભારત રત્ન બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એકેય નહીં</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફેસબૂક પોસ્ટમાં ગોપાલ ઈટાલિયાએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા કટાક્ષ કર્યા છે. તેમણે લખ્યું છે કે, વર્ષ-૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા એક સમયે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. તેમણે ૨૦૧૫ ના વર્ષમાં પોલીસ વિભાગમાંથી રાજીનામું આપ્યું હતું. જો કે, રાજીનામું આપ્યા છતાં ગોપાલ ઈટાલિયાને વર્ષ ૨૦૨૪માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન આપવામાં આવ્યું છે. પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર ગોપાલ ઈટાલિયાને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ગોપાલ ઈટાલિયાની આ પોસ્ટમાંથી રાજ્ય સરકારની કામગીરીને લઈને લોકો જાતભાની ટીખળ કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/south-gujarat-university-chhabardo-only-1-student-passed-out-of-141">દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો છબરડો: ૧૪૧માંથી માત્ર ૧ વિદ્યાર્થી પાસ થયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Sep 2024 18:19:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1158</Articleid>
                    <excerpt>ગૃહ વિભાગનો એક ગંભીર છબરડો,જેમાં 2015માં પોલીસમાંથી રાજીનામું આપી ચૂકેલા AAP નેતા ગોપાલ ઈટાલિયાને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપી દેવાયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d7052792e8a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d70527630ff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d70527630ff.jpg" length="51565" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>aap leader gopal Italyan, shard, The Home Department&#039;s crackdown</media:keywords>
                </item>
                        <item>
                    <title>બંગાળમાં 77 જાતિઓને OBC માં સામેલ કરવાના કેસની સુનાવણીનો ઈનકાર</title>
                    <link>https://khabarantar.com/denial-of-hearing-case-of-inclusion-of-77-castes-in-obc-in-bengal</link>
                    <guid>https://khabarantar.com/denial-of-hearing-case-of-inclusion-of-77-castes-in-obc-in-bengal</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટે બંગાળમાં 77 જાતિઓને OBCમાં સામેલ કરવાના કેસની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. જાણો કોર્ટે શું કારણ આપ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે બંગાળમાં 77 જાતિઓને ઓબીસીમાં સામેલ કરવાના કેસની સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. આ સાથે જ કોર્ટે આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીની અરજી પર સુનાવણી માટે ૨૭ ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. આ પહેલા કોલકાતા હાઈકોર્ટે મમતા સરકારના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ પાસે આ કેસની વહેલી સુનાવણીની માંગ કરી છે. પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું કે આ મામલે આજે સુનાવણી થવી જોઈએ, અમારે પેન્ડિંગ સ્કોલરશિપ પર સ્ટે મુકવો જોઈએ. પરીક્ષાઓ આનાથી પ્રભાવિત થશે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/derogatory-term-used-for-6-castes-of-obc-banned">OBCની 6 જ્ઞાતિઓ માટે વપરાતા અપમાનજનક શબ્દ પર પ્રતિબંધ મૂકાયો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પશ્ચિમ બંગાળમાં 77 જાતિઓને ઓબીસીમાં સામેલ કરવાના મામલે તેની છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મમતા સરકારને નોટિસ મોકલી હતી. કોર્ટે કહ્યું હતું કે શા માટે 77 જાતિઓને ઓબીસી યાદીમાં સામેલ કરવામાં આવી? રાજ્ય સરકારે આ જાતિઓના સામાજિક અને આર્થિક પછાતપણાં વિશે માહિતી આપવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને નિર્દેશ આપ્યો હતો કે આ જાતિઓને કયા આધારે ઓબીસી યાદીમાં સામેલ કરવામાં આવી છે તેની માહિતી આપે. કોર્ટે તેમને યાદીમાં સામેલ કરતા પહેલા તેમની સામાજિક અને શૈક્ષણિક પછાતતા નક્કી કરવા માટે હાથ ધરાયેલા સર્વેની માહિતી એક સપ્તાહમાં આપવા જણાવ્યું હતું. હવે આ કેસની સુનાવણી ૨૭મી ઓગસ્ટે થશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલકાતા હાઈકોર્ટે મે મહિનામાં મમતા સરકાર દ્વારા જારી કરાયેલા આ નિર્ણય પર રોક લગાવી દીધી હતી. આ ઉપરાંત કોર્ટે ૨૦૧૦ પછી મમતા સરકાર દ્વારા જારી કરાયેલા તમામ ઓબીસી પ્રમાણપત્રો પણ રદ કરી દીધા છે. એપ્રિલ ૨૦૧૦થી સપ્ટેમ્બર ૨૦૧૦ સુધી હાઈકોર્ટે મુસ્લિમ સહિત 77 જાતિઓને OBC માં સામેલ કરવાના મમતા સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે આ જાતિઓને ઓબીસીમાં સામેલ કરવા પાછળ ધર્મ જ એકમાત્ર માપદંડ લાગે છે અને તેમને OBCમાં સામેલ કરવાનો રાજકીય ઉદ્દેશ્ય હોઈ શકે અને તેને વોટ બેંક તરીકે જોવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/all-parties-in-maharashtra-want-obc-votes-but-not-obc-cm">મહારાષ્ટ્રમાં દરેક પક્ષોને OBC મતો જોઈએ છે પણ OBC સીએમ નહીં?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 22 Aug 2024 13:15:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1112</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટે બંગાળમાં 77 જાતિઓને OBCમાં સામેલ કરવાના કેસની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. જાણો કોર્ટે શું કારણ આપ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c6ebc20034a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c6ebc1c5210.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c6ebc1c5210.jpg" length="94442" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>OBC, Suprem Court, Bangal</media:keywords>
                </item>
                        <item>
                    <title>લેટરલ એન્ટ્રી મુદ્દે 72 કલાકમાં મોદી સરકારે નમતું જોખ્યું, જાહેરાત પાછી ખેંચી</title>
                    <link>https://khabarantar.com/within-72-hours-the-modi-government-bowed-down-on-the-lateral-entry-issue-withdrawing-the-announcement</link>
                    <guid>https://khabarantar.com/within-72-hours-the-modi-government-bowed-down-on-the-lateral-entry-issue-withdrawing-the-announcement</guid>
                    <description>
                        <![CDATA[ Lateral Entry મામલે વિપક્ષો બાદ સાથી પક્ષોમાં પણ ભારે વિરોધના સૂર ઉઠતા મોદી સરકારે આખરે લેટરલ એન્ટ્રીથી ભરતી કરવાનો નિર્ણય 72 કલાકમાં જ પાછો ખેંચવો પડ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Lateral Entry ને લઈને મોદી સરકારે ફરી એકવાર યુટર્ન લેવો પડ્યો છે. છેલ્લાં થોડા દિવસોમાં આ ત્રીજો એવો નિર્ણય છે જેમાં સરકારે વિપક્ષો અને સાથી પક્ષોના દબાણને કારણે નમતું જોખવું પડ્યું હોય. અગાઉ વક્ફ બોર્ડ બિલ, બ્રોડકાસ્ટિંગ બિલ પણ સરકારે સાથી પક્ષો કે વિપક્ષોના દબાણને કારણે પરત ખેંચવું પડ્યું હતું. હવે તેમના મહત્વકાંક્ષી લેટરલ એન્ટ્રી મામલે પણ તેણે નમતું જોખવું પડ્યું છે અને જાહેરાત પાછી ખેંચી લેવી પડી છે. વિપક્ષો ખાસ કરીને બીએસપી, એસપી અને કોંગ્રેસ બાદ એનડીએના સાથી પક્ષો લોક જનશક્તિ પાર્ટી, હિન્દુસ્તાન અવામ મોરચા અને જેડીયુએ પણ વિરોધ નોંધાવતા તેને અનામત વિરોધી ગણાવી હતી. ચોતરફથી દબાણ વધતા આખરે મોદી સરકારે પોતાનો અહમ છોડીને નમતું જોખવું પડ્યું હતું. તેનાથી એ પણ સાબિત થાય છે કે, મોદી સરકાર હવે અગાઉની જેમ સરકારમાં પોતાની મનમાની ચલાવી શકે તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના વડાને પત્ર લખીને સિવિલ સર્વિસ બોડીને લેટરલ એન્ટ્રી માટેની તેની જાહેરાત રદ કરવા જણાવ્યું હતું. વિપક્ષના નેતાઓ ખાસ કરીને બીએસપી સુપ્રીમો માયાવતી, અખિલેશ યાદવ બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બે દિવસથી સતત ટ્વીટ કરીને આ મુદ્દાનો વિરોધ કરી રહ્યા હતા. આ અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવે વિરોધ કરવાની ચીમકી આપી હતી. બસપાના વડા માયાવતીએ પણ ઉગ્ર વિરોધ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિતેન્દ્ર સિંહના પત્રમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાઓને ટાંકીને બંધારણમાં સમાવિષ્ટ સમાનતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોને અનુરૂપ લેટરલ એન્ટ્રીની જરૂરિયાત માટે આહવાન કર્યું હતું. એનો અર્થ એવો થયો કે, હવે જો સરકાર લેટરલ એન્ટ્રી લાવે તો તેમાં રિઝર્વેશનનું પાલન થશે. ટૂંકમાં, સરકારે આ મામલે નમતું જોખવું પડ્યું છે અને વિપક્ષની વાતને માનવી પડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીએસસીએ ગયા શનિવારે કેન્દ્ર સરકારમાં વિવિધ વરિષ્ઠ હોદ્દાઓ માટે લેટરલ એન્ટ્રી દ્વારા "પ્રતિભાશાળી ભારતીય નાગરિકો" શોધવા માટે એક જાહેરાત બહાર પાડી હતી. આ પદોમાં 24 મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીનો સમાવેશ થતો હતો, જેમાંથી કુલ 45 જગ્યાઓ ખાલી છે. આ જાહેરાત આ 45 પોસ્ટ માટે જ હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/apply-reservation-in-posts-of-high-court-supreme-court-judges-too-mayawati"><span style="font-size: 14pt;">હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીએમઓમાં મંત્રી જિતેન્દ્ર સિંહના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "2014 પહેલા, મોટાભાગની મુખ્ય જગ્યાઓ લેટરલ એન્ટ્રી દ્વારા એડ-હોક રીતે ભરવામાં આવતી હતી, જેમાં કથિત પક્ષપાતના કિસ્સાઓ પણ સામેલ હતા. અમારી સરકારનો પ્રયાસ આને સંસ્થાકીય બનાવવાનો છે. વડા પ્રધાન ભારપૂર્વક માને છે કે લેટરલ એન્ટ્રીની પ્રક્રિયા આપણા બંધારણમાં સમાવિષ્ટ સમાનતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો સાથે જોડાયેલી હોવી જોઈએ, ખાસ કરીને અનામતની જોગવાઈઓ સાથે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંત્રી જિતેન્દ્ર સિંહના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "PM મોદી માટે જાહેર રોજગારમાં અનામત એ આપણા સામાજિક ન્યાય માળખાનો પાયાનો પથ્થર છે, જેનો ઉદ્દેશ્ય ઐતિહાસિક અન્યાયને દૂર કરવાનો અને સર્વસમાવેશને પ્રોત્સાહન આપવાનો છે. એ મહત્વનું છે કે સામાજિક ન્યાય પ્રત્યે અનામતની બંધારણીય વ્યવસ્થા જાળવી રાખવી જોઈએ જેથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજોના લાયક ઉમેદવારોને સરકારી સેવાઓમાં તેમનું યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિતેન્દ્ર સિંઘે પોતાના પત્રમાં કેટલાક હાઈ પ્રોફાઈલ કેસોને ટાંક્યા હતા જેમાં યોગ્ય અનામત પ્રોટોકોલનું પાલન કર્યા વિના મુખ્ય હોદ્દા પર નિમણૂકો કરવામાં આવી હતી, જેમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ના અધ્યક્ષ અને અગાઉના વહીવટ દરમિયાન વિવિધ મંત્રાલયોના સચિવો પણ સામેલ હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/my-lord-why-should-the-burden-of-social-justice-be-shouldered-by-dalits-tribals"><span style="font-size: 14pt;">માય લોર્ડ, સામાજિક ન્યાયનો ભાર દલિતો-આદિવાસીઓને ખભે શા માટે?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિતેન્દ્ર સિંહે પત્રમાં લખ્યું- "આ પદોને ખાસ ગણવામાં આવ્યા છે અને તેને સિંગલ-કેડર પોસ્ટ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેથી આ નિમણૂકોમાં અનામતની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાના વડાપ્રધાનના ફોકસને ધ્યાનામાં રાખીને આ નિર્ણયમાં સુધારની જરૂર જણાય છે. હું UPSC ને લેટરલ એન્ટ્રીની જાહેરાત રદ કરવા વિનંતી કરું છું. આ પગલું સામાજિક ન્યાય અને સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રગતિ હશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદી સરકારના મંત્રીઓ દાવો કરે છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દરમિયાન 2000ના દાયકાના મધ્યમાં લેટરલ એન્ટ્રીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 2005માં, UPA સરકારમાં વીરપ્પા મોઈલીની અધ્યક્ષતામાં બીજા વહીવટી સુધારણા કમિશન (ARC)ની સ્થાપના કરવામાં આવી હતી. આ કમિશનને ભારતીય વહીવટી તંત્રમાં સુધારાની ભલામણ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે આ કમિશને આ ભલામણ કરી હતી. પરંતુ કોંગ્રેસે તેનો ક્યારેય અમલ કર્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લેટરલ એન્ટ્રીથી ઔપચારિક ભરતી પીએમ નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી. મોદી સરકારે વર્ષ 2018 પછી 57 અધિકારીઓને લેટરલ એન્ટ્રી દ્વારા સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ પર બેસાડી દીધા હતા. આ પહેલા ફક્ત IAS અધિકારીઓ જ બઢતી અને અનુભવ દ્વારા આ પદો પર પહોંચતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષ ખાસ કરીને બહુજન સમાજની રાજનીતિ કરતા પક્ષો બીએસપી, એસપી, લોક જનશક્તિ પાર્ટી, હમ, આરજેડી, કોંગ્રેસ અને પછી જેડીયુ પણ તેમાં જોડાતા આખરે સરકારે લેટરલ એન્ટ્રીથી ભરતી કરવાનો નિર્ણય રદ કરવો પડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/is-lateral-entry-a-trick-to-wipe-out-reserves">શું Lateral Entry અનામતને ભૂંસી નાખવાની યુક્તિ છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 21 Aug 2024 10:22:40 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 21 Aug 2024 15:16:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1104</Articleid>
                    <excerpt>Lateral Entry મામલે વિપક્ષો બાદ સાથી પક્ષોમાં પણ ભારે વિરોધના સૂર ઉઠતા મોદી સરકારે આખરે લેટરલ એન્ટ્રીથી ભરતી કરવાનો નિર્ણય 72 કલાકમાં જ પાછો ખેંચવો પડ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c571fd93cef.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c571fd5999a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c571fd5999a.jpg" length="128519" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Lateral Entry, Reservation, Dalit, Adivasi</media:keywords>
                </item>
                        <item>
                    <title>લેટરલ એન્ટ્રી મુદ્દે NDAમાં તિરાડઃ ભાજપના ત્રણ સાથી પક્ષો વિપક્ષ સાથે</title>
                    <link>https://khabarantar.com/crack-in-nda-over-lateral-entry-issue-bjps-three-allies-with-opposition</link>
                    <guid>https://khabarantar.com/crack-in-nda-over-lateral-entry-issue-bjps-three-allies-with-opposition</guid>
                    <description>
                        <![CDATA[ લેટરલ એન્ટ્રીને લઈને અત્યાર સુધી માત્ર વિપક્ષો સરકારનો વિરોધ કરતા હતા, પણ હવે NDA ના સાથી પક્ષોમાં પણ તડાં પડતા દેખાઈ રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકારે જ્યારથી ટોચના કેટલાક સરકારી પદો પર પરીક્ષા વગર લેટરલ એન્ટ્રીથી પસંદગીની જાહેરાત આપી છે ત્યારથી વિવાદ શરૂ થઈ ગયો છે. યુપીએસસી દ્વારા 45 જેટલા ટોચના પદો લેટરલ એન્ટ્રીથી ભરવાની જાહેરાત કરાયા બાદ બહુજન સમાજની રાજનીતિ કરતા પક્ષો સહિત વિપક્ષોએ તેને અનામત ખતમ કરવાનું કાવતરું ગણાવી વિરોધ કર્યો છે. પહેલા બીએસપી સુપ્રીમો માયાવતી અને બાદમાં અખિલેશ યાદવ, ચંદ્રશેખર રાવણ સહિતના નેતાઓએ તેની સામે આંદોલન કરવાની જાહેરાત કરી હતી. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરી હતી અને લેટરલ એન્ટ્રીથી થતી ભરતીને દલિતો, આદિવાસી અને ઓબીસી પર સીધો હુમલો ગણાવી હતી. ટૂંકમાં, અત્યાર સુધી માત્ર વિપક્ષો જ તેનો વિરોધ કરતા હતા પણ હવે આ મામલે એનડીએ(NDA)માં પણ વિરોધના સૂર ઉઠ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારને ટેકો આપનારા લોક જનશક્તિ પાર્ટી(LJP)પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને(Chirag Paswan) પણ કહ્યું છે કે, “કોઇપણ સરકારી પદ પર અનામતનો અમલ કર્યા વગર ભરતી ના કરી શકાય, હું લેટરલ એન્ટ્રીનો મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવીશ. કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ જરૂરી છે અને તેમાં જો ને તો ના ચાલે, મારી સમક્ષ લેટરલ એન્ટ્રીનો મામલો આવ્યો જે ખરેખર ચિંતાજનક છે. અમારો પક્ષ આ લેટરલ એન્ટ્રીના સમર્થનમાં નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે બિહારના અન્ય સત્તાધારી પક્ષ અને મોદી સરકારના સૌથી મોટા ટેકેદાર જનતા દળ યુનાઈટેડે(JDU) પણ લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીનો વિરોધ કર્યો છે. જેડીયુ પ્રવક્તા કે. સી. ત્યાગીએ કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારનું આ પગલુ ચિંતાજનક છે, સરકાર ખુદ સામે ચાલીને વિપક્ષને વિરોધના મુદ્દા આપી રહી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/the-idea-of-lateral-entry-was-brought-by-congress-ashwini-vaishnav"> લેટરલ એન્ટ્રીનો વિચાર કોંગ્રેસ લઈને આવી હતીઃ અશ્વિની વૈષ્ણવ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામતમાં પેટા વર્ગીકરણ જેવા અતિ મહત્વના મુદ્દે સરકાર અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની સાથે રહેનાર હિન્દુસ્તાન અવામી મોરચા(HAM) ના નેતા અને કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ પણ આ નિર્ણયનો વિરોધ કરતા કહ્યું છે કે, “હું આ મુદ્દો કેબિનેટ મીટિંગમાં ઉઠાવીશ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારના આ પગલા બાદ હવે ટોચના સરકારી પદો પર SC, ST, OBC કે EWS ના લોકો નહીં પણ RSS ના લોકોની ભરતી કરવામાં આવશે. આ પગલું અનામત છીનવીને બંધારણ બદલવાનું ભાજપાઇ ચક્રવ્યૂહ છે. “</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી સંઘ લોક સેવા આયોગના સ્થાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરીને ખુલ્લેઆમ એસસી, એસટી અને ઓબીસીની અનામત છીનવી લીધી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, UPSC એ ૧૭મી ઓગસ્ટના રોજ વિવિધ મંત્રાલયોમાં જોઇન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડે. સેક્રેટરીના ૪૫ પદો પર ભરતી માટે જાહેરાત કરી હતી, જેમાં ૧૦ પદ જોઇન્ટ સેક્રેટરીના, જ્યારે ૨૫ પદો ડાયરેક્ટર તથા ડે. ડાયરેક્ટરના છે. આ ઉમેદવારોને પરીક્ષા વગર જ લેટરલ એન્ટ્રી(lateral entry) દ્વારા પસંદ કરાશે. જેના કારણે મોદી સરકાર પર એવો આક્ષેપ લાગી રહ્યો છે કે, સરકાર હવે અનામતને ખતમ કરી નાખવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/mayawati-akhilesh-announce-agitation-against-upsc-lateral-scheme">માયાવતી, અખિલેશે UPSC લેટરલ સ્કીમ સામે આંદોલનની જાહેરાત કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 20 Aug 2024 19:20:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1102</Articleid>
                    <excerpt>લેટરલ એન્ટ્રીને લઈને અત્યાર સુધી માત્ર વિપક્ષો સરકારનો વિરોધ કરતા હતા, પણ હવે NDA ના સાથી પક્ષોમાં પણ તડાં પડતા દેખાઈ રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c49e9e07c13.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c49e9dca38c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c49e9dca38c.jpg" length="70331" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>NDA, Lateral entry, Reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>છત્રપતિ સંભાજી મહારાજ પરની ફિલ્મ &amp;apos;CHHAAVA&amp;apos; આવી રહી છે</title>
                    <link>https://khabarantar.com/the-movie-chhaava-on-chhatrapati-sambhaji-maharaj-is-coming-up</link>
                    <guid>https://khabarantar.com/the-movie-chhaava-on-chhatrapati-sambhaji-maharaj-is-coming-up</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન મહાનાયક શાહુજી મહારાજના પિતા અને શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ પરની ફિલ્મ આવી રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામત વ્યવસ્થાના જનક છત્રપતિ શાહુજી મહારાજના પિતા સંભાજી મહારાજ પર ધમાકેદાર ફિલ્મ આવી રહી છે જેમાં વિક્કી કૌશલ સંભાજી મહારાજનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મનું ટીઝર ગઈકાલે લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં વિક્કી કૌશલ છવાઈ ગયો છે. મરાઠીમાં છાવાનો અર્થ સિંહનો દીકરો થાય છે. સંભાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર હતા એટલે તેમને છાવા તરીકે ઓળખવામાં આવતા હતા. સંભાજી મહારાજ ઓબીસી સમાજમાંથી આવતા હતા. આગળ જતા તેમના પુત્ર છત્રપતિ શાહુજી મહારાજે તેમના રાજ્ય કોલ્હાપુરમાં સૌ પ્રથમ અનામત વ્યવસ્થા દાખલ કરી હતી. ફિલ્મમાં તેમના પિતા સંભાજી મહારાજના જીવનને વણી લેવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિકી કૌશલ હાલ તેની કારકિર્દીમાં ફૂલ ફોર્મમાં છે. તેની તાજેતરની ફિલ્મ 'બેડ ન્યૂઝ'ને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ફરી એકવાર તે મોટા પડદા પર ધૂમ મચાવવા આવ્યો છે. રક્ષાબંધન પર વિકીએ તેની નવી ફિલ્મનું ટીઝર લોન્ચ કરીને તેના ચાહકોને ભેટ આપી છે. વાસ્તવમાં, તેની ફિલ્મ 'CHHAAVA' નું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને થોડા સમય પહેલા જ મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત આ પીરિયડ-ડ્રામામાં વિકી કૌશલ સંભાજી મહારાજના રોલમાં જોવા મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિકી કૌશલે 'CHHAAVA'માંથી તેનો ફર્સ્ટ લુક શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરતા વિક્કી કૌશલે કેપ્શનમાં લખ્યું - 'અન બોલ્ડ, અખંડ, અજેય, સામ્રાજ્યને પડકારવાની હિંમત.' </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Kaala---The-roar-of-Dalit-identity-presented-on-the-cinema-screen">Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર મરાઠા સમ્રાટ છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ ‘છાવા’નું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં વિકી કૌશલનું દમદાર અને એક્શનથી ભરપૂર પાત્ર જોવા મળે છે. ટીઝર શેર કરતી વખતે, વિકી કૌશલે લખ્યું - "સ્વરાજના રક્ષક, એક હિંમતવાન યોદ્ધાની મહાકાવ્ય ગાથા!"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છાવામાં છત્રપતિ સંભાજી મહારાજનું જીવન બતાવવામાં આવ્યું છે. તેઓ છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર હતા. આ ફિલ્મમાં દિવ્યા દત્તા, આશુતોષ રાણા અને અક્ષય ખન્ના પણ મહત્વની ભૂમિકામાં છે. વિકી કૌશલ ‘CHHAAVA’ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવશે. ઔરંગઝેબની ભૂમિકા ભજવનાર અભિનેતા અક્ષય ખન્ના છે. દિવ્યા દત્તા સોયરાબાઈનું પાત્ર ભજવશે જ્યારે આશુતોષ રાણા સરસેનાપતિ હમ્બીરાવ મોહિતેનું પાત્ર ભજવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-space-in-the-jail-was-so-narrow-that-it-was-impossible-to-turn-around">જેલમાં જગ્યા એટલી સાંકડી હતી કે પડખું ફરવું અશક્ય હતું...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય ફિલ્મમાં નીલ ભૂપાલમ અને રશ્મિકા મંદન્ના પણ જોવા મળશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મમાં રશ્મિકા મંદન્ના છત્રપતિ સંભાજી મહારાજની પત્ની યેસુબાઈ ભોસલેની ભૂમિકા ભજવશે. ટીઝરમાં રશ્મિકા જોવા મળી નથી. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે. આ પહેલા તેઓ 'મિમી', 'લુકા છુપ્પી' જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. વિકી અને લક્ષ્મણે ફિલ્મ 'જરા હટકે જરા બચકે'માં સાથે કામ કર્યું હતું. વિકીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી શાનદાર ભૂમિકાઓ ભજવી છે. તે દરેક રોલને સરળતાથી અપનાવી લે છે. અગાઉ તે દલિત મહાનાયક સરદાર ઉધમસિંહ અને જનરલ શામ માણેક શાના પાત્રને પડદા પર અદ્દભૂત રીતે ઉતારી ચૂક્યો છે. ત્યારે 'CHHAAVA' પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ છે. જો કે ફિલ્મના ડિરેક્ટર સંભાજી મહારાજના સામાજિક ન્યાય વિશેના પાસાને કેટલો આવરી લે છે તેના પર બહુજન સમાજની નજર રહેશે. આ સિવાય તેમાં છત્રપતિ શાહુજી મહારાજની કોઈ વાત વણી લેવાય છે કે નહીં તે પણ જોવું રહ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/do-you-know-why-vaishnavas-are-protesting-against-the-movie-maharaj"><strong><span style="font-size: 14pt;">તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?</span></strong></a></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 20 Aug 2024 12:15:45 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 20 Aug 2024 12:25:16 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1100</Articleid>
                    <excerpt>બહુજન મહાનાયક શાહુજી મહારાજના પિતા અને શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ પરની ફિલ્મ આવી રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c43ae690681.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c43ae660e26.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c43ae660e26.jpg" length="105334" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Film CHHAAVA, Shahuji Maharaj, Shivaji Maharaj</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહારાષ્ટ્રમાં દરેક પક્ષોને OBC મતો જોઈએ છે પણ OBC સીએમ નહીં?</title>
                    <link>https://khabarantar.com/all-parties-in-maharashtra-want-obc-votes-but-not-obc-cm</link>
                    <guid>https://khabarantar.com/all-parties-in-maharashtra-want-obc-votes-but-not-obc-cm</guid>
                    <description>
                        <![CDATA[ Maharashtra vidhansabha ની ચૂંટણીમાં આ વખતે OBC મતદારો કેન્દ્રમાં છે. દરેક રાજકીય પક્ષોને ઓબીસી મતો જોઈએ છે પણ OBC CM અંગે અવઢવ રહે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભલે જાહેર ન થઈ હોય પરંતુ રાજકીય પક્ષો પોતપોતાના એજન્ડા નક્કી કરવામાં વ્યસ્ત છે. હવે એનસીપી ચીફ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર પણ એ જ પીચ પર આવી ગયા છે જેના પર ઈન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી લડ્યું હતું અને સફળ થયું હતું. વિપક્ષી છાવણીમાં જોડાતા અજિત પવારે ગઈકાલે કહ્યું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરી એકવાર થવી જોઈએ. તે સામાન્ય વસ્તી ગણતરીની સાથે જ હાથ ધરવી જોઈએ, કારણ કે તેના દ્વારા આપણે આદિવાસીઓ, દલિત અને ઓબીસી સમાજની વસ્તી જાણી શકીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું જોઈએ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર વેગ પકડી રહી છે ત્યારે અજિત પવારે જાતિ ગણતરી હાથ ધરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, “જાતિની વસ્તી ગણતરી કરીને જ જાણી શકાશે કે કયા સમાજની વસ્તી કેટલી છે અને તેમની સ્થિતિ શું છે. આવું થવું જોઈએ કારણ કે દરેક વર્ગ પોતાના માટે નીતિઓ (અનામત) માંગે છે. તેથી, સચોટ ડેટા મેળવવાથી સરકારને નીતિઓ બનાવવામાં મદદ મળશે.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિ ગણતરીના મુદ્દે ભાજપ મૌન છે અને અજિત પવાર અવાજ ઉઠાવે છે. આવી સ્થિતિમાં, આ અજીતની રાજકીય મજબૂરી છે કે પછી ચૂંટણીના દૃષ્ટિકોણથી તે સમજવું જરૂરી છે. કોંગ્રેસથી લઈને શરદ પવાર સુધીના નેતાઓએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જાતિની વસ્તી ગણતરીના મુદ્દાને આગળ કર્યો હતો. જેમાં ઈન્ડિયા ગઠબંધનની આ બંને પાર્ટીઓને ફાયદો થયો હતો. કોંગ્રેસ એક બેઠકથી વધીને ૧૩ પર પહોંચી ગઈ છે. શરદ પવારની પાર્ટીના ૮ સાંસદ બન્યા. ઈન્ડિયા ગઠબંધનના ત્રીજા ભાગીદાર ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી)ને પણ ૯ બેઠકો મળી છે. આ રીતે ઈન્ડિયા ગઠબંધન મહારાષ્ટ્રમાં ૩૦ બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/derogatory-term-used-for-6-castes-of-obc-banned"><span style="font-size: 14pt;">OBCની 6 જ્ઞાતિઓ માટે વપરાતા અપમાનજનક શબ્દ પર પ્રતિબંધ મૂકાયો</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જ કારણ છે કે અજિત પવાર પણ જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે. તેમની પાર્ટીના અગ્રણી ઓબીસી નેતા છગન ભુજબળનો મુખ્ય એજન્ડા જાતિની વસ્તી ગણતરી છે. ભુજબળ સતત તેની માંગ કરી રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણીના કારણે અજિત પણ આ મુદ્દાને ધારદાર બનાવવાની રણનીતિ બનાવી ચૂક્યા છે. આ રીતે, એક તરફ અજીતની વ્યૂહરચના વિપક્ષના નિવેદનનો સામનો કરવાની છે અને બીજી તરફ તેઓ તેમના ઓબીસી નેતાઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો અજિત પવારની મજબૂરી જ નહીં પણ જરૂરિયાત પણ છે. રાજ્યમાં લગભગ ૪૦ ટકા ઓબીસી વસ્તી છે. આમાં ઘણા સમાજો ભાજપની કોર વોટબેંક રહ્યા છે. ભાજપ પોતાની રાજકીય મજબૂરીને કારણે ભલે ચૂપ રહે, પરંતુ અજિત હવે આ મુદ્દા દ્વારા ઓબીસી વોટબેંક જીતવાનો પ્રયાસ કરી રહ્યાં છે. રાજ્યમાં મરાઠાઓ ૩૧ ટકાથી વધુ છે જ્યારે ઓબીસી ૪૦ ટકાની નજીક છે, પરંતુ તેઓ ૩૫૬ પેટા જાતિઓમાં વહેંચાયેલા છે. અજિત આ બંને સમુદાયોને પોતાના પાલામાં લાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યાં છે. ભાજપે મહારાષ્ટ્રમાં ઓબીસી સમુદાયને તેની તરફેણમાં લાવવા માટે માલી, ધનગર અને વણજારી જાતિના મતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-OBC-Commission-in-Gujarat-is-run-by-just-1-member,-just-like-Shobhana-Nattiya"><span style="font-size: 14pt;">ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેનું નેતૃત્વ વસંતરાવ ભાગવતે ગોપીનાથ મુંડે, પ્રમોદ મહાજન, પાંડુરંગ ફંડકર, મહાદેવ શિવંકર અને અન્યોની મદદથી કર્યું હતું. મહારાષ્ટ્રના ઓબીસીમાં લોહાર, તેલી, માલી, ધનગર, ઘુમંતુ, કુણબી, બંજારા અને કુર્મી જેવી જ્ઞાતિઓ છે, જેઓ રાજકીય બાજી બનાવવા અને તોડવાની શક્તિ ધરાવે છે. ઓબીસી સમુદાયના લોકો કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, પુણે, અકોલા, પરભણી, નાંદેડ અને યવતમાલ જિલ્લામાં રહે છે. રાજ્યની ૨૮૮ બેઠકોમાંથી લગભગ ૧૦૦ વિધાનસભા બેઠકો પર ઓબીસી સમુદાયનો પ્રભાવ છે. મહારાષ્ટ્રના રાજકારણ પર નજર કરીએ તો અહીં ૪૦ ટકા ઓબીસી વસ્તી હોવા છતાં મરાઠા વર્ચસ્વની રાજનીતિને કારણે તેઓ કોઈ ખાસ રાજકીય સ્થાન મેળવી શક્યા નથી. આ જ કારણ છે કે આજ સુધી રાજ્યમાં એક પણ ઓબીસી મુખ્યમંત્રી નથી બન્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક સમયે એકનાથ ખડસે અને વિનોદ તાવડે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા ઓબીસી ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. આ સિવાય કોંગ્રેસ અને એનસીપીમાં પણ ઘણા મોટા ઓબીસી નેતાઓ છે. અજિત પવાર પછી એનસીપીમાં છગન ભુજબળ નંબર ટુ છે જ્યારે કોંગ્રેસમાં નાના પટોલે જેવા નેતાઓ છે. આ રીતે, દરેકનો એજન્ડા ઓબીસી મતો પર છે, જેને હાંસલ કરવા માટે અજિત પવારે હવે ખુલ્લેઆમ જાતિ ગણતરીની માંગ વધારી છે. આવી સ્થિતિમાં જાતિ ગણતરીનું પગલું કેટલું અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/Chhagan-Bhujbal-Sindh-resigns-from-Govt-over-OBC-reservation-to-Marathas"><strong>મરાઠાને OBC અનામતમાંથી ભાગ આપવાના વિરોધમાં છગન ભુજબળે શિંદે સરકારમાંથી રાજીનામું આપ્યું</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 17 Aug 2024 21:23:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1086</Articleid>
                    <excerpt>Maharashtra vidhansabha ની ચૂંટણીમાં આ વખતે OBC મતદારો કેન્દ્રમાં છે. દરેક રાજકીય પક્ષોને ઓબીસી મતો જોઈએ છે પણ OBC CM અંગે અવઢવ રહે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c0c6a173849.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c0c6a13f11b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c0c6a13f11b.jpg" length="85441" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Maharashtra vidhansabha, OBC, OBC CM</media:keywords>
                </item>
                        <item>
                    <title>SC&amp;ST&amp;OBC ની સાચી વસ્તી જાણવા ગણતરી કરવી જરૂરી: અજિત પવાર</title>
                    <link>https://khabarantar.com/sc-st-obc-need-to-be-counted-to-know-true-population-ajit-pawar</link>
                    <guid>https://khabarantar.com/sc-st-obc-need-to-be-counted-to-know-true-population-ajit-pawar</guid>
                    <description>
                        <![CDATA[ મહારાષ્ટ્ર(Maharashtra)ના નાયબ મુખ્યમંત્રી(DyCm) અજિત પવારે(Ajeet pawar) વિધાનસભાની ચૂંટણી અગાઉ જાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણ કરતું નિવેદન આપ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ફરી એકવાર અહીં ચૂંટણી અનામત અને જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે લડાશે તે નક્કી લાગ્યું છે. એકબાજુ મરાઠા અનામત આંદોલન ચાલી રહ્યું છે, જેમાં મનોજ જરાંગે પાટિલ દ્વારા ઓબીસી ક્વોટામાં અનામતની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ ખસતી વોટબેંકને લઈને હવે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પણ વસ્તી ગણતરી કરવાનો રાગ આલાપીને દલિત, આદિવાસી અને ઓબીસી મતદારો તરફે ઝોંક અપનાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અજિત પવારે જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે કહ્યું કે, મને લાગે છે કે જાતિની વસ્તી ગણતરી એકવાર થવી જોઈએ. તે સામાન્ય વસ્તી ગણતરીની સાથે જ હાથ ધરવામાં આવવી જોઈએ, કારણ કે તેના દ્વારા આપણે આદિવાસીઓ, એસસી, ઓબીસી, લઘુમતી અને સમાજના અન્ય વર્ગોની સાચી વસ્તી જાણી શકીશું. આવું થવું જોઈએ કારણ કે દરેક વર્ગ પોતાના માટે અનામત માંગે છે. તેથી સચોટ ડેટા મેળવવાથી નીતિઓ બનાવતી વખતે સરકારને પણ મદદ મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 18.6667px;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/If-there-is-a-separate-religion-code-only-for-the-Jains-with-a-population-of-40-lakhs,-why-not-for-the-11-crore-tribals"><span style="font-size: 14pt;"> ફક્ત 40 લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો 11 કરોડ આદિવાસીઓ માટે કેમ નહીં?</span></a></span></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાથે અજિત પવારે મરાઠા અનામતના મુદ્દા પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે, વિરોધ પક્ષોને અવગણી શકાય નહીં, કારણ કે તેઓ પણ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. મરાઠા અનામતની માંગ કરતા મનોજ જરાંગે ઓબીસી કેટેગરીમાં અનામત ક્વોટા ઈચ્છે છે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ક્વોટા મુદ્દે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પરંતુ વિપક્ષે બેઠકથી અંતર જાળવી રાખ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અજિત પવારે કહ્યું કે મને ખબર નથી કે બહિષ્કાર ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો કે નહીં. વિપક્ષ પાસેથી ફરીથી સમય માંગવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પુણેમાં ડેપ્યુટી સીએમ અજિત પવારના ઘરે મોડી રાત્રે એનસીપી નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં અજિત પવારની સાથે વરિષ્ઠ નેતાઓ પ્રફુલ પટેલ, સુનિલ તટકરે, છગન ભુજબળ, નવાબ મલિક અને શિવાજી ગર્જે હાજર રહ્યા હતા. બેઠકમાં મહારાષ્ટ્રની ૨ રાજ્યસભા અને ૪ એમએલસી બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આજે રાત્રે વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે પણ ચર્ચા કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 18.6667px;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/modi-does-not-conduct-caste-based-census-as-he-is-pro-caste">મોદી સવર્ણોના તરફદાર હોવાથી જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરાવતા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 16 Aug 2024 20:13:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1081</Articleid>
                    <excerpt>મહારાષ્ટ્ર(Maharashtra)ના નાયબ મુખ્યમંત્રી(DyCm) અજિત પવારે(Ajeet pawar) વિધાનસભાની ચૂંટણી અગાઉ જાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણ કરતું નિવેદન આપ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bf649e3c2b0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bf649e0e5c0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bf649e0e5c0.jpg" length="50616" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Maharashtra, Ajeet Pawar, Census</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપની તિરંગા યાત્રામાં બાળકો સાવરકરના ટિશર્ટમાં જોવા મળ્યાં</title>
                    <link>https://khabarantar.com/children-were-seen-in-savarkars-t-shirts-during-the-bjps-tricolor-yatra</link>
                    <guid>https://khabarantar.com/children-were-seen-in-savarkars-t-shirts-during-the-bjps-tricolor-yatra</guid>
                    <description>
                        <![CDATA[ ચોટીલામાં ગઈકાલે નીકળેલી ભાજપની તિરંગા યાત્રામાં કેટલાક બાળકો સાવરકરના ટિશર્ટ પહેરેલા જોવા મળતા વિવાદ પેદા થયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશનો સરેરાશ માણસ મોંઘવારી, બેરોજગારી અને બેકારીથી ત્રસ્ત થઈ ગયો છે. યુવાનોને નોકરી મળતી નથી, શિક્ષણ ખાડે ગયું છે. સમસ્યાઓનો પાર નથી, ચોતરફ ટીકાઓ થઈ રહી છે ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટે સરકારે ફરી રાષ્ટ્રવાદ જેવા તાયફાઓનો સહારો લીધો છે. ભાજપ દ્વારા ફરી એકવાર હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા યોજી હતી. પણ ચોટીલામાં નીકળેલી એક આવી યાત્રામાં સાવરકરનું ટિશર્ટ પહેરેલા બાળકો જોવા મળતા વિવાદ સર્જાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર દેશ સહિત ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વ પહેલાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ઠેર ઠેર લોકો તિરંગો લહેરાવી રહ્યાં છે. ત્યારે ચોટીલાની સાંગાણી પ્રાથમિક શાળામાં તિરંગાયાત્રા દરમિયાન બાળકોએ સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિત્ર વાળી કેસરી ટી-શર્ટ પહેરી હતી. આ સમયે કોંગ્રેસની ન્યાયયાત્રા ત્યાંથી પસાર થઈ રહી હતી. બાળકોએ પહેરેલી ટી-શર્ટ જોઈને કોંગ્રેસી નેતાઓ ભડકી ગયા હતા. કોંગ્રેસે તમામ બાળકોની ટી-શર્ટ ઉતરાવીને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ગાંધી અને સરદાર ભૂલાયા છે. આજે સાવરકરની ટી-શર્ટ પહેરાવી કાલે ગોડસે કે દાઉદની ટી-શર્ટ પહેરાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/jagannathjis-rath-yatra-is-the-triratna-yatra-of-buddhism"><span style="font-size: 14pt;">જગન્નાથજીની રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિરત્ન યાત્રા છે?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબી અને રાજકોટ થઈને સુરેન્દ્રનગરના ચોટીલા પહોંચી છે. આ યાત્રા ચોટીલાથી ડોળીયા જવા નીકળી ત્યારે સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ સાવરકરની કેસરી ટી-શર્ટ પહેરતા કોંગ્રેસે સરકાર ગુજરાતમાં ગાંધી અને સરદારનું નામ ભૂંસવાની કામગીરી કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. યાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોની નજર તિરંગા યાત્રામાં જોડાયેલા બાળકોની ટીશર્ટ પર પડી હતી. કોંગ્રેસ સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈ અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર પર પ્રહારો કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું કે, શાળાના બાળકોનો સ્કૂલ ડ્રેસ દબાવી દીધો છે અને એની ઉપર સાવરકરના ફોટાની કેસરી ટીશર્ટ પહેરાવીને યાત્રા કાઢી છે. એમણે બાળકોને જ પૂછ્યું હતું કે, આપણે ગાંધીજીની ટીશર્ટ પહેરવી જોઈએ કે પછી સાવરકરની? સાવરકરની કેસરી ટીશર્ટ સાંગાણી સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ બાળકોને પહેરાવી છે. કાલે ઉઠીને તમને ગોડસે કે દાઉદનું ટીશર્ટ આપશે તો એ પહેરવા દેશો? જ્યારે સ્કૂલના આચાર્યએ આ ટીશર્ટ દાતાઓએ આપી હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે વચ્ચે દરમિયાનગીરી કરી બાળકોના ટીશર્ટ તાકીદે બદલવાની સૂચના આપી હતી. બાદમાં કોંગ્રેસના આગેવાનોએ ગાંધી અને સરદારના નારાઓ લગાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Sankalp-Bhumi-Vadodara-to-Secretariat-Gandhinagar-will-be-organized-a-free-Bharat-Yatra">સંકલ્પ ભૂમિ વડોદરાથી સચિવાલય ગાંધીનગર સુધી આભડછેટ મુક્ત ભારત યાત્રા યોજાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 15 Aug 2024 13:24:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1076</Articleid>
                    <excerpt>ચોટીલામાં ગઈકાલે નીકળેલી ભાજપની તિરંગા યાત્રામાં કેટલાક બાળકો સાવરકરના ટિશર્ટ પહેરેલા જોવા મળતા વિવાદ પેદા થયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bda25935925.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bda25900bdd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bda25900bdd.jpg" length="71399" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહારાષ્ટ્રમાં ફરીથી અનામત જ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનશે</title>
                    <link>https://khabarantar.com/again-reservation-will-be-the-main-issue-of-the-elections-in-maharashtra</link>
                    <guid>https://khabarantar.com/again-reservation-will-be-the-main-issue-of-the-elections-in-maharashtra</guid>
                    <description>
