<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
    xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
    xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
    xmlns:admin="http://webns.net/mvcb/"
    xmlns:rdf="http://www.w3.org/1999/02/22-rdf-syntax-ns#"
    xmlns:atom="http://www.w3.org/2005/Atom"
    xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
    xmlns:media="http://search.yahoo.com/mrss/">
    <channel>
        <atom:link href="https://khabarantar.com/rss/category/%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4" rel="self" type="application/rss+xml" />
        <title>KhabarAntar.com &amp; : દલિત</title>
        <link>https://khabarantar.com/rss/category/દલિત</link>
        <description>KhabarAntar.com &amp; : દલિત</description>
        <dc:language>gu</dc:language>
                <dc:rights>Copyright 2024 Khabar Antar&amp; All Rights Reserved.</dc:rights>
                        <item>
                    <title>સાવરકુંડલામાં શિક્ષકે દલિત વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું</title>
                    <link>https://khabarantar.com/teacher-commits-unethical-act-with-dalit-student-in-savarkundlas-vanda</link>
                    <guid>https://khabarantar.com/teacher-commits-unethical-act-with-dalit-student-in-savarkundlas-vanda</guid>
                    <description>
                        <![CDATA[ ખાનગી શાળાનો મનોવિકૃત શિક્ષક વિશાલ સાવલિયા વિદ્યાર્થીઓની હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો અને તેના રૂમમાં બોલાવી દુષ્કૃત્ય ગુજારતો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>Amreli News: </strong>અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં શિક્ષણ જગતને શર્મજનક સ્થિતિમાં મૂકતી એક ઘટના સામે આવી છે. અહીંના વંડા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાના શિક્ષક પર એક દલિત વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. વિદ્યાર્થી પર તેના શિક્ષક દ્વારા જ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મનોવિકૃત શિક્ષક વિશાલ સાવલિયાની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. આ મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજીને મીડિયાને માહિતી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા વંડા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાની હોસ્ટેલમાં વિશાલ સાવલિયા નામનો શિક્ષક ગૃહપતિ તરીકે કામ કરતો  હતો. આ શિક્ષક રમતગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો. વિશાલ સાવલિયા હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો અને વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. આ ઘટના 5 ફેબ્રુઆરીએ બની હતી. એ પછી વિદ્યાર્થીને પાછળના ભાગે દુખાવો થતો હતો. એ દરમિયાન તેનો પરિવાર નાસ્તો આપવા હોસ્ટેલ આવતા વિદ્યાર્થીને તાવ આવતો હોવાથી ઘરે લઈ જઈ રહ્યો હતો ત્યારે વિદ્યાર્થીએ પરિવારને તેની સાથે જે બન્યું હતું તેની વાત કરી હતી. એ પછી પરિવારે વંડા પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા સમજી વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે શિક્ષક વિશાલ સાવલિયાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. એસ.પી સંજય ખરાત એસ.એસ.પી વલય વૈદ્ય સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાની ઊંડાણ પૂર્વક તાપસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલેલી માહિતી પ્રમાણે આ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર તેના જ એક શિક્ષક વિશાલ સાવલિયા દ્વારા એક દુષ્કર્મ આચાર્યુ હતું તેની ફરિયાદ વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યાર્થીના પરિવારે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે બીએનએસની કલમ 115, 2 POCSO અને એટ્રોસિટી એક્ટની કલમો મુજબ ફરિયાદ દાખલ કરી ડી.વાય.એસ.પી. નયના ગોરડીયા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/why-is-rss-taking-8000-dalit-students-to-kumbh-mela" style="color: rgb(224, 62, 45);">RSS શા માટે 8000 દલિત વિદ્યાર્થીઓને કુંભ મેળામાં લઈ જઈ રહ્યું છે?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 13 Feb 2025 09:50:22 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 13 Feb 2025 10:23:52 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1923</Articleid>
                    <excerpt>ખાનગી શાળાનો મનોવિકૃત શિક્ષક વિશાલ સાવલિયા વિદ્યાર્થીઓની હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો અને તેના રૂમમાં બોલાવી દુષ્કૃત્ય ગુજારતો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67ad72f77073c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67ad72f73eada.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67ad72f73eada.jpg" length="78321" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Atrocity Case, Dalit student, unethical act, savarkundla Vanda area SC-ST act</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત સગીરા પર ગૌશાળામાં બળાત્કાર, સરપંચે ગર્ભાપાતની ગોળી પીવડાવી</title>
                    <link>https://khabarantar.com/dalit-girl-raped-in-cowshed-in-baghelawadi-banda-sarpanch-gave-her-abortion-pill</link>
                    <guid>https://khabarantar.com/dalit-girl-raped-in-cowshed-in-baghelawadi-banda-sarpanch-gave-her-abortion-pill</guid>
                    <description>
                        <![CDATA[ 14 વર્ષની દલિત સગીરા ગામની ગૌશાળામાં કામ કરતી હતી. આરોપીએ બંદૂક બતાવી રેપ કર્યો. ગર્ભવતી થઈ જતા સરપંચે ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ધમકી આપી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકવીસમી સદીમાં એકબાજુ ચીન ડીપસીક જેવા એઆઈ ટૂલ બનાવી દુનિયા આખીને હંફાવી રહ્યું છે. બીજી તરફ કથિત વિશ્વગુરૂ ભારતમાં દલિતો પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યાં. એક બાજુ ડબલ ઢોલકી જેવા મનુવાદીઓ દલિતો સાથે આભડછેટ પાળે છે બીજી તરફ તેમની બહેન-દીકરીઓની છેડતી કરવામાં, રેપ કરવામાં તેમને અસ્પૃશ્યતા જરાય આડે આવતી નથી. મનુવાદી તત્વોના આવા કાળા કારનામાઓથી ભારતનું એકેય ગામ બાકી નથી રહ્યું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ વધુ એક કાળી કરતૂત સામે આવી છે. જેમાં ગૌશાળામાં કામ કરતી એક દલિત સગીરા પર ત્યાં કામ કરતા કરતા એક શખ્સે બંદૂક બતાવી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે, જો કોઈને જાણ કરીશ તો આ બંદૂકથી તારા આખા પરિવારને ખતમ કરી નાખીશ. બીકના કારણે સગીરાએ કોઈને જાણ ન કરી અને તે ગર્ભવતી બની ગઈ. એ પછી ગામના સરપંચે તેને ન્યાય અપાવવાને બદલે પાપ છુપાવવા માટે તેને ગર્ભપાતની ગોળીઓ પીવડાવી દીધી હતી. જો કે સગીરાની સહનશક્તિની હદ આવી જતા તેણે જેમતેમ કરીને પરિવારને આખા મામલાની જાણ કરતા આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે હવે સરપંચ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધીને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બાંદાના બઘેલાવાડી ગામની ઘટના</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો વધુ એકવાર જાતિવાદના એપીસેન્ટર એવા યુપીનો છે. અહીં બાંદા જિલ્લામાં ગૌશાળામાં કામ કરતી એક દલિત સગીરા પર બળાત્કાર અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો મામલો સામે આવ્યો છે. પીડિતાના જણાવ્યા મુજબ, રાજાભૈયાએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને પછી સરપંચે તેને ગર્ભપાતની ગોળીઓ પીવડાવી દીધી. પોલીસે આ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તપાસ ચાલુ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંદૂક બતાવી બળાત્કાર ગુજાર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. ૧૪ વર્ષીય પીડિતા બઘેલાવાડી ગામની ગૌશાળામાં કામ કરતી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, ઢોરવાડામાં કામ કરતા રાજારામના ભાઈ રાજાભૈયાએ બંદૂકની અણીએ તેના પર બળાત્કાર કર્યો હતો અને જો તે આ વાત કોઈને કહેશે તો તેને અને તેના પરિવારને મારી નાખશે તેવી ધમકી આપી હતી. ગભરાયેલી પીડિતાએ આ મામલે કોઈને જાણ ન કરી, પરિણામે તે ગર્ભવતી થઈ ગઈ. એ પછી ગામના સરપંચ બ્રિજેશ (મનુવાદી મીડિયાએ ચાલાકી કરી અહીં સરપંચની અટક નથી જણાવી.) તેને ધમકી આપી અને બળજબરીથી ગર્ભપાતની ગોળીઓ ખવડાવી દીધી હતી. પીડિતાએ કહ્યું કે સરપંચ બ્રિજેશે તેને આ બાબતે કોઈને કંઈપણ કહેવાની મનાઈ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે પીડિતા દીકરી તેમ છતાં ગર્ભવતી થઈ ગઈ હતી અને સતત યાતનાઓથી તેની સહનશક્તિની હદ આવી જતા તેણે તેના પરિવારને પોતાની સાથે થયેલા બળાત્કારની જાણ કરી દીધી હતી. જેના પગલે તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાજાભૈયા, સરપંચ બ્રિજેશ અને પચુવા નામના શખ્સ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવી આ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડવાનો પ્રયાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે અટારા રેન્જ અધિકારી પ્રવીણ યાદવે જણાવ્યું કે ઘટના 4 મહિના જૂની છે. દીકરીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે તેમજ નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. આ મામલાની તપાસ ચાલી રહી છે, તપાસમાં જે તથ્યો બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-minor-missing-for-eight-days-was-found-half-naked-in-the-fence" style="color: rgb(224, 62, 45);">આઠ દિવસથી ગુમ દલિત સગીરાનો અર્ધનગ્ન હાલતમાં વાડમાંથી મૃતદેહ મળ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 09 Feb 2025 11:52:18 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 12 Feb 2025 09:08:02 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1921</Articleid>
                    <excerpt>14 વર્ષની દલિત સગીરા ગામની ગૌશાળામાં કામ કરતી હતી. આરોપીએ બંદૂક બતાવી રેપ કર્યો. ગર્ભવતી થઈ જતા સરપંચે ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ધમકી આપી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679707b851d68.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679707b820ca8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679707b820ca8.jpg" length="56676" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Banda News, Dalit minor girl Raped, Atrocity act, FIR, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>અયોધ્યાથી લઈ આંધ્રપ્રદેશ, ગુજરાત સુધી દલિતો પર અત્યાચાર</title>
                    <link>https://khabarantar.com/atrocities-on-dalits-from-ayodhya-to-andhra-pradesh-gujarat</link>
                    <guid>https://khabarantar.com/atrocities-on-dalits-from-ayodhya-to-andhra-pradesh-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ ઓછી થવાને બદલે સતત વધતી જઈ રહી છે. અયોધ્યાથી લઈ આંધ્રપ્રદેશ અને ગુજરાત સુધી આ રેલો પહોંચ્યો છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં કેટલાક સમયથી દેશના વિવિધ રાજ્યોમાં દલિતો પર અત્યાચાર, મારામારી, હત્યાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. થોડા દિવસ પહેલા અયોધ્યામાં એક દલિત યુવતીની રેપ બાદ હત્યા થઈ હતી. ત્યારે હવે એક દલિત સિક્યોરિટી ગાર્ડની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોખંડનો સળીયો મારીને હત્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશનું અયોધ્યા હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા શ્રીરામની સાથે અહીં બનતી દલિત અત્યાચારની ઘટનાઓને લઈને પણ સમાચારોમાં ચમકતું રહે છે. થોડા દિવસ પહેલા એક દલિત દીકરીની અહીં ત્રણ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી. જેને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો હતો. હજુ એ ઘટનાને લોકો ભૂલ્યાં નથી ત્યાં એક દલિત સિક્યોરિટી ગાર્ડની હત્યાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ કેટલાક અજાણ્યા લોકોએ દલિત સુરક્ષા ગાર્ડને કથિત રીતે માર મારીને હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ 60 વર્ષના ધ્રુવ કુમાર ઉર્ફે બેચાઈ તરીકે થઈ છે, જે એક નવનિર્મિત બિલ્ડીંગમાં ચોકી કરતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના રવિવાર/સોમવારની મધરાતે બની હતી. ગાર્ડને લોખંડના સળિયા અને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સ્થાનિક લોકોએ તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અધિક પોલીસ અધિક્ષક મધુવન કુમાર સિંહે જણાવ્યું હતું કે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દેશભરમાં દલિતો પર અત્યાચારો વધી રહ્યાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, દેશના વિવિધ રાજ્યોમાં દલિતો સાથે ઉત્પીડન, ભેદભાવ અને દુર્વ્યવહારના કિસ્સાઓ વધ્યાં છે. હાલમાં જ અયોધ્યાના એક ગામમાં 22 વર્ષની દલિત દીકરીની હત્યા કરવામાં આવી હતી. યુવતીની આંખો કાઢી નાખવામાં આવી હતી, તેના શરીરના હાડકા તૂટી ગયા હતા અને શરીરને દોરડાથી બાંધી દેવામાં આવ્યું હતું. યુવતી ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળી હતી ત્યારથી તે ગુમ હતી. જ્યારે તે પાછી ન આવી ત્યારે તેના પરિવારે તેને ગામમાં શોધખોળ કરી અને બાદમાં શુક્રવારે અયોધ્યા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. શનિવારે સવારે, તેના સાળાને એક નિર્જન નહેરમાં તેનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પરિવાર અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેના શરીર પર ઊંડા ઘા હતા, માથામાં ગંભીર ઈજાઓ હતી અને પગમાં ફ્રેક્ચર હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશમાં વાળંદો દલિતોના વાળ નથી કાપતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાના હીરાનગર ગામમાં દલિત બાંસકર સમાજે સ્થાનિક વાળંદો સામે પોલીસ ફરિયાદ નોંધાવી, જેણે તેમના વાળ કાપવાનો ઇનકાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામના વાળંદોએ દલિત પુરુષોના વાળ કાપવાનો અને મુંડન કરાવવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેમને 10 કિલોમીટર દૂર ટીકમગઢ શહેરમાં જવાની ફરજ પડી હતી. આ ભેદભાવથી નિરાશ થઈને, ગામલોકોએ પોલીસ હસ્તક્ષેપની માંગ કરી હતી. ગામની એક મહિલાએ કહ્યું. “લગ્ન અને અંતિમ સંસ્કાર સમારોહ દરમિયાન પણ કોઈ વાળંદ અમારા વાળ નથી કાપતા. અમારી પાસે શહેરમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આંધ્રપ્રદેશમાં દલિત યુવકને તાલીબાની સજા કરાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા મહિને આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના નરસિમ્પલ્લી ગામમાં 24 વર્ષીય દલિત યુવક અંજનેયુલુને ઓબીસી સમાજની 17 વર્ષની છોકરી સાથે ભાગી જવાના આરોપમાં વીજળીના થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો અને જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કરવામાં આવ્યો હતો. છોકરીના પરિવારે દંપતીને પારિગી તાલુકાના ઉટુકુરુ ગામમાંથી શોધી કાઢ્યું હતું અને તેમને બળજબરીથી નરસિમ્પલ્લી પાછા લાવ્યા જ્યાં ગુરુવારે યુવક સાથે આ અમાનુષી ઘટના ઘટી હતી. છોકરીના સંબંધીઓએ ગ્રામજનો સાથે મળીને અંજનેયુલુ પર નિર્દયતાથી ત્રાસ ગુજાર્યો હતો. તેને નગ્ન કરવામાં આવ્યો, ગાડી સાથે બાંધવામાં આવ્યો, શેરીઓમાં ફેરવામાં આવ્યો અને પછી વીજળીના થાંભલા સાથે બાંધવામાં આવ્યો. તેમને જૂતાથી મારી માથે ગાયનું છાણનું પાણી રેડવામાં આવ્યું હતું. આ સિવાય પણ બીજી અનેક એવી નાનીમોટી ઘટનાઓ બની છે, જેની કોઈ નોંધ પણ નથી લેવાઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-teenager-tied-to-tree-and-beaten-by-casteists-in-kaushambi-uttar-Pradesh">નિર્દોષ દલિત કિશોરને તાલીબાની સજા : જાતિવાદીઓએ ઝાડ સાથે બાંધીને માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 07 Feb 2025 10:34:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1920</Articleid>
                    <excerpt>દેશભરમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ ઓછી થવાને બદલે સતત વધતી જઈ રહી છે. અયોધ્યાથી લઈ આંધ્રપ્રદેશ અને ગુજરાત સુધી આ રેલો પહોંચ્યો છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67a59452dcf49.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a59452a3f11.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67a59452a3f11.jpg" length="106360" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>atrocities on dalits, Dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>વાળંદે દલિતોની હજામત કરવાનો ઈનકાર કરતા એક ડઝન દલિતોએ ફરિયાદ નોંધાવી</title>
                    <link>https://khabarantar.com/dalits-file-complaint-after-barber-refuses-to-shave-vanshkar-dalits-in-hiranagar-tikamgarh-up</link>
                    <guid>https://khabarantar.com/dalits-file-complaint-after-barber-refuses-to-shave-vanshkar-dalits-in-hiranagar-tikamgarh-up</guid>
                    <description>
                        <![CDATA[ વાળંદ છેલ્લાં 50 વર્ષથી દલિતોના વાળ નહોતો કાપતો. આભડછેટના કારણે આ પ્રથા અમલમાં હતી. દલિતોએ સંગઠિત થઈને તેની સામે લડી લેવાનું નક્કી કરતા વાળંદ ઢીલો પડ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શહેરોમાં રહેતી કથિત સુધરેલી પ્રજાને તમે એકથી વધુ વખત એમ કહેતા સાંભળી હશે કે, “હવે તો આભડછેટ જેવું ક્યાં કશું રહ્યું જ છે” તેઓ કાં તો વાસ્તવિકતાથી અજાણ છે અથવા વાસ્તવિકતા પર ઢાંકપિછોડો કરવા માંગતા દંભીઓ છે. આવા લોકોની આંખ ખોલતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક ગામમાં વાળંદ (barber) લોકો છેલ્લાં 50 વર્ષ કરતા વધુ સમયથી દલિત સમાજના લોકોના દાઢી, વાળ કે મુંડન નહોતા કરતા (not shaving the hair of Dalit). પ્રથાના નામે આ આભડછેટ (untouchability) ને કાયમી કરી દેવામાં આવી હતી. પણ એક યુવકે તેની સામે અવાજ ઉઠાવ્યો અને પછી બીજા પણ અનેક યુવકો તેની સાથે જોડાતા આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. હવે વાળંદભાઈ ઢીલા પડ્યાં છે, કારણે તેમને ડર છે કે, કાયદો કાયદાનું કામ કરશે તો પોતાને જેલની હવા ખાવાનો વારો આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બટેંગે તો કટેંગે ફેઈમ કટ્ટર જાતિવાદી રાજ્ય ઉત્તરપ્રદેશનો છે. અહીંના ટીકમગઢમાં વાળંદે દલિત સમાજના લોકોના દાઢી-બાલ કાપી આપવાનો ઈનકાર કરી દેતા એક ડઝન કરતા વધુ દલિતોએ વાળંદ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (complaint lodged against barber) દલિત સમાજના લોકોનો આરોપ છે કે વાળંદ દલિતોની દાઢી કરી આપતા નથી કે વાળ નથી કાપી દેતા. જેના કારણે તેમણે તેના માટે 10 કિલોમીટર દૂર જવું પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ટિકમગઢ (Tikamgarh) જિલ્લાના હીરાનગર ગામ (Hiranagar village) ની છે. એવો આરોપ છે કે આ પ્રથા છેલ્લા ૫૦ વર્ષથી ચાલી રહી છે. અસ્પૃશ્યતાને કારણે ગામના વાળંદ દલિત વંશકર જાતિ (Vansakar community) ના લોકોના વાળ કાપતા નથી, દાઢી કરતા નથી અને મુંડન કરાવતા નથી. જેની સામે વંશકર સમાજે પોલીસ સ્ટેશનમાં વાળંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી (complaint lodged against barber) છે કે, અસ્પૃશ્યતાને કારણે વાળંદ આવું કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/A-boar-has-been-cut-to-death-on-the-railway-track-in-front,-pick-it-up..."><span style="font-size: 14pt;"> "સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને...."</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બુધવારે, આભડછેટને કારણે દલિત સમાજના લોકોની દાઢી કરવાનો ઇનકાર કરવા બદલ ડઝનબંધ લોકોએ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વાળંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપી દલિતોના દાઢી-વાળ કરી દેવાનો ઇનકાર કરે છે, જેના કારણે તેમને છેક ટીકમગઢનો ધક્કો થાય છે. વંશકર સમાજના લોકોએ પાંચ દાયકાથી ચાલી આવતી આ પ્રથાને તોડવા માટે હવે મન બનાવી લીધું છે અને એટલે જ જેમની પણ સાથે આવું ભેદભાવભર્યું વર્તન કરવામાં આવ્યું હતું, તે તમામ લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ હીરાનગર ગામના વંશકાર જાતિના દલિતો છેલ્લા 50 વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જેના કારણે તેમને માનસિક યાતના થઈ રહી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, દલિત પરિવારોમાં અંતિમ સંસ્કાર અને મુંડન માટે વાળંદ આવતા નથી. જેના કારણે તેઓ સામાજિક રીતે બહિષ્કાર થયો હોવાનું અનુભવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સમાજે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પોતાની વેદના વર્ણવીને ન્યાયની અપીલ કરી છે. ફરિયાદીઓ, સુરેશ વંશકાર, જગદી વંશકાર, કપિલ, દિનેશ, વિવેક અને રામચરણ વંશકારે જણાવ્યું હતું કે વાળંદ તેમને અપમાનિત કરવા માટે દાઢી કરી આપતા નથી. હવે દલિતોની ફરિયાદના આધારે દેહાત પોલીસ સ્ટેશનની પોલીસે તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત વંશકાર (Vansakar community) સમાજનો આરોપ છે કે નાઈ સમાજ વંશકાર લોકો પ્રત્યે આભડછેટ (untouchability) રાખે છે. જેના કારણે તેમના પરિવારના બાળકો અને વડીલોને અપમાન (humiliation) નો સામનો કરવો પડે છે. દલિત સમાજની ફરિયાદના આધારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જો કેસ સાચો સાબિત થશે તો ગુનેગાર સામે એટ્રોસિટી સહિતની કલમો મુજબ કડક કાર્યવાહી (action will be taken) કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/A-voice-was-raised-against-not-cutting-the-hair-of-Dalits-and-history-was-created">દલિતોના વાળ ન કાપવા સામે એક અવાજ ઉઠ્યો અને ઈતિહાસ સર્જાયો!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 31 Jan 2025 10:25:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1913</Articleid>
                    <excerpt>વાળંદ છેલ્લાં 50 વર્ષથી દલિતોના વાળ નહોતો કાપતો. આભડછેટના કારણે આ પ્રથા અમલમાં હતી. દલિતોએ સંગઠિત થઈને તેની સામે લડી લેવાનું નક્કી કરતા વાળંદ ઢીલો પડ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679c5770989c3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679c577067f63.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679c577067f63.jpg" length="83230" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>tikamgarh up, Dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>બે દલિત બાળકોની હત્યા રહસ્યમય બની, Mayawati Bhim Army સક્રિય થઈ</title>
                    <link>https://khabarantar.com/murder-of-2-dalit-children-in-gorakhpur-becomes-mysterious-mayawati-bhim-army-active</link>
                    <guid>https://khabarantar.com/murder-of-2-dalit-children-in-gorakhpur-becomes-mysterious-mayawati-bhim-army-active</guid>
                    <description>
                        <![CDATA[ Yogi Adityanath ના મત વિસ્તારમાં 4 દિવસ પહેલા થયેલી બે દલિત બાળકોની હત્યામાં હજુ આરોપીઓ પકડાયા નથી. પરિણામે BSP અને Bhim Army મેદાનમાં ઉતરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ગોરખપુર(gorakhpur)માં ચાર દિવસ પહેલા એક દલિત પરિવાર(Dalit Family)ના બે સગીર બાળકો (minor children)નું ગળું કાપીને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. આ મામલો પોલીસ માટે પણ એક મોટો કોયડો બની ગયો છે. પોલીસ હજુ સમજી શકતી નથી કે આ હત્યા કેમ કરવામાં આવી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપા (BSP)ના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ પાલ (Vishvanath Pal) પીડિત પરિવારને મળ્યા છે. આ દરમિયાન, બસપા પ્રદેશ પ્રમુખે પોલીસ તપાસ અને રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે પીડિત પરિવાર માટે સરકાર પાસેથી આર્થિક મદદની પણ માંગ કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોરખપુર (Gorakhpur) ના સહજનવાં પોલીસ સ્ટેશન (Sahjanwan police station) વિસ્તારના ભક્સા ગામે (Bhaksa village) દલિત સફાઈકર્મીના ભાણેજ અને ભત્રીજાના મૃતદેહ 24 જાન્યુઆરીએ ગામની બહાર ખેતરમાંથી મળી આવ્યા હતા. બંનેની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી (slitting their throats). બંનેના શરીર સંપૂર્ણપણે નગ્ન હતા. બંનેના હાથ-પગ પણ બાંધી દેવામાં આવ્યા હતા અને મોઢામાં કપડું ઠુંસી દીધું હતું. 23 જાન્યુઆરીની સાંજે બંને ગામની બહાર શૌચ માટે ગયા હતા. પણ પછી તે ગાયબ થઈ જતા આખી રાત તેનો પરિવાર બંનેને શોધી રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/three-muslim-children-beaten-with-slippers-and-forced-to-chant-jai-shri-ram-in-ratlam-mp">ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે 'જય શ્રી રામ' બોલાવડાવ્યું</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_679494aa68b49.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે તાત્કાલિક બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા અને ઘટનાસ્થળની તપાસ કરી હતી. પરંતુ અત્યાર સુધી આ કેસમાં પોલીસ ખાલી હાથ છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હત્યાનો મામલો છે કે તેની પાછળ કોઈ મોટું કાવતરું છે? હાલમાં પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. સુરક્ષા માટે ગામમાં ફોર્સ પણ તૈનાત કરાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">Mayawati એ BSPના પ્રદેશ પ્રમુખને મોકલ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે આ ઘટના ગોરખપુરમાં બની હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath) પોતે ગોરખપુરથી આવે છે. હવે આ આખો મામલો ગંભીર બની રહ્યો છે. ભીમ આર્મી (Bhim Army) ના વડા અને નગીનાના સાંસદ (Nagina MP) ચંદ્રશેખર આઝાદે (Chandrashekhar Azad) પણ આ અંગે ટ્વિટ કરીને સરકાર અને પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ, બસપા સુપ્રીમો માયાવતી (BSP supremo Mayawati) એ પણ બસપાના રાજ્ય પ્રમુખ વિશ્વનાથ પાલ (Vishwanath Pal) ને પીડિત પરિવારને મળવા મોકલ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના જ મતવિસ્તારમાં બનેલી આટલી મોટી ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા પણ નથી આપી કે નથી કોઈ અપડેટ લીધા. તેઓ હાલ કુંભમેળા (Maha Kumbh) નો રાજકીય લાભ મેળવવામાં વ્યસ્ત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/two-dalit-children-found-murdered-with-throat-slit-in-gorakhpurs-sahajanwa">યોગી આદિત્યનાથના ગોરખપુરમાં બે દલિત બાળકોની ગળું કાપી હત્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 30 Jan 2025 13:29:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1911</Articleid>
                    <excerpt>Yogi Adityanath ના મત વિસ્તારમાં 4 દિવસ પહેલા થયેલી બે દલિત બાળકોની હત્યામાં હજુ આરોપીઓ પકડાયા નથી. પરિણામે BSP અને Bhim Army મેદાનમાં ઉતરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679b2fde3e1c8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b2fde03d94.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679b2fde03d94.jpg" length="70793" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mayawati, Bhim Army, gorakhpurs sahajanwa</media:keywords>
                </item>
                        <item>
                    <title>નિર્દોષ દલિત કિશોરને તાલીબાની સજા : જાતિવાદીઓએ ઝાડ સાથે બાંધીને માર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-teenager-tied-to-tree-and-beaten-by-casteists-in-kaushambi-uttar-Pradesh</link>
                    <guid>https://khabarantar.com/dalit-teenager-tied-to-tree-and-beaten-by-casteists-in-kaushambi-uttar-Pradesh</guid>
                    <description>
                        <![CDATA[ નિર્દોષ કિશોર પર પાઈપ ચોરવાનો આરોપ મૂકી જાતિવાદીઓએ તેને ઝાડ સાથે બાંધીને ફટકાર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી. કિશોરની ભાળ મળતી નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) ના કૌશાંબી (Kaushambi) જિલ્લામાં એક નિર્દોષ દલિત કિશોરને જાતિવાદી તત્વોએ ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી ફટકાર્યો (Dalit teenager tied to tree and beaten) હોવાની ઘટના સામે આવી છે. લુખ્ખા તત્વોએ નિર્દોષ દલિત કિશોર પર પાઈપ તોડવાનો આરોપ મૂક્યો હતો અને પછી તેને ઝાડ સાથે બાંધીને તેને માર માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Video Viral On Social Media) પર વાયરલ થયા બાદ પોલીસે કેસ નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ (3 accused arrrested) કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુપીના કૌશાંબીના ગુવારા તૈયબપુરાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલો કરાડી પોલીસ સ્ટેશન (Karadi Police Station) વિસ્તારના ગુવારા તૈયબપુર ગામ (Guwara Taibpur) નો છે. ગામના રહેવાસી ફૂલચંદ્રએ (Phoolchandra) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પુત્ર અંકિત કુમાર (Ankit kumar) 9 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે તેના મિત્રો સાથે પડોશી ગામ ખરગુ કા પુરામાં રમવા ગયો હતો. એ દરમિયાન ગામના નન્હુ યાદવે (nanhu yadav) અંકિત પર પાઇપ તોડવાનો આરોપ લગાવ્યો અને તેને પકડીને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે આરોપીઓની ધરપકડ કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફૂલ ચંદ્રે જણાવ્યું કે જ્યારે અંકિત લાંબા સમય સુધી ઘરે પરત ન ફર્યો ત્યારે તેમણે પૂછપરછ કરી અને પછી તેમને આ બાબતની જાણ થઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મંઝનપુરના રેન્જ ઓફિસર શિવાંક સિંહે જણાવ્યું હતું કે 21 જાન્યુઆરીએ ત્રણ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું કે ત્રણેય પર કિશોરને પકડવાનો, માર મારવાનો અને દોરડાથી ઝાડ સાથે બાંધીને નિર્દયતાતી ત્રાસ આપવાનો આરોપ છે. આવી સ્થિતિમાં ત્રણેયની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના ઘટી ત્યારથી કિશોર ઘરેથી ગુમ છે </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં ચિંતાજનક બાબત એ છે કે પીડિત કિશોર અંકિત આ ઘટના બની ત્યારથી ઘરેથી ગુમ થઈ ગયો છે. તેનો પરિવાર સતત તેની શોધ કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી પોલીસ તેને શોધી શકી નથી. પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ કિશોર હજુ સુધી મળ્યો નથી. ગુમ થયેલા કિશોર અંકિતના પરિવારે જણાવ્યું છે કે, જો અંકિતનો પત્તો નહીં મળે તો અમે પોલીસ અધિક્ષકને મળીશું અને આ બાબતની ફરિયાદ કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/tribal-woman-tied-to-trees-and-made-to-chant-jai-shri-ram">આદિવાસી મહિલાઓને ઝાડ સાથે બાંધી ‘જય શ્રી રામ’ના નારા લગાવડાવ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Jan 2025 11:37:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1905</Articleid>
                    <excerpt>નિર્દોષ કિશોર પર પાઈપ ચોરવાનો આરોપ મૂકી જાતિવાદીઓએ તેને ઝાડ સાથે બાંધીને ફટકાર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી. કિશોરની ભાળ મળતી નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6799c532760f6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799c53245899.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799c53245899.jpg" length="54393" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit teenager  beaten, Dalit news, kaushambi news</media:keywords>
                </item>
                        <item>
                    <title>inter caste marriage કરનાર દલિત યુવકની હત્યા, સાસરિયાઓ વિરુદ્ધ કેસ નોંધાયો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-killed-in-inter-caste-marriage-in-telanganas-suryapetti-in-laws-arrested</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-killed-in-inter-caste-marriage-in-telanganas-suryapetti-in-laws-arrested</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકે ઓબીસી યુવતી સાથે inter caste marriage કર્યા હતા. જેના કારણે તેનો પરિવાર નારાજ હતો અને તેને મારી નાખવાની તક શોધતો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">inter caste marriage ભારતમાં જાતિવાદ કરતા પણ વધુ કટ્ટર મામલો ગણાય છે. એક તબક્કે જાતિવાદીના મામલામાં સમાધાનને અવકાશ રહે છે પરંતુ આંતરજાતીય લગ્નો (inter caste marriage) માં મોટાભાગે યુવક કે યુવતીના પરિવારો એકબીજાને મોતને ઘાટ ઉતારી દેવા (honour killing) સિવાય કશું વિચારતા નથી. ડો.આંબેડકર જાતિના વિનાશ માટે આંતરજાતીય લગ્નો(inter caste marriage) ને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. આ દેશનું બંધારણ પણ પુખ્ય વયની વ્યક્તિને પોતાની મરજી મુજબ લગ્ન કરવાની છુટ આપે છે. તેમ છતાં જાતિના વાડા બાંધીને બેઠેલા મનુવાદી તત્વો અને જે તે સમાજના કથિત ઠેકેદારો જાતિના બંધનો તૂટે નહીં તે માટે બધું કરી છુટે છે. આવા કેસોમાં ડોશી મરે તેના કરતા પણ વધુ તો જમ ઘર ભાળી જાય તે કહેવત વધુ લાગુ પડતી હોય છે. એટલે આંતરજાતીય લગ્નો(inter caste marriage) ના કેસોને મનુવાદી-જાતિવાદી તત્વો વધુ કટ્ટરતાથી હેન્ડલ કરતા હોય છે અને તેમાં યુવક કે યુવતીને મોતને ઘાટ ઉતારી દેવામાં પણ તેઓ ખચકાતા નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના તેલંગાણા (Telangana) ના સૂર્યાપેટ (Suryapetti) જિલ્લામાં બની છે. જ્યાં એક દલિત યુવકે ઓબીસી સમાજની યુવતી સાથે લગ્ન કરતા તેની હત્યા કરી દેવામાં આવી છે. અહીં મુસી નદીના કિનારે એક નહેર પાસે યુવકનો મૃતદેહ (Dalit youth killed) મળી આવ્યો હતો. જેના કલાકો પછી પોલીસે સોમવારે મોડી રાત્રે તેના સસરા, સાળા અને તેના એક મિત્ર સહિત ચાર લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે 32 વર્ષના દલિત યુવક ક્રિષ્ણાનો સોમવારે સવારે પિલ્લાલામર્રી નજીક મુસી નદીના કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો. સૂર્યપેટ પોલીસે કૃષ્ણાની પત્ની કોટલા ભાર્ગવીના પિતા કોટલા સૈદુલુ, તેના ભાઈઓ કોટલા નવીન અને કોટલા વંશી અને તેમના મિત્ર બૈરુ મહેશ વિરુદ્ધ કૃષ્ણાના પિતા ડેવિડની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડેવિડે તેના પુત્રની 'honour killing'નો આરોપ લગાવ્યો છે. ચારેય આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 103(1), 61(2), r/w 3(5) અને SC/ST Act (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૃતક યુવકના પિતાએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચર્ચના પાદરી ડેવિડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી, જે પછાત વર્ગ (BC) ગૌડ સમાજના છે, તેમણે કાવતરું ઘડીને તેના પુત્રની હત્યા કરી હતી. તેમણે હત્યાનું કારણ છ મહિના પહેલા તેમના દીકરા કૃષ્ણાના આંતરજાતીય લગ્નને ગણાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂર્યાપેટ ગ્રામીણ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર એન બાલુ નાયકે જણાવ્યું હતું કે, “ભાર્ગવી અને ડેવિડે આરોપ લગાવ્યો હતો કે કૃષ્ણાની હત્યા પાછળ સૈદુલુ, નવીન અને વંશીનો હાથ હતો. કૃષ્ણા વિરુદ્ધ સૂર્યાપેટ ટાઉન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના બે અને નવીન વિરુદ્ધ આવા જ ચાર કેસ નોંધાયેલા છે. અમે બધા એન્ગલથી તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ગુનેગારોને પકડી લઈશું. ચાર શંકાસ્પદ લોકો ફરાર છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવકને ઓબીસી મિત્રની બહેન સાથે પ્રેમ થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાયકે કહ્યું કે કૃષ્ણા અને નવીન મિત્રો હતા, અને કૃષ્ણા નવીનની બહેન ભાર્ગવીના પ્રેમમાં હતા. નવીનના પરિવારના વિરોધ છતાં બંનેએ લગ્ન કર્યા હતા, બીજી તરફ ભાર્ગવીનો પરિવાર તેના માટે વર શોધી રહ્યો છે. લગ્ન પછી, બંને છેલ્લા છ મહિનાથી મામિલ્લાગડ્ડામાં કૃષ્ણાના ઘરે રહેતા હતા. રવિવારે સાંજે, તેમના કોમન ફ્રેન્ડ બૈરુ મહેશે કૃષ્ણાને ફોન કર્યો અને તે કોઈને પણ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. એ પછી આખી રાત ઘરે પરત નહોતો આવ્યો અને સોમવારે સવારે નદી કિનારેથી કૃષ્ણાની લાશ મળી આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/suspecting-witchcraft-the-mob-stripped-and-killed-two-tribal-women">મેલી વિદ્યાની શંકાએ ટોળાએ બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી મારી નાખી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Jan 2025 11:07:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1904</Articleid>
                    <excerpt>દલિત યુવકે ઓબીસી યુવતી સાથે inter caste marriage કર્યા હતા. જેના કારણે તેનો પરિવાર નારાજ હતો અને તેને મારી નાખવાની તક શોધતો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6799be1f49bbd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799be1f19c2a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6799be1f19c2a.jpg" length="86102" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>nter-caste marriage, Suryapetti news, Dalit youth killed</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત સરપંચને ત્રણ યુવકોએ ગોળી મારી, સરપંચની હાલત ગંભીર</title>
                    <link>https://khabarantar.com/dalit-sarpanch-of-tendura-village-in-ups-banda-shot-dead-condition-critical</link>
                    <guid>https://khabarantar.com/dalit-sarpanch-of-tendura-village-in-ups-banda-shot-dead-condition-critical</guid>
                    <description>
                        <![CDATA[ સરપંચ પોતાના પરિવાર સાથે આંગણામાં બેઠા હતા ત્યારે ગામના જ ત્રણ યુવકોએ આવીને ગોળીબાર કર્યો. સરપંચને હોસ્પિટલમાં દાખલ કરાયા, હાલત ગંભીર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સમાજની વ્યક્તિ ગમે તેવા મોટા હોદ્દા પર પહોંચી જાય તો પણ તેમના પર અત્યાચારો અટકવાનું નામ નથી લેતા. બે દિવસ પહેલા એક દલિત ધારાસભ્યને જાતિવાદી તત્વોએ એક શાળાનું ઉદ્ઘાટન કરતા રોક્યા હતા અને તેમને જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કર્યું હતું. હવે અન્ય એક મામલામાં એક દલિત સરપંચ પર ગામના જ કેટલાક યુવકોએ ગોળીબાર કર્યો હોવાનું સામે આવ્યું છે. ગોળી વાગવાથી દલિત સરપંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુપીના બાંદાના તેંદુરા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશ (UP) નો છે. અહીં બાંદા (Banda) ના બિસન્ડા પોલીસ સ્ટેશન વિસ્તારના તેંદુરા ગામ (Tendura village)ના દલિત સરપંચ પર બંદૂકથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સરપંચ (dalit Pradhan) પર બે ગોળી (shot with a gun) ચલાવવામાં આવી હતી. જેમાંથી એક ગોળી ડાબા હાથમાં અને બીજી પેટમાં વાગી છે. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને મેડિકલ કોલેજ રિફર (referred to the medical college) કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સરપંચના ઘરે જ ઘટના બની</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેંદુરા ગામના દલિત સરપંચ રામલાલ જયન (Tendura village Pradhan Ramlal Jayan) સાંજે લગભગ 4:30 વાગ્યે તેમના પ્લોટમાં બેઠા હતા. તેમની સાથે પિંકુ ભદૌરિયા, લલ્લુ સિંહ અને પરિવારના ચાર-પાંચ સભ્યો પણ બેઠા હતા. એ દરમિયાન ગામનો એક યુવક ત્યાં આવ્યો હતો. તેની પાછળ થોડા સમય પછી ગામના બીજા બે યુવાનો આવ્યા હતા. પાછળથી આવેલા બે યુવાનોમાંથી પહેલાએ પિસ્તોલ કાઢીને સરપંચ પર ગોળીબાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">એક ગોળી હાથ પર બીજી પેટમાં વાગી</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલી ગોળી સરપંચના ડાબા હાથમાં વાગી હતી. નજીક બેઠેલા લોકો કંઈ સમજે તે પહેલાં જ બીજા યુવકે પોતાની પિસ્તોલમાંથી ગોળીબાર કર્યો અને તેની ગોળી પેટમાં વાગી હતી. એક પછી એક બે ગોળીબાર થયા બાદ દલિત સરપંચના ઘરે નાસભાગ મચી ગઈ હતી. એ દરમિયાન બંને હુમલાખોરો પિસ્તોલ લહેરાવતા ભાગી ગયા હતા. લોહીથી લથપથ દલિત સરપંચને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં બિસંડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુરેશ કુમાર સૈનીએ જણાવ્યું હતું કે ઘટના સ્થળે તપાસ અને પૂછપરછ કરવામાં આવી છે. ઘાયલને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે સરપંચના પક્ષ દ્વારા કોઈ ફરિયાદ આપવામાં આવી નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરપંચ સમાજવાદી પાર્ટીના સક્રિય સભ્ય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ગોળીબારમાં ઘાયલ થયેલા સરપંચ રામલાલ જયન સમાજવાદી પાર્ટીના સક્રિય કાર્યકર છે. તેઓ સપાના કારોબારી સભ્ય (SP executive) પણ છે. સમાજવાદી પાર્ટી દ્વારા પીડીએ જન સંવાદ યાત્રા (PDA Jan Samvad) કાઢવામાં આવી છે. ૨૩મી ફેબ્રુઆરીએ તેંદુરા ગામમાં પીડીએ જાહેર સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન કરવાની જવાબદારી સરપંચ રામલાલ જયનની હતી. તેમના દ્વારા પીડીએ જનસંવાદ કાર્યક્રમ માટે મંડપ વગેરે બાંધવાની કામગીરી ચાલી રહી, એ દરમિયાન જ આ હુમલો થયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિ મંડળે સરપંચની મુલાકાત લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બનતા જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની સૂચનાથી 8 સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ સરપંચની મુલાકાતે પહોંચ્યું હતું અને આ મામલે જાણકારી મેળવી હતી. સપાના બાંદા જિલ્લા અધ્યક્ષ મધુસૂદન કુશવાહાએ આ મામલે વિસ્તારથી જાણકારી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં બિસન્ડા પોલીસ સ્ટેશને અત્યાર સુધીમાં બે આરોપીઓ રાઘવસિંહ અને કુલદીપની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધાં છે. જ્યારે અન્ય એક આરોપી સંદીપ સિંહ હજુ પણ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિ મંડળે દલિત સરપંચની મુલાકાત લઈને પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે અને તે અખિલેશ યાદવને સોંપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/In-faridabad-the-guarakshak-shot-the-student-mistaking-him-for-a-gautaskar">ફરીદાબાદમાં ગૌરક્ષકોએ વિદ્યાર્થીને ગૌતસ્કર સમજી ગોળી મારી દીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 Jan 2025 13:04:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1900</Articleid>
                    <excerpt>સરપંચ પોતાના પરિવાર સાથે આંગણામાં બેઠા હતા ત્યારે ગામના જ ત્રણ યુવકોએ આવીને ગોળીબાર કર્યો. સરપંચને હોસ્પિટલમાં દાખલ કરાયા, હાલત ગંભીર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6798881511da9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67988814ce323.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67988814ce323.jpg" length="38519" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>tendura news, dalit news, UP</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત ધારાસભ્યને ‘ચમાર’ કહી જાતિવાદી તત્વોએ શાળાનું ઉદ્ઘાટન ન કરવા દીધું</title>
                    <link>https://khabarantar.com/bihars-phulwari-sharif-dalit-mla-gopal-ravidas-stopped-from-inaugurating-school</link>
                    <guid>https://khabarantar.com/bihars-phulwari-sharif-dalit-mla-gopal-ravidas-stopped-from-inaugurating-school</guid>
                    <description>
                        <![CDATA[ 26મી જાન્યુઆરીએ ધારાસભ્ય એક નવનિર્મિત શાળાના મકાનનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. પણ જાતિવાદી તત્વોએ તેમને અટકી જાતિસૂચક ગાળો ભાંડી હતી. દલિત ધારાસભ્યે પોલીસ ફરિયાદ નોંધાવી છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક બાજુ દેશમાં બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ બંધારણમાં જે સમાનતાની વાત કરવામાં આવી છે તેનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે તેની સત્તાધારીઓને જરાય ચિંતા નથી. પ્રજાસત્તાક દિને પંજાબમાં બાબાસાહેબની પ્રતિમા તૂટી હતી. તો અન્ય એક રાજ્યમાં જાતિવાદી તત્વોએ એક દલિત ધારાસભ્ય (Dalit MLA) ને શાળાના મકાનનું ઉદ્ઘાટન કરતા રોકી જાહેરમાં અપમાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">26 મી જાન્યુઆરીએ જ ધારાસભ્યનું અપમાન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બિહારનો છે. અહીં 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના અવસર પર જ એક દલિત ધારાસભ્ય (Dalit MLA) ને જાતિના કારણે અપમાન (insult) નો સામનો કરવો પડ્યો. આ આરોપ કોઈ બીજાએ નહીં પરંતુ ધારાસભ્યે પોતે જ લગાવ્યો છે. આ અંગે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (FIR) પણ નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો પટના (Patna) જિલ્લાના ફુલવારી શરીફ વિધાનસભા મતવિસ્તાર (Phulwari Sharif assembly constituency) નો છે. CPI-ML ના ધારાસભ્ય ગોપાલ રવિદાસે (MLA Gopal Ravidas) આરોપ લગાવ્યો છે કે રવિવારે તેઓ એક શાળાના નવા મકાનનું ઉદ્ઘાટન (inaugurate) કરવા ગયા હતા, પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ તેમને મકાનનું ઉદ્ઘાટન કરતા રોક્યા હતા. એટલું જ નહીં તેમના માટે જાતિસૂચક શબ્દો (Casteist slurs) નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_679876ac1f654.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">CPI-ML ના ધારાસભ્ય પારસા બજાર પોલીસ સ્ટેશન (Parsa Bazar police station)  હેઠળના કુર્થૌલ (Kurthaul) માં એક નવી શાળાના મકાનનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ તેમનો વિરોધ શરૂ કર્યો હતો. ભારે હોબાળાને કારણે પરિસ્થિતિ એવી પેદા થઈ કે તેમણે પાછા ફરવું પડ્યું. ગોપાલ રવિદાસ (Gopal Ravidas) નો આરોપ છે કે એ દરમિયાન કેટલાક જાતિવાદી તત્વો દ્વારા તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી અને જાતિસૂચક ગાળો ભાંડીને તેમનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધારાસભ્યે ફરિયાદ નોંધાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાની સાથે થયેલા દુર્વ્યવહારથી વ્યથિત થઈને MLA ગોપાલ રવિદાસે (MLA Gopal Ravidas) પારસા બજાર પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે નામજોગ અને 10 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. તેમણે પોલીસને આરોપીઓની ધરપકડ કરવા માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અરજીમાં શું લખ્યું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોપાલ રવિદાસે (MLA Gopal Ravidas) પોતાની અરજીમાં લખ્યું છે કે, 'હું મારા કાર્યકરો સાથે નિર્ધારિત કાર્યક્રમ મુજબ ઉચ્ચતર માધ્યમિક શાળાના નવા મકાનનું ઉદ્ઘાટન કરવા માટે શાળા પરિસરમાં પહોંચ્યો હતો. ત્યાં પહેલેથી જ પુન્નુ સિંહ, મિથિલેશ સિંહ, હંસરાજ હંસ અને અન્ય 10 અજાણ્યા વ્યક્તિઓ બેઠા હતા. તેમણે મારી જાતિના "ચમાર" શબ્દનો ઉપયોગ કરીને મારા હસ્તે ઉદ્ઘાટન થવા દીધું નહોતું. આ લોકોએ મને જાતિસૂચક અપશબ્દો કહીને મને ધક્કા મારી બહાર કાઢી મૂકી માર મારવાની ધમકી આપી હતી. પોલીસ હવે આ તમામ આરોપોની તપાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/you-look-like-a-thief-just-from-your-face-arent-you">‘તું તો ચહેરા પરથી જ ચોર લાગે છે, ચમાર છો ને?’</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 Jan 2025 11:52:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1899</Articleid>
                    <excerpt>26મી જાન્યુઆરીએ ધારાસભ્ય એક નવનિર્મિત શાળાના મકાનનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. પણ જાતિવાદી તત્વોએ તેમને અટકી જાતિસૂચક ગાળો ભાંડી હતી. દલિત ધારાસભ્યે પોલીસ ફરિયાદ નોંધાવી છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67987685c32c6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67987685923cd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67987685923cd.jpg" length="95435" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gopal ravidas mla phulwari sharif, phulwari sharif news, stopped  inaugurating school</media:keywords>
                </item>
                        <item>
                    <title>Bhira Koregaon case: રોના વિલ્સન, સુધીર ધાવલેને 2413 દિવસ બાદ જામીન મળ્યાં</title>
                    <link>https://khabarantar.com/bhira-koregaon-case-rona-wilson-sudhir-dhawale-granted-bail-after-2413-days</link>
                    <guid>https://khabarantar.com/bhira-koregaon-case-rona-wilson-sudhir-dhawale-granted-bail-after-2413-days</guid>
                    <description>
                        <![CDATA[ Bhira Koregaon case માં Rona Wilson અને Sudhir Dhawale ની 18 જૂન 2018 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તેઓ જેલમાં બંધ હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Bhira Koregaon case</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ને લઈને મોટા સમાચાર આવ્યા છે. એક્ટિવિસ્ટો રોના વિલ્સન (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Rona Wilson</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) અને સુધીર ધાવલે (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Sudhir Dhawale</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) ને 2413 દિવસ બાદ જામીન મળ્યાં છે. બંનેની ૧૮ જૂન</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">૨૦૧૮ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં છે. ૧ જાન્યુઆરી</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">૨૦૧૮ ના રોજ ભીમા કોરેગાંવ યુદ્ધ (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Bhima Koregaon Battle</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) ની ૨૦૦મી વર્ષગાંઠ નિમિત્તે એલ્ગાર પરિષદ (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Elgar Parishad</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) ના કાર્યક્રમ પછી થયેલી હિંસાના માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ ધરાવતા ૧૬ કાર્યકરોમાં વિલ્સન અને ધાવલેનો સમાવેશ થાય છે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">શુક્રવારે રોના વિલ્સન (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Rona Wilson</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) અને સુધીર ધવલે મુંબઈ ની તલોજા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા. બે અઠવાડિયા પહેલા તેમને ભીમા કોરેગાંવ કેસ (</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Bhira Koregaon Case</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">) માં જામીન મળ્યા હતા</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જેમાં તેમના અને અન્ય માનવાધિકાર કાર્યકરો પર </span>UAPA <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા. એક કાર્યકર્તાએ મક્તુબને જણાવ્યું કે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમને બપોરે </span>1<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> વાગ્યે મુક્ત કરવામાં આવ્યા હતા.</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ભીમા કોરેગાંવ હિંસા કેસમાં ધરપકડ કરાયેલા ૧૬ લોકોમાંથી અત્યાર સુધીમાં માત્ર સાત લોકોને જામીન મળ્યા છે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જ્યારે પ્રખ્યાત માનવાધિકાર કાર્યકર્તા સ્ટેન સ્વામીનું કસ્ટડીમાં મૃત્યુ થયું હતું.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/shoma-sen-was-granted-bail-by-the-supreme-court-after-six-years-in-the-bhima-koregaon-case">ભીમા કોરેગાંવ કેસમાં શોમા સેનને છ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા</a></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">વિલ્સન રાજકીય કેદીઓની મુક્તિ માટેની સમિતિના સભ્ય છે અને એક જાણીતા કેદીઓના અધિકાર માટેના કાર્યકર્તા છે. ધરપકડ પછી</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પોલીસે દાવો કર્યો હતો કે વિલ્સનના લેપટોપની તપાસ કરતાં</span><span lang="GU"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમને એક પત્ર મળ્યો જે વિલ્સને કથિત રીતે માઓવાદી આતંકવાદીને લખ્યો હતો</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનો ઉલ્લેખ હતો.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ફેબ્રુઆરી </span>2021<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> માં</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">અમેરિકન ડિજિટલ ફોરેન્સિક્સ ફર્મ આર્સેનલ કન્સલ્ટિંગના એક અહેવાલમાં તારણ કાઢવામાં આવ્યું હતું કે એક હેકરે વિલ્સનના કમ્પ્યુટર પર ગુનાહિત પત્ર પ્લાન્ટ કરવા માટે માલવેરનો ઉપયોગ કર્યો હતો. </span>2022<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> માં</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">યુ.એસ.માં સુરક્ષા સંશોધકોએ પુણે પોલીસ અને રોના વિલ્સન</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">વરવરા રાવ અને હેની બાબુ સામેના હેકિંગ અભિયાન વચ્ચે એક સાબિત કડી શોધી કાઢી હતી. ધવલે એક લેખક છે અને એલ્ગાર પરિષદ કાર્યક્રમના આયોજકોમાંના એક છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">મીડિયા રિપોર્ટ્સ મુજબ</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">રોના વિલ્સન અને સુધીર ધાવલે બંનેની </span>2018<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> માં ધરપકડ કરવામાં આવી હતી. ૩૧ ડિસેમ્બર</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">૨૦૧૭ ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં એલ્ગાર પરિષદના કાર્યક્રમમાં કથિત ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા બાદ બીજા દિવસે પુણે જિલ્લાના કોરેગાંવ-ભીમામાં હિંસા ફાટી નીકળી હતી.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><o:p> </o:p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/bhima-koregaon-case-journalist-gautam-navalkhan-gets-bail-after-4-years">ભીમા કોરેગાંવ મામલોઃ પત્રકાર ગૌતમ નવલખાને 4 વર્ષ બાદ જામીન મળ્યાં</a></span></span></strong></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પુણે પોલીસે દાવો કર્યો હતો કે આ કાર્યક્રમને માઓવાદીઓનું સમર્થન હતું. બાદમાં</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (</span>NIA) <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ને સોંપવામાં આવ્યો. જોકે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ કેસમાં ધરપકડ કરાયેલા </span>16<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> લોકોમાંથી ઘણા હવે જામીન પર બહાર છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ એ.એસ. ગડકરી અને કમલ ખાટાની બેન્ચે રોના વિલ્સન અને સુધીર ધાવલે દ્વારા ભોગવવામાં આવેલી "લાંબી કેદ" અને ટ્રાયલ "ટૂંક સમયમાં" પૂર્ણ ન થવાની સંભાવનાની નોંધ લીધી અને જામીન મંજૂર કર્યા.</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પોતાના આદેશમાં</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">બેન્ચે કહ્યું કે આ સમયે તે કેસની યોગ્યતાઓ પર વિચાર કરી રહી નથી. તેમણે કહ્યું કે આ કેસમાં </span>300<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> થી વધુ સાક્ષીઓ હોવાથી ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે નહીં.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">વિલ્સન અને ધાવલેના વકીલોએ કહ્યું હતું કે બંને આરોપીઓ </span>2018<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> થી જેલમાં છે અને ખાસ કોર્ટે પણ હજુ સુધી તેમની સામે </span>'<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આરોપ</span>' <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ઘડ્યા નથી.</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમને રાહત આપતાં</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">કોર્ટે તેમને </span>1 <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">લાખ રૂપિયાની જામીન રકમ જમા કરાવવા અને ટ્રાયલની સુનાવણી માટે ખાસ </span>NIA <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bhima-koregan-battle-when-a-handful-of-mahar-warriors-defeated-the-peshwas-vast-army">જ્યારે મુઠ્ઠીભર મહાર યોદ્ધાઓએ પેશ્વાની વિશાળ સેનાને પરાસ્ત કરેલી</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 Jan 2025 13:01:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1894</Articleid>
                    <excerpt>Bhira Koregaon case માં Rona Wilson અને Sudhir Dhawale ની 18 જૂન 2018 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તેઓ જેલમાં બંધ હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679736248ee21.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67973624548ce.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67973624548ce.jpg" length="105458" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bhira Koregaon case, Rona Wilson, Sudhir Dhawale, Granted Bail, Elgar Parishad</media:keywords>
                </item>
                        <item>
                    <title>મોબાઈલ ફોનના વિવાદમાં બે શખ્સોએ દલિત યુવકની ઘરમાં ઘૂસી હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-killed-in-mobile-dispute-in-dausa-rajasthan</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-killed-in-mobile-dispute-in-dausa-rajasthan</guid>
                    <description>
                        <![CDATA[ Dausa news: મોબાઈલ ફોનને લઈને થયેલી નજીવી તકરારમાં બે યુવકોએ દલિત યુવકના ઘરે જઈ છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Dausa News: </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">રાજસ્થાનના દૌસામાં ગઈકાલે એક દલિત યુવકનું નજીવી બાબતમાં બે શખ્સોએ મળીને ખૂન કરી નાખ્યું. આરોપીઓ અને મૃતક યુવક વચ્ચે મોબાઈલ ફોનને લઈને કોઈ માથાકૂટ થઈ હતી. જેનો બદલો લેવા માટે આરોપીઓ તેના ઘરે પહોંચી ગયા હતા અને ઘરમાં જ ચાકૂના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો હતો. લોકોએ એક આરોપીને પકડી લીધો અને તેને ખૂબ માર માર્યો. પરંતુ બીજો ભાગી ગયો. આરોપીએ યુવકને બચાવવા આવેલા તેના પાડોશી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">હતો.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">Dausa </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ના ગણેશપુરા વિસ્તારની ઘટના</span></strong></span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પોલીસના જણાવ્યા અનુસાર હત્યાની આ ઘટના દૌસા</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"> (Dausa)</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> શહેરના ગણેશપુરા રોડ પર સ્થિત સત્કાર કોલોનીમાં બની હતી. અહીં બે યુવાનોએ દલિત યુવક વિનોદ બૈરવા (</span>35) (Vinod bairava) <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ની છરીના ઘા મારીને હત્યા કરી દીધી. હત્યારાઓ રાત્રે વિનોદના ઘરે આવ્યા હતા અને તેની સાથે માથાકૂટ કરી હતી. એ પછી તેને છરીના ઘા મારી દીધાં હતા. થોડી વારમાં જ વિનોદના ઘરમાંથી રડવાનો અને ચીસો પાડવાનો અવાજ આવતા પડોશીઓ ત્યાં દોડી આવ્યા હતા. એ દરમિયાન આરોપીઓ ત્યાંથી ભાગતા જોવા મળ્યા. આ જોઈને પડોશીઓને શંકા ગઈ.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/rajputs-attack-dalits-procession-in-badshahpur-uttar-pradesh-many-injured">રાજપૂતોએ દલિત દીકરીની જાન પર હુમલો કર્યો, અનેક જાનૈયા ઘાયલ</a></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;">પડોશીઓ ઘરમાં ગયા તો ચોંકી ગયા</span></strong></span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">એ દરમિયાન લોકોએ એક હત્યારાને પકડી લીધો પણ બીજો ભાગી ગયો. ત્યારબાદ</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જ્યારે લોકો વિનોદના ઘરની અંદર ગયા</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ત્યારે તેનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં પલંગ પર પડેલો હતો. આ જોઈને પડોશીઓ સ્તબ્ધ થઈ ગયા. લોહીથી ખરડાયેલી છરી પણ ત્યાં પડી હતી. પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. ઘટનાની માહિતી મળતા જ દૌસાના ડીએસપી રવિ પ્રકાશ શર્મા અને શહેર કોટવાલ સુધીર કુમાર ઉપાધ્યાય ઘટનાસ્થળે પહોંચી ગયા.</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">એક આરોપી સગીર નીકળ્યો</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> એકની શોધખોળ ચાલું</span></strong></span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ સાથે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પુરાવા એકત્રિત કરવા માટે </span>FSL <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">અને </span>MOB <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ટીમોને બોલાવવામાં આવી હતી. મોડી રાત્રે</span>, <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">વિનોદના મૃતદેહને દૌસા જિલ્લા હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યો હતો. એ દરમિયાન લોકોએ જે યુવકને પકડ્યો હતો તે સગીર હોવાનું કહેવાય છે. લોકોએ તેને ખૂબ માર માર્યો અને બાંધી દીધો. પોલીસ તેના દસ્તાવેજો પરથી તેની ઉંમર ચકાસી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ રાહુલ હોવાનું સામે આવ્યું છે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">26<span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> </span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">january</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> એ મોબાઇલને લઈને વિવાદ થયો હતો</span></span></strong></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પોલીસના જણાવ્યા અનુસાર</span>, 26 <span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">જાન્યુઆરીના રોજ વિનોદ બૈરવા અને આરોપી રાહુલ વચ્ચે મોબાઇલ ફોનને લઈને ઝઘડો થયો હતો. આ જ વિવાદને કારણે રાહુલ તેના મિત્ર સાથે રાત્રે વિનોદ બૈરવાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે વિનોદ પર છરીના ઘા કરીને તેની હત્યા કરી દીધી. હાલમાં પોલીસ રાહુલને શોધી રહી છે. સગીરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર સુધીર કુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રાહુલની ધરપકડ બાદ જ આખો મામલો સામે આવશે.</span></span><o:p></o:p></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/balotara-dalit-youth-vishnaram-meghwal-murder-case-update-gujarati">દલિત યુવકની હત્યામાં ન્યાય માંગવા આખું શહેર રસ્તા પર ઉતર્યું</a></strong></span></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 Jan 2025 12:01:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1893</Articleid>
                    <excerpt>Dausa news: મોબાઈલ ફોનને લઈને થયેલી નજીવી તકરારમાં બે યુવકોએ દલિત યુવકના ઘરે જઈ છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6797281d5aaed.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6797281d29117.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6797281d29117.jpg" length="57998" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dausa Rajasthan, Dalit youth murder, mobile dispute</media:keywords>
                </item>
                        <item>
                    <title>પ્રજાસત્તાક દિવસે જ Dr. Ambedkar ની પ્રતિમા તોડી, જાહેરમાં બંધારણ સગળાવ્યું</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-amritsar-constitution-set-on-fire-upadate</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-amritsar-constitution-set-on-fire-upadate</guid>
                    <description>
                        <![CDATA[ તોફાની શખ્સ Dr. Ambedkar ની પ્રતિમા ઉપર ચડી ગયો, હથોડો મારી તેને તોડી નાખી. પ્રતિમા પાસે મૂકેલી ભારતીય બંધારણની પ્રતિકૃતિને સળગાવી દીધી. આજે શહેર બંધનું એલાન. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;">Dr. Ambedkar's statue vandalized in Amritsar, Constitution set on fire : એકબાજુ દેશ આખો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો હતો. બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના યોગદાનને યાદ કરીને તેમના મહાન કાર્યોને યાદ કરતો હતો</span><span style="mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> બીજી તરફ એક શહેરમાં એક તોફાની શખ્સ જાહેરમાં ઉભેલી મહાનાયક ડો.આંબેડકરની પ્રતિમાને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપીએ બાબાસાહેબની પ્રતિમા ઉપર ચડી ગયો હતો અને તેણે તેને તોડવા પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં</span><span style="mso-bidi-language: GU;">,</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> શખ્સે બાબાસાહેબની પ્રતિમા પાસે મૂકેલી બંધારણની પ્રતિકૃતિને પણ સગળાવી દીધી હતી. ઘટના દલિત સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતા પંજાબની છે.</span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">26 જાન્યુઆરીના રોજ</span><span style="mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">અમૃતસરની હેરિટેજ સ્ટ્રીટ પર સ્થિત બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને એક તોફાની શખ્સ દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ બંધારણને પણ આગ લગાવી દીધી.</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પ્રજાસત્તાક દિવસે જ મહાનાયક ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા તોડી પાડવાના આ પ્રયાસના વિરોધમાં આજે અમૃતસર બંધ છે. તોફાનીઓએ પ્રતિમાની સામે રાખેલા બંધારણને પણ આગ ચાંપી દીધી હતી. લોકોએ આરોપીઓને પકડીને પોલીસને સોંપી દીધા.</span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;">દલિત-બહુજન સમાજમાં ભારે આક્રોશ</span></strong></span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">બાબા સાહેબ ડૉ. ભીમ રાવ આંબેડકરની પ્રતિમાનું અપમાન અને બંધારણને આગ લગાડવાની આ ઘટના બાદ</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> સમગ્ર અમૃતસર શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ છે. અહીં </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ફગવાડાના દલિત સમાજના લોકો ભારે ગુસ્સે ભરાયા છે. સમાજના લોકોએ ફગવાડા હાઇવે પર વિરોધ પ્રદર્શન કર્યું અને રસ્તો બ્લોક કરી દીધો. વિરોધ પ્રદર્શનની માહિતી મળતાં</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">એસપી રૂપિન્દર કૌર ભટ્ટી ઘટનાસ્થળે પહોંચી ગયા અને વિરોધ કરી રહેલા લોકોને શાંત પાડ્યા અને તેમની માગણીઓ સાથેનું આવેદનપત્ર સ્વીકાર્યા બાદ રસ્તો ટ્રાફિક ખુલ્લો કરાવ્યો અને તેમને સ્થાનિક ગુરુ હરગોવિંદ નગરમાં બેસવા માટે સમજાવ્યા.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">દલિત નેતા યશ બરણાના નેતૃત્વમાં</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">એસપી રૂપિન્દર કૌર ભટ્ટીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માંગ કરવામાં આવી હતી કે ફગવાડામાં પણ આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવે. આ પ્રસંગે ડીએસપી ભારત ભૂષણ</span><span style="mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">એસએચઓ સિટી અમનદીપ નાહર</span><span style="mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ટ્રાફિક ઇન્ચાર્જ અમન કુમાર દેવેશ્વર પણ તેમની સાથે હતા.</span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate">દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</a></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ત્યાં હાજર લોકોએ તેને નીચે ઉતારી પોલીસને સોંપી દીધો. જ્યારે વિવિધ દલિત સમુદાયના સંગઠનોને આ વાતની જાણ થઈ</span><span style="mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ત્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. આ અંગે પત્રકારો સાથે વાત કરતા દલિત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે અમે ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે પોલીસ સુરક્ષાની પણ માંગણી કરી હતી</span><span style="mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પરંતુ પોલીસે તેના પર ધ્યાન આપ્યું ન હતું અને આજે કેટલાક તોફાની તત્વોએ બાબા સાહેબની પ્રતિમામાં તોડફોડ કરી હતી. ભીમરાવ આંબેડકરની પ્રતિમા તોડફોડ કરવામાં આવી હતી.</span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમણે કહ્યું કે પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે</span><span style="mso-bidi-language: GU;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તે વ્યક્તિને અમારી ઈચ્છા મુજબ સજા મળે. આ કેસમાં ઘટનાસ્થળે પહોંચેલા અમૃતસર સિટીના એસપી વિશાલજીત સિંહ</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તે વ્યક્તિ અમૃતસરની બહારના જિલ્લાનો રહેવાસી છે. હાલમાં</span><span lang="GU" style="mso-bidi-language: GU;"> </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેના અમૃતસર આવવાના કારણોની પણ તપાસ કરવામાં આવશે અને પોલીસ તેમની કડક પૂછપરછ કરશે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; color: rgb(224, 62, 45);">સિટીંગ જજ દ્વારા ઘટનાની તપાસ કરાવો</span></strong><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">આ ઘટનાના સમગ્ર પંજાબમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. જેને લઈને હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. પંજાબ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ હેરિટેજ સ્ટ્રીટમાં ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અપમાન અને ત્યાં સ્થાપિત બંધારણની પ્રતિકૃતિને સળગાવી દેવાની ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે આ ઘટનાને પંજાબ સરકારની નિષ્ફળતા ગણાવીને સમગ્ર મામલાની તપાસ સિટીંગ જજ દ્વારા કરાવવાની માંગ કરી છે.</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-matter-khokhara-ahmedabad-procession-of-both-accused">ખોખરામાં આરોપીઓનું સરઘસ નીકળ્યું, બાબાસાહેબની નવી પ્રતિમા સ્થાપિત કરાઈ</a></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">તેમણે કહ્યું કે અમને કોઈ અન્ય એજન્સી પર વિશ્વાસ નથી. પ્રજાસત્તાક દિવસે બનેલી આ ઘટનાથી વધુ દુઃખદ શું હોઈ શકે</span><span style="mso-bidi-font-family: Shruti; mso-bidi-language: GU;">?</span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"> શ્રી હરમંદિર સાહિબ અહીંથી થોડે દૂર છે અને નજીકમાં જ એક પોલીસ સ્ટેશન પણ આવેલું છે. પંજાબમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી. આજની ઘટના સત્તામાં બેઠેલા લોકોનું સુનિયોજિત કાવતરું છે. પ્રતાપ સિંહ બાજવા પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કહ્યું કે આ ઘટના એવા સમયે બની જ્યારે દરેક ખૂણે પોલીસ તૈનાત હતી. એ આશ્ચર્યજનક છે કે જ્યારે આ ઘટના બની ત્યારે પંજાબ પોલીસ ક્યાં હતી.</span><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, sans-serif; color: rgb(224, 62, 45);">તરુણ ચુગે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું</span></strong><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ભાજપના નેતા તરુણ ચુગે કહ્યું કે ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અપમાન અત્યંત દુર્ભાગ્યપૂર્ણ</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">નિંદનીય અને હૃદયદ્રાવક છે. ગુનેગારોને કડક સજા મળવી જોઈએ. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પહેલા કરતાં પણ વધુ ખરાબ છે. હત્યા</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">લૂંટ</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ખંડણી અને ખંડણીની ઘટનાઓ દરરોજ બની રહી છે. હવે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું છે અને બંધારણની પ્રતિમાનું પણ અપમાન કરવામાં આવ્યું છે. આ કરોડો ભારતીયોનું અપમાન છે. આ દુ:ખદ ઘટના પંજાબની આમ આદમી પાર્ટી સરકારના શબપેટીમાં છેલ્લો ખીલો સાબિત થશે.</span><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">ડૉ. આંબેડકરનું અપમાન નિંદનીય છે – ગુરજીતસિંહ ઔજલા</span></strong></span><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના અપમાનની કડક નિંદા કરી છે. તેમણે કહ્યું કે તેમના કારણે જ આજે ભારતમાં દરેકને સમાન અધિકાર મળ્યા છે. આજે જ્યારે આખો દેશ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે જ દેશને સમાન અધિકાર આપનારા અને બંધારણના ઘડવૈયાનું અપમાન કરવું એ દેશના દરેક નાગરિકનું અપમાન છે. સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ આ ઘટનાની તપાસ કરવા અને દોષિતોને વહેલી તકે જેલમાં ધકેલી દેવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને</span><span style="mso-bidi-font-family: Shruti;">, </span><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;">રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને ગુનો કરનારાઓને કડક સજા આપવી જોઈએ.</span></span><span style="mso-bidi-font-family: Shruti;"><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti',sans-serif; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-language: GU;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-was-broken-and-thrown-into-a-park-in-santnagar-mirzapur-up">ડૉ.આંબેડકરની વધુ એક પ્રતિમા તૂટી, તોફાનીઓએ ઉખાડીને પાર્કમાં ફેંકી દીધી</a> </strong></span></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 Jan 2025 10:49:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1892</Articleid>
                    <excerpt>તોફાની શખ્સ Dr. Ambedkar ની પ્રતિમા ઉપર ચડી ગયો, હથોડો મારી તેને તોડી નાખી. પ્રતિમા પાસે મૂકેલી ભારતીય બંધારણની પ્રતિકૃતિને સળગાવી દીધી. આજે શહેર બંધનું એલાન.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67971747e3575.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67971747b3e7a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67971747b3e7a.jpg" length="65603" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr. Ambedkar Statue, vandalized, Amritsar, Constitution set on fire</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉનાકાંડ જેવી ઘટનાઃ દલિત યુવકને નગ્ન કરી વાહન પાછળ બાંધી ફેરવ્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-stripped-and-tied-to-a-vehicle-in-sathya-sai-andhra-pradesh</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-stripped-and-tied-to-a-vehicle-in-sathya-sai-andhra-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ માથાભારે તત્વોએ યુવકને વીજળીના થાંભલા સાથે બાંધી ચંપલથી મારી શરીર પણ ગોબર રેડ્યું હતું. એટલું જ નહીં, પોલીસ કસ્ટડીમાં પણ તેને માર્યાનો આક્ષેપ લાગ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ દેશમાં બંધારણના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે, બીજી તરફ દેશમાં જાતિવાદીઓ કાયદો વ્યવસ્થાના કશાય ડર વિના જાણે મનુસ્મતિનું સાશન પ્રવર્તમાન હોય તેવ વર્તી રહ્યાં છે. દરરોજ દેશના લગભગ દરેક રાજ્યમાં, જ્યાં પણ દલિતોની વસ્તી છે, ત્યાં તેમના પર કોઈને કોઈ પ્રકારે અત્યાચાર થયાના સમાચાર આવતા રહે છે. આમાંના જૂજ સમાચારો મીડિયાની નજરમાં આવતા લોકો સુધી પહોંચે છે. બાકીના મોટાભાગના સમાચારો મનુમીડિયાને કારણે દબાણી દેવામાં આવે છે. કમનસીબે દલિતો હજુ પણ પોતાના સ્વતંત્ર મીડિયાને લઈને ગંભીર નથી. જેના કારણે તેમની સમસ્યાઓ અને અવાજની લોકતંત્રમાં કોઈ કિંમત નથી. પરિણામે તેમના પર અત્યાચારની ગમે તેટલી મોટી ઘટના બને તો પણ ન્યાય માટે વલખાં મારવા પડે છે. જ્યારે એજ અત્યાચાર કોઈ સવર્ણ સમાજની વ્યક્તિ સાથે થાય ત્યારે મીડિયા આખો દેશ માથે લઈ લે છે અને ન્યાયની માગણી કરવા લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખો ઘટનાક્રમ એ હદે રૂટિન બની ચૂક્યો છે કે, હવે દલિતો, આદિવાસીઓ, ઓબીસી કે લઘુમતી સમાજના લોકોને પણ જાણે તેની કોઈ અસર નથી થતી. તેનું તાજું ઉદાહરણ આ ઘટના છે, જેમાં ઉનાકાંડની જેમ જ એક દલિત યુવકને માથાભારે તત્વોએ નગ્ન કરીને વાહન પાછળ બાંધીને રસ્તા પર ફેરવ્યો હોવા છતાં મુખ્યધારાના મીડિયામાં તેની નાનકડી નોંધ સુદ્ધાં લેવાઈ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો આંધ્રપ્રદેશના સત્યસાંઈ જિલ્લાના નરસિમ્પલી ગામનો છે. અહીં માથાભારે તત્વોએ એક 24 વર્ષીય દલિત યુવક અંજનેયુલુને વીજળીના થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તેને જાહેરમાં નગ્ન કરી જાતિસૂચક ગાળો ભાંડી રસ્તા પર ફેરવ્યો હતો. આટલેથી પણ તેમનું મન ન ભરાતા તેના જૂતાથી માર મારી માથે છાણથી રેડીને ગંદો કરી મૂક્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/i-cant-bear-it-anymore-unakand-activist-kantibhai-walas-heartbreaking-letter-from-jail"><span style="font-size: 14pt;">"હવે મારાથી સહન નથી થતું", ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ યુવક પર આરોપ હતો કે તે અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ થઈ જતા બંને ભાગી ગયા હતા. યુવતીનો પરિવાર તેને શોધી રહ્યો હતો અને બંને પારિગી મંડળના ઉટુકુરુ ગામમાંથી શોધી કાઢ્યા હતા. ત્યાંથી બંનેને બળજબરીથી નરસિમ્પલ્લી પાછા લાવ્યા, જ્યાં ગુરુવારે આ ઘટના બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છોકરીના સંબંધીઓએ ગામલોકોની સાથે મળીને અંજનેયુલુ પર હુમલો કર્યો, તેને નગ્ન કરી વાહન સાથે બાંધી શેરીઓમાં ફેરવ્યો. આટલેથી પણ આરોપીઓનું મન ન ભરાતા તેને વીજળીના થાંભલા સાથે બાંધી જૂતાથી માર મારવામાં આવ્યો અને માથે ગાયનું છાણ રેડી ગંદો કરી દીધો જાતિસૂચક ગાળો ભાંડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મડિગા અનામત પોરાટા સમિતિ (MRPS) ના નેતાઓના હસ્તક્ષેપ બાદ SC/ST એક્ટ હેઠળ સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. દરમિયાન, છોકરીના પિતાએ અંજનેયુલુ વિરુદ્ધ પોક્સો હેઠળ કેસ દાખલ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત યુવક અંજનેયુલુની બહેન અનીતાએ જણાવ્યું હતું કે, "તેમણે મારા ભાઈ પર હુમલો કર્યો. તેને આ લોકો બળજબરીથી ગાડીમાં લઈ આવ્યા હતા અને પછી તેને નગ્ન કરીને ગામમાં બધાની વચ્ચે મારવાનું શરૂ કરી દીધું હતું. એ પછી પોલીસે તેને ફરીથી પોલીસ સ્ટેશનમાં માર માર્યો અને તેને સમાધાન કરવા માટે મજબૂર કર્યો. આરોપીઓ મારા ભાઈને જાહેરમાં નગ્ન કરીને માર મારી રહ્યા હતા. છતાં પોલીસે તેમના પર કોઈ પગલાં લીધાં નથી. આ આખી ઘટના પાછળ પોલીસ પણ એટલી જ જવાબદાર છે જેટલા આરોપી ગુનેગાર છે. તેમણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાને બદલે મારા ભાઈને આરોપીઓના હવાલે કરી દીધો હતો. માટે પોલીસ પણ એટલી જ ગુનેગાર છે અને તેમના પર પણ કાર્યવાહી થવી જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સત્યસાંઈના એસપી વી રત્નાએ જણાવ્યું હતું કે, "જો યુવક સાથે કસ્ટોડિયલ ટોર્ચર થયાનું સાબિત થશે તો અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/now-justice-is-the-goal-of-our-life-una-kand-victim-ramesh-saravaiya">હવે તો ન્યાય જ અમારી જિંદગીનું લક્ષ્ય છેઃ ઉના કાંડના પીડિત રમેશ સરવૈયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 26 Jan 2025 10:32:48 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 27 Jan 2025 09:42:51 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1888</Articleid>
                    <excerpt>માથાભારે તત્વોએ યુવકને વીજળીના થાંભલા સાથે બાંધી ચંપલથી મારી શરીર પણ ગોબર રેડ્યું હતું. એટલું જ નહીં, પોલીસ કસ્ટડીમાં પણ તેને માર્યાનો આક્ષેપ લાગ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679707b851d68.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679707b820ca8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679707b820ca8.jpg" length="56676" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>sathya sai andhra pradesh news, dalit news, Dalit crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>પાટડીમાં સફાઈકર્મીઓના મોત મામલે દલિતોએ મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો</title>
                    <link>https://khabarantar.com/dalits-protested-by-holding-a-silent-rally-over-the-death-of-sanitation-workers-in-patdi</link>
                    <guid>https://khabarantar.com/dalits-protested-by-holding-a-silent-rally-over-the-death-of-sanitation-workers-in-patdi</guid>
                    <description>
                        <![CDATA[ કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે પરંતુ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ ન થતાં દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાટડીમાં ગટર સફાઈ દરમિયાન મોતને ભેટેલા બે સફાઈકર્મીઓના મામલામાં આરોપી અધિકારીઓની ધરપકડની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ સફાઈકર્મીને ગટરમાં ઉતરીને સફાઈ કરવા મજબૂર ન કરવા. તેમ છતાં આ અધિકારીઓએ જેમને કોન્ટ્રાક્ટ ફાળવ્યો હતો તે કોન્ટ્રાક્ટરે બે દલિત સફાઈકર્મીઓને ગટરમાં ઉતાર્યા હતા. જેમાં બંનેનું મોત થઈ ગયું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ અને કોન્ટ્રાકટર સંજય પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ ન થતાં સમાજમાં રોષ ફેલાયો છે. જેને લઈને પાટડીમાં અનુસૂચિત જાતિ સમાજની મૌન રેલી સાથે ધરણા અને અડધો દિવસ સ્વયંભૂ બંધ પાળવાની સાથે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે આરોપી અધિકારીઓની ધરપકડની માગ કરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Govt-to-pay-Rs-30-lakh-compensation-if-employee-dies-while-cleaning-drains:-Supreme-Court-order">ગટરની સફાઈ કરતાં કર્મચારીનું મોત થાય તો સરકારે રૂ.૩૦ લાખનું વળતર આપવું પડશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગટર સફાઈ દરમિયાન થયેલા ગેસ ગળતરથી બે યુવાનોના મૃત્યુના કેસમાં અનુસૂચિત જાતિ સમાજે મૌન રેલી અને પ્રતીક ધરણા યોજ્યા હતા. 21 જાન્યુઆરી, 2025ના રોજ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પંપ હાઉસમાં કામ કરતા બે કર્મચારીઓ જયેશભાઈ પાટડીયા અને ચિરાગભાઈ પાટડીયાનું મોત થયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકોના પરિવારજનોને સમાજ કલ્યાણ વિભાગ તરફથી એટ્રોસિટી એક્ટ હેઠળ રૂ. 4 લાખની સહાયમાંથી રૂ. 1 લાખનો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો છે. વધુમાં, નગરપાલિકા દ્વારા બંને મૃતકોના પરિવારને રૂ. 30-30 લાખના વળતરના ચેક આપવામાં આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ અને કોન્ટ્રાકટર સંજય પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ ન થતાં સમાજમાં રોષ ફેલાયો છે અને દલિત સમાજના લોકોએ આરોપી અધિકારીઓની ધરપકડની માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ધ્રાંગધ્રાના ડીવાયએસપી જે.ડી. પુરોહિતે જણાવ્યું હતું કે, બંને આરોપી અધિકારીઓ ફરાર છે અને તેમની ધરપકડ માટે અલગ-અલગ પોલીસ ટીમો કાર્યરત છે. વિરોધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર પાટડી નગર બપોરે 12થી 5 વાગ્યા સુધી સ્વયંભૂ બંધ રહ્યું હતું. જોવાનું એ રહેશે કે સરકાર ખરેખર આ કેસમાં આરોપી અધિકારીઓને સજા કરે છે કે પછી અન્ય કેસોની જેમ તેમને છાવરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/assistance-of-rs-30-lakhs-was-given-to-the-families-of-deceased-sanitation-workers-of-patdi">પાટડીના મૃતક બંને સફાઈકર્મીઓના પરિવારને 30-30 લાખની સહાય અપાઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 25 Jan 2025 14:53:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1887</Articleid>
                    <excerpt>કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે પરંતુ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ ન થતાં દલિત સમાજમાં રોષ ફેલાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6794ac2046101.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6794ac203027d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6794ac203027d.jpg" length="81554" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Patdi, Sanitation worker death, Silent rally, Dharna, Dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>યોગી આદિત્યનાથના ગોરખપુરમાં બે દલિત બાળકોની ગળું કાપી હત્યા</title>
                    <link>https://khabarantar.com/two-dalit-children-found-murdered-with-throat-slit-in-gorakhpurs-sahajanwa</link>
                    <guid>https://khabarantar.com/two-dalit-children-found-murdered-with-throat-slit-in-gorakhpurs-sahajanwa</guid>
                    <description>
                        <![CDATA[ પોલીસનું કહેવું છે કે ધોરણ 5 અને 6માં ભણતાં બંને બાળકોને પહેલા થાંભલા સાથે બાંધવામાં આવ્યા હતા. એ પછી તેમની ગળું કાપી હત્યા કરી દેવાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુર (Gorakhpur) ના સહજનવા પોલીસ સ્ટેશન (sahajanwa police station) વિસ્તાર હેઠળના સીસઈ ભસ્કા (Sisai Bhaska) ગામમાં બે નિર્દોષ દલિત બાળકોની ગળું કાપીને હત્યા (Dalit children were murdered by slitting their throats) કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સનસનાટીભરી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. બંને બાળકોના મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યા હતા અને તેમના હાથ-પગ બાંધેલા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા અને કેસની તપાસ શરૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ પ્રિન્સ (Prince)અને અભિષેક (Abhishek) તરીકે થઈ છે. જેઓ અનુક્રમે કેંપિયરગંજ અને ધસ્કાના રહેવાસી છે. બંને બાળકો સફાઈ કર્મચારીના ભત્રીજા અને ભત્રીજી હોવાનું કહેવાય છે. મૃતક બાળકોના પરિવારના સભ્યોની રડી રહીને હાલત ખરાબ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પહેલા વીજળીના થાંભલા સાથે બાંધીને માર્યા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસનું કહેવું છે કે પહેલા બંનેને વીજળીના થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. એ પછી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સહજનવા વિસ્તારના ભક્ષા ગામમાં બની હતી. શુક્રવારે બપોરે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતદેહો વચ્ચે ૫૦ મીટરનું અંતર હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માહિતી મળતા જ ગામલોકોની ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ છે. ગામલોકોએ પોલીસને એક કલાક સુધી બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જવા દીધા નહીં. પોલીસ અધિકારીઓએ તેને લાંબા સમય સુધી સમજાવ્યા ત્યારે જ તેઓ શાંત થયા હતા અને તે પછી જ પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ શકી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામથી દૂર અર્ધનગ્ન હાલતમાં મૃતદેહો મળી આવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે મૃતદેહોમાંથી એકના હાથ અને બીજાના હાથ-પગ બાંધેલા હતા. ઘટના દરમિયાન બાળકો કોઈ અવાજ ન કરે તે માટે, ખૂનીએ તેમના મોંમાં કપડું ઠૂંસી દીધું હતું. સહજનવા પોલીસ ઘટના સ્થળની તપાસ કરી રહી છે. એસએસપી ડૉ. ગૌરવ ગ્રોવરે પણ ઘટનાસ્થળે પહોંચીને ઘટના વિશે માહિતી મેળવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_679494aa68b49.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિલુઆતાલ વિસ્તારના નવાપરના રહેવાસી રાકેશના સાસરિયાઓનું ઘર સહજનવા વિસ્તારના ભક્ષા ગામમાં છે. તેનો ૧૨ વર્ષનો દીકરો પ્રિન્સ તેના મામા ઇન્દ્રેશના ઘરે આવ્યો હતો. ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ, પ્રિન્સ અને તેના મામાનો દીકરો અભિષેક (14) ગામમાં ફરવા ગયા હતા. પરંતુ, લાંબા સમય પછી પણ બંને ઘરે પાછા ફર્યા નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોડી રાત થઈ ત્યારે પરિવારના સભ્યોએ બંને બાળકોની શોધખોળ શરૂ કરી. પરંતુ બંનેનો પત્તો લાગી શક્યો નહોતો. પરિવારના સભ્યો ગામમાં અને સંબંધીઓમાં શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન, શુક્રવારે બપોરે ગામથી થોડે દૂર એક ખેતરમાં બંનેના અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. અભિષેક ધોરણ 6 માં અને પ્રિન્સ ધોરણ 5 માં અભ્યાસ કરતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રોષે ભરાયેલા ગામલોકો રસ્તા પર બેસી ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળકોની હત્યાની માહિતી મળતાં જ ગામલોકો એકઠા થઈ ગયા અને પોતાના પરિવારો સાથે રસ્તા પર બેસી ગયા હતા. પોલીસ બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માંગતી હતી પરંતુ તેઓ મૃતદેહોને લઈ જવા દેતા ન હતા. માહિતી મળતાં જ એસએસપી ગૌરવ ગ્રોવર ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે પરિવાર સાથે વાત કરી અને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી. જે બાદ પરિવારના સભ્યો શાંત થયા. ૧ કલાક પછી તેમણે મૃતદેહને લઈ જવા દીધો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસએસપી ગૌરવ ગ્રોવર કહે છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બંને બાળકોને કોણે અને શા માટે માર્યા, આની દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના ટૂંક સમયમાં જાહેર થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા આઝાદ સમાજ પાર્ટી (કાંશી રામ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચંદ્રશેખર આઝાદે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "ગોરખપુરના સહજનવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટનામાં, બે દલિત કિશોરોના અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે જેમના ગળા કાપી નાખવામાં આવ્યા હતા. મૃતદેહો એકબીજા સાથે બાંધેલા હતા અને તેમના મોંમાં કપડું ઠૂંસી દેવામાં આવ્યું હતું. આ ભયાનક ઘટના સમાજ માટે આઘાતજનક છે અને કાયદો અને વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાને પણ ઉજાગર કરે છે. પરિવારના સભ્યો સાથે મારી સંવેદના છે. પ્રકૃતિ તેમને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. ગોરખપુર પોલીસે આ ઘટનાની નિષ્પક્ષ અને ત્વરિત તપાસ કરવી જોઈએ અને ગુનેગારોને વહેલી તકે ધરપકડ કરવી જોઈએ અને તેમને કડકમાં કડક સજા આપવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/pranav-sijoy-of-st-benedict-lp-school-slivamala-ldukki-dropped-out-of-school">ઉલટી સાફ કરનાર દલિત બાળકે આઘાતમાં આવીને શાળા છોડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 25 Jan 2025 13:07:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1886</Articleid>
                    <excerpt>પોલીસનું કહેવું છે કે ધોરણ 5 અને 6માં ભણતાં બંને બાળકોને પહેલા થાંભલા સાથે બાંધવામાં આવ્યા હતા. એ પછી તેમની ગળું કાપી હત્યા કરી દેવાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6794937c193b8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6794937bd8689.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6794937bd8689.jpg" length="46308" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>two dalit children  murdered, gorakhpurs sahajanwa news, Bhim Army Chief Chandrashekhar Azad</media:keywords>
                </item>
                        <item>
                    <title>પાટડીના મૃતક બંને સફાઈકર્મીઓના પરિવારને 30&amp;30 લાખની સહાય અપાઈ</title>
                    <link>https://khabarantar.com/assistance-of-rs-30-lakhs-was-given-to-the-families-of-deceased-sanitation-workers-of-patdi</link>
                    <guid>https://khabarantar.com/assistance-of-rs-30-lakhs-was-given-to-the-families-of-deceased-sanitation-workers-of-patdi</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગેસ ગળતરથી મોતને ભેટેલા બંને સફાઈકર્મીઓના પરિવારને 48 કલાકમાં સહાય આપવામાં આવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાટડીમાં 21મી જાન્યુઆરીના રોજ ભૂગર્ભ ગટરના પંપની સફાઈ દરમિયાન ગેસ ગળતર થવાથી મોતને ભેટેલા બંને સફાઈ કર્મચારીઓના પરિવારને સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તાત્કાલિક સહાય ચૂકવી છે. મૃતક સફાઈકર્મીઓ જયેશભાઈ પાટડીયા અને ચિરાગભાઈ પાટડીયાના પરિવારજનોને રૂ. 30-30 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રીની સૂચનાથી પાટડી નગરપાલિકાના સ્વભંડોળમાંથી આ સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દુર્ઘટનાના માત્ર 48 કલાકની અંદર જ બંને પરિવારોને સહાયના ચેક અપાતા સફાઈકર્મી પરિવારોને થોડી રાહત થઈ છે. આ સિવાય એટ્રોસિટી એક્ટ હેઠળ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા દરેક પરિવારને રૂ. 4 લાખની વધારાની સહાય મંજૂર કરવામાં આવી છે, જેમાંથી રૂ. 1 લાખનો પ્રથમ હપ્તો પણ આપવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>ઘાયલ થયેલા વ્યક્તિને પણ રૂ. 1 લાખની સહાય</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગેસ ગળતરની આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ચેતનભાઈ મંગાભાઈની પણ સરકાર દ્વારા રૂ. 1 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે, જેમાંથી રૂ. 25 હજારનો પહેલો હપ્તો જારી કરાયો છે. સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા વિમા પેટે રૂ. 2 લાખની વધારાની સહાયની દરખાસ્ત પણ કરવામાં આવી છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6793af547c245.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃત્યુ જેવા ગંભીર મામલામાં પણ નેતાઓ રાજકીય લાભ લેવાનું ચૂક્યા નહોતા અને સત્તાપક્ષના ધારાસભ્યથી લઈને શહેર ભાજપ પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોએ ફોટો સેશન કરાવ્યું હતું. મૃતકના પરિવારને ચેક વિતરણ સમારોહમાં દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર, દિલીપભાઈ પટેલ, પ્રાંત અધિકારી જયંતસિંહ રાઠોર, મામલતદાર, નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન ચંદારાણા, શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/two-dalit-youths-die-while-cleaning-drains-in-patdi-ahmedabad-contractor-arrested">પાટડીમાં ગટર સફાઈમાં બે દલિત યુવકોના મોત, અમદાવાદના કોન્ટ્રાક્ટરની ધરપકડ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 24 Jan 2025 20:51:15 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 24 Jan 2025 20:53:39 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1883</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગેસ ગળતરથી મોતને ભેટેલા બંને સફાઈકર્મીઓના પરિવારને 48 કલાકમાં સહાય આપવામાં આવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6793af4127aa2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6793af40e2940.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6793af40e2940.jpg" length="83889" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>patdi news, dalit youths die while cleaning drains, assistance</media:keywords>
                </item>
                        <item>
                    <title>પાલનપુરના ગાદલવાડામાં દલિત યુવકે વરઘોડો કાઢવા પોલીસ રક્ષણ માંગ્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-seeks-police-protection-to-take-out-wedding-procession-in-gadalwada-palanpur</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-seeks-police-protection-to-take-out-wedding-procession-in-gadalwada-palanpur</guid>
                    <description>
                        <![CDATA[ વકીલ યુવકના આગામી 6 ફેબ્રુઆરીએ લગ્ન છે. યુવકને ચિંતા છે કે જેમ બાજુના ગામમાં જાતિવાદી તત્વોએ દલિતના વરઘોડા પર હુમલો કર્યો તેવું તેના લગ્નમાં પણ થઈ શકે છે. આથી તેણે પોલીસ રક્ષણ માંગ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધી, સરદારની ભૂમિ તરીકે જેની દુનિયાભરમાં ઓળખ છે તે ગુજરાત જ્યારે દલિતો-આદિવાસીઓ સાથે સમાન વ્યવહારની વાત આવે ત્યારે યુપી, બિહાર સહિતના કટ્ટર જાતિવાદને પણ શરમાવે તે સ્તરે આવીને ઉભું રહી જાય છે. ગુજરાતના ગામડાઓ જાતિવાદથી ખદબદે છે અને તેના અનેક ઉદાહરણો આપણે જોયા છે. ગુજરાતની ભાજપ સરકાર એકબાજુ સમરસતાની વાતો કરે છે, પરંતુ ગામોગામ દલિતો સાથે થતા ભેદભાવને દૂર કરવા માટે કોઈ નક્કર પગલાં લેતી નથી. અગાઉ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાત સરકારને 15મી ઓગસ્ટ દરમિયાન અમુક ગામોને આભડછેટ મુક્ત જાહેર કરવાનો પડકાર ફેંક્યો હતો, પરંતુ સરકાર તરફથી આ ચેલેન્જને સ્વીકારવા કોઈ આગળ આવ્યું નહોતું. એનો એક અર્થ એવો પણ થઈ શકે કે, ગુજરાતની ભાજપની સૌનો સાથે સૌનો વિકાસના સૂત્રધારી સરકારને પણ દલિતો સાથે થતી આભડછેટ દૂર કરવામાં જરાય રસ નથી. ઉપરથી સરકાર ભેદભાવ કરતા જાતિવાદી તત્વોને છાવરતી હોય તેવી સ્થિતિ છે. ગયા વર્ષે દલિત વરરાજાની જાન પર ખૂલ્લેઆમ હુમલો કરનાર માથાભારે તત્વોને તરત જામીન મળી ગયા હતા. જે દર્શાવે છે કે સરકાર એટ્રોસિટીના મજબૂત કાયદાનો કેટલો અને કેવો અમલ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ એકસરખી સ્થિતિ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે રાજસ્થાનના અજમેરમાં એક દલિત યુવકનો વરઘોડો 200થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે નીકળ્યો હતો, જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી હતી. દલિત વરરાજાને બીક હતી કે જાતિવાદી તત્વો તેના વરઘોડા પર હુમલો કરી શકે છે. આથી તેણે પોલીસ રક્ષણ મેળવ્યું હતું. હવે આવી જ એક ઘટના ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_67932cba5c51b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ગાદલવાડા ગામના એક દલિત યુવકે પોતાની જાનના વરઘોડા દરમિયાન પોલીસ રક્ષણ માંગ્યું છે. યુવકે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાને સંબોધીને અરજી કરી છે અને તેમાં પોતાના લગ્ન દરમિયાન વરઘોડામાં પોલીસ સુરક્ષા પુરી પાડવા વિનંતી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત વરરાજાએ પોલીસ રક્ષણ માંગ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામમાં રહેતા મુકેશભાઈ પરેચા વ્યવસાયે એડવોકેટ છે અને તેમણે પોતાના લગ્નના વરઘોડામાં પોલીસ રક્ષણ માંગ્યું છે. મુકેશભાઈએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, “તા. 6 ફેબ્રુઆરી 2025ના રોજ મારા લગ્ન છે, જેમા અમે ઘોડા પર બેસીને વરઘોડો કાઢવા માંગતા હોઈ પોલીસ સુરક્ષા આપવા વિનંતી છે. અમારા ગામમાં અનુસૂચિત જાતિના લોકોએ ક્યારેય વરઘોડો કાઢ્યો નથી કે નીકળતો પણ નથી. પહેલીવાર અમે વરઘોડો કાઢનાર વ્યક્તિ છીએ. જેથી અનિચ્છનીય બનાવ બનવાની પુરી શક્યતા છે, તેથી અમને પોલીસ સુરક્ષા આપવા વિનંતી છે. અગાઉ દલિત સમાજના લોકોએ વરઘોડો કાઢવા તેના પર હુમલો થયાની એકથી વધુ ઘટનાઓ બનેલી છે. અહીંના સરીપડા ગામે દલિત વરરાજાના વરઘોડા પર હુમલો થયો હતો, જે મારા ગામથી માત્ર 1 થી 1.5 કિલોમીટર દૂર છે. આ સિવાય મોટા ગામે પણ આવી જ ઘટના બની હતી, જે મારા ગામથી માત્ર 13 કિલોમીટર દૂર છે. આ બંને ગામો ગઢ પોલીસ સ્ટેશનમાં આવે છે. તા. 6 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 9.30 વાગ્યે અમારા ફાર્મ હાઉસથી ગામ સુધી વરઘોડો જવાનો છે. જેમાં 100 ટકા અજુગતો બનાવ બને તેવી શક્યતા હોવાથી પોલીસ રક્ષણ આપવા વિનંતી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ સુરક્ષા નહીં મળે તો ચોક્કસ હુમલો થશે તેવી ભીતિ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીમાં મુકેશભાઈ સ્પષ્ટ રીતે લખે છે કે, “આ અરજી મારફત હું જણાવવા માંગું છું કે, મારા વરઘોડામાં અજુગતી ઘટના બનશે તેવી શક્યતાને આધારે હું આ અરજી નથી કરી રહ્યો, પરંતુ પોલીસ સુરક્ષા નહીં મળે તો ચોક્કસ અજુગતી ઘટના ઘટશે જ એવું ભારપૂર્વક જણાવું છું, જેની ગંભીરતાથી નોંધ લઈ સમયસર પોલીસ સુરક્ષા પુરી પાડવા વિનંતી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરરાજા મુકેશભાઈ પરેચાએ આ અરજી બનાસકાંઠા એસપી ઉપરાંત ગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ, નાયબ પોલીસ અધીક્ષક એસસી-એસટી સેલ પાલનપુર અને ગુજરાતના ડીજીપીને પણ મોકલી છે. જોવાનું એ રહેશે કે ગુજરાત પોલીસ આ અરજીને કેવી રીતે લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અરજીકર્તા મુકેશ પરેચા શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા અરજીકર્તા મુકેશભાઈ પરેચાએ જણાવ્યું હતું કે, “અમારા ગામમાં આઝાદીના 75 પહેલાથી કદી અનુસૂચિત જાતિ સમાજની કોઈ વ્યક્તિનો વરઘોડો નથી નીકળ્યો. મારા ગામની બાજુમાં આવેલા સરીપડા ગામમાં આજથી પાંચેક વર્ષ પહેલા અનુસૂચિત જાતિ સમાજના એક આર્મી યુવકે વરઘોડો કાઢ્યો હતો. જેના પર હુમલો થયો હતો. ત્રણેક વર્ષ પહેલા મોટા ગામમાં ખાનગી કંપનીમાં કામ કરતા એક દલિત યુવકના વરઘોડા પર પણ હુમલો થયો હતો. મારા ગામમાં આજ દિન સુધી એકેય અનુસૂચિત જાતિ સમાજના વરરાજાનો વરઘોડો નથી નીકળ્યો. હું પહેલીવાર ઘોડા પર બેસીને નીકળવાનો છું અને મને તેમાં કેટલું જોખમ રહેલું છે તેનો મને સ્પષ્ટ ખ્યાલ છે. ગામના અમુક લોકો મારા વરઘોડામાં કશુંક છમકલું કરે તેવી પુરી શક્યતા જણાય છે. આથી મેં પોલીસ રક્ષણ માંગ્યું છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગાદલવાડા ગામ ફાયર બ્રાન્ડ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મતવિસ્તારમાં આવે છે. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આ ઘટના એક સમાજ તરીકે આપણે કેવા છીએ તે સ્પષ્ટ કરે છે. સાથે જ આ ઘટના ગુજરાતમાં દલિતોની સ્થિતિ આઝાદીના 75 વર્ષ પછી પણ કેવી છે તેની પણ ચાડી ખાય છે. અરજીકર્તા મુકેશભાઈ પરેચાનું ગામ ગાદલવાડા મારા મત વિસ્તાર વડગામમાં આવે છે. ત્રણ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે એસપીએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ અને પોલીસ સુરક્ષા પ્રદાન કરવામાં કોઈ કચાશ ન રાખવી જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/rajputs-attack-dalits-procession-in-badshahpur-uttar-pradesh-many-injured"><span style="font-size: 12pt;"> </span>રાજપૂતોએ દલિત દીકરીની જાન પર હુમલો કર્યો, અનેક જાનૈયા ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 24 Jan 2025 11:14:22 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 24 Jan 2025 11:31:43 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1880</Articleid>
                    <excerpt>વકીલ યુવકના આગામી 6 ફેબ્રુઆરીએ લગ્ન છે. યુવકને ચિંતા છે કે જેમ બાજુના ગામમાં જાતિવાદી તત્વોએ દલિતના વરઘોડા પર હુમલો કર્યો તેવું તેના લગ્નમાં પણ થઈ શકે છે. આથી તેણે પોલીસ રક્ષણ માંગ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6793286c03ad7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6793286bc288a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6793286bc288a.jpg" length="103688" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gadalwada palanpur news, dalit news, police protection to take out wedding procession</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકર હોસ્ટેલમાં દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-student-commits-suicide-at-dr-ambedkar-hostel-in-bharatpur-rajasthan</link>
                    <guid>https://khabarantar.com/dalit-student-commits-suicide-at-dr-ambedkar-hostel-in-bharatpur-rajasthan</guid>
                    <description>
                        <![CDATA[ 19વર્ષનો દલિત વિદ્યાર્થી બી.એ. ફાઈનલ વર્ષમાં ભણવાની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. કુમળી વયના યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારમાં સોંપો પડી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના ભરતપુરમાં જિલ્લા કલેક્ટર કચેરીની સામે આવેલી ડો.આંબેડકર છાત્રાલયમાં એક દલિત વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થીનું નામ રોહિત હતું અને તે બીએના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગહનોલી તાલુકાના દાલિણા ગામના રહેવાસી રોહિતના મિત્રોએ કહ્યું કે અમે તેના રૂમનો દરવાજો ખોલવા માટે બૂમ પાડી રહ્યા હતા પરંતુ તેણે રૂમનો દરવાજો ખોલ્યો નહોતો. લાંબા સમય સુધી કોઈ જવાબ ન મળતાં, અમે બારીની તિરાડમાંથી જોયું તો તે લટકતો જોવા મળ્યો. જે બાદ આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી. ત્યારબાદ મથુરા ગેટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું કહેવાય છે કે આત્મહત્યા કરનાર વિદ્યાર્થી ઘણા સમયથી તણાવમાં હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેના પરિવારજનોને જાણ કરી. મૃતકના પિતા ડ્રાઇવર છે અને હાલમાં છત્તીસગઢમાં છે. તેમના આગમન પછી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વિદ્યાર્થીની આત્મહત્યાના સમાચાર મળતાં જ હોસ્ટેલમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ મહલપુર દહિણા ગામના રહેવાસી રાજવીર સિંહનો પુત્ર 19 વર્ષીય રોહિત ઉર્ફે ડબ્બુ, ભરતપુર જિલ્લા કલેક્ટર કચેરી સામે આવેલા ડો. ભીમરાવ આંબેડકર ભવનના રૂમ નંબર 13માં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. રહોતિ મંગળવારે સવારે ૯ વાગ્યાની આસપાસ નહાઈને પોતાના રૂમમાં ગયો હતો. ત્યારબાદ બપોરે 2 વાગ્યે અન્ય વિદ્યાર્થીઓએ તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેમણે ગ્રીલમાંથી ડોકિયું કર્યું અને તેને ફાંસીથી લટકતો જોયો. ત્યારબાદ નજીકના લોકોને જાણ કરવામાં આવી હતી. મૃતકને ત્રણ બહેનો અને એક ભાઈ પણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/ten-year-old-girl-raped-by-neighbor-in-bharuchs-zaghadiya-gidc">પપ્પા..હું નહીં બચું...નહીં બચું...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 23 Jan 2025 17:09:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1879</Articleid>
                    <excerpt>19વર્ષનો દલિત વિદ્યાર્થી બી.એ. ફાઈનલ વર્ષમાં ભણવાની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. કુમળી વયના યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારમાં સોંપો પડી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67922a72b3dfe.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67922a727d256.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67922a727d256.jpg" length="47919" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit student suicide, bharatpur  news</media:keywords>
                </item>
                        <item>
                    <title>2.38 લાખ દલિત વિદ્યાર્થીઓની 181 કરોડની સ્કોલરશીપનું મહાકૌભાંડ ઝડપાયું</title>
                    <link>https://khabarantar.com/scholarship-scam-worth-rs-181-crores-of-lakhs-of-dalit-students-caught-in-himachal-pradesh</link>
                    <guid>https://khabarantar.com/scholarship-scam-worth-rs-181-crores-of-lakhs-of-dalit-students-caught-in-himachal-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ કૌભાંડ કેટલું મોટું છે તેનો અંદાજ એના પરથી લગાવી શકાય કે તેમાં ઈડીના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર અને સીબીઆઈના ડીએસપીની ધરપકડ કરવામાં આવી છે. આખો ઘટનાક્રમ વાંચીને ચોંકી જશો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિમાચલ પ્રદેશમાં દલિત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનું કૌભાંડ આજકાલ ખૂબ ચર્ચામાં છે. મની લોન્ડરિંગના આરોપોને કારણે સીબીઆઈની સાથે ઇડી પણ ૧૮૧ કરોડ રૂપિયાના આ કૌભાંડની તપાસ કરી રહી છે.આ કેસમાં કુલ 250 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. હવે આ કેસમાં, ED ઓફિસ શિમલાના ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર અને CBIના DSPની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ 2.5 કરોડ રૂપિયાની લાંચ માંગવા અને 55 લાખ રૂપિયા રોકડા મેળવવા સાથે જોડાયેલો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી વિગતો મુજબ આ કૌભાંડ વર્ષ 2013 માં શરૂ થયું હતું. ૨૦૧૩ થી ૨૦૧૯ સુધી હિમાચલ પ્રદેશમાં ખાનગી સંસ્થાઓએ દલિત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં કૌભાંડ કર્યું હતું. આ કેસમાં EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધીને તપાસ શરૂ કરી. શિમલામાં ED ઓફિસના ડેપ્યુટી ડિરેક્ટર વિશાલદીપે આ કેસમાં સામેલ ખાનગી સંસ્થાઓ પાસેથી મામલો થાળે પાડવા માટે લાંચ માંગી હતી. તે દરેક સંસ્થા પાસેથી 1 કરોડ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો. એ દરમિયાન, 2.5 કરોડ રૂપિયાની લાંચનો મામલો પ્રકાશમાં આવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીબીઆઈ ટીમે સૌપ્રથમ શિમલામાં ED ઓફિસ પર દરોડા પાડ્યા અને ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર વિશાલદીપના ભાઈની ધરપકડ કરી. આ કેસમાં સીબીઆઈએ ૫૫ લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા. વિશાલદીપ ઘણા દિવસો સુધી સીબીઆઈને ચમકો આપીને ભાગતો ફરતો હતો અને 18 દિવસ પછી મુંબઈથી તેની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ, 20 જાન્યુઆરી 2025 ના રોજ આ જ કેસમાં સીબીઆઈએ દિલ્હીથી તેના ડીએસપી બલબીર સિંહની ધરપકડ કરી. તેને 21 જાન્યુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એક દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. આરોપ છે કે ડીએસપી લાંચના પૈસા પર 10 ટકા કમિશન માંગી રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિષ્યવૃત્તિ કૌભાંડ શું છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિમાચલ પ્રદેશમાં 2.38 લાખ ST, SC અને લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાની હતી. રાજ્યની ખાનગી સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપવામાં આવનાર હતી. પરંતુ આ શિષ્યવૃત્તિના પૈસા ખાનગી સંસ્થાઓ દ્વારા કૌભાંડ કરીને ચાંઉ કરી જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ખોટા પ્રવેશ બતાવીને પૈસા હડપ કરી જવાયા. કારણ કે આ રકમ સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા નહોતી થતી પરંતુ કોલેજો દ્વારા આપવામાં આવી હતી. ૧૯,૯૧૫ વિદ્યાર્થીઓના નામે ૪ મોબાઈલ નંબર સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં પૈસા જમા કરવામાં આવ્યા હતા. હાલમાં, કુલ છેતરપિંડીનો આંકડો રૂ. 250 કરોડથી વધુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">EDએ 4 રાજ્યોમાં 24 સ્થળોએ દરોડા પાડ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોંધનીય છે કે 31 ઓગસ્ટ, 2023 ના રોજ, ED એ 4 રાજ્યોમાં 24 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 4.42 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જ્યારે IAS અધિકારી અરુણ શર્મા શિક્ષણ સચિવ હતા, ત્યારે તેમણે સૌપ્રથમ કેસ નોંધ્યો હતો. તેમણે પોતાના સ્તરે તપાસ કરી અને જોયું કે શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ સંસ્થાઓના દલાલોની સાથે મળીને શિષ્યવૃત્તિના નાણાંની ઉચાપત કરી ગયા છે. આ કેસમાં, જયરામ ઠાકુર સરકારે વર્ષ 2019 માં સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી અને ત્યારબાદ ED એ પણ પોતાના સ્તરે તપાસ શરૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ લોકોએ આરોપો લગાવ્યા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિસેમ્બર 2024માં CBI એ શિમલામાં ED ઓફિસ પર સતત ત્રણ વખત દરોડા પાડ્યા હતા. આ પછી, 30 ડિસેમ્બર 2024 ના રોજ શિમલામાં હિમાચલ પ્રદેશની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ હિમાલયન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના ચેરમેન રજનીશ બંસલ, દેવભૂમિ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના ચેરમેન ભૂપિન્દર શર્મા, આઈસીએલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના ચેરમેન સંજીવ પ્રભાકર અને ડી.જે., ચેરમેન, દિવ્યજ્યોતિ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના ચેરમેન ડી.જે. સિંહે ED પર ખંડણી ગેરવર્તણૂક અને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે EDના ડેપ્યુટી ડિરેક્ટરે 25 સંસ્થાઓના ડિરેક્ટરો પાસેથી 1-1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને કુલ 25 કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિષ્યવૃત્તિ કૌભાંડમાં 20 સંસ્થાઓ અને 105 વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં તપાસ પૂર્ણ કર્યા પછી, 30 માર્ચ, 2024 ના રોજ સીબીઆઈએ 20 સંસ્થાઓ અને 105 વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં સીબીઆઈએ કહ્યું હતું કે લાહૌલ અને સ્પીતિની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને પાંચ વર્ષથી શિષ્યવૃત્તિ મળી નથી, ત્યારબાદ આ મામલો પ્રકાશમાં આવ્યો. આ કેસમાં સીબીઆઈએ 30 સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા. આરોપીઓમાં શૈક્ષણિક સંસ્થાઓના ચેરમેન, વાઇસ-ચેરમેન, ડિરેક્ટર અને કર્મચારીઓનો સમાવેશ થાય છે; બેંક અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓનો સમાવેશ થતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે તત્કાલીન ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિક્ષક અરવિંદ રાજટા શિષ્યવૃત્તિની ફાળવણીનું કામ સંભાળતા હતા અને તેમણે 9 નકલી સંસ્થાઓને ₹ 28 કરોડથી વધુની શિષ્યવૃત્તિ રકમ આપી હતી, જેમાં તેમની પત્નીનો 33% હિસ્સો હતો. રાજટાની પણ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઇડીએ 8 મે, 2019 ના રોજ CBI દ્વારા કલમ 409 (કૌભાંડ), 419 (વ્યક્તિ દ્વારા છેતરપિંડી), 465 (બનાવટ), 466 (ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની ચેડાં) અને 471 (બનાવટી દસ્તાવેજોનો અસલી તરીકે ઉપયોગ કરવા) હેઠળ નોંધાયેલી એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/hundreds-of-poor-children-will-not-be-able-to-get-the-scholarship-as-the-process-becomes-difficult">પ્રક્રિયા અઘરી બનતા સેંકડો ગરીબ બાળકો શિષ્યવૃત્તિ નહીં મેળવી શકે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 23 Jan 2025 13:37:44 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 24 Jan 2025 10:13:54 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1878</Articleid>
                    <excerpt>કૌભાંડ કેટલું મોટું છે તેનો અંદાજ એના પરથી લગાવી શકાય કે તેમાં ઈડીના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર અને સીબીઆઈના ડીએસપીની ધરપકડ કરવામાં આવી છે. આખો ઘટનાક્રમ વાંચીને ચોંકી જશો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67931a815a0e5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67931a812af79.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67931a812af79.jpg" length="71493" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>himachal pradesh news, scholarship scam</media:keywords>
                </item>
                        <item>
                    <title>200 થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાની જાન નીકળી</title>
                    <link>https://khabarantar.com/dalit-grooms-wedding-procession-leaves-amid-security-of-over-200-policemen-in-ajmer</link>
                    <guid>https://khabarantar.com/dalit-grooms-wedding-procession-leaves-amid-security-of-over-200-policemen-in-ajmer</guid>
                    <description>
                        <![CDATA[ દલિત વરરાજાની જાનમાં જાનૈયા કરતા વધુ પોલીસ જોવા મળી. ડ્રોન કેમેરા, 20થી વધુ લેડીઝ પોલીસ અને બેરીકેડ્સ ગોઠવ્યા ત્યારે જતી દલિત વરરાજાની જાન નીકળી શકી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના અજમેરમાં એક દલિત વરરાજાને તેના લગ્નની જાન અને વરઘોડો કાઢવા માટે પોલીસની મદદ લેવી પડી. મળતી માહિતી મુજબ દલિત વરરાજાની જાન ઘોડી પર નીકળવાની હતી અને તેને પોતાના સગાસંબંધીઓ અને ગામલોકો પાસેથી જાણવા મળ્યું હતું કે તેના વરઘોડા અને જાન પર પોતાને ઉંચી જાતિના સમજતા અમુક આવારા તત્વો હુમલો કરી શકે છે. લગ્ન જેવા ખુશીના પ્રસંગને લુખ્ખા તત્વો હુમલો કરીને ખરાબ ન કરી નાખે તે માટે યુવકે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. જેથી જાન-વરોઘોડો કોઈપણ પ્રકારના વિવાદ વિના નીકળી શકે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનની છે. અહીંના અજમેરમાં એક દલિત વરરાજાની જાન કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી હતી, કારણ કે વરરાજાના પરિવારને ડર હતો કે જો તેમનો દીકરો ઘોડી પર બેસીને જાન લઈને નીકળશે તો ગામની એક માથાભારે કોમના લુખ્ખા તત્વો હુમલો કરીને પ્રસંગ બગાડશે. આથી વરરાજાના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. એ પછી પોલીસતંત્ર એક્શનમાં આવ્યું હતું અને 200થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાની જાન અને વરઘોડો નીકળ્યો હતો. એ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના બની નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના પરથી એ પણ સાબિત થાય છે કે, ભારતમાં ભલે બંધારણની 75મી જન્મજયંતિની ઉજવણી થતી હોય પરંતુ આજે પણ કોમવાદી તત્વો પોતાની મનમાની કરવા માટે મથી રહ્યાં છે. અનેક ગામોમાં હજુ પણ દલિત વરરાજા ઘોડે ચડીને જાન લઈને આવે તો માથાભારે કોમના તત્વો તેના પર હુમલો કરે છે. દર વર્ષે આવી અનેક ઘટનાઓ બને છે પરંતુ તેમાં પોલીસતંત્ર કોઈ નક્કર પગલાં ન ભરતું હોવાથી આવા તત્વોની હિંમત ખૂલી જાય છે અને તેઓ ફરીથી આ પ્રકારની હરકત કરવા પ્રેરાય છે. જો કાયદો તેનું કામ કરે તો આવા તત્વો કાયમ માટે ખો ભૂલી જાય. પણ અફસોસ કે આવું દર વખતે થતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અજમેરના લાવેરા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરરાજા વિજય રેગરની સગાઈ લાવેરા ગામની અરૂણા ખોરવાલ સાથે નક્કી થઈ હતી. એ પછી મંગળવાર તારીખ 21 જાન્યુઆરી 2025ના રોજ બંનેના લગ્ન યોજાવાના હતા. જો કે વિજયના પિતાને શંકા હતી કે ગામની માથાભારે કોમના અમુક લુખ્ખા તત્વો તેમની દીકરીની જાન પર હુમલો કરી શકે છે. તેની જાણ તેમણે કન્યા અને તેના પરિવારને પણ કરી હતી. આથી વિજયે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. એ પછી 200થી વધુ પોલીસકર્મીઓ જાન અને વરઘોડાના દિવસે વરરાજા વિજયની સુરક્ષામાં તૈનાત રહ્યા હતા અને આખો પ્રસંગ હેમખેમ પૂર્ણ કરાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડ્રોન કેમેરા, બેરીકેડ્સ અને મહિલા પોલીસ તૈનાત કરાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે અજમેરના પોલીસ અધિક્ષક વંદિતા રાણાએ જણાવ્યું હતું કે, એક પરિવારે પોલીસ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી કે તેઓ લગ્નનો વરઘોડો કાઢવા માંગે છે અને ગામના કેટલાક લોકો તેના પર હુમલો કરીને આખો પ્રસંગ બગાડી શકે છે. તૈયારી તરીકે ગામમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પણ સહકાર આપ્યો અને કહ્યું કે આમાં કોઈ વાંધો નહીં આવે. એ પછી પોલીસ સુરક્ષા હેઠળ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. એ પછી 200થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા હેઠળ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અનેક જગ્યાએ બેરીકેડ મૂકવામાં આવ્યા હતા. જાન પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી હતી. 20થી વધુ મહિલા કોન્સ્ટેબલ પણ આ દરમિયાન તૈનાત કરાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કન્યાના પિતાએ સામાજિક કાર્યકરોનો સંપર્ક કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કન્યા અરુણાના પિતા નારાયણ ખોરવાલે પણ સ્થાનિક કાર્યકરોનો સંપર્ક કર્યો, જેમાં સેન્ટર ફોર હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રાઇટ્સના સચિવ રમેશ ચંદ બંસલનો પણ સમાવેશ થાય છે. બંસલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ને પત્ર લખ્યો અને સ્થાનિક પોલીસની પણ મદદ માંગી, જેના પગલે અનેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કન્યાના પિતા નારાયણે ખોરવાલે કહ્યું કે, જો આપણે ડરતા રહીશું તો આ લોકો આ જ રીતે ભય પેદા કરીને આપણને દબાવતા રહેશે. તેથી અમે કાયદાનો સહારો લીધો. અમે એક શિક્ષિત પરિવાર છીએ. ભૂતકાળમાં અમારા ગામમાં માથાભારે કોમના લોકો દ્વારા દલિત વરરાજાની જાન પર હુમલો કરાયાની ઘટનાઓ બની છે, તેથી અમે પોલીસ અને કાર્યકરોનો સંપર્ક કર્યો હતો. અને તેમણે સંપૂર્ણ સહકાર આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">20 વર્ષ પહેલા કન્યાની ફોઈની જાન પર હુમલો થયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખી ઘટનામાં આજથી 20 વર્ષ પહેલા બનેલી એક ઘટના રહેલી છે. વર્ષ 2005માં જ્યારે વરરાજના પિતા નારાયણ લાલ રેગરની બહેન સુનિતાના લગ્ન યોજાયા હતા ત્યારે વરરાજા ઘોડા પર બેસીને જાન લઈને પહોંચ્યા હતા, ત્યારે એક કોમના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તે સમયે ઘણો વિવાદ થયો હતો. પોલીસ વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી તેમ છતાં માથાભારે કોમની બીકના કારણે ઘોડીવાળો પોતાની ઘોડી લઈને લગ્ન અધવચ્ચે છોડીને ભાગી ગયો હતો. એ પછી દલિત વરરાજાએ જીપમાં બેસીને જાન લઈને લગ્નમંડપ સુધી જવું પડ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, ત્યારે પોલીસ હાજર હોવા છતાં દલિત વરરાજા ઘોડી પર બેસીને વરઘોડો નહોતા કાઢી શક્યા. જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઈ હદે કથળી ગઈ હશે તેનો ખ્યાલ આપે છે.    </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મનુવાદી મીડિયાએ માથાભારે લોકોની જાતિ છુપાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખી ઘટનાના રિપોર્ટિગમાં સૌથી પહેલા ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે, મનુવાદી મીડિયાએ હુમલાખોર તત્વો કઈ જાતિના છે તે છુપાવી રાખ્યું હતું. ખબરઅંતર.કોમે આ ઘટનાના અનેક મીડિયા રિપોર્ટ ચેક કર્યા પરંતુ ક્યાંય પણ હુમલાખોર તત્વોની જાતિનો ઉલ્લેખ જોવા મળ્યો નહોતો. જે સ્પષ્ટ કરે છે કે આ દેશનું મીડિયા દલિત વિરોધી છે અને મનુવાદી-જાતિવાદી તત્વો ગમે તેટલો મોટો ગુનો કરે, કૌભાંડ આચરે કે જઘન્ય કૃત્ય કરે તો પણ સતત તેને છાવરવાનું કામ કરે છે. અગાઉ પણ અનેક વખત એવું બન્યું છે કે, મનુવાદી મીડિયાએ દલિત યુવતીઓ પર થયેલા બળાત્કાર, હત્યાના કેસોમાં પણ આરોપીઓની જાતિ, અટક છુપાવી રાખી હોય. આવા તત્વોને ખૂલ્લા પાડવા માટે જરૂરી છે કે બહુજનોનું પોતાનું મીડિયા મજબૂત હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/rajputs-attack-dalits-procession-in-badshahpur-uttar-pradesh-many-injured">રાજપૂતોએ દલિત દીકરીની જાન પર હુમલો કર્યો, અનેક જાનૈયા ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 23 Jan 2025 10:18:24 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 24 Jan 2025 09:25:04 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1876</Articleid>
                    <excerpt>દલિત વરરાજાની જાનમાં જાનૈયા કરતા વધુ પોલીસ જોવા મળી. ડ્રોન કેમેરા, 20થી વધુ લેડીઝ પોલીસ અને બેરીકેડ્સ ગોઠવ્યા ત્યારે જતી દલિત વરરાજાની જાન નીકળી શકી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67930f0cb75cf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67930f0c8238c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67930f0c8238c.jpg" length="95699" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Lavera village of Ajmer, Dalit news, Ajmer news</media:keywords>
                </item>
                        <item>
                    <title>પાટડીમાં ગટર સફાઈમાં બે દલિત યુવકોના મોત, અમદાવાદના કોન્ટ્રાક્ટરની ધરપકડ</title>
                    <link>https://khabarantar.com/two-dalit-youths-die-while-cleaning-drains-in-patdi-ahmedabad-contractor-arrested</link>
                    <guid>https://khabarantar.com/two-dalit-youths-die-while-cleaning-drains-in-patdi-ahmedabad-contractor-arrested</guid>
                    <description>
                        <![CDATA[ પાટડીમાં 24 અને 17 વર્ષના બે દલિત યુવકોને કોન્ટ્રાક્ટરે સુરક્ષા સાધનો વિના ગટરની સફાઈ કરવા ઉતાર્યા હતા, બંનેનું ગેસ ગળતર થતા મોત નીપજ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગરના પાટડીમાં ગઈકાલે ગટરની સફાઈ દરમિયાન બે દલિત યુવકોના મોત થયા હતા. આ મામલે આજે અમદાવાદના કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાટડીના વેલનાથનગર પાસે ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઉતરેલા 24 વર્ષના જયેશ પાટડીયા અને 17 વર્ષના ચિરાગ પાટડીયાને કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વિના સફાઈ કરવા માટે ઉતાર્યા હતા. પરિણામે બંને યુવાનો ગટરમાંથી નીકળતા ઝેરી ગેસને કારણે ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6790e931e2387.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આ ઘટના અંગે કંપનીના કોન્ટ્રાક્ટર સંજય પટેલની ધરપકડ કરી છે. આ ઘટનાએ એકવાર ફરી સફાઈ કર્મચારીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સામાજિક સંગઠનો અને એનજીઓએ સફાઈ કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો પૂરા પાડવા અને તેમના જીવનની સલામતી સુનિશ્ચિત કરવાની માગ કરી છે. અમદાવાદની અંબિકા કોર્પોરેશન કંપનીને પાટડી નગરપાલિકા દ્વારા ગટર સફાઈનું કામ સોંપવામાં આવ્યું હતું. ઘટના બાદ મૃતકોના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી પાંચ માગણીઓ રજૂ કરી હતી. જેમાં પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને આર્થિક સહાયનો સમાવેશ થાય છે. મોડી રાત્રે તંત્રે માગણીઓ સ્વીકારતા પરિવારજનોએ બંને યુવાનોનો મૃતદેહનો સ્વીકાર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂર્વ અને વર્તમાન ધારાસભ્યે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, બંને યુવકો પાણીના સંપ અંદર ઉતરીને કામ કરવા જતા ગૂંગળાઈને મોતને ભેટ્યાં હતા. હું સરકાર પાસે માંગણી કરૂ છું કે, મૃતકોને રૂ.10-10 લાખની સહાય કરવામાં આવે અને એમના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે. સરકારે અનેક વખત કહ્યું છે કે, ગુજરાતમાં મેન્યુલ સ્કેવેન્જંગ બંધ થઈ ગયુ છે. પરંતુ એ વાત ખોટી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6790e91070743.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ દસાડાના ધારાસભ્ય પી. કે. પરમારે કહ્યું હતું કે, મારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત થઇ છે. તેમણે આ ઘટના અંગે પરિવારજનોને સાંત્વના પાઠવવાની સાથે જરૂરી સહાય આપવાની સાથે આજનો એમનો કાર્યક્રમ રદ કર્યો છે. અને સાથે આ ઘટનામાં દોષિત વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ હૈયાધારણા આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જયેશના 6 મહિના પહેલા લગ્ન થયા હતા, પત્ની સગર્ભા છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંગળવારે સવારે કુંડી સાફ કરવા ઉતરેલો 17 વર્ષના ચિરાગ પાટડીયા ગુંગળાઈને બેભાન થઇ જતા એને બચાવવા જતા કુંડીમાં ઉતરેલો 24 વર્ષનો જયેશ પાટડીયા પણ ગુંગળાઈને ઢળી પડ્યો હતો. અને બંને આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પાટડી નગરપાલિકામા સફાઈ કામદાર તરીકે કામ કરતા ભરત પાટડીયાના 24 વર્ષના પુત્ર જયેશ પાટડીયાના તો છ માસ અગાઉ જ લગ્ન થયા હતા. અને એની પત્ની ગર્ભવતી છે. જયેશનું ગેસ ગળતરથી મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બંને મૃતકોના પરિવારજનોની રોકકળ અને આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બંનેને જ્યારે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હાલતમાં જ હતા. જેમાં કેમિકલ રિએક્શન અને પેટ અને ફેફસા સુધી ગટરનું પાણી ઘૂસી જતા બંને મોતને ભેટ્યા હતા. હાલ આ ગટરના પાણીના કેમિકલ એનાલિસિસમાં રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દસાડા અનુસૂચિત જાતિ સમાજ એક્શન મોડમાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં દસાડા તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પાટડી નાયબ કલેક્ટર પાસે પાંચ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં મૃતકના પરિવારજનોને રૂ. એક-એક કરોડનું વળતર, બંને મૃતકોના પરિવારના એક સભ્યને સફાઈકામ સિવાયની કાયમી નોકરી, ભવિષ્યમાં આવી ઘટના ન બને એની બાહેંધરી અને સલામતી કિટની વ્યવસ્થા કરવી, પાટડી ખાતેનો મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ કરવો અને ચીફ ઓફિસર, સેનેટરી ઓફિસર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ એફઆઈઆર કરવી. જેમાં કલેક્ટર કેયુર સી. સંપટ અને જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા દ્વારા તમામ માંગણીઓ સ્વીકારવાની સાથે હાલ પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ અને કોન્ટ્રાકટર સંજય વિરુદ્ધ એફઆઈઆર પર કરી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/75-people-drowned-in-sewers-in-15-years-only-1-was-punished"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"> </span>15 વર્ષમાં 75 લોકો ગટરમાં ગૂંગળાઈ મર્યા, સજા ફક્ત 1 ને થઈ</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 Jan 2025 18:20:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1874</Articleid>
                    <excerpt>પાટડીમાં 24 અને 17 વર્ષના બે દલિત યુવકોને કોન્ટ્રાક્ટરે સુરક્ષા સાધનો વિના ગટરની સફાઈ કરવા ઉતાર્યા હતા, બંનેનું ગેસ ગળતર થતા મોત નીપજ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6790e8f1eb291.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6790e8f1b99ce.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6790e8f1b99ce.jpg" length="72842" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>patdi news, dalit youths die while cleaning drains</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત સરપંચે અંતિમવિધિમાં મદદ કરતા તેમના ઘર સામેનો રસ્તો ખોદી નાખ્યો</title>
                    <link>https://khabarantar.com/casteist-elements-dug-up-the-road-in-front-of-the-house-of-a-dalit-sarpanch-in-balrampur-up</link>
                    <guid>https://khabarantar.com/casteist-elements-dug-up-the-road-in-front-of-the-house-of-a-dalit-sarpanch-in-balrampur-up</guid>
                    <description>
                        <![CDATA[ દલિત મહિલા સરપંચે ગામની એક દલિત મહિલાના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે લાકડાની વ્યવસ્થા કરી આપી હતી. જેનાથી મનુવાદીઓ ઉશ્કેરાયા હતા. હવે મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનુસ્મૃતિમાં શ્રદ્ધા ધરાવતા જાતિવાદી તત્વોને દલિતો સાથે ક્યારે અને કેવી બાબતમાં માઠું લાગી આવશે કે કળી શકાય તેમ નથી. વાસ્તવમાં તેઓ દલિત સમાજના લોકો સામે વાંધો પડે ત્યારે તેમને સબક શીખવાનું કોઈને કોઈ બહાનું શોધતા હોય છે. પછી ભલેને તે મામલો સ્મશાનમાં અંતિમવિધિ માટે લાકડા આપવાનો જ કેમ નથી. સામાન્ય રીતે ગમે તેવો હલકટ માણસ પણ કોઈ વ્યક્તિની અંતિમવિધિ કે તેની સાથે જોડાયેલી કોઈ બાબતને લઈને દખલગીરી ન કરે. પણ મનુવાદી તત્વો હલકટ લોકોને પણ ટપી જાય તેવું કૃત્ય કરતા અચકાતા નથી અને તેનું સૌથી મોટું ઉદાહરણ આ ઘટના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બટેંગે તો કટેંગે ફેઈમ જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશની છે. અહીંના બલરામપુરના રાજઘાટ કાકડા ગામમાં 20 જાન્યુઆરી 2025ના રોજ એક ગામની દલિત મહિલા સરપંચે આરોપ લગાવ્યો છે કે, તેમણે ગામની એક દલિત મહિલાના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે લાકડાની વ્યવસ્થા કરાવી હતી. જેના કારણે બાજુના ગામના સરપંચે તેમના ઘર સામે જેસીબી મશીનથી મસમોટો ખાડો ખોદાવીને તેમનો અવરજવરનો રસ્તો જ બંધ કરી દીધો હતો. આ મામલે દલિત મહિલા સરપંચે પોલીસ ફરિયાદ કરતા એસપીએ તપાસના આદેશ આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના રાજઘાટ કાકરા ગામમાં બની હતી. બફવા ગામની દલિત મહિલા સરપંચ સુનિતા દેવીએ રાજઘાટ કાકરા ગામના સરપંચ સુનિલ સિંહ પર જમીન પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે સુનીલ સિંહે સુનિતા દેવીના ઘરની સામે ખાડો ખોદી નાખ્યો અને તેમના પરિવારનો ઘરે આવવા-જવાનો રસ્તો બંધ કરી દીધો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખા મામલામાં એક દલિત મહિલાની અંતિમવિધિમાં સરપંચ સુનિતા દેવીએ કરેલી મદદ જવાબદાર હોવાનું કહેવાય છે. આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ગત શનિવારે સોહનલાલ નામનો એક દલિત સુનિતા દેવી પાસે તેની પત્નીની અંતિમવિધિ માટે લાકડા માંગવા માટે આવ્યો હતો. સુનિતા દેવીએ મેવાલાલ નામના એક માણસને કહીને ગામના તળાવ પાસે આવેલા ઝાડમાંથી સૂકી ડાળીઓ તોડીને સોહનલાલને મદદ કરવા કહ્યું હતું. જેનો બાજુના ગામના સરપંચ સુનીલ સિંહે આવીને વિરોધ કર્યો હતો અને મેવાલાલને જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેવાલાલે દાવો કર્યો હતો કે તેણે અંતિમ સંસ્કાર માટે લાકડા એકઠા કરી રહ્યાં હોવાની વાત કહી હતી તેમ છતાં સુનીલ સિંહે લાકડા લઈ જવા દીધા નહોતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના પછી સુનિલ સિંહે બફવા ગામમાં દલિત સરપંચ સુનિતા દેવીના ઘર સામેની જમીનને ખળું જાહેર કરીને ત્યાં જેસીબી મશીનથી 100 મીટર લાંબી અને 8 ફૂટ ઊંડી ખાઈ ખોદી નાખી હતી. જેના કારણે સુનિતા દેવીના પરિવારને ચાલવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુનિતા દેવી અને તેમના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેમણે આ અંગે શહેર પોલીસ સ્ટેશન અને મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ નોંધાવી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિક પોલીસ અધિક્ષક (ASP) નમ્રતા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ફરિયાદ મળી છે અને તપાસ ચાલી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, આરોપી સુનિલ સિંહે પોતાના બચાવ કરતા કહ્યું હતું કે, આ જમીન તેમના ગામની હદમાં છે અને તેને ગામના ખળાં તરીકે જાહેર કરવાનો અમને હક હોવાથી અમે ત્યાં ખાડો ખોદી વાડ કરવા માંગીએ છીએ. આખો મામલો સ્પષ્ટ રીતે દ્વેષભાવનાથી પ્રેરિત હોવા છતાં આરોપી સુનિલ સિંહે નફ્ફટ થઈને સુનિતા દેવી સાથે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ હોવાનો ઇનકાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/locals-did-not-allow-cremation-of-converts">ધર્મ પરિવર્તન કરનાર શખ્સની સ્થાનિકોએ અંતિમક્રિયા ન થવા દીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 Jan 2025 12:19:45 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 22 Jan 2025 12:21:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1872</Articleid>
                    <excerpt>દલિત મહિલા સરપંચે ગામની એક દલિત મહિલાના મૃત્યુ બાદ અંતિમવિધિ માટે લાકડાની વ્યવસ્થા કરી આપી હતી. જેનાથી મનુવાદીઓ ઉશ્કેરાયા હતા. હવે મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679094a12dce1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679094a0ee70b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679094a0ee70b.jpg" length="70658" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>balrampur up news, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>તાલુકા ક્લાર્કે દલિત મહિલાને થપ્પડ મારી, ચંપલથી જાહેરમાં ફટકારી</title>
                    <link>https://khabarantar.com/taluka-clerk-beats-dalit-woman-with-slippers-in-bhind-madhya-pradesh</link>
                    <guid>https://khabarantar.com/taluka-clerk-beats-dalit-woman-with-slippers-in-bhind-madhya-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ ક્લાર્કે ગરીબ દલિત મહિલા પાસેથી લાંચ પણ લીધી છતાં તેનું કામ ન કર્યુ. મહિલાએ કામ વિશે પૂછ્યું તો થપ્પડ મારી, ચંપલથી માર માર્યો. કચેરીમાં હાજર લોકો પ્રેક્ષક બની તમાશો જોતા રહ્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાની જાતિના જોરે સરકારી હોદ્દાઓ પર બિરાજતા મનુવાદી તત્વો પોતે રાજા હોય અને સામાન્ય માણસ પ્રજા હોય તેમ વર્તતા હોય છે. મનુવાદી વર્ણવ્યવસ્થાને કારણે સદીઓથી ચોક્કસ જાતિના જ લોકો અમુક સરકારી હોદ્દાઓ પર જોવા મળે છે. પરિણામે આવા લોકો દલિતો, આદિવાસીઓ, ઓબીસી સમાજના ગરીબ લોકોને ગણકારતા નથી અને તેમનું સામાન્ય કામ પણ લબડાવી રાખી છે. લાખોનો પગાર મેળવતા આ તત્વો પાછા ગરીબો પાસેથી લાંચ માંગવામાં પણ જરાય લાજશરમ અનુભવતા નથી હોતા અને ઉપરથી દાદાગીરી કરતા હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે, જેણે માનવતાને શર્મશાર કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના ભિંડના ગોહડની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો આદિવાસીઓ પર સૌથી અત્યાચાર થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીં ભિંડ જિલ્લાના ગોહડ તાલુકામાં એક સરકારી કારકુન (બાબુ) એ એક દલિત મહિલા પર હુમલો કર્યો અને તેને જૂતાથી માર માર્યો હતો. મહિલા કોઈ સરકારી કામ માટે તાલુકા કચેરી પહોંચી હતી, જ્યાં તેની સાથે ક્લાર્કે જાહેરમાં દુર્વ્યવહાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોધે કી પાલી ગામની રહેવાસી 55 વર્ષીય દીપા જાટવ સોમવારે સરકારી દસ્તાવેજો સંબંધિત કોઈ કામ માટે ગોહડ તાલુકા કચેરી પહોંચી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે અહીં ફરજ પર હાજર ક્લાર્ક નવલ કિશોર ગૌરે અગાઉ તેનું આ નાનકડું કામ કરી આપવા માટે પણ લાંચ લીધી હતી, પરંતુ તેમ છતાં કામ કરી આપ્યું નહોતું. જ્યારે મહિલાએ વિરોધ કર્યો અને તેના કામ વિશે પૂછ્યું, ત્યારે ક્લાર્કે તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મનુવાદી ક્લાર્કે જાહેરમાં થપ્પડ મારી ચપ્પલથી હુમલો કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત મહિલાએ જ્યારે પોતાના કામને લઈને સ્પષ્ટતા માંગી તો મનુવાદી ક્લાર્ક નવલકિશોર ગૌડ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પહેલા મહિલાને થપ્પડ મારી અને પછી પોતાનું ચંપલ કાઢીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. મહિલા ચીસો પાડતી રહી, પરંતુ ત્યાં હાજર અન્ય લોકો પ્રેક્ષક બની રહ્યા અને કોઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો. આ ઘટના દરમિયાન મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી. ડોક્ટરોના જણાવ્યા મુજબ, મહિલાના ચહેરા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા મામલો સામે આવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં, ક્લાર્ક દીપા જાટવને થપ્પડ મારતો અને ચંપલથી હુમલો કરતો જોઈ શકાય છે. વીડિયો સામે આવ્યા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોહડના એસડીએમ પરાગ જૈને જણાવ્યું કે ઘટનાનો વીડિયો જોયા પછી તેમણે કલેક્ટરને આ અંગે જાણ કરી હતી. ભિંડ કલેક્ટર સંજીવ શ્રીવાસ્તવે આરોપી ક્લાર્ક નવલ કિશોર ગૌડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો. સસ્પેન્શન દરમિયાન તેમને અંડોરી તાલુકામાં મોકલી દેવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આરોપી ક્લાર્ક વિરુદ્ધ હુમલાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ અધિક્ષક અસિત યાદવે ખાતરી આપી છે કે સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને ગુનેગારને કડક સજા આપવામાં આવશે. પીડિત મહિલા દીપા જાટવનું કહેવું છે કે નવલ કિશોર ગૌડે તેના સરકારી કામ માટે લાંચ માંગી હતી જે તેણે આપવી પડી હતી, પરંતુ ગૌડે ન તો તેનું કામ કર્યું કે ન પૈસા પરત કર્યા. જ્યારે તેણે ગૌડને તેનું કામ કરવાનું કહ્યું, ત્યારે તેણે અપશબ્દો કહ્યાં અને પછી તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/principal-beats-up-dalit-student-in-vidishas-gyaraspur">'આજે સ્કૂલ વહેલા છૂટી ગઈ' એમ કહી દેતા આચાર્યે દલિત વિદ્યાર્થિનીને ફટકારી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 Jan 2025 10:24:16 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 22 Jan 2025 23:42:07 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1870</Articleid>
                    <excerpt>ક્લાર્કે ગરીબ દલિત મહિલા પાસેથી લાંચ પણ લીધી છતાં તેનું કામ ન કર્યુ. મહિલાએ કામ વિશે પૂછ્યું તો થપ્પડ મારી, ચંપલથી માર માર્યો. કચેરીમાં હાજર લોકો પ્રેક્ષક બની તમાશો જોતા રહ્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679134e35edab.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_679134e32f5c2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_679134e32f5c2.jpg" length="28492" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>taluka clerk beats dalit woman, bhind news, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત ડ્રાઈવર ભૂલથી માટલાને અડક્યો, એ પછી માલિકે જે કર્યું તે કલ્પના બહારનું હતું</title>
                    <link>https://khabarantar.com/dalit-driver-kidnapped-and-beaten-with-belt-by-owner-for-touching-his-water-in-jhunjhunu</link>
                    <guid>https://khabarantar.com/dalit-driver-kidnapped-and-beaten-with-belt-by-owner-for-touching-his-water-in-jhunjhunu</guid>
                    <description>
                        <![CDATA[ દલિત ડ્રાઈવર ભૂલથી ટ્રક માલિકના માટલાને અડકી ગયો તો બેલ્ટ વડે નિર્દયાથી માર મારી અપહરણ કર્યું. એ પછી જે થયું તેની કોઈને કલ્પના નહોતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના ઝુંઝનુમાં એક દલિત ટ્રેક્ટર ડ્રાઇવરને ઈંટના ભઠ્ઠાના માલિકનું માટલું સ્પર્થવા બદલ નિર્દયતાથી માર મારવામાં આવ્યો. એ પછી આરોપીઓ ડ્રાઈવર અને તેના સાથીનું અપહરણ કરીને હરિયાણાના રેવાડી લઈ ગયા. જ્યાં બંનેના પરિવારો પાસેથી 1 લાખ રૂપિયાની ખંડણી વસૂલવામાં આવી અને પછી છોડ્યાં. આ મામલો ઝૂંઝનુના પચેરી કલાં પોલીસ સ્ટેશનમાં આવેલા મેઘપુર ઈંટ ભઠ્ઠાનો છે. આ ઘટના 18 જાન્યુઆરીની રાત્રે બની હતી અને પીડિત ચીમનલાલ મેઘવાલે રવિવાર 20 જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પચેરી કલાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે ડ્રાઇવરના શરીર પર ઈજાના નિશાન હતા. તેના સાથીને પણ માર મારવામાં આવ્યો હતો. બંનેની પચેરી સીએચસી (ઝુઝનું) ખાતે તબીબી તપાસ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત ડ્રાઈવરે ફરિયાદમાં શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત ડ્રાઈવરે રિપોર્ટમાં જણાવ્યું છે કે, “હું સિકર જિલ્લાના ખંડેલા વિસ્તારના કોટડી ગામનો રહેવાસી છું. બે દિવસ પહેલા, ૧૮ જાન્યુઆરીના રોજ હું ટ્રેક્ટર લઈને મેઘપુર (ઝુઝનું) માં વિનોદ યાદવના ઈંટના ભઠ્ઠામાં ઈંટો લેવા ગયો હતો. ટ્રેક્ટર લોડ કર્યા પછી પૈસા વિનોદના એકાઉન્ટન્ટને આપવામાં આવ્યા. એ પછી, જ્યારે તે માટલામાંથી પાણી પીવા ગયો ત્યારે ભઠ્ઠા માલિક વિનોદ યાદવ ત્યાં આવી પહોંચ્યો. તેણે આવતાની સાથે જ મને લાત મારી. એ પછી વિનોદ, મુનીમ, બલરાજ અને અન્ય એક વ્યક્તિ મને કારમાં બેસાડીને રેવાડી (હરિયાણા) લઈ ગયા. ત્યાં તેમણે આખી રાત મને માર્યો. રાત્રે ઓનલાઈન પૈસા મંગાવ્યા. એ પછી, ૧૯ જાન્યુઆરીની સવારે ભઠ્ઠામાં ફરી મને ભઠ્ઠા પર લઈ આવ્યા અને એક રૂમમાં બંધ કરી દીધો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાથી ડ્રાઈવરને પણ થપ્પડ મારી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત ચીમનલાલના સાથી ડ્રાઇવર પરમેશ્વરે કહ્યું કે મેં આરોપીને માર મારતા અટકાવવાનો પ્રયાસ કર્યો. મેં તેને કહ્યું કે મેં હું એક માટલાને અડ્યો છું, હું તેની સામે તમને પાંચ માટલાં લાવી આપીશ. તો તેઓ મને પણ મારવા લાગ્યા અને મને ખેતરમાં બનેલા રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો. એ પછી, તેઓ અમારા પરિચિતોને ફોન કરીને એક લાખ રૂપિયાની ખંડણી માંગવા લાગ્યા. રાત્રે ફોનપે દ્વારા 20 હજાર રૂપિયા આપ્યા. એ પછી સવારે બાકીની રકમ ચૂકવી દેવાની શરતે તેઓ સવારે 4 વાગ્યે મને ભઠ્ઠા પર પાછો લાવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રેક્ટર ટ્રોલી ખાલી કરાવી દેવામાં આવી અને સવારે ૬ વાગ્યે મારો ભાઈ રામેશ્વર એક લાખ રૂપિયા લઈને આવ્યો અને ભઠ્ઠાના માલિકને આપી દીધા. એ પછી મને છોડ્યો. એ દરમિયાન ચીમનલાલ પણ ત્યાંથી ભાગી ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બેલ્ટથી નિર્દયતાથી માર મારવામાં આવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રેક્ટર માલિક બલદેવ મીણાએ આ બાબતે જણાવ્યું કે હતું કે, મને રાત્રે 2 વાગ્યે (19 જાન્યુઆરી) ફોન આવ્યો અને 1 લાખ 12 હજાર રૂપિયા લાવવાનું કહેવામાં આવ્યું. મારા ફક્ત ૧૬,૯૦૦ રૂપિયા બાકી હતા. ચીમનલાલના ફોન પરથી ભઠ્ઠા માલિકનો ફોન આવ્યો અને મને ચીમનલાલના ચીસો પાડવાનો અને બૂમો પાડવાનો અવાજ પણ સંભળાયો. બેલ્ટથી માર મારવામાં આવ્યો હોવાથી તેની આખી પીઠ લાલ થઈ ગઈ હતી. બુહાના ડીએસપી નોપારામ ભાકરે કહ્યું - માટલામાંથી પાણી પીતી વખતે મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો છે. અન્ય ડ્રાઇવરોને કેમ માર મારવામાં આવ્યો તે તપાસનો વિષય છે. પીડિત દલિત ડ્રાઈવરની પૂછપરછ થઈ શકી નહીં. તે સારવાર માટે ગયો હતો. તેની પૂછપરછ અને તપાસ બાદ જ મામલો સ્પષ્ટ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/casteist-elements-poured-hot-mutton-water-on-the-dalit-youth">જાતિવાદી તત્વોએ દલિત યુવક પર મટનનું ગરમ પાણી રેડ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Jan 2025 14:26:21 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 22 Jan 2025 23:44:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1867</Articleid>
                    <excerpt>દલિત ડ્રાઈવર ભૂલથી ટ્રક માલિકના માટલાને અડકી ગયો તો બેલ્ટ વડે નિર્દયાથી માર મારી અપહરણ કર્યું. એ પછી જે થયું તેની કોઈને કલ્પના નહોતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_679135507b631.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6791355049883.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6791355049883.jpg" length="49683" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>jhunjhunu news, water Discrimination</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલા સરપંચને ભાજપના નેતાઓએ મંદિરમાં ન જવા દીધાં</title>
                    <link>https://khabarantar.com/bjp-leaders-did-not-allow-a-dalit-woman-sarpanch-to-enter-a-temple-in-dewas-mp</link>
                    <guid>https://khabarantar.com/bjp-leaders-did-not-allow-a-dalit-woman-sarpanch-to-enter-a-temple-in-dewas-mp</guid>
                    <description>
                        <![CDATA[ એકબાજુ આરએસએસ 8 હજાર દલિત બાળકોને કુંભમેળામાં લઈ જઈ હિંદુ બનાવવા મથી રહ્યું છે, બીજી તરફ તેમની જ ભાજપના નેતાઓ દલિતો સાથે આભડછેટ રાખવા શરમાતા નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSS દલિત અને આદિવાસી બાળકોને કુંભ મેળામાં લઈ જઈને પોતે દલિત, આદિવાસીઓના હામી હોવાનો દેખાડો કરી તેમને હિંદુ વોટબેંકમાં પરિવર્તિત કરવા મથી રહ્યું છે. બીજી તરફ આરએસએસના જ લોકોનું જ્યાં સાશન છે તેવા અનેક રાજ્યોમાં દલિતો, આદિવાસીઓ પર અત્યાચાર, ભેદભાવનો સિલસિલો અટકી રહ્યો નથી. નવો મામલો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે. જ્યાં એક દલિત મહિલા સરપંચને ભાજપના જ નેતાઓએ મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના દેવાસના હાથલોઈ ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના હાથલોઈ ગામનો છે. અહીં એક દલિત મહિલા સરપંચને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. સરપંચે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓએ તેમને મંદિરમાં જતા અટકાવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીતુ પટવારી મહિલાને મંદિરમાં લઈ ગયા અને દર્શન કરાવ્યા. પટવારીએ આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમે હિંદુ નથી, મંદિરમાં ન આવોઃ ભાજપના નેતાઓ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સરપંચનો આરોપ છે કે તેમને કહેવામાં આવ્યું હતું કે તમે હિન્દુ નથી, તેથી મંદિરમાં ન આવો. આ મામલામાં જે રીતે ભાજપના નેતાઓના નામ બહાર આવી રહ્યા છે તેણે ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોવાનું પણ સામે લાવી દીધું છે. એક બાજુ પીએમ મોદી અને યોગી આદિત્યનાથ કુંભ મેળામાં સમરસતાનો પ્રચાર કરીને દલિતો, આદિવાસીઓને હિંદુ વોટબેંકમાં જોડવા મથી રહ્યાં છે, બીજી તરફ ભાજપના નેતાઓ તેમની અસલી સવર્ણ માનસિકતાનું પ્રદર્શન કરતા જરાય ખચકાતા નથી. દેશમાં દરરોજ આભડછેટ અને દલિત અત્યાચારના અનેક કિસ્સાઓ બને છે, જેમાં ભાજપના નેતાઓ દલિતોને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે જરાય પ્રયત્ન નથી કરતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બધું સરેરાશ દલિત હવે સમજવા માંડ્યો છે. પરિણામે આરએસએસ અને ભાજપના નેતાઓ પરથી તેમનો વિશ્વાસ દિન પ્રતિદિન ઉઠતો જઈ રહ્યો છે. ભાજપના ટોચના નેતાઓ સમરસતાની વાતો કરે છે, બીજી તરફ તેમના નીચલા સ્તરના નેતાઓ દલિતો પર અત્યાચાર કરે છે, દલિતોને મંદિરોમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે. જે ભાજપની બેવડી નીતિઓને ખૂલ્લી પાડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોંગ્રેસના નેતા જીતુ પટવારી મહિલાને મંદિરમાં લઈ ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની જાણ થતા જ મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા જીતુ પટવારી દલિત મહિલા સરપંચની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે મહિલાનું સમર્થન કરીને તેને મંદિરમાં લઈ ગયા હતા અને તેને દર્શન કરાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો ઉતારીને તેમણે શેર કર્યો હતો. જીતુ પટવારીના આ પગલાંથી દલિત મહિલા રાજી થઈ હતી અને સમાજમાં સંદેશ પણ ગયો કે અસમાનતા અને ભેદભાવ સામેની લડાઈ હજુ પણ ચાલું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જીતુ પટવારીએ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રને આ ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સાથે તેની જાતિ, ધર્મ કે સામાજિક દરજ્જાના આધારે ભેદભાવ ન થવો જોઈએ. જો કોઈ આવું કરે છે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવા અને અન્ય કોઈ વ્યક્તિને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો સાથે ભેદભાવ હજુ પણ અસ્તિત્વમાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના ભારતમાં હજુ પણ અસ્તિત્વમાં રહેલી સામાજિક અસમાનતા તરફ ઈશારો કરે છે. દેશમાં ઘણી જગ્યાએ, ખાસ કરીને ધાર્મિક સ્થળોએ દલિતોને તેમના બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. તે ફક્ત એક મંદિર પૂરતું મર્યાદિત નથી પરંતુ તે તમામ સામાજિક અવરોધોને પ્રતિબિંબિત કરે છે જે સમાજના પછાત વર્ગોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/upsarpanch-talati-did-not-give-chair-to-dalit-women-sarpanch">દલિત મહિલા સરપંચ ને ઉપસરપંચ-તલાટીએ બેસવા ખુરશી ન આપી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Jan 2025 13:20:18 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 21 Jan 2025 13:21:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1866</Articleid>
                    <excerpt>એકબાજુ આરએસએસ 8 હજાર દલિત બાળકોને કુંભમેળામાં લઈ જઈ હિંદુ બનાવવા મથી રહ્યું છે, બીજી તરફ તેમની જ ભાજપના નેતાઓ દલિતો સાથે આભડછેટ રાખવા શરમાતા નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678f512533062.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f5124f189d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f5124f189d.jpg" length="82357" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Cast Discrimination, dewas mp news, dalit news, BJP</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના પદાધિકારીને પોલીસે બેભાન થયો ત્યાં સુધી ફટકાર્યો</title>
                    <link>https://khabarantar.com/bjp-sc-morcha-office-bearer-beaten-up-by-police-in-prayagraj-no-one-came-to-save-him</link>
                    <guid>https://khabarantar.com/bjp-sc-morcha-office-bearer-beaten-up-by-police-in-prayagraj-no-one-came-to-save-him</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ એસસી મોરચાનો પદાધિકારી બેભાન થયો ત્યાં સુધી પોલીસ માર્યો. તેમના પક્ષના કોઈ સવર્ણ નેતાઓ તેને ન્યાય અપાવવા આગળ નથી આવ્યા. જો આવું જ ભાજપના સવર્ણ નેતા સાથે બન્યું હોય તો? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપની કથની અને કરણીમાં કેટલો મોટો ફરક છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. એક બાજુ દલિતો, આદિવાસીઓની અનામતમાં ભાગલા પાડવા, અનામતની ખાલી જગ્યાઓ ભરવી નહીં, કોન્ટ્રાક્ટર પર સફાઈકર્મીઓની ભરતી કરવી, યોજનાઓનો લાભ સવર્ણોને આપી દેવો જેવા અનેક આરોપો ભાજપ પર લાગેલા છે, આટલું ઓછું હોય તેમ અમિત શાહે ડો.આંબેડકરનું અપમાન કર્યું. એટલે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે કુંભમેળામાં સફાઈકર્મીઓને સન્માન આપવાનું નાટક ચાલું કર્યું. જો કે તેનાથી પણ તેની દલિત, આદિવાસી વિરોધી છાપમાં કોઈ ફરક પડ્યો હોય તેમ લાગતું નથી. કેમ કે, ખુદ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીને જ્યાં કુંભમેળો યોજાઈ રહ્યો છે તે પ્રયાગરાજની પોલીસે ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કુંભમેળો ચાલી રહ્યો છે તે પ્રયાગરાજની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રયાગરાજમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના એક અધિકારી પર પોલીસે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં આ બનાવ પ્રકાશમાં આવ્યો છે. એ પછી લાજ બચાવવા માટે ત્રણ સબ-ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનોજ પાસી, જેઓ ઉત્તરપ્રદેશ એસસી મોરચાના સહ-ખજાનચી છે, તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ તેમના ભાઈના ઘરનું બાંધકામ રોકવાનું કારણ પૂછવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) ઉપેન્દ્ર પ્રતાપ સિંહ અને છ અન્ય પોલીસકર્મીઓએ તેના પર હુમલો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ શહેરના મેયર, ધારાસભ્ય અને વિવિધ પક્ષના અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને દોષિત અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસનું શું કહેવું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) વિનાલ કિશોર મિશ્રાએ પુષ્ટિ કરી છે કે ચારેય પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, SHO સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હુમલાના આરોપો અંગે એસીપી મિશ્રાએ કહ્યું કે તપાસ બાદ જ તેની પુષ્ટિ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ ફરિયાદી મનોજ પાસીએ જણાવ્યું હતું કે તેમના ભાઈ રોશન લાલે ચાર વર્ષ પહેલાં તેમના ઘરની નજીક જમીન ખરીદી હતી અને બાઉન્ડ્રી વોલ લંબાવી રહ્યા હતા, જેનો પડોશીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે કહ્યું કે, પોલીસે આવીને અમારું કામ અટકાવી દીધું હતું અને અમારું અપમાન કર્યું હતું. બુધવારે બપોરે તેઓ પોલીસ સ્ટેશન ગયા અને પ્રતિબંધની માન્યતા પર સવાલ ઉઠાવ્યા, અને આગ્રહ કર્યો કે આ મામલો સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) દ્વારા ઉકેલવો જોઈએ કારણ કે તે મહેસૂલનો મામલો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, તેના આ સવાલો પૂછવા પર SHO ઉપેન્દ્ર પ્રતાપ સિંહ, SI સંતોષ સિંહ અને અન્ય લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેને એક રૂમમાં ખેંચીને લઈ ગયા અને બેભાન થઈ ગયા ત્યાં સુધી માર માર્યો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડીસીપી શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનોજે આ ઘટનાની જાણ ડીસીપી અભિષેક ભારતીને પણ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. ડીસીપીએ જણાવ્યું હતું કે, ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ કુંભમેળાની ફરજને કારણે SHO સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. (મતલબ દલિત પર અત્યાર ભલે થાય, કુંભની ફરજ પરથી એક માણસને દૂર ન કરી શકાય? ભાજપના જ કોઈ સવર્ણ નેતા પર આ રીતે હુમલો થયો હોત તો પણ પોલીસ આ જ જવાબ આપત?)</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સત્તાપક્ષમાં હોવા છતાં એસસી મોરચાના પદાધિકારીને ન્યાય નથી મળતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય ભાજપ એસસી મોરચાના પ્રમુખ રામચંદ્ર કનૌજિયાએ આ હુમલાની નિંદા કરતા કહ્યું, “જ્યાં સુધી દોષિત પોલીસકર્મીઓને સજા ન થાય અને દલિત પર અત્યાચાર કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં ન આવે ત્યાં સુધી અમે શાંત નહીં બેસીએ. મનોજ પાસીએ કોઈ ગુનો કર્યો નહોતો. તેમની સાથે એવું વર્તન કરવામાં આવ્યું જેવું કોઈ કુખ્યાત આરોપી સાથે પણ નથી કરવામાં આવતું. તે ગંભીર રીતે ઘાયલ હતો અને બરાબર બોલી પણ શકતો નહોતો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનોજની પત્ની સન્નો દેવીએ પણ પોલીસ પર દુર્વ્યવહાર અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર વિપિન યાદવે તેમનો હાથ મચકોડ્યો હતો, તેમનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/shanti-swarup-sonkare-my-life-is-in-danger-from-an-mla-from-my-own-party">મને મારા જ પક્ષના ધારાસભ્યથી જીવનું જોખમ છેઃ ભાજપના દલિત નેતા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Jan 2025 10:25:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1864</Articleid>
                    <excerpt>ભાજપ એસસી મોરચાનો પદાધિકારી બેભાન થયો ત્યાં સુધી પોલીસ માર્યો. તેમના પક્ષના કોઈ સવર્ણ નેતાઓ તેને ન્યાય અપાવવા આગળ નથી આવ્યા. જો આવું જ ભાજપના સવર્ણ નેતા સાથે બન્યું હોય તો?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678f2858e7cc4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f2858b863a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678f2858b863a.jpg" length="31022" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Prayagraj, Mahakumbh Mela 2025, bjp sc morcha office beaten</media:keywords>
                </item>
                        <item>
                    <title>ટોળાંએ દલિત યુવક પર જાહેરમાં પેશાબ કર્યો, પગ પકડાવી માફી મગાવી</title>
                    <link>https://khabarantar.com/a-mob-urinated-on-a-dalit-youth-in-public-held-his-feet-and-apologized-in-madurai</link>
                    <guid>https://khabarantar.com/a-mob-urinated-on-a-dalit-youth-in-public-held-his-feet-and-apologized-in-madurai</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્સવ હોવાથી યુવક શહેરથી ગામમાં આવ્યો હતો. જાતિવાદી તત્વો તેને પકડીને ગામ બહાર લઈ ગયા અને તેની સાથે બર્બરતા આચરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે બાબતનો જાહેરમાં ઉલ્લેખ કરવાનું પણ સજ્જન લોકો પસંદ ન કરે તેવી બર્બરતા જાતિવાદી તત્વો દલિતો સાથે છડેચોક કરવામાં પણ લાજશરમ નથી અનુભવતા. આવું આપણે લગભગ દરેક દલિત અત્યાચારની ઘટનામાં જોતા આવ્યા છીએ. આવી જ વધુ એક બર્બરતાપૂર્ણ ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ દલિત યુવક પર જાતિવાદી તત્વોએ બાળકની સામે જાહેરમાં તેની સામે પેશાબ કર્યો હતો અને તેને ટોળાંએ મળીને માર માર્યો હતો. આ મામલે હવે 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના પેરિયારની ભૂમિ તમિલનાડુની છે. અહીંના મદુરાઈમાં એક દલિત યુવક પર અત્યાચારની બર્બરતાપૂર્ણ ઘટના સામે આવી છે. જાતિવાદી તત્વોએ દલિત યુવક પર એક 6 વર્ષના બાળકની હાજરીમાં જાહેરમાં માથે પેશાબ કર્યો હતો. એટલું જ નહીં ટોળાંએ તેને ઢોર માર પણ માર્યો. આ મામલે પોલીસે 6 યુવાનો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. જૂની અદાવતને કારણે યુવકને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ ૧૭ વર્ષના દલિત યુવકને માર મારીને આરોપીઓએ તેને બધાં લોકોના ચરણ સ્પર્શ કરવાની ફરજ પાડી હતી. દલિત યુવકે એવો પણ આરોપ લગાવ્યો છે કે 6 વર્ષના બાળકની હાજરીમાં તેના પર પેશાબ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે પેશાબના દાવાઓને નકારી કાઢ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના 16 જાન્યુઆરીની હોવાનું કહેવાય છે. યુવક રાજ્યના સંગમપટ્ટી ગામનો વતની છે. તેની ફરિયાદના આધારે, પોલીસે શનિવારે છ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહેવાલો અનુસાર, નીલમ કલ્ચરલ સેન્ટર નામના એક NGOએ આ ઘટનાની નિંદા કરી છે. એનજીઓએ પોલીસ પર કેસ નોંધવામાં વિલંબ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. શનિવારે, 17 વર્ષનો પીડિત દલિત યુવક VCK ના સભ્યો અને વકીલ સાથે DSP ઓફિસ પહોંચ્યો હતો. પીડિત યુવકે કહ્યું, 'ગયા મહિને અમારા ગામમાં એક તહેવાર ઉજવાઈ રહ્યો હતો, તે દરમિયાન મારી જાતિને કારણે લોકોના એક જૂથ દ્વારા મને હેરાન કરવામાં આવ્યો હતો અને તેમણે મારા પરિવાર વિરુદ્ધ પણ હોબાળો મચાવ્યો હતો.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે આગળ કહ્યું, 'મને કેરળમાં રહેતા ડર લાગતો હતો. હાલમાં જ હું પોંગલનો તહેવાર હોવાથી ગામમાં પાછો આવ્યો છું. યુવકનું કહેવું છે કે આ સમગ્ર મામલે શાંતિ જાળવવા છતાં આરોપીઓ તેને ગામના સૂમસામ વિસ્તારમાં ખેંચીને લઈ ગયા હતા અને તેની સાથે બર્બરતા આચરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત યુવકે કહ્યું, 'એ પછી તે લોકોએ મને માર માર્યો અને જાતિસૂચક અપશબ્દો બોલીને મને બધાંને પગે લાગી માફી માગવા માટે દબાણ કર્યું હતું. મેં કશું ખોટું નહોતું કર્યું છતાં એ લોકોએ એક ૬ વર્ષના બાળકની હાજરીમાં મારા પર પેશાબ કર્યો હતો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં હું ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-brahmin-teachers-washed-the-feet-of-the-dalit-student-his-brother-and-asked-for-forgiveness">બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી, તેના ભાઈ પાસે પગ ધોવડાવી માફી મગાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 20 Jan 2025 14:16:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1862</Articleid>
                    <excerpt>ઉત્સવ હોવાથી યુવક શહેરથી ગામમાં આવ્યો હતો. જાતિવાદી તત્વો તેને પકડીને ગામ બહાર લઈ ગયા અને તેની સાથે બર્બરતા આચરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678e0d5553cb5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678e0d551f2e7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678e0d551f2e7.jpg" length="80087" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>madurai news, dalit crime, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાને જાતિવાદી તત્વોએ ગામલોકો સામે નિર્વસ્ત્ર કરી માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/rowdy-elements-stripped-a-dalit-woman-naked-in-front-of-villagers-in-kheri-pilibhit</link>
                    <guid>https://khabarantar.com/rowdy-elements-stripped-a-dalit-woman-naked-in-front-of-villagers-in-kheri-pilibhit</guid>
                    <description>
                        <![CDATA[ મહિલા અને તેના પરિવારજનો પર ધારદાર હથિયારોથી હુમલો કરી હાથમાં ગંભીર ઈજા પહોંચાડી. આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા ફરાર થઈ ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બટેંગે તો કટેંગે ફેઈમ ઉત્તરપ્રદેશમાં દલિત મહિલા પર અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. અહીંના પીલીભીતમાં એક 29 વર્ષીય દલિત મહિલાને માથાભારે જાતિવાદી તત્વો દ્વારા શેરડીના ખેતરમાં ગ્રામજનોની સામે કથિત રીતે નગ્ન કરવામાં આવી હતી. લુખ્ખા તત્વો મહિલાના ભાઈ પર નજીવી બાબતે હુમલો કરવા આવી પહોંચ્યા હતા. જ્યાં મહિલા તેના ભાઈને હુમલાખોરોથી બચાવવા માટે વચ્ચે પડી હતી. જેનાથી ઉશ્કેરાયેલા લુખ્ખા તત્વોએ મહિલાને ગામલોકોની હાજરીમાં જ નિર્વસ્ત્ર કરી હતી. ઘટનાથી હતપ્રભ થયેલી મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છ લોકો સામે કેસ નોંધ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલા ખેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક ગામની રહેવાસી છે. તેણે આરોપ લગાવ્યો છે કે હુમલાખોરોએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે તેના જમણા હાથમાં ઊંડા ઘા પડી ગયા હતા. મહિલાને બચાવવાનો પ્રયાસ કરનાર અન્ય એક પુરુષ પર આરોપીઓએ દંતાળીથી હુમલો કરતા તેની ડાબા હાથની આંગણી કપાઈ ગઈ હતી. આ ઘટના બુધવારે સાંજે બની હતી અને ગુરુવારે FIR નોંધવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં કલમ 191(2): રમખાણો, કલમ 191(3): ઘાતક હથિયારથી ઇજા પહોંચાડવી રમખાણો કરવા કલમ 115(2): સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું, કલમ 352: શાંતિનો ભંગ કરવાના ઈરાદાથી ગુસ્સે ભરાઈને અપમાનજનક કૃત્ય કરવું, કલમ 76: સ્ત્રીના કપડાં ઉતારવાના ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવો વગેરે કલમો સામેલ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) ની જોગવાઈઓ પણ લાગુ કરવામાં આવી છે. એસએચઓએ વધુમાં જણાવ્યું કે આરોપીઓ હાલમાં ફરાર છે અને તેમને પકડવાના પ્રયાસો ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જઘન્ય ઘટનાથી સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે અને સ્થાનિકો ઝડપી ન્યાય અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અધિકારીઓએ આ કેસની સંપૂર્ણ તપાસ કરવાની અને પીડિત મહિલા અને તેના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/tribal-woman-tied-to-trees-and-made-to-chant-jai-shri-ram">આદિવાસી મહિલાઓને ઝાડ સાથે બાંધી ‘જય શ્રી રામ’ના નારા લગાવડાવ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 20 Jan 2025 13:03:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1861</Articleid>
                    <excerpt>મહિલા અને તેના પરિવારજનો પર ધારદાર હથિયારોથી હુમલો કરી હાથમાં ગંભીર ઈજા પહોંચાડી. આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા ફરાર થઈ ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678dfc18c151c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678dfc1886780.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678dfc1886780.jpg" length="30252" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kheri pilibhit news, dalit news, dalit crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>કચરો ફેંકવા ગયેલી દલિત સગીરાનું અપહરણ, ચાલતી કારમાં દુષ્કર્મ આચર્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-girl-kidnapped-raped-in-car-while-throwing-garbage-in-sharifnagar-Moradabad-up</link>
                    <guid>https://khabarantar.com/dalit-girl-kidnapped-raped-in-car-while-throwing-garbage-in-sharifnagar-Moradabad-up</guid>
                    <description>
                        <![CDATA[ આરોપીઓએ સગીરાની વાંધાજનક તસવીરો પાડી ધમકી આપી. દુષ્કર્મ ગુજારી સગીરાને સ્મશાન બહાર ફેંકીને ફરાર થઈ ગયા. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજી દિલ્હીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષો દીકરીની સલામતીને લઈને મસમોટા દાવાઓ કરી રહ્યાં છે. બીજી તરફ દેશભરમાં દરરોજ દલિત દીકરીઓ સાથે કોઈને કોઈ જગ્યાએ રેપના સમાચાર આવતા રહે છે, પણ તેના પર કોઈ ધ્યાન આપતું નથી. સવર્ણ લોબીની દાદાગીરીને કારણે પોલીસ આવા કેસો નોંધતી નથી કે નથી આરોપીઓને પકડીને કડક સજા કરાવતી. પરિણામે આરોપીઓની હિંમત વધુ ખૂલતી જાય છે. આ કેસમાં પણ આરોપી બળાત્કાર ગુજાર્યા બાદ ફરાર થઈ ગયો છે અને પોલીસ હજુ સુધી તેને પકડી શકી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીનો છે. અહીં મુરાદાબાદમાં એક દલિત સગીરા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. સગીરા કચરો ફેંકવા માટે ઘરની બહાર નીકળી હતી, ત્યારે અન્ય સમાજના એક યુવકે તેનું અપહરણ કર્યું હતું અને ચાલતી કારમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ કિશોરીના અશ્લીલ ફોટા પણ પાડ્યા છે. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. પોલીસે આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવાની ખાતરી પણ આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બળાત્કાર બાદ પીડિતાની વાંધાજનક તસવીરો લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મુરાદાબાદના ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશનના શરીફનગર પોલીસ ચોકીનો છે. અહીં મંગળવારે એક 16 વર્ષની દલિત સગીરા તેના ઘરમાંથી કચરો ફેંકવા માટે બહાર ગઈ હતી ત્યારે લગભગ 10 વાગ્યે પાનુવાલા ગામનો રહેવાસી રાશિદ સ્કોર્પિયો કારમાં ત્યાં આવ્યો હતો અને તેનું અપહરણ કરીને કારમાં લઈ ગયો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સગીરાના પિતાએ આપેલી ફરિયાદ મુજબ, તે સમયે કારમાં બીજા ઘણાં લોકો હતા. આરોપીએ કિશોરી પર ચાલતી કારમાં બળાત્કાર ગુજાર્યો. પિતાએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત, કારમાં સવાર અન્ય લોકોની પણ શોધખોળ ચાલુ છે. કહેવાય છે કે પીડિતા પર બળાત્કાર કર્યા પછી આરોપીએ તેની વાંધાજનક તસવીરો પણ લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીડિતાને સ્મશાનગૃહ બહાર ફેંકી આરોપી ભાગી ગયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ સગીરાને લગભગ બે કલાક સુધી કારમાં બંધક બનાવી રાખી અને તેના પર બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ તેઓ તેને સ્મશાન બહાર ફેંકીને ભાગી ગયા. જેમ તેમ કરીને પીડિતા તેના ઘરે પહોંચી અને તેની માતાને ઘટના વિશે જણાવ્યું. એ પછી તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરાના પિતાએ જણાવ્યું કે તેમની પુત્રીએ કારમાં રાખેલા વિઝિટિંગ કાર્ડ પર આરોપી રાશિદનું નામ વાંચ્યું હતું. પોલીસે ભારતીય દંડ સંહિતાની ગંભીર કલમો અને POCSO હેઠળ કેસ નોંધ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dalit-minor-gang-raped-in-bjp-leaders-marriage-home"><span style="font-size: 12pt;"> </span>ભાજપ નેતાના મેરેજ હોમમાં દલિત સગીરા સાથે ગેંગરેપ થયો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 20 Jan 2025 10:03:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1859</Articleid>
                    <excerpt>આરોપીઓએ સગીરાની વાંધાજનક તસવીરો પાડી ધમકી આપી. દુષ્કર્મ ગુજારી સગીરાને સ્મશાન બહાર ફેંકીને ફરાર થઈ ગયા. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678dd1b325b60.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678dd1b2e6198.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678dd1b2e6198.jpg" length="68097" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit girl raped, Dalit News, Dalit crime, Moradabad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભીમ આર્મીનો પાવરઃ દલિતોના 250 ઘરો પર બુલડોઝર ફરતું અટકાવ્યું</title>
                    <link>https://khabarantar.com/bhim-army-stops-bulldozer-from-moving-over-250-dalit-houses-in-lucknows-bandariya-bagh</link>
                    <guid>https://khabarantar.com/bhim-army-stops-bulldozer-from-moving-over-250-dalit-houses-in-lucknows-bandariya-bagh</guid>
                    <description>
                        <![CDATA[ યોગી આદિત્યનાથની સરકાર દબાણ હટાવવાના બહાને એસસી, લઘુમતી, એસટી, ઓબીસીના ઘરો તોડી પાડી રહી છે. પણ ભીમ આર્મી સામે તેણે ઝૂકવું પડ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે ગેરકાયદે દબાણની આડમાં જે રીતે દલિત-બહુજન સમાજને આડે હાથ લેવાનું શરૂ કર્યું છે તેનાથી અનેક લોકોના ઘર બરબાર થઈ ગયા છે અને લોકો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. એ નગ્ન સત્ય છે કે, દબાણના બહાને લઘુમતી, દલિત, આદિવાસીઓ અને ઓબીસીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. પણ લખનઉમાં ભીમ આર્મી સામે યોગી સરકારની આ કારી ફાવી નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લખનૌના બંદરિયા બાગ વિસ્તારમાં રેલ્વેની જમીન પર આવેલા દલિત સમુદાયના સેંકડો ઘરોને તોડી પાડવાની કાર્યવાહી ભીમ આર્મીના કારણે તરત બંધ કરવામાં આવી હતી. આ મકાનો ખાલી કરવા માટે રેલ્વે વહીવટીતંત્ર દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. જેની સામે ભીમ આર્મીના કાર્યકરોએ લડત માંડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લખનૌના બંદરિયા બાગ વિસ્તારમાં રેલ્વેની જમીન પર આવેલા દલિત સમાજના સેંકડો ઘરોને તોડી પાડવાની કાર્યવાહી મંગળવારે બંધ કરવામાં આવી હતી. આ મકાનો ખાલી કરવા માટે રેલ્વે વહીવટીતંત્ર દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. પરંતુ જેસીબી ચલાવવાની પ્રક્રિયા શરૂ થતાં જ ચંદ્રશેખરની આઝાદ સમાજ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેમણે વહીવટીતંત્રને બુલડોઝર રોકવા દબાણ કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આઝાદ સમાજ પાર્ટીના કાર્યકરોએ ચેતવણી આપી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાસ્થળે પહોંચેલા ભીમ આર્મીના નેતાઓએ દલિત વસ્તી પર બુલડોઝર ચાલતા રોક્યું હતું અને વહીવટીતંત્રને ચેતવણી આપી હતી. વાયરલ થયેલા વીડિયોમાં, ભીમ આર્મીના નેતાઓ કહી રહ્યાં છે કે, “ચલાવો બુલડોઝર, જોઈએ કેવી રીતે ચલાવો છો. મત માંગવા માટે મોટા મોટા નેતાઓ અહીંયા આવે છે. જેમણે લાઠીચાર્જ કર્યો, યાદ રાખજો 60 વર્ષ નોકરી કરવી પડે છે. ભૂલથી પણ જો ચંદ્રશેખર આઝાદ કે અમારા જેવા માથાફરેલ લોકો સામે આવી ગયા તો યાદ રાખજો બરાબરનો ઈલાજ કરીશું એ યાદ રાખજો.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">250 થી વધુ ઘરો જોખમમાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંદરિયા બાગમાં રેલ્વે ટ્રેક પર 250 થી વધુ ઘરો છે, જ્યાં દલિત સમાજના લોકો વર્ષોથી રહે છે. વહીવટીતંત્રે આ મકાનોને ગેરકાયદેસર જાહેર કરીને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ૧૬ જાન્યુઆરીએ બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આઝાદ સમાજ પાર્ટી અને ભીમ આર્મીના હસ્તક્ષેપ બાદ આખી કામગીરીને અટકાવી દેવામાં આવી હતી. આઝાદ સમાજ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ રેલવે અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી સ્પષ્ટ માંગણી કરી છે કે જ્યાં સુધી આ પરિવારોનું પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય કોઈ યોજના હેઠળ પુનર્વસન ન થાય ત્યાં સુધી કોઈ પણ ઘર તોડી ન શકાય. સ્થળ પર હાજર વહીવટી અધિકારીઓએ ખાતરી આપી હતી કે પુનર્વસન પ્રક્રિયા વિના કોઈને બેઘર બનાવવામાં આવશે નહીં. હાલમાં બુલડોઝર ચલાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ રેલ્વે વહીવટીતંત્ર અને અસરગ્રસ્ત પરિવારો વચ્ચે વિવાદ ચાલુ છે. પીડિત દલિત પરિવારો વતી હાલ એકમાત્ર ભીમ આર્મી અને તેના નેતાઓ-કાર્યકરો જ સિસ્ટમ સામે માથું મારીને લડી રહ્યાં છે. ભીમ આર્મીની જય હો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/how-many-sc-st-judges-who-gave-this-order">જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 14:14:45 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 19 Jan 2025 14:15:28 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1856</Articleid>
                    <excerpt>યોગી આદિત્યનાથની સરકાર દબાણ હટાવવાના બહાને એસસી, લઘુમતી, એસટી, ઓબીસીના ઘરો તોડી પાડી રહી છે. પણ ભીમ આર્મી સામે તેણે ઝૂકવું પડ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678cbb183e443.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678cbb1808920.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678cbb1808920.jpg" length="104146" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bhim army, lucknows bandariya bagh, dalit news, Chandrasekhar Azade</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS શા માટે 8000 દલિત વિદ્યાર્થીઓને કુંભ મેળામાં લઈ જઈ રહ્યું છે?</title>
                    <link>https://khabarantar.com/why-is-rss-taking-8000-dalit-students-to-kumbh-mela</link>
                    <guid>https://khabarantar.com/why-is-rss-taking-8000-dalit-students-to-kumbh-mela</guid>
                    <description>
                        <![CDATA[ RSS ની શિક્ષણ શાખા વિદ્યા ભારતી દેશના વિવિધ વિસ્તારમાંથી હોંશિયાર દલિત બાળકોને કુંભમેળાની ટુર કરાવી રહી છે. શું છે તેની પાછળનો ઉદ્દેશ્ય, આખરે સંઘ દલિત બાળકો સાથે શું કરવા માંગે છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વંચિત વર્ગના લગભગ 8,000 જેટલા વિદ્યાર્થીઓને કુંભ મેળામાં લઈ જઈ રહ્યો છે, જેમાં મોટાભાગે અનુસૂચિત જાતિ (SC) ના વિદ્યાર્થીઓ સામેલ છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં RSS ની શિક્ષણ શાખા વિદ્યા ભારતી દ્વારા આ આયોજન કરાયું છે. જેનો હેતુ આ બાળકોને હિન્દુ પરંપરાઓથી પરિચિત કરાવવાનો અને તેમને અન્ય ધર્મમાં જતા રોકવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અવધ પ્રદેશની સેવા ભારતી શાળાઓના પ્રશિક્ષક રામજી સિંહે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવતા કહ્યું કે, "વિદ્યાર્થીઓને 'કુંભ દર્શન' માટે લઈ જવાનો ઉદ્દેશ્ય તેમને ભારતની સમૃદ્ધ પરંપરાઓ અને સંસ્કૃતિ તેમજ મહાકુંભના આધ્યાત્મિક પાસાંથી વાકેફ કરવાનો છે. આનાથી તેમને હિંદુમાંથી ખ્રિસ્તી બનતા અટકાવી શકાશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">10 વર્ષથી વધુ ઉંમરના આ દલિત વિદ્યાર્થીઓ કુંભમેળાના મુખ્ય સ્થળોની મુલાકાત લેશે, જેમાં આશ્રમ, અખાડા અને સંગમ ઘાટનો સમાવેશ થાય છે, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ થાય છે. મેળાના સેક્ટર 9 માં તેમના રોકાણ માટે એક ખાસ કેમ્પ બનાવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના અવધ વિસ્તારના ૧૪ જિલ્લાઓના લગભગ ૨,૧૦૦ વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે ૧૬ થી ૧૮ જાન્યુઆરી દરમિયાન આ ટુરમાં જોડાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">RSS ના પદાધિકારીએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSSના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકો દલિત સમાજના છે, જેમને સંગઠન "વંચિત સમાજ" કહે છે. અમે ઇચ્છીએ છીએ કે આ બાળકો તેમના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂળની સમૃદ્ધિને સમજે. વિદ્યાર્થીઓની આ બેંચની ટુર પુરી થયા પછી ગોરખપુર વિસ્તારની બીજી બેંચ 24 થી 26 જાન્યુઆરી દરમિયાન કુંભની મુલાકાત લેશે, ત્યારબાદ કાશી અને કાનપુર ક્ષેત્રના વિદ્યાર્થીઓ આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/why-is-rss-opposing-the-india-national-flag"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"> </span>RSS શા માટે રાષ્ટ્રધ્વજનો વિરોધ કરે છે?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ભવિષ્યના પ્રવાસોમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાળકોને સામેલ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને મહા કુંભ મેળા માટે સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં 29 જાન્યુઆરીએ મૌની અમાસની સ્નાન વિધિમાં 8-10 કરોડ ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે. દર 12 વર્ષે યોજાતો મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરએસએસનો ઈરાદો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસ શા માટે દલિત બાળકોને ટાર્ગેટ કરી રહ્યું છે તેને લઈને બહુજન સમાજનો બૌદ્ધિક વર્ગ સ્પષ્ટપણે માને છે કે આ દલિતોની ભાવિ પેઢીને સંઘ પરિવારની વિચારધારામાં પલોટવા માટેનું ષડયંત્ર છે. ઉત્તરપ્રદેશના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દલિત સમાજમાં જે રીતે સંઘ અને ભાજપની છાપ બંધારણ વિરોધી અને ડો.આંબેડકર વિરોધી હોવાની છાપ દિન પ્રતિદિન મજબૂત બની રહી છે તે જોતા આરએસએસ તેને ખાળવા માટે લાંબાગાળાનું આયોજન કરીને દલિત સમાજના હોંશિયાર વિદ્યાર્થીઓનું બ્રેઈનવોશ કરીને તેમને તેમના જ સમાજ સામે હથિયાર તરીકે વાપરવા માંગે છે. તેના માટે ગામડાઓમાંથી દલિત-બહુજન સમાજના હોંથિયાર વિદ્યાર્થીઓને સંઘની શાખાઓમાં લાવવામાં આવે છે અને પછી ત્યાંથી તેને સંઘની મનુવાદી વિચારધારામાં પલોટવામાં આવે છે. જેથી આગળ જતા તે સંઘની ભાષા બોલે અને તેના કહ્યા પ્રમાણે વર્તે. આ પદ્ધતિથી આરએસએસ અગાઉ પણ અનેક દલિત બાળકોને સંઘ પરિવારમાં ભેળવી ચૂક્યું છે અને કુંભમેળામાં જે બાળકોને લઈ જવાઈ રહ્યાં છે તેમનો પણ છેલ્લે તો આંબેડકરી વિચારધારા સામે જ ઉપયોગ કરાશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફ્લાઈટના ભાડામાં તોતિંગ વધારો થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ માટે ફ્લાઇટ્સનું બુકિંગ તેમજ હવાઈ ભાડામાં અનેકગણો વધારો થયો છે. દિલ્હીથી પ્રયાગરાજની ફ્લાઇટની ટિકિટના ભાવમાં 21 ટકાનો વધારો થયો છે. ટ્રાવેલ પોર્ટલ ixigo ના વિશ્લેષણ મુજબ ભોપાલ અને પ્રયાગરાજ વચ્ચેનું વનવે ભાડું ગયા વર્ષે 2,977 રૂપિયા હતું, તે હવે 498 ટકા વધીને 17,796 રૂપિયા થઈ ગયું છે. આ ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ માટે ૩૦-દિવસની એડવાન્સ બુકીંગ તારીખ (APD) પર આધારિત વન વે સરેરાશ ભાડું છે. દિલ્હીથી પ્રયાગરાજનું વિમાન ભાડું ૨૧ ટકા વધીને રૂ. ૫,૭૪૮ થયું છે, જ્યારે મુંબઈ-પ્રયાગરાજ ફ્લાઇટનું ભાડું ૧૩ ટકા વધીને રૂ. ૬,૩૮૧ થયું છે. વિશ્લેષણ મુજબ, બેંગલુરુ-પ્રયાગરાજ ફ્લાઇટ માટે એર ટિકિટનો ભાવ 89 ટકા વધીને રૂ. 11,158 થયો છે, જ્યારે અમદાવાદ-પ્રયાગરાજ ફ્લાઇટનું ભાડું 41 ટકા વધીને રૂ. 10,364 થયું છે. પ્રયાગરાજ નજીકના શહેરો - લખનૌ અને વારાણસી - ના હવાઈ ભાડામાં ત્રણથી 21 ટકાનો વધારો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/370-dalit-saints-to-be-made-mahamandaleshwar-mandaleshwar-peethadhishwar-at-kumbh-mela"> કુંભમેળામાં 370 દલિત સંતોને મહામંડળેશ્વર, મંડળેશ્વર, પીઠાધિશ્વર બનાવાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 12:07:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1854</Articleid>
                    <excerpt>RSS ની શિક્ષણ શાખા વિદ્યા ભારતી દેશના વિવિધ વિસ્તારમાંથી હોંશિયાર દલિત બાળકોને કુંભમેળાની ટુર કરાવી રહી છે. શું છે તેની પાછળનો ઉદ્દેશ્ય, આખરે સંઘ દલિત બાળકો સાથે શું કરવા માંગે છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678c9d6d6c75f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678c9d6d3942d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678c9d6d3942d.jpg" length="99576" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kumbh mela 2025, kumbh mela, RSS, dalit</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજપૂતોએ દલિત દીકરીની જાન પર હુમલો કર્યો, અનેક જાનૈયા ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/rajputs-attack-dalits-procession-in-badshahpur-uttar-pradesh-many-injured</link>
                    <guid>https://khabarantar.com/rajputs-attack-dalits-procession-in-badshahpur-uttar-pradesh-many-injured</guid>
                    <description>
                        <![CDATA[ આરોપી લુખ્ખા તત્વોએ જાનૈયાઓને દોડાવી-દોડાવીને માર્યા. પથ્થર અને દંડાથી હુમલો કર્યો. હુમલામાં વરરાજાની ગાડીનો કાચ તૂટી ગયો, અનેક લોકો ઘાયલ થયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુંભમેળાના બહાને સમરસતાની વાતો કરી દલિતોને હિંદુ વોટબેંકમાં ભેળવવા મથતી ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર જ્યારે કથિત સવર્ણ જાતિના લુખ્ખા તત્વો દ્વારા દલિતો પર અત્યાચાર થાય છે ત્યારે મોંમાં મગ ભરીને બેસી જાય છે. દર વર્ષે લગ્નની સિઝનમાં દલિતોની જાનો પર હુમલાઓની સૌથી વધુ ઘટનાઓ ઉત્તરપ્રદેશમાં બને છે. અને તેમાં ભાગ્યે જ કોઈ લુખ્ખા તત્વોને એટ્રોસિટી અંતર્ગત આકરી સજા થાય છે. આવી જ એક દલિત પરિવારની જાન પર હુમલાની વધુ એક ઘટના બની છે અને તેમાં અનેક લોકો ઘાયલ થયા છે પણ હજુ સુધી પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુપીના બાદશાહપુરના ટેંથડ ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બટેંગે તો કટેંગે ફેઈમ ઉત્તરપ્રદેશના સોહના વિસ્તારના બાદશાહપુર જિલ્લાના ટેંથડ ગામનો છે. અહીં ગામના લુખ્ખા જાતિવાદી તત્વોએ એક અનુસૂચિત જાતિની દીકરીની જાન પર હુમલો કર્યો હતો અને જાનૈયાઓ સહિતના લોકોનો દોડાવી દોડાવીને ફટકાર્યા હતા. હુમલામાં અનેક જાનૈયા ઘાયલ થયા હતા. લુખ્ખા તત્વોએ વરરાજાની કાચરનો કાચ પણ તોડી નાખ્યો હતો. આરોપીઓએ દંડા અને પથ્થરો વડે હુમલો કરતા બીજા લગભગ એક ડઝન વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. હુમલામાં ઘાયલ થયેલા લોકોને સોહનાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને ગુરુગ્રામની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે અહીંની નિબોટ પોલીસ ચોકી હેઠળ આવતા બાદશાહપુર ટેંથડ ગામના રહેવાસી બલબીરની પુત્રી હેમલતાની જાન તાવડૂ વિસ્તારના સુંધ ગામથી આવવાની હતી. જાન દીકરીના માંડવે આવી રહી ત્યારે તેના ઘરથી માત્ર 50 મીટર દૂર રાજપૂત સમાજના લોકોએ હોબાળો મચાવ્યો હતો. છોકરીના પિતા બલબીરે કહ્યું કે રાજપૂતોએ વરરાજા અને તેમની જાન પર હુમલો કરવાની યોજના પહેલેથી જ બનાવી હતી. તેના માટે આ લુખ્ખા તત્વોએ પહેલાંથી જ તેમના ઘરોની છત પર પથ્થરો મૂકી દીધાં હતાં જેથી તેઓ પથ્થરમારો કરી શકે. આ ઘટનામાં 8 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાં અભિષેક, ગૌરવ, ઇન્દરજીત, સીતારામ, જીત સિંહ, જતીન, દીપક અને ભૂપેન્દ્રનો સમાવેશ થાય છે, જ્યારે બે ઘાયલોની હાલત બગડી હોવાથી તેમને ગુરુગ્રામ રિફર કરવામાં આવ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોહના એસીપી અભિલક્ષ્ય જોશીએ જણાવ્યું હતું કે કન્યાના પિતા બલબીરની ફરિયાદના આધારે, 18 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, આ સિવાય પણ અનેક પુરુષો અને સ્ત્રીઓ સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/bullies-stop-dalit-grooms-wedding-procession-in-saharanpur-show-gun-in-bareilly">બંદૂક બતાવી લુખ્ખાઓએ દલિત યુવકની જાન રોકી, ડીજે બંધ કરાવી તોફાન મચાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Jan 2025 11:15:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1853</Articleid>
                    <excerpt>આરોપી લુખ્ખા તત્વોએ જાનૈયાઓને દોડાવી-દોડાવીને માર્યા. પથ્થર અને દંડાથી હુમલો કર્યો. હુમલામાં વરરાજાની ગાડીનો કાચ તૂટી ગયો, અનેક લોકો ઘાયલ થયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678c9139cde2b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678c91399bc0d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678c91399bc0d.jpg" length="81578" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>rajputs attack dalits, badshahpur news, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>આણંદમાં પોલીસકર્મીએ દલિત યુવકને માર માર્યો, કાનમાંથી લોહી નીકળી ગયું</title>
                    <link>https://khabarantar.com/policeman-beats-up-dalit-youth-in-anand-blood-comes-out-of-his-ear</link>
                    <guid>https://khabarantar.com/policeman-beats-up-dalit-youth-in-anand-blood-comes-out-of-his-ear</guid>
                    <description>
                        <![CDATA[ યુવક અકસ્માતની ફરિયાદ નોંધાવવા પોલીસ ચોકીએ ગયો હતો. જ્યાં જામભા નામના પોલીસકર્મીએ તેને ઢોર માર મારતા બેભાન થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં દલિતો, આદિવાસીઓને પોલીસ પર શું કામ ભરોસો નથી બેસતો તેનું સૌથી મોટું ઉદાહરણ દક્ષિણ ભારતની સુપરહિટ ફિલ્મ ‘જય ભીમ’ છે. જેમાં પોતાના પર થઈ રહેલા અત્યાચારની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગયેલી દલિત મહિલાને એક પોલીસકર્મી ધાકધમકી આપીને સમાધાન કરી લેવા દબાણ કરે છે. પણ મહિલા ડગતી નથી જે જોઈને પેલાને વધુ ગુસ્સો આવે છે. પણ છેલ્લે ડો.આંબેડકરનું બંધારણ મહિલાની વ્હારે આવે છે અને પેલો માથાભારે પોલીસકર્મી ઢીલો પડી જાય છે અને મહિલાને તેના ઘર સુધી સલામત રીતે મૂકી જવા મજબૂર બને છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘જય ભીમ’ તો ફિલ્મ હતી અને તેમાં દર્શાવેલો પોલીસકર્મી પણ ફિલ્મી હતો, પરંતુ ગુજરાતમાં મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં આવા કોઈને કોઈ પોલીસકર્મીઓ મોજૂદ છે, જેમને દલિતો, આદિવાસીઓ કે ઓબીસી સમાજના લોકો પોતાની કોઈ સમસ્યા લઈને ફરિયાદ કરવા જાય તે ગમતું નથી. તેઓ એમ સમજતા હોય છે કે આ વર્ગને કોઈ સમસ્યાની ફરિયાદ ન કરવાની હોય, તેમણે તો બધું મૂંગા મોંઢે સહન કરવાનું હોય. આવી માનસિકતા ધરાવતા પોલીસકર્મીઓ મોકો મળતા જ પોતાનું અસલ જાતિવાદી પોત પ્રકાશે છે અને દલિત-બહુજન સમાજની વ્યક્તિને જાતિસૂચક ગાળો ભાંડવાથી લઈને માર મારવા સુધીની હરકત કરતા ખચકાતા નથી. વિચારો, જ્યાં કાયદાના રખેવાળો જ દલિત-બહુજન સમાજ સાથે આવું વર્તન કરતા હોય ત્યાં તેમની પાસેથી તટસ્થ તપાસ અને ન્યાયની આશા કેવી રીતે રાખવી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જય ભીમ ફિલ્મ જેવો જ એક કિસ્સો હાલ ચરોતરમાં સામે આવ્યો છે. મામલો આણંદ જિલ્લાની ગામડી પોલીસ ચોકીનો છે. અહીં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક દલિત યુવકને પોલીસ ચોકીના પોલીસકર્મી દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, અહીંના ત્રિકમનગર વિસ્તારના રહેવાસી 40 વર્ષીય અશોકભાઈ ચૌહાણના ભાઈ સાથે એક ટેમ્પો ડ્રાઈવરે અકસ્માત કર્યો હતો. જેની ફરિયાદ નોંધાવવા માટે અશોકભાઈ આરોપી ટેમ્પો ડ્રાઈવરને લઈને ગામડી પોલીસ ચોકીમાં ગયા હતા. પરંતુ ત્યાં હાજર પોલીસકર્મી જામભાએ તેમની સાથે અભદ્ર વર્તન કરીને જાતિ વિષયક અપશબ્દો બોલીને માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જામભા નામના પોલીસકર્મીના મારના કારણે અશોકભાઈના કાનમાંથી લોહી નીકળી ગયું હતું અને તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા તેમની દીકરી પોલીસ ચોકીમાં પહોંચી ગઈ હતી અને અશોકભાઈને બહાર લઈ ગઈ હતી. એ પછી ઈજાગ્રસ્ત અશોકભાઈને પહેલા આણંદ જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અશોકભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગામડી પોલીસ ચોકીના જામભા નામના પોલીસકર્મી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના સોશિયલ મીડિયામાં પણ વાયરલ બનતા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને પોલીસની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જોવાનું એ રહેશે કે છાશવારે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવેની વાત કરતા ગૃહમંત્રીનું પોલીસખાતું તેમના જ પોલીસકર્મીએ કરેલી દાદાગીરીમાં તેને શું સજા કરે છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dalit-teenager-tied-to-pillar-and-beaten-by-sarpanch-and-his-associates-in-mirzapur-up">દલિત કિશોરને સરપંચે સવારના 5 થી બપોરના 3 વાગ્યા સુધી બાંધીને માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 18 Jan 2025 19:07:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1850</Articleid>
                    <excerpt>યુવક અકસ્માતની ફરિયાદ નોંધાવવા પોલીસ ચોકીએ ગયો હતો. જ્યાં જામભા નામના પોલીસકર્મીએ તેને ઢોર માર મારતા બેભાન થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678bae4102712.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678bae40c86bc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678bae40c86bc.jpg" length="31258" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>anand  news, dalit crime, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકરની વધુ એક પ્રતિમા તૂટી, તોફાનીઓએ ઉખાડીને પાર્કમાં ફેંકી દીધી</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkars-statue-was-broken-and-thrown-into-a-park-in-santnagar-mirzapur-up</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkars-statue-was-broken-and-thrown-into-a-park-in-santnagar-mirzapur-up</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરમાં બંધારણ અને તેના ઘડવૈયા ડો.આંબેડકરના અપમાનનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે ડો.આંબેડકરની વધુ એક પ્રતિમા તૂટતા રોષ ફેલાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ ડો.આંબેડકર સતત ચર્ચામાં છે ત્યારે દેશભરમાં તેમની પ્રતિમાઓ સાથે યેનકેન પ્રકારે ચેડાં થતા હોવાની ઘટનાઓ પણ બનતી રહી છે. હમણાં અમદાવાદના ખોખરામાં તોફાની તત્વોએ ડો.આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું જેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. દેશના વિવિધ વિસ્તારોમાં સૌથી કોઈ મહાનુભાવની પ્રતિમાની તોડફોડ થઈ રહી હોય તો તે ડો.આંબેડકર છે. આવી જ વધુ એક ઘટના જાતિવાદના એપીસેન્ટર યુપીમાં બની છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોમવાર તા. 13 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરના સંત નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પટેહરા વિસ્તારમાં ડૉ. બી.આર. આંબેડકરની પ્રતિમા નજીકના પાર્કમાં પડેલી મળી આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate">દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાથી સ્થાનિક સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો એકઠા થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવા અને ક્ષતિગ્રસ્ત પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની માહિતી મળતાં, સર્કલ ઓફિસર અશોક કુમાર સિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પ્રદર્શનકારીઓ સાથે વાત કરી હતી. અધિકારીઓએ ખાતરી આપી હતી કે ગુનેગારોની ઓળખ કરીને તેમની શક્ય તેટલી વહેલી તકે ધરપકડ કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે એમ પણ જણાવ્યું હતું કે ક્ષતિગ્રસ્ત પ્રતિમાનું સમારકામ કરવામાં આવ્યું છે અને તેને ફરીથી સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી આ વિસ્તારની પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રવિવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા અસામાજિક તત્વોએ પ્રતિમાને ઉખેડી નાખીને પાર્કમાં ફેંકી દીધી હતી. સોમવારે સવારે જ્યારે સ્થાનિકોએ જોયું કે પ્રતિમા તેની જગ્યાએ નથી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સર્કલ ઓફિસર અશોક કુમાર સિંહે જણાવ્યું હતું કે, “અમે ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું. અમે જનતાને શાંતિ જાળવવા અને તપાસમાં વહીવટીતંત્રને સહયોગ આપવા અપીલ કરીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-five-times-in-two-months-in-uttar-pradesh">બે મહિનામાં ડો.આંબેડકરની પ્રતિમા તોડવાની પાંચમી ઘટના બની, દલિતોમાં રોષ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 17 Jan 2025 14:28:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1848</Articleid>
                    <excerpt>દેશભરમાં બંધારણ અને તેના ઘડવૈયા ડો.આંબેડકરના અપમાનનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે ડો.આંબેડકરની વધુ એક પ્રતિમા તૂટતા રોષ ફેલાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_678a1a85a1ece.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_678a1a8568da3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_678a1a8568da3.jpg" length="53592" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkar, statue was broken, thrown, santnagar mirzapur</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકને ઝાડ પર ઉંધો લટકાવી 12 લોકોએ કલાકો સુધી માર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-hanged-upside-down-from-a-tree-and-beaten-to-death-in-kharwa-village-of-barmer-rajasthan</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-hanged-upside-down-from-a-tree-and-beaten-to-death-in-kharwa-village-of-barmer-rajasthan</guid>
                    <description>
                        <![CDATA[ પડોશમાં રહેતા જાતિવાદી તત્વોનું કાવતરું. દલિત યુવકને બાઇક ચોરીની શંકામાં ઘરે બોલાવી આરોપીઓએ ઝાડ પર ઊંધો લટકાવી કલાકો સુધી નિર્દયતાથી ફટકાર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક ક્રૂર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક દલિત યુવકને ઝાડ પરથી ઊંધો લટકાવીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે યુવકના પગ બાંધ્યા પછી તેને માર મારવામાં આવ્યો હતો. આરોપીઓને કાયદો કે પોલીસનો જરાય ડર નથી તેવું એટલા માટે લાહે કેમ કે તેમણે આ ઘટનાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાડમેરના ખારવા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બાડમેર જિલ્લાના ગુડામાલાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખારવા ગામની છે. અહીં બાઈક ચોરીની શંકાએ આરોપીઓએ એક દલિત યુવકને તેમના ઘરે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને પછી તેને દોરડાથી બાંધીને ઝાડ પર ઊંધો લટકાવી દેવામાં આવ્યો. એ પછી એક ડઝન લોકોએ તેને કલાકો સુધી નિર્દયતાથી માર માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. આ મામલાની નોંધ લેતા પોલીસે યુવકની શોધ શરૂ કરી અને ઘટનાની પુષ્ટિ કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં ભોગ બનનાર દલિત યુવક શ્રવણ કુમારના પિતા ગંગદારામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગંગદારામે જણાવ્યું કે ઇરારામ, ભલારામ, અચલારામ, વેલારામ, હીરારામ, શ્રવણ, ચતરરામ, હીરારામ જટીયાને છેતરીને તેમના પુત્ર શ્રવણ કુમારને તેમના ઘરે બોલાવ્યા અને તેના હાથ-પગ દોરડાથી બાંધીને લીમડાના ઝાડ પરથી ઊંધો લટકાવી દીધો અને તેને માર માર્યો અને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6789e6513d7d7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અપમાનનો એક વીડિયો બનાવવામાં આવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં માહિતી આપતાં ડીએસપી સુખારામ વિશ્નોઈએ જણાવ્યું કે આ ઘટના ગુડામાલાની પોલીસ સ્ટેશન વિસ્તારના ખારવા ગામની છે. પીડિત યુવકનું નામ શ્રવણ ગંગદારામ મેઘવાલ છે. તેના પર થયેલા હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શ્રવણના પાડોશમાં રહેતા કલ્બી જાતિના ઇસરરામની બાઈક ચોરી થઈ ગઈ હતી અને તેને શ્રવણ પર શંકા જતા બધાંએ સંપ કરીને તેને ઘરે બોલાવ્યો હતો અને પછી તેને લીમડાના ઝાડ ઉપરથી ઉંધો લટકાવી માર માર્યો હતો. વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ થઈ ગઈ છે. પોલીસે કેસ નોંધીને આ મામલે અત્યાર સુધીમાં ત્રણ લોકોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Nagaur-News-a-psychopath-attacked-a-Dalit-family">ખેતરમાં તારની વાડ કરતા દલિત પરિવાર પર મનોરોગીએ હુમલો કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 17 Jan 2025 10:42:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1845</Articleid>
                    <excerpt>પડોશમાં રહેતા જાતિવાદી તત્વોનું કાવતરું. દલિત યુવકને બાઇક ચોરીની શંકામાં ઘરે બોલાવી આરોપીઓએ ઝાડ પર ઊંધો લટકાવી કલાકો સુધી નિર્દયતાથી ફટકાર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6789e62f763d0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6789e62f3e173.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6789e62f3e173.jpg" length="98573" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>barmer news, dalit news, dalit crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>શાળામાં દલિત વિદ્યાર્થિનીઓ પાસે ટોઈલેટ સાફ કરાવ્યું, આચાર્ય સસ્પેન્ડ</title>
                    <link>https://khabarantar.com/dalit-students-were-made-to-clean-toilets-in-school-principal-suspended</link>
                    <guid>https://khabarantar.com/dalit-students-were-made-to-clean-toilets-in-school-principal-suspended</guid>
                    <description>
                        <![CDATA[ શાળાનો ગણવેશ પહેરેલી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ થયા જિલ્લા શિક્ષણ અધિકારી હરકતમાં આવ્યા અને પગલાં લીધાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાળાનું કામ હોય છે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના બાળકોને ભણાવવા. પણ ભારત જેવા જાતિપ્રધાન દેશમાં શાળાઓમાં શિક્ષક થઈને બેઠેલા દ્રોણાચાર્યો કોઈને કોઈ પ્રકારે દલિત-બહુજન સમાજના બાળકોના શિક્ષણમાં રોડાં નાખવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. દલિત બાળકોને ભણતા રોકવા માટેના તેમની પાસે સો બહાનાઓ હોય છે. આવું જ એક બહાનું એટલે દલિત બાળકોને શાળાના ટોઈલેટ સાફ કરાવવા કે સફાઈ કરાવવી. આવા અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં આપણે જોઈ ચૂક્યાં છીએ અને વધુ એક કિસ્સો પેરિયારની ભૂમિ તમિલનાડુમાંથી સામે આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો તમિલનાડુના પલાકોડુની એક શાળાનો છે. અહીંનો એક વીડિયો સામે આવ્યો છે જેણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. વાયરલ આ વીડિયોમાં શાળાનો ગણવેશ પહેરેલી વિદ્યાર્થિનીઓ શૌચાલય સાફ કરતી અને સફાઈ કરતી જોવા મળી રહી છે. એવો આરોપ છે કે સફાઈ કરતા બધાં બાળકો દલિત સમાજના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાળામાં દલિત સમુદાયના 150 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે શાળામાં બાથરૂમ સાફ કરવા ઉપરાંત બાળકોને પાણી લાવવા અને કેમ્પસ સાફ કરવા માટે પણ મજબૂર કરવામાં આવે છે, જેના કારણે તેઓ ઘરે પહોંચ્યા પછી ખૂબ થાકી જાય છે. એક વિદ્યાર્થીની માતાએ કહ્યું, “અમે બાળકોને સફાઈ કરવા નહીં, ભણવા માટે મોકલ્યા છે. તેઓ ભણવાને બદલે શાળા સાફ કરવામાં પોતાનો સમય બગાડે છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો વધુ વકરતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક કાર્યવાહી કરી અને શાળાના આચાર્યને બરતરફ કરી દીધા હતા અને કહ્યું હતું કે આ મામલાની તપાસ ચાલુ છે. તેમણે ખાતરી આપી કે બાળકોના અધિકારો અને તેમનો વિકાસ અમારી પ્રાથમિકતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે, અમારા બાળકોની આવી હાલત જોઈને અમારું દિલ તૂટી જાય છે. એવું લાગે છે કે શિક્ષકો એમની ભણાવવાની ફરજમાં પુરતું ધ્યાન નથી આપી રહ્યાં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/went-to-the-toilet-at-night-found-the-murdered-body-of-a-middle-aged-dalit-in-the-morning">રાત્રે ટોઈલેટ જવા નીકળ્યાં હતા, સવારે દલિત આધેડની હત્યા કરેલી લાશ મળી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 16 Jan 2025 21:37:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1843</Articleid>
                    <excerpt>શાળાનો ગણવેશ પહેરેલી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ થયા જિલ્લા શિક્ષણ અધિકારી હરકતમાં આવ્યા અને પગલાં લીધાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67892e0c65629.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67892e0c342de.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67892e0c342de.jpg" length="65513" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Palakodu News, dalit news, viral video</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘તને ખાલી સેક્સ માટે રાખી છે, મારાથી દૂર જઈશ તો જીવવા નહીં દઉં...’</title>
                    <link>https://khabarantar.com/ahmedabad-rakhial-news-if-you-go-away-from-me-i-wont-let-you-live</link>
                    <guid>https://khabarantar.com/ahmedabad-rakhial-news-if-you-go-away-from-me-i-wont-let-you-live</guid>
                    <description>
                        <![CDATA[ રખિયાલમાં દલિત પરિણીતા પર તેના પતિના મિત્ર મહેન્દ્ર ઠક્કરે વારંવાર દુષ્કર્મ ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શહેરમાં વધુ એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ચોંકાવનારી એટલા માટે છે કારણ કે દુષ્કર્મી બીજો કોઈ નહીં પરંતુ મહિલાના પતિનો નાનપણનો મિત્ર છે. તેણે પતિની ગેરહાજરીનો લાભ ઉઠાવી તેને ફસાવી અને વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા, એટલુ જ નહી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કર્યું. આખરે મહિલાની સહનશક્તિની હદ આવી જતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના રખિયાલમાં રહેલી સોનાલી (નામ બદલ્યું છે) પતિ, સાસુ તેમજ બે બાળકો સાથે રહે છે. તેને મોટી દિકરી અને નાનો દિકરો છે જે બન્ને તેનાં પિયરમાં રહે છે.  મહિલાનાં પતિનો નાનપણનો મિત્ર કેતન મહેન્દ્રભાઈ ઠક્કર અવારનવાર તેના ઘરે આવતો હોવાથી સોનાલી તેને અને તેના પરિવારને સારી રીતે ઓળખતી હતી. જો કે સોનાલીના પતિ પર ખોખરા પોલીસ સ્ટેશનમાં બેંક એકાઉન્ટ ભાડે આપવાનો ગુનો દાખલ થયો હોવાથી તે પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરે છે અને ઘરે આવતો નથી. પરિઆમે તેના પતિનો મિત્ર કેતન ઠક્કર મદદ કરવાના બહાને અવારનવાર ઘરે આવતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત 9 ઓગસ્ટ 2024નાં રોજ કેતન ઠક્કર સોનાલીનાં ઘરે આવ્યો હતો અને સોનાલીને કહ્યું હતું કે તેના પતિનું બીજે લફરું ચાલે છે. તેમ કહી વાતો કરીને બાદમાં અવારનવાર વ્હોટ્સએપ કોલ કરતો હતો. કેતન ઠક્કર અવારનવાર તેને પોતાની પત્ની સાથે બનતું નથી તેવી વાતો કરી તેની સાથે છૂટાછેડા લેવાનું તેમજ સોનાલીને તેના પતિ સાથે છુટાછેડા લેવાનું અને પોતાની સાથે લગ્ન કરી લેવાનું કહેતો હતો. સોનાલીને પણ પતિ સાથે મનમેળ ન થતો હોવાથી તે કેતન ઠક્કરની વાતોમાં આવી ગઈ હતી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. કેતન ઠક્કરે સોનાલી સાથે લગ્ન કરવાનું કહીને અલગ અલગ હોટલ અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેમજ સોનાલી ઘરે એકલી હોય ત્યારે આવી શારિરીક સંબંધ બાંધતો હતો. કેતન ઠક્કર સોનાલીને ખોખરામાં આવેલી અંજલી હોટલ, બાપુનગરમાં આવેલી આર.કે વીલા હોટલ, તેમજ સ્ટાર હોટલમાં અને ઓઢવમાં આવેલી અપોલો હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે લગ્નની લાલચ આપી શારિરીક સંબધ બાંધ્યો હતો અને અપોલો હોટલમાં સોનાલીની મરજી વિરૂધ્ધ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લે 29 ડિસેમ્બર 2024નાં રોજ કેતન ઠક્કર સોનાલીને ખોખરા પાસેની સ્ટાર હોટલમાં લઈ ગયો અને તેની સાથે શારિરીક સંબંધ બાંધી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું. ગત 2 જાન્યુઆરી 2025ના રોજ સોનમે કેતન ઠક્કરને પોતાની સાથે લગ્ન કરવાનું જણાવતા કેતને તેની સાથે ઝઘડો કરી, ‘મારે તારી સાથે લગ્ન કરવાના નથી, મેં તને ખાલી સેક્સ માટે રાખી છે, તું મારાથી દૂર જઈશ તો તને જીવવા નઈ દઉ’ એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સોનાલીને રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-doctor-committed-rape-with-a-dalit-nurse-posted-on-night-duty">નાઈટ ડ્યૂટી પર તૈનાત દલિત નર્સ સાથે ડોક્ટરે દુષ્કર્મ આચર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 13 Jan 2025 12:06:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1841</Articleid>
                    <excerpt>રખિયાલમાં દલિત પરિણીતા પર તેના પતિના મિત્ર મહેન્દ્ર ઠક્કરે વારંવાર દુષ્કર્મ ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6783f4a4dbee8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6783f4a4a7d4c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6783f4a4a7d4c.jpg" length="47100" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ahmedabad rakhial news</media:keywords>
                </item>
                        <item>
                    <title>10 માંથી 7 ભારતીયોએ સ્વીકાર્યું દેશમાં જાતિ આધારિત ભેદભાવ થાય છે</title>
                    <link>https://khabarantar.com/pew-research-report-7-out-of-10-people-admit-that-caste-based-discrimination-exists-in-india</link>
                    <guid>https://khabarantar.com/pew-research-report-7-out-of-10-people-admit-that-caste-based-discrimination-exists-in-india</guid>
                    <description>
                        <![CDATA[ વિખ્યાત સર્વે એજન્સી પ્યૂ રિસર્ચ સેન્ટરે જાતિગત ભેદભાવને લઈને સર્વે હાથ ધર્યો હતો. જેમાં ભારતમાં જાતિ આધારિત ભેદભાવને લઈને ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં જાતિ અને ધર્મના આધારે ભેદભાવ છે કે નહીં? આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ છે. પછી તે હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાનો મામલો હોય કે પછી IIT બોમ્બેના અમદાવાદના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીની આત્મહત્યાનો મામલો હોય. દેશભરમાં દલિતો પર અત્યાચારના કિસ્સા હોય કે મુસ્લિમો વિરુદ્ધ નફરતભર્યા ભાષણ અને લિંચિંગના કિસ્સા હોય, દેશભરમાંથી જાતિ અને ધર્મના આધારે ભેદભાવના સમાચાર દરરોજ આવતા રહ્યાં છે. તો સવાલ એ છે કે, કેટલા લોકો માને છે કે આવો ભેદભાવ થાય છે? આ પ્રશ્નનો જવાબ પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાંથી મળ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">70 ટકા લોકોએ સ્વીકાર્યું કે ભારતમાં જાતિ આધારિત ભેદભાવ થાય છે</span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્યુ રિસર્ચ સેન્ટરના એક નવા અહેવાલ મુજબ, ૭૦ ટકાથી વધુ ભારતીયો માને છે કે ભારતમાં ધાર્મિક ભેદભાવ એક મધ્યમ અથવા ખૂબ જ મોટી સમસ્યા છે. ૬૯ ટકા ભારતીયો માને છે કે ભારતમાં જાતિ આધારિત ભેદભાવ થાય છે. રસપ્રદ વાત એ છે કે, વિશ્વભરમાં સર્વે કરાયેલા 36 દેશોમાં આ સૌથી વધુ પ્રમાણ છે. જોકે, અન્ય દેશોમાં લોકોને જાતિ કરતાં 'નસ્લીય અને વંશીય' ભેદભાવ વિશે પૂછવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીયોમાં ધાર્મિક અને જાતિગત ભેદભાવ એક મોટી ચિંતા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, "એકંદરે, આ સર્વેક્ષણમાં અમે પૂછેલા અન્ય મુદ્દાઓ કરતાં ધાર્મિક ભેદભાવ વિશે થોડી ઓછી ચિંતા છે," છતાં 29 ટકા પુખ્ત વયના લોકો કહે છે કે ધર્મના આધારે લોકો સામે ભેદભાવ ખૂબ મોટી સમસ્યા છે, અને 27 ટકા લોકો કહે છે કે તે એક મધ્યમ પ્રકારની સમસ્યા છે. જોકે, તેમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ભારત એવા થોડા દેશોમાંનો એક છે જ્યાં ધાર્મિક ભેદભાવ એક મોટી ચિંતાનો વિષય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિ અને નસ્લીય ભેદભાવ વિશે શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ કહે છે કે, "પાંચ દેશો - બાંગ્લાદેશ, ફ્રાન્સ, ભારત, નાઇજીરીયા અને શ્રીલંકા - માં અડધા કે તેથી વધુ લોકો માને છે કે ધાર્મિક ભેદભાવ ખૂબ મોટી સમસ્યા છે." ભારતમાં, ૫૭ ટકા જવાબ આપનારાએ કહ્યું કે ધાર્મિક ભેદભાવ ખૂબ મોટી સમસ્યા છે અને અન્ય ૧૪ ટકા લોકોએ કહ્યું કે તે મધ્યમ પ્રકારની સમસ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહેવાલમાં જણાવાયું છે કે, "સર્વે કરાયેલા દેશોમાં 34 ટકા પુખ્ત વયના લોકોનું કહેવું છે કે નસ્લીય કે જાતીય ભેદભાવ ખૂબ મોટી સમસ્યા છે," બીજા ૩૪ ટકા લોકો તેને મધ્યમ સમસ્યા માને છે. ભારતમાં, ઉત્તરદાતાઓને પૂછવામાં આવ્યું હતું કે શું જાતિ અને જાતીય ભેદભાવ એક સમસ્યા છે અને જો હા, તો કેટલી મોટી સમસ્યા છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/attacking-the-sweeper-saying-you-are-bhangi-paran-chanted-jai-shri-ram"><span style="font-size: 14pt;"> 'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્યુ રિસર્ચ સેન્ટરે ગુરુવારે 'આર્થિક અસમાનતાને દુનિયાભરમાં એક મોટા પડકાર તરીકે જોવામાં આવે છે' શીર્ષક હેઠળનો તેનો અહેવાલ પ્રકાશિત કર્યો. તે એશિયા-પેસિફિક ક્ષેત્ર, યુરોપ, લેટિન અમેરિકા, મધ્ય પૂર્વ ઉત્તર આફ્રિકા ક્ષેત્ર, ઉત્તર અમેરિકા અને સબ-સહારન આફ્રિકાના 36 દેશોમાં કરવામાં આવેલા સર્વેક્ષણ પર આધારિત છે. પ્યુએ ૫ જાન્યુઆરીથી ૨૨ મે, ૨૦૨૪ના સમયગાળા દરમિયાન અમેરિકામાં ૩,૬૦૦ લોકો અને અન્ય ૩૫ દેશોમાં ૪૧,૫૦૩ લોકોનો સર્વે કર્યો હતો. એક તૃતીયાંશ દેશોમાં, આ સર્વે ટેલિફોન દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના દેશોમાં તે રૂબરૂમાં કરાયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રોહિત વેમુલાથી દર્શન સોલંકી સુધીની ઘટનાઓ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિ અને ધર્મના આધારે ભેદભાવનો આ અહેવાલ એ ભારતની સ્થિતિ દર્શાવે છે જ્યાં દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા જેવા કિસ્સાઓ થયા છે. રોહિત આંબેડકર વિદ્યાર્થી સંઘ સાથે જોડાયેલો હતો. તે એવા મુદ્દાઓ પર વિરોધ અને આંદોલન કરતો હતો જે દક્ષિણપંથી જમણેરી જૂથોને પસંદ નહોતા. આ કટ્ટરવાદી જૂથોની ફરિયાદ પર વેમુલાની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા પર હુમલો કરવાના આરોપસર તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેની સામે કાર્યવાહીની માંગણી કરતા પત્રો લખનારાઓમાં RSSના નેતા બંડારુ દત્તાત્રેયનો પણ સમાવેશ થાય છે, જેમનો પત્ર તે સમયે માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા યુનિવર્સિટીના કુલપતિને મોકલવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વેમુલાએ તેના પાંચ સાથીઓ સાથે રિલે ભૂખ હડતાળ શરૂ કરી હતી. પરંતુ જ્યારે તેમને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે તે ભાંગી પડ્યો હતો. લાંબી લડાઈ લડ્યા પછી હતાશાની એક નબળી ક્ષણે આત્મહત્યા કરી લીધી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત વિદ્યાર્થી સંગઠનોએ શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો જ એક કિસ્સો IIT બોમ્બેના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીનો હતો. APPSC એટલે કે આંબેડકર પેરિયાર ફુલે સ્ટડી સર્કલ IIT બોમ્બેએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે 'અમારી ફરિયાદો છતાં સંસ્થાએ દલિત બહુજન આદિવાસી વિદ્યાર્થીઓ માટે તેની જગ્યાને સમાવિષ્ટ અને સુરક્ષિત બનાવવાની કાળજી લીધી નથી.' પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અનામતિયા અને મેરિટ વિનાના કહીને ટોણાં મારી સૌથી વધુ હેરાનગતિ કરવામાં આવતી હતી. બીજી તરફ આ વિદ્યાર્થીઓને તેમના જ જેવી જ પરિસ્થિતિમાંથી આગળ આવેલા અને આશ્વાસન આપીને ઉભા કરે તેવા ફેકલ્ટી અને કાઉન્સેલર્સની અછત છે. સંઘ પરિવારના લોકો દિન-પ્રતિદિન દલિત, આદિવાસી અને ઓબીસી ફેકલ્ટીઓને વિવિધ યુનિવર્સિટીઓ, પ્રિમિયમ ઈન્સ્ટિટ્યૂટોમાંથી બહાર કરી રહ્યાં છે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૂછો ન રાખવા દેવી સહિતના ભેદભાવો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 'એ નગ્ન સત્ય છે કે, SC/ST સમાજના વિદ્યાર્થીઓને કેમ્પસમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ તરફથી ભારે ઉત્પીડન અને ભેદભાવનો સામનો કરવો પડે છે'. આ ઉપરાંત દલિત અત્યાચારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ચોરીના આરોપમાં દલિતોને માર મારવો, તેમની સાથે દુર્વ્યવહાર કરવો, તેમની મૂછો કાપી નાખવી, લગ્નમાં વરઘોડો ન કાઢવા દેવો, જાન પર પથ્થરમારો કરવો, માટલામાંથી પાણી ન પીવા દેવું વગેરે જેવા જાતિ આધારિત ભેદભાવોનો સતત સામનો કરવો પડે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુસ્લિમોનું ગૌહત્યાના નામે મોબ લિંચિંગ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમો સામે પણ આવા જ પ્રકારના ભેદભાવના કિસ્સા નોંધાયા છે. મુસ્લિમ દુકાનદારોનો બહિષ્કાર કરવા, ગૌમાંસની હેરાફેરીના આરોપમાં તેમને ટોળાં દ્વારા માર મારવો અને તેમની વિરુદ્ધ ધાર્મિક નફરત ફેલાવવાના કિસ્સાઓ પણ વધ્યાં છે. 2017 માં રાજસ્થાનના અલવરના પહેલુ ખાનની ટોળાં દ્વારા માર મારીને હત્યા કરવામાં આવી હતી. તે દૂઝણી ગાયને ખરીદીને પોતાના ઘરે જઈ રહ્યો હતો, પરંતુ ગાયની તસ્કરીના આરોપમાં હિંદુત્વાદી ટોળાંએ તેને માર મારીને હત્યા કરી નાખી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નફરતભર્યા ભાષણોનું ઝેર ફેલાઈ ચૂક્યું છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૮ માં હાપુડમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં પશુઓની ખરીદી કરનારા કાસિમ અને સમયદ્દીન પર ગૌહત્યાના આરોપસર ટોળાંએ હુમલો કર્યો હતો. તેમાં કાસિમનું મોત થઈ ગયું હતું. લિંચિંગની ઘટનાઓ સતત બનતી રહી છે અને તે હજુ સુધી બંધ થઈ નથી. આ સાથે, દેશના વિવિધ ભાગોમાં મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવતા ભાષણના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ઘણા અહેવાલો કહે છે કે તેના પરિણામે, મુસ્લિમો સામે ભેદભાવની ઘટનાઓમાં વધારો થયો છે અને તેમના પર હુમલા પણ વધ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/caste-discrimination-against-dalit-professor-gopal-das-of-iim-bangalore">અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિ.ના NO.1 પ્રોફેસરને IIM માં જાતિવાદ નડ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 12 Jan 2025 13:51:07 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 12 Jan 2025 13:52:14 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1839</Articleid>
                    <excerpt>વિખ્યાત સર્વે એજન્સી પ્યૂ રિસર્ચ સેન્ટરે જાતિગત ભેદભાવને લઈને સર્વે હાથ ધર્યો હતો. જેમાં ભારતમાં જાતિ આધારિત ભેદભાવને લઈને ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67837a584fc5f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67837a581edaa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67837a581edaa.jpg" length="71071" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Pew Research Report, caste-based discrimination, India</media:keywords>
                </item>
                        <item>
                    <title>18 વર્ષની દલિત એથ્લેટ્સનું 5 વર્ષમાં 64 લોકોએ જાતીય શોષણ કર્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-athlete-sexually-abused-by-64-people-in-5-years-in-keralas-pathanamthitta</link>
                    <guid>https://khabarantar.com/dalit-athlete-sexually-abused-by-64-people-in-5-years-in-keralas-pathanamthitta</guid>
                    <description>
                        <![CDATA[ દલિત એથ્લેટ 13 વર્ષની હતી ત્યારથી તેનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. તપાસ શરૂ થયા બાદ આંકડો હજુ વધી શકે છે. પોલીસે બે એફઆઈઆર નોંધીને 6 લોકોની ધરપકડ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરળના પથાણામથિટ્ટા જિલ્લામાં 18 વર્ષની દલિત એથ્લીટ છોકરીનું જાતીય શોષણ થયાનો આરોપ લાગ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. શરૂઆતની તપાસ બાદ પોલીસે 2 FIR નોંધી છે અને 6 લોકોની ધરપકડ કરી છે (Kerala Dalit Athlete Sexual Abuse). યુવતીનો આરોપ છે કે છેલ્લા 5 વર્ષમાં 64 લોકોએ તેનું જાતીય શોષણ કર્યું છે. કેરળ મહિલા સમાખ્યા સોસાયટીના સ્વયંસેવકોએ જિલ્લા બાળ કલ્યાણ સમિતિને આ અંગે જાણ કરી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કેરળ મહિલા સામખ્ય સોસાયટી (Kerala Mahila Samakhya Society-KMSS) ના સ્વયંસેવકો આ વિસ્તારની મુલાકાત લેવા નીકળ્યા હતા. એ દરમિયાન તેઓ સંઘર્ષ કરી રહેલી જિલ્લા સ્તરની આ રમતવીર છોકરીને મળ્યા હતા. KMSS એક બિન-સરકારી સંસ્થા (NGO) છે જેના સ્વયંસેવકો નિયમિતપણે આ વિસ્તારની મુલાકાત લે છે.</span><br><span style="font-size: 14pt;">જ્યારે છોકરી તાજેતરના વર્ષોમાં તેના અનુભવો શેર કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સ્વયંસેવકોએ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ (CWC) ને તેની જાણ કરી. પથાણામથિટ્ટા સીડબ્લ્યુસીના મુખ્ય વકીલ એન રાજીવે જણાવ્યું હતું કે આ મામલો 15 દિવસ પહેલા સમિતિ સમક્ષ આવ્યો હતો. તેમણે આગળ કહ્યું કે, "મેં છોકરીને તેની માતા સાથે સમિતિ સમક્ષ હાજર થવા કહ્યું. તેને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે અને સાયકોલોજિસ્ટ સામે તેણે ખૂલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે 13 વર્ષની ઉંમરથી તેનું જાતીય શોષણ થઈ રહ્યું હતું. તે તેની માતા સાથે કંઈપણ શેર કરતી નહોતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-dalit-woman-confronted-the-rapist-and-the-racist-spat-on-her-face"><span style="font-size: 14pt;">દલિત મહિલાએ બળાત્કારીનો સામનો કર્યો તો જાતિવાદી તેના મોં પર થૂંક્યો</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">CWCના મુખ્ય વકીલે વધુમાં જણાવ્યું હતું કે, "છોકરી જિલ્લા સ્તરની રમતવીર હોવાથી તેણીએ વર્ષોથી વિવિધ રમત શિબિરોમાં ભાગ લીધો છે. કદાચ આ જ કારણ છે કે તેણીનું આટલું બધું જાતીય શોષણ થયું. તે તેના દારૂડિયા પિતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોટાભાગના આરોપીઓની ઓળખ મોબાઇલ ફોનમાં હાજર કોન્ટેક્ટ લિસ્ટ પરથી થઈ છે. તેમાં ઘણા નંબરો સેવ થયેલા મળી આવ્યા છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પથાણામથિટ્ટા જિલ્લાના એસપી વીજી વિનોદ કુમારે જણાવ્યું હતું કે, "બે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા છે. એક કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા કેસમાં એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ બાદ વધુ કેસ નોંધવામાં આવશે. આ તપાસની જવાબદારી એક ડેપ્યુટી એસપી સંભાળી રહ્યા છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, CWCના મુખ્ય વકીલ એન રાજીવએ જણાવ્યું હતું કે મનોવૈજ્ઞાનિકોએ છોકરી સાથે વાત કરી હતી જેથી તેના દાવાઓની સંપૂર્ણ તપાસ કરી શકાય. એકવાર તપાસ આગળ વધશે, પછી વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા નકારી શકાય નહીં. હાલમાં, છોકરીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને CWC હેઠળના આશ્રય ગૃહમાં ખસેડવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-police-charged-the-rape-of-a-dalit-minor-at-rs-1-lakh-applied">પોલીસે દલિત સગીરા પર બળાત્કારની કિંમત રૂ. 1 લાખ લગાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 Jan 2025 20:47:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1835</Articleid>
                    <excerpt>દલિત એથ્લેટ 13 વર્ષની હતી ત્યારથી તેનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. તપાસ શરૂ થયા બાદ આંકડો હજુ વધી શકે છે. પોલીસે બે એફઆઈઆર નોંધીને 6 લોકોની ધરપકડ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67828a6da730c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67828a6d764f9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67828a6d764f9.jpg" length="67687" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit athlete, sexually abused, kerala, pathanamthitta, 64 people, 5 years</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત સગીરાને 3 દિવસ સુધી ગોંધી રાખી ત્રણ યુવકોએ ગેંગરેપ કર્યો</title>
                    <link>https://khabarantar.com/minor-gangraped-for-3-days-in-gauriganj-police-station-amethi-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/minor-gangraped-for-3-days-in-gauriganj-police-station-amethi-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ સગીરા ઘરેથી સ્કૂલે જવા નીકળી હતી ત્યારે ઓળખીતા યુવકે તેને ફોસલાવીને લિફ્ટ આપી તેનું અપહરણ કર્યું. ગામથી દૂરના ઘરમાં ગોંધી રાખી. જ્યાં 3 યુવકોએ ગેંગરેપ કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Minor Girl Gangraped: જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશમાં એક દલિત સગીરા સાથે ગેંગરેપનો થયાનો મામલો સામે આવ્યો છે. અહીં અમેઠી જિલ્લામાં ત્રણ યુવકોએ એક દલિત કિશોરીને એક ઘરમાં ગોંધી રાખી ત્રણ દિવસ સુધી તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તપાસ બાદ જ્યારે મામલો સાચો હોવાનું માલુમ પડ્યું ત્યારે પોલીસે ચાર આરોપીઓ સામે કેસ નોંધ્યો અને ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લીધા. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે, પોલીસ તેની શોધ કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. અહીં એક ૧૩ વર્ષની એક દલિત  છોકરી ૨૬ ડિસેમ્બરે શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યા બાદ શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. છોકરી ગુમ થયા પછી તેના પિતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને છોકરીની શોધ શરૂ કરી હતી. એ દરમિયાન અચાનક ૧ જાન્યુઆરીના રોજ છોકરી તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને તેણે જે આપવીતી સંભળાવી તેનાથી પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/5-youths-gang-raped-a-dalit-girl-after-forcing-her-to-drink-alcohol">દલિત યુવતીને ગોંધી રાખી પરાણે દારૂ પીવડાવી 5 યુવકોએ ગેંગરેપ કર્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણ દિવસ સુધી ગેંગરેપ ગુજાર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">પીડિતાના જણાવ્યા અનુસાર, તેની બહેનપણીનો બોયફ્રેન્ડ, જે ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો રહેવાસી છે, તે તેને લિફ્ટ આપવાના બહાને ફોસલાવીને અમેઠી લઈ ગયો હતો. સાહિલ નામના આ યુવકે અહીં તેને પહેલેથી જ હાજર નીલેશ, શેખર સિંહ અને સુરજીત સિંહ સાથે છોડી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો. સાહિલ ગયા પછી, ત્રણેય યુવકો સગીરાને ગૌરીગંજના સકરાવા ગામમાં એક ઘરે લઈ ગયા. જ્યાં તેણીને બંધક બનાવીને ત્રણ દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધમકી આપી ટ્રેનમાં બેસાડી દીધી</span></strong></span><br><span style="font-size: 14pt;">ગુનો કર્યા પછી આ યુવકોએ સગીરાને ધમકી આપી અને 28 ડિસેમ્બરના રોજ તેણીને પદ્માવત એક્સપ્રેસમાં બેસાડી દીધી હતી. એ પછી છોકરી દિલ્હી પહોંચી હતી અને ત્યાં જેમ તેમ કરીને તેની બહેનના ઘરે પહોંચી અને પોતાની સાથે જે થયું તેની વાત કહી. ગૌરીગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી સગીરાએ પોલીસને ઘટનાની જાણ કરી. ત્યારબાદ તેણીને વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવી અને પોલીસ, મેડિકલ અને કોર્ટમાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક આરોપી હજુ પણ ફરાર</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આરોપીઓની કોલ ડિટેલ્સ અને અન્ય પુરાવા સાચા હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ પોલીસે POCSO અને બળાત્કાર સહિતની અન્ય કલમો ઉમેરીને આરોપીઓની શોધ શરૂ કરી દીધી હતી. દરમિયાન, ગૌરીગંજના એસએચઓ શ્યામ નારાયણ પાંડેએ જણાવ્યું હતું કે સાહિલ, સુરજીત અને શેખરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નિલેશ નામનો આરોપી હજુ પણ ફરાર છે. તેની શોધ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/two-cousins-of-a-dalit-family-were-gang-raped-for-40-days">દલિત પરિવારની બે સગી બહેનોને 40 દિવસ સુધી ગોંધી રાખી ગેંગરેપ</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 Jan 2025 19:22:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1834</Articleid>
                    <excerpt>સગીરા ઘરેથી સ્કૂલે જવા નીકળી હતી ત્યારે ઓળખીતા યુવકે તેને ફોસલાવીને લિફ્ટ આપી તેનું અપહરણ કર્યું. ગામથી દૂરના ઘરમાં ગોંધી રાખી. જ્યાં 3 યુવકોએ ગેંગરેપ કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6782778e4964c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6782778e193a0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6782778e193a0.jpg" length="42499" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>amethi news, minor girl gangraped, gauriganj, SC ST act, atrocity case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કડીના જેતપુરામાં એટ્રોસિટીના કેસમાં 9 આરોપીઓને 3 વર્ષની સજા, 20 હજાર દંડ</title>
                    <link>https://khabarantar.com/nine-accused-in-jetpura-atrocity-case-sentenced-to-three-years-fined-rs-twenty-thousand</link>
                    <guid>https://khabarantar.com/nine-accused-in-jetpura-atrocity-case-sentenced-to-three-years-fined-rs-twenty-thousand</guid>
                    <description>
                        <![CDATA[ આરોપીઓએ લોકડાઉન વખતે કીટની વહેંચણી વખતે દલિત સમાજની વ્યક્તિને જાતિસૂચક અપશબ્દો બોલીને માર માર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જેતપુરા ગામમાં એટ્રોસિટીના એક કેસમાં 9 આરોપીઓને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2020માં કોરોના કાળના લોકડાઉન વખતે અહીં કીટની વહેંચણી વખતે આરોપીઓએ અનુસૂચિત જાતિ સમાજની એક વ્યક્તિને જાતિસૂચક અપશબ્દો કહીને મારામારી કરી હતી. જેને લઈને તેમની સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી મહેસાણા સ્પેશ્યિલ એટ્રોસિટી કોર્ટમાં થતા કોર્ટે 9 આરોપીઓનો ગુનેગાર ઠેરવીને 3 વર્ષની સખત કેદની સજા અને દરેકને રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કડીના જેતપુરા ગામમાં તા.૨૯-૩-૨૦૨૦ના લોકડાઉનની કીટની વહેંચણી બાબતે બોલાચાલી થઈ હતી. જે અંગેની અદાવત રાખીને આરોપીઓ ગામના જ સોમા રબારી, જગદીશ અજમલ રબારી, રવિ મગન રબારી, સંજય મફા રબારી, વિશાલ રણછોડ રબારી, રાજુ લાલજી રબારી, ભાથી અરજણ રબારી, સાગર મોહન રબારીએ 12 એપ્રિલ 2020ના રોજ ગેરકાયદેસર મંડળી રચીને એકસંપ થઈને લાકડીઓ સહિતના હથિયારો સાથે અનુસૂચિત જાતિ સમાજના વિનોદભાઈ મંગળભાઈ જાદવને જાતિસૂચક અપશબ્દો કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ અંગે વિનોદભાઈ જાદવે એટ્રોસિટી એક્ટ સહિતના વિવિધ કાયદા-કલમો હેઠળ બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓને ત્રણ વર્ષની સજા અને રૂ. 20 હજાર દંડ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસની સુનાવણી મહેસાણાના એડીશનલ સેશન્સ અને સ્પેશીયલ એટ્રોસીટી જજ સી.એમ.પવારની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ અશોક એ. મકવાણાની દલીલો અને ભરત કાપડીયાની વીથ પ્રોશીક્યુસેનના આધારે કોર્ટે ૯ આરોપીઓને દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદ અને પ્રત્યેક આરોપીને રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમમાંથી ફરિયાદીને રૂ. 30 હજાર વળતર ચૂકવવા અને રૂ. 30 હજાર જિલ્લા કાનૂની સહાય કેન્દ્રમાં જમા કરવાનો આદેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/In-the-atrocity-case,-the-court-for-the-first-time-ordered-the-accused-to-pay-Rs.-10-thousand-fined">એટ્રોસિટીના કેસમાં કોર્ટે પહેલીવાર ‘માનસિક યાતના’ મુદ્દે આરોપીને રૂ. 10 હજાર દંડ ફટકાર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 Jan 2025 10:32:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1831</Articleid>
                    <excerpt>આરોપીઓએ લોકડાઉન વખતે કીટની વહેંચણી વખતે દલિત સમાજની વ્યક્તિને જાતિસૂચક અપશબ્દો બોલીને માર માર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6781fa74bff9f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6781fa749040b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6781fa749040b.jpg" length="41360" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>SC ST Act, Atrocity Case, Dalit News, Jetpura mehsana, kadi news</media:keywords>
                </item>
                        <item>
                    <title>માલપુરથી દિલ્હી દંડવત યાત્રાએ નીકળેલા લાલજી ભગતની તબિયત લથડી</title>
                    <link>https://khabarantar.com/lalji-bhagats-health-deteriorated-after-he-left-for-dandawat-yatra-from-malpur-to-delhi</link>
                    <guid>https://khabarantar.com/lalji-bhagats-health-deteriorated-after-he-left-for-dandawat-yatra-from-malpur-to-delhi</guid>
                    <description>
                        <![CDATA[ લાલજી ભગત સફાઈ કામદારોની પડતર માંગણીઓને લઈને પીએમ મોદીને વેદનાપત્ર આપવા નીકળ્યાં છે. મોડાસાના મહાદેવપુરા પાસે રસ્તામાં તેમની તબિયત લથડી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સફાઈ કામદારોના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને અરવલ્લી જિલ્લાના માલપુરથી દેશની રાજધાની દિલ્હી સુધી દંડવત યાત્રા કરતા જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેદનાપત્ર પાઠવવા માટે નીકળેલા વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતની મોડાસાથી આગળ જતાં મહાદેવપુરા પાસે રસ્તામાં તબિયત લથડતાં 108 દ્વારા સારવાર આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત વાલ્મિકી સંગઠનના નેજા હેઠળ રાજ્યમાં સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને પૂરા પગારથી કાયમી કરવા અને જુદી જુદી પડતર માંગણીઓ અને લાભો માટે માલપુરના લાલજી ભગત છેલ્લા કેટલાય સમયથી આંદોલન દ્વારા લડત ચલાવી રહ્યા છે તેમ છતાં પણ સફાઈ કામદારોની માંગણીઓ સંતોષવામાં ન આવતાં તા.1 જાન્યુઆરીથી તેઓ માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેદના પત્ર પાઠવવા નીકળ્યાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે દિવસ પહેલા તેઓ મોડાસામાં પ્રવેશતા સમસ્ત વાલ્મિકી સમાજના ભાઈ-બહેનો અને સફાઈકર્મીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. અહીંથી તેઓ દંડવત યાત્રાનું પ્રસ્થાન કરીને મહાદેવપુરા તરફ આગળ વધ્યાં હતા. એ દરમિયાન અચાનક તેમની તબિયત લથડતાં તાત્કાલિક 108ને જાણ કરવામાં આવતા રસ્તામાં જ તેમને સારવાર આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સફાઈકર્મીઓની નોકરીઓ કોન્ટ્રાક્ટર પર આપી દઈને શોષણ કરતી સરકાર સામે લાલજી ભગત સહિત તમામ સફાઈકર્મીઓમાં રોષ છે. એક બાજુ પીએમ મોદી સફાઈકર્મીઓના પગ ધોઈને જાહેરમાં પોતે સફાઈકર્મીઓના હામી હોવાનો દેખાડો કરે છે, બીજી તરફ તેમના જ ગૃહરાજ્યમાં એક સફાઈકર્મી આંદોલન કરીને પોતાના હકની માગણી કરી રહ્યો છે, છતાં સત્તા પક્ષના એકેય નેતાના પેટનું પાણી પણ હલ્યું નથી. આ સાથે જ સત્તાધારી ભાજપના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોવાનું પણ સામે આવી ગયું છે. જોવાનું એ રહે છે કે, લાલજી ભગત જેવા વડીલની માગણીને સરકાર કાને ધરે છે કે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dandwat-yatrs-malpur-to-delhi-for-the-sainitation-workers-lalji-bhagat">સફાઈકર્મીઓ માટે એક જનસેવક દંડવત યાત્રા કરતા દિલ્હી જવા નીકળ્યાં છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 10 Jan 2025 19:36:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1830</Articleid>
                    <excerpt>લાલજી ભગત સફાઈ કામદારોની પડતર માંગણીઓને લઈને પીએમ મોદીને વેદનાપત્ર આપવા નીકળ્યાં છે. મોડાસાના મહાદેવપુરા પાસે રસ્તામાં તેમની તબિયત લથડી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67812889686e2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6781288927b49.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6781288927b49.jpg" length="69253" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>lalji bhagats health deteriorated, dandawat yatra</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેતરમાં પશુઓ ભગાડવા બાંધેલા ઝાટકા તારના કરંટથી દલિત દંપતીનું મોત</title>
                    <link>https://khabarantar.com/couple-dies-after-being-electrocuted-in-malukpur-jaunpur-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/couple-dies-after-being-electrocuted-in-malukpur-jaunpur-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ ખેતર માલિકે દલિત દંપતીની લાશ કેનાલમાં ફેંકી દીધી. દીકરીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેતરમાં માલિકે પશુઓ ભગાડવા માટે બાંધેલા વીજળીના ઝાટકા આપતા તારનો કરંટ લાગવાથી એક દલિત દંપતીનું મોત થઈ ગયું. મામલો ઉત્તરપ્રદેશના જૌનપુર ખુટહન વિસ્તારના મલૂકપુર ગામનો છે. અહીં એક દલિત દંપતી ખેતરમાં કામ કરી રહ્યું હતું. પાકને પશુઓથી બચાવવા માટે ખેતર માલિકે ફરતે તારની વાડ કરી તેમાં વીજળીનો કરંટ આપ્યો હતો. એટલું જ નહીં તેણે ખેતરના ટ્યૂબવેલ સાથે આ ઝાટકા તારને જોડી દીધો હતો. જેની જાણ તેણે તેના ખેતરમાં કામ કરવા આવતા દલિત દંપતિને કરી નહોતી. જેના કારણે આ તારને અડકી જતા બંનેનું મોત થઈ ગયું હતું. આ મામલે પોલીસે કાર્યવાહી કરી દોષિત ખેતરમાલિકની ધરપકડ કરી છે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ખેતરમાલિકે બંનેના મૃતદેહ કેનાલમાં ફેંકી દીધાં</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મલુકપુર ગામમાં ખેતરમાં કામ કરી રહેલા રામચરિત્ર અને તેમની પત્ની કિસ્મતી દેવી થોડા દિવસો પહેલા ગુમ થઈ ગયા હતા. આ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે કમલેશ સિંહના ખેતરમાં કામ કરી રહેલા આ દંપતીનું વીજળીના ઝાટકા લાગવાને કારણે મોત થયું હતું. જ્યારે કમલેશે પોતાના ખેતરમાં પડેલા દંપતીના મૃતદેહ જોયા, ત્યારે તેણે તેમને કારમાં મૂકીને નહેરમાં ફેંકી દીધા હતા. હવે તરવૈયાઓ નહેરમાં બંનેના મૃતદેહો શોધી રહ્યા છે. પોલીસ અધિક્ષક ડૉ. કૌસ્તુભે જણાવ્યું હતું કે કમલેશ સિંહની મંગળવારે ફિરોઝપુરથી આગળ પટેલા રોડ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/while-not-going-to-sprinkle-medicine-in-the-field-the-dalit-youth-filled-his-boot-with-urine-and-made-him-drink">ખેતરમાં દવા છાંટવા ન જતા દલિત યુવકને બૂટમાં પેશાબ ભરીને પીવડાવ્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પશુઓથી બચવા ખેતરમાં બાંધેલો તાર મોતનું કારણ બન્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત દંપતીની દીકરી સરિતા કુમારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે 5 જાન્યુઆરીની સવારે તેના માતા-પિતા ગામની પશ્ચિમ બાજુએ તેમણે ભાગમાં રાખેલા ખેતરમાં વાવેલા પાકમાં પાણી પાવા માટે ગયા હતા. તે સાંજે પણ મોડે સુધી પાછા આવ્યા નહોતા. એ પછી તેમણે ઘણી શોધખોળ કરી હતી પરંતુ તેઓ ન મળ્યાં. આ કેસમાં, એસઆઈ મહેન્દ્ર યાદવ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ગુમ થયેલા દલિત દંપતીના ચંપલ, કોદાળી, ધાબળો, કપડાં અને મોજાં તે ખેતરમાંથી મળી આવ્યા હતા જ્યાં તેઓ કામ કરતા હતા. એ પછી ખેતરમાલિક કમલેશ સિંહની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે સ્વીકાર્યું કે તેણે પોતાના પાકને પ્રાણીઓથી બચાવવા માટે સ્ટીલના તારથી ખેતરને વાડ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત દંપતીને જાણ ન કરાઈ અને જીવ ગુમાવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ખેતરોમાં રંજાડ કરતા પ્રાણીઓથી પાકને બચાવવા માટે તેણે આ ઝાટકા તારને તેના ટ્યુબવેલની વીજળી સાથે જોડી દીધા હતા, જેથી પ્રાણીઓને વીજળીનો આંચકો લાગે અને તેઓ ભાગી જાય. જો કે ખેતર માલિક કમલેશસિંહે ખેતમજૂર રામચરિત અને તેમની પત્ની કિસ્મતી દેવીને આ બાબત જણાવી નહોતી. જ્યારે કમલેશ ખેતરમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે રામચરિત્ર અને કિસ્મતી દેવીનું ઝાટકા તારના આંચકાથી મોત થઈ ગયું છે. તો તે આ ઘટના જોઈને ડરી ગયો અને પોતાના ઘરેથી બોલેરો જીપ લઈને આવ્યો અને પોતાના ભાઈ અખિલેશ સાથે મળીને બંનેના મૃતદેહ બાસુપુર નહેરમાં ફેંકી દીધા હતા. હવે આ મામલે બંનેની પોલીસે ધરપકડ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-youth-killed-by-sarpanch-and-his-associates-while-collecting-water-in-the-field">ખેતરમાં પાણી વાળતા દલિત યુવકની સરપંચ અને સાગરિતોએ હત્યા કરી</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 10 Jan 2025 14:40:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1829</Articleid>
                    <excerpt>ખેતર માલિકે દલિત દંપતીની લાશ કેનાલમાં ફેંકી દીધી. દીકરીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6780e3b94c5b2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6780e3b917608.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6780e3b917608.jpg" length="124372" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit couple dies, being electrocuted, malukpur, jaunpur, uttar pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>મને મારા જ પક્ષના ધારાસભ્યથી જીવનું જોખમ છેઃ ભાજપના દલિત નેતા</title>
                    <link>https://khabarantar.com/shanti-swarup-sonkare-my-life-is-in-danger-from-an-mla-from-my-own-party</link>
                    <guid>https://khabarantar.com/shanti-swarup-sonkare-my-life-is-in-danger-from-an-mla-from-my-own-party</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખને તેમના જ પક્ષના ધારાસભ્યે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપને દલિત-બહુજન સમાજ કથિત સવર્ણ હિંદુઓના પક્ષ તરીકે જોવા ટેવાયેલો છે. ભાજપની દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો તથા લઘુમતીઓની માટેની નીતિઓ કાયમ તેને સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે ટ્રીટ કરવાની રહી હોવાનું માનતો મોટો વર્ગ છે. જેના કારણે જ ભાજપની બંધારણ અને ડો.આંબેડકરના વિચારોની વિરોધી પાર્ટી હોવાની પણ છાપ સતત મજબૂત થતી જાય છે. આવી સ્થિતિ છતાં અમુક દલિત નેતાઓ ભાજપમાં જોડાયા હતા. પણ તેમને તેમના જ પક્ષના ધારાસભ્યોથી ખતરો હોવાનું જણાઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો જ ભય ઉત્તરપ્રદેશના પીલીભીતના ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખે અનુભવાઈ રહ્યો છે. તેમણે તેમના જ પક્ષના ધારાસભ્ય પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. ARSETI સેન્ટરના બાંધકામમાં દખલગીરી અને દબાણનો આરોપ લગાવીને તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા અને સુરક્ષાની માંગ કરી છે. સામે છેડે ધારાસભ્યએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા, જ્યારે વહીવટીતંત્રે આ મામલાની તપાસ કરવાનું વચન આપ્યું છે. આ ઘટનાએ ભાજપમાં દલિત નેતાઓની સ્થિતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં, ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ અને કલ્યાણપુર નૌગવા ગામના સરપંચ શાંતિ સ્વરૂપ સોનકરે પોતાની જ પાર્ટીના બરખેડાના ધારાસભ્ય સ્વામી પ્રવક્તાનંદ (જયદ્રથ) પર ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે તેમનાથી તેમના જીવને જોખમ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંગળવારે તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને વહીવટીતંત્ર પાસેથી સુરક્ષાની માંગ કરી હતી. સોનકર કહે છે કે ધારાસભ્ય તેમના સંબંધીઓને ફાયદો પહોંચાડવા માટે RSETI સેન્ટર (ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા) ના બાંધકામમાં દખલ કરી રહ્યા છે અને તેમના વિરોધને કારણે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. દલિત નેતાએ એવો પણ આરોપ લગાવ્યો કે ધારાસભ્યના સાસરિયાઓ આ જ ગામમાં રહે છે અને તેઓ સેન્ટરની આડમાં પોતાનો સ્વાર્થ સાધવાના પ્રયાસ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોનો અવાજ દબાવવાનો પ્રયાસ?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે શાંતિ સ્વરૂપ સોનકર જિલ્લા મેજિસ્ટ્રેટ સંજય કુમાર સિંહને મળ્યા અને તેમની ફરિયાદ નોંધાવી, ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટે આ મામલાની તપાસ કરવાનું વચન આપ્યું અને તેને સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (સદર) ને સોંપી દીધું. સોનકર કહે છે કે ભાજપમાં દલિત નેતાઓનો અવાજ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, અને આ કેસ તેનો જ એક ભાગ છે. તેમણે કહ્યું કે ધારાસભ્યનું વર્તન માત્ર દલિત વિરોધી નથી પણ તે દલિતોને વિકાસથી વંચિત રાખવાનો પ્રયાસ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધારાસભ્યએ આરોપોને નકારી કાઢ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન ધારાસભ્ય સ્વામી પ્રકાશાનંદે આરોપોને નકારી કાઢ્યા અને સોનકર પર સસ્તી લોકપ્રિયતા મેળવવાનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું છે કે સોનકર કોઈના નિર્દેશ પર કામ કરી રહ્યાં છે અને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પ્રકાશાનંદે જણાવ્યું હતું કે તેમના પ્રયાસોને કારણે ARSETI સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે, જે ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમનો સોનકર સાથે કોઈ સંપર્ક થયો નથી અને આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાંતિ સ્વરૂપ સોનકરનો આરોપ છે કે ભાજપમાં દલિત નેતાઓને ફક્ત શોપીસ તરીકે રાખવામાં આવે છે, જ્યારે તેમના અધિકારો અને સુરક્ષા પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. તેમણે માંગ કરી છે કે વહીવટીતંત્ર આ મામલાની નિષ્પક્ષ તપાસ કરે અને તેમને સુરક્ષા પૂરી પાડે. સોનકરે કહ્યું કે જો તેમની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો તેઓ ઉચ્ચ સ્તરે આંદોલન કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશેઃ જિલ્લા મેજિસ્ટ્રેટ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે કલ્યાણપુર નૌગવાંમાં 2.5 કરોડ રૂપિયાના ખર્ચે ICT સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે વિસ્થાપિત ગ્રામજનોનું પુનર્વસન ટૂંક સમયમાં કરવામાં આવશે અને બાંધકામ કાર્યમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવવા દેવામાં આવશે નહીં. જિલ્લા મેજિસ્ટ્રેટે એમ પણ કહ્યું કે આ મામલાની સંપૂર્ણ પ્રામાણિકતા સાથે તપાસ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપમાં દલિત નેતાઓની હાલત કફોડી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસ ભાજપમાં દલિત નેતાઓની સ્થિતિ અને તેમના અવાજને દબાવવાના આરોપોને ઉજાગર કરે છે. શું ભાજપમાં દલિત નેતાઓનો ઉપયોગ ફક્ત વોટ બેંક તરીકે થાય છે? આ પ્રશ્ન હવે વધુ ગંભીર બની ગયો છે. દલિત સમાજ માટે, આ ઘટના સલામતી અને સન્માન માટેની તેમની લડાઈને વધુ મજબૂત બનાવવાની નિશાની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dalit-leader-of-bjps-minor-daughter-was-raped-by-4-persons-in-a-car">ભાજપના દલિત નેતાની સગીર દીકરી સાથે 4 શખ્સોએ કારમાં રેપ કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 Jan 2025 14:51:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1824</Articleid>
                    <excerpt>ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખને તેમના જ પક્ષના ધારાસભ્યે જાનથી મારી નાખવાની ધમકી આપી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677f95261c705.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677f9525dfa21.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677f9525dfa21.jpg" length="79933" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>shanti swarup sonkar, Pilibhit news, Barkheda MLA Swami Pravakhtanand (Jayadrath)</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતે હનુમાનજીને પ્રસાદ ચઢાવ્યો, સરપંચે તેને ખાનાર 20 લોકોનો બહિષ્કાર કર્યો</title>
                    <link>https://khabarantar.com/case-of-untouchability-and-social-exclusion-in-chhatarpur-mp</link>
                    <guid>https://khabarantar.com/case-of-untouchability-and-social-exclusion-in-chhatarpur-mp</guid>
                    <description>
                        <![CDATA[ દલિતે ગામના હનુમાન મંદિરમાં પૂજારી દ્વારા પ્રસાદ ચઢાવીને વહેંચ્યો. સરપંચે પ્રસાદ ચઢાવનાર, ખાનાર અને હાથમાં લેનાર 20 થી વધુ લોકોનો સામાજિક બહિષ્કાર કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિપ્રધાન ભારત દેશમાં દલિતો સાથે કેવી કેવી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે તે જાણીને ક્યારેક તો આશ્ચર્ય થાય. દલિતો પાસેથી રૂપિયા લેવામાં અને તેમની સ્ત્રીઓ સાથે સંબંધ રાખતી વખતે જેમને આભડછેટ કે જાતિવાદ નથી નડતો એવા બેવડા ધોરણો ધરાવતા મૂર્ખ તત્વોની મૂર્ખામીને ઉજાગર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના છત્તરપુરની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના સટઈ પોલીસ સ્ટેશનમાં આવતા અતરાર ગામનો છે. અહીં એક દલિત વ્યક્તિએ પુજારી દ્વારા હનુમાન મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો અને પછી તેને ગામના કેટલાક લોકોમાં વહેંચ્યો હતો. જેની જાણ ગામના સરપંચ સંતોષ તિવારીને થતા, તેણે દલિત પરિવાર અને પ્રસાદ ખાનારા 20 જેટલા લોકોનો સામાજિક બહિષ્કાર જાહેર કરી દીધો છે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ સરપંચને છાવરી રહ્યાનો આક્ષેપ</span></strong></span><br><span style="font-size: 14pt;">ગ્રામજનોનો આરોપ છે કે સરપંચના આદેશ પછી તેમને લગ્ન, બેસણાં કે ગામની જાહેર મિટીંગો જેવા કોઈપણ સામાજિક કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નથી આવતું. આ કારણે તેમને ભારે માનસિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. પીડિત દલિત પરિવારે આ બાબતની ફરિયાદ એસપીને કરી છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/social-boycott-of-250-dalits-for-one-month-but-name-e-another">250 દલિતોનો 1 મહિનાથી સામાજિક બહિષ્કાર, પણ નમે એ બીજા...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રસાદ વહેંચનાર અને ખાનાર બધાંનો સામાજિક બહિષ્કાર</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના 20 ઓગસ્ટ, 2024ની છે. જગત અહિરવાર નામના એક દલિત વ્યક્તિએ ગામના હનુમાન મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો હતો અને મંદિરના પૂજારી સહિત 20 લોકોમાં તેને વહેંચ્યો હતો. જેની જાણ સરપંચ સંતોષ તિવારીને થતા તેણે પ્રસાદ વહેંચનાર અને ખાનારા તમામ લોકોનો સામાજિક બહિષ્કાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરપંચે આરોપો નકાર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;"> જગત અહિરવારે ફરિયાદમાં જણાવ્યું હતું કે સરપંચ સંતોષ તિવારીએ તેનો, જેણે પ્રસાદ ખાધો તેનો અને જેમણે પ્રસાદ હાથમાં લીધો એવા 20થી વધુ લોકોનો સામાજિક બહિષ્કાર કરાવી દીધો છે. જેના કારણે અમારે ભારે માનસિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ તે પછી પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. આવું એટલા માટે થઈ રહ્યું છે કેમ કે અમે દલિત સમાજમાંથી આવીએ છીએ. આ બધું અસ્પૃશ્યતાની પ્રથાને કારણે થઈ રહ્યું છે. આ બાબતે સરપંચનું કહેવું છે કે તેમના પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા છે અને ફરિયાદી જૂની રાજકીય અદાવતનો બદલો લઈ રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;">અન્ય એક પીડિત રાજુ કુશવાહાએ કહ્યું કે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો કારણ કે તેમણે એક દલિત પરિવારનો પ્રસાદ ખાધો હતો. હવે ગામમાં પણ કોઈ તેમને બોલાવતું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આરોપી સરપંચે કેસમાં શું કહ્યું?</span></strong><br><span style="font-size: 14pt;">દરમિયાન, ગામના વડા સંતોષ તિવારી કહે છે કે આ બધું ચૂંટણીના મતભેદોને કારણે થઈ રહ્યું છે કારણ કે જગત અહિરવારે ગત ચૂંટણીમાં તેમની સામે ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા. એટલા માટે તેઓ આરોપો લગાવી રહ્યા છે. છતરપુર જિલ્લાના બિજાવર એસડીઓપી શાશંકર જૈને જણાવ્યું હતું કે તેમને આ મામલે અરજી મળી છે અને આ મામલો ગંભીર છે. તેમણે કહ્યું કે તપાસ ચાલી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bullies-rolled-a-tractor-over-a-dalits-hut-urinated-on-his-face-In-Karili-guna-mp">દલિત મહિલાના મોં પર પેશાબ કર્યો, ઝૂંપડી અને ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું</a> </span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 Jan 2025 10:26:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1822</Articleid>
                    <excerpt>દલિતે ગામના હનુમાન મંદિરમાં પૂજારી દ્વારા પ્રસાદ ચઢાવીને વહેંચ્યો. સરપંચે પ્રસાદ ચઢાવનાર, ખાનાર અને હાથમાં લેનાર 20 થી વધુ લોકોનો સામાજિક બહિષ્કાર કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677f56db4e14d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677f56db17d9d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677f56db17d9d.jpg" length="104249" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>untouchability, social exclusion, chhatarpur, MP</media:keywords>
                </item>
                        <item>
                    <title>સફાઈકર્મીઓ માટે એક જનસેવક દંડવત યાત્રા કરતા દિલ્હી જવા નીકળ્યાં છે</title>
                    <link>https://khabarantar.com/dandwat-yatrs-malpur-to-delhi-for-the-sainitation-workers-lalji-bhagat</link>
                    <guid>https://khabarantar.com/dandwat-yatrs-malpur-to-delhi-for-the-sainitation-workers-lalji-bhagat</guid>
                    <description>
                        <![CDATA[ અરવલ્લીના જનસેવક લાલજી ભગત સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને માલપુરથી દંડવત કરતા કરતા દિલ્હી જવા નીકળ્યાં છે, પણ ભાજપના એકેય નેતાના પેટનું પાણી પણ હલતું નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં સફાઈકર્મીઓનું શોષણ કરતી કોન્ટ્રાક્ટર પ્રથા દાખલ કર્યા બાદ ચૂંટણી ટાણે સફાઈ કામદારોના પગ ધોઈને દેખાડો કરતા વડાપ્રધાન મોદી સફાઈકર્મીઓના અસલ પ્રશ્નોને લઈને કેટલા ગંભીર છે તેના વિશે હવે વધારે કશું કહેવાની જરૂર નથી. સફાઈકર્મીઓનું શોષણ કરતી કોન્ટ્રાક્ટ પ્રથાને પીએમ મોદીએ તેમના હોમ સ્ટેટ ગુજરાતમાં હવે કાયમી કરી નાખી હોય તેવી સ્થિતિ છે. પરિણામે સફાઈકર્મીઓ આખી જિંદગી મજૂર જ રહે છે અને કોન્ટ્રાક્ટર (જે મોટાભાગે ભાજપના જ મળતિયાઓ કે તેમના સગાસંબંધીઓ જ હોય છે.) રાતોરાત માલામાલ થઈ જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સફાઈકર્મીઓનું ગુજરાતમાં ભારે શોષણ થઈ રહ્યું છે. તેમની અનેક માગણીઓ વર્ષોથી પડતર છે, અનેક આવેદનપત્રો આપવા છતાં કોઈ મંત્રી, અધિકારી તેના વિશે કશી નક્કર કાર્યવાહી કરતો નથી. એવી સ્થિતિમાં અરવલ્લી જિલ્લામાંથી એક જનસેવક દંડવત પ્રણામ કરતા કરતા દિલ્હી જવા માટે નીકળ્યાં છે. હાલ તેઓ મોડાસા પહોંચ્યાં છે. આવતા વર્ષ સુધીમાં તેઓ દિલ્હી પહોંચશે અને પીએમ મોદીને મળી સફાઈકર્મીઓના પડતર પ્રશ્નોનો વહેલીતકે ઉકેલ લાવો તેવી રજૂઆત કરશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જનસેવકનું નામ લાલજી ભગત છે અને હાલ તેઓ આ રીતે દંડવત પ્રણામ કરતા કરતા મોડાસા પહોંચી ગયા છે. તેમની આટલી કપરી યાત્રાને જોઈને પણ ભાજપના કોઈ નેતાના પેટનું પાણી પણ હલ્યું નથી. સફાઈ કામદારોની પડતર પ્રશ્નોને લઇને અરવલ્લીથી દિલ્હી સુધી શરૂ થયેલી આ દંડવત યાત્રાને લઇને હવે પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતાઓ આગળ આવ્યા છે. આપ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ લાલજી ભગતની દંડવત યાત્રાને લઇને પ્રધાનમંત્રી મોદીને અપીલ કરતાં જણાવ્યું કે, કોઈપણ હિસાબે સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપનો એકેય નેતા હજુ મળવા આવ્યો નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી બાજુ અરવલ્લી જિલ્લાના એકેય ધારાસભ્ય કે મંત્રી પાસે સમય જ ન હોય તેમ અદ્રશ્ય થઈ ગયા છે. એક માણસ સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે દંડવત યાત્રા કરીને ગુજરાતથી દિલ્હી સુધી જઈ રહ્યાં હોય તો કેમ કોઈ ધારાસભ્ય કે મંત્રી તેમની વાત સરકાર સુધી પહોંચાડતા નથી, શું સફાઈ કામદારોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી ધારાસભ્યો કે મંત્રીઓની નથી? શું તેમની વાત ગાંધીનગરમાં કોઈ સાંભળતું જ નથી? આવા સવાલો પણ સફાઈકર્મીઓમાં થઈ રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માલપુરથી દંડવત કરતા મોડાસા પહોંચ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2025ની પ્રથમ જાન્યુઆરીના રોજથી ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે અરવલ્લીના માલપુરથી દંડવત યાત્રા શરૂ કરી હતી. અંદાજે પચ્ચીસ કિલોમીટરનું અંતર કાપી તેઓ હાલ મોડાસા પહોંચ્યાં છે. જ્યાં સમાજના આગેવાનો તેમજ નગરજનોએ ભવ્ય આવકાર આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગાંધીનગરમાં અમારું કોઈ સાંભળતું નથી: લાલજી ભગત </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાલજી ભગતે જણાવ્યું હતું કે, સફાઈકામદારોના પ્રાણ પ્રશ્નો અંગે વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે, જોકે હજુ સુધી સફાઈકર્મીઓની વાત સાંભળવામાં આવી નથી. તેમની માંગ છે કે સફાઈ કામદારોનું શોષણ બંધ કરવામાં આવે, તેમનું વેતન સીધા બેંક ખાતામાં આવે અને અનામત સહિતની બાબતોનો પણ તેમાં અમલ કરવામાં આવે. આ મામલે ગાંધીનગરમાં કોઈ સફાઈકર્મીઓની વાત કાને ધરતું ન હોવાથી હવે મેં દિલ્હી જઈ પીએમ મોદીને મળીને રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લાલજી ભગત અગાઉ પણ રજૂઆતો કરી ચૂક્યાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, અગાઉ લાલજી ભગત દંડવત યાત્રા કરીને ગાંધીનગર સુધી જવા નીકળ્યાં હતાં. પરંતુ સત્તા પક્ષના લોકોએ તેમને આશ્વાસનો આપીને યાત્રા રોકાવી દીધી હતી. એ પહેલા પણ તેમણે દિલ્હી સુધી પદયાત્રા કરી છે પરંતુ હજુ સુધી તેમની માંગણીઓ સંતોષવામાં આવી નથી. હવે લાલજી ભગતે ફરી એકવાર સરકાર સામે બાંયો ચઢાવી છે અને સૌથી કઠિન એવી દંડવતા યાત્રા શરૂ કરી દીધી છે ત્યારે સરકાર તેમની માગણીઓને ધ્યાનમાં લે છે કે કેમ તેના પર નજર રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-president-of-the-gujarat-valmiki-sangathan-will-travel-from-gujarat-to-delhi">ગુજરાત વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ ગુજરાતથી દંડવત કરતા દિલ્હી જશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 08 Jan 2025 19:14:12 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 08 Jan 2025 19:16:04 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1821</Articleid>
                    <excerpt>અરવલ્લીના જનસેવક લાલજી ભગત સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને માલપુરથી દંડવત કરતા કરતા દિલ્હી જવા નીકળ્યાં છે, પણ ભાજપના એકેય નેતાના પેટનું પાણી પણ હલતું નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677e7f62ec91e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e7f62b20a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e7f62b20a7.jpg" length="95598" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>the president of the gujarat valmiki sangathan, Lalji bhagat, dandwat yatrs, Aravalli news</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;કાગજ&amp;apos; ફિલ્મ જેવો કિસ્સો : જીવતા દલિત યુવકને પંચાયતે મૃત જાહેર કરી દીધો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-youth-living-in-bagalkhed-mp-was-declared-dead-by-the-panchayat</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-youth-living-in-bagalkhed-mp-was-declared-dead-by-the-panchayat</guid>
                    <description>