                        <![CDATA[ ડૉ. આંબેડકરની જન્મ અને કર્મભૂમિ મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ફરી એકવાર અનામત જ મુખ્ય મુદ્દો બનશે તે સ્પષ્ટ લાગી રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીમાં ભાજપને યુપી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભારે ઝટકો લાગ્યો હતો. આ રાજ્યોમાં ભાજપને થયેલા નુકસાન પાછળનું એક કારણ અનામતનો મુદ્દો હતો. હવે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે ફરી એકવાર અનામત ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનશે તે સ્પષ્ટ લાગી રહ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રમાં વિપક્ષે ફરી એક વાર અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે અને જાતિગત અનામતના ક્વોટાને ૫૦ ટકાથી વધારવાની માંગ કરી છે. હાલ સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે જાતિગત અનામતમાં ૫૦ ટકાની મર્યાદા લાગુ થાય છે. જો કે, પાછલા દિવસોમાં કોંગ્રેસે આ મર્યાદા  હટાવવાની માંગ કરી હતી. કોંગ્રેસ બાદ હવે શરદ પવારે પણ ક્વોટાની મર્યાદા હટાવવાની માંગ કરી કોંગ્રેસને સમર્થન આપ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શરદ પવાર અને કોંગ્રેસની માંગ પરથી લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં ફરી અનામતનો મુદ્દો કેન્દ્રમાં રહેશે. મહારાષ્ટ્રમાં મરાઠા ક્વોટા અને ઓબીસી અનામત મુદ્દે પહેલેથી જ તણાવની સ્થિતિ છે. રાજ્ય સરકાર મરાઠાઓને ઓબીસી સર્ટિફિકેટ આપી રહી છે. ત્યારે ઓબીસી વર્ગનું કહેવું છે કે, મરાઠાઓને અનામત આપવી હોય તો તેમની મર્યાદાથી અલગ અનામત આપવામાં આવે. આ રીતે ૫૦ ટકા મર્યાદા હટાવવાની માંગ પહેલાથી જ ઉઠી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શરદ પવારે અનામતની 50 ટકા જાતિગત મર્યાદા દૂર કરવાની કોંગ્રેસની માંગને ટેકો આપતા કહ્યું છે કે, કેન્દ્ર સરકાર ૫૦ ટકા લિમિટ સમાપ્ત કરવા બિલ લાવશે તો મહારાષ્ટ્રના બધાં પક્ષો તેને સમર્થન આપશે. તેમણે કહ્યું કે, માત્ર કેન્દ્ર સરકાર પાસે જ ૫૦ ટકાની સીમા હટાવવાની સત્તા છે. જો મોદી સરકાર મરાઠા સમાજને અનામત આપશે તો અમે તેને સમર્થન આપીશું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શરદ પવારે મહારાષ્ટ્ર સરકાર પર પણ દબાણ લાવતા કહ્યું કે, તેણે ઓબીસી અને મરાઠા અનામત મુદ્દે સર્વદલીય બેઠક બોલાવવી જાેઇએ. વિપક્ષના બધાં જ પક્ષો આ બેઠકમાં ભાગ લેવા તૈયાર છે. અમે અનામતની સમસ્યાનો ઉકેલ લાવવા ચર્ચા કરવા માગીએ છીએ. તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મરાઠા ક્વોટા માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટિલ અને છગન ભુજબળ જેવા ઓબીસી નેતાઓને પણ ચર્ચામાં બોલાવવા જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/karo-Ya-maro-nationwide-bandh-announced-on-august-21-over-reservation-issue"><span style="font-size: 14pt;">કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે રવિવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર માટે અત્યારે અન્ય પછાત વર્ગની શ્રેણીમાં મરાઠા સમાજને અનામત આપવી શક્ય નથી. છગન ભુજબળે મરાઠા નેતા મનોજ જરાંગે પાટિલની પણ ટીકા કરી હતી અને અન્ય નેતાઓ પર હુમલો કરવા માટે જરાંગેને નિશાન બનાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભૂજબળે કહ્યું કે, "મહારાષ્ટ્રમાં મહાગઠબંધનની સરકાર છે. ઓબીસીમાંથી મરાઠા સમાજને અનામત આપવી શક્ય નથી. ઓબીસીને કોઈ અનામત આપવામાં આવશે નહીં. ચાર કમિશને કહ્યું છે કે આ શક્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ શક્ય નથી. જો આપણે ૫૪ ટકાની ગણતરી કરીએ તો બિહારમાં તે ૬૩ ટકા છે, મને બાકીના કમિશન વગેરે પર વિશ્વાસ નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મરાઠા નેતા મનોજ જરાંગેએ કહ્યું કે, અનામતની માંગ પર તેમનું આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે જે રીતે રાજ્યની જનતાએ લોકસભા ચૂંટણીમાં શાસક પક્ષને પાઠ ભણાવ્યો છે એ જોતા જો અનામત નહીં આપવામાં આવે તો રાજ્યની જનતા તેમને વિધાનસભાની ચૂંટણીમાં પણ પાઠ ભણાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/how-many-sc-st-judges-who-gave-this-order"><span style="font-size: 14pt;">જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે અમે ૫૪ ટકાથી વધુ છીએ અને ૨૭ ટકા આરક્ષણ આપી અને કેટલું ચૂકવ્યું? ૨૭ ટકા અનામતમાંથી 9.5 ટકા અનામત ભરાઈ જાય તો આપણો બેકલોગ શું છે? અમારો બેકલોગ ભરો પછી અલગ અનામતનો વિચાર કરો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ મનોજ જરાંગે પાટિલ પર નિશાન સાધતા છગન ભુજબળે કહ્યું કે તે છત્રપતિ શિવાજી મહારાજનું નામ લે છે અને આપણા લોકો પર હુમલો કરે છે. બે મહિના સુધી મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, પરંતુ હું કંઈ બોલ્યો નહીં. પરંતુ બીડમાં તેમણે ધારાસભ્યોના ઘરો સળગાવી દીધા, ઓબીસી કાર્યકરોની હોટલ સળગાવી, તેમના પર હુમલો કર્યો, તેમની પત્નીઓ અને બાળકોના જીવ જોખમમાં મૂક્યા. તેમના ઘર બળીને રાખ થઈ ગયા. તમને લોકોને ઘર સળગાવવાનો શો અધિકાર છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી પહેલા ફરી મરાઠાઓને અનામત આપવાનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. મરાઠા અનામતની માંગ કરી રહેલા મનોજ જરાંગેએ માંગ કરી હતી કે મરાઠાઓને ઓબીસી કેટેગરીમાંથી અનામત આપવી જોઈએ. જોકે, છગન ભુજબળ તેનો સતત વિરોધ કરી રહ્યાં છે. આ બાબતે છગન ભુજબળ અને મનોજ જરાંગે વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ મરાઠા નેતા મનોજ જરાંગેએ દાવો કર્યો કે તેઓ મરાઠાઓ માટે અનામતની માંગણી ચાલુ રાખશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી અનામતની માગણી કરતું આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે સરકાર તેમની સામે જે પણ કાર્યવાહી કરવા ઈચ્છે તે કરે, પરંતુ તેઓ તેમની માંગ પર અડગ રહેશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી આ સરકાર સત્તામાં છે ત્યાં સુધી અનામત નહીં મળે. હવે તેમની પાસે આ સરકારને હટાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે લોકસભાની ચૂંટણીની જેમ વિધાનસભાની ચૂંટણીમાં પણ સત્તાધારી ભાજપ અને એકનાથ શિંદે તથા અજીત પવારની ગઠબંધનવાળી સરકારને પાઠ ભણાવવા લોકોને અપીલ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે રીતનો માહોલ જામ્યો છે તે જોતા મહારાષ્ટ્રમાં ફરી એકવાર ચૂંટણીમાં મુખ્ય મુદ્દો અનામત જ રહેવાનો છે તે નક્કી લાગી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/the-day-the-children-of-upper-castes-get-married-to-dalits-stop-reservation"><strong>જે દિવસે સવર્ણોના સંતાનોના લગ્ન દલિતોમાં થાય, અનામત બંધ કરી દેજો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 13 Aug 2024 17:32:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1067</Articleid>
                    <excerpt>ડૉ. આંબેડકરની જન્મ અને કર્મભૂમિ મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ફરી એકવાર અનામત જ મુખ્ય મુદ્દો બનશે તે સ્પષ્ટ લાગી રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bb4ae182990.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bb4ae14e3ec.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bb4ae14e3ec.jpg" length="76215" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>10મી વાર જેલમાંથી બહાર આવ્યો ગુરમીત રામ રહીમ, 21 દિવસની ફર્લો મળી</title>
                    <link>https://khabarantar.com/gurmeet-ram-rahim-released-from-jail-for-10th-time-got-21-days-furlough</link>
                    <guid>https://khabarantar.com/gurmeet-ram-rahim-released-from-jail-for-10th-time-got-21-days-furlough</guid>
                    <description>
                        <![CDATA[ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ફરી એકવાર 21 દિવસની ફર્લો મળી ગઈ છે. જાણો શું છે કનેક્શન. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ફરી એકવાર ફર્લો મળી ગઈ છે. આજે સવારે રામ રહીમ પોલીસની સુરક્ષા વચ્ચે લગભગ 6:30 વાગ્યે સુનારિયા જેલમાંથી બહાર આવ્યો હતો. રામ રહીમને 21 દિવસની ફર્લો રજા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ તે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરનાવા આશ્રમમાં ફર્લોની રજાઓ ગાળશે. ઉલ્લેખનીય છે કે, રામ રહીમ બે સાધ્વીઓના જાતીય શોષણના કેસમાં દોષિત જાહેર થયા બાદ 2017થી રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુરમીત રામ રહીમને મોટી રાહત આપતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો છે, જેમાં તેણે ડેરા પ્રમુખને પેરોલ અથવા ફર્લો પર મુક્ત ન કરવાના નિર્દેશો આપવાની માંગ કરી હતી. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે રાજ્ય સરકાર આવા મુદ્દાઓ પર નિર્ણય લેવા સક્ષમ છે. રસપ્રદ વાત એ છે કે, હરિયાણા સરકાર હાઈકોર્ટને પહેલેથી જ જણાવી ચૂકી છે કે ડેરાના વડા કાયદાકીય જોગવાઈ મુજબ પેરોલ અને ફર્લો માટે હકદાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Why-does-Swami-Ramabhadracharya-say-Chamar,-not-Rama">સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડેરા પ્રમુખ રામ રહીમને આ વર્ષે બીજી વખત પેરોલ મળ્યાં છે. આ પહેલા તેને 9 વખત પેરોલ આપવામાં આવ્યા છે. 24 ઓક્ટોબર 2020 ના રોજ રામ રહીમને પ્રથમ વખત પેરોલ મળ્યા હતા. ત્યારબાદ બીજી વખત 21 મે 2021ના રોજ, ત્રીજી વખત 7 ફેબ્રુઆરી 2022ના રોજ, ચોથી વખત જૂન 2022માં, પાંચમી વખત ઓક્ટોબર 2022માં, છઠ્ઠી વખત 21 જાન્યુઆરી 2023ના રોજ, સાતમી વખત 20 જુલાઈ 2023ના રોજ, નવેમ્બર 2023 માં આઠમી વખત અને 19 જાન્યુઆરી, 2024ના રોજ 9મી વખત પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. એ પછી દસમી વખત આજે 13મી ઓગસ્ટે તેને 21 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામ રહીમ સિરસા સ્થિત પોતાના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. ઓગસ્ટ 2017માં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે રામ રહીમને આ કેસમાં દોષિત ઠેરવીને સજા સંભળાવી હતી. આ સિવાય ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં પણ કોર્ટે ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા સંભળાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગુરમીત રામ રહીમનું હરિયાણા અને પંજાબમાં આજે પણ ભારે વર્ચસ્વ છે. તેના કારણે રાજકારણીઓ સતત તેના સંપર્કમાં રહે છે. હરિયાણાની અગાઉની મનોહરલાલ ખટ્ટર સરકાર પર વિપક્ષો દ્વારા સતત એવો આક્ષેપ થતો રહ્યો છે કે, તે બળાત્કાર જેવા જઘન્ય ગુનાના આરોપી એવા રામ રહીમને ચૂંટણી ટાણે જેલમાંથી બહાર કાઢીને મતોનું સેટિંગ કરાવે છે. આ મહિનાના અંતમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે અને એ જ સમયે રામ રહીમને 21 દિવસની ફર્લો રજા મળવાથી આ પ્રકારના આક્ષેપોને વધારે હવા મળી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-higher-the-level-of-insecurity-among-the-people-the-more-the-business-of-baba-shines">લોકોમાં અસુરક્ષાનો ભાવ જેટલો વધારે, એટલો બાબાઓનો ધંધો ચમકે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 13 Aug 2024 13:42:10 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 13 Aug 2024 13:42:25 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1066</Articleid>
                    <excerpt>ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ફરી એકવાર 21 દિવસની ફર્લો મળી ગઈ છે. જાણો શું છે કનેક્શન.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bb147b8301a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bb147b4f7c0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bb147b4f7c0.jpg" length="78495" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બહુજનોના પ્રશ્નોની ચર્ચા માટે પૂર્વ CJI કે.જી. બાલક્રિષ્ણન અમદાવાદ આવશે</title>
                    <link>https://khabarantar.com/to-discuss-the-issues-of-bahujan-former-cji-k-g-balakrishnan-will-come-to-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/to-discuss-the-issues-of-bahujan-former-cji-k-g-balakrishnan-will-come-to-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતના બહુજન સમાજના પ્રશ્નોને સાંભળવા માટે પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા કે.જી. બાલક્રિષ્ણન તેમના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ આવી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ સુપ્રીમ કોર્ટે એસસી, એસટી સમાજની અનામતમાં ભાગલા પાડી અંદરોઅંદર તેમને લડાવતો ચૂકાદો આપ્યો છે. બીજી તરફ બહુજન સમાજના પ્રશ્નો જેમની તેમ સ્થિતિમાં છે. આ બધાં વચ્ચે પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા કે.જી. બાલકૃષ્ણન તેમના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. આ આયોગ સમક્ષ બહુજન સમાજના પ્રશ્નોની કેવી રીતે મજબૂતીથી રજૂઆત કરવી તેનું પ્લાનિંગ કરવા માટે અમદાવાદ ખાતે એક ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કે.જી. બાલકૃષ્ણન આયોગ સમક્ષ બહુજન સમાજના વિવિધ પ્રશ્નોને લઈને યોગ્ય રજૂઆત કરી શકાય તે માટે એસસી, એસટી, ઓબીસી સહિતના બહુજન સમાજના વકીલો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, જાગૃત નાગરિકો, દલિત સાહિત્યકારો, પત્રકારો અને કર્મશીલો બેઠક યોજવાના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં કેટલાક મહિના દરમિયાન બહુજન સમાજને હાનિ પહોંચાડતી કેટલીક ગંભીર ઘટનાઓ બની ગઈ છે. સુ્પ્રીમ કોર્ટે એસસી, એસટીની અનામતમાં ભાગલા પાડી આખી અનામત સિસ્ટમને જ ખતમ કરી નાખવા તરફનું પગલું ભર્યું છે, સંસદ પરિસરમાંથી ડો. આંબેડકરની પ્રતિમા હટાવી દેવાઈ છે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની દિવાલો પર જાતિવાદી સૂત્રો લખવામાં આવ્યા, સંસદમાં દલિત, બહુજન સમાજનું પ્રતિનિધિત્વ શૂન્ય કક્ષાએ પહોંચ્યું છે આ બધાં પ્રશ્નો સમગ્ર બહુજન સમાજ પર ગંભીર અસર પાડનારા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ સ્થિતિમાં આ તમામ ઘટનાઓ પર ચર્ચા વિચારણ કરવા માટે અમદાવાદના રાયખડ વિસ્તારમાં તા. 8 ઓગસ્ટ 2024ને ગુરૂવારના રોજ બપોરે 12 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી એક ચિંતન બેઠકનું આયોજન બહુજન સમાજના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે. જેમાં તમામ જિલ્લામાંથી પણ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/why-swaminarayans-manifest-brahmaswarupo-remains-silent-on-dalit-atrocities"><span style="font-size: 14pt;">દલિત અત્યાચાર મામલે સ્વામિનારાયણના ‘પ્રગટ બ્રહ્મસ્વરુપો’ ચૂપ કેમ રહે છે?</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66b0836694938.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બેઠક પાછળનો હેતુ એ છે કે, સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ કે.જી. બાલક્રિષ્ણનની અધ્યક્ષતા સાથેનું આયોગ તેના પ્રતિનિધિઓ સાથે તા. 9 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદ આવી રહ્યું છે. આ આયોગ સમક્ષ સક્ષમ રીતે અને કાયદાકીય રીતે સમગ્ર એસસી, એસટી, ઓબીસી સમાજને અન્યાય ન થાય તે રીતે લેખિત-મૌખિક રીતે રજૂઆતો થાય તે માટે આ ચિંતન બેઠકમાં સ્ટ્રેટેજી ઘડવાનું નક્કી કરાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે વધુ જાણકારી આપતા આ ચિંતન બેઠકના આયોજક બાલકૃષ્ણ આનંદ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવે છે કે, "બહુજન સમાજના પ્રશ્નોને લઈને કે.જી. બાલકૃષ્ણન આયોગ સમક્ષ મજબૂતીથી રજૂઆત કરી શકાય તે માટે સ્ટ્રેટેજી તૈયાર કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબ, નિવૃત્ત સેશન્સ જજ બી.એસ. ઓઝા સાહેબ, નિવૃત્ત જિલ્લા ન્યાયધીશ બી.એન. મકવાણા સાહેબ ઉપસ્થિત રહીને સૌનું માર્ગદર્શન કરીને આયોગ સામે કેવી રીતે રજૂઆત કરવી તેનું પ્લાનિંગ કરશે. તેમની સાથે ગુજરાતભરમાંથી આવેલા વકીલ મિત્રો પણ હાજર રહેશે. આ તમામ લોકો મળીને જે સ્ટ્રેટેજી ઘડશે તેના આધારે બાલકૃષ્ણ ઈન્કવાયરી આયોગ સમક્ષ બહુજન સમાજના પ્રશ્નોની મજબૂતીથી રજૂઆત કરવામાં આવશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, તા. 9 ઓગસ્ટ 2024ને શુક્રવારના રોજ સવારે 11 વાગ્યે અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ કે.જી. બાલકૃષ્ણનની અધ્યક્ષતામાં તપાસ કમિશન આવી રહ્યું છે. તેમાં નિવૃત્ત આઈએએસ ડો. રવિન્દ્ર જૈન, યુજીસીની સભ્ય ડો. સુષ્મા યાદવ સભ્ય તરીકે આવવાના છે. આ ત્રણેય મહાનુભાવો સમક્ષ બહુજન સમાજના પ્રશ્નોને લેખિત, મૌખિક રીતે મજબૂતીથી કેવી રીતે રજૂ કરી શકાય તેના માટે આ ચિંતન શિબિરમાં પ્લાનિંગ થશે અને બીજા દિવસે આયોગ સમક્ષ તે મુજબ રજૂઆત કરાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો તમે પણ બહુજન સમાજની આ ચિંતન બેઠકમાં સામેલ થવા માંગો છો તો તા. 8 ઓગસ્ટ 2024ને ગુરૂવારના રોજ પ્રાર્થના સમાજ હોલ, પી.આર. ટ્રેનિંગ કોલેજની પાસે, રાયખડ, અમદાવાદ ખાતે બપોરના 12થી 5 વાગ્યા સુધીના સમયને ધ્યાનમાં રાખીને સમયસર પહોંચી જઈ શકો છો. આ કાર્યક્રમની જાહેર પત્રિકા અહીં સ્ટોરીમાં સામેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-real-character-of-vikas-divyakirti-and-awadh-ojha-came-out"><span style="font-size: 14pt;">વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાનું અસલી ચરિત્ર સામે આવી ગયું</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 05 Aug 2024 13:01:04 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 05 Aug 2024 13:17:02 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>1028</Articleid>
                    <excerpt>ગુજરાતના બહુજન સમાજના પ્રશ્નોને સાંભળવા માટે પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા કે.જી. બાલક્રિષ્ણન તેમના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ આવી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b07eb203199.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b07eb1c37cd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b07eb1c37cd.jpg" length="104313" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બિહારમાં 65 ટકા અનામતના નિર્ણય પર સ્ટે યથાવત રહેશેઃ સુપ્રીમ કોર્ટ</title>
                    <link>https://khabarantar.com/the-stay-on-the-decision-of-65-percent-reservation-in-bihar-will-remain-the-same-supreme-court</link>
                    <guid>https://khabarantar.com/the-stay-on-the-decision-of-65-percent-reservation-in-bihar-will-remain-the-same-supreme-court</guid>
                    <description>
                        <![CDATA[ બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ અનામતની મર્યાદા 50 ટકાથી વધારી 65 ટકા કરવાના નિર્ણય મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કર્યા બાદ અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના નીતિશકુમાર સરકારના નિર્ણય પર હાઈકોર્ટે મૂકેલા સ્ટેને દૂર કરવાનો ઈનકાર કરી દીધો છે. એ રીતે હવે બિહારમાં અનામતનો ક્વોટા 50 ટકા જ રહેશે. આજે સુપ્રીમ કોર્ટે બિહાર સરકાર દ્વારા અપાયેલી 65 ટકા અનામતને રદ કરવાના પટના હાઈકોર્ટના ચૂકાદા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહાર સરકારે એસસી, એસટી, ઓબીસી, અને આર્થિક રીતે નબળા વર્ગો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની ટકાવારી 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને પટના હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને તેના પર સ્ટે આપ્યો હતો. ત્યારબાદ બિહાર સરકારે હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં તેણે હાઈકોર્ટે મૂકેલો સ્ટે દૂર કરવાનો ઈનકાર કર્યો હતો. આ મામલે હવે સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી હાથ ધરાશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/some-lies-connected-with-reservation-and-exposed"><span style="font-size: 14pt;">અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહાર સરકારે 9 નવેમ્બર 2023 ના રોજ એક કાયદો પસાર કરીને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી. ગયા વર્ષે બિહાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ઓબીસી, અતિ પછાત વર્ગ, દલિત અને આદિવાસી સમાજને અનામતનો લાભ મળવાનો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારનું કહેવું છે કે, જો આ નિર્ણય પર રોક લગાવવામાં નહી આવે તો ભરતી પ્રક્રિયાને અસર થશે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે જાતિ સર્વેક્ષણના ડેટાના આધારે પછાત વર્ગનું પૂરતું પ્રતિનિધિત્વ છે, તેવું હાઈકોર્ટનું નિષ્કર્ષ રાજ્યના વિવેકનું ઉલ્લંઘન કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, પટના હાઈકોર્ટે 20 જૂને અનેક અરજીઓ પર સુનાવણી કરતા રાજ્યમાં વધેલી અનામતની ટકાવારીને રદ કરી દીધી હતી અને તેના સ્ટે મૂકી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ નિયમ બંધારણની કલમ 14, 15 અને 16નો ભંગ કરે છે. આ કલમ રોજગારીની તકોમાં સમાનતા, ભેદભાવની વિરુદ્ધ બચાવના અધિકારની વાત કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહાર સરકારના વકીલે કહ્યું કે, 50 ટકા અનામતની મર્યાદા જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ તોડવામાં આવ્યો છે. આ સર્વેમાં સામે આવ્યું હતું કે, રાજ્યમાં ક્યા ક્યા સમાજમાં વધારે ગરીબી છે અને તેમને નોકરી અને શિક્ષણમાં નીતિગત સહકારની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/the-nitish-government-will-challenge-the-cancellation-of-65-percent-reservation-in-bihar-in-the-supreme-court"><strong>બિહારમાં 65 ટકા અનામત રદ કરવાને નીતિશ સરકાર સુપ્રીમમાં પડકારશે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 29 Jul 2024 13:47:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>994</Articleid>
                    <excerpt>બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ અનામતની મર્યાદા 50 ટકાથી વધારી 65 ટકા કરવાના નિર્ણય મુદ્દે મોટા સમાચાર આવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a74f79e30fb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a74f79b4264.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a74f79b4264.jpg" length="86707" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>OBCની 6 જ્ઞાતિઓ માટે વપરાતા અપમાનજનક શબ્દ પર પ્રતિબંધ મૂકાયો</title>
                    <link>https://khabarantar.com/derogatory-term-used-for-6-castes-of-obc-banned</link>
                    <guid>https://khabarantar.com/derogatory-term-used-for-6-castes-of-obc-banned</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં ઓબીસી સમાજની 6 જેટલી જ્ઞાતિઓ માટે વપરાતા એક અપમાનજનક શબ્દ પર ગુજરાત સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. વાંચો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકારે ઓબીસી વર્ગમાં સમાવિષ્ટ ઠાકોર સમાજ માટે વપરાતા અપમાનજનક અને તિરસ્કારની લાગણી પેદા કરતા 'ઠાકરડા' શબ્દ પર પ્રતિબંધ મૂક્યો છે. એ રીત 'ઠાકરડા' શબ્દ ગુજરાતમાં પ્રતિબંધિત બની ગયો છે  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આ શબ્દ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેના શબ્દપ્રયોગથી રાજ્યની ૬ જ્ઞાતિઓ પર સીધી અસર પડતી હતી. તેથી મહેસુલી રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાંથી આ શબ્દ દૂર કરવા તથા સંબોધિત ન કરવા પણ સૂચના અપાઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારે પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા ભૂતપૂર્વ મજૂર, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના તા.૦૧/૦૪/૧૯૭૮ના ઠરાવ ક્રમાંક: બીસીઆર-૧૦૭૮/૧૩૭૩૪/હ તથા ત્યારબાદ સરકારના વખતોવખતના ઠરાવોથી કુલ-૧૪૬ જાતિઓનો ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરેલો છે. આ યાદીમાં ક્રમાંક: ૭૨ પર "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી" જાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમાજના લોકો "ઠાકરડા" શબ્દપ્રયોગથી અપમાન અને તિરસ્કારની લાગણી અનુભવતા હોવાની રજૂઆતો સરકારશ્રીને મળેલ છે. આથી, આ સમાજના લોકોનું માન જળવાય તે માટે "ઠાકરડા” શબ્દ પર પ્રતિબંધ મૂકી, તેને સ્થાને “ઠાકોર” શબ્દ પ્રયોજવામાં આવે તે અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/OBC-Politics:-Battle-for-Backward-Quota-now-an-electoral-issue"><span style="font-size: 14pt;">OBC Politics: પછાત ક્વોટા માટેની લડાઈ હવે ચૂંટણીનો મુદ્દો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમુખમાં નિર્દિષ્ટ પૂર્વભૂમિકા અન્વયે સક્ષમ કક્ષાએ થયેલ પુખ્ત વિચારણાના અંતે, ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં ક્રમાંક: ૭૨ પર સમાવિષ્ટ "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી" પૈકી "ઠાકરડા" શબ્દનો પ્રયોગ બંધ કરવાનું આથી ઠરાવવામાં આવે છે. હવે, જ્યાં જાતિ તરીકે "ઠાકરડા" શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યાં બધે જ "ઠાકોર” સમજવું તેવી સ્પષ્ટતા આથી કરવામાં આવે છે. આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે જાતિ તરીકે "ઠાકરડા" લખાવ્યું હોય ત્યાં તથા મહેસૂલી રેકર્ડમાં પણ જ્યાં "ઠાકરડા" તરીકે ઉલ્લેખ થયેલ હોય તો તેના સ્થાને "ઠાકોર" સમજવાનું રહેશે. અર્થાત "ઠાકરડા" જાતિના નાગરિકોના શાળા છોડ્યાના પ્રમાણપત્ર (School Leaving Certificate)માં અથવા મહેસૂલી રેકર્ડમાં, પંચાયતી રેકર્ડમાં તથા અન્ય સરકારી રેકર્ડમાં ઠાકરડા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પણ સંબંધિત ઈસમોને "ઠાકરડા" ના સ્થાને “ઠાકોર” તરીકેનું સંબોધન કરવા તથા આ સમુદાયના લોકોને મળવાપાત્ર જાતિના પ્રમાણપત્રમાં “ઠાકોર” શબ્દનો ઉલ્લેખ કરવાનું આથી ઠરાવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/The-OBC-Commission-in-Gujarat-is-run-by-just-1-member,-just-like-Shobhana-Nattiya"><strong>ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!</strong></a></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 27 Jul 2024 11:44:09 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 27 Jul 2024 11:44:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>983</Articleid>
                    <excerpt>ગુજરાતમાં ઓબીસી સમાજની 6 જેટલી જ્ઞાતિઓ માટે વપરાતા એક અપમાનજનક શબ્દ પર ગુજરાત સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. વાંચો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a490050f3e3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a49004d2e51.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a49004d2e51.jpg" length="72660" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મધ્યપ્રદેશ સરકારે SC&amp;ST ના હકના કરોડો રૂપિયા ગાયો માટે ફાળવી દીધાં</title>
                    <link>https://khabarantar.com/the-madhya-pradesh-government-allocated-crores-of-rupees-for-sc-st-entitlements-for-cows</link>
                    <guid>https://khabarantar.com/the-madhya-pradesh-government-allocated-crores-of-rupees-for-sc-st-entitlements-for-cows</guid>
                    <description>
                        <![CDATA[ મધ્યપ્રદેશની મોહન યાદવે સરકારે રાજ્યના દલિતો અને આદિવાસીઓના હકના કરોડો રૂપિયા ગાયોના કલ્યાણ માટે ફાળવીને એસસી, એસટી સમાજ સાથે મોટી છેતરપિંડી આચરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશની ડો. મોહન યાદવ સરકારે 'ગાય માતા'ના કલ્યાણ માટે 252 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. 'હિન્દુસ્તાન ટાઈમ્સ'ના એક રિપોર્ટ મુજબ તેને 'ગાય અને અન્ય પશુ સંવર્ધન યોજના' નામ આપવામાં આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ યોજના પાછળ જે રકમ ખર્ચવામાં આવનાર છે તેમાંની લગભગ 40 ટકા એટલે કે રૂ. 95.76 કરોડની રકમ કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ (SC-ST)ના કલ્યાણ અને સશક્તિકરણ માટે મળેલા ભંડોળમાંથી ફાળવી દેવામાં આવી છે. જે સ્પષ્ટ કરે છે કે ભાજપ સરકારની પહેલી પ્રાથમિકતા એસસી-એસટી સમાજના લોકોની ગરીબી અને દુઃખ દૂર કરવાને બદલે ગાય માતા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યોજના અંતર્ગત મોહન યાદવ સરકારે એસસી-એસટીના અધિકારોના પૈસા હડપવાની સાથે ગાય માતાના કલ્યાણ માટેનો ખર્ચ પણ વધારી દીધો છે. ગત વર્ષે આ માટે 90 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું. પણ આ વર્ષના બજેટમાં સરકારે તેને વધારીને 252 કરોડ રૂપિયા કરી દીધું છે. આ વધેલા બજેટને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ વિશેષ પેટા-યોજના હેઠળ ફાળવવામાં આવેલા નાણાંમાંથી રૂ. 95.76 કરોડ હડપી લીધાં છે.  સ્પષ્ટ છે કે દલિતો અને આદિવાસીઓના કલ્યાણની તુલનામાં ગાય માતાનું કલ્યાણ મોહન યાદવની સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. એમાં આમ જોઈએ તો કોઈ આશ્ચર્ય ન હોવું જોઈએ, કેમ કે આરએસએસની જે પાઠશાળામાં તેઓ મોટા થયા છે તેમાં દલિતો, આદિવાસીઓની સરખામણીએ ગાયને પ્રાથમિકતા અપાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાય માતા માટે દલિતો અને આદિવાસીઓના માત્ર 95.76 કરોડ રૂપિયા જ નથી છીનવાયા પરંતુ હિંદુ મંદિરો અને મ્યુઝિયમ બનાવવા માટે તેમના અધિકારોનો બીજો મોટો હિસ્સો પણ છીનવી લેવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, 6 ધાર્મિક સ્થળોના વિકાસ માટે પણ દલિતો અને આદિવાસીઓના બજેટના નાણાં ફાળવી દેવાયા છે. જેમાં અટલ બિહારી વાજપેયીના નામે ગ્વાલિયરમાં બનનારા સ્મારક માટે પણ એસસી-એસટી પેટા-યોજના હેઠળ ફાળવવામાં આવેલા નાણાંની ફાળવણી કરી દેવામાં આવી છે. આ માટે 109 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના છે અને તેનો મોટો હિસ્સો દલિતો અને આદિવાસીઓના હકનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/1140-crores-of-rights-of-44-thousand-dalit-tribals-have-been-wasted"><span style="font-size: 14pt;">44 હજાર દલિત-આદિવાસીઓના હકના 1140 કરોડ ક્યાં ખવાઈ ગયા?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જરા વિચારો, જે પૈસા ગાયો પાછળ ખર્ચવામાં આવે છે, જો તે દલિતો અને આદિવાસીઓ માટે જમીન ખરીદવામાં, તેમના માટે નાના ઉદ્યોગો સ્થાપવામાં અને તેમના બાળકો માટે સારી સ્કૂલો અને હોસ્ટેલો બનાવવામાં ખર્ચવામાં આવે તો શું થયું હોત? આ માત્ર કલ્પના નથી. તેલંગાણાની બીઆરએસની સરકારે પોતાના રાજ્યમાં આવું કર્યું હતું. તેણે દલિતો અને આદિવાસીઓ માટે ફાળવવામાં આવેલા આ વિશેષ નાણાંનો ઉપયોગ ભૂમિહીન દલિતો માટે ખેતીલાયક જમીન ખરીદી તેમને એ જમીન ફાળવવા માટે કર્યો હતો. એટલું જ નહીં, બાકીની રકમ આ યોજના હેઠળ ખરીદાયેલી જમીન પર દલિત, આદિવાસી ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા પાછળ વાપરવામાં આવ્યા હતા. દલિતો અને આદિવાસીઓના હકના રૂ. 95.76 કરોડ, જે મધ્યપ્રદેશની સરકારે ગાય માતા પાછળ ખર્ચવાનું નક્કી કર્યું છે, તે પૈસાથી હજારો ભૂમિહીન દલિતો-આદિવાસીઓએ ખેતીના માલિક ખેડૂતમાં પરિવર્તિત થઈ શક્યા હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોહન યાદવની આગેવાની હેઠળની મધ્યપ્રદેશની ભાજપ સરકારે ગાય અને મંદિરો પાછળ 361 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ નાણાંનો મોટો હિસ્સો દલિત-આદિવાસી સમાજના આર્થિક, શૈક્ષણિક, સામાજિક કલ્યાણ અને સશક્તિકરણ માટે ખર્ચવાનો હતો, જે હવે ગાય અને મંદિર માટે ખર્ચવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દલિતો અને આદિવાસીઓ માટે વિશેષ પેટા યોજનાઓની જોગવાઈઓ કરે છે. જે અનુસૂચિત જાતિ વિશેષ સબપ્લાન (SC સબપ્લાન) અને અનુસૂચિત જનજાતિ વિશેષ સબપ્લાન (આદિજાતિ સબપ્લાન) તરીકે ઓળખાય છે. આ બે વિશેષ પેટા યોજનાઓ અનુક્રમે 1979-80 અને 1974માં બનાવવામાં આવી હતી. તે બંધારણની કલમ 46 ની જોગવાઈઓ હેઠળ બનાવવામાં આવી છે, જે નબળા વર્ગોના આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ માટે વિશેષ જોગવાઈઓ પ્રદાન કરે છે. પરંતુ હવે તેના સ્વરૂપમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ મધ્યપ્રદેશની સરકારે આ યોજનાઓ હેઠળ કેન્દ્ર પાસેથી મળેલા 95.76 કરોડ રૂપિયા ગાય માતાને આપી દીધાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસસી, એસટી વિશેષ પેટા-યોજનાનો ઉદ્દેશ્ય માત્ર દલિતો-આદિવાસીઓનું સશક્તિકરણ કરવાનો જ નહોતો, તેનો બીજો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી-દલિતો અને સમાજના અન્ય વર્ગો વચ્ચેની અસમાનતાની ખાઈને ઘટાડવાનો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/If-you-say-something,-I-say-you-are-Naxalites,-if-you-want-rights,-I-say-that-you-are-Naxalites"><span style="font-size: 14pt;">કુછ બોલતા હું તો કહેતે હૈ નક્સલી, હક માંગતા હું તો કહેતે હૈ નક્સલી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો આ નાણાં આ બંને સમાજ પર ખર્ચવામાં આવ્યા હોત તો તેઓ આર્થિક અને શૈક્ષણિક રીતે સશક્ત બની શક્યા હોત. પરિણામે, તેઓ સામાજિક-રાજકીય રીતે પણ શક્તિશાળી બનત અને તેના  અંતિમ પરિણામ મુજબ સમાજ પર ઉચ્ચ જ્ઞાતિઓ અને અન્ય શાસક જાતિઓનું વર્ચસ્વ તૂટી જાત, જે વર્ણ-જાતિ આધારિત વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણવાદને નબળી પાડત. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ અહીં તો ઉલટું, દલિતો-આદિવાસીઓના હકના પૈસા તેમની પાસેથી છીનવીને ગાય અને મંદિરો પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે. ગાય અને મંદિરને પ્રાથમિકતા આપવાનો સીધો મતલબ હિન્દુત્વની વિચારધારા અને હિંદુત્વની રાજનીતિને મજબૂત કરવી, વર્ણ-જાતિ આધારિત વ્યવસ્થાને મજબૂત કરવી, દલિતો અને આદિવાસીઓ પર ઉચ્ચ જાતિઓ અને અન્ય શાસક જાતિઓના વર્ચસ્વને મજબૂત કરવી એવો થાય. ટૂંકમાં, બધું મળીને એકંદરે  બ્રાહ્મણવાદનું મજબૂતીકરણ કરે. આમ જે પૈસો બ્રાહ્મણવાદને નબળો પાડવા માટે ફાળવાયો હતો તેનો ઉપયોગ બ્રાહ્મણવાદને મજબૂત કરવા માટે થઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, આરએસએસના સ્વયંસેવક અને ભાજપના મુખ્યમંત્રી મોહન યાદવ પાસેથી વધુ શું અપેક્ષા રાખી શકાય? ડૉ. મોહન યાદવ જેવા નેતાઓને ભાજપ SC-ST અને OBC સમાજને પ્રતિનિધિત્વ આપવાના બહાને પસંદ કરે છે. અને આગળ જતા તેમનો ઉપયોગ તેમના જ સમાજના હકો પર તરાપ મારવા માટે કરે છે. મધ્યપ્રદેશના મોહન યાદવ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Did-the-upper-classes-build-flats-by-taking-crores-of-government-land-in-the-name-of-dalit-tribals"><strong>દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 26 Jul 2024 13:30:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>978</Articleid>
                    <excerpt>મધ્યપ્રદેશની મોહન યાદવે સરકારે રાજ્યના દલિતો અને આદિવાસીઓના હકના કરોડો રૂપિયા ગાયોના કલ્યાણ માટે ફાળવીને એસસી, એસટી સમાજ સાથે મોટી છેતરપિંડી આચરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a3566277756.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a3566245872.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a3566245872.jpg" length="99246" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મધ્યપ્રદેશના રોજગારમંત્રી નકલી SC સર્ટિ પર ચૂંટણી જીતી મંત્રી બની ગયા?</title>
                    <link>https://khabarantar.com/madhya-pradesh-employment-minister-wins-election-on-fake-sc-certificate-to-become-minister</link>
                    <guid>https://khabarantar.com/madhya-pradesh-employment-minister-wins-election-on-fake-sc-certificate-to-become-minister</guid>
                    <description>
                        <![CDATA[ મધ્યપ્રદેશની ભાજપ સરકારના રોજગારમંત્રી પર અનુસૂચિત જાતિનું નકલી સર્ટિફિકેટ બનાવડાવીને ચૂંટણી જીતવાનો આરોપ લાગ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશની મોહનલાલ યાદવ સરકારના રોજગાર મંત્રી ગૌતમ ટેટવાલ પર નકલી જાતિ સર્ટિફિકેટના આધારે વિધાનસભાની ચૂંટણી જીતીને મંત્રી બની જવાનો આરોપ લાગ્યો છે. ટેટવાલ સામે હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં અરજી દાખલ કરવામાં આવી છે. કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય મંત્રીનો સ્વતંત્ર હવાલો સંભાળતા ગૌતમ ટેટવાલ પાસે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર છે. જો કે તેઓ સ્વયં અન્ય પછાત વર્ગમાં આવતા જિનગર સમાજના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટેટવાલના આ પ્રમાણપત્રને પડકારતાં હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારના વકીલે અરજીમાં આરોપ લગાવ્યો છે કે ટેટવાલ રાજગઢ જિલ્લાની સારંગપુર સીટથી છેતરપિંડી દ્વારા એસસી પ્રમાણપત્ર મેળવીને વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીમાં જણાવ્યા પ્રમાણે, ગૌતમ ટેટવાલ અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં આવતા જિંગર સમુદાયના છે. જ્યારે સારંગપુર બેઠક એસસી અનામત સીટ છે. ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટેટવાલે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કલા મહેશ માલવિયાને ૨૩,૦૫૪ મતોથી હરાવ્યા હતા અને હવે રાજ્ય સરકારમાં મંત્રી બની ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Fear-of-discrimination-in-IIT-Campus-Placement,-companies-are-seeking-caste-information-of-SCSTOBC-students"><span style="font-size: 14pt;">IIT Campus Placement માં ભેદભાવનો ભય, કંપનીઓ માંગી રહી છે SC/ST/OBC વિદ્યાર્થીઓની જાતિની માહિતી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજગઢ જિલ્લાના રહેવાસી જીતેન્દ્ર કુમાર માલવિયા દ્વારા હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં ટેટવાલ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાના વકીલ ધર્મેન્દ્ર ચેલાવતે પત્રકારોને જણાવ્યું હતું કે, અરજીની સુનાવણી આવતા સપ્તાહે થઈ શકે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચેલાવતે અરજીમાં કરાયેલા આક્ષેપોને ટાંકતા કહ્યું કે ટેટવાલ ઓબીસીમાં આવતા જિનગર સમાજમાંથી આવે છે. પરંતુ તેમણે છેતરપિંડી આચરીને અનુસૂચિત જાતિના મોચી સમાજનું સર્ટિફિકેટ બનાવડાવી લીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મેન્દ્ર ચેલાવતે કહ્યું કે અરજીની સાથે ગૌતમ ટેટવાલના સંબંધીઓ સાથે સંબંધિત અલગ-અલગ દસ્તાવેજો પણ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જેમાં તેમની જાતિને કથિત રીતે જિંગર બતાવવામાં આવી છે. આ અરજી દ્વારા કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે ટેટવાલ સાથે સંબંધિત રેકોર્ડ્‌સ મંગાવવામાં આવે અને તેના આધારે તેમના જાતિ પ્રમાણપત્રની તપાસ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/It-is-high-time-to-identify-the-subversive-fake-activists-and-teach-them-a-lesson"><strong>તોડબાજો, નકલી એક્ટિવિસ્ટોને ઓળખીને બોધપાઠ આપવાનો સમય પાકી ગયો છે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 12 Jul 2024 19:45:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>911</Articleid>
                    <excerpt>મધ્યપ્રદેશની ભાજપ સરકારના રોજગારમંત્રી પર અનુસૂચિત જાતિનું નકલી સર્ટિફિકેટ બનાવડાવીને ચૂંટણી જીતવાનો આરોપ લાગ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6691397e617d2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6691397e2bb81.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6691397e2bb81.jpg" length="66481" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે ઓબીસી પ્રમાણપત્ર મેળવવા રેવન્યૂ રેકોર્ડ પુરાવા તરીકે માન્ય ગણાશે</title>
                    <link>https://khabarantar.com/now-the-revenue-record-will-be-accepted-as-proof-to-get-obc-certificate</link>
                    <guid>https://khabarantar.com/now-the-revenue-record-will-be-accepted-as-proof-to-get-obc-certificate</guid>
                    <description>
                        <![CDATA[ રાજ્ય સરકારે ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે હવેથી રેવન્યૂ રેકોર્ડને પુરાવા તરીકે માન્ય રાખવાનું નક્કી કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના બક્ષીપંચ સમાજના બાળકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે રાજ્યના ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા ઘણી સરળતા કરી આપી છે. આ જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે હવેથી રેવન્યૂ રેકોર્ડને પણ પુરાવા તરીકે માન્ય ગણાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અગાઉ વર્ષ 1/4/1978 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો. આ માટે ગુજરાત રાજ્યની બક્ષીપંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઈની કામગીરી નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા કરાય છે. વંચાણે લીધા ક્રમાંક ઉપરના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ અર્થે રાજ્ય કક્ષાની વિશ્લેષણ સમિતિની રચના કરાયેલી છે. ઉપરના આ વિભાગના તારીખ 25/02/2022ના પરિપત્રથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવા બાબત અંગે જરૂરી સૂચનાઓ પ્રસિધ્ધ કરાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-OBC-Commission-in-Gujarat-is-run-by-just-1-member,-just-like-Shobhana-Nattiya"><span style="font-size: 14pt;">ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં જાતિ પ્રમાણપત્રની ચકાસણી માત્ર ભૌતિક ખરાઈ પૂરતી સીમિત નથી, પરંતુ આ ચકાસણીના સંદર્ભમાં સંબંધિત ઉમેદવાર ખરેખર જે તે જાતિ પૈકીની જાતિના છે કે કેમ? તે અંગે ઉંડાણપૂર્વક ચકાસણી કરાતી હોઈ આવા ઉમેદવારોની જાતિ, ગુજરાતના મૂળવતની હોવા અંગેના પર્યાપ્ત આધારો મેળવીને તથા ચકાસણી કરીને ઉમેદવારના જે તે જાતિ અંગેના દાવાની યોગ્યતા અંગે નિર્ણય લેવામાં આવે છે. આ પ્રક્રિયા સંવેદનશીલ તેમજ ઉમેદવારના ભવિષ્યને સીધી રીતે અસરકર્તા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આથી સરકારી સેવાઓમાં નિમણૂકમાં વિલંબ નિવારવા માટે વિકસતિ જાતિ કલ્યાણ કચેરીના પત્રથી આ અંગે જરૂરી સૂચનાઓ પ્રસિધ્ધ કરવા વિનંતી કરાઇ હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી પ્રક્રિયા સ્પષ્ટ અને ઝડપી બનાવવા તેમજ વાસ્તવિક અરજદારને જ લાભ મળે તે માટે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ માટે તમામ વિભાગના વડાઓને આ અંગેની જાણ કરી દેવાઇ છે અને વિવિઘ ભરતી કરતી સંસ્થાઓમાં વર્ગ 3ની ભરતીની પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા ખૂબ વધુ હોવાથી સમય મર્યાદામાં પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવી જરૂરી હોવાથી રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/an-affidavit-will-no-longer-be-required-for-amendment-of-a-birth-certificate"><strong>જન્મના પ્રમાણપત્રમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં પડે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 11 Jul 2024 20:28:20 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 21:21:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>906</Articleid>
                    <excerpt>રાજ્ય સરકારે ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે હવેથી રેવન્યૂ રેકોર્ડને પુરાવા તરીકે માન્ય રાખવાનું નક્કી કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ad008c9e8c4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ad008c71150.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ad008c71150.jpg" length="66610" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોળી સમાજે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા વડાપ્રધાનને પત્ર લખ્યો</title>
                    <link>https://khabarantar.com/koli-samaj-wrote-to-the-prime-minister-to-make-kunwarji-bavaliya-the-chief-minister</link>
                    <guid>https://khabarantar.com/koli-samaj-wrote-to-the-prime-minister-to-make-kunwarji-bavaliya-the-chief-minister</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 32 ટકા આસપાસ છે ત્યારે તેણે સમાજના નેતા કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા વડાપ્રધાનને પત્ર લખ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત સરકારના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. તેની વચ્ચે ગુજરાતનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરતો પત્ર વડાપ્રધાન મોદીને લખાયો છે. જો કે, આ મામલે ખુદ બાવળિયાએ સ્પષ્ટતા કરીને આ વાત પાયાવિહોણી હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં, આવી બાબતો અંગેનો નિર્ણય મોવડીમંડળ જ લેતું હોય છે તેમ જણાવ્યું હતું. આ બાબતને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભાજપમાં આજ સુધી જેનો અંતરઆત્મા દબાયેલો હતો તેઓ હવે બોલી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારથી ગુજરાત સરકારનું વિસ્તરણ ગમે ત્યારે થઈ શકે છે, તેવી ચર્ચાઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે એક નવી બાબત સામે આવી છે. જેના કારણે ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ અને કોળી સમાજના અગ્રણી ભૂપત એમ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને સીધા ગુજરાતનાં મુખ્યમંત્રી બનાવવા માટેની રજૂઆત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં તેમને ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે ડાભીએ જણાવ્યું છે કે, ગત લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના કોળી સમાજ તેમજ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજ સંપૂર્ણ રીતે ભાજપ સાથે રહ્યો છે. તો કોળી સમાજની લાગણી અને માંગણી છે કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કુંવરજી બાવળિયાને બનાવવામાં આવે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_668c021de80ca.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે કોળી સમાજના અગ્રણી ભૂપત ડાભીએ મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોળી સમાજનો સરવે કરીને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. લોકસભાની ચૂંટણીમાં કુંવરજી બાવળિયાના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો છે. ગુજરાતમાં 265 સરપંચ કોળી સમાજના છે. રાજ્યની વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ કોળી સમાજના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા પણ બહોળી છે. કુંવરજીભાઈ જેવા વ્યક્તિ મુખ્યમંત્રી બને તો ભાજપ વધુ મજબૂત બનશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/A-letter-from-Mata-Savitribai-Phule-proving-the-talents-and-abilities-of-Fatima-Sheikh"><span style="font-size: 14pt;">ફાતિમા શેખની પ્રતિભા-ક્ષમતાઓની સાબિતી આપતો માતા સાવિત્રીબાઈ ફૂલેનો પત્ર</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભૂપત ડાભી ઉપરાંત અન્ય કોળી સમાજના આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે કોળી સમાજની લાગણી અને માંગણી વ્યક્ત કરી છે. તાજેતરમાં જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે અચાનક દિલ્હી દરબારમાં કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ચર્ચાઓ અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ બાબત અંગે મને કોઈ જાણકારી નથી, હું ભાજપનો કાર્યકર છું અને મને ખબર નથી આવી રજૂઆત થાય છે. પરંતુ કેબિનેટ મંત્રી પદથી હું સંતુષ્ટ છું. જ્યારે આવા પદની નિમણૂક અંગે પક્ષનું મોવડીમંડળ નિર્ણય લેતું હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગોહિલે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી બાદ ભાજપના નેતાઓનો અંતરાત્મા જાગ્યો છે. ભૂતકાળમાં ભાજપમાં જે લોકો બોલ્યા, તેમની કારકિર્દી પૂર્ણ થઈ ગઈ. હવે ભાજપમાં આંતરિક લોકશાહી માટેની બારી ખુલી છે. ભાજપમાં બોલવાનું શરૂ થયું છે તે બાબતનું સ્વાગત કરું છું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોહિલે ભાજપના હરેન પંડ્યાને યાદ કરતા જણાવ્યું હતું કે, હરેન પંડ્યા ભૂતકાળમાં ભાજપ સામે બોલ્યા હતા અને તેમની સાથે શું થયું? એ જાણીએ છીએ. ભૂતકાળમાં જે બોલ્યા હતા તેમની કારકિર્દી પતાવવાનું કામ થયું છે. ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપનાં નેતાઓનો અંતરાત્મા દબાયેલો હતો, તે હવે જાગ્યો છે અને બોલવાની શરુઆત થઈ છે. ભાજપના નેતાઓને એવું થયું છે કે હવે બોલવા જેવું છે એટલે ભાજપના નેતાઓ બોલી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/parliament-house-dr-letter-campaign-launched-to-restore-ambedkars-statue"><strong>સંસદ ભવનમાં ડૉ. આંબેડકરની પ્રતિમા પુનઃસ્થાપિત કરવા પત્ર ઝુંબેશ શરૂ</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 08 Jul 2024 20:50:53 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 08 Jul 2024 20:52:27 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>889</Articleid>
                    <excerpt>ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 32 ટકા આસપાસ છે ત્યારે તેણે સમાજના નેતા કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા વડાપ્રધાનને પત્ર લખ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668c021d74262.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668c021d463dd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668c021d463dd.jpg" length="102790" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બસપા પ્રદેશ અધ્યક્ષની હત્યા આઘાતજનક અને દુઃખદ: એમ.કે. સ્ટાલિન</title>
                    <link>https://khabarantar.com/murder-of-bsp-president-shocking-and-sad-m-k-stalin</link>
                    <guid>https://khabarantar.com/murder-of-bsp-president-shocking-and-sad-m-k-stalin</guid>
                    <description>
                        <![CDATA[ તમિલનાડુમાં બીએસપી અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની અજાણ્યા હુમલાખોરોએ ઘાતકી હત્યા કરી નાખી છે ત્યારે સીએમ સ્ટાલિનને પ્રતિક્રિયા આપી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની ઝોમેટો કંપનીનું ટિશર્ટ પહેરીને આવેલા અજાણ્યા શખ્સોએ તેમના ઘરે જ તલવારો સહિતના ઘાતક હથિયારોથી હત્યા કરી નાખતા તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં છે. ત્યારે હવે આ મામલે તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિને પ્રતિક્રિયા આપી છે.  સ્ટાલિને આર્મસ્ટ્રોંગની હત્યાને આઘાતજનક અને અત્યંત દુ:ખદ ગણાવીને ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ આર્મસ્ટ્રોંગની હત્યા બાદ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બસપાએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. ગઈકાલે આર્મસ્ટ્રોંગની તેમના ઘરની બહાર નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી હતી. જ્યારે તેઓ તેમના ઘરની સામે પાર્ટીના કાર્યકરો સાથે બેઠાં હતા ત્યારે બે બાઇક પર છ લોકો સવાર થઈને આવ્યા હતા અને આર્મસ્ટ્રોંગ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા બસપાના કાર્યકરોએ ચેન્નાઈમાં રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલની બહાર રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસે વિરોધ કરી રહેલા બસપાના કાર્યકરોની અટકાયત કરી હતી. આ મામલે સીબીઆઇ તપાસની માગણી સાથે હોસ્પિટલની બહાર ચાલી રહેલા વિરોધને કારણે પૂનમલી હાઈ રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આર્મસ્ટ્રોંગની હત્યાને અંગે સીએમ સ્ટાલિને કહ્યું હતું કે, "બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની હત્યા આઘાતજનક અને અત્યંત દુઃખદ છે. પોલીસે હત્યામાં સંડોવાયેલા આરોપીઓની રાતોરાત ધરપકડ કરી લીધી છે. હું આર્મસ્ટ્રોંગના પક્ષ, પરિવાર, સંબંધીઓ અને મિત્રો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. પોલીસ અધિકારીઓ ગુનેગારોને કાયદા મુજબ સજા અપાવશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-politics-from-here-to-the-desert-from-here-to-the-river"><span style="font-size: 14pt;">દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આર્મસ્ટ્રોંગની હત્યા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શોક વ્યક્ત કરતા કહ્યું, બસપા તમિલનાડુના પ્રમુખ કે. આર્મસ્ટ્રોંગની ઘાતકી હત્યાથી ઊંડો આઘાત લાગ્યો છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે. તમિલનાડુમાં કોંગ્રેસના નેતાઓ રાજ્ય સરકારના સતત સંપર્કમાં છે. મને ખાતરી છે કે સરકાર સુનિશ્ચિત કરશે કે મૃતકના પરિવારને ઝડપથી ન્યાય મળે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના પર કેન્દ્રીય મંત્રી એલ મુરુગને કહ્યું કે તમિલનાડુમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે એક રાષ્ટ્રીય પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની હત્યા થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું, "ડીએમકે સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. દસ દિવસ પહેલા અહીં ઝેરી દારૂ પીવાથી ૭૦ લોકોના મોત થયા હતા. આ રાજ્ય ક્યાં જઈ રહ્યું છે?”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજેપી નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, "તામિલનાડુમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાંથી નીકળી ગઈ છે. આ માટે એમકે સ્ટાલિન જવાબદાર છે. જ્યારે છ લોકોએ સાંજે સાત વાગ્યે બસપા નેતા કે. આર્મસ્ટ્રોંગની હત્યા કરી નાખી, તો અહીં બીજું કોણ સુરક્ષિત છે?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કે. આર્મસ્ટ્રોંગે વેંકટેશ્વર યુનિવર્સિટી, તિરુપતિમાંથી કાયદાની ડિગ્રી લીધી અને ચેન્નાઈ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી હતી. તેઓ વર્ષ ૨૦૦૬માં મ્યુનિસિપલ કાઉન્સિલરની ચૂંટણી જીત્યા અને તે જ વર્ષે તેમને તમિલનાડુ બીએસપીના વડા બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૧ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં આર્મસ્ટ્રોંગ કોલાથુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્રી છે. આર્મસ્ટ્રોંગ દલિતો અને વંચિતોના અધિકારોના સમર્થક હતા અને તેના વિશે ખૂબ અવાજ ઉઠાવતા હતા. ચેન્નાઈમાં બસપાનો ટેકો ખાસ નથી, પરંતુ કે આર્મસ્ટ્રોંગ દલિત વર્ગના રાજકારણમાં જાણીતું નામ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/in-tamil-nadu-6-people-broke-into-the-house-of-the-bsp-president-and-killed-him"><strong>તમિલનાડુમાં BSP અધ્યક્ષની ઘરમાં ઘૂસીને 6 લોકોએ હત્યા કરી </strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 06 Jul 2024 21:59:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>880</Articleid>
                    <excerpt>તમિલનાડુમાં બીએસપી અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની અજાણ્યા હુમલાખોરોએ ઘાતકી હત્યા કરી નાખી છે ત્યારે સીએમ સ્ટાલિનને પ્રતિક્રિયા આપી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66896fe6e0960.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66896fe6b111e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66896fe6b111e.jpg" length="62068" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત સરકાર વધુ 17,200 ટેટ&amp;ટાટ પાસ શિક્ષકોની ભરતી કરશે</title>
                    <link>https://khabarantar.com/gujarat-government-to-recruit-17200-more-tet-tat-pass-teachers</link>
                    <guid>https://khabarantar.com/gujarat-government-to-recruit-17200-more-tet-tat-pass-teachers</guid>
                    <description>
                        <![CDATA[ ટેટ-ટાટ પાસ ઉમેદવારોના આંદોલનને કારણે ભીંસમાં આવેલી રાજ્ય સરકારે વધુ 17200 ટેટ-ટાટ પાસ શિક્ષકોની ભરતી કરવાનું નક્કી કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજયમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી 42,759 જેટલી ખાલી પડેલી શિક્ષકોની જગ્યા સામે આગામી ડિસેમ્બર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા 24,700 જેટલા શિક્ષકોની ભરતી કરશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લેવાયો છે. જે અંગે આજે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સંયુક્ત રીતે માહિતી આપી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અગાઉ 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત કરાયા બાદ હવે તેમાં વધારો કરીને વધુ 17200 શિક્ષકોની ભરતી કરાશે. એટલે કે, સરકાર દ્વારા કુલ મળી 24700 નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે સરકાર દ્વારા સમય પત્રક બનાવાયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજ સુધીના સમયમાં સૌથી મોટી ભરતી અમે કરી રહ્યા છે. વિવિધ તબક્કામાં 12માં મહિના સુધી તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરીશું. એટલું જ નહીં વર્ષ 2011 થી 2023 સુધી જેટલી ટેટ-ટાટની પરીક્ષા લેવાઈ છે તેમાં પાસ થયેલા ઉમેદવારને માન્ય ગણીને ભરતી કરવામાં આવશે. જેમની પાસે ટેટ-ટાટ પાસનું પ્રમાણપત્ર છે તે અરજી કરી શકશે અને મેરિટ મુજબ ભરતી કરાશે.તા. 29-4-23 ના ઠરાવ મુજબ ભરતી માટે વર્ષ 2023 માં લેવાયેલ દ્વિસ્તરીય અભિરૂચિ કસોટીને ધ્યાનમાં લેવાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Teachers-fail-9218-teachers-made-mistakes-in-answer-book-totals-in-two-years,-fined-Rs-1.54-crore">શિક્ષકો જ નાપાસ! બે વર્ષમાં 9218 શિક્ષકોએ ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરી, 1.54 કરોડનો દંડ ફટકારાયો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં કુલ 42,759 જગ્યા ખાલી છે, જેમાં કુલ મળીને 24,700 જગ્યાની ભરતી કરી રહ્યા છે. આ પરીક્ષામાં હાલમાં કાર્યરત 17 હજાર જ્ઞાન સહાયક શિક્ષકો પણ ભાગ લઈ શકશે. આ શિક્ષકોની ભરતી ઉપરાંત જ્ઞાન સહાયકની વ્યવસ્થા ચાલુ રહેશે, પણ જે લોકો જ્ઞાન સહાયક તરીકે કામ કરે છે અને લાયકાત ધરાવે છે એ લોકો પણ પરીક્ષામાં ભાગ લઈ શકશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્ઞાન સહાયક કે જેને તમે આઉટસોર્સિંગ ગણતા હો તો ગણી શકો છે, તે પણ આ પરીક્ષા આપી શકે છે. રાજ્યની અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં 1200 આચાર્યની ખાલી જગ્યા પણ ભરી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ તા.31-07-2023ની સ્થિતિએ બાલવાટિકાથી ધોરણ-8માં કુલ મંજૂર થયેલ મહેકમ 1,92,043 સામે 1,69,387 શિક્ષકો કાર્યરત છે, જ્યારે 22,656 જગ્યા ખાલી પડેલી છે. તો તા. 31-10-2023ની સ્થિતિએ નિવૃત્તિથી ખાલી પડેલી 2005 જગ્યા, ડિસેમ્બર-23ની સ્થિતિએ ભરતી કરેલા શિક્ષકોની સંખ્યા 2430 છે, તો તા. 31-05-2024ની સ્થિતિએ નિવૃત્તિથી ખાલી પડેલી જગ્યા 1428 મળીને હાલની સ્થિતિએ કુલ 23,659 શિક્ષકોની ઘટ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ વિભાગની માહિતી મુજબ તા.01-06-2024ની સ્થિતિએ રાજયની માધ્યમિક શાળામાં સરકારી અને ગ્રાન્ટેડ મળીને કુલ 31337 જગ્યામાંથી અંદાજે 24013 હજાર ભરાયેલી છે, જ્યારે અંદાજે 7324 જેટલી જગ્યા ખાલી છે. તો ઉચ્ચત્તર  માધ્યમિક શાળાઓમાં મંજૂર થયેલી 24416 જગ્યામાંથી 16383 જગ્યાઓ ભરેલી છે અને 8033 જગ્યા ખાલી છે. આમ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ મંજૂર થયેલ 55753 શિક્ષકોની જગ્યાઓ પૈકીની 40396 જગ્યા ભરાયેલી છે જ્યારે 15357 જગ્યા ખાલી પડી છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/4-students-who-wrote-jai-shree-ram-in-answer-book-passed-with-56-Percentage-marks">ઉત્તરવહીમાં 'જયશ્રી રામ' લખનારા 4 વિદ્યાર્થીઓ 56 ટકા માર્ક્સ સાથે પાસ</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 04 Jul 2024 10:17:53 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 21:33:31 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>865</Articleid>
                    <excerpt>ટેટ-ટાટ પાસ ઉમેદવારોના આંદોલનને કારણે ભીંસમાં આવેલી રાજ્ય સરકારે વધુ 17200 ટેટ-ટાટ પાસ શિક્ષકોની ભરતી કરવાનું નક્કી કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ad034b86125.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ad034b55162.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ad034b55162.jpg" length="107051" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case TET-TAT teachers recruit</media:keywords>
                </item>
                        <item>
                    <title>મુખ્યમંત્રી અમારી જાતિનો છે, અમારી ઈચ્છા થશે ત્યારે પાણી આપીશું...</title>
                    <link>https://khabarantar.com/cm-belongs-to-our-caste-we-will-give-water-when-we-want</link>
                    <guid>https://khabarantar.com/cm-belongs-to-our-caste-we-will-give-water-when-we-want</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં માથાભારે તત્વોના ખેતર વચ્ચે સરકારી ટ્યૂબવેલ આવેલી છે. પણ જાતિવાદી તત્વો દલિત, ઓબીસી ખેડૂતોને પાણીથી ખેતી કરવા દેતા નથી અને સીએમની બીક બતાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્ટોરીનું ટાઈટલ વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે મામલો ક્યા રાજ્યનો હશે. જી હા, જાતિવાદી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના સીતાપુર જિલ્લાના મિશ્રિખ તાલુકાના શંકરપુરા ગામમાં માથાભારે ઠાકુર કોમના શખ્સોએ દલિતો, ઓબીસી પર એ હદે દાદાગીરી કરવા માંડી છે કે તેમની 200 વીઘા જમીનમાં ખેતીને નુકસાન થઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈ વિભાગ દ્વારા સંચાલિત ટ્યુબવેલ માથાભારે ઠાકુર કોમના ખેડૂતના ખેતરની વચ્ચે આવેલી છે. આ શખ્સ તેનો ફાયદો ઉઠાવીને ટ્યુબવેલની ચાવી પોતાની પાસે રાખે છે અને પોતાના ખેતરમાં જ સિંચાઈ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માથાભારે શખ્સ પર આરોપ છે કે તેણે દલિત અને પછાત જાતિના ખેડૂતોના ખેતરોમાં પાણી આપવાની ના પાડી દીધી છે. ઠાકુર જાતિના આ શખ્સે તેમને ધમકી આપી છે કે મુખ્યમંત્રી તેમની જાતિના છે અને આ સરકાર તેમની છે. એટલે જ્યારે તેને મન થશે ત્યારે પાણી આપશે. અને જો વિરોધ કરશો તો ખોટા કેસમાં ફસાવી દઈશ. આ મામલે દલિત, ઓબીસી ખેડૂતોએ મુખ્યમંત્રીને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે તપાસ કરીને કાર્યવાહી કરવાની વાત કહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો યુપીના સીતાપુર જિલ્લાના મિશ્રીખ તાલુકાના ગોંદલામઉ વિસ્તારનો છે. અહીં દાલમીયા સુગર મીલને અડીને શંકરપુરા નામનું ગામ આવેલું છે. ગામમાં અંદાજે 300થી વધુ ખેડૂતો વસે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/you-should-be-given-water-in-toilet-bowl-only-then-you-dont-do-nakhra"><span style="font-size: 14pt;">તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો..</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, તેમના ખેતરોની નજીક સિંચાઈ વિભાગ દ્વારા નાખવામાં આવેલી 109 નંબરની ટ્યુબવેલ છે. લગભગ 50 ખેડૂતો તેમાંથી તેમના ખેતરોમાં સિંચાઈ કરે છે. આ ટ્યુબવેલ ઠાકુર જાતિના ખેડૂતના ખેતરની વચ્ચે આવેલી છે. અંદાજે 100 વીઘા જમીન પર તેમના લોકો ખેતી કરે છે. જ્યારે દલિત અને ઓબીસી સમાજના ખેડૂતો 200 વીઘાથી વધુ જમીન ધરાવે છે. આ વિસ્તારમાં મોટાભાગે શેરડીની ખેતી થાય છે, જેમાં અન્ય પાકોની સરખામણીએ વધુ પાણીની જરૂર પડે છે. ગરમ વાતાવરણમાં શેરડીને પાણીની જરૂરિયાત વધુ રહે છે જેના કારણે બધાં ખેડૂતોને પાણી જોઈએ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડૂતોનો આક્ષેપ છે કે, હાલ ગરમીને કારણે પાવર કટની સમસ્યા પણ વધુ રહે છે. જેના કારણે વધુ સમય સુધી પમ્પ ચાલી શકતો નથી. જ્યારે લાઈટ આવે છે ત્યારે મોટાભાગે તો ઠાકુરો જ પોતાના ખેતરોને પાણી પાતા રહે છે. દલિત અને પછાત જાતિના ખેડૂતો છેલ્લાં એક મહિનાથી તેમના ખેતરોમાં સિંચાઈ કરી શકતા નથી, જેના કારણે શેરડીનો પાક સુકાઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડૂતોનો આરોપ છે કે, "અનેકવાર ખેતરમાં પાણી આપવા બાબતે ઠાકુર પરિવારો સાથે વિવાદ થયો છે. ઠાકુર પરિવારના સભ્યો અમને ધમકી આપે છે કે મુખ્યમંત્રી અમારી જાતિના છે, આ ઠાકુરોની સરકાર છે. અમને જ્યારે મન થશે ત્યારે પાણી આપીશું. ટ્યૂબવેલ ઠાકુરોના ખેતરોની વચ્ચે આવેલી છે અને તેઓ અમને ધમકી આપે છે કે, અમારી મરજી વિના અમારા ખેતરોમાં કોઈ ઘૂસી નહીં શકે. ટ્યૂબવેલની ચાવી પણ ઠાકુરો પાસે રહે છે. જ્યારે તેનો વિરોધ કરવામાં આવે છે તો તેઓ અમને ચોરી, લૂંટ, છેડતી અને બળાત્કારના ખોટા આરોપોમાં જેલમાં ધકેલી દેવાની ધમકી આપે છે. અમે આ મામલે મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સીતાપુર પોલીસનું કહેવું છે કે, સમગ્ર મામલાની તપાસ મિશ્રીખના રેન્જ આઈજી અને ઈન્ચાર્જ પીઆઈને સોંપવામાં આવી છે. આ મામલે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/71.4-percent-of-dalits-have-access-to-public-water-taps"><strong>જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રખાય છે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 01 Jul 2024 13:55:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>850</Articleid>
                    <excerpt>એક ગામમાં માથાભારે તત્વોના ખેતર વચ્ચે સરકારી ટ્યૂબવેલ આવેલી છે. પણ જાતિવાદી તત્વો દલિત, ઓબીસી ખેડૂતોને પાણીથી ખેતી કરવા દેતા નથી અને સીએમની બીક બતાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6682676d85cb8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6682676d51396.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6682676d51396.jpg" length="93151" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>નોકરીના ઈન્ટરવ્યૂમાં OBC, SC ને ઓછા માર્ક્સ અપાય છે: અપના દળ</title>
                    <link>https://khabarantar.com/obcs-scs-are-given-low-marks-in-job-interviews-apna-dal</link>
                    <guid>https://khabarantar.com/obcs-scs-are-given-low-marks-in-job-interviews-apna-dal</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી રહેલા અપના દળના નેતા અનુપ્રિયા પટેલે ઓબીસી અને એસસી કેટેગરીને સરકારી નોકરીઓમાં અન્યાય થઈ રહ્યાંની વાત કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારી નોકરીઓમાં ઓબીસી અને દલિત યુવકોને જાણી જોઈને ઈન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આપવામાં આવે છે અને તેમની અવગણના કરવામાં આવે છે. આ આરોપ કોઈ વિપક્ષના નેતાએ નહીં પરંતુ મોદી સરકારમાં મંત્રી રહેલા અપના દળના નેતા અનુપ્રિયા પટેલે લગાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશમાં ભાજપની સાથી પાર્ટી અપનાદળે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આ મામલે રજૂઆત કરી છે. અનુપ્રિયા પટેલે પત્રમાં લખ્યું છે કે, ઈન્ટરવ્યૂના આધારે મળતી નોકરીઓમાં દલિતો અને ઓબીસી વર્ગના યુવાનોની અવગણના કરવામાં આવે છે. તેમને જાણી જોઈને ઓછા માર્ક્સ આપવામાં આવે છે અને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુપ્રિયા પટેલે વધુમાં જણાવ્યું છે કે, ઘણીવાર એવું થાય છે કે, ઓબીસી અને એસસી ક્વોટામાંથી કોઈ લાયક ઉમેદવાર મળતો નથી એમ કહીને આ તમામ ખાલી જગ્યાઓને જનરલ કેટેગરીમાં ભેળવી દેવામાં આવે છે. આ રીતે સવર્ણ ઉમેદવારોને લાભ કરાવવામાં આવે છે. કેટલીક યુનિવર્સિટીઓમાં એડમિશન દરમિયાન પણ આવું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અપના દળે માંગ કરી છે કે, આવી સ્થિતિમાં આ ખાલી જગ્યાઓને અનરિઝર્વ કરીને જનરલ કેટેગરીમાં ભેળવી દેવાને બદલે કોઈપણ સંજોગોમાં દલિત, ઓબીસી ક્વોટાથી જ ભરવામાં આવે. હાલમાં જ પુરી થયેલી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષ તરફથી આઉટસોર્ટિંગ એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત નોકરીઓ આપવાના મામલે પણ અનામતની માંગ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/brahmins-were-4-percent-in-kolhapur-but-80-percent-of-the-jobs-were-brahmins"><span style="font-size: 14pt;">કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુપ્રિયા પટેલે યોગી સરકાર દ્વારા ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવતી ભરતીઓને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, યુપીમાં સરકારી ઈન્ટરવ્યૂના આધારે થતી ભરતીઓમાં ઓબીસી, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને એમ કહીને નોકરી નથી આપવામાં આવતી કે તે તેઓ લાયક નથી. આ રીતે આ ત્રણેય કેટેગરીના ઉમેદવારોના ક્વોટાની ખાલી પડેલી નોકરીઓ જનરલ જાહેર કરીને તેના પર જનરલ કેટેગરીના કથિત સવર્ણ ઉમેદવારોની ભરતી કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુપ્રિયા પટેલે માંગ કરી છે કે, ઈન્ટરવ્યૂના આધારે આ રીતે દલિત, આદિવાસી અને ઓબીસી ઉમેદવારોને સરકારી નોકરીઓમાંથી બહાર કરી દેવાનું આ ષડયંત્ર બંધ કરવામાં આવે. નોટ ફાઉન્ડ સ્યુટેબલ કેન્ડિડેટ લખી દઈને આ ત્રણેય કેટેગરીના ઉમેદવારોને નોકરીમાંથી બહાર કરી દેવામાં આવે છે એ હવે નહીં ચલાવી લેવાય. યુપી સરકારે આ ષડયંત્ર પર તરત બ્રેક લગાવવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે, સરકારે આવા કેસોમાં તરત કાર્યવાહી કરવી જોઈએ. જેથી એસસી, એસટી અને ઓબીસી વર્ગના યુવાનોમાં આક્રોષ ન ભભૂકી ઉઠે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુપ્રિયા પટેલે એકદમ સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે, ભલે ગમે તે થાય પરંતુ આ વર્ગની અનામત નોકરીઓ પર જનરલ કેટેગરીના ઉમેદવારોની નિમણૂંક ન થવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કથિત સવર્ણો દ્વારા અનામત કેટેગરીના યુવાનો માટેની ખાલી પડેલી સરકારી નોકરીઓ પર યોગ્ય ઉમેદવાર નથી મળતા એમ કહીને તે ખાલી સીટોને પછી જનરલ જાહેર કરી દેવામાં આવે છે. હાલ દેશભરમાં દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના લાખો યુવાનો ભણીગણીને સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહ્યાં છે. અનેક કેસોમાં તો તેઓ નોકરી માટે જરૂરી લઘુતમ લાયકાત કરતા પણ વધુ ભણતર ધરાવતા હોય છે. તેમ છતાં ઈટરવ્યૂ પેનલમાં બેસતા સવર્ણ અધિકારીઓ તેમને નાપાસ કરીને નોકરીમાંથી બહાર કરી દે છે. છેલ્લે એ ખાલી જગ્યાઓને જનરલ જાહેર કરીને પોતાના માણસોને ગોઠવી દે છે. આ રમત વર્ષોથી ચાલતી આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/More-than-48-thousand-vacancies-of-SC,-ST,-OBC-in-various-departments-of-Gujarat-Govt"><strong>ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં SC, ST, OBCની 48 હજારથી વધુ નોકરીઓ ખાલી</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 29 Jun 2024 17:20:34 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 29 Jun 2024 17:22:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>842</Articleid>
                    <excerpt>કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી રહેલા અપના દળના નેતા અનુપ્રિયા પટેલે ઓબીસી અને એસસી કેટેગરીને સરકારી નોકરીઓમાં અન્યાય થઈ રહ્યાંની વાત કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667ff43d379b5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667ff43d093fc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667ff43d093fc.jpg" length="52226" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS હવે કોલેજમાં ભણતા દલિત, ઓબીસી યુવાનો પર ફોકસ કરશે</title>
                    <link>https://khabarantar.com/rss-will-now-focus-on-dalit-obc-youth-studying-in-colleges</link>
                    <guid>https://khabarantar.com/rss-will-now-focus-on-dalit-obc-youth-studying-in-colleges</guid>
                    <description>
                        <![CDATA[ લખનઉમાં ચાલી રહેલી RSS ની ત્રણ દિવસની કાર્યકારિણીની કેટલીક મહત્વની બાબતો સામે આવી છે. એ મુજબ સંઘ હવે કોલેજોમાં ભણતા દલિત, ઓબીસી યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીમાં સંઘની રાજકીય પાંખ એવા ભાજપને ધારી સફળતા નથી મળી. કેન્દ્રમાં હવે મોદી સરકાર નહીં પરંતુ એનડીએ સરકાર અસ્તિત્વમાં આવી છે ત્યારે સંઘે પણ હવે પોતાની રણનીતિ બદલી છે. મળતી માહિતી પ્રમાણે હાલના ચૂંટણી પરિણામોમાં દલિતો અને ઓબીસી સમાજની વધતી જતી સક્રિયતાને લઈને સંઘમાં ચિંતા પેઠી છે. ખાસ કરીને આ વર્ગના યુવાનોમાં વધતી જતી રાજકીય-સામાજિક જાગૃતિ સંઘ માટે માથાનો દુખાવો બની રહી છે. જેના કારણે હવે સંઘે પોતાની રણનીતિ બદલી છે અને અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજના કોલેજોમાં ભણતા યુવાનોને સંઘની શાખાઓમાં ખેંચી લાવીને પોતાનામાં ભેળવવાનું નક્કી કર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટીની સીટોમાં ઘટાડો થયા બાદ અને ધાર્યા પ્રમાણે પરિણામો ન આવ્યા બાદ આરએસએસ સક્રિય થઈ ગયું છે. સંઘના જિલ્લા પ્રચારકો સાથેની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સંઘ હવે કોલેજો અને યુનિવર્સિટીઓમાં પોતાનું કાર્ય વધારશે. આ માટે તમામ જિલ્લામાં વિદ્યાર્થીઓની શાખાઓ શરૂ કરવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસનું માનવું છે કે આ નુકસાનનું કારણ બેરોજગારી અને પેપર લીકને લઈને યુવાનોમાં વધી રહેલો ગુસ્સો છે. આવી સ્થિતિમાં હવે સંઘે રોજગાર જેવા મુદ્દાઓ પર કામ કરવાનો નિર્ણય લીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના જણાવ્યા અનુસાર સંઘ પહેલીવાર રોજગારી વધારવાની યોજના પર કામ કરવા જઈ રહ્યું છે. જેમાં તેની સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ સાથે રોજગારીના સર્જન અંગે ચર્ચા કરવામાં આવશે. તેની સાથે જ કુટીર ઉદ્યોગ પર ભાર મૂકવામાં આવશે. તેની સાથે જ આરએસએસ સ્વદેશીને પ્રોત્સાહન આપવાનું કામ પણ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/i-was-and-am-a-member-of-rss-retiring-judge-chittaranjan-das"> <span style="font-size: 14pt;">"હું RSS નો સભ્ય હતો અને છું", નિવૃત્ત થઈ રહેલા જજ ચિત્તરંજન દાસ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રણ દિવસની આ બેઠકમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને સ્વદેશી ચીજવસ્તુઓના પ્રમોશન અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે વધુને વધુ યુવાનોને દલિત અને પછાત વર્ગ સાથે જોડવાનું કામ કરવામાં આવશે. તેના માટે કોલેજોમાં ખાસ કરીને હોંશિયાર દલિત, આદિવાસી અને ઓબીસી વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને તેને સંઘની વિચારધારા સાથે જોડવા પ્રયત્ન કરાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર કાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ સંઘના જિલ્લા પ્રચારકો સાથેની બેઠકમાં નિર્ણય લીધો છે કે હવે સંઘ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ પોતાનું કાર્ય વધારશે. આ માટે તમામ જિલ્લામાં વિદ્યાર્થીઓની શાખાઓ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સંપર્ક ઝુંબેશ પણ ઝડપી કરવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું કહેવામાં આવ્યું છે કે દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના હોંશિયાર વિદ્યાર્થીઓને પોતાની સાથે જોડવા માટે એક અભિયાન પણ ચલાવવામાં આવશે. આ માટે સંઘ નવા પ્રચારકોને તાલીમ આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આરએસએસ પોતાની સાથે યુવા ઉદ્યોગપતિઓને પણ સામેલ કરશે. આ માટે એક અલગ શાખા પણ શરૂ કરવામાં આવશે. યુવાન અને પરિપક્વ ઉદ્યોગપતિઓ માટે અલગ શાખાઓ શરૂ કરવા માટે ટૂંક સમયમાં એક મોટું પગલું લેવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb"><strong>RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 28 Jun 2024 19:04:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>838</Articleid>
                    <excerpt>લખનઉમાં ચાલી રહેલી RSS ની ત્રણ દિવસની કાર્યકારિણીની કેટલીક મહત્વની બાબતો સામે આવી છે. એ મુજબ સંઘ હવે કોલેજોમાં ભણતા દલિત, ઓબીસી યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667ebb20a0483.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667ebb206e6ef.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667ebb206e6ef.jpg" length="74723" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>SSDએ શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવા મુદ્દે 33 જિલ્લાઓમાં વિરોધ કર્યો</title>
                    <link>https://khabarantar.com/ssd-protested-in-33-districts-on-the-issue-of-teaching-bhagavad-gita-in-schools</link>
                    <guid>https://khabarantar.com/ssd-protested-in-33-districts-on-the-issue-of-teaching-bhagavad-gita-in-schools</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત સરકારે ધો. 6-7-8 ના પાઠ્યપુસ્તકમાં ભગવદ ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે. જેની સામે સ્વયં સૈનિક દળે રાજ્યના તમામ 33 જિલ્લામાં વિરોધ નોંધાવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા હાલમાં જ ધોરણ 6-7 અને 8 ના પાઠ્યપુસ્તકમાં ભગવદ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં અમદાવાદની 600 જેટલી શાળાઓમાં સવારે ભગવદ ગીતાના શ્લોકનું પ્રાર્થનામાં પઠન કરાવાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે સ્વયં સૈનિક દળ ગુજરાત દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ માટે સ્વયં સૈનિક દળના વિવિધ જિલ્લાના સૈનિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રાજ્ય સરકારની કોઈ એક ધર્મને પ્રાધાન્ય આપવાની બાબતનો આકરો વિરોધ નોંધાવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં જ સ્વયં સૈનિક દળ દ્વારા આ મામલે ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં સૈનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમાં દરેક ધર્મના સિદ્ધાંતોને સામેલ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ મામલે વિરોધ દર્શાવવા મુસ્લિમ સમાજ પણ આગળ આવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/In-the-case-of-rajkot-custodial-death-ssd-will-issue-application-form-in-each-district">રાજકોટ કસ્ટોડિયલ ડેથ મામલે SSD દરેક જિલ્લામાં આવેદનપત્ર અપાશે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6679183d8e575.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાલનપુર સ્વયં સૈનિક દળના સૈનિક કિશન પ્રિયદર્શી આ મામલે ખબરઅંતર.કોમ સાથે વાતચીત કરતા જણાવે છે કે, "ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા હાલમાં જ ધોરણ 6-7-8ના પાઠ્યપુસ્તકમાં હિંદુ ધર્મની ભગવદ ગીતાને પ્રાધાન્ય આપવાનું નક્કી થયું છે તે યોગ્ય નથી. ભારત ધર્મનિરપેક્ષ દેશ છે માટે સરકાર કોઈ એક ધર્મને પ્રાધાન્ય ન આપી શકે, તેણે અન્ય ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતોને પણ પુસ્તકોમાં સામેલ કરીને વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ. આર્ટિકલ 25માં ધર્મ સ્વાતંત્ર્યનો ઉલ્લેખ છે. જેમાં અંતઃકરણની અને મુક્ત રીતે ધર્મની માન્યતા, પાલન અને પ્રચારની સ્વતંત્રતા છે. આર્ટિકલ 28માં સ્પષ્ટ જોગવાઈ છે કે, રાજ્યના નાણાંના સંપૂર્ણ ખર્ચે ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. આર્ટિકલ 29 અને 30માં પણ કંઈક અંશે આ સંદર્ભની જ વાત કરવામાં આવી છે. ત્યારે ધોરણ 6-7-8ના પાઠ્યપુસ્તકોમા ભગવદ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો છે, તો અન્ય ધર્મના લોકોને પણ યોગ્ય ન્યાય મળે તે જરૂરી છે. તેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યોની પણ ઉમેરણી થવી જોઈએ. સરકારે બૌદ્ધ ધર્મ અંગે પુસ્તકોમાં અનેક ખોટી માહિતી રજૂ કરીને તેને ખરાબ ચીતરવાની જે કુચેષ્ટા કરી છે તેને પણ અમે વખોડીએ છીએ. માત્ર ભગવદ ગીતાનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવાથી સમાજમાં વૈમનસ્ય વધશે અને ધર્મઝનૂની કટ્ટરપંથીઓમાં વધારો થશે અને તેઓ અન્ય ધર્મના લોકો પર દમન ગુજારશે. આવું ન થાય તે માટે શાળાઓના પાઠ્યપુસ્તકોમાં માત્ર ભગવદ ગીતા નહીં પણ અન્ય તમામ ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતોનો પણ સમાવેશ કરવો રહ્યો."</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/how-is-the-preparation-of-14th-April-in-gujarat-by-swayam-sainik-dal">સ્વયં સૈનિક દળ દ્વારા ગુજરાતમાં 14મી એપ્રિલની તૈયારીઓ કેવી છે?</a></span></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_667918af2a51a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સ્વયં સૈનિક દળ બહુજન સમાજનું ગુજરાતનું સૌથી મોટું સંગઠન ગણાય છે. ગુજરાતના સાવ છેવાડાના ગામડાઓમાં પણ તેના સ્વયં સૈનિકો કાર્યરત છે. 14મી એપ્રિલના રોજ સંગઠન દ્વારા મોટી ઉજવણી કરવામાં આવે છે. જે એક રીતે તેમના સંગઠનના શક્તિપ્રદર્શનનો અવસર બની રહે છે. સ્વયં સૈનિક દળના કાર્યકરો સંગઠનના નામ પ્રમાણે જ કામ કરે છે. કાર્યકરો સ્વ ખર્ચે સમાજ માટે કામ કરવા જાય છે. સમાજને ઉપયોગી કાર્ય માટે તેઓ ગાંઠના રૂપિયા ખર્ચે છે. અહીં કોઈ અધ્યક્ષ કે પ્રમુખ નથી. સ્ટેજ જેવું કશું બનાવવામાં આવતું નથી. જેના કારણે સૌ સમાન છે નો સંદેશો જાય છે. સંગઠનની આ તાકાતને કારણે જ રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં આ મામલે આવેદનપત્ર આપી શકાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/why-are-most-of-the-characters-in-panchayat-web-series-brahmins">'પંચાયત' વેબ સિરીઝના મોટાભાગના પાત્રો બ્રાહ્મણ જ કેમ છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 24 Jun 2024 12:33:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>816</Articleid>
                    <excerpt>ગુજરાત સરકારે ધો. 6-7-8 ના પાઠ્યપુસ્તકમાં ભગવદ ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે. જેની સામે સ્વયં સૈનિક દળે રાજ્યના તમામ 33 જિલ્લામાં વિરોધ નોંધાવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6679183d2da27.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6679183cf0d0b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6679183cf0d0b.jpg" length="174800" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બિહારમાં એસસી, એસટી, ઓબીસીની 65 ટકા અનામતને હાઈકોર્ટે રદ કરી</title>
                    <link>https://khabarantar.com/65-percent-reservation-for-sc-st-obc-in-bihar-has-been-canceled-by-the-high-court</link>
                    <guid>https://khabarantar.com/65-percent-reservation-for-sc-st-obc-in-bihar-has-been-canceled-by-the-high-court</guid>
                    <description>
                        <![CDATA[ બિહારમાં જેડીયુ-આરજેડી સરકારે દલિત, આદિવાસી, ઓબીસી અને ઈબીસી સમાજ માટે લાગુ કરેલી નવી 65 ટકા અનામતને હાઈકોર્ટે ફગાવી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારની નીતિશકુમાર-તેજસ્વી યાદવ સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કર્યા બાદ રાજ્યમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી. આ નિર્ણયને પટના હાઈકોર્ટે રદ કરી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહાર સરકારે જાતિ આધારિત ગણતરી કર્યા પછી શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં એસસી, એસટી, ઇબીસી અને ઓબીસી વર્ગોની અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા સુધી કરી હતી. જેને પડકારતી અરજીઓ પટના હાઈકોર્ટમાં થઈ હતી. જેની સુનાવણી કરીને હાઈકોર્ટે નીતિશકુમાર સરકારના નિર્ણયને રદ કરવાનો આદેશ કર્યો છે. આ મામલાની અરજીઓ પર ૧૧ માર્ચે સુનાવણી કરવામાં આવી હતી અને નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ કેવી ચંદ્રનની બેન્ચે લાંબી સુનાવણી હાથ ધર્યા બાદ આ ચૂકાદો આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ પીકે શાહીએ દલીલો કરતા કોર્ટને જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારે એસસી, એસટી, ઈબીસી અને ઓબીસી વર્ગોના પૂરતા પ્રતિનિધિત્વના અભાવે આ અનામત આપી છે. સરકારે આ અનામત તેમની વસ્તીના પ્રમાણમાં નથી આપી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીઓમાં રાજ્ય સરકાર દ્વારા ૯ નવેમ્બર, ૨૦૨૩ના રોજ પસાર કરાયેલા કાયદાને પડકારવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ, એસસી એસટી ઇબીસી અને અન્ય પછાત વર્ગોને ૬૫ ટકા અનામત આપવામાં આવી હતી, જ્યારે સરકારી સેવામાં સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ૩૫ ટકા જગ્યાઓ આપી શકાતી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/scam-of-snatching-scholarship-from-reserved-category-students"><strong>અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પડાવી લેવાનું કૌભાંડ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ દિનુ કુમારે અગાઉની સુનાવણીમાં કોર્ટને કહ્યું હતું કે જનરલ કેટેગરીમાં EWS માટે ૧૦ ટકા અનામત રદ કરવી જોઈએ. કેમ કે તે, ભારતીય બંધારણની કલમ ૧૪ અને કલમ ૧૫(૬)ની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે જાતિ આધારિત ગણતરી બાદ અનામતનો આ નિર્ણય સરકારી નોકરીઓમાં પૂરતા પ્રતિનિધિત્વના આધારે નહીં પણ જાતિના પ્રમાણના આધારે લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઈન્દિરા સ્વાહાની કેસમાં અનામતની મર્યાદા પર ૫૦ ટકા અંકુશ લગાવ્યો હતો. જાતિ સર્વેક્ષણનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પેન્ડિંગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, બિહારમાં જ્યારે 65 ટકા અનામત લાગુ કરવામાં આવી, એ પછી 10 ટકા અનામત આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મળતી હતી. એ મળીને બિહારમાં અનામતનો કુલ ક્વોટા 75 ટકા સુધી પહોંચી ગયો હતો. એ પછી યુથ ફોર ઈક્વાલિટી નામના સંગઠને તેને પટના હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હવે તેના પર સુનાવણી થયા બાદ ચૂકાદો આવ્યો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેંચે આ કાયદાને રદ કરી દીધો છે. હવે શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં એસસી, એસટી, ઈબીસી અને ઓબીસી વર્ગને 65 ટકા અનામત નહીં મળે. તેની જગ્યાએ જૂની 50 ટકા અનામતવાળી વ્યવસ્થા જ ચાલુ રહેશે. પણ EWS અનામત ચાલુ રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ બિહારની નીતિશકુમાર-તેજસ્વી યાદવ સરકારે જાતિ સર્વેક્ષણના તારણોના આધારે અનુસૂચિત જાતિનો ક્વોટા વધારીને 20 ટકા, અનુસૂચિત જનજાતિ માટે 2 ટકા, ઈબીસી માટે 25 ટકા અને ઓબીસી માટે 18 ટકા અનામત નક્કી કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/some-lies-connected-with-reservation-and-exposed"><strong>અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 21 Jun 2024 12:10:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>799</Articleid>