                        <![CDATA[ પંકજ ત્રિપાઠીની &#039;Kaagaz&#039; ફિલ્મ જેવો કિસ્સો. દલિત યુવક પોતાને જીવિત જાહેર કરવા માટે હવે મહિનાઓથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે, પણ કોઈ સાંભળતું નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'Kaagaz' જેવો એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. ફિલ્મમાં અભિનેતા એક એવી વ્યક્તિનો રોલ કરે છે જે જીવતો હોવા છતાં સરકારી ચોપડે મૃત જાહેર કરી દેવાય છે. આ ફિલ્મની સ્ટોરી બિહારના એક ગામની હતી. હવે આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી છે. અહીં એક દલિત યુવકને ગ્રામ પંચાયતે મૃત જાહેર કરી દીધો હતો અને તેના નામે કોઈએ અંતિમક્રિયા માટેની રૂ. 5000ની સરકારી સહાય પણ મેળવી લીધી હતી. હવે યુવક પોતાને જીવિત જાહેર કરવા માટે થઈને સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના બાગલખેડની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લાના માખનનગર તાલુકાના બાગલખેડી ગામનો છે. અહીં રહેતા એક દલિત યુવક નરેશ અહિરવારને વર્ષ 2020 માં સરકારી દસ્તાવેજોમાં મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં કોઈએ તેના અંતિમ સંસ્કાર માટેની 'અંતિમ સંસ્કાર સહાય' યોજનાના નામે 5,000 રૂપિયા ઉપાડી લીધાં હતા. આ છેતરપિંડી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ફરિયાદી નરેશ અહિરવારે તેની પત્નીની ડિલિવરી પછીની સબલ સ્કીમ હેઠળ ઓનલાઈન નોંધણી માટે અરજી કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/hemlata-bairwa-teacher-who-said-savitribai-is-the-goddess-of-education-has-not-received-her-salary-for-10-months">'વિદ્યાની દેવી સાવિત્રીબાઈ છે' કહેનાર શિક્ષિકાને 10 મહિનાથી પગાર નથી મળતો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેશ અહિરવારે જણાવ્યું કે વર્ષ 2020માં તત્કાલીન ગ્રામ પંચાયત તલાટી સંજુ અહિરવાર અને પૂર્વ સરપંચ સુરેખા યાદવે તેને સરકારી દસ્તાવેજોમાં મૃત જાહેર કરી દીધો હતો. એટલું જ નહીં, 13 જુલાઈ, 2020 ના રોજ અંતિમ સંસ્કાર સહાય તરીકે તેમના નામે 5000 રૂપિયા પણ ઉપાડી લેવામાં આવ્યા હતા. નરેશને આ છેતરપિંડી વિશે ત્યારે ખબર પડી જ્યારે તેણે 23 નવેમ્બર 2024 ના રોજ તેની પત્ની ભારતી અહિરવારની ડિલિવરી પછી સરકારી યોજનાના લાભો મેળવવા માટે અરજી કરી. નરેશે 24 ડિસેમ્બર 2024ના રોજ કલેક્ટર ઓફિસ અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટમાં આ છેતરપિંડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.</span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">સરકારી તંત્રના લહેરિયા ખાતાની પોલ ખૂલી</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના સરકારી તંત્રમાં કેવું લહેરિયું ખાતું ચાલે છે તેની સાથે ગ્રામીણ સ્તરે પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને સરકારી તંત્રમાં રહેલી ખામીઓને પણ ઉજાગર કરે છે. સરકારી દસ્તાવેજોમાં પોતાને જીવતો સાબિત કરવા માટે નરેશે અનેક અરજીઓ કરી છે. પરંતુ હજુ સુધી ન તો સરકાર તેને જીવતો માનવા તૈયાર છે, ન તો આરોપીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેશ અહિરવારે મીડિયા સાથે વાચ કરતા જણાવ્યું હતું કે, "મારા માટે અત્યંત શરમજનક અને પીડાદાયક છે કે સરકારી રેકોર્ડમાં મને મૃત જાહેર કરવામાં આવ્યો છે. આ છેતરપિંડીના કારણે હું મારી પત્ની માટે સગર્ભા યોજનાનો લાભ પણ મેળવી શક્યો નહીં. જ્યારે મેં આનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મને ધમકીઓ મળી છે, હું ઈચ્છું છું કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મારી ઓળખ અને અધિકારોનું રક્ષણ કરવામાં આવે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ સામે હજુ સુધી કાર્યવાહી નહીં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે વધુમાં જણાવ્યું કે, "ગામના કેટલાક માથાભારે લોકો અને પંચાયતના અધિકારીઓ યોજનાઓનો દુરુપયોગ કરી રહ્યા છે. હું મજૂરી કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. આવી સ્થિતિમાં આ પ્રકારની છેતરપિંડીથી મને આર્થિક અને માનસિક યાતનાઓ સહન કરવી પડી રહી છે. મેં ફરિયાદ નોંધાવી હતી, ન્યાય માટે અમે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પણ અરજી કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાગલખેડીના વર્તમાન સરપંચ રામભરોષ યાદવે જણાવ્યું હતું કે, "એ વાત સાચી છે કે નરેશને અગાઉ સરકારી રેકોર્ડમાં મૃત જાહેર કરીને તેના નામે યોજનાના ભંડોળની ઉચાપત કરવામાં આવી હતી. આ કારણે તે હવે કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ શકતો નથી. આ બધું પૂર્વ સરપંચ સુરેખા યાદવના કાર્યકાળમાં થયું છે. આ એક ગંભીર ગેરરીતિ છે અને હું ઈચ્છું છું કે તંત્ર તેની તપાસ કરે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ  <a href="https://khabarantar.com/kadaknath-the-film-kaushik-garasia-from-dahod-made-a-film-on-atrocities-in-bhil-dialect">દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 08 Jan 2025 14:44:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1820</Articleid>
                    <excerpt>પંકજ ત્રિપાઠીની &#039;Kaagaz&#039; ફિલ્મ જેવો કિસ્સો. દલિત યુવક પોતાને જીવિત જાહેર કરવા માટે હવે મહિનાઓથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે, પણ કોઈ સાંભળતું નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677e41ea6fcb6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e41ea3cff9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e41ea3cff9.jpg" length="91784" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>living dalit youth declared dead, bagalkhed, MP, story like the movie &#039;Kaagaz&#039;</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેજરીવાલથી નારાજ દિલ્હીના 17 ટકા દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે?</title>
                    <link>https://khabarantar.com/what-is-going-on-in-the-minds-of-the-17-percent-dalit-voters-of-delhi-who-are-angry-with-kejriwal</link>
                    <guid>https://khabarantar.com/what-is-going-on-in-the-minds-of-the-17-percent-dalit-voters-of-delhi-who-are-angry-with-kejriwal</guid>
                    <description>
                        <![CDATA[ AAP અને કેજરીવાલની નારાજ દલિત મતો અંકે કરી લેવા કૉંગ્રેસ, ભાજપ અને બીએસપી એડીચોડીનું જોર લગાવી રહ્યાં છે. સવાલ એ છે કે, દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Delhi Assembly Elections 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં 17 ટકા જેટલા દલિત મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અરવિંદ કેજરીવાલ સરકાર પર ઝૂંપડપટ્ટી પુનર્વસન અને શિક્ષણ યોજનાઓનો ખોરવી નાખી દલિતોની ઉપેક્ષા કરવાનો આરોપ લાગી રહ્યો છે. જેના કારણે હવે દલિત મતદારો કોની તરફ નમે છે તેના પર કોઈની નજર છે. હાલ કો ભાજપ અને કોંગ્રેસથી લઈને બીએસપી સુધીના પક્ષોએ દલિત મતદારોને પોતાના તરફ ખેંચવા માટે જોર લગાવવું શરૂ કરી દીધું છે. દલિતોની નારાજગી અને તેમની રાજકીય પસંદગી આ વખતે ચૂંટણીના પરિણામોમાં મહત્વની ભૂમિકા ભજવશે તે નક્કી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ સ્થિતિ એવી છે કે, દિલ્હીના મતદારો કેજરીવાલની ચાલને બરાબર સમજી ચૂક્યા છે. તેમને લાગે છે કે આમ આદમી પાર્ટી માત્ર ડો.આંબેડકરનો ફોટો સરકારી ઓફિસોમાં મૂકાવીને દલિતોને રાજી રાખવા માંગે છે, પણ જ્યારે હોદ્દાની વહેંચણી અને મલાઈદાર ખાતાઓ ફાળવવાનો વખત આવે ત્યારે અન્ય સવર્ણ પાર્ટીઓની જેમ જ વર્તે છે. પંજાબમાં દલિત મતદારો પ્રભાવી હોવા છતાં કેજરીવાલે રાજ્યસભામાં એક દલિત નેતાને મોકલવાને બદલે સવર્ણ રાઘવ ચઢ્ઢાને મોકલ્યા ત્યારે દલિતોને તેમની અસલિયતની જાણ થઈ ગઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક છે અને તમામ રાજકીય પક્ષો તેમની વ્યૂહરચનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. આ વખતે ચૂંટણીના સમીકરણો જાતિ આધારિત મતબેંકની આસપાસ ઘૂમી રહ્યાં છે, જ્યાં દલિત મતદારોનો પ્રભાવ નિર્ણાયક સાબિત થઈ શકે છે. દિલ્હીની કુલ વસ્તીના લગભગ 17% લોકો દલિત સમાજમાંથી આવે છે, જેઓ ઘણી વિધાનસભા સીટોની જીત અને હાર નક્કી કરવાની સ્થિતિમાં છે. કરોલ બાગ, કસ્તુરબા નગર, મોતી નગર અને રાજેન્દ્ર નગર જેવી બેઠકો પર દલિત મતદારોનો પ્રભાવ એટલો મજબૂત છે કે અહીંનું ચૂંટણી પરિણામ દલિત મતદારો કોના તરફ ઢળશે તેના આધારે નક્કી કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/pujari-granthi-samman-yojana-will-give-rs-18000-per-month-to-delhi-priests">કેજરીવાલનો મનુવાદ: દિલ્હીના પૂજારીઓને દર મહિને રૂ. 18,000 આપશે</a> </strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેજરીવાલ સરકાર પર દલિતોની અવગણનાના આરોપ</span></strong></span><br><span style="font-size: 14pt;">સત્તાધારી આમ આદમી પાર્ટીની સરકાર પર સતત દલિતોની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારે દલિત સમાજ માટે કોઈ નક્કર નીતિઓ લાગુ કરી નથી. દિલ્હીમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજનાઓમાં ઘટાડો, ઝૂંપડપટ્ટીમાં રહેતા દલિત પરિવારોના પુનર્વસનમાં વિલંબ અને સરકારી નોકરીઓમાં અનામત અંગે નક્કર પગલાં ન લેવા, આ તમામ મુદ્દાઓ આ ચૂંટણીમાં કેજરીવાલ સરકાર વિરુદ્ધ વાતાવરણ સર્જી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">દલિત મતદારો ભાજપ અને કોંગ્રેસ તરફ ઝુકશે તેવી શક્યતા</span></strong><br><span style="font-size: 14pt;">ભૂતકાળમાં દલિત મતદારોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું, પરંતુ સરકારે વચનો ન પાળત હવે તેઓ ભાજપ અને કોંગ્રેસ તરફ ઝુક્યા હોવાનું કહેવાય છે. દિલ્હીમાં દલિત સમાજ માટે વિશેષ યોજનાઓના અભાવે કેજરીવાલ સરકારની લોકપ્રિયતા સતત ગબડી રહી છે. બીજી તરફ ભાજપે દલિતોને જોડવા માટે ઘણી યોજનાઓ અને કાર્યક્રમો ચલાવી સમર્થન મેળવવાના પ્રયાસો કર્યા છે. બીજી તરફ, કોંગ્રેસ પણ “દલિત અધિકાર યાત્રા” જેવા અભિયાનો દ્વારા સમાજનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોની નારાજગી કેજરીવાલ સરકાર માટે પડકાર</span></strong></span><br><span style="font-size: 14pt;">દિલ્હીના દલિત વિસ્તારોમાં કેજરીવાલ સરકાર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાઓ અધૂરી રહી ગઈ છે, સફાઈ કામદારોના પગારમાં વિલંબ અને તેમના માટે પાયાની સુવિધાઓનો અભાવ આ સમાજ માટે મોટા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આ સિવાય મતિયા મહેલ, ત્રિલોકપુરી અને સંગમ વિહાર જેવા વિસ્તારોમાં દલિત પરિવારોને આપવામાં આવતી સુવિધાઓમાં કાપ મુકાવાથી લોકોનો રોષ વધ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું આ વખતે દલિત વોટબેંક બનશે સત્તાની ચાવી?</span></strong></span><br><span style="font-size: 14pt;">આ વખતની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં દલિત સમાજ ક્યા પક્ષ તરફ ઝૂકે છે તે જોવું રસપ્રદ રહેશે. તેઓ કેજરીવાલ સરકાર સામે ગુસ્સો વ્યક્ત કરશે કે પછી ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોને તક આપશે? દલિત મતદારોમાં આ વખતે દિલ્હીનું રાજકીય ચિત્ર બદલવાની તાકાત છે તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં 2025ની વિધાનસભાની ચૂંટણીમાં દલિત સમાજ ક્યો રસ્તો પસંદ કરે છે તેના આધારે સત્તાની ચાવી કોના હાથમાં જશે તે નક્કી થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/kejriwal-and-aap-have-once-again-betrayed-the-dalits-of-delhi">કેજરીવાલ અને AAP એ ફરી એકવાર દિલ્હીના દલિતોને દગો દીધો?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 08 Jan 2025 13:15:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1819</Articleid>
                    <excerpt>AAP અને કેજરીવાલની નારાજ દલિત મતો અંકે કરી લેવા કૉંગ્રેસ, ભાજપ અને બીએસપી એડીચોડીનું જોર લગાવી રહ્યાં છે. સવાલ એ છે કે, દલિત મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677e2d0f72b98.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e2d0f3fb44.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e2d0f3fb44.jpg" length="59517" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Delhi Assembly Elections 2025, Dalit Voters, Kejriwal, Aam Aadmi Party, BJP, Congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાડીમાં &amp;apos;જય ભીમ&amp;apos; ગીત વગાડતા દલિત યુવકોનો રસ્તો રોકી જીવલેણ હુમલો</title>
                    <link>https://khabarantar.com/dalit-youths-attacked-while-playing-jai-bhim-song-in-tumakuru-karnataka</link>
                    <guid>https://khabarantar.com/dalit-youths-attacked-while-playing-jai-bhim-song-in-tumakuru-karnataka</guid>
                    <description>
                        <![CDATA[ બે દલિત યુવકો ગાડીમાં &#039;જય ભીમ&#039; ગીત વગાડતા જઈ રહ્યાં હતા. જાતિવાદી તત્વોએ તેમને ઉભા રાખી ગીત બંધ કરાવી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં સડકથી લઈને સંસદ સુધી બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર અને તેમના વિચારો છવાયેલા છે ત્યારે તેમના ગીતો પણ ધૂમ મચાવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં રેપ સોંગથી લઈને જય ભીમના જોશીલા ગીતો યુવાનોમાં હોટ ફેવરિટ બની રહ્યાં છે ત્યારે જય ભીમના એક ગીતને લઈને બે દલિત યુવકો પર જીવલેણ હુમલો થયો હોવાની એક ઘટના સામે આવી છે.</span><br><span style="font-size: 14pt;">મામલો કર્ણાટકના તુમકુરુ જિલ્લાનો છે. અહીં 'જય ભીમ' ગીત વગાડવા બદલ બે દલિત યુવકો પર જાતિવાદી તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રેલવે અધિકારી સહિત બે આરોપીઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો, માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં શનિવારે સાંજે અહીંના મુદ્દનહલ્લી ગામમાં સિરીવારા ગામના રહેવાસી દીપુ (19) અને નરસિંહ મૂર્તિ (32) તેમના નાના માલસામાન વાહન ટાટા એસમાં 'જય ભીમ' ગીત વગાડી રહ્યા હતા. ગીત વગાડવાની આ નાની વાત પર મોટરસાઇકલ પર સવાર બે જાતિવાદી તત્વોએ તેમનો રસ્તો આંતર્યો હતો. આરોપી લુખ્ખાઓએ બંનેને રોકીને તેમની જાતિ અને ગીત વગાડવાનું કારણ પૂછ્યું હતું. જ્યારે દીપુએ કહ્યું કે તેઓ દલિત સમાજના છે તો આરોપીઓ ગુસ્સે થઈ ગયા. તેમણે દીપુને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢ્યો અને જાહેરમાં માર મારવા લાગ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/muzaffarnagar-news-sarpanchs-son-along-with-10-associated-killed-dalit-youth">સરપંચના છોકરાએ 10 સાગરિતો સાથે મળી દલિત યુવકની હત્યા કરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હુમલાખોર શખ્સ રેલ્વેમાં અધિકારી છે</span></strong></span><br><span style="font-size: 14pt;">હુમલાખોરોમાંથી એક ચંદ્રશેખર રેલવે વિભાગનો અધિકારી છે, જ્યારે બીજો નરસિમ્હા રાજુ હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવકોને જાતિવાદી અપશબ્દો બોલતા તેમણે તે સમયે ડ્રાઇવિંગ કરી રહેલા નરસિંહ મૂર્તિ પર પણ હુમલો કર્યો હતો. ઘટના દરમિયાન બંને દલિત યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગુસ્સે ભરાયેલા આરોપીઓએ સ્થળ પરથી ભાગી જતા પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને ગુબ્બી પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, બંને યુવકોની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ કેસમાં આરોપીઓ સામે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની કલમ 109 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">જાતિવાદી વિચારસરણીનો અંત ક્યારે આવશે?</span></strong><br><span style="font-size: 14pt;">આ ઘટના માત્ર બે વ્યક્તિઓ પર હુમલો નથી, પરંતુ સમગ્ર દલિત સમાજ પર હુમલો છે. દલિત અધિકારો અને સન્માનનું પ્રતીક ‘જય ભીમ’ ગીત માત્ર એક ગીત નથી પરંતુ તેમની ઓળખનો એક ભાગ છે. જો તેને વગાડવાથી કોઈના જીવ માટે ખતરો બની જાય તો તે સમાજની ઊંડી જાતિવાદી વિચારસરણી છતી કરે છે. આ ઘટનાએ માત્ર પીડિતોને જ નહીં પરંતુ સમગ્ર દલિત સમાજને ઊંડું દુઃખ પહોંચાડ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો માટે સુરક્ષા અને સન્માનની માંગ ઉઠી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના ફરી એક વખત પ્રશ્ન ઉભો કરે છે કે શું દલિત સમાજે હંમેશા પોતાની ઓળખ અને અધિકારો માટે સંઘર્ષ કરવો પડશે? શું તેમને 'જય ભીમ' જેવા ગીતો વગાડવાનો પણ અધિકાર નથી? આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે અંગે સરકાર અને કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. જ્ઞાતિવાદના આ ઝેરને ખતમ કરવા અને દલિતો માટે ન્યાય, સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવા માટે સમાજ એકજૂથ થાય તેવો સમય આવી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-youth-upper-caste-girl-commit-suicide-in-barabanki-not-being-able-to-get-married-due-to-different-castes">દલિત યુવક અને રાજપૂત યુવતીની પ્રેમ કહાનીનો કરૂણ અંત આવ્યો</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 08 Jan 2025 11:40:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1818</Articleid>
                    <excerpt>બે દલિત યુવકો ગાડીમાં &#039;જય ભીમ&#039; ગીત વગાડતા જઈ રહ્યાં હતા. જાતિવાદી તત્વોએ તેમને ઉભા રાખી ગીત બંધ કરાવી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677e169dc815c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e169d950ad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e169d950ad.jpg" length="88506" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jai Bhim Song, dalit youths attacked, tumakuru, karnataka, SC ST act, atrocity act</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત કિશોરને સરપંચે સવારના 5 થી બપોરના 3 વાગ્યા સુધી બાંધીને માર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-teenager-tied-to-pillar-and-beaten-by-sarpanch-and-his-associates-in-mirzapur-up</link>
                    <guid>https://khabarantar.com/dalit-teenager-tied-to-pillar-and-beaten-by-sarpanch-and-his-associates-in-mirzapur-up</guid>
                    <description>
                        <![CDATA[ 14 વર્ષના દલિત કિશોરને કડકડતી ઠંડીમાં વહેલી સવારે 5 વાગ્યે સરપંચના સાગરિતો ઉઠાવી ગયા. બપોરના 3 વાગ્યા સુધી નગ્ન કરી થાંભલા સાથે બાંધીને માર્યો. મળદ્વારમાં મરચું નાખ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ આપણાં શરીર પર ઠંડા પાણીની એકાદ છાંટ પણ ઉડાડે તો આપણે સહન કરી શકતા નથી. શક્ય છે ગુસ્સે થઈને તમે તેને એકાદ ઝાપટ પણ મારી લો. જો એકાદ છાંટો ઉડવાથી પણ આવું થઈ શકતું હોય, તો એક 14 વર્ષના દલિત કિશોરને સવારે 5 વાગ્યે કડકડતી ઠંડીમાં ઉઠાવી જઈ તેને વીજળીના થાંભલા સાથે બાંધી અર્ધનગ્ન કરી દંડાથી ફટકારવામાં આવ્યો હશે તેના પર શું વીતી હશે? 14 વર્ષના એક દલિત કિશોર સાથે આરોપીઓએ બર્બરતાની તમામ હદો વટાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે નિર્દોષ કિશોરને સવારે 5 વાગ્યાથી લઈને સાંજના 3 વાગ્યા સુધી બાંધી રાખી માર માર્યો. એટલું જ નહીં, તેના ગુદામાર્ગમાં મરચું નાખ્યું હતું, તેને પથ્થર પર પટકીને ઈજા પહોંચાડી હતી, સ્મશાનમાં લઈ જઈ ફરી તેના હાથપગ બાંધીને તેને માર મારવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ બધું જાહેરમાં થઈ રહ્યું હતું, લોકોની નજર સામે થઈ રહ્યું હતું છતાં કોઈ એ દલિત કિશોરને છોડાવવાની હિંમત કરી શક્યું નહોતું. આરોપીઓને પણ કાયદો વ્યવસ્થા કે ન્યાયતંત્રનો કોઈ ડર નહોતો. આ કેવું ભારત છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મિર્ઝાપુરની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરથી અંદાજે 50 કિમી દૂર આવેલા બર્ડિંહા કલાં ગામનો છે. અહીં અશોક નામના 14 વર્ષના કિશોરને ગામના સરપંચના કહેવાથી વહેલી સવારે 5 વાગ્યે સરપંચનો છોકરો અને સાગરિતો આંબળા તોડવા જવાનું છે કહીને લઈ ગયા હતા. અશોકના પિતાને ખ્યાલ નહોતો કે તેના દીકરાને આટલા વહેલા આ લોકો ક્યાં લઈને જઈ રહ્યાં છે. એ પછી આરોપીઓએ વહેલી સવારે 5 વાગ્યે પોતે તાપણું સળગાવીને બેઠાં અને 14 વર્ષના અશોકને અર્ધનગ્ન કરીને પથ્થર પર પટકીને ફટકાર્યો. એ પછી તેને વીજળીના થાંભલા સાથે બાંધીને તેને લાકડી અને દંડાથી માર માર્યો. આવું સવારના 5 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ચાલતું રહ્યું. ચોંકાવનારી બાબત એ છે કે, આટલું બધું જાહેરમાં થતું હોવા છતાં કોઈ નાનકડા અશોકને છોડાવવા માટે સામે આવ્યું નહોતું અને તમાશો જોઈ રહ્યું હતું. દલિત પરિવારે સરપંચને પોતાના દીકરાને છોડી દેવા માટે આજીજી કરી પણ તેમનું હૃદય ન પીગળ્યું. સરપંચનો આરોપ હતો કે, અશોકે તેમના ટ્રેક્ટરના પાર્ટ્સ ચોર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વહેલી સવારે 5 વાગ્યે કપડાં ઉતરાવી થાંભલા સાથે બાંધી દીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અશોકનો પરિવાર મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના ઘરમાં તેના માતાપિતા અને એક બહેન છે. બે બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે. તેના પિતાની તબિયત સારી નથી રહેતી તેમ છતાં તેઓ મજૂરી કરવા મજબૂર છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677e0874d6bb6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના 31 ડિસેમ્બર 2024ની વહેલી સવારે બની હતી. 14 વર્ષનો અશોક તેના ઘરે સવારે 5 વાગ્યે તાપણું સળગાવીને ઠંડીથી રાહત મેળવવા મથી રહ્યો હતો. ત્યારે જ ગામના સરપંચ પન્નાલાલ તેનો છોકરો બબલૂ, સરપંચના સંબંધી અને અન્ય કેટલાક લોકો અશોકના ઘરે આવી પહોંચ્યા હતા અને તેને પોતાને ત્યાં આંબળા તોડવા જવાનું છે કહીને લઈ ગયા હતા. આ સાંભળીને અશોક તેમની સાથે જાય છે, પણ તેને ખબર નથી હોતી કે તેની સાથે શું થવાનું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી સરપંચના કહેવાથી અશોકના કપડાં ઉતરાવી (વહેલી સવારે 5 વાગ્યે) તેને થાંભલા સાથે બાંધીને દંડાથી માર મારવામાં આવે છે. એ પછી તેઓ તેને ગામ બહાર આવેલા સ્મશાનમાં લઈ જાય છે અને પથ્થર ઉપર પટકે છે. આરોપીઓ એકદમ બેખૌફ છે. તેઓ કહેતા સંભળાય છે કે, "શું થશે, કોર્ટ કચેરી જે થશે એ જોઈ લઈશું, વધીને શું થશે, ફાંસીની સજા જ થશે ને?"</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામલોકો જોતા રહ્યાં, કોઈ છોડાવવા ન આવ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અશોકના પરિવારજનોએ જ્યારે ઘટના સ્થળે પહોંચીને અશોકને છોડી દેવાની આજીજી કરી ત્યારે સરપંચે કહ્યું, "હજુ આનું કશું થયું નથી, એવી હાલત કરીશું કે ગામમાં કોઈ કશું બોલી નહીં શકે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આટલી મોટી નજર સામે બની રહી હોવા છતાં ગામલોકોમાંથી કોઈ અશોકને છોડાવવા માટે આગળ આવ્યું નહોતું અને બર્બરતાનો વીડિયો ઉતારી રહ્યાં હતા. અશોકના પરિવારે જેમતેમ કરીને પોલીસને જાણ કરી તો ત્રણ દિવસ સુધી પોલીસે કશી જ કાર્યવાહી નહોતી કરી. બાદમાં ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. અશોકના પરિવારનો આરોપ છે કે, પોલીસે આરોપીઓને પર કાર્યવાહી કરવાને બદલે અશોકને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હતો. તેના પરિવારે બે બોરી અનાજ વેચીને અશોકને છોડાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીંસ વધતા 7 લોકોની અટકાયત કરાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અશોકને મારનાર આરોપીઓમાં પન્નાલાલ, બબલુ, ધીરજ પટેલ, રામભરોસ પટેલ, મનોજ પટેલ, આત્મારામ ગુપ્તા પર તેની માતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને તેમાં અત્યાર સુધીમાં 7 લોકોની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળે છે. પીડિત અશોકના પરિવારજનોએ તેમના જીવને જોખમ હોવાનું જણાવ્યું છે. આરોપીઓએ તેમને પણ જાતિસૂચક ગાળો ભાંડીને માર માર્યો હોવાથી વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અશોકને લોહીની ઉલટીઓ થાય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અશોકના બંને પગથી લઈને કમર સુધી વાગ્યાના નિશાન પડી ગયા છે. તેમના ચહેરા પર ઘટનાનો ડર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. તેને ચાલવામાં અને શૌચક્રિયા કરવામાં પણ તકલીફ પડી રહી હોવાનું કહીને તેનો પરિવાર રોઈ પડે છે.</span><br><span style="font-size: 14pt;">અશોકની બહેનના જણાવ્યા પ્રમાણે, અશોક રહી રહીને લોહીની ઉલટીઓ થાય છે. જેનાથી તેનો આખો પરિવાર અત્યંત ગભરાયેલો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યોગીની કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગુંડાઓ, માફિયાઓ અને બદમાશો પર બુલડોઝરની કાર્યવાહીનો ડર ઉભો કરીને એક રોલ મોડેલ તરીકે રજૂ કરનાર યોગી સરકારને લોકોનો એક જ પ્રશ્ન છે કે શું દલિત કિશોરને તાલિબાની સજા આપનાર આ સરપંચ અને તેના સાગરિતો સામે પણ બુલડોઝરની કાર્યવાહી થશે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Nagaur-News-a-psychopath-attacked-a-Dalit-family">ખેતરમાં તારની વાડ કરતા દલિત પરિવાર પર મનોરોગીએ હુમલો કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 08 Jan 2025 10:41:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1817</Articleid>
                    <excerpt>14 વર્ષના દલિત કિશોરને કડકડતી ઠંડીમાં વહેલી સવારે 5 વાગ્યે સરપંચના સાગરિતો ઉઠાવી ગયા. બપોરના 3 વાગ્યા સુધી નગ્ન કરી થાંભલા સાથે બાંધીને માર્યો. મળદ્વારમાં મરચું નાખ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677e085fcdf6b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e085f9d382.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677e085f9d382.jpg" length="103033" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>mirzapur news, dalit news, dalit crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાના મોં પર પેશાબ કર્યો, ઝૂંપડી અને ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું</title>
                    <link>https://khabarantar.com/bullies-rolled-a-tractor-over-a-dalits-hut-urinated-on-his-face-In-Karili-guna-mp</link>
                    <guid>https://khabarantar.com/bullies-rolled-a-tractor-over-a-dalits-hut-urinated-on-his-face-In-Karili-guna-mp</guid>
                    <description>
                        <![CDATA[ પૂર્વ સરપંચ અને તેના પુત્ર-સાગરિતોનું કારસ્તાન. દલિત પરિવારની ઝૂંપડી તોડી નાખી, ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું. પરિવારની મહિલાના મોં પર પેશાબ કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો જ્યારે હલકાઈ પર ઉતરી આવે ત્યારે તેમને માણસાઈનું પણ ભાન રહેતું નથી હોતું. લાજ શરમ નેવે મૂકીને આવા તત્વો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના હલકાઈ પર ઉતરી આવતા હોય છે. આવું થાય ત્યારે નિર્દોષ લોકોનો મરો થઈ જતો હોય છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે. મામલો મધ્યપ્રદેશનો છે. અહીં એક દલિત પરિવાર સાથે માથાભારે સરપંચ અને તેના પુત્ર તથા સાગરિતો દ્વારા દાદાગીરી કરી માર મારવાનો મામલો સામે આવ્યો છે. પરિવારનો આરોપ છે કે લુખ્ખા તત્વોએ તેમની ઝૂંપડી પર ટ્રેક્ટર ચલાવ્યું અને ઘઉંના ઉભા પાકનો પણ નાશ કર્યો. સૌથી આઘાતજનક બાબત એ રહી કે, આરોપીઓએ મહિલાઓની હાજરીમાં તેના પરિવારના સભ્યોના મોં પર પેશાબ કરવાનો અને તેમને વીજળીના ઝાટકા આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના ગુના જિલ્લાના સિરસી પોલીસ સ્ટેશન વિસ્તારના કરીલી ગામની છે. અહીં માથાભારે તત્વોએ એક દલિત સહરિયા પરિવાર પર હુમલો કરી દીધો હતો. બે ટ્રેક્ટરમાં આવેલા 15-20 લોકોએ તેમના ઝૂંપડા પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. અચાનક થયેલા આ હુમલાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જે બાદ ગુંડાઓએ તેમને બંધક બનાવીને માર માર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bullies-stop-dalit-grooms-wedding-procession-in-saharanpur-show-gun-in-bareilly">બંદૂક બતાવી લુખ્ખાઓએ દલિત યુવકની જાન રોકી, ડીજે બંધ કરાવી તોફાન મચાવ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત મહિલાએ જણાવ્યું કે તે તેનો પતિ હરિ સિંહ, પુત્ર સોનુ, દિયર જ્ઞાની સિંહ, ભત્રીજો રાજુ, ભાભી વિદ્દી બાઈ બરખેડા કેનાલ પાસે આવેલી તેમની ખેતીની જમીન પર બનેલી ઝૂંપડીમાં સૂતા હતા. એ દરમિયાન પૂર્વ સરપંચ, તેમના બે પુત્રો અને તેમના 15-20 સંબંધીઓ બે ટ્રેક્ટર ભરીને અહીં આવી પહોંચ્યા હતા. આ લોકોએ તેમના 10 વીઘાના ઉભા ઘઉંના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું હતું. એટલું જ નહીં તેમની ઝૂંપડી ઉપર પણ ટ્રેક્ટર ફેરવી દીધું હતું. આરોપીઓ આખા પરિવારને વીજળીના ઝાટકા આપીને મારી નાખવા માંગતા હતા, પણ વીજળી ગુલ થઈ જવાથી તેઓ એવું કરી શક્યા નહોતા. એ પછી એક લુખ્ખાએ તેના ચહેરા પર પેશાબ કર્યો. સાથે જ તેણે મહિલાને ધમકી આપી કે જો તે પોલીસને જાણ કરશે જાનથી મારી નાખીશ. જો કે, ન્યાયમાં વિશ્વાસ ધરાવતી દલિત મહિલાએ પોલીસને જાણ કરી દીધી હતી. સવારે જ્યારે પોલીસ આવી ત્યારે તેઓ મહિલના પતિ હરિ સિંહ, દિયર જ્ઞાની સિંહ અને ભત્રીજા રાજુને ઘટનાની માહિતી મેળવવા પોલીસ સ્ટેશન લઈ ગયા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડિશનલ એસપી માનસિંહ ઠાકુરે જણાવ્યું કે જમીન વિવાદમાં બંને પક્ષો તરફથી કેસ નોંધવામાં આવ્યો છે. (એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં હવે પોલીસ પીડિતોને હેરાન કરવા માટે તેમની સામે પણ કેસ નોંધવા માંડી છે.) જ્યારે મહિલાના મોં પર પેશાબ કરવાના મામલાની તપાસ ચાલી રહી છે. એએસપીએ કહ્યું કે આ સહારિયા સમાજના લોકો છે. તેમનો જૂનો જમીન વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેમના દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/muzaffarnagar-news-sarpanchs-son-along-with-10-associated-killed-dalit-youth">સરપંચના છોકરાએ 10 સાગરિતો સાથે મળી દલિત યુવકની હત્યા કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 07 Jan 2025 15:50:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1816</Articleid>
                    <excerpt>પૂર્વ સરપંચ અને તેના પુત્ર-સાગરિતોનું કારસ્તાન. દલિત પરિવારની ઝૂંપડી તોડી નાખી, ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું. પરિવારની મહિલાના મોં પર પેશાબ કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677cfec50dd34.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677cfec4c8ab5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677cfec4c8ab5.jpg" length="123446" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit news, atrocity FIR, urinated on face, Karili village, GUna MP</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;આજે સ્કૂલ વહેલા છૂટી ગઈ&amp;apos; એમ કહી દેતા આચાર્યે દલિત વિદ્યાર્થિનીને ફટકારી</title>
                    <link>https://khabarantar.com/principal-beats-up-dalit-student-in-vidishas-gyaraspur</link>
                    <guid>https://khabarantar.com/principal-beats-up-dalit-student-in-vidishas-gyaraspur</guid>
                    <description>
                        <![CDATA[ નજીવી બાબતે આચાર્યે દલિત વિદ્યાર્થિનીને માર મારી શાળા છોડાવી દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોઁધાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના વિદિશામાં એક દલિત વિદ્યાર્થીને શાળાના આચાર્ય દ્વારા વિચિત્ર કારણોસર માર મારવામાં આવ્યો છે. જેને લઈને દીકરીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ગ્યારસપુરની એક સરકારી શાળાનો છે. મળતી માહિતી મુજબ 11માં ધોરણમાં ભણતી એક દલિત વિદ્યાર્થિની 30 ડિસેમ્બરના રોજ સ્કૂલ પછી ઘરે જઈ રહી હતી. એ દરમિયાન તેને રસ્તામાં પત્રકાર રિતેન્દ્ર અહિવાર મળી ગયો. તેણે વિદ્યાર્થિનીને રજા વિશે પૂછ્યું, જેના પર દીકરીએ કહ્યું કે, આજે સ્કૂલ વહેલા છૂટી ગઈ છે. એ પછી પત્રકારે શાળાના આચાર્ય મુકેશ દાંગી સાથે વાત કરી હતી અને શાળા કેમ વહેલા છોડી દેવાઈ તેમ સવાલ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી આચાર્યે બીજા દિવસે દલિત વિદ્યાર્થિનીને માર માર્યો હતો અને તેણે શા માટે પત્રકારને આજે સ્કૂલ વહેલા છૂટી ગઈ છે તેમ કહ્યું તેમ પૂછીને સજા કરી હતી. દલિત વિદ્યાર્થિનીનો આરોપ છે કે પ્રિન્સિપાલે તેને પરીક્ષામાં નાપાસ કરવાની અને તેને શાળામાં એડમિશન ન લેવાની ધમકી પણ આપવામાં આવી હતી. એ પછી પીડિતા તેના પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને મામલાની ફરિયાદ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે સમગ્ર ઘટનાને લઈને સવાલ એ પણ થઈ રહ્યો છે કે 30મી ડિસેમ્બરે વહેલી રજા કેમ આપવામાં આવી? જોવાનું એ રહે છે કે આ કેસમાં પોલીસ પ્રિન્સિપાલ સામે શું કાર્યવાહી કરે છે અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ અંગે શું ધ્યાન આપે છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-dalit-student-kept-begging-the-savarna-teacher-kept-hitting-with-the-pipe">દલિત વિદ્યાર્થી આજીજી કરતો રહ્યો, સવર્ણ શિક્ષક પાઈપથી ફટકારતો રહ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 06 Jan 2025 14:21:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1814</Articleid>
                    <excerpt>નજીવી બાબતે આચાર્યે દલિત વિદ્યાર્થિનીને માર મારી શાળા છોડાવી દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોઁધાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677b98ce80c3e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677b98ce4f728.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677b98ce4f728.jpg" length="41302" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Principal beats up, Dalit student, Vidisha MP, Gyaraspur school</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવક અને રાજપૂત યુવતીની પ્રેમ કહાનીનો કરૂણ અંત આવ્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-upper-caste-girl-commit-suicide-in-barabanki-not-being-able-to-get-married-due-to-different-castes</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-upper-caste-girl-commit-suicide-in-barabanki-not-being-able-to-get-married-due-to-different-castes</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદ સામે સૌથી વધુ બંડ પ્રેમી યુગલો પોકારતા હોય છે. પણ તેમને જોઈને બીજા પ્રેમી યુગલોની હિંમત ન ખૂલી જાય તે માટે જાતિવાદીઓ મોતથી ઓછી સજા આપતા નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદને કારણે ભારતમાં સેંકડો પ્રેમીયુગલો એવા હશે જેઓ ચાહીને પણ લગ્ન કરી શક્યા ન હોય. ડો.આંબેડકરે જાતિપ્રથાને તોડવા માટેના એક અક્સીર ઈલાજ તરીકે આંતરજાતિય લગ્નોને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી હતી. પણ મનુવાદી તત્વો જ્ઞાતિ-જાતિના વાડા જરાય તૂટે નહીં તે માટે મનુવાદી સિસ્ટમને તોડીને બળવો કરનાર આવા પ્રેમી યુગલોને મોતથી ઓછી સજા આપતા નથી. મોટાભાગના આવા કિસ્સાઓમાં માત્ર બે જ અંત આવે છે. કાં તો યુવક-યુવતી ભાગીને લગ્ન કરી લે અને યુવતીના પરિવારજનો યુવકના પરિવાર પર હુમલો કરી તેમને સજા આપે. જો યુવક-યુવતી ભાગીને લગ્ન કરી શકે તેમ ન હોય તો, આત્મહત્યા કરી લેતા હોય છે. જો પ્રેમીયુગલ લગ્ન કરી પણ લે છે, તો પણ તેમના પર મોતનો ભય સતત તોળાતો રહે છે. સૈરાટ ફિલ્મ યાદ કરો. આવી જ એક ઘટનાની વાત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવક અને ઠાકુર યુવતીની પ્રેમકહાની</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર અને બટેંગે તો કટેંગે ફેઈમ યુપીનો છે. અહીં બારાબંકીમાં એક ઠાકુર યુવતી અને એક દલિત યુવક વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ જાતિ અલગ હોવાથી તેઓ લગ્ન કરી શકે તેમ નહોતા. આથી બંને એક જ સમયે અલગ-અલગ જગ્યાએ જઈને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો, પરંતુ સમાજ તરફથી સ્વીકાર ન થતાં તેમણે આ પગલું ભર્યું હતું. આ ઘટના જાતિવાદી માનસિકતા અને સામાજિક ભેદભાવ પર સવાલો ઉભા કરે છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ</span>  <a href="https://khabarantar.com/hindu-girl-muslim-boy-wedding-reception-cancel-by-hindu-organizations-in-aligarh-uttar-pradesh-gujarati">હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્નનું રિસેપ્શન હિંદુ સંગઠનોએ રદ કરાવ્યું?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બારાબંકીના અકોહરી ગામની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ગઈકાલની છે. બારાબંકી જિલ્લાના અસંદ્રા પોલીસ સ્ટેશનના અકોહરી ગામમાં એક ઘટના પ્રકાશમાં આવી જેણે જાતિવાદી માનસિકતાનો પર્દાફાશ કર્યો છે. ગામના ઠાકુર સમાજની યુવતી અને દલિત યુવક વચ્ચે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ તેઓ જીવતા રહીને પોતાના પ્રેમને સમાજના બંધનોમાંથી મુક્ત ન કરી શક્યા, અંતે તેઓ પોતાનો જીવ આપીને આ નિષ્ઠુર સમાજ માટે એક મેસેજ આપતા ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">યુવતીની લાશ તેના ઘરમાં, યુવક ગામ બહાર ઝાડ સાથે લટકતો મળ્યો</span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવારે 6 વાગ્યાની આસપાસ યુવતીની લાશ તેના ઘરની અંદર લટકતી હાલતમાં મળી આવી હતી, જ્યારે યુવકની લાશ ગામની બહાર ઝાડ પર લટકતી મળી આવી હતી. આ વાત વાયુવેગે ફેલાતા જ ગ્રામજનોમાં સનસનાટી મચી ગઈ હતી અને સ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદે પ્રેમી યુગલનો ભોગ લીધો?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સ્ટેશનના પ્રભારી જિતેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે કેસની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, પરંતુ યુવતી ઠાકુર સમાજની અને યુવક દલિત સમાજનો હોવાના કારણે બંનેના સંબંધોને સમાજની સ્વીકૃતિ મળી શકી ન હતી.</span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બંને પ્રેમીપંખીડા એકબીજાના સંપર્કમાં હતા અને પોતપોતાની જ્ઞાતિની મર્યાદાઓથી આગળ વધીને નવા જીવનના સપના જોતા હતા. પરંતુ તેમના પ્રેમને સ્વીકારવાને બદલે સમાજમાં પ્રવર્તતી જાતિવાદી વિચારસરણીએ તેમને એટલી હદે મજબૂર કરી દીધા કે તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ</span> <a href="https://khabarantar.com/rajput-family-gets-valmiki-community-daudhter-married-at-their-home">રાજપૂત પરિવારે વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન પોતાના ઘરે કરાવ્યા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">જાતિવાદ એક ખતરનાક માનસિકતા</span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના જ્ઞાતિવાદી માનસિકતા પર મોટો પ્રશ્ન ઉભો કરે છે. છેવટે, આપણા સમાજના લોકોને જાતિના આધારે તેમના સંબંધો પસંદ કરવાનો અધિકાર ક્યાં સુધી નહીં મળે? પ્રેમ જેવી માનવીય લાગણી ક્યાં સુધી જ્ઞાતિવાદની બેડીમાં જકડી રાખશે?</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના માત્ર દલિત સમાજને થતા અન્યાયને જ ઉજાગર કરતી નથી, પરંતુ સમગ્ર સમાજ માટે દર્પણ સમાન છે. દલિત યુવકે પોતાનો જીવ આપીને બતાવ્યું કે સમાજમાં જાતિવાદ માત્ર એક વિચાર નથી પરંતુ એક ખતરનાક માનસિકતા છે, જે પ્રેમ અને માનવતાનો નાશ કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમાજ, પોલીસ અને તંત્રએ આત્મમંથન કરવાની જરૂર છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ પોલીસ અને વહીવટીતંત્ર કરતાં સમાજે વધુ આત્મમંથન કરવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે જ્ઞાતિવાદ જેવા ભેદભાવને ખતમ કરવા કડક પગલાં લેવામાં આવે. આ ઘટના એ બોધપાઠ છે કે પ્રેમને જાતિ અને ધર્મની સીમાઓથી ઉપર જોવો જોઈએ અને દરેક વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર મળવો જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બારાબંકીમાં બનેલી આ ઘટનાએ માત્ર એક દંપતીના જીવનનો અંત જ નહીં, પરંતુ સમાજમાં રહેલા જ્ઞાતિના ભેદભાવને પણ ઉજાગર કર્યો. સમય આવી ગયો છે કે આપણે આ માનસિકતાને બદલવા માટે નક્કર પગલાં લઈએ, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/in-rajkots-ramod-the-bride-will-get-married-upside-down-again-in-the-crematorium">રાજકોટના રામોદમાં વરકન્યા ઊંધા ફેરા ફરી સ્મશાનમાં લગ્ન કરશે</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 06 Jan 2025 10:29:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1812</Articleid>
                    <excerpt>જાતિવાદ સામે સૌથી વધુ બંડ પ્રેમી યુગલો પોકારતા હોય છે. પણ તેમને જોઈને બીજા પ્રેમી યુગલોની હિંમત ન ખૂલી જાય તે માટે જાતિવાદીઓ મોતથી ઓછી સજા આપતા નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677b62393646f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677b623905356.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677b623905356.jpg" length="39456" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit youth, upper caste girl, commit suicide, Barabanki, different castes, not get married</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાંતીવાડાના રાણોલની દૂધ મંડળીમાં વાલ્મિકી પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરાયું</title>
                    <link>https://khabarantar.com/milk-collection-from-valmiki-cattle-breeders-stopped-in-ranol-dantiwada-banaskantha</link>
                    <guid>https://khabarantar.com/milk-collection-from-valmiki-cattle-breeders-stopped-in-ranol-dantiwada-banaskantha</guid>
                    <description>
                        <![CDATA[ ગામના જાતિવાદી તત્વોએ ફતવો બહાર પાડ્યો હતો અને હવે પછી દૂધ મંડળીમાં વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ લેવું નથી. જાણો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠા જિલ્લો જાતિવાદ મામલે ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે સ્પર્ધા કરવા માંગતો હોય તેવી એક ઘટના અહીં બની છે. અહીં દાંતીવાડાના રાણોલ ગામમાં કેટલાક જાતિવાદી તત્વોએ ગામની દૂધમંડળીમાં વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ સ્વીકારવામાં નહીં આવે તેવો ફતવો બહાર પાડી દેતા ચકચાર મચી ગઈ છે. આભડછેટ પાળતા આવા તત્વો સામે વાલ્મિકી સમાજ સહિત સમાનતામાં માનતા તમામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સમગ્ર મામલો જિલ્લા કલેક્ટરના ધ્યાને આવતા તેમણે મનસ્વી રીતે આ ફતવો જાહેર કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. રણોલમાં 10 જેટલા વાલ્મિકી સમાજના લોકો પશુપાલન કરીને પોતાાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની સાથે આભડછેટ રાખીને ગામના કેટલાક મનુવાદીઓ દ્વારા આ ફતવો બહાર પડાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંડળીની જાણ બહાર જાતિવાદી તત્વોએ ચાલ ચાલી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ ગામની દૂધ મંડળીમાં નહીં ભરવા દેવા માટે ગામના જ કેટલાક આગેવાનોએ ઘરની ધોરાજી ચલાવી હતી અને મંડળીની જાણ બહાર મનસ્વી રીતે એક કાગળ પર ઠરાવ કરી વાલ્મિકી સમાજના દૂધને મંડળીમાં નહીં સ્વીકારવામાં આવે તેવો ફતવો બહાર પાડ્યો હતો. અને આ મામલે મંડળી કંઈ જાણતી નથી તેવી માહિતી મળી હતી. જો કે આ વાત ખોટી હોય તેમ લાગે છે. કેમ કે મંડળીને જાણ ન હોય તો શા માટે અહીં અચાનક વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરી દેવાયું તે પણ સવાલ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વાલ્મિકી પશુપાલકોએ દૂધ ભરવા બહાર જાય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોના કારણે હાલ વાલ્મિકી સમાજના પશુ પાલકોને દૂધ ભરાવવા માટે બાજુમાં આવેલ ઓઢવા ગામે જવાની ફરજ પડી રહી છે. જાતિવાદી તત્વોની દાદાગીરી સામે આ વાલ્મિકી પરિવારોએ આ મામલે જિલ્લા કલેકટર, એસપી અને સમાજ કલ્યાણ વિભાગમાં રજૂઆત કરી છે. જેના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા મંડળીની જાણ બહાર સહીઓ કરી મનસ્વી રીતે ઠરાવ કરનારા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવા સૂચના આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામના મંદિરમાં મિટીંગ થઈ, જાતિવાદીઓએ સહી કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ રાણોલ ગામે ગત.તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ગામના મંદિરમાં ગામના સવર્ણ પશુપાલકોની એક મીટિંગ મળી હતી. જેમાં રાણોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં વાલ્મીકિ સમાજના લોકોનું દૂધ ન લેવું તેવો ઠરાવ કરાયો હતો. જેમાં ગામના સવર્ણોએ સહીઓ કરી સંમતિ દર્શાવી હતી. પરંતુ દૂધ મંડળી આ તમામ બાબતથી અજાણ છે, તેવું લોકો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે કલેક્ટરને જાણ થતા તેમણે તપાસના આદેશ આપ્યા છે. જોવાનું એ રહેશે કે કલેક્ટરનો આદેશ ખરેખર વાલ્મિકી સમાજના પશુપાલકોને ન્યાય અપાવે છે કે પછી માત્ર એક ઔપચારિકતા બનીને રહી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dalit-student-cut-potatoes-cook-didnt-prepare-midday-meal-in-mainpuri-uttar-pradesh"><span style="font-size: 12pt;"> </span>દલિત વિદ્યાર્થિનીએ બટેટા કાપ્યા તો રસોઈયાએ મધ્યાહન ભોજન ન બનાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 Jan 2025 16:56:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1810</Articleid>
                    <excerpt>ગામના જાતિવાદી તત્વોએ ફતવો બહાર પાડ્યો હતો અને હવે પછી દૂધ મંડળીમાં વાલ્મિકી સમાજના પશુપાલકોનું દૂધ લેવું નથી. જાણો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677a6bb380656.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a6bb350203.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a6bb350203.jpg" length="44031" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ranol news, valmiki  community, dalit news, untouchability</media:keywords>
                </item>
                        <item>
                    <title>માધવપુરમાં SSD નું શક્તિ પ્રદર્શન : શૌર્ય દિવસે જંગી મહારેલી&amp;મહાસભા યોજાઈ</title>
                    <link>https://khabarantar.com/ssd-organized-grand-rally-on-the-occasion-of-shaurya-diwas-in-madhavpur-ghed-porbandar</link>
                    <guid>https://khabarantar.com/ssd-organized-grand-rally-on-the-occasion-of-shaurya-diwas-in-madhavpur-ghed-porbandar</guid>
                    <description>
                        <![CDATA[ 1 જાન્યુઆરીએ ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ નિમિત્તે ગુજરાતના સૌથી મોટા બહુજન સંગઠન SSD એ પોરબંદરના માધવપુર ઘેડમાં ભવ્ય આયોજન કરીને છાકો પાડી દીધો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1 જાન્યુઆરીએ ભીમા કોરેગાંવની વિજયી મહાગાથાને લઈને 207મો શૌર્ય દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે દેશ જ નહીં, દુનિયાભરમાંથી બહુજન સમાજ પોતાના લડાયક પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં ઉમટી પડતો હોય છે. આ સિવાય હવે તો દરેક નાનામોટાં શહેરોમાં પણ શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવી જ એક ભવ્ય ઉજવણી પોરબંદરના માધવપુર ઘેડમાં ગુજરાતના સૌથી મોટા બહુજન સંગઠન સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા કરવામાં આવી હતી. જેમાં 500 મહાર યૌદ્ધાઓને મહારેલી મહાસભા અને મહાસલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાંથી પોરબંદર જિલ્લા ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં એસએસડીના કાર્યકરો ઉમટી પડ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a28d209dba.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરવર્ષની જેમ આ વર્ષે પણ એસએસડી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં મહારેલી, મહાસભા, અને મહાસલામીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લાનો કાર્યક્રમ માધવપુર(ઘેડ) ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મૂળનિવાસી સમાજના હજારો લોકોએ ઉપસ્થિત રહીને શિસ્તબદ્ધ રીતે મહારેલી યોજી હતી, જેમાં નાના બાળકો, મહિલાઓથી લઈને વૃદ્ધો પણ જોડાયા હતા. આ તકે પ્રથમ વખત મૂળનિવાસી લોકોનું સ્નેહમિલન પણ જોવા મળ્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a28d498ac0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારેલી બાદ મહાસભા યોજાઈ હતી, જેમાં સ્વયમ્ સૈનિક દળ(SSD) ના સૈનિકો દ્વારા ઇતિહાસની વાત કરવામાં આવી હતી અને કોમવાદી વિચારધારાને આ દેશમાંથી જડમૂળમાંથી ખતમ કરવાની કવાયત સમગ્ર દેશમાં ચલાવામાં આવી રહી છે ત્યારે આવનારા સમયમાં આ દેશને માનવતાવાદી રાષ્ટ્રના નિર્માણ માટે આગળ આવવા પહેલ કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">SSDના સૈનિક ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આ દેશના કરોડો મૂળનિવાસી લોકોને ગરીબી, મોંઘવારી, બેરોજગારી અને કોમવાદી તાકાતોના ભરડામાંથી બહાર લાવી દેશા શાસક બનાવવાની દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ. અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ કે, શાંતિનો સંદેશો આપનાર તથાગત ગૌતમ બુદ્ધના માર્ગે જ મૂળનિવાસી સમાજ ટકી શકશે, નહિ કે કોઈ અસમાનતાવાદી અને જાતિવાદી વ્યવસ્થા પર. અમે સંગઠન દ્વારા મૂળ રીતે મહાનાયકોના સપનાને સાકાર કરવાનું કામ કરી રહ્યા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a28d53f647.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તકે બહોળી સંખ્યામાં એકઠાં થયેલ લોકો દ્વારા સભામાં "આવાજ દો, હમ એક હૈ; કેટલા રે કેટલા, અડધા ભારત જેટલા; જય ભીમ, જય જોહાર, જય મૂળનિવાસી" ના નારા ગુંજી ઉઠ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a28d4041ff.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, એસએસડી ગુજરાતનું સૌથી મોટું બહુજન સંગઠન છે. તેના કાર્યકરો આરએસએસની જેમ સમર્પિત ભાવે છેવાડાના ગામ સુધી સ્વખર્ચે પહોંચે છે અને સમાજને યોગ્ય દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી એસએસડી જમીની સ્તરે કામ કરીને બહુજન સમાજને શાસક બનાવવાની બહુજન મહાનાયકોની મહેચ્છા પર આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં તેની વધુ અસર સમાજમાં જોવા મળશે. આરએસએસ બાદ સ્વયં સૈનિક દળ એકમાત્ર એવું કેડર આધારિત સંગઠન છે જેના કાર્યકરો કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના, માત્ર સમાજને વફાદાર રહીને કાર્ય કરી રહ્યાં છે. આવા વધુને વધુ સંગઠનોની બહુજન સમાજને જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/ssd-protested-in-33-districts-on-the-issue-of-teaching-bhagavad-gita-in-schools">SSDએ શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવા મુદ્દે 33 જિલ્લાઓમાં વિરોધ કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 Jan 2025 12:15:45 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 05 Jan 2025 12:20:45 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1808</Articleid>
                    <excerpt>1 જાન્યુઆરીએ ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ નિમિત્તે ગુજરાતના સૌથી મોટા બહુજન સંગઠન SSD એ પોરબંદરના માધવપુર ઘેડમાં ભવ્ય આયોજન કરીને છાકો પાડી દીધો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677a28d5ef609.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a28d5bc7a0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a28d5bc7a0.jpg" length="157886" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>SSD, Swayam Sainik Dal Gujarat, grand rally, Madhavpur Ghed, Porbandar</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગૌરી ગરવાની હત્યામાં આખું કચ્છ હિબકે ચઢ્યું, ખુદ સાંસદ ન્યાય માટે રસ્તે ઉતર્યા</title>
                    <link>https://khabarantar.com/gauri-garwa-murder-case-kutch-people-hold-silent-rally-and-submit-complaint-to-collector-sp</link>
                    <guid>https://khabarantar.com/gauri-garwa-murder-case-kutch-people-hold-silent-rally-and-submit-complaint-to-collector-sp</guid>
                    <description>
                        <![CDATA[ કચ્છના માંડવીમાં દલિત યુવતી ગૌરી ગરવાની તેના એકતરફી પ્રેમીએ કરેલી ઘાતકી હત્યાને લઈને સર્વ સમાજે મૌન રેલી કાઢી ન્યાયની માગણી કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના માંડવા તાલુકાના ગોધરા ગામમાં ગત તા. 30 ડિસેમ્બરના રોજ 28 વર્ષની દલિત યુવતી ગૌરી ગરવાની એકતરફી પ્રેમી સાગર સંઘાર નામના યુવકે તલવાર અને ગુપ્તીના અસંખ્યા ઘા મારીને જાહેરમાં હત્યા કરી નાખી હતી. આ મામલે હવે કચ્છના અનુસૂચિત જાતિ સમાજ સાથે સર્વ સમાજે રસ્તા પર ઉતરી દલિત દીકરી માટે ઝડપી ન્યાયની માંગણી કરી છે. ખુદ કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ આ મૌન રેલીમાં રસ્તા પર ઉતર્યા હતા અને તેમની સાથે કચ્છના તમામ સમાજના લોકો, સાધુસંતો પણ જોડાયા હતા અને કલેક્ટર અને એસપી કચેરીએ જઈને દીકરીને ઝડપથી ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા થાય તે માટે આવેદનપત્ર આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત તા. 30 ડિસેમ્બર 2024ના રોજ માંડવી તાલુકાના ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં પોતાના ઘરથી 100 મીટર દૂર બસની રાહ જોઇને ઊભેલી આરોગ્ય વિભાગમાં પરિચારિકા તરીકે બજાવતી દલિત સમાજની દીકરી ગૌરીબેન તુલસીભાઇ ગરવા (ઉ.વ. 28) ઉપર તેના એકતરફી પ્રેમી એવા કોડાયના સાગર રામજી સંઘારે બેરહેમીપૂર્વક ગુપ્તી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરી હતી. આ બનાવ એકતરફી પ્રેમના અનુસંધાને બન્યાનું સપાટી ઉપર આવી રહ્યું છે. હત્યાના બનાવ અંગે યુવતીના ભાઈ દીપકે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નાના એવા ગોધરા ગામમાં વહેલી પરોઢે બનેલા આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a19a7b3702.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા ઈન્ચાજ પીઆઈ ડી.એમ. ઝાલા સહિતના  અધિકારીઓના કાફલા સાથે તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડોગ સ્કવોડ સહિતની સઘન તપાસ હાથ ધરવા સાથે ટેકનિકલ તથા માનવીય સંદર્ભોની મમદથી આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડયો હતો. કૃત્યને અંજામ આપ્યા બાદ આરોપી સાગરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે માંડવીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પોલીસે તેની યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે જણાવ્યું હતું કે, રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલો અને કૃત્ય આચર્યા બાદ ઝેરી દવા પીનારા સાગરને સારવાર બાદ ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. તે  અવારનવાર ગૌરીને હેરાન-પરેશાન કરતો હતો. ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં બે ભાઇઓ અને માતા સાથે રહેનાર યુવતી ગૌરી છેલ્લા બે વર્ષથી તુંબડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતી હતી. અગાઉ તે ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી હતી. તુંબડી જવા માટે ગૌરી દરરોજ વહેલી સવારે 5-30ના અરસામાં ઘરેથી નીકળી અંબેધામથી ભચાઉ જતી બસમાં જતી હતી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a19b801f2e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">30  ડિસેમ્બરને સોમવારે વહેલી પરોઢે તે તુંબડી જવા માટે પોતાના ઘરથી 100 મીટર દૂર ગોધરાથી દુર્ગાપુર જતા રસ્તે બસની રાહ જોઇને ઊભી હતી. એ દરમ્યાન ત્યાં સાગર આવી પહોંચ્યો હતો અને ગૌરી કંઈ સમજે તે પહેલા જ ગુપ્તી અને તલવારના ઘા ઝીંકી દઇ તેની હત્યા કરી હતી. ક્રૂર એવા આરોપીએ યુવતીના પેટમાં ગુપ્તી ભરાવી રાખી હતી અને માત્ર હાથો બહાર રહ્યો હતો. તેમજ માથાંના ભાગે તલવાર મૂકી ગયો હતો. ગંભીર ઇજાઓનાં પગલે ગૌરી ગરવાએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં જ તેનો ભાઈ સહિતનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સ્તબ્ધ થઈ ગયા હતા. પાંચ બહેનો પૈકી સૌથી નાની અને બે ભાઇઓની બહેન એવી ગૌરીની હત્યાથી સવાર સવારમાં ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સરપંચ ઉપરાંત પ્રવીણભાઈ, અરવિંદભાઈ, દીપકભાઈ, નરેનભાઈ સોની સહિતના હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા માંડવીના પીઆઈ ઝાલા ઉપરાંત માંડવી અને કોડાય પોલીસ મથકના કર્મચારીઓ, સ્થાનિક ગુનાશોધક શાખા, એસઓજી, પેરોલ ફર્લો શાખા, ડોગ સ્કવોડ સહિતના અધિકારી-કર્મચારી જોડાયા હતા અને ગણતરીના કલાકોમાં આરોપી સાગર સંઘારને ઝડપી પાડ્યો હતો. જો કે તેણે દવા પી લેવાનું નાટક કર્યું હતું. આથી પોલીસે તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સાજો થયાનું જણાતા હવે તેને બે દિવસના રિમાન્ડ પર લીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં શું માગણી કરવામાં આવી છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને ગઈકાલે શ્રી અખિલ કચ્છ ગર્ગવંશી ગરવા ગુરૂ બ્રાહ્મણ સમાજ પશ્ચિમ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આ ઘટનાને રેરેસ્ટ ઓફ રેર ગણીને એસઆઈટી દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. આ સિવાય મૃતક યુવતીના પરિવારના સભ્યને સરકારી નોકરી, મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ. 1 કરોડનું વળતર, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા અને અનુભવી સરકારી વકીલને નિયુક્ત કરી વહેલીતકે ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરાઈ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a19ca2b5dc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં વિવિધ 7 માગણીઓ કરવામાં આવી છે. જેમાં આરોપી યુવકને રહસ્યમય રીતે સરકારી હોસ્પિટલમાં આપવામાં આવેલી સારવાર અને યુવતીના પરિવારને પોલીસ દ્વારા કેસનું સ્ટેટસ જણાવાયું ન હોવાને લઈને પણ શંકા વ્યક્ત કરાઈ છે. સાથે જ ટૂંકા ગાળામાં તપાસ અધિકારીઓ બદલાઈ જતા કેસ પર અસર પડવાને લઈને એસઆઈટી દ્વારા તપાસની માગ કરાઈ છે. આરોપી યુવક યુવતીની હત્યા કર્યા બાદ 9 વાગ્યે ઝેરી દવા પી લીધી હતી અને પછી સાંજે 4 વાગ્યે જાતે વાહન ચલાવીને કોડાયથી માંડવી સારવાર લેવા ગયો હતો. અહીં 24 કલાક સારવાર બાદ તેની અટક બાદ મેડિકલ પરીક્ષણ કરાયું નહોતું. જેમાં તબીબોની ભૂમિકા પર શંકા ઉભી કરાઈ છે અને આરોપીને મદદગારી સમાજ ગણાવાઈ તેમની સામે પગલાં લેવા વિનંતી કરાઈ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677a19eb8dcb1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં એ પણ આશંકા વ્યક્ત કરાઈ છે કે, તલવાર અને ગુપ્તી સહિતના હથિયારોથી જે રીતે યુવતીની હત્યા કરાઈ છે, તે જોતા તેમાં એકથી વધુ લોકોની સંડોવણી હોય તેવું લાગે છે. આ દિશામાં પણ તપાસ કરવા કહેવાયું છે. સાથે જ સમગ્ર કેસની તપાસ, સ્ટેટસ, દસ્તાવેજો અને તપાસના ભાગરૂપે થયેલી કામગીરીની માહિતી યુવતીના પરિવારજનો, સામાજિક આગેવાનોને આપવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના સામાજિક કાર્યકર અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાન નરેશભાઈ મહેશ્વરીએ આ મામલે <em><strong>ખબરઅંતર.કોમ </strong></em>સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દલિત સમાજની દીકરીની જાહેરમાં થયેલી હત્યાના સમગ્ર કચ્છમાં પડઘા પડ્યાં છે. લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે. નિર્દોષ યુવતીની આ રીતે જાહેરમાં થયેલી હત્યાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે. ત્યારે દીકરીના પરિવારને ન્યાય મળે તે માટે કચ્છના સાંસદ વિનોદ ચાવડા ખુદ મૌન રેલીમાં જોડાયા હતા. તેમની સાથે સર્વ સમાજના લોકો, સાધુ સંતો પણ મૌન રેલીમાં હાજર રહીને દલિત દીકરી માટે ન્યાયની માગણી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/on-the-issue-of-misinterpretation-of-Arnesh-Kumars-verdict-the-battle-has-started">અર્ણેશ કુમારના ચૂકાદાના ખોટા અર્થઘટન મુદ્દે હવે આરપારની લડાઈ શરૂ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 Jan 2025 11:09:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1807</Articleid>
                    <excerpt>કચ્છના માંડવીમાં દલિત યુવતી ગૌરી ગરવાની તેના એકતરફી પ્રેમીએ કરેલી ઘાતકી હત્યાને લઈને સર્વ સમાજે મૌન રેલી કાઢી ન્યાયની માગણી કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677a196230050.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a1961f1e78.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677a1961f1e78.jpg" length="108413" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gauri Garwa Murder case, murder of dalit girl in godhra kutch, Godhra News</media:keywords>
                </item>
                        <item>
                    <title>બંદૂક બતાવી લુખ્ખાઓએ દલિત યુવકની જાન રોકી, ડીજે બંધ કરાવી તોફાન મચાવ્યું</title>
                    <link>https://khabarantar.com/bullies-stop-dalit-grooms-wedding-procession-in-saharanpur-show-gun-in-bareilly</link>
                    <guid>https://khabarantar.com/bullies-stop-dalit-grooms-wedding-procession-in-saharanpur-show-gun-in-bareilly</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકનો વરઘોડો ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અડધો ડઝન લોકોએ મળી તેને અટકાવ્યો. અન્ય એક ઘટનામાં ગુંડાએ બંદૂક બતાવી જાન રોકી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશના ઉત્તર ભાગમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને તેની સમાંતરે જાતિવાદી તત્વો પણ કાળોતરા નાગની જેમ ફેણ માંડીને બેઠાં થઈ ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લગ્નસરાની મોસમ શરૂ થતાની સાથે જ જાતિવાદી તત્વો દ્વારા દલિત યુવક કે યુવતીના વરઘોડા કે જાન પર હુમલાની ઘટનાઓ બનવા માંડી છે. આવી જ બે દિવસમાં બે ઘટનાઓ સામે આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બટેંગે તો કટેંગે ફેઈમ જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશનો છે. અહીં સહારનપુરમાં જાતિવાદી તત્વોએ એક દલિત વરરાજાના વરઘોડાને પોતાના ઘર પાસેથી પસાર થતા રોક્યો હતો. લુખ્ખા તત્વોએ વરઘોડામાં રહેલું ડીજે બંધ કરાવીને હોબાળો મચાવ્યો હતો. માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે બંને પક્ષો દ્વારા ફરિયાદો કરવામાં આવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સહારનપુરના છછરોલી ગામની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના નાનૌતા તાલુકાના છછરોલી ગામનો છે. અહીં દલિત સમાજમાંથી આવતા નાથીરામના પુત્ર મનોજના વરઘોડાને જાતિવાદી તત્વોએ અટકાવીને હોબાળો મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં નાથીરામે જણાવ્યું કે શનિવારે મોડી રાત્રે તેમના પુત્ર મનોજનો વરઘોડો નીકળ્યો હતો. જ્યારે વરઘોડો કથિત ઉચ્ચ જાતિના લોકો (મનુમીડિયા દ્વારા આરોપીઓના નામ, જાતિ છુપાવવામાં આવ્યા છે.) ના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ત્યાંથી અડધો ડઝન જેટલા યુવકો વરઘોડો રોકીને રસ્તા વચ્ચે ઉભા રહી ગયા હતા. તેમણે વરરાજાના પરિવારજનોને વરઘોડો અહીંથી પસાર નહીં થાય, જો થશે તો પરિણામ સારું નહીં આવે તેવી તેવી ધમકી આપી હતી. લુખ્ખા તત્વોએ વરઘોડામાં સામેલ ડીજે બંધ કરાવી દીધું હતું અને મહેમાનો સહિતના લોકોને જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કર્યા હતા. લુખ્ખા તત્વોએ હોબાળો મચાવતા વરરાજાના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. વરરાજાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/more-than-100-policemen-intervened-but-dalit-daughters-jaan-was-attacked">100થી વધુ પોલીસ ખડક્યાં, છતાં દલિત દીકરીની જાન પર હુમલો થયો</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_677925b903f8b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે આવતા જાતિવાદીઓની હવા નીકળી ગઈ!</span></strong></span><br><span style="font-size: 14pt;">સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરાતા જાતિવાદી તત્વોની દાદાગીરી નીકળી ગઈ હતી અને તરત તેઓ બચાવમુદ્રામાં આવી ગયા હતા. પોલીસ આગળ તેમણે કહ્યું કે, તેમના ઘરમાં વૃદ્ધ બીમાર હોવાથી તેમણે ધીમા અવાજમાં ડીજે વગાડવાનું કહ્યું હતું. જો કે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એસપી રૂરલ સાગર જૈનનું કહેવું છે કે આ મામલે બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે. અમે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બરેલીમાં જાતિવાદીએ બંદૂક બતાવી જાન રોકી</span></strong></span><br><span style="font-size: 14pt;">આવી જ અન્ય એક ઘટના બરેલીમાં પણ બની હતી. જ્યાં એક જાતિવાદી ગુંડાએ બંદૂક બતાવીને દલિત યુવકની જાન રોકી હતી. જોકે, અધિકારીઓના આદેશ પર પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ગત શુક્રવારે બની હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ જગન્નાથપુર ગામના રહેવાસી કુંવરપાલની દીકરીની જાન સોના ગામથી આવી હતી. ડીજે મ્યુઝિક સાથે જાન આગળ વધી રહી હતી ત્યારે ગામનો કથિત માથાભારે જાતિનો યુવાન પિસ્તોલ લઈને જાન વચ્ચે આવીને ઉભો રહી ગયો હતો અને તેને અટકાવી દીધી હતી. યુવકની આવી હરકતથી મહેમાનો સાથે તેની બોલાચાલી થઈ હતી. જોકે, વરરાજાના પક્ષના લોકોએ તેને પકડી લીધો હતો. દરમિયાન તેની પિસ્તોલ નીચે પડી હતી, આ જોઈને ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી. જો કે યુવકે અપશબ્દો બોલી અને પિસ્તોલ તાકીને સ્થળ પરથી ભાગી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-bridegroom-thrown-out-of-buggy-fired-at-in-the-air">દલિત વરરાજાને બગીમાંથી ઉતારી ફટકાર્યા, જાન પર હવાઈ ફાયરિંગ કર્યું</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 04 Jan 2025 17:54:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1805</Articleid>
                    <excerpt>દલિત યુવકનો વરઘોડો ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અડધો ડઝન લોકોએ મળી તેને અટકાવ્યો. અન્ય એક ઘટનામાં ગુંડાએ બંદૂક બતાવી જાન રોકી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677924f035c34.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677924f007ab2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677924f007ab2.jpg" length="63132" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Saharanpur news, Bullies, stop Dalit groom&#039;s wedding procession, show gun, Bareilly, sc st act</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ ગુજરાતથી દંડવત કરતા દિલ્હી જશે</title>
                    <link>https://khabarantar.com/the-president-of-the-gujarat-valmiki-sangathan-will-travel-from-gujarat-to-delhi</link>
                    <guid>https://khabarantar.com/the-president-of-the-gujarat-valmiki-sangathan-will-travel-from-gujarat-to-delhi</guid>
                    <description>
                        <![CDATA[ વાલ્મિકી સમાજની પડતર માગણીઓ સરકાર સાંભળતી ન હોવાથી તેના અધ્યક્ષ ગુજરાતથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી પીએમ મોદીને વેદનાપત્ર પાઠવશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં સફાઈકર્મીઓની સ્થિતિ કેવી છે તેના વિશે વધુ કશું કહેવાની જરૂર નથી. એમાં પણ ગુજરાતમાં ભાજપની સરકાર આવ્યા પછી સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટ આધારિત કરી દેવાતા તેમની રોજીરોટીના અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સફાઈ માટે ફાળવવામાં આવતા બજેટમાંથી મોટાભાગની રકમ કોન્ટ્રાક્ટરો ખાઈ જાય છે અને જમીની સ્તરે કામ કરતા સફાઈ કામદારોને કશું પણ મળતું નથી. સફાઈકર્મીઓની આવી અનેક સમસ્યાઓને લઈને રાજ્યમાં ગુજરાત વાલ્મિકી સંગઠન લડત ચલાવી રહ્યું છે. અનેકવાર આ સંગઠન સફાઈકર્મીઓની માગણીઓને લઈને સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપવાથી લઈને ધરણાં કરવા સુધીની રજૂઆતો કરી ચૂક્યું છે, પણ સરકાર સફાઈકર્મીઓની માગણીઓને જરાય ગંભીરતાથી લેતી નથી. પરિણામે આ સંગઠનના અધ્યક્ષે હવે અરવલ્લી જિલ્લાના માલપુરથી દેશની રાજધાની દિલ્હી સુધી દંડવત કરતા જઈ પીએમ મોદીને વેદનાપત્ર આપવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતભરના સફાઈકર્મીઓની પડતર માગણીઓને લઈને ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા શરૂ કરવામાં આવી છે. ગુજરાત વાલ્મિકી સંગઠન છેલ્લાં ઘણાં સમયથી સફાઈ કામદારો અને અન્ય કર્મચારીઓને કાયમી કરવાની માગને લઈ આવેદનપત્ર, ધરણાં, પ્રદર્શન જેવા આંદોલન ચલાવી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા તેના પર ધ્યાન આપવામાં નથી આવતું. જેના કારણે હવે ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે અરવલ્લી જિલ્લાના માલપુરથી દેશની રાજધાની દિલ્હી સુધીની દંડવત યાત્રા શરૂ કરી છે. એક વર્ષ સુધી ચાલનારી આ દંડવત યાત્રા બાદ તેઓ દિલ્હી પહોંચશે અને ત્યાં વાલ્મિકી સમાજની વિવિધ માંગણીઓને લગતું વેદનાપત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દંડવત યાત્રા શરૂ કરવાને લઈને ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે જણાવ્યું હતું કે, "વર્ષોથી સરકારી કચેરીઓમાં કામ કરતા સફાઈ કામદારોને એજન્સીઓ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. સફાઈનું કામ અમે કરીએ છીએ પણ સરકારની ખાનગીકરણની નીતિને કારણે બધો લાભ કોન્ટ્રાક્ટરો લઈ જાય છે. અમારી બેઝીક માગણીઓ પર સંતોષાતી નથી. સફાઈકર્મીઓનું શોષણ થાય છે, તેમના પગારથી લઈને અનેક મોરચે અન્યાય થઈ રહ્યો છે. આ બાબતે અમે અનેકવાર સરકારના લાગતા વળગતા અધિકારીઓ, કચેરીઓએ અરજી, આવેદનપત્ર અને ધરણાં કાર્યકર્મો કર્યા છે. પણ સરકાર દ્વારા અમારી કોઈ જ માગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી. આથી હવે અમે તેના માટે દંડવત કરીને દિલ્હી જવાનું નક્કી કર્યું છે. એક વર્ષ સુધીમાં દંડવત કરીને દિલ્હી પહોંચી પીએમ મોદીને મળીને સમસ્ત વાલ્મિકી સમાજની વેદનાને વાચા આપતું વેદનાપત્ર આપીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/amit-shahs-statement-against-dr-ambedkar-is-now-being-opposed-abroad-too">અમિત શાહે ડૉ.આંબેડકર સામે કરેલા નિવેદનનો હવે વિદેશોમાં પણ વિરોધ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 03 Jan 2025 14:37:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1802</Articleid>
                    <excerpt>વાલ્મિકી સમાજની પડતર માગણીઓ સરકાર સાંભળતી ન હોવાથી તેના અધ્યક્ષ ગુજરાતથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી પીએમ મોદીને વેદનાપત્ર પાઠવશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677768bc7150b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677768bc405b6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677768bc405b6.jpg" length="69004" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>the president of the gujarat valmiki sangathan, Lalji bhagat, pm modi</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;વિદ્યાની દેવી સાવિત્રીબાઈ છે&amp;apos; કહેનાર શિક્ષિકાને 10 મહિનાથી પગાર નથી મળતો</title>
                    <link>https://khabarantar.com/hemlata-bairwa-teacher-who-said-savitribai-is-the-goddess-of-education-has-not-received-her-salary-for-10-months</link>
                    <guid>https://khabarantar.com/hemlata-bairwa-teacher-who-said-savitribai-is-the-goddess-of-education-has-not-received-her-salary-for-10-months</guid>
                    <description>
                        <![CDATA[ શાળાના કાર્યક્રમમાં &#039;વિદ્યાની અસલી દેવી સરસ્વતી નહીં સાવિત્રીબાઈ છે&#039; એમ કહેનાર એ વાયરલ વીડિયોની દલિત શિક્ષિકા યાદ છે? આ તેમની વાત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે 3 જાન્યુઆરી એટલે ખરા અર્થમાં વિદ્યાની દેવી એવા માતા સાવિત્રી બાઈ ફૂલેની જન્મજયંતિ. તેમણે મહિલાઓ અને સમાજના બહિષ્કૃત વર્ગના લોકોને શિક્ષણ આપવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી, ભારતની પ્રથમ મહિલા શિક્ષિકાના યોગદાનને બહુજન સમાજ આજે પણ યાદ કરે છે. માતા સાવિત્રીબાઈ ફૂલે દરેક મહિલા, ખાસ કરીને દલિત અને બહુજન સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે. બાળલગ્ન, સતી પ્રથા, વિધવા મુંડન જેવા અનેક દુષણોનો વિરોધ કરનાર સાવિત્રીબાઈએ પિતૃસત્તાક સમાજનો વિરોધને સહન કરીને કન્યાઓ માટે પ્રથમ શાળા ખોલી હતી. મનુવાદીઓના સાશનમાં આજે પણ તેમનું કદ નાનું કરવા માટે શક્ય દરેક તરકીબ અજમાવવામાં આવે છે. જો કે અમુક વિદ્રોહી પ્રકૃતિના લોકો મનુવાદીઓને ટક્કર આપતા રહે છે અને માતા સાવિત્રીબાઈના  શિક્ષણ અને સમાનતાના વારસાને સન્માન આપવાના પ્રયાસો કરતા રહે છે. આવા જ એક વિદ્રોહી શિક્ષિકા એટલે રાજસ્થાનના બારાના દલિત સમાજમાંથી આવતા હેમલતા બૈરવા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2024ની 26મી જાન્યુઆરી તમને યાદ હોય તો એ પણ યાદ હશે કે એક દલિત મહિલા શિક્ષિકા પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં વિદ્યાની દેવી કહેવાતા સરસ્વતીને બદલે દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકીને તેમના મહાન કાર્યોની ઉપસ્થિત સૌને સમજણ આપી રહી હતી. એ દરમિયાન કેટલાક મનુવાદીઓ ત્યાં આવી પહોંચે છે અને શિક્ષિકાનો વિરોધ શરૂ કરી દે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને પછી શિક્ષિકા પર સરકાર કાર્યવાહી કરે છે અને તેમની અંતરિયાળ વિસ્તારમાં ટ્રાન્સફર કરી દે છે. આ શિક્ષિકા એટલે રાજસ્થાનના બારાના વતની અને બહુજન સમાજમાંથી આવતા હેમલતા બૈરવા. બહુજન મહાનાયક ડો.આંબેડકર અને માતા સાવિત્રીબાઈ-જ્યોતિબા ફૂલેના યોગદાનને બરાબર સમજતા હેમલતા બૈરવા મનુવાદી સિસ્ટમનો ભોગ બન્યાં છે. આજે પણ મનુવાદી તંત્ર તેમને હેરાન કરવાની કોઈ કસર બાકી નથી રાખી રહ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Fatima-Shaikh:-The-first-Muslim-teacher-who-lit-the-torch-of-girl-education-170-years-ago-with-the-Krantisurya-Phule-couple">ફાતિમા શેખ: પ્રથમ મુસ્લિમ શિક્ષિકા જેમણે ફૂલે દંપતી સાથે કન્યા કેળવણીની મશાલ પ્રગટાવી હતી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_67779637221db.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હેમલતા બૈરવાઃ માતા સાવિત્રીબાઈના સંઘર્ષનું વર્તમાન પ્રતીક</span></strong></span><br><span style="font-size: 14pt;">રાજસ્થાનના બારા જિલ્લામાં આવેલી સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા લકડાઈની શિક્ષિકા હેમલતા બૈરવા માતા સાવિત્રીબાઈ ફૂલેના સંઘર્ષનું પ્રતીક બની ગયા છે. 2024ના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શાળામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર માત્ર ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીની તસવીરો જોયા બાદ કેટલાક લોકોએ સરસ્વતીની તસવીર રાખવાનો આગ્રહ કર્યો હતો. હેમલતા બૈરવાએ તેનું ખંડન કર્યું અને સ્પષ્ટપણે કહ્યું, "વિદ્યાની અસલી દેવી સાવિત્રીબાઈ ફૂલે છે." તેમના આ સાહસિક પગલાએ સ્થાનિક જાતિવાદી માનસિકતાને પડકારી હતી, પરંતુ તેના પરિણામે તેમની સામે વિભાગીય કાર્યવાહીની સાથે FIR દાખલ કરવામાં આવી હતી. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમનું મુખ્ય મથક બિકાનેર કરી દેવામાં આવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માર્ચ 2024થી પગાર નથી મળ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે તેઓ કાયદાકીય લડાઈ જીતીને એપ્રિલમાં નિર્દોષ સાબિત થયા હતા, એ પછી જુલાઈમાં તેમને પોસ્ટિંગ પણ મળ્યું હતું, પરંતુ માર્ચ 2024 થી તેમને પગાર નથી મળી રહ્યો, જેના કારણે હેમલતા બૈરવા અને તેમનો પરિવાર ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તેમના બે બાળકો, જેઓ કોટામાં NEET અને REET ની તૈયારી કરી રહ્યા છે, તેમને કપરી પરિસ્થિતિમાં અભ્યાસ ચાલુ રાખવાની ફરજ પડી છે. કોટામાં તેમના બાળકોના રૂમનું ભાડું ઘણાં મહિનાઓથી બાકી છે, જ્યારે હેમલતા પોતે છીપા વડોદમાં 2,000 રૂપિયા ભાડાના રૂમમાં રહે છે. એક-એક પાઈ માટે સંઘર્ષ કરતા હેમલતા હાલ એક ટંક જમીને જીવન ગુજારી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">સિંગલ મધર હેમલતા બૈરવા માથે બે બાળકોની જવાબદારી</span></strong><br><span style="font-size: 14pt;">સિંગલ મધર હોવાના કારણે હેમલતા પોતાના બંને બાળકોને એકલા જ ઉછેરે છે. તેઓ છેલ્લા 4-5 વર્ષથી તેમના પતિથી અલગ રહે છે. B.Ed પાસ હોવા છતાં તેમના પતિ કોઈ કામ નથી કરતા કે નથી બાળકોની કોઈ જવાબદારી લેતા.</span><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હેમલતા કહે છે, "મારો દીકરો નિહાલ NEETની તૈયારી કરી રહ્યો છે, દીકરી REET ની કોચિંગ કરી રહી છે, બંને એક રૂમમાં સાથે રહે છે જેનો જમવાનો અને રહેવાનો ખર્ચ 7 હજાર રૂપિયા છે. હું ઘણા સમયથી આ પૈસા પણ ચૂકવી શકી નથી. મકાનમાલિકો મારા સમાજના છે, તેઓ મારી સમસ્યા સમજીને બહુ બોલતા નથી. આવા સારા લોકોના સહકારથી દિવસો જેમતેમ કરીને પસાર થઈ રહ્યા છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફક્ત એક ટંક જમે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">શાળામાં થયેલા વિવાદ પહેલા હેમલતાએ બેંકમાંથી પર્સનલ અને કાર લોન લીધી હતી, પરંતુ લગભગ છ મહિનાથી તે તેના હપ્તા ચૂકવી શકી નથી. હેમલતા કહે છે, "હજુ સુધી બેંક તરફથી કોઈ નોટિસ મળી નથી, પરંતુ જો જલ્દી પગાર નહીં મળે તો મુશ્કેલીઓ વધી જશે." ગરીબીની સ્થિતિ એવી છે કે હેમલતા માત્ર એક જ વખત ભોજન ખાઈને જીવન જીવવા મજબૂર છે. ફિક્કું હસતા તેઓ કહે છે, "હું સવારે ચા, બિસ્કિટ કે એવું કંઈક ખાઈ લઉં છું અને પછી સાંજે જ જમું છું." મુશ્કેલભર્યા આ દિવસોમાં હેમલતાને તેમના પિતા અને ભાઈનો ટેકો છે, જેઓ તેમને શક્ય તેટલી મદદ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાકી પગાર માટે કોર્ટમાં અરજી ન કરવા પાછળનું કારણ પૂછતાં હેમલતા કહે છે કે વકીલની ફી વધારે છે જેના કારણે તે અત્યારે અરજી કરી શકતી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, અનુસૂચિત જાતિના અધિકારીઓ અને કર્મચારીઓના સંગઠન ડો. આંબેડકર શિડ્યુલ્ડ કાસ્ટ ઓફિસર્સ એમ્પ્લોઇઝ એસોસિએશન (AJAK)એ હેમલતાના સસ્પેન્શન બાદ તેમની સામે ચાલી રહેલો કેસ લડવા માટે રૂ. 50,000 ની આર્થિક મદદ કરી હતી. હેમલતાને એક વકીલની જરૂર છે જે તેમની મદદ માટે આગળ આવે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પોલીસે એક વર્ષ સુધી એફઆઈઆર પર કાર્યવાહી ન કરી</span></strong><br><span style="font-size: 14pt;">હેમલતા બૈરવાની ફરિયાદ પર પોલીસે બે શિક્ષકો ભૂપેન્દ્ર સેન અને હંસરાજ સેન અને કેટલાક સ્થાનિક લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને IPCની કલમ 504 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે. હેમલતાએ એફઆઈઆરમાં બંધારણની કલમ 28નો ઉલ્લેખ કરીને સરકારી શાળામાં સરસ્વતી પૂજાનો વિરોધ કર્યો હતો. બીજી બાજુ, ગામલોકોએ તેમની વિરુદ્ધ IPCની કલમ 295A અને 153A હેઠળ સામી ફરિયાદ નોંધાવી તેમના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. હેમલતાએ કહ્યું કે પોલીસે હજુ સુધી એક પણ આરોપી સામે કોઈ કાર્યવાહી કરી નથી, અને કેસ હજુ પેન્ડિંગ છે, તેમ કહીને તેની તપાસ ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ વધુમાં કહે છે, "મેં ઘણી વખત આઈજી સાહેબ અને અન્ય અધિકારીઓને આરોપીઓ સામે પગલાં લેવા વિનંતી કરી છે, પરંતુ પોલીસ ચાર્જશીટ રજૂ કરતી નથી અને ગુનેગારોને રક્ષણ આપી રહી છે. મારો વિરોધ બંધારણની જોગવાઈઓ પર આધારિત હતો અને કોઈની ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ હેતુ નહોતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">મારું અસ્તિત્વ સાવિત્રીબાઈના કારણે છે</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">અંતે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને તેમના કાર્યનો પસ્તાવો છે અથવા તે હજુ પણ સાવિત્રીબાઈ ફુલેના સન્માન માટે લડવા માટે મક્કમ છે? ત્યારે હેમલતા કહે છે, "મેં કંઈ ખોટું કર્યું નથી. માતા સાવિત્રીબાઈના યોગદાનને કારણે જ મારું અસ્તિત્વ છે. ભલે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે, પણ હું માતા સાવિત્રીબાઈ-જ્યોતિબા ફૂલે, બાબાસાહેબ અને બંધારણના સન્માન માટે મારી લડાઈ ચાલુ રાખીશ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Dalit-teacher-suspended-for-putting-mother-Savitribai-Phules-photo-in-place-of-Saraswati">સરસ્વતીની જગ્યાએ માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકનાર દલિત શિક્ષિકા સસ્પેન્ડ</a> </span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 03 Jan 2025 13:25:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1804</Articleid>
                    <excerpt>શાળાના કાર્યક્રમમાં &#039;વિદ્યાની અસલી દેવી સરસ્વતી નહીં સાવિત્રીબાઈ છે&#039; એમ કહેનાર એ વાયરલ વીડિયોની દલિત શિક્ષિકા યાદ છે? આ તેમની વાત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67779637cba73.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677796379d1b0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677796379d1b0.jpg" length="73464" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Savitribai Phule, Hemlata Bairwa, Dalit teacher, No salary, Bara Rajasthan, devi Saraswati</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં BSP એક નવો પ્રયોગ કરવા જઈ રહી છે</title>
                    <link>https://khabarantar.com/bsp-is-going-to-try-a-new-experiment-in-the-delhi-assembly-elections</link>
                    <guid>https://khabarantar.com/bsp-is-going-to-try-a-new-experiment-in-the-delhi-assembly-elections</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હી વિધાનસભામાં 12 અનામત સીટો ઉપરાંત બીજી 15 જેટલી સીટો પર દલિત મતો નિર્ણાયક છે ત્યારે બીએસપીએ અહીં પહેલીવાર એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ભલે ન થઈ હોય પરંતુ તમામ રાજકીય પક્ષોએ પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેમાં બહુજન સમાજ પાર્ટી પણ બાકાત નથી. દિલ્હીની ચૂંટણીમાં બીએસપી સુપ્રીમો માયાવતી પોતાના પાંચ મુખ્ય નેતાઓ સાથે પક્ષની કમાન સંભાળશે. જ્યારે આકાશ આનંદ પ્રચારનું કામકાજ સંભાળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાના સ્થાપક માન્યવર કાંશીરામ સાહેબે એંશીના દાયકામાં દલિતો-શોષિતોમાં રાજકીય ચેતના જગાવી હતી. દલિત રાજકારણના આ નવતર પ્રયોગે યુપીમાં બસપાની ચાર વખત સરકાર બનાવી હતી. દલિત મતો પર માયાવતીનો એકાધિકાર લાંબા સમય સુધી ચાલુ રહ્યો, પરંતુ સત્તામાંથી બહાર થયા બાદ ભાજપ, સપા સહિતના પક્ષોની વધતી તાકાત અને માયાવતીની નિષ્ક્રિયતાને કારણે ધીરેધીરે દલિત મતો બીએસપીથી વિમુખ થતા ગયા, જેના કારણે બસપાનો રાજકીય ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2024ની લોકસભા ચૂંટણીમાં શૂન્ય થઈ ગયા પછી, બસપા દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એક નવો રાજકીય પ્રયોગ કરવા જઈ રહી છે, પરંતુ શું માયાવતી તેમના નજીકના કમાન્ડરો સાથે ચૂંટણીની લગામ પોતાના હાથમાં રાખશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપા દિલ્હીમાં ભલે ક્યારેય સત્તામાં ન આવી હોય, પરંતુ તેની બીક વિરોધી પક્ષોને શરૂઆતથી જ છે. બસપાને ઘણી સીટો પર સારા વોટ મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીની રચના અને અરવિંદ કેજરીવાલના રાજકીય ઉદય પછી, દલિત વોટ બીએસપીમાંથી સંપૂર્ણપણે સરકી ગયા, તેને 2025ની ચૂંટણીમાં પાછા મેળવવા માટે માયાવતીએ રાજ્યની તમામ 70 વિધાનસભા બેઠકો પર સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડવાની યોજના બનાવી છે. તેમણે આ અંગે રાજકીય કવાયત શરૂ કરી દીધી છે અને દિલ્હીની ચૂંટણી તેમની દેખરેખ હેઠળ યોજાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માયાવતીના દિલ્હીમાં પાંચ મહત્વના સાથીદારો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા વિધાનસભાની ચૂંટણી બાદ માયાવતીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની કમાન પહેલા તેમના ભત્રીજા આકાશ આનંદને સોંપી હતી, એ પછી માનવામાં આવતું હતું કે દિલ્હીમાં બસપાના ઉમેદવાર પસંદ કરવાથી લઈને રણનીતિ બનાવવા સુધીની તમામ જવાબદારી તેમના હાથમાં રહેશે. પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતાં માયાવતીએ દિલ્હીને પાંચ ઝોનમાં વહેંચી દીધું છે અને પક્ષના સૌથી પ્રતિબદ્ધ નેતાઓને તેની જવાબદારી સોંપી છે. બસપાએ સુદેશ આર્ય, સીપી સિંહ, ધર્મવીર અશોક, રણધીર બેનીવાલ અને સુજીત સમ્રાટ જેવા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બસપાએ દિલ્હીને 5 ભાગમાં વહેંચ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપા સુપ્રીમો બહેન કુમારી માયાવતીજીએ દિલ્હીની 70 વિધાનસભા બેઠકોને 5 ભાગોમાં વહેંચી દીધી છે અને તે વિસ્તારોની બેઠકો 5 ઝોનલ પ્રભારીઓને સોંપી છે. રણધીર બેનીવાલને હરિયાણા બોર્ડ સાથે જોડાયેલી 10 બેઠકો સોંપવામાં આવી છે, તેઓ હરિયાણા, ચંદીગઢ અને પંજાબના પ્રભારી છે. સુદેશ આર્યને 16 બેઠકો આપવામાં આવી છે. જેમાં નાંગલોઈ જિલ્લા અને ચાંદની ચોક લોકસભા મતવિસ્તારની બેઠકોનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુજીત સમ્રાટને 12 વિધાનસભા સીટોની કમાન સોંપવામાં આવી છે. બસપાના પ્રદેશ અધ્યક્ષ સીપી સિંહને ત્રણ વિધાનસભા સીટો અને ધરમવીર અશોકને 20 વિધાનસભા સીટોની જવાબદારી સોંપવામાં આવી છે. બસપાના આ પાંચ નેતાઓ દિલ્હીમાં ઉમેદવારોની પસંદગી કરશે અને જીતની જવાબદારી તેમના શીરે રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માયાવતીનો શું રોલ રહેશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાના વડા માયાવતી 15 જાન્યુઆરીએ લખનૌથી દિલ્હી આવીને ધામા નાખશે. માયાવતી 15 જાન્યુઆરીએ લખનૌમાં પોતાનો જન્મદિવસ ઉજવશે અને તે જ દિવસે સાંજે દિલ્હી પહોંચશે. એ પછી તેઓ દિલ્હી વિધાનસભા ચૂંટણી સુધી દિલ્હીમાં જ રહેશે. માનવામાં આવી રહ્યું છે કે માયાવતીના દિલ્હી આવ્યા બાદ બસપાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વખતે પાર્ટીનું ફોકસ મહિલાઓ અને યુવાનો પર છે. કલંકિત ઇમેજ ધરાવતા નેતાઓને ટિકિટ આપવામાં નહીં આવે. માયાવતીએ સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને ટિકિટ આપવા સૂચના આપી છે. એવામાં જોવાનું એ રહેશે કે માયાવતીની સૂચનાને બસપાના દિલ્હી ઝોનલ પ્રભારી કેટલી હદે લાગુ કરવામાં સક્ષમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આકાશ આનંદ ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીએસપીના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદને જ્યારે દિલ્હીના પ્રભારી બનાવવામાં આવ્યા ત્યારે એવું માનવામાં આવતું હતું કે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીનું કામ પણ સંભાળશે, પરંતુ માયાવતીએ 5 ઝોનલ ઈન્ચાર્જ બનાવ્યા બાદ હવે ઉમેદવારોનો નિર્ણય આકાશ આનંદના હાથમાં નથી. તેમને દિલ્હીમાં BSP તરફી રાજકીય વાતાવરણ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. BSP સુપ્રીમોના નિર્દેશો પર આકાશ આનંદ દિલ્હીમાં સતત જાહેર સભાઓને સંબોધિત કરીને પક્ષ તરફી હવા ઉભી કરશે. 5 જાન્યુઆરીએ આકાશ આનંદ દિલ્હીના કોંડલીમાં આંબેડકર પાર્ક ખાતે રેલી કરીને દિલ્હીમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડોર ટુ ડોર પ્રચાર અભિયાન પણ ચલાવાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાના સમર્થનને વધારવા માટે ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાન ચલાવવાની પણ રણનીતિ નક્કી કરાઈ છે. પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરો દિલ્હીમાં દલિત વસાહતો અને કોલોનીઓમાં ઘરે-ઘરે જઈને બસપાની નીતિઓ વિશે જણાવશે. માયાવતીએ બંધારણ અને અનામતને લઈને ભાજપ અને કોંગ્રેસની રાજનીતિથી જનતાને વાકેફ કરવાના નિર્દેશ આપ્યા છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે આકાશ આનંદ દિલ્હીની ચૂંટણીમાં BSPના ઉમેદવારો નક્કી કરશે નહીં, પરંતુ જીત માટે તેમના પક્ષમાં વાતાવરણ માહોલ બનાવવાની જવાબદારી તેમની રહેશે. આ રીતે કાંટાળો તાજ તેમના માથે છે, જ્યાં હાર અને જીત બંનેનો શ્રેય તેમના માથા પર રહેશે.</span><br><span style="font-size: 14pt;">દિલ્હીમાં બસપાનો ટ્રેક રેકોર્ડ કેવો રહ્યો છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીની રાજનીતિમાં એક સમયે બસપાનો સારો પ્રભાવ હતો. બસપાના વીસ વર્ષના ચૂંટણી ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે એક સમયે તેનો વોટ શેર 14 ટકાથી ઉપર પહોંચી ગયો હતો, પરંતુ હાલમાં તે એક ટકાથી પણ ઓછો છે. 2003માં બસપાએ 40 સીટો પર ચૂંટણી લડી હતી. બસપા આ ચૂંટણીમાં એક પણ સીટ જીતી શકી ન હતી, પરંતુ 5.76 ટકા વોટ મેળવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ રીતે, 2008ની વિધાનસભા ચૂંટણીમાં, બસપાએ દિલ્હીની તમામ 70 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેણે બે બેઠકો જીતી હતી અને વોટ શેર 14.05 ટકા હતો. BSP ગોકલપુરી અને બદરપુર બેઠકો જીતવામાં સફળ રહી હતી. ગોકલપુર અનામત બેઠક હતી જ્યારે બાદરપુર બેઠક બિન અનામત હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2013ની વિધાનસભા ચૂંટણીમાં બસપાએ તમામ 70 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી તેને એક પણ સીટ મળી નહોતી, પરંતુ વોટશેર 5.35 ટકા હતો. તેવી જ રીતે, 2015ની વિધાનસભા ચૂંટણીમાં BSPએ તમામ 70 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેનો વોટ શેર ઘટીને 1.13 ટકા થઈ ગયો હતો. એ પછી, બસપાએ 2020ની ચૂંટણીમાં તમામ સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જો કે, AAPની લહેરમાં પાર્ટી એક પણ બેઠક જીતવામાં સફળ રહી ન હતી. તેમને માત્ર 0.71 ટકા મત મળ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બસપા તમારા આગમનથી ગુમનામ થઈ ગઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ આદમી પાર્ટી રાજકીય અસ્તિત્વમાં આવ્યા પછી, બસપા દિલ્હીના રાજકારણમાં હાંશિયામાં ધકેલાઈ ગઈ હોવાનું પ્રતીત થાય છે. અગમ્ય કારણોસર દલિત-બહુજનનો વિશ્વાસ બસપાને બદલે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે. આવી સ્થિતિમાં, બસપાની રાજકીય તાકાત દિલ્હીમાં માત્ર દલિત મતો પર નિર્ભર છે, જે હાલ કેજરીવાલની મુખ્ય વોટ બેંક છે. તેનું જ કારણ છે કે, ભાજપ-કોંગ્રેસની જેમ આપ પણ સવર્ણ હિંદુત્વવાદીઓનો પક્ષ હોવા છતાં દિલ્હીના દલિતોને રિઝવવા માટે કેજરીવાલે તાજેતરમાં જ અમિત શાહ દ્વારા ડૉ. આંબેડકર પર કરેલા અપમાનજનક નિવેદનને લઈને મોરચો ખોલ્યો હતો. અમિત શાહના નિવેદનને લઈને બસપા દિલ્હીના રસ્તા પર ઉતરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હીના રાજકારણમાં દલિત રાજકારણ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીમાં 17 ટકા મતદારો દલિત સમુદાયના છે, જેના માટે રાજ્યની કુલ 70 વિધાનસભા બેઠકોમાંથી 12 અનામત છે. જોકે આ 12 બેઠકો કરતાં દલિતોનો પ્રભાવ વધુ છે. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સુલતાનપુરી વિધાનસભા ક્ષેત્રમાં 44 ટકા મતદારો દલિત છે. તેની બરાબર બાજુમાં કરોલ બાગ છે, જ્યાં લગભગ 38 ટકા મતદારો દલિત સમાજના છે. પટેલ નગર, ગોકલપુર, સીમાપુરી, મંગોલપુરી, મોતી નગર, ત્રિલોકપુરી અને આંબેડકરનગર જેવા મતવિસ્તારોમાં 30 ટકાથી વધુ દલિત રહેવાસીઓ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય દિલ્હી કેન્ટ સીટમાં 16 ટકા, રાજેન્દ્ર નગરમાં 22 ટકા, કસ્તુરબા નગરમાં 11 ટકા, માલવિયા નગરમાં 10 ટકા, આરકે પુરમમાં 15 ટકા અને ગ્રેટર કૈલાશમાં 10 ટકા લોકો દલિત સમાજ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હીના દલિતોમાં પેટા જાતિઓનો દબદબો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીમાં દલિત સમાજ વિવિધ પેટા જાતિઓમાં વહેંચાયેલો છે. અહીં જાટવ, વાલ્મિકી, ખટીક, નિષાદ, રૈગર, કોળી, બૈરવા અને ધોબી જેવી ઘણી પેટા જાતિઓ છે. દરેકની અલગ-અલગ સાંસ્કૃતિક ઓળખ અને પ્રાદેશિક વર્ચસ્વ છે, પરંતુ સૌથી વધુ વસ્તી જાટવ અને પછી વાલ્મિકી સમાજની વસ્તી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીની કુલ દલિત વસ્તીના લગભગ 50 ટકા જાટવ સમુદાયના છે, જેમને અન્ય દલિત જાતિઓ કરતાં રાજકીય રીતે વધુ જાગૃત માનવામાં આવે છે. એટલું જ નહીં, બસપાને જાટવોની કોર વોટબેંક માનવામાં આવે છે, જ્યાં સુધી આ મતો બસપા પાસે રહ્યાં ત્યાં સુધી દિલ્હીમાં બસપા એક મજબૂત રાજકીય પક્ષ તરીકે ઉભરી આવી હતી, પરંતુ કેજરીવાલના આગમન બાદ આ કોર વોટબેંકનો બસપાથી મોહભંગ થઈ ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબા સાહેબ આંબેડકરનો પ્રભાવ ખાસ કરીને જાટવોમાં ઘણો ઊંડો છે, જેઓ શહેરી વિસ્તારોમાં અગ્રણી હોવા ઉપરાંત, દિલ્હીના ગ્રામીણ લેન્ડસ્કેપમાં પણ મજબૂત હાજરી જાળવી રાખે છે. આવી સ્થિતિમાં શું માયાવતી પોતાના સાથીદારોની મદદથી દિલ્હીના દલિતોનો વિશ્વાસ જીતી શકશે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/bsp-to-hold-nationwide-agitation-on-december-24-over-insult-to-dr-ambedkar-by-amit-shah">ડૉ.આંબેડકરના અપમાન મુદ્દે BSP રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 03 Jan 2025 11:02:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1803</Articleid>
                    <excerpt>દિલ્હી વિધાનસભામાં 12 અનામત સીટો ઉપરાંત બીજી 15 જેટલી સીટો પર દલિત મતો નિર્ણાયક છે ત્યારે બીએસપીએ અહીં પહેલીવાર એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677775eda5c0e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677775ed7511b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677775ed7511b.jpg" length="63241" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>delhi assembly elections, BSP</media:keywords>
                </item>
                        <item>
                    <title>સરપંચના છોકરાએ 10 સાગરિતો સાથે મળી દલિત યુવકની હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/muzaffarnagar-news-sarpanchs-son-along-with-10-associated-killed-dalit-youth</link>
                    <guid>https://khabarantar.com/muzaffarnagar-news-sarpanchs-son-along-with-10-associated-killed-dalit-youth</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકની બાઈક સાથે સરપંચના છોકરાએ પોતાની કાર અથડાવી અને પછી હોકી લઈને તૂટી પડ્યાં. દલિત યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદના એપીસેન્ટર યુપીમાં થર્ટી ફર્સ્ટના દિવસે એક દલિત યુવકની ગામના સરપંચના છોકરાએ તેના સાગરિતો સાથે મળીને હત્યા કરી નાખી. વાળ કપાવીને પરત ફરી રહેલા દલિત યુવક અને તેના મિત્રને આરોપીઓએ ઘેરી લીધા અને માર માર્યો, જેના કારણે એક યુવકનું મોત થયું, જ્યારે અન્ય એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધી છે અને સરપંચના પુત્ર સહિત તેના સાગરિતોની ધરપકડ કરી છે. દલિત યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુઝફ્ફરનગરના પલડી ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 31 ડિસેમ્બર મંગળવારના રોજ બની હતી. મુઝફ્ફરનગર જિલ્લાના પલડી ગામના રહેવાસી દલિત યુવકો સની અને શીલુ વાળ કપાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં ગામના સરપંચનો છોકરો અંકુર કાર લઈને સામે આવ્યો હતો. તેણે દલિત યુવકની બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે બંને યુવકો નીચે પડી ગયા હતા. જો કે આરોપીઓ આટલેથી અટક્યા નહોતા અને તેમણે માફી માગવાને બદલે બંને દલિત યુવકો પર લાકડીઓ, હોકીથી હુમલો કરી દીધો હતો. જેમાં બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સરપંચનો છોકરો અંકુર અને તેના 8-10 સાથીઓ તેમને ત્યાં જ ગંભીર હાલતમાં છોડીને ભાગી ગયા હતા. સ્થાનિકોની સૂચના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને ઘાયલ યુવકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. ગંભીર રીતે ઘવાયેલા સનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે શીલુની સારવાર ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૃતક સનીનો સાથી શીલુ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શીલુએ આ ઘટના અંગે મીડિયાને માહિતી આપતા કહ્યું, "એ લોકો ચાર મોટરસાઇકલ અને કેટલીક ગાડીઓ પર આવ્યા હતા. તેમણે આવતાની સાથે જ મારી બાઇકને ટક્કર મારી હતી. અમે ખતૌલીમાં વાળ કપાવવા માટે ગયા હતા અને ત્યાંથી ગામમાં પાછા ફરી રહ્યા હતા. ગામના સરપંચનો છોકરો તેના 10 જેટલા સાગરિતો સાથે આવ્યો હતો. અમને ખબર નથી કે આ ઘટના કેમ બની છે. અમારી સાથે તેની કોઈ દુશ્મની નથી. પહેલા તેમણે ગાડીથી અમારી બાઈકને ટક્કર મારી અને પછી હોકીથી માર્યા. આ ઘટનામાં સનીનું મોત થયું છે. અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુઝફ્ફરનગરના એસપી સિટી સત્યનારાયણ પ્રજાપતિએ જણાવ્યું કે, આ ઘટનાની જાણકારી મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપી અંકુર અને તેના સાગરિતોને કસ્ટડીમાં લઈ લીધા છે. મૃતકના પરિવારની ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-teacher-kidnapped-and-murdered-by-fiancees-one-sided-lover-in-ups-muzaffarnagar">દલિત શિક્ષકની મંગેતરના એકતરફી પ્રેમી યુવકે અપહરણ કરી હત્યા કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 02 Jan 2025 16:53:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1798</Articleid>
                    <excerpt>દલિત યુવકની બાઈક સાથે સરપંચના છોકરાએ પોતાની કાર અથડાવી અને પછી હોકી લઈને તૂટી પડ્યાં. દલિત યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6776760a65344.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6776760a2ab0f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6776760a2ab0f.jpg" length="69254" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>muzaffarnagar news, Dalit news, Dalit crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડો.આંબેડકરની વધુ એક પ્રતિમા ખંડિત કરાઈ, આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-mps-damoh-kota-accused-not-caught-yet</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-mps-damoh-kota-accused-not-caught-yet</guid>
                    <description>
                        <![CDATA[ બાબાસાહેબની પ્રતિમા તોડાતા બહુજન સમાજે રોષ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. 10 દિવસ પછી પણ આરોપીઓ ન પકડાતા લોકો રસ્તા પર ઉતર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના પટેરાના કોટા ગામમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડવાની ઘટનાથી દલિત સમુદાયમાં રોષ છે. 10 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ ન થતાં બહુજન સમાજે દેખાવો કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે અષ્ટધાતુની પ્રતિમા સ્થાપિત કરવા, સીસીટીવી કેમેરા લગાવવા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંગઠનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span><br><span style="font-size: 14pt;">દમોહ જિલ્લાના પટેરા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટા ગામમાં 19 ડિસેમ્બરના રોજ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ડૉ. આંબેડકરની પ્રતિમાને અપમાનિત કરવાની ઘટનાએ દલિત સમાજને ચોંકાવી દીધો છે. આ ઘટના બાદ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્રની સલાહ છતાં ઘટનાના 10 દિવસ પછી પણ આરોપીઓનો કોઈ પત્તો ન લાગતાં લોકોમાં રોષ છે. દલિતોએ પ્રશાસનની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવતા કહ્યું કે આ ઘટના માત્ર પ્રતિમા તોડવા પુરતી સીમિત નથી પરંતુ આ બાબા સાહેબના વિચારો અને દલિત સમાજના અધિકારો પર પ્રહાર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો, આવેદનપત્ર આપ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">દમોહમાં ખરાબ વાતાવરણ હોવા છતાં દલિત સમાજ મોટી સંખ્યામાં જિલ્લા મથકે એકત્ર થયો હતો અને ઉગ્ર દેખાવો કર્યા હતા. પ્રદર્શનમાં ભારતીય અહિરવાલ સુરક્ષા સંઘ સહિત અનેક દલિત સંગઠનોના લોકોએ ભાગ લીધો હતો. આંદોલનકારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં બાબા સાહેબની તૂટેલી પ્રતિમાને બદલીને અષ્ટધાતુ પ્રતિમા લગાવવાની અને જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વહીવટી તંત્રની નિષ્ફળતાને કારણે દલિત સમાજમાં અસલામતીની લાગણી ઘેરી બની રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધરપકડ નહીં થાય તો દેશવ્યાપી આંદોલનનું અલ્ટીમેટમ</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત સંગઠનોએ ચેતવણી આપી છે કે જો દોઢ મહિનામાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે અને તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો દેશભરમાંથી દલિત સમાજના લોકો દમોહમાં એકઠા થઈને મોટો વિરોધ કરશે. તેમણે કહ્યું કે આ આંદોલનથી ઉભી થયેલી પરિસ્થિતિને સંભાળવી સરકાર અને વહીવટીતંત્ર માટે મુશ્કેલ બનશે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે બાબાસાહેબની પ્રતિમા પર હુમલો માત્ર તેમના યોગદાનનું અપમાન નથી પરંતુ બહુજન સમાજનું મનોબળ ખતમ કરવાનો પ્રયાસ છે, જેને કોઈપણ કિંમતે સાંખી લેવામાં આવશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અષ્ટધાતુની મૂર્તિ સ્થાપિત કરવા માંગ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ તરફ પોલીસનું કહેવું છે કે આરોપીઓને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. પરંતુ દલિત-બહુજન સમાજનું કહેવું છે કે આ માત્ર ખાતરી આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ છે. આંદોલનકારીઓનું કહેવું છે કે નવ દિવસ પૂરતો સમય છે, પરંતુ પ્રશાસને આ મામલે ગંભીરતા દાખવી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં બાબાસાહેબની તૂટેલી પ્રતિમાના સ્થાને અષ્ટધાતુની કાયમી પ્રતિમા મુકવાની માંગ કરવામાં આવી હતી, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આ સાથે જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરવામાં આવી હતી, જેથી ગુનેગારોને ઓળખવામાં સરળતા રહે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-five-times-in-two-months-in-uttar-pradesh">બે મહિનામાં ડો.આંબેડકરની પ્રતિમા તોડવાની પાંચમી ઘટના બની, દલિતોમાં રોષ</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Jan 2025 14:25:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1790</Articleid>
                    <excerpt>બાબાસાહેબની પ્રતિમા તોડાતા બહુજન સમાજે રોષ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. 10 દિવસ પછી પણ આરોપીઓ ન પકડાતા લોકો રસ્તા પર ઉતર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_677501cd9fee9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_677501cd6c367.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_677501cd6c367.jpg" length="78723" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr. ambedkars statue, vandalised, MP, damoh, kota, accused not caught</media:keywords>
                </item>
                        <item>
                    <title>કૉલેજની ફી ન ભરી શકતા દલિત યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/dalit-girl-hangs-herself-in-haryanas-bhiwani-unable-to-pay-college-fees-college-stops-her-from-taking-exams</link>
                    <guid>https://khabarantar.com/dalit-girl-hangs-herself-in-haryanas-bhiwani-unable-to-pay-college-fees-college-stops-her-from-taking-exams</guid>
                    <description>
                        <![CDATA[ 22 વર્ષની દલિત યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેને બાકી ફી ચૂકવી દેવા માટે કોલેજ તરફથી સતત દબાણ કરવામાં આવતું હતું. જેનાથી કંટાળી તેણે આ પગલું ભર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit girl hangs herself : એક બાજુ દેશ આખામાં યુવાધન નવા વર્ષનું સ્વાગત કરવા માટે તૈયારીઓ કરી રહ્યું હતું. બીજી તરફ હરિયાણામાં એક દલિત યુવતીએ આત્મહત્યા કરી હોવાના સમાચારને લઈને મામલો ગરમાયો હતો. યુવતી ફી નહોતી ભરી શકી જેના કારણે કૉલેજે તેને પરીક્ષામાં બેસતા અટકાવી હતી. આ ઘટનાથી તેણીને ભારી લાગી આવ્યું હતું અને તેણે ઘરે આવીને રાતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. વિચારો, કોલેજની ફી ન ભરી શકવાને કારણે તેને કેટલી માનસિક યાતના અને ત્રાસનો સામનો કરવો પડ્યો હશે કે તેણે આત્મહત્યા કરી લીધી?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક 22 વર્ષીય દીક્ષાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેને પોતાની બાકી ફી તરત ચૂકવી દેવા માટે દબાણ કરવામાં આવતું હતું અને તેને હેરાન કરવામાં આવી હતી. તે ભિવાની જિલ્લાની એક ખાનગી મહિલા કોલેજમાં બીએના અંતિમ વર્ષની વિદ્યાર્થીની હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતીના પિતાએ જણાવ્યું કે તેમની પુત્રી આ મહિને પાંચમા સેમેસ્ટરની પરીક્ષા આપવાની હતી, તેની 35,000 રૂપિયા ફી ભરવાની હતી, પરંતુ કોલેજે ફી બાકી હોવાને કારણે તેને પરીક્ષા આપવા દીધી નહોતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં કહ્યું કે, "મેં કોલેજ તંત્રને ફી જમા કરવા માટે થોડો વધુ સમય આપવા માંગ કરી હતી પરંતુ તેમણે તેનો ઈનકાર કરી દીધો હતો. અમારી અમુક આર્થિક તંગીના કારણે તે સમયસર તેની ફી ભરી શકી નહોતી અને તેની કિંમત તેણે પોતાનો જીવ આપીને ચૂકવવી પડી. તેણે 24મી ડિસેમ્બરે રાતે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. બીજા દિવસે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પોલીસે આત્મહત્યાની ફરિયાદ નોંધી છે. પણ અમે 27મી ડિસેમ્બરે કોલેજ વહીવટી તંત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે અમારી દીકરીએ તેમના દબાણને કારણે આત્મહત્યા કરી છે." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-girl-a-gang-rape-victim-hanged-herself-in-fear-of-the-accused">આરોપીઓના ડરથી ગેંગરેપ પીડિતા દલિત યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો</a></strong></span></span></p>
<p><strong><img src="https://khabarantar.com/uploads/images/202501/image_870x_6774e7122d7df.jpg" alt=""><span style="color: rgb(224, 62, 45);">આત્મહત્યા કરનાર દલિત વિદ્યાર્થિની દીક્ષાનો ફાઈલ ફોટો</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતીના પિતા જગદીશે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોલેજના પ્રિન્સિપાલ અને અન્ય કેટલાક લોકોએ તેણીને "હેરાન કરીને સતામણી" કરી હતી. તેમણે વધુમાં કહ્યું, "દીકરીના મોત બાદ મારી માનસિક હાલત સારી નહોતી એટલે કોલેજ સામે ફરિયાદ નોંધાવવામાં મોડું થયું.હું મારી પુત્રી માટે ન્યાય માંગું છું." જો કે કોલેજના માલિક હનુમાનસિંહે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે પોલીસને તપાસમાં સહકાર આપવા તૈયાર છીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">લોહારુ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર જિતેન્દ્રએ આ મામલે કહ્યું હતું કે, તપાસ દરમિયાન ઘણા પાસાઓ સામે આવ્યા છે. FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;">વિદ્યાર્થિનીને ત્રાસ આપવા અંગેના આરોપો મામલે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, "અમે તપાસ કરી રહ્યા છીએ. કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ બાકી છે." જોકે, વિદ્યાર્થીના પરિવારની ફરિયાદ પર BNSની કલમ 108 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રણદીપ સુરજેવાલાએ ન્યાયની માંગ કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">દરમિયાન કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, એ દુઃખદ છે હરિયાણામાં એક દલિત યુવતીએ પરીક્ષા ફી ન ભરી શકવાને કારણે આત્મહત્યા કરવી પડી. સુરજેવાલાએ ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી કે, "આપણા બંધારણની પ્રસ્તાવના સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને ન્યાયની વાત કરે છે. પરંતુ હરિયાણામાં એક દલિત દીકરીએ પરીક્ષા ફી ન ભરી શકવાને કારણે આત્મહત્યા કરવી પડી તે દુઃખદ છે. આ ઘટના ન માત્ર દુ:ખદ છે પરંતુ અત્યંત શરમજનક પણ છે. પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ અને આ બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક ન્યાયમંત્રીએ શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">હરિયાણાના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કૃષ્ણ કુમાર બેદીએ કહ્યું કે બાળકીના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસ ગુનેગારોને પકડવા માટે સતત કામ કરી રહી છે. બેદીએ કહ્યું કે સરકાર પીડિત પરિવારની સાથે છે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-teenager-hangs-himself-in-basti-kaptanganj-uttar-pradesh-gujarati-news">કપડાં ઉતરાવ્યા, પેશાબ પીવડાવ્યો, થૂંક ચટાડ્યું, દલિત કિશોરે ગળેફાંસો ખાઈ લીધો</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Jan 2025 12:30:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1789</Articleid>
                    <excerpt>22 વર્ષની દલિત યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેને બાકી ફી ચૂકવી દેવા માટે કોલેજ તરફથી સતત દબાણ કરવામાં આવતું હતું. જેનાથી કંટાળી તેણે આ પગલું ભર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6774e711b4224.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6774e71182d92.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6774e71182d92.jpg" length="92884" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit girl hangs herself, Haryana, Bhiwani, Unable to pay college fees</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુટકા ઉધાર ન આપતા લુખ્ખાએ દલિત મહિલા પર જીવલેણ હુમલો કર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-woman-attacked-in-hatwa-chhatarpur-4-people-injured</link>
                    <guid>https://khabarantar.com/dalit-woman-attacked-in-hatwa-chhatarpur-4-people-injured</guid>
                    <description>
                        <![CDATA[ માથાભારે તત્વોએ દવાખાનામાં દાખલ દલિત પરિવારને ધમકી આપી રહ્યાં છે કે, &quot;જીવ વ્હાલો હોય તો હવે ફરીથી ગામમાં પગ ન મૂકતા. નહીંતર બધાંને પતાવી દઈશું.&quot; ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit woman attacked in Hatwa, Chhatarpur, 4 people injured : મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના હટવા ગામમાં ગુટકા ઉધાર ન આપતા ઠાકુર જાતિના ગુંડા તત્વોએ લાકડી અને દંડા લઈને મહિલા અને તેના પરિવાર પર હુમલો કરી દીધો હતો. દુકાનદાર મહિલાના હજુ થોડા દિવસ પહેલા જ લગ્ન થયા હતા. આ હુમલામાં નવપરિણીત પૂજા અહિરવાર અને તેના ત્રણ ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના હટવાના ચંદલા વિસ્તારની છે. અહીં એક દુકાનદાર મહિલાએ ઠાકુર જાતિના એક શખ્સને ગુટખા ન આપતાં તેણે મહિલા પર હુમલો કરી દીધો. તેને લાકડી દંડાથી ઢોર માર માર્યો એટલું જ નહીં, ત્રણ ભાઈઓ સહિત તેના આખા પરિવાર પર પણ હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાના હાથ, પગ અને માથું તૂટી ગયું હતું. તમામ ઘાયલોને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને ટ્રોમા વોર્ડમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉધારી ચૂકવવાની ત્રેવડ નહોતી એટલે દાદાગીરી કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘાયલોના જણાવ્યા અનુસાર મામલો છતરપુરના હટવાના પ્રકાશ બામોરી પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હતો. અહીં એક દલિત પરિવારની દુકાને ઠાકુર કોમનો એક શખ્સ ગુટખા ઉધાર લેવા માટે ગયો હતો. જો કે દુકાનદાર મહિલાએ તેને અગાઉના બાકી રૂપિયા ચૂકવી દો, એ પછી નવી ઉધારી શરૂ કરજો એમ કહ્યું હતું. બસ આટલી અમથી વાતનું આ જાતિવાદી શખ્સને ખોટું લાગી ગયું હતું. એ પછી તેણે કશું જ જોયા વિના દલિત મહિલા અને તેના પરિવાર પર હુમલો કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂજાના ત્રણ ભાઈઓ ગંભીર રીતે ઘાયલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે પોતાના સાગરિતો સાથે દલિત મહિલાને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તેના પરિવારના સભ્યો તેને બચાવવા આવ્યા ત્યારે તેમના પર પણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દુકાનદાર પૂજા અહિરવાર અને તેના ત્રણ ભાઈઓ ઘાયલ થયા હતા. હુમલામાં પૂજાનો પગ ભાંગી ગયો હતો. જ્યારે તેના બંને ભાઈઓને પગ અને માથામાં ગંભીર ઈજાઓ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67725af23d031.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂજા કહે છે કે ગામના માથાભારે ઠાકુરોએ તેમને જાતિસૂચક ગાળો ભાંડીને મારી નાખવાની ધમકી આપી છે. આરોપીઓએ કહ્યું છે કે ગામ છોડીને જતા રહો નહીંતર બધાંને મારી નાખવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપી ખૂલ્લેઆમ મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત પરિવારનું કહેવું છે કે, આ મામલે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ માથાભારે ઠાકુરોની બીકના કારણે પોલીસે અમારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને અસલ આરોપી એવા ઠાકુરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂજા અહિરવારનો પરિવાર કહે છે કે, આરોપીઓ અને તેમના સાગરિતો ગામમાંથી અહીં છતરપુર જિલ્લા હોસ્પિટલમાં આવીને ધમકી આપી રહ્યા છે કે, ગામમાં પાછા ન આવતા અને જો આવી ગયા તો બધાંને મોતને ઘાટ ઉતારી દઈશું. આ મામલે પ્રકાશ બમ્હોરી પોલીસ સ્ટેશનનું કહેવું છે કે અમે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ડોક્ટરોના રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-woman-killed-for-asking-why-are-you-grazing-cattle-in-my-field">'મારા ખેતરમાં ઢોર કેમ ચરાવો છો?' પૂછતા દલિત મહિલાની હત્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Dec 2024 14:43:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1782</Articleid>
                    <excerpt>માથાભારે તત્વોએ દવાખાનામાં દાખલ દલિત પરિવારને ધમકી આપી રહ્યાં છે કે, &quot;જીવ વ્હાલો હોય તો હવે ફરીથી ગામમાં પગ ન મૂકતા. નહીંતર બધાંને પતાવી દઈશું.&quot;</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67726386adbd6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_677263867bfe1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_677263867bfe1.jpg" length="52078" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કેજરીવાલે દલિતો માટે બનાવેલી મોટાભાગની યોજનાઓ કેમ ફ્લોપ રહી?</title>
                    <link>https://khabarantar.com/arvind-kejriwal-aap-delhi-schemes-for-dalits-flop</link>
                    <guid>https://khabarantar.com/arvind-kejriwal-aap-delhi-schemes-for-dalits-flop</guid>
                    <description>
                        <![CDATA[ Arvind Kejriwal અને AAP દલિતોના હામી હોવાની વાત કરે છે, પણ તેમની એકેય દલિતલક્ષી યોજના સફળ નથી થઈ. શા માટે આવું થયું તે સમજીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ આદમી પાર્ટી (AAP) હાલ બે રાજ્યોમાં સરકાર ધરાવે છે, એક દિલ્હીમાં, બીજી પંજાબમાં. આપની મજબૂરી એ છે તે ભાજપ-કૉંગ્રેસની જેમ ચુસ્ત સવર્ણોની પાર્ટી છે અને તે જે બે રાજ્યોમાં સત્તા ધરાવે છે ત્યાં દલિતોની વસ્તી ઘણી વધારે છે. પંજાબમાં 32 ટકા દલિત મતો છે, જ્યારે દિલ્હીમાં 20 ટકા જેટલા દલિત મતો 12 જેટલી વિધાનસભા સીટો પર હારજીત નક્કી કરવામાં મહત્વના છે. આ સ્થિતિમાં કમને પણ કેજરીવાલે દલિતોને ખુશ રાખવા માટે કોઈને કોઈ યોજના જાહેર કરવી પડે છે. કોઈપણ કામ તમારી ઈચ્છા વિરુદ્ધ થાય એટલે સ્વાભાવિક છે કે તેમાં ધાર્યું પરિણામ ન આવે. આવું જ કેજરીવાલની મોટાભાગની દલિતો માટેની યોજનાઓમાં થયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવિકતા એ છે કે આમ આદમી પાર્ટીની સરકારે દલિતો માટે જે પણ યોજનાઓ બનાવી છે, તેનો અમલ ખૂબ જ નબળો રહ્યો છે. આ યોજનાઓનો લાભ બહુ ઓછા દલિતો સુધી પહોંચ્યો છે અને મોટા ભાગનાને તેનો વાસ્તવિક લાભ મળ્યો નથી. આમ, કેજરીવાલ સરકારની દલિતો માટેની યોજનાઓ માત્ર ચૂંટણીના નારા બની રહી છે, જેનો હેતુ માત્ર સત્તા જાળવી રાખવાનો અને ચૂંટણીમાં લાભ મેળવવાનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્તામાં આવ્યા પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારે દલિતોના ઉત્થાન માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી, જેમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ અને સામાજિક સુરક્ષા જેવી આશાસ્પદ યોજનાઓ હતી. જો કે, આ યોજનાઓની વાસ્તવિક અસર બહુ ઓછી રહી છે. કેજરીવાલ સરકારે દલિતો માટે ઘણા મોટા દાવા કર્યા હતા પરંતુ વાસ્તવિકતા ઘણી અલગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિક્ષણમાં નિષ્ફળતા: જય ભીમ મુખ્ય મંત્રી પ્રતિભા વિકાસ યોજના</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલ સરકારે દલિત બાળકોના શિક્ષણ માટે ઘણી યોજનાઓ શરૂ કરવાનું વચન આપ્યું હતું, જેમ કે, 'જય ભીમ મુખ્ય મંત્રી પ્રતિભા વિકાસ યોજના' અને સ્કોલરશીપ યોજના. પરંતુ આ યોજનાઓનો લાભ તેમના સુધી ન પહોંચી શક્યો જેમના માટે તે બનાવવામાં આવી હતી. સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કોઈ નક્કર આયોજન નહોતું, જેના કારણે મોટાભાગના દલિત બાળકો શિક્ષણના અધિકારથી વંચિત રહ્યા હતા. શિષ્યવૃત્તિ યોજનાઓમાં પણ પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો હતો અને ઘણી વખત દલિત બાળકોના નામ યાદીમાંથી બહાર રહી ગયા હતા. જેના કારણે આ યોજનાઓથી દલિત બાળકોને ખાસ કશો લાભ ન થયો.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બહુ ગાજેલી આરોગ્ય સેવાઓમાં પણ દલિતોની ઉપેક્ષા </span></strong><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલ સરકારે આરોગ્ય સેવાઓ સુધારવા માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી, જેમ કે 'આયુષ્માન ભારત યોજના' અને 'દિલ્હી આરોગ્ય યોજના', જે દલિતો અને ગરીબો માટે હતી. પરંતુ આ યોજનાઓનો લાભ જમીનની લેવલે બહુ ઓછો હતો. સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓની તીવ્ર અછત હતી, અને સારવાર માટે લાંબી લાઈનોએ દલિત સમુદાયની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછત અને દવાઓની ઉપલબ્ધતાની પણ સમસ્યા હતી, જેના કારણે આ યોજનાઓની કોઈ અસર ન થઈ. પરિણામે દલિતો આરોગ્ય સેવાઓનો લાભ લઈ શક્યા નહીં અને પહેલાની જેમ કુપોષણ અને બીમારીઓનો ભોગ બનતા રહ્યા.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રોજગાર અને સામાજિક સુરક્ષા યોજનાઓમાં નિષ્ફળતા </span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલ સરકારે દલિતો માટે રોજગાર અને સામાજિક સુરક્ષા યોજનાઓની પણ જાહેરાત કરી હતી, પરંતુ જમીની વાસ્તવિકતા જુદી હતી. ‘શ્રમિક કાર્ડ યોજના’ અને ‘પેન્શન યોજના’ જેવી યોજનાઓનો લાભ દલિતો સુધી પહોંચી શક્યો નથી. ઘણી વખત આ યોજનાઓ અમલમાં મૂકતી વખતે વહીવટી સ્તરે ગેરરીતિઓ થતી હતી અને લાભાર્થી દલિતોને સમયસર પેન્શન મળતું ન હતું. તદુપરાંત, દલિત સમાજે રોજગાર મેળવવા માટે વારંવાર સરકારી કચેરીઓમાં જવું પડતું હતું, અને તેમનો અવાજ ક્યારેય સાંભળવામાં આવતો ન હતો. માત્ર અમુક જ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે, જ્યારે મોટાભાગના દલિતોની સ્થિતિ જેમની તેમ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આવાસ યોજનાઓનો ફ્લોપ શો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે 'જ્યાં ઝૂંપડપટ્ટી ત્યાં ઘર' યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય દલિતો અને ગરીબોને ઘરનું ઘર મેળવવા સક્ષમ બનાવવાનો હતો. પરંતુ આ યોજના હેઠળ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા, અને દલિતોને તેમના ઘરની કાયમી સુવિધાઓ મળી શકી ન હતી. અનેક વખત આવાસના નામે માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા હતા, પરંતુ જમીન પર કોઈ કામ થયું નથી. આજે પણ દિલ્હીમાં દલિત સમુદાયને યોગ્ય આવાસનો અભાવ છે અને તેમને ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે. આ યોજના માત્ર કાગળ પુરતી જ સીમિત રહી અને અસલમાં તેની કોઈ અસર થઈ નહોતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૂંટણીલક્ષી રાજકારણ અને દલિતોના અધિકારો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીમાં દલિતોની વસ્તી 20 ટકા આસપાસ છે, અને 70 વિધાનસભા બેઠકોમાંથી 12 બેઠકો દલિતો માટે અનામત છે. વધુમાં, દલિતો અને મુસ્લિમો મળીને 30 ટકા વસ્તી ધરાવે છે, જે ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલા માટે કેજરીવાલ સરકાર દલિતોની વોટ બેંકને આકર્ષવા માટે યોજનાઓનો ઢંઢેરો પીટી રહી છે. જો કે, આ યોજનાઓનો ઉદ્દેશ્ય માત્ર દલિત વોટબેંકને મજબૂત કરી પોતાની તરફ ખેંચવાનો છે, નહીં કે દલિતોની વાસ્તવિક સુખાકારીનો. સરકાર માત્ર રાજકીય લાભ ખાટવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યારે દલિતોના વાસ્તવિક મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દાનતમાં જ ખામી હોઈ જમીની સ્તરે કશું ન થયું</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટૂંકમાં, કેજરીવાલ સરકારની યોજનાઓનો ઉદ્દેશ્ય તો દલિતોના ઉત્થાન અને સશક્તિકરણનો હતો, પરંતુ આ યોજનાઓની અસર જમીની સ્તરે બહુ ઓછી જોવા મળી છે. સરકારી યોજનાઓનો લાભ માત્ર પસંદગીના અમુક લોકોને જ પહોંચ્યો, જ્યારે બહુમતી દલિત સમુદાય તેનાથી વંચિત રહ્યો. શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આવાસ જેવી યોજનાઓના અમલીકરણમાં મોટી ખામીઓ અને ભ્રષ્ટાચાર હતા, જેના કારણે દલિતોના જીવનમાં કોઈ વાસ્તવિક સુધારો થઈ શક્યો નથી. કેજરીવાલ સરકાર તેના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે, અને તે દલિતો માટે માત્ર એક ચૂંટણીલક્ષી નારા બનીને રહી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/ambedkar-samman-scholarship-delhi-aap-government-to-launch-in-honour-of-dr-ambedkar"><span style="font-size: 14pt;"> ડૉ.આંબેડકરના માનમાં AAP સરકાર 'આંબેડકર સન્માન સ્કોલરશીપ' શરૂ કરશે</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Dec 2024 11:00:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1780</Articleid>
                    <excerpt>Arvind Kejriwal અને AAP દલિતોના હામી હોવાની વાત કરે છે, પણ તેમની એકેય દલિતલક્ષી યોજના સફળ નથી થઈ. શા માટે આવું થયું તે સમજીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67722fe664695.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67722fe630992.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67722fe630992.jpg" length="73424" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Arvind Kejriwal, AAP Delhi, Schemes for Dalits, Flop</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકે પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ લીધો, પરિવારે કહ્યું&amp; હત્યા કરાઈ</title>
                    <link>https://khabarantar.com/satwas-Police-Station-dalit-youth-hangs-himself-family-says-he-was-murdered</link>
                    <guid>https://khabarantar.com/satwas-Police-Station-dalit-youth-hangs-himself-family-says-he-was-murdered</guid>
                    <description>
                        <![CDATA[ મહિલાની ફરિયાદ બાદ યુવકની અટકાયત કરાઈ હતી. મૃતકના પરિવારજનોએ પોલીસકર્મીઓ પર તેની હત્યા અને ગુપ્ત રીતે પોસ્ટમોર્ટમ કરાવવાનો આરોપ લગાવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશમાં એક દલિત છોકરાએ પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. અહીંના દેવાસ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના બાદ ભીમ આર્મી અને યુવકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નજીકના પોલીસ સ્ટેશનોમાંથી એસપી સહિત પોલીસ દળોને બોલાવવામાં આવ્યા હતા અને પરિવારના સભ્યોને સમજાવવામાં આવ્યા હતા. પરિવારજનોએ પોલીસ પર યુવકની હત્યા અને ગુપ્ત રીતે પોસ્ટમોર્ટમ કરાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ પોલીસ પર લાંચ માંગવાનો પણ આરોપ છે. એક મહિલાની ફરિયાદના આધારે પોલીસે દલિત યુવકને પૂછપરછ માટે અટકાયતમાં લીધો હતો. એસપીએ આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ યાદવે ટ્વીટ કરીને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા અને તપાસની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવાસના સતવાસ પોલીસ સ્ટેશનમાં માલાગાંવના રહેવાસી 35 વર્ષના દલિત યુવક મુકેશે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. માહિતી મળતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પરિવારજનોનો આરોપ છે કે પોલીસ મુકેશ પરના કેસમાં હળવી કલમો લગાવવા અને કલમો ઘટાડવાના બદલામાં લાંચ માંગી રહી હતી. પોલીસ સ્ટેશનમાં મુકેશ પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. મુકેશની આત્મહત્યાથી રોષે ભરાયેલા તેના પરિવારજનોએ ભીમ આર્મી સાથે મળીને પોલીસ સ્ટેશન પર હોબાળો મચાવ્યો હતો. માહિતી મળતાં જ દેવાસના પોલીસ અધિક્ષક સાતવાસ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પરિવારજનોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવકની હત્યા પર રાજકારણ શરૂ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું હતું. કોંગ્રેસના નેતા અરુણ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, રક્ષકો જ ભક્ષકો બની ગયા છે. તેમણે ડીજીપીને પોલીસ સ્ટેશનના પીઆઈ અન્ય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની અને મામલાની તપાસ કરવાની માંગ કરી છે. આ ઘટનાને લઈને એસપીએ તપાસના આદેશ આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક મુકેશના પરિવારજનોએ પોલીસકર્મીઓ પર હત્યા બાદ ગુપ્ત રીતે પોસ્ટમોર્ટમ કરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે પરિવારને જાણ કર્યા વિના પોલીસે મુકેશના મૃતદેહને સતવાસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખ્યો અને બહારથી તાળું મારી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસનું શું કહેવું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુકેશની આત્મહત્યાને લઈને એસપી પુનીત ગેહલોતનું કહેવું છે કે સ્ટેશન ઈન્ચાર્જ નિવેદન વાંચી રહ્યા હતા એ દરમિયાન મુકેશે ગળામાં બાંધેલા રૂમાલને ગ્રીલ સાથે બાંધીને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટાફે તેને જોતાની સાથે જ ફાંસો ખોલ્યો હતો અને તેને સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસપી પુનીત ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, 35 વર્ષીય મુકેશે પોલીસ કસ્ટડી દરમિયાન પોતાના જ ગમછાથી ફંદો બનાવી તેની સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. 26 ડિસેમ્બરે એક મહિલાએ મુકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એ પછી તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લવાયો હતો. શનિવારે સાંજે 6 વાગ્યે પોલીસ જ્યારે તેની પૂછપરછ કરી રહી હતી, ત્યારે તેણે ગમછાથી ગળેફાંસો ખાઈ લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/at-night-the-police-put-the-dalit-youth-in-jail-in-the-morning-his-body-was-found-hanging">રાત્રે પોલીસે દલિત યુવકને જેલમાં પૂર્યો, સવારે તેનો મૃતદેહ લટકતો હતો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 29 Dec 2024 20:01:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1779</Articleid>
                    <excerpt>મહિલાની ફરિયાદ બાદ યુવકની અટકાયત કરાઈ હતી. મૃતકના પરિવારજનોએ પોલીસકર્મીઓ પર તેની હત્યા અને ગુપ્ત રીતે પોસ્ટમોર્ટમ કરાવવાનો આરોપ લગાવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67715be86ea5f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67715be83f75f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67715be83f75f.jpg" length="83643" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>satwas Police Station, Dalit crime, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>બજરંગ દળ&amp;VHP ની ગુંડાગર્દી, દલિત યુવકનું માથું મુંડી આખા ગામમાં ફેરવ્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-beaten-up-by-bajrang-dal-shaved-his-head-and-paraded-him-around-the-village-in-fatehpur</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-beaten-up-by-bajrang-dal-shaved-his-head-and-paraded-him-around-the-village-in-fatehpur</guid>
                    <description>
                        <![CDATA[ હિંદુત્વવાદી તત્વોએ યુવકનું માથું મુંડી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો. આમને કાયદો હાથમાં લેવાની પરવાનગી કોણે આપી? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના ફતેહપુરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક દલિત યુવકને માર મારી, માથું મુંડી આખા ગામમાં ફેરવવામાં આવ્યો હતો. યુવક પર લોકોને ખ્રિસ્તી ધર્મમાં લઈ જવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હિંદુત્વવાદી ગુંડાઓએ કાયદો હાથમાં લઈ લુખ્ખાગીરી કરી દલિત યુવકને ધમકી આપી, માર માર્યો અને પછી પોતે જ ન્યાય કરનારા હોય તેમ યુવકનું માથું મુંડી આખા ગામમાં ફેરવ્યો હતો. આરોપી ગુંડાઓ દ્વારા આખી ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફતેહપુરના એલઈ ગામની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો ઉત્તરપ્રદેશના ફતેહપુરના ખાગા પોલીસ સ્ટેશનના એલઈ ગામનો છે. દલિત યુવકે બજરંગ દળના કાર્યકર્તાઓ વિરુદ્ધ બર્બરતાનો આરોપ લગાવીને ફરિયાદ કરી છે, જ્યારે વિશ્વ હિંદુ પરિષદે તેને સહમતિથી કાયદેસર રીતે ખ્રિસ્તી બની ચૂકેલા યુવકની ઘરવાપસી ગણાવી છે. એસપીએ કહ્યું કે વાયરલ વીડિયો તેમના ધ્યાન પર આવ્યો છે. ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે. જો કે ખબરઅંતર.કોમ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બજરંગ દળના કાર્યકરોની દાદાગીરી</span></strong></span><br><span style="font-size: 14pt;">શુક્રવારે સાંજે વીડિયો વાયરલ થયા બાદ એલઈ ગામના શિવબરન પાસવાને જણાવ્યું કે ગુરુવારે તે તેના પુત્રની સારવાર માટે જઈ રહ્યો હતો ત્યારે વિસ્તારના બજરંગ દળના કાર્યકર રોહિતે તેને કેટલાક સાગરીતો સાથે ઘેરી લીધો હતો અને ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ લગાવી ગાળો ભાંડવા માંડ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે હું શુક્રવારે સવારે ઉન્નાવથી પાછો આવ્યો ત્યારે બજરંગ દળના કાર્યકરોએ મને પકડી લીધો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Who-is-Professor-Vikram-Harijan,-against-whom-VHP,-Bajrang-Dal-filed-FIR">કોણ છે પ્રોફેસર વિક્રમ હરિજન, જેમની સામે VHP, બજરંગ દળે FIR કરી છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવકની પત્ની અને બાળકોને પણ માર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">શિવબરન આગળ કહે છે, એ પછી આ લોકોએ મારી પત્ની અને બાળકોને માર માર્યો. તેમણે બળજબરીથી મારુ મુંડન કરાવ્યું અને મને માર મારતા ગામમાં ફેરવ્યો. કલાકો સુધી આ રીતે ગામમાં ફેરવ્યા બાદ આ લોકો મને ગામના એક મંદિરમાં લઈ ગયા હતા. જ્યાં મને માથું ટેકવવા મજબૂર કરાયો અને મારી પાસે પરાણે પૂજાપાઠ કરાવાયા. મેં પોલીસમાં ફરિયાદ કરી છે પરંતુ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી. પોલીસ સ્ટેશનની બહાર પણ બજરંગદળના લોકો મને ઘેરી રહ્યા છે. ઘટનાને પગલે આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. કહેવાય છે કે પીડિત યુવક વિરુદ્ધ બે વર્ષ પહેલા ધર્મ પરિવર્તન કરાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બજરંગ દળ-વીએચપી શું કહે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">બીજી તરફ બજરંગ દળના જિલ્લા સંયોજક રાજુ સોનકરે જણાવ્યું કે રોહિત દીક્ષિત બજરંગ દળનો કાર્યકર છે. પરંતુ એલઈ ગામમાં આવું કંઈક બન્યું હતું કે કેમ તે જાણી શકાયું નથી. હું અંગત કારણોસર ફતેહપુરની બહાર છું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે VHPના જિલ્લા પ્રમુખ કેકે મિશ્રાએ હુમલાના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે યુવકની ઘરવાપસી કરાવવામાં આવી છે. તે પોતાની મરજીથી વિધિવત રીતે હિંદુ રીતિરિવાજો સાથે હિંદુ ધર્મમાં પરત ફર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ અધિકારીઓ શું કહે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">ફતેહપુરના એસપી ધવલ જયસ્વાલના જણાવ્યા અનુસાર, યુવકનો આરોપ છે કે તેને માર મારવામાં આવ્યો અને માથું મુંડી બળજબરીથી ગામમાં ફેરવ્યો હતો બીજી તરફ સામેના પક્ષના લોકોનું કહેવું છે કે, યુવકની મરજીથી ઘરવાપસી કરાવવામાં આવી છે.2022માં તેની વિરુદ્ધ ધર્મ પરિવર્તન કરાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે. જે હકીકતો સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bajrang-dal-workers-barge-into-dalit-professors-office-and-beat-him-up">બજરંગ દળના કાર્યકરોએ દલિત પ્રોફેસરને ઓફિસમાં ઘૂસી માર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 29 Dec 2024 15:05:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1777</Articleid>
                    <excerpt>હિંદુત્વવાદી તત્વોએ યુવકનું માથું મુંડી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો. આમને કાયદો હાથમાં લેવાની પરવાનગી કોણે આપી?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6771177cd4da6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6771177ca3da9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6771177ca3da9.jpg" length="64300" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Fatehpur News, dalit youth beaten up, Bajrang Dal, shaved head, paraded around the village</media:keywords>
                </item>
                        <item>
                    <title>કાનપટ્ટી પર પિસ્તોલ રાખી ભૂમાફિયાએ દલિતની જમીન પડાવી લીધી</title>
                    <link>https://khabarantar.com/land-mafia-grabs-dalit-land-with-pistol-on-earlobe</link>
                    <guid>https://khabarantar.com/land-mafia-grabs-dalit-land-with-pistol-on-earlobe</guid>
                    <description>
                        <![CDATA[ ચાર લોકો સામે મારામારી, જાતિસૂચક ગાળો આપવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના બરેલીના ભોજીપુરામાં જમીન માફિયાઓએ એક દલિત વ્યક્તિની કાનપટ્ટી પર પિસ્તોલ તાકીને તેની જમીન પર ગેરકાયદે રીતે કબ્જો જમાવી લીધો છે. આરોપીઓએ પિસ્તોલ બતાવીને દલિત વ્યક્તિ પાસેથી તેમની જમીનના કાગળો છીનવી લીધા હતા અને જાતિસૂચક ગાળો ભાંડી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તગેડી મૂકતા દલિત શખ્સે આઈજીને ફરિયાદ કરી હતી. આઈજીના આદેશથી ભોજીપુરા પોલીસે તપાસ બાદ ત્રણ લોકો સામે નામજોગ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મારામારી, જાતિસૂચક અપશબ્દો કહેવા, જાનથી મારી નાખવાની ધમકી આપવી અને એટ્રોસિટી એક્ટ સહિતના આરોપમાં કેસ નોંધાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બરેલીના ભોજીપુરાના ઈજ્જતનગરની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇજ્જતનગરમાં ડિફેન્સ કોલોનીમાં રહેતા બલરામ ચંદ્ર અનુસૂચિત જાતિ સમાજના છે. 19 સપ્ટેમ્બર, 2024ના રોજ તેમણે ભૂડા ગામમાં બે ખેતર (0.0720 હેક્ટર) ખરીદ્યા હતા. આ જમીન પર તેમનો કબજો હતો પરંતુ કેટલાક લોકો તેમના ખેતરની બાજુમાં પોતાની કોલોની બનાવી રહ્યા હતા. તેમણે બલરામ ચંદ્રની જમીન પણ કોલોનીમાં જોડી દીધી. જમીન માફિયાઓએ હોપ વેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ નામની શેલ કંપની બનાવી છે. ઈમરાન ઉલ્લા ખાન આ કંપનીના ડાયરેક્ટર છે. કંપની દ્વારા જમીન ખરીદ-વેચાણ કરતી વખતે કરચોરી અને ગેરકાયદેસર પ્રવૃતિઓ થઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રજિસ્ટ્રીના કાગળો આંચકી લઈ ધમકી આપી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બલરામે જણાવ્યું કે 18 નવેમ્બર, 2024ના રોજ જમીન માફિયાઓએ તેમને ભૂડા બાયપાસ સ્થિત ઓફિસમાં બોલાવ્યા. ત્યાં તેમની જમીનની નોંધણીના દસ્તાવેજોને બનાવટી જાહેર કરાયા હતા. આ દરમિયાન કંપનીના ડાયરેક્ટર ઈમરાન ઉલ્લા ખાને બલરામને પિસ્તોલ બતાવીને ધમકી આપી જાતિ આધારિત અપશબ્દોનો ઉપયોગ કરીને દુર્વ્યવહાર કર્યો, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન, ઇમરાન ઉલ્લાહ ખાન અને તેના માથાભારે સાગરીતોએ બલરામ પાસેથી તેમની જમીનની નોંધણીના અસલ દસ્તાવેજો છીનવી લીધા હતા. તેમની સાથે આવેલા મોહમ્મદ સાબીર અને મોહમ્મદ સદ્દામે દરમિયાનગીરી કરી હતી. આરોપ છે કે આ ટોળકીએ અન્ય લોકોની જમીનો પર પણ અતિક્રમણ કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">20 ડિસેમ્બરે ફરિયાદ કરવામાં આવી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતની જાણ 20 ડિસેમ્બરે આઈજીને કરવામાં આવી હતી. આઈજીએ ભોજીપુરાના પીઆઈને તપાસ કરવા અને એફઆઈઆર નોંધવા સૂચના આપી હતી. ગઈકાલે ઈમરાન ઉલ્લા ખાન, મોહમ્મદ આસિફ, નિતેશ મહેરોત્રા અને અન્ય એક શખ્સ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">15 દિવસ પહેલા ખેતરમાં બંધક બનાવ્યા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બલરામ ચંદ્રે જણાવ્યું કે ખેતર નંબર એકની બાજુમાં ખેતર નંબર બે આવેલું છે, જે બિહારીપુર સિવિલ લાઈન્સના રહેવાસી કિશન કુમારના નામે છે. ખેતર નંબર એકનો માલિક રામપાલ અનુસૂચિત જાતિનો હતો. બલરામ પણ અનુસૂચિત જાતિના છે. ઈમરાન, આસિફ અને નિતેશ 15 દિવસ પહેલા બલરામની જમીન પર આવ્યા હતા. તેમણે તેમના પર હુમલો કર્યો અને તેને પ્લોટની અંદર જ ગોંધી રાખીને કહ્યું કે જો તમે ફરીથી જમીન પર નજર કરશો તો તમારે તમારા પરિવાર સહિત જીવ ગુમાવવો પડશે. એ પછી તેમણે ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-heady-elements-do-not-leave-my-land-despite-the-collectors-order">કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Dec 2024 19:48:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1776</Articleid>
                    <excerpt>ચાર લોકો સામે મારામારી, જાતિસૂચક ગાળો આપવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6770078a460cf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6770078a14e2e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6770078a14e2e.jpg" length="65678" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bareilly News, Dalit News, Dalit land seized</media:keywords>
                </item>
                        <item>
                    <title>80 દલિત બાળકીઓને મુખ્યમંત્રીની મુલાકાતના કારણે રૂમમાં બંધ કરી દીધી</title>
                    <link>https://khabarantar.com/eighty-dalit-girls-locked-in-a-room-during-cms-visit-in-vaishali-bihar</link>
                    <guid>https://khabarantar.com/eighty-dalit-girls-locked-in-a-room-during-cms-visit-in-vaishali-bihar</guid>
                    <description>
                        <![CDATA[ મુખ્યમંત્રીના કાર્યકર્મને લઈને 80થી વધુ દલિત બાળકીઓને તેમના રૂમમાંથી કાઢી સામાન છત પર ફેંકી દીધો અને એક નાના રૂમમાં પુરી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારના વૈશાલીમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત પહેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ભણતી 80 દલિત છોકરીઓને તેમના રૂમમાંથી બહાર કાઢી એક નાનકડા રૂમમાં બંધ કરી દેવામાં આવી. એટલું જ નહીં તેમનો સામાન પણ છત પર ફેંકી દેવામાં આવ્યો હતો. હોસ્ટેલને રંગવા અને ફ્લોરિંગ બદલવાની કોસ્મેટિક તૈયારીઓના ભાગરૂપે આ કરવામાં આવ્યું હતું. આ અમાનવીય ઘટનાએ દલિત સમાજ પ્રત્યે તંત્રની અસંવેદનશીલતા અને સરકારના બેવડા ધોરણોને છતા કરી દીધાં છે. આ મામલે મીડિયાએ સવાલો કરતા અધિકારીઓ ગુસ્સે થઈ ગયા હતા અને કોઈ નક્કર જવાબ આપી શક્યા નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારના વૈશાલી જિલ્લામાં 28 ડિસેમ્બરે મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રસ્તાવિત પ્રગતિ યાત્રા પહેલા સરકાર અને વહીવટીતંત્રની અસંવેદનશીલતાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, પટેઢી બેલસરની હોસ્ટેલમાં 80 દલિત અને મહાદલિત છોકરીઓને તેમના રૂમમાંથી બળજબરીથી બહાર કાઢીને એક નાનકડા રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. તેમનો સામાન છત પર ફેંકી દેવામાં આવ્યો હતો અને રસોડાને ખુલ્લામાં ખસેડવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ પગલું મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન હોસ્ટેલને સુંદર દેખાડવા અને દિવાલોને રંગવા, ફ્લોરની ટાઇલ્સ બદલવા, સોલાર લાઇટ અને મોટી એલઇડી ઇન્સ્ટોલ કરવા જેવા કામો હાથ ધરવા માટે ભર્યું હતું. આ ઘટના માત્ર વહીવટી બેદરકારીને જ ઉજાગર નથી કરતી પરંતુ સરકારના વિકાસના દાવાઓ દલિત અને મહાદલિત સમાજ માટે માત્ર શબ્દો પૂરતા સીમિત છે તે પણ દર્શાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુખ્યમંત્રીને આગમનને પગલે દલિત દીકરીઓની પાયાની સુવિધા છીનવી લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રીની મુલાકાતના કારણે કરવામાં આવી રહેલી તૈયારીઓમાં અધિકારીઓ દ્વારા આ દલિત વિદ્યાર્થીનીઓની પાયાની સુવિધાઓ અને જરૂરિયાતોની સદંતર અવગણના કરવામાં આવી હતી. જે રીતે છોકરીઓને એક રૂમમાં પુરી દેવામાં આવી હતી અને તેમનો સામાન નિર્દયતાથી છત પર ફેંકી દેવામાં આવ્યો હતો, તે અમાનવીય કૃત્ય છે. દલિત છોકરીઓ સાથે આવો વ્યવહાર એ પ્રશ્ન ઊભો કરે છે કે શું દલિત અને મહાદલિત સમાજના બાળકોની ગરિમા અને અધિકારો વહીવટીતંત્રની પ્રાથમિકતાઓમાં સામેલ છે કે નહીં?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મીડિયાએ સવાલો કરતા અધિકારીઓ નારાજ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે મીડિયાએ આ ઘટનાનો પર્દાફાશ કર્યો ત્યારે સ્થળ પર હાજર શિક્ષણ વિભાગના અધિકારીઓ પ્રશ્નોના જવાબ આપવાને બદલે ગુસ્સે થઈ ગયા હતા. અધિકારીઓ દલિત બાળકીઓને રૂમમાં પુરી દેવાની અને તેમની સાથે કરવામાં આવતા ખરાબ વર્તન અંગે નક્કર જવાબ આપી શક્યા નહોતા. આ વલણ માત્ર વહીવટીતંત્રની જવાબદારી પર સવાલો ઉભા કરે છે એટલું જ નહીં, સરકાર અને તેના અધિકારીઓ દલિત અને મહાદલિત સમાજની સમસ્યાઓને કેટલી ગંભીરતાથી લે છે તે પણ દર્શાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સમાજને સતત અન્યાય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે દલિત અને મહાદલિત સમાજ પ્રત્યે સરકારનું વલણ માત્ર યોજનાઓ અને ભાષણો પૂરતું મર્યાદિત છે. હકીકતમાં તેમના જીવન અને તેમની સમસ્યાઓથી સરકારને કોઈ ફરક નથી પડતો. મુખ્યમંત્રીની મુલાકાતના નામે આવી તૈયારીઓ થઈ રહી છે, જેમાં તે જ યુવતીઓનું સન્માન અને અધિકાર દાવ પર લાગેલા છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે સરકારની પ્રાથમિકતાઓમાં દલિત સમાજ ક્યાંય નથી. જો સરકારી યોજનાઓનો ઉદ્દેશ વંચિત સમાજના ઉત્થાનનો અને તેમનું જીવનધોરણ સુધારવાનો હોય તો આવી ઘટનાઓ શા માટે બની રહી છે? દલિત છોકરીઓ સાથે આ પ્રકારનું વર્તન માત્ર તેમના અધિકારોનું ઉલ્લંઘન નથી, પરંતુ તે તેમની સુરક્ષા અને ગૌરવ માટે પણ ખતરો છે. આ ઘટના સરકારના દલિતો પ્રત્યેના બેવડા ધોરણને ઉજાગર કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/if-you-are-above-the-chief-minister-if-you-say-so-it-will-be-our-work">આપ તો મુખ્યમંત્રી સે ઉપર હો, આપ કહોગે તો હમારા કામ હો જાયેગા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Dec 2024 13:44:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1774</Articleid>
                    <excerpt>મુખ્યમંત્રીના કાર્યકર્મને લઈને 80થી વધુ દલિત બાળકીઓને તેમના રૂમમાંથી કાઢી સામાન છત પર ફેંકી દીધો અને એક નાના રૂમમાં પુરી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676fb322d9602.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676fb322a8d43.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676fb322a8d43.jpg" length="63390" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>cms visit in vaishali bihar, vaishali  News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ દલિત સમાજમાંથી હશે?</title>
                    <link>https://khabarantar.com/bjp-next-national-president-will-be-from-the-dalit-community</link>
                    <guid>https://khabarantar.com/bjp-next-national-president-will-be-from-the-dalit-community</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ પોતાની દલિત વિરોધી હોવાની છાપ બદલવા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ટક્કર આપવા માટે પક્ષના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે દલિત નેતાને બેસાડશે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">The next national president of BJP will be from the Dalit community : હાલમાં જે રીતે અમિત શાહના નિવેદન બાદ દેશભરમાં ભાજપની દલિત વિરોધી પાર્ટી તરીકેની છાપ વધુ મજબૂત થઈ છે તે જોતા આગામી દિવસોમાં પક્ષને રાજકીય નુકસાન પક્ષ રીતે દેખાઈ રહ્યું છે. આ સ્થિતિને ખાળવા માટેનો તોડ પક્ષના મોવડીમંડળે શોધી કાઢ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય રાજકારણમાં નવો વળાંક આવવાનો છે. એવા અહેવાલો છે કે પાર્ટી તેના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ માટે દલિત નેતાની પસંદગી કરી શકે છે. કોંગ્રેસના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દલિત સમાજમાંથી આવતા હોવાના કારણે આ પગલું ભરવામાં આવશે તેવી ચર્ચા છે. પરંતુ સવાલ એ છે કે શું આ ભાજપની વાસ્તવિક "સમાવેશક રાજનીતિ"નો ભાગ છે કે માત્ર ચૂંટણી વ્યૂહરચના? છેલ્લા એક દાયકામાં ભાજપ નેતૃત્વ વારંવાર તેના સમાવેશી રાજકારણનો દાવો કરે છે, પરંતુ શું </span><span style="font-size: 14pt;">આ દાવો હકીકત સાબિત થયો છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપની દલિત વિરોધી છાપ વધુ મજબૂત બની</span></strong></span><br><span style="font-size: 14pt;">ભાજપની છબી લાંબા સમયથી દલિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજો પ્રત્યે ઉદાસીન રહી છે. વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસે હંમેશા ભાજપને દલિત વિરોધી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો કે તે દલિત સમાજને માત્ર એક વોટ બેંક તરીકે જ માની ઉપયોગ કરે છે અને તેમના વાસ્તવિક મુદ્દાઓને ક્યારેય પ્રાધાન્ય આપતો નથી. ભાજપે રાષ્ટ્રપતિ પદ માટે રામનાથ કોવિંદ અને દ્રૌપદી મુર્મુ જેવા નામો ભલે આગળ કર્યા હોય, પરંતુ શું આ પગલાં દલિત અને આદિવાસી સમાજના સશક્તિકરણ માટે પૂરતા છે? કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ દલિતોને માત્ર પ્રતીકાત્મક સ્થાન આપે છે, જ્યારે તેમની વાસ્તવિક સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપતું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત રાષ્ટ્રીય પ્રમુખઃ રાજનીતિ કે મજબૂરી?</span></strong></span><br><span style="font-size: 14pt;">2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકોમાં થયેલા ઘટાડાએ પાર્ટી નેતૃત્વને વિચારવા મજબૂર કરી દીધું છે. એસસી અને એસટી વોટ બેંકમાં કોંગ્રેસ દ્વારા કરાયેલા ભંગાણથી ભાજપને આંચકો લાગ્યો છે. આવી સ્થિતિમાં દલિત સમાજને ફરી પોતાની તરફ આકર્ષવા માટે ભાજપ “દલિત રાષ્ટ્રીય અધ્યક્ષ”નો દાવ ખેલી શકે છે. આ પદ માટે હાલ દલિત નેતાઓ અર્જુન રામ મેઘવાલ, દુષ્યંત ગૌતમ અને બેબી રાની મૌર્ય જેવા નામોની ચર્ચા થઈ રહી છે. પરંતુ સવાલ એ છે કે જો ભાજપને ખરેખર દલિતોની આટલી ચિંતા હોય તો તેમના ઉત્થાન માટે અત્યાર સુધી </span><span style="font-size: 14pt;">કયા નક્કર પગલાં લેવામાં આવ્યા છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bjp-leader-threatens-muslim-owner-of-shop-in-baghpat-uttar-pradesh-because-it-has-hindu-name">દુકાનનું નામ હિંદુ હોવાથી ભાજપ નેતાએ મુસ્લિમ માલિકને ધમકાવી તોડફોડ કરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનામત અને ભાજપની વિચારધારા</span></strong></span><br><span style="font-size: 14pt;">આરએસએસ અને ભાજપની વિચારધારામાં દલિત સમાજનો વિશ્વાસ હંમેશા સવાલોના ઘેરામાં રહ્યો છે. વિરોધ પક્ષોએ વારંવાર ભાજપ પર અનામત ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે 2024ની ચૂંટણીમાં આ મુદ્દાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના આ કથિત "દલિત-વિરોધી" વલણને કારણે દલિતો, આદિવાસીઓમાં પાર્ટી પ્રત્યે નારાજગી વધી રહી છે. આવી સ્થિતિમાં શું માત્ર દલિત નેતાને પ્રમુખ બનાવીને આ નારાજગી દૂર કરી શકાશે ખરી?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો માટે માત્ર પ્રતીકાત્મક પદો?</span></strong></span><br><span style="font-size: 14pt;">ભાજપનો દાવો છે કે તે સર્વસમાવેશક રાજનીતિની તરફેણમાં છે, પરંતુ જમીની સ્તરે વાસ્તવિકતા કંઈક બીજું જ કહે છે. દલિતો સામે વધી રહેલા અત્યાચારો, અનામતના મુદ્દે અનિશ્ચિતતા અને રોજગારમાં ભેદભાવ જેવા મુદ્દાઓ ભાજપની કથની અને કરણી વચ્ચેના અંતરને ઉજાગર કરે છે. દલિત સમાજના બૌદ્ધિકો અને દલિત નેતાઓ માને છે કે ભાજપનું આ પગલું “રાજકીય ડ્રામા” છે. તેમનું કહેવું છે કે જો ભાજપે ખરેખર દલિતો માટે કામ કરવું હોય તો તેણે પ્રતીકાત્મક રાજકારણથી ઉપર ઊઠીને તેમના અધિકારો અને મુદ્દાઓને પ્રાધાન્ય આપવું પડશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2025માં ભાજપ માટે મોટો પડકાર</span></strong></span><br><span style="font-size: 14pt;">કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે જેવા દલિત નેતાના નેતૃત્વમાં ભાજપ માટે સ્પર્ધા કરવી આસાન નહીં હોય. જો ભાજપ તેના દલિત વિરોધી ટેગને દૂર કરવા માંગે છે, તો માત્ર રાષ્ટ્રીય અધ્યક્ષનો ચહેરો બદલવો પૂરતું નથી. તેણે દલિત સમાજ માટે નક્કર નીતિઓ અને યોજનાઓનો અમલ કરવો પડશે. અન્યથા આ પગલું પણ માત્ર ચૂંટણી સૂત્ર બનીને રહી જશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત પ્રમુખનો મુદ્દો ભાજપ માટે કસોટી સમાન છે. જો આ પગલું માત્ર રાજકીય વ્યૂહરચના સાબિત થશે તો દલિત સમાજનો વિશ્વાસ જીતવો મુશ્કેલ બનશે. આ સમય ભાજપ માટે માત્ર પોતાની છબી બદલવાનો જ નથી પરંતુ દલિત સમુદાય સાથે નિષ્ઠાપૂર્વક જોડવાનો પણ સમય છે. જોવાનું એ રહેશે કે ભાજપનું ટોચનું નેતૃત્વ આમાંથી કઈ બાબત પર પસંદગી ઉતારે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/houses-of-dalits-who-did-not-vote-for-bjp-were-burnt-down-babasahebs-statue-was-destroyed">ભાજપને મત ન આપતા દલિતોના ઘર સળગાવ્યા, બાબાસાહેબની પ્રતિમા તોડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Dec 2024 12:07:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1773</Articleid>
                    <excerpt>ભાજપ પોતાની દલિત વિરોધી હોવાની છાપ બદલવા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ટક્કર આપવા માટે પક્ષના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે દલિત નેતાને બેસાડશે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676f9c841e328.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676f9c83df302.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676f9c83df302.jpg" length="87892" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BJP, next national president, Dalit community, RSS, Narendra Modi, Amit Shah, Dr.Ambedkar, mallikarjun kharge, Congress</media:keywords>
                </item>
                        <item>
                    <title>કંડક્ટરની પરીક્ષા દરમિયાન SC&amp;ST ઉમેદવારો માટે ફ્રી બસો મૂકવામાં આવશે</title>
                    <link>https://khabarantar.com/free-buses-will-be-provided-for-sc-st-candidates-during-the-conductor-exam</link>
                    <guid>https://khabarantar.com/free-buses-will-be-provided-for-sc-st-candidates-during-the-conductor-exam</guid>
                    <description>
                        <![CDATA[ રવિવારે રાજ્યમાં એસટી નિગમ દ્વારા બસ કંડકટરની પરીક્ષા યોજાવાની છે ત્યારે ગુજરાત એસટી દ્વારા એસસી-એસટી પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી નિગમ) દ્વારા બસ કંડકટરની પરીક્ષા યોજાનાર છે. બસ કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ એસટી બસ નિગમ સજ્જ છે. આગામી તા. ૨૯ ડિસેમ્બરને રવિવારે રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-એસટી અને અનુસૂચિત જાતિ- એસસીના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસ. ટી. નિગમ દ્વારા જણાવાયું છે કે, પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઇ છે. જે માટે એસટી નિગમ દ્વારા પોતાના તાબા હેઠળનાં તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતને ધ્યાને લઇ તમામ વિભાગોને સૂચના પ્રસિદ્ધ કરાઇ છે. આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અનુરોધ કરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Unemployment-rate-rises-to-two-year-high-of-10.09-percent-in-October---report">ઓક્ટોબરમાં બેરોજગારી દર વધીને બે વર્ષની સર્વોત્તમ સપાટી 10.09 ટકાએ પહોંચ્યો - રિપોર્ટ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Dec 2024 21:42:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1771</Articleid>
                    <excerpt>રવિવારે રાજ્યમાં એસટી નિગમ દ્વારા બસ કંડકટરની પરીક્ષા યોજાવાની છે ત્યારે ગુજરાત એસટી દ્વારા એસસી-એસટી પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676ed1376e257.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ed1373d1ec.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ed1373d1ec.jpg" length="68182" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>free buses  conductor exam, Gujarat govt, sc st candidates</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;ભગવાન સે બઢકર આંબેડકર&amp;apos; ગીત ગાનાર છોકરો કોણ છે?</title>
                    <link>https://khabarantar.com/yash-dandge-99-side-viral-rap-on-dr-ambedkar-dhingana-hustle-season-four</link>
                    <guid>https://khabarantar.com/yash-dandge-99-side-viral-rap-on-dr-ambedkar-dhingana-hustle-season-four</guid>
                    <description>
                        <![CDATA[ સોશિયલ મીડિયામાં એક રેપ ગીતે ધૂમ મચાવી છે. તેમાં ડો.આંબેડકરનો ઉલ્લેખ છે અને ગાયક તેમને &#039;ભગવાન કરતા પણ ઉપર&#039; ગણાવી રહ્યો છે. કોણ છે આ છોકરો, શું છે એ ગીત? ચાલો જાણીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“धिंगाना-धिंगाना  (Dhingana)</span><br><span style="font-size: 14pt;">भीम का मैं दीवाना</span><br><span style="font-size: 14pt;">मेरा कल्चर मेरे लोग उनसे कुछ भी नहीं बढ़कर</span><br><span style="font-size: 14pt;">पूरी दुनिया कहती उन्हें महापुरुष</span><br><span style="font-size: 14pt;">पर हम बहुजनों के लिए</span><br><span style="font-size: 14pt;">भगवान से भी बढ़कर आंबेडकर…”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ શબ્દો એક રેપરના છે. આ રેપ ગીત તેણે MTV ના હિપ-હૉપ રિયાલિટી શો Hustle Season 4 ના સ્ટેજ પર ગાયું હતું. ગીત ગાનાર રેપરનું નામ યશ દાંડગે (Yash Dandge) છે અને તે આ ગીત બાદ સોશિયલ મીડિયામાં છવાયેલો છે. યશ Hustle Season 4 ના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. એક બાજુ ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનું સંસદમાં અપમાન કર્યું તેનો વીડિયો ફરી રહ્યો હતો બીજી તરફ બાબાસાહેબને સમર્પિત યશ દાંડગેનું રેપ સોંગ પણ સમાંતરે વાયરલ થઈ રહ્યું હતું અને તેણે ધૂમ મચાવી દીધી હતી. ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક, એક્સથી લઈને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગીત છવાઈ ગયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યશ પોતાના આ ગીતમાં ડો.આંબેડકરનો ઉલ્લેખ કરે છે અને તેમને અમિત શાહના નિવેદનથી વિરુદ્ધ 'ભગવાન કરતા પણ ઉપર' ગણાવે છે. એક રીતે જાણે આ ગીત જ સમગ્ર બહુજન સમાજ વતી અમિત શાહને જવાબ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. જેના કારણે તે ખૂબ વાયરલ થયું હતું. યશનું આ ગીત વાયરલ થતા જ તેના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું હતું. કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી યશ ડાંડગેના આ ગીતની ક્લિપ શેર કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે યશ દાંડગે?</span></strong></span><br><span style="font-size: 14pt;">યશ દાંડગેને 'રેપર 99 સાઇડ' (99 Side) તરીકે ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ તે આ જ નામ લખે છે. મુંબઈના રહેવાસી યશને એમટીવીના Hustle Season 4 થી ઓળખ મળી. તેણે ગાયેલા ઘણાં રેપ ખૂબ પ્રખ્યાત થયા. આમાંથી એક ગીત છે - ધીંગાણા. જે જોરદાર રીતે વાયરલ થયું છે અને તેમાં તે ડો.આંબેડકરને ભગવાન કરતા પણ ઉપર ગણાવે છે. જોકે, યશ સિઝન 4ની ફાઈનલ જીતી શક્યો નહોતો. રેપર લશ્કરી આ સિઝનનો વિજેતા બન્યો હતો. પરંતુ યશે પોતાના રેપ દ્વારા દર્શકો અને જજો પર પોતાની છાપ છોડી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ યશનું સ્ટેજનું નામ '99 સાઈડ' તેના પડોશની 99મી શેરી પરથી રાખવામાં આવ્યું હતું. નાનપણથી જ તેને હિપ-હોપ પસંદ હતું. તેણે 'લિલ બિન' અને 'મોબ ડીપ' જેવા કલાકારોને સાંભળવાનું શરૂ કર્યું હતું. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેનો જુસ્સો પણ વધતો ગયો. તે શાળામાં હતો ત્યારથી રેપ સોંગ લખવાનું શરૂ કરી દીધું હતું અને નક્કી કર્યું હતું કે તે ભવિષ્યમાં તેને જ પોતાની કારકિર્દી બનાવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">'ધીંગાણા' કેમ વાયરલ થયું છે?</span></strong><br><span style="font-size: 14pt;">સંસદના શિયાળુ સત્રમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર પરની ચર્ચા હવે રાજકારણની હદ વટાવી ગઈ છે. સત્ર દરમિયાન, આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને ફેશન ગણાવીને ઘોર અપમાન કર્યું હતું. સંઘ પરિવારની છત્રછાયામાં રાજકારણના પાઠ ભણેલા અમિત શાહના આ નિવેદનથી બહુજન સમાજ રોષે ભરાયો અને ચોતરફ વિરોધ થયો. સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થયા. જેને લઈને દેશભરમાં અનેક શહેરો, ગામડાઓમાં અમિત શાહ વિરુદ્ધ દેખાવો થયા. વિરોધના આ વાતાવરણ વચ્ચે રેપર યશે  ‘ધીંગાણા’ ગીત ગાયું અને જાણે બહુજન સમાજે જે કહેવું હતું તે મળી ગયું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ગીતમાં યશે દલિતો અને પછાત વર્ગના સંઘર્ષને મજબૂત રીતે વણી લીધો છે અને મહાનાયક ડો.આંબેડકરના યોગદાનને પણ સરસ રીતે યાદ કર્યું છે. જ્યારે આ ગીતની વીડિયો ક્લિપ કોંગ્રેસ સુધી પહોંચી તો તેણે યશના રેપને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">‘ધીંગાણા’ ગીતના શબ્દો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">રેપર યશે ગાયેલું આ ગીત તમે સોશિયલ મીડિયામાં ચોક્કસ સાંભળ્યું છે. છતાં તેના શબ્દો જો બરાબર ન સમજાયા હોય તો અહીં તે આખું ગીત વિસ્તારથી મૂકી રહ્યાં છીએ. એ વાંચો અને એ ગીત ફરીથી સાંભળશો તો ઓર મજા આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">धिंगाना धिंगाना</span><br><span style="font-size: 14pt;">आपला नवाचा धिंगाना धिंगाना</span><br><span style="font-size: 14pt;">ऐ दीवाना दीवाना</span><br><span style="font-size: 14pt;">संगीत का मैं दीवाना दीवाना</span><br><span style="font-size: 14pt;">धिंगाना धिंगाना</span><br><span style="font-size: 14pt;">जब चढ़ता मुख्य स्टेज पर तब धिंगाना भाऊ</span><br><span style="font-size: 14pt;">धिंगाना धिंगाना</span><br><span style="font-size: 14pt;">मेरे हाथ में दे माइक देख फिर धिंगाना</span><br><span style="font-size: 14pt;">आपला नवाचा धिंगाना</span><br><span style="font-size: 14pt;">भीम का मैं दीवाना</span><br><span style="font-size: 14pt;">रैप सुना बाद में </span><br><span style="font-size: 14pt;">सुना पहला भीम गाना</span><br><span style="font-size: 14pt;">वंदना बुद्ध विहार में</span><br><span style="font-size: 14pt;">बच्चों को खिला के खुद बाद में खीर खाना</span><br><span style="font-size: 14pt;">मेरा कल्चर मेरे लोग उनसे कुछ भी नहीं बढ़कर</span><br><span style="font-size: 14pt;">पूरी दुनिया कहती उन्हें महापुरुष</span><br><span style="font-size: 14pt;">पर हम बहुजनों के लिए</span><br><span style="font-size: 14pt;">भगवान से भी बढ़कर आंबेडकर</span><br><span style="font-size: 14pt;">आज भी 500 महारों का नसों में बहता है खून</span><br><span style="font-size: 14pt;">अछूत कहते थे मेरे पूर्वजों को</span><br><span style="font-size: 14pt;">अब कला की वजह से मुझे कोई नहीं मिल सकता है छू</span><br><span style="font-size: 14pt;">गले में था उनके मटका थूकने को</span><br><span style="font-size: 14pt;">अब मेरे गानों को मैं माइक पर ठोकूं</span><br><span style="font-size: 14pt;">कमर पे था झाड़ू मिटाने पैरों का निशान</span><br><span style="font-size: 14pt;">अभी स्टेज पर छाप छोड़ूं</span><br><span style="font-size: 14pt;">धिंगाना धिंगाना</span><br><span style="font-size: 14pt;">आपला नवाचा धिंगाना धिंगाना</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/sushila-meena-lady-zaheer-khan-pratapgarh-rajasthan-viral-girl-story">કડાણાના વિસ્થાપિત આદિવાસીની આ દીકરીનો કોઈ 'દ્રોણ' અંગૂઠો ન કાપી લે!</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Dec 2024 12:06:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1769</Articleid>
                    <excerpt>સોશિયલ મીડિયામાં એક રેપ ગીતે ધૂમ મચાવી છે. તેમાં ડો.આંબેડકરનો ઉલ્લેખ છે અને ગાયક તેમને &#039;ભગવાન કરતા પણ ઉપર&#039; ગણાવી રહ્યો છે. કોણ છે આ છોકરો, શું છે એ ગીત? ચાલો જાણીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676e4987efdff.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676e4987bffcc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676e4987bffcc.jpg" length="78444" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Yash Dandge, 99 Side, Dhingana, viral rap on dr. Ambedkar, Hustle Season 4</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભીમયોદ્ધાઓએ ભૂજના કુનરીયામાં 8 એકર જમીન દલિતોને પરત અપાવી</title>
                    <link>https://khabarantar.com/sc-community-groups-handed-over-direct-possession-of-8-acres-of-land-in-kunaria-bhuj</link>
                    <guid>https://khabarantar.com/sc-community-groups-handed-over-direct-possession-of-8-acres-of-land-in-kunaria-bhuj</guid>
                    <description>
                        <![CDATA[ વર્ષોથી અનુસૂચિત જાતિના હકની જમીનો પર માથાભારે તત્વો સાપની જેમ ફેણ માંડીને બેસી ગયા હતા.  સામાજિક કાર્યકરોએ રાતદિવસ મહેનત કરીને જમીન પરત અપાવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છમાં માથાભારે તત્વો દ્વારા વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓ કે સ્થાનિક દલિતોને સરકારી ધોરણે કાયદેસર રીતે ફાળવવામાં આવેલી હજારો એકર જમીનો પડાવી લેવામાં આવી છે. અનેક સરકારો આવીને ગઈ પણ જાતિવાદી તત્વો આ જમીનો પર કાળોતરા નાગની જેમ ફેણ માંડીને બેસી ગયા હતા. દલિત સમાજના લોકો જો તેમના હકની આ જમીનોની માંગ કરવા જાય તો આ તત્વો દાદાગીરી પર ઉતરી આવતા હતા. પણ હવે અનુસૂચિત જાતિ સમાજના સક્રિય આગેવાનોની મહેનતને કારણે ધીરેધીરે આ જમીનો તેના અસલી લાભાર્થીઓ એવા દલિત સમાજના લોકો અને મંડળીઓને મળી રહી છે. હાલમાં જ આ રીતે ભૂજ તાલુકાના કુનરીયા ગામમાં 8 એકર જમીન જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અનુસૂચિત જાતિ સમાજની મંડળીને કબ્જા પાવતી સાથે સોંપવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગાંધીનગર સુધી રજૂઆત કરાઈ હતી</span></strong></span><br><span style="font-size: 14pt;">કચ્છના સામાજિક કાર્યકરો દ્વારા આ મામલે છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી સૂચના અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાની દરમિયાનગીરીથી તાત્કાલિક માથાભારે તત્વો દ્વારા દબાવી રાખવામાં આવેલી આ જમીનોની વિગતો માંગવામાં આવી હતી અને સ્થાનિક તંત્રને આ જમીનો તેના અસલી માલિકો એવા દલિતોને સોંપી દેવા આદેશ કરાયો હતો. જેનો હવે ધીરેધીરે અમલ થઈ રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/say-jai-bhim-102-acres-of-land-in-kutchs-jadsa-khodasar-handed-over-to-dalits">જય ભીમ બોલો! કચ્છના જડસા-ખોડાસરમાં 102 એકર જમીન દલિતોને સોંપાઈ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટરની સૂચનાથી કચ્છ જિલ્લા વહીવટી તંત્ર, મામલતદાર ભૂજ-ગ્રામ્ય અને સર્કલ ઓફિસર દ્વારા તા. 12 ડિસેમ્બર 2024ના રોજ ભૂજ તાલુકાના કુનરીયા ગામે સ.ન. 12 આશરે 8 એકર જમીનનો પ્રત્યક્ષ કબ્જો તેના અસલી માલિક એવા અનુ.જાતિ સમાજની મંડળીઓનો સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ભારત સરકાર પૂર્વ સબ કમિટી મેમ્બર ધર્મેન્દ્ર ગોહિલ અને કચ્છના યુવા આગેવાન નરેશ મહેશ્વરીની હાજરીમાં મંડળીના પ્રમુખ વિજય કાગીને જમીનનો કબ્જો સોંપાયો હતો. ભૂજ તાલુકામાં અન્ય બાકી રહેતી જમીનોના કબ્જા મેળવવાનું ચાલું છે અને તે પણ ટૂંક સમયમાં તેના મૂળ માલિકોને સોંપાશે તેવું ભૂજ ગ્રામ્ય મામલતદાર શર્માએ જણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાકીની મંડળીઓને પણ ટૂંક સમયમાં જમીન સોંપાશે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે કચ્છના સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, "સમગ્ર કચ્છ જિલ્લામાં આ ચળવળ ચાલી રહી છે અને જ્યાં જ્યાં પણ અનુસૂચિત જાતિ સમાજના ખેડૂતો, વ્યક્તિઓ કે મંડળીઓની જમીનો પર ગેરકાયદેસર કબ્જો જમાવવામાં આવ્યો છે તેને છોડાવીશું. રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલન કરી આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં કાર્યરત અનુસૂચિત જાતિ ખેતી મંડળીની બાકી રહેતી તમામ જમીનોના પ્રત્યક્ષ કબ્જા, હિસ્સા માપણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંડળીના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">કુનરીયામાં અનુસૂચિત જાતિ ખેતી મંડળીને જમીનોના પ્રત્યક્ષ કબ્જાની સોંપણીના આ કાર્ય દરમિયાન કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા સતત જિલ્લા વહીવટી તંત્ર અને અનુ.જાતિના આગેવાનો સાથે સંપર્કમાં રહ્યા હતા. આ કામગીરીમાં ભાજપ અનુ.જાતિ મોરચાના આગેવાન અશોકભાઈ હાથી, ભૂજ તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લખુભાઈ મેરીયા, ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ પ્રકાશભાઈ મહેશ્વરી, હરીભાઈ પરમાર, હરેશભાઈ મેરીયા, સામાજિક આગેવાન મોહનભાઈ ચાવડા, નાનજીભાઈ મેરીયા, દિનેશ મેરીયા, કલ્પેશ મેરીયા, સંજય મહેશ્વરી, પ્રેમભાઈ દનીચા, ભરતભાઈ કટુવા સહિત ભૂજ ગ્રામ્ય મામલતદાર શર્મા, સર્કલ ઓફિસર બળદીયા શ્રી ઝાલા સાહેબ, સર્કલ ઓફિસર તેજસ વ્યાસ વગેરે હાજર રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીની મહેનત રંગ લાવી</span></strong></span><br><span style="font-size: 14pt;">કચ્છ જિલ્લામાં હાલ જે પણ જમીનો અનુસૂચિત જાતિ સમાજની સામુદાયિક મંડળીઓને મળી રહી છે તેમાં કચ્છના સામાજિક અગ્રણી નરેશભાઈ મહેશ્વરીનો સિંહફાળો રહ્યો છે. તેઓ છેલ્લાં ઘણાં સમયથી પક્ષાપક્ષીના રાજકારણમાં પડ્યાં વિના અનુસૂચિત જાતિ સમાજ માટે જમીની લેવલે કામ કરી રહ્યાં છે. દલિત સમાજની સામુદાયિક મંડળીઓની જમીનો પર માથાભારે તત્વોએ અડિંગો જમાવી દીધો છે, જેની સામે તેઓ લડત આપી રહ્યાં છે. આ મામલે તેઓ સાંસદ વિનોદ ચાવડાથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે. તેમની આ મહેનત રંગ લાવી રહી છે અને ધીમે ધીમે દલિત સમાજને તેમના હકની જમીનો પરત મળી રહી છે. સામાન્ય રીતે સત્તાપક્ષ સાથે જોડાયેલી વ્યક્તિ પક્ષ સામે પડવાથી ડરતી હોય છે. પરંતુ નરેશભાઈ મહેશ્વરી કોઈની પણ પરવા કર્યા વિના માત્ર અનુસૂચિત જાતિ સમાજને વફાદાર રહીને કામ કરતા રહે છે. તેનું જ કારણ છે કે, કચ્છમાં દલિત સમાજના છેવાડાના માણસને પણ જ્યારે કોઈ સમસ્યા સતાવે છે ત્યારે તેઓ સીધો નરેશભાઈનો સંપર્ક કરે છે. આ તેમની આપકમાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalits-will-get-300-bighas-of-land-pressed-by-mekarandada-akhada-in-dhrang">ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ દબાવેલી 300 વીઘા જમીન દલિતોને મળશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Dec 2024 14:44:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1765</Articleid>
                    <excerpt>વર્ષોથી અનુસૂચિત જાતિના હકની જમીનો પર માથાભારે તત્વો સાપની જેમ ફેણ માંડીને બેસી ગયા હતા.  સામાજિક કાર્યકરોએ રાતદિવસ મહેનત કરીને જમીન પરત અપાવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676d1d32a8bb4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d1d3274fe4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d1d3274fe4.jpg" length="113173" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>SC News, sc community, direct possession, 8 acres of land, kunaria, bhuj</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુરતમાં અમિત શાહના વિરોધમાં BSP નું શક્તિ પ્રદર્શન</title>
                    <link>https://khabarantar.com/bsps-show-of-strength-in-surat-against-amit-shahs-statement</link>
                    <guid>https://khabarantar.com/bsps-show-of-strength-in-surat-against-amit-shahs-statement</guid>
                    <description>
                        <![CDATA[ સુરતમાં અમિત શાહના આંબેડકરવાદી નિવેદનના વિરોધમાં બીએસપી દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શને ભારે ચર્ચા જગાવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશની સંસદમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર વિશે અભદ્ર ભાષાપ્રયોગ કરવા બદલ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ચોતરફ વિરોધ થઈ રહ્યો છે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં વસતા બહુજન સમાજના લોકો અને આંબેડકરવાદીઓએ શાહની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી તેઓ માફી માંગે અને રાજીનામું આપે તેવી માંગ તીવ્ર બની રહી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676d061256fe7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">24મી ડિસેમ્બરે બહુજન સમાજ પાર્ટી દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શને લઈને સુરતમાં પણ મોટી સંખ્યામાં બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ ભેગાં થઈને સુરત કલેક્ટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરી અમિત શાહના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરત બીએસપીના કાર્યકરોએ શાંતિપૂર્ણ રીતે પોતાના બંધારણીય અધિકાર મુજબ અમિત શાહનો વિરોધ કર્યો હોવા છતાં સુરત પોલીસ દ્વારા બીએસપીના કાર્યકરો, પદાધિકારીઓને ડિટેઈન કરાયા હતા. જો કે, તેનાથી કાર્યકરોના જુસ્સામાં કોઈ ફરક નહોતો પડ્યો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676d0610a939e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધરણામાં ઉપસ્થિત રહેલા એક કાર્યકર ભરત જાદવે ખબરઅંત.કોમને જણાવ્યું હતું કે, બીએસપી સુપ્રીમ બહેન કુમારી માયાવતીજી દ્વારા અમિત શાહના નિવેદનને લઈને રાષ્ટ્રવ્યાપી ધરણાંની જાહેરાત કરાઈ હતી. એ પછી સુરત બીએસપીએ પણ તૈયારીઓ કરીને 24મી ડિસેમ્બરના રોજ ધરણાંનો કાર્યક્રમ કર્યો હતો. કલેક્ટર કચેરીઓ સૌ કાર્યકરોએ અમિત શાહના નિવેદન સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા વિરોધ છતાં પોલીસે કાર્યકરોને ડિટેઈન કર્યા હતા. જો કે તેમ છતાં પણ કાર્યકરોના જુસ્સામાં કોઈ ફરક પડ્યો નહોતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676d06100ba59.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે, "આજકાલ એક ફેશન થઈ ગઈ છે, આંબેડકર..આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર આટલું નામ જો ભગવાનનું લીધું હોત તો સાત જનમ સુધી સ્વર્ગ મળી જાત." તેમના આ નિવેદનનો દેશભરના આંબેડકરવાદીઓમાં ઘેરો પ્રત્યાઘાત પડ્યો હતો. પહેલા વિપક્ષે અને બહુજન સંગઠનોએ સમગ્ર મામલે શાહનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. જેના પડઘા હજુ પણ પડી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bsp-submitted-a-petition-to-the-anand-collector-in-protest-against-amit-shah">ડૉ.આંબેડકર ફેશન નહીં અમારું પૅશન છે, આણંદમાં BSP કાર્યકરોનો હુંકાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Dec 2024 13:02:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1764</Articleid>
                    <excerpt>સુરતમાં અમિત શાહના આંબેડકરવાદી નિવેદનના વિરોધમાં બીએસપી દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શને ભારે ચર્ચા જગાવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676d0611c43ce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d06118a9f4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d06118a9f4.jpg" length="168128" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BSP, show of strength, opposition to Amit Shah, Surat</media:keywords>
                </item>
                        <item>
                    <title>RSS માં જોડાવાની ના પાડતા દલિત પ્રોફેસર પર અનેક હુમલા કરાયા</title>
                    <link>https://khabarantar.com/dalit-professor-faces-multiple-attacks-for-refusing-to-join-rss</link>
                    <guid>https://khabarantar.com/dalit-professor-faces-multiple-attacks-for-refusing-to-join-rss</guid>
                    <description>
                        <![CDATA[ ત્રણ અજાણ્યા શખ્સોએ દલિત પ્રોફેસરને બાથરૂમમાં પુરી દીધાં, રસ્તો રોકી જાનથી મારી નાખવાની ધમકી આપી. પ્રોફેસરે હાઈકોર્ટમાં અરજી કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના સિધીની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એક દલિત વિઝીટીંગ ફેકલ્ટી RSS માં ન જોડાતા તેમના પર હુમલો કરવામાં આવ્યો. પ્રોફેસરે સંઘની મીટિંગમાં આવવાની ના પાડી દેતા સંઘ સાથે જોડાયેલા પ્રોફેસરે તેમને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં પ્રોફેસરને બાથરૂમમાં પુરી દીધા હતા અને ઘરે જતી વખતે રસ્તો રોકીને તેમના પર હુમલો કરી સંઘની મિટીંગોમાં હાજર રહેવા ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં પ્રોફેસરના આરોપો બાદ હાઈકોર્ટે સુનાવણી કરી તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશના સિધીનો છે અને ઘટના 12 સપ્ટેમ્બર, 2024ની છે. અહીંની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એક વિઝિટીંગ ફેકલ્ટીને છેલ્લાં ઘણાં સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ન જોડાતા હેરાન કરવામાં આવી રહ્યાં છે. તેમના પર અનેક વખત હુમલા થયા છે. ડૉ. રામજસ ચૌધરી કૉલેજથી ઘરે જતા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. એ પછી જ્યારે તેમણે પોલીસમાં ફરિયાદ કરી તો કાર્યવાહી કરવાને બદલે તેને વધુ હેરાન કરવામાં આવ્યા. હવે આ મામલાને લઈને હાઈકોર્ટે સિધીના એસપી રવિન્દ્ર વર્મા અને મઝગવાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દીપક સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કોલેજના પ્રિન્સિપાલ અને ઉચ્ચ શિક્ષણ વિભાગને પણ નોટિસ જારી કરી છે અને આ મામલે આગામી સુનાવણી 5 જાન્યુઆરી, 2025ના રોજ નક્કી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રોફેસર રામજસ ચૌધરીએ જણાવ્યું કે 12 સપ્ટેમ્બર, 2024ના રોજ જ્યારે તેઓ કોલેજથી ઘરે જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ત્રણ લોકો હથિયારો લઈને તેમની પાસે આવ્યા અને માર માર્યો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એ દરમિયાન પોલીસે આરોપીઓના નામજોગ ફરિયાદ નોંધવાને બદલે ‘અજ્ઞાત’ શબ્દનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">RSS માં જોડાવાનું દબાણ હતું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત પ્રોફેસર ડો. રામજસ ચૌધરીએ જણાવ્યું કે ઓક્ટોબર 2023માં કોલેજના શિક્ષક ડો. સુરેશ કુમાર તિવારીએ તેમના પર આરએસએસની બેઠકમાં ભાગ લેવા માટે દબાણ કર્યું હતું. ડો.ચૌધરીએ તેનો વિરોધ કરીને બેઠકમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. એ પછી તેમને સતત ધમકીઓ મળવા લાગી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમનું કહેવું છે કે ફેબ્રુઆરી 2024માં તેમને કોલેજના બાથરૂમમાં અડધા કલાક સુધી બંધ દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મે 2024 માં બીજી ધમકી આપવામાં આવી હતી કે, "અબ આગે આગે દેખો ક્યા હોતા હૈ.."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. ચૌધરીના જણાવ્યા અનુસાર, જુલાઈ 2024માં છ લોકોએ કોલેજના પ્રિન્સિપાલની કેબિનમાં ઘૂસી જઈ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રામજસ ચૌધરીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે મજગવાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દીપક સિંહનો સંપર્ક કર્યો તો મદદ કરવાને બદલે તેમણે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમને ચાર કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી ઓગસ્ટ 2024 માં જ્યારે તેમણે સીધીના એસપી રવિન્દ્ર વર્માને ફરિયાદ કરી, ત્યારે તેમણે અરજી ફાડી નાખી અને ધમકી આપી કે, જો ફરીથી ફરિયાદ લઈને આવશો તો જેલમાં પુરી દઈશ. પ્રોફેસર ચૌધરીએ આ સમયગાળા દરમિયાન 10 વખત અરજી કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો.રામજસ ચૌધરીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતાં જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ તેમની ફરિયાદ પર કોઈ પગલાં લીધાં નહોતા, એટલું જ નહીં બીજા જ દિવસે કૉલેજના પ્રિન્સિપાલે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. આ બરતરફી સામે તેમણે હાઈકોર્ટમાં અરજી કરતાં કોર્ટે કોલેજ તંત્ર અને ઉચ્ચ શિક્ષણ વિભાગને નોટિસ ફટકારી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હાઈકોર્ટે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને સિધીના એસપી અને મજગવાં ટીઆઈ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું છે કે કોલેજના પ્રિન્સિપાલ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સામે કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવે અને પીડિતને ન્યાય અપાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત ડો. રામજસ ચૌધરીએ કોર્ટમાં પોતાની ઇજાઓના ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે, જે સાબિત કરે છે કે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અને કોલેજ તંત્રે તેમની ફરિયાદો પર ઇરાદાપૂર્વક નિષ્ક્રિયતા દાખવી હતી, જેના કારણે તેમને વધુને વધુ ધમકીઓ મળવા લાગી હતી. તેમણે કહ્યું કે જો પોલીસ અને કોલેજ પ્રશાસને સમયસર પગલાં લીધા હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/why-is-rss-opposing-the-india-national-flag">RSS શા માટે રાષ્ટ્રધ્વજનો વિરોધ કરે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 18:34:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1761</Articleid>
                    <excerpt>ત્રણ અજાણ્યા શખ્સોએ દલિત પ્રોફેસરને બાથરૂમમાં પુરી દીધાં, રસ્તો રોકી જાનથી મારી નાખવાની ધમકી આપી. પ્રોફેસરે હાઈકોર્ટમાં અરજી કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676bd8946b196.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676bd894392ba.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676bd894392ba.jpg" length="77828" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, dalit professor attacks, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>કપડાં ઉતરાવ્યા, પેશાબ પીવડાવ્યો, થૂંક ચટાડ્યું, દલિત કિશોરે ગળેફાંસો ખાઈ લીધો</title>
                    <link>https://khabarantar.com/dalit-teenager-hangs-himself-in-basti-kaptanganj-uttar-pradesh-gujarati-news</link>
                    <guid>https://khabarantar.com/dalit-teenager-hangs-himself-in-basti-kaptanganj-uttar-pradesh-gujarati-news</guid>
                    <description>
                        <![CDATA[ તોફાની યુવકોએ દલિત કિશોરને બર્થડે પાર્ટીમાં બોલાવી અપમાનિત કર્યો. કિશોરને લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના બસ્તીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કપ્તાનગંજમાં કેટલાક યુવકોએ એક દલિત કિશોરને જન્મદિવસની પાર્ટીમાં બોલાવી તેની સાથે અત્યંત અપમાનજનક વર્તન કર્યું હતું. આરોપીઓએ દલિત કિશોરને પહેલા માર્યો, પછી તેના કપડા કાઢી નાખ્યા, પછી થૂંક ચટાડ્યું અને પેશાબ પીવડાવ્યો. આ ઘટના બાદ દલિત કિશોરને ભારે લાગી આવ્યું હતું અને તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત કિશોરના પરિવારનો આરોપ છે કે તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી, પરંતુ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરિવારજનોએ જણાવ્યું કે તેઓ કિશોરનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન ગયા હતા અને આરોપીઓની ધરપકડની માંગ કરી હતી. પરંતુ અધિકારીઓ અવગણના કરતા રહ્યા. એ પછી તેઓ પુત્રના મૃતદેહને એસપી ઓફિસ લઈ ગયા, ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આઘાત લાગતા કિશોરે ગળેફાંસો ખાઈ લીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારજનોએ જણાવ્યું કે તેની સાથે જે ક્રૂર ઘટના બની તેનાથી તે સતત આઘાતમાં હતો.તે સતત ગુમસુમ રહેતો હતો. સોમવારે તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આરોપીઓએ તેની સાથે જે કંઈપણ બન્યું તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જ્યારે કિશોરે એ વીડિયો ડિલીટ કરવાનું કહ્યું તો આરોપી યુવકોએ શરત મૂકી કે તેણે થૂંક ચાટવું પડશે. કિશોરે એમ કર્યું અને આરોપીઓએ તેનો પણ વીડિયો બનાવી લીધો. આ આખા ઘટનાક્રમની દલિત કિશોર પણ એ હદે અસર પડી હતી કે તેણે પોતાનો જીવ આપી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કિશોરના મામાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચાર આરોપીઓ વિનય કુમાર, આકાશ, સોનલ અને કાજુ પ્રસાદ વિરુદ્ધ મારામારી, અપમાન કરવું અને આત્મહત્યા માટે મજબૂર કરવા સહિતની અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત કિશોર તેના મામાના ઘરે રહીને ભણતો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આત્મહત્યા કરનાર દલિત કિશોર સંત કબીરનગર જિલ્લાના બેલહર કલાનો રહેવાસી હતો. તેના મામાનું ઘર કપ્તાનગંજમાં હોવાથી તે અહીં ભણતો હતો. તે 10મા ધોરણનો વિદ્યાર્થી હતો. રડતા રડતા મામાએ જણાવ્યું કે, આરોપીઓ યુવકોએ 20મી ડિસેમ્બરની રાત્રે બર્થડે પાર્ટીના બહાને તેને બોલાવ્યો અને તેની સાથે ધૃણાસ્પદ કૃત્ય કર્યું. આરોપ છે કે કિશોરે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી હતી. એ પછી પોલીસે આરોપીઓને પકડી તો લીધાં પરંતુ સાંજે થોડા સમય બાદ બધાને જવા દીધા. જેના કારણે કિશોરને વધારે આઘાત લાગ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કાર્યવાહી કરી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસ્તીના એસપી કૃષ્ણ ગોપાલ ચૌધરીએ જણાવ્યું કે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કપ્તાનગંજના ઈન્ચાર્જ એસએચઓ વિરુદ્ધ વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સીઓ પ્રદીપ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે દલિત કિશોરના મામાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા બાદ પરિવારજનોને સોંપી અંતિમવિધિ કરાઈ હતી. દલિત સમાજનો એક હોનહાર કિશોર જિંદગી સામેનો જંગ તેના પર થયેલા એક અત્યાચારને કારણે હારી ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-12-year-old-dalit-teenager-was-stripped-naked-and-told-lets-dance-now">12 વર્ષના દલિત કિશોરને નગ્ન કરીને કહ્યું - 'ચાલ હવે ડાન્સ કર'</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 15:09:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1758</Articleid>
                    <excerpt>તોફાની યુવકોએ દલિત કિશોરને બર્થડે પાર્ટીમાં બોલાવી અપમાનિત કર્યો. કિશોરને લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676b8a572fd25.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676b8a56f1bf3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676b8a56f1bf3.jpg" length="105525" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>kaptanganj  News, Dalit crime, dalit teenager hangs</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખોખરામાં આરોપીઓનું સરઘસ નીકળ્યું, બાબાસાહેબની નવી પ્રતિમા સ્થાપિત કરાઈ</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-matter-khokhara-ahmedabad-procession-of-both-accused</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-matter-khokhara-ahmedabad-procession-of-both-accused</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનાર આરોપીઓને પોલીસે જાહેરમાં ફેરવી માફી મગાવી હતી. જ્યારે ખંડિત પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમાનું અનાવરણ કરાયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના ખોખરામાં જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. એ પછી ખોખરા પોલીસે બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને માફી મગાવી હતી. ખોખરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. એ દરમિયાન બાબાસાહેબની પ્રતિમાનું નાક તોડનારા બંને આરોપીઓ કાન પકડી વાંકા વળીને માફી માગતા જોવા મળ્યા હતા. હજુ આ કેસના ત્રણ આરોપીઓ ફરાર છે અને પોલીસે તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ડો.આંબેડકરની ખંડિત થયેલી પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. એ પછી છેલ્લાં બે દિવસથી ચાલતાં દલિત-બહુજન સમાજના ધરણાં પર સમાપ્ત થયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિકોએ આ મામલે જણાવ્યું હતું કે, પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, પરંતુ હજુ ત્રણ આરોપીની ધરપકડ કરવાની બાકી છે. આ આરોપીઓની પોલીસે જલ્દીથી જલ્દી ધરપકડ કરવી જોઇએ. પોલીસ પોઇન્ટ અને સીસીટીવી કેમેરા મુકવાની પણ અમારી માગ છે, જેને જલ્દીથી પૂર્ણ કરવામાં આવે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબાસાહેબની પ્રતિમા પાસે પોલીસ પોઈન્ટ અને CCTV લગાવવા માગ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે રીતે દેશભરમાં સુનિયોજિત રીતે ડો.આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી રહી છે તે જોતા ખોખરામાં સ્થાપિત નવી પ્રતિમા પાસે સીસીટીવી કેમેરા અને પોલીસ પોઈન્ટ મૂકવાની સ્થાનિકોએ માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે, ડો. બાબાસાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જેથી આંદોલન આજે પૂર્ણ કર્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676bb5ed556d5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ હજી ત્રણ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે, તેમની વહેલીતકે ધરપકડ થવી જોઈએ. સાથે જ બાબાસાહેબની પ્રતિમા પાસે સીસીટીવી કેમેરા લગાવવા અને પોલીસ પોઇન્ટ મૂકવા જોઈએ જેથી આવી ઘટના ફરી ન બને. જે રીતે દેશભરમાં બંધારણના ઘડવૈયાની પ્રતિમાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, તે જોતા પોલીસે આટલું તો કરવું જ જોઈએ, જેથી તોફાની તત્વોની કારી ફાવે નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમિત શાહના નિવેદન બાદ દેશભરમાં દલિતોમાં આક્રોશ હતો ત્યારે રવિવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ ખોખરામાં જયંતિ વકીલની ચાલી બહાર ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થરો મારીને તોડી નાખી હતી. જેની જાણ થતાં સ્થાનિકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં અને ખંડિત પ્રતિમા પાસે ધરણાં પર બેસી ગયા હતા. દલિત સંગઠનોએ જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરી તેમનું સરઘસ કાઢવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાં પર બેસી રહેવાની જાહેરાત કરી હતી. ગઈકાલે સાંજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મૂર્તિ ખંડિત કરનાર બે આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવી પ્રતિમાનું અનાવરણ કરાતા ધરણાં સમાપ્ત કરાયા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લેતા સ્થાનિકોએ આજે સવારે ધરણાં પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. જયંતિ વકીલની ચાલીની બહાર જે પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી તેને દૂર કરીને ત્યાં નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આજે સવારે સ્થાનિકો અને દલિત આગેવાનોએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને ધરણાં પૂર્ણ કર્યા હતા. ખોખરા પોલીસે આજે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમનું સરઘસ કાઢીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. એ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. એ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓએ જૂની અદાવતનો બદલો લેવા માટે બાબાસાહેબની પ્રતિમાને ટાર્ગેટ કરી હોવાનું જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/those-who-vandalized-dr-ambedkars-statue-in-khokhara-were-arrested">ખોખરામાં ડૉ.આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા ઝડપાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 13:12:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1760</Articleid>
                    <excerpt>અમદાવાદના ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનાર આરોપીઓને પોલીસે જાહેરમાં ફેરવી માફી મગાવી હતી. જ્યારે ખંડિત પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમાનું અનાવરણ કરાયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676bb62bcde29.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676bb62b9b72f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676bb62b9b72f.jpg" length="112565" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Khokhra ambedkars statue, Ahmedabad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચોખાની ચોરીના બહાને દલિતને ઝાડ સાથે બાંધી ઢોર માર મારતા મોત</title>
                    <link>https://khabarantar.com/chhattisgarh-dalit-tied-to-tree-beaten-to-death-on-pretext-of-rice-theft</link>
                    <guid>https://khabarantar.com/chhattisgarh-dalit-tied-to-tree-beaten-to-death-on-pretext-of-rice-theft</guid>
                    <description>
                        <![CDATA[ પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી. માનવ અધિકાર કાર્યકરોએ મોબ લિંચિંગની કલમ હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છત્તીસગઢ (Chhattisgarh)ના રાયગઢ જિલ્લામાં એક દલિત વ્યક્તિની કથિત રીતે ચોખાની ચોરીના બહાને મારી મારીને હત્યા કરી દેવામાં આવી(Dalit man beaten to death). આ કેસમાં 3 શંકાસ્પદોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. માનવાધિકાર કાર્યકરોનો દાવો છે કે આ મોબ લિંચિંગનો મામલો છે. જ્યારે પોલીસનું કહેવું છે કે આ કેસ ભારતીય ન્યાયિક સંહિતા (BNS)ની કલમ 103 (2) એટલે કે મોબ લિંચિંગ હેઠળના ગુનાનો નથી. પોલીસે અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ કરવાની વાત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના રાયગઢ જિલ્લાના ડુમરપુર ગામમાં 22-23 ડિસેમ્બરની રાત્રે બની હતી. આ ગામ પાટનગર રાયપુરથી લગભગ 250 કિલોમીટરના અંતરે આવેલું છે. 50 વર્ષીય વીરેન્દ્ર સિદાર (મુખ્ય શંકાસ્પદ) એ પોલીસને જણાવ્યું કે તે કોઈ અવાજને કારણે જાગી ગયો. ત્યારે તેણે જોયું કે પંચરામ સારથી ઉર્ફે બુટુ તેના ઘરમાં ઘુસી ગયો હતો અને ચોખાની બોરી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એટલે તેણે પાડોશી અજય પ્રધાન (42) અને અશોક પ્રધાન (44)ને બોલાવ્યા. ત્યારબાદ ત્રણેયે મળીને પંચરામને ઝાડ સાથે બાંધી દીધા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-beat-the-sarpanch-saying-if-he-appears-in-the-panchayat-his-limbs-will-not-be-healed">'પંચાયતમાં દેખાયો તો હાથપગ સાજા નહીં રહે' કહી દલિત સરપંચને માર્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોલીસ સૂત્રોનું કહેવું છે કે ગામના સરપંચે 23 ડિસેમ્બરના રોજ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પીડિત પંચરામ સારથી (ચોરીનો આરોપી) બેભાન અવસ્થામાં પડેલો હતો અને ઝાડ સાથે બાંધેલો હતો. પોલીસે જણાવ્યું કે તેને વાંસના દંડા વડે માર મારવામાં આવ્યો હતો અને લાત-મુક્કા પણ મારવામાં આવ્યા હતા. ત્રણેય શકમંદો સામે BNS (હત્યા)ની કલમ 103(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરી છે. પરંતુ આ મામલે વિરોધ પણ થઈ રહ્યો છે. માનવાધિકાર કાર્યકરોએ BNSની કલમ 103(2) એટલે કે મોબ લિંચિંગ હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. રાયગઢ જિલ્લાના વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા ડિગ્રી પ્રસાદ ચૌહાણે આરોપ લગાવ્યો છે કે ગામલોકોએ ટોળું બનીને મૃતક પંચરામ સારથીને ચોરીના આરોપમાં પકડ્યો, તેને દોરડા વડે થાંભલા સાથે બાંધી દીધો અને મારી-મારીને તેની હત્યા કરી નાખી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા સાથે વાત કરતા ડિગ્રીપ્રસાદે કહ્યું કે, "તેના પર હુમલો કરવા પાછળનું કારણ શું હતું તેનાથી કોઈ ફરક પડતો નથી. આરોપીઓ કેવી રીતે કાયદો પોતાના હાથમાં લઈ શકે? આ મોબ લિંચિંગનો મામલો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, BNS ની કલમ 103(2) જણાવે છે - જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓનું જૂથ નસ્લ, જાતિ અથવા સમાજ, લિંગ, જન્મ સ્થળ, ભાષા, વ્યક્તિગત માન્યતા અથવા અન્ય સમાન આધારે હત્યા કરે છે, તો આવા જૂથના દરેક સભ્યને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા થશે અને દંડ પણ ભરવો પડશે. બીજી તરફ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ કેસ BNSની કલમ 103(2)ના માપદંડોને પૂર્ણ કરતો નથી. જોવાનું એ રહે છે કે, આખા મામલામાં મૃતક દલિત પંચરામ સારથીને ન્યાય મળે છે કે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dalit-teenager-killed-by-police-electrocution-and-hanging-upside-down"><span style="font-size: 12pt;"> </span>દલિત કિશોરને પોલીસે વીજ કરંટ આપી ઉંધો લટકાવીને મારતા મોત?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 08:56:12 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 25 Dec 2024 08:56:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1756</Articleid>
                    <excerpt>પોલીસે ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી. માનવ અધિકાર કાર્યકરોએ મોબ લિંચિંગની કલમ હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676b759bf1fc5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676b759bbb82e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676b759bbb82e.jpg" length="103859" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>chhattisgarh  News, Dalit crime, beaten to death, rice theft</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખોખરામાં ડૉ.આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનારા ઝડપાયા</title>
                    <link>https://khabarantar.com/those-who-vandalized-dr-ambedkars-statue-in-khokhara-were-arrested</link>
                    <guid>https://khabarantar.com/those-who-vandalized-dr-ambedkars-statue-in-khokhara-were-arrested</guid>
                    <description>
                        <![CDATA[ નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં આરોપીઓએ પ્રતિમા ખંડિત કરી હતી. હજુ ત્રણ આરોપીઓ વોન્ટેડ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી નુકસાન પહોંચાડવાના મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. પોલીસે ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર આરોપીને ઝડપી પાડયા છે. આ આરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું કે તેમની સામે અગાઉ પણ 2 રાયોટિંગના ગુનાઓ નોંધાયેલા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરી છે. આરોપીને પકડવા 500થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસાયા હતા અને 200થી વધુ લોકોની પૂછપરછ કરાઈ હતી. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જુદી-જુદી 20 ટીમ ગુનાના ડિટેક્શનમાં લાગી છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર શકમંદની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. 22મી ડિસેમ્બરની મધરાતે 3.30 વાગ્યે બે એક્ટિવા પર ચાર શખસો આવ્યા હતા અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી હતી. આરોપી ભોલા અને મેહુલે પ્રતિમાને પથ્થર મારીને ખંડિત કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં પ્રતિમા તોડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓએ આ પ્રતિમા નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં તોડી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની નજીક નાડીયા સમાજના લોકો રહે છે. બાબાસાહેબ સમાજનું પ્રતીક હોવાથી પ્રતિમા તોડી હતી. આરોપીઓ ફરતા ફરતા ખોખરા પહોંચ્યા હતા અને ત્યાં પ્રતિમા તોડી હતી. આરોપીએ નશો કર્યો હતો કે કેમ તે રિપોર્ટ કરાવવામાં આવશે. આ સાથે આરોપીઓને કોઈએ ઉશ્કેર્યા હતા કે કેમ તે અંગે પણ તપાસ થશે. આરોપીઓની બબાલ અગાઉ ઈદગાહ વિસ્તારમાં થઇ હતી અને મૂર્તિ ખંડિત ખોખરામાં કરી હતી. વર્ષ 2018માં દિવાલને લઈ ક્રોસ રાયોટિંગ ગુનો નોંધાયો હતો. અગાઉની અદાવતમાં આ કૃત્ય કર્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આરોપીઓને પકડવા 20 ટીમ કામ કરતી હતી. વોન્ટેડ 3 આરોપી મોબાઇલ બંધ કરી ભાગી ગયા છે. આરોપીઓ ઈદગાહ જુગલદાસની ચાલીમાં રહે છે. ત્રણ આરોપી મુકેશ ઠાકોર,ચેતન ઠાકોર અને જયેશ ઠાકોર હજી વોન્ટેડ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ–કોંગ્રેસના નેતાઓની પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખોખરાની ઘટનાને લઈ ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને AMC વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તમામે તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ થાય તે માટે કમિશનરને રજૂઆત કરી હતી. આ સાથે ભાજપના સાંસદ દિનેશ મકવાણા, શહેર પ્રમુખ અમિત શાહ સહિતના ધારાસભ્યોએ બાબાસાહેબની પ્રતિમા પુનઃ સ્થાપવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. સાથે બન્ને પક્ષોએ આરોપીઓને પકડી પાડીને સજા કરવાની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-khokhara-ahmedabad"><span style="font-size: 12pt;"> </span>ખોખરામાં તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 21:00:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1755</Articleid>
                    <excerpt>નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં આરોપીઓએ પ્રતિમા ખંડિત કરી હતી. હજુ ત્રણ આરોપીઓ વોન્ટેડ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676ad2e7764e5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ad2e743ce3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676ad2e743ce3.jpg" length="123168" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Khokhra mbedkars statue, Ahmedabad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકર ફેશન નહીં અમારું પૅશન છે, આણંદમાં BSP કાર્યકરોનો હુંકાર</title>
                    <link>https://khabarantar.com/bsp-submitted-a-petition-to-the-anand-collector-in-protest-against-amit-shah</link>
                    <guid>https://khabarantar.com/bsp-submitted-a-petition-to-the-anand-collector-in-protest-against-amit-shah</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સમાજ પાર્ટી અને નવસર્જન ટ્રસ્ટના કાર્યકરોએ અમિત શાહના નિવેદનના વિરોધમાં આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન ડૉ.બાબાસાહેબ આંબેડકર ઉપર કરેલા નિવેદનને લઈને સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આજે બહુજન સમાજ પાર્ટી દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને આણંદમાં અમિત શાહના નિવેદનના વિરોધમાં બહુજન સમાજ પાર્ટી અને નવસર્જન ટ્રસ્ટ આણંદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ભારતીય બંધારણના 75 માં વર્ષ નિમિત્તે તારીખ 17 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને દ્વારા ભારતીય બંધારણ બાબતે ચર્ચા કરવામાં આવી રહી હતી. એ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 91 મિનિટનું ભાષણ કરવામાં આવ્યું હતું. આ ભાષણની શરૂઆતમાં બીજા રાજનેતાઓને શાબ્દિક માનસન્માનથી યાદ કરવામાં આવ્યા હતાં. પરંતુ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું નહોતું. એટલું જ નહીં, લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આંબેડકરને એક ફેશન ગણાવી આટલું નામ ભગવાનનું લેવામાં આવે તો સાત જનમ સુધી સ્વર્ગ મળે એવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જેથી દલિતો, આદિવાસીઓ, ગરીબોની લાગણી દુભાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, દલિતો પર અત્યાચાર, આભડછેટ, માથે મેલું ઉપાડવાની પ્રથા અને સ્ત્રી પર બળાત્કાર ડામવામાં તમારી નિષ્ફળતા, ધર્મનું ઝેર ફેલાવી દેશની અખંડિતતા ખેદાનમેદાન કરવાની તમારી નીતિ, દલિત-આદિવાસી માટે અનામત, ટોચ અને ગણોતધારાની જમીનોના અધિકારનો અમલ ન કરવાની તમારી દાનત, દલિત-આદિવાસીની વસ્તીના ધોરણે અંદાજપત્રમાં નાણાં ફાળવવાની નીતિને અભરાઈએ ચઢાવી દેવાના તમારા કાર્યક્રમોથી ભારતમાં દલિત-આદિવાસી-ગરીબ માટે તમે નર્ક ઊભું કર્યું છે. ભારતના બંધારણે અમને આઝાદી અધિકાર, સમાનતા અને સ્વમાન આપ્યા છે. માટે અમે ડૉ. આંબેડકરને આધુનિક ભારતના પિતા માનીએ છીએ. ‘જય ભીમ’ બોલવું અમારી 'ફેશન' નહીં પણ અમારો પેશન (PASSION) એટલે કે જુસ્સો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-khokhara-ahmedabad">ખોખરામાં તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 17:54:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1753</Articleid>
                    <excerpt>બહુજન સમાજ પાર્ટી અને નવસર્જન ટ્રસ્ટના કાર્યકરોએ અમિત શાહના નિવેદનના વિરોધમાં આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676aa753d8bf1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676aa753996fc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676aa753996fc.jpg" length="79686" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bsp, Anand News., Dr. Ambedkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમરેલીમાં BSP કાર્યકરોએ અમિત શાહના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું</title>
                    <link>https://khabarantar.com/amit-shah-protest-bsp-workers-amreli-submitted-a-petition-to-the-collector</link>
                    <guid>https://khabarantar.com/amit-shah-protest-bsp-workers-amreli-submitted-a-petition-to-the-collector</guid>
                    <description>
                        <![CDATA[ બીએસપીના અમરેલીના કાર્યકરોએ શાહના નિવેદનને વખોડી કાઢી તેમની માફી અને રાજીનામાની માંગ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં કરેલા ડો.આંબેડકર અંગેના નિવેદનને લઈને આજે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે અમરેલીમાં બીએસપીના કાર્યકરો સાથે બહુજન સમાજના પ્રબુદ્ધ નાગરિકો, જાગૃત લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર સુપરત કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદન પત્ર આપતી વખતે બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો નરેશ વાળા, વિક્રમ મકવાણા, સુરેશભાઈ વાળા, ધીરુભાઈ ખીટોલિયા, કિશન વાળા, જીગ્નેશ સોલંકી, દિનેશભાઈ પરમાર, નાનજીભાઈ પરમાર, ભરત કાતરિયા, કમલેશ હેલૈયા, રાહુલ વાળા, કિસન આર વાળા, સુનીલ વાળા, અજય ખુમાણ, શૈલેષ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676a839b04bd3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ માંગ કરી હતી કે, અમિત શાહ દ્વારા ડો.આંબેડકર અંગે જે નિવેદન કરવામાં આવ્યું છે તેનાથી બહુજન સમાજના લોકોની લાગણીને ભારે ઠેસ પહોંચી છે. તેમણે માફી માંગવી જોઈએ અને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ડો.આંબેડકરે આધુનિક ભારતના નિર્માણમાં મોટું યોગદાન આપેલું છે. તેમના બંધારણ થકી દેશના તમામ જાતિ, ધર્મના ગરીબ, તવંગર સૌ લોકો એક તાંતણે બંધાયેલા છે. બંધારણનું નિર્માણ કરીને તેમણે સમાનતા, ન્યાય અને બંધુતાની ભાવનાને સ્થાપિત કરીને કથિત ભગવાન કરતા પણ મોટું કામ કર્યું છે, જે સાત જન્મો નહીં પણ યુગો પછી પણ યાદ રખાશે. દેશમાં તેમના આ મહાન કાર્યને કારણે સામાન્ય માણસને અનેક અધિકારો પ્રાપ્ત થયા છે. ગૃહમંત્રી અમિત શાહે જે નિવેદન કર્યું છે તેનાથી સમગ્ર દેશમાં ડો.આંબેડકરને માનતા સર્વ સમાજના લોકોમાં રોષ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amit-shah-protest-against-petition-with-bloody-thumb-submitted-in-mehsana-1750">અમિત શાહના વિરોધમાં મહેસાણામાં લોહીના અંગૂઠા સાથે આવેદનપત્ર અપાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 15:20:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1752</Articleid>
                    <excerpt>બીએસપીના અમરેલીના કાર્યકરોએ શાહના નિવેદનને વખોડી કાઢી તેમની માફી અને રાજીનામાની માંગ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676a839bb052f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a839b7acf5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a839b7acf5.jpg" length="142862" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr. Ambedkar insult, amit shah, BSP amreli, submitted petition, collector</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહિલા અધિકાર મંચે અમિત શાહના વિરોધમાં હજારો પોસ્ટકાર્ડ લખ્યાં</title>
                    <link>https://khabarantar.com/amit-shah-protest-against-in-gujarat-mahila-adhikar-manch-writes-thousands-of-postcards</link>
                    <guid>https://khabarantar.com/amit-shah-protest-against-in-gujarat-mahila-adhikar-manch-writes-thousands-of-postcards</guid>
                    <description>
                        <![CDATA[ અમિત શાહે ડો.આંબેડકરના વિરોધમાં કરેલા નિવેદનને લઈને મહિલા અધિકાર મંચની હજારો બહેનોએ ગૃહ મંત્રાલયની ઓફિસને પોસ્ટ કાર્ડ અભિયાન ચલાવ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો બાબાસાહેબ આંબેડકરના કરવામાં આવેલ અપમાનના વિરોધમાં અમદાવાદની અજીત મિલ પોસ્ટ ઓફિસે પોસ્ટ કાર્ડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જો કે કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે સરકારના ઇશારે આ કાર્યક્રમને સ્થળેપોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જેના કારણે રખિયાલ સત્યમ ફ્લેટ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજની બહેનોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676a7041336db.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમને ગુજરાત મહિલા અધિકાર મંચની લડાયક બહેનોએ સફળ બનાવ્યો હતો. આ પોસ્ટકાર્ડ અભિયાનને સફળ બનાવવામાં મહિલા અધિકાર મંચની કન્વિનરના ધર્મિષ્ઠાબેન, જયાબેન અને પદમાબેન આગેવાની સંભાળી હતી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676a70409d226.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલા અધિકાર મંચ દ્વારા અમદાવાદ ઉપરાંત સંતરામપુર-મહીસાગરમાં પણ પોસ્ટકાર્ડ અભિયાન ચલાવાયું હતું. આ સિવાય રૂદરડી-ઈડર-સાબરકાંઠા ખાતે મહીલા અધિકાર મંચની ટીમના રેણુકાબેન અને કોકીલાબેન દ્વારા બહેનોને સાથે રાખી પોસ્ટકાર્ડ લખાયા હતા. આ સિવાય પણ અનેક બહેનોને પોસ્ટ કાર્ડ લખીને સમગ્ર અભિયાનને સફળ બનાવ્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676a704016dbd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર ડો. મિતાલી સમોવા છેલ્લાં ઘણાં સમયથી બહુજન સમાજની મહિલાઓ અને તેમના હકો માટે સતત કાર્યરત છે. તેમની જહેમતને કારણે આ કાર્યક્રમને ધારી સફળતા મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/if-you-have-the-strength-fight-the-likes-of-prajwal-revanna-not-the-feminists">તાકાત હોય તો પ્રજ્વલ રેવન્ના જેવા સામે લડો, ફેમિનિસ્ટો સામે નહીંઃ ડૉ. મિતાલી સમોવા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 13:58:22 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 24 Dec 2024 13:59:44 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1751</Articleid>
                    <excerpt>અમિત શાહે ડો.આંબેડકરના વિરોધમાં કરેલા નિવેદનને લઈને મહિલા અધિકાર મંચની હજારો બહેનોએ ગૃહ મંત્રાલયની ઓફિસને પોસ્ટ કાર્ડ અભિયાન ચલાવ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676a7041e271c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a7041b32ba.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a7041b32ba.jpg" length="105771" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amit Shah, protest, Mahila Adhikar Manch, Gujarat, writes thousands of postcards</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમિત શાહના વિરોધમાં મહેસાણામાં લોહીના અંગૂઠા સાથે આવેદનપત્ર અપાયું</title>
                    <link>https://khabarantar.com/amit-shah-protest-against-petition-with-bloody-thumb-submitted-in-mehsana-1750</link>
                    <guid>https://khabarantar.com/amit-shah-protest-against-petition-with-bloody-thumb-submitted-in-mehsana-1750</guid>
                    <description>
                        <![CDATA[ અમિત શાહનું રાજીનામું લઈ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે જંગી વિરોધ પ્રદર્શન સાથે એફઆઈઆર દાખલ કરવા માંગ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">protest against Amit Shah in Mehsana : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભમાં ડો.બાબા સાહેબ આંબેડકરના સંદર્ભે કરાયેલી અભદ્ર નિવેદનને લઈને સમગ્ર ભારત જ નહીં, વિદેશોમાં વસતા આંબેડકરવાદીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. બહુજન સમાજ શાહના નિવેદનને લઈને તેઓ તાત્કાલિક માફી માગે તેવો આગ્રહ સેવાઈ રહ્યો છે. આ મામલે દેશના અલગ અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે અને બહુજન સમાજ અમિત શાહની માફી અને રાજીનામાની માંગણી કરી રહ્યો છે ત્યારે ગઈકાલે મહેસાણામાં પણ જંગી રેલી સાથે બહુજન સમાજે અમિત શાહ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપી તત્કાલિક તેમનું રાજીનામુ લઈને તેમની વિરુદ્ધમાં એફ.આઈ.આર.દાખલ કરવા માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમિત શાહના નિવેદનનો ભારે વિરોધ</span></strong></span><br><span style="font-size: 14pt;">મહેસાણા જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા આ મામલે લોહીના અંગૂઠા સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, "તારીખ 17/12/2024 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડો.બાબા સાહેબ આંબેડકરને લઈને  આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી. ગુજરાતમાં હત્યાના આરોપી બનેલા તથા 3 મહિના કરતા વધુ સમય જેલની હવા ખાઈ ચૂકેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપલાગૃહમાં ડો.બાબા સાહેબ આંબેડકરને લઈને જણાવેલ છે કે, "આજ એક ફેશન હો ગયા હૈ આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર..અરે ઇતના નામ ભગવાન કા લેતે તો સાત જન્મો તક સ્વર્ગ મિલ જાતા" અમિત શાહ પોતે અગાઉ હત્યાના આરોપી રહી ચૂકેલા છે અને તડીપાર થયેલા છે. તેમણે જેલમાંથી બહાર નીકળવા માટે ભગવાનનું નામ નહોતું લીધું પણ બાબાસાહેબે બનાવેલ બંધારણથી બનેલાં કાયદાનો ઉપયોગ કરેલો. અમિત શાહ અને તેમના સમર્થકો કાયમ વીર સાવરકરનું નામ બોલતા રહે છે, પરંતુ તેમને ક્યારેય ભગવાનનું નામ લેવાનું કહેવાતું નથી, અને આંબેડકરનું નામ લે તો એ ફેશન છે? ડો.આંબેડકર ફેશન નહીં નેશન હૈ યે બાત કેન્દ્રીય ગૃહમંત્રી કો શાયદ પતા હી નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amit-shahs-statement-against-dr-ambedkar-is-now-being-opposed-abroad-too">અમિત શાહે ડૉ.આંબેડકર સામે કરેલા નિવેદનનો હવે વિદેશોમાં પણ વિરોધ</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676a59621cdca.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડો.આંબેડકરના યોગદાનને યાદ કરવામાં આવ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">લોહીના અંગૂઠા સાથે અપાયેલા આવેદનપત્રમાં વધુમાં કહેવાયું છે કે, "અમો ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના દલિતો અમિત શાહની આ અભદ્ર હરકતને આકરા શબ્દોમાં વખોડીયે છીએ અને તેઓની ઘોર નિંદા કરીયે છીએ. અમિત શાહે દલિત સમાજની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ડો.બાબાસાહેબ આંબેડકરે જ્યારે બંધારણ ઘડ્યું નહોતું ત્યારે દેશની હાલત શું હતી એ અમિત શાહને ખબર છે? બંધારણ પહેલા દેશમાં મહિલાની સ્થિતિ નર્કની ગર્તા  સમાન હતી. આ દેશમાં ધર્મના નામે કેટલીય દીકરીઓ ને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી, દેવદાસી બનાવમાં આવતી હતી. અનેક કુરિવાજોમાંથી મહિલાઓ પસાર થઈ છે. આ દેશની મહિલાઓને સમાનતાનો અધિકાર ડો.બાબાસાહેબ આંબેડકરે આપ્યો છે. શિક્ષણનો અધિકાર, પિતાની સંપત્તિમાં અધિકાર, પતિની સંપત્તિમાં અધિકાર ડો. બાબા સાહેબે આપ્યો છે. મનગમતા પાત્ર સાથે લગ્નનો અધિકાર ડો.બાબા સાહેબે આપ્યો છે. નોકરીઓમાં તકની સમાનતા, મેટરનીટી લિવ સહિતની સુવિધાના દૂરંદેશી ડો.બાબાસાહેબ આંબેડકર હતા. મહિલાઓ ઉપર જ્યારે ચારે બાજુ સિતમ હતો ત્યારે કોઈ ભગવાન તેઓની વ્હારે આવ્યા નથી, પરંતુ ડો.બાબા સાહેબ આંબેડકરના કારણે જ દેશના નાગરિકોને પોતાના હક અને અધિકાર મળેલા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/mayawati-upset-over-amit-shahs-statement-on-dr-ambedkar">ડૉ.આંબેડકર પર અમિત શાહના નિવેદન પર માયાવતી નારાજ, જાણો શું કહ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમિત શાહનું રાજીનામું લઈ, એફઆઈઆર દાખલ કરવા માંગ</span></strong></span><br><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં આગળ કહેવાયું છે કે, "ભારતની મહિલાઓના, દલિતોના આદિવાસીઓના ભગવાન ડો.બાબાસાહેબ આંબેડકર છે, તેથી અમે તમારી નીચ અને હલકી તેમજ ઉતરતી વિચારધારાનો આક્રોશપૂર્ણ વિરોધ કરીયે છે. સાથે લોહીયુક્ત આવેદન આપી માંગ કરીયે છે કે રાજ્યસભા મા આપ બે હાથ જોડી માફી માંગી રાજીનામું આપો અને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મૂર્મ અને રાજ્યસભાના અધ્યક્ષ (ઉપરાષ્ટ્રપતિ) જગદીપ ધનખડને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમિત શાહનું રાજીનામુ માંગી તેઓની ઉપર સમાજમાં વર્ગવિગ્રહ ફેલાવવા, દલિતો અને બહુજનોની લાગણી દુભાવવા, વિશ્વ વંદનીય ડો.બાબા સાહેબ આંબેડકર વિશે આપત્તિજનક નિવેદન કરવા બદલ તેઓની સામે એફ.આઈ.આર.કરવાની માંગ કરીયે છીએ. સાથોસાથ 17 ડિસેમ્બરને ભારતનો આપત્તીજનક દિવસ તરીકે જાહેર કરવા માંગ કરીયે છીએ."</span><br><span style="font-size: 14pt;">આવેદનપત્ર આપવા માટે મહેસાણા શહેર, જિલ્લા અને તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બહુજન સમાજના આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો અને સામાન્ય માણસો જોડાયા હતા જેઓ ડો.આંબેડકરને પ્રેમ અને આદર આપે છે. આ ઘટનાની સમગ્ર જિલ્લામાં નોંધ લેવાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-khokhara-ahmedabad">ખોખરામાં તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Dec 2024 12:23:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1750</Articleid>
                    <excerpt>અમિત શાહનું રાજીનામું લઈ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે જંગી વિરોધ પ્રદર્શન સાથે એફઆઈઆર દાખલ કરવા માંગ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676a59619f3e8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a596162b3a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676a596162b3a.jpg" length="122241" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amit Shah, protest against, Petition with bloody thumb, Mehsana, Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખોખરામાં તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખ્યું</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-khokhara-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalized-in-khokhara-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો ધરણાં પર બેઠાં. આરોપીઓને ઝડપી પાડી જાહેરમાં વરઘોડો કાઢવાની માંગ ઉઠી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">dr ambedkars statue, vandalized, khokhara, ahmedabad : ડો.આંબેડકરનો મુદ્દો હાલ દેશભરમાં છવાયેલો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર પર કરેલા વિવાદિત નિવેદન બાદ વિપક્ષો સહિત બહુજન સંગઠનો તેમનાથી નારાજ થઈને વિરોધ નોંધાવી રહ્યાં છે. આ વિવાદ વચ્ચે અમદાવાદના ખોખરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કોઈ તોફાની તત્વોએ નુકસાન પહોંચાડતા મામલો બિચક્યો છે. ખોખરામાં કે.કા શાસ્ત્રી કોલેજની સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યા છે. ઘટનાની ગંભીરતા સમજી ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્થાનિક દલિતો ધરણાં પર બેસી ગયા</span></strong></span><br><span style="font-size: 14pt;">બહુજન મહાનાયકની પ્રતિમાને નુકસાન થયાની ખોખરાની ચાલીઓમાં રહેતા દલિત બહુજન સમાજને થતા તેઓ સ્થળ પર પહોંચીને રોડ ઉપર ધરણાં પર બેસી ગયા છે. લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બીજી તરફ અમરાઇવાડીના કોંગ્રેસના કોર્પોરેટરે ઘટનાસ્થળે પહોંચીને પ્રતિમાને નુકસાન પહોંચાડનાર અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવા માગ કરી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જયંતિ વકીલની ચાલીની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાની મળતી માહિતી મુજબ ખોખરામાં કે.કા.શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતી વકીલની ચાલી આવેલી છે. અહીં બહારના ભાગે ડો.આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આજે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે પ્રતિમાના નાકને કોઈ તોફાની તત્વોએ નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ખોખરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢોઃ કોંગી કોર્પોરેટર</span></strong></span><br><span style="font-size: 14pt;">અમરાઇવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે જણાવ્યું હતું કે, "ખોખરામાં જયંતી વકીલની ચાલી પાસે વહેલી સવારે કોઇ અસામાજિક તત્ત્વો દ્વારા ડો. બાબાસાહેબની મૂર્તિને ખંડિત કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. મારું એમ માનવું છે કે જે પ્રમાણે સંસદમાં ગૃહમંત્રી દ્વારા બાબાસાહેબ વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા અને તેમના વિરુદ્ધ ભારતમાં જે પ્રમાણે આંદોલન થઇ રહ્યાં છે તે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક હીન કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું દેખાઇ રહ્યું છે. અમારી માગ છે કે તાત્કાલિક પોલીસ ફરિયાદી બને, અને આવાં અસામાજિક તત્ત્વોની ધરપકડ કરવામાં આવે અને તેનો વરઘોડો કાઢવામાં આવે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને જે રીતે વિધર્મીઓના વરઘોડા કાઢવાના શોખ છે. તો એમને જો બાબાસાહેબના સંવિધાનને નજરમાં રાખીને શપથ લીધી હોય તો એ સાબિત કરી બતાવે કે અમે બાબાસાહેબના સંવિધાનને માનીએ છીએ."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67692de968c84.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ઉઠીએઃ સ્થાનિકો</span></strong></span><br><span style="font-size: 14pt;">બીજી સ્થાનિકોનું કહેવું છે કે, જ્યાં સુધી બાબાસાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ રસ્તા પરથી નહીં હટે. તેમણે ખંડિત પ્રતિમાની જગ્યાએ તાત્કાલિક નવી પ્રતિમા સ્થાપિત કરવાની પણ માંગ કરી છે. સમગ્ર મામલે ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોંગ્રેસ પોલીસ કમિશનરને મળી આવેદનપત્ર આપશે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું છે કે, બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરવાનો જે પ્રયાસ થયો છે, તેને લઈને અમે પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને આ કૃત્ય કરનાર તોફાની તત્વોને કડક સજા કરવાની માગ કરી છે. અમે માંગ કરી છે કે, બાબાસાહેબની ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. તેઓ દેશના સંવિધાનના પ્રણેતા છે, દેશવાસીઓની લાગણી જોડાયેલી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓને છોડવામાં નહીં આવેઃ ભાજપ ધારાસભ્ય</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાની જાણ થતા મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિકોને ખાતરી આપી હતી કે 24 કલાકમાં આરોપીઓ પકડાઈ જશે અને સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે. તેમણે કહ્યું હતું કે, રહીશોની માગ મુજબ પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે. તેમણે ખાતરી આપી હતી કે આ મામલે ઝડપથી કાર્યવાહી કરી આરોપીઓની 24 કલાકની અંદર ધરપકડ કરાશે. જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે કેટલા ઝડપી પગલા લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate">દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Dec 2024 14:38:14 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 23 Dec 2024 15:01:34 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1746</Articleid>
                    <excerpt>ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો ધરણાં પર બેઠાં. આરોપીઓને ઝડપી પાડી જાહેરમાં વરઘોડો કાઢવાની માંગ ઉઠી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6769286cb9f2a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6769286c86f8b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6769286c86f8b.jpg" length="47621" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkars statue, vandalized, khokhara, ahmedabad</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિ.ના NO.1 પ્રોફેસરને IIM માં જાતિવાદ નડ્યો</title>
                    <link>https://khabarantar.com/caste-discrimination-against-dalit-professor-gopal-das-of-iim-bangalore</link>
                    <guid>https://khabarantar.com/caste-discrimination-against-dalit-professor-gopal-das-of-iim-bangalore</guid>
                    <description>
                        <![CDATA[ દલિત પ્રોફેસર અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિમાં નંબર વન ફેકલ્ટી રહ્યાં છે, પણ IIM ના મનુવાદી ડીન અને અન્ય જાતિવાદી પ્રોફેસરો તેમની સાથે જાતિગત ભેદભાવ રાખે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખી આઈઆઈએમમાં તેમના જેટલો હોંથિયાર અન્ય કોઈ પ્રોફેસર નથી. તેમ છતાં તેમને સતત અપમાનજનક સ્થિતિમાં મૂકવામાં આવે છે. માત્ર પોતાની જાતિની ઓળખના કારણે ડીન અને પ્રોફેસરના પદ પર બેસી ગયેલા મનુવાદીઓ તેમને હેરાન કરવાની એક પણ તક ચૂકતા નથી. ડો.આંબેડકર સાથે પણ આવું જ વર્તન થતું હતું અને હવે તેમાં વધુ એક ઉમેરો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો આઈઆઈએમ બેંગ્લોરનો છે. અહીં અમેરિકાની વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વર્ષો સુધી ટોચના અધ્યાપક રહેલા એક દલિત પ્રોફેસરે નોકરી સ્વીકારી હતી. તેમને એમ હતું કે 75 વર્ષમાં ભારત ઘણું બદલાયું હશે. પરંતુ તેઓ ખોટા પડ્યાં. આજે તેમને કોલેજના જાતિવાદી ડીન અને તેમની ગેંગના અન્ય મનુવાદી પ્રોફેસરો સતત હેરાન કરી રહ્યાં છે. આ ગેંગે સામૂહિક ઈમેઈલ કરીને પ્રોફેસરની દલિત જાતિ જાહેર કરી દીધી હતી. જેના કારણે દલિત પ્રોફેસરને સતત અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તેમણે સમાજ કલ્યાણ વિભાગને ફરિયાદ કરતા ડીન સહિતના જાતિવાદીઓ પર ભીંસ વધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિરેક્ટોરેટ ઓફ સિવિલ રાઈટ્સ એન્ફોર્સમેન્ટ (DCRE) દ્વારા હાથ ધરવામાં આવેલી વિગતવાર તપાસમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) બેંગ્લોરમાં જાતિ આધારિત ભેદભાવના આરોપોની પુષ્ટિ થઈ છે. 26 નવેમ્બર, 2024 ના રોજ કર્ણાટક સમાજ કલ્યાણ વિભાગને સોંપવામાં આવેલી તપાસમાં આઈઆઈએમ બેંગ્લુરુના વહીવટીતંત્ર દ્વારા દલિત પ્રોફેસર ગોપાલ દાસ સાથે કરવામાં આવતી સારવાર અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ પ્રોફેસર દાસ 2018 માં IIM બેંગ્લોરમાં જોડાયા હતા અને તેઓ પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ ધરાવતા આદરણીય શિક્ષણવિદ છે. તેમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા સતત પાંચ વર્ષ સુધી ટોચના પ્રોફેસર તરીકે માન્યતા આપવામાં આવી છે. તેમની આટલી મોટી સિદ્ધિઓ છતાં, દાસનો આરોપ છે કે તેમને અન્ય ફેકલ્ટીઓ તરફથી ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. તેમને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓમાંથી બાકાત રાખી તકોથી વંચિત રાખવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દાસનો દાવો છે કે સામૂહિક ઈમેઈલ દ્વારા તેમની જાતિ જાહેર કરવામાં આવી, જેના કારણે તેમનું અપમાન થયું હતું. તેમણે વહીવટીતંત્ર પર વૈકલ્પિક અભ્યાસક્રમો અને પીએચડી કાર્યક્રમોમાંથી ખસી જવા દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે જાન્યુઆરી 2024માં સંસ્થાની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આરોપોની વિગતવાર માહિતી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડીન અને તેમની જાતિવાદી ગેંગના કરતૂતોનો પર્દાફાશ થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">DCRE તપાસમાં પુષ્ટિ થઈ છે કે IIM બેંગ્લોરના ડિરેક્ટર ડૉ. હૃષિકેશ ટી. કૃષ્ણન અને ડીન (ફેકલ્ટી) ડૉ. દિનેશ કુમારે ઇરાદાપૂર્વક સામૂહિક ઈમેલ દ્વારા દાસની જાતિ જાહેર કરી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે સંસ્થા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના સભ્યો માટે ફરિયાદ નિવારણ પદ્ધતિ બનાવવા માટે કાયદેસરની જરૂરિયાતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. તપાસ પછી, સમાજ કલ્યાણ કમિશનરે બેંગલુરુ પોલીસ કમિશનરને 9 ડિસેમ્બરના રોજ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે પોલીસ અને તંત્રની દાનત પર સવાલો ઉઠી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય દલિત અધિકાર આંદોલન (BANAE) ના કાર્યકર નાગસેન સોનારેએ અધિકારીઓને પગલાં લેવા વિનંતી કરી. સોનારેએ કહ્યું. "પોલીસે સમાજ કલ્યાણ વિભાગની સૂચના મુજબ FIR દાખલ કરવી જોઈએ. કાર્યવાહી ન કરવી ચિંતાજનક બાબત છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદીઓએ કોર્ટમાં સ્ટે માંગ્યો, પણ ન મળ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પણ ગયો છે. IIM બેંગ્લોરના બોર્ડના અધ્યક્ષ ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી સહિત તમામ આરોપીઓએ તપાસ પર સ્ટે લગાવવાની માંગ કરી હતી. પણ કોર્ટે મોટાભાગના આરોપીઓને રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. ડો.શેટ્ટીને કામચલાઉ રાહત મળી. છે, તેમજ એડવોકેટ જનરલ આ સ્ટે હટાવવા માટે કામ કરી રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપોના જવાબમાં, IIM બેંગ્લોરે એક અખબારી નિવેદન બહાર પાડીને જાતિ આધારિત ભેદભાવના દાવાઓને રદિયો આપ્યો હતો. સંસ્થાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના વર્તન અંગેની ફરિયાદોને કારણે પ્રોફેસર દાસની પ્રમોશનની અરજીમાં વિલંબ થયા બાદ આ આક્ષેપો પ્રકાશમાં આવ્યા હતા. IIMB એ પણ નોંધ્યું હતું કે ફરિયાદોની આંતરિક તપાસમાં વિદ્યાર્થીઓની ફરિયાદોમાં સામ્યતા જોવા મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IIMBના પ્રવક્તાએ કહ્યું, “IIMB સર્વસમાવેશકતા, વિવિધતા અને સમાન તકો માટે પ્રતિબદ્ધ છે. અમે હંમેશા બંધારણીય મૂલ્યોનું સમર્થન કર્યું છે અને ભેદભાવમુક્ત વાતાવરણ જાળવી રાખ્યું છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/manuwadi-principal-harassing-dalit-professor-in-gandhinagar">ગાંધીનગરના દલિત અધ્યાપકને મનુવાદી પ્રિન્સિપાલ હેરાન કરી રહ્યાં છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Dec 2024 11:24:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1744</Articleid>
                    <excerpt>દલિત પ્રોફેસર અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિમાં નંબર વન ફેકલ્ટી રહ્યાં છે, પણ IIM ના મનુવાદી ડીન અને અન્ય જાતિવાદી પ્રોફેસરો તેમની સાથે જાતિગત ભેદભાવ રાખે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6768fa79a8d9e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6768fa79721c8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6768fa79721c8.jpg" length="108980" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>caste discrimination, iim bangalore, dalit professor gopal das</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકને પાર્ટી કરવાના બહાને ઘરેથી બોલાવ્યો, પછી હત્યા કરી નાખી</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-beaten-up-by-rowdy-people-in-deoria-karamajitpur-uttar-pradesh-youth-dies-during-treatment</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-beaten-up-by-rowdy-people-in-deoria-karamajitpur-uttar-pradesh-youth-dies-during-treatment</guid>
                    <description>
                        <![CDATA[ માથાભારે તત્વોએ પહેલેથી પ્લાન કરીને રાખ્યો હતો. દલિત યુવક સાથે પહેલા બોલાચાલી કરી અને પછી હુમલો કરી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશમાંથી વધુ એક દલિત અત્યાચારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દેવરિયા જિલ્લાના ગૌરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના કર્માજીતપુર ગામમાં માથાભારે તત્વોએ એક દલિત યુવકને માર માર્યો હતો. માર એટલો ગંભીર હતો કે યુવકે દવાખાનામાં સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો. પોલીસે પાંચ લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ ગત સોમવારે રાત્રે, દલિત યુવક સિન્ટુ નામના દલિત યુવકને માથાભારે તત્વોએ તેના ઘરથી લગભગ 200 મીટર દૂર એક પાર્ટી માટે બોલાવ્યા બાદ નિર્દયતાથી માર માર્યો હતો. જેના કારણે સિન્ટુનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે મૃતક યુવકની માતા શકુંતલા દેવીની ફરિયાદના આધારે પાંચ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસને આપવામાં આવેલી માહિતી અનુસાર, દલિત સમાજમાંથી આવતા ગિરીશ પ્રસાદના પુત્ર સિન્ટુને તેના કેટલાક મિત્રોએ ઘરથી લગભગ 300 મીટર દૂર એક જગ્યાએ પાર્ટી કરીએ છીએ તું આવ એમ કહીને તેને બહાર બોલાવ્યો હતો. સિન્ટુ ત્યાં ગયો એ પછી માથાભારે તત્વોએ જાણી જોઈને તેની સાથે બોલાચાલી કરવાનું શરૂ કરી દીધું હતું. મામલો ઉગ્ર બન્યા પછી તેમણે સિન્ટુ પર પ્લાનિંગ મુજબ હુમલો કરી દીધો હતો અને તેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા તેનો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો અને સિન્ટુને ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જ્યાં તેની તબિયતમાં સુધારો ન થતા તેના પરિવારના સભ્યો બુધવારે રાત્રે તેને લખનૌના SGPGI લઈ જઈ રહ્યા હતા. એ દરમિયાન રસ્તામાં જ તેનું મોત થયું હતું. પોલીસે પાંચ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તેમને કસ્ટડીમાં લીધા છે.આ કેસમાં પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે હત્યાનું કારણ જાણવાના પ્રયાસો ચાલુ છે. સાથે જ ઝઘડા શા માટે કર્યો, તે સુનિયોજિત કાવતરું હતું કે બીજું કંઈ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Casteist-elements-attack-Dalit-policemans-procession-in-Bulandshahr">દલિત વરરાજા પોલીસમાં, કન્યા BSFમાં, છતાં વરઘોડા પર મોટો હુમલો થયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Dec 2024 09:45:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1743</Articleid>
                    <excerpt>માથાભારે તત્વોએ પહેલેથી પ્લાન કરીને રાખ્યો હતો. દલિત યુવક સાથે પહેલા બોલાચાલી કરી અને પછી હુમલો કરી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6768e30acd54b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6768e30a95f75.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6768e30a95f75.jpg" length="84123" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit youth beaten up, Deoria, Karamajitpur, youth dies during treatment, SC ST act, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકરના અપમાન મુદ્દે BSP રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે</title>
                    <link>https://khabarantar.com/bsp-to-hold-nationwide-agitation-on-december-24-over-insult-to-dr-ambedkar-by-amit-shah</link>
                    <guid>https://khabarantar.com/bsp-to-hold-nationwide-agitation-on-december-24-over-insult-to-dr-ambedkar-by-amit-shah</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે, અમિત શાહના નિવેદને કરોડો બહુજનોની લાગણીને ઠેસ પહોંચાડી મહાનાયક ડો.આંબેડકરનું અપમાન કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમિત શાહે રાજ્યસભામાં ડો.આંબેડકર વિરુદ્ધ કરેલા અપમાનજનક નિવેદનના પડઘા હવે દેશભરમાં પડી રહ્યાં છે ત્યારે બીએસપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોએ આ મામલે રાષ્ટ્રવ્યાપી આંદોલનોની જાહેરાત કરી છે. 24મી ડિસેમ્બરે બીએસપી દેશવ્યાપી વિરોધનું આયોજન કરવા જઈ રહી છે. આ જ દિવસે કોંગ્રેસે પણ દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટી (BSP) ના વડા માયાવતીએ શનિવારે જણાવ્યું હતું કે બાબાસાહેબ આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી સામે પક્ષના કાર્યકરો 24 ડિસેમ્બરે દેશવ્યાપી વિરોધ કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ ટ્વિટર પર લખ્યું છે કે "શાહના નિવેગને બહુજન સમાજના લોકોના દિલને ઠેસ પહોંચી છે. દેશના દલિતો, વંચિતો અને અન્ય ઉપેક્ષિત લોકોના સ્વાભિમાન અને માનવ અધિકારો માટે અતિમાનવીય અને કલ્યાણકારી બંધારણ તરીકેના મૂળભૂત પુસ્તકના રચયિતા બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર ભગવાનની જેમ પૂજનીય છે. અમિત શાહ દ્વારા તેમના અપમાનથી લોકોના દિલને ભારે ઠેસ પહોંચી છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/apply-reservation-in-posts-of-high-court-supreme-court-judges-too-mayawati">હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ વધુમાં કહ્યું- "આવા મહાપુરુષ વિશે સંસદમાં અમિત શાહ દ્વારા કહેવામાં આવેલા શબ્દોથી દેશમાં સમાજના બધાં વર્ગના લોકોમાં ભારે આક્રોશ છે. આંબેડકરવાદી બસપાએ અમિત શાહને તેમનું નિવેદન પાછું ખેંચવાની અને માફી માંગવાની માંગ કરી છે, જેના પર હજુ સુધી અમલ કરવામાં આવ્યો નથી."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675ee9b0b2f90.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ કહ્યું- આવી સ્થિતિમાં જો માંગ પૂરી નહીં થાય તો બસપાએ સમગ્ર દેશમાં અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. હવે પાર્ટીએ આ માંગના સમર્થનમાં 24 ડિસેમ્બરે દેશવ્યાપી આંદોલન કરવાનું નક્કી કર્યું છે. દેશના તમામ જિલ્લા મથકો પર સંપૂર્ણ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BSP વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાર્ટી બાબા સાહેબ આંબેડકરને સમર્પિત છે, જેમણે દલિતો/બહુજનોને પોતાના પગ પર ઊભા રહેવા અને સ્વાભિમાન સાથે જીવવા માટે આજીવન સંઘર્ષ કર્યો હતો અને બહુજન સમાજને અનામત સહિત ઘણાં કાયદાકીય અધિકારો મળ્યાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ કોંગ્રેસે પણ આ જ દિવસે દેશવ્યાપી ધરણાં પ્રદર્શન અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીઓ આવી રહી હોવાથી અને રાજ્યની 12 જેટલી વિધાનસભા સીટો પર સીધી અસર પાડતા દલિતોને રિઝવવા માટે ડો.આંબેડકર સન્માન સ્કોલરશીપ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/mayawati-upset-over-amit-shahs-statement-on-dr-ambedkar">ડૉ.આંબેડકર પર અમિત શાહના નિવેદન પર માયાવતી નારાજ, જાણો શું કહ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Dec 2024 14:14:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1740</Articleid>
                    <excerpt>બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે, અમિત શાહના નિવેદને કરોડો બહુજનોની લાગણીને ઠેસ પહોંચાડી મહાનાયક ડો.આંબેડકરનું અપમાન કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6767d1082f708.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6767d107f2b26.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6767d107f2b26.jpg" length="52594" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BSP, hold nationwide agitation, December 24, insult to Dr. Ambedkar, Amit Shah, Mayawati, bahujan samaj party</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધ્રાંગધ્રામાં પોલીસ સામે ધરણાં પર બેઠેલા 30 જેટલા દલિતોની અટકાયત</title>
                    <link>https://khabarantar.com/30-dalits-detained-in-dhrangadhra-for-protesting-against-police-in-sc-st-act</link>
                    <guid>https://khabarantar.com/30-dalits-detained-in-dhrangadhra-for-protesting-against-police-in-sc-st-act</guid>
                    <description>
                        <![CDATA[ પોલીસ એટ્રોસિટીના આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહોતી કરતી. ફરિયાદી દલિત યુવક સમાજના આગેવાનો સાથે ધરણાં પર બેઠાં હતા. જાણો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">30 Dalits detained in Dhrangadhra : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ધરણાં પર બેઠેલા અનુસૂચિત જાતિ સમાજના 30થી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અહીં રહેતા યુવકે બે શખ્સો સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસ દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી કે ન તો તેમની ધરપકડ કરવામાં આવી. જેના કારણે ભોગ બનનાર યુવક સહિત દલિત સમાજના આગેવાનો અને સ્થાનિકોએ ડીવાયએસપી કચેરી સામે ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. જેના કારણે પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">ધ્રાંગધ્રામાં રહેતા યુવક મનીષભાઈએ સીટી પોલીસ મથકે ઓક્ટોબર મહિનામાં બે લોકો સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને દોઢ મહિના જેટલો સમય વીતી જવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, એટલું જ નહીં એટ્રોસિટીના કાયદામાં જોગવાઈ હોવા છતાં પોલીસ આરોપીઓની ધરપકડ કરતી નહોતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદીએ આ મામલે અનેક વખત પોલીસ અધિકારી સહિત રાજકીય આગેવાનોને રજૂઆત કરી હતી. અગાઉ તેઓ આ મામલે ડીવાયએસપી કચેરી સામે પ્રતિક ધરણા પર પણ બેઠા હતા. તેમ છતાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં ન આવતા મનીષભાઈ સમાજના આગેવાનો, દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના નેતાઓ, સાથીદારો સાથે ડીવાયએસપી કચેરીએ ધરણાં પર બેસી ગયા હતા અને પોલીસની ઢીલી કામગીરીનો વિરોધ કર્યો હતો. જેથી ધ્રાંગધ્રા પોલીસે સ્થળ પહોંચી વિરોધ કરી રહેલા ૩૦થી વધુ લોકોની અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ શું કહે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતે જણાવ્યું હતું કે એટ્રોસીટીની ફરિયાદ નોંધાયા બાદ બંને આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ બંને આરોપીઓએ હાઈકોર્ટ સમક્ષ જઈ તપાસ પર સ્ટે લઈ આવ્યા છે. જોવાનું એ રહેશે કે જાતિવાદી આરોપીઓ સામે ઢીલી નીતિ દાખવતી પોલીસ આ મામલે ફરિયાદી મનીષભાઈને ન્યાય માટે કેટલો પ્રયત્ન કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate">દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Dec 2024 13:24:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1739</Articleid>
                    <excerpt>પોલીસ એટ્રોસિટીના આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહોતી કરતી. ફરિયાદી દલિત યુવક સમાજના આગેવાનો સાથે ધરણાં પર બેઠાં હતા. જાણો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6767c59952f0f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6767c59908580.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6767c59908580.jpg" length="130910" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>30 Dalits detained, Dhrangadhra, protesting against police, SC-ST act</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકરના માનમાં AAP સરકાર &amp;apos;આંબેડકર સન્માન સ્કોલરશીપ&amp;apos; શરૂ કરશે</title>
                    <link>https://khabarantar.com/ambedkar-samman-scholarship-delhi-aap-government-to-launch-in-honour-of-dr-ambedkar</link>
                    <guid>https://khabarantar.com/ambedkar-samman-scholarship-delhi-aap-government-to-launch-in-honour-of-dr-ambedkar</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હીની AAP સરકારની આ યોજનામાં વિદેશમાં ભણવા માંગતા SC-ST વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. જાણો બીજો શું લાભ મળશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Ambedkar Samman Scholarship : દિલ્હીની આમ આદમી પાર્ટીની આતિશી સરકારે મહાનાયક ડો.આંબેડકરને લઈને ઉભા થયેલા વિવાદ પર માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. આપ સરકારે ડો.બાબાસાહેબ આંબેડકરના નામે શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત કરી છે. આપ સરકાર દ્વારા તેને 'ડૉ. આંબેડકર સન્માન સ્કોલરશીપ' નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ એસસી-એસટી દલિત વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સરકારી કર્મચારીઓના બાળકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “દલિત સમાજનું કોઈ બાળક પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય. હું ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિની જાહેરાત કરું છું. જો દલિત સમાજનું કોઈ બાળક વિશ્વની કોઈપણ ટોચની યુનિવર્સિટીમાં ભણવા માંગતું હોય તો તેણે તે યુનિવર્સિટીમાં જ પ્રવેશ લેવો જોઈએ. દિલ્હી સરકાર તેના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ અને મુસાફરીનો ખર્ચ ઉઠાવશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/kejriwal-and-aap-have-once-again-betrayed-the-dalits-of-delhi">કેજરીવાલ અને AAP એ ફરી એકવાર દિલ્હીના દલિતોને દગો દીધો?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલે વધુમાં કહ્યું કે, ડૉ.આંબેડકરને પૈસાની અછતને કારણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)માં અભ્યાસ છોડવો પડ્યો હતો. તેઓ ઘરે પરત ફર્યા હતા. પૈસાની વ્યવસ્થા કર્યા પછી તેઓ ફરી LSE ગયા અને તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે એમ પણ કહ્યું હતું કે AAP એ સુનિશ્ચિત કરશે કે દિલ્હીમાં કોઈ પણ દલિત વિદ્યાર્થીને પૈસાના અભાવે વિદેશી યુનિવર્સિટીઓમાં અભ્યાસ છોડવો ન પડે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેજરીવાલે કહ્યું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સંસદમાં બાબા સાહેબનું અપમાન કર્યું છે. તેના જવાબમાં બાબા સાહેબના સન્માનમાં દલિત વર્ગ માટે આ યોજના લાવવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસમાં આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હી વિધાનસભા </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી માટે ત્રણ મોટા ચૂંટણી વચનો આપ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલા સન્માન યોજના – મહિલા મતદારો માટે ₹2100 ની નાણાકીય સહાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજીવની યોજના – દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોની મફત સારવાર કરવામાં આવશે. સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ, દિલ્હી સરકાર સમગ્ર ખર્ચ ઉઠાવશે. આ યોજનામાં ખર્ચની કોઈ મર્યાદા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/For-the-first-time-in-the-Lok-Sabha-elections-in-Delhi,-a-ticket-was-allotted-to-a-Dalit-candidate-on-the-General-seat">દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર ‘જનરલ’ સીટ પર ‘દલિત ઉમેદવાર’ને ટિકિટ ફાળવાઈ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિ - વિદેશમાં ભણતા દલિત વિદ્યાર્થીઓનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.</span><br><span style="font-size: 14pt;">દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ પહેલા પણ દિલ્હીમાં ચૂંટણી થઈ શકે છે. જો કે ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 62 સીટો જીતીને બહુમતીનો આંકડો પાર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૂંટણી નજીક આવી છે ત્યારે કેજરીવાલને દલિતો યાદ આવ્યા?</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે, દિલ્હીના આધારભૂત સૂત્રો કહે છે કે, દિલ્હીમાં દલિત મતદારોની સંખ્યા બહુ મોટી છે અને સરકાર રચવામાં તેઓ નિર્ણાયક ભૂમિકામાં હોવાથી કેજરીવાલે આ યોજના જાહેર કરવી પડી છે. બાકી આમ આદમી પાર્ટી પણ ભાજપ, કોંગ્રેસની જેમ સવર્ણોની જ પાર્ટી છે. તેમાં પણ, મોટાભાગના મહત્વના પદો અને મંત્રાલયોમાં સવર્ણોનો કબ્જો છે. આપના નેતાઓ તેમના ઘરમાં અને ઓફિસોમાં ડો.આંબેડકરનો ફોટો રાખે છે પરંતુ જ્યારે દલિતોની અનામતમાં ક્રિમીલેયર દાખલ કરવાની બંધારણ વિરોધી વાત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ, ભાજપની જેમ તેણે પણ સવર્ણો નારાજ ન થઈ જાય તે માટે મૌન ધારણ કરી લીધું હતું અને કોઈ સ્ટેન્ડ લીધું નહોતું. હવે જ્યારે ચૂંટણી આવી રહી છે અને દિલ્હીના 22 ટકા દલિતોના મતો જોઈએ છે, ત્યારે તેમણે અમિત શાહના નિવેદનનો સહારો લઈને આ યોજના જાહેર કરી છે. જે હોય તે, પણ તેનાથી જો દલિત, આદિવાસી વિદ્યાર્થીઓનું વિદેશમાં ભણવા જવાનું સપનું સાકાર થઈ શકે તે મહત્વનું છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/aap-bjps-casteism-in-delhi-ate-up-7-months-of-dalit-mayor">દિલ્હીમાં AAP-BJP નો જાતિવાદ દલિત મેયરના 7 મહિના ખાઈ ગયો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 21 Dec 2024 19:36:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1736</Articleid>
                    <excerpt>દિલ્હીની AAP સરકારની આ યોજનામાં વિદેશમાં ભણવા માંગતા SC-ST વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. જાણો બીજો શું લાભ મળશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6766cb5c3fe7b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6766cb5c0279d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6766cb5c0279d.jpg" length="53592" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ambedkar Samman Scholarship, Delhi, AAP government, honour of Dr. Ambedkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશભરમાં પહેલીવાર માત્ર બંધારણ અને આંબેડકરની સાક્ષીએ લગ્ન થયા</title>
                    <link>https://khabarantar.com/marriage-with-the-constitution-as-witness-kapu-village-chhattisgarh</link>
                    <guid>https://khabarantar.com/marriage-with-the-constitution-as-witness-kapu-village-chhattisgarh</guid>
                    <description>
                        <![CDATA[ પ્રેમી યુગલે ન તો પંડિતને બોલાવ્યો, ન મંત્રોચ્ચાર કરાવ્યા, ન મનુવાદીઓના સાત વચનો નિભાવવાની વાત કરી. માત્ર બાબાસાહેબ અને બંધારણની સાક્ષીએ લઈને લગ્ન કર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Marriage with the Constitution as witness: ડૉ.આંબેડકર શું ચીજ છે અને આ દેશના સામાન્ય માણસ માટે તેઓ શા માટે મનુવાદીઓના કથિત ભગવાન કરતા પણ ક્યાંય ઉંચા આસને બિરાજે છે તેની વધુ એક સાક્ષી પુરતો મજાનો કિસ્સો સામે આવ્યો છે. એકબાજુ દેશના બંધારણના 75 વર્ષ પૂર્ણ થયા છે, બીજી તરફ દેશની સંસદમાં બંધારણ તેમજ તેના સર્જક ભીમરાવ આંબેડકરના અપમાન અને બંધારણમાં ફેરફાર ઉપરાંત બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના અપમાનનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો છે. એટલું જ નહીં, રાજ્યસભા અને લોકસભામાં પણ આ મુદ્દે ઠપ થઈ ગઈ છે ત્યારે બીજી તરફ દેશના સામાન્ય માણસ માટે બંધારણ અને મહાનાયક ડો.ભીમરાવ આંબેડકર શું છે તે યાદ અપાવતો એક મજબૂત કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રેમી યુગલે તમામ મનુવાદી વિધિઓને ફગાવી દઈને માત્ર બંધારણના શપથ લઈને લગ્ન કર્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશનો આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ પ્રેમી યુગલે એકબીજાને સ્વીકારીને બંધારણને સર્વોચ્ચ માનીને લગ્ન કર્યા હોય. સામાન્ય રીતે ભારતમાં લગ્ન કોઈને કોઈ વિધિ દ્વારા થતા હોય છે. જેમાં કોઈ અગ્નિના ફેરા લે છે, કોઈ કાજી પાસે કબૂલનામું કરાવીને, પાદરીની હાજરીમાં કે કોર્ટમાં થતા હોય છે. પરંતુ છત્તીસગઢના કાપુમાં એક પ્રેમી યુગલે કરેલા લગ્ન સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયા છે. વાસ્તવમાં આ યુગલે બંધારણના શપથ લીધા બાદ ગુરુ ઘાસીદાસની જયંતીના દિવસે લગ્ન કર્યા હતા. આ લગ્નની ચર્ચા હવે માત્ર છત્તીસગઢમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં થઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માત્ર બાબાસાહેબ અને બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">છત્તીસગઢના રાયગઢ જિલ્લાની કાપુ ગામ પંચાયતમાં થયેલા આ અનોખા લગ્ન હાલ ચર્ચાનો વિષય છે. આ અનોખા લગ્નમાં ન તો સાત ફેરા ન હતા, ન તો બેન્ડવાજા વગાડવામાં આવ્યા હતા કે ન તો કોઈ મંત્ર જાપ થયા હતા. યુગલે માત્ર એકબીજાને માળા પહેરાવી બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટાની સામે ઉભા રહી બંધારણની શપથ લઈને લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બીજી કોઈપણ પ્રકારની વિધિ કરવામાં નહોતી આવી. વર્તમાન માહોલમાં ડો.આંબેડકરને આનાથી મોટી અંજલિ બીજી કઈ હોઈ શકે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાપૂમાં આયોજિત એક સામાજિક કાર્યક્રમ દરમિયાન આ યુવક-યુવતીએ પોતાના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ પછી તેમની ઇચ્છા મુજબ તેમણે ભારતના બંધારણના શપથ લઈને લગ્ન કર્યા હતા. આ અનોખા લગ્નમાં વર-કન્યાના માતા-પિતાની સાથે સમાજના લોકોએ પણ ભાગ લઈ ખુશી વ્યક્ત કરી હતી અને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્ન કાપુ ગામના યમન લહારે અને પ્રતિમા મહેશ્વરી વચ્ચે થયા હતા. સાત ફેરા લેવાને બદલે તેમણે બંધારણના શપથ લીધા અને લગ્ન કરી લીધા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર-વધુ શું કહે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">આ અંગે વરરાજા યમન લહરે કહે છે કે, તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા અને વડીલોને તેમના પ્રેમ વિશે જણાવ્યા બાદ તેમનો અભિપ્રાય લીધો અને ગુરુ ઘાસીદાસ મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને બાબા આંબેડકરને સાક્ષી બનાવીને લગ્ન કરી લીધા. અમારા ડો.આંબેડકર સર્વોપરી છે. તેથી અમે તેમણે લખેલા બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા. તેની સાથે અમે લોકોને પરંપરાગત લગ્નમાં બિનજરૂરી ખર્ચ બચાવવા માટેનો પણ એક મેસેજ આપવા માંગતા હતા. તેથી બાબાસાહેબના ફોટોની સામે માત્ર બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકની પત્ની પ્રતિમા મહેશ્વરીએ જણાવ્યું કે ગુરુઘાસી દાસનો જન્મદિવસ હતો. આ પ્રસંગે બંધારણને જ અમારું સર્વસ્વ માનીને અમે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. અમે બંને ખૂબ જ ખુશ છીએ. આ પ્રસંગે અમને અમારા પરિવારના સભ્યો ઉપરાંત સમગ્ર સમાજના આશીર્વાદ મળી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આખા ગામના લોકોએ અભિનંદન પાઠવ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ લગ્ન દરમિયાન હાજર સમાજના અધિકારીએ જણાવ્યું કે અમારો સમાજ ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના બંધારણ પર ચાલે અને માને છે. ડૉ.આંબેડકરે અમને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે, જેના હેઠળ દરેક વ્યક્તિ પોતાનો સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. અમને આ યુગલે લગ્ન કરવા માટેની અરજી કરી હતી. બંને પુખ્ય વયના છે અને બંધારણ તેમને તેમનું જીવન જીવવાનો અધિકાર આપે છે. જેથી અમે રાજીખુશીથી બંનેને તેમની રીતે લગ્ન કરવા કહ્યું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી તેમણે અમારા ગુરુ ઘાસીરામના જન્મદિવસે ડો.આંબેડકર લિખિત બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા હતા. અમારા સમાજમાં બંધારણને સર્વોપરિ માનવામાં આવ્યું છે. બંધારણના કારણે જ અમે આજે સારી જિંદગી જીવી શકીએ છીએ. બંધારણ વિરુદ્ધ અમે કોઈ કાર્ય નથી કરતા. સમાજના પ્રમુખે બંધારણને સામે રાખીને પ્રસ્તાવના દ્વારા બંનેને શપથ લેવડાવ્યા હતા અને તરત લગ્નની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 21 Dec 2024 15:53:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1735</Articleid>
                    <excerpt>પ્રેમી યુગલે ન તો પંડિતને બોલાવ્યો, ન મંત્રોચ્ચાર કરાવ્યા, ન મનુવાદીઓના સાત વચનો નિભાવવાની વાત કરી. માત્ર બાબાસાહેબ અને બંધારણની સાક્ષીએ લઈને લગ્ન કર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676697002f932.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676696ffecedc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676696ffecedc.jpg" length="107591" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Marriage with the Constitution as witness, Kapu village, Chhattisgarh</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ.આંબેડકર પર અમિત શાહના નિવેદન પર માયાવતી નારાજ, જાણો શું કહ્યું</title>
                    <link>https://khabarantar.com/mayawati-upset-over-amit-shahs-statement-on-dr-ambedkar</link>
                    <guid>https://khabarantar.com/mayawati-upset-over-amit-shahs-statement-on-dr-ambedkar</guid>
                    <description>
                        <![CDATA[ સંસદમાં ડો.આંબેડકરનું નામ લેવાને ફેશન ગણાવતા ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મુદ્દે હવે બસપા સુપ્રીમો માયાવતીનું નિવેદન આવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લઈને અમિત શાહના ભાષણના એક ભાગને લઈને થયેલા હોબાળા વચ્ચે માયાવતીએ પણ મોરચો સંભાળી લીધો છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહને માફી માંગવા અને પોતાના શબ્દો પાછા લેવાની સલાહ આપી છે. માયાવતીએ ગુરુવારે લખનૌમાં કહ્યું કે જો અમિત શાહ માફી નહીં માંગે તો પછી દલિત સમાજ આ અપમાનને ભૂલી શકશે નહીં. એટલું જ નહીં, તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે અમિત શાહના નિવેદનથી દેશભરના દલિતો નારાજ છે. તેઓ ડો.આંબેડકરને ભગવાન માને છે. આવી સ્થિતિમાં અમિત શાહના નિવેદનની મોટી અસર પડી શકે છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ભાજપ માફી નહીં માંગે તો કોંગ્રેસ જેવી સ્થિતિ થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, અમિત શાહના નિવેદનથી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં ભારે ગુસ્સો છે. અમિત શાહે પોતાના શબ્દો પાછા લેવા જોઈએ અને માફી પણ માંગવી જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો આંબેડકરના અનુયાયીઓ તેને ક્યારેય ભૂલી કે માફ કરી શકશે નહીં. જેમ બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ આજે પણ કોંગ્રેસના તમામ પાપોને ભૂલી શક્યા નથી તેવું જ ભાજપ સાથે થશે. કોંગ્રેસ ભલે ગમે તેટલા રંગ અને ઢંગ બદલી લે, પરંતુ લોકો તેના પર વિશ્વાસ નથી કરી શકતા. એવું જ ભાજપનું થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ કોંગ્રેસ પર પણ જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, 'બાબાસાહેબના અવસાન બાદ કોંગ્રેસે તેમનું નામ અને બંધારણના નિર્માણમાં તેમના યોગદાનને ભૂંસી નાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. આ પાર્ટી તેના ઉદ્દેશ્યમાં સફળ થઈ ગઈ હોત, પરંતુ માનનીય કાંશીરામના આગળ આવવાને કારણે આ થઈ શક્યું નહીં. એટલું જ નહીં, આ મિશનને તેના મુકામ સુધી લઈ જવા માટે મારે મારું જીવન પણ સમર્પિત કરવું પડ્યું. પરંતુ આજે વિવિધ પક્ષો વિવિધ યુક્તિઓ અપનાવીને તેમના વારસાને નષ્ટ કરવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, યુપીમાં 4 વખત બસપાની સરકાર હતી અને અમે લખનૌ અને નોઈડામાં તેમના નામ પર ઘણા ભવ્ય સ્મારકો બનાવ્યા. બાબાસાહેબના નામ પર જિલ્લા પણ બનાવ્યા, પરંતુ સમાજવાદી પાર્ટીએ નામ બદલી નાખ્યા. માયાવતીએ કહ્યું કે બસપાએ હંમેશા દલિત સમુદાયના તમામ સંતો અને ગુરુઓનું સન્માન કર્યું છે. હવે કોંગ્રેસ અને ભાજપ વગેરેની ઉંઘ ઉડી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ કહ્યું કે ભાજપ જેવી પાર્ટીઓ હવે મજબૂરીમાં કેટલાક પગલાં લઈ રહી છે. હવે કોંગ્રેસ પણ દલિતોને આકર્ષવા વિવિધ યુક્તિઓ અપનાવી રહી છે અને અમિત શાહના નિવેદનના આધારે વોટ મેળવવાનો પ્રયાસ કરી રહી છે</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/congress-did-not-give-bharat-ratna-to-dr-ambedkar-mayavati"> કોંગ્રેસે ડો.આંબેડકરને ભારતરત્ન નહોતો આપ્યો : માયાવતી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Dec 2024 20:49:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1727</Articleid>
                    <excerpt>સંસદમાં ડો.આંબેડકરનું નામ લેવાને ફેશન ગણાવતા ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મુદ્દે હવે બસપા સુપ્રીમો માયાવતીનું નિવેદન આવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67643838e93f7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67643838b70c0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67643838b70c0.jpg" length="79178" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkar, amit shah, mayawati</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાની જમીન પર સરકારે ગેરકાયદે યુનિવર્સિટી ઉભી કરી દીધી</title>
                    <link>https://khabarantar.com/rajasthan-government-built-womens-college-on-the-land-of-a-dalit-woman-in-ladnoon</link>
                    <guid>https://khabarantar.com/rajasthan-government-built-womens-college-on-the-land-of-a-dalit-woman-in-ladnoon</guid>
                    <description>