                    <excerpt>બિહારમાં જેડીયુ-આરજેડી સરકારે દલિત, આદિવાસી, ઓબીસી અને ઈબીસી સમાજ માટે લાગુ કરેલી નવી 65 ટકા અનામતને હાઈકોર્ટે ફગાવી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66751f38299cc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66751f37ef004.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66751f37ef004.jpg" length="73467" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદની 600 શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે</title>
                    <link>https://khabarantar.com/bhagavad-gita-lessons-will-be-taught-in-six-hundred-schools-of-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/bhagavad-gita-lessons-will-be-taught-in-six-hundred-schools-of-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ ધર્મની આડમાં પોતાના રાજકીય રોટલા શેકવા માટે જાણીતી ગુજરાત સરકારે હવે અમદાવાદની 600 સરકારી શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્માધ અને મૂર્ખ નાગરિકો પેદા કરવા હોય તો તેને ધર્મ, ઈશ્વરી શક્તિ અને કાલ્પનિક દેવોની ભક્તિમાં લીન કરી દેવો જરૂરી છે. એમાં પછી ધીરેધીરે રાજકારણ ભેળવો એટલે લાંબા સમય સુધી તેને મૂર્ખ બનાવીને પોતાના રાજકીય રોટલા શેકી શકાય. મહાન વિચારક કાર્લ માર્ક્સે વર્ષો પહેલા ધર્મની અફીણ સાથે સરખામણી કરી દીધી હતી. ત્યારે હવે ગુજરાત સરકાર પણ ધર્મના આ અફીણનો ઉપયોગ ભાવિ વોટબેંક તૈયાર કરવા માટે કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવું એટલા માટે લાગે છે કે, કેમ કે હાલમાં જ ગુજરાત સરકારે અમદાવાદની 600 જેટલી સરકારી શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. આ માટે 3 હજાર જેટલા શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવશે. અહીં એ યાદ રાખવું રહ્યું કે, થોડા મહિના પહેલા ગુજરાત વિધાનસભામાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભગવદ્‌ ગીતાને સરકારી શાળાઓમાં અભ્યાસક્રમનો ભાગ બનાવવાની માગ કરવામાં આવી હતી. હવે સરકાર અમદાવાદની ૬૦૦થી વધુ શાળાઓમાં મનુવાદી પરંપરામાં માનતા હિંદુ ધર્મના ગ્રંથો ભગવદ્ ગીતા અને મહાભારતને અભ્યાસક્રમમાં દાખલ કરવા જઈ રહી છે. મળતી માહિત પ્રમાણે ભગવદ્ ગીતાના શ્લોકો પર આધારિત વિડિયો પાઠ આ અઠવાડિયાથી જ અમદાવાદની 600થી વધુ શાળાઓમાં ભણાવવાનું શરૂ થઈ જશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Hindu-scriptures-written-by-Brahmins-are-a-mountain-of-immorality---Kaushik-beginning">બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મ ગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ અમદાવાદમાં એક કાર્યક્રમમાં આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. અગાઉ તેમણે જ ભગવદ્ ગીતા ભણાવવાનો પ્રસ્તાવ 7 ફેબ્રુઆરી 2024ના રોજ વિધાનસભામાં રજૂ કર્યો હતો, જેનો હવે અમલ થવા જઈ રહ્યો છે. પ્રથમ તબક્કામાં ભગવદ્ ગીતાને ધોરણ ૬ થી ૧૨ સુધીની સરકારી શાળાઓમાં અભ્યાસક્રમનો ભાગ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જે સ્વીકારી લેવાઈ છે. હવે અમદાવાદ શહેરની ૬૫૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ કૃપા ઝાના જણાવ્યા પ્રમાણે, અમદાવાદની ૬૦૦થી વધુ શાળાઓમાં સવારની પાળીમાં ભગવદ્ ગીતાનો વીડિયો ફરજિયાતપણે વિદ્યાર્થીઓને બતાવવાનો રહેશે. પ્રાર્થનામાં દર અઠવાડિયે એક શ્લોક અથવા એક વીડિયો બતાવવામાં આવશે. આ માટેનો પરિપત્ર જાહેર થયા બાદ તમામ શાળાઓને તે મોકલવામાં આવશે. આ પગલું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને રાજ્ય સરકારની પહેલ હેઠળ લેવામાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;">અધિકારીઓએ જણાવ્યું હતું કે ભગવદ્‌ ગીતા ના ૫૧ શ્લોકો દ્વારા ચારિત્ર્ય નિર્માણ, વિક્ષેપો પર નિયંત્રણ, ડીપ્રેશન મેનેજમેન્ટ, ફૂડ હેબિટ મેનેજમેન્ટ અને મોર્ડન લાઈફસ્ટાઈલના પડકારો સાથે જોડાયેલા અન્ય પાસાઓને વીડિઓ પાઠ દ્વારા આવરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ 3 હજારથી વધુ શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Brahmin,-Kshatriya-leader,-64-motorists-fined-in-5-days-in-UP-for-writing-caste-religion-on-vehicles">વાહન પર જાતિ-ધર્મ લખવામાં બ્રાહ્મણ, ક્ષત્રિય અગ્રેસર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 20 Jun 2024 14:42:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>795</Articleid>
                    <excerpt>ધર્મની આડમાં પોતાના રાજકીય રોટલા શેકવા માટે જાણીતી ગુજરાત સરકારે હવે અમદાવાદની 600 સરકારી શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6673f233b02b6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6673f2337bd2a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6673f2337bd2a.jpg" length="103342" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ક્ષત્રિય આંદોલન ભાજપને ગુજરાતમાં નહીં ઉત્તરપ્રદેશમાં નડ્યું</title>
                    <link>https://khabarantar.com/the-kshatriya-movement-did-not-help-the-bjp-in-gujarat-but-in-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/the-kshatriya-movement-did-not-help-the-bjp-in-gujarat-but-in-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ દેશની સૌથી વધુ લોકસભા સીટો ધરાવતા ઉત્તરપ્રદેશમાં આ વખતે ભાજપને ધોબીપછાડ મળી છે. શા માટે આવું થયું, જાણો આ રિપોર્ટમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના સપના પર પાણી ફેરવવાનું કામ સમાજવાદી પાર્ટીએ કર્યું છે. અંતિમ પરિણામો જોતા સ્પષ્ટ થાય છે કે દેશભરમાં ભાજપને સૌથી મોટું નુકસાન અહીં થયું છે. ૪૦૦ પાર જવાનું સપનું તો તૂટ્યું જ પરંતુ સાથે સાથે પોતાના દમ પર સરકાર બનાવવામાં પણ ભાજપ લથડિયા ખાઈ ગયું છે. ભાજપને ૨૪0 પર અટકી ગયો છે, જયારે એનડીએને ૨૯3 બેઠકો મળે તેવી સંભાવના છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ યુપીમાં ભાજપ ૩૩ સીટો પર અને સમાજવાદી પાર્ટી ૩૬ બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ પણ ૭ બેઠકો પર આગળ છે. સ્પષ્ટ છે કે ઈન્ડિયા ગઠબંધન એનડીએને માત આપતું જોવા મળી રહ્યું છે. જેનો મોટો શ્રેય સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને જાય છે. જે રીતે સપાએ લડાઈ લડી તેનું પરિણામ છે કે કોંગ્રેસને પણ યુપીમાં લાભ થતો જોવા મળ્યો. ચાલો જોઈએ કે ભાજપને કયા કારણો નુકસાન કરી ગયા? </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માયાવતી અને બીએસપી ફેક્ટર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલી નજરે કોઈ આ બાબતને સ્વીકારે તેમ નથી. બીએસપીને વિપક્ષ ભાજપની બી ટીમ કહીને ટાર્ગેટ કરતો રહ્યો છે પરંતુ કહાની કંઈક અલગ જ હતી. પશ્ચિમથી પૂર્વ સુધી માયાવતીએ એવા ઉમેદવારો ઊભા રાખ્યા કે જે એનડીએના ઉમેદવારોને નુકસાન પહોંચાડી રહ્યા હતા. પશ્ચિમ યુપીમાં મેરઠમાં દેવવ્રત ત્યાગી, મુઝફ્ફરનગરમાં દારા સિંહ પ્રજાપતિ, ખીરી સીટથી બીએસપીના પંજાબી ઉમેદવાર વગેરે ભાજપને સીધું નુકસાન પહોંચાડ્યું હતું. આ રીતે પૂર્વ યુપીમાં ઘોસીમાં બીએસપીએ જે ઉમેદવાર મૂક્યો તે સીધો ઈશારો હતો કે પાર્ટીએ એનડીએનું કામ ખરાબ કરવાનું નક્કી કરી લીધું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/The-Constitution-of-India-begins-with-the-words-We-the-people-of-India,-meaning-that-India-is-not-a-creation-of-God">ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66605bfd219eb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘોસી સીટ પર બાલકૃષ્ણ ચૌહાણે એનડીએની ૨ વર્ષની તૈયારી પર પાણી ફેરવી દીધું. ભાજપ સ્થાનિક નોનિયા નેતા દારાસિંહ ચૌહાણને સમાજવાદી પાર્ટીમાંથી એટલા માટે લાવ્યા હતા કારણ કે તેનો સીધો લાભ ઘોસી અને આજુબાજુની સીટો પર મળી શકે. પણ જ્યારે બીએસપીએ એક નોનિયા જાતિના ઉમેદવાર બાલકૃષ્ણ ચૌહાણને ઉભો કર્યો તો સ્પષ્ટ છે કે નુકસાન એનડીએને થવાનું હતું.  એ જ રીતે ચંદોલીમાં બીએસપી ઉમેદવાર સતેન્દ્ર કુમાર મૌર્યા ભાજપ ઉમેદવાર મહેન્દ્રનાથ પાંડે માટે જોખમ બની ગયા. બહુજન સમાજ પાર્ટીના મનીષ ત્રિપાઠીએ મિર્ઝાપુરમાં અનુપ્રિયા પટેલને ત્રિકોણીય જંગમાં ફસાવી દીધા. અહીં પણ ભાજપના કોર વોટર બ્રાહ્મણ બીએસપી સાથે ગયા. આ ત્રણેય બેઠકો પર બીએસપીના ઉમેદવાર સ્ટોરી લખાઈ ત્યાં સુધી ૪૦ થી ૬૦ હજાર મત મળતા જોવા મળી રહ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવારો ગણ્યા ગાંઠ્‌યા મતથી પાછળ છે. સમગ્ર દેશમાં ૨ ડઝન એવી સીટો છે જ્યાં ભાજપ ઉમેદવારોના મત બીએસપી ઉમેદવારોના કારણે ઘટ્યાં હોય. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અખિલેશ યાદવે જનરલ સીટ પર દલિત ઉમેદવાર ઉતાર્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્યાર સુધી દલિત અનામત સીટ પર જ રાજકીય પક્ષો દલિત સમાજના નેતાઓને ચૂંટણી આપતા હતા. એ સિવાય તેમને કોઈ સીટ પર મુખ્યધારાના પક્ષોમાંથી ટિકિટ નહોતી મળતી. પણ અખિલેશ યાદવે અહીં જનરલ સીટ પર દલિત ઉમેદવારને ટિકિટ આપી હતી. એ પણ અયોધ્યા અર્થાત ફૈઝાબાદની સીટ પરથી. ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવની એ વાત બદલ ખુબ ટીકા થઈ કે તેઓ વારંવાર ઉમેદવારો બદલી રહ્યા છે. પરંતુ તેમની પ્રશંસા કરવી પડે કે તેમણે જે ઉમેદવારો ઊભા રાખ્યા તે સ્થાનિક ગણિત પ્રમાણે સારા હતા. આ કારણે તેઓ ભાજપના ઉમેદવારોને ટક્કર આપતા જોવા મળ્યાં છે. ફૈઝાબાદમાં સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે જંગી લીડથી જીત મેળવી છે. એક એસસી ઉમેદવારને ફૈઝાબાદમાં ઊભા રાખવાનું સાહસ દેખાડવું એ અખિલેશની સૂઝબૂજ દેખાડે છે. એ જ રીતે મેરઠમાં ટીવીના રામ અરુણ ગોવિલ ચૂંટણી લડી રહ્યા હતા ત્યાં પણ એક એસસી ઉમેદવારને ઊભા રાખ્યા. તેમના પર ઘણું દબાણ હતું કે મેરઠ જેવી સીટ પર કોઈ મુસ્લિમ ઉમેદવાર ઊભા રાખવામાં આવે. મેરઠમાં અનેકવાર મુસ્લિમ ઉમેદવાર સાંસદ બન્યા છે. એ જ રીતે ઘોસી લોકસભા બેઠકથી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને પ્રવક્તા રાજીવ રાયને ટિકિટ આપી. તો મિર્ઝાપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર એસ બિંદ છે જેમનો મુંબઈમા વેપાર છે. આવા અનેક ઉદાહરણ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ક્ષત્રિયોની નારાજગી ગુજરાતમાં નહીં યુપીમાં નડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીમાં ક્ષત્રિયોની નારાજગી પણ ભાજપને ભારે પડી. પહેલા ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિયો પર કોમેન્ટનો મુદ્દો બન્યો. જેની આંચ યુપી સુધી મહેસૂસ થઈ. આ બધાં વચ્ચે ગાઝિયાબાદથી જનરલ વી.કે. સિંહની ટિકિટ કાપવાનો મુદ્દો પણ ચર્ચાયો. એટલે કે કોઈને કોઈ રીતે ભાજપને ટાર્ગેટ કરવો એ સ્પષ્ટ હતું. ચૂપચાપ રીતે એક એવી અફવા પણ ફેલાવવામાં આવી કે જો ભાજપને ૪૦૦ સીટ મળશે તો યુપીના સીએમ યોગી આદિત્યનાથને હટાવવામાં આવશે. આ વાતને લઈને આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર પણ કર્યા. પશ્ચિમ યુપીમાં સતત અનેક જિલ્લાઓમાં રાજપૂતોને સંમેલન કરીને કસમો ખવડાવવામાં આવી કે કોઈ પણ હાલતમાં ભાજપને મત આપવાના નથી. જો ઠીકથી કોશિશ કરવામાં આવી હોત તો આવા સંમેલનો રોકી શકાયા હોત. સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવથી લઈને બસપા પ્રમુખ માયાવતી સુધી લોકોએ ક્ષત્રિયો સામે નારાજગીના મુદ્દાને ચૂંટણીમાં ઉછાળ્યો હતો. મુઝફ્ફરનગરમાં ક્ષત્રિયોની નારાજગીનો મુદ્દો ખુબ ચર્ચાયો. મુઝફ્ફરનગરથી કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન હતા જે હારી ગયા છે. જે દેખાડે છે કે રાજપૂતોની નારાજગી ભારે પડી. પ્રતાપગઢમાં રાજા ભૈયા રાજ્યસભા ચૂંટણી દરમિયાન ભાજપ સાથે જોવા મળ્યા હતા. પણ પછી તેમની નારાજગીએ પણ નુકસાન પહોંચાડ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પેપર લીક અને બેરોજગારીથી કંટાળી યુવાનોએ દાઝ કાઢી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામડાના લોકો માટે જે બાબતને લઈને સૌ સમાજમાં ચિંતા જોવા મળે છે, તે છે સરકારી નોકરીઓની તૈયારી. પછી ભલે તે ઊંચી જાતિના હોય કે પછાત કે અનુસૂચિત જાતિના. તમામ ઘરોમાં સરકારી નોકરીઓની પરીક્ષાની તૈયારી કરનારા યુવાઓ છે. જેમાં છોકરાઓ અને છોકરીઓ બંને સામેલ છે. યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દા પર યુવાઓ પહેલીવાર ભાજપને  હરાવવા માટે જ મત આપ્યા હતા. યોગી આદિત્યનાથની બીજી સરકાર આવતા આવતા પરીક્ષા માફિયાઓ એવા તો બેફામ બની ગયા કે લગભગ દરેક મોટી ભરતી પરીક્ષાના પેપર પહેલા ભય રહેતો કે પેપર ફૂટી જશે. અદ્દલ આવી જ સ્થિતિ ગુજરાતમાં છે, પણ અહીં કોઈ યુવાનો આવી હિંમત કરતા નથી. તેમની કરિયર સાથે રમત રમાઈ રહી હોવા છતાં કોણ આંખે થાય એ બીકે કોઈ આગળ આવતું નથી. પણ કારમી ગરીબીમાં જીવતા યુપીના લોકો માટે સરકારી નોકરી એકમાત્ર સપનું છે જેના થકી તેઓ તેમાંથી બહાર આવી શકે છે. પણ ભાજપની સરકારે સરકારી નોકરીઓ પર જ બ્રેક મારી દીધી. જેના કારણે લાખો યુવાનોનું સરકારી નોકરી મેળવીને ગરીબીમાંથી પોતે અને પરિવારને બહાર કાઢવાનું સપનું રોળાઈ ગયું. જેનો જવાબ તેમણે ભાજપને યુપીમાં અડધી સીટો પર હરાવીને આપ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંધારણ બદલવાની મંશા નડી ગઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપને દેશભરમાં સૌથી મોટો કોઈ મુદ્દો નડ્યો હોય તો તે બંધારણ બદલી નાખવાની તેમના નેતાઓની લવારી હતી. આરએસએસની વિચારધારા પર ચાલતા ભાજપના એજન્ડામાં વર્ષોથી બંધારણ બદલી નાખવાની મંશા રહેલી છે જ. પણ આ ચૂંટણીમાં તે પહેલીવાર ખુલીને સામે આવી. જેના કારણે બંધારણમાં વિશ્વાસ ધરાવતો દરેક સમાજ ભાજપની વિરુદ્ધ થઈ ગયો. ભાજપ 400થી વધુ સીટો જીતશે તો દેશનું બંધારણ બદલી નાખશે તે ભયની અસર દરેક રાજ્યોમાં વત્તાઓછા અંશે થઈ. પણ સૌથી વધુ અસર ઉત્તરપ્રદેશમાં દેખાઈ. જ્યાં દલિત, આદિવાસી, ઓબીસી અને મુસ્લિમ સમાજે ભાજપના નેતાઓની આ ઈચ્છા પર પાણી ફેરવી દીધું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/dalit-community-filed-petition-against-rupala-in-khedana-thasra"><strong>ખેડાના ઠાસરામાં રૂપાલાના વિરોધમાં દલિત સમાજે આવેદનપત્ર આપ્યું</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 05 Jun 2024 18:14:13 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 05 Jun 2024 18:14:27 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>719</Articleid>
                    <excerpt>દેશની સૌથી વધુ લોકસભા સીટો ધરાવતા ઉત્તરપ્રદેશમાં આ વખતે ભાજપને ધોબીપછાડ મળી છે. શા માટે આવું થયું, જાણો આ રિપોર્ટમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66605bcb735c5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66605bcb4570d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66605bcb4570d.jpg" length="70081" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બનાસકાંઠામાં ઠાકોર સમાજના ગેનીબેને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું</title>
                    <link>https://khabarantar.com/in-banaskantha-thakor-samajs-ganiben-made-a-dent-in-bjps-stronghold</link>
                    <guid>https://khabarantar.com/in-banaskantha-thakor-samajs-ganiben-made-a-dent-in-bjps-stronghold</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપની 26માંથી 26 બેઠકોના વિજયરથને એક ઓબીસી મહિલા ગેનીબેને અટકાવી દીધો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે અપેક્ષા પ્રમાણેના રહ્યાં નથી. અબકી બાર 400 પારનો નારો તો દૂર ભાજપ સ્વયંના બળે પણ સરકાર રચી શકે તેવી સ્થિતિમાં નથી. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના તેના ગઢમાં પણ ગાબડું પડી ગયું છે અને કોગ્રેસના સાબરકાંઠા બેઠકના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપનો 26માંથી 26 બેઠકો જીતવાનો અશ્વમેઘ રથ અટકાવી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણી ૨૦૨૪માં બનાસકાંઠા લોકસભા બેઠક રાજ્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યા બાદ હવે ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. આ બેઠક પર બંને મુખ્ય પક્ષો દ્વારા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા હતા જ્યારે ભાજપે શિક્ષણ સાથે સંકળાયેલા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. ડો. રેખાબેન ચૌધરી, બનાસકાંઠાના લાખો પશુપાલકો જેમના કારણે સ્વામાભેર પોતાનું જીવન જીવી રહ્યાં છે, એવા બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે. તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ચૌધરીના ધર્મ પત્ની છે. ડૉ. હિતેશ ચૌધરીએ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તથા ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તેમજ સિન્ડિકેટ સભ્ય તરીકે સભ્ય રહી ચુક્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે. ૨૦૧૭માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેન ૨૦૧૨માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ વાવ મતવિસ્તારમાંથી ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ૬૬૫૫ મતોના માર્જિનથી જીત્યા. ગેનીબેન ૨૦૨૨માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. ૨૦૧૯માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોન પ્રતિબંધ મૂકવાના સમાજના ર્નિણયને ટેકો આપ્યો હતો. ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠાનું નામ બનાસ નદીના નામ ઉપરથી પડ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં બીજા ક્રમે આ જિલ્લો આવે છે. વળી સૌથી વધુ ૧૪ તાલુકા પણ બનાસકાંઠાના છે. બનાસકાંઠામાં ૭૦ ટકા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીં એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આવેલી છે. રાજસ્થાનને અડીને આવેલા સરહદી જિલ્લા બનાસકાંઠામાં ૧૯૫૧થી લઈને ૨૦૧૯ સુધીના સમયગાળામાં ૧૯ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસે ૧૦ વખત અને ભાજપે ૬ વખત જીત મેળવી તો ૧ વખત જનતાદળના ઉમેદવાર ચૂંટાયા, તો બે વખત અન્ય લોકોના ફાળે આ સીટ ગઈ છે</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરહદી જિલ્લા બનાસકાંઠામાં ૧૯૫૧થી લઈને ૨૦૧૯ સુધીમાં કુલ ૧૯ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ છે. ૨૦૧૩ની પેટાચૂંટણીમાં ભાજપે બનાસકાંઠા બેઠક પર ચોથી વખત જીત મેળવી હતી. ત્યારથી આ સીટ ભાજપના કબજામાં છે. આ બેઠક પર ભાજપે છ વખત જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે ૧૦ વખત જીત મેળવી છે. આ સીટ સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી અને પછી જનતા દળ એકએક વાર જીતી ચુક્યું છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ ૩,૬૮,૨૯૬ વોટથી જીતી હતી. ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કોંગ્રેસને હરાવ્યા હતા, આ વખતે ભાજપે ફેરફાર કરીને રેખા ચૌધરીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં ૭ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ૭ પૈકી ૪ બેઠકો ભાજપ પાસે છે જ્યારે ૨ બેઠકો કોંગ્રેસ પાસે છે. એક બેઠક અપક્ષ માવજી દેસાઈ ભાજપને સમર્થન આપી ચૂક્યા છે. સાત બેઠકો પૈકી દાંતા સીટ સિવાય અન્ય તમામ સીટ સામાન્ય છે. દાંતા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકર વાવ બેઠક પરથી ધારાસભ્ય છે. ધાનેરા બેઠક અપક્ષ પાસે છે, દાંતા બેઠક પણ કોંગ્રેસ પાસે છે. બાકીની ચાર બેઠકો ભાજપના કબજામાં છે. બનાસકાઠા લોકસભા મતવિસ્તારમાં ૬૭.૪૪ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં વાવ મતવિસ્તારમાં ૬૯.૪૩ ટકા તો થરાદમાં ૭૮.૭૦ ટકા અને ધાનેરામાં ૬૭.૬૫, દાંતામાં ૭૧.૪૭ ટકા તો વડગામમાં ૬૫.૨૪ ટકા, પાલનપુરમાં ૬૫.૦૦ ટકા, ડિસામાં ૬૫.૪૨ ટકા, દિયોદરમાં ૭૧.૧૧ ટકા જ્યારે ૫૫.૩૮ ટકા મતદાન નોંધાયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/did-the-change-in-the-constitution-of-the-rss-turn-the-tide-of-the-election"><strong>RSSની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 04 Jun 2024 17:31:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>707</Articleid>
                    <excerpt>લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપની 26માંથી 26 બેઠકોના વિજયરથને એક ઓબીસી મહિલા ગેનીબેને અટકાવી દીધો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665f016d76758.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665f016d373b3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665f016d373b3.jpg" length="95938" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વાળંદ વાલ્મિકી સમાજના લોકોના વાળ નહોતા કાપતા, જાણો પછી શું થયું</title>
                    <link>https://khabarantar.com/barber-valmiki-did-not-cut-the-hair-of-the-people-of-the-society,-know-what-happened-next</link>
                    <guid>https://khabarantar.com/barber-valmiki-did-not-cut-the-hair-of-the-people-of-the-society,-know-what-happened-next</guid>
                    <description>
                        <![CDATA[ આઝાદી પછી પણ ભારતમાં અનેક જાહેર સલૂનોમાં વાળંદો વાલ્મિકી સમાજના લોકોના વાળ કાપવાનો ઈનકાર કરી દે છે, પણ અહીં જે થયું તે જરા જુદું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિગત ભેદભાવથી ખદબદતા, ધાર્મિક અંધશ્રદ્ધાઓમાં રાચતા, મહિલાઓ માટે નરક ગણાતા રાજસ્થાનમાં આભડછેટ પણ સ્વાભાવિક રીતે જ ટોચે હોવાની. આઝાદીના 75 વર્ષ પછી પણ અહીં સેંકડો ગામો, નાના શહેરોમાં વાળંદો વાલ્મિકી, ભીલ, મેઘવાળ વગેરે જાતિના લોકોના બાલ-દાઢી કાપવાનો ઈનકાર કરી દેતા હતા. વાળંદો ખુદ પછાત જાતિમાંથી આવતા હોવા છતાં તેમને તેમની જાતિનો ઘમંડ રહેતો હતો. પણ કોઈ જાગૃત નાગરિકે ઉચ્ચ સ્તરે આ મામલે રજૂઆતો કરી અને પોલીસ અધિકારીઓ એક્શનમાં આવ્યા એટલે સૌની સાન હવે ઠેકાણે આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તંત્ર એક્શનમાં આવ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">રાજસ્થાનના પાટનગર જયપુર અને તેની આસપાસના વિસ્તારમાં આઝાદીના અમૃતકાળમાં પણ અનેક વિસ્તારોમાં વાળંદો વાલ્મિકી સમાજના લોકોના વાળ કાપવાનો ઈનકાર કરી દેતા હતા. આવી ફરિયાદો મુખ્યમંત્રી, ગૃહ વિભાગ, માનવ અધિકાર આયોગ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હતી. જેને લઈને પોલીસ હેડ ક્વાર્ટર દ્વારા અહીંના બાડમેર, સિરોહી, કરૌલી, નાગૌર, જાલોર અને બલોત્રા જિલ્લાના પોલીસ વડાને પત્ર લખીને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી કે આવી ઘટનાનું પુનરાવર્તન થતું અટકાવે અને તેના માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/i-could-not-have-a-love-marriage-because-of-casteism-karnataka-cm-siddaramaiah">જાતિવાદને કારણે હું પ્રેમ લગ્ન ન કરી શક્યોઃ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_665bf1c398a38.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">વાલ્મિકી, ભીલ, મેઘવાળના વાળ નહોતા કાપતા</span></strong><br><span style="font-size: 14pt;">આ જિલ્લાઓમાં ફરિયાદો મળી હતી કે સામાન્ય માણસ માટે ખોલવામાં આવેલી દુકાનો પર વાળંદો વાલ્મિકી, ભીલ, મેઘવાળ વગેરે જાતિના લોકોના વાળ કાપવાની હજુ પણ ના પાડી દે છે. જેને લઈને માનવ અધિકાર વિભાગનો હવાલો સંભાળતા ડીજીપી કિશન સહાયે ત્રણ દિવસ પહેલા બાડમેર, સિરોહી, કરૌલી, નાગૌર, જાલોર અને બલોત્રા જિલ્લાના પોલીસ વડાને પત્ર લખીને જણાવ્યું હતું કે, જાતિના આધારે વાળ કાપવાનો ઈનકાર કરવો એ કાયદાની દ્રષ્ટિએ ગુનો છે અને જાતિ ભેદભાવ તથા માનવ અધિકારના ભંગની શ્રેણીમાં આવે છે. તેમણે સંબંધિત જિલ્લાઓના પોલીસ વડાઓ અને રેન્જ આઈજીને સૂચના આપી હતી કે તેમના તાબા હેઠળના પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારોમાં દરેક બીટ હેઠળ આવતા ગામડાઓમાં વાળ કાપવામાં જાતિના આધારે ભેદભાવ ન કરવા આદેશ કરે. જો કોઈ આવું કરે છે તો તેની સામે કડક કાર્યવાહી કરે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સલૂનમાલિકોની સાન ઠેકાણે આવી</span></strong></span><br><span style="font-size: 14pt;">ડીજીપી માનવ અધિકારીના આ આદેશ બાદ પોલીસ અધિકારીઓ તરત એક્શનમાં આવ્યા હતા અને જ્યાં પણ આવી ઘટનાઓ ઘટી હતી ત્યાં જઈને દુકાનોમાં જાતિભેદ કરતા વાળંદોને આવું ન કરવા જણાવ્યું હતું. એ પછી અનેક દુકાનોમાં વાળંદોની સાન ઠેકાણે આવી ગઈ હતી અને વાલ્મિકી, ભીલ અને મેઘવાળ સમાજના લોકોના વાળ કાપવાનું પણ તેમણે ચાલું કરી દીધું હતું. કેટલીક જગ્યાએ તો માનવ અધિકાર કાર્યકર્તાઓ વાલ્મિકી સમાજના લોકોને સાથે રાખીને વાળ કપાવવા માટે પહોંચી ગયા હતા અને જો વાળંદ ઈનકાર કરે તો પોલીસનો પરિપત્ર બતાવી કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું. જેની ધારી અસર થઈ હતી અને ધીરેધીરે સલૂનોમાં વાળંદોની સાન ઠેકાણે આવતી ગઈ છે. આ આખો ઘટનાક્રમ એ બાબતની સાબિતી પુરે છે કે, કાયદો જો કાયદાનું કામ કરે તો આભડછેટ નામનું દૂષણ કાયમ માટે ખતમ થઈ શકે છે. જરૂર છે સરકારમાં બેઠેલા અને કાયદાનું પાલન કરાવનારાઓની સાફ દાનતની.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-did-historians-do-injustice-to-Zhalkari-Bai-of-Bahujan-Virang">ઈતિહાસકારોએ બહુજન વીરાંગના ઝલકારીબાઈને અન્યાય કેમ કર્યો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 02 Jun 2024 09:51:47 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 02 Jun 2024 09:52:15 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>696</Articleid>
                    <excerpt>આઝાદી પછી પણ ભારતમાં અનેક જાહેર સલૂનોમાં વાળંદો વાલ્મિકી સમાજના લોકોના વાળ કાપવાનો ઈનકાર કરી દે છે, પણ અહીં જે થયું તે જરા જુદું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665bf1c43ac31.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665bf1c40c88d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665bf1c40c88d.jpg" length="56583" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદને કારણે હું પ્રેમ લગ્ન ન કરી શક્યોઃ કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા</title>
                    <link>https://khabarantar.com/i-could-not-have-a-love-marriage-because-of-casteism-karnataka-cm-siddaramaiah</link>
                    <guid>https://khabarantar.com/i-could-not-have-a-love-marriage-because-of-casteism-karnataka-cm-siddaramaiah</guid>
                    <description>
                        <![CDATA[ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી છે, જેમાં જાતિવાદ કેવી રીતે વિલન બન્યો તેને લઈને તેમનું દર્દ છલકાયું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ કેટલું મોટું દૂષણ છે તેનો જાતઅનુભવ હવે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યો છે. સિદ્ધારમૈયાને પણ ભૂતકાળમાં જાતિવાદ નડ્યો હતો અને તેના કારણે તેઓ જે છોકરી સાથે લગ્ન કરવા માંગતા હતા તેના પરિવારે તેમનો સ્વીકાર કર્યો નહોતો. એ રીતે તેઓ જે છોકરીને પ્રેમ કરતા હતા તેની સાથે લગ્ન કરી શક્યા નહોતા. યુવાની કાળનું આ દર્દ તેમણે હાલમાં જ એક આંતરજાતિય સમૂહલગ્નમાં વ્યક્ત કર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાની યુવાનકાળમાં જાતિવાદનો કડવો અનુભવ થયાનો કિસ્સો યાદ કરીને લોકો વચ્ચે મૂક્યો છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે, "હું એક છોકરીને પ્રેમ કરતો હતો, મારે તેની સાથે લગ્ન કરવા હતા, પણ તે બીજી જાતિની હોવાથી લગ્ન ન થઈ શક્યા. એ પીડા હું ભૂલી શકતો નથી. ફક્ત જાતિના કારણે મારા લગ્ન ન થઈ શક્યા. હું ઈચ્છીશ કે બીજા લોકો સાથે આવું ન થાય, એટલે જ હું આંતરજાતિય લગ્નનું સમર્થન કરું છું." ઉલ્લેખનીય છે કે, સિદ્ધારમૈયા ત્યાંની પશુપાલક જાતિમાંથી આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદને કારણે મારા લગ્ન ન થઈ શક્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">સિદ્ધારમૈયાએ પોતાની પ્રેમ કહાનીનો એક કિસ્સો લોકો સાથે શેર કર્યો હતો. તેમણે એ યાદ કરતા કહ્યું કે, કેવી રીતે તેમની પ્રેમકહાનીમાં જાતિવાદ વિલન બનીને આવ્યો હતો. બે દિવસ પહેલા બુદ્ધ પૂર્ણિમાના દિવસે મૈસૂરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ આંતરજ્ઞાતિય લગ્નના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં તેમનું યુવાનીકાળનું દર્દ છલકાયું હતું. સિદ્ધારમૈયાએ પોતાના કોલેજ કાળના દિવસોને યાદ કર્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, "હું આંતરજાતિય લગ્ન કરવા માંગતો હતો. પણ છોકરીના પરિવારજનોએ મારો સ્વીકાર ન કર્યો. તેઓ માન્યા નહીં. જ્યારે હું કોલેજ કરી રહ્યો હતો ત્યારે એક છોકરીને પ્રેમ કરતો હતો. મને ખોટો ન સમજતા, પણ હું તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ તે છોકરીનો પરિવાર તેના માટે રાજી નહોતો. તેમને મારી જાતિથી સમસ્યા હતી. જાતિવાદને કારણે મારા તેની સાથે મારા લગ્ન ન થઈ શક્યા."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-chandkheda-a-unique-group-marriage-was-held-by-women-breaking-casteism">ચાંદખેડામાં મહિલાઓ દ્વારા પેટાજાતિવાદ તોડતા અનોખા સમૂહ લગ્ન યોજાયા</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6651c1833a899.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આંતરજાતિય લગ્નને ટેકો જાહેર કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">સિદ્ધારમૈયાએ આગળ કહ્યું કે, "અંતે મારા તે છોકરી સાથે લગ્ન ન થઈ શક્યા. મારે મારી જ જાતિની છોકરી સાથે લગ્ન કરવા પડ્યા. એ દિવસો આજે પણ મને યાદ છે. માટે હું આંતરજાતિય લગ્નોને મારો સંપૂર્ણ ટેકો જાહેર કરું છું. મારી સરકાર આવા દરેક લગ્નો માટે જરૂરી તમામ મદદ કરશે."</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બુદ્ધ પૂર્ણિમાના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">સિદ્ધારમૈયાના જણાવ્યા પ્રમાણે, જાતિવાદને ખતમ કરવા માટે અને સમાજમાં સમાનતા લાવવા માટેનો પ્રયાસ તથાગત બુદ્ધ અને ઈસ્વીસન પૂર્વે 12મી સદીમાં કર્ણાટકમાં સમાજ સુધારક બસવેશ્વરના સમયથી થઈ રહ્યો છે. તેમણે એ બાબતને લઈને નિરાશા વ્યક્ત કરી કે, સમાનતા આધારિત સમાજના નિર્માણ માટે અનેક સમાજ સુધારકોએ પ્રયત્નો કર્યા તેમ છતાં તેનું પરિણામ દેખાઈ રહ્યું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, "જાતિવાદની સામાજિક સમસ્યાને ખતમ કરવાના બે રસ્તા છે. એક છે આંતરજાતિય લગ્ન અને બીજો છે દરેક સમાજ વચ્ચે સામાજિક-આર્થિક સશક્તિકરણ. સિદ્ધારમૈયાએ કહ્યું કે, સામાજિક આર્થિક ઉત્થાન વિના સમાજમાં સામાજિક સમાનતા ન આવી શકે."</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-Thakor-Samaj-of-Charadu-village-in-Kalol-filled-the-marriage-of-Valmiki-Samajs-daughter">કલોલના ચરાડુ ગામના ઠાકોર સમાજે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભર્યું</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 25 May 2024 16:32:07 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 25 May 2024 16:28:46 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>664</Articleid>
                    <excerpt>કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી છે, જેમાં જાતિવાદ કેવી રીતે વિલન બન્યો તેને લઈને તેમનું દર્દ છલકાયું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com" length="4096" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કથાકાર રાજુ બાપુ સામે કોળી&amp;ઠાકોર સમાજ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન</title>
                    <link>https://khabarantar.com/a-widespread-protest-by-the-koli-thakor-community-against-the-narrator-raju-bapu</link>
                    <guid>https://khabarantar.com/a-widespread-protest-by-the-koli-thakor-community-against-the-narrator-raju-bapu</guid>
                    <description>
                        <![CDATA[ વ્યાસપીઠ પર બેસીને કોળી-ઠાકોર સમાજને સંસ્કાર વિનાના કહેનાર કથાકાર રાજુ બાપુ સામે ગુજરાતભરમાં કોળી-ઠાકોર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોળી-ઠાકોર સમાજને સંસ્કાર વિનાના ચીતરતા કથાકાર રાજુ બાપુના નિવેદન સામે ગુજરાતભરમાં કોળી-ઠાકોર સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કોળી ઠાકોર સમાજ દ્વારા કથાકાર રાજુ બાપુ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોટાદમાં રાજુ બાપુએ ઠાકોર-કોળી સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને કોળી સમાજે વિરોધ નોંધાવ્યો છે. કોળી સમાજે આ કથાકાર વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જેમાં સમાજની લાગણી દુભાવવા બદલ રાજુ બાપુ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664ca779852b7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજુ બાપુની વિવાદિત ટિપ્પણી બાદ રાજ્યમાં ઠેર-ઠેર તેમની સામે વિરોધ ઉઠી રહ્યો છે. બોટાદ બાદ રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે કોળી અને ઠાકોર સમાજ દ્વારા રાજુ બાપુનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં ઉશ્કેરાયેલા લોકોએ રાજુ બાપુના પૂતળા સાથે સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. જો કે પૂતળા દહન થાય તે પહેલા જ પોલીસે સ્થળ પર પહોંચીને પૂતળું કબજે કર્યું હતું અને વિરોધ કરી રહેલા કોળી-ઠાકોર સમાજના આગેવાનોની અટકાયત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-OBC-Commission-in-Gujarat-is-run-by-just-1-member,-just-like-Shobhana-Nattiya">ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે, “સંત આવા શબ્દો બોલી શકે નહીં. કથાકાર રાજુ બાપુ નકલી સંત છે. તેમણે એક વીડિયો બનાવીને માફી માંગી છે તે યોગ્ય નથી. તેમણે ઠાકોર અને કોળી સમાજ સામે આવીને માફી માંગવાની જરૂર છે. જો તેઓ સમાજ સમક્ષ હાજર થઈને માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વ્યાસપીઠ સમાજને માર્ગદર્શન કરતું સ્થાન છે, મનફાવે તેમ બોલવા માટે નહીં. સમાજને સાચો રસ્તો બતાવી શકે તેવી વ્યક્તિ જ અહીં બેસવાને લાયક ગણાય. આવા નકલી સંત નહીં. કથાકારે વિવાદિત નિવેદનો કે દ્રષ્ટાંતો ન આપવા જોઇએ. વ્યાસપીઠ પર બેસીને કોઈપણ સમાજ વિશે એલફેલ બોલશો તે ચલાવી નહીં લેવાય. કોઈ સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરવી યોગ્ય નથી. વ્યક્તિ વિશેષ વિશેની ટિપ્પણી પણ યોગ્ય નથી. કોઈ ધર્મ, સમાજ કે જ્ઞાતિ વિશે અંગત મંતવ્ય ન આપવા જોઇએ. કથા સુસંગત દ્રષ્ટાંત અથવા શાસ્ત્રોક્ત વાતો સાથે કહેવી જોઈએ. સકારાત્મક વાતો, પરસ્પરના વ્યવહાર સુધરે તેવા દ્રષ્ટાંતો હિતાવહ છે. પણ કથાકાર મનઘડત વાત કહે નહીં ચલાવી લેવાય. એટલે રાજુ બાપુ કોળી-ઠાકોર સમાજ સમક્ષ હાજર થાય અને માફી માંગે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Giga-Bhammar-insulted-Scheduled-Caste-society-now-Dalit-leaders-in-a-mood-to-teach-a-lesson">ગીગા ભમ્મરે હવે અનુસૂચિત જાતિ સમાજ નું અપમાન કર્યું? દલિત આગેવાનો સબક શીખવાડવાના મૂડમાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 May 2024 19:29:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>646</Articleid>
                    <excerpt>વ્યાસપીઠ પર બેસીને કોળી-ઠાકોર સમાજને સંસ્કાર વિનાના કહેનાર કથાકાર રાજુ બાપુ સામે ગુજરાતભરમાં કોળી-ઠાકોર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_664ca779145e4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_664ca778d2f21.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_664ca778d2f21.jpg" length="104382" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત સમાજની દીકરીના મોદી યુવક સાથે આંતરજ્ઞાતિય લગ્ન યોજાયા</title>
                    <link>https://khabarantar.com/an-inter-caste-marriage-of-a-daughter-of-a-dalit-society-was-held-with-a-modi-youth</link>
                    <guid>https://khabarantar.com/an-inter-caste-marriage-of-a-daughter-of-a-dalit-society-was-held-with-a-modi-youth</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના એડવોકેટ ગોવિંદભાઈ પરમારે અનુસૂચિત જાતિ સમાજની એક દીકરીના લગ્ન મોદી સમાજના યુવક સાથે બંને પરિવારોની સહમતી સાથે રાજીખુશીથી જોડી આપ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. બાબાસાહેબ આંબેડકરે જાતિવાદનું દૂષણ દૂર કરવા માટેના જે કેટલાક રસ્તાઓ બતાવ્યા છે તેમાંનો એક રસ્તો આંતરજ્ઞાતિય લગ્ન છે. કમનસીબે આ રસ્તે ચાલીને સમાજમાં આભડછેટ અને જાતિવાદનું દૂષણ દૂર કરવું સૌથી કઠિન કામ છે. પણ અમદાવાદના સિનિયર એડવોકેટ અને સામાજિક કાર્યકર ગોવિંદભાઈ પરમારે આ કઠિન રસ્તે ચાલીને એક યુગલને લગ્નના તાંતણે બાંધ્યું છે. જેમાં યુવક કથિત સવર્ણ જાતિનો છે અને યુવતી અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે. પહેલી નજરે આભડછેટના દૂષણને કારણે આ લગ્ન કોઈ કાળે શક્ય બનતા ન દેખાય તે સ્વાભાવિક છે, પણ એડવોકેટ ગોવિંદ પરમારે મધ્યસ્થી કરીને આ આખો મામલો પાર પાડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664ae66fe493d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે આજે પણ મોટાભાગના સમાજોમાં લોકો પોતાના સંતાનોના લગ્ન પોતાના સમાજની અંદર જ કરતા હોય છે. તેની પાછળનું કારણ સામાજિક, સાંસ્કૃતિક સલામતી ઉપરાંત ઓળખાણ અને જરૂર પડે ત્યારે એકબીજાની પડખે આસાનીથી ઉભા રહી શકાય તેવો હોય છે. અનુસૂચિત જાતિ સમાજ જ્યારે લગ્નની વાત આવે ત્યારે આજે પણ અન્ય સમાજમાં લગ્ન કરતા ખચકાતો હોય છે. કેમ કે, તેને સૌથી મોટો ડર આભડછેટનો હોય છે. આભડછેટ એ સાપ છે જેનો ડંખ અનુસૂચિત જાતિ સમાજ સદીઓથી ઝેલતો આવ્યો છે અને તે કેટલો ઝેરીલો હોય છે તે તો જેણે અનુભવ્યું હોય તે જ જાણે. આવી કપરી પરિસ્થિતિમાં આંતરજ્ઞાતિય લગ્ન દ્વારા આભડછેટ નિવારણનું બાબાસાહેબનું પગલું આગળ વધી શક્યું નથી. પણ એડવોકેટ ગોવિંદ પરમારે આ દિશામાં એક પહેલ ચોક્કસ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amidst-the-seizure-of-four-police-stations-a-dalit-family-came-out">ચાર પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે દલિત પરિવારનો વરઘોડો નીકળ્યો</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664ae66f5e57a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ સમાજની દીકરી, મોદી સમાજમાં લગ્ન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે કોઈ પણ સમાજના લોકો એકબીજાના સમાજ અને પરગણામાં જ લગ્ન કરતાં હોય છે. પણ ગોવિંદભાઈ પરમારની મધ્યસ્થીથી વડનગરના રોહિત મોદી અને સુરેન્દ્રનગર મોટા ટીંબલાના મીના બેન વણકર લગ્નગ્રંથિથી જોડાઈ શક્યા છે. રોહિત મોદી અને મીનાબેન બંનેના છુટાછેડા થયેલા હતા. બંનેની જ્ઞાતિ તેમજ રિવાજ અલગ-અલગ હોવા છતાં ગોવિંદભાઈની સમજાવટથી બંનેના પરિવારજનો સાથે વાત કરીને આંતરજ્ઞાતિય લગ્ન કરાવ્યા હતા. ગત 19મી મેના રોજ યોજાયેલા આ લગ્ન એ રીતે અનોખા બની રહ્યા હતા. બંનેના પરિવારજનોએ હરખથી તેમાં ભાગ લીધો હતો. સાથે જમ્યા, રમ્યાં અને મોજ કરી હતી. એ રીતે એક પરિવાર પુરતો આભડછેટનો નાગ ભોંમાં ભંડારાઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/you-are-a-jai-bheem-wala-we-dont-employ-jai-bheem-wala">તું 'જય ભીમ વાળો' છે, અમે 'જય ભીમ વાળા'ને નોકરી નથી આપતા</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664ae66e47143.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ સમાજ સાથે આજે પણ કથિત સવર્ણ જ્ઞાતિના લોકો દ્વારા આભડછેટ પાળવામાં આવે, શું આ લગ્ન કરાવતી વખતે તમને એ વિચાર નહોતો આવ્યો કે યુવકના પરિવારજનો એક અનુસૂચિત જાતિની દીકરીને કેવી રીતે સ્વીકારશે? આ સવાલના જવાબમાં વાતગડિયાની ભૂમિકામાં રહેલા એડવોકેટ ગોવિંદભાઈ પરમાર કહે છે, "બિલકુલ આવેલો. પણ હું રોહિતને વર્ષોથી ઓળખું છું. તે અમદાવાદના પ્રગતિશીલ એડવોકેટ આનંદ યાજ્ઞિકની ઓફિસમાં પ્યૂન તરીકે કામ કરે છે. આનંદભાઈ સાથે કામ કરવાને કારણે તેનામાં અન્ય કથિત સવર્ણો જેમ આભડછેટ કે અન્ય જાતિગત બાબતોને લઈને સંકુચિતતા જોવા મળતી નથી. તેમ છતાં મેં આ બાબતે તેની સાથે સ્પષ્ટ રીતે વાત કરી કે, દીકરી અનુસૂચિત જાતિની છે, જો તારા પરિવારને તેની જાતિને લઈને કોઈ સમસ્યા ન નડતી હોય તો હું આ બાબતે તેના પરિવારજનોને વાત કરી શકું. એ પછી બંનેના પરિવારજનો એકબીજાને મળ્યાં, રોહિત અને મીનાએ પણ એકબીજા સાથે મોકળાં મને વાતચીત કરી અને અંતે બંનેના લગ્ન ગોઠવાયા."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Siddhi-of-Neha-Chauhan-from-Jamnagar,-Valmiki-became-the-first-air-hostess-from-the-community">જામનગરની નેહા ચૌહાણની સિદ્ધી, વાલ્મિકી સમાજમાંથી પ્રથમ એર હોસ્ટેસ બની</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664ae66dad9b8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત ભારતભરમાં આજે પણ આભડછેટ અસ્તિત્વ ધરાવે છે તેમાં બહુ મોટો રોલ આંતરજ્ઞાતિય લગ્નોને મળતો મોળો પ્રતિસાદ છે. ઘણીવાર લોકો અનુસૂચિત જાતિ કે અન્ય આભડછેટનો ભોગ બનતી જાતિની દીકરી સાથે લગ્ન સંબંધ બાંધે છે તો પણ દીકરીના પરિવારજનોને સવર્ણ જાતિના યુવકના પરિવારજનો તેમની દીકરીને સ્વીકારશે કે નહીં તે ડર પજવતો હોય છે. છેલ્લે બધું યોગ્ય હોવા છતાં જાતિના સંકુચિતપણા સુધી આવીને મામલો અટકી જતો હોય છે. આથી આંતરજ્ઞાતિય લગ્ન થકી આભડછેટ દૂર કરવાનો જે મૂળ વિચાર છે તેનું બાળમરણ થઈ જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-Thakor-Samaj-of-Charadu-village-in-Kalol-filled-the-marriage-of-Valmiki-Samajs-daughter">કલોલના ચરાડુ ગામના ઠાકોર સમાજે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભર્યું</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664ae911f26b2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">કથિત સવર્ણો તેમની દીકરી અનુસૂચિત જાતિના યુવકને પરણાવશે?</span></strong><br><span style="font-size: 14pt;">આ સવાલ બહુમતી અનુસૂચિત જાતિના લોકોના મનમાં ઉઠતો હોય છે. સામાન્ય રીતે દલિત સમાજના લોકો તેમની દીકરી કથિત સવર્ણ પરિવારમાં પરણાવવા માટે રાજી થઈ જતા હોય છે, પણ મામલો જો તેનાથી ઉલટો હોય, અર્થાત યુવક અનુસૂચિત જાતિનો હોય અને યુવતી કથિત સવર્ણ સમાજમાંથી આવતી હોય તો શું તેઓ તેમની દીકરીના લગ્ન કરાવશે ખરા? આ સવાલનો જવાબ આજે પણ બહુ સકારાત્મક નથી. કેમ કે, અનુસૂચિત જાતિ સમાજ જેટલો પ્રગતિશીલ છે, તેટલા પ્રગતિશીલ સવર્ણો નથી. તેમને દલિત સમાજની દીકરી જોઈએ છે પણ તેમની દીકરી આપવી નથી. એટલે જ આંતરજ્ઞાતિય લગ્નોમાં દલિત દીકરી કથિત સવર્ણ સમાજમાં પરણીને જાય છે પણ કથિત સવર્ણ યુવતી તેના પરિવારજનોની સંમતિથી અનુસૂચિત જાતિના યુવક સાથે લગ્ન કરીને રાજીખુશીથી રહેવા જાય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આશા રાખીએ કે, એડવોકેટ ગોવિંદ પરમારે કરેલી પહેલને કથિત સવર્ણો આ દ્રષ્ટિકોણથી પણ જુએ અને તેમની દીકરીઓને પણ અનુસૂચિત જાતિના પ્રગતિશીલ યુવાનો સાથે લગ્નગ્રંથિથી જોડીને જાતિવાદના દૂષણને ખતમ કરવામાં ભૂમિકા ભજવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/In-the-hotels-where-Dalits-were-not-allowed-to-enter,-they-had-to-sit-and-feed-sweets">જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 20 May 2024 11:42:32 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 20 May 2024 11:39:37 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>641</Articleid>