                        <![CDATA[ દલિત મહિલાને ધમકી આપી માથાભારે વ્યક્તિએ સાદા કાગળ પર લખાણમાં સહી કરાવી લીધી, મામલો હાઈકોર્ટમાં હોવા છતાં સરકારે જમીન પર મહિલા યુનિવર્સિટી બનાવીને ચાલુ કરી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાન મહિલાઓ માટે શા માટે નર્ક ગણાય છે તેનું વધુ એક ચોંકાવનારું ઉદાહરણ સામે આવ્યું છે. મોટાભાગે દલિતો પર અત્યાચારના કિસ્સાઓમાં જાતિવાદી તત્વો ગુનેગાર તરીકે હોય છે, પણ અહીં તો ખુદ સરકારી તંત્ર એક દલિત મહિલાની જમીન પડાવી લઈને ગુનો આચરી રહ્યું છે. મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, હિયરીંગ થવાનું છે છતાં સરકારે એક દલિત મહિલાની જમીન ગેરકાયદે રીતે પચાવી પાડીને તેના પર આખેઆખી મહિલા યુનિવર્સિટી ઉભી કરી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો રાજસ્થાનના લાડનૂંનો છે. અહીં દલિત મહિલા સીતાદેવી પોતાની જમીન પરત મેળવવા માટે છેલ્લાં ઘણાં સમયથી એકલા હાથે લડી રહી છે. સીતાદેવીની જમીન પર સરકારે માથાભારે તત્વોનો સહારો લઈને મહિલા યુનિવર્સિટી ઉભી કરી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સીતાદેવીને ધમકાવીને જમીન પડાવી લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાડનૂંની ખસરા નં. 1548, 1587 અને 1587/1ની કુલ 27 વીઘા 16 બિસ્વા જમીન જે બારાની અવ્વલ ખેતીની જમીન તરીકે ઓળખાય છે, તે મૂળ દલિત મહિલા સીતાદેવીની મિલકત છે. આ જમીનમાં ખેતી કરીને તે પોતાનું ગુજરાન ચલાવતી હતી. પરંતુ એક ષડયંત્ર હેઠળ આ જમીનને આનંદપાલ સિંહના "ટોર્ચર હાઉસ" અને "બંકર" તરીકે જાહેર કરવામાં આવી હતી. એ પછી વહીવટીતંત્રે તેને જપ્ત કરી લીધી અને સીતા દેવી અને તેના પરિવારને ધમકાવીને બળજબરીથી સાદા કાગળો પર સહી કરાવી લીધી. એવો આરોપ હતો કે આનંદપાલે સીતા દેવીને ધમકી આપીને જમીન પોતાના નામે કરાવી લીધી હતી, જ્યારે વાસ્તવિકતા એ છે કે આ જમીન ક્યારેય આનંદપાલની હતી જ નહીં. હવે અહીં મહિલા યુનિવર્સિટી બનાવી દેવાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોલેજ બાંધકામ: દલિત અધિકારો પર હુમલો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારી ગર્લ્સ કોલેજ અગાઉ જોહરી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના બિલ્ડીંગમાંથી ચલાવવામાં આવતી હતી. પરંતુ 14 ડિસેમ્બર 2024 ના રોજ તેને NH-58 પર સ્થિત વિવાદિત જમીન પર ખસેડવામાં આવી હતી. આ એ જ જમીન છે, જેને સીતા દેવીએ પોતાના હકની લડાઈમાં રાજસ્થાન હાઈકોર્ટમાં પડકારી છે. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં તંત્રે આ જમીન પર બાંધકામ શરૂ કરી દીધું છે અને હવે ત્યાં 251 વિદ્યાર્થીનીઓ સાથે અહીં કોલેજ ચાલી રહી છે. આ પગલું માત્ર દલિત મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન નથી પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં પણ દખલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જમીનને વિવાદિત બનાવી પડાવી લેવામાં આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જમીનને “આનંદપાલનું બંકર” કહીને પ્રચાર કરવામાં આવ્યો હતો. એવો આરોપ હતો કે આનંદપાલ નામનો શખ્સ આ જમીનનો ઉપયોગ ગુનાઓ આચરવા માટે કરતો હતો. પરંતુ તપાસમાં એ હકીકત બહાર આવી હતી કે આનંદપાલને આ જમીન સાથે કોઈ સંબંધ નથી. તેમનું પૈતૃક ઘર સાંવરાદ ગામમાં છે, અને લાડનૂંમાં તેમનું એક અલગ ઘર પણ છે. આ જમીન પર ઉભેલો પાક અને સીતાદેવીની વર્ષોની મહેનત સાક્ષી પુરે છે કે આ જમીન તેમના પરિવાર માટે આજીવિકાનું સાધન હતી. કહેવાતા “ટોર્ચર હાઉસ”નો આરોપ માત્ર આ જમીનને વિવાદિત બનાવવા અને સીતા દેવીના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સીતાદેવીએ સંઘર્ષ કરવાનું છોડ્યું નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીતા દેવીએ પોતાની જમીન પાછી મેળવવા માટે દરેક સ્તરે પ્રયાસ કર્યો છે. તેમણે તાલુકાથી લઈને કલેક્ટર સુધી અરજી કરી હતી, પરંતુ તેમની અરજીને દરેક જગ્યાએ અવગણવામાં આવી હતી. જ્યારે કોઈ વિકલ્પ ન બચ્યો ત્યારે તેમણે રાજસ્થાન હાઈકોર્ટમાં ધા નાખી છે. હાઈકોર્ટે કેસની સુનાવણી માટે 19 ડિસેમ્બર 2024ની તારીખ નક્કી કરી છે. પરંતુ આ પહેલા જ વહીવટીતંત્રે સીતાદેવીની જમીન પર કોલેજ શરૂ કરી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારની દલિત વિરોધી માનસિકતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતોના ઉત્થાન અને અધિકારોની વાત કરતી રાજસ્થાન સરકાર આ મામલે સંપૂર્ણપણે દલિત વિરોધી વલણ અપનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. કાયદો સ્પષ્ટપણે કહે છે કે દલિતોની ખેતીની જમીન ઉચ્ચ જાતિ અથવા અન્ય વર્ગો દ્વારા ખરીદી શકાતી નથી. પરંતુ આ કિસ્સામાં કાયદાની અવગણના કરીને વહીવટીતંત્રે જમીનનો કબજો લઈ તેને સરકારી સંસ્થામાં ફેરવી દીધી હતી. આ કેસ માત્ર દલિત મહિલાના અધિકારોનું ઉલ્લંઘન નથી, પરંતુ તે બંધારણની કલમ 17 (અસ્પૃશ્યતા નાબૂદી) અને કલમ 46 (અનુસૂચિત જાતિનું રક્ષણ)નું સીધું ઉલ્લંઘન છે. કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય ત્યારે જમીનની સ્થિતિ બદલવી એ ન્યાયિક પ્રક્રિયાની મજાક ઉડાવવા સમાન છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોને ન્યાય ક્યારે મળશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીતાદેવીનો આ સંઘર્ષ માત્ર તેમની જમીન પૂરતો સીમિત નથી. એ સવાલ ઉઠાવે છે કે શું ભારતના દલિત સમુદાયને તેમના બંધારણીય અધિકારો અને ન્યાય મળી શકશે? શું સરકાર અને વહીવટીતંત્ર તેમનો અવાજ સાંભળવા તૈયાર છે? આ કેસ સામાજિક ન્યાય અને સમાનતા માટેની લડતનું પ્રતીક બની ગયો છે. કોર્ટે આ મામલામાં ઝડપી અને ન્યાયી નિર્ણય લેવો જોઈએ અને સીતા દેવીને તેમનો અધિકાર આપવો જોઈએ. વધુમાં, સરકાર અને વહીવટીતંત્રે તેમની દલિત વિરોધી માનસિકતા છોડી દેવી જોઈએ અને વંચિત વર્ગના અધિકારોના રક્ષણ માટે પગલાં લેવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dalits-house-was-burnt-if-he-complained-about-illegal-occupation-of-land">જમીન પર ગેરકાયદે કબ્જાની ફરિયાદ કરી તો દલિતનું ઘર સળગાવી દીધું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Dec 2024 12:07:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1724</Articleid>
                    <excerpt>દલિત મહિલાને ધમકી આપી માથાભારે વ્યક્તિએ સાદા કાગળ પર લખાણમાં સહી કરાવી લીધી, મામલો હાઈકોર્ટમાં હોવા છતાં સરકારે જમીન પર મહિલા યુનિવર્સિટી બનાવીને ચાલુ કરી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6763be3fabe36.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6763be3f78387.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6763be3f78387.jpg" length="74686" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ladnoon News, government college</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત વિદ્યાર્થિનીએ બટેટા કાપ્યા તો રસોઈયાએ મધ્યાહન ભોજન ન બનાવ્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-student-cut-potatoes-cook-didnt-prepare-midday-meal-in-mainpuri-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/dalit-student-cut-potatoes-cook-didnt-prepare-midday-meal-in-mainpuri-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી રસોઈયો મધ્યાહન ભોજન બનાવ્યા વિના ઘેર જતો રહેતા નિર્દોષ ભૂલકાઓ ભૂખ્યાં રહ્યાં. અંતે તેમણે જાતે આવડે તેવી રસોઈ બનાવી. શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશના ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર વિશે બેફામ વાણીવિલાસ કરીને તેમનો, તેમના પક્ષનો અને તેમની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો અસલી ચહેરો છતો કરી દીધો છે. બાબાસાહેબે આપેલા હક-અધિકારો પર આ દેશનો સામાન્ય માણસ સ્વતંત્રતાથી શ્વાસ લઈ શકે છે, બાકી ગૃહમંત્રી અને તેમના પક્ષની મનુવાદી માનસિકતા તેમને કાયમ ગુલામ બનાવી રાખવા માંગે છે. ભાજપ અને આરએસએસ દલિતો, આદિવાસીઓના હકો પર દરરોજ કોઈને કોઈ રીતે તરાપ મારતા રહે છે. તેનામાં આ સમાજના વર્ષો જૂના પ્રશ્નોને હલ કરવાની ત્રેવડ નથી અને તે કરવા પણ માંગતો નથી. જેના કારણે અસ્પૃશ્યતા જેવી ઘટનાઓ દરરોજ બને છે. આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના મૈનપુરીની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઉત્તરપ્રદેશના મૈનપુરીની છે. અહીં કિશની ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બનાવનાર એક જાતિવાદી રસોઈયાએ અનુસૂચિત જાતિની વિદ્યાર્થિની દ્વારા બટાકા કાપવામાં આવતા ભોજન બનાવવાનો ઈનકાર કરી દીધો. જેને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનાએ માત્ર શિક્ષણ પદ્ધતિ પર જ સવાલો ઉભા કર્યા નથી, પરંતુ સમાજમાં ઊંડે સુધી જડ ઘાલી ગયેલી જાતિ ભેદભાવની માનસિકતાને પણ છતી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત શનિવારે શાળામાં બાળકો જાતે જ મિડ-ડે મીલ બનાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. રવિવારે તંત્રે આ ઘટનાને ગંભીરતાથી લીધી અને તપાસના આદેશ આપ્યા. બ્લોક એજ્યુકેશન ઓફિસર (BEO) સર્વેશ યાદવ પોતે સ્કૂલ પહોંચ્યા અને ઘટનાની તપાસ કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બ્લોક એજ્યુકેશન ઓફિસરે શાળાના શિક્ષક, રસોઈયા કમલેશ અને સુશીલા સહિતના બાળકોની અલગ-અલગ પૂછપરછ પણ કરી હતી. પૂછપરછ દરમિયાન ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું. રસોઈયાએ સ્વીકાર્યું કે જ્યારે અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનિએ બટાકા કાપ્યા ત્યારે તેણે ખોરાક રાંધવાની ના પાડી દીધી હતી અને શાળા છોડી જતો રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સ્પષ્ટતા કરવા ઈન્ચાર્જ મુખ્ય શિક્ષક દ્વારા તપાસ અધિકારીઓને એક ઓડિયો ક્લિપ પણ સોંપવામાં આવી હતી. આ ક્લિપમાં મુખ્ય શિક્ષક અને રસોઈયા કમલેશ વચ્ચેની વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે. વાતચીતમાં, રસોઈ બનાવનાર સ્પષ્ટપણે કહે છે કે એક અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનિએ બટેટા કાપ્યા હોવાથી તે રસોઈ નહીં બનાવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાળકોએ જાતે જેવી આવડે તેવી રસોઈ બનાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે શાળામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. રસોઈયાઓના ગયા પછી બાળકોને ખોરાક જાતે રાંધવાની ફરજ પડી હતી. આ સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે, કારણ કે મધ્યાહન ભોજન યોજનાનો ઉદ્દેશ્ય બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો છે, પરંતુ આ ઘટનામાં બાળકો ન માત્ર ખોરાકથી વંચિત રહ્યાં, પરંતુ તેમના કુમળા માનસ પર જાતિવાદનો કારમો ઘા લાગ્યો, એટલું જ નહીં નિર્દોષ આ બાળકોએ જાતે ખોરાક રાંધવાની ફરજ પડી હતી. આનાથી વધુ શરમજનક બીજું શું હોય?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રસોઈયા અને શિક્ષકના લેખિત નિવેદનો લેવાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને ગંભીર ગણીને બ્લોક એજ્યુકેશન ઓફિસરે કહ્યું કે રસોઈયા અને શિક્ષકના લેખિત નિવેદનો નોંધવામાં આવ્યા છે. ઘટનાનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીઓને સુપરત કરવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાળકો સાથે આભડછેટનો ગંભીર પ્રશ્ન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના માત્ર શાળાના ગેરવહીવટ પુરતી સીમિત નથી, પરંતુ તે આપણા સમાજમાં ઉંડા ઉતરેલા જ્ઞાતિ ભેદભાવનું દુઃખદ ચિત્ર રજૂ કરે છે. અનુસૂચિત જાતિના બાળકો સાથે આ પ્રકારનું વર્તન માત્ર તેમના શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન નથી પરંતુ તેમના આત્મસન્માન અને સુરક્ષાને પણ ઠેસ પહોંચાડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિષ્ણાતો કહે છે કે આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહીની સાથે સામાજિક જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે. તમામ બાળકોને સમાન તકો અને સન્માન મળે તે માટે શિક્ષણ પદ્ધતિને જાતિના ભેદભાવથી મુક્ત કરવી એ સમયની જરૂરિયાત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાળકોના હિતોની રક્ષા કોણ કરશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૈનપુરીમાં બનેલી આ ઘટના આપણા સમાજના એવા અંધકારમય પાસાને સામે લાવે છે જેને આપણે વારંવાર અવગણીએ છીએ. બાળકોના શિક્ષણ અને તેમની ગરિમાની રક્ષા કરવાની જવાબદારી માત્ર વહીવટીતંત્રની જ નહીં પરંતુ સમગ્ર સમાજની છે. આવા કિસ્સાઓમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી અને બાળકોના હિતોની સુરક્ષાની ખાતરી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/pranav-sijoy-of-st-benedict-lp-school-slivamala-ldukki-dropped-out-of-school">ઉલટી સાફ કરનાર દલિત બાળકે આઘાતમાં આવીને શાળા છોડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Dec 2024 10:59:50 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 19 Dec 2024 11:01:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1723</Articleid>
                    <excerpt>જાતિવાદી રસોઈયો મધ્યાહન ભોજન બનાવ્યા વિના ઘેર જતો રહેતા નિર્દોષ ભૂલકાઓ ભૂખ્યાં રહ્યાં. અંતે તેમણે જાતે આવડે તેવી રસોઈ બનાવી. શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6763ae6c4c235.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6763ae6c19b44.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6763ae6c19b44.jpg" length="89898" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mainpuri News, untouchability, Mid-day meal</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેતરમાં તારની વાડ કરતા દલિત પરિવાર પર મનોરોગીએ હુમલો કર્યો</title>
                    <link>https://khabarantar.com/Nagaur-News-a-psychopath-attacked-a-Dalit-family</link>
                    <guid>https://khabarantar.com/Nagaur-News-a-psychopath-attacked-a-Dalit-family</guid>
                    <description>
                        <![CDATA[ મનોરોગીએ તેના સાગરિતો સાથે ટ્રેક્ટર લઈ દલિત પરિવારના ખેતરે પહોંચી ગયો અને હુમલો કરી દીધો. દલિત યુવકને બચાવવા વચ્ચે પડનાર તેની પત્નીને જાતિવાદીઓએ માર માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં એક મેઘવાળ યુવકની હત્યાનો મામલો ચગેલો છે, તેમાં ન્યાય નથી મળ્યો ત્યાં હવે અન્ય એક ગામમાં એક મનોરોગી જાતિવાદી તત્વે સાથીઓ સાથે મળીને એક દલિત પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં દલિત યુવકને બચાવવા માટે વચ્ચે પડેલી તેની પત્નીને પણ જાતિવાદી તત્વોએ લાકડીઓથી માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નાગૌર જિલ્લાના તાંતવાસ ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના નાગૌર જિલ્લાના તાંતવાસ ગામની છે. અહીં એક દલિત પરિવાર પર જાતિવાદી તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લુખ્ખા તત્વો પતિ-પત્નીને મારતા અને ધમકાવતા જોઈ શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત બીરબલ રામ મેઘવાલે પોલીસમાં નોંધાવેલી રિપોર્ટમાં જણાવ્યું છે કે, 7 ડિસેમ્બરે જાતિવાદી માનસિકતાનો ગુલાબ સિંહ અને તેના સાથીઓ તેમણે ખેતરમાં લગાવેલી લોખંડની જાળી તોડવા માટે ટ્રેક્ટર લઈને આવી પહોંચ્યા હતા. જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો તો ગુલાબ સિંહે તેના પર લાકડીઓથી હુમલો કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બીરબલ મેઘવાળના પત્નીને પણ માર માર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બબાલનો અવાજ સાંભળીને બીરબલ મેઘવાળની પત્ની પારુ દેવી વચ્ચે પડી તો આરોપીઓએ તેને પણ લાકડીઓ વડે માર માર્યો, જેના કારણે પારુ દેવીને એક હાથમાં ગંભીર ઈજા થઈ. હુમલાખોરોએ જાતિ આધારિત અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને પતિ-પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમની મોટરસાઇકલને પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણ લોકો સામે કેસ નોંધાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીરબલ મેઘવાળના રિપોર્ટ પર પોલીસે ગુલાબ સિંહ, પ્રેમ સિંહ અને નરેન્દ્ર સિંહ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. નાગૌરના પોલીસ અધિક્ષક નારાયણ તોગસે જણાવ્યું કે મુખ્ય આરોપી માનસિક રીતે બીમાર છે અને જોધપુરમાં તેની સારવાર ચાલી રહી છે. કેસની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે અને એસસી-એસટી સેલના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાંસદે સંસદમાં દલિત અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ ફરી એકવાર દલિતો પરના અત્યાચારની ચર્ચા શરૂ થઈ છે. આ ઘટના નાગૌરમાં પહેલાથી ચાલી રહેલા કેસોમાં ઉમેરો કરે છે. લોકસભા સાંસદ હનુમાન બેનીવાલે સંસદમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા રાજસ્થાનમાં દલિતો પર વધી રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે સરકારે દલિતોને તેમના બંધારણીય અધિકારો આપવા માટે અસરકારક પગલાં લેવાની જરૂર છે. કાયદો હોવા છતાં દલિત સમુદાયને સમાનતાના અધિકાર માટે સંઘર્ષ કરવો પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ હેઠળ તપાસ શરૂ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. દલિત સંગઠનોએ આ કેસમાં ઝડપી ન્યાય અને આરોપીઓને કડક સજાની માંગ કરી છે. પોલીસ અધિક્ષક નારાયણ ટોગસે જણાવ્યું હતું કે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ ઝડપથી કરવામાં આવી રહી છે. એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પીડિતોને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-woman-killed-for-asking-why-are-you-grazing-cattle-in-my-field">'મારા ખેતરમાં ઢોર કેમ ચરાવો છો?' પૂછતા દલિત મહિલાની હત્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Dec 2024 14:28:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1718</Articleid>
                    <excerpt>મનોરોગીએ તેના સાગરિતો સાથે ટ્રેક્ટર લઈ દલિત પરિવારના ખેતરે પહોંચી ગયો અને હુમલો કરી દીધો. દલિત યુવકને બચાવવા વચ્ચે પડનાર તેની પત્નીને જાતિવાદીઓએ માર માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67628d75ef1e7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67628d75ab7bd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67628d75ab7bd.jpg" length="54968" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Nagaur News, attacked a Dalit family, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત વરરાજા પોલીસમાં, કન્યા BSFમાં, છતાં વરઘોડા પર મોટો હુમલો થયો</title>
                    <link>https://khabarantar.com/Casteist-elements-attack-Dalit-policemans-procession-in-Bulandshahr</link>
                    <guid>https://khabarantar.com/Casteist-elements-attack-Dalit-policemans-procession-in-Bulandshahr</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી તત્વોએ દલિત વરરાજાને ઘોડી પરથી નીચે પટકી માર માર્યો, ડીજેમાં તોડફોડ કરી. લુખ્ખા તત્વોએ દલિત મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લગ્નની સિઝન શરૂ થતાની સાથે જ જાતિવાદી તત્વો દ્વારા દલિતોના વરઘોડા, જાન પર હુમલાઓની ઘટનાઓ પણ શરૂ થઈ ગઈ છે. દરરોજ દેશના કોઈને કોઈ ખૂણે જાતિવાદી લુખ્ખાઓ દ્વારા મિથ્યાભિમાનમાં રાચીને દલિત વરરાજાને ઘોડી પર ન બેસવા દેવા, ડીજે ન વગાડવા દેવું જેવી બાબતે વિરોધ કરીને જાન કે વરઘોડા પર હુમલો કરવામાં આવતો હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે જાતિવાદી તત્વોને પોલીસની કાર્યવાહીની બીક લાગતી હોય છે. પરંતુ અહીં જે ઘટનાની વાત કરવી છે તેમાં તો ખુદ વરરાજા પોલીસકર્મી છે અને તેમની થનાર પત્ની બીએસએફમાં ફરજ બજાવે છે. તેમ છતાં જાતિવાદી તત્વોએ તેમના હોદ્દાની પણ પરવા કર્યા વિના વરઘોડા પર હુમલો કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના બુલંદશહેરના ટિટૌવા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઉત્તરપ્રદેશના બુલંદશહેરના જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનની છે. અહીં ટિટૌવા ગામમાં એક દલિત પોલીસકર્મીના વરઘોડા દરમિયાન જાતિવાદી તત્વોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જાતિવાદી તત્વોએ વરરાજાને ઘોડી પરથી નીચે પાડી દીધા હતા અને પથ્થરમારો કરીને ડીજેનું વાહન પણ તોડી નાખ્યું હતું. એ દરમિયાન વરઘોડામાં સામેલ મહિલાઓ સાથે પણ તેમણે અભદ્ર વર્તન કર્યું હતું. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાંચ લોકોની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે દલિત સમાજમાંથી આવતા વરરાજા યુપી પોલીસમાં સિપાહી છે અને તેમની થનાર પત્ની બીએસએફમાં સિપાહી છે. તેમ છતાં જાતિવાદી તત્વોએ તેમના હોદ્દાની ગરિમા જાળવ્યા વિના પથ્થરમારો કરી વરઘોડામાં વિધ્ન ઉભું કર્યું હતું. પોલીસે આ મામલે કડક કાર્યવાહીની તૈયારીઓ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વરરાજાને ઘોડી પરથી પાડી દીધા, ડીજે તોડી નાખ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 11 ડિસેમ્બર 2024ની છે. તે દિવસે દલિત વરરાજા રોબિનના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ગામના જાતિવાદી તત્વોને એક દલિત વરરાજો આ રીતે ઘોડીએ ચડીને ગામ વચ્ચેથી નીકળે તે ગમ્યું નહોતું. આથી તેમણે વરઘોડા પર હુમલો કરી દીધો હતો. તેમણે ન માત્ર મારામારી કરી પરંતુ દલિત સમાજના લોકોને જાતિસૂચક ગાળો પણ ભાંડી. આરોપીઓએ વરઘોડા પર બેસેલા વરરાજાને ઘોડી પરથી નીચે પાડી દીધા હતા અને તેમને માર માર્યો હતો. આ ઘટનામાં તેમણે ડીજેના વાહનને પણ તોડી નાખ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદીઓ પથ્થરમારો કરી ફરાર થઈ ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરરાજાના પિતા નંદરામના જણાવ્યા મુજબ લગ્નની જાન નીકળવાની હતી. તેના માટે વરઘોડો કાઢવાનો હતો. પણ એ દરમિયાન અડધા ડઝનથી વધુ લોકો આવી પહોંચ્યા અને વરઘોડા પર પથ્થરમારો શરૂ કરી દીધો. અરાજકતાવાદી તત્વોએ ઘોડી પર બેઠેલા તેમના પુત્રને નીચે ઉતારી દીધો અને વરઘોડામાં સામેલ ડીજેને પણ તોડી નાખ્યું. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા. આખા વરઘોડામાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિની ગંભીરતા જોઈને તરત પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વરરાજા પોલીસ કોન્સ્ટેબલ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નંદરામે જણાવ્યું કે તેમનો પુત્ર રોબીન યુપી પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ છે. તેની નોકરી લાગી હતી અને તેના લગ્ન હતા એટલે સૌ કોઈ ખુશ હતા. તેની થનાર પત્ની પણ બીએસએફમાં છે. આ બમણી ખુશીને અમે સારી રીતે ઉજવવા માંગતાહતા. પરંતુ જાતિવાદી તત્વોના કારણે ખુશીનો પ્રસંગ અરાજકતામાં ફેરવાઈ ગયો. સદનસીબે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ પછી ફરીથી જેમતેમ કરીને તૈયારીઓ કરી ફરી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જો કે, તેમાં પહેલા જેવી મજા નહોતી રહી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે તપાસ શરૂ કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસપી દેહત રોહિત મિશ્રાએ કહ્યું કે મામલો તેમના ધ્યાન પર આવ્યો છે અને ફરિયાદીઓની ફરિયાદના આધારે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં પાંચ લોકોની ધરપકડ કરીને જેલ ધકેલી દેવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/thakur-attack-dalit-grooms-procession-in-damoh-madhya-pradesh-gujarati">જાતિવાદીઓએ દલિત વરરાજાની બગી તોડી નાખી, જાનૈયાને દોડાવીને માર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Dec 2024 14:46:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1711</Articleid>
                    <excerpt>જાતિવાદી તત્વોએ દલિત વરરાજાને ઘોડી પરથી નીચે પટકી માર માર્યો, ડીજેમાં તોડફોડ કરી. લુખ્ખા તત્વોએ દલિત મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676140d980fdf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676140d947aed.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676140d947aed.jpg" length="95536" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Casteist elements, Attack on dalit Groom, Dalit News, Titova village, Bulandshahr, Uttar Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>પદ્મવિભૂષણ ઈલૈયારાજાને તમિલનાડુમાં મંદિરના ગર્ભગૃહમાં જતા રોકાયા</title>
                    <link>https://khabarantar.com/c-ilaiyaraaja-was-stopped-from-entering-the-temple-due-to-caste-discrimination</link>
                    <guid>https://khabarantar.com/c-ilaiyaraaja-was-stopped-from-entering-the-temple-due-to-caste-discrimination</guid>
                    <description>
                        <![CDATA[ દંતકથા સમાન સંગીતકાર, 5 નેશનલ એવોર્ડ વિજેતા પદ્મવિભૂષણ, રાજ્યસભાના સાંસદ સી. ઈલૈયારાજા સાથે જાતિભેદભાવની ગંભીર ઘટના ઘટી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દક્ષિણના પ્રખ્યાત સંગીતકાર, એ.આર.રહેમાનથી લઈને અનેક મોટા સંગીતકારો, ગાયકોના ગુરૂ, રાજ્યસભાના સાંસદ એવા પદ્મભૂષણ સી. ઇલૈયારાજા (C. Ilaiyaraaja) સાથે જાતિ ભેદભાવની ગંભીર ઘટના બની છે. તેમને એક મંદિરના પ્રવેશતા તેના પૂજારીઓએ રોક્યા હતા. જેને લઈને હવે મોટો વિવાદ ઉભો થઈ ગયો છે. દલિત સમાજમાંથી આવતા ઈલૈયારાજાને તેમની જાતિના કારણે મંદિરના પૂજારીઓએ ગર્ભગૃહમાં પ્રવેશતા રોક્યા હતા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઈલૈયારાજાના ચાહકોને મોટો આઘાત લાગ્યો હતો અને તેમણે પૂજારીઓ પર ફિટકાર વરસાવી હતી. આ મામલે હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. અનેક મોટી હસ્તીઓએ આ ઘટનાની આકરી ટીકા કરી છે. પરિણામે હવે સરકારે પણ ખુલાસો કરવો પડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રવિવારે ઇલૈયારાજાએ પેરિયા પેરુમલ મંદિર, નંદનવનમ અને અંડાલ મંદિરની મુલાકાત લીધી હતી. એ દરમિયાન મંદિરના અધિકારીઓએ કથિત રીતે તેમને ગર્ભગૃહમાં પ્રવેશતા અટકાવ્યા હતા. તેમને અંડાલ મંદિરમાં જતા રોકવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિન્દુ ધાર્મિક અધિકારીઓએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતે, તમિલનાડુના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઇલૈયારાજા કોન્સર્ટમાં ભાગ લેવા માટે શ્રી ત્રિદંડી શ્રીમન્નારાયણ રામાનુજ ચિન્ના જીયર (વૈષ્ણવ ધાર્મિક ગુરુ) સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને કહેવામાં આવ્યું કે અર્થ મંડપમમાં ફક્ત તે મંદિરના પૂજારી અને જીયર જ પ્રવેશ કરી શકે છે. મંદિર પ્રશાસન અનુસાર, ઇલૈયારાજા પ્રવેશદ્વાર પર રોકાયા અને ત્યાંથી પ્રાર્થના કરી રવાના થઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂજારીઓએ મંદિરનો નિયમ આડે ધર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંદિર સત્તાવાળાઓ દ્વારા પ્રોટોકોલના ઉલ્લંઘનનો હવાલો આપીને ઇલૈયારાજાને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપી નહોતી. પણ તેની પાછળનું અસલી કારણ તેમની દલિત જાતિ છે તેવું જાણકારોનું કહેવું છે. આ ઘટના પરથી ફરી એકવાર સાબિત થાય છે કે, તમે ગમે તેટલા મહાન થઈ જાઓ તો પણ આ દેશમાં તમારી જાતિને લઈને થતા ભેદભાવ કદી પુરા થતા નથી. સૌથી પહેલા તમારી જાતિ જોવામાં આવે છે, એ પછી જ તમારી સાથે વ્યવહાર કરાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગર્ભગૃહ બહારથી જ પાછું વળવું પડ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ ઇલૈયારાજા અર્થ મંડપમની બહારથી પ્રાર્થના કરવા માટે આગળ વધ્યા અને પૂજારીઓએ તેમનું હાર પહેરાવી સન્માન કર્યું હતું. આ ઘટનાએ ઓનલાઈન ચકચાર જગાવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઈન્ટરનેટ યુઝર્સે આ મામલામાં પૂજારીઓની આકરી ટીકા કરી હતી કેમ કે ઈલૈયારાજાએ બહારથી જ દર્શન કરીને પાછું વળવું પડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે ઈલૈયારાજા?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇલૈયારાજા સંગીતની દુનિયામાં દંતકથા જેવું નામ ગણાય છે. એ.આર. રહેમાનથી લઈને અનેક દિગ્ગજ સંગીતકારો તેમને પોતાના ગુરૂ માને છે. તેમણે મુખ્યત્વે દક્ષિણ ભારતીય ભાષાઓમાં બનેલી ફિલ્મો માટે સંગીત આપ્યું છે, તેમણે 7000 થી વધુ ગીતો કમ્પોઝ કર્યા છે. આ સિવાય વીસ હજારથી વધુ કોન્સર્ટમાં ભાગ લીધો છે. તેઓ “ઇસૈજ્ઞાની” અર્થાત સંગીતના જ્ઞાની ઉપનામથી ઓળખાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાંચ નેશનલ એવોર્ડ, 2 વાર પદ્મ એવોર્ડથી સન્માન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇલૈયારાજાને શતાબ્દી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને પાંચ નેશનલ એવોર્ડ મળ્યા છે. ભારત સરકારે તેમને 2010માં પદ્મ ભૂષણ અને 2018માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. 2012માં તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676111ca96830.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ લંડનની ટ્રિનિટી કૉલેજ ઑફ મ્યુઝિકમાંથી ક્લાસિકલ ગિટાર વગાડવામાં ગોલ્ડ મેડલ વિજેતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત પરિવારમાં જન્મ થયો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે સી ઇલૈયારાજાનો જન્મ 3 જૂન 1943ના રોજ તમિલનાડુના એક ગરીબ દલિત પરિવારમાં થયો હતો. તેમની અને ડીએમકેના સ્થાપક એમ. કરુણાનિધિ બંનેની જન્મ તારીખ એક જ છે (3 જૂન). આ કારણોસર, તેમણે તેમની જન્મ તારીખ 2 જૂને ઉજવવાનું નક્કી કર્યું હતું, જેથી લોકો 3 જૂને માત્ર એમ. કરુણાનિધિની જન્મ તારીખ ઉજવી શકે. એ પછી તેમને “ઈસૈજ્ઞાની”નું બિરુદ આપવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હાલ ક્યા પ્રોજેક્ટ પર કામ કરે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇલૈયારાજા હાલ આંબેડકરવાદી ડિરેક્ટર વેટ્રી મારનની લાંબા સમયથી પેન્ડિંગ વિદુથલાઈ ભાગ 2 અને વિશાલના થુપ્પરિવાલન 2 માટે તૈયારી કરી રહ્યા છે. આ સિવાય ધનુષ અભિનીત ઈલૈયારાજાની બાયોપિક પર પણ કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન રોકી અને સાની કાયિધામ ફેમ અરુણ મથેશ્વરને કર્યું છે. ઇલૈયારાજાને તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/radical-casteism-the-temple-itself-was-demolished-to-prevent-dalits-from-entering-the-temple">કટ્ટર જાતિવાદઃ દલિતો મંદિરમાં ન પ્રવેશે માટે મંદિર જ તોડી નાખ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Dec 2024 11:26:12 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 17 Dec 2024 11:53:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1710</Articleid>
                    <excerpt>દંતકથા સમાન સંગીતકાર, 5 નેશનલ એવોર્ડ વિજેતા પદ્મવિભૂષણ, રાજ્યસભાના સાંસદ સી. ઈલૈયારાજા સાથે જાતિભેદભાવની ગંભીર ઘટના ઘટી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6761119ddbd9a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6761119dab80b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6761119dab80b.jpg" length="61027" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>c ilaiyaraaja, caste discrimination, Stopped from entering temple</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાહુલ ગાંધી સાથે ફોટો જોઈ EDએ કાર્યવાહી કરતા દલિત દંપતીની આત્મહત્યા?</title>
                    <link>https://khabarantar.com/manoj-parmar-and-his-wife-commits-suicide-after-ed-takes-action-after-seeing-photo-with-rahul-gandhi</link>
                    <guid>https://khabarantar.com/manoj-parmar-and-his-wife-commits-suicide-after-ed-takes-action-after-seeing-photo-with-rahul-gandhi</guid>
                    <description>
                        <![CDATA[ મૃતકે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેના ઘરમાં રાહુલ ગાંધી સાથે ફોટો હોવાથી ED એ તેમને ફસાવ્યા છે. ઈડીની ધમકીથી દલિત દંપતિએ આત્મહત્યા કરી લીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના પાટનગર ભોપાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની કાર્યવાહીનો સામનો કરી રહેલા દલિત ઉદ્યોગપતિ મનોજ પરમાર (Manoj Parmar) અને તેમની પત્ની નેહા શુક્રવારે સવારે મધ્ય પ્રદેશના સિહોર (Sihor) જિલ્લામાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમનો મોટો પુત્ર સવારે તેમને જગાડવા ગયો ત્યારે બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે દંપતીએ આત્મહત્યા કરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ પરમારે પાંચ પાનાની સુસાઈડ નોટ છોડી છે, જેમાં તેણે EDના અધિકારીઓ પર દરોડા દરમિયાન તેમના પર હુમલો કરવાનો અને માનસિક દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનોજ પરમારે લખ્યું કે તેમના ઘરે રાહુલ ગાંધીનો ફોટો જોયા બાદ ED ના અધિકારીઓએ તેમને જણાવ્યું કે આ ફોટાના કારણે જ તમારે ત્યાં દરોડા પડ્યા છે. સ્યુસાઈડ નોટમાં મનોજ પરમારે લખ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ફોટો પડાવી પોતાના ઘરમાં રાખ્યો હતો, જેના કારણે ઈડીના અધિકારીઓ તેને પરેશાન કરી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નકલી દસ્તાવેજો પર લોનનો આરોપ મૂક્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ મનોજ પરમાર પર રોજગાર યોજના અને મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ સાહસિક યોજના હેઠળ લીધેલી લોનનો દુરુપયોગ કરવાનો આરોપ છે. તેમના પર નકલી દસ્તાવેજો દ્વારા કરોડો રૂપિયાની લોનની સુવિધા મેળવવાનો આરોપ હતો. સીબીઆઈએ ડિસેમ્બર 2017માં પરમાર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી, તેને રદ કરવાની તેમની અરજી સપ્ટેમ્બર </span><span style="font-size: 14pt;">2022માં હાઈકોર્ટે ફગાવી દીધી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઈડીએ મનોજ પરમારના અનેક ઠેકાણા પર દરોડા પાડ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">સમાચાર એ પણ છે કે તાજેતરમાં, 5 ડિસેમ્બરે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મનોજ પરમાર અને અન્ય લોકોની તપાસ કરતી વખતે સિહોર અને ઇન્દોરમાં ચાર જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. EDએ જણાવ્યું હતું કે બેંક ફ્રોડ સ્કીમમાં સામેલ લોકોના સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ઈડીએ પ્રેસ નોટ જારી કરીને શું કહ્યું?</span></strong><br><span style="font-size: 14pt;">7 ડિસેમ્બરે, EDએ એક પ્રેસનોટ જારી કરીને જણાવ્યું હતું કે દરોડામાં ઘણા દસ્તાવેજો અને મિલકતોની વિગતો જપ્ત કરવામાં આવી છે. ઈડીએ રૂ. 3.5 લાખનું બેંક બેલેન્સ ફ્રીઝ કર્યું અને ચાર સ્થાવર મિલકતોની ઓળખ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાહુલ ગાંધી સાથેના ફોટાને લીધે કાર્યવાહી થઈ?</span></strong></span><br><span style="font-size: 14pt;">મનોજ પરમારના પુત્ર અને તેમના ભાઈનો આરોપ છે કે EDએ તેમના પર માનસિક દબાણ કર્યું હતું. પરમારના પરિવારે એજન્સી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમના ઘરમાં રાહુલ ગાંધી સાથે પાડેલો ફોટો જોયા બાદ ઈડીના અધિકારીઓએ કહ્યું હતું કે, આ ફોટાના કારણે જ આ બધું થઈ રહ્યું છે. એ પછી તેમણે મનોજ અને તેમની પત્ની પર દબાણ વધારી દીધું હતું. જેનાથી કંટાળીને તેમણે આત્મહત્યા કરી લીધી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate">દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 16 Dec 2024 14:03:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1707</Articleid>
                    <excerpt>મૃતકે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેના ઘરમાં રાહુલ ગાંધી સાથે ફોટો હોવાથી ED એ તેમને ફસાવ્યા છે. ઈડીની ધમકીથી દલિત દંપતિએ આત્મહત્યા કરી લીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675fe4081f85f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675fe407dda0b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675fe407dda0b.jpg" length="66530" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Manoj Parmar suicide, ED action, photo with Rahul Gandhi</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;નહેરૂ, ઈંદિરા, રાજીવ ગાંધી અનામત વિરોધી હતા&amp;apos; &amp; દલિત સાંસદના કોંગ્રેસ પર આક્ષેપ</title>
                    <link>https://khabarantar.com/shambhavi-chaudhary-said-nehru-Indira-gandhi-and-rajiv-gandhi-were-against-reservation</link>
                    <guid>https://khabarantar.com/shambhavi-chaudhary-said-nehru-Indira-gandhi-and-rajiv-gandhi-were-against-reservation</guid>
                    <description>
                        <![CDATA[ દેશની સૌથી નાની ઉંમરની સાંસદ શાંભવી ચૌધરીએ સંસદમાં કોંગ્રેસ પર મોટો આક્ષેપ કરતા કહ્યું કે, નહેરુ, ઈન્દિરા અને રાજીવે ક્યારેકને ક્યારેક અનામતનો વિરોધ કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ની યુવા સાંસદ શાંભવી ચૌધરી (Shambhavi Chaudhary) એ કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. બંધારણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમણે ત્રણ પૂર્વ કોંગ્રેસી વડાપ્રધાનોના અનામતને લઈને વિચારો પર કોંગ્રેસને આક્રમકતાથી ઘેરી હતી. ગૃહને સંબોધિત કરતી વખતે દેશની સૌથી યુવા સાંસદ પૈકીની એક એવી દલિત સમાજમાંથી આવતી શાંભવી ચૌધરીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી દ્વારા સંસદમાં અનામતને લઈને અલગ-અલગ સમયે આપેલા નિવેદનોનો ઉલ્લેખ કર્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંસદ શાંભવી ચૌધરીએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાનો - પંડિત જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ એક યા બીજા સમયે અનામતનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીને લાગતું હતું કે આ સિસ્ટમમાંથી સેકન્ડ ક્લાસ નાગરિકો પેદા થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાંભવીએ કહ્યું, 'સૌથી પહેલા જવાહરલાલ નેહરુએ 1961માં લખ્યું હતું કે મને અનામત કોઈ પણ રીતે પસંદ નથી. ખાસ કરીને નોકરીમાં. હું એવી કોઈપણ વ્યવસ્થાનો વિરોધ કરું છું જેના દ્વારા અક્ષમ લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. જ્યારે ઈન્દિરા ગાંધીએ મંડલ કમિશનના રિપોર્ટ પર કહ્યું હતું કે એવી પદ્ધતિ અપનાવવી જોઈએ જેમાં સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજીવ ગાંધીએ માર્ચ 1985માં આપેલા ઈન્ટરવ્યુનો ઉલ્લેખ કરતા શાંભવી ચૌધરીએ કહ્યું, 'રાજીવ ગાંધીએ કહ્યું હતું કે અનામતના નામે મૂર્ખ લોકોને પ્રોત્સાહન ન આપવું જોઈએ. આવા લોકો દેશને નુકસાન કરે છે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજીવ ગાંધીએ શું કહ્યું હતું? </span></strong></span><br><span style="font-size: 14pt;">2 માર્ચે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, 'બંધારણ બનાવતી વખતે પછાત વર્ગો માટે જે અનામતની જોગવાઈ કરવામાં આવી છે તેને લઈને પાછલા વર્ષોમાં ઘણી રાજનીતિ થઈ છે. તેથી, હવે આ તમામ જોગવાઈઓ પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. વાસ્તવમાં, આ સુવિધા દબાયેલા અને પછાત વર્ગને આપવી જોઈએ, પરંતુ તેને વિસ્તારીને વિવિધ ક્ષેત્રોના બુદ્ધુઓને વધારવાથી આખાદેશને નુકસાન થશે."</span><br><span style="font-size: 14pt;">શાંભવી ચૌધરીએ લોકસભામાં 'સંવિધાનની 75 વર્ષની ભવ્ય સફર' પર ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું હતું કે, "સંવિધાન નેતાના હાથમાં નહીં પરંતુ હૃદયમાં હોવું જોઈએ" તેમણે કોંગ્રેસ પર કટોકટી દ્વારા બંધારણને નુકસાન પહોંચાડવાનો અને બંધારણના નિર્માતા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો પણ આરોપ મૂક્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rulings-on-reservation-have-mostly-been-given-in-favor-of-the-so-called-upper-castes">અનામત પરના ચુકાદા મોટાભાગે કથિત સવર્ણોની તરફેણમાં અપાયા છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 14 Dec 2024 19:58:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1703</Articleid>
                    <excerpt>દેશની સૌથી નાની ઉંમરની સાંસદ શાંભવી ચૌધરીએ સંસદમાં કોંગ્રેસ પર મોટો આક્ષેપ કરતા કહ્યું કે, નહેરુ, ઈન્દિરા અને રાજીવે ક્યારેકને ક્યારેક અનામતનો વિરોધ કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675d95d4071c8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d95d3c0094.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d95d3c0094.jpg" length="78621" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Shambhavi Chaudhary, said on Nehru, Indira and Rajiv, reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેન્યુઅલ સ્કેવેન્જિંગ ખતમ કરવા માટે કોઈપણ હદ સુધી જઈશું : સુપ્રીમ કોર્ટ</title>
                    <link>https://khabarantar.com/supreme-court-says-will-go-to-any-extent-to-end-manual-scavenging</link>
                    <guid>https://khabarantar.com/supreme-court-says-will-go-to-any-extent-to-end-manual-scavenging</guid>
                    <description>
                        <![CDATA[ સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ માનવીય ગરિમા સાથે જોડાયેલો મુદ્દો છે અને આ કુપ્રથાને ખતમ કરવા માટે જે કરવું પડે તે કરીશું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે કહ્યું કે તે ગટર અને સેપ્ટિક ટેંકની હાથથી સફાઈ કરવાની (manual scavenging) કુપ્રથાને ખતમ કરવા માટે 'કોઈપણ હદ સુધી' જશે. આ માનવીય ગૌરવ સાથે જોડાયેલો મુદ્દો છે.</span><br><span style="font-size: 14pt;">ધ હિંદુના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને અરવિંદ કુમારની વિશેષ બેન્ચે કેન્દ્ર સરકારને સંબોધતા કહ્યું, 'આ મુદ્દો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તેને એમ જ છોડી નહીં દઈએ. અમે ઓક્ટોબર 2023 ના અમારા નિર્ણયનું પાલન સુનિશ્ચિત કરવા માટે કોઈપણ હદ સુધી જઈશું, પછી ભલે ગમે તે થાય. કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી દ્વારા કરવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટ 20 ઓક્ટોબર, 2023ના તેના નિર્ણયનો ઉલ્લેખ કરી રહી હતી, જેમાં તેણે કેન્દ્ર અને રાજ્યોને દેશમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ અને સફાઈની ખતરનાક પદ્ધતિઓને દૂર કરવા માટે પગલાં લેવા માટે સૂચનાઓ જારી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ 'અમાનવીય' કામો હજુ પણ સતત ચાલુ છે, જેના કારણે ઘણીવાર કામદારો શ્વાસ રુંધાવાને કારણે મૃત્યુ પામે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું હતું કે મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકે રોજગાર પર પ્રતિબંધ અને તેમના પુનર્વસન અધિનિયમ, 2013ના એક દાયકા પછી પણ જો સમાજનો એક મોટો વર્ગ જીવન જીવવા માટે ગટરોમાં ઉતરવા માટે મજબૂર છે અને તેમાં ફસાઈને મૃત્યુ પામે છે, તો નાગરિકો વચ્ચે ભાઈચારા, સમાનતા અને સન્માનના દાવાઓ માત્ર ભ્રમ બની ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/three-cleaners-dead-by-poisonous-gas-while-cleaning-sewage-tank">ગટર ટેંક સાફ કરતી વખતે ઝેરી ગેસથી ત્રણ સફાઈ કર્મીઓના મોત</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું હતું કે, 'આપણામાંથી પ્રત્યેક વ્યક્તિ વસ્તીના આ મોટા હિસ્સાનો ઋણી છે, જે અદૃશ્ય, વણસાંભળ્યા અને મૂક બનેલા છે અને આ અમાનવીય પરિસ્થિતિમાં ફસાયેલા છે. અગાઉ કોર્ટે ગટર સફાઈમાં મોતને ભેટલા લોકો માટેનું વળતર રૂ. 10 લાખથી વધારીને રૂ. 30 લાખ કરી દીધું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિર્ણયના એક વર્ષ કરતાં વધુ સમય બાદ બુધવારે કોર્ટની વિશેષ બેન્ચે ટિપ્પણી કરી હતી કે રાજ્યોએ ચુકાદામાં આપવામાં આવેલા નિર્દેશોને લાગુ કરવામાં કોઈ કસર છોડી નથી. જો કે, જસ્ટિસ ધુલિયાએ કહ્યું, 'પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ નાબૂદીની વાત છે, તે ક્યાંય થયું નથી, એક પણ નગરપાલિકામાં પણ નહીં...અમને એક એવી મોડેલ નગરપાલિકા બતાવો જ્યાં આ ખતરનાક સફાઈ ન થતી હોય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેસના એમિકસ ક્યુરી વરિષ્ઠ એડવોકેટ કે. પરમેશ્વરાએ જણાવ્યું હતું કે ગટર સફાઈ દરમિયાન થતા મોતને અટકાવવાના પુરાવા દિલ્હી હાઈકોર્ટના તાજેતરના ત્રણ ચુકાદાઓમાં જોવા મળે છે, જેમાં પીડિતોના પરિવારોને વધારા મુજબનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરમેશ્વરે કહ્યું, 'અમારે પુરાવા માટે બહુ દૂર જવાની જરૂર નથી, તેનું ઉદાહરણ દેશની રાજધાનીમાં જ હાજર છે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે પૂછ્યું કે સરકારની નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (નમસ્તે) યોજના છે, જે અંતર્ગત કોઈપણ સફાઈ કર્મીને ગટર અને સેપ્ટિક ટેંકની અંદર ઉતરીને સફાઈ નથી કરવી પડતી તેવી સ્પષ્ટ જોગવાઈ છે, તેમ છતાં આ કુપ્રથા કેવી રીતે ચાલુ રહે છે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/now-the-upperclassmen-also-started-cleaning-drains-and-septic-tanks">હવે સવર્ણો પણ ગટર અને સેપ્ટિક ટેન્ક સાફ કરવા લાગ્યા?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે સામાજિક ન્યાય મંત્રાલયને આગામી બે અઠવાડિયામાં રાજ્યો સાથે બેઠક યોજવા અને ઓક્ટોબર 2023ના નિર્ણયના અમલ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સરકારને અમલીકરણમાં રહેલી ખામીઓને દૂર કરવા કહ્યું છે અને જો તે આમ કરવામાં નિષ્ફળ જશે તો તેને અવમાનના પગલાંનો સામનો કરવો પડશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌપ્રથમ વખત 1993માં મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ પછી, 2013 માં કાયદો બનાવીને તેને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવી હતી. જો કે, આજે પણ આ કુપ્રથા સમાજમાં અસ્તિત્વ ધરાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ 2013 હેઠળ, કોઈપણ વ્યક્તિને ગટરમાં મોકલવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં કોઈ સફાઈ કામદારને ગટરની અંદર મોકલવામાં આવે છે, તો તેના માટે 27 પ્રકારના નિયમોનું પાલન કરવું પડશે. જો કે, આ નિયમોના સતત ઉલ્લંઘનને કારણે ગટરની સફાઈ કરતી વખતે અનેક સફાઈકર્મીઓના મોત થાય છે. અહીં એ કહેવું જરૂરી છે કે, અનામત વ્યવસ્થાનો વિરોધ કરતા લોકોને આ કામમાં આટલા વર્ષે પણ 100 ટકા દલિત-વાલ્મિકી સમાજના લોકોની અનામત જરાય ખટકતી નથી. દલિતોમાં પેટાવર્ગીકરણ કરવાની તરફેણ કરનારા તત્વોને આ અમાનવીય કામમાં ઈશ્વરી તત્વના દર્શન થાય છે તેનાથી શરમજનક બીજું શું હોય?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/75-people-drowned-in-sewers-in-15-years-only-1-was-punished">15 વર્ષમાં 75 લોકો ગટરમાં ગૂંગળાઈ મર્યા, સજા ફક્ત 1 ને થઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 14 Dec 2024 18:56:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1702</Articleid>
                    <excerpt>સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ માનવીય ગરિમા સાથે જોડાયેલો મુદ્દો છે અને આ કુપ્રથાને ખતમ કરવા માટે જે કરવું પડે તે કરીશું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675d8757c09f9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d875790bf7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d875790bf7.jpg" length="47755" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>manual scavenging, Supreme Court, any extent to end</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?</title>
                    <link>https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate</link>
                    <guid>https://khabarantar.com/attacks-on-dr-ambedkars-statues-what-does-it-indicate</guid>
                    <description>
                        <![CDATA[ મહારાષ્ટ્રના પરભણીથી યુપી, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં સુનિયોજિત રીતે ડો.આંબેડકરની પ્રતિમાઓને તોડવામાં આવી રહી છે. કોણ છે આની પાછળ, ઉદ્દેશ્ય શું છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં 10 ડિસેમ્બરની સાંજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે રાખવામાં આવેલી બંધારણની પ્રતિકૃતિને નુકસાન થયું હતું. આ ઘટના માત્ર બંધારણનું અપમાન નથી પરંતુ દલિત સમાજની અસ્મિતા અને ઓળખ પર પણ હુમલો છે. આ ઘટનાથી સમગ્ર પરભણીમાં રોષ ફેલાયો હતો. 11 ડિસેમ્બરે બોલાવવામાં આવેલા “પરભણી બંધ”એ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં ટાયર સળગાવવા, પરભણી-નાંદેડ હાઈવેને બ્લોક કરવા અને પથ્થરમારો કરવા જેવી ઘટનાઓ બની હતી. હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વહીવટીતંત્રે જિલ્લામાં કલમ 144 લાગુ કરી હતી અને લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી હતી. પોલીસના લાઠીચાર્જનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જાતિગત એંગલ અને આક્ષેપોએ આ ઘટનાને વધુ ભડકાવી હતી. બાકી રહેલું હતું તો મનુવાદી મીડિયાએ તેને 'જુઓ, જુઓ દલિતો કેવા તોફાને ચડ્યાં છે?' એ રીતે દર્શાવી આખી ઘટનામાં દલિતોને વિલન ચીતરવાનો ખેલ કર્યો હતો. મનુવાદી મીડિયા વર્ષોથી આ કરતું આવ્યું છે. દલિતોને યેનકેન પ્રકારે બદનામ કરવા તે તેમની વર્ષો જૂની ચાલાકી છે. જે પરભણીમાં પણ જોવા મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પરભણી બંધ અને હિંસક સ્વરૂપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">11 ડિસેમ્બરે પરભણી બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું, પરંતુ વિરોધ ટૂંક સમયમાં જ હિંસક બની ગયો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો, પરંતુ પ્રયાસ નિષ્ફળ ગયો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક પોલીસકર્મી લાકડી લઈ એક વ્યક્તિની પાછળ દોડતો અને તેને નિર્દયતાથી મારતો જોવા મળ્યો હતો. તેને ઘણી દલિત સંસ્થાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા જાતિનો એંગલ આપીને શેર કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસે આ આરોપને નકારી કાઢતા કહ્યું કે લાઠીચાર્જ માત્ર ભીડને કાબૂમાં કરવા માટે કરવામાં આવ્યો હતો અને કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવા માટે નહોતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675d21f5b4edc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના ઈતિહાસમાં દલિત સમુદાયની ઓળખ અને અધિકારોના પ્રતીકો પર હુમલા એ દુઃખદ અને સતત ઘટના રહી છે. મહારાષ્ટ્રમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ, તેમના વિચારો અને દલિત પ્રતીકો પર હુમલા હવે નવી વાત નથી રહી. આ હુમલાઓ માત્ર પ્રતિમાઓ પર જ નથી થતા પરંતુ દલિત સમાજે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય મેળવવા માટે કરેલા સંઘર્ષ અને આંદોલનને પણ નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. આ હુમલાઓ દ્વારા સમાજમાં જાતિવાદ અને અસમાનતાના મૂળને વધુ ઉંડા કરવામાં આવે છે. આ હુમલાઓ દર્શાવે છે કે, સામાજિક પરિવર્તન અને સમાનતા વિરોધી તાકાતો આજેય સક્રિય છે. અગાઉ પણ આવા પ્રયત્ન થઈ ચૂક્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મરાઠવાડા યુનિવર્સિટી નામકરણનું આંદોલન (1978)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1978 માં, મરાઠવાડા યુનિવર્સિટીના નામકરણને લઈને એક મોટું આંદોલન થયું હતું, જેમાં યુનિવર્સિટીનું નામ બાબા સાહેબ આંબેડકરના નામ પર રાખવાની માંગ કરવામાં આવી હતી. આ આંદોલન એ વાતનું પ્રતિક હતું કે દલિત સમાજ પોતાના અધિકારો અને ઓળખની રક્ષા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. જો કે, આ આંદોલન હિંસક બન્યું અને એ દરમિયાન દલિત વસાહતો પર હુમલાઓ થયા, આગચંપીનાં બનાવો બન્યા. આ આંદોલને સમાજમાં જાતિ ભેદભાવ અને અસમાનતાના ઊંડા મૂળને વધુ ઉંડા કર્યા. આ ઘટના દર્શાવે છે કે જ્યારે પણ દલિત સમાજ તેના અધિકારોની વાત કરે છે, ત્યારે તેને એક ખતરનાક પડકાર તરીકે જોવામાં આવે છે, અને જાતિવાદી તાકાતો તેની સામે આવીને ઉભી રહી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રમાબાઈ નગર ગોળીબાર (1997)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી એક દર્દનાક ઘટના 1997માં મુંબઈના રમાબાઈ નગરમાં બની હતી, જ્યારે દલિત સમાજે આંબેડકરની પ્રતિમાના અપમાનનો વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. આ ઘટના મહારાષ્ટ્રમાં જાતિવાદ સામે દલિતોના સંઘર્ષનું મુખ્ય ઉદાહરણ બની હતી. રમાબાઈ નગર ગોળીબારની ઘટનાએ ફરી સાબિત કર્યું કે જ્યારે પણ દલિત સમાજ તેના અધિકારો અને ગૌરવ માટે ઉભો થાય છે ત્યારે રાજ્ય અને સત્તા દ્વારા તેમના પર નિર્દયતાથી દમન કરવામાં આવે છે. આ ઘટનાએ જાતિવાદ સામે દલિતોના સંઘર્ષને વધુ મજબૂત બનાવ્યો અને પરિણામે સમગ્ર દેશમાં દલિત સમાજના અધિકારો માટે જાગૃતિ વધી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીમા-કોરેગાંવની ઘટના (2018)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 1818ના ભીમા-કોરેગાંવના ઐતિહાસિક યુદ્ધમાં દલિત સૈનિકોએ પેશવાઓને ભૂંડી રીતે હરાવ્યા હતા. આ જીત દલિતો માટે ગૌરવનું પ્રતીક બની ગઈ. દર વર્ષે દલિત સમાજ આ જીતની યાદમાં કોરેગાંવમાં એક સભાનું આયોજન કરે છે. પરંતુ 2018માં આ સભા પર હુમલો કરવામાં આવ્યો, જે ફરી એક વખત દર્શાવે છે કે દલિત સમાજના ઇતિહાસ અને સંઘર્ષોને ભૂંસી નાખવાના પ્રયાસો ક્યારેય બંધ થતા નથી. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. આ ઘટના માત્ર સામૂહિક સભા પરનો હુમલો નહોતો, પરંતુ તે દલિત સમુદાયની સંસ્કૃતિ, ઇતિહાસ અને સંઘર્ષ પર હુમલો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારતના વિવિધ રાજ્યોમાં આંબેડકરની પ્રતિમાઓ પર હુમલા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના વિવિધ રાજ્યોમાં સમયાંતરે આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાઓ થયા છે અને આ ઘટનાઓ માત્ર મહારાષ્ટ્ર પુરતી મર્યાદિત નથી. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ તેમના વિચારો અને સંઘર્ષનું પ્રતીક છે, જે સમાજમાં સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની વાત કરે છે. જ્યારે આ પ્રતિમાઓ પર હુમલો કરવામાં આવે છે, ત્યારે તે માત્ર ભૌતિક નુકસાન નથી, પરંતુ સમાજમાં જાતિવાદ અને અસમાનતા સામેની તેમની લડત પર હુમલો છે. આ હુમલાઓ પાછળની માનસિકતા અને ઉદ્દેશ્ય દલિતોની અસ્મિતા અને ઓળખને નબળી પાડવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓ પર હુમલો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશમાં આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાની ઘટનાઓ વધી છે, જે જાતિગત તણાવ અને અસમાનતાની વધતી જતી ખાઈને દર્શાવે છે. 2018માં, આઝમગઢમાં આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પ્રદેશમાં તણાવ અને હિંસા થઈ હતી. 2021માં બુલંદશહેરમાં પણ બાબા સાહેબની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ ત્યાં જોરદાર વિરોધ પ્રદર્શનો થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પેરિયારની ભૂમિ તમિલનાડુમાં આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાનો વિરોધ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તામિલનાડુમાં પણ આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ગુસ્સો અને વિરોધ જોવા મળ્યો હતો. 2023 માં, વિલ્લુપુરમમાં દલિત વસાહતમાં આંબેડકરની પ્રતિમા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે રાજ્યભરમાં દલિતોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ હુમલા બાદ જાતિગત તણાવ વધશે તેવી આશંકા હતી અને સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અનેક પગલાં લીધા હતા. મદુરાઈ અને તંજાવુરમાં પણ આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675d220d7800b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકરની મૂર્તિઓની તોડફોડની ઘટનાઓ મધ્યપ્રદેશમાં પણ પ્રકાશમાં આવી છે, જેમાં ગ્વાલિયર અને વિદિશાનો સમાવેશ થાય છે. આ હુમલાઓના વિરોધમાં અનેક પ્રદર્શનો થયા હતા અને દલિત સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં જાતિગત તણાવ અને આંબેડકરની પ્રતિમાઓ પર હુમલા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં પણ આંબેડકરની પ્રતિમાઓ પર હુમલા થયા છે. જયપુર અને જોધપુર જેવા મોટા શહેરોમાં જાતિગત તણાવ દરમિયાન બાબા સાહેબની પ્રતિમાઓની તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાઓએ રાજ્યના દલિત સમુદાયમાં ઘેરા રોષ અને અસંતોષને જન્મ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ ષડયંત્ર પાછળ જાતિવાદી તાકાતાનો હાથ છેઃ પ્રકાશ આંબેડકર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો.આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ ડો. પ્રકાશ આંબેડકરે આ ઘટનાઓને જાતિવાદી તાકાતાોનું ષડયંત્ર ગણાવ્યું. તેમનું માનવું હતું કે દલિત પ્રતીકો અને વિચારો પર હુમલા માત્ર એક વ્યક્તિ અથવા જૂથ દ્વારા કરવામાં નથી આવતા પરંતુ તેની પાછળ મોટા સામાજિક અને રાજકીય ઉદ્દેશ્યો હોય છે. આરોપીઓને તાત્કાલિક સજાની માંગ કરતા તેમણે કહ્યું કે સમાજમાં જાતિવાદને વધુ વેગ આપવા માટે આ હુમલા કરવામાં આવે છે. તેમના મતે, બાબા સાહેબ આંબેડકર અને તેમના વિચારોને નિશાન બનાવવું જાતિવાદી માનસિકતાને સમર્થન આપે છે અને સમાજના નબળા વર્ગો સામે હિંસાને પ્રોત્સાહન આપે છે. તેમણે રાજકીય પક્ષો અને રાજ્ય સરકારને આ મામલે કડક પગલાં લેવાની અપીલ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માયાવતી અને ચંદ્રશેખર આઝાદે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપા પ્રમુખ માયાવતીએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને દલિત સમાજ પર હુમલો ગણાવ્યો હતો. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આવા હુમલાઓ સમાજમાં અસમાનતા અને જાતિવાદને પ્રોત્સાહન આપે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675d21d5e97e2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ એમ પણ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરના વિચારો અને તેમના સંઘર્ષની નિંદા કરવાની આ ઘટના દલિતો માટે મોટો ફટકો છે, અને તેને સહન કરવામાં આવશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-five-times-in-two-months-in-uttar-pradesh">બે મહિનામાં ડો.આંબેડકરની પ્રતિમા તોડવાની પાંચમી ઘટના બની, દલિતોમાં રોષ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખરે પણ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી અને તેની સખત નિંદા કરી. તેને જાતિવાદીઓનું કૃત્ય ગણાવતા ચંદ્રશેખરે કહ્યું કે આંબેડકરની પ્રતિમાઓ માત્ર પ્રતિમાઓ નથી, પરંતુ તે આપણા અધિકારો અને સંઘર્ષના પ્રતિક છે. તેમણે રાજ્ય સરકાર પાસે માંગ કરી છે કે ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને કડક સજા આપવામાં આવે. ચંદ્રશેખરે એમ પણ કહ્યું કે આવી ઘટનાઓ સમાજને વધુ વિભાજિત કરે છે, અને આપણે આવા હુમલાઓ સામે એકસાથે ઊભા રહેવું પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તમામ નેતાઓ અને સંગઠનોની પ્રતિક્રિયાઓ સાબિત કરે છે કે આંબેડકરની પ્રતિમાઓ અને તેમના વિચારો પરના હુમલા એ માત્ર રાજકીય કે સામાજિક મુદ્દો નથી, પણ બંધારણીય અને માનવ અધિકારનો મુદ્દો પણ છે. સમાજમાં સમાનતા, ન્યાય અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે દરેક નાગરિકે આગળ આવીને પોતાની જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબા સાહેબના સપનાનું ભારત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકરની પ્રતિમાઓ પરના હુમલા માત્ર ભૌતિક નુકસાન નથી, પરંતુ સમાજમાં ઊંડો જ્ઞાતિ ભેદભાવ, અસમાનતા અને સંઘર્ષને ઉશ્કેરવાનો પ્રયાસ છે. આ હુમલાઓનો ઉદ્દેશ્ય દલિત સમુદાયની ઓળખ, તેમના અધિકારો અને તેમના સંઘર્ષોને નબળી પાડવાનો છે. પરભણીની ઘટના માત્ર ગુનો નથી, પરંતુ સમાજની અંદરના ઊંડા જ્ઞાતિ ભેદભાવનું સૂચક છે. સમય પાકી ગયો છે કે, આપણે બાબા સાહેબ આંબેડકરના સમાનતા અને ન્યાયના વિચારોને આત્મસાત કરીએ. દલિત સમુદાયની ઓળખ અને અધિકારોનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે. આવી ઘટનાઓ ભારતીય લોકશાહી અને બંધારણની મૂળ ભાવના પર હુમલો છે અને તેને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. બાબા સાહેબના સપનાનું ભારત ત્યારે જ શક્ય છે જ્યારે દરેક નાગરિકને સમાન અધિકાર અને સન્માન મળે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/violence-parbhani-maharashtra-desecration-of-dr-ambedkar-statue">મહારાષ્ટ્રના પરભણીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અપમાન થતાં હિંસા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 14 Dec 2024 11:48:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1700</Articleid>
                    <excerpt>મહારાષ્ટ્રના પરભણીથી યુપી, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં સુનિયોજિત રીતે ડો.આંબેડકરની પ્રતિમાઓને તોડવામાં આવી રહી છે. કોણ છે આની પાછળ, ઉદ્દેશ્ય શું છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675d21b59b4a0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d21b56491c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d21b56491c.jpg" length="95917" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>attacks on dr ambedkars statue, Babasaheb, Bahujan News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકની હત્યામાં ન્યાય માંગવા આખું શહેર રસ્તા પર ઉતર્યું</title>
                    <link>https://khabarantar.com/balotara-dalit-youth-vishnaram-meghwal-murder-case-update-gujarati</link>
                    <guid>https://khabarantar.com/balotara-dalit-youth-vishnaram-meghwal-murder-case-update-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ મંડપ સર્વિસનું કામ કરતા દલિત યુવકના 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેની પત્ની પ્રેગનેન્ટ છે અને  આરોપી હત્યા કરી ફરાર થઈ ગયો છે. ન્યાય માટે આખું શહેર ઉમટી પડ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Balotara Dalit youth Vishnaram Meghwal murder case : મામલો સાવ સામાન્ય ભલે હોય પરંતુ જ્યારે તેમાં સવર્ણ જાતિના લોકોને ખ્યાલ હોય છે કે સામેની વ્યક્તિ દલિત-આદિવાસી કે ઓબીસી સમાજની છે. ત્યારે તેમનામાં અચાનક કોઈ જુદા પ્રકારની હિંમત આવી જતી હોય છે, કાયદાની બીક ખતમ થઈ જાય છે અને પોતાની જાતિના વર્ચસ્વનો કેફ મગજ પર ચડી જાય છે. એ પછી તેઓ સામેની વ્યક્તિ પર ગમે તે હદે હુમલો કરી શકે છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે. દલિત યુવકની સાવ સામાન્ય બાબતમાં હિસ્ટ્રીશિટર આરોપીએ છરી મારીને હત્યા કરી નાખી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનનો છે. અહીં નજીવી તકરારમાં દલિત યુવક વિશનારામ મેઘવાલની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ. બનાવને પગલે દલિત સમાજમાં રોષ ફેલાયો છે. લોકો મૌન રેલી કાઢી દેખાવો કરવા રસ્તા પર ઉતરી રહ્યા છે અને આરોપીની ધરપકડ અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. આરોપી હર્ષદાન ચારણ હિસ્ટ્રીશીટર છે, જેની ધરપકડ માટે પોલીસે ટીમો બનાવી છે. સમગ્ર વિસ્તારમાં તણાવ વચ્ચે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span><a href="https://x.com/nirmal_pareek93/status/1867158123657764911">https://x.com/nirmal_pareek93/status/1867158123657764911</a></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના બાલોતરામાં નહેરુ કોલોનીમાં 10 ડિસેમ્બરના રોજ નજીવી તકરારે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મંડપ સર્વિસ અને લાઈટિંગનું કામ કરતો વિશનારામ મેઘવાળ લગ્ન સમારોહ બાદ પોતાનો સામાન લેવા આવ્યો હતો. તેનું વાહન ઘરની બહાર પાર્ક કરવામાં આવ્યું હતું, જેના કારણે તેને હટાવવા બાબતે આરોપી હર્ષદાન ચારણ સાથે બોલાચાલી થઈ હતી. આ વિવાદે અચાનક હિંસક વળાંક લીધો હતો અને હર્ષદાને છરી વડે વિશનારામ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત વિશનારામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હત્યા બાદ દલિત સમાજમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનો થયા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ બનાવથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે. દલિત સમાજ અને અન્ય સંગઠનોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. મૃતકના સંબંધીઓ અને સમર્થકોએ આરોપીની તાત્કાલિક ધરપકડ અને ન્યાયની માંગ સાથે બાલોતરાના માર્ગો પર મૌન રેલી કાઢી હતી. જેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય મદન પ્રજાપત, મંત્રી ભગવત સિંહ અને તારારામ મેહલા જેવી અગ્રણી હસ્તીઓ જોડાઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધરણા સ્થળ પર ભારે ભીડ જામી, પોલીસ દળ તૈનાત</span></strong></span><br><span style="font-size: 14pt;">ધરણાના સ્થળે મૃતકના સંબંધીઓએ યુવકને મૃતદેહ ઉપાડવાનો ઇનકાર કર્યો હતો. વહીવટીતંત્ર દ્વારા વારંવાર સલાહ આપવામાં આવી હતી, પરંતુ વિરોધ કરનારા લોકો તેમની માંગ પર અડગ રહ્યા હતા અને પોલીસ પ્રશાસન પ્રત્યે ઊંડો રોષ વ્યક્ત કર્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં તણાવને જોતા બાલોતરા ડીએસપી સુશીલ માન અને સિવાના ડીએસપી નીરજ શર્માના નેતૃત્વમાં ભારે પોલીસ ફોર્સ અને આરએસી જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આરોપી હર્ષદાન ચારણ બાલોતરા હિસ્ટ્રીશીટર</span></strong><br><span style="font-size: 14pt;">આ કેસનો આરોપી હર્ષદાન ચારણ બાલોતરા પોલીસ સ્ટેશનનો કુખ્યાત હિસ્ટ્રીશીટર છે. તેની સામે હત્યાના પ્રયાસ, લૂંટ અને હુમલાના અનેક કેસ નોંધાયેલા છે. ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેની ઓળખ કરી હતી અને એસપી કુંદન કંવરિયાએ 10 વિશેષ ટીમો બનાવી આરોપીની શોધ શરૂ કરી હતી. પોલીસે આરોપીનો ફોટોગ્રાફ જાહેર કર્યો છે અને સામાન્ય લોકોને જો કોઈ સુરાગ મળે તો તાત્કાલિક માહિતી આપવા અપીલ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમગ્ર શહેરમાં તણાવપૂર્ણ માહોલ</span></strong></span><br><span style="font-size: 14pt;">મૃતક યુવક વિશનારામ મેઘવાળની હત્યાથી સમગ્ર બાલોતરા શહેરમાં શોક અને આક્રોશ વ્યાપી ગયો છે. વિશનારામના લગ્ન થોડા મહિના પહેલા જ થયા હતા, જેના કારણે પરિવાર વધુ આઘાતમાં છે. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો શબઘરની બહાર એકઠા થયા હતા. દેખાવકારોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વહીવટીતંત્ર માટે પડકારજનક પરિસ્થિતિ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલો પોલીસ અને પ્રશાસન માટે પડકાર બની ગયો છે. બાલોતરામાં શાંતિ-વ્યવસ્થા જાળવવાની સાથે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવી એ વહીવટી તંત્રની પ્રાથમિકતા બની છે. આ ઘટનાએ દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. લોકો તંત્ર પાસેથી કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી રહ્યા છે. પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અશોક ગેહલોતે ગંભીર આક્ષેપો કર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે. રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે  X પર લખ્યું, "બાલોતરામાં દલિત યુવકની હત્યા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નબળી પડવાનું ઉદાહરણ છે. ધોળા દિવસે થયેલી હત્યાના કેસમાં પણ પીડિત પક્ષે આરોપીની ધરપકડ માટે આંદોલન કરવું પડે છે તે અત્યંત નિંદનીય છે. છેલ્લા એક વર્ષમાં દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો સામેના ગુનાઓમાં સતત વધારો થયો છે. રાજ્ય સરકારે આ બાબતે તાકીદે પગલાં લેવા જોઈએ અને પીડિત પરિવારને ન્યાય અપાવવો જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'ભજનલાલ સરકાર ઈવેન્ટ બાજીમાં વ્યસ્ત છે'</span></strong></span><br><span style="font-size: 14pt;">રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરાએ ટ્વિટર પર લખ્યું, "બાલોતરામાં વિશનારામ મેઘવાલની ઘાતકી હત્યા અત્યંત દુઃખદ અને અત્યંત નિંદનીય છે. મેઘવાલ પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. રાજ્યમાં નબળી કાયદો અને વ્યવસ્થાના કારણે ગુનેગારોનું મનોબળ વધ્યું છે. ભાજપ સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે ઈવેન્ટ બાજીમાં વ્યસ્ત છે. દલિતો પર સતત થઈ રહેલા અત્યાચારો અને હજુ સુધી આ ઘટનામાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી તે ભાજપ સરકારની દલિત વિરોધી માનસિકતા દર્શાવે છે. સરકાર દ્વારા આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારના સભ્યોને યોગ્ય </span><span style="font-size: 14pt;">આર્થિક સહાય સાથે નોકરી આપવામાં આવે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પરિવારને યોગ્ય વળતર સાથે ન્યાય અને નોકરી આપો</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકારામ જુલીએ ટ્વિટર પર લખ્યું, "હું બાલોત્રામાં વિશનારામ મેઘવાલની ઘાતકી હત્યાની નિંદા કરું છું. મેઘવાલ પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળ સ્થિતિ તરફ નિર્દેશ કરે છે, જે ગુનેગારોને પ્રોત્સાહન આપી રહી છે. ભાજપ સરકારે માત્ર ઈવેન્ટબાજીમાં વ્યસ્ત રહેવાને બદલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નક્કર કાર્યવાહી કરવી જોઈએ. દલિતો પર સતત થઈ રહેલા અત્યાચાર અને આ મામલે અત્યાર સુધી નક્કર કાર્યવાહીનો અભાવ સરકારની દલિત વિરોધી માનસિકતા દર્શાવે છે. હું સરકાર પાસે માંગ કરું છું કે આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારના સભ્યને યોગ્ય આર્થિક સહાય સાથે નોકરી આપવામાં આવે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/discrimination-against-rajasthans-dalit-deputy-chief-minister-premchand-bairwa">રાજસ્થાનના દલિત નાયબ મુખ્યમંત્રી Premchand Bairwa સાથે ભેદભાવ?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Dec 2024 14:49:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1697</Articleid>
                    <excerpt>મંડપ સર્વિસનું કામ કરતા દલિત યુવકના 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેની પત્ની પ્રેગનેન્ટ છે અને  આરોપી હત્યા કરી ફરાર થઈ ગયો છે. ન્યાય માટે આખું શહેર ઉમટી પડ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675bfb805c7a1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675bfb801e4f6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675bfb801e4f6.jpg" length="130174" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>balotara, dalit youth murder, vishnaram meghwal murder case, update, बालोतरा, विशनाराम मेघवाल मर्डर केस, भजनलाल शर्मा, राजस्थान</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત વડીલે પાઘડી ઉતારીને પગમાં મૂકી, અંતે આત્મહત્યા કરી લીધી</title>
                    <link>https://khabarantar.com/dalit-elder-commits-suicide-in-banda-uttar-pradesh-fed-up-with-land-grabbing</link>
                    <guid>https://khabarantar.com/dalit-elder-commits-suicide-in-banda-uttar-pradesh-fed-up-with-land-grabbing</guid>
                    <description>
                        <![CDATA[ આખી જિંદગી કાળી મજૂરી કરીને ભેગી કરેલી મૂડીમાંથી દલિત વડીલે થોડી જમીન ખરીદી હતી પણ જાતિવાદીઓની તેના પર નજર બગડી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ બાદ ખેડે તેની જમીન જેવા નિયમો બાદ રાજા-મહારાજાઓ પાસે રહેલી જમીનો એક ચોક્કસ જાતિના લોકો પાસે આવવા લાગી હતી અને તેઓ સમૃદ્ધ થવા માંડ્યા હતા. જો કે કહેવાતી એ લોકશાહી પ્રથામાં પણ દલિતો-આદિવાસીઓ જમીનોના માલિકો ન બની જાય તેની ખાસ કાળજી રખાઈ હતી. આજે પણ આ બાબતનું ખાસ ધ્યાન રખાય છે કે, ગામડાઓમાં ખેતીની જમીનનો એક ટુકડો પણ કોઈ દલિત-આદિવાસી પાસે ન જવો જોઈએ. ભલેને પછી તેના માટે તેનો જીવ કેમ ન લેવો પડે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં કંઈક આવું જ બન્યું છે. આખી જિંદગી પરિવાર સાથે ખેતમજૂરી કરીને જે થોડીઘણી મૂડી બચી હતી તેમાંથી દલિત વડીલે થોડી જમીન ખરીદી હતી. પણ એ પછી ગામના માથાભારે તત્વોએ તેના પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હતો અને તેઓ કોઈ કાળે જમીન પરનો કબ્જો છોડતા નહોતા. દલિત વડીલે તેમના પગમાં પોતાની આબરૂ જેવી પાઘડી મૂકી, પણ જાતિવાદી આ તત્વોએ તેને લાત મારીને ફગાવી દીધી અને જાતિસૂચક ગાળો બોલી દલિત વડીલને અપમાનિત કર્યા. આ અપમાન અને કોર્ટમાં આખો મામલો ફસાઈ જતા તંગ આવી ગયેલા દલિત વડીલે આખરે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના બાંદાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના બાંદા (Banda)ની છે. અહીં બિસંડા પોલીસ સ્ટેશન(Bisanda Police Station)માં આવતા હનુમાન નગર (Hanuman Nagar)માં રહેતા 65 વર્ષના દલિત (Dalit) વડીલ રામબહોરી (Rambahori) એ જાતિવાદીઓની દાદાગીરી અને જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લેવાની વૃત્તિથી તંગ આવી ટોઈલેટમાં ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી. ગામની માથાભારે કોમના ગુંડાઓએ રામબહોરીએ મરણમૂડીમાંથી ખરીદેલી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હતો અને તેઓ કોઈ કાળે તે જમીન છોડતા નહોતા. આ માટે રામબહોરીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પણ તેમાં સતત મુદતો પડતી જતી હોવાથી ખુદની જમીન હોવા છતાં કોઈ નિર્ણય નહોતો આવતો. આ બધાંથી તેઓ ભારે પરેશાન હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટોઈલેટમાં દોરી બાંધી આત્મહત્યા કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">65 વર્ષના દલિત રામબહોરી શિવલોચન રૈદાસે ગત શનિવારે સવારે ઘરની બહાર બનેલા શૌચાલયનો દરવાજો બંધ કરીને અંદર દોરડું બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. લાંબા સમય બાદ પણ તેઓ રૂમમાંથી બહાર ન આવતાં પરિવારજનોએ ટોઈલેટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ અંદરથી કોઈ હલચલ જણાતી ન હતી. જેથી પરિવારજનોએ જેમતેમ કરીને દરવાજો તોડ્યો હતો અને અંદર જોયું તો રામબહોરીની લાશ લટકતી હતી. મૃતદેહ જોતા જ પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઠાકુરોએ જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાવની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. મૃતકના પુત્ર વિનોદે જણાવ્યું કે તેના પિતા મજૂરી કામ કરતા હતા. તેમણે 9 સપ્ટેમ્બર 2021ના રોજ પાડોશી પાસેથી 17 બિસ્વા જમીન ખરીદી હતી. દરમિયાન, ગામના ઠાકુર સમાજના ગુંડાઓએ તે જમીન કબજે કરી લીધી. રામબહોરીએ તેમને જમીનનો કબ્જો છોડી દેવા કહ્યું તો ગુંડાઓએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. એ પછી પણ તેમણે જમીન પરનો ગેરકાયદે કબ્જો છોડ્યો નહોતો. આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેનાથી કંટાળીને રામબહોરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાઘડી ઉતારી પગમાં મૂકી તો લાત મારી ફગાવી દીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક રામબહોરીએ ઠાકુર કોમના ગુંડાઓને તેમની જમીન છોડી દેવા વિનંતી કરી હતી, પરંતુ ગુંડાઓએ કબ્જો છોડ્યો નહોતો. જમીનનો કબ્જો છોડાવવા માટે રામબિહોરીએ પોતાની આબરૂસમી પાઘડી ઠાકુરોના પગમાં મૂકી દીધી હતી. પણ ગુંડાઓએ તેને લાત મારીને ફેંકી દીધી હતી અને જાતિસૂચક ગાળો ભાંડી રામબિહોરી સહિત તેમના આખા પરિવારનું અપમાન કર્યું હતું અને થાય તે કરી લેવાનો પડકાર ફેંક્યો હતો. ત્યારથી તેઓ હતાશ થઈ ગયા હતા. આખરે તેમણે જીવન ટૂંકાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/casteists-snatch-8.5-bighas-of-land-from-dalit-family-in-gokulpur-mainpuri-uttar-pradesh">જાતિવાદીઓએ દલિત મહિલાની 8.5 વીઘા જમીન પડાવી લીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Dec 2024 11:30:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1695</Articleid>
                    <excerpt>આખી જિંદગી કાળી મજૂરી કરીને ભેગી કરેલી મૂડીમાંથી દલિત વડીલે થોડી જમીન ખરીદી હતી પણ જાતિવાદીઓની તેના પર નજર બગડી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675bccbea4528.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675bccbe7420c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675bccbe7420c.jpg" length="48530" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Banda, Dalit News, land grabbing in banda</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદીઓએ દલિત વરરાજાની બગી તોડી નાખી, જાનૈયાને દોડાવીને માર્યા</title>
                    <link>https://khabarantar.com/thakur-attack-dalit-grooms-procession-in-damoh-madhya-pradesh-gujarati</link>
                    <guid>https://khabarantar.com/thakur-attack-dalit-grooms-procession-in-damoh-madhya-pradesh-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ આરોપીઓએ અગાઉ જ ધમકી આપી હતી, છતાં દલિત વરરાજા બગીમાં બેસીને નીકળતા હુમલો કર્યો. બગી તોડી નાખી, ઘોડીને ઈજાગ્રસ્ત કરી, તેના માલિક અને જાનૈયાને દોડાવીને ફટકાર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Thakurs attack Dalit groom's procession : દેશભરમાં એકબાજુ લગ્નની સિઝન જામી છે, બીજી બાજુ જાતિવાદી તત્વોની 'અમે જ સર્વોપરી' પ્રકારની જાતિવાદી માનસિકતા પણ ઉછળી ઉછળીને બહાર આવવા માંડી છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા પછી પણ ભારત દેશમાં લુખ્ખા તત્વો દલિતો વરઘોડો કાઢવા દેતા નથી અને તેમની જાન પર હુમલો કરે છે અને ન્યાય તંત્ર તેને સામાન્ય ઘટના ગણીને આરોપીઓને જામીન પર છોડી દે છે. જેના કારણે આરોપીઓની હિંમત વધી જાય છે અને તેઓ ફરી આવું કૃત્ય કરવા પ્રેરાય છે. આવું ન થાય તેના માટે આવા લુખ્ખા તત્વોને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશ (Madhya Pradesh)ની છે. અહીંના દમોહ (Damoh) જિલ્લાના ચૌરાઈ ગામમાં મંગળવારે એક દલિત પરિવારના લગ્નમાં વરરાજા (Dalit Grooms) ને બગીમાં બેસાડીને જાન જોડવામાં આવી હતી. જેનાથી ગામના જાતિવાદી તત્વોને માઠું લાગી ગયું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675a7b6f7a038.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘોડી પર તો અમારી જાતિના લોકો જ નીકળી શકે એવી લુખ્ખી દાદાગીરીમાં માનતા ઠાકુર સમાજના લોકોએ તરત તો કશું નહોતું કર્યું. પરંતુ જેવી જાન પરત ફરી કે તરત તેમણે હુમલો કરી દીધો અને બગીના ચાલકો રાહુલ રજક, જગદીશ અને ક્રિષ્ના રજકને ઢોર માર માર્યો હતો. આ સાથે જ જાનૈયાઓનો પીછો કરીને તેમને દોડાવી દોડાવીને માર્યા હતા. એટલું જ નહીં જાતિવાદી તત્વોએ જાનમાં આવેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પહેલા જ બગીમાં બેસવા મુદ્દે ધમકી આપી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઠાકુર સમાજના આ લુખ્ખા તત્વોની દાદાગીરી એ હદે જોવા મળી કે તેમણે બગીવાળાને પહેલા જ ધમકી આપી હતી કે દલિત વરરાજો બગીમાં ન બેસવો જોઈએ. પરંતુ બગીવાળો માન્યો નહોતો. કેટલાક સ્થાનિક નેતાઓએ બગીવાળાને સલામતીની ખાતરી આપીને વરઘોડામાં બગી લઈને આવવા મનાવી લીધો હતો. જો કે, જાતિવાદી ઠાકુરો તેમની ધાક યથાવત રહે તે માટે બગીવાળાને પણ માર માર્યો હતો. ઈજાગ્રસ્ત બગીચાલકો જેમ તેમ કરીને આ હુમલામાંથી નાસી છૂટ્યા હતા અને જબલપુર નાકા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવાની સાથે ઘટનાની તપાસ શરૂ કરી છે. ચોકીના ઈન્ચાર્જ આનંદ અહિરવાલે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદનું વર્ચસ્વ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી ભારત દેશમાં કથિત સવર્ણોમાંથી આજેય પોતાની જાતિનો અહમ દૂર થતો નથી. જેના કારણે તેઓ હજુ પણ પોતાને રાજા સમજીને દલિતો પર અત્યાચાર કરતા રહે છે. કમનસીબી એ છે કે, આ મામલે એટ્રોસિટી જેવો કડક કાયદો હાજર હોવા છતાં આવા તત્વો ખૂલ્લેઆમ ફરી રહ્યાં છે. દમોહના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ જાતિ ભેદભાવ અને અસ્પૃશ્યતા પ્રવર્તે છે. દલિતોને ઘોડા કે બગીમાં વરઘોડો કાઢતા અટકાવવાની ઘટનાઓ અહીં વારંવાર બને છે. ત્યારે આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રવર્તતા ભેદભાવને ઉજાગર કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીડિત બગીચાલકે કહ્યું- અમારે ન્યાય જોઈએ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનામાં ઘાયલ થયેલા બગીના ચાલક રાહુલ રજકે જણાવ્યું હતું કે, જાતિવાદી ઠાકુર સમાજના ગુંડાઓની ધમકીઓ છતાં અમે દલિત વરરાજાને બગીમાં બેસાડીને જાન લઈને નીકળ્યા હતા. પરંતુ પાછા ફરતી વખતે આરોપીઓએ અમને નિર્દયતાથી માર્યા હતા. આવા તત્વોને કડક સજા થવી જોઈએ. રાહુલના ભાઈ જયકિશન રજકે જણાવ્યું કે અમે સ્થાનિક નેતાઓએ આપેલી સુરક્ષાની ખાતરીના ભરોસે બગી લઈને જાનમાં આવ્યા હતા. પરંતુ જાતિવાદી ગુંડાઓએ હુમલો કર્યો. અમને ન્યાય જોઈએ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બગી તોડી નાખી, ડીજેના કાચ ફોડી નાખ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી ઠાકુરોએ દલિત વરરાજાની જાન પર હુમલો કરતા બગી તોડી નાખી હતી. તેમણે ઘોડાને પણ લાકડીઓ વડે માર મારીને ઘાયલ કરી નાખ્યો હતો અને ડીજે વાહનના પણ કાચ તોડી નાખ્યા હતા. પીડિત દલિતોએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગામના રત્નેશ ઠાકુરના ઢાબા પર કામ કરતા લોકોએ આ હુમલો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદીનું ઝેર આજેય ઓસરતું નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પણ દમોહના ગ્રામ્ય વિસ્તારોમાં જ્ઞાતિવાદ અને અસ્પૃશ્યતા પ્રવર્તે છે. દલિત વરરાજાને ઘોડી પર બેસવાની અને બગીમાં જાન જોડીને લગ્ન કરવા જવા પર પ્રતિબંધ છે. જ્યારે ઘોડા-બગીઓવાળા આ જાતિવાદી તત્વોની વાત નથી માનતા ત્યારે તેઓ આ જ રીતે જાન પર હુમલો કરી દે છે. જબલપુર નાકા ચોકીના પ્રભારી આનંદ અહિરવારે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જેમ જેમ હકીકતો બહાર આવશે, તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચૌરાઈ ગામમાં બનેલી આ ઘટનાથી દલિત સમાજ અને બગી ચલાવીને ધંધો કરતા લોકોને ભારે દુઃખ થયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/fear-of-casteists-dalit-bridegroom-had-to-call-the-police-to-sit-the-horse">જાતિવાદીઓનો ખૌફઃ દલિત વરરાજાએ ઘોડી બેસવા પોલીસ બોલાવવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 12 Dec 2024 11:33:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1689</Articleid>
                    <excerpt>આરોપીઓએ અગાઉ જ ધમકી આપી હતી, છતાં દલિત વરરાજા બગીમાં બેસીને નીકળતા હુમલો કર્યો. બગી તોડી નાખી, ઘોડીને ઈજાગ્રસ્ત કરી, તેના માલિક અને જાનૈયાને દોડાવીને ફટકાર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675a7a3ddfebd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675a7a3dabe8a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675a7a3dabe8a.jpg" length="66468" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit groom, Dalit News, thakur attack dalit grooms procession, Damoh Madhya Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘તારી ઔકાત શું છે?’ કહી સરપંચે દલિતનું જાહેરમાં અપમાન કરતા ફરિયાદ</title>
                    <link>https://khabarantar.com/sarpanch-publicly-insults-dalit-by-saying-what-is-your-status-complaint-filed</link>
                    <guid>https://khabarantar.com/sarpanch-publicly-insults-dalit-by-saying-what-is-your-status-complaint-filed</guid>
                    <description>
                        <![CDATA[ મહેમદાવાદના મોદજની ઘટના. આવકનો દાખલો કઢાવવા ગયેલા દલિત યુવાનનું સરપંચે જાતિસૂચક અપશબ્દો બોલી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ ભારતના ગામડાઓમાં લોકશાહી ઢબે ચૂંટાતા હોવા છતાં કેટલાક સરપંચો તેમની ચોક્કસ જાતિની ધાકને કારણે આજેય દલિત-બહુજન સમાજને ધમકાવવાનું ચૂકતા નથી. આવા તત્વો એમ માનતા હોય છે કે, દલિતો સાથે આમ જ વર્તાય અને તો જ તેઓ માપમાં રહે. જો કે તેઓ એ ભૂલી જાય છે કે, કાયદાના રાજમાં તમારી આ બધી દાદાગીરી સોંસરી નીકળી જાય તેમ છે. સવાલ માત્ર તેના યોગ્ય અમલનો હોય છે. જ્યારે કાયદો કાયદાનું કામ કરે, ત્યારે આવા જાતિવાદી તત્વોની સાન સેકન્ડોમાં ઠેકાણી આવી જતી હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવું જ કંઈક ખેડા જિલ્લાના મહેમદાવાદના એક ગામમાં બન્યું છે. અહીં મોદજ ગામના સરપંચ સહિત અન્ય એક સામે દલિત સમાજના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. આવકનો દાખલો લેવા ગયેલા દલિત અરજદારને સરપંચે જાતિસૂચક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને આવકનો દાખલો પણ નહોતો કાઢી આપ્યો. એટલું જ નહીં સરપંચે તેમને આરટીઆઈ કરી ગ્રામ પંચાયતની માહિતી માગવા બદલ ધમકી પણ આપી હતી. જેનાથી અપમાનિત થયેલી દલિત વ્યક્તિએ મહેમદાવાદ પોલીસમાં ફરિયાદમાં નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ દલિત સમાજની આ વ્યક્તિએ અગાઉ ગામને મળતી ગ્રાન્ટને લઈને RTI અરજી કરતા સરપંચ અને અન્ય એક શખ્સને તેમના પર ખાર હતો. આથી તેમણે આવકનો દાખલો કાઢવા આવતી વખતે તે દાઝ ઉતારી હતી અને દલિત વ્યક્તિને જાતિસૂચક અપશબ્દો બોલી ધમકાવી હતી. આ બાબતની પોલીસ ફરિયાદ મહેમદાવાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેમદાવાદ તાલુકાના મોદજ ગામે રોહિત વાસમાં 38 વર્ષિય જયંતિભાઈ બાબુભાઈ મકવાણા રહે છે. તેમના સંતાનને સ્કૂલ તરફથી સ્કોલરશીપનો લાભ મેળવવાનો હોય અને તેના માટે જયંતિભાઈને આવકના દાખલાની જરૂર હોવાથી તેઓ ગત 5 ડિસેમ્બર 2024ના રોજ આ દાખલો મેળવવા પોતાની કૌટુંબીક વ્યક્તિઓ સાથે ગ્રામપંચાયત ઓફિસે ગયા હતા. જ્યાં અરજીમાં સાક્ષી તરીકે પુરૂષોની સહી ચાલશે સ્ત્રીની નહી ચાલે તેમ કહીને તેમને કોમ્પ્યુટર ઓપરેટરે બેસાડ્યા હતા. એ દરમિયાન સાક્ષીઓની સહી કરી દાખલો લેવા બેઠેલા જયંતભાઈને ત્યાં હાજર ગામના સરપંચ બેચરભાઈ રાજાભાઈ ચૌહાણે (રહે.મોદજ) એકાએક અકળાઈને, “તારી શું ઔકાત છે?” તેમ કહી જાતિસૂચક અપશબ્દો બોલી અપમાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે બાદમાં મામલો થાડે પડ્યો હતો પરંતુ આ સરપંચે આ ઘટનાનો ખાર રાખી જયંતિભાઈને આવકનો દાખલો કાઢી આપ્યો નહોતો. જેથી અરજદાર જયંતિભાઈએ બીજા દિવસે તલાટી કમ મંત્રી મોદજ ગ્રામ પંચાયત પાસે મોદજ ગ્રામ પંચાયતને મળતી તમામ ગ્રાન્ટની માહિતી આપવા બાબતે આર.ટી.આઈ.થી અરજી કરી હતી. જેથી આ દિવસે મોદજ ગામના સરપંચ બેચરભાઈ રાજાભાઇ ચૌહાણે સાંજના આશરે સાડા છ વાગ્યાના સુમારે મોદજ ગામના બસ સ્ટેશન નજીક જયંતિભાઈને મળેલા અને ગામમાં રહેવું ભારે પડશે તેવી ધમકી આપી હતી અને બીજા દિવસે પણ સરપંચે જયંતિભાઈને ફોન પર ગાળો ભાંડતા આખરે તેમણે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/you-look-like-a-thief-just-from-your-face-arent-you">‘તું તો ચહેરા પરથી જ ચોર લાગે છે, ચમાર છો ને?’</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Dec 2024 19:57:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1680</Articleid>
                    <excerpt>મહેમદાવાદના મોદજની ઘટના. આવકનો દાખલો કઢાવવા ગયેલા દલિત યુવાનનું સરપંચે જાતિસૂચક અપશબ્દો બોલી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67584e3dca3eb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67584e3d981fd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67584e3d981fd.jpg" length="66481" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, mehmedabad  News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતા યુવકનું અપહરણ કરી માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/two-darbar-youth-kidnap-and-beat-up-a-dalit-youth-in-khambhaliya-devbhoomi-dwarka</link>
                    <guid>https://khabarantar.com/two-darbar-youth-kidnap-and-beat-up-a-dalit-youth-in-khambhaliya-devbhoomi-dwarka</guid>
                    <description>
                        <![CDATA[ યુવક 6ઠ્ઠી ડિસેમ્બરે ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતો હતો ત્યારે કારમાં આવેલા બે દરબારોએ તેને આંતરી, અપહરણ કરી દૂર લઈ જઈ ઢોર માર માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિપ્રધાન ભારત દેશમાં આઝાદી પછી પણ અમુક જાતિના લોકો પોતાને રાજા સમજી ટંગડી ઊંચી રાખવા મથતા રહે છે. આ એ લોકો છે જે કારણ વિના દલિત-આદિવાસી-ઓબીસી સમાજના લોકોને માર મારવો, જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કરવાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર સમજે છે. આ લોકોને કાયદા સામે સૌથી મોટો વાંધો હોય છે, કેમ કે તેમાં સૌને સરખા ગણી સમાન વ્યવહારની જોગવાઈ છે, જ્યારે આ જાતિવાદી તત્વો પોતાને તમામ પ્રકારના કાયદાથી પર સમજે છે અને ગમે તે વ્યક્તિ પર કારણ વિના હુમલો કરવાને પોતાનો અધિકાર સમજે છે. આવી અનેક ઘટનાઓ ગુજરાતના ગામડાઓમાં દરરોજ ક્યાંકને ક્યાંક બનતી રહે છે પરંતુ પોલીસ ચોપડા સુધી પહોંચતી ન હોવાથી તે મીડિયામાં ચમકતી નથી. હકીકતે આવા તત્વોની ધાકને કારણે પોલીસ સ્ટેશનોમાં બેઠેલા અધિકારીઓ ફરિયાદ નોંધતા નથી, પરિણામે પીડિતોને ન્યાય મળતો નથી અથવા સમાધાન કરી લેવું પડે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-woman-constable-was-attacked-with-a-sword-by-a-darbar-neighbor">દલિત મહિલા કોન્સ્ટેબલ પર દરબાર પડોશીએ તલવારથી હુમલો કર્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે જાતિવાદી તત્વો દરેક વખતે ધારતા હોય છે તેમ છૂટી પણ નથી જતા. ક્યાંક કોઈક ન્યાય માટે લડત આપનાર વીરલો તેમને પણ ભટકાઈ જતો હોય છે. આ ઘટનામાં આવું જ થયું છે, જેમાં બે દરબારોએ એક દલિત યુવકને માત્ર એટલા માટે કારમાં અપહરણ કરીને માર માર્યો, કારણ કે તેણે તેમને કાર વ્યવસ્થિત ચલાવવા માટે કહ્યું હતું. આટલા માત્રથી બંને શખ્સોઓ યુવકને રસ્તામાં રોકી તેની જાતિ વિશે પૂછ્યા બાદ માર મારી કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું અને દૂર લઈ જઈ ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, જાતિવાદી આ તત્વોએ દલિત યુવકને ધમકી આપતા કહ્યું કે, તારો આખો સમાજ ભેગો થઈ જાય તો પણ મારું કશું બગાડી શકે તેમ નથી. જો કે દલિત યુવકે હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવતા હવે બંને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">6ઠ્ઠી ડિસેમ્બરની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાનો છે. અહીંના મેઘપર ટીંટોડીનો રહેવાસી 25 વર્ષીય દલિત યુવક કિશન રાઠોડ 6ઠ્ઠી ડિસેમ્બરે ડો.આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે સાંજે 4.30 આસપાસ મિત્રો સાથે પોતાનું ટુવ્હિલર લઈને ડો.આંબેડકરના સ્ટેચ્યૂને હાર ચડાવવા જતો હતો. એ દરમિયાન GJ-04-CR-0003 નંબરની કાર તેની બાજુમાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ હતી. કિશને સાદ પાડીને કારચાલકને કાર વ્યવસ્થિત ચલાવવા કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા કારચાલકે તેનો છેક સુધી પીછો કર્યો હતો અને રેલવે ફાટક આવતા કાર બાઈકની આગળ લાવીને ઉભી રાખી દીધી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી તેમાંથી ઉતરેલા બે શખ્સોએ તેનું અપહરણ કરી એક સોસાયટી પાસે લઈ જઈ ઢોર માર માર્યો હતો. તપાસ કરતા આરોપી યુવકનું નામ જયદિપસિંહ જાડેજા હોવાનું અને તેની સાથે તેનો મિત્ર હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ કિશન રાઠોડને જાતિ પૂછીને ઢોર માર મારેલ અને કારમાં સાથે બેસાડી અપહરણ કરી બાજુની સોસાયટીમાં લઇ જઇ જાતિસૂચક અપમાનિત શબ્દો કહી તમારી સમાજ આખી ભેગી થાય તોય મારું કશું કરી ના શકે તેમ કહી હડધૂત કરી ફરીથી પીઠમાં ફટકા માર્યા હતા અને ફરાર થઈ ગયા હતા. </span><span style="font-size: 14pt;">એ પછી યુવક તેના મિત્રોની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે અટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/you-are-not-a-courtier-why-are-you-posting-a-clean-picture-kahi-killed-the-dalit-youth">'તું દરબાર નથી, સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?' કહી દલિત યુવકને માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Dec 2024 14:46:52 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 10 Dec 2024 14:47:51 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1679</Articleid>
                    <excerpt>યુવક 6ઠ્ઠી ડિસેમ્બરે ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતો હતો ત્યારે કારમાં આવેલા બે દરબારોએ તેને આંતરી, અપહરણ કરી દૂર લઈ જઈ ઢોર માર માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67580623c9243.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6758062392bd5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6758062392bd5.jpg" length="96839" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit youth beaten up, kidnap and beat up, khambhaliya, devbhoomi dwarka, atrocity FIR, SC-ST act</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉલટી સાફ કરનાર દલિત બાળકે આઘાતમાં આવીને શાળા છોડી</title>
                    <link>https://khabarantar.com/pranav-sijoy-of-st-benedict-lp-school-slivamala-ldukki-dropped-out-of-school</link>
                    <guid>https://khabarantar.com/pranav-sijoy-of-st-benedict-lp-school-slivamala-ldukki-dropped-out-of-school</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી શિક્ષિકાએ શાળામાં દલિત બાળક પાસે અન્ય બાળકની ઉલટી સાફ કરાવડાવી હતી. જેનાથી આઘાત લાગતા બાળકે શાળા છોડી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રગતિશીલ ગણાતા કેરળ રાજ્યમાં થોડા દિવસ પહેલા જાતિવાદનો એક વરવો ચહેરો સામે આવ્યો હતો. જેમાં એક સ્કૂલમાં જાતિવાદી શિક્ષિકાએ એક બિમાર વિદ્યાર્થીએ કરેલી ઉલટીને એક દલિત વિદ્યાર્થી પાસે સાફ કરાવડાવી હતી. આ ઘટનાથી દલિત વિદ્યાર્થી એટલો આઘાતમાં આવી ગયો છે કે તેણે આખરે આ શાળા છોડી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈડુક્કી જિલ્લાના સ્લિવમલા સ્થિત સેન્ટ બેનેડિક્ટ એલ.પી. શાળામાં જ્ઞાતિ આધારિત ભેદભાવનો ભોગ બનેલા ધોરણ 2 ના વિદ્યાર્થી પ્રણવ સિજોયે આખરે શાળા છોડી દીધી છે. શાળાના વહીવટીતંત્રે અનેક ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેતા પ્રણવના માતાપિતાએ તેનું એલસી કઢાવી લીધું છે. પ્રણવને હવે સરકારી શાળામાં દાખલ કરવામાં આવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રણવની માતા પ્રિયંકા સોમણે કહ્યું, "અમે પ્રણવને અમારા ઘરથી 12 કિલોમીટર દૂર રાજક્કડની એક સરકારી શાળામાં દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. તે ઘટના બાદથી પ્રણવ શાળાએ જતો નથી અને તે ખૂબ જ ડરી ગયો છે. શાળા બદલવી તેના માટે જરૂરી હતી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">13 નવેમ્બરના રોજ ધોરણ 2 ના વિદ્યાર્થી પ્રણવ સિજોયને તેના ક્લાસ ટીચર મારિયા જોસેફે આખા ક્લાસની સામે ગુસ્સો કરીને તેના બીમાર ક્લાસમેટની ઉલ્ટી સાફ કરવા કહ્યું હતું, જેના કારણે તેને નાનકડા પ્રણવને ઊંડો આઘાત લાગ્યો હતો. પ્રણવ દલિત સમાજમાંથી આવે છે અને તેની માતાનું માનવું છે કે જાતિવાદી વિચારસરણીના કારણે જ પ્રણવને બીમાર વિદ્યાર્થીની ઉલટી સાફ કરવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે તેના મિત્રએ તેને આ કામમાં મદદ કરવા કહ્યું તો શિક્ષકે તેને ના પાડી અને કહ્યું કે આ કામ પ્રણવ જ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રણવની માતા શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રણવની માતા પ્રિયંકાએ જણાવ્યું કે બુધવારે તેને લીવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું, સ્કૂલ મેનેજમેન્ટે પ્રણવની બાકી રહેલી સ્કૂલ બસની ફી માફ કરી દીધી. જોકે, પ્રિયંકાએ કહ્યું હતું કે, "અમે ફી ભરવા તૈયાર હતા, પરંતુ તેમણે તે માફ કરવાનો આગ્રહ રાખ્યો હતો. જો કે તેનાથી મારા બાળકને થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવી શાળામાં પ્રણવના એડજસ્ટમેન્ટ અંગે પ્રિયંકાએ પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, "પ્રણવ સરકારી શાળામાં જવાથી ખુશ નથી કારણ કે તે તેના માટે તદ્દન નવી છે. તે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં જવા ઉત્સુક છે, કારણ કે તેના ઘણા મિત્રો ત્યાં અભ્યાસ કરે છે. પરંતુ અમને શંકા છે કે ત્યાં પણ તેની સાથે યોગ્ય વ્યવહાર થશે કે કેમ કે, કારણ કે એ પણ આ જ મિશનરી હેઠળ આવે છે, અમે તેને ખૂબ વિચારણા કર્યા પછી સરકારી શાળામાં એડમિશન આપી રહ્યા છીએ, કારણ કે તે અમારા માટે ફાયદાકારક છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રણવની માતા પ્રિયંકાએ શાળા પ્રશાસન પર જવાબદારીથી બચવાનો આરોપ મૂક્યો અને દાવો કર્યો કે જાતિ આધારિત ભેદભાવના આરોપોને નબળા પાડવા વિદ્યાર્થીઓના નિવેદનોને ટ્વિસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રિયંકાએ કહ્યું, "પ્રણવના સહપાઠીઓને શિક્ષકો/મુખ્ય શિક્ષિકાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બધા બાળકોએ ઉલ્ટી સાફ કરી છે, પરંતુ આ સાચું નથી. હકીકતમાં, ફક્ત મારા બાળકને જ આ કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અન્ય વાલીઓ સ્કૂલના બચાવમાં બોલ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિયંકાએ શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ અંગે પણ નિરાશા વ્યક્ત કરી હતી. તેની નારાજગી એટલા માટે છે કારણ કે અન્ય વાલીઓ, જેઓ સ્કૂલ મેનેજમેન્ટથી પ્રભાવિત હતા, તેમણે એમ કહ્યું હતું કે તેમને વિદ્યાર્થીઓ વાસણ સાફ કરે તેની સામે કોઈ વાંધો નથી. પ્રિયંકા કહે છે - "તેઓ કેટલા અસંવેદનશીલ છે? તેઓ સ્કૂલનો બચાવ કરી રહ્યાં છે. બાળકોને ગંદકી સાફ કરવા માટે ન કહેવું જોઈએ. આ શરમજનક અને અસ્વીકાર્ય છે".</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિયંકાએ એમ પણ કહ્યું કે આ બાબતને પ્રકાશમાં લાવવા માટે, શાળા સત્તાવાળાઓ વિપરીત યુક્તિઓ અપનાવી રહ્યા છે. શાળાની ફી અંગેના જૂના વિવાદ અને આ બાબતને અતિશયોક્તિ કરીને પૈસા પડાવી લેવાના ઈરાદા જેવા ખોટા નિવેદનો આપવામાં આવી રહ્યા છે, જ્યારે પ્રિયંકાનું કહેવું છે કે, 13મી નવેમ્બરે જ્ઞાતિના ભેદભાવની આ ઘટનાને કારણે શાળા સમક્ષ તેનો કોઈ પ્રકારનો વિવાદ થયો ન હતો. તેઓ આ ઘટનાથી નારાજ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">FIRમાં વિલંબ, વહેલી સવાર સુધી બેસાડી રાખ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં પણ વિલંબ થયો હતો, ફરિયાદ દાખલ થયાના 8 દિવસ પછી એફઆઈઆર જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ નોંધવામાં આવી હતી, પરંતુ પ્રક્રિયા દરમિયાન, પ્રિયંકા અને તેના પુત્રને પોલીસ દ્વારા માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ સ્ટેશનમાં તેમને વહેલી સવારે બોલાવી બેસાડી રખાયા હતા. હવે આ કેસની તપાસ એડિશનલ એસપી આઈપીએસ રાજેશ કુમારને સોંપવામાં આવી છે. દલિત અધિકાર કાર્યકરોએ ન્યાય સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ પાસેથી નિર્ણાયક પગલાંની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, પ્રિયંકા તેના પુત્ર સાથે થયેલા અન્યાય સામે લડી લેવા માંગે છે. તે કહે છે- "મારો સવાલ એકદમ સ્પષ્ટ છેઃ બાળકોને ગંદકી સાફ કરવા માટે દબાણ શા માટે કરવું જોઈએ? આ માત્ર મારા પુત્રની વાત નથી, પરંતુ તે તમામ વિદ્યાર્થીઓની ગરિમા અને સુરક્ષાની વાત છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/three-dalit-children-playing-near-the-temple-were-beaten-to-death-by-racists">મંદિર પાસે રમતા ત્રણ દલિત બાળકોને જાતિવાદીઓએ ઢોર માર માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Dec 2024 12:34:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1678</Articleid>
                    <excerpt>જાતિવાદી શિક્ષિકાએ શાળામાં દલિત બાળક પાસે અન્ય બાળકની ઉલટી સાફ કરાવડાવી હતી. જેનાથી આઘાત લાગતા બાળકે શાળા છોડી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6757e61d30a19.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6757e61cedf92.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6757e61cedf92.jpg" length="52719" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kerala School Caste Discrimination, st benedict lp school slivamala ldukki, pranav sijoy</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકની અનોખી જાનમાં બકરી, ઊંટ, વાંદરા, ઘોડા જાનૈયા બન્યાં</title>
                    <link>https://khabarantar.com/goat-monkey-camel-horse-became-wedding-guests-at-dalit-youths-wedding-in-dig-bharatpur-rajasthan</link>
                    <guid>https://khabarantar.com/goat-monkey-camel-horse-became-wedding-guests-at-dalit-youths-wedding-in-dig-bharatpur-rajasthan</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકોને લગ્નોમાં ઘોડી પર બેસીને નીકળવા નથી દેવાતા. ત્યારે એક દલિત યુવકે 12 ડીજે સાથે ઘોડે ચડી તેમાં ઉંટ, બકરી, વાંદરા સહિતના પ્રાણીઓની આખી ફૌજને સામેલ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના ડીગ જિલ્લામાં ગઈકાલે એક દલિત યુવકની દિલ્હીથી આવેલી જાને જોરદાર ચર્ચા જગાવી છે. જાતિવાદ માટે કુખ્યાત રાજસ્થાનમાં દલિત વરરાજાના ઘોડી પર બેસવા ન દેવાની અનેક ઘટનાઓ બને છે. ત્યારે દિલ્હીથી આવેલી જાનમાં દલિત વરરાજા ઘોડી સહિત અનેક પ્રાણીઓની આખી ફૌજ લઈને પહોંચી ગયા હતા. જેમાં બકરી, ઉંટ અને વાંદરાનો પણ સમાવેશ થતો હતો. આ જાનમાં 12 ડીજે સાઉન્ડ સામેલ કરાયા હતા, આ સિવાય બહુજન મહાપુરુષોના ટેબ્લો સહિત બીજી પણ અનેક ચીજો આકર્ષણનું કેન્દ્ર બની હતી. જાનમાં સામેલ બધાં પ્રાણીઓ ટ્રેઈન થયેલા હોવાથી તેમણે લગ્નમાં ડીજેના તાલે જોરદાર ડાન્સ કર્યો હતો. જેને જોવા માટે થઈને આખું શહેર રસ્તા પર ઉમટી પડ્યું હતું. પોલીસની સુરક્ષા વચ્ચે નીકળેલી આ જાનમાં બહુજન મહાપુરૂષોની ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. આ લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલ્હીથી આવેલી જાનમાં બકરી, વાંદરા જોઈ આશ્ચર્ય ફેલાયું</span></strong></span><br><span style="font-size: 14pt;">રાજસ્થાનના ડીગ જિલ્લામાં યોજાયેલા આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. દલિત પરિવારના પુત્ર સાહિલે બબીતા ​​સાથે લગ્ન કર્યાં અને પરંપરાઓ અને સામાજિક સીમાઓ તોડીને એક નવો દાખલો બેસાડ્યો. આ અનોખી જાનમાં બકરાં અને વાંદરા મહેમાન તરીકે જોવા મળ્યા હતા, તેણે મહેમાનો વચ્ચો જોરદાર ડાન્સ કર્યો હતો. દિલ્હીથી આવેલી આ જાને સમગ્ર ડીગ જિલ્લામાં એવો માહોલ સર્જ્યો કે ઠંડી રાતમાં પણ લોકો કલાકો સુધી તેને જોવા માટે રસ્તા પર ઉભા રહી ગયા હતા. આ જાન શહેરના ક્લોક ટાવરથી શરૂ થઈને દલિતવાસ સુધી ગઈ હતી અને તેને જોવા માટે સમગ્ર રૂટમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. ગોવર્ધન માર્ગ પર એટલી બધી ભીડ હતી કે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉંટ, ઘોડા અને જૂની ગાડીઓ આકર્ષણનું કેન્દ્ર બની</span></strong></span><br><span style="font-size: 14pt;">આ જાનની સૌથી મોટી વિશેષતા ઉંટ, ઘોડા અને જૂના જમાનાની ગાડીઓ હતી. સામાન્ય રીતે દલિત સમાજના લગ્નોમાં વરરાજાનો ઘોડી પર બેસાડવાનો વિરોધ થતો હોય છે, પરંતુ આ લગ્નની જાનમાં આ તમામ માન્યતાઓનો છેદ ઉડી ગયો હતો. લગ્ન એટલા ભવ્ય હતા કે ભલભલાં લોકો તેની ભવ્યતા જોઈને અંજાઈ ગયા હતા. બેન્ડ અને ડીજેના તાલે નાચતા જાનૈયાઓ સાથે ઊંટ અને જૂની ગાડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોભાયાત્રાના રૂટ પર બહુજન મહાનાયકોની ભવ્ય ઝાંખીઓ પણ કાઢવામાં આવી હતી, જેણે લોકોના દિલ જીતી લીધા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોક કલાકારો અને બકરીના તાલે લોકો નાચ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ જાનમાં રાજસ્થાનના લોક કલાકારોએ તેમના અદ્દભૂત પરફોર્મન્સથી ચાર ચાંદ લગાવી દીધા હતા. મહેમાનો તેમની ધૂન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સૌથી અનોખી વાત એ હતી કે જાનમાં સામેલ બકરા અને વાંદરાઓએ પણ લોકગીતોની ધૂન પર ડાન્સ કર્યો હતો. આ અદ્ભુત નજારો જોઈને બધા ખુશ થઈ ગયા હતા. જાનનો નજારો એટલો ભવ્ય હતો કે, રસ્તાની બંને તરફ લોકો પોતાના મોબાઈલ કેમેરા લઈને આખી જાનનો વીડિયો કેદ કરવાનું ચૂક્યા ન હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાનમાં ડાન્સિંગ કાર પણ જોવા મળી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ જાન દિલ્હીથી લક્ઝરી કારમાં આવી હતી, જેમાં ડાન્સિંગ કાર પણ સામેલ હતી. વર પક્ષના લોકોએ જણાવ્યું કે લગ્નની જાનનો તમામ ખર્ચ વરરાજાએ ઉઠાવ્યો હતો. વર સાહિલ દિલ્હીમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણનું કામ કરે છે. કન્યા બબીતાના પિતા ડીગ નગરપાલિકામાં સ્વચ્છતા કાર્યકર તરીકે કામ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાનમાં 12 ડીજે બેન્ડ જોડાયા, ધાબાઓ પર લોકો ઉમટી પડ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">સામાન્ય જાનમાં એક ડીજે બેન્ડ જોવા મળતું હોય છે, પરંતુ દલિત પરિવારના સાહિલની આ જાનમાં 12 ડીજે બેન્ડ જોડાયા હતા. આ નજારો જોવા માટે લોકો ધાબાઓ પર કડકડતી ઠંડીમાં પણ ઉમટી પડ્યા હતા. સામાજિક માળખું અને અસામાજિક તત્વોની આશંકાને ધ્યાનમાં રાખીને જાન માટે વિશેષ પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક રહ્યું હતું. મુખ્ય બજાર અને દલિત વસ્તી તરફ જતા રસ્તા પર લોકોની ભીડ એટલી બધી હતી કે લોકો રસ્તા પર અને ઘરોની છત પર પણ ઉભા રહીને જાનનો આનંદ માણ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">સામાજિક સંદેશ સાથે આનંદનું વાતાવરણ</span></strong><br><span style="font-size: 14pt;">આ લગ્ને માત્ર સામાજિક સીમાઓને જ પડકારી નથી પરંતુ સમાજમાં એકતા અને સંવાદિતાનો સંદેશો પણ આપ્યો છે. સાહિલ અને બબીતાના લગ્ન માત્ર એક પ્રસંગ નહીં પરંતુ દલિત સમાજના સશક્તિકરણનું અને પરંપરાઓને નવા સ્વરૂપમાં રજૂ કરવાનું પ્રતીક બની ગયા હતા. તેમના આ અનોખા લગ્નના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-chandkheda-a-unique-group-marriage-was-held-by-women-breaking-casteism">ચાંદખેડામાં મહિલાઓ દ્વારા પેટાજાતિવાદ તોડતા અનોખા સમૂહલગ્ન યોજાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Dec 2024 11:25:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1677</Articleid>
                    <excerpt>દલિત યુવકોને લગ્નોમાં ઘોડી પર બેસીને નીકળવા નથી દેવાતા. ત્યારે એક દલિત યુવકે 12 ડીજે સાથે ઘોડે ચડી તેમાં ઉંટ, બકરી, વાંદરા સહિતના પ્રાણીઓની આખી ફૌજને સામેલ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6757d6778bcb1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6757d67753dfa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6757d67753dfa.jpg" length="79705" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>goat, monkey, camel, horse, became wedding guests, dalit youths wedding, dig, bharatpur, rajasthan</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલા શિક્ષિકા પર ભાજપ યુવા મોરચાના અધ્યક્ષે બળાત્કાર ગુજાર્યો</title>
                    <link>https://khabarantar.com/bjp-yuva-morcha-president-rapes-dalit-female-teacher-in-sohagpur,-balaghat-mp</link>
                    <guid>https://khabarantar.com/bjp-yuva-morcha-president-rapes-dalit-female-teacher-in-sohagpur,-balaghat-mp</guid>
                    <description>
                        <![CDATA[ ઘટનાના 15 દિવસ પછી પણ આરોપીનો કોઈ પત્તો નહીં. પોલીસે ઈનામ જાહેર કર્યું, મહિલા શિક્ષિકા ન્યાયની રાહ જોઈ રહી છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેટી બચાવો, બેટી પઢાઓની વાતો કરનાર ભાજપ જ્યારે તેમના ખુદના પક્ષના નેતાઓ બળાત્કાર જેવી જઘન્ય ઘટનામાં સંડોવાયેલા જોવા મળે ત્યારે કોઈ પગલાં લેતા નથી. દીકરીઓની સલામતીને લઈને ભાજપે આપેલુ સૂત્ર ખુદ તેમના જ પક્ષના નેતાઓ ખૂલ્લેઆમ ફગાવી બળાત્કાર જેવા કૃત્યો કરતા અચકાતા નથી. આવી જ એક ઘટનામાં ભાજપ યુવા મોરચાના એક જિલ્લા અધ્યક્ષે એક દલિત મહિલા શિક્ષિકા પર બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશનો છે. અહીં એક દલિત મહિલા શિક્ષિકા પર ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભૂપેન્દ્ર સોહાગપુરે વિરુદ્ધ 17 નવેમ્બરે કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તે હજુ સુધી પકડાયો નથી. પોલીસે તેના પર 3000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. ઘટનાને લઈને કોંગ્રેસ અને અન્ય દલિત સંગઠનોએ આરોપીઓને રાજકીય રક્ષણ મળવાનો આરોપ લગાવીને મોટા આંદોલનની ચેતવણી આપી છે. પોલીસનો દાવો છે કે આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બાલાઘાટ જિલ્લાના સોહાગપુર વિસ્તારનો છે. અહીં એક દલિત મહિલા શિક્ષિકા પર બળાત્કારની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આરોપ છે કે ભાજપ યુવા મોરચાના જિલ્લા પ્રમુખ ભૂપેન્દ્ર સોહાગપુરે લગ્નના બહાને મહિલાનું વર્ષો સુધી શારીરિક શોષણ કર્યું હતું. 17 નવેમ્બરના રોજ મહિલા પોલીસે દલિત શિક્ષિકાની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાયાના 15 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી આરોપીઓ પોલીસની પહોંચની બહાર છે જેના કારણે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિપક્ષ અને દલિત સંસ્થાઓએ હોબાળો મચાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે કોંગ્રેસ અને અનુસૂચિત જાતિના સંગઠનોએ પોલીસ અને પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, આરોપી ભાજપ જિલ્લા પ્રમુખ હોવાને કારણે તેને રાજકીય રક્ષણ મળી રહ્યું છે અને પોલીસ તેની ધરપકડ કરવામાં ઢીલ કરી રહી છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈને કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ દલિત સંગઠનો અને સામાજિક કાર્યકરોએ પોલીસની નિષ્ક્રિયતા સામે આવેદનપત્ર આપ્યું છે અને ચેતવણી આપી છે કે જો આરોપીઓની જલ્દી ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ બાલાઘાટ બંધ જેવા મોટા આંદોલનનો આશરો લેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે ઈનામની જાહેરાત કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિક્ષક નાગેન્દ્ર સિંહે આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે પીડિતાની ફરિયાદ નોંધાતા જ મામલાની ગંભીરતા સમજીને તરત જ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ આરોપીને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે અને તેને પકડવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરોપીઓની ધરપકડ અંગે સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી છે. પોલીસે ભૂપેન્દ્ર સોહાગપુરે પર 3000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ રકમ એવા કોઈપણ વ્યક્તિને આપવામાં આવશે જે આરોપી વિશે માહિતી આપશે અને તેની ધરપકડ કરવામાં મદદ કરશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ, કોંગ્રેસે આખા મામલાને રાજકીય અખાડો બનાવી દીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસ હવે માત્ર ફોજદારી કેસ નથી રહ્યો, પરંતુ રાજકીય અખાડો બની ગયો છે. કોંગ્રેસ આ મુદ્દાને ભાજપ સરકારની દલિતો પ્રત્યેની નીતિઓ અને વલણ પર સવાલ ઉઠાવવાની તક તરીકે જોઈ રહી છે. જો કે, ભાજપ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ નિવેદન અપાયું નથી. પીડિતા અને તેના પરિવારે ન્યાયની અપીલ કરી છે. તેમણે વહીવટીતંત્ર પાસે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડક સજાની માંગ કરી છે. આ ઘટનાથી દલિત સમાજમાં આક્રોશ અને અસુરક્ષાની લાગણી તીવ્ર બની છે. શું પોલીસ અને વહીવટીતંત્ર તેમની જવાબદારી નિભાવશે? પીડિતાને ન્યાય મળશે? આ પ્રશ્નોના હાલ તો કોઈ જવાબ મળી શક્યા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/tribal-woman-mother-of-three-raped-and-burned-alive-in-jiribam-manipur">બળાત્કાર કર્યો, જાંઘ માં ખીલા ઠોક્યાં, પછી જીવતી સળગાવી દીધી...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 09 Dec 2024 11:31:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1673</Articleid>
                    <excerpt>ઘટનાના 15 દિવસ પછી પણ આરોપીનો કોઈ પત્તો નહીં. પોલીસે ઈનામ જાહેર કર્યું, મહિલા શિક્ષિકા ન્યાયની રાહ જોઈ રહી છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675686e648f58.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675686e61745d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675686e61745d.jpg" length="63574" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bjp yuva morcha, Rape, Dalit Crime, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાની ગોળી મારી હત્યા, બંદૂક&amp;તલવારો સાથે 30 લોકોનો હુમલો</title>
                    <link>https://khabarantar.com/dalit-woman-geetabai-shot-dead-in-mandsaur-madhya-pradesh</link>
                    <guid>https://khabarantar.com/dalit-woman-geetabai-shot-dead-in-mandsaur-madhya-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ 5 ગાડી ભરીને આવેલા 30થી વધુ માથાભારે તત્વોએ બંદૂક, તલવારો અને લાકડીઓ વડે દલિત પરિવાર પર હુમલો કર્યો. સમગ્ર વિસ્તારમાં સન્નાટો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતીય હિંસા માટે કુખ્યાત થઈ ચૂકેલા મધ્યપ્રદેશમાં દલિત પરિવાર પર હિંસાની વધુ એક ઘટના સામે આવી છે. અહીં 5 ગાડીઓ ભરીને આવેલા 30 જેટલા માથાભારે તત્વોએ બંદૂક, તલવારો અને લાકડીઓ વડે દલિત પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 42 વર્ષીય મહિલા ગીતા બાઈનું ગોળી વાગવાથી મોત થયું હતું, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાનું કારણ જમીન વિવાદ હોવાનું કહેવાય છે. ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ મૃતદેહને રસ્તા વચ્ચે રાખીને ચક્કાજામ કરી આરોપીઓની ધરપકડની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાની છે. અહીં જાતીય હિંસાનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. અહીં પાંચ વાહનોમાં સવાર થઈને આવેલા 30 જેટલા લોકોએ દલિત પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરો બંદૂકો, તલવારો અને લાકડીઓથી સજ્જ હતા. તેમણે દલિત પરિવારના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ગીતાબાઈ નામની 42 વર્ષીય મહિલાનું ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષની લાગણી ફેલાઇ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મોડી રાત્રે હુમલો થયો, જીવ બચાવવાની પણ તક ન મળી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રવિવારે રાત્રે આ દલિત પરિવારના ઘર પર હુમલો થયો હતો. હુમલાખોરોએ પહેલા ઘરને ચારે બાજુથી ઘેરી લીધું અને પછી અચાનક હુમલો શરૂ કરી દીધો. પરિવારે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હથિયારો સાથે આવેલા હુમલાખોરોએ તેમને કોઈ તક આપી ન હતી. હુમલા દરમિયાન ઘરની અંદર રહેલી ગીતાબાઈને નિશાન બનાવીને ગોળી મારવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જમીન અને મિલકતના વિવાદનું પરિણામ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારના સભ્યોનો આરોપ છે કે આ હુમલો ગામના માથાભારે સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો, જેઓ લાંબા સમયથી તેમની જમીન અને મિલકત પર કબજો કરવા માંગતા હતા. પરિવારે આ અંગે પોલીસને અનેક વખત ફરિયાદ કરી હતી પરંતુ તેમની ફરિયાદને અવગણવામાં આવી હતી. આ હુમલો એ દુશ્મનાવટનું પરિણામ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘાયલોની હાલત ગંભીર છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હુમલામાં ઘાયલ અન્ય ચાર લોકોમાં એક 12 વર્ષની બાળકી પણ સામેલ છે. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે. ડૉક્ટરોએ જણાવ્યું કે ઘાયલોમાં બે લોકોને ગોળી વાગી હતી, જ્યારે અન્ય લોકોને તલવાર અને લાકડીઓથી ઈજા થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૃતદેહને રસ્તે રાખીને વિરોધ પ્રદર્શન કરાયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનો અને પરિવારજનોએ મૃતક ગીતાબાઈના મૃતદેહને રસ્તા પર મૂકી દીધો હતો અને ચક્કાજામ કર્યો હતો. તેમણે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે. વિરોધ પ્રદર્શનને કારણે મુખ્ય માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. પ્રદર્શનકારીઓએ વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ મૂક્યો અને કહ્યું કે જો તેમની ફરિયાદ પર સમયસર પગલાં લેવામાં આવ્યા હોત તો આ ઘટના ટાળી શકાઈ હોત.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_67550e0ba3a82.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલાની ગંભીરતા જોઈને વરિષ્ઠ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસપીએ ઘટનાની તપાસ કરવા અને આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવા માટે વિશેષ ટીમ બનાવવાની ખાતરી આપી હતી. જો કે, વહીવટીતંત્ર તેમની તમામ માંગણીઓ લેખિતમાં સ્વીકારે નહીં ત્યાં સુધી ગ્રામજનો શાંત થયા ન હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો સામે વધી રહેલી હિંસા, વહીવટીતંત્રની નિષ્ફળતા છતી થઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાએ ફરી એકવાર દલિત સમાજ સામેની હિંસા અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતા છતી કરી છે. પીડિત પરિવાર ન્યાય માટે લડત ચલાવી રહ્યો છે, પરંતુ આ ઘટના સમાજમાં પ્રવર્તતા જાતિ ભેદભાવ અને હિંસાના મૂળ કેટલા ઊંડા છે તે દર્શાવે છે. ગ્રામજનો અને પરિવારજનોએ ચીમકી આપી છે કે આરોપીઓ સામે વહેલીતકે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. આ ઘટના માત્ર મંદસૌર જિલ્લા માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર ચેતવણી છે કે જો જાતિ ભેદભાવ અને જાતીય હિંસા રોકવામાં નહીં આવે તો આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dalit-woman-killed-for-asking-why-are-you-grazing-cattle-in-my-field"> 'મારા ખેતરમાં ઢોર કેમ ચરાવો છો?' પૂછતા દલિત મહિલાની હત્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 08 Dec 2024 09:34:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1667</Articleid>
                    <excerpt>5 ગાડી ભરીને આવેલા 30થી વધુ માથાભારે તત્વોએ બંદૂક, તલવારો અને લાકડીઓ વડે દલિત પરિવાર પર હુમલો કર્યો. સમગ્ર વિસ્તારમાં સન્નાટો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67550eefbce2c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67550eef8e515.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67550eef8e515.jpg" length="36373" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit woman Murder case, Dalit crime, Dalit News, Mandsaur News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશના 30 મુખ્યમંત્રીઓમાં એક પણ દલિત મુખ્યમંત્રી કેમ નથી?</title>
                    <link>https://khabarantar.com/why-is-there-not-a-single-dalit-minister-among-the-30-chief-ministers-of-the-country</link>
                    <guid>https://khabarantar.com/why-is-there-not-a-single-dalit-minister-among-the-30-chief-ministers-of-the-country</guid>
                    <description>
                        <![CDATA[ દેશના 30 મુખ્યમંત્રીઓમાં 4 બ્રાહ્મણ, 5 ઠાકુર, 7 ઓબીસી અને 4 આદિવાસી સમાજમાંથી છે, પરંતુ 20 ટકાથી વધુ વસ્તી ધરાવતા SC સમાજમાંથી એકેય નથી. શું છે તેની પાછળનું કારણ? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય રાજકારણમાં જાતિ સમીકરણોનો પ્રભાવ હંમેશા ઊંડો રહ્યો છે. હાલમાં, દેશના ચાર રાજ્યોમાં બ્રાહ્મણ મુખ્યમંત્રીઓ છે દેવેન્દ્ર ફડણવીસ (મહારાષ્ટ્ર), હિમંતા બિસ્વા સરમા (આસામ), મમતા બેનર્જી (પશ્ચિમ બંગાળ) અને ભજનલાલ શર્મા (રાજસ્થાન). અહીં એ ખાસ નોંધવું જોઈએ કે બ્રાહ્મણોની વસ્તી દેશની કુલ વસ્તીના 5% માંડ છે, તેઓ અપ્રમાણસર રીતે ટોચના પદો પર કબ્જો જમાવીને બેઠાં છે. પછી તે ભારતરત્ન એવોર્ડ હોય, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હોય, કેન્દ્ર સરકારમાં સચિવનું પદ હોય કે પછી અન્ય મહત્વના પદ હોય, દરેક જગ્યાએ તેઓ અન્ય કોઈ સમાજના લોકોને પ્રવેશવા દેતા નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ રીતે ઠાકુર સમાજના 5 મુખ્યમંત્રીઓ છે. જેમાં ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી, હિમાચલ પ્રદેશના સુખવિંદર સિંહ સુખુ, મણિપુરના એન. બિરેન સિંહ અને દિલ્હીના આતિશીનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે બ્રાહ્મણ અને ઠાકુર સમાજો, જે પ્રમાણમાં ઓછી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓ સત્તા પર પ્રભુત્વ ધરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">20 ટકા દલિત સમાજમાં નેતૃત્વનો અભાવ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં દલિત સમાજ દેશની કુલ વસ્તીના લગભગ 20% છે, પરંતુ હાલમાં કોઈ મુખ્ય પ્રધાન દલિત સમાજમાંથી નથી. 2022 માં, ચરણજીત સિંહ ચન્ની પંજાબના મુખ્યમંત્રી તરીકે દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, પરંતુ તેમના પદ પરથી ગયા પછી, દલિત નેતૃત્વ સાવ ખતમ થઈ ગયું છે. આ સ્થિતિ માત્ર ભારતીય રાજકારણની જ્ઞાતિની અસમાનતાને જ નહીં પરંતુ દલિત સમાજ પ્રત્યે રાજકીય પક્ષોની ઉદાસીનતા પણ દર્શાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સમાજને ચૂંટણીના સમીકરણોને બેલેન્સ કરવા માટે એક વોટ બેંક તરીકે જોવામાં આવે છે, પરંતુ નેતૃત્વના સ્તરે તેમને પ્રતિનિધિત્વ આપવાની જરૂરિયાતને અવગણવામાં આવે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોમાં ચોક્કસપણે દલિત નાયબ મુખ્યમંત્રી છે, પરંતુ આ પૂરતું નથી. એક દલિત મુખ્યમંત્રી ન માત્ર સમાજનો અવાજ બની શકે, પરંતુ દલિત અધિકારો અને સામાજિક ન્યાય માટે મજબૂત પહેલ પણ કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓબીસી અને આદિવાસી નેતૃત્વનો ઉદય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરના વર્ષોમાં ઓબીસી અને આદિવાસી સમાજે રાજકીય સત્તામાં મજબૂત પ્રગતિ કરી છે. હાલ OBC સમાજના 6 મુખ્યમંત્રીઓ છે, જેમાં મુખ્ય નામ બિહારના નીતિશ કુમાર, કર્ણાટકના સિદ્ધારમૈયા અને હરિયાણાના નાયબ સિંહ સૈની મુખ્ય છે. એ જ રીતે, આદિવાસી સમાજના 4 મુખ્યમંત્રીઓ છે - ઝારખંડના હેમંત સોરેન, છત્તીસગઢના વિષ્ણુદેવ સાઈ, ઓડિશાના મોહન માંઝી અને નાગાલેન્ડના ને ફ્યૂ રિયો સત્તામાં તેમની ભૂમિકા ભજવી રહ્યા છે. આદિવાસી સમાજનું નેતૃત્વ સામાજિક ન્યાય તરફ સકારાત્મક સંકેત છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે રાજકીય પક્ષો દલિત સમાજને સમાન તકો કેમ આપતા નથી?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતીય વિવિધતા અને નાસ્તિક મુખ્યમંત્રીઓની ભૂમિકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના રાજકારણમાં જાતીય અને ધાર્મિક વિવિધતા દર્શઆવતા અનેક મુખ્યમંત્રીઓ પણ છે. જમ્મુ અને કાશ્મીરના ઓમર અબ્દુલ્લા, પંજાબના ભગવંત માન, મેઘાલયના કોનરાડ સંગમા અને અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ જેવા લઘુમતી સમાજના નેતાઓ ભારતીય રાજકારણની વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. એ જ રીતે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયન પોતાને નાસ્તિક અને જાતિ વ્યવસ્થાના વિરોધી ગણાવે છે. તેમની પ્રગતિશીલ વિચારસરણી સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માટે પ્રેરણારૂપ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત નેતૃત્વ: ભારતીય લોકશાહીની જરૂરિયાત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય લોકશાહીની સફળતા ત્યારે જ શક્ય છે જ્યારે તે તમામ સમાજોને સમાન પ્રતિનિધિત્વ આપે. દલિત મુખ્યમંત્રીની ગેરહાજરી ભારતીય લોકશાહીની ઊંડી ખામીઓને દર્શાવે છે. એક દલિત મુખ્યમંત્રી માત્ર દલિત સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે સમાનતા અને સમરસતાનું પ્રતીક બની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકીય પક્ષોએ જ્ઞાતિ સમીકરણોથી ઉપર ઊઠીને દલિતોને નેતૃત્વની તકો પૂરી પાડવી જોઈએ. જ્યારે દલિત મુખ્યમંત્રી સત્તામાં હશે, તો નીતિઓ અને યોજનાઓ સીધી દલિતો અને અન્ય વંચિત સમાજોના ઉત્થાન પર કેન્દ્રિત હશે. સામાજિક ન્યાયની દિશામાં આ એક મોટું પગલું હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત મુખ્યમંત્રીઃ મજબૂત લોકશાહી માટે જરૂરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય રાજનીતિએ જાતિગત સમીકરણોથી ઉપર ઊઠીને દલિત સમુદાયને મજબૂત નેતૃત્વ પૂરું પાડવું પડશે. આનાથી સમાજમાં પ્રવર્તતી અસમાનતા તો દૂર થશે જ, પરંતુ લોકશાહી પણ મજબૂત થશે. સામાજિક ન્યાય, સમાનતા અને સંવાદિતાના પાયા પર આધારિત દલિત મુખ્યમંત્રીની પસંદગી ભારતીય લોકશાહી માટે એક ઐતિહાસિક પગલું હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/from-sanjeevayya-to-pahadia-these-are-the-first-4-dalit-chief-ministers-of-the-country"><strong>સંજીવય્યાથી પહાડિયા સુધી, આ છે દેશના પ્રથમ 4 દલિત મુખ્યમંત્રીઓ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 07 Dec 2024 11:51:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1664</Articleid>
                    <excerpt>દેશના 30 મુખ્યમંત્રીઓમાં 4 બ્રાહ્મણ, 5 ઠાકુર, 7 ઓબીસી અને 4 આદિવાસી સમાજમાંથી છે, પરંતુ 20 ટકાથી વધુ વસ્તી ધરાવતા SC સમાજમાંથી એકેય નથી. શું છે તેની પાછળનું કારણ?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6753e8abe1c5b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6753e8abaefb8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6753e8abaefb8.jpg" length="104011" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Chief Minister, Dalit News, SC CM</media:keywords>
                </item>
                        <item>
                    <title>પતિ દલિત&amp;પત્ની બિનદલિત હોય તો તેમના સંતાનોને અનામત મળે?</title>
                    <link>https://khabarantar.com/if-the-husband-is-a-dalit-and-the-wife-is-a-non-dalit-will-their-children-get-reservation-gujarati</link>
                    <guid>https://khabarantar.com/if-the-husband-is-a-dalit-and-the-wife-is-a-non-dalit-will-their-children-get-reservation-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ વિશેષાધિકારનો ઉપયોગ કરીને, બિન-દલિત મહિલા અને એક દલિત પુરુષના લગ્નને રદ કરી દીધાં. જાણો કોર્ટે શું ચૂકાદો આપ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 (Article 142 of the Constitution) હેઠળ એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને બિન-દલિત મહિલા અને દલિત પુરુષના લગ્ન રદ કરી દીધા છે. સાથે કોર્ટે આદેશ આપ્યો કે મહિલાના બાળકોને અનુસૂચિત જાતિ (SC) પ્રમાણપત્ર મળવું જોઈએ, કારણ કે તેમના પિતા દલિત સમાજના છે. જુહી પોરિયા અને પ્રદીપ પોરિયાના છૂટાછેડાના કેસમાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બિન-દલિત મહિલા લગ્ન દ્વારા અનુસૂચિત જાતિનું સભ્યપદ મેળવી શકતી નથી, પરંતુ અનુસૂચિત જાતિના વ્યક્તિથી જન્મેલા બાળકો SC પ્રમાણપત્ર મેળવવા માટે હકદાર રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે પતિને આદેશ આપ્યો કે તેઓ છ મહિનાની અંદર બાળકો માટે એસસી પ્રમાણપત્ર મેળવે અને પીજી સુધીના તેમના શિક્ષણ સંબંધિત તમામ ખર્ચ ઉઠાવે. વધુમાં કોર્ટે પતિને ₹42 લાખની એકસાથે ચુકવણી કરવા અને પત્નીને રાયપુરમાં એક પ્લોટ આપવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે એવું પણ કહેવામાં આવ્યું કે, છૂટાછેડા પછી બાળકોનો ઉછેર માતાના ઘરે થશે, પરંતુ તેમને SCનો દરજ્જો મળશે. તેનાથી તેમને સરકારી શિક્ષણ અને નોકરીઓમાં ફાયદો થશે. કોર્ટે પતિ-પત્ની વચ્ચે નોંધાયેલા તમામ કેસો ફગાવી દીધા હતા અને બાળકોને તેમના પિતા સાથે મળવા માટેના નિર્દેશો આપ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંધારણની કલમ 142માં શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">બંધારણની કલમ 142 ની જોગવાઈ દેશની સુપ્રીમ કોર્ટને ખાસ સત્તાઓ આપે છે. આ અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને એ સત્તા મળેલી છે કે તે ન્યાયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કોઈપણ આદેશ કે દિશા આપી શકે છે, પછી ભલે તે કોઈ કાયદાકીય જોગવાઈમાં સ્પષ્ટપણે જણાવવામાં ન આવી હોય. તેને સર્વગ્રાહી શક્તિ પણ કહેવામાં આવે છે, કારણ કે તેનો ઉપયોગ કોર્ટ કોઈ ચોક્કસ કેસના નિકાલ માટે કરી શકે છે, જેમાં કાયદાકીય મર્યાદાઓની બહાર જઈને પણ ન્યાયનો રસ્તો શોધવાની જરૂર હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">142 કેવી રીતે કામ કરે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">બંધારણીય નિષ્ણાતોના મતે, કલમ 142 હેઠળ, સુપ્રીમ કોર્ટને એવો આદેશ આપવાનો અધિકાર છે, જે કોઈપણ અન્ય કાયદાની બહાર જઈને ન્યાય અને સમજદારીના આધારે હોય. તેનો ઉદ્દેશ્ય એ નક્કી કરવાનો છે કે કોઈપણ પક્ષ પોતાની કાયદાકીય સ્થિતિનો લાભ ન ઉઠાવે અને વાસ્તવિક ન્યાયને રોકવામાં ન આવે. ઉદાહરણ તરીકે, જો કાયદાની નબળાઈને કારણે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં ન્યાય ન થઈ રહ્યો હોય તો સુપ્રીમ કોર્ટ આ કલમનો ઉપયોગ કરીને ન્યાય આપવાનો આદેશ આપી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ક્યાં ઉપયોગ થાય છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">વ્યવહારિક રીતે જો કૌટુંબિક વિવાદો કે છૂટાછેડાના કેસોમાં જો કોઈ કાયદાકીય ટેકનિકલ કારણ ન્યાયમાં અવરોધ બને છે, તો સુપ્રીમ કોર્ટ કલમ 142 નો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ન્યાય વ્યવસ્થામાં સુધારા માટે પણ થાય છે. જો કોઈ ચોક્કસ કેસમાં ન્યાય પ્રક્રિયામાં અડચણ પેદા થાય છે, તો કોર્ટ આ કલમ થકી ઉકેલ લાવી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય ચોક્કસ કેસોમાં, જ્યારે કાયદાનું પાલન કરવું અશક્ય અથવા અત્યંત જટિલ હોય, ત્યારે સુપ્રીમ કોર્ટ આ જોગવાઈનો ઉપયોગ તેના નિર્દેશો અને આદેશો આપવા માટે કરી શકે છે. આ ઉપરાંત, કલમ 142નો ઉપયોગ એ સુનિશ્ચિત કરવાનો છે કે ભારતીય ન્યાય વ્યવસ્થામાં કોઈપણ પક્ષ ન્યાયથી વંચિત ન રહી જાય, ભલે કાયદામાં કોઈ ખામી કે અસ્પષ્ટતા હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/even-supreme-court-is-not-impartial-this-is-bjps-bishnoi-gang-sanjay-raut">સુપ્રીમ કોર્ટ પણ નિષ્પક્ષ નથી, આ ભાજપની બિશ્નોઈ ગેંગ છેઃ સંજય રાઉત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 07 Dec 2024 10:33:34 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 07 Dec 2024 10:59:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1663</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ વિશેષાધિકારનો ઉપયોગ કરીને, બિન-દલિત મહિલા અને એક દલિત પુરુષના લગ્નને રદ કરી દીધાં. જાણો કોર્ટે શું ચૂકાદો આપ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6753dd29b7839.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6753dd2986d10.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6753dd2986d10.jpg" length="104415" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Article 142 of the Constitution, Supreme Court, Special Powers</media:keywords>
                </item>
                        <item>
                    <title>બજરંગ દળના કાર્યકરોએ દલિત પ્રોફેસરને ઓફિસમાં ઘૂસી માર્યા</title>
                    <link>https://khabarantar.com/bajrang-dal-workers-barge-into-dalit-professors-office-and-beat-him-up</link>
                    <guid>https://khabarantar.com/bajrang-dal-workers-barge-into-dalit-professors-office-and-beat-him-up</guid>
                    <description>
                        <![CDATA[ ડીન જેવા પ્રતિષ્ઠિત હોદ્દા પર રહેલા પ્રોફેસર સાથે બજરંગ દળના કાર્યકરોએ મારામારી કરી, જેમાં પ્રોફેસર ઘાયલ થઈ ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારથી આરએસએસ સાથે જોડાયેલો પક્ષ સત્તામાં આવ્યો છે ત્યારથી બજરંગદળ, વીએચપી જેવા કથિત સંગઠનોના મનમાંથી જાણે કાયદો-વ્યવસ્થાનો ડર ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ છે. સામાન્ય માણસ જે કરતા કાયદાનો ડર અનુભવે તેવું કૃત્ય આ લોકો જાહેરમાં અને ખૂલ્લેઆમ કરતા ખચકાતા નથી. જાણે લોકોને સંદેશો ન આપતા હોય કે, સરકાર અમારી છે અને અમારું કોઈ કશું કરી લે તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીએચપી, બજરંગ દળ સહિતના સંગઠનોના નામે કાયદો વ્યવસ્થાને પડકારતા અનેક કારનામા બોલે છે અને તેમાં વધુ એક ઉમેરો આંધ્રપ્રદેશમાં થયો છે. અહીં તિરુપતિની શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીના કેમ્પસમાં બુધવારે એક દલિત પ્રોફેસર ડૉ. ચંગૈયા પર જમણેરી જૂથના સભ્યો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. ડૉ. ચાંગૈયા, જેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના ડીન છે, અને સામાજિક ન્યાય તથા દલિત અધિકારો માટે તેમની સક્રિયતા માટે જાણીતા છે, તેમની સાથે આ બન્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના ત્યારે ઘટી જ્યારે બજરંગ દળ સાથે જોડાયેલા હોવાનું કહેતા કેટલાક લોકો યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી ગયા અને ડૉ. ચંગૈયા સાથે દલીલ કરવા લાગ્યા. થોડા સમય પછી દલીલ મારામારીમાં ફેરવાઈ ગઈ, જેમાં પ્રોફેસર ઘાયલ થઈ ગયા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હુમલાથી દલિત સમાજના લોકોની સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે, કારણ કે એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે. અગાઉ 27 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં 27 વર્ષીય દલિત યુવક નારદ જાટવને ખેતરમાં પાણી વાળતી વખતે ગામના સરપંચ અને તેના સાગરિતોએ મળીને હત્યા કરી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય એક ઘટનામાં લખનૌ યુનિવર્સિટીના એક દલિત આસિસ્ટન્ટ પ્રોફેસર પર કેમ્પસમાં સમાજવાદી છાત્ર સભાના સભ્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ આ જ પ્રોફેસર પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યકરો દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, આ બાબતોમાં યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાઓએ શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સ્થળોએ દલિત સમાજના લોકો સામે વધતી હિંસાને ઉજાગર કરી છે. જે કાનૂની કાર્યવાહી અને સંસ્થાકીય જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/in-the-up-by-elections-rss-workers-will-explain-the-reservation-constitution-issue-to-dalits"> યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત-બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Dec 2024 11:43:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1660</Articleid>
                    <excerpt>ડીન જેવા પ્રતિષ્ઠિત હોદ્દા પર રહેલા પ્રોફેસર સાથે બજરંગ દળના કાર્યકરોએ મારામારી કરી, જેમાં પ્રોફેસર ઘાયલ થઈ ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675295052fc4c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67529504ec5f1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67529504ec5f1.jpg" length="82603" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>RSS, Lucknow University</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાએ મજૂરી કરી બે દીકરીઓને કુસ્તીબાજ બનાવી</title>
                    <link>https://khabarantar.com/dalit-woman-works-as-a-laborer-and-makes-her-two-daughters-wrestlers</link>
                    <guid>https://khabarantar.com/dalit-woman-works-as-a-laborer-and-makes-her-two-daughters-wrestlers</guid>
                    <description>
                        <![CDATA[ ખાધેપીધે સુખી સવર્ણ પરિવારમાં જન્મેલી કુસ્તીબાજ ગીતા-બબીતાની કહાની તમે જાણતા હશો. હવે એક દલિત મજૂર મહિલાની દીકરીઓ મુસ્કાન અને કાજલ વિશે પણ જાણી લો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા તેના કટ્ટર જાતિવાદની સાથે કુશ્તીના કારણે પણ જાણીતું છે. આમીર ખાનની ફિલ્મ દંગલ બાદ અહીંના સવર્ણ જાટ પરિવારની બે દીકરીઓ ગીતા-બબીતાની સાથે તેની બહેન વિનેશ ફોગાટને પણ હવે સૌ ઓળખે છે. સવર્ણ જાતિમાં જન્મી હોવાથી ત્રણેય અમુક હક-અધિકારો અને સુવિધાઓ આપમેળે મળી ગયા હતા. હવે તો લોકલાગણીનો ફાયદો ઉઠાવીને આ ફોગાટ બહેનો કુશ્તીમાંથી નિવૃત્તિ લઈને ભાજપ અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય પણ બની ગઈ છે. તેમના પરિવાર પાસે ઘણી બધી ખેતીની જમીન પણ છે અને સરકારી ક્વોટામાંથી પણ તેઓ ભરપૂર લાભ મેળવે છે. આટલી બધી સગવડો કોઈ દલિત-આદિવાસી કે ઓબીસીને ક્યારેય મળતી નથી. કમનસીબે રાજકીય પક્ષો પણ તેમની જાતિના કારણે તેમને મહત્વ આપતા નથી. પરિણામે આ ત્રણેય જાતિના લોકોએ તેમની લડાઈ જાતે જ લડવી પડે છે. આ કહાની પણ આવી જ છે, જેમાં એક દલિત મજૂર મહિલા તેની દીકરી અને પૌત્રીને કુશ્તીબાજ બનાવવા માટે તનતોડ મજરી કરીને પણ સતત લાગેલી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મજૂરીના પૈસામાંથી કુશ્તીની તાલીમની ફી ભરે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાના દાદરીમાં રહેતી સુશીલા અને તેમના પતિ ખેતમજૂરી કરે છે અને તેમના પરિવારની બે દીકરીઓ મુસ્કાન અને કાજલને કુશ્તીબાજ બનાવવા મહેનત કરી રહી છે. આર્થિક સંકટ વચ્ચે પણ આ પરિવાર બંને દીકરીઓના ભવિષ્યને લઈને કોઈ કસર બાકી છોડવા માંગતો નથી. સુશીલાની દીકરી મુસ્કાનને એક દિવસ તેની સ્કૂલના શિક્ષકે કોઈપણ પ્રકારની તાલીમ વિના હિસારમાં યોજાયેલી કુશ્તી સ્પર્ધામાં ભાગ લેવા મોકલી દીધી હતી. જ્યાં આ 'ભીમ કી બેટી' સિલ્વર મેડલ લઈ આવી હતી. તેની આ સફળતા જોઈને તેના શિક્ષકે તેની માતા અને પરિવારને મુસ્કાનને કુશ્તીમાં આગળ વધારવા માટે વિનંતી કરી. તેમની એ વિનંતી તેની માતા સુશીલાએ માની લીધી અને બંને દીકરીઓને કુશ્તીની તાલીમ આપવાનું શરૂ કર્યું. એ પછી યોજાયેલી રાજ્ય સ્તરની કુશ્તી સ્પર્ધામાં તેણે ફરી મેડલ જિત્યો એટલે સુશીલાએ તેને વધુ આકરી તાલીમ આપવાનું શરૂ કર્યું છે. હાલ સુશીલા તેની પુત્રી મુસ્કાન અને પૌત્રી કાજલને કુશ્તીની તાલીમ અપાવવા માટે રાજસ્થાનના ભરતપુરના મહારાણી કિશોરી કેસરી દંગલમાં લઈને આવી છે. દલિત દીકરીઓ મુસ્કાન અને કાજલનું સપનું છે કે, તેઓ દેશ તરફથી ઓલિમ્પિકમાં મેડલ જીતે અને ભારતને ગૌરવ અપાવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પરિવાર મજૂરી કરે છે, દીકરી દંગલની પ્રેક્ટિસ કરે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં આયોજિત અખિલ ભારતીય મહારાણી કિશોરી કેસરી દંગલમાં સુશીલા તેની પુત્રી મુસ્કાન અને પૌત્રી કાજલ સાથે પહોંચી હતી. મુસ્કાન અને કાજલ બંનેએ કુસ્તીમાં રાજ્ય કક્ષાએ મેડલ જીત્યા છે. સુશીલાએ જણાવ્યું કે તે, તેના પતિ, પુત્ર અને પુત્રવધૂ બધા મજૂરી કરે છે, તેમ છતાં તેઓ તેમની પુત્રીઓ અને પૌત્રીઓને કુસ્તીની તાલીમ આપી રહ્યા છે. સુશીલાએ જણાવ્યું કે તેઓ જે કંઈ કમાય છે તેનો ઉપયોગ તેઓ તેમની દીકરીઓને કુસ્તી માટે તૈયાર કરવા માટે કરે છે. સુશીલાએ એ પણ જણાવ્યું કે એકવાર તેમની દીકરી મુસ્કાનને સ્કૂલના શિક્ષકે કોઈ તૈયારી વિના હિસારમાં કુસ્તી લડવા માટે મોકલી હતી. એમાં મુસ્કાનને સિલ્વર મેડલ જિત્યો હતો એ પછી તેને કુશ્તીમાં રસ પડ્યો અને ત્યારથી તે નિયમિતપણે તેની પ્રેક્ટિસ કરવા લાગી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્કાન એ દિવસ યાદ કરતા કહે છે કે, તે પાંચમા ધોરણમાં હતી ત્યારની એ વાત છે. શિક્ષકે તેને કહ્યું કે, તું કુસ્તી લડવા જઈશ અને મેં હા પાડી દીધી. હું કોઈપણ પ્રકારની તૈયારી વિના ત્યાં ભાગ લેવા પહોંચી ગઈ. મારો પરિવાર મજૂરી કરે છે એટલે અમારે તો જિંદગી અને જાતિવાદ બંને સામે દરરોજ કુસ્તી લડવાની હોવાથી અમને સંઘર્ષની જરાય નવાઈ નથી. કદાચ એટલે જ હું એ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી લાવી હતી. એ પછી મેં કદી પાછું વળીને જોયું નથી. મેં નિયમિત રેસલિંગની પ્રેક્ટિસ શરૂ કરી. મારું સપનું ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવાનું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાજલને ઈન્ડિયન આર્મીમાં જવું છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુશીલાની પૌત્રી કાજલે કહે છે કે, તેણે એક વર્ષ પહેલા તેની કાકી મુસ્કાનને જોઈને કુસ્તી શરૂ કરી હતી. હવે તે પણ રાજ્ય સ્તરે મેડલ જીતીને ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું સેવીને તૈયારીઓ કરી રહી છે. કાજલનું સપનું ઈન્ડિયન આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવાનું છે. બહુજન સમાજની આ દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ક્રાંતિકારી જય ભીમ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Siddhi-of-Neha-Chauhan-from-Jamnagar,-Valmiki-became-the-first-air-hostess-from-the-community">જામનગરની નેહા ચૌહાણની સિદ્ધી, વાલ્મિકી સમાજમાંથી પ્રથમ એર હોસ્ટેસ બની</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Dec 2024 10:30:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1659</Articleid>
                    <excerpt>ખાધેપીધે સુખી સવર્ણ પરિવારમાં જન્મેલી કુસ્તીબાજ ગીતા-બબીતાની કહાની તમે જાણતા હશો. હવે એક દલિત મજૂર મહિલાની દીકરીઓ મુસ્કાન અને કાજલ વિશે પણ જાણી લો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675284373231f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67528436f3f92.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67528436f3f92.jpg" length="81600" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>wrestlers, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવક શિવ મંદિરમાં જળ ચઢાવવા ગયો, જાતિવાદીઓએ મોં પર પેશાબ કર્યો</title>
                    <link>https://khabarantar.com/casteists-urinated-on-dalit-youth-who-went-to-offer-water-at-shiva-temple-in-meerut</link>
                    <guid>https://khabarantar.com/casteists-urinated-on-dalit-youth-who-went-to-offer-water-at-shiva-temple-in-meerut</guid>
                    <description>
                        <![CDATA[ યુવક મોટા ઉપાડે હિંદુ બનીને મંદિરમાં પ્રસાદ ચડાવવા ગયો હતો. જાતિવાદી તત્વો તેને જોઈ ગયા અને હાથ ભાંગી નાખ્યો. એ પછી મોં પર પેશાબ કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના મેરઠમાં એક દલિત યુવકને હિંદુ બનીને મંદિરમાં ભગવાનને પ્રસાદ ચડાવવા જવું ભારે પડી ગયું. જાતિવાદી તત્વો યુવકને મંદિરમાં પ્રવેશતા જોઈ ગયા અને તરત તેને પકડીને મારવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, લુખ્ખા તત્વોએ તેના મોં પર પેશાબ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મેરઠના જાની પોલીસ સ્ટેશનની છે. અહીં કુરાલી ગામમાં એક દલિત યુવકે સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે જ્યારે તેણે મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો ત્યારે ગુંડાઓએ તેને નિર્દયતાથી માર્યો, તેનો હાથ તોડી નાખ્યો અને તેના ચહેરા પર પેશાબ કર્યો. દલિત યુવકનો આરોપ છે કે તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી પરંતુ કાર્યવાહી ન થઈ. એટલે તેણે એસએસપી ઓફિસમાં ફરિયાદ કરી છે અને ત્યાંથી કાર્યવાહીના આશ્વાસન સાથે તપાસના આદેશ અપાયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">1 ડિસેમ્બરની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">એસએસપીને આપેલી ફરિયાદમાં યુવકે જણાવ્યું હતું કે તે કડિયાકામ કરે છે. 1લી ડિસેમ્બરે તે ગંગા સ્નાન કરવા ગઢમુક્તેશ્વર ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે તે ગઢગંગાનું પાણી લાવ્યો હતો અને પોતાના ગામ કુરાલીમાં આવેલા શિવ મંદિરમાં તે ગંગા જળ ચઢાવવા ગયો હતો. એ વખતે ગામના દીપુ ઉર્ફે શિવા, નિશાંત, આકાશ અને કેટલાક અજાણ્યા યુવકો રસ્તામાં આવી પહોંચ્યા અને તેની સાથે મારામારી કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જેમ તેમ કરીને જીવ બચાવી ભાગ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત યુવકનો આરોપ છે કે આ લોકોએ તેને રસ્તામાં રોક્યો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને જાતિ સંબંધિત ગાળો ભાંડી. એટલું જ નહીં તેની પાસે રહેલા પૈસા અને મોબાઈલ પણ લૂંટી લીધો હતો. યુવકનો આરોપ છે કે, આ લોકોએ તેને લાકડીથી ફટકારીને નાળામાં ફેંકી દીધો હતો, જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. યુવકે કહ્યું કે, આરોપીઓએ તેના મોં પર પેશાબ પણ કર્યો હતો. આ બધી ઘટનાઓથી ગભરાઈને તે જેમતેમ કરીને ત્યાંથી ભાગી છુટ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોએ જાનથી મારી નાખવાની ધમકી આપી</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત યુવકનું કહેવું છે કે તેણે આરોપી વિરુદ્ધ જાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કાર્યવાહીની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી પોલીસે ગુનો નોંધ્યો નથી. જ્યારે આરોપીઓને તે પોલીસ ફરિયાદ કરવા ગયો હતો તેની જાણ થઈ ત્યારે તેમણે તેને ધમકી આપી હતી. યુવકનો આરોપ છે કે લુખ્ખા તત્વો તેના ઘરે આવ્યા હતા અને જો તે ફરિયાદ પાછી નહીં ખેંચે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આરોપીઓ સામે FIR દાખલ</span></strong><br><span style="font-size: 14pt;">એસએસપીના આદેશ બાદ યુવકની ફરિયાદના આધારે જાની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એસએસપી ડો.વિપિન ટાડાનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવશે અને આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એસપી (ગ્રામ્ય)ને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસે પણ એક્શનમાં આવી અને આરોપીના ઘરે દરોડા પાડ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/manuwadi-cleaned-theurine-of-a-disabled-dalit-teenagar-by-takingoff-his-shirt">વિકલાંગ દલિત કિશોર પાસે મનુવાદીએ શર્ટ ઉતરાવી પેશાબની સફાઈ કરાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Dec 2024 14:37:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1655</Articleid>
                    <excerpt>યુવક મોટા ઉપાડે હિંદુ બનીને મંદિરમાં પ્રસાદ ચડાવવા ગયો હતો. જાતિવાદી તત્વો તેને જોઈ ગયા અને હાથ ભાંગી નાખ્યો. એ પછી મોં પર પેશાબ કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67516d417155b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67516d4141705.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67516d4141705.jpg" length="68467" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit youth Beaten, casteists, urinated, dalit youth, offer water at shivji, meerut UP</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત શિક્ષકની મંગેતરના એકતરફી પ્રેમી યુવકે અપહરણ કરી હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/dalit-teacher-kidnapped-and-murdered-by-fiancees-one-sided-lover-in-ups-muzaffarnagar</link>
                    <guid>https://khabarantar.com/dalit-teacher-kidnapped-and-murdered-by-fiancees-one-sided-lover-in-ups-muzaffarnagar</guid>
                    <description>
                        <![CDATA[ દલિત શિક્ષકના જે યુવતી સાથે લગ્ન થવાના હતા, તેને એકતરફી પ્રેમ કરતા યુવકે કાવતરું રચી અપહરણ કરી હત્યા કરી લાશ નાળામાં ફેંકી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રેમ આંધળો હોય છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ અને તેના ગંભીર પરિણામો પણ જોયા-સાંભળ્યા છે. આવી જ એક ઘટનામાં સાવ નિર્દોષ દલિત શિક્ષકનો ભોગ લેવાયો છે. દલિત શિક્ષકના જે યુવતી સાથે લગ્ન થવાના હતા તેને એક યુવક એકતરફી પ્રેમ કરતો હતો. જેવી તેને ખબર પડી કે તે જેને પ્રેમ કરે છે તે યુવતીના આ શિક્ષક સાથે લગ્ન થવાના છે, કે તરત તેણે શિક્ષક યુવકને ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે એ પછી નિર્દોષ શિક્ષકને મોતને ઘાટ ઉતારી દીધાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો છે. અહીંના ચરથાવલ વિસ્તારમાં દલિત સમાજમાંથી આવતા 28 વર્ષીય શિક્ષક યોગેશ કુમારની હત્યાની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. બરલા ઇન્ટર કોલેજમાં હિન્દી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પોતાની પ્રામાણિકતા અને નિષ્ઠા માટે જાણીતા યોગેશના જીવનનો આટલો દુઃખદ અંત આવશે તેની કોઈએ કલ્પના નહોતી કરી. રસૂલપુર ગામના જંગલમાં નાળામાંથી તેમની લાશ મળી આવી હતી, જ્યાં તેને લાકડીઓ વડે નિર્દયતાથી મારવામાં આવ્યા હતા. અપહરણ અને એકતરફી પ્રેમના કારણે બનેલી આ જઘન્ય ઘટનાએ પરસ્પર સમજણ પર પણ સવાલો ઉભા કરી દીધાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અપહરણ અને હત્યાનું કાવતરું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષક યોગેશ કુમારના અપહરણની ફરિયાદ તેની બહેન સિમલેશ દ્વારા નોંધાવવામાં આવી હતી. તેણે જણાવ્યું કે રસૂલપુરના રહેવાસી પરમજીત અને અમિતે અગાઉ પણ તેના ભાઈને ધમકી આપી હતી. સોમવારે રાત્રે દાખલ કરવામાં આવેલી આ ફરિયાદે થોડા કલાકોમાં જ એક ભયંકર સત્યનો પર્દાફાશ કર્યો. કાર્યવાહી કરતા પોલીસે આરોપી પરમજીતની સૈયદપુરા શનિદેવ મંદિર નજીકથી ધરપકડ કરી હતી અને તેણે આપેલી માહિતીના આધારે શિક્ષક યોગેશનો મૃતદેહ કબજે કર્યો હતો. હત્યા પાછળનું કારણ તે યુવતી હતી જેની સાથે યોગેશની 8 ડિસેમ્બરે સગાઈ થવા જઈ રહી હતી. અમિત આ યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો અને યોગેશ સાથે તેની સગાઈ થવાની હોવાનું જાણીને તેણે તેને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કારમાં અપહરણ કરી જંગલમાં લઈ જઈ ગળું દબાવી દીધું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યાના દિવસે પરમજીત અને અમિતે મળીને યોગેશનું તેમની કારમાં અપહરણ કર્યું હતું. એ પછી તેને જંગલમાં લઈ જઈ લાકડી વડે માર માર્યો અને દોરડા વડે ગળું દબાવી હત્યા કરી નાખી અને લાશને નાળામાં ફેંકી દીધી હતી. પોલીસે ઘટના સ્થળેથી કાર, હત્યામાં વપરાયેલી બે લાકડીઓ અને દોરડું કબજે કર્યું છે. ધરપકડ બાદ પરમજીતે કબૂલ્યું હતું કે અમિતે શિક્ષક યોગેશના યુવતી સાથે લગ્ન થવાના હોવાથી આ કાવતરું ઘડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપી પરમજીત જે શિક્ષકનો કૌટુંબિક ભાઈ હતો તે થોડા વર્ષો પહેલા અટાલી ગામમાંથી રસૂલપુરમાં સ્થાયી થયો હતો. બંને પરિવારો વચ્ચેના સંબંધો પહેલાથી જ વણસેલા હતા, જે આ ઘટના પાછળ બીજું કારણ હોઈ શકે છે. જોકે મુખ્ય કારણ અમિતનો એકતરફી પ્રેમ અને ઈર્ષ્યા હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફરાર આરોપીઓની ધરપકડ અને શોધખોળ ચાલુ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે પરમજીતની ધરપકડ કરી લીધી છે, પરંતુ મુખ્ય આરોપી અમિત હજુ ફરાર છે. પોલીસ તેને જલ્દી પકડવા માટે દરોડા પાડી રહી છે. બુઢાણાના પોલીસ અધિકારી ગજેન્દ્ર પાલ સિંહે કહ્યું કે આ ઘટનાએ સમાજમાં પ્રેમ અને વિશ્વાસની વ્યાખ્યાને હચમચાવી દીધી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હત્યાએ ન માત્ર એક નિર્દોષ શિક્ષકનો જીવ લીધો છે, પરંતુ પ્રેમ, ઈર્ષ્યા અને સંબંધોમાં તણાવ કેટલો વિનાશક હોઈ શકે તેની પણ સમાજને ચેતવણી આપી છે. આ ઘટના એ પણ સ્પષ્ટ કરે છે કે કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવી અને સમાજમાં જાગૃતિ ફેલાવવી કેટલી જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો: </span> <a href="https://khabarantar.com/bjp-leader-brandished-a-gun-dragged-a-dalit-woman-by-the-hair">ભાજપ નેતાએ બંદૂક બતાવી, દલિત મહિલાને વાળ પકડી ઢસડી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Dec 2024 13:06:00 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 05 Dec 2024 13:07:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1654</Articleid>
                    <excerpt>દલિત શિક્ષકના જે યુવતી સાથે લગ્ન થવાના હતા, તેને એકતરફી પ્રેમ કરતા યુવકે કાવતરું રચી અપહરણ કરી હત્યા કરી લાશ નાળામાં ફેંકી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675156f2de7dd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675156f2aa8d3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675156f2aa8d3.jpg" length="117653" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Dalit crime, muzaffarnagar News</media:keywords>
                </item>
                        <item>
                    <title>પોલીસે દલિત યુવકના પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખી કરંટ આપ્યો?</title>
                    <link>https://khabarantar.com/in-rajgarh-mp-police-poured-petrol-on-the-private-parts-of-a-dalit-youth-and-gave-him-electric-shock</link>
                    <guid>https://khabarantar.com/in-rajgarh-mp-police-poured-petrol-on-the-private-parts-of-a-dalit-youth-and-gave-him-electric-shock</guid>
                    <description>
                        <![CDATA[ યુવક સીએમ કાર્યાલયની પોતાની અરજી પરત ખેંચવા માટે પોલીસ સ્ટેશન ગયો હતો, જ્યાં તેના પર આ ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનું તે કહે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ મધ્યપ્રદેશના ડીજીપી તરીકે પહેલીવાર એક વાલ્મિકી દલિત બહુજન સમાજની વ્યક્તિ પદભાર સંભાળી ચૂકી છે. બીજી તરફ એજ મધ્યપ્રદેશમાં પોલીસ પર એક દલિત યુવક પર અમાનુષી અત્યાચારની ઘટના સામે આવી છે. અહીં એક દલિત યુવકે પોલીસ પર તેના પ્રાઈવેટ પાર્ટ પર પેટ્રોલ રેડીને ત્યાં ઈલેક્ટ્રીક શોક આપવાનો અને પેશાબ કરવાનો આરોપ લગાવ્યો છે. યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને આ દાવો કર્યો છે. સામે આ તમામ આરોપોને ખોટા ગણાવતા પોલીસે સીસીટીવી ફૂટેજનો હવાલો આપીને જણાવ્યું છે કે, આવી કોઈ ઘટના બની નથી. મોકો જોઈને વિપક્ષ કોંગ્રેસે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">મધ્યપ્રદેશના રાજગઢની ઘટના</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનની છે. જ્યાં અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા દીપક માલવિયા નામના યુવકે પોલીસ પર અમાનવીય અત્યાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. દીપકે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો અને તેની સાથે ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય કરવામાં આવ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકના કહેવા પ્રમાણે, પોલીસે તેને પાણીની ટાંકીમાં ડુબાડ્યો અને પછી વીજ કરંટ આપ્યો. એટલું જ નહીં, તેના પ્રાઈવેટ પાર્ટ પર પેટ્રોલ રેડ્યું અને ત્યાં પણ કરંટ આપ્યો. યુવકે એવો પણ આરોપ લગાવ્યો કે એક પોલીસકર્મીએ તેના મોં પર પેશાબ કર્યો, જેના કારણે તેના કપડાં ભીના થઈ ગયા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકે વીડિયોમાં રડતાં રડતાં કહ્યું હતું કે, તે માત્ર મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણની પોતાની ફરિયાદ બંધ કરાવવા માટે પોલીસ સ્ટેશને ગયો હતો, પરંતુ તેની સાથે આ રીતે અત્યાચાર કરવામાં આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે આ ઘટના દલિતો પરના અત્યાચારની જમીની વાસ્તવિકતાને ઉજાગર કરે છે અને રાજ્ય સરકારની દલિત વિરોધી માનસિકતાનું પ્રતિક છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે સીસીટીવી ફૂટેજનો હવાલો આપીને ઘટનાને નકારી</span></strong></span><br><span style="font-size: 14pt;">દીપકના આરોપો પર રાજગઢ જિલ્લાના નરસિંહગઢ એસડીઓપી ઉપેન્દ્ર સિંહ ભાટીએ જવાબ આપતા સમગ્ર મામલાને પાયાવિહોણો અને ખોટો ગણાવ્યો. તેમણે કહ્યું કે બોડા પોલીસ સ્ટેશનમાં આવી કોઈ ઘટના બની નથી. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ સ્ટેશનમાં 12-13 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના ફૂટેજની તપાસ કરવામાં આવી છે. આ ફૂટેજમાં ક્યાંય પણ દીપક સાથે મારપીટ કે અમાનવીય વર્તનની કોઈ પુષ્ટિ નથી. ભાટીએ યુવકના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે આ મામલો સંપૂર્ણપણે બનાવટી છે. તેમણે કહ્યું, “અમારી પાસે CCTV ફૂટેજ છે, જે સત્ય સાબિત કરે છે. સમગ્ર જિલ્લામાં આવી કોઈ ઘટના બની નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકનું નિવેદન અને વીડિયો વાયરલ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ તરફ પીડિત યુવક દીપકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જણાવ્યું હતું કે તે ઝાડ પીપલિયા ગામનો રહેવાસી છે. પોલીસે તેને બપોરે 12:30 વાગ્યાથી સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હતો. સાંજે, પોલીસકર્મીઓ તેને એક રૂમમાં લઈ ગયા અને તેના પર અમાનવીય ત્રાસ ગુજાર્યો. દીપકે એમ પણ કહ્યું કે તેણે પોતાના ભીના કપડા સાચવીને રાખ્યા છે, જે ઘટનાના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. વીડિયોમાં તેણે 'જય ભીમ'ના નારા લગાવ્યા હતા અને દલિત સમાજને મદદ માટે અપીલ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિપક્ષ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલાએ રાજકીય રંગ લીધો છે. ભાજપ સરકારને ભીંસમાં મૂકતા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે અને સરકાર સંપૂર્ણ સંવેદનહીન બની ગઈ છે. કોંગ્રેસે એમ પણ કહ્યું કે જો દોષિત પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે સરકારની દલિત વિરોધી માનસિકતાનો પુરાવો હશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોકોમાં પોલીસ સામે ભારે રોષ</span></strong></span><br><span style="font-size: 14pt;">યુવકના આક્ષેપ બાદ આ વિસ્તારના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. શું ખરેખર પોલીસ આટલી ક્રૂર હોઈ શકે કે પછી આ મામલો કોઈ અંગત અદાવતનું પરિણામ છે તેવી ચર્ચા લોકો કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોએ સરકાર પાસે આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાચું કે ખોટું?</span></strong></span><br><span style="font-size: 14pt;">આખો મામલો હવે સાચા અને ખોટા વચ્ચે ફસાઈ ગયો છે. પોલીસ CCTV ફૂટેજના આધારે પોતાનો ખુલાસો કરી રહી છે, જ્યારે યુવક પોતાના નિવેદન પર અડગ છે. આવા સંજોગોમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની જરૂર છે, જેથી સત્ય બહાર લાવી શકાય અને ગુનેગારોને સજા મળી શકે, પછી તે પોલીસ હોય કે જુઠ્ઠા આક્ષેપો કરનાર યુવક.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bloody-fight-over-tractor-removal-dalit-youth-dies-after-being-shot">ટ્રેક્ટર હટાવવા મુદ્દે લોહીયાળ જંગ, ગોળી વાગતા દલિત યુવકનું મોત</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Dec 2024 11:35:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1653</Articleid>
                    <excerpt>યુવક સીએમ કાર્યાલયની પોતાની અરજી પરત ખેંચવા માટે પોલીસ સ્ટેશન ગયો હતો, જ્યાં તેના પર આ ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનું તે કહે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6751421bb0be6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6751421b7fa76.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6751421b7fa76.jpg" length="54578" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rajgarh News, police poured petrol, on the private parts, dalit youth, gave him electric shock</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગર્વની ઘડી : વાલ્મિકી સમાજના Kailash Makwana બન્યા મધ્યપ્રદેશના DGP</title>
                    <link>https://khabarantar.com/ips-kailash-makwana-becomes-dgp-of-madhya-pradesh</link>
                    <guid>https://khabarantar.com/ips-kailash-makwana-becomes-dgp-of-madhya-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરના બહુજન સમાજની છાતી ગર્વથી ફૂલી જાય તેવા સમાચાર છે. મધ્યપ્રદેશના DGP તરીકે વાલ્મિકી સમાજમાંથી આવતા IPS Kailash Makwana એ પદભાર સંભાળ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરના સમસ્ત બહુજન સમાજ માટે ગઈકાલનો દિવસ ખૂબ મહત્વનો રહ્યો. મધ્યપ્રદેશ (MP)માં વાલ્મિકી સમાજમાંથી આવતા IPS Kailash Makwana એ રાજ્યના DGP તરીકે પદભાર સંભાળ્યો છે. જે જાતિના લોકોને કથિત સવર્ણો અસ્પૃશ્ય ગણીને ઘરના આંગણામાં પણ પ્રવેશવાથી દૂર રાખે છે તે સમાજમાંથી આવતી એક વ્યક્તિ આજે રાજ્યના પોલીસ વિભાગના સર્વોચ્ચ પદે બિરાજમાન થઈ છે તે વાત કોઈ પરીકથાથી જરાય ઉતરતી નથી. IPS Kailash Makwana ની પ્રામાણિક છબિને કારણે અત્યાર સુધીમાં 7 વખત ટ્રાન્સફર થઈ ચૂકી છે. ભ્રષ્ટ્રાચારીઓ તેમના નામથી થથરે છે. પ્રામાણિક અધિકારી તરીકેની તેમની છાપને કારણે અગાઉ તેમણે ઘણું સહન કરવું પડ્યું છે. પણ હવે તેમને તેમની ઈમાનદારીનું ફળ મળ્યું હોય તેમ લાગી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IPS કૈલાશ મકવાણાને મધ્યપ્રદેશના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ મધ્યપ્રદેશ કેડરના 1988 બેચના IPS છે. તેઓ પોતે પણ મધ્યપ્રદેશના છે. IIT માંથી M.Tec કર્યા બાદ તેણે UPSCની પરીક્ષા પાસ કરી હતી. એ પછી છત્તીસગઢમાં રાયપુર, દંતેવાડા, બસ્તરમાં સેવા આપી હતી. છેલ્લે તેઓ મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન પદે હતા અને હવે તેમણે મધ્યપ્રદેશના 32મા ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IPS Kailash Makwana ને મધ્યપ્રદેશના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન ડીજીપી સુધીર કુમાર સક્સેના આ મહિને 30મી નવેમ્બરે નિવૃત્ત થવાના હોવાથી મુખ્યમંત્રી મોહન યાદવ તેમની યુકે અને જર્મની યાત્રા પર જતા પહેલા Kailash Makwana ને તેમના સ્થાને ડીજીપી તરીકે નિયુક્ત કરવાની મહોર મારી દીધી હતી. એ પછી ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એસએન મિશ્રાએ Kailash Makwana ના નામે આદેશ જારી કર્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ સરકારે UPSCને નવ વરિષ્ઠ IPS અધિકારીઓના નામોની પેનલ મોકલી હતી. 21 નવેમ્બરે દિલ્હીમાં UPSCની બેઠક યોજાઈ હતી જેમાં UPSC તરફથી ત્રણ નામોની પેનલ તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. જેમાં 1988 બેચના IPS IPS Kailash Makwana નું નામ તેમાં પ્રથમ નંબરે હતું. આ ઉપરાંત 88 બેચના IPS અને DG હોમગાર્ડ અરવિંદ કુમાર અને 1989 બેચના IPS અને DG EOW અજય શર્માના નામ પણ પેનલમાં હતા. જેમાં મુખ્યમંત્રી મોહન યાદવે IPS Kailash Makwana ના નામ પર સહમતિ દર્શાવી હતી. મકવાણાનો કાર્યકાળ 30 ડિસેમ્બર 2025 સુધી રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જન્મ અને શિક્ષણ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Kailash Makwana નો જન્મ 11 ડિસેમ્બર 1965ના રોજ મધ્યપ્રદેશના માલવાંચલમાં થયો હતો. તેમણે MACT (મેનિટી) એન્જિનિયરિંગ કોલેજ, ભોપાલમાંથી બેચલર ઑફ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. અભ્યાસ દરમિયાન તેમને 15મી ઓગસ્ટ 1983ના રોજ સમૂહ ગાયનમાં પ્રથમ ઇનામ પણ મળ્યું હતું. તાજેતરમાં જ 18 નવેમ્બરે તેમણે એ ઇનામ મેળવ્યાનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ત્યારબાદ દિલ્હી IITમાંથી M.Tech નો અભ્યાસ કર્યો. એમટેક કર્યા પછી તેમણે યુપીએસસી ક્રેક કરી અને આઈપીએસ બન્યાં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રોફેશનલ કરિયર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Kailash Makwana 30 ઓગસ્ટ 1988ના રોજ IPS સેવામાં જોડાયા હતા. તાલીમ પૂર્ણ કર્યા પછી તેઓ અવિભાજિત મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં રહેતા હતા. તેઓ 1989 થી 1993 સુધી દુર્ગ, મુરૈના અને જબલપુરના એડિશનલ એસપી હતા. ત્યારબાદ 1994 થી 1999 સુધી તેઓ અવિભાજિત મધ્ય પ્રદેશ (હવે છત્તીસગઢ) ના દંતેવાડા અને બસ્તર જિલ્લાઓમાં એસપી હતા. આ સિવાય મધ્યપ્રદેશના મંદસૌર અને બેતુલમાં પણ એસપી રહ્યા. એસપી લોકાયુક્ત ઉપરાંત તેઓ ડીઆઈજી ઈન્ટેલિજન્સ અને ડીઆઈજી એજેકે, સીઆઈડી અને નાર્કોટિક્સ વિભાગના સ્પેશિયલ ડીજી, લોકાયુક્તના ડીજી અને એડીજી નાર્કોટિક્સ, એડીજી ઇન્ટેલિજન્સ અને એડીજી એડમિનિસ્ટ્રેશન પણ રહી ચૂક્યા છે. 2022 થી તેઓ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડીજીનો હવાલો સંભાળી રહ્યા હતા અને હવે તેઓ રાજ્યના ડીજીપી પદે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રામાણિક છબીના કારણે સાડા ત્રણ વર્ષમાં 7 વખત બદલી થઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Kailash Makwana ની ગણતરી તેજતર્રાર અને પ્રમાણિક પોલીસ અધિકારીઓમાં થાય છે. તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, છેલ્લાં સાડા ​​ત્રણ વર્ષમાં તેમની સાત વખત બદલી થઈ હતી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કમલનાથની સરકારમાં પણ તેમને ઓછા સમયમાં ત્રણ વખત ટ્રાન્સફર કરી દેવાયા હતા. Kailash Makwana એ શિવરાજસિંહ ચૌહાણની સરકારના કાર્યકાળ દરમિયાન લોકાયુક્તના ડીજીનું પદ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન, તેણે એક IAS અને એક IFS વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી ઝડપી કરીને લાંબા સમયથી પડતર કેસોની તપાસ શરૂ કરી હતી. મકવાણાએ મહાકાલ લોક કોરિડોરમાં થયેલા કૌભાંડો અંગે તેમના હેઠળના ટેકનિકલ સેલમાંથી તપાસ શરૂ કરી હતી. જો કે, તત્કાલીન શિવરાજ સરકારે તેમના નિર્ણય પર નારાજગી દર્શાવતા, તેમને 6 મહિનામાં જ લોકાયુક્ત પદેથી હટાવી દીધા અને તેમને મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અધ્યક્ષ બનાવી દીધા હતા અને તેમની જગ્યાએ શિવરાજ સિંહના ઓએસડી યોગેશ </span><span style="color: rgb(0, 0, 0);"><span style="font-size: 14pt;">ચૌધરીને લોકાયુક્તના ડીજી બનાવવામાં આવ્યા હતા. </span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરકારે 10 માંથી 10 માર્ક્સ આપ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારે એવું માનવામાં આવતું હતું કે યોગેશ ચૌધરી સાથે Kailash Makwana ને બહુ બનતું નથી. તેમને હટાવવાની સાથે જ તેમની પ્રામાણિકતા પર આંગળીઓ ચિંધવાનું શરૂ થયું હતું. જો કે આ બધા પડકારોમાંથી તેઓ સાંગોપાંગ પાર ઉતર્યા હતા. તેમણે 9 મહિના પહેલા મધ્યપ્રદેશ સરકારને તેની ગોપનીય પ્રોફાઇલ સુધારવા માટે અપીલ કરી હતી. તેમણે રિપ્રેઝન્ટેશન મોકલીને સરકારને કહ્યું હતું કે જ્યારે તેઓ 6 મહિના માટે લોકાયુક્તમાં ડીજી હતા, ત્યારે પ્રભાવશાળી અધિકારીઓ સામે તપાસ કરતી વખતે તેમનો ACR જાણીજોઈને ખરાબ કરવામાં આવ્યો હતો, જેના પર સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. તત્કાલીન મોહન યાદવ સરકારે Kailash Makwana ની ગુપ્ત પ્રોફાઇલ સુધારી હતી. મળતી માહિતી મુજબ મોહન યાદવ સરકારે તેમને 10માંથી 10 માર્ક્સ આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત શનિવારે વિદેશ પ્રવાસે જતા પહેલા મુખ્યમંત્રી મોહન યાદવે Kailash Makwana ના નામની મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી મોહન યાદવના પરત ફર્યા બાદ જ મકવાણા ઔપચારિક રીતે તેમની સામે ડીજીપીનો ચાર્જ સંભાળશે. તેમનો કાર્યકાળ 30 ડિસેમ્બર 2025 સુધી રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/jayantilal-makwana-a-dalit-industrialist-from-keshod-passes-away">ગરીબ દલિત માબાપના 'જયંતિલાલ' ની 'જે.બી. સિમેન્ટ' ના માલિક સુધીની સફર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Dec 2024 10:20:24 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 05 Dec 2024 10:23:44 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1652</Articleid>
                    <excerpt>દેશભરના બહુજન સમાજની છાતી ગર્વથી ફૂલી જાય તેવા સમાચાર છે. મધ્યપ્રદેશના DGP તરીકે વાલ્મિકી સમાજમાંથી આવતા IPS Kailash Makwana એ પદભાર સંભાળ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67512f81237ce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67512f80e3d94.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67512f80e3d94.jpg" length="87549" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>IPS Kailash Makwana, Dalit News, DGP, Madhya Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલા ડેપ્યૂટી મેયર શાકભાજી વેચી જીવન ગુજારવા મજબૂર</title>
                    <link>https://khabarantar.com/chinta-devi-a-dalit-deputy-mayor-in-gaya-bihar-makes-a-living-by-selling-vegetables</link>
                    <guid>https://khabarantar.com/chinta-devi-a-dalit-deputy-mayor-in-gaya-bihar-makes-a-living-by-selling-vegetables</guid>
                    <description>
                        <![CDATA[ દલિત હોવાથી મહાનગર પાલિકાના સવર્ણ નેતાઓ-અધિકારીઓ દ્વારા તેમને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. આર્થિક સંકડામણ અને ઉપેક્ષાથી કંટાળી તેઓ શાકભાજી વેચે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ ભારત દેશનો સ્થાયી ભાવ છે. અહીં તમારા કર્મ કરતા પણ પહેલા તમારી જાતિનું મહત્વ છે. તમે ગમે તેવા મોટા બંધારણીય હોદ્દા પર હો તો પણ જો તમે કથિત નીચી જાતિના છો તો ત્રણ દિવસે નહાતો નહીં હોય તેવો ગંદોગોબરો તમારાથી કથિત ઉંચી જાતિનો નોકર પણ તમારું જાતિગત અપમાન કરતા ખચકાશે નહીં. રાષ્ટ્રપતિ હોવા છતાં દ્રૌપદી મુર્મુને રામ મંદિરના ઉદ્ઘાટનમાંથી બાકાત રખાયા હતા. અગાઉ યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ એક મંદિરમાં ગયા બાદ પૂજારીઓ આખું મંદિર ધોવડાવ્યું હતું. આ દેશના બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરને પણ જાતિવાદીઓએ છોડ્યા નહોતા. કહેવાતી સંસ્કારીનગરી વડોદરાના જાતિવાદી લોકો તેમને રહેવા માટે એક રૂમ આપી શક્યા નહોતા. હવે જે લોકો મહાનાયક આંબેડકરને ન છોડતા હોય તેઓ તેમનાથી નીચલા સ્તરના લોકોને છોડે તેવી અપેક્ષા રાખવી પણ નકામી છે. બાબાસાહેબને જેમ જાતિવાદીઓએ વડોદરા છોડાવ્યું હતું, એમ હવે એક મહાનગરપાલિકામાં જાતિવાદીઓએ ડેપ્યૂટી મેયરને તેમની જાતિના કારણે હેરાન કરી રહ્યાં છે. જેનાથી કંટાળીને દલિત ડેપ્યૂટી મેયર રસ્તા પર શાકભાજી વેચવા મજબૂર બન્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત ડેપ્યૂટી મેયર શાકભાજી વેચે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બિહારના ગયાનો છે. અહીં ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનના દલિત ડેપ્યુટી મેયર ચિંતા દેવીને આર્થિક સંકડામણ અને વહીવટી ઉપેક્ષાને કારણે રસ્તા પર શાકભાજી વેચવાની ફરજ પડી છે. ઘરે ગેસ કે ચા માટે પણ પૈસા નથી અને મહાનગરપાલિકામાં પણ તેમને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. જ્ઞાતિના ભેદભાવ અને ઉપેક્ષાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિંતા દેવીના જીવનનું એક એવું દર્દનાક અને ચોંકાવનારું પાસું સામે આવ્યું છે, જેણે માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસનને જ નહીં પરંતુ સમગ્ર સમાજને વિચારવા મજબૂર કરી દીધા છે. સોમવારે, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પાસે રસ્તાના કિનારે શાકભાજી વેચતી તેમની તસવીરો વાયરલ થઈ, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674fe41ab99b6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિંતા દેવીએ પોતાની પરિસ્થિતિ જણાવતી વખતે કહ્યું હતું કે, "મહાનગરપાલિકાના અધિકારીઓ તેમની સતત અવગણના કરી રહ્યા છે. કચેરીમાં તેમની હાજરીને મહત્વ આપવામાં આવતું નથી અને તેમના અધિકારોની સદંતર અવગણના કરવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે વહીવટમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે કારણ કે તેઓ અનુસૂચિત જાતિના છે. તેમણે જણાવ્યું કે આર્થિક સંકડામણના કારણે તેઓ આ પગલું ભરવા મજબૂર બન્યાં છે અને શાકભાજી વેચીને રોજના ત્રણ-ચારસો રૂપિયા માંડ કમાઈ શકી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આર્થિક તંગીએ શાંતિ છીનવી લીધી, ચૂલા પર ભોજન બનાવવા મજબૂર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિંતા દેવીની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે તેમના ઘરમાં એલપીજી ગેસ પણ નથી. આજે પણ તેને ચૂલા પર ખોરાક રાંધવાની ફરજ પડે છે. તેમણે તેની પુત્રીના લગ્ન માટે 3 લાખ રૂપિયા ઉધાર લીધા હતા જે તે આજ સુધી ચૂકવી શક્યા નથી. તેમણે કહ્યું કે ડેપ્યુટી મેયર બન્યા પછી પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. તેમને ન તો કોઈ સરકારી યોજના વિશે માહિતી આપવામાં આવી છે અને ન તો કોઈ આર્થિક મદદ આપવામાં આવી છે. આ સ્થિતિ તેમના માટે અત્યંત અપમાનજનક અને પીડાદાયક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિ ભેદભાવ અને રાજનીતિનો શિકાર બન્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે અંગે ચિંતા દેવીએ કહ્યું કે, તે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા હોવાથી શરૂઆતથી જ તેમની સાથે ભેદભાવનું રાજકારણ કરવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું, “અમે સાચું બોલીએ છીએ, એટલે બધાને કડવું લાગે છે. જ્યારે અમે જનહિતની વાત કરીએ છીએ અને અધિકારીઓ દ્વારા યોજનાઓના અમલીકરણ પર પ્રશ્નો ઉઠાવીએ છીએ ત્યારે તેઓ અમારી અવગણના કરે છે. અમારી હાજરીનું સન્માન કરવામાં આવતું નથી અને અમારા મંતવ્યોને બિનમહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમને મીટિંગ્સ અને મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જાણ કરવામાં આવતી નથી, જેના કારણે તે મહાનગરપાલિકામાં સંપૂર્ણપણે એકલતા અનુભવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમાજ અને વહીવટ માટે પ્રશ્નો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિંતા દેવીની આ લડત માત્ર વહીવટી બેદરકારીને જ ઉજાગર કરતી નથી પરંતુ સમાજમાં પ્રવર્તતા જાતિ ભેદભાવ અને આર્થિક અસમાનતાનું કડવું સત્ય પણ બહાર લાવે છે. સવાલ એ છે કે પ્રજાની સેવા કરવા માટે ચૂંટાયેલા ડેપ્યુટી મેયરને આવી સ્થિતિમાંથી કેમ પસાર થવું પડે છે?</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674fe43a7f660.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના સામાજિક અને વહીવટી ખામીઓને ઉજાગર કરે છે, જેને સુધારવાની જરૂર છે. ચિંતા દેવીનો આ સંઘર્ષ સમાજ અને વહીવટ બંને માટે અરીસો છે, જે દર્શાવે છે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ન્યાય અને સમાનતાની આશા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના એક ચેતવણી છે કે જો સમાજ અને વહીવટીતંત્ર આવી ઘટનાઓમાંથી બોધપાઠ નહીં લે, તો તે આપણા લોકતાંત્રિક મૂલ્યો માટે જ નહીં, પરંતુ ન્યાય અને સમાનતા માટે દરરોજ લડતા વંચિત સમાજો માટે પણ ખતરનાક બની રહેશે. ચિંતા દેવીની આ વ્યથા આપણને વિચારવા મજબૂર કરે છે કે શું ખરેખર આપણા સમાજમાં દરેક માટે સમાન તક અને સન્માન છે કે પછી તે માત્ર કાગળ પરની વાતો છે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચિંતા દેવી 40 વર્ષથી સફાઈકામ કરતા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિંતા દેવી ડેપ્યૂટી મેયર બન્યાં તે પહેલા 40 વર્ષ સુધી ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા. તેઓ વર્ષ 2023માં ચૂંટણી લડ્યાં અને ડેપ્યૂટી મેયર બન્યા હતા. ચિંતા દેવીએ માથે મેલું ઉપાડવાનું કામ કર્યું છે, જ્યારે તેઓ ડેપ્યૂટી મેયર બન્યાં ત્યારે મનુવાદી મીડિયાએ તેમને ભારે કવરેજ આપ્યું હતું અને હવે જાતિ ભેદભાવ જેવું કશું રહ્યું નથી તેવો પ્રચાર કર્યો હતો. પણ એક જ વર્ષની અંદર વાસ્તવિકતા સામે આવી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગેસનો બાટલો ભરાવવાના પણ પૈસા નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિંતા દેવીનું ઘર ગયા શહેરના મદનપુરની મંગલાગુરી લટ્ટુ ગલીમાં છે. તેમના ઘર સુધી પહોંચવા માટે સાંકડી શેરીઓમાંથી પસાર થવું પડે છે. શેરી સાવ જર્જરિત છે અને ચિંતા દેવીના ઘરમાં ખોરાક પણ લાકડાના ચૂલા પર રાંધવામાં આવે છે. અગાઉ તેમને ઉજ્જવલા સ્કીમ હેઠળ ગેસ કનેક્શન મળ્યું હતું, પરંતુ પૈસાના અભાવે તેઓ ગેસ ફરીથી પુરાવી શક્યા નહોતા તેથી ચૂલા પર જ ભોજન રાંધવામાં આવે છે. ચિંતા દેવીના પરિવારમાં ત્રણ પુત્રો, ભોલા માંઝી, બબલુ માંઝી, મોહિત કુમાર અને બે પુત્રવધૂ દેવદંતિ દેવી અને સોની દેવી છે. તેમના પુત્રો અને પુત્રવધુ ગયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દૈનિક સફાઈ કામદાર તરીકે કામ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/racism-land-lust-forced-phoolan-to-become-a-bandit-queen">જાતિવાદ, જમીન અને હવસે ફૂલનને 'બેન્ડિટ ક્વિન' બનવા મજબૂર કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 10:43:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1645</Articleid>
                    <excerpt>દલિત હોવાથી મહાનગર પાલિકાના સવર્ણ નેતાઓ-અધિકારીઓ દ્વારા તેમને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. આર્થિક સંકડામણ અને ઉપેક્ષાથી કંટાળી તેઓ શાકભાજી વેચે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674fe4068e56e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674fe4065a113.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674fe4065a113.jpg" length="89382" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>chinta devi, chinta devi gaya deputy mayor</media:keywords>
                </item>
                        <item>
                    <title>કાકડિયા હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દલિત યુવકનો મૃતદેહ આખરે સ્વીકારાયો</title>
                    <link>https://khabarantar.com/body-of-dalit-youth-who-died-at-kakadia-hospital-finally-accepted</link>
                    <guid>https://khabarantar.com/body-of-dalit-youth-who-died-at-kakadia-hospital-finally-accepted</guid>
                    <description>
                        <![CDATA[ બાપુનગરની કાકડીયા હોસ્પિટલમાં મોતને ભેટેલા અમરાઈવાડીના દલિત યુવકનો મૃતદેહ પરિવારે સ્વીકારી લીધો છે. હોસ્પિટલ દ્વારા તેમને અનેક પ્રકારની ખાતરીઓ આપવામાં આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર નજીક આવેલ  કાકડીયા હોસ્પિટલમાં દર્દીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. મૃતકના પરિવારજનોએ ન્યાય નહીં મળે ત્યાં સુધી નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે પોલીસ અને હોસ્પિટલ મેનેજમેન્ટ તંત્ર તેમજ હોસ્પિટલના ટ્રસ્ટી અને ભાજપના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડીયા દ્વારા સંપૂર્ણપણે ન્યાયિક તપાસ કરવાની અને મૃતકનું યોગ્ય રીતે પોસ્ટમોર્ટમ કરવાની ખાતરી તેમજ ભારે સમજાવટ બાદ પરિવારજનો દ્વારા મૃતદેહને સ્વીકારવામાં આવ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને શહેર કોટડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ હવે મૃતકના પરિવારજનો અને હોસ્પિટલમાં સર્જરી કરનાર ડોકટર અને હાજર સ્ટાફના નિવેદનો નોંધશે. સાથે પીએમ રિપોર્ટના આધારે શહેર કોટડા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાકડીયા હોસ્પિટલ તરફથી સત્તાવાર રીતે પ્રેસનોટ જાહેર કરી અને માહિતી આપવામાં આવી હતી કે, રવિવારે સવારે 10.30 વાગ્યે હૃદયના અને ડાબા ખભાના દુખાવાની ફરિયાદ સાથે એક દર્દી કાકડીયા હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. તેમની મેડિકલ તપાસ અને કાર્ડીઓગ્રામ કરતા તેમને હૃદયનો ભારે હુમલો (Inferior wall ST Elevation MI) હોવાથી તેમનું નિદાન કરવામાં આવ્યું હતું. તાત્કાલિક સારવાર તરીકે તેમને Anti-Platelet Loading Dose, Heparin ઈન્જેકશન આપ્યા પછી રોગની ગંભીરતાના કારણે તાત્કાલિક એન્જીઓગ્રાફી માટે સમજાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દર્દીના સગાની સંમતિ પછી PMJAY ઓફિસમાંથી ઇમરજન્સી એપ્રુવલ સરકારની ગાઈડલાઈન પ્રમાણે લેવામાં આવ્યું હતું. જેનું VTPN NO. 138342 છે. આ વર્તમાન AMERICAN HEART ASSOCIATION (AHA) 11 PMJAYની ગાઈડલાઈન મુજબ તાત્કાલિક સારવાર માટે (PRIMARY ANGIOPLASTY IN ACUTE MI- PAMI) તેમને કેથલેબમાં એન્જીઓગ્રાફીમાં લીધેલાં હતા. એન્જીઓગ્રાફીમાં હૃદયની મુખ્ય નળીમાં - LEFT CIRCUMFLEX ARTERYમાં 100 ટકા બ્લોકેજ જોવા મળ્યું હતું. દર્દીના હાજર સગાને એન્જીઓગ્રાફીનો વીડિયો બતાવી અને સ્ટેન્ટ મુકવાની ઇમરજન્સીમાં જરૂર છે. ઓપરેશનના ફાયદા અને જોખમ વિષે સમજવામાં આવ્યા બાદ દર્દીના સગાએ 10 મિનિટ જેટલા સમય પછી લેખિતમાં સંમતિ આપ્યા બાદ તેમની એન્જીયોપ્લાસ્ટી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે બાદ દર્દીને સ્વસ્થ અવસ્થામાં ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેમના સગા સબંધી સાથે સભાન પૂર્વક વાતચીત પણ કરી હતી. આશરે 30 મિનિટ બાદ દર્દીને Malignant VENTICULAR TACHYCARDIAVENTICULAR FIBRIILLATION (65 ટકા ધબકારાની તકલીફો થતા Advance Cardiovascular Life Support (ACLS)ની ગાઈડ લાઈન મુજબ 40થી 50 મિનિટ સુધી અનુભવી ડૉક્ટરની ટીમ દ્વારા RESUSCITATION (CPR) કરવામાં આવ્યું હતું. આ બધી સારવારની વિગતવાર માહિતી દર્દીના હાજર સગાને સમયે સમયે સમજવામાં આવી હતી. હોસ્પિટલ અને સ્ટાફના અથાગ પ્રયાસ પછી પણ દર્દીનું દુઃખદ અવસાન થવાથી સમગ્ર હોસ્પિટલ અને ડોક્ટર્સની ટીમ દિલગીર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વલ્લભ કાકડિયાએ ઉચ્ચ અધિકારીઓને ફોન કરી મામલે થાળે પાડ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાકડીયા હોસ્પિટલમાં દર્દીના મોત બાદ તેના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં ખૂદ હોસ્પિટલના ટ્રસ્ટી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વલ્લભ કાકડીયાને મૃતકના પરિવારજનોને યોગ્ય તપાસ થાય તે માટે સહકાર આપીશું તેમ સમજાવવા દોડી આવવું પડયું હતું. વલ્લભ કાકડીયાએ ઉચ્ચ અધિકારીઓને ફોન કરી અમારા ડોકટર અને જવાબદાર અન્ય સ્ટાફની જો કોઈ પણ બેદરકારી તપાસ દરમિયાન બહાર આવે તો તેની ન્યાયિક તપાસ કરી કાયદાકીય પગલા ભરવાની છૂટ છે તેમ કહેવાની ફરજ પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-youth-from-amraiwadi-dies-after-stent-placement-at-bjp-leaders-hospital">અમરાઈવાડીના દલિત યુવકનું ભાજપ નેતાની હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Dec 2024 20:13:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1637</Articleid>
                    <excerpt>બાપુનગરની કાકડીયા હોસ્પિટલમાં મોતને ભેટેલા અમરાઈવાડીના દલિત યુવકનો મૃતદેહ પરિવારે સ્વીકારી લીધો છે. હોસ્પિટલ દ્વારા તેમને અનેક પ્રકારની ખાતરીઓ આપવામાં આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674dc6cce842c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674dc6ccb5302.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674dc6ccb5302.jpg" length="63669" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kakadia Hospital, Ahmedabad</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાંધીનગરના દલિત અધ્યાપકને મનુવાદી પ્રિન્સિપાલ હેરાન કરી રહ્યાં છે</title>
                    <link>https://khabarantar.com/manuwadi-principal-harassing-dalit-professor-in-gandhinagar</link>
                    <guid>https://khabarantar.com/manuwadi-principal-harassing-dalit-professor-in-gandhinagar</guid>
                    <description>
                        <![CDATA[ ગાંધીનગરની સરકારી આર્ટ્સ કોલેજના એક દલિત પ્રોફેસરને કોલેજના જાતિવાદી પ્રિન્સિપાલ છેલ્લાં ઘણાં સમયથી હેરાન કરી તેમની કરિયર ખતમ કરવા મથી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NCSC-National Commission for SC એ બંધારણીય સંસ્થા છે. તેની સ્થાપના 19 ફેબ્રુઆરી 2004 ના રોજ સંસદ દ્વારા કરવામાં આવી છે. આ કમિશનના કર્યો છેઃ [1] દલિત સમુદાયનું શોષણ અને ભેદભાવથી રક્ષણ કરવું. દલિતોના અધિકારો અને સુરક્ષાના અભાવ બાબતેની ચોક્કસ ફરિયાદોની તપાસ કરવી. [2] દલિત સમુદાયના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સાંસ્કૃતિક હિતોને પ્રોત્સાહન આપવું. [3] બંધારણ હેઠળ દલિત સમુદાયને પ્રદાન કરેલ સુરક્ષાને લગતી તમામ બાબતોની તપાસ/ દેખરેખ રાખવી અને આવા સલામતીના કાર્યનું મૂલ્યાંકન કરવું. [4] દલિત સમુદાયને સામાજિક ન્યાય મળે છે કે નહીં, તેની તકેદારી રાખવી. દલિતોના સંરક્ષણ, કલ્યાણ અને સામાજિક-આર્થિક વિકાસ માટે કેન્દ્ર અથવા કોઈપણ રાજ્ય દ્વારા લેવામાં આવતા પગલાં વિશે ભલામણો કરવી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કમિશન કોર્ટની માફક કેસની સુનાવણી કરી શકે છે/પુરાવા મેળવી શકે છે અને પોતાનો નિર્ણય આપી શકે છે. તેમના નિર્ણયનો અમલ કરવો પડે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ગુજરાત સરકાર આ કમિશનને યોગ્ય મહત્વ આપતી નથી?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગરમાં સરકારી આર્ટ્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડો. મહેશકુમાર મકવાણા ફરજ બજાવે છે. તેમની સાથે તેમના પ્રિન્સિપાલ ડો. અનૂપા ચૌહાણ પૂર્વગ્રહયુક્ત વ્યવહાર કરે છે. ડો. મહેશકુમારને ગુજરાતની સરકારી કોલેજોમાં પ્રથમ મેજર પ્રોજેક્ટ ICSSR-ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રીસર્ચ, નવી દિલ્હી તરફથી માર્ચ 2023માં મળ્યો હતો, જે માટે 9 લાખની ગ્રાન્ટ મળી હતી. આ પ્રોજેક્ટ 2 વરસમાં પૂર્ણ કરવાનો હતો. પણ આ પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલે વિઘ્નો નાખ્યાં? ગ્રાન્ટ માટે પ્રિન્સિપાલના નામનું બેન્ક એકાઉન્ટ ખોલવામાં/પ્રોજેક્ટ માટે રુમ ફાળવવામાં/પ્રોજેક્ટ  માટે આસિસ્ટન્ટ તથા ફિલ્ડ ઈન્વેસ્ટિગેટર ફાળવવામાં અને અન્ય બાબતોમાં પ્રિન્સિપાલે આડોડાઈ કરી. પ્રિન્સિપાલનો ઈરાદો શક્ય તેટલાં અવરોધો ઊભા કરી આ પ્રોજેક્ટને વિલંબમાં નાખી આખરે રદ કરાવવાનો હતો. ડો. મહેશકુમારે આ અંગે શિક્ષણ સચિવ/ મુખ્યમંત્રી/ગવર્નરને ફરિયાદ કરી છતાં પ્રિન્સિપાલ સામે કોઈ પગલાં લેવાયા નહીં. શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને 2 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રિન્સિપાલના પૂર્વગ્રહયુક્ત/સામંતવાદી વલણ અંગે વિસ્તૃત ફરિયાદ કરી. છતાં પરિણામ શૂન્ય! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-brahmin-teachers-washed-the-feet-of-the-dalit-student-his-brother-and-asked-for-forgiveness"><span style="font-size: 14pt;">બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી, તેના ભાઈ પાસે પગ ધોવડાવી માફી મગાવી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિન્સિપાલ ડો. અનૂપા ચૌહાણની ખાસિયત મનસ્વી/અપમાનિત વર્તન કરવાની છે. 17 ફેબ્રુઆરી 2021ના રોજ, 27 પ્રાધ્યાપકોએ/શૈક્ષણિક કર્મચારીઓએ તુમાખીભર્યા વર્તન અંગે પ્રિન્સિપાલને ચેતવ્યા હતા! તેમજ 28 જાન્યુઆરી 2023ના રોજ અધ્યાપક ગણે ‘સરકારી કોલેજ અધ્યાપક મંડળ’ને પ્રિન્સિપાલ અનૂપા ચૌહાણની વહીવટી બિનકાર્યક્ષમતા/શિક્ષણ પ્રત્યેના ઉદાસીન વલણ/ અધ્યાપકો સાથેના ગેરવર્તન અંગે ફરિયાદ કરી હતી. પ્રિન્સિપાલ, સીનિયર અધ્યાપકોને તેમના જુનિયર અધ્યાપક હેઠળ ફરજ સોંપી અપમાનિત કરતા હતાં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેવટે હારી થાકીને ડો. મહેશકુમારે NCSC સમક્ષ ફરિયાદ કરી. NCSCએ નોટિસ કાઢી એટલે CHE-કમિશ્નર ઓફ હાયર એજ્યુકેશને તપાસ સમિતિ નીમી. તપાસ સમિતિએ ડો. મહેશકુમારને સાંભળ્યા વિના પ્રિન્સિપાલ અનૂપા ચૌહાણને ક્લીન ચિટ આપી દીધી! 6 ઓગસ્ટ 2024ના રોજ NCSC સમક્ષ સુનાવણી થઈ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કમિશને નોંધ્યું કે “ડો. મહેશકુમાર મકવાણાને માર્ચ 2023 માં ICSSR તરફથી એક મેજર સંશોધન પ્રોજેક્ટ એનાયત કરવામાં આવ્યો હતો; જે કોલેજ અને ગુજરાત સરકાર માટે ગૌરવની વાત છે. ચોક્કસપણે આ પ્રોજેક્ટ દલિત અરજદારની શૈક્ષણિક કારકિર્દીમાં ઉજ્જવળ ભવિષ્ય લાવશે. સંશોધન પ્રોજેક્ટના કામમાં વિવિધ અવરોધોને કારણે, અરજદાર સરળતાથી કામ કરી શક્યા નથી અને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનો છે અને માત્ર 8 મહિના બાકી છે. કોલેજે નિમેલી તપાસ સમિતિનો અહેવાલ પક્ષપાતી છે, કારણ કે અરજદાર તપાસના દિવસે હાજર ન હતા અને તેમને તપાસ સમિતિ વિશે કોઈ જાણકારી ન હતી. તેઓ તપાસ સમિતિ સમક્ષ પોતાની તમામ ફરિયાદો મૂકી શક્યા ન હતા. વળી કમિશને આ કેસમાં સુનાવણી નક્કી કર્યા બાદ તપાસ સમિતિએ તપાસ હાથ ધરી હતી.  પ્રિન્સિપાલનું વર્તન અરજદાર ડો. મહેશકુમાર પ્રત્યે પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ હતું. પ્રિન્સિપાલ અરજદારના સંશોધન/શૈક્ષણિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા દેવાને બદલે તેને નાની વહીવટી બાબતોમાં સામેલ કરીને તેના સંશોધનને પૂર્ણ કરવામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે પ્રોજેક્ટ પૂર્ણ ન થવા પર અરજદારને નાણાકીય નુકસાન તરફ દોરી જશે. પ્રિન્સિપાલ દલિત અરજદારને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે અને તેમની ઉજ્જવળ કારકિર્દીના વિકાસને અવરોધે છે. કમિશન ભલામણ કરે છે કે નિયામક, ઉચ્ચ શિક્ષણ તેમના સ્તરે એક બેઠક યોજી આ બાબતમાં તમામ મુદ્દાઓને ઉકેલે. ઉચ્ચ શિક્ષણ નિયામકે આ સમગ્ર મામલાની તપાસ કરવી અને અરજદારની વ્યક્તિગત સુનાવણી કરવી.” કમિશને 15 દિવસમાં ગુજરાત સરકાર પાસેથી ‘એક્શન ટેકન’ રીપોર્ટ માંગ્યો, પરંતુ પરિણામ શૂન્ય! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NCSCએ તપાસ સમિતિના રીપોર્ટને માન્ય ન રાખ્યો એટલે 13 ઓગસ્ટ 2024ના રોજ, CHE-કમિશ્નર ઓફ હાયર એજ્યુકેશને ફરી તપાસ સમિતિ નીમી. આ સમિતિએ NCSCએ દોષિત ઠરાવેલ અનૂપા ચૌહાણને ફરી ક્લીન ચિટ આપી! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NCSCના નિર્ણય બાદ પણ પ્રિન્સિપાલે પ્રોજેક્ટમાં સતત અવરોધ ચાલુ રાખ્યો એટલે ડો. મહેશકુમારે NCSC સમક્ષ ફરી ફરિયાદ કરી. ફરી વખત 25 ઓક્ટોબર 2024ના રોજ ICSSR સમક્ષ સુનાવણી થઈ. કમિશને નોંધ કરી કે “કોલેજના પ્રિન્સિપાલ પ્રોજેકટની સુચારૂ કામગીરી માટે અડચણો ઉભી કરી રહ્યા છે. અરજદાર ડો. મહેશકુમારને પ્રોજેક્ટ અને તેને ચલાવવા માટે કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો છે. અરજદાર,  નિયામક ઉચ્ચ શિક્ષણ, ગુજરાત સરકારનો સંપર્ક કરી શકે છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કમિશને ફરી 15 દિવસમાં ગુજરાત સરકાર પાસેથી ‘એક્શન ટેકન’ રીપોર્ટ માંગ્યો, પરંતુ ફરી પરિણામ શૂન્ય! </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડાં પ્રશ્નો : [1] National Commission for SC પ્રિન્સિપાલ ડો. અનૂપા ચૌહાણને દોષિત ઠરાવે છે છતાં ગુજરાત સરકાર તેમની સામે પગલાં લેતાં શરમાતી કેમ હશે? શું શિક્ષણમંત્રી આ પ્રિન્સિપાલને છાવરતા હશે? [2] શું એક પ્રિન્સિપાલ, અનુસૂચિત જાતિના આસિસ્ટન્ટ પ્રોફેસરને હેરાન પરેશાન કરે/તેમની સાથે ભેદભાવ કરે તે ગુજરાત સરકારને ગમતું હશે? શું શિક્ષણ સચિવને પણ આવો અન્યાય ગમતો હશે? [3] SC કમિશન તરફથી લેખિત સૂચના આપવામાં આવે/ એક્શન ટેકન રીપોર્ટ માંગવામાં આવે છતાં સરકાર નિષ્ક્રિય રહે? [4] આ પ્રોજેક્ટની મુદત એપ્રિલ 2025માં પૂર્ણ થાય છે. નવેમ્બર પૂરો થયો હવે 4 મહિનામાં આ પ્રોજેક્ટ પૂરો થાય તેવી શક્યતા નથી, ICSSR-ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રીસર્ચ તરફથી ફાળવેલ 9 લાખની ગ્રાન્ટ પરત જશે. આ માટે પ્રિન્સિપાલ ડો. અનૂપા ચૌહાણની જવાબદારી બને કે નહીં? આ રીતે એક દલિત અધ્યાપકની કારકિર્દી સાથે ગંદી રમત રમનાર પ્રિન્સિપાલને છાવરીને સરકાર શું સંદેશો આપતી હશે? [5] ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 16 ઓક્ટોબર 2024ના રોજ 38 સરકારી કોલેજોના પ્રિન્સિપાલોની બદલી કરી, પરંતુ NCSCએ દોષિત ઠરાવેલ અને 20 વર્ષથી અધ્યાપક અને 5 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે રહેલ ડો. અનૂપા ચૌહાણની બદલી ન કરી; એ શું સૂચવે છે? [6] જે અધ્યાપકો, ડો. મહેશકુમારને મદદ કરી; તેમની બદલી પણ અનૂપા ચૌહાણે કરાવી નાખી! શું અનૂપા ચૌહાણ સરકારી કોલેજને રજવાડું માનતા હશે? [7] પ્રિન્સિપાલ અનૂપા ચૌહાણે અગાઉ અંગ્રેજી વિષયના દલિત અધ્યાપક રવિકાન્ત સોલંકીની બદલી ગાંધીનગર નગરથી ઝાલોદ કરાવી હતી; તેઓ દિવ્યાંગ હતા છતાં દૂરની જગ્યાએ બદલી કરાવી! રવિકાન્ત સોલંકીને ત્રણ વર્ષ પૂરા થયા ન હતા છતાં તેમની બદલી કરાવી નાખી! રવિકાન્ત સોલંકી કોર્ટમાં ગયા, પછી સરકારે તેમને ગાંધીનગર અન્ય કોલેજમાં મૂકવા પડ્યા હતા! શું અનૂપા ચૌહાણ દલિત વિરોધી માનસિકતા ધરાવતા નથી? [8] ચમત્કાર તો જૂઓ : ડો. મહેશકુમારની ફરિયાદ અંગે બે વખત તપાસ સમિતિ નીમવામાં આવી. તપાસ સમિતિમાં કોલેજના આચાર્યો હતા. તેમણે પ્રિન્સિપાલ અનૂપા ચૌહાણને; NCSCના બે વખતના નિર્ણયો વિરુદ્ધ જઈને; બે વખત ક્લીન ચિટ આપી ! તપાસ સમિતિના આચાર્યો સર્વોચ્ચ કે બંધારણીય સંસ્થા-National Commission for SC? શું આ NCSCનું ઘોર અપમાન નથી? [9] એક શિક્ષિત અધ્યાપક, દલિત હોવાથી તેમની સાથે ભેદભાવ/ અન્યાય થાય તો ગરીબ દલિતોની સ્થિતિ કેટલી કફોડી હશે? શું શિક્ષણમંત્રી/ શિક્ષણ સચિવ/ પ્રિન્સિપાલ આટલાં બેશરમ/ સંવેદનહીન હોઈ શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રમેશ સવાણી</span></strong></span><span style="font-size: 12pt;"><em><strong>(લેખક પૂર્વ આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-teacher-in-keralas-Idukki-district-made-a-dalit-student-clean-up-another-students-vomit"><span style="font-size: 14pt;">6 વર્ષના દલિત વિદ્યાર્થી પાસે શિક્ષિકાએ અન્ય વિદ્યાર્થીની ઉલ્ટી સાફ કરાવી</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Dec 2024 14:24:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1635</Articleid>
                    <excerpt>ગાંધીનગરની સરકારી આર્ટ્સ કોલેજના એક દલિત પ્રોફેસરને કોલેજના જાતિવાદી પ્રિન્સિપાલ છેલ્લાં ઘણાં સમયથી હેરાન કરી તેમની કરિયર ખતમ કરવા મથી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674d7537bd17a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d75378d64d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d75378d64d.jpg" length="59023" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Gandhinagar News</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;તેં ફરિયાદ કરીને ખોટું કર્યું, હવે ગામ છોડી દો, બાકી જીવવા નહીં દઈએ&amp;apos;</title>
                    <link>https://khabarantar.com/he-did-wrong-by-complaining-leave-the-village-now-we-wont-let-him-live-anymore</link>
                    <guid>https://khabarantar.com/he-did-wrong-by-complaining-leave-the-village-now-we-wont-let-him-live-anymore</guid>
                    <description>
                        <![CDATA[ વાલ્મિકી મહિલાના પુત્રને જાતિવાદી તત્વોએ કારણ વિના જ માર મારતા તેણે પોલીસમાં ફરિયાદ કરી, હવે આરોપીઓ તેમને ગામ છોડી જતા રહેવાની ધમકી આપે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ આ દેશનું પહેલું અને એકમાત્ર સત્ય છે તે સમજવામાં હજુ પણ જો તમે અસમંજસમાં હો તો તમારે તમારી સમજણ પર નવેસરથી વિચાર કરવાની જરૂર છે. કેમ કે, રાજકારણથી લઈને ધર્મ, બિઝનેસ, રહેણાંક અને પ્રતિષ્ઠા સુધીનું બધું અહીં માત્ર અને માત્ર તમારી જાતિને ધ્યાનમાં રાખીને મળે છે. સુપ્રીમ કોર્ટના જજો, ભારતરત્નો, ફિલ્મો, સંગીત, રમતગમતના ખેલાડીઓ, તેના બોર્ડના અધ્યક્ષોમાં કઈ જાતિના લોકોની બહુમતી છે તેના પર નજર કરો એટલે આપોઆપ મામલો સમજાઈ જશે. બાકી દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજમાં પ્રતિભાની જરાય કમી નથી. છતાં તેમના પર માત્ર તેમની જાતિના કારણે ચોક્કસ પ્રકારના ભેદભાવ થતા રહે છે. ક્યારેક તો કશા જ કારણ વિના પણ જાતિવાદી તત્વો તેમના પર અત્યાચાર કરવા પર ઉતરી આવે છે. આ ઘટના પણ કંઈક આવી જ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના સિવિલ લાઈન્સ વિસ્તારના ભાટાવલી ગામમાં રહેતા એક દલિત પરિવાર સાથે બનેલી ઘટનાએ સમાજમાં જાતિ ભેદભાવ અને અત્યાચારના કાળી બાજુને ફરી ઉજાગર કરી દીધી છે. અહીં હરજ્ઞાન વાલ્મિકીની પત્ની સંગીતા પર જે વીતી રહ્યું છે તે ભારતમાં પ્રવર્તમાન જાતિવાદને નગ્ન કરી મૂકે છે. સંગીતાના જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો નિખિલ ઘરની બહાર રસ્તા પર ઉભો હતો, ત્યારે ગામનો કમલ, તેનો ભાઈ અરવિંદ, પિતા રતન સિંહ, શિવમ અને પંકજ ત્યાં આવ્યા હતા. આ બધાંએ મળી નિખિલને કારણ વિના જ ઢોર માર માર્યો અને જાતિસૂચક ગાળો ભાંડી બધાં વચ્ચે અપમાનિત કર્યો. નાનકડો દીકરો આ ઘટનાથી ભારે ડરી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફરિયાદ બાદ જાતિવાદી તત્વો વધારે છાકટાં થયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ન્યાય મળવાની આશાએ સંગીતાએ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેનાથી જાતિવાદી તત્વો ડરવાને બદલે વધુ છાકટા થઈ ગયા છે. એક વાલ્મિકી સમાજની મહિલાએ પોતાના પર ફરિયાદ નોંધાવી તેને આ જાતિવાદી તત્વોએ પોતાની પ્રતિષ્ઠા પર હુમલો માની લીધી છે અને સંગીતાના પરિવારને ધમકાવવાનું શરૂ કર્યું છે. આરોપીએ સંગીતાને કહ્યું છે કે, "તેં અમારી સામે ફરિયાદ કરીને સારું નથી કર્યું.  હવે ગામ છોડી દો, નહીંતર પરિણામ ખરાબ આવશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓના પરિવારની મહિલાઓએ ઘરમાં ઘૂસી બબાલ કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે મદનપાલની પત્ની મુન્ની દેવી, કમલની પત્ની જ્યોતિ અને અરવિંદની પત્ની નિધિએ સંગીતાના ઘરમાં ઘૂસીને તેની સાથે અભદ્ર વર્તન કર્યું. આ મહિલાઓએ સંગીતાને ન માત્ર અપમાનજનક શબ્દો કહ્યાં પરંતુ તેના પરિવારને માનસિક ત્રાસ પણ આપ્યો. આ ઘટના માત્ર સંગીતાના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર દલિત સમાજ માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે કેસ નોંધ્યો પરંતુ ડર યથાવત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના અર્પિત કપૂરે જણાવ્યું કે પીડિતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ મારામારી, ધમકી અને એસસી-એસટી એક્ટ સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, સંગીતા અને તેનો પરિવાર હજુ પણ ડરેલો છે. તેમના મનમાં એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો છે કે, શું તેઓ પોતાના જ ગામમાં સુરક્ષિત છે? આ ઘટના માત્ર એક દલિત પરિવારની કહાની નથી, પરંતુ સમાજમાં પ્રવર્તી રહેલી એ કુપ્રથાનું પ્રતિબિંબ છે, જેમાં જાતિ ભેદભાવ અને અત્યાચાર હજુ પણ ચાલુ છે. સંગીતા અને તેના પરિવારે આ મામલામાં ન્યાયની ગુહાર લગાવી છે છતાં સવાલ એ છે કે શું તેમના અવાજનો પડઘો ન્યાય તંત્રમાં બરાબર પડશે ખરો? શું સંગીતા અને તેના દીકરાને તેમનો અધિકાર મળશે કે પછી ગામ છોડવાની ફરજ પડશે?</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ન્યાયની લડત અને સમાજની જવાબદારી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના દલિત સમાજના દરેક વ્યક્તિ માટે ચેતવણી સમાન છે કે, જો જાતિ ભેદભાવ સામે અવાજ નહીં ઉઠાવવામાં આવે તો આ સમસ્યા વધુ ઘેરી બનશે. એ જરૂરી છે કે, પોલીસ તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરે અને પીડિત પરિવારને સુરક્ષા પુરી પાડે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-mps-chhatarpur-casteist-elements-beat-up-a-dalit-youth-for-sitting-on-a-bike">"દલિત થઈને અમારી સાથે બેસવું છે?" કહી દલિત યુવકના દાંત તોડી નાખ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Dec 2024 11:54:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1634</Articleid>
                    <excerpt>વાલ્મિકી મહિલાના પુત્રને જાતિવાદી તત્વોએ કારણ વિના જ માર મારતા તેણે પોલીસમાં ફરિયાદ કરી, હવે આરોપીઓ તેમને ગામ છોડી જતા રહેવાની ધમકી આપે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674d5197539db.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d51971fb54.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d51971fb54.jpg" length="43937" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Dalit Crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદીઓનો ખૌફ : બંદૂકના નાળચે દલિત દીકરીની જાન પાછી કાઢી</title>
                    <link>https://khabarantar.com/casteist-elements-stopped-the-procession-of-a-dalit-with-weapons-in-jagannathpur-bareilly-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/casteist-elements-stopped-the-procession-of-a-dalit-with-weapons-in-jagannathpur-bareilly-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ બંદૂક સહિતના ઘાતક હથિયારો સાથે ગામના જાતિવાદી તત્વોએ એક દલિત દીકરીની જાન રોકી, જાનૈયાઓને જાતિસૂચક ગાળો ભાંડી જાન પાછી લઈ જવા મજબૂર કર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે અને તેની સાથે જ દલિતોની જાન પર હુમલાની ઘટનાઓ પણ શરૂ થઈ છે. જાતિવાદી હિંદુઓ ગામમાંથી જાન લઈ જવી, વરઘોડો કાઢવો, ફટાકડાં ફોડવા, ડીજે વગાડવું અને નાચવું-ગાવું જાણે તેમના જ બાપનો અધિકાર હોય તેમ વર્તે છે. કમનસીબી એ છે કે, આ દેશનું બંધારણ દરેક માણસને અમુક કુદરતી અધિકારો આપે છે તેમાં આ બધી બાબતોનો પણ સમાવેશ થતો હોવા છતાં કાયદો-વ્યવસ્થા જાળવવાની જેમની જવાબદારી છે તે પોલીસ આવા જાતિવાદી તત્વોને તેમની જાતિના કારણે છાવરે છે. પરિણામે દર વર્ષે દલિતોની જાન રોકવાના કે તેના પર હુમલો થવાની ઘટનાઓ બનતી રહે છે અને પોલીસ ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળા મારવા નીકળીને છેલ્લે એકાદ વ્યક્તિની અટકાયત કરીને છોડી દે છે. પરિણામે દલિતોની જાન પર હુમલા થવાનો સિલસિલો યથાવત રહે છે અને જાતિવાદી તત્વોની હિંમત ખૂલી જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે અહીં જે ઘટનાની વાત કરવી છે તેમાં જાતિવાદીઓએ તમામ હદ પાર કરી નાખી હતી અને ન માત્ર દલિત દીકરીની જાનને રોકી પરંતુ તેને બંદૂકના નાળચે અને ઘાતક હથિયારો સાથે પાછી કાઢી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં બરેલીના સિરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના જગન્નાથપુર ગામમાં દલિત પરિવારની દીકરીના લગ્ન દરમિયાન બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધો છે. ગામના જાતિવાદી તત્વોએ બંદૂક, પિસ્તોલ સહિતના ઘાતક હથિયારો સાથે દલિત દીકરીની જાનને અટકાવી હતી. સમગ્ર માહોલ ઉત્સાહ અને ખુશીથી ભરેલો હતો. ગામની શેરીઓ બેન્ડના સંગીત અને જાનૈયાઓના નાચ-ગાનથી ગૂંજી રહી હતી. પણ એ દરમિયાન અચાનક જાતિવાદી તત્વોનું એક જૂથ પિસ્તોલ અને અન્ય હથિયારો સાથે ત્યાં પહોંચી ગયું અને હોબાળો મચાવી દીધો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/for-the-first-time-a-dalit-youths-wedding-procession-took-place-between-cid-and-about-100-policeman">CID અને 100 જેટલી પોલીસ વચ્ચે પહેલીવાર દલિત યુવકનો વરઘોડો નીકળ્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંદૂકના નાળચે જાનને રોકી</span></strong></span><br><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોએ જાનૈયાઓને ધમકી આપીને કહ્યું કે અમારી શેરીઓમાં જાન નહીં નીકળે. એમ કહીને તેમણે ડીજે બંધ કરાવી દીધું અને વરરાજાના પરિવારને પણ ધમકી આપી. જાતિવાદીઓની ધમકીએ લગ્નમાં આવેલા મહેમાનોમાં ખળભળાટ મચાવી દીધો. બંદૂકની બીક બતાવી જાતિવાદીઓએ દલિત દીકરીની જાનને પાછી વળવા મજબૂર કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં જાતિવાદીઓ જાનૈયાઓ સાથે દુર્વ્યવહાર કરતા અને ધમકાવતા જોવા મળ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત પરિવારે ફરિયાદ નોંધાવી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાથી દુઃખી થયેલા દલિત પરિવારે સિરૌલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે જાનને રોકવાનો પ્રયાસ અગાઉ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તેની અવગણના કરી હતી. જાતિવાદી તત્વોની આ હરકત કોઈ ઊંડા જાતિવાદી તિરસ્કાર તરફ ઈશારો કરે છે. ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે ફક્ત એક શખ્સની ધરપકડ કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">આટલી મોટી ઘટના ઘટી તેમાં પોલીસે માત્ર એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું કહેવાય છે. જે ઘટનાઓ વીડિયો વાયરલ થયેલો છે, તેમાં પોલીસે ફક્ત એક વ્યક્તિની ધરપકડ કરી તે જ બચાવે છે કે, પોલીસ જાતિવાદી તત્વોની તરફેણમાં કામ કરી રહી છે. પોલીસ અધિક્ષકે કહ્યું કે આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરી છે જેથી કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં પરિસ્થિતિ તંગ બની, ગમે ત્યારે હુમલાની શક્યતા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દલિતો, સવર્ણો વચ્ચે માહોલ તંગ બન્યો છે. સ્થિતિ ગમે ત્યારે વણસી શકે તેમ હોવાથી પોલીસ સતર્ક છે. દલિત સમાજના લોકોમાં ભય અને રોષ છે. સ્થાનિક સામાજિક સંગઠનોએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને આરોપીઓને તાત્કાલિક સજા કરવાની માંગ કરી છે. દલિત પરિવારે જાનને ફરીથી કાઢવા અને લગ્નની વિધિઓ પૂર્ણ કરવા માટે વહીવટીતંત્ર પાસેથી સુરક્ષાની માંગ કરી છે. આ ઘટના ફરી એકવાર યુપીમાં જાતિગત ભેદભાવ અને જાતિવાદી તત્વોની દાદાગીરીને સામે લાવી દીધી છે. જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ કેસમાં કેટલી ઝડપથી અને અસરકારક રીતે દલિત પરિવારને ન્યાય આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ</span> <a href="https://khabarantar.com/In-Dangarwa-village-of-Detroj,-a-Dalit-daughters-life-has-come-to-an-end-amid-police-presence">દેત્રોજના ડાંગરવા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત દીકરીની જાનનો વરઘોડો નીકળ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Dec 2024 10:29:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1633</Articleid>
                    <excerpt>બંદૂક સહિતના ઘાતક હથિયારો સાથે ગામના જાતિવાદી તત્વોએ એક દલિત દીકરીની જાન રોકી, જાનૈયાઓને જાતિસૂચક ગાળો ભાંડી જાન પાછી લઈ જવા મજબૂર કર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674d3d3d6698b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d3d3d3679b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674d3d3d3679b.jpg" length="61807" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, UP, Dalit procession stopped, Jagannathpur village, Bareilly, Atrocity complaint, SC ST Act</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમરાઈવાડીના દલિત યુવકનું ભાજપ નેતાની હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ મોત</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-from-amraiwadi-dies-after-stent-placement-at-bjp-leaders-hospital</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-from-amraiwadi-dies-after-stent-placement-at-bjp-leaders-hospital</guid>
                    <description>
                        <![CDATA[ અમરાઈવાડીના એક દલિત યુવકનું ભાજપના પૂર્વ ધારાસભ્યની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશન કરી સ્ટેન્ટ મૂકાવ્યા બાદ અચાનક મોત થઈ જતા હોબાળો મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ બાદ મોત થયાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર નજીક આવેલ કાકડીયા હોસ્પિટલમાં એક દલિત યુવકને સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ મુળજીભાઈ પરમાર(અંદાજે ઉ.47)ને મોડી રાત્રે છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યો હતો. પહેલા તેને દવાથી સારૂ થઈ જશે અને કોઈ તકલીફ જેવું નથી તેમ કહ્યાં બાદ અન્ય ડોક્ટરે આવીને હુમલો આવ્યાનું કહી એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યું હતું. એ પછી યુવકની તબિયત વધારે બગડી હતી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાના અમદાવાદના દલિત-બહુજન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલની બેદરકારીથી સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થયું. આ હોસ્પિટલમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા ટ્રસ્ટી છે. સમગ્ર બનાવ અંગે શહેર કોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674c7bcd15bc3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, “અરવિંદભાઈને ગળામાં દુખતું હતું એટલે અમે કાકડિયા હોસ્પિટલ લઈને આવ્યા હતા. આખા શરીરના રિપોર્ટ કાઢ્યા તો કહ્યું કે, બધું બરોબર છે કોઈ તકલીફ નથી, અત્યારે તમને ઈન્જેક્શન અને દવા લખી દીધી હતી એટલે તમને દુખાવામાં આરામ આવી જશે. જો કે, એ પછી અચાનક ડોક્ટર આવ્યા હતા અને તેમણે સારવાર દરમિયાન તેમને ઇન્જેક્શન આપ્યું હતું અને દવા આપી હતી. ત્યારબાદ જ્યારે આવ્યા ત્યારે તેમના રિપોર્ટ કર્યા હતા અને તેમાં કહ્યું હતું કે તેમની નળી બ્લોક છે જેથી તેમને ઓપરેશન કરવા માટે અંદર લઈ ગયા હતા અને એક નળી નાખી અને ઓપરેશન કર્યું હતું. જ્યારે તેઓ અમને નળી બતાવતા હતા ત્યારે એક નળી તૂટેલી હતી અને વિમાન જેવું દેખાતું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેથી, તેઓએ કહ્યું હતું કે આ નળી ફાટી ગઇ છે. અમારાથી ભૂલથી આ થઈ ગયું છે પણ અમે સ્ટેન્ટ મૂક્યું છે જેથી સારા થઈ જશે.ઓપરેશનમાંથી બહાર લાવ્યા બાદ તેઓને આઈસીયુમાં લાવવામાં આવ્યા હતા પરંતુ થોડી જ વારમાં તેમના હૃદય પર સોજો આવવા લાગ્યો હતો અને ડોક્ટરે કહ્યું હતું કે- હવે તે સિરિયસ થઈ ગયો છે. અમે કહ્યું- યુવકને  સાજો લઈને આવ્યા હતા અને અચાનક કેવી રીતે થઈ ગયું હવે એક જ માંગ છે કે, અમને ન્યાય મળવો જોઈએ.પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત તેનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં રોકકળ કરી મૂકી હતી. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો છે કે, સાજા માણસને મારી નાખ્યો છે. પરિવાર હોસ્પિટલના આઇસીયુની બહાર હોબાળો કરી અને તોડફોડ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હોસ્પિટલમાં ભાજપના નેતાઓ ટ્રસ્ટી છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હોસ્પિટલના ટ્રસ્ટી વલ્લભભાઈ કાકડીયા હોસ્પિટલ ખાતે પહોંચતાની સાથે જ દર્દીના પરિવારજનો તેમને ઘેરી વળ્યા હતા. લોકોએ કાકડિયા હોસ્પિટલ ‘હાય હાય’ના નારા લગાવ્યા હતા. વલ્લભભાઈ કાકડીયા હોસ્પિટલના પ્રમુખ છે. જ્યારે અશોકભાઈ સવાણી વહીવટી હોદ્દેદાર તરીકે કાર્યરત છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674c7c0a9df6b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં ‘હાય હાય’ના નારા લગાવ્યા. તમારુ નખોદ જાય, હાય હાયના નારા લગાવી હોસ્પિટલ પર બળાપો કાઢ્યો હતો.બાપુનગર વિસ્તારમાં અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મીબેન લાલજીભાઈ કાકડીયા નામની હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા ટ્રસ્ટી તરીકે છે. ભાજપના નેતાઓ આ હોસ્પિટલના ટ્રસ્ટી છે અને વહીવટ પણ ચલાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, “ડોકટર બારોટ સાહેબને એકવાર દેખાડવા માટે કહ્યું. તે તમને દવાઓ પણ લખી આપશે એમ જણાવ્યું. આ ડોકટરે ફાઈલ જોઈને તેમાં ECG જોયું ને કહ્યું કે, આ ભાઈને અટેક છે તાત્કાલિક સારવારમાં લઈ લો. હવે સાહેબ આમાં તો ખબર જ નથી શું બન્યું? તપાસ કરીને કહે કે, દર્દીની એક નળી બ્લોક છે. બીજી નળીમાં વિમાન જતું હતું એટલે અમે તેનું કારણ પૂછ્યું. ફરીવાર જોયું તો ફાટેલી નળી બતાવતી હતી એટલે એ ડૉક્ટરે એમ કીધુ કે, હા અમારાથી ફાટી ગઈ પણ અમે સ્ટેન્ટ મૂકી દીધુ એટલે હવે વાંધો નહી આવે. સ્ટ્રેચરમાં બહાર લઈને આવ્યા ત્યારે અમારા વ્યક્તિને પૂછ્યંય કે, હવે કેમ છે? તો તેણે કહ્યું હવે સારુ છે. સારવાર માટે અંદર લઈ ગયા ને પછી ત્યાં અમને અંદર જવા ન દીધા. આઈસીયુમાં સારવાર માટે લઈ ગયાના થોડા સમય બાદ ડૉક્ટરે બોલાવીને કહ્યું કે- પહેલા તેની તબિયત સારી હતી પણ થોડી તબિયત લથડી અને હૃદય પર સોજો આવી ગયો.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674c7be913a23.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે શહેરકોટડા પોલીસ મથકના પીઆઈ મનીષ ચંદ્રાવડિયાએ જણાવ્યું હતું કે. કાકડીયા હોસ્પિટલમા ડોકટરની બેદરકારીથી યુવકનું મોત થયાના આક્ષેપો સાથે તેમના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. સર્જરી કરનાર ડોકટર સામે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.ઠ</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાર્ડમાં એપ્રુવલ વિના કેવી રીતે દર્દીનું ઓપરેશન કરાયું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડીયાની હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીનું મા કાર્ડ આવ્યું ને તરત જ નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરી દીધું હતું. PMJAY કાર્ડમાંથી એપ્રૂવ કરાવ્યા પહેલા ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. કાર્ડમાં એપ્રુવલ વિના કેવી રીતે દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું જો સારવારનો ખર્ચ મોટો થાય તો પરિવારજનો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હોત તેને લઈને અનેક સવાલ ઊભા થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકના પત્નીનો વિલાપ- “મારે એનો જ આધાર હતો”</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે, ડૉક્ટરોની બેદરકારીથી મારા પતિનું મોત થયું, હું તો સાજા લઈને આવી હતી. તેમને ખાલી ગેસની તકલીફ હતી. કોઈ એટેકય નહોતો. એમનેમ જ ચીરી નાખ્યા આ લોકોએ. મને ન્યાય જોઈએ...મારે મારો ઘરવાળો જોઈએ. હવે મારે કોનો આધાર? મારે કોઈ બાળક પણ નથી, મારે એ જ આધાર હતો. મારે ન્યાય જોઈએ, મારે મારો ઘરવાળો પાછો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/real-gujarat-model-bootlegger-starts-hospital-in-surat-calls-police-at-inauguration">ગુજરાત મોડેલ : બુટલેગરે હોસ્પિટલ શરૂ કરી, ઉદ્ઘાટનમાં પોલીસને બોલાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 01 Dec 2024 20:45:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1632</Articleid>
                    <excerpt>અમરાઈવાડીના એક દલિત યુવકનું ભાજપના પૂર્વ ધારાસભ્યની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશન કરી સ્ટેન્ટ મૂકાવ્યા બાદ અચાનક મોત થઈ જતા હોબાળો મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674c7badc2e6f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674c7bad8f642.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674c7bad8f642.jpg" length="62038" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kakadia Hospital, Amraiwadi, Khyati Hospital</media:keywords>
                </item>
                        <item>
                    <title>દો દિન કી ઈસ બચ્ચી કે બાપ કો ઢૂંઢો, હમેં ન્યાય દો યા ઝહર દે દો...</title>
                    <link>https://khabarantar.com/a-dalit-girl-who-became-a-single-mother-in-nawabganj-bareilly-uttar-pradesh-reached-the-co-office-with-her-two-day-old-daughter-seeking-justice</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-girl-who-became-a-single-mother-in-nawabganj-bareilly-uttar-pradesh-reached-the-co-office-with-her-two-day-old-daughter-seeking-justice</guid>
                    <description>
                        <![CDATA[ સવર્ણ યુવક દલિત યુવતીને કુંવારી માતા બનાવી તરછોડીને જતો રહ્યો. યુવતી 2 દિવસની બાળકીને લઈને ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેટી બચાવો, બેટી પઢાઓના સરકારી સ્લોગન વચ્ચે કડવી વાસ્તવિકતા એ છે કે, મહિલાઓ, યુવતીઓ પર અત્યાચારો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં. ખાસ કરીને મામલો જ્યારે દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજની મહિલાઓનો હોય અને આરોપીઓ કથિત ઉચ્ચ જાતિના હોય ત્યારે કાયદો જાતિવાદી સવર્ણોની તરફેણમાં કામ કરવા લાગે છે. આવા હજારો ઉદાહરણોની દેશની કોર્ટ કચેરીઓ અને પોલીસ સ્ટેશનો ભર્યા પડ્યાં છે અને તેમાં વધુ એક કરૂણ કિસ્સો ઉમેરાયો છે, જેમાં એક યુવકે લગ્નના બહાને દલિત યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તે ગર્ભવતી બની જતાં તેને ત્યજી દીધી હતી. યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ દોઢ મહિના પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી. તાજેતરમાં તેણે એક પુત્રીને જન્મ આપ્યો છે અને કુંવારી માતા આ યુવતી પોતાની બે દિવસની દીકરીને લઈને ન્યાય માંગવા સરકારી કચેરીએ પહોંચી ગઈ ત્યારે સૌ કોઈની આંખો પહોળી થઈ ગઈ અને આરોપીઓ તથા સરકારી તંત્ર પર ફિટકાર વરસાવવા લાગ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફરિયાદ નોંધાવવા છતાં પોલીસ કાર્યવાહી નથી કરતી</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત થઈ ચૂકેલા ઉત્તરપ્રદેશનો છે. અહીં બરેલીમાં એક યુવકે એક દલિત યુવતીને લગ્નના બહાને પોતાની પ્રેમજાળમાં ફસાવી અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. એ દરમિયાન યુવતી ગર્ભવતી બની જતાં યુવક તેને છોડીને ભાગી ગયો હતો. યુવતીએ દોઢ મહિના પહેલા હાફિઝગંજ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટ દાખલ કર્યાને દોઢ મહિના પછી પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. બુધવારે યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. કુંવારી માતા તેની બે દિવસની પુત્રી સાથે કેસની તપાસ કરી રહેલા નવાબગંજ સીઓની ઓફિસે પહોંચી અને ન્યાયનો પોકાર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ </span><span style="color: rgb(35, 111, 161);"><a href="https://khabarantar.com/You-belong-to-low-caste,-dont-marry-now---Ankit-Agrawat-exposes-himself-after-6-years-of-living-in-Rajkot,-Dalit-girl-drinks-acid" style="color: rgb(35, 111, 161);">"તું નીચી જાતિની છે, હવે લગ્ન નથી કરવા" રાજકોટમાં 6 વર્ષ લિવ ઈનમાં રહ્યાં બાદ અંકિત અગ્રાવતે પોત પ્રકાશ્યું, </a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવક પ્રેમજાળમાં ફસાવી તરછોડીને જતો રહ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી એક દલિત છોકરી તેની માતા અને નાની બહેન સાથે હરિયાણાના સોનીપત જિલ્લામાં એક ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતી હતી. પરિવાર સોનીપતમાં એક રૂમમાં ભાડેથી રહેતો હતો. ભુતા પોલીસ સ્ટેશન વિસ્તારના ઢાંકણી ગામનો વિપિન પણ તેની સાથે આ જ ફેક્ટરીમાં કામ કરતો હતો. તે પણ એ જ મકાનમાં ભાડા પર રહેતો હતો. દરમિયાન યુવકે દલિત યુવતીને લગ્નના બહાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. થોડા દિવસો પછી યુવતી તેના ગામ પાછી આવી અને યુવક પણ તેના ગામ પાછો ગયો. અહીં પણ યુવક પીડિતાના ગામ તેને મળવા જતો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી. આરોપ છે કે જ્યારે યુવતીએ તેને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું તો તે સતત વાત ટાળતો રહ્યો હતો અને બાદમાં તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. લગભગ દોઢ મહિના પહેલા યુવતીની ફરિયાદના આધારે આરોપી વિપિન વિરુદ્ધ હાફિઝગંજ પોલીસ સ્ટેશનમાં SC-ST અને બળાત્કારની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. મામલો SC-ST એક્ટ સાથે સંબંધિત હોવાથી તપાસ સીઓ નવાબગંજ હર્ષ મોદીને સોંપવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નિષ્ઠુર પોલીસના પેટનું પાણી પણ હલતું નથી</span></strong></span><br><span style="font-size: 14pt;">યુવતીનો આરોપ છે કે હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ બુધવારે નવાબગંજ સીએચસીમાં યુવતીએ પુત્રીને જન્મ આપ્યો હતો. શુક્રવારે અપરિણીત માતા બનેલી આ દલિત યુવતી તેની બે દિવસની પુત્રીને ખોળામાં લઈને સીઓ હર્ષ મોદીની ઓફિસે પહોંચી હતી અને રડતા રડતા ન્યાયની ગુહાર લગાવી હતી. આ ઘટનાને બે દિવસ થઈ ગયા છે, પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/5-youths-gang-raped-a-dalit-girl-after-forcing-her-to-drink-alcohol">દલિત યુવતીને ગોંધી રાખી પરાણે દારૂ પીવડાવી 5 યુવકોએ ગેંગરેપ કર્યો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 01 Dec 2024 11:01:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1630</Articleid>
                    <excerpt>સવર્ણ યુવક દલિત યુવતીને કુંવારી માતા બનાવી તરછોડીને જતો રહ્યો. યુવતી 2 દિવસની બાળકીને લઈને ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674bf47734f70.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674bf4770459d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674bf4770459d.jpg" length="36620" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>SC ST Act Complaint, Dalit Girl Raped, Dalit News, UP News, POCSO CRIME, bareilly</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી દ્વારા શ્રી પી.ડી.વાઘેલાનું સન્માન કરાયું</title>
                    <link>https://khabarantar.com/shri-p-d-vaghela-was-honored-by-gujarati-dalit-sahitya-akademi</link>
                    <guid>https://khabarantar.com/shri-p-d-vaghela-was-honored-by-gujarati-dalit-sahitya-akademi</guid>
                    <description>
                        <![CDATA[ TRAIના પૂર્વ અધ્યક્ષનું ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી દ્વારા સ્મૃતિચિહ્ન અને પુસ્તકો આપી સન્માન કરાયું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">TRAI -ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અને 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ના શુભચિંતક શ્રી પી.ડી.વાઘેલા IAS (નિ.)ને  'અકાદમી' દ્વારા સ્મૃતિચિન્હ અને પુસ્તકોથી સન્માનિત કરાયા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674be4c8809c8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ની સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓના ચાહક, પ્રશંસક અને માર્ગદર્શક એવા શ્રી પી..ડી.વાઘેલાને 'અકાદમી'ના પેટ્રન હરીશ મંગલમે સ્મૃતિચિન્હ અને પુસ્તકો આપી સન્માન્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674be4c91247b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમાં 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી' દ્વારા તાજેતરમાં પ્રકાશિત અને ઈન્તાજ મલેક અનુવાદિત હરીશ મંગલમ્ અને અરવિંદ વેગડાના દલિત કાવ્યસંગ્રહો અનુક્રમે  'Untouched Harvest' અને 'Forgotten Sorrows' તેમજ પ્રવીણ ગઢવી લિખિત 'દલિતવાણી' કાવ્યસંગ્રહો શ્રી વાઘેલાને ભેટ આપવામાં આવ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_674be4c99463a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં Barbeque Nations-પ્રહલાદનગર ખાતે આયોજિત નાનકડા આ સ્નેહમિલનમાં સર્વશ્રી પ્રવીણ ગઢવી  IAS(નિ.) ('અકાદમી' અધ્યક્ષ), ઈન્તાજ મલેક (Ex.Joint Commissioner GST), ડો.રતિલાલ રોહિત (મુંબઈ યુનિ.), કવિ અરવિંદ વેગડા, નટુભાઈ પરમાર (લેખક-પત્રકાર), પ્રિન્સિપાલ ડો.હર્ષદ પરમાર (માંડલ), ડો.દિનુ ભદ્રેસરિયા(દામિની પબ્લીકેશન્સ) સૌ ઉપસ્થિત રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Savaya-Dalit-writer-Praveen-Gadhvis-new-book-Truth-of-Indian-Culture-published">સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીનું નવું પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિનું સત્ય’ પ્રકાશિત થયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 01 Dec 2024 09:56:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1629</Articleid>
                    <excerpt>TRAIના પૂર્વ અધ્યક્ષનું ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી દ્વારા સ્મૃતિચિહ્ન અને પુસ્તકો આપી સન્માન કરાયું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674be4c79eaf6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674be4c76dcbc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674be4c76dcbc.jpg" length="109530" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarati Dalit Sahitya Akademi, Shri P.D. Vaghela, honored, Pravin Gadhvi IAS, Harish Manglam</media:keywords>
                </item>
                        <item>
                    <title>એ બંને ડાકણ છે, રાતે ઉંદરડી&amp;બિલાડીનું રૂપ ધારણ કરે છે...</title>
                    <link>https://khabarantar.com/bharat-jan-vigyan-jatha-exposes-witchcraft-superstition-in-vagra-bharuch</link>
                    <guid>https://khabarantar.com/bharat-jan-vigyan-jatha-exposes-witchcraft-superstition-in-vagra-bharuch</guid>
                    <description>
                        <![CDATA[ ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન જાથાની ટીમે એક મોટી અંધશ્રદ્ધાનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક પરિવારની મહિલા બીજી બે મહિલાઓ પર દ્વેષ-દાઝ રાખી બદનામ કરતી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિજ્ઞાન જાથાએ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સાવ નકામું ધૂણીને પરિવારની જ બે મહિલાઓને ડાકણ ચીતરીને બદનામ કરતી એક મહિલાનો પર્દાફાશ કરી તેમની પાસે માફી મગાવી હતી. મળતી માહિતી પ્રમાણે વાગરાના કલાદરા ગામની જેલીબેન નામની મહિલા દરગાહમાં હાજરી ભરવા જતી હતી અને ત્યાં ધૂણીને પરિવારની જ બે મહિલાઓ ઉપર ડાકણનો આરોપ મૂકીને બંનેને ફસાવી દેવા પ્રયત્ન કરી હતી. આ મામલે બંને મહિલાના પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતા તેમણે જેલીબેન આહિરના ઢોંગનો પર્દાફાશ કર્યો હતો અને ભૂલ કબૂલ કરાવડાવી, માફી મગાવતા મામલો થાળે પડ્યો હતો. સાથે જ તેમણે કોઈ સમસ્યા હોય તો ભૂવા ભારાડી કે દરગાહમાં જવાને બદલે ડોક્ટર પાસે જઈને માનસિક સારવાર લેવી જોઈએ તેવી સલાહ આપવાનું પણ કબૂલ કરાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાવની વિગત પ્રમાણે ભરૂચના કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઇ આહિરે જણાવ્યું હતું તેમના કુટુંબી જેલીબેન આહિર અવારનવાર કીમ પાસેની દરગાહમાં ગુરૂવાર ભરવા જાય છે અને ત્યાં તેમને હાજરી આવતી હોવાથી તેઓ ધૂણવા માંડતા હતા અને પરેશભાઈ તથા ઠાકોરભાઈના મમ્મી જશુબેન અને દેવીબેન બંને ડાકણ છે અને મેલીવિદ્યા જાણે છે તેવું બોલી તેમને બદનામ કરતા હતા. જેલીબેન ધૂણતી વખતે કહેતા બંને રાત પડ્યે બિલાડી અને ઉંદરડી બની મેલી વિદ્યા કરી બધાને હેરાન કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/as-feared-the-dalit-youth-was-arrested-under-the-anti-superstition-act">ડર હતો એજ થયું, અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ દલિત યુવકની ધરપકડ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પરેશભાઈ અને ઠાકોરભાઈએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો અને તેમને આ મામલામાં મદદ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોઇકનો જીવ જાય તે પહેલા સત્ય ઉજાગર કરો, મારી મમ્મી અને બીજી મહિલા નિર્દોષ છે. મેલીવિદ્યા શું કહેવાય તે પણ તેમને ખબર નથી. જેલીબેન માત્ર ઇર્ષા, દ્વેષ અને સમાજમાં બહિષ્કૃત કરવા અમારી મમ્મીને બદનામ કરવા આવું કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી જાથાની ટીમના સદસ્યો દરગાહમાં હાજર રહી જેલીબેન ઉપર દેખરેખ રાખતા હતા. દરગાહની બહાર આવતાની સાથે કલાદરા ગામના બંને આહિર પરિવારો ભેગા થઇ ગયા. જેલીબેન બહાર આવતાની સાથે પરિસ્થિતિનો તાગ મળતા ધૂણવા લાગ્યા હતા અને હાથમાં રહે નહીં તેમ કુદાકુદ કરવા લાગ્યા હતા. એ પછી મહિલા પોલીસ તેમજ જાથાની મહિલા સદસ્યએ તેમને પકડીને માંડ માંડ ગાડીમાં બેસાડ્યા હતા. જો કે અહીં પણ તેમણે ધૂણવાનું ચાલુ રાખ્યું હતું. આખરે પોલીસે કડક શબ્દોમાં વાત કરતા તેઓ શાંત પડ્યા હતા અને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાથાના જયંત પંડયાએ જેલીબેન પાસે આ બંને મહિલાઓ ડાકણ હોવાની અને મેલીવિદ્યા જાણતી હોવાની સાબિતી માંગી હતી. પણ જેલીબેન કશા પુરાવા આપી શક્યા નહોતા. આખરે પોલીસનો ડર લાગતા જેલીબેનના પતિ, દીકરો સંજય માફી માગવા લાગ્યા હતા. અંતે જેલીબહેને પોતે ખોટું બોલી રહ્યા હતા અને ઈર્ષા તથા દ્વેષના કારણે આવું કરતા હોવાનું કબૂલ કર્યું હતું. સાથે જ તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે તેમને દરગાહમાં જવાથી કોઈ ધૂણું આવતું નહોતું અને તેઓ ખોટેખોટાં ધૂણી રહ્યાં હતા, જેથી લોકો તેમને દૈવીશક્તિ માનીને માન આપે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-vigyan-jatha-stopped-the-satyanarayan-katha-running-in-the-rajkots-pardi-power-office">વિજ્ઞાન જાથાએ વીજ કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવતા હોબાળો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 30 Nov 2024 22:00:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1628</Articleid>
                    <excerpt>ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન જાથાની ટીમે એક મોટી અંધશ્રદ્ધાનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક પરિવારની મહિલા બીજી બે મહિલાઓ પર દ્વેષ-દાઝ રાખી બદનામ કરતી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674b3be297ca0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674b3be26440b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674b3be26440b.jpg" length="109088" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bharat jan vigyan jatha, exposes, witchcraft superstition, vagra, bharuch</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદીઓએ દલિત મહિલાની 8.5 વીઘા જમીન પડાવી લીધી</title>
                    <link>https://khabarantar.com/casteists-snatch-8.5-bighas-of-land-from-dalit-family-in-gokulpur-mainpuri-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/casteists-snatch-8.5-bighas-of-land-from-dalit-family-in-gokulpur-mainpuri-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ આરોપીઓએ દલિત મહિલા અને તેના પરિવારને જાતિસૂચક ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Casteists snatch 8.5 bighas of land from Dalit woman : ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં ગામડાઓમાં સ્થાયી અને કાયમી આવકનું એકમાત્ર સાધન ખેતીની જમીન છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં નજર કરશો તો ખ્યાલ આવશે કે આ જમીનોની માલિકી મોટાભાગે કથિત સવર્ણ જાતિના લોકો પાસે જ છે. હરિયાણા-પંજાબમાં જાટ, મહારાષ્ટ્રમાં મરાઠા, ગુજરાતમાં દરબાર અને પટેલ જાતિઓ, યુપીમાં ઠાકુરો સૌથી વધુ ખેતીની જમીન પર કબ્જો જમાવીને બેઠાં છે. ખેતીની જમીન કાયમી આવક રળી આપે છે અને તેનાથી સમૃદ્ધિ મેળવીને બે પાંદડે થઈ શકાય છે, તે સમજી ચૂકેલા સવર્ણો તસુભાર ખેતીની જમીન પણ દલિતો, આદિવાસીઓ કે ઓબીસી સમાજના લોકોના હાથમાં ન જાય તેનું ધ્યાન રાખે છે. પરિણામે આખા દેશમાં એસસી, એસટી ઓબીસી સમાજ ભૂમિહીન ખેતમજૂર બનીને રહી ગયો છે. જે થોડાં ઘણાં દલિતો, આદિવાસીઓ પાસે ગામડાઓમાં ખેતીની જમીન બચી છે, તેમને પણ જાતિવાદી તત્વો પડાવી લેવા સતત અધીરા રહે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુપીના મૈનપુરીના ગોકુલપુર ગામની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">કંઈક આવું જ આ ઘટનામાં પણ બન્યું છે. ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીની છે. અહીં મૈનપુરીના કરહાલ વિસ્તારમાં જાતિવાદી તત્વોએ એક દલિત પરિવારની 8.5 વીઘા જમીન કબજે કરી લીધી. જ્યારે દલિત મહિલાએ તેનો વિરોધ કર્યો તો તેમને જાતિસૂચક ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપી. દલિત પરિવારે એસસી-એસટી કોર્ટમાં ફરિયાદ કરી, જેના આધારે પાંચ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/you-look-like-a-thief-just-from-your-face-arent-you">જાતિવાદી શિક્ષકે દલિત વિદ્યાર્થીને કહ્યું, ‘તું તો ચહેરા પરથી જ ચોર લાગે છે, ચમાર છો ને?’</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મૈનપુરી જિલ્લાના કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોકુલપુર ગામનો છે. અહીં કેટલાક જાતિવાદી તત્વોએ એક દલિત મહિલાના પરિવારની સાડા આઠ વીઘા જમીન પર દાદાગીરીથી કબજો જમાવ્યો હતો. જ્યારે દલિત પરિવારે તેનો વિરોધ કર્યો તો તેમને ન માત્ર જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યા પરંતુ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ જમીન રામરતિ નામની મહિલાના નામે નોંધાયેલી હતી, જે તેના પુત્ર ભૂપસિંહે ખરીદી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોએ દાદાગીરી કરી કબ્જો જમાવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત સમાજમાંથી આવતા ભૂપસિંહ બરનાહલના આલમપુર દેહા ગામના વતની છે. તેમણે આ જમીન ગોકુળપુરના વિદ્યારામ અને બદનસિંહ યાદવ પાસેથી ખરીદી હતી. જમીનની ખરીદી કર્યા બાદ તેમણે જમીનનો કબજો મેળવીને કાયદાકીય પ્રક્રિયા મુજબ જમીન પોતાની માતા રામરતિના નામે નોંધાવી હતી. બધું બરાબર ચાલતું હતું ત્યાં જ ગામના ગુંડાઓ અજીત, અંશુલ, રમેશ, મહેન્દ્ર અને ઉપેન્દ્રએ કાવતરું ઘડી આ જમીન કબજે કરી લીધી અને ભૂપસિંહ અને તેની માતાને જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યા. આરોપીઓએ તેમને ધમકી આપી કે ફરીથી </span><span style="font-size: 14pt;">આ જમીન પર દેખાયા તો જાનથી મારી નાખીશું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભૂપસિંહ અને તેની માતાએ જાતિવાદીઓનો સામનો કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ભૂપ સિંહે જણાવ્યું કે જ્યારે તેણે તેની માતા સાથે મળીને જાતિવાદીઓ સામે અવાજ ઉઠાવ્યો ત્યારે તેમને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ જમીન પર પોતાનો હક જમાવવાનો પ્રયાસ કરશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. જાતિવાદીઓએ તેમની માતા રામરતિનું અપમાન કરવામાં પણ જરાય શરમ નહોતી અનુભવી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-grooms-should-not-appear-before-us-on-a-horse">જે થવું હોય તે થાય, બાકી દલિત વરરાજો અમારી સામે ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ભૂપસિંહ અને તેની માતાએ સ્થાનિક પોલીસને ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. અંતે તેણે હિંમત ભેગી કરી અને SC-ST કોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટની સૂચના પર કરહાલ પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ એસસી-એસટી એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં તંગદિલી ફેલાઈ, દલિત પરિવારને ન્યાયની આશા</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના બાદ ગામમાં તંગદિલીનો માહોલ છે. જાતિવાદી તત્વોનું મનોબળ ઉંચુ છે અને પીડિત પરિવાર ન્યાયની આશાએ કોર્ટ અને પોલીસના ચક્કર લગાવી રહ્યો છે. આ ઘટનાએ સામાજિક અન્યાય અને ભેદભાવનું ચિત્ર તો રજૂ કર્યું જ છે, પણ સાથે સાથે એવો પ્રશ્ન પણ ઊભો કર્યો છે કે નબળા વર્ગના લોકોએ તેમના અધિકારો અને સન્માન માટે ક્યાં સુધી આવી લડાઈ લડવી પડશે.</span><br><span style="font-size: 14pt;">ભૂપ સિંહનું કહેવું છે કે જમીનની ખરીદી અને વેચાણ સંપૂર્ણપણે કાયદેસર હતું અને તેની પાસે તેના તમામ દસ્તાવેજો છે. તેમ છતાં જાતિવાદીઓએ તેમની જમીન પર કબ્જો જમાવી લીધો છે અને તેમની તથા તેમના પરિવારની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તેમણે કહ્યું, “અમે ડૉ. આંબેડકરના સંતાનો છીએ. અમે કાયદામાં વિશ્વાસ રાખીએ છીએ અને અમને ન્યાય મળવાની આશા છે. પરંતુ જાતિવાદીઓની બીક અને સામાજિક ભેદભાવ અમારા સંઘર્ષને વધુ મુશ્કેલ બનાવી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વહીવટીતંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાએ વધુ એકવાર યુપીના સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ક્રિયતા પણ છતી કરી છે. ગામલોકોનું કહેવું છે કે આ પહેલીવાર નથી જ્યારે જાતિવાદીઓએ દલિતોને તેમના અધિકારોથી વંચિત રાખવાનો પ્રયાસ કર્યો હોય. પોલીસની ઢીલી નીતિ અને જાતિવાદીઓનો રાજકીય પ્રભાવ ઘણીવાર પીડિતોને ન્યાયથી દૂર રાખે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે જોવાનું એ રહે છે કે કોર્ટના આદેશ બાદ વહીવટીતંત્ર કેટલી કાર્યવાહી કરે છે અને પીડિત પરિવારને ન્યાય અપાવે છે. આ ઘટના માત્ર જમીનનો વિવાદ નથી, પરંતુ સામાજિક અસમાનતા અને જાતિગત ભેદભાવ સામેનો એક મોટો પડકાર છે, જે આજે પણ આપણા સમાજમાં ઊંડા જડ ઘાલી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bloody-fight-over-tractor-removal-dalit-youth-dies-after-being-shot">ટ્રેક્ટર હટાવવા મુદ્દે લોહીયાળ જંગ, ગોળી વાગતા દલિત યુવકનું મોત</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 30 Nov 2024 14:55:45 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 30 Nov 2024 15:02:13 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1627</Articleid>
                    <excerpt>આરોપીઓએ દલિત મહિલા અને તેના પરિવારને જાતિસૂચક ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674adb9323893.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674adb92e5eb0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674adb92e5eb0.jpg" length="111257" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>UP News, Dalit News, Dalit times, SC ST Act, casteists, snatch, 8.5 bighas land, dalit family, gokulpur, mainpuri</media:keywords>
                </item>
                        <item>
                    <title>જય ભીમ બોલો! કચ્છના જડસા&amp;ખોડાસરમાં 102 એકર જમીન દલિતોને સોંપાઈ</title>
                    <link>https://khabarantar.com/say-jai-bhim-102-acres-of-land-in-kutchs-jadsa-khodasar-handed-over-to-dalits</link>
                    <guid>https://khabarantar.com/say-jai-bhim-102-acres-of-land-in-kutchs-jadsa-khodasar-handed-over-to-dalits</guid>
                    <description>
                        <![CDATA[ સામાજિક કાર્યકરોની અથાગ મહેનતને કારણે દલિતોને વર્ષો બાદ માથાભારે તત્વોએ પચાવી પાડેલી તેમની જમીનો પરત મળી રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છમાં માથાભારે તત્વો દ્વારા વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓ કે સ્થાનિક દલિતોને સરકારી ધોરણે કાયદેસર રીતે ફાળવવામાં આવેલી હજારો એકર જમીનો પડાવી લેવામાં આવી છે. અનેક સરકારો આવીને ગઈ પણ જાતિવાદી તત્વો આ જમીનોનો કબ્જો તેના અસલી માલિકો એવા દલિતોને સોંપતા નહોતા. દલિત સમાજના લોકો જો તેમના હકની આ જમીનોની માંગ કરવા જાય તો આ તત્વો નાગાઈ પર ઉતરી આવતા હતા. પણ હવે અનુસૂચિત જાતિ સમાજના સક્રિય આગેવાનોની મહેનતને કારણે ધીરેધીરે આ જમીનો તેના અસલી લાભાર્થીઓ એવા દલિત સમાજના લોકો અને મંડળીઓને મળી રહી છે. ગઈકાલે આ રીતે વધુ 2 ગામોમાં કુલ 102 એકર જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અનુસૂચિત જાતિ સમાજની સામુદાયિક મંડળીઓને કબ્જા પાવતી સાથે સોંપવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભચાઉના જડસા અને ખોડાસરમાં જમીન સોંપાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે કચ્છના ભચાઉ તાલુકાના જડસા અને ખોડાસર ગામમાં આવેલી ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળી લિ.ની જમીનો પૈકી જડસા ગામે કુલ 8 રે.સ.ન. મળીને 52 એકર ગુંઠા અને ખોડાસર ગામે કુલ 7 રે.સ.ન. મળીને 50 એકર ગુંઠા જમીન એમ બંને ગામની મળીને કુલ 102 એકર ગુંઠા જેટલી જમીન કચ્છ જિલ્લા કલેક્ટરની સૂચનાથી ભચાઉ પ્રાંત અધિકારીના માર્ગદર્શનમાં ભચાઉ મામલતદાર,  સર્કલ ઓફિસર, ડીઆઈએલઆર ભૂજના સર્વેયર, સ્થાનિક રેવન્યૂ તલાટી, ગ્રામ પંચાયત તલાટી સહિત પોલીસતંત્રની હાજરીમાં મંડળીના સભાસદોને જમીનની માપણી કરી, ચર્તુદિશા નક્કી કરીને સ્થળ પર જ પ્રત્યક્ષ સોંપવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">4-5 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં એક મહિનાથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી દલિતોની જમીનો તેમને પરત સોંપવાની કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આગામી 4-5 ડિસેમ્બર 2024 સુધીમાં ભચાઉ તાલુકાની તમામ અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની માલિકીની જમીનોનો સ્થળ પર જ પ્રત્યક્ષ કબ્જો સોંપી દેવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છમાં દલિત સમાજના લોકોને તેમના હકની આ જમીનો અપાવવામાં સામાજિક કાર્યકર અને મહેશ્વરી સમાજના આગેવાન નરેશભાઈ મહેશ્વર અને તેમની ટીમનો સિંહફાળો છે. તેઓ છેલ્લાં ઘણાં મહિનાઓથી આ મામલે રાતદિવસ જોયા વિના મહેનત કરી રહ્યાં છે અને તેનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ સમાજને તેમના હકની જમીન મળે તે જ લક્ષ્ય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખબરઅંતર.કોમ સાથે વાત કરતા નરેશભાઈ મહેશ્વરી જણાવે છે કે, અનુસૂચિત જાતિ સમાજની સામુદાયિક મંડળીઓને તેમના હકની જમીનો, જે માથાભારે તત્વોએ વર્ષોથી દબાવી રાખી છે, તે પરત મળે તે જ અમારું લક્ષ્ય છે. અમારી સતત રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીની સીધી સૂચના બાદ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ મામલો હાથમાં લીધો હતો. તેમના માર્ગદર્શનમાં જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ 13 નવેમ્બર 2024થી દલિત સમાજની મંડળીઓને તેમના હકની જમીનો કબ્જા સોંપવાની કામગીરી ચાલી રહી છે. કોઈપણ પ્રકારના વાદવિવાદ કે અનિચ્છનીય ઘટના ઘટ્યાં વિના આ જમીનોનો પ્રત્યક્ષ કબ્જો તેના અસલી માલિકો એવા દલિત સમાજને મળી રહ્યો છે. અમે સ્થળ પર જઈને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચતુર્થદિશા નક્કી કરીને તમામ જરૂરી કાર્યવાહી કર્યા બાદ સ્થળ પર જઈને જ મંડળીઓને જમીનનો કબ્જો મળે તેની કાળજી રાખીએ છીએ, જેથી પાછળથી કોઈ સમસ્યા ન સર્જાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામુદાયિક મંડળીના આગેવાનો, કાર્યકરો જોડાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભચાઉમાં જમીનના પ્રત્યક્ષ કબ્જાની આ કામગીરીમાં ભચાઉ મામલતદાર, ડીઆઈએલઆર ભૂજના સર્વેયર, નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર, રેવન્યૂ તલાટી, પંચાયત તલાટી સાથે પોલીસ તંત્ર પણ જોડાયું હતું. જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવાની આ કામગીરીમાં સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીનીસાથે નીલ વિંઝોડા, મંડળીના સભાસદો સુરેશ કાઠેચા, સુરેશભાઈ વાઘેલા, રમેશભાઈ દાફડા, રાહુલ ખાણીયા, વિશાલ પંડ્યા, ભરતભાઈ દાફડા, કિશન ચૌહાણ, સુમિતભાઈ દાફડા, હિમેશભાઈ કાઠેચા, સંજુ મહેશ્વરી સહિતના આગેવાનો જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નરેશભાઈ મહેશ્વરની મહેનત ફળી રહી છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કચ્છના સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી પક્ષાપક્ષીના રાજકારણમાં પડ્યાં વિના વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજ માટે જમીની લેવલે કામ કરી રહ્યાં છે. અગાઉ તેઓ આ જમીનોના મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાને પણ રજૂઆત કરી ચૂક્યા છે. હાલમાં એસસી-એસટી પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયરના મુદ્દે પણ તેમણે ખૂલીને વિરોધ કર્યો હતો. સામાન્ય રીતે સત્તાપક્ષ સાથે જોડાયેલી વ્યક્તિ પક્ષ સામે પડવાથી ડરતી હોય છે. પરંતુ નરેશ મહેશ્વરી કોઈની પણ પરવા કર્યા વિના માત્ર અનુસૂચિત જાતિ સમાજને વફાદાર રહીને કામ કરતા રહે છે. હાલ તેમણે કચ્છમાં દલિત સમાજની સામાજિક મંડળીઓની માથાભારે તત્વોએ વર્ષોથી દબાવી રાખેલી જમીનો પરત અપાવવાનું બીડું ઝડપ્યું છે અને તેમાં તેમને મહદઅંશે સફળતા મળી છે. નરેશભાઈ મહેશ્વરી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/direct-possession-of-147-acres-of-land-given-to-dalits-in-8-villages-of-kutch">કચ્છના 8 ગામોમાં દલિતોને 147 એકર જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપાયો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 30 Nov 2024 10:02:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1625</Articleid>
                    <excerpt>સામાજિક કાર્યકરોની અથાગ મહેનતને કારણે દલિતોને વર્ષો બાદ માથાભારે તત્વોએ પચાવી પાડેલી તેમની જમીનો પરત મળી રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674a947b0517d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674a947ac02b2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674a947ac02b2.jpg" length="150572" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>jadsa khodasar, Kutch News, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત મહિલા પરિષદને 5 વર્ષ પૂર્ણ થવા પર વાર્ષિક અધિવેશન યોજાયું</title>
                    <link>https://khabarantar.com/gujarat-mahila-parishad-held-its-annual-convention-on-completion-of-5-years</link>
                    <guid>https://khabarantar.com/gujarat-mahila-parishad-held-its-annual-convention-on-completion-of-5-years</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં વંચિત સમાજની મહિલાઓ માટે જમીની લેવલ પર કામ કરતા આ સંગઠને આપબળે આગવી ઓળખ ઉભી કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં દલિત આદિવાસી અને ઓબીસી તથા લઘુમતી સમાજની મહિલાઓ માટે કામ કરતા સંગઠનો અનેક છે. એમાં કેટલાક તો એવા પણ છે જેના કર્તાહર્તા સવર્ણ પુરુષો છે અને એનજીઓ માફિયા તરીકે કુખ્યાત થઈ ચૂક્યા છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદમાં આજથી પાંચ વર્ષ પહેલા વંચિત સમાજમાંથી આવતી મહિલાઓએ મળીને ગુજરાત મહિલા પરિષદની સ્થાપના કરી હતી. આજે આ સંગઠનની મહિલાઓ વંચિત સમાજની મહિલાઓ માટે જમીની લેવલે કામ કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ થઈ છે. હાલમાં આ પરિષદને પાંચ વર્ષ પૂણ થયા છે અને તેનું વાર્ષિક અધિવેશન અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં યોજાઈ ગયું. જેમાં ગુજરાતભરમાંથી પરિષદની બહેનોને ઉપસ્થિત થઈ પોતાના કામકાજની પ્રગતિનો હિસાબ-કિતાબ મેળવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્ષ 2019માં શરૂઆત થઈ હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત મહિલા પરિષદ સ્થાપના 2019 માં કરવામાં આવી હતી. શરૂઆતના બે વર્ષોમાં કોરોના કાળ દરમિયાન મહિલાઓ તથા અન્ય ગરીબ/વંચિત સમુદાયના લોકોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. એ સમયે અત્યાચારનો સિલસિલો ચાલુ રહ્યો, મહિલાઓ સાથે ઘરેલું હિંસા, જાતીય હિંસાનાં અને ખાસ કરીને આશિફા અને અંજલી જેવી નાની બાળકીઓ સાથે બળાત્કાર અને હત્યાઓ કરવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6749a73038aff.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ મામલે મહિલા પરિષદ દ્વારા આવેદનપત્ર આપી, રેલી અને ધરણા યોજી લડત આપવામાં આવી હતી. ગુજરાત મહિલા પરિષદની પહેલી કાર્યશાળા અમરાઈવાડી ખાતે રાખવામાં આવી હતી અને બીજી કાર્યશાળા માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર સેન્ટ ઝેવિયર્સ કોલેજ કેમ્પસ ખાતે રાખવામાં આવી હતી. એ સિવાય અમદાવાદનાં અલગ અલગ વિસ્તારોમાં મહિલા જાગૃતિ મીટિંગો, શિબિરો, વર્કશોપ યોજવામાં આવ્યાં હતાં. અમરાઈવાડી અને બાપુનગરમાં મ્યુનિસિપલ સ્કૂલો તથા પ્રાઇવેટ સ્કૂલોમાં ધોરણ 6 થી 8 ની બાળાઓને પોક્સોની તાલીમ આપવામાં આવી હતી. સાથે સંગઠન દ્વારા 8 માર્ચ, માનવ અધિકાર દિવસ તથા મહાપુરૂષોની જન્મજયંતિ અને સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>હાલમાં જ મહિલા પરિષદને 5 વર્ષ પૂર્ણ થયા છે</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં પરિષદનાં પાંચ વર્ષ પૂરા થતાં છે. એ નિમિત્તે તારીખ 10/11/24 નાં રોજ મહિલા અધિવેશન રાખવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ જિલ્લાના (શહેર, ગ્રામ્ય) નાં મહિલા આગેવાન, કર્મશીલો, મહિલા સંસ્થા/ સંગઠનો સાથે 126 લોકોએ ભાગ લીધો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6749a7570badf.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંપ્રત સમયમાં આખાં ગુજરાતમાં મહિલાઓ સાથે અને નાની બાળકીઓ સાથે જાતિય હિંસાનાં બનાવો ખૂબજ વધી રહ્યા છે ત્યારે સૌ સાથે મળીને, સંકલન કરીને કામ કરવું  જોઈએ તેવા સંકલ્પ સાથે જરાત મહિલા પરિષદના ગામી આયોજનો વિશે આ અધિવેશનમાં ચર્ચા કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાત મહિલા પરિષદ સાથે કોણ કોણ સંકળાયેલું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગુજરાત મહિલા પરિષદ સાથે મંજુલા, પ્રદિપ, ડો. મિતાલી સમોવા, મધુબહેન કોરડિયા, ઉષાબહેન પરમાર, એડવોકેટ રત્નાબહેન વોરા જેવા બહુજન સમાજની અનેક પ્રતિભાશાળી અને હિંમતવાન મહિલાઓ સંકળાયેલી છે. આ તમામ મહિલાઓ કોઈ ઓળખાણની મહોતાજ નથી અને એટલે જ આ પરિષદ પાસેથી બહુજન સમાજને બહુ મોટી અપેક્ષા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-fifth-conference-of-gujarati-dalit-sahitya-pratishthan-was-held">ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું પાંચમું અધિવેશન યોજાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 29 Nov 2024 17:10:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1622</Articleid>
                    <excerpt>ગુજરાતમાં વંચિત સમાજની મહિલાઓ માટે જમીની લેવલ પર કામ કરતા આ સંગઠને આપબળે આગવી ઓળખ ઉભી કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6749a7102b47b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6749a70fe9824.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6749a70fe9824.jpg" length="85473" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarat Mahila Parishad, Annual Session</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત વિદ્યાર્થીને બળજબરીથી સિગરેટ પીવડાવી જૂતા પર નાક રગડાવ્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-student-forced-to-smoke-cigarette-and-rub-nose-on-shoe</link>
                    <guid>https://khabarantar.com/dalit-student-forced-to-smoke-cigarette-and-rub-nose-on-shoe</guid>
                    <description>
                        <![CDATA[ ધોરણ 10માં ભણતા એક દલિત વિદ્યાર્થીને ચાર યુવકોએ માર માર્યો, બળજબરીથી સિગરેટ પીવડાવી અને તેમના પગમાં નાક રગડીને માફી માગવા મજબૂર કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાના રેવાડીના રોહરદાઈ પોલીસ સ્ટેશનના એક ગામમાં કેટલાક યુવકોએ ધોરણ 10માં ભણતા એક સગીર દલિત વિદ્યાર્થીને ખરાબ રીતે માર માર્યો છે. એટલું જ નહીં, આરોપી યુવકોએ દલિત કિશોરને બળજબરીથી સિગરેટ પીવડાવી હતી. લુખ્ખા તત્વોનું મન આટલેથી પણ ન ભરાતા તેમણે દલિત સગીરને તેમના પગમાં માથું રાખી નાક રગડીને માફી માંગવા મજબૂર કર્યો હતો. એ પછી સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. દલિત વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તનનો આ વીડિયો સામે આવ્યા બાદ તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચાર યુવકો વિરુદ્ધ એસસી-એસટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત કિશોર મિત્ર પાસે પુસ્તક લેવા ગયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસને આપેલી ફરિયાદમાં દલિત વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું છે કે તેમનો પુત્ર 10મા ધોરણનો વિદ્યાર્થી છે. 24મી નવેમ્બરે બપોરે તે ગામમાં તેના મિત્ર પાસે પુસ્તક લેવા ગયો હતો. રસ્તામાં કેટલાક છોકરાઓએ તેને ચોકમાં રોક્યો અને બળજબરીથી મેદાનની અંદર લઈ ગયા. એ પછી તેની સાથે અમાનવીય વર્તન કરી અત્યાચાર ગુજારવામાં આવ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હુમલાખોર યુવકોએ કહ્યું - ચાલ હવે અમને 'પપ્પા' કહે!</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયરલ થયેલા દલિત વિદ્યાર્થી પર હુમલાના વીડિયોમાં ચાર યુવકો તેને બળજબરીથી સિગરેટ પીવડાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જ્યારે દલિત કિશોર સિગારેટ પીવાની ના પાડે છે તો તેને ખૂબ મારવામાં આવે છે. હુમલાખોર છોકરાઓ કિશોરને તેમને પપ્પા કહેવા માટે કહે છે. આરોપી યુવકો આટલેથી અટકતા નથી. તેઓ દલિત વિદ્યાર્થીને તેમના પગમાં પડી, નાક રગડીને માફી માંગવા મજબૂર કરે છે. અંદાજે 10 મિનિટના આ વીડિયોમાં દલિત વિદ્યાર્થી પર ભારે માનસિક અને શારીરિક અત્યાચારો કરવામાં આવે છે અને તેના માનવગૌરવનો ભંગ કરવામાં આવે છે. આરોપીઓ તેને માર મારીને જાતિસૂચક ગાળો પણ ભાંડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વીડિયો વાયરલ થયા વિદ્યાર્થીના પિતાને ખ્યાલ આવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત કિશોરના પિતાએ પોલીસને જણાવ્યું છે કે ઘટના બાદ તેમનો પુત્ર ઘરે આવીને ચૂપ રહ્યો હતો, તેણે કોઈને કંઈ કહ્યું નહોતું. પરંતુ સાંજે પડોશમાં રહેતા યુવકે તેમને આ વાયરલ વીડિયો બતાવ્યો. જેમાં ગામના કેટલાક યુવાનો તેમના પુત્રને મારતા જોવા મળે છે. જ્યારે તેમણે તેના પુત્રને આ વિશે પૂછ્યું ત્યારે તેણે તેની આપવીતી જણાવી હતી. દલિત કિશોરના કહેવા પ્રમાણે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આરોપીઓએ લખ્યું છે કે, "હમ સે જો ટકરાયેગા, ઉસકા યહી હાલ હોગા"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે રોહડાઈ પોલીસ સ્ટેશનના પ્રભારી ભગવતી પ્રસાદે જણાવ્યું હતું કે, જૂની અદાવતના કારણે દલિત વિદ્યાર્થી સાથે મારપીટની ફરિયાદ મળી છે. વીડિયોમાં કેટલાક યુવકો વિદ્યાર્થીને મારતા જોવા મળી રહ્યા છે. દલિત કિશોરના પિતાની ફરિયાદ પર ચાર યુવકો વિરુદ્ધ એસસી, એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પુખ્ત છે કે સગીર છે તેની તપાસ કરવામાં આવશે. એ પછી કાર્યવાહી કરવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓના નામ જાતિ છુપાવાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં થાય છે તેમ આ કેસમાં પણ મનુમીડિયાએ આરોપી યુવકોની જાતિ અને નામ છુપાવ્યા છે. આવું મોટાભાગના દલિત-આદિવાસી અત્યાચારના કેસોમાં થાય છે. તેના માટે જ જરૂરી છે કે, દલિતો-આદિવાસીઓનું પોતાનું મીડિયા પ્લેટફોર્મ મજબૂત બને.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-dalit-student-died-in-a-group-clash-at-a-school-in-muzaffarpur-bihar">શાળા બની સમરાંગણ : દલિત વિદ્યાર્થીને માથામાં વાંસડો ફટકારી દેતા મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 17:39:44 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 27 Nov 2024 17:40:45 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1614</Articleid>
                    <excerpt>ધોરણ 10માં ભણતા એક દલિત વિદ્યાર્થીને ચાર યુવકોએ માર માર્યો, બળજબરીથી સિગરેટ પીવડાવી અને તેમના પગમાં નાક રગડીને માફી માગવા મજબૂર કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67470b339b128.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67470b335f71a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67470b335f71a.jpg" length="59166" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rewari News, Rohardai Police Station, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધંધુકામાં સંવિધાન દિવસે 53 ગામોમાં બંધારણ વહેંચવામાં આવ્યું</title>
                    <link>https://khabarantar.com/constitution-distributed-in-53-villages-on-constitution-day-in-dhandhuka-city-of-ahmedabad-district</link>
                    <guid>https://khabarantar.com/constitution-distributed-in-53-villages-on-constitution-day-in-dhandhuka-city-of-ahmedabad-district</guid>
                    <description>
                        <![CDATA[ ધંધુકામાં ગઈકાલે બંધારણ અર્પણ દિવસ નિમિત્તે બંધારણની 200થી વધુ કોપીઓ આસપાસના 53 ગામોમાં વહેંચવામાં આવી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે બંધારણ અર્પણ દિવસ નિમિત્તે ભારતભરમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આ ઉજવણી ખાસ બની રહી. કેમ કે અહીં એકસાથે 53 ગામોમાં બંધારણની 200થી વધુ કોપીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6746d3cb05b1e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધંધુકાના ઓમ અલખગુરુ જ્ઞાન સેવા આશ્રમ પ્લોટ વિસ્તારમાં સંવિધાન અર્પણ દિવસ નિમિત્તે સંવિધાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સૌપ્રથમ બોધિસ્તવ ડૉ.બાબાસાહેબની પ્રતિમાને અનુસૂચિત સમાજના વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા પુષ્પમાળા અર્પણ કરી વિવિધ ગૌરવશાળી સૂત્રોચ્ચાર સાથે વધાવી લેવાયા હતા. એ પછી ધંધુકા સહિત આસપાસના ૫૩ ગામોમાં ૨૦૦ જેટલા સંવિધાન પુસ્તકની વહેંચણી કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;">આ સિવાય આ કાર્યક્રમમાં હાજર સામાજિક સંસ્થાના આગેવાનો, કાર્યકર્તાઓને પણ સંવિધાન પુસ્તક ભેટ આપી સન્માન કરાયું હતું. સ્વાગત પ્રવચન ગીતાબેન પરમારે આપ્યું હતું. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6746d3ca64e06.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે મુખ્ય મહેમાન તરીકે મુંબઈથી અનુપમભાઈ પડાયા, પૂજ્ય. રતાબાપા અને અમદાવાદથી સામાજિક કાર્યકર પ્રકાશ બેન્કરે ખાસ હાજરી આપી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ મહાનુભાવોએ ડૉ.બાબાસાહેબ દ્વારા તૈયાર કરાયેલા સંવિધાન થકી મળેલા હક્કો અને વિવિધ કાયદાકીય પીઠબળની સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન બોધિરાજ બૌદ્ધ ઉર્ફ પરેશ રાઠોડ (સમતા બુદ્ધ વિહાર, બોટાદ) દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આભારવિધિ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બોટાદ જિલ્લા પ્રમુખ કીર્તિભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કિર્તિભાઈ ચાવડા, ગીતાબેન પરમાર તેમજ સમાજના આગેવાનો, મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/37-people-took-initiation-into-buddhism-in-amraiwadi-ahmedabad">અમદાવાદના અમરાઈવાડીમાં 37 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 13:42:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1613</Articleid>
                    <excerpt>ધંધુકામાં ગઈકાલે બંધારણ અર્પણ દિવસ નિમિત્તે બંધારણની 200થી વધુ કોપીઓ આસપાસના 53 ગામોમાં વહેંચવામાં આવી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6746d3cbc931c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6746d3cb8e17f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6746d3cb8e17f.jpg" length="113981" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>constitution distributed, 53 villages, constitution day, dhandhuka, ahmedabad district</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેતરમાં પાણી વાળતા દલિત યુવકની સરપંચ અને સાગરિતોએ હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-killed-by-sarpanch-and-his-associates-while-collecting-water-in-the-field</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-killed-by-sarpanch-and-his-associates-while-collecting-water-in-the-field</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવક તેના મામાના ઘરે રજા ગાળવા આવ્યો હતો. તે ખેતરમાં પાણી પાતો હતો ત્યારે જ માથાભારે સરપંચ સહિત 8 લોકો ત્યાં આવી પહોંચ્યાં અને લાકડી-દંડા લઈ તૂટી પડ્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ જિલ્લો દલિતો, આદિવાસીઓ માટે નર્કાગાર બનતો જઈ રહ્યો છે. અહીં ઉત્તરપ્રદેશની જેમ દરરોજ કોઈને કોઈ ખૂણેથી દલિત કે આદિવાસી સમાજના લોકો પર અત્યાચારની ઘટના સામે આવતી રહે છે. આવી જ વધુ એક ઘટના ઘટી છે, જેમાં એક ગામમાં માથાભારે સરપંચ અને તેના પરિવારજનોએ મળીને એક દલિત યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની છે. અહીં એક ગામમાં સરપંચ અને તેના પરિવારના સભ્યોએ એક દલિત યુવકને માર માર્યો હતો. દલિત યુવક તેના મામાના ખેતરમાં પાણી પાઈ રહ્યો હતો. એ દરમિયાન અચાનક સરપંચ અને તેના સાગરિતો આવી પહોંચે છે અને વિવાદ કરે છે, જે જોતજોતામાં મામલો મારામારી અને પછી હત્યામાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં માથાભારે સરપંચ તેના પરિવારના સભ્યો સાથે યુવકને જમીન પર પછાડીને મારતો જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિવપુરીના ઈન્દરગઢ ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવપુરી જિલ્લાના સુભાષપુરા પોલીસ સ્ટેશનના ઈન્દરગઢ ગામમાં સુભાષપુરાના સરપંચ અને તેના માણસોએ એક દલિત યુવકની નિર્દયતાથી હત્યા કરી દીધી છે. ગ્વાલિયરનો રહેવાસી વિષ્ણુ જાટવ (27) તેના મામાના ઘરે આવ્યો હતો. 26 નવેમ્બરના રોજ તે ખેતરમાં પાણી પાઈ રહ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6746c2c9e87d8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન અચાનક સરપંચ પદમસિંહ ધાકડ અને તેમના પરિવારના સભ્યો બેતાલ ધાકડ, જસવંત ધાકડ, અવધેશ ધાકડ, અંકેશ ધાકડ, મોહરપાલ ધાકડ, દાખાબાઈ ધાકડ અને વિમલ ધાકડ આવી પહોંચ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવાનનું સારવાર દરમિયાન મોત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખી ઘટનાનો વીડિયો વાયરલ થયેલો છે. જેમાં જોઈ શકાય છે કે, સરપંચ અને તેના પરિવારના સભ્યો પહેલા દલિત યુવક વિષ્ણુ જાટવ સાથે ગાળાગાળી કરે છે. એટલાથી તેમનું પેટ ન ભરાતા તેઓ લાકડીઓ લઈને વિષ્ણુ પર તૂટી પડે છે. યુવકના પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તેઓ તેઓ ખેતરમાં પહોંચી ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા વિષ્ણુને તાકીદે શિવપુરી મેડિકલ કોલેજ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી દલિત પરિવાર આઘાતમાં સરી પડ્યો છે અને રડી રડીને તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. સાથે જ પરિવારજનો આરોપીઓ સામે કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરપંચ સહિત 8 લોકો સામે એફઆઈઆર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસની માહિતી આપતા સુભાષપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ક્રિપાલ સિંહ રાઠોડે જણાવ્યું કે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે સરપંચ અને તેના પરિવારના આઠ સભ્યો વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/dalit-youth-murdered-in-mumbais-mira-bhayander-body-cut-into-seven-pieces-and-thrown-into-the-drain"><span style="font-size: 12pt;"> </span>પ્રેમની સજા : દલિત યુવકના સાત ટુકડા કરી, ડોલમાં ભરીને ગટરમાં ફેંકી દીધાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 12:27:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1612</Articleid>