                    <excerpt>અમદાવાદના એડવોકેટ ગોવિંદભાઈ પરમારે અનુસૂચિત જાતિ સમાજની એક દીકરીના લગ્ન મોદી સમાજના યુવક સાથે બંને પરિવારોની સહમતી સાથે રાજીખુશીથી જોડી આપ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_664ae66eee193.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_664ae66eb771d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_664ae66eb771d.jpg" length="110092" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, intercaste marriage</media:keywords>
                </item>
                        <item>
                    <title>પાટડીમાં સર્વજ્ઞાતિય બૌદ્ધ સમૂહ લગ્નમાં 9 યુગલોએ લગ્ન કર્યા</title>
                    <link>https://khabarantar.com/nine-couples-got-married-in-an-all-caste-buddhist-group-wedding-in-patdi</link>
                    <guid>https://khabarantar.com/nine-couples-got-married-in-an-all-caste-buddhist-group-wedding-in-patdi</guid>
                    <description>
                        <![CDATA[ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે સર્વજ્ઞાતિય બૌદ્ધ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ જ્ઞાતિ-સમાજના 9 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જય ભીમ સમૂહ લગન સમિતિ આયોજિત પાંચમો  સર્વ જ્ઞાતિય બૌદ્ધ સમૂહલગ્ન વ્રજભૂમિ રેસીડેન્સી, પાટડી ખાતે યોજાઈ ગયો. જેમાં ૯ નવયુગલોને બૌદ્ધ સંસ્કાર અનુસાર લગ્નગ્રંથીથી જોડવામાં આવ્યા. જેમાં સમૂહલગ્નના અધ્યક્ષ સ્થાને ભંતે વિપસ્ય શામનેર ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. સ્ટેજ પરથી ધમ્માચારી આનંદ શાકય અને ત્રિશરણ બૌદ્ધની સૂચના પ્રમાણે તમામ નવયુગલોની લગ્નવિધિ મહિલાઓ દ્વારા કરી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ લગ્નવિધિમાં વર તરફથી ૫ અને કન્યા તરફથી ૫ વચનો લઈ માતાપિતાના આશીર્વાદ સાથે એક બીજાને ફૂલોની માળા પહેરાવી લગ્નગ્રંથિમાં જોડાયા હતા. સાથે જ તમામ અંધશ્રદ્ધા અને તર્કશૂન્ય વિધિને તિલાંજલી અપાઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6645987317842.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂળનિવાસી ટ્રસ્ટની જય ભીમ સમૂહ લગ્ન સમિતિની ટીમ દ્વારા સતત ૩ મહિનાની અથાગ મહેનતના ફળ સ્વરૂપ દીકરીઓને કરિયાવર તરીકે સર્વે સમજે સોના – ચાંદીના દાગીનાની સાથે ઘરવખરીની અઢળક વસ્તુઓ ભેટ સ્વરુપે આપી હતી. સંસ્થાનો પરિચય મંત્રીશ્રી અરજણભાઈ સોલંકીએ આપ્યો હતો. ઉપસ્થિત મહેમાનોએ આશીર્વચન પાઠવ્યા હતા અને આભારવિધિ અંબાલાલ મકવાણાએ કરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/at-ramod-the-cremation-ceremony-was-solemnized-with-the-fragrance-of-the-constitution">રામોદ ખાતે સ્મશાનમાં બંધારણના સોગંધ સાથે બૌદ્ધિવિધિથી લગ્ન યોજાયા</a></span></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_66459873afe15.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમૂહલગ્નના ગાંધીનગરથી પધારેલા શ્રમન આગાઝની ટીમ પણ આકર્ષણનું કેન્દ્ર રહી હતી, જેમાં ગુજરાતી ફિલ્મ અને ગીતના ડિરેકટર તુષાર અસોડીયા, યુટ્યુબ પર પકાલાલ તરીકે જાણીતા થયેલા એક્ટર પંકજ પરમાર, ડૉ. શિલ્પા અમીન, જતિન મર્ચન્ટ, સાગર ધારવા, નીલેશ આંધ્રેજા, ડૉ. રાજેશ પરમાર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ટીમમાં ઉચ્ચ અધિકારીઓ, ડોકટર, પ્રોફેસર, બેસ્ટ પ્રિન્સીપાલ, ડિરેક્ટર અને કલાકાર હોવા છતાં તેઓ સ્ટેજ પર ન બેસતા નીચે બધાંની સાથે જ બેઠા હતા અને ફૂલોનાં હારથી સન્માન ન સ્વીકારી હાથમાં ફૂલો સ્વીકારી તથાગત ગૌતમ બુદ્ધને અર્પણ કર્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6645986c14d83.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે બદલ ઉપસ્થિત જનમેદનીએ તેમની સાદગી અને સમાજ ભાવના માટે સૌને બિરદાવ્યા હતા. આ ટીમે દરેક યુગલોને સ્ત્રીની સ્થિતિ સમજવા માટે જાણીતા લેખક જીતેન્દ્ર વાઘેલાનું “પીરીયડ – ધ ટાઈમ ટુ ચેન્જ’ પુસ્તક ભેટ આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: </span><span><a href="https://khabarantar.com/Buddhist-marriage-trend-in-Scheduled-Caste-society,-first-Buddhist-marriage-ceremony-held-in-Kadi">અનુસૂચિત જાતિ સમાજમાં બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કરવાનો ટ્રેન્ડ, કડીમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા</a></span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6645986a2b2d6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાંચમાં  સર્વજ્ઞાતિય બૌદ્ધ સમૂહલગ્નને સફળ બનાવામાં વરકન્યાના પરિવારજનો, વીરમગામ, દસાડા અને પાટડી પંથકના ગામોમાંથી પધારેલ સમાજબંધુઓ, મૂળનિવાસી ટ્રસ્ટની જય ભીમ સમૂહ લગ્ન સમિતિની ટીમ અને સામાજિક કાર્યકરો શીવાભાઈ વાઘેલા, મોહનભાઈ પરમાર, મહેશભાઈ પારધી, અરવિંદભાઈ જાદવ, જીતુ બંસલ વગેરે અનેક કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/what-is-the-strength-of-religion">ધર્મની તાકાત શું છે?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664598750694b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો તમે ભીમ સમૂહ લગ્ન સમિતિ વિશે વધુ જાણકારી મેળવવા માંગતા હો અથવા તો ટ્રસ્ટના સમૂહ લગ્નો વિશે કોઈ જાણકારી મેળવવી હોય તો 97237 01673 પર સંપર્ક કરી શકો છો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-progressive-buddhist-wedding-took-place-in-lambha-which-the-upper-class-considered-a-backward-area">સવર્ણો જેને પછાત વિસ્તાર માને છે તે લાંભામાં પ્રગતિશીલ બૌદ્ધ લગ્ન યોજાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 16 May 2024 11:04:17 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 16 May 2024 11:22:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>622</Articleid>
                    <excerpt>સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે સર્વજ્ઞાતિય બૌદ્ધ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ જ્ઞાતિ-સમાજના 9 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_664598749572f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6645987463542.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6645987463542.jpg" length="143950" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમિત શાહના એડિટેડ વીડિયો મામલે મેવાણીના PA સહિત 2 ની ધરપકડ</title>
                    <link>https://khabarantar.com/2-including-mevanis-pa-arrested-in-amit-shahs-edited-video-case</link>
                    <guid>https://khabarantar.com/2-including-mevanis-pa-arrested-in-amit-shahs-edited-video-case</guid>
                    <description>
                        <![CDATA[ એસસી, એસટી, ઓબીસીની અનામતના મુદ્દે અમિત શાહના એડિટેડ વાયરલ વીડિયો મામલે જિગ્નેશ મેવાણીના પીએ સહિત બેની ધરપકડ કરાઈ છે. શું છે આખો મામલો વાંચો અહીં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અનામત પરના એક વીડિયોને એડિટ કરીને તેને વાયરલ કરવાના મામલામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પીએ સહિત બે લોકોની ધરપકડ કરી છે. બીજો વ્યક્તિ આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે અમિત શાહની બે અલગ અલગ સભાના વીડિયો કાપીને આ વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. વીડિયો એવી રીતે એડિટ કરાયો હતો જેમાં અમિત શાહ દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની અનામત ખતમ કરી દેવાની વાત કરતા હોય. આ કેસમાં આજે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓના નામ સતીષ વણસોલા અને આર.બી.બારિયા છે. સતીશ વણસોલા કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું પ્રાદેશિક કાર્યાલય સંભાળે છે જ્યારે આર.બી. બારિયા આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ છે. બંનેએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અન્ય રાજ્યોમાં પણ તપાસ શરૂ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે હવે દિલ્હી પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઘણાં રાજ્યોમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાનુસાર પોલીસ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં ફેલાયો છે અને વીડિયોની તપાસ માટે દિલ્હી પોલીસની અલગ-અલગ ટીમોને ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં મોકલવામાં આવી છે. પોલીસે નકલી વીડિયો કેસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પણ સમન્સ પાઠવ્યું છે. નકલી વીડિયો શેર કરવાના સંબંધમાં યુપીમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભા ઉમેદવારને નોટિસ આપવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ઝારખંડમાં કોંગ્રેસના એક નેતાને પણ નોટિસ મળી હતી. પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ સાથે જ નાગાલેન્ડના કોંગ્રેસ નેતાને પણ નોટિસ મોકલવામાં આવી છે. આ તમામ નેતાઓને પોતાના મોબાઈલ તપાસ દરમિયાન સાથે લાવવા માટે કહેવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ તેલંગાણાના સીએમ રેડ્ડી સહિત છ લોકોને દિલ્હી પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમિત શાહના એડિટ કરાયેલા વીડિયોમાં શું હતું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમિત શાહનો નકલી વીડિયો જે સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો હતો તે અનામત સાથે સંબંધિત હતો. એડિટ કરવામાં આવેલા આ વીડિયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એમ કહેતા બતાવવામાં આવ્યા છે કે, જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો આ ગેરબંધારણીય એસસી, એસટી અને ઓબીસીની અનામત સમાપ્ત કરી દઈશું. આ વીડિયો આસામના ગુવાહાટીની સભાનો હતો, જેને એડિટ કરીને સોશિયલ મીડિયામાં ફરતો કરી દેવાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમિત શાહે શું કહ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે અમિત શાહે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણાં ફેલાવીને જનતાને ભ્રમિત કરવા માંગે છે. ભાજપ SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા ભૂમિકા ભજવશે. નરેન્દ્ર મોદીએ પણ આ વાત ઘણી વખત કહી છે. એસસી, એસટી અને ઓબીસીની અનામતમાં જો કોઈ પાર્ટીએ લૂંટ ચલાવી હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Chhagan-Bhujbal-Sindh-resigns-from-Govt-over-OBC-reservation-to-Marathas">મરાઠાને OBC અનામતમાંથી ભાગ આપવાના વિરોધમાં છગન ભુજબળે શિંદે સરકારમાંથી રાજીનામું આપ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 30 Apr 2024 19:50:29 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 30 Apr 2024 20:14:44 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>563</Articleid>
                    <excerpt>એસસી, એસટી, ઓબીસીની અનામતના મુદ્દે અમિત શાહના એડિટેડ વાયરલ વીડિયો મામલે જિગ્નેશ મેવાણીના પીએ સહિત બેની ધરપકડ કરાઈ છે. શું છે આખો મામલો વાંચો અહીં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6630fd1b791ac.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6630fd1b49e1a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6630fd1b49e1a.jpg" length="65509" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>PM નરેન્દ્ર મોદી પર છ વર્ષ માટે ચૂંટણી પ્રતિબંધ લગાવવાની માંગ</title>
                    <link>https://khabarantar.com/demand-to-ban-election-on-pm-narendra-modi-for-six-years</link>
                    <guid>https://khabarantar.com/demand-to-ban-election-on-pm-narendra-modi-for-six-years</guid>
                    <description>
                        <![CDATA[ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 6 વર્ષ માટે ચૂંટણી પ્રતિબંધ લાદવા માટેની એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવી છે. કોણે અરજી કરી છે અને તેમાં શું છે તેની વાત કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ૬ વર્ષ માટે ચૂંટણી પ્રતિબંધ લગાવવાની માગ કરતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોર્ટ આ અરજી પર સોમવારે ૨૯ એપ્રિલે સુનાવણી કરશે. અરજદાર એડવોકેટ આનંદ એસ. જોંધલેએ આરોપ લગાવ્યો છે કે પીએમ નરેન્દ્ર મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોંધલેએ ૧૫ એપ્રિલે પોતાની અરજીમાં કહ્યું હતું કે પીએમ મોદી ભગવાન અને મંદિરોના નામ પર લોકો પાસેથી વોટ માંગી રહ્યા છે. તેમણે કહ્યું- પીએમ ૯ એપ્રિલે યુપીના પીલીભીતમાં તેમના ભાષણ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ, શીખ દેવતાઓ અને તેમના પૂજા સ્થાનોના નામ પર વોટ માંગ્યા હતા. એડવોકેટ જોંધલેએ આ ભાષણને અરજીનો આધાર બનાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોંધલેના કહેવા પ્રમાણે મોદીએ કહ્યું કે તેમણે રામ મંદિરનું નિર્માણ કરાવ્યું. કરતારપુર સાહિબ કોરિડોરનો વિકાસ થયો. વડાપ્રધાને કહ્યું કે તેમણે ગુરુદ્વારાઓમાં પીરસવામાં આવતા લંગરમાં વપરાતી વસ્તુઓ પરથી ટેક્સ હટાવી દીધો. તેમજ અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબની નકલો પરત લાવવામાં આવી હતી. અરજદાર જોંધલેએ જણાવ્યું હતું કે આચારસંહિતા હેઠળ, કોઈપણ પક્ષ અથવા ઉમેદવાર બે જાતિ અથવા સમુદાયો વચ્ચે તણાવ પેદા કરે તેવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થઈ શકે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે તેઓ મોદીની ફરિયાદ સાથે ચૂંટણી પંચમાં પણ ગયા હતા અને આઇપીસીની કલમ ૧૫૩એ (જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) હેઠળ કાર્યવાહીની માગ કરી હતી. તેમ છતાં પંચે કોઈ કાર્યવાહી કરી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/is-kambakht-mulk-main-chamar-kabhi-prime-minister-nahi-ho-sakta-hai">ઈસ કમબખ્ત મુલ્ક મેં ચમાર કભી પ્રાઈમ મિનિસ્ટર નહીં હો સકતા હૈ</a></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662caec446ea9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીલીભીતમાં પીએમ મોદીના ભાષણના કેટલાક અંશો.</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧.મોદીએ કહ્યું- ૫૦૦ વર્ષની રાહ જોયા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું. આ ઈન્ડિયા ગઠબંધનના લોકોને રામ મંદિરના નિર્માણ પહેલા પણ નફરત હતી અને આજે પણ નફરત છે. તેમણે મંદિરનું નિર્માણ ન થાય તે માટે પૂરો પ્રયાસ કર્યો. મંદિરના લોકોએ તેના તમામ પાપો માફ કરી દીધા અને તેને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ આપ્યું, પરંતુ તેણે તે માટેના આમંત્રણને નકારી કાઢ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨. મોદીએ કહ્યું- કોંગ્રેસ જેની સાથે સમાજવાદી પાર્ટી આજે ઉભી છે, તેણે ૧૯૮૪માં આપણા શીખ ભાઈ-બહેનો સાથે શું કર્યું તે કોઈ ભૂલી શકે નહીં. આ ભાજપ છે જે શીખોની સાથે પૂરી તાકાતથી ઉભી છે. અમને ગર્વની લાગણી થાય છે જ્યારે લાખો ભક્તો, જેમના હૃદયમાં દાયકાઓથી પીડા અને વેદના છે, કરતારપુર સાહિબ કોરિડોરથી કરતારપુર સાહિબ જાય છે અને નમન કરે છે. ભાજપે લંગર પરનો જીએસટી હટાવ્યો. અમે શ્રી હરમિન્દર સાહબ માટે એફસીઆરએ નોંધણી સુનિશ્ચિત કરી, જેથી વિદેશના લોકોને પણ સેવા કરવાની તક મળે. અમે બ્રેવ ચિલ્ડ્રન ડેની ઉજવણી કરીને સાહિબજાદાઓની બહાદુરીનું સન્માન કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૩.વડાપ્રધાને કહ્યું- કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલ મેનિફેસ્ટો કોંગ્રેસનો નથી, તે મુસ્લિમ લીગના મેનિફેસ્ટો જેવો દેખાય છે. કોંગ્રેસ અને સપા સીએએનો વિરોધ કરી રહ્યા છે. વિદેશી ધરતી પરના અત્યાચારને કારણે પલાયન કરવા મજબૂર થયેલા હિન્દુ અને શીખ ભાઈ-બહેનોને ભારત નાગરિકતા નહીં આપે તો બીજું કોઈ આપશે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/shambhu-kumar-singhs-national-dastak-youtube-channel-received-a-shutdown-notice">શંભુ કુમાર સિંહની નેશનલ દસ્તક યુટ્યૂબ ચેનલને બંધ કરવાની નોટિસ મળી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 27 Apr 2024 13:26:21 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 27 Apr 2024 13:26:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>551</Articleid>
                    <excerpt>વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 6 વર્ષ માટે ચૂંટણી પ્રતિબંધ લાદવા માટેની એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવી છે. કોણે અરજી કરી છે અને તેમાં શું છે તેની વાત કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_662caea94b34c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662caea917cdd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662caea917cdd.jpg" length="108612" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આણંદમાં 6072 વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધનાની સાઈકલ મળી નથી!</title>
                    <link>https://khabarantar.com/6072-students-in-anand-did-not-get-saraswati-sadhana-cycle</link>
                    <guid>https://khabarantar.com/6072-students-in-anand-did-not-get-saraswati-sadhana-cycle</guid>
                    <description>
                        <![CDATA[ આણંદ જિલ્લામાં એસસી, એસટી અને વિકસતી જાતિની 6 હજારથી વધુ વિદ્યાર્થિનીઓને આ વર્ષે સરસ્વતી સાધના યોજના હેઠળ સાઈકલ સહાય મળી શકી નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં કોઈ સરકારી યોજનાનો લાભ નિયત સમયમર્યાદામાં તેના લાભાર્થીને મળે તો તે ચમત્કાર જેવી ઘટના ગણાય છે. સરકાર મોટા ઉપાડે યોજનાઓ જાહેર કરી દે છે પરંતુ તેના અમલમાં સરકારી બાબુઓની લાલિયાવાડી અને આયોજનના અભાવ સ્પષ્ટપણે જોવા મળએ છે. પરિણામે કેટલીક મહત્વની યોજના પણ સરકારી બાબુઓ, રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે તેના યોગ્ય લાભાર્થી સુધી નિયત સમયમર્યાદામાં પહોંચતી નથી. જેના કારણે સેંકડો લોકોએ લાચારી ભોગવવી પડે છે. આવી જ એક મહત્વની યોજના હાલ સરકારી લાલિયાવાડીનો ભોગ બની છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત છે રાજ્ય સરકારની સરસ્વતી સાધના યોજનાની. જેમાં ધોરણ 9ની અનુસૂચિત જાતિ, અનુ. જનજાતિ અને વિકસતી જાતિની વિદ્યાર્થિનીઓને મફત સાઈકલ આપવામાં આવે છે. આ યોજનાને કારણે અનેક ગરીબ પરિવારની કન્યાઓ શાળાએ જતી થઈ હતી. પણ આણંદ જિલ્લામાં અગમ્ય કારણોસર આખું વર્ષ વીતી જવા છતાં 6 હજારથી વધુ વિદ્યાર્થીનિઓને સાઈકલ મળી શકી નથી. જેના કારણે તેમના શિક્ષણ પર માઠી અસર થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ અનુસૂચિત જાતિ સમાજની ધો.૯ની વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. પરંતુ ગત વર્ષે આણંદ જિલ્લામાંથી દરખાસ્ત કરાયેલ લાભાર્થી વિદ્યાર્થીનીઓ પૈકી એકપણને હજી સુધી સાયકલ ફાળવવામાં આવી નથી. મતલબ કે આખું વર્ષ પુરું થવા છતાં સંલગ્ન તંત્રના પેટનું પાણી પણ આ મામલે હલ્યું નથી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વસતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના પરિવારોની ધો. ૮ પાસ કરીને ધો.૯માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને શાળાએ પહોંચવા માટે રાજય સરકાર દ્વારા આશરે ૧૪ વર્ષ અગાઉ સરસ્વતી સાધના યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઉપરોકત પરિવારોની ધો.૯માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનિને શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે જ સાયકલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ ગત વર્ષે આ યોજના માટે જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અંદાજે કુલ ૬૦૭ર દરખાસ્ત કરવા છતાંયે રાજય તંત્રની લાપરવાહીને કારણે હજી સુધી લાભાર્થી વિદ્યાર્થીનીઓને સાયકલ ફાળવવામાં નથી આવી. આગામી દિવસોમાં ધો.૧થી ૯ની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થશે. જે પૂર્ણ થતાં ઉનાળું વેકેશન પડશે અને બાદમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થશે. વેકેશન દરમ્યાન સરસ્વતી સાધના યોજના હેઠળ આવરી લેવાયેલ સમાજની ધો. ૯ની દિકરીઓને સાયકલ યોજના માટે કાર્યરત સમાજ કલ્યાણના ત્રણેક વિભાગો દ્વારા નવા વર્ષ માટેની દરખાસ્તો મોકલવામાં આવશે. ત્યારે સવાલ એ છે કે ગત આખું વર્ષ વીતવા છતાંયે સાયકલો ફાળવવામાં ન આવી હોવા છતાંયે આ લાભાર્થીઓને લાભ અપાશે કે કેમ? નવા વર્ષની મોકલવામાં આવનાર દરખાસ્તો મુજબ સમયસર સાયકલો વિતરણ કરાશે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર જવાબ રાજય સ્તરેથી પાઠવવામાં ન આવ્યાનું સંલગ્ન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, અગાઉ ધો.૮માં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિની વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ ફાળવવામાં આવતી હતી. પરંતુ રાજય શિક્ષણ વિભાગ દ્વારા ધો.૮નો પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરાયો હતો. જેથી સાયકલ યોજનાને પણ ધો.૮ના બદલે ધો.૯માં ફેરબદલ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ટાર્ગેટ પ્રમાણે અરજીઓ મેળવવા વાર્ષિક આવકમાં સુધારો કરાયો હતો</span></strong><br><span style="font-size: 14pt;">સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા અગાઉના વર્ષોમાં પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. ૪૭ હજાર કે તેથી ઓછી અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ. ૬૮ હજાર કે તેથી ઓછી આવક મર્યાદા ઠરાવવામાં આવેલ હતી. પરંતુ વધતી જતી મોંઘવારી, જીવનઘોરણનો ઊંચો આંક વગેરે ધ્યાને લેતા આવક મર્યાદા ઘણી ઓછી હોવાથી સરકારની યોજનાઓમાં લક્ષ્યાંક મુજબ અરજીઓ મળતી ન હોવાની વિભાગે સ્પષ્ટતા કરી હતી. જેથી કલ્યાણકારી યોજનાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં ૧.ર૦ લાખ અને શહેરી વિસ્તારમાં ૧.પ૦ લાખ વાર્ષિક આવક મર્યાદા નકકી કરવામાં આવી હતી. જેમાં અનુસૂચિત જાતિની ધો.૯માં અભ્યાસ કરતી કન્યાઓને મફત સાયકલ (સરસ્વતી સાધના યોજના) માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા ૬ લાખ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સહાય માટેની સિસ્ટમ કેવી છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">આણંદ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિ)ના અધિકારીક સૂત્રો મુજબ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં દરેક શાળાના આચાર્યો પાસેથી ધો.૯માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓ પૈકી સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલની લાભાર્થી વિદ્યાર્થીનિઓની દરખાસ્ત મંગાવવામાં આવે છે. આચાર્યો દ્વારા રાજય સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તેમની શાળાની લાભાર્થી વિદ્યાર્થીનીઓની સંપૂર્ણ વિગતો સાથેની દરખાસ્ત મોકલવાની હોય છે. જે દરખાસ્ત જિલ્લામાં કાર્યરત યોજના હેઠળના ત્રણેય વિભાગના નાયબ નિયામક દ્વારા ઓનલાઇન દરખાસ્તો ચકાસણી કરીને મંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ જિલ્લાની કુલ સાયકલોની યાદી રાજય સરકારની અધિકૃત એજન્સી ગ્રીમકોને મોકલવામાં આવે છે. આણંદ જિલ્લામાંથી યોજનાની લાભાર્થી વિદ્યાર્થીનિઓની શાળા કક્ષાએથી આવેલ દરખાસ્તોની ચકાસણી કરીને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેને રાજય સરકાર દ્વારા અધિકૃત એજન્સી ગ્રીમકોને મોકલવામાં આવે છે. ગ્રીમકો દ્વારા જિલ્લા મથકે સાયકલો પહોંચાડવામાં આવે છે. ત્યાંથી તાલુકા મુજબ શાળાઓમાં સાયકલો પહોંચાડવાની કામગીરી સમાજ કલ્યાણ સહિતના વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેમાં લાભાર્થી વિદ્યાર્થિનીના વાલીની સાયકલ મળ્યાની પહોંચ સહિતના દસ્તાવેજ એકત્ર કરીને શાળા મારફતે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">અગાઉ સાઈકલો વિતરણ વિના કાટ ખાઈ ગઈ</span></strong><br><span style="font-size: 14pt;">અગાઉના વર્ષોમાં યોજનાની વિતરણ કરાયા વગરની સાયકલો કાટ ખાઇ ગયાનો મામલો ચર્ચિત બન્યો હતો. આણંદ જિલ્લામાં અગાઉના વર્ષોમાં સરસ્વતી સાધના યોજના હેઠળ તાલુકાઓમાં સાયકલોનો જથ્થો મોકલાયો હતો. પરંતુ બાદમાં રાજયસ્તરેથી આ મામલે કોઈ મોનિટરીંગ ન થતા અનેક શાળાઓમાં વર્ષો સુધી સાઈકલોનો ખડકલો થયો હતો અને બીજી તરફ લાભાર્થી વિદ્યાર્થિનીઓ સાઈકલથી વંચિત રહી હતી. કાટ ખાઈ ગયેલી સાયકલોના ફોટાઓ સાથેના અહેવાલે છેક ગાંધીનગર સુધી હડકંપ મચાવી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સોફ્ટવેર અપડેટ અને સ્કોલરશીપમાં જ આખું વર્ષ વીતી ગયું?</span></strong></span><br><span style="font-size: 14pt;">રાજય અને કેન્દ્ર સરકારના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા પ્રિ મેટ્રીક સ્કોલરશીપ સહિતની યોજનાઓનો લાભ નિયત વિદ્યાર્થીઓને મળી રહે તે માટે નામ નોંધણી-દરખાસ્તમાં સમયાંતરે ફેરફારો કરવામાં આવે છે. જેમાં વર્ષ ર૦રર-ર૩થી સ્કોલરશીપ મેળવવા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના નામ સહિતની દરખાસ્ત શાળાના આચાર્ય મારફતે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર કરવાનું ઠરાવાયું હતું. યોગાનુયોગ ગત વર્ષે આ પોર્ટલ-સોફટવેર અપડેટ કરવાની પળોજણ ઉભી થઇ હતી. જેમાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ (ડીબીટી), થમ્બ ઈમ્પ્રેશન, આધારકાર્ડ સહિતના સ્કોલરશીપ માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા સહિતની કામગીરીમાં મહિનાઓ વીતી ગયા હતા. આ આખી કવાયતમાં સરસ્વતી સાધના યોજનાની લાભાર્થી વિદ્યાર્થિનીઓને સાઈકલની ફાળવણીની આખી પ્રક્રિયા હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી અને ઓનલાઈન અટવાઈ પડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/the-poor-daughter-did-not-get-even-a-single-rupee-in-the-balika-samriddhi-yojana-in-kheda">ખેડામાં બાલિકા સમૃદ્ધિ યોજનામાં ગરીબ દીકરીને એક રૂપિયો પણ ન મળ્યો</a><br></span></strong></span></p>
<div class="post-text">
<p><strong><span><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 25 Apr 2024 11:04:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>537</Articleid>
                    <excerpt>આણંદ જિલ્લામાં એસસી, એસટી અને વિકસતી જાતિની 6 હજારથી વધુ વિદ્યાર્થિનીઓને આ વર્ષે સરસ્વતી સાધના યોજના હેઠળ સાઈકલ સહાય મળી શકી નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6629e3a43ad34.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6629e3a40b4e6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6629e3a40b4e6.jpg" length="115928" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>શંભુ કુમાર સિંહની નેશનલ દસ્તક યુટ્યૂબ ચેનલને બંધ કરવાની નોટિસ મળી</title>
                    <link>https://khabarantar.com/shambhu-kumar-singhs-national-dastak-youtube-channel-received-a-shutdown-notice</link>
                    <guid>https://khabarantar.com/shambhu-kumar-singhs-national-dastak-youtube-channel-received-a-shutdown-notice</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સમાજની સૌથી મોટી યુટ્યૂબ ચેનલો પૈકીની એક એવી નેશનલ દસ્તકને બંધ કરવાની નોટિસ મળી છે. શું છે તેની પાછળનું કારણ, વાંચો આ રિપોર્ટમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિજિટલ મીડિયા જગતમાં બહુજન સમાજની સૌથી મોટી યુટ્યૂબ ચેનલો પૈકીની એક એવી નેશનલ દસ્તકને બંધ કરવાની નોટિસ મળી છે. નોટિસમાં કેન્દ્ર સરકારનો હુકમ હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે, આઈટીના નિયમો અંતર્ગત તમારી ચેનલને બંધ કરવી પડશે. જો કે તેની પાછળ શું કારણ છે તે નોટિસમાં સ્પષ્ટ રીતે કહેવામાં નથી આવ્યું. નોટિસમાં આગળ લખવામાં આવ્યું છે કે આ સૂચના ગુપ્ત  છે અને તેના માટે ચેનલે સરકારનો સંપર્ક કરવાનો રહેશે. નેશનલ દસ્તકનો ચહેરો રહેલા તેના સિનિયર એડિટર શંભુ કુમાર સિંહ સહિતના લોકોએ નોટિસને સરકાર દ્વારા ચૂંટણીમાં સ્વતંત્ર અવાજને દબાવવાનો આરોપ લગાવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ દસ્તકની માલિકી અને સંચાલન પત્રકાર શંભુ કુમાર સિંહ પાસે છે. ઓબીસી સમાજમાંથી આવતા શંભુ કુમારે વર્ષ 2014માં અશોક દાસ સાથે મળીને આ યુટ્યૂબ ચેનલ શરૂ કરી હતી. એ પછી તે જોતજોતામાં જ ભારતમાં બહુજન સમાજનું સૌથી મોટું યુટ્યૂબ પ્લેટફોર્મ બની ગયું હતું. આજે તેના લાખો ફોલોઅર્સ છે અને દેશના અંતરિયાળ ગામડાઓ સુધી ગરીબ, આદિવાસી, દલિત, ઓબીસી સમાજના લોકો તેના વ્યૂઅર્સ છે. શંભુ કુમાર સિંહ હવે લોકસભા ચૂંટણીમાં બિહારની વૈશાલી લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોટિસ વિશે જાણકારી આપતા નેશનલ દસ્તકે તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “સરકાર નેશનલ દસ્તકને બંધ કરાવવા માંગે છે. 3 એપ્રિલે યુટ્યૂબે નોટિસ મોકલી હતી. આર્ટિકલ 19ને પણ નોટિસ મળી છે. આચારસંહિતામાં આ બધું થઈ રહ્યું છે. લાખો સમાચારપત્રો, ટીવી ન્યૂઝ ચેનલો ચાલી રહી છે. બહુજનોની નેશનલ દસ્તકથી આટલો બધો ડર?”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="https://twitter.com/NationalDastak/status/1777359817356796309">https://twitter.com/NationalDastak/status/1777359817356796309</a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે નેશનલ દસ્તક એક ઓનલાઈન મીડિયા અને દલિત, આદિવાસી, ઓબીસી, મહિલાઓ, ખેડૂતો, લઘુમતીઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો મજબૂત અવાજ ગણાય છે. તેનું એક્સ એકાઉન્ટ શંભુ કુમાર સિંહને ટેકો કરવા અને તેમના રાજકીય અભિયાનમાં આર્થિક મદદ કરવા માટે અપીલ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શંભુ કુમાર સિંહે એક ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,  “મને આ કાર્યવાહીને લઈને કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. જો મને જણાવવામાં આવ્યું હોત કે આવી કાર્યવાહી શા માટે કરવામાં આવી રહી છે તો કદાચ હું એમાં સુધારો પણ કરી દેત. આ એ પત્રકારોનો અવાજ દબાવવાનો પ્રયાસ છે જે સરકારને સવાલ કરે છે અને તેની જવાબદેહી સુનિશ્ચિત કરે છે. ખાસ કરીને નેશનલ દસ્તક જેવા સમાચાર પોર્ટલ, જે સાવ હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો અવાજ છે. આ એ લોકોનો અવાજ છે જેમને મુખ્યધારાના મીડિયામાં જગ્યા નથી મળતી.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેશનલ દસ્તકને યુટ્યૂબ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ચેનલને બંધ કરી દેવાનો આદેશ નવા આઈટી નિયમ 2021ના નિયમ 15(2) અને આઈટી અધિનિયમ 2000ની કલમ 69 એ અંતર્ગત સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા મોકલવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અગાઉ ‘બોલતા હિંદુસ્તાન’ને પણ નોટિસ મળી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એપ્રિલની શરૂઆતમાં દેશમાં વૈકલ્પિક મીડિયા જૂથોની યુટ્યુબ ચેનલો બ્લોક કરી દેવામાં આવી હતી. આ તમામ એવી ચેનલો છે જેના વીડિયો અથવા સ્ટોરી દલિતો, પછાતો, આદિવાસીઓ અને વંચિત સમુદાયો દ્વારા સૌથી વધુ જોવામાં અને સાંભળવામાં આવી રહી હતી. આ ચેનલોને મળેલી નોટિસની કાર્યવાહી હેઠળ એક યુટ્યુબ ચેનલ પણ બંધ કરી દેવામાં આવી છે, જ્યારે બીજી ચેનલ ગમે ત્યારે બંધ કરી શકાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">3 અને 4 એપ્રિલની રાત્રે "બોલતા હિન્દુસ્તાન" યુટ્યુબ ચેનલના ઇમેઇલ પર મળેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલય (એમઆઇબી) ની માર્ગદર્શિકા અનુસાર તમારી ચેનલને દૂર કરવામાં આવી છે. બોલતા હિન્દુસ્તાનની યુટ્યુબ ચેનલ પર 2,97,891 સબ્સક્રાઈબર હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6616d2fec65f6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોલતા હિંદુસ્તાન તેના બેબાક પત્રકારત્વ માટે જાણીતું છે જે સતત સરકાર પર જનહિતના મુદ્દે સવાલ ઉઠાવી રહ્યું છે. તેના તંત્રી સમર રાજે એક મીડિયા પ્લેટફોર્મને જણાવ્યું હતું કે, "જો અમારી પાસે કોઈ ટેકનિકલ ખામી હોત, અથવા અમે યુટ્યુબની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હોત, તો અમે યુટ્યુબ સાથે વાત કરી હોત. પરંતુ અહીં સરકારના નિર્દેશનો મુખ્ય ધ્યેય ચેનલને ડિલીટ કરવાનો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ત્રણ મોટા ચુકાદા આપ્યા છે. તેમણે તે ચેનલોના નામ લીધા છે અને કહ્યું છે કે તેમની ડિબેટ નફરત ફેલાવે છે અને દેશમાં રમખાણોનું વાતાવરણ ઉભું કરી રહી છે, તેને તાત્કાલિક બંધ કરવામાં આવે. તેમ છતાં આવી કોઈ પણ ચેનલ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જ્યારે બોલતા હિન્દુસ્તાન વિરુદ્ધ એફઆઈઆર પણ થઈ નથી અને તેમ છતાં તેના પર કાર્યવાહી કરવામાં આવી છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો, પછાતો અને હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે અવાજ ઉઠાવતી યુટ્યુબ ચેનલોના રસ્તામાં અડચણો પેદા કરવાના કિસ્સાઓ વચ્ચે ઓનલાઇન મીડિયા જૂથ "આર્ટિકલ 19 ઇન્ડિયા" ની યુટ્યુબ ચેનલ, જે લોકશાહી મૂલ્યો, ન્યાય, સમાનતા અને સ્વતંત્રતા માટે સમર્પિત પ્લેટફોર્મ હોવાનો દાવો કરે છે, તેને પણ નોટિસ મળી હોવાના અહેવાલ છે. તેની યૂટ્યૂબ ચેનલ પર 2.8M સબસ્ક્રાઇબર્સ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-kambakht-mulk-main-chamar-kabhi-prime-minister-nahi-ho-sakta-hai">ઈસ કમબખ્ત મુલ્ક મેં ચમાર કભી પ્રાઈમ મિનિસ્ટર નહીં હો સકતા હૈ</a><br></strong></span></p>
<div class="post-text" style="text-align: justify;">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 11 Apr 2024 10:07:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>489</Articleid>
                    <excerpt>બહુજન સમાજની સૌથી મોટી યુટ્યૂબ ચેનલો પૈકીની એક એવી નેશનલ દસ્તકને બંધ કરવાની નોટિસ મળી છે. શું છે તેની પાછળનું કારણ, વાંચો આ રિપોર્ટમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6616d235b7868.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6616d23589d86.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6616d23589d86.jpg" length="59499" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સુરાપુરા ધામ ભોળાદ પરના અંધવિશ્વાસના કારણે યુવકે આત્મહત્યા કરી?</title>
                    <link>https://khabarantar.com/youth-committed-suicide-due-to-superstition-on-surapura-dham-bholad</link>
                    <guid>https://khabarantar.com/youth-committed-suicide-due-to-superstition-on-surapura-dham-bholad</guid>
                    <description>
                        <![CDATA[ ધોળકા પાસે આવેલા સુરાપુરા ધામ ભોળાદ પરના અંધવિશ્વાસને કારણે સુરતના એક યુવકે કથિત રીતે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. યુવકે વીડિયો બનાવી દાનભા બાપુ પર પણ અનેક આરોપ લગાવ્યા છે. વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોળાદ ગામે આવેલા સુરાપુરા ધામની શ્રદ્ધા ભક્તિની ભારે ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર દાદાના પરચાનો પ્રચાર કરતા અનેક વીડિયો, રીલ્સ અને ફોટાં ફરતા જોવા મળે છે. જેમાં દાદા સૌનાં દુઃખ દૂર કરતા હોવાનો દાવો કરાય છે. ભોળાદ ગામે આવેલા સુરાપુરા ધામમાં સેંકડો લોકો ઉમટી પડે છે અને આ ધામના ભુવા દાનભા બાપુ લોકોના ગમે તેવા દુઃખને દૂર કરી દેવાનો દાવો કરે છે. અનેક લોકો અહીં પોતાના દુઃખ દૂર કરવાની માનતા માને છે અને દર્શન કરવા આવે છે. દાનભા બાપુ ધૂણીને તેમના દુઃખ નિશ્ચિત સમય મર્યાદામાં દૂર થઈ જશે તેવો દાવો કરતા હોય છે. જો કે સુરાપુરા દાદા અને ભોળાદના દાનભા બાપુના વચન પર વિશ્વાસ મૂકીને ચાલવાનું એક યુવકને ભારે પડ્યું છે અને તેણે આત્મહત્યા કરીને પોતાનો જીવ ખોયો હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પર ગઈકાલે સુરતના એક 30 વરસના યુવકનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે યુવક સુરાપુરા ધામ ભોળાદ અને તેના ભુવાજી દાનભા બાપુને લઈને અનેક વાતો કરે છે. વીડિયોમાં યુવક જણાવે છે કે, “તે 7માં મહિનાની 19-20 તારીખે ભોળાદ આવેલો, ત્રણ દિવસ રોકાયેલો અને મારો વારો આવ્યો હતો. જેમાં બાપુ તમે મને એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. પણ તેમાં મારા દુઃખ દૂર થવાને બદલે વધુ પડતી થઈ છે. મારી પાસે જે કંઈપણ હતું તે જતું રહ્યું હતું. હું, મારા માતાપિતા, મારો ભાઈ, મને સાથ સહકાર આપનારા મારા ભાઈબંધો સૌ કોઈ હેરાન થઈ રહ્યાં છીએ. અમને તકલીફ પડતી હતી એટલે અમે ભોળાદ આવ્યા હતા. પણ હેરાન થવાની વાત તો અલગ, મારે આજે મારે મરવાનો દિવસ છે. કેમ કે, હું જે શ્રદ્ધા અને ભરોસે તમારી પાસે આવ્યો હતો, એવું કશું પણ બન્યું નથી. તમે જાહેરમાં કહ્યું હતું કે, જેને તમારી મરજી હોય એ તમારો ઉંબરો ચડે અને અહીં વારો આવે છે. તો બાપુ એ વારામાં પણ હું આવી ગયો છું અને તમે મને વદાડ(સમય) પણ આપ્યો છે છતાં એટલો હેરાન થયો છું કે, આજે મારે મરવાનો દિવસ છે. ત્રણ મહિનામાં મારો એક દિવસ એવો નથી ગયો કે હું હેરાન ન થયો હોઉં. એ પછી પણ હું બે વાર ભોળાદ આવી ગયો છું. એક વાર બેઠક બંધ હતી એટલે પાછો જતો રહ્યો હતો, ભોળાદ આવ્યો હતો તો પણ મને ન મળવાના સમાચાર મળ્યા હતા. બીજી વાર આવ્યો ત્યારે, તમે વીડિયોમાં બધાંને એમ કહો છો કે, હું બધાંને બીજીવાર એટલા માટે બોલાવું છું કે, જેથી તમારું કંઈ બાકી ન રહી જાય. તો બાપુ હું બીજી વાર આવ્યો હતો. </span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">તમારા ત્રણ સ્વયંસેવકોને મેં પૂછેલું કે, મારે બાપુને મળવું છે, તેમણે કીધેલું છે, વદાડ આપેલો છે, કામ થયું નથી, મારે મળવું છે, પણ કોઈએ મળવા દીધો નહોતો એટલે હું થાકીને પાછો સુરત આવી ગયેલો. હું ત્યાંથી નીકળ્યો ત્યારે દાદાને પ્રાર્થના કરીને નીકળ્યો હતો તો પણ આજેય હું હેરાન છું. અને ખાસ વાત એ કે, બાપુ તમે જે વદાડ આપ્યો હતો તે પુરો તો નથી થયો, પણ મેં જેમને વદાડ આપ્યા હતા તે કાલે સોમવારે બધાય મારે પુરા કરવાના છે, જે મારાથી પુરા થાય એમ છે નહીં. એટલે આજે બાપુ મારું જીવન હું પુરું કરું છું. જો સહાય કરી શકતા હો તો આજની રાત છે મારી પાસે, સહાય કરો. આજ સુધી આ ત્રણ મહિનામાં કશું થયું નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="https://www.youtube.com/watch?v=yPAbJcRsDxI&amp;ab_channel=Viralgujrati">https://www.youtube.com/watch?v=yPAbJcRsDxI&amp;ab_channel=Viralgujrati</a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયરલ વીડિયોમાં યુવક આગળ કહે છે કે, "તમે ભલે જાહેરમાં ગમે તે બોલતા હો બાપુ, બાકી મને વદાડ કરતી વખતે તમારાથી કંઈક ભૂલ થયેલી છે. કાં તો મારી પાછળ જે વસ્તુ છે, તે દાદા (સુરાપુરા દાદા) કરતા જબરી છે, કાં તમારાથી કંઈક ભૂલ થઈ છે. તમે કહો છો કે જેનો સમય પાક્યો હોય તેનો 100 લોકોમાં વારો આવે. તો બાપુ મારો 100માં વારો પણ આવેલો છે અને વદાડ પણ આપેલો છે, તેમ છતાં મને નથી ખબર કે મારો 100માં વારો સુખી કરવાનો આવ્યો છે કે દુઃખી કરવાનો? બાપુ, આજની રાત મારી છેલ્લી છે, કાલે જવાબદારી તમારી છે, કાલે હું ભોળાદ આવીશ પણ જીવતો નહીં આવું. જવાબ તમારે દેવાનો છે બાપુ. કારણ કે હું તમારા ભરોસે હતો, તમારા ભરોસે દોડ્યો હતો. મેં ઘણાં એવા વીડિયો જોયા છે, જેમાં તમે કહો છો કે મને અગાઉથી ખબર હોય કે પાંચ વરસ પછી આ માણસ શું કરશે-શું નહીં કરે. તો બાપુ તમારા વદાડ લીધા છતાં હું એટલો બધો હેરાન કેમ થયો? બાપુ, જીવ હવે અહીંયા(ગળું બતાવીને) પહોંચી ગયો છે. મારો ભાઈ બે વાર મરતા મરતા બચ્યો છે, બાપ મરતા મરતા બચ્યો છે. મારી માંને મેં રોતા જોઈ છે. નાનપણથી હું જોતો આવું છું. 30 વર્ષની મારી ઉંમર છે, કદી કોઈને દુઃખી નથી કર્યા. ઈમાનદારીથી કામ કરું છું. આ જે ઓફિસમાં (ઓફિસ બતાવીને) હું કામ કરું છું તેમાં પણ બધાં મારા પર વિશ્વાસ કરે છે. શેઠ લોકો પણ મને ચાવીઓ આપીને જાય છે, બધાં મારા ભરોસે બેઠાં છે બાપુ, કાલ સવારે હું બધાં વાયદા પુરા નથી કરી શકું તેમ. એટલે મારે જીવન ટૂંકાવવું પડે તેમ છે. મારી પાછળ જે વસ્તુ છે તેને કોઈ કાઢી નથી શક્યું, હું સમજવા શીખ્યા ત્યારથી આ જોતો આવું છું. અને હજુ સુધી કોઈ તેનું નિરાકરણ લાવી શક્યું નથી. બાપુ તમારી પાસેથી પણ આવો ભરોસો નહોતો (કદાચ એ એમ કહેવા માંગે છે કે બાપુ તમે પણ આ કામ નહીં કરી શકો એવી અપેક્ષા નહોતી.) એટલે મારે જીવન ટૂંકાવવું પડે છે. બાપુ હું બહું રોયો છું. હવે એ ઋણ ચૂકવાય એવું નથી. ત્રણ ત્રણ મહિના વીતી ગયા છે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="https://www.youtube.com/watch?v=yWcbgbSvALI&amp;ab_channel=TheDD2Official">https://www.youtube.com/watch?v=yWcbgbSvALI&amp;ab_channel=TheDD2Official</a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં યુવક આટલી વાત કરતો જણાય છે એ પછી વીડિયો અચાનક કપાઈ ગઈ છે. જો કે, એ પછી શું થયું તેને લઈને કોઈ નક્કર વાત જાણવા મળતી નથી. યુવકે ખરેખર આત્મહત્યા કરી લીધી છે કે બીજું કંઈ તે અંગે પણ કશું જાણવા મળતું નથી. આ વીડિયો ગઈકાલનો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, જો કે ખબરઅંતર.કોમ વીડિયોની કે તેમાં યુવક દ્વારા કરવામાં આવતા કોઈપણ પ્રકારના દાવાઓ કે બીજી કોઈપણ બાબતની પુષ્ટિ કરતું નથી. યુવકનું નામ, ગામ કે અન્ય કોઈ વિગતો પણ મળી રહી નથી. ત્યારે આ સમાચારમાં કેટલું તથ્ય છે તે પણ એક સવાલ છે. આ વીડિયો ઓછામાં ઓછાં 7 થી 10 મહિના પહેલાનો હોવાનું કહેવાય છે, પણ વાયરલ અત્યારે થયો હોવાની નવેસરથી તેની ચર્ચા ઉપડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-farmers-electoral-bonds-worth-eleven-crores-were-bought-and-given-to-BJP">દલિત ખેડૂતના 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ભાજપને આપી દેવાયા?</a><br></span></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></span></strong></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 09 Apr 2024 10:01:45 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 09 Apr 2024 10:24:21 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>480</Articleid>
                    <excerpt>ધોળકા પાસે આવેલા સુરાપુરા ધામ ભોળાદ પરના અંધવિશ્વાસને કારણે સુરતના એક યુવકે કથિત રીતે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. યુવકે વીડિયો બનાવી દાનભા બાપુ પર પણ અનેક આરોપ લગાવ્યા છે. વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6614c44cd9fef.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6614c44ca9367.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6614c44ca9367.jpg" length="128730" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કચ્છમાં પહેલીવાર બહુજન સમાજની મહિલાઓ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાશે</title>