                    <excerpt>દલિત યુવક તેના મામાના ઘરે રજા ગાળવા આવ્યો હતો. તે ખેતરમાં પાણી પાતો હતો ત્યારે જ માથાભારે સરપંચ સહિત 8 લોકો ત્યાં આવી પહોંચ્યાં અને લાકડી-દંડા લઈ તૂટી પડ્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6746c19daefda.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6746c19d73abd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6746c19d73abd.jpg" length="51777" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Shivpuri, Indergarh Village, Dalit Crime, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ નેતાએ બંદૂક બતાવી, દલિત મહિલાને વાળ પકડી ઢસડી?</title>
                    <link>https://khabarantar.com/bjp-leader-brandished-a-gun-dragged-a-dalit-woman-by-the-hair</link>
                    <guid>https://khabarantar.com/bjp-leader-brandished-a-gun-dragged-a-dalit-woman-by-the-hair</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપનો નેતા દલિત પરિવારને મારવા બંદૂક લઈને પહોંચી ગયો, દલિત મહિલાને રસ્તા વચ્ચે ઢસડી અને તેના બાળકોનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના જબલપુરમાં દલિત પરિવારની જમીન પડાવી લેવા માટે થઈને ભાજપના એક સ્થાનિક નેતાએ દલિત પરિવાર પર જીવલેણ હુમલો કરી પરિવારની મહિલાને વાળ પકડી રસ્તા વચ્ચે ઢસડીને અપમાનિત કરી હતી. એટલું જ નહીં માથાભારે આ નેતા દલિત પરિવારના ઘરે બંદૂક લઈને પહોંચી ગયો હતો અને દલિત બાળકોનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. દલિત પરિવારના કહેવા પ્રમાણે છેલ્લાં 30 વર્ષથી જે જમીન પર તેઓ રહે છે તે ભાજપના નેતા પડાવી લેવા માંગે છે. તેના માટે તે વારંવાર દલિત પરિવારને હેરાન-પરેશાન કરતો રહે છે. ખોટા વાંધા ઉભા કરીને દલિત પરિવારને અહીંથી ખદેડવા માંગે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ નેતાએ સાગરિતો સાથે હુમલો કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોમવારે દલિત પરિવાર પોતાના ઘરની બહાર બાથરૂમ બનાવી રહ્યો હતો ત્યારે ભાજપના આ સ્થાનિક નેતાએ તેના પરિવારજનો અને સાગરિતો સાથે આવીને બબાલ શરૂ કરી દીધી હતી. એ દરમિયાન બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. વિવાદ દરમિયાન ભાજપ નેતાએ દલિત પરિવારના એક સભ્યને જૂતા અને ચપ્પલથી માર માર્યો હતો અને પરિવારની એક મહિલાના વાળ ખેંચી તેને રસ્તા પર ઢસડી હતી તેવો આરોપ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આઘાતજનક વાત એ છે કે, પોલીસે પીડિત દલિત પરિવારને બદલે ભાજપ નેતાની ફરિયાદ નોંધીને દલિત પરિવાર પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે ભાજપના નેતાની ફરિયાદના આધારે દલિત પરિવાર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જો કે દલિત પરિવાર તેની પહેલા ફરિયાદ કરવા ગયો હોવા છતાં તેની ફરિયાદ લેવામાં આવી નહોતી, જેના કારણે તેમણે એસપીને ન્યાયની અપીલ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જબલપુરના રામનગરની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જબલપુરના રામનગર શાહનાળાનો છે. અહીં દલિત સમાજમાંથી આવતા અનિલ ઝારિયા અને વર્ષા ઝરિયાએ ભાજપ નેતા અમિત દ્વિવેદી પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમનો પરિવાર ત્રણ દાયકાથી લીઝ પર આપવામાં આવેલી જમીનમાં રહે છે. મહિલાઓ અને બાળકોને શૌચક્રિયા માટે તકલીફ પડતી હોવાથી તેમના ઘરની બહાર બાથરૂમ બનાવવામાં આવી રહ્યું હતું. પણ ભાજપના બૂથ પ્રમુખ અમિત દ્વિવેદી તેનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ તેમની જમીન પડાવી લેવા માંગે છે અને તેના માટે તે સતત કોઈને કોઈ પેંતરા રચતો રહે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6746b17703bed.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોમવારે સવારે અમિત તેના માતા-પિતા અને મિત્રો સાથે અનિલના ઘરે આવ્યો હતો અને વિરોધ કરીને તેમના બાળકોને ગાડીમાં બેસાડવાનું શરૂ કર્યું હતું. જ્યારે અનિલ ઝારિયાએ તેનો વિરોધ કર્યો તો અમિત દ્વિવેદી મારામારી પર ઉતરી આવ્યો હતો. આ દરમિયાન અમિતની માતા અને અન્ય લોકો પણ આવી પહોંચ્યા હતા અને જાતિસૂચક ગાળો ભાંડીને જૂતાથી માર મારવા લાગ્યા હતા. તેમણે અનિલ ઝારિયાની પત્ની વર્ષાને વાળ પકડીને રસ્તા વચ્ચે ઢસડીને માર માર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે દલિત પરિવારની ફરિયાદ ન લીધી, ભાજપ નેતાની લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખો મામલો શુદ્ધ રીતે જાતિવાદ અને દલિત અત્યાચારનો હોવા છતા સ્થાનિક પોલીસે ભાજપ નેતાને છાવરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે ફરિયાદ નોંધાવવા પહોંચેલા દલિત પરિવારની ફરિયાદ નહોતી લીધી પરંતુ જેવો ભાજપ નેતા દલિત પરિવાર સામે ફરિયાદ નોંધવા ગયો એટલે તરત તેની ફરિયાદ નોંધી લીધી હતી. એટલું જ નહીં પોલીસ આખા મામલે સામાન્ય ઝઘડામાં ફેરવવા માંગતી હોય તેમ લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તિલવાડા પોલીસ સ્ટેશનના પ્રભારી બ્રિજેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, અમિત અને અનિલ ઝરિયા વચ્ચે રવિવારે સવારે ઝાડ કાપવાના મુદ્દે ઝઘડો થયો હતો. સ્થાનિક કાઉન્સિલર સુનિલ કુમાર ગોસ્વામીએ વિવાદનો ઉકેલ લાવી દીધો હતો. પણ સોમવારે સવારે બંને પક્ષો વચ્ચે ફરીથી ઝઘડો અને મારામારી થઈ હતી. વાયરલ વીડિયોમાં બંને પક્ષો એકબીજા સાથે લડતા જોવા મળે છે. અમિતની ફરિયાદના આધારે પોલીસે અનિલ અને અન્ય સામે ગુનો નોંધ્યો છે. બનાવ અંગે અનિલે પોલીસ અધિક્ષક કચેરીમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પણ તેમની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી કરશે અને ગુનેગારો સામે કેસ નોંધશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/casteist-elements-poured-hot-mutton-water-on-the-dalit-youth">જાતિવાદી તત્વોએ દલિત યુવક પર મટનનું ગરમ પાણી રેડ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 11:13:34 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 27 Nov 2024 11:15:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1611</Articleid>
                    <excerpt>ભાજપનો નેતા દલિત પરિવારને મારવા બંદૂક લઈને પહોંચી ગયો, દલિત મહિલાને રસ્તા વચ્ચે ઢસડી અને તેના બાળકોનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6746b163c1f7f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6746b16389bd3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6746b16389bd3.jpg" length="95569" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jabalpur News, Dalit Crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>બોરસદમાં 118 જેટલા સામાજિક આગેવાનોએ મળી બંધારણ દિવસ ઉજવ્યો</title>
                    <link>https://khabarantar.com/around-118-social-leaders-celebrated-constitution-day-in-borsad</link>
                    <guid>https://khabarantar.com/around-118-social-leaders-celebrated-constitution-day-in-borsad</guid>
                    <description>
                        <![CDATA[ વંચિત વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આણંદ અને ખેડા જિલ્લાના તમામ તાલુકાના વિવિધ ગામોમાંથી 118થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૬ નવેમ્બરના રોજ વંચિત વિકાસ સંગઠન બોરસદ દ્વારા બોરસદ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે, તેમાં આણંદ તથા ખેડા જિલ્લાના બોરસદ, પેટલાદ, ખંભાત, તારાપુર, આંકલાવ, ઠાસરા અને ગળતેશ્વર સહિતના તમામ તાલુકાઓના જુદાજુદા ગામોમાંથી ૧૧૮થી વધુ સામાજિક આગેવાન ભાઈ - બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_674696af55860.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ઉજવણીની શરૂઆત સવારે ૧૦:૦૦ વાગે મૌન રેલી સ્વરૂપે બોરસદ સારથીનગર ખાતેથી નીકળી હતી. રેલીમાં નાના બાળકો ડૉ.બાબા સાહેબ, સાવિત્રીબાઈ ફૂલે, ફાતિમા શેખ અને પંડિત જવાહરલાલ નહેરૂના પહેરવેશ સાથે જોડાયા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સારથીનગરથી અંદાજિત એક કી.મી. પગપાળા ચાલીને રેલી સ્ટેશન રોડ પર આવેલ બાબા સાહેબની પ્રતિમાએ પહોંચી હતી જ્યાં વંચિત વિકાસ સંગઠન બોરસદના કન્વીનર ડૉ.રમણ માધવ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ચઢાવવામાં આવ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_674696b0b3726.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રસંગે સામૂહિક રીતે બંધારણના આમુખનું પઠન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી પરત સારથીનગર આવી હતી જ્યાં બંધારણ દિનને ધ્યાનમાં રાખીને હિર શ્રીમાળી, યાસ્મીન સૈયદ, ડૉ.રમણ માધવ ફાધર જોન કેનેડી, નગીનભાઇ મકવાણા દ્વારા પ્રવચનો કરવામાં આવ્યા હતાં. બંધારણ પ્રતિ લોકજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી ક્વિઝ કોમ્પીટીશન પણ યોજવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-words-socialist-and-secular-will-not-be-removed-from-the-preamble-of-the-constitution">બંધારણના આમુખમાં 'સમાજવાદી' અને 'સેક્યુલર' શબ્દ નહીં હટે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 09:56:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1609</Articleid>
                    <excerpt>વંચિત વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આણંદ અને ખેડા જિલ્લાના તમામ તાલુકાના વિવિધ ગામોમાંથી 118થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674696b00fbbf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674696afcf058.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674696afcf058.jpg" length="149908" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Constitution Day Celebration, Borsad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમરેલીના ચિત્તલમાં આજે સંવિધાન સન્માન મહોત્સવ ઉજવાશે</title>
                    <link>https://khabarantar.com/constitution-respect-festival-to-be-celebrated-in-chital-amreli-today</link>
                    <guid>https://khabarantar.com/constitution-respect-festival-to-be-celebrated-in-chital-amreli-today</guid>
                    <description>
                        <![CDATA[ 75માં બંધારણ અર્પણ દિવસ નિમિત્તે રાજરત્ન ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જાણો  શું છે તેની વિશેષતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ ભારતને લોકશાહી વ્યવસ્થાની અણમોલ ભેટ આપનાર મહાનાયક ડો.આંબેડકરે બંધારણ સભાની ડ્રાફ્ટિંગ સમિતિના ચેરમેન પદ પરથી ભારતના બંધારણની રચના કરીને 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ દેશને અર્પણ કર્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને આજે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ભારતભરમાં બહુજન સમાજ દ્વારા તેની અલગ અલગ રીતે ઉજવણીઓ થઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક અનોખી ઉજવણી અમરેલી જિલ્લાના ચિત્તલમાં આજે થવા જઈ રહી છે. જ્યાં રાજરત્ન ફાઉન્ડેશન દ્વારા સંવિધાન સન્માન મહોત્સવ 2024-25નું આયોજન કરવામાં આવ્યું છે. 75માં બંધારણ અર્પણ દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં જૂનાગઢ, અમરેલી અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભીમયોદ્ધાઓ ઉમટી પડશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67456159d8f83.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે રાત્રે 9.00 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં બહુજન સમાજના બે તેજસ્વી યુવા વક્તાઓ આયુ. મયૂર વાઢેર અને આયુ. ડૉ. ભાવિન પરમાર મુખ્ય વક્તવ્ય આપશે. આ સાથે જ વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશન કાથડની ભીમ સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી યુવા વર્ગ મોટી સંખ્યામાં ઉમટી પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમમાં ભીમપુત્રી સ્વરા વાણવીને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને તે પણ પોતાની વાતોથી ઉપસ્થિત ભીમબંધુઓને મહાનાયક ડો.આંબેડકરના કાર્યોને યાદ કરાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમમાં પોતાની આદિવાસી કળાને કારણે સોશિયલ મીડિયાથી જાણીતા બનેલા અર્ધનારી પાયલ રાઠવા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમ વિશે વધુ જાણકારી મેળવવા માટે આપ રાજરત્ન ફાઉન્ડેશન ચિત્તલ દ્વારા આપવામાં આવેલા 96871 52635, 81603 84544 પર સંપર્ક કરી શકો છો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/around-50-youth-from-rajaratna-foundation-voted-together">રાજરત્ન ફાઉન્ડેશનના 50 જેટલા યુવાનોએ એકસાથે મતદાન કર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Nov 2024 11:24:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1605</Articleid>
                    <excerpt>75માં બંધારણ અર્પણ દિવસ નિમિત્તે રાજરત્ન ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જાણો  શું છે તેની વિશેષતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674561418a67b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6745614141069.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6745614141069.jpg" length="79644" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Constitution Day, Dr. Ambedkar, Rajaratna Foundation</media:keywords>
                </item>
                        <item>
                    <title>રોહિત સમાજના ધર્મના ભાઈએ ગોસ્વામી બહેનનું લાખોનું મામેરું ભર્યું</title>
                    <link>https://khabarantar.com/rohit-samajs-religious-brother-cheated-goswami-sister-of-lakhs-of-ruoees</link>
                    <guid>https://khabarantar.com/rohit-samajs-religious-brother-cheated-goswami-sister-of-lakhs-of-ruoees</guid>
                    <description>
                        <![CDATA[ વડગામના સલેમકોટ ગામની ઘટના. ગોસ્વામી દીકરીને ભાઈ નહોતો, રોહિત સમાજના હોનહાર યુવાને ધર્મની બહેનનો પ્રસંગ સાચવ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો દલિત સમાજના યુવાનોને માત્ર ધિક્કાર અને અસ્પૃશ્યતાની નજરે જ જોવા ટેવાયેલા છે. ભાગ્યે જ એવું બનતું હશે કે કોઈ કથિત સવર્ણ જાતિનો વ્યક્તિ દલિત સમાજ સાથે સામાન્ય માણસ જેવો વ્યવહાર કરતા ખચકાતો ન હોય. પણ ઈતિહાસ સાક્ષી છે કે, દલિત સમાજ જ્યારે પણ સ્વમાન અને સમય સાચવી લેવાની વાત આવે ત્યારે કદી પાછું વળીને જોતો નથી, કે નથી રૂપિયાની પરવા કરતો. એવા ટાણે જે માહોલ સર્જાય છે તે કાયમ માટે ઈતિહાસ બની જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવી જ ઘટના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના એક ગામમાં બની છે. અહીં ગોસ્વામી સમાજની એક દીકરીને સગો ભાઈ ન હોવાથી તેણે રોહિત સમાજના યુવાનને ધર્મનો ભાઈ માન્યો હતો. બહેનના લગ્ન થઈ ગયા બાદ તેમની ભાણીના લગ્નનો પ્રસંગ આવી પહોંચ્યો અને રોહિત યુવાને જરાય પાછી પાની કર્યા વિના સૌ મોંમાં આંગળા નાખી જાય તેવું મામેરું ભરી બહેનનો પ્રસંગ સાચવી લઈને સગા ભાઈની ખોટ જરાય સાલવા દીધી નથી. આ ઘટનાએ સમગ્ર બનાસકાંઠા પંથકમાં વાહવાહી મેળવીને સામાજિક એકતાની દિશામાં એક મહત્વનું ઉદાહરણ પુરું પાડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે વડગામના સલેમકોટ ગામમાં રહેતી બહેનને માડીજાયો ભાઇ ન હોવાથી તેણે ગામના રોહિત સમાજના એક યુવકને ધર્મનો ભાઇ બનાવ્યો હતો. આ ધર્મના માનેલા ભાઈએ ભાણીના લગ્ન પ્રસંગે રૂપિયા 1.85 લાખનું મામેરૂ ભરી સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ ઘટનાની લોકો ચોમેર પ્રશંસા કરી રહ્યાં છે. યુવકે સમગ્ર પરિવાર સાથે જ્યારે મામા બની માનેલી બહેનના ઘરે ધામધૂમથી મામેરું ભર્યું હતું ત્યારે હાજર સૌ કોઈ હર્ષથી ઝૂમી ઉઠ્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડગામ તાલુકાના સલેમકોટ ગામે રહેતા કોકિલાબેન લાલગીરી ગૌસ્વામીને સગો ભાઈ નહોતો. આથી તેમણે ગામના નરસિંહભાઇ રામજીભાઈ પરમારને ધર્મના ભાઇ બનાવ્યા હતા. દરમિયાન બહેનના દિકરા અને દીકરીનો લગ્ન પ્રસંગ આવતાં નરસિંહભાઈએ તેમની ફરજ નિભાવી હતી. તેમણે પરિવારજનો કાન્તિલાલ, નાનજીભાઈ અને એમના લાલપુરા પરમાર કુટુંબીજનો સાથે મળીને કોકિલાબેનના ઘરે ગયા હતા. જ્યાં સોનાની વિંટી, બુટ્ટી, કપડાં તેમજ રોકડ રકમ આપી રૂપિયા 1,85,000નું મામેરૂ ભર્યુ હતું. આ પ્રસંગે કોકિલાબહેનની આંખોમાંથી હરખના આંસુ પણ સરી પડ્યા હતા. રોહિત સમાજના ધર્મના ભાઇએ બહેનને ત્યાં 1.85 લાખનું મામેરૂ ભર્યુ એ જાણીને સૌ કોઈ આ પરિવારના બે મોઢે વખાણ કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/The-Thakor-Samaj-of-Charadu-village-in-Kalol-filled-the-marriage-of-Valmiki-Samajs-daughter">કલોલના ચરાડુ ગામના ઠાકોર સમાજે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 25 Nov 2024 20:49:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1603</Articleid>
                    <excerpt>વડગામના સલેમકોટ ગામની ઘટના. ગોસ્વામી દીકરીને ભાઈ નહોતો, રોહિત સમાજના હોનહાર યુવાને ધર્મની બહેનનો પ્રસંગ સાચવ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6744943778ecb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674494374159b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674494374159b.jpg" length="105888" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Vadgam News, Salemkot Village, Rohit Samaj, Mameru</media:keywords>
                </item>
                        <item>
                    <title>BSP ને મતનો દુકાળ, સળંગ ત્રીજી ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન</title>
                    <link>https://khabarantar.com/bsp-faces-vote-drought-poor-performance-in-third-consecutive-election</link>
                    <guid>https://khabarantar.com/bsp-faces-vote-drought-poor-performance-in-third-consecutive-election</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં પણ બહુજન સમાજ પાર્ટીનું નબળું પ્રદર્શન યથાવત રહ્યું છે. પક્ષના ચાર ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશના દલિતો-વંચિતો જેના રાજકારણના કેન્દ્રમાં છે તેવો દેશનો એકમાત્ર રાજકીય પક્ષ બીએસપી હાલ તેના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. હાલમાં જ આવેલા યુપી વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં પણ પક્ષની સ્થિતિમાં બહુ ફરક નથી પડ્યો અને પક્ષના ઉમેદવારો મત માટે તરસતા જોવા મળ્યાં. પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે 2022ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે BSPની 60 ટકાથી વધુ વોટ બેંક અન્ય પાર્ટીઓમાં શિફ્ટ થઈ છે. એટલું જ નહીં દલિત વોટ બેંકે પણ તેને ફગાવી દીધી હતી. આ સિવાય પાર્ટી મુસ્લિમ મતદારોનો વિશ્વાસ પણ જીતી શકી નથી. પેટાચૂંટણી લડવાનું બીએસપીનું બીજું પગલું પણ તેને નવી દિશા બતાવી શક્યું નથી. અગાઉ લોકસભા ચૂંટણી દરમિયાન 5 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પણ બસપાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">4 સીટો પર ડિપોઝિટ ગુમાવવી પડી</span></strong></span><br><span style="font-size: 14pt;">ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો કરહલ, કુંડારકી, મીરાપુર અને સીસામઉમાં બસપાની હાર થઈ છે. ચારેય બેઠકો પર બસપાનો મત પાંચ આંકડા સુધી પણ પહોંચી શક્યો ન હતો. તેના કારણે ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી. મીરાપુર અને કુંડાર્કીમાં મતદારોએ બસપા કરતાં આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તિહાદુલ મુસલમીન (AIMIM)ને પ્રાધાન્ય આપ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2022ની સરખામણીએ ઓછા મતો મળ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">BSPનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કથેરી સીટ પર હતું, જ્યાં પાર્ટીના ઉમેદવાર અમિત વર્માને 41,647 મત મળ્યા હતા. અહીં મઝવાંના ઉમેદવાર દીપક તિવારી ઉર્ફે દીપુ તિવારીને 34,927 અને ફુલપુરના ઉમેદવાર જિતેન્દ્ર કુમાર સિંહને 20,342 મત મળ્યા હતા. જોકે, 2022ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ત્રણેય બેઠકો પર ઓછા મત મળ્યા છે. ગાઝિયાબાદમાં, બસપા માટે ટિકિટ બદલવાનો ખેલ પક્ષને મોંઘો પડ્યો છે અને તેના ઉમેદવાર પરમાનંદ ગર્ગ માત્ર 10,736 મત મેળવી શક્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મોટા નેતાઓએ પ્રચારથી અંતર જાળવ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">બસપાના આ ખરાબ પ્રદર્શનનું કારણ પાર્ટીના મોટા નેતાઓ છે, જેમણે પેટાચૂંટણીમાં પ્રચાર કરવાની પણ તસ્દી લીધી નહોતી. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પક્ષને મજબૂત કરવાના પ્રયત્નોમાં પાર્ટીએ યુપીમાં પોતાના મતદારો ગુમાવી દીધાં હોવાનું સ્પષ્ટ વર્તાય છે. પેટાચૂંટણીમાં ઉમેદવારોએ પોતાના દમ પર પ્રચાર કર્યો, જે વિજયમાં પરિવર્તિત થઈ શક્યો નહીં. બસપા સુપ્રીમો માયાવતી ઉમેદવારોને મળ્યા હતા, પરંતુ પાર્ટી દ્વારા તેમના નામની જાહેરાત છેલ્લી ઘડીએ કરવામાં આવી હતી, જેના કારણે મતદારોમાં મૂંઝવણ હતા. સોશિયલ એન્જિનિયરિંગના આધારે ચૂંટણી જીતવાના પક્ષના પ્રયાસો કામમાં ન આવ્યા. ટિકિટની વહેંચણીમાં અજાણ્યા ચહેરા પર દાવ લગાવવાની કિંમત પાર્ટીને ચૂકવવી પડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બસપાના ઉમેદવારોને મત મળ્યા હતા</span></strong></span><br><strong><span style="font-size: 14pt;">સીટ - ઉમેદવાર – કેટલા મત મળ્યાં - 2022માં કેટલા મત મળ્યાં</span></strong><br><span style="font-size: 14pt;">મીરાપુર - શાહનઝર - 3248 - 23797</span><br><span style="font-size: 14pt;">મઝવાં - દીપક તિવારી - 34927 - 52990</span><br><span style="font-size: 14pt;">કટેહરી - અમિત વર્મા - 41647 - 58482</span><br><span style="font-size: 14pt;">ફુલપુર - જિતેન્દ્ર કુમાર સિંઘ - 20342 - 33036</span><br><span style="font-size: 14pt;">સીસામઉ - વિરેન્દ્ર કુમાર - 1410 - 2937</span><br><span style="font-size: 14pt;">કરહલ - અવનીશ શાક્ય - 8409 - 15701</span><br><span style="font-size: 14pt;">ગાઝિયાબાદ - પરમાનંદ ગર્ગ - 10736 - 32691</span><br><span style="font-size: 14pt;">કુંદરકી - રફ્તઉલ્લાહ - 1051 - 42742</span><br><span style="font-size: 14pt;">ખૈર - પહેલ સિંહ - 13365 - 65302</span><br><span style="font-size: 14pt;">કુલ મત - 1,35,135 - 3,27,678</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-youth-fired-at-for-campaigning-for-bsp-in-karhal-mainpuri-accused-absconding">BSPનો પ્રચાર કરવા બદલ દલિત યુવક પર ફાયરિંગ, આરોપી ફરાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 25 Nov 2024 13:22:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1599</Articleid>
                    <excerpt>ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં પણ બહુજન સમાજ પાર્ટીનું નબળું પ્રદર્શન યથાવત રહ્યું છે. પક્ષના ચાર ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67442ca15c4c4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67442ca1257ad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67442ca1257ad.jpg" length="94857" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BSP, Mayavati, Bahujan Samaj Party, UP by election 2024</media:keywords>
                </item>
                        <item>
                    <title>અયોધ્યા બાદ હવે ભોલે બાબાની નગરી દેવઘરમાં પણ ભાજપની હાર</title>
                    <link>https://khabarantar.com/after-ayodhya-bjp-loses-in-bhole-babas-city-of-deoghar-too</link>
                    <guid>https://khabarantar.com/after-ayodhya-bjp-loses-in-bhole-babas-city-of-deoghar-too</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં મળેલી શરમજનક હાર જેવી જ હાર ભાજપને  પેટાચૂંટણીમાં ઝારખંડની દેવધર બેઠકમાં મળી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Jharkhand Assembly by-election : ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કોંગ્રેસ, RJD અને CPI(ML) ના ગઠબંધને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં તેની સત્તા જાળવી રાખી છે. રાજ્યની 81 બેઠકોમાંથી JMM 34, BJP 21, કોંગ્રેસ 16, RJD 4, CPI (ML/L) 2, ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચા, AJSU, LJP રામવિલાસ અને JDUએ એક-એક બેઠક જીતી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડ વિધાનસભા ચૂંટણીના આ પરિણામોમાં ભોલે બાબાની નગરી તરીકે જાણીતા  દેવઘરનું ચૂંટણી પરિણામ ચોંકાવનારું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર સુરેશ પાસવાન દેવઘરમાં ઈન્ડિયા ગઠબંધનમાંથી જીત્યા છે. સુરેશ પાસવાને તેમના હરીફ ભાજપના ઉમેદવાર નારાયણ દાસને 39 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. આરજેડીના સુરેશ પાસવાનને 22 રાઉન્ડની મતગણતરી બાદ 1 લાખ 56 હજાર 079 વોટ મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર નારાયણ દાસને 1 લાખ 16 હજાર 358 વોટ મળ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અયોધ્યા બાદ હવે દેવઘરમાં ભાજપની હાર</span></strong></span><br><span style="font-size: 14pt;">હિન્દુત્વ ભાજપનો મુખ્ય મુદ્દો રહ્યો છે. આ જ કારણ છે કે જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી ભાજપે એવા શહેરોમાં વિકાસના ઘણા કામો કર્યા છે જે હિન્દુઓના મુખ્ય તીર્થસ્થળો છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોર હોય, ઉજ્જૈનમાં મહાકાલ લોકની સ્થાપના હોય કે પછી અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના હોય. ભાજપે તમામ ધાર્મિક શહેરોમાં વિકાસના કામો કર્યા છે. આ જ તર્જ પર ભોલે બાબાના શહેર દેવઘરમાં એક એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું. જો કે અયોધ્યાની જેમ અહીં પણ મતદારોએ ભાજપને આંચકો આપ્યો છે. ધાર્મિક નગરોમાં વિકાસના કામો કર્યા બાદ પણ આ સ્થળોએ ભાજપનો પરાજય થઈ રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીની મત ગણતરીમાં દેવઘર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવારનો પરાજય થયો છે. દેવઘર વિધાનસભા સીટ પર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર સુરેશ પાસવાને જીત મેળવી છે. જ્યારે બીજેપીના ઉમેદવાર નારાયણ દાસ બીજા ક્રમે રહ્યા હતા. સુરેશ પાસવાનને 1 લાખ 56 હજાર 079 વોટ મળ્યા. જ્યારે તેમના હરીફ ભાજપના ઉમેદવાર નારાયણ દાસને 1,16,358 મત મળ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં ભાજપની હાર થઈ હતી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં આવતી ફૈઝાબાદ લોકસભા સીટ પર ભાજપનો શરમજનક પરાજય થયો હતો. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદે ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા પછી ઈન્ડિયા ગઠબંધને અયોધ્યામાં ભાજપની હારનો વ્યાપક પ્રચાર કર્યો હતો. હવે દેવઘરમાં ભાજપના ઉમેદવારની હારથી ઈન્ડિયા એલાયન્સને વધુ એક તક મળી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પહેલા કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે ચૂંટણી પ્રચારમાં બજરંગબલીનું નામ વટાવવા પ્રયત્ન કર્યો હતો. તે ચૂંટણીમાં પણ ભાજપ કોંગ્રેસ સામે હારી ગઈ હતી. કર્ણાટકમાં હાર બાદ કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ કહેતા રહ્યાં કે બજરંગબલીએ ભાજપને પાઠ ભણાવ્યો. આ સિવાય 2024ની લોકસભા ચૂંટણીમાં વારાણસી લોકસભા સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતનો માર્જીન પણ ઓછો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/if-ayodhya-is-far-away-the-bjp-could-not-win-in-the-surrounding-100-km-area">અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં પણ ભાજપ જીતી ન શક્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 24 Nov 2024 14:43:15 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 24 Nov 2024 14:51:52 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1598</Articleid>
                    <excerpt>લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં મળેલી શરમજનક હાર જેવી જ હાર ભાજપને  પેટાચૂંટણીમાં ઝારખંડની દેવધર બેઠકમાં મળી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6742ed6177ea9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6742ed61467db.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6742ed61467db.jpg" length="68295" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jharkhand Assembly by-election, Degohar Assembly seat, BJP defeat, India Alliance, Ayodhya</media:keywords>
                </item>
                        <item>
                    <title>BSPનો પ્રચાર કરવા બદલ દલિત યુવક પર ફાયરિંગ, આરોપી ફરાર</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-fired-at-for-campaigning-for-bsp-in-karhal-mainpuri-accused-absconding</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-fired-at-for-campaigning-for-bsp-in-karhal-mainpuri-accused-absconding</guid>
                    <description>
                        <![CDATA[ &quot;તું બસપાનો બહુ મોટો નેતા બની ગયો છે?&quot; કહી આરોપીઓએ દલિત યુવક પર ફાયરિંગ કર્યું. ટોળું ભેગું થઈ જતા આરોપીઓ ફરાર થઈ ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીની પેટાચૂંટણી બહુજન સમાજ પાર્ટી માટે પ્રચાર કરવા નીકળેલા એક દલિત યુવક પર કેટલાક યુવકોએ હુમલો કરી દીધો. આરોપીઓએ યુવક પર ફાયરિંગ કર્યું. જો કે ટોળું ગોળીનો અવાજ સાંભળીને એકઠું થઈ જતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના કરહાલ વિસ્તારમાં બની છે. અહીં એક દલિત યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના 18 નવેમ્બરની સાંજે બની હતી, જ્યારે રાજપુર ગામના રિશુ જાટવે BSP માટે પ્રચાર કર્યો હતો. એ પછી રિશુ કોઈ કામ અર્થે ઘરેથી બજારમાં જઈ રહ્યો હતો ત્યારે જૈન ઈન્ટર કોલેજ પાસે કેટલાક યુવકોએ તેને રોક્યો હતો. આરોપીઓમાં મનોજ યાદવ, વેદ સિંહ, માધૌ સિંહ, વિમલ કુમાર યાદવ, અજય યાદવ અને સુરજીત સિંહના નામ સામે આવ્યા છે. બધાંએ રિશુને ઘેરી લીધો અને જાતિ આધારિત અપશબ્દો બોલી, “તું બસપાનો બહુ મોટો નેતા બની ગયો છે? કાલે જ અમે તને પ્રચાર કરતો જોયો હતો." કહી હુમલો કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રિશુએ વિરોધ કર્યો તો ફાયરિંગ કર્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">જ્યારે રિશુએ આરોપીઓનો સામનો કરીને વિરોધ કર્યો તો આરોપીઓએ તેના પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોના ટોળાંને જોઈને આરોપી રિશુને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા હતા. આ હુમલાથી ફરી એકવાર દલિતોની સલામતી અને દલિત રાજકારણનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસમાં કેસ નોંધાયો, આરોપીઓની શોધખોળ ચાલું</span></strong></span><br><span style="font-size: 14pt;">બીએસપીના કાર્યકર રિશુ જાટવે આ મામલાની પોલીસમાં ફરિયાદ કરી હતી, જે બાદ પોલીસે આરોપી મનોજ યાદવ, વેદ સિંહ, વિમલ યાદવ, અજય યાદવ અને અન્ય લોકો વિરુદ્ધ એસસી-એસટી એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસનું કહેવું છે કે આરોપીઓની શોધ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો પર હુમલાની ઘટનાઓ વધી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાએ ફરી એક વખત પ્રશ્ન ઉભો કર્યો છે કે દલિત સમાજ પર થતા અત્યાચારો ક્યારે અટકશે? આ ઘટના એ સમયની છે જ્યારે દેશભરમાં બંધારણ અને સમાનતાની વાત થઈ રહી છે. દલિત યુવક પર ગોળીબાર અને જાતિસૂચક ગાળો ભાંડવાથી એ સાબિત થાય છે કે, સામાજિક ભેદભાવ અને રાજકીય હિંસા હજુ પણ સમાજમાં ઊંડે સુધી વ્યાપેલી છે અને તે આસાનીથી જાય તેમ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકરો અને દલિત નેતાઓમાં આક્રોશ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના બાદ દલિત આગેવાનો અને સામાજિક કાર્યકરોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. સૂરજ કુમાર બૌદ્ધે ટ્વીટ કરીને લખ્યું, “હવે અમે કાયદાની મદદથી તમારી દરેક ગુંડાગીરીનો જવાબ આપીશું. બાબાસાહેબના અનુયાયીઓ અત્યાચાર નહીં સહે." બીજી તરફ આ ઘટનાને લઈને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ અને કથિત આગેવાનો મૌન જોવા મળ્યા છે. ખાસ કરીને બંધારણ બચાવવાની વાતો કરતા પક્ષો આ બાબતે તદ્દન મૂંગા થઈ ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો માટે રાજકીય પ્રચાર ખતરો બની રહ્યો છે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના બાદ દલિતો માટે રાજકીય પ્રચાર કરવો ખતરનાક બની ગયો છે. આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચુકી છે, જેમાં દલિત સમાજના લોકોને તેમના રાજકીય દ્રષ્ટિકોણને કારણે હિંસાનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ દિવસ પહેલા સમાજવાદી પાર્ટીને મત ન આપવા બદલ એક દલિત યુવતીની હત્યા કરીને લાશને બોરીમાં ભરીને ફેંકી દેવાઈ હતી. એ ઘટનાને લોકો ભૂલ્યાં નથી ત્યાં હવે બસપાના પ્રચાર માટે નીકળેલા દલિત યુવક પર ફાયરિંગ થયું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે રાજકીય પ્રચાર દલિત સમુદાય માટે ખતરો બની રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સમાજની એકતાનો સંદેશ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનાએ ફરી એકવાર દલિત સમાજને એક થવાની પ્રેરણા આપી છે. બાબાસાહેબ આંબેડકરે આપેલા અધિકારો માટે હવે કાનૂની લડત ઉગ્ર બનાવાશે તેવું સામાજિક કાર્યકરોનું કહેવું છે. આવી ઘટનાઓ યાદ અપાવે છે કે જ્યાં સુધી સમાજમાં સમાનતા અને ન્યાયની સ્થાપના નહીં થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/haryanas-ateli-seat-where-hathi-made-the-bjp-sweat">હરિયાણાની એ સીટ જ્યાં 'હાથી'એ ભાજપને પરસેવો છોડાવી દીધો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 23 Nov 2024 19:04:58 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 23 Nov 2024 19:07:24 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1595</Articleid>
                    <excerpt>&quot;તું બસપાનો બહુ મોટો નેતા બની ગયો છે?&quot; કહી આરોપીઓએ દલિત યુવક પર ફાયરિંગ કર્યું. ટોળું ભેગું થઈ જતા આરોપીઓ ફરાર થઈ ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6741d9ee0b4f2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6741d9edca2d0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6741d9edca2d0.jpg" length="37808" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BSP, Mayawati, Bahujan Samaj Party, UP News, Firing</media:keywords>
                </item>
                        <item>
                    <title>14 વર્ષ બાદ દલિત મહિલાને ન્યાય મળ્યો, 21 ને આજીવન કેદ</title>
                    <link>https://khabarantar.com/after-14-years-dalit-woman-gets-justice-21-gets-life-imprisonment</link>
                    <guid>https://khabarantar.com/after-14-years-dalit-woman-gets-justice-21-gets-life-imprisonment</guid>
                    <description>
                        <![CDATA[ આરોપીઓમાં 19 પુરૂષ અને 2 મહિલાઓ સામેલ. દરેકને 13,500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદથી ગ્રસ્ત ભારત દેશમાં એટ્રોસિટીના કેસોમાં એકબાજુ કલેક્ટર કક્ષાની મહિલા અધિકારીઓ ખોટા કેસોના આરોપ લગાવે છે. બીજી તરફ વાસ્તવિકતા એ છે કે, બહુ ઓછા કેસોમાં પીડિત દલિત પરિવારોને ન્યાય મળે છે. ઘણીવાર તો ન્યાય મળવામાં પેઢીઓ બદલાઈ જાય છે. આવા જ એક કેસમાં એક દલિત મહિલાને 14 વર્ષ બાદ ન્યાય મળ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો કર્ણાટકનો છે. અહીં 28 જૂન 2010ના રોજ દલિત મહિલા દબા હોનમ્માની હત્યાના કેસમાં 14 વર્ષ બાદ 21 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ આરોપીઓમાં 19 પુરૂષ અને 2 મહિલાઓ સામેલ છે અને પ્રત્યેકને 13,500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ન્યાય મળતા સુધીમાં 27 આરોપીઓમાંથી 6ના મોત થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">28 જૂન, 2010ના રોજ કર્ણાટકના તુમકુર જિલ્લાના ગોપાલપુર ગામમાં દબા હોનમ્મા નામની દલિત મહિલાની પથ્થર મારીને કરીને હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ હત્યા જાતિવાદના કારણે થઈ હતી. કેસની તપાસ કરી રહેલા ડીએસપી શિવરુદ્રસ્વામીએ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. હવે 14 વર્ષ બાદ જિલ્લા સેશન્સ કોર્ટે 21 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં 19 પુરૂષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. કોર્ટે દરેક આરોપીને 13,500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.</span><br><span style="font-size: 14pt;">27માંથી 6 આરોપીઓ મૃત્યુ પામ્યા</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં કુલ 27 આરોપી હતા, જેમાંથી 6ના મોત થયા છે. કોર્ટે બાકીના 21 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે અને તેમને દંડ પણ ફટકાર્યો છે. આ નિર્ણય દલિત સમુદાય માટે મોટી રાહત અને ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કોર્ટનો આ ચૂકાદો જાતિવાદ અને ભેદભાવ સામે મજબૂત સંદેશો આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિર્ણયને લઈને ગોપાલપુર ગામમાં લોકોના અલગ-અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે. દલિત સમાજે આને ન્યાય અને બંધારણની જીત ગણાવી છે. તેમના મતે આ ચૂકાદો સમાજમાં સમાનતા અને ન્યાયની દિશામાં એક મોટું પગલું છે. જોકે કેટલાક સામાજિક કાર્યકરોએ તેને મોડેથી મળેલો ન્યાય ગણાવી ટીકા કરી હતી. તેમના મતે જાતિવાદ સામે હજુ વધુ કડક પગલાં લેવા જોઈએ. ખાસ કરીને એટ્રોસિટીના કેસોમાં ફરિયાદો લેવામાં આવતી નથી, ફરિયાદ બાદ ન્યાય મળવામાં વર્ષો નીકળી જાય છે, તેના કારણે અનેક દલિતોને ન્યાય મળતો નથી. જો સમયસર ન્યાય મળે અને જાતિવાદી તત્વોને સજા પડે તો આવા લોકો માથું ઉચકતા બંધ થઈ જાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ ચૂકાદાને પડકારશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં કેટલાક આરોપીઓ ચુકાદા સામે હાઈકોર્ટમાં પડકારવાનું વિચારી રહ્યા છે, જેના કારણે કેસ વધુ ખેંચાશે. તેમ છતાં આગામી સમયમાં જાતિવાદ અને અસમાનતાના મામલામાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા સ્થાનિક દલિતો રાખી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-one-atrocity-case-98-out-of-101-accused-received-life-imprisonment">એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 23 Nov 2024 14:32:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1594</Articleid>
                    <excerpt>આરોપીઓમાં 19 પુરૂષ અને 2 મહિલાઓ સામેલ. દરેકને 13,500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67419916e5377.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67419916b0e19.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67419916b0e19.jpg" length="127120" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Justice for Dalit women, Dalit News, Atrocity, Karnataka, Tumkur district, Gopalpur</media:keywords>
                </item>
                        <item>
                    <title>CID અને 100 જેટલી પોલીસ વચ્ચે પહેલીવાર દલિત યુવકનો વરઘોડો નીકળ્યો</title>
                    <link>https://khabarantar.com/for-the-first-time-a-dalit-youths-wedding-procession-took-place-between-cid-and-about-100-policeman</link>
                    <guid>https://khabarantar.com/for-the-first-time-a-dalit-youths-wedding-procession-took-place-between-cid-and-about-100-policeman</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી તત્વો 80 વર્ષથી દલિતોને ગામમાં વરઘોડો કાઢવા નહોતા દેતા. એક દલિત યુવકે હિંમત કરી અને જાતિવાદી તત્વોનું નાક કાપી લીધું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં જાતિવાદી તત્વો હજુ પણ કઈ હદે છાકટા થઈને ફરે છે તેનું વધું એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે. જાતિવાદ અને મહિલા અત્યાચારો માટે કુખ્યાત રાજસ્થાનમાં ખૈરથલ-ભિવાડીમાં 80 વર્ષ બાદ એક દલિત વરરાજાએ ઘોડી પર બેસીને ગામમાંથી વરઘોડો કાઢ્યો. જાતિવાદી તત્વોની બીક એટલી બધી હતી કે 8-8 દાયકાથી અહીં કોઈ દલિતે વરઘોડો કાઢવાની હિંમત નહોતી કરી. પરંતુ એક દલિત યુવકે આ હિંમત બતાવી અને પોલીસ સુરક્ષા માંગી. એ પછી બે પોલીસ સ્ટેશનના 100થી વધુ પોલીસના જાપ્તા અને સીઆઈડીના અધિકારીઓની હાજરીમાં પહેલીવાર દલિત યુવકનો વરઘોડો ગામ વચ્ચેથી નીકળ્યો હતો. એ રીતે જાતિવાદી તત્વોને બંધારણની તાકાત અને તેમની હેસિયતનું પોલીસે ભાન કરાવ્યું હતું. આ સાથે જ આ ગામમાં 80 વર્ષથી કોઈ દલિત વરઘોડો ન કાઢી શક્યો તે ઘટનાક્રમ પણ તૂટ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવકે હિંમત દાખવી અને ઈતિહાસ રચાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ખૈરથલ ભિવાડીના લાહડોદ ગામની છે. જ્યાં પહેલીવાર કોઈ દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, લાહડોદ ગામના દલિત યુવક આશિષ (23 વર્ષ)ના ગઈકાલે રાત્રે લગ્ન થયા હતા. આ ગામના કોઈ દલિતે હજુ સુધી તેના લગ્નમાં ઘોડી પર બેસીને વરઘોડો નહોતો કાઢ્યો. કેમ કે, ગામના ચોક્કસ જાતિના લોકોની ભારે દાદાગીરી ચાલતી હતી. તેઓ એમ સમજતા હતા કે ઘોડી પર બેસીને વરઘોડો કાઢવો માત્ર તેમના બાપદાદાનો જ અધિકાર છે અને દલિતો તેવું ન કરી શકે. પરંતુ આશિષ આ પરંપરાનો અંત લાવવા મક્કમ હતો. જો કે, આશિષના પરિવારના સભ્યો તેના આ નિર્ણયથી ડરી ગયા હતા. આવી સ્થિતિમાં તેમણે પોલીસની મદદ માંગી હતી. એ પછી જે થયું તે ઈતિહાસ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બે પોલીસ સ્ટેશનનો જાપ્તો ગોઠવાયો, સીઆઈડી પણ હાજર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આશિષ અને તેનો પરિવાર દાયકાઓથી ગામમાં જાતિ ભેદભાવને કારણે ચાલી આવતી આ પરંપરાને ખતમ કરવા માગતો હતો. પરંતુ તેમને ડર હતો કે ગામના જાતિવાદી તત્વો આની સામે વાંધો ઉઠાવશે. આથી તેણે કોટકાસીમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ કોટકસિમ અને કિશનગઢબાસ પોલીસ સ્ટેશનના અધિકારી જિતેન્દ્ર સિંહ અને ભિવાડી CID ઈન્ચાર્જ પ્રીતિ રાઠોડે ભારે પોલીસ ફોર્સ સાથે ગામમાં ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પહેલીવાર દલિત વરરાજા આશિષનો વરઘોડો નીકળ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. એ રીતે આઠ દાયકાથી ચાલતી જાતિવાદી તત્વોની દાદાગીરી સોંસરી નીકળી ગઈ હતી. એટલું જ નહીં તેમની ધાક પણ નીકળી ગઈ હતી. પોલીસે તેમને ડો. આંબેડકરના બંધારણની તાકાતનું ભાન કરાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વરરાજાના પરિવારે કહ્યું- સમાનતા માટે આ પગલું ભર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરરાજાના પરિવારે કહ્યું કે આ પગલું માત્ર તેમના માટે જ નહીં પરંતુ સમસ્ત દલિત સમાજમાં સમાનતા અને સન્માનની નવી લહેર પેદા કરવા માટે લેવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં પોલીસનો સહકાર ખૂબ જ મહત્વપૂર્ણ હતો. તેમણે ખરેખર ખૂબ પ્રસંશનીય કામગીરી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સ્ટેશનના અધિકારી નંદલાલ જાંગીડે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા ફરિયાદ મળી હતી. એ પછી તાત્કાલિક પગલા લીધા અને દલિત યુવકને વરઘોડો કાઢવામાં કોઈ સમસ્યા ન નડે અને માથાભારે તત્વો તેને કનડે નહીં તેની તકેદારી રાખી હતી. આખરે બધું શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના પરથી એ પણ સાબિત થાય છે કે, પોલીસ જો જાતિવાદી તત્વોને છાવરે નહીં અને માત્ર કાયદો કાયદાની રીતે કામ કરે તો પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જાય તેમ છે. જરૂર માત્ર મજબૂત ઈચ્છાશક્તિની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-rajkots-ramod-the-bride-will-get-married-upside-down-again-in-the-crematorium">રાજકોટના રામોદમાં વરકન્યા ઊંધા ફેરા ફરી સ્મશાનમાં લગ્ન કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 23 Nov 2024 13:04:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1593</Articleid>
                    <excerpt>જાતિવાદી તત્વો 80 વર્ષથી દલિતોને ગામમાં વરઘોડો કાઢવા નહોતા દેતા. એક દલિત યુવકે હિંમત કરી અને જાતિવાદી તત્વોનું નાક કાપી લીધું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674184b08864a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674184b058d51.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674184b058d51.jpg" length="60589" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit groom, Dalit News, Khairthal Bhiwadi, Lahdod Village</media:keywords>
                </item>
                        <item>
                    <title>6 વર્ષના દલિત વિદ્યાર્થી પાસે શિક્ષિકાએ અન્ય વિદ્યાર્થીની ઉલ્ટી સાફ કરાવી</title>
                    <link>https://khabarantar.com/a-teacher-in-keralas-Idukki-district-made-a-dalit-student-clean-up-another-students-vomit</link>
                    <guid>https://khabarantar.com/a-teacher-in-keralas-Idukki-district-made-a-dalit-student-clean-up-another-students-vomit</guid>
                    <description>
                        <![CDATA[ બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી આ ઘટનાથી હતપ્રભ થઈ ગયો છે અને શાળાએ જતા ડરે છે. શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી ન થતા વિદ્યાર્થિની માતાએ પોલીસ ફરિયાદ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરળ (Kerala) ના ઇડુક્કી (idukki) જિલ્લાના સ્લીવામાલા સ્થિત સેન્ટ બેનેડિક્ટ્સ એલપી સ્કૂલમાં જાતિગત ભેદભાવ (Caste discrimination) નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક છ વર્ષના દલિત વિદ્યાર્થી (dalit student) પાસે શિક્ષિકા (teacher) એ તેના સાથી વિદ્યાર્થિની ઉલ્ટી સાફ કરાવી (clean up vomit) હતી. આ મામલાની જ્યારે વિદ્યાર્થીની માતાને ખબર પડી તો તેણે શાળાના આચાર્ય અને શિક્ષણ વિભાગને ફરિયાદ કરી, તેમ છતાં શિક્ષિકા સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે વિદ્યાર્થીના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 13 નવેમ્બરની છે. અહીં બીજા ધોરણમાં ભણતા પ્રણવ સિજોયને તેની ક્લાસ ટિચર મારિયા જોસેફે આખા ક્લાસ સામે અપમાનિત કરીને તેના બીમાર ક્લાસમેટની ઉલ્ટી સાફ કરવા કહ્યું હતું, જેના કારણે સિજોય ખૂબ જ આઘાતમાં આવી ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિજોયની માતા પ્રિયંકા સોમણના જણાવ્યા અનુસાર, ક્લાસમાં એક બીમાર બાળકને ઉલ્ટી થયા બાદ શિક્ષિકા પહેલા તમામ વિદ્યાર્થીઓને ગંદકી પર રેતી નાખવા કહ્યું હતું. એ પછી ફરી ક્લાસ શરૂ થયો હતો. પરંતુ એ પછી શિક્ષિકાએ પ્રણવને એકલાને ગંદકી સાફ કરવા કહ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે પ્રણવે કહ્યું કે તે ભણવા માંગે છે અને ગંદકી સાફ નહીં કરે, ત્યારે શિક્ષિકાએ ગુસ્સે થઈને તેને ઠપકો આપી અપમાનિત કરી ઉલટી સાફ કરવા મજબૂર કર્યો હતો. પ્રણવે ડરના માર્યા ધ્રૂજતા ધ્રૂજતા ઉલ્ટી સાફ કરી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ બેંચ પર બેસીને ભણી રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન પ્રણવના મિત્ર નિકેતે કહ્યું કે, તે પ્રણવને મદદ કરવા માંગે છે, તો શિક્ષિકાએ તેને ના પાડતા કહ્યું કે, આ કામ ફક્ત પ્રણવ જ કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ પ્રણવ સ્કૂલે જતા ડરવા લાગ્યો હતો. તેની માતા પ્રિયંકાને લાગ્યું કે પ્રણવ લેશન કર્યું નહીં હોય એટલે આવું કરી રહ્યો છે. પણ તપાસ કરતા તેને આ ઘટનાની જાણ થઈ હતી. એ પછી તરત તેણે સ્કૂલ મેનેજમેન્ટને આ મામલે ફરિયાદ કરી હતી. પણ પ્રિન્સિપાલે માત્ર શિક્ષિકાને ઠપકો આપીને માફ કરી દીધી હતી. એ પછી પ્રણવની માતાએ શિક્ષણાધિકારીને ફરિયાદ કરી, </span><span style="font-size: 14pt;">પરંતુ ત્યાં પણ કોઈ કાર્યવાહી ન કરાઈ. આથી તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યાર્થી પ્રણવની માતા પ્રિયંકા કહે છે, “છ વર્ષના બાળક માટે આ એક આઘાતજનક અનુભવ છે, શિક્ષિકાને એક બાળકને આવું કામ કરવા માટે દબાણ કરવાનો કોઈ હક નથી. શાળામાં સફાઈ માટે સફાઈ કર્મચારીઓ હોય છે. આ સ્પષ્ટ રીતે જાતિવાદનો મામલો છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાથી દલિત અધિકાર કાર્યકરો અને વાલીઓમાં પણ રોષ છે. અનેક લોકોએ શિક્ષણ વિભાગની કાર્યવાહી ન કરવા બદલ ટીકા કરી છે. એક્ટિવિસ્ટોનું કહેવું છે કે, સ્કૂલ મેનેજમેન્ટની નિષ્ક્રિયતા જાતિ આધારિત ભેદભાવ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો પ્રત્યે ઉદાસીનતા દર્શાવે છે. આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ. જો શિક્ષિકા દોષિત ઠરે તો તેને બરતરફ કરવી જોઈએ. પરંતુ ફરિયાદ કરવા છતાં મેનેજમેન્ટ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-brahmin-teachers-washed-the-feet-of-the-dalit-student-his-brother-and-asked-for-forgiveness">બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી અને તેના ભાઈ પાસે પગ ધોવડાવી, માફી મગાવી</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 23 Nov 2024 11:47:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1592</Articleid>
                    <excerpt>બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી આ ઘટનાથી હતપ્રભ થઈ ગયો છે અને શાળાએ જતા ડરે છે. શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી ન થતા વિદ્યાર્થિની માતાએ પોલીસ ફરિયાદ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_674173587951d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6741735846fe4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6741735846fe4.jpg" length="39845" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit student, clean up vomit, kerala, idukki, dalit news</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘તું તો ચહેરા પરથી જ ચોર લાગે છે, ચમાર છો ને?’</title>
                    <link>https://khabarantar.com/you-look-like-a-thief-just-from-your-face-arent-you</link>
                    <guid>https://khabarantar.com/you-look-like-a-thief-just-from-your-face-arent-you</guid>
                    <description>
                        <![CDATA[ આ શબ્દો વાંચીને જ જો તમને અપમાનજનક લાગતું હોય, તો વિચારો જેને આવું કહેવામાં આવ્યું હશે તેના પર શું વિતતી હશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરની યુનિવર્સિટીઓમાં આજેય દ્રોણાચાર્યો બેઠાં છે અને તેઓ આજેય દલિત-આદિવાસી વિદ્યાર્થીઓના અંગૂઠા કાપવા માટેની તકની રાહ જોતા હોય છે. આવી વધુ એક ઘટના દિલ્હીમાંથી સામે આવી છે, જ્યાં એક કોલેજના આચાર્યે દલિત વિદ્યાર્થીને વોટ્સએપ ગ્રુપ હેક કરવાનો આરોપ લગાવીને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાનિત કર્યો હતો. હવે આ મામલે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ સામે મોરચો માંડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના દિલ્હી યુનિવર્સિટીની શહીદ ભગત સિંહ કોલેજની છે. અહીં એક વિદ્યાર્થીને પ્રિન્સિપાલ દ્વારા માનસિક ત્રાસ આપવાનો અને જાતિસૂચક અપશબ્દો કહેવાનો મામલો સામે આવ્યો છે. નારાજ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો છેલ્લાં ઘણા દિવસોથી આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી રહ્યા છે. જ્યારે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનને આ ઘટનાની જાણ થઈ તો તેઓ પણ આ વિરોધમાં જોડાયા હતા. શહીદ ભગત સિંહ કોલેજમાં 18 નવેમ્બરે વિદ્યાર્થીઓએ પહેલીવાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ત્યારથી વિદ્યાર્થીઓ સતત વિરોધ કરી રહ્યા છે. આજે પણ તેમણે માલવિયા નગર પોલીસ સ્ટેશન સામે પ્રદર્શન કર્યું અને ન્યાયની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી યુનિવર્સિટીના AISAની સચિવ અંજલિએ આરોપ લગાવ્યો કે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. ગયા મહિને, 24 ઓક્ટોબરની આસપાસ કોલેજના ક્લાસના એક વોટ્સએપ ગ્રુપ પર કેટલાક વિદ્યાર્થીઓના ફોનમાંથી અશ્લીલ વીડિયો મોકલવામાં આવ્યો હતો. છેલ્લા સેમેસ્ટરમાં પણ આવું જ કંઈક બન્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષકોને પત્ર લખીને આ મામલે તપાસ કરવાની માંગ કરી હતી. એ પછી શંકાના આધારે કોલેજતંત્ર દ્વારા બે વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમને એક ફોર્મ ભરવા અને સહી કરવાનું કહેવામાં આવ્યું હતું, જેના આધારે એવું માનવામાં આવતું હતું કે આ વિદ્યાર્થીઓએ આ ભૂલ કરી છે, જેમાં તે ભૂલ સ્વીકારી રહ્યાં છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવું વચન આપી રહ્યાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે, વિદ્યાર્થીઓએ ફોર્મ પર સહી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, તેમણે ગ્રુપમાં આ વીડિયો મોકલ્યા જ નથી તો, તેઓ શું કામ તેનો સ્વીકાર કરે. જો કે, ભારે દબાણ બાદ વિદ્યાર્થીઓએ ફોર્મ પર સહી કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6740a531f0cfb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે વર્ગના વોટ્સએપ ગ્રુપમાં તેમના નંબર પરથી અશ્લીલ વીડિયો કેવી રીતે આવ્યો, તો તે વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમનું વોટ્સએપ હેક થઈ ગયું હતું. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ સારી રીતે જાણે છે કે જો તેઓ આવું જાણી જોઈને કરે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. એટલે અમે આવું શા માટે કરીએ?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુ થોડા દિવસો સુધી ચાલેલી તપાસ દરમિયાન ક્લાસના કુલ વિદ્યાર્થીઓમાંથી લગભગ 10-12 વિદ્યાર્થીઓને આ ઘટનામાં શંકાના દાયરામાં રાખવામાં આવ્યા હતા. અને દરેકના ફોનમાં તેમની અંગત માહિતી, ફોટા, ઓડિયો વગેરે હોવા છતાં, તેમની સંમતિ વિના તમામના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમના ફોન જપ્ત કરવામાં આવ્યા તેમાં એક સુમિત ચૌહાણ પણ હતો. જોકે, વીડિયો તેના ફોનમાંથી શેર નહોતો થયો. પરંતુ તે પણ શંકાના દાયરામાં હતો. તપાસ દરમિયાન કોલેજ પ્રશાસનને જાણવા મળ્યું કે સુમિતના ફોન પર બે વોટ્સએપ એપ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુનિવર્સિટીએ માત્ર બે વોટ્સએપ એકાઉન્ટના આધારે જાતે એ ધારી લીધું કે આ કોઈ નવી ટેક્નોલોજી હોવી જોઈએ અને તેણે કદાચ વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું હશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી તમામ શિક્ષકોએ સુમિતને એક ફોર્મ ભરવા અને તેના પર સહી કરવા દબાણ કરવાનું શરૂ કર્યું. જેથી તે સ્વીકારી લે કે તેણે આ કર્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે, સુમિતે એમ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે, તેણે જે કર્યું જ નથી તેનો કેવી રીતે સ્વીકાર કરે? એ પછી શિક્ષકો અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તેનું જાહેરમાં અપમાન થવા લાગ્યું. જેના કારણે તે માનસિક ત્રાસ અનુભવવા લાગ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુમીતે આક્ષેપ સ્વીકાર ન કરતા તેને આચાર્ય પાસે લઈ જવાયો હતો. આરોપ છે કે, આચાર્ય અરુણ કુમાર અત્રીએ સુમિતને કહ્યું હતું કે - “તું તો ચહેરાથી જ ગુનેગાર જેવો દેખાય છે. તું કઈ જાતિનો છે? ચમાર છો!”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી આચાર્યે સુમિતને 4-5 થપ્પડ મારી દીધી હતી અને મારવા માટે શિક્ષકો પાસેથી દંડો મગાવ્યો હતો. એ પછી સુમિત આચાર્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે માલવિયા નગર પોલીસ સ્ટેશન ગયો હતો, જો કે પોલીસે તેની ફરિયાદ લીધા બાદ પણ એફઆઈઆર નોંધી નહોતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્ટુડન્ટ યુનિયનની સચિવ અંજલિ કહે છે, એક યુવક હાંશિયામાં ધકેલાઈ ગયેલા સમાજમાંથી આવે છે. તેથી તેને ધમકાવવામાં આવે છે, માનસિક ત્રાસ અપાય છે. અમે 4-5 દિવસથી સતત વિરોધ કરી રહ્યા છીએ. અમારી માંગ છે કે આરોપીઓ વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ FIR નોંધવામાં આવે અને આચાર્યની ધરપકડ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે આચાર્ય અરૂણકુમાર અત્રીએ કહ્યું હતું કે, "આ તમામ આરોપો ખોટા, પાયાવિહોણા અને પ્રાયોજિત છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ લખી હતી. આઝાદે લખ્યું, "અમે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને દિલ્હી યુનિવર્સિટી પાસેથી માંગ કરીએ છીએ કે પ્રિન્સિપાલ અરુણ કુમાર અત્રીને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે અને આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ન્યાય આપવામાં આવે. જો ન્યાય નહીં મળે તો અમે ચૂપ નહીં બેસીએ અને વિરોધ ચાલું રાખીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/i-will-not-die-of-hunger-chamar-i">મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Nov 2024 21:13:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1589</Articleid>
                    <excerpt>આ શબ્દો વાંચીને જ જો તમને અપમાનજનક લાગતું હોય, તો વિચારો જેને આવું કહેવામાં આવ્યું હશે તેના પર શું વિતતી હશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6740a5015ba2a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740a501208c9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740a501208c9.jpg" length="119291" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Shaheed bhagat singh college, Racism</media:keywords>
                </item>
                        <item>
                    <title>બે મહિનામાં ડો.આંબેડકરની પ્રતિમા તોડવાની પાંચમી ઘટના બની, દલિતોમાં રોષ</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-five-times-in-two-months-in-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkars-statue-vandalised-five-times-in-two-months-in-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ સ્થાનિક દલિતોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની અને પ્રતિમાને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણીનો માહોલ હોય ત્યારે મનુવાદી તત્વો દ્વારા અચાનક બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની પ્રતિમાઓને તોડી પાડવાની ઘટનાઓ વધી જતી હોય છે. આવું જ કંઈક ઉત્તરપ્રદેશમાં થઈ રહ્યું છે. જ્યાં હાલ વિધાનસભાની પેટાચૂંટણી વચ્ચે છેલ્લાં બે મહિનામાં 5 વાર ડો. આંબેડકરની પ્રતિમા તોડી પાડવાની ઘટના બની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં સમાચાર મુજબ અહીં ગોંડાના સમરુપુર ગામમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરની પ્રતિમાની તોડફોડના પગલે સમગ્ર ઉત્તર પ્રદેશમાં વ્યાપક વિરોધ થયો છે. 16 નવેમ્બરની રાત્રે બનેલી આ ઘટના છેલ્લા બે મહિનામાં રાજ્યમાં આંબેડકરની પ્રતિમાઓની તોડફોડની પાંચમી ઘટના છે. આનાથી દલિત સમુદાયને ટાર્ગેટ કરીને નફરતની ઘટનાઓમાં વધારો થવાની ચિંતા વધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ ગામમાં 25 વર્ષથી વધુ સમયથી દલિત સમુદાય માટે ગૌરવનું પ્રતિક બનેલી ડૉ. આંબેડકરની પ્રતિમાને ખરાબ રીતે નુકસાન થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક દલિત લોકોએ તેની તાત્કાલિક ધરપકડ કરવાની અને પ્રતિમાને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમ આર્મીના કાર્યકર દીપક ગૌતમે તોડફોડની નિંદા કરી અને તેને સમાનતા અને સશક્તિકરણના મૂલ્યો પર સીધો હુમલો ગણાવ્યો. ગૌતમે કહ્યું, "ભારતીય બંધારણના એકમાત્ર ઘડવૈયા ડો. આંબેડકરની પ્રતિમા તોડવાની ઘટના અત્યંત નિંદનીય છે. સામંત તત્વોએ બહુજન સમાજ માટે સમાનતા અને સશક્તિકરણના પ્રતીક ડૉ. બાબાસાહેબની પ્રતિમાને વારંવાર નિશાન બનાવી છે. આ કોઈ કાળે ચલાવી લેવાય તેમ નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરીને રાજ્ય સરકારને ગુનેગારો સામે કડક પગલાં ભરવા માંગ કરી છે અને શક્ય તેટલી વહેલી તકે પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસે આ હુમલાને ઉત્તર પ્રદેશમાં ભાજપની આગેવાની હેઠળની સરકારના "નફરતની રાજનીતિ" સાથે જોડ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ શાહનવાઝ આલમે જણાવ્યું હતું કે આ કોઈ પહેલી ઘટના નથી, છેલ્લાં બે મહિનામાં રાજ્યભરમાં ડો. આંબેડકરની પ્રતિમાઓ તોડી પાડવાની પાંચ ઘટના બની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આલમે કહ્યું કે, "આ કૃત્યો ભાજપના દલિત વિરોધી એજન્ડાનો ભાગ છે," “ભાજપના ભાગલાવાદી રાજકારણથી ઉત્સાહિત સામંતવાદી તત્વો દલિતોના પ્રતીકો અને સ્વાભિમાનને કચડી નાખવા માંગે છે. આ સમાજને અત્યાચારનો સંદેશો આપવાનો એક ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના હક્કો અને ગૌરવ માટે લડનારા ડૉ. આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાની વધતી જતી સંખ્યાએ દલિત સમાજમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/unveiling-of-babasahebs-enthroned-statue-in-labor-village">અમદાવાદના મજૂરગામમાં ડો.આંબેડકરની સિંહાસન પર બિરાજતી પ્રતિમાનું અનાવરણ કરાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Nov 2024 14:09:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1588</Articleid>
                    <excerpt>સ્થાનિક દલિતોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની અને પ્રતિમાને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6740422ef1734.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740422eb0f0a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740422eb0f0a.jpg" length="111510" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dr ambedkars statue, vandalised, five times in two months, uttar pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;ભંગી&amp;apos; જાતિ નથી કહી હાઈકોર્ટે સલમાન ખાન, શિલ્પા શેટ્ટીને જામીન આપી દીધાં</title>
                    <link>https://khabarantar.com/jodhpur-high-court-grants-relief-to-salman-khan-shilpa-shetty-in-atrocity-case</link>
                    <guid>https://khabarantar.com/jodhpur-high-court-grants-relief-to-salman-khan-shilpa-shetty-in-atrocity-case</guid>
                    <description>
                        <![CDATA[ ફિલ્મના પ્રમોશન વખતે વાલ્મિકી સમાજનું જાહેર અપમાન કરનાર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીને કોર્ટે એટ્રોસિટી કેસમાં વિચિત્ર તર્ક આપીને રાહત આપી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સામે એસસી એસટી એક્ટ (Atrocity Act) હેઠળ નોંધાયેલી ફરિયાદમાં જોધપુરની કોર્ટે (Jodhpur Court) રાહત આપી છે. બંને સામે ચૂરુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે ગઈકાલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જોધપુર હાઈકોર્ટ (Jodhpur High Court) ની બેંચે આ કેસમાં શિલ્પા શેટ્ટી અને સલમાન ખાનની તરફેણમાં ચુકાદો આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં કેસ નોંધાયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના ચુરુ પોલીસ સ્ટેશનમાં એસસી એસટી એક્ટ હેઠળ સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ગુરુવારે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન શિલ્પા શેટ્ટી વતી એડવોકેટ પ્રશાંત પાટીલે તેનો પક્ષ રજૂ કર્યો હતો. બીજી તરફ શક્તિ પાંડે અને ગોપાલ સાંડુએ અરજદારનો પક્ષ રજૂ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફિલ્મના પ્રમોશનમાં વાલ્મિકી સમાજનું અપમાન કર્યું હતું</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના સલમાનની ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ' (Tiger Zinda Hai) રિલીઝ થવા જઈ રહી હતી ત્યારની છે. કહેવાય છે કે ફિલ્મની એક પ્રમોશનલ ઈવેન્ટમાં અભિનેતાએ એસસી-એસટી સમાજને લઈને વાંધાજનક નિવેદન કર્યું હતું. એ પછી તરત સલમાન અને કેટલાક ફિલ્મ કલાકારો વિરુદ્ધ પટિયાલા કોર્ટમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી પર વાલ્મિકી સમાજ માટે જાતિગત અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોર્ટનો તર્ક - 'ભંગી' શબ્દ કોઈ જાતિ નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિલ્પા શેટ્ટીને હાઈકોર્ટના જસ્ટિસ અરુણ મોગાની કોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે શિલ્પા વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ નોંધાયેલી એફઆઈઆર રદ કરી હતી. શિલ્પાને આપવામાં આવેલી રાહત પાછળનો કોર્ટનો તર્ક છે કે, એસસી-એસટી એક્ટમાં એફઆઈઆર મંજૂરી અને તપાસ વિના નોંધી શકાય નહીં સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે 'ભંગી' શબ્દ કોઈ જાતિ નથી પણ સ્લર (Slur) છે. આમાંની એક દલીલ એવી છે કે શિલ્પાએ કોઈને નીચું દેખાડવા માટે આ શબ્દોનો પ્રયોગ નહોતો કર્યો પરંતુ ખુદને આ શબ્દોથી સંબોધિત કરી હતી. આ મામલે શિલ્પાએ વર્ષ ૨૦૧૭માં જ સોશિયલ મીડિયા પર માફી માંગી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર મામલો વર્ષ ૨૦૧૭ નો છે. ૨૩ વર્ષના અશોક પંવારે ચુરુ જિલ્લામાં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. તેણે કહ્યું હતું કે ૨૨ ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ, તેણે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીને ખુલ્લેઆમ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા સાંભળ્યા હતા, જેનાથી વાલ્મિકી સમાજની લાગણીઓને ઠેસ પહોંચી હતી. ત્યારબાદ સલમાન અને શિલ્પા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 153એ (ધર્મ, જાત વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) એક્ટની વિવિધ કલમો હેઠળ ચુરુ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/attacking-the-sweeper-saying-you-are-bhangi-paran-chanted-jai-shri-ram">'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Nov 2024 10:50:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1586</Articleid>
                    <excerpt>ફિલ્મના પ્રમોશન વખતે વાલ્મિકી સમાજનું જાહેર અપમાન કરનાર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીને કોર્ટે એટ્રોસિટી કેસમાં વિચિત્ર તર્ક આપીને રાહત આપી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6740128f66c8a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740128f31ac7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6740128f31ac7.jpg" length="79700" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>jodhpur high court, grants relief, salman khan, shilpa shetty, atrocity case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;તું બાકી 50 રૂ. કેમ નથી આપતો?&amp;apos; કહી દલિત ભાઈબહેનને ફટકાર્યા</title>
                    <link>https://khabarantar.com/why-dont-you-give-me-the-remaining-rs-50-dalit-siblings-were-beaten-up</link>
                    <guid>https://khabarantar.com/why-dont-you-give-me-the-remaining-rs-50-dalit-siblings-were-beaten-up</guid>
                    <description>
                        <![CDATA[ ગેરેજના માથાભારે વ્યક્તિએ દલિત યુવક સાથે માથાકૂટ કરી કર્મચારીઓ સાથે મળીને ભાઈબહેનને ઢોર માર માર્યો. ભીમ આર્મી મદદે આવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદના એપીસેન્ટર યુપીમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર 50 રૂપિયા જેવી નજીવી બાબતે એક દલિત યુવકને માર મારવામાં આવ્યો. તેની બહેન તેને બચાવવા વચ્ચે પડી તો તેની પણ એ જ હાલત કરવામાં આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મથુરાની છે. જ્યાં માથાભારે તત્વોએ એક દલિત યુવકને નિર્દયતાથી ફટકાર્યો હતો. એ દરમિયાન તેને બચાવવા આવેલી તેની બહેનને પણ લુખ્ખાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. મામલાની જાણ થતા જ ભીમ આર્મીના કાર્યકરો પહોંચી ગયા હતા અને આ મામલે ફરિયાદ લઈને SSP ઓફિસ પહોંચ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મથુરાના મગોરા પોલીસ સ્ટેશન વિસ્તારના સોંખ વિસ્તારમાં 50 રૂપિયાની ઉધાર ન ચૂકવવા બદલ માથાભારે તત્વોએ એક દલિત યુવકને માર માર્યો. બદમાશોએ યુવકને બચાવવા આવેલી તેની બહેનને પણ બક્ષી નહીં અને તેને પણ માર મારવાનું શરૂ કરી દીધું. ભીમ આર્મીના કાર્યકરો પીડિત ભાઈબહેન સાથે એસએસપી ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ તેમને મળી શક્યા નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોંખનો રહેવાસી સુંદર રવિવારે આ વિસ્તારના એક બાઈક રિપેરીંગ સેન્ટરમાં ગયો હતો. અહીં તેણે સ્ટાફને તેની બાઇક ધોવાનું કહ્યું હતું. કહેવાય છે કે સુંદરે ગેરેજના માલિકને 50 રૂપિયા આપવાના બાકી હતા. તેણે બાઈકને વોશ કરતા પહેલા તેના બાકી 50 રૂપિયા માંગ્યા હતા. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપ છે કે ગેરેજના માલિક અને તેના કર્મચારીઓએ મળીને દલિત યુવક સુંદરને માર માર્યો હતો. એ દરમિયાન તેની બહેન ત્યાં પહોંચી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે તેણે તેના ભાઈને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેને પણ માર મારવામાં આવ્યો અને જાતિસૂચક ગાળો ભાંડી હતી. સોમવારે ભીમ આર્મીની ફતેહપુર સીકરી ટીમના જનરલ સેક્રેટરી ભૂપેન્દ્ર ગૌતમ આ ભાઈબહેનની સાથે એસએસપી ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ એસએસપીને મળી શક્યા નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે જો ભાઈબહેનને ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે. આ દરમિયાન ભીમ આર્મી સેક્ટરના પ્રમુખ સત્યપાલ સિંહ, રાજકુમાર ભારતી, જય કિશન, નિતેશ, રિંકુ, પિન્ટો, ધીરજ, મોનુ કર્દમ, ભોલો, પ્રદીપ વગેરે લોકોએ હાજર રહીને આ ભાઈબહેનને સહકાર પુરો પાડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરવખતની જેમ આ ઘટનામાં પણ મનુમીડિયાએ આરોપીઓની ઓળખ છતી ન થઈ જાય તે માટે તેમના નામ કે અટક પબ્લિશ કર્યા નથી. જેના કારણે આ ઘટનામાં આરોપીઓ કઈ જાતિના છે, તેમના નામ શું છે અને તેમની કરમકુંડળી શું છે, તેમાંની એકેય બાબત જાહેરમાં આવી શકી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/two-tribal-youths-were-tied-up-and-killed-from-8-am-to-2-pm"> બે આદિવાસી યુવકોને સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી બાંધીને માર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Nov 2024 10:14:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1581</Articleid>
                    <excerpt>ગેરેજના માથાભારે વ્યક્તિએ દલિત યુવક સાથે માથાકૂટ કરી કર્મચારીઓ સાથે મળીને ભાઈબહેનને ઢોર માર માર્યો. ભીમ આર્મી મદદે આવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673eb9ab5e896.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673eb9ab2d639.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673eb9ab2d639.jpg" length="62700" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Lives Matter, Dalit Crime, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપને મત આપવા માંગતી દલિત યુવતીની સપા નેતાએ હત્યા કરી?</title>
                    <link>https://khabarantar.com/did-a-dalit-girl-who-wanted-to-vote-for-bjp-get-murdered-by-an-sp-leader</link>
                    <guid>https://khabarantar.com/did-a-dalit-girl-who-wanted-to-vote-for-bjp-get-murdered-by-an-sp-leader</guid>
                    <description>
                        <![CDATA[ યુવતી ભાજપને મત આપવાની હોવાથી સપા સમર્થકોએ તેના પર બળાત્કાર કરી, હત્યા કરી લાશ કોથળામાં ભરીને ફેંકી દીધી હોવાનો આરોપ લાગ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકશાહીમાં મતદાન શા માટે ગુપ્ત રાખવામાં આવ્યું છે અને તેની પાછળનું કારણ શું છે તે સમજાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકીય પક્ષોને જો તમે ક્યા પક્ષના સમર્થક છો તેની જાણ થઈ જાય તો તે તમારી સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરી શકે છે. આવું ન થાય તે માટે તમે કોને મતદાન કર્યું તે ગુપ્ત રહે તે જરૂરી છે. કેમ કે, જો એ ગુપ્ત ન રહે તો, યુપી જેવા રાજ્યમાં તમારી હત્યા પણ થઈ શકે છે. આ ઘટના તેનો પુરાવો છો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીમાં થઈ રહેલા મતદાન દરમિયાન એક દલિત યુવતની હત્યા કરી દેવાઈ હોવાના સમાચાર મળ્યાં છે. સૂત્રોના મતે યુવતી ભાજપને મત આપવા માંગતી હોવાથી સમાજવાદી પાર્ટીના નેતાઓએ તેની હત્યા કરી હોવાની ચર્ચા ચાલી છે. જો કે, સાચું કારણ તપાસ બાદ જ સામે આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના યુપીની કરહાલ વિધાનસભા સીટના કજરા ગામમાં બની છે. મતદાન કરવા આવેલી દલિત યુવતીની હત્યાને લઈને સમાજવાદી પાર્ટીના નેતા પર યુવતીની હત્યાનો આરોપ લાગતા ભાજપના ઉમેદવાર અનુજેશ પ્રતાપે હોબાળો મચાવ્યો હતો. અનુજેશ પ્રતાપે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ગુંડાગીરીની તમામ હદ વટાવીને અને માનવતાને શરમમાં મૂકી કરહાલના કજરા ગામ બૂથ નંબર 13માં દલિત સમુદાયની એક દીકરીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કરવા પાછળનું કારણ યુવતી ભાજપને મત આપવા માંગતી હતી તે હતું. આ બાજુ યુવતીના પરિવારજનોએ પણ આક્ષેપો કર્યા હતા કે, યુવતીએ ભાજપને મત આપવાનું કહ્યું હતું એટલે તેની હત્યા કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવતીની કોથળામાંથી લાશ મળી આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી દલિત યુવતીની લાશ બોરીમાં પડેલી મળી આવી હતી. આજે સવારે 8 વાગ્યાની આસપાસ કરહાલથી બરનહાલ રોડ પર સેંગર નદીના પુલ પાસે ઝાડીઓમાંથી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે, યુવતીએ ભાજપને મત આપવાનું નક્કી કર્યું હોવાથી સપા સમર્થકોએ તેના પર બળાત્કાર કરી તેની હત્યા કરી અને લાશ ફેંકી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવતીના પિતાએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતીના પિતા શિશુપાલ સિંહે પોલીસમાં ફરિયાદ દાખલ કરીને માહિતી આપી હતી કે, "મારી 23 વર્ષની પુત્રી દુર્ગા મંગળવારે બપોરે 12 વાગ્યાથી ગુમ હતી. આ વખતે મારી પુત્રી ભાજપને મત આપવા માંગતી હતી, જેથી સપા સમર્થક પ્રશાંત યાદવ, ભૂપેન્દ્ર યાદવનો પુત્ર, તાપા, નગરીયા કરહાલ, રહેવાસી, રવીન્દ્ર કથેરિયાનો પુત્ર મોહન, મોહલ્લા કાસાવન, મોહલ્લા કાસાવન, તેને બાઇક પર ઉઠાવીને લઈ ગયા હતા અને ડો. ઝહીરની હોસ્પિટલ સામે અને તેની હત્યા કરી દીધી હતી અને મૃતદેહને સેંગર નદીના પુલ પાસે ઝાડીઓમાં ફેકી દેવામાં આવ્યો હતો." </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે બે આરોપીઓને કસ્ટડીમાં લીધાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી હતી અને યુવતીનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. એસપી વિનોદ કુમાર પણ ત્યાં પહોંચ્યા અને ઘટના અંગે વિગતે માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. યુવતીનું મોત કેવી રીતે થયું અને બળાત્કાર થયો છે કે કેમ તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-dead-bodies-of-two-dalit-girls-were-found-hanging-from-a-mango-tree">આંબાના ઝાડ પર બે દલિત યુવતીઓની લાશ લટકતી મળી આવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 19:29:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1579</Articleid>
                    <excerpt>યુવતી ભાજપને મત આપવાની હોવાથી સપા સમર્થકોએ તેના પર બળાત્કાર કરી, હત્યા કરી લાશ કોથળામાં ભરીને ફેંકી દીધી હોવાનો આરોપ લાગ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673de9ed9ed67.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673de9ed6b332.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673de9ed6b332.jpg" length="67176" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Anujesh Pratap, Bjp, SP, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત વરરાજો અમારી સામે ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ...</title>
                    <link>https://khabarantar.com/dalit-grooms-should-not-appear-before-us-on-a-horse</link>
                    <guid>https://khabarantar.com/dalit-grooms-should-not-appear-before-us-on-a-horse</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકના લગ્ન હતા, વરઘોડો ગામમાંથી નીકળવાનો હતો, પણ જાતિવાદી તત્વોએ ધમકી આપી કે દલિત વરરાજો ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ. જાણો પછી શું થયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત સૌથી પહેલા જાતિપ્રધાન દેશ છે, ખેતીપ્રધાન કે અન્ય પ્રધાન પછી છે. આવું ભારતમાં દરરોજ ખૂણેખાંચરે બનતી જાતિવાદની ઘટનાઓ કહે છે. અમુક જાતિવાદી તત્વો દેશ આઝાદ થયા પછી પણ અમુક રીતિરિવાજો જાણે તેમના બાપની જાગીર હોય એમ વર્તતા હોય છે. એટલું જ નહીં, જો કોઈ અન્ય જાતિના લોકો એ રિવાજ કે પરંપારને અનુસરે તો તેનો વિરોધ કરે છે અને તેમના સજારૂપે માર મારવા કે હુમલો કરવાથી પણ પાછા નથી પડતા. કમનસીબે એ વખતે કાયદો આવા જાતિવાદી તત્વોની તરફેણમાં કામ કરતો હોવાથી આવા લુખ્ખા તત્વોની હિંમત વધી જાય છે અને તેઓ ફરી આવું જ કૃત્ય કરવાની હિંમત કરે છે. પણ જો, કાયદો કાયદાનું કામ કરે ત્યારે આવા તત્વોની બધી દાદાગીરી સોંસરી નીકળી જતી હોય છે. આ ઘટના તેનું ઉદાહરણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બુંદેલખંડના ટીકમગઢના હટા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશના બુંદેલખંડનો છે. અહીં ફરી એકવાર સામંતવાદી માનસિકતા અને સામાજિક ભેદભાવનો મામલો સામે આવ્યો છે. ટીકમગઢ જિલ્લાના હટા ગામમાં 17 નવેમ્બર 2024ના રોજ જીતેન્દ્ર અહિરવાર નામના દલિત યુવકના લગ્ન હતા, પરંતુ વરરાજાને ઘોડી પર બેસાડવાની પરંપરાને લઈને ગામના માથાભારે જાતિવાદી તત્વોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે, એક દલિત વરરાજો અમારી સામે ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ. જો કે, વરરાજા અને તેના પરિવારે હિંમત દાખવીને પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું. જેના કારણે જાતિવાદી તત્વોની કોઈ કારી ફાવી નહોતી અને રંગેચંગે ગામ વચ્ચેથી દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળી શક્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાંથી વરઘોડો કાઢવા જાતિવાદીઓની મંજૂરી લેવી પડે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના લગભગ તમામ ગામડાઓની જેમ બુંદેલખંડમાં પણ જાતિવાદી વિચારસરણીના મૂળ હજુ પણ મજબૂત છે, જેના કારણે નીચલી જાતિના લોકો સામાન્ય રીતિરિવાજોનું પણ પાલન કરી શકતા નથી. જીતેન્દ્ર અહિરવારના લગ્ન વખતે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. "રછવાઈ" અથવા "રાછ ફેરવવાની" લગ્ન પહેલાની વિધિમાં વરરાજા ઘોડા પર બેસીને ગામની આસપાસ ફરે છે, જેમાં સગાસંબંધીઓ અને પરિવારના સભ્યો તેને સન્માન સાથે ભેટસોગાદો આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, ભૂતકાળમાં આ ગામમાં આ પરંપરાને લઈને વિવાદ થયો હતો, જ્યારે દલિત વરરાજાને ઘોડી પર બેસવાની ગામના જાતિવાદી તત્વોએ મંજૂરી નહોતી આપી. જી હા, આઝાદ ભારતમાં આજે પણ એવા અનેક ગામો છે, જ્યાં ઘોડી પર કોણ બેસશે, કોણ નહીં, તે ગામની માથાભારે કોમના જાતિવાદી તત્વો નક્કી કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાયદાએ કાયદાનું કામ કર્યું, જાતિવાદીઓની બોલતી બંધ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વખતે પણ કેટલાક સ્થાનિક માથાભારે તત્વોએ જીતેન્દ્રની ઘોડી પર સવારી કરવાનો વિરોધ કર્યો હતો. પણ જીતેન્દ્ર ડરે તેવો યુવક નહોતો. તેણે ભૂતકાળની ઘટનામાંથી બોધપાઠ લીધો હોવાથી તરત પોલીસ પાસે રક્ષણની માંગ કરી દીધી હતી. બલદેવગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી અને જીતેન્દ્રના લગ્નના દિવસે સુરક્ષા વ્યવસ્થા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે સૌપ્રથમ ગામમાં જઈને જાતિવાદી તત્વોને સમજાવ્યા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાતરી કરી. જિતેન્દ્રને પોલીસ સુરક્ષામાં ઘોડી પર બેસાડવામાં આવ્યો હતો અને અડધો ડઝન પોલીસકર્મીઓ તેની સાથે હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, પોલીસે સુનિશ્ચિત કર્યું કે રછવાઈ વિધિ શાંતિપૂર્ણ રીતે થાય અને વરરાજાને સંપૂર્ણ સુરક્ષા મળે. પોલીસે કાયદો વ્યવસ્થાનું કડકાઈથી પાલન કર્યું, જેના કારણે જાતિવાદી તત્વોની સાન ઠેકાણે આવી ગઈ. જો આ જ રીતે પોલીસ જાતિવાદીઓ, માથાભારે તત્વોની રાજકીય વગ કે જાતિ જોયા વિના માત્ર કાયદાના આધારે કામ કરે તો આ દેશમાંથી જાતિવાદ સહિત સેંકડો ગુનાઓ ઓછા થઈ શકે તેમ છે. પણ કમનસીબે એવું બહું ઓછી ઘટનાઓમાં થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બુંદેલખંડ જાતિવાદી માનસિકતાનો ગઢ રહ્યું છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિતેન્દ્ર અહિરવારના લગ્નનો આ કિસ્સો સામાજિક પરિવર્તનની દિશામાં એક પગલું સાબિત થયો છે, જ્યાં દલિત સમાજના લોકો પણ સમાન અધિકારો માટે લડી રહ્યા છે. આ ઘટના દર્શાવે છે કે આઝાદીના 77 વર્ષ પછી પણ ભારતમાં ચોતરફ જાતિવાદી માનસિકતાનો પ્રભાવ છે. બુંદેલખંડમાં આ પહેલા પણ ઘણી વખત એવી ઘટના બની છે, જેમાં કથિત નીચલી જાતિના વરરાજાને ઘોડી પર સવારી કરતા અટકાવવામાં આવી હોય અને પછી પોલીસની મદદથી આ વિધિઓ પૂર્ણ કરવામાં આવી છે. જાતિવાદી તત્વોની સાન ઠેકાણે લાવવાનું કામ પોલીસનું હોય છે, જો પોલીસ કાયદામાં રહેલી જોગવાઈઓનો યોગ્ય રીતે અમલ કરે તો પણ આવા તત્વો હેઠાં બેસી જાય. બુંદેલખંડ પોલીસની આ કામગીરીની ચોક્કસ પ્રશંસા થવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/fear-of-casteists-dalit-bridegroom-had-to-call-the-police-to-sit-the-horse">જાતિવાદીઓનો ખૌફઃ દલિત વરરાજાએ ઘોડી બેસવા પોલીસ બોલાવવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 11:49:11 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 20 Nov 2024 12:08:28 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1575</Articleid>
                    <excerpt>દલિત યુવકના લગ્ન હતા, વરઘોડો ગામમાંથી નીકળવાનો હતો, પણ જાતિવાદી તત્વોએ ધમકી આપી કે દલિત વરરાજો ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ. જાણો પછી શું થયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673d7e1fb8c8e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673d7e1f7c6be.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673d7e1f7c6be.jpg" length="73218" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bundelkhand News, Dalit Wedding, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;ભંગી&amp;apos; જાતિસૂચક શબ્દ નથી કહી હાઈકોર્ટ જજે 4 આરોપીને નિર્દોષ છોડી મૂક્યાં</title>
                    <link>https://khabarantar.com/rajasthan-high-court-judge-acquits-4-accused-saying-bhangi-is-not-a-casteist-term</link>
                    <guid>https://khabarantar.com/rajasthan-high-court-judge-acquits-4-accused-saying-bhangi-is-not-a-casteist-term</guid>
                    <description>
                        <![CDATA[ સરકારી વકીલ દલીલ કરતા રહ્યાં  કે &#039;ભંગી&#039; જાતિસૂચક શબ્દ છે, બધાં વકીલો પણ તેમની સાથે સહમત થયા, તેમ છતાં જજ સહમત ન થયા અને ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">rajasthan high court acquits 4 accused says bhangi is not a caste-descriptive term : રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર ખંડપીઠના ન્યાયાધીશ બિરેન્દ્ર કુમારે સરકારી અધિકારીઓ સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનારા ચાર આરોપીઓને એમ કહીને નિર્દોષ છોડી મૂક્યા કે, 'ભંગી', 'નીચ', 'ભિખારી', 'મંગની' જેવા શબ્દો જાતિના નામ નથી. આ રીતે કોર્ટે ચારેય આરોપીઓને 'એસસી-એસટી એક્ટ'માંથી મુક્ત કરી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બિરેન્દ્ર કુમારે કહ્યું કે, "ઉપયોગમાં લેવાયેલા શબ્દોમાં ન તો કોઈ જાતિનો સંદર્ભ હતો, ન તો એવું કશું હતું જેનાથી એ સંકેત મળતો હતો કે સરકારી અધિકારીઓને આરોપીઓ તેની જાતિના આધારે અપમાનિત કરવા માંગતા હતા.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાન્યુઆરી 2011ની ઘટના સાથે જોડાયેલો છે. હરીશ ચંદ્ર અને કેટલાક અન્ય અધિકારીઓ સરકારી જમીન પર સંભવિત દબાણની આકારણી કરવા જેસલમેરના એક વિસ્તારમાં ગયા હતા. નિરીક્ષણ દરમિયાન, અંચલ સિંહ અને અન્ય કેટલાક લોકોએ કથિત રીતે અધિકારીઓના કામમાં વિક્ષેપ પાડ્યો અને તેમને ગાળો ભાંડી હતી. અધિકારીઓએ પોલીસને ઘટનાની જાણ કરી અને કલમ 353 (જાહેર સેવકને ફરજથી રોકવા માટે ગુનાઈત બળનો ઉપયોગ કરવો), 332 (જાહેર સેવકને રોકવા માટે ઈજા પહોંચાડવી) અને SC/ST એક્ટ 1989ની કલમ 3(1)(x) હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, પ્રારંભિક તપાસમાં, પોલીસને SC/ST એક્ટના આરોપો માટે પૂરતા પુરાવા મળ્યા ન હતા અને તેના આધારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પરંતુ સત્તાવાળાઓએ તેની સામે અરજી દાખલ કરી અને કેસ એસસી/એસટી એક્ટ હેઠળ ચાલવા લાગ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંચલ સિંહ અને અન્ય લોકોએ આને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં તાજેતરનો નિર્ણય આવ્યો છે અને તમામ ચાર આરોપીઓને SC/ST એક્ટ હેઠળના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોર્ટે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બિરેન્દ્ર કુમારની બેંચ અંચલ સિંહ અને અન્ય લોકોની અપીલ પર સુનાવણી કરી રહી હતી. અપીલકર્તાઓ વતી એડવોકેટ લીલાધર ખત્રીએ દલીલો કરી હતી. રાજસ્થાન સરકાર અને હરીશ ચંદ્રા તરફથી સરકારી વકીલ સુરેન્દ્ર બિશ્નોઈ હાજર રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લીલાધર ખત્રીએ દલીલ કરી હતી કે કથિત નિવેદનો કોઈપણ જાતિ સાથે સંબંધિત નથી અને અરજીકર્તાઓને અધિકારીઓની જાતિની પૃષ્ઠભૂમિ વિશે જાણકારી નહોતી. તેમણે દાવો કર્યો હતો કે આ વિવાદ જાતિ આધારિત ભેદભાવને કારણે નથી પરંતુ સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવેલા માપની ચોક્સાઈ પર અપીલકર્તાઓના વાંધાઓથી ઉભો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બિરેન્દ્ર કુમાર આ દલીલ સાથે સહમત હતા. સાથે જ તેમણે એ પણ કહ્યું કે કથિત ઘટના જાહેરમાં બની હોવાના દાવાને સમર્થન આપવા માટે કોઈ સ્વતંત્ર સાક્ષી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બિરેન્દ્રએ તેમના ચુકાદામાં લખ્યું હતું કે, 'પ્રથમ દૃષ્ટિએ આરોપ છે કે અરજદારોએ પ્રતિવાદી દ્વારા જાહેર ફરજના સત્તાવાર નિકાલમાં અવરોધ ઉભો કર્યો હતો અને તેથી અરજદારો સામે તે કૃત્ય માટે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ વાયર સાથે વાત કરતા સરકારી વકીલ સુરેન્દ્ર બિશ્નોઈએ કહ્યું, 'મેં જસ્ટિસ બિરેન્દ્ર કુમારને કહ્યું કે રાજસ્થાનમાં 'ભંગી' શબ્દ જાતિસૂચક છે. આખી કોર્ટ તેની સાથે સહમત હતી પરંતુ ન્યાયાધીશ સંમત થયા નહોતા. તેઓ બિહારના છે. મારા મતે આ નિર્ણય યોગ્ય નથી. તેની સામે અપીલ થવી જોઈએ. હું અપીલ કરીશ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વકીલોનું માનવું છે કે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જાતિ આધારિત છે અને તેનો ઉપયોગ લોકોને અપમાન કરવા માટે પણ કરવામાં આવે છે. આ કેસમાં ચુકાદો 17 ઓક્ટોબરે જ અનામત રાખવામાં આવ્યો હતો, જે 12 નવેમ્બરે સંભળાવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/veraval-atrocities-court-refuses-to-hear-ora-larguments-in-unakand-case">ઉનાકાંડ કેસમાં વેરાવળ એટ્રોસિટી કોર્ટનો મૌખિક દલીલો સાંભળવા ઈનકાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Nov 2024 10:32:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1574</Articleid>
                    <excerpt>સરકારી વકીલ દલીલ કરતા રહ્યાં  કે &#039;ભંગી&#039; જાતિસૂચક શબ્દ છે, બધાં વકીલો પણ તેમની સાથે સહમત થયા, તેમ છતાં જજ સહમત ન થયા અને ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673d6ca16cd01.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673d6ca13c957.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673d6ca13c957.jpg" length="67275" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rajasthan High Court, Justice Birendra Kumar, SC-ST act accused</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહીસાગરના જાતિવાદી કલેક્ટર નેહા કુમારી સામે આર યા પારની લડાઈ શરૂ</title>
                    <link>https://khabarantar.com/a-fight-begins-across-the-board-against-mahisagars-casteist-collector-neha-kumari</link>
                    <guid>https://khabarantar.com/a-fight-begins-across-the-board-against-mahisagars-casteist-collector-neha-kumari</guid>
                    <description>
                        <![CDATA[ 22 નવેમ્બરે ગુજરાતના 250 તાલુકા પોલીસ સ્ટેશનોમાં ગુનો દાખલ કરવા ફરિયાદ કરાશે. 6 ડિસેમ્બરે મહીસાગરમાં એસસી-એસટીના 12 સાંસદો ધરપકડ માટે વિરોધ પ્રદર્શન કરશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમુદાયે એક થઈને 22 નવેમ્બર 2024 ના રોજ એક કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. ગુજરાતમાં 250 તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા ફરિયાદ કરવામાં આવશે અને 6 ડિસેમ્બર 2024ના  રોજ ડો. આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે 33 જિલ્લામાં આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 6 ડિસેમ્બરના રોજ મહીસાગર ખાતે રેલીમાં દલિત આદિવાસી સમાજના 12 સાંસદો અને ધારાસભ્યો હજાર રહી કલેક્ટર નેહા કુમારીની ધરપકડ માટે અવાજ ઉઠાવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શામાટે ગુજરાત વ્યાપી આંદોલન કરવાની જરૂર પડી? 23 ઓક્ટોબર 2024ના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં તાલુકામાં ‘સ્વાગત કાર્યક્રમ’ હતો, તેમાં દલિત અરજદાર વિજય પરમારને કલેક્ટર નેહા કુમારી ધમકાવી રહ્યા છે તે અંગેનો એક વીડિયો વાઈરલ થયો હતો. તે બાબતે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ 29 ઓક્ટોબર 2024ના રોજ પત્રકાર પરિષદ યોજી હતું કે, “અરજદારોને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં શાંતિથી સાંભળવા જોઈએ. તેમની સાથે વિવેકથી વર્તવું જોઈએ. તેના બદલે કલેક્ટર IAS નેહા કુમારીએ અશોભનીય વર્તન કરેલ છે. ‘વકીલો અને પત્રકારો બની બેઠા છે’ તેવી કોમેન્ટ કરી. 'કામ-ધામ કુછ હૈ નહીં, પઢાઈ લિખાઈ કુછ હૈ નહીં, વકીલાત મેં ચપ્પલ સે માર ખાને કે કામ કરતે હૈ' એવી શરમજનક ટિપ્પણી કરી. આદિવાસી અને દલિતો 90% એટ્રોસિટીના કેસ બ્લેકમેઇલિંગ માટે કરે છે. એમ કહીને નેહા કુમારીએ જનરલ સમાજના લોકોના મનમાં આદિવાસી અને દલિત સમાજના લોકો ખોટા કેસો કરે છે એવો ખોટો ભાવ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે, જે સાંખી લેવાય નહીં.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલેક્ટર જાણે સત્તાપક્ષના એજન્ટ હોય તે રીતે પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના ધારાસભ્યની ઠેકડી ઉડાવી હતી. સવાલ એ છે કે શું કોઈ IAS/ IPS સત્તાપક્ષના ધારાસભ્યની ઠેકડી ઉડાવે છે? વિપક્ષના ધારાસભ્યની ઠેકડી કલેક્ટર ઉડાવી શકે? </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ મુજબ જિલ્લા તકેદારી સમિતિના અધ્યક્ષ કલેકટર હોય છે. તેની જવાબદારી એટ્રોસિટી એક્ટનો અમલ કરાવવાની છે. જો કલેક્ટર ખુદ એવું માનતા હોય કે એટ્રોસિટી એક્ટ હેઠળ 90% ગુનાઓ ખોટા દાખલ થાય છે તો દલિતોને/ આદિવાસીઓને ન્યાય મળે ખરો? શું આવી માનસિકતાવાળા અધિકારી કલેક્ટરના હોદ્દા પર રહેવા લાયક છે ખરા? દલિતોના હાથપગ ભાંગી નાખે છે/ બળાત્કાર થાય છે/ મર્ડર થાય છે/ તેમની જમીનો પર 30-35 વરસથી કબજો કરી લીધો છે; આ શું ખોટા ગુનાઓ છે? શું કાયદાઓ આર્થિક/ રાજકીય/ સામાજિક મોભા મુજબ કામ કરતાં નથી? જો એક શિક્ષિત/ ઊંચ કક્ષાની તાલીમ પામેલ કલેકટર દલિતો પ્રત્યે પૂર્વગ્રહ રાખે તો સમાજમાં દલિતોને કેટલાં પૂર્વગ્રહોનો સામનો કરવો પડતો હશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલેક્ટરે All India Services (Conduct) Rules, 1968ના નિયમ-3(1), 3(2A)નો ભંગ કરેલ છે. નિયમ-3(1) કહે છે : ‘Every member of the Service shall at all times maintain absolute integrity and devotion to duty and shall do nothing which is unbecoming of a member of the Service-સેવાના દરેક સભ્યએ હંમેશા ફરજ પ્રત્યે સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા જાળવી રાખવી જોઈએ અને સેવાના સભ્ય માટે અયોગ્ય હોય તેવું કંઈપણ કરવું નહીં’. નિયમ- 3(2A) કહે છે, ‘Every member of the service shall in the discharge of his duties act in a courteous manner and shall not dilatory tactics in his dealings with the public or otherwise-સેવાના દરેક સભ્યએ તેમની ફરજો નિભાવતી વખતે નમ્રતાપૂર્વક વર્તવું જોઈએ અને જાહેર જનતા સાથે અથવા અન્યથા તેમના વ્યવહારમાં દ્વેષપૂર્ણ યુક્તિઓ કરવી જોઈએ નહીં.’ </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ સરકાર કલેક્ટર સામે આ નિયમો હેઠળ ત્યારે જ પગલાં ભરે જો સત્તા પક્ષના ધારાસભ્ય સાથે ગેરવર્તન થયું હોય. વિપક્ષના ધારાસભ્ય સાથે કલેક્ટર ગેરવર્તન કરે તો સરકાર કલેક્ટર સામે પગલાં ભરતી નથી. આ સ્થિતિમાં શું થઈ શકે? બે રસ્તા છે, [1] માનવ અધિકાર કમિશન/ SC/ST કમિશનમાં ફરિયાદ કરવી અને છેલ્લે હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ કરવી. [2] IAS/IPSના તાલીમ સંસ્થાઓને ફરિયાદ કરવી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">18 નવેમ્બર 2024ના રોજ જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે, “NCRBના આંકડા મુજબ ભારતમાં રોજે 4 દલિત મહિલા પર બળાત્કાર થાય છે. રોજે 3 દલિતોની હત્યા થાય છે. દર અઠવાડિયે 10 કે તેથી વધુ દલિતોના ઘરને આગ ચાંપવામાં આવે છે કે ગામમાંથી કાઢી મૂકવામાં આવે છે. આજે દલિત/ આદિવાસી/ OBC જાતિવાદના શિકાર છે. હજુ માથા પર મેલું લઈ જવાની વ્યવસ્થા નાબૂદ થઈ નથી. દલિતો ગટરમાં ગૂંગળાઈને મરે છે. આ સમુદાયને સામાજિક ન્યાય આપવાની જવાબદારી કલેક્ટરની છે. પરંતુ નેહા કુમારી જેવા અધિકારી આ ભૂમિકા નિભાવવા નથી અને દલિતોનું અપમાન કરે છે. કલેક્ટરને તાલીમ આપનાર સંસ્થા મસૂરીમાં છે. અમે એ સંસ્થાને વિનંતી કરીશું કે ભવિષ્યમાં કોઈ કલેક્ટર દલિતો/ આદિવાસી/ OBC/ લઘુમતી સમુદાયનું અપમાન ન કરે તે પ્રકારની તાલીમનું આયોજન કરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>રમેશ સવાણી</strong></span><span style="font-size: 12pt;"><em><strong> (લેખક પૂર્વ આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારોના પક્ષધર છે)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/mahisagar-collector-nehakumari-dubey-said-90-percent-of-atrocity-cases-are-committed-for-blackmail">એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઇલ કરવા માટે કરાય છે : મહીસાગર કલેક્ટર</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 19 Nov 2024 11:55:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1570</Articleid>
                    <excerpt>22 નવેમ્બરે ગુજરાતના 250 તાલુકા પોલીસ સ્ટેશનોમાં ગુનો દાખલ કરવા ફરિયાદ કરાશે. 6 ડિસેમ્બરે મહીસાગરમાં એસસી-એસટીના 12 સાંસદો ધરપકડ માટે વિરોધ પ્રદર્શન કરશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673c2e61f3f4e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673c2e61c1f24.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673c2e61c1f24.jpg" length="77811" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mahisagar Collector Neha Kumari, Jignesh Mevani</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત પ્રોફેસરની PHD ડિગ્રી છીનવાઈ, પ્રોફેસરે કહ્યું, &amp;quot;દલિત છું એટલે...&amp;quot;</title>
                    <link>https://khabarantar.com/bhu-cancels-dalit-Professor-ashok-kumar-sonkars-phd-degree</link>
                    <guid>https://khabarantar.com/bhu-cancels-dalit-Professor-ashok-kumar-sonkars-phd-degree</guid>
                    <description>
                        <![CDATA[ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં બેઠેલા દ્રોણાચાર્યો હવે માત્ર દલિત, આદિવાસી વિદ્યાર્થીઓના જ અંગૂઠા નથી કાપતા પરંતુ SC-ST પ્રોફેસરોના અંગૂઠા પણ કાપી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"સાહિત્ય ચોરીનો કાયદો 2018માં આવ્યો હતો, મેં 2010માં રિસર્ચ પેપર સબમિટ કર્યું હતું. 2019 થી આર્કેડ સોફ્ટવેરનો ઉપયોગ કરીને થીસીસની તપાસ કરવામાં આવે છે. મારું સંશોધન 2020 માં પરીક્ષણ માટે મૂકવામાં આવ્યું હતું. જો કોપી મળી પણ આવે, એટલે કે જો કોઈ અન્યના સંશોધન પેપર સાથે મારી થીસીસની સમાનતા જોવા મળે, તો પણ 10 ટકા સુધીની છુટ અપાય છે. મારા કિસ્સામાં, માત્ર સાત ટકા જેટલી વિગતોને તેમણે કોપી હોવાનું કહ્યું છે, તેમ છતાં મારી વાત સાંભળવામાં આવી નથી. આવું થવું સંશોધનમાં સામાન્ય છે. પરંતુ હું અનુસૂચિત જાતિનો હોવાથી મારી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ શબ્દો એક દલિત પ્રોફેસરના છે. તેમને શિક્ષણ સંસ્થાઓમાં બેઠેલા દ્રોણાચાર્યોએ નિશાન બનાવ્યા છે. હવેના સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠેલા દ્રોણો માત્ર દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓના જ અંગૂઠા નથી કાપી રહ્યાં પરંતુ એસસી, એસટી શિક્ષકોના અંગૂઠા પણ કાપી લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલો ઉત્તર પ્રદેશની બનારસ હિન્દુ યુનિવર્સિટીનો છે. જ્યાં દલિત પ્રોફેસર અશોક કુમાર સોનકરની પીએચડી ડિગ્રી રદ કરવામાં આવી છે. ડિગ્રી રદ કરવા પાછળનું કારણ એવું કહેવાય છે કે અશોક કુમારે તેમની પીએચડીમાં 7 ટકા જેટલા સાહિત્યની ચોરી કરી છે. જેના કારણે તેમની પાસેથી પીએચડીની ડિગ્રી છીનવી લેવામાં આવી છે. હવે અશોક કુમાર પોતાના નામની સાથે ડોક્ટરની ઉપાધિ ત્યાં સુધી નહીં લગાવી શકે જ્યાં સુધી તેઓ ફરી પીએચડીનું સંશોધન નહીં કરી લે. આ રિસર્ચને પૂર્ણ કરવા માટે તેમને 2 વર્ષનો સમય આપવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત પ્રોફેસર અશોક સોનકરે તેમની ડિગ્રી છીનવી લેવાયા બાદ પોતાનું દર્દ વ્યક્ત કર્યું અને કહ્યું કે, મારી સાથે આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે હું અનુસૂચિત જાતિમાંથી આવું છું. તેણે કહ્યું, "સાહિત્ય ચોરીનો કાયદો 2018માં આવ્યો હતો, મેં 2010માં રિસર્ચ પેપર સબમિટ કર્યું હતું. 2019 થી આર્કેડ સોફ્ટવેરનો ઉપયોગ કરીને થીસીસની તપાસ કરવામાં આવે છે. મારું સંશોધન 2020 માં પરીક્ષણ માટે મૂકવામાં આવ્યું હતું. જો કોપી મળી પણ આવે, એટલે કે જો કોઈ અન્યના સંશોધન પેપર સાથે મારી થીસીસની સમાનતા જોવા મળે, તો પણ 10 ટકા સુધીની છુટ અપાય છે. મારા કિસ્સામાં, માત્ર સાત ટકા જેટલી વિગતોને તેમણે કોપી હોવાનું કહ્યું છે, તેમ છતાં મારી વાત સાંભળવામાં આવી નથી. આવું થવું સંશોધનમાં સામાન્ય છે. પરંતુ હું અનુસૂચિત જાતિનો હોવાથી મારી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતે લખનૌ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રવિકાંતે સોશિયલ મીડિયા પર લખ્યું, “માત્ર 7 ટકા કોપી કરવાના આરોપમાં BHUના આસિસ્ટન્ટ પ્રોફેસર અશોક કુમાર સોનકરની પીએચડી રદ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. જો તમારામાં હિંમત હોય તો દરેકની થીસીસ તપાસો! દલિતની ડિગ્રી છીનવવી કેટલી આસાન છે! દરેક શિક્ષણ સંસ્થાઓમાં દ્રોણાચાર્ય બેઠા છે! જ્યાં સુધી તેમનો એટલે કે દ્રોણાચાર્યનો અંગૂઠો કાપવામાં નહીં આવે ત્યાં સુધી ન્યાય નહીં મળે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BHUના કંટ્રોલર ઑફ એજ્યુકેશન એન. કે. મિશ્રાએ કહ્યું, “એકેડમિક કાઉન્સિલ વતી અશોક કુમાર સોનકર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પીએચડીvr ડિગ્રી પાછી ખેંચી લેવામાં આવી છે. આવા કૃત્યો સામે કડક કાર્યવાહી થવી જોઈએ." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BHUમાં ફેકલ્ટી ઓફ સોશિયલ સાયન્સના ડીન ડો પ્રો. બ્રિન્દા પરાંજપેએ કહ્યું કે, "અશોક કુમાર સોનકર વિરુદ્ધ સાહિત્યચોરીના આરોપો સાબિત થયા છે. આ ખૂબ જ ગંભીર ગુનો છે અને તેને જે સજા આપવામાં આવી છે તે ઘણી ઓછી છે. યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને એક દાખલો બેસાડી શકાય.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/engineering-professor-working-as-a-delivery-boy-in-telangana"><span style="font-size: 12pt;"> </span>એન્જિનિયરિંગના પ્રોફેસરો ડિલિવરી બોયનું કામ કરી રહ્યા છે...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 18 Nov 2024 13:34:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1567</Articleid>
                    <excerpt>ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં બેઠેલા દ્રોણાચાર્યો હવે માત્ર દલિત, આદિવાસી વિદ્યાર્થીઓના જ અંગૂઠા નથી કાપતા પરંતુ SC-ST પ્રોફેસરોના અંગૂઠા પણ કાપી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673af3e29eb5d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673af3e25efc9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673af3e25efc9.jpg" length="89540" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BHU, Dalit Professor, PHD, cancel</media:keywords>
                </item>
                        <item>
                    <title>SC&amp;STની વસ્તી 38 ટકા પણ હાઈકોર્ટમાં 1956થી એકેય SC&amp;ST જજ નથી</title>
                    <link>https://khabarantar.com/sc-st-population-in-38-percent-but-there-has-not-been-a-single-sc-st-judje-in-the-high-court-since-1956</link>
                    <guid>https://khabarantar.com/sc-st-population-in-38-percent-but-there-has-not-been-a-single-sc-st-judje-in-the-high-court-since-1956</guid>
                    <description>
                        <![CDATA[ આ સવાલ ખુદ મુખ્ય ન્યાયધીશે ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મોજૂદ હોવા છતાં આવું કેમ થયું, તેની પાછળનું કારણ શું? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં સફાઈ અને મજૂરીકામમાં જ દલિત-આદિવાસીઓ માટે સો ટકા અનામત છે અને તે કથિત સવર્ણોને ખટકતી નથી. આ સિવાયના લગભગ દરેક મોરચે આ બંને વર્ગની બંધારણીય રીતે ફાળવવામાં આવેલી અનામતનો પણ જાતિવાદી તત્વો અમલ થવા દેતા નથી. આવું જ એક ક્ષેત્ર ન્યાયતંત્ર છે. નીચલી કોર્ટોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીમાં SC-ST જજોની સંખ્યાને સતત વિવાદનો મુદ્દો રહ્યો છે. અનામત જેવા આ સમાજ માટે અતિ સંવેદનશીલ મુદ્દાઓમાં ચૂકાદો સવર્ણ જજો આપે છે અને દલિતો-આદિવાસીઓએ તેમની વિરુદ્ધનો નિર્ણય પણ મૂંગા મોંઢે સ્વીકારી લેવો પડે છે. હવે દલિતો-આદિવાસીઓમાં આ મામલે જાગૃતિ વધતી જાય છે, પરંતુ એક હાઈકોર્ટ એવી પણ છે જેમાં છેક વર્ષ 1956થી એકપણ દલિત-આદિવાસી વ્યક્તિ જજ બની શકી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ હાઈકોર્ટની વાત છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત છે મધ્યપ્રદેશ હાઈકોર્ટની છે, આ રાજ્યમાં દલિતોની વસ્તી 16 ટકા છે, જ્યારે આદિવાસી સમાજની વસ્તી 22 ટકા છે. બંને મળીને રાજ્યની 38 ટકા વસ્તી ધરાવે છે પણ ન્યાયતંત્રમાં તેમનો સમખાવા પુરતો એક જજ નથી. છેક 1956થી અત્યાર સુધીમાં એકપણ આદિવાસી-દલિત જજ કેમ નથી બની શક્યાં, આ સવાલ ખુદ મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુરેશકુમાર કૈતે ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશ હાઈકોર્ટની રચના થઈ ત્યારથી આજ સુધી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીમાંથી કોઈ વ્યક્તિ ન્યાયાધીશ બની શક્યો નથી. જ્યારે લાયક ઉમેદવારો હાજર હતા ત્યારે આવું કેમ થયું? આ નિવેદન તેમણે એક સેમિનારમાં આપ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લાયક ઉમેદવાર હોવા છતાં આવું કેમ થયું?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ હાઈકોર્ટની રચના વર્ષ 1956માં થઈ હતી અને અત્યાર સુધીમાં સર્વિસ કે વકીલોમાંથી એસસી, એસટી વર્ગમાંથી એક પણ વ્યક્તિ જજ બની શકી નથી. આવું કેમ થયું એની મને ખબર નથી, એ દરમિયાન એવી વ્યક્તિઓ હતી, જે જજ બની શકે તેમ હતી, તેમ છતાં આવું થયું તેની પાછળ ચોક્કસ કારણ રહ્યું હશે. આજે જ્યારે આપણે સમાનતાની વાત કરીએ છીએ ત્યારે આપણે ફરી એકવાર વિચારવું જોઈએ કે આવું કેમ થઈ રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કડક નિયમો અડચણરૂપ બની રહ્યાં છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્ય ન્યાયાધીશ કૈતે તેમના સંબોધનમાં કહ્યું કે માત્ર સમાનતા વિશે વાત કરવી પૂરતી નથી; આજના સમયમાં ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં જ્યુડિશિયલ ઓફિસરોની નિમણૂક માટે બનાવવામાં આવેલા કડક નિયમો એસસી/એસટી વર્ગના લોકો માટે મોટી અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, તેમણે કહ્યું કે રાજ્યમાં અનુસૂચિત જનજાતિ વર્ગ માટે અનામત 109 જગ્યાઓ હજુ પણ ખાલી છે કારણ કે આ વર્ગના વિદ્યાર્થીઓ આ નિયમોને પરિપૂર્ણ કરવામાં અસમર્થ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્ય ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સમાજ આ વર્ગોને મદદ કરશે અને તેમના શિક્ષણ અને તાલીમ માટે વિશેષ પગલાં લેશે તો જ તેઓ ન્યાયિક ક્ષેત્રે આગળ વધી શકશે અને પોતાની ઓળખ ઉભી કરી શકશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક ન્યાય માટે અનામત જરૂરી છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્ય ન્યાયાધીશ કૈતે અનામતની જરૂરિયાત અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સદીઓથી અધિકારોથી વંચિત રહેલા વર્ગોને યોગ્ય સ્થાન આપીને જ સમાજમાં સમાનતા સ્થાપિત કરી શકાય છે. તેમણે અનામતને સામાજિક સમરસતા અને ન્યાયનો આધાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું, "ગુનાખોરીનું સૌથી મોટું કારણ શિક્ષણનો અભાવ છે. જેમ જેમ શિક્ષણ ફેલાશે તેમ ગુનાઓ ઘટશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કડક નિયમો ધ્યાનમાં લેવાની જરૂર છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીફ જસ્ટિસે કહ્યું કે હાઈકોર્ટમાં ન્યાયિક અધિકારીઓની નિમણૂક માટે બનાવેલા નિયમો એટલા કડક છે કે એસસી/એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ આ નિયમોનું પાલન કરી શકતા નથી. તેમણે સૂચન કર્યું કે આ વિભાગોને મદદ અને માર્ગદર્શન આપવા માટે વિશેષ કાર્યક્રમો શરૂ કરવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જે નિયમો ફક્ત ઉચ્ચ સામાજિક અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો માટે અનુકૂળ છે તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અન્ય ન્યાયાધીશોએ પણ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સેમિનારમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેકે મહેશ્વરી અને ગ્વાલિયર હાઈકોર્ટના જસ્ટિસ આનંદ પાઠકે પણ વક્તવ્ય આપ્યું હતું. સામાજિક ન્યાય અને સમરસતા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે સમાજમાં શિક્ષણ અને તકની સમાનતા લાવવા માટે અસરકારક પગલાં લેવાની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/79-percent-of-the-judges-appointed-to-the-High-Court-in-the-last-5-years-are-from-caste-SC-2.8-percent,-ST-1.3-percent,-Minorities-only-2-percent">છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 18 Nov 2024 10:08:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1565</Articleid>
                    <excerpt>આ સવાલ ખુદ મુખ્ય ન્યાયધીશે ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મોજૂદ હોવા છતાં આવું કેમ થયું, તેની પાછળનું કારણ શું?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673ac33313e1d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ac332d6912.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ac332d6912.jpg" length="66303" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Madhya Pradesh High Court, SC-ST Judge, Chief Justice Suresh Kumar Kaite</media:keywords>
                </item>
                        <item>
                    <title>કુંભમેળામાં 370 દલિત સંતોને મહામંડળેશ્વર, મંડળેશ્વર, પીઠાધિશ્વર બનાવાશે</title>
                    <link>https://khabarantar.com/370-dalit-saints-to-be-made-mahamandaleshwar-mandaleshwar-peethadhishwar-at-kumbh-mela</link>
                    <guid>https://khabarantar.com/370-dalit-saints-to-be-made-mahamandaleshwar-mandaleshwar-peethadhishwar-at-kumbh-mela</guid>
                    <description>
                        <![CDATA[ દલિતોને બુદ્ધ અને આંબેડકરી વિચારધારા તરફ આગળ વધતા રોકવા RSS ના ઈશારે નવો આઈડિયા અમલમાં મૂકવાની તૈયારીઓ થઈ ચૂકી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં સમય જતા બહુજન સમાજના વધુને વધુ લોકો ડો. આંબેડકરના રસ્તે ચાલીને શિક્ષિત, સંગઠિત બનીને સમાજ માટે સંઘર્ષ કરતા થઈ રહ્યાં છે. જેના કારણે જાતિવાદી તત્વોના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે. દલિત-આદિવાસી-ઓબીસી સમાજ કદી એક ના થાય અને તેમનું રાજ કાયમ રહે તે માટે મનુવાદીઓ સમયાંતરે નિતનવા પેંતરાઓ અજમાવતા રહે છે. હાલ દિનપ્રતિદિન બહુજન સમાજ જાતિવાદી હિંદુ ધર્મથી દૂર જઈ રહ્યો છે. મનુવાદી વર્ણવ્યવસ્થા તેમને અન્યાય કરી રહી હોવાનું સમજી ચૂકેલા દલિતો પોતાનું રાજકીય અસ્તિત્વ ઉભું કરવા મથી રહ્યાં છે, જેના કારણે સવર્ણ હિંદુઓ માટે કામ કરતું RSS એક્ટિવ થઈ ગયું છે અને તેણે ફરી દલિતોને હિંદુ ધર્મ સાથે ગમે તે ભોગે જોડી રાખવા નવો પેંતરો અજમાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કુંભમેળાના બહાને દલિત મતો સાધવાનો પેંતરો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ આ વખતે મહાકુંભ 2025ની તૈયારીઓના ભાગરૂપે પ્રયાગરાજમાં હિન્દુ સંતોની પ્રતિષ્ઠિત સંસ્થા જુના અખાડાએ મહાકુંભ દરમિયાન 370 દલિતોને સંત દીક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. આ પગલા પાછળ જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી મહેન્દ્રાનંદ ગીરીનો મોટો ફાળો છે, જેઓ સનાતન ધર્મમાં દલિત સમુદાયને યોગ્ય સ્થાન આપવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. આ આખો પ્લાન સંઘના ઈશારે ગોઠવાયો હોવાનું કહેવાય છે. સૂત્રોના મતે, આરએસએસ માને છે કે, દલિતોને સંતોનો દરજ્જો આપવાથી દલિતોનું હિંદુ ધર્મ સાથેનું જોડાણ મજબૂત બનશે અને એ રીતે ભાજપને સત્તામાં ટકી રહેવામાં મદદ મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સંઘના ઈશારે અખાડાઓએ રાજકીય દાવ ખેલ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જૂના અખાડાના વડા સ્વામી મહેન્દ્રાનંદ ગિરીએ જણાવ્યું હતું કે સંત સમાજમાં દલિત સમાજને સન્માન અને અધિકાર આપવાના હેતુથી આ પહેલ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં જાતિ કે વર્ગના આધારે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. દલિતોને સંતની દીક્ષા આપવાથી સમાજમાં સકારાત્મક સંદેશ જશે કે કોઈપણ જ્ઞાતિની વ્યક્તિ ધર્મની સેવા કરવાને પાત્ર છે. આ પહેલમાં કુલ 907 લોકોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 370 દલિત છે. આ તમામ દલિતોને મહાકુંભ દરમિયાન સંત તરીકે માન્યતા આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં સવાલ એ થાય કે કોણ સંત હશે અને કોણ નહીં, તે જે તે વ્યક્તિના ચરિત્ર, આચરણ અને વાણી-વર્તન પરથી નક્કી થાય, જૂના અખાડા કોણ છે એ નક્કી કરનાર કે કોણ સંત છે અને કોણ નહીં? તેઓ કોણ છે સંત તરીકેની પદવી આપનાર, તેમને આ ઓથોરિટી કોણે અને ક્યારે આપી? આ સવાલના જવાબો અંગે દલિતો વિચારી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવનિયુક્ત સંતોને વિવિધ જવાબદારીઓ સોંપાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નવનિયુક્ત દલિત સંતોને મહાકુંભમાં વિવિધ હોદ્દાઓ અને જવાબદારીઓ આપવામાં આવશે, જે સમાજમાં તેમની ભૂમિકાને મજબૂત બનાવશે. જેમાં મહામંડલેશ્વર, મંડલેશ્વર, મહંત, પીઠાધીશ્વર, શ્રીમહંત, થાનાપતિ સહિત અનેક મહત્વપૂર્ણ પદોનો સમાવેશ થશે. આનાથી દલિતોને તેમના ધર્મમાં સમાન રીતે સેવા અને યોગદાન આપવાની તક મળશે અને તેમનું આત્મસન્માન પણ વધશે</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાધુ સંતોને કોણ સમજાવે કે દલિતો ધર્મની સેવા કરવા નથી માંગતા, તેમને સારું શિક્ષણ, રોજગારી અને સન્માનજનક જીવન જોઈએ છે અને તે વર્ણવ્યવસ્થાથી ગ્રસ્ત હિંદુ ધર્મમાં તેમને કદી મળી શકે તેમ નથી. દરરોજ તેમના પર જાતિ આધારિત ભેદભાવ રાખી માર મારવામાં આવે છે, તેમની સાથે આભડછેટ પાળવામાં આવે છે. આ સંતો આભડછેટ દૂર કરવાનું વિચારતા નથી, તેના માટે સવર્ણોને સુધારવાની કોઈ ચળવળ કે આંદોલન ચલાવતા નથી અને દલિતોને હિંદુ ધર્મની સેવા કરવાની તક આપવાની વાતો કરી ભ્રમમાં નાખે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પહેલ પાછળ અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી હરિગિરિનું માર્ગદર્શન રહેલું છે. તેમણે સ્વામી મહેન્દ્રાનંદ ગિરીને આ પગલું ભરવા કહ્યું છે. તેમનું માનવું છે કે ધર્મના પ્રસારમાં દલિતોને પણ એવું જ સન્માન મળવું જોઈએ જેવું અન્ય સંતોને મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૌજગીરી આશ્રમ દલિત સંત સમાજને વિસ્તારવા મથી રહ્યો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લગભગ ચાર મહિના પહેલા દલિત સમાજમાંથી આવતા કૈલાશાનંદને મૌજગીરી આશ્રમમાં મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું હતું. સ્વામી મહેન્દ્રાનંદ ગિરીએ જણાવ્યું કે આવી જ રીતે હવે મહાકુંભ દરમિયાન 370 દલિતોને સંત દીક્ષા આપવામાં આવશે. આ પહેલ દલિત સમુદાયને ધર્મના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો પ્રયાસ છે અને સમાજમાં તેમના યોગદાનને વધુ સન્માન આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધર્મમાં સમરસતાની ભેળસેળ અને સત્તાનો સ્વાર્થ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાકુંભ દરમિયાન દલિત સમાજને સંતની પદવી આપવાનો નિર્ણય સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. સંઘ અને ભાજપ સાથે જોડાયેલા અખાડાના સંતોનું માનવું છે કે, આવું કરવાથી દલિતોમાં હિંદુ ધર્મ પ્રત્યે એક સકારાત્મક સંદેશ જશે કે આ ધર્મ કોઈ ચોક્કસ જાતિ માટે નથી પરંતુ દરેક માટે છે. સંત સમાજમાં દલિત સમાજને સામેલ કરીને તેમને એક મહત્વની ઓળખ આપવામાં આવી રહી છે. તેની પાછળ લાંબા ગાળાનું આયોજન છે. આ દલિત સંતોને અખાડાઓ સંઘના ઈશારે જે દલિત વિસ્તારો ભાજપ-સંઘની વિચારધારાની અલગ મત ધરાવે છે ત્યાં પ્રવાસે મોકલશે અને ત્યાં તેઓ હિંદુ ધર્મનો પ્રચાર કરી દલિતોને હિંદુત્વ તરફ વાળવા પ્રયત્ન કરશે. એ રીતે હિંદુત્વની વોટબેંકને સાધવામાં આવશે અને બહુજન રાજનીતિના મજબૂત થઈ રહેલા ગઢમાં ગાબડાં પાડવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોને નહીં, સમજાવવાની જરૂર સવર્ણોને છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખાડાઓનું માનવું છે કે, આ પહેલ આગામી સમયમાં સમાજમાં જાતિ આધારિત ભેદભાવ ઘટાડવામાં મદદ કરશે. 370 દલિતોને સંતની પદવી આપવાથી ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સમરસતાની દિશામાં પણ મોટું પરિવર્તન આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આધારભૂત સૂત્રોના મતે, અખાડાના આ સંતોની પહેલને લઈને મીડિયામાં ભલે સમરસતાના દાવાઓ થઈ રહ્યાં હોય પરંતુ આખો મામલો દલિતોને હિંદુત્વ સાથે જોડી રાખવાનો છે. હાલ વધુને વધુ દલિતોનો ભાજપ-સંઘની જાતિવાદી રાજનીતિથી મોહભંગ થઈ રહ્યો છે. જે રીતે એસસી-એસટી એક્ટમાં ક્રિમીલેયર લાગુ કરાયું, તેમની અનામતમાં ભાગલા પડાયા, અનામતનો ક્વોટા ભરવામાં નથી આવતો, સરકારી ધંધા સંઘ સાથે જોડાયેલા સવર્ણ કોન્ટ્રાક્ટરોને આપી દલિતો-આદિવાસીઓની અનામતને ખતમ કરી દેવાઈ આ આખી ગેમ દલિતો સમજતા થઈ ગયા છે અને એટલે જ તેઓ ભાજપ-સંઘથી વિમુખ થઈ રહ્યાં છે. ભાજપ કે સંઘના નેતાઓ સીધા દલિતો વચ્ચે જઈને તેમની સાથે રહેવા સમજાવી શકે તેમ નથી. આથી તેમણે હવે દલિત સંતોને આગળ કરવાનો પેંતરો રચ્યો છે. સંઘ જેવા સંગઠનો સવર્ણોને તેમની જાતિવાદી માનસિકતા બદલવા સમજાવતા નથી, તેઓ દલિતો સાથે રખાતી અસ્પૃશ્યતા દૂર કરવા, આંતરજાતિય લગ્નોને પ્રોત્સાહન આપવાથી દૂર રહે છે. ત્યારે જોવાનું એ રહેશે કે દલિતો તેમની આ ચાલને કેવી રીતે લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/if-dalit-monks-are-declared-mahamandaleshwar-the-respect-of-monks-will-decrease">દલિત સાધુઓને મહામંડળેશ્વર જાહેર કરાશે તો સાધુઓનું સન્માન ઘટશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 17 Nov 2024 12:08:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1562</Articleid>
                    <excerpt>દલિતોને બુદ્ધ અને આંબેડકરી વિચારધારા તરફ આગળ વધતા રોકવા RSS ના ઈશારે નવો આઈડિયા અમલમાં મૂકવાની તૈયારીઓ થઈ ચૂકી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67398d7fb90e7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67398d7f79a05.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67398d7f79a05.jpg" length="109728" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Maha kumbh mela 2025, Prayagraj kumbh mela 2025, Kumbh mela</media:keywords>
                </item>
                        <item>
                    <title>પ્રેમની સજા : દલિત યુવકના સાત ટુકડા કરી, ડોલમાં ભરીને ગટરમાં ફેંકી દીધાં</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-murdered-in-mumbais-mira-bhayander-body-cut-into-seven-pieces-and-thrown-into-the-drain</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-murdered-in-mumbais-mira-bhayander-body-cut-into-seven-pieces-and-thrown-into-the-drain</guid>
                    <description>
                        <![CDATA[ યુવક-યુવતી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. લગ્ન કરવા માંગતા, પણ યુવતીના ભાઈએ દલિત યુવકની હત્યા કરી લાશના 7 કટકા કરી ફેંકી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit Lives Matter : મુંબઈમાંથી એક દલિત યુવકની હત્યાનો હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાથી યુવકનો પરિવાર અને આખું ગામ ચોંકી ગયું છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે. ઘટના 31મી ઓક્ટોબરની છે, જ્યારે મોહમ્મદ સત્તાર નામના યુવકે 21 વર્ષના રઘુનંદન પાસવાનને તેના ઘરે બોલાવ્યો અને તેની બહેન સાથે તેને પ્રેમ છે કે નહીં તે કન્ફર્મ કર્યા બાદ તેની ઘાતકી રીતે હત્યા કરી નાખી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">યુવકના શરીરના 7 ટુકડા કરી નાખ્યા</span></strong><br><span style="font-size: 14pt;">દલિત યુવકે જ્યારે સ્વીકાર્યું કે મોહમ્મદની બહેન સાથે તેને પ્રેમ છે અને તે પણ તેને પ્રેમ કરે છે અને બંને લગ્ન કરવા માંગે છે. એ પછી મોહમ્મદ સતારે તેના સાથીઓ સાથે મળીને દલિત યુવક રઘુનંદન પાસવાનની નિર્દયતાથી હત્યા કરી નાખી. એટલું જ નહીં હત્યા બાદ રઘુનંદનની લાશના છરી વડે 7 ટુકડા કરી તેની પેઈન્ટની ખાલી ડોલમાં ભરીને ગોરાઈના નિર્જન વિસ્તારમાં ફેંકી દીધા. મળતી માહિતી મુજબ યુવતીનો ભાઈ મુંબઈમાં બકરાં વેચવાનું કામ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયામાં ઘટના વાયરલ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ સમગ્ર કેસમાં પોલીસે ગુનેગાર મોહમ્મદ સતારની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ તેણે રઘુનંદનના મિત્ર સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની એક તસવીર વાયરલ થઈ છે. એ તસવીર દલિત યુવકના જમણા હાથની છે જેના પર ટેટૂમાં RA લખેલું છે. દલિત યુવકના પિતા જિતેન્દ્ર પાસવાને તેમના પુત્રના શરીરને આ ટેટૂ પરથી ઓળખી કાઢ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “મેં તેને તેના જમણા હાથ પરના “RA” ટેટૂથી ઓળખ્યો હતો. આમાં R રઘુનંદનનો હતો અને A તેની ગર્લફ્રેન્ડના નામનો શરૂઆતનો અક્ષર હતો. જિતેન્દ્ર પાસવાને જણાવ્યું કે તેના પુત્રને પહેલા પણ યુવતીના ભાઈઓ તરફથી ખતરો હતો, તેમણે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિહારના ગામમાં પ્રેમ કહાની શરૂ થઈ હતી</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત યુવક રઘુનંદન અને યુવતી બંને બિહારના દરભંગા જિલ્લાના મણિગાછીના રહેવાસી છે. રઘુનંદન દરભંગાની હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. આ જ ગામમાં રહેતી એક મુસ્લિમ યુવતી તેની ભાભીની સારવાર માટે તે હોસ્પિટલમાં જતી હતી. અહીંથી જ રઘુનંદન અને યુવતી વચ્ચેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. યુવતીનો પરિવાર આ પ્રેમ સંબંધની વિરુદ્ધ હતો. આ મામલે હોબાળો થયો તેથી એક પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રઘુનંદનને પુણે મોકલી દેવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવતનો પરિવાર આઘાતમાં</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે વાત આટલેથી અટકી નહોતી. યુવતીના ભાઈ મોહમ્મદ સતારે રઘુનંદનને મીરા-ભાયંદર બોલાવ્યો અને તેની હત્યા કરી લાશના 7 ટુકડા કરી ઓટોમાં ભરીને અંધારામાં ફેંકી દીધા હતા. દલિત છોકરો અને મુસ્લિમ છોકરી બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ દલિત-મુસ્લિમ વચ્ચેની લડાઈમાં યુવકે જીવ ગુમાવ્યો અને યુવતીએ તેનો પ્રેમ ગુમાવ્યો. રઘુનંદનની આ ઘાતકી હત્યાએ માત્ર તેના પરિવારને જ નહીં પરંતુ સમગ્ર ગામને આઘાત ધકેલી દીધું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkar-was-ready-to-accept-islam-dalits-would-have-been-muslims-congress-leader">ડો.આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર હતા, તો દલિતો મુસ્લિમ હોતઃ કોંગ્રેસ નેતાનો બફાટ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 17 Nov 2024 10:13:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1561</Articleid>
                    <excerpt>યુવક-યુવતી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. લગ્ન કરવા માંગતા, પણ યુવતીના ભાઈએ દલિત યુવકની હત્યા કરી લાશના 7 કટકા કરી ફેંકી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67397457e0c94.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67397457aa3f9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67397457aa3f9.jpg" length="97572" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit lives Matter, Dalit youth murder, Dalit news, mumbai news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપને મત ન આપતા દલિતોના ઘર સળગાવ્યા, બાબાસાહેબની પ્રતિમા તોડી</title>
                    <link>https://khabarantar.com/houses-of-dalits-who-did-not-vote-for-bjp-were-burnt-down-babasahebs-statue-was-destroyed</link>
                    <guid>https://khabarantar.com/houses-of-dalits-who-did-not-vote-for-bjp-were-burnt-down-babasahebs-statue-was-destroyed</guid>
                    <description>
                        <![CDATA[ મતદાન ન કરવા બદલ ભાજપ સમર્થકોએ દલિતોના ઘરો સળગાવ્યા, પથ્થરમારો કર્યો, બાબાસાહેબની પ્રતિમા પણ તોડી નાખી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થિતિ એ આવીને ઉભી રહી છે કે, આ દેશનું બંધારણ અને કાયદા ઘડનાર, દેશના પ્રથમ કાયદામંત્રી ડો. આંબેડકરની પ્રતિમાને જાતિવાદી તત્વો તોડવા માંડ્યા છે. એક ગામમાં દલિતવાસ પર હુમલો થયો છે, જેમાં કથિત રીતે ભાજપના સમર્થકોએ મત નહીં આપવા બદલ દલિતોના ઘરોને આગ લગાવી દીધી હતી. હુમલખોરોએ દલિતવાસ પર પથ્થરમારો કર્યો અને ડો. આંબેડકરની પ્રતિમાને તોડી નાખી. ચોંકાવનારી વાત એ છે કે, આ દરમિયાન પોલીસની ગાડીઓ ઘટના સ્થળે હાજર હતી, પરંતુ તેમણે કોઈ કાર્યવાહી નહોતી કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના વિજયપુરના ગોહટા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના વિજયપુર જિલ્લાના ગોહટા ગામની છે. અહીં ગામના કેટલાક લોકોએ દલિત સમાજના ઘરો પર હુમલો કર્યો હતો, કારણ કે તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ને મત નહોતો આપ્યો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. હુમલો બુધવારે મોડી રાત્રે થયો હતો. એ વખતે ભાજપ સાથે કથિત રીતે સંકળાયેલા કેટલાક માથાભારે લોકો દલિતવાસમાં ઘૂસી ગયા હતા અને તેમના ઘરોને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ દલિતોના ઘરોમાં તોડફોડ કરી હતી અને અનેક ઝૂંપડીઓને સળગાવી દીધી હતી. આ ઘટના બાદ આ વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મતદાન બાદ દલિતવાસને નિશાન બનાવાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોહટા ગામમાં બનેલી આ ઘટનામાં એક ડઝનથી વધુ માથાભારે તત્વો દલિતવાસમાં ઘૂસી ગયા હતા. તેમણે માત્ર ઘરો જ નહોતા સળગાવ્યા પરંતુ ભારે પથ્થરમારો પણ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ વીજળીના થાંભલા તોડી નાખ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી થાંભલાને ઉખાડી નાખી સમગ્ર દલિતવાસની વીજળી કાપી નાખી હતી. આ ઘટનાથી દલિતોને લાખોનું નુકસાન થયું છે અને તેમનામાં ભયનો માહોલ છે. ગામલોકોએ આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરો ભાજપના સમર્થકો હતા અને ધમકી આપી હતી કે દલિત સમાજે ભાજપને મત ન આપ્યો હોવાથી આ સજા આપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડો. આંબેડકરની પ્રતિમા તોડી નાખી, ગામમાં તણાવ વધ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હુમલાખોરોએ ન માત્ર દલિતોના ઘરોને નિશાન બનાવ્યા હતા પરંતુ બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પણ તોડી નાખી હતી. ગામલોકાના કહેવા પ્રમાણે, આ પ્રતિમા દલિત સમાજ માટે આદર અને પ્રેરણાનું પ્રતિક હતી, પરંતુ આરોપીઓએ તેને પણ છોડી નહોતી. આ ઘટના બાદ ગામમાં ભારે આક્રોશ અને નિરાશાનું વાતાવરણ છે, કારણ કે દલિત સમાજ બાબાસાહેબની પ્રતિમાને તોડવાને તેમની ઓળખ અને અધિકારો પર સીધો હુમલો માની રહ્યો છે. બાબાસાહેબની પ્રતિમા તોડ્યા બાદ ગ્રામજનોમાં રોષ વધી ગયો છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસની ગાડીઓ ઘટના સ્થળે હાજર હતી, છતાં કોઈ કાર્યવાહી ન કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે, હુમલાખોરોએ હુમલો કર્યો ત્યારે પોલીસના વાહનો ત્યાં હાજર હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. સ્થાનિકોનું કહેવું છે કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં પોલીસના વાહનો સ્પષ્ટપણે જોઈ શકાય છે, તેમ છતાં અધિકારીઓ આ ઘટના અંગે ખૂલીને બોલવાથી દૂર ભાગી રહ્યાં છે. આ ઘટના બાદ પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતાને કારણે ગામલોકો લાચારી અનુભવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિજયપુરમાં પણ મતદાન દરમિયાન હોબાળો થયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પહેલા પણ વિજયપુરમાં મતદાન દરમિયાન તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ પ્રિસાઇડિંગ ઓફિસર પર હુમલો કરીને મતદાનમાં ભારે અડચણો પેદા કરી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે વહીવટીતંત્રે બંને ઉમેદવારોને નજરકેદ કરી દીધા હતા અને આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી દરમિયાન અહીં ભારે તણાવનો માહોલ હતો જે બાદમાં આ હિંસક ઘટનામાં પરિવર્તિત થઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના બાદ ગામલોકોની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હુમલા બાદ સ્થાનિક તંત્ર પર આકરા સવાલો ઉઠી રહ્યા છે કે તેણે આ મામલે યોગ્ય પગલાં કેમ ન લીધા. દલિતવાસના લોકોએ હવે સુરક્ષાની માંગ કરી છે. આ ઘટનાથી માત્ર વિજયપુરમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં, ખાસ કરીને દલિત સમાજમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસની નિષ્ક્રિયતા અને વહીવટીતંત્રનું મૌન બંને સવાલોના ઘેરામાં છે અને તેનાથી દલિતોની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/brahmins-attack-in-buddha-katha-babasahebs-photo-torn-six-dalit-injured">બુદ્ધ કથામાં બ્રાહ્મણોનો હુમલોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 17 Nov 2024 09:08:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1560</Articleid>
                    <excerpt>મતદાન ન કરવા બદલ ભાજપ સમર્થકોએ દલિતોના ઘરો સળગાવ્યા, પથ્થરમારો કર્યો, બાબાસાહેબની પ્રતિમા પણ તોડી નાખી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673960bb2bb76.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673960bae690f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673960bae690f.jpg" length="82380" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>babasaheb, Bjp, Madhya Pradesh News.Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ટ્રેક્ટર હટાવવા મુદ્દે લોહીયાળ જંગ, ગોળી વાગતા દલિત યુવકનું મોત</title>
                    <link>https://khabarantar.com/bloody-fight-over-tractor-removal-dalit-youth-dies-after-being-shot</link>
                    <guid>https://khabarantar.com/bloody-fight-over-tractor-removal-dalit-youth-dies-after-being-shot</guid>
                    <description>
                        <![CDATA[ દલિતો અને સવર્ણો વચ્ચે એક વર્ષથી બબાલ ચાલતી હતી. 6 મહિના અગાઉ એક દલિત યુવકનું ખૂન થયું હતું, આજે ફરી એક યુવકની હત્યા થઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો દલિતો સાથે માથાકૂટ થાય ત્યારે કાયદો વ્યવસ્થાની જરાય પરવા નથી કરતા. દલિતોની રાજકીય પહોંચ ઓછી હોવાથી તેઓ નિર્દોષ હોવા છતાં તેમને અન્યાય થાય છે. પરિણામે આરોપીઓની હિંમત વધે છે અને તેઓ ફરી દલિતોને સબક શીખવાડવાની તક શોધતા રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના ગઈકાલે ઘટી ગઈ. જેમાં એક ગામમાં દલિતો અને કથિત સવર્ણો સાથે વચ્ચે જૂથ અથડામણ થઈ ગઈ, જેમાં એક દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થઈ ગયું. જ્યારે બીજા અનેક લોકો ઘાયલ થયા છે. મામલો જાતિવાદ અને લુખ્ખાગીરી માટે કુખ્યાત યુપીનો છે. અહીં ગ્રેટર નોઈડામાં ગઈકાલે સવારે રસ્તા પરથી ટ્રેક્ટર હટાવવાના વિવાદને લઈને બે પક્ષો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. રબુપુરાના ભીકનપુર ગામમાં એક પક્ષે દલિતો પર હુમલો કર્યો, જેમાં મારામારી, પથ્થરમારો અને ગોળીબારના કારણે એક દલિત યુવકનું મોત થઈ ગયું. ઘટનાના વિરોધમાં ગામલોકોએ પોલીસ સ્ટેશનમાં હંગામો કર્યો. ગામમાં એક વર્ષથી જાતિગત નફરતની આગ સળગી રહી હતી. અહીં એક વર્ષ પહેલા એક દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી બંને કોમ વચ્ચે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પ્રવર્તે છે. પોલીસે આ મામલે 14 લોકો સામે નામજોગ જ્યારે 12 અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. મારામારી બાદ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજકારણ પણ ભળ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું બન્યું હતું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા પ્રમાણે ભીકનપુર ગામનો દલિત યુવક શીશપાલ શુક્રવારે સવારે 6.30 વાગ્યે ટ્રેક્ટર લઈને ખેતર તરફ જઈ રહ્યો હતો. આરોપ છે કે ગામના અન્ય સમાજના વ્યક્તિની કાર રસ્તા વચ્ચે ઉભી હતીય શિશપાલે તેને કાર હટાવવાનું કહ્યું, પરંતુ પેલાએ કાર હટાવવાને બદલે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું અને તેમાં બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ. જ્યારે શિશપાલના પિતા વિજયપાલ આરોપીને આ મામલે ફરિયાદ કરવા પહોંચ્યા તો તેમણે તેને લોખંડના સળિયાથી માર્યો અને તેનું માથું ફોડી નાખ્યું. એટલું જ નહીં, આરોપીઓએ તેમને બચાવવા આવેલા અન્ય લોકો પર પણ હુમલો કર્યો હતો. જોતજોતામાં આખો મામલો જૂથ અથડામણમાં પરિવર્તિત થઈ ગયો હતો. ઘટનામાં કમલ, શનિ અને શરબતી નામના દલિત યુવકો ગોળી વાગવાથી ઘાયલ થયા હતા, જેમાં કમલનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોએ પાંચ કલાક સુધી સૂત્રોચ્ચાર કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીખાનપુર ગામમાં બે પક્ષો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતા ભારે હોબાળો થયો હતો. દલિત સમાજના લોકોએ રબુપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને આરોપીઓની ધરપકડની માંગ સાથે લગભગ પાંચ કલાક સુધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. એ પછી એડિશનલ પોલીસ કમિશનર લો એન્ડ ઓર્ડર શિવ હરિ મીણા ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને શાંત કર્યા.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પોલીસ પર આરોપીઓને છોડી મૂકવાનો આક્ષેપ</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવતા દલિત પક્ષના લોકોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ગામલોકોએ આરોપ છે કે, ગોળીબાર થયાની સૂચના મળતા ગામમાં પહોંચેલી પોલીસની ગાડીએ બે હુમલાખોરોને પકડી લીધા હતા, અને પછી તેમને રસ્તામાં જ છોડી દીધા હતા. જ્યારે તેઓ ઘાયલોને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા તો પોલીસે તેમના પર જ મારામારી કરવાનો આરોપ લગાવ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6738ae463c13b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોળીથી ઘાયલ થયેલા લોકો લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનમાં હાલાકી ભોગવતા રહ્યા, પરંતુ પોલીસ મામલો દબાવવામાં વ્યસ્ત હતી. બાદમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જતી વખતે પોલીસે તેમના પરિવારજનોને સાથે લઈ જવાનો ઈન્કાર કર્યો હતો, જેના કારણે દલિતોએ પોલીસ પર આરોપીઓ સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્યાગી સમાજના ત્રણ આરોપીઓની ધરપકડ કરાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયદો અને વ્યવસ્થા વિભાગના પોલીસ કમિશનર શિવહરી મીણાએ જણાવ્યું હતું કે પીડિત પક્ષની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધ્યો છે. મારામારી દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ અન્ય આરોપીઓની શોધમાં દરોડા પાડી રહી છે. આ મામલામાં કેસ નોંધ્યા પછી પોલીસે ત્રણ ટીમો બનાવી છે, જે ટૂંક સમયમાં નામજોગ આરોપીઓ નીતિન ત્યાગી, નિખિલ ત્યાગી અને આશુ ત્યાગીની ધરપકડ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અગાઉ પણ જૂથ અથડામણમાં હત્યા થઈ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીકનપુર ગામમાં ગયા વર્ષે પણ દલિતો અને આરોપીઓ વચ્ચે જાતીય તંગદિલી સર્જાઈ હતી, જેમાં એક દલિત યુવકની ચાકૂના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતક યુવકના પરિવારજનોએ ગામના અનેક લોકો સામે કેસ કર્યો હતો. આ કેસના આરોપીઓ હજુ પણ જેલમાં છે. આ ઘટનાના પડઘા હજુ શમ્યાં નથી ત્યાં ફરી બબાલ થઈ છે. ગઈકાલે બનેલી ઘટના પાછળ પણ આ જ વિવાદ જવાબદાર હોવાનું મનાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકનો મૃતદેહ દલિતવાસમાં પહોંચતા દલિતોનો રોષ ભભૂકી ઉઠ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકનો મૃતદેહ ગઈકાલે રાત્રે લગભગ 9 વાગે ગામમાં પહોંચ્યો હતો, એ વખતે દલિત સમાજના લોકો રોષે ભરાયા હતા અને બદલો લેવા માટે આરોપીના ઘર તરફ આગળ વધ્યાં હતા. પરંતુ પોલીસે કોઈક રીતે તેમને અટકાવ્યા હતા. દલિત સમાજના લોકોએ ન્યાયની સાથે મૃતકના પરિવારને આર્થિક મદદની માંગ કરી છે. પોલીસ અને કેટલાક રાજકીય લોકોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા દરમિયાનગીરી કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હજુ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિકારીઓએ આર્થિક મદદની ખાતરી આપી, જેના કારણે લોકો શાંત થયા હતા. ત્યારબાદ પોલીસે યુવકના અંતિમ સંસ્કાર કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિવારે રાત્રિનો સમય હોવાનું કહીને અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી હતી. આજે સવારે દલિત યુવકના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જો કે, હજુ પણ ગામમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે અને ગમે ત્યારે પરિસ્થિતિ વણસી શકે તેમ હોવાથી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/bloody-war-over-installation-of-dr-ambedkars-statue-8-dalits-injured">ડૉ. આંબેડકરની પ્રતિમા લગાવવા મુદ્દે લોહીયાળ જંગ, 8 દલિતો ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 16 Nov 2024 20:13:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1559</Articleid>
                    <excerpt>દલિતો અને સવર્ણો વચ્ચે એક વર્ષથી બબાલ ચાલતી હતી. 6 મહિના અગાઉ એક દલિત યુવકનું ખૂન થયું હતું, આજે ફરી એક યુવકની હત્યા થઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6738ae2210127.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6738ae21d171e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6738ae21d171e.jpg" length="130856" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit youth murder, Greater Noida, Noida News, Dalit Crime News</media:keywords>
                </item>
                        <item>
                    <title>કચ્છના 8 ગામોમાં દલિતોને 147 એકર જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપાયો</title>
                    <link>https://khabarantar.com/direct-possession-of-147-acres-of-land-given-to-dalits-in-8-villages-of-kutch</link>
                    <guid>https://khabarantar.com/direct-possession-of-147-acres-of-land-given-to-dalits-in-8-villages-of-kutch</guid>
                    <description>
                        <![CDATA[ આ જમીનો પર વર્ષોથી માથાભારે તત્વો કબ્જો જમાવીને બેસી ગયા હતા. પણ સામાજિક કાર્યકરોની અથાગ મહેનતને કારણે જમીન પરત મળી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છમાં માથાભારે તત્વો દ્વારા વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓ કે સ્થાનિક દલિતોને સરકારી ધોરણે કાયદેસર રીતે ફાળવવામાં આવેલી હજારો એકર જમીનો પડાવી લેવામાં આવી છે. અનેક સરકારો આવીને ગઈ પણ જાતિવાદી તત્વો આ જમીનો પર કાળોતરા નાગની જેમ અડિંગો જમાવીને બેસી ગયા હતા. દલિત સમાજના લોકો જો તેમના હકની આ જમીનોની માંગ કરવા જાય તો આ તત્વો દાદાગીરી પર ઉતરી આવતા હતા. પણ હવે અનુસૂચિત જાતિ સમાજના સક્રિય આગેવાનોની મહેનતને કારણે ધીરેધીરે આ જમીનો તેના અસલી લાભાર્થીઓ એવા દલિત સમાજના લોકો અને મંડળીઓને મળી રહી છે. હાલમાં જ આ રીતે વધુ 8 ગામોમાં કુલ 147 એકર જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને કબ્જા પાવતી સાથે સોંપવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગાંધીનગર સુધી રજૂઆત કરાઈ હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના સામાજિક કાર્યકરો દ્વારા આ મામલે છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી સૂચના અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાની દરમિયાનગીરીથી તાત્કાલિક માથાભારે તત્વો દ્વારા દબાવી રાખવામાં આવેલી આ જમીનોની વિગતો માંગવામાં આવી હતી અને સ્થાનિક તંત્રને આ જમીનો તેના અસલી માલિકો એવા દલિતોને સોંપી દેવા આદેશ કરાયો હતો. જેનો હવે ધીરેધીરે અમલ થઈ રહ્યો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673881c772a7a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટરની સૂચનાથી તા. 13-14 નવેમ્બરના રોજ ભચાઉ પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી મંડળીની જમીનો અહીંના સુખપર, મોરગર, વાકિયા, લાખાપર, ધોળાવીરા, જમાણ, નારણસીરી, શિકારપુર સહિતના 8 ગામોમાં અલગ અલગ રેવન્યૂ સર્વે નંબર મળીને કુલ 147 એકર ગુંઠા જેટલી જમીન ખૂલ્લી કરાવી, તેમાં ડીઆઈએલઆર ભૂજની ટીમ દ્વારા સ્થળ પર જઈ ચતુર્દિશા નક્કી કરી કાયમી ખૂંટ ખોડીને અનુસૂચિત જાતિ સમાજની મંડળીના પ્રમુખ વીરજભાઈ દાફડા અને ગામના સભાસદોને સોંપણી કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંડળીના પ્રમુખ શું કહે છે?</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6738824937b63.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભચાઉ અનુસૂચિત જાતિ ખેતી મંડળીના પ્રમુખ વીરજીભાઈ દાફડાએ ખબરઅંતર.કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "મુખ્યમંત્રીની સીધી સૂચના બાદ સાંસદશ્રીના સક્રિય પ્રયાસોને કારણે આજે અમને વર્ષોથી માથાભારે તત્વોએ દબાવી રાખેલી જમીનોનો પ્રત્યક્ષ કબ્જો મળી શક્યો છે. ભચાઉ મામલતદારે તા. 13 નવેમ્બર 2024 થી 5 ડિસેમ્બર 2024 સુધીમાં તમામ બાકી રહેતી જમીનોના પ્રત્યક્ષ કબ્જા સ્થળ પર સોંપવામાં આવશે તેમ જણાવ્યું છે. કચ્છ જિલ્લામાં કાર્યરત અનુસૂચિત જાતિની મંડળીઓની જમીનોના સ્થળ પર કબ્જા મળે તેના માટે સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી અને નીલ વિંઝોડા વર્ષોથી સતત લેખિત-મૌખિક રજૂઆતો કરતા હતા. આ બંને કાર્યકરોની રાતદિવસની મહેનત અને પ્રયાસો તથા સાંસદ વિનોદ ચાવડાના માર્ગદર્શનને કારણે આ કામગીરી ઝડપી બની છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાકીની મંડળીઓને પણ ટૂંક સમયમાં જમીન સોંપાશે</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6738819f8bbfd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલન કરી આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં કાર્યરત અનુસૂચિત જાતિ ખેતી મંડળીની બાકી રહેતી તમામ જમીનોના પ્રત્યક્ષ કબ્જા, હિસ્સા માપણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. ટૂંક સમયમાં રાપર તાલુકા અનુસૂચિત જાતિ ખેતી મંડળીની ગેડી ગામે આવેલી જમીન પર પણ કબ્જા સોંપણી, હિસ્સા માપણી અને ખૂંટ ખોડી જમીન બતાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ સિવાય ભૂજ તાલુકા અનુસૂચિત જાતિની મંડળીની જમીનો પૈકી કનૈયાબે, કુમરીયા અને ધ્રંગ સહિત ચાર ગામમાં પણ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીનોના પ્રત્યક્ષ કબ્જા સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંડળીના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6738825bd3d18.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી મંડળીને જમીનોના પ્રત્યક્ષ કબ્જાની સોંપણી વખતે મંડળીના પ્રમુખ વિરજીભાઈ દાફડા, સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી, નીલ વિંઝોડા, ભીમા કોરેગાંવના પ્રમુખ સુરેશભાઈ કાઠેચા, સુરેશભાઈ વાઘેલા, વિશાલભાઈ પંડ્યા, અજય મહેશ્વરી, હરીભાઈ પરમાર, લખુભાઈ વાઘેલા, હંસાબેન ચાવડા, પારૂબેન લૌયા, સંજુભાઈ ભોઈયા, રમેશભાઈ દાફડા, ભચાઉ મામલતદાર, સર્વેયરો, સ્થાનિક તલાટી મંત્રી તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર પણ જોડાયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીની મહેનત રંગ લાવી</span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673882047a968.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કચ્છના સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી પક્ષાપક્ષીના રાજકારણમાં પડ્યાં વિના વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજ માટે જમીની લેવલે કામ કરી રહ્યાં છે. અગાઉ તેઓ આ જમીનોના મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાને પણ રજૂઆત કરી ચૂક્યા છે. હાલમાં એસસી-એસટી પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયરના મુદ્દે પણ તેમણે ખૂલીને વિરોધ કર્યો હતો. સામાન્ય રીતે સત્તાપક્ષ સાથે જોડાયેલી વ્યક્તિ પક્ષ સામે પડવાથી ડરતી હોય છે. પરંતુ નરેશ મહેશ્વરી કોઈની પણ પરવા કર્યા વિના માત્ર અનુસૂચિત જાતિ સમાજને વફાદાર રહીને કામ કરતા રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/direct-possession-of-50-acres-of-land-in-kachchh-was-handed-over-to-scheduled-caste-societies"> કચ્છમાં 50 એકર જમીનનો પ્રત્યક્ષ કબજો અનુસૂચિત જાતિની મંડળીઓને સોંપાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 16 Nov 2024 17:04:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1558</Articleid>
                    <excerpt>આ જમીનો પર વર્ષોથી માથાભારે તત્વો કબ્જો જમાવીને બેસી ગયા હતા. પણ સામાજિક કાર્યકરોની અથાગ મહેનતને કારણે જમીન પરત મળી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67388184aef11.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6738818476e14.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6738818476e14.jpg" length="145619" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bhachau Scheduled Caste Agriculture Society, Dalit Land</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજપૂત પરિવારે વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન પોતાના ઘરે કરાવ્યા</title>
                    <link>https://khabarantar.com/rajput-family-gets-valmiki-community-daudhter-married-at-their-home</link>
                    <guid>https://khabarantar.com/rajput-family-gets-valmiki-community-daudhter-married-at-their-home</guid>
                    <description>
                        <![CDATA[ આભડછેટ-જાતિવાદને તોડતી ઘટના. આખું ગામ દીકરીના લગ્નમાં સહભાગી થયું. દરેકે કોઈને કોઈ ભેટસોગાદો આપી.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાન તેની જાતિવાદી માનસિકતા અને મહિલા અત્યાચારો માટે કુખ્યાત છે. મહિલાઓ માટે રીતસર નર્ક મનાતા આ પ્રદેશમાં એક મજાની ઘટના બની છે. જાતિવાદી માનસિકતા ધરાવતા આ રાજ્યમાં જાતિવાદ અને આભડછેટના છોતરાં કાઢી નાખતી એક ઘટના ઘટી છે, જ્યાં એક વાલ્મિકી પરિવારની દીકરીના લગ્ન ગામના રાજપૂત પરિવારના ઘરે થયા હતા. દીકરીના લગ્નથી માંડીને તમામ રીતિરિવાજો રાજપૂત પરિવારના ઘરમાં થયા હતા. લગ્નનો તમામ ખર્ચ રાજપૂત પરિવારે ઉપાડી લીધો હતો અને સમગ્ર ગામ આ લગ્નમાં સહભાગી થયું હતું અને દીકરીને યથાશક્તિ ભેટ પણ આપી હતી. જ્યારે રાજપૂત પરિવારના આંગણામાંથી દલિત દીકરીની ડોલી ઉઠી ત્યારે સૌ કોઈની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનના બાલોતરાના નાગાણા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બાડમેર પાસેના બાલોતરા જિલ્લાના નાગાણા ગામની છે. જ્યાં એક વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન ગામના રાજપૂત પરિવારે પોતાના ઘરે યોજ્યા હતા. આ ઘટના એટલા માટે મહત્વની છે કેમ કે, રાજસ્થાનમાં આજે પણ અનેક ગામોમાં દલિત વરરાજાને ઘોડી પર બેસીને પરણવા જવા માટે પોલીસ સુરક્ષા માંગવી પડે છે, નજીવી બાબતમાં દલિતોને માર મારવામાં આવે છે, હત્યા પણ થઈ જાય છે. આવી મોટાભાગની ઘટનાઓમાં કથિત ઉચ્ચ જાતિના લોકો સામેલ હોય છે. ત્યારે આ ઘટનાએ સૌને સુખદ આંચકો આપ્યો છે. અહીં રાજપૂત પરિવારે દલિત દીકરીના લગ્ન પોતાના આંગણે યોજીને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું જેની પહેલની ચોતરફ પ્રશંસા થઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સજ્જનસિંહે લગ્નનો તમામ ખર્ચ ઉપાડ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, નાગાણા ગામના સજ્જનસિંહ રાવલે પોતાના ઘરે દલિત દીકરીના લગ્ન કરાવ્યા હતા. આ સમગ્ર લગ્નનો ખર્ચ પણ સજ્જન સિંહે ઉઠાવ્યો હતો. આ લગ્નમાં રાજપૂત પરિવાર સાથે આખું ગામ સામેલ થયું હતું. અહીં વાલ્મિકી સમાજના જસારામ વાલ્મિકીની પુત્રી કુસુમલતાના બે દિવસ પહેલા લગ્ન થયા હતા. કુસુમલતા સાથે લગ્ન કરવા આવેલો વર સંજય કુમાર નાગૌરનો રહેવાસી છે અને જાન પણ નાગૌરથી જ આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સજ્જનસિંહે અને તેમના પત્નીએ કન્યાદાન કર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામના રાજપૂત સજ્જન સિંહે કુસુમલતાના પરિવારને વિનંતી કરી હતી કે તેઓ તેના લગ્ન પોતાના ઘરે કરવા પરવાનગી આપે. જેને કુસુમલતાના પરિવારે ખુશીથી સ્વીકારી લીધો હતો. ત્યારપછી લગ્નની તમામ વિધિ સજ્જન સિંહના ઘરે જ થઈ હતી. એટલું જ નહીં, તેમણે અને તેમના પત્નીએ દીકરીના લગ્નનની તમામ વિધિ કરી હતી. સજ્જનસિંહે દીકરીના પરિવાર સાથે કન્યાદાન પણ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજપૂત પરિવારે વરરાજાને જાતે ઘોડી પર બેસાડી ઓવારણાં લીધાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાગૌરથી આવેલી જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વરરાજાને ઘોડી પર બેસાડીને તોરણ વંદન કરાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં રાજપૂત પરિવારની મહિલાઓ-દીકરીઓએ વરરાજાનું સ્વાગત કરી ઓવારણાં પણ લીધાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સજ્જન સિંહ કહે છે, "મારા ઘરે વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન થયા એ સૌભાગ્યની વાત છે. અસ્પૃશ્યતાનો ત્યાગ કરવો જોઈએ અને સમગ્ર દેશમાં પરસ્પર ભાઈચારો અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવું જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અજમેરમાં પણ આવી સુખદ ઘટના બની હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ અજમેરમાં પણ આવી જ પહેલ કરવામાં આવી હતી. જ્યાં એક દલિત દીકરીના લગ્ન દરમિયાન રાજપૂત સમાજ દ્વારા ઘોડી પર બિંદૌલી કાઢવામાં આવી હતી. રાજપૂત સમાજના પ્રબુદ્ધ લોકોએ દલિત દીકરીની ઘોડીની લગામ પકડી રાખી હતી. હવે પશ્ચિમી રાજસ્થાન, જે ભારે જાતિવાદી વિસ્તાર ગણાય છે ત્યાં એક રાજપૂતના ઘરે દલિત દીકરીના લગ્ન થવાથી એક નવો ચીલો ચાતરાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/The-Thakor-Samaj-of-Charadu-village-in-Kalol-filled-the-marriage-of-Valmiki-Samajs-daughter">કલોલના ચરાડુ ગામના ઠાકોર સમાજે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભર્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 16 Nov 2024 14:44:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1557</Articleid>
                    <excerpt>આભડછેટ-જાતિવાદને તોડતી ઘટના. આખું ગામ દીકરીના લગ્નમાં સહભાગી થયું. દરેકે કોઈને કોઈ ભેટસોગાદો આપી. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67386200efa02.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67386200be30e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67386200be30e.jpg" length="85560" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rajput family, Valmiki community</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;તારો સાળો એ મારો સાળો&amp;quot; ની મશ્કરીમાં દલિત યુવકે જીવ ગુમાવ્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-lost-his-life-in-a-joke-of-your-brother-in-law-is-my-brother-in-law</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-lost-his-life-in-a-joke-of-your-brother-in-law-is-my-brother-in-law</guid>
                    <description>
                        <![CDATA[ સુરેન્દ્રનગરમાં મિત્રની પાર્ટીમાં મિત્રો વચ્ચે બહેન અંગે કરાયેલી મશ્કરીમાં એક દલિત યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાંચો આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગરની ઉમિયા-3 સોસાયટીમાં મિત્રના બર્થડે પર ખાનગીમાં યોજાયેલી પાર્ટીમાં મશ્કરી બાદ થયેલી બોલાચાલીમાં એક દલિત યુવકે જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક મિત્રના જન્મદિવસે સુરેન્દ્રનગર આવ્યો હતો. જ્યાં રાત્રે એક ધાબા પર પાર્ટી યોજાઈ હતી. એ દરમિયાન એક યુવક સાથે બહેનને લઈને મશ્કરી થતા બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર બનતા સાળાા-બનેવીએ યુવકને ધક્કો મારી દેતા તે ધાબા પરથી નીચે પટકાયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. આ મામલે બી ડીવીઝન પોલીસ મથકે સાળા-બનેવી સામે ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેવી રીતે ઘટના ઘટી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગરની સીંધી સોસાયટીમાં રહેતો 34 વર્ષીય ચંદનભાઈ જગદીશભાઈ પરમાર હાલ રાજકોટ રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તા. 13 નવેમ્બરના રોજ તે સુરેન્દ્રનગર જ રહેતા તેના મિત્ર હિતેશ મકવાણાનો જન્મદિવસ હોઈ સુરેન્દ્રનગર આવ્યો હતો અને રાતના સમયે વઢવાણના નવા 80 ફુટ રોડ પર આવેલ ઉમીયા-3 સોસાયટીના ગેટ પાસે ર માળના કોમ્પલેક્ષના ધાબે તેઓ પાર્ટી કરતા હતા. એ દરમિયાન નવજીવન સોસાયટીમાં રહેતો વિશાલ સોલંકી અને તેનો સાળો પાર્થ વાઘેલા પણ હાજર હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઝપાઝપીમાં ધાબા પરથી ધક્કો મારી દીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાર્ટીના દરમિયાન વિશાલ અને ચંદનને બોલાચાલી થઈ હતી. જેમાં વિશાલ અને પાર્થે ચંદન સાથે ઝપાઝપી કરી હતી અને કોમ્પલેક્ષના ધાબા ઉપરથી નીચે ધક્કો મારી દેતા ચંદનનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. બનાવની જાણ થતા આસપાસના લોકો ઉમટી પડયાં હતાં. જયારે બી ડીવીઝન પીએસઆઈ એસ.એમ.શેખ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની લાશને પીએમ માટે ગાંધી હોસ્પીટલ લઈ જવાઈ હતી. આ બનાવમાં મૃતક ચંદનના પિતા જગદીશભાઈ સોમાભાઈ પરમારની ફરિયાદને આધારે બન્ને સાળા-બનેવી સામે હત્યાનો ગુનો નોંધાયો છે. આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધાબા પરથી પ્લાસ્ટિકના ગ્લાસ મળ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકના ભાઈ મુકુંદ પરમારે જણાવ્યુ કે, હું કામસર તા. 13મીએ ભાવનગર ગયો હતો. જયાં મને ફોન દ્વારા ચંદનનું કોમ્પલેક્ષના ધાબા પરથી પડવાથી મોત થયાની જાણ થઈ હતી. એથી સુરેન્દ્રનગર આવીને જોતા ચંદનનો મૃતદેહ જોવા મળ્યો હતો. ધાબા પરથી પ્લાસ્ટીકના ગ્લાસ અને ચંદનની તુટેલી ઘડીયાળ મળી આવી છે. આથી બનાવ સમયે તેની સાથે ઝપાઝપી કરાઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહેનને લઈને કરાયેલી મશ્કરી હત્યા સુધી પહોંચી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મિત્ર હિતેશની બર્થડે પાર્ટી કરી રહેલા ચારેય વચ્ચે સામાન્ય મશ્કરીઓ ચાલતી હતી. ત્યારે આવેલો વિશાલ તેની સાથે તેના સાળા પાર્થ વાઘેલાને લઈને આવ્યો હતો અને ચંદન સાથે ઓળખાણ કરાવી હતી. આ સમયે "તારો સાળો એ મારો સાળો" તેમ ચંદને કહેતા મામલો બીચકયો હતો અને વિશાલ તથા ચંદન વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી ઉગ્ર બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ન્યાયની માગણી સાથે લાશ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક ચંદનના મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોએ પોલીસને આરોપીઓને પકડો ત્યારબાદ જ લાશ સ્વીકારાશે તેમ કહીને ઈન્કાર કરી દીધો હતો. આથી ડીવાયએસપી વી. બી. જાડેજા ગાંધી હોસ્પિટલ દોડી ગયા હતા અને મૃતકને ન્યાય મળશે તેવી કાર્યવાહીની ખાતરી આપી હતી. અને બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. આથી મોડી સાંજે પરિવારજનોએ લાશને સ્વીકારી અંતીમ સંસ્કાર કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/was-she-sitting-on-the-living-pyre-of-her-own-accord-or-was-she-put-on-it">એ પોતાની મરજીથી જીવતી ચિતા પર બેઠી હતી કે બેસાડવામાં આવી હતી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 15 Nov 2024 12:08:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1553</Articleid>
                    <excerpt>સુરેન્દ્રનગરમાં મિત્રની પાર્ટીમાં મિત્રો વચ્ચે બહેન અંગે કરાયેલી મશ્કરીમાં એક દલિત યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાંચો આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6736ebd096e6d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6736ebd06092d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6736ebd06092d.jpg" length="101687" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Surendra Nagar News</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરિયાણામાં આજથી સરકારી નોકરીઓમાં SC પેટા વર્ગીકરણ લાગુ</title>
                    <link>https://khabarantar.com/sc-sub-categorization-to-be-implemented-in-government-jobs-in-haryana-from-today</link>
                    <guid>https://khabarantar.com/sc-sub-categorization-to-be-implemented-in-government-jobs-in-haryana-from-today</guid>
                    <description>
                        <![CDATA[ દલિતોને &#039;બટેંગે તો કટેંગે&#039;ની ચર્ચામાં વ્યસ્ત રાખીને હરિયાણામાં ભાજપની નાયબસિંહ સૈનીની સરકારે છાનામાના દલિતોને બાંટી દીધાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા સરકારે રાજ્યમાં સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ (SC) ના આરક્ષણમાં પેટા-વર્ગીકરણ માટેનો આદેશ જારી કર્યો છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ મંગળવારે વિધાનસભામાં આ નિર્ણયની જાણકારી આપી. આ સાથે જ હરિયાણામાં સાંજે 5 વાગ્યાથી અનુસૂચિત જાતિમાં પેટા-વર્ગીકરણ લાગુ થઈ ગયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાથે જ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હરિયાણા પહેલું એવું રાજ્ય બની ગયું છે જેણે દલિતોમાં ફાટફૂટ પડાવતા આ વિવાદિત નિર્ણયનો સૌથી પહેલા અમલ કર્યો છે. હરિયાણાની ભાજપ સરકારના આ નિર્ણય પરથી તેમની દલિત વિરોધી હોવાની છાપ વધુ સ્પષ્ટ બની છે. એક બાજુ વડાપ્રધાન મોદીથી લઈને ભાજપના અનેક મોટા નેતાઓ જાહેરમાં વિપક્ષો દલિતોની અનામત ખતમ કરી દેશે તેવી વાતો કરે છે, બીજી તરફ દલિતોમાં ભાગલા પાડી અનામતને ખતમ કરી દેવાનું સૌથી પહેલું પગલું ભાજપની જ સરકારે ઉઠાવ્યું છે. નાયબ સૈનીએ તો સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો એ જ દિવસે તેઓ આ નિર્ણયનો અમલ કરશે તેવી જાહેરાત કરી દીધી હતી. પરંતુ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી હોવાથી તેઓ મૌન થઈ ગયા હતા. હવે ફરી જ્યારે તેઓ સત્તામાં પરત ફર્યા છે ત્યારે તેમણે અસલી દલિત વિરોધ રંગ બતાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના 1 ઓગસ્ટ, 2024ના આદેશને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે રાજ્ય સરકારોને SC અને ST અનામતમાં પેટા-વર્ગીકરણ કરવાની મંજૂરી આપી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સામાજિક અને આર્થિક દૃષ્ટિકોણથી એસસી અને એસટી સમાજોમાં ફરક છે અને કેટલીક જાતિઓ અન્ય કરતાં વધુ પછાત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા સરકારે 18 ઓક્ટોબરે તેની પ્રથમ કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા રચાયેલ હરિયાણા રાજ્ય અનુસૂચિત જાતિ આયોગે અનુસૂચિત જાતિ અનામતને બે કેટેગરીમાં વિભાજીત કરવાની ભલામણ કરી હતી - અત્યંત પછાત અનુસૂચિત જાતિ (DSC) અને અન્ય અનુસૂચિત જાતિ (OSC).</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">DSC કેટેગરીમાં 36 જાતિઓનો સમાવેશ થાય છે, જેમાં ધનક, બામિક, મજહબી શીખ, ખટીક જેવી જાતિઓનો સામેલ છે, જેમને સરકારી નોકરીઓમાં અનામતના 50 ટકા હિસ્સાનો લાભ મળશે. જ્યારે OSC કેટેગરીમાં ચમાર, જટિયા ચમાર, રેહગર, રૈગર, રામદાસી, રવિદાસી, જાટવ, મોચી અને રામદાસિયા જેવી જાતિઓનો સમાવેશ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાની સરકાર આ પગલાને અનુસૂચિત જાતિના નબળા વર્ગોને વધુ પ્રતિનિધિત્વ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માની રહી છે, પણ વાસ્તવમાં તે દલિતોમાં કાયમી વૈમનસ્ય પેદા કરીને તેમને એક થતા રોકવાનું ભયંકર ષડયંત્ર છે એવું દલિત સમાજનો બૌદ્ધિક વર્ગ માને છે. જોવાનું એ રહેશે કે 22 ટકા વસ્તી ધરાવતો હરિયાણાનો દલિત સમાજ આ નિર્ણયને લઈને શું પ્રતિક્રિયા આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/everyone-had-the-same-voice-we-will-not-let-the-meli-murad-of-the-government-be-fulfilled">મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 15 Nov 2024 11:00:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1552</Articleid>
                    <excerpt>દલિતોને &#039;બટેંગે તો કટેંગે&#039;ની ચર્ચામાં વ્યસ્ત રાખીને હરિયાણામાં ભાજપની નાયબસિંહ સૈનીની સરકારે છાનામાના દલિતોને બાંટી દીધાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6736dc672f4fd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6736dc66ecf5e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6736dc66ecf5e.jpg" length="93924" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>DSC, OSC, Reservation, SC Sub-classification</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હીને મળ્યાં દલિત મેયર, AAP ના મહેશ ખીંચી ત્રણ મતથી જિત્યા</title>
                    <link>https://khabarantar.com/delhi-gets-dalit-mayor-aaps-mahesh-khinchi-wins-by-three-votes</link>
                    <guid>https://khabarantar.com/delhi-gets-dalit-mayor-aaps-mahesh-khinchi-wins-by-three-votes</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ અને આપની જાતિવાદી રાજનીતિને કારણે દિલ્હીમાં દલિત મેયરનો કાર્યકાળ 7 મહિનાથી ઘોંચમાં પડ્યો હતો. જો કે ફાઈનલી દિલ્હીને દલિત મેયર મળ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના મેયર પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મહેશ કુમાર ખીંચીએ જીત મેળવી છે. તેમણે ભાજપના ઉમેદવાર કિશનલાલને 3 મતથી હરાવ્યા હતા. જીત બાદ ખીંચીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો દિલથી આભાર માન્યો હતો અને ચૂંટણીમાં વિલંબ માટે ભાજપને જવાબદાર ગણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;">મેયરની ચૂંટણી માટે કુલ 263 વોટ પડ્યા હતા, જેમાંથી AAPના ઉમેદવાર મહેશ ખીંચીને 133 વોટ મળ્યાં હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કિશનલાલને 130 વોટ મળ્યા હતા. જ્યારે 2 મત અમાન્ય બન્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશ ખીચીની જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા અને લખ્યું, “દલિત વિરોધી ભાજપે કાવતરું ઘડ્યું અને મેયરની ચૂંટણીમાં વિલંબ કર્યો. પરંતુ ફરી એકવાર બાબા સાહેબના બંધારણની જીત થઈ છે. આમ આદમી પાર્ટીના કારણે દિલ્હીને એક દલિત મેયર મળ્યો. મહેશ ખીંચીજીને મેયર બનવા બદલ અભિનંદન! હું આશા રાખું છું કે તમારા નેતૃત્વમાં MCDમાં અરવિંદ કેજરીવાલજીના કાર્યની રાજનીતિ આગળ વધશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે મહેશ ખીંચી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશ ખીંચી દિલ્હીના કરોલ બાગના દેવનગર વોર્ડ-84ના આમ આદમી પાર્ટીના કાઉન્સિલર છે. મેયરની ચૂંટણીમાં તેમને કુલ 133 વોટ મળ્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિશનલાલને તેમના કરતા માત્ર 3 મત ઓછા મળ્યા હતા. એટલે કે કુલ 130 મળ્યા હતા. મહેશ ખીંચી અનુસૂચિત જાતિમાંથી ત્રીજા મેયર બનશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ખીંચી લોકસભા ચૂંટણી ભારે સક્રીય હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશ ખીંચી જે લોકસભાની ચૂંટણી દરમિયાન ખૂબ જ સક્રિય જોવા મળ્યા હતા. તેમણે દિલ્હીની મોતીલાલ નેહરુ કોલેજમાંથી B.Com નો અભ્યાસ કર્યો છે. તેમના શિક્ષણ પછી તેઓ તેમના વોર્ડમાં ખૂબ જ સક્રિય રહ્યાં છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ તેઓ ખૂબ જ સક્રિય જોવા મળ્યા હતા. તેમણે નવી દિલ્હી લોકસભા સીટ પરથી ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર સોમનાથ ભારતી માટે મત માંગ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શેલી ઓબેરોય બાદ મેયર પદ સંભાળશે </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્યાર સુધી મેયર પદે શેલી ઓબેરોય એક્સટેન્શન પર હતા. તેઓ ફેબ્રુઆરી 2023 માં મેયર તરીકે ચૂંટાયા હતા અને ત્યારથી આ પદ સંભાળી રહ્યા હતા. આ વર્ષે એપ્રિલ 2024 સુધીમાં મેયરની ચૂંટણી યોજાવાની હતી, પરંતુ કેટલીક વહીવટી સમસ્યાઓના કારણે તે યોજાઈ શકી ન હતી. પણ હવે ચૂંટણી યોજાઈ છે અને તેમાં મહેશ ખીંચીનો વિજય થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફાઈનલી દિલ્હીને મળ્યાં દલિત મેયર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી કે દલિત વિરોધી ભાજપે કાવતરું ઘડ્યું અને મેયરની ચૂંટણીમાં વિલંબ કર્યો. પરંતુ ફરી એકવાર બાબા સાહેબના બંધારણની જીત થઈ છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના કારણે દિલ્હીને દલિત મેયર મળ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/so-that-the-son-of-a-dalit-does-not-become-the-mayor-the-savarna-parties-are-struggling"> દલિતનો દીકરો મેયર ન બની જાય તે માટે સવર્ણ પાર્ટીઓ ત્રાગા કરે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 14 Nov 2024 21:19:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1549</Articleid>
                    <excerpt>ભાજપ અને આપની જાતિવાદી રાજનીતિને કારણે દિલ્હીમાં દલિત મેયરનો કાર્યકાળ 7 મહિનાથી ઘોંચમાં પડ્યો હતો. જો કે ફાઈનલી દિલ્હીને દલિત મેયર મળ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67361b45272c3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67361b44e8696.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67361b44e8696.jpg" length="89340" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mayoral elections, AAP, BJP, Delhi MCD, Mahesh Khinchi</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હીમાં AAP&amp;BJP નો જાતિવાદ દલિત મેયરના 7 મહિના ખાઈ ગયો</title>
                    <link>https://khabarantar.com/aap-bjps-casteism-in-delhi-ate-up-7-months-of-dalit-mayor</link>
                    <guid>https://khabarantar.com/aap-bjps-casteism-in-delhi-ate-up-7-months-of-dalit-mayor</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હીમાં આજે દલિત મેયર માટે ચૂંટણી યોજાવાની છે. પણ આપ-ભાજપના જાતિવાદને કારણે દલિત મેયરનો કાર્યકાળ 12 મહિનાને બદલે માત્ર 5 મહિના જ રહેશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ આદમી પાર્ટી (AAP) સત્તામાં આવ્યા બાદ આજે દિલ્હી (Delhi) MCDમાં ત્રીજા મેયરની ચૂંટણી (Mayoral elections) યોજાવા જઈ રહી છે. MCD હાઉસની બેઠક આજે બપોરે 2 વાગ્યે યોજાશે. જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર ભાજપના કાઉન્સિલર સત્યા શર્મા (BJP Councilor Satya Sharma) મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હાથ ધરશે. MCDના એડમિનિસ્ટ્રેટર એલજી હોય છે, તેમણે સત્યાની નિમણૂંક કરી છે. સિનિયર મોસ્ટ કાઉન્સિલર હોવાના કારણે સત્યાને આ જવાબદારી સોંપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">AAPએ વર્ષ 2023માં સત્યાની નિમણૂકનો વિરોધ કર્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિસેમ્બર 2022 અને 2023માં પહેલીવાર મેયરની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર બનવા પર પહેલા એલ્ડરમેનો અને બાદમાં ચૂંટાયેલા કાઉન્સિલરોના શપથ લેવાને લઈને MCD હાઉસમાં ભારે હોબાળો થયો હતો. આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ઘણી બેઠકો પછી પણ મેયરની ચૂંટણી શક્ય બની ન હતી. તે સમયે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના કાઉન્સિલર હોવાને કારણે સત્યા શર્માએ ઘણાં એવા પગલાં લીધાં જે ગેરબંધારણીય હતા પરંતુ તેનો સીધો ફાયદો ભાજપને થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાર્ટી દ્વારા કાઉન્સિલરોને આપવામાં આવેલા આદેશો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોનું કહેવું છે કે પાર્ટીએ તમામ કાઉન્સિલરોને પ્રિસાઇડિંગ ઓફિસરના આદેશનું પાલન કરીને ચૂંટણી કરાવવાના આદેશ આપ્યા છે. પાર્ટી હેડક્વાર્ટર ખાતે મનીષ સિસોદિયા ઉપરાંત સંજય સિંહ, કોર્પોરેશનના પ્રભારી દુર્ગેશ પાઠકે વિજયનો મંત્ર આપ્યો હતો. જેનો એજન્ડા મેયરની ચૂંટણી જીતવાનો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગૃહમાં મતદાન સમયે મોબાઈલ ફોન સાથે લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સ્થાયી સમિતિના સભ્યની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો દ્વારા માર્ગદર્શિકાનો વિરોધ કરવામાં આવ્યો હતો. એમસીડીના 249 કાઉન્સિલરો ઉપરાંત 14 ધારાસભ્યો, દિલ્હીથી લોકસભાના સાત સાંસદો અને રાજ્યસભાના ત્રણ સાંસદો પણ મેયરની ચૂંટણીમાં ભાગ લેશે, પરંતુ તેમને ગૃહમાં મોબાઈલ ફોન સાથે લઈ જવા દેવામાં આવશે નહીં. આ સંદર્ભમાં MCDએ તમામ કાઉન્સિલરો, ધારાસભ્યો અને સાંસદોને માહિતી મોકલી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ છે મેયર પદના ઉમેદવારો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">AAPએ દેવ નગરના વોર્ડ 84માંથી અનુસૂચિત જાતિના કાઉન્સિલર મહેશ ખીંચીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે શકૂરપુરથી કિશન લાલને મેયર પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. AAP એ અમન વિહારના કાઉન્સિલર રવિન્દર ભારદ્વાજને ડેપ્યુટી મેયર માટે નોમિનેટ કર્યા છે. આ પદ માટે ભાજપે સાદતપુરથી નીતા બિષ્ટને મેદાનમાં ઉતાર્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેયર તરીકે ચૂંટાયા બાદ વર્તમાન મેયર શૈલી ઓબેરોય પૂર્વ મેયર બની જશે. નવા મેયરની ચૂંટણી એપ્રિલ 2024થી અટકી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિનિયમ કહે છે કે નવા મેયરની ચૂંટણીની તારીખ અને સમય મેયર દ્વારા નક્કી કરવામાં આવે છે અને ચૂંટણી યોજવા માટેના પ્રિસાઇડિંગ ઓફિસર દિલ્હીના એલજી દ્વારા નક્કી કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને AAP બંને પોતાનો મેયર ઈચ્છે છે જેથી તેઓ ઉત્સાહ સાથે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેયરની ચૂંટણીના નિયમો શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાયદો મેયરની ચૂંટણી મુદ્દે સ્પષ્ટ કહે છે કે, દર વર્ષે એપ્રિલમાં મેયરની ચૂંટણી યોજાવી જોઈએ. જ્યારે ડિસેમ્બર 2022 માં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે AAPએ 134 બેઠકો જીતી હતી. એ પછી AAP કાઉન્સિલર ડૉ. શૈલી ઓબેરોય ફેબ્રુઆરી 2023માં મેયર બન્યા. જ્યારે નાણાકીય વર્ષ પૂરું થયું ત્યારે એપ્રિલ 2023 માં યોજાયેલી મેયરની ચૂંટણીમાં શૈલી ઓબેરોય ફરીથી મેયર તરીકે ચૂંટાયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત મેયર બનાવવાના આવ્યા ત્યાં જાતિવાદ શરૂ થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતોને મહત્વના પદોથી દૂર રાખવા માટે સવર્ણ જાતિવાદી પક્ષો એક થઈ જતા હોય છે એવું સૌ કહે છે. પણ તેનું મોટું ઉદાહરણ દિલ્હીમાં દલિત મેયર વખતે જોવા મળ્યું. એપ્રિલ 2024માં કાયદા મુજબ દલિત મેયર બનાવવાના આવ્યા ત્યારે બધાંને પેટમાં દુખવા લાગ્યું અને આપ-ભાજપે મળીને રાજકારણ રમવાનું શરૂ કરી દીધું અને આખો મામલો ઘોંચમાં નાખી દીધો. પરિણામે 7 મહિના સુધી મેયરની ચૂંટણી થઈ શકી ન હતી. MCD એક્ટ મુજબ, મેયરના પદ પર પ્રથમ વર્ષ મહિલા કાઉન્સિલર માટે, બીજું જનરલ માટે અને ત્રીજું વર્ષ અનુસૂચિત જાતિના કાઉન્સિલર માટે અનામત છે. આ સિવાય બાકીના બે વર્ષ જનરલ માટે હોય છે. મતલબ પાંચ વર્ષના કાર્યકાળમાં ત્રણ વર્ષ જનરલ માટે હોય છે. MCD એક્ટ મુજબ મેયરની ચૂંટણી દર વર્ષે એપ્રિલમાં યોજાય છે. દર 5 વર્ષે, પાંચ અલગ-અલગ લોકોને દર એક વર્ષ માટે મેયર બનવાની તક મળે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવા મેયરનો કાર્યકાળ માત્ર 5 મહિનાનો રહેશે.</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વખતે બંને પક્ષો વચ્ચેની ખેંચતાણના કારણે નવા મેયરનો કાર્યકાળ માત્ર પાંચ મહિનાનો રહેશે. AAP અને BJP વચ્ચેના સાત મહિનાના લાંબા સંઘર્ષને કારણે MCD હાઉસમાં વારંવાર વિક્ષેપો સર્જાયો અને એપ્રિલમાં યોજાનારી ચૂંટણીમાં વિલંબ થયો. દલિતોએ સમજવાનું એ છે કે, આ રાજકારણ દલિત મેયર ન બની જાય તે માટેનું હતું અને તેમાં ભાજપ-આપની મિલીભગત હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ રીતે દલિત મેયર ન બનાવી વર્તમાન સવર્ણ મેટરને એક્ટેન્શન આપ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એપ્રિલ 2024 માં મેયરની ચૂંટણી સમયે, ભાજપ અને AAPએ ઉમેદવારો જાહેર કર્યા હતા, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર નક્કી કરવા માટેની ફાઇલ પર મુખ્યમંત્રીની ભલામણ ન હોવાનું કહીને પરત કરવામાં આવી હતી. નવા મેયરની પસંદગી ન થાય ત્યાં સુધી વર્તમાન મેયરને હોદ્દા પર રહેવા જણાવાયું હતું. તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તે સમયે જેલમાં હતા, તેથી તેઓ ભલામણ કરી શક્યા ન હતા. ત્યારથી એપ્રિલ 2024ની મેયરની ચૂંટણી બાકી છે. એ રીતે એક દલિત મેયરના કાર્યકાળના મહત્વના 7 મહિના જાતિવાદી પક્ષો ચાંઉ કરી ગયા હતા. હવે 5 મહિના માટે દલિતને મેયર બનાવવા ચૂંટણી યોજાઈ રહી છે. હવે કેજરીવાલ જેલમાંથી બહાર આવી ગયા છે અને દલિત મેયર તેમની મરજી વિરુદ્ધ કશું કામ કરી શકશે નહીં તે સ્પષ્ટ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/so-that-the-son-of-a-dalit-does-not-become-the-mayor-the-savarna-parties-are-struggling">દલિતનો દીકરો મેયર ન બની જાય તે માટે સવર્ણ પાર્ટીઓ ત્રાગા કરે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 14 Nov 2024 12:38:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1547</Articleid>
                    <excerpt>દિલ્હીમાં આજે દલિત મેયર માટે ચૂંટણી યોજાવાની છે. પણ આપ-ભાજપના જાતિવાદને કારણે દલિત મેયરનો કાર્યકાળ 12 મહિનાને બદલે માત્ર 5 મહિના જ રહેશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6735a13006c38.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6735a12fc376e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6735a12fc376e.jpg" length="95546" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mayoral elections, AAP, BJP, Delhi MCD</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહીસાગરના કલેક્ટર સામે હવે ગુજરાતના વકીલોએ મોરચો માંડ્યો</title>
                    <link>https://khabarantar.com/gujarat-lawyers-now-take-up-the-front-against-mahisagar-collector</link>
                    <guid>https://khabarantar.com/gujarat-lawyers-now-take-up-the-front-against-mahisagar-collector</guid>
                    <description>
                        <![CDATA[ એડવોકેટ એસોસિએશના પ્રમુખે કહ્યું, આ અધિકારીને સસ્પેન્ડ કરીને તેમની સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરાવી જોઈએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગરના જાતિવાદી માનસિકતાના કલેક્ટર નેહા કુમારી દુબે દ્વારા એટ્રોસિટીના કેસોમાં કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીને લઈને સમસ્ત દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે ત્યારે આ મામલે હવે વકીલોએ પણ કલેક્ટર સામે મોરચો માંડ્યો છે. મળતી માહિતી પ્રમાણે નેહા કુમારી દુબેએ વકીલો અંગે પણ અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો હોવાથી ગુજરાતભરના વકીલોમાં ભારે રોષ ફેલાયો છે અને આ મામલે ગુજરાત એડવોકેટ કેર સોસાયટીએ કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ મોરચો માંડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ કેર સોસાયટીએ કલેક્ટર નેહાકુમારીનો વિરોધ નોંધાવતા એ દિવસને ગુજરાતી વહીવટી વિભાગના કાળા દિવસ સમાન ગણાવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ અને તેમની સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવી જોઈએ. આ ઘટના સંદર્ભે બહાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના બાર કાઉન્સિલના પ્રમુખ જે.જે પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, જે પ્રમાણે પોલીસ અને વહીવટી અધિકારીઓ વકીલો વિશે અયોગ્ય શબ્દો વાપરે છે, તેમજ તેમની સાથે અયોગ્ય વર્તન કરે છે. તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના અંગે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે. દેશમાં એડવોકેટ પ્રોટેકશન એક્ટર જરૂર છે. દેશમાં રાજકીય નેતાઓ જે રીતે કોમી વૈમનસ્ય ફેલાય તેવા ભાષણો આપી રહ્યા છે. તેમની વિરુદ્ધ બોલવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં હેટ સ્પીચ અંગે સ્પષ્ટ અને કડક પગલાની જોગવાઈ છે. પણ શા માટે હાઇકોર્ટ આ પગલાં લેતા પાછી પાની કરે છે તે ખબર પડતી નથી. સારા સમાજ માટે ધર્મનિરપેક્ષતા હોવી જરૂરી છે. સામાન્ય રીતે ભૂતકાળમાં અધિકારીઓ સામે પગલાં લેવાયા હોવાના દાખલા મળે છે, પરંતુ મંત્રીઓ સામે પગલાં લેવાયા હોય તેવું દેખાતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/congress-launches-nationwide-agitation-against-mahisagar-collector-neha-kumari-dubey">જાતિવાદી કલેક્ટર નેહા કુમારી દુબે વિરુદ્ધ કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 22:08:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1544</Articleid>
                    <excerpt>એડવોકેટ એસોસિએશના પ્રમુખે કહ્યું, આ અધિકારીને સસ્પેન્ડ કરીને તેમની સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરાવી જોઈએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6734cdef569bc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6734cdef2506a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6734cdef2506a.jpg" length="102462" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mahisagar Collecto, r Neha Kumari Dubey, Atrocity Cases</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;દલિત થઈને અમારી સાથે બેસવું છે?&amp;quot; કહી દલિત યુવકના દાંત તોડી નાખ્યા</title>
                    <link>https://khabarantar.com/in-mps-chhatarpur-casteist-elements-beat-up-a-dalit-youth-for-sitting-on-a-bike</link>
                    <guid>https://khabarantar.com/in-mps-chhatarpur-casteist-elements-beat-up-a-dalit-youth-for-sitting-on-a-bike</guid>
                    <description>
                        <![CDATA[ MP News :  દલિત યુવકે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પ્રયત્ન કર્યો પણ પોલીસે બે દિવસ સુધી એફઆઈઆર ન નોંધી. હવે એસપી સુધી મામલો પહોંચ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">casteist elements beat up a dalit youth for sitting on a bike : જાતિવાદી તત્વોને ક્યારે કઈ બાબતને લઈને માઠું લાગી જાય કે અભડાઈ જવાની માનસિકતા ઘૂસી જાય કળી શકાય તેમ નથી હોતું. એટલે જ સાવ સામાન્ય બાબતને લઈને પણ દલિતો પર હુમલાના બનાવો બનતા રહે છે. આવી જ એક ઘટનામાં એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ માર મારતા તેના દાંત તોડી નાખ્યા હતા. આ મામલે દલિત યુવક બે દિવસ સુધી ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને ગયો હતો, પણ પોલીસે તેની ફરિયાદ નોંધી નહોતી. આખરે તેણે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ નોંધવામાં મદદ કરવા વિનંતી કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના છત્તરપુર વિસ્તારની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચાર થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીં છત્તરપુર જિલ્લામાં એક દલિત યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો છે. સવર્ણ જ્ઞાતિના વ્યક્તિ સાથે બાઇક પર જતાં યુવક પર આરોપીઓએ હુમલો કર્યો હતો. માર મારવાથી દલિત યુવકનો દાંત તૂટી ગયો છે અને તેના શરીર પર ઈજાઓ થઈ છે. યુવકે પોલીસ અધિક્ષકને ન્યાય માટે અરજી કરતા હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવકને બાઈક પર બેસવા પર માર માર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના મલહરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. દલિત યુવકને એટલા માટે મારવામાં આવ્યો કારણ કે તે ઉચ્ચ જાતિની વ્યક્તિ સાથે બાઇક પર બેસીને જઈ રહ્યો હતો. યુવકનો આરોપ છે કે તે જેની સાથે બાઇક પર બેસીને જઈ રહ્યો હતો તેના મોટા ભાઈએ જ તેની સાથે મારામારી કરી હતી. યુવકને માર મારવાનું એકમાત્ર કારણ તેની દલિત જાતિ હતી. યુવક દલિતોની વંશકર જાતિનો છે અને આરોપીઓ કથિત ઉચ્ચ જાતિના છે. આ મારામારીમાં દલિત યુવકનો આગળનો એક દાંત પણ તૂટી ગયો હતો અને તેના શરીર પર ગંભીર ઈજાના નિશાન છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હાથમાં સોઈ સાથે યુવક એસપી કચેરીએ પહોંચ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">પીડિત યુવક જ્યારે ફરિયાદ કરવા એસપી ઓફિસ પહોંચ્યો ત્યારે તેના હાથમાં દવાખાનામાંથી નાખવામાં આવેલી સોય હતી. તેણે જણાવ્યું કે તે હોસ્પિટલમાં દાખલ છે. તેની સારવાર ચાલી રહી છે. તે તેના માતા-પિતા અને પત્ની સાથે એસપી ઓફિસમાં ફરિયાદ કરવા પહોંચ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત યુવક ખેમચંદ્ર વંશકરનું કહેવું છે કે 9 નવેમ્બરના રોજ તે હીરાપુર બેંકમાંથી પાસબુક લઈને તેના ગામ કેલાઈ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને જીતેન્દ્ર પાઠકને મળ્યો હતો. તેણે તેને લિફ્ટ આપી પરંતુ રસ્તામાં જિતેન્દ્રના મોટા ભાઈને કોઈએ જાણ કરી કે તે મારી સાથે છે. આ પછી તેના મોટા ભાઈએ મને રસ્તામાં રોકી અને "તું નીચી જાતિનો છે, તું મારા ભાઈ સાથે બાઇક પર બેસીને કેમ જાય છે, તારી હિંમત કેવી રીતે થઈ?" એમ કહીને માર માર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંદૂકની ખૂંધથી માર મારતા દાંત તૂટી ગયા</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત યુવક ખેમચંદે જણાવ્યું કે આરોપી બંટી પાઠક સાથે અન્ય ત્રણ લોકો પણ હતા. તે તમામ લોકોએ મળીને મને લાકડી-દંડા વડે માર માર્યો અને બંદૂકની ખૂંધ મારા મોં પર મારી દીધી હતી, જેના કારણે મારા બેં દાત તૂટી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે ફરિયાદ ન લેતા એસપી કચેરીએ પહોંચ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ચોંકાવનારી વાત એ છે કે બે દિવસ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ખેમચંદની ફરિયાદ નોંધવામાં આવી નહોતી.ત્યારબાદ તે પરિવાર સાથે છતરપુર એસપી ઓફિસ પહોંચ્યો હતો. તેણે એસપી અગમ જૈનને મદદ માટે અપીલ કરી હતી. એ પછી એસપીએ તાત્કાલિક અસરથી અરજીની તપાસનો આદેશ આપ્યો હતો અને શક્ય તમામ મદદ કરવાનું વચન આપ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દરેક પાસાની તપાસ કરવામાં આવશે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે વધુ માહિતી આપતા એસપી આગમ જૈને જણાવ્યું હતું કે, કે બડા મલહરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ મામલો અકસ્માતનો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ યુવકે ફરિયાદ કરી હોવાથી દરેક પાસાઓની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-madhya-pradesh-government-allocated-crores-of-rupees-for-sc-st-entitlements-for-cows">મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે એસસી-એસટીના હકના કરોડો રુપિયા ગાયો માટે ફાળવી દીધાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Nov 2024 11:24:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1539</Articleid>
                    <excerpt>MP News :  દલિત યુવકે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પ્રયત્ન કર્યો પણ પોલીસે બે દિવસ સુધી એફઆઈઆર ન નોંધી. હવે એસપી સુધી મામલો પહોંચ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67343eee11753.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67343eedd2c28.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67343eedd2c28.jpg" length="80856" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>MP News, chhatarpur News, Dalit News, Atrocity News, Dalit youth beaten up, SC-ST act FIR</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદી કલેક્ટર નેહા કુમારી દુબે વિરુદ્ધ કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડ્યું</title>
                    <link>https://khabarantar.com/congress-launches-nationwide-agitation-against-mahisagar-collector-neha-kumari-dubey</link>
                    <guid>https://khabarantar.com/congress-launches-nationwide-agitation-against-mahisagar-collector-neha-kumari-dubey</guid>
                    <description>
                        <![CDATA[ 90 ટકા એટ્રોસિટી કેસ બ્લેકમેઈલ કરવા થાય છે એવું આધારહીન નિવેદન આપનાર mahisagar જિલ્લાની જાતિવાદી collector nehakumari dubey ની મુશ્કેલીઓ વધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગર (Mahisagar)જિલ્લાના એક દલિત યુવક સાથે તોછડાઈભર્યું વર્તન કરી સમસ્ત દલિત સમાજનું અપમાન કરનાર મનુવાદી કલેક્ટર (Collector) નેહા કુમારી દુબે (Neha kumari Dubey) ની મુશ્કેલી વધી છે. કોંગ્રેસે (Congress) જાતિવાદી માનસિકતાની આ કલેક્ટર સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન (Nationwide agitation) છેડ્યું છે અને ફરી એકવાર આ કલેક્ટરને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવે તેવી માંગ દોહરાવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">23 ઓક્ટોબરે બનેલી આ ઘટનાથી નારાજ કોંગ્રેસે ભારતભરમાં તેના રાજ્ય એકમોને એક થઈને જાતિવાદી આ કલેક્ટરનો વિરોધ કરવાની રણનીતિ બનાવી છે. પાર્ટીના એસસી વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ લિલોઠિયા (Rajesh Lilothia) એ 11 નવેમ્બરના રોજ તમામ રાજ્યોના એસસી વિભાગના વડાઓને મહીસાગરની જાતિવાદી કલેક્ટર નેહાકુમારી દુબે સામે તાત્કાલિક પગલાં લેવા માટે એક નિર્દેશ જારી કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાના ઓફિશ્યિલ કોમ્યુનિકેશનમાં રાજેશ લિલોઠિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર સેવકોની મૂળભૂત ફરજ તમામ નાગરિકોની, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના લોકોનું રક્ષણ કરવાની છે. તેમણે દલીલ કરી હતી કે આવી કથિત જાતિવાદી માનસિકતા ધરાવતા અધિકારીઓ જાહેર સેવક તરીકે કામ કરવા માટે સ્વાભાવિક રીતે અયોગ્ય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસે કહ્યું છે કે, તેની પાસે પુરાવા તરીકે આ આખી ઘટનાનો વીડિયો છે. આ વાયરલ વિડિયોમાં કલેકટરે એટ્રોસિટીના 90 ટકા કેસોને 'બ્લેકમેઇલિંગ'નું સાધન ગણાવ્યા છે અને કહ્યું કે મોટાભાગની મહિલાઓ પણ 498A હેઠળ ખોટા કેસ દાખલ કરે છે. આ ઉપરાંત, તેણે વકીલો પર પણ ટિપ્પણી કરી હતી, જેમાં તેમને "ચપ્પલથી મારવા યોગ્ય" ગણાવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લિલોઠિયાએ પાર્ટીના SC વિભાગના તમામ પ્રદેશ પ્રમુખોને નેહા કુમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા, સંબંધિત રાજ્યના રાજ્યપાલોને આવેદનપત્ર આપવા અને નેહાકુમારી દુબેને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરવાનો નિર્દેશ આપ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી માનસિકતા ધરાવતી નેહાકુમારી દુબે સામે અનુશાસનાત્મક કાર્યવાહી માટે દબાણ કરવા કોંગ્રેસ અન્ય દલિત-બહુજન સંગઠનો સાથે સંકલન કરી રહી છે. પરિણામે હવે આ મામલો માત્ર મહીસાગર જિલ્લા પુરતો મર્યાદિત ન રહેતા રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમામ અગ્રણી નેતાઓને પત્ર મોકલાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પત્રની નકલ કોંગ્રેસના અગ્રણી નેતાઓને પણ મોકલવામાં આવી છે. જેમાં  કે.સી. વેણુગોપાલ, કે. રાજુ અને કોંગ્રેસના SC વિભાગના તમામ રાષ્ટ્રીય સંયોજકો સામેલ છે. </span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">આ સંગઠિત પ્રયત્ન દ્વારા કોંગ્રેસ સ્પષ્ટ મેસેજ આપવા માંગે છે કે, જાહેર સેવામાં રહેલા અધિકારીઓ તરફથી દાખવવામાં આવતા જાતિવાદી વર્તનને ચલાવી નહીં લેવાય અને આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને નિર્ણાયક પગલાં ભરાશે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ પત્રને ટ્વિટર પર શેર કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિજય પરમારના નામના અરજદાર તા. 23 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારના તાલુકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પોતાની ફરિયાદ લઈને ગયા હતા. તેઓ જ્યારે પોતાના પ્રશ્નની રજૂઆત કરી રહ્યા હતા ત્યારે કલેક્ટર નેહાકુમારી અચાનક જ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વિજય પરમાર સાથે તોછડાઈથી વાત કરવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો યુવકે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો, જેના કારણે મનુવાદી માનસિકતાની આ કલેક્ટરનો પર્દાફાશ થયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલેક્ટર નેહાકુમારીએ દલિત અરજદારને ધમકાવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">અરજદાર વિજય પરમારની દલીલ દરમિયાન કલેક્ટર નેહાકુમારી અચાનક તેમના અસલ સવર્ણ મનુવાદી રંગમાં આવી જાય છે અને અરજદાર વિજય પરમારના સવાલોના જવાબ આપવાને બદલે તેને તોછડી ભાષામાં કહે છે, "જ્યાદા ઓવર સ્માર્ટ બને કી કોશિશ મત કરો, મુજે હલકે મેં મત લો. ફાલતુ કી બકવાસ નહીં કરને કા, સબ કો બ્લેકમેઈલ કરના હૈ?"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટીના 90 ટકા કેસો ખોટા હોય છેઃ નેહા કુમારી</span></strong></span><br><span style="font-size: 14pt;">કલેક્ટર નેહાકુમારી દુબે આટલેથી અટક્યા નહોતા. તેમણે એટ્રોસિટના કાયદા અને તેની હેઠળ નોંધવામાં આવતા કેસોને લઈને પણ અત્યંત નિમ્ન સ્તરનું નિવેદન કર્યું હતું. વાયરલ વીડિયોમાં નેહાકુમારી બોલતી જણાય છે કે, "એટ્રોસિટીના કેસોમાંના 90 ટકા કેસો બ્લેકમેઈલવાળા હોય છે. આ કાયદાનો જેટલો ઉપયોગ નથી તેનાથી વધુ દૂરુપયોગ છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પત્રકારો અને વકીલોનું પણ અપમાન કર્યું હતું</span></strong></span><br><span style="font-size: 14pt;">આ સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા મામલતદાર પત્રકારો અને વકીલોને લઈને પણ મોટું નિવેદન આપે છે અને કહે છે કે, "અહીંયા બની બેઠેલા પત્રકારો અને વકીલો આવતા હોય છે."  આ સાંભળીને કલેકટર નેહા દુબે એવું કહે છે કે, "યહાં ઓવરસ્માર્ટ લોગોં કી કમી નહીં હૈ. એ લોગોં કો જૂતે સે મારના ચાહિએ." આવું કહીને એમણે સમગ્ર દેશના વકીલો અને પત્રકારોનું પણ અપમાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/mahisagar-collector-nehakumari-dubey-said-90-percent-of-atrocity-cases-are-committed-for-blackmail">એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઈલ કરવા માટે કરાય છે - મહીસાગર કલેક્ટર નેહાકુમારી દુબેનો બફાટ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Nov 2024 16:44:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1536</Articleid>
                    <excerpt>90 ટકા એટ્રોસિટી કેસ બ્લેકમેઈલ કરવા થાય છે એવું આધારહીન નિવેદન આપનાર mahisagar જિલ્લાની જાતિવાદી collector nehakumari dubey ની મુશ્કેલીઓ વધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67331a5e289cc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67331a5de9722.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67331a5de9722.jpg" length="89656" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Neha kumari dubey, Mahisagar Collector, SC-ST news, Congress, agitation</media:keywords>
                </item>
                        <item>
                    <title>કટ્ટર જાતિવાદઃ દલિતોને મંદિરમાં પ્રવેશ અપાયો, જાતિવાદીઓ મૂર્તિઓ ઉપાડી ગયા</title>
                    <link>https://khabarantar.com/radical-casteism-dalits-were-denied-entry-into-the-temple-casteists-removed-idols</link>
                    <guid>https://khabarantar.com/radical-casteism-dalits-were-denied-entry-into-the-temple-casteists-removed-idols</guid>
                    <description>
                        <![CDATA[ જિલ્લા વહીવટી તંત્રે દલિતોને મંદિરમાં પ્રવેશ માટે પરવાનગી આપી હતી. પણ સવર્ણો તેમના ભગવાન અભડાઈ ન જાય તે માટે મૂર્તિ જ ઉપાડીને બીજી જગ્યાએ લઈ ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુપ્રથાઓ સમયની સાથે ધીરે ધીરે નષ્ટ થતી હોય છે અથવા કાયદા દ્વારા તેને પ્રતિબિંધિત કરવામાં આવતી હોય છે. ભૂતકાળમાં સતીપ્રથા, દીકરીઓને દૂધ પીતી કરી દેવી, બાળલગ્નો, વિધવા લગ્ન નિષેધ જેવી કુપ્રથાઓમાં આ બાબત આપણે જોઈ છે. જો કે આ બધી કુપ્રથાઓ વચ્ચે જાતિવાદ એવો હઠીલો રોગ છે જેનો ઈલાજ આજની તારીખે હાથવગો હોવા છતાં તેને જાણીજોઈને વકરાવવામાં આવી રહ્યો છે. વર્તમાન ભારતમાં જાતિવાદ નામનો આ રોગ સતત વકરતો જાય છે અને સંસદ, કારોબારી, ન્યાયતંત્રથી લઈને મીડિયા અને આર્થિક-સામાજિક ક્ષેત્રે વગદાર સવર્ણ લોબી તેમાં તસુભાર પણ ઘટાડો થાય તેવું ઈચ્છતી નથી. પરિણામે દિન-પ્રતિદિન જાતિવાદની નવી અને વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોને ભગવાનથી દૂર રાખવા મૂર્તિ જ ઉપાડી ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક વિચિત્ર અને કટ્ટર જાતિવાદની ઘટના ગઈકાલે સામે આવી. જેમાં એક ગામમાં કાળભૈરવના મંદિરમાં દલિતોને પ્રવેશવા દેવાની જિલ્લા વહીવટીતંત્રે મંજૂરી આપી હતી. જો કે ગામના સવર્ણો દલિતો મંદિરમાં પ્રવેશે તો ભગવાન અને મંદિર બંને અભડાઈ જાય તેમ માનતા હોવાથી તેમણે આ બાબતે વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો કે, તંત્ર સામે તેમનું કશું ચાલ્યું નહોતું. પરિણામે કટ્ટર જાતિવાદી ગામલોકો મંદિરમાંથી ભગવાનની મૂર્તિ જ ઉપાડીને બીજી જગ્યાએ લઈ ગયા હતા. અગાઉ આવી જ એક ઘટના અન્ય એક ગામમાં પણ બની હતી જ્યાં દલિતોના મંદિર પ્રવેશ પર જાતિવાદી તત્વોએ આખું મંદિર જ તોડી પાડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કર્ણાટકના માંડ્યા જિલ્લાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના કર્ણાટકના માંડ્યા જિલ્લાના હનકેરે ગામનો છે. અહીં ગઈકાલે 10 ઓક્ટોબરે જિલ્લા પ્રશાસને દલિતોને 'કાલભૈરવેશ્વર' મંદિરમાં પ્રવેશવાની અને પ્રથમ વખત પૂજા કરવાની મંજૂરી આપી હતી. જો કે, વહીવટીતંત્રનો આ નિર્ણય ગામમાં રહેતા કથિત 'ઉચ્ચ જાતિ'ના લોકોને ગમ્યો હતો અને તેમણે આ તંત્રના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જો કે તંત્રે તેમની જાતિવાદી માનસિકતાને પંપાળી નહોતી અને પોતાના નિર્ણયને યથાવત રાખ્યો હતો. જો દલિતો મંદિરમાં પ્રવેશશે તો તેમના ભગવાન અને મંદિર બંને અભડાઈ જશે તેવી માનસિકતામાં રાચતા ગામના સવર્ણોએ આખરે કટ્ટર જાતિવાદી રસ્તો અપનાવ્યો હતો અને "ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી" ની તર્જ પર મંદિરમાં ભગવાન જ નહીં હોય તો દલિતો કોના દર્શન કરવા આવશે? એમ વિચારીને મંદિરમાંથી ભગવાનની મૂર્તિ જ ઉપાડી લીધી હતી અને અન્ય જગ્યાએ લઈ ગયા હતા. કટ્ટર જાતિવાદી આ ઘટનાના ઘેરા પ્રત્યાધાતો પડ્યાં છે અને ગામમાં તણાવભરી સ્થિતિ પેદા થઈ છે, જેના કારણે પોલીસ ખડકી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ, કાલ ભૈરવેશ્વર સ્વામીનું આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે અને દલિતોને ક્યારેય તેમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા. લગભગ બે વર્ષ પહેલા મંદિરના જીર્ણોદ્ધારનું કામ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એમ. શ્રીનિવાસની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. બાદમાં આ મંદિર રાજ્ય સરકારના ધાર્મિક વિકાસ વિભાગના નિયંત્રણ હેઠળ આવ્યું હતું. આ મંદિરમાં પ્રવેશ ન મળવા અંગે દલિતોએ જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી. જેના કારણે વહીવટીતંત્ર દ્વારા બે શાંતિ બેઠક યોજવામાં આવી હતી. જો કે, બંને બેઠકમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. જેથી દલિતોને મંદિરમાં પ્રવેશની પરવાનગી મળી ગઈ હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_6732d7ddef5c1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો મંદિરમાં પ્રવેશ્યા અને મૂર્તિ ઉપાડી લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે 10 નવેમ્બરે દલિતો પોલીસ સુરક્ષા વચ્ચે મંદિરમાં પ્રવેશ્યા હતા. દલિતોને મંદિરમાં પ્રવેશ મળવાથી નારાજ કેટલાક કથિત 'ઉચ્ચ જાતિ'ના લોકો મંદિરમાં રહેલી કાળભૈરવની મૂર્તિનેજ ઉપાડીને લઈ ગયા હતા અને અન્ય જગ્યાએ મૂકી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિક દલિત નેતા ગંગારાજુએ જણાવ્યું કે, દલિત સમાજના લોકો મંદિરના જીર્ણોદ્ધારના સમયથી અહીં આવતા રહે છે અને તેઓ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે થયેલા ધાર્મિક વિધિઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. પણ છેલ્લા ત્રણ મહિનાથી કેટલાક લોકોએ આ બાબતે વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું હતું અને હવે તેઓ મૂર્તિ જ ઉપાડીને લઈ ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમે લોકજાગૃતિ અભિયાન ચલાવીશુંઃ તાલુકા અધિકારી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર મામલે સ્થાનિક તાલુકા અધિકારી શિવકુમાર બિરાદરે જણાવ્યું છે કે દલિતોના મંદિરમાં પ્રવેશનો વિરોધ કરનારાઓને શિક્ષિત કરવા માટે જાગૃતિ અભિયાન અને કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવશે. જો એ પછી પણ આ લોકો વિરોધ કરવાનું ચાલું રાખશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટીડીઓ સાહેબ, જાતિવાદ જાગૃતિ અભિયાનથી નહીં જાય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવકુમાર બિરાદર કાં તો ગાંધીજીની જેમ બહુ આદર્શવાદી લાગે છે અથવા વાસ્તવિકતા જાણે છે પરંતુ ઉપરી દબાણને કારણે તરત કાયદાનો દંડો ઉગામીને સવર્ણોને સીધાદોર કરવાની મનાઈ હોવાથી જાગૃતિ અભિયાન અને કાઉન્સેલિંગના નાટકો કરતા હોય એવું બની શકે. બાકી જાતિવાદ એવો હઠીલો રોગ છે, જે નજીકના ભવિષ્યમાં તો આ દેશના સવર્ણોમાંથી જાય તેમ લાગતું નથી. જો એવું જ હોત તો કાગળ પર તો દેશ આઝાદ થયો ત્યારથી જાતિવાદ, આભડછેટ કાયદા દ્વારા નાબૂદ થયેલી છે. તેમ છતાં ભારત દેશમાં એકેય ગામ એવું નહીં હોય જ્યાં દલિતો, આદિવાસી સાથે અસ્પૃશ્યતા ન પળાતી હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો મંદિરમાં જવાનું બંધ કરો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે પણ હોય, આપણે આશા રાખીએ કે કાયદો કાયદાનું કામ અને આવા મનુવાદી તત્વોને કાયદાનું ભાન કરાવી સીધા દોર કરે. સાથે જ એ પણ આશા રાખીએ દલિતો મંદિર પ્રવેશ માટે આંદોલન કરવાનું બંધ કરી દે, કેમ કે તેનાથી તેમનામાં અંધશ્રદ્ધા જ ફેલાવાની છે, પ્રગતિ નહીં. પ્રગતિ માટે શિક્ષણ અને મહાપુરૂષો ડો. આંબેડકર, પેરિયારના માર્ગે ચાલવું પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/what-will-the-devotees-do-after-eating-laddus-made-from-cow-pig-fiash-fat">ગાય-ડુક્કર-માછલીની ચરબીમાંથી બનેલા લાડુ ખાધા પછી ભક્તો શું કરશે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Nov 2024 09:55:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1532</Articleid>
                    <excerpt>જિલ્લા વહીવટી તંત્રે દલિતોને મંદિરમાં પ્રવેશ માટે પરવાનગી આપી હતી. પણ સવર્ણો તેમના ભગવાન અભડાઈ ન જાય તે માટે મૂર્તિ જ ઉપાડીને બીજી જગ્યાએ લઈ ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6732d7f1bc06f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732d7f189d47.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732d7f189d47.jpg" length="124048" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Karnataka, Mandya district, Hankare Village, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>જશવંતગઢના દલિતે અર્ધનગ્ન હાલતમાં ઢસડાતા જઈ કલેક્ટર પાસે ન્યાય માંગ્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-from-jashwantgarh-crawled-half-naked-and-sought-justice-from-the-collector</link>
                    <guid>https://khabarantar.com/dalit-from-jashwantgarh-crawled-half-naked-and-sought-justice-from-the-collector</guid>
                    <description>
                        <![CDATA[ અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામના જાતિવાદી સરપંચ દલિતને વીજળી-પાણી આપતા નહોતા. કંટાળીને દલિત વ્યક્તિએ ઢસડાતા કલેક્ટર કચેરીએ પહોંચી ન્યાય માંગ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં જાતિવાદી તત્વો કઈ હદે બેફામ થઈ ગયા છે તે સૌ જાણે છે. પણ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ગમે તેવા કઠોર હૃદયના વ્યક્તિને પણ રડાવી મૂકે તેવો છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક દલિત વ્યક્તિ એક સરકારી કચેરીમાં અર્ધનગ્ન સ્થિતિમાં જમીન પર ઢસડાતા જઈને ન્યાય માંગી રહ્યાં છે. એ દલિત વ્યક્તિની પાછળ અરજીઓની યાદી લબડી રહી છે અને તેઓ ઢસડાઈને પોતાને ન્યાય આપવા માટે વિનંતી કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઢસડાતા કલેક્ટર કચેરીએ પહોંચી ન્યાય માંગવો પડ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીની છે અને કચેરીમાં ઢસડાઈને રજૂઆત કરવા જઈ રહેલી વ્યક્તિ અહીંના જશવંતગઢ ગામના દલિત સમાજના વ્યક્તિ છે. પ્રવીણભાઈ નાથાભાઈ પરમાર ગામના જાતિવાદી સરપંચ દ્વારા તેમની સાથે કરવામાં આવતા અન્યાયને લઈને જિલ્લા કલેક્ટર સામે ન્યાયની ગુહાર લગાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટનાનો વીડિયો વાયરલ થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રવીણભાઈ વાયરલ વીડિયોમાં જણાવી રહ્યાં છે કે, તેમના ગામના સરપંચ તેમને પીવાનું પાણી અને સ્ટ્રીટલાઈટ જેવી પાયાની જરૂરિયાતો આપવામાં અન્યાય દાખવી રહ્યાં છે. તેઓ સમાજમાંથી આવતા હોવાથી જાતિવાદી સરપંચ તેમને ગાંઠતા નથી અને પાણી, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખીને હેરાન પરેશાન કરી રહ્યાં છે. આ મામલે તેમણે અનેકવાર ગ્રામ પંચાયતથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ તેમનું સાંભળતું નહોતું. આથી તેમણે અનોખી રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. અને તેથી તેઓ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ અર્ધનગ્ન હાલતમાં અત્યાર સુધી તેમણે જેટલી પણ અરજીઓ કરી છે, તેની યાદીનું પૂંછડું બનાવીને ઢસડાતા ઢસડાતા કલેક્ટરને મળવા માટે પહોંચી ગયા હતા. જો કે, કલેક્ટર કચેરીના સ્ટાફે તેમને ન્યાય અપાવવાને બદલે પોલીસને બોલાવીને તેમની અટકાયત કરાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરપંચ અમને મારવા માણસો મોકલે છે...</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયરલ વીડિયોમાં પીડિત પ્રવીણભાઈ પરમાર કહે છે, "દલિતની માથે કેટલો અત્યાચાર છે. આ કોઈ મારું સાંભળતું નથી. આટલી બધી પીડા છતાં કોઈને મારા પર દયા નથી આવતી. કેટલી અરજીઓ કરી, પણ આ કાગળિયાનું કશું આવતું નથી. સરપંચ મને મરવા મજબૂર કરે છે. અમે અનુસૂચિત જાતિ સમાજના હોઈ સરપંચ અમારું સાંભળતા નથી. અમારી સાથે અન્યાય થાય છે. સરપંચ અમને પાણી, લાઈટ આપતા નથી અને માણસોને અમારા ઘરે મારવા માટે મોકલે છે. આમાં અમારે કઈ રીતે જીવવું?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગામોગામ આ સ્થિતિ છે જ્યાં દલિતો સાથે અનેક મોરચે અત્યાચાર થાય છે. ગામના માથાભારે સરપંચો દલિતોની પ્રાથમિક જરૂરિયાતો અટકાવી દે છે. આ મામલે તંત્ર સરપંચ અને તેમની રાજકીય રીતે મજબૂત જાતિની તરફેણમાં હોવાથી દલિતોને ન્યાય મળતો નથી. આવા અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે, પરંતુ તેમાં આગળ ન્યાય મળ્યો કે નહીં તેની કોઈ વિગતો સામે આવતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગૌચરની જમીન પર પંચાયતે પીએમ આવાસ ફાળવી દીધું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રવિણભાઈને થઈ રહેલા અન્યાયમાં ગ્રામ પંચાયતની લાલિયાવાડી મુખ્ય કારણ છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રવિણભાઈ પરમારે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પંચાયતમાં અરજી કરી હતી. જેમાં તેમને મકાન બનાવી દેવાનું નક્કી થયું હતું અને વર્ષ 2020-21માં તેમણે ઘર બનાવ્યું દીધું છે. અશોક માંગરોળિયા, જેઓ બીજી ટર્મ માટે સરપંચ તરીકે ચૂંટાયા છે અને ભાજપના સમર્થક છે, તેમણે પુરતી તપાસ કર્યા વિના પ્રવિણભાઈ પરમારને પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઘર બનાવવા આ જમીન ફાળવી દીધી હતી, જે ગૌચરમાં છે. હવે જ્યારે પ્રવિણભાઈનું ઘર તૈયાર થઈ ગયું છે અને તેમણે વીજળી, પાણીની માંગ કરી છે ત્યારે સરપંચે અસલ રંગ બતાવવો શરૂ કર્યો છે અને તમારું ઘર ગૌચરમાં છે એટલે સુવિધા નહીં મળે તેમ દાદાગીરી શરૂ કરી દીધી છે. આ અન્યાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું ગ્રામ પંચાયતમાં અભણ લોકો બેઠાં છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં સવાલ એ થાય કે, જ્યારે ગ્રામ પંચાયત દ્વારા આ જમીન ફાળવવામાં આવી હતી ત્યારે પંચાયત કે સરપંચને આ બાબતનું ભાન કેમ નહોતું? વાંક તેમનો છે અને છતાં દલિત પ્રવિણભાઈને હેરાન કરવામાં કેમ આવે છે? શું સરપંચમાં એટલી બુદ્ધિ નહોતી કે આ ગૌચરની જમીન છે? પંચાયતના ચોપડે નોંધાયેલી જમીનની વિગતો તેમને દેખાઈ નહોતી? હવે જ્યારે આખું ઘર બનીને તૈયાર થઈ ગયું છે, ત્યારે તેના રહેવાસી પર દોષનો ટોપલો કેમ ઢોળી દેવાયો છે? શું આ સો ટકા અન્યાય નથી? આ તમામ સવાલો હાલ ઉભા છે અને સરપંચ મૌન છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જશવંતગઢનું સામાજિક માળખું કેવું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, જશવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ અશોક માંગરોળિયા બીજી વખત સરપંચપદે ચૂંટાયેલા છે અને ભાજપના ચુસ્ત ટેકેદાર છે. ગામમાં તેમના પટેલ સમાજની વસ્તી 70 ટકા આસપાસ હોવાથી તેઓ આર્થિક અને રાજકીય રીતે વર્ચસ્વ ધરાવે છે. ગામમાં અનુસૂચિત જાતિના 88 જેટલા ઘરો છે. આ સિવાય ભરવાડ, મુસ્લિમ, કાંગસિયા સમાજના પણ કેટલાક ઘરો છે, આ સિવાય ગઢવી સમાજના પણ બે ઘર છે. પીડિત પ્રવિણભાઈ પરમારનું ઘર દલિતવાસથી 300 મીટર દૂર બનાવવામાં આવ્યું છે અને તેના માટે જમીન ગ્રામ પંચાયતે જ ફાળવી હતી. હવે આ જ પંચાયત કહે છે કે, આ ઘર ગૌચરની જમીન પર છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/what-would-the-pandians-who-had-quarreled-with-mevani-do-with-a-common-dalit">મેવાણી સાથે તોછડાઈ કરનાર પાંડિયન સામાન્ય દલિત સાથે શું કરતા હશે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 11 Nov 2024 14:46:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1529</Articleid>
                    <excerpt>અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામના જાતિવાદી સરપંચ દલિતને વીજળી-પાણી આપતા નહોતા. કંટાળીને દલિત વ્યક્તિએ ઢસડાતા કલેક્ટર કચેરીએ પહોંચી ન્યાય માંગ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6731caaf309dd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6731caaee8cd6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6731caaee8cd6.jpg" length="101399" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Amreli News, Atrocity Act</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;ગાંડો&amp;apos;, &amp;apos;કાળો&amp;apos;, &amp;apos;કચરો&amp;apos;, &amp;apos;કાળી&amp;apos; જેવા અપમાનજનક નામો સામેની લડાઈ</title>
                    <link>https://khabarantar.com/samata-sangthan-an-organization-fighting-against-derogatory-names-of-dalits-and-tribals</link>
                    <guid>https://khabarantar.com/samata-sangthan-an-organization-fighting-against-derogatory-names-of-dalits-and-tribals</guid>
                    <description>
                        <![CDATA[ એક એવું ગામ, જે સવર્ણો દ્વારા દલિત-આદિવાસી બાળકોના આવા અપમાનજનક નામો પાડવાનો અનોખી રીતે વિરોધ કરી રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામડાઓમાં જઈને તમે દલિતવાસના વડીલોના નામ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે તેમાનાં મોટાભાગના લોકોના નામ અત્યંત તોછડાં અને અપમાનજનક પ્રકારના હશે. "ડાયો", "મીઠો", "તેજો", "કાળો", "ગાંડો", "કચરો", "પૂંજો", "ભીખો" વગેરે. આવું જ સ્ત્રીઓના નામમાં પણ જોવા મળશે, જેમ કે "કાળી", "કશ્લી", "સવલી", "કુશલી", "ડાઈ", "ચંપલી", "મંજુડી", "શાંતુડી" વગેરે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામડાના અભણ દલિતોને પહેલી નજરે આ નામોમાં કદી કશું અપમાનજનક નહોતું લાગતું. કેમ કે, તેની પાછળનો તર્ક તેઓ સમજી શકતા નહોતા. મનુવાદીઓ તેમને જાતભાતની અંધશ્રદ્ધાઓથી ભરમાવીને આવા નામો રાખવા મનાવી લેતા. જેમ કે, જે પરિવારમાં કોઈ દીકરો વારંવાર બીમાર પડતો હોય કે સંતાન મૃત્યુ પામતું હોય તેવા પરિવારમાં જન્મેલા બાળકને બામણો 'ગાંડો' નામ રાખવાનું સૂચન કરતા, તેની પાછળનો તર્ક એવો આપવામાં આવતો કે આવું નામ રાખવાથી બાળકને કોઈની નજર નહીં લાગે અને તે આરોગ્યપ્રદ અને લાંબુ આયુષ્ય ભોગવશે. એટલે એક જ ગામમાં તમને એકથી વધુ "ગાંડા" નામધારી દલિતો જોવા મળશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નામ પાછળનો મનુવાદી એજન્ડા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવું કરવા પાછળ મનુવાદીઓનો ચોક્કસ એજન્ડા હતો અને આજે પણ છે. તેઓ એમ માને છે કે સન્માનજનક જીવનની જેમ સન્માનજનક નામો પણ માત્ર તેમના દીકરા-દીકરીઓના જ હોઈ શકે. એટલે કોઈ દલિત-આદિવાસી કે ઓબીસી માતાપિતા તેમના દીકરાનું કોઈ સારું નામ રાખે તો તરત મનુવાદીઓ તેને અવગણીને તેનું અપમાનજનક નામ આપી દેતા. જેમ કે, બાળક શ્યામવર્ણું હોય તો તરત તેને "કાળિયો" નામ આપી દેતા. જે એટલું અપમાનજનક લાગતું કે લોકો એ બાળક પર આખી જિંદગી હસતા રહેતા. ગામડાઓમાં દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના અનેક વડીલોના આવા અપમાનજનક નામો તમે સાંભળ્યા હશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અપમાનજનક નામો સામે દલિત-આદિવાસીઓનો જંગ</span></strong></span><br><span style="font-size: 14pt;">પણ અહીં એક એવા ગામની વાત કરવી છે જે આવા અપમાનજનક નામો પાછળ રહેલા જાતિવાદને સમજી ગયો છે અને તેનો અનોખી રીતે વિરોધ કરી રહ્યું છે. આજે પણ દેશના ઘણા ભાગોમાં દલિતો સામે ભેદભાવ અને હીનતા સંકુલ પ્રવર્તે છે. પોતાને શ્રેષ્ઠ બતાવવા માટે, નીચલી જાતિઓને વિચિત્ર અને અપમાનજનક નામોથી બોલાવવામાં આવે છે અને આ ચલણ સદીઓથી ચાલ્યું આવે છે. </span><span style="font-size: 14pt;">દા.ત., જો કોઈ દલિત દીકરીનો રંગ કાળો હોય તો તેનું નામ 'કૃષ્ણા' નહીં પણ 'કાળી' કે 'બેરી' રાખી દેવામાં આવતું. આ ષડયંત્ર સામે એક ગામના દલિત-આદિવાસી સમાજે મળીને વિરોધ શરૂ કર્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાની છે. અહીં ભીલ આદિવાસીઓ અને દલિત બાળકોને એવા અપમાનજનક નામ આપવામાં આવે છે જેના કારણે તેઓ જીવનભર ઉપહાસનો વિષય બનીને રહી જાય છે. અહીંના કરજાળી ગામમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તે છે. અહીં 'શ્યામ' છોકરીને બધાં 'કાળી' કહેવા લાગે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67319bb8288d6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અપમાનજનક આ પ્રથાનો અહીંના ચાર દલિત કાર્યકરોના ગ્રુપે વિરોધ કરવાનું શરૂ કર્યું અને આ પદ્ધતિ સામે દલિત-આદિવાસી બાળકોને સન્માનજનક નામ મળે તેવા પ્રયત્નો શરૂ કર્યા. આ ચારેય કાર્યકરોએ ગરિમા ભવન એટલે કે હાઉસ ઓફ ડિગ્નિટી બનાવ્યું, જેની દિવાલો પર ડો. આંબેડકરના ફોટા નીચે વૈકલ્પિક નામો અને તેમના અર્થોની લાંબી યાદી બનાવવામાં આવી. અને આ રીતે "કાળી" નામની યુવતીને "રિયા" નામ આપીને એક અલગ ઓળખ અપાઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવા નામથી અલગ ઓળખ મળી</span></strong></span><br><span style="font-size: 14pt;">સમતા સંગઠને 2021માં આ પહેલ શરૂ કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 40થી વધુ દલિત-આદિવાસી બાળકોને 'સન્માનજનક' નામ આપવામાં આવ્યા છે. આમાં 26 છોકરીઓ છે. આ બાળકોમાં 30 અનુસૂચિત જાતિ (SC) સમાજમાંથી અને 10 અનુસૂચિત જનજાતિ (ST)માંથી છે. ‘કથિત ઉચ્ચ જાતિ’ના લોકો સમતા સંગઠનના આ પ્રયાસોનો વિરોધ કરી રહ્યા છે, ખાસ કરીને બ્રાહ્મણ પૂજારીઓ તેમના આ પ્રયત્નોનો સૌથી વધુ વિરોધ કરી રહ્યાં છે. તેની પાછળ સંગઠનના લોકોનું માનવું છે કે, તેમના આ પ્રયત્નોથી લોકો બ્રાહ્મણો પાસે નામકરણ માટે જતા ઘટ્યાં છે અને તે રીતે તેમનો ધંધો ભાંગ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કરજળી ગામના SC-ST સમાજના પંડિત રામલાલ ગર્ગ કહે છે, “અમે નક્ષત્રના આધારે નામ આપીએ છીએ. મને નથી લાગતું કે નામકરણ જાતિગત ભેદભાવ પર આધારિત હોય.” રામલાલ છેલ્લા 20 વર્ષથી બાળકોનું નામકરણ કરી રહ્યા છે, અને તેમની નામકરણ પદ્ધતિ ગમે તે હોય, તે રામલાલ દ્વારા કહેવાયેલી વાતોથી વિપરીત છે. તેમણે કહ્યું, “જો કોઈનું નામ ઉદય રાખવામાં આવે છે અને જો તે રાજપૂત છે, તો તેનું નામ "ઉદય સિંહ" હશે. અને જો તે કથિત નિમ્ન જાતિનો હશે તો તેનું નામ "ઉદય લાલ" હશે. આ જે તે સમાજના કામકાજ પર નિર્ભર કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચોતરફ નામના કારણે અપમાન</span></strong></span><br><span style="font-size: 14pt;">ચિંતાજનક બાબત એ છે કે દલિતો-આદિવાસી કે ઓબીસી સમાજના બાળકોના આવા ભેદભાવપૂર્ણ નામકરણ માત્ર રાજસ્થાન પૂરતા મર્યાદિત નથી પરંતુ દેશભરમાં પ્રચલિત છે. રાજસ્થાનના પડોશમાં આવેલા હરિયાણામાં વણજોઈતી દીકરીઓનું નામ મોટાભાગે 'ભટેરી' કે 'ભોટા' (જેનો અર્થ છે સેક્સની જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ઉપલબ્ધ). મહારાષ્ટ્રમાં, છોકરીઓને "ફસીબાઈ" (દગાબાજ) અને "નકોશી" ('વણજોઈતી') જેવા નામો આપવામાં આવતા હતા. પરંતુ છેલ્લા એક દાયકામાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યની 1,000 ગ્રામ પંચાયતોમાં મોટા પાયે ઝુંબેશ શરૂ કરી છે. સમતા સંગઠનના કાર્યકર બૈરવ કહે છે, “ભેદભાવ જન્મથી શરૂ થાય છે. તેથી અમે નામકરણની પદ્ધતિ બદલવાનું નક્કી કર્યુંઃ એક સમયે એક નામ રાખવું એ અમારો નિયમ છે. જેથી કોઈ હુલામણા નામ તરીકે પણ અપમાનજનક નામ ન આપી દે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નામમાં શું રાખ્યું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં ભેદભાવપૂર્ણ નામકરણની પ્રથાઓ સામાન્ય છે. OBC જાતિના ખેડૂતને દલિત અથવા આદિવાસી સમાજના સભ્ય દ્વારા "કાકાજી" તરીકે સંબોધિત કરવામાં આવવા જોઈએ. રાજપૂત માટે “દાતા” શબ્દ વપરાય છે. અન્ય કથિત નીચી જાતિના ગમે તેટલી તેટલી મોટી ઉંમરની વ્યક્તિએ પણ રાજપૂત બાળકોને અનિચ્છાએ "કુંવર સા" કહીને સંબોધન કરવું પડે છે. જેની સામે એ બાળક તે વડીલને પણ તોછડી ભાષામાં બોલાવે તો પણ વાંધો ઉઠાવી શકાતો નથી. દલિતો અને આદિવાસીઓને સમાજમાં ઉચ્ચ જાતિના લોકોના પ્રથમ નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. તેમને તેમની "કથિત હેસિયત" વિશે સતત યાદ અપાવવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિક્ષણ અને જાગૃતિને કારણે પરિસ્થિતિ બદલાઈ રહી છે</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે, 2017માં સમતા સંગઠનની સ્થાપના પછી, તેના કાર્યકરોએ ચિત્તોડગઢના કરજાળી, મેવાડા કોલોની, સૂરજપુરા, ભીમનગર, અમરપુરા, ઉમેદપુરા જેવા ગામોમાં કેન્દ્રો ખોલ્યા. દર મહિને સમુદાયના લોકો આ કેન્દ્રો પર ભેગા થાય છે અને લોકોને તેમના બંધારણીય અધિકારો વિશે જાગૃત કરવામાં આવે છે. આ પ્રવૃત્તિને કારણે પરિસ્થિતિ સારી એવી બદલાઈ છે અને દલિત-આદિવાસી માતાપિતા તેમના બાળકોના અપમાનજનક નામો રાખવાથી દૂર થવા લાગ્યા છે. એક નાનકડો પ્રયાસ હવે રાજસ્થાનમાં પરિવર્તનનો પવન લઈને આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Wind-of-change:-Amreli-bride-and-groom-get-married-under-constitution-witness">પરિવર્તનનો પવનઃ અમરેલીમાં વર-કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 11 Nov 2024 11:23:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1527</Articleid>
                    <excerpt>એક એવું ગામ, જે સવર્ણો દ્વારા દલિત-આદિવાસી બાળકોના આવા અપમાનજનક નામો પાડવાનો અનોખી રીતે વિરોધ કરી રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67319bb8e9c86.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67319bb8b64d1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67319bb8b64d1.jpg" length="108930" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>SC-ST news, Rajasthan news, Chittorgarh Rajasthan</media:keywords>
                </item>
                        <item>
                    <title>પૂજારીએ દલિત મહિલાઓને મંદિરમાં દૂધ ચઢાવતા રોકી, દલિતો રસ્તા પર ઉતર્યા</title>
                    <link>https://khabarantar.com/priest-stops-dalit-women-from-offering-milk-in-temple-dalits-take-to-the-streets</link>
                    <guid>https://khabarantar.com/priest-stops-dalit-women-from-offering-milk-in-temple-dalits-take-to-the-streets</guid>
                    <description>
                        <![CDATA[ દલિત મહિલાઓ મંદિરમાં દેવતાને દૂધ ચઢાવવા માટે ગઈ હતી પણ મંદિરના પૂજારીએ તેમની જાતિના કારણે તેમને દૂધ ચઢાવવા દીધું નહોતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાંથી દલિત મહિલાઓને મંદિરમાં દેવતાને દૂધ ચડાવવાથી રોકવામાં આવતા હોબાળો મચી ગયો છે. મહિલાઓનો આરોપ છે કે મંદિરના પૂજારીઓ અને કથિત ઉચ્ચ જાતિના કેટલાક લોકો તેમને આ ધાર્મિક વિધિ કરવા દેતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેન્દ્રપારા જિલ્લાના ગરજંગા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ગઈકાલની છે. અહીં કેન્દ્રપારા જિલ્લાના એક મંદિરમાં કેટલીક દલિત મહિલાઓ દેવતાને દૂધ ચઢાવવા માટે મંદિરમાં ગઈ હતી. પણ મંદિરના પૂજારીએ તેઓ દલિત જાતિની હોવાથી મંદિરમાં દૂધ ચઢાવતા રોકી હતી. જેને લઈને હોબાળો મચી ગયો હતો અને દલિત સમાજના લોકો તેના વિરોધમાં ધરણાં પર ઉતરી આવ્યા હતા. મહિલાઓ પૂજારીની જાતિવાદી માનસિકતાના વિરોધમાં રસ્તા પર બેસી ગઈ હતી. મહિલાઓનું કહેવું છે કે તેમની દલિત જાતિના કારણે તેમને ગરજંગા ગામના સિદ્ધેશ્વરી રામચંડી શક્તિ મંદિરમાં ધાર્મિક વિધિ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂજારીની જાતિવાદી માનસિકતા પર હોબાળો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓનો આરોપ છે કે મંદિરના પૂજારીઓ અને ઉચ્ચ જાતિના કેટલાક લોકોએ તેમને આ ધાર્મિક વિધિ કરવા દીધી નહોતી. આ અંગે તેણે મરસાઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમને મંદિરમાં પ્રવેશતી અટકાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પોલીસે જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે પોલીસે કહ્યું કે કથિત ઉચ્ચ જાતિ અને દલિત સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસે ગામમાં શાંતિ જાળવવા વધારાના પોલીસ જવાનોને તૈનાત કર્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/due-to-the-lack-of-roads-the-tribal-pregnant-woman-had-to-be-carried-to-the-hospital-in-a-zoli"> રસ્તાના અભાવે આદિવાસી પ્રસુતાને ઝોળીમાં નાખી દવાખાને લઈ જવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 17:30:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1525</Articleid>
                    <excerpt>દલિત મહિલાઓ મંદિરમાં દેવતાને દૂધ ચઢાવવા માટે ગઈ હતી પણ મંદિરના પૂજારીએ તેમની જાતિના કારણે તેમને દૂધ ચઢાવવા દીધું નહોતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67309f53a4e10.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67309f536b5b8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67309f536b5b8.jpg" length="82785" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Siddheshwari Ramchandi Shakti Temple, Odisha News</media:keywords>
                </item>
                        <item>
                    <title>બંદૂક બતાવી IAS અધિકારીએ 6 મહિના સુધી દલિત કર્મચારીનું જાતીય શોષણ કર્યું</title>
                    <link>https://khabarantar.com/ias-officer-sexually-abused-dalit-employee-for-6-months-at-gunpoint</link>
                    <guid>https://khabarantar.com/ias-officer-sexually-abused-dalit-employee-for-6-months-at-gunpoint</guid>
                    <description>
                        <![CDATA[ વિકૃત માનસિકતાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટે કોન્ટ્રાક્ટર પર કામ કરતા દલિત યુવકની મજબૂરીનો ફાયદો ઉઠાવી છ મહિના સુધી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધુનું કૃત્ય કર્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાના IAS અધિકારી કુલભૂષણ બંસલની કોન્ટ્રાક્ટર પરના એક દલિત કર્મચારીનું જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે બંસલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિસારના અધિક પોલીસ અધિક્ષક રાજેશ કુમાર મોહને જણાવ્યું છે કે હરિયાણાના જાહેર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા એક દલિત કર્મચારીએ IAS કુલભૂષણ બંસલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે બંસલ પર 6 મહિના સુધી જાતિવાદી નિવેદનો કરીને અપમાન કરવાનો અને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફરિયાદના આધારે કુલભૂષણ બંસલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 377 (અકુદરતી ગુનો) અને 506 (ગુનાહિત ધમકી) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST act)ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના છ મહિના પહેલા બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપી કુલભૂષણ બંસલ હાંસીના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા એસડીએમ તરીકે કામ કરતો હતો. તેને આ ફરિયાદ બાદ ગુરુવારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ફરિયાદી દલિત કર્મચારીએ દાવો કર્યો હતો કે SDMએ તેમને કોન્ટ્રાક્ટ પર પટાવાળા તરીકે નિયુક્ત કર્યા હોવાથી તે તેમના આદેશ પર તેમના ઘરે જતો-આવતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત યુવકે કહ્યું, “તે મને તેના સત્તાવાર નિવાસસ્થાને મસાજ માટે બોલાવતો હતો અને ત્યાં તે મારી સાથે ખોટું કામ કરવાનો પ્રયાસ કરતો હતો. મેં ના પાડી તો તેણે બંદૂકના નાળચે મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. તેણે મને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. નોકરી જવાની બીકે હું આ બધું સહન કરતો રહ્યો. આ ઘટનાક્રમ છ મહિના સુધી ચાલ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંસલની વિકૃત્તિથી પરેશાન દલિત યુવકે તેના આ કૃત્યનો વીડિયો બનાવી લીધો હતો. એ પછી તેણે નક્કી કર્યું કે ભલે તેણે પોતાનો જીવ આપવો પડે, પરંતુ તે બંસલના કહેવા પર તેના ઘરે નહીં જાય. આ કેસનો વીડિયો વાયરલ થયા બાદ પીડિત દલિત યુવકે આરોપી અધિકારી બંસલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. હાલ બંસલ જેલમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/devadasi-pratha-trading-the-bodies-of-shudra-daughters-in-the-name-of-god">દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 17:03:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1524</Articleid>
                    <excerpt>વિકૃત માનસિકતાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટે કોન્ટ્રાક્ટર પર કામ કરતા દલિત યુવકની મજબૂરીનો ફાયદો ઉઠાવી છ મહિના સુધી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધુનું કૃત્ય કર્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6730991d1b9a3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730991cda4f6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730991cda4f6.jpg" length="88550" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Haryana IAS officer Kulbhushan Bansal, SC ST Act</media:keywords>
                </item>
                        <item>
                    <title>જામજોધપુરમાં પૂજારીએ દલિત કોન્સ્ટેબલને ભોજનશાળામાં પ્રવેશતા અટકાવ્યા</title>
                    <link>https://khabarantar.com/priest-in-jamjodhpur-stops-dalit-constable-from-entering-cantine</link>
                    <guid>https://khabarantar.com/priest-in-jamjodhpur-stops-dalit-constable-from-entering-cantine</guid>
                    <description>
                        <![CDATA[ પૂજારી સહિત ત્રણ શખ્સોએ દલિત પોલીસ કોન્સ્ટેબલને મહાદેવ મંદિરની ભોજનશાળામાં જતા અટકાવી જાતિસૂચક શબ્દો બોલી હડધૂત કર્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો બધું જાણે તેમના બાપની જાગીર હોય તેમ વર્તતા હોય છે. એમાંય સામેની વ્યક્તિ જ્યારે દલિત સમાજની હોય ત્યારે તેઓ વધુ ગેલમાં આવી જતા હોય છે. આવું જ કંઈક જામનગરના મોટી ગોપ ગામે બન્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જામજોધપુરના મોટી ગોપ ગામની છે. અહીં ગોપનાથ મહાદેવના મંદિરની ભોજનશાળામાં પ્રવેશેલા એક દલિત પોલીસ કોન્સ્ટેબલને મંદિરના પૂજારી સહિત ત્રણ શખ્સોએ જાતિસૂચક શબ્દો બોલીને ભોજનશાળામાં જતા અટકાવી હડધૂત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે પોલીસ કોન્સ્ટેબલે પૂજારી સહિત ત્રણ શખ્સો સામે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવતા ભારે ચર્ચા જાગી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાણવડ તાલુકાના ભરતપુર ગામમાં રહેતા અને લોકરક્ષક દળમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયેશ ગોવિંદભાઈ ખરા થોડા દિવસ પહેલા જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં આવેલા ગોપનાથ મહાદેવના મંદિરની ભોજનશાળામાં પ્રવેશવા જઈ રહ્યા હતા. દરમિયાન ત્યાં હાજર રસોઈ કામ કરતા બાબુભાઈ પટેલ, સંજયભાઈ તેમજ હંસગીરીબાપુએ તેમને ભોજનશાળામાં પ્રવેશ કરવાની ના પાડી હતી. એટલું જ નહીં આ ત્રણેય તત્વોએ ભરતભાઈ દલિત હોવાથી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાહેરમાં અપમાન કર્યું હતું. જેનાથી જયેશભાઈને ભારે લાગી આવતા પોલીસ મથકે પહોંચ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયેશભાઈ ખરાએ જાતે ફરિયાદી બની મોટી ગોપના હંસગીરીબાપુ, બાબુભાઈ પટેલ અને સંજયભાઈ એમ ત્રણેય જાતિવાદી તત્વો સામે પોતાને હડધુત કરી જાતિસૂચક શબ્દો કહીને અપમાન કર્યું હોવા અંગેની ફરિયાદ નોંધાવતા જામજોધપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાય ધરી છે. ફરિયાદના બનાવે ભાર ચકચાર જગાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/on-labh-panchame-smugglers-stole-the-ornaments-of-8-gods-including-goga-maharaj">લાભ પાંચમે તસ્કરો ગોગા મહારાજ સહિત 8 દેવોના ઘરેણાં ચોરી ગયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Nov 2024 10:14:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1520</Articleid>
                    <excerpt>પૂજારી સહિત ત્રણ શખ્સોએ દલિત પોલીસ કોન્સ્ટેબલને મહાદેવ મંદિરની ભોજનશાળામાં જતા અટકાવી જાતિસૂચક શબ્દો બોલી હડધૂત કર્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6730392f77124.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730392f47f8d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6730392f47f8d.jpg" length="33503" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jamjodhpur News, Bhanvad Taluka, Bharatpur Village</media:keywords>
                </item>
                        <item>
                    <title>વાલ્મિકી દીકરીના લગ્ન છે, પણ જાતિવાદીઓ હોલ ભાડે આપતા નથી?</title>
                    <link>https://khabarantar.com/valmikis-daughter-is-getting-married-but-casteists-dont-rent-the-hall</link>
                    <guid>https://khabarantar.com/valmikis-daughter-is-getting-married-but-casteists-dont-rent-the-hall</guid>
                    <description>
                        <![CDATA[ દીકરીનો પરિવાર મેરેજ માટે હોલ બુકિંગ કરાવવા મથી રહ્યો છે. દરેક વખતે તેમની દલિત વાલ્મિકી જાતિ આડે આવી જાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્ક્રાંતિનો નિયમ છે કે માણસ આદિમાનવથી આધુનિક હોમો સેપિયન્સ માનવ સુધી પહોંચ્યો છે. જો કે આ નિયમ ભારત સિવાયના માનવ માટે લાગુ પડતો હોય તેમ લાગે છે. આવું એટલા માટે લાગે, કેમ કે, દુનિયાના અન્ય દેશોમાં માણસ તેની જાતિના કારણે નહીં પરંતુ તેના કર્મો અને લાયકાતના કારણે ઓળખ પામે છે. પણ આપણે ત્યાં તેનાથી તદ્દન ઉલટી સ્થિતિ પ્રવર્તે છે અને માણસની ઓળખ તેના કર્મો અને લાયકાતના આધારે નહીં પરંતુ તેની જાતિના આધારે પહેલા કરવામાં આવે છે. તદ્દન બોગસ માણસ પણ જો કથિત ઉચ્ચ જાતિનો હોય તો તેના તમામ ગુનાઓને અવગણીને પણ તેની જાતિના લોકો તેને માથે ચડાવે છે. તેના સો ગુનાઓ માફ કરીને તેને હીરો બનાવી દે છે. પણ જો તેનાથી ક્યાંય સારો, દરેક મોરચે લાયક માણસ પણ જો કથિત નીચી જાતિનો હોય, તો તેને તોડી પાડવામાં કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. આંબેડકરે જાતિવાદનો તોડવા માટે આંતરજાતિય લગ્નને પ્રોત્સાહનની વાત કરી હતી. પણ જાતિ અને જાતિવાદના સતત વધતા પ્રભુત્વને કારણે જાતિ તૂટવાને બદલે વધુને વધુ મજબૂત થી જાય છે. પરિણામે કથિત નીચી જાતિના લોકોને ફરી પાછા એ જ જૂના દિવસો વેઠવાના આવી રહ્યાં છે જે આઝાદી પહેલા તેમણે જોવા પડતા હતા. એકવીસમી સદીના આઝાદ ભારતમાં પણ દલિતો, આદિવાસીઓની સ્થિતિમાં તસુભાર પણ ફરક પડ્યો નથી તેના અનેક ઉદાહરણો દરરોજ ભારતમાંથી ક્યાંયને ક્યાંક સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો હાલ જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીમાંથી સામે આવ્યો છે. જ્યાં એક દલિત વાલ્મિકી પરિવારની દીકરીના લગ્ન હોવા છતાં તેની જાતિના કારણે કોઈ મેરેજ હોલનો માલિક તેમને હોલ ભાડે આપવા તૈયાર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના બદાયૂની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બદાયૂ જિલ્લાના સહસવાણની છે. અહીં વાલ્મિકી સમાજની એક દીકરીના લગ્ન માટે જાતિવાદી તત્વો મેરેજ હોલ ભાડે ન આપતા હોવાની ચર્ચા ઉઠી છે.  આ મામલે સોશિયલ મીડિયા પર એક ફરિયાદ પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન નક્કી થઈ ગયા છે પણ કોઈ મેરેજ હોલ ભાડે આપવા માટે તૈયાર નથી. પોલીસે વાયરલ થઈ રહેલા ફરિયાદ પત્રની સત્યતા તપાસવાનું શરૂ કરી દીધું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દીકરીના પિતાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બદાયૂ જિલ્લાના સહસવાણ તાલુકાના નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટના નામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરનો આ ફરિયાદ પત્ર વાયરલ થયો છે. વાયરલ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે સહસવાણના નીચી નિન્હોર વિસ્તારમાં રહેતા આગનલાલના પુત્ર અચ્છન લાલની દીકરીના લગ્ન 4 ફેબ્રુઆરી 2025ના રોજ નિર્ધારિત કર્યા છે. તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જાન આવવાની હોવાથી દીકરીનો પરિવાર સૌથી પહેલા મેરેજ હોલ શોધવામાં લાગ્યો હતો. પણ તેઓ અનુસૂચિત જાતિ સમાજના વાલ્મિકી હોવાથી કોઈ મેરેજ હોલના માલિક તેમને હોલ ભાડે આપવા માટે તૈયાર નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિ જાણીને હોલ આપવાનો ઈનકાર કરાય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અચ્છન લાલે તેની પુત્રીના લગ્ન માટે મેરેજ હોલ બુક કરાવવા માટે સહસવાણના ઘણાં મેરેજ હોલના માલિકોનો સંપર્ક કર્યો. જો કે તેમની જાતિ વિશે જાણીને તેઓ હોલ આપવાનો ઈનકાર કરી દે છે. અચ્છન લાલના ફરિયાદ પત્ર મુજબ, તે જ તારીખે બુકિંગ માટે અન્ય જ્ઞાતિના લોકોનું નામ લઈને સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મેરેજ હોલ માટે બુકિંગની પરવાનગી આપવામાં આવી હતી. અચ્છન લાલે એસડીએમ સહસવાણને આ મામલાની તપાસ કરવાની માંગ કરી છે અને દીકરીના લગ્ન સમારોહ માટે મેરેજ હોલ અપાવવા વિનંતી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સીએમ યોગીને ફરિયાદ કરવામાં આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સહસવાણ પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પીડિત અચ્છન લાલનો તેના વાયરલ ફરિયાદ પત્રમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમના પુત્ર અરુણ કુમારે ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે બહેનના લગ્ન 4 ફેબ્રુઆરીએ થવાના છે. અમે જ્યાં પણ મેરેજ હોલ બુક કરાવવા જઈએ છીએ ત્યાં જ્ઞાતિ વિશે પૂછીને પછી ના પાડવામાં આવે છે. આ મામલાની ફરિયાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, એસડીએમ સહસવાણ અને પોલીસને કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/action-initiated-against-casteists-who-boycotted-dalits-in-karnataka">કર્ણાટકમાં દલિતોનો બહિષ્કાર કરનાર જાતિવાદીઓ સામે કાર્યવાહી શરૂ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Nov 2024 16:55:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1519</Articleid>
                    <excerpt>દીકરીનો પરિવાર મેરેજ માટે હોલ બુકિંગ કરાવવા મથી રહ્યો છે. દરેક વખતે તેમની દલિત વાલ્મિકી જાતિ આડે આવી જાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672f459325b80.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f4592e9b35.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f4592e9b35.jpg" length="72691" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Badayu News</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોંગ્રેસના ધારાસભ્યે દલિત એન્જિનિયરના 22 હાકડાં ભાંગી નાખ્યા</title>
                    <link>https://khabarantar.com/congress-mla-breaks-22-bones-of-dalit-engineer</link>
                    <guid>https://khabarantar.com/congress-mla-breaks-22-bones-of-dalit-engineer</guid>
                    <description>
                        <![CDATA[ કોંગ્રેસના એક ધારાસભ્યે વીજળી વિભાગના એક દલિત એન્જિનિયરના 22 જેટલા હાકડા ભાંગી નાખ્યા હતા, તે હજુ પથારીવશ છે. હવે સુપ્રીમ કોર્ટે ધારાસભ્યને હાજર થવા આદેશ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત એન્જિનિયરની મારપીટના મામલામાં પૂર્વ ધારાસભ્ય ગિરીરાજ મલિંગાને સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મલિંગાને સરેન્ડર કરવા કહ્યું છે. જસ્ટિસ વી સુબ્રમણ્યમ અને જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે ગિરરાજ મલિંગાની ધરપકડ પર પ્રતિબંધ મૂકતા હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે અને તેને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે મલિંગાને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધૌલપુરના બારીના પૂર્વ ધારાસભ્ય ગિરીરાજ મલિંગા અને તેમના કાર્યકરો પર માર્ચ 2022 માં વીજળી વિભાગના દલિત સમાજમાંથી આવતા સહાયક ઇજનેર હર્ષાધિપતિને નિર્દયતાથી માર મારવાનો આરોપ છે. ગિરીરાજ મલિંગાએ દલિત એન્જિનિયરના 22 જેટલા હાડકા ભાંગી નાખ્યા હતા અને તે આજે પણ પથારીવશ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધૌલપુરના એક ગામમાં ગામલોકો ટ્રાન્સફોર્મર બદલવા માટે વિરોધ કરી રહ્યા હતા ત્યારે તત્કાલિન ધારાસભ્ય મલિંગા તેના સમર્થકો સાથે મદદનીશ એન્જિનિયરની ઓફિસમાં ઘૂસી ગયો હતો અને દલિત એન્જિનિયરને નિર્દયતાથી માર માર્યો હતો. આ હુમલામાં દલિત એન્જિનિયરના શરીરના અનેક હાડકા ભાંગી ગયા હતા. આ મામલે કેસ ચાલી રહ્યો છે, જેમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એસપી સહિત ઘણા પોલીસ અને સરકારી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. એ વખતે મલિંગાને તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના ઘરે બોલાવ્યા હતા અને સીએમ હાઉસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં મલિંગા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મલિંગા એન્જિનિયરને મારવાના આરોપને નકારી રહ્યો છે અને તેને પોતાની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવી રહ્યો છે. ભાજપમાં જોડાયા બાદ મલિંગાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસમાં તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમની સામે ખોટો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. સીએમ અશોક ગેહલોતના પ્રેશર પોલિટિક્સના કારણે આવું કરવામાં આવ્યું હતું. મલિંગાએ એન્જિનિયરો પર હુમલાના કેસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્યારે મેં આ કેસના તપાસ અધિકારીને બદલવાની માંગ કરી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં મારી વાત સાંભળવામાં આવી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડાકુ જગનની ધમકીને કારણે ચર્ચામાં આવ્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાસભ્ય ગિરીરાજ મલિંગા 2022ની શરૂઆતમાં ચંબલના કુખ્યાત ડાકુની ધમકીને કારણે ચર્ચામાં આવ્યો હતો. એ વખતે ડાકુ જગન સિંહ ગુર્જરનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં જગને મલિંગા વિશે વાંધાજનક ટિપ્પણી કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જગનનો વીડિયો સામે આવ્યા બાદ મલિંગાએ પણ જવાબ આપ્યો હતો કે જો જગનની બંદૂકમાંથી ગોળીઓ ચાલે છે તો મારી બંદૂકમાં પણ પાણી નથી ભર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/why-congress-could-not-penetrate-bjps-fortress-even-after-10-years-in-haryana">હરિયાણામાં કોંગ્રેસ 10 વર્ષ પછી પણ ભાજપનો કિલ્લો કેમ ન ભેદી શકી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Nov 2024 12:41:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1516</Articleid>
                    <excerpt>કોંગ્રેસના એક ધારાસભ્યે વીજળી વિભાગના એક દલિત એન્જિનિયરના 22 જેટલા હાકડા ભાંગી નાખ્યા હતા, તે હજુ પથારીવશ છે. હવે સુપ્રીમ કોર્ટે ધારાસભ્યને હાજર થવા આદેશ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672f0a7491113.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f0a745b8c0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672f0a745b8c0.jpg" length="55243" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Congress MLA, Giriraj Malinga</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગરીબ દલિત માબાપના &amp;apos;જયંતિલાલ&amp;apos; ની &amp;apos;જે.બી. સિમેન્ટ&amp;apos; ના માલિક સુધીની સફર</title>
                    <link>https://khabarantar.com/jayantilal-makwana-a-dalit-industrialist-from-keshod-passes-away</link>
                    <guid>https://khabarantar.com/jayantilal-makwana-a-dalit-industrialist-from-keshod-passes-away</guid>
                    <description>
                        <![CDATA[ જૂનાગઢના કેશોદના એક નાનકડા ગામના ગરીબ દલિત પરિવારમાં જન્મેલા &#039;જયંતિલાલ&#039; કેવી રીતે &#039;જે.બી. સિમેન્ટ પ્રોડક્ટ&#039; સહિતની કંપનીના માલિક બન્યા તેની આ કહાની લાખો બહુજનોને પ્રેરણા આપશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">jayantilal makwana a dalit industrialist from keshod passes away : બહુજન સમાજ અને આંબેડકરી ચળવળ બંને હાલ તેના અસ્તિત્વની લડત લડી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં તેને મોટો ઝટકો લાગ્યો છે. આંબેડકરી વિચારધારાના મજબૂત ટેકેદાર, બહુજન સમાજ માટે સ્થળ-કાળ જોયા વિના મદદે દોડી આવનાર, બહુજન સમાજના રત્ન એવા કેશોદના દિગ્ગજ ઉદ્યોગપતિ જયંતિલાલ ભીખાભાઈ મકવાણાનું અકાળે અવસાન થયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની અણધારી વિદાયથી સૌરાષ્ટ્રભરમાં બહુજન ચળવળને મોટો ફટકો પડયો છે. બહુજન સમાજના યુવાનોને ઉદ્યોગ સાહસિક બનાવવા તરફનું લક્ષ્ય લઈને આગળ વધી રહેલા જયંતિલાલ ઉર્ફે જે.બી. મકવાણા વિખ્યાત ઉદ્યોપતિ હોવા છતાં સમાજ સાથે જમીની સ્તરે જોડાયેલા હતા. આ પ્રકારનું વ્યક્તિત્વ આજના જમાનામાં મળવું અત્યંત દુર્લભ છે. ગત 4 નવેમ્બર 2024ના રોજ રાત્રે તેમને હૃદય અને મગજનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેમને જૂનાગઢ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. એક તબક્કે તેમની તબિયત સુધારા પર હતી પરંતુ 5 નવેમ્બરની સવારે તેમનું અવસાન થયું હતું. તેમની અણધારી વિદાયથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યાં જેવી સ્થિતિ પેદા થઈ છે, તો સૌરાષ્ટ્રભરમાં બહુજન ચળવળને મોટો ફટકો પડ્યો છે. તેઓ પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી ઉપરાંત વિશાળ બહુજન સમાજને વિલાપ કરતા છોડી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગરીબ પરિવારમાં જન્મેલા જયંતિલાલ આપબળે ઉદ્યોગપતિ બન્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">બહુજન સમાજ માટે આજની પરિસ્થિતિમાં ઉદ્યોગસાહસિક બનવું ફરજિયાત બની ચૂક્યું છે ત્યારે દિવગંત જે.બી. મકવાણા બિઝનેસ કરવાનું સપનું જોતા બહુજન સમાજના સેંકડો યુવાનોને પ્રેરણા પુરી પાડે છે. 1 જૂન 1962ના રોજ જૂનાગઢના કેશોદના મોવાણા ગામમાં અત્યંત ગરીબ દલિત પરિવારમાં જન્મેલા જયંતિલાલ મકવાણા આપબળે ઉદ્યોગપતિ સુધીની સફર ખેડી બતાવી હતી. મોવાણામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેઓ સાયન્સ ભણવા માટે કેશોદની પી.વી.એમ. વિદ્યામંદિર હાઈસ્કૂલમાં દાખલ થયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાયન્સ લીધું પણ ભણતર પુરું ન કરી શક્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે ડો. આંબેડકરથી લઈને દરેક જાણીતા બહુજન મહાનાયકો સાથે થયું છે તેમ કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે જે.બી. આગળ અભ્યાસ ન કરી શક્યા અને વતન છોડીને પેટિયું રળવા માટે 1998માં કેશોદમાં રહેવા આવી ગયા. સાયન્સના વિદ્યાર્થી રહ્યાં હોવાથી દરેક બાબતમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોવાની તેમની ટેવને કારણે તેઓ સતત પ્રગતિ કરતા રહ્યાં અને ધાર્યું લક્ષ્યાંક પાર પાડ્યું. સાયન્ટિફિક દ્રષ્ટિકોણને કારણે તર્કથી વિપરિત વિચાર તેમને ગળે નહોતો ઉતરતો. દરેક મહત્વની બાબતના લાભાલાભનો વિચાર કર્યા પછી જ તેઓ તેમાં આગળ વધવું કે નહીં તે નક્કી કરતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ગરીબ માબાપના દીકરાએ આપબળે ઈન્ડસ્ટ્રી ઉભી કરી</span></strong><br><span style="font-size: 14pt;">કેશોદ આવ્યા બાદ તેમણે સૌથી પહેલા જે.બી. સિમેન્ટ પ્રોડક્ટ નામે કારખાનું શરૂ કરેલું. એ પછી પરિશ્રમ એન્જિનિયરીંગ વર્ક્સ શરૂ કર્યું, જે આજે સમગ્ર ભારતમાં જાણીતું છે. ઉદ્યોગજગતમાં આગળ વધીને તેમણે જે.બી. બ્લોક ટેક અને હમણાં જ આર.જે. ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરી છે, જેમાં બાયો કોલસો બનાવવામાં આવે છે. તેમનું દિમાગ સતત ઉદ્યોગોને આગળ ધપાવવા માટે વિચારતું રહેતું હતું. એટલે જ ગુજરાત, એમાં પણ સૌરાષ્ટ્રમાં તેમની ઉદ્યોગપતિ તરીકે છાપ વધુ મજબૂત બની હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બહુજન સમાજને દરેક મોરચે મદદ માટે તૈયાર રહેતા</span></strong><br><span style="font-size: 14pt;">તેમનો સરળ સ્વભાવ, ઉદ્યમી, પરિશ્રમી, સતત કાર્યશીલ, કર્મનિષ્ઠ, સત્યવાદી, તર્કશીલ વ્યક્તિત્વ સૌ કોઈને આકર્ષતું હતું. સામાન્ય રીતે બહુજન સમાજના પૈસાદાર વર્ગ પર એક આરોપ કાયમી લાગતો રહ્યો છે કે, તેઓ સમાજને આર્થિક કે અન્ય કોઈપણ રીતે મદદ કરવામાં ઉણાં ઉતરે છે. પણ દિવંગત જે.બી. મકવાણા તેમાં મોટો અપવાદ હતા. તેઓ સતત કોઈને કોઈ સામાજિક કાર્યમાં આર્થિક રીતે મદદરૂપ થતા રહેતા. પછી તે બહુજન સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીને અભ્યાસ અર્થે મદદ કરવાની વાત હોય, દીકરીઓના લગ્નમાં કરિયાવર/દાન આપવાની વાત હોય, કે પછી સમાજમાં બનતા ભવનોમાં દાન કરવાની વાત હોય, તેમણે કદી પાછી પાની નહોતી કરતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_672ef822dc6ed.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આંબેડકરી ચળવળ સાથે આજીવન નાતો રહ્યો</span></strong><br><span style="font-size: 14pt;">દિવંગત જે.બી. મકવાણાની સૌથી મોટી ઓળખ તેમની આંબેડકરી ચળવળ સાથેનું જોડાણ હતું. વર્ષ 1998માં કેશોદમાં રહેવા આવ્યા બાદ તેઓ સૌથી પહેલા બામસેફ સાથે જોડાયા હતા. તેની સાથે તેમણે 25 વર્ષ સુધી જમીની સ્તરે કામ કર્યું હતું. તે સમયે મુવમેન્ટ ચલાવવા માટે તેમના સાથી મિત્રો સાથે તેઓ ગામડે- ગામડે જઈ લોકજાગૃતિનું કામ કરતા હતા. ફૂલે/આંબેડકરી મુવમેન્ટની  સાથે સાચી વિચારધારા ગામોગામ પહોંચે અને લોકો નિર્વ્યસની બને, ઉદ્યોગ-ધંધામાં આગળ વધે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેમજ અંધશ્રદ્ધા નાબૂદ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉદ્યોગપતિ હોવા છતાં બુદ્ધને કારણે સાદું જીવન જીવ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">બુદ્ધ અને બુદ્ધિઝમ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લેવી, તેના વિશે જાણવું એ તેમનો કાયમી શોખ હતો. તેમણે ફૂલે/આંબેડકર/બૌદ્ધ સાહિત્યનું વાંચન અને ગહન અભ્યાસ કર્યો હતો. બુદ્ધના કારણે તેમણે ઉદ્યોગપતિ હોવા છતાં સાદુ જીવન જાળવી રાખ્યું હતું. તેઓ પંચશીલનું પાલન કરતા અને આજીવન બહુજન મહાનાયકોની વિચારધારાને વળગેલા રહ્યાં. બહુજન સમાજના ઉત્થાન માટે તેઓ વહેલી સવારે મોર્નિંગ વોક કર્યા બાદ કામે લાગી જતા અને છેક મોડી રાત સુધી કોઈ અંતરિયાળ ગામમાં મુવમેન્ટનું કામ પતાવીને પરત ફરતા. તેમના પરિવારે જાણે તેમને સમાજને અર્પણ કરી દીધા હોય તેવી સ્થિતિ હતી. હવે તેઓ આપણી વચ્ચે નથી, ત્યારે તેમના પુત્રો પ્રતિક અને મયૂર તથા સાસરે રહેલા તેમના દીકરી તેમણે અધૂરી છોડેલી બહુજન ચળવળની મશાલને આગળ ધપાવે એ જ દિવંગત જે.બી. મકવાણાને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હશે.</span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;">વિશેષ માહિતીઃ ભૂપતભાઈ ચાવડા, ઉના</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Hindi-edition-of-Nilesh-Kathads-book-Buddhist-Caves-of-Saurashtra-Kutch-to-be-launched-in-Aurangabad">નિલેશ કાથડના પુસ્તક 'સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાઓ'ની હિન્દી આવૃત્તિનું લોકાર્પણ થશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Nov 2024 11:25:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1515</Articleid>
                    <excerpt>જૂનાગઢના કેશોદના એક નાનકડા ગામના ગરીબ દલિત પરિવારમાં જન્મેલા &#039;જયંતિલાલ&#039; કેવી રીતે &#039;જે.બી. સિમેન્ટ પ્રોડક્ટ&#039; સહિતની કંપનીના માલિક બન્યા તેની આ કહાની લાખો બહુજનોને પ્રેરણા આપશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672ef82c17761.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672ef82bdbffb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672ef82bdbffb.jpg" length="91403" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit industrialist, keshod</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દલિત યુવકનો મૃતદેહ 8 કલાક સુધી રઝળ્યો</title>
                    <link>https://khabarantar.com/body-of-dalit-youth-lay-in-junagadh-civil-hospital-for-8-hours</link>
                    <guid>https://khabarantar.com/body-of-dalit-youth-lay-in-junagadh-civil-hospital-for-8-hours</guid>
                    <description>
                        <![CDATA[ તાલાલાના દલિત યુવાનને અગાશી પરથી પટકાતા સિવિલમાં દાખલ કરાયો હતો, પણ ડોક્ટરોની બેદરકારીને કારણે તેણે જીવ ગુમાવવો પડ્યો? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો દ્વારા યોગ્ય સારવારના અભાવે દર્દીનું મોત થઈ જવાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યાં છે. આવો વધુ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. અહીં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા તાલાલાના દલિત યુવકની સારવારમાં ફરજ પરના ડોક્ટરોએ બેદરકારી દાખવતા તેનું મોત થઈ ગયું હોવાનું મૃતકના પરિવારજનોનું કહેવું છે. આ મામલે હવે પરિવારજનોએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ ઘટનાની જાણ થતા દલિત સમાજના જાગૃત નાગરિકો હોસ્પિટલે પહોંચી ગયા હતા અને પરિવારની પડખે ઉભા રહ્યા હતા. એક તબક્કે હોસ્પિટલમાં ધાંધલ ધમાલ થાય તેવી શક્યતા ઉભી થઈ હતી. જો કે સમાજના લોકોએ સમગ્ર મામલો શાંતિથી થાળે પાડ્યો હતો. પરિસ્થિતિ વણસે તે પહેલા જ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જો કે, ડોક્ટરો અને હોસ્પિટલની બેદરકારીને કારણે મૃતદેહ 8 કલાક સુધી રઝળતો રહેવાથી મૃતકના પરિવારજનો સહિત સમગ્ર દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર બનાવની પ્રાપ્ત વિiતો મુજબ તાલાલામાં પીપળવા રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા પ્રકાશભાઈ કાળાભાઈ કાથડ (ઉ.વ.38) ગત તા. 1 નવેમ્બરની રાત્રે નવ વાગ્યા આસપાસ તેમના ઘરની અગાશી પરથી અકસ્માતે ગબડી પડ્યા હતા. પ્રકાશભાઈને બેભાન હાલતમાં સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તા. 4ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તબીબોએ સારવારમાં બેદરકારી દાખવ્યાનો આક્ષેપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અકસ્માત બાદ પ્રકાશભાઈને પહેલા તાલાલાની સિવિલ હોસ્પિટલ અને બાદમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારજનોનો આક્ષેપ છે કે, દાખલ કર્યાના બે દિવસ સુધી જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમની યોગ્ય સારવાર કરી નહોતી. ફરજ પરના ડોક્ટરોએ પ્રકાશભાઈનું સીટીસ્કેન ન કરતા તેમનું મોત થઈ ગયું હતું. પ્રકાશભાઈના પરિવારજનોએ રોષ પ્રદર્શિત કરતા હોસ્પિટલે દલિત સમાજના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ-આરએમઓએ મામલો થાળે પાડ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રકાશભાઈનું મોત તબીબોની બેદરકારીના કારણે થયું હોવાના તેમના પરિવારજનોના આક્ષેપ બાજ સમગ્ર જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાંથી જાગૃત દલિત સમાજ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો. એક તબક્કે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહે તેવી સ્થિતિ હતી. એ દરમિયાન પ્રદ્યુમન નગર પોલીસના પીઆઈ ભાર્ગવ જણકાર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. એ પછી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. દુસરાનને સાથે રાખી સમગ્ર મામલો જાણી પ્રકાશભાઈના પરિવારજનોને સાંત્વના પાઠવી ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું. જો કે, એ દરમિયાન 8 કલાક સુધી મૃતદેહ રઝળ્યો હોવાથી પરિવારજનોમાં સિવિલ હોસ્પિટલ તંત્ર સામે ભારે રોષ ફેલાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/scam-of-turning-civil-hospital-patients-into-bjp-members-was-caught"> સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાનું કૌભાંડ ઝડપાયું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Nov 2024 10:54:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1505</Articleid>
                    <excerpt>તાલાલાના દલિત યુવાનને અગાશી પરથી પટકાતા સિવિલમાં દાખલ કરાયો હતો, પણ ડોક્ટરોની બેદરકારીને કારણે તેણે જીવ ગુમાવવો પડ્યો?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672c4e53e86db.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672c4e53b3b50.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672c4e53b3b50.jpg" length="71204" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Junagadh Civil Hospital</media:keywords>
                </item>
                        <item>
                    <title>યોગી આદિત્યનાથ સામે અમદાવાદમાં એટ્રોસિટી ફરિયાદની અરજી અપાઈ</title>
                    <link>https://khabarantar.com/atrocity-complaint-filed-against-yogi-adityanath-in-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/atrocity-complaint-filed-against-yogi-adityanath-in-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે અરજી અપાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ અનુસૂચિત જાતિ સમાજ માટે પ્રતિબંધિત જાતિ વિષયક શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતે હવે તેમની વિરુદ્ધ અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે એક અરજી આપવામાં આવી છે. તે બાબતે આજરોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા રત્ના વોરા દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રત્ના વોરાએ જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથનો ૧૯ સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે અનુસુચિત જાતિ સમાજ માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કર્યો છે. ૨૨ જાન્યુઆરી ૧૯૩૮એ ડો. બાબાસાહેબ આંબેડકરે આ શબ્દ નહીં સ્વીકારવામાં આવે એવું કહીને વોકઆઉટ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ પ્રવક્તા રત્ના વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં સમાજ કલ્યાણ અધિકારીઓએ નવી નીતિ જાહેર કરી હતી અને ૨૦૧૭ માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે આ પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે, તેમ છતાં આ શબ્દનો ઉપયોગ કરીને યોગી આદિત્યનાથે ગુનો કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રતના વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે તેમના દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે અને જો ત્રણ દિવસમાં અરજી નહીં સ્વીકારાય તો અમે આ મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ગુજરાત કોંગ્રેસ એસસી એસટી સેલના ચેરમેન હિતેન્દ્ર પિઠડીયા જણાવ્યું હતું કે, ૧૪૦૦ કરતા વધારે એટ્રોસિટીની ફરિયાદ થાય છે. ગુજરાતમાં દલિતો સામે સતત અત્યાચારની ઘટનાઓ બનતી રહે છે. હાલમાં જ આઇપીએસ રાજકુમાર પાંડિયન દ્વારા દલિતોનું અપમાન કરવામાં આવ્યું હતું. એ પછી મહીસાગરના કલેક્ટર નેહા કુમારીએ નેવું ટકા એટ્રોસિટીના કેસો ખોટા હોય છે અને બ્લેકમેઈલ કરવા માટે થાય છે તેમ કહીને દલિત અત્યાચારોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું હતું. હવે યોગી આદિત્યનાથનો વીડિયો સામે આવ્યો છે અને તેમાં તેઓ દલિતો માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરતા જણાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/bulldozer-a-major-factor-in-bjps-defeat-in-ayodhya">બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Nov 2024 21:41:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1503</Articleid>
                    <excerpt>યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે અરજી અપાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672b93df6016e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b93df2f77d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b93df2f77d.jpg" length="60894" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Yogi Adityanath, Atrocity Act, Scheduled Caste Society, Ratna Vora</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને આખરે એક &amp;apos;દલિત મેયર&amp;apos; મળશે</title>
                    <link>https://khabarantar.com/delhi-municipal-corporation-will-finally-get-a-dalit-mayor</link>
                    <guid>https://khabarantar.com/delhi-municipal-corporation-will-finally-get-a-dalit-mayor</guid>
                    <description>
                        <![CDATA[ ભારે રાજકીય ખેંચતાણ બાદ દિલ્હી એમસીડીને આ મહિને દલિત મેયર મળશે. કોઈ દલિત મેયર ન બની જાય તે માટે જાતિવાદી પક્ષોએ અનેક રોડાં નાખ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નવેમ્બરમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ને ત્રીજા મેયર મળશે અને તે અનુસૂચિત જાતિ (SC) સમાજમાંથી હશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ મુજબ, મેયરનો કાર્યકાળ દર વર્ષે અનામત શ્રેણીઓ અનુસાર નક્કી કરવામાં આવે છે, જેમાં પ્રથમ વર્ષ મહિલા કાઉન્સિલર માટે, બીજો કાર્યકાળ જનરલ કેટેગરી માટે અને ત્રીજો અનુસૂચિત જાતિના કાઉન્સિલર માટે અનામત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">MCDના વર્તમાન મેયર શૈલી ઓબેરોયે 14 નવેમ્બરે યોજાનારી MCD હાઉસની બેઠકમાં નવા મેયરની ચૂંટણીની જાહેરાત કરી છે. MCD એક્ટ હેઠળ, નિવૃત્ત થવા જઈ રહેલા મેયર ચૂંટણીની તારીખ અને સમય નક્કી કરે છે, જ્યારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) ચૂંટણી પ્રક્રિયા માટે પ્રમુખપદ અધિકારીની ભૂમિકા ભજવે છે. વિધાનસભા ચૂંટણીના માત્ર ત્રણ મહિના પહેલા યોજાનારી આ મેયરની ચૂંટણીનું મહત્વ વધી ગયું છે, કારણ કે તે બંને પક્ષો ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) માટે નિર્ણાયક તક સાબિત થઈ શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૂંટણીમાં દલિત મેયર બનવાનાં હોવાથી વિલંબ કરાયો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હીના વર્તમાન મેયર શૈલી ઓબેરોયનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે અને તેઓ એક્સટેન્શન પર છે. નવા મેયરની ચૂંટણી એપ્રિલ 2024થી યોજાવાની હતી, પરંતુ વિવિધ ટેકનિકલ અને રાજકીય મુદ્દાઓને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. આ સાથે ભાજપે આમ આદમી પાર્ટી પર દલિત સમાજના કાઉન્સિલરને મેયર બનાતા રોકવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના નેતા અને MCDમાં વિરોધ પક્ષના નેતા રાજા ઈકબાલ સિંહે આમ આદમી પાર્ટી પર તેમની 'દલિત વિરોધી માનસિકતા'ના કારણે દલિત મેયરની ચૂંટણીમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે AAPએ એક દલિત મેયરને સાત મહિના સુધી સત્તામાં આવતા રોક્યા છે, જેના કારણે હવે દલિત સમુદાયમાં AAP પ્રત્યે નારાજગી છે. ઈકબાલ સિંહે એમ પણ કહ્યું કે, ભાજપ શેરીઓથી લઈને ગૃહ સુધી લડ્યું, જેના કારણે આખરે આમ આદમી પાર્ટીએ ચૂંટણીની મંજૂરી આપી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આમ આદમી પાર્ટીનું વલણ અને રાજકીય દબાણ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">MCDમાં AAPની બહુમતી હોવા છતાં મેયરની ચૂંટણીમાં આ વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એપ્રિલ 2024 માં ચૂંટણીની જાહેરાત સમયે ભાજપ અને AAPએ તેમના ઉમેદવારો જાહેર કર્યા હતા, પરંતુ લેફ્ટનન્ટ ગવર્નરે એમ કહીને ફાઈલ પરત કરી હતી કે તેના પર તત્કાલિન મુખ્યમંત્રી તરફથી કોઈ ભલામણ પત્ર નથી. તે સમયે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા, જેના કારણે તેઓ ભલામણ કરી શક્યા ન હતા. જેના કારણે ચૂંટણી પ્રક્રિયા સ્થગિત થઈ ગઈ હતી. ત્યારબાદ ઓક્ટોબરમાં શૈલી ઓબેરોયે જાહેરાત કરી હતી કે દિવાળી પછી ચૂંટણી યોજાશે. આખરે 28 ઓક્ટોબરે MCD હાઉસની બેઠકમાં ઓબેરોયે નવી ચૂંટણીની તારીખ 14 નવેમ્બર નક્કી કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૂંટણી સમયે રાજકારણ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેયરની ચૂંટણી ભાજપ અને AAP બંને પક્ષો માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આ તેમના માટે તાકાત બતાવવાનો સમય છે. આમ આદમી પાર્ટીની સ્થિતિ અંગે ભાજપે આરોપ લગાવ્યો છે કે તેમણે દલિત મેયર અંગે નિષ્ક્રિયતા દર્શાવી છે, જ્યારે AAPએ તેને ભાજપનું રાજકીય દબાણ ગણાવ્યું છે. ભાજપનું એમ પણ કહેવું છે કે આ ચૂંટણીને લઈને દલિત સમાજમાં AAP પ્રત્યે અસંતોષ છે અને તેની અસર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પડી શકે છે. ભાજપે દાવો કર્યો છે કે આ અસંતોષને કારણે દિલ્હીના SC સમાજનું સમર્થન ભાજપને મળશે અને વિધાનસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ આમ આદમી પાર્ટી વિરુદ્ધ કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેયકની ચૂંટણીની વિધાનસભા ચૂંટણી પર શું અસર થશે?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી દર વર્ષે એપ્રિલમાં યોજાય છે, પરંતુ આ વખતે ચૂંટણી પ્રક્રિયામાં વિલંબે તેને રાજકીય મુદ્દો બનાવી દીધો છે. જ્યારે ડિસેમ્બર 2022 માં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે આમ આદમી પાર્ટીએ 134 બેઠકો જીતી હતી અને તે પછી ફેબ્રુઆરી 2023 માં શૈલી ઓબેરોય મેયર બન્યા હતા. પરંતુ એપ્રિલ 2024માં મેયરની ચૂંટણી અટકી પડી હતી, જેના કારણે ભાજપ અને AAP વચ્ચે રાજકીય ખેંચતાણ વધી ગઈ હતી. ભાજપે AAP પર અનુસૂચિત જાતિ (SC) સમાજના કાઉન્સિલરને મેયર બનતા અટકાવવાનો આરોપ લગાવ્યો હતો. હવે મેયરની ચૂંટણી વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા યોજાઈ રહી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર તેની કેટલી અસર થાય છે તે જોવું રસપ્રદ રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/so-that-the-son-of-a-dalit-does-not-become-the-mayor-the-savarna-parties-are-struggling">દલિતનો દીકરો મેયર ન બની જાય તે માટે સવર્ણ પાર્ટીઓ ત્રાગા કરે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Nov 2024 13:45:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1500</Articleid>
                    <excerpt>ભારે રાજકીય ખેંચતાણ બાદ દિલ્હી એમસીડીને આ મહિને દલિત મેયર મળશે. કોઈ દલિત મેયર ન બની જાય તે માટે જાતિવાદી પક્ષોએ અનેક રોડાં નાખ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672b24e1247b3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b24e0e805b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b24e0e805b.jpg" length="70218" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Delhi Municipal Corporation, Dalit Mayor</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઝોળાછાપ ડોક્ટરે યુટ્યુબમાં જોઈ દલિત સગર્ભાનું ઓપરેશન કરતા મોત</title>
                    <link>https://khabarantar.com/quack-doctor-seen-on-you-tube-dalit-pregnant-woman-dies-while-operating</link>
                    <guid>https://khabarantar.com/quack-doctor-seen-on-you-tube-dalit-pregnant-woman-dies-while-operating</guid>
                    <description>
                        <![CDATA[ 24 કલાક સુધી ઓપરેશન ચાલ્યું પણ મહિલા બચે તેમ ન લાગતા ડોક્ટર દવાખાનું છોડી ફરાર થઈ ગયો અને મહિલાનું મોત થયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોતરફ નકલીઓની બોલબોલા વધતી જઈ રહી છે. નકલી આઈએએસ-આઈપીએસ, નકલી પીએમઓ-સીએમઓ અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી જજ સુધી પહોંચી ગયા છીએ ત્યારે એક એવી ઘટના સામે આવી છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બન્યું છે એવું કે એક ઝોળાછાપ ડોક્ટર વર્ષોથી ક્લિનિક ચલાવતો હતો. આસપાસના એરિયામાં તેનું સારું એવું નામ થઈ જતા તેણે ક્લિનિકનો વિસ્તાર કર્યો હતો. અહીં એક દલિત સગર્ભાને દાખલ કરવામાં આવી હતી. જેનું આ કથિત ડોક્ટરે યુટ્યુબમાં જોઈને ઓપરેશન કર્યું હતું. ચોવીસ કલાક સુધી ઓપરેશન ચાલ્યા બાદ પણ સગર્ભાની તબિયત ન સુધરતા ડોક્ટર પોતાની પોલ ખૂલી જવાની બીકે ક્લિનિક છોડીને ભાગી ગયો હતો, બીજી તરફ ખોટી સારવારના કારણે સગર્ભાનું મોત થઈ ગયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિહારના બેગુસરાયના ખોડાવંદપુરની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બિહારના બેગુસરાય જિલ્લાના ખોડાવંદપુર તાલુકાનો છે. અહીં રાજનંદની ક્લિનિક નામે એક દવાખાનું ખોલવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં જિલ્લાના ઘણા પ્રખ્યાત ડૉક્ટરોની તસવીરો ચોંટાડવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે તે એક રજિસ્ટર્ડ હોસ્પિટલ છે. આ જોઈને ચેરિયા બરિયારપુર બ્લોકના અર્જૂનટોલ ગામની 30 વર્ષીય અમૃતા કુમારીને તેના પરિવારના સભ્યોએ દાખલ કરી હતી. 2જી નવેમ્બરે દાખલ કરાયેલી અમૃતાનું 5મી નવેમ્બરે સાંજે મોત થયું હતું. દર્દી સાથે રહેતી તેની બહેન કાજલ કુમારીએ જણાવ્યું કે ડોકટર મોબાઈલમાં યુટ્યુબ વીડિયો જોઈને ઓપરેશન કરી રહ્યા હતા. છેલ્લા 24 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું હતું અને જ્યારે તેની બહેનની તબિયત બગડવા લાગી અને તે મૃત્યુની નજીક પહોંચી ગઈ ત્યારે ડોક્ટર બાઇક પર ભાગી ગયો હતો. એ પછી પરિવારજનોમાં હોબાળો મચી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જિલ્લામાં સૌથી વધુ નકલી હોસ્પિટલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના ખોડાવંદપુર તાલુકા કચેરી, પોલીસ સ્ટેશન અને સરકારી હોસ્પિટલની સામે બની છે. સ્થાનિક પ્રશાસનની બેદરકારીને કારણે ખોડાવંદપુર બ્લોક હેડક્વાર્ટરમાં ઘણી નકલી હોસ્પિટલો ચાલી રહી છે. આમાંની મોટાભાગની હોસ્પિટલો સ્થાનિક પીએસસીના ડોકટરો સાથે જોડાયેલી છે. આ મામલે ખોડાવંદપુર પીએચસીના ઈન્ચાર્જ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે બહાર આવ્યું કે તે ભાગ્યે જ તેની હોસ્પિટલમાં ફરજ માટે આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-dalit-doctor-has-been-struggling-to-get-a-house-on-rent-for-four-years-in-visakhapatnam-andhra-pradesh">એક દલિત ડોક્ટર ચાર વર્ષથી ભાડે મકાન મેળવવા રઝળી રહ્યાં છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Nov 2024 11:22:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1499</Articleid>
                    <excerpt>24 કલાક સુધી ઓપરેશન ચાલ્યું પણ મહિલા બચે તેમ ન લાગતા ડોક્ટર દવાખાનું છોડી ફરાર થઈ ગયો અને મહિલાનું મોત થયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672b02e68a97a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b02e64d1ff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672b02e64d1ff.jpg" length="68699" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>YouTube Video, Bihar, Begusarai, Khodavandpur</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;ગાળ ન બોલો...&amp;quot; કહેતા જાતિવાદીઓએ દલિત યુવકની હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/dont-insult-casteists-killed-dalit-youth</link>
                    <guid>https://khabarantar.com/dont-insult-casteists-killed-dalit-youth</guid>
                    <description>
                        <![CDATA[ લુખ્ખા તત્વો રસ્તાની વચ્ચોવચ બાઈકો લઈને ઉભા હતા. દલિત યુવક ટ્રેક્ટર કાઢી શકે તેમ નહોતો, તેણે બાઈક હટાવવા કહ્યું અને જાતિવાદીઓએ હત્યા કરી નાખી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગમે તેટલી દિવાળી કે બેસતા વર્ષ આવીને જતા રહે, પણ આ દેશના જાતિવાદી તત્વોની દલિતો, આદિવાસીઓ પ્રત્યેની માનસિકતામાં તસુભાર પણ ફરક આવે તેવી દૂર દૂર સુધી કોઈ શક્યતા જણાતી નથી. આવું એટલા માટે લાગે છે, કેમ કે દિવાળી અને બેસતા વર્ષે પણ દલિતો પર અત્યાચારની અનેક ઘટનાઓ ઘટી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટનામાં નજીવી બાબતે જાતિવાદી તત્વોએ એક દલિત યુવકને લાકડીઓ-દંડાથી ઢોર માર માર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ થતા યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. આ મામલે હવે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે અને એક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના પીલીભીતના પ્રતાપદાંડીની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીનો છે. અહીં પીલીભીતના બરખેડા પોલીસ સ્ટેશનમાં આવતા પ્રતાપદાંડી ગામમાં એક દલિત યુવકની જાતિવાદી તત્વોએ માર મારીને હત્યા કરી નાખી. મૃતક દલિત યુવક સીતારામ 42 વર્ષનો હતો અને તે ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત શનિવારે સાંજે તેનો ભાઈ હરિઓમ ટ્રેક્ટર લઈને ઘરે આવી રહ્યો હતો. એ દરમિયાન ગામના કેટલાક જાતિવાદી તત્વોએ તેમની બાઇક રોડ પર પાર્ક કરી હતી. સીતારામે તેમને બાઇક હટાવવાનું કહેતાં તેમણે ગાળાગાળી કરીને મારામારી શરૂ કરી હતી. જો કે પરિવારના અન્ય સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિવાદ શાંત પાડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો થાળે પડ્યાં બાદ ઘરે જઈને હુમલો કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો થાળે પડી ચૂક્યો હતો. પરંતુ થોડા સમય બાદ ગામના ગંગાપ્રસાદ, ઓમપાલ, સુરેન્દ્ર અને રામનિવાસ સહિતના જાતિવાદીઓ સીતારામના ઘરે આવ્યા અને અપશબ્દો બોલી લાકડીઓ-દંડાથી હુમલો કર્યો હતો. જ્યારે સીતારામે તેમનો પ્રતિકાર કર્યો તો તેના પર તૂટી પડ્યા હતા અને જાતિસૂચક ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હોબાળો થતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા, જેનાથી આરોપીઓ સીતારામના પરિવારને ધમકી આપીને ભાગી ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સીતારામનું સારવાર દરમિયાન મોત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હુમલા બાદ દરમિયાન ઈજાગ્રસ્ત સીતારામને તાત્કાલિક બરખેડા સીએચસીમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો. અહીં પણ તેની તબિયતમાં સુધારો ન થતાં તેને બરેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં રવિવારે સવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી મામલો હત્યામાં પલટાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ પોલીસે ચારેય આરોપીઓ સામે મારામારીનો ગુનો નોંધ્યો હતો. રવિવારે સીતારામના મોતની માહિતી મળતાની સાથે જ પોલીસે ગામમાં પહોંચીને કાર્યવાહી તેજ કરી હતી. બિસલપુરના સીઓ પ્રતિક દહિયા પણ ગામમાં પહોંચ્યા હતા અને ઘટનાની તપાસ કરી હતી. પોલીસે એક આરોપીને પણ કસ્ટડીમાં લીધો છે.</span><br><span style="font-size: 14pt;">સીતારામના મોત બાદ પરિવારનો આક્રંદ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાજુ સીતારામના મોત બાદ તેના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. તેની પત્ની પાર્વતીદેવીની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. મૃતક સીતારામને બે પુત્રો અરવિંદ અને ધર્મેન્દ્ર છે અને બંનેની જવાબદારી હવે પાર્વતીદેવી પર આવી પડી છે. તેમની આ સ્થિતિ જોઈને દલિતવાસમાં સોંપો પડી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બરખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ મુકેશ શુક્લાના જણાવ્યા પ્રમાણે, હુમલા બાદ પરિવારની ફરિયાદના આધારે મારામારી અને એસસીએસટી એક્ટ હેઠળ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. સીતારામનું બરેલીની હોસ્પિટલમાં મોત થયું હતું અને બરેલી પોલીસ દ્વારા જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અગાઉ દાખલ કરાયેલી ફરિયાદમાં હત્યાની કલમો ઉમેરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-dalit-youth-was-killed-and-his-face-was-burnt-with-acid">દલિત યુવકની હત્યા કરી ચહેરો તેજાબ નાખી સળગાવી દીધો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Nov 2024 09:44:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1498</Articleid>
                    <excerpt>લુખ્ખા તત્વો રસ્તાની વચ્ચોવચ બાઈકો લઈને ઉભા હતા. દલિત યુવક ટ્રેક્ટર કાઢી શકે તેમ નહોતો, તેણે બાઈક હટાવવા કહ્યું અને જાતિવાદીઓએ હત્યા કરી નાખી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672aec6538ea9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672aec64f1345.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672aec64f1345.jpg" length="113030" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit crime, Atrocity, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>સરપંચ પુત્રએ દલિત તલાટીનું અપહરણ કરી કચેરીમાં પૂરી માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/sarpanchs-son-kidnaps-dalit-talati-and-beats-him-up-in-office</link>
                    <guid>https://khabarantar.com/sarpanchs-son-kidnaps-dalit-talati-and-beats-him-up-in-office</guid>
                    <description>
                        <![CDATA[ સરપંચે ખોટું બિલ પાસ કરવાનું કહેતા દલિત તલાટીએ ના પાડી દીધી. ઉશ્કેરાયેલા સરપંચપુત્રે તલાટીનું અપહરણ કર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી અને કચેરીમાં પુરી માર માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીને કૃ્ત્રિમ સૂર્ય બનાવ્યો છે, ઈલોન મસ્ક મગજમાં ચીપ ફીટ કરી માણસને વધુ સશક્ત બનાવવા જઈ રહ્યો છે. આપણા નેતાઓ સાયન્સ અને ટેકનોલોજીના વધતા પ્રભાવ અને મહત્વથી સારી પેઠે વાકેફ છે એટલે તેઓ તેમના દીકરા-દીકરીઓને વિદેશોની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં કરોડો રૂપિયા ખર્ચીને ભણાવા મોકલી રહ્યાં છે, બીજી તરફ આ જ લોકો જાતિવાદ અને ધર્માંધતાને ઉત્તેજન આપીને દલિતો, આદિવાસીઓને પછાત રાખવા વર્ણ વ્યવસ્થા આધારિત જાતિવાદ ફેલાતો રહે તે માટે પ્રયત્નો કરતા રહે છે. એનું જ કારણ છે કે, દેશનું બંધારણ દરેક રીતે સર્વોત્તમ હોવા છતાં જાતિવાદી તત્વોને કાયદો વ્યવસ્થાનો જાણે કોઈ ડર જ નથી.</span><br><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક ગામના દલિત તલાટીને સરપંચના છોકરાએ અન્ય જાતિવાદી તત્વો સાથે મળી, તેમનું અપહરણ કરી, ગ્રામ પંચાયતની કચેરીમાં પુરીને માર માર્યો હતો. આ મામલો હોબાળો થતા તલાટી સંઘે તમામ લાગતા વળગતા ખાતાઓના અધિકારીઓને જાણ કરતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત તલાટીને સરપંચપુત્રે ધમકી આપી</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત બની ચૂકેલા ઉત્તરપ્રદેશનો છે. અહીંના શિવરાજપુરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બ્લોકમાં તૈનાત એક ગામના દલિત તલાટી પર પૈસા ચૂકવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેમણે ગેરકાયદે રીતે તે ચૂકવવાની ના પાડી ત્યારે તેમના પર દબાણ કરવામાં આવ્યું. જો કે પ્રામાણિક દલિત તલાટી એ પછી પણ નમતું ન જોખતા જાતિવાદીઓએ તેમનું અપહરણ કર્યું હતું અને તેમને ગ્રામ પંચાયત કચેરીમાં પુરીને તાળું મારી દીધું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">તલાટીને જાતિસૂચક ગાળો ભાંડી મોબાઈલ છીનવી લીધો</span></strong><br><span style="font-size: 14pt;">તલાટી સત્ય પ્રકાશે પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સવારે જ્યારે તેઓ પોતાના વિસ્તારમાં સરકારી કામ કરી રહ્યા હતા ત્યારે ગામના સરપંચની ઉશ્કેરણી પર તેમનો દીકરો અને તેના સાગરિતો તેમની પાસે આવ્યા હતા અને એક કામના પૈસાનું તાત્કાલિક ચૂકવણું કરવા દબાણ કરવા લાગ્યા હતા. જ્યારે તેમણે આવું કરવાનું ના પાડી દીધી તો આ લોકો ઉશ્કેરાઈ ગયા અને તેમને જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કરવા લાગ્યા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા અને તેમનો મોબાઈલ પણ છીનવી લીધો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તલાટીનું અપહરણ કરી પંચાયતમાં પુરી દીધાં</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત તલાટી જેમતેમ કરીને પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યા. તલાટી જીવ બચાવીને રસ્તે ભાગી રહ્યા હતા ત્યારે સરપંચપુત્રના સાગરિતો એક કુખ્યાત આરોપી સાથે તેમનો પીછો કરતા આવી પહોંચ્યા અને રસ્તામાંથી તેમનું અપહરણ કરી લીધું અને ગ્રામ પંચાયત કચેરીમાં લઈ જઈને તેમને રૂમમાં પુરી તાળું મારી દીધું હતું. અહીં પણ તેમની સાથે ગાળાગાળી કરીને જાતિસૂચક ગાળો ભાંડવામાં આવી હતી. એ પછી કેટલાક લોકોની દરમિયાનગિરી બાદ મામલો થાળે પડ્યો હતો અને દલિત તલાટીને છોડવામાં આવ્યા હતા. એ પછી તેમણે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તલાટી સંઘે ફરિયાદ કરતા તંત્ર હરકતમાં આવ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">એ દરમિયાન તેમણે જિલ્લા તલાટી સંઘને પણ તેમની સાથે જે બન્યું તે અંગે ફરિયાદ કરી હતી. એ પછી તલાટી સંઘના જિલ્લા અધ્યક્ષ સંજય મિશ્રા અને પદાધિકારીઓ શિવરાજપુર પોલીસ સ્ટેશન ગયા અને ઇન્સ્પેક્ટર તથા બીડીઓ શિવરાજપુરને ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એસીપીને તપાસ સોંપવામાં આવી</span></strong></span><br><span style="font-size: 14pt;">બીડીઓ શિવરાજપુરનું કહેવું છે કે સમગ્ર મામલાની જાણકારી અધિકારીઓને આપવામાં આવી છે. શિવરાજપુરના ઈન્સપેક્ટરના જણાવ્યા અનુસાર, તલાટીએ ફરિયાદ આપી છે અને સમગ્ર મામલાની માહિતી એસીપીને આપવામાં આવી છે. આ મામલે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/upsarpanch-talati-did-not-give-chair-to-dalit-women-sarpanch">દલિત મહિલા સરપંચને તલાટી-ઉપસરપંચે બેસવા માટે ખુરશી ન આપી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 17:07:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1494</Articleid>
                    <excerpt>સરપંચે ખોટું બિલ પાસ કરવાનું કહેતા દલિત તલાટીએ ના પાડી દીધી. ઉશ્કેરાયેલા સરપંચપુત્રે તલાટીનું અપહરણ કર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી અને કચેરીમાં પુરી માર માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6729e716f2c12.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729e716bdb7f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729e716bdb7f.jpg" length="47949" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, UP News, UP crime, atrocity case, Shivarajpur news</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;મારા ખેતરમાં ઢોર કેમ ચરાવો છો?&amp;apos; પૂછતા દલિત મહિલાની હત્યા</title>
                    <link>https://khabarantar.com/dalit-woman-killed-for-asking-why-are-you-grazing-cattle-in-my-field</link>
                    <guid>https://khabarantar.com/dalit-woman-killed-for-asking-why-are-you-grazing-cattle-in-my-field</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી તત્વોએ દલિત પરિવારના ખેતરમાં તેમના ઢોર ચરવા મૂકવા દીધા હતા. મહિલાએ વિરોધ કર્યો તો તેના ઘરે જઈને લાકડી, દંડા, સળિયાથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ ધર્મમાં દિવાળી બાદ શરૂ થતા નવા વર્ષમાં લોકો એકબીજાને મળી નવું વર્ષ સારું નીવડે તેવા શુભેચ્છાઓ પાઠવતા હોય છે. જો કે વાસ્તવિકતા એ છે કે આવી સેંકડો દિવાળીઓ આવીને ગઈ હોવા છતાં દલિતોની સ્થિતિમાં તસુભાર પર ફેર પડતો નથી. આવું એટલા માટે કહેવું પડે કેમ કે, દિવાળી, બેસતા વર્ષ દરમિયાન પણ દેશના અલગ અલગ ખૂણે દલિતો પર અત્યાચારના સમાચારો આવતા રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટનામાં કેટલાક જાતિવાદી તત્વોએ એક દલિત મહિલાના ખેતરમાં તેમના ઢોર ચરાવવા માટે છોડી દીધા હતા. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો, તો જાતિવાદી તત્વોએ દલિત મહિલાને ખેતરમાં જ માર માર્યો. એટલું જ નહીં, તેનાથી તેમનું મન ન ભરાયું તો ફરી લાકડીઓ, દંડા, સળિયા વગેરે લઈને તેના ઘરે પહોંચી ગયા હતા અને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં દલિત મહિલાના પુત્રોને પણ ઈજા થઈ છે. આ મામલે હવે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે, આરોપીઓ ફરાર થઈ ગયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઢોર ચરાવવાની ના પાડી તો હુમલો કરી દીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનનો છે. અહીં ધૌલપુર જિલ્લાના કંચનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુર્રીપુરા ગામમાં ગત મંગળવારે એક દલિત મહિલાના બાજરીના ખેતરમાં માથાભારે જાતિવાદી તત્વોએ તેમના પશુઓ ચરવા મૂકી દીધા હતા. જેનો મહિલાએ વિરોધ કર્યો હતો. જેનાથી ઉશ્કેરાયેલા જાતિવાદી તત્વોએ દલિત મહિલા પર ખેતરમાં જ હુમલો કરી દીધો હતો. એ પછી પણ તેમનું મન ન ભરાયું તો ફરી તેઓ ટોળું રચીને મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને તેમને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. જેમાં મહિલાનું મોત થઈ ગયું હતું અને તેમના ત્રણ દીકરા પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક દિવસથી રાજસ્થાનમાં દલિતો પર અત્યાચારની એકથી વધુ ઘટનાઓ ઘટી છે અને તેના વીડિયો પણ વાયરલ થયા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી. જેના કારણે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત મંગળવારે કુર્રીપુરા ગામના દેવેન્દ્ર (મનુ મીડિયાએ આરોપીઓની જાતિ છુપાવી રાખી હોવાથી તેઓ કઈ જાતિના છે તે ખ્યાલ આવ્યો નથી) અને તેમની જાતિના લોકોએ 60 વર્ષની રામો રામબાબુ જાટવના બાજરાના ખેતરમાં તેમના ઢોર ચરવા છોડી દીધા હતા. જ્યારે રામોબાઈને તેની જાણ થઈ તો તેમણે વિરોધ નોંધાવ્યો. જેનાથી ઉશ્કેરાયેલા દેવેન્દ્ર અને તેના સાગરિતોએ રામોબાઈને લાકડી અને દંડાથી માર માર્યો હતો. આ મારામારી પછી રામોબાઈ તેમના પરિવારના સભ્યોને લઈને પોતાના ઘરે જતા રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આરોપીઓનો ગુસ્સો હજુ પણ શાંત નહોતો થયો અને તેઓ દલિત પરિવારને પાઠ ભણાવવા માંગતો હતો. આથી બીજા દિવસે બુધવારે દેવેન્દ્ર અને તેની જાતિના 12 જેટલા લોકોનું ટોળું લાકડીઓ અને સળિયા લઈને રામોબાઈના ઘરે પહોંચી ગયા હતા અને તેમના ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં રામોબાઈનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. જ્યારે તેમના પુત્ર અસ્તવીર, તારાચંદ્ર, કિશન અને યોગેશની પત્ની સૂરજવતી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓએ ઘર પર ગોળીબાર કરી ભય ફેલાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓએ આટલે પણ અટક્યા નહોતા અને તેમણે રામોબાઈના ઘર પર ગોળીબાર કરીને સમગ્ર દલિતવાસમાં ભય ફેલાવ્યો હતો. ઘટના અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શૈતાન સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહને કબજામાં લીધો હતો. જ્યારે ઘાયલોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે રામોબાઈના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને પગલે દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રભારી શૈતાન સિંહે કહ્યું કે તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. પરિવારજનોની હાજરીમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પરિવારજનોએ ગામના માથાભારે તત્વો પર હત્યાનો આરોપ લગાવી નામજોગ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ પહોંચે તે પહેલા આરોપી ફરાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોટાભાગના દલિત અત્યાચારોના કેસોમાં બને છે તેમ આ ઘટનામાં પણ પોલીસ કેસ નોંધાતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કંચનપુર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ પોલીસ આવી રહી હોવાની જાણ થતા જ હુમલાખોરો ગામ છોડીને ભાગી ગયા હતા. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે પોલીસની ટીમ આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે અને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/a-dalit-youth-who-was-running-to-escape-from-a-dog-was-tied-up-and-killed-by-upper-castes-mistaking-him-for-a-thief"> કૂતરાથી બચવા ભાગી રહેલા દલિત યુવકને સવર્ણોએ ચોર સમજી બાંધીને માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 10:36:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1491</Articleid>
                    <excerpt>જાતિવાદી તત્વોએ દલિત પરિવારના ખેતરમાં તેમના ઢોર ચરવા મૂકવા દીધા હતા. મહિલાએ વિરોધ કર્યો તો તેના ઘરે જઈને લાકડી, દંડા, સળિયાથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6729a6e103f13.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729a6e0c2954.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6729a6e0c2954.jpg" length="101568" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Crime, Rajasthan News</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે ધર્મ પરિવર્તન કરનારા દલિતોને અનામતનો લાભ નહીં મળે?</title>
                    <link>https://khabarantar.com/now-dalits-who-convert-will-not-get-the-benefits-of-reservation</link>
                    <guid>https://khabarantar.com/now-dalits-who-convert-will-not-get-the-benefits-of-reservation</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્ર સરકાર ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મનો સ્વીકાર કરનાર દલિતોને ટૂંક સમયમાં મોટો ઝટકો આપવાની તૈયારીઓ કરી રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગીને અન્ય ધર્મમાં પરિવર્તિત થનારા દલિતોને કેન્દ્ર સરકાર મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. કેન્દ્રે અનામત આપવાને લઈને ઓક્ટોબર 2022 માં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કેજી બાલકૃષ્ણ (KG Balakrishnan) ની આગેવાની હેઠળ તપાસ પંચ (Inquiry Commission) ની રચના કરી હતી. હવે કેન્દ્ર સરકારે તપાસ પંચને વધુ એક વર્ષનો સમય આપ્યો છે, એ જાણવા માટે કે ધર્મ પરિવર્તન કરનારા તમામ દલિતોને અનુસૂચિત જાતિ (Scheduled Caste) નો દરજ્જો આપી શકાય કે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ વિરોધ કરશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મ પરિવર્તન કરનારા દલિતોને મોટો આંચકો લાગી શકે છે. એવા સમાચાર છે કે NCSC (National Commission for Scheduled Castes) એટલે કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ઇસ્લામ (Islam) અને ખ્રિસ્તી (Christianity) ધર્મ અપનાવનારાઓને SCનો દરજ્જો આપવાનો વિરોધ કરશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ધર્માંતરણ કરનારા દલિતોને એસસીનો દરજ્જો આપવાની તપાસ કરી રહેલા તપાસ પંચને વધુ એક વર્ષનો સમયગાળો આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કિશોર મકવાણાએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, NCSC ના પ્રમુખ કિશોર મકવાણા (Kishor Makwana) એ કહ્યું કે, અનુચ્છેદ 341 અંતર્ગત બંધારણ (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર, 1950 માં કહેવાયું છે કે, હિંદુ, શીખ અથવા બૌદ્ધ સિવાય કોઈ પણ ધર્મનું પાલન કરતી વ્યક્તિ SC સમાજના સભ્ય ગણવામાં આવશે નહીં. રિપોર્ટ અનુસાર, 1950ના રાષ્ટ્રપતિના આદેશમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ, શીખ અને બૌદ્ધ ધર્મના દલિતોને SC સૂચિના સભ્ય ગણી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કે જી બાલકૃષ્ણન પંચને વધુ એક વર્ષ અપાયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રએ ઓક્ટોબર 2022 માં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કેજી બાલકૃષ્ણની આગેવાનીમાં તપાસ પંચની રચના કરી હતી. હવે કેન્દ્ર સરકારે તપાસ પંચને વધુ એક વર્ષનો સમય આપ્યો છે, જેથી એ જાણી શકાય કે ધર્મ પરિવર્તન કરનારા તમામ દલિતોને એસસીનો દરજ્જો આપી શકાય કે નહીં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કમિશનની રચના એ શક્યતાઓ પર વિચાર કરવા માટે કરવામાં આવી હતી કે, ઐતિહાસિક રીતે SC સમુદાયના લોકો, જેમણે હવે તેમનો ધર્મ બદલી નાખ્યો છે, તેમને SC નો દરજ્જો આપી શકાય કે નહીં. તપાસ પંચને 10 ઓક્ટોબર 2024 સુધીમાં રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધર્માંતરણ કરનારને એસસીનો દરજ્જાથી ધર્માંતરણને પ્રોત્સાહન મળશેઃ કિશોર મકવાણા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા સાથે વાત કરતાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોર મકવાણાએ કહ્યું કે અનામત પ્રથા જાતિ આધારિત છે. તેમણે કહ્યું, 'ધર્મ પરિવર્તન કરનારા લોકો હવે હિંદુ નથી, તો બંધારણના અર્થઘટન મુજબ તેમનો અનુસૂચિત જાતિમાં સામેલ થવાનો સવાલ જ ખતમ થઈ જાય છે.' તેમણે કહ્યું કે આ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. ધર્મ પરિવર્તન કરનારા દલિતોને SC નો દરજ્જો આપવાથી ધર્માંતરણને પણ પ્રોત્સાહન મળશે. આ SC સમુદાયના લોકો સાથે મોટો અન્યાય હશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ અનુસાર, કિશોર મકવાણાએ કહ્યું કે જો ધર્માંતરણ કરનારાઓને એસસીનો દરજ્જો આપવામાં આવશે તો ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો કોઈ અર્થ રહેશે નહીં. તેમણે કહ્યું, 'આ આંબેડકર અને સમગ્ર SC સમુદાય સાથે વિશ્વાસઘાત હશે.' અહેવાલ છે કે ઘણા દલિત જૂથો ધર્મ પરિવર્તન કરનારા દલિતોને એસસીનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Appointment-of-noted-writer-orator-Kishore-Makwana-as-Chairman-of-National-Scheduled-Castes-Commission">જાણીતા લેખક-વક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂંક</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 05 Nov 2024 09:18:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1490</Articleid>
                    <excerpt>કેન્દ્ર સરકાર ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મનો સ્વીકાર કરનાર દલિતોને ટૂંક સમયમાં મોટો ઝટકો આપવાની તૈયારીઓ કરી રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67299492bf42e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672994928d912.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672994928d912.jpg" length="107930" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kishore Makwana, Religious conversion, Reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિવાળીની રાતે ગાંજો પીવા માચિસ ન આપી તો દલિતોના ઘર સળગાવી દીધાં</title>
                    <link>https://khabarantar.com/dalit-houses-were-burnt-down-when-they-were-not-given-matches-to-smoke-ganja-on-diwali-night</link>
                    <guid>https://khabarantar.com/dalit-houses-were-burnt-down-when-they-were-not-given-matches-to-smoke-ganja-on-diwali-night</guid>
                    <description>
                        <![CDATA[ હિંદુઓનું નવું વર્ષ શરૂ થયું એના આગલા દિવસે દલિતો પર અત્યાચારની ઘટનાઓ પણ નવેસરથી શરૂ થઈ ચૂકી છે, નવા વર્ષની સાથે જાતિવાદી તત્વોની માનસિકતામાં તસુભાર પણ ફરક પડ્યો નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ દેશ આખો દિવાળીની રાત્રે દીવડા પ્રગટાવી ઉત્સવ ઉજવવામાં મગ્ન હતો, બીજી તરફ એક ગામ એવું પણ હતું જ્યાં જાતિવાદી તત્વો દલિત પરિવારના ઘરને આગ લગાવી રહ્યા હતા. કથિત રીતે અંધકારમાંથી ઉજાસ તરફ જવાના ઉત્સવની રાતે જ જાતિવાદી તત્વો દલિત પરિવારની પરવા કર્યા વિના તેમના ઘરો સળગાવી રહ્યા હતા. પરિવારમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ છે, જેમના માથે હવે છત નથી રહી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિહારના નાલંદાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બિહારના નાલંદાની છે. અહીં ગાંજો-સિગરેટ ફૂંકવા માટે માચિસ ન આપવા બદલ જાતિવાદી તત્વોએ એક દલિત પરિવારના ઘરને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં બીજા 5-6 પરિવારોના ઘર પણ આગની ઝપટે ચડી ગયા હતા અને તેઓ પણ ઘરવિહોણા થઈ ગયા હતા. આ તમામ પરિવારો દલિત સમાજના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના છિતર બિગહા ગામની છે, જ્યાં દિવાળીની રાત્રે જ આ ઘટના બની હતી. આ આગના કારણે 5-6 ઘર બળી ગયા હતા અને તેમાં તેમના ઢોર પણ મરી ગયા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પીડિતોએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગાંજો-સિગરેટ પીવા માચિસ ન આપી એટલે ઘર સળગાવી દીધું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે જાતિવાદી તત્વોએ એક મહાદલિત પરિવાર પાસે સિગરેટ અને ગાંજો ફૂંકવા માટે માચિસની માંગ કરી હતી, જો કે તેમની પાસે માચિસ ન હોવાથી તેમણે ના પાડી હતી. જેનાથી ઉશ્કેરાયેલા જાતિવાદી તત્વોએ તેની થોડી જ વારમાં પરત આવીને ઘરને સળગાવી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત દલિત મહિલાએ જણાવ્યું કે દિવાળીના દિવસે ઘરે પૂજા ચાલી રહી હતી ત્યારે ચાર લોકો માચીસ માંગવા આવ્યા હતા. મારી દીકરીએ માચીસ આપવાની ના પાડી. થોડીવાર પછી એ લોકો પાછા આવ્યા અને મારામારી કરીને અમારા ઘરને આગ ચાંપી દીધી. આ ઘટનામાં 6 ઘર બળીને રાખ થઈ ગયા હતા. એક બાજુ શિયાળો શરૂ ચૂક્યો છે અને બરાબર નવા વર્ષે જ અમારા માથે છત નથી. આવું કોઈની સાથે ન થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગમાં દલિત પરિવારના 6 ઘર બળીને ખાખ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના દિવાળીની રાત્રે બની હતી, જેને લઈને સમગ્ર નાલંદા જિલ્લામાં હોબાળો મચી ગયો હતો. લુખ્ખા તત્વોએ રસ્તાના કિનારે આવેલી દલિત વસાહતમાં આગ લગાડી દીધી હતી. જેમાં 6 ઘર બળી ગયા હતા. એક સાથે આટલા બધાં ઘરો સળગતા જોઈને ગામમાં આક્રોશ ફેલાયો હતો. માચિસ ન આપવા જેવી નજીવી બાબતે એક મહાદલિત પરિવારની ઝૂંપડીને આગ લગાવી દીધી હોવાનું જાણ્યા પછી આ વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં જ પોલીસ પહોંચી ગઈ અને મામલાની તપાસ શરૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આજુબાજુની ઝૂંપડીઓ પર ઝપટમાં આવી ગઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં જેમનું ઘર સળગી ગયું હતું તે, મંગલ માંઝીએ જણાવ્યું કે કેટલાક લોકો ઘરની નજીકમાં બેસીને દારૂ પીને જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે સિગરેટ અને ગાંજો પીવા માટે દિવાસળીની માંગ કરી, જે આપવાનો તેમની દીકરીએ ઈનકાર કરી દીધો હતો. જેનાથી ગુસ્સે ભરાયેલા લુખ્ખા તત્વોએ તેમના ઘરમાં ઘુસીને મારામારી અને તોડફોડ કરી તેમના ઘરને આગ લગાડી દીધી. જેના કારણે આસપાસના ઝૂંપડા પણ આગની લપેટમાં આવી ગયા હતા. ભીષણ આગને ગ્રામજનોએ ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી. ત્યાં સુધીમાં ઝૂંપડું અને તેમાં રાખેલી તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી.</span><br><span style="font-size: 14pt;">હજુ સુધી કોઈની પણ ધરપકડ નથી કરાઈ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/First-dalit-actress-played-a-romantic-scene,-people-burnt-her-house,-know-what-happened-next"><span style="font-size: 14pt;">ભારતની પહેલી દલિત અભિનેત્રીએ ફિલ્મમાં એક સવર્ણ મહિલાનું પાત્ર ભજવ્યું તો જાતિવાદીઓએ તેનું ઘર સળગાવી નાખ્યું!</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને હિલસાના ડીએસપી સુમિત કુમારે જણાવ્યું હતું કે મંગલ માંઝીની પત્નીના નિવેદનના આધારે ચાર લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસને બે પક્ષો વચ્ચે બબાલ થયાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બિગહા છિતર ગામના મંગલ માંઝીના ઘરમાં આગ લાગી હતી. મંગલ માંઝીની પત્ની ધર્મશીલા દેવીએ આ કેસમાં ચાર લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય લોકોની શોધખોળ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મનુવાદી મીડિયાએ ફરી એકવાર પોત પ્રકાશ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત અત્યાચારની દરેક મોટી ઘટનામાં આ દેશનું જાતિવાદી મીડિયા જે રીતે જાતિવાદી તત્વોનો બચાવ કરે છે તેવું આ ઘટનામાં પણ જોવા મળ્યું હતું. ખબરઅંતર.કોમ દ્વારા આ ઘટનામાં આરોપીઓ કઈ જાતિના છે તેની તપાસ કરવા માટે હિંદી ભાષાના અનેક મોટા સમાચારપત્રો અને ન્યૂઝ પોર્ટલ પર તપાસ કરી હતી. પણ એકેય મીડિયા હાઉસના રિપોર્ટમાં ન તો આરોપીઓનું નામ જોવા મળે છે, ન તેમની જાતિનો ઉલ્લેખ છે. જે સ્પષ્ટ કરે છે કે, ભારતનું મીડિયા દલિત અત્યાચારના કેસોમાં સંપૂર્ણપણે સવર્ણોની તરફેણ કરે છે. એ સ્થિતિમાં દલિત-બહુજન સમાજના પ્રશ્નોને મનુમીડિયા કદી ન્યાય આપશે તેવી અપેક્ષા રાખવી નકામી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેનો એકમાત્ર ઉકેલ એ છે કે, દલિતો-આદિવાસીઓ ખબરઅંતર.કોમ જેવા બહુજન મીડિયાને દરેક મોરચે સપોર્ટ કરે અને તેને મજબૂત બનાવે. જેથી જાતિવાદી તત્વોને ખૂલ્લા પાડી શકાય અને મનુમીડિયા દ્વારા દાખવવામાં આવતા જાતિવાદને પણ ખૂલ્લો પાડી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dalits-house-was-burnt-if-he-complained-about-illegal-occupation-of-land">જમીન પર ગેરકાયદે કબ્જાની ફરિયાદ કરી તો દલિતનું ઘર સળગાવી દીધું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 03 Nov 2024 11:07:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1488</Articleid>
                    <excerpt>હિંદુઓનું નવું વર્ષ શરૂ થયું એના આગલા દિવસે દલિતો પર અત્યાચારની ઘટનાઓ પણ નવેસરથી શરૂ થઈ ચૂકી છે, નવા વર્ષની સાથે જાતિવાદી તત્વોની માનસિકતામાં તસુભાર પણ ફરક પડ્યો નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67270affdeb4b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67270affad4a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67270affad4a7.jpg" length="49048" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Nalanda News, Dalit Crime, Dalit News, Diwali</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ મધુકાન્ત કલ્પિતને સાહિત્યાંજલિ અર્પી</title>
                    <link>https://khabarantar.com/gujarati-dalit-sahitya-academy-paid-tribute-to-dalit-poet-madhuKant-kalpit</link>
                    <guid>https://khabarantar.com/gujarati-dalit-sahitya-academy-paid-tribute-to-dalit-poet-madhuKant-kalpit</guid>
                    <description>
                        <![CDATA[ દિવંગત મધુકાંત કલ્પિતના પરિવારજનો સમેત મોટી સંખ્યામાં ઉપસ્થિત સાહિત્યભાવકો-ચાહકોની હાજરીમાં ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ કવિને સાહિત્યાંજલિ અર્પણ કરી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'તરજૂમો', 'કેસરિયા ટશરનું આકાશ', 'મધુકાન્ત કલ્પિત એક અફવા છે' જેવી કૃતિઓના સર્જક, ખ્યાતનામ ગીતકવિ-સાહિત્યકાર અને સરળ, સહજ, સંવેદનશીલ માનવી એવા મધુકાન્ત કલ્પિત ૩ મે, ૨૦૨૪એ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ના પાયાના પથ્થર સમા આ સાહિત્યકારને એમના શબ્દો-સર્જન દ્વારા યાદ કરવાનો સાહિત્યાંજલિ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદના ગોવર્ધન ભવન ખાતે તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ના સૂત્રધારો સર્વશ્રી હરીશ મંગલમ્, અરવિંદ વેગડા, ડૉ.દિનુ ભદ્રેસરિયા અને સહયોગીઓના વિશેષ પ્રયાસો થકી સંપન્ન થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિમિત્તે ડૉ.રેખા પરેશ પરમાર સંપાદિત (૧)  'A Critical Study of Dalit Sensibility in Selected Indian Autobiographical Narratives' પુસ્તકનું (૨) વિદ્વાન અભ્યાસુ ડૉ. ઈન્તાજ મલેક સંપાદિત-અનુવાદિત અરવિંદ વેગડાના અંગ્રેજી  કાવ્યસંગ્રહ 'Forgotten Sorrows'નું અને (૩) હરીશ મંગલમ્ ના અંગ્રેજી કાવ્યસંગ્રહ 'Untouched Harvest'નું તથા (૪) હરીશ મંગલમ્ સંપાદિત પ્રવીણ ગઢવીના કાવ્યસંગ્રહ 'દલિત વાણી'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ચારેય પ્રકાશનો 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી' એ પ્રકાશિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે આજ દિન સુધીમાં કેવળ દલિત સાહિત્ય સંદર્ભે જ આ અકાદમીએ ૧૪૧ જેટલા માતબર સંખ્યાના પુસ્તકો પ્રકાશિત કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાહિત્યાંજલિમાં મધુકાન્ત કલ્પિતના પત્ની વિદ્યાબેન, મધુકાન્તભાઈના વેવાઈ અને વેવાણ, કવિયત્રી પુત્રી પ્રિયંકા રાજેશકુમાર, પુત્ર નિકેતન, જસ્મિન ડાભી અને પરિવારજનો પણ ઉપસ્થિતિ રહ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6721ef67f3c1f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રથમ સત્રમાં ગોધરા નિવાસી વિદ્વાન અધ્યાપક ડૉ.વિનોદ ગાંધીએ 'કવિલોક' અને 'બુધવારિયા'થી બચુભાઈ રાવત જેવા ભાષા કસબીની છાયામાં ગીત કવિ તરીકે વિકસેલા અને નીપજી આવેલા મધુકાન્ત કલ્પિતને 'કલ્પનના કવિ કલ્પિત' તરીકે ઓળખાવીને કહ્યું કે, "૧૯૮૧ના અનામત વિરોધી તોફાનો પછી મધુકાન્ત કલ્પિત આપણને એક પ્રતિબધ્ધ દલિત કવિ રૂપે સાંપડ્યા, એ આપણું સદભાગ્ય  છે. કલા અને કથ્યમાં મધુકાન્તનો શબ્દ કાયમ બળવાન બનીને ઉપસ્યો છે. તેમની કવિતામાં પરંપરાનો વિચ્છેદ બળકટ હોવા છતાં આ કવિએ પ્રયોગશીલતાના અભરખા નથી રાખ્યા. મધુકાન્ત કહેતા કે તેમની કવિતાના નાદ અને લય તેમને તેમના સમાજની જાનપદીમાંથી મળ્યા છે અને એણે જ તેમને ગુંજતા રાખ્યા છે. આ કવિ જાત અને અસ્તિત્વને કેન્દ્રમાં રાખી સુક્ષ્મ પીડાને ઉપસાવવામાં કાબેલ હતા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. રતિલાલ રોહિતે તેમના વક્તવ્યમાં મધુકાન્તના અવસાનના એક પખવાડિયા પહેલાં પોતે લીધેલ એમની સુદીર્ઘ મુલાકાતનો ઉલ્લેખ કરીને, આ કવિના લલિત સાહિત્યથી દલિત સાહિત્ય તરફના પ્રયાણને 'સિધ્ધાર્થથી બુદ્ધ બનવા તરફના પ્રયાણ' સાથે સરખાવીને ક્હ્યું કે, "અત્યંત ૠજુ હ્રદયના આ કવિ શોષિત-દલિત સમાજની પીડાથી ભારે વ્યથિત રહેતા. વ્યાધિગ્રસ્ત આ કવિને શરીરની પીડા કરતાય સમાજની કરૂણ પરિસ્થિતિએ વધારે પીડ્યા છે. તેથી તેમની કવિતા સામાજિક વિષમતાની પરંપરાને ધ્વસ્ત કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. ફૂલે-શાહૂ-આંબેડકરી પરંપરાના આ કવિએ શોષિતોના કાળા છમ્મ જન્મારામાં એમની કવિતા દ્વારા પ્રકાશ ભરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પોતે ભલે કહ્યું હોય : 'મધુકાન્ત કલ્પિત એક અફવા છે', પણ આપણે કહીશું : 'મધુકાન્ત કલ્પિત એક સત્ય છે - એક વાસ્તવિકતા છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સાહિત્ય પરના એક સાથે ચાર પુસ્તકોના લોકાર્પણના બીજા સત્રમાં બોલતાં જાણીતા લેખિકા, અનુવાદક અને નિવૃત્ત પ્રિન્સિપાલ ડૉ.ઈન્દિરા નિત્યાનંદમે ગુજરાતી દલિત કૃતિઓ અંગ્રેજી સહિત દેશની વિવિધ ભાષાઓમાં અનુવાદિત થઈ પહોંચે એની નિતાંત આવશ્યકતા નિહાળીને ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીને એવા અનુવાદોમાં પોતાના સક્રિય સહયોગની ખાતરી આપી હતી. તેમણે ઈન્તાજ મલેક અનુવાદિત બેય દલિત કૃતિઓના સુયોગ્ય અનુવાદોની પણ ખૂબ પ્રશંસા કરી હતી. દક્ષિણ ભારતની વિદૂષી દલિત લેખિકા બામાની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ કરનારા ઈન્દિરાએ એમાં નિરૂપિત દલિત સત્યો વિશે અને અનુવાદના પડકારો વિશે પણ અભ્યાસપૂર્ણ હકીકતો રજૂ કરી હતી. તેમણે દલિત સાહિત્ય પરના જ ૧૪૧ પુસ્તકોના પ્રકાશન માટે 'અકાદમી' અને એના પ્રમુખ સંવાહક હરીશ મંગલમ્ ની પ્રતિબધ્ધતાને પણ બિરદાવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6721ef67659fe.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સેન્ટ્રલ યુનિવર્સિટી (ગુજરાત)ના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ અને જાણીતા અનુવાદક - સીખ પરિવારના ડૉ.ઈશ્મિત કૌરે ભારત-પાક.ના ભાગલા પછી સિમલા આવી વસેલા દાદા-પિતા તરફથી પોતાને મળેલા માનવતાના અને સમાનતાના સંસ્કારો વિશે આત્મકથનરૂપ વક્તવ્યમાં એમ કહ્યું કે, સમાજમાં પરિવર્તન આવ્યું છે કે આવી રહ્યું છે ? એ સવાલ આજે પણ મારે માટે એક મુંઝવનારો સવાલ જ બની રહ્યો છે. રેખા પરમારના પુસ્તકને વિચારોત્તજક પુસ્તક તરીકે ઓળખાવીને ડૉ.કૌરે એમ પણ કહ્યું કે પોતે સમાજ વ્યવસ્થાના કેન્દ્રમાં જવા કે રહેવાની ઈચ્છા રાખતા જ નથી, તે તો એક મહિલા તરીકે પીડિત સમાજની પડખે રહી હાંસિયામાં રહેલા તમામની અધિકારપ્રાપ્તિની લડાઈમાં જોરજોરથી બૂમો પાડવા માગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રતિભાવમાં લેખિકા અને અધ્યાપિકા રેખા પરેશ પરમારે પણ, એક તો પોતે દલિત નારી અને છોગાંમાં ક્રિશ્ચિયન, એટલે જાતિગત અને ધર્માધારિત અન્યાય મારે હિસ્સે થોડો વધારે માત્રામાં રહ્યો ! એવી નિખાલસ કેફિયત રજૂ કરતાં એમ પણ કહ્યું કે, જન્મથી થોપી દેવાતી જાતિને કારણે આ દેશમાં તમે ધર્મ બદલો છો ત્યારેય તમારી જાતિને તમે બદલી શકતા નથી. વિદેશમાં રહીને પણ જાતિવાદનો અનુભવ કરનારા રેખાબેને, મહિલાઓ પરના બળાત્કારોમાં પણ જાતિ જોતાં લોકની આકરી આલોચના કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાણીતા સાહિત્યકાર, અનુવાદક અને જોઈન્ટ કમિશનર સેલ્સ ટેક્ષ (નિવૃત્ત) શ્રી ઈન્તાજ મલેકે પણ પોતાના પ્રતિભાવમાં હરીશ મંગલમ્ અને અરવિંદ વેગડાની ચુનંદી દલિત કવિતાઓને પહેલા ગુજરાતીમાં અને પછી પોતે કરેલા એના અંગ્રેજી અનુવાદોમાં રજૂ કરીને સભાગૃહની ભારે દાદ મેળવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેય સત્રના અધ્યક્ષ રહેલા 'ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી'ના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર પ્રવીણ ગઢવીએ મધુકાન્તભાઈની સંવેદનાસભર સર્જકતાને બિરદાવીને, 'હરિના મારગની જેમ દલિત સાહિત્યનો મારગ પણ શૂરાઓનો છે, દલિત સાહિત્યનું સર્જન કરવું એ ઢીલાપોચા લેખકોનું કામ નથી' એમ કહી, આ સાહિત્યાંજલિને મધુકાન્ત કલ્પિતને અપાયેલી શ્રેષ્ઠ સ્મરણાંજલિ પણ ગણાવી હતી. તેમણે આ કવિના 'તરજૂમો' કાવ્યસંગ્રહ પર અનેક વિદ્વાનોએ જે લેખો લખ્યા છે તે પુસ્તક રૂપે પ્રકાશિત થાય તેવી કામના વ્યક્ત કરી હતી. તેમણે મધુકાન્તની શબ્દયાત્રા પર અભ્યાસપૂર્ણ અવલોકનો રજૂ કરનારા સૌ વિદ્વાન વક્તાઓ પ્રતિ 'અકાદમી' વતી ૠણસ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી અને હંમેશા નેપથ્યમાં રહી દલિત સાહિત્યના મોટા ઉપક્રમોને પાર પાડનારા હરીશ મંગલમ્ ની દલિત સાહિત્ય પ્રતિની નિષ્ઠા - પ્રતિબધ્ધતાની મુક્તકંઠે સરાહના કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6721ef66c5988.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રથમ સત્રમાં આવકાર પ્રવચનમાં માંડલ કૉલેજના આચાર્ય ડૉ. હર્ષદ પરમારે અને બીજા સત્રના આવકાર પ્રવચનમાં ગુજરાત વિદ્યાપીઠના ડૉ. અતુલ પરમારે ટૂંકા પણ હ્રદયસ્પર્શી ઉદબોધનોમાં મધુકાન્ત કલ્પિતને ભાવપૂર્વક સંભાર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રથમ સત્રનું સુંદર સંચાલન જી.એલ.એસ.કૉલેજ-અમદાવાદના હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. ધીરજભાઈ વણકરે કર્યું હતું, જ્યારે મોટાભાગે અંગ્રેજીમાં ચાલેલા બીજા સત્રનું સંચાલન સેન્ટ્રલ યુનિવર્સિટી (ગુજરાત)ના પીએચ.ડી છાત્ર - સીધા અંગ્રેજીમાં દલિત કવિતાઓ લખતા ગુજરાતના એક માત્ર યુવા દલિત કવિ - ગૌતમ વેગડાએ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાહિત્યાંજલિમાં સર્વશ્રી દલપત ચૌહાણ, સાહિલ પરમાર, રમણ વાઘેલા, પ્રવીણ શ્રીમાળી, નટુભાઈ પરમાર, પ્રિતેશ અમીન, ડૉ.હસમુખ પરમાર, ગીરીશ રઢુકિયા, સોમ વાઘેલા, ભૂપેન્દ્ર શ્રીમાળી, સુમન ચાવડા, બી.કે.પરમાર, રણછોડભાઈ પરમાર, પદ્મરાજ હિતેચ્છુ, 'દિશા' તંત્રી મૂળજીભાઈ ખુમાણ, દિનેશ પરીખ, આર.એલ.સોલંકી, જી.એસ.ટી.ના પૂર્વ અધિકારી જે.સી.શાહ સહિતના દલિત સાહિત્યના ચાહકો-ભાવકો સૌ ઉપસ્થિતિ રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(અહેવાલ: નટુભાઈ પરમાર-ગાંધીનગર)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Poems-of-Parasottam-Jadav,-Sahil-Parmar,-Atmaram-Dodiya-appeared-in-the-Dalit-Chetna-programme">દલિત ચેતના કાર્યક્રમમાં પરસોત્તમ જાદવ, સાહિલ પરમાર, આત્મારામ ડોડીયાની કવિતાઓ છવાઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 14:05:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1483</Articleid>
                    <excerpt>દિવંગત મધુકાંત કલ્પિતના પરિવારજનો સમેત મોટી સંખ્યામાં ઉપસ્થિત સાહિત્યભાવકો-ચાહકોની હાજરીમાં ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ કવિને સાહિત્યાંજલિ અર્પણ કરી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6721ef68b2e1b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6721ef687f47c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6721ef687f47c.jpg" length="96008" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gujarati dalit sahitya academy, tribute, madhuKant kalpit</media:keywords>
                </item>
                        <item>
                    <title>પડોશી સવર્ણ પરિવારના ત્રાસથી વાલ્મિકી યુવકે ગળેફાંસો ખાઈ લીધો</title>
                    <link>https://khabarantar.com/in-bareilly-valmiki-youth-hanged-himself-due-to-the-torture-of-the-neighboring-savarna-family</link>
                    <guid>https://khabarantar.com/in-bareilly-valmiki-youth-hanged-himself-due-to-the-torture-of-the-neighboring-savarna-family</guid>
                    <description>
                        <![CDATA[ વાલ્મિકી યુવકે આખી જિંદગીની મૂડી ભેગી કરીને નવું ઘર ખરીદ્યું હતું, પણ સવર્ણ પડોશીઓ તેનું સતત અપમાન કરી ઘર વેચી દેવા દબાણ કરતા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">valmiki youth hanged himself due to the torture of the neighboring savarna family : ગુજરાતમાં જાતિવાદી માનસિકતાની કલેક્ટર નેહાકુમારી દુબેએ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ પર એટ્રોસિટીના ખોટા કેસ કરવાનો તદ્દન પાયાવિહોણો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો છે. બીજી તરફ તેમના નિવેદનને ખોટી પાડતી એક ઘટના સામે આવી છે, જેમાં એક દલિત યુવકે જાતિગત અપમાનોથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકે એક વીડિયો પણ જારી કર્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે, "ચોક્કસ જાતિમાં હું જનમ્યો એમાં મારો શું વાંક?" પોલીસે આ મામલે ત્રણ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મૃતક યુવકના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકનું નામ નીરજ વાલ્મિકી (Neeraj Valmiki) હતું. તેણે આત્મહત્યા કરતા પહેલા જે વીડિયો બનાવ્યો હતો તેના શબ્દો પર ધ્યાન આપો..."મારો જન્મ એક વંચિત જાતિના પરિવારમાં થયો છે, આમાં મારો શું વાંક? પડોશીઓ જાતિ આધારિત શબ્દો બોલીને સતત મારું અપમાન કર્યા કરે છે. શું વંચિત જાતિમાં જન્મ લેવો એ ગુનો છે? એવું લાગે છે કે, વંચિત જાતિમાં જનમ્યો હોવાથી હું મારી જાતને નફરત કરવા લાગ્યો છું..." રવિવારે આ વીડિયો પોલીસને સોંપવામાં આવ્યો હતો અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુપીના બરેલીની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના ઉત્તરપ્રદેશ (UP) ના બરેલી (Bareilly) ની છે. અહીં જિલ્લા હોસ્પિટલમાં સફાઈ કામદાર (cleaner) તરીકે કામ કરતા નીરજ વાલ્મિકી (Neeraj Valmiki) એ જાતિવાદી પડોશીઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા (hanged himself) કરી લીધી છે. નીરજની પત્ની નીતુએ કહ્યું કે જાતિવાદી તત્વો તેના પતિ પર ઘર વેચવાનું દબાણ કરતા હતા. તેનાથી કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી છે. આ મામલે ઈજ્જતનગર પોલીસ સ્ટેશનમાં SC/ST એક્ટ હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. રામભરોસે, હરીશ અને શ્યામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે રામભરોસે અને શ્યામને કસ્ટડીમાં લીધા છે, જ્યારે રામભરોસેનો બીજો પુત્ર હરીશ હાલ રાંચીમાં છે. (સવર્ણ મીડિયાએ ફરી ચાલાકી કરી છે. એક પણ મીડિયા રિપોર્ટમાં આરોપીઓની અટક કે જાતિનો ઉલ્લેખ નથી. જેના કારણે આરોપીઓ કઈ જાતિના છે તે ખ્યાલ ન આવે.)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ જાતિસૂચક ગાળો ભાંડી મકાન વેચવા દબાણ કરતા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">પ્રેમનગરની વાલ્મિકી વસ્તીમાં રહેતા મૃતક નીરજના પત્ની નીતુએ જણાવ્યું કે તેમના પતિ નીરજ ઉર્ફે બલ્લે જિલ્લા હોસ્પિટલમાં સફાઈ કામદાર હતા અને તેમણે ત્રણ વર્ષ પહેલા રાજવીર વર્મા અને કિરણ વર્મા પાસેથી 22 લાખ રૂપિયામાં કૈલાશપુરમ, ડેલાપીરમાં ઘર ખરીદ્યું હતું. આરોપ છે કે પડોશમાં રહેતો એક માથાભારે શખ્સ અને તેના બે પુત્રો ઘર પર કબજો કરવા માંગતા હતા. જેના કારણે તેઓ નીરજ પર ઘર વેચવા માટે સતત દબાણ કરી રહ્યા હતા. કંટાળીને નીરજે નવું લીધેલું ઘર ભાડે આપીને પોતે અન્ય જગ્યાએ રહેવા જવાનું નક્કી કર્યું હતું. આ માટે તે શુક્રવારે એક આશા વર્કરને લઈને કૈલાશપુરમ ખાતેનું પોતાનું ઘર બતાવવા જઈ રહ્યો હતો. જ્યાં આરોપીઓ રસ્તામાં મળી ગયા હતા અને તેને જાતિસૂચક ગાળો ભાંડી જાહેરમાં અપમાનિત કર્યો હતો. આ હેરાનગતિથી કંટાળીને નીરજ વાલ્મિકીએ હતાશ થઈને આત્મહત્યા કરી લીધી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નીરજે ગળેફાંસો ખાઈ લીધો, મોબાઈલમાંથી વીડિયો મળ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">શુક્રવારે નીરજની લાશ લટકતી હાલતમાં મળી આવ્યા બાદ તેના સંબંધીઓ પણ સમજી શક્યા નહોતા કે તેણે આવું પગલું કેમ ભર્યું. બાદમાં તેનો મોબાઈલ ફોન તપાસતા તેમાંથી આત્મહત્યા કરતા પહેલા તેણે બનાવેલો વીડિયો મળી આવ્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે તેણે, "કૈલાશપુરમમાં 20.50 લાખ રૂપિયામાં મકાન ખરીદ્યું છે, ત્યારથી પડોશી તેનું અપમાન કરી રહ્યો હતો. તે કહતો હતો કે એક અસ્પૃશ્ય જાતિના યુવકને મકાન કેમ આપ્યું છે. તે શબ્દોથી ટોર્ચર કરતો હતો. શું વંચિત જાતિના પરિવારમાં જન્મ લેવો ગુનો છે? હું સરકારને કહેવા માંગુ છું કે નવો આદેશ લાવીને આવા શબ્દો દૂર કરે. લોકો આવા જાતિસૂચક શબ્દો કહીને અમારું અપમાન કરે છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સવર્ણ પડોશીઓના ત્રાસથી આત્મહત્યા કરી લીધી</span></strong></span><br><span style="font-size: 14pt;">નીરજ વાલ્મિકીના સંબંધીએ પોલીસને જણાવ્યું હતું કે પ્રેમનગરમાં નીરજનું જૂનું મકાન હતું. થોડા સમય પહેલા જ્યારે તેણે કૈલાશપુરમમાં નવું ઘર ખરીદ્યું ત્યારે તેના પાડોશીએ વાંધો ઉઠાવ્યો હતો અને તેને ત્યાં રહેવા નહોતો દીધો. આથી નીરજ એ મકાન બીજા કોઈને વેચી દેવા માંગતો હતો, પણ પડોશી તેમાં પણ દાદાગીરી કરતો હતો અને તેનું અપમાન કરતો હતો. શુક્રવારે નીરજ એક આશા વર્કરને પોતાનું ઘર બતાવવા લઈને ગયો હતો. તે સમયે પાડોશી અને તેના બે પુત્રોએ તેને ઘેરી લીધો અને જાતિસૂચક ગાળો ભાંડી ધમકી આપી કે જો મકાન બીજા કોઈને વેચવાનું વિચાર્યું તો જોવા જેવી થશે. આરોપીઓ ઈચ્છતા હતા કે નીરજ એ મકાન તેમને આપી દે. જેની સામે તેઓ તેને જે રકમ આપે તે સ્વીકારી લે. પડોશી અને તેના છોકરાઓ નીરજ વાલ્મિકીને ન તો એ ઘરમાં રહેવા દેતા હતા, ન વેચવા દેતા હતા. આ પરિસ્થિતિમાં તેણે કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બે દીકરીઓને ઉછેરવા મહેનત કરજો...</span></strong><br><span style="font-size: 14pt;">વાયરલ થયેલા વીડિયોમાં નીરજ વાલ્મિકી કહે છે કે, મેં લોન લઈને નવું ઘર ખરીદ્યું હતું. જ્યારે આરોપીઓએ દાદાગીરી કરવાનું શરૂ કર્યું તો મેં તેમને કહ્યું કે, "જો તમે અમને અહીં રહેવા દેવા નથી માંગતા તો તમે જ મકાન ખરીદી લો. મેં જેટલી લોન ભરી છે તેટલી રકમ મને રોકડમાં આપી દો. બાકીની રકમ બેંકમાં જમા કરાવી દો અને મકાન લઈ લો. પણ આરોપીઓ તેના માટે પણ તૈયાર નહોતા. મારી બે દીકરીઓ છે જેમને ઉછેરવા અને ઘર-પરિવાર ચલાવવા માટે હું સખત મહેનત કરું છું. હવે પડોશીઓ સાથે લડવા અને કેસ કરવા માટે મારી પાસે પૈસા નથી. આરોપીઓ માથાભારે છે અને તેથી પોલીસમાં પણ તેમની ધાક છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેની પત્ની નીતુએ જણાવ્યું કે નીરજે પડોશીઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. બરેલીના એસપી માનુષ પારેકે જણાવ્યું હતું કે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ મળી છે. વીડિયો પણ જોવા મળ્યો છે, તે ક્યારે બનાવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-true-story-of-a-valmiki-youths-fight-against-social-boycott">એક વાલ્મિકી યુવકની સામાજિક બહિષ્કાર સામેની લડતની પ્રેરણાદાયી કહાની</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 11:14:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1481</Articleid>
                    <excerpt>વાલ્મિકી યુવકે આખી જિંદગીની મૂડી ભેગી કરીને નવું ઘર ખરીદ્યું હતું, પણ સવર્ણ પડોશીઓ તેનું સતત અપમાન કરી ઘર વેચી દેવા દબાણ કરતા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6721c4dc7d5aa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6721c4dc4137a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6721c4dc4137a.jpg" length="101953" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bareilly News, Valmiki youth suicide, Neeraj Valmiki, Atrocity Case, Neighbor father son</media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટીના 90 ટકા કેસ બ્લેકમેઇલ કરવા માટે કરાય છે : મહીસાગર કલેક્ટર</title>
                    <link>https://khabarantar.com/mahisagar-collector-nehakumari-dubey-said-90-percent-of-atrocity-cases-are-committed-for-blackmail</link>
                    <guid>https://khabarantar.com/mahisagar-collector-nehakumari-dubey-said-90-percent-of-atrocity-cases-are-committed-for-blackmail</guid>
                    <description>
                        <![CDATA[ આવું નિવેદન કોઈ સડકછાપ ટપોરી કે અભણ હિંદુત્વવાદીએ નહીં પણ મહીસાગર જિલ્લાની મનુવાદી માનસિકતાની કલેક્ટર નેહાકુમારી દુબેએ આપ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં આઈએસ-આઈપીએસ સ્તરે કઈ હદની મનુવાદી દલિત વિરોધી માનસિકતાના લોકો બિરાજે છે તેની ચર્ચા કરવા જઈએ તો વર્ષો નીકળી જાય તેમ છે. પણ તેનું એક ઉદાહરણ આજે મહીસાગર જિલ્લાની કલેક્ટર નેહાકુમારી દુબેએ પુરું પાડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલેક્ટર જેવા પ્રતિષ્ઠિત હોદ્દે બિરાજતા આ જાતિવાદી અધિકારી નેહા કુમારી દુબેએ સમસ્ત દલિત સમાજનું ઘોર અપમાન કરતા કહ્યું છે કે, એટ્રોસિટીની 90 ટકા ફરિયાદો ખોટી હોય છે અને તે બ્લેકમેઈલ કરવા માટે કરાય છે. તેમના આ નિવેદનને લઈને હવે સમસ્ત દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગઈકાલે કોંગ્રેસ ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને નેહાકુમારીની બરાબરની ઝાટકણી કાઢી હતી અને તેમની સામે આજે સવારે 11 વાગ્યે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા અને વિરોધ કરવા માટે લુણાવાડા જવાના છે. મેવાણીએ નેહાકુમારીના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી અને તેની વિરુદ્ધમાં એટ્રોસિટીના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની અને તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિગ્નેશ મેવાણીએ અમદાવાદ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત અનુ. જાતિ મોરચના હોદ્દેદારો સાથે આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં નેહાકુમારીની જાતિવાદી માનસિકતાનો ભોગ બનેલા અરજદાર </span><span style="font-size: 14pt;">વિજય પરમારને પણ હાજર રાખ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રેસ કોન્ફરન્સમાં જિગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે, "આઇપીએસ રાજકુમાર પાંડીયન દ્વારા હાલમાં જ ગુજરાતના 50 લાખ દલિતોનું અપમાન કર્યા બાદ આ બીજી એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહીસાગરના કલેક્ટર નેહાકુમારી દુબે લુણાવાડા તાલુકાના વિજય પરમારના નામના યુવક, જેઓ રાજ્ય સરકારના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ફરિયાદ લઈને આવેલા, તેમની સાથે અત્યંત તોછડી ભાષામાં વાત કરે છે અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કરે છે. આ કોઈ કાળે ચલાવી શકાય તેમ નથી." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, "કલેક્ટર નેહા કુમારી દુબેએ દલિત સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. સાથે જ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ કરીએ છીએ. જેના માટે આજે અમે લુણાવાડા જઈને વિરોધ કરીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિજય પરમારના નામના અરજદાર તા. 23 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારના તાલુકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પોતાની ફરિયાદ લઈને ગયા હતા. તેઓ જ્યારે પોતાના પ્રશ્નની રજૂઆત કરી રહ્યા હતા ત્યારે કલેક્ટર નેહાકુમારી અચાનક જ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વિજય પરમાર સાથે તોછડાઈથી વાત કરવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો યુવકે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો, જેના કારણે મનુવાદી માનસિકતાની આ કલેક્ટરનો પર્દાફાશ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજદાર વિજય પરમારની દલીલ દરમિયાન કલેક્ટર નેહાકુમારી અચાનક તેમના અસલ સવર્ણ મનુવાદી રંગમાં આવી જાય છે અને અરજદાર વિજય પરમારના સવાલોના જવાબ આપવાને બદલે તેને તોછડી ભાષામાં કહે છે, "<strong>જ્યાદા ઓવર સ્માર્ટ બને કી કોશિશ મત કરો, મુજે હલકે મેં મત લો. ફાલતુ કી બકવાસ નહીં કરને કા, સબ કો બ્લેકમેઈલ કરના હૈ?"</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટીના 90 ટકા કેસો ખોટા હોય છેઃ નેહા કુમારી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગરના કલેક્ટર નેહાકુમારી દુબે આટલેથી અટક્યા નહોતા. તેમણે એટ્રોસિટના કાયદા અને તેની હેઠળ નોંધવામાં આવતા કેસોને લઈને પણ અત્યંત નિમ્ન સ્તરનું નિવેદન કર્યું હતું. વાયરલ વીડિયોમાં નેહાકુમારી બોલતી જણાય છે કે, "<strong>એટ્રોસિટીના કેસોમાંના 90 ટકા કેસો બ્લેકમેઈલવાળા હોય છે. આ કાયદાનો જેટલો ઉપયોગ નથી તેનાથી વધુ દૂરુપયોગ છે.</strong>"</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પત્રકારો, વકીલોનું પણ અપમાન કર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા મામલતદાર પત્રકારો અને વકીલોને લઈને પણ મોટું નિવેદન આપે છે અને કહે છે કે, "<strong>અહીંયા બની બેઠેલા પત્રકારો અને વકીલો આવતા હોય છે."</strong>  આ સાંભળીને કલેકટર નેહા દુબે એવું કહે છે કે, "<strong>યહાં ઓવરસ્માર્ટ લોગોં કી કમી નહીં હૈ. એ લોગોં કો જૂતે સે મારના ચાહિએ.</strong>" આવું કહીને એમણે સમગ્ર દેશના વકીલો અને પત્રકારોનું પણ અપમાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેવાણી, ચૈતર વસાવા, ગુલાબસિંહ ચૌહાણ વિરોધ નોંધાવશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહીસાગરની કલેક્ટર નેહાકુમારીની આ તોછડાઈને લઈને સમસ્ત દલિત સમાજ રોષે ભરાયો છે. જેને લઈને આજે દલિત સમાજ મોટી સંખ્યામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના નેતૃત્વમાં ઈન્દિરા ગાંધી મેદાન લુણાવાડા ખાતે સભા યોજીને જાતિવાદી કલેક્ટર નેહાકુમારીનો વિરોધ નોંધાવશે અને તેને સસ્પેન્ડ કરવા તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા આંદોલન કરશે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિરોધ કાર્યક્રમની પત્રિકા સોશિયલ મીડિયામાં ફરતી થઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમની એક ડિજિટલ પત્રિકા પણ સોશિયલ મીડિયામાં ફરી રહી છે, જેમાં કહેવાયું છે કે, "સાથીઓ, મહીસાગર જિલ્લા કલેકટર દ્વારા ગત તારીખ 23/10/2023 રોજ જાહેર સરકારી સ્વાગત કાર્યક્રમ દરમિયાન આવેલ એક દલિત અરજદારને તુચ્છ ભાષામાં અપમાનિત કરી વ્યક્તિગત ટિપ્પણીઓ કરવામાં આવી હતી તથા દાહોદ મહીસાગરના દલિત-આદિવાસી બ્લેકમેલ કરવા માટે એટ્રોસીટી મુજબની ફરિયાદ કરાવે અને એટ્રોસીટીની 90 ટકા ફરિયાદો ખોટી હોય છે તેવું નિવેદન આપવામાં આવેલ હતું. સાથે જ વકીલ અને પત્રકારને ચપ્પલ મારવા જોઈએ જેવી ટિપ્પણી કરી તેમના વ્યવસાયનું અપમાન કરવાનો પ્રયત્ન કરેલો હતો તથા મહિલાઓ 498 મુજબની ખોટી ફરિયાદો કરાવે છે પણ તેવી પણ ટિપ્પણી કરી હતી. ઉપરોક્ત તમામ બાબતો ગેરબંધારણીય છે અને કોઈ પણ ભોગે ચલાવી લેવાય તેવી નથી તો આના વિરોધમાં તારીખ 30/10/2024 ના રોજ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ ના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા અને ગુજરાતના દલિત આદિવાસી આગેવાનો સંગઠનો વકિલો, પત્રકાર તથા ન્યાય પ્રિય જનતાને અવાજ બુલંદ રહે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો સૌને પોતાની નૈતિક ફરક સમજી આવતીકાલે લુણાવાડા ખાતે ઉપસ્થિત રહેવું."</span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;">એકઠા થવાનું સ્થળઃ ઈન્દિરા ગાંધી મેદાન</span></strong></em><br><em><strong><span style="font-size: 14pt;">તારીખઃ 30/10/2024 </span></strong></em><br><em><strong><span style="font-size: 14pt;">સમયઃ 11:00 વાગ્યે બુધવાર</span></strong></em></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/what-would-the-pandians-who-had-quarreled-with-mevani-do-with-a-common-dalit">મેવાણી સાથે તોછડાઈ કરનાર પાંડિયન સામાન્ય દલિત સાથે શું કરતા હશે?</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 30 Oct 2024 09:23:02 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 30 Oct 2024 09:58:46 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1480</Articleid>
                    <excerpt>આવું નિવેદન કોઈ સડકછાપ ટપોરી કે અભણ હિંદુત્વવાદીએ નહીં પણ મહીસાગર જિલ્લાની મનુવાદી માનસિકતાની કલેક્ટર નેહાકુમારી દુબેએ આપ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_672136b716f4e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_672136b6d85f8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_672136b6d85f8.jpg" length="61784" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Nehakumari IAS, Nehakumari Dubey, Collector Mahisagar, Atrocity, Jignesh Mevani</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ દબાવેલી 300 વીઘા જમીન દલિતોને મળશે</title>
                    <link>https://khabarantar.com/dalits-will-get-300-bighas-of-land-pressed-by-mekarandada-akhada-in-dhrang</link>
                    <guid>https://khabarantar.com/dalits-will-get-300-bighas-of-land-pressed-by-mekarandada-akhada-in-dhrang</guid>
                    <description>
                        <![CDATA[ કચ્છના ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ 40 વર્ષથી દબાવીને રાખેલી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓની 300 વીઘાથી વધુ જમીનના કબ્જાનો માર્ગ મોકળો થયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મ અને આસ્થાની આડમાં સાધુ-બાવાઓ દ્વારા મંદિરો કે અન્ય કોઈ ધાર્મિક જગ્યા ઉભી કરીને સરકારી જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવી લેવાની ચાલાકી સદીઓ જૂની છે. ગુજરાતમાં આ રીતે દલિતો, આદિવાસીઓના હકની સેંકડો જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ બન્યાં છે. આવો એક કિસ્સો ભૂજમાં પણ નોંધાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીંના ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને 40 વર્ષ પહેલા ફાળવવામાં આવેલી 300 વીઘા જેટલી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો છે. ધર્મ અને આસ્થાની આડમાં આ ટ્રસ્ટે આટલી મોટી ગેરરીતિ આચરી હોવા છતાં સરકાર આટલા વર્ષોથી તેમને છાવરતી આવી છે. જો કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આ મુદ્દો હાથમાં લીધો હતો અને મેકરણ દાદા ટ્રસ્ટના કારનામાઓને કોર્ટમાં પડકાર્યા હતા. આ મામલે કચ્છ કલેક્ટર અને મહેસૂલ સચિવે મેકરણદાદા અખાડાની રિવિઝન અરજીને ફગાવી દેતા હવે આ 300 વીઘા જેટલી જમીન તેના અસલી માલિકો એવા અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને મળવાનો માર્ગ મોકળો થયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેકરણદાદાના નામે દલિતોની જમીનો પચાવી પાડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભુજ તાલુકાના ધ્રંગ ગામે શ્રી ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીને વર્ષ-૧૯૮૩ માં ટોચ-મર્યાદા તળે ફાજલ જમીનોની ફાળવણી કરવામાં આવી હતી. જેના પર ધ્રંગમાં આવેલા મેકરણદાદા અખાડાએ ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. આજકાલ કરતા 40 વર્ષથી તેઓ આ જમીનો ભોગવી રહ્યાં છે અને તેના અસલી માલિકો એવા દલિતોને તેનો કબ્જો મળતો નહોતો. હવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આખો કેસ હાથમાં લેતા આ જમીનની ફાળવણીને મેકરણદાદાના અખાડાના મહંત દ્વારા કલેક્ટર કચ્છ સમક્ષ પડકારવામાં આવી હતી. જેને કલેકટર કચ્છ દ્વારા ગ્રાહ્ય ન રખાતા ખાસ સચિવ મહેસૂલ વિભાગ, અમદાવાદ (SSRD) સમક્ષ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વર્ષ-૨૦૧૯થી યથાસ્થિતિ (status-quo) જાળવી રાખવાનો હુકમ કરવામાં આવેલ હતો. અર્થાત અખાડાએ કરેલા માલિકી હકના દાવાઓને કલેક્ટર અને મહેસૂલ સચિવ બંનેએ ફગાવી દીધાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે મુદ્દો ઉઠાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંડળી તરફથી હાજર રહેલા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ(RDAM)ના એડવોકેટ સુબોધ કુમુદની લેખિત અને મૌખિક દલીલોને પગલે SSRD, અમદાવાદ દ્વારા તા. ૧૬/૧૦/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ હુકમથી અરજદાર મેકરણદાદાના અખાડાના મહંત દ્વારા દાખલ કરેલ રિવિઝન અરજી નામંજુર કરવાનો અને કેસ રજિસ્ટરેથી કમી કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ સાથે આ તમામ જમીનોમાં આપવામાં આવેલ યથાસ્થિતિ જાળવી રાખવાનો સ્ટે પણ હટી ગયેલ છે. જેથી મંડળીને આ જમીનોનો કબજો લેવાનો માર્ગ હવે આસાન બન્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખાડા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ જમીનો ખોટી રીતે ફાજલ કરવામાં આવેલી છે જેથી દલિત મંડળીને કરવામાં આવેલી આ જમીનોની ફાળવણી પણ ગેરકાયદેસર છે અને આ ટ્રસ્ટને ટોચ-મર્યાદાનો કાયદો લાગુ પડતો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના જવાબમાં મંડળી વતી એડવોકેટ સુબોધ કુમુદે આ દલીલો ટકવાપાત્ર નથી તેમ જણાવી હકુમતનો અને સમયમર્યાદાનો બાધ ઉઠાવવામાં આવ્યો હતો. જેના પગલે SSRD દ્વારા અરજદાર મહંતની અરજી નામંજુર કરવાનો હુકમ કરવામાં આવેલ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કચ્છમાં હજારો એકર જમીન દલિતોને મળી શકી નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર કચ્છ જિલ્લામાં આ પ્રકારે દલિતોને મંડળીઓને અને વ્યક્તિગત કિસ્સાઓમાં પણ ટોચમર્યાદા તાલે ફાજલ થયેલી હજારો એકર સરકારી પડતર જમીનોની ફાળવણી કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી મોટાભાગના કિસ્સાઓમાં આ જમીનોનો કબજો તેના મૂળ લાભાર્થીઓ મેળવી શક્યા નથી. જે મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM) અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) દ્વારા સતત રસ્તા પરની લડત ચલાવવામાં આવી અહીં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોની જમીનોને વિવાદિત બનાવી દઈ પચાવી પાડવાનો કારસો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંડળીના પ્રમુખ વિજયભાઈ કાંગી આ મામલે એક અખબારી યાદીમાં <span style="color: rgb(224, 62, 45);"><strong><a href="https://khabarantar.com/" style="color: rgb(224, 62, 45);">ખબરઅંતર.કોમ</a></strong></span>ને જણાવ્યું છે કે, "કચ્છ જિલ્લામાં ફાળવેલી જમીનોનો કબજો મંડળી ના લઈ શકે એ હેતુથી જે શખ્સોની જમીન ફાજલ કરવાં આવેલી એ જમીનોમાં કોર્ટ કેસ દાખલ કરીને આ જમીનો વિવાદિત બનાવી દેવાની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે, જેથી આ જમીનોનો કબજો લઈ શકાય નહીં અને લાંબી તથા ખર્ચાળ કાયદાકીય પ્રક્રિયાના લીધે નિરાશ થઈને દલિતો આવી જમીનોનો કબજો મેળવવાના પ્રયત્નો કરવાનું છોડી દે અને આ શખ્સો પોતાનું દબાણ ચાલુ રાખી શકે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત અધિકાર મંચ લડી લેવા તૈયાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, "આ મોડસ ઓપરેન્ડીથી આ જમીનો જે હેતુ માટે ફાળવવામાં આવી હતી એ હેતુ પાર પડતો નથી અને દલિતોના આર્થિક ઉત્થાનનો એક રસ્તો બંધ જાય છે. પરંતુ, ભુજ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક સહકારી મંડળીને ફાળવવામાં આવેલી અને કોર્ટમાં પેન્ડીંગ કેસોના લીધે આવી જમીનોનો કબજો લેવામાં અડચણ આવી શકે તેમ હોય એવી તમામ જમીનોમાં કાનૂની રહે પણ લડત ચલાવવામાં આવશે અને ટૂંક સમયમાં આવી તમામ જમીનોનો કબજો લેવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની સરાહનીય કામગીરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કચ્છ સહિત ગુજરાતભરમાં અનેક ગામોમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોને કાયદેસર રીતે ફાળવવામાં આવેલી હજારો એકર જમીનો પર માથાભારે તત્વો ગેરકાયદે કબ્જો જમાવીને બેસી ગયા છે. આવી સેંકડો એકર જમીનો આજે પણ લુખ્ખા તત્વોના કબ્જામાં છે. આ જમીનો તેમના કબ્જામાંથી છોડાવી તેના મૂળ માલિક એવા દલિતોને અપાવવા માટે વગડામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નેતૃત્વ હેઠળનું સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વર્ષોથી જમીની સ્તરે લડત ચલાવી રહ્યું છે. અત્યાર સુધીમાં આ સંગઠને આવા અનેક કેસોમાં દલિતોને તેમના હકની જમીનો માથાભારે તત્વોના કબ્જામાંથી છોડાવીને પરત અપાવી છે. હવે મેકરણદાદા અખાડાએ પચાવી પાડેલી જમીનો પણ છોડાવીને તેમના મૂળ માલિકો એવી દલિત મંડળીઓને પરત કરાશે. આ માટે એડવોકેટ સુબોધ કુમુદ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની આખી ટીમ દિવસ-રાત જોયા વિના મહેનત કરતી રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મેટરમાં વધુ કોઈપણ જાણકારી માટે <em><strong>વિજયભાઈ કાંગી, પ્રમુખ, શ્રી ભુજ અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી.નો ૯૬૩૮૮૭૦૯૯૫ </strong></em>પર સંપર્ક કરી શકો છો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/direct-possession-of-50-acres-of-land-in-kachchh-was-handed-over-to-scheduled-caste-societies">કચ્છમાં 50 એકર જમીનનો પ્રત્યક્ષ કબજો અનુસૂચિત જાતિની મંડળીઓને સોંપાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 29 Oct 2024 14:01:35 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 29 Oct 2024 14:33:57 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1479</Articleid>
                    <excerpt>કચ્છના ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ 40 વર્ષથી દબાવીને રાખેલી અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓની 300 વીઘાથી વધુ જમીનના કબ્જાનો માર્ગ મોકળો થયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67209c6ae4c90.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67209c6aab940.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67209c6aab940.jpg" length="108381" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mekarandada Akhara, National Dalit Rights Forum, Jignesh Mewani, Dhrang</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહેસાણામાં દલિત શિક્ષકને સવર્ણ પડોશીએ ગાળો ભાંડી માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-teacher-was-beaten-up-by-a-sawarna-neighbor-in-mehsana</link>
                    <guid>https://khabarantar.com/dalit-teacher-was-beaten-up-by-a-sawarna-neighbor-in-mehsana</guid>
                    <description>
                        <![CDATA[ પડોશી પરિવારે જાતિસૂચક ગાળો ભાંડી, લોખંડની પાઈપ અને બેટથી હુમલો કરતા દલિત શિક્ષક અને તેમના પત્નીને ઈજા પહોંચી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit teacher was beaten up by a Sawarna neighbor in mehsana : મહેસાણામાં એક દલિત શિક્ષક અને તેમના પત્નીને પડોશમાં રહેતા સવર્ણ મોદી પરિવારના ત્રણ સભ્યોએ મળીને જાતિસૂચક ગાળો ભાંડી લોખંડની પાઈપ, બેટ અને ગડદાપાટુનો માર મારતા મહેસાણા પોલીસમાં એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલાની નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી કાર્તિકભાઈ રાજ મહેસાણાના વાઈડ એન્ગલ સામે હિમાલયા રોયલ એપાર્ટમેન્ટના મકાન નંબર 404માં રહે છે. તેમનું મૂળ વતન વીસનગર તાલુકાનું ચિત્રોડીપુરા ગામ છે. મહેસાણામાં તેઓ તેમના પત્ની અને સાત વર્ષના પુત્ર સાથે રહે છે. કાર્તિકભાઈ સીઆરસીસી ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કોર્ડિનેટર મહેસાણા-4માં શિક્ષકના હેડ તરીકે નોકરી કરે છે અને તેમની નીચે 29 સ્કૂલો આવે છે. તેમના માતાપિતા ચિત્રોડીપુરામાં રહે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેસની વિગતો પ્રમાણે તા. 27 ઓક્ટોબરના રોજ રાતના સાડા નવ વાગ્યા આસપાસ કાર્તિકભાઈ તેમના ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમનું એક ચપ્પલ મળતું નહોતું. આથી તેઓ તેને શોધી રહ્યા હતા. એ દરમિયાન તેમની બાજુના ઘરમાં રહેતા પડોશી મનીષ મોદી, તેમનો છોકરો નીશુ અને મનીષભાઈના પત્ની આવી પહોંચ્યા હતા અને કાર્તિકભાઈને "તું શું શોધે છે ઢે#@?" કહીને ત્રણેયે મળી જાતિસૂચક ગાળો ભાંડી, લોખંડની પાઈપ અને બેટથી માર મારી, ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ દરમિયાન કાર્તિકભાઈના પત્ની તેમને છોડાવવા આવી પહોંચતા આરોપીઓએ તેમને પણ વાળ પકડીને માર માર્યો હતો. આ મામલે મહેસાણા સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-the-state-government-tacitly-agreeing-to-weaken-the-atrocities-act">શું રાજ્ય સરકાર એટ્રોસિટી એક્ટને નબળો પાડવા છુપી સહમતી આપી રહી છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 29 Oct 2024 10:10:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1477</Articleid>
                    <excerpt>પડોશી પરિવારે જાતિસૂચક ગાળો ભાંડી, લોખંડની પાઈપ અને બેટથી હુમલો કરતા દલિત શિક્ષક અને તેમના પત્નીને ઈજા પહોંચી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_672066d1135a5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_672066d0d2dff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_672066d0d2dff.jpg" length="81711" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit Atrocity complaint Gujarat, local news, Mehsana</media:keywords>
                </item>
                        <item>
                    <title>કચ્છમાં 50 એકર જમીનનો પ્રત્યક્ષ કબજો અનુસૂચિત જાતિની મંડળીઓને સોંપાયો</title>
                    <link>https://khabarantar.com/direct-possession-of-50-acres-of-land-in-kachchh-was-handed-over-to-scheduled-caste-societies</link>
                    <guid>https://khabarantar.com/direct-possession-of-50-acres-of-land-in-kachchh-was-handed-over-to-scheduled-caste-societies</guid>
                    <description>
                        <![CDATA[ ભચાઉના મનફરા, બંધની અને કળોલમાં અનુસૂચિત જાતિ સમાજની ખેત મંડળીઓને ચાર દાયકા બાદ તેમના હકની જમીનોની કબ્જા પાવતી સોંપવામાં આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Kachchh News : ગુજરાતમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજની ખેત મંડળીઓને વર્ષો પહેલા ફાળવવામાં આવેલી ખેત મંડળીઓની જમીનોનો પ્રત્યક્ષ કબ્જો હજુ પણ ન મળ્યાંની અનેક ફરિયાદો ઉઠી છે. આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને તેમના સાથીઓએ લડત ચલાવીને અનેક જગ્યાએ જમીનો અપાવી પણ છે. ત્યારે આ મામલે મોડે મોડે પણ રાજ્ય સરકારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની રજૂઆતને ધ્યાનમાં લઈને બિનવિવાદાસ્પદ જમીનો તાત્કાલિક મંડળીઓને સોંપવાની સૂચના આપી હતી, જેનો આજે અમલ કરવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ જુલાઈ માસમાં મુખ્યમંત્રીએ કચ્છના સાંસદ વિનોદ ચાવડા સાથે મોરબી-કચ્છમાં આવેલી મંડળીઓની જમીનો અંગે શું સ્થિતિ છે તેની વિસ્તારથી ચર્ચા વિચારણા કરી હતી. એ પછી સાંસદે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરીને તાત્કાલિક બિનવિવાદાસ્પદ જમીનો મંડળીઓના સભાસદોને આપવામાં આવે એવી સૂચના આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંસદ વિનોદ ચાવડાએ એ વખતે કચ્છના રાપર, ભચાઉ, અંજાર અને ભૂજ તાલુકાની અનુસૂચિત જાતિ સમાજની ખેતી સામુદાયિક મંડળીના પ્રમુખો અને સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરી, નીલ વિંઝોડા સાથે બિન વિવાદાસ્પદ જમીનોના સ્થાનિક કબ્જા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સોંપવામાં આવશે તેની બાહેધરી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ મુજબ બે દિવસ પહેલા તા. 24 ઓક્ટોબરના રોજ ભચાઉ તાલુકાના મનફરા, બંધની, કદોલ ગામમાં આવેલી અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીની જમીનોને ભૂમાફિયાઓના કબ્જામાંથી છોડાવી મંડળીના પ્રમુખ વિરજીભાઈ દાફડાને કબ્જા સોંપવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_671cf50c28e59.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં રાપર અને ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીની જમીનોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ બંને તાલુકામાં બાકી રહેતી જમીનો મૂળ સભાસદોને સોંપવામાં આવશે એવું જિલ્લા કલેકટરે જણાવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">24મી ઓક્ટોબરે આ જમીનોની કબ્જા પાવતી સોંપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ઉપરાંત પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મામલતદાર, સર્વેયર, તલાટી સહિત મંડળીના સભાસદો સુરેશ કાંટેચા, સુરેશ વાઘેલા, અશોક હાથી, વાઘજીભાઈ, મોહનભાઈ ચાવડા, રાપર અનુસૂચિત જાતિ સમાજના આગેવાન મેમભાઈ ચૌહાણ, રાપર મંડળીના મંત્રી ગજુભાઈ મેરિયા, મગાભાઈ ગોહિલ, કકરવાના સંજય મહેશ્વરી, મનજીભાઈ કારીયા, ભરૂડીયા અનુસૂચિત જાતિ આગેવાન હીરા રાજાભાઈ મનફરાના સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાંમાં મંડળીના સભાસદો અને સામાજિક રાજકીય આગેવાનો જોડાયા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના સામાજિક કાર્યકર અને સમસ્ત મહેશ્વરી સમાજના આગેવાન નરેશભાઈ મહેશ્વરી આ જમીનો દલિતોને મળે તે માટે વર્ષોથી મહેનત કરી રહ્યા હતા. અગાઉ તેમણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને પણ અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને જમીનો પ્રત્યક્ષ કબ્જો મળે તે માટે ગ્રાસરૂટ લેવલ પર ભારે મહેનત કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_671cf50cb6fed.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/"><span style="color: rgb(224, 62, 45);"><strong>ખબરઅંતર.કોમ</strong></span></a> સાથે આ મામલે વિગતે વાત કરતા નરેશભાઈ મહેશ્વરી જણાવે છે, "કચ્છમાં ચાર દાયકા પહેલા ટોચમર્યાદા ધારા બાદ અનુસૂચિત જાતિ સમાજને હજારો એકર જમીનો સાંથણીમાં મળી હતી. જો કે, માથાભારે લોકોની દાદાગીરીના કારણે તેના અસલી માલિકો એવા અનુસૂચિત જાતિ સમાજને તે જમીનનો કબ્જો મેળી શકતો નહોતો. ચાર દાયકાથી આ લડત ચાલી રહી છે અને હવે ધીરેધીરે તેમાં સફળતા મળી રહી છે. હાલ મનફરા, બંધની અને કદોલમાં આવેલી મંડળીઓને જમીનોના કબ્જા સોંપવામાં આવ્યા છે. આ જ તર્જ પર હવે અન્ય મંડળીઓને પણ જમીનો મળે તેવા પ્રયત્નો કરીશું. હાલ 50 એકર જેટલી જમીનો મંડળીઓનો સોંપવામાં આવી છે જેની બજાર કિંમત કરોડોમાં થવા જાય છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કચ્છના સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી પક્ષાપક્ષીના રાજકારણમાં પડ્યાં વિના વર્ષોથી અનુસૂચિત જાતિ સમાજ માટે જમીની લેવલે કામ કરી રહ્યાં છે. અગાઉ તેઓ આ જમીનોના મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણાને પણ રજૂઆત કરી ચૂક્યા છે. હાલમાં એસસી-એસટી પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયરના મુદ્દે પણ તેમણે ખૂલીને વિરોધ કર્યો હતો. સામાન્ય રીતે સત્તાપક્ષ સાથે જોડાયેલી વ્યક્તિ પક્ષ સામે પડવાથી ડરતી હોય છે. પરંતુ નરેશ મહેશ્વરી કોઈની પણ પરવા કર્યા વિના માત્ર અનુસૂચિત જાતિ સમાજને વફાદાર રહીને કામ કરતા રહે છે. અનુસૂચિત જાતિ સમાજને હાલ તેમના જેવા વધુને વધુ લોકોની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-atrocity-cases-accused-are-caught-only-after-agitation-naresh-maheshwari">એટ્રોસિટીના કેસમાં આંદોલન પછી જ આરોપીઓ પકડાય છેઃ નરેશ મહેશ્વરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 26 Oct 2024 19:28:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1466</Articleid>
                    <excerpt>ભચાઉના મનફરા, બંધની અને કળોલમાં અનુસૂચિત જાતિ સમાજની ખેત મંડળીઓને ચાર દાયકા બાદ તેમના હકની જમીનોની કબ્જા પાવતી સોંપવામાં આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671cf4f3cd6be.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671cf4f392c85.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671cf4f392c85.jpg" length="111375" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kachchh News, Dalit News, Gujarat Tourism</media:keywords>
                </item>
                        <item>
                    <title>20 વર્ષના પતિને ઝાડ સાથે બાંધી 7 લોકોએ 19 વર્ષની નવવધુ પર ગેંગરેપ કર્યો</title>
                    <link>https://khabarantar.com/7-people-gang-raped-a-19-year-old-bride-after-tying-her-20-year-old-husband-to-a-tree</link>
                    <guid>https://khabarantar.com/7-people-gang-raped-a-19-year-old-bride-after-tying-her-20-year-old-husband-to-a-tree</guid>
                    <description>
                        <![CDATA[ કોલેજિયન યુવક-યુવતી લગ્ન બાદ પહેલીવાર ફરવા ગયા હતા. જ્યાં 7 લોકોએ યુવકને ઝાડ સાથે બાંધીને યુવતી પર ગેંગરેપ કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Rewa gang rape case : મધ્યપ્રદેશ (MP) ના રીવા (Rewa) માં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહેલા એક 19-20 વર્ષના નવ પરિણિત યુગલને 7 બદમાશોએ આંતરી યુવકને ઝાડ સાથે બાંધી યુવતી સાથે ગેંગરેપ (Gang rape) ગુજાર્યો છે. ઘટનાના ચાર દિવસ બાદ સાત આરોપીઓની ધરપકડ (7 accused arrested) કરવામાં આવી છે, એક આરોપી હજુ પણ ફરાર છે. આ ઘૃણાસ્પદ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. મંદિરથી બે કિલોમીટર દૂર બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા છે. MP કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ પોલીસ પર ઘટનાને છુપાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં જંગલરાજ છે. અહીં ગુના સૌથી વધુ છે અને દરરોજ 18 થી 20 છોકરીઓ પર બળાત્કાર થાય છે. રીવા ગેંગરેપ પીડિતાનું નિવેદન પણ સામે આવ્યું છે. પીડિતાએ જણાવ્યું કે તેને એક આરોપી છોકરાએ ધમકી આપી હતી કે તે મીડિયા ઈન્ચાર્જનો પુત્ર છે અને પોલીસ-કલેક્ટર પણ તેનું કશું બગાડી શકે તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાચની બોટલ બતાવીને યુવતીને ડરાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાએ જણાવ્યું કે તેને કાચની બોટલ બતાવીને ડરાવવામાં આવી હતી કે જો તે બૂમો પાડશે તો જાનથી મારી નાખીશું. આરોપીઓએ તેમની બાઇકની ચાવી અને મોબાઇલ પણ છીનવી લીધો હતો. પીડિતાના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ તેને માર મારી તેના પતિને અન્ય જગ્યાએ લઈ ગયા હતા. ત્યારબાદ એક પછી એક પાંચ આરોપીઓએ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે આ ઘટનામાં 5 લોકો સામેલ છે. જો કે સમગ્ર ઘટનામાં તેના કેટલાક સાગરિતો પણ સામેલ હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે સાત ગુનેગારોને ઝડપી લીધા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ તેજ કરી છે. આશરે 100 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાએ જણાવ્યું હતું કે એક આરોપીની છાતી અને હાથ પર ટેટૂ હતા. રીવાના પોલીસ અધિક્ષક વિવેક સિંહે જણાવ્યું કે પોલીસે મહિલા પર બળાત્કાર કરનાર શકમંદો સહિત સાત લોકોની અટકાયત કરી છે. એક આરોપી ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે. મામલાની તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત પતિ-પત્નીની ઉંમર 19-20 વર્ષ છે અને તેઓ હજુ કોલેજમાં અભ્યાસ કરે છે. બંનેએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બળાત્કારીઓએ ગુનો કબૂલ કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સ્થળે એફએસએલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પીડિતાની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી. જ્યારે એક આરોપી ફરાર છે અને તેની ધરપકડ કરવામાં આવી રહી છે. એક આરોપીએ કબૂલાત કરી છે કે તે તેના સાથીઓ સાથે ભૈરવ બાબા મંદિર તરફ ગયો હતો. તેઓ પાંચ લોકો હતા. ત્યાં તેમણે દારૂ પીધો, ખાધું અને સ્નાન કર્યું. બાદમાં તેના વધુ ત્રણ મિત્રો આવ્યા હતા. એ દરમિયાન તેમણે એક છોકરા-છોકરીને બેઠેલા જોયા. એટલે તેમનો એક સાથી તેમની પાસે પહોંચી ગયો. એ પછી ધીરેધીરે બધાં ત્યાં પહોંચી ગયા. જ્યાં 4-5 લોકોએ યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ યુવતીનો મોબાઈલ પણ છીનવી લીધો હતો, જે બાદમાં તેને પરત કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના 21 ઓક્ટોબરે બની હતી</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાના જણાવ્યા અનુસાર 21 ઓક્ટોબરે તે તેના પતિ સાથે મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. બપોરે પરત ફરતી વખતે તેઓ મંદિરથી 2 કિલોમીટર દૂર કોડિયા નાળા પાસે એક ખડક પર બેસી ગયા હતા. ત્યારબાદ 5 યુવકોએ તેની સાથે મારામારી કરી તેના પતિને ઝાડ સાથે બાંધીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો અને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશની ધમકી આપી હતી. ઘટના બાદ યુવક-યુવતી જેમતેમ કરીને ઘરે પહોંચ્યા હતા અને બીજા દિવસે 22 ઓક્ટોબરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/rape-victim-dalit-minor-died-during-treatment-within-a-few-days"><span style="font-size: 14pt;">રેપ પીડિત દલિત સગીરાનું થોડા જ દિવસમાં સારવાર દરમિયાન મોત</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 26 Oct 2024 12:22:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1464</Articleid>
                    <excerpt>કોલેજિયન યુવક-યુવતી લગ્ન બાદ પહેલીવાર ફરવા ગયા હતા. જ્યાં 7 લોકોએ યુવકને ઝાડ સાથે બાંધીને યુવતી પર ગેંગરેપ કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671c90f5a75f6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671c90f57694f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671c90f57694f.jpg" length="48817" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rewa gang rape, Dalit Crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરિઓમ, જપઓમ, શિવઓમે કહ્યું &amp; આ તારા બાપનો રસ્તો છે?</title>
                    <link>https://khabarantar.com/in-lucknows-mahingwa-village-upper-castes-attacked-two-dalit-brothers-with-knives-and-sticks</link>
                    <guid>https://khabarantar.com/in-lucknows-mahingwa-village-upper-castes-attacked-two-dalit-brothers-with-knives-and-sticks</guid>
                    <description>
                        <![CDATA[ આ ચારેય કોઈ સંતોના નામ નથી પરંતુ માથાભારે તત્વો છે, જેમણે બે દલિત યુવકોનો રસ્તો રોકી ચાકુ-લાકડીઓથી હુમલો કર્યો છે. હાલ બંને યુવકોની હાલત ગંભીર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">UP News : જાતિવાદી તત્વોને જાણે બધું તેમના બાપની જાગીર હોય તેમ વર્તવા જોઈએ છે. એમાં પણ જો સામે કોઈ દલિત, આદિવાસી મળી જાય તો આ લોકો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના દાદાગીરી પર ઉતરી આવે છે. ઘણીવાર તો કારણ વિના જ તેઓ મારામારી ઉતરી આવતા હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં પણ એવું જ બન્યું હતું. દલિત યુવક ટોઈલેટ જવા માટે નીકળ્યો હતો અને આ લોકો રસ્તો રોકીને ઉભા રહી ગયા. દલિત યુવકે રસ્તો છોડવા કહ્યું તો આ તારા બાપનો રસ્તો છે? કહીને મારામારી પર ઉતરી આવ્યા હતા અને જાતિસૂચક ગાળો ભાંડીને ચાકુ તથા લાકડીઓથી યુવક પર હુમલો કરી દીધો હતો. તેની રાડો સાંભળીને તેનો ભાઈ તેને બચાવવા આવ્યો હતો. જો કે માથાભારે તત્વોએ તેના પર પણ હુમલો કર્યો હતો. દરમિયાન સ્થાનિક દલિતો એકઠાં થઈ જતા આ લુખ્ખા તત્વો ભાગી ગયા હતા. એ પછી બંને ઘાયલ યુવકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને હાલત ગંભીર હોવાનું કહેવાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-sarpanch-beaten-by-racist-men-for-sitting-on-chair">તું ભલે સરપંચ હો, મારી સામે ખુરશી પર બેસવાની તારી હિંમત કેવી રીતે થઈ?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર યુપી (UP) નો છે. અહીં લખનૌ (Lucknow) ના બક્ષીના તળાવ વિસ્તારના મહિંગવા પોલીસ સ્ટેશન (Mahingava Police Station) વિસ્તારમાં બુધવારે રાત્રે એક દલિત યુવક (Dalit youngster) પર ગુંડાઓ (Goons)દ્વારા જીવલેણ હુમલો (attack) કરવામાં આવ્યો હતો, જેણે જાતિવાદ (castiesm) ના ઝેરને ફરી ઉજાગર કરી દીધું હતું. આ ઘટનામાં બદમાશોએ ટોઈલેટ જવા નીકળેલા દલિત યુવક પર છરી અને લાકડીઓથી હુમલો કર્યો. જ્યારે યુવકનો ભાઈ તેને બચાવવા પહોંચ્યો ત્યારે તેને પણ મારવામાં આવ્યો. હાલ બંનેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને બંનેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘાતકી હુમલા બાદ ગામમાં ભય અને રોષનું વાતાવરણ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">મહિંગવા પોલીસ સ્ટેશન વિસ્તારના સોનવા ગામ (Sonava Village)માં રહેતા બૈજનાથ ગૌતમનો પુત્ર દીપક ગૌતમ (Deepak Gautam) બુધવારે રાત્રે ટોઈલેટ જવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. તે ગામના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં હરિઓમ મિશ્રા, જપઓમ મિશ્રા, શિવઓમ મિશ્રા અને ઋષિ સિંહ રસ્તો રોકીને ઉભા હતા. દીપકે તેમને સહેજ દૂર ઉભા રહેવા વિનંતી કરી. પણ જાતિવાદી આ તત્વો સીધા તોછડાઈ પર ઉતરી આવ્યા અને સીધું જ - આ તારા બાપનો રસ્તો છે? એમ કહીને રસ્તો છોડવાની ના પાડી. દીપકે નમ્રતાપૂર્વક તેમને રસ્તો છોડી દેવાની વિનંતી કરી, પરંતુ બદમાશોએ તેને જાતિ આધારિત અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધું. દીપકે ગાળો ન બોલવા કહેતા હરિઓમ મિશ્રાએ તેના પર સીધો ચાકૂથી હુમલો કરી દીધો હતો. દીપક ત્યાં જ દર્દથી ઢળી પડ્યો. એ પછી પણ આ લુખ્ખા તત્વો અટક્યા નહીં અને દીપકને લાકડીઓ વડે માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દીપકને બચાવવા આવનાર તેના ભાઈને પણ માર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">જ્યારે દીપકનો ભાઈ દિલીપ ગૌતમ તેની ચીસો સાંભળીને તેને બચાવવા માટે આવ્યો ત્યારે આ ગુંડાઓએ તેને પણ નિશાન બનાવ્યો હતો. દિલીપને પણ લાકડીઓ મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમગ્ર ઘટના ગામના અન્ય રહેવાસીઓની સામે બની હતી, પરંતુ હુમલાખોરો ત્યાંથી ભાગવા લાગ્યા ત્યારે ગ્રામજનોએ હિંમત એકઠી કરી હતી. ગામલોકોએ દિલીપ અને દીપકને સંભાળ્યાં અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બંને ભાઈઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/three-dalit-children-shaved-their-heads-blackened-their-faces-with-thieves-written-on-their-heads-and-sent-to-the-village">3 દલિત બાળકોનું માથું મૂડ્યું, મોં કાળું કરી માથે 'ચોર' લખીને આખા ગામમાં ફેરવ્યાં</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે લુખ્ખા તત્વોની તરફેણ કરી ફરિયાદમાં ફેરફાર કરાવ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના બાદ દીપકે મહિંગવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પોલીસે ફરિયાદમાં ફેરફાર કરાવીને કેસ નોંધ્યો છે. દીપક અને તેના પરિવારનો આરોપ છે કે પોલીસે આ લુખ્ખા તત્વોના દબાણ હેઠળ આ ઘટનાને હળવાશથી લીધી હતી અને તેમની સામે યોગ્ય કલમો હેઠળ કેસ નોંધ્યો નથી. લુખ્ખા તત્વોએ જે ગુનો કર્યો છે તેને ધ્યાનમાં રાખીને જોતા ગંભીર કલમો હેઠળ કેસ દાખલ થવો જોઈએ પરંતુ તેમાં હળવી કલમો લગાવીને બચાવ કરાયો છે. જો કે, પોલીસે દાવો કર્યો છે કે ફરિયાદના આધારે જ તેમણે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં ભયનો માહોલ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ હુમલા બાદ ગામમાં ભય અને રોષનો માહોલ છે. ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં પહેલાથી જ આ ગુંડાતત્વો દ્વારા દાદાગીરી ચાલી રહી છે, અને વહીવટીતંત્રે ક્યારેય તેમની સામે કડક પગલાં લીધા નથી, જેનાથી તેમની હિંમત વધી છે. દીપક અને તેના પરિવારે તંત્ર પાસે ન્યાયની અપીલ કરી છે અને ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગામના દલિત સમાજે પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સંગઠનો મદદે આવ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના બાદ પીડિત પરિવારે સ્થાનિક નેતાઓ અને દલિત સંગઠનો પાસે મદદ માંગી છે. આ હુમલાને લઈને દલિત સમાજમાં ભારે નારાજગી છે અને તેઓ તેને દલિતો સામે વધી રહેલા અત્યાચારની પેટર્ન તરીકે જુએ છે. ઘટનાને લઈને દલિત સંગઠનોએ લડી લેવાનું નક્કી કર્યું છે અને દીપક અને દિલીપની સાથે રહીને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-mob-of-patels-attacked-senma-vas-in-mithiwawadi-patan">પાટણના મીઠીવાવડીમાં સેનમા વાસ પર પટેલોના ટોળાએ હુમલો કર્યો, અનેક લોકો ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 26 Oct 2024 10:59:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1463</Articleid>
                    <excerpt>આ ચારેય કોઈ સંતોના નામ નથી પરંતુ માથાભારે તત્વો છે, જેમણે બે દલિત યુવકોનો રસ્તો રોકી ચાકુ-લાકડીઓથી હુમલો કર્યો છે. હાલ બંને યુવકોની હાલત ગંભીર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671c7d8c6fe47.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671c7d8c3ee50.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671c7d8c3ee50.jpg" length="45432" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, UP News, Lucknow News, SC ST Act, atrocity case</media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ</title>
                    <link>https://khabarantar.com/in-one-atrocity-case-98-out-of-101-accused-received-life-imprisonment</link>
                    <guid>https://khabarantar.com/in-one-atrocity-case-98-out-of-101-accused-received-life-imprisonment</guid>
                    <description>
                        <![CDATA[ દલિત એટ્રોસિટીના કેસમાં જ્યારે કાયદો કાયદાનું કામ કરે ત્યારે કેટલો મજબૂતીથી ન્યાય મળે છે તેનો આ કેસ પુરાવો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વારંવાર એટ્રોસિટી એક્ટનો દુરૂપયોગ થઈ રહ્યાંના જૂઠ્ઠાં રોદણાં રોતા તત્વોને વાસ્તવમાં મનોમન એમ વિચારતા હોય છે કે, "બસ એકવાર આ કાયદો જો દૂર થઈ જાય ને, તો આમને એમની હેસિયત બતાવી દઉં!" આ માનસિકતાથી ગ્રસ્ત લોકોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. એનું જ કારણ છે કે, દેશભરમાં દલિતો પર અત્યાચારો સતત વધતા જઈ રહ્યાં છે અને છતાં ન્યાયતંત્ર બહુ ઓછા કેસોમાં મજબૂત ચૂકાદાઓ આપે છે. બધું નજર સામે સ્પષ્ટ દેખાતું હોવા છતાં આ દેશમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓને સજાનો દર અત્યંત ઓછો છે. વડાપ્રધાન અને ગૃહ મંત્રીના હોમટાઉન ગુજરાતમાં તો આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શું દેશમાં દલિતોની પરિસ્થિતિ બદલાઈ છે? જો કોઈ એવી દલીલ કરે કે હવે દલિતો પર અત્યાચાર નથી થતા તો તેણે કર્ણાટકની આ ઘટના અને તેના પર કોર્ટે આપેલો ચૂકાદો ખાસ વાંચવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકની એક જિલ્લા અદાલતે ગુરુવારે 10 વર્ષ જૂના દલિત એટ્રોસિટીના કેસમાં 101 લોકોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 (SC-ST Act 1989) હેઠળ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે 98 લોકોને આજીવન કેદ અને બાકીના દોષિતોને પાંચ વર્ષની સજા ફટકારી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટનો આ નિર્ણય 29 ઓગસ્ટ, 2014ના રોજ કોપ્પલ જિલ્લાના મરુકંબી ગામમાં ત્રણ દલિત ઘરોને આગ લગાવી દેવાના મામલે આપવામાં આવ્યો છે.  જાતિ આધારિત હિંસાની આ ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. દલિત પુરૂષો અને મહિલાઓને તેમના ઘરની બહાર ખેંચીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/on-the-issue-of-misinterpretation-of-Arnesh-Kumars-verdict-the-battle-has-started"><span style="font-size: 14pt;">અર્ણેશ કુમારના ચૂકાદાના ખોટા અર્થઘટન મુદ્દે હવે આરપારની લડાઈ શરૂ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે ચાર્જશીટમાં 117 લોકોના નામ નોંધ્યા હતા. કોર્ટે 101 લોકોને દોષી ઠેરવ્યા છે. ટ્રાયલ દરમિયાન 11 આરોપીઓના મોત થઈ ગયા હતા. સજા સંભળાવતી વખતે ન્યાયાધીશ સી. ચંદ્ર શેખરે કહ્યું હતું કે, 'આ કેસ સામાન્ય ટોળાની હિંસાનો નહીં પરંતુ સ્પષ્ટ રીતે જાતિ આધારિત હિંસાનો જણાય છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચુકાદામાં કોર્ટે દલિતોની દયનીય સ્થિતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની સ્થિતિ સુધારવાના તમામ પ્રયાસો છતાં તેમની સામે હિંસા અને અત્યાચાર બંધ થયો નથી. કોર્ટે કહ્યું કે, "અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટેના વિવિધ પગલાઓ છતાં તેમને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. આ સિવાય તેમને વિવિધ ગુનાઓ, અપમાન અને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ કેસના તથ્યો અને પરિસ્થિતિઓ પર વિચાર કરતી વખતે મને રેકોર્ડ પર એકપણ એવી પરિસ્થિતિ દેખાઈ નથી જે કોઈની પ્રત્યે ઉદારતાનું ઔચિત્ય દર્શાવવા પ્રેરતી હોય. આવા કેસમાં દયા બતાવવી એ ન્યાયની મજાક સમાન હશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે તેના નિર્ણયમાં જરાય નરમાશ દાખવી નહોતી. કોર્ટે કહ્યું, "ઘાયલ પીડિતો, પુરૂષો અને સ્ત્રીઓ અનુસૂચિત જાતિના છે અને આરોપીઓએ મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન કર્યું છે. પીડિતો પર લાકડીઓ, પથ્થરો અને ઇંટોથી હુમલો કર્યો છે, જેનાથી તેમને ઈજા પહોંચી છે. હું માનું છું કે આરોપીને નિર્ધારિત મિનીમમ સજા કરતાં વધુ સજા થવી જોઈએ. ઓછી સજા આપવા માટે રેકોર્ડ પર કોઈ કારણ ઉપલબ્ધ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ન્યાયાધીશે કહ્યું, 'આરોપીઓની પૃષ્ઠભૂમિ, ખાસ કરીને તેમની આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતા, મને લાગે છે કે ભારે દંડ લાદવાનો કોઈ ફાયદો થશે નહીં, કારણ કે તેઓ દંડ ચૂકવવા અથવા જમા કરાવવાની સ્થિતિમાં નથી. જો ઓછો દંડ કરવામાં થોડીક નરમાશ દાખવવામાં આવશે અને આરોપી દંડ જમા કરાવે, તો પણ તે રકમ રાજ્ય અને પીડિતો વચ્ચે વહેંચવા માટે પૂરતી નહીં હોય. આથી તેમને કડકમાં કડક સજા થાય અને તેમાંથી જ તેઓ બોધપાઠ મેળવે તે જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે કોપ્પલ જિલ્લો કર્ણાટકના પછાત જિલ્લાઓમાંનો એક છે અને અહીં પહેલા પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ અપરાધના વિચિત્ર કેસો સામે આવતા રહ્યા છે. આ એ જ જિલ્લો છે જ્યાં ત્રણ વર્ષના દલિત બાળકના પિતાને મંદિરમાં પ્રવેશવા બદલ 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, માત્ર કર્ણાટકમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં દલિતોની સ્થિતિ આવી જ છે. દેશના જુદા જુદા ભાગોમાંથી સમયાંતરે દલિત અત્યાચારના અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા રહે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્યારેક મંદિરમાં પ્રવેશવા બદલ, તો ક્યારેક મૂછ રાખવા બદલ 'સજા' આપવામાં આવે છે. ક્યારેક લગ્નમાં ઘોડી પર બેસવાને લઈને, તો ક્યારેક માત્ર પાણીને સ્પર્શ કરવા માટે અત્યાચાર ગુજારાય છે. ચોરીના આરોપમાં માર મારવો, હાથ-પગ દોરડા વડે બાંધવા અને માથું મુંડાવી માથે પેશાબ કરવો, પેશાબ પીવડાવવો, માથે થૂંકવું જેવી ઘટનાઓ પણ બની છે. શરમજનક વાત એ તે, બધું નજર સામે થતું હોવા છતાં આવા કેસોમાં આરોપીઓ જેલમાંથી છૂટી જાય છે. જો એટ્રોસિટીના કેસોમાં આ જ રીતની કડકાઈ દાખવવામાં આવે તો કોઈ માઈનો લાલ દલિતો, આદિવાસીઓ સામે આંખ ઉંચી કરીને જોઈ ન શકે. જરૂર માત્ર ઈચ્છાશક્તિની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/now-the-accused-in-the-case-of-atrocity-will-go-home-after-tea-watering-the-police">હવે એટ્રોસિટીના કેસમાં આરોપીઓ પોલીસના ચા-પાણી કરીને ઘરે જતા રહેશે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 25 Oct 2024 18:53:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1461</Articleid>
                    <excerpt>દલિત એટ્રોસિટીના કેસમાં જ્યારે કાયદો કાયદાનું કામ કરે ત્યારે કેટલો મજબૂતીથી ન્યાય મળે છે તેનો આ કેસ પુરાવો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671b9af8e68d7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b9af8b11a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b9af8b11a7.jpg" length="139175" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Atrocity Case, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાબા બાળકનાથને શોધી લાવો, એક લાખનું ઈનામ આપીશું: ભીમ આર્મી</title>
                    <link>https://khabarantar.com/find-baba-balaknath-we-will-give-a-reward-of-one-lakh-bhim-army</link>
                    <guid>https://khabarantar.com/find-baba-balaknath-we-will-give-a-reward-of-one-lakh-bhim-army</guid>
                    <description>
                        <![CDATA[ દલિત સગીરા પર રેપ કરીને ફરાર થઈ ગયેલા બાબા બાળકનાથને શોધી કાઢનાર માટે ભીમ આર્મીએ એક લાખનું ઈનામ જાહેર કર્યું છે. જાણો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના સીકરમાં એક ઢોંગી બાબાએ દલિત સગીરા પર બળાત્કાર કર્યાની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે. સીકરના લક્ષ્મણગઢના દંતુજલા મંદિરના કથિત બાબા બાળકનાથે એક દલિત સગીરાનું અપહરણ કરી તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી બાબાએ સગીરાનો વીડિયો ઉતારી તેને વારંવાર ધમકી આપી હેરાન કરવાનું ચાલું કરી દીધું હતું. સગીરા આ વાત કોઈને કહી શકતી નહોતી. આખરે તેની હિંમત ખૂલી અને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઢોંગી બાબો બાળકનાથ મંદિર છોડીને ફરાર થઈ ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ દલિત સમાજની સગીર દીકરી પર બાબાએ દુષ્કર્મ ગુજાર્યાની જાણ થતા જ ભીમ આર્મી સહિતના સંગઠનો પીડિતાની પડખે આવ્યા હતા અને પોલીસને ઢોંગી બાબાને ઝડપી પાડવા દબાણ સર્જ્યું હતું. ભીમ આર્મીની સાથે આંબેડકર વેલ્ફેર સોસાયટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંગઠનોએ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપીને આરોપી ઢોંગી બાબા બાળકનાથ અને તેના સાગરિતોની ધરપકડની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સંગઠનોએ ચેતવણી આપી છે કે, જો આરોપીઓને જલ્દી પકડવામાં નહીં આવે તો સમગ્ર રાજસ્થાનમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભીમ આર્મીના જિલ્લા અધ્યક્ષ એડવોકેટ જયસ્વામી કલ્યાણે કહ્યું હતું કે, પોલીસ જો બાબાને ઝડપથી પકડી નહીં શકે તો અમારે નાછૂટકે આ મામલે આંદોલન કરવું પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબાની ભાળ આપનારને એક લાખનું ઈનામ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકર મેમોરિયલ વેલ્ફેર સોસાયટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેશ જોયાએ કહ્યું હતું કે, કથિત આ બાબાએ જે કૃત્ય કર્યું છે કે કોઈ કાળે ચલાવી શકાય તેમ નથી. પોલીસે આરોપીઓની જલદી ધરપકડ કરવી જોઈએ. ફરાર આરોપીની ભાળ આપનારે એક લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયામાં બાબાનો સગીરા સાથેનો વીડિયો વાયરલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ ઢોંગી બાબા બાળકનાથનો દલિત સગીરા સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. વીડિયોમાં સગીરા પણ દેખાઈ રહી છે. આ અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ જ સગીરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીકર જિલ્લાના લક્ષ્મણગઢના ખેડી દાતુંજલાના ક્ષેત્રપાલ મંદિરના બાબા બાળકનાથ સામે એક દલિત સગીરાએ તંત્ર વિદ્યાની આડમાં બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ બાબા અને તેના સાથીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે મંદિરના બાબા બાલકનાથે તંત્ર વિદ્યા દ્વારા પરિવારની સમસ્યાઓ ઉકેલવાના બહાને તેની સાથે બળાત્કાર કર્યો હતો. આરોપી બાબા અને તેના ડ્રાઈવરે ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને કરશે તો અને તેઓ બોલાવે ત્યારે તેમની પાસે નહીં આવે તો તેઓ તેના આખા પરિવારને ખતમ કરી નાખશે અને વીડિયો વાયરલ કરી દેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કારમાં બેસાડી, પેંડા ખવડાવી બળાત્કાર ગુજાર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાએ પોલીસને જણાવ્યું કે થોડા મહિના પહેલા તે મંદિરમાં પૂજા કરવા ગઈ હતી અને ત્યાં તેની મુલાકાત રાજેશ નામના એક છોકરા સાથે થઈ હતી, જેણે તેનો પરિચય બાબા બાળકનાથ સાથે કરાવ્યો હતો. બાબાએ તેને પ્રસાદ આપ્યો અને કહ્યું કે આ પ્રસાદથી તને આશીર્વાદ મળશે. એ પછી થોડા મહિના પહેલા બાબા બાળકનાથે તેને ગામમાં મૂકી જવાના બહાને કારમાં બેસાડી લીધી હતી અને રસ્તામાં પેંડા ખાવા માટે આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સગીરાએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી, બાબો ફરાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેંડા ખાધા પછી તે બેભાન થઈ ગઈ અને બાબાએ તેના પર ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. ડ્રાઈવર યોગેશે તેનો વીડિયો બનાવ્યો. એ પછી આરોપી બાબા અને તેના સાથીઓએ તેને ધમકાવવાનું શરૂ કર્યું અને તેને પોતાની પાસે બોલાવવાની વાત કરી. તેઓ વિડિયો વાયરલ કરવાની ધમકી પણ આપવા લાગ્યા હતા. આથી તંગ આવી ગયેલી સગીરાએ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ SC-ST સેલના ડીવાયએસપી અજીત પાલને સોંપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-case-has-been-registered-against-the-impostor-indian-baba-who-committed-1320-rapes-in-22-years-in-london">લંડનમાં 22 વર્ષમાં 1320 રેપ કરનાર ઢોંગી ભારતીય બાબા પર કેસ નોંધાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 25 Oct 2024 12:34:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1460</Articleid>
                    <excerpt>દલિત સગીરા પર રેપ કરીને ફરાર થઈ ગયેલા બાબા બાળકનાથને શોધી કાઢનાર માટે ભીમ આર્મીએ એક લાખનું ઈનામ જાહેર કર્યું છે. જાણો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671b4211514ff.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b421118280.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b421118280.jpg" length="55956" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bhim Army, Baba Balaknath</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગટર ટેંક સાફ કરતી વખતે ઝેરી ગેસથી ત્રણ સફાઈ કર્મીઓના મોત</title>
                    <link>https://khabarantar.com/three-cleaners-dead-by-poisonous-gas-while-cleaning-sewage-tank</link>
                    <guid>https://khabarantar.com/three-cleaners-dead-by-poisonous-gas-while-cleaning-sewage-tank</guid>
                    <description>
                        <![CDATA[ ગેસના કારણે એક સફાઈકર્મી 20 ફૂટ ઊંડા ખાડામાં પડીને બેભાન થઈ ગયો. તેને બચાવવા તેના બે સાથીઓ અંદર પડ્યાં અને તેઓ પણ બેભાન થઈ જતા મૃત્યુ પામ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Three cleaners dead by poisonous gas while cleaning sewage tank : સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં દેશમાં સફાઈકર્મીઓ પાસે ગટર કે ગટર ટેંકમાં ઉતરીને સફાઈ કરાવવામાં આવે છે. જેના કારણે સમયાંતરે સફાઈકર્મીઓના મોતની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલા રાજસ્થાન (Rajasthan) ના સીકર (Sikar District) ના ફતેહપુર (Fatehpur City) માં બની ગઈ. અહીં મંગળવારે ગટરની ટાંકી સાફ (Sewer tank cleaning) કરતી વખતે ઝેરી ગેસ (Gas leak) શ્વાસમાં જતા ત્રણ સફાઈ કામદારો (Three sanitation works) ના મોત (died) થયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, ગટરની ટાંકી સાફ કરતી વખતે એક સફાઈ કામદાર 20 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો અને બેભાન થઈ ગયો હતો. તેમના બે સાથીઓ તેને બચાવવા અંદર ગયા, પરંતુ તેઓ પણ ઝેરી ગેસને કારણે બેભાન થઈ ગયા. પોલીસની ટીમે ત્રણેયને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરાયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દુર્ઘટના મંગળવારે સાંજે લગભગ 4.30 વાગ્યે સીકરના ફતેહપુરના સરદારપુરા વિસ્તારમાં બની હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને પ્રદેશ ધારાસભ્ય હાકિમ અલી ખાન અને અન્ય લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Govt-to-pay-Rs-30-lakh-compensation-if-employee-dies-while-cleaning-drains:-Supreme-Court-order">ગટરની સફાઈ કરતા કર્મચારીનું મોત થાય તો રૂ. 30 લાખનું વળતર આપવું પડશે, સુપ્રીમ કોર્ટનો આદેશ</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ, વાલ્મિકી સમાજે (Valmiki Community) આ ઘટના બાદ વિરોધ શરૂ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ સરકારી નોકરી અને મૃતકોના પરિવાર માટે 1 કરોડ રૂપિયાની માંગણી કરી છે. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા હોસ્પિટલમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ પછી વાલ્મિકી સમાજના લોકો મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા અને જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી જિલ્લા હોસ્પિટલના ગેટ પર હડતાળ પર બેસી ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંદોલનકારીઓ કલેક્ટર તેમની મુલાકાતે આવે તેની રાહ જોઈ રહ્યાં છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે તેઓ માત્ર કલેક્ટર સાથે વાત કરશે અને જ્યાં સુધી કલેક્ટર આવીને તેમની વાત નહીં સાંભળે ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાલ્મિકી સમાજના લોકોનું કહેવું છે કે ગટરોની સફાઈ માટે કામદારોને સુરક્ષાના સાધનો આપવામાં આવતા નથી. જો તેમની પાસે સુરક્ષાના સાધનો હોત તો કદાચ ત્રણેયના જીવ બચાવી શકાયા હોત. આ સફાઈકર્મીઓના પાડોશી પ્રદીપ હટવાલે જણાવ્યું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા મજૂરોમાં સજ્જન (30), મુકેશ (35) અને મહેન્દ્ર (38)નો સમાવેશ થાય છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Sewage-cleaning-is-claiming-an-estimated-70-lives-every-year">કાયદેસર પ્રતિબંધ હોવા છતાં ગટર સફાઈમાં વર્ષે 70 લોકોના મોત થાય છે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ 2013 શું કહે છે?</span><br><span style="font-size: 14pt;">મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ 2013 (Manual Scavenging Act 2013) હેઠળ, દેશમાં કોઈ પણ વ્યક્તિને ગટર સાફ કરવા માટે ટાંકીમાં કે ગટરમાં ઉતારવા સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જો ખાસ સંજોગોમાં સફાઈકર્મીઓને ગટરની સફાઈ માટે અંદર ઉતારવામાં આવે તો ચોક્કસ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કર્મચારીનો વીમો ઉતરાવેલો હોવો જોઈએ, સુપરવાઈઝરની સૂચનાઓ મુજબ કામ કરવું જોઈએ અને કામ કરવાની લેખિત પરવાનગી હોવી જોઈએ. મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકેve રોજગાર પર પ્રતિબંધ અને તેમનું પુનર્વસન અધિનિયમ, 2013 (MS એક્ટ, 2013) 6 ડિસેમ્બર, 2013 ના રોજ અમલમાં આવ્યો હતો, જે હાથથી થતા સફાઈ કામને પ્રતિબંધિત કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષે જુલાઈમાં મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athavale) એ રાજ્યસભા (rajya sabha) માં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, '2019 થી 2023 સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગટર અને સેપ્ટિક ટેંકોની સફાઈને કારણે કુલ 377 લોકોના મોત થયા છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-the-last-5-years-339-people-died-in-the-country-while-cleaning-drains-and-septic-tanks">છેલ્લાં પાંચ વર્ષમાં ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈ દરમિયાન કેટલાં લોકો મોતને ભેટ્યાં?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 25 Oct 2024 11:08:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1459</Articleid>
                    <excerpt>ગેસના કારણે એક સફાઈકર્મી 20 ફૂટ ઊંડા ખાડામાં પડીને બેભાન થઈ ગયો. તેને બચાવવા તેના બે સાથીઓ અંદર પડ્યાં અને તેઓ પણ બેભાન થઈ જતા મૃત્યુ પામ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671b2ecc9b768.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b2ecc633c5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671b2ecc633c5.jpg" length="106578" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rajasthan News, Three sanitation works, died</media:keywords>
                </item>
                        <item>
                    <title>બસપાએ ઉત્તરપ્રદેશ પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી</title>
                    <link>https://khabarantar.com/bsp-announced-its-list-of-candidates-for-uttar-pradesh-by-elections</link>
                    <guid>https://khabarantar.com/bsp-announced-its-list-of-candidates-for-uttar-pradesh-by-elections</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સમાજ પાર્ટીએ કુલ 8 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાએ આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને  તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. બસપાએ ૮ વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગાઝિયાબાદ વિધાનસભાથી પરમન્નાદ ગર્ગને ટિકિટ આપવામાં આવી છે. બસપાએ હજુ સુધી ખેર વિધાનસભા બેઠક માટે પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જણાવી દઈએ કે કાનપુરની સિસીમાઉ, પ્રયાગરાજની ફુલપુર, મૈનપુરીની કરહાલ, મિર્ઝાપુરની મઝવાન, અયોધ્યાની મિલ્કીપુર, આંબેડકર નગરની કટેહારી, ગાઝિયાબાદ સદર, અલીગઢની ખેર, મુરાદાબાદની કુંડાર્કી અને મીરાપુર સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાએ આંબેડકરનગર જિલ્લાની કટેહારી વિધાનસભાથી અમિત વર્માને ટિકિટ આપી છે. જિતેન્દ્ર કુમાર સિંહને પ્રયાગરાજ જિલ્લાની ફૂલપુર સીટથી ટિકિટ આપવામાં આવી છે, શાહનઝરને મુઝફ્ફરનગરની મીરાપુર સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય કાનપુર નગરની સિસમાઉ સીટ પરથી વીરેન્દ્ર કુમાર શુક્લા, મૈનપુરીની કરહાલ સીટથી અવનીશ કુમાર શાક્ય, મુરાદાબાદની કુંડારકી સીટથી રફતુલ્લા ઉર્ફે નેતા છિદ્દાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે પરમાનંદ ગર્ગને ગાઝિયાબાદ સીટથી અને દીપક તિવારીને મિર્ઝાપુર જિલ્લાની મઝવાન સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પહેલા ભાજપે યુપી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ માત્ર ૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ પેટાચૂંટણીમાં ફુલપુરથી દીપક પટેલ, ગાઝિયાબાદથી સંજીવ શર્મા, કુંડાર્કીથી રામવીર સિંહ ઠાકુર, ખેરથી સુરેન્દ્ર દિલેર, કરહાલથી અનુજેશ યાદવ, કટેહરીથી ધરમરાજ નિષાદ અને મઝવાનથી સુચિસ્મિતા મૌર્યને ઉમેદવાર બનાવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/what-did-mayavati-say-on-the-issue-of-sub-classification-in-sc-st-reservation"> SC-ST અનામતમાં પેટા વર્ગીકરણ મુદ્દે માયાવતીએ શું કહ્યું?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 21:45:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1457</Articleid>
                    <excerpt>બહુજન સમાજ પાર્ટીએ કુલ 8 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671a7197ad2b7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a71977441d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a71977441d.jpg" length="72616" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Uttar Pradesh by-election, BSP, Mayavati</media:keywords>
                </item>
                        <item>
                    <title>વડોદરાના દુમાડની દલિત દીકરી ગુજરાતની સૌથી યુવા સરપંચ બની</title>
                    <link>https://khabarantar.com/dalit-daughter-of-dumad-of-vadadara-became-gujarats-youngest-sarpanch</link>
                    <guid>https://khabarantar.com/dalit-daughter-of-dumad-of-vadadara-became-gujarats-youngest-sarpanch</guid>
                    <description>
                        <![CDATA[ બે વર્ષ પહેલા કલ્પના ચૌહાણ માત્ર 22 વર્ષની ઉંમરે ગામની સરપંચ બની હતી. આ સાથે જ તે ગુજરાતની સૌથી યુવા સરપંચ બની ગઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરા પાસે આવેલા દુમાડ ગામની 24 વર્ષની કલ્પના ચૌહાણ સમગ્ર ગુજરાતમાં સૌથી યુવા સરપંચ બનીને છાકો પાડી દીધો છે. હાલ સોશિયલ વર્ક વિષયમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહેલી આ છાત્રા માત્ર ૨૨ વર્ષની ઉંમરે આ પદ ધારણ કરી ગુજરાતની સૌથી યુવા સરપંચ બની છે. સરપંચ બનતાની સાથે કલ્પનાએ ગામને સ્વચ્છ બનાવવાની સાથે પંચાયતની આવકમાં પણ વૃદ્ધિ કરાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરાની ભાગોળે આવેલા દુમાડ ગામના સૌથી યુવા સરપંચ કલ્પનાબેન ચૌહાણને જૂઓ તો માન્યામાં જ ના આવે કે આવો યુવાન ચહેરો એક આખા ગામનું નેતૃત્વ કરતો હશે, પણ આ હકીકત છે. ગામની આ દલીત દીકરી દુમાડના વિકાસ અને સ્વચ્છતા માટે તનતોડ મહેનત કરી રહી છે. ડિસેમ્બર – ૨૦૨૨ દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં એક હજાર જેટલા મતોથી વિજેતા બનેલી કલ્પનાએ ૧૭-૦૧-૨૦ના રોજ દુમાડ ગામના સરપંચનું પદ ગ્રહણ કર્યું. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૨ વર્ષ હતી. એ વખતે તે બીકોમનો અભ્યાસ પૂર્ણ કોલેજમાંથી સ્નાતક થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલેજથી સીધા ગ્રામ પંચાયતમાં કેવી રીતે આવવાનું થયું? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, “મારા પિતા કાંતિભાઇ ચૌહાણ પોતે ૨૫ વર્ષથી ગ્રામ પંચાયતના સભ્ય છે. તેમના પગલે મને પણ પંચાયતના કામોમાં રસ પડવા માંડ્યો અને હું ચૂંટણી લડી અને જીતી.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_671a50654f813.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરપંચ બન્યા પછી ગામમાં કરવામાં આવેલા વિકાસકામોની રૂપરેખા આપતા કલ્પના કહે છે, “અમે ગ્રામ પંચાયતની આવક વધારી છે. વ્યવસાય વેરાની આવક સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરી આવકનો સ્ત્રોત મજબૂત કરતા આજે ગ્રામ પંચાયતનું સ્વભંડોળ રૂ. ૭૫ લાખ જેટલું છે. આ ઉપરાંત આ કાર્યકાળમાં અમે રૂ. ૧૪થી ૧૫ કરોડના વિકાસના કામો કર્યા છે. જેમાં માર્ગો, ગામના તળાવનું બ્યુટીફિકેશન, આંગણવાડી, પ્રાથમિક શાળાનું નિર્માણ સહિતના કામોનો સમાવેશ થાય છે. અમે પંચાયત કચેરીને જનસેવાનું કેન્દ્ર બનાવ્યું છે. વિધવા સહાય માટે કેમ્પ રાખીને ૨૬૦થી વધુ વિધવા મહિલાઓને માસિક આર્થિક સહાય મેળવવામાં અને ૫૦થી વધુ પરિવારોને એનએફએસએ યોજના હેઠળ અનાજ અપાવવામાં મદદરૂપ થયા છીએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુમાડ ગામને સ્વચ્છ બનાવવા માટે તેમણે કમર કસી લીધી છે. ગામમાં ઘરેઘરે જઇને લોકોને સમજાવ્યા, શેરી બેઠકો કરી. તેનું પરિણામ મળ્યું. ગામ ચોખ્ખું ચણાક થયું. માત્ર જિલ્લા સ્તરે જ નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ દુમાડને માન મળ્યું. બીજી ઓક્ટોબરે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ અને પીએમની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્વચ્છ ભારત દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુજરાતમાંથી એક માત્ર કલ્પનાને આમંત્રણ મળ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુમાડ ગામમાં ઘરેઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે. તેનું સેગ્રિગેશન કરવામાં આવે છે. કચરે સે આઝાદી ફાઉન્ડેશનની મદદથી આ પ્લાસ્ટિકના કચરાને વિવિધ વસ્તુઓમાં પરિવર્તિક કરવામાં આવે છે. ગામના તળાવ ફરતે મૂકવામાં આવેલા બાંકડા પૈકી કેટલાક આ પ્લાસ્ટિકમાંથી બન્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુમાડ ગામમાં ૧૩૨૬ ઘરો છે. ગામની વસ્તી ૫૨૪૪ છે. જેમાંથી સ્ત્રીની સંખ્યા ૨૫૫૭ અને પુરુષની સંખ્યા ૨૬૮૭ છે.  ગામના તલાટી મંત્રી શ્રી મિતાબેન ચૌધરી અને ઉપસરપંચ ઉષાબેન પરમાર છે. ગામનું સુકાન મહિલાઓના હાથમાં છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોના સામુહિક પ્રયત્નોથી દુમાડ આદર્શ ગામ બન્યું છે અને તેનો શ્રેય દલિત સમાજની એક દીકરીને જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/For-the-first-time-in-the-history-of-Gujarat,-a-Sidi-girl-became-a-doctor-and-made-history">ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 19:22:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1454</Articleid>
                    <excerpt>બે વર્ષ પહેલા કલ્પના ચૌહાણ માત્ર 22 વર્ષની ઉંમરે ગામની સરપંચ બની હતી. આ સાથે જ તે ગુજરાતની સૌથી યુવા સરપંચ બની ગઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671a507334e51.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a5072efd2c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a5072efd2c.jpg" length="112774" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Youngest Sarpanch of Gujarat, Vadodara News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ફૂલે&amp;શાહુ&amp;આંબેડકરી વિચારધારાના વાહક દેવજી ભગતની વિદાય</title>
                    <link>https://khabarantar.com/farewell-of-devji-bhagat-carrier-of-phule-shahu-ambedkar-ideoligy</link>
                    <guid>https://khabarantar.com/farewell-of-devji-bhagat-carrier-of-phule-shahu-ambedkar-ideoligy</guid>
                    <description>
                        <![CDATA[ આજીવન ફૂલે-શાહુ, આંબેડકરી વિચારધારાના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત રહેલા ગોંડલના દેરડી કુંભાજી ગામના વતની દેવજી ભગતે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફુલે-શાહુ-આંબેડકરી વિચારધારા આજે પણ અડીખમ ઉભી છે તેની પાછળ નિઃસ્વાર્થભાવે, કોઈપણ પ્રકારની લાઈમલાઈટમાં આવ્યા વિના ચુપચાપ રીતે પાયાનું કામ કરતાં હજારો વિચારધારાના વાહકોની મહેનત રહેલી છે. તેવા જ એક વિચારધારાના વાહક હતાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીની ગામના દેવજી ભગત. જેમણે બે દિવસ પહેલા આપણી વચ્ચેથી વિદાય લીધી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોંડલ પંથક અને મિશનરી માણસો તેમને એકદમ સરસ, નિખાલસ અને પ્રેમાળ સ્વભાવના લીધે દેવજી ભગતના નામથી ઓળખે, પણ અમારા માટે દેવજીમામા, જે હવે આપણી વચ્ચે નથી રહ્યાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવજી ભગતે અમરેલી, જુનાગઢ અને ગોંડલની આસપાસના સોરઠી પંથકમાં પોતાના જીવનના 50 વર્ષો કરતાં પણ વધુ સમય સુધી પોતાના આગવા અંદાજમાં ફુલે-શાહુ, આંબેડકરી, બહુજન વિચારધારાનો પ્રચાર-પ્રસાર કર્યો. સંતોની ભાષામાં અને પોતાની આગવી વાણીમાં બુદ્ધથી લઈને માન્યવર કાંશીરામ સુધીના બહુજન નાયકોના વિચારો સમાજના છેવાડાના માનવીઓ સુધી પહોંચાડ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે પોતાના જીવનપર્યંત અંદાજીત 2,000 કરતાં પણ વધુ ફુલે-શાહુ, આંબેડકરી વિચારધારા ફેલાવનારા ડાયરા અને કાર્યક્રમો નિ:શુલ્ક અથવા સાવ નજીવી રકમે, બસમાં મુસાફરી કરીને કે 5-10 કિલોમીટર પગપાળા ચાલીને એકદમ સાદગીપુર્ણ રીતે 60 વર્ષની ઉંમરે પણ કરેલા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવજી બાપા ડાયરાઓ અને પ્રોગ્રામો સિવાય ફિલ્ડમાં પણ બુદ્ધ, કબીર સાહેબ અને રોહિદાસ બાપાના વિચારોને આધુનિક શૈલીમાં રજૂ કરી યુવાનો અને પછાતોમાં વૈજ્ઞાનિક અભિગમનો પ્રચાર કરતાં. સાથે જ માન્યવર કાંશીરામ સાહેબના રાજકીય વિચારોનું પણ બીજારોપણ કરતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફુલે-શાહુ, આંબેડકરી મિશનરી તો ખરા જ, પણ સમાજમાં અંધશ્રધ્ધા, કુરિવાજો, મહિલાઓના ઉદ્ધાર અને સમાજના આંતરીક કે પારીવારીક વિવાદોમાં પણ સમાજને જોડવા દિવસ રાત જોયા વિના કામ કર્યું હતું અને મદદરૂપ બન્યા હતાં. અનેક યુવાનોના માર્ગદર્શક અને ફુલે-શાહુ આંબેડકરી વિચારધારાના વાહક દેવજી ભગત છેલ્લા શ્વાસ સુધી મિશનનું કામ કરતાં રહ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈપણ માન-સન્માન, સ્ટેજ, પદ-હોદ્દા કે પૈસાની પણ લાલચ વિના કામ કરતાં ખરા અર્થના બહુજન યોદ્ધા એવા દેવજી ભગતની સમગ્ર બહુજન સમાજ અને ફુલે-શાહુ, આંબેડકરી મુવમેન્ટને સદા માટે ખોટ રહેશે. દેવજી ભગતને ક્રાંતિકારી જય ભીમ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(અહેવાલઃ ડૉ. ભાવિન પરમાર, રાજકોટ)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/author-journalist-rti-activist-dr-Swapnil-Mehta-no-more">લેખક, પત્રકાર, આરટીઆઈ એક્ટિવિસ્ટ ડૉ. સ્વપ્નિલ મહેતા ની વિદાય</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 14:19:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1453</Articleid>
                    <excerpt>આજીવન ફૂલે-શાહુ, આંબેડકરી વિચારધારાના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત રહેલા ગોંડલના દેરડી કુંભાજી ગામના વતની દેવજી ભગતે આપણી વચ્ચેથી વિદાય લીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671a09f5290c5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a09f4e6dc3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671a09f4e6dc3.jpg" length="85824" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Phule-Shahu-Ambedkari ideology</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતોને રીઝવવા RSS મથુરામાં બે દિવસ મંથન કરશે</title>
                    <link>https://khabarantar.com/rss-will-hold-a-two-day-manthan-in-mathura-to-indulge-dalits</link>
                    <guid>https://khabarantar.com/rss-will-hold-a-two-day-manthan-in-mathura-to-indulge-dalits</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભા ચૂંટણીમાં મળેલી પછડાટમાં દલિતોનો મોટો હાથ હોવાથી RSS હવે દલિતોને કેવી રીતે રીઝવવા તેના પર મથુરામાં બે દિવસ મંથન કરશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીમાં બંધારણ પર પડેલી તરાપ અને દલિતો, આદિવાસીઓના હકો પર ભાજપ દ્વારા મારવામાં આવેલી તરાપને લઈને દલિત સમાજે ભાજપના વિરોધમાં એકતરફી મતદાન કર્યું હતું. જેના કારણે અબ કી બાર 400 પારનો નારો આપનાર ભાજપ 250ની અંદર સમેટાઈ ગયું હતું. હરિયાણામાં પણ દલિત મતો ભાજપ તરફ ખસકે તેવી સ્થિતિ ઓછી જણાતી હોવાથી તેણે ઓબીસી મતો પર ફોકસ કર્યું હતું. હાલ એસસી એસટી પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયરનો મુદ્દો દેશભરમાં ચગેલો છે, હરિયાણાની નાયબ સૈની સરકારે પહેલી જ કેબિનેટ મીટિંગમાં દલિતો વિરોધી એસસી પેટા વર્ગીકરણ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. આ બધાં કારણોસર ભાજપની છાપ દલિતોમાં ભારે નકારાત્મક થઈ ચૂકી છે. એ સ્થિતિમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને આગામી દિવસોમાં બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં દલિત મતો ભાજપને સૌથી વધુ નડી શકે તેમ હોવાથી હવે ભાજપની નૈયા પાર લગાવવા માટે ફરી એકવાર RSS મેદાનમાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;">દલિતોને કેવી રીતે ભાજપ તરફ વાળવા તે અંગે મથુરામાં બે દિવસીય મંથન સત્ર યોજાનાર છે. RSSના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરના જણાવ્યા મુજબ સંઘની અખિલ ભારતીય એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક 25 અને 26 ઓક્ટોબરે મથુરામાં યોજાવા જઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપનું માતૃ સંગઠન આરએસએસ હિન્દુ સમાજમાં સમરસતા માટે એક મોટી પહેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. અત્યાર સુધી, આરએસએસ સમરસતા મંચ જેવા કાર્યક્રમો દ્વારા હિંદુ સમાજની તમામ જાતિઓ સુધી પહોંચવાના પ્રયાસો કરતું રહ્યું છે. પણ હવે જે રીતે દલિત સમાજના મતોનો પ્રભાવ દરેક ચૂંટણીઓમાં દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે તે જોતા તેણે મથુરામાં ખાસ દલિત સમાજના મતોને ભાજપ તરફ કેવી રીતે વાળીને રાખવા તે માટેનું બે દિવસનું મંથન સત્ર યોજવાનું નક્કી કર્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">RSSના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે માહિતી આપી છે કે, અખિલ ભારતીય એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક 25 અને 26 ઓક્ટોબરે મથુરામાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ, RSSના શતાબ્દી વર્ષની ઉજવણી, OTT પ્લેટફોર્મ માટે નિયમોની માંગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં RSSના 393થી વધુ નેતાઓ હાજર રહેશે. તેમાં પ્રાંતીય પ્રચારકો, પ્રાંતીય સંઘચાલકો અને પ્રાંતીય કાર્યકરો પણ સામેલ હશે. આરએસએસના સૂત્રોએ જણાવ્યું કે વિજયાદશમી પરના તેમના ભાષણમાં સરસંઘચાલક મોહન ભાગવતે બેઠકનો એજન્ડા નક્કી કર્યો હતો. હવે માત્ર કયું કાર્ય કેવી રીતે પૂરું કરવું જોઈએ તેના પર વિગતવાર વિચાર-વિમર્શ કરવાનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીટીંગનો એજન્ડા જણાવતા સુનીલ આંબેકરે કહ્યું કે, 'સમાજને કેવી રીતે એક સાથે રાખી શકાય તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમને ખોટી માહિતીની જાળમાં ફસાતા અટકાવવા જોઈએ. તેમણે બાળકો પર ઈન્ટરનેટ પ્લેટફોર્મ પર આવતી સામગ્રીની પ્રતિકૂળ અસરો વિશે પણ વાત કરી અને તેના નિયમનની જરૂરિયાત વ્યક્ત કરી. તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને સમાજમાં સમરસતા કેવી રીતે બનાવી શકાય તેના પર ચર્ચા થશે. અમે અત્યાર સુધી શું કર્યું છે અને ભવિષ્યમાં શું કરી શકીશું તેના પર મંથન કરીશું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરએસએસના નેતાએ કહ્યું કે અમે સ્વામી દયાનંદ સરસ્વતી, બિરસા મુંડા, અહલ્યાબાઈ હોલકર અને રાણી દુર્ગાવતીનો સંદેશ સમાજમાં કેવી રીતે પહોંચાડવો તે અંગે વિચારણા કરીશું. મોહન ભાગવતે પોતાના સંબોધનમાં આ તમામ વ્યક્તિત્વનો ઉલ્લેખ કર્યો હતો. આરએસએસને દલિતો સુધી લઈ જવા અંગે વિચાર-મંથન થશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મંથન ખાસ છે, કારણ કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આવતા મહિને જ ચૂંટણી યોજાવાની છે. આપને જણાવી દઈએ કે સામાન્ય ચૂંટણીમાં ભાજપને માત્ર 240 સીટો મળી હતી અને તેના માટે દલિતોના એક વર્ગની સરકી જવાને પણ કારણ માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખાસ વાત એ છે કે આ વર્ષે દશેરા દ્વારા આરએસએસ તેના 100માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. દેશભરમાં શતાબ્દી વર્ષ નિમિત્તે કેવા અને કેવા કાર્યક્રમો યોજવા જોઈએ. સંઘની આ મહત્વની બેઠકમાં આ અંગે પણ ચર્ચા થવા જઈ રહી છે. સંઘનું કહેવું છે કે ભવિષ્યમાં કેટલાક ફેરફારો પણ જોવા મળશે, જેની રૂપરેખા નક્કી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/the-dalits-of-the-country-have-clearly-recognized-the-manuvadi-face-of-the-bjp-rss">BJP-RSS ના 'મનુવાદી' ચહેરાને આ દેશના દલિતો, આદિવાસીઓ સ્પષ્ટ રીતે પારખી ગયા છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 13:34:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1452</Articleid>
                    <excerpt>લોકસભા ચૂંટણીમાં મળેલી પછડાટમાં દલિતોનો મોટો હાથ હોવાથી RSS હવે દલિતોને કેવી રીતે રીઝવવા તેના પર મથુરામાં બે દિવસ મંથન કરશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6719fe8000d27.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6719fe7fc45fa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6719fe7fc45fa.jpg" length="53070" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, RSS, Mathura Metting, Mohan Bhagwat</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખ્રિસ્તી બનનાર 35 દલિતોને યજ્ઞ શુદ્ધિકરણ કરી ફરી હિંદુ બનાવાયા</title>
                    <link>https://khabarantar.com/35-dalits-who-became-christians-were-purified-by-yagna-and-made-hindu-again</link>
                    <guid>https://khabarantar.com/35-dalits-who-became-christians-were-purified-by-yagna-and-made-hindu-again</guid>
                    <description>
                        <![CDATA[ 35 દલિતોએ આભડછેટ-જાતિવાદથી ગ્રસ્ત હિંદુ ધર્મ છોડી દીધો હતો, પણ બજરંગ દળ, VHP દબાણ કરી તેમને પરત લઈ આવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ ધર્મ અને કથિત હિંદુ સંગઠનો દલિતો સાથે દાખવવામાં આવતા જાતિવાદ, વર્ણ વ્યવસ્થા અને અસ્પૃશ્યતા જેવા ભેદભાવોને દૂર કરવામાં તસુભાર પણ રસ નથી લેતા, પરંતુ આ જ ભેદભાવોથી કંટાળીને જ્યારે કોઈ દલિત બૌદ્ધ કે અન્ય કોઈ ધર્મ અંગીકાર કરી લે છે ત્યારે તેઓ ધર્મ બચાવોની કાગારોળ મચાવી, દાદાગીરી પર ઉતરી આવી હિંદુ ધર્મ છોડી ચૂકેલા દલિતોને ધાકધમકી આપી, દબાણ કરીને પરત લાવવા મચી પડે છે. આવા અનેક ઉદાહરણો આપણે જોયા છે અને તેમાં વધુ એક ઉમેરો થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બુદ્ધની ધરતી બિહાર (Bihar) માં બની છે. અહીં નવાડા (Nawada) જિલ્લામાં હિંદુ ધર્મમાં પાળવામાં આવતી અસ્પૃશ્યતા, જાતિવાદ અને વર્ણ વ્યવસ્થાથી કંટાળીને 15 જેટલા મહાદલિત પરિવારોના 30-35 લોકોએ સ્વેચ્છાએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો. જો કે, કેટલાક હિંદુ સંગઠનોએ તેમને ખ્રિસ્તી ધર્મ છોડી ફરી હિંદુ બનવા દબાણ કર્યું હતું. જેના કારણે આ દલિત પરિવારો ફરી હિંદુ બન્યા હોવાનું જાણવા મળે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિંદુ સંગઠનો શું કહે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">હિંદુત્વવાદી સંગઠનોનું કહેવું છે કે, નવાદા જિલ્લાના અનેક વિસ્તારોમાં વર્ષોથી ધર્મ પરિવર્તનની રમત રમાઈ રહી છે. અહીં ઘણા લોકો હિન્દુમાંથી ખ્રિસ્તી બન્યા છે. આ દલિત પરિવારોને રોગો મટાડવા, દુ:ખ દૂર કરવા, દેવામાંથી મુક્તિ થવા જેવી સમસ્યાઓના સમાધાનની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવાયું હતું. પણ અમે તેમને પરત લઈ આવ્યા છીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">દલિત પરિવારોનું કથિત શુદ્ધિકરણ કરાયું</span></strong><br><span style="font-size: 14pt;">હિંદુ સંગઠનો દ્વારા આ તમામ દલિત પરિવારોની બાદમાં શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હતી અને વૈદિક હવન યજ્ઞ કરીને તેમને ફરી હિંદુ બનાવાયા હતા. બિહારના અલગ-અલગ વિસ્તારોમાં ઘણા દલિત પરિવારો જાતિવાદ, અસ્પૃશ્યતા, વર્ણ વ્યવસ્થા જેવી હિંદુ ધર્મની બદ્દીઓથી કંટાળીને બૌદ્ધ કે ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યાં છે. ત્યારે આ ઘટનાને લઈને ધર્મ પરિવર્તન કરવા માંગતા દલિતોમાં એક આંતરિક ભય પેદા થયો છે. તેમને લાગે છે કે, જો તેઓ હિંદુ ધર્મ છોડી દેશે તો પણ આ સંગઠનો તેમનો પીછો નહીં છોડે. માટે હિંદુ ધર્મ છોડવા માંગતા અનેક દલિતો હાલ શાંત થઈ ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવાદા જિલ્લાના રોહ તાલુકાના સિંઘણા ગામમાં પણ દલિતો સાથે કંઈક આવું જ થઈ રહ્યું હતું. જેના કારણે 15 જેટલા દલિત પરિવારોના 30-35 લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને ખ્રિસ્તી થવાનું પસંદ કર્યું હતું તેમણે પરત હિંદુ બનવું પડ્યું છે. હિંદુત્વવાદી સંગઠનો તેમને પરત લાવી રહ્યાં છે. તેના માટે તમામ પ્રકારના રસ્તાઓ અપનાવાઈ રહ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સંઘણા ગામના મહાદલિત પરિવારોને હિંદુત્વવાદી સંગઠનોએ હિંદુ ધર્મમાં પરત ફરવા દબાણ કર્યું હતું અને તે કામ કરી ગયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પરિવારોમાંથી કેટલાક લોકો હિંદુ ધર્મમાં પરત ફર્યા હતા. એ પછી ગામના શિવ મંદિરમાં હવન અને યજ્ઞ કરીને તેમનું કથિત શુદ્ધિકરણ કરાયું હતું. કથિત શુદ્ધિકરણના આ કાર્યક્રમમાં બજરંગ દળ, વીએચપી, વેદ પ્રચારક દળ અને અન્ય હિન્દુ સંગઠનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેદ પ્રચાર મંડળના અધ્યક્ષ દેવેન્દ્ર શાસ્ત્રીએ આ મામલે દલિત પરિવારો પર હિંદુ ધર્મમાં પરત ફરવા દબાણ કર્યું હતું અને તે કામ કરી ગયું છે. એ પછી મીડિયાને બોલાવાયું હતું અને દેવેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં જ આ પરિવારોને નિવેદન આપવા કહેવાયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં એ પછી દલિત પરિવારોએ જણાવ્યું કે તેમને લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે સમજાવવામાં આવ્યા હતા. અમને કહેવામાં આવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મનું પાલન કરવાથી તમને ઘણો ફાયદો થશે. તમારા જીવનમાંથી તમામ રોગ-કષ્ટો દૂર થઈ જશે. વિધિ કરીને તમામ બિમારીઓ મટાડી દેવાશે. એ પછી અમે ખ્રિસ્તી ધર્મ અંગિકાર કર્યો હતો. પરંતુ જ્યારે અમને ખબર પડી કે અમારી સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે અમે હિંદુ ધર્મમાં પરત ફરવાનું નક્કી કર્યું હતું. અમે હિંદુ હતા અને હિંદુ તરીકે જ જીવન જીવીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Buddhist-marriage-trend-in-Scheduled-Caste-society,-first-Buddhist-marriage-ceremony-held-in-Kadi">દલિત યુવાનોમાં બૌદ્ધ વિધિથી લગ્ન કરવાનો નવો ટ્રેન્ડ, કડીમાં પ્રથમ બૌદ્ધ લગ્ન યોજાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 24 Oct 2024 11:49:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1451</Articleid>
                    <excerpt>35 દલિતોએ આભડછેટ-જાતિવાદથી ગ્રસ્ત હિંદુ ધર્મ છોડી દીધો હતો, પણ બજરંગ દળ, VHP દબાણ કરી તેમને પરત લઈ આવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6719e6c3e7316.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6719e6c3afd54.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6719e6c3afd54.jpg" length="74788" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Nawada Bihar, Conversion to Christianity</media:keywords>
                </item>
                        <item>
                    <title>એક દલિત ડોક્ટર ચાર વર્ષથી ભાડે મકાન મેળવવા રઝળી રહ્યાં છે</title>
                    <link>https://khabarantar.com/a-dalit-doctor-has-been-struggling-to-get-a-house-on-rent-for-four-years-in-visakhapatnam-andhra-pradesh</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-doctor-has-been-struggling-to-get-a-house-on-rent-for-four-years-in-visakhapatnam-andhra-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ ડોક્ટરે લખ્યું, &quot;મોટાભાગના મકાનમાલિકો પહેલા મને મારી જાતિ પૂછે છે, હું તેમને દલિત છું એવું કહું એટલે તરત તેઓ ઘર આપવાની ના પાડી દે છે. આવું ચાર વર્ષથી ચાલે છે.&quot; ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત એક જાતિપ્રધાન દેશ છે અને અહીં બધું તમારી જાતિના આધારે નક્કી થાય છે. જાતિગત ભેદભાવને કારણે પરિસ્થિતિ એવી પેદા થઈ ગઈ છે કે, જેમના ઘરનું પાણી પીવામાં પણ ઉબકા આવે એવા લોકો ચોક્કસ જાતિમાં જનમ્યા હોવાનો ગર્વ લઈને તેનાથી ક્યાંય સ્વચ્છ, શિક્ષિત અને પ્રતિષ્ઠિત વ્યક્તિને પણ તેની કથિત નિમ્ન જાતિના કારણે ઉતારી પાડતા શરમાતા નથી. મનુવાદની આ દેને ભારત દેશની ઘોર ખોદવામાં કોઈ કસર બાકી નથી રાખી. એનું જ કારણ છે કે, ગુજરાતના ગિફ્ટ સિટીમાં જેપી મોર્ગન જેવી મલ્ટિનેશનલ કંપનીના ઉચ્ચ અધિકારીપદે રહેલા એક દલિત વ્યક્તિને તેની જાતિના કારણે ગાંધીનગર (Gandhinagar) ગિફ્ટ સિટી (Gift City) માં કોઈએ ઘર નહોતું આપ્યું. અનેક પ્રતિષ્ઠિત દલિત લેખકો, ઉચ્ચ સરકારી અફસરો સાથે પણ પાટનગરમાં આવું બની ચૂક્યું છે. હવે આ જ ક્રમમાં એક ડોક્ટર સાથે જાતિગત ભેદભાવ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્ઞાતિ ભેદભાવ હવે ઘટી રહ્યો છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આવું નથી, પરંતુ તાજેતરમાં વિશાખાપટ્ટનમના એક ડૉક્ટર દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ સ્પષ્ટ કરે છે કે સારું શિક્ષણ અને વ્યાવસાયિક સ્થિતિ હોવા છતાં લોકો જાતિ આધારિત ભેદભાવનો સામનો કરી રહ્યા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/kanpur-posting-the-status-of-jai-bheem-dalit-student-beaten-up-force-to-chant-jai-shri-ram">'જય ભીમ'નું સ્ટેટસ મૂકનાર વિદ્યાર્થીને માર મારી 'જય શ્રી રામ' બોલાવડાવ્યું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Reddit પ્લેટફોર્મ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં, ડૉક્ટરે (Doctor) તેમનો આવો જ એક કડવો અનુભવ શેર કર્યો છે. દલિત સમાજ (Dalit Community) માંથી આવતા એ ડોક્ટર લખે છે કે તેઓ આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં અરિલાવા હેલ્થ સિટી (Arilava Health City) પાસે ભાડા પર ઘર (house on rent) શોધી રહ્યાં છે. એના માટે તેઓ અનેક મકાનમાલિકો (Landlord) ને મળ્યાં છે અને ઘણા મકાનમાલિકોએ પહેલા તેમને તેની જાતિ વિશે પૂછ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડોક્ટર આગળ લખે છે, "જ્યારે હું તેમને કહું છું કે, હું અનુસૂચિત જાતિ (Scheduled Caste (SC)માંથી છું, ત્યારે તેમણે મને ઘર આપવાનો ઇનકાર કર્યો છે. કોઈ વાંધો નહીં, હું હવે આનાથી ટેવાઈ ગયો છું અને ખુશ છું કે તેમણે તરત જ ના પાડી દીધી અને મારો ઓછામાં ઓછો સમય બગાડ્યો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આધારકાર્ડમાં જાતિ જોઈ અને ઘર આપવાની ના પાડી દીધી</span></strong><br><span style="font-size: 14pt;">આ ડોક્ટર હમણાંની એક ઘટનાને યાદ કરતા ભારે નિરાશા વ્યક્ત કરે છે. તેઓ લખે છે, "થોડા દિવસ પહેલાની એક ઘટનાએ મને ભારે નિરાશ કરી દીધો છે. જ્યારે બે દિવસની વાટાઘાટો અને મૌખિક કરાર પછી મકાનમાલિકે જ્યારે ભાડાકરાર કરી શકાય તે માટે મારું આધાર કાર્ડ માંગ્યું. તેણે મારી અટક જોતાની સાથે જ મારી જાતિ વિશે પૂછ્યું અને પછી તરત મકાન આપવાની ના પાડી દીધી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉક્ટરે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું, "તેણે પણ અંતે ના પાડી દીધી... સમય અને પૈસા બંને વેડફાયા. તેણે એ પણ જણાવ્યું કે, તેણે ફર્નિચર અને પૂજા સ્થળનો ઓર્ડર આપી દીધો હતો, જે હવે રદ કરવો પડ્યો છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ચાર વર્ષમાં જાતિવાદ ઘટવાને બદલે વધ્યો</span></strong><br><span style="font-size: 14pt;">ડૉક્ટરે એ પણ કહ્યું કે, ચાર વર્ષ પહેલાં જ્યારે તેઓ છેલ્લીવાર ભાડાનું મકાન શોધી રહ્યા હતા, ત્યારની સરખામણીમાં હવે જાતિ આધારિત ભેદભાવ વધી ગયો છે. ડોક્ટર આગળ લખે છે, "રસપ્રદ વાત એ છે કે હવે જાતિના આધારે મકાન આપવાની ના પાડનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. જે દર્શાવે છે કે કથિત નિમ્ન જાતિના લોકો શહેરી વિસ્તારોમાં પણ હજુ જાતિગત ભેદભાવના પડકારોનો સામનો કરી રહ્યા છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વારંવાર આ રીતે ભાડેથી મકાન માટે ના સાંભળ્યા પછી ડૉક્ટરે નૈતિક મૂંઝવણ પણ શેર કરી. તેમની પત્ની ઉચ્ચ જાતિની છે, તે વિચારી રહ્યા હતા કે તેમણે પોતાની પત્નીની જાતિ જણાવીને પોતાની જાતિ છુપાવી લેવી જોઈએ જેથી તેને ભાડા પર મકાન મળી શકે. જો કે તેમનું અંતરમન તેના માટે તૈયાર નહોતું થતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-student-died-in-a-group-clash-at-a-school-in-muzaffarpur-bihar">શાળા બની સમરાંગણઃ દલિત વિદ્યાર્થીને માથામાં વાંસડો ફટકારી દેતા મોત</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉક્ટરે તેમની પોસ્ટમાં એ પણ સ્પષ્ટ કર્યું કે તમામ મકાનમાલિકોએ તેમને જાતિના આધારે ઘર આપવાની ના નહોતી પાડી. કેટલાક મકાનો તેમના બજેટની બહાર હતા. તેઓ આગળ લખે છે, "મેં મદિલાપાલેમથી યેનાડાડા અને વિશાલાક્ષી નગર સુધી ઘર શોધ્યું, પરંતુ 99% ઘરો મારા બજેટની બહાર છે. મારું બજેટ 2BHK માટે ₹10,000 અને 3BHK માટે ₹15,000 છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમ છતાં જાતિના કારણે ઘર આપવાનો ઈનકાર કરી દેવો તેમના માટે મુખ્ય અવરોધ બની રહ્યો. ડૉક્ટરે અરિલાવા હેલ્થ સિટી પાસે પરવડે તેવા હાઉસિંગ વિકલ્પો વિશે સલાહ માંગી અને કટાક્ષમાં લખ્યું કે શું તેણે તેની પત્નીની જાતિ છુપાવવી જોઈએ કે જેથી તેને ઘર મળી શકે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">શહેરોમાંથી જાતિગત ભેદભાવ વધ્યાં</span></strong><br><span style="font-size: 14pt;">જો કે, તેમણે એ અંગે ચિંતા વ્યક્ત કરી કે, જો મકાનમાલિકને પાછળથી મારી જાતિ વિશે જાણવા મળે તો આનાથી કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. તેમણે લખ્યું, "શું તેનાથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ઉભી થશે જો મકાનમાલિકને ખબર પડે કે તેમના ઘરમાં, તેમની જાણબહાર એક અનુસૂચિત જાતિની વ્યક્તિ રહે છે? "</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડોક્ટર જેવા પ્રતિષ્ઠિત ફિલ્ડમાં રહેલી વ્યક્તિનો આ અનુભવ દર્શાવે છે કે મોટા શહેરોમાં જ્ઞાતિ ભેદભાવ હજુ પણ અસ્તિત્વમાં છે. જો કે સવર્ણો જ એ સ્વીકારવા તૈયાર નથી કે હવે જાતિભેદભાવ જેવું કશું અસ્તિત્વ ધરાવે છે. આ તેમની સત્યને અવગણવાની ચાલાકી છે. એક ડોક્ટરનું તેમની લાયકાતના આધારે મૂલ્યાંકન કરવાને બદલે તેની જાતિના આધારે મૂલ્યાંકન ભારત જેવા જાતિપ્રધાન દેશમાં જ શક્ય છે. આ ઘટના એ લોકોના મોં પર સણસણતો તમાચો છે, જેઓ એ સ્વીકારવા તૈયાર નથી કે શહેરોમાં જાતિભેદભાવ આજેય અસ્તિત્વ ધરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/J.P.-Morgans-Vice-President-Scolds-Racism,-Denies-Racists-Buying-Flats-in-Gift-City">જે.પી. મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટને જાતિવાદીઓએ ગિફ્ટ સિટીમાં ઘર ન ખરીદવા દીધું?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 23 Oct 2024 10:37:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1445</Articleid>
                    <excerpt>ડોક્ટરે લખ્યું, &quot;મોટાભાગના મકાનમાલિકો પહેલા મને મારી જાતિ પૂછે છે, હું તેમને દલિત છું એવું કહું એટલે તરત તેઓ ઘર આપવાની ના પાડી દે છે. આવું ચાર વર્ષથી ચાલે છે.&quot;</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67188493f3597.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67188493c2b8d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67188493c2b8d.jpg" length="35532" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit doctor, struggling, get a house, on rent, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;જય ભીમ&amp;apos; નું સ્ટેટસ મૂકતા દલિત વિદ્યાર્થીને મારી &amp;apos;જય શ્રી રામ&amp;apos; બોલાવડાવ્યું</title>
                    <link>https://khabarantar.com/kanpur-posting-the-status-of-jai-bheem-dalit-student-beaten-up-force-to-chant-jai-shri-ram</link>
                    <guid>https://khabarantar.com/kanpur-posting-the-status-of-jai-bheem-dalit-student-beaten-up-force-to-chant-jai-shri-ram</guid>
                    <description>
                        <![CDATA[ વિદ્યાર્થી બૌદ્ધ ધર્મ પાળે છે અને ડો. આંબેડકરની વિચારધારાથી પ્રભાવિત હોવાથી હિંદુત્વવાદી વિદ્યાર્થીઓને ગમતું નહોતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit Student Beaten up force to chant jai shri ram : જાતિવાદી તત્વોને ક્યારે કઈ બાબતોનું માઠું લાગી જશે તે કલ્પી શકાય તેમ નથી. દલિતો સારા કપડાં પહેરે, ખુદના પૈસે મોજશોખ કરે, બાઈક ખરીદીને ચલાવે, લગ્નમાં ખર્ચ કરે, ડીજે સાથે જાન જોડે, મૂછો રાખે કે સોશિયલ મીડિયામાં તેમની વિચારધારાને અનુરૂપ કોઈ સ્ટેટસ કે પોસ્ટ મૂકે - આ તમામ બાબતો પર જાતિવાદી તત્વો દ્વારા અગાઉ અને હાલ વાંધા ઉઠાવવામાં આવતા રહ્યાં છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમાં એક દલિત વિદ્યાર્થીને જાતિવાદી તત્વોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડો. આંબેડકરનું સ્ટેટસ મૂકવા બદલ માર માર્યો હતો અને તેની પાસે બળજબરીથી જયશ્રી રામના નારા લગાવડાવ્યા હતા. આ સમગ્ર મામલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.</span><br><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશ (UP) ની છે. અહીં કાનપુર (Kanpur) માં સેન પશ્ચિમ પરા (Sen West para Police Station) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ (FIR) મુજબ ડૉ. આંબેડકર (Dr. Ambedkar)નું વ્હોટ્સએપ સ્ટેટસ (Status) મૂકવા બદલ એક દલિત વિદ્યાર્થી (Dalit Student)ને માર (Beaten) મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેને 'જય શ્રી રામ'ના નારા લગાવવા માટે બળજબરી (force to Chant Jai shri ram) કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયો હતો. દલિત વિદ્યાર્થી અને તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના શુક્રવારે ઘટી હતી. અહીં સેન વેસ્ટ પરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો હતો. આરોપ છે કે ઇન્ટર કોલેજની બહાર કેટલાક વિદ્યાર્થીઓએ તેના પર હુમલો કર્યો અને બળજબરીથી 'જય શ્રી રામ'ના નારા લગાવડાવ્યા. આ ઘટના ત્યારે બની જ્યારે પીડિત વિદ્યાર્થીએ તેના વોટ્સએપ સ્ટેટસ પર ડો. ભીમરાવ </span><span style="font-size: 14pt;">આંબેડકરનું સ્ટેટસ મૂક્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત વિદ્યાર્થીનું કહેવું છે કે તે અને તેનો પરિવાર બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે અને તે અવારનવાર બાબા સાહેબ આંબેડકરના વિચારો અને પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરે છે. શુક્રવારે શાળા સમાપ્ત થયા પછી, ઈન્ટરમીડિએટ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના એક જૂથે તેને રોક્યો અને 'જય શ્રી રામ' ના નારા લગાવવા દબાણ કર્યું. જ્યારે તેણે ના પાડી તો તેને જાતિ આધારિત અપશબ્દો કહીને માર મારવામાં આવ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">દલિત વિદ્યાર્થીને માર્યા બાદ 'જય શ્રી રામ'ના નારા લાગ્યા</span></strong><br><span style="font-size: 14pt;">વાત આટલેથી અટકતી નથી. આરોપીએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. એ પછી દલિત વિદ્યાર્થી રવિવારે તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે, આરોપી વિદ્યાર્થીઓનું કહેવું છે કે દલિત વિદ્યાર્થી ઘણીવાર સનાતન ધર્મ વિરુદ્ધ પોસ્ટ કરતો હતો, જેની સામે તેમને વાંધો હતો. જોકે, તેમણે મારપીટની કર્યાનો ઈનકાર કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સંગઠનો બચાવમાં આવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને દલિત સંગઠનોએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. દલિત સંગઠનના પ્રમુખ ધનીરામ પેન્થરે કહ્યું કે આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ, નહીં તો તેઓ જનઆંદોલન કરશે. જોઈન્ટ કમિશનર હરિશ્ચંદ્રએ કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને દલિત વિદ્યાર્થીની મેડિકલ તપાસ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે તમામ આરોપીઓ સગીર છે અને મેડિકલ રિપોર્ટમાં હુમલાની પુષ્ટિ થઈ નથી, તેમ છતાં મામલાની તપાસ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : <a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-up-for-saying-jai-bhim-namo-buddhay-on-the-phone">ફોન પર જય ભીમ, નમો બુદ્ધાય બોલવા પર દલિત યુવકને માર માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 22 Oct 2024 10:20:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1440</Articleid>
                    <excerpt>વિદ્યાર્થી બૌદ્ધ ધર્મ પાળે છે અને ડો. આંબેડકરની વિચારધારાથી પ્રભાવિત હોવાથી હિંદુત્વવાદી વિદ્યાર્થીઓને ગમતું નહોતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67172ee1337fa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67172ee0ed7e1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67172ee0ed7e1.jpg" length="50328" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kanpur News, Dalit student beaten up, force chant jai shri ram</media:keywords>
                </item>
                        <item>
                    <title>એ છ દિવસ સુધી તડપતી રહી, અંતે દમ તોડી દીધો...</title>
                    <link>https://khabarantar.com/the-son-of-the-rape-accused-set-the-dalit-girl-on-fire-by-sprinkling-petrol-in-Khandwa</link>
                    <guid>https://khabarantar.com/the-son-of-the-rape-accused-set-the-dalit-girl-on-fire-by-sprinkling-petrol-in-Khandwa</guid>
                    <description>
                        <![CDATA[ Khandwa Crime : આધેડે દલિત યુવતીની છેડતી કરતા યુવતીની ફરિયાદના આધારે તેને જેલમાં પુરી દીધો. જેનો બદલો લેવા તેના છોકરાએ યુવતી પર પેટ્રોલ રેડીને જીવતી સળગાવી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Khandawa Crime Inside Story : આ દેશના કાયદાઓએ દલિત અત્યાચારો મુદ્દે એ હદે ઢીલ દાખવી દીધી છે કે, આરોપીઓને દલિતો પર કોઈ પણ હદનો અત્યાચાર કરવામાં કાયદો વ્યવસ્થા કે ન્યાયતંત્રની જરાય બીક નથી રહી. આવું એટલા માટે લાગે કેમ કે દરરોજ દેશના કોઈને કોઈ ભાગમાં દલિતો પર આવા અરેરાટી વ્યાપી જાય એવા અત્યાચારો થાય છે અને છતાં પોલીસ તેમાં આરોપી તરફે કૂણી લાગણી ધરાવતી હોવાથી તેઓ છૂટી જાય છે. જેના કારણે જાતિવાદી તત્વોની હિંમત વધી જાય છે અને તેઓ ફરી દલિતો, આદિવાસીઓ પર અત્યાચાર કરવા પ્રેરાય છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે. આરોપી યુવકના પિતાએ એક દલિત યુવતીની છેડતી કરી હતી, જેને લઈને યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી પોલીસ આધેડને પકડી ગઈ. પિતાની ધરપકડનો બદલો લેવા માટે થઈને તેના લુખ્ખા છોકરાએ યુવતી પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી. યુવતી છ દિવસ સુધી હોસ્પિટલમાં બળબળતા શરીરે તડપતી રહી અને અંતે મોતને ભેટી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. 7 ઓક્ટોબરના રોજ એક આધેડે દલિત યુવતીની છેડતી કરી હતી. જેને લઈને યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી આધેડની ધરપકડ કરી હતી. જેનો બદલો લેવા માટે થઈને આધેડના લુખ્ખા છોકરાએ 12 ઓક્ટોબરના રોજ યુવતી પર પેટ્રોલ રેડીને તેને સળગાવી દીધી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને ઈન્દોરની MY હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. છ દિવસ પછી છોકરીનું અવસાન થઈ ગયું છે. પોલીસે આરોપી યુવક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ ઉપરાંત તેના પરિવારના સભ્યો સામે પણ વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હવે આરોપી યુવક પર વધુ કલમો લગાવવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">ખંડવા જિલ્લા મુખ્યાલયને અડીને આવેલા ગામમાં 7 ઓક્ટોબરે એક દલિત યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી માંગીલાલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. એ પછી આરોપી માંગીલાલના છોકરા અર્જુને પીડિતાને તેના પિતા પરના આરોપોનો બદલો લેવાની ધમકી આપી હતી. આરોપી અને તેના પરિવારજનોએ પીડિતાના પરિવાર સાથે મારામારી પણ કરી હતી, જેના કારણે યુવતી તણાવમાં હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">12 ઓક્ટોબરના રોજ ઘટના ઘટી</span></strong></span><br><span style="font-size: 14pt;">દશેરાના દિવસે 12 ઓક્ટોબરના રોજ આરોપી અર્જુને યુવતી પર પેટ્રોલ રેડીને તેને આગ ચાંપી દીધી હતી. યુવતીના પિતાએ તરત જ આગ બુઝાવી દીધી અને પુત્રીને ખંડવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી. પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે છેડતીના આરોપી માંગીલાલના છોકરાએ તેના પર પેટ્રોલ રેડીને તેને આગ લગાવી દીધી હતી. ત્યારબાદ પોલીસે આરોપી અર્જુનની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પુત્રીના મોતથી પરિવાર આઘાતમાં છે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને વધુ સારી સારવાર માટે ઈન્દોરની MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ગુરુવારે મોડી રાત્રે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. એ પછી પરિવારના સભ્યો આઘાતમાં છે અને રડી રડીને તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. શુક્રવારે યુવતીના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ખંડવા લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આરોપી અર્જુન સામે નોંધાયેલા કેસમાં પોલીસ વધુ કલમો ઉમેરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ખંડવા પોલીસ બેદરકારી દાખવી રહી છે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના પછી પણ ખંડવા જિલ્લાની મોઘટ પોલીસ સ્ટેશન છેડતીના મામલાને ગંભીરતાથી લઈ રહી નથી. મોઘટ પોલીસ સ્ટેશન એરિયામાં અગાઉ 14 ઓક્ટોબરે એક છોકરીની છેડતી કરવામાં આવી હતી અને તેના માથા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી, એ પછી પોલીસે ચાર દિવસ બાદ એટલે કે 17 ઓક્ટોબરની સાંજે કેસ નોંધ્યો હતો. આ અંગે પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે આરોપી સગીર છે અને પોલીસ સમાધાનથી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ અમે આ માટે તૈયાર નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સરકારને ઘેરી</span></strong></span><br><span style="font-size: 14pt;">યુવતીના મોત બાદ રાજ્યના પૂર્વ સીએમ કમલનાથે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેણે સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, "ખંડવામાં 12 ઓક્ટોબરે પેટ્રોલ રેડીને સળગાવવામાં આવેલી યુવતીનું મોત થઈ ગયું છે. હું યુવતીના અવસાન પર મારી ઉઁડી સંવેદનાઓ વ્યક્ત કરું છું. ખંડવાની દીકરીના મોતથી ફરી એક વાર સાબિત થઈ ગયું છે કે મધ્યપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. દીકરીઓ દરેક જગ્યાએ અસુરક્ષિત છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : <a href="https://khabarantar.com/i-am-illiterate-but-what-happened-to-my-son-should-happen-to-a-murderer">હું તો અભણ છું, પણ મારા દીકરા સાથે જે થયું તે હત્યારા સાથે થવું જોઈએ...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 21 Oct 2024 21:23:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1438</Articleid>
                    <excerpt>Khandwa Crime : આધેડે દલિત યુવતીની છેડતી કરતા યુવતીની ફરિયાદના આધારે તેને જેલમાં પુરી દીધો. જેનો બદલો લેવા તેના છોકરાએ યુવતી પર પેટ્રોલ રેડીને જીવતી સળગાવી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671678e6160a4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671678e5d74c5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671678e5d74c5.jpg" length="43587" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Khandwa Crime, Inside Story</media:keywords>
                </item>
                        <item>
                    <title>શાળા બની સમરાંગણ : દલિત વિદ્યાર્થીને માથામાં વાંસડો ફટકારી દેતા મોત</title>
                    <link>https://khabarantar.com/a-dalit-student-died-in-a-group-clash-at-a-school-in-muzaffarpur-bihar</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-student-died-in-a-group-clash-at-a-school-in-muzaffarpur-bihar</guid>
                    <description>
                        <![CDATA[ ધોરણ 10 ના વિદ્યાર્થીઓના એક ગ્રુપે દલિત વિદ્યાર્થી પર વાંસડાથી હુમલો કરતા બ્રેઈન હેમરેજ થયું અને ગરીબ દલિત પરિવારનો દીકરો મોતને ભેટ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit Student Death In School Clash: બિહાર (Bihar) ના મુઝફ્ફરપુર (Muzaffarpur) માં એક શાળામાં બે વિદ્યાર્થી જૂથો (Students groups) વચ્ચે મારામારી (Fight) થતા એક દલિત વિદ્યાર્થી (Dalit Student)નું મોત (Death) થઈ ગયું છે. વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. મૃતક વિદ્યાર્થી સૌરભ કુમાર કુઢણી (Saurabh Kumar Kundhni) અહીંની તુર્કી સરકારી હાઈસ્કૂલ (Turky Govt. High School) માં ભણતો હતો અને શાળાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થતા તે મારામારીમાં પરિણમી હતી અને તેમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ક્લાસરૂમ યુદ્ધ મેદાન બની ગયો</span></strong></span><br><span style="font-size: 14pt;">વર્ગખંડમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે જૂની અદાવતના કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી. 10માં ધોરણના એક વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીઓએ મળીને સૌરભને એટલો માર માર્યો હતો કે તે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. દરમિયાન શનિવારે તેનું બ્રેઈન હેમરેજના કારણે મોત થયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મારામારીનો વીડિયો વાયરલ</span></strong></span><br><span style="font-size: 14pt;">ક્લાસરૂમમાં થયેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દલિત વિદ્યાર્થીને માર માર્યા બાદ હુમલાખોર છોકરાઓ ત્યાંથી ભાગી ગયા હતા. શિક્ષકોએ આ ઘટના અંગે ઘાયલ વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચીને વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વાંસના દંડાથી માર માર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ક્લાસરૂમમાં બનેલી આ સમગ્ર ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓનું એક જૂથ વર્ગખંડમાં સૌરભને માર મારી રહ્યું છે. તેને માર મારવામાં ઘણાં વિદ્યાર્થીઓ સામેલ હતા અને તેઓ વાંસડાથી તેને નિર્દયતાથી ફટકારી રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પરિવારજનોનો આક્રંદ</span></strong></span><br><span style="font-size: 14pt;">સૌરભના આ રીતે અચાનક મોત બાદ તેના પરિવારજનોની હાલત ખરાબ છે અને તેઓ આક્રંદ કરી રહ્યા છે. માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. ગ્રામીણ એસપી વિદ્યા સાગરે જણાવ્યું કે ક્લાસ રૂમમાં કોઈ મુદ્દે વિવાદ થયો હતો. સૌરભ અને તેના મિત્રોની ઓમ પ્રકાશ અને પ્રહલાદ નામના બે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના અન્ય ગ્રુપ સાથે મારામારી થઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક વિદ્યાર્થિની ધરપકડ</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસે વધુમાં જણાવ્યું હતું કે અન્ય જૂથના યુવકે સૌરભને માથા પર વાંસનો દંડો ફટકાર્યો હતો. ઓમ પ્રકાશ અને પ્રહલાદ કુમારે સૌરભને માર માર્યો હતો. હાલ ઓમ પ્રકાશની ધરપકડ કરાઈ છે. બંને પક્ષો તરફથી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ દરેક સંભવિત એંગલથી તપાસ કરી રહી છે, જેમાં એક અફવા એ પણ સામેલ છે કે, આ મારામારી પ્રેમ પ્રકરણને કારણે થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : <a href="https://khabarantar.com/a-21-year-old-dalit-youth-from-bayad-was-shocked-to-find-the-dead-body-of-the-meshwa-river">બાયડના 21 વર્ષના દલિત યુવકનો મેશ્વો નદીમાંથી મૃતદેહ મળ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 21 Oct 2024 09:44:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1435</Articleid>
                    <excerpt>ધોરણ 10 ના વિદ્યાર્થીઓના એક ગ્રુપે દલિત વિદ્યાર્થી પર વાંસડાથી હુમલો કરતા બ્રેઈન હેમરેજ થયું અને ગરીબ દલિત પરિવારનો દીકરો મોતને ભેટ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6715d500db82f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6715d500ab07c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6715d500ab07c.jpg" length="57985" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bihar News, muzaffarpur, dalit student died</media:keywords>
                </item>
                        <item>
                    <title>આઠ દિવસથી ગુમ દલિત સગીરાનો અર્ધનગ્ન હાલતમાં વાડમાંથી મૃતદેહ મળ્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-minor-missing-for-eight-days-was-found-half-naked-in-the-fence</link>
                    <guid>https://khabarantar.com/dalit-minor-missing-for-eight-days-was-found-half-naked-in-the-fence</guid>
                    <description>
                        <![CDATA[ પરિવારજનોનો આક્ષેપ છે કે સગીરાની રેપ બાદ હત્યા કરવામાં આવી છે. અમુક યુવકો તેનો વાંધાજનક વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી રહ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit Minor Girl Rape and Murder: જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશમાંથી ફરી એકવાર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કાનપુરના અંતરિયાળ ગામમાં એક દલિત સગીરા પર બળાત્કાર અને હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આઠ દિવસથી ગુમ થયેલા દલિત સગીરાનો મૃતદેહ ગામની ઝાડીઓમાંથી અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારનો આરોપ છે કે બે યુવકો યુવતીનો વાંધાજનક વીડિયો બનાવીને બ્લેકમેલ કરી રહ્યા હતા. 10 ઓક્ટોબરે ઘરેથી નીકળેલી સગીરાનો હવે આઠ દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો છે. ઘટના શિવલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારજનોનો આરોપ છે કે દીકરીને બ્લેકમેલ કરીને પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને પછી તેની હત્યા કરવામાં આવી છે. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસે હોબાળા વચ્ચે મૃતદેહ કબ્જે કરીને બળાત્કાર અને બ્લેકમેલિંગની કલમો સાથે રમત રમી છે.</span><br><span style="font-size: 14pt;">એવી પણ ચર્ચા છે કે, પોલીસ બળપ્રયોગ કરીને બળજબરીથી મૃતદેહને પોસ્ટ મોર્ટમ હાઉસ લઈ ગઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સગીરા પર બળાત્કાર અને હત્યાના આ મામલામાં રાજકારણ પણ ગરમાયું છે. ઇટાવાના સપા સાંસદ જિતેન્દ્ર દોહરે અને કાનપુર ગ્રામ્યના સપાના અધ્યક્ષ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા છે. અહીં તેઓ પરિવારના સભ્યોને મળ્યાં હતા. સાંસદે કહ્યું કે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે આંદોલન ચલાવવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-body-of-dalit-minor-missing-for-four-days-was-found-in-the-lake">ચાર દિવસથી ગુમ દલિત સગીરાની તળાવમાં તરતી લાશ મળી આવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 12:47:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1425</Articleid>
                    <excerpt>પરિવારજનોનો આક્ષેપ છે કે સગીરાની રેપ બાદ હત્યા કરવામાં આવી છે. અમુક યુવકો તેનો વાંધાજનક વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી રહ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67135d0bab2ce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67135d0b7b085.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67135d0b7b085.jpg" length="72445" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Minor Girl Rape and Murder</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડર હતો એજ થયું, અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ દલિત યુવકની ધરપકડ</title>
                    <link>https://khabarantar.com/as-feared-the-dalit-youth-was-arrested-under-the-anti-superstition-act</link>
                    <guid>https://khabarantar.com/as-feared-the-dalit-youth-was-arrested-under-the-anti-superstition-act</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત સરકારે બનાવેલા અંધશ્રદ્ધા વિરોધી કાયદામાં પહેલીવાર ધરપકડ કરવામાં આવી અને એ એક દલિત યુવકની છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેનો ડર હતો એજ થઈ રહ્યું છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને અંધશ્રદ્ધા ન ગણતી ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવ્યો તેમાં આ બંને પ્રવૃત્તિઓને ચોક્કસ જાતિના લોકોના લાભ માટે જાણે બાકાત રખાઈ હોય તેમ સ્પષ્ટ જણાય છે. ત્યારે આ કાયદા હેઠળ પહેલીવાર ધરપકડ કરાઈ છે અને તે એક દલિત યુવકની છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાયદો બન્યો ત્યારે એવી આશંકા વ્યક્ત કરાઈ હતી કે, તેનાથી મોટાભાગે દલિત, આદિવાસી, ઓબીસી અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવશે, જ્યારે ખૂલ્લેઆમ ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવી લોકોને લૂંટતા વાસ્તુશાસ્ત્રીઓ, જ્યોતિષીઓને આ કાયદામાંથી બાકાત રાખીને સરકારે રીતસરના તેમને છાવર્યા છે. અને એવું જ થઈ રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધોરાજીમાં એક દલિત યુવકે ચિતા પર બેસીને ધૂણીને વિધિ કરતો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ પોલીસે તેની અંધશ્રદ્ધા કાયદા હેઠળ ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું હતું કે ધૂણવું ગુનો નથી, પરંતુ તેનો આ રીતે પ્રચાર કરવો તે એક રીતે અંધશ્રદ્ધાનો પ્રચાર કરવા બરાબર હોવાથી અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે. (જો કે, આ જ પોલીસને જ્યોતિષીઓ અને વાસ્તુશાસ્ત્રના નામે ચાલતા ધતિંગ અને તેના પ્રચારમાં અંધશ્રદ્ધા કેમ નથી દેખાતી?)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">ધોરાજીના સ્મશાનમાં અશ્વિન મકવાણાના નામનો એક દલિત યુવક ચિતા પર બેસીને ધૂણી રહ્યો હોય અને પછી કાળા કપડામાંથી કેટલીક ધાર્મિક સામગ્રી કાઢી તેની પૂજા કરી રહ્યો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. વિડીયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને પોલીસે અશ્વિનની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેને જામીન આપી દીધા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવો કાયદો બન્યો ત્યારે ધૂણવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આખરે સરકારે સ્પષ્ટતા કરવી પડી કે જ્યારે ધૂણવાનો મુદ્દો આ કાયદા હેઠળ આવરી લેવામાં આવતો નથી, તો પછી વાયરલ વીડિયોમાં ધૂણનાર અને અન્ય કોઈ વ્યક્તિ ધૂણનાર કરે તેમાં શું તફાવત છે? આ સમજવા માટે પોલીસ અને આરોપીના વકીલ સાથે વાતચીત કરાઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસનું કહેવું છે કે આરોપી આવી ધાર્મિક વિધિઓ કરીને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતો હતો. જેના કારણે તેમના પર નવા કાયદા મુજબ કલમ લગાવવામાં આવી છે. જે વ્યક્તિ અંગત રીતે પોતાની આસ્થાના ભાગરૂપે ધર્મનું પાલન કરે છે તેનો વાંધો નથી, પરંતુ જો તે તેનો પ્રચાર કરે તો તેની સામે આ કાયદા હેઠળ ગુનો નોંધી શકાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપીએ આ પોસ્ટ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અશ્વિન ઝાલા XI પર પોસ્ટ કરી છે,  જેના દ્વારા તે પોતાનો પ્રચાર ફેલાવવા માંગતો હતો અને લોકોને બતાવવા માંગતો હતો કે તે આ કરી રહ્યો છે તેથી એક રીતે તે અંધશ્રદ્ધા ફેલાવવાનો મામલો છે. નવા કાયદા મુજબ લોકોમાં ભય ફેલાવવો અને અંધશ્રદ્ધા ફેલાવવી એ ગુનો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે જણાવ્યું હતું કે આવા ગુનાઓમાં જામીન મળતા નથી પરંતુ આ ગુનામાં આરોપીને નોટિસ આપીને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરી શકાય છે. સમાજમાં આવી પ્રવૃતિઓ ફરી ન થાય તે માટે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને જામીન આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_67132fbd826da.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધોરાજી પોલીસે આપેલી માહિતી મુજબ આરોપીનું નામ અશ્વિન મકવાણા છે અને તે ધોરાજીના વાલ્મીકીવાસમાં રહે છે. તે મ્યુનિસિપાલિટીમાં કોન્ટ્રાક્ટ પરનો સેનિટેશન વર્કર છે પણ તેની પાસે તેનું કોઈ આઈડી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન, તેણે કબૂલાત કરી હતી કે તેણે અગાઉ પણ આવી ધાર્મિક વિધિઓ કરી હતી પરંતુ ક્યારેય તેનો પ્રચાર કર્યો ન હતો. આ વખતે તેણે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આરોપીએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને તેને ડિલીટ પણ કરી દીધો, જેના કારણે તેની સામે પુરાવાનો નાશ કરવાની કલમ પણ લગાવવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અંધશ્રદ્ધા વિરોધી કાયદામાં કેમ નહીં?</span></strong></span><br><span style="font-size: 14pt;">અંધશ્રદ્ધા વિરોધી કાયદામાં પણ જાણે જાતિવાદની ગંધ આવતી હોય તેમ જણાય છે. મોટાભાગે જ્યોતિષ અને વાસ્તુ જેવી અંધશ્રદ્ધા એક ચોક્કસ જાતિના લોકો ફેલાવે છે અને આ બંને બાબતોને અંધશ્રદ્ધા વિરોધી કાયદામાંથી બાકાત રાખીને સરકારે તેમને છાવર્યા છે. જ્યારે ધૂણવું, દાણાં જોવા, વિધિ કરવી જેવી દલિત, આદિવાસી, ઓબીસી સમાજ સાથે જોડાયેલી બાબતોને સરકારે અંધશ્રદ્ધા ગણીને કાયદામાં આવરી લીધી છે. એ નગ્ન સત્ય છે કે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર નર્યું ધુપ્પલ છે અને તે સૌથી મોટી અંધશ્રદ્ધા છે. લોકોની શંકાઓનો લાભ લઈને ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં સેંકડો જ્યોતિષીઓ, વાસ્તુશાસ્ત્રીઓ લોકોને લૂંટે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે. પણ સરકારે તેને કાયદામાંથી બાકાત રાખીને રીતસરના ચોક્કસ જાતિને છાવરી છે. ડર હતો કે આ કાયદો એસસી, એસટી, ઓબીસી સમાજને નડશે અને એવું જ થઈ રહ્યું હોય તેમ લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ</strong> <span style="color: rgb(224, 62, 45);"><strong><a href="https://khabarantar.com/why-exclude-astrology-vastushastra-from-anti-superstition-act" style="color: rgb(224, 62, 45);">અંધશ્રદ્ધા વિરોધી કાયદામાંથી જ્યોતિષ-વાસ્તુશાસ્ત્રને કેમ બાકાત રખાયા?</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 09:34:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1422</Articleid>
                    <excerpt>ગુજરાત સરકારે બનાવેલા અંધશ્રદ્ધા વિરોધી કાયદામાં પહેલીવાર ધરપકડ કરવામાં આવી અને એ એક દલિત યુવકની છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67132fbe50eb3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67132fbe16c74.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67132fbe16c74.jpg" length="55893" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Anti-Superstition Act Gujarat, First arrest, Dhoraji dalit youth arrest</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેવાણી સાથે તોછડાઈ કરનાર પાંડિયન સામાન્ય દલિત સાથે શું કરતા હશે?</title>
                    <link>https://khabarantar.com/what-would-the-pandians-who-had-quarreled-with-mevani-do-with-a-common-dalit</link>
                    <guid>https://khabarantar.com/what-would-the-pandians-who-had-quarreled-with-mevani-do-with-a-common-dalit</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત SC-ST સેલના ADGP રાજકુમાર પાંડિયન જિગ્નેશ મેવાણી સાથે આવું વર્તન કરતા હોય, તો સામાન્ય દલિત તેમની પાસેથી ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM) અને અન્ય સંલગ્ન સંગઠનોએ અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) (SC/ST સેલ) રાજકુમાર પાંડિયન (Rajkumar Pandian)ને હટાવવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ જારી કર્યું છે. તાજેતરમાં મળેલી બેઠક દરમિયાન વડગામ (Vadgam)ના ધારાસભ્ય (MLA) જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) સાથે થયેલા ગેરવર્તણૂકના આક્ષેપોને પગલે આ માંગણી કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેવાણીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને ઔપચારિક રીતે પાંડિયન સામે વિશેષાધિકાર પ્રસ્તાવ શરૂ કરવા વિનંતી કર્યા પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં પાંડિયને ધારાસભ્ય તરીકેની મેવાણીની ગરિમાનું ઉલ્લંઘન કર્યાનો આરોપ મૂક્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહિતના દલિત સંગઠનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ ગુજરાતની આગામી વાવ વિધાનસભા પેટાચૂંટણી તેમજ મહારાષ્ટ્રમાં યોજાનારી સામાન્ય વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ અભિયાન ચલાવશે. દલિત સંગઠનોએ પાંડિયન જાહેરમાં માફી માંગે તેવી પણ માંગ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિવાદ 15 ઓક્ટોબરે શરૂ થયો હતો જ્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગુજરાતમાં દલિતોની સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે એડીજીપી રાજકુમાર પાંડિયનને મળ્યા હતા, જેમાં કચ્છ જિલ્લામાં કૃષિ જમીન ટોચમર્યાદા કાયદા હેઠળ દલિતોને ફાળવવામાં આવેલી જમીન પર ભૂમાફિયાઓના દબાણનો પણ સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/31-people,-including-Jignesh-Mevani,-were-acquitted-in-the-2017-train-stoppage-case"><span style="font-size: 12pt;"> </span></a></strong></span> <a href="https://khabarantar.com/6-including-MLA-Jignesh-Mevani-acquitted-in-2016-cleaning-workers-agitation-case"><strong>વર્ષ 2016ના સફાઈ કર્મચારીઓના આંદોલન કેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત 6 નિર્દોષ જાહેર</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાય છે કે, પાંડિયને તેમને મળવા ગયા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેમનો ફોન તેમની ચેમ્બરની બહાર છોડીને આવવા ઓર્ડર કર્યો હતો. જ્યારે મેવાણીએ આ વિનંતીના કાયદાકીય આધાર પર સવાલ ઉઠાવ્યા ત્યારે રાજકુમાર પાંડિયન ગુસ્સે થઈ ગયા અને તેમના સ્ટાફને ફોન જપ્ત કરવાની સૂચના આપી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ ગઈકાલે અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં, RDAMના ગુજરાતના કન્વીનર એડવોકેટ સુબોધ કુમુદે રાજકુમાર પાંડિયનના વર્તનની ટીકા કરીને તેને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. સુબોધ કુમુદે સવાલ કર્યો હતો કે, “રાજકુમાર પાંડિયને જિગ્નેશ મેવાણીને તેમનો મોબાઈલ ફોન બહાર મૂકીને આવવા માટે કહ્યું હતું. સવાલ એ છે કે, તેઓ ચેમ્બરમાં બેસીને એવું તે શું કરી રહ્યાં છે જેનાથી તેમને ડર લાગે છે કે તેનું રેકોર્ડિંગ થઈ જશે? પાંડિયનની ભૂમિકા ગુજરાતમાં દલિતોના પ્રશ્નોને સાંભળવાની અને તેનું નિરાકરણ આવે તે માટે યોગ્ય પગલાં લેવાની છે. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેના તેમના આવા તોછડા વર્તનથી તેઓ સામાન્ય દલિતો સાથે કેવું વર્તન કરશે તે અંગે ચિંતા થાય છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ સુબોધ કુમુદે વધુમાં જણાવ્યું કે, "જો એક ધારાસભ્ય સાથે તેઓ આ રીતે વર્તે છે ત્યારે વિચારો કે એક સામાન્ય દલિત તેમની પાસેથી ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકે?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સંગઠનોએ ચેતવણી આપી છે કે જો પાંડિયનને 24 કલાકમાં તેમના પદ પરથી હટાવવામાં નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીમાં દલિત મતદારોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે આહ્વાન કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે દલિત નેતાઓનું એક પ્રતિનિધિમંડળ 23 ઓક્ટોબરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડીજીપીને તેમની માંગણીઓને લઈને મળવા જઈ રહ્યું છે. જો કે, ADGP પાંડિયને હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/31-people,-including-Jignesh-Mevani,-were-acquitted-in-the-2017-train-stoppage-case"><span style="font-size: 12pt;"> </span>વર્ષ 2017ના ટ્રેન રોકવાના કેસમાં જિગ્નેશ મેવાણી સહિત 31 લોકો નિર્દોષ જાહેર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 18 Oct 2024 13:58:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1417</Articleid>
                    <excerpt>ગુજરાત SC-ST સેલના ADGP રાજકુમાર પાંડિયન જિગ્નેશ મેવાણી સાથે આવું વર્તન કરતા હોય, તો સામાન્ય દલિત તેમની પાસેથી ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67121b324b0ff.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67121b321afee.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67121b321afee.jpg" length="89811" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ADGP Rajkumar Pandian, Jignesh Mevani</media:keywords>
                </item>
                        <item>
                    <title>નશામાં ધૂત પોલીસવાળો મધરાતે દલિત મહિલાના ઘરમાં ઘૂસી ગયો....</title>
                    <link>https://khabarantar.com/a-drunken-policeman-broke-into-a-dalit-womans-house-at-midnight</link>
                    <guid>https://khabarantar.com/a-drunken-policeman-broke-into-a-dalit-womans-house-at-midnight</guid>
                    <description>
                        <![CDATA[ પોતાના ત્રણ બાળકો સાથે એકલી રહેતી મહિલાનો લાભ ઉઠાવવા ગયેલા પોલીસવાળાને જો કે મહિલાએ બરાબરનો પાઠ ભણાવ્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના કન્નૌજમાં એક દારૂના નશામાં ધૂત કોન્સ્ટેબલ અડધી રાત્રે એક દલિત મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યાં તેણે મહિલા સાથે એવું કામ કર્યું કે બીજા દિવસે એસપીએ આરોપી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે દારૂના નશામાં કોન્સ્ટેબલ અડધી રાત્રે એક દલિત મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. અહીં તેણે મહિલા સાથે ખરાબ વર્તન કર્યું અને તેને માર માર્યો. જ્યારે ગામલોકો મહિલાને બચાવવા આવ્યા તો કોન્સ્ટેબલે તેમની સાથે પણ દુર્વ્યવહાર કર્યો. મહિલાએ આ અંગે બીજા દિવસે એસપીને ફરિયાદ કરી હતી. આરોપીઓ સાચા જણાતા એસપીએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોન્સ્ટેબલની બરતરફીના સમાચારથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના તલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ડાયલ 112 પીઆરવીનો પોલીસ કોન્સ્ટેબલ ઉમેશ ચંદ્ર રવિવારે રાત્રે દારૂના નશામાં શહેરના એક વિસ્તારમાં રહેતી એક દલિત મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. મહિલા તેના બે બાળકો સાથે ઘરે એકલી છે. કોન્સ્ટેબલે તેના પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને મહિલા સાથે ખરાબ વર્તન શરૂ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો કોન્સ્ટેબલે તેને માર મારવાનું શરૂ કર્યું. જ્યારે મહિલાએ રાડો પાડવી શરૂ કરી તો લોકો દોડીને તેના ઘરે પહોંચ્યા અને કોન્સ્ટેબલની હરકતોનો વિરોધ કર્યો. ભીડ જોઈને કોન્સ્ટેબલે લોકો સાથે પણ દુર્વ્યવહાર શરૂ કર્યો, જેનાથી ઉશ્કેરાયેલા લોકોએ કોન્સ્ટેબલને મારવાનું શરૂ કરી દીધું. ટોળાંથી બચવા દોડતી વખતે કોન્સ્ટેબલ ચબૂતરા પરથી પડી ગયો અને ઘાયલ થયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે આ મામલો એસપી અમિત કુમાર આનંદના ધ્યાન પર આવ્યો તો તેમણે સમગ્ર ઘટનાની તપાસ કરાવી. પોલીસ તપાસ દરમિયાન મહિલાએ કરેલા આક્ષેપો સાચા સાબિત થયા હતા. એ પછી એસપીએ કોન્સ્ટેબલ ઉમેશ ચંદ્રને બરતરફ કરી દીધો હતો. કન્નૌજના એસપી અમિત કુમાર આનંદે કહ્યું- કોન્સ્ટેબલે દલિત મહિલા સાથે ખરાબ વર્તન કર્યું તેથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/take-off-your-sari-and-put-on-shorts-dalit-womans-allegation-on-police">"સાડી ઉતાર અને શોર્ટ્સ પહેરી લે..." દલિત મહિલાના પોલીસ પર આરોપ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 17 Oct 2024 12:39:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1408</Articleid>
                    <excerpt>પોતાના ત્રણ બાળકો સાથે એકલી રહેતી મહિલાનો લાભ ઉઠાવવા ગયેલા પોલીસવાળાને જો કે મહિલાએ બરાબરનો પાઠ ભણાવ્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6710b82fc19ca.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6710b82f8b913.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6710b82f8b913.jpg" length="60298" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, UP, Kannauj</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાયડના 21 વર્ષના દલિત યુવકનો મેશ્વો નદીમાંથી મૃતદેહ મળતા ચકચાર</title>
                    <link>https://khabarantar.com/a-21-year-old-dalit-youth-from-bayad-was-shocked-to-find-the-dead-body-of-the-meshwa-river</link>
                    <guid>https://khabarantar.com/a-21-year-old-dalit-youth-from-bayad-was-shocked-to-find-the-dead-body-of-the-meshwa-river</guid>
                    <description>
                        <![CDATA[ જગદીશ વણકર નામનો યુવાન સામાજિક પ્રસંગે શામળાજી ગયા બાદ ગૂમ થયો હતો. બાદમાં અણસોલની મેશ્વો નદીમાંથી મૃતદેહ મળ્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરવલ્લી જિલ્લાના બાયડમાં દલિત સમાજના એક આશાસ્પદ યુવકનો શંકાસ્પદ હાલતમાં મેશ્વો નદીના પટમાંથી મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. યુવક સામાજિક પ્રસંગે બાયડથી શામળાજી ગયો હતો. જ્યાંથી પરત આવ્યો નહોતો. આથી પરિવારજનોએ તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. એ પછી અચાનક તેનો મૃતદેહ નદીના પટમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે માસમાં અરવલ્લી જિલ્લામાં દલિત સમાજના ત્રણ આશાસ્પદ યુવકોના શંકાસ્પદ મોત થયા છે. ત્યારે આવા વધતા જતા મોતના બનાવો અટકાવવા અને ગઈકાલે મળેલા યુવકના મૃતદેહ મામલે હત્યાનો ગુનો નોંધવા માટે દલિત સામાજિક સંગઠનોએ અરવલ્લી જિલ્લા પોલીસ વડાની કચેરીએ ધરણાં યોજ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે દિવસ પહેલા બાયડનો વતની અને શામળાજી સામાજિક પ્રસંગમાં ગયેલો 21 વર્ષીય જગદીશ વણકર શામળાજીથી ગૂમ હતો. જેથી તેના પરિવારે તેની શોધખોળ કરી હતી અને બાદમાં શામળાજી પોલીસમાં ગૂમ થયાની જાણવા જોગ અરજી આપી હતી. એ પછી ગઈકાલે શામળાજી રતનપુર હાઇવે પર અણસોલ ગામ પાસેના મેશ્વો પુલ નીચેથી યુવક જગદીશ વણકરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. શામળાજી પોલીસ દ્વારા ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ હાથ ધરીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો અને મૃતદેહને પીએમમાં મોકલાયો હતો. જો કે યુવકનો પરિવાર તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જગદીશ વણકરના અણસોલ પુલ નીચેથી મળેલા શંકાસ્પદ મૃતદેહ બાબતે હત્યાનો ગુનો નોંધવા માટે દલિત સામાજિક સંગઠનો મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લા પોલીસ વડાની કચેરીએ એકઠા થયા હતા અને હત્યાનો ગુનો નોંધવા માટે ધરણાં પર બેઠ્યા હતા. મૃતકના પરિવારજનોએ પણ જ્યાં સુધી હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેમ જણાવતા મામલો તંગ બન્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો બાદ હત્યાનો ગુનો નોંધવા આશ્વાસન અપાતા મામલો થાળે પડ્યો હતો. શામળાજી પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકની સાથે રહેલા એક યુવકની પૂછપરછ કરી જીગર ખરાડી અને અન્ય 3 સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ જો મૃતકના પરિવારજનો ઇચ્છશે તો મૃતદેહને પેનલ પીએમ માટે અમદાવાદ પણ લઈ જવાશે એમ પોલીસે જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/suicide-or-murder-of-dalit-student-of-ld-engineering-college"><span style="font-size: 12pt;"> </span>LD એન્જિનિયરીંગ કૉલેજના દલિત વિદ્યાર્થીની આત્મહત્યા કે હત્યા?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 16 Oct 2024 19:24:06 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 16 Oct 2024 19:30:47 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1403</Articleid>
                    <excerpt>જગદીશ વણકર નામનો યુવાન સામાજિક પ્રસંગે શામળાજી ગયા બાદ ગૂમ થયો હતો. બાદમાં અણસોલની મેશ્વો નદીમાંથી મૃતદેહ મળ્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670fc706abb1d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670fc70677cd2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670fc70677cd2.jpg" length="43168" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bayad, drowning news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચાર દિવસથી ગુમ દલિત સગીરાની તળાવમાંથી લાશ મળી</title>
                    <link>https://khabarantar.com/the-body-of-dalit-minor-missing-for-four-days-was-found-in-the-lake</link>
                    <guid>https://khabarantar.com/the-body-of-dalit-minor-missing-for-four-days-was-found-in-the-lake</guid>
                    <description>
                        <![CDATA[ 13 વર્ષની દલિત દીકરી 11 ઓક્ટોબરે સંદિગ્ધ પરિસ્થિતિમાં ઘરેથી ગુમ થઈ ગઈ હતી. હવે ગામના જ તળાવમાંથી તેની લાશ મળી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit minor girl dead body found in the lake : દરરોજ દેશના કોઈને કોઈ ખૂણે અનુસૂચિત જાતિ સમાજ સાથે જાતિગત ભેદભાવ, મારામારી, જમીન પડાવી, હત્યા કરી દેવી, નોકરીમાં ભેદભાવ કરવો, જાતિગત અપમાન કરવું જેવા સેંકડો બનાવો બને છે. એમાં પણ દલિત દીકરીઓ પર બળાત્કાર, હત્યા કે ગુમ થઈ જવાના મામલાઓની તો જાણે ગંભીરતા જ ન હોય તેવી સ્થિતિ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટનામાં ચાર દિવસથી ગુમ એક દલિત વિદ્યાર્થિનીનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિવારજનોએ સ્થળ પર પહોંચી વિદ્યાર્થીનીની ઓળખ કરી હતી. ઘટના બાદ મૃતક વિદ્યાર્થીનીની હાલત રોઈ રોઈને ખરાબ થઈ ગઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) ની છે. મળતી માહિતી મુજબ અહીં પીલીભીત જિલ્લા (Pilibhit District) માં સુનગઢી પોલીસ સ્ટેશન (Sungarhi Police Station) વિસ્તારના ગાય ભોજ ગામ (Gaibhoj Village) ના રહેવાસી રામસિંહની 13 વર્ષની પુત્રી કિરણ 11 ઓક્ટોબરના રોજ શંકાસ્પદ સંજોગોમાં ઘરેથી ગુમ થઈ ગઈ હતી. ઘટના બાદ પરિવારજનોએ સમગ્ર મામલાની પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તાત્કાલિક દીકરી ગુમ થયાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યાર્થિનીના પરિવારજનોએ ગામમાં જ રહેતા એક યુવક અને તેના મિત્ર પર દીકરીને ભગાડી જવાની શંકા વ્યક્ત કરી હતી. ઘટના બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. પરિવારજનોએ દીકરીનો મોબાઈલ ફોન પણ પોલીસને આપ્યો હતો, જેમાં તે કેટલાક યુવકો સાથે વાત કરતી હોવાનું બહાર આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/gang-rape-of-two-dalit-minors-returning-from-fair">મેળામાંથી પરત ફરી રહેલી બે દલિત સગીરાઓ પર ગેંગરેપ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">11 ઓક્ટોબરથી ગુમ થયેલી આ દલિત દીકરીનો મૃતદેહ સોમવારે ગામની બહાર તળાવમાં જોવા મળ્યો હતો. જેની જાણકારી મળતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ સ્થાનિકોની મદદથી મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસ હવે હત્યા અને આત્મહત્યાના એંગલ પર તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તપાસ અધિકારી દીપક ચતુર્વેદીએ કહ્યું કે સગીરાના ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પરંતુ સોમવારે મોડી સાંજે તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/exploited-a-dalit-teenager-for-two-years-aborted-her-when-she-became-pregnant">બે વર્ષ સુધી દલિત કિશોરીનું શોષણ કર્યું, પ્રેગનેન્ટ થતા ગર્ભપાત કરાવી દીધો</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 16 Oct 2024 11:22:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1399</Articleid>
                    <excerpt>13 વર્ષની દલિત દીકરી 11 ઓક્ટોબરે સંદિગ્ધ પરિસ્થિતિમાં ઘરેથી ગુમ થઈ ગઈ હતી. હવે ગામના જ તળાવમાંથી તેની લાશ મળી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670f54a68fa83.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670f54a658468.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670f54a658468.jpg" length="74024" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Dalit Minor Girl Death, Pilibhit, UP, Crime News, Sungarhi Police Station</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને 4 વર્ષમાં 47,000 થી વધુ ફરિયાદો મળી</title>
                    <link>https://khabarantar.com/the-national-scheduled-castes-commission-received-more-than-47,000-complaints-in-4-years</link>
                    <guid>https://khabarantar.com/the-national-scheduled-castes-commission-received-more-than-47,000-complaints-in-4-years</guid>
                    <description>
                        <![CDATA[ એક RTI ના જવાબમાં આ આંકડાઓ સામે આવ્યા છે. આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાએ આંકડાઓને ગંભીરતાથી લઈને હવે રાજ્યોની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC)ના સત્તાવાર ડેટા અનુસાર, આયોગને છેલ્લા ચાર વર્ષમાં 47 હજારથી વધુ ફરિયાદો મળી છે. જેમાં જાતિગત અત્યાચાર, જમીન વિવાદ અને સરકારી નોકરી સંબંધિત વિવાદો મુખ્ય મુદ્દા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈ (RTI) ના જવાબમાં આ માહિતી સામે આવી છે. NCSC ડેટા અનુસાર, તેમને વર્ષ 2020-21માં 11,917 ફરિયાદો મળી હતી. જ્યારે 2021-22માં 13,964, 2022-23માં 12,402 અને આ વર્ષે એટલે કે 2024માં 9,550 ફરિયાદો મળી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NCSCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આયોગને સૌથી વધુ ફરિયાદો ઉત્તર પ્રદેશ (UP) માંથી મળી છે. તેમણે કહ્યું કે કમિશનને દરરોજ 200-300 ફરિયાદો મળે છે અને તેમાંથી ઘણી ફરિયાદો થોડા દિવસોમાં ઉકેલાઈ જાય છે, તેથી આ આંકડો છે, તેમાંથી મોટાભાગની ફરિયાદો ઉકેલની પ્રોસેસમાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/How-safe-are-women-in-Gujarat-The-government-statistics-themselves-question-the-governments-claim">ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? સરકારી દાવાઓ સામે ખુદ સરકારી આંકડાઓ સવાલો ઉઠાવે છે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, 'એવી એક પણ ફરિયાદ નથી કે જેના પર ધ્યાન આપવામાં ન આવ્યું હોય. તે તમામ વિચારણા હેઠળ છે.'</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે નેશનલ હેલ્પલાઇન (National Helpline) ના ડેટા (Data) અનુસાર, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના લોકો પર અત્યાચારને લઈને 6,02,177 કોલ મળ્યાં છે. જેમાંથી કુલ ફરિયાદોની સંખ્યા 5,843 હતી અને તેમાંથી 1,784નું નિરાકરણ કરી દેવામાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હેલ્પલાઈનના ડેટામાં અડધાથી વધુ કોલ એટલે કે 3,10,623 જેટલા કોલ એકલા ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે. આ હેલ્પલાઈન પર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST Act) હેઠળના તાજેતરના સરકારી અહેવાલ મુજબ, અનુસૂચિત જાતિઓ સામેના અત્યાચારના મોટાભાગના કેસો 13 રાજ્યોમાં કેન્દ્રિત હતા. વર્ષ 2022ના તમામ કેસોમાંથી આ રાજ્યોમાં 97.7 ટકા કેસ નોંધાયા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_670f44323f813.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2022માં આ કાયદા હેઠળ નોંધાયેલા 51,656 કેસમાંથી એકલા ઉત્તર પ્રદેશમાં 12,287 કેસ હતા. ત્યારબાદ રાજસ્થાનમાં 8,651 અને મધ્ય પ્રદેશમાં 7,732 કેસ નોંધાયા હતા. બિહારમાં 6,799 (13.16 ટકા), ઓડિશામાં 3,576 (6.93 ટકા) અને મહારાષ્ટ્રમાં 2,706 (5.24 ટકા) નોંધાયા છે. આ છ રાજ્યોમાં કુલ કેસમાંથી લગભગ 81 ટકા કેસ નોંધાયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/13,626-SC,-ST,-OBC-students-left-IITs,-IIMs-and-central-universities-in-last-5-years">છેલ્લાં 5 વર્ષમાં 13,626 દલિત, આદિવાસી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રિય યુનિ.ઓનું ભણતર છોડ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પીટીઆઈ (PTI) સાથે વાત કરતા, NCSCના અધ્યક્ષ (Chairman) કિશોર મકવાણા (Kishor Makwana)એ જણાવ્યું હતું કે પંચને મળેલી મોટાભાગની ફરિયાદો અનુસૂચિત જાતિ સમાજ પર થતા અત્યાચાર સાથે સંબંધિત છે. એ પછી સૌથી વધુ ફરિયાદો જમીન વિવાદ અને સરકારી ક્ષેત્રની સેવાઓ સંબંધિત મામલાઓને લઈને આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કિશોર મકવાણાએ જણાવ્યું હતું કે આ ફરિયાદોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે તેઓ અને કમિશનના સભ્યો આવતા મહિનાથી રાજ્યની કચેરીઓની મુલાકાત લેશે અને ત્યાંના લોકોને પડતી સમસ્યાઓની તપાસ કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં તેમણે કહ્યું કે, તેઓ લોકોને મળવા અને તેમની ફરિયાદો સાંભળવા અઠવાડિયામાં ચાર વખત સુનાવણી કરે છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારથી તેમણે ચાર્જ સંભાળ્યો છે, તેમણે ખાતરી કરી છે કે તેમની ઓફિસ લોકોને મળવા માટે ખુલ્લી રહે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">(મૂળ લેખ ધ વાયરમાં પ્રકાશિત થયો હતો, અહીં તેનો અનુવાદ પ્રસ્તુત કર્યો છે.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Crimes-against-Dalits-and-tribals-increased-by-46-and-48-since-2013">2013 પછીથી દલિતો, આદિવાસીઓ સામેના ગુનાઓમાં 46 અને 48 ટકાનો વધારો થયો</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 16 Oct 2024 10:14:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1398</Articleid>
                    <excerpt>એક RTI ના જવાબમાં આ આંકડાઓ સામે આવ્યા છે. આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાએ આંકડાઓને ગંભીરતાથી લઈને હવે રાજ્યોની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670f40a9587f7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670f40a9291af.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670f40a9291af.jpg" length="48947" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>NCSC, RTI, Kishore Makwana</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભૂવાએ સારવારના નામે આંકડાનું પાણી પીવડાવતા મહિલાનું મોત</title>
                    <link>https://khabarantar.com/a-woman-died-after-tantric-drinking-water-of-statistics-in-the-name-of-treatment</link>
                    <guid>https://khabarantar.com/a-woman-died-after-tantric-drinking-water-of-statistics-in-the-name-of-treatment</guid>
                    <description>
                        <![CDATA[ દુઃખાવાથી પીડાતી મહિલાને તાંત્રિકે વિધિ બાદ આંકડાના મૂળનું પાણી પીવડાવતા મોત થયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાંત્રિકો, ભૂવા-ભારાડીઓને ધર્મની આડમાં મળેલી બેફામ છૂટનો ભોગ સેંકડો લોકો બનતા હોય છે. સમસ્યા એ છે કે સત્તા ખુદ મતબેંકની લાલચમાં આવા લોકોની ઓંથ લેતી હોવાથી લેભાગુ બાવા-ધુતારાઓ અને તાંત્રિકો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના ધતિંગો કરી, અંધશ્રદ્ધા ફેલાવી લોકોના જીવ સાથે પણ રમત કરી લેતા ખચકાતા નથી. પરિણામે ક્યારેક કોઈનો જીવ પણ જતો રહેતો હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો જ એક કિસ્સો હાલ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાંથી સામે આવ્યો છે. અહીં પીપરાણા પંથકના એક ભૂવા દ્વારા શરીરે દુઃખાવાની પીડાતી એક મહિલાને તાંત્રિક વિધિથી સાજી કરી દેવાનો વાયદો કરી વિધિ કર્યા બાદ આંકડાના મૂળનું પાણી પીવડાવતા મહિલાના શરીરમાં તેનું ઝેર ફેલાતાં તબીયત લથડતા મોડાસા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાંથી મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ જવામાં આવી હતી ત્યાં રસ્તામાં તેનું મોત નીપજયું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે માલપુરના સરકારી દવાખાને લવાયો હતો. અને જે ભુવાના પાપે આ મહિલા મોતના મુખમાં ધકેલાઈ હતી તે ભૂવા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના ખાનપુર ગામની ૨૧ વર્ષિય મહિલાને શરીરે દુઃખાવાની સમસ્યા રહેતી હોવાથી સગા સંબંધીઓ તેને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા પીપરાણા પંથકના એક ભુવા પાસે લાવ્યા હતા. આ ભુવાએ તાંત્રિક વિધી હેઠળ મહિલાને આંકડાના મૂળનું પાણી પીવડાવતાં મહિલાની તબીયત લથડી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી તેના પરિવારે તેને લુણાવાડા, વડોદરા અને ત્યાર બાદ સારવાર અર્થે મોડાસા લઈ ગયો હતો. જો કે શરીરમાં આંકડાના મૂળનું વ્યાપક પ્રમાણમાં ઝેર પ્રસરી જતાં આ મહિલાને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાઈ હતી. જયાં તેનું મોત નીપજયું હતું. મૃતકના પરીવારજનો દ્વારા પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને લઈ જવાયો હતો અને ભૂવા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવા તજવીજ હાથ ધરાઈ હતી. આ ઘટનામાં એટલો બોધપાઠ ચોક્કસ લેવાનો કે, ભૂવા-ભારાડીઓ કદી તમારા શરીરની સમસ્યાઓ દૂર ન કરી શકે. તેના માટે ડોક્ટર પાસે જઈને યોગ્ય સારવાર કરાવવી રહી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/tantrik-rapes-parinita-on-the-pretext-of-vastu-dosha-removal-ritual">વાસ્તુદોષ દૂર કરવાની વિધિના બહાને તાંત્રિકે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 15 Oct 2024 14:07:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1393</Articleid>
                    <excerpt>દુઃખાવાથી પીડાતી મહિલાને તાંત્રિકે વિધિ બાદ આંકડાના મૂળનું પાણી પીવડાવતા મોત થયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670e298e75e16.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670e298e3f53e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670e298e3f53e.jpg" length="53102" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Death of a woman, Water of statistics</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદી તત્વોએ દલિત યુવક પર મટનનું ગરમ પાણી રેડ્યું</title>
                    <link>https://khabarantar.com/casteist-elements-poured-hot-mutton-water-on-the-dalit-youth</link>
                    <guid>https://khabarantar.com/casteist-elements-poured-hot-mutton-water-on-the-dalit-youth</guid>
                    <description>
                        <![CDATA[ રાશનની દુકાનમાં વજન તોલવાનું કામ કરતા એક દલિત યુવકને લાકડીઓ-દંડાથી માર મારી જાતિવાદી તત્વોએ મટનનું ઉકળતું પાણી રેડી દીધું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાય, ગોબર, ગૌમૂત્રની સાથે ધર્માંધ અને જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં દલિત અત્યાચારની વધુ એક ખતરનાક ઘટના બની છે. અહીં બાંદા જિલ્લામાં એક દલિત વ્યક્તિને જાતિવાદી તત્વોએ લાકડી-દંડાથી ઢોર માર માર્યા બાદ તેના પર ઉકળતું પાણી રેડી દીધું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલી દલિત વ્યક્તિ હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. પીડિતની પત્નીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ડીએસપીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને કડકમાં કડક સજા થાય તેવા પગલાં લેવા વિનંતી કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના અતર્રા પોલીસ સ્ટેશન વિસ્તારના બલ્લાન ગામની છે. અહીના રહેવાસી રમેશની પત્ની નથુનિયાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના પતિ પડોશમાં આવેલી રાશનની દુકાનમાં કામ કરે છે. પાંચ દિવસ પહેલા રમેશને વજન તોલવા માટે બાજુમાં આવેલા લિવા ગામે લઈ ગયા હતા. અહીં વજન તોળાઈ રહ્યા બાદ દુકાનદારનો ભાઈ તેને બીજા ઘરે લઈ ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં કેટલાક માથાભારે તત્વો મટન બનાવતા હતા. એ દરમિયાન અમુક લોકોએ રમેશને તોલ ઓછો થતો હોવાનું કહીને ગાળાગાળી કરી હતી. જેને લઈને રમેશે કહ્યું કે, વજન તોલવાનો કાંટો મારો નથી, તમને કંઈક વાંધો હોય તો તેના માલિક સાથે વાત કરો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આટલું સાંભળતા જ જાતિવાદી તત્વો રમેશને જાતિસૂચક ગાળો ભાંડવા લાગ્યા હતા. રમેશે તેની સામે વિરોધ નોંધાવ્યો તો લાકડીઓ અને દંડા લઈને તેને મારવા લાગ્યા હતા. જેમાં રમેશના શરીર પર અનેક જગ્યાએ ઈજા પહોંચી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે વાત આટલેથી અટકતી નથી. જાતિવાદી તત્વોએ રમેશના માથે મટનનું ઉકળતું પાણી રેડી દીધું હતું. જેના કારણે તે ભયંકર રીતે દાઝી ગયો હતો. હાલ તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અતર્રા પોલીસ સ્ટેશનના પ્રભારી કુલદીપ તિવારીના જણાવ્યા પ્રમાણે આ ઘટના 8 ઓક્ટોબરે બની હતી. રમેશની પત્નીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. એસસી-એસટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને સીઓ તપાસ કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-asked-for-labor-money-father-son-spat-on-their-mouths-and-urinated-on-their-heads">દલિત મજૂરે મજૂરીના પૈસા માંગ્યા તો જાતિવાદી પિતા-પુત્રે તેના મોં પર થૂંકીને માથે પેશાબ કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 15 Oct 2024 10:24:17 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1390</Articleid>
                    <excerpt>રાશનની દુકાનમાં વજન તોલવાનું કામ કરતા એક દલિત યુવકને લાકડીઓ-દંડાથી માર મારી જાતિવાદી તત્વોએ મટનનું ઉકળતું પાણી રેડી દીધું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670df56a987e4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670df56a5a102.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670df56a5a102.jpg" length="78566" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>UP News, Banda News, Dalit News, dalit youth, poured, hot mutton water</media:keywords>
                </item>
                        <item>
                    <title>પાટણના મીઠીવાવડીમાં સેનમા વાસ પર પટેલોના ટોળાંએ હુમલો કર્યો</title>
                    <link>https://khabarantar.com/a-mob-of-patels-attacked-senma-vas-in-mithiwawadi-patan</link>
                    <guid>https://khabarantar.com/a-mob-of-patels-attacked-senma-vas-in-mithiwawadi-patan</guid>
                    <description>
                        <![CDATA[ 30 જેટલા માથાભારે લોકોનું ઉશ્કેરાયેલું ટોળું સેનમા વાસ પર તિક્ષ્ણ હથિયારો લઈ તૂટી પડ્યું, 7 લોકોને ઈજા પહોંચી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં વધુ એક દલિત અત્યાચારની ઘટના બની છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મીઠીવાવડી ગામે ગઈકાલે રાત્રે માથાભારે પટેલ સમાજના 30 થી વધુ લોકોના ટોળાંએ સ્થાનિક સેનમા વાસ પર ધોકા, પાઈપ, ધારિયા સહિતના તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરી દીધો હતો. જેમાં 7 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાટણ તાલુકાના મીઠીવાવડી ગામે ગઈ રાત્રે સેનમા સમાજના બે યુવાનો બાઇક લઇને મંદિર આગળથી નીકળી રહ્યા હતા ત્યારે કેટલાક માથાભારે તત્વોએ તેમને રોકીને અહીંથી કેમ નીકળ્યો છે તેમ પૂછપરછ કરીને તેમને માર માર્યો હતો. એ પછી બંને યુવાનોએ વાસમાં જઈને વાત કરતા સેનમા સમાજના કેટલાક વડીલો આ મામલે ગામમાં ઠપકો આપવા માટે ગયા હતા. જેનાથી ઉશ્કેરાઈ ગયેલા પટેલ સમાજના લોકોએ 25 થી 30ના ટોળામાં ઘાતક હથિયારો સાથે સેનમા વાસ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક 75 વર્ષના વૃદ્ધને પણ ગંભીર ઈજા પહોંચી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માથાભારે તત્વોએ તિક્ષ્ણ હથિયારો અને પથ્થરો મારી 7 થી વધુ લોકોને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. જ્યારે 10 વધુ લોકોને ગડદાપાટુંનો માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાવરણીના ધંધાનો સામાન પણ તોડી નાખ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માથાભારે ટોળાંએ સેનમા સમાજનો સાવરણીના ધંધાનો સામાન પણ તોડી નાખ્યો હતો, જેના પર તેમનું ગુજરાન ચાલે છે. આરોપી ટોળાંએ સાવરણી બનાવવા માટેનો કાચો માલ પણ સળગાવી દીધો હતો. જેનાથી આ પરિવારોની રોજીરોટીને પણ અસર થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">7 લોકો સારવાર હેઠળ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ આ ઘટનામાં ઘાયલ થયેલા સાત લોકો પાટણ સ્થિત ધારપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને એફઆઈઆર નોંધી છે. ડીવાયએસપી કે.કે. પંડ્યા સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યાં છે. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દલિત સમાજના સામાજિક કાર્યકરો અહીં પહોંચી ગયા છે અને સમાજના આગેવાનો સાથે તમામ ભોગ બનનારને રૂબરૂ મળી કાનુની માર્ગદર્શન આપી રહ્યાં છે. આ મામલે સામાજિક કાર્યકરોએ ડીવાયએસપી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/casteists-attack-dalitvas-6-injured-3-axed-on-head">જાતિવાદીઓનો દલિતવાસ પર હુમલોઃ 6 ઘાયલ, 3ને માથામાં કુહાડી વાગી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 14 Oct 2024 19:45:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1387</Articleid>
                    <excerpt>30 જેટલા માથાભારે લોકોનું ઉશ્કેરાયેલું ટોળું સેનમા વાસ પર તિક્ષ્ણ હથિયારો લઈ તૂટી પડ્યું, 7 લોકોને ઈજા પહોંચી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670d266d2e48b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670d266cec5c9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670d266cec5c9.jpg" length="134133" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit atrocities, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેળામાંથી પરત ફરી રહેલી બે દલિત સગીરાઓ પર ગેંગરેપ</title>
                    <link>https://khabarantar.com/gang-rape-of-two-dalit-minors-returning-from-fair</link>
                    <guid>https://khabarantar.com/gang-rape-of-two-dalit-minors-returning-from-fair</guid>
                    <description>
                        <![CDATA[ કોલકાતાની સવર્ણ ડોક્ટરના કેસમાં હોબાળો મચાવતા લોકો આ મામલે મૌન સેવીને બેસી જશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">gang rape of two dalit minors returning from fair : હરિયાણા-જમ્મુ કાશ્મીર ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો હતો ત્યારથી કોલકાતાની સવર્ણ ડોક્ટર દીકરી પર બળાત્કાર અને હત્યાના કેસને ત્યાંના મુખ્ય વિપક્ષે રાજકીય ફાયદા માટે હજુ સળગતો રાખ્યો છે. જો કે, કોલકાતાની આ ઘટના બાદ દેશમાં અનેક દલિત, આદિવાસી દીકરીઓ પર બળાત્કાર અને ગેંગરેપની ઘટનાઓ બની ચૂકી છે, પણ ન તો આ મુખ્ય વિપક્ષના નેતાઓ તેના વિશે કશું બોલી રહ્યાં છે, ન તો તેમાં કડક પગલાં લેવા ધરણાં કરી રહ્યાં છે. જે સ્પષ્ટ બતાવે છે કે, મામલો જ્યારે દલિત, આદિવાસી કે ઓબીસી સમાજની દીકરીઓ પર થયા બળાત્કાર કે ગેંગરેપનો હશે ત્યારે તેઓ તેઓ મૌન રહીને તેઓ કોની તરફેણમાં છે તેનો સંદેશો આપી દેશે. ખેર, વધુ એક ગેંગરેપની ઘટના બની છે અને આ વખતે એક નહીં પરંતુ બે-બે દલિત સગીરાઓ તેનો ભોગ બની છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-who-had-gone-to-see-ramlila-was-beaten-by-the-police-and-hanged-himself">રામલીલા જોવા ગયેલા દલિત શખ્સને જાતિવાદીઓએ માર્યો, લાગી આવતા ગળેફાંસો ખાઈ લીધો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ઝારખંડના પલામુ જિલ્લાનો છે. અહીં એક ગામમાં દુર્ગા પૂજાના મેળામાંથી ઘરે પરત ફરી રહેલી બે સગીર છોકરીઓ પર કથિત સામૂહિક બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે નૌડીહા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જ્યાં કેટલાક બદમાશોએ છોકરીઓને ઘરે જતી વખતે રસ્તા વચ્ચેથી પકડીને બળાત્કાર ગુજાર્યો હતો. હાલ આરોપીઓને પકડવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રવિવારે સાંજે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક પોલીસ અધિકારીએ તેની માહિતી આપી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે દલિત પરિવારની બે છોકરીઓ શુક્રવારે નૌડીહા પૂજા મેળામાંથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન કેટલાક બદમાશોએ તેમને પકડી લીધી હતી અને સામૂહિક બળાત્કાર કર્યો હતો. ઘરે પહોંચ્યા પછી બંને દીકરીઓએ તેમના પરિવારના સભ્યોને તેમની આપવીતી સંભળાવી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગ્રામ પંચાયતે મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">ચોંકાવનારી વાત એ છે કે, આટલી ગંભીર ઘટના હોવા છતાં તેમાં તરત કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી અને બે દિવસ સુધી ગ્રામ પંચાયત સ્તરે મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આખરે રવિવારે મોડી સાંજે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણએ હાલ મામલાની તપાસ ચાલી રહી છે. બંને દીકરીઓને મેદીનીરાય મેડિકલ કોલેજમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ ફરાર, પોલીસ તપાસ શરૂ</span></strong></span><br><span style="font-size: 14pt;">નૌડીહા બજાર પોલીસ સ્ટેશનના પ્રભારી અમિત કુમાર દ્વિવેદીએ જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. રાત્રે પક્ષીઓનો શિકાર કરી રહેલા કેટલાક યુવકો યુવતીઓની ચીસો સાંભળીને સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યારે આ યુવકો ઘટના સ્થળે પહોંચ્યા તો આરોપીઓ ડરીને ભાગી ગયા. યુવતીઓ તેમના સંબંધીઓ સાથે દુર્ગા પૂજા મેળામાં દર્શન કરીને એક જ બાઇક પર ઘરે પરત ફરી રહી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-disabled-dalit-girl-came-to-home-for-treatment-was-raped">સારવાર માટે પિયર આવેલી દિવ્યાંગ દલિત દીકરી પર બળાત્કાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 14 Oct 2024 12:24:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1384</Articleid>
                    <excerpt>કોલકાતાની સવર્ણ ડોક્ટરના કેસમાં હોબાળો મચાવતા લોકો આ મામલે મૌન સેવીને બેસી જશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670cc001dde3e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670cc001aaa04.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670cc001aaa04.jpg" length="52094" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit news, gang rape, two dalit minors, returning from fair, Palamu district of Jharkhand</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત પરિવારની 28 એકર જમીનની SBI એ હરાજી કરી દીધી</title>
                    <link>https://khabarantar.com/sbi-has-auctioned-28-acres-of-dalit-familys-land</link>
                    <guid>https://khabarantar.com/sbi-has-auctioned-28-acres-of-dalit-familys-land</guid>
                    <description>
                        <![CDATA[ દલિત પરિવાર બેંક અધિકારીઓને કરગર્યો પણ કોઈનું હૃદય ન પીગળ્યું. પેઢીઓની પેઢીઓ જેમાં ખેતી કરીને જીવી ગઈ તે જમીન જતી રહી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામડાઓમાં ખેતીની જમીન એકમાત્ર કાયમી આવકનું સાધન છે અને જાતિવાદી તત્વો આ રહસ્ય બરાબરનું જાણતા હોવાથી તસુભાર જમીન પર કોઈ દલિત, આદિવાસી કે ઓબીસી સમાજની વ્યક્તિના હાથમાં ન જાય તેની પુરતી તકેદારી રાખે છે. જો આ કોમની કોઈ વ્યક્તિ પાસે ખેતીલાયક જમીન હોય તો તેઓ તેને પડાવી લેવા અથવા તેને જમીનવિહોણી કરી દેવા માટે સામ, દામ, દંડ અને ભેદ એમ કોઈપણ રસ્તો અપનાવતા ખચકાતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના પણ કંઈક આવી જ છે. મામલો આદિવાસી અત્યાચાર માટે કુખ્યાત મધ્યપ્રદેશનો છે. અહીં ભોપાલ પાસેના બૈરસિયા તાલુકાના ગરેઠીયા ડાંગી ગામમાં એક દલિત ખેડૂત પરિવારની 28 એકર મહામૂલી ખેતીની જમીનની હરાજી કરવામાં આવી. જે જમીન પર તેમનું જીવન નિર્ભર હતું તે જમીન હવે તેમના હાથમાંથી છીનવાઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત પરિવારના સભ્ય શાંતિબાઈ મેહર આંખમાં આંસુ સાથે કહે છે, “અમે પેઢીઓથી આ જમીન પર ખેતી કરીએ છીએ, આ અમારું ઘર છે, આ જમીન પર0 17 સભ્યોનો અમારો પરિવાર નિર્ભર હતો. પરંતુ બેંકના અધિકારીઓની મિલીભગતથી અમારી કાળજાના કટકા જેવી જમીનની હરાજી કરી દેવામાં આવી. મારા દીકરાએ બેંકને વિનંતી કરી, પૈસાની ઓફર કરી, તેમ છતાં </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જમીન છીનવી લેવામાં આવી. હવે અમારી પાસે ઘર પણ નથી બચ્યું.</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાંતિબાઈ વધુમાં કહે છે, "અમે આ જગ્યાએ રહેતા હતા અને આ જગ્યાએ જ મરી જઈશું. બેંક અધિકારીઓએ કાવતરું ઘડ્યું અને અમારી 28 એકર જમીનની હરાજી કરી નાખી, જેના પર અમારો પરિવાર નિર્ભર હતો."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગરેઠીયા ડાંગી ગામ ભોપાલથી લગભગ 45 કિલોમીટર દૂર બેરસિયા વિસ્તારમાં આવેલું છે. જ્યાં એક દલિત પરિવારે વર્ષ 2008માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બેરસિયા શાખામાંથી ટ્રેક્ટર માટે રૂ. 4,86,000 અને તે જ વર્ષે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેતી માટે રૂ. 5 લાખની ખેતીની લોન લીધી હતી. જેમાંથી અડધા પરિવારે ચૂકવી દીધા હતા. પણ કૌટુંબિક સમસ્યાઓના કારણે પરિવાર કેટલાક હપ્તા ભરી શક્યો નહોતો. જેના કારણે બેંકે તેના લોન ખાતાને નોન-પરફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરી દીધું અને પછી લોન વસૂલવા માટે આ પરિવારની 28 એકર જમીનની હરાજી કરી દીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મફતના ભાવે જમીનની હરાજી કરી દીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત પરિવારનો આરોપ છે કે તેમની કરોડો રૂપિયાની જમીન બજાર કિંમત કરતા ઘણી ઓછી કિંમતે હરાજી કરવામાં આવી હતી. હાલમાં તે વિસ્તારની જમીનનો ભાવ એકર દીઠ રૂ. 20 થી 25 લાખ જેટલો છે, પરંતુ બેંકે આ હરાજી ખૂબ જ ઓછા ભાવે હાથ ધરી છે, જેના કારણે બેંકના અધિકારીઓએ આ પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હોવાની આશંકા ઉભી થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત પરિવારના નર્મદા પ્રસાદનું કહેવું છે કે, "તેણે બેંક અધિકારીઓ સાથે સરકારને ફરિયાદ કરી હતી પરંતુ કોઈએ સાંભળ્યું નહોતું. બેંક ઓફિસર અને હરાજી કરનાર સહિત જેમણે આ જમીન ખરીદી છે તે બધાંએ મળીને એક કાવતરું રચીને કરોડોની કિંમતની અમારી જમીન મફતના ભાવે પડાવી લીધી છે. અમે આ અન્યાય સામે મરતા સુધી લડીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હરાજીની આખી પ્રક્રિયા શંકાના દાયરામાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રાજ્ય સરકાર અને અનુસૂચિત જાતિ વિભાગને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે હરાજી પ્રક્રિયા સંપૂર્ણપણે શંકાસ્પદ છે અને તેમાં પારદર્શિતાનો અભાવ છે. બેંક દ્વારા જે ન્યૂઝપેપરમાં હરાજીની જાહેરાત પબ્લિશ કરવામાં આવી હતી તેનું સર્ક્યુલેશન ખૂબ જ ઓછું હતું અને ભોપાલથી પ્રકાશિત થતા મોટા અખબારોમાં આ જાહેરાત આપવામાં આવી નહોતી. આ સમગ્ર પ્રકરણ ગંભીર તપાસનો વિષય છે અને બેંક અધિકારીઓ દ્વારા લોન લેનાર અનુસૂચિત જાતિના ખેડૂત પરિવારની જમીનને મફતના ભાવે પડાવી લેવાનું આખું ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેમ સ્પષ્ટ રીતે જણાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત પરિવારને રક્ષણ મળ્યું નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિગ્વિજય સિંહે એવો પણ આરોપ લગાવ્યો કે સરકાર દ્વારા અનુસૂચિત જાતિ વર્ગના રક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ આ મામલે આ દલિત ખેડૂત પરિવારને કોઈ મદદ કરવામાં આવી નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફ ઈશારો કરતાં તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિના પરિવારોને લોન માફી કે પુનર્વસન માટે વિશેષ સુવિધા આપવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં ખેડૂત પરિવારોને રક્ષણ આપવાને બદલે તેમની જમીનની હરાજી કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કમિશને રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્ય અનુસૂચિત જાતિ આયોગે રાજ્ય સરકારને પત્ર લખીને તપાસ હાથ ધરવા અને બને તેટલો વહેલો અહેવાલ સુપરત કરવા જણાવ્યું છે. પંચે કહ્યું કે હરાજીની પ્રક્રિયાની પારદર્શિતા અને તેમાં સામેલ બેંક અધિકારીઓની ભૂમિકાની તપાસ થવી જોઈએ. આયોગે એ પણ કહ્યું કે, અનુસૂચિત જાતિ વર્ગના પરિવારોના અધિકારોનું ઉલ્લંઘન ન થવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત પરિવારની માંગઃ હરાજી રદ કરી લોન જમા કરાવવા સમય અપાય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત મહિલા શાંતિબાઈનું કહેવું છે કે તેમની જમીનની હરાજી રદ કરવી જોઈએ અને તેમને લોનની બાકીની રકમ દંડ સહિત જમા કરાવવાની તક આપવી જોઈએ. તેઓ કહે છે કે જમીન જ તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને તેને વેચવાથી તેમના પરિવાર પર માઠી અસર થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આવા કિસ્સામાં બંધારણ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણની કલમ 19(5) હેઠળ અનુસૂચિત જાતિના જમીન અધિકારોના રક્ષણ માટેની જોગવાઈઓ છે, પરંતુ આ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અનુસૂચિત જાતિની જમીનો ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવી રહી છે અને પુનર્વસન યોજનાઓમાં તેમની અવગણના કરવામાં આવી રહી છે. આ બંધારણીય જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જે વંચિત અને શોષિત વર્ગોની આર્થિક સુરક્ષા અને જમીનના અધિકારોને જોખમમાં મૂકે છે. આ બાબત માત્ર અનુસૂચિત જાતિના ખેડૂત પરિવારોના અધિકારોનો મુદ્દો નથી, પરંતુ બેંકિંગ સિસ્ટમ અને વહીવટી પારદર્શિતા પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/bhimgarjana-in-kutch-rdam-gave-rightful-land-to-dalits-after-41-years">કચ્છમાં ભીમગર્જનાઃ RDAM એ 41 વર્ષ બાદ દલિતોને હકની જમીન અપાવી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 14 Oct 2024 11:33:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1383</Articleid>
                    <excerpt>દલિત પરિવાર બેંક અધિકારીઓને કરગર્યો પણ કોઈનું હૃદય ન પીગળ્યું. પેઢીઓની પેઢીઓ જેમાં ખેતી કરીને જીવી ગઈ તે જમીન જતી રહી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670cb297a4bc2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670cb2976f451.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670cb2976f451.jpg" length="123955" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી, તેના ભાઈ પાસે પગ ધોવડાવી માફી મગાવી</title>
                    <link>https://khabarantar.com/the-brahmin-teachers-washed-the-feet-of-the-dalit-student-his-brother-and-asked-for-forgiveness</link>
                    <guid>https://khabarantar.com/the-brahmin-teachers-washed-the-feet-of-the-dalit-student-his-brother-and-asked-for-forgiveness</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવક અને તેના ભાઈને કોલેજ સંચાલક, તેના પુત્ર સહિત ચાર બ્રાહ્મણોએ ઓફિસમાં પુરી માર મારી માફી મગાવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના ગ્વાલિયરના ડાબરા સ્થિત ખાનગી આઈટીઆઈ કોલેજમાં એક દલિત વિદ્યાર્થી અને તેના ભાઈને બંધક બનાવી માર મારવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થી અને તેના ભાઈનો આરોપ છે કે કોલેજના ડાયરેક્ટર, તેના બે પુત્રો અને એક શિક્ષકે મળીને બંનેને કોલેજમાં બંધક બનાવ્યા હતા. તેમને તેમની જાતિ વિશે પૂછ્યા બાદ તેમના પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. જાતિવાદી તત્વો આટલેથી અટક્યા નહોતા. તેમણે બંને યુવકોને જાતિ આધારિત અપશબ્દો કહીને તેમના પગ ધોવડાવ્યા અને માફી મગાવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ ગ્વાલિયરમાં ભીમ આર્મીના કાર્યકરો બંને પીડિત યુવકો સાથે પોલીસ અધિક્ષકની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ધરણાં કર્યા હતા અને રોડ બ્લોક કરી દઈ પોલીસનો વિરોધ કરતા સૂત્રોચ્ચારો કર્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બંને ભાઈઓ પાસે પગ ધોવડાવી માફી મગાવી</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમ આર્મી સાથે આવેલા પીડિત વિદ્યાર્થી વિવેક જાટવનો આરોપ છે કે તે ડાબરા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામગઢ રોડ પર ભાડાના મકાનમાં રહે છે અને ડાબરામાં આવેલી ખાનગી સિમવાસીસ આઈટીઆઈ કોલેજમાં અભ્યાસ કરે છે. કોલેજમાં તેનો એક યુવક સાથે વિવાદ થયો હતો, જેના કારણે કોલેજના ડિરેક્ટર રવિશંકર શુક્લા, તેના પુત્ર આશિષ શુક્લા, પાર્થ શુક્લા અને શિક્ષક રવિ શર્માએ તેને પોતાની કેબિનમાં બોલાવ્યો હતો. જ્યાં તેનું નામ પૂછ્યા બાદ તેની અટક પૂછવામાં આવી હતી અને ત્યારબાદ જાતિ આધારિત ગાળો બોલી માર માર્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાઈને બોલાવી તેને પણ માર માર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકનું કહેવું છે કે, આરોપીઓએ ત્યારબાદ તેના પરિવારજનોને બોલાવવા કહ્યું હતું, જો કે બીજું કોઈ ઘરે ન હોવાથી તેણે તેના ભાઈ સત્યેન્દ્ર જાટવને બોલાવ્યો હતો. સત્યેન્દ્રના આવ્યા બાદ તેને પણ કેબિનમાં બોલાવી બંનેને બંધક બનાવી દીધાં અને માર માર્યો હતો. એટલું જ નહીં, જાતિવાદી તત્વોએ બંને ભાઈઓએ પાસે પોતાના પગ ધોવડાવ્યા હતા અને માફી મગાવી હતી. બંને દલિત યુવકોનું કહેવું છે કે, તેમને માત્ર એટલા માટે માર મારવામાં આવ્યો કેમ કે તે દલિત છે. જે અંગે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીમ આર્મીના કારણે પોલીસ નરમ પડી</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે ભીમ આર્મીએ આ મુદ્દો ઉઠાવ્યો અને પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો, ત્યારે પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી હતી. ભીમ આર્મીના કાર્યકરો આ સાથે પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતા અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે ક્રોસ ફરિયાદ લીધી</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંને ભાઈઓનું કહેવું છે કે ચારેયે તેમને માર માર્યો હતો પરંતુ પોલીસે તપાસ કર્યા વગર તેમની સામે પણ ગુનો નોંધ્યો છે. બંને ભાઈઓએ તેમની સામે નોંધાયેલી એફઆઈઆરની તપાસની માંગ કરી હતી. પોલીસ અધિકારી સીએસપી અશોક જાદૌન બંને યુવકને મળવા પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોને સમજાવીને તેમની માંગણીઓ પર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/I-am-Darbar,-why-do-you-call-me-you---A-Dalit-youth-was-beaten-to-death-in-a-Darbar-at-Zherda-village-in-Disa"><strong>'હું દરબાર છું, મને 'તું' કેમ કહે છે?' - ડીસાના ઝેરડા ગામે દરબારે દલિત યુવકને આંતરીને માર માર્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 14 Oct 2024 10:14:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1382</Articleid>
                    <excerpt>દલિત યુવક અને તેના ભાઈને કોલેજ સંચાલક, તેના પુત્ર સહિત ચાર બ્રાહ્મણોએ ઓફિસમાં પુરી માર મારી માફી મગાવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670c9fe8e95fd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670c9fe8b74ff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670c9fe8b74ff.jpg" length="108653" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Dalit Crime, Madhya Pradesh, Gwalior</media:keywords>
                </item>
                        <item>
                    <title>રેપ પીડિત દલિત સગીરાનું થોડા જ દિવસમાં સારવાર દરમિયાન મોત</title>
                    <link>https://khabarantar.com/rape-victim-dalit-minor-died-during-treatment-within-a-few-days</link>
                    <guid>https://khabarantar.com/rape-victim-dalit-minor-died-during-treatment-within-a-few-days</guid>
                    <description>
                        <![CDATA[ સગીરાના હાથપગ બાંધીને આરોપી ખેતરમાં ઢસડી ગયો હતો, જ્યાંથી તે રેપ બાદ ગંભીર સ્થિતિમાં મળી આવી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશમાં એક દલિત સગીરાનું બળાત્કાર થયા બાદ સારવાર દરમિયાન થોડા જ દિવસમાં શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ જતા અનેક સવાલો ઉભા થયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના પ્રતાપગઢમાં એક શખ્સ દ્વારા કથિત રીતે બળાત્કારનો ભોગ બનેલી 16 વર્ષની દલિત સગીરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, એ દરમિયાન તેનું મોત થઈ ગયું. ગયા અઠવાડિયે રવિવારે સગીરાને બંધક બનાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિક્ષક સંજય રાયે કહ્યું કે, "આરોપીએ દીકરીના હાથ બાંધી દીધા હતા અને મોં બંધ કરી દઈ તેને બાજરીના ખેતરમાં ગંભીર રીતે ઘાયલ હાલતમાં છોડી દીધી. દીકરીને પ્રયાગરાજની SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણીની સારવાર ચાલી રહી હતી અને ગઈકાલે સાંજે તેનું મોત થયું હતું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાની માતાની ફરિયાદ પર પોલીસે આરોપી અનિલ ગુપ્તા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો, SC-ST પ્રિવેન્શન ઑફ એટ્રોસિટી એક્ટ અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિક્ષકે કહ્યું કે 22 વર્ષના આરોપી અનિલ ગુપ્તાની સોમવારે પોલીસ સાથે ઘર્ષણ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં હત્યાની કલમ પણ જોડવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/doctors-were-sleeping-tribal-girl-died-due-to-lack-of-tratment">ડોક્ટરો સૂતા રહ્યાં, આદિવાસી દીકરી સારવારના અભાવે મોતને ભેટી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 14 Oct 2024 09:14:51 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 14 Oct 2024 09:14:31 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1381</Articleid>
                    <excerpt>સગીરાના હાથપગ બાંધીને આરોપી ખેતરમાં ઢસડી ગયો હતો, જ્યાંથી તે રેપ બાદ ગંભીર સ્થિતિમાં મળી આવી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670c9386313c9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670c938600660.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670c938600660.jpg" length="41520" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit crime, Atrocity, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>માયાવતીની મોટી જાહેરાત, BSP હવે કદી કોઈ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે</title>
                    <link>https://khabarantar.com/mayawatis-big-announcement-bsp-will-never-form-an-aliance-with-any-party-again</link>
                    <guid>https://khabarantar.com/mayawatis-big-announcement-bsp-will-never-form-an-aliance-with-any-party-again</guid>
                    <description>
                        <![CDATA[ બીએસપી સુપ્રીમો માયાવતીએ પક્ષના ભવિષ્યના આયોજનોને ધ્યાનમાં રાખીને અન્ય પક્ષો સાથે જોડાણ નહીં કરવાની જાહેરાત કરી છે. જાણો બીજુ શું કહ્યું.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીએસપી સુપ્રીમ માયાવતીએ હરિયાણા ચૂંટણીના પરિણામો બાદ મોટી જાહેરાત કરી છે. બહેનજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હવે બીએસપી કોઈપણ પક્ષ સાથે ચૂંટણીઓમાં જોડાણ નહીં કરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ પોતાની પોસ્ટમાં કહ્યું, કે, 'ઉત્તર પ્રદેશ સહિત બીજા રાજ્યોની ચૂંટણીમાં પણ બીએસપીના વોટ ગઠબંધનની પાર્ટીને ટ્રાન્સફર થઈ જાય છે પરંતુ તેના મતો બીએસપીને ટ્રાન્સફર કરાવવાની ક્ષમતા તેમાં ન હોવાના કારણે અપેક્ષિત ચૂંટણી પરિણામ નથી મળતું. જેના કારણે પાર્ટી કેડરને નિરાશા થાય છે અને તેનાથી બહુજન આંદોલનન ચળવળને બચાવવી જરૂરી છે. આને ધ્યાનમાં રાખતાં હરિયાણા વિધાનસભાના ચૂંટણી પરિણામ અને તે પહેલા પંજાબ ચૂંટણીના કડવા અનુભવને ધ્યાનમાં રાખતાં આજે હરિયાણા અને પંજાબની સમીક્ષા બેઠકમાં ક્ષેત્રીય પાર્ટીઓથી પણ હવે આગળ ગઠબંધન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ભાજપ (એનડીએ) અને કોંગ્રેસ (ઈન્ડિયા ગઠબંધન) તરફ પહેલાની જેમ જ અંતર જાળવી રાખવામાં આવશે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ આગળ કહ્યું કે 'દેશની એકમાત્ર પ્રતિષ્ઠિત આંબેડકરવાદી પાર્ટી બીએસપી, તેના આત્મ-સન્માન અને સ્વાભિમાનની ચળવળને ચોતરફથી નબળી પાડવાના જાતિવાદી પ્રયત્નો થઈ રહ્યાં છે. એ સ્થિતિમાં પોતાનો ઉદ્ધાર જાતે જ કરવો અને તેના આધારે શાસક વર્ગ બનવાની પ્રક્રિયા ચાલું રાખવી જરૂરી છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહેનજીએ વધુમાં લખ્યું હતું કે, બીએસપી અન્ય પાર્ટીઓ, સંગઠનોના નેતાઓને જોડવા માટે નહીં પરંતુ, બહુજન સમાજના આંતરિક ભાઈચારા અને સહકારના બળે એક થઈને રાજકીય તાકાત બનવાનું અને આ સમાજને શાસક બનાવવા માટેનું આંદોલન છે. તેને આમતેમ ભટકાવવું હવે અતિ હાનિકારક છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> </span><a href="https://khabarantar.com/haryanas-ateli-seat-where-hathi-made-the-bjp-sweat">હરિયાણાની એ સીટ જ્યાં 'હાથી' એ ભાજપને પરસેવો છોડાવી દીધો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 11 Oct 2024 17:41:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1379</Articleid>
                    <excerpt>બીએસપી સુપ્રીમો માયાવતીએ પક્ષના ભવિષ્યના આયોજનોને ધ્યાનમાં રાખીને અન્ય પક્ષો સાથે જોડાણ નહીં કરવાની જાહેરાત કરી છે. જાણો બીજુ શું કહ્યું. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6709153d7696f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6709153d43664.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6709153d43664.jpg" length="99811" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BSP, Mayavati, Bahujan Samaj Party</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતે મજૂરીના પૈસા માગ્યા, પિતા&amp;પુત્રએ મોં પર થૂંકી માથે પેશાબ કર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-asked-for-labor-money-father-son-spat-on-their-mouths-and-urinated-on-their-heads</link>
                    <guid>https://khabarantar.com/dalit-asked-for-labor-money-father-son-spat-on-their-mouths-and-urinated-on-their-heads</guid>
                    <description>
                        <![CDATA[ પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા મજૂરે આ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવતા તપાસ શરુ કરવામાં આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારના મુઝફ્ફરપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પોલ્ટ્રી ફાર્મના સંચાલકે એક દલિત મજૂર સાથે અમાનવીય વર્તન કર્યું. અહીં કામ કરતા એક દલિત મજૂરે બે દિવસની મજૂરીના રૂપિયા માંગતા સંચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે દલિત મજૂરને માર માર્યો. મજૂરનો આરોપ છે કે, સંચાલક પિતા-પુત્ર અને તેના ભાઈએ મળી તેને માર મારી, તેના ચહેરા પર થૂંકીને તેના પર પેશાબ કર્યો હતો. મામલો બોચહાં પોલીસ સ્ટેશનના ચૌપાર મદન ગામનો છે. પોલીસે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મજૂરીના પૈસા માંગતા અત્યાચાર કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, અહીં મજૂરીની માંગણી કરતા દલિત મજૂરને પોલ્ટ્રી ફાર્મના સંચાલક પિતા-પુત્રે માર મારી અમાનવીય વર્તન કર્યું હતું. આરોપીઓએ પોલીસમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. મજૂરને હાલ સારવાર માટે સીએચસીમાં દાખલ કરવામાં આવ્યો છે. તેણે જણાવ્યું કે આરોપીઓ માથાભારે છે. તાજેતરમાં જ તેમણે પોલ્ટ્રી ફાર્મ ખોલ્યું છે, જેમાં તેણે ઘણાં દિવસો સુધી કામ કર્યું પરંતુ બાપ-દીકરો બે દિવસનો પગાર નહોતા આપતા. જ્યારે તેણે માંગણી કરી તો તેમણે તેની આ હાલત કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણેય શખ્સ મજૂરના મોં પર થૂંક્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">મજૂરનું કહેવું છે કે, જ્યારે તે મજૂરી માંગવા ગયો ત્યારે બાપ-દીકરો ગુસ્સે થઈ ગયા અને તેને માર માર્યો. બધાં તેના મોં પર થૂંક્યા અને સંચાલકના પુત્રે તેના પર પેશાબ કર્યો હતો. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કરી દેતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. દરમિયાન લુખ્ખા તત્વોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી. પણ મજૂરે હિંમત કરીને ફરિયાદ કરી દીધી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બે લોકો યુવકને રસ્તાની બાજુમાં પાડી દઈને માર મારી રહ્યાં છે અને રસ્તા પર ઉભેલા લોકો બધું જોઈ રહ્યા છે. મજૂરનું નામ રિંકુ માંઝી છે અને તેણે તેને મારનાર રમેશ પટેલ, અરુણ પટેલ અને ગૌરવ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ત્રણ સામે એફઆઈઆર નોંધાઈ</span></strong><br><span style="font-size: 14pt;">આ મામલામાં પોલીસ અધિકારી રાકેશ કુમાર યાદવે જણાવ્યું કે રમેશ પટેલ, તેના ભાઈ અરુણ પટેલ અને પુત્ર ગૌરવ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના પૈસાને લઈને બની હતી. આ મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/seven-dalit-laborers-were-first-electrocuted-by-the-police-then-poured-petrol-in-their-rectums">7 દલિત મજૂરોને પોલીસે પહેલા કરંટ આપ્યો, પછી ગુદામાર્ગમાં પેટ્રોલ નાખ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 10 Oct 2024 14:06:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1377</Articleid>
                    <excerpt>પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા મજૂરે આ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવતા તપાસ શરુ કરવામાં આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67079217bff76.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6707921787a2f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6707921787a2f.jpg" length="77295" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Bihar News, SC ST Act, Dalit Atrocity</media:keywords>
                </item>
                        <item>
                    <title>દિવ્યાંગ દલિત યુવતી સારવાર માટે પિયર આવી, માથાભારે શખ્સે રેપ કર્યો</title>
                    <link>https://khabarantar.com/a-disabled-dalit-girl-came-to-home-for-treatment-was-raped</link>
                    <guid>https://khabarantar.com/a-disabled-dalit-girl-came-to-home-for-treatment-was-raped</guid>
                    <description>
                        <![CDATA[ મોડી રાત્રે ઘર બહાર બેઠેલી દિવ્યાંગ યુવતીને ગામનો શખ્સ બળજબરીથી ઉપાડીને ખેતરમાં લઈ ગયો અને બળાત્કાર ગુજાર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશ ગુનાખોરી અને જાતિવાદનું કારખાનું બની ગયું હોય તેવી સ્થિતિ છે. દરરોજ કોઈને કોઈ એવી ઘટના અહીં બને છે, જેનાથી આપણું મન ખિન્ન થઈ જાય. બહરાઈચમાં ત્રણ દલિત બાળકોનું માથું મુંડી તેમના માથા પર ચોર લખીને ગામમાં ફેરવવાની ઘટનાની ચર્ચા છે ત્યારે એક ગામમાં દિવ્યાંગ દલિત યુવતી પર બળાત્કાર થયાની વાત સામે આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીની છે. અહીં ફૂલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક દલિત વિકલાંગ યુવતી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. યુવતી પર તેના પિયરમાં જ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. હાલ મહિલાની માતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી સૂરજ પટેલની ધરપકડ કરી તેને સંબંધિત કલમો હેઠળ જેલમાં ધકેલી દીધો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પ્રવીણ કુમાર સિંહના જણાવ્યા પ્રમાણે, પીડિતાની માતાની ફરિયાદ અનુસાર તેમની 21 વર્ષની વિકલાંગ દીકરીના લગ્ન થઈ ગયા છે. કેટલાક દિવસોથી તેની સારવાર ચાલી રહી હોવાથી તે પોતાની માતા પાસે પિયરમાં રહેવા આવીને રહે છે. 5 ઓક્ટોબરના રોજ રાત્રે 10:30 વાગે જમ્યા બાદ તે બહાર નીકળી હતી. એ દરમિયાન ગામનો સુરજ પટેલ નામનો શખ્સ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. જે તેમની દીકરીને ખેતરમાં ખેંચીને લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાની માતાએ વધુમાં કહ્યું કે, "જ્યારે મારી દીકરીએ તેની પકડમાંથી છુટવા માટે પ્રયત્નો કર્યા અને ચીસો પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેના મોઢામાં કપડું ભરાવી દીધું હતું. એ પછી તેણે તેના પર બળાત્કાર કર્યો અને જો તે આ બાબતે કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી ભાગી ગયો. લાંબા સમય બાદ પુત્રી પરત ન આવતા મેં બહાર જઈને તપાસ કરી પણ દીકરી મળી નહીં. આ દરમિયાન પુત્રી પરસેવે રેબઝેબ અને અસ્તવ્યસ્ત કપડાં સાથે આવતી જોવા મળી હતી. અને તેણે આપવીતી સંભળાવી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે, પીડિતાની માતાની ફરિયાદ પર BNSની કલમ 64(2)(k) અને SC-ST એક્ટની કલમ 3(2)(v) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવ્યા બાદ રવિવારે બપોરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને મોડી સાંજે તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/gang-rape-on-the-cleaning-lady-of-ayodhya-ram-mandir">અયોધ્યામાં રામ મંદિરની સફાઈકર્મી યુવતી પર ગેંગરેપ, 9 લોકો સામે ગુનો નોંધાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 10 Oct 2024 12:52:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1376</Articleid>
                    <excerpt>મોડી રાત્રે ઘર બહાર બેઠેલી દિવ્યાંગ યુવતીને ગામનો શખ્સ બળજબરીથી ઉપાડીને ખેતરમાં લઈ ગયો અને બળાત્કાર ગુજાર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67078095d603b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67078095a23b5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67078095a23b5.jpg" length="50549" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit women raped, UP, varanasi, atrocity act case, SC -ST act</media:keywords>
                </item>
                        <item>
                    <title>3 દલિત બાળકોનું માથું મુંડ્યું, મોં કાળું કરી માથે &amp;apos;ચોર&amp;apos; લખીને ગામમાં ફેરવ્યા</title>
                    <link>https://khabarantar.com/three-dalit-children-shaved-their-heads-blackened-their-faces-with-thieves-written-on-their-heads-and-sent-to-the-village</link>
                    <guid>https://khabarantar.com/three-dalit-children-shaved-their-heads-blackened-their-faces-with-thieves-written-on-their-heads-and-sent-to-the-village</guid>
                    <description>
                        <![CDATA[ બાળકો હાથ જોડતા રહ્યાં, છોડી દેવા માટે કરગરતા રહ્યાં પણ જાતિવાદીઓનું હૃદય ન પીગળ્યું.  ન ગામનું કોઈ તેમને છોડાવવામાં આવ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Bahraich News : જાતિવાદ એક એવું ઝેર છે, જે એકવાર કોઈ વ્યક્તિમાં પ્રસરી જાય પછી તે સારા-નરસાંનો ભેદ પારખતી બંધ થઈ જાય છે. પછી ભલેને સામે નિર્દોષ બાળકો જ કેમ ન હોય, જાતિવાદી તત્વો પછી તેમના ઝેરીલા ડંખ મારવામાં ઉંમર કે પરિસ્થિતિની પણ શરમ ભરતા નથી. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ત્રણ દલિત બાળકોને જાતિવાદી તત્વોએ ચોરીની શંકામાં તેમનું માથું મુંડીને આખા ગામમાં ફેરવ્યા હતા. કલ્પના કરો, આ બાળકોના મન પર તેની શું અસર પડી હશે?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તર પ્રદેશની છે. અહીં બહરાઈચ જિલ્લામાં ચોરીની શંકામાં ત્રણ દલિત બાળકોને માર મારી તેમની સાથે અત્યંત નિમ્ન સ્તરનું અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે. જાતિવાદી તત્વોએ આ બાળકોનું માથું મુંડી નાખ્યું, મોં કાળું કર્યું અને માથે અને મોઢા પર 'ચોર' લખી દીધું. આટલું જ નહીં, આ બાળકોના હાથ બાંધીને આખા ગામમાં તેમને ફેરવ્યા હતા. બાળકો હાથ જોડીને પોતાને છોડી દેવાની વિનંતી કરતા રહ્યા, પરંતુ જાતિવાદી તત્વોએ તેમને છોડ્યા નહીં. એટલું જ નહીં, ગામમાંથી પણ કોઈએ તેને બચાવવાની હિંમત કરી નહીં. ઘટના નાનપારા પોલીસ સ્ટેશનના તાજપુર ટેડિયા ગામનો છે. પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span><br><span style="font-size: 14pt;">તાજપુર તેડિયા ગામમાં રહેતા નાઝિમના ફાર્મ હાઉસમાંથી ઘઉં સહિતના અનાજની ચોરી થઈ હતી. તેણે તેના મિત્રો કાસિમ અને ઇનાયતને ફાર્મ હાઉસ પર બોલાવ્યા. આરોપ છે કે ચોરીની આશંકાએ ગામના ત્રણ બાળકોને બળજબરીથી પોલ્ટ્રી ફાર્મ પર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને પાટું અને મુક્કા મારવામાં આવ્યા. એ પછી ત્રણેયના હાથ દોરડાથી બાંધી દેવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળકોના મોંઢાં કાળાં કરવામાં આવ્યા અને તેમનું માથું અડધું મુંડવામાં આવ્યું. એ પછી તેમને આખા ગામમાં ફેરવવામાં આવ્યા. માહિતી મળતા જ બાળકોના પરિવારજનો ત્યાં પહોંચી ગયા હતા અને હાથ જોડીને બાળકોને ગુંડાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. આ બાળકોની ઉંમર 10 થી 14 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળકોના પરિવારજનોનું કહેવું છે કે, "બાળકો એક વર્ષથી પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા હતા. તેઓ 5 દિવસ પહેલા કામ છોડીને ચાલ્યા ગયા હતા. તેનાથી નારાજ થઈને સંચાલકોએ બાળકો પર ચોરીનો ખોટો આરોપ લગાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાનપારાના રેન્જ આઈજી પ્રદ્યુમન સિંહે કહ્યું, "પરિવારના સભ્યોની ફરિયાદ પર, SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/racists-beaten-6-dalit-children-in-school-van">સ્કૂલ વાનમાં ભણવા જતા 6 દલિત બાળકોને જાતિવાદીઓએ માર મારી લોહીલુહાણ કરી મૂક્યાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 10 Oct 2024 11:51:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1375</Articleid>
                    <excerpt>બાળકો હાથ જોડતા રહ્યાં, છોડી દેવા માટે કરગરતા રહ્યાં પણ જાતિવાદીઓનું હૃદય ન પીગળ્યું.  ન ગામનું કોઈ તેમને છોડાવવામાં આવ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67077213b636c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670772137b26d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670772137b26d.jpg" length="56388" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, SC ST Act, Dalit Atrocity, Bahraich News</media:keywords>
                </item>
                        <item>
                    <title>રામલીલા જોવા ગયેલા દલિતને પોલીસે માર્યો, લાગી આવતા ગળેફાંસો ખાધો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-who-had-gone-to-see-ramlila-was-beaten-by-the-police-and-hanged-himself</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-who-had-gone-to-see-ramlila-was-beaten-by-the-police-and-hanged-himself</guid>
                    <description>
                        <![CDATA[ રામલીલા જોવા ગયેલા એક દલિત વ્યક્તિ ખાલી ખુરશી પર બેઠાં તો પોલીસે તેમને માર માર્યો. જેનાથી લાગી આવતા દલિત વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ લીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Kasganj Ramlila Controversy : ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક દલિત વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આરોપ છે કે અહીંની પોલીસે રામલીલા જોવા ગયેલા તે દલિત વ્યક્તિનું અપમાન કર્યું હતું અને તેમને ખુરશી પર બેસવા નહોતા દીધાં. એટલું જ નહીં, તેમને માર માર્યો હતો, જેનાથી દુઃખી થઈને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકની પત્નીએ આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ હવે પોલીસે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના સોરોં પોલી સ્ટેશનના સલેમપુર વીવી ગામમાં બની હતી. જ્યાં એક દલિત વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતકની પત્નીનો આરોપ છે કે રામલીલાના ચોગાનમાં ખુરશી પર બેઠેલા બે પોલીસકર્મીઓએ તેમના પતિને માર માર્યો અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ ઘટનાને લઈને તેમને ભારે લાગી આવતા તેમણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની પત્નીએ બે પોલીસકર્મી બહાદુર સિંહ અને વિક્રમ સિંહ વિરુદ્ધ સોરોં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકનું નામ રમેશ ચંદ હોવાનું કહેવાય છે. તેમના જમાઈ મનોજ કુમારે કહ્યું કે 'તેઓ રાત્રે 9 વાગ્યે રામલીલા જોવા ગયા હતા. ત્યાં ખુરશીઓ પડી હતી તેથી તેઓ એક ખુરશી પર બેસી ગયા. એ જોઈને હેડ કોન્સ્ટેબલ બહાદુર સિંહ અને એક કોન્સ્ટેબલ વિક્રમ સિંહ ત્યાં આવ્યા અને તેમને ખેંચીને લઈ ગયા. આ બંનેએ તેમને માર માર્યો અને તેમની સાથે ગાળાગાળી કરી દુર્વ્યવહાર પણ કર્યો, જેનાથી તેમની લાગણીઓને ભારે ઠેસ પહોંચી હતી. એ પછી તેમણે ઘરે આવીને રડતા રડતા આખી વાત જણાવી અને પછી ગળે ફાંસો ખાઈ લીધો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલાની તપાસ કરતા કાસગંજના એએસપી રાજેશ કુમાર ભારતીએ જણાવ્યું કે રામલીલા ચાલી રહી હતી ત્યારે ગામના રમેશ ચંદ સ્ટેજ પર બેસી ગયા હતા. આયોજકો અને દર્શકોએ તેમને ત્યાંથી હટવાનું કહ્યું, જેથી પોલીસે તેમને ત્યાંથી હટાવ્યા. એ પછી તેઓ ઘરે પરત ફર્યા. બીજા દિવસે સવારે રમેશ ચંદે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/ram-leelas-ram-died-of-a-heart-attack-on-stage-in-delhi">રામલીલામાં રામનું પાત્ર ભજવતા કલાકારને સ્ટેજ પર આવ્યો હાર્ટએટેક, સારવારમાં મોત</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 09 Oct 2024 15:36:19 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 09 Oct 2024 15:36:47 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1372</Articleid>
                    <excerpt>રામલીલા જોવા ગયેલા એક દલિત વ્યક્તિ ખાલી ખુરશી પર બેઠાં તો પોલીસે તેમને માર માર્યો. જેનાથી લાગી આવતા દલિત વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ લીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6706558710a67.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67065586cc0f8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67065586cc0f8.jpg" length="93041" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kasganj Ramlila Controversy, The policeman beat him, Dalit strangled</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરિયાણાની એ સીટ જ્યાં &amp;apos;હાથી&amp;apos; એ ભાજપને પરસેવો છોડાવી દીધો</title>
                    <link>https://khabarantar.com/haryanas-ateli-seat-where-hathi-made-the-bjp-sweat</link>
                    <guid>https://khabarantar.com/haryanas-ateli-seat-where-hathi-made-the-bjp-sweat</guid>
                    <description>
                        <![CDATA[ હરિયાણામાં BSP ભલે ખાતું ન ખોલાવી શકી, પણ એક સીટ એવી છે જ્યાં હાથીએ કેન્દ્રીય મંત્રીને પરસેવો છોડાવી દીધો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Atteli Assembly seat BSP Close to victory : ઇન્ડિયન નેશનલ લોકદળ સાથે ગઠબંધન કરીને હરિયાણા વિધાનસભા ચૂંટણી લડનાર બહુજન સમાજ પાર્ટી (BSP) પોતાનું ખાતું ખોલાવી શકી ન હતી, પરંતુ હાથીએ કેટલીક બેઠકો પર સારી તાકાત બતાવી હતી. પાર્ટી એક સીટ પર જીતની ખૂબ નજીક આવી ગઈ હતી. બપોર સુધી બીએસપીના ઉમેદવાર આગળ હતા અને ત્યાં સુધી ભાજપના દિગ્ગજની આબરૂ દાવ પર હતી. જો કે, અંતે હાથી થોડો ધીમો પડી ગયો અને બીજા સ્થાને સ્થિર થઈ ગયો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રસપ્રદ ટક્કર મહેન્દ્રગઢ જિલ્લાની અટેલી બેઠક (Atteli Assembly seat) પર થઈ હતી. ભાજપે દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ (Rao Indrajit Singh) ની પુત્રી આરતી સિંહ રાવ (Aarti Singh Rao) ને ટિકિટ આપી હતી. આરતીની આ પહેલી ચૂંટણી તેના માટે ઘણી મુશ્કેલ રહી હતી. બસપા (BSP)ના અત્તર લાલે (Attar Lal) અહીં મજબૂત લડાઈ લડી હતી. બપોર સુધી તેઓ સતત આગળ ચાલતા રહ્યા. બાદમાં તેઓ આરતીથી પાછળ રહી ગયા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સીટ પર બસપાને 54652 મત મળ્યા હતા. અત્તર લાલ 3085 મતોથી આરતી સામે ચૂંટણી હારી ગયા. અહીં કોંગ્રેસ ત્રીજા ક્રમે રહી છે. કોંગ્રેસની અનિતા યાદવ (Anita Yadav) ને 30 હજાર મત મળ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP) ના સુનીલ રાવ (Sunil Rao) ને અહીં માત્ર 220 મત મળ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્તર લાલ ભલે ચૂંટણી હારી ગયા, પરંતુ તેમણે જે રીતે ભાજપના દિગ્ગજ નેતા રાવ ઈન્દ્રજીત સિંહની આબરૂના ધજાગરા ઉડાડ્યા અને તેમના શ્વાસ અદ્ધર કરી દીધાં તેની ચોતરફ ખૂબ ચર્ચા થઈ રહી છે. રાવ દક્ષિણ હરિયાણાના શક્તિશાળી નેતા છે અને મુખ્યમંત્રી પદ માટે પણ દાવો કરી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BSP સાથે INLD બે બેઠકો જીતવામાં સફળ રહી. JJP ગત વખતે 10 બેઠકો કબજે કરીને કિંગમેકર બની હતી, પરંતુ આ વખતે તેનું ખાતું પણ ખૂલી શક્યું નથી. બસપાને કુલ 1.82 ટકા વોટ મળ્યા છે. આ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે બસપા આમ આદમી પાર્ટી કરતા થોડો વધુ વોટ શેર મેળવવામાં સફળ રહી હતી. 88 સીટો પર ચૂંટણી લડનાર AAPને 1.79 ટકા વોટ મળ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Mayawati-demands-Bharat-Ratna-award-to-Manyavar-Kanshiram,-central-govt-furious">માન્યવર કાંશીરામને 'ભારતરત્ન'થી સમ્માનિત કરોઃ માયાવતી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 09 Oct 2024 14:44:17 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1371</Articleid>
                    <excerpt>હરિયાણામાં BSP ભલે ખાતું ન ખોલાવી શકી, પણ એક સીટ એવી છે જ્યાં હાથીએ કેન્દ્રીય મંત્રીને પરસેવો છોડાવી દીધો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670649594b260.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6706495910fbe.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6706495910fbe.jpg" length="141442" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Haryana Assembly Election Result, Atteli Assembly seat, BSP Candidate Attar Lal</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેતરમાં ઘાસ કાપવા બદલ દલિત માં&amp;દીકરીને જાતિવાદીએ માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-mother-and-daughter-beaten-up-by-racist-for-cutting-grass-in-field</link>
                    <guid>https://khabarantar.com/dalit-mother-and-daughter-beaten-up-by-racist-for-cutting-grass-in-field</guid>
                    <description>
                        <![CDATA[ મહિલા વિધવા છે તેની પણ આરોપીએ પરવા ન કરી. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેતરમાં ઘાસ કાપવા ગયેલી દલિત માં-દીકરીને જાતિવાદી વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હોય તેવી ઘટનાની ગુજરાત સહિત દેશભરમાં જાણે કશી નવાઈ નથી રહી. ગુજરાતમાં ભાગ્યે જ એવું કોઈ ગામ હશે જ્યાં માથાભારે જાતિવાદી તત્વો તેમના ખેતરોના શેઢે ઉગતા ઘાસને પણ જો દલિતો હાથ લગાડે તો તેમની સાથે મારામારી કરવા ઉતરી આવ્યા હોય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશના બુલંદ શહેરના અહમદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવી છે. જ્યાં ઘાસ કાપવાને લઈને એક જાતિવાદી તત્વ દ્વારા દલિત વિધવા અને તેમની દીકરીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેને લઈને હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના અહમદનગર પોલીસ સ્ટેશનના જગદીશપુર ગામની છે. જ્યાં એક દલિત વિધવા એક સીમમાં ઘાસ કાપવા માટે નીકળી હતી. એક ખેતરના શેઢે તે ઘાસ કાપી રહી, જેને લઈને એક જાતિવાદી તત્વ દ્વારા મહિલાને માર મારવામાં આવ્યો હતો. મહિલાની ઉંમર ઘણી વધારે છે, જો કે જાતિવાદી તત્વે તેમની ઉંમરની પણ પરવા કર્યા વિના માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો કોઈએ ઉતારી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં જાતિવાદી તત્વ દલિત મહિલા અને તેમની દીકરીને માર મારતો દેખાય છે. અહમદનગર પોલીસ ગુનાઓ રોકવામાં નિષ્ફળ નીવડી હોય તેમ લોકોને લાગી રહ્યું છે. કેમ કે, જાતિવાદી ખેતરમાલિક કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના એક વૃદ્ધ મહિલા અને તેમની દીકરીને માર માર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બુલંદ શહેરના કપ્તાન શ્લોક કુમારે ક્રાઈમની કોઈપણ ઘટનામાં તરત એક્શન લેવાના આદેશો આપેલા હોવા છતાં આ મામલે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પીડિત દલિત મહિલા વિધવા છે અને કોઈ સહારો ન હોવા છતાં તે દીકરી સાથે મળીને મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે માથાભારે શખ્સે તેની પરવા કર્યા વિના માં-દીકરીને માર માર્યો હતો. બીજી તરફ મહિલાનો આરોપ છે કે, તેણે આ મામલે પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે કોઈ ધ્યાન આપ્યું નહોતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે શિકારપુરના સીઓ વિકાસ ચૌહાણનું કહેવું છે કે, મહિલા મારા કાર્યાલય પર આવી હતી. તેની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. એફઆઈઆર નોંધવામાં આવી છે અને જલદી આરોપીની ધરપકડ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-anganwadi-worker-was-tied-to-a-tree-by-a-mob-and-beaten-to-death">ટોળાંએ દલિત આંગણવાડી કાર્યકર મહિલાને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 09 Oct 2024 09:20:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1368</Articleid>