                    <link>https://khabarantar.com/for-the-first-time-in-kutch-a-multi-caste-mass-wedding-will-be-held-by-women-from-the-bahujan-society</link>
                    <guid>https://khabarantar.com/for-the-first-time-in-kutch-a-multi-caste-mass-wedding-will-be-held-by-women-from-the-bahujan-society</guid>
                    <description>
                        <![CDATA[ કચ્છની ખમીરવંતી બહુજન મહિલાઓના નામે એક સોનેરી ઈતિહાસ લખાવા જઈ રહ્યો છે. અહીં પહેલીવાર મહિલાઓ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છ સહિત સમગ્ર ગુજરાતના બહુજન સમાજની છાતી ગર્વથી ફૂલી જાય તેવી એક ઘટના આવતા મહિને આકાર પામવા જઈ રહી છે. જો સમાચાર માધ્યમો યોગ્ય નોંધ લે તો ગુજરાત જ નહીં, આખું ભારત મોંમાં આંગળા નાખી જાય તેવા એક પ્રસંગનું કચ્છ સાક્ષી બનવા જઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે કચ્છમાં પહેલીવાર મહિલાઓ દ્વારા સમૂહલગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સમૂહલગ્ન અનેક રીતે અનોખા છે, પહેલી વાત તો એ કે તેનું તમામ આયોજન ફક્ત અને ફક્ત મહિલાઓ દ્વારા થઈ રહ્યું છે. સામાન્ય રીતે આપણે ત્યાં સમૂહલગ્નો મોટાભાગે કોઈ સમાજ અથવા તો રાજકારણીઓ, આગેવાનો દ્વારા આયોજિત કરવામાં આવતા હોય છે, જેમાં મહિલાઓની ભાગીદારી અત્યંત મર્યાદિત હોય છે. આવી સ્થિતિમાં કોઈ સમૂહલગ્નનું તમામ આયોજન મહિલાઓ દ્વારા થાય તે કેટલી મોટી વાત ગણાય? ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર મહિલાઓ દ્વારા સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યાં છે. એપણ કોઈપણ નાતજાત જોયા વિના. ડૉ. ભીમરાવ આંબેડકરે નાતજાત તોડવાની જે વાત કરી હતી તેને આ મહિલાઓ ખરા અર્થમાં સાકાર કરવા જઈ રહી છે, એ પણ માતા સાવિત્રીબાઈ ફૂલેના નામે નોંધાયેલા સંગઠન હેઠળ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>હસ્તકળા સાથે જોડાયેલી કચ્છી મહિલાઓનું સાહસ</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિસ્ટમમાં પરિવર્તન વાતો કરવાથી નથી આવતું, તેના માટે સ્ટેન્ડ લેવું પડે, ભોગ આપવો પડે, નેતૃત્વ લેવું પડે, રસ્તો ચીંધવો પડે, ત્યારે જતી પરિવર્તનની શરૂઆત થાય. વર્ષોથી બહુજન સમાજ જ્ઞાતિજાતિ તોડવાની વાત કરી રહ્યો છે, તેને કચ્છની મહિલાઓના એક સંગઠને તોડીને નહીં પરંતુ જોડીને બતાવ્યું છે. અહીં એક અનોખા સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યાં છે, જેનું તમામ પ્રકારનું નેતૃત્વ ફક્ત મહિલાઓ દ્વારા થઈ રહ્યું છે. ગુજરાત કે ભારતમાં સમૂહ લગ્ન એ કોઈ નવાઈની વાત નથી, પરંતુ માત્ર અને માત્ર મહિલાઓ દ્વારા સમુહ લગ્ન થાય અને એમાંય કોઈ ચોક્કસ જ્ઞાતિની મહિલાઓ દ્વારા નહીં પરંતુ હસ્તકલાના સ્વરોજગાર સાથે સંકળાયેલી વિવિધ જ્ઞાતિની મહિલાઓના મંડળ દ્વારા "સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન" યોજાય એ બાબત ચોકકસપણે પ્રશંસનીય ગણાય. ભૂકંપ પછી વિકાસનો પર્યાય બનેલા કચ્છ જિલ્લામાં સમાજના છેવાડાના વર્ગની મહિલાઓનું હસ્તકલા જેવા પરંપરાગત ક્ષેત્રે સ્વ સશક્તિકરણ થયું છે. કચ્છી ભરતકામ, માટી કામ, પેચવર્ક જેવી અનેકવિધ હસ્તકલા સાથે મુખ્યત્વે ગુર્જર મેઘવાળ, મારુ-મારવાડા મેઘવાળ, ગુરૂ બ્રાહ્મણ, કોળી-પારધી, રબારી અને આહિર જેવા બહુજન સમાજની મહિલાઓ પરંપરાગત રીતે જોડાયેલી છે. આ સમાજની મહિલાઓના એક સંગઠન સાવિત્રીબાઈ ફૂલે કચ્છકલા મહાસંઘ દ્વારા કચ્છ જિલ્લામાં પ્રથમ વખત આગામી એપ્રિલ મહિનામાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_660178c8aea87.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિવિધ સમાજના 11 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં 11 યુગલો આગામી 15 એપ્રિલે એક જ મંડપ હેઠળ પ્રભુતામાં પગલા પાડશે. આ પ્રસંગનું સમગ્ર આયોજન સાવિત્રીબાઈ ફૂલે કચ્છકલા મહાસંઘની વિવિધ જ્ઞાતિની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં ગુર્જર મેઘવાળ, ગુરૂ બ્રાહ્મણ, રબારી, પારાધી, આહિર અને પટેલ એમ વિવિધ જ્ઞાતિના કુલ 11 યુગલો એક જ મંડળ હેઠળ લગ્નના બંધનમાં બંધાશે. છેલ્લાં ઘણાં દિવસોથી આ સમૂહલગ્ન માટે સાવિત્રીબાઈ ફૂલે કચ્છકલા મહાસંઘની મહિલાઓ રાતદિવસ જોયા વિના કામ કરી રહી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_660178620cf60.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આયોજકોમાં દલિત, રબારી, આહિર સમાજની મહિલાઓ</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમૂહ લગ્નના આયોજકોની વાત કરીએ તો તેમાં કોઈ એક સમાજની મહિલા નથી પરંતુ દલિત, પટેલ, રબારી, આહિર એમ વિવિધ સમાજની મહિલાઓ છે. સંગઠનનું નામ માતા સાવિત્રીબાઈ ફૂલેના નામ પરથી છે એજ બતાવે છે કે, તેની વિચારધારા શું હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમૂહલગ્નના આયોજકો પૈકીના એક રસીલાબેન ડુંગરીયા કહે છે,  “કચ્છમાં અત્યાર સુધીમાં સમૂહલગ્નો તો ઘણાં થયા છે, પરંતુ આ લગ્ન અનોખા એટલા માટે છે કેમ કે તેમાં તમામ આયોજન મહિલાઓ દ્વારા થઈ રહ્યું છે. સામાન્ય રીતે આપણે ત્યાં આ પ્રકારના આયોજનો જે તે સમાજ પુરતો મર્યાદિત હોય છે, પણ અમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જેમાં કોઈ નાતજાતનો ભેદ નથી. કચ્છમાં હજુ સુધી કોઈ બહેનોએ સમૂહલગ્નનું આયોજન કર્યું હોય તેવું અમારી જાણમાં નથી. એ રીતે કદાચ આ પહેલો એવો પ્રસંગ બની રહેવાનો છે. સર્વજ્ઞાતિ સમૂહ થશે તો આગામી દિવસોમાં સમાજ-સમાજ વચ્ચેના ભેદભાવોની ખાઈ ઓછી થશે અને આવનારી પેઢી તેમાંથી કંઈક શીખશે.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_660178ac050b2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય એક આયોજક અંજારના લક્ષ્મીબેન રબારી કહે છે, “કચ્છમાં આ પહેલો પ્રસંગ છે અને તેમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનું નામ જોડાયેલું છે તે ખૂબ મહત્વની વાત છે. માતા સાવિત્રીબાઈ ફૂલે કચ્છકલા મહા સંઘના નેજા હેઠળ આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યાં છે ત્યારે સૌ કોઈ આમાં જ્ઞાતિજાતિના વાડા તોડીને જોડાય તે જરૂરી છે. અમે રાતદિવસ જોયા વિના હાલ મહેનત કરી રહ્યાં છીએ. આ પ્રસંગ સફળતાપૂર્વક પૂર્ણ થાય પછી તેનાથી પણ મોટું આયોજન કરવાની અમારી ઈચ્છા છે.”</span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-bidi-language: GU;">આ સમૂહલગ્નમાં માર્ગદર્શક રહેલા અમદાવાદના સામાજિક કાર્યકર શંકરભાઈ ડુંગરીયા કહે છે, </span><span style="mso-bidi-font-size: 10.0pt; line-height: 107%; font-family: 'Shruti','sans-serif'; mso-bidi-font-family: Mangal; mso-bidi-language: HI;">“</span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;">આ સમૂહલગ્નનું આયોજન કરનારી બહેનો મોટાભાગે કચ્છના પરંપરાગત હસ્તકળા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. તેઓ મુખ્યત્વે ભરતગુંથણ, માટીકામ, પેચવર્કનું કામ કરે છે. માતા સાવિત્રીબાઈ ફૂલેના નામે તેમનું સંગઠન છે અને જેવું નામ તેવું જ તેમનું કામ છે. આ બહેનો કચ્છમાં સમૂહલગ્ન યોજવા જઈ રહી છે. મેં મારી સામાજિક કાર્યકર તરીકેની કામગીરી દરમિયાન ક્યાંય પણ મહિલાઓ દ્વારા આવું આયોજન જોયું નથી. એ રીતે કદાચ એ કચ્છનો જ નહીં પરંતુ ગુજરાતનો પહેલો એવો પ્રસંગ બની રહેવાનો છે.</span></span><span style="mso-bidi-font-size: 10.0pt; line-height: 107%; font-family: 'Shruti','sans-serif'; mso-bidi-font-family: Mangal; mso-bidi-language: HI;"><span style="font-size: 14pt;">”</span><o:p></o:p></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આ સમૂહ લગ્નમાં નામ નોંધણી કરાવવા માટે તા. 1 થી 15 એપ્રિલ 2024 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં ભાગ લેવા ઈચ્છતા યુગલો કે વાલીઓએ નિયત સમયમર્યાદામાં નામ નોંધણી કરાવવી જરૂરી છે. તેના માટે વધુ જાણકારી માટે 6353943986 અને 9726464468 પર સંપર્ક કરી શકો છો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/Nari-Gunjan-Sargam-Band:-Dalit-Womens-Band-of-Bihar-Challenging-the-Patriarchal-Social-System"><span style="font-size: 14pt;"><strong>નારી ગુંજન સરગમ બેન્ડઃ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને પડકાર ફેંકતું બિહારની દલિત મહિલાઓનું બેન્ડ</strong></span></a></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Mar 2024 10:00:57 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 26 Mar 2024 12:11:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>442</Articleid>
                    <excerpt>કચ્છની ખમીરવંતી બહુજન મહિલાઓના નામે એક સોનેરી ઈતિહાસ લખાવા જઈ રહ્યો છે. અહીં પહેલીવાર મહિલાઓ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_6601783958a39.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_6601783929eb1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_6601783929eb1.jpg" length="110756" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>EWS ક્વૉટાનો લાભ ફક્ત જનરલ કેટેગરીને જ કેમ?, મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો</title>
                    <link>https://khabarantar.com/Why-EWS-Quota-Benefit-Only-General-Category,-Madhya-Pradesh-High-Court-Seeks-Answer-From-Central-Govt</link>
                    <guid>https://khabarantar.com/Why-EWS-Quota-Benefit-Only-General-Category,-Madhya-Pradesh-High-Court-Seeks-Answer-From-Central-Govt</guid>
                    <description>
                        <![CDATA[ મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આર્થિક રીતે નબળા (EWS) લોકોને મળતી અનામતના ક્વૉટાનો લાભ માત્ર સામાન્ય કેટેગરી (General category) ના ઉમેદવારોને જ કેમ આપવામાં આવે છે, તે મામલે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. સરકારે 6 અઠવાડિયામાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આર્થિક રીતે નબળા (EWS) લોકોને મળતી અનામતના ક્વૉટાનો લાભ માત્ર સામાન્ય કેટેગરી (General category) ના ઉમેદવારોને જ કેમ આપવામાં આવે છે, તે મામલે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. સરકારે 6 અઠવાડિયામાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રવિ વિજય મલીમથ અને જસ્ટિસ વિશાલ મિશ્રાની ડબલ બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ મામલે અરજદારે દલીલ કરી છે કે તમામ વર્ગો અને જાતિઓમાં ગરીબો છે, છતાં EWS ક્વૉટાનો લાભ ફક્ત સામાન્ય વર્ગના લોકોને જ કેમ આપવામાં આવી રહ્યો છે?</span><br><span style="font-size: 14pt;">  </span><br><span style="font-size: 14pt;">‘એડવોકેટ યુનિયન ફોર ડેમોક્રેસી એન્ડ સોશિયલ જસ્ટિસ’ નામની સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને છ સપ્તાહમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. અરજદારે દલીલ કરી હતી કે તમામ વર્ગો અને જાતિઓમાં ગરીબ લોકો હોવા છતાં, EWS કેટેગરીનાના લાભ માત્ર સામાન્ય વર્ગને જ આપવામાં આવી રહ્યા છે જે અન્યાયી છે. અરજદારના વકીલ રામેશ્વર પ્રસાદ સિંહે કહ્યું, 'ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી EWS નીતિ અસંગત છે. અરજદારે બંધારણની કલમ 15(6) અને 16(6) હેઠળ કેન્દ્ર સરકારને પડકારી હતી. 2019ના 103માં સુધારામાં એસસી, એસટી અને ઓબીસી અનામત હેઠળ ન આવરી લેવાયેલા લોકોને 10 ટકા EWS અનામત આપવા માટે બંધારણમાં કલમ 15(6) અને 16(6)ને સામેલ કરાઈ હતી. અરજદારનું કહેવું છે કે EWS નીતિ કલમ 14ની વિરુદ્ધ છે. એટલું જ નહીં EWS અનામત એ એક ખાસ અનામત છે, જે ગેરબંધારણીય છે અને જાતિના આધારે ગરીબો સાથે ભેદભાવ કરે છે. શરૂઆતની સુનાવણી બાદ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(186, 55, 42);"><strong>આ પણ વાંચો</strong></span> : </span><a href="https://khabarantar.com/UGC-Education-Ministry-forced-to-clarify-after-uproar-over-conspiracy-to-abolish-reservation-in-higher-education-institutions"><strong><span style="font-size: 14pt;">ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 22 Feb 2024 11:25:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>359</Articleid>
                    <excerpt>મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આર્થિક રીતે નબળા (EWS) લોકોને મળતી અનામતના ક્વૉટાનો લાભ માત્ર સામાન્ય કેટેગરી (General category) ના ઉમેદવારોને જ કેમ આપવામાં આવે છે, તે મામલે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. સરકારે 6 અઠવાડિયામાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65d6027f4125f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d6027f1145f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d6027f1145f.jpg" length="86432" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ગીગા ભમ્મરે હવે અનુસૂચિત જાતિ સમાજ નું અપમાન કર્યું? દલિત આગેવાનો સબક શીખવાડવાના મૂડમાં</title>
                    <link>https://khabarantar.com/Giga-Bhammar-insulted-Scheduled-Caste-society-now-Dalit-leaders-in-a-mood-to-teach-a-lesson</link>
                    <guid>https://khabarantar.com/Giga-Bhammar-insulted-Scheduled-Caste-society-now-Dalit-leaders-in-a-mood-to-teach-a-lesson</guid>
                    <description>
                        <![CDATA[ ભાવનગરના આહિર આગેવાન ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.  જેમાં તે  સમગ્ર અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કરતા જણાય છે, ત્યારે અનુસૂચિત જાતિના આગેવાનો કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાવનગરના આહિર આગેવાન ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. અગાઉ ચારણ ગઢવી સમાજનું અપમાન કર્યા બાદ ગીગા ભમ્મરે હવે દલિત સમાજનું અપમાન કર્યું છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં તેણે અનુસૂચિત જાતિ સમાજ માટે ગેરબંધારણીય - વાંધાજનક શબ્દ બોલીને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કર્યું છે. વીડિયોમાં ગીગા ભમ્મર બોલતો દેખાય છે કે, દલિત સમાજ ખોટા એટ્રોસિટીના કેસ કરે છે. આ સિવાય તે આ વાયરલ વીડિયોમાં અનુસૂચિત જાતિ સમાજ વિશે બીજા પણ અનેક ગેરબંધારણીય અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતો જોવા મળે છે. જો કે ખબરઅંતર.કોમ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગીગા ભમ્મરના બફાટથી અનુસૂચિત જાતિ સમાજમા રોષ</span></strong></span><br><span style="font-size: 14pt;">ગીગા ભમ્મરના આ વાયરલ વીડિયોથી અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે કાયદેસર કાર્યવાહી કરવા માટે સમાજના આગેવાનો ગાંધીનગર સુધી રજૂઆતો કરશે. આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર માવજી સરવૈયાએ ભાવનગર આઈજી અને એસપી ને ગીગા ભમ્મર વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા રજુઆત કરી છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આહિર સમાજના અગ્રણી ગણાતા ગીગા ભમ્મરે આ પહેલા ચારણ સમાજ વિશે અને તેમના માતાજી સોનલ મા વિશે અશોભનિય ભાષાનો ઉપયોગ કરી વિવાદ સર્જયો હતો. સમૂહ લગ્નના મંચ પર ગીગા ભમ્મરે આહિર સમાજને સંબોધતા ચારણ-ગઢવી સમાજ પર નિશાન સાધ્યું હતું. જેને લઈને ચારણ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આ મામલે ચારણ સમાજે ગીગા ભમ્મર વિરુદ્ધ ભાવનગર એલ.સી.બી માં ફરિયાદ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">જાતિવાદી તત્વોનાં બફાટના કિસ્સાઓ વધ્યા</span></strong><br><span style="font-size: 14pt;">છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં જાતિવાદી તત્વો દ્વારા અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ બફાટના કિસ્સાઓ વધ્યા છે. દલિત અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે, અગાઉ સ્વામીનારાયણના સાધુઓ, કથિત મોટીવેશનલ સ્પીકરો, ડાયરાના કલાકારો દ્વારા અનુસૂચિત જાતિ સમાજ વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલાકે જાહેર મંચ પરથી અનુસૂચિત જાતિ સમાજ વિશે એલફેલ બોલ્યું છે. બાદમાં હોબાળો થતા આ લોકો માફીનો વીડિયો બનાવી, સોશિયલ મીડિયામાં વહેતો મૂકીને છટકી જાય છે. આવા જાતિવાદી તત્વો જ પાછા અનુ. જાતિ સમાજ એટ્રોસિટીના ખોટા કેસો કરતો હોવાનું જુઠ્ઠાણું ફેલાવતા હોય છે અને ગીગા ભમ્મર તેનું વધુ એક ઉદાહરણ છે. ત્યારે આવા લોકો વિરુદ્ધ કાયદેસર પગલા ન લેવાય ત્યાં સુધી તેઓ સુધરે તેમ નથી તેમ માનતો અનુસૂચિત જાતિ સમાજનો એક ચોક્કસ વર્ગ ઉભો થઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">કોણ છે ગીગા ભમ્મર?</span></strong><br><span style="font-size: 14pt;">ગઢવી-ચારણ સમાજ બાદ અનુસૂચિત જાતિ સમાજ વિશે એલફેલ બોલનાર ગીગા ભમ્મર આહિર સમાજના આગેવાન છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મોટાઘાણા ગામના વતની ગીગા ભમ્મર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હાલ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા આયોજીત એક સમુહ લગ્ન દરમિયાન તેમણે કરેલી ટિપ્પણીના કારણે તેઓ માધ્યમોમાં ચમકી રહ્યા છે. તેમણે ચારણ- ગઢવી સમાજ અને તેમના આરાધ્ય માતાજી સોનલ મા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે તેમનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ અનુસૂચિત જાતિ સમાજ વિશે ગેરબંધાણીય શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ</strong></span> <a href="https://khabarantar.com/In-the-hotels-where-Dalits-were-not-allowed-to-enter,-they-had-to-sit-and-feed-sweets"><strong>જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><br><strong><span>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 21 Feb 2024 20:41:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>360</Articleid>
                    <excerpt>ભાવનગરના આહિર આગેવાન ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.  જેમાં તે  સમગ્ર અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કરતા જણાય છે, ત્યારે અનુસૂચિત જાતિના આગેવાનો કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65d6123994eec.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d6123961914.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d6123961914.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતો પર હુમલા કરતા ઠાકોર યુવકોને ગુજરાત કોળી સમાજે ચેતવ્યા, કહ્યું, મનુવાદીઓનો હાથો ન બનો</title>
                    <link>https://khabarantar.com/Gujrat-Koli-Samaj-warns-Thakor-youths-who-attack-Dalits,-dont-be-the-hands-of-Manuvadis</link>
                    <guid>https://khabarantar.com/Gujrat-Koli-Samaj-warns-Thakor-youths-who-attack-Dalits,-dont-be-the-hands-of-Manuvadis</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં લગ્નની સિઝનમાં દલિત વરરાજાની જાન પર હુમલાની 16 જેટલી ઘટનાઓ બની છે, અને તેમાં હુમલો કરનાર બહુમતિ ઓબીસી ઠાકોર સમાજના લોકો છે. જો કે હવે ઓબીસી સમાજને મનુવાદીઓની આ ચાલ સમજાવા માંડી છે. હાલમાં જ ગુજરાત કોળી સમાજે ઓબીસી યુવાનોને મનુવાદીઓનો હાથો ન બનવા જાહેર અપીલ કરી છે. વાંચો આ ખાસ અહેવાલ ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં દલિતો પર અત્યાચારોની ઘટનામાં મોટાભાગે ઓબીસી ઠાકોર સમાજના લોકો હોય છે. મનુવાદીઓ તેમનો હાથા તરીકે ઉપયોગ કરીને પોતાનો સ્વાર્થ સાધી લે છે. આ બાબત હવે ઓબીસી સમાજને પણ સમજાવા માંડી છે. હાલમાં જ દલિત વરરાજાને ઘોડી પર બેસીને વરઘોડો ન કાઢવા દેવાની ત્રણ ઘટનાઓ બની છે અને એ ત્રણેય ઘટનાઓમાં આરોપીઓ ઓબીસી ઠાકોર સમાજના છે. જેને લઈને ભાવનગર સ્થિત ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારીયાએ કોળી સમાજજોગ ખાસ સંદેશ જાહેર કરીને કોળી સમાજને મનુવાદીઓનો હાથો ન બનવા અપીલ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વલ્લભભાઈ કંટારીયાએ જાહેર કરેલા સંદેશમાં જણાવ્યું છે કે, કોળી સમાજે ઓબીસીની 146 જ્ઞાતિઓ, દલિત, આદિવાસી સમાજ સાથે ભાઈચારો રાખવો જોઈએ, તેમની સાથે અસ્પૃશ્યતા કે અન્ય કોઈ ભેદભાવ ન રાખવા. ઐતિહાસિક રીતે આપણે સૌ એક જ છીએ અને ડૉ. આંબેડકર દ્વારા ઘડાયેલા બંધારણના કારણે જ આપણને માણસ તરીકે હકો મળી શક્યા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65cf195a0e808.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં તેમણે લખ્યું છે કે, કોળી સમાજની વિવિધ પેટાજાતિઓમાંથી અમુક અજ્ઞાન લોકો દલિત સમાજ સાથે ભેદભાવ રાખે છે, વરરાજાને ઘોડીએ ચડતા રોકે છે, તેમના પર હુમલા કરે છે તે નિંદનીય છે. આવા એકાદ ટકા લોકોને કારણે સમગ્ર કોળી સમાજ બદનામ થાય છે. જાતિવ્યવસ્થા, વર્ણવ્યવસ્થા બ્રાહ્મણવાદી હિંદુ ધર્મની ઝેરી વિચારધારાનું પરિણામ છે. આવી અસમાનતાવાળી વિચારધારાનો હાથો કોળી સમાજે ન બનવું જોઈએ. ગુજરાત બહાર કોળી સમાજ મોટાભાગના રાજ્યોમાં એસસી કેટેગરીમાં આવે છે, બેથી ત્રણ રાજ્યોમાં કોળી સમાજ એસટી કેટેગરીમાં આવે છે અને ગુજરાતમાં કોળી સમાજ ઓબીસીમાં આવે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65cf19596cd23.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગળ તેઓ લખે છે, આપણે આપણા પૂર્વજો ગૌતમ બુદ્ધ, સંત કબીર, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, પેરિયાર રામાસ્વામી, બિરસા મુંડા અને ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલા સમાનતા, માનવતાના વિચારો પર ચાલવું જોઈએ. બ્રાહ્મણ પંડિતોએ લખેલા કાલ્પનિક પૌરાણિક શાસ્ત્રોમાં કોળીને શૂદ્ર વર્ણ કહ્યાં છે એ ભૂલશો નહીં. આપણે ઓબીસી સમાજની 146 જ્ઞાતિઓએ એસસી, એસટી સમાજ સાથે ભાઈચારો અને એકતા સ્થાપિત કરી આપણા હકો મેળવવાના છે. તેના માટે જરૂરી છે કે, કોળી ઓબીસી સમાજ મનુવાદીઓનો હાથો ન બને.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65cf195ae36d0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>ખબરઅંતર.કોમે</strong></span> આ બાબતે ગુજરાત કોળી સમાજના પ્રમુખ વલ્લભભાઈ કંટારીયા સાથે ફોન પર વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “કોઈપણ ક્રાંતિકારી પગલાની શરૂઆત આવી અડચણોથી જ થતી હોય છે. મનુવાદીઓ કોળી સમાજને હાથા બનાવીને તેમના રાજકીય રોટલાં શેકી રહ્યાં છે. કોળી સમાજના કેટલાક યુવાનો મનુવાદીઓની વાતોમાં આવી જઈને દલિતો પર હુમલા કરે છે તે બરાબર નથી. તેમણે સમજી જવું જોઈએ કે જાતિવાદ, અસ્પૃશ્યતા વગેરે આપણી વચ્ચે ફાંટા પડાવવાની ચાલ છે, જેથી આપણે એક ન થઈ શકીએ. જો તમારે હુમલા જ કરવા હોય તો ઓબીસી સમાજના બંધારણીય હકો પર સૌથી વધુ તરાપ પડી રહી છે તેના પર કરવા જોઈએ. સરકારી નોકરીઓમાં આપણા ક્વોટા મુજબ ભરતી થતી નથી, વસ્તીના પ્રમાણમાં આપણું રાજકીય પ્રતિનિધિત્વ ઓછું છે, ઉચ્ચ શિક્ષણમાં આપણા યુવાનોના હકો મારી ખવાય છે, દારૂનું વ્યસન, અંધશ્રદ્ધા, કુરિવાજો, કન્યા શિક્ષણનું નીચું સ્તર આ બધી બાબતો પર કરવા જોઈએ. મનુવાદના હાથા બનીને શા માટે આપણા જ ભાઈઓ પર હુમલાઓ કરીને આપણા જ ભાઈઓ વચ્ચે ખાઈ પેદા કરો છો? મનુવાદીઓની ચાલને સમજો, આપણને અંદરોઅંદર લડતા રાખીને તેઓ હજારો વર્ષોથી સત્તાની મલાઈ ખાઈ રહ્યાં છે. આપણને શિક્ષણનો અધિકાર નહોતો તે માતા સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલેને કારણે મળ્યો છે, મનુવાદીઓ તો આપણને શૂદ્ર કહીને ધુત્કારતા હતા. દલિત, આદિવાસી સમાજ આપણા ભાઈઓ જ છે, તેમને સાથે લઈને ચાલો તો સમાજ અને દેશનું ભલું થશે. બાકી મનુવાદીઓના હાથા બનીને અત્યાર સુધીમાં આપણે કશી પ્રગતિ નથી કરી એટલી સમજણ તો હવે આવી જવી જોઈએ. ”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Dalit-groom-attacked-by-racist-man-in-Gandhinagars-Chadasana,-accused-accused-of-racial-slurs,-Atrocity-against-4"><strong><span style="font-size: 14pt;">ગાંધીનગરના ચડાસણામાં જાતિવાદી શખ્સે દલિત વરરાજા પર હુમલો કર્યો, જાનૈયાઓને જાતિસૂચક ગાળો ભાંડી, 4 સામે એટ્રોસિટી</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="color: rgb(186, 55, 42);"><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 16 Feb 2024 13:48:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>346</Articleid>
                    <excerpt>ગુજરાતમાં લગ્નની સિઝનમાં દલિત વરરાજાની જાન પર હુમલાની 16 જેટલી ઘટનાઓ બની છે, અને તેમાં હુમલો કરનાર બહુમતિ ઓબીસી ઠાકોર સમાજના લોકો છે. જો કે હવે ઓબીસી સમાજને મનુવાદીઓની આ ચાલ સમજાવા માંડી છે. હાલમાં જ ગુજરાત કોળી સમાજે ઓબીસી યુવાનોને મનુવાદીઓનો હાથો ન બનવા જાહેર અપીલ કરી છે. વાંચો આ ખાસ અહેવાલ</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65cf195853e42.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65cf19581d2b7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65cf19581d2b7.jpg" length="42039" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સંસ્કૃતના આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતીમાં જાતિવાદઃ 27માંથી 15 પ્રોફેસરો બ્રાહ્મણ, ધરમશી ધાપાએ લડત આરંભી</title>
                    <link>https://khabarantar.com/Casteism-in-recruitment-of-assistant-professors-of-Sanskrit:-15-out-of-27-professors-Brahmin,-Dharamshi-Dhapa-starts-fight</link>
                    <guid>https://khabarantar.com/Casteism-in-recruitment-of-assistant-professors-of-Sanskrit:-15-out-of-27-professors-Brahmin,-Dharamshi-Dhapa-starts-fight</guid>
                    <description>
                        <![CDATA[ ભાવનગરમાં ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાને હાલમાં જ ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતીમાં આચરાયેલા જાતિવાદને પકડી પાડ્યો છે. શું છે આખો મામલો, વાંચો આ અહેવાલમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ સુપ્રીમ કોર્ટ એસસી સમાજમાં અનામતના લાભોમાં ભાગલા પાડવા મુદ્દે સુનાવણી કરી રહી છે, બીજી તરફ વગર અનામતે સદીઓથી અનામત ભોગવતા બ્રાહ્મણ સમાજને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c6ced8eaf90.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી કરવામાં આવી છે. આ ભરતીમાં જાતિવાદ સામે આવ્યો છે કેમ કે, તેમાં 27 પ્રોફેસરોમાંથી 15 એટલે કે 55 ટકા પ્રોફેસરો એક જ ‘બ્રાહ્મણ’ જાતિના છે. ભરતીની વિગતો સામે આવતા જ આ મામલે ભાવનગર સ્થિત વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના પ્રમુખ ધરમશીભાઈ ધાપાએ વિરોધ નોંધાવી ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં તેમની સાથે મોટી સંખ્યામાં ઓબીસી સમાજના જાગૃત નાગરિકો જોડાયા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c6ced9c9e78.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ મામલે <strong><span style="color: rgb(186, 55, 42);">ધરમશીભાઈ ધાપા</span></strong>એ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ ભરતી કરવામાં આવેલા સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી જાતિવાદથી ગ્રસ્ત છે. આવું એટલા માટે લાગે છે કેમ કે, આ 27 પ્રોફેસરોમાંથી 15 એટલે કે 55 ટકા પ્રોફેસરો ફક્ત એક જ બ્રાહ્મણ જાતિના છે. બ્રાહ્મણોની વસ્તી 3 ટકા માંડ છે એટલે 27 ટકા પ્રોફેસરોમાં તેમના ભાગે ફક્ત 1 સીટ આવવી જોઈએ. તેને બદલે તેઓ વધુ 14 સીટો હડપ કરી ગયા છે. આ કોઈપણ રીતે ચલાવી શકાય તેમ નથી. એથી અમે આ મામલે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ ભરતીના ઓર્ડરો રદ કરીને તમામ સમાજને ન્યાય મળે તે રીતે નવેસરથી ભરતી કરવા માટે વિનંતી કરી છે. જો સરકાર આ મામલે યોગ્ય પગલાં નહીં ભરે તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c6cedb95224.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના <span style="color: rgb(186, 55, 42);"><strong>ઉપપ્રમુખ જીતુભાઈ ડોડીયા</strong></span>એ જણાવ્યું હતું કે, એક બાજુ અનામતને લઈને દેશમાં સતત નકારાત્મક વાતો ફેલાવવામાં આવે છે. અનામતને નામે ઓબીસી, દલિત અને આદિવાસી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે. પણ જે લોકો વર્ષોથી વગર અનામતે દરેક મહત્વના પદો પર અનામત ભોગવી રહ્યાં છે, સરપંચથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી દેશના તમામ મહત્વના પદો પર એકહથ્થુ સત્તા ધરાવે છે તેમના વિશે કોઈ એક હરફ સુદ્ધાં ઉચ્ચારતું નથી. આ જાતિવાદ છે અને ઓબીસી સમાજ તે કોઈ કાળે ચલાવી લેશે નહીં. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c6ced823e20.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારે 27 પ્રોફેસરોની ભરતીમાં 15 એક જ જાતિના લોકોને ભરતી કર્યા તે જ બતાવે છે કે, આ લોકો આપણા હકો પર તરાપ મારી રહ્યાં છે. અમારી સરકારને વિનંતી છે કે, આ ભરતીનો ઓર્ડર રદ કરે અને તમામ સમાજને ન્યાય મળે તે રીતે નવેસરથી ભરતી કરે. જો ઓબીસી સમાજને તેમના હકો નહીં મળે તો આંદોલન કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(186, 55, 42);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-OBC-Commission-in-Gujarat-is-run-by-just-1-member,-just-like-Shobhana-Nattiya">ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!</a><br></strong></span></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></p>
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-tags"></div>
</div>
<p></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 10 Feb 2024 09:49:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>334</Articleid>
                    <excerpt>ભાવનગરમાં ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાને હાલમાં જ ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતીમાં આચરાયેલા જાતિવાદને પકડી પાડ્યો છે. શું છે આખો મામલો, વાંચો આ અહેવાલમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65c6cedb53a87.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c6cedb02708.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c6cedb02708.jpg" length="80854" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મરાઠાને OBC અનામતમાંથી ભાગ આપવાના વિરોધમાં છગન ભુજબળે શિંદે સરકારમાંથી રાજીનામું આપ્યું</title>
                    <link>https://khabarantar.com/Chhagan-Bhujbal-Sindh-resigns-from-Govt-over-OBC-reservation-to-Marathas</link>
                    <guid>https://khabarantar.com/Chhagan-Bhujbal-Sindh-resigns-from-Govt-over-OBC-reservation-to-Marathas</guid>
                    <description>
                        <![CDATA[ મહારાષ્ટ્રમાં મરાઠાઓને ઓબીસી સમાજની અનામતમાંથી ભાગ આપવાને લઈને છેલ્લાં ઘણાં સમયથી ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે ત્યારે હવે દિગ્ગજ ઓબીસી નેતા છગન ભુજબળે એકનાથ શિંદે સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. શું છે તેની પાછળના કારણો વાંચો આ રિપોર્ટમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર સરકારમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી અને રાજ્યના વરિષ્ઠ ઓબીસી નેતા છગન ભુજબળે જાહેરાત કરી છે કે તેમણે શિંદે સરકારની મરાઠાઓને OBC અનામતમાંથી ભાગ આપવાના વિરોધમાં સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. ભુજબળે ખુલાસો કર્યો હતો કે તેમણે 16મી નવેમ્બર 2023ના રોજ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. પણ હજુ સુધી તેને સ્વીકારવામાં આવ્યું નથી. ભુજબળે દાવો કર્યો કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને આ મામલામાં મૌન રહેવા કહ્યું હતું. એનસીપી નેતાએ મરાઠાને ઓબીસી વર્ગની અનામતમાંથી ભાગ આપવાના વિરોધમાં પોતાનું રાજીનામું આપી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના અહમદનગરમાં એક ઓબીસી રેલીને સંબોધન કરતા છગન ભુજબળે કહ્યું હતું કે, તેઓ રાજીનામાં પર મૌન છે, કેમ કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને જાહેરમાં આ મામલે ન બોલવા માટે કહ્યું હતું. હું તેના પર ચૂપ રહ્યો, પણ અમુક લોકો હવે ઓબીસીના પક્ષમાં બોલવાને લઈને મને કેબિનેટમાંથી બહાર કરવાની માંગ કરી રહ્યાં છે. હું મારા છેલ્લાં શ્વાસ સુધી ઓબીસી માટે લડતો રહીશ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">છગન ભુજબળે શિવસેનાના બુલઢાણાના ધારાસભ્ય સંજય ગાયકવાડનો ઉલ્લેખ કરીને આ વાત કરી છે. ગાયકવાડે ભુજબળ સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને મંત્રી પર પરથી તેમનું રાજીનામું માંગ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભુજબળના જણાવ્યા પ્રમાણે, જાલણા જિલ્લાના અંબાદમાં ઓબીસીની રેલીમાં જતા પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું. ઓબીસી વર્ગમાંથી મરાઠા અનામતની વિરુદ્ધમાં આગેવાની લેનાર છગન ભુજબળે છેલ્લાં અઢી મહિનામાં રાજ્યભરમાં અનેક રેલીઓને સંબોધિત કરી છે. પોતાના રાજીનામામાં તેમણે કહ્યું કે, તેઓ રાજીનામું આપી રહ્યાં છે, કેમ કે તેમના કેટલાક કેબિનેટ સાથીઓ મરાઠા અનામત સાથેના તેમના વલણ સાથે સહમત નથી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભુજબળે મહારાષ્ટ્ર પછાત વર્ગ કમિશન દ્વારા મરાઠા સમાજના હાલમાં જ પૂર્ણ થયેલા સર્વે પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, જાણકારી એકત્ર કરતી વખતે સર્વેયરો દ્વારા ખોટી માહિતી નોંધવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર દ્વારા 27 જાન્યુઆરીએ કણબી પૃષ્ઠભૂમિવાળા મરાઠા સમાજના સભ્યોના લોહીના સંબંધીઓને કણબી પ્રમાણપત્રો આપવાનું જાહેરનામું બહાર પાડ્યા પછી OBC સમાજની આ પહેલી રેલી હતી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભુજબળના નિવેદન પર પ્રતિક્રિયા આપતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “મુખ્યમંત્રી એકનાથ શિંદે ભુજબળના રાજીનામા પર નિવેદન કરવા માટે વધુ સક્ષમ ગણાય. અત્યારે હું બસ એટલું જ કહી શકું છું કે સીએમે હજુ સુધી રાજીનામાનો સ્વીકાર નથી કર્યો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ</strong></span> <a href="https://khabarantar.com/The-OBC-Commission-in-Gujarat-is-run-by-just-1-member,-just-like-Shobhana-Nattiya"><strong>ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!</strong></a><br></span></p>
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div>
</div>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 04 Feb 2024 11:16:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>315</Articleid>
                    <excerpt>મહારાષ્ટ્રમાં મરાઠાઓને ઓબીસી સમાજની અનામતમાંથી ભાગ આપવાને લઈને છેલ્લાં ઘણાં સમયથી ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે ત્યારે હવે દિગ્ગજ ઓબીસી નેતા છગન ભુજબળે એકનાથ શિંદે સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. શું છે તેની પાછળના કારણો વાંચો આ રિપોર્ટમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65bf249aabe84.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bf249a6609c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bf249a6609c.jpg" length="63395" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ઓબીસી સમાજના મસીહા કર્પૂરી ઠાકુરને મળશે ભારતરત્ન, જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ જાહેરાત</title>
                    <link>https://khabarantar.com/Messiah-of-OBC-community-Karpuri-Thakur-to-get-Bharat-Ratna,-announcement-on-eve-of-birth-centenary</link>
                    <guid>https://khabarantar.com/Messiah-of-OBC-community-Karpuri-Thakur-to-get-Bharat-Ratna,-announcement-on-eve-of-birth-centenary</guid>
                    <description>
                        <![CDATA[ આ વર્ષે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારતરત્ન આપવાની જાહેરાત કરાઈ છે. તેમની જન્મશતાબ્દિની પૂર્વ સંધ્યાએ આ જાહેરાત કરવામાં આવી છે. કર્પૂરી ઠાકુરને ઓબીસી સમાજના મસીહા માનવામાં આવે છે ત્યારે ભાજપે બિહારમાં જેડીયુ-આરજેડી તરફ ઓબીસી મતોને જતા અટકાવવા આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Karpuri Thakur bharat ratna: બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવામાં આવશે. કેન્દ્રની ભાજપ સરકારે 24મી જાન્યુઆરીની તેમની જન્મશતાબ્દીને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરી છે. કર્પૂરી ઠાકુરને પછાત વર્ગના મસીહા કહેવામાં આવે છે. આજે તેમની જન્મશતાબ્દીના દિવસે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાય છે કે, બિહારમાં જેડીયૂ અને આરજેડીની યુતિ તરફ વળી રહેલા ઓબીસી મતોને પોતાની તરફે ખેંચવા માટે ભાજપ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં લોકસભાની 40 બેઠકો છે અને હાલ ત્યાં નીતિશ-લાલુની જોડી સત્તામાં છે અને ઓબીસી મતો પર તેમની મજબૂત પકડ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ હતા કર્પૂરી ઠાકુર</span></strong></span><br><span style="font-size: 14pt;">બિહારના સમસ્તીપુરમાં જન્મેલા કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી રહ્યાં હતા. જો કે, એકેય વાર તેઓ તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા. તેમને પછાત વર્ગ માટે અનામતનો રસ્તો કંડારનાર મસીહા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે મુંગેરીલાલ કમીશનની ભલામણોને લાગુ કરાવી હતી. તેના માટે તેમણે પોતાની સરકારનું પણ બલિદાન દેવું પડ્યું હતું. આ સિવાય તેમણે બિહારની શિક્ષણ વ્યવસ્થામાં પણ અનેક પ્રકારના પરિવર્તનો આણ્યાં હતાં. પોતાના નાયબ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે મેટ્રિકની પરીક્ષામાં અંગ્રેજી પાસ કરવાની અનિવાર્યતાને ખતમ કરી દીધી હતી.</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હજુ ગઈકાલે જ નીતિશકુમારની પાર્ટી જેડીયૂએ કર્પૂરી ઠાકુરને ભારતરત્નથી સન્માનિત કરવાની માંગ કરી હતી. પાર્ટીના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે તેમણે સમાજ માટે ઘણું કામ કર્યું છે તેથી જ તેમને જનનેતા કહેવામાં આવે છે. તેમનું સમગ્ર જીવન સમાજના વિકાસ માટે સમર્પિત હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><br>કર્પૂરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી 1924ના રોજ બિહારના સમસ્તીપુરના પિતૌઝિયામાં થયો હતો. હવે આ ગામ કર્પુરીગ્રામ તરીકે ઓળખાય છે. લોકો તેમને પ્રેમથી જનનાયક કહે છે. 17 ફેબ્રુઆરી 1988ના રોજ તેમનું અવસાન થયું. તેઓ 1952થી સતત ધારાસભ્ય રહ્યા હતા. 1984ની લોકસભા ચૂંટણીમાં જ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><br>કર્પૂરી ઠાકુર બે વખત મુખ્યમંત્રી અને એક વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા. સાથે જ તેઓ દાયકાઓ સુધી ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા રહ્યા હતા. 31 વર્ષની ઉંમરે તેઓ સમસ્તીપુરના તાજપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે સમાજવાદી ચળવળને ધાર આપી હતી, તેને જમીન પર ઉતાર્યો હતો. તેમણે મહાત્મા ગાંધીના આંદોલનમાં પણ ભાગ લીધો હતો, જેના કારણે તેમને જેલમાં પણ જવું પડ્યું હતું.<br></span></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">કર્પૂરી ઠાકુરને લઈને રાજકારણમાં હોડ</span></strong><br><span style="font-size: 14pt;">કર્પૂરી ઠાકુરનું નિધન 17 ફેબ્રુઆરી 1988ના રોજ થઈ ગયું હતું. પણ રાજકીય ગલીઓમાં તેમના નામ પર આજે પણ હોડ લાગેલી રહે છે. તેમને લઈને ભાજપ અને જેડીયૂમાં પણ જંગ ચાલુ છે. મિલર હાઈસ્કૂલના મેદાનમાં જન્મજયંતિ સમારોહ ઉજવવાને લઈને જેડીયૂ અને ભાજપ સામસામે છે. ભાજપે કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની જાહેરાત કરી એ પહેલા જ જેડીયૂએ તેમની જન્મજયંતી પર જંગી રેલી કરવાનું આયોજન કરી ચૂકી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ</strong></span> <span style="color: rgb(9, 15, 244);"><a href="https://khabarantar.com/Why-does-Swami-Ramabhadracharya-say-Chamar,-not-Rama" target="_blank" rel="noopener" style="color: rgb(9, 15, 244);"><strong>સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?</strong></a></span></span></p>
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 24 Jan 2024 09:54:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>289</Articleid>
                    <excerpt>આ વર્ષે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારતરત્ન આપવાની જાહેરાત કરાઈ છે. તેમની જન્મશતાબ્દિની પૂર્વ સંધ્યાએ આ જાહેરાત કરવામાં આવી છે. કર્પૂરી ઠાકુરને ઓબીસી સમાજના મસીહા માનવામાં આવે છે ત્યારે ભાજપે બિહારમાં જેડીયુ-આરજેડી તરફ ઓબીસી મતોને જતા અટકાવવા આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65afe6d4cf401.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65afe6d49ca1c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65afe6d49ca1c.jpg" length="100945" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદના નિકોલમાં બેઘર થયેલા સેંકડો ઓબીસી પરિવારોની હૃદયદ્રાવક તસવીરો</title>
                    <link>https://khabarantar.com/Heartbreaking-pictures-of-hundreds-of-OBC-families-rendered-homeless-in-Nikol,-Ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/Heartbreaking-pictures-of-hundreds-of-OBC-families-rendered-homeless-in-Nikol,-Ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના નિકોલ સ્થિત બળિયાદેવના ટેકરા વિસ્તારમાં સેંકડો ઓબીસી પરિવારોના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. એક તસવીર એક હજાર શબ્દોની ગરજ સારતી હોય છે, ત્યારે અહીં આ પરિવારોની પરિસ્થિતિ બયાઁ કરતી કેટલીક તસવીરો રજૂ કરીએ છીએ, જેનાથી વાસ્તવિક સ્થિતિ શું છે તે સમજી શકાશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[  ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 31 Dec 2023 11:31:07 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 31 Dec 2023 11:30:27 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>241</Articleid>
                    <excerpt>અમદાવાદના નિકોલ સ્થિત બળિયાદેવના ટેકરા વિસ્તારમાં સેંકડો ઓબીસી પરિવારોના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. એક તસવીર એક હજાર શબ્દોની ગરજ સારતી હોય છે, ત્યારે અહીં આ પરિવારોની પરિસ્થિતિ બયાઁ કરતી કેટલીક તસવીરો રજૂ કરીએ છીએ, જેનાથી વાસ્તવિક સ્થિતિ શું છે તે સમજી શકાશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6590ff064ee7e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6590ff060e5f8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6590ff060e5f8.jpg" length="166318" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ahmedabad News, OBC community, Breaking News, Special Story, Cover Story, AMC, Gujarat News</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદના નિકોલમાં 500 ઓબીસી પરિવારો કોર્પોરેશનના બુલડોઝરે રાતોરાત બેઘર કર્યા</title>
                    <link>https://khabarantar.com/In-Nikol,-Ahmedabad,-500-OBC-families-were-rendered-homeless-overnight-by-the-corporations-bulldozer</link>
                    <guid>https://khabarantar.com/In-Nikol,-Ahmedabad,-500-OBC-families-were-rendered-homeless-overnight-by-the-corporations-bulldozer</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના નિકોલ વિસ્તારમાં કોર્પોરેશન તંત્રે સેંકડો પરિવારોને રાતોરાત ઘરવિહોણા કરી મૂક્યા છે. શું છે મામલો વાંચો આ વિગતવાર અહેવાલમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના નિકોલમાં બળિયાદેવ ટેકરા વિસ્તારમાં છેલ્લાં ત્રણ દાયકા કરતા વધુ સમયથી ઓબીસી પટ્ટણી સમાજના 500થી વધુ પરિવારો વસવાટ કરતા હતા. જેમને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના બેઘર કરી મૂક્યા છે. ગત  તા. 20-21 ડિસેમ્બરના રોજ એએમસી તંત્ર દ્વારા આ 500થી વધુ પરિવારોના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. પરિણામે ત્રણ હજારથી વધુ લોકો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. આવી કડકડતી ઠંડીમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો અચાનક બેઘર થઈ જતા ચોધાર આંસુએ રડી પડ્યાં હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658e584d4b55f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતોના જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લાં 30 વર્ષ કરતા વધુ સમયથી અહીં વસવાટ કરતા હતા. તેમ છતાં કોર્પોરેશન દ્વારા તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. દુઃખની વાત એ છે કે તેમને જાણ કર્યા વિના તેમના ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આટલું ઓછું હોય તેમ તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી અને શિયાળાની કડકડતી ઠંડીમાં તેઓ ઘરવિહોણા થઈ ગયા હતા. એક સાથે આટલાં બધાં લોકો ઘર વિહોણા થઈ જવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલ્યું નહોતું. અહીં વસતા મોટાભાગના લોકો પટ્ટણી ઓબીસી સમાજના છે અને મોટાભાગે મજૂરી કરીને પેટીયું રળે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658e5878dc54d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક પીડિત પરિવારના વ્યક્તિએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના અમારા ઘરો તોડી પાડ્યા છે. જેના કારણે અમારા બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિયાળાની આકરી ઠંડીમાં અમે હવે ક્યાં આશરો લઈએ તે સવાલ છે. અમારે તાત્કાલિક ક્યાં રહેઠાણ શોધવું? અમારા બાળકોના ભણતરનું શું? અમારું ખાવા-પીવાનું શું? ઘરમાં સગર્ભા મહિલાઓ છે તેમને કેવી રીતે સાચવવાની? અહીં વસતા 500 જેટલા પરિવારોને કોર્પોરેશને કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના તેમના ઘરો તોડી પાડ્યા છે છતાં કોઈને અમારી દયા આવતી નથી. જો અમારી જગ્યાએ કોઈ બિલ્ડર, નેતા કે વગદાર માણસ હોત તો તંત્ર આવું કરતા પહેલા સો વાર વિચાર કરત.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658e58a1cbf35.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરાઈ</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658e58c896c50.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે માનવ અધિકાર પંચને ફરિયાદ કરી છે. કાંતિભાઈને જણાવ્યા પ્રમાણે, અહીં રહેતા લોકોને કોઈપણ જાતની કાયદેસર નોટિસ, કાનૂની કાર્યવાહી કે વૈકલ્પિક સુવિધાઓ આપ્યા વિના ઘરવિહોણા કરી દેવામાં આવ્યા છે જેમાં તેમના બંધારણીય અને માનવાધિકારોનો સરેઆમ ભંગ થાય છે. 500 કરતા વધારે પરિવારો ત્રીસ વર્ષ કરતા વધારે વર્ષથી અહીં રહેતા હતાં તે આવાસો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડેલ છે, આવાસનો અધિકાર દરેક નાગરિકને છે અને એ રીતે અહીં બંધારણના આર્ટિકલ 21 હેઠળ મળેલ ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના અધિકારનો ભંગ થયેલ છે. આ પરિવારના લોકોના માનવ અધિકારોની પુન:સ્થાપના માટે કાર્યવાહી કરવી જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ રાજ્યનું અંગ છે જેથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ વિસ્થાપિત પરિવારના લોકોનું પુન:વસન કરવામાં આવે અને તાત્કાલિક રહેઠાણ, ખોરાક, આરોગ્ય, બાળકો માટે અભ્યાસની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658e58dce7e94.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Rashtriya-Dalit-Adhikar-Manch-returned-to-the-owners-the-land-that-had-been-grabbed-by-the-headstrong-elements-for-25-years-in-Garhda"><strong><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"> </span>અહીં ક્લિક કરો</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 29 Dec 2023 11:02:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>235</Articleid>
                    <excerpt>અમદાવાદના નિકોલ વિસ્તારમાં કોર્પોરેશન તંત્રે સેંકડો પરિવારોને રાતોરાત ઘરવિહોણા કરી મૂક્યા છે. શું છે મામલો વાંચો આ વિગતવાર અહેવાલમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_658e581fb74ef.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_658e581f80d0b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_658e581f80d0b.jpg" length="127917" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ઇતિહાસકારોએ બહુજન વીરાંગના ઝલકારી બાઈને અન્યાય કેમ કર્યો?</title>
                    <link>https://khabarantar.com/Why-did-historians-do-injustice-to-Zhalkari-Bai-of-Bahujan-Virang</link>
                    <guid>https://khabarantar.com/Why-did-historians-do-injustice-to-Zhalkari-Bai-of-Bahujan-Virang</guid>
                    <description>
                        <![CDATA[ હજુ થોડા દિવસ પહેલા જ  જેમની જન્મતિથિ ગઈ તે મહાન બહુજન વીરાંગના ઝલકારીબાઈને ઈતિહાસકારોએ યોગ્ય સન્માન શા માટે નથી આપ્યું તેનો જવાબ હવે ધીરેધીરે બહુજન સમાજને મળવા લાગ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ભૂમિની તાસીર રહી છે કે જ્યારે વતનની સુરક્ષા અને સન્માનનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે સૌ એક થઈને ઉભા રહે છે. સ્ત્રીઓ હોય કે પુરૂષો, બાળકો હોય કે વૃદ્ધો, દલિત હોય કે સવર્ણ, તમામ લોકો જન્મભૂમિની અસ્મિતા બચાવવા પોતાના જીવની પણ પરવા કરતા નથી. પણ વાત જ્યારે ઈતિહાસમાં તેમને યોગ્ય સન્માન આપવાની આવે છે ત્યારે સવર્ણ જાતિવાદીઓનું પોત પ્રકાશે છે. સવર્ણ ઈતિહાસકારોની આવી જ જાતિવાદી માનસિકતાનું એક ઉદાહરણ બહુજન વીરાંગના ઝલકારી બાઈના મામલે પણ જોવા મળે છે. ઈતિહાસકારોએ લક્ષ્મીબાઈને જેટલું મહત્વ આપ્યું છે, તેનું પોણા ભાગનું પણ બહુજન નાયિકા ઝલકારી બાઈને નથી આપ્યું તે ખટકતી બાબત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે... </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी। </span><br><span style="font-size: 14pt;">खूब लड़ी मर्दानी, वह तो झांसी वाली रानी थी </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પરંતુ શું આપણે જાણીએ છીએ કે આ જ ઝાંસીમાં બીજી એક મર્દાની હતી, જેણે ઝાંસીની રાણી અને તેના કિલ્લાને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો? એટલું જ નહીં, પોતાના પતિની શહાદત પર શોક વ્યક્ત કરવાને બદલે, તે બહાદુર મહિલાએ પોતાની ફરજ બજાવવાને પ્રાથમિકતા આપીને અંત સુધી અંગ્રેજો સામે લડતી રહી? તે બહાદુર મહિલા ઝલકારી બાઈ કોળી અને તેમના પતિ પુરણ કોળી હતા, જેમણે પોતાની જન્મભૂમિ કાજે પ્રાણ ન્યોછાવર કર્યા હતા. હજુ આ નવેમ્બર મહિનાની 22મી તારીખે જ આ ક્રાંતિકારી મહિલા યોદ્ધાની જન્મતિથિ ગઈ, પણ ભાગ્યે જ કોઈએ તેમને યાદ કર્યા હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝલકારીબાઈ (22 નવેમ્બર 1830 – 4 એપ્રિલ 1857) ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની નિયમિત સેનામાં મહિલા પાંખ દુર્ગા દળના કમાન્ડર હતા. એવું કહેવાય છે કે તે દેખાવે લક્ષ્મીબાઈ જેવા લાગતા હતા, તેથી દુશ્મનોને ગેરમાર્ગે દોરવા માટે તેઓ રાણીના વેશમાં યુદ્ધ કરતા હતા. અંતિમ દિવસોમાં પણ રાણીના વેશમાં લડતી વખતે તેઓ અંગ્રેજોના હાથે પકડાઈ ગયા હતા અને રાણીને કિલ્લામાંથી ભાગી જવાની તક મળી હતી. આઝાદીના પ્રથમ યુદ્ધમાં તેમણે ઝાંસીની રાણી સાથે મળીને બ્રિટિશ સેના સામે અદભૂત બહાદુરી સાથે લડી અને અંગ્રેજોના અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો લક્ષ્મીબાઈના સેનાપતિઓમાંના એકે તેમની સાથે દગો ન કર્યો હોત તો ઝાંસીનો કિલ્લો બ્રિટિશ સેના માટે લગભગ અભેદ્ય બની ગયો હોત. બુંદેલખંડની લોકકથાઓ અને લોકગીતોમાં આજે પણ ઝલકારી બાઈની ગાથા સાંભળવા મળે છે. ભારત સરકારે 22 જુલાઈ 2001ના રોજ ઝલકારી બાઈના માનમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી, રાજસ્થાનના અજમેરમાં તેમની પ્રતિમા અને એક સ્મારક નિર્માણાધીન છે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આગ્રામાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, તેમજ તેમના નામે લખનઉમાં એક ચેરિટેબલ હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝલકરીબાઈનો જન્મ 22 નવેમ્બર 1830ના રોજ ઝાંસીના ભોજલા ગામમાં ગરીબ કોળી પરિવારમાં થયો હતો. ઝલકારીબાઈના પિતાનું નામ સદોવર સિંહ અને માતાનું નામ જમુના દેવી હતું. ઝલકારીબાઈ ઘણાં નાના હતા ત્યારે જ તેની માતા માંદગીને કારણે મૃત્યુ પામ્યા હતા અને તેમના પિતાએ તેમને ઉછેર્યા હતા. તેમને ઘોડેસવારી અને શસ્ત્રોના ઉપયોગની તાલીમ આપવામાં આવી હતી. તે દિવસોની સામાજિક પરિસ્થિતિઓને કારણે તેઓ કોઈ ઔપચારિક શિક્ષણ મેળવી શક્યા નહોતા, પરંતુ તેમણે પોતાને એક સારા યોદ્ધા તરીકે વિકસાવ્યા હતા. ઝલકારી બાઈ બાળપણથી જ ખૂબ જ હિંમતવાન અને દ્રઢ નિશ્ચયી છોકરી હતા. ઘરના કામ ઉપરાંત, ઝલકારી પ્રાણીઓની દેખરેખ પણ કરતા હતા અને જંગલમાંથી લાકડા પણ એકત્ર કરતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકવાર જંગલમાં એક દીપડાનો સામનો થયો ને ઝલકારીએ પોતાની કુહાડીથી દીપડાને મારી નાખ્યો. અન્ય એક પ્રસંગે જ્યારે ડાકુઓની ટોળકીએ ગામના એક વેપારી પર હુમલો કર્યો, ત્યારે ઝલકારી બાઈએ પોતાની બહાદુરીથી તેમને પીછેહઠ કરવાની ફરજ પાડી. તેમની બહાદુરીથી ખુશ થઈને ગ્રામજનોએ તેમના લગ્ન રાણી લક્ષ્મીબાઈની સેનાના સૈનિક પુરણ કોળી સાથે કરાવ્યા. પુરણ પણ ખૂબ બહાદુર હતા અને સમગ્ર સેના તેની બહાદુરીનું સન્માન કરતી હતી. એકવાર ઝલકારી બાઈ ગામની અન્ય સ્ત્રીઓ સાથે રાણીને માન આપવા ઝાંસીના કિલ્લા પર ગઈ, ત્યાં રાણી લક્ષ્મીબાઈ તેમને જોઈને સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે ઝલકારી બિલકુલ તેમના જેવા જ દેખાતા હતા. અન્ય મહિલાઓ પાસેથી ઝલકારી બાઈની બહાદુરીની વાતો સાંભળીને રાણી લક્ષ્મીબાઈ ખૂબ જ પ્રભાવિત થઈ. રાણીએ ઝલકારી બાઈને દુર્ગા સેનામાં જોડાવા આમંત્રણ આપ્યું, જે તેમણે સ્વીકારી લીધું. ઝલકારી બાઈએ અહીં અન્ય મહિલાઓ સાથે બંદૂક ચલાવવા, તોપ ફોડવાની અને તલવારબાજીની ટ્રેનિંગ લીધી હતી. આ તે સમય હતો જ્યારે અંગ્રેજોના દુસ્સાહસનો સામનો કરવા માટે ઝાંસીની સેનાને મજબૂત કરવામાં આવી રહી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્વતંત્રતા સંગ્રામમાં ઝલકારી બાઈની ભૂમિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિને કારણે, અંગ્રેજોએ નિઃસંતાન લક્ષ્મીબાઈને તેમના અનુગામીને દત્તક લેવાની મંજૂરી આપી ન હતી, કારણ કે તેઓ રાજ્યને તેમના નિયંત્રણ હેઠળ લાવવા માંગતા હતા. જો કે, અંગ્રેજોની આ કાર્યવાહીના વિરોધમાં રાણીની આખી સેના, તેના સેનાપતિઓ અને ઝાંસીના લોકોએ રાણી સાથે બંડ પોકાર્યો અને શરણાગતિને બદલે અંગ્રેજો સામે શસ્ત્રો ઉપાડવાનો સંકલ્પ કર્યો. એપ્રિલ 1858 દરમિયાન લક્ષ્મીબાઈએ ઝાંસીના કિલ્લાની અંદરથી તેમના દળોનું નેતૃત્વ કર્યું અને બ્રિટિશરો અને તેમના સ્થાનિક સાથીઓ દ્વારા કરવામાં આવેલા ઘણાં હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. રાણીના સેનાપતિઓમાંના એક દુલ્હેરાવે લક્ષ્મીબાઈ સાથે દગો કર્યો અને કિલ્લાનો સુરક્ષિત દરવાજો બ્રિટિશ સેના માટે ખોલી દીધો. જ્યારે કિલ્લાનું પતન નિશ્ચિત બન્યું, ત્યારે રાણીના સેનાપતિઓ અને ઝલકારી બાઈએ તેમને કેટલાક સૈનિકો સાથે કિલ્લો છોડીને ભાગી જવાની સલાહ આપી. રાણી તેના ઘોડા પર બેસીને કેટલાક વિશ્વાસુ સૈનિકો સાથે ઝાંસીથી દૂર ચાલી ગઈ.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ઝલકારીબાઈના પતિ પુરન કોળી કિલ્લાની રક્ષા કરતી વખતે શહીદ થયા</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝલકારી બાઈના પતિ પુરન કોળી કિલ્લાની રક્ષા કરતી વખતે શહીદ થયા હતા, પરંતુ તેમના પતિના મૃત્યુ પર શોક કરવાને બદલે ઝલકારીબાઈએ અંગ્રેજોને ભ્રમમાં નાખવાની યોજના ઘડી હતી. ઝલકારીબાઈએ લક્ષ્મીબાઈની જેમ પોશાક પહેર્યો અને ઝાંસીની સેનાની કમાન સંભાળી. ત્યાર બાદ તેઓ કિલ્લામાંથી બહાર આવ્યા અને બ્રિટિશ જનરલ 'હ્યુ રોઝ'ને મળવા તેના કેમ્પમાં પહોંચ્યાં. બ્રિટિશ છાવણીમાં પહોંચીને તેમણે બૂમ પાડી કે તેઓ જનરલ હ્યુ રોઝને મળવા માંગે છે. રોઝ અને તેના સૈનિકો ખુશ હતા કે તેમણે માત્ર ઝાંસીને જ કબજે કર્યું નથી પણ જીવતી રાણી પણ તેમના કબજામાં છે. જનરલ હ્યુ રોઝ જેમને રાણી માનતો હતો એ ઝલકારી બાઈને પૂછ્યું કે તેમની સાથે શું કરવું જોઈએ? તો રાણીના વેશમાં રહેલા ઝલકારીબાઈએ મક્કમતાથી કહ્યું, “મને ફાંસી આપો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જનરલ હ્યુ રોઝ ઝલકારીબાઈની હિંમત અને નેતૃત્વ ક્ષમતાઓથી પ્રભાવિત થયો અને ઝલકારીબાઈને મુક્ત કરવામાં આવ્યા. તેનાથી વિપરિત કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ઝલકારીબાઈએ આ યુદ્ધ દરમિયાન શહીદી વ્હોરી હતી. બુંદેલખંડની એક દંતકથા છે કે જનરલ હ્યુ રોઝે ઝલકારીબાઈના જવાબથી દંગ થઈને કહ્યું હતું કે "જો ભારતની એક ટકા સ્ત્રીઓ પણ તેમના જેવી બની જાય, તો અંગ્રેજોએ ટૂંક સમયમાં ભારત છોડવું પડશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ </span></strong></span><a href="https://khabarantar.com/The-OBC-Commission-in-Gujarat-is-run-by-just-1-member,-just-like-Shobhana-Nattiya"><span style="font-size: 14pt;"><strong>ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!</strong></span></a></p>
<p style="text-align: justify;"><strong><span><span style="color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 03 Dec 2023 11:34:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>166</Articleid>
                    <excerpt>હજુ થોડા દિવસ પહેલા જ  જેમની જન્મતિથિ ગઈ તે મહાન બહુજન વીરાંગના ઝલકારીબાઈને ઈતિહાસકારોએ યોગ્ય સન્માન શા માટે નથી આપ્યું તેનો જવાબ હવે ધીરેધીરે બહુજન સમાજને મળવા લાગ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_656b1e2f429cd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_656b1e2eee575.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_656b1e2eee575.jpg" length="126716" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!</title>
                    <link>https://khabarantar.com/The-OBC-Commission-in-Gujarat-is-run-by-just-1-member,-just-like-Shobhana-Nattiya</link>
                    <guid>https://khabarantar.com/The-OBC-Commission-in-Gujarat-is-run-by-just-1-member,-just-like-Shobhana-Nattiya</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં OBC કમિશનની કામગીરી પર ગુજરાત હાઈકોર્ટે અનેક સવાલો ઉઠાવ્યા છે. વાંચો કોર્ટે ઓબીસી કમિશનને લઈને શું નિર્દેશો આપ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓબીસી સમાજના મતો દરેક રાજકીય પક્ષોને જોઈ છે પણ વાત જ્યારે તેમને હક આપવાની આવે ત્યારે સત્તાધારીઓનું અસલ સ્વરૂપ જોવા મળતું હોય છે. આવું જ કંઈક ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં કાયમી ઓબીસી કમિશન જ નથી. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ મામલે ખુલાસો માંગ્યો હતો. હાઈકોર્ટે ફક્ત 1 સભ્ય પર ચાલતા કમિશન પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકાર કમિશન પાછળ કેટલો ખર્ચ કરે છે તે મહત્વનું નથી, પણ તે કઈ રીતે કામ કરે છે તે મહત્વનું છે. ઓબીસી કમિશન માત્ર ફરિયાદો સ્વીકારવા નથી બન્યું. હાલ તો લાગી રહ્યું છે કે સરકારી વ્યવસ્થામાં તે શોભાના ગાંઠીયા જેવું બની ગયું છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">કોર્ટે આર્થિક પછાત વર્ગો બાબતની ચકાસણી, સમાવેશ કે દૂર કરવા અંગેની કામગીરી નહીં થઈ રહી હોવાનું પ્રાથમિક અવલોકન કર્યું છે. સાથે જ કમિશનની કામગીરી સહિતની બાબતો પર સ્પષ્ટતા કરવા નિર્દેશ આપ્યા છે. ઓબીસી જ્ઞાતિઓનો સમયાંતરે સર્વે નહીં થયો હોવાની બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે અને રાજ્ય સરકારે રજૂ કરેલું સોગંદનામું ઘણી બધી બાબતોની સ્પષ્ટતા નહીં કરતું હોવાનું પણ નોંધ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">હાઈકોર્ટે NCBC કમિશનમાં 5 સભ્યો હોય છે, જ્યારે ગુજરાતમાં માત્ર 1 સભ્યની રચના મામલે પણ ખુલાસો માંગ્યો છે. સાથે જ બંધારણીય જોગવાઈઓ અને નેશનલ કમિશનની કાર્ય વ્યવસ્થા તેમજ રાજ્યમાં હાલ ચાલતા કમિશનના મુદ્દે અરજદારને પણ સંવિધાનિક જોગવાઈઓ તેમજ હાલની પરિસ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ મામલે હવે વધુ સુનાવણી 20મી ડિસેમ્બર 2023ના રોજ યોજાશે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, એકબાજુ દેશભરમાં ઓબીસી વોટબેંકનું રાજકારણ જોર પકડી રહ્યું છે, બિહારની નીતિશકુમાર સરકારે કરાવેલી જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ મોટાભાગના રાજકીય પક્ષો ઓબીસી સમાજને પોતાની તરફ ખેંચવા જાતિ આધારિત વસ્તી ગણતરી સહિતના વાયદાઓ કરી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં ઓબીસી કમિશન જેવી મહત્વની સંસ્થા ફક્ત 1 સભ્ય પર ચાલી રહી છે. જેને લઈને હાઈકોર્ટની સાથે ઓબીસી સમાજના પ્રબુદ્ધ વર્ગમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/OBC-Politics:-Battle-for-Backward-Quota-now-an-electoral-issue"><strong>OBC Politics: પછાત ક્વોટા માટેની લડાઈ હવે ચૂંટણીનો મુદ્દો</strong></a></span></p>
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-meta"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></div>
</div>
<div class="post-tags"></div>
</div>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 02 Dec 2023 09:32:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>164</Articleid>
                    <excerpt>ગુજરાતમાં OBC કમિશનની કામગીરી પર ગુજરાત હાઈકોર્ટે અનેક સવાલો ઉઠાવ્યા છે. વાંચો કોર્ટે ઓબીસી કમિશનને લઈને શું નિર્દેશો આપ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_656aac4049624.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_656aac401715e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_656aac401715e.jpg" length="76356" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>બિહારમાં 75 ટકા અનામતના અમલનો પ્રારંભ, નવી નીતિ બનાવાઈ</title>
                    <link>https://khabarantar.com/Implementation-of-75-percent-reservation-started-in-Bihar,-new-policy-made</link>
                    <guid>https://khabarantar.com/Implementation-of-75-percent-reservation-started-in-Bihar,-new-policy-made</guid>
                    <description>
                        <![CDATA[ બિહારની નીતિશકુમાર સરકારે રાજ્યમાં નવી અનામતના અમલનો પ્રારંભ કરી દીધો છે.  હવે અહીં શૈક્ષણિક  સંસ્થાઓ, નોકરીઓમાં SC, ST, OBC અને EBCને 75 ટકા અનામતનો લાભ મળશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારમાં હવે 75 ટકા અનામતનો લાભ મળશે. બિહારની નીતીશકુમાર સરકારે તેને લઈને ગેઝેટ પ્રકાશિત કરી દીધું છે. આમ શૈક્ષણિક  સંસ્થાઓ અને નોકરીઓમાં અનુસૂચિત જાતિ જનજાતિ, ઈબીસી અને ઓબીસીને 75 ટકા અનામતનો લાભ મળશે. મંગળવારે 21 નવે.થી નવી નામત નીતિ અમલી બનાવાઈ છે. બિહાર સરકારે અનામતની મર્યાદામાં 15 ટકા વધારો કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બિહાર સરકારે વિધાનસભામાં શિયાળુ સત્ર દરમિયાન અનામત સંશોધન ખરડો 2023 રજૂ કર્યો હતો. 9મી નવેમ્બર 2023 ના રોજ તેને બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો હતો. તેમાં અનામતનું કાર્યક્ષેત્રે વિસ્તારીને 75 ટકા કરવાની જોગવાઈ હતી. આ બિલને રાજયના મુખ્ય વિપક્ષ ભાજપે પણ સમર્થન આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">દિલ્હીથી પરત ફરતા રાજયપાલ રાજેન્દ્ર આર્લેકરે અનામત બિલ 2023ને મંજૂરી આપી હતી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે 7 નવેમ્બરના રોજ ગૃહમાં જાહેરાત કરી હતી કે બિહારમાં અનામતના કાર્યક્ષેત્રને વિસ્તારવામાં આવશે. આ જાહેરાત પછી નીતીશે તરત જ કેબિનેટ મીટીંગ બોલાવી હતી. કેબિનેટે અઢી કલાકની અંદર જ અનામતના કાર્યક્ષેત્રને વિસ્તારવાની મંજૂરી આપી દીધી હતી. તેના પછી નવમી નવેમ્બરના રોજ તેને બંને ગૃહમાં પસાર કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ બિલ લાગુ થયા પછી બિહારમાં એસસીને 20, એસટીને 2, અત્યંત પછાત વર્ગને 20 ટકા અનામતનો લાભ મળશે, તેની સાથે જનરલ કેટેગરીમાં આર્થિક રીતે નબળા વર્ગને મળતું 10 ટકા અનામત પણ જારી રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં પછાત, દલિત અને મહાદલિતને આ અનામતનો લાભ મળશે. આ વર્ગના વિધાર્થીઓને સરકારી કોલેજ અને યુનિવર્સિટીમાં ફાયદો થશે. નીતીશકુમારની પાર્ટી જેડીયુ આ અનામતને સામાજિક ન્યાયની દિશામાં મહત્વનું પગલું માને છે. તેમનું માનવું છે કે તેના લીધે તેને ચૂંટણીમાં ફાયદો થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>આગળ વાંચોઃ</strong> <a href="https://khabarantar.com/Bihar-caste-survey-report:-Dalits-the-poorest-and-general-category-people-the-least-poor"><span style="color: rgb(224, 62, 45);"><strong>bihar caste survey report: દલિતો સૌથી ગરીબ અને જનરલ કેટેગરીના લોકો સૌથી ઓછા ગરીબ</strong></span></a></span></p>
<div class="post-meta">
<p><span style="font-size: 14pt;"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.  <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p>
</div>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 24 Nov 2023 10:54:42 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 23 Nov 2023 23:18:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>147</Articleid>
                    <excerpt>બિહારની નીતિશકુમાર સરકારે રાજ્યમાં નવી અનામતના અમલનો પ્રારંભ કરી દીધો છે.  હવે અહીં શૈક્ષણિક  સંસ્થાઓ, નોકરીઓમાં SC, ST, OBC અને EBCને 75 ટકા અનામતનો લાભ મળશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_655f9014bf18b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_655f901484b5e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_655f901484b5e.jpg" length="61500" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>અમરેલીમાં SC, ST, OBC વિદ્યાર્થીઓ માટેનું છાત્રાલય ખંડિયેર હાલતમાં હોવાથી બે વર્ષથી બંધ, વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ</title>
                    <link>https://khabarantar.com/Hostel-for-SC,-ST,-OBC-students-in-Amreli-closed-for-two-years-as-it-is-in-dilapidated-condition,-future-of-students-in-limbo</link>
                    <guid>https://khabarantar.com/Hostel-for-SC,-ST,-OBC-students-in-Amreli-closed-for-two-years-as-it-is-in-dilapidated-condition,-future-of-students-in-limbo</guid>
                    <description>
                        <![CDATA[ અમરેલીમાં દલિત, આદિવાસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટેનું ડો. આંબેડકર છાત્રાલય ખંડિયેર હાલમાં હોવાથી છેલ્લાં બે વર્ષથી બંધ છે. પરિણામે અનેક ગરીબ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમરેલી શહેરના સાવરકુંડલા બાયપાસ ચાર રસ્તાની બાજુમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયના બિલ્ડીંગની હાલત સાવ ખંડિયર જેવી બની છે. આ બિલ્ડીંગ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. હાલ આ જર્જરિત છાત્રાલયમાં વિદ્યાર્થીઓને બે વર્ષથી એડમિશન આપવામાં આવતું નથી. બિલ્ડીંગમાં ગમે ત્યારે કોઇ મોટી દુઘર્ટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ બિલ્ડીંગને તોડી પાડી નવું બિલ્ડીંગ બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસ.સી./એસ.ટી. અને ઓબીસી સમુદાયના બાળકો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી શકે તે માટે અમરેલી શહેરના સાવરકુંડલા બાયપાસ ચાર રસ્તા નજીક ડો.બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય છેલ્લા વીસેક કરતા વધુ વર્ષથી કાર્યરત છે. આ છાત્રાલયમાં આજુબાજુના જિલ્લા,તાલુકા, ગામડાઓ અને અન્ય શહેરમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ આ છાત્રો ભયજનક બિલ્ડીંગમાં રહી અભ્યાસ કરતા હોવાથી મોતના મુખમાં હોય તેવું લાગી રહ્યુ હતું કેમ કે, હાલમાં છાત્રાલયની હાલત અતિ બિસ્મારમાં જોવા મળે છે અને બિલ્ડીંગ ક્યારે ધરાશાયી થાય તે નક્કી જ નથી. જેના કારણે અનેક છાત્રોનો જીવ જોખમમાં હતા જેથી અન્ય જગ્યાએ ભાડે મકાન મેળવી કુમાર છાત્રાલય ચાલુ કરવા સમાજ કલ્યાણ વિભાગ તરફથી સાત વાર સ્થાનિક જાહેરાત આપવામાં આવી છતાં પણ બિલ્ડીંગ મળતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભૂતકાળમાં આ કુમાર છાત્રાલય અવારનવાર બનતા કિસ્સાઓને લઈને ખાસ ચર્ચામાં રહ્યું છે. જેમાં બહારથી અભ્યાસ અર્થે આવતા છાત્રોને સ્થાનિક આવારા તત્વો દ્વારા હેરાન કરવામાં આવતા હોય, પીવાના ગંદા પાણીની સમસ્યા, હોસ્ટેલમાં જમવાનું ખરાબ આપવામાં આવતું, પૂરતા બેડ-પલંગ, કબાટ, ગાદલા, ધાબળા માટે આંદોલન વગેરે બાબતોને લઇને છાત્રાલય ખુબ જ ચર્ચામાં રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં આ છાત્રાલયની બિલ્ડીંગ એ હદે બિસ્માર હાલતમાં જોવા મળી છે કે એના બીમમાં સળીયા દેખાઇ ગયા છે. દરેક રૂમની અંદર સ્લેબના પોપડા ખરી રહ્યા છે. બે વર્ષ પહેલા છાત્રાલયમાં રહેતા છાત્રોમાં પણ ભારે ભયનો માહોલ સર્જાઇ રહ્યો હતો જેના કારણે છાત્રોના વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. છાત્રાલયના શૌચાલય, બાથરૂમની હાલત નર્ક જેવી હતી. અપૂરતી સુવિધાઓને લીધે છાત્રોના ભણતર પર ભારે અસર પડી હતી. હોસ્ટેલ બંધ થતા વિધાર્થીઓના બંધારણીય અને માનવ અધિકારોનો ભંગ થઇ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બધી બાબતોને ધ્યાને લઇ અનુસૂચિત જાતિ, અનુ.જનજાતિ અને ઓબીસીના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવાનો લાભ મળે તે માટે તાત્કાલિક અમરેલી શહેરમાં બે વર્ષથી બંધ કરવામાં આવેલા ડો. બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવે અને આ વર્ગના છાત્રો માટે રહેવા જમવા સાથેની હોસ્ટેલ તાત્કાલિક બાંધવામાં આવે તેવી માંગણી સાથે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ </strong></span></span><a href="https://khabarantar.com/98-of-faculties-in-countrys-TOP-5-IITs-are-said-to-be-upper-caste:-Shocking-report-by-Nature-magazine"><span style="text-decoration: underline; color: rgb(53, 152, 219); font-size: 14pt;"><strong>દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ</strong></span></a></p>
<div class="post-meta"><span style="font-size: 12pt;"><strong>ખબરઅંતર.કોમના બહુજન સમાજને સમર્પિત તમામ સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="color: rgb(224, 62, 45);">અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></a></strong></span></div>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 Nov 2023 21:22:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>141</Articleid>
                    <excerpt>અમરેલીમાં દલિત, આદિવાસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટેનું ડો. આંબેડકર છાત્રાલય ખંડિયેર હાલમાં હોવાથી છેલ્લાં બે વર્ષથી બંધ છે. પરિણામે અનેક ગરીબ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_655e23607dbed.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_655e23603a9c4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_655e23603a9c4.jpg" length="78369" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાવનગરમાં ગટરની અંદર સફાઈ માટે ઉતરેલા બે લોકો ગૂંગળાયા, એક સફાઈકર્મીનું મોત, એકની હાલત ગંભીર</title>
                    <link>https://khabarantar.com/Two-people-suffocated-while-cleaning-in-Bhavnagar,-one-cleaner-died,-one-in-critical-condition</link>
                    <guid>https://khabarantar.com/Two-people-suffocated-while-cleaning-in-Bhavnagar,-one-cleaner-died,-one-in-critical-condition</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">ભાવનગરના</span> <span style="font-family: Shruti;">વાઘાવાડી રોડ પર આવેલી સેન્ટ્રલ સોલ્ટ સંસ્થામાં ગટરની સફાઈ માટે મેઈન હોલની અંદર ઉતરેલા બે સફાઈ કામદારો પૈકી એકનું મોત થયું છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">મળતી વિગતો પ્રમાણે ગટરના મેઈન હોલમાં ઉતર્યા બાદ બંનેને ઝેરી ગેસના કારણે ગુંગળામણ થવા લાગી હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">જેથી બંનેને </span>તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા<span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">જ્યાં રાજેશભાઈ પરસોત્તમભાઈ વેગડનું મોત નીપજ્યું હતું</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">જ્યારે તેમની સાથે રહેલા સુરેશભાઈ ગોરડિયાની સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">ઘટનાને પગલે ભાવનગરના </span><span style="font-family: Arial;">900</span><span style="font-family: Shruti;">થી વધુ સફાઈકર્મીઓ વિરોધ નોંધાવી કામથી અળગા રહ્યાં હતા</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">બીજી તરફ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો અને પોતાની માંગણીઓને લઈને ધરણાં કર્યા છે</span><span style="font-family: Arial;">.</span></span></strong></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><span style="font-family: Shruti;">શું બન્યું હતું</span>?</span><b></b></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">આ</span> <span style="font-family: Shruti;">બનાવની મળતી વિગતો મુજબ </span>ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર આવેલ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચમાં ગટર ઉભરાવાની સમસ્યા <span style="font-family: Shruti;">સર્જાઈ</span> <span style="font-family: Shruti;">હતી</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">જેને લઈને સંસ્થાએ ભાવનગર મનપામાં તેને સાફ કરવા માટે અરજી આપી હતી અને તેના માટે જરુરી રકમ મનપાને ભરીને ગટરની સફાઈ માટે </span>કામદાર<span style="font-family: Shruti;">ોને</span> બોલાવ્યા હતા. <span style="font-family: Shruti;">તેના</span> <span style="font-family: Shruti;">માટે </span>મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી <span style="font-family: Shruti;">રાજેશભાઈ</span> <span style="font-family: Shruti;">વેગડ અને </span>સેન્ટ્રલ સોલ્ટ <span style="font-family: Shruti;">સંસ્થા</span>ના કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કર્મચારી <span style="font-family: Shruti;">સુરેશભાઈ</span> <span style="font-family: Shruti;">ગોરડિયા </span>દ્વારા ગટરની સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. </span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">બંને</span> <span style="font-family: Shruti;">સફાઈ કામદારો </span>ગટરના મેઇન હોલની અંદર ઉતરી કામગીરી કર<span style="font-family: Shruti;">ી</span> <span style="font-family: Shruti;">રહ્યાં</span> હતા<span style="font-family: Shruti;">ં</span> તે દરમિયાન <span style="font-family: Shruti;">ઝેરી</span> <span style="font-family: Shruti;">ગેસના કારણે બંનેને </span>ગૂંગળામણ <span style="font-family: Shruti;">થવા</span> <span style="font-family: Shruti;">લાગી હતી</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">તેથી</span> તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. <span style="font-family: Shruti;">સાથે</span> <span style="font-family: Shruti;">જ </span>દુર્ઘટના અંગે સંદેશો મળતા ફાયર બ્રિગેડ કાફલો, પોલીસ તેમજ 108 સહિતની ટીમ<span style="font-family: Shruti;">ો</span> તાત્કાલિક સેન્ટ્રલ સોલ્ટ દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ મેઇન હોલમાં ફસાયેલા બંને કામદારોને ગંભીર હાલત<span style="font-family: Shruti;">માં</span> બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડ્યા હતા<span style="font-family: Arial;">. </span>જ્યાં મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી રાજેશભાઈ પરસોતમભાઈ વેગડ<span style="font-family: Shruti;">નું</span> <span style="font-family: Shruti;">મોત નિપજ્યું હતું</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">રાજેશભાઈની ઉંમર </span><span style="font-family: Arial;">45 </span><span style="font-family: Shruti;">વર્ષની હતી અને તેઓ ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાં રહેતા હતા</span><span style="font-family: Arial;">. </span>જ્યારે <span style="font-family: Shruti;">તેમના સાથી </span>સુરેશભાઈની હાલત <span style="font-family: Shruti;">પણ </span>ગંભીર હોવાનું જાણવા મળેલ છે. <span style="font-family: Shruti;">આ ઘટનાને પગલે સફાઈ કામદારો રોષે ભરાયા હતા અને </span><span style="font-family: Arial;">900</span><span style="font-family: Shruti;">થી વધુ સફાઈ કામદારોએ કામથી અળગા રહીને આ ઘટના સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો</span><span style="font-family: Arial;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-family: Shruti;">છેલ્લાં </span><span style="font-family: Arial;">5 </span><span style="font-family: Shruti;">વર્ષમાં </span><span style="font-family: Arial;">347 </span><span style="font-family: Shruti;">સફાઈકર્મીઓના મોત નિપજ્યાં</span></strong></span><b></b></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">અહીં એ યાદ રાખવું રહ્યું કે</span><span style="font-family: Arial;">, </span><span style="font-family: Shruti;">ભારતમાં છેલ્લાં </span><span style="font-family: Arial;">5 </span><span style="font-family: Shruti;">વર્ષમાં ગટર કે સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન </span><span style="font-family: Arial;">347 </span><span style="font-family: Shruti;">લોકોના મોત થયા છે</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">એક બાજુ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે</span><span style="font-family: Arial;">, </span><span style="font-family: Shruti;">બીજી તરફ સફાઈ કામદારોની કામગીરી અને જીવનધોરણમાં કશો ફરક પડ્યો નથી</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">સરકાર ફાલતુ ખર્ચાઓ કર્યા કરે છે</span><span style="font-family: Arial;">, </span><span style="font-family: Shruti;">પણ સફાઈ કામદારોએ ગટરમાં ન ઉતરવું પડે તે માટે કોઈ સાધન વસાવતી નથી કે નથી બીજા કોઈ પગલાં લેતી</span><span style="font-family: Arial;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-family: Shruti;">સફાઈ કામદારો ગટરમાં ઉતરીને કામ કરવાનું ક્યારે બંધ કરશે</span>?</strong></span><b></b></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">ગુજરાત સહિત દેશભરમાં ગટરમાં ગૂંગળાઈને મોતને ભેટવાના બનાવો સમયાંતરે બનતા રહે છે</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">છતાં સફાઈ કામદારો ગટરમાં ઉતરવાનું બંધ કરતા નથી</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">અમુક કામો એવા હોય છે જેમાં થોડાં વધુ રૂપિયા મળતા હોય તો પણ તે ન જ કરવા જોઈએ</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">ગટરમાં ઉતરવાનું કામ આ પ્રકારનું છે અને તેને છોડવું જ રહ્યું</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">સમય પાકી ગયો છે કે</span><span style="font-family: Arial;">, </span><span style="font-family: Shruti;">દરેક સફાઈ કામદાર પરિવાર પ્રતિજ્ઞા કરે કે</span><span style="font-family: Arial;">, </span><span style="font-family: Shruti;">ગમે તે થાય પણ તે ગટરમાં નહીં ઉતરે</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">ભાવનગરના આ બનાવને પગલે હાલ સફાઈ કામદારોમાં રોષ છે</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">જોવાનું એ રહેશે કે ગટરમાં ઉતરવાનું બંધ કરે છે કે નહીં</span><span style="font-family: Arial;">. </span><span style="font-family: Shruti;">હાલ તો મૃતકના પરિવારમાં અણધારી આ દુર્ઘટનાને કારણે માતમ છવાઈ ગયો છે</span><span style="font-family: Arial;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><span style="font-family: Shruti;">મૃતક રાજેશભાઈ વેગડના પરિવારને રૂ</span><span style="font-family: Arial;">. 30 </span><span style="font-family: Shruti;">લાખ વળતર મળશે</span>?</span><b></b></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">હાલમાં</span> <span style="font-family: Shruti;">જ સુપ્રીમ કોર્ટે એક જાહેર હિતની અરજીમાં ચૂકાદો આપ્યો છે કે</span><span style="font-family: Arial;">, </span>જે પણ મજૂરનું ગટરમાં સફાઇ દરમિયાન મોત થાય <span style="font-family: Shruti;">તો </span>તેના પરિવારને સરકાર તરફથી ફરજિયાત ૩૦ લાખ રૂપિયા વળતર તરીકે આપવાના રહેશે. જ્યારે ગટરની સફાઇ દરમિયાન જો કોઇને કાયમી ખો<span style="font-family: Shruti;">ડ</span>ખાપણ રહી જાય તો તેવા કિસ્સામાં પીડિત મજૂર કે કર્મચારીને ૨૦ લાખ રૂપિયા આપવાના રહેશે<span style="font-family: SimSun;">. </span>આ રિટ પિટિશન સાથે સુપ્રીમ કોર્ટને આવા મજૂરોના મોત અને ઇજાગ્રસ્ત થયેલા કામદારોન<span style="font-family: Shruti;">ા</span> ડેટા પણ આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીને માન્ય રાખી હતી અને સરકારને આદેશ આપ્યો હતો કે તે ગટર સફાઇમાં મોતને ભેટતા લોકોના પરિવારને ૩૦ લાખ, કાયમી ખો<span style="font-family: Shruti;">ડ</span>ખાપણનો ભોગ બનનારાને <span style="font-family: Shruti;">રૂ</span><span style="font-family: SimSun;">. </span>૨૦ લાખ જ્યારે અન્ય કોઇ પણ પ્રકારની ખો<span style="font-family: Shruti;">ડ</span>ખાપણ માટે ૧૦ લાખ રૂપિયા વળતર આપે<span style="font-family: SimSun;">. </span><span style="font-family: Shruti;">ત્યારે આ કેસમાં મૃતક રાજેશભાઈ વેગડના પરિવારને રૂ</span><span style="font-family: SimSun;">. 30 </span><span style="font-family: Shruti;">લાખનું વળતર મળશે</span><span style="font-family: SimSun;">.</span></span></strong></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><strong><span style="text-decoration: underline;"><span style="font-size: 14pt;"><span style="font-family: SimSun;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45); text-decoration: underline;">આ પણ વાંચો</span></span></span></span><span style="font-size: 14pt;"><span style="font-family: SimSun;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">:</span></span></span></strong><a href="https://khabarantar.com/That-day-for-the-first-time-my-father-saw-a-ghost---Piyush-Jadugar"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">એ દિવસે પહેલીવાર મારા પિતાએ ‘ભૂત’ જોયું! - પિયુષ જાદુગર</span></strong></span></a></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"> </span></strong></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 Nov 2023 17:36:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>116</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_654f6e1bb8758.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_654f6e1b786e4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_654f6e1b786e4.jpg" length="133218" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિનું પ્રમાણપત્ર  જમા કરાવવામાં પણ ભેદભાવઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 16 વર્ષ પછી 2 ઉમેદવારોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો</title>
                    <link>https://khabarantar.com/Discrimination-in-submission-of-caste-certificate-too:-Supreme-Court-orders-Gujarat-govt-to-appoint-2-candidates-after-16-years</link>