                    <excerpt>મહિલા વિધવા છે તેની પણ આરોપીએ પરવા ન કરી. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670575e085e73.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670575e050f34.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670575e050f34.jpg" length="56033" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Women Beaten up, Buland Shaher, UP</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોન્સ્ટેબલે દલિત મહિલાને કહ્યું, તારા પતિને રેપ અને હત્યામાં ફસાવી દઈશ</title>
                    <link>https://khabarantar.com/constable-told-the-dalit-woman-I-will-frame-your-husband-for-rape-and-murder</link>
                    <guid>https://khabarantar.com/constable-told-the-dalit-woman-I-will-frame-your-husband-for-rape-and-murder</guid>
                    <description>
                        <![CDATA[ નશામાં ધૂત એક પોલીસવાળો બળજબરથી દલિત મહિલાના ઘરમાં ઘૂસી આવ્યો અને બળજબરી કરવા લાગ્યો, મહિલાએ બે-ત્રણ લાફા ઝીંકી દીધાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Drunk Constable Dalit women forced : ઉત્તર પ્રદેશના કન્નૌજના એક ગામમાં નશામાં ધૂત એક પોલીસવાળો દલિત મહિલાના ઘરમાં ઘુસી ગયો હતો અને બળજબરી કરવા લાગ્યો હતો. તેણે મહિલાના ગળામાં રહેલા મંગળસૂત્રને તોડી નાખતા કહ્યું કે, ચૂપ રહે, નહીંતર તારા પતિને બળાત્કાર અને હત્યાના કેસમાં ફસાવી દઈશ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના કન્નૌજના તાલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે. જ્યાં દારૂના નશામાં ધૂત એક કોન્સ્ટેબલ એક દલિત મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. મહિલાને ખેંચીને તેણે ખાટલા પર બેસાડી અને તેના ગળામાંથી મંગળસૂત્ર તોડી નાખ્યું હતું અને ધમકી આપી હતી કે "ચૂપ રહે, નહીંતર તારા પતિને બળાત્કાર અને હત્યાના કેસમાં ફસાવીશ."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-dalit-youth-was-made-to-wear-a-necklace-of-khansda-blackened-his-face-and-returned-to-the-village">દલિત યુવકને ખાંસડાનો હાર પહેરાવી, મોં કાળું કરી ગામમાં ફેરવ્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુસ્સે ભરાયેલી મહિલાએ તેને થપ્પડ મારી દીધી હતી. અવાજ સાંભળીને આસપાસના લોકો આવી જતાં પોલીસકર્મી ભાગવા લાગ્યો હતો. આ દરમિયાન તે ચબૂતરા પર ચડવા જતા પડી ગયો હતો. આરોપી કોન્સ્ટેબલને ઇજાગ્રસ્ત હાલતમાં સીએચસી તાલગ્રામથી જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાલગ્રામની રહેવાસી દલિત મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ દિલ્હીમાં ખાનગી નોકરી કરે છે. તે બે બાળકો સાથે ઘરે એકલી રહે છે. આરોપ છે કે રવિવારે રાત્રે તાલગ્રામ પોલીસ સ્ટેશનની પીઆરવીમાં ફરજ બજાવતો એક કોન્સ્ટેબલ નશામાં ધૂત થઈને આ વિસ્તારના એક સાથે મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના પતિને બળાત્કાર અને હત્યાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેની સાથે પરાણે પલંગ પર બેસવા દબાણ કર્યું હતું. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો તેણે ગેરવર્તન શરૂ કર્યું અને મહિલાનું મંગળસૂત્ર ખેંચીને તોડી નાખ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાના જણાવ્યા અનુસાર ઝપાઝપી દરમિયાન તેણે કોન્સ્ટેબલને બે-ત્રણ થપ્પડ ઝીંકી દીધી હતી. તેનાથી ગુસ્સે ભરાયેલા કોન્સ્ટેબલે તેને પેટમાં લાત મારી હતી. અવાજ સાંભળીને વાસના લોકો આવી પહોંચ્યાં હતા અને પોલીસકર્મીને પકડીને તેને રોકવા લાગ્યા. ભાગવાનો પ્રયાસ કરતી વખતે નશામાં ધૂસ કોન્સ્ટેબલ પ્લેટફોર્મ પરથી પડી ગયો અને ઘાયલ થયો. પોલીસ સ્ટેશનના પ્રભારી શશિકાંત કનોજિયાએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/i-am-illiterate-but-what-happened-to-my-son-should-happen-to-a-murderer">હું અભણ છું, મારા દીકરા સાથે જે થયું તે હત્યારા સાથે થવું જોઈએ...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 08 Oct 2024 10:43:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1362</Articleid>
                    <excerpt>નશામાં ધૂત એક પોલીસવાળો બળજબરથી દલિત મહિલાના ઘરમાં ઘૂસી આવ્યો અને બળજબરી કરવા લાગ્યો, મહિલાએ બે-ત્રણ લાફા ઝીંકી દીધાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6704bf7a11906.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6704bf79d5b62.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6704bf79d5b62.jpg" length="34219" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit women forced, Drunk Constable, Dalit News, Kanauj News</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોલેજ જતી દલિત સગીરાનું અપહરણ કરી ટ્રક ડ્રાઈવરે બળાત્કાર ગુજાર્યો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-girl-going-to-college-was-kidnapped-and-raped-by-a-truck-driver</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-girl-going-to-college-was-kidnapped-and-raped-by-a-truck-driver</guid>
                    <description>
                        <![CDATA[ સગીરાએ ફરિયાદ નોંધાવતા આરોપી વિરુદ્ધ પોક્સો, એસસી-એસટી એક્ટ સહિતની કલમો હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. આરોપી પકડાઈ ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit minor girl rapped : ઉત્તરાખંડના ચંપાવતમાં એક ટ્રક ડ્રાઈવરે કથિત રીતે એક સગીર દલિત વિદ્યાર્થીનીનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં મળેલી ફરિયાદના આધારે પોલીસે BNS અને POCSO એક્ટની કલમો હેઠળ એફઆઈઆર નોંધી આરોપીની ધરપકડ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, આરોપ છે કે શનિવારે ચંપાવતમાં એક ટ્રક ડ્રાઈવરે એક દલિત સગીર વિદ્યાર્થિનીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે મોડી રાત્રે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ પોક્સો, બળાત્કાર અને એસસી/એસટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના મીડિયા સેલ પાસેથી મળેલી માહિતી અનુસાર, ચંપાવત વિસ્તારના રહેવાસી એક વ્યક્તિએ શનિવારે સાંજે પોલીસને જાણ કરી કે તેની 17 વર્ષની પુત્રી, જે એક કોલેજ સ્ટુડન્ટ છે, સવારે 4 વાગે કોઈને જાણ કર્યા વગર ઘરની બહાર નીકળી ગઈ હતી. સાંજે ઘરે પરત ફરતાં પુત્રીએ તેની સાથે બળાત્કાર થયો હોવાની માહિતી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યાર્થિનીએ જણાવ્યું કે ખીરદ્વારીમાં રહેતો ટ્રક ચાલક નરેશ સિંહ તેને લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો હતો અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. પીડિત વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ પર પોલીસે આરોપી ડ્રાઈવર નરેશ સિંહ વિરુદ્ધ BNSની કલમ 137(2)/64 અને 3/4, POCSO અને 3(2)(V) A SC ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી ડ્રાઈવર નરેશની શનિવારે મોડી રાત્રે ધૌન નજીકથી ધરપકડ કરી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે જણાવ્યું કે સગીરાનું અપહરણ કેવી રીતે થયું તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. એસપી અજય ગણપતિએ જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : <a href="https://khabarantar.com/dalit-girl-raped-in-firozabad-by-luring-her-with-chocolate">દલિત બાળકીને ચોકલેટની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો, હાલત ગંભીર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 07 Oct 2024 14:44:23 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 07 Oct 2024 14:49:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1358</Articleid>
                    <excerpt>સગીરાએ ફરિયાદ નોંધાવતા આરોપી વિરુદ્ધ પોક્સો, એસસી-એસટી એક્ટ સહિતની કલમો હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. આરોપી પકડાઈ ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6703a65dec456.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6703a65dbaa4c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6703a65dbaa4c.jpg" length="62114" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Girl Raped, Dalit News, Dalit Crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>Haryana Exit Polls : BSP અને આઝાદ સમાજ પાર્ટીની સ્થિતિ શું છે?</title>
                    <link>https://khabarantar.com/haryana-Exit-polls-what-is-the-position-of-bsp-and-azad-samaj-party</link>
                    <guid>https://khabarantar.com/haryana-Exit-polls-what-is-the-position-of-bsp-and-azad-samaj-party</guid>
                    <description>
                        <![CDATA[ Haryana Exit Polls બહુજન સમાજ પાર્ટી અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી માટે કોઈ ઉત્સાહજનક સ્થિતિ બતાવાઈ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Haryana Exit poll : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલ્સમાં બીએસપી અને આઝાદ સમાજ પાર્ટી માટે કોઈ ઉત્સાહજનક સમાચાર દેખાઈ રહ્યાં નથી. બીએસપી અને ચંદ્રશેખર આઝાદે અહીં ચૌધરી દેવીલાલના વારસદારોની પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા હતા. હરિયાણામાં બસપા પહેલા ચૂંટણી લડી ચૂકી છે. 2000 થી 2014 સુધીની દરેક વિધાનસભા ચૂંટણીમાં બસપાએ એક સીટ જીતી હતી. માયાવતીએ અભય ચૌટાલાના ઇન્ડિયન નેશનલ લોકદળ (INLO) સાથે ગઠબંધન કર્યું છે અને 35 બેઠકો પર ચૂંટણી લડી છે.  ચંદ્રશેખર આઝાદ દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (JJP) સાથે ગઠબંધન કરીને 12 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. આ તેમની પહેલી ચૂંટણી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રેડ માઈક એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં INLD-BSP ગઠબંધનને 1-5 બેઠકો મળવાની શક્યતા છે. આ સર્વેમાં જેજેપી-એએસપીને શૂન્ય સીટ આપવામાં આવી છે. એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 53-65 અને ભાજપને 18-28 બેઠકો આપવામાં આવી છે. અન્યમાં 0-8 બેઠકોનો અંદાજ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયા ટુડે-સી વોટરના એક્ઝિટ પોલમાં અન્ય માટે 10-14 બેઠકોની આગાહી કરવામાં આવી છે. INLD-BSP ગઠબંધનની ગણતરી અન્ય લોકોમાં કરવામાં આવી છે. આ સર્વે અનુસાર જેજેપી-એએસપી ગઠબંધનને 0-2 બેઠકો મળશે. સી વોટરના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને 50-58 અને ભાજપને 20-28 બેઠકો મળવાની ધારણા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપબ્લિક ભારત-મેટ્રિસના એક્ઝિટ પોલમાં INLD અને BSP ગઠબંધન માટે 3-6 બેઠકો, JJP-ASP માટે 0-3 બેઠકો દર્શાવવામાં આવી છે. અન્યમાં પણ 2-5 બેઠકો હોવાનું કહેવાય છે. જેમાં કોંગ્રેસને 55થી 62 અને ભાજપને 18-24 બેઠકો મળવાની ધારણા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપબ્લિક ટીવી- પી-માર્ક એક્ઝિટ પોલમાં INLD-BSP માટે 3-6 બેઠકો અને JJP-ASP માટે 0 બેઠકોનો અંદાજ છે. કોંગ્રેસને 51-61 અને ભાજપને 27-35 બેઠકો મળી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ્રુવ રિસર્ચના એક્ઝિટ પોલ મુજબ INLD-BSP અને JJP-ASP ગઠબંધનને શૂન્ય બેઠકો મળશે. તેણે કોંગ્રેસને 50-64 બેઠકો અને ભાજપને 22-32 બેઠકો આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દૈનિક ભાસ્કરના પત્રકારોના એક્ઝિટ પોલમાં અન્યને 4-10 બેઠકો મળવાનો અંદાજ છે. INLD-BSPને 1-5 બેઠકો મળવાની ધારણા છે જ્યારે JJP-ASPને 0-1 બેઠકો મળવાની ધારણા છે. જેમાં કોંગ્રેસને 44-54 બેઠકો, ભાજપને 19-29 બેઠકો મળવાનો અંદાજ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">JIST-TIFF એક્ઝિટ પોલ અનુસાર, INLD-BSPને 0-2 અને અન્યને 4-6 બેઠકો મળવાની ધારણા છે. જેજેપી-એએસપીને અન્યમાં રાખવામાં આવ્યા છે. કોંગ્રેસને 45-53 અને ભાજપને 29-37 બેઠકો મળવાની ધારણા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલમાં જેજેપી-એએસપી ગઠબંધનને 0-1 સીટ અને INLD-બીએસપી ગઠબંધનને 2-3 સીટ મળવાની સંભાવના છે. કોંગ્રેસને 49-61 અને ભાજપને 20-32 બેઠકો મળવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/will-congress-make-kumari-shailja-chief-minister">શું કોંગ્રેસ કુમારી શૈલજાને મુખ્યમંત્રી બનાવશે ખરાં?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 06 Oct 2024 21:37:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1352</Articleid>
                    <excerpt>Haryana Exit Polls બહુજન સમાજ પાર્ટી અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી માટે કોઈ ઉત્સાહજનક સ્થિતિ બતાવાઈ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6702b3f9ef377.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6702b3f9bcb14.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6702b3f9bcb14.jpg" length="78653" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Haryana Exit Polls, BSP, ASPK, mayawati</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત બાળકીને ચોકલેટની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો, હાલત ગંભીર</title>
                    <link>https://khabarantar.com/dalit-girl-raped-in-firozabad-by-luring-her-with-chocolate</link>
                    <guid>https://khabarantar.com/dalit-girl-raped-in-firozabad-by-luring-her-with-chocolate</guid>
                    <description>
                        <![CDATA[ બાળકી જમણવારમાં જઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ચોકલેટની લાલચ આપી તેને ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. દીકરી હોસ્પિટલમાં છે અને હાલત ગંભીર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">dalit girl raped in firozabad by luring her with chocolate : ફરી એકવાર જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશમાંથી કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. અહીં ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત બાળકી પર બળાત્કાર થયાનો મામલો સામે આવ્યો છે. બાળકીને ગંભીર હાલતમાં મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે. બાળકીની માતાએ ગઈકાલે શિકોહાબાદ પોલીસ સ્ટેશનમાં આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું કે, બાળકી શુક્રવારે ગામમાં જ એક ગૃહપ્રવેશ કાર્યક્રમ બાદ યોજાયેલા કન્યાઓ માટેના ભોજન કાર્યક્રમમાં જમવા માટે ગઈ હતી. ગામમાં નેજા અને ભંડારાનો પણ કાર્યક્રમ હતો અને બધાં તેમાં વ્યસ્ત હતા. રાત્રે ભંડારા બાદ પરિવારના સભ્યો ઘરે પહોંચ્યા ત્યારે બાળકી ઢીલી જણાતી હતી અને તેના કપડા પર લોહી જોવા મળ્યું હતું. જેને લઈને તેની પૂછપરછ કરતા બાળકીએ તેની પર થયેલા બળાત્કાર વિશે જણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતીએ જણાવ્યું કે ગામના કેટલાક યુવકોએ તેને ચોકલેટની લાલચ આપી ઝાડીઓમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહેતું જોઈને પરિવારજનો તેને રાત્રે જ શિકોહાબાદ હોસ્પિટલ લઈ ગયા, પરંતુ મહિલા ડોક્ટરની ગેરહાજરીને કારણે તેની યોગ્ય સારવાર થઈ શકી નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બળાત્કારની માહિતી મળતાં જ પોલીસને રાત્રે જ હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવી હતી, એસપી રૂરલ અખિલેશ ભદોરિયા અને શિકોહાબાદ પોલીસ સ્ટેશન સાથે શનિવારે ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ફિરોઝાબાદ જિલ્લા હોસ્પિટલમાં બાળકીની તબીબી તપાસ કરવામાં આવી હતી, અને તેને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિક્ષક, ગ્રામ્યના જણાવ્યા અનુસાર, બાળકીની માતાની ફરિયાદના આધારે અજાણ્યા યુવકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની શોધમાં પોલીસ ટીમને તૈનાત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/exploited-a-dalit-teenager-for-two-years-aborted-her-when-she-became-pregnant">બે વર્ષ સુધી દલિત કિશોરીનું શોષણ કર્યું, પ્રેગનેન્ટ થતા ગર્ભપાત કરાવી દીધો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 06 Oct 2024 13:43:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1348</Articleid>
                    <excerpt>બાળકી જમણવારમાં જઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ચોકલેટની લાલચ આપી તેને ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. દીકરી હોસ્પિટલમાં છે અને હાલત ગંભીર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67024677049f2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67024676c8e18.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67024676c8e18.jpg" length="35976" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit girl raped, firozabad, luring her with chocolate</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપનો સભ્ય બની જા પછી ભણજે, બાકી અમે તને ભણવા નહીં દઈએ?</title>
                    <link>https://khabarantar.com/a-law-college-student-was-made-a-bjp-member-and-threatened</link>
                    <guid>https://khabarantar.com/a-law-college-student-was-made-a-bjp-member-and-threatened</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદનો એક દલિત યુવક આંબેડકર લૉ કોલેજમાં એડમિશન માટે ગયો હતો. પણ તેને ત્યાં ભાજપનો સભ્ય બનાવી દઈ ધમકી અપાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">a law college student was made a bjp member and threatened : ગુજરાત સહિત દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતું રહ્યું છે. ગુજરાતમાં રેશનકાર્ડની દુકાને રાશન ખરીદવા ગયેલા લોકો, શાળાના વિદ્યાર્થીઓ અને દવાખાને દવા લેવા ગયેલા લોકોને પણ ભાજપના સભ્ય બનાવી દેવાયાના સમાચારો સામે આવી ચૂક્યાં છે. હવે અમદાવાદમાં એક લો કોલેજમાં એડમિશન માટે ગયેલા એક દલિત યુવકને ભાજપનો સભ્ય બનાવી દેવાયો હતો અને તેને ધમકી આપવામાં આવી હતી કે, પહેલા ભાજપનો સભ્ય બની જા પછી ભણજે, બાકી અમે તમને ભણવા નહીં દઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા એક દલિત વિદ્યાર્થીએ નામ જાહેર ન કરવાની શરતે પોતાની સાથે થયેલો અનુભવ શેર કરતા જણાવ્યું છે કે, તે એલએલબીમાં એડમિશન લેવા માટે ડો. આંબેડકર લૉ કોલેજમાં ફોર્મ ભરવા ગયો હતો. એ દરમિયાન તેને ભાજપનો સભ્ય બનાવી દેવાયો હતો. જ્યારે તેણે આ બાબતે વિરોધ નોંધાવવા ફોન કર્યો તો, સભ્ય બનાવી દેનારી વ્યક્તિએ કહ્યું કે, પહેલા ભાજપનો સભ્ય બની જા પછી ભણજે, બાકી અમે તમને ભણવા નહીં દઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિદ્યાર્થીએ ખબરઅંતર.કોમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "મેં અમદાવાદના નરોડા સ્થિત ડૉ. આંબેડકર લૉ કોલેજમાં પ્રવેશ માટે ફોર્મ ભરેલું છે. ફોર્મ સબમિટ કરતા સમયે જણાવવામાં આવેલ કે તમારા નંબર પર એડમિશન માટે OTP આવશે. એ આપજો એટલે એડમિશન થઈ જશે. ગઈકાલે તા. 05/10/2024 નાં રોજ મને એક નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં એ વ્યક્તિએ મારી ઓળખ લઈને મને કહ્યું કે, હું આંબેડકર લો કોલેજમાંથી બોલું છું તમારા ફોનમાં એડમિશન પ્રક્રિયા માટેનો એક OTP આવ્યો હશે, તે આપો એટલે પ્રક્રિયા પૂર્ણ કરીએ. હું કામમાં વ્યસ્ત હોવાથી વધુ વિચાર્યા વિના મોબાઈલમાં મેસેજ જોઈને ઓટીપી આપી દીધો હતો. એ પછી તરત ફોન કટ થઈ ગયો હતો અને મને ભાજપના સભ્ય બન્યાનો અભિનંદન આપતો મેસેજ આવ્યો હતો. મને અંધારામાં રાખીને ભાજપનો સભ્ય બનાવી દેવાતા મેં તે નંબર પર ફોન કર્યો હતો, તો કહેવાયું કે, એડમિશન ગ્રુપમાં એડ કરવા માટે કહ્યું છે. પહેલા અમારા સદસ્ય બનો અને પછી જ અભ્યાસ કરો, નહીં તો અમે તેમને ભણવા નહીં દઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિદ્યાર્થી વધુમાં જણાવે છે કે, "શું એલએલબીના એક અધ્યાપકને એ વાતની ખબર નહિ હોય કે આવી રીતે કોઈને અંધારામાં રાખીને તેની પાસેથી માહિતી કઢાવી શકાય નહીં. શું ભાજપ આ રીતે પોતાને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવશે? આંબેડકરના નામથી ચાલતી એક લૉ કોલેજમાં આવી છેતરપિંડી કરવામાં આવે છે. એ આંબેડકર, જેમણે વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતનું બંધારણ ઘડ્યું છે. તેમના નામથી ચાલતી કોલેજમાં આ લોકો વિદ્યાર્થીઓને ધમકાવીને કહે છે કે, તમે અમારા સદસ્ય બનો અને પછી જ અભ્યાસ કરો. નહિ તો અમે તમને ભણવા નહિ દઈએ. શું આ રીતે વિદ્યાર્થીઓને ધમકાવીને, સ્વતંત્રતાના અધિકારનો ભંગ કરીને વિદ્યાર્થીઓને કાયદાના સ્નાતક બનાવાશે? કાયદાનો અભ્યાસ કરવા માંગતા મને ભાજપના સભ્ય બનવા માટે ધમકી આપવામાં આવી, આ કેટલું યોગ્ય ગણાય?"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિદ્યાર્થીને ડર છે કે, તેની ઓળખ છતી થઈ જશે તો તેનું એડમિશન રદ થઈ જશે અને તેનું ભણતર બગાડી દેવામાં આવશે. આથી તેણે ખબરઅંતર.કોમને સ્પષ્ટ વિનંતી કરી છે કે, તેની કોઈપણ પ્રકારની ઓળખ છતિ ન થાય. એટલે જ અહીં તેનું નામ, કામ, કે સરનામું સહિત તમામ વિગતો ગુપ્ત રાખવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rss-will-now-focus-on-dalit-obc-youth-studying-in-colleges">આરએસએસ હવે કોલેજમાં ભણતા દલિત, ઓબીસી યુવાનો પર ફોકસ કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 06 Oct 2024 11:58:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1347</Articleid>
                    <excerpt>અમદાવાદનો એક દલિત યુવક આંબેડકર લૉ કોલેજમાં એડમિશન માટે ગયો હતો. પણ તેને ત્યાં ભાજપનો સભ્ય બનાવી દઈ ધમકી અપાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67022df9088db.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67022df8c6d27.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67022df8c6d27.jpg" length="58854" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>law college student, was made a bjp member, threatened</media:keywords>
                </item>
                        <item>
                    <title>શૈલજા પાઈક :  7 કરોડની &amp;apos;જિનિયસ ગ્રાન્ટ&amp;apos; મેળવનાર પ્રથમ દલિત મહિલા</title>
                    <link>https://khabarantar.com/shailja-paik-the-first-dalit-woman-to-receive-a-seven-crore-genius-grant</link>
                    <guid>https://khabarantar.com/shailja-paik-the-first-dalit-woman-to-receive-a-seven-crore-genius-grant</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Shailja Paik - The first Dalit woman to receive genius grant : </span><span style="font-size: 14pt;">બહુજનો ગર્વથી છાતી કાઢીને 'જય ભીમ'ની સિંહગર્જના કરી શકે એવા એક સમાચાર આવ્યા છે. </span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રની ઝૂંપડપટ્ટીમાં ઉછરેલી એક દલિત મહિલાએ વિશ્વ વિખ્યાત મેકઆર્થર ફાઉન્ડેશન (MacArthur Foundation) ની રૂ. 8 લાખ ડોલર એટલે કે રૂ. 6.7 કરોડની જિનિયસ ગ્રાન્ટ (Genius Grant) મેળવી છે. એ વ્યક્તિ એટલે ભારતીય-અમેરિકન પ્રોફેસર શૈલજા પાઈક (Shailja Pike). તેઓ દલિત સમાજ (Dalit Community)માંથી આવે છે અને દલિત મહિલાઓ (Dalit Women) પર સંશોધન (Reaserch) કરી તેમના મુદ્દાઓ પર લખે છે. તેમને આઠ લાખ ડોલર (આજના ભારતીય ચલણમાં આશરે રૂ. 6.7 કરોડ)ની 'જિનિયસ ગ્રાન્ટ' (Genius Grant) પ્રાપ્ત થઈ છે. આ ગ્રાન્ટ મેકઆર્થર ફાઉન્ડેશન (MacArthur Foundation) દ્વારા આપવામાં આવી છે. મેકઆર્થર ફાઉન્ડેશન દર વર્ષે નોંધપાત્ર સિદ્ધિ અથવા તેવી ક્ષમતા ધરાવતી વ્યક્તિઓને આ ગ્રાન્ટ આપે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">કોણ છે શૈલજા પાઈક?</span></strong></span><br><span style="font-size: 14pt;">શૈલજા પાઈક (Shailja Pike) ઇતિહાસના પ્રતિષ્ઠિત રિસર્ચ પ્રોફેસર છે અને સિનસિનાટી યુનિવર્સિટી (University of Cincinnati) માં મહિલા, લિંગ અને લૈંગિકતા કેસ સ્ટડીઝ અને એશિયન સ્ટડીઝમાં આસિસ્ટન્ટ ફેકલ્ટી (Assistant Faculty) છે. તેમનું કાર્ય દલિત મહિલાઓ અને જાતિના ભેદભાવ પર કેન્દ્રિત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">મેકઆર્થર ફાઉન્ડેશને શૈલજા પાઈક વિશે શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">શૈલજા પાઈકની ફેલોશિપની જાહેરાત કરતા મેકઆર્થર ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, "દલિત મહિલાઓના બહુઆયામી અનુભવો પર પોતાના ફોકસના માધ્યમથી શૈલજા પાઈક જાતિગત ભેદભાવની સ્થાયી પ્રકૃત્તિ અને અસ્પૃશ્યતાને કાયમ રાખતા પરિબળોની વ્યાખ્યા કરે છે. તેમણે જાતિગત વર્ચસ્વના ઇતિહાસ પર નવી અંતરદ્રષ્ટિ પ્રદાન કરી છે અને તે પદ્ધતિઓને શોધી કાઢી છે જેમાં જેન્ડર અને સેક્સુઅલિટીનો ઉપયોગ દલિત મહિલાઓની ગરિમા અને વ્યક્તિત્વને નકારવા માટે કરવામાં આવે છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">શૈલજા પાઈકનો ઉછેર અને શિક્ષણ</span></strong></span><br><span style="font-size: 14pt;">નેશનલ પબ્લિક રેડિયો (NPR) સાથેની મુલાકાતમાં શૈલજા પાઈકે જણાવ્યું હતું કે, તેઓ દલિત સમાજમાંથી આવે છે. મહારાષ્ટ્રના પુણેમાં એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તેઓ ઉછર્યા છે. તેમના પિતાના શિક્ષણ પ્રત્યેના સમર્પણથી તેઓ પ્રેરિત થયા હતા અને આગળ જતા સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. બાદમાં પીએચડી માટે યુકેની વારવિક યુનિવર્સિટી ગયા. તેમણે યેલ યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયન ઇતિહાસના વિઝિટિંગ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેકઆર્થર ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, શૈલજા પાઈકનો નવો પ્રોજેક્ટ એવી મહિલા કલાકારોના જીવન પર ધ્યાન કેન્દ્રિત છે જે જાતીય વિષયો સાથે સંબંધિત લોક રંગમંચ 'તમાશા' માટે કામ કરે છે. મહારાષ્ટ્રમાં સદીઓથી આ પ્રકારનું થિયેટર મુખ્યત્વે દલિતો દ્વારા પ્રચલિત છે. આ પ્રોજેક્ટના આધારે શૈલજા પાઈકે 'ધ વલ્ગારિટી ઑફ કાસ્ટઃ દલિત્સ, સેક્સ્યુઆલિટી એન્ડ હ્યુમેનિટી ઇન મોડર્ન ઈન્ડિયા' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેકઆર્થર ફાઉન્ડેશને કહ્યું, "તમાશાને એક આદરણીય અને મરાઠી સાંસ્કૃતિક પ્રથા તરીકે ફરીથી વ્યાખ્યાયિત કરવાના રાજ્ય સરકારના પ્રયાસો છતાં, 'અશ્લીલ' શબ્દ તમાશા થિયેટર માટે કામ કરતી દલિત મહિલાઓ સાથે ચોંટી ગયો છે. પાઈકે વીસમી સદીના સૌથી પ્રભાવશાળી જાતિ ઉન્મૂલનવાદી અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકર સાથે થયેલા જાતિ ભેદભાવોનો પણ તેમના સંશોધનમાં વણી લીધાં છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(186, 55, 42);">જિનિયસ ગ્રાન્ટ શું છે?</span></strong><br><span style="font-size: 14pt;">મેકઆર્થર ફેલોશિપને સામાન્ય રીતે જિનિયસ ગ્રાન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ફેલોશિપ શિક્ષણ, વિજ્ઞાન, કળા અને સમાજસેવા જેવા વિવિધ ક્ષેત્રોના લોકોને આપવામાં આવે છે. ફાઉન્ડેશનની દ્રષ્ટિએ આ એવા અસામાન્ય પ્રતિભાશાળી અને રચાનાત્મક વ્યક્તિ હોય છે, જેઓ પોતાની પ્રતિભાનું આ ગ્રાન્ટ થકી રોકાણ કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈકોનોમિક્સ ટાઈમ્સના એક અહેવાલ મુજબ, ફેલોશિપ માટેની પસંદગી અનામી રીતે મળેલી ભલામણોના આધારે કરવામાં આવે છે. ભારતીયો માટે સૌથી મહત્વની વાત એ છે કે, આ ગ્રાન્ટ કોઈપણ પ્રકારની અરજી, લોબીંગ કે શરતો વિના તે મેળવનારને પાંચ વર્ષ માટે આપવામાં આવે છે. મેકઆર્થર ફેલોશિપ 1981 થી અત્યાર સુધીમાં કુલ 1,153 વ્યક્તિઓને મળી ચૂકી છે અને આ યાદીમાં સ્થાન મેળવનાર શૈલજા પાઈક પ્રથમ દલિત મહિલા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શૈલજા પાઈકને આ ફેલોશીપ મળી તેનું એ રીતે પણ મહત્વ રહેલું છે કે, ભારતમાંથી તે મેળવનાર મોટાભાગના સવર્ણો છે અને તેમાં એક દલિત મહિલાએ પોતાની પ્રતિભાના જોરે સ્થાન મેળવ્યું છે. ભૂતકાળમાં આ ફેલોશીપ મેળવનાર કેટલાક નોંધપાત્ર લોકોમાં લેખક રૂથ પ્રોવર ઝાબવાલા, વેદ મહેતા, કવિ એ.કે. રામાનુજન અને અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટી અને સેંધિલ મુલૈનાથનનો સમાવેશ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">જ્યારે શૈલજા પાઈકને જાતિવાદનો પહેલો અનુભવ થયો</span></strong></span><br><span style="font-size: 14pt;">શૈલજા પાઈકનો પરિવાર મૂળે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનો રહેવાસી છે. વર્ષ 1990માં તેઓ ત્યાંથી પૂણે આવી ગયા હતા, કેમ કે ગામમાં તેમને જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક ઈન્ટરવ્યુમાં શૈલજા પાઈક પોતાના બાળપણના દિવસોને યાદ કરીને કહે છે, "એક વખત હું મારી દાદી સાથે એક કથિત ઉચ્ચ જાતિના પરિવારને મળવા ગઈ હતી. ત્યારે અમને જમીન પર બેસાડીને માટીના કપમાં ચા પીવા આપી હતી. મેં જોયું કે ત્યારે એ મહિલા ખુદ ખુરશી પર બેઠી હતી. એ વખતે મને ભારે ખોટું લાગ્યું હતું. ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે કંઈક એવું કરીને બતાવવું કે જેથી હું શું છું તે આમને ખબર પડે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે શૈલજા પાઈક શું છે તે દુનિયા આખી જોઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/my-father-died-of-shock-after-losing-the-assembly-elections">વિધાનસભાની ચૂંટણી હારી ગઈ તેના આઘાતમાં મારા પિતા મૃત્યુ પામ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 06 Oct 2024 09:27:09 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 05 Oct 2024 21:45:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1344</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670162a7855e3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670162a751ac1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670162a751ac1.jpg" length="83999" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>shailja paik, the first dalit woman, receive, seven crore genius grant</media:keywords>
                </item>
                        <item>
                    <title>તું ભલે સરપંચ હો, મારી સામે ખુરશીમાં બેસવાની હિંમત કેમ થઈ?</title>
                    <link>https://khabarantar.com/dalit-sarpanch-beaten-by-racist-men-for-sitting-on-chair</link>
                    <guid>https://khabarantar.com/dalit-sarpanch-beaten-by-racist-men-for-sitting-on-chair</guid>
                    <description>
                        <![CDATA[ દલિત સરપંચને ગામના જાતિવાદી શખ્સે ખુરશી પર બેસવા પર માર માર્યો, કહ્યું - અમારી સામે ખુરશી પર બેસવાની તારી હિંમત કેમ થઈ? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશ આઝાદ થયાને આજકાલ કરતા 75 વર્ષ ઉપર થઈ ગયા, પણ જાતિવાદી તત્વોમાં પોતાની જાતિનો પાવર જરાય ઉતરતો જણાતો નથી. આ એ લોકો છે જે હજુ પણ અઢારમી સદીની માનસિકતામાં જીવે છે અને પોતાને જ રાજા સમજે છે. આવી જ એક ઘટનામાં એક જાતિવાદી શખ્સે એક દલિત સરપંચને માર માર્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સરપંચ પોતાના ઘરના આંગણામાં ખુરશી નાખીને બેઠા હતા, ત્યારે ગામનો એક જાતિવાદી શખ્સ ત્યાંથી પસાર થયો હતો. તેને એમ હતું કે, પોતાને જોતા જ સરપંચ ખુરશીમાંથી ઉભા થઈ જશે અને બે હાથ જોડીને ઉભા રહેશે, પણ એવું કશું થયું નહીં અને સરપંચ ખુરશીમાં જ બેસી રહ્યાં. એ જોઈને પેલાની અંદરનો જાતિવાદી શખ્સ જાગી ગયો હતો અને તેણે દલિત સરપંચ પર હુમલો કરી દીધો હતો. તેણે સરપંચને લાત મારીને ખુરશી પરથી નીચે પાડી દીધા હતા અને તું ભલે સરપંચ હો, મારી સામે ખુરશી નાખીને બેસવાની તારી હિંમત કેવી રીતે થઈ, તેમ કહીને મારામારી કરી હતી. આ મામલે સરપંચે જાતિવાદી તત્વ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીનો છે. અહીંના ફતેહપુરમાંથી આ મામલો સામે આવ્યો છે. ઘટના કિશનપુર પોલીસ સ્ટેશનના એકડલામાં બની હતી. ગામના દલિત સરપંચ કમલેશ સોનકરના જણાવ્યા મુજબ, ગુરુવારે રાત્રે લગભગ આઠ વાગ્યે તેઓ તેમના ઘરની બહાર ખુરશી પર બેઠા હતા. એ દરમિયાન છયઆના શેરી સરૌલીમાં રહેતો વિપિન સિંહ તેમના દરવાજા આગળ આવ્યો હતો અને જાતિ વિષયક અપશબ્દો બોલવા લાગ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે કહ્યું કે, મારી સામે ખુરશી પર બેસવાની તારી હિંમત કેવી રીતે થઈ? જ્યારે સરપંચે તેને ગાળો ન બોલવા કહ્યું તો વિપિન સિંહ ગુસ્સે ભરાયો હતો અને તેણે સરપંચની ખુરશીને લાત મારીને નીચે પાડી દીધા હતા અને માર મારવો શરૂ કરી દીધો હતો. હોબાળો થતા આસપાસના લોકો આવી પહોંચ્યા હતા. એ પછી વિપિન સિંહ જાતિસૂચક ગાળો બોલતો ત્યાંથી જતો રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-beat-the-sarpanch-saying-if-he-appears-in-the-panchayat-his-limbs-will-not-be-healed">'પંચાયતમાં દેખાયો તો હાથપગ સાજા નહીં રહે..' કહી દલિત સરપંચને માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 05 Oct 2024 22:40:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1345</Articleid>
                    <excerpt>દલિત સરપંચને ગામના જાતિવાદી શખ્સે ખુરશી પર બેસવા પર માર માર્યો, કહ્યું - અમારી સામે ખુરશી પર બેસવાની તારી હિંમત કેમ થઈ?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670172d72986a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670172d6eea55.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670172d6eea55.jpg" length="44014" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>dalit sarpanch beaten by racist men for sitting on chair</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકની હત્યા કરી ચહેરો તેજાબ નાખી સળગાવી દીધો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-youth-was-killed-and-his-face-was-burnt-with-acid</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-youth-was-killed-and-his-face-was-burnt-with-acid</guid>
                    <description>
                        <![CDATA[ એક દલિત યુવકની હત્યા કરી ચહેરો તેજાબ નાખી સળગાવી દીધો હોવાની ઘટના બની છે. દીકરાની હત્યાથી પરિવારમાં ભયનો માહોલ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહાર (Bihar)ના પાટનગર પટના (Patna) માંથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક દલિત યુવક ( Dalit Youth) ની હત્યા (Murder) કરી તેની ઓળખ છતિ ન થાય તે માટે તેના ચહેરા પર તેજાબ (Acid) નાખીને વિકૃત કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ યુવકના પરિવારજનો હૈયાફાટ રૂદન કરી રહ્યાં છે. પોલીસે એફએસએલની મદદથી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હત્યાનું કારણ જાણવાનું શરૂ કર્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના પટનાના નૌબતપુર (Naubatpur) ગામની છે. અહીં એક દલિત યુવકની હત્યા કરી તેનો ચહેરો એસિડથી બાળી નાખવાનો (Burn Face) મામલો સામે આવ્યો છે. ઘટના નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જમાલપુર (Jamalpur) ગામ પાસે બિહટા સરમેરા રોડ (bihta Sarmera Road) પર બની હતી. જ્યારે મૃતકની બાઇક નાલંદા જિલ્લામાંથી મળી આવી છે. મૃતક યુવકની ઓળખ નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડમરચક ગામના રહેવાસી રૂદલ રામ તરીકે થઈ છે. પોલીસે એફએસએલ ટીમને બોલાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ હત્યાનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારનો આરોપ છે કે યુવકને નિર્દયતાથી માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એ પછી ઓળખ છતિ ન થઈ જાય તેના માટે તેના ચહેરા પર એસિડ પણ રેડવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે શંકાસ્પદ લાગતી તમામ એક્ટિવિટીઓ પર તપાસ શરૂ કરી દીધી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક યુવકના પિતા રામનાથ રામે જણાવ્યું કે, 2 સપ્ટેમ્બરના રોજ તેમનો પુત્ર રૂદલ ડમરચકથી બાઇક પર બિહટામાં તેના સાસરિયે જવા માટે નીકળ્યો હતો. એ દરમિયાન પરિવારજનોને માહિતી મળી કે જમાલપુર પાસે એક યુવકની લાશ પડી છે, જ્યારે પરિવારજનો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તે તેમનો દીકરો રૂદલ રામ છે. પરિવારજનોએ જણાવ્યું કે રૂદલના લગ્ન એક વર્ષ પહેલા બિહટા ગામમાં થયા હતા, પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-dalit-youth-was-made-to-wear-a-necklace-of-khansda-blackened-his-face-and-returned-to-the-village">દલિત યુવકને ખાંસડાનો હાર પહેરાવી, મોં કાળું કરી આખા ગામમાં ફેરવ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 05 Oct 2024 19:14:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1343</Articleid>
                    <excerpt>એક દલિત યુવકની હત્યા કરી ચહેરો તેજાબ નાખી સળગાવી દીધો હોવાની ઘટના બની છે. દીકરાની હત્યાથી પરિવારમાં ભયનો માહોલ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670142b823f4e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670142b7e93da.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670142b7e93da.jpg" length="32190" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>a dalit youth was killed and his face was burnt with acid</media:keywords>
                </item>
                        <item>
                    <title>જ્યાંથી જવું હોય ત્યાંથી જાવ, અહીંથી સ્મશાનયાત્રા નહીં નીકળે...</title>
                    <link>https://khabarantar.com/go-where-you-want-to-go-no-funeral-procession-will-take-place-from-here</link>
                    <guid>https://khabarantar.com/go-where-you-want-to-go-no-funeral-procession-will-take-place-from-here</guid>
                    <description>
                        <![CDATA[ દલિત મહિલાની સ્મશાનયાત્રા ગામના જાતિવાદીઓએ મુખ્ય રસ્તા પરથી ન નીકળવા દીધી. કહ્યું- તમારે જ્યાંથી જવું હોય ત્યાંથી જાવ, બાકી અહીંથી સ્મશાનયાત્રા નહીં નીકળે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના પેરિયારની ભૂમિ એવા તમિલનાડુની છે. અહીં તિરુવન્નામલાઈથી લગભગ 45 કિમી દૂર મોથક્કલ ગામમાં એક દલિત મહિલાની અંતિમયાત્રા સામે જાતિવાદી હિન્દુઓએ વાંધો ઉઠાવ્યો હતો. દલિત સમાજે તેમના પરંપરાગત માર્ગની હાલત ખરાબ હોવાના કારણે ગામના મુખ્ય માર્ગ પરથી સ્મશાનયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું. પણ ગામને પોતાની જાગીર સમજતા સવર્ણોને તે મંજૂર નહોતું અને તેવું જ થયું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત મહિલાની સ્મશાનયાત્રાને સવર્ણો નડ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ એસ. કિલિયામ્બલ નામની એક 70 વર્ષની મહિલાનું ગત રવિવારે સાંજે દલિત કોલોનીમાં તેમની પુત્રીના ઘરે ઉંમર સહજ બિમારીઓને કારણે મૃત્યુ થયું હતું. પરંપરાગત રીતે, કથિત સવર્ણ હિન્દુઓ અને દલિતો પોતપોતાના માર્ગે અંતિમ યાત્રા કાઢતા આવ્યા છે. દલિતોનું સ્મશાન ગામની બહાર આવેલું છે અને તેમને સ્મશાનગૃહ સુધી પહોંચવા માટે કાદવ-કીચડવાળા રસ્તામાંથી પસાર થવું પડે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક દલિત મજૂર કહે છે, "દલિતો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો રસ્તો ઝાડીઝાંખરા અને ખાડા ટેકરાને કારણે વધુ ખરાબ થઈ ગયો હતો. વર્ષોથી તંત્ર દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. આ માર્ગ પર કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેના કારણે અવર-જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેથી અમે કથિત સવર્ણ હિન્દુઓ દ્વારા ઉપયોગમાં લેવાતા રસ્તેથી અંતિમયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું." </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6700ed50e4d15.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ ખડકાઈ પણ ધાર્યું તો સવર્ણોનું જ થયું</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસે જણાવ્યું કે દલિતોએ સાંજે 4 વાગ્યાની આસપાસ ગામના મુખ્ય માર્ગ પરથી અંતિમયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું, પરંતુ જાતિવાદી હિન્દુઓએ તેનો વિરોધ કર્યો હતો. પંચાયતના અધિકારીઓ દ્વારા માહિતી મળતાં પોલીસ ટીમ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પહોંચી ગઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તિરુવન્નામલાઈ રેવન્યુ ડિવિઝનલ ઓફિસર (RDO) આર. મંદાકિનીની આગેવાની હેઠળની ટીમે ગામમાં જાતિવાદી હિન્દુઓ અને દલિતો વચ્ચે શાંતિ મંત્રણા હાથ ધરી હતી. જો કે સવર્ણ હિંદુઓ કોઈ કાળે ગામના મુખ્ય માર્ગ પરથી એક દલિત મહિલાની સ્મશાનયાત્રા કાઢવા દેવા રાજી થયા નહોતા. આમ જોવા જઈએ તો, તે જાહેર રસ્તો હતો અને તંત્ર ઈચ્છત તો તેમાં કાયદાનો ડર બતાવીને સવર્ણોને બંધારણની તાકાત બતાવી શકતું હતું. પણ જ્યાં આખો દેશ સવર્ણોની તરફેણમાં હોય ત્યાં બીજું શું થાય?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">5 કલાકની સમજાવટ પછી પણ સવર્ણો ન માન્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">લગભગ પાંચ કલાકની વાટાઘાટો બાદ પણ સવર્ણો માન્યા નહોતા. અંતે અધિકારીઓએ દલિતોને તેમના પરંપરાગત માર્ગનો ઉપયોગ કરવા સંમત કર્યા હતા. દલિતો દ્વારા ઉપયોગમાં લેવાતા માર્ગને તાત્કાલિક સમતળ કરવામાં આવ્યો હતો અને બીજા દિવસે સોમવારે રાત્રે દલિત મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલ્પના કરો, આ કઈ હદનો જાતિવાદ કહેવાય અને કેવા અધિકારીઓ કહેવાય, જેઓ કાયદો વ્યવસ્થા મુજબ દેશને ચલાવી પણ શકતા નથી અને ચોક્કસ કોમના લોકો સામે નમી પડે છે?</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6700ed5370e71.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં જ્ઞાતિ ભેદભાવ વર્ષો જૂની બદ્દી</span></strong></span><br><span style="font-size: 14pt;">મોથક્કલ એક સરહદી ગામ છે જે તિરુવન્નામલાઈને ધર્મપુરી જિલ્લા સાથે જોડે છે. તે તિરુવન્નામલાઈની થન્દ્રમપટ્ટુ પંચાયત હેઠળ આવે છે. ગામમાં મોટા ભાગના જાતિવાદી હિન્દુઓ જમીન પચાવીને બેઠાં છે, આ જમીનો પર દલિતો વર્ષોથી ખેતમજૂર તરીકે કામ કરે છે.</span><br><span style="font-size: 14pt;">સીપીઆઈએમના કાર્યકર આર. અન્નામલાઈએ મીડિયાને જણાવ્યું કે "આ ગામમાં જ્ઞાતિ ભેદભાવ સામાન્ય છે. દલિતોને એ સલૂનમાં વાળ કપાવવાની મંજૂરી નહોતી જ્યાં જાતિવાદી હિન્દુઓ બાલ-દાઢી કરાવતા હતા. ત્યાં પીવાના પાણી માટે બે ગ્લાસ રાખવામાં આવતા હતા, એક સવર્ણ હિંદુનો, બીજો દલિતોનો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો બસ સ્ટેન્ડે પણ તડકામાં ઉભા રહે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના પછી, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ હવે બે સમાજ વચ્ચેના જાતિ ભેદભાવને ખતમ કરવા માટે શાંતિ વાટાઘાટોનું આયોજન કરશે. સ્થાનિક દલિતોનું કહેવું છે કે, દલિતોને જાતિ હિન્દુઓ દ્વારા ચલાવવામાં આવતી નાની દુકાનો પાસે ઝાડની છાયામાં ઊભા રહેવાની અને સરકારી બસોની રાહ જોવાની પણ મંજૂરી નથી. તેમને તડકામાં ઊભા રહેવા અને બસની રાહ જોવાનું કહેવામાં આવે છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6700ed52a87e4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ગામમાં જાતિ ભેદભાવના મુદ્દે તપાસ કરવામાં આવશે. જો કે આ કલેક્ટર સવર્ણ હિંદુઓએ દલિતોને સ્મશાન યાત્રા ન કાઢવા દીધી ત્યારે ક્યાં ગયા હતા તે સવાલ કોઈ પૂછતું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સવર્ણ હિંદુઓની દાદાગીરી યથાવત છે</span></strong></span><br><span style="font-size: 14pt;">દલિત અધિકાર કાર્યકર્તા અને લેખક શાલિન મારિયા લોરેન્સ જણાવે છે કે મોથક્કલ ગામમાં આદિ દ્રવિડિયન સમુદાયના 500 થી વધુ મતદારોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અહીનો દલિત સમુદાય ઘણા સમયથી પાયાની સુવિધાઓના અભાવ અને જાતિના ભેદભાવથી પીડાઈ રહ્યો છે. સ્મશાનગૃહ સુધી પહોંચવા માટે પાકો રસ્તો નથી. દલિતોનો આરોપ છે કે તેમને અનેક સવર્ણ હિંદુઓ અને પંચાયત પ્રમુખ તરફથી પણ ભેદભાવનો સામનો કરવો પડ્યો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6700ed521b197.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તંત્રનું સવર્ણો સામે કશું ચાલ્યું નહીં એટલે દલિતોને મજબૂર કર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">એક દલિત વ્યક્તિએ કહ્યું, "વર્ષોથી અમને સ્મશાનગૃહ સુધી પહોંચવા માટે અલગ માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. ગામના જાતિવાદી હિન્દુઓ અમને મુખ્ય રસ્તેથી પસાર થવા દેતા નથી, જેનાથી અમને સતત ડર લાગે છે. સરકારી તંત્ર વાતો તો બહુ મોટી કરે છે, પણ જ્યારે ખરેખર સ્ટેન્ડ લેવાનું આવે ત્યારે તે સવર્ણો તરફી જ નિર્ણયો લે છે. મહિલાની સ્મશાનયાત્રામાં સ્પષ્ટ રીતે અમારા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું. તંત્ર સવર્ણ હિંદુઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરીને કે પોલીસ બોલાવીને પણ અમને મુખ્ય રસ્તેથી નીકળવાની મંજૂરી અપાવી શકત. પણ તેમણે સવર્ણોની તરફેણ કરી. સવર્ણો સામે તેમનું કશું ચાલ્યું નહીં, છેલ્લે અમને જ ઝૂકવા મજબૂર કર્યા અને અમારે એજ જૂના ઉબડખાબડ રસ્તેથી જવું પડ્યું. આ જાતિવાદ છે અને તંત્ર પણ સવર્ણોની તરફેણમાં છે, કેમ કે, એમાં પણ તેમના જ લોકો છે."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6700ed518a279.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતોએ લોકસભાની ચૂંટણી પહેલા વાસના પ્રવેશદ્વાર અને 200 જેટલા ઘરો પર કાળા ઝંડા ફરકાવ્યા હતા. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમની માંગણીઓ અને ફરિયાદોની વિગતો પણ આપી હતી, પણ જાતિવાદ અને તેમની સમસ્યાઓ બંને યથાવત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/caste-nadi-even-after-death-dalit-womens-funeral-not-allowed">મર્યા પછી પણ જાતિ નડ્યોઃ જાતિવાદીઓએ દલિત મહિલાની અંતિમવિધિ ન થવા દીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 05 Oct 2024 13:14:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1340</Articleid>
                    <excerpt>દલિત મહિલાની સ્મશાનયાત્રા ગામના જાતિવાદીઓએ મુખ્ય રસ્તા પરથી ન નીકળવા દીધી. કહ્યું- તમારે જ્યાંથી જવું હોય ત્યાંથી જાવ, બાકી અહીંથી સ્મશાનયાત્રા નહીં નીકળે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6700ed25b938e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6700ed2586dd0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6700ed2586dd0.jpg" length="86204" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>go where you want to go no funeral procession will take place from here, Dalit community</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્કૂલ વાનમાં જતા 6 દલિત બાળકોને જાતિવાદીઓએ લોહીલુહાણ કર્યા</title>
                    <link>https://khabarantar.com/racists-beaten-6-dalit-children-in-school-van</link>
                    <guid>https://khabarantar.com/racists-beaten-6-dalit-children-in-school-van</guid>
                    <description>
                        <![CDATA[ racists beaten 6 dalit children in school van : સ્કૂલવાનમાં બેસીને ભણવા જતા દલિત બાળકોને જાતિવાદી તત્વોએ ખેંચીને મારતા બાળકો લોહીલુહાણ થઈ ગયા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">racists beaten 6 dalit children in school van : જાતિવાદ આ દેશના સવર્ણ હિંદુઓની નસેનસમાં ફેલાઈ ચૂક્યો છે અને તેમને જાતિ સિવાય કશું દેખાતું નથી. સ્થિતિ એ હદે વકરી ચૂકી છે કે, જાતિવાદના ઘેનમાં તેઓ એ પણ ભૂલી જાય છે કે, સામે નિર્દોષ બાળક છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશની છે. અહીં આગ્રા જિલ્લામાં શાળાએ જઈ રહેલા દલિત બાળકોને જાતિવાદી તત્વો દ્વારા સ્કૂલવાનમાંથી ખેંચીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આરોપ છે કે તેમણે બાળકોને જાતિસૂચક ગાળો પણ ભાંડી હતી. માર માર્યા બાદ આરોપીઓ ભાગી ગયા હતા. આરોપ છે કે પીડિત બાળકોના પરિવારે પોલીસ અધિકારીઓને માહિતી આપવા માટે ફોન કર્યો હતો, પરંતુ કોલ રિસીવ થયો ન હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">6 દલિત બાળકો સાથે મારામારી કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના ફતેહપુર સીકરી (Fatehpur Sikri) પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંદેરા (Undera Village) ગામમાં બની હતી. ગામના એક જ પરિવારના છ બાળકો ફતેહપુર સિકરી સ્થિત શાળામાં ભણવા માટે વાનમાં જઈ રહ્યા હતા. આરોપ છે કે રસ્તામાં ગામના રઘુવીર, ભુલ્લુ અને સિંધીએ મળીને દલિત બાળકોને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">એક બાળક લોહીલુહાણ થયો</span></strong><br><span style="font-size: 14pt;">વાનમાં બેઠેલા અખિલેશ નામના દલિત વિદ્યાર્થીએ જાતિવાદીઓનો વિરોધ કર્યો તો તેમણે અખિલેશને ખેંચીને તેનું માથું જોરથી અફળાવીને માર માર્યો હતો. જેમાં અખિલેશ લોહીલુહાણ થઈ ગયો. જાતિવાદી તત્વોએ તોશી, ખુશ્બુ, ત્રિશા, અંશુલ, આશિષ અને વિનીત નામના અન્ય વિદ્યાર્થીઓને પણ નિર્દયતાથી માર માર્યો હતો. હોબાળો થતા લુખ્ખા તત્વો બાળકોને ધમકીઓ આપતા ભાગી ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સવર્ણ નેતાના દબાણે સમાધાનની ધમકી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટનામાં ઘાયલ થયેલા દલિત બાળકો તેમના પરિવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જો કે અહીં પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહ્યા. એક સવર્ણ નેતાના દબાણને કારણે આ બાળકોને તબીબી સારવાર પણ આપવામાં આવી નહોતી. તેમને ફરિયાદ ન કરવા દબાણ કરવામાં આવ્યું અને જો આ મામલે સમાધાન નહીં કરાય તો શાંતિ ભંગ કરવા બદલ જેલમાં ધકેલી દેવાની ચીમકી પણ આપવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એસીપી અને પીઆઈએ ફોન ન ઉપાડ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ ACP કિરાવલી અને પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અછનેરાનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં આ મામલે તેમની પ્રતિક્રિયા જાણવા ફોન પર સંપર્ક થઈ શક્યો ન હતો. બંને અધિકારીઓના ફોન રિસીવ થયા ન હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/40-dalit-children-dropped-out-of-education-due-to-harassment-by-headstrong-elements">માથાભારે તત્વોના ત્રાસથી 40 દલિત બાળકોએ ભણતર છોડી દીધું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 05 Oct 2024 11:47:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1339</Articleid>
                    <excerpt>racists beaten 6 dalit children in school van : સ્કૂલવાનમાં બેસીને ભણવા જતા દલિત બાળકોને જાતિવાદી તત્વોએ ખેંચીને મારતા બાળકો લોહીલુહાણ થઈ ગયા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6700d98655679.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6700d98616b88.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6700d98616b88.jpg" length="105096" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>racists beaten 6 dalit children in school van, dalit news, Fatehpur Sikri</media:keywords>
                </item>
                        <item>
                    <title>SC&amp;ST અનામતમાં પેટા વર્ગીકરણની રિવ્યૂ પિટિશન સુપ્રીમે ફગાવી</title>
                    <link>https://khabarantar.com/supreme-court-dismisses-review-petition-of-sub-classification-in-sc-st-reservation</link>
                    <guid>https://khabarantar.com/supreme-court-dismisses-review-petition-of-sub-classification-in-sc-st-reservation</guid>
                    <description>
                        <![CDATA[ એસસી-એસટી અનામતમાં પેટા વર્ગીકરણ સામે સામે કરાયેલી રિવ્યૂ પિટિશન સુપ્રીમે ફગાવી દીધી છે. જાણો કોર્ટે આ મામલે વધુ શું કહ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને જનજાતિ (ST) માટે અનામત (Reservation) માં પેટા-વર્ગીકરણ (Sub Classification) અંગેના તેના નિર્ણય સામે દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે આ સંદર્ભમાં 1 ઓગસ્ટે જ પોતાનો ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે જો રાજ્ય સરકારોને જરૂરી લાગે તો એસસી અને એસટી ક્વોટામાં કેટલીક જાતિઓ માટે સબ-ક્વોટા નક્કી કરી શકાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના આ ચૂકાદા સામે એસસી, એસટી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને દેશભરમાં મોટું આંદોલન પણ તેના પર ચાલી રહ્યું છે. સુપ્રીમના આ ચૂકાદા સામે અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમના પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બહુજન સમાજને મોટો ઝટકો લાગ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 7 જજોની બેન્ચે કહ્યું કે નિર્ણયમાં એવી કોઈ ભૂલ નથી કે જેમાં પુનર્વિચારની જરૂર હોય. કોર્ટે કહ્યું, 'અમે રિવ્યૂ પિટિશન જોઈ છે. એવું લાગે છે કે જૂના નિર્ણયમાં કોઈ ખામી નથી જેના પર પુનર્વિચાર થવો જોઈએ. તેથી સમીક્ષા અરજીઓ ફગાવી દેવામાં આવે છે. આ બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, બેલા એમ. ત્રિવેદી, પંકજ મિત્તલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્મા સામેલ હતા. કોર્ટે કહ્યું કે અરજીઓમાં કોઈ નક્કર આધાર આપવામાં આવ્યો નથી કે કોર્ટે 1 ઓગસ્ટના નિર્ણય પર શા માટે પુનર્વિચાર કરવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે 24 સપ્ટેમ્બરે આ અરજીઓ પર સુનાવણી કરી હતી, પરંતુ નિર્ણય આજ પર અનામત રાખ્યો હતો. આ અરજીઓ સંવિધાન બચાવો ટ્રસ્ટ, આંબેડકર ગ્લોબલ મિશન, ઓલ ઈન્ડિયા એસસી-એસટી રેલવે એમ્પ્લોઈઝ એસોસિએશન સહિત ઘણી બધી સંસ્થાઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેના પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 1 ઓગસ્ટે જ 6-1ની બહુમતીથી પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં રાજ્ય સરકારોને એસસી અને એસટી ક્વોટાના પેટા વર્ગીકરણ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું હતું કે જો આ કેટેગરીમાં કોઈ ચોક્કસ જાતિને અલગથી અનામત આપવાની જરૂર હોય તો તેના માટે આ ક્વોટા હેઠળ જ જોગવાઈ કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટના આ નિર્ણયને દલિત અને આદિવાસી સમાજનો મોટાભાગનો વર્ગ અનામતની મૂળ ભાવનાનો વિરોધી ગણાવે છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે દલિતોમાં પણ અનેક જાતિઓ છે અને આ વર્ગને એકરૂપ ગણી શકાય નહીં. તેથી જો કોઈ જ્ઞાતિને અનામત માટે વિશેષ જોગવાઈઓ આપવાની જરૂર હોય, તો તે પણ કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/everyone-had-the-same-voice-we-will-not-let-the-meli-murad-of-the-government-be-fulfilled"><strong>મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 04 Oct 2024 19:30:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1335</Articleid>
                    <excerpt>એસસી-એસટી અનામતમાં પેટા વર્ગીકરણ સામે સામે કરાયેલી રિવ્યૂ પિટિશન સુપ્રીમે ફગાવી દીધી છે. જાણો કોર્ટે આ મામલે વધુ શું કહ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fff4fbf1163.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fff4fbb0dde.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fff4fbb0dde.jpg" length="64830" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>SC-ST Reservation, Save_Reservation</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;હું તો અભણ છું, પણ મારા દીકરા સાથે જે થયું તે હત્યારા સાથે થાય...&amp;quot;</title>
                    <link>https://khabarantar.com/i-am-illiterate-but-what-happened-to-my-son-should-happen-to-a-murderer</link>
                    <guid>https://khabarantar.com/i-am-illiterate-but-what-happened-to-my-son-should-happen-to-a-murderer</guid>
                    <description>
                        <![CDATA[ એક દલિત શિક્ષક, તેની પત્ની અને તેમની બે દીકરીઓની એક સાથે ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. મજૂર પિતા કહે છે, મારા દીકરાનો આખો પરિવાર ગયો, હત્યારાની આવી દશા થજો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit Teacher family murder: ઉત્તરપ્રદેશને શા માટે દલિતો માટે નર્ક ગણવામાં આવે છે તેનો જાણે જવાબ આપતી હોય તેવી ઘટના ફરી એકવાર અહીં બની છે. ઘટના કોંગ્રેસ અને ગાંધી પરિવારનો ગઢ ગણાતા અમેઠીની છે. અહીં એક ભયાનક ઘટનામાં એક દલિત સરકારી શિક્ષક, તેની પત્ની અને બે બાળકીઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યારાઓએ શિક્ષકના ઘરમાં ઘુસીને આ જઘન્ય ઘટનાને અંજામ આપ્યો હતો. દલિત શિક્ષકનો પરિવાર અમેઠીના અહોરવા ભવાની ચાર રસ્તા પર ભાડાના મકાનમાં રહેતો હતો. મૃતક શિક્ષક સુનીલ કુમાર કમ્પોઝીટ સ્કૂલમાં સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ રાયબરેલીના રહેવાસી હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હત્યાકાંડમાં સુનીલ કુમાર, તેની પત્ની પૂનમ ભારતી, 4 વર્ષની પુત્રી લાડો અને દોઢ વર્ષની પુત્રી સૃષ્ટિનું મોત થયું છે. બંને માસુમ દીકરીઓને પણ હત્યારાઓ ગોળી મારી દેતા મોત થયું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હત્યા થયા બાદ શિક્ષકના ઘરનું દ્રશ્ય જોઈને કોઈપણ વ્યક્તિના રૂંવાડા ઉભા થઈ જાય દિલ ધ્રૂજી જાય તેમ છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. યુપી પોલીસના અયોધ્યા રેન્જ આઈજી પ્રવીણ કુમાર ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. જેમાં દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. જો કે પોલીસ પણ માની રહી છે કે આ ઘટના લૂંટના ઈરાદે કરવામાં આવી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિક્ષકની પત્નીએ ચંદન વર્મા નામના શખ્સ સામે કેસ કર્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ હત્યા કેસની તપાસ વચ્ચે એક અલગ જ માહિતી સામે આવી છે. 18 ઓગસ્ટ 2024ની જૂની FIR મળી આવી છે. જે દર્શાવે છે કે, શિક્ષકની પત્ની પૂનમ ભારતીએ કોઈ ચંદન વર્મા નામના શખ્સ પર છેડતી અને મારામારીનો કેસ કર્યો હતો. ચંદન પર જાતિસૂચક ગાળો ભાંડીને અશ્લીલ હરકતો, મારપીટનો આરોપ લગાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસની FIR કોપી મુજબ, પૂનમ ભારતી પતિ સુનીલ સાથે તેના બાળકની સારવાર માટે સુમિત્રા હોસ્પિટલમાં ગઈ હતી. ત્યાં રાયબરેલીના ચંદન વર્મા નામના વ્યક્તિએ તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેણે તેના પતિ સુનીલ કુમારને થપ્પડ મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કશું થશે તો ચંદન વર્મા જવાબદાર હશે...</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂનમ ભારતીનો આરોપ હતો કે, ચંદન વર્મા નામના આ વ્યક્તિએ પહેલા જ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ એફઆઈઆર કોપીમાં તે સ્પષ્ટપણે કહી રહી છે કે ભવિષ્યમાં તેની કે તેના પતિ સાથે કોઈ દુર્ઘટના થશે તો તેના માટે ચંદન વર્મા જવાબદાર રહેશે. જો કે, આ હત્યા સાથે જૂની એફઆઈઆરનો કોઈ સંબંધ છે કે કેમ તે હજુ તપાસનો વિષય છે. પણ પોલીસ ચંદનની શોધખોળ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એસસી એસટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમેઠીના એસપી અનૂપ સિંહના જણાવ્યા અનુસાર, 'પરિવારમાં પતિ, પત્ની અને બે પુત્રીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમને ગોળી મારી દીધી છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ તમામને મૃત જાહેર કરવામાં આવ્યા. કોઇપણ પ્રકારની લૂંટનો પ્રયાસ થયો નથી. આ પરિવારે 18 ઓગસ્ટે રાયબરેલી પોલીસ સ્ટેશનમાં ચંદન વર્મા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. એસસી/એસટી એક્ટ અને છેડતીની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે એફઆઈઆરનો આ ઘટના સાથે કોઈ સંબંધ છે કે નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત શિક્ષકનો પરિવાર હતપ્રભ </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક શિક્ષક સુનીલકુમાર રાયબરેલી જિલ્લાના સદામાપુર ગામના રહેવાસી હતા. તેમની સપરિવાર હત્યા થયાની જાણકારી મળતા તેમનો પરિવાર ફાટી પડ્યો હતો. મૃતક સુનીલ કુમારના પિતા રામ ગોપાલે કહ્યું કે. "આવું કેમ થયું તેની અમને કોઈ જાણ નથી. હા, થોડા દિવસ પહેલા પુત્રવધૂએ એક વ્યક્તિ સામે છેડતીનો કેસ દાખલ કર્યો હતો. હું અભણ છું. મારો પુત્ર તેજસ્વી હતો. એક જ અપીલ છે કે પુત્ર સાથે જે થયું તે જ આરોપી સાથે પણ થવું જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક સુનીલ કુમારના પિતા રામ ગોપાલ મજૂરી કરે છે. મજૂરી કરીને તેઓ ઘરે આવ્યા ત્યાં જ તેને માહિતી મળી કે એક ઘટના બની છે જેમાં તેમના પુત્ર, પુત્રવધૂ અને બે બાળકોની હત્યા કરવામાં આવી છે. રામગોપાલના ત્રણ પુત્રોમાં સુનીલ સૌથી આશાસ્પદ અને સફળ હતો. આ ઘટના બાદ પરિવારે પોતાનો આધાર ગુમાવી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માયાવતીએ યોગી સરકારને ઘેરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ યુપીની યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_66ff90f7eff02.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં લખ્યું છે કે, અમેઠી જિલ્લામાં દલિત પરિવારના ચાર લોકોની એક સાથે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના છે. સરકારે ગુનેગારો અને ત્યાંના પોલીસકર્મીઓ સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ગુનેગારો બેખોફ ન રહે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અખિલેશ યાદવે વેધક પોસ્ટ કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે લાંબી પોસ્ટ કરવાને બદલે માત્ર ઘટનાની પોસ્ટ મૂકીને ઉપર ફક્ત બે વાક્યો લખીને યોગી સરકારની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને દલિતો પર થતા અત્યાચાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. અખિલેશે લખ્યું હતું - કોઈ હૈ..કહીં હૈ?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમેઠીના સાંસદે પોલીસની ઝાટકણી કાઢી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમેઠીના કોંગ્રેસના સાંસદ કિશોરી લાલ શર્માએ પણ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો અને પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા. તેમના કહેવા પ્રમાણે, જો પોલીસે પરિવારની ફરિયાદને ગંભીરતાથી લીધી હોત તો આ ઘટના ન બની હોત.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસને કડક સૂચના આપી છે કે આ કેસમાં જે પણ દોષિત હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/8-persons-gang-raped-a-tribal-girl-at-the-fair"><strong>મેળામાં આવેલી આદિવાસી યુવતી પર 8 શખ્સોએ સામૂહિક બળાત્કાર કર્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 04 Oct 2024 12:27:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1332</Articleid>
                    <excerpt>એક દલિત શિક્ષક, તેની પત્ની અને તેમની બે દીકરીઓની એક સાથે ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. મજૂર પિતા કહે છે, મારા દીકરાનો આખો પરિવાર ગયો, હત્યારાની આવી દશા થજો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66ff90df0be58.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66ff90decdac9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66ff90decdac9.jpg" length="46604" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Teacher family murder, SC St Act</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકને ખાંસડાનો હાર પહેરાવી, મોં કાળું કરી ગામમાં ફેરવ્યો</title>
                    <link>https://khabarantar.com/the-dalit-youth-was-made-to-wear-a-necklace-of-khansda-blackened-his-face-and-returned-to-the-village</link>
                    <guid>https://khabarantar.com/the-dalit-youth-was-made-to-wear-a-necklace-of-khansda-blackened-his-face-and-returned-to-the-village</guid>
                    <description>
                        <![CDATA[ અત્યાચાર કરનારા ખુદ પોલીસની પરવા વિના ન્યાય તોળવા બેસી ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં એક દલિત યુવકને લુખ્ખા તત્વોએ પટ્ટાથી માર મારી, ખાસડાનો હાર પહેરાવી, મોં કાળું કરી તેની આખા ગામમાં પરેડ કરાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માનવતાને શરમાવે તેવી આ ઘટના મધ્યપ્રદેશ (MP)ના મંદસૌર(mandsaur) જિલ્લામાંથી પ્રકાશમાં આવી છે. અહીં એક દલિત યુવકને લુખ્ખા તત્વો( bullies)એ બેલ્ટ વડે માર માર્યો હતો. એ પછી તેનું મોં કાળુ કરી (smearing soot) ખાંસડાનો હાર પહેરાવી અને આખા ગામમાં ફેરવ્યો હતો. દલિત યુવક પર મહિલાની છેડતીનો આરોપ હતો. આ મામલે બંને પક્ષો તરફથી ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે એક વીડિયો પણ સામે આવ્યો છે. જેના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંદસૌરના આંકી ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ આ મામલો ભાનપુરાના આંકી ગામનો છે. અહીંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક દલિત યુવકને લુખ્ખા તત્વો માર મારી રહ્યા છે. મહિલા તેને બેલ્ટ વડે માર મારી રહી છે, લોકોએ યુવકનું મોઢું કાળું કર્યું અને તેને ચંપલનો હાર પહેરાવ્યો છે અને લોકો યુવકને ગામમાં ફેરવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છેડતીના આરોપ પર તાલીબાની સજા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવક પર મહિલાની છેડતી કરવાનો આરોપ છે. આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સમગ્ર ઘટના બાદ મહિલા અને તેના પરિવારે યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બે આરોપીઓની ધરપકડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન ભાનપુરા પોલીસ સ્ટેશને દલિત યુવકની ફરિયાદના આધારે બે લોકો સામે નામજોગ અને અન્ય લોકો સામે ગુનો નોંધ્યો છે. આ મામલે મંદસૌરના પોલીસ અધિક્ષક અભિષેક આનંદે કહ્યું કે વીડિયો વાયરલ થયા બાદ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીમ આર્મી યુવકની પડખે આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બાદ દલિત સંગઠનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ મામલામાં ભીમ આર્મી આઝાદ સમાજ પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ પ્રિન્સ સૂર્યવંશીએ આરોપીઓની ધરપકડની માંગ કરી છે. દલિત નેતાઓ આ મામલે સોશિયલ મીડિયા પર ઘટનાની નિંદા કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/a-dalit-anganwadi-worker-was-tied-to-a-tree-by-a-mob-and-beaten-to-death"><strong>ટોળાંએ દલિત આંગણવાડી કાર્યકર મહિલાને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 03 Oct 2024 14:01:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1326</Articleid>
                    <excerpt>અત્યાચાર કરનારા ખુદ પોલીસની પરવા વિના ન્યાય તોળવા બેસી ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fe55730d1fe.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fe5572c126e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fe5572c126e.jpg" length="73204" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mandsaur, Dalit News, Dalit crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખુરશી પર બેસવા બદલ દલિત યુવકને જાતિવાદીઓએ ઝાડ સાથે બાંધી માર્યો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-youth-was-tied-to-a-tree-by-racists-for-sitting-on-a-chair</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-youth-was-tied-to-a-tree-by-racists-for-sitting-on-a-chair</guid>
                    <description>
                        <![CDATA[ શાકભાજી વેચતા દલિત યુવકનું બાઈક ખરાબ થઈ ગયું હોવાથી ખુરશી પર બેઠો અને જાતિવાદી તત્વો જોઈ ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">A Dalit youth was tied to a tree and beaten: કથિત સવર્ણ જાતિના લોકોને ક્યારે કઈ બાબતમાં અચાનક જાતિના ગર્વનો હુમલો આવી જાય તે કહી શકાતું નથી. તદ્દન સામાન્ય લાગતી બાબતમાં પણ તેઓ જાતિ શોધી કાઢે છે અને દલિતોને અપમાનિત કરી દે છે. ઘણીવાર તો નિર્જીવ વસ્તુનો ઉપયોગ કરવા કે તેને અડકવામાં પણ તેઓ અસ્પૃશ્યતા અનુભવે છે અને દલિત સમાજના લોકો સાથે મારામારી કરવા પર ઉતરી આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શાકભાજી વેચતા દલિત યુવક સાથે બર્બરતા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના આવી જ છે. જેમાં એક શાકભાજી વેચતા દલિત યુવકનું અચાનક બાઈક ખરાબ થઈ જતા તે તેને ચાલુ કરતો હતો. અનેક પ્રયત્નો પછી પણ બાઈક ચાલું ન થયું તો તે થાકીને થોડે દૂર એક ઝાડ નીચે પડેલી ખુરશી પર જઈને બેસી ગયો. પણ તેને ક્યાં ખબર હતી કે આ કોઈ જાતિવાદી તત્વની ખુરશી હશે. થોડીવારમાં ખુરશીનો માલિક આવ્યો અને એક દલિત શાકભાજીવાળાને પોતાની ખુરશી પર બેસેલો જોઈને તે ગુસ્સે ભરાયો હતો અને તેણે યુવકને જાતિસૂચક ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તેને માર મારીને ઝાડ સાથે સાથે બાંધી દીધો હતો અને જાહેરમાં ફટકાર્યો હતો. આ મામલે યુવકે ફરિયાદ નોંધાવી છે, પણ પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">યુપીના હરદોઈ જિલ્લાની ઘટના</span></strong><br><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લાના ચિરહોલા મજરા વિસ્તારનો છે. અહીં હિંદુનગરના અલાવલપુર ગામમાં ખુરશી પર બેસવાને લઈને એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. દલિત યુવકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, પણ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ખુરશી પર બેસવા બદલ દલિત યુવકને માર્યો</span></strong><br><span style="font-size: 14pt;">દલિત યુવક પ્રેમકુમારે અલાવલપુર ગામના પૃથ્વીરાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી  છે. પ્રેમકુમારનો આરોપ છે કે, થોડા દિવસ પહેલા તે શાકભાજી વેચવા માટે થઈ સવારે 11 વાગ્યા આસપાસ ગામમાં ફરી રહ્યો હતો. ત્યારે અચાનક ગામમાં તેનું બાઈક ખરાબ થઈ ગયું હતું. તેણે બાઈક ચાલું કરવા ઘણાં પ્રયત્નો કર્યા પરુંત સ્ટાર્ટ ન થયું. આખરે કંટાળીને તે રસ્તાથી થોડે દૂર આવેલા એક ઝાડ નીચે ગયો, જ્યાં એક ખુરશી પડી હતી, જેના પર તે આરામ કરવા માટે બેઠો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ત્રણ શખ્સોએ ઝાડ સાથે બાંધીને માર્યો</span></strong><br><span style="font-size: 14pt;">થોડીવારમાં પૃથ્વીરાજ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને પ્રેમકુમારને ખુરશી પર બેઠેલો જોઈને તેણે તેને લાત મારી, જાતિસૂચક ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. પ્રેમકુમારે તેનો વિરોધ કરતા તેણે વધુ જોરથી તેને મારવાનું શરૂ કરી દીધું હતું. દેકારો થતા અન્ય બે શખ્સો પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેઓ પણ પ્રેમકુમારને મારવા લાગ્યા હતા. એટલું જ નહીં, તેમણે પ્રેમકુમારને ઝાડ સાથે બાંધી દીધો હતો અને માર માર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવકને શરીરે અનેક ઈજાઓ થઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">મારમારીની આ ઘટનામાં પ્રેમકુમારને ઘણી ઈજાઓ પહોંચી હતી. જાતિવાદી પૃથ્વીરાજ અને તેના સાગરિતોએ પ્રેમકુમારને જાનથી મારી નાખવાની ધમકી આપી તાત્કાલિક ત્યાંથી રવાના થઈ જવા અને ફરીથી કદી ન ડોકાવા ધમકી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હજુ સુધી કોઈની ધરપકડ નહીં</span></strong></span><br><span style="font-size: 14pt;">પ્રેમકુમારે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મામલાની તપાસ હરિયાવાના સીઓને સોંપવામાં આવી છે. સીઓ સંતોષસિંહનું કહેવું છે કે, મામલો સામાન્ય મારામારીનો છે. તપાસ ચાલી રહી છે અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/exploited-a-dalit-teenager-for-two-years-aborted-her-when-she-became-pregnant">બે વર્ષ સુધી દલિત કિશોરીનું શોષણ કર્યું, ગર્ભવતી થતા ગર્ભપાત કરાવી દીધો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 03 Oct 2024 09:39:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1323</Articleid>
                    <excerpt>શાકભાજી વેચતા દલિત યુવકનું બાઈક ખરાબ થઈ ગયું હોવાથી ખુરશી પર બેઠો અને જાતિવાદી તત્વો જોઈ ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fe1758ed4c0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fe1758bcc11.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fe1758bcc11.jpg" length="44504" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Dalit Youth Beaten, UP, Crime News, SC ST Act, Atrocity case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બહુજનો આક્રમક બન્યા, 500 કિમીની પદયાત્રા યોજી હકોની માંગ કરશે</title>
                    <link>https://khabarantar.com/bahujans-became-aggressive-marching-500-km-to-demand-rights</link>
                    <guid>https://khabarantar.com/bahujans-became-aggressive-marching-500-km-to-demand-rights</guid>
                    <description>
                        <![CDATA[ 500 કિમીની આ પદયાત્રામાં બહુજન સમાજ જાતિ ગણતરીની સાથે ખાનગી સેક્ટરમાં અનામતની માંગ કરવા જઈ રહ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં હાલમાં જ પુરી થયેલી અનામત બચાવો સંકલ્પ યાત્રાની પૂર્ણાહુતિ થઈ છે અને તેની અસર હવે પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પડતી દેખાઈ રહી છે. ગુજરાતમાં બહુજન સમાજે ચાંદખેડાથી સંકલ્પ ભૂમિ વડોદરા સુધી 7 દિવસની જંગી અનામત બચાવો સંકલ્પ યાત્રા યોજી હતી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં બહુજન સમાજ ઉમટી પડ્યો હતો. આ જ તર્જ પર હવે મધ્યપ્રદેશમાં આવતા મહિનાથી જાતિ ગણતરી અને ખાનગી સેક્ટરમાં અનામત દાખલ કરવા સહિતની પોતાની માંગોને લઈને 500 કિમીની પદયાત્રા યોજાવા જઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">25 નવેમ્બરથી 20 ડિસેમ્બર 2024 દરમિયાન યોજાનારી આ પદયાત્રામાં જ્ઞાતિની વસ્તી ગણતરી અને ખાનગી ક્ષેત્રમાં અનામતના અમલીકરણની માગણી કરવામાં આવશે. તેના માટે 500 કિલોમીટર લાંબી સંકલ્પ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા દતિયા જિલ્લાના સેવઢા સંકુવા ધામથી શરૂ થશે અને પાટનગર ભોપાલમાં પૂર્ણ થશે. આઝાદ સમાજ પાર્ટીના બહુજન નેતા દામોદર સિંહ યાદવ આ યાત્રાનું સંકલન કરી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-youth-who-was-running-to-escape-from-a-dog-was-tied-up-and-killed-by-upper-castes-mistaking-him-for-a-thief">મધરાતે શહેરમાંથી આવીને ઘરે જઈ રહેલા દલિત યુવકને સવર્ણોએ ચોર સમજી બાંધીને ફટકાર્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દામોદર યાદવના જણાવ્યા પ્રમાણે, આ કૂચનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં જાતિ ગણતરી હાથ ધરવા અને ખાનગી ક્ષેત્રમાં અનામત લાગુ કરવા જેવી મહત્વની માંગણીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારો સુધી પહોંચાડવાનો છે. આ માંગણીઓને વિવિધ બહુજન સંગઠનો અને નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. આ યાત્રાના સમાપન સમારોહમાં ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દામોદર રાવ વધુમાં જણાવે છે કે, આ યાત્રા સમાજના એ વંચિત અને પછાત વર્ગોનો અવાજ ઉઠાવશે, જેમના હકોની અવગણના કરવામાં આવી રહી છે. જાતિની વસ્તી ગણતરીની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે જેથી દેશમાં સાચા આંકડાઓના આધારે સામાજિક-આર્થિક યોજનાઓ બનાવી શકાય. સાથે જ આ યાત્રાના કેન્દ્રમાં અનામતનો અમલ કરવાની માંગ પણ છે, જેથી સમાજના પછાત અને નબળા વર્ગને રોજગારીની તકો મળી શકે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ યાત્રાને બહુજન સંગઠનોનો ટેકો</span></strong></span><br><span style="font-size: 14pt;">આ પદયાત્રાનું નેતૃત્વ બહુજન આંદોલન સાથે સંકળાયેલા અગ્રણી નેતાઓ કરી રહ્યા છે, જેઓ સામાજિક ન્યાય અને સમાનતાની માંગને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ યાત્રા માત્ર મધ્યપ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જાતિ ગણતરી અને ખાનગી ક્ષેત્રમાં અનામતને લઈને નવી ચર્ચાને જન્મ આપી શકે છે. આ યાત્રાને ભીમ આર્મી, આઝાદ સમાજ પાર્ટી અને અન્ય બહુજન સંગઠનોનું સમર્થન મળી રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">યાત્રાની પૂર્ણાહુતિમાં ચંદ્રશેખર આઝાદ હાજર રહેશે</span></strong><br><span style="font-size: 14pt;">આ પદયાત્રાનું સમાપન ભોપાલમાં એક વિશાળ જનસભા વચ્ચે થશે, જેમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ચંદ્રશેખર આઝાદ તેમના આક્રમક નિવેદનો અને સામાજિક ન્યાય માટેના સતત સંઘર્ષ માટે જાણીતા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પદયાત્રામાં સેંકડો બહુજનો જોડાશે</span></strong></span><br><span style="font-size: 14pt;">સંકલ્પ યાત્રાને સફળ બનાવવા સામાન્ય જનતાને સહકાર અને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સભાઓ અને સંવાદ કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં બહુજન સમાજના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. સમાજના દરેક વર્ગને આ યાત્રામાં જોડાવા વિનંતી કરવામાં આવી છે, જેથી આ માંગણીઓ સરકાર સુધી પહોંચાડી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/sankalp-land-vadodara-two-and-a-half-lakh-bahujans-together-took-resolution">સંકલ્પ ભૂમિ પર અઢી લાખ બહુજનોએ સાથે મળી શું સંકલ્પ લીધો?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 02 Oct 2024 13:57:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1318</Articleid>
                    <excerpt>500 કિમીની આ પદયાત્રામાં બહુજન સમાજ જાતિ ગણતરીની સાથે ખાનગી સેક્ટરમાં અનામતની માંગ કરવા જઈ રહ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fd03bf16661.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fd03bed6d28.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fd03bed6d28.jpg" length="152941" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Madhya Pradesh News, Chandrasekhar Azad, Bahujan organizations</media:keywords>
                </item>
                        <item>
                    <title>આકાશવાણી અમદાવાદના ડેપ્યુટી ડિરેક્ટર ભરત દેવમણી વય નિવૃત્ત થયા</title>
                    <link>https://khabarantar.com/akashvani-ahmedabad-deputy-director-bharat-devmani-age-retired</link>
                    <guid>https://khabarantar.com/akashvani-ahmedabad-deputy-director-bharat-devmani-age-retired</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદની ચાલીમાંથી કેન્દ્ર સરકારના માહિતી ખાતાના ઉચ્ચ અધિકારી પદ સુધી પહોંચનાર ભરત દેવમણી બહુજન સમાજનું મોંઘેરું રતન છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના સમસ્ત બહુજન સમાજનું રતન એવા આકાશવાણી અમદાવાદના ન્યૂઝ વિભાગના ડેપ્યૂટી ડાયરેક્ટર ભરત દેવમણી 30મી સપ્ટેમ્બરે વયનિવૃત્ત થયા. વર્ષ 1994માં રેલવેમાં કેશિયર તરીકે અજમેર, રાજસ્થાનથી કરિયરની શરૂઆત કરનાર ભરત દેવમણી આગળ જતા વર્ષ 1997માં રેલવેમાંથી રાજીનામું આપી યુપીએસસીની પરીક્ષા પાસ કરી કેન્દ્ર સરકારની આઈઆઈએસ(ઈન્ડિયન ઈન્ફોર્મેશન સર્વિસ)માં જોડાયા હતા. તેમની સમગ્ર કારકિર્દી સેંકડો પડકારોથી ભરી પડી છે, જેમાંથી બહુજન સમાજ ઘણી પ્રેરણા લઈ શકે તેમ છે. ગુજરાતના બહુજન સમાજમાંથી આકાશવાણી અમદાવાદના ન્યૂઝ વિભાગમાં ડેપ્યૂટી ડાયરેક્ટર પદ સુધી પહોંચનાર તેઓ સંભવત પહેલી વ્યક્તિ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_66fcc7a7e9bc2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">અજમેરમાં રેલવેની નોકરીના બે વર્ષ બાદ ભાવનગર બદલી થઈ અને તેમણે વર્ષ 1997માં રાજીનામું આપ્યું હતું. વર્ષ 1997માં UPSC પાસ કરીને તેઓ IIS (Indian Information Service )માં PIB(Press Information Bureau ) વિભાગ અમદાવાદમાં જોડાયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2000 માં નોર્થ ઇસ્ટ/ઈશાન ભારત નાં ત્રિપુરા રાજ્યના અગરતલામાં  DAVP ડીપાર્ટમેન્ટ માં Field Exhibition Officer તરીકે સાડા ચાર  વર્ષ કામ કર્યું. અહીં તેમણે અનુભવોનું મસમોટું ભાથું બાંધ્યું. ગુજરાતમાંથી આટલા લાંબા સમય સુધી નોર્થ-ઈસ્ટમાં કામ કરનાર પણ તેઓ પહેલા અધિકારી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_66fcc7a7590df.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">ત્યારબાદ અમદાવાદના DFP (Directorate Of Field Publicity ડીપાર્ટમેન્ટમાં  Field Publicity Officer તરીકે જોડાયા અને વર્ષ 2005માં અમદાવાદ દૂરદર્શનનાં સમાચાર વિભાગમાં  જોડાયા હતા. જો કે જાતિવાદી તત્વોના ઘોંચપરોણાને કારણે માત્ર છ મહિનામાં તેમની 'યોજના' સામાયિક માં બદલી કરી દેવામાં આવી હતી. અહીં તેમણે વર્ષ 2015 સુધી તંત્રી તરીકે સેવાઓ આપી અને તદ્દન સરકારી સ્ટાઈલના આ મેગેઝિનને નવી ઉંચાઈ પહોંચાડ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યાર બાદ વર્ષ 2015માં આકાશવાણીના સમાચાર વિભાગમાં બદલી થઇ અહીં વર્ષ 2018 સુધી ત્યાં સેવા આપ્યા બાદ ફરી પાછી બદલી થઈ અને આ વખતે ડો. આંબેડકરની કર્મભૂમિ એવા મહારાષ્ટ્રમાં પુના ખાતે CBC (Central Bureau Of Communication વિભાગમાં સહાયક નિદેશક તરીકે મૂકાયા અહીં તેમને જે અદ્દભૂત અનુભવો થયા છે તેનો લ્હાવો આવતા દિવસોમાં ખબરઅંતર.કોમના વાચકોને મળવાનો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી વર્ષ 2023 માં ફરી પાછી અમદાવાદમાં આકાશવાણીના સમાચાર વિભાગમાં ઉપનિદેશક અને વિભાગના વડા તરીકેના પ્રમોશન સાથે બદલી થઈ અને હવે 30 સપ્ટેમ્બર 2024ના રોજ તેઓ વયનિવૃત્ત થયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે મરાઠી દૈનિક સકાલના તંત્રી ઉત્તમ કાંબલેની આત્મકથા 'અગનપથ' નો ગુજરાતીમાં અનુવાદ કરીને એક મોટી ભેટ આપી છે. સાહિત્ય, કળા, મનોરંજન, વિજ્ઞાન જેવા અનેક વિષયો પર મજબૂત પકડ ધરાવતા ભરત દેવમણિ હવે નિવૃત્તિ બાદ સમાજોપયોગી કાર્યમાં ગાળવા માંગે છે. આ માટે તેઓ તેમના અનુભવોનું ભાથું અહીં ખોલશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_66fcc7a6bac13.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ભરત દેવમણી ભારે સંઘર્ષ કરીને આ પદ સુધી પહોંચ્યા હતા. અમદાવાદની ચાલીઓમાં ઉછેરેલો એક સામાન્ય છોકરો અનેક વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ કેટલું મોટું સપનું જુએ છે અને તેને સાકાર કરી બતાવે છે તેનું જીવતુંજાગતું ઉદાહરણ શ્રી ભરત દેવમણી છે. આગામી દિવસોમાં તેઓ બહુજન સમાજની વધુને વધુ સેવા કરે તેવી શુભેચ્છાઓ.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 02 Oct 2024 09:42:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1315</Articleid>
                    <excerpt>અમદાવાદની ચાલીમાંથી કેન્દ્ર સરકારના માહિતી ખાતાના ઉચ્ચ અધિકારી પદ સુધી પહોંચનાર ભરત દેવમણી બહુજન સમાજનું મોંઘેરું રતન છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fcc7a8b3bee.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fcc7a87e07e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fcc7a87e07e.jpg" length="137151" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>akashvani, deputy director, bharat Devmani, Age retired</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે સવર્ણો પણ ગટર અને સેપ્ટિક ટેન્ક સાફ કરવા લાગ્યા?</title>
                    <link>https://khabarantar.com/now-the-upperclassmen-also-started-cleaning-drains-and-septic-tanks</link>
                    <guid>https://khabarantar.com/now-the-upperclassmen-also-started-cleaning-drains-and-septic-tanks</guid>
                    <description>
                        <![CDATA[ અત્યાર સુધી ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈનું કામ માત્ર દલિતોએ કરવું પડતું હતું. પણ સરકારના આંકડાઓ પ્રમાણે હવે સવર્ણો પણ આ કામ કરવા લાગ્યા છે. વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદી સરકારની દેન એવી મોંઘવારી, બેરોજગારીની અસર હવે તેમના માનીતા સવર્ણો પર પણ પડી છે. હાલમાં જ શહેરોમાં ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈને લઈને એક દેશ વ્યાપી રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, આ કામમાં જનરલ કેટેગરીના વધુને વધુ લોકો જોડાઈ રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદની ધરી પર ઉભેલા ભારત દેશમાં અત્યાર સુધી સામાન્ય રીતે ગટર સહિતની સાફસફાઈમાં સો ટકા એસસી, એસટી સમાજના લોકો જ રહેતા હતા. પણ હવે તેમાં જનરલ કેટેગરીના લોકો પણ જોડાયા છે અને આ આંકડો નાનોસૂનો પણ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈમાં સવર્ણોની ભાગીદારી કેટલી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2018માં મેન્યુઅલ સફાઈ કામદારોના ડેટામાં 43,797 લોકોમાંથી, 97.2% અનુસૂચિત જાતિ (SC) સમાજના હતા. જ્યારે ST, OBC અને અન્ય સમુદાયના લોકો લગભગ 1-1% હતા. પણ હાલ સામે આવેલા નવા રિપોર્ટમાં કેટલીક આશ્ચર્યજનક વિગતો સામે આવી છે. એ મુજબ હવે મેન્યુઅલ સફાઈ કામદારોમાં 68.9 ટકા અનુસૂચિત જાતિના, 8.3 ટકા અનુસૂચિત જનજાતિના, 14.7 ટકા OBC છે. સૌથી મોટી ચોંકાવનારી બાબત એ છે કે, આ કામ કરતા લોકોમાં જનરલ કેટેગરીના લોકોની સંખ્યા 8 ટકા હોવાનું સામે આવ્યું છે. જી હા, ભારતમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગના કામમાં છેલ્લાં પાંચ વર્ષમાં સવર્ણોની ભાગીદારી </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">1 ટકાથી વધીને 8 ટકાએ પહોંચી ગઈ છે.</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના મતે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ સતત નોકરીઓમાં કાપ, વધતી જતી મોંઘવારી, બેરોજગારીની અસર સવર્ણો પર પણ પડી છે અને તેઓ પણ હવે સફાઈકર્મી તરીકે કામ કરવા લાગ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">5 વર્ષમાં ગટર-સેપ્ટિક ટેંકની સફાઈમાં 377 લોકોના મોત</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સફાઈ કામદારોની ગણતરી પ્રથમ વખત કરવામાં આવી છે. આ માટે 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 3000 થી વધુ શહેરી સ્થાયી સંસ્થાઓ પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. ડેટામાં એ પણ સામે આવ્યું કે, 2019થી 2023 ની વચ્ચે સંસદમાં રજૂ કરાયેલા સરકારી ડેટા અનુસાર, ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે ઓછામાં ઓછા 377 લોકો મૃત્યુ પામ્યા હતા દરમિયાન થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંકડાઓ પર નજર કરીએ તો સફાઈ કામદારોમાં 68.9 ટકા અનુસૂચિત જાતિના, 8.3 ટકા અનુસૂચિત જનજાતિના, 14.7 ટકા OBC છે. જ્યારે જનરલ કેટેગરીના લોકોની સંખ્યા 8 ટકા હોવાનું સામે આવ્યું છે. આ આંકડો સૌ કોઈને ચોંકાવી રહ્યો છે. કેમ કે, સવર્ણો આ કામને કાયમ નીચલા સ્તરનું ગણતા આવ્યા છે. હવે તેઓ પણ તેને સ્વીકારી રહ્યાં છે, જે સારી બાબત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મલ્લિકાર્જુન ખડગેએ આકરું નિવેદન આપ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કરીને આ આંકડા આપ્યા છે. ખડગેએ કહ્યું કે, "ભાજપ એટલા માટે જાતિ ગણતરીની વિરુદ્ધ છે, કારણ કે તેનાથી એ ખબર પડી જશે કે SC, ST, OBC, EWS અને અન્ય તમામ વર્ગો શું શું કામ કરીને પોતાનું જીવન જીવી રહ્યાં છે અને તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ શું છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NAMASTE કાર્યક્રમ હેઠળ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ગટર અને સેપ્ટિક ટાંકી કામદારો (SSWs) ની પ્રોફાઇલિંગ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગટરના કામને યાંત્રિક બનાવવાનો અને જોખમી સફાઈ કામ દરમિયાન થતા મોતને રોકવાનો છે. મેન્યુઅલ સ્કેવેંજર્સના પુનર્વસન માટે આ યોજના સ્વ-રોજગાર યોજના (SRMS) ની જગ્યાએ લાવવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યોજનાની શરૂઆતના એક વર્ષ પછી 3,326 શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB) એ ગટર અને સેપ્ટિક ટાંકીના સફાઈકર્મીઓની પ્રોફાઇલિંગની કામગીરી હાથ ધરી હતી અને લગભગ 38,000 કર્મચારીઓની પ્રોફાઇલ તૈયાર કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરકારની હાસ્યાસ્પદ વાત - હવે મેન્યુઅલ સ્કેવેન્જિંગ નથી થઈ રહ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NAMASTE કાર્યક્રમ પહેલા જે SRMS યોજના લાગુ કરવામાં આવી હતી, તે અંતર્ગત વર્ષ 2018 સુધી કેન્દ્ર સરકારે 58,098 મેન્યુઅલ સફાઈ કામદારોની ઓળખ કરી હતી. સરકારનું કહેવું છે કે આ પછી અન્ય કોઈ મેન્યુઅલ સફાઈ કામદારો મળ્યા નથી. સરકાર એમ પણ કહે છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગની 6,500 થી વધુ ફરિયાદોમાંથી કોઈની પણ ચકાસણી થઈ શકી નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલા મેન્યુઅલ સફાઈ કામદારોના ડેટામાં, 43,797 લોકોમાંથી, 97.2% અનુસૂચિત જાતિ (SC) સમાજના હતા. જ્યારે ST, OBC અને અન્ય સમુદાયના લોકો લગભગ 1-1% હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા કેટલાક વર્ષોમાં એવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેમાં સેપ્ટિક ટેન્ક સાફ કરવા ઉતરેલા લોકોના ઝેરી ગેસના કારણે ગૂંગળામણને કારણે મોત થયા છે. આવી ઘટનાઓમાં મોતના મામલા સોશિયલ મીડિયામાં ગાજતા રહે છે, પણ પછી આગળ કશું થતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્ર સરકારનું કહેવું છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ હવે દેશભરમાં સમાપ્ત થઈ ગયું છે. પરંતુ દેશભરમાંથી સામે આવી રહેલી આવી ઘટનાઓ કેન્દ્ર સરકારના દાવાઓ પર સવાલ ઉભા કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/criminal-action-will-be-taken-against-those-who-dislodge-the-scavengers"><strong>સફાઈ કામદારોને ગટરમાં ઉતારનારા તત્વો સામે ફોજદારી કાર્યવાહી થશે</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 01 Oct 2024 11:42:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1310</Articleid>
                    <excerpt>અત્યાર સુધી ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈનું કામ માત્ર દલિતોએ કરવું પડતું હતું. પણ સરકારના આંકડાઓ પ્રમાણે હવે સવર્ણો પણ આ કામ કરવા લાગ્યા છે. વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66fb8f7ab8fbf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fb8f7a82a49.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66fb8f7a82a49.jpg" length="83390" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Report, SSWs, Drain cleaning, cleaning staff</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુપ્રીમ કોર્ટે IIT ધનબાદને અતુલ કુમારને પ્રવેશ આપવા આદેશ કર્યો</title>
                    <link>https://khabarantar.com/supreme-court-ordered-iit-dhanbad-to-admit-atul-kumar</link>
                    <guid>https://khabarantar.com/supreme-court-ordered-iit-dhanbad-to-admit-atul-kumar</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટે સમયસર ફી નહીં ભરી શકનાર મુઝફ્ફરનગરના અતુલ કુમારને આઈઆઈટી ધનબાદમાં એડમિશન આપવા આદેશ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના દલિત સમાજનો હોંશિયાર વિદ્યાર્થી અતુલ કુમાર આઈઆઈટી ધનબાદમાં સમયસર ફી નહીં ભરી શકવાના કારણે એડમિશન મેળવી શક્યો નહોતો. જેને લઈને તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવતા અતુલને મોટી રાહત આપી છે અને તેના પ્રવેશ માટે આદેશ આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી અતુલ હવે આઈઆઈટી ધનબાદમાં અભ્યાસ કરશે. સુપ્રીમ કોર્ટે દલિત પરિવારના પુત્રને પ્રવેશ આપવાનો આદેશ જારી કર્યો છે. અતુલ તેની 17,500 રૂપિયાની ફી સમયસર જમા કરાવી શક્યો ન હતો. જેના કારણે તેને IIT ધનબાદમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફી જમા કરાવવાની સમયમર્યાદા પૂરી થયા બાદ વિદ્યાર્થીને અવઢવમાં મૂકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેને IIT ધનબાદમાં પ્રવેશ આપવો પડશે. છાત્રાલય વગેરે સુવિધાઓ પણ વિદ્યાર્થીને આપવાની રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે IIT માં એડમિશન લઈ ચૂકેલા વિદ્યાર્થીઓ પર કોઈ અસર થવી જોઈએ નહીં. અતુલને વધારાની સીટ પર એન્ટ્રી આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કે જેઓ પહેલાથી જ ગરીબ છે તેમના પ્રવેશને રોકવામાં ન આવે. ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અતુલને મદદનું આશ્વાસન આપ્યું હતું. આ સિવાય કોર્ટે IIT મદ્રાસ તેમજ જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટીને પણ નોટિસ પાઠવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યાર્થીએ ફી જમા ન કરાવવા પાછળ પરિવારની ગરીબીનું કારણ જણાવ્યું હતું. અતુલના વકીલે દલીલ કરી હતી કે પરિવાર માટે ઓછા સમયમાં 17,500 રૂપિયા ભેગાં કરવા આસાન નથી. અતુલ મૂળ મુઝફ્ફરનગરના ટોટોરા ગામનો રહેવાસી છે. 18 વર્ષના હોનહાર વિદ્યાર્થી અતુલના પિતા મજૂરી કામ કરે છે. કોર્ટના આદેશ પર પ્રતિક્રિયા આપતા અતુલે કહ્યું, કે જે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી તે પાટા પર પાછી આવી ગઈ છે. વધુ મહેનત કરીને હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવાનું મારું સપનું પૂરું કરીશ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/laboures-son-clears-jee-in-a-jiffy-but-hi-poverty">મજૂરના દીકરાએ એક ઝાટકે JEE પાસ કરી નાખી, પણ હાય રે ગરીબી...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Sep 2024 20:05:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1305</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટે સમયસર ફી નહીં ભરી શકનાર મુઝફ્ફરનગરના અતુલ કુમારને આઈઆઈટી ધનબાદમાં એડમિશન આપવા આદેશ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66faa943cc899.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66faa94390c77.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66faa94390c77.jpg" length="111048" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Atul Kumar, IIT Dhanbad, Jharkhand High Court, Supreme Court, Electrical Engineering</media:keywords>
                </item>
                        <item>
                    <title>હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે SC સીટો માટે બનાવ્યો &amp;apos;પ્લાન 17&amp;apos;</title>
                    <link>https://khabarantar.com/bjp-made-plan-17-for-sc-seats-in-haryana-assembly-elections</link>
                    <guid>https://khabarantar.com/bjp-made-plan-17-for-sc-seats-in-haryana-assembly-elections</guid>
                    <description>
                        <![CDATA[ હરિયાણા વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં ભાજપે એસસી અનામત સીટો માટે &#039;પ્લાન 17&#039; તૈયાર કર્યો છે. જાણો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે. 5મી ઓક્ટોબરે મતદાન છે અને તે પહેલા ભાજપે હવે તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપે હાલમાં 'પ્લાન 17' તૈયાર કર્યો છે, જેના દ્વારા તેને બાજી પલટાવાની આશા છે. ભાજપે અનુસૂચિત જાતિ માટે અનામત 17 બેઠકો માટે આ પ્લાન તૈયાર કર્યો છે. પક્ષના ટોચના નેતૃત્વને લાગે છે કે કોંગ્રેસમાં કુમારી શૈલજાની જે રીતે ઉપેક્ષા કરવામાં આવી છે તેને મુદ્દો બનાવીને તે દલિતોને આકર્ષી શકે છે. જો આ 17 એસસી અનામત બેઠકો પર તે સારું પ્રદર્શન કરી શકે છે તો ભાજપ હરિયાણામાં 90 બેઠકો સાથે સત્તાની બાજી પલટી નાખવાની આશા રાખે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મોટી રેલીને બદલે માઈક્રો મેનેજમેન્ટ પર ફોકસ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="https://www.livehindustan.com/haryana/bjp-plan-17-in-haryana-assembly-election-to-woo-dalit-voters-201727679211120.html"><span style="color: rgb(224, 62, 45);"><strong>લાઈવ હિંદુસ્તાન</strong></span></a>ના એક રિપોર્ટ મુજબ મોટી રેલીઓ કરવાને બદલે ભાજપ આ વિસ્તારોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી રહ્યું છે. ભાજપ આ વિધાનસભા ક્ષેત્રોમાં એ જણાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે કોંગ્રેસના શાસનમાં હરિયાણામાં દલિતો પર કેવા કેવા અત્યાચારો થયા છે અને ભાજપના શાસન દરમિયાન હરિયાણા અને કેન્દ્ર સરકારે દલિતો માટે કેવા અસરકારક પગલાં લીધા?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કુમારી શૈલજાના અપમાનને મુદ્દો બનાવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પક્ષના સૂત્રોનું કહેવું છે કે આનાથી કેટલાક વધારાના મત મળવાની અપેક્ષા છે. કોંગ્રેસના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાને હાલ જાટ મતદારોના ધ્રુવીકરણનું કારણ માનવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપને આશા છે કે જાટો પર હુડ્ડાના પ્રભાવ અને કુમારી શૈલજાની ઉપેક્ષાના નામે તેઓ દલિત મતદારોને આકર્ષવામાં સફળ રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરએસએસના કાર્યકરોને સક્રિય કરાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ માટે ભાજપે ખાસ કરીને RSS ના કાર્યકરોને સક્રિય કર્યા છે. ભાજપ દ્વારા પેજ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે અને તેમની સાથે સંઘના કાર્યકરોને પણ લગાડ્યા છે. આ લોકોને ઘરે ઘરે જઈને લોકોને જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને સ્થાનિક કક્ષાએ દલિત આગેવાનોને બોલાવીને કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ભાજપે નરવાના વિધાનસભાથી દલિત નેતા કૃષ્ણા બેદીને મેદાનમાં ઉતાર્યા છે. તેમના ચૂંટણી પ્રચારમાં તેઓ કોંગ્રેસના શાસનની યાદ અપાવતા કહી રહ્યા છે કે કેવી રીતે એ વખતે દલિતો પર અત્યાચારો થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાટ અને દલિત મતોનું કોમ્બિનેશન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં અંબાલા અને સિરસાની અનામત બેઠકો જીતી હતી. જાટ અને દલિત મતો કોંગ્રેસની તરફેણમાં એક થયા હોવાનો આ સંકેત માનવામાં આવતો હતો. હવે ભાજપ તેને તોડવાની કોશિશ કરી રહ્યું છે અને તેના માટે અનુસૂચિત જાતિની અનામત બેઠકો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હરિયાણામાં 20 ટકા દલિત મતદારો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં દલિત મતદારોની વસ્તી લગભગ 20 ટકા(અસલ આંકડો તેનાથી અનેકગણો મોટો હોવાનું કહેવાય છે) છે. આ વોટબેંક ઘણી સીટો પર પરિણામ બદલવાની તાકાત ધરાવે છે. ચંદ્રશેખર રાવણની આઝાદ સમાજ પાર્ટી પણ હરિયાણામાં ચૂંટણી લડી રહી છે. તેથી, દલિત વોટબેંક વહેંચાઈ જશે અને ભાજપને પણ તેમાં ગાબડું પાડવાની તક મળે તો કંઈક પરિવર્તન આવી શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપની સ્થિતિ કફોડી હોવાનું ચિત્ર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું વર્તમાન ચિત્ર જોતા રાજકીય નિષ્ણાતો ત્યાં ભાજપ જીતે તેવી શક્યતા જોઈ રહ્યાં નથી. વડાપ્રધાન મોદી અને અમિત શાહની રેલીઓમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ ઉંચું છે, મોંઘવારી જે ઝડપે ઉંચે જઈ રહી છે તેને મોદી સરકાર સતત અવગણી રહી હોવાથી લોકોમાં ભારે રોષ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનામતમાં પેટા વર્ગીકરણનો મામલો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યાં સુધી દલિત મતદારોનો સવાલ છે તો, અગાઉ એટ્રોસિટી એક્ટ સાથે ચેડાં અને હાલમાં અનામતમાં પેટાવર્ગીકરણ અને ક્રિમીલેયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે ભાજપ સંપૂર્ણપણે સવર્ણોની તરફેણમાં રહી મૌન સેવ્યું હતું, એ સ્થિતિમાં દલિતો ભાજપ તરફ જાય તેવી શક્યતા ઓછી જણાય છે. આ સિવાય દેશભરમાં ગૌરક્ષકો અને જાતિવાદી તત્વો દ્રારા દલિતો પર થતા અત્યાચારોમાં મોદી સરકાર મૌન રહીને આવા તત્વોને છાવરતી હોવાની છાપ ઉભી થયેલી છે. તેમ છતાં ભાજપ પીએમ મોદીની સભાઓના દમ પર ગેમ બદલવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/who-are-the-dalit-obc-voters-of-haryana-towards"><strong>હરિયાણાના દલિત, ઓબીસી મતદારો કોની તરફ છે?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Sep 2024 14:05:15 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 30 Sep 2024 14:04:24 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1303</Articleid>
                    <excerpt>હરિયાણા વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં ભાજપે એસસી અનામત સીટો માટે &#039;પ્લાન 17&#039; તૈયાર કર્યો છે. જાણો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66fa6279be1d2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fa62798539f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fa62798539f.jpg" length="104973" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Haryana, Assembly elections, SC seats</media:keywords>
                </item>
                        <item>
                    <title>બે વર્ષ સુધી દલિત કિશોરનું શોષણ કર્યું, પ્રેગનેન્ટ થતા ગર્ભપાત કરાવી દીધો</title>
                    <link>https://khabarantar.com/exploited-a-dalit-teenager-for-two-years-aborted-her-when-she-became-pregnant</link>
                    <guid>https://khabarantar.com/exploited-a-dalit-teenager-for-two-years-aborted-her-when-she-became-pregnant</guid>
                    <description>
                        <![CDATA[ Dalit Teenage Girl Raped: મજૂર પરિવારની 16 વર્ષની દીકરી પર આરોપી બે વર્ષ સુધી બળાત્કાર કરતો રહ્યો. કિશોરી ગર્ભવતી થઈ જતા ગર્ભપાત કરાવી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit Teenage Girl Raped: જાતિવાદના એપીસેન્ટર ઉત્તર પ્રદેશમાંથી વધુ એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. અહીં રાબટર્સગંજમાં એક શખ્સ 16 વર્ષની એક દલિત કિશોર પર સતત બે વર્ષ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો. એ દરમિયાન કિશોરી ગર્ભવતી થઈ જતા તેને બળજબરીથી દવાખાને લઈને તેનો ગર્ભપાત કરાવી દીધો હતો. ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે પોક્સો અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પરિવારજનો ગેરહાજરીમાં કિશોરીને નિશાન બનાવી</span></strong></span><br><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, આ મામલો રાબટર્સગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપ લગાવ્યો છે કે તે અને તેની પત્ની રોજ કામ માટે ઘરની બહાર જતા હતા. તેમની 16 વર્ષની પુત્રી દિવસ દરમિયાન ઘરે એકલી રહે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેનો લાભ લઈને ઝુલ્ફીકાર ઉર્ફે કલ્લુએ યુવતીને ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ છેલ્લા બે વર્ષમાં ઘણી વખત તેની સાથે બળાત્કાર કર્યો. જેના કારણે તે ગર્ભવતી બની હતી. આ પછી આરોપી 23 સપ્ટેમ્બરે પીડિતાને તેના ઘરેથી બળજબરીથી લઈ ગયો અને બહાર લઈ જઈ તેનો ગર્ભપાત કરાવ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બે દિવસ સુધી ગામમાં મામલો દબાયેલો રહ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">આ ઘટના પછી જ્યારે પીડિતા તેના ઘરે પરત આવી ત્યારે તેણે તેના પરિવારજનોની આખી આપવીતી જણાવી. એકાદ-બે દિવસ ગામમાં આખો મામલો દબાયેલો રહ્યો. પરંતુ બુધવારે પીડિતાના પિતા તેને ઘોરવાલ પોલીસ સ્ટેશન લઈ ગયા અને ઈન્સપેક્ટર ઈન્ચાર્જ કમલેશ પાલને ઘટના વિશે જાણ કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોક્સો અને એસસી-એસટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો</span></strong></span><br><span style="font-size: 14pt;">તેમણે ઘટનાની ફરિયાદ કમલેશ પાલને કરી, જેના આધારે પોલીસે ઝુલ્ફીકાર ઉર્ફે કલ્લુ વિરુદ્ધ બળાત્કાર, ગર્ભપાત, પોક્સો એક્ટ અને એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર કમલેશ પાલનું કહેવું છે કે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ કેસમાં અરુણના ડીએનએને પણ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/rape-with-dalit-student-of-llb-called-to-hotel-under-the-pretext-of-birthday-party">બર્થડે પાર્ટીના બહાને એલએલબીની દલિત વિદ્યાર્થીનીને હોટલમાં બોલાવી રેપ કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Sep 2024 10:49:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1301</Articleid>
                    <excerpt>Dalit Teenage Girl Raped: મજૂર પરિવારની 16 વર્ષની દીકરી પર આરોપી બે વર્ષ સુધી બળાત્કાર કરતો રહ્યો. કિશોરી ગર્ભવતી થઈ જતા ગર્ભપાત કરાવી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66fa34cee3a26.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fa34ceaa890.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66fa34ceaa890.jpg" length="36682" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Girl Raped, Dalit News, Abortion, SC ST Act Complaint, POCSO CRIME</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિંઝોલમાં વાલ્મિકી સમાજે અંતિમવિધિ માટે 4 કિમી દૂર જવું પડ્યું</title>
                    <link>https://khabarantar.com/the-valmiki-samaj-in-vinzol-had-to-travel-4-km-away-for-the-funeral</link>
                    <guid>https://khabarantar.com/the-valmiki-samaj-in-vinzol-had-to-travel-4-km-away-for-the-funeral</guid>
                    <description>
                        <![CDATA[ મેગા સિટી અમદાવાદ પાસેના વિંઝોલમાં વાલ્મિકી સમાજ મર્યા પછી પણ ભેદભાવનો સામનો કરી રહ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષો પહેલા વાલ્મિકી સમાજને ‘દલિતોના દલિત’ કહીને એક સવર્ણ લેખકે સહાનુભૂતિ મેળવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ જ લોકો જ્યારે વાલ્મિકીને ગામથી નજીકમાં કોઈ સુવિધા આપવાની વાત આવે ત્યારે સૌથી પહેલા વિરોધમાં ઉતરી જાય છે. આવું જ કંઈક વટવા વિસ્તારમાં આવેલા વિંઝોલમાં બન્યું છે. જ્યાં વર્ષોથી વાલ્મિકી સમાજના લોકોના સ્મશાન સુધી પહોંચવાનો સારો રસ્તો પણ નથી. જેના કારણે અહીં મૃતકની અંતિમવિધિ પણ થઈ શકતી નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્મશાનમાં ગાંડા બાવળ સહિતના કાંટાળા ઝાડ ઉગી ગયા હોવાથી આખું સ્મશાન જોખમી બની ગયું છે. પરિણામે અહીં વાલ્મિકી સમાજમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે અંતિમવિધિ માટે ફરજિયાત 4 કિમી દૂર જવું પડે છે. વિંઝોલના વાલ્મિકી સમાજના સ્મશાનમાં મૃતદેહને લઈ જવા માટેની કોઈ સગવડ નથી. આ મામલે અનેકવાર ફરિયાદો, રજૂઆતો કર્યા પછી પણ કોઈ નિવેડો આવી શક્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અધિકારીઓ જોઈને જતા રહે છે, કામ થતું નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સ્મશાનમાં રોડ, રસ્તા, પાણીની સુવિધા નથી, એટલે લાઈટની સુવિધાની તો અપેક્ષા રાખવી પણ નકામી છે. આ બાબતે વાલ્મિકી સમાજના તમામ ભાઈઓએ મળી અધિકારીઓને અવારનવાર લેખિત અને મૌખિત ફરિયાદ કરી છે. અધિકારીઓ સ્થળ તપાસ કરવા માટે આવે અને જાય છે, પરંતુ જમીની લેવલે કોઈ જ કામગીરી થતી નથી. જેના કારણે અહીંના વાલ્મિકી સમાજે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચોમાસામાં સૌથી વધુ સમસ્યા નડે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિંઝોલમાં વાલ્મિકી સમાજને સૌથી વધુ સમસ્યા ચોમાસામાં નડે છે. જો આ સમયગાળા દરમિયાન કોઈનું મૃત્યુ થાય તો અંતિમવિધિ માટે અનેક મુશ્કેલીઓ પડે છે. કેમ કે, તેના માટે છેક 4 કિમી દૂર જવું પડે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેમ કે, તેમના સ્મશાનમાં તો રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયેલું હોય છે અને દેશી-વિદેશી બાવળ ઉગી નીકળ્યા છે. આ બાબતે ગંભીરતાપૂર્વકની નોંધ લેવાતી નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેગા સિટીની બાજુમાં આવી સ્થિતિ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિંઝોલના વાલ્મિકી સમાજનું કહેવું છે કે, સરકાર જાણી જોઈને તેમનું સ્મશાન સુધારી આપતી નથી, કારણ કે તેઓ વાલ્મિકી સમાજના છે. જો કોઈ સવર્ણ સમાજના સ્મશાનમાં આવી કોઈ સમસ્યા હોત તો રાતોરાત કામગીરી થઈ ચૂકી હોત. પણ દલિતોનું કોઈ સાંભળતું નથી. વાલ્મિકી સમાજ સાથે જીવતા જીવત તો આભડછેટ રાખવામાં આવે જ છે, પરંતુ મર્યા પછી સુવિધાસભર સ્મશાન પણ તેના નસીબમાં નથી. અમદાવાદ જેવા મેગા સિટીની બાજુમાં આવેલા ગામમાં જો વાલ્મિકી સમાજની આ સ્થિતિ હોય તો વિચારો કે ગામડાઓમાં તેઓ કેવી પરિસ્થિતિમાં જીવતા હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/the-last-rites-of-the-dalit-elderly-had-to-be-done-in-the-dirt-in-kumarkhani-of-veergamam"><strong>વીરમગામના કુમરખાણમાં દલિત વૃદ્ધની અંતિમવિધિ ગંદકી વચ્ચે કરવી પડી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 29 Sep 2024 21:14:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1299</Articleid>
                    <excerpt>મેગા સિટી અમદાવાદ પાસેના વિંઝોલમાં વાલ્મિકી સમાજ મર્યા પછી પણ ભેદભાવનો સામનો કરી રહ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f974bba2dd5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f974bb7195b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f974bb7195b.jpg" length="67911" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mega City Ahmedabad, Winzol, Valmiki Society, Discrimination</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘અમે તમારી કાસ્ટને ભજિયા નથી આપતા’ કહી દલિત દંપતિને ગાળો ભાંડી</title>
                    <link>https://khabarantar.com/we-dont-give-fritters-to-your-cast-insulted-the-dalit-couple</link>
                    <guid>https://khabarantar.com/we-dont-give-fritters-to-your-cast-insulted-the-dalit-couple</guid>
                    <description>
                        <![CDATA[ ઉમરેઠના શીલી ગામમાં ભજીયાની લારી ચલાવતા પિતા-પુત્રે એક દલિત દંપતિ પ્રત્યે આભડછેટ દાખવતા ફરિયાદ નોંધાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Umreth Atrocity act Complaint: જાતિવાદી તત્વો ભૂલી જાય છે કે હવે તેઓ અઢારમી સદીમાં નથી જીવતા પણ એકવીસમી સદી છે. મનુવાદની ધરી પર ઉભેલો તેમનો ધર્મ એમને ગાય, ગોબર અને ગૌમૂત્ર ખાવાપીવાની છૂટ આપે છે પણ દલિતોને અસ્પૃશ્ય ગણે છે તે હવે નહીં ચાલે. ભલે તમારો ધર્મ મનુસ્મૃતિ પર ચાલતો હોય પણ આ દેશનો કાયદો સૌને સમાન ગણે છે અને એટલે તમે કોઈ વ્યક્તિને તેની જાતિના આધારે અપમાનિત ન કરી શકો. જો કે સુધરે તો મનુવાદીઓ શેનાં?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી ગામની છે. જ્યાં આભડછેટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં ભજીયાની લારી ચલાવતાં પિતા-પુત્રએ તેમની દુકાને નાસ્તો કરવા આવેલા એક દલિત દંપતીને ‘હું તમને પડીયા અને ડીશમાં ભજીયા નહી આપું’ તેમ કહી ઝઘડો કરી, જાતિવિષયક અપશબ્દો બોલતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે ખંભોળજ પોલીસે એટ્રોસીટીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાં રોહિતવાસમાં રહેતાં 27 વર્ષીય રાહુલ મકવાણા ગત મંગળવારના રોજ પત્ની જ્યોતિબેનને લઈને શીલી ગામે મામા સસરાના ઘરે ગયાં હતાં. જ્યાં એક દિવસ રોકાયાં બાદ બુધવારે સવારે મંદિરની બાજુમાં વડના ઝાડ નીચે આવેલ ભજીયાની લારીએ નાસ્તો કરવા માટે ગયાં હતાં. તે વખતે ત્યાં ભજીયાની લારી પર નરવતસિંહ છત્રસિંહ ગોહીલ અને પ્રવિણભાઈ નરવતસિંહ ગોહીલ હાજર હતાં. તેમની પાસેથી રાહુલ મકવાણાએ 200 ગ્રામ ભજીયા ખરીદ્યાં હતાં. જે બાદ રાહુલે ચટણી લેવા માટે લારી પરથી બે પડીયા લીધાં હતાં. તે વખતે લારીવાળા નરવતસિંહ અને પ્રવીણસિંહે, તમે ક્યાંના વતની છો અને ક્યાંથી આવ્યા છો? તેમ કહી રાહુલની પુછપરછ કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/71.4-percent-of-dalits-have-access-to-public-water-taps">જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રખાય છે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે તે વખતે રાહુલે પોતે મનુભાઈ ટપાલીના ઘરે મહેમાન તરીકે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી આ બંને જણાં એકાએક ઉશ્કેરાઈ ગયાં હતાં અને “હું તમને પડીયા અને ડીશમાં ભજીયા નહી આપું” તેમ કહી જાતીવિષયક અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. તેમજ રાહુલની ફેંટ પકડીને તું અહીયાથી ઉભો થઈ જા તેમ કહી, લાફો મારવા હાથ ઉગામ્યો હતો. રાહુલની પત્ની જ્યોતિબેને ઘરે જઈને આ સઘળી હકીકત પોતાના મામા મનુભાઈ ચતુરભાઈ રોહીતને જણાવી હતી. જેથી મનુભાઈએ સ્થળ પર જઈને ઠપકો આપતાં આ પ્રવિણભાઈ અને નરવરસિંહએ ઉશ્કેરાઈ જઈને તેમને પણ જાતિવિષયક અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે રાહુલ મકવાણાની ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે નરવતસિંહ છત્રસિંહ ગોહીલ અને પ્રવિણભાઈ નરવતસિંહ ગોહીલ વિરૂદ્ધ એટ્રોસીટીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરીયાદી રાહુલ મકવાણાના જણાવ્યા પ્રમાણે, “અમે તમારી કાસ્ટ વાળાને ભજીયા આપતાં નથી” તેમ કહીને પ્રવિણભાઈ અને નરવતસિંહ એ મારા હાથમાંથી ડીશ ખુંચવી લીધી અને ત્યારબાદ મારી ફેંટ પકડીને ઉભો કરી દીધો હતો અને લાફો મારવા હાથ પણ ઉગામ્યો હતો. જેથી તેમના આ જાતિવાદી કૃત્ય સામે એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-form-of-abuse-dalits-walk-25-km-to-get-a-haircut-have-to-go-away">આભડછેટનું વરવું સ્વરૂપઃ દલિતોએ વાળ કપાવવા 25 કિ.મી. દૂર જવું પડે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Sep 2024 19:16:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1286</Articleid>
                    <excerpt>ઉમરેઠના શીલી ગામમાં ભજીયાની લારી ચલાવતા પિતા-પુત્રે એક દલિત દંપતિ પ્રત્યે આભડછેટ દાખવતા ફરિયાદ નોંધાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f6b64d99eb2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f6b64d66887.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f6b64d66887.jpg" length="82356" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Awkward, Umreth Atrocity act Complaint</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકને બ્રિટનની Lancaster Uni.માં એડમિશન મળ્યું, પણ પૈસા નથી</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-gets-admission-in-britains-lancaster-university-but-no-money</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-gets-admission-in-britains-lancaster-university-but-no-money</guid>
                    <description>
                        <![CDATA[ હોંશીયાર દલિત યુવકને બ્રિટનની લેન્કેસ્ટર યુનિ.માં પીએડી માટે એડમિશન મળ્યું છે, પરંતુ રૂપિયા નથી. હવે સરકાર મદદ કરે તેના પર તેનું સપનું ટકેલું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત-બહુજન સમાજમાં એવા અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં હોંશિયાર વિદ્યાર્થીઓને ભણવા માટે જરૂરી પૈસા ન હોવાથી મહત્વની તકો છોડવી પડતી હોય. આવો જ એક કિસ્સો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક દલિત યુવક લંડનની વિખ્યાત લેન્કેસ્ટર યુનિ.માં પીએચડીમાં પસંદગી પામ્યો છે, પણ તેની પાસે એટલા પૈસા નથી કે તે ત્યાં ભણવા જઈ શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના યેર્રાગોંડા પાલેમ ગામના રહેવાસી જોસેફ આનંદ પોલ સાંદ્રાપતિની છે. તેણે યુકેની યુનિવર્સિટી ઓફ લેન્કેસ્ટરમાં પીએચડી કરવા માટે નાણાકીય સહાય માટે રાજ્ય સરકારને અપીલ કરી છે. આર્થિક રીતે નબળા દલિત પરિવારમાંથી આવતો, સાંદ્રાપતિ તેના પરિવારના પહેલો વ્યક્તિ છે જેણે માસ્ટર ડિગ્રી મેળવી છે. તેણે હૈદરાબાદ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. હવે તેણે યુકેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ લેન્કેસ્ટરમાં પીએચડી માટે પસંદગી પામીને એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાન્દ્રાપતિનો પરિવાર અત્યંત ગરીબીમાં જીવે છે, જ્યાં નાણાભીડ કાયમ તેમના સપનાને ચકનાચૂર કરી નાખવા તૈયાર હોય છે. સાન્દ્રાપતિએ તેની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરવા માટે તમામ નાણાકીય અવરોધોને પાર કર્યા હતા અને હવે પીએચડી માટે પસંદગી પામ્યો છે, જે તેના અને તેના પરિવાર માટે ગર્વની વાત છે. પરંતુ આર્થિક સમસ્યાઓને કારણે આ સફર તેમના માટે ખૂબ જ પડકારરૂપ બની ગઈ છે. પીએચડી માટે યુકે જવાનો સંપૂર્ણ ખર્ચ, જેમાં ટ્યુશન ફી અને રહેવાના ખર્ચનો સમાવેશ થાય છે, તે તેના પરિવારને પોસાય તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાન્દ્રાતિનું સંશોધન "વસાહતી આંધ્રમાં સ્વચ્છતાનો ઇતિહાસ 1858-1947" વિષય પર છે, જે આંધ્ર પ્રદેશમાં જાહેર આરોગ્યના ઐતિહાસિક સંદર્ભને ઉજાગર કરશે. આ અભ્યાસ વસાહતી સમયગાળા દરમિયાન બ્રિટિશ પશ્ચિમી ચિકિત્સા અને સ્વદેશી તબીબી પદ્ધતિઓ વચ્ચેના સંબંધમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ સંશોધનનો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે તે સમયગાળા દરમિયાન રોગચાળા અને રોગોનું મેનેજમેન્ટ કેવી રીતે થયું અને સ્વદેશી સમાજે જાહેર આરોગ્યને લઈને કેવા પ્રયત્નો કર્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/A-story-of-five-and-a-half-years-of-struggle-to-get-a-government-job"> સરકારી નોકરી મેળવવા માટેના સાડા પાંચ વર્ષના સંઘર્ષની કથા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાન્દ્રાપતિનું સંશોધન આંધ્ર પ્રદેશ સરકારની વર્તમાન કલ્યાણકારી યોજનાઓ માટે પણ ઉપયોગી થઈ શકે છે, કારણ કે તે રાજ્યની જાહેર આરોગ્ય અને સ્વચ્છતા નીતિઓની ઐતિહાસિક ઉત્ક્રાંતિને સમજવામાં મદદ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં સંદ્રાપતિ લખે છે, "હું માનનીય શિક્ષામંત્રી નારા લોકેશ ગરુને આગ્રહ કરું છું કે, તેઓ આંધ્રપ્રદેશ સરકારની ઓવરસીઝ સ્કોલરશીપ યોજના અંતર્ગત મને આર્થિક મદદ કરે. જેથી હું મારું પીએચડી કરવાનું સપનું સાકાર કરી શકું. આ શિષ્યવૃત્તિ મારા જેવા ગરીબ દલિત વિદ્યાર્થીઓ માટે વરદાન સમાન છે, જે અમને આર્થિક સંકટમાંથી બહાર આવવા અને ઉચ્ચ શિક્ષણનું સપનું સાકાર કરવાની તક આપે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંદ્રપતિ આગળ લખે છે, યુનિવર્સિટીએ તેને એક મહિના કરતા પણ ઓછો સમય આપ્યો છે. જેમાં આંધ્ર પ્રદેશ સરકાર તરફથી ઓફિશ્યિલ મદદનો પત્ર સબમિટ કરવાનો છે, જે તેની ટ્યુશન ફી અને રહેવાના ખર્ચને આવરી લેશે. આ સરકારી મદદ વિના તેના માટે પીએચડી કરવું અશક્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોસેફની આ કહાની માત્ર તેનો વ્યક્તિગત સંઘર્ષ નથી, પરંતુ તે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આ કહાની એવા તમામ વિદ્યાર્થીઓની છે જેઓ મુશ્કેલીઓ છતાં પણ પોતાના સપના પૂરા કરવાની હિંમત ધરાવે છે. સરકારી સહાય જોસેફને શિક્ષણ મેળવવામાં તો મદદરૂપ થશે જ, પરંતુ તેના જેવા અસંખ્ય વિદ્યાર્થીઓ માટે તે આશાનું કિરણ પણ બનશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોસેફની અપીલે એક મહત્વપૂર્ણ મુદ્દાને ઉજાગર કર્યો છે. તે એ કે, આર્થિક રીતે નબળા અને વંચિત સમાજના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, સરકાર દ્વારા સંવેદનશીલ અને ત્વરિત પગલાં માત્ર જોસેફ માટે જ નહીં, પરંતુ તેના સમાજ માટે પણ નવી શક્યતાઓના દરવાજા ખોલી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોસેફ કહે છે, "પીએચડીની ડિગ્રી મેળવવી એ તેના માટે માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તે તેના રાજ્ય અને સમાજ માટે કંઈક ઉપયોગી ફાળો આપવાની સુવર્ણ તક પણ છે. હવે જોસેફ સાંદ્રાપતિની તમામ આશાઓ આંધ્ર પ્રદેશ સરકારની સહાનુભૂતિ અને તાત્કાલિક સહાય પર ટકેલી છે, જે તેમના સ્વપ્નને સાકાર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/tribal-daughter-grazes-goats-despite-securing-824th-rank-in-jee">JEEમાં 824મો રેન્ક મેળવ્યો છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Sep 2024 17:41:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1285</Articleid>
                    <excerpt>હોંશીયાર દલિત યુવકને બ્રિટનની લેન્કેસ્ટર યુનિ.માં પીએડી માટે એડમિશન મળ્યું છે, પરંતુ રૂપિયા નથી. હવે સરકાર મદદ કરે તેના પર તેનું સપનું ટકેલું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f696181c025.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f69617d497f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f69617d497f.jpg" length="97606" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Lancaster University, Dalit student, Ph.D, Government of Andhra Pradesh, Joseph Anand Paul Sandrapati</media:keywords>
                </item>
                        <item>
                    <title>મજૂરના દીકરાએ એક ઝાટકે JEE પાસ કરી નાખી, પણ હાય રે ગરીબી...</title>
                    <link>https://khabarantar.com/laboures-son-clears-jee-in-a-jiffy-but-hi-poverty</link>
                    <guid>https://khabarantar.com/laboures-son-clears-jee-in-a-jiffy-but-hi-poverty</guid>
                    <description>
                        <![CDATA[ દહાડિયા મજૂર દલિત પિતાના હોંશિયાર દીકરાએ અઘરી ગણાતી JEE પરીક્ષા પહેલા જ પ્રયત્ને પાસ કરી નાખી હતી પણ... ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેરિટની પૂંછડીયું થઈને ફરતી જાતિવાદી ઈયળો છાશવારે દલિતો, આદિવાસીઓ અને ઓબીસીની અનામત પર રોદણાં રડવાની એક તક જતી નથી કરતી. અનામતને કારણે તેમને તક નથી મળતી જેવી તદ્દન વાહિયાત વાતો કરીને તેઓ કાયમ એસસી, એસટી, ઓબીસીની અનામતને ટોણો મારતી રહે છે. પણ આ જાતિવાદી ઈયળોને જ્યારે તમે સમાન તકોની વાત કરો ત્યારે તેઓ ભોંમાં મોં ખોસીને મૌન બની જાય છે. એમને ખબર નથી કે તમને જે સુવિધાઓ માત્ર તમારી જાતિના કારણે જન્મતા વેત મળી ગઈ છે, તે મેળવવા માટે અનામત મેળવતો સમાજ તનતોડ મહેનત કરતા છતાં માત્ર જાતિવાદના કારણે ત્યાં સુધી પહોંચી શકતો નથી. જો સમાન તકની વાત કરવી જ હોય તો સ્પર્ધાની શરૂઆતની લીટી પણ સૌના માટે સરખી હોવી જોઈએ. પણ એવું થતું નથી. આ ઘટના પણ જાતિવાદી દેશની સદીઓ જૂની અસમાનતાની ખાઈને રજૂ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેરિટની પૂંછડીઓને જડબાતોડ જવાબ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના એવી છે કે, એક દહાડિયા દલિત મજૂર પિતાનો દીકરો ભણવામાં ભલભલી મેરિટની પૂંછડિયુંને આંટી જાય તેવો છે. તેના તેજ દિમાગનો અંદાજ તમે એના પરથી લગાવી શકો છો કે, તેણે પહેલા જ પ્રયત્ને અઘરી મનાતી IIT એડમિશન માટેની JEE પરીક્ષા પાસ કરી નાખી છે. સવર્ણોના છોકરા-છોકરીઓ આ પરીક્ષા પાસ કરવા માટે લાખો રૂપિયા ભરીને ટ્યુશન રખાવે છે, ઘર-પરિવારનો નિર્વાહ ચલાવવાની જેમના પર ચિંતા નથી તેવાઆ સુખી સંપન્ન પરિવારના છોકરા-છોકરીઓને આ પરીક્ષા પાસ કરાવવા તેમના માતાપિતા બધી જ સગવડો કરી આપે છે. પણ આ દલિત યુવકે અનેક અભાવો વચ્ચે પરિવાર સાથે રહીને JEE પાસ કરી બતાવી છે. પણ કમનસીબી એ રહી કે IIT માં એડમિશન મેળવવા માટે જરૂરી ફી જેટલી રકમ તેની પાસે નહોતી. જેના કારણે તે JEE પાસ કર્યા પછી એડમિશન મેળવી શક્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના ટિટોરા ગામનો યુવાન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના મુઝફ્ફરનગર(Muzaffarnagar) જિલ્લાના ટિટોરા(Titora village) ગામના અતુલ કુમાર (Atul Kumar) નામના એક દલિત યુવાનની છે. દહાડિયા મજૂર પરિવારના અતુલે અત્યંત અઘરી મનાતી IIT પ્રવેશ માટે લેવાતી JEE પરીક્ષા એક ઝાટકે પાસ કરી નાખી છે. પણ તેમ છતાં તેને એડમિશન ન મળતા તેણે હાઈકોર્ટ(High Court) અને હવે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં ધા નાખી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અતુલને IIT ક્રેક કર્યા પછી પણ આઈઆઈટીમાં પ્રવેશ મળ્યો ન હતો. ગરીબ દલિત પરિવારમાંથી આવતો અતુલ સમયસર ફી જમા કરાવી શક્યો નહોતો. જેના કારણે તેની સીટ બીજા કોઈ વિદ્યાર્થીને ફાળવી દેવામાં આવી છે, હવે તે પ્રવેશ માટે સંઘર્ષ કરી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૈસાની વ્યવસ્થા થઈ ત્યાં સુધીમાં સમય નીકળી ગયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અતુલને IIT ધનબાદ(IIT Dhanbad)માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ(Electrical Engineering)માં એડમિશન લેવું હતું. અતુલ કહે છે કે, "એડમિશન કન્ફર્મ કરાવવા માટે ફી તરીકે જમા કરાવવાના હતા તે 17,500 રૂપિયા એકત્ર કરવામાં મોડું થયું હતું. જેમ તેમ કરીને પૈસાની વ્યવસ્થા થઈ ગઈ પણ, પણ પછી આખી પ્રક્રિયા પૂરી કરવામાં સમય નીકળી ગયો અને એડમિશન ન મળ્યું." જેની સામે અતુલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેના પર ગયા મંગળવારે સુનાવણી થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સીજેઆઈ ચંદ્રચૂડની બેંચ સુનાવણી કરી રહી છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અતુલના જણાવ્યા અનુસાર તેની અરજીની સુનાવણી CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ દ્વારા કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે સવાલ ઉઠાવ્યા કે 24મી જૂને સમયમર્યાદા પૂરી થયા બાદ ત્રણ મહિના શું કરી રહ્યા હતા? તેના પર એડવોકેટે રજૂઆત કરી હતી કે 24મી જૂને સાંજે 5 વાગ્યા સુધી 17,500 રૂપિયાની વ્યવસ્થા કરવી મુશ્કેલ હતી. અતુલના કહેવા પ્રમાણે, કોર્ટે તેમને ખાતરી આપી છે, એ પછી તેની અને તેના પરિવારની આશા બંધાઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રસીદ અને દસ્તાવેજો જમા ન થઈ શક્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">18 વર્ષીય અતુલ કુમાર કહે છે કે તેના પિતા અને પરિવારજનોએ જેમતેમ કરીને ફીની રકમ ભેગી કરી હતી. પરંતુ જમા કરવાની નિયત તારીખ 24 જૂનની સાંજે 5 વાગ્યા સુધીમાં રસીદ અને અન્ય ડોક્યુમેન્ટ્સ જમા કરાવી શકાયા ન હતા. હવે અતુલની સીટ અન્ય કોઈને ફાળવી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/despite-his-qualifications-he-could-never-become-captain-due-to-being-a-dal"><span style="font-size: 14pt;">લાયકાત હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ કદી કેપ્ટન ન બની શક્યાં</span></a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અતુલના કહેવા પ્રમાણે, તેણે એડમિશન માટે ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે, પરીક્ષા મદ્રાસ IIT દ્વારા લેવામાં આવી હોવાથી, મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ કરવા કહેવાયું હતું. મદ્રાસ હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા કહ્યું. એ પછી અતુલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને કોર્ટને પોતાના સપનાને બચાવવા માટે પગલાં ભરવા વિનંતી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અતુલની સીટ અન્ય વિદ્યાર્થીને ફાળવી દેવાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અતુલે જણાવ્યું કે તેની પસંદગી થઈ ગઈ હતી. નબળી આર્થિક સ્થિતિને કારણે તે સમયસર ફી જમા કરાવી શક્યો નહોતો અને તેની સીટ બીજા કોઈને આપી દેવામાં આવી હતી. આ અંગે તેણે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૈસા ભેગા કરી જમા કરાવવા ગયા ત્યાં ઓનલાઈન પોર્ટલ બંધ થઈ ગયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અતુલ કુમારના પિતા રાજેન્દ્રએ જણાવ્યું કે તેમની આર્થિક સ્થિતિ ખરાબ છે. તે દરજીકામ કરે છે અને દિવસ દરમિયાન મજૂર તરીકે પણ કામ કરે છે. પૂરતા પૈસાના અભાવે તેઓ અતુલના એડમિશન માટેની ફી સમયસર જમા કરી શક્યા ન હતા અને પોર્ટલ સાંજે 5 વાગ્યે બંધ થઈ ગયું હતું. અતુલ કહે છે, મને એડમિશન મળવું જોઈએ, મને મારી સીટ મળવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અતુલની મદદ માટે ગામલોકો આગળ આવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માત્ર 17,500 રૂપિયા જમા ન કરી શકવાને કારણે આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં એડમિશન મેળવવાથી ચૂકી જનાર અતુલ કુમારની મદદ માટે હવે તેના ગામના લોકો આગળ આવ્યા છે. ગામના અનેક લોકોએ અતુલને આર્થિક મદદ કરી છે. આ સિવાય પણ બીજા અનેક લોકોએ પણ જરૂર પડ્યે કોઈપણ પ્રકારની મદદની ખાતરી આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> </strong><a href="https://khabarantar.com/A-story-of-five-and-a-half-years-of-struggle-to-get-a-government-job"><strong>સરકારી નોકરી મેળવવા માટેના સાડા પાંચ વર્ષના સંઘર્ષની કથા</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Sep 2024 10:51:34 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 27 Sep 2024 11:01:10 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1282</Articleid>
                    <excerpt>દહાડિયા મજૂર દલિત પિતાના હોંશિયાર દીકરાએ અઘરી ગણાતી JEE પરીક્ષા પહેલા જ પ્રયત્ને પાસ કરી નાખી હતી પણ...</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f64314bdd05.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f6431482db4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f6431482db4.jpg" length="116954" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Atul Kumar, IIT Dhanbad, Jharkhand High Court, Supreme Court, Electrical Engineering</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચિરાગ પાસવાન બિહારની ચૂંટણી પહેલા કેન્દ્રીય રાજકારણ છોડી દેશે?</title>
                    <link>https://khabarantar.com/chirag-paswan-to-quit-central-politics-before-bihar-elections</link>
                    <guid>https://khabarantar.com/chirag-paswan-to-quit-central-politics-before-bihar-elections</guid>
                    <description>
                        <![CDATA[ લોકજનશક્તિ પાર્ટી રામવિલાસના અધ્યક્ષ ચિરાગ પાસવાન બિહારમાં પોતાને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જુએ છે. માટે તેઓ મોટો નિર્ણય લેવા જઈ રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ)(LJP-R)ના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન(CHIRAG PASWAN) કેન્દ્રીય રાજકારણ છોડીને બિહાર(BIHAR)ના રાજકારણ(POLITICS) પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવા સંકેતો મળી રહ્યાં છે. બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલ નીતિશ કુમારનું રાજકીય અસ્તિત્વ જોખમમાં છે. એવામાં ચિરાગ પાસવાન પોતાને બિહારના મુખ્યમંત્રી તરીકે જોઈ રહ્યાં છે અને એટલા માટે જ તેઓ કેન્દ્રીય રાજકારણ છોડીને બિહારના રાજકારણમાં પરત ફરવા માંગે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ચિરાગે જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરેલા વિશ્વાસને પૂરી ઈમાનદારી સાથે પૂર્ણ કરશે. સાથે જ તેમણે બિહારના વિકાસને પોતાની પ્રાથમિકતા ગણાવી હતી. તેમણે કહ્યું કે તેઓ બિહારને એક વિકસિત રાજ્ય બનાવવા માંગે છે, જ્યાં સ્થળાંતર ન થાય અને લોકોને તમામ સુવિધાઓ મળે. ચિરાગ પાસવાને એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી. તેમણે કહ્યું કે કેન્દ્રીય રાજનીતિ તેમની પ્રાથમિકતા છે પરંતુ તેઓ બિહારના વિકાસ માટે પણ કામ કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાજીપુરના સાંસદે કહ્યું, 'કેન્દ્રીય મંત્રી હોવાના કારણે મારી પ્રાથમિકતા કેન્દ્રીય રાજનીતિ છે. પરંતુ હું બિહાર ફર્સ્ટ-બિહારી ફર્સ્ટના વિચાર સાથે રાજકારણમાં આવ્યો છું. આવી સ્થિતિમાં બિહાર પણ મારી પ્રાથમિકતામાં આવે છે. બંને જવાબદારીઓને સંતુલિત કરવાનો આ સમય છે. હું તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/rss-supported-caste-enumeration-whose-pressure-worked">RSS એ જાતિ ગણતરીને ટેકો આપ્યો, કોનું દબાણ કામ કરી ગયું?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચિરાગ પાસવાને કહ્યું કે આવતા વર્ષે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ સારું પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે નીતીશ કુમારના નેતૃત્વમાં એનડીએ ૨૦૨૫ની ચૂંટણી લડશે અને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, "આવતા વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે. હું માનું છું કે એનડીએ ત્યાં પણ સારું પ્રદર્શન કરશે. એનડીએ વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી લડશે. મને વિશ્વાસ છે કે બિહારની જનતાને ડબલ એન્જિન સરકારમાં પૂરો વિશ્વાસ છે. આવી સ્થિતિમાં, હું માનું છું કે બિહારમાં ફરીથી પૂર્ણ બહુમતી સાથે એનડીએ સરકાર બનશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">JDU અને BJP માં મોટા ભાઈ કોણ? આ સવાલ પર ચિરાગ પાસવાને કહ્યું કે આવા સવાલોથી ગઠબંધનમાં મતભેદ થાય છે. ગઠબંધનમાં દરેક પાર્ટી મહત્વપૂર્ણ છે. તેમણે દાળમાં મીઠાનું ઉદાહરણ આપતાં કહ્યું કે, જેમ દાળમાં મીઠું મહત્વનું છે, તેવી જ રીતે મહાગઠબંધનમાં દરેક પક્ષનું મહત્વ છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, 'હું કેન્દ્રીય ખાદ્ય સુરક્ષા મંત્રી છું તેથી મને ખબર છે કે ખાદ્ય પદાર્થોને કેવી રીતે વધુ સારા બનાવવામાં આવે છે. તમે દાળમાંથી મીઠું કાઢો લો, મીઠું માત્ર એક ચપટી ઉમેરવામાં આવે છે. પછી કેવો સ્વાદ આવે છે? તેવી જ રીતે ગઠબંધનમાં દરેક નાના-મોટા પક્ષોનું મહત્વ હોય છે. જાો તમે નાના ભાઈ વિના પરિણામ જ આપી શકો તો, મોટા ભાઈનો શું અર્થ?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/crack-in-nda-over-lateral-entry-issue-bjps-three-allies-with-opposition">લેટરલ એન્ટ્રી મુદ્દે NDAમાં તિરાડઃ ભાજપના ત્રણ સાથી પક્ષો વિપક્ષ સાથે</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Sep 2024 10:24:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1277</Articleid>
                    <excerpt>લોકજનશક્તિ પાર્ટી રામવિલાસના અધ્યક્ષ ચિરાગ પાસવાન બિહારમાં પોતાને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જુએ છે. માટે તેઓ મોટો નિર્ણય લેવા જઈ રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f4e6ca6551d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f4e6ca33d00.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f4e6ca33d00.jpg" length="85586" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Lok Jan Shakti Party, Chirag Paswan, Bihar Elections</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદીઓનો દલિતવાસ પર હુમલોઃ 6 ઘાયલ, 3ને માથામાં કુહાડી વાગી</title>
                    <link>https://khabarantar.com/casteists-attack-dalitvas-6-injured-3-axed-on-head</link>
                    <guid>https://khabarantar.com/casteists-attack-dalitvas-6-injured-3-axed-on-head</guid>
                    <description>
                        <![CDATA[ નજીવી બાબતે જાતિવાદી તત્વોએ દલિતવાસ પર હુમલો કર્યો છે. જેમાં 3 યુવકોને માથામાં કુહાડી વાગી છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોને જાણે કાયદો વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેમ નજીવી બાબતે દલિતો અને તેમની વસ્તી પર હુમલો કરી દે છે. આવી અનેક ઘટનાઓ દેશભરમાં બનતી રહે છે, જેનો પછી કોઈ નિવેડો આવતો નથી અને જાતિવાદી તત્વો આરામથી જામીન મેળવી લે છે અને દાદાગીરી કરવા માંડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવું જ કંઈક ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના બંદકી ગામમાં બન્યું છે. અહીં નજીવી બાબતમાં માથાભારે તત્વોએ દલિતવાસમાં ઘૂસીને દલિત મહિલાઓ સહિત અડધો ડઝન લોકો પર કુહાડી, લાકડીઓ વડે હુમલો કર્યો હતો. બદમાશોએ હુમલો કરી તમામને ગંભીર ઇજા પહોંચાડી હતી. તેઓ આટલેથી અટક્યા નહોતા અને દલિત પરિવારના ત્રણ યુવાનોને માથામાં કુહાડીના ઘા મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હુમલાને લઈને દલિત સમાજના લોકો પણ રોષે ભરાયા હતા અને પોલીસ સ્ટેશન પહોંચી જાતિવાદી તત્વોએ દ્વારા કરવામાં આવેલા હુમલાનો વીડિયો બતાવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પરંતુ પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો કલેક્ટર ઓફિસ પર પહોચી ગયા હતા અને ગુંડાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હોબાળો મચાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-atrocity-cases-accused-are-caught-only-after-agitation-naresh-maheshwari">એટ્રોસિટીના કેસમાં આંદોલન પછી જ આરોપીઓ પકડાય છેઃ નરેશ મહેશ્વરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હુમલાખોરો ઠાકુર જાતિના છે અને તેમનો ત્રાસ એટલો છે કે, છેલ્લા 4 મહિનાથી દલિત બાળકોએ શાળાએ જવાનું બંધ કરી દીધું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિંદકી પોલીસ સ્ટેશન વિસ્તારના ખુર્માબાદના રહેવાસી છેદીલાલ દલિત વસ્તીમાં રહે છે. તેમનો 16 વર્ષનો પુત્ર મોહિત ગામના ઠાકુરોના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કેટલાક ઠાકુરોએ તેને અહીંથી ચાલીને નીકળવું નહીં એમ કહીને તેની સાથે ગાળાગાળી કરીને માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘાયલ થયેલા દલિત યુવક અમિત કુમારે જણાવ્યું કે, ડરના કારણે બાળકો છેલ્લા 4 મહિનાથી શાળાએ જઈ શક્યા નથી. માથાભારે અનુભવ સિંહે મોહિતને જાતિ વિષયક અપશબ્દો બોલી માર માર્યો હતો અને જ્યારે તેણે આ અંગે ફરિયાદ કરી ત્યારે જયહિંદ, અનુભવ સિંહ, વિજય કરણ, ભાનુ, રઘુનાથ સિંહ, વિકાસ સિંહ અને 5 અજાણ્યા લોકો લાકડીઓ, કુહાડીઓ સાથે ઘરે આવ્યા હતા અને તેના પર હુમલો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન પીડિતાની માતા, ભાઈ અને બહેન પર તેમણે ગાળાગાળી કરીને જીવલેણ હુમલો કર્યો હતો. આ મારામારીમાં સંદીપ અને બુધસેનને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેની માતા પ્રેમા દેવી અને બહેન આરતી દેવીને પણ ઈજાઓ થઈ હતી. તેઓ જેમતેમ કરીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જો કે ત્યાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા અને આવેદનપત્ર આપી યોગ્ય સમગ્ર મામલે જાતિવાદી તત્વોની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/the-village-ostracized-the-valmiki-family-because-they-did-not-play-the-drum-because-they-were-sick"><strong>બિમાર હોવાથી ઢોલ ન વગાડ્યો, ગામે વાલ્મિકી પરિવારનો બહિષ્કાર કર્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Sep 2024 12:53:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1270</Articleid>
                    <excerpt>નજીવી બાબતે જાતિવાદી તત્વોએ દલિતવાસ પર હુમલો કર્યો છે. જેમાં 3 યુવકોને માથામાં કુહાડી વાગી છે અને અનેક લોકો ઘાયલ થયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f3b98320f1e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f3b982e1f92.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f3b982e1f92.jpg" length="49999" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Attack on Dalit, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>સંકલ્પ ભૂમિ વડોદરામાં અઢી લાખ બહુજનોએ સાથે મળી શું સંકલ્પ લીધો?</title>
                    <link>https://khabarantar.com/sankalp-land-vadodara-two-and-a-half-lakh-bahujans-together-took-resolution</link>
                    <guid>https://khabarantar.com/sankalp-land-vadodara-two-and-a-half-lakh-bahujans-together-took-resolution</guid>
                    <description>
                        <![CDATA[ 23મી સપ્ટેમ્બરે દેશભરમાંથી અઢી લાખથી વધુ બહુજનો વડોદરા ઉમટી પડ્યા હતા. અનામત બચાવો સંકલ્પ યાત્રા પણ અહીં પહોંચી હતી. ત્યારે બહુજનોએ અહીં શું સંકલ્પ લીધો તે જાણો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">01 ઓગસ્ટ 2024 ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ-જનજાતિની અનામતમાં પેટા વર્ગીકરણ કરવાના ચુકાદા તેમજ ક્રીમીલેયરના સૂચનનો વિરોધ કરવા અને સરકાર દ્વારા લોકસભામાં ખરડો પસાર કરી લાવી આ ચુકાદો નિરસ્ત કરવામાં આવે તે માટે તારીખ 17/9/2024 થી શરૂ કરવામાં આવેલી અનામત બચાવો સંક્લ્પ યાત્રામાં ચાંદખેડા થી સેકડો યોધ્ધાઓ જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યાત્રા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરી 1981 તથા 1985ના અનામત વિરોધી આંદોલનમાં શહીદ થયેલા શહીદો ની ખાંભીઓને સલામ આપી હતી, આ પ્રથમ દિવસે રાત્રે અમરાઈવાડીમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરાઈવાડી ખાતે યોજાયેલી આ જનસભામાં ઘણી જ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આ યાત્રાને બહોળા પ્રમાણમાં સમર્થન આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તારીખ 18/9/24 યાત્રાના બીજા દિવસે અમરાઈવાડીથી નીકળી ગીતામંદિર, મજુર ગામ ખાતે 1981-85 માં અનામત આંદોલનમાં શહીદ થયેલા શહીદ વીરોની ખાંભીને ફુલ માળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. બપોરના ભોજનની વ્યવસ્થા દાણીલીમડાના સાથીઓએ કરી હતી. દાણીલીમડાના સાથીઓએ યાત્રાના તમામ સાથીઓનું પંચશીલનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. બપોર બાદ યાત્રા વાસણા ગુપ્તાનગર વગેરે વિસ્તારમાંથી ફરી વેજલપુર ખાતે રાત્રે રોકાણ કરી સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તારીખ 19/9/2024 ના ત્રીજા દિવસે યાત્રા વેજલપુર થી નીકળી સરખેજ ના ફતેપુર થી ધોળકા તાલુકાના વિસલપુર ભાત થઈને કાવીઠા પહોંચે હતી. કાવીઠા ગામ એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1935માં આ ગામની મુલાકાત લીધી હતી  ૧૯૩૫માં આ ગામના લોકોએ તેમના બાળકોને શિક્ષણ આપવા માટે શાળામાં દાખલ કરેલ ત્યારે ગામ લોકોએ શાળાનો બહિષ્કાર કરતા મોટો વિવાદ સર્જાયો હતો અને આ અંગે ગામ લોકોએ બાબા સાહેબ આંબેડકર ને જાણ કરતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પોતે આ ગામે આવ્યા હતા અને પછી ધોળકા ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાવીઠા ગામના લોકોએ બપોરના જમવાની સુંદર વ્યવસ્થા કરી હતી. કાવીઠાથી નીકળી યાત્રા બદરખા,  ચલોડા થઈ ને વીર મેઘમાયા ના જન્મ સ્થળ રનોડા ખાતે પહોંચી હતી, જ્યાં વીર મેઘમાયાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. યાત્રા રનોડથી નીકળી ધોળકા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રાત્રે ધોળકા ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. ધોળકા ખાતે આવેલ ત્રાસદ રોડ પર આવેલ ડૉ આંબેડકર ભવન પર રાત્રે જમવાની અને રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ રાત્રે મોટી સંખ્યામાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં યાત્રા સાથેના સભ્યોએ રોસ્ટર, ક્રીમી લેયર, અનામત વિશે વિગતવાર સમજણ આપી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f39a1376bbf.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોથો દિવસ એટલે કે તારીખ 20/9/2014 ના રોજ યાત્રા ધોળકાથી નીકળી વટામણ થઈને ગોલાણા ખાતે પહોંચી હતી. 1985માં ગોલાણા ખાતે શહીદ થયેલા ચાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી યાત્રા ત્યાંથી રવાના થઈ પાંદડ અને ખાખસર પહોંચી હતી. ખાખસર ખાતે બપોરે જમણવારનું આયોજન ભાનુબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યાત્રા ખાખસરથી નીકળી ધર્મજ, પેટલાદ અને આણંદ ખાતે પહોંચી હતી. યાત્રા આણંદ ખાતે સફાઈ કામદાર વસાહતમાં  સભાના રૂપમાં ફેરવાઈ હતી જ્યાં અનામત વર્ગીકરણના ગેરફાયદા અને રોસ્ટર ક્રમાંક અંગે સમજણ આપી હતી. રાત્રી રોકાણ અને જમવાની વ્યવસ્થા આણંદ ખાતે રાખવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તારીખ: 21/9/2024 એટલે કે યાત્રાનો પાંચમો દિવસ યાત્રા આણંદ થી નીકળી ચિખોદરા, મોગર, વાસદ, દેરકા, સાકરદા, નેંદસરીથી રણોલી ખાતે પહોંચી રણોલી ખાતે રાત્રે રોકાણ કરવામાં આવ્યું હતું. પદમલા ગામના સાથીઓ બાબુભાઈ વાઘેલા તેમજ ઠાકોરભાઈ વાઘેલા  દ્વારા યાત્રા રોકાણ હોટલમાં એસી રૂમમાં રાત્રે રોકાણની વ્યવસ્થા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/everyone-had-the-same-voice-we-will-not-let-the-meli-murad-of-the-government-be-fulfilled">મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f39a1415449.jpg" alt=""><span style="font-size: 14pt;">યાત્રાનો છઠ્ઠો દિવસ એટલે કે તારીખ 22/9/2020 ના વડોદરાના વિવિધ વિસ્તાર છાણી જકાતનાકા, બાજવા, ગોરવા, ગોત્રી, સેવાલી, ભાયલી વિગેરે વિસ્તારોમાં ફરી રાત્રે સંકલ્પ ભૂમિ ખાતે રોકાણ કરવામાં આવ્યું હતું. </span><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><a href="https://khabarantar.com/everyone-had-the-same-voice-we-will-not-let-the-meli-murad-of-the-government-be-fulfilled"></a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યાત્રાનો સાતમો દિવસ એટલે તારીખ 23/9/2024 ના રોજ સંકલ્પ ભૂમિ ખાતે એક વિશાળ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં SC અને ST સમુદાય ના લોકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. સભાની ધ્યાન આકર્ષક બાબત એ હતી કે આદિવાસી લોકો એના પરંપરાગત વેશભૂષામાં મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લોકોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રવિરાજ બૌદ્ધ, પ્રિતી બૌદ્ધના ગીતોએ વાતાવરણમાં જોશ ભરી દીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સભાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશથી પધારેલ કલાકાર રવીરાજ બૌદ્ધ અને પ્રીતિ બૌધ્ધ દ્વારા બહુજન આંદોલન બાબતે ગીતો રજૂ કરી વાતાવરણમાં ઉત્સાહ લાવી દીધો હતો. સભાની શરૂઆતમાં મહિલા આગેવાન મધુબેન કોરડીયાએ અનુસૂચિત જાતિની વિવિધ પેટા જ્ઞાતિઓને એક કરવા પર ભાર મૂક્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f39a110ba99.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બે બેલાડી અને વાંદરાની વાર્તા યાદ રાખજોઃ રાજેશભાઈ નાડિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ અનુસૂચિત જાતિ પૈકી પછાત જાતી એવી નાડિયા સમુદાયના યુવાન સાથી રાજેશભાઈ નાડિયાએ સરકારની પેટા વર્ગીકરણના ચુકાદા અંગે સમાજને જાગૃત કરી બે બિલાડી અને વાંદરાની વાત યાદ કરાવ્યું ગયું કે પેટા વર્ગીકરણ બે પૈકી કોઈ પણ જૂથને ફાયદો થવાનો નથી પરંતુ અનુસૂચિત જાતિ અને જનજાતિની એકતાને ખતરો ખતરો જરૂર છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f39a12d5c6d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોઢું ગરમ હોય ત્યારે હથોડો મારવો જરૂરી છેઃ ડો. નીતિન ગુર્જર સાહેબ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર નીતિન ગુર્જર સાહેબ કે જેઓ 1981 તેમજ 1985 ના અનામત આંદોલનમાં ઘણો મોટો ફાળો ભજવી પોલીસની લાઠીઓ ખાઈ માથાફોડી ને જેલવાસ ભોગવેલ છે તેવા આ 80 વર્ષના ક્રાંતિકારી સાથીએ ઉપસ્થિત જન મેદની ને જણાવ્યું હતું કે અમે તમને ગરમ કરવા આવ્યા છીએ. લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારશું અને આ માટે જમીન પર કે ટેબલ પર જે કંઈ પણ વર્ક કરવું પડે તે વર્ક કરવામાં આવશે. ગુર્જર સાહેબના એક એક શબ્દો ઉપસ્થિત જનમેદનીને સોંસરવા ઉતરી જાય તેવા હતા. તેમણે કહેલી વાતોને હાજર લોકોએ ગંભીરતાથી લઈ આગામી દિવસોમાં વધુ આક્રમક રીતે અનામતને બચાવવા માટે લાગી પડવા સંકલ્પ લીધો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f39a0f2dc99.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનામત બચાવો સંકલ્પ યાત્રા આદિવાસી પટ્ટામાં પણ જવી જોઈએઃ નરેન્દ્ર રાઠવા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આદિવાસી વિસ્તારના છોટા ઉદેપુર વિસ્તારથી પધારેલા આદિવાસી નેતા અને જોરદાર વક્તા માન્ય નરેન્દ્રભાઈ રાઠવાએ ચુકાદા બાબતે જણાવ્યું હતું કે આવા અનેક ચુકાદાઓને કારણે સમાજને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. આવા ચુકાદાના મનઘડંત અર્થઘટનો કરી અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની આવનારી પેઢીના ભવિષ્યને નુકસાન કરવા પ્રયાસો થઈ રહ્યા છે. એસ.સી/એસ.ટી. એ એક થઈને જ લડવું પડશે. તેઓએ આગળ જણાવ્યું કે બંધારણ ની પાંચમી સૂચિમાં આપેલા વિશેષ અધિકારોનું પણ આ સરકાર હનન કરી રહી છે. બંધારણ કલમથી તો બચાવીશું પણ જરૂર પડશે તો તીર કામઠાથી પણ બચાવીશું તેવી હાકલ કરી હતી. તેઓએ સભાના સાથીઓને અનુરોધ કર્યો હતો કે હવે પછી આ યાત્રા ટ્રાઇબલ બેલ્ટમાં લઈ જવી જોઈએ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f39a1248b3f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરાના સાથી મધુસુદનભાઈ રોહિતે યાત્રાના માધ્યમથી જમીનની સ્તર પર જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો. યાત્રાના યુવાન સાથી જગદીશ સોલંકીએ કોલેજીયમ પદ્ધતિને ગેર બંધારણીય ઠરાવી હતી અને કોલેજીયમ પદ્ધતિ રદ કરવા પર ભાર મૂક્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વલસાડ થી પધારેલા આદિવાસી આગેવાન રાજુભાઈ પટેલે કહ્યું હતું કે અમે સાંભળતા હતા કે અમારા વડવાઓ 6 મીટર ની પાઘડી પહેરતા હતા તો એ પાઘડી આજે કેમ નાની થઈ ગઈ છે? કયા શાસકોએ આ પરિસ્થિતિ ઊભી કરી છે? અનુસૂચિત જનજાતિ તો આપનાર વર્ગ હતો તો પછી એ માંગનાર કેમ બન્યો છે?  છ મીટર ની પાઘડી માંથી લંગોટ પર કેમ આવી ગયો છે તે અંગે મનોમંથન કરવા હાકલ કરી હતી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f39a1057e68.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટનો ચૂકાદો અનામત ખતમ કરવાનું ષડયંત્રઃ હેમંત પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યાત્રામાં સતત સાથે રહેનાર અને યાત્રા દરમિયાન શહેર તેમજ ગામડાના દરેક વિસ્તારોમાં પોતાના તેજાબી વક્તવ્યોથી  યુવાવર્ગનું ધ્યાન ખેંચનાર હેમંત પરમારે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે આ ચુકાદા દ્વારા આવનાર પેઢીના ભવિષ્યની નસબંધી કરવામાં આવી છે. ચુકાદા અગાઉ જે રોસ્ટર પોઇન્ટ પર ભરતી કરવામાં આવતી હતી તે હવે આ ચુકાદા પછી લાભ લેનાર વર્ગોની વસ્તી ની ટકાવારી ઘટવાથી અને પેટા વર્ગીકરણ કરવાથી વસ્તીની ટકાવારી ઘટશે એટલે રોસ્ટર પોઇન્ટ પણ નીચે જવાનો છે. જેના કારણે આવનાર પેઢીને સરકારી નોકરી ઓની ભરતી માં જબરજસ્ત નુકસાન જવાનું છે. અનામત સાથે થતાં વારંવાર ની છેડછાડ ને અટકાવવા અનામતને નવમી સૂચિમાં દાખલ કરવા માંગણી કરી હતી તેમજ રોસ્ટરનો ક્રમ જયાંથી અમલ કરવામાં આવે છે તેવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં એસસી એસટી ઓબીસીનો એક પણ અધિકારી ફરજ પર નથી એટલે બ્રાહ્મણવાદી માનસિકતા ધરાવતા લોકો બિન્દાસથી રોસ્ટર સાથે ચેડાં કરી રહ્યા છે. અનામતને આમ પણ ખાનગીકરણ દ્વારા ખતમ કરવામાં આવી છે અને રહીસહી અનામતને પેટા વર્ગીકરણ દ્વારા ખતમ કરવામાં આવનાર છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો રદબાતલ કરવા માટે સંસદમાં ખરડો પસાર કરવામાં આવે તેવી માંગણી કરી હતી સાથે સાથે ગુજરાત સરકારમાં રોસ્ટરથી ભરાયેલા તમામ પદો તેમજ તમામ સંવર્ગો પર કઈ કઈ જ્ઞાતિઓની ભરતી થઈ છે તે અંગે  શ્વેતપત્ર બહાર પાડવા પર પણ ભાર મૂક્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f39a0fb9f02.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુનિવર્સિટીઓમાં બેઠેલા દ્રોણાચાર્યો આપણાં એકલવ્યોના અંગુઠા કાપી રહ્યાં છેઃ પી.એલ.રાઠોડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યાત્રાના શરૂઆતથી અંત સુધી સતત સાથે રહેનાર નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી પી એલ રાઠોડ દ્વારા સુપ્રીમ કોર્ટના ક્રિમિલેયરના સૂચન અંગેની ઝાટકણી કાઢવામાં આવી હતી.  તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે અનામત એ આર્થિક પ્રગતિ માટેનું સાધન નથી પરંતુ શાસન શાસનમાં પ્રતિનિધિત્વ માટેનું માધ્યમ છે. ક્રીમીમીલેયર એ બંધારણનમાં કરેલ અનામતની જોગવાઈની સંકલ્પનાથી વિરુદ્ધ છે. કારણ કે અનુસુચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ નો ગમે તે વ્યક્તિ ગમે તેટલ ઊંચા હોદ્દા પર પહોંચે તેમ છતાં જાતિ આધારિત અન્યાય તો તેઓની સાથે ચાલુ જ રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબુ જગજીવનરામ જ્યારે સંરક્ષણ મિનિસ્ટર હતા ત્યારે તેઓના દ્વારા કલકત્તામાં સ્વામી સંપૂર્ણાનંદની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારે અનાવરણ પછી આ મૂર્તિને અભડાઈ જવાથી પંચદ્રવ્યોથી ધોઈ અને પવિત્ર કરનારા આ જાતિવાદી લોકોના સંતાનો એ મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદને મંદિરમાં જતા અટકાવવા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને નવા સંસદભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ બોલાવવામાં આવ્યા ન હતા. આમ એસસી એસટીનો વ્યક્તિ ગમે તેટલા ઊંચા પદ ઉપર પહોંચે પરંતુ જાતિવાદી માનસિકતા વાળા લોકો તો જાતિના આધારે જ મૂલ્યાંકન કરવા ટેવાયેલા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓએ વધુમાં કહ્યું હતું કે અમે તો અનામત છોડવા તૈયાર છે પરંતુ તમે પુના કરાર રદ કરી ગોળમેજ ગોળમેજ પરિષદમાંથી મળેલ બેવડા મતાધિકારને પરત આપી દો અને તમારી અનામત પછી લઈ જાઓ.તમે ક્રિમિલેયર લાગુ કરો પણ એ પહેલા કોલેજો તેમજ યુનિવર્સિટીઓમાં રહેલા દ્રોણાચાર્યઓ ને પણ દૂર કરો કે જેઓ આજે એસસી એસટીના હોનહાર વિદ્યાર્થીઓના અંગૂઠા કાપી રહ્યા છે. તમારામાં તેવડ હોય તો હરીફાઈ માટેની સ્ટાર્ટ લાઈન એક સરખી નક્કી કરો અને પછી અમારી સાથે હરીફાઈમાં ઉતરો એવી લલકાર કર્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f39a11a96a2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એસસી, એસટી સાંસદો-ધારાસભ્યોના ઘરનો ઘેરાવ કરવામાં આવશેઃ અશોક ચાવડા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ યાત્રાના મુખ્ય સંકલ્પકાર એવા અશોકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પછી પણ જો એસસી એસટી ની પેટા જાતિઓ નો વિકાસ ના થયો હોય તો એની જવાબદારી 75 વર્ષથી શાસન કરનારા સરકારની જમાતના લોકોની છે. સરકારના અલગ અલગ નિગમો જેવા કે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, અતિ પછાત વિકાસ નિગમ, ઠાકોર કોળી વિકાસ નિગમ, આદિજાતિ વિકાસ નિગમ, અલ્પસંખ્યાક વિકાસ નિગમ, વિગેરે અલગ અલગ નિગમોનું બજેટ ભેગું કરીએ તો માંડ 500 કરોડ પણ થતું નથી જ્યારે માત્ર EWS નિગમને 1,000 કરોડનું ફંડ આપવામાં આવે છે. જે આજના શાસકોની આ દેશનાં શોષિતો પ્રત્યેની માનસિકતા દર્શાવે છે. તેઓએ હાજર મેદીની ને ચેતવણી આપતા કહ્યું કે જો તમે જાગૃત નહીં થાઓ તો આવનાર સમયમાં કે જી બાલાકૃષ્ણ પંચ કે જે અનુસૂચિત જાતિમાંથી અન્ય ધર્મમાં પરિવર્તિત થયેલ લોકોને અનુસૂચિત જાતિનો લાભ આપવો કે કેમ તે અંગે સર્વેમાં નીકળ્યા છે તેની લટકતી તલવાર પણ આપણા માથા પર આવી રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ દેશના શાસકોને ખબર છે કે જાતિવાદી શોષણખોર વ્યવસ્થા સામે આ દેશના એસસી એસટીના લોકો જ પડકારરૂપ છે એટલે એમાં વિભાજન કરવા માટે સરકારે સુપ્રીમ કોર્ટ સાથે ગઠબંધન કરી આવા નિર્ણયો કર્યા છે. માત્ર સરકાર અને સુપ્રીમનું ગઠબંધન નથી પરંતુ વિપક્ષનો પણ ગઠબંધન છે તેવા આકરા પ્રહારો કર્યા હતા અને આવનાર સમયમાં આ યાત્રા આદિવાસી બેલ્ટ તેમજ અલગ અલગ વિસ્તારોમાં લઈ જવા માટે પણ આહવાનું કર્યું છે. આવનાર સમયમાં ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ જાગૃતિ માટેના કાર્યક્રમો દ્વારા માટે તૈયારી દર્શાવી છે. સાથે સાથે એસસી એસટીમાંથી પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યો સંસદ સભ્યોના ઘરે પણ તેનો ઘેરાવ કરવા માટે આવનાર સમયમાં રણનીતિ ઘડવામાં આવશે તેમ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમના અંતમાં નિવૃત બેંક અધિકારી ત્રિભુવન વાઘેલા એ સૌનો આભાર માની ભવિષ્યની લડાઈ માટે તૈયાર રહેવા આવવાનું કર્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન મહેશ જી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. સંકલ્પ દિવસ નિમિત્તે દેશભરમાંથી અંદાજે દોઢ લાખથી વધુ લોકો વડોદરા સંકલ્પ ભૂમિ પર ઉમટી પડ્યા હતા. જો કે, આટલી મોટી ઘટના હોવા છતાં મનુમીડિયાએ તેની સમખાવા પુરતી પણ ક્યાંય નોંધ લીધી નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/hundreds-of-bhimayodhas-have-left-from-ahmedabad-to-save-the-reservation">અમદાવાદ થી સેંકડો ભીમયોદ્ધા અનામત બચાવવા નીકળી પડ્યાં છે...</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Sep 2024 10:41:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1268</Articleid>
                    <excerpt>23મી સપ્ટેમ્બરે દેશભરમાંથી અઢી લાખથી વધુ બહુજનો વડોદરા ઉમટી પડ્યા હતા. અનામત બચાવો સંકલ્પ યાત્રા પણ અહીં પહોંચી હતી. ત્યારે બહુજનોએ અહીં શું સંકલ્પ લીધો તે જાણો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f398ec9ef33.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f398ec6944c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f398ec6944c.jpg" length="99094" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Sankalp Bhumi, Baroda, Babasaheb, Dr.Ambedkar</media:keywords>
                </item>
                        <item>
                    <title>કૂતરાથી બચવા ભાગી રહેલા દલિત યુવકને સવર્ણોએ ચોર સમજી બાંધીને માર્યો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-youth-who-was-running-to-escape-from-a-dog-was-tied-up-and-killed-by-upper-castes-mistaking-him-for-a-thief</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-youth-who-was-running-to-escape-from-a-dog-was-tied-up-and-killed-by-upper-castes-mistaking-him-for-a-thief</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં મજૂરી કરતો યુવક વતન પહોંચ્યો હતો. મોડી રાત્રે કૂતરા પાછળ પડતા તે દોડ્યો, સવર્ણોએ તેને ચોર સમજી, ઝાડ સાથે બાંધીને માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- યુવક ગુજરાતમાં મજૂરી કરતો હતો, રજા હોવાથી ઘરે જઈ રહ્યો હતો</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- સાધન ન મળતા રાતે 2 વાગ્યે પગપાળા જઈ રહ્યો હતો</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- કૂતરાં પાછળ પડતા યુવક તેનાથી બચવા ભાગ્યો</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- ગામના સવર્ણોએ તેને ચોર સમજી ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- યુવકના પિતા તેને શોધવા નીકળ્યા ત્યારે ઘાયલ થયેલો મળી આવ્યો</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો, આદિવાસીઓ પર દરરોજ અત્યાચાર, હિંસા, સહિતની અનેક ઘટનાઓ બને છે. તેમાંથી આંગળીના વેઢા પણ વધી પડે તેટલી ઘટનાઓ માંડ પોલીસ ચોપડે નોંધાય છે. એમાંથી પણ મીડિયામાં તેની નોંધ લેવાતી હોય તેવી ઘટનાઓનો આંકડો તો એકાદ-બે માંડ હોય છે. આવી પરિસ્થિતિ વચ્ચે ખબરઅંતર.કોમનો પ્રયત્ન છે કે, મહત્તમ ઘટનાઓને સમાજ સુધી પહોંચાડી શકીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના રતલામ જિલ્લાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના મધ્યપ્રદેશના રતલામની છે. અહીંના એક ગામનો દલિત મજૂર ગુજરાતમાં મજૂરીકામ માટે આવ્યો હતો. કામ દરમિયાન રજા હોવાથી તે મધ્યપ્રદેશના પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. મોડી રાત્રે બે વાગ્યે તેને ગામડે જવા માટે કોઈ વાહન ન મળતા તે ચાલીને જઈ રહ્યો હતો. એ દરમિયાન શેરીના કૂતરાં તેની પાછળ પડ્યાં. જેનાથી બચવા મજૂર યુવક ભાગ્યો. હોબાળો થતા સ્થાનિકો જાગી ગયા અને તેને ચોર સમજીને પકડી લીધો અને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ ઘાયલ મજૂર યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="color: #e03e2d;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/A-tribal-woman-who-acted-like-Dashrath-Manjhi">એક આદિવાસી મહિલા, જેણે દશરથ માંઝી જેવું કામ કરી બતાવ્યું</a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના રતલામ જિલ્લાના તાલ પોલીસ સ્ટેશનના ટૂંગણી ગામની છે. જ્યાં એક દલિત યુવકને ચોર સમજીને તેને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. કોઈએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવક ગુજરાતમાં મજૂરીકામ કરે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, મજૂર યુવકનું નામ શ્રવણ ચંદ્રવંશી છે અને તે ગુજરાતમાં મજૂરી કામ કરે છે. તે 16 સપ્ટેમ્બરની રાત્રે ગુજરાતથી પોતાના વતન તાલ પહોંચ્યો હતો. ત્યાંથી પોતાના ગામ ટૂંગણી પહોંચવા માટે તેને કોઈ સાધન ન મળતા તે પગપાળા ઘરે જઈ રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાત્રે લગભગ 2 વાગે ટૂંગણી ગામમાં ભસતા કૂતરા તેની પાછળ પડ્યા. બચવા માટે તે નવી વસ્તી તરફ ભાગ્યો અને કેટલાક લોકોએ તેને ચોર સમજીને પકડી લીધો. તેણે કહ્યું કે તે ચોર નથી, પરંતુ તેની વાત કોઈએ સાંભળી નહીં. તેની સાથે ગાળાગાળી કર્યા બાદ લોકોએ તેને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકના પિતા દવાખાને લઈ ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેના પિતાએ પોલીસને લેખિત ફરિયાદ આપી હતી કે તેમને રાત્રે બાતમી મળી હતી કે કેટલાક લોકો તેમના પુત્ર શ્રવણને લીમડાના ઝાડ સાથે બાંધીને માર મારી રહ્યા છે. જ્યારે તે તેના સંબંધી સાથે ઘટનાસ્થળે પહોંચ્યાં તો તેમણે જોયું કે શ્રવણ ઘાયલ હાલતમાં પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેને તાલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, બાદમાં ત્યાંથી તેને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો. પિતાએ જણાવ્યું કે તેમના પુત્ર શ્રવણને બે દિવસ પછી મેડિકલ કોલેજમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેની ઘરે સારવાર ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લાકડીઓ, મુક્કા મારી યુવકને ઈજા પહોંચાડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા અનુસાર યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવાનો વાયરલ વીડિયો તેમના ધ્યાન પર આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે શ્રવણ ચંદ્રવંશીને આરોપીઓ દશરથસિંહ ઈશ્વરસિંહ, ધર્મેન્દ્રસિંહ ભગવાનસિંહ, બબલુ ઈશ્વરસિંહ સિસોદિયા અને બાબુલાલ નાનુરામ હાડા (તમામ ટૂંગણીના રહેવાસી છે) એ ચોરીની આશંકાએ તેને ઝાડ સાથે બાંધી રાખી લાકડીઓ અને મુક્કા વડે માર માર્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે BNS ની કલમ 126(2), 296, 115(2), 351(2), 3(5) અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1)દ, 3(1)ઘ, 3(2) VA અંતર્ગત આરોપી સામે ફરિયાદ નોંધાયેલ છે અને ચારેયની ધરપકડ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;"><span style="color: #e03e2d;">આ પણ વાંચો:</span> </span><a href="https://khabarantar.com/Social-activist-Kantilal-Parmar-filed-a-complaint-in-the-Human-Rights-Commission-regarding-the-suicide-of-a-dalit-teacher-in-Zanzaria.">ઝાંઝરિયાના દલિત શિક્ષકની આત્મહત્યા મામલે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ દાખલ કરી</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Sep 2024 16:50:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1265</Articleid>
                    <excerpt>ગુજરાતમાં મજૂરી કરતો યુવક વતન પહોંચ્યો હતો. મોડી રાત્રે કૂતરા પાછળ પડતા તે દોડ્યો, સવર્ણોએ તેને ચોર સમજી, ઝાડ સાથે બાંધીને માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f29f994e28f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f29f991977f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f29f991977f.jpg" length="78259" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>A Dalit youth was killed, Dalit crime, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકને માર્યો, પછી આંખો કાઢી લીધી અને ફાંસીએ લટકાવી દીધો?</title>
                    <link>https://khabarantar.com/beaten-a-dalit-youth-then-gouged-out-his-eyes-and-hanged-him</link>
                    <guid>https://khabarantar.com/beaten-a-dalit-youth-then-gouged-out-his-eyes-and-hanged-him</guid>
                    <description>
                        <![CDATA[ ખેતરમાં કામ કરવા ગયેલા દલિત યુવકને પકડીને ઢોર માર માર્યો, તેની આંખો કાઢી લીધી અને પછી વડના ઝાડ પર ફાંસો બાંધીને લટકાવી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના છત્તરપુરમાં એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. અહીં એક દલિત યુવક ખેતરમાં કામ કરવા માટે ગયો હતો, જે સાંજ સુધી પરત ન ફરતા તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પણ કોઈ પતો મળ્યો નહોતો. થોડા દિવસ પછી ગામથી દૂર જંગલ વિસ્તારમાં તેની કોહવાઈ ગયેલી લાશ એક ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી હતી. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, ગામના કેટલાક જાતિવાદી તત્વો સાથે તેમને થોડા દિવસ પહેલા જ ઝઘડો થયો હતો. જેની દાઝ રાખીને તેમણે તેમના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત વ્યક્તિના પરિવારજનોએ છતરપુર એસપી સાથે તેમની વ્યથા શેર કરી. પરિવારજનોનો આરોપ છે કે મૃતકને ખૂબ જ નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. પહેલા તેની આંખો કાઢી નાખવામાં આવી, પછી તે મરી જાય ત્યાં સુધી તેને માર મારવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">15 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના છતરપુર જિલ્લાના બડામલહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દલિતો સાથે હિંસાની ઘટના સામે આવી હતી. ઇજાગ્રસ્તો પૈકી એક યુવક ગુમ થયો હતો. ચાલી ખંગાર નામના દલિતનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેના ગુમ થવાનો કેસ છતરપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. તેની સડી ગયેલી લાશ ગામ નજીકના જંગલમાં ઝાડ પર લટકતી મળી આવી હતી. મૃતદેહ જોતા સ્પષ્ટ થતું હતું કે તેના પર ખૂબ જ અત્યાચાર ગુજારવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પરિવારના સભ્યોએ આ કેસમાં કોંગ્રેસ નેતા પર પણ આરોપ લગાવ્યો છે અને એસપીને આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા વિનંતી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/they-beat-him-saying-that-he-wants-to-get-free-ration-from-bjp-and-vote-for-someone-else"> મફત રાશન ભાજપ પાસેથી લેવું છે ને મત બીજા કોઈને આપીશ? કહીને માર્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">થોડા દિવસ પહેલા જાતિવાદીઓ સાથે મારામારી થઈ હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બડામલહરા પોલીસ સ્ટેશનમાં આવતા બરમા ગામના રહેવાસી ભગીરથ ખંગાર, વીરેન્દ્ર ખંગાર, કપુરીબાઇ ખંગાર અને ચાલી ખંગાર જ્યારે ટેક્સી લઈને બહારગામ જઈ રહ્યા હતા ત્યારે ચાર લોકોએ તેમના પર લાકડીઓ લઈને હુમલો કરી માર માર્યો હતો. આ મામલે પીડિત દલિત પરિવારની ફરિયાદ પર બડામલહરા પોલીસે બર્મા ગામના રહેવાસી ત્રણ અને એક અન્ય શખ્સ વિરુદ્ધ એસસી-એસટી એક્ટ અને મારામારીની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બીજા દિવસે ચાલી ખંગાર ગુમ થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી બીજા દિવસે 16મી સપ્ટેમ્બરે ભગીરથનો પુત્ર ચાલી ખંગાર ખેતરમાં ગયો હતો, પરંતુ ઘરે પાછો આવ્યો ન હતો. પરિવારે પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો અને જિલ્લા એસપી અગમ જૈનને લેખિત અરજી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકના પિતા અને ભાઈએ પોલીસ સાથે મળીને ગુમ થયેલા ચાલી ખંગારની જંગલમાં શોધખોળ હાથ ધરી હતી. શનિવારે શોધખોળ દરમિયાન તેમને તેનો મૃતદેહ નાળાની પાસે એક વડના ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. તે ચાલી ખંગાર છે તેનો ખ્યાલ તેના જૂતા પરથી આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રોષે ભરાયેલા દલિતોએ રસ્તો બંધ કરી દીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ પુત્રનું આ હાલતમાં મોત થતાં રોષે ભરાયેલા પરિવારજનોએ સેંધપા ગામમાં પોલીસ ચોકી સામે રસ્તા પર ચક્કાજામ કરીને તેને બંધ કરી દીધો હતો. પરિવારજનોનો આરોપ છે કે આરોપી રામપાલ ઘોષ, ગજેન્દ્ર સિંહ ઘોષ, નરેન્દ્ર સિંહ ઘોષ અને અન્ય એક વ્યક્તિએ મળીને તેમના દીકરા ચાલી ખંગારની હત્યા કરી છે. પરિવારજનોનો એવો પણ આક્ષેપ છે કે ચાલીની હત્યાને હવે આત્મહત્યામાં ખપાવવા પ્રયત્નો શરૂ થઈ ગયા છે. પોલીસ અધિકારીઓની એક કલાકની સમજાવટ અને પ્રયાસો બાદ જામ હટાવ્યો હતો. પોલીસે આ મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/mysterious-murder-of-a-dalit-youth-in-mota-Reha-village-of-kutch-even-after-two-days-the-killer-is-away-from-the-police"><strong>કચ્છના મોટા રેહા ગામે દલિત યુવકની ભેદી હત્યા, બે દિવસ પછી પણ હત્યારા પોલીસ પકડથી દૂર</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Sep 2024 13:39:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1264</Articleid>
                    <excerpt>ખેતરમાં કામ કરવા ગયેલા દલિત યુવકને પકડીને ઢોર માર માર્યો, તેની આંખો કાઢી લીધી અને પછી વડના ઝાડ પર ફાંસો બાંધીને લટકાવી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f272e6ef3c5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f272e6ba065.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f272e6ba065.jpg" length="75971" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit youth killed Chhatarpur Violence against Dalits, Crime of Atrocity, SC ST Act</media:keywords>
                </item>
                        <item>
                    <title>10 વર્ષના દલિત બાળકનું બ્રાહ્મણ શખ્સે ગળું કાપી નાખ્યું અને દાટી દીધો</title>
                    <link>https://khabarantar.com/a-10-year-old-dalit-child-was-cut-and-buried-by-a-brahmin-man</link>
                    <guid>https://khabarantar.com/a-10-year-old-dalit-child-was-cut-and-buried-by-a-brahmin-man</guid>
                    <description>
                        <![CDATA[ 10 વર્ષનું બાળક ઘર પાસે બકરી ચરાવી રહ્યું હતું. ગુસ્સે ભરાયેલા બ્રાહ્મણ શખ્સે તેનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી, લાશને જમીનમાં દાટી દીધી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોની નિર્દયતાના અનેક કિસ્સાઓ આપણે જોયા જાણ્યા છે. આ એ તત્વો છે જે દલિત, આદિવાસી સમાજના બાળકોને પણ તેમની કટ્ટર જાતિવાદી માનસિકતાનો શિકાર બનાવતા ખચકાતા નથી. થોડા દિવસ પહેલા રાજસ્થાનમાં કેટલાક જાતિવાદી તત્વોએ એક દલિત કિશોરને ચોરીની આશંકાએ તેના કપડાં ઉતરાવી, વીજળીના ઝાટકા આપી ડાન્સ કરવા મજબૂર કર્યો હતો. અગાઉ યુપીમાં મંદિર બહાર રમતા ત્રણ દલિત બાળકોને જાતિવાદીઓએ પકડીને માર માર્યો હતો. મધ્યપ્રદેશના હરદામાં તો એક મનુવાદી અધિકારીએ વિકલાંગ દલિત કિશોરનો શર્ટ ઉતરાવી તેને નાળામાં ઉતરાવી પેશાબ સાફ કરાવ્યો હતો. આવા હલકટ લોકો પાસેથી સામાજિક સમાનતા અને પ્રેમ, કરૂણા, બંધુત્વની ભાવનાની અપેક્ષા રાખવી એ પથ્થર પર પાણી રેડવા જેવું અઘરું કાર્ય છે. આવા જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વો દલિત બાળકોને પણ છોડતા ન હોય ત્યાં મોટા લોકો સાથે તો કેવું વર્તન કરતા હશે તે કલ્પના પણ થઈ શકે તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદી અને દલિત અત્યાચારના નવેસરથી એપીસેન્ટર બનેલા ઉત્તરપ્રદેશની છે. અહીં મિર્ઝાપુર જિલ્લાના બજહા ગામમાં હિંમાશુ ઉપાધ્યાય નામના શખ્સે તેના ઘરની નજીકમાં બકરી ચરાવતા એક 10 વર્ષના નિર્દોષ બાળકની કારણ વિના જ હત્યા કરી નાખી હતી. હિમાંશુને તેના ઘર પાસે એક દલિત બાળક બકરીઓ ચરાવે તે ગમ્યું નહોતું. આથી તેણે બાળકને નજીક બોલાવી તેનું ગળું કાપી હત્યા કરી નાખી હતી અને તેની લાશને જમીનમાં દાટી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળકનું નામ આશુ હતું અને તે માત્ર 10 વર્ષનો હતો. સાંજે ચાર વાગ્યે તે ઘરેથી પોતાની બકરીઓને ચરાવવા માટે નીકળ્યો હતો. પણ રાત્રે અંધારુ થઈ જવા છતાં તે ઘરે પરત ન આવતા તેના પરિવારે તેની શોધખોળ કરવી શરૂ કરી હતી. કેટલાક લોકોએ જણાવ્યું કે તે, ગામની પાછળ બરમ બાબાના મંદિર પાસે ગેસ એજન્સીની નજીક બકરીઓ ચરાવી રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/cremation-wood-scam-in-rajkot-5-carts-of-wood-missing">રાજકોટમાં સ્મશાનના લાકડાનું કૌભાંડ, 5 ગાડી લાકડાં ગાયબ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારજનો મોડી રાત્રે 10 વાગ્ય આસપાસ તેને શોધતા શોધતા અહીં પહોંચ્યા અને જોયું તો તેમની રાડ ફાટી ગઈ. કેમ કે, નિર્દોષ આશુની લાશ એક ખાડામાં પડી હતી, તેનું અડધું શરીર માટીમાં દફન કરેલું હતું અને અડધું બહાર હતું, જેના ઉપર ઝાડની ડાળીઓ કાપીને નાખી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના સ્થળે પહોંચેલી પોલીસ તપાસ માટે શબને કછવા આરોગ્ય કેન્દ્ર લઈ આવી જ્યાં ડોક્ટરે તેનો જીવ જતો રહ્યો હોવાનું કહ્યું. એ દરમિયાન બાળકના પરિવારજનો સહિત તેની સમાજના લોકોએ ત્રણ કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સવારે લગભગ 4 વાગ્યે પોલીસ અધિક્ષકની સમજાવટ બાદ પરિવારજનોએ બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સોંપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ પોલીસે આ મામલે તપાસ કરતા બાળકની પડોશમાં જ રહેતા હિમાંશુ ઉપાધ્યાય નામના શખ્સ પર તેમને શંકા ગઈ હતી. તેમણે આ મામલે વધુ તપાસ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે જ આશુની હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંમાશુનું ઘર આશુના ઘરથી માંડ 100 મીટર દૂર છે અને છતાં તેણે જરાય દાખવ્યા વિના ધારદાર હથિયાર વડે તેનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી અને તેણે તેની લાશને ખાડો કરીને દાટી દીધી હતી. જો કે કોઈ જોઈ જશે તેવી બીકમાં તે લાશને પુરેપુરી દાટવાને બદલે ઉપર ઝાડ પાંદડા નાખીને ભાગી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હત્યા પાછળનું કારણ એવું હતું કે, બાળક આશુ તે દિવસે વહેલી સવારે તેના મિત્રો સાથે રમતો હતો ત્યારે રમત રમતમાં જ તેનાથી ઈંટનો નાનો ટુકડો હિંમાશુ ઉપાધ્યાયનો વાગી ગયો હતો. આ ઘટનાની દાઝ રાખીને તેણે જ્યારે આશુ બપોરે બકરીઓ ચરાવવા નીકળ્યો ત્યારે મોકો જોઈ તેને પકડીને ગળું કાપી નાખ્યું હતું અને તેની લાશને જમીનમાં દાટી દીધી હતી. કછવા પોલીસે હિમાંશુ ઉપાધ્યાયની ધરપકડ કરી લીધી છે અને કેસ નોંધી હત્યામાં વપરાયેલું હથિયાર સહિતના પુરાવા એકત્ર કરીને વધુ તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/three-dalit-children-playing-near-the-temple-were-beaten-to-death-by-racists"><strong>મંદિર પાસે રમતા ત્રણ દલિત બાળકોને જાતિવાદીઓએ ઢોર માર માર્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 24 Sep 2024 10:30:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1262</Articleid>
                    <excerpt>10 વર્ષનું બાળક ઘર પાસે બકરી ચરાવી રહ્યું હતું. ગુસ્સે ભરાયેલા બ્રાહ્મણ શખ્સે તેનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી, લાશને જમીનમાં દાટી દીધી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f24670ab944.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f2467078aed.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f2467078aed.jpg" length="98576" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News.Dalit Crime, Mirzapur News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ટોળાંએ દલિત આંગણવાડી કાર્યકર મહિલાને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-anganwadi-worker-was-tied-to-a-tree-by-a-mob-and-beaten-to-death</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-anganwadi-worker-was-tied-to-a-tree-by-a-mob-and-beaten-to-death</guid>
                    <description>
                        <![CDATA[ &#039;બાળકોને ઈંડા ખાવા કેમ નથી આપતી?&#039; કહી ટોળાંએ દલિત આંગણવાડી કાર્યકર મહિલાને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો. હાલ તેની હાલત ગંભીર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માણસ આધુનિકતાની સાથે સુધરવાને બદલે દિન પ્રતિદિન જંગલી બનતો જતો હોય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. ખાસ કરીને દલિતો, આદિવાસીઓના મામલાઓમાં તો માથાભારે તત્વો બમણાં આક્રમક થઈને તૂટી પડે છે. સામેની વ્યક્તિ માણસ છે અને તેની સાથે આ રીતે ન વર્તી શકાય તેવું જાણતા હોવા છતાં તેમને કાયદો વ્યવસ્થાનો જરાય ડર લાગતો નથી અને એવું કૃત્ય કરી બેસે છે જેના વિશે વિચારીને પણ કંપારી છુટી જાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. જેમાં એક ગામમાં આંગણવાડી કેન્દ્રમાં કથિત રીતે બાળકોને ખાવાનું ઉપલબ્ધ ન કરાવવા બદલ ગામલોકોએ એક દલિત આંગણવાડી કાર્યકર મહિલાને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઓરિસ્સાના બાલાસોરની છે. અહીં મહાપાડા ગામમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર દલિત મહિલા બાળકોને ખાવાનું ઉપલબ્ધ કરાવી શકી નહોતી. જેનાથી ઉશ્કેરાયેલા ગામલોકોએ તેને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. ઘટના 19 સપ્ટેમ્બરની હોવાનું કહેવાય છે. કોઈએ આ ઘટનાનો વીડિયો મોબાઈલ ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં મૂકી દેતા તે વાયરલ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નાયબ મુખ્યમંત્રીએ વીડિયો જોયો અને કાર્યવાહીના આદેશ આપ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાયરલ વીડિયો રાજ્યના ડેપ્યુટી સીએમના ધ્યાન પર આવતા તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ઓડિશાના નાયબ મુખ્ય પ્રધાન પ્રભાતી પરિદા પીડિત મહિલા ઉર્મિલા સામલને મળ્યા હતા અને તેને મફત તબીબી સહાય અને સુરક્ષા પ્રદાન કરવાનું વચન આપ્યું હતું. પરિદાએ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી (CDMO) અને પોલીસ અધિક્ષકને આ મામલે તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગ્રામજનોએ મહિલાને ઝાડ સાથે બાંધીને માર માર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ ગ્રામજનો આંગણવાડી કેન્દ્રમાં ઘૂસી ગયા હતા અને મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો ગામલોકોએ તેને ઝાડ સાથે બાંધી અને નિર્દયતાથી માર માર્યો. જ્યારે મહિલાને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો મૂકદર્શક બનીને તમાશો જોઈ રહ્યા હતા પરંતુ કોઈ મહિલાની મદદે આવ્યું નહોતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Out-of-2128-government-anganwadis-in-Ahmedabad,-1405-run-in-rented-houses"> </a></strong></span> <a href="https://khabarantar.com/the-children-have-been-studying-in-the-workers-house-for-8-years-as-the-work-of-anganwadi-is-delayed"><strong>આંગણવાડીનું કામ ટલ્લે ચડતાં બાળકો 8 વર્ષથી કાર્યકરના ઘરમાં ભણે છે</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f14ea8002a6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોકોએ મહિલા પર ઈંડા ફેંક્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ એ સમયે કેટલાક લોકોએ આંગણવાડી કાર્યકર મહિલા પર ઈંડા પણ ફેંક્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે હુમલો કરનારમાં ઘણી મહિલાઓ પણ હતી. જે તેમના બાળકોને નિયમિત ભોજન ન મળતા ગુસ્સામાં હતી. આ મહિલાઓનું કહેવું છે કે ઉર્મિલા તેમના બાળકોને ભોજન આપતી ન હતી, તેમણે આ અંગે અગાઉ પણ ઘણી વખત ફરિયાદ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીડિત દલિત મહિલાની હાલત ગંભીર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની માહિતી મળતાં જ બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસર પાર્વતી મુર્મુ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જેમતેમ કરીને મહિલાને બચાવી હતી. એ પછી મહિલાને બસ્તા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે તેની હાલત ગંભીર હોવાનું જણાતા બાલાસોર જિલ્લા સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ માર મારવાનું સ્પષ્ટ કારણ હજુ બહાર આવ્યું નથી. એમ માનવામાં આવે છે કે આ હુમલો સુભદ્રા યોજના સાથે સંબંધિત હોઈ શકે છે. આ ઘટનાથી આંગણવાડી કાર્યકરોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે અને અન્ય કામદારોમાં પણ ભયનો માહોલ છવાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Out-of-2128-government-anganwadis-in-Ahmedabad,-1405-run-in-rented-houses"> અમદાવાદમાં 2128 સરકારી આંગણવાડીઓમાંથી 1405 ભાડાના મકાનમાં ચાલે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Sep 2024 16:53:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1259</Articleid>
                    <excerpt>&#039;બાળકોને ઈંડા ખાવા કેમ નથી આપતી?&#039; કહી ટોળાંએ દલિત આંગણવાડી કાર્યકર મહિલાને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો. હાલ તેની હાલત ગંભીર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f14e8d78699.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f14e8d342a8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f14e8d342a8.jpg" length="107961" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Anganwadi worker, Dalit Woman, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાહોદના તોરણીમાં આચાર્ય જ બાળકીનો હત્યારો નીકળ્યો</title>
                    <link>https://khabarantar.com/in-dahods-torani-the-principal-turned-out-to-be-the-killer-of-the-girl</link>
                    <guid>https://khabarantar.com/in-dahods-torani-the-principal-turned-out-to-be-the-killer-of-the-girl</guid>
                    <description>
                        <![CDATA[ દાહોદની તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીની હત્યા આચાર્યે જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં થયેલો ઘટસ્ફોટ જાણીને ચોંકી જશો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના પીપળીયા ગામની તોરણી પ્રાથમિક શાળામા ધોરણ 1 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના મોત મામલે ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. વિદ્યાર્થીનીની હત્યા કોઈ બીજાએ નહી પણ ખુદ તેની શાળાના આચાર્ય ગોવિંદ નટે કરી નાખી હોવાનો પોલીસ તપાસમાં સનસનાટી ભરી  થયો હતો. રસ્તામા શાળાએ જતી વિદ્યાર્થીનીને આચાર્યે પોતાની કારમાં બેસાડી  દીધી હતી અને રસ્તા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા બાળકીએ બુમાબુમ કરતા આચાર્યે  તેની હત્યા કરી માસુમને  ક્લાસ રૂમની ખુલ્લી જગ્યા પાછળ મુકી દીધી હતી. આ મામલે દાહોદ જીલ્લા પોલીસે 10 ટીમો બનાવીને જુદા જુદા એંગલ અને ટેકનીકલ એનાલિલીસની મદદની આરોપી આચાર્યને ઝડપી પાડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના પીપળીયા ગામની તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળાએ જવા નીકળી હતી. સાંજે વિદ્યાર્થીની પરત નહી આવતા તેના પિતા અને પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામા આવી હતી. વિદ્યાર્થીની ઓરડા અને કમ્પાઉન્ડ વચ્ચે બેભાન અવસ્થામા મળી આવતા પરિવારજનોને આંચકો લાગ્યો હતો. તેને સિંગવડ સરકારી હોસ્પિટલ અને ત્યાથી લીમખેડા ખાતે લઈ જવાઈ હતી પણ ફરજ પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામા આવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોસ્ટમોર્ટમમાં તેનું મોત શ્વાસ રુંધાઈ જવાથી થયું હોવાની વિગતો બહાર આવી હતી. આ મામલે રણધીકપુર પોલીસ મથકે ગુનો નોધાયો હતો. કેસની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ ગુનાવાળી જગ્યા તેમજ સરકારી દવાખાનાની વિઝીટ કરી હતી અને એલસીબી, એસઓજી, રણધીકપુર પોલીસ સ્ટેશન, સંજેલી પોલીસ સ્ટેશન, લીમખેડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની 10 જુદી જુદી ટીમો બનાવી હતી અને કેસની ઝીણવટપૂર્વક ફોરેન્સિક  ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ, ડોગ સ્ક્વોર્ડની ટીમ સહિત તપાસ હાથ ધરવામા આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/In-faridabad-the-guarakshak-shot-the-student-mistaking-him-for-a-gautaskar"><strong> </strong></a> <a href="https://khabarantar.com/suicide-or-murder-of-dalit-student-of-ld-engineering-college"><strong>LD એન્જિનિયરીંગ કૉલેજના દલિત વિદ્યાર્થીની આત્મહત્યા કે હત્યા?</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f1141324322.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ તપાસમાં વિગત બાહર આવી હતી કે મૃતક વિદ્યાર્થીની છેલ્લે આચાર્ય ગોવિંદભાઈ નટની ગાડીમાં તેની માતા દ્વારા મોકલવામા આવી હતી. આ બાજુ પોલીસે શાળામાં અભ્યાસ કરતા ત્રીસ જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા વિદ્યાર્થીની શાળામાં આવી ન હોવાની વિગત સાંપડી હતી. વધુમાં વિદ્યાર્થીની આચાર્યની કારમાં સુતેલી હાલતમાં હોવાનું એક વિદ્યાર્થી તેમજ એક શિક્ષક દ્વારા જાણવા મળ્યું હતું. આથી પોલીસ દ્વારા આચાર્ય ગોવિંદભાઈ નટની પુછપરછ કરવામા આવતા  એમ જણાવામા આવ્યું  હતું કે વિદ્યાર્થીની મારી સાથે આવેલી પણ તે ક્યાં ઉતરી ગયી હતી તેની મને ખબર નથી. શાળા છુટી ગયા બાદ હું મારા ઘરે જતો રહ્યો હતો. બાળકીના વર્ગ શિક્ષક દ્વારા મને તે ગુમ થઈ ગયાની જાણ થઈ હતી તેવી થીયરી પોલીસ સમક્ષ વર્ણવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f114278a7a8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે પોલીસને આ થીયરી ગળે ઉતરી નહોતી અને તેમણે તપાસ ચાલું રાખી હતી.  ટેકનિકલ એનાલિસીસ કરતા બાળકીને જે સ્થળેથી બેસાડી હતી અને શાળામા આવવા-જવા માટે લાગતા રોંજીદા સમય કરતા બનાવના દિવસે વધારે સમય લાગતા તેમજ કોલ રેકોર્ડના આધારે આચાર્યની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ગુનો કબૂલી લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આચાર્યે જણાવ્યું કે, બાળકી છેડછાડ અને અડપલાં કરતા બુમાબુમ કરવા લાગી હતી. આથી મોઢું દબાવી દેતા તે બેભાન થઈ ગઈ હતી. આથી ગાડીમાં પાછળ લોક કરીને મુકી રાખી હતી. શાળામાં પરત જતી વખતે ઓરડાના કમ્પાઉન્ડ વચ્ચે મુકી દીધી હતી. આમ દાહોદ પોલીસે ત્રણ દિવસમાં બાળકીની હત્યાનો ભેદ ઉકેલી કાઢી આરોપી આચાર્ય ગોવિંદ નટને ઝડપી પાડ્યો હતો. આ મામલે હત્યા, દુષ્કર્મના પ્રયત્ન સહિતની ગુનાની કલમો નોધી કાયદસેરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સમગ્ર પંથકમાં લોકો આચાર્ય પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રિપોર્ટઃ વિજયસિંહ સોલંકી, શહેરા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/In-faridabad-the-guarakshak-shot-the-student-mistaking-him-for-a-gautaskar"><strong> ફરીદાબાદમાં ગૌરક્ષકોએ વિદ્યાર્થીને ગૌતસ્કર સમજી ગોળી મારી દીધી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Sep 2024 12:43:18 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 23 Sep 2024 14:30:09 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1257</Articleid>
                    <excerpt>દાહોદની તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીની હત્યા આચાર્યે જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં થયેલો ઘટસ્ફોટ જાણીને ચોંકી જશો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f113fe0a30f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f113fdca500.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f113fdca500.jpg" length="63881" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Piplia village, Torani Primary School, DalitNews</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉનાકાંડ કેસમાં વેરાવળ એટ્રોસિટી કોર્ટનો મૌખિક દલીલો સાંભળવા ઈનકાર</title>
                    <link>https://khabarantar.com/veraval-atrocities-court-refuses-to-hear-ora-larguments-in-unakand-case</link>
                    <guid>https://khabarantar.com/veraval-atrocities-court-refuses-to-hear-ora-larguments-in-unakand-case</guid>
                    <description>
                        <![CDATA[ ઉનાકાંડનો કેસ હાલ વેરાવળ એટ્રોસિટી કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં કોર્ટે પીડિતોના એડવોકેટ ગોવિંદ પરમારની મૌખિક દલીલો સાંભળવા ઈનકાર કરી દેતા તેની સામે હાઈકોર્ટમાં અરજીની તૈયારીઓ કરાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2016ના ચકચારી ઉનાકાંડને ગુજરાત જ નહીં ભારતભરના દલિતો ક્યારેક ભૂલી શકે તેમ નથી. ઉનાના મોટા સમઢિયાળા ગામમાં કથિત ગૌરક્ષકો દ્વારા અનુસૂચિત જાતિના ચાર યુવકોને કાર સાથે બાંધી તેમને અસહ્ય માર મારી જાહેરમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર દેશમાં આ બનાવના પડઘા પડ્યા હતા. આ ઘટના બાદ એકલા ગુજરાતમાં જ ૨૩ વ્યક્તિઓએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જેમાં ૧ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ૭૪ જેટલા ગુનાઓ નોંધાયા હતા અને ૮ જેટલા ગુનાઓ માત્ર ઉના પોલીસ સ્ટેશનમાં જ નોંધાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં આરોપીઓને મદદ કરવામાં પોલીસની પણ ભૂમિકા હતી આથી CID દ્વારા સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી, જેમાં પોલીસને પણ આરોપી તરીકે દર્શાવેલા હતા. ૩૩૮ જેટલા સાહેદો ચાર્જશીટમાં દર્શાવેલ હતા જેમાંથી મોટા ભાગના સાહેદોને કોર્ટ રૂબરૂ તપાસવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારી વકીલ દ્વારા લેખિત દલીલો આપવામાં આવેલ હતી અને એડવોકેટ ગોવિંદ પરમાર દ્વારા તારીખ ૧૦/૬/૨૦૨૪ના રોજ ૧૨૭ પાનાની લેખિત દલીલો આપવામાં આવેલ હતી. આ કેસ મોટાભાગે જજ ચોયથાણી સાહેબ અને ત્યારબાદ દરજી સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યારે હાલ આ કેસ જજ જે.જે. પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી રહ્યો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f0f2ffc0c14.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ ગોવિંદ પરમારના જણાવ્યા પ્રમાણે, “જજ પંડ્યા સાહેબે લેખિત દલીલમાં એવો હુકમ કરેલ છે કે મૂળ ફરિયાદી તરફે રજૂ થયેલ સમગ્ર દલીલ ધ્યાને લેતા તે ખૂબ જ વિસ્તૃત હોવા છતાં અસ્પષ્ટ અને અસંદિગ્ધ હોવાથી દલીલના મુખ્ય મુદ્દા જ રજૂ કરવા. તેમણે ક્યા સાહેદોના પુરાવામાં આરોપીનું નામ ખૂલે છે તે સાહેદનું નામ, નંબર, આંક, ભજવેલ ભાગ, કયા સાહેદના સમર્થન મળે છે એ મુજબના ફોર્મેટમાં દલીલો રજૂ કરવી અને તેમાં જે ચૂકાદાઓ ટાંકવામાં આવ્યા છે તે રજૂ કરવા.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, કોર્ટને આખો કેસ યોગ્ય રીતે સમજાવી શકાય એ માટે એડવોકેટ ગોવિંદ પરમારે મૌખિક દલીલો કરવા માટે રજૂઆત કરી હતી. જેની સામે જજ જે. જે. પંડ્યા સાહેબે તમે એટ્રોસિટી એક્ટની કઈ કલમ મુજબ મૌખિક દલીલ કરી શકો તે જણાવવા કહ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/now-justice-is-the-goal-of-our-life-una-kand-victim-ramesh-saravaiya"><strong>હવે તો ન્યાય જ અમારી જિંદગીનું લક્ષ્ય છેઃ ઉના કાંડના પીડિત રમેશ સરવૈયા</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આથી એડવોકેટ ગોવિંદ પરમારે અરજી કરીને તેના સમર્થનમાં લેખિત દલીલોની સાથે મૌખિક દલીલો કરીને જણાવ્યું હતું કે, “અનુસૂચિત જાતિ - જનજાતિ (અત્યાચાર નિવારણ) સુધારા અધિનિયમ, ૨૦૧૮ ના પ્રકરણ ૪- એ માં ભોગ બનનારાઓ તેમજ સાક્ષીઓના અધિકારો વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. કલમ ૧૫- એ(૫) માં જણાવ્યા મુજબ ફરિયાદી અને ભોગ બનનારને સાંભળવા બંધાયેલા છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટીના કાયદામાં આટલું સ્પષ્ટ ભાષામાં લખેલું હોવા છતાં જજ જે.જે. પંડ્યા સાહેબ દ્વારા તારીખ ૨૧/૯/૨૦૨૪ના રોજ આ અરજી નામંજૂર કરવામાં આવી છે. જેના કારણે એડવોકેટ ગોવિંદ પરમારે હાઈકોર્ટમાં જવાનું નક્કી કર્યું છે અને ત્યાં સુધી આ મામલે ચૂકાદો અનામત રાખવા અરજી કરતા કોર્ટે 15 દિવસનો સમય આપ્યો છે. ઉનાકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે એડવોકેટ ગોવિંદ પરમાર જરા પણ કચાશ રાખવા માંગતા નથી. એટલે જ તેઓ દરેક મોરચે ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખી રહ્યાં છે. હાલ તેઓ હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યાં છે ત્યારે તેમાં શું ચૂકાદો આવે છે તેના પર સૌની નજર છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66f0f2fe5b2cc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું રહ્યું કે ઉનાકાંડ કોઈ નાનોમોટો કેસ નથી. વર્ષ 2016માં ચાર દલિત યુવકોને કહેવાતા ગૌરક્ષકોએ જાહેરમાં ઢોર માર મારીને સમગ્ર દલિત સમાજની અસ્મિતા પર ઘા કર્યો હતો. આ ઘટનાના વીડિયો આજે પણ જોઈએ ત્યારે હચમચી જવાય છે. બહેન કુમારી માયાવતીએ આ મામલો રાજ્યસભામાં ઉઠાવતા દેશભરના નેતાઓએ ઉનાકાંડના પીડિતોની મુલાકાત લઈને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. માત્ર ભારત જ નહીં, વૈશ્વિક મીડિયાએ પણ આ ઘટનાની નોંધ લઈને ગુજરાત સરકાર દ્વારા કથિત ગૌરક્ષકોને મળી રહેલી રાજકીય ઓંથની ઝાટકણી કાઢી હતી. હાલ આ કેસના બધાં આરોપીઓ જામીન પર બહાર છે અને પીડિત પરિવારના ધમકી આપતા રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસ હાલ વેરાવળ એટ્રોસિટી કોર્ટના જજ પંડ્યા સાહેબની કોર્ટમાં ફાઇનલ દલીલ પર છે. પીડિતો તથા ફરિયાદી વતી અમદાવાદના એડવોકેટ ગોવિંદભાઇ પરમારે આ કેસમાં લેખિત દલીલો રજૂ કરતા જજ સાહેબે તેને સ્વીકારી નથી. જજ સાહેબનો આગ્રહ છે કે, તેઓ જે ફોર્મેટમાં આપે તે મુજબ એડવોકેટે લેખિતમાં પોતાની દલીલો આપવી. તેમણે એડવોકેટ ગોવિંદ પરમારને મૌખિક દલીલ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આથી આ મામલે ગોવિંદભાઈએ હાઈકોર્ટમાં આ મુદ્દે અરજી કરવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ કે.બી. રાઠોડના જણાવ્યા પ્રમાણે, હરીરામ વિ. સત્યનારાયણના કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે એટ્રોસિટી એક્ટની કલમ 15A (3) અને (5) mandatory છે. કોર્ટ ફરિયાદી કે પીડિતને નોટિસ કરી તેમને સાંભળવા બંધાયેલા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ એડવોકેટ ગોવિંદ પરમાર જે જણાવી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખીને જોઈએ તો ઉનાકાંડના કેસમાં હરીરામ વિ. સત્યનારાયણ કેસના ચૂકાદામાં ટાંકેલી બાબતોનું ઉલ્લંઘન થઈ રહ્યાં લાગી રહ્યું છે. જોવાનું એ રહેશે કે ગુજરાત હાઈકોર્ટ આ મામલે શું ચૂકાદો આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Exclusive:-Unakands-active-agitator-Kantibhai-Vala--jailed-for-7-years-Family-in-financial-crisis,-daughter-seeks-help"><strong> Exclusive: ઉનાકાંડના સક્રિય આંદોલનકારી કાંતિભાઈ વાળા 7 વરસથી જેલમાં; પરિવાર આર્થિક સંકટમાં, દીકરીએ મદદ માંગી </strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 23 Sep 2024 10:19:17 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 23 Sep 2024 10:19:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1254</Articleid>
                    <excerpt>ઉનાકાંડનો કેસ હાલ વેરાવળ એટ્રોસિટી કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં કોર્ટે પીડિતોના એડવોકેટ ગોવિંદ પરમારની મૌખિક દલીલો સાંભળવા ઈનકાર કરી દેતા તેની સામે હાઈકોર્ટમાં અરજીની તૈયારીઓ કરાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f0f2ff0d3d6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f0f2fecf819.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f0f2fecf819.jpg" length="90927" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Unakand Gujarat, Unakand, Unakand Case, Atrocity Act, veraval atrocities court</media:keywords>
                </item>
                        <item>
                    <title>એક વાલ્મિકી યુવકની સામાજિક બહિષ્કાર સામેની લડતની સત્યકથા</title>
                    <link>https://khabarantar.com/the-true-story-of-a-valmiki-youths-fight-against-social-boycott</link>
                    <guid>https://khabarantar.com/the-true-story-of-a-valmiki-youths-fight-against-social-boycott</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં વાલ્મિક સમાજના કોમર્સ અનુસ્નાતક યુવકને નોકરી મળી. સવર્ણોએ દબાણ કર્યું કે ઢોલ વગાડવાનું ચાલું રાખ, યુવક માન્યો નહીં. પછી જે થયું તેની સામે લડત ચાલું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીન કૃત્રિમ સૂર્ય બનાવીને સંશોધન કરી રહ્યો છે. ઈલોન મસ્ક માણસના મગજમાં ચીપ ફિટ કરીને અંધ વ્યક્તિને આંખો વિના પણ જોતો કરી દેવા તૈયારી કરી રહ્યો છે. ઈઝરાયલે પેજરમાં વિસ્ફોટ કરી ઘરે બેઠાં દુશ્મનને મોતને ઘાટ ઉતારી શકાય તેવી ટેકનોલોજી વિકસાવી લીધી છે. ટૂંકમાં દુનિયા આખી ટેકનોલોજી અને સાયન્સ તરફ સતત આગળ વધી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ આપણો કથિત વિશ્વગુરૂ ભારત દેશ છે, જે સદીઓથી મુઠ્ઠીભર સવર્ણોની મનુવાદી માનસિકતાના કારણે આજે પણ આભડછેટ, વર્ણ વ્યવસ્થા અને તેની આડપેદાશો જેવી અનેક સામાજિક બદ્દીઓમાં વધુને વધુ ખૂંપતો જાય છે. એમાંય મનુવાદને પોષતી સત્તા જ્યારથી સ્થિર થઈ છે ત્યારથી આવા તત્વો વધુને વધુ છાટકા થતા જાય છે અને મનુવાદી પ્રવૃત્તિઓ ખૂલ્લેઆમ થવા માંડી છે, જેને કોઈ રોકટોક કે કાયદો વ્યવસ્થાનો ડર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મનુવાદીઓ દલિતોની જરાક અમથી પ્રગતિ સાંખી શકાતી નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના પણ મનુવાદ અને મનુવાદીઓની દલિતોની જરાક અમથી પ્રગતિ પણ સાંખી ન લેવાની સદીઓ જૂની દ્વેષી માનસિકતાનું પરિણામ છે. તેમાં સ્પષ્ટપણે પોતે સર્વોપરી છે અને શુદ્રો, અતિશુદ્રો તેમના ગુલામ જ રહેવા જોઈએ તેવી મનુવાદી માનસિકતાને કાયમ રાખવાનું કાવતરું દેખાઈ આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો કંઈક આવો છેઃ વાલ્મિકી સમાજનો એક 28 વર્ષનો યુવક કોમર્સ ગ્રેજ્યુએટ થયો છે. પોતે અને પોતાનો પરિવાર કંઈક સારી જિંદગી જીવી શકે તે માટે હવે તે ગામમાંથી શહેરમાં નોકરી શોધવા નીકળ્યો છે. તેની આવડત મુજબ સારી નોકરી મળી જતા તે હવે તેના બાપદાદા પર પરંપરાગત રીતે ઠોકી બેસાડાયેલો મરેલા ઢોર ખેંચવાનો અને ઢોલ વગાડવાનું કામ છોડી દે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ સવર્ણોને એક વાલ્મિકી યુવકની આ પ્રગતિ આંખના કણાંની જેમ ખટકવા લાગે છે. તેઓ યુવકને ધમકાવે છે કે, તારા બાપદાદાનો ધંધો છોડીને જો શહેરમાં ગયો તો સરખાઈ નહીં આવે. પણ યુવક તેમની ધમકીને તાબે થતો નથી. પરિણામે ગામના તમામ સવર્ણો એક થઈને તેનો અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરે છે. જેના કારણે યુવકને એ બધું વેઠવું પડે છે કે આ દેશના દલિતો સદીઓથી વેઠતા આવ્યા છે. તેને પાણીથી લઈને જીવનજરૂરિયાતની દરેક વસ્તુ માટે ફાંફા મારવા પડે છે. જો કે યુવક હિંમત હારતો નથી અને પરિવાર માટે થઈને આખા ગામ સામે લડી લેવા મક્કમ છે. તેણે કોર્ટમાં કેસ કર્યો છે અને હવે કોર્ટે તેને બનતી તમામ મદદ કરવા પોલીસ તંત્રને આહ્વાન કર્યું છે. હવે સવર્ણોની સાન પણ ધીરે ધીરે ઠેકાણે આવે તેવા સંકેતો મળી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તેલંગાણાના મેડક જિલ્લાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના કોંગ્રેસ શાસિત તેલંગાણા રાજ્યની છે. એ જ તેલંગાણા, જ્યાંના રેવંત રેડ્ડી નામના મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટના એસસી, એસટી પેટા વર્ગીકરણ અને ક્રીમીલેયરના ચૂકાદાને સૌપ્રથમ પોતાના રાજ્યમાં લાગુ કરવાની જાહેરાત કરી ખૂલ્લેઆમ સવર્ણોની તરફેણ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં મેડક જિલ્લાના એક ગામમાં વાલ્મિકી સમાજ સાથે આ ઘટના ઘટી છે. તેલંગાણા હાઈકોર્ટે તાજેતરમાં જ અહીં સામાજિક બહિષ્કારનો સામનો કરી રહેલા માડિગા અનુસૂચિત જાતિના એક પરિવારનો મામલો હાથ પર લીધો હતો. આ પરિવારના યુવક પર ગામના સવર્ણો તેમના ધાર્મિક-સામાજિક સમારોહ દરમિયાન 'ડપ્પુ' (ઢોલ) વગાડવાનો તેમનો પરંપરાગત વ્યવસાય ચાલુ રાખવા દબાણ કરતા હતા. અરજદાર પી ચંદ્રમને શહેરમાં ખાનગી નોકરી મળી હતી અને તે ઢોલ વગાડવાનો વ્યવસાય કરવા માંગતો નહોતો. આથી ગામલોકોએ તેનો અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વાલ્મિકી યુવક ઓસ્માનિયા યુનિ.માંથી માસ્ટર્સ થયેલો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે તેલંગાણા હાઈકોર્ટના જસ્ટિસ બી વિજયસેના રેડ્ડીએ મેડકના પોલીસ અધિક્ષકને પી ચંદ્રમને તાત્કાલિક પોલીસ સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો હતો અને જિલ્લા કલેક્ટરને બહિષ્કૃત દલિત પરિવારના રાહત અને પુનર્વસન માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કોમર્સમાં માસ્ટર્સ થયેલો 33 વર્ષનો પી ચંદ્રમ રોજગારીની વધુ સારી તકો માટે શહેરમાં શિફ્ટ થયો હતો. જે સવર્ણોને ન ગમતા તેનો બહિષ્કાર કરાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Sheetal-Devi:-After-reading-the-struggle-of-this-daughter-of-farm-laborer-parents,-you-will-not-complain-about-small-problems-in-life"><span style="font-size: 12pt;"> </span>Sheetal Devi: ખેતમજૂર માતાપિતાની આ દીકરીનો સંઘર્ષ વાંચ્યાં બાદ તમે જીવનમાં નાનીમોટી સમસ્યાઓની ફરિયાદ નહીં કરો!</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવર્ણો છેલ્લા કેટલાક મહિનાઓથી, તેને તેની નોકરી છોડી દેવા અને ઢોલ વગાડવાના તેના પરિવારના પરંપરાગત વ્યવસાયમાં પાછા ફરવા માટે દબાણ કરતા હતા. 10 સપ્ટેમ્બરના રોજ, ગ્રામસભાની બેઠક દરમિયાન ગ્રામજનોએ તેમને બોલાવ્યા અને ખાનગી નોકરી છોડી દેવાની માંગણી કરી. જ્યારે ચંદ્રમે નોકરી છોડવાનો ઇનકાર કર્યો, ત્યારે સવર્ણોએ તેનો અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો ઠરાવ પસાર કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાંચ વર્ષની દીકરી માટે દૂધ પણ મળતું નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકના વકીલ વી રઘુનાથના કહેવા પ્રમાણે, એ પછી પી ચંદ્રમ અને તેમના પરિવારની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે, તે તેની પાંચ વર્ષની પુત્રી માટે દૂધ પણ મેળવી શકતો નહોતો. વકીલે કહ્યું કે જ્યારે તેમની પુત્રી સ્કૂલ બસમાં ચઢી ત્યારે અન્ય વિદ્યાર્થીઓએ ગ્રામજનોના ડરથી તેની સાથે વાત કરવાનું ટાળતા હતા. જેના કારણે માસુમના માનસ પર ગંભીર અસર પડતી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નિયમ ભંગ કરનારને 5 હજારનો દંડ, 25 જૂતા મારવાની સજા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો પરિવાર સુધી આવી પહોંચતા પી. ચંદ્રમે પણ 'અસુરન' ફિલ્મના નાયક શીવમણિની જેમ લડી લેવાનું નક્કી કરી લીધું. ચંદ્રમે મનોહરાબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી,પરિણામે FIR દાખલ કરવામાં આવી. જો કે, ચંદ્રમના જણાવ્યા પ્રમાણે ફરિયાદ નોંધવા સિવાય કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યાં નથી. ગ્રામજનોએ તેમનો સામાજિક બહિષ્કાર ચાલુ રાખ્યો અને નક્કી કર્યું કે, ચંદ્રમના પરિવારે ગ્રામ પંચાયત દ્વારા મળેલી 'ઈનામ જમીન' પાછી આપવી જોઈએ. તેમણે બહિષ્કારનો ભંગ કરનારને રૂ. 5000નો દંડ અને જાહેરમાં 25 જૂતા મારવાની સજાનું એલાન કરી દીધું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદ્રમની લડાઈ ચાલુ છે, જુસ્સો અકબંધ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાની અરજીમાં ચંદ્રમે નિરાશા વ્યક્ત કરી હતી કે પોલીસ અધિકારીઓએ એક વખત ગામની મુલાકાત લેવા સિવાય કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. એફઆઈઆર દાખલ કર્યા પછી, ગામવાસીઓએ તેને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો તે ફરિયાદ પાછી નહીં ખેંચે તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે. જ્યારે તેણે આ ધમકીઓની જાણ કરવા માટે 17 સપ્ટેમ્બરે ફરીથી પોલીસનો સંપર્ક કર્યો, ત્યારે તેને કહેવામાં આવ્યું કે આરોપીઓનું માત્ર કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રમનો સંઘર્ષ જારી છે અને તેણે નક્કી કર્યું છે કે, પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત ભલે થઈ જાય, પણ તે સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરે અને મનુવાદી તત્વોને દેશના બંધારણ અને કાયદાથી પર જવાની તક નહીં જ આપે. એટલું જ નહીં, તે મનુવાદી તત્વોને તેમના કર્યાની સજા અપાવવા માટે પણ કટિબદ્ધ છે. ચંદ્રમના આ જુસ્સાને સલામ, જય ભીમ, જય સંવિધાન.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/A-story-of-five-and-a-half-years-of-struggle-to-get-a-government-job">સરકારી નોકરી મેળવવા માટેના સાડા પાંચ વર્ષના સંઘર્ષની કથા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Sep 2024 14:13:55 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 22 Sep 2024 14:50:07 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1252</Articleid>
                    <excerpt>એક ગામમાં વાલ્મિક સમાજના કોમર્સ અનુસ્નાતક યુવકને નોકરી મળી. સવર્ણોએ દબાણ કર્યું કે ઢોલ વગાડવાનું ચાલું રાખ, યુવક માન્યો નહીં. પછી જે થયું તેની સામે લડત ચાલું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66efd78d937c9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66efd78d5c6ba.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66efd78d5c6ba.jpg" length="30839" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Telangana, social exclusion, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>બર્થ ડે પાર્ટીના બહાને હોટલમાં બોલાવી LLBની દલિત વિદ્યાર્થીની સાથે રેપ</title>
                    <link>https://khabarantar.com/rape-with-dalit-student-of-llb-called-to-hotel-under-the-pretext-of-birthday-party</link>
                    <guid>https://khabarantar.com/rape-with-dalit-student-of-llb-called-to-hotel-under-the-pretext-of-birthday-party</guid>
                    <description>
                        <![CDATA[ આરોપીઓએ વિદ્યાર્થીનીનો અશ્લીલ વીડિયો ઉતાર્યો, કેસ કર્યો તો વીડિયો વાયરલ કરી દઈશું તેવી ધમકી આપતા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit Girl Raped In Hotel: ઉત્તરપ્રદેશના મહોબા(Mahoba)માં એલએલબી(LLB)નો અભ્યાસ કરતી એક દલિત વિદ્યાર્થીની(Dalit Girl) પર બળાત્કાર(Rape)નો મામલો સામે આવ્યો છે. બર્થ-ડે પાર્ટી(Birthday Party)ના બહાને તેના ઓળખીતા એક યુવકે તેને હોટલ(Hotel)માં લઈ જઈને આ કૃત્ય કર્યું હતું. એ દરમિયાન આરોપીએ તેનો વીડિયો(Make a Video) પણ બનાવ્યો હતો અને કોઈને કહીશ તો આ વીડિયો વાયરલ(Viral) કરી દઈશ તેવી ધમકી આપી ચૂપ રહેવા બ્લેકમેઈલ(Black Mail) કરતો હતો. 15 દિવસ પહેલા બનેલી આ ઘટના અને બ્લેકમેઈલિંગથી કંટાળીને આખરે વિદ્યાર્થીનીએ તેના પરિવારજનોને આખો મામલો જણાવતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાણ્યા બાદ યુવતીના પરિવારજનો આરોપી પાસે પહોંચી ગયા હતા અને તેનો મોબાઈલ ચેક કર્યો હતો. જેમાં તેમની દીકરી પર જે વીત્યું તેનો વીડિયો જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ પછી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે શહેર પોલીસે આરોપી અને તેના મિત્ર વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધી બંનેને પકડવા તજવીજ હાથ ધરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવતીને બર્થ ડે પાર્ટીના બહાને હોટલ પર બોલાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ચરખારી બાયપાસ રોડ પર આવેલી એક હોટલનો છે. અહીં યુવકે બર્થ-ડે પાર્ટીના બહાને અનુસૂચિત જાતિ સમાજની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો. એ દરમિયાન યુવકે આખી ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">18 વર્ષની વિદ્યાર્થીની કબરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી છે અને મહોબાની એક કોલેજમાં બીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">4 સપ્ટેમ્બરે વિદ્યાર્થિની કોલેજ ગઈ હતી. એ દરમિયાન કબરાઈ નગરમાં જ રહેતો આદિત્ય સિંહ તેના મિત્ર સમીર સાથે વિદ્યાર્થિનીની કોલેજમાં પહોંચ્યો હતો અને તેને જન્મદિવસની પાર્ટીના બહાને ચરખારી બાયપાસ રોડ પરની એક હોટલમાં લઈ ગયો હતો. યુવતી તેને ઓળખતી હોવાથી તેના પર વિશ્વાસ રાખીને તેની સાથે ગઈ હતી. જ્યાં તેનો મિત્ર સમીર પણ સાથે આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-dalit-girl-a-gang-rape-victim-hanged-herself-in-fear-of-the-accused">આરોપીઓના ડરથી ગેંગરેપ પીડિતા દલિત યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી આદિત્ય સિંહે જાનથી મારી નાખવાની ધમકી આપીને હોટલના રૂમમાં તેણી સાથે બળાત્કાર કર્યો અને તેના મોબાઈલથી રેપની ઘટનાનો વીડિયો બનાવી લીધો. વિદ્યાર્થિની હોશમાં આવી એ પછી તે તેને કોલેજ પાસે છોડીને ભાગી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોલેજમાં આવતી-જતી વખતે ધમકીઓ આપતો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાના પિતાએ જણાવ્યું કે, આબરૂ જવાની બીકે તેમની પુત્રીએ ઘરે કશું કહ્યું નહોતું. જેનો ફાયદો ઉઠાવીને આદિત્ય સિંહ અને તેના મિત્રએ કોલેજ જતી વખતે વિદ્યાર્થિનીને દરરોજ બ્લેકમેઈલિંગ અને ધમકાવવાનું શરૂ કર્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ એવો પણ છે કે, બંને યુવકોએ યુવતીને જાતિસૂચક શબ્દો કહીને અભદ્ર વર્તન કરતા હતા અને જો આ મામલે કોઈને પણ કશું કહીશ તો બળાત્કારનો વીડિયો વાયરલ કરી દઈશું તેવી ધમકી આપતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બ્લેકમેઈલિંગથી તંગ આવી ગયેલી યુવતીએ આખરે રડતા રડતા પરિવારને આખી ઘટના જણાવી દીધી હતી. એ પછી તેના પરિવારજનો આરોપી આદિત્ય સિંહ પાસે પહોંચ્યા હતા અને તેનો મોબાઈલ ચેક કરતા તેમાં હોટલમાં થયેલા બળાત્કારનો અશ્લીલ વીડિયો જોવા મળ્યો હતો. એ પછી પિતા-પુત્રી શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓને હજુ પણ પોલીસ પકડથી દૂર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદના આધારે પોલીસે આરોપી આદિત્ય સિંહ અને તેના મિત્ર સમીર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને પીડિત વિદ્યાર્થીનીની મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી. આ મામલે એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ વંદના સિંહનું કહેવું છે કે પીડિતાના પિતાએ આપેલી ફરિયાદના આધારે બે લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સાથે આરોપીઓને પકડવાના પ્રયાસો હાથ ધરાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/dalit-leader-of-bjps-minor-daughter-was-raped-by-4-persons-in-a-car"><strong>ભાજપના દલિત નેતાની સગીર દીકરી સાથે 4 શખ્સોએ કારમાં રેપ કર્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 22 Sep 2024 10:49:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1251</Articleid>
                    <excerpt>આરોપીઓએ વિદ્યાર્થીનીનો અશ્લીલ વીડિયો ઉતાર્યો, કેસ કર્યો તો વીડિયો વાયરલ કરી દઈશું તેવી ધમકી આપતા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66efa8817c474.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66efa8814b337.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66efa8814b337.jpg" length="49088" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Girl Raped, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગિરધરનગરના 150 દલિતોના ઘર તૂટ્યાં, વળતર નહીં</title>
                    <link>https://khabarantar.com/150-dalits-houses-of-girdharnagar-destroyed-in-bullet-train-project-no-compensation</link>
                    <guid>https://khabarantar.com/150-dalits-houses-of-girdharnagar-destroyed-in-bullet-train-project-no-compensation</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના ગિરધરનગરમાં માકુભાઈના છાપરા વિસ્તારમાં દલિત સમાજના લોકોના અંદાજે 150 ઘરોનો ભોગ લેવાયો છે અને વળતર પણ મળ્યું નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં હવે દરેક નવા પ્રોજેક્ટને 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ' કહેવાનો એક વણલખ્યો નિયમ થઈ ગયો છે. ગોદી મીડિયા અને વિશાળ કોર્પોરેટ મીડિયા સરકારી જાહેરાત સહિત બીજા અનેક લાભો મેળવતું હોવાથી તેઓ સરકારને વ્હાલા થવા માટે આવી ચાંપલુસી કરે તેની પાછળનો હેતુ સમજી શકાય તેવો છે. મનુ મીડિયા એ સવર્ણ ગોદી મીડિયાનું વધુ ભયંકર અને કટ્ટર જાતિવાદી સ્વરૂપ છે. તેમાં દલિતો પર ગમે તેટલા મોટા અત્યાચારો થાય તો પણ તેને સદંતર અવગણવામાં આવે છે. મીડિયાને ભલે ચોથી જાગીર કહેવામાં આવતી હોય, પણ વર્તમાન મીડિયાની વાસ્તવિકતા એ છે કે, તે કોઈ પણ સમાચારને જાતિના દ્રષ્ટિકોણથી જોવા ટેવાઈ ગઈ છે. દરેક સમાચારમાં તેનું સ્ટેન્ડ પીડિતની જાતિ કઈ છે તેના આધારે નક્કી થઆય છે. એવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ દલિતો, આદિવાસીઓ અને ઓબીસી તેમની પ્રાથમિકતામાં નથી આવતા. લઘુમતીઓને તેઓ નકારાત્મક છબિ ઉભી કરી સત્તા પક્ષને ફાયદો કરાવવા ઉપયોગ કરે છે અને તેના કારણે સામાજિક ન્યાયનો આખો મુદ્દો હાંશિયામાં ધકેલાઈ જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણે જે કરૂણ ઘટનાની વાત કરવા જઈ રહ્યાં છે તેમાં પણ જાતિવાદની ગંધ આવ્યા વિના રહેતી નથી. કેમ કે, વિકાસની આડમાં એક સાથે 150 ઘરો તોડી પાડવામાં આવ્યા હોવા છતાં મનુ મીડિયાએ તેને સમ ખાવા પુરતું પણ કવરેજ આપ્યું નથી. એટલે આપણી જવાબદારી બને છે કે બહુજન સમાજના આ લોકોની સમસ્યાને વાચા આપીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમદાવાદના ગિરધરનગર વિસ્તારની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના અમદાવાદના ગિરધરનગરમાં આવેલા માકુભાઈના છાપરા તરીકે ઓળખાતા વિસ્તારની છે. અહીં દલિત સમાજના 150થી પણ વધુ ઘરો છેલ્લાં 85 વર્ષથી આવેલા હતા. આ ઘરોમાં દલિતોની ત્રણથી ચાર પેઢીઓ ઉછરી છે. જો કે બુલેટ ટ્રેન માટે આ વસ્તીને વર્ષ 2018માં તોડી પાડવામાં આવી છે. હવે અહીં તેનું કામ શરૂ થઈ ગયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અગાઉ બુલેટ ટ્રેનના અધિકારીઓ તેમની પાસે આવ્યા હતા. અને તેમના ફોટાં પાડી, જરૂરી દસ્તાવેજો વગેરે લઈ ગયા હતા અને તેમને વળતર, સરકારી નોકરી અને અન્ય તમામ સુવિધાઓ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ એ પછી કોઈ જ વળતર આપવામાં આવ્યું નથી અને ઉલટાનું તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. હવે શિયાળો શરૂ થવાની તૈયારીઓ છે ત્યારે આ રીતે અચાનક દલિત વસ્તી તોડી પાડવા પાછળનું કારણ શું તે લોકોને સમજાતું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વસ્તીમાં તમામ લોકો ગરીબ પરિવારના છે. મજૂરી કરીને પેટીયું રળે છે. આખી જિંદગી કામ કરે તો પણ તેઓ નવેસરથી અમદાવાદ જેવા શહેરમાં ઘર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આડમાં સરકારી તંત્રે તેમની મોકાની જમીનો મફતમાં પડાવી લઈ તેમને બેઘર કરી દેવાનું કાવતરું ઘડ્યું હોય તેમ સ્પષ્ટ જણાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં દલિત પેન્થર અમદાવાદના કાર્યકર ચિરાગ મહેરિયા અને તેમના સાથીઓએ સ્થળ પર જઈને તપાસ કરી હતી અને દલિત સમાજના લોકોની સમસ્યાઓ જાણી યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. ચિરાગ મહેરિયાએ દલિત પેન્થરની યુટ્યુબ ચેનલ પર તેનો એક વીડિયો પર અપલોડ કર્યો છે. તેમાં આ વિસ્તારના અસરગ્રસ્તો પોતાની વ્યથા વર્ણવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Did-the-upper-classes-build-flats-by-taking-crores-of-government-land-in-the-name-of-dalit-tribals"><span style="font-size: 12pt;"> </span></a></strong></span> <a href="https://khabarantar.com/dalit-farmers-electoral-bonds-worth-eleven-crores-were-bought-and-given-to-BJP"><strong>દલિત ખેડૂતના 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ભાજપને આપી દેવાયા?</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66eed732b97b9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં એક બહેન જણાવે છે કે, "અમે છેલ્લાં 75-80 વર્ષથી અહીં રહીએ છીએ. હવે બુલેટ ટ્રેનના અધિકારીઓએ અમારાં ઘર તોડી પાડ્યા છે. અમારે ક્યાં જવું તે સવાલ છે. અમારા બાળકો નાના છે, સરકારે બુલેટ ટ્રેનના આખા રૂટમાં જમીન સંપાદન કરી ત્યાં વળતર આપ્યું છે. પણ અમને અધિકારીઓ કહે છે કે તમને કશું નહીં મળે. અગાઉ તેઓ આવીને અમારી પાસેથી તમામ આધાર-પુરાવા સાથે અમારા ફોટા પણ પાડી ગયા હતા. પણ હવે તેઓ કશું પણ કહેવા તૈયાર નથી. સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જ વીડિયોમાં જીતુભાઈ નામના એક સ્થાનિક વિસ્તારથી માહિતી આપતા કહે છે કે, "અમારી પાસે તમામ પ્રકારના રહેણાંકના પુરાવાઓ જેમાં ભાડા પહોંચ, ટેક્સ બિલ, લાઈટ બિલ, આધાર કાર્ડ ઉપરાંત વર્ષ 1975માં ઝૂંપડું ત્યાં મકાનની એએમસીની યોજનાના પુરાવા પણ છે. તેમ છતાં રેલવે તંત્ર કહે છે કે આ અમારી જમીન છે, તમે હટી જાવ. છેલ્લાં 40 વર્ષમાં ઓછામાં ઓછાં 5 વખત આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારનું વળતર આપવામાં નથી આવ્યું. અમદાવાદથી મુંબઈ વચ્ચે જ્યાં પણ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવામાં આવી છે ત્યાં વળતર અપાયું છે. અહીંયા જ ભીલવાસના છાપરા તરીકે ઓળખાતા વિસ્તારમાં 100 જેટલા મકાનધારકોને 25થી 35 લાખ સુધીનું વળતર આપવામાં આવ્યું છે. તો અમને કેમ નથી અપાતું? વર્ષ 2018માં પહેલીવાર રેલવેના અધિકારીઓએ અહીં સર્વે કર્યો હતો, ફોટાં પાડી વિવિધ પુરાવા એકઠાં કર્યા હતા. જેમાં આ વિસ્તારના લોકોને ખાતરી આપી હતી કે તેમને વળતર, રોજગારી અને પેન્શન આપીશું, એ વખતે લાલચ આપીને મકાનો તોડી પાડ્યા હતા અને હવે તે લોકો ફરી ગયા છે અને અમને વળતર આપવાની ના પાડે છે. હવે અમારે શું કરવું તે સમજાતું નથી."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66eed73179274.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">સ્થાનિકોનો આરોપ છે કે, જમીન ખાલી કરાવવા માટે લુખ્ખા તત્વો આવીને તેમને ધમકીઓ આપે છે કે, જો તમે જમીન ખાલી નહીં કરો તો તમને પોલીસ કેસમાં ફસાવીને જેલમાં પુરાવી દઈશું. હવે અમારે ક્યાં જવું તે સવાલ છે. આ સ્થિતિમાં બહુજન સમાજ માટે કામ કરતા સામાજિક સંગઠનો આ જગ્યાની જાત મુલાકાત લઈ વાસ્તવિકતા જાણી આ ગરીબ પરિવારોને ન્યાય અપાવે તે અપેક્ષિત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Did-the-upper-classes-build-flats-by-taking-crores-of-government-land-in-the-name-of-dalit-tribals"> દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 21 Sep 2024 20:08:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1249</Articleid>
                    <excerpt>અમદાવાદના ગિરધરનગરમાં માકુભાઈના છાપરા વિસ્તારમાં દલિત સમાજના લોકોના અંદાજે 150 ઘરોનો ભોગ લેવાયો છે અને વળતર પણ મળ્યું નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66eed7323d3a5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66eed732094a5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66eed732094a5.jpg" length="91925" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bullet Train Project, Ahmedabad, Dalits&#039; houses were broken</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિકલાંગ દલિત કિશોર પાસે મનુવાદીએ શર્ટ ઉતરાવી પેશાબની સફાઈ કરાવી</title>
                    <link>https://khabarantar.com/manuwadi-cleaned-theurine-of-a-disabled-dalit-teenagar-by-takingoff-his-shirt</link>
                    <guid>https://khabarantar.com/manuwadi-cleaned-theurine-of-a-disabled-dalit-teenagar-by-takingoff-his-shirt</guid>
                    <description>
                        <![CDATA[ ડી.પી. ઓઝા નામના મનુવાદીએ એક વિકલાંગ દલિત કિશોરને માર મારી તેના શર્ટથી નાળું સાફ કરાવ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ એટલું ભયાનક ઝેર છે કે, તે એકવાર મગજમાં ચડી જાય, પછી સામેની વ્યક્તિ કોણ છે, કેવી પરિસ્થિતિમાં છે તેની પણ જાતિવાદી તત્વો પરવા નથી કરતા. દલિતો સાથે નજીવી બાબતે મારામારી કરવી, તેમને ઘોડી પર ન બેસવા દેવા, સારાં કપડાં પહેરે તો તેમની સાથે માથાકૂટ કરવી, મૂછો રાખે, સાફો બાંધે કે બીજી કોઈપણ સહજ કહી શકાય એવી કોઈપણ પ્રવૃત્તિ કરે તો પણ જાતિવાદી તત્વોનું પેટ બળતું હોય છે. ઘણીવાર તો આવા તત્વો દલિત મહિલા કે બાળકોને પણ તેમના દ્વેષનો શિકાર બનાવતા હોય છે અને આ ઘટના પણ કંઈક આવી જ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે એક દિવ્યાંગ દલિત સગીરને એક નિવૃત્ત અધિકારીએ તેની પાર્ક કરેલી કારની બાજુમાં આવેલા નાળામાં લઘુશંકા કરવાને લઈને માર માર્યો હતો. જાતિવાદી અધિકારીએ દિવ્યાંગ સગીરનો શર્ટ ઉતરાવીને નાળાની સફાઈ કરાવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ કોઈએ સોશિયલ મીડિયામાં મૂકી દેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને જાતિવાદી તત્વ એવા અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના હરદાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચાર થાય છે તે મધ્યપ્રદેશની છે. અહીં હરદામાં કથિત રીતે પેશાબ કરવા બદલ એક નિવૃત્ત ઈન્કમટેક્સ અધિકારીએ દલિત વિકલાંગ સગીરને માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-dalit-student-kept-begging-the-savarna-teacher-kept-hitting-with-the-pipe">દલિત વિદ્યાર્થી આજીજી કરતો રહ્યો, સવર્ણ શિક્ષક પાઈપથી ફટકારતો રહ્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલું જ નહીં, આરોપીએ વિકલાંગ સગીરનો શર્ટ ઉતરાવીને તેની પાસે નાળું સાફ કરાવ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે આરોપી નિવૃત્ત અધિકારી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પીડિત અપંગ છે અને તેની ઉંમર 17 વર્ષ છે. આ ઘટના ગુરુવારે સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાર પર પેશાબ કર્યાનું સમજી સગીર દિવ્યાંગને માર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, રિટાયર્ડ ઓફિસર અપંદ કિશોરને માર મારીને તેની પાસે ગટર સાફ કરતો જોવા મળી રહ્યો છે. પીડિત સગીરનું કહેવું છે કે તેણે અધિકારીની પાર્ક કરેલી કારની પાછળ નાળામાં પેશાબ કર્યો હતો. પણ અધિકારીએ તેને તેની કાર પર પેશાબ કર્યો હોવાનું સમજીને તેને માર માર્યો હતો અને તેની પાસે નાળું સાફ કરાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપી અધિકારીનું નામ ડી.પી. ઓઝા છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો હરદા નગર સ્થિત વિવેકાનંદ કોમ્પ્લેક્સનો છે. એક 17 વર્ષનો દલિત કિશોર અહીંથી પસાર થઈ રહ્યો હતો. તે વિકલાંગ પણ હતો. તેણે ત્યાં રોકાઈને પેશાબ કર્યો હતો. જેને લઈને આ પરિસરમાં રહેતા આવકવેરા વિભાગના નિવૃત્ત અધિકારી ડી.પી. ઓઝાએ તેને જોઈ લીધો હતો. એ પછી તેણે વિકલાંગ કિશોર પર પોતાની કાર પર પેશાબ કરવાનો આરોપ લગાવ્યો અને માર મારવા લાગ્યો. એટલું જ નહીં, તેણે કિશોરનો શર્ટ ઉતરાવીને તેની પાસે નાળાની સફાઈ કરાવી હતી. ડી.પી. ઓઝાએ વિકલાંગ દલિત યુવકને જાતિસૂચક ગાળો ભાંડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે જાતિવાદી ડી.પી. ઓઝાની ધરપકડ કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં મારના કારણે યુવક ઘાયલ થઈ ગયો હતો અને ત્યાંથી નીકળી ગયો. એ પછી તેણે હરદા પોલીસ સ્ટેશનમાં આરોપી ઓઝા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પોલીસે આરોપી ઓઝા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે બની હતી. નિવૃત્ત અધિકારીએ સગીરને તેની કાર પર પેશાબ કરવાનો આરોપ લગાવીને ઠપકો આપ્યો હતો. જ્યારે વિકલાંગ કિશોરે તેના આરોપને ખોટો ગણાવીને નકારી કાઢ્યો તો આરોપી ઓઝાએ તેને માર માર્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીએ કિશોરને તેના શર્ટ વડે ગટર સાફ કરવા માટે મજબૂર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-couple-stripped-naked-urinated-in-husbands-mouth-in-front-of-wife">દલિત દંપતિને નિર્વસ્ત્ર કરી ફટકાર્યું, પત્નીની સામે જ પતિના મોંમાં પેશાબ કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 21 Sep 2024 14:14:55 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 21 Sep 2024 15:32:18 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1248</Articleid>
                    <excerpt>ડી.પી. ઓઝા નામના મનુવાદીએ એક વિકલાંગ દલિત કિશોરને માર મારી તેના શર્ટથી નાળું સાફ કરાવ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ee868960f55.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ee86892a0dd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ee86892a0dd.jpg" length="98593" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Dalit Crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>મંદિર પાસે રમતા ત્રણ દલિત બાળકોને જાતિવાદીઓએ ઢોર માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/three-dalit-children-playing-near-the-temple-were-beaten-to-death-by-racists</link>
                    <guid>https://khabarantar.com/three-dalit-children-playing-near-the-temple-were-beaten-to-death-by-racists</guid>
                    <description>
                        <![CDATA[ મંદિર પરિસરમાં દલિત બાળકોના રમવાથી મંદિર અભડાઈ ગયું. જાતિવાદી તત્વોએ ત્રણ દલિત બાળકોને બાંધીને નિર્દયતાથી માર માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Mainpuri 3 Dalit children beaten: મામલો જ્યારે દલિતો-આદિવાસીઓ સામે પડવાનો હોય ત્યારે જાતિવાદી તત્વોમાં અચાનક જુદા પ્રકારની લાગણીઓ વહેવા માંડે છે. તેઓ એ પણ નથી જોતા કે સામે કોઈ તેનો સમોવડીયો છે કે પછી બાળકો. તેમના મંદિરોમાં કૂતરાં-બિલાડા ઘૂસીને ક્યારેક કુદરતી હાજત પણ કરી જતા હશે. તેનાથી તેમના મંદિરો અભડાતા નથી, પરંતુ જેવું કોઈ દલિત તેની આસપાસ પણ ફરકે તો તેમના મંદિર અપવિત્ર બની જાય છે. વાસ્તવમાં આ એક પ્રકારની ચાલાકી છે, જેનો ઉપયોગ કરીને દલિતો પર અત્યાચાર કરી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક રીતે આવા મંદિરો મનુસ્મૃતિ અને તુલસીદાસની રામાયણની ચોપાઈનો અમલ કરતા હોય છે. તુલસીદાસનું રામચરિત માનસ ખુલ્લેઆમ કહે છે કે, ઢોર, ગંવાર, પશુ, શુદ્ર અને નારીને તાડનના અધિકારી. એટલે આ લોકો મોકો મળ્યે આ તમામને અડફેટે લેતા રહે છે. જો કે, જેમને ધર્મ અને તેની આભડછેટ જેવી બદ્દીઓની ખબર જ નથી તેના નિર્દોષ બાળકો પણ ક્યારેક આવા જાતિવાદી તત્વોની અડફેટે ચડી જતા હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક મંદિર પરિસરની પાસે રમી રહેલા ત્રણ દલિત બાળકોને જાતિવાદી તત્વોએ મંદિર અપવિત્ર કરી નાખવા બદલ નિર્દયતાથી માર માર્યો હતો. માર એટલો ગંભીર હતો કે બાળકોની પીંડીઓ પર રીતસરના તેના સોળ ઉપડી ગયા હતા. રડતા બાળકોએ તેમના માતાપિતાને આખી ઘટના જણાવી એ પછી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/the-heady-elements-do-not-leave-my-land-despite-the-collectors-order"> કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ed05851225b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના દલિત અત્યાચાર અને જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશની છે. અહીં મૈનપુરી જિલ્લાના દૌદાપુર ગામમાં એક મંદિરની બહાર રમતા દલિત બાળકોને બેરહેમીથી મારવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે આ દલિત બાળકોએ મંદિર પરિસરમાં રમીને તેને અપવિત્ર કરી નાખ્યું હતું. ઘટના ગયા મહિને બની હતી પણ હજુ સુધી પોલીસે આ મામલે કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના જૂની છે. આ કેસમાં 26 ઓગસ્ટે એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ભીમ આર્મી અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મૂકીને કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. નગીના લોકસભાના સાંસદ ચંદ્રશેખરે પોસ્ટમાં લખ્યું હતું કે, "ઉત્તર પ્રદેશના કહેવાતા રામરાજ્યમાં 3 દલિત બાળકોને મંદિર પરિસરમાં રમવા બદલ ગુસ્સે ભરાયેલા ધર્મના ઠેકેદારો અને બે લોકોએ આ બાળકોને ન માત્ર માર્યા, પરંતુ તેમના વડીલો અને મહિલાઓ સુદ્ધાંને જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કર્યું હતું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રશેખરે વધુમાં લખ્યું હતું કે, જાતિવાદી સિસ્ટમની હાલત જુઓ, ઘટનાની એફઆઈઆર 26મી ઓગસ્ટે નોંધવામાં આવી હતી, પરંતુ આજ સુધી પોલીસે સામંતી આરોપીઓને પકડવાની હિંમત નથી કરી. પીડિત સની પ્રતાપ જાટવનું કહેવું છે કે, આરોપીની ધરપકડ ન થવાથી તેમના પરિવારમાં ભયનો માહોલ છે. ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને સત્તા પક્ષના લોકો તેમના પર સમાધાન કરી લેવા દબાણ કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રશેખર આઝાદે ચેતવણી આપી હતી કે, " આ પ્રકારની ઘટનાઓમાં કાર્યવાહી ન થવાથી સ્પષ્ટ રીતે જાતિવાદની ગંધ આવે છે. જો જલ્દી જ આ કેસના આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો આઝાદ સમાજ પાર્ટીના કાર્યકરોને રસ્તા પર ઉતરવાની ફરજ પડશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/five-people-hit-the-dalit-youth-saying-why-are-you-playing-magic-on-us">તું અમારા પર જાદુટોણાં કેમ કરે છે કહી પાંચ લોકોએ દલિત યુવકને ફટકાર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Sep 2024 10:51:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1240</Articleid>
                    <excerpt>મંદિર પરિસરમાં દલિત બાળકોના રમવાથી મંદિર અભડાઈ ગયું. જાતિવાદી તત્વોએ ત્રણ દલિત બાળકોને બાંધીને નિર્દયતાથી માર માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ed056e0368a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ed056dc5512.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ed056dc5512.jpg" length="37690" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit children beaten, Dalit Crime, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>બિહારના નવાદામાં દલિતો પર મોટો હુમલો, ટોળાએ 80 ઘરો સળગાવી દીધાં</title>
                    <link>https://khabarantar.com/major-attack-on-dalits-in-bihars-Nawada-mob-burns-80-houses</link>
                    <guid>https://khabarantar.com/major-attack-on-dalits-in-bihars-Nawada-mob-burns-80-houses</guid>
                    <description>
                        <![CDATA[ બદમાશોએ 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું, 80 ઘરો સળગાવી દીધાં, 15ની ધરપકડ કરાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારના નવાદા જિલ્લામાં જમીનના વિવાદમાં એક દલિત વસાહતને ઘેરીને આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. મુફાસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણા નગર ગામમાં બનેલી આગની આ ઘટનામાં દલિત સમાજના લોકોના 80 ઘર બળી ગયા છે. પોલીસે જણાવ્યું કે આ મામલો જમીન વિવાદ સાથે જોડાયેલો છે. એક પક્ષ અહીં રહે છે અને બીજો પક્ષ આ જમીન પર દાવો કરી રહ્યો છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">100થી વધુ લોકોનું ટોળું તૂટી પડ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">ગ્રામજનોએ જણાવ્યું કે બુધવારે લગભગ સોથી વધુ લોકોના ટોળું અચાનક દલિતવાસમાં આવી પહોંચ્યું હતું. વાસમાં પ્રવેશતા જ બદમાશોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીબારના કારણે સ્થળ પર ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ટોળાઓએ લગભગ 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ગામલોકો પોતાને બચાવવા માટે અહીં-ત્યાં છુપાઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક અધિકારીઓ સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ પછી સ્થિતિની ગંભીરતાને જોતા ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">80થી વધુ ઘરો આગમાં સળગી ગયા</span></strong><br><span style="font-size: 14pt;">ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે દસ લોકોની ધરપકડ પણ કરી હતી. ગ્રામજનો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. ડીએમ આશુતોષ કુમારે જણાવ્યું કે આ ગામ કૃષ્ણા નગર નદી પર આવેલું છે. અમે ઘટનાનો સર્વે કર્યો છે. લગભગ 30 ઘર બળી ગયા છે. જો કે સ્થાનિક દલિતો 80થી વધુ ઘર સળગી ગયા હોવાનું જણાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવાદાના એસપી અભિનવ ધીમાને કહ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે આ ઘટના બુધવારે સાંજે બની હતી. 40 થી 50 ઘરોમાં આગ લાગી છે. હજુ સુધી આમાં કોઈ વ્યક્તિના મોતના સમાચાર નથી. કહેવામાં આવી રહ્યું છે કે હવાઈ ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. અમને હજુ સુધી શેલ મળ્યો નથી પરંતુ પોલીસ તપાસ કરી રહી છે. મુખ્ય આરોપીઓ સહિત કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકીનાની ધરપકડ માટે દરોડા ચાલુ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસપીએ આગળ કહ્યું કે, જમીનને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. એક પક્ષ અહીં સ્થાયી થયો હતો, જ્યારે બીજો પક્ષ લાંબા સમયથી તે જમીન તેમની હોવાનો દાવો કરી રહ્યો હતો. આ ઘટના તેમના દ્વારા જ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ ફોર્સ આગામી બે-ત્રણ દિવસ સુધી અહીં કેમ્પ કરશે. તે પછી પણ જો સ્થિતિ સ્થિર નહીં થાય તો ફોર્સ આગળ પણ કેમ્પ કરશે. અમારી અપીલ છે કે શાંતિ જાળવો અને જો કોઈને માહિતી આપવી હોય તો આપી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">મંત્રી જનક રામે શું કહ્યું?</span></strong><br><span style="font-size: 14pt;">આ મામલે બિહાર સરકારના અનુસૂચિત જાતિ-જનજાતિ વિભાગના મંત્રી જનક રામે કહ્યું કે, અમને નવાદામાં બનેલી ઘટનાની માહિતી મળી છે. જેમાં ગુંડાઓ દ્વારા અનુસૂચિત જાતિના લોકોના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ એક દુઃખદ ઘટના છે. ગુંડાઓ ગમે તે હોય, સરકાર તેમની સામે ચોક્કસ પગલાં લેશે. સીએમ નીતિશ કુમારના નેતૃત્વમાં નબળા વર્ગના લોકો, દલિત અને મહાદલિત પરિવારો સુરક્ષિત છે. તેમના પર વર્ચસ્વ જમાવનારાઓને સરકાર છોડશે નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">તમામ ઘરોમાં સામાન બળીને રાખ થઈ ગયો</span></strong><br><span style="font-size: 14pt;">આગની આ ઘટવામાં અનેક પશુઓ પણ બળી ગયા હતા. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમતથી આગને કાબુમાં લેવામાં આવી હતી. જો કે ત્યાં સુધીમાં ઘરમાં રાખેલ સામાન બળીને રાખ થઈ ગયો હતો. ઘરો ઘાસ અને કાચલીઓના બનેલા હતા.</span><br><span style="font-size: 14pt;">આ ઘટના પાછળનું કારણ જમીન વિવાદ હોવાનું કહેવાય છે. દલિત પરિવારો આ જમીન પર રહે છે. જેને લઈને સામે પક્ષે તકરાર ચાલી રહી હોવાથી તેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. પીડિતોના પરિવારજનોનો આરોપ છે કે બુધવારે મોડી સાંજે સામેના પક્ષના લોકોએ અચાનક તેમના પર હુમલો કર્યો હતો અને ઘરોમાં આગ લગાડી દીધી હતી.એટલું જ નહીં 50 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્રામજનોનો આરોપ છે કે 'બુધવારે સાંજે લગભગ 8 વાગ્યે પ્રાણ બિગહાના નંદુ પાસવાન સહિત સેંકડો લોકોએ મળીને ગામ પર હુમલો કર્યો હતો. આ સાથે તેઓએ ગોળીઓ પણ ચલાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન અનેક લોકોને માર મારવામાં આવ્યો હતો. આ પછી 80-85 ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">માયાવતીએ શું લખ્યું?</span></strong><br><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વિટ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવા અને પીડિતોને આર્થિક સહાય કરી પુનર્વસનમાં મદદ કરવા વિનંતી કહી હતી. બહેનજીએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે,"બિહારના નવાદામાં ગુંડાઓએ ગરીબ દલિતોના ઘણાં ઘરોને બાળીને રાખ કર્યાની ઘટના ખૂબ જ દુઃખદ અને ગંભીર છે. દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે સરકારે પીડિતોના પુનર્વસન માટે સંપૂર્ણ આર્થિક સહાય પણ આપવી જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ચંદ્રશેખર આઝાદે શું કહ્યું?</span></strong><br><span style="font-size: 14pt;">આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર રાવણે પણ ટ્વિટ્ કરી આ ઘટનાને જંગલરાજનું ઉદાહરણ ગણાવી હતી. આ ઘટના પર આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, "બિહારના નવાદા જિલ્લાના મુફાસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૃષ્ણ નગર દલિત કોલોનીમાં 80 ઘરોમાં આગચંપી અને ગોળીબારની ઘટના જંગલરાજનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. અમારી રાજ્યની ટીમ આજે ઘટનાસ્થળે પહોંચીને પીડિતોને મળશે. પીડિતોમાં ભયનો માહોલ છે. હું મુખ્યમંત્રી નીતિશકુમારને વિનંતી કરું છું કે, ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને કડકમાં કડક સજા કરાય. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પીડિતોને મદદનો દરેક શક્ય પ્રયાસ કરવામાં આવે સાથે હું આ મામલે ન્યાયિક તપાસની પણ માંગ કરું છું."</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/this-is-the-reason-why-atrocities-on-dalit-women-do-not-get-importance">દલિત મહિલાઓ પર થતા અત્યાચારને કેમ મહત્વ મળતું નથી? આ છે કારણ</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Sep 2024 14:57:29 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 19 Sep 2024 14:57:49 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1236</Articleid>
                    <excerpt>બદમાશોએ 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું, 80 ઘરો સળગાવી દીધાં, 15ની ધરપકડ કરાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ebeca17f556.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ebeca14ae3a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ebeca14ae3a.jpg" length="91452" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>nawada attacks on dalits, 80 houses burns, 50 rounds fired</media:keywords>
                </item>
                        <item>
                    <title>બોરસદના નાપા તળપદમાં ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા હોબાળો</title>
                    <link>https://khabarantar.com/napa-talpad-of-borsad-dr-ambedkars-statue-vandalized-uproar</link>
                    <guid>https://khabarantar.com/napa-talpad-of-borsad-dr-ambedkars-statue-vandalized-uproar</guid>
                    <description>
                        <![CDATA[ બાબાસાહેબની પ્રતિમા અનાવરણ પહેલા જ ખંડિત થતા રોહિત સમાજ ઉશ્કેરાઈને રસ્તા પર ઉતરી આવ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dr. Ambedkar statue broken: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તેનું અનાવરણ થાય તે પહેલા જ ખંડિત કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો. ઘટનાને લઈને બે જૂથો સામસામે આવી જતા મામલો તંગ બન્યો હતો. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે રાત્રે પોલીસ ખડકી દેવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે મંગળવારે રાત્રે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિની સ્થાપના માટે યુવકો ઓટલો બનાવી રહ્યા હતા. ત્યારે લઘુમતિ સમાજના કેટલાક યુવકોએ આવીને જ્ઞાતિવાચક શબ્દો બોલીને મૂર્તિ ખંડિત કરી પ્રતિમાના સ્થાનના ઓટલાને તોડી નાખતા ગામમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને પગલે તંગદીલીનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે આણંદ જિલ્લા પોલીસનો કાફલો ગામમાં ખડકાયો હતો. સવારે રોહિત સમાજે સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો હતો. જો કે, બંને સમાજના સમજુ આગેવાનો આ કૃત્યને વખોડી કાઢી સમાધાન કરાવ્યું હતું અને રોહિત સમાજને જગ્યાની ફાળવણી અંગે ઠરાવ કરી આપતા મામલો થાળે પડયો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ebccaba0b29.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લઘુમતી સમાજના નાદાન યુવકોની હરકથી મામલો બિચક્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">નાપા તળપદ ગામમાં મંગળવારે મોડી રાત્રે પંચાયત દ્વારા ફાળવવામાં આવેલી જમીનમાં રોહિત સમાજના યુવકો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપના માટે ઓટલો બનાવવાની કામગીરી શરૂ કરી હતી. તે સમયે ગામના મુસ્લિમ સમાજના યુવાનો ત્યાં આવ્યા હતા અને રોહિત સમાજના યુવકોને અપશબ્દો તથા જ્ઞાાતિવાચક શબ્દો બોલ્યા હતા. એટલું જ નહીં, પ્રતિમાની સ્થાપના માટે ચણાઈ રહેલો ઓટલો તોડી નાખી મૂર્તિને ખંડિત કરી, ધમકીઓ આપીને ત્યાંથી જતા રહ્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મોડી રાત્રે લોકોના ટોળાં એકઠા થયા</span></strong></span><br><span style="font-size: 14pt;">આ બનાવની જાણ થતાં રાત્રે ૧૧ વાગ્યા બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયાં હતાં અને રોષ ઠાલવ્યો હતો. જેથી જિલ્લા પોલીસ અધિક્ષકે તાત્કાલિક નાપા તળપદમાં પોલીસ કાફલો તૈનાત કરી દીધો હતો. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવાર સુધી ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. સવારે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ ખડકી દેવાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મુસ્લિમ યુવકો સામે પોલીસ ફરિયાદ કરવા બાબતે રોહિત સમાજના બે જૂથ વચ્ચે અંદરોઅંદર ઉગ્ર બોલાચાલી થઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પંચાયતે લખાણ કરી આપતા મામલો શાંત પડ્યો</span></strong><br><span style="font-size: 14pt;">જોકે, ગામના સરપંચ સહિતના અગ્રણીઓએ પંચાયતમાં જઈ સાદા કાગળ ઉપર રોહિત સમાજને જગ્યા ફાળવવા માટેના ઠરાવનું લખાણ કરવામાં આવ્યું હતું. ત્યારે આવું કૃત્ય કરનારા પાસેથી માફીપત્ર લખાવવાની માંગ કેટલાક યુવકોએ કરતા ફરી તંગદીલીનો માહોલ સર્જાયો હતો. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66ebccac4302f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમાધાન થતાં પોલીસ ફરિયાદ ન થઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">આ અંગે પેટલાદ ડીવાયએસપી પી.કે. દિયોરાએ જણાવ્યું હતું કે, ઘટના બન્યા પછી ગ્રામજનોએ સમાધાન માટે અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી. જેથી પંચાયત દ્વારા ઠરાવ કરીને આ જગ્યા રોહિત સમાજને આપી દીધી છે. બંને પક્ષમાં સમાધાન થઈ ગયું હતું અને ગ્રામજનોના પ્રશ્નનો ઉકેલ આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લઘુમતી સમાજના અગ્રણીઓએ યુવાનો વતી હાથ જોડ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલે સમાધાનકારી રસ્તો અપનાવી ગ્રામ પંચાયત દ્વારા રોહિત સમાજને જગ્યા ફાળવવામાં આવી હતી. જ્યાં જેસીબીથી સાફસફાઈ કરીને બુધવારે મોડી સાંજે ઓટલો બનાવી બાબાસાહેબની પ્રતિમાની સ્થાપિત કરવામાં આી હતી. દરમિયાન આ કૃત્ય કરનારા યુવકો વતી લઘુતી સમાજના અગ્રણીઓએ રોહિત સમાજની મૌખિક માફી માંગતા મામલો થાળે પડયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/two-cousins-of-a-dalit-family-were-gang-raped-for-40-days">દલિત પરિવારની બે સગી બહેનોને 40 દિવસ સુધી ગોંધી રાખી ગેંગરેપ કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Sep 2024 12:37:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1235</Articleid>
                    <excerpt>બાબાસાહેબની પ્રતિમા અનાવરણ પહેલા જ ખંડિત થતા રોહિત સમાજ ઉશ્કેરાઈને રસ્તા પર ઉતરી આવ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ebccad0b8ad.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ebccacc5ee1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ebccacc5ee1.jpg" length="72443" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Gujarat News, Dalit News, Ananad, napa talpad, dr. ambedkar statue vandalized</media:keywords>
                </item>
                        <item>
                    <title>કર્ણાટકમાં દલિતોનો બહિષ્કાર કરનાર જાતિવાદીઓ સામે કાર્યવાહી શરૂ</title>
                    <link>https://khabarantar.com/action-initiated-against-casteists-who-boycotted-dalits-in-karnataka</link>
                    <guid>https://khabarantar.com/action-initiated-against-casteists-who-boycotted-dalits-in-karnataka</guid>
                    <description>
                        <![CDATA[ યાદગીર જિલ્લાના બપ્પારાગામાં દલિતોનો બહિષ્કાર કરનાર જાતિવાદીઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Karnataka Boycott of Dalits: કર્ણાટકના યાદગીર(Yadgir) જિલ્લાના બપ્પારાગા(Bapparagga) ગામમાં દલિત સમાજના 250થી વધુ લોકોના સામાજિક બહિષ્કાર(Social exclusion) મામલે રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વરે(G. Parameswaram) કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું છે. આ મામલે તેમણે ઉચ્ચ અધિકારીઓ પાસેથી સમગ્ર મામલાનો રિપોર્ટ માંગ્યો છે અને દલિત સમાજનો બહિષ્કાર કરનાર સવર્ણ જાતિના લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગૃહરાજ્યમંત્રીએ ઘટનાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી</span></strong></span><br><span style="font-size: 14pt;">એચ.એમ. પરમેશ્વરે શનિવારે બેંગલુરુમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "મેં અધિકારીઓને રિપોર્ટ આપવા કહ્યું છે. આ 500ની વસ્તી ધરાવતું ગામ છે અને મોટાભાગના લોકો અનુસૂચિત જાતિના છે. અહીં એક દલિત સગીરાને લગ્નની લાલચ આપીને એક કથિત સવર્ણ જાતિના યુવકે બળાત્કાર થયો હતો. સગીરા ગર્ભવતી થયા બાદ તેની સાથે લગ્ન કરવાનો તેણે ઈનકાર કરી દેતા, દીકરીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ પાછો ખેંચી લેવાનું ગામના સવર્ણો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને દલિતોનો સામાજિક બહિષ્કાર કરાયો હતો. શાળાના બાળકોને નોટબુક, પેન નથી મળી રહી અને ગામમાં દલિતોને પાણી લાવતા પણ રોકવામાં આવી રહ્યાં છે. મેં અધિકારીઓને તાત્કાલિક ત્યાં જઈને કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો જરૂરી હોય તો ફરિયાદ દાખલ કરો. તપાસ હાલમાં પ્રારંભિક તબક્કે છે અને મેં વરિષ્ઠ અધિકારીઓને વધુ અહેવાલો સબમિટ કરવા કહ્યું છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ઘટના શું હતી?</span></strong><br><span style="font-size: 14pt;">કર્ણાટકના યાદગીર જિલ્લાના બપ્પારાગા ગામમાં સવર્ણોએ છેલ્લા એક મહિનાથી દલિતોનો બહિષ્કાર કર્યો છે. સ્થિતિ એ છે કે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ તો ઠીક, દલિત બાળકોને ભણવા માટે જરૂરી એવા પુસ્તકો અને પેન્સિલ પણ સવર્ણ દુકાનદારો આપતા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાના મૂળમાં એક દલિત સગીરાનું થયેલું જાતીય શોષણ છે. સગીરાના પરિવારે 23 વર્ષના એક સવર્ણ છોકરા પર તેમની દીકરીનું જાતીષ શોષણ કરવાનો કેસ કર્યો છે. જેને પાછો ખેંચી લેવા માટે આખા ગામના સવર્ણો એક થઈ ગયા છે અને દલિતોનો સામાજિક બહિષ્કાર કરીને મામલો રફેદફે કરવા માંગે છે. પણ દલિતો જરાય નમતું જોખવા તૈયાર નથી અને તેમણે "કેસ તો પાછો નહીં જ ખેંચાય, જે થતું હોય એ કરી લેવું" એમ સ્પષ્ટ વાત કરી દીધી છે. દલિતોના આવા મજબૂત મનોબળને કારણે હવે છોકરાના બાપ સહિત આખા ગામના સવર્ણો ઢીલા પડ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સગીરા ગર્ભવતી થતા છોકરાએ લગ્નની ના પાડી હતી</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસ સૂત્રોનું કહેવું છે કે 15 વર્ષની છોકરી 23 વર્ષના સવર્ણ છોકરા સાથે રિલેશનશિપમાં હતી. છોકરાએ લગ્નના બહાને તેની સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા. જેના કારણે તે ગર્ભવતી બની હતી. સગીરા પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેણે તેના માતા-પિતાને આખી વાત કહી હતી. એ પછી દીકરીના પરિવારે પેલા છોકરાને વાયદા પ્રમાણે લગ્ન કરી લેવા કહ્યું, પણ છોકરાએ ના પાડી દીધી. ત્યાર બાદ સગીરાના માતા-પિતાએ 12 ઓગસ્ટે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સગીરાના પરિવારે ફરિયાદ કરતા દલિતોનો બહિષ્કાર કરાયો</span></strong></span><br><span style="font-size: 14pt;">ફરિયાદ બાદ પોલીસે કાયદા મુજબ કાર્યવાહી કરીને છોકરાની ધરપકડ કરી હતી. જેના કારણે ગામના તેની જાતિના લોકો દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. તેમણે સગીરાના માતા-પિતાને સમાધાન માટે બોલાવ્યા હતા. પણ દીકરીના માતા-પિતા આ મામલે પોલીસ કાર્યવાહી ઈચ્છતા હતા. જેના કારણે 13 ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા આરોપી છોકરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જેનાથી ગામના સવર્ણો એટલા નારાજ થયા હતા કે તેમણે દલિત પરિવારોનો સામાજિક બહિષ્કાર જાહેર કરી દીધો હતો.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોએ લડી લેવાનું નક્કી કર્યું છે</span></strong></span><br><span style="font-size: 14pt;">સામે દલિતોએ પણ લડી લેવાનું નક્કી કર્યું છે અને તેમણે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને દલિત સામાજિક સંગઠનોની મદદ માંગી છે. તેમણે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરીને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મામલો રાષ્ટ્રીય સ્તરે ગાજતા આખરે ગૃહરાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે યાદગીર કર્ણાટકના સૌથી પછાત જિલ્લાઓ પૈકીનો એક છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-12-year-old-dalit-teenager-was-stripped-naked-and-told-lets-dance-now">12 વર્ષના દલિત કિશોરને જાતિવાદીઓએ નગ્ન કરીને કહ્યું - ચાલ હવે ડાન્સ કર</a></span></strong></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Sep 2024 11:30:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1234</Articleid>
                    <excerpt>યાદગીર જિલ્લાના બપ્પારાગામાં દલિતોનો બહિષ્કાર કરનાર જાતિવાદીઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ebbde5a91b2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ebbde572758.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ebbde572758.jpg" length="94171" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Boycott of Dalits, District, Karnataka, Bapparagga village, Order of Home Minister, Take action, G. Parameswaram, Social exclusion</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત કિશોરને પોલીસે વીજ કરંટ આપી ઉંધો લટકાવીને મારતા મોત?</title>
                    <link>https://khabarantar.com/dalit-teenager-killed-by-police-electrocution-and-hanging-upside-down</link>
                    <guid>https://khabarantar.com/dalit-teenager-killed-by-police-electrocution-and-hanging-upside-down</guid>
                    <description>
                        <![CDATA[ એક દલિત કિશોરને પોલીસે 5 દિવસ જેલમાં પૂરીને માર્યો, યુવક ઘરે પહોંચ્યો અને મોત થઈ ગયું? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit teenager beaten by police: પોલીસની છાપ સમાજમાં શું કામ ખરાબ છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. પોલીસના મારથી એક દલિત કિશોરનું મોત થઈ જતા ચકચાર મચી ગઈ છે. આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં 3 પોલીસકર્મીઓએ તેને ઘણા દિવસો સુધી માર માર્યો હતો. એટલું જ નહીં વીજળીના ઝટકા આપ્યા હતા અને ઉંધો લટકાવ્યો હતો. એ પછી તેને રૂપિયા લઈને છોડી મૂક્યો હતો. કિશોર જ્યારે ઘરે પહોંચ્યો તો તેની તબિયત ખરાબ થઈ ગઈ અને તેને સારવાર માટે દવાખાને લઈ જવો પડ્યો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે કિશોરનું પોલીસના થર્ડ ડિગ્રી ટોર્ચરના કારણે મોત થઈ ગયું છે. તેમણે કિશોરને વીજળીના ઝટકા આપ્યા હતા અને ઉંધો લટકાવીને માર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદ, પોલીસની સરમુખત્યારી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશની છે. અહીંના લખીમપુર ખીરીમાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોલીસ દ્વારા માર મારવામાં આવતા દલિત કિશોરના મોતથી ખળભળાટ મચી ગયો છે. આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં 3 પોલીસકર્મીઓએ દલિત કિશોરીને 5 દિવસ સુધી કસ્ટડીમાં રાખીને નિર્દયતાથી માર માર્યો હતો. એ પછી જ્યારે યુવક ઘરે પહોંચ્યો તો તેની તબિયત બગડી અને સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ત્રણ પૈકી બે આરોપીઓને પોલીસે છોડી દીધા હતા</span></strong><br><span style="font-size: 14pt;">મામલો ફરદાન પોલીસ સ્ટેશનના સિસાવાં કલાં ગામનો છે. અહીંની એક દુકાનમાંથી કેટલોક સામાનની ચોરી થઈ ગયો હતો. દુકાનના માલિકે તે જ ગામમાં રહેતા એક સગીર દલિત યુવક અને તેના બે સાથીઓ પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસમાં દલિત કિશોર અને તેના બે સાથીઓની ધરપકડ કરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે પોલીસે દલિત કિશોરીના બંને સાથીઓને છોડી મૂક્યા હતા પણ તેને છોડ્યો નહોતો. એવો પણ આરોપ છે કે પોલીસે તેને પોલીસ સ્ટેશનની અંદર 5 દિવસ સુધી પુરી રાખીને ઢોર માર માર્યો હતો. પછી તેને છોડી દીધો. કિશોર ઘરે પહોંચતા જ તેની તબિયત લથડી હતી અને તેને જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં ડોક્ટરે તેને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાંથી લખનઉ રેફર કર્યો હતો. જ્યાં તેમનું અવસાન થયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન, નેશનલ હાઈવે બ્લોક</span></strong></span><br><span style="font-size: 14pt;">કિશોરનું મોત થઈ જતા તેના પરિવારજનો સાથે દલિત સમાજના લોકોએ ફરદાન પોલીસ સ્ટેશન સામે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિવારે આરોપી પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રામશરણ, વિનય તિવારી, જિલ્લા અધ્યક્ષ રામપાલ યાદવ સહિત સમાજવાદી પાર્ટીના ઘણા કાર્યકર્તાઓ પણ પોલીસના મારથી દલિત કિશોરના મોતના મામલે ફરદાન પોલીસ સ્ટેશનની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ દિલ્હીથી આસામને જોડતા નેશનલ હાઈવેને બ્લોક કરી દીધો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે લખીમપુર ખીરીના એસપી ગણેશ પ્રસાદ શાહે કહ્યું છે કે, મામલાની સંપૂર્ણ ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. તપાસમાં જે પણ બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પરિવારજનો સાથે પણ વાતચીત ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-beat-the-sarpanch-saying-if-he-appears-in-the-panchayat-his-limbs-will-not-be-healed">'પંચાયતમાં દેખાયો તો હાથપગ સાજા નહીં રહે..' કહી દલિત સરપંચને માર્યો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 19 Sep 2024 10:10:17 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 19 Sep 2024 10:10:48 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1233</Articleid>
                    <excerpt>એક દલિત કિશોરને પોલીસે 5 દિવસ જેલમાં પૂરીને માર્યો, યુવક ઘરે પહોંચ્યો અને મોત થઈ ગયું?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ebab1596767.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ebab155febc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ebab155febc.jpg" length="104813" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit teenage killed by police, UP, lakhmipur khiri, Dalit atrocity</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદ થી સેંકડો ભીમયોદ્ધા અનામત બચાવવા નીકળી પડ્યાં છે...</title>
                    <link>https://khabarantar.com/hundreds-of-bhimayodhas-have-left-from-ahmedabad-to-save-the-reservation</link>
                    <guid>https://khabarantar.com/hundreds-of-bhimayodhas-have-left-from-ahmedabad-to-save-the-reservation</guid>
                    <description>