                    <guid>https://khabarantar.com/Discrimination-in-submission-of-caste-certificate-too:-Supreme-Court-orders-Gujarat-govt-to-appoint-2-candidates-after-16-years</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કેટલાક ઉમેદવારોને નિમણૂક પ્રક્રિયામાં કટ-ઓફ તારીખથી આગળ તેમના જાતિના પ્રમાણપત્રો સબમિટ કરવાની મંજૂરી આપવા બદલ ગુજરાત રાજ્યની ઝાટકણી કાઢી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસ વર્ષ 2007માં વિદ્યા સહાયક(સંગીત)ના પદ માટેની પસંદગી પ્રક્રિયા સાથે સંબંધિત છે. બે દૃષ્ટિહીન અરજદારોએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) શ્રેણી હેઠળ અરજી કરી હતી પરંતુ તેઓ તેમની અરજી સબમિટ કરવામાં નિષ્ફળ ગયા હતા. જાતિનું પ્રમાણપત્ર નિયત સમય મર્યાદામાં જારી કરવામાં આવ્યું ન હતું, તેથી તેમને સામાન્ય શ્રેણીમાં ગણવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજદારોએ એવા દાખલાઓ ટાંકીને ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો કે જેમાં રાજ્યએ કેટલાક ઉમેદવારોને કટ-ઓફ તારીખ પછી ઇન્ટરવ્યૂના તબક્કે તેમના જાતિ પ્રમાણપત્રો સબમિટ કરવાની મંજૂરી આપી હતી. ઉમેદવારો સાથે કરવામાં આવતા આવા ભેદભાવની નોંધ લઈને હાઇકોર્ટે 2011માં રાજ્યને SEBC શ્રેણી હેઠળના ઉમેદવારોને ધ્યાનમાં લેવા નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટના નિર્ણયને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે વિવિધ ઉમેદવારો પ્રત્યે રાજ્ય દ્વારા અપનાવવામાં આવેલા ભેદભાવપૂર્ણ અભિગમની પણ નોંધ લીધી હતી. રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે કેટલાક ઉમેદવારોને ઇન્ટરવ્યુના તબક્કે જાતિના પ્રમાણપત્રો સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ડિવિઝન બેન્ચે આ મામલે કહ્યું હતું કે, એ હકીકતને ધ્યાનમાં રાખીને કે અપીલકર્તાઓએ ચોક્કસ ઉમેદવારોને ઇન્ટરવ્યુના તબક્કે તેમના જાતિ સર્ટિફિકેટ્સ સબમિટ કરવાની મંજૂરી ન આપીને તેમના બંધારણીય અધિકારો વિરુદ્ધ કામ કર્યું છે અને તેમની સાથે ભેદભાવ કર્યો છે. અંતે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને અરજી કર્યાના 16 વર્ષ પછી 2 ઉમેદવારોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ</strong></span> <a href="https://khabarantar.com/4.44-crore-cases-pending-in-Indian-courts,-including-36.57-lakh-cases-related-to-women"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>ભારતની અદાલતોમાં 4.44 કરોડ કેસો પેન્ડિંગ, જેમાં 36.57 લાખ કેસો મહિલાઓને લગતા!</strong></span></a></span></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 03 Nov 2023 20:53:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>90</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_65450f73f18bd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_65450f73b9fcf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_65450f73b9fcf.jpg" length="92714" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>“પોલીસે મને પટ્ટાથી માર્યો, ગુપ્ત ભાગમાં પેટ્રોલ નાખ્યું, હજુ બળતરા થાય છે...” છારા યુવકે સેટેલાઈટ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ</title>
                    <link>https://khabarantar.com/Police-hit-me-with-a-belt,-put-petrol-on-my-private-part,-it-still-hurts...-The-young-man-from-Chara-made-serious-allegations-against-the-satellite-police.</link>
                    <guid>https://khabarantar.com/Police-hit-me-with-a-belt,-put-petrol-on-my-private-part,-it-still-hurts...-The-young-man-from-Chara-made-serious-allegations-against-the-satellite-police.</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અમદાવાદના ચોરીના કેસમાં પકડાયેલા એક આરોપીએ પોલીસે તેને ગુપ્ત ભાગોમાં પેટ્રોલ કે જ્વલનશીલ પદાર્થ નાંખી માર માર્યાની ફરિયાદ કરતાં મેટ્રોર્પોલીટન કોર્ટે આરોપીનું મેડિકલ કરાવવા હુકમ કર્યો હતો અને મેડિકલ કરાવ્યા બાદ કોર્ટે આરોપીને એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">શહેરના સેટેલાઇટ વિસ્તારમાં એક કારમાંથી </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">5.50 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">લાખ રૂપિયાની ચોરી કરવાના કેસમાં પકડાયેલા આરોપી રોહિત ઉર્ફે કાલા દિપકભાઈ માછરેકર(છારા)ને પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતો. જ્યાં પ્રોસીજર મુજબ કોર્ટે આરોપીને પોલીસ સામે કોઈ ફરિયાદ છે કે કેમ તેવું પૂછતાં આરોપીએ કોર્ટને લેખિતમાં ફરિયાદ આપી હતી કે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, '</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પોલીસ સ્ટેશનમાં મને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે અને કમર તથા શરીરના અન્ય ભાગોએ ફેંટોનો માર મારવામાં આવ્યો હતો. મને બેભાન જેવો કરી ગુપ્ત ભાગોમાં પેટ્રોલ કે અન્ય જ્વલનશીલ પદાર્થ નાખ્યો હતો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જેના કારણે હજુ બળતરા થાય છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(255, 3, 30);"><strong><span style="font-family: Arial, 'sans-serif';"><o:p>આ પણ વાંચોઃ </o:p></span></strong></span><a href="https://khabarantar.com/Beta-le-lo...-beta-le-lo...-Why-was-a-father-forced-to-sell-his-beloved-son"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>'બેટા લે લો... બેટા લે લો...' એક પિતા પોતાના લાડકા દીકરાને વેચવા મજબૂર કેમ બન્યો?</strong></span></a></span></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આરોપીએ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">PSI </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તથા અન્ય પોલીસકર્મી વિરૂધ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા. જો કે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કોર્ટે આરોપીની ફરિયાદ ધ્યાનમાં લીધા બાદ તેનું મેડિકલ કરાવવા હુકમ કર્યો હતો. મેડિકલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપીને એક દિવસના રિમાન્ડ પર સોંપ્યો હતો. કોર્ટે પોલીસને સુપ્રીમકોર્ટના ડી.કે.બાસુના ચુકાદાની માર્ગદર્શિકા અનુસરવા તાકીદ કરી હતી.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">અગાઉ નળસરોવર પોલીસ સામે પણ આવા જ આક્ષેપો થયેલા</span></b></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;"><o:p></o:p></span></b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">થોડા દિવસ પહેલા વીરમગામ પાસેના નળસરોવરની પોલીસ સામે પણ આરોપી પર આવા જ અત્યાચારો ગુજારવાના આરોપો થયા હતા. જેમાં ચોરીનો ગુનો કબૂલ કરાવવા માટે પોલીસે આરોપીઓને ગેરકાયદે રીતે અટકાયતમાં લીધા બાદ તેમના પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને ગુપ્ત ભાગે વીજશોક આપ્યાનો અને ગુદામાર્ગે પેટ્રોલ નાખવાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જેને લઈને હાઇકોર્ટ સમક્ષ ન્યાયની માંગણી કરવામાં આવી હતી.</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">પોલીસનું કામ ગુનાની તપાસ કરવાનું હોય છે, છતાં ગુજરાતમાં બેફામ બની ગયેલી પોલીસ સીધી આરોપીઓને સજા કરવા માંડે છે તે ગંભીર ગણાય. મોટાભાગના આવા કેસોમાં આરોપી બહુજન સમાજનો જોવા મળતો હોય છે એવું આંકડાઓ કહે છે.</span><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';"><span style="color: rgb(255, 3, 30);"><strong><span style="font-family: Arial, 'sans-serif';"><o:p>આગળ વાંચોઃ </o:p></span></strong></span></span><a href="https://khabarantar.com/Gujarat-ranks-first-in-country-in-custodial-deaths,-80-accused-died-in-police-custody-in-last-5-years"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, છેલ્લાં 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીઓના મોત થયા</strong></span></a></span></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Nov 2023 09:50:02 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 01 Nov 2023 09:52:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>77</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_65411188c73a6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_6541118878fb2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_6541118878fb2.jpg" length="87830" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું, ધારાસભ્યોનાં ઘર, ઓફિસ&amp;વાહનો સળગાવાયાં, મ્યુનિ. ઓફિસને આગચંપી</title>
                    <link>https://khabarantar.com/Maratha-reservation-movement-intensified-in-Maharashtra,-houses-of-MLAs,-office-vehicles-were-burnt,-Mun.-The-office-was-set-on-fire</link>
                    <guid>https://khabarantar.com/Maratha-reservation-movement-intensified-in-Maharashtra,-houses-of-MLAs,-office-vehicles-were-burnt,-Mun.-The-office-was-set-on-fire</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><strong>Maratha Reservation Movement:</strong> મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં દિવસે ને દિવસે હિંસા વકરી રહી છે. રાજ્યમાં ઠેર-ઠેર મોરચા નીકળી રહ્યા છે અને હાઈવે પર રસ્તા રોકો આંદોલન ચાલી રહ્યાં છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરિયામ નિષ્ફળતા બદલ વિપક્ષે ગૃહ ખાતાંનો પણ હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાંની માગણી કરી છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> <o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રાજ્યમાં જુદાં જુદાં ગામોમાં પણ મનોજ જરાંગે પાટીલ(manoj jarange patil)ના અનિશ્ચિતકાળના ઉપવાસના ટેકામાં ઉપવાસ યોજવાની ઘોષણા થયા બાદ આ હિંસા વકરી છે. ૪૮ કલાકમાં ૧૩થી વધુ બસોની તોડફોડ કરવામાં આવ્યા બાદ ૩૦ ડેપો દ્વારા બસ સંચાલન બંધ કરી દેવાયું છે. તોફાનોની અસર સૌથી વધુ બીડ જિલ્લામાં છે. બીડમાં તોફાનોને પગલે વીજ પુરવઠો બંધ થતાં સમગ્ર શહેર અંધારામાં ગરકાવ થઈ ગયું હતું.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> <o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ </strong></span></span><a href="https://khabarantar.com/98-of-faculties-in-countrys-TOP-5-IITs-are-said-to-be-upper-caste:-Shocking-report-by-Nature-magazine"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ</strong></span></a></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મરાઠા આંદોલનકારીઓએ એનસીપી(NCP)ના અજિત જૂથના ધારાસભ્ય પ્રકાશ સોળંકે(prakash solanke)ના બીડ જિલ્લામાં મજલગાંવ ખાતેના આવેલા ઘરે આગ ચાંપી હતી. આંદોલનકારીઓએ ઘરની બહાર પાર્ક થયેલી કાર સહિત અન્ય વાહનો પણ સળગાવ્યાં હતાં. પ્રકાશ સોળંકેના જણાવ્યા અનુસાર આંદોલનકારીઓએ જ્યારે તેમના ઘરને આગ ચાંપી ત્યારે તેઓ તથા તેમના પરિવારજનો ઘરમાં જ હતા પરંતુ સદભાગ્યે તેમને કોઈને કોઈ ઈજા થઈ નથી. પ્રકાશ સોળંકેના ઘરને આગ ચાંપ્યા બાદ આંદોલનકારીઓ હથિયારો સાથે મજલગાંવ મ્યુનિસિપલ કાઉન્સિલની ઓફિસ પહોંચ્યા હતા અને પહેલા માળેથી ફર્નિચર</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">દસ્તાવેજો વગેરે બહાર કાઢી સળગાવી દીધાં હતાં. તેમણે મોટાપાયે તોડફોડ પણ કરી હતી. મુંબઈથી ૪૦૦ કિમી દૂર આવેલાં મજલગાંવ ખાતે સોમવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં આ હિંસક ઘટનાઓ બની હતી.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> <o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong></strong></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પોલીસે સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે આંદોલનકારીઓની ઓળખ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. ફાયર બ્રિગેડના જવાનોએ ધસી જઈને આગ બુઝાવી હતી. આગમાં મ્યુનિસિપલ કાઉન્સિલને મોટું નુકસાન થયું હતું. જોકે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ બનાવમાં કોઈને ઈજા થઈ ન હતી.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> <o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ </strong></span></span><a href="https://khabarantar.com/One-year-of-Morbi-Bridge-disaster:-Why-efforts-are-being-made-to-free-the-accused-Jaysukh-Patel"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>Morbi બ્રિજ દુર્ઘટનાનું એક વર્ષઃ આરોપી જયસુખ પટેલને છોડાવવાના પ્રયાસો કેમ થઈ રહ્યા છે?</strong></span></a></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અન્ય બનાવમાં છત્રપતિ સંભાજી નગરના ગંગાપુર ખાતે ભાજપના ધારાસભ્ય પ્રશાંત બાંબની ઓફિસમાં તોડફોડ થઈ હતી. અહીં પણ આંદોલનકારીઓ હથિયારો સાથે પહોંચ્યા હતા અને તેમણે ઓફિસનાં ફર્નિચર તથા બારીબારણાંનો ખુડદો બોલાવી દીધો હતો.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> <o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong></strong></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">બીડમાં સાંજે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">NCP</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના રાષ્ટ્રવાદી ભવન તરીકે ઓળખાતાં કાર્યાલય તથા </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">NCP</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરનાં મકાન અને ઓફિસને પણ આગ ચાંપવામાં આવી હતી. સંદીપ ક્ષીરસાગરના કાકા તથા સિનિયર ઓબીસી નેતા જયદત્ત ક્ષીરસાગરના બંગલાને પણ આગ ચાંપવામાં આવી હતી. ધૂળે સોલાપુર હાઈવે પર રોષે ભરાયેલાં ટોળાએ સમતા પરિષદના બીડ જિલ્લાના પ્રમુખ સુભાષ રાઉતની હોટલ સનરાઈઝ સળગાવી દીધી હતી.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> <o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ </strong></span></span><a href="https://khabarantar.com/Exclusive:-Every-day-3-workers-die-in-fatal-workplace-accidents-in-India"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>Exclusive: ભારતમાં દરરોજ 3 શ્રમિકોના કામના સ્થળે જીવલેણ અકસ્માતમાં મોત થાય છે</strong></span></a></span></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong></strong></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(255, 3, 30);"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">શા માટે હિંસા શરૂ થઈ</span></strong></span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>?</strong></span><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પ્રકાશ સોળંકે મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલ વિરુદ્ધ ઉચ્ચારણો બદલ મરાઠા આંદોલનકારીઓના નિશાને આવ્યા હતા. પ્રકાશ સોળંકેએ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મનોજ જરાંગેએ સરકારને દસ દિવસ વધારે એટલે કે દસ દિવસનું બોનસ આપ્યું હતું. પરંતુ બોનસ આપનાર મહા હોશિયાર વ્યક્તિ છે. તેણે ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી લડી નથી હવે તે બધા કરતાં હોશિયાર વ્યક્તિ બની ગયો છે</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">..</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">' </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">એવી ટિપ્પણી કરી હતી. આ અંગેની ક્લિપ વાઇરલ થતા મરાઠા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સોળંકેએ જણાવ્યું હતું કે હું પોતે મરાઠા છું. મારો મરાઠા અનામતને ટેકો છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પરંતુ કેટલાકે મારી અડધી વિડિયો ક્લીપ વાઇરલ કરીને ગેરસમજણ ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય દ્વેષરાગના વાતાવરણ વચ્ચે કેટલાક ગેરકાયદે લાભ લઇ રહ્યા છે. મરાઠા સમાજમાં મારા વિશે ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન હોવાનો દાવો પ્રકાશ સોળંકેએ કર્યો હતો.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> <o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આગળ વાંચોઃ </strong></span></span><a href="https://khabarantar.com/Rejoice-Countrys-first-girls-school-started-by-mother-Savitribai-Phule-in-1848-will-turn-into-a-national-heritage"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>આનંદો! માતા સાવિત્રીબાઈ ફૂલેએ 1848માં શરૂ કરેલી દેશની પ્રથમ કન્યાશાળા રાષ્ટ્રીય ધરોહરમાં ફેરવાશે </strong></span></a></span></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong></strong></span></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 31 Oct 2023 19:00:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>76</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_65410168b8cbd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_6541016887bda.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_6541016887bda.jpg" length="138460" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>“મને ગુપ્તાંગ પર વીજશોક આપ્યો, ગુદામાર્ગે પેટ્રોલ નાખ્યું” – નળસરોવર પોલીસનો આરોપીઓ પર અમાનુષી અત્યાચાર, VPP કાર્યકરોની મદદથી પોલીસ વિરૂદ્ધ હાઇકોર્ટમાં પિટિશન દાખલ</title>
                    <link>https://khabarantar.com/I-was-electrocuted-on-my-genitals,-petrol-poured-on-my-anus---Nalsarovar-police-brutality-on-accused,-petition-filed-in-HC-against-police-with-help-of-VPP-activists</link>
                    <guid>https://khabarantar.com/I-was-electrocuted-on-my-genitals,-petrol-poured-on-my-anus---Nalsarovar-police-brutality-on-accused,-petition-filed-in-HC-against-police-with-help-of-VPP-activists</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ પર થતા અમાનુષી અત્યાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યોછે, જેની વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ થઈ છે. જાણો શું છે સમગ્ર મામલો.. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">ગુજરાતમાં વિવિધ ગુનામાં આરોપીઓ પાસેથી કબૂલાત કરાવવા પોલીસ અત્યાચાર ગુજારતી હોવાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. એવો જ એક કિસ્સો વીરમગામ પાસેના નળસરોવર પોલીસ વિસ્તારનો સામે આવ્યો છે. જેમાં ચોરીનો ગુનો કબૂલ કરાવવા માટે પોલીસે સાત આરોપીઓને ગેરકાયદે રીતે અટકાયતમાં લીધા બાદ તેમના પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તમામ હદ હટાવીને પોલીસે આરોપીઓને ગુપ્ત ભાગે વીજશોક આપ્યાનો અને ગુદામાર્ગે પેટ્રોલ નાખવાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">જેને લઈને હાઇકોર્ટ સમક્ષ ન્યાયની માંગણી કરવામાં આવી છે.</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-bidi-font-family: Shruti; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="color: rgb(243, 16, 16);"><strong><span lang="GU" style="font-size: 12pt; font-family: Shruti, 'sans-serif';">મામલો શું હતો</span><span style="font-size: 12pt; font-family: Arial, 'sans-serif';">?</span></strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12.0pt; mso-bidi-font-size: 10.5pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-bidi-font-family: Mangal; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: HI;"><o:p></o:p></span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">એપ્રિલ ૨૦૨૩માં નળસરોવર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડચોરીનો ગુનો નોંધાયો હતો. મૂળ આરોપીઓ ન પકડાતા સપ્ટેમ્બર ૨૦૨૩માં નળસરોવર પોલીસ દ્વારા બાતમીના આધારે</span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-bidi-font-family: Shruti; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">૭ જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જેમની સામે </span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">IPC </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">૪૫૭</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">૧૧૪ અને ૩૮૦ મુજબ કાર્યવાહી કરવામાં આવી. સાદા ડ્રેસમાં તેમના ઘરે આવીને પૂછપરછ કરવાની છે તેમ જણાવી પોલીસ સ્ટાફ એમને નળસરોવર પોલીસ સ્ટેશન લઈ ગયો હતો</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">જ્યાં કસ્ટડીમાં આરોપીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p></o:p></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202310/image_870x_6534c81b120e9.jpg" alt=""></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">અરજદારોનું કહેવું છે કે</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">પોલીસે ધરપકડ કર્યાના ૨૪ કલાકમાં આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરવાના બદલે એમને ૭ દિવસ સુધી ગેરકાયદેસર કસ્ટડીમાં ગોંધી રાખ્યા હતા. એ દરમ્યાન તેમની પર અમાનુષી જુલમ ગુજારાયો હતો. તેઓને ગુપ્તભાગોમાં વીજશોક આપવામાં આવ્યા હતા. નાકમાં પાણી રેડી દેવામાં આવ્યું હતું</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">એટલું જ નહિ પટ્ટા અને ધોકા વડે પણ ખૂબ માર મારવા આવ્યો હતો. બાદમાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. પોલીસે ગુજારેલા અત્યાચારનું નિવેદન સાણંદની કોર્ટમાં પણ આરોપીઓએ આપ્યું હતું. એક સરકારી હોસ્પિટલમાં તેમની શારીરિક તપાસ પણ થઈ હતી. જો કે અરજદારોનું કહેવું છે કે મેડિકલ ઓફિસરે શરીર પર ઇજા હોવા છતાં ઇજા નથી એવું સર્ટિફિકેટ બનાવીને આપ્યું હતું. ઉપરાંત અરજદારોએ અમદાવાદ રૂરલ </span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">SP</span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">ને પણ પોલીસ અત્યાચાર બાબતે અરજી આપી હતી. પરંતુ એસપી દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા.</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"> <o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p> </o:p></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202310/image_870x_6534c8363a68c.jpg" alt=""></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="color: rgb(243, 16, 16);"><strong><span lang="GU" style="font-size: 12pt; font-family: Shruti, 'sans-serif';">ન્યાય ન મળતાં હાઇકોર્ટમાં અરજી</span><span style="font-size: 12pt; font-family: Arial, 'sans-serif';"> </span></strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p></o:p></span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">આરોપીઓએ પોલીસ અત્યાચાર બાબતે એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે હાઇકોર્ટમાં અરજી કરી છે</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">જેમાં કહ્યું છે કે</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">તેમણે ચોરી નથી કરી પરંતુ પોલીસ બળજબરીથી તેમની પાસેથી ગુનો કબૂલ કરાવી રહી છે. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં </span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-bidi-font-family: Shruti; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">DGP</span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">ને પણ પક્ષકાર બનાવી</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે. હવે હાઇકોર્ટ સમક્ષ બનાવના સમગ્ર પુરાવા સુનાવણી સમયે મુકવામાં આવશે.</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="color: rgb(243, 16, 16);"><strong><span style="font-size: 12pt; font-family: Arial, 'sans-serif';">RTI </span><span lang="GU" style="font-size: 12pt; font-family: Shruti, 'sans-serif';">અંગે પોલીસે કોઈ જવાબ ન આપ્યા</span><span style="font-size: 12pt; font-family: Arial, 'sans-serif';"> </span></strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p></o:p></span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">આરોપીઓએ એક </span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">RTI </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">પણ કરી હતી. જેમાં પૂછવામાં આવ્યું હતું કે પોલીસે આરોપીને </span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">FIR</span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">ની નકલ આપવી જોઈએ કે નહીં</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">? </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">પોલીસ આરોપીની ધરપકડ કરે ત્યારે તેના પરિવારને જણાવવું જોઈએ કે નહી</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">? </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">રિમાન્ડ વગર પોલીસ આરોપી સાથે મારપીટ કરી શકે</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">? </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">વગેરે. જો કે આ અરજીઓનો કોઈ જવાબ મળ્યો નહોતો. આ ઉપરાંત રાજયના ગૃહ વિભાગ</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">માનવ</span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-bidi-font-family: Shruti; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">અધિકાર આયોગ અને અમદાવાદ જિલ્લા કલેકટરને પત્ર પણ લખવામાં આવ્યા હતા.</span><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-bidi-font-family: Shruti; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><strong><span lang="GU" style="font-size: 12pt; font-family: Shruti, 'sans-serif'; color: rgb(243, 16, 16);">વ્યવસ્થા પરિવર્તન પાર્ટી(VPP)ના કાર્યકરો આવ્યા મદદે</span></strong><span style="font-size: 12.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-bidi-font-family: Shruti; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">આ કેસમાં આરોપી યુવાનો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અમાનુષી અત્યાચારની વાત સામે આવતા જ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી(</span><span style="font-size: 12.0pt; mso-bidi-font-size: 10.5pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-bidi-font-family: Mangal; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: HI;">VPP</span><span lang="GU" style="font-size: 12.0pt; font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Arial; mso-fareast-font-family: 'Times New Roman'; mso-hansi-font-family: Arial; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">)ના વીરમગામ તાલુકા પ્રમુખ પીન્ટુભાઈ કોળી સહિતના કાર્યકરો એક્ટિવ થયા હતા અને તેમણે પીડિત યુવાનોની મુલાકાત લઈને સમગ્ર મામલે નળસરોવર પોલીસ સામે તમામ લાગતા વળગતા વિભાગો, અધિકારીઓને જાણ કરી હતી. વીપીપી કાર્યકરોનું કહેવું છે કે, પોલીસ જ રક્ષક મટીને ભક્ષક બની રહી હોય ત્યાં સામાન્ય માણસનું બીજું કોણ</span><span style="font-size: 12.0pt; mso-bidi-font-size: 10.5pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-bidi-font-family: Mangal; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: HI;">?<o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><o:p> </o:p></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Oct 2023 12:31:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>37</Articleid>
                    <excerpt>ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ પર થતા અમાનુષી અત્યાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યોછે, જેની વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ થઈ છે. જાણો શું છે સમગ્ર મામલો..</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_6534c7c7b250f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_6534c7c77e15c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_6534c7c77e15c.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>OBC Politics: પછાત ક્વોટા માટેની લડાઈ હવે ચૂંટણીનો મુદ્દો</title>
                    <link>https://khabarantar.com/OBC-Politics:-Battle-for-Backward-Quota-now-an-electoral-issue</link>
                    <guid>https://khabarantar.com/OBC-Politics:-Battle-for-Backward-Quota-now-an-electoral-issue</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong>ભાજપનાં ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતીએ મહિલા અનામત પર ભાવિ લડત શરૂ કરી છે. ઉમા ભારતીએ મહિલા અનામત બિલમાં પછાત વર્ગની મહિલાઓને ક્વોટા ન આપવા પર નિરાશા વ્યક્ત કરી છે. તેઓએ દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો તેમજ પછાત મુસ્લિમો માટે અડધી બેઠકો અનામત રાખવાની માંગ કરી છે. તેમની ચિંતા કારણ વગરની નથી.પછાત વર્ગના ઘણા નેતાઓ સતત કહેતા આવ્યા છે કે જો પછાત વર્ગની મહિલાઓ માટે અલગ કવોટા નહીં હોય તો લોકસભા અને વિધાનસભાઓમાં ઉચ્ચ જાતિનું વર્ચસ્વ ફરી એકવાર વધશે.</strong></p>
<p style="text-align: justify;"><br>હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું રાજકારણ પર પછાત વર્ગનું વર્ચસ્વ ખતમ કરવા માટે મહિલા અનામત મોટી રમત બની શકે છે.અત્યાર સુધી રાજકીય અનામતની ગેરહાજરી છતાં લોકસભા અને વિધાનસભાઓમાં પછાત જાતિઓની સંખ્યા વધી રહી છે. પરંતુ વસ્તીના પ્રમાણમાં સંખ્યા હજુ પણ ઓછી છે. પછાત વર્ગના નેતાઓનું માનવું છે કે જો મહિલા અનામતમાં અલગ ક્વોટા નહીં હોય તો મોટાભાગની બેઠકો ઉચ્ચ જાતિની મહિલાઓને જશે અને પછાત નેતાઓનું રાજકીય સપનું અધૂરું રહી જશે. શિક્ષણ અને સામાજિક પછાતપણાને કારણે બહુ ઓછી બેઠકો છે. પછાત જાતિની મહિલાઓ રાજકારણમાં સક્રિય છે.</p>
<p style="text-align: justify;">1993માં પંચાયત, જિલ્લા પરિષદ અને મ્યુનિસિપલ સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામતનો કાયદો બન્યા પછી પણ પછાત વર્ગની મહિલાઓ મોટી સંખ્યામાં રાજકારણમાં પોતાને સ્થાપિત કરી શકી નથી. સામાન્ય રીતે, રાજકારણમાં પ્રભાવશાળી પરિવારોની મહિલાઓ જ અનામત બેઠકો પરથી જીતે છે. સ્થાનિક સ્તરે, તેમના પતિ અથવા પુરુષ પરિવારના સભ્યો તેમના નામે કાર્ય કરે છે. આ મહિલાઓ માટે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી જીતવી સરળ નહીં હોય જ્યારે ઉચ્ચ જાતિની મહિલાઓ સરળતાથી જીતી શકે છે. રાજકીય હારથી બચવા માટે જાતિ આધારિત પક્ષોએ પણ આ બિલને સમર્થન આપ્યું અને લોકસભામાં તેને પાસ કરાવ્યું, પરંતુ તેમની રાજકીય શક્તિ ઘટવાની દહેશત હજુ પણ છે.</p>
<p style="text-align: justify;"><strong><span style="color: rgb(243, 16, 16);">ઓબીસી ક્વોટા વગર બિલ કેમ આવે છે?</span></strong></p>
<p style="text-align: justify;">લોકસભાની સંસદીય સમિતિએ 2010 પછી કહ્યું હતું કે પછાત વર્ગની મહિલાઓ માટે અનામત પર વિચાર કરવો જોઈએ. પરંતુ જે પણ પક્ષ સત્તામાં હતો તે પછાત ક્વોટા માટે તૈયાર નહોતો. વાસ્તવમાં ઉચ્ચ જાતિઓને મહિલા અનામતમાં પછાત લોકોનો ક્વોટા પસંદ નથી. પછાત વર્ગો માટે ક્વોટા હોવાનો સ્પષ્ટ અર્થ એ થશે કે ઉચ્ચ જાતિઓ રાજકીય રીતે નબળી હશે. લોકસભા અને વિધાનસભાઓમાં તેમની સંખ્યા ઘટી શકે છે.</p>
<p style="text-align: justify;">કોંગ્રેસ હવે સત્તામાંથી બહાર છે અને ઇન્ડિયા ગઠબંધનમાં પછાત વર્ગોની આગેવાની હેઠળના પક્ષો વધુ મજબૂત છે, તેથી કોંગ્રેસ હવે પછાત ક્વોટાને સમર્થન આપી રહી છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની એકતાનો બીજો આધાર OBC ક્વોટા બનાવી શકાય છે. ઇન્ડિયા ગઠબંધનમાં મોટાભાગના પક્ષો OBC ક્વોટાની તરફેણમાં છે. સ્વાભાવિક છે કે ક્વોટા માટેની લડાઈ હજી પૂરી થઈ નથી પણ હમણાં જ શરૂ થઈ છે.</p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Oct 2023 14:49:14 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 14 Jun 2024 18:31:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>24</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666c3f0a670e8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666c3f0a35302.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666c3f0a35302.jpg" length="39139" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધમ્મ ચક્ર પ્રવર્તન દિવસે આણંદના રણોલીમાં દલિતોએ જાતિવાદી હિંદુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી</title>
                    <link>https://khabarantar.com/Dalits-abandon-casteist-Hinduism-and-embrace-Buddhism-in-Anandana-Ranoli-on-Dhamma-Chakra-Pravartana-Day</link>
                    <guid>https://khabarantar.com/Dalits-abandon-casteist-Hinduism-and-embrace-Buddhism-in-Anandana-Ranoli-on-Dhamma-Chakra-Pravartana-Day</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;">ગુજરાત સહિત દેશભરમાં દલિત, આદિવાસીઓ પર વધી રહેલા અત્યાચારોનો પડધો હવે ધીમી પણ મક્કકમ ગતિએ બૌદ્ધ ધર્મ અંગિકાર કરીને પડી રહ્યો છે. આગામી ઓક્ટોબરના રોજ અમદાવાદના કાંકરિયા બૌદ્ધ વિહાર ખાતે 500 જેટલા દલિતો બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા જઈ રહ્યાં છે, તેની પહેલા ગત 14મી ઓક્ટોબર 2023ના રોજ આણંદ ખાતે 100થી વધુ દલિત સમાજના જાગૃત લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કરીને હિંદુ ધર્મના પાખંડોને ત્યજીને બાબાસાહેબના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. બોરસદ તાલુકાના રણોલી ગામે મહાગુજરાત બૌદ્ધ સંઘની અધ્યક્ષતામાં દીક્ષાદાયક આયુ. સિંહલ બોધિધર્મનની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમે સ્વયંસેવક દળ અને અન્ય બહુજન સંસ્થાઓએ તમામ સહકાર પુરો પાડ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ 7 જિલ્લાઓમાંથી કુલ 102 દીક્ષાર્થીઓએ બૌદ્ધ ધર્મ અંગિકાર કરીને જાતિવાદી હિંદુ ધર્મને આડકતરી રીતે લપડાક મારી હતી. તમામ દીક્ષાર્થીઓએ આ માટે સ્થાનિક જિલ્લા કલેક્ટરને આગોતરી જાણ કરીને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય કાયદો 003 અને અધિનિયમ 2008 મુજબ નિયત ફોર્મ ફરીને જાણ કરી હતી.</span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><strong><span style="color: rgb(243, 16, 16);"><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ઓબીસી સમાજના એક પરિવારે પણ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો</span></span></strong></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ પ્રસંગની સૌથી અગત્યની વાત એ હતી કે ઓબીસી સમાજના એક પરિવારે પણ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. મહાગુજરાત બૌદ્ધ સંઘના જણાવ્યા પ્રમાણે તેઓ કોઈપણ સમુદાય કે સમાજની વ્યક્તિને સરકારી નિતીનિયમો મુજબ ઓન રેકોર્ડ બૌદ્ધ ધર્મ અંગિકાર કરાવે છે. આ સંઘના દાવા પ્રમાણે આ કાર્ય ગુજરાતભરમાં એકમાત્ર તેમના સંઘ દ્વારા જ કરી આપવામાં આવે છે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Oct 2023 12:53:56 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 12 Jun 2024 18:18:44 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>22</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666999218bab5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666999215672d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666999215672d.jpg" length="70817" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>છેલ્લાં 5 વર્ષમાં 19 હજારથી વધુ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી – કેન્દ્ર સરકાર</title>
                    <link>https://khabarantar.com/over-19-thousand-sc-st-obc-students-left-central-educational-institutions-in-last-5-years-central-govt</link>
                    <guid>https://khabarantar.com/over-19-thousand-sc-st-obc-students-left-central-educational-institutions-in-last-5-years-central-govt</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <h6 class="MsoNormal" style="mso-margin-top-alt: auto; margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white; vertical-align: baseline;"><strong><span style="font-family: arial, helvetica, sans-serif; font-size: 12pt;"><span lang="GU">રાજ્યસભા(</span>Rajya Sabha)<span lang="GU">માં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી(</span>Education Minister) <span lang="GU">સુભાષ સરકારે જણાવ્યું હતું કે છેલ્લાં 5 વર્ષમાં 6901 ઓબીસી(</span>OBC), <span lang="GU">3596 એસસી(</span>SC) <span lang="GU">અને 3949 એસટી(</span>ST) <span lang="GU">વિદ્યાર્થીઓએ કેન્દ્રીય યુનિવર્સિટી(</span>Central University)<span lang="GU">ઓનું અતિમહત્વનું શિક્ષણ અધવચ્ચેથી છોડી દીધું હતું. આ જ સમયગાળામાં 2544 ઓબીસી</span>, <span lang="GU">1362 એસસી અને 538 એસટી વિદ્યાર્થીઓ આઈઆઈટી(</span>IIT) <span lang="GU">જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં છોડી ગયા હતા.</span></span></strong></h6>
<p class="MsoNormal" style="mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: normal;"><span style="font-size: 12.0pt; font-family: 'Times New Roman','serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"> <o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: normal;"><span style="font-family: 'book antiqua', palatino, serif;"><span lang="GU" style="font-size: 12pt;">કેન્દ્ર સરકારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં રજૂ કરેલા આંકડાઓ ચોંકાવનારા છે. જેમાં જણાવ્યું છે કે વર્ષ 2018 થી 2023 વચ્ચે ઓબીસી</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">અનુસૂચિત જાતિ અને અનુ. જનજાતિ સમાજમાંથી આવતા 19000 થી વધુ વિદ્યાર્થીઓએ કેન્દ્રીય યુનિવર્સિટીઓ</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">આઈઆઈટી(</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">IIT) </span><span lang="GU" style="font-size: 12pt;">અને આઈઆઈએમ(</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">IIM) </span><span lang="GU" style="font-size: 12pt;">જેવી પ્રતિષ્ઠત સંસ્થાઓનું શિક્ષણ અધવચ્ચે જ છોડી દીધું હતું. કેન્દ્રીય શિક્ષણમંત્રી સુભાષ સરકારે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં આ જાણકારી આપી હતી.</span><span style="font-size: 12pt;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: normal;"><span style="font-family: 'book antiqua', palatino, serif;"><span lang="GU" style="font-size: 12pt;">તામિલનાડુના સાંસદ તિરુચિ શિવાએ રાજ્યસભામાં છેલ્લાં 5 વર્ષોમાં આઈઆઈટી</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">આઈઆઈએમ અને અન્ય કેન્દ્રીય યુનિવર્સિટીઓમાંથી ડ્રોપઆઉટ લેનારા અનુ. જાતિ</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">અનુ. જનજાતિ અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા વિશે સવાલ કર્યો હતો. વધુમાં તેમણે પૂછ્યું હતું કે શું સરકારે આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આ ત્રણેય વર્ગના વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ(</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">Dropout)</span><span lang="GU" style="font-size: 12pt;">ને લઈને કોઈ રિસર્ચ હાથ ધર્યુ છે ખરાં</span><span style="font-size: 12pt;">?</span><span style="font-size: 12pt;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: normal;"><span style="font-family: 'book antiqua', palatino, serif;"><span lang="GU" style="font-size: 12pt;">જેના જવાબમાં કેન્દ્રીય મંત્રી સુભાષ સરકારે જણાવ્યું હતું કે આ સમયગાળામાં 6901 ઓબીસી</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">3596 અનુ. જાતિ અને 3949 અનુ. જનજાતિના વિદ્યાર્થીઓએ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાંથી ડ્રોપઆઉટ લીધું હતું. આ જ રીતે 2544 ઓબીસી</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">1362 એસસી અને 538 એસટી વિદ્યાર્થીઓએ આઈઆઈટી છોડી ગયા હતા. જ્યારે આઈઆઈએમમાંથી 133 ઓબીસી</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">143 એસસી અને 90 એસટી વિદ્યાર્થીઓએ છેલ્લાં 5 વર્ષમાં શિક્ષણ છોડી દીધું હતું.</span><span style="font-size: 12pt;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: normal;"><span style="font-family: 'book antiqua', palatino, serif;"><span lang="GU" style="font-size: 12pt;">શિક્ષણ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">નબળી આર્થિક સ્થિતિમાંથી આવતા વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલતું રહે તેના માટે સરકારે ફીમાં ઘટાડો</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">વધુ સંસ્થાઓની સ્થાપના</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">શિષ્યવૃત્તિ</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">રાષ્ટ્રીય સ્તરની શિષ્યવૃત્તિમાં તેમને પ્રાથમિકતા આપવી જેવા પગલાં લીધાં છે. એસટી અને એસટીના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આઈઆઈટીમાં ટ્યુશન ફીમાં છૂટ</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">સંસ્થાઓમાં શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ પણ લાવવામાં આવી છે.</span><span style="font-size: 12pt;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: normal;"><span style="font-family: 'book antiqua', palatino, serif;"><span lang="GU" style="font-size: 12pt;">ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2021માં શિક્ષણ મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે દેશની ટોચની 7 આઈઆઈટી સંસ્થાઓમાં ગ્રેજ્યુએશન દરમિયાન જ ભણવાનું છોડનારા 63 ટકા જેટલા વિદ્યાર્થીઓ અનામત વર્ગ એવા એસસી અને એસટીમાંથી આવતા હતા.</span><span style="font-size: 12pt;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="mso-margin-top-alt: auto; mso-margin-bottom-alt: auto; text-align: justify; line-height: normal;"><span style="font-family: 'book antiqua', palatino, serif;"><span lang="GU" style="font-size: 12pt;">અહીં એ યાદ રાખવું રહ્યું કે દલિત અને આદિવાસી એક્ટિવિસ્ટો છેલ્લાં ઘણાં સમયથી આ ચર્ચા છેડી રહ્યાં છે કે આ સમાજમાંથી આવનારા વિદ્યાર્થીઓને આ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં જાતિવાદ અને અન્ય પ્રકારના ભેદભાવોનો સામનો કરવો પડે છે. જેના કારણે તેઓ માનસિક રીતે ભાંગી પડે છે અને ભણવાનું અધવચ્ચે જ છોડી દે છે. ઘણાં વિદ્યાર્થીઓને રેગિંગ કે અન્ય પ્રકારની સતામણી કરવામાં આવે છે</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">જેના કારણે તેઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે. જો કે સરકારે જણાવ્યું હતું કે</span><span style="font-size: 12.0pt; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-size: 12pt;">ડ્રોપઆઉટ લેનારા વિદ્યાર્થીઓએ કોઈ અન્ય વિભાગ કે સંસ્થામાં એડમિશનના કારણે ભણતર છોડી ગયા હતા અથવા તો તેમણે અંગત કારણોસર આવું કર્યું છે.</span></span><span style="font-size: 12.0pt; font-family: 'Times New Roman','serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><o:p></o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Oct 2023 16:00:00 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 18 Jul 2024 11:59:59 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[ઓબીસી]]>
                    </category>

                    <Articleid>6</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6666f6f1c16a0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6666f6f18b4af.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>ઓબીસી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6666f6f18b4af.jpg" length="96318" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
            </channel>
</rss>