                        <![CDATA[ ચાંદખેડાથી નીકળીને સંકલ્પ ભૂમિ વડોદરા સુધી જનારી SC-ST-OBC અનામત બચાવો સંકલ્પ યાત્રાનો આજે બીજો દિવસ છે. જાણો યાત્રા ક્યાં પહોંચી અને તેમાં શું શું થયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">save reservation yatra Ahmedabad to Baroda: સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો દ્વારા એસસી એસટી સમાજના પેટા વર્ગીકરણ અને તેમાં ક્રિમીલેયર દાખલ કરવાના ચૂકાદા સામે સમગ્ર દેશમાં બહુજન સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ગયા મહિને 21 ઓગસ્ટે ભારત બંધને મળેલી જબરજસ્ત સફળતા બાદ બહુજન સમાજ હવે જાતિવાદી તત્વો સામે અનામત બચાવવા મેદાને પડ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં ગયા મહિને અનામત બચાવો આંદોલન સમિતિ દ્વારા યોજવામાં આવેલી વિશાળ સભામાં ભીમયોદ્ધાઓએ ભરતડકે રસ્તા વચ્ચે બેસીને પોતાનો અણનમ જુસ્સો પ્રગટ કર્યો હતો. હવે એ જ જુસ્સાને કાયમ રાખીને તેમણે અમદાવાદના ચાંદખેડાથી અનામત બચાવો સંકલ્પ યાત્રા શરૂ કરી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે તા. 17 સપ્ટેમ્બરે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી શરૂ થયેલી આ સંકલ્પ યાત્રાને સમસ્ત બહુજન સમાજનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ગઈકાલે આ યાત્રા સંવિધાન સર્કલ સ્નેહ પ્લાઝા ચાંદખેડા થી સવારે નવ વાગ્યે નીકળી હતી અને સાબરમતી, રાણીપ, વાડજ, ગિરધરનગર, પ્રભાકર ટેનામેન્ટ, નરોડા રોડ, સરસપુર, રખિયાલ, બાપુનગર થઈ અમરાઈવાડી ખાતે પહોંચી હતી અને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/everyone-had-the-same-voice-we-will-not-let-the-meli-murad-of-the-government-be-fulfilled">મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ</a></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66eaa1d5b9185.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીંથી આજે યાત્રાનો બીજો દિવસ શરૂ થયો છે અને સવારે યાત્રા અમરાઈવાડીથી નીકળી ગીતામંદિર, બહેરામપુરા દૂધવાળી ચાલી થઈ દાણીલીમડા પહોંચી હતી. જ્યાં યાત્રાના આગેવાનોએ જનસભા સંબોધી હતી. અહીંથી તે દાણીલીમડા તરફ આગળ વધી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં બાઈક, કાર, ટેબ્લો સાથે માન્યવર કાંશીરામ સાહેબની સાઈકલ યાત્રાની યાદ અપાવતા સાઈકલવીરો પણ જોવા મળ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યાત્રા આજે યાત્રા આંબાવાડી, વાસણા, ગુપ્તાનગર થઈને વેજલપુર પહોંચશે જ્યાંથી સરખેજ ખાતે રાત્રિ રોકાણ કરી આવતીકાલે સવારે સરખેજ, વિસલપુર, ફાંસદા, ભાત, કાવીઠા, બદરખા, ચલોડા, રનોડા, કલીકુંડ થઈને ધોળકા ખાતે રાત્રી રોકાણ કરીને પછી આણંદ થઈ 22મીએ વડોદરા પહોંચશે. અહીં આખો દિવસ શહેરમાં ફર્યા બાદ 23મીને સંકલ્પભૂમિ ખાતે મોટું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં મહાનાયક ડો. ભીમરાવ આંબેડકરના અનુયાયીઓ ઉમટી પડવાના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસસી, એસટી, ઓબીસી અનામત બચાવો સંકલ્પ યાત્રાના ભીમયોદ્ધાઓ પૈકીના એક નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી પી.એલ. રાઠોડ યાત્રાના ઉદ્દેશો અને આયોજનો વિશે વિગતે વાત કરતા જણાવે છે કે, "યાત્રાના નામ પરથી જ સ્પષ્ટ છે કે, યાત્રાનો હેતુ એસસી, એસટી, ઓબીસી સમાજની અનામત બચાવવાના સંકલ્પની છે. વર્તમાનમાં ગુજરાત રાજયમાં SC અને ST માં સમાવિષ્ટ સમગ્ર જાતિઓની વસ્તીના આધારે સમગ્ર SC વર્ગને 7% અને સમગ્ર ST વર્ગને 15% અનામત ફાળવવામાં આવેલ છે. તારીખ ૧-૮-૨૦૨૪ના રોજ સર્વોચ્ચ અદાલતની ૭ જજોની બંધારણીય બેન્ચના ચુકાદા મુજબ SC અને ST માં સમાવિષ્ટ જાતિઓનું પેટા-વર્ગીકરણ કરી તેમાંથી પછાત SC/ST જાતિઓના સમૂહ માટે અલગ અનામત અને સંપન્ન SC.ST જાતિઓના સમૂહ અલગ અનામતની ગેર બંધારણીય સત્તા રાજય સરકારોને આપવામાં આવી છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/so-far-democracy-has-only-been-saved-rehabilitation-restoration-is-pending">હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન-પુનઃસ્થાપન બાકી છે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66eaa1d899f64.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પી. એલ. રાઠોડ પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયર પાછળની મનુવાદીઓની ચાલને સમજાવતા કહે છે, "પેટા-વર્ગીકરણ થવાથી પછાત SC જાતિઓના સમૂહને અલગ અનામત ફળવાય તો તેમની વસ્તીના પ્રમાણમાં માત્ર 1% અનામત અલગથી ફાળવી શકાય જેથી સંપૂર્ણ SC/ST વર્ગની અનામતને કયારેય ભરપાઈ ના થઈ શકે તેવું નુકશાન થઈ શકે છે. વર્તમાનમાં SC જાતિની 7% અનામત મુજબ પ્રથમ પોઈન્ટ સુધી પહોંચવા માટે ૧૫ પોસ્ટ ભરાવી જરૂરી છે. જો 1% અનામત પાછળ SC વર્ગ માટે તથા 6% અનામત સંપન્ન SC વર્ગ માટે અલગ ફાળવવામાં આવે તો પછાત SC વર્ગની પ્રથમ પોસ્ટ ૧૦૦ માં પોઈન્ટ પર ભરાય અને જો નાના સંવર્ગની પોસ્ટ હોય, જેમાં કુલ પદ પ કે ૧૦ હોય તો SC ના પછાત વર્ગને પ્રથમ પોઈન્ટ પર અનામતનો લાભ મળતાં મળતાં લગભગ ૨૫ વર્ષનો સમય લાગે. મતલબ કે નાના સંવર્ગમાં નોકરીના ૩૦ થી ૩૫ વર્ષના સમયગાળામાં માત્ર એક જ વાર અનામતનો લાભ મળી શકે. અને જે તે સમયે SC પછાત વર્ગના ઉમેદવાર ઉપલબ્ધ ન હોય તો તે પોઈન્ટ ખાલી રહી જાય. આમ વર્તમાન ચુકાદો SC/ST વર્ગમાં સમાવિષ્ટ તમામ જાતિઓની અનામતને ગંભીર નુકસાન પહોંચાડનાર સાબિત થશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-day-the-children-of-upper-castes-get-married-to-dalits-stop-reservation">જે દિવસે સવર્ણોના સંતાનોના લગ્ન દલિતોમાં થાય, અનામત બંધ કરી દેજો</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66eaa669da995.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પી.એલ. રાઠોડ વધુમાં કહે છે, "ઉપરોકત ચુકાદામાં SC/ST ની અનામતમાં ક્રીમીલેયર લાગુ કરવાની સત્તા પણ રાજય સરકારોને આપવામાં આવેલી છે. ક્રીમીલેયર લાગુ થવાથી નીચેના ગ્રેડની એટલે કે પટાવાળા તથા કલાર્ક અને તેમની સમકક્ષના પદો સુધી જ અનામત સીમિત થઈ જશે. કારણ કે ઉચ્ચ પદ પર પહોંચતા સુધી આવકમાં વધારો થયેથી ક્રીમીલેયરના કારણે અનામતનો લાભ મળી શકશે નહીં. એનો સીધો જ મતલબ એ થાય કે માંડ ચોથા વર્ગ અને ત્રીજા વર્ગના નીચલા પદો સુધી જ આપણી તમામની અનામતને સીમિત કરી દેવામાં આવશે. કારણ કે ક્રીમીલેયર દરેકને લાગુ પડશે. તેથી સરકારના આ કાવતરાને બારીકીથી સમજી ખુલ્લુ પાડી તેનો જોરદાર વિરોધ કરવો એ જ આજના સમયની માંગ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/some-lies-connected-with-reservation-and-exposed">અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66eaa1d7e2e79.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યાત્રામાં અનામત આંદોલનના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">અનામત બચાવો સંકલ્પ યાત્રાની બીજી ધ્યાન ખેંચે તેવી બાબત એ રહી કે, યાત્રાના રૂટ દરમિયાન જ્યાં પણ વર્ષ 1981 અને 1985ની સાલમાં થયેલા અનામત વિરોધી આંદોલનના શહીદોની પ્રતિમા, સ્મારકો કે ખાંભીઓ આવી ત્યાં યાત્રાના આગેવાનોએ મળીને પુષ્પાંજલિ કરી તેમની શહાદતને યાદ કરી હતી. મજૂરગામ સ્થિત વિજયનગર સોસાયટીમાં આવું જ એક સ્મારક છે, આ સિવાય અમરાઈવાડી, ગોમતીપુર, ગીતામંદિર સહિતના વિસ્તારોમાં પણ સમાજ માટે જીવ આપી દેનારા ભીમયોદ્ધાઓના સ્મારકો આવેલા છે. પહેલીવાર કોઈ યાત્રામાં આ તમામ યોદ્ધાઓની શહીદીને આ રીતે એક સાથે અંજલિ આપવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યાત્રાએ માન્યવર કાંશીરામની સાઈકલ યાત્રાની યાદ અપાવી</span></strong></span><br><span style="font-size: 14pt;">અમદાવાદથી નીકળેલી આ અનામત બચાવો સંકલ્પ યાત્રાએ અનેક સમાજસેવકોને માન્યવર કાંશીરામ સાહેબની સાઈકલ યાત્રાની જૂની યાદોને તાજી કરી દીધી છે. એંશીના દાયકામાં માન્યવરે ઉત્તરપ્રદેશના ગામડાઓમાં સાઈકલ પર સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરીને સમગ્ર દલિત-બહુજન સમાજને એક કરીને સત્તા પર લાવી દીધો હતો. અમદાવાદમાં નીકળેલી હાલની અનામત બચાવો સંકલ્પ યાત્રાના અનેક સમાજસેવકો પૈકીના ઘણાએ એ વખતે માન્યવર સાથે કામ કર્યું હતું. આવા અનેક સમાજસેવકો આજે 40 વર્ષ પછી ફરી એકવાર સાઈકલ પર સવાર થઈને નીકળ્યા હતા. જેના કારણે તેમની આંખ સામે ફરી એકવાર એ ભવ્ય ભૂતકાળ ખડો થઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Is-there-any-poverty-alleviation-plan-in-reserve"> શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66eaa1d72b735.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">અનુભવી નીતિન ગુર્જર સાહેબથી લઈને યુવા હેમંત પરમાર સુધીની મજબૂત ટીમ</span></strong><br><span style="font-size: 14pt;">અનામત બચાવો સંકલ્પ યાત્રાના મુખ્ય આયોજક શ્રીમાન નિતીન ગુર્જર સાહેબ છે, જેઓ 1981/85 ના અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવેલી અને અનેક આંદોલનમાં જેલવાસ પણ ભોગવ્યો છે. શ્રીમાન અશોક ચાવડા સુરેન્દ્ર નગરથી છે, જેઓ છેલ્લાં 15 વર્ષથી બહુજન આંદોલન અને બહુજન રાજનીતિમાં કામ કરી રહ્યા છે. શ્રીમાન પી. એલ. રાઠોડ નિવૃત સમાજ કલ્યાણ અધિકારી છે, જેઓ છેલ્લા 40 વર્ષથી બહુજન આંદોલન સાથે સંકળાયેલા છે અને માન્યવર કાંશિરામ સાહેબ સાથે કામ કર્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રીમાન કે.ડી. પરમાર સાહેબ જેવો લાંબા સમયથી દલિત પેન્થર સાથે સાથે બહુજન આંદોલન અને રાજનીતિમાં સક્રિય છે. શ્રીમાન ત્રિભુવન વાઘેલા નિવૃત્ત બેંક કર્મચારી છે અને લાંબા સમયથી બહુજન આંદોલન સાથે જોડાયેલા છે. અમદુપુરાના ક્રાંતિકારી સાથી હેમંત પરમાર, કમલ સોનારા અને નરોડાના જગદીશ સોલંકી સહિત આ તમામે ખભેખભો મિલાવીને આ યાત્રાને સફળ બનાવવા માઈક્રો લેવલનું પ્લાનિંગ કર્યું છે. ચાંદખેડાના સાથી મહેશભાઈ પરમાર કે જેઓ છેલ્લા 30 વર્ષ થી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. હાઇકોર્ટના એડવોકેટ રત્નાબેન વોરા પણ આ યાત્રાને સફળ કરવામાં મહેનત કરી રહ્યા છે. રાજેશભાઈ નાડિયા જેવો અતિ પછાત વર્ગ નાડીયા સમાજના પ્રમુખ છે તેઓએ આ યાત્રાની શરૂઆતથી યાત્રાના સમાપન સુધી સાથે રહેવાની ખાતરી આપી સારી મહેનત કરી રહ્યા છે. આ સિવાય અનેક નામી-અનામી ભીમયોદ્ધાઓ અનામત બચાવવાની આ લડતમાં ભાગીદાર બનીને સમાજ વતી લડાઈ લડી રહ્યાં છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66eaa1d67467d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યાત્રાનો હવે પછીનો રૂટ શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">એક અઠવાડિયા સુધી ચાલનારી આ એસસી-એસટી-ઓબીસી અનામત બચાવો સંકલ્પ યાત્રા તા. 17 સપ્ટેમ્બરે ચાંદખેડાથી નીકળીને હાલ જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે દાણીલીમડા બપોરના ભોજન માટે રોકાયેલી છે. અહીંથી તે વાસણા, ગુપ્તાનગર, વેજલપુર થઈને સરખેજ ખાતે રોકાણ કરશે. એ પછીના દિવસોનો કાર્યક્રમ આ પ્રમાણે છે.</span><br><span style="font-size: 14pt;">તારીખઃ ૧૯-૯-૨૦૨૪ (ત્રીજો દિવસ): વેજલપુર, સરખેજ થી નિકળી વિસલપુર, ફાંસદા, ભાત, બદરખા, ચલોડા, રનોડા, કલિકુંડ, ધોળકા રાત્રિ રોકાણ</span><br><span style="font-size: 14pt;">તારીખઃ ૨૦-૯-૨૦૨૪ (ચોથો દિવસ): ધોળકા થી નિકળી આંબારેલી, સિમેજ, વટામણ, ગોલાણા, પાંદડ, મોરજ, ખાખસર, તારાપુર, ધર્મજ, પેટલાદ, આણંદ રાત્રિ રોકાણ</span><br><span style="font-size: 14pt;">તારીખઃ ૨૧-૯-૨૦૨૪ (પાંચમો દિવસ): આણંદ થી નિકળી વાસદ, નંદસરી, સાંકરદા, રણોલી, પદમલા, બરોડા રાત્રિ રોકાણ</span><br><span style="font-size: 14pt;">તારીખઃ ૨૨-૯-૨૦૨૪ (છઠ્ઠો દિવસ): બરોડા શહેરમાં ફરશે</span><br><span style="font-size: 14pt;">તારીખઃ ૨૩-૯-૨૦૨૪ (સાતમો દિવસ): કમાટીબાગ ગેટ નંબર-૩, સંકલ્પ ભૂમિ બરોડા ખાતે SC, ST, OBC અનામત બચાવો સંકલ્પ સભા યોજાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">અનામત બચાવો યાત્રા વિશે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે આપ નીચે આપેલા કોઈપણ નંબર પર ફોન કરીને વધુ જાણકારી મેળવી શકો છો.</span><br><span style="font-size: 14pt;">6356220396, 9904126080, 8733024818, 8488889868, 7600048548, 9427600965</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/Hindu-scriptures-written-by-Brahmins-are-a-mountain-of-immorality---Kaushik-beginning">બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Sep 2024 16:48:46 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 18 Sep 2024 16:48:38 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1230</Articleid>
                    <excerpt>ચાંદખેડાથી નીકળીને સંકલ્પ ભૂમિ વડોદરા સુધી જનારી SC-ST-OBC અનામત બચાવો સંકલ્પ યાત્રાનો આજે બીજો દિવસ છે. જાણો યાત્રા ક્યાં પહોંચી અને તેમાં શું શું થયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66eaa1d9717c5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66eaa1d93a006.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66eaa1d93a006.jpg" length="148732" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Save Reservation Yatra, Ahmedabad to baroda, Sankalp Bhoomi</media:keywords>
                </item>
                        <item>
                    <title>મંદિરમાં પ્રવેશવા પર દલિતને ટોળાંએ થાંભલા સાથે બાંધી બર્બરતાથી ફટકાર્યો</title>
                    <link>https://khabarantar.com/on-entering-the-temple-the-dalit-was-tied-to-a-pillar-and-brutally-beaten-by-the-mob</link>
                    <guid>https://khabarantar.com/on-entering-the-temple-the-dalit-was-tied-to-a-pillar-and-brutally-beaten-by-the-mob</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં મંદિરમાં પ્રવેશેલા દલિત વ્યક્તિને જાતિવાદી ટોળાએ થાંભલા સાથે બાંધી નિર્દયતાથી માર માર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંદિર પ્રવેશ એક એવો મુદ્દો છે જેનો મોહ આજે પણ દલિતોને છૂટતો નથી. જાતિવાદી હિંદુઓ તેમને હિંદુ માનતા નથી, તેમ છતાં દલિતોમાં એક મોટો વર્ગ તેમના મંદિરોમાં પ્રવેશી કથિત ઈશ્વરના આશીર્વાદ મેળવવા તલપાપડ રહે છે. ભલેને પછી મંદિરમાં પ્રવેશવા પર માર પડે. દરરોજ ભારતના કોઈને કોઈ ખૂણે દલિતોને મંદિરમાં પ્રવેશવા પર માર પડ્યાંની ઘટના બનતી હોય છે. તેમાંની મોટાભાગની પોલીસ ચોપડે ચડતી ન હોવાથી મીડિયામાં ચમકતી નથી. જો કે ક્યારેક મામલો હદ વટાવી જાય ત્યારે સવર્ણ જાતિવાદી મીડિયા આવી ઘટનાઓની સમ ખાવા પુરતી નોંધ લેતું હોય છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું હોવાથી મામલો મીડિયામાં ચગ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના કર્ણાટકના બાગલકોટ જિલ્લાના બાદામી તાલુકાના ઉગલવત ગામની છે. અહીં અર્જુન મદાર નામની એક દલિત વ્યક્તિને ગામના મંદિરમાં પ્રવેશવા બદલ જાતિવાદી તત્વોએ તાલીબાની સજા કરી હતી. જાતિવાદીઓએ તેને મંદિરમાં પ્રવેશવા બદલ થાંભલા સાથે બાંધી દીધો હતો અને ટોળું તેના પર તૂટી પડ્યું હતું. ઉશ્કેરાયેલા જાતિવાદી તત્વોએ અર્જુનને નિર્દયતાથી માર માર્યો હતો અને ફરીથી તે મંદિરમાં પ્રવેશતા સો વાર વિચાર કરે તેવી સ્થિતિ પેદા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">28 વર્ષનો અર્જુન મદાર 10 સપ્ટેમ્બરના રોજ અહીં ઘામાવ્વા મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ગયો હતો. તેને કેટલાક જાતિવાદી તત્વો મંદિરમાં પ્રવેશતો જોઈ જતા તેમણે તેને રોક્યો હતો અને પછી થાંભલા સાથે બાંધી દઈને મારવાનું શરૂ કરી દીધું હતું. જોતજોતામાં મોટું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેમણે પણ અર્જુન પર મંદિરમાં પ્રવેશવા બદલ હાથ સાફ કર્યો હતો. આ મામલે બાદમાં અર્જુને કેરૂર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. એ પછી 21 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને 6 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અર્જુને ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવતા દલિત નેતાઓએ પોલીસને અર્જુન પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને બાગલકોટમાં જિલ્લા વહીવટી કચેરીની સામે આંદોલન શરૂ કરવાની ધમકી આપી છે. જિલ્લા મંત્રી આરબી તિમ્માપુરે કહ્યું કે છ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આરોપોની તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/my-society-does-not-allow-me-to-go-to-temples-how-can-I-be-tolerated">મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને બાગલકોટના એસપી વાય અમરનાથ રેડ્ડીએ ગામની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે ગામના કેટલાક લોકોએ જાહેરમાં એવી જાહેરાત કરી હતી કે દલિતોએ એ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં જ્યાં ઊંચી જાતિના લોકો રહે છે. આ લોકોએ એવી પણ જાહેરાત કરી હતી કે દલિતોએ ઉંચી જાતિના લોકોના વિસ્તારમાં પ્રવેશ કર્યો તો તેનું પરિણામ ભોગવવાનું આવશે. આ ઘટના બાદ ડેપ્યુટી કમિશનર જાનકી કેએમ અને એસપીએ ગામના દલિતો અને અન્ય સમાજના સભ્યો સાથે બેઠક યોજી હતી અને તેમને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભારતમાં દરરોજ આવી ઘટનાઓ બને છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે કર્ણાટક સહિતના અનેક રાજ્યોમાં દલિતો વિરુદ્ધ અત્યાચારની ઘટનાઓ વારંવાર બનતી રહે છે પરંતુ સ્થાનિક સરકારો તેને ગંભીરતાથી લેવામાં આવતી નથી. એટ્રોસિટીનો મજબૂત કાયદો હોવા છતાં સવર્ણોને રાજી કરવાની લ્હાયમાં પોલીસ, નેતાઓ અને ન્યાયંતંત્રમાં બેઠેલા લોકો દલિતોને અન્યાય કરતા હોય છે. આવી ઘટનાઓ બંધારણની વિરુદ્ધ હોવા છતાં પોલીસ તેમાં કડક કાર્યવાહી નથી કરતી. તેનું જ કારણ છે કે, આજે પણ ભારતમાં દલિત અત્યાચારની ઘટનાઓમાં સજાનો દર 3 ટકા કરતા પણ ઓછો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી સ્થિતિમાં જરૂરી છે કે સરકાર તરત જાતિવાદી તત્વો સામે કડક કાર્યવાહી કરી તેમને જેલમાં ધકેલી દઈ પીડિતોને ન્યાય આપે. જેથી ભવિષ્યમાં આ પ્રકારની હરકત કરતા પહેલા જાતિવાદી તત્વો સો વાર વિચાર કરે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોએ હજુ પણ મંદિરોમાં શું કામ જવું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંદિરોમાં પ્રવેશવા બદલ દલિતોને પડતા મારને લઈને હવે દલિત સમાજમાં જ એક એવો વર્ગ ઉભો થઈ રહ્યો છે જે આવી ઘટનામાં માર ખાનાર દલિતો પ્રત્યે સહાનુભૂતિ દાખવવાની સાથે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યો છે કે, શા માટે તેઓ મનુવાદીઓના ષડયંત્ર જેવા મંદિરમાં દર્શન કરવા માટે જાય છે? તેમણે મંદિરોમાં જવાનું બંધ કરી દેવું જોઈએ અને શાળાઓ, લાઈબ્રેરીઓમાં જઈને શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. ડો. બાબાસાહેબ આંબેડકરે જાતિવાદતી ખદબદતો હિંદુ ધર્મ છોડવાની એટલે જ વાત કરી હતી. પણ હજુ કેટલાક દલિતો સમજી રહ્યાં નથી, ત્યારે વાળ્યો ન વળે તે હાર્યો વળે તેમ આવી ઘટનાઓ બને ત્યારે જ તેમની સાન ઠેકાણે આવતી હોય છે કે મંદિરોમાં જવાથી તેમનું કશું વળવાનું નથી. ઉલટાનું જાતિવાદી તત્વો તેમના પર અત્યાચાર કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/radical-casteism-the-temple-itself-was-demolished-to-prevent-dalits-from-entering-the-temple">કટ્ટર જાતિવાદઃ દલિતો મંદિરમાં ન પ્રવેશે માટે મંદિર જ તોડી નાખ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Sep 2024 13:36:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1223</Articleid>
                    <excerpt>એક ગામમાં મંદિરમાં પ્રવેશેલા દલિત વ્યક્તિને જાતિવાદી ટોળાએ થાંભલા સાથે બાંધી નિર્દયતાથી માર માર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e9377318d01.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e93772db546.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e93772db546.jpg" length="87544" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Dalit Crime, Karnatak</media:keywords>
                </item>
                        <item>
                    <title>11 લાખ ખર્ચીને દલિતોએ બૌદ્ધ વિહાર બનાવ્યું, જાતિવાદીઓએ તોડી પાડ્યું</title>
                    <link>https://khabarantar.com/dalits-built-a-buddhist-vihara-at-a-cost-of-11-lakhs-the-casteists-demolished-it</link>
                    <guid>https://khabarantar.com/dalits-built-a-buddhist-vihara-at-a-cost-of-11-lakhs-the-casteists-demolished-it</guid>
                    <description>
                        <![CDATA[ ગાંધીનગરના નાંદોલમાં દલિતોએ રૂ. 11 લાખના ખર્ચે બનેલું બૌદ્ધ વિહાર ગ્રામ પંચાયતના જાતિવાદી હોદ્દેદારોએ મળીને એક જ મહિનામાં તોડી પાડ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><em><span style="font-size: 14pt;">"સાહેબ, મારું કાળજું કપાઈ રહ્યું છે. આ બૌદ્ધ વિહાર તૈયાર કરવામાં અમે લોહી-પાણી એક કરી નાખ્યા છે. મહિનાઓથી અમે મહેનત કરતા હતા. ઢોર ચીરવાની પડતર જમીન સમતળ કરાવી, લાખ રૂપિયા એમાં ખર્ચ કર્યો. પંચાયતે પહેલા કહ્યું હતું કે, ધાર્મિક કામમાં અમે કોઈ વાંધો નથી લેતા, તમે બૌદ્ધ વિહાર બનાવો. પણ જેવું અમારું બૌદ્ધ વિહાર બનીને તૈયાર થઈ ગયું, કે તરત ગામના જાતિવાદી સરપંચે દબાણના નામે તેને તોડી પાડ્યું. તમે જ કહો, આવું કેવી રીતે સહન થાય? અમારા ગામમાં ગૌચરથી લઈને અનેક ઠેકાણે ગેરકાયદે બાંધકામો ઉભા છે, પંચાયતની જમીનો ખુદ પંચાયતના જ માથાભારે લોકો દબાણ કરીને ગપચાવી ગયા છે. તેના માટે અમે લેખિતમાં અરજીઓ આપી છે, પણ સરપંચ તેને ધ્યાનમાં લેતા નથી અને જેવું દલિતોનું બૌદ્ધ વિહાર બનીને તૈયાર થયું કે તરત ત્રણ-ચાર જેસીબી લઈને તોડી પાડ્યું. મારું હૈયું વલોવાઈ રહ્યું છે. રડી રડીને મારી આંખો સોજાઈ ગઈ છે, આ દુઃખ કોને કહું? ગુસ્સો પણ આવે છે કે, આટલી બધી બૌદ્ધ સંસ્થાઓ છે, બુદ્ધના અનુયાયીઓ છે, પણ કોઈ આવીને અમારી પડખે ઉભું ન રહ્યું, જાતિવાદીઓની જીત થઈ અને અમારું વર્ષો જૂનું સપનું આ બૌદ્ધ વિહાર તૂટતા જ તૂટી ગયું છે...."</span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડાદાયક આ શબ્દો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાંદોલ ગામના બુદ્ધિષ્ટ રમણભાઈ સોનારાના છે. રમણભાઈ છેલ્લાં ઘણાં વર્ષોથી પોતાના ગામમાં બૌદ્ધ વિહાર બનાવવાનું સપનું સેવતા હતા. તેને પુરું કરવા માટે તેમણે લોહી પાણી એક કરી નાખ્યા હતા. તેમની મહેનત રંગ લાવતી દેખાતી હતી. ગામમાં ઢોર ફાડવાની પડતર જમીન પર બૌદ્ધ વિહાર આકાર લઈ રહ્યું હતું. તેની પાછળ તેમણે રૂ. 11 લાખ જેવી માતબર રકમ ખર્ચી હતી. પણ જેવું બૌદ્ધ વિહાર બનીને તૈયાર થયું કે તરત ગ્રામ પંચાયતના જાતિવાદી અને દલિતો-બૌદ્ધધર્મીઓને નફરત કરતા સરપંચે બે દિવસની નોટિસ આપીને ત્રીજા જ દિવસે જેસીબીથી બૌદ્ધવિહાર તોડી પાડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીએમ મોદી દુનિયાના કોઈપણ દેશમાં જાય ત્યારે "મેં બુદ્ધ કી ધરતી સે આયા હું.."કહે છે, પણ તેમના જ ગૃહ રાજ્યમાં પાટનગરથી સાવ નજીકના ગામમાં બૌદ્ધ વિહાર તોડી પડાયું અને કોઈએ નોંધ સુદ્ધાં લીધી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/beginning-of-change-for-the-first-time-the-shekhpar-village-of-muli-celebrated-the-death-anniversary-of-the-deceased-with-buddhist-rituals">પરિવર્તનની શરૂઆતઃ મૂળીના શેખપર ગામે પહેલીવાર બૌદ્ધવિધિથી મૃતકની પુણ્યતિથિ ઉજવાઈ</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66e7c9f13493d.jpg" alt=""><span style="color: rgb(224, 62, 45);"><strong>બુદ્ધ વિહાર તોડી પાડવા પોલીસ સહિતનો કાફલો પહોંચ્યો ત્યારે સુશીલાબેન સોનારાએ આ રીતે રસ્તો રોક્યો હતો.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ સાથે જ રમણભાઈ સહિત સમગ્ર નાંદોલના બૌદ્ધધર્મી દલિતોનું વર્ષો જૂનું સપનું પણ ભાંગીને ભૂક્કો થઈ ગયું હતું. આજે રમણભાઈ દરરોજ આ તૂટેલા બૌદ્ધ વિહારની જગ્યાએ જઈને કોઈ સ્વજનનું અકાળે મોત થયા પર તેનો પરિવાર રડે તેમ હૈયાફાટ રૂદન કરે છે. પણ કોઈ માઈનો લાલ બુદ્ધિષ્ટ એમને આશ્વાસન આપવા માટે નથી આવ્યો. આ ઘટના પરથી રમણભાઈ અને નાંદોલ સહિત સમગ્ર દલિત-બહુજન સમાજને ફરીથી એ સંદેશો મળ્યો છે કે, જ્યાં સુધી તમે પોતે સત્તામાં નહીં હોય, સત્તામાં તમારો પોતાનો પક્ષ નહીં હોય, ત્યાં સુધી તમારા બૌદ્ધ વિહારો, તમારી આશા-અપેક્ષાઓ પર આ જ રીતે બુલડોઝર ફરતું રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં અનેક દબાણો છે, પણ તૂટ્યું માત્ર બૌદ્ધ વિહાર જ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમણભાઈ સોનારાના જણાવ્યા પ્રમાણે, "નાંદોલ ગામમાં અનેક બાંધકામો ગેરકાયદે દબાણ કરીને ઉભા કરી દેવાયેલા છે. તેના માટે તેમણે પોતે જ ગ્રામ પંચાયતને લેખિતમાં અરજી કરીને જાણ કરી પગલાં લેવા કહ્યું છે. પરંતુ તેના પર કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. પણ જેવું બૌદ્ધવિહાર તૈયાર થયું કે તરત પંચાયતે નોટિસ આપી દીધી અને ત્રણ જ દિવસમાં તોડી પાડ્યું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/brahmins-attack-in-buddha-katha-babasahebs-photo-torn-six-dalit-injured"><strong>બુદ્ધ કથામાં બ્રાહ્મણોનો હુમલોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ</strong></a></span></p>
<p><strong><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66e7ca24ba807.jpg" alt=""><span style="color: rgb(224, 62, 45);">બૌદ્ધ વિહાર તોડી પાડવા માટે જ્યારે જેસીબી, પોલીસ, સરપંચ સહિતનો કાફલો આવી પહોંચ્યો ત્યારની તસવીર.</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમણભાઈ કહે છે, "બૌદ્ધ વિહારની જમીનથી માત્ર 50 ફૂટ દૂર અમૂલનું એક પાર્લર છેલ્લાં 10 વર્ષથી ગેરકાયદે ઊભું કરાયેલું છે. એ પણ દલિતોના સ્મશાનની દિવાલને અડીને. જ્યારે બૌદ્ધ વિહારનું બાંધકામ માત્ર 7 મહિના જૂનું હતું, છતાં તેને તોડી પાડ્યું, પણ અમૂલ પાર્લર આજેય અડીખમ ઉભું છે. અમે તેને તોડી પાડવા અરજી આપી હતી, પણ કોઈ પગલાં લેવાયા નથી. અમૂલ પાર્લરના માલિક અને તલાટી બંને ઠાકોર સમાજના છે. ગ્રામ પંચાયતની બોડીમાં 4 સભ્યો ઠાકોર જાતિના છે એટલે પંચાયત તેમની સામે પગલાં લેવાથી ડરે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચૂંટણી જીતવા દલિત વિધવા દીકરીના હકની જમીન અન્યોને ફાળવી દીધી?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમણભાઈ વધુમાં જણાવે છે કે, "નાંદોલના સરપંચ મંજુલાબેન પટેલ જાતિના છે. તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવાના આશયથી નવે-ડિસેમ્બર 2021માં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનો લેખિત ઓર્ડર હોવા છતાં ગામની એક દલિત વિધવા દીકરીને મળતી જમીન ભરવાડ સમાજના 8 લોકોને રાતોરાત મકાન બનાવવા માટે ફાળવી દીધી હતી. એટલું જ નહીં તેમને પૈસા પણ આપ્યા અને પંચાયતના ટેન્કરથી પાણીની સુવિધા પણ પુરી પાડી હતી. જેથી તેઓ ચૂંટણી જીતી શકે. અન્ય એક દબાણ નાંદોલ ગ્રામ પંચાયતના સભ્ય ભાવનાબેન અને જગદીશભાઈએ કર્યું છે. તેમણે ખૂલ્લા પ્લોટમાં દુકાન બનાવી દીધી છે. આ ગેરકાયદે દબાણ દૂર કરવા અરજી કરાઈ હોવા છતાં સરપંચે રૂબરૂ હાજર રહીને દુકાન બનાવવા દબાણકારોને નાણાંકીય સહાય પુરી પાડી હતી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગૌચરની જમીન રામદેવપીરનું મંદિર બનાવવા ફાળવી દીધી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમણભાઈના જણાવ્યા પ્રમાણે, "નાંદોલના બ્લોક નંબર 1 થી 10 પૈકીની સર્વે નંબર 9-10ની જમીન ગૌચરની છે. તેમ છતાં બે વીઘા જેવી આ જમીન ગ્રામ પંચાયતે ઠાકોર સમાજને રામદેવપીરનું મંદિર બનાવવા માટે ફાળવી દીધી હતી. આજે પણ અહીં પાકા રૂમ બનાવવાનું કામ ચાલું છે પણ પંચાયતે તેમને એક પણ નોટિસ આપી નથી કે નથી આ ગેરકાયદે બાંધકામને તોડવા માટે કોઈ કાર્યવાહી કરી. ઉલટાનું સરપંચ દ્વારા મંદિર બાંધવા માટે રૂ. 2.51 લાખનું દાન આપવામાં આવ્યું છે. આ રીતસરનો જાતિવાદ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">'બૌદ્ધ વિહાર બનાવો અમને કોઈ વાંધો નથી' કહ્યું, બન્યા પછી તોડી પાડ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાંદોલ ગ્રામ પંચાયતના સરપંચે બૌદ્ધ વિહારને લઈને જબરી ચાલાકી કરી હતી. રમણભાઈ સોનારાના જણાવ્યા પ્રમાણે, "વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં પંચાયતની જનરલ બોડી મિટીંગમાં અમે રૂબરૂ ઉપસ્થિત થયા ત્યારે મૌખિક રીતે જણાવ્યું હતું કે, "મંદિર માટે અમે કોઈને પણ લેખિત મંજૂરી આપી નથી કે ભલામણ કરી નથી, રામાપીર મંદિરને પણ અમે કોઈ રોકટોક કે અડચણ કરી નથી. માટે તમે પણ બૌદ્ધ વિહાર બનાવશો તો તમને પણ ગ્રામ પંચાયત કોઈ અડચણ કરશે નહીં. ધાર્મિક હેતુ હોવાથી અમે કોઈ વિવાદ ઉભો કરીશું નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આ બાંહેધરી માત્ર કહેવા પુરતી સાબિત થઈ હતી અને જેવું દલિતોનું બૌદ્ધ વિહાર બનીને તૈયાર થયું કે તરત ગ્રામ પંચાયતે તેને તોડી પાડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગૌચરોની રોડ ટચ જમીનો હેતુફેર કરી કોમર્શીયલ પ્રવૃત્તિઓ માટે ફાળવી દીધી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમણભાઈ કહે છે, "છેલ્લાં 40 વર્ષથી નાંદોલની સીમમાં રહેતા આદિવાસીઓને ગૌચરની જમીનનું બહાનું બતાવી ગ્રામ પંચાયત દ્વારા મકાન ફાળવવામાં આવતા નથી. પણ આ જ ગૌચરની રોડ ટચ જમીન પટેલ સમાજના લોકોને ફાળવવા માટે તેને સરકારી પડતરમાં ફેરવી, હેતુફેર કરીને ત્યાં કોમર્શીયલ પ્રવૃત્તિઓ માટે ફાળવી દેવાઈ છે. આવા અનેક પુરાવા મારી પાસે છે. નાંદોલની ભાગોળે 7 દુકાનો ગેરકાયદેસર રીતે આપખુદીથી ઠરાવ પસાર કરી 30 વર્ષથી પટેલ સમાજને નામે કરી દેવાઈ છે, પણ ત્યાં કોઈ જ કાર્યવાહી નથી કરાતી, પરંતુ બૌદ્ધ વિહાર રાતોરાત તોડી પાડ્યું છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/jagannathjis-rath-yatra-is-the-triratna-yatra-of-buddhism">જગન્નાથજીની રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિરત્ન યાત્રા છે?</a></strong></span></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66e7ca4606479.jpg" alt=""><strong>રમણભાઈ કે. સોનારા - નાંદોલમાં બૌદ્ધ વિહારનું સપનું જોનાર ખરા અર્થમાં ભીમયોદ્ધા </strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમણભાઈ વધુમાં જણાવે છે કે, નાંદોલમાં વણકર અને વાલ્મિકી સમાજના ઘરો ઉંચાણવાળા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા છે. જો ભારે વરસાદ કે ભૂકંપ આવે તો વણકરોના ઘરો વાલ્મિકી સમાજના ઘરો પર પડે તેમ છે. આથી તકેદારીના ભાગરૂપે આ ઘરો વચ્ચે સુરક્ષા વોલ બનાવવાની રજૂઆત કરી હતી. આ દિવાલ બનાવવા માટેનો ઠરાવ વર્ષોથી થયેલો છે પણ દિવાલ બનતી નથી. જ્યારે પૂછીએ ત્યારે બજેટ નથીનું કારણ આગળ ધરાય છે. પણ આ જ ગ્રામ પંયાચતે પંચાયતના મકાનનું લાખોનો ખર્ચે નવીનીકરણ કર્યું છે. તો એના પૈસા ક્યાંથી આવ્યા? આ સવાલનો તેમન પાસે કોઈ જવાબ નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમણભાઈ કહે છે, "આ તમામ મુદ્દાઓને લઈને મેં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને પત્ર લખી જાણ કરી હતી. તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. પરંતુ ઢોર ચીરવાની જમીન પર તૈયાર થયેલા બૌદ્ધવિહારના બાંધકામને આ લોકોએ રાતોરાત તોડી પાડ્યું છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બુદ્ધિષ્ટો, બહુજનો આ ઘટનામાંથી કોઈ ધડો લેશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાંદોલ ગામમાં બનેલી આ ઘટના ગુજરાતના બુદ્ધિષ્ટો, બહુજનો માટે એક મોટો બોધપાઠ લઈને આવી છે. ખાસ કરીને બુદ્ધિષ્ટો માટે. સાર એટલો છે કે, 'નમો બુદ્ધાયઃ જય ભીમ' કહેવા માત્રથી આપણાં પ્રશ્નો ઉકેલાઈ જવાના નથી. જરૂર પડ્યે સમાજ સાથે ઉભા રહેવું પણ જરૂરી છે. માત્ર ધમ્મ રેલીઓ કાઢવાથી, સંમેલનો કરવાથી કશું વળવાનું નથી. જમીની સ્તરે લડાઈ લડવી પડશે. આટલી બધી બૌદ્ધ સંસ્થાઓ ગુજરાતમાં અને રાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે, તેમ છતાં કેમ નાંદોલના બૌદ્ધ વિહારને બચાવી ન શકાયું? કેમ કોઈ આ અન્યાય સામે આગળ ન આવ્યું? આ સવાલ આપણે આપણી જાતને પૂછવો પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/3000-people-from-500-dalit-families-will-convert-to-buddhism-in-bangalore">બેંગ્લુરૂમાં 500 દલિત પરિવારના 3000 લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66e7ca5c29631.jpg" alt=""><span style="color: rgb(224, 62, 45);"><strong>બૌદ્ધ વિહાર તોડી પડાયા પછી પણ સુશીલાબેન અને રમણભાઈ ભારે હૃદયે અહીં પહોંચીને હૈયાફાટ રૂદન કરે છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજો બોધપાઠ એ મળે છે કે, જ્યાં સુધી બહુજનો સત્તામાં મજબૂત રીતે ભાગીદાર નહીં હોય, ત્યાં સુધી તેમના પર આવા અન્યાયો, અત્યાચારો થતા રહેશે. બાબાસાહેબ અને માન્યવર કાંશીરામ આ બાબત તરત સમજી ગયા હતા અને એટલે જ તેમણે બહુજનોને પોતાના રાજકીય પક્ષને મજબૂત કરવા આહ્વાન કર્યું હતું. સમય ક્યારનો પાકી ગયો છે કે, બહુજનો સત્તામાં પોતાની ભાગીદારીને વધુને વધુ મજબૂત કરે. બાકી તો આજે જેમ નાંદોલમાં રૂ. 11 લાખના ખર્ચે બનેલું બૌદ્ધ વિહાર એક જ મહિનામાં તૂટ્યું છે, તેમ કાલે બીજે પણ જાતિવાદીઓનું બુલડોઝર પહોંચી જશે અને તમે કશું નહીં કરી શકો. રમણભાઈ સોનારા હજુ પણ હિંમત હાર્યા વિના આ મામલે લડત આપી રહ્યાં છે, ચાલો તેમનો હાથ મજબૂત કરીએ. નમોઃ બુદ્ધાય, જય ભીમ, જય કાંશીરામ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 12pt;">(જો તમે આ દુઃખમાં સહભાગી થવા માંગતા હો તો રમણભાઈ સોનારાનો 9825625662 નંબર પર સંપર્ક કરી શકો છો.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/and-then-chamundas-bhuva-converted-to-buddhism">...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 16 Sep 2024 11:56:55 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 16 Sep 2024 12:03:10 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1215</Articleid>
                    <excerpt>ગાંધીનગરના નાંદોલમાં દલિતોએ રૂ. 11 લાખના ખર્ચે બનેલું બૌદ્ધ વિહાર ગ્રામ પંચાયતના જાતિવાદી હોદ્દેદારોએ મળીને એક જ મહિનામાં તોડી પાડ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e7ca68deda4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e7ca68a9acb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e7ca68a9acb.jpg" length="87795" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Buddh Vihara, Buddhism, Nandol Buddh vihar demolished, Gandhinagar, Gujarat, dehgam taluka</media:keywords>
                </item>
                        <item>
                    <title>250 દલિતોનો 1 મહિનાથી સામાજિક બહિષ્કાર, પણ નમે એ બીજા...</title>
                    <link>https://khabarantar.com/social-boycott-of-250-dalits-for-one-month-but-name-e-another</link>
                    <guid>https://khabarantar.com/social-boycott-of-250-dalits-for-one-month-but-name-e-another</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં 250 દલિતોનો એક મહિનાથી સામાજિક બહિષ્કાર કરાયો છે, મામલો ન્યાયનો છે એટલે ડૉ. આંબેડકરનું લોહી એમ કંઈ થોડું નમતું જોખે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit Families Social Boycott: વર્ણો એમ માને છે કે દલિતો એમના ગુલામ છે. એમનો સામાજિક બહિષ્કાર કરીશું એટલે આપોઆપ નમતું જોખીને શરણે આવી જશે. પણ એમને હજુ ખબર નથી કે, બાબાસાહેબના સંતાનો જ્યારે સત્યના માર્ગે ચાલીને ન્યાય માંગવા નીકળે ત્યારે કોઈના બાપથી પણ ડરતા નથી. સદીઓથી જેઓ અનેક અભાવો વચ્ચે જીવતા આવ્યા હોય તેમનું આવા સામાજિક બહિષ્કારો શું કરી લે? એમના માટે ન્યાય અગત્યનો હોય છે અને તેના માટે તેઓ ગમે તેવી પરિસ્થિતિને સહન કરી લેવા તૈયાર હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો કર્ણાટકનો છે. અહીં એક ગામમાં દલિત દીકરીને એક સવર્ણ છોકરા સાથે પ્રેમ થઈ ગયો. છોકરાએ દીકરીને લગ્નની લાલચ આપીને સંબંધો બાંધ્યા, દીકરી ગર્ભવતી થઈ એ પછી પેલાએ તેની સાથે લગ્ન કરવાનું માંડી વાળ્યું. આ મામલે દીકરીના પિતાએ ફરિયાદ કરતા પોક્સો સહિતની કલમો હેઠળ છોકરાને પોલીસે જેલમાં ધકેલી દીધો છે. તેનો બાપ પૈસાદાર છે અને સામ-દામ-દંડ-ભેદ એમ કોઈપણ રીતે આ મામલો રફેદફે કરવા માંગે છે. આખા ગામ પર તેની અને તેની જાતિના લોકોની પકડ અને બહુમતી હોવાથી તેમણે સમસ્ત દલિત સમાજના બહિષ્કારનું એલાન કરી દીધું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજકાલ કરતા દલિતોના સામાજિક બહિષ્કારની ઘટનાને એક મહિનો વીતી ગયો છે, પણ ન્યાય માટે જંગે ચડેલા આ ગામના દલિતો જરાય નમતું જોખવા તૈયાર નથી. તેમની સ્પષ્ટ માંગણી છે કે, પેલા હલકટે જે કર્યું છે તેની તેને સજા થવી જોઈએ અને દલિત દીકરીને ન્યાય મળવો જોઈએ, તેના પછી ભલેને જે થવું હોય એ થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કર્ણાટકના બપ્પારાગા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના કર્ણાટકના યાદગીર જિલ્લાના બપ્પારાગા ગામની છે. બેંગલુરુથી લગભગ 500 કિમી દૂર આવેલા આ ગામની બે વસાહતોમાં લગભગ 250 દલિતો રહે છે. જેમનો ગામના સવર્ણોએ છેલ્લા એક મહિનાથી બહિષ્કાર કર્યો છે. સ્થિતિ એ છે કે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ તો ઠીક, દલિત બાળકોને ભણવા માટે જરૂરી એવા પુસ્તકો અને પેન્સિલ પણ સવર્ણ દુકાનદારો આપતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Raghala,-Matars-boy-does-not-have-a-groom,-have-you-seen-this-Benali">રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાના મૂળમાં એક દલિત સગીરાનું થયેલું જાતીય શોષણ છે. સગીરાના પરિવારે 23 વર્ષના એક સવર્ણ છોકરા પર તેમની દીકરીનું જાતીષ શોષણ કરવાનો કેસ કર્યો છે. જેને પાછો ખેંચી લેવા માટે આખા ગામના સવર્ણો એક થઈ ગયા છે અને દલિતોનો સામાજિક બહિષ્કાર કરીને મામલો રફેદફે કરવા માંગે છે. પણ દલિતો જરાય નમતું જોખવા તૈયાર નથી અને તેમણે "કેસ તો પાછો નહીં જ ખેંચાય, જે થતું હોય એ કરી લેવું" એમ સ્પષ્ટ વાત કરી દીધી છે. દલિતોના આવા મજબૂત મનોબળને કારણે હવે છોકરાના બાપ સહિત આખા ગામના સવર્ણો ઢીલા પડ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">15 વર્ષની દીકરી ગર્ભવતી થઈ, છોકરાએ લગ્નની ના પાડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સૂત્રોનું કહેવું છે કે 15 વર્ષની છોકરી 23 વર્ષના સવર્ણ છોકરા સાથે રિલેશનશિપમાં હતી. છોકરાએ લગ્નના બહાને તેની સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા. જેના કારણે તે ગર્ભવતી બની હતી. સગીરા પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેણે તેના માતા-પિતાને આખી વાત કહી હતી. એ પછી દીકરીના પરિવારે પેલા છોકરાને વાયદા પ્રમાણે લગ્ન કરી લેવા કહ્યું, પણ છોકરાએ ના પાડી દીધી. ત્યાર બાદ સગીરાના માતા-પિતાએ 12 ઓગસ્ટે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">POCSO એક્ટ હેઠળ છોકરાની ધરપકડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદ બાદ પોલીસે કાયદા મુજબ કાર્યવાહી કરીને છોકરાની ધરપકડ કરી હતી. જેના કારણે ગામના તેની જાતિના લોકો દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. તેમણે સગીરાના માતા-પિતાને સમાધાન માટે બોલાવ્યા હતા. પણ દીકરીના માતા-પિતા આ મામલે પોલીસ કાર્યવાહી ઈચ્છતા હતા. જેના કારણે 13 ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા આરોપી છોકરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જેનાથી ગામના સવર્ણો એટલા નારાજ થયા હતા કે તેમણે દલિત પરિવારોનો સામાજિક બહિષ્કાર જાહેર કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">250 દલિતોનો એક મહિનાથી સામાજિક બહિષ્કાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લગભગ 250 દલિતો બેંગલુરુથી લગભગ 500 કિલોમીટર દૂર યાદગીરના બપ્પરગા ગામની બે વસાહતોમાં રહે છે, જેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. દલિતોને કરિયાણા અને સ્ટેશનરીની દુકાનો, મંદિરો, વાળંદની દુકાન અને સાર્વજનિક સ્થળોએ જવા દેવામાં આવતા નથી. બહિષ્કારની જાહેરાત કરવામાં આવી રહી હોવાની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સ્થિતિ એ છે કે, દલિત પરિવારોના બાળકો શાળા માટે પેન્સિલ અને પુસ્તકો ખરીદી શકતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ કહે છે સ્થિતિ સામાન્ય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">13 ઓગસ્ટના રોજ POCSO એક્ટ હેઠળ આરોપી યુવક ચંદ્રશેખર હનમંતારાયની ધરપકડ પછી ગામના સવર્ણ જાતિના લોકોએ દલિતોના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી હતી. યાદગીરના એસપી સંગીતા જણાવ્યું હતું કે, ગામમાં હાલ શાંતિ છે. કોઈ અનિચ્છનિય ઘટના બની નથી અને સ્થિતિ સામાન્ય છે. તેમણે સવર્ણોને બહિષ્કાર જેવું અમાનવીય વર્તન બંધ કરવા અપીલ કરી હતી. જો કે હજુ સુધી તેમાં સમાધાન થયું હોય તેવા કોઈ સ્પષ્ટ સંકેતો મળ્યા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો ન્યાય મેળવવા અડગ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ દલિત દીકરીને ન્યાય અપાવવા માટે સમગ્ર દલિત સમાજ એકસંપ જોવા મળી રહ્યો છે. સૂત્રોના મતે, મહિલાઓથી લઈને પુરૂષો, યુવાનો અને વડીલો તથા સમાજના આગેવાનો સુધીના સૌ કોઈ દલિત દીકરીને ન્યાય અપાવવા માટે મક્કમ છે અને તેના માટે જેમની પણ સામે બાથ ભીડવી પડે તેની સામે ભીડવાનું નક્કી કરી લીધું છે. આ તરફ કાયદાનો ગાળિયો કસાયો હોવાથી શરૂઆતમાં દાદાગીરી પર ઉતરી આવેલા સવર્ણો ઢીલા પડી ગયા છે અને હવે સમાધાનનો રસ્તો શોધી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/remember-i-will-kill-you-wherever-you-find-me-and-thats-what-happened">"યાદ રાખજે! જ્યાં મળીશ ત્યાં જ મારી નાખીશ" અને એવું જ થયું...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"> </p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Sep 2024 12:38:17 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1211</Articleid>
                    <excerpt>એક ગામમાં 250 દલિતોનો એક મહિનાથી સામાજિક બહિષ્કાર કરાયો છે, મામલો ન્યાયનો છે એટલે ડૉ. આંબેડકરનું લોહી એમ કંઈ થોડું નમતું જોખે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e687bd7a23e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e687bd48d1b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e687bd48d1b.jpg" length="113453" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Dalit Crime, Dalit Families Social Boycott</media:keywords>
                </item>
                        <item>
                    <title>12 વર્ષના દલિત કિશોરને નગ્ન કરીને કહ્યું &amp; &amp;apos;ચાલ હવે ડાન્સ કર&amp;apos;</title>
                    <link>https://khabarantar.com/a-12-year-old-dalit-teenager-was-stripped-naked-and-told-lets-dance-now</link>
                    <guid>https://khabarantar.com/a-12-year-old-dalit-teenager-was-stripped-naked-and-told-lets-dance-now</guid>
                    <description>
                        <![CDATA[ 12 વર્ષના એક દલિત કિશોરને 6 લોકોએ નિર્વસ્ત્ર કરીને તેને હસતા હસતા ડાન્સ કરવા મજબૂર કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Child abuse:જાતિવાદી તત્વોને કોઈપણ મામલામાં જ્યારે સામેની વ્યક્તિ 'દલિત' છે તે જાણી જાય એ પછી તેના પર જુલમ કરવામાં તેઓ કોઈપણ હદે જતા શરમાતા નથી. દલિતો સાથે અત્યંત હલકી કક્ષાનું વર્તન કરતા પણ તેઓ ખચકાતા નથી. થોડા દિવસ પહેલા એક ગામમાં માથાભારે તત્વોએ 40 જેટલા દલિત બાળકોને સરકારી શાળામાં ભણતા બંધ કરાવી દીધા હતા. એ પછી એક શાળામાં દારૂના નશામાં ધૂત શિક્ષકે આદિવાસી વિદ્યાર્થીનીની ચોટલી કાપી નાખી હતી. હવે એક શહેરમાં દલિત કિશોરને ચોરીની શંકાએ લુખ્ખા તત્વોએ તેને નિર્વસ્ત્ર કરીને હસતા હસતા ડાન્સ કરવાની ફરજ પાડી હોવાની ઘટના સામે આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના રાજસ્થાનના કોટાની છે. અહીં એક કાર્યક્રમ દરમિયાન વાયરની ચોરીની શંકામાં 6 લોકોએ એક દલિત કિશોરને પકડી, તેને નિર્વસ્ત્ર કરીને ડાન્સ કરવાની ફરજ પાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટના ગઈકાલની છે જેના વિશે પોલીસે જાણકારી આપી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને 6 લોકોની ધરપકડ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત કિશોરને નિર્વસ્ત્ર કરીને ડાન્સ કરવા ફરજ પાડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કિશોર ચાર-પાંચ લોકો સાથે ગીત પર ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો તેને હસતા હસતા ડાન્સ કરવા માટે મજબૂર કરી રહ્યા છે અને કિશોર તેમની બીકના કારણે પરાણે હસતા હસતા ડાન્સ કરી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે વીડિયો મળ્યા બાદ અને પીડિતાની ઓળખ થયા બાદ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે પીડિત પરિવારને ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી અને આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/40-dalit-children-dropped-out-of-education-due-to-harassment-by-headstrong-elements"><span style="font-size: 14pt;">માથાભારે તત્વોના ત્રાસના કારણે 40 દલિત બાળકોએ ભણતર છોડી દીધું</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત કિશોરના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ શુક્રવારે રાત્રે તેમનો પુત્ર કોટાના જીએડી સર્કલ ખાતે આયોજિત મેળામાં કોમેડીનો એક કાર્યક્રમમાં જોવા માટે ગયો હતો અને રાત્રે 1 થી 4 વાગ્યાની વચ્ચે લગભગ ચાર-પાંચ લોકોએ તેને ઘેરી લીધો હતો અને તારની ચોરીનો આરોપ લગાવી તેને મારવા લાગ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે જણાવ્યું કે ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ તેમના પુત્રને કપડાં ઉતારીને ડાન્સ કરવા માટે મજબૂર કર્યો હતો અને તેનો વીડિયો બનાવ્યો હતો. જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા આખો મામલો સામે આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે જણાવ્યું કે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ(SC-ST Act) અને POCSO સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં આરોપી પિતા-પુત્ર સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ ક્ષિતિજ ગુર્જર(24) ઉર્ફે બિટ્ટુ, આશિષ ઉપાધ્યાય ઉર્ફે વિક્કુ (52), તેનો છોકરો યયાતિ ઉપાધ્યાય (24) ઉર્ફે ગુનગુન, ગૌરવ સોની (21), સંદીપ સિંહ (30) ઉર્ફે બન્નાશા અને સુમિત કુમાર સેન(25)  તરીકે થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">DSP મનીષ શર્માએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે, આરોપીઓ એક મ્યૂઝિક કંપનીનો હિસ્સો હતા અને તેમને શંકા હતી કે દલિત કિશોરે તેમની મ્યૂઝિક સિસ્ટમમાંથી તાર ચોર્યા છે. જેથી તેમણે કિશોરને પકડીને માર માર્યા બાદ નિર્વસ્ત્ર કરીને હસતા હસતા ડાન્સ કરવાની ફરજ પાડી હતી અને તેનો વીડિયો ઉતાર્યો હતો. જો કે વીડિયો વાયરલ થયા પોલીસ હરકતમાં આવી હતી અને તમામ આરોપીઓને પકડીને તેમની સામે કેસ નોંધ્યો હતો. બાદમાં તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-dalit-student-kept-begging-the-savarna-teacher-kept-hitting-with-the-pipe">દલિત વિદ્યાર્થી આજીજી કરતો રહ્યો, સવર્ણ શિક્ષક પાઈપથી ફટકારતો રહ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Sep 2024 10:47:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1210</Articleid>
                    <excerpt>12 વર્ષના એક દલિત કિશોરને 6 લોકોએ નિર્વસ્ત્ર કરીને તેને હસતા હસતા ડાન્સ કરવા મજબૂર કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e66d0925e5c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e66d08e4a96.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e66d08e4a96.jpg" length="106178" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Dalit Crime, Child abuse</media:keywords>
                </item>
                        <item>
                    <title>અયોધ્યા રામમંદિરની સફાઈકર્મી યુવતી પર ગેંગરેપ, 9 સામે ગુનો નોંધાયો</title>
                    <link>https://khabarantar.com/gang-rape-on-the-cleaning-lady-of-ayodhya-ram-mandir</link>
                    <guid>https://khabarantar.com/gang-rape-on-the-cleaning-lady-of-ayodhya-ram-mandir</guid>
                    <description>
                        <![CDATA[ અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ સંકુલમાં કામ કરતી દલિત સફાઈકર્મી યુવતી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. જેમાં 9 લોકો સામે ગુનો નોંધાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર થયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે નવ લોકો સામે ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ પીડિતાએ કેન્ટ પોલીસ સ્ટેશન પર અનેક ગંભીર આરોપો પણ લગાવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે, યુવતી અલગ-અલગ દિવસે તેના ઓળખીતા એક યુવકને મળવા ગઈ હતી. જ્યાં યુવક અને તેના મિત્રોએ તેના પર બળાત્કાર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યા સિટીના એસપી મધુવન સિંહે જણાવ્યું હતું કે, "આ ઘટના કેન્ટ પોલીસ સ્ટેશનની છે અને મામલો બે અઠવાડિયા જૂનો છે. પીડિતા દ્વારા 2 સપ્ટેમ્બરના રોજ કેન્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં એ હકીકત સામે આવી હતી કે જ્યારે પીડિતા તેના ભૂતપૂર્વ પરિચિત મિત્રને અલગ અલગ તારીખે મળવા ગઈ ત્યારે મિત્ર અને તેના સાથીઓએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. તપાસમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્યોની શોધખોળ હજુ ચાલુ છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવતીએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">યુવતીના જણાવ્યા પ્રમાણે રિલેશનમાં રહેતા તેના દોસ્ત અને તેના મિત્રોએ તેની સાથે અનેકવાર સામૂહિક બળાત્કાર કર્યો. એટલું જ નહીં, વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરી અલગ-અલગ જગ્યાએ ઘણાં દિવસો સુધી તેના પર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આ કેસમાં તેણે 2 સપ્ટેમ્બરે પોલીસમાં રિપોર્ટ દાખલ કરાવ્યો હતો પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતું. ઉલટાનું તેને અને તેના પરિવારને મીડિયાથી દૂર રહેવાની ધમકી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવતી રામ જન્મભૂમિ સંકૂલમાં સફાઈકામ કરે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">યુવતીએ કહ્યું કે, "હું શ્રી રામ જન્મભૂમિમાં કામ કરું છું, આ ઘટના પછી મારું કામ પણ છીનવાઈ ગયું છે." પીડિતાએ જણાવ્યું કે, "તેની એક છોકરા સાથે મિત્રતા થઈ હતી, ત્યારબાદ બંને રિલેશનશીપમાં આવ્યા હતા. પરંતુ છોકરાએ અચાનક તેના મિત્રો સાથે વાતચીત કરીને મારી સાથે બળજબરી કરી અને જ્યારે મેં ભાગવાનો પ્રયાસ કર્યો તો મારા માથામાં ઈજા થઈ. જેના કારણે હું બેભાન થઈ ગઈ. એ લોકોએ મારી સાથે ખોટું કામ કર્યું. સાંજે જ્યારે હું ભાનમાં આવી ત્યારે ત્યાં માત્ર બે છોકરાઓ વંશ ચૌધરી અને વિનય જ હાજર હતા. એ પછી તેઓ મને ગેસ્ટ હાઉસમાંથી ગેરેજમાં લઈ ગયા અને ત્યાં પણ તેમણે મારી સાથે બળાત્કાર કર્યો અને મારો વીડિયો બનાવી લીધો. જેના કારણે તે મને બ્લેકમેલ કરતો હતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-minor-was-put-in-the-car-and-raped-by-saying-lets-get-the-mobile-phone">'ચાલ મોબાઈલ અપાવું' કહી દલિત સગીરાને કારમાં લઈ જઈ ગેંગરેપ કર્યો</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓએ યુવતીને ફરી બે દિવસ ગોંધી રાખી</span></strong></span><br><span style="font-size: 14pt;">યુવતીએ આગળ જણાવ્યું કે, "તે લોકો મને બ્લેકમેલ કરતા હતા અને વારંવાર ફોન કરતા હતા. ડરના કારણે મેં આ અંગે ઘરે કે પોલીસને જાણ કરી ન હતી. 22મી તારીખે તેઓ ફરી રામ જન્મભૂમિ પરિસરમાં આવ્યા હતા અને મને તેમની સાથે લઈ ગયા હતા. એ પછી બે દિવસ સુધી તેમણે મને તેમની સાથે રાખી અને 24મીની રાત્રે મને છોડી દીધી. આ લોકો જ્યારે મને રામ મંદિરે પરત મૂકવા માટે આવી રહ્યા હતા એ દરમિયાન અકસ્માત થયો હતો, જેમાં મને ઈજા થઈ હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે યુવતીને એફઆઈઆરની નકલ પણ ન આપી</span></strong></span><br><span style="font-size: 14pt;">પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, "ફરીવાર હું 28મીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગઈ હતી. ત્યાં પણ આ લોકોએ મને ફોન કરીને ધમકી આપી હતી કે તારી સાથે જે થયું છે તે તારી બહેનો સાથે પણ થશે અને તારા ઘરવાળાઓ માટે પણ આ સારું નહીં હોય. એટલે હું ડરીને પાછી આવી ગઈ. ત્યાર બાદ 31મીએ ફરી મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી લઈને ગઈ હતી પણ પોલીસે મને કહ્યું કે, અરજીમાં જે લખ્યું છે તે સાચું નથી. તેમણે મને ખોટી ઠેરવી અને કહ્યું કે, છોકરાઓ આવું ન કરી શકે. મેં 2જી સપ્ટેમ્બરના રોજ 12:00 વાગ્યા સુધી રાહ જોઈ, પણ ત્યાં સુધી મને પોલીસ તરફથી કોઈ ફોન આવ્યો નહીં."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">યુવતીને 36 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી</span></strong><br><span style="font-size: 14pt;">પીડિતા આગળ કહે છે, "ત્યારબાદ હું SSP ઓફિસ ગઈ. એ પછી ત્યાંથી ઓર્ડર આવ્યો અને હું એસપી સિટી સાહેબ પાસે ગઈ. ત્યાં મહિલા પોલીસ સ્ટેશન અને કેન્ટના એસએચઓને બોલાવવામાં આવ્યા અને મારો કેસ નોંધવા કહેવામાં આવ્યું. અમે બપોરના 2 વાગ્યાથી ત્યાં બેઠા હતા, પરંતુ પોલીસે રાત્રે 9 વાગ્યે અમારો કેસ નોંધ્યો અને મારું મેડિકલ રાત્રે 11 વાગ્યે કરવામાં આવ્યું. મને 36 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં રાખ્યા બાદ પણ FIRની કોપી આપવામાં આવી નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Husband-takes-Ayodhya-Kashi-instead-of-Goa-on-honeymoon,-upset-wife-files-for-divorce">પતિ હનીમૂન પર ગોવાને બદલે અયોધ્યા-કાશી લઈ ગયો, નારાજ પત્નીએ છુટાછેડાની અરજી કરી દીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 14 Sep 2024 12:18:11 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 14 Sep 2024 12:20:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1206</Articleid>
                    <excerpt>અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ સંકુલમાં કામ કરતી દલિત સફાઈકર્મી યુવતી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. જેમાં 9 લોકો સામે ગુનો નોંધાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e52f1dee7da.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e52f1dba1ff.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e52f1dba1ff.jpg" length="86994" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતો લોભી છે, પૈસાની લાલચે દારૂ પહોંચાડે છેઃ બિહારના નશાબંધી મંત્રી</title>
                    <link>https://khabarantar.com/dalits-are-greedy-and-deliver-liquor-for-money-bihar-anti-narcotics-minister</link>
                    <guid>https://khabarantar.com/dalits-are-greedy-and-deliver-liquor-for-money-bihar-anti-narcotics-minister</guid>
                    <description>
                        <![CDATA[ બિહારના નશાબંધી અને આબકારી વિભાગના મંત્રીએ દલિત સમાજને લઈને કહ્યું કે, તેઓ લોભી છે અને ગેરકાયદે દારૂની હોમ ડિલિવરી કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારના નશાબંધી અને આબકારી વિભાગના મંત્રી રત્નેશ સદાએ દલિતને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સીતામઢીમાં એક કાર્યક્રમ દરમિયાન રત્નેશ સદાએ કહ્યું કે દલિત સમાજ (એસસી એસટી)ના લોકો લોભી છે અને પૈસાની લાલચે દારૂની ગેરકાયદેસર ડિલિવરી કરે છે. તેમણે કહ્યું કે એસસી-એસટી કેટેગરીના લોકો ગેરકાયદે દારૂના ધંધા માટે કુખ્યાત છે. પૈસાની લાલચને કારણે આ સમાજના લોકો દારૂના ધંધામાં લાગી જાય છે. તેમની ગરીબીનો લાભ લઈને દારૂ માફિયાઓ તેમને દારૂ પહોંચાડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>દલિત સમાજમાંથી આવતા મંત્રીએ જ સમાજને બદનામ કર્યો</strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રત્નેશ સદાએ જણાવ્યું હતું કે દલિત સમાજના મોટાભાગના લોકો અભણ છે. જેના કારણે દારૂ માફિયાઓ તેમનો દુરુપયોગ કરે છે. બિહારમાં દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે, જેમાં દલિત સમાજના લોકો સામેલ છે. મંત્રીજીએ આ નિવેદન પાછું સીતામઢીના બખરી સ્થિત એક દલિત કોલોનીમાં આયોજિત કાર્યક્રમમાં આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે રત્નેશ સદા પોતે મહાદલિત સમાજમાંથી આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દારૂ માફિયાઓ બચી જશે, દલિતો ફસાશેઃ મંત્રીજી</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નશાબંધી ખાતાના મંત્રીએ કહ્યું કે, દલિત સમાજના લોકો બિહારમાં દારૂબંધી લાદ્યા પછી પણ બદનામ છે. આ લોકો નાસમજ, ગરીબ અને અભણ છે. આનો ફાયદો ઉઠાવીને દારૂ માફિયાઓ આ વર્ગના લોકો પાસે દારૂની હોમ ડિલિવરી કરાવે છે. જ્યારે આ લોકો પકડાય છે, ત્યારે તેઓ સીધા જેલમાં જાય છે, પરંતુ દારૂના મોટા દાણચોરો પોલીસથી બચી જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જીતનરામ માંઝીએ પણ સવાલ ઉઠાવ્યા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ પણ રાજ્યમાં દારૂબંધીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બિહારમાં દારૂબંધી ખાલી નામની જ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/college-degree-wont-do-anything-open-a-puncture-shop-bjp-mla">કૉલેજેની ડિગ્રીથી કશું થવાનું નથી, પંચરની દુકાન ખોલો: ભાજપના ધારાસભ્ય</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં જજ, વકીલ, પીઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીના બધાં લોકો દારૂ પીવે છે. તેમણે કહ્યું હતું કે, આ લોકો દારૂ પીવે તો પણ તેમને કશું થતું નથી, પણ એક ગરીબ માણસ દારૂ પીએ તો તરત તેને પકડીને જેલમાં પુરી દેવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દારૂબંધી પોલીસ માટે કમાણીનું સાધન?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, બિહારમાં જ્યારથી દારુબંધી લાગુ કરવામાં આવી છે ત્યારથી સતત કોઈને કોઈ રીતે આખો મામલો વિવાદમાં આવતો રહે છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દારૂબંધીનો અમલ થયા પછી અહીં દારૂની ડિમાન્ડ પહેલા કરતા પણ વધી ગઈ છે અને પોલીસ માટે આ કાયદો પૈસા કમાવાનો નવો નુસખો બની ગયો છે. પોલીસ ગરીબ લોકોને પકડીને તેમની પાસેથી પૈસા પડાવે છે, અને મોટા દારૂ માફિયાઓ હપ્તા ભરીને કરોડો રૂપિયાનો ધંધો કરે છે. આ જ વસ્તુ ગુજરાતમાં પણ દારૂબંધીની આડમાં થતી આવી છે. હવે તે કલ્ચર બિહારમાં પણ ફેલાઈ ગયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે રત્નેશ સદા?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રત્નેશ સદા સહરસા જિલ્લાના સોનબરસા (અનામત) વિધાનસભા મતવિસ્તારમાંથી સતત ત્રીજી વખત JDU ધારાસભ્ય છે. રત્નેશે જેડીયુની ટિકિટ પર 2010 માં પ્રથમ વખત સોનબરસાથી ચૂંટણી જીતી હતી, ત્યારે તેમણે 56,633 મત મેળવ્યા હતા અને એલજેપીના સરિતા દેવીને 31,445 મતોથી હરાવ્યા હતા. 2015માં, રત્નેશ સદા 53,763 મતોથી ચૂંટણી જીત્યા હતા. 2020ની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરણી ઋષિદેવને 13,466ના અંતરથી હરાવીને ચૂંટણી જીતી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્ષ 2010થી સતત ચૂંટણી જીતતા આવ્યા છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રત્નેશ સદાનું પૈતૃક ઘર સોનબરસા જિલ્લાના મહિશી તાલુકાના કુંડાહ પંચાયત હેઠળના બલિયા સીમરમાં છે. રત્નેશ સદા પોતે અનુસૂચિત જાતિના મુસહર સમુદાયમાંથી આવે છે અને સમાજમાં તેનો સારો પ્રભાવ માનવામાં આવે છે. આ જ કારણ છે કે 2010થી તેઓ સતત સોનબરસા (અનામત) વિધાનસભા મતવિસ્તારથી JDUની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે અને જીતી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/judges-collectors-police-all-drink-but-only-the-poor-go-to-jail-jitanram-manjhi"><strong>જજ, કલેક્ટર, પોલીસ બધાં દારૂ પીવે છે, પણ જેલમાં ફક્ત ગરીબો જાય છે</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Sep 2024 09:28:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1199</Articleid>
                    <excerpt>બિહારના નશાબંધી અને આબકારી વિભાગના મંત્રીએ દલિત સમાજને લઈને કહ્યું કે, તેઓ લોભી છે અને ગેરકાયદે દારૂની હોમ ડિલિવરી કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e3b597794db.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e3b59747cad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e3b59747cad.jpg" length="57123" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ratnesh Sada, Liquor delivery, Bihar News</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;ચાલ મોબાઈલ અપાવું&amp;apos; કહીને દલિત સગીરાને કારમાં બેસાડી રેપ કર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-minor-was-put-in-the-car-and-raped-by-saying-lets-get-the-mobile-phone</link>
                    <guid>https://khabarantar.com/dalit-minor-was-put-in-the-car-and-raped-by-saying-lets-get-the-mobile-phone</guid>
                    <description>
                        <![CDATA[ Dalit Minor Girl Car Rape: 17 વર્ષની દલિત સગીરાને બે ઓળખીતા શખ્સોએ મોબાઈલ ફોન અપાવવાની લાલચ આપી સૂમસામ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit Minor Girl Car Rape: સવર્ણોને જ્યારે તેમની કોઈ બહેન-દીકરી પર રેપ થાય ત્યારે તે આખા દેશનો મામલો હોય તેમ હોબાળો મચાવે છે પરંતુ જ્યારે એવી જ કોઈ ઘટના દેશની દલિત-આદિવાસી સમાજની બહેન-દીકરી સાથે બને ત્યારે તેઓ મોંમાં મગ ભરીને બેસી જાય છે. એમાં પણ આરોપી જો તેમની જાતિનો હોય, તો તેઓ બળાત્કારીનો બચાવ કરવામાં પણ લાજશરમ નથી અનુભવતા. ઘણીવાર તો તેઓ ઉલટાનું પીડિતાને જ આરોપીના કઠેડામાં ઉભી કરી દેતા હોય છે. આવી અનેક ઘટનાઓ આ દેશના-દલિતો આદિવાસીઓએ જોઈ છે. બળાત્કારની આવી જ એક ઘટના બની ગઈ પણ તેને લઈને ક્યાંય હો-હા જોવા મળી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે એક દલિત સગીરાને બે જાણીતા યુવકોએ મોબાઈલ ફોન અપાવવાની લાલચ આપીને કારમાં બેસાડી હતી. એ પછી કારને સૂમસામ રસ્તા પર વાળીને ચાલુ કારમાં જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એ દરમિયાન કાર ઇલેક્ટ્રિકના થાંભલા સાથે અથડાતા આરોપીએ પીડિતા અને કારને ત્યાં જ છોડીને ભાગી ગયા હતા. એ પછી સગીરા જેમ તેમ કરીને ઘરે પહોંચી હતી અને પરિવારના આખા મામલાની જાણ કરતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-police-charged-the-rape-of-a-dalit-minor-at-rs-1-lakh-applied">દલિત સગીરા પર વેપારીના છોકરાએ બળાત્કાર કર્યો, પોલીસે 1 લાખ આપી પરાણે સમાધાન કરાવ્યું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પીડિતાની માતાએ આપેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેમની પુત્રીને મોબાઈલ ફોનની લાલચ આપીને કારમાં બેસાડી હતી. ત્યારબાદ તેઓ અચાનક તેમની દીકરીને એક એકાંત સ્થળે લઈ ગયા અને ચાલતી કારમાં તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાતા આરોપીઓ ભાગી ગયા</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટના ગુનાખોરી અને જાતિવાદ માટે કુખ્યાત થઈ ચૂકેલા ઉત્તરપ્રદેશની છે. અહીંના ગોંડામાં આ ઘટના બની હતી. ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે જ્યારે આરોપીઓ સગીરા સાથે બળાત્કાર કરી રહ્યા હતા, ત્યારે ડ્રાઈવર યુવકે કાર પરનો કાબુ ગુમાવી દીધો અને કાર ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી. એ પછી આરોપી સગીરા અને કારને ત્યાં જ છોડીને ભાગી ગયા હતા. એ પછી પીડિતા પગપાળા ઘરે પહોંચી હતી અને પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ તેની માતાએ પોલીસ સ્ટેશન પહોંચીને કેસ નોંધાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">સગીરાએ ઓળખીતા યુવક પર વિશ્વાસ મૂક્યો</span></strong><br><span style="font-size: 14pt;">ગોંડાના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર મનોજ કુમાર પાઠકે જણાવ્યું હતું કે, ફરિયાદ મુજબ શનિવારે મોડી સાંજે દલિત મહિલા તેના પતિ અને પુત્રી સાથે કોઈ કામ માટે તેના સંબંધીના ઘરે ગઈ હતી. ત્યાં પંતનગરના આરિફ અને ભગૌતીગંજના રિઝવાને તેમની પુત્રીને મોબાઈલ ફોન અપાવવાના બહાને પોતાની કારમાં બેસાડી હતી. જો કે આરોપીઓ તેને મોબાઈલ માર્કેટને બદલે સરક્યુલર રોડ પર એકાંત સ્થળે લઈ ગયા હતા, જ્યાં બંનેએ ચાલતી કારમાં તેણી પર ગેંગરેપ કર્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/5-youths-gang-raped-a-dalit-girl-after-forcing-her-to-drink-alcohol">દલિત યુવતીને ગોંધી રાખી, બળજબરીથી દારૂ પીવડાવી પાંચ યુવકોએ ગેંગરેપ કર્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા મુજબ, આ દરમિયાન કાર કાબૂ બહાર ગઈ અને ઈલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ, ત્યારબાદ આરોપી કાર અને સગીરાને ત્યાં જ છોડીને ભાગી ગયા હતા. જેમ તેમ કરીને સગીરા મોડી રાત્રે ઘરે પહોંચી અને તેના પરિવારજનોને ઘટનાની જાણ કરી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પોલીસે કાર કબજે કરી</span></strong><br><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, પીડિતાની માતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. બંને આરોપીઓ ઝડપાઈ ગયા છે અને પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ગુનામાં વપરાયેલી કાર પણ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી આરિફે કાર તેના મિત્ર પાસેથી એમ કહીને માંગી હતી કે, તેને એક અંતિમ સંસ્કારમાં જવાનું છે. પોલીસે કાર પણ કબ્જે કરી છે. હાલ પોલીસ પીડિતાના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/caste-nadi-even-after-death-dalit-womens-funeral-not-allowed#google_vignette">મર્યા પછી પણ જાતિ નડીઃ સવર્ણોએ દલિત મહિલાના અંતિમ સંસ્કાર ન થવા દીધાં</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Sep 2024 14:47:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1192</Articleid>
                    <excerpt>Dalit Minor Girl Car Rape: 17 વર્ષની દલિત સગીરાને બે ઓળખીતા શખ્સોએ મોબાઈલ ફોન અપાવવાની લાલચ આપી સૂમસામ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e15d77ba2cb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e15d778507e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e15d778507e.jpg" length="106494" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Dalit Minor Girl Car Rape, Gonda, UP, Crime News</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;પંચાયતમાં દેખાયો તો હાથપગ સાજા નહીં રહે&amp;apos; કહી દલિત સરપંચને માર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-beat-the-sarpanch-saying-if-he-appears-in-the-panchayat-his-limbs-will-not-be-healed</link>
                    <guid>https://khabarantar.com/dalit-beat-the-sarpanch-saying-if-he-appears-in-the-panchayat-his-limbs-will-not-be-healed</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી તત્વોએ એક ગામમાં લોકશાહી રીતે ચૂંટાઈને આવેલા દલિત સરપંચને બંધક બનાવી માર મારી ધમકી આપી કે, &quot;હવેથી પંચાયતે દેખાયો તો હાથપગ સાજા નહીં રહે.&quot; ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Dalit sarpanch beaten: દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ(Azadi ka Amrit mahotsav) ઉજવાઈ રહ્યો છે. સરકાર ગામેગામ લોકશાહી(Democracy)ની દુહાઈ દેતા વિવિધ કાર્યક્રમો યોજીને તેનો પ્રચાર કરી રહી છે. પણ જમીની સ્તરે સ્થિતિ એ છે કે આજે પણ જાતિવાદી તત્વો લોકશાહીને સ્વીકારીને અન્ય જાતિના લોકોને વહીવટી પદે સ્વીકારવા તૈયાર નથી. અનેક ગામોમાં આજે પણ લોકશાહી ઢબે ચૂંટાઈને આવેલા દલિત સરપંચો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે. તેમને માર મારવામાં આવે છે અને તેમના હોદ્દાની રૂએ જે કાર્યો તેમણે કરવાના હોય છે તેનો વહીવટ પણ તેમને કરવા દેવામાં આવતો નથી. આવા સેંકડો દાખલાઓ બને છે, જેમાં જાતિવાદી ગુંડાઓ પોતાની જાતિના રાજકીય અને સામાજિક પીઠબળના જોરે દલિત હોદ્દેદારને પરેશાન કરીને પોતાનું ધાર્યું કરાવવા માંગતા હોય છે. આવા તત્વો દલિત સરપંચો સામે અવિશ્વાસની દરખાસ્ત લાવીને તેમને હોદ્દા પરથી દૂર કરવાના પેંતરા રચે છે. છેલ્લે જો ધાર્યું ન થાય તો દલિત સરપંચ પર હુમલો કરવા પર ઉતરી આવતા પણ તેમને કાયદો વ્યવસ્થાની જરાય બીક નથી લાગતી. આ ઘટના પણ આવી જ છે.</span><br><span style="font-size: 14pt;">દલિત સરપંચને ઘરે બોલાવી, ગોંધી રાખી માર માર્યો</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક ગામમાં દલિત વ્યક્તિ અનામત સીટ પર સરપંચ તરીકે ચૂંટાઈ આવી હતી. પણ ગામના જાતિવાદી તત્વોને એક દલિત સમાજની વ્યક્તિ સરપંચપદે બેસીને ગામનો વહીવટ કરે તે જોઈને બળતરા થતી હતી. તેઓ કોઈને કોઈ મામલે તેને હેરાન પરેશાન કરતા રહેતા હતા. જો કે તેમની કોઈ કારી ફાવી નહીં એટલે તેમણે દલિત સરપંચને પોતાના ઘરે બોલાવી બંધક બનાવી તેમને ગંભીર રીતે માર માર્યો હતો. જાતિવાદી તત્વોએ દલિત સરપંચને ધમકી આપતા કહ્યું કે, "હવેથી ગ્રામ પંચાયત તરફ ડોકાતો નહીં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભલે તું ચૂંટાઈને સરપંચ બન્યો પણ વહીવટ અમે કરીશું. જો પંચાયત તરફ જોવા મળ્યો તો હાથપગ સાજા નહીં રહે."  આ સાથે જ તેમણે સરપંચ પાસે રૂ. 1 લાખની માંગણી કરી હતી અને સરપંચ તરીકેના હોદ્દાના લેટરપેટ, સિક્કા વગેરે પણ છીનવી લેવા પ્રયત્ન કર્યો હતો. સરપંચ આ મામલે જાતિવાદી તત્વો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ તેમણે ફરિયાદ લીધી નહોતી. આથી તેમણે ન્યાય માટે જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચીને ન્યાયની માંગણી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના નિવારીની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશ(MP)ના છતરપુર જિલ્લા(Chattarpur District) મથકથી માત્ર નવ કિલોમીટર દૂર આવેલી નિવારી ગ્રામ પંચાયત(Niwari Gram Panchayat)ની છે. અહીં દલિત સમાજમાંથી આવતા દિલીપ અનુરાગી(Sarpanch Dilip Anuragi) લોકશાહી ઢબે ચૂંટણી જીતીને સરપંચ બન્યાં છે. પણ ગામના જાતિવાદી ગુંડાઓને એક દલિત વ્યક્તિ સરપંચ બનીને ગામનો વહીવટ ચલાવે તે પસંદ નહોતું આવતું. આથી તેઓ સતત દિલીપ અનુરાગીને હેરાન કરતા રહેતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો તેમને કહેતા હતા કે, "પંચાયતમાં આ વખતે અનામત સીટ હોવાથી ભલે તું સરપંચ બની ગયો, પણ સરપંચ તરીકેનો વહીવટ તો અમે જ ચલાવીશું અને તું અમે કહીએ તે રીતે કામ કરીશ. જો કે દલિત સરપંચે તેમની દાદાગીરી સામે ઝુકવાનો ઈનકાર કરી દીધો હતો અને સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે, સરપંચ હું છું તો વહીવટ પણ હું જ ચલાવીશ. લોકોએ જે કામ માટે મને ચૂંટ્યો છે તેને હું  પુરી ઈમાનદારી અને નિષ્ઠાથી નિભાવીશ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/even-if-you-become-sarpanch-because-of-reservation-the-work-will-be-according-to-our-will"><span style="font-size: 14pt;"> અનામતના કારણે ભલે તું સરપંચ બન્યો, કામ અમારી મરજી મુજબ થશે...</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક દલિત સરપંચની આ ઈમાનદારી જોઈને જાતિવાદી તત્વોએ પિત્તો ગુમાવ્યો હતો અને તેમણે સરપંચને બંધક બનાવીને માર માર્યો હતો. જેમ તેમ કરીને સરપંચ ત્યાંથી ભાગી છુટવામાં સફળ થયા હતા. ત્યાંથી તેઓ સીધા ફરિયાદ નોંધાવવા નજીકના પોલીસ સ્ટેશને ગયા હતા, પરંતુ પોલીસે તેમની ફરિયાદ લીધી નહોતી. આથી તેમણે એસપી કચેરી(Chhatarpur SP)એ ન્યાયની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક લાખ રૂપિયા, સરપંચનું લેટરપેડ અને સિક્કો પણ માંગ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામના જાતિવાદી તત્વોએ દલિત સરપંચ દિલીપ અનુરાગીને ગેરકાયદે વસૂલી કરીને તેમની પાસે પૈસા પણ માંગ્યા હતા. જો કે સરપંચ તેમને જરાય નમતું ન આપતા આખતે તેઓ ગુંડાગીરી કરવા પર ઉતરી આવ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">8મી સપ્ટેમ્બરે સાંજે 5 કલાકે ગામના ગોલુ રાજા(Golu Raja) નામના શખ્સે તેમને પોતાના ઘરે બોલાવ્યા હતા. જ્યાં તેમને બળજબરીથી બંધક બનાવીને ઢોર માર માર્યો હતો. એ દરમિયાન સત્યેન્દ્ર રાજા(Satyendra Raja) નામનો પંચાયતનો એક શખ્સ આવી પહોંચ્યો હતો અને તેણે સરપંચને કહ્યું કે, "અમને એક લાખ રૂપિયા આપી દે, બાકી સરપંચપદું ભૂલી જજે. તું આ પદ પર બેસીને કશું કામ નહીં કરી શકે, અમે તને કરવા નહીં દઈએ. જો તારે શાંતિથી સરપંદ તરીકે કાર્યકાળ પુરો કરવો હોય તો અમને રૂપિયા દેવા પડશે. ભલે તું અનામતના જોરે સરપંચ બની ગયો, પણ વહીવટ તો અમે જ ચલાવીશું. હવે તું અમારી મંજૂરી વિના અને અમને પૂછ્યાં વિના ગ્રામ પંચાયતનું કોઈ કામ નહીં કરે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/even-if-you-become-sarpanch-because-of-reservation-the-work-will-be-according-to-our-will"><span style="font-size: 14pt;"> </span></a></span></strong></span> <a href="https://khabarantar.com/a-call-came-in-the-night-and-in-the-morning-the-dog-was-licking-the-body-of-dalit-sarpanch"><strong>રાત્રે એક ફોન આવ્યો અને સવારે દલિત સરપંચની લાશ કૂતરું ચાટતું હતું...</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોલુ અને સત્યેન્દ્રએ સરપંચને કહ્યું કે, "પંચાયતનું લેટરપેડ, સિક્કા અને બીજી સામગ્રી અમને આપી દે છે. અમે કહીએ ત્યાં તારે સિક્કો મારીને સહી કરી દેવાની. જો નહીં કરે તો મજા નહીં આવે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે ફરિયાદ ન લીધી, એસપી કચેરીએ ન્યાય માટે પહોંચ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરપંચ દિલીપ અનુરાગીએ જણાવ્યું કે, "જ્યારે મેં આ બધું કરવાની અને એક લાખ રૂપિયા આપવાની ના પાડી ત્યારે ગોલુ રાજા અને સત્યેન્દ્ર રાજાએ મને રૂમમાં બંધક બનાવીને લાતો અને મુક્કાથી માર માર્યો હતો. એ દરમિયાન વિપિન નામનો વ્યક્તિ મને શોધતો ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે બૂમાબૂમ કરી એટલે ગોલૂ અને સત્યેન્દ્રએ મને છોડ્યો, બાકી આ લોકો મને જાનથી મારી નાખત. આ ઘટના બાદ હું ગઢીમલહરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો, પરંતુ પોલીસે મારો રિપોર્ટ નોંધ્યો ન હતો. જેના કારણે હું એસપી કચેરીએ ગયો અને તેમની પાસે ન્યાયની માંગણી કરી હતી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરપંચ દિલીપ અનુરાગીએ જણાવ્યું કે, તેઓ ગ્રામ પંચાયતે જઈ શકતા નથી. તેમના જીવને જોખમ છે. તેમને લાગે છે કે, પોલીસથી લઈને આખું તંત્ર તેમની વિરુદ્ધ કામ કરી રહ્યું છે. એવામાં જો તેઓ ગ્રામ પંચાયત કચેરીએ જશે તો જાતિવાદીઓ તત્વો તેમના પર ફરીથી હુમલો કરશે અને આ વખતે તેમનો જીવ પણ જઈ શકે છે. આ મામલે તેમણે તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/police-sent-1.79-lakh-bill-to-provide-security-to-dalit-Sarpanch">દલિત સરપંચને સુરક્ષા આપવાનું પોલીસે 1.79 લાખ બિલ મોકલ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 11 Sep 2024 10:36:41 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 11 Sep 2024 10:37:27 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1190</Articleid>
                    <excerpt>જાતિવાદી તત્વોએ એક ગામમાં લોકશાહી રીતે ચૂંટાઈને આવેલા દલિત સરપંચને બંધક બનાવી માર મારી ધમકી આપી કે, &quot;હવેથી પંચાયતે દેખાયો તો હાથપગ સાજા નહીં રહે.&quot;</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e124ea9c735.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e124ea6af38.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e124ea6af38.jpg" length="84083" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit sarpanch beaten, Madhya Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>જમ્મુ કાશ્મીરમાં 10,000 વાલ્મિકી મતદારો પહેલીવાર મતદાન કરશે</title>
                    <link>https://khabarantar.com/10000-valmiki-voters-will-vote-for-the-first-time-in-jammu-and-kashmir</link>
                    <guid>https://khabarantar.com/10000-valmiki-voters-will-vote-for-the-first-time-in-jammu-and-kashmir</guid>
                    <description>
                        <![CDATA[ 10 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે અહીં વસતા 350થી વધુ વાલ્મિકી પરિવારો 6 દાયકામાં પહેલીવાર મતદાન કરશે. જાણો આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Jammu Kashmir Essembly Election 2024: કલમ 370 હટાવ્યા બાદ અને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ પછી જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષની લાંબી રાહ બાદ વિધાનસભા ચૂંટણીઓ થવા જઈ રહી છે, જેને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણીના માહોલમાં દરેક નાગરિકના મનમાં એક નવી આશા જાગી છે, પરંતુ સૌથી વધુ ઉત્સાહ અહીંના વાલ્મિકી સમાજમાં જોવા મળી રહ્યો છે, જેઓ પહેલીવાર મતદાન કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈન સ્થાનિક પક્ષોથી લઈને ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે અહીં વાલ્મિકી સમાજના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમ કે તેઓ 6 દાયકામાં પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમ્મુ-કાશ્મીર પ્રદેશમાં વાલ્મીકિ સમાજના લગભગ 350 પરિવારો વસવાટ કરે છે. કલમ 370 અને 35A હટાવ્યા બાદ તેમને અન્ય નાગરિકોની જેમ તમામ અધિકારો મળ્યા છે. આ પરિવારોના પૂર્વજોને 1957માં તત્કાલિન સરકાર દ્વારા રોગચાળા દરમિયાન સફાઇ કર્મચારી તરીકે કામ કરવા પંજાબથી જમ્મુ લાવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં લાવવામાં તો આવ્યા, પરંતુ તેમને કોઈ અધિકારો સુદ્ધાં આપવામાં આવ્યા નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વાલ્મીકિ પરિવારો પંજાબથી આવીને જમ્મુમાં રહેવા લાગ્યા હતા અને હંમેશા માટે જમ્મુના જ થઈ ગયા હતા. તેમ છતાં, તેમને ક્યારેય રાજ્યના કાયમી રહેવાસીઓનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો. લોકશાહી પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ગણાતા મતદાનથી પણ તેમને વંચિત અને ‘અસ્પૃશ્ય’ રાખવામાં આવ્યા હતા. આ વર્ગ જમ્મુ અને કાશ્મીરમાં સેકન્ડ ક્લાસ નાગરિક તરીકે જીવી રહ્યો હતો. તેઓ રાજ્યના અન્ય રહેવાસીઓ માટે ઉપલબ્ધ તમામ અધિકારોથી પણ વંચિત હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Real-Women-Empowerment:-4-Daughters-of-Valmiki-Community-Quit-Sweeping-and-Join-Self-Employment-Training"><span style="font-size: 14pt;">અસલી સ્ત્રી સશક્તિકરણઃ વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડુ-વાળુ છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલમ 370 નાબૂદ થયા બાદ 2020માં વાલ્મીકિ સમાજના લોકોને સ્થાયી નિવાસી તરીકેના પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યા હતા. આ ઘટના વાલ્મીકિ સમાજના લોકો માટે એક સ્વર્ણિમ પ્રભાત હતી. તેમને ખરા અર્થમાં દેશના નાગરિક અને જમ્મુ-કાશ્મીરના રહેવાસી તરીકેના અધિકારો આપવામાં આવ્યા હતા. હવે આ પરિવારોના લગભગ 10,000 સભ્યો રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, મતદાનની સાથે-સાથે વાલ્મીકિ સમાજના બાળકો ત્યાં સરકારી નોકરી માટે પણ અરજી કરી શકતા ન હતા, કારણ કે તેમની પાસે કાયમી નિવાસી પ્રમાણપત્ર ન હતું. જેના કારણે તે લોકોમાં ભારે નિરાશા જોવા મળતી હતી. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ વાલ્મીકિ સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાળા-શૌચાલય-ગટરો સાફ કરતાં દલિતોની જે હાલત પાકિસ્તાનમાં છે, તે જ હાલત કલમ 370ના હટ્યા પહેલાં જમ્મુ-કાશ્મીરમાં પણ હતી. જમ્મુ-કાશ્મીરના કોઈપણ રાજકીય પક્ષે આ માટે અવાજ ઉઠાવ્યો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-first-mass-marriage-program-of-valmiki-samaj-was-held-in-malgarh-disa"><span style="font-size: 14pt;">ડીસાના માલગઢમાં વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1957માં જમ્મુ અને કાશ્મીર રાજ્યે વિધાનસભાના આદેશ દ્વારા સફાઇ કર્મચારીઓના નામે વાલ્મીકિ સમુદાયના લોકોને પંજાબના પઠાણકોટ, અમૃતસર, જાલંધર, હોશિયારપુર વગેરે શહેરોમાંથી લાવીને તેમને વિવિધ સ્થળોએ કોલોની બનાવી આપી હતી અને ત્યાં જ તેમની વસાહતો પણ સ્થાપી હતી. જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સરકારી દસ્તાવેજોમાં આ નોકરીને ‘ભંગી પેશા’ નામ આપવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાલ્મીકિ સમાજના લોકોને સફાઈ સિવાય અન્ય કોઈ કામ કરવાની સત્તાવાર રીતે મનાઈ હતી. દેશ-વિદેશમાંથી ભણેલા આ સમુદાયના લોકો ન તો મેડિકલ કે એન્જિનિયરિંગ જેવા કોઈ સરકારી ઉચ્ચ શિક્ષણ કે પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લઈ શકતા હતા, ન તો વિધાનસભાની ચૂંટણી લડી શકતા હતા અને ન તો મતદાન પણ કરી શકતા હતા. કલમ 370 હટ્યા બાદ આ તમામ અધિકારો વાલ્મીકિ સમાજના લોકોને આપવામાં આવ્યા છે. આ વખતે તેઓ પહેલીવાર મતદાન પણ કરવા જઈ રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. આ માટે પ્રથમ તબક્કાનું મતદાન ૧૮ સપ્ટેમ્બરે યોજાશે, જેમાં કુલ ૨૪ બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન ૨૫ સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કા માટે ૧ ઓક્ટોબરે મતદાન થશે. તે જ સમયે, ૮ ઓક્ટોબરે મતગણતરી પછી તેના પરિણામો જાહેર કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/sarpanch-of-dalod-saluted-the-flag-by-the-daughter-of-valmiki-samaj">દાલોદના સરપંચે વાલ્મિકી સમાજની દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 10 Sep 2024 10:58:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1186</Articleid>
                    <excerpt>10 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે અહીં વસતા 350થી વધુ વાલ્મિકી પરિવારો 6 દાયકામાં પહેલીવાર મતદાન કરશે. જાણો આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66dfd86931f87.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dfd868f3fb0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dfd868f3fb0.jpg" length="89573" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jammu Kashmir, Jammu Kashmir Essembly Election 2024</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત વિદ્યાર્થી આજીજી કરતો રહ્યો, સવર્ણ શિક્ષક પાઈપથી ફટકારતો રહ્યો</title>
                    <link>https://khabarantar.com/the-dalit-student-kept-begging-the-savarna-teacher-kept-hitting-with-the-pipe</link>
                    <guid>https://khabarantar.com/the-dalit-student-kept-begging-the-savarna-teacher-kept-hitting-with-the-pipe</guid>
                    <description>
                        <![CDATA[ એક સરકારી શાળાના સવર્ણ શિક્ષકે કારણ વિના જ માસુમ દલિત વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થી રડતો રહ્યો, આજીજી કરતો રહ્યો પણ શિક્ષકનું દિલ ન પીગળ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારી શાળાઓમાં દલિત વિદ્યાર્થીઓ સાથે થતા ભેદભાવના કિસ્સાઓ તો દરેક દલિત વ્યક્તિ વર્ણવી શકે તેમ છે. જો એ બધાંનો પટારો ખૂલે તો જાતિવાદી તત્વોના કાળા કારનામાઓની ચોતરફ થૂથૂ થઈ જાય. સદીઓથી આ ચાલતું આવ્યું છે અને કમનસીબે આજે પણ ચાલી રહ્યું છે. મનુસ્મૃતિના વિચારો પર ટકેલા હિંદુ ધર્મમાં શૂદ્રોને ભણવાનો પણ અધિકાર નહોતો. અંગ્રેજો આવ્યા અને દેશમાં શાળાઓ ખૂલી, એ પછી રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેને કારણે બ્રાહ્મણ સિવાયની જાતિના લોકો શિક્ષણ મેળવતા થયા. ડો. આંબેડકર જેવા મહાનાયક શિક્ષણમાં મનુવાદીઓનો એકાધિકાર તૂટ્યો એ પછી દેશને મળ્યાં. જો કે તેમને પણ ભયંકર જાતિ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કમનસીબે એ પછી પણ આ ભેદભાવ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સદીઓથી શિક્ષણમાં વગર અનામતે સો ટકા અનામત ભોગવી રહેલા એક જ જાતિના લોકો આઝાદ ભારતમાં શિક્ષણ પર એકહથ્થુ કબ્જો જમાવીને બેઠાં છે. આજે પણ નાના ગામડાના પ્રાથમિક શાળાથી લઈને યુનિવર્સિટીના વીસી સુધીની પોસ્ટ સુધી નજર નાખશો તો ખ્યાલ આવશે કે કોણ લોકો શિક્ષણ જગત પર અડિંગો જમાવીને બેસી ગયા છે. આ એ લોકો છે, જે અન્ય સમાજના લોકોને લાયકાત છતાં શિક્ષણ જગતમાં પગ મૂકવા દેતા નથી. તેઓ સતત દલિત સમાજના બાળકોને શિક્ષણ તરફથી મોં ફેરવી લે તેવા પ્રયત્નો કરતા હોય છે અને તેના માટે તેઓ તેમના પર નિર્દયતાથી હાથ ઉપાડવામાં પણ લાજશરમ અનુભવતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઈન્દ્ર મેઘવાળની ઘટના યાદ છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2022માં રાજસ્થાનના જાલોર જિલ્લાના સુરાણા ગામમાં સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતા નવ વર્ષના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાળને તેના શિક્ષક છેલસિંહે પાણીના માટલાને અટકવા બદલ ઢોર માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/how-will-gujarat-learn-in-this"><span style="font-size: 14pt;"> આમાં કેવી રીતે 'ભણશે ગુજરાત'?</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66de7da3505ce.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના કારણે તેને સારવાર માટે ઉદયપુર અને પછી અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં 14 ઓગસ્ટ 2022ના રોજ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના પછી દલિત સમાજ રોષે ભરાયો હતો અને સવર્ણ શિક્ષકના કરતૂતો વિરુદ્ધ દેશભરમાં ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટના પણ કંઈક આવી જ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માસુમ આજીજી કરતો રહ્યો, શિક્ષક નિર્દયતાથી મારતો રહ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત વિદ્યાર્થીને ઢોર માર મારવાની આવી વધુ એક ઘટનાની અહીં વાત કરવી છે. જેમાં એક સવર્ણ શિક્ષકે એક દલિત વિદ્યાર્થીને કારણ વિના જ પાઈપ વડે ઢોર માર માર્યો હતો. માસુમ વિદ્યાર્થી આજીજી કરતો રહ્યો, માફી માંગતો રહ્યો પણ સવર્ણ શિક્ષકને તેની જરાય દયા આવી નહોતી અને તેને પાઈપથી બેફામ રીતે ફટકારવાનું ચાલું રાખ્યું હતું. માસુમ વિદ્યાર્થીએ ઘરે જઈ તેના માતાપિતાને આખા મામલાની જાણ કરી હતી. એ પછી વાલીઓ શિક્ષક પાસે ફરિયાદ લઈને ગયા હતા. જો કે માથાભારે શિક્ષકે તેમને પણ જાતિસૂચક ગાળો ભાંડીને મારવાની ધમકી આપી હતી. આથી વિદ્યાર્થીના માતાપિતા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે ગયા હતા. જો કે, પોલીસે હજુ પોલીસે તેમની ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મેરઠની સરકારી શાળાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીની છે. અહીં મેરઠની રાલી ચૌહાણ ઉચ્ચ સરકારી પ્રાથમિક શાળામાં સવર્ણ શિક્ષક વિવેક સિંહે એક દલિત વિદ્યાર્થીને કારણ વિના જ નિર્દયતાથી પાઈપ વડે ઢોર માર માર્યો હતો. મારતી વખતે મનુવાદી શિક્ષકે દલિત વિદ્યાર્થી, જેને જાતિ કે જાતિ વ્યવસ્થાની સમજણ પણ નથી તેને અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યો હતો. જેના કારણે દલિત વિદ્યાર્થી ભાંગી પડ્યો હતો. તે શિક્ષકને આજીજી કરતો રહ્યો, રડતો રહ્યો અને છોડી દેવા માટે વિનંતી કરતો રહ્યો. પણ સવર્ણ શિક્ષકને માસુમની જરાય દયા નહોતી આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માતાપિતાને પણ શિક્ષકે જાતિસૂચક ગાળો ભાંડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાળા છૂટ્યા પછી બાળકે ઘરે જઈને સમગ્ર મામલે તેના માતાપિતાને જાણ કરી હતી. તેના વાલીઓએ જ્યારે તેના શરીર પર જોયું તો બરડામાં ઈજાના અનેક નિશાન હતા, પાઈપના ફટકાથી અનેક જગ્યાએ સોજો ચડી ગયો હતો અને સોળ ઉપડી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષકની આ કરતૂતને લઈને વિદ્યાર્થીના માતાપિતા ગામના અન્ય લોકો સાથે ફરિયાદ કરવા સ્કૂલે પહોંચ્યા હતા. જો કે અહીં પણ સવર્ણ શિક્ષક વિવેક સિંહ લાજવાને બદલે ગાજવા લાગ્યો હતો અને તેણે વિદ્યાર્થીના માતાપિતાને પણ જાતિસૂચક ગાળો ભાંડીને માર મારવાની ધમકી આપી ભગાડી દીધા હતા. આથી આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફરિયાદ પછી પણ પોલીસ સ્ટેશનમાં કેસ ન નોંધાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત વિદ્યાર્થીના માતાપિતા આ મામલે સવર્ણ શિક્ષક વિવેક સિંહની દાદાગીરી સામે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે ફરિયાદ નોંધાવી હતી, જો કે મોટાભાગના દલિત એટ્રોસિટીના કેસોમાં બને છે તેમ અહીં પણ પોલીસે કેસ નોંધવાનું ટાળ્યું હતું. ગામલોકોનો આક્ષેપ છે કે, શિક્ષક સવર્ણ જાતિનો હોવાથી પોલીસ તેને છાવરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/two-schools-in-kheda-were-locked-by-parents-for-strange-reasons">ખેડામાં બે શાળાઓને વાલીઓએ વિચિત્ર કારણોસર તાળાં મારી દીધાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 09 Sep 2024 10:21:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1182</Articleid>
                    <excerpt>એક સરકારી શાળાના સવર્ણ શિક્ષકે કારણ વિના જ માસુમ દલિત વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થી રડતો રહ્યો, આજીજી કરતો રહ્યો પણ શિક્ષકનું દિલ ન પીગળ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66de7d901cbde.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66de7d8fe158e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66de7d8fe158e.jpg" length="32936" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Dalit Crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવક પર પહેલા ફાયરિંગ કર્યું, પછી પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો</title>
                    <link>https://khabarantar.com/the-dalit-youth-was-first-fired-upon-then-doused-with-petrol-and-burnt-alive</link>
                    <guid>https://khabarantar.com/the-dalit-youth-was-first-fired-upon-then-doused-with-petrol-and-burnt-alive</guid>
                    <description>
                        <![CDATA[ માથાભારે તત્વો દલિત યુવકને ગામથી બહાર લઈ ગયા, પછી તેના પિસ્તોલથી ફાયરિંગ કર્યું. એ પછી પણ યુવક જીવતો હોવાનું જણાતા તેના પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યાં. દરરોજ દેશના કોઈને કોઈ ખૂણે નજીવી બાબતમાં અથવા તો કોઈ જ બાબત વિના માત્ર પોતાનો અહમ સંતોષવા માટે થઈને દલિતો પર હુમલા, માર મારવો, ધાક-ધમકી આપવી જેવી ઘટનાઓ બને છે. આવી વધુ એક ઘટના સામે આવી છે જેમાં માથાભારે શખ્સોએ એક દલિત યુવકની જમીનનો સોદો કર્યા પછી તેને રૂપિયા દેવા ઘરે બોલાવ્યા બાદ તેના પર બંદૂકથી ફાયરિંગ કર્યું હતું, એટલાથી સંતોષ ન થતા લુખ્ખા તત્વોએ યુવક પર પેટ્રોલ છાંટી તેને આગ લગાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના દલિત-આદિવાસી અત્યાચારોની સૌથી વધુ ઘટનાઓ જે ત્રણ રાજ્યોમાં બને છે તે પૈકીના એક એવા મધ્યપ્રદેશની છે. અહીંના છતરપુર જિલ્લામાં એક દલિત યુવકને જીવતા સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. બદમાશોએ પહેલા દલિત યુવક પર ગોળીબાર કર્યો અને પછી તેને મૃત સમજીને તેના પર પેટ્રોલ રેડીને તેને જીવતો સળગાવી દીધો. હાલ યુવકને ગંભીર હાલતમાં છતરપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Even-today,-the-young-man-still-remembers-the-pain-of-breaking-his-bicycle-when-he-was-found-by-a-young-soldiers-kettle">આજેય એ યુવાન જવાનભાઈની કીટલીએ મળી જાય ત્યારે સાઈકલ તૂટ્યાની વેદનાને સંભારે છે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો છતરપુર જિલ્લાના રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવ પુલિયા ગામનો છે. અહીં રહેતા 57 વર્ષના નંદી અહિરવાર પર ગામના જ એક માથાભારે શખ્સે હુમલો કર્યો છે. થોડા દિવસો પહેલા નંદીએ તેનો એક પ્લોટ તે જ ગામના મનોજ પટેલને રૂ. 4 લાખ 50 હજારમાં વેચ્યો હતો. મનોજ પટેલે નંદીને પૈસાની લેણદેણ કવા માટે બોલાવ્યો હતો અને પછી તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્લોટનો સોદો ફાઇનલ થઈ ગયા બાદ મનોજના મોટા ભાઇ કમલેશ પટેલે નંદી અહિરવારને રકમ ચૂકવવા માટે બોલાવ્યો હતો. કમલેશ તેને બાઇક પર દેવ પુલિયા ગામથી લુગાસી ચોકી સુધી લઇ ગયો હતો. જ્યાં પુલ પાસે પહોંચ્યા બાદ તેણે મારામારી શરૂ કરી દીધી હતી. નંદીને માર માર્યા બાદ આરોપીઓએ તેના પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇજાગ્રસ્ત નંદીએ જણાવ્યું હતું કે, કમલેશ પટેલે દેશી બનાવટની પિસ્તોલના બટ વડે પહેલા તેના માથામાં અનેક વાર ઘા કર્યા હતા. જ્યારે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો, એ પછી તેના હાથમાં ફાયરિંગ કર્યું, જેનાથી તેનો આખો હાથ પણ ગંભીર રીતે તૂટી ગયો છે. આ હુમલા બાદ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. આરોપી જો કે આયલેથી પણ અટક્યો નહોતો, તેણે નંદી પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે છતરપુરના એસપી અગમ જૈનનું કહેવું છે કે ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. હાલ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/police-kidnap-tribal-youths-to-save-contractor-chaitar-vasava">કોન્ટ્રાક્ટરને બચાવવા પોલીસે આદિવાસી યુવકોને ચોર ખપાવ્યાઃ ચૈતર વસાવા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 08 Sep 2024 09:36:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1179</Articleid>
                    <excerpt>માથાભારે તત્વો દલિત યુવકને ગામથી બહાર લઈ ગયા, પછી તેના પિસ્તોલથી ફાયરિંગ કર્યું. એ પછી પણ યુવક જીવતો હોવાનું જણાતા તેના પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66dd222492159.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dd22245cce1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dd22245cce1.jpg" length="60530" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit crime, Atrocity, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંદી યુનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થીઓ VC વિરુદ્ધ અવાજ ઉઠાવતા સસ્પેન્ડ</title>
                    <link>https://khabarantar.com/dalit-students-in-hindi-university-suspended-for-raising-voice-against-vice-chancellor</link>
                    <guid>https://khabarantar.com/dalit-students-in-hindi-university-suspended-for-raising-voice-against-vice-chancellor</guid>
                    <description>
                        <![CDATA[ મહારાષ્ટ્રના વર્ધામાં આવેલી આંતરરાષ્ટ્રીય Hindi University માં દલિત વિદ્યાર્થીઓએ કુલપતિના કાળા કામોને ઉઘાડા પાડતા તેમનું PhD અટકાવી સસ્પેન્ડ કરી દીધાં છે. જાણો શું છે ષડયંત્ર. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના વર્ધામાં આવેલી આંતરરાષ્ટ્રીય હિન્દી યુનિવર્સિટી(International Hindi University)માં વાઇસ ચાન્સેલર(Vice Chancellor) અને યુનિવર્સિટી વહીવટીતંત્રની તાનાશાહીના કારણે દલિત-બહુજન સમાજના વિદ્યાર્થીઓ(Exploitation of Dalit Bahujan student)નું ભાવિ ધૂંધળું બની ગયું છે. તંત્ર દ્વારા યુનિવર્સિટી વિરોધી કૃત્યો કરવા અને સોશિયલ મીડિયા પર બદનક્ષીભરી સામગ્રી ફેલાવવાનો આરોપ લગાવતા ત્રણ દલિત વિદ્યાર્થીઓને સસ્પેન્ડ- હકાલપટ્ટી(suspend, Expulsion) કર્યા છે. આઠ મહિનાથી આ વિદ્યાર્થીઓ ન્યાયની આશામાં ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કોઈ સુનાવણી થઈ રહી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સસ્પેન્ડ કરાયેલા રિસર્ચ સ્ટુડન્ટ રાજેશ કુમાર કહે છે કે “હિન્દી યુનિવર્સિટી તંત્ર દ્વારા દલિત-બહુજન રિસર્ચ સ્કોલરોનું શોષણ કરવામાં આવે છે, તેમને કાયદા વિરૂદ્ધ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/how-to-celebrate-teachers-day-on-the-birthday-of-a-thesis-thief">એક થીસિસ ચોરના નામે શિક્ષક દિવસ કેવી રીતે મનાવી શકાય?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજેશનું કહે છે, "છેલ્લા 08 મહિનામાં અમારો પક્ષ સાંભળ્યા વિના યુનિવર્સિટી એક્ટની વિરુદ્ધ જઈને અમારી પીએચડી(Ph.D) રદ કરવામાં આવી છે. અમે તેને પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છીએ અને ઉચ્ચ શિક્ષણ સાથે સંબંધિત તમામ સંસ્થાઓમાં ફરિયાદો નોંધાવી છે, પરંતુ સંબંધિત સંસ્થાઓએ હજુ સુધી અમારી હકાલપટ્ટી/સસ્પેન્શન અંગે કોઈ પગલાં લીધા નથી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજેશ કુમાર કહે છે, "અમે લાંબા સમયથી યુનિવર્સિટીમાં ચાલી રહેલી ગેરરીતિઓ સામે કાયદાકીય રીતે વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધને કારણે પૂર્વ વાઇસ ચાન્સેલર રજનીશ શુક્લાએ </span><span style="font-size: 14pt;">તેમનો કાર્યકાળ પૂરો કર્યા વિના રાજીનામું આપવું પડ્યું હતું. તેના પર 50 થી વધુ શિક્ષકોની નિમણૂકોમાં ગોલમાલ કરવાનો અને એક શિક્ષિકાનું જાતીય શોષણ કરી તેના સ્ક્રીનશોટ્સ વાયરલ કરવાનો આરોપ હતો. શુક્લાના રાજીનામા પછી યુનિવર્સિટી એક્ટની વિરુદ્ધ જઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે IIM નાગપુરના ડિરેક્ટર ભીમરાવ મૈત્રીને વધારાનો હવાલો સોંપ્યો હતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમરાવ મૈત્રીએ એક સસ્પેન્ડ કરાયેલા શિક્ષક ધર્વેશ કઠેરિયાને કોઈ જ તપાસ અને નિર્ણય વિના રજિસ્ટ્રાર પદે નિયુક્ત કરી દઈ યુનિવર્સિટીનો સંપૂર્ણ હવાલો તેને સોંપી દીધો હતો. કઠેરિયા પર તેના હોદ્દાનો દુરુપયોગ કરીને નાણાકીય ગેરરીતિઓ અને નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કાર્યવાહી કરી હોવાના આરોપ લાગ્યા હતા, જેના કારણે વાઇસ ચાન્સેલરે તેને રજિસ્ટ્રારના પદ પરથી હટાવી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-is-the-strategy-of-rss-after-the-results-of-lok-sabha-elections-2024">2024 ની લોકસભા ચૂંટણીમાં પછડાટ ખાધા બાદ આરએસએસની રણનીતિ શું છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આરોપોની તપાસ માટે ન તો હજુ સુધી કોઈ કમિટી બનાવવામાં આવી છે, ન દોષિત અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. </span><span style="font-size: 14pt;">કેન્દ્ર દ્વારા વાઈસ ચાન્સેલર ભીમરાવ મૈત્રીની નિમણૂક સામે વરિષ્ઠ પ્રોફેસર લેલા કરુણ્યકારાએ નાગપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુનાવણી બાદ કોર્ટે વાઈસ ચાન્સેલરની નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ તે ગમ્યું નહોતું કે યુનિવર્સિટી એક્ટ અંતર્ગત એક દલિત શિક્ષક, જે કુલપતિ પદનો દાવેદાર પણ હતો, તે ગેરકાયદે નિમણૂક સામે હાઈકોર્ટમાં પહોંચી ગયો. આથી તેને એક ષડયંત્ર હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા અને અન્ય વરિષ્ઠ પ્રોફેસર કેકે સિંહને કાર્યકારી વાઇસ ચાન્સેલરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/paralyzed-at-the-age-of-11-the-dalit-girl-lit-up-the-country">11 વર્ષની ઉંમરે લકવો થઈ ગયો હતો, એ દલિત દીકરીએ દેશનું નામ રોશન કર્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્તમાન વાઇસ ચાન્સેલર કે.કે.સિંઘ અને રજિસ્ટ્રાર આનંદ પાટીલ દ્વારા 5 વિદ્યાર્થીઓનું સસ્પેન્શન અને હકાલપટ્ટી પાછી ખેંચવામાં આવી નથી. બે આર્થિક રીતે સક્ષમ વિદ્યાર્થીઓ નિરંજન કુમાર અને વિવેક મિશ્રા પોતાને હાંકી કાઢવાના અને સસ્પેન્શનના આદેશ પર સ્ટે લઈ આવ્યા હતા. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ હજુ પણ આ મામલે ન્યાયની રાહ જોઈ રહ્યાં છે. આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશે દલિત વિદ્યાર્થીઓના સસ્પેન્શન અને હકાલપટ્ટીને કુદરતી ન્યાયની વિરુદ્ધ માની છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમ છતાં વર્તમાન કુલપતિ કે.કે.સિંઘ અને રજીસ્ટ્રાર આનંદ પાટીલે છેલ્લા 8 મહિનામાં સત્તાવાર ઈમેલ, ફોન અને અંગત વ્હોટ્સએપ દ્વારા અનેક વખત જાણ કરવા છતાં કોઈ પગલાં લીધાં નથી. જે દલિત-બહુજન સમાજના વિદ્યાર્થીઓ વિરુદ્ધ એક સંગઠિત કાવતરું હોવાનું દર્શાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalits-and-ganeshotsava-from-here-i-can-float-from-here-i-can-sink">દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું...</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 07 Sep 2024 13:59:48 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 07 Sep 2024 14:01:27 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1176</Articleid>
                    <excerpt>મહારાષ્ટ્રના વર્ધામાં આવેલી આંતરરાષ્ટ્રીય Hindi University માં દલિત વિદ્યાર્થીઓએ કુલપતિના કાળા કામોને ઉઘાડા પાડતા તેમનું PhD અટકાવી સસ્પેન્ડ કરી દીધાં છે. જાણો શું છે ષડયંત્ર.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66dc0bbc3aa64.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dc0bbc05065.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dc0bbc05065.jpg" length="112441" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit news, Dalit Student Suspend, hindi university, wardha, Ph.D Student suspended</media:keywords>
                </item>
                        <item>
                    <title>માથાભારે તત્વોના ત્રાસના કારણે 40 દલિત બાળકોએ ભણતર છોડી દીધું</title>
                    <link>https://khabarantar.com/40-dalit-children-dropped-out-of-education-due-to-harassment-by-headstrong-elements</link>
                    <guid>https://khabarantar.com/40-dalit-children-dropped-out-of-education-due-to-harassment-by-headstrong-elements</guid>
                    <description>
                        <![CDATA[ સરકારી શાળામાં લુખ્ખા તત્વોએ માથાકૂટ કરી વાલીઓને ધમકી આપી કે તમારા બાળકોને અહીં ભણવા મોકલ્યા તો ખેર નથી. જેના કારણે 40 દલિત બાળકો શાળા છોડી ઘરે ભણવા મજબૂર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં દરેક ક્ષેત્રમાં ગરીબ, મધ્યમ અને પૈસાદાર એમ ત્રણ વર્ગ છે અને એ દરેક વર્ગના લોકો માટે અલગ પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વ ધરાવે છે. શિક્ષણની વાત કરીએ તો, દલિત-આદિવાસી-ઓબીસી-લઘુમતી સમાજના ગરીબ બાળકો માટે સરકારી પ્રાથમિક શાળાઓ છે, મધ્યમ વર્ગના સવર્ણો માટે નેતાઓ અને તેમના મળતિયાઓએ ખોલેલી મોંઘી ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ છે. જ્યારે પૈસાદારોના બાળકો કેન્દ્રીય વિદ્યાલયો કે ઈન્ટરનેશનલ સ્કૂલોમાં ભણે છે. આઝાદ ભારતની આ સચ્ચાઈ છે અને તેને કોઈ અવગણી શકે તેમ નથી. જો કે કેટલાક લોકો માંડ કરીને શિક્ષણ મેળવતા થયેલા દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજના બાળકોને સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતું શિક્ષણ પણ છીનવી લેવા માંગતા હોય છે. આવી જ એક ઘટનાની અહીં વાત કરવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ અને ધર્માંધતાના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીં એકબાજુ ભાજપના યોગી આદિત્યનાથની સરકાર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દરેક બાળકો ભણે તેવો સરકારી પ્રચાર કરી રહી છે. પણ અહીંના એક ગામમાં માથાભારે તત્વો દલિતોના બાળકો ભણવા ન જઈ શકે તે માટે તે માટે દાદાગીરી પર ઉતરી આવ્યા છે. આ તત્વોની ધાક એટલી છે કે આખા ગામના દલિતોએ તેમના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે. તેમને ડર છે કે, જો તેઓ માથાભારે તત્વોની મરજી વિરુદ્ધ તેમના બાળકોને શાળાએ મોકલશે તો માથાભારે તત્વો તેમના બાળકોને નુકસાન પહોંચાડશે. ભય એટલો બધો છે કે, ગામના આ શાળામાં અભ્યાસ કરતા દલિત સમાજના તમામ 40 જેટલાં બાળકોએ શાળાએ જવાનું બંધ કરી દઈને ઘરે જ ભણવાનું શરૂ કરી દીધું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માથાભારે તત્વોએ વાલીઓને ધમકી આપી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મૈનપુરી જિલ્લાના કરહલ તાલુકાના નગલા સીતારામ ગામની છે. અહીં એક બાજુ ભાજપની યોગી આદિત્યનાથ સરકાર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત છેવાડાના ગરીબમાં ગરીબ પરિવારના બાળકો ભણે તે માટે પ્રચાર કરી રહી છે, બીજી તરફ આ ગામમાં માથાભારે તત્વોના ભયને કારણે ગામના 40 જેટલાં દલિત બાળકોએ પ્રાથમિક શાળાએ જવાનું બંધ કરી દીધું છે અને છેલ્લાં ઘણાં દિવસોથી ઘરે જ ભણી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્કૂલમાં માથાકૂટ થઈ અને બાળકો-વાલીઓ ડરી ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નગલા સીતારામ ગામના દલિત પરિવારોના મોટાભાગના બાળકો અહીંની હરદાસપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પણ છેલ્લાં કેટલાક દિવસોથી તેઓ શાળાએ જતા નથી. 10-12 દિવસ પહેલા આ શાળામાં બાળકોને લઈને માથાકૂટ થઈ હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/40-people-of-5-dalit-families-migrated-due-to-the-torture-of-the-headstrong-elements"><span style="font-size: 14pt;">માથાભારે તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારના 40 લોકોએ હિજરત કરી</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202409/image_870x_66dbd6ff52655.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના કારણે કેટલાક માથાભારે તત્વો શાળામાં ઘૂસી આવ્યા હતા અને મારામારી કરી હતી. લુખ્ખા તત્વોએ જો કોઈએ પોતાના બાળકોને આ શાળામાં ભણવા મોકલ્યા તો સારું નહીં થાય, એવી ધમકી આપી હતી. આ ધમકીથી વાલીઓ એટલા ડરી ગયા છે કે, કોઈ પોતાના બાળકને શાળાએ મોકલવા તૈયાર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાળકોના મન પર ઘટનાની ગંભીર અસર પડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની કુમળા મનના બાળકો પર એટલી ગંભીર અસર પડી છે કે, તેઓ પણ હવે શાળાએ જતા ડરવા લાગ્યા છે. તેમને બીક છે કે જો તેઓ એકલા શાળાએ જશે તો માથાભારે તત્વો તેમને મારશે. આ બીકને કારણે વાલીઓ પણ તેમને શાળાએ મોકલતા નથી. એ રીતે હવે નગલા સીતારામના મોટાભાગના દલિત બાળકોએ પ્રાથમિક શાળાએ જવાનું બંધ કરી દીધું છે. ગામના 40થી વધુ દલિત બાળકો હવે પોતાના ઘરે જ રહીને ભણવા મજબૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિક્ષણ વિભાગ હકીકત જાણતો હોવા છતાં મૌન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સમાજના આ બાળકોના વાલીઓનું કહેવું છે કે, તેમણે પોતાના બાળકોની સલામતી અને માથાભારે તત્વોના ભયને કારણે તેમના બાળકોને સ્કૂલે ન મોકલવાનું મન બનાવી લીધું છે. શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ બધું જાણે છે, તેમ છતાં તેઓ મૌન ધારણ કરીને બેસી ગયા છે. અમને ન તો તેમના પર ભરોસો છે ન સરકારી સિસ્ટમ પર. વાલીઓ 10 દિવસ પહેલા શાળામાં થયેલી મારામારીની ઘટનાને લઈને શિક્ષકોએ જે બેદરકારી દાખવી તેને લઈને પણ ભારે નારાજ છે. તેમને લાગે છે કે, શિક્ષકોએ માથાભારે તત્વો સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. પણ તેમને પણ શિક્ષણ વિભાગ કે પોલીસ પર ભરોસો નથી. એટલે તેઓ કોઈ પગલાં લેતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વાલીઓએ મુખ્યમંત્રીની મદદ માંગી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ વિભાગ અને પોલીસ પરના અવિશ્વાસને કારણે હવે વાલીઓ અને બાળકોએ આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મદદ કરવા વિનંતી કરી છે. વાલીઓએ અને તેમના બાળકોએ "યોગી મેરી સુનો ફરિયાદ, હમ બચ્ચોં કો ન્યાય દો" ના નારા લગાવીને મુખ્યમંત્રીનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો છે. વાલીઓએ માથાભારે તત્વોની સાન ઠેકાણે લાવીને તેમના બાળકો મુક્તમને શાળાએ જઈ શકે તેવું વાતાવરણ પેદા કરવા વિનંતી કરી છે. જોવાનું એ રહેશે કે, છાશવારે બુલડોઝર ફેરવીને પોતાની તાકાત બતાવવું યોગી આદિત્યનાથનું સરકારી તંત્ર નગલા સીતારામના આ દલિત વિદ્યાર્થીઓની આ સમસ્યા ક્યારે સાંભળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/the-heady-elements-do-not-leave-my-land-despite-the-collectors-order"><strong>કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 07 Sep 2024 10:04:18 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 07 Sep 2024 14:01:49 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1174</Articleid>
                    <excerpt>સરકારી શાળામાં લુખ્ખા તત્વોએ માથાકૂટ કરી વાલીઓને ધમકી આપી કે તમારા બાળકોને અહીં ભણવા મોકલ્યા તો ખેર નથી. જેના કારણે 40 દલિત બાળકો શાળા છોડી ઘરે ભણવા મજબૂર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66dbd6ec2c4a9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dbd6ebef66d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dbd6ebef66d.jpg" length="120368" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Uttar Pradesh, Dalit News, Atrocity</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજસ્થાનના દલિત નાયબ મુખ્યમંત્રી Premchand Bairwa સાથે ભેદભાવ?</title>
                    <link>https://khabarantar.com/discrimination-against-rajasthans-dalit-deputy-chief-minister-premchand-bairwa</link>
                    <guid>https://khabarantar.com/discrimination-against-rajasthans-dalit-deputy-chief-minister-premchand-bairwa</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદ માટે કુખ્યાત રાજસ્થાનમાં હવે નાયબ મુખ્યમંત્રી Premchand Bairwa સાથે ભેદભાવ થઈ રહ્યો હોવાનો વિપક્ષોએ આરોપ લગાવ્યો છે. વાંચો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Discrimination against Deputy CM Premchand Bairwa: જાતિ હૈ કી જાતી નહીં. - આ વાક્ય દલિતો પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે કહેતા હોય છે. પણ લાગે છે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી(Deputy CM) પણ અંદરખાને આ વાક્ય બોલતા હોય તો નવાઈ નહીં. સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો એકબાજુ એસસી-એસટીની અનામતને આર્થિક બાબતો સાથે જોડીને ક્રિમીલેયર અને પેટાવર્ગીકરણ દાખલ કરવા ચૂકાદા આપે છે. પણ હકીકત એ છે કે, અનામત સંપૂર્ણપણે જાતિગત ભેદભાવના આધારે અપાઈ છે. દલિતો ગમે તેટલા મોટા હોદ્દા પર પહોંચી જાય તો પણ તેમનું મૂલ્યાંકન તેમની જાતિ જોઈને જ થાય છે અને તેનું તાજું ઉદાહરણ ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન(Rajasthan)ના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા છે. અહીં વિપક્ષોએ તેમની સાથે જાતિગત ભેદભાવ થઈ રહ્યાનો આરોપ લગાવ્યો છે અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર તેની જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ પર દલિત-આદિવાસી વિરોધી હોવાનો આરોપ સતત લાગતો રહે છે, ત્યારે તેને વધુ મજબૂતી મળતી હોય તેવું એક ઉદાહરણ ભાજપ સાશિત રાજસ્થાનમાંથી સામે આવ્યું છે. જ્યાં ખુદ નાયબ મુખ્યમંત્રી સાથે જાતિ આધારિત ભેદભાવ રાખવામાં આવતો હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા સાથે બ્રાહ્મણ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને તેમની સરકારના ઉચ્ચ અધિકારીઓ યોગ્ય વ્યવહાર ન કરતા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે, પ્રેમચંદ બૈરવા દલિત સમાજમાંથી આવે છે, એટલે તેમની સાથે દરેક મોટા કાર્યક્રમોમાં ભેદભાવ કરવામાં આવે છે. તેના ઉદાહરણો આપતા વિપક્ષે કહ્યું કે, બૈરવાએ ડિસેમ્બર 2023 માં પદ સંભાળ્યું ત્યારે તેમના શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ગેરહાજર રહ્યા હતા. જો કે કથિત સવર્ણ જાતિના દિયાકુમારીએ નાયબ મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યો ત્યારે સીએમ સહિત બધાં હાજર રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Exclusive:-Age-and-height-also-make-social-distinctions">Exclusive: ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે!</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી બીજી એક ઘટના ગઈકાલ 5 સપ્ટેમ્બરની છે. જ્યારે જયપુરમાં આયોજિત શિક્ષક દિવસની ઉજવણી દરમિયાન સ્ટેજ પર હાજર તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ દલિત સમાજમાંથી આવતા નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાને બાકાત રાખવામાં આવ્યા હતા. મંચ પર શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર હતા તેમણે બાદમાં પોતાની ભૂલ સ્વીકારી હતી કે તેઓ બૈરવાનું સન્માન કરવાનું ભૂલી ગયા હતા, જો કે એ પછી પણ તેમણે નાયબ મુખ્યમંત્રીનું સન્માન કર્યું નહોતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના સામે આવ્યા બાદ વિપક્ષના નેતા ટીકારામ જુલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે આ પ્રસંગનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, ભાજપ હંમેશાથી દલિત વિરોધી પાર્ટી રહી છે. ટીકારામ જુલીએ બૈરવાએ ચાર્જ સંભાળ્યો ત્યારે તેમની સાથે થયેલી વર્તણૂંકની પણ યાદ અપાવી હતી જેમાં મુખ્યમંત્રી સહિત કોઈ મંત્રી હાજર નહોતા રહ્યા. પરંતુ સવર્ણ સમાજના અન્ય નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ ચાર્જ સંભાળ્યો ત્યારે સીએમ સહિત બધાં હાજર હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીકારામ જુલીએ શિક્ષક દિને આયોજિત કાર્યક્રમના સંદર્ભે એક પ્રશ્ન પણ પૂછ્યો હતો કે, મુખ્યમંત્રીની હાજરીમાં દલિત નાયબ મુખ્યમંત્રી સાથે આવો વ્યવહાર કેવી રીતે થઈ શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-dalit-student-jumped-off-the-roof-after-being-discriminated-against-in-a-hostel">દલિત વિદ્યાર્થિની સાથે હોસ્ટેલમાં ભેદભાવ થતાં ધાબા પરથી કૂદી ગઈ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, આ મામલે પ્રેમચંદ બૈરવાએ પોતે ડિસેમ્બર 2023માં પદ સંભાળતા સમયે મંત્રીઓની ગેરહાજરી અંગેની સોશિયલ મીડિયા પોસ્ટને ખોટા સમાચાર ગણાવીને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, વિપક્ષના કેટલાક લોકો આવી અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમણે આવી રણનીતિઓમાં સામેલ થવાને બદલે રાજસ્થાનને વિકસિત રાજ્ય બનાવવા માટે કામ કરવું જોઈએ. પરંતુ થોડા સમય પછી બૈરવાએ રસ્તાઓના વિકાસને લગતા મુદ્દાઓ પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે તંત્રમાં કોઈ તેમની વાત સાંભળતું નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન ગઈકાલની શિક્ષક દિનની ઉજવણીમાં પ્રેમચંદ બૈરવા સાથે ઘટેલી ઘટનાને કારણે ટીકારામ જુલીએ ફરી એકવાર તેમની સાથે જાતિગત ભેદભાવ થઈ રહ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે, શું નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાની વારંવાર થઈ રહેલા ઉપેક્ષા તેમના દલિત હોવાને કારણે છે? તેમણે સીધો મુખ્યમંત્રી ભજનલાલ શર્માને સવાર કર્યો હતો કે, "મુખ્યમંત્રીની હાજરીમાં આ પ્રકારનું વર્તન કેવી રીતે સહન કરી શકાય? શું ભાજપ સરકારમાં દલિતો સાથે આવું વર્તન થતું રહેશે?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જો કે, સરકાર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી કે નથી દલિત સમાજમાંથી આવતા નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી. ત્યારે જોવાનું એ રહેશે કે વિપક્ષના આ આરોપોનો સરકાર કેવી રીતે જવાબ આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Discrimination-in-submission-of-caste-certificate-too:-Supreme-Court-orders-Gujarat-govt-to-appoint-2-candidates-after-16-years">જાતિનું પ્રમાણપત્ર  જમા કરાવવામાં પણ ભેદભાવઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 16 વર્ષ પછી 2 ઉમેદવારોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Sep 2024 13:15:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1171</Articleid>
                    <excerpt>જાતિવાદ માટે કુખ્યાત રાજસ્થાનમાં હવે નાયબ મુખ્યમંત્રી Premchand Bairwa સાથે ભેદભાવ થઈ રહ્યો હોવાનો વિપક્ષોએ આરોપ લગાવ્યો છે. વાંચો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66dab1e0e8434.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dab1e0b116d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66dab1e0b116d.jpg" length="50135" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Premchand Bairwa, Deputy cm Rajasthan</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત પરિવારની બે સગી બહેનોને 40 દિવસ સુધી ગોંધી રાખી ગેંગરેપ</title>
                    <link>https://khabarantar.com/two-cousins-of-a-dalit-family-were-gang-raped-for-40-days</link>
                    <guid>https://khabarantar.com/two-cousins-of-a-dalit-family-were-gang-raped-for-40-days</guid>
                    <description>
                        <![CDATA[ એક જ પરિવારની બે સગી સગીર બહેનોનું અપહરણ કરી 40 દિવસ સુધી ગોંધી રાખી તેમના પર ગેંગરેપ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત, આદિવાસી સમાજના લોકો પર અત્યાચારની દરરોજ કોઈને કોઈ એવી ઘટના બને છે જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ માણસનું દિલ દ્રવી ઉઠે. પણ આ દેશના કથિત સવર્ણોને કદી પણ એસસી-એસટી સમાજની બહેન-દીકરી પર થતા અત્યાચારની જરા પણ પરવા નથી. કોલકાતામાં એક સવર્ણ સમાજની દીકરી પર રેપ થયો તેના પ્રત્યે ચોક્કસ આપણી સંવેદનાઓ હોય જ. પણ તેના પછી ભારતમાં અનેક દલિત, આદિવાસી, ઓબીસી સમાજની દીકરીઓ પર બળાત્કારની ઘટનાઓ બની છે, પણ તેમની જાણે કોઈ કિંમત જ ન હોય તેવી સ્થિતિ છે. કોલકાતામાં સવર્ણ સમાજની દીકરી પર રેપ થયો તો મમતા સરકારે બળાત્કાર વિરોધી કાયદો બનાવ્યો અને ભાજપે પણ તેનું સમર્થન કર્યું. નિર્ભયાકાંડમાં પણ મૃતક યુવતી સવર્ણ હતી એટલે મનુ મીડિયાએ આખો મામલો ચગાવેલો, અગાઉ તેલંગાણામાં એક સવર્ણ ડોક્ટર યુવતીને બે અજાણ્યા યુવકોએ સળગાવી દીધી તો તેનું એન્કાઉન્ટર કરીને ત્વરિત ન્યાયમાં ખપાવવામાં આવેલ. પણ દલિત-આદિવાસી સમાજની દીકરી પર દરરોજ કોઈને કોઈ જગ્યાએ રેપ-છેડતી-હત્યા થતી હોવા છતાં કોઈનું રૂંવાડુંયે ફરકતું નથી. આ સ્પષ્ટપણે જાતિવાદ છે અને સવર્ણ કદી આ વાસ્તવિકતા સ્વીકારવાના નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટનાએ હાલ દેશભરમાં ચકચાર જગાવી છે. જેમાં એક દલિત પરિવારની બે સગી બહેનોને 40 દિવસ સુધી ગોંધી રાખીને તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. બંને દીકરીઓ શાળાએથી પરત ફરી રહી હતી ત્યારે ગુમ થઈ હતી. એ પછી અન્ય રાજ્યમાંથી તેમની ભાળ મળી હતી. હવે આ મામલે દલિત સમાજે પોલીસની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા છે અને ન્યાયની માંગ સાથે આંદોલન છેડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના રાજસ્થાનના હનુમાનગઢી જિલ્લાના નુકેરા ગામની છે. જ્યાં શાળાએથી પરત ફરી રહેલી દલિત પરિવારની બે સગી બહેનોનું અપહરણ કરીને તેમને 40 દિવસ સુધી ગોંધી રાખી તેમના પર રેપ કરવામાં આવ્યો છે. પોલીસે બંને બહેનોને હરિયાણાથી શોધી કાઢી છે અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસની કામગીરી પર આંગળી ચિંધાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સગીરાના પરિવારજનોનો આરોપ છે કે, લગભગ 40 દિવસ સુધી ઘરેથી ગૂમ રહેલી બંને સગી બહેનોને ગોંધી રાખીને ગેંગરેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે, 27 ઓગસ્ટે તેમણે ગામલોકો સાથે જિલ્લા પોલીસ વડા વિકાસ સાંગવાનની મુલાકાત લઈને બંને દીકરીઓને વહેલીતકે શોધી કાઢવા માટે વિનંતી કરી હતી. પણ પોલીસે કશું કર્યું નહોતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંને દીકરીઓની ઉંમર 12 અને 14 વર્ષની છે. બંને 20 જુલાઈના રોજ પોતાના ગામ નુકેરાની શાળાએથી ઘરે પરત આવતી વખતે ગુમ થઈ ગઈ હતી. એ પછી તેના પરિવારે પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી હતી. એ પછી 40 દિવસ સુધી પોલીસે કશી પણ કામગીરી કરી નહોતી અને અચાનક એક દિવસ હરિયાણાના આદમપુરથી બંને દીકરીઓ મળી આવી હતી. એ પછી પોલીસ તેમને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી દીધી હતી, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. બુધવારે બંનેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સમાજમાં ભારે રોષ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ આ ઘટનાને લઈને દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને તે સતત પોલીસની બેદરકારીના આરોપ લગાવી રહ્યો છે. મંગળવારે હનુમાનગઢ જિલ્લા હોસ્પિટલ બહાર દલિત સમાજના જુદા જુદા સંગઠનોએ પીડિતાને ન્યાય માટે ઘરણાં કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/dalit-leader-of-bjps-minor-daughter-was-raped-by-4-persons-in-a-car"><span style="font-size: 14pt;"> </span></a></strong></span> <a href="https://khabarantar.com/Bihar-caste-survey-report:-Dalits-the-poorest-and-general-category-people-the-least-poor"><strong>bihar caste survey report:  દલિતો સૌથી ગરીબ અને જનરલ કેટેગરીના લોકો સૌથી ઓછા ગરીબ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત આગેવાનોનું કહેવું છે કે, 40 દિવસ સુધી દીકરીઓને ગોંધી રાખીને આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. છતાં પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ન આવી. ઉશ્કેરાયેલા દલિત સમાજના લોકોએ હોસ્પિટલની ચોકીમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. દલિત સમાજના લોકોની માંગ છે કે, સંગરિયા પોલીસ અધિકારી ધર્મપાલ શેખાવતને દૂર કરવામાં આવે અને પરિવારજનોને ન્યાય આપવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનનું રાજકારણ ગરમાયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા ગોવિંદ સિંહ ડોટાસરાએ સ્થાનિક ભજનલાલ શર્મા સરકારને આડે હાથ લેતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, હનુમાનગઢના નુકેરા ગામની નાયક સમાજની બે સગીર દીકરીઓનું અપહરણ કરી, ગોંધી રાખી અંદાજે 40 દિવસ સુધી ગેંગરેપની ભયાનક ઘટનાથી મન દુઃખ અને ક્રોધથી ભરાઈ ગયું છે. બંને દીકરીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, બંને જલદી સાજી થાય તેવી પ્રાર્થના. સરકાર બંને દીકરીઓને ન્યાય અપાવે અને આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે લખ્યું હતું કે, હનુમાનગઢના સંગરિયા તાલુકાના નુકેરા ગામમાં દલિત સમાજની બે સગી સગીર બહેનોને શાળાએથી ઉપાડી જઈ અલગ અલગ જગ્યાએ તેમના પર સામૂહિક દુષ્કર્મ કરવાની આ ઘટના માનવતાને શર્મશાર કરે છે. મળતી માહિતી પ્રમાણે બંને બહેનોની સ્થિતિ ગંભીર છે, તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે મેં રાજસ્થાનના ડીજીપી અને હનુમાનગઢના એસપી સાથે ફોન પર ચર્ચા કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સંગઠનો આજે આંદોલન અંગે નિર્ણય કરશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં પોલીસની શંકાસ્પદ કામગીરીને લઈને હવે દલિત સમાજ મેદાનમાં આવ્યો છે અને તેણે મોટું આંદોલન છેડ્યું છે. અગાઉ દલિત સંગઠનોએ પોલીસ સ્ટેશન બહાર ધરણાં કર્યા હતા. હવે આજે અહીં મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. આંદોલનકારીઓ સાથેની વાતચીત બાદ મોડી સાંજે એક સંમતિ સધાઈ જતાં ધરણાંનો અંત આવ્યો હતો અને દેખાવકારોએ કહ્યું છે કે જો આરોપી પોલીસ કર્મચારીઓની તપાસ કરીને કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ 6 સપ્ટેમ્બરે મોટું આંદોલન કરશે. જિલ્લા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બંને દીકરીઓને સારવાર બાદ મોડી સાંજે રજા આપવામાં આવી હતી. બંને બહેનો હવે પોતાના ઘરે પરત ફરી છે. હવે પોલીસ આ કેસની તપાસ શરૂ કરીને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવાની વાત કરી રહી છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે દીકરીઓને સશક્ત કરવાના દાવાઓ વચ્ચે સમાજને કલંકિત કરતી આવી ઘટનાઓ પર કાયમી પૂર્ણવિરામ ક્યારે લાગશે. સરકાર ક્યારે તેમની કથની અને કરણી વચ્ચેના અંતરને દૂર કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/dalit-leader-of-bjps-minor-daughter-was-raped-by-4-persons-in-a-car"><span style="font-size: 14pt;"> ભાજપના દલિત નેતાની સગીર દીકરી સાથે 4 શખ્સોએ કારમાં રેપ કર્યો</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Sep 2024 10:18:56 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 06 Sep 2024 10:25:09 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1170</Articleid>
                    <excerpt>એક જ પરિવારની બે સગી સગીર બહેનોનું અપહરણ કરી 40 દિવસ સુધી ગોંધી રાખી તેમના પર ગેંગરેપ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66da8949d0b3d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66da89499fe07.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66da89499fe07.jpg" length="100394" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit girl gang rape, kidnepped</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવતીને ગોંધી રાખી પરાણે દારૂ પીવડાવી 5 યુવકોએ ગેંગરેપ કર્યો</title>
                    <link>https://khabarantar.com/5-youths-gang-raped-a-dalit-girl-after-forcing-her-to-drink-alcohol</link>
                    <guid>https://khabarantar.com/5-youths-gang-raped-a-dalit-girl-after-forcing-her-to-drink-alcohol</guid>
                    <description>
                        <![CDATA[ દલિત પરિવારની એક દીકરીને પાંચ યુવકોએ 5 દિવસ સુધી ગોંધી રાખી, બળજબરીથી દારૂ પીવડાવી તેની સાથે ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Jaisalmer Dalit girl gang-raped: કોલકાતામાં થયેલા રેપની ઘટનામાં આરોપીનું નામ જગજાહેર છે, પણ મનુ મીડિયા જ્યારે પણ દલિત સમાજની કોઈ દીકરી કે મહિલા પર બળાત્કારની ઘટના બને છે ત્યારે આરોપીઓનું નામ ચોક્કસ છુપાવીને રાખે છે. આ ઘટનામાં પણ આવું જ થયું છે. દલિત પરિવારની એક દીકરી શહેરની નજીકના એક ગામમાં રૂમ ભાડે રાખીને ભણી રહી હતી. તેના પર ગામના જ 5 યુવકોએ બળજબરીથી દારૂ પીડવાની ગેંગરેપ કર્યો હતો. આટલી ક્રૂર ઘટના હોવા છતાં મનુ મીડિયાએ ક્યાંય પણ આરોપીઓના નામ લીક નથી થવા દીધા. આ ચાલાકી બહુજન સમાજે સમજવી પડશે. આવું ક્યાં સુધી ચાલશે? તેના માટે જરૂરી છે કે આપણું પોતાનું મીડિયા તેમના કરતા વધુ મજબૂત હોય. આટલા કાયમી આક્રોશ સાથે મૂળ ઘટનાની વાત કરીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક ગામમાં દલિત પરિવારની એક દીકરી રૂમ ભાડે રાખીને ગામમાં જ ભણતી હતી. તેને ગામના 5 યુવકો બળજબરીથી ઉઠાવીને નજીકના શહેરમાં લઈ ગયા હતા. જ્યાં તેને પરાણે દારૂ પીવડાવ્યો હતો. જેવો યુવતીને નશો ચડ્યો, એ પછી યુવકોએ પોતે પણ દારૂ પીધો અને પછી વારાફરતી તેણી પર બળાત્કાર કર્યો હતો. આ રીતે યુવતીને પાંચ દિવસ સુધી ગોંધી રાખીને ગેંગરેપ કરતા રહ્યા હતા. એ પછી યુવતીને ગામથી દૂર લાવીને છોડી દીધી હતી. યુવતી અર્ધબેભાન હાલતમાં પડી હતી, જેની જાણ કોઈએ પોલીસને કરતા પોલીસ આવી પહોંચી હતી અને આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગેંગરેપ અને એસસી-એસટી એક્ટ સહિતની કલમોના આધારે પાંચ યુવકો સામે ફરિયાદ નોંધીને ચારની ધરપકડ કરી લીધી છે, જો કે હજુ પણ એક આરોપી ફરાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનના જેસલમેરની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાન(Rajasthan)ની છે. અહીં જેસલમેર(Jaisalmer)માં એક દલિત યુવતી પર પાંચ યુવકોએ ગેંગરેપ(Gang rape) કર્યો હતો. પહેલા આરોપી યુવતીને જેસલમેર શહેરમાં લઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/A-story-of-five-and-a-half-years-of-struggle-to-get-a-government-job"><span style="font-size: 14pt;">સરકારી નોકરી મેળવવા માટેના સાડા પાંચ વર્ષના સંઘર્ષની કથા</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યાં તેને બળજબરીથી દારૂ પીવડાવવામાં આવ્યો હતો. જ્યારે તેણીને નશો ચડ્યો એ પછી આરોપીઓએ પોતે દારૂ પીધો હતો, અને પછી નશાની હાલતમાં યુવતી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. યુવતીની ફરિયાદ પર પોલીસે ગેંગરેપ અને SC/ST એક્ટ હેઠળ પાંચેય આરોપીઓ વિરુદ્ધ FIR નોંધીને અને ચારની ધરપકડ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાંચ દિવસ સુધી યુવતીને ગોંધી રાખી ગેંગરેપ કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે સાંજે 19 વર્ષની પીડિતા દલિત યુવતી જેસલમેર મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે પોલીસને તેની સાથે થયેલા ગેંગરેપની ઘટના વિશે જણાવ્યું હતું. યુવતીના જણાવ્યા પ્રમાણે તે, જેસલમેર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ભાડાના રૂમમાં રહે છે અને ગામની એક શાળામાં અભ્યાસ કરે છે. ગયા મહિને 28 ઓગસ્ટના રોજ, તે જ ગામના પાંચ યુવકો તેણીને બળજબરીપૂર્વક તેમની સાથે શહેરમાં લઈ ગયા હતા. ત્યાંના એક ઘરમાં લઈ જઈને પહેલા યુવકોએ તેને પરાણે દારૂ પીવડાવ્યો હતો, પછી નશામાં ધૂત થઈને તેની સાથે ગેંગરેપ કર્યો. યુવકોએ તેને પાંચ દિવસ સુધી ગોંધી રાખી હતી. એ પછી 2 સપ્ટેમ્બરના રોજ તેને ગામની બહાર ફેંકીને ભાગી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાંચેય યુવકો એક જ ગામના છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલાની માહિતી આપતા એએસપી પ્રિયંકા કુમાવતે કહ્યું કે પીડિત યુવતી અન્ય જિલ્લાની રહેવાસી છે. તે જેસલમેરના એક ગામમાં અભ્યાસ કરે છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે પાંચ યુવકોએ તેને જેસલમેરના એક ગામથી જેસલમેર શહેરમાં લાવીને તેને દારૂ પીવડાવી તેની સાથે ગેંગરેપ કર્યો હતો. પાંચેય યુવકો જેસલમેરના એક જ ગામના રહેવાસી છે.  આ મામલે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને ચાર યુવકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપી યુવક ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ ચાલુ છે. આ કેસની તપાસ એએસપી રાજેશ શર્માને સોંપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">SC-ST એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ASP પ્રિયંકા કુમાવતે જણાવ્યું કે, 2 સપ્ટેમ્બરે યુવતી નશાની હાલતમાં ગામલોકોને મળી હતી. એ પછી તેને પોલીસ દ્વારા જવાહિર હોસ્પિટલ લઈ જઈને સારવાર કરાવવામાં આવી હતી. સારવાર બાદ તેને સખી સેન્ટરમાં રાખવામાં આવી હતી. તેના પરિવારજનોના આવ્યા બાદ યુવતીએ ગામના પાંચ યુવકો પર ગેંગરેપની ફરિયાદ કરી હતી. હાલ પોલીસે SC/ST એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ પાંચેય આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/a-dalit-girl-was-raped-and-stabbed-to-death">દલિત કિશોરી પર દુષ્કર્મ આચરી છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Sep 2024 10:34:23 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1166</Articleid>
                    <excerpt>દલિત પરિવારની એક દીકરીને પાંચ યુવકોએ 5 દિવસ સુધી ગોંધી રાખી, બળજબરીથી દારૂ પીવડાવી તેની સાથે ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d93ba7c7696.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d93ba7990e4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d93ba7990e4.jpg" length="50027" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Rape</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવતીનું અપહરણ કરી 4 યુવકોએ ગેંગરેપ કર્યો, એકની ધરપકડ</title>
                    <link>https://khabarantar.com/dalit-girl-kidnapped-and-gang-raped-by-4-youths-one-arrested</link>
                    <guid>https://khabarantar.com/dalit-girl-kidnapped-and-gang-raped-by-4-youths-one-arrested</guid>
                    <description>
                        <![CDATA[ વધુ એક દલિત યુવતી પર બળાત્કાર થયાનું સામે આવ્યું છે. 4 યુવકોએ મળીને યુવતીનું અપહરણ કરી તેના પર ગેંગરેપ કર્યો હતો. પોલીસે એકની ધરપકડ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Meerut Gangrape: સવર્ણોનું લોહી માત્ર તેમની જાતિની દીકરીઓ પર થતા બળાત્કારમાં જ ઉકળે છે, બાકી દલિત-આદિવાસી સમાજની દીકરીઓ પર દેશમાં અનેક બળાત્કારની ઘટનાઓ બનતી હોવા છતાં તેમનું રૂંવાડું પણ ફરકતું નથી. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં થયેલા બળાત્કારમાં યુવતી સવર્ણ જાતિની હોવાથી રાજકારણીઓ, મીડિયા, કથિત એક્ટિવિસ્ટો, સામાજિક સંગઠનોથી લઈને આખી સવર્ણ લોબી રસ્તા પર ઉતરી આવી છે. આવું જ કંઈક નિર્ભયાકાંડ વખતે પણ થયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે કોલકાતાની ઘટના પછીના અત્યાર સુધીના સમયગાળામાં દલિત, આદિવાસી સમાજની બહેન-દીકરીઓ પર રેપ-ગેંગરેપની અનેક ઘટનાઓ બની ચૂકી છે, પણ તેમાં આ સવર્ણ લોબીનું રૂંવાડું પણ ફરકર્યું નથી. તેનાથી ઉલટું ભાજપ-કોંગ્રેસ જેવા પક્ષો જો કોઈ રેપ કેસમાં આરોપીઓ લઘુમતી કોમના હોય તો રાજકીય ફાયદો જોઈને તરત તેમાં કૂદી પડે છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ કનેક્શન સામે આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશની છે. અહીં મેરઠમાં એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. ચારથી વધુ યુવકો પર ગેંગરેપનો આરોપ છે. મામલો મેરઠના ફલાવડા પોલીસ સ્ટેશનના એક ગામનો છે. અહીં એક દલિત યુવતી 29 ઓગસ્ટના રોજ શૌચ કરવા ગઈ હતી, ત્યારે ગામના જ સમીર, રાજા અને એક અજાણ્યા યુવકે તેમના સાગરિતો સાથે મળીને તેનું અપહરણ કર્યું હતું અને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. 30 ઓગસ્ટના રોજ, યુવતી ગામથી કેટલાક કિલોમીટર દૂર અન્ય ગામમાં હતાશ હાલતમાં મળી આવી હતી. તેની હાલત જોઈને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તેને સારવાર માટે મોકલવામાં આવી હતી. જ્યાં તેના પર ગેંગરેપ થયો હોવાનું સામે આવ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/dalit-minor-gang-raped-in-bjp-leaders-marriage-home"><strong> </strong></a><a href="https://khabarantar.com/a-case-has-been-registered-against-the-impostor-indian-baba-who-committed-1320-rapes-in-22-years-in-london"><strong> લંડનમાં 22 વર્ષમાં 1320 રેપ કરનાર ઢોંગી ભારતીય બાબા પર કેસ નોંધાયો</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામૂહિક બળાત્કારના તમામ ગુનેગારો લઘુમતી કોમના હોવાનું પ્રકાશમાં આવતાં જ હિન્દુ સંગઠનોએ ફલાવડા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને પોલીસ પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો હતો. હિન્દુ સંગઠનોએ મોટા આંદોલનની ચેતવણી આપી છે. આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, બજરંગ દળના જિલ્લા પ્રમુખ આદેશ ચૌધરીએ ચેતવણી આપી છે કે, જો જલ્દી કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો મોટો વિરોધ કરવામાં આવશે. તેમણે સવાલ કર્યો કે પોલીસ કેમ બેકફૂટ પર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આ મામલે કેસ દાખલ કરીને ગામના જ સમીર, રાજા અને એક અજાણ્યા યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. SHO ફલાવડા રાજેશ કંબોજનું કહેવું છે કે પોલીસે ગેંગરેપના મુખ્ય આરોપી સમીરની ધરપકડ કરી લીધી છે, જ્યારે બાકીના આરોપીઓને શોધવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે, તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. યુવતીના 161 ના નિવેદનો લેવાયા છે જ્યારે 164ના નિવેદન લેવાની તૈયારી ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિંદુ સંગઠનોની ચાલાકી સમજો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં બહુજન સમાજ માટે એક મહત્વની બાબત સમજવા જેવી છે. દેશભરમાં એસસી, એસટી, ઓબીસી સમાજની બહેન-દીકરીઓ પર દરરોજ કોઈને કોઈ જગ્યાએ રેપ થયાના સમાચાર આવે છે. પણ કોઈ હિંદુ સંગઠનો ખાસ કરીને RSS, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની કે ભાજપની કોઈ પાંખના કાર્યકરો તેમની વ્હારે આવતી નથી. કેમ કે, મોટાભાગના કેસોમાં આરોપીઓ કથિત સવર્ણ જાતિના હોય છે અને આ તમામ સંગઠનો તેમના માટે જ કામ કરે છે. કહેવાતા આ હિંદુ સંગઠનો ત્યારે જ આવા કેસોમાં મેદાનમાં ઉતરે છે જ્યારે તેમને રાજકીય લાભ દેખાતો હોય. આ કેસમાં આરોપીઓ લઘુમતી સમાજના હોવાથી હિંદુ સંગઠનો તરત મેદાનમાં આવી ગયા છે અને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી રહ્યાં છે. પરંતુ આ જ કેસમાં જો આરોપી 'સલીમ'ની જગ્યાએ 'શર્માનો દીકરો' હોત તો આ જ હિંદુ સંગઠનો તેનાથી અંતર જાળવીને છુપાઈ ગયા હોત. આવું માત્ર ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા સંગઠનો જ નથી કરતા. કોંગ્રેસ સહિતના પક્ષોમાં બેઠેલા સવર્ણોનું પણ આ જ સ્ટેન્ડ હોય છે. એટલે દલિતોએ પોતાના પ્રશ્નો માટે પોતે જ લડવું પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/dalit-minor-gang-raped-in-bjp-leaders-marriage-home"><strong> ભાજપ નેતાના મેરેજ હોમમાં દલિત સગીરા સાથે ગેંગરેપ થયો?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Sep 2024 13:21:29 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 03 Sep 2024 14:56:51 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1156</Articleid>
                    <excerpt>વધુ એક દલિત યુવતી પર બળાત્કાર થયાનું સામે આવ્યું છે. 4 યુવકોએ મળીને યુવતીનું અપહરણ કરી તેના પર ગેંગરેપ કર્યો હતો. પોલીસે એકની ધરપકડ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d6bde48d688.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d6bde459645.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d6bde459645.jpg" length="71878" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit girl gang rape, kidnepped, UP, Merrut News, AHP, VHP, Bajarang Dal</media:keywords>
                </item>
                        <item>
                    <title>11 વર્ષની ઉંમરે લકવો થઈ ગયો હતો, એ દલિત દીકરીએ દેશનું રામ રોશન કર્યું</title>
                    <link>https://khabarantar.com/paralyzed-at-the-age-of-11-the-dalit-girl-lit-up-the-country</link>
                    <guid>https://khabarantar.com/paralyzed-at-the-age-of-11-the-dalit-girl-lit-up-the-country</guid>
                    <description>
                        <![CDATA[ પેરિસ પેરાલિમ્પિકમાં સળંગ બે ગોલ્ડ મેડલ જીતનારી દલિત સમાજની દીકરી અવની લેખરાનો સંઘર્ષ અનેક લોકોને પ્રેરણા આપે તેવો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Avni Lekhra's struggle: દલિત સમાજમાંથી આવતી અવની લેખરા(Avni Lekhra)એ પેરિસ પેરાલિમ્પિક્સ 2024(Paris Paralympics 2024)માં ગોલ્ડ મેડલ(Gold Medal) જીતીને ઈતિહાસ રચી દીધો છે. તે સતત બે પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ(First Indian female athlete) બની ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં શાનદાર શરૂઆત કરી છે. ભારતની અવની લેખારા (The Golden Girl) એ પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલ(10 meter air rifle) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને સતત બીજી વખત ઓલિમ્પિક સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલા તેણે ટોક્યો પેરાલિમ્પિક(Tokyo Paralympics)માં પણ આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસમાં તેણે નવો રેકોર્ડ બનાવ્યો અને મહિલાઓની 10 મીટર એર રાઈફલ SH1 ઈવેન્ટમાં પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અવની લેખા ભારતીય રમતગમત ક્ષેત્રની ઉભરતી સ્ટાર છે. પોતાના દૃઢ નિશ્ચય અને મહેનતથી તેણે રમતગમતની દુનિયામાં એક નવો દાખલો બેસાડ્યો છે, પરંતુ તેની સફર આસાન રહી નથી. તેની સંઘર્ષ યાત્રાએ સાબિત કર્યું છે કે મુશ્કેલ પરિસ્થિતિ છતાં સમર્પણ અને મહેનતથી અસાધારણ સિદ્ધિઓ મેળવી શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અવનીની સફળતા પાછળ ઘણાં વર્ષોની મહેનત અને જુસ્સો છે. તેની સફર ઘણી મુશ્કેલ રહી છે. પણ તેનો સંઘર્ષ અને સફળતાની કહાની પ્રેરણાદાયી છે, જે દર્શાવે છે કે મુશ્કેલ સંજોગોમાં પણ મજબૂત મનોબળ અને સખત મહેનતથી મોટી સિદ્ધિઓ મેળવી શકાય છે. તો ચાલો જાણીએ અવની લેખરાની સંઘર્ષ કહાની.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Sheetal-Devi:-After-reading-the-struggle-of-this-daughter-of-farm-laborer-parents,-you-will-not-complain-about-small-problems-in-life"> Sheetal Devi: ખેતમજૂર માતાપિતાની આ દીકરીનો સંઘર્ષ વાંચ્યાં બાદ તમે જીવનમાં નાનીમોટી સમસ્યાઓની ફરિયાદ નહીં કરો!</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અવની લેખરા રાજસ્થાનના જમવારામગઢ(Jamwaramgarh)ના દીપપુરા(Deeppura) ગામની વતની છે. તે દલિત સમાજમાંથી આવે છે. 2012 માં એક ગંભીર માર્ગ અકસ્માતે તેનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. આ અકસ્માતમાં તેને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી અને વ્હીલચેરનો આશરો લેવો પડ્યો હતો. 11 વર્ષની નાની ઉંમરે આવી મુશ્કેલી અને આઘાત સહન કરવું સહેલું ન હતું, પરંતુ હાર માનવાને બદલે અવનીએ હિંમત અને નિશ્ચય સાથે પોતાની લડાઈ ચાલુ રાખી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેરાપ્લેજિયા(Paraplegia)નો ભોગ બનેલી અવનીએ આ મુશ્કેલ સમયમાં હિંમત ગુમાવી દીધી હતી અને તે પોતાના રૂમમાંથી બહાર પણ ન હોતી આવતી. પરંતુ તેના પરિવારે તેને નવજીવન આપ્યું. ખાસ કરીને તેના પિતાએ તેને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રેરિત કરી અને મજબૂત સમર્થન આપ્યું, જેના કારણે અવનીએ ધીમે ધીમે તેની મુશ્કેલીઓ પર કાબૂ મેળ્યો અને રમતગમતમાં આગળ વધી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અવની 2015માં અભિનવ બિન્દ્રાની સિદ્ધિઓથી પ્રેરિત થઈને શૂટિંગમાં લાગી ગઈ. તેની સખત મહેનત અને પ્રતિભા તેને ટૂંક સમયમાં સફળતા તરફ દોરી ગઈ, અને તે માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જીતી ગઈ. અવનીએ ઈતિહાસ રચ્યો અને જુનિયર અને સિનિયર લેવલે વર્લ્ડ રેકોર્ડ બનાવીને પોતાની ઓળખ બનાવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અવની લેખરાએ 2015માં ટ્રેનિંગ શરૂ કરી હતી અને પોતાની પ્રથમ રાજસ્થાન સ્ટેટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ પછી તેણે સતત સફળતા તરફ આગળ વધવાનું ચાલું રાખ્યું અને 2016 થી 2020 દરમિયાન નેશનલ ચેમ્પિયનશિપમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા. કાયદાની વિદ્યાર્થિની અવનીએ જાપાનના ટોક્યોમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અને પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલા એથ્લેટ બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમતગમત પ્રત્યે ઊંડો શોખ ધરાવતી અવની લેખરાએ તેના વ્યસ્ત તાલીમ કાર્યક્રમ છતાં અભ્યાસ ચાલુ રાખ્યો. તેણે રાજસ્થાન યુનિવર્સિટીમાં 5 વર્ષના લો ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશન લીધું હતું, જે તેની કુશળતા અને કંઈપણ કરી છુટવાના ઝનૂનને દર્શાવે છે. અવનીનું નામ દુનિયાભરમાં ત્યારે ચમક્યું, જ્યારે તે 2020ના પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં એક જ ઈવેન્ટમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણીએ શૂટિંગમાં ગોલ્ડ અને પછી બ્રોન્ઝ મેડલ જીત્યો, તે જ ઈવેન્ટમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પેરાલિમ્પિયન બની. તેની મહાન સિદ્ધિનો પડઘો દેશભરમાં સંભળાયો. આ સફળતા માટે અવનીને પદ્મશ્રી અને ખેલ રત્ન જેવા પ્રતિષ્ઠિત અને મોટા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/What-can-Bahujan-Samaj-learn-from-Mohammed-Shami">બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Sep 2024 11:43:46 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 03 Sep 2024 14:56:31 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1155</Articleid>
                    <excerpt>પેરિસ પેરાલિમ્પિકમાં સળંગ બે ગોલ્ડ મેડલ જીતનારી દલિત સમાજની દીકરી અવની લેખરાનો સંઘર્ષ અનેક લોકોને પ્રેરણા આપે તેવો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d6a87ebaa62.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d6a87e86cfa.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d6a87e86cfa.jpg" length="55312" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Avni Lekhra, Paris Paralympics 2024, Tokyo Paralympics</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતોનું પ્રતિનિધિ મંડળ સીએમ કાર્યાલય પહોંચ્યું, પણ મળવા ન દેવાયા</title>
                    <link>https://khabarantar.com/a-delegation-of-dalits-reached-the-cms-office-but-were-not-allowed-to-meet</link>
                    <guid>https://khabarantar.com/a-delegation-of-dalits-reached-the-cms-office-but-were-not-allowed-to-meet</guid>
                    <description>
                        <![CDATA[ દલિતોનું એક પ્રતિનિધિ મંડળ દલિત સમાજના વિવિધ 10 મુદ્દાઓને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યું હતું, પણ તેમને સીએમને મળવા દેવાયા નહોતા. જાણો એ મુદ્દાઓ વિશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના કહેવાતા સંવેદનશીલ મુખ્યમંત્રી દલિત સમાજના પ્રશ્નોને લઈને ભારે અસંવેદનશીલ જણાય છે. આવું આમ તો અનેક ઘટનાઓમાં જોવા મળ્યું છે, પણ ગઈકાલે ફરી એકવાર આવું જોવા મળ્યું. ગઈકાલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને તેના સાથી સંગઠનો દલિત સમાજના વિવિધ 10 જેટલા પ્રશ્નો લઈને ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. પણ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ તેમને સીએમને મળવા દીધાં નહોતા. એ પછી દલિત સમાજના કર્મશીલોએ આક્ષેપ કર્યો કે, તેમની રજૂઆત સાંભળવામાં પણ રાજ્યના મુખ્યમંત્રી રાજકીય આભડછેટ રાખી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ સુબોધ કુમુદ અને તેમના સાથીઓ છેલ્લા ઘણાં સમયથી દલિત સમાજના જે મુદ્દાઓ અને પ્રશ્નો ઉકેલાયા નથી તેને લઈને ગઈકાલે ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવા માટે આશરે 30થી 35 જેટલા દલિત કર્મશીલો સાથે મુખ્યમંત્રીના જન સંપર્ક કાર્યાલય પહોંચ્યા હતા. તેઓને મુખ્યમંત્રી જન સંપર્ક કાર્યાલય ખાતે બેસાડીને તેમની મુલાકાત અધિક મુખ્ય સચિવ ગૃહ સાથે કરાવવામાં આવી હતી. જ્યાં તેઓએ લેખિતમાં પોતાની રજૂઆત કરી હતી. દર સોમવારે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યભરમાંથી આવતા અરજદારોને અને મુલાકાતીઓને રૂબરૂ મળતા હોય છે, પરંતુ આજે જ્યારે દલિત સમાજના કર્મશીલો સમાજના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા આવ્યા ત્યારે તેમની સાથે આ ઘટના બનતા તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ક્યા મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ સુબોધ કુમુદ અને સાથી સંગઠનો દ્વારા રાજ્યના દલિતોના અનેક પડતર મુદ્દાઓ પૈકી નીચે મુજબના ૧૦ અગત્યના મુદ્દાઓ ઉપર તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">1. અસ્પૃશ્યતા અને જાતિ આધારીત વસતિ ગણતરી કરવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૧ મી સદીમાં બંધારણમાં આર્ટીકલ-૧૭ માં અસ્પૃશ્યતાની નાબૂદીની વાતને મૂળભુત અધિકાર તરીકે સ્વીકારેલ હોવા છતાં પણ દલિતોએ જાતિ વ્યવસ્થાના કારણે અસ્પૃશ્યતાનો સામનો કરવો પડે છે. આજેપણ જાહેર જગ્યાએ પ્રવેશબંધી, લગ્નપ્રસંગે વરઘોડો કાઢવા-મૂછો રાખવામાં પાછળ સિંહ લગાવવા પર હુમલો, વાળ નહીં કાપવા જેવી ઘટનાઓ છાશવારે રાજ્યના દલિતો (અનુ. જાતિ) સાથે બની રહી છે. જે રાજ્ય સરકાર અને નાગરીકો માટે શરમજનક કહેવાય. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત રાજ્યમાં અનામત નીતિનો અમલ કરવા માટે અને અનુ. જાતિ/અનુ. જન જાતિ તથા તમામ સમાજના વંચિત લોકોના વિકાસ માટે યોજનાઓ બનાવવા કોની કેટલી સંખ્યા તથા સામાજિક દરજ્જો શું છે એ જાણવું ખુબ જ જરૂરી છે. જેના માટે જાતિ આધારીત આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સર્વે થવો ખુબ જ જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર સમક્ષ માંગણી છે કે, ગુજરાતમાં હાઈકોર્ટના નિવૃત્ત જજ અથવા તો સનદી અધિકારીની અધ્યક્ષતામાં Special Investigation Team નું ગઠન કરી રાજ્યમાં દરેક સ્તરે પ્રવર્તતી અસ્પૃશ્યતાનો અભ્યાસ કરવામાં આવે અને ગુજરાતને અસ્પૃશ્યતા મુક્ત રાજ્ય બનાવવામાં આવે. આની સાથોસાથ જાતિ આધારિત આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સર્વે કરાવી એ મુજબ યોજના બનાવવા પહેલ કરવામાં આવે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૨. પે-સેન્ટર દીઠ સરકારી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં અપૂરતી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓના લીધે ગરીબ વિદ્યાર્થીઓ અને એમાંય ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમના શિક્ષણથી વંચિત રહી જાય છે. ગામડાઓમાં તાલુકા મથકે પણ અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા ઓછી હોવાથી આજે આખું વિશ્વ મોટેભાગે જ્યારે અંગ્રેજી ભાષાને પ્રાધાન્ય આપતું હોય તો ગુજરાત સરકારે પણ એમ પીછેહઠ ના કરવી જોઈએ. રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી તમામ સરકારી/અનુદાનિત શાળા-કોલેજોમાં અંગ્રેજી વિષયના શિક્ષકોની ભરતી કરતી પે-સેન્ટર દીઠ એક અંગ્રેજી માધ્યમની ધો. ૧ થી ૧૨ ની સરકારી શાળા શરૂ કરવાની જાહેરાત કરે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૩. સ્કોલરશીપ/ફ્રી-શીપ કાર્ડ અને આવકમર્યાદા વધારો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ દ્વારા ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર ફોર્મ ભરવામાં આવે છે. પરંતુ, સમયસર સ્કોલરશીપની ચુકવણી ના થતા કોલેજ યુનિવર્સિટી દ્વારા ફી ભરવા દબાણ કરવામાં આવે છે, પરીક્ષા આપવા દેવામાં નથી આવતી, જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય તેઓના પરીણામ અટકાવી દેવામાં આવે છે અને આવા વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ આપવામાં નથી આવતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તો વિધ્યાર્થીઓ સ્કોલરશીપ પર નિર્ભર બનતા હોય છે. ગ્રાન્ટ ન હોવાના કે અન્ય બહાના હેઠળ જ્યારે સ્કોલરશીપ ચૂકવવામાં નથી આવતી ત્યારે નાણાંના અભાવને કારણે વિધ્યાર્થીઓએ ડ્રોપ -આઉટ કરવું પડે છે.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/demand-to-increase-income-limit-for-sc-in-free-sheep-card-from-two-lakh-fifty-thousand-to-eight-lakhs"><strong>ફ્રી શીપ કાર્ડમાં SC માટેની આવક મર્યાદા 2.5 થી વધારી 8 લાખ કરવા માંગ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ફ્રી-શિપ કાર્ડ કઢાવેલું હોવા છતાં કોલેજ યુનિવર્સિટી દ્વારા પહેલા ફી ની માંગણી કરવામાં આવે છે અને યુનિવર્સિટીમાં ફ્રી શિપ કાર્ડ નથી ચાલતું એવુ કહેવામાં આવે છે. વધુમાં, ફ્રી-શીપ કાર્ડ કઢાવવાની આવકમર્યાદા ફક્ત ૨.૫ લાખ જ નિયત કરવામાં આવી છે. જેનાથી જે હેતુ માટે ફરી-શીપ કાર્ડની યોજના લાવવામાં આવી હતી એ હેતુ પાર પડતો દેખાતો નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આથી જેટલા પણ વિધ્યાર્થીઓની સ્કોલરશીપ ચૂકવવાની બાકી હોય એ તાત્કાલિક અસરથી ચૂકવવામાં આવે અને જ્યાં સુધી ચુકવણી કરવામાં ન આવે તે કિસ્સામાં વિદ્યાર્થીઓને એડમિશન અટકાવવાની, પરીક્ષા ન આપવા દેવાની, રિઝલ્ટ અટકાવવા જેવી કોઈ હેરાનગતિ ન થાય એ બાબતે તમામ કોલેજોને સૂચના આપવામાં આવે. આ ઉપરાંત, અનુ. જાતિના વિધ્યાર્થીઓને તમામ શૈક્ષણિક યોજનાના લાભ માટે આવકમર્યાદા રૂપિયા ૬ લાખ કરવામાં આવે અને એની અસર ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર પણ આપવામાં આવે. ખાનગી યુનિવર્સિટી સંલગ્ન કેટલાક અભ્યાસક્રમોમાં એફ. આર. સી. ન થવાને લીધે અનુ. જાતિ વર્ગના વિધ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહી એ સારું તમામ ખાનગી કોલેજો-યુનિવર્સિટીઓમાં ફરી-શીપ કાર્ડ ફરજીયાત બનાવવામાં આવે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૪. સ્મશાન ભૂમીની જગ્યા ફાળવવામાં આવે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં દલિતો જીવતેજીવ તો અસ્પૃશ્યતાનો સામનો કરે જ છે. પરંતુ, મર્યા બાદ પણ અસ્પૃશ્યતાનું ભુત એમનો પીછો નથી છોડી રહ્યું. આજે પણ મૃતદેહોની અંતિમક્રિયા માટે દલિતોને મૃતદેહ લઈને રઝળપાટ કરવા મજબુર થવું પડે છે. રાજ્ય સરકાર ‘એક ગામ, એક સ્મશાન’ યોજના પૂર્ણપણે લાગુ કરે અન્યથા દલિતોને મૃતદેહોની અંતિમક્રિયા માટે અલગથી સ્મશાનભુમી નીમ કરવા માટે નીતિ બનાવી વિશેષ અભિયાન ચલાવે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">૫. ફાળવેલ જમીનની કબજા સોંપણી અને નવી જમીનની ફાળવણી કરવામાં આવે</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાનુભાઇ વણકર આત્મવિલોપન બાદ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવ કરીને ૬ મહિનામાં જેમને સરકાર દ્વારા ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો-૧૯૬૦ અન્વયે સાંથણીમાં જમીન ફાળવી હોય એના કબજા સુપરત કરવા બાબતે તાં. ૧૯/૦૨/૨૦૧૮ના મહેસૂલ વિભાગના પરિપત્રથી સૂચનાઓ  આપવામાં આવેલી. પરંતુ, આજદિન સુધી આ પરિપત્રનો અમલ થયો નથી. આ ઉપરાંત, દલિતોને ફાળવેલી મોટાભાગની જમીનનો કબજો ફક્ત કાગળ ઉપર જ છે. ઘણા કિસ્સાઓમાં ફાળવેલી જમીનોનો કબજો માથાભારે ઇસમો પાસે હોય છે. રાજ્યના મહેસૂલી અધિકારોએ ખરેખર તો સ્થળ પર ચાર દિશામાં ખૂંટ મારીને જમીનોનો શાંત, ભૌતિક અને વાસ્તવિક કબજો સોંપાય એ સુનિશ્ચિત કરવાનું હતું પણ એમ થતું નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આથી રાજ્ય સરકાર મહેસૂલ વિભાગ મારફતે સાંથણીમાં ફાળવેલી જમીનો ચાર દિશામાં ખૂંટ મારી, ચતુઃસીમા સાથેનું પંચરોજકામ કરી, ગામ નમૂના નંબર ૭ માં એની અસર આપી, મામલતદારશ્રી રજાચિઠ્ઠી સાથે  પ્રત્યક્ષ કબજા સોંપણીનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરે. આ ઉપરાંત, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સરકારી પડતર જમીનોની સાંથણી કરવામાં આવી નથી. રોજગારીના સર્જનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગ મારફતે નવી જમીનોની ફાળવણી કરવામાં આવે જેમાં પ્રાથમિકતા વાલ્મિકી સમુદાયની અને વિધવા બહેનોને આપવામાં આવે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૬. સફાઈકામ અને સફાઇ કામદાર વિકાસ નિગમની લોન આપો </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યમાં આજે પણ અવાર-નવાર ગટરમાં ઉતારીને સફાઇ કામ કરાવવાથી સફાઇ કામદારોના મૃત્યુના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એસ મેન્યુઅલ સ્કેવેન્જર્સ કાયદો,૨૦૦૩ અમલમાં હોવા છતાં આજે પણ આ કામ કરાવવામાં આવી રહ્યું છે. જેનાથી સફાઇ કામદારોને વાયબ્રન્ટ ગુજરાતમાં તેમનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સફાઇ કામ સાથે જોડાયેલા લોકોને જાતિવ્યાવસ્થા દ્વારા થોપવામાં આવેલ કામમાંથી મુક્તિ મળે એ હેતુથી સફાઇ કામદાર વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. પરંતુ, સફાઇ કામદાર વિકાસ નિગમની યોજના અંતર્ગત મળતી લોનની સહાય તદ્દન નજીવી હોઇ સફાઇ કામદારોની મશ્કરી સમાન છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/exclusive-national-scheduled-caste-commission-office-in-ahmedabad-rambharos-ninety-percent-staff-reduction"><span style="font-size: 14pt;"> EXCLUSIVE: અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આથી ગટરમાં ઉતરીને સફાઇ કામ ન કરવું પડે એવા આધુનિક સાધનો વસાવીને સફાઇ કામ કરાવવામાં આવે અને સફાઇ કામદાર વિકાસ નિગમની લોન સહાયમાં વધારો કરવામાં આવે. મેન્યુઅલ સ્કેવેંજીંગ અટકાવવા માટે ટીવી અને પ્રસાર માધ્યમોમાં જાહેરાત આપવામાં આવે તથા તમામ જાહેર સ્થળોએ એ અંગેની જાગૃતિ ફેલાવતા પોસ્ટર લગાવવામાં આવે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૭. દલિત અત્યાચારની ઘટનાઓમાં ન્યાય આપો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ-૨૦૧૨માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ફરજ પરના પોલીસ કર્મચારીની ગોળીઓથી ૩ દલિત યુવાનો વીંધાઈ ગયેલા. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા સંજયપ્રસાદના વડપણ હેઠળ તપાસ સમિતિ નીમવામાં આવેલી. જેનો રિપોર્ટ રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ હોવા છતાં એને આજદિન સુધી જાહેર કરવામાં નથી આવ્યો અને આ ઘટના બાબતે પણ  કોઈ જ ખુલાસો કરવામાં નથી આવ્યો. આ ૩ દલિત દીકરાઓને જાહેરમાં કોણે ગોળીઓથી વીંધી નાંખ્યા એનો રાજ્ય સરકાર પાસે કોઈ જ જવાબ નથી જે ખરેખર શરમજનક બાબત છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત, ભાનુભાઇ વણકર આત્મવિલોપન બાદ રાજ્ય સરકાર દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવેલી અને બહુચર્ચિત ઉના દલિત અત્યાચારની ઘટના બાદ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પીડિતોને મળીને બાંહેધરી આપવામાં આવેલી એનું પણ પાલન કરવામાં નથી આવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા ૫૩૫ ફોજદારી કેસોમાંથી ૨૫૫ ફોજદારી કેસો પરત ખેંચવામાં આવેલ છે. જ્યારે અસંખ્ય રજૂઆતો બાદ અને ભાનુભાઇ વણકર આત્મવિલોપન બાદ લેખિતમાં બાંહેધરી આપવા છતાં હજી સુધી ઉના આંદોલન અને ૨ એપ્રિલ ભારત બંધ તથા ભાનુભાઇ વણકર વખતે થયેલા આંદોલનોમાંથી એકપણ ફોજદારી કેસ પરત ખેંચાયો હોય એવું ધ્યાનમાં નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-reflection-camp-of-mahagujarat-sc-st-mahasabha-was-held-in-ahmedabad"><span style="font-size: 14pt;">અમદાવાદમાં મહાગુજરાત SC-ST મહાસભાની ચિંતન શિબિર યોજાઈ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આથી થાનગઢ દલિત હત્યાકાંડ-૨૦૧૨નો સંજયપ્રસાદ કમિટીનો રીપોર્ટ જાહેર કરવામાં આવે. ઉના દલિત અત્યાચાર-૨૦૧૬ વખતે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પીડિત પરિવારને આપેલ બાંહેધરીનું અને ભાનુભાઇ વણકર આત્મવિલોપન-૨૦૧૮ બાદ રાજ્ય સરકારે આપેલી લેખિત બાંહેધરીઓનું પાલન કરવામાં આવે. ઉના દલિત અત્યાચાર(વર્ષ -૨૦૧૬) આંદોલન, ૨ એપ્રિલ,૨૦૧૮ ભારત બંધ તથા ભાનુભાઇ વણકર (ફેબ્રુઆરી-૨૦૧૮) વખતે થયેલા આંદોલનો દરમિયાન દલિત આંદોલનકારીઓ સામે નોંધાયેલ ફોજદારી કેસો પરત ખેંચવામાં આવે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૮. અનુ. જાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયો અને આશ્રમ શાળાઓ ખોલવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુ. જાતિના વિધ્યાર્થીઓ ગામડેથી તાલુકા સેન્ટરમાં અભ્યાસ માટે મોટા પ્રમાણમાં જઇ શકે અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ માટે હજી વધારે પ્રમાણમાં સરકારી છાત્રાલયો અને આશ્રમ શાળાઓની જરૂરીયાત છે. વધુમાં, હાલની સરકારી છાત્રાલયો અને આશ્રમ શાળાઓમાં પુરતી સુવિધાઓનો અભાવ છે. વિધ્યાર્થીઓ હલકી ગુણવત્તાવાળો અને બિનપોષણયુક્ત આહાર ખાવા મજબુર બન્યા છે. રાજ્ય સરકાર વર્તમાન સરકારી છાત્રાલયો અને આશ્રમ શાળાઓ અધતન બનાવવા અને સંખ્યા વધારવા એસસી/એસટી સબ પ્લાનના નાણાં અન્યત્ર ફાળવવાની જગ્યાએ આ કામ માટે એસસી/એસટી સબ પ્લાનમાંથી ગ્રાન્ટની ફાળવણી કરે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૯. સરકારી બેકલોગની ભરતી અને રોસ્ટર નિભાવણી કરવામાં આવે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્ય સરકાર હસ્તકના વિભાગોમાં વર્ષોથી અનુ. જાતિ/અનુ. જન જાતિના કર્મચારીઓની જગ્યાઓ પુરતા પ્રમાણમાં ભરાયેલ નથી. જેનાથી રાજ્ય સરકારની નોકરીઓમાં અનુ. જાતિ /અનુ. જન જાતિને પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી. આ ઉપરાંત, રાજ્ય સરકારની જગ્યાઓ માટે રોસ્ટર નિભાવવામાં પણ અધિકારીઓ દ્વારા જાણીજોઇને ઇરાદાપૂર્વક મનમાની કરીને અનુ. જાતિ /અનુ. જન જાતિના ઉમેદવારોને અન્યાય કરવામાં આવતો હોય એવું અનુભવાઈ રહ્યું છે. આથી રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી સરકારી બેકલોગની કેટલી જગ્યાઓ ખાલી છે એની કેટેગરી પ્રમાણે જાહેરાત કરે તથા આ જગ્યાઓ કેટલા સમયમાં ભરવામાં આવશે એ અંગે શ્વેતપત્ર બહાર પાડે.રાજ્ય સરકાર રોસ્ટરનીતિનો સંપૂર્ણપણે અમલ કરાવે અને દરેક વિભાગના રોસ્ટર માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્વયે પ્રો-એક્ટીવ ડિસ્ક્લોઝરનો ભાગ બનાવી ડિજીટલ ગુજરાત અભિયાનને બળ આપવા આ તમામ માહિતી ગુજરાત સરકારના તમામ વિભાગોની વેબસાઇટ ઉપર ઓનલાઈન પણ જાહેર કરે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૧૦. અનુ. જાતિ માટેની લોન સહાય, સબસીડીની રકમ તથા ઉદ્યોગ સાહસિકતા </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્તમાન મોંઘવારીના યુગમાં અનુ. જાતિ કલ્યાણ માટેની યોજનાઓની લોન અને સબસીડીની સહાયમાં જોઈએ તેટલા પ્રમાણમાં કોઈ જ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો. જેનાથી આ યોજનાઓનો મૂળ હેતુ સરતો નથી. આ યોજનાઓની સહાય અને સબસીડીની રકમ વધારવામાં આવે તો જ એને હેતુ પાર પડશે. ૨૧ મી સદીમાં આ યોજનાઓની યાદીમાં નવી યોજનાઓનો સમાવેશ કરવો પણ સમયની માંગ છે. વધુમાં, અનુ. જાતિના ઇસમોને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહન મળે એ માટે સરકારે વિશેષ પ્રયત્નો કરવાનો સામી આવી ગયો છે. આથી સરકાર દ્વારા અનુ. જાતિ માટેની લોન સહાય, સબસીડીની રકમ (ખાસ કરીને વિદેશ અભ્યાસ લોન અને તબીબી-ટેકનિકલ ધંધા-રોજગાર માટેની)માં વધારો કરવામાં આવે અને ઉધ્યોગ સાહસિક્તામાં પ્રોત્સાહન મળે એ માટે ઔધોગિક જમીનો અને સાઇટ્સની ફાળવણીમાં પ્રાથમિકતા આપવામાં આવે જેમાં કો-લેટરલ સિક્યુરિટીની જવાબદારી સરકાર સ્વીકારે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર બાબતોને અનુલક્ષીને ગંભીરતાપૂર્વક મુખ્યમંત્રી અને સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. સાથે જ એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે 23મી સપ્ટેમ્બર 2024ના સંકલ્પ દિવસ સુધીમાં આ મામલે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો રાજ્ય સરકારને આ રાજ્યના દલિતોની કોઈ જ પડી નથી એમ માનીને ન છૂટકે દલિતોને રાજ્યવ્યાપી આંદોલન કરવા મજબુર થવું પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/the-national-sc-Commission-has-sought-answers-from-the-gujarat-government-on-as-many-as-40-issues"> રાષ્ટ્રીય SC આયોગે 40 જેટલા મુદ્દે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Sep 2024 10:35:09 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 03 Sep 2024 14:56:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1154</Articleid>
                    <excerpt>દલિતોનું એક પ્રતિનિધિ મંડળ દલિત સમાજના વિવિધ 10 મુદ્દાઓને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યું હતું, પણ તેમને સીએમને મળવા દેવાયા નહોતા. જાણો એ મુદ્દાઓ વિશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d697d665180.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d697d621804.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d697d621804.jpg" length="123191" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Cm, Issues of Dalit society, Free Sheep Card</media:keywords>
                </item>
                        <item>
                    <title>પોલીસે દલિત સગીરા પર બળાત્કારની કિંમત રૂ. 1 લાખ લગાવી</title>
                    <link>https://khabarantar.com/the-police-charged-the-rape-of-a-dalit-minor-at-rs-1-lakh-applied</link>
                    <guid>https://khabarantar.com/the-police-charged-the-rape-of-a-dalit-minor-at-rs-1-lakh-applied</guid>
                    <description>
                        <![CDATA[ એક દલિત સગીરા પર વેપારીના છોકરાએ બળાત્કાર કર્યો હતો. પોલીસે કેસ નોંધવાને બદલે બળાત્કારની કિંમત રૂ. 1 લાખ નક્કી કરીને સમાધાન કરાવી દીધું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસની છાપ જનસામાન્યમાં સારી નથી. લોકો પોલીસનું નામ પડે ત્યાં જ ફફડવા માંડે છે. પોલીસ કહેવા માટે તો નાગરિકોની રક્ષક છે, પરંતુ લોકોના મનમાં પોલીસની છાપ મોટાભાગે વગદાર લોકો અને રાજકારણીઓના કાળા કારનામાઓ પર ઢાંકપિછોડા કરતા સરકારીકર્મીઓ જેવી છે. ખોટા કેસો કરી દઈને રૂપિયા પડાવવાના તો પોલીસ પર એટલા આરોપ લાગે છે કે તેની કોઈ ગણતરી થઈ શકે તેમ નથી. આ બધી ઘટનાઓ વચ્ચે પોલીસની વધીઘટી આબરૂનું પણ ધોવાણ થઈ જાય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં પોલીસે એક દલિત સગીરા પર થયેલા બળાત્કારની કિંમત રૂ. 1 લાખ નક્કી કરીને પરાણે આરોપીઓ સાથે સમાધાન કરાવી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદ અને ગુનાખોરીના ગઢ ગણાતા ઉત્તરપ્રદેશની છે. અહીં બારાબંકીમાંથી ખાખીની આબરૂનું ધોવાણ થાય એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના મસૌલી પોલીસ સ્ટેશનના પીઆઈએ એક દલિત સગીરા પર થયેલા બળાત્કારના આરોપમાં આરોપીને બચાવવા માટે બળજબરીથી સમાધાન કરાવી દીધું હતું. આરોપ છે કે, પીઆઈએ વેપારીના આરોપી પુત્ર પાસેથી 1 લાખ રૂપિયા લઈને પીડિતા પર સમાધાન માટે દબાણ કર્યું અને બળજબરીથી સમાધાન કરાવ્યું. એ પછી થયેલી તપાસમાં પ્રથમ દષ્ટિ ગુનો જણાતા પીઆઈને લાઈન હાજર કરી દેવાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બારાબંકી જિલ્લાના મસૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક દ્વારા દલિત સમાજની એક સગીરાનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કરવાની ઘટના સામે આવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આરોપી યુવક એક વગદાર વેપારીનો પુત્ર છે અને તેના પિતાએ તેને બચાવવા માટે મસૌલીના પીઆઈને સમાધાન કરાવી આપવા માટે કહ્યું હતું. આથી પીઆઈએ પોલીસ ફરિયાદ કરવા આવેલા સગીરાના મામાને ધમકાવીને એક લાખ રૂપિયામાં સમાધાન કરી લેવા મજબૂર કર્યા હતા. જો કે પીડિતાના પરિવારને ન્યાય જોઈતો હોવાથી તેમણે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. જેના કારણે આખરે ભાંડો ફૂટ્યો હતો અને પીઆઈને સસ્પેન્ડ કરી દેવાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/police-sent-1.79-lakh-bill-to-provide-security-to-dalit-Sarpanch">દલિત સરપંચને સુરક્ષા આપવાનું પોલીસે 1.79 લાખ બિલ મોકલ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ASP ચિરંજીવી નાથ સિન્હાએ કહ્યું કે આ કેસમાં દોષી સાબિત થયા બાદ પોલીસ અધિક્ષક (એસપી) દિનેશ કુમાર સિંહે સ્ટેશન ઈન્ચાર્જ અરુણ પ્રતાપ સિંહને લાઈનમાં મૂક્યા છે અને ત્રિલોકપુર ચોકીના ઈન્ચાર્જ મનોજ કુમારને સસ્પેન્ડ કરી દીધા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ પીડિતાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરી નહોતી અને સમાધાન માટે દબાણ કરી આરોપીઓ પાસેથી પરાણે 1 લાખ રૂપિયા અપાવી દીધા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદ અનુસાર સ્થાનિક બિઝનેસમેનના 28 વર્ષીય છોકરા અંકિત વર્માએ 22 ઓગસ્ટના રોજ એક 16 વર્ષની દલિત છોકરીનું અપહરણ કરી હોટલમાં લઈ જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને પછી ત્યાંથી સગીરાને ગાઝિયાબાદ લઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાં પણ તેને એક હોટલમાં રાખવામાં આવી હતી અને તેના પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો. ચાર દિવસ બાદ આરોપી યુવતીને તેના ગામની બહાર છોડીને ભાગી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/on-the-issue-of-misinterpretation-of-Arnesh-Kumars-verdict-the-battle-has-started">અર્ણેશ કુમારના ચૂકાદાના ખોટા અર્થઘટન મુદ્દે હવે આરપારની લડાઈ શરૂ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાના મામાએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેણે પોલીસમાં આ બાબતે ફરિયાદ કરી ત્યારે ચોકીના ઈન્ચાર્જે બળજબરીથી સમાધાન કરાવ્યું અને સમાધાનના બદલામાં તેને એક લાખ રૂપિયા આપ્યા, જેમાંથી 50 હજાર રૂપિયા એકાઉન્ટમાં ઓનલાઈન મોકલવામાં આવ્યા અને બાકીની રકમ રોકડમાં આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાના મામાએ જણાવ્યું કે દીકરીના માતા-પિતા નથી અને તે નાનપણથી તેમની સાથે રહે છે. માબાપ વિનાની દીકરી સાથે આવું જઘન્ય કૃત્ય કેવી રીતે સહન થાય? અમારે ન્યાય જોઈતો હતો પણ પોલીસે ફરિયાદ નોંધવાને બદલે સમાધાન કરાવી દીધું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાન મામાએ વધુમાં જણાવ્યું કે 30 ઓગસ્ટે તે પોલીસ અધિક્ષકને મળ્યા અને આ મામલે પોલીસ પર કાર્યવાહીની માંગ કરી હતી. એસપીની સૂચનાથી પોલીસે આ કેસમાં કાર્યવાહી શરૂ કરી હતી. પીડિતાના મામાએ આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર પાઠવી ઘટના અંગે ફરિયાદ કરી હતી. એએસપી સિન્હાએ કહ્યું કે પીડિત પરિવારની ફરિયાદ પર આરોપી અંકિત વર્મા વિરુદ્ધ પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય સંબંધિત કલમો હેઠળ અપહરણ અને બળાત્કાર સહિત એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ પોલીસની કાર્યવાહીને લઈને પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-dalit-woman-confronted-the-rapist-and-the-racist-spat-on-her-face">દલિત મહિલાએ બળાત્કારીનો સામનો કર્યો તો જાતિવાદી તેના મોં પર થૂંક્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Sep 2024 13:21:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1150</Articleid>
                    <excerpt>એક દલિત સગીરા પર વેપારીના છોકરાએ બળાત્કાર કર્યો હતો. પોલીસે કેસ નોંધવાને બદલે બળાત્કારની કિંમત રૂ. 1 લાખ નક્કી કરીને સમાધાન કરાવી દીધું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d56df4c0769.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d56df48515c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d56df48515c.jpg" length="80168" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Rape, Dalit Crime</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાત્રે પોલીસે દલિત યુવકને જેલમાં પૂર્યો, સવારે તેનો મૃતદેહ લટકતો હતો</title>
                    <link>https://khabarantar.com/at-night-the-police-put-the-dalit-youth-in-jail-in-the-morning-his-body-was-found-hanging</link>
                    <guid>https://khabarantar.com/at-night-the-police-put-the-dalit-youth-in-jail-in-the-morning-his-body-was-found-hanging</guid>
                    <description>
                        <![CDATA[ પોલીસ દલિત યુવકને એક કેસમાં પૂછપરછ માટે પકડી લાવી હતી. સવારે જોયું તો તેનો મૃતદેહ જેલમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના મુરેના(Muraina) જિલ્લામાં એક યુવકે પોલીસ સ્ટેશનમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ દલિત યુવક(Dalit Youth)ને હત્યાના કેસમાં પૂછપરછ માટે પકડીને પોલીસ સ્ટેશન લાવી હતી. પરંતુ સવારે જોયું તો જેલમાં યુવકનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. આ ઘટનાને લઈને હોબાળો મચી જતા પોલીસે તરત કાર્યવાહી કરવાની ફરજ પડી હતી અને 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશા મુરેનાની છે. અહીં પોલીસ બે દિવસ પહેલા હત્યાના કેસમાં એક દલિત યુવકને પકડીને પૂછપરછ માટે લઈ આવી હતી. જ્યાં બીજા દિવસે રાત્રે તેણે પોલીસ સ્ટેશનમાં તેના ગમછા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. મોરેના એસપી સહિત આઈજી-ડીઆઈજી રેન્કના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. એસપીએ સ્ટેશન ઈન્ચાર્જ સહિત ત્રણ પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો અહીંના સિવિલ લાઇન પોલીસ સ્ટેશન(Cilil line police Station)નો છે. પોલીસનું કહેવું છે કે આરોપીને હત્યાના કેસમાં પૂછપરછ માટે શનિવારે રાત્રે જ આંબેડકર કોલોનીમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. મૃતક યુવાન સની ઉર્ફે બાલકિશન જાટવ ગંગા માલનપુરનો રહેવાસી હતો. તેના પર એક વર્ષ પહેલા ડિસેમ્બર 2023માં એક યુવકની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં પોલીસે સની અને અન્ય ત્રણ યુવકોને આરોપી બનાવ્યા હતા. કેસ નોંધાયા પછી આરોપીઓ સતત જગ્યા બદલીને પોલીસ પકડથી દૂર ભાગતા રહેતા હતા. શનિવારે રાત્રે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રામબાબુ યાદવને એક બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે સન્ની જાટવ આંબેડકર કોલોનીમાં છુપાયેલો છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી સની અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-dead-bodies-of-two-dalit-girls-were-found-hanging-from-a-mango-tree">આંબાના ઝાડ પર બે દલિત યુવતીઓની લાશ લટકતી મળી આવી</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રવિવારે સવારે જ્યારે પોલીસકર્મીઓએ જાગીને જોયું તો લોકઅપમાં સનીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો હતો. પોલીસકર્મીઓએ તરત જ સ્ટેશન ઈન્ચાર્જ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને સમગ્ર મામલાની જાણ કરી હતી. સમાચાર મળતા જ એસપી સહિત આઈજી-ડીઆઈજી રેન્કના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક એફએસએલ ડોક્ટર સહિત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી. મામલો વધુ વણસે તે પહેલા એસપીએ  ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ દલિત યુવકની આત્મહત્યાને લઈને દલિત સંગઠનોએ પોલીસ પર નિશાન સાધ્યું હતું. ભીમ આર્મી(Bhim Army)ના જિલ્લા અધ્યક્ષ રણવીર જાટવે આરોપ લગાવ્યો હતો કે, ત્રણ દિવસ પહેલા પોલીસે સની સહિત ચાર છોકરાઓને ઝડપી લીધા હતા. આ સમયે પોલીસે તેમને કેમ ઉઠાવવામાં આવ્યા છે જણાવ્યું નહોતું. હવે એવું સામે આવ્યું છે કે, પોલીસ તેમને હત્યાના કેસની તપાસ માટે ઉપાડી ગઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમ આર્મીના રણવીર જાટવે પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસે સની સહિતના યુવકોને લોકઅપમાં રાખીને ભારે ટોર્ચર કર્યા હતા. જેના કારણે કંટાળીને સનીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસપી સમીર સૌરભનું કહેવું છે કે સની હત્યાનો આરોપી હતો અને તેણે અગમ્ય કારણોસર લોકઅપની અંદર આત્મહત્યા કરી લીધી છે. આ બનાવમાં મેજીસ્ટ્રેટ તપાસ હાથ ધરાઈ છે અને સ્ટેશન ઈન્ચાર્જ સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/if-it-is-your-son-in-law-jump-into-the-river-and-retrieve-the-body">તારો જમાઈ હોય તો તું નદીમાં કૂદી જા અને કાઢી આવ...</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Sep 2024 12:08:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1149</Articleid>
                    <excerpt>પોલીસ દલિત યુવકને એક કેસમાં પૂછપરછ માટે પકડી લાવી હતી. સવારે જોયું તો તેનો મૃતદેહ જેલમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d55b5ed2097.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d55b5e9b06b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d55b5e9b06b.jpg" length="65550" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit youth Suicide, MP, muraina Police Station, Bhim Army, Custodial Death</media:keywords>
                </item>
                        <item>
                    <title>મર્યા પછી પણ જાતિ નડીઃ દલિત મહિલાની અંતિમવિધિ ન થવા દીધી</title>
                    <link>https://khabarantar.com/caste-nadi-even-after-death-dalit-womens-funeral-not-allowed</link>
                    <guid>https://khabarantar.com/caste-nadi-even-after-death-dalit-womens-funeral-not-allowed</guid>
                    <description>
                        <![CDATA[ વરસાદ હોવાથી દલિતોના તેમના સ્મશાનમાં જઈ શકે તેમ નહોતા. તેમણે ગ્રામ પંચાયતની જમીન પર મૃતક મહિલની અંતિમક્રિયાની મંજૂરી માંગી પણ જાતિવાદીઓ આડે આવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિ હૈ કી જાતિ નહીં. - આવું આપણે સાંભળતા આવ્યા છીએ. દલિતોને જીવતે જીવ તો જાતિ નડે જ છે, મર્યા પછી પણ જાતિવાદ તેમનો પીછો નથી છોડતો. આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી છે. જ્યાં એક ગામમાં દલિત મહિલાના અવસાન થયા બાદ જાતિવાદી તત્વોએ ગ્રામ પંચાયતના શેડમાં તેની અંતિમવિધિ નહોતી થવા દીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચાર જ્યાં થાય છે તે મધ્યપ્રદેશની છે. અહીં રતલામ જિલ્લાના રિંગનોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત મહિલાનું મોત થઈ ગયા બાદ જાતિવાદી તત્વોએ સરકારી સ્મશાનમાં તેની અંતિમવિધિ થવા દીધી નહોતી. ગામના જાતિવાદી તત્વોએ દલિતોને ગ્રામ પંચાયતના સરકારી શેડમાં દલિત મહિલાની અંતિમવિધિ કરતા રોક્યા હતા. આ મામલે હવે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોએ દાદાગીરી કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રતલામ જિલ્લાના જાવરા તાલુકાના રિંગનોદ પોલીસ સ્ટેશનના કુંભારી ગામની આ ઘટના છે. અહીં બદ્રીલાલ નામના દલિતે જણાવ્યું હતું કે, તેના ભાઈ શંભુલાલની પત્ની સુગનબાઈનું બિમારીને કારણે નિધન થઈ ગયું હતું. એ દિવસે ભારે વરસાદ પડતો હતો અને દલિતોના સ્મશાનમાં જવા માટેનો રસ્તો પણ બચ્યો નહોતો કે ન ત્યાં કોઈ પાકો શેડ હતો. પરંતુ ગ્રામ પંચાયતના સ્મશાનમાં શેડ હતો. આથી તેમણે ત્યાં અંતિમક્રિયા કરવાનું નક્કી કર્યું હતું. તેના માટે તેમણે ગામના ખુમાનસિંહ નામના માણસને આ મામલે પૂછ્યું હતું. આથી તેણે કહ્યું કે, તે નાગુસિંહ રાજપૂતને પૂછીને જણાવશે. એ પછી ખુમાનસિંહે જણાવ્યું કે નાગુસિંહ રાજપૂત ગ્રામ પંચાયતના શેડમાં એક દલિત મહિલાની અંતિમક્રિયા થાય તે માટે ના પાડી રહ્યો છે અને તમારા માટે એક નોખા કામચલાઉ શેડની વ્યવસ્થા કરી રહ્યાં છીએ. મજબૂરીમાં દલિત પરિવારે કામચલાઉ શેડમાં અંતિમવિધિ કરવી પડી હતી. જો કે એ પછી તેણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરકારીને બદલે ખાનગી જમીન પર સ્મશાનનો શેડ બન્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુંભારી ગ્રામ પંચાયતે વર્ષ 2015-16માં સ્મશાનનો શેડ બનાવ્યો હતો, પરંતુ આ શેડ સરકારી જમીન પર નહીં પરંતુ ખાનગી જમીન પર બાંધવામાં આવ્યો છે. જ્યાં સ્મશાન માટે જમીન ફાળવવામાં આવી છે, ત્યાં ન તો શેડ છે, ન ત્યાં પહોંચવા માટે કોઈ રસ્તો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/what-was-heard-in-the-drawing-room-of-savarna-the-judge-wrote-in-the-judgment"><span style="font-size: 14pt;"> સવર્ણોના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું, જજે તે ચૂકાદામાં લખ્યું છે?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના કારણે દર વર્ષે વરસાદની સિઝનમાં અંતિમ સંસ્કાર કરવામાં મુશ્કેલી પડે છે. પંચાયત દ્વારા બાંધવામાં આવેલો શેડ ખાનગી જમીન પર હોવાને કારણે લોકો તે પ્રાઈવેટ હોવાનું કારણ આપીને અંતિમ સંસ્કાર કરવા સામે વાંધો ઉઠાવે છે, જે વિવાદનું વાસ્તવિક કારણ બની ગયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સરકારી જમીન પર શેડ બનાવવાની માંગ ઉઠી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ગ્રામ પંચાયત મરમ્યાના તલાટી બી.એસ. રાઠોડ અને તાલુકાના અધિકારી મનોજસિંહ મંડલોઈએ ગામમાં પહોંચી પંચનામું કર્યું હતું. તલાટી રાઠોડનું કહેવું છે કે પંચાયત દ્વારા બનાવવામાં આવેલ શેડ તેમના કાર્યકાળમાં નથી બન્યો. પંચનામા મુજબ મુક્તિધામની જમીન જ્યાં અપાયેલી છે ત્યાં શેડ નથી. ગ્રામજનોનું કહેવું છે કે ફાળવાયેલી જમીન પર નવો શેડ બનાવવામાં આવે અને ત્યાં સુધી પહોંચવા માટે રસ્તો મળે તો સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો ગંભીર છે - સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાવરાના એસડીએમ ત્રિલોચન ગૌરે જણાવ્યું હતું કે ખાનગી જમીન પર શેડ બનાવવો અને સ્મશાનનું નિર્ધારિત જગ્યાએ ન હોવું એ ગંભીર બાબત છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પંચાયત પાસેથી રિપોર્ટ મેળવ્યા બાદ રસ્તો આપવા અને નક્કી કરેલી જગ્યાએ શેડ બનાવવાનો રસ્તો કાઢશે. સાથે જ સમગ્ર મામલાનું વહીવટી સ્તરે નિરાકરણ લાવવા માટે જરૂરી નક્કર પગલાં પણ ભરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-last-rites-of-the-dalit-elderly-had-to-be-done-in-the-dirt-in-kumarkhani-of-veergamam">વીરમગામના કુમરખાણમાં દલિત વૃદ્ધની અંતિમવિધિ ગંદકી વચ્ચે કરવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 31 Aug 2024 13:56:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1138</Articleid>
                    <excerpt>વરસાદ હોવાથી દલિતોના તેમના સ્મશાનમાં જઈ શકે તેમ નહોતા. તેમણે ગ્રામ પંચાયતની જમીન પર મૃતક મહિલની અંતિમક્રિયાની મંજૂરી માંગી પણ જાતિવાદીઓ આડે આવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66d2d28a0c82d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d2d289cedac.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d2d289cedac.jpg" length="80270" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Adivasi, Atrocity</media:keywords>
                </item>
                        <item>
                    <title>તારો જમાઈ હોય તો તું નદીમાં કૂદી જા અને લાશ કાઢી આવ...</title>
                    <link>https://khabarantar.com/if-it-is-your-son-in-law-jump-into-the-river-and-retrieve-the-body</link>
                    <guid>https://khabarantar.com/if-it-is-your-son-in-law-jump-into-the-river-and-retrieve-the-body</guid>
                    <description>
                        <![CDATA[ હળવદના ઢવાણા ગામમાં બનેલી ગોઝારી ઘટનામાં કલેક્ટર, સ્થાનિક પીઆઈ, સ્થાનિક નેતાઓ અને વહીવટીતંત્રની એક કાળી બાજુની અહીં વિસ્તારથી વાત કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામે સાતમને રવિવારે મોડી સાંજે ગામના પાદરમાંથી પસાર થતી કંકાવટી નદી ક્રોસ કરતી વેળાએ ટ્રેક્ટર તણાઈ જતા તેમાં સવાર 17 લોકો તણાયા હતા. જેમાંથી 9 બચી ગયા હતા જ્યારે 8 લાપતા થઈ ગયા હતા. જેમાં 7 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે એક છ વર્ષની બાળકી લાપતા હતી તેનો મૃતદેહ ગઈકાલે સવારે મળી આવ્યો હતો. નાનકડા આ ગામમાં બનેલી આટલી મોટી દુર્ઘટનાએ ગુજરાત આખાને હચમચાવી દીધું છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્રે આ મામલે પીડિતો સાથે ભારે ભેદભાવ દાખવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીધાં શબ્દોમાં કહીએ તો પીડિતો દલિતોમાં પણ અતિપછાત ગણાતા બારોટ-નાડિયા સમાજના હોવાથી તંત્રે તેમની સાથે ભારે ભેદભાવ દાખવ્યો હતો. એ ત્યાં સુધી કે બે દિવસ સુધી મૃતકોની લાશો પાણીમાંથી કાઢવાની પણ તેણે પરવા કરી નહોતી અને માત્ર નદીના કાંઠે ફરીને સંતોષ માની લીધો હતો. હળવદના પીઆઈને ઢવાણાના એક વ્યક્તિએ કહ્યું કે, "સાહેબ, મારા જમાઈનો મૃતદેહ ત્યાં પડ્યો છે તેને બહાર કાઢી આપો", તો પીઆઈએ તોછડાઈથી જવાબ આપ્યો કે, તારો જમાઈ હોય તો, તું અંદર ઉતરીને એને કાઢી આવ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનાના પીડિતો સાથે સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અધિકારી અને NDRF-SDRFની ટીમ દ્વારા ભેદભાવ દાખવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઢવાણા ગામમાં ઘટેલી આ દુર્ઘટનામાં મૃતકો અનુસૂચિત જાતિના બારોટ અને નાડિયા સમાજના છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ જ કારણોસર સ્થાનિક પોલીસ અધિકારી ઉપરાંત એનડીઆરએફ-એસડીઆરએફના જવાનોએ પણ તેમના મૃતદેહોની ભાળ મેળવવામાં ભારે બેદરકારી દાખવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalits-were-socially-boycotted-in-meghpar-of-akhpat-taluk-of-kutch">કચ્છના લખપત તાલુકાના મેઘપરમાં દલિતોનો સામાજિક બહિષ્કાર કરાયો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એનડીઆરએફ-એસડીઆરએફની ટીમ પાણીમાં તણાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થળ પર આવી હતી પરંતુ તેમણે કોઈને પણ બચાવવાની કામગીરી કરી નહોતી અને માત્ર ટ્રેક્ટર ટ્રોલીને જેસીબી મશીનથી બહાર કાઢીને સંતોષ માન્યો હતો. વાસ્તવમાં તેમણે પહેલા પાણીમાં તણાયેલા લોકોની ભાળ મેળવવાની હતી અને તેમને બચાવવાની કામગીરી કરવાની જરૂર હતી. પણ તેઓ પાણીમાં ઉતર્યા જ નહોતા અને માત્ર નદીના કાંઠા ફરતે આંટો મારીને સંતોષ માની લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોરબી કલેક્ટરે જણાવ્યું હતું કે તેમણે 9 લોકોને રેસક્યૂ કર્યા છે પણ તે વાત પણ ખોટી હોવાનું સ્થાનિકો જણાવે છે. બચી ગયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમની કોઈ વ્યક્તિ તેમને બચાવવા નહોતી આવી પરંતુ તેઓ જાતે પાણીમાં તરીને બહાર આવ્યા હતા. જ્યારે અન્ય લોકો પાણીમાં તણાઈ ગયા હતા તેમની લાશો ગામલોકોએ બહાર કાઢી હતી, નહીં કે એસડીઆરએફ કે એનડીઆરએફની ટીમે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઢણાવ ગામે બનેલ દુર્ઘટનામાં પાણીના પ્રવાહમાં લાપતા બનેલા તમામ 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમા (1) અશ્વિનભાઈ રાઠોડ, ઉ.28, રહે.જોરાવરનગર, સુરેન્દ્રનગર (2) અશિષભાઈ સુરેશભાઈ બારોટ, રહે. નવા ઢવાણા (3) રાજુબેન ગણપતભાઈ બારોટ ઉ.45, રહે. નવા ઢવાણા (4) વિજય સુરેશભાઈ બારોટ, ઉ.19 રહે. નવા ઢવાણા (5) ગીતાબેન સુરેશભાઈ રાઠોડ, ઉ.16, રહે. નવા ઢવાણા (6) જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા ઉ.32 રહે. નવા ઢવાણા, (7) રામદેવ પ્રવીણભાઈ મકવાણા ઉ.14, રહે. નવા ઢવાણા અને જિનલબેન મહેશભાઈ બારોટ ઉ. 6 રહે. પાટડીનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/police-sent-1.79-lakh-bill-to-provide-security-to-dalit-Sarpanch">દલિત સરપંચને સુરક્ષા આપવાનું પોલીસે 1.79 લાખ બિલ મોકલ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખી દુર્ઘટનામાં સ્પષ્ટ રીતે જાતિ ભેદભાવની ગંધ આવી રહી છે. દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી આ દુર્ઘટનાના બીજા દિવસે ઢવાણા પહોંચ્યા હતા. તેમણે આ ઘટનાનો એક વીડિયો બનાવીને પોતાની યુટ્યૂબ ચેનલ પર મૂક્યો છે. જેમાં ઘણી સ્ફોટક વિગતો બહાર આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નૌશાદભાઈ વીડિયોમાં જણાવે છે કે, તેઓ ઢવાણા પહોંચ્યા ત્યારે મૃતકોના પરિવારજનો અને ગામલોકોએ તંત્રની બેદરકારીને લઈને તેમની સામે ભારે બળાપો ઠાલવ્યો હતો. લોકોએ જણાવ્યું કે, વહીવટીતંત્રે તેમના પરિવારજનોના મૃતદેહ બહાર કાઢવામાં કશી પણ મદદ કરી નહોતી. જેના કારણે ગામલોકો સાથે મળીને તેમણે જાતે મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. મોડી રાત્રે ગામલોકો કંકાવટી નદીમાં તપાસ માટે ફરી રહ્યા હતા. એ દરમિયાન એક વ્યક્તિ જીવતી હતી, તેણે તેના બચી ગયેલા મોબાઈલની ટોર્ચથી કાંઠે ઉભેલા લોકોને સંકેત આપ્યો હતો. એ પછી કેટલાક યુવાનોએ એનડીઆરએફની ટીમને ત્યાં એક વ્યક્તિ જીવતી હોવાની જાણ કરી હતી. પણ દોઢ કલાક સુધી એનડીઆરએફનો માણસ ત્યાં જોવા માટે પણ ગયો નહોતો. એ પછી ત્યાં કોઈ કપડું હતું એમ કહીને આખી વાતને ઉડાવી દેવાઈ હતી. ગામલોકોનું કહેવું છે કે, હકીકતે ત્યાં એક વ્યક્તિ ફસાયેલી હતી અને તેણે મદદ માટે તેની પાસે રહી ગયેલા મોબાઈલની ટોર્ચથી આ સંકેત આપ્યો હતો. પણ એનડીઆરએફની ટીમે ધ્યાન ન આપ્યું એટલે પેલો માણસ નદીમાં તણાઈને મૃત્યુ હોવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં નૌશાદભાઈ અન્ય એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહે છે, એક વ્યક્તિના જમાઈની લાશ નજર સામે નદીમાં પડી હતી. જેને બહાર કાઢવા માટે તેણે હળવદના પીઆઈ વ્યાસને વિનંતી કરી હતી. જેનાથી વ્યાસ સાહેબ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે પેલા વડીલને તોછડાઈથી કહ્યું, "તારો જમાઈ હોય તો તું નદીમાં કૂદી જા અને તેની લાશ બહાર કાઢ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નૌશાદભાઈના વીડિયોમાં એક વ્યક્તિ કહે છે, "મીડિયામાં બતાવવામાં આવે છે કે, એનડીઆરએફની ટીમે 11 લોકોને રેસક્યૂ કર્યા, પણ તે ખોટું છે. બધાં પોતાની જાતે જ નદીમાંથી બહાર નીકળ્યા હતા. એકેયને એનડીઆરએફની ટીમે નથી બચાવ્યા. બીજું કે, રાત્રે અમે આ ટીમને મૃતદેહો પણ બતાવ્યા હતા, પણ ટીમનો એકેય સભ્ય નદીમાં ઉતર્યો નહોતો અને આખી રાત નદી બહાર આંટા મારતા રહ્યા હતા. પીઆઈ વ્યાસને જ્યારે અમે લાશ બતાવતા હતા ત્યારે તેઓ એમ કહેતા હતા કે, તું પોતે અંદર કૂદકો માર."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં સોલંકી મનોજભાઈ ડાયાભાઈ નામની વ્યક્તિ જે આ દુર્ઘટનામાંથી હેમખેમ બહાર આવી હતી, તે નૌશાદ સોલંકીને જણાવે છે કે, "ટ્રેક્ટર નદીમાં તણાયા પછી અમે જાતે જ નદીમાંથી બહાર નીકળ્યા હતા. મારી સાથે મારા એક ફૂવા, ચમન, લલીત અને આગળ રાહુલ અને બીજા બે લોકો નીકળ્યા હતા. સરકારની કોઈ ટીમે અમને બચાવ્યા નથી, અમે જાતે જ નદીમાંથી બહાર નીકળ્યા છીએ. શરીરે બાવળના કાંટા ભોંકાયા છે, છોલાઈ ગયું છે. બાવળની કાંટાળી ડાળી પકડીને અમે થોડા ઉપર આવ્યા અને દૂર ઉભેલા ગામલોકોને સાદ પાડ્યો હતો. એટલે તેઓ અમારી પાસે પહોંચી ગયા હતા અને અમને બહાર કાઢ્યા હતા. એનડીઆરએફની ટીમે અમને નથી બચાવ્યા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નૌશાદ સોલંકી વીડિયોમાં આગળ જણાવે છે, "હું જ્યારે ઢવાણા પહોંચ્યો ત્યારે પીડિતોના પરિવારજનોએ જણાવ્યું કે તંત્ર તેમનું કશું સાંભળતું નથી. આથી મેં કલેક્ટરને ફોન કર્યો. તેઓ પોતાના કામ ગણાવ્યા લાગ્યા. પણ હકીકત એ હતી કે, તંત્રનો એક પણ અધિકારી પીડિત પરિવારના ઘરે ગયો નહોતો, તેમને મળ્યો નહોતો કે સાંત્વના પણ પાઠવી નહોતી. દુઃખની વાત એ કે, એક પરિવારના 5 લોકો, એક પરિવારના મા-દીકરો, એક પરિવારના તાજા લગ્ન થયેલો યુવાન એમ 8-8 લોકોની લાશ નદીમાં પડી હોવા છતાં તંત્ર તેમની ભાળ મેળવતું નહોતું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નૌશાદ સોલંકી કહે છે, "મેં જ્યારે કલેક્ટર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, મચ્છુ ડેમમાં પાણી આવતું હોવાથી મેં ઢવાણા મોકલેલી ટીમને મચ્છુ ડેમ પર મોકલી દીધી હતી. તો શું આખા ગુજરાતમાં એનડીઆરએફની માત્ર એક જ ટીમ હતી? બીજી ટીમ ત્યાં મોકલી શકાય નહીં? ગુજરાતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું મોટું તંત્ર છે. વાતો તો બહુ મોટી મોટી કરવામાં આવે છે, પણ આ બધું માત્ર કાગળ પર જ રહ્યું. 8-8 લોકોની જ્યાં નદીમાં લાશો પડી હતી તેને બહાર કાઢવાને બદલે તંત્ર જાણે કશું જ થયું નથી તેમ સમજીને બીજા કામે વળગી ગયું હતું. આ છે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીનું સંવેદનશીલ વહીવટીતંત્ર!"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/you-are-not-a-courtier-why-are-you-posting-a-clean-picture-kahi-killed-the-dalit-youth"> 'તું દરબાર નથી, સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?' કહી દલિત યુવકને માર્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક પીડિત પરિવાર નૌશાદ સોલંકીને કહે છે, "સાહેબ, અમે દલિત સમાજના છીએ એટલે ને? જો બીજા કોઈ સમાજના હોત તો આખી સરકાર અહીં ઉતરી પડી હોત અને મૃતદેહો શોધવા માટે આખી નદી ડહોળી નાખી હોત. પણ અમે તો દલિતમાં પણ અતિપછાત સમાજમાંથી આવીએ છીએ. એટલે તંત્રને અમારી કિંમત ક્યાંથી હોય?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ પણ નોંધવું જોઈએ કે, નૌશાદ સોલંકી જ્યારે ઢવાણાની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યાં સુધીમાં સ્થાનિક સાંસદ કે ધારાસભ્ય કે ભાજપના એકેય પદાધિકારીઓ ઢવાણાની મુલાકાતે પહોંચ્યા નહોતા. પણ નૌશાદ સોલંકીએ મીડિયામાં આખો મામલો ખોલીને મૂકી દીધો, તંત્રની પોલ ખોલી નાખી એ પછી સરકારે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા અને હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને ઢવાણા મોકલ્યા હતા. અને તેમના મોંએ મૃતકના પરિવારોને રૂ. 4 લાખની સહાયની જાહેરાત કરાવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારના જવાબદાર અધિકારીઓ કે મુખ્યમંત્રી તરફથી આ મામલે કોઈ જ જાહેરાત કરવામાં આવી નહોતી. એટલું જ નહીં સાંસદ-ધારાસભ્ય પણ પીડિતોના પરિવારને મળ્યાં નહોતા. ઢવાણા ગામ બે ભાગમાં વહેંચાયેલું છે, નવા અને જૂના ઢવાણા. વર્ષો પહેલા જૂના ઢવાણાની મોકાની જમીન પર દલિત બારોટ-નાડિયા સમાજને સરકારી પ્લોટ ન મળે તે માટે ગામથી બહાર નદીની પેલે પાર નવા ઢવાણા વિકસાવવામાં આવ્યું હતું. જ્યાં આજે માત્ર બારોટ-નાડિયા સમાજની જ વસ્તી છે. આ ઘટના પછી સાંસદ-ધારાસભ્ય નદીની પેલે પાર ગયા નહોતા અને જૂના ઢવાણામાં એક પરિવારને મળીને જતા રહ્યા હતા. જ્યારે બહુમતી મૃતકોના પરિવારો તો નદીની પેલે પાર નવા ઢવાણામાં રહે છે. પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમને મળીને સાંત્વના પાઠવવામાં રસ નહોતો. શું કામ રસ નહોતો એ હવે તમે સમજી ગયા હશો. આ છે સંવેદનશીલ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીના, સંવેદનશીલ સાંસદ-ધારાસભ્ય?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નૌશાદભાઈ કહે છે, "જ્યારે મામલો દલિતો, એમાંય અતિપછાત દલિતોનો હોય ત્યારે તંત્રની સંવેદના તદ્દન બહેર મારી જાય છે. તેઓ જાણે તેમને માણસ જ નથી ગણતા. આવી દુર્ઘટનાઓ કોઈ ડિઝાસ્ટર ટુરિઝમ નથી હોતી, તેમાં તંત્રે તાત્કાલિક નક્કર કામગીરી કરવાની હોય છે. પણ ઢવાણામાં પીડિતો દલિત સમાજના હોવાથી સરકારી તંત્રે તેમને સાવ રામભરોસે છોડી દીધા હતા. કલેક્ટરને ખોટું બોલતા જરાય શરમ નહોતી આવી કે અમે 8 લોકોને રેસક્યૂ કર્યા છે. આ તો ગામલોકોએ તેમનો ભાંડ ફોડ્યો કે તેમણે નહીં અમે જાતે મૃતકોને બહાર કાઢ્યા છે ત્યારે મને હકીકત જાણવા મળી. કલેક્ટર હેલિકોપ્ટર ન લાવી શક્યા તો કંઈ નહીં, એક નાનકડું ડ્રોન લાવીને તો ચેક કરી શક્યા હોત કે મૃતદેહો ક્યાં પડ્યાં છે. પણ એવું ન થયું, આ છે સંવેદનશીલ ગુજરાતનું સંવેદનશીલ તંત્ર."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નૌશાદ સોલંકી વીડિયોના અંતમાં મુખ્યમંત્રી અને પીએમ મોદીને વિનંતી કરે છે કે, મૃતકો અત્યંત ગરીબ દલિત સમાજમાંથી આવતા હતા. તેમના પરિવારજનો પાસે હવે આવકનું પણ કોઈ સાધન નથી રહ્યું. આથી તેમને ઓછામાં ઓછાં 10 લાખ રૂપિયાની સહાય અને પરિવારદીઠ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે જેથી તેમનું ગુજરાન સારી રીતે ચાલી શકે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/police-kidnap-tribal-youths-to-save-contractor-chaitar-vasava">કોન્ટ્રાક્ટરને બચાવવા પોલીસે આદિવાસી યુવકોને ચોર ખપાવ્યાઃ ચૈતર વસાવા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 31 Aug 2024 10:35:22 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 31 Aug 2024 10:37:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1136</Articleid>
                    <excerpt>હળવદના ઢવાણા ગામમાં બનેલી ગોઝારી ઘટનામાં કલેક્ટર, સ્થાનિક પીઆઈ, સ્થાનિક નેતાઓ અને વહીવટીતંત્રની એક કાળી બાજુની અહીં વિસ્તારથી વાત કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66d2a36a6df96.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d2a36a3d168.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d2a36a3d168.jpg" length="50685" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Halvad, Dhavana gaam</media:keywords>
                </item>
                        <item>
                    <title>કટ્ટર જાતિવાદઃ દલિતો મંદિરમાં ન પ્રવેશે માટે મંદિર જ તોડી નાખ્યું</title>
                    <link>https://khabarantar.com/radical-casteism-the-temple-itself-was-demolished-to-prevent-dalits-from-entering-the-temple</link>
                    <guid>https://khabarantar.com/radical-casteism-the-temple-itself-was-demolished-to-prevent-dalits-from-entering-the-temple</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદની ચરમસીમા આને કહેવાય. એક ગામમાં કથિત સવર્ણ હિંદુઓએ દલિતો મંદિરના ઉત્સવમાં ભાગ ન લઈ શકે તે માટે ગ્રામદેવીનું મંદિર જ તોડી પાડ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પેરિયાર(Periyar)ની ભૂમિ તમિલનાડુ(Tamilnadu)માં જાતિવાદ(Castism)ની ચરમસીમા જેવી એક ઘટના સામે આવી છે. અહીંના એક ગામમાં ગ્રામદેવીના મંદિરમાં દર વર્ષે યોજાતા ઉત્સવમાં દલિતોને ભાગ લેતા રોકવા માટે સવર્ણ હિંદુઓએ જેસીબીથી મંદિર જ તોડી પાડ્યું હતું. એક કહેવાતો જ્યોતિષ તો દેવીની મૂર્તિ લઈને ભાગી ગયો હતો. આ મામલે ગામના દલિતોએ એટ્રોસિટી એક્ટ(Atrocity Act) હેઠળ ફરિયાદ કરતા હવે તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના તમિલનાડુના વેલ્લોર(Vellor) જિલ્લાના જેમનકુપ્પ્મ(jemman Kuppam) ગામની છે. અહીં કલિઅમ્મન મંદિર(kaliamman temple)ને થોડા દિવસ પહેલા કટ્ટર જાતિવાદી હિંદુઓએ રાતારોત જેસીબી મશીનથી તોડી પાડ્યું હતું. તેની પાછળનું કારણ એવું છે કે, ગામમાં વર્ષોથી ગામદેવીની પૂજા માટેનો એક ઉત્સવ ઉજવાય છે. જેમાં સૌ કોઈ ભાગ લેતા હતા. પણ છેલ્લાં કેટલાક વર્ષોથી દલિતો આ ઉત્સવમાં ભાગ લે તે ગામની કથિત સવર્ણ જાતિઓને ગમતું નહોતું. આ વખતે તેમણે નક્કી કર્યું હતું કે, ગમે તે ભોગે દલિતોને આ ઉત્સવમાં ભાગ લેવા દેવા નથી. જેની સામે દલિતોએ ભારે વિરોધ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સમાજના લોકોને આ કાવતરાની જાણ થતા તેમણે સ્થાનિક પોલીસ અને રાજ્યના Hindu Religious &amp; Charitable Endowments Department ને સમગ્ર મામલાની જાણ કરી યોગ્ય પગલાં લેવા કહ્યું હતું. જો કે કટ્ટર જાતિવાદી તત્વો કાયદાને પણ ઘોળીને પી ગયા હતા અને ઉત્સવ પહેલા પોલીસ પ્રોટેક્શન હોવા છતાં મંદિર તોડી પાડ્યું હતું, જેથી દલિતો ઉત્સવમાં ભાગ ન લઈ શકે. આ ઘટનાના એક અઠવાડિયા પછી મહેસૂલ વિભાગે આ મંદિરના પુનઃનિર્માણની કામગીરી હાથ ધરી છે અને 22 ઓગસ્ટે દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એ પછી મંદિરનું પુનઃનિર્માણ શરૂ કરાયું હતું. હવે આ મંદિરના નિર્માણની કામગીરી HR&amp;CE તંત્રે પોતાના હાથમાં લઈ લીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/The-Hijri-family-of-Akolali,-fed-up-with-the-harassment-of-the-casteists,-applied-to-declare-themselves-Hijri-again"> </a></strong></span> <a href="https://khabarantar.com/Burglars-and-criminals-will-take-a-lesson-from-the-proverbial-mother-of-a-thief-who-weeps-in-her-cell"><strong>તોડબાજો અને ગુનેગારો, ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે?</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66d01c015bce3.jpg" alt=""></p>
<p>.<span style="font-size: 14pt;">મંદિર તોડી પાડવાની ઘટનાના એક વીક પછી કેવી કુપ્પમ(KV kuppam) પોલીસે એક વ્યક્તિ સામે એસસી એસટી એક્ટ(SC-ST Act) હેઠળ ફરિયાદ નોંધી છે. સૂત્રોના મતે જિલ્લા કલેક્ટરની કાયદો વ્યવસ્થાની જાળવણી માટેની બેઠકમાં વિસ્તૃત ચર્ચા બાદ 14 ઓગસ્ટના રોજ આ એફઆઈઆર(FIR) નોંધાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમનકુપ્પન ગામની વસ્તીમાં અંદાજે 50 ટકા હિસ્સો દલિત સમાજનો છે. દલિત સમાજનું કહેવું છે કે, ગામદેવી મૂળે તો તેમની દેવી છે અને દલિતો જ વર્ષોથી તેની પૂજા કરતા હતા. પણ સમય જતા ગામની કથિત સવર્ણ જાતિના લોકોએ પણ તેમની પૂજા કરવાનું શરૂ કરી દીધું હતું અને તેમણે દલિતોને જ તેમની દેવીના મંદિરમાંથી દૂર કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લાં કેટલાક વર્ષોમાં મંદિરમાં દલિતો સાથે જાતિગત ભેદભાવ ખૂબ વધી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવીને શરૂઆતમાં ગામથી ત્રણ કિલોમીટર દૂર એક ખૂલ્લી જગ્યામાં બેસાડવામાં આવ્યા હતા. એ પછી તેમની ફરતે એક નાનકડું મંદિર બનાવવામાં આવ્યું હતું. દલિતોનો દાવો છે કે, દેવીના મંદિર માટે તેમણે રૂપિયા અને ચીજવસ્તુઓનો ફાળો આપ્યો હતો, જેનો સવર્ણ હિંદુઓએ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, દલિતોની દેવીને સવર્ણ હિંદુઓએ હડપી લીધા હતા અને દેવીના ઉત્સવમાંથી દલિતોને જ બાકાત કરી નાખ્યા હતા. આ ગામમાં સવર્ણ હિંદુઓમાં વન્નિયાર, ચેટ્ટિયાર અને નાયડુ છે. આ સિવાય યાદવ સમાજ પણ ખરો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-Chamar-studio-the-name-of-the-caste-that-people-used-to-be-angry-about-made-a-brand">The Chamar Studio: જે જ્ઞાતિનું નામ લઈને લોકો ખીજવતા હતા એને જ બ્રાન્ડ બનાવી દીધી!</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ફરિયાદ નોંધાવનાર દલિત યુવાન નવીનકુમારનું કહેવું છે કે, દલિત સમાજને 2 ઓગસ્ટના રોજ થનારા ઉત્સવથી દૂર રહેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. એટ્રોસિટી એક્ટની ફરિયાદમાં જેનું મુખ્ય આરોપી તરીકે નામ છે તે જ્યોતિષ ડી. લોગનાથને(D lognathan) ગામલોકો વચ્ચે એવું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું કે, દેવી કાલીઅમ્મન તેના સપનામાં આવ્યા હતા અને તેમણે આદેશ આપ્યો હતો કે દલિતોના આ ઉત્સવથી દૂર રાખવામાં આવે. આશ્ચર્યજનક રીતે અન્ય સવર્ણ હિંદુઓએ તેના આ જુઠ્ઠાણાનું સમર્થન કર્યું હતું. એનો એ થયો કે દલિતોને ઉત્સવમાંથી બહાર કરી દેવાનું પહેલેથી નક્કી હતું અને હિંદુઓની અન્ય કથિત સવર્ણ કોમના લોકોનો પણ તેમાં હાથ હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ પ્રોટેક્શન છતાં મંદિર તૂટ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવર્ણ હિંદુઓની આ ચાલને દલિતો સમજી ગયા હોવાથી તેમણે પોલીસને જાણ કરી દીધી હતી. જો કે પોલીસ સુરક્ષા હોવા છતાં 6 ઓગસ્ટના રોજ ગામના અમુક સવર્ણ હિંદુઓએ મળીને જેસીબી મશીનથી મંદિર તોડી પાડ્યું હતું અને જ્યોતિષ ડી. લોગનાથ દેવીની મૂર્તિ લઈને ફરાર થઈ ગયો હતો. આમ દલિતો મંદિરમાં પ્રવેશી ન જાય તે માટે દેવીનું મંદિર જ તોડી પાડ્યું હતું.</span><br><span style="font-size: 14pt;">દલિતોનો આરોપ છે કે, દેવીનું મંદિર તત્કાલિન રેન્જ આઈજી રવિચંદ્રનના અંદરખાને મળેલા ટેકાથી તૂટ્યું છે. જો કે રવિચંદ્રનને આ મામલે પૂછવામાં આવતા તેણે આરોપો નકારી કાઢતા જણાવ્યું હતું કે હવે આખો મામલો મહેસૂલ વિભાગ પાસે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">37 વર્ષના દલિત યુવક ભરત તમિલનું કહેવું છે કે, સામાન્ય રીતે ગામની બહાર કાલીઅમ્મન મંદિરમાં પોંગલ રાંધતા પહેલા સ્થાનિક મરિયમ્મન મંદિરમાં ઉત્સવ શરૂ થાય છે. પણ ગામલોકોએ ઉત્સવમાં ભાગ લેવાથી દલિતોને દૂર કરવાનું નક્કી કર્યું. દલિતો સાથે ભેદભાવ વધવા લાગ્યા અને અમારા જ દેવીના મંદિરમાં અમે પ્રવેશી ન શકીએ તેવું કાવતરું ઘડાયું હતું. અમે દર વર્ષે ઉત્સવ પહેલા એક મોટું સરઘસ કાઢતા હતા, પણ ગયા વર્ષે સવર્ણ હિંદુઓએ તેમના વિસ્તારમાંથી તેને કાઢવાનો વિરોધ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતોને ઉત્સવમાં સામેલ ન થવા દેવા મુદ્દે દલિત સમાજના લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેની તપાસ થયા બાદ સવર્ણ હિંદુઓ દ્વારા જાતિવાદી નિવેદનો આપવામાં આવ્યા હતા. 2 ઓગસ્ટના રોજ જાતિવાદી હિંદુઓના પ્રતિબંધોને ફગાવી દઈને દલિતોએ કાલીઅમ્મન મંદિરમાં ઉત્સવ ઉજવ્યો હતો, જેનો સવર્ણોએ બહિષ્કાર કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવર્ણોનો દાવો છે કે, જ્યોતિષ લોગનાથને એકલાએ જ મંદિર બનાવડાવ્યું હતું અને દલિતો ત્યાં પૂજા કરવા આવે તેની સામે તેણે કોઈ વાંધો નહોતો લીધો. પરંતુ તેણે દલિતો અને અન્ય સવર્ણ કોમો સાથે મળીને ઉત્સવ ઉજવે તેનો વિરોધ કર્યો હતો. એ પછી આ મામલો ઉગ્ર બન્યો હતો અને સવર્ણ હિંદુઓએ કાવતરાના ભાગરૂપે કાલીઅમ્મન મંદિર પર જેસીબી ફેરવી દીધું હતું જેથી દલિતો ઉત્સવમાં ભાગ ન લઈ શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/The-Hijri-family-of-Akolali,-fed-up-with-the-harassment-of-the-casteists,-applied-to-declare-themselves-Hijri-again"> આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદીઓના ત્રાસથી કંટાળીને ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 29 Aug 2024 12:30:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1127</Articleid>
                    <excerpt>જાતિવાદની ચરમસીમા આને કહેવાય. એક ગામમાં કથિત સવર્ણ હિંદુઓએ દલિતો મંદિરના ઉત્સવમાં ભાગ ન લઈ શકે તે માટે ગ્રામદેવીનું મંદિર જ તોડી પાડ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66d01bb9aaa8a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d01bb976bd0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d01bb976bd0.jpg" length="106098" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Periyar, Tamilnadu, Castism, Atrocity Act)</media:keywords>
                </item>
                        <item>
                    <title>રેલવે બોર્ડના સીઈઓ પદે પહેલીવાર દલિત અધિકારીની નિમણૂંક</title>
                    <link>https://khabarantar.com/for-the-first-time-a-dalit-officer-has-been-appointed-as-the-ceo-of-the-railway-board</link>
                    <guid>https://khabarantar.com/for-the-first-time-a-dalit-officer-has-been-appointed-as-the-ceo-of-the-railway-board</guid>
                    <description>
                        <![CDATA[ ભારતીય રેલવે બોર્ડમાં સીઈઓને સૌથી મોટું પદ માનવામાં આવે છે. આ પદ પર ઈતિહાસમાં પહેલીવાર એક દલિત અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">First Dalit CEO Of Railway Board: ભારતીય રેલવે તમે જ્યારે પણ મુસાફરી કરતા હશો ત્યારે એક બાબત તરત તમારી નજરમાં આવી હશે કે મોટાભાગે રેલવેના ઉચ્ચ અધિકારીઓ તિવારી, મિશ્રા, ગુપ્તા, શુક્લા, દ્વિવેદી, ત્રિવેદી કે ચતુર્વેદી હશે. જેમ ભારતરત્ન સહિત દેશના મોટાભાગના પદો પર આ લોકો હાવી થઈ ગયા છે તે જ સ્થિતિ મલાઈદાર રેલવે બોર્ડમાં છે. પણ ઈતિહાસમાં પહેલીવાર રેલવે બોર્ડમાં ટોચના પદે એક દલિત અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ભારતીય રેલવે મેનેજમેન્ટ સર્વિસ (IRMS) ના અધિકારી સતીશ કુમાર(Satish Kumar)ને રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રેલ્વે બોર્ડના વર્તમાન ચેરપર્સન અને સીઈઓ જયા વર્મા સિન્હા 31 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારબાદ સતીશ કુમાર ચાર્જ સંભાળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રેલ્વે બોર્ડના ચેરમેનને રેલ્વેનું સૌથી મોટું પદ માનવામાં આવે છે અને આ પદ પર પ્રથમ વખત એક દલિત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તેમની નિયુક્તિને કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સતીશ કુમારનો લખનઉ અને વારાણસી સાથે જૂનો સંબંધ રહ્યો છે. અગાઉ તેમણે લખનઉ ડિવિઝનમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર તરીકે સેવા આપી છે. આ સિવાય તેઓ બનારસ રેલવે કારખાના (બરેકા)માં પણ કામ કરી ચૂક્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Ambedkar-were-you-like-that">આંબેડકર તમે આવા ય હતા?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રેલવે બોર્ડના અધ્યક્ષને રેલવેનું સૌથી મોટું પદ માનવામાં આવે છે અને આ પદ પર પ્રથમ વખત કોઈ દલિત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય રેલવે સેવા મિકેનિકલ એન્જીનીયર્સની 1986 બેંચના અધિકારી સતીશ કુમાર ઔપચારિક રીતે માર્ચ 1988માં ભારતીય રેલવે સેવામાં જોડાયા હતા. તેમની પાસે 34 વર્ષનો લાંબો અનુભવ છે. ભારતીય રેલ્વેમાં તેમના લાંબા કાર્યકાળ દરમિયાન, તેઓ જનરલ મેનેજર સહિત ઘણા મુખ્ય હોદ્દા પર રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1986 બેંચના ભારતીય રેલ્વેના મિકેનિકલ એન્જિનિયર સતીશ કુમારનો ઉત્તર પ્રદેશ સાથે જૂનો સંબંધ છે. તેમણે મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝનમાંથી નોકરીની શરૂઆત કરી હતી. સતીશ કુમારે બનારસ રેલવે કારખાના (બરેકા)માં ડેપ્યુટી ચીફ મિકેનિકલ એન્જિનિયર (પ્લાનિંગ) તરીકે પણ કામ કર્યું છે. તેમણે ઉત્તર રેલવેના લખનઉ ડિવિઝનમાં પણ કામ કર્યું છે. તેઓ વર્ષ 2017 થી 2019 સુધી લખનઉમાં ડિવિઝનલ રેલવે મેનેજર તરીકે નિયુક્ત થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લખનૌમાં DRM તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રેલવેના માળખાને મજબૂત કરવાના ઘણા કામો કરવામાં આવ્યા હતા. સતીશ કુમાર ઉત્તર મધ્ય રેલવે, પ્રયાગરાજમાં જનરલ મેનેજર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. જાણકારોનું માનવું છે કે સતીશ કુમારના રેલવે બોર્ડના અધ્યક્ષ બનવાથી લખનઉ અને વારાણસી સહિત ઉત્તર પ્રદેશના રેલવે પ્રોજેક્ટને ઘણો વેગ મળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય રેલવેમાં તેમના વ્યાપક અનુભવ અને યોગદાનને ધ્યાનમાં રાખીને ગત જાન્યુઆરી મહિનામાં તેમને એમટીઆરએસ(MTRS)નિયુક્ત કરવામાં આવ્યા હતા. રેલવેમાં આ એક મહત્વપૂર્ણ પોસ્ટ છે જે સમગ્ર રેલવેમાં ટ્રેક્શન અને રોલિંગ સ્ટોકના મહત્વપૂર્ણ પાસાઓનું ધ્યાન રાખે છે. હવે સતીશ કુમારને રેલવે બોર્ડના અધ્યક્ષ તરીકે રેલવેના સર્વોચ્ચ પદની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ ભારતીય રેલવેની વિવિધ યોજનાઓની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/If-Babasaheb-had-not-brought-my-grandfather-to-Aurangabad,-I-would-not-be-sitting-on-this-judges-chair-today---Justice-Prasanna">જો બાબાસાહેબ મારા દાદાને ઔરંગાબાદ ન લાવ્યા હોત તો હું આજે આ જજની ખુરશી પર ન બેઠો હોત - જસ્ટિસ પ્રસન્ના</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 29 Aug 2024 10:09:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1126</Articleid>
                    <excerpt>ભારતીય રેલવે બોર્ડમાં સીઈઓને સૌથી મોટું પદ માનવામાં આવે છે. આ પદ પર ઈતિહાસમાં પહેલીવાર એક દલિત અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66cffb0e65c41.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66cffb0e34975.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66cffb0e34975.jpg" length="77795" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Railway Board, Railway Ceo, First Dalit CEO Of Railway Board, Indian Railway</media:keywords>
                </item>
                        <item>
                    <title>આંબાના ઝાડ પર બે દલિત યુવતીઓની લાશ લટકતી મળી આવી</title>
                    <link>https://khabarantar.com/the-dead-bodies-of-two-dalit-girls-were-found-hanging-from-a-mango-tree</link>
                    <guid>https://khabarantar.com/the-dead-bodies-of-two-dalit-girls-were-found-hanging-from-a-mango-tree</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં બે દલિત દીકરીઓની આંબાના ઝાડ પર લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જાણો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગુજરાત આખામાં ભારે વરસાદને કારણે તબાહી મચેલી રહી. ખાસ કરીને ગુજરાતના લગભગ તમામ ગામોની દલિત વસ્તીઓમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો. સેંકડો ગામોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. ગામડાઓમાં આમ પણ સામાન્ય વરસાદમાં ગુજરાત સરકારનું જીઈબી ખાતું વીજકાપ મૂકી દે છે, તેમને આ વરસાદમાં વીજળી ગુલ માટે મોટું બહાનું મળી ગયું હતું. દલિતવાસમાં પાણીના ભરાવા અને વીજળી ગુલ થવાથી પરિસ્થિતિ વણસી રહી હતી. એ દરમિયાન એક એવી ઘટના સામે આવી છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક ગામમાં બે દલિત છોકરીઓની લાશ આંબાના ઝાડ પર લટકતી મળી આવી છે. બંને દીકરીઓ એક જ ગામની હતી અને જન્માષ્ટમીનો તહેવાર પર લાગેલા મેળામાં ફરવા માટે ગઈ હતી. એ પછી મોડી સાંજે પણ બંને પરત ન ફરતા તેમના પરિવારજનોને લાગ્યું કે, તેઓ તેમના સગાને ત્યાં રોકાઈ ગઈ હશે. પણ બીજા દિવસે સવારે તેમને એક વ્યક્તિએ સમાચાર આપ્યા કે તેમની દીકરીઓ તો આંબાના ઝાડ પર એક જ દુપટ્ટાથી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી છે. એ પછી બંનેના પરિવારો દોડીને ઘટના સ્થળે પહોંચ્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદના એપીસેન્ટર અને હવે મહિલાઓ સામેના અત્યાચારોમાં પણ કુખ્યાત બની ચૂકેલા ઉત્તરપ્રદેશ(Uttar)ની છે. અહીંના ફરુખાબાદના ભગૌતીપુરા બે દલિત છોકરીઓની આંબાના ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવી છે. એક ગામની બે દલિત દીકરીઓના આ રીતે મૃતદેહ મળી આવતા નાનકડા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવતીઓના પરિવારજનોનો આરોપ છે કે તેમની દીકરીઓની હત્યા કરી દેવામાં આવી છે. જો કે પોલીસે આ મામલે હત્યા થયાનો ઈનકાર કર્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓએ બંને દીકરીઓની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. હવે પોલીસે તેના રિપોર્ટની રાહ જોઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-dalit-youth-was-missing-for-three-days-the-body-was-found-hanging-from-a-tree-on-the-fourth-day"><span style="font-size: 14pt;">દલિત યુવક ત્રણ દિવસથી ગુમ હતો, ચોથા દિવસે ઝાડ સાથે લટકતી લાશ મળી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ફરુખાબાદના કાયમગંજ વિસ્તારની છે. અહીં રામવીર જાટવની 18 વર્ષની દીકરી બબલી અને મહેન્દ્ર જાટવની 15 વર્ષની દીકરી શશિના મૃતદેહ આંબાના ઝાડ સાથે લટકતા મળી આવતા નાનકડા આ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. બબલી અને શશિ બંને બહેનપણીઓ હતી અને જન્માષ્ટમીના તહેવાર પર ગામ પાસે આવેલા મેળામાં ફરવા માટે ગઈ હતી. જો કે રાત પડી જવા છતાં બંને ઘરે પરત ફરી નહોતી. પરિવારજનોએ વિચાર્યું કે બંને ગામમાં જ આવેલા તેની દાદીના ઘરે રોકાઈ ગઈ હશે. પણ સવારે તેમને કોઈએ આવીને સમાચાર આપ્યા કે, તેમની દીકરીઓની લાશ ગામ બહાર એક આંબાના બગીચામાં ઝાડ સાથે લટકતી જોવા મળી છે. બંનેએ એક જ દુપટ્ટાથી ગળેફાંસો ખાધો હોવાનું જણાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુમળી વયની દીકરીઓની લાશ મળ્યાનું જાણીને તેમના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું અને રોઈ રોઈને તેઓ પાગલ જેવા જઈ ગયા છે. બંને દીકરીઓ પૈકી એકના પિતાએ આ મામલે હત્યાનો આરોપ લગાવ્યો છે. જો કે પોલીસે આ મામલે હજુ કશું પણ કહેવાનો ઈનકાર કરી દીધો છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે એ પછી જ અમુક બાબતો સ્પષ્ટ થશે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને સ્થળ પરથી એક મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળી આવ્યા છે. જેના આધારે આ મામલાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/the-body-of-a-13-year-old-dalit-minor-was-found-half-naked"><strong>13 વર્ષની દલિત સગીરાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 28 Aug 2024 17:42:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1124</Articleid>
                    <excerpt>એક ગામમાં બે દલિત દીકરીઓની આંબાના ઝાડ પર લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જાણો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66cf139746ad5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66cf1397109c1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66cf1397109c1.jpg" length="157107" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલા સરપંચ ને ઉપસરપંચ&amp;તલાટીએ બેસવા ખુરશી ન આપી</title>
                    <link>https://khabarantar.com/upsarpanch-talati-did-not-give-chair-to-dalit-women-sarpanch</link>
                    <guid>https://khabarantar.com/upsarpanch-talati-did-not-give-chair-to-dalit-women-sarpanch</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં દલિત મહિલા સરપંચને સવર્ણ ઉપસરપંચ અને તલાટીએ મિટીંગમાં બેસવા માટે ખુરશી આપવાનો ઈનકાર કરતા કહ્યું, બેસવું હોય તો ઘરેથી લઈ આવો, બાકી નીચે બેસો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસસી એસટી સમાજમાં પેટા વર્ગીકરણ કરવાનો મામલો ચોતરફ ચગેલો છે ત્યારે જ એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં આ સમાજને અનામત શું કામ આપવામાં આવી છે તે વધુ સ્પષ્ટ થયું છે. સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ આખા મામલાને આર્થિક દ્રષ્ટિકોણથી મૂલવીને ચુકાદો આપ્યો છે પણ હકીકતે આખો મામલો તેમની સાથે થતા સામાજિક ભેદભાવનો છે અને આ ઘટના તેનો વધુ એક પુરાવો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશનું બંધારણ સ્પષ્ટપણે કહે છે કે, દલિતો સાથે જ્યાં સુધી સામાજિક સ્તરે ભેદભાવ થતો રહેશે ત્યાં સુધી તેમને અનામત પણ મળતી રહેવી જોઈએ જે દિવસે તેમને સામાજિક સમાનતાનો અનુભવ થવા લાગશે ત્યારે તેઓ અનામતને ગણકારશે પણ નહીં. પણ લાગે છે, ભારતના જાતિવાદી લોકોના આ ઝેર એ હદે વ્યાપી ગયું છે કે તેઓ એ દિવસ કદી આવવા નહીં દે અને અહીં જે ઘટના બની છે તેમાં હળાહળ જાતિવાદી દ્વેષ જોવા મળે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક ગામમાં દલિત મહિલા સરપંચને સવર્ણ ઉપ સરપંચ અને તલાટીએ ગ્રામ પંચાયતની મીટિંગમાં બેસવા માટે ખુરશી આપી નહોતી. સરપંચે તેમને બેસવા માટે ખુરશી આપવાનો આગ્રહ કર્યો તો ઉપ સરપંચ અને તલાટીએ કહ્યું - બેસવું હોય તો ઘરેથી ખુરશી લઈને આવો બાકી જમીન પર બેસો. આ મામલે મહિલા સરપંચે મંત્રીને પત્ર લખ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/is-lateral-entry-a-trick-to-wipe-out-reserves">જાણો કેવી રીતે લેટરલ એન્ટ્રી દલિતો-આદિવાસીઓની અનામત ભૂંસી નાખવાનું કાવતરું છે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદ માટે કુખ્યાત મધ્યપ્રદેશની છે. અહીં સતના જિલ્લાના રામપુર બઘેલાણ વિસ્તારની અકૌણા ગામ પંચાયતમાં દલિત મહિલા સરપંચ તરીકે ચૂંટાયેલા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">28 વર્ષની દલિત મહિલા સરપંચ શ્રદ્ધા સિંહ ગ્રામ પંચાયતની મિટીંગ માટે ગ્રામ પંચાયત ઓફિસમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને ઉપસરપંચ અને તલાટીએ બેસવા માટે ખુરશી આપી નહોતી. સરપંચ મહિલાએ બેસવા માટે ખુરશી માંગી તો તલાટી અને ઉપ સરપંચે કહ્યું કે, તમારે ખુરશી પર બેસવું હોય તો ઘરેથી લઈને આવો બાકી જમીન પર બેસો. આવું હળહળતું અપમાન જોઈને મહિલા સરપંચે સ્થાનિક મંત્રી પ્રહલાદ પટેલને પત્ર લખ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત મહિલા સરપંચ શ્રદ્ધા સિંહનું કહેવું છે કે જાતિવાદી તલાટી અને ઉપ સરપંચે તેમને 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ પણ નહોતો ફરકાવવા દીધો.</span><br><span style="font-size: 14pt;">સરપંચ શ્રદ્ધા સિંહે લખેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે, 17મી ઓગસ્ટના રોજ ગ્રામ સભાની બેઠક હતી, જેમાં ભાગ લેવા માટે તેઓ ગ્રામ પંચાયતની ઓફિસે પહોંચ્યાં હતા. ત્યાં પહોંચીને તેમણે બેસવા માટે ખુરશી માંગી હતી. એ દરમિયાન ઉપસરપંચ ધર્મેન્દ્ર સિંહ બઘેલ અને તલાટી વિજય પ્રતાપ સિંહ ત્યાં પહેલેથી હાજર હતા. તેમણે કહ્યું કે, તમારે બેસવું હોય તો ખુરશી ઘરેથી લઈને આવો, ઓફિસની ખુરશી નહીં મળે, જો બેસવું જ હોય તો જમીન પર બેસી જાવ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/so-that-the-son-of-a-dalit-does-not-become-the-mayor-the-savarna-parties-are-struggling">દલિતનો દીકરો મેયર ન બની જાય તે માટે સવર્ણ પાર્ટીઓ ત્રાગા કરે છે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત મહિલા સરપંચ શ્રદ્ધા સિંહ આગળ કહે છે, કે 15મી ઓગસ્ટના દિવસે ગ્રામ પંચાયતમાં ધ્વજવંદનનો કાર્યક્રમ નક્કી હતો. રાજ્ય સરકારના આદેશ મુજબ રાષ્ટ્રધ્વજ સરપંચે જ ફરકાવવાનો હોય છે. તેમણે તલાટી વિજય પ્રતાપ સિંહને પણ તેની જાણકારી આપી હતી. તેમ છતાં જ્યારે તેઓ ગ્રામ પંચાયત ઓફિસે પહોંચી ત્યાં સુધીમાં ઉપ સરપંચ ધર્મેન્દ્ર સિંહ બઘેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરપંચ શ્રદ્ધા સિંહનું કહેવું છે કે, આ ઘટના માત્ર એક મહિલા હોવાને કારણે નથી, પરંતુ હું દલિત સમાજમાંથી આવતી હોવાથી જાણી જોઈ રચવામાં આવેલા કાવતરાનો ભાગ હતી. આ મારું અપમાન છે અને જાતિવાદનું નગ્ન ઉદાહરણ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે મધ્યપ્રદેશ કોંગ્રેસે આ મામલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ મૂકતા લખ્યું હતું કે, ભાજપના જંગલરાજમાં દલિતો, આદિવાસીઓના અપમાન અને અત્યાચારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. આવી ઘટનાઓ મોદી સરકારની દલિત વિરોધી માનસિકતાનું ઉદાહરણ છે. જ્યાં તેમનો અધિકાર છીનવી લેવાય છે અને અવાજ ઉઠાવવા પર તેમના સ્વાભિમાન પર ઘા કરવામાં આવે છે. મોદી સરકારમાં દલિતો અને આદિવાસીઓ સુરક્ષા સમાનતા અને સન્માન માટે સંઘર્ષ કરવા મજબૂર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/police-sent-1.79-lakh-bill-to-provide-security-to-dalit-Sarpanch">દલિત સરપંચને સુરક્ષા આપવાનું પોલીસે 1.79 લાખ બિલ મોકલ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ નેતા નિતેન્દ્રસિંહ રાઠૌરે કહ્યું- ભાજપવાળા પાસેથી તમે સતત એવું સાંભળતા હશો કે પીએમ મોદીએ આખી દુનિયામાં દેશનું નામ રોશન કર્યું છે. જો આ દેશમાં એક દલિત મહિલા સરપંચ સાથે આવું વર્તન થતું હોય તો તે અત્યંત ગંભીર બાબત છે. દલિતોને લગ્નમાં જાન નથી કાઢવા દેતા, ઘોડી પર નથી બેસવા દેતા. આ કુંઠીત માનસિકતાની નિશાની છે. ભાજપવાળા વાતો તો દલિતો, આદિવાસીઓના હામી હોવાની કરે છે, પણ તેમનું અસલી ચરિત્ર આ છે. તેમના રાજમાં સતત દલિતો, આદિવાસીઓ સાથે ગેરવર્તન થતું રહે છે. સમય પાકી ગયો છે કે, આ દેશના દલિતો, આદિવાસીઓ પણ ચિંતન કરે કે, જે સરકાર હાલ સત્તામાં છે, તેઓ આ મામલે જવાબ આપે. જ્યાં સુધી જવાબ નહીં આપે, ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/being-a-dalit-the-teacher-made-the-6-year-old-child-clean-the-toilet">સવર્ણ શિક્ષિકાએ 6 વર્ષના દલિત બાળક પાસે શાળાનુ ટોઈલેટ સાફ કરાવ્યું</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 27 Aug 2024 10:27:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1123</Articleid>
                    <excerpt>એક ગામમાં દલિત મહિલા સરપંચને સવર્ણ ઉપસરપંચ અને તલાટીએ મિટીંગમાં બેસવા માટે ખુરશી આપવાનો ઈનકાર કરતા કહ્યું, બેસવું હોય તો ઘરેથી લઈ આવો, બાકી નીચે બેસો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ccaa633a246.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ccaa630c6d1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ccaa630c6d1.jpg" length="59548" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, MP, women sarpanch didn&#039;t give chair Satna District</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાઓ પરના અત્યાચારને કેમ મહત્વ મળતું નથી, આ છે કારણ</title>
                    <link>https://khabarantar.com/this-is-the-reason-why-atrocities-on-dalit-women-do-not-get-importance</link>
                    <guid>https://khabarantar.com/this-is-the-reason-why-atrocities-on-dalit-women-do-not-get-importance</guid>
                    <description>
                        <![CDATA[ ભારતમાં દલિત મહિલાઓ પર ગમે તેટલો મોટો અત્યાચાર થાય તો પણ તેને કોલકાતા કે નિર્ભયા કેસની સવર્ણ યુવતીના કેસ જેટલું મહત્વ કેમ નથી મળતું? આ રહ્યો તેનો જવાબ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શું દલિત હોવું ગુનો છે? શું ભારતમાં દલિતોની જિંદગીનો કોઈ અર્થ નથી? કોઈ વ્યક્તિ કહેશે કે દલિતો માટે દેશમાં અનેક કાયદાઓ છે, તેમને દરેક જગ્યાએ આગળ વધવા માટે અનામત આપવામાં આવે છે. પણ આ બધું માત્ર કહેવા ખાતર છે, વાસ્તવિકતા એ છે કે, ભારતમાં આજે પણ દલિતોના જીવનને એટલું મહત્વ આપવામાં આવતું નથી. તમે આ વાતનો અંદાજ એના પરથી લગાવી શકો છો કે વર્ષ 2022માં એકલા રાજસ્થાનમાં જ દલિતો પર અત્યાચારના 14.7% ટકા એટલે કે 7,524 કેસ નોંધાયા હતા, જે હવે ઘણા વધી ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે આ કેસો માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ વધ્યાં છે. દલિત મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ ત્યાં સૌથી વધુ વધી રહ્યા છે અને સરકાર તેને ડામવામાં નિષ્ફળ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં દલિતો, આદિવાસીઓ અને મહિલાઓ સામે અત્યાચારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. અહીં સત્તા બદલાઈ છે પરંતુ દલિત મહિલાઓ સામેના ગુનાઓ ઘટવાને બદલે સતત વધતા જઈ રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં દલિતોને "અસ્પૃશ્ય" ગણવામાં આવે છે. દલિત મહિલાઓ, જે ભારતની સ્ત્રી વસ્તીનો 16% હિસ્સો ધરાવે છે, તેઓ ઘણીવાર જાતીય શોષણનો ભોગ બને છે. લિંગ અને જાતિ આધારિત હિંસાનો ભોગ બનવાનું સૌથી વધુ જોખમ પણ તેમના પર છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર, દરરોજ એક દલિત મહિલા પર બળાત્કાર થાય છે અને છેલ્લા દસ વર્ષમાં દલિત મહિલાઓ પર બળાત્કારની સંખ્યામાં 44%નો વધારો થયો છે. ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો સરકારી સંસ્થા છે અને તે માત્ર પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓ અંગે વાત કરે છે. એમાં પણ વર્તમાન સરકાર સત્તામાં આવ્યા પછી દરેક આંકડાઓ સાથે ચેડાં કરવાની દાનત ધરાવે છે. એ જોતા આ આંકડાઓ અનેકગણાં વધુ હોવાની પુરી શક્યતા છે. વાસ્તવિકતા એ છે કે, દેશભરમાં હજારો એવી દલિત મહિલા પરના અત્યાચારની ઘટનાઓ ઘટે છે, જે પોલીસ ચોપડે કદી ચડતી જ નથી. જો એ બધું સામે આવે તો ધરતીકંપ આવી જાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Gandhis-Gujarat-top-in-dalit-atrocities,-total-5588-incidents-of-dalit-atrocities-reported-in-last-4-years"><span style="font-size: 14pt;"> ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હ્યુમન રાઈટ્સ વોચ (HRW)ના સંશોધન મુજબ, ભારતના જમીનવિહોણા મજૂરો અને સફાઈ કામદારોનો મોટો હિસ્સો દલિત મહિલાઓ છે, અને તેમાંથી એક મોટા હિસ્સાને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવે છે અથવા વેશ્યાગૃહોમાં વેચવામાં આવે છે જેના કારણે તેમની સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા વધુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત અધિકાર કાર્યકર્તા થેનમોઝી સુંદરરાજન દલિત મહિલાઓની દુર્દશા વિશે વાત કરતા કહે છે કે, “સદીઓથી, જમીનની માલિકી ધરાવતી જાતિઓએ દલિતો પર અત્યાચાર કર્યા છે. તેઓ તેમની જમીનો પર એ રીતે દાદાગીરી કરે છે જાણે આખું સામ્રાજ્ય તેમનું હોય. જે રીતે નસ્લવાદ અને ગુલામીને સમજ્યા વિના અમેરિકાના ઈતિહાસમાં જાતિય હિંસાને સમજવાની બીજી કોઈ રીત નથી, એ જ રીતે ભારતમાં જાતિને સમજ્યા વિના મહિલાઓ સામેની હિંસા અને દંડની જોગવાઈને સમજવાની કોઈ રીત નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Gandhis-Gujarat-top-in-dalit-atrocities,-total-5588-incidents-of-dalit-atrocities-reported-in-last-4-years"><span style="font-size: 14pt;"> </span></a></span></strong></span><a href="https://khabarantar.com/Demonetisation-2.0-%E2%80%93-Another-blow-to-unorganized-sector-Dalits,-tribals-and-OBCs"><strong> નોટબંધી 2.0 - ફરી માર અસંગઠિત ક્ષેત્રના દલિત, આદિવાસી અને ઓબીસી સમાજ પર</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુંદરરાજને જણાવ્યું હતું કે પોલીસ દલિત મહિલાઓ પર થતા અત્યાચારોની ફરિયાદો નોંધવામાં જાણીજોઈને અત્યંત ઢીલ દાખવે છે, કેમ કે પોલીસખાતામાં મોટાભાગના અધિકારીઓ સવર્ણ જાતિના હોય છે. પોલીસ દ્વારા દલિત મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનાની તપાસમાં મોટાભાગે વિલંબ કરવામાં આવે છે અને તપાસ અધિકારીઓ મોટાભાગે બળાત્કારની શંકાને જ ફગાવી દે છે. જેના કારણે તપાસ પહેલા જ આખો મામલો નબળો પડી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી સૌથી ખતરનાક રોલ સવર્ણ મીડિયા ભજવે છે. ભારતનું કથિત મુખ્યધારાનું મીડિયા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની મહિલાઓના અવાજોને અવગણે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકર્તા મનીષા મશાલેએ એક મીડિયા સંસ્થાને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “દલિત મહિલાઓ પર જાતિ આધારિત હિંસાને જાણી જોઈને સામાન્ય બનાવી દેવામાં આવે છે. ભારતનું 95 ટકા મીડિયા કથિત સવર્ણ જાતિના લોકોના હાથમાં છે અને તેમની જ જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતા ન્યૂઝરૂમમાં દલિત મહિલાઓની આ પીડાને કદી કવરેજ અપાતું નથી. દલિત વસ્તીઓને સળગાવી દેવી, પોલીસ દ્વારા બળાત્કાર પીડિતાનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર, સ્થાનિક વહીવટીતંત્ર અને કથિત ઉચ્ચ જાતિના લોકો દ્વારા દલિતો દ્વારા દાખલ કરાયેલા કેસોનું દમન સામાન્ય બાબત છે. આ બધાં કારણોસર દલિત મહિલાઓ પર ગમે તેટલો મોટો અત્યાચાર થાય તો પણ તેને મહત્વ મળતું નથી. જરૂરી છે કે, પ્રચાર માધ્યમોમાં દલિતો, આદિવાસીઓની સંખ્યા વધે, દલિતોના પોતાના મીડિયા હાઉસ ઉભા થાય અને તેમાં તેમના પ્રશ્નોને વાચા આપવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/A-landmark-judgment-five-years-ago,-which-points-the-right-direction-to-justice-seeking-masses">પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 25 Aug 2024 12:16:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1122</Articleid>
                    <excerpt>ભારતમાં દલિત મહિલાઓ પર ગમે તેટલો મોટો અત્યાચાર થાય તો પણ તેને કોલકાતા કે નિર્ભયા કેસની સવર્ણ યુવતીના કેસ જેટલું મહત્વ કેમ નથી મળતું? આ રહ્યો તેનો જવાબ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66cad2a9d5481.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66cad2a9a0cad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66cad2a9a0cad.jpg" length="99740" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Atrocity, kolkata case, Nirbhaya case</media:keywords>
                </item>
                        <item>
                    <title>નશામાં ધૂત 3 પોલીસવાળાએ દલિત યુવકને બૂટમાં પાણી ભરીને પીવરાવ્યું</title>
                    <link>https://khabarantar.com/three-drunk-policemen-made-a-dalit-youth-drink-by-filling-water-in-his-boot</link>
                    <guid>https://khabarantar.com/three-drunk-policemen-made-a-dalit-youth-drink-by-filling-water-in-his-boot</guid>
                    <description>
                        <![CDATA[ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયેલા બે દલિત યુવકોને નશામાં ધૂત ત્રણ પોલીસવાળાએ આખી રાત બાંધીને નિર્દયતાથી ફટકાર્યા અને તેમના જોડામાં પાણી ભરીને પીવડાવ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેરની સુપરહિટ ફિલ્મ 'A Wednesday' માં એક સંવાદ છે, જે આ સ્ટોરીને સારો એવો લાગુ પડે છે. આખા શહેરમાં બોંબ મૂક્યાનો મેસેજ પોલીસ કમિશનર એવા અનુપમ ખેર પાસે પહોંચે છે, એ પછી બંને અભિનેતાઓ વચ્ચે લાંબો વાર્તાલાપ થાય છે. વાત વાતમાં અનુપમ ખેર નસીરુદ્દીનને પૂછે છે, "તુમ કૌન સે ઓર્ગેનાઈઝેશન સે હો?" જવાબમાં નસીરુદ્દીન કહે છે, "મેરા કોઈ ઓર્ગેનાઈઝેશન નહીં. આઈ એમ જસ્ટ સ્ટુપિડ કોમનમેન."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી તરત અનુપમ ખેરના અવાજમાં એક જુદા પ્રકારનો કોન્ફીડન્સ આવી જાય છે, તેનો ડર ગાયબ થઈ જાય છે, એ પછી નસીરુદ્દીન આગળ સંવાદમાં તે બાબતનો ઉલ્લેખ કરતા કહે છે, "જ્યાં સુધી મેં તમને હું એક સામાન્ય માણસ છું એમ જણાવ્યું નહોતું ત્યાં સુધી તમે મારાથી ડરતા પણ હતા અને મારી માંગણીઓને પણ ગંભીરતાથી લેતા હતા. પણ હવે તમને જ્યારે હું એક કોમનમેન છું એ ખ્યાલ આવ્યો કે, તરત તમારામાં એક ગજબનો કોન્ફીડન્સ આવી ગયો છે, કે અચ્છા આતંકવાદી નથી, સામાન્ય માણસ છે, તો તો પકડી લઈશ?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના અહીં ટાંકવાનું કારણ એટલું જ કે જ્યારે અત્યાચારીઓને તેઓ જેમના પર અત્યાચાર ગુજારી રહ્યાં છે તેની જાતિ દલિત છે તે ખબર પડી જાય છે ત્યારે તેમનામાં એક જુદા પ્રકારનો કોન્ફીડન્સ આવી જાય છે કે, "અચ્છા દલિત છે, તો તો આપણને કંઈ નહીં થાય?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-couple-went-to-sow-with-police-racists-beat-them-all">દલિત દંપતિ પોલીસ સાથે વાવણી કરવા ગયું, જાતિવાદીઓએ બધાંને માર્યા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આત્મવિશ્વાસ મનુવાદની દેન છે. વર્ષોથી કથિત સવર્ણો દ્વારા થતા દલિતો પરના અત્યાચારોને આપણી આખી સિસ્ટમ છાવરતી આવી છે. તેનું જ કારણ છે કે, આવા તત્વોને દલિતો પર અત્યાચાર કરતી વખતે જાણે કાયદો વ્યવસ્થાનો જરાય ડર જ નથી લાગતો. આપણે અહીં જેની વાત કરવા જઈ રહ્યાં છીએ તે ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે. જેમાં પોલીસ ચોકીમાં બેસીને દારૂ પી રહેલા ત્રણ પોલીસવાળાને જ્યારે ખબર પડી કે તેમના દારૂના રંગમાં ભંગ પાડનાર ફરિયાદી યુવક દલિત છે, તો તેમણે તેને પોલીસ ચોકી બહાર લઈ જઈને બાંધી દીધો અને આખી રાત નિર્દયતાથી ફટકાર્યો. એટલાથી તેમનું મન ન ભરાયું તો યુવકને તેમના જોડામાં પાણી ભરીને બળજબરીથી પીવડાવ્યું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશના કાનપુરની છે. અહીંના કલ્યાણપુરની એક દલિત મહિલાએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે કે નવશીલ ધામ પોલીસ ચોકીના ઈન્ચાર્જ અને અન્ય બે પોલીસવાળાએ મળીને તેમના દીકરાને આખી રાત બાંધી રાખી નિર્દયતાથી ફટકાર્યો હતો. એટલું જ નહીં ત્રણેય પોલીસવાળાએ વારાફરતી યુવકને પોતાના જોડામાં પાણી ભરીને પીવડાવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ મહિલાની ફરિયાદ બાદ હવે કલ્યાણપુરના એસીપીએ સમગ્ર ઘટનાની તપાસ પોતાના હાથમાં લીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-village-ostracized-the-valmiki-family-because-they-did-not-play-the-drum-because-they-were-sick">બિમાર હોવાથી ઢોલ ન વગાડ્યો, ગામે વાલ્મિકી પરિવારનો બહિષ્કાર કર્યો</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c9b16960479.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાના જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો પડોશી યુવકની સાથે રિક્ષા ચલાવે છે. 17મી ઓગસ્ટના રોજ બંને વચ્ચે પેસેન્જર બેસાડવાને લઈને માથાકૂટ થઈ ગઈ હતી. જેની ફરિયાદ કરવા માટે મહિલાનો દીકરો નવશીલ ધામ પોલીસ ચોકી ગયો હતો. જ્યાં બાદમાં પડોશી યુવક પણ પહોંચ્યો હતો અને બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જેથી તેઓ પોલીસને સમાધાન થઈ ગયાની જાણ કરવા ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, તેમણે જોયું કે, ત્રણેય પોલીસવાળા ચોકીના પાછળના ભાગમાં દારૂ પી રહ્યા હતા. યુવકે ત્યાં જઈને સમાધાન થઈ ગયું છે અને હવે મારે ફરિયાદ નથી કરવી તેમ જણાવ્યું એટલે ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા. ફરિયાદ પહેલા તેમને યુવક દલિત જાતિનો હોવાની જાણ હોવા છતાં તેને નશામાં ધૂત થઈને જાતિસૂચક ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તેમણે યુવકને કહ્યું કે, "તું તારી ઈચ્છા થાય ત્યારે ફરિયાદ કરે અને ઈચ્છા થાય ત્યારે પાછી ખેંચી લે તેમ નહીં ચાલે. હવે તારે અમને રૂ. 10,000 આપવા પડશે." એ દરમિયાન યુવકની માતા પણ ત્યાં પહોંચી ગઈ હતી. તેને પણ ત્રણેય પોલીસવાળાઓએ જાતિસૂચક ગાળો ભાંડીને અભદ્ર વર્તન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાના જણાવ્યા પ્રમાણે એ પછી પોલીસવાળા બંને યુવકોને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને ત્યાં પોલીસ સ્ટેશનની પાછળ લઈ જઈ બંને યુવકોને જાતિસૂચક ગાળો ભાંડીને સવાર સુધી નિર્દયતાથી માર મારતા રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે મહિલાના દીકરાને તેમના જોડામાં પાણી ભરીને બળજબરીથી પીવડાવ્યું હતું. દરમિયાન બંને યુવકોના શરીર પર અનેક ઠેકાણે ઈજાઓ પહોંચી હતી. જેને લઈને પોલીસે બંનેને એમ કહેતો એક વીડિયો ઉતારવા મજબૂર કર્યા હતા કે, તેમને આ ઈજાઓ તેમના અંદરોઅંદરના ઝઘડાને કારણે થઈ છે. એ પછી બીજા દિવસે તેમની દંડની પાવતી ફાડીને છોડી મૂક્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ કલ્યાણપુરના એસીપી અભિષેક પાંડેએ જણાવ્યું છે કે, તેમને આ ઘટનાની ફરિયાદ મળી છે અને તેઓ પોતે તેની તપાસ કરી રહ્યાં છે. ત્રણેય પોલીસકર્મીઓ અને પીડિત યુવકોને બોલાવીને તેમનું નિવેદન નોઁધવામાં આવશે અને જે પણ ગુનેગાર સાબિત થશે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/a-depressed-dalit-youth-commits-suicide-due-to-the-beatings-of-the-family-of-his-lover"><strong>સવર્ણ પ્રેમિકાના પરિવારની મારામારીથી તંગ દલિત યુવકે આત્મહત્યા કરી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 24 Aug 2024 16:01:02 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 24 Aug 2024 16:00:47 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1119</Articleid>
                    <excerpt>પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયેલા બે દલિત યુવકોને નશામાં ધૂત ત્રણ પોલીસવાળાએ આખી રાત બાંધીને નિર્દયતાથી ફટકાર્યા અને તેમના જોડામાં પાણી ભરીને પીવડાવ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c9b14d4be02.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c9b14d15fc8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c9b14d15fc8.jpg" length="77832" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit Crime, Dalit</media:keywords>
                </item>
                        <item>
                    <title>BSP ની કમાન માયાવતીના હાથમાં રહેશે કે નહીં, 27મીએ ફેંસલો</title>
                    <link>https://khabarantar.com/whether-the-bsp-will-remain-in-mayawatis-hands-or-not-decide-on-27th</link>
                    <guid>https://khabarantar.com/whether-the-bsp-will-remain-in-mayawatis-hands-or-not-decide-on-27th</guid>
                    <description>
                        <![CDATA[ છેલ્લાં 21 વર્ષથી માયાવતીજી BSP ના અધ્યક્ષ છે, પણ હવે તેમના હાથમાં પક્ષની કમાન રહેશે કે કેમ તેના પર સૌની નજર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટી(BSP) તેના રાજકીય ઈતિહાસના સૌથી નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેનો જનાધાર સતત ઘટતો જઈ રહ્યો છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં શૂન્ય સીટ પર આવી ગયા બાદ બહેન કુમારી માયાવતીજી સતત સભાઓ કરી રહ્યાં છે. લાંબા સમય બાદ એસસી-એસટી અનામતમાં પેટા વર્ગીકરણના નિર્ણયને લઈને બસપા રસ્તા પર ઉતરી આવી છે. આ દરમિયાન માયાવતીએ બસપા અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને ૨૭ ઓગસ્ટે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. જેમાં પક્ષની કમાન તેમના હાથમાં રહેશે કે કેમ તેના પર સૌ કોઈની નજર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીજી છેલ્લા ૨૧ વર્ષથી બસપાના નેતા છે. બીએસપીના સ્થાપક માન્યવર કાંશીરામે ૧૮ ડિસેમ્બર ૨૦૦૩ના રોજ તેમની ખરાબ તબિયતને ટાંકીને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી માયાવતીને સોંપી હતી. ત્યારથી માયાવતી પાર્ટીની કમાન સંભાળી રહ્યાં છે અને દર પાંચ વર્ષે પાર્ટી અધ્યક્ષની ચૂંટણીમાં તેમના નામને મંજૂરી આપવામાં આવે છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહે છે કે ૨૭ ઓગસ્ટે યોજાનારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં માયાવતીને બસપા અધ્યક્ષની જવાબદારી મળે છે કે પછી નવા ચહેરાના માથે તાજ પહેરાવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ઓગસ્ટ મહિનામાં થવાની છે. જેના કારણે ૨૭ ઓગસ્ટે બસપાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી છે. લખનૌમાં યોજાનારી બેઠકમાં રાષ્ટ્રીય અને રાજ્યના અધિકારીઓની સાથે વિભાગીય પ્રભારી અને જિલ્લા પ્રમુખ પણ સામેલ થશે. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં બસપાના અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા થશે, જેમાં સંગઠનના સભ્યો પાર્ટીના અધ્યક્ષ માટેના નામને મંજૂરી આપશે. બસપામાં અત્યાર સુધી સર્વસંમતિથી પ્રમુખની પસંદગી થતી હતી. માયાવતીથી લઈને માન્યવર કાંશીરામ સુધી સર્વસંમતિથી પ્રમુખ ચૂંટાયા છે અને આ પ્રક્રિયા દર પાંચ વર્ષે થાય છે. આવી સ્થિતિમાં આ વખતે બધાની નજર બસપા અધ્યક્ષ પર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-politics-from-here-to-the-desert-from-here-to-the-river">દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોનામતે બહેનજી ફરી એકવાર પક્ષની કમાન સંભાળી શકે છે. તેમણે તેમના ભત્રીજા આકાશ આનંદને પોતાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા પછી રાજકારણમાંથી તેમની નિવૃત્તિના સમાચારો આવવા લાગ્યા હતા. આ વાતોનું ખંડન કરતાં માયાવતીએ કહ્યું હતું કે તેઓ ન તો નિવૃત્તિ લઈ રહ્યાં છે, ન તો રાજકારણથી અંતર રાખી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે મારું આખું જીવન બસપા અને બહુજન સમાજના કામમાં સમર્પિત રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહેનજીના આ શબ્દોથી લાગી રહ્યું છે કે ફરી એકવાર તેઓ સર્વસંમતિથી પાર્ટી અધ્યક્ષ તરીકે ચૂંટાઈ શકે છે. એ રીતે પાર્ટીની કમાન માયાવતીના હાથમાં જ રહેશે. સૂત્રોનું માનીએ તો બસપા પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા માત્ર એક ઔપચારિકતા છે અને ૨૭મી ઓગસ્ટની બેઠકમાં માયાવતીના નામને મંજૂરી મળવાની છે. પક્ષના તમામ મોટા નેતાઓનું પણ સ્પષ્ટ રીતે માનવું છે કે, જે મજબૂતાઈથી બહેનજી પાર્ટીની કમાન સંભાળે છે ત્યાં સુધી અન્ય કોઈ નેતાનો વિચાર પણ કરી શકાય તેમ નથી. એ રીતે પક્ષના તમામ રાષ્ટ્રીય સભ્યો માયાવતીજીના નામને મંજૂરી આપશે અને તે પછી તેમને છઠ્ઠી વખત અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ જો માયાવતીજી પોતે પાર્ટી અધ્યક્ષ બનવા ઈચ્છતા ન હોય તો અન્ય કોઈ નેતાના નામ પર વિચાર કરી શકાય છે. એવામાં ચર્ચા ચાલી રહી છે કે આ વખતે બસપા કેટલાક નવા ચહેરાઓને કમાન આપી શકે છે. આ યાદીમાં પક્ષના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદનું નામ સૌથી આગળ છે. જો કે, આકાશ આનંદની નજીકના લોકોના કહેવા પ્રમાણે, તેઓ હજુ પાર્ટીની કમાન સંભાળવા તૈયાર નથી. તેથી બહેનજી છઠ્ઠી વખત પક્ષની કમાન સંભાળશે તે નિશ્ચિત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">27મી ઓગસ્ટની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની સાથોસાથ પાર્ટી પોતાનો રાષ્ટ્રીય એજન્ડા પણ નક્કી કરશે. પક્ષના સતત ખસકતી જતી રાજકીય ભૂમિએ પક્ષની ચિંતામાં વધારો કર્યો છે. જો કે, આવી કપરી પરિસ્થિતિમાં પણ સુપ્રીમ કોર્ટના એસસી, એસટી અનામતમાં ભાગલા પાડવાના, ક્રિમીલેયર દાખલ કરવાના અને લેટરલ એન્ટ્રી જેવા મુદ્દે પક્ષે ખૂલીને એસસી, એસટી સમાજની તરફેણ કરી છે. જેના કારણે પક્ષના મૂળ મતદારોમાં ફરી એકવાર નવી ચેતના પેદા થઈ છે. અત્યારે બસપા દેશભરમાં અલગ-અલગ કાર્યક્રમો યોજીને બહુજન સમાજને જાગૃત કરવા મથી રહી છે ત્યારે આ બેઠકમાં રાષ્ટ્રીય મુદ્દાઓ અને આગળની રણનીતિ પર પણ ચર્ચા થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Even-if-there-is-a-difference-between-you-and-me,-it-can-be-overcome-only-by-grooming-the-Bahujan-politics,-not-by-blowing-up-the-divide">મારી-તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિની માવજત કરીને જ તેને દૂર કરી શકાશે, છેદ ઉડાડીને નહીં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 23 Aug 2024 19:37:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1118</Articleid>
                    <excerpt>છેલ્લાં 21 વર્ષથી માયાવતીજી BSP ના અધ્યક્ષ છે, પણ હવે તેમના હાથમાં પક્ષની કમાન રહેશે કે કેમ તેના પર સૌની નજર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c897102e93e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c8970ff14b9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c8970ff14b9.jpg" length="75092" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>BSP, Mayavati, Bahujan Samaj Party</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ નેતાના મેરેજ હોમમાં દલિત સગીરા સાથે ગેંગરેપ થયો?</title>
                    <link>https://khabarantar.com/dalit-minor-gang-raped-in-bjp-leaders-marriage-home</link>
                    <guid>https://khabarantar.com/dalit-minor-gang-raped-in-bjp-leaders-marriage-home</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપના એક નેતાના મેરેજ હોમમાં એક દલિત સગીરા પર દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છે. આરોપીઓએ સગીરાને જીવતી દાટી દેવાની તૈયારીઓ કરી લીધી હતી પણ... ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણા વડાપ્રધાન તેમના જૂઠ્ઠાણાં માટે ભારે જાણીતા છે. તેમની કથની અને કરણીમાં આભજમીન જેટલું અંતર હોય છે તેવું એકથી વધુ વખત સાબિત થઈ ચૂક્યું છે. વર્તમાનમાં દેશમાં બળાત્કારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. ત્યારે વડાપ્રધાને 15મી ઓગસ્ટના દિવસે લાલકિલ્લા પરથી આ મામલે ચિંતા વ્યક્ત કરતું ભાષણ ઠપકારી દીધું. જો કે તેમના જ ગૃહરાજ્ય ગુજરાતમાં તેમની સરકારે બિલ્કીસ બાનો કેસના આરોપીઓને અગાઉ 15મી ઓગસ્ટના દિવસે જ ગોધરા જેલમાંથી છોડી દીધાં હતા. તેમની સરકારના મંત્રી બ્રિજભૂષણ શરણસિંહ અને પ્રજ્વલ્લ રેવન્ના પર જાતીય સતામણીના આરોપ લાગ્યા છતાં વડાપ્રધાને તેમનો થઈ શકે તેટલો બચાવ કરેલો છે. દેશને મેડલ અપાવનારી મહિલા કુશ્તીબાજોને રોડ પર ઢસડવામાં આવતી હતી તો પણ વડાપ્રધાન મૂંગા મોંઢે તમાશો જોતા રહ્યા હતા. હરિયાણામાં તેમના પક્ષની સરકાર છે અને ત્યાં બળાત્કારી ગુરમિત રામ રહિમ જેલ કરતા તો વધારે પેરોલ પર છુટે છે. મણિપુરમાં બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવાઈ પણ હજુ સુધી વડાપ્રધાને ન તો તેના વિશે કોઈ લાગણી દર્શાવી છે, ન તો મણિપુર તરફ ડોકાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના આવા જ કથની અને કરણી વચ્ચેના ભેદને આગળ ધપાવતી એક ઘટના સામે આવી છે અને તેમાં પણ તેમના પક્ષ ભાજપના નેતાઓની કથિત સંડોવણી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ ભાજપના એક નેતાના મેરેજ હોમમાં એક દલિત સગીરા સાથે ગેંગરેપ થયો છે. એટલું જ નહીં આરોપીઓએ પીડિતાને જીવતી દાટી દેવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી હતી, પણ ત્યારે જ તેના પરિવારજનો ત્યાં પહોંચી જતા તે બચી ગઈ હતી. એ પછી પણ 13 કલાક સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ. આખરે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો અને ટોળાં હોસ્પિટલ અને પોલીસ સ્ટેશને ઉમટી પડતા કેસ નોંધાયો હતો અને પીડિતાનું મેડિકલ ચેક અપ કરીને કાર્યવાહી હાથ ધરાઈ હતી. એ પછી આરોપીઓ પૈકી એકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું જાણવા મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના દેશભરમાં મહિલાઓ પર અત્યાચાર અને જાતિવાદ માટે કુખ્યાત બની ચૂકેલા ઉત્તરપ્રદેશની છે. અહીં આગ્રામાં ભાજપ નેતાના મેરેજ હોલમાં એક દલિત સગીરા સાથે કથિત રીતે ગેંગેરેપ કરી તેને જીવતી દાટી દેવાની તૈયારીઓ કરી દેવામાં આવી હતી. આ મામલે ભાજપ નેતાના ભત્રીજા અને ડ્રાઈવર પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગ્રામાં ભાજપના નેતા પ્રેમચંદ કુશવાહાનું મેરેજ હોમ આવેલું છે. જેમાં દલિત સગીરા સાથે કથિત ગેંગરેપની આ જઘન્ય ઘટના ઘટી છે. મુખ્ય આરોપી ભાજપના નેતાનો ડ્રાઈવર અને તેનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સગીરાને જીવતી દાટી દેવાની તૈયારીઓ કરી લીધી હતી પણ ત્યારે જ લોકો ત્યાં પહોંચી જતા તે બચી ગઈ હતી. ઘટનાના વિરોધમાં ગઈકાલે સદર પોલીસ સ્ટેશનમાં ત્રણ કલાક સુધી હોબાળો મચ્યો હતો. એ પછી પોલીસે ભાજપના નેતાના ડ્રાઈવરને દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત જેલમાં ધકેલી દીધો છે. જ્યારે નેતાજીના ભત્રીજાની આ કેસમાં શું ભૂમિકા હતી તેની તપાસ ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બુધવારે રાત્રે 9.00 વાગ્યા આસપાસની છે. 16 વર્ષની સગીરા તેના ઘર નજીક આવેલી એક દુકાને સામાન લેવા માટે ગઈ હતી. સગીરાના માબાપ નથી અને તે તેની માસી સાથે રહે છે. પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, દીકરી ઘરે પરત ન ફરી તો તેમને ચિંતા થવા લાગી અને તેમણે તપાસ શરૂ કરી દીધી. અમુક લોકોએ જણાવ્યું કે, દીકરીને છેલ્લે કુશવાહ મહાસભાના પદાધિકારી પ્રેમચંદ કુશવાહના માધવ મેરેજ હોમ પાસે જોઈ હતી. એ પછી પરિવારજનો ભાજપ નેતાના મેરેજ હોમ પાસે પહોંચ્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે ભાજપ નેતા પ્રેમચંદ કુશવાહ અને તેના ભત્રીજા આકાશે તેમને અંદર પ્રવેશવા દીધાં નહોતા. એ પછી સગીરાના પરિવારજનો મેરેજ હોમની પાછળ આવેલી દિવાલ પરથી કૂદીને અંદર પહોંચ્યા હતા. અને અંદરનું દ્રશ્ય જોઈને સૌ અવાક રહી ગયા હતા. તેમની દીકરી દયનીય હાલતમાં અંદર પડી હતી. જેમતેમ કરીને પરિવારજનોએ તેને હોંશમાં લાવી. એ પછી તેણે જણાવ્યું કે ભાજપ નેતા પ્રેમચંદના ડ્રાઈવર ભીમસેન ઉર્ફે ભીમાએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યાં એક ખાડો પણ ખોદીને તૈયાર રાખ્યો હતો, જેમાં રેપ બાદ તેને જીવતી દાટી દેવાની તૈયારીઓ કરી દેવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/they-beat-him-saying-that-he-wants-to-get-free-ration-from-bjp-and-vote-for-someone-else">મફત રાશન ભાજપ પાસેથી લેવું છે ને મત બીજા કોઈને આપીશ? કહીને માર્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખી ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પહોંચી ગઈ હતી અને સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી આપી હતી. જો કે રાતનો સમય હોવાથી લેડી લોયલ હોસ્પિટલમાં તેની મેડકલ તપાસ થઈ શકી નહોતી. સગીરાના પરિવારજનોનો આરોપ છે કે, પોલીસ ભાજપ નેતાના ભત્રીજા અને ડ્રાઈવરને બચાવવા માંગતી હોવાથી તે મેડિકલ તપાસમાં જાણીજોઈને ઢીલ દાખવી રહી હતી. લોકોનો ગુસ્સો જોઈને વહેલી સવારે સગીરાની મેડિકલ તપાસ થઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન લોકોનો આક્રોશ પારખીને પોલીસે રાત્રે જ કેસ નોંધી લીધો હતો. ગુરુવારે સવારે 11 વાગ્યા આસપાસ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો સદર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને હોબાળો મચાવી ઘેરાવ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાના પરિવારજનોનો આક્ષેપ છે કે તેમની દીકરી પર ગેંગરેપ થયો છે પણ પોલીસ તે માનવા તૈયાર નથી. પોલીસનું કહેવું છે કે, પીડિતાએ કોર્ટમાં નિવેદન નોંધાવી દીધું છે. તેમાં તે જે પણ આરોપ લગાવી રહી છે પોલીસ તે મુજબ કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસના વલણને લઈને અહીં 3 કલાક સુધી લોકોએ હોબાળો મચાવ્યો હતો. બપોરે બે વાગ્યા આસપાસ પોલીસે ટોળાં સામે જાહેર કરવું પડ્યું કે, દુષ્કર્મનો મુખ્ય આરોપી ભીમસેન ઉર્ફે ભીમા પકડાઈ ગયો છે. એ પછી લોકોનો ઉશ્કેરાટ થોડો શાંત પડ્યો હતો અને પોલીસ સ્ટેશન ખાલી કર્યું હતું. એસીપી સુકન્યા શર્માએ જણાવ્યું હતું કે, દલિત સગીરા સાથે ઘટેલી ઘટનામાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. ઘટનાની તપાસ ચાલી રહી છે અને મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. હવે સગીરાના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-west-bengal-a-bjp-leader-stripped-a-woman-and-threw-her-on-the-road">પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાએ મહિલાને નિર્વસ્ત્ર કરી રોડ પર ઢસડી</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 23 Aug 2024 09:38:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1115</Articleid>
                    <excerpt>ભાજપના એક નેતાના મેરેજ હોમમાં એક દલિત સગીરા પર દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છે. આરોપીઓએ સગીરાને જીવતી દાટી દેવાની તૈયારીઓ કરી લીધી હતી પણ...</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c80a86b55a0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c80a8687a30.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c80a8687a30.jpg" length="71805" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bjp Leader, Gang Rape</media:keywords>
                </item>
                        <item>
                    <title>કચ્છમાં ભીમગર્જનાઃ RDAM એ 41 વર્ષ બાદ દલિતોને હકની જમીન અપાવી</title>
                    <link>https://khabarantar.com/bhimgarjana-in-kutch-rdam-gave-rightful-land-to-dalits-after-41-years</link>
                    <guid>https://khabarantar.com/bhimgarjana-in-kutch-rdam-gave-rightful-land-to-dalits-after-41-years</guid>
                    <description>
                        <![CDATA[ 15મી ઓગસ્ટનો દિવસ કચ્છના બે ગામો માટે ખરા અર્થમાં આઝાદી લાવનારો બની રહ્યો. અહીં RDAM એ 41 વર્ષ બાદ દલિતોને તેમના હકની જમીન ગુંડાઓ પાસેથી પરત અપાવી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">15મી ઓગસ્ટના દિવસે એકબાજુ દેશભરમાં લોકો તિરંગો ફરકાવીને નિયમિત રીતે ઉજવણી કરી રહ્યા હતા ત્યારે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બે ગામોના દલિતો ખરા અર્થમાં આઝાદીની અનુભૂતિ કરી રહ્યા હતા. અહીંના અનેક ગામોમાં દલિતોને સરકારી રાહે મળેલી જમીનો પર જાતિવાદી ગુંડાઓ દાદાગીરીથી કબ્જો જમાવીને બેસી ગયા છે. જેના કારણે દલિતોના હકની હજારો એકર જમીન પર આ લુખ્ખા તત્વોનું રાજ ચાલી રહ્યું છે. દલિતો તેમની જ જમીન પર નજર સુદ્ધાં કરી શકતા નહોતા. પણ આ વખતે આ સિલસિલો તૂટ્યો હતો અને બેલા અને નાંદા ગામના દલિતોને તેમની જમીનનો પ્રત્યક્ષ રીતે કબ્જો મળ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું જોઈએ કે વર્ષ 1960 થી 1990ની વચ્ચે ગુજરાતમાં હજારો એકર જમીન દલિતોને ફાળવવામાં આવી હતી, પણ એ જમીનો પર જાતિવાદી લુખ્ખાઓ દાદાગીરીથી હક જમાવીને બેસી ગયા છે. પણ છેલ્લાં 8 વર્ષથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી(Jignesh Mevani)ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે(RDAM) આ જમીનો પરત અપાવવાનું બીડું ઉઠાવ્યું છે. તેમાં તેને સારી એવી સફળતા પણ મળી છે અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ(Rashtriya Dalit Adhikar Manch)ની ટીમે અત્યાર સુધીમાં અંદાજે 2500 એકર(<strong>અંદા<em>જે રૂ. 600 કરોડની કિંમતની</em></strong>) જમીન જાતિવાદી ગુંડાઓના કબ્જામાંથી છોડાવીને સ્થાનિક દલિતોને અપાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિગ્નેશ મેવાણીના નેતૃત્વમાં કચ્છ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરી અને રાપર અનુસૂચિત જાતિ સામાજિક ખેતી સહકારી મંડળના સભ્યોએ 15મી ઓગસ્ટના દિવસે રાપરના બેલા અને નાંદા ગામમાં મંડળીના પ્રમુખ રામજીભાઈ ભદરૂ, જેમનું થોડા દિવસ પહેલા જ નિધન થયું હતું, તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને 41 વર્ષ બાદ આ બંને ગામોની કરોડોની કિંમતની જમીન જાતિવાદી ગુંડાઓના કબ્જામાંથી છોડાવીને તેના અસલી માલિક એવા દલિત સમાજના લોકોને પરત કરી હતી. ખુશીના આ પ્રસંગે દલિતોએ જય ભીમના નારાઓથી સીમ ગજવી મૂકી હતી. ભીમગર્જના વચ્ચે આ જમીન પર વાદળી ઝંડાઓ ફરકી ઉઠ્યા હતા. દલિતોએ આ જમીન પર જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી પણ આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-heady-elements-do-not-leave-my-land-despite-the-collectors-order">કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c585b800aa8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રસંગે હાજર રહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, RDAM ના આંદોલનનો ઉદ્દેશ્ય ભૂમિહીન દલિતોને 5 એકર જમીન આપવાનો છે. દેશભરમાં લગભગ 20 હજાર એકર જમીન એવી છે કે જે આદિવાસીઓ કે દલિતોને ફાળવવામાં આવ્યા પછી ગેરકાયદે કબજા હેઠળ છે, જેના કારણે વંચિત સમુદાયને તેના હક્કો મળી શક્યા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેવાણીએ આગળ જણાવ્યું હતું કે, "ગુજરાત સિવાય અન્ય કોઈ રાજ્યમાં જમીનને ગેરકાયદેસર દબાણમાંથી મુક્ત કરાવી તેના અસલ માલિકોને પરત અપાવવા માટે આવા પ્રયાસો થઈ રહ્યા નથી. આપણે માત્ર જાતિના ભેદભાવ અને અનામત પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. સ્વાભિમાનની લડાઈની સાથે સાથે દલિત આંબેડકરવાદી આંદોલન પણ ચાલી રહ્યું છે. આર્થિક અધિકારો માટે પણ લડવું જોઈએ અને સંસાધનોના સમાન વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે દલિતો અને આદિવાસીઓ કે પછાત વર્ગના સંસાધન-વિહોણા પરિવારોના જમીન અધિકારોની વાત કોઈ કરતું નથી. દલિત-આંબેડકરવાદી સંગઠનો માત્ર આત્મસન્માન, અનામત અને નોકરીઓ પૂરતા મર્યાદિત થઈ ગયા છે. જો કે આપણા બંધારણમાં વર્ણવેલા સમાજવાદ માટે જરૂરી છે કે, સંસાધનોનું પણ સમાન રીતે વિતરણ કરવામાં આવે. આવી પાકી ગયો છે કે, આપણે આર્થિક અને ભૌતિક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેવાણી સમજાવે છે કે જમીનની ટોચમર્યાદાનો કાયદો આ જ હેતુથી લાગુ કરવામાં આવ્યો હતો. SC/ST ભૂમિહીન પરિવારોને જમીન ફાળવવાનું કામ 1950થી દેશભરમાં શરૂ થયું હતું, પરંતુ મોટાભાગની જગ્યાએ તે કાગળ પૂરતું જ સીમિત રહ્યું હતું. જાતિવાદી અને સામંતવાદી તત્વોએ ફાળવેલી જમીનો પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે અને દલિત- વંચિત સમાજના લોકો હજુ પણ તેમના અધિકારોથી વંચિત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાતમાં દલિતો માટે 5 એકર જમીનનું આંદોલન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં દલિતોનો જમીન અધિકાર માટેનો સંઘર્ષ નવો નથી. દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ હજારો એકર જમીન દલિતોને ફાળવવામાં આવી હતી, પરંતુ જાતિવાદી તત્વોએ આ જમીનો પર કબજો કરી લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/why-do-cage-builders-remain-silent-when-pressured-on-the-ground-by-gauchers">પાંજરાપોળો બંધાવનારા ગૌચરની જમીન પરના દબાણ વખતે કેમ ચૂપ રહે છે?</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c585c7c23cf.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2009 થી 2012 દરમિયાન જિગ્નેશ મેવાણીએ એવી હજારો એકર જમીન વિશે માહિતી એકત્રિત કરી, જે ફાળવણી પછી પણ અસામાજિક તત્વોના ગેરકાયદેસર કબજામાં હતી. આ અંગે તેમના દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી જે 2012 થી 2016 સુધી ચાલી હતી. તેમના પ્રયાસોને કારણે, હજારો એકર જમીન સામંતવાદીઓ પાસેથી પાછી મેળવવામાં આવી હતી જેની બજાર કિંમત કરોડો રૂપિયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે RDAM જમીનની માલિકી જેવા ભૌતિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેઓ માને છે કે જમીનની માલિકી એ જાતિની સ્થિતિનું મુખ્ય સૂચક છે અને દલિતો માટે સમાનતાનો સૌથી સીધો રસ્તો એ જમીનની માંગ કરવાનો છે, જે તેમના હકની છે અને તેમના કબજામાં હોવી જોઈએ. તેઓ માને છે કે, દરેક ભૂમિહીન દલિતને 5 એકર જમીન મળવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જીગ્નેશ મેવાણીના નેતૃત્વમાં RDAM એવા દલિતોના કેસોમાં પણ સક્રિય રીતે કામ કરી રહ્યું છે જેમને કાગળ પર જમીન ફાળવવામાં આવી છે પરંતુ હજુ સુધી જમીનનો પ્રત્યક્ષ કબજો આપવામાં આવ્યો નથી. 2017 સુધીમાં, મેવાણી અને RDAM ના પ્રયત્નો રંગ લાવવા લાગ્યા છે. અમદાવાદ જિલ્લાના સરોધા ગામમાં 115 દલિત પરિવારોને 220 વીઘા જમીન સોંપવા માટે લેન્ડ મેપિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે ગુજરાત સરકાર પર દબાણ કરવામાં તે સફળ થયું છે. ગુજરાતના અન્ય ભાગોમાં જમીન માલિકી ઝુંબેશ ચલાવીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે એક સર્વસામાન્ય પ્લેટફોર્મ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઉપરાંત રાપર અને સુરેન્દ્રનગર માટે પણ આવા જ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, કચ્છ વગેરે જિલ્લાઓમાં આ અભિયાનને ખૂબ જ સમર્થન અને સફળતા મળી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/54-dalit-families-of-amreli-have-been-struggling-for-rightful-land-for-42-years">અમરેલીના 54 દલિત પરિવારો 42 વર્ષથી હકની જમીન માટે સંઘર્ષ કરે છે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 21 Aug 2024 11:47:08 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 21 Aug 2024 15:15:36 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1105</Articleid>
                    <excerpt>15મી ઓગસ્ટનો દિવસ કચ્છના બે ગામો માટે ખરા અર્થમાં આઝાદી લાવનારો બની રહ્યો. અહીં RDAM એ 41 વર્ષ બાદ દલિતોને તેમના હકની જમીન ગુંડાઓ પાસેથી પરત અપાવી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c58597970b8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c585975a3b8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c585975a3b8.jpg" length="135660" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jignesh Mevani, Rashtriya Dalit Adhikar Manch, Kuchha</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારત બંધ Live update: બિહારમાં રસ્તા સૂમસામ, ક્યાંક આગની ઘટના</title>
                    <link>https://khabarantar.com/bharat-bandh-live-update-roads-are-quiet-in-bihar-there-is-a-fire-incident-somewhere</link>
                    <guid>https://khabarantar.com/bharat-bandh-live-update-roads-are-quiet-in-bihar-there-is-a-fire-incident-somewhere</guid>
                    <description>
                        <![CDATA[ આજે એસસી એસટી અનામતના પેટાવર્ગીકરણના સુપ્રીમ કોર્ટના ચૂકાદાના વિરોધમાં ભારત બંધનું એલાન અપાયું છે. જેને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. વાંચો ક્યાં શું થયું... ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">21 august Bharat Band: SC-ST અનામતને લઈને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. અનામત બચાવો સંઘર્ષ સમિતિના આ બંધને અનેક પક્ષોએ સમર્થન આપ્યું છે. બંધના એલાનને લઈને આજે સવારે બિહારના વૈશાલીમાં લોક જનશક્તિ પાર્ટી(LJP) રામવિલાસ પાર્ટીના કાર્યકરોએ હાજીપુર રામશીશ ચોકને બ્લોક કરી દીધો હતો. રોડ પર ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. હાજીપુર, છપરા, મુઝફ્ફરપુર, પટના, સિવાન, સોનપુર રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ બસપા સુપ્રીમો માયાવતીએ ભારત બંધને સમર્થન આપતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે બસપા ભારત બંધને સમર્થન આપે છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓ દ્વારા અનામત વિરોધી ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેમની મિલીભગતથી અનામતને બિનઅસરકારક બનાવી દઈને આખરે તેને ખતમ કરી દેવાનું આ ષડયંત્ર છે. 1 ઓગસ્ટ, 2024ના રોજ, એસસી-એસટીના પેટા વર્ગીકરણ અને તેમની વચ્ચે ક્રીમી લેયર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે લોકોમાં ગુસ્સો છે અને અમે તેને જરાય સાંખી લેવા તૈયાર નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/everyone-had-the-same-voice-we-will-not-let-the-meli-murad-of-the-government-be-fulfilled"> મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ 21 ઓગસ્ટે યોજાનાર ભારત બંધને સમર્થન આપ્યું છે. પાર્ટીએ કહ્યું કે બંધ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયના વિરોધમાં છે, જે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની અનામતના 'ક્વોટાની અંદર ક્વોટા'ની વાત કરે છે, જેના કારણે ઘણા જૂથોએ વિરોધ કર્યો છે. આનાથી અનામતનો મૂળ ઉદ્દેશ્ય નષ્ટ થઈ જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉદય નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે ડૉ.ભીમરાવ આંબેડકરે અનામતની વ્યવસ્થા સમાજમાંથી અસ્પૃશ્યતાને ખતમ કરવા માટે બનાવી હતી, આર્થિક સ્થિતિના આધારે નહીં. RJD ત્યાં સુધી વિરોધ કરશે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય પરત ન ખેંચાય. અમે SC-ST માટેની અનામતને સામાજિક ભેદભાવના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ, જ્યાં સુધી સામાજિક ભેદભાવ ચાલુ રહેશે ત્યાં સુધી અનામત પણ ચાલુ રહેવી જોઈએ. મામલો સામાજિક અસમાનતાનો છે, આર્થિક અસમાનતાનો નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">SC-ST અનામતને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં દલિત સંગઠનોએ મોરચો ખોલ્યો છે. અનામત બચાવો સંઘર્ષ સમિતિના આ બંધને દેશભરમાં વ્યાપક જનસમર્થન મળ્યું છે. “ભારત બંધ”ને સમાજવાદી પાર્ટીનું પણ સંપૂર્ણ સમર્થન છે. સમાજવાદી પાર્ટીના અધિકારીઓ, કાર્યકરો, સંગઠનો અને નેતાઓ “ભારત બંધ”માં ભાગ લઈ રહ્યાં છે. આ સાથે જ ભારત બંધને બહુજન સમાજ પાર્ટીનું પણ સમર્થન મળ્યું છે. બસપાએ તમામ નાના-મોટા કાર્યકરોને ભારત બંધમાં ભાગ લઈ રહ્યાં છે. આ સિવાય બીજી અનેક પાર્ટીઓએ પણ બંધને સમર્થન આપ્યું છે અને તેના સેંકડો કાર્યકરો બંધના સમર્થનમાં ઉતર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/karo-Ya-maro-nationwide-bandh-announced-on-august-21-over-reservation-issue">કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 21 Aug 2024 09:07:40 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 21 Aug 2024 15:16:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1103</Articleid>
                    <excerpt>આજે એસસી એસટી અનામતના પેટાવર્ગીકરણના સુપ્રીમ કોર્ટના ચૂકાદાના વિરોધમાં ભારત બંધનું એલાન અપાયું છે. જેને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. વાંચો ક્યાં શું થયું...</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c560800290c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c5607fc7170.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c5607fc7170.jpg" length="81022" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>21 august Bharat Band, SC-ST અનામત</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીમાં બીએસપી અને આઝાદ સમાજ પાર્ટી સામસામે</title>
                    <link>https://khabarantar.com/bsp-and-azad-samaj-party-face-each-other-in-by-elections-in-uttar-pradesh</link>
                    <guid>https://khabarantar.com/bsp-and-azad-samaj-party-face-each-other-in-by-elections-in-uttar-pradesh</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરપ્રદેશની 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે. જેમાં બહુજન સમાજના બે મોટા પક્ષોએ સામસામે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશમાં ૧૦ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકારણ ચરમસીમા પર છે. આ ૧૦ બેઠકો માટે બસપા અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) વચ્ચે ખૂબ જ રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે. જ્યારે બસપાએ લાંબા સમય બાદ પેટાચૂંટણી લડવાનો ર્નિણય કર્યો છે, ત્યારે ચંદ્રશેખર આઝાદ પણ લોકસભામાં સફળતા મેળવીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. માયાવતીએ બે બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) એ ત્રણ બેઠકો પર તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ ગાઝિયાબાદ સદર બેઠક પરથી ચૌધરી સતપાલ, મુઝફ્ફરનગરની મીરાપુર બેઠક પરથી ઝાહિદ હસન અને મિર્ઝાપુરની મઝવાન બેઠક પરથી ધીરજ મૌર્યને ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં બાકીની તમામ સાત બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/In-dadra-nagar-haveli-the-bsp-candidate-was-played-by-the-partys-own-people"> </a></strong></span> <a href="https://khabarantar.com/dalit-politics-from-here-to-the-desert-from-here-to-the-river"><strong>દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાએ મિલ્કીપુર અને મીરાપુરથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં માયાવતીએ મિલ્કીપુરથી રામ ગોપાલ કોરીને ટિકિટ આપી છે, જ્યારે મીરાપુરથી ચંદ્રશેખર આઝાદના નજીકના શાહ નઝરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. શાહ નઝર હાલમાં બસપાના જિલ્લા પંચાયત પ્રમુખ છે અને તેઓ અગાઉ ચંદ્રશેખર આઝાદની પાર્ટી સાથે જોડાયેલા હતા. આવી સ્થિતિમાં મીરાપુરમાં ગઠબંધન તોડીને માયાવતીએ શાહ નઝરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશની ૧૦ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીની તારીખો જાહેર કરી નથી, પરંતુ આ અંગે રાજકીય દાવપેચ ચાલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણી માટે ખાલી પડેલી ૧૦ સીટોમાંથી પાંચ સીસામાઉ, કટેહારી, કરહાલ, મિલ્કીપુર અને કુંડારકી સપા પાસે હતી, જ્યારે ફૂલપુર, ગાઝિયાબાદ, મજવાન અને ખેર ભાજપ પાસે હતી. મીરાપુર બેઠક ભાજપના સહયોગી રાષ્ટ્રીય લોકદળ પાસે હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/In-dadra-nagar-haveli-the-bsp-candidate-was-played-by-the-partys-own-people"> દાદરા નગર હવેલીમાં BSP ના ઉમેદવાર સાથે પક્ષના જ લોકો ખેલ કરી ગયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 19 Aug 2024 18:04:00 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 19 Aug 2024 18:05:56 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1096</Articleid>
                    <excerpt>ઉત્તરપ્રદેશની 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે. જેમાં બહુજન સમાજના બે મોટા પક્ષોએ સામસામે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c33c24622ab.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c33c2432470.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c33c2432470.jpg" length="68042" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Uttar Pradesh, વિધાનસભા પેટાચૂંટણી, BSP, Azad Samaj Party</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ</title>
                    <link>https://khabarantar.com/everyone-had-the-same-voice-we-will-not-let-the-meli-murad-of-the-government-be-fulfilled</link>
                    <guid>https://khabarantar.com/everyone-had-the-same-voice-we-will-not-let-the-meli-murad-of-the-government-be-fulfilled</guid>
                    <description>
                        <![CDATA[ ગઈકાલ ચાંદખેડામાં યોજાયેલા અનામત બચાવો મહાસંમેલનમાં ઉપસ્થિત હજારોની જનમેદનીમાં બહુજન સમાજના ધુરંધર વક્તાઓએ પોતપોતાના વિચારો રજૂ કરી સમાજને ચેતવ્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામત બચાવો આંદોલન સમિતિ દ્વારા ગઈકાલે તા. 18/08/ 2024 ના રોજ અમદાવાદના ચાંદખેડા ખાતે એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના પ્રતિનિધિઓએ વિશાળ સંખ્યામાં હાજર રહી પ્રતિનિધિત્વ નોંધાવ્યું હતું. આ મહાસંમેલનમાં ગુજરાતના બહુજન સમાજના ધુરંધર વક્તાઓએ મજબૂત વક્તવ્યો આપી ઉપસ્થિત વિશાળ જનમેદનીને હકીકતથી વાકેફ કરીને આગામી દિવસોમાં વધુ મોટી લડત માટે પાનો ચડાવ્યો હતો. આ મહાસંમેલનમાં સૌએ સાથે મળીને એક જ સૂર વ્યક્ત કર્યો હતો કે,</span><span style="font-size: 14pt;">દલિતો, આદિવાસીઓની અનામતમાં ભાગલા પાડીને તેમને અંદરોઅંદર લડાવી અનામતને ખતમ કરી નાખવાની તેમની મેલી મુરાદને તેઓ કોઈ કાળે બર નહીં આવવા દે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમની શરૂઆતમાં દલિત આંદોલનમાં આઇકોન અને જેણે આખી જિંદગી અનુસૂચિત જાતિના પ્રશ્નો માટે ખર્ચી નાખી છે એવા આદરણીય વાલજીભાઈ પટેલ એ પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં આ સભામાં હાજરી આપી સુપ્રીમ કોર્ટના ચુકાદાને નીરસ્ત કરવાં માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ પ્રકારનું એમેન્ડમેન્ટ પસાર કરવામાં આવે તેમજ અનામતને બંધારણની નવમી સૂચિમાં મૂકવામાં આવે તે અંગે સરકાર પર દબાણ ઉભું કરવા લોકોને જાગૃત કર્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Two-satyagrahas-from-ancient-history-which-are-not-remembered-despite-fighting-for-human-rights">અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી</a></span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c309143f960.jpg" alt="">ડૉ. નીતિન ગુર્જર સાહેબ</strong></span></p>
<p><span style="font-size: 14pt;">1981 અને 1985ના અનામત આંદોલનના હીરો તેમજ ગુજરાતના આંદોલનકરી નેતા પૈકીના મુખ્ય એવા ડોક્ટર નીતિન ગુર્જર સાહેબે પણ પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સરકાર સીધી રીતે ન માને તો પછી સડકના આંદોલનમાં ઉતરવું પડશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર દબાણ ઊભું કરી ફરજ પાડવી પડશે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે સંસદ દ્વારા ખાસ એમેન્દમેન્ટ લાવી અનામતને નવમી સૂચિમાં દાખલ કરવામાં આવે તેમ જ 21 તારીખના બંધના વિશાળ સંખ્યામાં સફળ બનાવવામાં આવે તે માટે સામૂહિક રીતે પ્રયાસ કરવા અપીલ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-law-of-manusmriti-which-sowed-the-seeds-of-inequality-in-indian-society">મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </a></strong></span></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c30913a1ad3.jpg" alt=""><strong>રાજુ સોલંકી</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના અનુસૂચિત જાતિના પ્રશ્ન કોર્ટ તેમજ જમીની સ્તર પર લડીને લોકોને ન્યાય અપાવનાર એવા કર્મશીલ રાજુભાઈ સોલંકીએ અનામત બાબતે સરકાર તેમજ સુપ્રિમ કોર્ટની અન્યાય પૂર્ણ અને ભેદભાવ ભરી નીતિ અને પણ ટીકા કરી હતી. વળી સરકાર તરફથી જો આ અંગે યોગ્ય પ્રતિભાવ ના મળે તો ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોને ઘરે રૂબરૂ મળી આ આંદોલનને ધાર આપવા નક્કી થયું. ગુજરાત લેવલે 7% વસ્તી ધરાવતા અનુસૂચિત જાતિના સમુદાય માં જો વાત ટકા માં પણ પેટા વર્ગીકરણ કરવામાં આવશે તો અતિપછાત જાતિને જો 2% ક્વોટા ફાળવવામાં આવે તો રોસ્ટર ક્રમાંક 50 માં ક્રમે જતો રહેતા 50મી જગ્યા ભરાશે ત્યારે સરકારી નોકરીઓમાં તેઓનો વારો આવશે અને તેમાં પણ જો યોગ્ય ઉમેદવાર નહીં મળે તેવા બહાના બતાવી આ જગ્યાને પેલો બીજો ત્રીજો પ્રયત્ન કરી ઓપનમાં ફેરવી નાખવામાં આવશે અને આમ કેરી ફોરવર્ડ અને ઓપન સીટ તેમજ બેકલોકનો ખેલ 1980/ 90 ના દશકમાં આપણી સાથે ખેલાઈ ગયો છે. જેથી સરકાર ફરીથી આ સમાજ સાથે આવો ખેલ ખેલવા માંગે છે તેથી  સરકારની આ મેલી મુરાદ સામે 21 તારીખે સફળતા પૂર્વક બંધ પાળી સરકારને એની મેલી મુરદમાં સફળ ન બનવા દઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/manu-pratima-a-symbol-of-injustice-at-the-courthouse"> મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?</a></strong></span></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c3091620e1a.jpg" alt=""><strong>પી.એલ. રાઠોડ સાહેબ</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બામસેફના કાર્યકર્તા અને નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી પી.એલ. રાઠોડ તરફથી હાજર મેદની ને જણાવ્યું હતું કે 21 તારીખના બંધ ને સફળ બનાવી બેહરી મૂંગી સરકારના કામ ખોલવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટ તરફથી ક્રિમિલેયરની લટકતી તલવાર તમારા પર ટોળાઈ રહી છે, એટલે ઘરની બહાર નીકળી સડકના આંદોલનમાં દરેકે જોડાવું જ પડશે. સાથે સાથે સરકારની મંશા પર પ્રશ્ન ઉઠાવી જણાવ્યું હતું કે જો સરકારને ખરેખર વાલ્મિકી સમુદાયના ઉત્કર્ષની ચિંતા હોય તો ભારતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતો આ વાલ્મિકી સમુદાય ને ફુલ પગારમાં અને કાયમી ધોરણે ભરતી કરી તેઓની આર્થિક સ્થિતિ સુધારવાનું પગલું ભરી સરકાર પોતાની ઈમાનદારી બતાવે તે જરૂરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/karo-Ya-maro-nationwide-bandh-announced-on-august-21-over-reservation-issue">કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન</a></strong></span></span></p>
<p><strong><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c30914e7738.jpg" alt=""><span style="color: rgb(224, 62, 45);">એડવોકેટ અશોક ચાવડા</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગરve એડવોકેટ અશોકભાઈ ચાવડાએ જણાવ્યું કે, માત્ર ૧૦ ટકા વસ્તી ધરાવતા EWS વિકાસ નિગમને સરકાર તરફથી 1000 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જ્યારે ગુજરાતની 90% વસ્તી ધરાવતા બાકીના વિવિધ નિગમોને માંડ 500 કરોડથી પણ ઓછી રકમ ફાળવવામાં આવે છે. જેથી આ સરકારે સફાઈ કામદાર વિકાસ નિગમને 1000 કરોડની ગ્રાન્ટ ફાળવી વાલ્મિકી સમાજના ઉત્થાન માટે પોતાની પ્રતિબદ્ધતા બતાવી જરૂરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/how-did-the-slogan-of-jai-bheem-outweigh-jai-shri-ram"> 'જય શ્રીરામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?</a></strong></span></span></p>
<p><strong><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c30916c0f0e.jpg" alt=""><span style="color: rgb(224, 62, 45);">એડવોકેટ પિષુય જાદુગર</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ પૈકીના નાડીયા સમુદાયના સક્રિય આગેવાન રાજેશભાઈ નાડીયાએ પોતાના વક્તવ્યમાં સરકારની આ ખોરી દાનત બાબતે હાજર સમુદાયને ચેતવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ખાનગીકરણ, આઉટસોર્સિંગ અને ફિક્ષ પગાર જેવા પગલાં ભરી સરકારે આ સમાજના યુવા વર્ગની કારકિર્દી રોળી નાખી છે. અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે અલગથી કોટાનો આદેશ આપી સમાજનાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ  સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારે અખત્યાર  કરી દે છે. અતિ પછાત જાતિના લોકોએ આવી લાલચમાં ન આવીને અનુસૂચિત જાતિની એકતા જળવાઈ રહે તે માટે 21 તારીખના બંધને સફળતા આપીએ એવી અપીલ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/how-did-the-slogan-of-jai-bheem-outweigh-jai-shri-ram"> </a></strong></span> <a href="https://khabarantar.com/so-far-democracy-has-only-been-saved-rehabilitation-restoration-is-pending"><strong>હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન-પુનઃસ્થાપન બાકી છે</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66c309157b7df.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઇકોર્ટના એડવોકેટ રત્નાબેન વોરાએ સુપ્રીમ કોર્ટના બ્રાહ્મણવાદી માનસિકતા ધરાવતા જજો અંગે ટકોર કરી અનુસૂચિત જાતિના વર્ગની એકતાને તોડવાના પ્રયાસોને વખોડી કાઢ્યો હતો. એક પૂર્વ નિયોજિત કાવતરા મુજબ અનુસૂચિત જાતિના પેટા વર્ગીકરણનું જજમેન્ટ આપવામાં આવ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સભાના યુવા કાર્યકર્તા અને તેજાબી વક્તા હેમંત પરમારે જણાવતા કહ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટમાં જ્યાં સુધી અનુસૂચિત જાતિ જનજાતિનું પ્રતિનિધિત્વ નહીં હોય ત્યાં સુધી જાતિવાદી માનસિકતા ધરાવતા જજો તરફથી આવા એક પછી એક જજમેન્ટ આપવાનું શરૂ રહેશે અને આપણે તો આવા અન્યાયપૂર્ણ ચુકાદાઓ સામે હંમેશા લડત આપતા રહીને જ આપણી જિંદગી ખરચી નાખવાની રહેશે. 1985ના અનામત આંદોલન પછી ગુજરાત સરકાર અને ઉત્કર્ષ મંડળ વચ્ચે થયેલી સમજૂતી મુજબ ચાલુ સત્રમાં જ રોસ્ટર એક્ટ બનાવી લાગુ કરવાનો હતો. તેમ છતાં કોંગ્રેસની સરકારે અનુસૂચિત જાતિને આપેલ આ વચનને કદી પૂર્ણ કર્યું નથી. આમ ભૂતકાળમાં કોંગ્રેસ પણ અનુસૂચિત જાતિના અધિકારોને ભરખી ગઈ છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત આ મહાસંમેલનમાં જામનગરથી કુમાર બૌદ્ધ, રાજકોટથી મોહનભાઈ રાખૈયા, મોરબીથી અશ્વિનભાઈ ટુંડિયા તેમજ અલગ અલગ જિલ્લાઓમાંથી વિશાળ સંખ્યામાં લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળતા અપાવી હતી. કાર્યક્રમના અંતે અનામત બચાવવા માટે હાજર મેદની પાસે રાજુભાઈ સોલંકીએ સોગંદ લેવડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. મહાસંમેલનમાં હવે આગામી દિવસોમાં આ મામલે વધુ જલદ કાર્યક્રમો આપવામાં આવશે અને આ મામલે જ્યાં સુધી એસસી, એસટી સમાજની તરફેણમાં ચૂકાદો નહીં આવે ત્યાં સુધી લડવાનું ચાલું રાખવાનું નક્કી કરાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><strong>અહેવાલ:</strong> <span style="color: rgb(224, 62, 45);"><strong>પી.એલ.રાઠોડ</strong></span></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/monarchy-in-democracy-princes-and-emperors">લોકશાહીમાં રાજાશાહી: શહજાદા અને શહેનશાહ</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 19 Aug 2024 17:12:31 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 19 Aug 2024 17:12:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1095</Articleid>
                    <excerpt>ગઈકાલ ચાંદખેડામાં યોજાયેલા અનામત બચાવો મહાસંમેલનમાં ઉપસ્થિત હજારોની જનમેદનીમાં બહુજન સમાજના ધુરંધર વક્તાઓએ પોતપોતાના વિચારો રજૂ કરી સમાજને ચેતવ્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c309179cc09.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c3091766b8a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c3091766b8a.jpg" length="142681" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>SC-ST Reservation, Save_Reservation, Mahasammelan, Ahmedabad, Chandkheda</media:keywords>
                </item>
                        <item>
                    <title>હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે</title>
                    <link>https://khabarantar.com/now-to-indulge-the-dalits-the-vishwa-hindu-parishad-will-go-and-eat-at-their-homes</link>
                    <guid>https://khabarantar.com/now-to-indulge-the-dalits-the-vishwa-hindu-parishad-will-go-and-eat-at-their-homes</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભા ચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ દલિતોને ફરી હિંદુત્વ તરફ વાળવા માટે RSS ની પાંખ વિશ્વ હિંદુ પરિષદ(VHP) મોટું આયોજન કરી રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024) દરમિયાન યુપી, મહારાષ્ટ્ર, કોંગ્રેસ જેવા મોટા રાજ્યોમાં દલિતો(SC) બંધારણ બચાવવા મુદ્દે વિપક્ષો તરફ વળી ગયા હતા. જેના કારણે અબકી બાર 400 પારનો નારો આપનાર ભાજપ(BJP) પોતાના દમ પર બહુમતી પણ મેળવી શક્યો નહોતો. કેન્દ્રમાં હવે જેડીયુ(JDU) અને ટીડીપી(TDP)ની કાંખઘોડી પર ટકેલી એનડી(NDA)એ સરકાર છે અને તે કેટલો સમય ટકી રહેશે તેનો સંપૂર્ણ મદાર નીતિશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર નિર્ભર કરે છે. સંઘ પરિવારે(RSS) દલિતો, આદિવાસીઓ(SC-ST)ની અનામત(Reservation)ને ખાનગીકરણ(Privatization) લાગુ કરીને સાવ ખતમ કરી નાખી છે. લેટરલ એન્ટ્રી(Lateral entry) જેવા બારોબાર મળતિયાઓની સરકારના ટોચના પદો પર ભરતી કરવા જેવા કાવતરાઓ પણ એસસી, એસટી સમાજના લોકોને ઉચ્ચ હોદ્દા પર જતા રોકે છે. આ બધી બાબતોને લઈને દલિતો, આદિવાસીઓમાં ભારોભાર ગુસ્સો રહેલો છે ત્યારે હવે તેને કેવી રીતે ખાળવો અને ફરી તેમને કેવી રીતે હિંદુત્વના એજન્ડા હેઠળ લાવીને મતોમાં પરિવર્તિત કરવા તેને લઈને રાષ્ટ્રીસ સ્વયંસેવક સંઘ(RSS) પરિવારની શાખા વિશ્વ હિંદુ પરિષદ(VHP)ને ટાસ્ક સોંપવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Ambedkar-were-you-like-that">આંબેડકર તમે આવા ય હતા?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે સંઘ પરિવાર દલિતોને ટાર્ગેટ કરીને 15 દિવસનું ધર્મ સંમેલન યોજવા જઈ રહ્યો છે. જેમાં ગામડાઓ અને શહેરોની દલિત વસ્તીઓમાં વિશ્વ હિંદુ પરિષદ કાર્યક્રમો કરશે અને દલિતોને ફરી ભાજપ તરફી મતબેંકમાં ફેરવવા પ્રયત્ન કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા તૈયાર કરવામાં આવેલા આ કાર્યક્રમમાં દલિતોના ઘરે જઈને ભોજન કરવું અને દલિતવાસમાં જઈને ધાર્મિક ઉપદેશ આપવા જેવા કાર્યક્રમો સામેલ છે. તેના માટે વિશ્વ હિંદુ પરિષદ તેમની સાથે જોડાયેલા સાધુ-સંતોની મદદ લઈ રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વ હિંદુ પરિષદ(VHP) ના અધ્યક્ષ આલોકકુમારે ઈન્ડિયન એક્સપ્રેસ(Indian Express)ને જણાવ્યું હતું કે, "આ કાર્યક્રમ દિવાળીના 15 દિવસ પહેલા શરૂ થશે. એટલે કે 1લી નવેમ્બરથી શરૂ થશે. અમે ધાર્મિક નેતાઓ, સાધુસંતોને શહેરો અને ગામડાઓમાં દલિતવાસમાં જઈને પદયાત્રા કરવા માટે વિનંતી કરી છે. એ દરમિયાન સંતો દલિતો સાથે ભોજન કરશે અને ધાર્મિક ઉપદેશ આપશે. આ બધું સમાજમાં ધાર્મિક જાગૃતિ માટે કરવામાં આવી રહ્યું છે. અમે સમયાંતરે આવું કરતા રહીએ છીએ. વિચાર એવો છે કે, સત્સંગનો કાર્યક્રમ યોજાય ત્યારે લોકો તેમાં આવે તેના કરતા સત્સંગ સામેથી લોકો પાસે જાય."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb">આંબેડકર અને આરએસએસ બે વિરોધી ધ્રુવ હોવા છતાં સંઘ કેમ બાબાસાહેબના વખાણ કરે છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વ હિંદુ પરિષદનો આ કાર્યક્રમ આભડછેટ ખતમ કરીને હિંદુઓને એક કરવાની સંઘ પરિવારની કથિત દીર્ધકાલિન પરિયોજનાનો એક ભાગ હોવાનું કહેવાય છે, પરંતુ જે રીતે લોકસભા ચૂંટણીમાં દલિતોનો એક મોટો વર્ગ ભાજપ તરફથી ખસકીને વિપક્ષો તરફ જતો રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને જોતા આ કાર્યક્રમનું રાજકીય મહત્વ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વ હિંદુ પરિષદ તેની 60મી જન્મજયંતિ નિમિત્તે કૃષ્ણ જન્માષ્ટમી પર પણ ઉજવણીનું  આયોજન કરશે. 24 ઓગસ્ટથી, VHP દેશભરના લગભગ 9,000 બ્લોકમાં આ સંદર્ભે ધાર્મિક પરિષદોનું આયોજન કરશે. આલોકકુમારના કહેવા પ્રમાણે તેમાં મહિલાઓ અને દલિતો સહિત સમાજના વિવિધ વર્ગોની ભાગીદારી હશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્ર અને કર્ણાટક ઉપરાંત અમુક હિંદી ભાષી રાજ્યોમાં જોવા મળેલા પરિવર્તને ભાજપની ચૂંટણીલક્ષી શક્યતાઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે પાર્ટી 272ની સામાન્ય બહુમતીથી 32 સીટ દૂર રહી ગઈ હતી. ભાજપને સૌથી મોટો ઝટકો ઉત્તરપ્રદેશમાં લાગ્યો હતો. જ્યાં જાન્યુઆરીમાં રામમંદિરનું ઉદ્ઘાટન કર્યા પછી પણ પાર્ટી ન માત્ર અયોધ્યા(ફૈઝાબાદ) સીટ સમાજવાદી પાર્ટી સામે હારી ગઈ, પરંતુ 62 સીટોની અગાઉની પોતાની સંખ્યાથી પણ પાછળ રહી ગઈ. 2019ની ચૂંટણીની સરખામણીએ આ વખતે તેને યુપીમાં માત્ર 33 સીટો મળી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar">ડૉ. આંબેડકરના આ સવાલોનો આરએસએસ પાસે કોઈ જવાબ છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણીમાં દલિતોમાં જોવા મળેલા પરિવર્તનની શરૂઆત ભાજપના કેટલાક નેતાઓના નિવેદનોથી થઈ હતી. આ નેતાઓએ પોતાના પ્રચાર ભાષણોમાં એવો સંકેત આપ્યો હતો કે, જો ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર 400 સીટોથી આગળ નીકળી ગઈ, તો હિંદુ રાષ્ટ્રની સુવિધા માટે બંધારણને બદલી નાખવામાં આવશે. તેને વિપક્ષી ઈન્ડિયા ગઠબંધને તરત ચૂંટણી હથિયાર બનાવી લીધું હતું. તેણે દલિત સમાજના મસીહા ડો. આંબેડકર દ્વારા તૈયાર કરવામાં આવેલા બંધારણને બચાવવાના મુદ્દા પર એક અભિયાન ચલાવ્યું હતું અને તેમાં તેને સફળતા મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">ભાજપ અને આરએસએસનું ગણિત એવું હતું કે, દલિત મતો બીએસપી સાથે જ રહેશે અને એ રીતે જ્યારે દલિત મતો એક બાજુ કપાઈ જશે તો ભાજપનો રસ્તો સરળ થઈ જશે. પરંતુ દલિત મતદારોએ સંઘ-ભાજપ કરતા વધુ સમજદારી બતાવી. તેમણે યુપીમાં આ વખતે બીએસપીને મત આપવાને બદલે જીતી શકે તેવી શક્યતા ધરાવતી સપા અને કોંગ્રેસને મત આપ્યા. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીને અને કર્ણાટકમાં કોંગ્રેસને મત આપ્યા. ભાજપને તેની જરાય અપેક્ષા નહોતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/shashi-tharoors-book-ambedkar-a-life-a-feeling-of-reading-something-special">શશી થરુરનું પુસ્તક 'Ambedkar: A Life' - કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલે હવે ધર્મ સંમેલનો દ્વારા દલિતોને પટાવવાની ચાલ રમવાની શરૂ કરવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકાર જે રીતે લેટરલ એન્ટ્રી દ્વારા એસસી, એસટીના અધિકારો છીનવી રહી છે, સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ આપેલા ચૂકાદાઓનો વિરોધ નથી કરી રહી, તે બધું દલિતો-આદિવાસીઓ જોઈ સમજી રહ્યાં છે. વધુમાં દલિત યુવાનોમાં બહુજન મહાપુરુષોના વિચારોનો વધતો જતો પ્રભાવ પણ હિંદુત્વના રાજકારણને હવે ફાવવા દે તેમ લાગતું નથી. એ જોતા વિશ્વ હિંદુ પરિષદ દલિતોના ઘરે જઈને ભોજન કરે, તેની સાથે ધર્મની વાતો કરી, સંઘ પરિવારની રાજકીય પાંખને મત આપવા મજબૂર કરી શકે તેવી શક્યતા બહુ ઓછી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Constitution-Day-Special:-Know-what-fundamental-rights-the-Constitution-of-India-gives-us">જાણો ભારતનું બંધારણ આપણને ક્યા મૂળભૂત અધિકારો આપે છે</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 19 Aug 2024 11:42:39 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 19 Aug 2024 11:48:00 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1093</Articleid>
                    <excerpt>લોકસભા ચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ દલિતોને ફરી હિંદુત્વ તરફ વાળવા માટે RSS ની પાંખ વિશ્વ હિંદુ પરિષદ(VHP) મોટું આયોજન કરી રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c2e22764844.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c2e22733010.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c2e22733010.jpg" length="90701" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>VHP, RSS, BJP, Loksabha Election 2024 Results, SC-ST, Vote, BSP, SP, Congress, INDIA</media:keywords>
                </item>
                        <item>
                    <title>આજે અમદાવાદમાં &amp;apos;અનામત બચાવો મહાસંમેલન&amp;apos;, ભીમયોદ્ધાઓનું ઘોડાપૂર</title>
                    <link>https://khabarantar.com/today-in-ahmedabad-anamat-Bachao-mahasmelan-bhimoyddhas-horse-drawn-carriage</link>
                    <guid>https://khabarantar.com/today-in-ahmedabad-anamat-Bachao-mahasmelan-bhimoyddhas-horse-drawn-carriage</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના ચાંદખેડામાં આજે &quot;અનામત બચાવો મહાસંમેલન&quot; યોજાવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી લાખો દલિતો ઉમટી પડવાના છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ કોઈપણ પ્રકારના સંશોધન વિના જારી કરી દીધેલા એસસી-એસટી અનામતમાં પેટા વર્ગીકરણ અને અનુસૂચિત જાતિમાં પણ ક્રિમીલેયર દાખલ કરવાના ચૂકાદા વિરુદ્ધ આજે અમદાવાદમાં સમસ્ત એસસી, એસટી સમાજ દ્વારા અનામત બચાવો મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામત બચાવો આંદોલન સમિતિ ગુજરાત દ્વારા આયોજિત આ મહાસંમેલનમાં ગુજરાતના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં દલિતો, આદિવાસીઓ પોતાની અનામતને બચાવવા માટે જંગે ચડશે. આ મહાસંમેલનને લઈને છેલ્લાં ઘણાં દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ગુજરાતના છેવાડાના ગામ સુધી સમિતિના આગેવાનો, સભ્યો અને કાર્યકરો ફરી વળ્યાં હતા અને અનામતને બચાવવા માટે લડવા સમાજને તૈયાર કરી રહ્યા હતા. જેની એક જબરજસ્ત હવા અમદાવાદના બહુજન સમાજમાં ઘણાં દિવસોથી જોવા મળી રહી હતી. એસસી, એસટી સમાજના લોકોમાં ભારે આક્રોષ છે અને તેઓ કોઈપણ ભોગે બંધારણીય રીતે તેમને મળેલી અનામતને ઉની આંચ પણ આવે તે ચલાવી લેવાના મૂડમાં નથી. આંદોલનની આ આગ આવતા દિવસોમાં વધુ મોટું સ્વરૂપ ધારણ કરે તો જરાય નવાઈ નહીં લાગે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામત બચાવો મહાસંમેલનને લઈને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સંવિધાન સર્કલ, વીરમાયા રોડ પર મોટું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 1 વાગ્યે આ મહાસંમેલન ચાલુ થઈ જવાનું હોવાથી ગુજરાતભરમાંથી અનેક ભીમયોદ્ધાઓ ગઈકાલથી જ અહીં પોતાના સાથીઓ સાથે આવી ધામા નાખી દીધાં છે. તેમની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ, વિદ્યાર્થીઓ અને કોલેજિયન યુવતીઓ પણ જોડાઈ રહી છે. આ સિવાય બહુજન સમાજ માટે આંદોલન કરી ચૂકેલા અનેક પીઢ લોકો પણ હાજર રહેશે. આ બધું જોતા આજે ચાંદખેડા તરફનો આખો વિસ્તાર અને અમદાવાદની તમામ દલિત વસ્તીઓ આજે બહુજન ક્રાંતિના વાદળી રંગે રંગાવા તૈયાર થઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/what-is-objectionable-in-the-judgment-of-the-supreme-court-find-out-from-raju-solanki">સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાંધાજનક શું છે? રાજુ સોલંકી પાસેથી સમજો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામત બચાવો આંદોલન સમિતિ દ્વારા એક જાહેર પત્રિકા પણ તૈયાર કરવામાં આવી છે. જે છેલ્લાં ઘણાં દિવસોથી સોશિયલ મીડિયામાં ફરી રહી છે. એક્ટિવિસ્ટ રાજુ સોલંકી અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પત્રિકામાં સુપ્રીમ કોર્ટના ચૂકાદમાં વાંધાજનક શું છે, તેને લઈને વિસ્તારથી છણાવટ કરવામાં આવેલી છે. આ પત્રિકામાં સમિતિના સંપર્ક નંબરો પણ આપવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">"અનામતની રક્ષા કરજે મારા વીરા" જબરજસ્ત વાયરલ થયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજે આ વખતે આંદોલનમાં મનુવાદી વિચારધારાને પોતાની તરફે કેવો સ્માર્ટ ઉપયોગ કર્યો છે તેનું એક ઉદાહરણ જોવા મળ્યું છે. આયોજકો દ્વારા સોશિયલ મીડિયામાં રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને ખાસ કરીને બહેનોને અપીલ કરે તેવું એક સ્લોગન તૈયાર કરીને રાખડી બાંધવાના વિચારને અનામતની રક્ષા સાથે જોડ્યો છે. "અનામતની રક્ષા કરજે મારા" આ સ્લોગન સાથેનું બેનર સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે. વધુને વધુ યુઝર્સ આ બેનરને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી રહ્યાં છે અને તેને ફોરવર્ડ પણ કરી રહ્યાં છે. જેના કારણે આ વિચાર ફેસબૂક જેવા માધ્યમમાં રીતસરનો છવાઈ ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બેનરમાં અપીલ કરવામાં આવી છે કે, "અનામત બચાવવા માટે આ રક્ષાબંધને સમાજની બહેનો તમારા ભાઈને રાખડી બાંધતી વખતે ભેટની સાથે એક વચન ચોક્કસ લેજો કે, અનામતની રક્ષા કરજે મારા વીરા." આંદોલનકારીઓનો આ આઈડિયા જોરદાર રીતે સફળ થયો છે અને વધુને વધુ લોકોને અપીલ કરી રહ્યો છે, જેની એક અસર પણ આંદોલન દરમિયાન જોવા મળશે.</span><br><span style="font-size: 14pt;">આ મહાસંમેલનમાં વર્ષ 1981-85ના અનામત વિરોધી રમખાણોમાં અનામત બચાવવાની મુહિમમાં અનુસૂચિત જાતિ સમાજનું મજબૂત રીતે નેતૃત્વ કરનાર બે વડીલો વાલજીભાઈ પટેલ અને ડૉ. નીતિન ગુર્જર જૈફ વયે પણ હાજર રહીને સમાજને માર્ગદર્શન આપશે. તેઓ છેલ્લાં ઘણાં દિવસોથી સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું એનાલિસીસ કરી રહ્યાં હતા અને હવે તેઓ તેમના તારણો અને તેનાથી બહુજન સમાજને કેટલી ઘાતક અસર પડશે તેના વિશે વિસ્તારથી વાત કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનામત બચાવો આંદોલન સમિતિ ગુજરાતના આ મહાઆંદોલનમાં એક્ટિવિસ્ટ રાજુ સોલંકી, એડ. પંકજ ઝાપડીયા, એડ. અશોક ચાવડા, પી.એલ. રાઠોડ, કે ડી પરમાર, મહેશ જી. પરમાર, જયેશ શાહ, એડ. નરેન્દ્ર સોલંકી, એડ. રત્ના વોરા, નિરંજન ઘોષ, અશ્વિન ટુંડીયા, રશ્મિકાંત ભારતીય, ત્રિભોવન વાઘેલા, જે.કે. ચૌહાણ, મોહન રાખૈયા, પ્રિયાંક લેઉવા, જશુ કુચરા, દયારામ બેંકર, દિલીપ રાઠોડ, રાજેશ નાડિયા, જે.બી. સોલંકી, જગદીશ સોલંકી, પ્રકાશ રામી, કનુ સુમરા, ડી.સી. સોલંકી, મહેશ રાઠોડ, હસમુખ ચાવડા, કલ્યાણ રાઠોડ, હેમંત રાઠોડ, સચિન સોનીબહેન, યશ મકવાણા, ફેનિલ મેવાડા, કમલ સોનારા, કલ્પેશ સોલંકી, જગદીશ પરમાર, નિરવ સેંઘલ અને જીતેન્દ્રકુમાર પરમારની વિશાળ ટીમનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ તમામ તાકાત કામે લગાડી દઈને આ મહાસંમેલનને સફળ બનાવવા માટે કમર કરી લીધી છે. જો તમે પણ આજે અમદાવાદમાં છો, તો ચોક્કસ બપોરે 1.00 વાગ્યે ચાંદખેડા સ્થિત સંવિધાન સર્કલે પહોંચીને દલિત, આદિવાસી સમાજ માટે અસ્તિત્વની આ લડાઈમાં જોડાઈને ચોક્કસ યોગદાન આપી શકો છો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/karo-Ya-maro-nationwide-bandh-announced-on-august-21-over-reservation-issue">કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 18 Aug 2024 10:38:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1087</Articleid>
                    <excerpt>અમદાવાદના ચાંદખેડામાં આજે &quot;અનામત બચાવો મહાસંમેલન&quot; યોજાવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી લાખો દલિતો ઉમટી પડવાના છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c1819bdc5e8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c1819baa563.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c1819baa563.jpg" length="98208" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>&quot;અનામત બચાવો મહાસંમેલન&quot;Reservation, Reservation Quota</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાલોદના સરપંચે વાલ્મિકી સમાજની દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવ્યું</title>
                    <link>https://khabarantar.com/sarpanch-of-dalod-saluted-the-flag-by-the-daughter-of-valmiki-samaj</link>
                    <guid>https://khabarantar.com/sarpanch-of-dalod-saluted-the-flag-by-the-daughter-of-valmiki-samaj</guid>
                    <description>
                        <![CDATA[ આઝાદીનાં 78 વર્ષ પછી પણ જાતિવાદ જેવી ભયંકર બદ્દી લોકોના મનમાંથી જતી નથી. ત્યારે એક નાનકડા ગામના સરપંચે કશી જ હો હા વિના આઝાદીનો અસલ અર્થ સમજાવી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગઈકાલે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવાઈ ગયો. નાનીમોટી શાળાઓ, સરકારી કચેરીઓ, ફ્લેટોમાં આઝાદી પર્વની ઉજવણી થઈ. જેમણે દેશની આઝાદીમાં અંગ્રેજોનો સાથ આપ્યો હતો તેવા લોકો ઉછળી ઉછળીને આઝાદી દિવસની યાત્રાઓ કાઢી રહ્યાં છે, પણ ધરાતલના મુદ્દાઓનો ઉકેલ લાવવામાં તેમને જરાય રસ નથી. આઝાદીનો અસલ અર્થ છે છેવાડાના માણસનું સ્વમાન જળવાય, તેને યોગ્ય જીવન મળે અને બંધારણમાં મળેલા તેના હકોનું રક્ષણ થાય. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, આઝાદીના આટલાં વર્ષો પછી પણ દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોની સ્થિતિ સુધરવાને બદલે વધારે કથળી છે. આભડછેટ, માથે મેલું ઉપાડવું, ગટરમાં ઉતરીને સાફસફાઈ કરવી જેવા કામો આજની તારીખે પણ વાલ્મિકી સમાજ પર થોપી બેસાડવામાં આવ્યા છે. જેના કારણે તેનું દરેક મોરચે અપમાન થાય છે. આવી કપરી પરિસ્થિતિ પ્રવર્તમાન હોય ત્યાં કોઈ વ્યક્તિ આ સમાજની કોઈ દીકરીને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું આમંત્રણ આપે તો કેવું લાગે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જી હા, આવી ઘટના ગઈકાલે અમદાવાદ નજીકના એક ગામમાં બની ગઈ. જ્યાં એક વાલ્મિકી સમાજની દીકરીને ગામના સરપંચે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે આગળ કરી અને અસમાનતાની ખાઈને પુરવા પોતાના તરફથી પ્રયત્ન કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના દાલોદ ગામની છે. અહીં પ્રાથમિક શાળામાં 78માં સ્વાતંત્ર્ય દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના આ અવસરે ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવે છે ત્યારે દાલોદ ગામે આઝાદીના 78 વર્ષે પ્રથમવાર વાલ્મિકી સમાજની દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવ્યું હતું. અહીં પ્રાથમિક શાળામાં  ધોરણ 4માં અભ્યાસ કરતી રિયાબેન કમલેશભાઈ વાલ્મીકિના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ખરા અર્થમાં આઝાદી જેવું કંઈક લાગે તેવી અનુભૂતિ કરાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/bina-paseen-ki-fasal-ya-kavita-bemani-hai"><span style="font-size: 12pt;"> </span>બિના પસીને કી ફસલ યા કવિતા બેમાની હૈ...</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66be31dc209d0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં સફાઈ કામ કરતા વાલ્મિકી સમુદાયની સતત અવગણના ઉપેક્ષા થતી રહી છે. ત્યારે દાલોદ ગામના સરપંચને નવો વિચાર આવ્યો અને તેમણે તેનો અમલ કર્યો. સામાન્ય રીતે આઝાદીના અવસરે સરપંચના હોદ્દા ઉપર બિરાજમાન હોય તે વ્યક્તિ રાષ્ટ્રધ્વજને સલામી આપતા હોય છે. પણ સરપંચ કિશન સિંધવે આ મામલે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તેઓ આ વર્ષે વાલ્મિકી સમાજની દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવશે. આથી તેમણે તેને અમલમાં મૂક્યો હતો. એ રીતે ગામમાં પહેલીવાર વાલ્મિકી સમાજની દીકરીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. દીકરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને સૌએ સલામી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રીતે સરપંચ કિશન સિંધવે નોખો ચીલો ચાતરીને સમાજમાં ફેલાયેલા ઉંચનીચના ભેદભાવ દૂર કરવા માટે પ્રયાસ કર્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે આજે પણ દેશમાં સૌથી વધુ શોષણ અને ભેદભાવ વાલ્મિકી સમાજના લોકો સાથે થાય છે. સરકારે તેમના માટે કશું કર્યું નથી. જેના કારણે તેમની સ્થિતિ હજુ પણ જેમની તેમ છે. એવામાં કોઈ ગામમાં વાલ્મિકી સમાજની દીકરીના હસ્તે ધ્વજવંદન થાય તે બહુ મોટી વાત ગણાય. આ રીતે આ ગામ અને તેના પ્રગતિશીલ સરપંચે સામાજિક સમાનતાનો એક નવો સંદેશો આપ્યો છે. તેમના આ પગલાંની ચોતરફ પ્રશંસા થઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અનોખા વિચાર અંગે પૂછતા દાલોદ ગામના સરપંચ કિશન સિંધવ કહે છે, મેં તો મારા મનમાં વિચાર આવ્યો તેનો અમલ કર્યો છે. જો આવી જ રીતે દરેક ગામના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, ધારાસભ્ય, સાંસદો છેવાડાના લોકો આગળ લાવવા નાનું અમથું પણ પગલું ભરશે તો ધીરેધીરે અસ્પૃશ્યતા જેવી બદ્દી સમાજમાંથી દૂર થશે. મેં શરૂઆત કરી દીધી છે અને આગળ પણ તક મળ્યે આ રીતે તેને અમલમાં મૂકતો રહીશ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/Kalols-Dingucha-village-sets-example,-flag-hoisted-by-Dalit-daughter-on-Republic-Day"><strong>કલોલના ડીંગુચા ગામે દાખલો બેસાડ્યો, પ્રજાસત્તાક દિને દલિત દીકરીના હાથે ધ્વજવંદન કરાવ્યું</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 16 Aug 2024 09:48:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1078</Articleid>
                    <excerpt>આઝાદીનાં 78 વર્ષ પછી પણ જાતિવાદ જેવી ભયંકર બદ્દી લોકોના મનમાંથી જતી નથી. ત્યારે એક નાનકડા ગામના સરપંચે કશી જ હો હા વિના આઝાદીનો અસલ અર્થ સમજાવી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66be31c7a1ad3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66be31c76dcc2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66be31c76dcc2.jpg" length="117308" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત કિશોરી પર દુષ્કર્મ આચરી છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ</title>
                    <link>https://khabarantar.com/a-dalit-girl-was-raped-and-stabbed-to-death</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-girl-was-raped-and-stabbed-to-death</guid>
                    <description>
                        <![CDATA[ દલિત કિશોરી પર નરાધમે દુષ્કર્મ આચરી, છરીના ઘા મારી ક્રૂર રીતે હત્યા કરી, લાશ તળાવમાં ફેંકી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ દેશમાં દલિતો અનામતને લઈને અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં છે, બીજી તરફ તેમના પર અને તેમની બહેન-દીકરીઓ પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક દલિત કિશોરી પર નરાધમોએ બળાત્કાર કર્યા બાદ છરીના ઘા મારી તેની હત્યા કરીને લાશ તળાવમાં ફેંકી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બિહારના મુઝફ્ફરપુરની છે. જ્યાં કોઈ નરાધમે એક દલિત કિશોરીની છરીના ઘા મારીને ક્રૂર રીતે હત્યા કરી દીધી છે. હત્યા કર્યા બાદ આરોપીઓએ લાશને તળાવમાં ફેંકી દીધી હતી. બાળકીનો મૃતદેહ અર્ધ-નગ્ન હાલતમાં મળી આવ્યો હોવાથી તેના પર બળાત્કાર થયો હોવાની આશંકા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ કિશોરીના પ્રાઈવેટ પાર્ટમાં ૫૦થી વધુ ચાકુના ઘાના નિશાન મળ્યાં છે. બાળકી રવિવાર રાતથી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. એફએસએલની ટીમે ઘટના સ્થળેથી સેમ્પલ એકત્ર કર્યા બાદ તપાસ માટે મોકલ્યાં છે. ઘટના મુઝફ્ફરપુરના લાલુ છપરાના ગોપાલપુરમાં બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ કિશોરી રવિવાર રાતથી ઘરેથી ગુમ હતી. પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. એ દરમિયાન તેનો મૃતદેહ એક તળાવમાંથી મળી આવ્યો હતો. તેના શરીર પર ૫૦થી વધુ જગ્યાએ છરીના ઘા મળી આવ્યા હતા. અરેરાટી છુટી જાય તેવી વાત એ છે કે, નરાધમોએ તેણીના પ્રાઈવેટ પાર્ટ પર પણ છરીના અનેક ઘા માર્યા હતા. પરિવારજનોએ બળાત્કાર બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. બાળકી રવિવાર રાતથી ઘરેથી ગુમ હતી. પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/every-day-10-dalit-women-are-raped-in-india">ભારતમાં દરરોજ 10 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સવારે જ્યારે ગામલોકો પશુઓ માટે ચારો લેવા ગયા હતા તે દરમિયાન તેમણે ડાંગરના ખેતરમાં વાળ અને લોહી પડેલું જોયું. થોડે દૂર ગયા પછી ઝાડીઓમાં પણ લોહી હતું. તળાવ પાસેની ઝાડીમાં અડધી નગ્ન લાશ જોઈ ગ્રામજનો ચોંકી ઉઠ્‌યા હતા. કિશોરીના શરીર પર ઘણી જગ્યાએ છરી વડે છૂંદણાના નિશાન જોવા મળ્યા હતા. ગ્રામજનોએ કરેલા હોબાળાને કારણે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ એસડીપીઓ કુમાર ચંદન તેમની ટીમ સાથે પહોંચ્યા અને મામલાની તપાસ કરી રહ્યા છે. પોલીસ ડોગ સ્કવોડ અને એફએસએલ ટીમને ઘટનાસ્થળે બોલાવી તપાસ હાથ ધરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. એફએસએલની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કરી તપાસ હાથ ધરી છે. છોકરી છ ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. તેને નવમા ધોરણમાં સરકારી શાળામાં દાખલ કરવામાં આવી હતી પરંતુ આર્થિક તંગીના કારણે તેણે અભ્યાસ છોડી દીધો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટીના જિલ્લા પ્રભારી વિજય કુમારે જણાવ્યું હતું કે, દલિત યુવતીની સ્થાનિક ગુંડા સંજય યાદવ અને તેના સાથીઓએ ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરી હતી. પરિવારજનોની માંગ છે કે આરોપીઓની ધરપકડ કરીને ઝડપી ટ્રાયલ ચલાવવામાં આવે અને સખતમાં સખત સજા કરવામાં આવે. સમગ્ર મામલાની માહિતી આપતાં એસડીપીઓ કુમાર ચંદને કહ્યું કે, લાલુ છપરામાં મૃતદેહ મળ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-dalit-teenager-who-went-to-pluck-pomegranates-in-the-field-was-beaten-by-tying-his-limbs">ખેતરમાં દાડમ તોડવા ગયેલા દલિત કિશોરના હાથપગ બાંધી રાખીને ફટકાર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 14 Aug 2024 20:06:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1074</Articleid>
                    <excerpt>દલિત કિશોરી પર નરાધમે દુષ્કર્મ આચરી, છરીના ઘા મારી ક્રૂર રીતે હત્યા કરી, લાશ તળાવમાં ફેંકી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bcc03d79181.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bcc03d48db6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bcc03d48db6.jpg" length="100155" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્વામી રામભદ્રાચાર્ય વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ થશે?</title>
                    <link>https://khabarantar.com/will-a-case-be-filed-against-swami-rambhadracharya-under-the-atrocity-act</link>
                    <guid>https://khabarantar.com/will-a-case-be-filed-against-swami-rambhadracharya-under-the-atrocity-act</guid>
                    <description>
                        <![CDATA[ માન્યવર કાંશીરામ અને મુલાયમસિંહ યાદવ વિરુદ્ધ જાતિવાદી ઝેર ઓકનાર પદ્મવિભૂષણ સ્વામી રામભદ્રાચાર્ય વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પદ્મવિભૂષણ જેવા દેશના બીજા નંબરના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત જગદગુરૂ સ્વામી રામભદ્રાચાર્ય તેમના જાતિવાદી નિવેદનોને લઈને પણ કુખ્યાત છે. અગાઉ તેમણે અનુસૂચિત જાતિની ચમાર પેટાજાતિને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને દેશભરમાં ભારે હોબાળો મચી ગયો હતો. આવા જ વધુ એક મામલામાં સ્વામીજી ફસાતા દેખાઈ રહ્યાં છે અને આ વખતે મામલો વધારે ગંભીર જણાઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે સ્વામી રામભદ્રાચાર્ય વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ જેવી ગંભીર કલમ હેઠળ કેસ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે. બહુજન સમાજ પાર્ટી(BSP)ના સંસ્થાપક માન્યવર કાંશીરામ(Kanshiram) અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ(Mulayam Singh Yadav) ને લઈને તેમણે આપેલા એક જૂના નિવેદનને લઈને અલાહાબાદ હાઈકોર્ટ તરફથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આ નિવેદનને લઈને બીએસપી અને સમાજવાદી પાર્ટીના કાર્યકર તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અલાહાબાદ હાઈકોર્ટે રામભદ્રાચાર્યને નોટિસ ફટકારીને ચાર અઠવાડિયામાં જવાબ આપવા આદેશ કર્યો છે. આરોપ છે કે જગદગુરુ રામભદ્રાચાર્યએ એક જાહેર કાર્યક્રમમાં સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ અને બસપાના સંસ્થાપક માન્યવર કાંશીરામ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય બિહારમાં તેમણે દલિતોની ચમાર જાતિ પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે જેઓ જય શ્રીરામ નથી કહેતા તે 'ચમાર' છે. આ બંને નિવેદનોને લઈને SP-BSPના સમર્થકો ગુસ્સે ભરાયા હતા. આ સિવાય દલિત સમાજમાં પણ ભારે રોષ ફેલાયો હતો. ત્યારબાદ અરજદાર પ્રકાશ ચંદ્રે અલાહાબાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરીને રામભદ્રાચાર્ય વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Why-does-Swami-Ramabhadracharya-say-Chamar,-not-Rama"> </a></strong></span> <a href="https://khabarantar.com/i-will-not-die-of-hunger-chamar-i"><strong>મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું...</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજદારે જગદગુરુ રામભદ્રાચાર્ય વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ FIR નોંધવાની માંગ કરી હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેની સુનાવણી કર્યા વિના અરજીને ફગાવી દીધી હતી. જિલ્લા કોર્ટના આ નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ સૌરભ શ્રીવાસ્તવની સિંગલ બેંચમાં આ મામલે સુનાવણી થઈ હતી.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીકર્તા પ્રકાશ ચંદ્ર પ્રયાગરાજના યમુનાનગરના રહેવાસી છે. તેમણે અલ્હાબાદ હાઈકોર્ટને આ મામલે રામભદ્રાચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી છે, હાઈકોર્ટે જગદગુરુ રામભદ્રાચાર્યને સમગ્ર મામલે સ્પષ્ટતા કરવા નોટિસ ફટકારી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એપ્રિલ 2023માં રામભદ્રાચાર્યે આગ્રાના કોઠી બજારમાં યોજાયેલી તેમની રામ કથા દરમિયાન સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ અને બસપાના સંસ્થાપક માન્ય વર કાંશીરામ સાહેબ પર વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. આ નિવેદનની ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જે બાદ મામલો ગરમાયો હતો. આ અંગે સમાજવાદી પાર્ટી અને બીએસપીના કાર્યકરો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કથાના ત્રીજા દિવસે પદ્મવિભૂષણ રામભદ્રાચાર્યે રામ મંદિર આંદોલન સમયે સપા અને બપસા ગઠબંધનના પ્રચલિત નારા 'મિલે મુલાયમ કાંશીરામ, હવા મેં ઉડ ગયે જય શ્રી રામ' ની સામે નવો નારો લગાવ્યો હતો. તેમણે મંચ પરથી કહ્યું હતું કે, 'મરે મુલાયમ કાંશીરામ, પ્રેમ સે બોલો જયશ્રી રામ'.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે સ્વામી રામભદ્રાચાર્ય?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વામી રામભદ્રાચાર્ય ચિત્રકૂટમાં રહે છે. તેમનું સાચું નામ ગિરધર મિશ્રા છે. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના જૌનપુરમાં થયો હતો. રામ જન્મભૂમિ ચુકાદા વખતે તેમણે રામલલાના પક્ષમાં સુપ્રીમ કોર્ટમાં વેદ-પુરાણોના ઉદાહરણો સાથે ગવાહી આપી હતી. તેઓ રામાનંદ સંપ્રદાયના ચાર જગદગુરૂઓ પૈકીના એક છે. આ પદ પર તેઓ છેક 1988થી છે. તેઓ ચિત્રકૂટ સ્થિત તુલસી પીઠ નામની ધાર્મિક અને સામાજિક જગદગુરૂ રામભદ્રાચાર્ય વિકલાંગ યુનિવર્સિટીના સંસ્થાપક અને આજીવન કુલાધિપતિ છે. વર્ષ 2015માં ભારત સરકારે તેમને દેશના બીજા નંબરના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા. જો કે આટલા પ્રતિષ્ઠિત સન્માન મેળવ્યા પછી પણ તેમની દલિતો, આદિવાસીઓ તથા ઓબીસી સમાજના લોકો પ્રત્યેની માનસિકતામાં જરાય ઓટ આવી નથી. તેઓ દલિતોને કેટલી નફરત કરે છે તેનું ઉદાહરણ તેમણે માન્યવર કાંશીરામ અને મુલાયમસિંહ વિશે આપેલા નિવેદનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/Why-does-Swami-Ramabhadracharya-say-Chamar,-not-Rama"> સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 14 Aug 2024 11:28:37 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 14 Aug 2024 11:29:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1071</Articleid>
                    <excerpt>માન્યવર કાંશીરામ અને મુલાયમસિંહ યાદવ વિરુદ્ધ જાતિવાદી ઝેર ઓકનાર પદ્મવિભૂષણ સ્વામી રામભદ્રાચાર્ય વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bc46beb2138.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bc46be7d111.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bc46be7d111.jpg" length="49648" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દારૂડિયા પતિએ પત્નીને બાઈક પાછળ બાંધીને ગામ વચ્ચેથી ઢસડી</title>
                    <link>https://khabarantar.com/a-drunken-husband-tied-his-wife-to-the-back-of-a-bike-and-dropped-her-in-the-middle-of-the-village</link>
                    <guid>https://khabarantar.com/a-drunken-husband-tied-his-wife-to-the-back-of-a-bike-and-dropped-her-in-the-middle-of-the-village</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં દારૂડિયા પતિએ તેની પત્નીને બાઈક પાછળ બાંધીને ગામ બહાર સુધી ઢસડી હતી. કરુણતા એ રહી કે, લોકો ઘટના જોતા રહ્યાં પરંતુ કોઈ મહિલાની મદદે નહોતું આવ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પુરૂષપ્રધાન ભારતીય સમાજમાં આજે પણ સ્ત્રીઓને સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે જોવાની લોકોની માનસિકતામાં કોઈ ફરક પડ્યો નથી. ગામડાની ખેતમજૂર મહિલાથી લઈને કોર્પોરેટ કંપનીમાં કામ કરતી બોસ સુધી દરેક મોચરે મહિલાઓ પર અત્યાચાર અલગ અલગ સ્વરૂપે મોજૂદ છે. એમાં પણ દલિત અને આદિવાસી સમાજની સ્ત્રીઓ જે સહન કરે છે, તેની તો વાત જ થાય તેમ નથી. પતિ કમાતો ન હોય, દારૂ પીને પડ્યો રહેતો હોય, ઈચ્છા થાય ત્યારે માર મારતો હોય, તો પણ દલિત-આદિવાસી સમાજની મહિલાઓ તેને સહન કરવાની સાથે ઘર પણ ચલાવે છે. જો કે, ક્યારેક એવી ઘટના તેમની સાથે બનતી હોય છે, જેને જોઈને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે. અહીં જેની વાત કરવાની છે તે આવી જ એક ઘટના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મહિલા અત્યાચાર માટે દેશભરમાં પ્રથમ નંબરે રહેલા રાજસ્થાનનો છે. અહીં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક ક્રૂર પતિ પોતાની પત્નીને મોટરસાઈકલ પાછળ બાંધીને ઢસડીને ગામ બહાર સુધી લઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટનાને અનેક લોકોએ જોઈ હોવા છતાં કોઈ મહિલાની મદદે આવ્યું નહોતું. ક્રૂરતાની હદો પાર કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી હતી અને નિર્દયી પતિની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખીંવસર તાલુકાના પાંચોડી ગામની છે. અહીંનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક યુવક મોટરસાઈકલ પાછળ બાંધીને કોઈ મહિલાને ઢસડીને લઈ જઈ રહ્યો છે. વીડિયો એક મહિના પહેલાનો હોવાનું કહેવાય છે. પાંચોડી પોલીસ સ્ટેશને સ્વયં આ મામલે પગલાં લઈને આરોપીની ધરપકડ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/Kalpana-Saroj---The-countrys-first-Dalit-woman-entrepreneur-who-broke-the-upper-caste-monopoly-in-business"><strong>કલ્પના સરોજ - દેશની પ્રથમ દલિત મહિલા આંત્રપ્રિન્યોર, જેણે બિઝનેસમાં સવર્ણોની મોનોપોલીને તોડી બતાવી</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66baf726417be.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે 35 વર્ષના આરોપી યુવક પ્રેમારામ મેઘવાળની ધરપકડ કરી છે. વીડિયોમાં પ્રેમારામ બાઈક ચલાવતો દેખાય છે અને બાઈકની પાછળ એક યુવતી બાંધેલી હાલતમાં ઢસડાઈ રહી છે. વીડિયોમાં એક નોંધવા જેવી બાબત એ છે કે, પ્રેમારામ તેની પત્નીને ઢસડીને રસ્તા પરથી પસાર થાય છે ત્યારે એક મહિલા પણ એ રસ્તા પર ચાલીને જતી જોવા મળી રહી છે. પણ તે આ બાબતે જાણે કશું બન્યું જ નથી તે રીતે ચાલતી જઈ રહી છે. તેના પરથી જ ખ્યાલ આવે છે કે, અહીં સમાજની કેટલો નિષ્ઠુર બની ગયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રેમારામ જેને ઢસડીને લઈ જતો હતો તે તેની પત્ની હતી. તે યુપી કે બિહારથી લગ્નના નામે તેને અહીં લઈ આવ્યો હતો. પીડિતા યુવતીને તેની જેસલમેર ખાતે રહેતી તેની બહેન પાસે જવું હતું. પણ પ્રેમારામે તેની મનાઈ ફરમાવી હતી, એ પછી તેમની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ ગઈ અને પ્રેમારામે તેને ફટકારીને બાઈક પાછળ બાંધીને ઢસડી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા પ્રમાણે આ વીડિયો એકાદ મહિના પહેલાનો છે. એ વખતે રવિવારની સાંજે પ્રેમારામને દારૂ પીધાં પછી એક શખ્સ સાથે બબાલ થઈ ગઈ હતી. જેની સાથે તેને ઝઘડો થયો હતો એ જ વ્યક્તિએ આ વીડિયો ઉતારીને વાયરલ કરી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખી ઘટનાનો વીડિયો વાયરલ થતા પાંચોડી જ નહીં પરંતુ નાગોર જિલ્લા મથક સુધી હોબાળો મચી ગયો હતો. એ પછી પોલીસ એક્શનમાં આવી હતી અને તરત પ્રેમારામની ધરપકડ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે પીડિતા યુપી કે બિહારની છે. લગ્ન કરીને પ્રેમારામ તેને પોતાની સાથે રાખતો હતો. જો કે, ક્યા કારણે તેણે યુવતીને બાઈક પાછળ બાંધીને ઢસડી તે વિશે હજુ ચોક્કસ જાણકારી મળી રહી નથી. આ મામલે પીડિતા તરફથી પણ કોઈ ફરિયાદ પોલીસમાં નોઁધાવવામાં આવી નથી. આના પરથી જ સમજી શકાય છે કે, રાજસ્થાનમાં મહિલાઓની સ્થિતિ કેવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/my-father-died-of-shock-after-losing-the-assembly-elections">વિધાનસભાની ચૂંટણી હારી ગઈ તેના આઘાતમાં મારા પિતા મૃત્યુ પામ્યા...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 13 Aug 2024 11:36:36 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 13 Aug 2024 11:37:29 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1065</Articleid>
                    <excerpt>એક ગામમાં દારૂડિયા પતિએ તેની પત્નીને બાઈક પાછળ બાંધીને ગામ બહાર સુધી ઢસડી હતી. કરુણતા એ રહી કે, લોકો ઘટના જોતા રહ્યાં પરંતુ કોઈ મહિલાની મદદે નહોતું આવ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66baf70cb60be.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66baf70c87136.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66baf70c87136.jpg" length="68630" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કચ્છના લખપત તાલુકાના મેઘપરમાં દલિતોનો સામાજિક બહિષ્કાર કરાયો</title>
                    <link>https://khabarantar.com/dalits-were-socially-boycotted-in-meghpar-of-akhpat-taluk-of-kutch</link>
                    <guid>https://khabarantar.com/dalits-were-socially-boycotted-in-meghpar-of-akhpat-taluk-of-kutch</guid>
                    <description>
                        <![CDATA[ કચ્છના લખપતના મેઘપર ગામમાં અનુસૂચિત જાતિ સમાજનો સ્થાનિક પટેલ સમાજ દ્વારા સામાજિક બહિષ્કાર કરાયો છે. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છ જિલ્લાના લખપત તાલુકાના મેઘપર ગામમાં સ્થાનિક અનુસૂચિત જાતિ સમાજના લોકોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અહીં સ્થાનિક પટેલ સમાજના લોકો દ્વારા અનુ. જાતિ સમાજના લોકો સાથે ગ્રામ પંચાયતની જૂની મેટરનો ખાર રાખીને, દલિતોને આર્થિક રીતે ફટકો મારવા માટે આખું ષડયંત્ર રચાયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે. આ મામલે મેઘપરના અનુ. જાતિ સમાજના 17 લોકો દ્વારા સંયુક્ત રીતે નરા પોલીસ સ્ટેશનના પીએસઆઈને લેખિતમાં રજૂઆત કરીને યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, મેઘપરમાં વિવિધ જ્ઞાતિ સમાજના 400થી વધુ લોકો વસવાટ કરે છે. ગામમાં પાટીદારોની પૈસેટકે સુખી હોવાથી ધંધાર્થે બહારગામ અને વિદેશમાં વસવાટ કરે છે. તેમની પાસે ખેતીની જમીનો છે અને તેઓ આ જમીનો દલિતો સહિત અન્ય સમાજના લોકોને ભાગમાં વાવવા માટે આપતા હતા. પણ આ વખતે ગામના એક માથાભારે શખ્સના સાથ સહકારથી પાંચ જેટલા ચોક્કસ પાટીદારોએ સમાજના અન્ય લોકોને તેમની ખેડવા આપેલી જમીનો દલિતો પાસેથી પરત લઈ લેવા માટે ઈશારો કર્યો છે. એટલું જ નહીં, ગામના દલિતોમાં અંદરોઅંદર વિખવાદ પેદા થાય તે માટે આ જમીનો આસપાસના હરોડા, જુણાચાય, જુમારા ગામના માથાભારે લોકોને ખેડવા માટે આપી છે. આ લોકોના ઈશારે હવે મેઘપરના પટેલો દલિતોને ખેતમજૂરીએ પણ રાખતા નથી અને રોજિંદા વ્યવહારમાં પણ બહિષ્કાર કરાયો છે. દલિતોની રોજીરોટી બંધ થઈ જતા તેમણે હિજરત કરવાની ફરજ પડે તેમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જન્માષ્ટમી દરમિયાન શાંતિ ડહોળાય તેવી શક્યતા છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે જ્યારે જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પાટીદારો વતનમાં આવતા હોય છે. ત્યારે ગામના માથાભારે શખ્સની ચઢામણીને કારણે ગામનો ભાઈચારો અને શાંતિનું વાતાવરણ ડહોળાય તેવી સ્થિતિ છે. ત્યારે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દલિત સમાજે ગામમાં પોલીસ પ્રોટેક્શનની માંગ કરીને તેમનો સામાજિક બહિષ્કાર કરનારા તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા માટે પોલીસને રજૂઆત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/dalits-in-bhuj-have-not-got-their-rightful-700-acres-of-land-even-after-40-years"><strong>ભૂજમાં દલિતોને 40 વર્ષ પછી પણ તેમના હકની 700 એકર જમીન મળી નથી</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે નરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.ડી. ગોહિલે જણાવ્યું હતું કે, બે ત્રણ લોકોએ દલિત સમાજને વાવવા માટે આપેલી જમીનો પરત લઈ લીધી છે. દલિત સમાજના સામાજિક બહિષ્કારના મૂળમાં અહીં મે 2024માં પાંચ ગ્રામ વિકાસ સમિતિઓ સામે તલાટીએ નોંધાવેલી ઉચાપતની ફરિયાદ કારણભૂત છે. આ મામલે તપાસ ચાલી રહી છે અને કેટલાક લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાય તેવી શક્યતા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક બહિષ્કારના મૂળમાં પવનચક્કીઓનું કૌભાંડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સમાજના સામાજિક બહિષ્કારની આખી ઘટનાના મૂળમાં અહીં ગૌચરની જમીનો પર પવનચક્કીઓ નાખીને લાખોનું કૌભાંડ કર્યાનો મામલો રહેલો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગૌચર અને સરકારી જમીનો પર પવનચક્કીઓ અને વીજ થાંભલા નાખવા દેવાના બદલામાં કોન્ટ્રાક્ટરો પાસેથી ગ્રામ વિકાસના નામે લાખોનું વળતર મેળવીને હજમ કરી જવાના કૌભાંડ આચરાયું હતું. આ મામલે મેઘપર જૂથ ગ્રામ પંચાયતના તલાટી પરેશ આયરે 5 ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખો સામે રૂ. 2.42 કરોડની ઉચાપતની ફરિયાદ નરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ફરિયાદ 23 મે 2024ના રોજ નોંધાઈ હતી અને તેમાં મેઘપરનો ભવાન પટેલ મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. તે મેઘપર ગ્રામ વિકાસ સમિતિનો પ્રમુખ છે. તેની સામે નોંધાયેલી ફરિયાદમાં આરોપ છે કે, તેણે મેઘપર જૂથ ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધાં વિના બારોબાર વિકાસ સમિતિઓ બનાવી હતી અને વર્ષ 2018થી અત્યાર સુધીમાં ગ્રામ વિકાસના નામે કરોડો રૂપિયા મેળવીને ચાંઉ કરી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કૌભાંડમાં નરા પોલીસે મેઘપર ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ ભવાન પટેલ, જુણાચાય ગ્રામ વિકાસ સમિતિના તેજમાલજી જાડેજા, હરોડા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અબ્દુલ મંધરા, અમિયા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ વિજયસિંહ જાડેજા અને માણકાવાંઢ ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ ઓસમાણ હુસેન સોતા સામે ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલામાં મેઘપર જૂથ ગ્રામ પંચાયતના તલાટીએ જે ફરિયાદ નોંધાવી હતી તેમાં અનુસૂચિત જાતિ સમાજની એક વ્યક્તિ સત્યની પડખે ઉભી રહી હતી. જેની કિંમત હવે મેઘપરના દલિતો સામાજિક બહિષ્કારનો સામનો કરીને ચૂકવી રહ્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોવાનું એ રહેશે કે, એકવીસમી સદીમાં પણ જાતિવાદને પોષતી આ ઘટનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની જેમના માથે જવાબદારી રહેલી છે તે ગુજરાત સરકાર અને તેમની પોલીસ શું પગલાં લે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/mysterious-murder-of-a-dalit-youth-in-mota-Reha-village-of-kutch-even-after-two-days-the-killer-is-away-from-the-police">કચ્છના મોટા રેહા ગામે દલિત યુવકની ભેદી હત્યા, બે દિવસ પછી પણ હત્યારા પોલીસ પકડથી દૂર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 12 Aug 2024 11:28:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1059</Articleid>
                    <excerpt>કચ્છના લખપતના મેઘપર ગામમાં અનુસૂચિત જાતિ સમાજનો સ્થાનિક પટેલ સમાજ દ્વારા સામાજિક બહિષ્કાર કરાયો છે. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b9a4042f23c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b9a403eeee6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b9a403eeee6.jpg" length="78999" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુરત કસ્ટોડિયલ ડેથ કેસમાં પોલીસની કામગીરી અનેક મોરચે શંકાસ્પદ છે</title>
                    <link>https://khabarantar.com/police-performance-in-surat-custodial-death-case-is-questionable-on-several-fronts</link>
                    <guid>https://khabarantar.com/police-performance-in-surat-custodial-death-case-is-questionable-on-several-fronts</guid>
                    <description>
                        <![CDATA[ સુરતમાં દલિત યુવક મહેશ વાળાની કસ્ટોડિયલ ડેથને 3 દિવસ થઈ ગયા છે. આ કેસ મહત્વનો એટલે છે કેમ કે ઘટના ગૃહરાજ્ય મંત્રીના શહેરમાં બની છે અને ખુદ પોલીસ શંકાના ઘેરામાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરતની લાજપોર જેલમાં અનુસૂચિત જાતિ સમાજના 26 વર્ષના કાચા કામના કેદી મહેશ વાળાનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું છે. જેને લઈને ફરી એકવાર સુરત પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમે છે. છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતની જેલોમાં 80થી વધુ લોકોના મોત થયા છે, જેના પરથી ગુજરાતમાં પોલીસ કેદીઓ સાથે કેવી રીતે વર્તતી હશે તે સમજાય છે. છેલ્લાં 10 વર્ષના સમયગાળામાં સુરતમાં કસ્ટોડિયલ ડેથની આ ચોથી ઘટના છે. આ કેસનું મહત્વ એટલા માટે વધી જાય છે, કેમ કે કાયદો વ્યવસ્થા જાળવવાની જેમની જવાબદારી છે, તેવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ શહેરના છે અને ત્યાંની પોલીસ પર મૃતકના પરિવારજનો અનેક આક્ષેપો કરી રહ્યાં છે. દલિત યુવકનું મોત થયાને ત્રણ દિવસ વીતીને આજે ચોથો દિવસ બેઠો છે, તેમ છતાં મૃતદેહ સ્વીકારવામાં આવ્યો નથી. તેના પરથી જ મૃતકના પરિવારજનોની મનોસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. તેમનું સ્પષ્ટ રીતે માનવું છે કે, મહેશનું મોત પોલીસ દ્વારા તેમને કસ્ટડીમાં ઢોર માર મારવામાં આવ્યો તેના કારણે થયું છે. પોલીસે માર માર્યા પછી તેમને સમયસર સારવાર ન અપાવી, તેના કારણે પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી અને તેમનો જીવ જતો રહ્યો. આમાં પોલીસની કામગીરી દરેક મોરચે શંકાસ્પદ છે એટલે તમામ જવાબદાર પોલીસકર્મીઓ સામે એફઆઈઆર નોંધીને ધરપકડ થવી જોઈએ અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહેલા 26 વર્ષીય મહેશ ઉર્ફે ભરત વાળાનું ગત તા. 7 ઓગસ્ટ 2024ના રોજ સવારે 10 વાગ્યે મોત થઈ ગયું હતું, પણ પોલીસે તેના પરિવારજનોને તેની જાણ છેક સાંજે 7 વાગ્યે કરી હતી. પોલીસે 31 જુલાઈના રોજ બાઈક ચોરીના ગુનામાં મહેશની ધરપકડ કરી હતી. એ પછી 5 ઓગસ્ટના રોજ તેને ભરૂચ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને ત્યાં એક દિવસ રાખ્યા બાદ 6 ઓગસ્ટના રોજ તેને સુરતની લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. જો કે, 7 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે તેની તબિયત લથડતા લાજપોર જેલ ખાતેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસના મારથી મહેશનું મોત થયું હોવાના આક્ષેપો લગાવ્યા હતા. મહેશના સાળા સુરેશ વણઝારાએ જણાવ્યું હતું કે, "7 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે મહેશને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ પરિવારને જાણ કરવામાં આવી ન હતી. તેમનું મોત સવારમાં જ થઈ ગયું હતું તેમ છતાં અમને સાંજે સાત વાગ્યે જાણ કરાઈ હતી. સાત વાગ્યે અમે જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં તો ત્યાં પોલીસમાંથી કોઈ હાજર ન હતું. રાત્રે બે વાગ્યા સુધી અમને બેસાડી રાખવામાં આવ્યા, પણ પોલીસ આવી ન હતી. આ સાથે જ અમને મહેશનો મૃતદેહ પણ જોવા દેવામાં આવ્યો ન હતો."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/after-hamirbhai-rathod-his-friend-also-died-in-rajkot-custodial-death">રાજકોટ કસ્ટોડિયલ ડેથમાં હમીરભાઈ રાઠોડ બાદ તેમના મિત્રનું પણ મોત</a></span></strong></span></p>
<p>.<img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66b8597baa0fa.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકના પરિવારજનોએ ભરૂચ પોલીસ પર પણ આક્ષેપો કર્યા છે. સાથે જ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરીને જવાબદાર પોલીસકર્મીઓ સામે એફઆઈઆર નોંધી, ધરપકડ કરીને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધવા માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, મૃતક યુવક મહેશ વાળા સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતો હતો અને તેના પરિવારમાં પત્ની, એક દીકરો અને દીકરી છે. મહેશ હીરા ઘસવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણ દિવસ પછી પણ મૃતદેહ સ્વીકારાયો નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશ વાળાના મોતને ત્રણ ત્રણ દિવસ વીત્યા હોવા છતાં તેના પરિવારજનોએ તેનો મૃતદેહ સ્વીકાર્યો નથી. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી અમને ન્યાય મામલે સંતોષ નહીં થાય, યોગ્ય ન્યાયની ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારવાના નથી. જવાબદાર પોલીસ અધિકારીઓ સામે એફઆઈઆર થાય, આરોપીઓની ધરપકડ થાય અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે તેવી અમારી માંગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકના સાળા સુરેશ વણઝારાનું કહેવું છે કે, "પોલીસ કહે છે કે, મૃતકને દારૂ પીવાની ટેવ હતી, કમળાની અસર હોવાથી તેના કારણે તેનું પિત્તાશય ફાટી ગયું હતું. પણ આ વાત સાવ ખઓટી છે, મને આશંકા છે કે, પોલીસે તેમના પેટમાં પાટાં માર્યા હોઈ શકે છે. દારૂ પીધાની થિયરી તદ્દન બકવાસ છે. કેમ કે, તેઓ છેલ્લાં એક અઠવાડિયાથી તો પોલીસ કસ્ટડીમાં હતા.મેં એવા ઘણાં લોકો જોયા છે, જેઓ દરરોજ બે લીટર દારૂ પી જતા હોય તો પણ 60 વર્ષથી તેમને કશું થયું નથી. મારા બનેવી 31 જુલાઈથી તો જેલમાં હતા, એટલે તેમણે દારૂ પીધો અને તેના કારણે તેમનું પિત્તાશય ફાટી ગયું હોવાની પોલીસની વાત સાવ પાયાવિહોણી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેશભાઈ વણઝારા વધુમાં જણાવે છે કે, "અમે લાજપોર જેલ ગયા અને CCTV કેમેરા ચેક કર્યા હતા. ત્યારે મૃતક મહેશ સ્વસ્થ દેખાય છે. બાદમાં તેમને જેલના ઝડતી રૂમમાં લઇ જવાય છે. પોલીસે જણાવ્યું હતું કે, તેમની પાસેથી એક સિમકાર્ડ મળ્યું છે. જોકે સીસીટીવીમાં દેખાય છે કે, આજુબાજુના કેદીઓ ઝડતી રૂમ પાસે દોડે છે એટલે મહેશભાઈને માર માર્યો હોવાની આશંકા છે. જ્યારે મહેશ ઝડતી રૂમમાંથી બહાર આવે છે ત્યારે તે અસ્વસ્થ દેખાતા હતા અને પેટ પકડીને બહાર આવ્યા બાદમાં ઊલટીઓ કરવા લાગ્યા હતા. તેઓ એક પછી એક 7 વાર ઉલટીઓ કરે છે છતાં જેલના પોલીસવાળા તેમને તબિયત વિશે કશું પૂછતા નથી અને જેમના તેમ છોડી દે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Beta-le-lo...-beta-le-lo...-Why-was-a-father-forced-to-sell-his-beloved-son">'બેટા લે લો... બેટા લે લો...' એક પિતા પોતાના લાડકા દીકરાને વેચવા મજબૂર કેમ બન્યો?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202408/image_870x_66b8597b02222.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તબિયત ખરાબ થતાં તેઓ ઢળી પડે છે. બીજા દિવસે પણ આ જ પરિસ્થિતિ દેખાઈ હતી અને સવારે તેમની તબિયત વધારે ખરાબ થતાં ઢળી પડ્યા હતા. જ્યાં એક કેદીને તેની જાણ થતાં તે પોલીસકર્મીઓને જાણ કરતો દેખાય છે. તેમને તાત્કાલિક સારવારની જરૂર હોવા છતાં હોસ્પિટલે તેમને અડધો કલાક સુધી જેમના તેમ બેસાડી રાખવામાં આવે છે. એ પછી સારવાર બાદ તેમનું મોત થઈ જાય છે. જો કે, પોલીસ અમને છેક સાંજે 7 વાગ્યે તેની જાણ કરે છે. આટલા કલાકો સુધી શા માટે અમને આખી ઘટનાથી અજાણ રાખવામાં આવ્યા? પોલીસનો શું ઈરાદો છે, શું છુપાવવા માંગે છે? આ તમામ સવાલોનો કોઈ જવાબ મળતો નથી. અમે હાલમાં પણ મૃતદેહ સ્વીકાર્યો નથી અને સ્વીકારીશું પણ નહીં, કારણ કે જે પણ અધિકારીઓ જવાબદાર છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ. કડક કાર્યવાહી કરી તેમની ધરપકડ થવી જોઈએ અને એટ્રોસિટી એક્ટ હેઠળ તેમની સામે ફરિયાદ દાખલ થવી જોઈએ. આ માંગ સ્વીકારાય એ પછી જ અમે મૃતદેહ સ્વીકારીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ સુરત પોલીસ DCP રાજેશ પરમારે જણાવ્યું હતું કે, સચિન પોલીસ સ્ટેશનમાં આ મામલે કસ્ટોડિયલ ડેથ દાખલ કરવામાં આવી છે. આ મામલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ તપાસ કરી રહ્યા છે. મૃતકનું ઇન્કવેસ્ટ પંચનામું ડેપ્યુટી કલેક્ટર દ્વારા ભરવામાં આવ્યું છે અને સીટની રચના કરી ACP સહિતના તપાસ કરી રહ્યા છે. સંપૂર્ણ નિષ્પક્ષ અને જે સત્ય હશે એ પ્રમાણે જ કાર્યવાહી કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત પોલીસ આખા દેશમાં પહેલા નંબરે છે. ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં 5 વર્ષમાં 80 જેટલા મોત થયા છે. સુરતની વાત કરીએ તો છેલ્લાં 10 વર્ષમાં આ કદાચ ચોથો કસ્ટોડિયલ ડેથનો કેસ છે. જોવાનું એ રહેશે કે, દરેક ગંભીર બાબતમાં 'કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે' ની વાતો કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમના જ શહેરમાં પોલીસની બેદરકારીને કારણે મોતને ભેટેલા એક નિર્દોષ યુવકને ન્યાય અપાવી શકે છે કે કેમ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Gujarat-ranks-first-in-country-in-custodial-deaths,-80-accused-died-in-police-custody-in-last-5-years">કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, છેલ્લાં 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીઓના મોત થયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 11 Aug 2024 12:03:12 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1055</Articleid>
                    <excerpt>સુરતમાં દલિત યુવક મહેશ વાળાની કસ્ટોડિયલ ડેથને 3 દિવસ થઈ ગયા છે. આ કેસ મહત્વનો એટલે છે કેમ કે ઘટના ગૃહરાજ્ય મંત્રીના શહેરમાં બની છે અને ખુદ પોલીસ શંકાના ઘેરામાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b8597c7c5bf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b8597c488a9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b8597c488a9.jpg" length="117812" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વીરમગામના કુમરખાણમાં દલિત વૃદ્ધની અંતિમવિધિ ગંદકી વચ્ચે કરવી પડી</title>
                    <link>https://khabarantar.com/the-last-rites-of-the-dalit-elderly-had-to-be-done-in-the-dirt-in-kumarkhani-of-veergamam</link>
                    <guid>https://khabarantar.com/the-last-rites-of-the-dalit-elderly-had-to-be-done-in-the-dirt-in-kumarkhani-of-veergamam</guid>
                    <description>
                        <![CDATA[ વીરમગામના નળકાંઠા વિસ્તારમાં આવેલ કુમરખાણ ગામે એક દલિત વૃદ્ધના અંતિમ સંસ્કાર રસ્તા વચ્ચે અસહ્ય ગંદકી વચ્ચે કરવા પડ્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોમાસું આવે અને એ સમયે જો કોઈ દલિત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારે સમાજ માટે સૌથી મોટી ચિંતા તેમની સન્માનજનક રીતે અંતિમવિધિ કરાવવાની હોય છે. કેમ કે, મોટાભાગના ગામોમાં આજે પણ દલિત સમાજનાં સ્મશાન સુધી પહોંચી શકાય તેવો પાકો રસ્તો નથી. જો રસ્તો છે તો ત્યાં સ્મશાન અંતિમવિધિ માટે લાયક નથી હોતું. આ કહાની ગુજરાત તો ઠીક ભારતના મોટાભાગના ગામડાઓમાં દલિત સમાજ વેઠી રહ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ સ્થિતિનો અમદાવાદ જિલ્લાના વીરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના કુમરખાણ ગામના દલિત સમાજના લોકો સામનો કરી રહ્યાં છે. અહીં દલિત સમાજ બે દિવસ પહેલા સેનમા અનુસૂચિત જાતિના બાબુભાઈ તેજાભાઇ મકવાણાની અંતિમવિધિ(દફનવિધિ) રસ્તા ઉપર, ઉકરડા અને અસહ્ય ગંદકી વચ્ચે કરવા બન્યા મજબૂર બન્યો હતો. આ ગામે રોહિત અને સેનમા સમાજની વસ્તી છે. ગામમાં અનુસૂચિત જાતિનું અલગ સ્મશાન આવેલ છે. પણ તેની સ્થિતિ એવી છે કે અનુ.જાતિની વસ્તીમાં કોઈનું મોત થયા બાદ તેને સન્માનજનક રીતે અંતિમ વિદાય પણ આપી શકાતી નથી. પારાવાર ગંદકીને કારણે અહીં સ્મશાનમાં અંતિમ વિધિમાં મોતનો મલાજો જળવાતો નથી</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/why-do-indian-laborers-go-to-kuwait-despite-hellish-conditions"><span style="font-size: 14pt;">નર્કાગાર જેવી સ્થિતિ છતાં શા માટે ભારતીય મજૂરો કુવૈત જાય છે?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુમરખાણ ગામના અનુ.જાતિ સમાજના મૃતકની સ્મશાન વિધિમાં પડતી હાલાકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સેનવા સમાજ માટે સ્મશાનની ખોબા જેટલી જમીન અને તેમાં ઉકરડાઓની વચ્ચે ગંદકીમાં મૃતકની અંતિમ વિધિ કરવા માટે દલિત સમાજ મજબૂર બન્યો હોવાની વાત રજૂ કરવામાં આવી હતી. સ્મશાનની પારાવાર મુશ્કેલીનો હલ લાવવામાં સ્થાનિક તંત્રને કોઈ રસ ન હોય તેવી સ્થિતિ છે. અનુ.જાતિના સ્મશાનમાં વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખવામાં આવતો હોવાની પણ રાવ ઉઠી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીરમગામના સામાજિક કાર્યકર કિરીટભાઈ રાઠોડ <em><span style="color: rgb(224, 62, 45);"><strong>ખબરઅંતર.કોમ</strong></span></em> સાથે આ બાબતે વાત કરતા જણાવે છે કે, "વીરમગામ, માંડલ, દેત્રોજ, નળકાંઠાના મોટાભાગના ગામડાઓમાં  અનુ.જાતિના સ્મશાનની હાલત કફોડી છે. મોટાભાગના ગામોમાં સ્મશાન ભૂમિની જગ્યા નિમ થયેલ નથી તેમ જ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દ્વારા અનુ.જાતિના સ્મશાનના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. આ પંથકના દલિત સમાજના લોકોના અનેક પ્રશ્નો છે. તેને લઈને અગાઉ અનુસૂચિત જાતિ સમાજના લોકોએ તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું. આવા અનેક પ્રશ્નોને લઈને તેઓ ભેદભાવનો ગરબો લઈને ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા સુધી જવાના છે. જો સરકાર હજુ પણ આ મામલે કોઈ પગલાં નહીં લે, તો અનુસૂચિત જાતિ સમાજના લોકો આંદોલનનો માર્ગ અપનાવશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/the-road-to-the-crematorium-is-closed-the-body-of-the-dalit-daughter-has-been-lying-on-the-road-for-18-hours"> સ્મશાનનો રસ્તો બંધ, દલિત દીકરીનો મૃતદેહ 18 કલાકથી રસ્તામાં પડ્યો છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 11 Aug 2024 09:30:33 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 11 Aug 2024 09:40:46 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1054</Articleid>
                    <excerpt>વીરમગામના નળકાંઠા વિસ્તારમાં આવેલ કુમરખાણ ગામે એક દલિત વૃદ્ધના અંતિમ સંસ્કાર રસ્તા વચ્ચે અસહ્ય ગંદકી વચ્ચે કરવા પડ્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b835012ed2c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b83500f2b63.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b83500f2b63.jpg" length="156324" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>SC&amp;ST અનામતના ક્વોટામાં ક્વોટાના નિર્ણયનો 100 સાંસદોએ વિરોધ કર્યો</title>
                    <link>https://khabarantar.com/100-mps-protested-against-the-decision-of-quota-in-sc-st-reservation</link>
                    <guid>https://khabarantar.com/100-mps-protested-against-the-decision-of-quota-in-sc-st-reservation</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભા અને રાજ્યસભાના મળીને 100થી વધુ સાંસદોએ મળીને એસસી, એસટી અનામતમાં અનામતના સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિશે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોને એસસી, એસટીની અનામતમાં ભાગલા પાડવાના લીધેલા નિર્ણયના વિરોધમાં આગામી 21મી ઓગસ્ટે દેશવ્યાપી વિરોધ થવા જઈ રહ્યો છે ત્યારે આ મામલે મોડે મોડે પણ સત્તાધારી ભાજપે એસસી, એસટી સમાજમાં વ્યાપેલો વિરોધ પારખીને રણનીતિ અંતર્ગત સારા થવાનો પ્રયત્ન કર્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના મતે સત્તાધારી પક્ષ અંદરખાને સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાથી ખુશ છે, પણ દલિતો અને આદિવાસીઓનો આક્રોશ પારખી જઈને તેણે પોતાની રણનીતિ બદલી છે અને પોતે જાણે એસસી, એસટીના હામી હોય તેવો દેખાવો કરવા માટે તેમના જ પક્ષના એસસી, એસટી સાંસદોને પીએમને મળવાનું અને આ મામલે વિરોધ નોંધાવવાનું નાટક યોજ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આયોજન મુજબ ગઈકાલે સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભાના ૧૦૦ જેટલા સાંસદોએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને એસસી એસટી અનામત પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય બેંચે અનામતનો લાભ પછાત સમુદાયના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગ સુધી પહોંચે તેવા હેતુથી અનુસૂચિત જાતિના પેટા વર્ગીકરણને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો આ સાંસદોએ વિરોધ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dr-ambedkars-11-visits-to-gujarat-and-lectures-delivered-in-gujarati"><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકરની ગુજરાતની 11 મુલાકાતો અને ગુજરાતીમાં આપેલું પ્રવચન</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંસદોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને એસટી-એસસી માટે ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના અવલોકન અંગે સંયુક્ત રીતે એક મેમોરેન્ડમ સબમિટ કરીને માંગ કરી કે આ ચુકાદો આપણા સમાજમાં લાગુ ન થવો જોઈએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાને તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં સુપ્રીમ કોર્ટે અનામત મામલે ચુકાદો આપતા એસસી એસટી  માટે અનામત ક્વોટામાં વધુ એક ક્વોટા અલગથી આપવાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું કે જો રાજ્ય સરકાર ઈચ્છે તો, તે પોતાની વિવેકબુદ્ધિથી,એસસી અને એસટી બંને શ્રેણીઓમાં વંચિત જાતિઓને અલગ ક્વોટા આપી શકે છે. એ રીતે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાજ્ય સરકારો માટે જરૂરિયાતમંદ જાતિઓને ક્વોટામાંથી ‘ક્વોટા’ આપવાનો માર્ગ ખુલી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે એસસી, એસટી બંને વર્ગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આપ્યો હતો. તેણે કહ્યું હતું કે તમામ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાન વર્ગ નથી. કેટલીક જાતિઓ વધુ પછાત હોઈ શકે છે, જેમ કે જેઓ ગટર સાફ કરે છે અને જેઓ વણકર તરીકે કામ કરે છે. આ બંને એસસી કેટેગરીના છે પરંતુ તેઓ અન્ય કરતા વધુ પછાત છે. તેમના ઉત્થાન માટે રાજ્ય સરકાર એસસી, એસટી અનામતને પેટા-વર્ગીકરણ કરીને અલગ ક્વોટા નક્કી કરી શકે છે. આ બંધારણના અનુચ્છેદ ૩૪૧ની વિરુદ્ધ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, અનામતના તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદોને અનામતની મૂળ ભાવનાથી વિરુદ્ધનો છે. બંધારણમાં અનામતની જોગવાઈ જે તે વર્ગની સામાજિક પરિસ્થિતિને આધારે તેના ઉત્થાન માટે કરવામાં આવી છે, પરંતુ કોર્ટ તેને આર્થિક આધાર પર લઈ જવા માંગે છે. આથી તેનો વિરોધ થવો જોઈએ. કોર્ટે કોઈપણ પ્રકારના ડેટા વિના આ નિર્ણય સંભળાવ્યો છે, બીજી તરફ મોદી સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા તૈયાર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Is-there-any-poverty-alleviation-plan-in-reserve">શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 10 Aug 2024 14:02:52 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 10 Aug 2024 14:08:16 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1051</Articleid>
                    <excerpt>લોકસભા અને રાજ્યસભાના મળીને 100થી વધુ સાંસદોએ મળીને એસસી, એસટી અનામતમાં અનામતના સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિશે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b7252d7257b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b7252d3ff19.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b7252d3ff19.jpg" length="94891" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સવર્ણ પ્રેમિકાના પરિવારની મારામારીથી તંગ દલિત યુવકે આત્મહત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/a-depressed-dalit-youth-commits-suicide-due-to-the-beatings-of-the-family-of-his-lover</link>
                    <guid>https://khabarantar.com/a-depressed-dalit-youth-commits-suicide-due-to-the-beatings-of-the-family-of-his-lover</guid>
                    <description>
                        <![CDATA[ સવર્ણ યુવતીને દલિત યુવક સાથે પ્રેમ હોવાથી લગ્ન કરવા હતા. પણ તેનો પરિવાર સતત યુવકને હેરાન કરતો હતો. જેથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી લીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મરાઠી ભાષાની સર્વાધિક કમાણી કરતી ડિરેક્ટર નાગરાજ મંજુળેની માસ્ટરપીસ ફિલ્મ "સૈરાટ" જેમણે જોઈ હશે તેમને ઓનરકિલીંગ વિશે વધુ કંઈ કહેવાની જરૂર નહીં પડે. ભારતમાં આજે પણ જાતિવાદને ટકાવી રાખવામાં ઓનરકિંલીંગ સૌથી મોટું કારણ છે. ભારતમાં દર વર્ષે અનેક પ્રેમી યુગલોની અન્ય જાતિમાં પ્રેમ લગ્ન કરવા બદલ તેમના પરિવારજનો દ્વારા હત્યા કરી દેવામાં આવે છે. હજુ બે દિવસ પહેલા એક યુવતીની અન્ય જાતિના યુવક સાથે લગ્ન કરવા બદલ તેના ભાઈએ જાહેર રોડ પર ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓનરકિલીંગની આવી જ એક ઘટના તેલંગાણામાં સામે આવી છે. જ્યાં એક દલિત યુવક સાથે સવર્ણ યુવતીને પ્રેમ થઈ ગયો હતો અને તેણીને તેની જ સાથે લગ્ન કરવા હતા. યુવતીની આ વાત તેના પરિવારને જરાય પસંદ નહોતી. આથી તેઓ સતત યુવતીના પ્રેમી દલિત યુવકને હેરાન પરેશાન કરતા હતા. એકથી વધુ વખત યુવતીના ભાઈઓએ તેની સાથે મારામારી કરી હતી. તેમની આ હરકતોથી કંટાળી જઈને આખરે યુવકે આત્મહત્યા કરી લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના તેલંગાણાના કુકટપલ્લી વિસ્તારની છે. જ્યાં એક ખાનગી કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતા એક દલિત યુવકે આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે એક કથિત સવર્ણ જાતિની યુવતી દલિત યુવકના ગળાડૂબ પ્રેમમાં હતી. તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પણ તેના પરિવારજનો તેના આ નિર્ણયની વિરોધમાં હતા. આથી તેમણે તેના પ્રેમી દલિત યુવકને માર મારી હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. એકથી વધુ વાર યુવક સાથે યુવતીના પરિવારજનોએ મારામારી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/A-progressive-move-by-Tamil-Nadus-Stalin-government-to-hold-awareness-programs-in-schools-to-make-children-aware-of-caste-discrimination"><span style="font-size: 14pt;">તમિલનાડુની સ્ટાલિન સરકારનું પ્રગતિશીલ પગલું, બાળકોને જાતિભેદથી વાકેફ કરાવવા શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજશે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકનું નામ સુનીલ હોવાનું સામે આવ્યું છે. કૉલેજમાં તેની સાથે ભણતી એક કથિત સવર્ણ જાતિની યુવતીને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. જેની જાણ તેના પરિવારજનોને થઈ જતા તેઓ યુવકની દલિત જાતિના કારણે લગ્નના વિરોધમાં હતા. આથી તેમણે યુવકને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના સોમવાર રાતની છે. એ વખતે સુનીલ અને તેના મિત્રો એક દુકાને બેઠા હતા. જ્યાં યુવતીનો ભાઈ અને તેના કાકાનો દીકરો આવી પહોંચ્યા હતા. અચાનક બંનેએ મળીને સુનીલ પર બિયરની બોટલથી હુમલો કરી દીધો હતો. એ પછી તેઓ યુવતીની માતા સાથે સુનીલના ઘરે પહોંચી ગયા હતા અને સુનીલ અને તેના પરિવારજનો સાથે મારામારી કરી હતી. જેમાં સુનીલના પરિવારજનોને પણ ઈજા પહોંચી હતી. યુવતીના પરિવારજનો તરફથી થતા આવા સતત હુમલાઓથી અને સતામણીથી સુનીલ ભારે દુઃખી રહેતો હતો, એમાં એ લોકોએ ફરી તેના પરિવાર પર હુમલો કરતા સુનીલે એ જ રાત્રે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંધ્રપ્રદેશથી તેલંગાણા આવીને વસેલો સુનીલનો પરિવાર અહીંના કુકટપલ્લી પોલીસ સ્ટેશનમાં આવતા શમશીગુડામાં રહેતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીના પરિવારજનો તેમના સંબંધથી ખુશ નહોતા. તેમ છતાં યુવતી સુનીલ સાથે જ લગ્ન કરવા માંગતી હતી, મનાઈ કરવા છતાં તેણે સુનીલ સાથે સંબંધ ચાલું રાખ્યા હતા અને ફોન પર તેની સાથે વાતચીત કરતી રહેતી હતી. બંનેના પરિવારજનો વચ્ચે અગાઉ પણ વિવાદ થઈ ચૂક્યો હતો પણ બંનેના પ્રેમસંબંધ ચાલુ રહેતા તેનું પરિણામ દુઃખદ આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુકટપલ્લી પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીની માતા, ભાઈ અને પિતરાઈ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરવાની સાથોસાથ એસસી એસટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે અને તેમની શોધખોળ ચાલુ છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/remember-i-will-kill-you-wherever-you-find-me-and-thats-what-happened"><span style="font-size: 14pt;">"યાદ રાખજે! જ્યાં મળીશ ત્યાં જ મારી નાખીશ" અને એવું જ થયું...</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 09 Aug 2024 15:36:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1047</Articleid>
                    <excerpt>સવર્ણ યુવતીને દલિત યુવક સાથે પ્રેમ હોવાથી લગ્ન કરવા હતા. પણ તેનો પરિવાર સતત યુવકને હેરાન કરતો હતો. જેથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી લીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b5dc1874c1b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b5dc1845cf3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b5dc1845cf3.jpg" length="26111" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત હોવાને કારણે 6 વર્ષના બાળક પાસે શિક્ષિકાએ ટોઈલેટ સાફ કરાવ્યું</title>
                    <link>https://khabarantar.com/being-a-dalit-the-teacher-made-the-6-year-old-child-clean-the-toilet</link>
                    <guid>https://khabarantar.com/being-a-dalit-the-teacher-made-the-6-year-old-child-clean-the-toilet</guid>
                    <description>
                        <![CDATA[ એક સરકારી શાળામાં બે જાતિવાદી શિક્ષિકાઓ પર એક 6 વર્ષના દલિત બાળક પાસે ટોઈલેટ સાફ કરાવતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદનું ઝેર આ દેશના કથિત સવર્ણોના લોહીમાં પેસી ગયું છે અને તેના વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. પણ ગઈકાલે જે ઘટના સામે આવી છે તેણે તો માણસાઈને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે. મળતી વિગતો મુજબ, એક સરકારી પ્રાથમિક શાળામાં એક જૈન શિક્ષિકાએ 6 વર્ષના એક બાળકને તે દલિત સમાજમાંથી આવતું હોવાથી તેની પાસે ટોઈલેટ સાફ કરાવ્યું હતું. એટલું જ નહીં, આ શિક્ષિકા નાનકડાં બાળકને, જેને હજુ જાતિ-સમાજ વિશે કંઈ સમજણ પણ નથી પડતી તેને માત્ર તેની દલિત જાતિના કારણે નફરત કરતી હતી અને તેને કારણે તેને શાળા છુટ્યાં પછી અંદર બંધ કરી દીધો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સારી વાત એ રહી કે, તેની માતા તેને શોધતા શોધતા સ્કૂલ સુધી આવી પહોંચી અને ત્યાં તેને શાળામાં તેના દીકરાનો રડતો અવાજ સંભળાયો અને તેને ખ્યાલ આવ્યો કે તેનું બાળક શાળાની અંદર પુરાયેલું છે. એ પછી હોબાળો મચી ગયો, મુખ્ય શિક્ષિકાના પતિએ આવીને શાળાના રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે જતું બાળક તેમાંથી બહાર આવી શક્યું હતું. આ મામલે બાળકની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મુખ્ય શિક્ષિકા અને ક્લાસ ટીચર સામે કાર્યવાહી કરવામાં આવી છે, મુખ્ય શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે બ્લોક એજ્યુકેશન ઓફિસરની આગેવાનીમાં બે સભ્યોની ટીમને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશની છે. અહીંના મુઝફ્ફરપુરના જાનસાઠ વિસ્તારની એક સરકારી શાળામાં પહેલા ધોરણના એક નિર્દોષ વિદ્યાર્થી પાસે તે દલિત સમાજનો હોવાથી શાળાની મુખ્ય શિક્ષિકા સંધ્યા જૈન અને ક્લાસ ટીચર રવિતા રાની કથિત રીતે ટોઈલેટ સાફ કરાવતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ બાળકને શાળાના રૂમમાં બંધ કરીને શિક્ષિકા અને આચાર્ય ઘરે જતા રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/india-is-the-8th-worst-country-in-the-world-in-terms-of-child-nutrition"><span style="font-size: 14pt;">બાળકોમાં પોષણ મામલે ભારત દુનિયાનો 8મો સૌથી ખરાબ દેશ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 6 ઓગસ્ટને મંગળવારની છે. જ્યારે મુખ્ય શિક્ષિકા સંધ્યા જૈન અને ક્લાસ ટીચર રવિતા રાનીની કથિત બેદરકારીને કારણે બાળક સ્કૂલમાં જ રહી ગયું હતું. એ પછી તેની માતા તેને શોધતી શોધતી શાળાએ પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે તેનું બાળક તો શાળાના રૂમમાં કેદ છે અને રડી રહ્યું છે. તેણે તાત્કાલિક અન્ય લોકોને જાણ કરી હતી. એ પછી મુખ્ય શિક્ષિકાના પતિએ આવીને રૂમનો દરવાજો ખોલાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને બાળકની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, બંને શિક્ષિકા કથિત ઉચ્ચ જાતિની છે અને તે તેમના બાળકને ટોઈલેટ સાફ કરવા મજબૂર કરતી હતી, કેમ કે તે દલિત બાળકોને નફરત કરે છે. તેમની માનસિકતા એવી છે કે, દલિતોના બાળકોએ ભણવું ન જોઈએ અને ટોઈલેટ સાફ કરવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળકની માતાએ આરોપ લગાવ્યો છે કે આ બંને શિક્ષિકાઓની બેદરકારીને કારણે તેમનું બાળક એક કલાક કરતા વધુ સમય સુધી શાળાના રૂમમાં એકલું બંધ રહ્યું. તેણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેમનો દીકરો શાળા છુટી જવા પછી પણ ઘરે ન પહોંચ્યો તો તેણે અન્ય બાળકોને પૂછ્યું હતું, પણ તેમણે કશી ખબર ન હોવાનું કહ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી તે શાળાએ પહોંચી તો ત્યાં તાળું મારેલું હતું, પણ અંદરથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. એ પછી ગામલોકો અને પરિવારજનોએ મુખ્ય શિક્ષિકાને બોલાવ્યા. બાદમાં રવિતા રાનીના પતિ ચાવી લઈને શાળાએ પહોંચ્યા અને દરવાજો ખોલ્યો. રાનીના પતિએ જણાવ્યું કે કદાચ બાળક શાળામાં સુઈ ગયું હશે. તેમનો આવો જવાબ સાંભળીને બાળકની માતાને લાગી આવ્યું હતું અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંદીપકુમારે જણાવ્યું હતું કે, મુખ્ય શિક્ષિકા સંધ્યા જૈનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ક્લાસ ટીચર રવિતા રાનીની સર્વિસ બુકમાં પ્રતિકૂળ એન્ટ્રી કરવામાં આવી છે. આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બ્લોક એજ્યુકેશન ઓફિસરના નેતૃત્વમાં બે સભ્યોની કમિટી આ મામલાની તપાસ કરશે અને ત્રણ દિવસમાં તેમનો રિપોર્ટ આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંદીપકુમારે વધુમાં જણાવ્યું હતું કે, તમામ સરકારી શાળાના શિક્ષકોએ વર્ગખંડ બંધ કરતી વખતે અંદર તપાસ કરવી ફરજિયાત છે કે કોઈ બાળક અંદર રહી તો નથી ગયું ને. બીજી તરફ મુખ્ય શિક્ષિકા સંધ્યા જૈને કહ્યું કે તેમની સાથે અન્યાય થયો છે, કારણ કે આ ઘટના માટે ક્લાસ ટીચર જવાબદાર છે. તેમણે કહ્યું કે, જો બાળક સૂઈ ગયું હોય તો પણ ક્લાસ બંધ કરતા પહેલા તેની તપાસ કરવી જોઈતી હતી. પોલીસ બાળક પાસે ટોઈલેટ સાફ કરાવવાથી લઈને આ તમામ આરોપોની તપાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-rampur-disa-dalit-child-beaten-after-drinking-water-from-matla"><span style="font-size: 14pt;">ડીસાના રામપુરમાં દલિત બાળકે માટલામાંથી પાણી પીધું તો માર્યો</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 08 Aug 2024 11:48:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1042</Articleid>
                    <excerpt>એક સરકારી શાળામાં બે જાતિવાદી શિક્ષિકાઓ પર એક 6 વર્ષના દલિત બાળક પાસે ટોઈલેટ સાફ કરાવતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b4629f358a7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b4629f052df.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b4629f052df.jpg" length="69998" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મોડાસાના પ્રિત ચૌધરીના શંકાસ્પદ મોતનો મામલો કલેક્ટર સુધી પહોંચ્યો</title>
                    <link>https://khabarantar.com/the-case-of-the-suspicious-death-of-preet-chaudhary-of-modasa-reached-the-collector</link>
                    <guid>https://khabarantar.com/the-case-of-the-suspicious-death-of-preet-chaudhary-of-modasa-reached-the-collector</guid>
                    <description>
                        <![CDATA[ મોડાસાના કોલીખડના અનુસૂચિત જાતિના પ્રિત ચૌધરીના શંકાસ્પદ મોત મામલે પોલીસ એક મહિના પછી પણ આરોપીઓ સુધી પહોંચી શકી નથી ત્યારે મામલો હવે કલેક્ટર સુધી પહોંચ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરવલ્લી જિલ્લાના વડામથકમાં મોડાસામાં એક કોમ્પલેક્ષના બેઝમેન્ટમાંથી કોલીખડ ગામના અનુસૂચિત જાતિના યુવક પ્રિત ચૌધરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને આજકાલ કરતા એક મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. છતાં મોડાસા પોલીસ તેના મોતનું રહસ્ય ઉકેલી શકી નથી. મૃતક યુવક એન્જિનિયરીંગનો વિદ્યાર્થી હતો અને તેનો મૃતદેહ મળ્યો ત્યારે તેના શરીર પર અનેક ઠેકાણે ઈજાના નિશાન હતા. આથી તેના પરિવારજનોને તેની હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા હતા. અને પોલીસ એ દિશામાં તપાસ કરે તેવી માંગ કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે મૃતકના પરિવારજનોએ મોડાસામાં મૌન રેલી કાઢીને પોલીસની નબળી કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એ પછી એસપીને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તેમ છતાં કોઈ નક્કર કડી હાથ ન લાગતા તેમણે કલેક્ટર કચેરીએ પહોંચીને ધરણાં કરી આવેદનપત્ર આપ્યું હતું. યુવક પ્રિતના પરિવારજનો ન્યાય માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યાં જ્યાં ‘જસ્ટિસ ફૉર પ્રિત’ ના નારાથી સમગ્ર કલેક્ટર કચેરી ગુંજી ઉઠી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિત ચૌધરીના પરિવારજનોએ અગાઉ અહીંના મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો, પણ ત્યાં કોઈ અધિકારી નહીં આવતા મૃતકના પરિવારજનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોલિસની ઢીલી નીતિને લઈને SIT અથવા તો CID ક્રાઈમને તપાસ સોંપવાની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોડાસાના તત્વ આર્કેડના બેઝમેનમાંથી કોલીખડના એન્જિનિયરીંગના વિદ્યાર્થી પ્રિત ચૌધરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યાને એક મહિનો થઈ ગયો છે. જેને લઈને તેના પરિવારજનોએ માસિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. મોડાસા ચાર રસ્તા ખાતે મૃતકના પરિવારો તેમજ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો પહોંચ્યા હતા, જ્યાં પ્રિતને શ્રદ્ધાંજલિ અર્પી હતી. એક મહિના કરતા વધુનો સમય વિતી ગયો હોવા છતાં પોલિસ હજુ સુધી કોઈ યોગ્ય દિશામાં પહોંચી શકી નથી, તેને લઇને સમાજમાં ભારે નારાજગી પણ જોવા મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/the-real-character-of-vikas-divyakirti-and-awadh-ojha-came-out"><span style="font-size: 14pt;"> વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાનું અસલી ચરિત્ર સામે આવી ગયું</span></a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીંથી પરિવારજનો સાથે સર્વ સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ન્યાયની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી હતી, જ્યાં "જસ્ટિસ ફોર પ્રિત"ના નારા લાગ્યા હતા. તમામ મહિલાઓ અને આગેવાનો કલેક્ટર ચેમ્બરમાં પહોંચ્યર હતા, જ્યાં કલેક્ટરે માતાની વેદના સાંભળી હતી અને પરિવારજનોને ન્યાય મળે તે માટે તાત્કાલિક ઘટતું કરવાની બાંયધરી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોડાસા શહેરના શામળાજી રોડ પર જિલ્લા પોલીસ ભવન સામે આવેલ તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી 4 જુલાઈની સાંજે પ્રીત ગિરીશ ભાઈ ચૌધરી નામના અનુસૂચિત જાતિ સમાજના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પરિવારના આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને તેઓ દોડતા આવી પહોંચ્યા હતા. જો કે, આજકાલ કરતા આ ઘટનાને એક મહિના કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં પ્રિતનું મોત કેવી રીતે થયું તે પોલીસ શોધી શકી નથી. પોલીસે આ મામલે એફએસએલ રિપોર્ટના આધારે હત્યાની આશંકાએ તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કડી મળી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા દિવસ પહેલા મૃતક પ્રિતના પરિવારજનો તેમજ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ એસપી કચેરી ખાતે અરવલ્લી જિલ્લા એસપીને આ મામલે રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી. જે જગ્યાએથી પ્રિતનો મૃતદેહ મળી આવ્યો હતો તે જગ્યાએથી હજુ સુધી પોલીસને કોઈ ચીજવસ્તુ હાથ લાગી નથી. પરંતુ તેના પરિવારજનોનું કહેવું છે કે તેની પાસે કોલેજ જવા માટેની બેગ હતી. આ સિવાય પણ કેટલીક ચીજોનો તેમણે ઉલ્લેખ કર્યો છે પણ તેમાનું કશું જ પ્રિતના મૃતદેહ પાસેથી મળ્યું નહોતું. જેના કારણે તેની હત્યા થઈ હોવાની આશંકા વધુ ઘેરી બની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારજનોના કહેવા પ્રમાણે પ્રિત ઘરેથી કોલેજ જવા માટે બેગ અને ટિફિન લઈને નીકળ્યો હતો. સાંજના સુમારે તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવેની માંગ સાથે જીલ્લા SPને રજૂઆત કરતા એસપીએ એફએસએલ રિપોર્ટ સુધી ધીરજ રાખવા જણાવ્યું હતું. સાથે જ પ્રિત ઘરેથી કોલેજ ગયો ત્યારે બેગ સહિતની કેટલીક ચીજવસ્તુઓ તેની પાસે હતી પણ તે જે જગ્યાએથી તેનો મૃતદેહ મળ્યો, ત્યાંથી આમાંની કોઈ ચીજવસ્તુ મળી નથી હોવાની તેની હત્યા અન્ય જગ્યાએ કરાયા બાદ લાશ અહીં ફેંકી દીધી હોવાની આશંકા પણ નકારી શકાતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિત અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામનો વતની હતો. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેની કોલેજથી નજીક આવેલા તત્વ આર્કેડના પાછળના ભાગમાં આવેલા બેઝમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કેટલીક જગ્યાએ સીસીટીવી ન હોવાથી પોલીસ માટે પણ તપાસમાં અડચણો આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહના અવશેષોને એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. જેના રિપોર્ટમાં તેના શરીર પર ઈજાના નિશાનની પુષ્ટિ થઈ હતી, એ પછી પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પણ હજુ સુધી ગુનેગારોનો કોઈ અત્તોપત્તો મળ્યો નથી. જેના કારણે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં પોલીસની ઢીલી કામગીરીને લઈને ભારે રોષ ફેલાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/even-after-15-days-the-police-could-not-solve-the-mystery-of-the-dalit-youths-death"><span style="font-size: 14pt;">15 દિવસ પછી પણ પોલીસ દલિત યુવકના મોતનું રહસ્ય ઉકેલી શકી નથી</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 08 Aug 2024 10:26:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1041</Articleid>
                    <excerpt>મોડાસાના કોલીખડના અનુસૂચિત જાતિના પ્રિત ચૌધરીના શંકાસ્પદ મોત મામલે પોલીસ એક મહિના પછી પણ આરોપીઓ સુધી પહોંચી શકી નથી ત્યારે મામલો હવે કલેક્ટર સુધી પહોંચ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b44f7b1c7ef.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b44f7ada5ad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b44f7ada5ad.jpg" length="105083" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્મશાન સુધીનો રસ્તો નથી, આંગણામાં દલિત વૃદ્ધની અંતિમવિધિ કરવી પડી</title>
                    <link>https://khabarantar.com/there-is-no-road-to-the-crematorium-the-dalit-elderly-had-to-be-cremated-in-the-courtyard</link>
                    <guid>https://khabarantar.com/there-is-no-road-to-the-crematorium-the-dalit-elderly-had-to-be-cremated-in-the-courtyard</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં દલિત વૃદ્ધનું મોત થયું. પણ દલિતોના સ્મશાન સુધી જતા રસ્તા પર જાતિવાદીઓએ કબ્જો જમાવી લીધો હોવાથી રસ્તો બંધ હતો. એ પછી જે થયું તે વાંચીને તમે રડી પડશો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ દલિત સમાજની અનામતમાં ભાગલા પાડવાનો ચૂકાદો આપ્યો છે અને બંધારણ બચાવવાની વાતો કરતા કોંગ્રેસ પક્ષે સૌ પ્રથમ પોતાના સાશિત રાજ્યો કર્ણાટક અને તેલંગાણામાં તેનો અમલ કરવાનું જાહેર કર્યું છે. તમામ મનુવાદી પક્ષો મૌન ધારણ કરીને બેસી ગયા છે અને છેલ્લે તો દલિત રાજનીતિ કરતા આપણાં બહેનજી, ચિરાગ પાસવાન, પ્રકાશ આંબેડકર જ સાથે ઉભા રહ્યાં છે. અપને તો અપને હોતે હૈ...તે ફરી એકવાર સાબિત થઈ રહ્યું છે. દલિતોએ સમજી જવાની જરૂર છે કે જ્યાં સુધી તમારો પોતાનો રાજકીય પક્ષ નહીં હોય ત્યાં સુધી તમારા હકો પર આ જ રીતે તરાપ પડતી રહેવાની છે અને તમે જેને તમારા નેતા માનીને મત આપ્યા હશે તે સવર્ણોને વહાલા થવાની લ્હાયમાં તેમના ખોળામાં જઈને બેસી જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં એસસી, એસટી સમાજની પરિસ્થિતિ દિન પ્રતિદિન બદ્દતર બનતી જઈ રહી હોવાના એકથી એક ચડિયાતા ઉદાહરણો સામે આવી રહ્યાં છે. હજુ ગયા મહિને રાજસ્થાનમાં જ બે એવી ઘટનાઓ ઘટી હતી જેમાં ગામના માથાભારે જાતિવાદી તત્વોએ દલિતોના સ્મશાન સુધી જતા રસ્તા ઉપર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હોવાથી દલિતો તેમના પરિવારજનોના અંતિમ સંસ્કાર કરવા સ્મશાન સુધી જઈ શક્યા નહોતા. બે-બે દિવસ સુધી દલિત મહિલાનો મૃતદેહ ઘરના આંગણામાં પડ્યો રહ્યો હતો અને કલેક્ટરથી લઈને સ્થાનિક વહીવટીતંત્ર જાતિવાદી તત્વોને જેલમાં પુરીને રસ્તો કઢાવી શક્યું નહોતું. દલિત સમાજે બે દિવસ સુધી મૃતદેહને ઠાઠડી પર મૂકીને રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો ત્યારે જતો રસ્તો ખૂલ્લો કરી શકાયો હતો અને અંતિમવિધિ થઈ શકી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ ઘટનામાં કમ સે કમ સ્મશાનમાં દલિત મહિલાની અંતિમવિધિ થઈ શકી હતી. પરંતુ હવે તેનાથી પણ વધારે કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક દલિત વૃદ્ધને મૃત્યુ પછી સ્મશાન પણ નસીબ નથી થયું. એક ગામમાં દલિત વડીલનું અવસાન થયું, પણ દલિત વાસથી તેમના સ્મશાન સુધી જવા માટેનો રસ્તો જ બચ્યો નહોતો. કેમ કે, ગામના માથાભારે જાતિવાદી તત્વોએ તેના પર દબાણ કરીને પોતાના ખેતરોમાં ભેળવી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા વહીવટી તંત્ર સુધી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્રને દલિતોનું કામ કરવામાં કોઈ રસ નહોતો. જેનું પરિણામ એ આવ્યું કે દલિત વૃદ્ધની અંતિમવિધિ તેમના ઘરના આંગણામાં જ કરવી પડી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/how-can-the-bahujans-be-saved-from-the-cultural-slavery-of-the-brahmins"><span style="font-size: 14pt;">બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કલ્પના કરો કે, એક વ્યક્તિને માત્ર તેના દલિત હોવાના કારણે એક સન્માનજનક વિદાય પણ ન આપી શકાઈ. કેવી કરૂણતા? અને સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોને લાગે છે કે, દલિતો બહુ આગળ વધી ગયા છે, તેમનામાં ક્રિમીલેયર દાખલ કરો અને અનામતમાં અનામત કરી નાખો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશની છે. અહીં સરકારી જમીનો પર દબાણ સૌથી મોટી સમસ્યા છે. ખાસ કરીને દલિતો માટે તેના કારણે વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે. કેમ કે, ભૂમિહીન દલિતોને અંતિમ સંસ્કાર માટે પણ જમીન નસીબ નથી થતી. આવી જ એક ઘટના ગઈકાલે અહીંના ભીંડ જિલ્લામાં બની ગઈ. જ્યાં એક દલિત પરિવારે તેમના ઘરના આંગણામાં જ દલિત પિતાના અંતિમ સંસ્કાર કરવા પડ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ભીંડ જિલ્લાની એંડોરી ગ્રામ પંચાયતમાં આવતા મનોહરપુરા ગામની છે. ગામનું નામ ભલે મનોહરપુર હોય, પરંતુ અહીં દલિતોની સ્થિતિ નર્કથી જરાય ઉતરતી નથી. અહીં સોમવારે એક દલિત પરિવારના વડીલનું નિધન થઈ ગયું હતું. એ પછી જે પરિસ્થિતિ પેદા થઈ તે આઝાદ ભારતમાં પણ દલિતોની સ્થિતિ કેવી છે તેનો વાસ્તવિક ચિતાર રજૂ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પિતાના મૃત્યુ પછી તેમના દીકરાઓએ જોયું કે ગામના સ્મશાન સુધી પહોંચી શકાય તેવો રસ્તો જ નથી. ગામની બહાર નીકળતા જ રસ્તાની બંને તરફ ગામના જાતિવાદી માથાભારે તત્વોએ જમીન પર દબાણ કર્યું છે અને બધું પચાવી પાડ્યું છે. એટલે સ્મશાન સુધી જવાનો રસ્તો બચ્યો જ નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, "સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો જ નથી. ગામની કથિત ઉંચી જાતિના માથાભારે લોકોએ તેના પર દબાણ કરીને પચાવી પાડ્યો છે. અમે રસ્તો ખોલાવવા માટે લાંબા સમયથી માંગ કરી રહ્યાં છીએ પણ સ્થાનિક તંત્ર તરફથી કોઈ સહકાર મળી રહ્યો નથી. મારા પિતાના મૃત્યુ પછી પણ અમે જાણ કરી હતી, પણ પોલીસ અને અધિકારીઓએ તેને જરાય ગંભીરતાથી લીધી નહોતી. એ જ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આખા મામલે હાથ ખંખેરી લીધાં હતા. મારા પિતાનો મૃતદેહ આખો દિવસ ઘરની બહાર પડ્યો રહ્યો પણ હરામ બરોબર જો કોઈ સવર્ણનું હૃદય પીગળ્યું હોય તો! આખો દિવસ અમે લાગતા વળગતા તમામ લોકોને વિનંતી કરતા રહ્યાં પણ કોઈ મદદે ન આવ્યું. આખરે અમે અમારી રીતે રસ્તો કાઢ્યો અને મારા ઘરની બહાર આંગણામાં જ મારા પિતાના અંતિમ સંસ્કાર કર્યા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંતિમ સંસ્કારનો વીડિયો વાયરલ થયા બાદ એસડીએમ પરાગ જૈન જાગ્યા હતા. તેમણે મહેસૂલ અધિકારીઓને સ્થળ નિરીક્ષણ કરવા અને અતિક્રમણ અંગે રિપોર્ટ આપવા જણાવીને કહ્યું છે કે, ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-road-to-the-crematorium-is-closed-the-body-of-the-dalit-daughter-has-been-lying-on-the-road-for-18-hours"><span style="font-size: 14pt;">સ્મશાનનો રસ્તો બંધ, દલિત દીકરીનો મૃતદેહ 18 કલાકથી રસ્તામાં પડ્યો છે</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 07 Aug 2024 10:53:23 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 07 Aug 2024 10:56:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1037</Articleid>
                    <excerpt>એક ગામમાં દલિત વૃદ્ધનું મોત થયું. પણ દલિતોના સ્મશાન સુધી જતા રસ્તા પર જાતિવાદીઓએ કબ્જો જમાવી લીધો હોવાથી રસ્તો બંધ હતો. એ પછી જે થયું તે વાંચીને તમે રડી પડશો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b3041db3566.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b3041d831d1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b3041d831d1.jpg" length="99305" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;સાડી ઉતાર અને શોર્ટ્સ પહેરી લે...&amp;quot; દલિત મહિલાના પોલીસ પર આરોપ</title>
                    <link>https://khabarantar.com/take-off-your-sari-and-put-on-shorts-dalit-womans-allegation-on-police</link>
                    <guid>https://khabarantar.com/take-off-your-sari-and-put-on-shorts-dalit-womans-allegation-on-police</guid>
                    <description>
                        <![CDATA[ પોલીસે એક દલિત મહિલાને એક કેસમાં પોલીસ સ્ટેશન બોલાવ્યા બાદ તેની સાથે ખરાબ વર્તન કર્યું, તેને સાડી પહેરી શોર્ટ્સ પહેરવા કહી પુત્રની હાજરીમાં માર માર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ સમાજની અનામતને લઈને હાલ મોટા જંગના એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યાં દેશમાં તેમના પર અત્યાચાર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. એક ઘટનામાં પોલીસે દલિત મહિલાને પોલીસ સ્ટેશને બોલાવ્યા બાદ તેને સાડી ઉતારીને શોર્ટ્સ પહેરવા માટે મજબૂર કરી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. મહિલાના જણાવ્યા પ્રમાણે પોલીસે તેને તેના દીકરા સામે જ માર માર્યો હતો અને તેના હાથપગ બાંધી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના કોંગ્રેસ શાસિત તેલંગાણાની છે, જ્યાંની રેવંત રેડ્ડી સરકારે હાલમાં જ એસસી, એસટી અનામતમાં ભાગલા પાડવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદાને સૌથી પહેલા પોતાના રાજ્યમાં લાગુ કરવાનું જાહેર કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીંના શાદનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક દલિત મહિલાએ પોલીસકર્મીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાનું કહેવું છે કે, પોલીસે તેની સાથે પોલીસ સ્ટેશનમાં જ મારપીટ કરી હતી, એટલું જ નહીં તેને સાડી ઉતારીને શોર્ટ્સ પહેરવા માટે મજબૂર કરવામાં આવી હતી. પોલીસ આટલેથી જ અટકી નહોતી, તેણે મહિલાના હાથપગ બાંધી દઈને તેના દીકરા સામે જ તેને માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/dalit-youth-was-beaten-by-racists-for-drinking-water-from-public-water-tank"><strong>જાહેર પાણીની પરબ પરથી પાણી પીધું તો જાતિવાદીઓએ દલિત યુવકને માર્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાના આરોપો બાદ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે અને શાદનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જની પણ આ મામલામાં સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે, દલિત મહિલા પર સોનાની ચોરીનો કોઈએ આક્ષેપ કર્યો હતો અને તેના કારણે પોલીસે તેને બોલાવી હતી. મહિલાનો આરોપ છે કે, તેના સગીર દીકરાની સામે જ તેને મારવામાં આવી. એ પહેલા તેના પતિને પણ પોલીસ સ્ટેશન બોલાવીને માર મારવામાં આવ્યા બાદ છોડી દેવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાએ દાવો કર્યો હતો કે, પોલીસે તેને સાડી કઢાવીને શોર્ટ્સ પહેરવા માટે મજબૂર કરી હતી. એટલું જ નહીં પોલીસકર્મીઓએ તેના હાથપગ બાંધીને તેના સગીર વયના દીકરા સામે માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત મહિલાના આરોપ સામે પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, શાદનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને આ મામલાની તપાસ ચાલે ત્યાં સુધી લાઈન અટેચ કરી દેવામાં આવ્યા છે. બનાવ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શાદનગરના સહાયક પોલીસ આયુક્ત આ મામલાની તપાસ કરી રહ્યાં છે. તેમનો તપાસ રિપોર્ટ આવી જાય તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-couple-went-to-sow-with-police-racists-beat-them-all"><span style="font-size: 14pt;">દલિત દંપતિ પોલીસ સાથે વાવણી કરવા ગયું, જાતિવાદીઓએ બધાંને માર્યા</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 06 Aug 2024 10:20:15 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 06 Aug 2024 10:30:51 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1032</Articleid>
                    <excerpt>પોલીસે એક દલિત મહિલાને એક કેસમાં પોલીસ સ્ટેશન બોલાવ્યા બાદ તેની સાથે ખરાબ વર્તન કર્યું, તેને સાડી પહેરી શોર્ટ્સ પહેરવા કહી પુત્રની હાજરીમાં માર માર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b1adfc786f5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b1adfc47340.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b1adfc47340.jpg" length="73822" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>હાઈ ટેન્શન તાર સાથે DJ અથડાતા 9 દલિત કાવડિયાના મોત, 6 ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/9-dalit-kavadia-killed-6-injured-as-dj-collides-with-high-tension-wire</link>
                    <guid>https://khabarantar.com/9-dalit-kavadia-killed-6-injured-as-dj-collides-with-high-tension-wire</guid>
                    <description>
                        <![CDATA[ બિહારના હાજીપુરમાં હાઈ ટેન્શન તાર સાથે ડીજે અડી જતા 9 દલિત કાવડિયાના મોત થયા છે, જ્યારે 6 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વાંચો વિસ્તૃત રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર ભારતમાં હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દૂર દૂરથી કાવડિયાઓ જળ ભરીને શિવજીને ચડાવવા રસ્તા પર નીકળી પડ્યાં છે ત્યારે દલિત સમાજના કાવડિયાઓના એક ગ્રુપને મોટો અકસ્માત નડ્યો છે. જેમાં ડીજે વાહન હાઈ ટેન્શન વાયરને અથડાતા જોરદાર કરંટ લાગ્યો હતો અને 9 કાવડિયાના મોત થઈ ગયા હતા. આ સિવાય 6 ને ગંભીર થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બિહારના હાજીપુરની છે, જે લોક જનશક્તિ પાર્ટીના દિગ્ગજ નેતા રામવિલાસ પાસવાનનો મત વિસ્તાર રહ્યો છે. મૃતક કાવડિયાઓ પણ પાસવાન જાતિના છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં ગઈકાલે રાત્રે કેટલાક દલિત કાવડિયાઓ સુલતાનપુર ગામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાબા ચુહરમલ વિસ્તારના જંધા રોડ પર કાવડિયાઓનું ડીજે વાહન ઉપરથી પસાર થતા હાઇ ટેન્શન વાયર સાથે અથડાયું હતું. જેના કારણે વાહનમાં વીજ કરંટ લાગતા 9 કાવડીયાઓના મોત થઈ ગયા હતા. આ સિવાય અડધો ડઝન કાવડિયાની ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાવડીઓને વીજ કરંટ લાગતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ તમામ કાવડિયાઓએ બાબા હરિહરનાથ મંદિરમાં ભગવાન ભોલેનાથને જલાભિષેક કરવા જઈ રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ સ્ટેશનની ટીમ અને એસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એસડીએમ-એસડીપીઓ પણ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/why-are-temples-overflowing-with-people-here-is-the-reasoned-answer"><span style="font-size: 14pt;">શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તર્કબદ્ધ જવાબ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અકસ્માતના સમાચાર ફેલાતા જ આ વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી ઘાયલ કાવડિયાઓને હોસ્પિટલે પહોંચાડ્યા હતા. લોકોનો આક્ષેપ છે કે વીજ વિભાગની બેદરકારીના કારણે આ અકસ્માત થયો છે. કાવડિયાનું ડીજે વાહન હાઈ ટેન્શન તારની પકડમાં આવી ગયું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગેની જાણ કરવા એક સ્થાનિકે વીજ વિભાગને ફોન કર્યો હતો પણ કોઈએ ઉપાડવાની તસ્દી લીધી નહોતી. સ્થાનિકોનું કહેવું છે કે, વીજ કરંટ લાગ્યો હોવાથી હાઈ ટેન્શન વાયરમાં વીજ પ્રવાહ બંધ કરવા માટે વીજ કંપનીને ફોન કર્યો હતો પણ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. જેના કારણે તેની ઝપટમાં આવનાર તમામ કાવડિયાઓના મોત થયા હતા. ડીજે વાહનમાં કરંટ દોડતો હોવાથી કોઈ મદદ કરી શક્યું નહોતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ વીજકર્મીઓએ કહ્યું કે તેમણે પહેલા પોલીસને અકસ્માતની જાણ કરવી જોઈએ. પોલીસ કહે, તો અમે વીજ કનેક્શન અટકાવી દઈશું. પોલીસનું આવું વલણ જોઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. એસડીપીઓ ઓમપ્રકાશે જણાવ્યું હતું કે લોખંડનું વાહન ૧૧ હજાર વોલ્ટના વાયર સાથે સંપર્કમાં આવવાને કારણે આ દુર્ઘટના બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માતમાં માર્યા ગયેલા કાવડિયાઓ એક જ ગામના રહેવાસી હતા અને તમામ અનુસૂચિત જાતિના હતા. તેમની ઓળખ અમરેશ કુમાર, રવિ પાસવાન, રાજા કુમાર લાલા દાસ, નવીન પાસવાન, કાલુ કુમાર પાસવાન, આશી કુમાર પાસવાન, અશોક કુમાર પાસવાન, ચંદન કુમાર પાસવાન અને અમોદ પાસવાન તરીકે થઈ છે. આ સિવાય 6 ઘાયલોને હાજીપુરની સદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/controversy-over-nameplates-on-kavadyatra-route-in-uttar-pradesh-escalated"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના રૂટ પર નેમપ્લેટનો વિવાદ વધુ વકર્યો</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 05 Aug 2024 18:14:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1030</Articleid>
                    <excerpt>બિહારના હાજીપુરમાં હાઈ ટેન્શન તાર સાથે ડીજે અડી જતા 9 દલિત કાવડિયાના મોત થયા છે, જ્યારે 6 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વાંચો વિસ્તૃત રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66b0c80a82f7c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b0c80a51d20.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66b0c80a51d20.jpg" length="78111" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપના દલિત નેતાની સગીર દીકરી સાથે 4 શખ્સોએ કારમાં રેપ કર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-leader-of-bjps-minor-daughter-was-raped-by-4-persons-in-a-car</link>
                    <guid>https://khabarantar.com/dalit-leader-of-bjps-minor-daughter-was-raped-by-4-persons-in-a-car</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપના દલિત નેતાની સગીર દીકરી સાથે 4 શખ્સોએ ગેંગરેપ કર્યો છે. આરોપીઓએ રેપ બાદ સગીરાને રસ્તા પર ફેંકી દીધી હતી જ્યાંથી તે  લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'બેટી બચાવો, બેટી પઢાવો'નો નારો આપનાર ભાજપના જ એક દલિત નેતાની સગીર દીકરી પર ગેંગરેપ થયાની ઘટના સામે આવી છે. ચાર યુવકોએ સગીરા સાથે કારમાં રેપ કર્યો, એ પછી આરોપીઓએ તેને રસ્તા પર ફેંકી દીધી હતી. સગીરા લોહીલુહાણ હાલતમાં રસ્તાની સાઈડમાંથી મળી આવી હતી અને તેના કપડા પણ ફાટેલાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીનો છે. અહીં જૌનપુર જિલ્લાના જલાલપુર પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી. અહીંની પરાઉગંજ પોલીસ ચોકીમાં આવતા રેહાડી ગામની દલિત સગીરા શુક્રવારે સવારે 8 વાગ્યે ઘરેથી શાળાએ જવા નીકળી હતી. ત્યારે સ્કોર્પિયો કારમાં સવાર ચાર બુકાનીધારીઓએ તેનું અપહરણ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી નવ કલાક બાદ એટલે કે સાંજે ચાર વાગ્યા આસપાસ વારાણસીના ચોલાપુર પોલીસ સ્ટેશનની દાનગંજ ચોકીના આઝમગઢ બાયપાસ સ્થિત તરાવ ગામ પાસે આરોપીઓ સગીરાને ફેંકીને જતા રહ્યા હતા. સગીરા લોહીથી લથપથ હાલતમાં બેહોશ સ્થિતિમાં મળી આવી હતી. તેના પકડાં અનેક ઠેકાણે ફાટી ગયા હતા. સ્થાનિક લોકોને તેની જાણ થતા તેઓ તેને ઉપાડીને એક જગ્યાએ લઈ ગયા હતા અને તેના ચહેરા પર પાણી છાંટતા તે ભાનમાં આવી હતી. એ પછી તેણે આખી ઘટના લોકોને જણાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/womens-clothing-responsible-for-rising-rape-incidents-bjp-leader"><span style="font-size: 14pt;"> બળાત્કારની વધતી ઘટનાઓ પાછળ સ્ત્રીઓના કપડાં જવાબદાર: ભાજપ નેતા</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બદમાશોએ યુવતીના હાથ પર અનેક જગ્યાએ બ્લેડ વડે હુમલો કર્યો હતો. આરોપીઓ કહેતા હતા કે, તારા આખા પરિવારને મારી નાખીશું. બ્લેડના હુમલાથી સગીરાના બંને હાથમાંથી લોહી વહી રહ્યું હતું. બદમાશોનો સામનો કરવા જતા તેના કપડાં પણ ફાટી ગયા હતા. તે ક્યારે બેભાન થઈ ગઈ તેનો પણ તેને ખ્યાલ રહ્યો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની જાણકારી મળતા જ દાનગંજ ચોકીના પ્રભારી આદિત્યસેન સિંહ ત્યાં પહોંચી ગયા હતા અને સગીરાને મેડિકલ ટીમ બોલાવીને સારવાર માટે મોકલી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ ઘટનાની જાણ તેના પિતાને થતા તેઓ દાનગંજ પહોંચી ગયા હતા. પિતાને જોઈને સગીરા રોઈ પડી હતી. તેણે પિતાને જણાવ્યું કે, ઘરેથી શાળાએ જતી વખતે ચાર શખ્સોએ તેનું અપહરણ કરી લીધું હતું અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીકરીની આપવીતી સાંભળીને તેના પિતા ગુસ્સે ભરાયા હતા અને તરત તેમણે સ્થાનિક પોલીસને કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. ચોલાપુરની દાનગંજ પોલીસે કોઈ જ કાર્યવાહી કર્યા વિના સગીરા અને તેના પરિવારજનોને પરત જલાલપુર પોલીસ સ્ટેશન મોકલી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે સિટી એસપી બ્રિજેશ કુમારે જણાવ્યું હતું કે સગીરાની મેડિકલ તપાસમાં બળાત્કારનો કોઈ ખુલાસો થયો નથી. જલાલપોર પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપહરણ કરવા, તિક્ષ્ણ હથિયાર વડે માર મારવા, ધમકી આપવા અને અન્ય આરોપો હેઠળ ત્રણ નામજોગ અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ખરગસેનપુરના રહેવાસી પ્રદીપ ઉર્ફે ભોનુ, રેહાડીના રહેવાસી હિમાંશુ પાલ અને સરૈયા જલાલપોરના મહેશ બિંદના પુત્ર અને કેટલાક અજાણ્યા લોકો આરોપી છે. પોલીસની ટીમ ત્રણ લોકોની અટકાયત કરી પૂછપરછ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/two-bjp-leaders-raped-a-student-in-atkot"><span style="font-size: 14pt;">આટકોટમાં ભાજપના બે આગેવાનોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 04 Aug 2024 17:05:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1025</Articleid>
                    <excerpt>ભાજપના દલિત નેતાની સગીર દીકરી સાથે 4 શખ્સોએ ગેંગરેપ કર્યો છે. આરોપીઓએ રેપ બાદ સગીરાને રસ્તા પર ફેંકી દીધી હતી જ્યાંથી તે  લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66af66d6bbe3c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66af66d68a687.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66af66d68a687.jpg" length="116306" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગણેશ જાડેજા સામે કેસ કરનાર પરિવાર સામે GUJCTOC નો શું અર્થ છે?</title>
                    <link>https://khabarantar.com/what-is-the-meaning-of-gujctoc-against-family-suing-ganesh-jadeja</link>
                    <guid>https://khabarantar.com/what-is-the-meaning-of-gujctoc-against-family-suing-ganesh-jadeja</guid>
                    <description>
                        <![CDATA[ ગણેશ જાડેજા પર થયેલા એટ્રોસિટીના કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી તેના બીજા જ દિવસે આ કેસના ફરિયાદી પરિવાર પર ગુજસીટોક લગાવાતા મામલો શંકાસ્પદ બન્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના છોકરા ગણેશ જાડેજાએ જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી, માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી, ગોંધી રાખ્યો હતો. આ કેસમાં પરમ દિવસે જ 4500થી ચાર્જશીટ દાખલ થઈ છે અને એના બીજા જ દિવસે આ કેસના ફરિયાદીઓ સામે જૂનાગઢ પોલીસે ગુજસીટોક(ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) નો ગુનો દાખલ કરીને અટકાયત કરતા આખો મામલો શંકાસ્પદ બની ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોંડલના ગણેશ જાડેજા સહિતનાઓ સામે ફરિયાદ કરનાર અનુસૂચિત જાતિ સમાજના યુવક સંજય સોલંકી, તેના પિતા રાજુ સોલંકી સહિત તેમના પરિવારના અન્ય ત્રણ યુવકો સામે જૂનાગઢ પોલીસ દ્વારા ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરાઈ છે. જૂનાગઢના સ્થાનિકો અને દલિત સમાજના આગેવાનો પોલીસની આ કાર્યવાહીને ગણેશ ગોંડલના કેસ સાથે જોડીને જોઈ રહ્યાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કોઈ સામાન્ય કાર્યવાહી નથી. આમાં ચોક્કસપણે ગણેશ ગોંડલ કેસના તાર જોડાયેલા છે. જૂનાગઢ પોલીસ ભલે આને રાજુ સોલંકી અને તેના પરિવારના ગુનાઈત ભૂતકાળ પરની રેગ્યુલર કાર્યવાહીમાં ખપાવતી હોય પરંતુ આ કાર્યવાહી ગણેશ ગોંડલના કેસમાં 'ઉપરથી' આવેલા દબાણને આધારે કરવામાં આવ્યાની આશંકા નિવારી શકાતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના અનુસૂચિત જાતિ સમાજના એક સામાજિક અગ્રણીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "રાજુ સોલંકી અને તેના પરિવારના 5 સભ્યો સામે કાર્યવાહી કરવા માટે પોલીસે જે સમય પસંદ કર્યો છે તે શંકાના દાયરામાં આવે છે. આ પરિવારે ગણેશ જાડેજા જેવા વગદાર, માથાભારે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ગણેશના પિતા જયરાજસિંહ પૂર્વ ધારાસભ્ય છે અને તેના માતા હાલ ગોંડલના વર્તમાન ધારાસભ્ય છે. જયરાજસિંહની આ પંથકમાં ભારે ધાક છે અને પોલીસ બેડામાં પણ તેની અસર સ્પષ્ટ વર્તાઈ આવે છે. સત્તાપક્ષમાં છેક ઉપર સુધી તેમની પહોંચ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/they-beat-him-saying-that-he-wants-to-get-free-ration-from-bjp-and-vote-for-someone-else"><span style="font-size: 14pt;">મફત રાશન ભાજપ પાસેથી લેવું છે ને મત બીજા કોઈને આપીશ? કહીને માર્યો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ સ્થિતિમાં તેમના ઈશારે આ પરિવારને ટાર્ગેટ કરાયો હોય તેવી આશંકા નકારી શકાતી નથી. આ શંકા એટલા માટે જાય છે, કેમ કે ગણેશના કેસમાં એકબાજુ પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે, એના બીજા જ દિવસે ફરિયાદીના પરિવારના એક, બે નહીં પરંતુ 5 સભ્યો પર ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે. પોલીસનું કહેવું છે કે, તેમના પર મારામારી, પોલીસ પર હુમલો, ચોરી, લૂંટ, જુગાર સહિતના ગુના દાખલ થયેલા છે અને આ મામલે એલસીબીએ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવા દરખાસ્ત કરી હતી. જેને પોલીસ મહાનિરીક્ષકે મંજૂરી આપ્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે. પોલીસ ભલે પોતાની રીતે ગમે તેવા ખુલાસા કરે પરંતુ સામાન્ય બુદ્ધિ ધરાવતા માણસને પણ આખો ખેલ સમજાય તેવો છે કે, ગણેશ ગોંડલના કેસમાં ચાર્જશીટ દાખલ થવી અને બીજી તરફ આ પરિવાર પર ગુજસીટોક લાગવો એ કોઈ સંયોગ નથી.?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ એલસીબીના પી.આઈ.એ ગણેશ ગોંડલ કેસના પીડિત સંજય સોલંકી અને તેના પિતા, ભાઈ, કાકા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે પાંચેય સામે ગુનો દાખલ કરી ચારની ધરપકડ કરી છે. જ્યારે એક વ્યક્તિ હત્યાના પ્રયાસના ગુનામાં ઓલરેડી જેલમાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજય ઉર્ફે ચંદુ  સોલંકીએ ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે અપહરણ કરી ગોંડલ પંથકમાં લઈ જઈ ખુની હુમલો કર્યાની ફરિયાદ કરી હતી. પોલીસે સંજયની ફરિયાદના આધારે ગણેશ જાડેજા સહિત ૧૧ શખ્સ સામે અપહરણ, હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ગઈકાલે પોલીસે આ કેસમાં ૪૫૦૦થી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરી હતી અને તેના બીજા જ દિવસે આ કાર્યવાહી કરતા આખો મામલો શંકાના દાયરામાં આવી ગયો છે. જૂનાગઢના સ્થાનિક દલિતો પોલીસની આ કાર્યવાહીને સ્પષ્ટપણે ફરિયાદી પક્ષ પર દબાણ ઉભું કરવાના દ્રષ્ટિકોણથી જોઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે સંજયના પિતા રાજુ સોલંકી, તેમના બે દીકરા દેવ અને સંજય સોલંકી તથા ભાણેજ યોગેશ બગડાની ધરપકડ કરી છે, જ્યારે રાજુ સોલંકીના ભાઈ જયેશ સોલંકી હાલ હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં છે. આ તમામ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. આજે તમામને સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પોલીસ ભલે તેને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવાની એક રૂટિન કાર્યવાહીમાં ખપાવવા મથતી હોય, પણ સમજદારને ઈશારો કાફી હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/ganesh-jadeja-kidnapped-a-dalit-youth-stripped-him-and-beat-him"><span style="font-size: 14pt;">ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી, કપડાં ઉતરાવી માર માર્યો</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 04 Aug 2024 10:40:50 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1022</Articleid>
                    <excerpt>ગણેશ જાડેજા પર થયેલા એટ્રોસિટીના કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી તેના બીજા જ દિવસે આ કેસના ફરિયાદી પરિવાર પર ગુજસીટોક લગાવાતા મામલો શંકાસ્પદ બન્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66af0c9d85c4e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66af0c9d545f7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66af0c9d545f7.jpg" length="87492" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત સરપંચને સુરક્ષા આપવાનું પોલીસે 1.79 લાખ બિલ મોકલ્યું</title>
                    <link>https://khabarantar.com/police-sent-1.79-lakh-bill-to-provide-security-to-dalit-Sarpanch</link>
                    <guid>https://khabarantar.com/police-sent-1.79-lakh-bill-to-provide-security-to-dalit-Sarpanch</guid>
                    <description>
                        <![CDATA[ મોરબીના એક ગામના દલિત સરપંચને જીવનું જોખમ હોઈ પોલીસ સુરક્ષા માંગી હતી. હવે પોલીસે તેમને સુરક્ષા આપવાનું લાખોનું બિલ મોકલ્યું છે, એ પણ જીએસટી સાથે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો તમે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ સમાજની વ્યક્તિ છો, તમને કોઈ જાતિવાદી તત્વોથી જીવનું જોખમ હોય, એ તમને મોકો મળ્યે ગમે ત્યારે મારી નાખવાની ધમકી આપતો હોય અને તમે એટ્રોસિટી એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ કર્યા બાદ પોલીસ રક્ષણ માંગો છો, તો પણ તમારે પોલીસ રક્ષણની આકરી કિંમત ચૂકવવી પડી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જી હા, પહેલી નજરે માન્યામાં ન આવે તેવી આ ઘટના હકીકતમાં બની છે, જ્યાં એક ગામના અનુસૂચિત જાતિ સમાજના સરપંચને ગામના જાતિવાદી માથાભારે તત્વોએ સરપંચ તરીકેના તેમના હોદ્દાનો ઉપયોગ કરીને ગામમાં પેવર બ્લોક નાખવાનું કામ કરતા અટકાવ્યા હતા. પટેલ જાતિના માથાભારે લોકોએ ફરિયાદી સરપંચને જાતિસૂચક ગાળો ભાંડી, પથ્થર માર્યા હતા. એક મહિલા તો સરપંચને લાકડી લઈને મારવા દોડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ જાતિવાદી ટોળકી સામે અનુસૂચિત જાતિના સરપંચે એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના પછી સરપંચને જાતિવાદી તત્વો સતત મારી નાખવાની ધમકી આપતા હોવાથી તેમણે પોલીસ રક્ષણ માંગ્યું હતું. 24 દિવસથી દલિત સરપંચ પોતાના ઘરે પોલીસ જાપ્તા વચ્ચે ભયના ઓથાર વચ્ચે જીવવા મજબૂર બન્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/even-after-15-days-the-police-could-not-solve-the-mystery-of-the-dalit-youths-death">મોડાસાના કોલીખડના દલિત યુવકના મોતનું રહસ્ય હજુ પણ ઉકેલાયું નથી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અસલ ખેલ જો કે એ પછી શરૂ થયો. સ્થાનિક પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ હોવા છતાં અનુસૂચિત જાતિના સરપંચને પોલીસ રક્ષણ પુરું પાડવા માટે રૂ. 1.79 લાખનું બિલ જીએસટી સાથે ભરી જવા માટે મોકલી આપ્યું હતું. તેના માટેની નોટિસ પણ સ્થાનિક પોલીસે સરપંચને મોકલી આપી હતી. જેમાં આ રકમ તાત્કાલિક ભરીને તેની એક કોપી પોલીસ સ્ટેશનને બે દિવસમાં જમા કરાવવા આદેશ કરાયો છે. આટલું મોટું બિલ જોઈને સરપંચના હોંશ ઉડી ગયા હતા. તેમની આર્થિક પરિસ્થિતિ એવી નથી કે તેઓ આટલું તોતિંગ બિલ ભરી શકે. જો કે, પોલીસ તેમની પાસેથી બિલ વસૂલવા મક્કમ છે. આથી મામલો ગૂંચવાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગામની છે. અહીં અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા સરપંચ પૂનાભાઈ દેવાભાઈ રાઠોડને સ્થાનિક પોલીસે રક્ષણ પુરુ પાડવા અંતર્ગત રૂ. 1,78,963.52 ભરી જવાની નોટિસ પાઠવી છે. શું પોલીસને એ ખ્યાલ નહીં હોય કે, એટ્રોસિટી એક્ટ અંતર્ગત થયેલી કોઈપણ ફરિયાદમાં પીડિત પરિવારને જીવનું જોખમ હોય તો તેને સુરક્ષા પુરી પાડવી તેમની ફરજ છે? આમ પણ દેશના નાગરિક તરીકે જ્યારે તમારા પર જીવનું જોખમ હોય અને તમારે પોલીસની સુરક્ષા મેળવવી પડે તે બાબત જ પોલીસ માટે નીચાજોણું બની રહે તેવી છે. કોઈ માથાભારે તત્વો એક નિર્દોષ વ્યક્તિને ધમકી આપે અને પોલીસ તેને કશું ન કરી શકે તે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો પેદા કરે છે. જો કે, અહીં પોલીસે આરોપીઓ સામે પગલાં લેવાને બદલે 2 પોલીસ જવાનોને સુરક્ષા માટે ફરિયાદના ઘરે બેસાડીને સંતોષ માની લીધો હતો અને ઉપરથી લાખોનું બિલ વસૂલવા નોટિસ મોકલી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/dalit-sarpanch-tied-to-a-tree-and-beaten-had-to-leave-the-village"><span style="font-size: 14pt;">દલિત સરપંચને ઝાડ સાથે બાંધીને માર માર્યો, ગામ છોડવું પડ્યું</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">24-24 દિવસ સુધી કોઈ ગામના સરપંચને પોલીસે સુરક્ષા પુરી પાડવી પડે, તે વાસ્તવમાં પોલીસની નિષ્ફળતા સૂચવે છે. તે સ્પષ્ટ કરે છે કે, અહીં નાગરિકો સુરક્ષિત નથી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. પોલીસ માથાભારે તત્વો સામે પગલાં લઈ શકતી નથી, આ પરિસ્થિતિને સુધારવાને બદલે ઉલટાનું પીડિતને સુરક્ષા પુરી પાડવાનું બિલ વસૂલવામાં લાગેલી છે. એટ્રોસિટી એક્ટને બાજુમાં રાખીને વિચારીએ તો પણ, આ દેશના નાગરિક તરીકે આપણને પોલીસ રક્ષણ મેળવવાનો અધિકાર ખરો કે નહીં, શું તેના માટે પણ હવે લોકોએ અલગથી રૂપિયા ચૂકવવા પડશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.આઈ. વ્યાસની સહીથી પીડિત પૂનાભાઈને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં તેમને 24 દિવસ પોલીસ રક્ષણ મળ્યું તે પેટે રૂ. 1.79 લાખ જેટલી રકમનું બિલ ભરી જવા કહેવાયું છે. 1 ઓગસ્ટ 2024ના રોજ હળવદ પોલીસ દ્વારા ફરિયાદીને આપવામાં આવેલી નોટિસમાં આટલી મોટી રકમ જમા કરાવી જવા કહેવાયું છે. જેનો આધાર (૧) મી ના પી અધિ. શ્રી.વાકાનેર નાઓના જા.નં.૯૬/૨૦૨૪ તા.૧૨/૦૭/૨૦૨૪ અન્વયે અને (2)ગુજરાત રાજ્ય માલ અધિશ ના બેચખારસી/૨૦૨૪//MAB/૧૨/લીગલ-૨ તા.૨૫/૦૭/૨૦૨૪ અન્વયે ટાંકેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હળવદ પોલીસે નોટિસમાં વધુમાં લખ્યું છે કે, તા.૧૨/૦૭/૨૪ ના ફરિયાદીના મેસેજના આધારે રણમલપુર સ્થિત તેમના ઘરે પોલીસ બંદોબસ્ત રાખવાની અરજી કરી હતી. એ પછી તેમને 24 દિવસ સુધી ઓન પેમેન્ટ બંદોબસ્ત આપવામાં આવ્યું હતું. જેમાં 1 પોલીસ કોન્સ્ટેબલ અને 1 જીઆરડી જવાન મળી કુલ 2 સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. તેથી આ પોલીસકર્મીઓના નાણાં સરકારના CGST 9% તથા SGST 9% મળી કુલ 18% જી.એસ.ટી સાથે ભરી જવાના રહેશે. તેની એક ચલણની નકલ પોલીસ સ્ટેશને બે દિવસમાં ફરજિયાત રજૂ કરવાની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Why-EWS-Quota-Benefit-Only-General-Category,-Madhya-Pradesh-High-Court-Seeks-Answer-From-Central-Govt"><span style="font-size: 14pt;">EWS ક્વૉટાનો લાભ ફક્ત જનરલ કેટેગરીને જ કેમ?, મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપરોક્ત પત્રના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઉભા થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(1) શ્રી રાઠોડ પૂનાભાઇ દેવાભાઇ, ઉ. વ. પુખ્ત, રહે. રણમલપૂર તા. હળવદ જી.મોરબી, ગુજરાત રાજ્યમાં પરિવાર સાથે જન્મથી રહે છે અને ભારતના નાગરિક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(2)અરજદાર અનુસૂચિત જાતિમાંથી આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(3)અરજદાર ગામે સરપંચ તરીકેની સેવા/ફરજ બજાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(4) અરજદાર પર થયેલા અત્યાચાર ભેદભાવના મુદ્દે હળવદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદી તરીકે ફરિયાદ નોંધાવેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(5)અરજદાર પર હુમલો થવાની પુરેપુરી શક્યતા હોવાને લીધે અને તેમના જીવને જોખમ હોવાના લીધે ગુજરાત સરકારના પોલીસ તંત્ર સમક્ષ પોલીસ રક્ષણ માંગેલ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(6) અરજદાર પર જીવનું જોખમ હોવાના કારણે તેમજ તેઓ પર અત્યાચાર થવાના કારણે તેમજ તેઓના માનવ અધિકારોના ભંગના બનાવામાં અરજદારે તેમને પોલીસ રક્ષણ મળે તે માટે રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગર ખાતે પણ તેઓના માનવ અધિકારોના રક્ષણ માટે ફરિયાદ કરેલ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-village-ostracized-the-valmiki-family-because-they-did-not-play-the-drum-because-they-were-sick">બિમાર હોવાથી વાલ્મિકી યુવકે ગામના પ્રસંગમાં ઢોલ ન વગાડ્યો તો બહિષ્કાર કરાયો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(7) અરજદાર અનુસૂચિત જાતિના છીએ, તેઓને જ્ઞાતિ આધારિત ભેદભાવ રાખી તેઓના સરપંચ તરીકેના હોદ્દાનો સત્તાનો ઉપયોગ કરતા અટકાવેલ જેથી તેઓ એક અનુસૂચિત જાતિના સભ્ય તરીકે અત્યાચાર પીડિત છે જેથી તેઓને એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ મુજબ વિના મુલ્યે સરકાર તરફથી પોલીસ રક્ષણ મેળવવા હક્કદાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(8) અરજદારને પીઆઈ હળવદ, પોલીસ સ્ટેશનની કચેરી દ્વારા તા.૦૯/૦૭/૨૦૨૪ થી તા.૦૧/૦૮/૨૦૨૪ દિન-૨૪ માટે આપેલ પોલીસ રક્ષણ અંગેનું બિલ તેઓ અનુસૂચિત જાતિના હોઈ અને અરજદાર આ બિલ ભરવા સક્ષમ નથી જેથી સક્ષમ ઓથોરિટી દ્વારા માંડવાળ કરવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(9) અરજદાર અનુસૂચિત જાતિના અત્યાચાર પીડિત હોઈ જેથી તેઓના રક્ષણ માટે એટ્રોસિટી એકટમા જોગવાઈ કરેલ હોઈ જેને લઈને તેઓને પોલીસ રક્ષણ આપવાની જવાબદારી રાજ્ય સરકારની હોઈ સરકારને અરજદારના રક્ષણ માટે ફી/બિલ ભરવાની જરૂરિયાત રહેતી ન હોય જેથી બિલ માંડવાળ કરવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(10) અનુસૂચિત જાતિના અત્યાચારનો ભોગ બનેલ પીડિત અને તેના પરિવાર તથા સાક્ષીઓને હિંસા સામે પોલીસ રક્ષણ આપવા માટેની કલમ 15A(1)માં જોગવાઈઓ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે વધુ વિગતો માટે ખબરઅંતર.કોમ દ્વારા પીડિત પૂનાભાઈ રાઠોડનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયત્ન કરાયો હતો. પણ તેમનો મોબાઈલ નંબર હાલ બંધ હોવાથી વાત થઈ શકી નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/while-not-going-to-sprinkle-medicine-in-the-field-the-dalit-youth-filled-his-boot-with-urine-and-made-him-drink">ખેતરમાં દવા છાંટવા ન ગયો તો દલિત યુવકને બૂટમાં પેશાબ ભરીને પીવડાવ્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શું એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીએ પોલીસ સુરક્ષા માટે પણ રૂપિયા ખર્ચવા પડે? આ સવાલના જવાબમાં સિનિયર એડવોકેટ <span style="color: rgb(224, 62, 45);">પિયુષ જાદુગર</span> <strong><em><span style="color: rgb(224, 62, 45);">ખબરઅંતર.કોમ</span></em></strong> સાથે વાત કરતા કહે છે કે, "એટ્રોસિટી એક્ટમાં જો ફરિયાદને જીવનું જોખમ હોય તો પોલીસ રક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલો છે. જો કે, તેમાં તેના માટે કોઈ ચાર્જ વસૂલવા અંગે સ્પષ્ટતા નથી, જેના કારણે ઘણીવાર આવી પરિસ્થિત પેદા થતી હોય છે. જો કે, તેમ છતાં ભારતના એક નાગરિક તરીકે તે પોતાના જીવના જોખમ મુદ્દે પોલીસની સુરક્ષા માંગી જ શકે છે. આમ જોવા જઈએ તો રણમલપુરની આ ઘટના પોલીસ માટે નીચાજોણું કરાવે તેવી છે. કેમ કે, કોઈ ગામમાં માથાભારે તત્વોના ત્રાસથી એક ફરિયાદીએ 24-24 દિવસ સુધી પોલીસ રક્ષણ માંગવું પડે, તે અહીં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ દર્શાવે છે. હકીકતે પોલીસે પહેલા આવા માથાભારે તત્વોની સાન ઠેકાણે લાવવી જોઈએ. જેથી સામાન્ય માણસને પોલીસ સુરક્ષાની જરૂર જ ન પડે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ <span style="color: rgb(224, 62, 45);">પિયુષ જાદુગર</span> વધુમાં જણાવે છે કે, "એટ્રોસિટી એક્ટની કલમ 15A જેમાં પીડિત અને સાક્ષીઓના અધિકારો વિશે વાત કરવામાં આવી છે તેમાં 26 જાન્યુઆરી 2016ના સુધારા મુજબ પીડિત, તેના આશ્ચિતો અને સાક્ષીઓને કોઈપણ પ્રકારની ધમકી, બળજબરી, પ્રલોભન, હિંસા, હિંસાની ધમકીઓના મામલામાં તેમને રક્ષણ આપવા માટે વ્યવસ્થા કરવાની રાજ્ય સરકારની જવાબદારી અને ફરજ રહેલી છે. એટ્રોસિટીના કેસોમાં જો આરોપી સાબિત થાય તો આરોપીની સંપત્તિ જપ્ત કરવાનો અને ત્રણ વર્ષ સુધી તડિપાર કરવાની પણ જોગવાઈ રહેલી છે. જો સરકાર ઈચ્છે તો તેની સંપત્તિને તોડી પણ પાડી શકે. મને લાગે છે આ તમામ બાબતોને ધ્યાને લઈને ફરિયાદીએ પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત કરવીને ન્યાય માંગવો જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">અહેવાલ વિશેષ માહિતીઃ કાંતિલાલ પરમાર, સામાજિક કાર્યકર, અમદાવાદ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/even-if-you-become-sarpanch-because-of-reservation-the-work-will-be-according-to-our-will"><span style="font-size: 14pt;">અનામતના કારણે ભલે તું સરપંચ બન્યો, કામ અમારી મરજી મુજબ થશે...</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 03 Aug 2024 14:01:50 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 03 Aug 2024 14:01:13 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1018</Articleid>
                    <excerpt>મોરબીના એક ગામના દલિત સરપંચને જીવનું જોખમ હોઈ પોલીસ સુરક્ષા માંગી હતી. હવે પોલીસે તેમને સુરક્ષા આપવાનું લાખોનું બિલ મોકલ્યું છે, એ પણ જીએસટી સાથે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ade55ad4b25.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ade55aa627d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ade55aa627d.jpg" length="95749" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>BIG BREAKING: સુપ્રીમ કોર્ટે SC&amp;ST ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી આપી</title>
                    <link>https://khabarantar.com/big-breaking-supreme-court-approves-quota-within-sc-st-quota</link>
                    <guid>https://khabarantar.com/big-breaking-supreme-court-approves-quota-within-sc-st-quota</guid>
                    <description>
                        <![CDATA[ દેશના એસસી, એસટી સમાજ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને અનામત ક્વોટામાં પણ ક્વોટાને મંજૂરી આપી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે અનામતને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માં ક્વોટાને મંજૂરી આપી છે. મતલબ હવે રાજ્યો અનામત ક્વોટાની અંદર પર ક્વોટા પાડી શકશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે અનામત ક્વોટામાં ક્વોટા અસમાનતાની વિરુદ્ધ નથી. રાજ્યને સરકારી નોકરીઓમાં અનામત આપવા માટે SC અને STને પેટા-વર્ગીકરણ કરવાનો અધિકાર છે, જેથી મૂળ અને જરૂરિયાતમંદ વર્ગોને અનામતનો વધુ લાભ મળે. આ નિર્ણય CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સાત સભ્યોની બંધારણીય બેન્ચે આપ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ સહિત છ જજોએ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું, જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદીએ આ નિર્ણય પર અસંમત હતા. એટલે કે બેન્ચે આ નિર્ણય 6/1થી આપ્યો હતો. આ નિર્ણય સાથે સાત સભ્યોની બંધારણીય બેન્ચે 2004માં ઈવી ચિન્નૈયા કેસમાં આપવામાં આવેલા પાંચ જજોના નિર્ણયને ઉલટાવી દીધો હતો, જેમાં સર્વોચ્ચ  અદાલતે કહ્યું હતું કે એસસી/એસટી જનજાતિ વચ્ચે પેટા-શ્રેણી બનાવી શકાય નહીં. CJIએ કહ્યું કે 'અમે ઇવી ચિન્નૈયા કેસમાં આપેલા નિર્ણયને ફગાવી દઈએ છીએ. પેટા વર્ગીકરણ કલમ 14નું ઉલ્લંઘન કરતું નથી, કારણ કે પેટા વર્ગોને સૂચિમાંથી બાકાત રાખવામાં આવ્યા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેન્ચે કહ્યું કે વર્ગોમાંથી અનુસૂચિત જાતિને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતા માપદંડો દર્શાવે છે કે વર્ગોમાં વિવિધતા છે. કલમ 15, 16માં એવું કંઈ નથી કે જે રાજ્યને કોઈપણ જાતિનું પેટા-વર્ગીકરણ કરતા અટકાવે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, કોર્ટે એમ પણ કહ્યું હતું કે પેટા-વર્ગીકરણનો આધાર રાજ્યો દ્વારા પ્રમાણિત અને દર્શાવી શકાય તેવા ડેટા દ્વારા વાજબી હોવો જોઈએ, તે પોતાની મરજી મુજબ કામ નહીં કરી શકે.</span><br><span style="font-size: 14pt;">કોર્ટે કહ્યું કે અનામત હોવા છતાં, નીચલા વર્ગના લોકોને તેમનો વ્યવસાય છોડવો મુશ્કેલ છે. આ પેટા-શ્રેણીનો આધાર એ છે કે એક મોટા જૂથ વચ્ચે એક જૂથને વધુ ભેદભાવનો સામનો કરવો પડે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે 2004ના નિર્ણયમાં શું કહ્યું?</span></strong></span><br><span style="font-size: 14pt;">2004ના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે કહ્યું હતું કે અનામત આપવા માટે રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પેટા શ્રેણી બનાવવાનો અધિકાર નથી, પરંતુ આજે સુપ્રીમની સાત સભ્યોની બેન્ચે પોતાની જ બેન્ચનો નિર્ણય પલટી નાખ્યો છે. હવે રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-શ્રેણી બનાવવાનો અધિકાર મળી ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આખો મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">વાસ્તવમાં વર્ષ 1975માં, પંજાબ સરકારે અનામત સીટોને બે કેટેગરીમાં વહેંચીને અનુસૂચિત જાતિ અનામત નીતિ રજૂ કરી હતી. આ અનામત નીતિમાં, એક વાલ્મિકી અને મઝહબી શીખો માટે અને બીજી બાકીની અનુસૂચિત જાતિ વર્ગ માટે હતી. આ નિયમ 30 વર્ષ સુધી અમલમાં રહ્યો. 2006માં, કેસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પહોંચ્યો અને ઈવી ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટના 2004ના નિર્ણયને ટાંકવામાં આવ્યો અને આ નીતિ રદ કરવામાં આવી હતી. ચિન્નૈયાના ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે એસસી કેટેગરીમાં પેટા-શ્રેણીઓને મંજૂરી નથી કારણ કે તે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હવે શું થશે?</span></strong></span><br><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાનો રાજકીય પક્ષો પોતપોતાના ફાયદા માટે ઉપયોગ કરશે અને તેનાથી અનુસૂચિત જાતિ સમાજમાં અંદરોઅંદર વિખવાદ વધશે, જેનો ફાયદો રાજકીય પક્ષો પોતપોતાની રીતે ઉઠાવવા પ્રયત્નો કરશે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય હોવાથી રાજ્યો તેનો અમલ કરાવશે અને તેનાથી અનુસૂચિત જાતિ સમાજ બે ભાગમા વહેંચાઈ જશે. એ રીતે બહુજન એકતાના મિશનને મોટો ફટકો પડશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/some-lies-connected-with-reservation-and-exposed">અનામત સાથે જોડાયેલા કેટલા જુઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 01 Aug 2024 15:17:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1011</Articleid>
                    <excerpt>દેશના એસસી, એસટી સમાજ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને અનામત ક્વોટામાં પણ ક્વોટાને મંજૂરી આપી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ab5964a9c21.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ab596479d92.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ab596479d92.jpg" length="61733" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ. આંબેડકરની પ્રતિમા લગાવવા મુદ્દે લોહીયાળ જંગ, 8 દલિતો ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/bloody-war-over-installation-of-dr-ambedkars-statue-8-dalits-injured</link>
                    <guid>https://khabarantar.com/bloody-war-over-installation-of-dr-ambedkars-statue-8-dalits-injured</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં દલિત વાસમાં ડૉ. આંબેડકરની પ્રતિમા લગાવવા જઈ રહેલા દલિત સમાજના લોકો પર જાતિવાદી ટોળાંએ જીવલેણ હુમલો કર્યો છે. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના નામ અને કાર્યથી કેટલી નફરત છે તે આ દેશના દલિતો, આદિવાસીઓ સારી રીતે જાણે છે. એટલે જ જ્યારે પણ કોઈ ગામ કે ચોકમાં બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની પ્રતિમા મૂકવાની વાત આવે છે ત્યારે જાતિવાદી તત્વો તરત વિરોધ કરવા પર ઉતરી આવે છે. ઘણીવાર તો આ તત્વો કાયદો વ્યવસ્થાને હાથમાં લઈને મારામારી પર પણ ઉતરી આવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના હાલ સામે આવી છે. જેમાં જાતિવાદી તત્વોએ ગામમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા લગાવી રહેલા દલિત સમાજના લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જાતિવાદી ટોળું દલિતવાસ પર હથિયારો લઈને ઉતરી પડ્યું હતું અને દલિત સમાજના લોકોને દોડાવી, દોડાવીને માર્યા હતા. આ લોહીયાળ હુમલામાં જંગમાં દલિત સમાજના 8 લોકો ઘાયલ થઈ ગયા છે. જો કે, એક મહિલાની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં ખસેડાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશની છે. જ્યાં એક ગામમાં દલિત સમાજના લોકો બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા લગાવવાનું નક્કી કર્યું હતું. જો કે, ગામના જાતિવાદી તત્વોએ તેમને એમ ન કરવા કહ્યું હતું, સાથે જ ધમકી આપી હતી કે, જો બાબાસાહેબની પ્રતિમા લગાવશો તો તેનું પરિણામ ભોગવવું પડશે. જાતિવાદીઓની આવી ખૂલ્લી ધમકી છતાં દલિત સમાજના લોકોએ મળીને બાબાસાહેબની પ્રતિમા લગાવી હતી અને તેના ઉદ્ધાટનનો કાર્યક્રમ રાખ્યો હતો. પણ એ જ વખતે ગામના જાતિવાદી તત્વો ટોળામાં દલિતવાસ પર તૂટી પડ્યા હતા અને હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક મહિલાઓ પણ ઘાયલ થઈ ગઈ છે. પોલીસને આ ઘટનાની જાણ થતા તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેણે ઘાયલોને સારવાર માટે તિર્વાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/anti-social-elements-stole-the-spectacles-of-babasahebs-statue-in-vadhwan"><span style="font-size: 14pt;">વઢવાણમાં અસામાજિક તત્વો બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ચોરી ગયા</span></a></strong></span></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66aa27fa4abb7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના યુપીના કનૌજની છે, જ્યાંથી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાંસદ છે. અહીં તિર્વા પોલીસ સ્ટેશનમાં આવતા ભૂલભુલિયાપુર ગામમાં દલિત સમાજના 24 ઘરો છે. આ સિવાય વર્મા અને અન્ય જાતિના લોકો વસે છે. ગઈકાલે રાત્રે અહીં દલિત સમાજના લોકો ડો. આંબેડકરની પ્રતિમા લગાવવાની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે જ ગામના માથાભારે લોકો(મીડિયામાં ક્યાંય પણ આ ઘટનામાં આરોપીઓનું નામ નથી વાંચવા મળતું કે નથી તેમની જાતિનો ક્યાંય ઉલ્લેખ મળતો.) ત્યાં પહોંચી ગયા હતા અને તેમને બાબાસાહેબની મૂર્તિ ન લગાવવા માટે ધમકાવવા લાગ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી પણ દલિત સમાજના લોકો પ્રતિમા લગાવવા માટે મક્કમ હતા. આથી જ્યારે પ્રતિમા લગાવાઈ રહી હતી ત્યારે જ જાતિવાદી તત્વોએ હુમલો કરી દીધો હતો. જેના કારણે પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી. જાતિવાદીઓએ દંડા અને લાકડીઓ લઈને દલિતવાસ પર હુમલો કર્યો હતો. જેમા પુરુષો સાથે અનેક મહિલાઓને પણ ઈજા પહોંચી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગભરાયેલા દલિત સમાજના લોકો ગામ બહાર જતા રહ્યા હતા, પણ જાતિવાદી તત્વો ત્યાં પણ તેમને મારવા માટે પહોંચી ગયા હતા. દલિત સમાજના અનેક લોકોને ગામ વચ્ચે દોડાવીને માર માર્યો હતો અને જાતિવાદી તત્વોએ બધાંને ગામ ખાલી કરીને અન્ય જગ્યાએ રહેવા જતા રહેવાની ધમકી આપી છે. જો એમ નહીં કરે તો તેનું પરિણામ ભોગવવું પડશે તેવી પણ ધમકી આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને તેમણે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી છે. ઘાયલોમાં એક મહિલાની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હુમલામાં ઘાયલ થયેલા લોકોનો આરોપ છે કે, સ્થાનિક સત્તાપક્ષના ધારાસભ્યનો હુમલાખોરોને ટેકો હોવાથી જાતિવાદી તત્વો સતત તેમને હેરાન પરેશાન કરતા રહે છે. હથિયારો સાથે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રહે છે. પોલીસ પણ આ હુમલાખોરો પર કોઈ કાર્યવાહી નથી કરી રહી. બીજી તરફ પોલીસનું કહેવું છે કે, તેમણે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને જે પણ દોષી જણાશે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/manu-pratima-a-symbol-of-injustice-at-the-courthouse"><strong>મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 31 Jul 2024 17:37:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1007</Articleid>
                    <excerpt>એક ગામમાં દલિત વાસમાં ડૉ. આંબેડકરની પ્રતિમા લગાવવા જઈ રહેલા દલિત સમાજના લોકો પર જાતિવાદી ટોળાંએ જીવલેણ હુમલો કર્યો છે. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66aa27e42f6b5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66aa27e3ef10b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66aa27e3ef10b.jpg" length="114970" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજ્ય સરકાર એટ્રોસિટી એક્ટને નબળો પાડવા છુપી સહમતિ આપી રહી છે?</title>
                    <link>https://khabarantar.com/is-the-state-government-tacitly-agreeing-to-weaken-the-atrocities-act</link>
                    <guid>https://khabarantar.com/is-the-state-government-tacitly-agreeing-to-weaken-the-atrocities-act</guid>
                    <description>
                        <![CDATA[ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગુજરાત સરકાર એસસી, એસટીના હિતોને બાજુમાં મૂકી એટ્રોસિટી એક્ટને નબળો બનાવવામાં છુપી સહમતિ આપી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતા હેઠળના સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગુજરાત સરકાર પર દલિતો, આદિવાસીઓના હિતોને હાંસિયામાં ધકેલી દઈને એટ્રોસિટી એક્ટને નબળો પાડવામાં છુપી સહમતી આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં ગુજરાતભરમાં એટ્રોસિટીના કેસોમાં પોલીસ અર્ણેશકુમારના જજમેન્ટને ટાંકીને પોલીસ સ્ટેશનમાંથી જ બારોબાર જામીન આપી દે છે. જેને લઈને એસસી, એસટી સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ મામલે ગઈકાલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM) અને વિવિધ દલિત સંગઠનોએ મળીને રાજ્યના ડીજીપીને ગુજરાતમાં અર્ણેશકુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનું ખોટું અર્થઘટન કરી SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં આરોપીઓની ધરપકડ નહીં કરવા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં શું ગુજરાત સરકાર દલિતો-આદિવાસીઓ ઉપર અત્યાચાર કરનારા અસામાજિક તત્વો પોલીસ સ્ટેશનમાં ચા-પાણી- નાસ્તો કરીને જેલના બદલે ઘરે જતાં રહે એવું ઈચ્છે છે? તેવો સવાલ કરવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગરમાં આ તમામ દલિત, આદિવાસી સમાજના સંગઠનોએ ડીજીપીને મળીને જણાવ્યું હતું કે, SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯માં આગોતરા જામીનની જોગવાઈ ન હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓને અર્ણેશકુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારના ચુકાદાનો લાભ અપાવવાના ઈરાદે કરાતું ખોટું અર્થઘટન કાયદા વિરુદ્ધનું છે. જેનાથી આરોપીઓમાં કાયદાનો ભય નહીં રહે અને ફરિયાદીને વધારે અત્યાચારનો સામનો કરવો પડશે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/police-officials-and-the-government-came-together-to-paralyze-the-atrocities-act"><span style="font-size: 14pt;">પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવ્યો</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66a9c72a3ef9b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ દ્વારા અપરાધીઓને ફાયદો પહોંચાડવા અર્ણેશકુમારના ચુકાદાનું ચુકાદાના દસ વર્ષ પછી SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ હેઠળના ગુન્હાઓમાં આવુ મરજી મુજબનું અર્થઘટન કરવાનું કોની સુચનાથી સૂઝયું છે? કોનો રાજકીય ઈશારો થયો છે? એ તો ગૃહમંત્રી અને પોલીસ તંત્ર જ કહી શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસની આ કાર્યવાહીથી શું અસર થશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારો કે કોઈ દલિત- આદિવાસીને કોઈ આરોપી જાતિવાચક શબ્દોથી અપમાનિત કરશે, એમના હાથ- પગ તુટી જાય એ રીતે માર મારશે, ઘોડા પરથી ઉતારીને હુમલો કરશે, નામ પાછળ સિંહ લગાવવા જેવી કે મૂછો રાખવા જેવી બાબતમાં ગાળો આપી શારિરીક હુમલો કરશે, કોઈ દીકરીની છેડતી કરશે, ટોળું બનાવીને હુમલો કરશે, સામાજિક-આર્થિક બહિષ્કાર કરશે, જાહેર સ્થળો ઉપર જવા નહીં દે, મરેલા ઢોર ઉપાડવા કે ગટરમાં ઉતરવા ફરજ પાડશે એવા સંજોગોમાં પોલીસ પહેલાં તો કેટલાય સંઘર્ષ પછી ફરીયાદનો સ્વીકાર કરશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે પોલીસે ફરીયાદ લેવામાં જ આનાકાની કરી હોય અને એમાંય આરોપી કથિત ઉંચી જાતિનો વગદાર માણસ હોય એટલે પહેલાં તો એની શરમમાં અને ત્યારબાદ વહીવટ થવાથી પોલીસ ફરીયાદમાં ૭-વર્ષ કરતાં વધુ સજાની જોગવાઈ વાળી કલમ ઉમેરવામાં જ નનૈયો ભણી દેશે. પછી ૭ વર્ષ કરતાં ઓછી સજાની જોગવાઈવાળી કલમ હેઠળ ગુન્હો નોંધીને ફક્ત અર્ણેશકુમારના ચુકાદાનો હવાલો આપીને આરોપીને ફક્ત નોટીસ આપીને પોલીસ ત્યાંથી જ રવાના કરી દેશે. એટલે આરોપીઓને કે પોલીસને કાયદાનો ડર રહેશે નહી અને ફરીથી ગુન્હો કરવા માટે પ્રોત્સાહન મળશે. એક રીતે પોલીસને આરોપીઓને બચાવવાનો પરવાનો મળી જશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત, આરોપીઓની ધરપકડ ના થવાને લીધે ફરિયાદીનું મનોબળ તૂટી જશે અને આરોપી કેસ સાથે સંકળાયેલા પુરાવાઓ અને સાક્ષીઓ સાથે ચેડાં કરીને લાલચ આપી ડરાવવા-ધમકાવવાનું કામ કરશે અને પોતાની  સામે થયેલી ફરીયાદ પાછી ખેંચવા દબાણ કરશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">SC/ST (પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ એ સ્પેશિયલ કાયદો એટલા માટે છે, કેમ કે એમાં પ્રથમ દર્શનીય ગુન્હાઓમાં આગોતરા જામીનની જોગવાઈ નથી અને ધરપકડ ફરજીયાત હોઈ આરોપીઓમાં આ કાયદાનો ડર છે. પરંતુ પોલીસ સ્ટેશનમાંથી નોટીસ આપીને છુટી જવાની સરળતા થઈ જવાથી દલિતો સાથે અત્યાચારની ઘટનાઓ વધવાની પૂરેપુરી શક્યતાઓ રહેલી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ દ્વારા અર્ણેશકુમારના ચુકાદાનું ખોટું અર્થઘટન </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નામદાર સુપ્રીમ કોર્ટનો અર્ણેશ કુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારનો ચુકાદો જેમાં પોલીસ સ્ટેશનમાંથી સી.આર.પી.સી. કલમ-૪૧ (ભા.ના. સુ. સં. કલમ-૩૫) મુજબ નોટીસ આપીને ધરપકડ કર્યા વિના આરોપીને જવા દેવાની વાત કરવામાં આવી છે એમાં આરોપીની ધરપકડ કરવા અને ના કરવા એમ બંને પ્રસંગે લેખિતમાં કારણ આપવાની વાત કરવામાં આવી છે. જે કરતા નથી અને ધરપકડ ના કરવાના કારણોમાં ફક્ત અર્ણેશકુમારના ચુકાદાનો હવાલો આપવામાં આવે છે અને કોઈ અન્ય કારણો આપવામાં આવતા નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span></strong><span style="font-size: 12pt;"> </span></span><a href="https://khabarantar.com/in-an-atrocity-the-police-cannot-release-the-accused-from-the-police-station-on-bail"><strong>એટ્રોસિટીમાં પોલીસ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર ન છોડી શકે</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66a9c72b02e3d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ ની કલમ-૨૦ દ્વારા આ કાયદાની જોગવાઈઓ અન્ય તમામ કાયદાની જોગવાઈઓથી ઉપર રહેશે એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કલમ-૧૮માં આગોતરા જામીન ઉપર પ્રથમ દર્શનીય કેસોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ, અર્ણેશકુમારનો SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ હેઠળ નોંધાયેલા ગુન્હાઓમાં ઉપયોગ એ કલમ-૧૮ થી વિરુધ્ધની કાર્યવાહી છે જે પોલીસ અધિકારી કરી શકે નહીં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઉપરાંત, સુભાષ કાશીનાથ મહાજન વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના ચુકાદાના વિવાદ બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પિટિશન દાખલ કરતાં યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના ચુકાદામાં પેરા-૬૬ માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યારે આગોતરા જામીનની જોગવાઈ ના હોય એ કિસ્સામાં ધરપકડ કરવી અનિવાર્ય છે. અરણેશ કુમાર વિ. સ્ટેટ ઓફ બિહારનો ચુકાદો એ બે ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા ૨૦૧૩માં આપવામાં આવેલો છે. જ્યારે યુનિયન ઓફ ઇન્ડિયા વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્રનો ચુકાદો એ અદ્યતન (લેટેસ્ટ) અને ૩ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા આપવામાં આવેલો છે. જેથી ધરપકડ કરવી ફરજીયાત છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં, SC/ST(પ્રિવેંશન ઓફ એટ્રોસિટીઝ) એકટ, ૧૯૮૯ ની કલમ-૧૫-એ ભોગ બનનારના અધિકારની વાત કરે છે.  જેમાં ફરીયાદી/ભોગ બનનારને દરેક પ્રક્રિયાની નોટીસ આપીને બોલાવવાનો અને દરેક પ્રક્રિયા વખતે સાંભળવાનો કાયદાથી અધિકાર આપવામાં આવ્યો છે. જે કોઈપણ પોલીસ અધિકારી દ્વારા કાયદાની ઉપરવટ જઈને કરવામાં આવતું નથી. આટલી સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં પોલીસ તંત્ર કોના રાજકીય ઈશારે આ ગુસ્તાખી કરી રહ્યું છે એ સમજી શકાય એમ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્રે નોંધનીય છે કે રાજ્યમાં અર્ણેશકુમારના ચુકાદાનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે જેની જાણ રાજ્ય સરકારને હોવા છતાં કોઈ જ પગલાં ભરવામાં નથી આવી રહ્યા. એટ્રોસીટી એકટ હેઠળ નોંધાયેલ બળાત્કાર અને ખૂન જેવા જઘન્ય ગુન્હાઓના આરોપીઓને જામીન મળવાના એકપણ કેસમાં આજદિન સુધી ગુજરાત સરકાર ફરીયાદી તરફ અપીલમાં ગઈ હોય એવું જાણમાં નથી.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત-આદિવાસીઓના હિતોને સરકારે હંમેશા દરકીનાર કર્યા છે. ઉનાના પીડિતોને આપેલા વચનો આજદિન સુધી પુરા નથી કર્યા કે ભાનુભાઈ વણકર આત્મવિલોપન પ્રસંગે લેખિતમાં મુખ્ય સચિવની સુચનાથી આપેલી બાંહેધારીનો પણ અમલ નથી કર્યો. આ ઉપરાંત પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવામાં આવ્યા પણ વારંવારની રજુઆતો છતાં એકપણ દલિત આંદોલનના કેસ પરત ખેંચવામાં નથી આવ્યા. કાયદાનો પૂર્ણપણે અમલ કરાવવાની તથા શંકાઓ દુર કરવાની જવાબદારી રાજ્ય સરકારના ગૃહ અને કાયદા વિભાગની છે. એકપણ અત્યાચારની ઘટનામાં જે વિભાગની કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે એવા ગૃહમંત્રી આજદિન સુધી ગયા નથી અને પીડિતોને મળ્યા નથી, જે દર્શાવે છે કે સરકાર વંચિત વર્ગ માટે કેટલી નિસબત ધરાવે છે. તેથી આ કેસમાં પણ સરકાર સામે ચાલીને કોઈ પગલાં ભરશે એવી આશા બહુ ધુંધળી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/atrocities-act-being-widely-misused-gujarat-high-court"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટનો મોટાપાયે દુરૂપયોગ થઈ રહ્યો છે: ગુજરાત હાઇકોર્ટ</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66a9c72ba4795.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની મોનીટરીંગ સમિતિની બેઠક જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ષમાં ૨ (બે) વખત મળવી એ એટ્રોસિટી એકટ મુજબ ફરજીયાત છે એની બેઠક લગભગ છેલ્લા ત્રણ વર્ષથી મળી જ નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કદાચ એ મીટીંગ કરીને મુખ્યમંત્રીએ એટ્રોસીટીઝ એક્ટ હેઠળ નોંધાતા ગુન્હાઓમાં કેવી બૌધ્ધિક બદમાશી કરી રહી છે ઇનો અંદાજો મેળવવાનો પ્રયત્ન કર્યો હોત તો આ પરીસ્થિતિ ના ઉદ્ભવી હોત.  રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે કોઈ જ પગલાં હાથ ધરવામાં નહીં આવે અને આંખ આડા કાન ધરીને મૌન જ રહેવાની હોય તો આગામી દિવસોમાં આ તમામ મુદ્દાઓને લઈને રાજ્યના દલિત-આદિવાસીઓ આંદોલનના રસ્તે આગળ વધશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ સુબોધ કુમુદ સાથે કમલેશ કટારિયા, વિનોદ પરમાર અને સતિષ વણસોલાની સહી સાથે ડીજીપીને આપવામાં આવેલા આવેદનપત્રમાં એટ્રોસિટી એક્ટને કેવી રીતે નબળો પાડવામાં આવી રહ્યો છે તેની વિસ્તારથી વાત કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે આ મામલે ગુજરાતભરમાંથી આવેલા ભીમયોદ્ધાઓ સાથે દલિત, આદિવાસી સમાજના વિવિધ સંગઠનો અને તેના કાર્યકરો દ્વારા ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપી વિકાસ સહાયને આવેદનપત્ર આપી આ મામલે વહેલીતકે યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ આ મામલે જો પગલાં લેવામાં સરકાર ઉણી ઉતરશે તો આંદોલનનો માર્ગ અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/now-the-accused-in-the-case-of-atrocity-will-go-home-after-tea-watering-the-police"><strong>હવે એટ્રોસિટીના કેસમાં આરોપીઓ પોલીસના ચા-પાણી કરીને ઘરે જતા રહેશે?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 31 Jul 2024 10:49:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1004</Articleid>
                    <excerpt>રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગુજરાત સરકાર એસસી, એસટીના હિતોને બાજુમાં મૂકી એટ્રોસિટી એક્ટને નબળો બનાવવામાં છુપી સહમતિ આપી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a9c7051870b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a9c704def7b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a9c704def7b.jpg" length="105412" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દૂરબીનથી જોયું, પણ બજેટમાં ક્યાંય અયોધ્યાનું નામ નથીઃ અવધેશ પ્રસાદ</title>
                    <link>https://khabarantar.com/looked-through-binoculars-but-ayodhyas-name-is-nowhere-in-the-budget-awadhesh-prasad</link>
                    <guid>https://khabarantar.com/looked-through-binoculars-but-ayodhyas-name-is-nowhere-in-the-budget-awadhesh-prasad</guid>
                    <description>
                        <![CDATA[ અયોધ્યામાં ભાજપને હરાવનાર ફૈઝાબાદથી સમાજવાદી પાર્ટીના દલિત સાંસદ અવધેશ પ્રસાદે બજેટ મુદ્દે સરકારની આકરી ઝાટકણી કાઢી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજવાદી પાર્ટીના ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદે લોકસભામાં બજેટને લઈને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. બજેટ પરની ચર્ચામાં તેમણે સરકારની ટીકા કરતા -જણાવ્યું હતું કે, મેં બજેટના પહેલા 17-18 પાનાં જોયા, દૂરબીન લગાવીને જોયા, પણ તેમાં ક્યાંય અયોધ્યાનું નામ નથી. ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ અને વડાપ્રધાન અયોધ્યા વિશે મસમોટા દાવાઓ કરતા હતા પણ જેવી અહીં ચૂંટણીમાં હાર થઈ કે તરત તેમનું વલણ બદલાઈ ગયું છે અને બજેટમાં તેમણે અયોધ્યાને કશું આપ્યું નથી. હિન્દુ રાષ્ટ્રની વાત કરતી ભાજપ સરકારે કેન્દ્રીય બજેટમાં દેશના સૌથી મોટા ધાર્મિક સ્થાન, શ્રીરામના જન્મસ્થાન અયોધ્યા રામમંદિર માટે પણ કોઈ જોગવાઈ કરી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અવધેશ પ્રસાદે ગૃહમાં કહ્યું, 'હું શ્રીરામ અને અશફાક ઉલ્લાહ ખાનની ભૂમિમાંથી આવ્યો છું. મેં નાણામંત્રીનું બજેટ ઘણી વખત દૂરબીનથી જોયું પરંતુ તેમાં અયોધ્યાનું નામ નથી. ભાજપે અયોધ્યા અને રામના નામે રાજનીતિ અને ધંધો કર્યો છે. ભાજપે અયોધ્યાના વિકાસને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. હું દલિત સમાજમાંથી આવું છું અને અમારા નેતા અખિલેશ યાદવે મને જનરલ સીટ પરથી ટિકિટ આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/if-ayodhya-is-far-away-the-bjp-could-not-win-in-the-surrounding-100-km-area">અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં ભાજપ જીતી ન શકી</a>!</span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેથી ૨૨ જાન્યુઆરીથી લઇને ચૂંટણી સુધી દેશના ખૂણે-ખૂણેથી લોકો મને હરાવવા આવ્યા હતા. પરંતુ જનતાએ મારી પર વિશ્વાસ મૂક્યો તેથી ભાજપની કારી ભાવી નથી. કારણ કે, અયોધ્યાના લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. બે-ત્રણ પેઢીઓ જૂનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. જેના કારણે ત્રણ મોત પણ થયા છે. કારણ વિના જ ગરીબોના મકાનો તોડી પાડીને તેમને બેઘર કરી દેવાયા, તેનો બદલો લોકોએ ભાજપને હરાવીને લીધો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સપા સાંસદે વધુમાં કહ્યું કે, અયોધ્યામાં કરોડોના જમીન કૌભાંડો થયા. એક જમીન તો એવી હતી જે ૨ કરોડ રૂપિયામાં ખરીદી હતી અને બે કલાક પછી તેને ૧૮ કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી. જમીન કોણે ખરીદી છે તેની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અવધેશ પ્રસાદે કહ્યું કે, ૨૦૨૭ની ચૂંટણીમાં યુપીમાંથી ભાજપનો સફાયો થઈ જશે. આ પછી ૨૦૨૯માં ભાજપ દેશ છોડી દેશે. અમારા નેતાએ વચન આપ્યું છે કે, તેઓ અયોધ્યાને એવું શહેર બનાવશે કે, જ્યાં દુનિયાભરમાંથી લોકો તેને જોવા આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/where-did-bjp-miss-400-is-far-from-even-250"><strong>ભાજપ ક્યાં ચૂક્યો? ૪૦૦ તો દૂર 250ના પણ ફાંફા</strong></a></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 30 Jul 2024 11:16:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>1000</Articleid>
                    <excerpt>અયોધ્યામાં ભાજપને હરાવનાર ફૈઝાબાદથી સમાજવાદી પાર્ટીના દલિત સાંસદ અવધેશ પ્રસાદે બજેટ મુદ્દે સરકારની આકરી ઝાટકણી કાઢી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a87d290effa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a87d28d4a04.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a87d28d4a04.jpg" length="75607" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવક ત્રણ દિવસથી ગુમ હતો, ચોથા દિવસે ઝાડ સાથે લટકતી લાશ મળી</title>
                    <link>https://khabarantar.com/the-dalit-youth-was-missing-for-three-days-the-body-was-found-hanging-from-a-tree-on-the-fourth-day</link>
                    <guid>https://khabarantar.com/the-dalit-youth-was-missing-for-three-days-the-body-was-found-hanging-from-a-tree-on-the-fourth-day</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં દલિત યુવક ત્રણ દિવસથી ગુમ હતો, પરિવાર સહિત સૌ કોઈ તેને શોધી રહ્યા હતા. ચોથા દિવસે સીમમાં ઢોર ચરાવતા ભરવાડે તેની લાશ ઝાડ સાથે લટકતી જોઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાવ નાનકડા ગામમાં જ્યાં વાહનવ્યવહારની વ્યવસ્થા પણ માંડ હોય, લોકો ખેતી અને તેની સાથે જોડાયેલા પરંપરાગત ધંધામાં જોડાયેલા હોય, ગામની બહાર દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના વિશે તેમને કશી પડી ન હોય, પોલીસનું તો નામ પડે ત્યાં જ લોકો ફફડી ઉઠતા હોય, એવા ગામની સીમમાં, જો ગામના જ ત્રણ દિવસથી ગુમ થયેલા એક યુવકની લાશ ઝાડ સાથે લટકતી મળી આવે તો કેવો ભયનો માહોલ પેદા થાય તેની કલ્પના કરી જુઓ. લોકો ઘરોમાં ભરાઈ જાય, બાળકો દિવસો સુધી બહાર ન નીકળે અને મહિલાઓ દિવસો સુધી એ ઘટનાની અલગ અલગ રીતે ચર્ચાઓ કરતી રહે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી ચર્ચાસ્પદ અને શંકાસ્પદ ઘટના હકીકતમાં બની છે, જેમાં એક દલિત યુવકની ગામની સીમમાં એક ઝાડ સાથે શંકાસ્પદ હાલતમાં લટકતી લાશ મળી આવી છે. યુવક ત્રણ દિવસ પહેલા ગુમ થયો હતો અને તેનો પરિવાર તેને શોધી રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઉત્તરપ્રદેશના ફતેહપુર બકેવર પોલીસ સ્ટેશનમાં આવતા ભૈંસૌલી ગામની છે. અહીં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા દલિત યુવકની ગામની સીમમાં શંકાસ્પદ હાલતમાં ઝાડ પર લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને નાનકડા આ ગામમાં જાતભાતની ચર્ચાઓ થઈ રહી છે. લોકોમાં આશંકાઓ અને ભયનો માહોલ છે. મૃતકના પરિવારજનોએ આ મામલે ઉંડાણપૂર્વકની તપાસની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક યુવકની ઓળખ મહેશ પાસવાન તરીકે થઈ છે અને તેની ઉંમર 37 વર્ષની છે. તેના પિતા રામસ્વરૂપ અને માતા દાનવતીનું વર્ષો પહેલા અવસાન થયું હતું. મહેશ ભાઈ-બહેનોના પરિવારમાં બીજા નંબરે હતો. તેની ત્રણ બહેનો છે. આ સિવાય તેના ત્રણ ભાઈઓ અમિત, અમન અને ચમન છે. મહેશના બે વાર લગ્ન થયા હતા અને બંને વખત છુટાછેડા થઈ ગયા હતા.</span><br><span style="font-size: 14pt;">24 જુલાઈથી ગુમ હતો</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/I-am-Darbar,-why-do-you-call-me-you---A-Dalit-youth-was-beaten-to-death-in-a-Darbar-at-Zherda-village-in-Disa"><span style="font-size: 14pt;"> 'હું દરબાર છું, મને 'તું' કેમ કહે છે?' - ડીસાના ઝેરડા ગામે દરબારે દલિત યુવકને આંતરીને માર માર્યો</span></a><br></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારજનોના જણાવ્યા પ્રમાણે મહેશ 24 જુલાઈને બુધવારના રોજ બપોરે બે વાગ્યા પછીથી ગુમ થયો હતો. લોકોએ આખા ગામમાં તેની શોધખોળ કરી જોઈ પણ કોઈ જગ્યાએ તેનો પત્તો મળ્યો નહોતો. પરિવારજનો તેને ફોન કરતા રહ્યા પણ તેણે ફોન ઉપાડ્યો નહોતો. જેના કારણે ચિંતા ઓર વધી ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શુક્રવારે બાજુના ગામ બિસરૌલીના કેટલાક ભરવાડોએ ઢોર ચરાવતી વખતે સીમમાં તેની લાશ લટકતી જોઈ હતી. જો કે, બીકના માર્યા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અને કોઈને પણ તેની જાણ કરી નહોતી. એ પછી તેનો મૃતદેહ એ દિવસે પણ જેમની તેમ સ્થિતિમાં ઝાડ સાથે લટકતો રહ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા દિવસે શનિવારે આ ઘટનાની ગામમાં ચર્ચા થવા લાગી અને વાત મૃતકના ભાઈ અમિત સુધી પહોંચી. એ પછી તે ગામના અન્ય લોકોને લઈને ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં ઓલરેડી લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Ambedkars-treatise-on-the-rupee-has-a-clear-vision"><span style="font-size: 14pt;">રૂપિયા પર આંબેડકરના ગ્રંથમાં સ્પષ્ટ દ્રષ્ટિ છે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમિતે જોયું કે મહેશનું અડધું શરીર જમીન પર લટકતું હતું, ઝાડની ડાળી એકદમ પાતળી હતી, જેની સાથે તેનો મૃતદેહ લટકી રહ્યો હતો. મૃતકના શરીરમાં જીવડાં પડી ગયા હતા અને ભયંકર દુર્ગંધ મારતી હતી. જેના પરથી સમજાતું હતું કે તેનું મોત ઘણાં દિવસ પહેલા થઈ ગયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે ફોરેન્સિકની ટીમ મૃતદેહની તપાસ કરી રહી હતી ત્યારે ખ્યાલ આવ્યો કે તેના એક પગમાં ચંપલ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહેશ ગુમ થતા પહેલા ગામની એક દારૂની દુકાને ગયો હતો, જ્યાં કદાચ તેની કોઈની સાથે બબાલ થઈ ગઈ હતી. એ વિવાદના કારણે તેની હત્યા કરીને લાશ ઝાડ સાથે લટકાવી દેવાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. મૃતક મહેશ પાસવાનના પરિવારજનોએ ફોરેન્સિક તપાસની માંગ કરી છે અને હત્યાની આશંકા વ્યક્ત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે ફરિયાદ નોંધીને તમામ એંગલોથી તપાસ શરૂ કરી દીધી છે. આ શંકાસ્પદ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને લોકો જાતભાતની ચર્ચાઓ કરી રહ્યાં છે. પોલીસ આ મામલાના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે અને જલ્દી જ સત્ય સામે આવશે તેવી આશા વ્યક્ત કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/the-village-ostracized-the-valmiki-family-because-they-did-not-play-the-drum-because-they-were-sick"><strong>બિમાર હોવાથી ઢોલ ન વગાડ્યો, ગામે વાલ્મિકી પરિવારનો બહિષ્કાર કર્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 28 Jul 2024 10:57:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>988</Articleid>
                    <excerpt>એક ગામમાં દલિત યુવક ત્રણ દિવસથી ગુમ હતો, પરિવાર સહિત સૌ કોઈ તેને શોધી રહ્યા હતા. ચોથા દિવસે સીમમાં ઢોર ચરાવતા ભરવાડે તેની લાશ ઝાડ સાથે લટકતી જોઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a5d65ec1853.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a5d65e933d4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a5d65e933d4.jpg" length="106547" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>યુવકે જાતિવાદીઓ સામે ફરિયાદ કરી, આરોપીઓએ પગ ભાંગી નાખ્યા</title>
                    <link>https://khabarantar.com/the-youth-complained-against-the-racists-the-accused-broke-his-legs</link>
                    <guid>https://khabarantar.com/the-youth-complained-against-the-racists-the-accused-broke-his-legs</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકને એક શખ્સે જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કર્યો. યુવક પોલીસને ફરિયાદ કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને રસ્તામાં જ આંતરીને પગ ભાંગી નાખ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોને દેશમાં કાયદાની જાણે કોઈ બીક જ ન હોય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. એમાં પણ મામલો જ્યારે દલિત અત્યાચારનો હોય ત્યારે તો તેઓ વધારે આક્રમક બની જાય છે અને છડેચોક કાયદાનો ભંગ કરે છે. આ ઘટનામાં પણ આવું જ બન્યું છે, જ્યાં એક દલિત યુવકને જાતિવાદી તત્વો લાંબા સમયથી હેરાન કરતા હતા. યુવક એક હોટલમાં જમવા ગયો હતો ત્યાં જાતિવાદીઓ પહોંચી ગયા હતા અને તેની સાથે મારામારી કરી હતી. યુવક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે ગયો, પરંતુ તેની ફરિયાદ ન લેવાઈ. એ પછી તે મિત્ર સાથે ડીએસપીને મળવા ગયો અને ત્યાં ફરિયાદ કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અસલ ઘટના એ પછી બની. યુવક પોતાના મિત્ર સાથે ડીએસપીને ફરિયાદ કરીને પરત આવી રહ્યો હતો ત્યારે જાતિવાદી તત્વોએ તેને આંતર્યો હતો અને લાકડી-દંડા, લોખંડના પાઈપ વડે ઢોર માર મારી તેના બંને પગ ભાંગી નાખ્યા હતા. એ પછી તેઓ યુવકને મૃત મારીને એક ખેતરમાં ફેંકીને જતા રહ્યા હતા. બાદમાં યુવકના મિત્રએ પરિવારજનો અને પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુવકને હોસ્પિટલ સારવાર માટે મોકલ્યો હતો. હાલ યુવક જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશની છે. અહીં શાહજહાંપુરમાં ઢુકરી ખુર્દ ગામનો રહેવાસી ગણેશ બાબુ ગૌતમ 20 જુલાઈના રોજ એક ઢાબા પર જમી રહ્યો હતો. એ વખતે તેના ગામના જ વિવેક પ્રતાપ સિંહ નામના શખ્સે તેને જાતિસૂચક ગાળો ભાંડીને તેને માર મારવા પ્રયત્ન કર્યો હતો. ગણેશે આ મામલે આરોપી સામે એફઆઈઆર નોંધાવી હતી અને પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Memories-of-Khalil-Dhantejvi-Saheb"><span style="font-size: 14pt;">ખલીલ ધનતેજવી સાહેબના સંભારણા</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સ્થાનિક પોલીસે આરોપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહોતી કરી. જેના કારણે ગણેશે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. આરોપ છે કે તે ડીએસપી કચેરીએ ન્યાયની માંગ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને રસ્તામાં આંતર્યો હતો, એ વખતે તેનો મિત્ર સુખબીર પણ તેની સાથે હતો, પણ આરોપીઓએ તેને હથિયારોની બીક બતાવીને ભગાડી દીધો હતો. એ પછી તેઓ ગણેશ ગૌતમ પર તૂટી પડ્યા હતા. આરોપીઓએ ગણેશના પગ પર લાકડીઓ, દંડા અને લોખંડના પાઈપના ઘા કરીને તેના બંને પગ ભાંગી નાખ્યા હતા. પાઈપના ફટકાને કારણે ગણેશ બેભાન થઈ ગયો હતો અને આરોપીઓ તે મરી ગયો છે તેમ માની તેને ઢસડીને એક ખેતરમાં લઈ ગયા હતા, જ્યાં તેને મૂકીને ભાગી ગયા હતા. એ દરમિયાન આરોપીઓએ ગણેશ ગૌતમ પાસે રહેલા પોલીસ ફરિયાદના કાગળો ફાડીને ફેંકી દીધા હતા અને તેનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો હતો. ઘટના ફિરોઝપુર નજીક શીવધામ પાસે બની હતી. હાલ ગણેશની સારવાર ચાલી રહી છે અને આ ઘટનાને લઈને એફઆઈઆર નોંધી કાર્યવાહી શરૂ કરાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લાકડી, દંડા અને બંદૂકની ખૂંધથી માર માર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગણેશ ગૌતમે ફરિયાદમાં નોંધાવ્યા પ્રમાણે, આરોપી તેને ખેતરમાં ખેંચીને લઈ ગયા હતા અને ત્યાં લાકડી, દંડા, લોખંડની પાઈપ અને બંદૂકની ખૂંધથી તેને માર્યો હતો. જાતિવાદી તત્વોએ તેના બંને પગ ભાંગી નાખ્યા હતા. તેના હાથ અને માથામાં પણ ગંભીર ઈજા થઈ છે. મારને કારણે ગણેશ બેભાન થઈ ગયો હતો જેથી આરોપીઓ તેને મરી ગયેલો સમજીને ભાગી ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાનમાં આવેલા ગણેશ ગૌતમે જણાવ્યું હતું કે, તે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે અને આરોપીની જાતિના લોકો તેની પાસે બળજબરીથી મજૂરી કરાવીને વર્ષોથી હેરાન કરતા હતા. તેઓ તક મળ્યે જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કરતા હતા. તે દિવસે હોટલમાં પણ તેણે આ જ રીતે અપમાન કરીને માર મારવા પ્રયત્ન કર્યો હતો. જેનાથી તંગ આવી જઈને તેણે સ્થાનિક પોલીસને ફરિયાદ કરી હતી. જો કે તેમણે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરી નહોતી અને તેને છાવર્યા હતા. ગણેશનો આરોપ છે કે, આરોપીઓ તેમના બાળકોને સ્કૂલમાં ભણવા પણ નથી દેતા અને હવે તેમના આખા પરિવારનો જીવ જોખમમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્થાનિક પોલીસ આરોપીઓને સાથ આપે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ડીએસપીને મળ્યા બાદ આરોપીઓ સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ ગણેશનો આરોપ છે કે સ્થાનિક મદનાપુર પોલીસ આરોપીઓનો સાથ આપે છે અને તે એસપીને ફરિયાદ કરવા ગયો છે તે વાત પણ મદનાપુર પોલીસે જ આરોપીઓને જણાવી દીધી હતી. એસપી અશોકકુમાર મીણાએ જણાવ્યું છે કે, આ મામલે એફઆઈઆર નોંધી લેવાઈ છે અને એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Even-after-Valmikis-death-in-Danta,-the-casteist-villagers-did-not-allow-him-to-be-cremated-in-the-crematorium"><strong>દાંતામાં વાલ્મિકી યુવકને મર્યા પછી પણ આભડછેટ નડી, જાતિવાદી ગામલોકોએ સ્મશાનમાં અંતિમવિધિ ન થવા દીધી</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 27 Jul 2024 10:50:29 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 27 Jul 2024 10:51:24 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>982</Articleid>
                    <excerpt>દલિત યુવકને એક શખ્સે જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કર્યો. યુવક પોલીસને ફરિયાદ કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને રસ્તામાં જ આંતરીને પગ ભાંગી નાખ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a48218610cc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a48218313e6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a48218313e6.jpg" length="67791" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંમતનગરમાં દલિતોએ સાફો&amp;ચશ્મા પહેરી જાતિવાદીઓનો વિરોધ કર્યો</title>
                    <link>https://khabarantar.com/in-himmatnagar-dalits-protested-the-casteists-by-wearing-clean-glasses</link>
                    <guid>https://khabarantar.com/in-himmatnagar-dalits-protested-the-casteists-by-wearing-clean-glasses</guid>
                    <description>
                        <![CDATA[ હિંમતનગરમાં દલિત સમાજના આગેવાનોએ ગઈકાલે સાયબાપુરાની ઘટનાને લઈને જાતિવાદી તત્વોના વિરોધમાં અનોખ રીતે વિરોધ નોંધાવી કલેક્ટરને રજૂઆત કરી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગરની કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજના લોકોએ માથે સાફો બાંધી, આંખો પર ચશ્મા પહેરીને અનોખી રીતે જાતિવાદી તત્વોનો વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાયબાપુરમાં થોડા દિવસ પહેલા એક દલિત યુવકે ગામના જાતિવાદી તત્વોએ સોશિયલ મીડિયામાં સાફો અને ચશ્મા પહેરેલા ફોટાં મૂકવા બદલ માર મારી, જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યો હતો. આ ઘટનાની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હતી. આ બાબતની ફરિયાદ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે.  જેના વિરોધમાં આજે સાબરકાંઠા કલેકટર અને ડી.એસ.પી.ને દલિત સમાજના આગેવાનો, યુવાનોએ સામૂહિક રીતે સાફા અને ચશ્મા પહેરી આવેદનપત્ર આપ્યું હતું અને ગામના તમામ દલિત સમાજના લોકોને સાફા અને ચશ્મા પહેરાવી પદયાત્રા કરાવવાની માંગ તંત્ર પાસે કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/election-results-show-that-india-is-not-a-hindu-nation-amartya-sen"><span style="font-size: 14pt;">ચૂંટણીના પરિણામોએ બતાવી આપ્યું કે ભારત ‘હિંદુ રાષ્ટ્ર’ નથી: અમર્ત્ય સેન</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આવું પ્રથમ વખત બન્યું છે જેમાં જાતિવાદી ઘટનાનો ભોગ બનનારની સાથે દલિત સમાજના લોકોએ સામુહિક રીતે સાફા બાંધી, ચશ્મા પહેરી આવેદનપત્ર આપ્યું હોય અને આ જ રીતે પદયાત્રાની માંગ કરી હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંમતનગરના સાયબાપુરા ગામના અજયકુમાર રમેશભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તા. 17 જુલાઈ 2024ની રાત્રે ઓટોરિક્ષા લઈને નવાનગર બસ સ્ટેન્ડથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને ક્રિપાલસિંહ નવલસિંહ રાઠોડ અને મનુસિંહ લલિતસિંહ રાઠોડના છોકરાએ નીચે ઉતારીને, "તું તારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માથે સાફો બાંધેલો ફોટો કેમ મૂક્યો છે?, તું દરબાર નથી એટલે તારે આવો માથે સાફો બાંધેલો ફોટો મૂકવાનો નહીં." એમ કહીને તેમની જાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કરીને અપમાનિત કર્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/brahmins-were-4-percent-in-kolhapur-but-80-percent-of-the-jobs-were-brahmins"> <span style="font-size: 14pt;">કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી અજયભાઈ ત્યાંથી આગળ ગયા હતા, ત્યાં રાજનગર ખાતે તેમને હિતેન્દ્રસિંહ ખુમાનસિંહ રાઠોડ અને શુકલસિંહ બકુસિંહ રાઠોડ નામના બે શખ્સોએ આવીને અટકાવ્યા હતા અને મારામારી કરી હતી. જેથી અજયકુમારના પિતા તથા અન્ય એક વ્યક્તિ ભાવેશભાઈ આવી જતા આ શખ્સોએ તેમને પણ જાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કરી, અપશબ્દો બોલીને ઝપાઝપી કરી હતી. સાથે જ આ ચારેય શખ્સોએ મળીને પીડિત અજયકુમારને ઘર સાથે જીવતા સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અજયભાઈએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના રાષ્ટ્રીય સ્તરે ગાજી હતી. એ પછી દલિત સમાજ સંગઠનો સક્રિય થયા હતા અને આ મામલે જાતિવાદી તત્વોને કડકમાં કડક સજા થાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. તે અંતર્ગત જ આજે હિંમતનગર કલેક્ટરને સાફો બાંધી, ચશ્મા પહેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/you-are-not-a-courtier-why-are-you-posting-a-clean-picture-kahi-killed-the-dalit-youth"><strong>'તું દરબાર નથી, સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?' કહી દલિત યુવકને માર્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 26 Jul 2024 11:23:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>977</Articleid>
                    <excerpt>હિંમતનગરમાં દલિત સમાજના આગેવાનોએ ગઈકાલે સાયબાપુરાની ઘટનાને લઈને જાતિવાદી તત્વોના વિરોધમાં અનોખ રીતે વિરોધ નોંધાવી કલેક્ટરને રજૂઆત કરી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a3391de1740.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a3391db4794.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a3391db4794.jpg" length="44083" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકે પોલીસની ગાડીને ઓવરટેક કરી, પોલીસે ઢસડીને ફટકાર્યો</title>
                    <link>https://khabarantar.com/the-dalit-youth-overtook-the-police-car-the-police-hit-the-car</link>
                    <guid>https://khabarantar.com/the-dalit-youth-overtook-the-police-car-the-police-hit-the-car</guid>
                    <description>
                        <![CDATA[ એક દલિત યુવક મોંઘી બુલેટ બાઈક લઈ રસ્તેથી પસાર થતો હતો. એ દરમિયાન તેણે પોલીસની ગાડીને ઓવરટેક કરી હતી. જેથી પોલીસ અધિકારીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારી વાહનને ઓવરટેક કરવાની એક દલિત યુવકને તાલીબાની સજા આપવામાં આવી છે. એક દલિત યુવકે રસ્તા પર સરકારી ગાડી ચાલી રહી હતી તેને ઓવરટેક કરી હતી. જેથી પોલીસ ઉશ્કેરાઈ ગઈ હતી અને દલિત યુવકને ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી, જ્યાં તેને ઢોર માર માર્યો હતો. મારના કારણે યુવકના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ ડીએસપીએ તપાસના આદેશ આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાની છે. અહીં ખજુરાહોમાં એક દલિત યુવકે સરકારી પોલીસ વાનને ઓવરટેક કરી હતી. જેનાથી પોલીસ અધિકારીઓનો પિત્તો ગયો હતો અને તેઓ યુવકને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને ત્યાં તેને ઢોર માર માર્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ખજૂરાહોના વોર્ડ નંબર 07નો છે. અહીં નગરપાલિકામાં સફાઈ કામ કરતો રોહિત બુલેટ બાઈક લઈને પોલીસની ગાડી રોડ પરથી પસાર થતી હતી તેને ઓવરટેક કરીને આગળ નીકળ્યો હતો. જેનાથી પોલીસને પિત્તો ગયો હતો અને તેમણે રોહિતને કદી ન ભૂલે તેવી સજા કરવાનું નક્કી કર્યું હતું. એ પછી તેમણે રોહિતને આગળ જઈને રોક્યો હતો અને તેને પોલીસ સ્ટેશને લઈ જઈને કારણ વિના જ નિર્દયતાથી માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રોહિત અને તેના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તેમના ઘર પાસે ખજુરાહો પોલીસ સ્ટેશનની ગાડી ઉભી હતી. પોલીસની સરકારી ગાડીની બાજુમાંથી રોહિત બુલેટ બાઈક પર બેસીને નીકળ્યો હતો. એ પછી પોલીસે તેને બળજબરીથી ઉચકીને પોલીસવાનમાં બેસાડી દીધો હતો અને પોલીસ સ્ટેશન લઈ ગઈ. જેનો વીડિયો તેના પરિવારના લોકોએ ઉતારી લીધો હતો. રોહિતના પરિવારજનો તેને છોડી દેવા માટે વિનંતી કરતા રહ્યા પણ પોલીસે તેમનું કશું સાંભળ્યું નહોતું અને તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/cm-belongs-to-our-caste-we-will-give-water-when-we-want"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી અમારી જાતિનો છે, અમારી ઈચ્છા થશે ત્યારે પાણી આપીશું...</span></a></strong></span></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સ્ટેશન લઈ જઈને પોલીસે રોહિતને નિર્દયતાથી માર માર્યો હતો. તેમણે રોહિતને એ રીતે માર્યો જાણે તેણે કોઈ મોટો ગુનો કરી દીધો હોય. મારના કારણે તેના શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી છે અને નિશાન પડી ગયા છે. રોહિત ખજુરાહો નગરપાલિકામાં સફાઈકર્મી તરીકે કામ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવકે ઘરે આવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે કારણ વિના જ માર મારતા હતપ્રભ થઈ ગયેલા રોહિતે ઘરે આવીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. રોહિતના ભાઈએ જણાવ્યું હતું કે, જેવો પોલીસે રોહિતને છોડ્યો, તે તરત ઘરે આવી ગયો હતો અને રૂમમાં ભરાઈને આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો હતો. તેની સામે કોઈપણ પ્રકારની અરજી, ફરિયાદ કે એફઆઈઆર નથી. તેનો વાંક માત્ર એટલો જ હતો કે તે બુલેટ બાઈક લઈને પોલીસની ગાડીને ઓવરટેક કરીને નીકળ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે હવે યુવક રોહિતે ખજુરાહો એસડીએસપીને એક અરજી કરી છે, જેમાં આ તમામ બાબતે વિસ્તારથી લખવામાં આવ્યું છે. જો કે, એસડીએસપીએ આ મામલે કશું પણ કહેવાથી બચતા રહ્યા હતા. બીજી તરફ છત્તરપુર જિલ્લાના એસપીએ આ મામલે પગલાં લીધાં છે. તેમણે એક એસઆઈ અને એક સિપાહીની તપાસ શરૂ કરાવી છે. જો તેઓ દોષી સાબિત થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/remember-i-will-kill-you-wherever-you-find-me-and-thats-what-happened"><strong>"યાદ રાખજે! જ્યાં મળીશ ત્યાં જ મારી નાખીશ" અને એવું જ થયું...</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 25 Jul 2024 12:15:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>973</Articleid>
                    <excerpt>એક દલિત યુવક મોંઘી બુલેટ બાઈક લઈ રસ્તેથી પસાર થતો હતો. એ દરમિયાન તેણે પોલીસની ગાડીને ઓવરટેક કરી હતી. જેથી પોલીસ અધિકારીઓ ઉશ્કેરાઈ ગયા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a1f4826896f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a1f4823be05.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a1f4823be05.jpg" length="31225" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આરોપીઓના ડરથી ગેંગરેપ પીડિતા દલિત યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-girl-a-gang-rape-victim-hanged-herself-in-fear-of-the-accused</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-girl-a-gang-rape-victim-hanged-herself-in-fear-of-the-accused</guid>
                    <description>
                        <![CDATA[ ગેંગરેપનો ભોગ બનેલી એક 16 વર્ષની દલિત કિશોરીએ આરોપીઓના ડરને કારણે ગળેફાંસો ખાઈને ન્યાય મળ્યાં પહેલા જ જીવન ટૂંકાવી લીધું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માત્ર કલ્પના કરો કે, અહીં જે ઘટનાની ચર્ચા કરવા જઈ રહ્યાં છીએ એવું તમારા પરિવારની કોઈ દીકરી કે બહેન સાથે બને તો તમારું શું રિએક્શન હોય? કેટલો ગુસ્સો ચડે? આપણને ગમે તેટલો ગુસ્સો ચડે તો પણ આવું થઈ રહ્યું છે તે હકીકત છે અને ન્યાય માટે દીકરીનો પરિવાર વલખાં મારી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">16 વર્ષની માસુમ દીકરીને પડોશી ગામના યુવાનો બળજબરીથી બાઈક પર ઉઠાવી ગયા હતા અને તેની સાથે બે દિવસ સુધી ગેંગરેપ કર્યો હતો. કિશોરી જેમતેમ કરીને ઘરે પાછી આવી અને આખી ઘટનાની પરિવારને જાણ કરી. એ પછી કેસ થયો, પણ આરોપીઓ કિશોરી અને તેના પરિવારજનોને સતત ફોન કરીને સમાધાન કરી લેવાની ધમકી આપતા હતા. જેનાથી ડરી જઈને તેણે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાખ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશની છે. અહીં કનૌજ જિલ્લાના સૌરિખ પોલીસ સ્ટેશનના ઈશમપુર ગામની 16 વર્ષની એક દલિત કિશોરી કુદરતી હાજતે જવા માટે ખેતરમાં ગઈ હતી. ત્યારે જ બાજુના ગામના બે યુવકોએ બાઈક લઈને ત્યાં આવ્યા હતા અને બળજબરીથી તેને બાઈક પર બેસાડીને તેનું અપહરણ કરીને લઈ ગયા હતા. આરોપીઓ ત્યાંથી તેને દિલ્હી લઈ ગયા હતા અને ત્યાં વારાફરતી દુષ્કર્મ કર્યું હતું અને બાદમાં પરત તેના ગામમાં મૂકી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાથી દલિત કિશોરી એટલી ભયભીત થઈ ગઈ હતી કે તે સરખું બોલી પણ શકતી નહોતી. બીજી તરફ આરોપીઓ તેના પરિવારને સતત ફોન કરીને આ મામલે પોલીસ કેસ કર્યો તો જાનથી મારી નાખીશું એમ કહીને સમાધાન કરવા દબાણ કરતા હતા. જેનાથી ડરી ગયેલી કિશોરીએ આખરે ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવ કાઢી નાખ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા જ કિશોરીના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને તેમણે પોલીસ પર આરોપીઓ પાસેથી રૂપિયા લઈને તેમને છાવરવાનો આરોપ લગાવ્યો હતો. એ પછી એસઓજીની ટીમ અને પોલીસે આવીને કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કનૌજના ઈશમપુર ગામની 16 વર્ષની દલિત સગીરા સરસ્વતી જાટવ(નામ બદલ્યું છે.) 11 જુલાઈની સાંજે ગામની બહાર આવેલા ખેતરમાં કુદરતી હાજતે ગઈ હતી. ત્યારે જ બાજુના ગામ હજરતપુરના પુનીત રાજવીરસિંહ અને ભોલે ઓમપાલસિંહ ત્યાં બાઈક લઈને આવી પહોંચ્યા હતા અને સરસ્વતીનું અપહરણ કર્યું હતું અને તેને દિલ્હી લઈ ગયા હતા. જ્યાં બંનેએ ગેંગરેપ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/talking-about-something-different-and-weird-court-case"><span style="font-size: 14pt;">વાત કંઈક અલગ અને વિચિત્ર કોર્ટ કેસની...</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાજુ દીકરી મોડે સુધી દીકરી ઘરે પરત ન આવતા તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે પોલીસ કાર્યવાહી દરમિયાન 14 જુલાઈએ કિશોરી હજરતપુરની એક સ્કૂલમાં મળી હતી અને પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી હતી. પરિવારજનોનો આરોપ છે કે, હજરતપુરના આરોપી યુવકો પુનીત અને ભોલા તેમની દીકરીને તેમને ફોન કરીને સમાધાન કરી લેવાનું દબાણ કરતા હતા. જો એમ નહીં કરે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓના આવા સતત ટોર્ચરથી પરેશાન થઈને કિશોરીએ મંગળવારે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મામલાની જાણ થતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુવતીના ઘરમાં તપાસ કરીને જરૂરી પુરાવાઓ એકઠાં કર્યા હતા. એસઓજીની ટીમ પણ મૃતક યુવતીના ઘરે પહોંચી ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ યુવતીના પરિવારજનોએ પોલીસ પર આરોપીઓ પાસેથી રૂપિયા લઈને કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો. કિશોરીના ભાઈની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો છે. બીજી તરફ કિશોરીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતા જ આરોપીઓ પુનીત રાજવીરસિંહ અને ભોલે ઓમપાલસિંહ સાથે તેનો આખો પરિવાર ઘરને તાળું મારીને ફરાર થઈ ગયો છે અને પોલીસે હવે તેમની શોધખોળ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/the-neighbor-exposed-himself-to-the-dalit-woman-the-grieving-woman-hanged-herself"> <strong>દલિત મહિલા સામે પડોશી નિર્વસ્ત્ર થયો, દુઃખી મહિલાએ ગળેફાંસો ખાઈ લીધો</strong></a></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 24 Jul 2024 12:40:37 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 24 Jul 2024 21:43:22 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>967</Articleid>
                    <excerpt>ગેંગરેપનો ભોગ બનેલી એક 16 વર્ષની દલિત કિશોરીએ આરોપીઓના ડરને કારણે ગળેફાંસો ખાઈને ન્યાય મળ્યાં પહેલા જ જીવન ટૂંકાવી લીધું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a128182eb0f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a12818005c6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a12818005c6.jpg" length="92711" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>પોલીસે પહેલા જાતિ પૂછી, પછી દારૂ પી દલિત યુવકને નગ્ન કરી માર્યો</title>
                    <link>https://khabarantar.com/the-police-first-asked-the-caste-then-stripped-and-killed-the-dalit-youth-after-drinking-alcohol</link>
                    <guid>https://khabarantar.com/the-police-first-asked-the-caste-then-stripped-and-killed-the-dalit-youth-after-drinking-alcohol</guid>
                    <description>
                        <![CDATA[ એક દલિત યુવકને પોલીસે પહેલા તેની જાતિ પૂછી, પછી ચિક્કાર દારૂ પીધો અને ચોકીમાં જ નગ્ન કરી તે બેભાન થયો ત્યાં સુધી માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના બંધારણમાં પોલીસને દેશના રક્ષક કહેવાયા છે. પણ આ રક્ષકો પ્રત્યે દેશના સામાન્ય નાગરિકના મનમાં માન-સન્માનને બદલે ભારે બીક રહેલી છે. ખાખી વરદીની આડમાં પોલીસ સામાન્ય માણસ સાથે જે રીતે વર્તે છે, તેના લીધે લોકો તેમની પાસે જવાનું તો દૂર, નામ સાંભળીને પણ ડરે છે. એમાં પણ જ્યારે આરોપી કોઈ દલિત કે આદિવાસી સમાજનો હોય ત્યારે કોણ જાણે ક્યાંથી પોલીસકર્મીઓમાં અચાનક કાયદાના રખેવાળની જગ્યાએ જાતિવાદી માણસ પેદા થઈ જાય છે. દેશમાં દલિતો પર અત્યાચારની અનેક ઘટનાઓ બને છે તેમાં ન્યાય મળતો નથી. એટ્રોસિટીના કેસોમાં સજાનો દર 3 ટકા કરતા પણ ઓછો છે તેની પાછળ પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા રહેલી છે અને તે હવે દલિત-આદિવાસી સમાજનું નાનું બાળક પણ સમજે છે. પોલીસની આવી જ નકારાત્મક ભૂમિકાને ઉજાગર કરતી વધુ એક બર્બરતાપૂર્ણ ઘટના સામે આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે એક ગામમાં દલિત યુવકની પત્નીએ તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસ ચોકીના પોલીસકર્મીઓ યુવકના ઘરે પહોંચી ગયા અને તેને પોલીસ ચોકીએ લઈ આવ્યા. અહીં તેમણે તેને ઢોર માર માર્યો અને જાતિસૂચક ગાળો ભાંડી તેની પાસે પગ દબાવડાવ્યા હતા. પોલીસકર્મીઓએ પહેલા યુવકની જાતિ પૂછી હતી અને પછી મોડી રાત સુધી ચિક્કાર દારૂ પીને તેને લાકડી-દંડાથી બેરહેમ રીતે ફટકાર્યો હતો. જેના કારણે યુવક બેભાન થઈ ગયો હતો. એ પછી જ્યારે તે ફરી ભાનમાં આવ્યો, તો તેની પાસે પગચંપી કરાવાઈ હતી અને ફરી માર્યો હતો. સવારે જ્યારે યુવકે ઘરે જઈને તેના પરિવારને આખા મામલાની જાણ કરી અને શરીર પરના મારના નિશાન બતાવ્યા ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. એ પછી દલિત સંગઠનોએ હોબાળો મચાવતા પોલીસ ખાતા દ્વારા બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીં રામપુર જિલ્લાના શાહબાદ પોલીસ સ્ટેશનની ઢકિયા પોલીસ ચોકીમાં ભંવરની ઝદીદ ગામના એક દલિત યુવક સાથે બે પોલીસકર્મીઓએ બર્બરતાપૂર્ણ વર્તન કર્યું હતું. આ બંને પોલીસકર્મીઓ યુવકની પત્નીની ફરિયાદના આધારે તેને રાત્રે પોલીસ ચોકીએ ઉઠાવી લાવ્યા હતા. જ્યાં પહેલા તેને તેની જાતિ પૂછવામાં આવી હતી. એ પછી બંનેએ મોડી રાત સુધી દારૂ પીધો અને નશો બરાબર ચડ્યો પછી યુવકને નિર્દયતાથી માર માર્યો હતો. માર એટલો ગંભીર હતો કે યુવક બેભાન થઈ ગયો હતો. તેના બરડામાં સોળ ઉપસી આવ્યા હતા અને બેઠકના ભાગે કાળા ચકામા થઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/When-his-family-was-burnt-alive-in-front-of-that-7-year-old-child"><span style="font-size: 14pt;">જ્યારે 7 વર્ષના એ બાળક સામે તેના પરિવારને જીવતો સળગાવી દેવાયો!</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંને પોલીસકર્મીઓ આટલેથી અટક્યા નહોતા. એ પછી તેમણે યુવક ભાનમાં આવે ત્યાં સુધી રાહ જોઈ હતી અને જેવો તે ભાનમાં આવ્યો કે તરત તેની પાસે પગચંપી કરાવડાવી હતી અને માફી મગાવડાવી હતી. યુવકને માર માર્યા પછીનો એક વીડિયો વાયરલ થયા હોબાળો મચી ગયો હતો અને દલિત સંગઠનોએ પોલીસકર્મીઓ સામે મોરચો માંડ્યો હતો. રામપુરના એસપીએ આ બંને પોલીસકર્મીઓ અને ચોકી ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દીધા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ગત શનિવારની છે. અહીં શાહબાદ પોલીસ સ્ટેશનની ઢકિયા પોલીસ ચોકીમાં આવતા ભંવરની ઝદીદ ગામના ઋષિપાલ જાટવને તેની પત્ની સાથે કોઈ મામલે વિવાદ થઈ ગયો હતો. જેને લઈને તેની પત્નીએ સાંજે પાંચ વાગ્યા આસપાસ ઢકિયા પોલીસ ચોકીમાં હાજર સિપાહી જયદેવ અને અમિત કુમારને ફરિયાદ કરતા તેઓ ઋષિપાલને તેના ઘરેથી ઉઠાવી ગયા હતા. બંનેએ પોલીસ ચોકીમાં તેને નિર્દયતાથી માર માર્યો હતો. જેના કારણે ઋષિપાલ બેભાન થઈ ગયો હતો. પોલીસકર્મીઓની બર્બરતા આટલેથી અટકી નહોતી. તેમણે ઋષિપાલ ભાનમાં આવ્યો એટલે તેની પાસે પગ દબાવડાવ્યા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજા દિવસે સવારે ઋષિપાલ ઘરે પહોંચ્યો અને તેણે પોતાની આપવીતી પરિવારજનોને સંભળાવી. એ દરમિયાન કોઈએ તેની ઈજાના નિશાનનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં મૂકી દીધો હતો. જે વાયરલ થતા જ સમગ્ર વિસ્તારમાં અને પોલીસબેડામાં હોબાળો મચી ગયો હતો. દલિત સંગઠનો પણ એક્ટિવ થઈ ગયા અને પોલીસ ચોકીએ પહોંચી ગયા હતા. જ્યાં તેમની પોલીસ સાથે શાબ્દિક ઝડપ પણ થઈ હતી. મામલો બગડતો જોઈને પોલીસે બંને સિપાહીઓ પર કેસ નોંધ્યો હતો. સાથે જ ચોકીના પીએસઆઈને પણ સસ્પેન્ડ કરી દીધા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાના ત્રીજા દિવસે પૂર્વ રાજ્યમંત્રી અને બસપા નેતા સુરેન્દ્ર સાગર, વીર ભગતસિંહ યુવા મોરચાના અધ્યક્ષ રજતકુમાર, ભીમ આર્મીના જિલ્લા પ્રભારી સુનીલ કુમાર, ભાજપ એસસી મોરચાના વેદ પ્રકાશ સાગર સહિત તમામ દલિત સંગઠનના કાર્યકરો પીડિય યુવક ઋષિપાલની સાથે એસપી ઓફિસે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે બંને પોલીસકર્મીઓ પર કેસ ફાઈલ કરવા રજૂઆત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે આખરે બંને આરોપી સિપાહીઓ પર કાર્યવાહી શરૂ કરી હતી. બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં પીડિત યુવકનું એકાંતમાં નિવેદન લેવાને લઈને ભગતસિંહ યુવા મોરચાના અધ્યક્ષ રજતકુમારની એસપી સાથે શાબ્દિક ખેંચતાણ પણ થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત ઋષિપાલ જાટવનું કહેવું છે કે પત્નીની ફરિયાદ બાદ બંને પોલીસકર્મીઓ તેને ઘરેથી ઉઠાવી ગયા હતા. એ પછી મોડી રાત સુધી બંને પોલીસવાળાએ દારૂ પીધો હતો. એ પછી તેમણે ઋષિપાલની જાતિ પૂછી અને પછી તેને નગ્ન કરીને દંડાથી માર મારવો શરૂ કર્યો હતો. એટલું જ નહીં બંનેએ જાતિસૂચક ગાળો ભાંડીને તેને એટલો માર્યો હતો કે તે બેભાન થઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/the-village-ostracized-the-valmiki-family-because-they-did-not-play-the-drum-because-they-were-sick"><strong>બિમાર હોવાથી ઢોલ ન વગાડ્યો, ગામે વાલ્મિકી પરિવારનો બહિષ્કાર કર્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 23 Jul 2024 13:45:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>962</Articleid>
                    <excerpt>એક દલિત યુવકને પોલીસે પહેલા તેની જાતિ પૂછી, પછી ચિક્કાર દારૂ પીધો અને ચોકીમાં જ નગ્ન કરી તે બેભાન થયો ત્યાં સુધી માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669f661ec38a5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669f661e90828.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669f661e90828.jpg" length="74003" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>15 દિવસ પછી પણ પોલીસ દલિત યુવકના મોતનું રહસ્ય ઉકેલી શકી નથી</title>
                    <link>https://khabarantar.com/even-after-15-days-the-police-could-not-solve-the-mystery-of-the-dalit-youths-death</link>
                    <guid>https://khabarantar.com/even-after-15-days-the-police-could-not-solve-the-mystery-of-the-dalit-youths-death</guid>
                    <description>
                        <![CDATA[ અરવલ્લીના મોડાસામાં 15 દિવસ પહેલા થયેલા દલિત યુવક પ્રિત ચૌધરીના મોત મામલે પોલીસ 15 દિવસ પછી પણ કોઈ કડી શોધી નથી. હવે સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજથી 15 દિવસ પહેલા કોલિખડ ગામના આશાસ્પદ યુવક પ્રિત ચૌધરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની ડેડબોડી પર ઈજાના નિશાન હતા, જેને લઈને તેના પરિવારે તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ મામલે લોકલ હવે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ આજકાલ કરતા 15 દિવસ વીતવા છતાં પોલીસને તેમાં કોઈ કડી મળી નથી. જેના કારણે હવે યુવકના પરિવારે સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખી ઘટનામાં જે રીતે પોલીસ તપાસ કરી રહી છે તે જોતા મૃતકના પરિવારજનોનું માનવું છે કે, પોલીસ યોગ્ય રીતે આ મામલામાં તપાસ નથી કરી રહી. એવું લાગે છે કે, તે ચોક્કસ લોકોને બચાવવા પ્રયત્ન કરી રહી હોય. આથી જ તેમણે આ કેસ સીબીઆઈને સોંપવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે મૃતક યુવાન પ્રિત ચૌધરીના પરિવારજનો સાથે સમગ્ર દલિત સમાજના લોકોએ મોડાસા ચાર રસ્તા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાંથી દલિત સમાજના આગેવાનોએ મૃતકના પરિવારજનોની પડખે ઉભા રહી પ્રિત ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રિતના મોતને 15 દિવસ કરતા વધુનો સમય વીતી ગયો હોવા છતાં પોલિસ હજુ સુધી કોઈ ચોક્કસ તારણ સુધી પહોંચી શકી નથી, જેને લઇને દલિત-બહુજન સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ - પુરુષો તેમજ યુવાનો પહોંચ્યા હતા અને પ્રિતને ન્યાય મળે તેવી આશા સાથે મૌન પાળીને પોલીસ તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચાડવા પ્રયત્ન કર્યો હતો. જોકે આટલા દિવસની પછી તપાસ વ્યર્થ ગઈ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કેમ કે, પોલીસને હજુ સુધી કોઈ ચોક્કસ પગેરું મળ્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી હાઇવે પર તત્વ આર્કેડના બેઝમેનમાંથી 4 જુલાઈના રોજ સાંજના સમયે પ્રિત ચૌધરી નામના દલિત યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મોતને લઈને પરિવરજનો પર આભ તૂટી પડ્યું હતું. બીજી બાજુ તેનું મોત કુદરતી થયું છે કે હત્યા થઈ છે તેને લઇને કોકડું ગૂંચવાયું છે. કેમ કે, પોલીસ હજુ પણ અંધારામાં તીર મારી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/suicide-or-murder-of-dalit-student-of-ld-engineering-college"><span style="font-size: 14pt;">એલ.ડી. એન્જિનિયરીંગ કૉલેજના દલિત વિદ્યાર્થીની આત્મહત્યા કે હત્યા?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિત ચૌધરીના પરિવારજનોનું કહેવું છે કે, "તે ઘરેથી ગયો ત્યારે બેગ, ટિફિન સાથે હતું. આ સાથે જ તેના કાંડા પર ઘડિયાળ પહેરેલી હતી. જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે સ્થળ પરથી આ તમામ ચીજવસ્તુઓ ગાયબ હતી." આ સાથે જ પગના ભાગે જોવા મળેલાં કેટલાક નિશાનોને લઈને પણ પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે પ્રિતની હત્યા કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે પીડિત પરિવારો તેમજ સમાજના આગેવાનોએ LCB પીઆઈને તપાસ બાબતે પૂછતા તેમણે મૌખિક રીતે જણાવ્યું હતું કે, "પોલિસે કૉલ ડિટેઈલ્સ સહિતની તપાસ કરી છે. આ સાથે કોમ્પલેક્ષની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા છે. વધુ તપાસ માટે 50 જેટલાં પોલીસ જવાનોની ટીમ કામે લાગી છે. પોલીસે મૃતદેહના અવશેષોને એફએસએલ માટે મોકલી આપ્યા છે, જેનો રિપોર્ટ ઝડપથી આવે તેવા પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવે તેવા પ્રયત્નો કરાયા છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું રહ્યું કે, ઘટના 4 જુલાઈના રોજ બની હતી. પરંતુ અત્યાર સુધી પોલીસે જે પણ તપાસ કરી તે અંધારામાં તીર માર્યા હોય તેવું લાગે છે. હવે તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. એક બાજુ પોલીસ કહે છે કે, તેમણે 50 જેટલા જવાનોની ટીમ બનાવીને તપાસ કરાવી છે છતાં કશું હાથ લાગ્યું નથી. તો એલસીબી ક્યા આધારે આ મામલામાં આગળ તપાસ કરશે તે સવાલ છે. પોલીસ હજુ FSL રિપોર્ટની રાહ જોઈને બેઠી છે, પણ તે મૃતકની બેગ, ચપ્પલ અને ઘડિયાળ પણ શોધી શકી નથી. એ સ્થિતિમાં મોડાસા પોલીસની સમગ્ર કામગીરી જ શંકાના દાયકામાં આવી જાય છે. પોલીસની આવી ઢીલી કામગીરી કોઈને છાવરવા માટે તો નથી થઈ રહીને, તેવો સવાલ હવે મૃતકના પરિવારજનોના મનમાં ઉઠી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોડાસા શહેરના શામળાજી રોડ પર જિલ્લા પોલીસ ભવન સામે આવેલ તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી 4 જુલાઈની સાંજે પ્રીત ગિરીશ ભાઈ ચૌધરી નામના અનુસૂચિત જાતિ સમાજના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પરિવારના આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને તેઓ દોડતા આવી પહોંચ્યા હતા. જો કે, આજકાલ કરતા આ ઘટનાને 15 દિવસ વીતી ગયા હોવા છતાં પ્રિતનું મોત કેવી રીતે થયું તે પોલીસ શોધી શકી નથી. પોલીસ આ મામલે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા દિવસ પહેલા મૃતક પ્રિતના પરિવારજનો તેમજ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ એસપી કચેરી ખાતે અરવલ્લી જિલ્લા એસપીને આ મામલે રજૂઆત કરી હતી. જે જગ્યાએથી પ્રિતનો મૃતદેહ મળી આવ્યો હતો તે જગ્યાએથી હજુ સુધી પોલીસને કોઈ ચીજવસ્તુ મળી નથી. પરંતુ તેના પરિવારજનોનું કહેવું છે કે તેની પાસે કોલેજ જવા માટેની બેગ હતી. આ સિવાય પણ કેટલીક ચીજોનો તેમણે ઉલ્લેખ કર્યો છે પણ તેમાનું કશું જ પ્રિતના મૃતદેહ પાસેથી મળ્યું નહોતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારજનોના કહેવા પ્રમાણે પ્રિત ઘરેથી કોલેજ જવા માટે બેગ અને ટિફિન લઈને નીકળ્યો હતો. સાંજના સુમારે તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવેની માંગ સાથે જીલ્લા SPને રજૂઆત કરતા એસપીએ એફએસએલ રિપોર્ટ સુધી ધીરજ રાખવા જણાવ્યું છે. સાથે જ પ્રિત ઘરેથી કોલેજ ગયો ત્યારે બેગ સહિતની કેટલીક ચીજવસ્તુઓ તેની પાસે હતી પણ તે જે જગ્યાએથી તેનો મૃતદેહ મળ્યો, ત્યાંથી આમાંની કોઈ ચીજવસ્તુ મળી નથી હોવાની તેની હત્યા અન્ય જગ્યાએ કરાયા બાદ લાશ અહીં ફેંકી દીધી હોવાની આશંકા પણ નકારી શકાતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિત અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામનો વતની હતો. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેની કોલેજથી નજીક આવેલા તત્વ આર્કેડના પાછળના ભાગમાં આવેલા બેઝમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કેટલીક જગ્યાએ સીસીટીવી ન હોવાથી પોલીસ માટે પણ તપાસમાં અડચણો આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહના અવશેષોને એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા પછી, ખ્યાલ આવશે કે પ્રિતની હત્યા થઈ છે કે કુદરતી મોત. હાલ તો પોલિસ બનતા તમામ પ્રયાસ કરી રહી હોવાનું ASP એ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શરીર પર ઈજાના અનેક નિશાન હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">19 વર્ષના પ્રિત ચૌધરીના મૃતદેહ પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા હતા. જેના કારણે તેના પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જો કે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે પ્રિતનું મોત ખરેખર કેવી રીતે થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/mysterious-death-of-dalit-engineering-student-in-ahmedabad-as-well-as-modasa"><strong>અમદાવાદ જેમ મોડાસામાં પણ દલિત એન્જિનીયરીંગ સ્ટુડન્ટનું ભેદી મોત</strong></a></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 23 Jul 2024 11:41:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>961</Articleid>
                    <excerpt>અરવલ્લીના મોડાસામાં 15 દિવસ પહેલા થયેલા દલિત યુવક પ્રિત ચૌધરીના મોત મામલે પોલીસ 15 દિવસ પછી પણ કોઈ કડી શોધી નથી. હવે સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669f48db0dda0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669f48dace7a6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669f48dace7a6.jpg" length="100713" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અર્ણેશ કુમારના ચૂકાદાના ખોટા અર્થઘટન મુદ્દે હવે આરપારની લડાઈ શરૂ</title>
                    <link>https://khabarantar.com/on-the-issue-of-misinterpretation-of-Arnesh-Kumars-verdict-the-battle-has-started</link>
                    <guid>https://khabarantar.com/on-the-issue-of-misinterpretation-of-Arnesh-Kumars-verdict-the-battle-has-started</guid>
                    <description>
                        <![CDATA[ અર્ણેશકુમારના ચૂકાદાનું ખોટું અર્થઘટન કરી એટ્રોસિટીના આરોપીઓને જામીન આપી દેવાની ચાલ સામે હવે રાજ્યના તમામ એસસી-એસટી સંગઠનોએ આર યા પારની લડાઈ શરૂ કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ સર્કીટ હાઉસ ખાતે ગઈકાલે ૨૧/૦૭/૨૦૨૪ ના રોજ દલિત સમાજના વિવિધ મુદ્દે કામ કરતા કર્મશીલો અને સંગઠનોના પ્રતિનિધિઓની મીટીંગ થઈ હતી. જેમાં એટ્રોસીટી એકટ હેઠળ નોંધાયેલ ગુન્હામાં અરણેશ કુમાર વિ. સ્ટેટ ઓફ બિહાર (સુપ્રીમ કોર્ટ, ૨૦૧૩) ના ચુકાદાનું ખોટું અર્થઘટન કરીને આરોપીઓને નોટીસ આપીને પોલીસ સ્ટેશનમાંથી છોડી મુકવાની ઘટના બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવે છે એવી રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને અનેક રજુઆતોના માધ્યમથી જાણ હોવા છતાં આંખ આડા કાન કરીને બેસી રહી છે. એવા સંજોગોમાં તમામ ઉપસ્થિત કર્મશીલો દ્વારા રાજ્યના પોલીસ વડા, ગૃહ સચિવને રૂબરૂ મળીને આખી બાબતથી ફરીથી માહિતગાર કરવાનું નક્કી કરેલ છે. તેના માટે આગામી તા. 30 જુલાઈ 2024ના રોજ વિવિધ સંગઠનો એક સાથે મળી રાજ્યના પોલીસ વડા, ગૃહ સચિવ અને ગૃહરાજ્ય મંત્રીને રૂબરૂ રજૂઆત કરવા જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે વિસ્તારથી માહિતી આપતા એડવોકેટ સુબોધ કુમુદે જણાવ્યું હતું કે, "એટ્રોસિટી એકટની ઘટનાઓમાં અરણેશકુમારના ચુકાદાના પોલીસ દ્વારા ખોટા અર્થઘટનના મુદ્દે આગામી ૩૦ તારીખના રોજ રાજ્યના પોલીસ વડા, ગૃહ સચિવ, ગૃહ મંત્રીને મળીને રૂબરૂ રજુઆત કરવામાં આવશે. જો ગૃહ વિભાગ અને ગુજરાત સરકાર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો આગામી દિવસોમાં દલિતો-આદિવાસીઓ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. મીટીંગમાં દલિત-આદિવાસી સમાજના વિવિધ મુદ્દે કામ કરતા અલગ-અલગ સંગઠનોના પ્રતિનિધિઓ અને કર્મશીલો હાજર રહ્યા હતા. તેમણે સૌએ એકસૂરે આ મામલે કોર્ટ રાહે પણ પોલીસની આ હરકતને પડકારવામાં આવશે અને રસ્તા પરની લડાઈ પણ લડવામાં આવશે તેમ નક્કી કર્યું છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-an-atrocity-the-police-cannot-release-the-accused-from-the-police-station-on-bail"><span style="font-size: 14pt;">એટ્રોસિટીમાં પોલીસ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર ન છોડી શકે</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_669e00890076c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ સુબોધ કુમુદે વધુમાં જણાવ્યું હતું કે, "રાજ્યના નાગરિકોના હિતોના રક્ષણની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્યમાં કોઈપણ ગુન્હા નોંધાય એ કોઈ એક વ્યક્તિ સામે પછી, પણ પહેલા સરકાર અને સમાજ સામેના ગુન્હાઓ છે. અગાઉ શાપર વેરાવળમાં એક દલિતને ફેકટરીના ગેટ પાસે બાંધીને માર મારવાની ઘટનામાં મૃત્યુ થતાં આરોપી હાઇકોર્ટમાંથી જામીન મેળવીને છુટી ગયો હતો. જે હુકમને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારતાં સુપ્રીમ કોર્ટે સરકારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢીને રાજ્ય સરકારને ટકોર કરેલી કે આ પ્રકારના કેસોમાં સરકારે પોતે આગળ આવીને આવા હુકમો સામે અપીલ કરવી જોઈએ અને જામીનના હુકમને પડકારવા જોઈએ. પરંતુ રાજ્ય સરકાર અને એનો કાયદા વિભાગ દલિત-આદિવાસીઓના હક્કોના રક્ષણની વાત આવે ત્યારે ધૃતરાષ્ટ્ર મૌન ધારણ કરી લે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અરણેશ કુમારના ચુકાદાનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે જેની જાણ રાજ્ય સરકારને હોવા છતાં કોઈ જ પગલાં ભરવામાં નથી આવી રહ્યા. એટ્રોસીટી એકટ હેઠળ નોંધાયેલ બળાત્કાર અને ખૂન જેવા જઘન્ય ગુન્હાઓના એકપણ કેસમાં આજદિન સુધી ગુજરાત સરકાર ફરીયાદી તરફ અપીલમાં ગઈ હોય એવું યાદ નથી આવી રહ્યું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયદાનો પૂર્ણપણે અમલ કરાવવાની જવાબદારી સરકારની છે. એકપણ અત્યાચારની ઘટનામાં જે વિભાગની કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે એવા ગૃહમંત્રી આજદિન સુધી ગયા નથી અને પીડિતોને મળ્યા નથી જે સરકારની વંચિત વર્ગ માટેની નિસ્બત દર્શાવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત-આદિવાસીઓના હિતોને સરકારે હંમેશા દરકીનાર કર્યા છે. ઉનાના પીડિતોને આપેલા વચનો આજદિન સુધી પુરા નથી કર્યા કે ભાનુભાઈ વણકર આત્મવિલોપન પ્રસંગે લેખિતમાં મુખ્ય સચિવની સુચનાથી આપેલી બાંહેધારીનો પણ અમલ નથી કર્યો. પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવામાં આવ્યા પણ વારંવારની રજુઆતો છતાં એકપણ દલિત આંદોલનના કેસ પરત ખેંચવામાં નથી આવ્યા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યની મોનીટરીંગ સમિતિની બેઠક જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ષમાં ૨ (બે) વખત મળવી એ એટ્રોસિટી એકટ મુજબ અનિવાર્ય છે એની બેઠક લગભગ છેલ્લા ત્રણ વર્ષથી મળી નથી. જે દર્શાવે છે કે અરણેશ કુમારના ખોટા અર્થઘટનના કેસમાં સરકાર કેમ કોઈ પગલાં નથી ભરી રહી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/now-the-accused-in-the-case-of-atrocity-will-go-home-after-tea-watering-the-police"><strong>હવે એટ્રોસિટીના કેસમાં આરોપીઓ પોલીસના ચા-પાણી કરીને ઘરે જતા રહેશે?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 22 Jul 2024 12:21:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>957</Articleid>
                    <excerpt>અર્ણેશકુમારના ચૂકાદાનું ખોટું અર્થઘટન કરી એટ્રોસિટીના આરોપીઓને જામીન આપી દેવાની ચાલ સામે હવે રાજ્યના તમામ એસસી-એસટી સંગઠનોએ આર યા પારની લડાઈ શરૂ કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669e00705490b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669e007025d2b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669e007025d2b.jpg" length="65862" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;તું દરબાર નથી, સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?&amp;apos; કહી દલિત યુવકને માર્યો</title>
                    <link>https://khabarantar.com/you-are-not-a-courtier-why-are-you-posting-a-clean-picture-kahi-killed-the-dalit-youth</link>
                    <guid>https://khabarantar.com/you-are-not-a-courtier-why-are-you-posting-a-clean-picture-kahi-killed-the-dalit-youth</guid>
                    <description>
                        <![CDATA[ હિંમતનગરના એક ગામમાં ઓટોરિક્ષા ચાલક દલિત યુવક સાથે જાતિવાદી લુખ્ખા તત્વોએ &#039;તું માથે સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?&#039; કહીને મારામારી કરી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ ગુજરાતમાં પોલીસ અર્ણેશકુમારના જજમેન્ટને આધારે એટ્રોસિટી એક્ટને નબળો પાડી જાતિવાદી તત્વોની તરફેણમાં માહોલ પેદા કરવા મથી રહી છે, ગુજરાત હાઈકોર્ટ એટ્રોસિટી એક્ટનો દુરૂપયોગ થઈ રહ્યાંની વાત કરી રહી છે, બીજી તરફ જમીની વાસ્તવિકતા એ છે કે, દલિતો પર અત્યાચાર ઓછાં થવાનું નામ નથી લઈ રહ્યાં. જાતિવાદી તત્વો અમુક મોજશોખ જાણે તેમના બાપદાદાની જાગીર હોય તેમ વર્તી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી એક ઘટના બનાસકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાયબાપુરા ગામમાં સામે આવી છે. અહીં એક દલિત યુવકને ગામના બે જાતિવાદી તત્વોએ અટકાવીને, "તું દરબાર નથી, છતાં કેમ માથે સાફો બાંધેલો ફોટો સોશિયલ મીડિયામાં મૂકે છે?" કહીને મારમારી કહી હતી. આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Father-fought-for-freedom-with-revolutionary-Chandrasekhar-Azad,-daughter-had-to-fight-a-case-in-court-for-3-years-to-prove-her-citizenship"> <span style="font-size: 14pt;">પિતા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ સાથે સ્વતંત્રતાની લડાઈ લડ્યાં, દીકરીએ નાગરિકતા સાબિત કરવા 3 વર્ષ કોર્ટમાં કેસ લડવો પડ્યો!</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંમતનગરના સાયબાપુરા ગામના અજયકુમાર રમેશભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તા. 17 જુલાઈ 2024ની રાત્રે ઓટોરિક્ષા લઈને નવાનગર બસ સ્ટેન્ડથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને ક્રિપાલસિંહ નવલસિંહ રાઠોડ અને મનુસિંહ લલિતસિંહ રાઠોડના છોકરાએ નીચે ઉતારીને, "તું તારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માથે સાફો બાંધેલો ફોટો કેમ મૂક્યો છે?, તું દરબાર નથી એટલે તારે આવો માથે સાફો બાંધેલો ફોટો મૂકવાનો નહીં." એમ કહીને જાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કરીને અપમાનિત કર્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી અજયભાઈ ત્યાંથી આગળ વધી ગયા હતા, ત્યાં રાજનગર ખાતે તેમને હિતેન્દ્રસિંહ ખુમાનસિંહ રાઠોડ અને શુકલસિંહ બકુસિંહ રાઠોડ નામના બે શખ્સોએ આવીને અટકાવ્યા હતા અને મારામારી કરી હતી. જેથી અજયકુમારના પિતા તથા અન્ય એક વ્યક્તિ ભાવેશભાઈ આવી જતા આ શખ્સોએ તેમને પણ જાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કરી, અપશબ્દો બોલીને ઝપાઝપી કરી હતી. સાથે જ આ ચારેય શખ્સોએ મળીને પીડિત અજયકુમારને ઘર સાથે જીવતા સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અજયભાઈએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/the-dabango-beat-up-the-widowed-mother-of-a-dalit-child-who-was-bathing-in-a-bore"><strong>બોરમાં નહાવા પડેલા દલિત બાળકની વિધવા માતાને દબંગોએ ઢોર માર માર્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 20 Jul 2024 15:00:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>948</Articleid>
                    <excerpt>હિંમતનગરના એક ગામમાં ઓટોરિક્ષા ચાલક દલિત યુવક સાથે જાતિવાદી લુખ્ખા તત્વોએ &#039;તું માથે સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?&#039; કહીને મારામારી કરી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669b75c75b98c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669b75c728cd5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669b75c728cd5.jpg" length="104222" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યો તો પિતા&amp;પુત્ર પાસે બધાં ટોઈલેટ સાફ કરાવ્યા</title>
                    <link>https://khabarantar.com/if-public-toilet-is-used-all-toilets-are-cleaned-by-father-and-son</link>
                    <guid>https://khabarantar.com/if-public-toilet-is-used-all-toilets-are-cleaned-by-father-and-son</guid>
                    <description>
                        <![CDATA[ એક દલિત પિતા-પુત્રને પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કરવા બદલ જાતિવાદીઓએ 4 કલાક ટોઈલેટમાં બંધ કરી દીધાં, 5 હજાર દંડ કર્યો અને શૌચાલય સાફ કરાવ્યા ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદનું ઝેર કેટલું ભયંકર હોય છે તે કોઈ વ્યક્તિને તમે માત્ર કહીને સંભળાવી ન શકો. એ તો જેણે વેઠ્યું હોય તેને જ ખબર પડે કે તે કેટલું પીડાજનક હોય છે. દુનિયાના અન્ય દેશો જ્યાં ટેકનોલોજી થકી વધુને વધુ પ્રગતિ સાધી રહ્યાં છે, ત્યાં બીજી તરફ ભારત જાતિવાદની ગર્તામાં વધુને વધુ ધકેલાતો જાય છે. અનેક એવી ઘટનાઓ બને છે જેમાં તદ્દન સામાન્ય બાબતમાં જાતિવાદી તત્વો દલિત સમાજની વ્યક્તિને હડધૂત કરે છે, માર મારે છે અને ખૂન કરવા સુધીની હદે જતા રહે છે. મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થાના પાયા પર ઉભેલા હિંદુ ધર્મે તેમના મનમાં દલિતો પ્રત્યે એ હદે નફરત અને ધૃણા ભરી દીધી છે કે તેમને કાયદો વ્યવસ્થાનો પણ ડર નથી. આવી જ એક બર્બરતાપૂર્ણ ઘટનાની અહીં વાત કરવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાહેર શૌચાલય શબ્દ સ્વયં સ્પષ્ટ કરે છે કે તે સૌ કોઈ માટે છે. પણ એક ગામમાં તેનો ઉપયોગ કરવા બદલ એક દલિત પિતા-પુત્રને જાતિવાદી તત્વોએ તાલીબાની સજા આપી. પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કરવા બદલ તેમણે આ પિતા-પુત્રને કલાકો સુધી ટોઈલેટમાં પુરી દીધાં. એ પછી તેમની પાસે શૌચાલયની સફાઈ કરાવડાવી અને ઉપરથી રૂ. 5000નો દંડ ફટકારવામાં આવ્યો. ગંભીર બાબત એ છે કે ગામના સરપંચ અને સભ્યોએ મળીને દલિત યુવકને ઢોર માર માર્યો હતો, જેના કારણે પુત્રની એક આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. માર એટલો ગંભીર છે કે યુવક ફરી એ આંખે કદાચ જોઈ નહીં શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીં કુશીનગર જિલ્લામાં એક દલિત યુવકને ગામના પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કરવા બદલે સરપંચ અને સભ્યોએ મળીને તાલીબાની સજા કરી છે. પહેલા તો આ લોકોએ યુવકને ટોઈલેટમાં જ કલાકો સુધી પુરી રાખ્યો. એ પછી તેના પિતાને બોલાવ્યા અને બંને પાસે બધાં ટોઈલેટની સફાઈ કરાવડાવી. આટલેથી તેમનું મન ન ભરાયું તો યુવકને તેના પિતાની સામે જ ઢોર માર માર્યો, જેમાં યુવકની એક આંખમાં ગંભીર ઈજા પહોંચી છે. વાત આટલેથી અટકતી નથી, એ પછી જાતિવાદી તત્વોએ આ પિતાપુત્રને રૂ. 5000 દંડ ફટકાર્યો. આ ઘટનાથી હતપ્રભ થઈ ગયેલા ગામના દલિતો અને પીડિત પિતાપુત્રે મળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/The-hard-work-of-the-rationalists-paid-off:-More-than-4000-Bahujans-flocked-to-the-Ahmedabad-crematorium-leaving-behind-the-fear-of-Kali-Chaudash."> <span style="font-size: 14pt;">રેશનાલિસ્ટોની મહેનત ફળીઃ કાળી ચૌદશનો ડર છોડી અમદાવાદના સ્મશાનમાં 4000થી વધુ બહુજનો ઉમટી પડ્યાં</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના કુશીનગર જિલ્લાના ચૌરા ખાસ પોલીસ સ્ટેશનના કોટવા કરજહી ગામની છે. અહીં ગામના સરપંચ સુરેન્દ્ર કુશવાહા અને તેના સાથી સભ્યોએ એક દલિત પિતા-પુત્ર પર એ હદે અમાનવીય વર્તન કર્યું છે જે સાંભળીને આપણી આંખો ભરાઈ આવે. યુવકનું નામ પ્રેમ પ્રસાદ છે અને તેના પિતાનું નામ ભગન પ્રસાદ હોવાનું સામે આવ્યું છે. સરપંચ સુરેન્દ્ર કુશવાહા અને ગ્રામ પંચાયતના અન્ય સભ્યોએ તેમને એ હદે ટોર્ચર કર્યા છે જેની કલ્પના કરતા પણ આપણને કંપારી છુટી જાય. ભગન પ્રસાદના પુત્ર પ્રેમપ્રસાદે ગામના પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કર્યો હતો. જેની જાણ સરપંચ સુરેન્દ્ર કુશવાહાને થતા તે સભ્યો સાથે અહીં પહોંચી ગયો હતો. એ પછી તેણે પ્રેમપ્રસાદને કલાકો સુધી ટોઈલેટમાં બંધ કરી દીધો હતો અને તેના પિતા ભગન પ્રસાદને બોલાવીને બંને પાસે બધાં ટોઈલેટ સાફ કરાવ્યા હતા. એટલું જ નહીં, પ્રેમપ્રસાદને પિતાની સામે જ ઢોર માર માર્યો, જેના કારણે તેની એક આંખ ફૂટી ગઈ હોવાનું કહેવાય છે. ત્યારબાદ આ જાતિવાદી સરપંચે આ પિતાપુત્રને રૂ. 5000 દંડ ફટકાર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ભગન પ્રસાદ કહે છે, "મારો દીકરો પ્રેમપ્રસાદ આમ તો મોટાભાગે ઘરે જ બનેલા ટોઈલેટનો ઉપયોગ કરે છે. ક્યારેક કે ખુલ્લામાં શૌચ જવા માટે જાય છે. પરંતુ 15 જુલાઈની વહેલી સવારે 7 વાગ્યે તે કોઈ કામથી ગામની બહાર નીકળ્યો હતો ત્યારે તેણે ગામની બહાર બનેલા પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કર્યો હતો. એ દરમિયાન ખખડધજ ટોઈલેટનો દરવાજો અચાનક તેના પર પડ્યો. જેની જાણ ગામના કોઈ માણસે સરપંચ સુરેન્દ્ર કુશવાહાને કરી દીધી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભગન પ્રસાદ આગળ કહે છે, "એ પછી સુરેન્દ્ર પંચાયતના અન્ય સભ્યોની સાથે સ્થળ પર પહોંચી ગયો હતો અને પ્રેમપ્રસાદને ટોઈલેટમાં બંધ કરીને તાળું મારી દીધું હતું. આ રીતે તેને 4 કલાક સુધી અંદર પુરી રાખ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પ્રેમપ્રસાદને ટોઈલેટમાં પુરી દેવામાં આવ્યો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરપંચ સુરેન્દ્ર કુશવાહાએ પ્રેમ પ્રસાદના પિતા ભગન પ્રસાદને સ્થળ પર બોલાવ્યા હતા અને તેમને બધાંની વચ્ચે ભારે અપમાનિત કર્યા હતા. એ પછી તૂટેલા દરવાજા માટે રૂ. 15000 દંડ માંગ્યો હતો. પ્રેમ પ્રસાદના પિતા ભગન પ્રસાદ આટલી મોટી રકમ ભરી શકવા સક્ષમ નહોતા. એ પછી રૂ. 5000 દંડ ભરવાનું નક્કી થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરપંચ સુરેન્દ્ર કુશવાહાએ પ્રેમ પ્રસાદને તેના પિતાની સામે જ ઢોર માર માર્યો હતો. જેના કારણે તેની એક આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. કહેવાય છે કે, તેની એક આંખ ફૂટી ગઈ છે અને તે કદાચ ફરીથી જોઈ નહીં શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભગન પ્રસાદનો આરોપ છે કે, સુરેન્દ્ર કુશવાહાએ તેમની બંને પાસે પબ્લિક ટોઈલેટની સફાઈ પણ કરાવી હતી, જેના કારણે તેમણે બધાંની વચ્ચે અપમાનિત થવું પડ્યું હતું. આ મામલે પીડિત પિતા-પુત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી, પણ સરપંચની દાદાગીરી અને પોલીસ સુધીની તેની પહોંચને કારણે આખો મામલો દબાઈ ગયો હતો. પીડિત પિતાપુત્ર પર પોલીસે દબાણ કર્યું અને સરપંચે સાદા કાગળ પર અંગૂઠો મરાવીને સમાધાન કરાવી લીધું છે. હવે પિતાપુત્રે કુશીનગર એસપીને પણ ફરિયાદ કરીને ન્યાયની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/In-Andhra-Pradesh,-6-people-beat-up-a-Dalit-youth-and-urinated-on-him."><strong>આંધ્રપ્રદેશમાં સીધીકાંડ જેવી ઘટનાઃ 6 લોકોએ દલિત યુવકને માર મારી માથે પેશાબ કર્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 20 Jul 2024 10:15:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>946</Articleid>
                    <excerpt>એક દલિત પિતા-પુત્રને પબ્લિક ટોઈલેટનો ઉપયોગ કરવા બદલ જાતિવાદીઓએ 4 કલાક ટોઈલેટમાં બંધ કરી દીધાં, 5 હજાર દંડ કર્યો અને શૌચાલય સાફ કરાવ્યા</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669b4031007ff.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669b4030c7561.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669b4030c7561.jpg" length="58590" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બિમાર હોવાથી ઢોલ ન વગાડ્યો, ગામે વાલ્મિકી પરિવારનો બહિષ્કાર કર્યો</title>
                    <link>https://khabarantar.com/the-village-ostracized-the-valmiki-family-because-they-did-not-play-the-drum-because-they-were-sick</link>
                    <guid>https://khabarantar.com/the-village-ostracized-the-valmiki-family-because-they-did-not-play-the-drum-because-they-were-sick</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં વાલ્મિકી યુવક બિમાર હોવાથી ધાર્મિક કાર્યક્રમમાં ઢોલ વગાડવા જઈ શક્યો નહોતો. જેના કારણે ગામે તમામ વાલ્મિકીઓનો બહિષ્કાર કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સમાજમાં વાલ્મિકી સમાજની સ્થિતિ સૌથી પીડાદાયક છે. ગુજરાતીમાં એક સવર્ણ કવિએ વાલ્મિકીને દલિતોના પણ દલિત કહીને પોતે સુધરવાને બદલે દલિતોમાં પેટાજાતિવાદ વકરાવવા કવિતા કરેલી. જો કે, એ કવિતા લખાયાના આજે વર્ષોના વાણા વાઈ ગયા છે અને પેટાજાતિવાદ નાબૂદ કરવામાં દલિત સમાજને સારી એવી સફળતા મળી છે. પણ સવર્ણો દ્વારા વાલ્મિકી સમાજ સાથે રખાતો જાતિભેદભાવ આજે પણ યથાવત છે અને આ ઘટના તેનો પુરાવો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક ગામમાં ગ્રામપંચાયતે વાલ્મિકી સમાજના પરિવારોનો બહિષ્કાર કરી દીધો છે. એ પણ માત્ર એટલા માટે કે વાલ્મિકી યુવક બિમાર હોવાથી મંદિરના કાર્યક્રમમાં ઢોલ વગાડવા માટે આવી શક્યો નહોતો. એ પછી ઉશ્કેરાયેલા ગામલોકોએ વાલ્મિકી પરિવારના દાણાપાણી બંધ કરી દીધાં છે અને તેમનો બહિષ્કાર કર્યો છે. આજે આ પરિવારો ગામની કોઈ દુકાનેથી કોઈ સામાન ખરીદી શકતો નથી કે નથી ગામના કોઈ વાહનમાં બેસીને ક્યાંય જઈ શકતો. તેના પરિવારના બાળકોની દુકાનેથી નાસ્તો લાવવાની જીદ પણ પુરી થઈ શકતી નથી. વાલ્મિકી પરિવાર પોતાની દરેક નાનીમોટી જરૂરિયાત પુરી કરવા માટે નજીકના ગામ અને મોટા શહેર સુધી લાંબો થવા મજબૂર બન્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલી નજરે વાંચતી વખતે આ ઘટના ગુજરાતના કોઈ ગામડાની હોય તેમ લાગે છે. સ્વાભાવિક છે કે, ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ બની હોવાથી આપણે તેનાથી પરિચિત છીએ, પણ આ મામલો ઉત્તરાખંડનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીટીઆઈ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, મામલો ભારત-ચીન બોર્ડ પરની નીતિ ઘાટીમાં આવેલા સુભાઈ ગામનો છે. ચમોલી જિલ્લાના આ ગામમાં 14 જુલાઈના રોજ પંચાયત બોલાવવામાં આવી હતી. એ પછી બધાં દલિત પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ મામલામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને બે લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-atrocity-cases-accused-are-caught-only-after-agitation-naresh-maheshwari"><span style="font-size: 14pt;">એટ્રોસિટીના કેસમાં આંદોલન પછી જ આરોપીઓ પકડાય છેઃ નરેશ મહેશ્વરી</span></a></strong></span></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ગામમાં અંદાજે 6 જેટલા વાલ્મિકી સમાજના પરિવારો રહે છે. સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ઢોલ વગાડવાનું કામ કરે છે, જેમાં તેમને નાનીમોટી રકમની સાથે સાંજે વાળુ મળી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા દિવસ પહેલા અહીં ગામના મંદિરે ધાર્મિક કાર્યક્રમ હતો. જ્યાં પુષ્કરલાલ નામના વાલ્મિકી યુવકને ઢોલ વગાડવા માટે આવવાનું કહેવાયું હતું. પણ તે બિમાર હોવાથી કાર્યક્રમમાં જઈ શક્યો નહોતો. એ પછી સ્થાનિક પંચાયતે સમગ્ર દલિત સમાજનો બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો હતો અને તેમનું દાણાપાણી બંધ કરાવી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે સ્થિતિ એ છે કે, આ પરિવારો ગામમાં જંગલ અને પાણીના સ્ત્રોતોનો પણ ઉપયોગ કરી શકતા નથી. ગામલોકોએ તેમને તળાવ, નદીમાંથી પાણી ભરવા પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. સાથે જ તેમને દુકાનોમાંથી જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા, વાહનોમાં અવરજવર કરવાની સાથે બીજા પણ અનેક પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીટીઆઈના રિપોર્ટ મુજબ ગ્રામ પંચાયતના સભ્યોએ ગામના લોકોને પણ ધમકી આપી છે કે, જેઓ વાલ્મિકી પરિવાર પર લાદવામાં આવેલા બહિષ્કારના નિયમોનો ભંગ કરશે તો તેમની સાથે પણ આ જ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવશે. જેથી ગામલોકો પણ મજબૂરીવશ પંચાયતના નિર્ણયનું પાલન કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત વાલ્મિકી પરિવારોએ જોષીમઠ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે રામકૃષ્ણ ખંડવાલ અને યશવીર સિંહ નામના બે લોકો પર આરોપ લગાવ્યા છે. બહિષ્કૃત પરિવારનો આરોપ છે કે, આ બે લોકોના કહેવા પર જ તેમના બહિષ્કારનો આદેશ આપવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/mysterious-death-of-dalit-engineering-student-in-ahmedabad-as-well-as-modasa"><strong>અમદાવાદ જેમ મોડાસામાં પણ દલિત એન્જિનીયરીંગ સ્ટુડન્ટનું ભેદી મોત</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 18 Jul 2024 10:30:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>937</Articleid>
                    <excerpt>એક ગામમાં વાલ્મિકી યુવક બિમાર હોવાથી ધાર્મિક કાર્યક્રમમાં ઢોલ વગાડવા જઈ શક્યો નહોતો. જેના કારણે ગામે તમામ વાલ્મિકીઓનો બહિષ્કાર કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6698a0659681c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6698a06563f06.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6698a06563f06.jpg" length="75370" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેતરમાં દવા છાંટવા ન જતા દલિત યુવકને બૂટમાં પેશાબ ભરીને પીવડાવ્યો</title>
                    <link>https://khabarantar.com/while-not-going-to-sprinkle-medicine-in-the-field-the-dalit-youth-filled-his-boot-with-urine-and-made-him-drink</link>
                    <guid>https://khabarantar.com/while-not-going-to-sprinkle-medicine-in-the-field-the-dalit-youth-filled-his-boot-with-urine-and-made-him-drink</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકે ખેતરમાં દવા છાંટવા જવાની ના પાડી તો જાતિવાદી ખેતરમાલિકે તેને પકડીને ખાંસડામાં પેશાબ ભરીને પીવડાવ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ ભારતમાં દલિતો પર જે રીતે અત્યાચારો થાય છે તે જોતા આઝાદીને લઈને પણ સવાલો ઉઠવા માંડે તેવી સ્થિતિ નિર્માણ પામતી જાય છે. એટ્રોસિટીના કેસોમાં જો પીડિતોને યોગ્ય ન્યાય મળે તો જાતિવાદી તત્વોની સાન ઠેકાણી આવી જાય, પણ કાયદો કાયદાનું કામ કરતો નથી અને તેના કારણે જાતિવાદી તત્વોની ફેણ ફાટતી જાય છે અને તેઓ દલિતો પર અત્યાચારને પોતાનો જન્મસિદ્ધ અધિકાર સમજી બેસે છે. આ પ્રકારની માનસિકતા આજે પણ દેશના લાખો ગામડાઓમાં વસતા કથિત ઉચ્ચ જાતિના લોકોમાં ભરી પડી છે અને આ ઘટના તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક ગામમાં દલિત યુવકને ગામના કથિત ઉચ્ચ જાતિના વ્યક્તિએ પોતાના ખેતરમાં દવા છાંટવા માટે આવવા કહ્યું હતું. જેની સામે યુવકે હાલ જે મજૂરી ચાલતી હતી તે ચૂકવવા આગ્રહ રાખ્યો હતો. જેનાથી ઉશ્કેરાઈ ગયેલા ખેતર માલિકે દલિત યુવકને ત્યાં જ ફટકાર્યો હતો. જેનાથી બચીને યુવક પોતાના ઘરે આવી ગયો હતો. જો કે જાતિવાદી ખેતર માલિક આટલેથી ધરાયો નહોતો અને તેણે પોતાના સાગરિતો સાથે યુવકના ઘરે પહોંચી જઈને લાકડીઓ અને દંડાથી દરવાજા પર હુમલો કરી તેને બહાર ખેંચી કાઢી પોતાના ખાંસડામાં પેશાબ ભરીને પીવડાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશનો છે. અહીં શિવપુરી જિલ્લાના બગેદરી ગામનો 32 વર્ષનો રાજેશ જાટવ 14 જુલાઈના રોજ સાંજના 6 વાગ્યા આસપાસ મજૂરી કરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે કરૈરા ગામના રામસિંહ ઠાકુરે તેને રસ્તામાં રોકીને ખેતરમાં દવા છાંટવા માટે કેમ ન આવ્યો તેમ પૂછ્યું હતું. જેના પર રાજેશે તેમને પુરતી મજૂરી આપવા માટે કહ્યું હતું અને મજૂરી પેટે રૂ. 500 આપો તો કાલથી આવી જઈશ તેમ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજેશની આવી માંગથી રામસિંહ ઠાકુર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે રાજેશને ત્યાં જ માર માર્યો હતો અને જાતિસૂચક ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી ગભરાઈને રાજેશ ઘરે આવી ગયો હતો. જો કે આરોપી રામસિંહ તેના સાગરિતો સાથે લાકડીઓ અને દંડા લઈને તેના ઘરે પહોંચી ગયો હતો અને તેના ઘરના દરવાજા પર લાકડી-દંડાથી ઘા કર્યા હતા. એ પછી તેણે રાજેશને ઘરમાંથી બહાર કાઢ્યો હતો અને તેને પોતાના ખાંસડામાં પેશાબ કર્યા બાદ બધાંની હાજરીમાં પીવડાવ્યો હતો. આ મામલે સમગ્ર પંથકમાં હોબાળો મચી જતા દલિત સંગઠનો રાજેશની વ્હારે આવ્યા હતા અને એસસી એસટી એક્ટ સહિતની કલમો મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે હળવી કલમો લગાવ્યાનો આક્ષેપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખી ઘટનામાં પીડિત રાજેશ જાટવે આક્ષેપ કર્યો છે કે, રામસિંહ ઠાકુરે તેની સાથે જે કર્યું તેને લઈને તે બીજા દિવસે 15 જુલાઈના રોજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે ગયો હતો. પણ પોલીસે તેની ફરિયાદ લીધી નહોતી. એ પછી તેણે રસ્તા વચ્ચે બેસીને ચક્કાજામ કરવો પડ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/whether-the-tribals-are-hindu-or-not-we-will-do-dna-test-education-minister-of-rajasthan"><span style="font-size: 14pt;">આદિવાસી હિન્દુ છે કે નહીં, ડીએનએ તપાસ કરાવીશું- રાજસ્થાનના શિક્ષણમંત્રી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારે જતી પોલીસે મોડી સાંજે પોલીસે કલમ 126(2), 332, 115(2), 296, 351(3) BNS 3(1) (દ), 3(1)(ધ), 3(2) અને SC/ST એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી. જો કે, રાજેશનો આરોપ છે કે, પોલીસે આરોપીએ તેને પેશાબ પીવડાવ્યો તે સંબંધમાં જે કલમો લગાવવી જોઈએ તે લગાવી નથી અને હળવી કલમો લગાવીને આરોપીનો બચાવ કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીમ આર્મી યુવકની મદદે આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર ઘટનાની જાણ મધ્યપ્રદેશ ભીમ આર્મીને થતા શીવપુરી વિસ્તારના તેના કાર્યકરો રાજેશની મદદે આવ્યા હતા. ભીમ આર્મીએ મંગળવારે એસડીએમને આવેદનપત્ર આપીને આ કેસમાં યોગ્ય કલમો સાથે ફરિયાદ દાખલ કરવામાં આવે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ પોલીસે આરોપીએ યુવકને પેશાબ પીવડાવ્યાની વાતને ફગાવી દીધી છે. કરૈરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિનોદ છાવઈનું કહેવું છે કે, દલિત યુવકને પેશાબ પીવડાવવા સંબંધિત આરોપો પાયાવિહોણા છે. આ તરફ ભીમ આર્મીના કાર્યકરોનું કહેવું છે કે, પોલીસ દ્વારા યોગ્ય કલમો સાથે ફરિયાદ દાખલ કરવામાં નથી આવી અને તેઓ પેશાબ પીવડાવવાની વાતનો છેદ ઉડાડી દઈને આરોપીને બચાવવા પ્રયત્નો કરી રહી છે. પહેલા તો ફરિયાદીની ફરિયાદ જ લેવામાં આવતી નહોતી. પરંતુ ચક્કાજામ થયા બાદ પોલીસે ફરિયાદ લેવા મજબૂર થવું પડ્યું હતું. એ જ બતાવે છે કે, પોલીસ આરોપીઓને છાવરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું હતું કે, ગામમાં એક મહિલા સાથે છેડતીની ઘટના બાદ પરિહાર સમાજના લોકોએ મારામારી કરી હતી અને એ લોકો રામસિંહ ઠાકુરને ત્યાં કામ કરે છે. આગળ તપાસમાં જે પણ વિગતો સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/three-brahmins-caught-a-dalit-teenager-and-made-him-drink-urine-in-a-bottle"><strong>દલિત કિશોરને પકડીને ત્રણ બ્રાહ્મણોએ બોટલમાં પેશાબ ભરીને પીવડાવ્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 17 Jul 2024 12:02:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>930</Articleid>
                    <excerpt>દલિત યુવકે ખેતરમાં દવા છાંટવા જવાની ના પાડી તો જાતિવાદી ખેતરમાલિકે તેને પકડીને ખાંસડામાં પેશાબ ભરીને પીવડાવ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669764e9e287a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669764e9a816d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669764e9a816d.jpg" length="47555" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત દંપતિ પોલીસ સાથે વાવણી કરવા ગયું, જાતિવાદીઓએ બધાંને માર્યા</title>
                    <link>https://khabarantar.com/dalit-couple-went-to-sow-with-police-racists-beat-them-all</link>
                    <guid>https://khabarantar.com/dalit-couple-went-to-sow-with-police-racists-beat-them-all</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં જાતિવાદીઓનો ખૌફ એટલો કે દલિતો તેમના ખેતરમાં વાવણી પણ નહોતા કરી શકતા. એક વૃદ્ધ દલિત દંપતિએ પોલીસ સાથે એ હિંમત કરી પણ... ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામડાઓમાં એક વેંત જમીન પણ દલિતોના હાથમાં ન જાય તે માટે જાતિવાદી તત્વો સતત એક્ટિવ રહેતા હોય છે. સરકારી ધોરણે દલિતોને મળેલી હકની જમીન પણ ગામની માથાભારે કોમના લુખ્ખા તત્વો તેમને ખેડવા દેતા નથી. આવું માત્ર ગુજરાત જ નહીં દેશના લગભગ તમામ રાજ્યોમાં દલિત, આદિવાસી સમાજ સાથે બનતું રહે છે. ઘણાં કેસમાં પોલીસની હાજરીમાં દલિતો પોતાના હકની જમીન ખેડવા ગયા હોય તો પણ તેમના પર અને પોલીસ પર હુમલા થયાની ઘટનાઓ બને છે. આ ઘટના તેમાં વધુ એક ઉમેરો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે અહીં મામલો આનાથી પણ ક્યાંય ગંભીર છે. કેમ કે, અહીં ન તો દલિતો સરકારી રાહે જમીન મેળવવા ગયા છે, ન તો જમીન અંગે કોઈ વિવાદ છે. તેમ છતાં જાતિવાદીઓ ગામના એકેય દલિતને તેમની માલિકીની કાયદેસર જમીનો પર પણ વાવણી કરવા જવા દેતા નથી. જાતિવાદી તત્વોની બીક એટલી બધી છે કે, વરસાદ પડી ગયો છે, ગામના કથિત સવર્ણોએ તેમના ખેતરોમાં વાવણી કરી દીધી છે, પણ દલિતો તેમના ખેતરોમાં હજુ પગ પણ મૂકી શકતા નથી. એક વૃદ્ધ દલિત દંપતિએ તેની પોલીસ જાપ્તા વચ્ચે હિંમત કરી જોઈ પણ તેનું પરિણામ દુખઃદ આવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત દંપતિ ખેતરમાં વાવણી કરવા માટે ગયું હતું. ગામના જાતિવાદી તત્વો તેમને હેરાન કરશે, માર મારશે તેવી બીકના કારણે તેઓ પોલીસનો જાપ્તો સાથે લઈને વાવણી કરવા ગયા હતા. પણ તેમ છતાં જાતિવાદી તત્વો ત્યાં પહોંચી ગયા હતા અને દલિત દંપતિને માર મારી વાવણી કરતું રોક્યું હતું. એટલું જ નહીં પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસ જવાનોને પણ ભગાડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજસ્થાનના સવાઈ માધોપુરની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનનો છે. અહીં સવાઈ માધોપુરમાં લુખ્ખા તત્વો સામે પોલીસ પણ લાચાર જોવા મળી, જ્યાં પોલીસનો જાપ્તો હોવા છતાં જાતિવાદી તત્વોએ એક દલિત દંપતિ પર હુમલો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના રાજસ્થાનના કિશનપુરા છાહરા ગામની છે. અહીં ખેતરમાં વાવણી કરવા માટે ગયેલા એક દલિત દંપતિ સાથે જાતિવાદી લુખ્ખા તત્વોએ મારામારી કરીને તેમને ખેતર ખેડતા રોક્યા હતા. મહત્વની વાત એ છે કે, પોલીસ જાપ્તા વચ્ચે તેઓ વાવણી કરવા માટે ગયા હતા, તેમ છતાં પોલીસ તેમનું રક્ષણ કરી શકી નહોતી. એટલું જ નહીં લુખ્ખા તત્વોએ પોલીસને પણ મારીને ભગાડી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છેલ્લાં 6 મહિનાથી દલિતોને હેરાન કરાય છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે સવાઈ માધોપુર જિલ્લાના બહરાવંડા કલાં પોલીસ સ્ટેશન હેઠળ આવતા કિશનપુરા છાહરા ગામમાં જાતિવાદી તત્વો છેલ્લાં 6 મહિનાથી દલિતોને હેરાન કરી રહ્યાં છે. અહીં થોડા મહિના પહેલા દલિત સમાજના એક સામાજિક પ્રસંગમાં ટ્રેક્ટર ટ્રોલી લઈને ગયેલા અન્ય સમાજના એક યુવકનું ખૂન થઈ ગયું હતું. એ વખતે 24 કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરીને મામલો થાળે પાડી દીધો હતો. જો કે દલિતોને આ કેસ સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં છેલ્લાં 6 મહિનાથી ગામના જાતિવાદી તત્વો સમયાંતરે દલિત સમાજના લોકોને માર મારે છે, ધમકી આપે છે. એટલું જ નહીં, જાતિવાદી તત્વો દ્વારા દલિતોના ખેતરોમાં જાણી જોઈને ભેલાણ કરવામાં આવે છે, તેમની જમીનો પર કબ્જો કરી લેવામાં આવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોની આ નાગાઈને કારણે ગામના દલિતો પોતાના જ ખેતરોમાં વાવણી કરી શકવા જઈ શકતા નથી. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે એક દલિત દંપતિએ હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં અરજી કરીને પોતાના ખાલી પડેલા ખેતરમાં વાવણી કરવા જવા માટે પોલીસ જાપ્તાની જરૂર હોવાની અરજી કરી હતી. જેને મંજૂર રાખીને બહરાવંડા કલાં પોલીસ તેમને જાપ્તા સાથે તેમના ખેતરો ખેડવા માટે લઈ ગઈ હતી. પણ જાતિવાદી તત્વોને જાણે કાયદો વ્યવસ્થાની પણ કોઈ બીક ન હોય તેમ તેમની મહિલાઓએ પોલીસ અને દલિત મહિલાઓ પર હુમલો કરી દીધો હતો અને વૃદ્ધ દલિત દંપતિને ઢોર માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/election-results-show-that-india-is-not-a-hindu-nation-amartya-sen"><span style="font-size: 14pt;">ચૂંટણીના પરિણામોએ બતાવી આપ્યું કે ભારત ‘હિંદુ રાષ્ટ્ર’ નથી: અમર્ત્ય સેન</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખી ઘટનામાં ધ્યાન ખેંચે તેવી બાબત એ રહી કે, જાતિવાદી તત્વોએ પોલીસને પણ ફટકારી હતી. દલિત દંપતિ સાથે જાપ્તામાં સાથે આવેલા પોલીસકર્મીને જાતિવાદી ગુંડાઓએ ભારે માર માર્યો હતો અને તેમને ઉભે રસ્તે ભગાડ્યા હતા. પોલીસ જાતિવાદીઓ સામે લાચાર નજરે ચડી હતી. પોલીસની નજર સામે જ લુખ્ખા જાતિવાદી તત્વો દલિત દંપતિને માર મારતા રહ્યા હતા અને પોલીસ લાચાર વદને આખા મામલામાં કશું કરી શકી નહોતી. આખરે અન્ય લોકોને ઘટનાની જાણ થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને જેમતેમ કરીને દલિત દંપતિને દવાખાને લઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દવાખાનામાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ દંપતિને વધુ સારવાર માટે સવાઈ માધોપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બીજી તરફ જાતિવાદીઓને જેર કરવા માટે બહરાવંડા કલાં પોલીસ સ્ટેશન અને તેની આસપાસના પોલીસ સ્ટેશન પરથી વધારાનો પોલીસ બંદોબસ્ત મગાવવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતો ઘર છોડીને જઈ રહ્યા છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ગામમાં જાતિવાદી તત્વોનો દલિતો પર ત્રાસ એ હદે વધી ગયો છે કે, છેલ્લાં 6 મહિનામાં અનેક દલિત પરિવારો ઘર છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા છે. એમાં પણ પોલીસની હાજરી છતાં દલિત દંપતિ પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યા બાદ દલિતોને લાગી રહ્યું છે કે, પોલીસ પણ તેમની સુરક્ષા કરી શકે તેમ નથી. આથી એક પછી એક દલિત પરિવારો પોતાનું ઘર છોડીને અન્ય જગ્યાએ રહેવા માટે જવા માંડ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસ તેમને ગામમાં જ રોકાવાનું કહીને સુરક્ષાની ખાતરી કરાવી શકતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સવર્ણ મીડિયાની ચાલાકી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આટલી ગંભીર ઘટનામાં પણ સવર્ણ મીડિયા જાતિવાદી રમત રમતા શરમાયું નથી. અગાઉ થયેલા ખૂનમાં યુવક જાટ સમાજનો હતો એટલે તેની તરફેણમાં સવર્ણ મીડિયાએ જબરદસ્ત વાતાવરણ ઉભું કરવા પ્રયત્ન કર્યો હતો. પણ હવે જાતિવાદી તત્વો કશા જ વાંક ગુના વિના દલિત સમાજના લોકો પર હુમલો કરી રહ્યા છે ત્યારે જાતિવાદીઓનું ગુલામ મીડિયા તેમના નામ પણ પોતાના રિપોર્ટમાં લખતું નથી. રાજસ્થાનના તમામ મોટા મીડિયા હાઉસે આ ઘટનાના પોતાના રિપોર્ટમાં આરોપીઓના નામ કે તેમની જાતિનો ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી. જેના કારણે આખી ઘટનાનું રિપોર્ટિંગ સાવ નિમ્ન સ્તરનું બનીને રહી જાય છે. આરોપીઓ કોણ છે તેની જ જો વાચકોને ખબર ન પડે તો પછી તેની જાતિની ખબર ન પડે અને એ રીતે જાતિવાદીઓ દલિતો વાચકોની નજરથી બચી જાય. બસ આ ખેલ સતત ચાલતો રહે છે અને આ કેસમાં પણ એવું જ થયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/dalit-youth-was-beaten-by-racists-for-drinking-water-from-public-water-tank"><strong>જાહેર પાણીની પરબ પરથી પાણી પીધું તો જાતિવાદીઓએ દલિત યુવકને માર્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 17 Jul 2024 10:45:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>929</Articleid>
                    <excerpt>એક ગામમાં જાતિવાદીઓનો ખૌફ એટલો કે દલિતો તેમના ખેતરમાં વાવણી પણ નહોતા કરી શકતા. એક વૃદ્ધ દલિત દંપતિએ પોલીસ સાથે એ હિંમત કરી પણ...</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669752dbea503.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669752dbb9403.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669752dbb9403.jpg" length="85556" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉર્વીન મહેશ્વરીના મોતની તપાસ CBIને સોંપવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ</title>
                    <link>https://khabarantar.com/it-was-submitted-to-the-chief-minister-to-hand-over-the-investigation-into-the-death-of-urvin-maheshwari-to-the-cbi</link>
                    <guid>https://khabarantar.com/it-was-submitted-to-the-chief-minister-to-hand-over-the-investigation-into-the-death-of-urvin-maheshwari-to-the-cbi</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં ભણતા કચ્છના વિદ્યાર્થી ઉર્વીન મહેશ્વરીના શંકાસ્પદ મોત મામલે હવે સીબીઆઈ તપાસની માંગ કરાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના માંડવીના રહેવાસી અને અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં ભણતા મહેશ્વરી મેઘવાળ સમાજના ઉર્વીન ચુઈયા(મહેશ્વરી) નામના યુવકની થોડા દિવસ પહેલા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી સ્થિત હોસ્ટેલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં તેના શરીર પર અનેક ઠેકાણે બ્લેડના ઘા મારેલા હતા. આ ઘટનાના કચ્છ સહિત સમગ્ર ગુજરાતના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. મૃતકના પરિવારજનોનું સ્પષ્ટપણે માનવું છે કે ઉર્વીન આત્મહત્યા કરે તેવો ડરપોક છોકરો નહોતો અને તેની આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી છે. જો કે, પોલીસે આ મામલામાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હોવાથી તેના વિરોધમાં કચ્છમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના ભૂજ ખાતે ગઈકાલે સમસ્ત મહેશ્વરી મેઘવાળ સમાજે હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળી મૃતક ઉર્વીન ચુઈયા(મહેશ્વરી)ને ન્યાય મળે તે માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂથી જ્યુબિલી સર્કલ થઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો હતો. આ રેલીમાં સમસ્ત મહેશ્વરી સમાજ સહિત મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો જોડાયા હતા અને કલેક્ટર કચેરીએ પહોંચીને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Exclusive:-Age-and-height-also-make-social-distinctions"><span style="font-size: 14pt;">Exclusive: ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે!</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_6695f677d6fac.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં મૃતક ઉર્વીન ચુઈયાના પરિવારને ન્યાય માટે પોલીસ તટસ્થ તપાસ કરી એલ.ડી. એન્જિનિયરીંગ કૉલેજેના જવાબદારો સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. આ સાથે જ સમગ્ર ઘટનાની સીબીઆઈ તપાસની પણ માંગ કરાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત પ્રદેશ મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીની સહી સાથેના લેટરહેડ પર લખાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, તા. 8 જુલાઈ 2024ના રોજ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજની હોસ્ટેલમાંથી માંડવીના ઉર્વીન મહેશ્વરીનો ત્રીજા માળે બંધ રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-dalits-of-viramgam-will-carry-bhedbhav-no-garbo-and-go-to-gandhinagar"><span style="font-size: 14pt;">વિરમગામના દલિતો 'ભેદભાવ નો ગરબો' માથે ઉપાડી ગાંધીનગર સુધી જશે</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_6695f67744478.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પણ ઉર્વીનનો મૃતદેહ જોતા તેણે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા થઈ છે. કારણ કે, તેના શરીરમાં ગળું, હાથ, પગ બ્લેડના તિક્ષ્ણ ઘા છે અને કોઈ એકવાર ઘાયલ થયા પછી આટલી બેરહેમીથી પોતાને ઘા ન કરી શકે. આ સિવાય પણ બીજા અનેક કારણો છે જે પોલીસની આત્મહત્યાની થિયરી પર શંકા પેદા કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, કેમિકલ એન્જિનિયરીંગના વિદ્યાર્થી ઉર્વીને જો આત્મહત્યા જ કરવી હોત તો તે બીજા સરળ રસ્તા અપનાવી શક્યો હતો, તે ગળેફાંસો ખાઈ શક્યો હોત, ઝેરી દવા પી શક્યો હોત અથવા ત્રીજા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી શકત. પણ હોસ્ટેલના એક અવાવરૂ રૂમમાં જઈને તે આત્મહત્યા કરે તે અનેક સવાલો પેદા કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Social-activist-Kantilal-Parmar-filed-a-complaint-in-the-Human-Rights-Commission-regarding-the-suicide-of-a-dalit-teacher-in-Zanzaria."><span style="font-size: 14pt;">ઝાંઝરિયાના દલિત શિક્ષકની આત્મહત્યા મામલે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ દાખલ કરી</span></a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_6695f6ff9f820.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવેદનપત્રમાં હોસ્ટેલ તંત્રને લઈને પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જેમાં કહેવાયું છે કે, કોઈપણ પરિવાર પોતાના દીકરાને હોસ્ટેલમાં રહેવા મોકલે છે ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી હોસ્ટેલના સંચાલકોની હોય છે. એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજની બેદરકારીને કારણે ઉર્વીનની હત્યા થઈ છે. હોસ્ટેલ કેમ્પસમાં સીસીટીવી નથી, ગેરકાયદેસર રીતે બહારથી આવેલા અનેક છોકરાઓ અહીં કાયમ અડિંગો જમાવીને રહે છે જેઓ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે છે. આથી એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના તમામ જવાબદારો સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં આવેદનમાં વિનંતી કરવામાં આવી છે કે, સમગ્ર ગુજરાતમાં વસતા મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા આ આવેદનપત્ર પાઠવી વિનંતી સાથે રજૂઆત કરવામાં આવે છે, એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના જવાબદારો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે, આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે અથવા એસઆઈટીની રચના કરી તપાસ કરાય. સાથે જ હોસ્ટેલ કમ્પાઉન્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, ગેરકાયદેસર રહેતા અસામાજિક તત્વોને હોસ્ટેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવે અને ઈન-આઉટ રજિસ્ટર મેઈન્ટેન કરવામાં આવે. જેથી આ પ્રકારની ઘટના બનતી અટકે અને અન્ય કોઈ યુવાનનું મોત ન થાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/admin/edit-post/JAI%20BHIM%20Donors%20Clubની%20જય%20હો!%20NEETની%20તૈયાર%20કરતા%20ગરીબ%20વિદ્યાર્થીની%20ફી%20ભરી%20આપી"><span style="font-size: 14pt;">JAI BHIM Donors Clubની જય હો! NEETની તૈયાર કરતા ગરીબ વિદ્યાર્થીની ફી ભરી આપી</span></a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_6695f73891994.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત પ્રદેશ મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીની આગેવાનીમાં મૃતક ઉર્વીન ચુઈયાના પરિવારજનોની સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો આ આવેદનપત્ર આપતી વખતે હાજર રહ્યા હતા. આંબેડકર સ્ટેચ્યૂથી નીકળેલી રેલીમાં અખિલ ભારતીય માતંગ મંડળના પ્રમુખ ધીરજદાદા માતંગ, કોંગ્રેસી અગ્રણી નિતેશભાઈ લાલણ, અનુ. જાતિ મોરચાના આગેવાન અશોકભાઈ હાથી, મહેશ્વરી સમાજના હીરાભાઈ ધુવા, પૂનમભાઈ ચુણા, જીવરાજભાઈ ભાભી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરી, પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન કેશવજી રોશિયા, ધનજીભાઈ હેંગણ, હિતેશ મહેશ્વરી, મંગલભાઈ ફમ્મા, લખપતથી ગોપાલભાઈ માતંગ, મુન્દ્રાથી મહેશ્વરી સમાજના મીઠુભાઈ સીંચ, મેળવાળ વણકર સમાજ મારવાડા સમાજના પ્રેમજીભાઈ મગરિયા, દિનેશભાઈ સીજુ, મયૂરભાઈ મહેશ્વરી સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક ઉર્વીનના પરિવારમાંથી તેના પિતા કમલેશભાઈ ચુઈયા, તેની માતા, લક્ષ્મીબેન ચુઈયા, બાલુબેન ઘેડા, આશાબેન ફુફલ, મહેશ્વરી યુવા સંગઠનના પ્રમુખ નરેશભાઈ ફુલીયા, અજય ભોઈયા, કમલેશભાઈ વાડા સહિત અંદાજે 2500થી વધુ લોકો જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong> </span><a href="https://khabarantar.com/suicide-or-murder-of-dalit-student-of-ld-engineering-college"><strong>LD એન્જિનિયરીંગ કૉલેજના દલિત વિદ્યાર્થીની આત્મહત્યા કે હત્યા?</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 16 Jul 2024 10:30:02 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 16 Jul 2024 10:12:32 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>924</Articleid>
                    <excerpt>અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં ભણતા કચ્છના વિદ્યાર્થી ઉર્વીન મહેશ્વરીના શંકાસ્પદ મોત મામલે હવે સીબીઆઈ તપાસની માંગ કરાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6695f678a6ddf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6695f678764a6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6695f678764a6.jpg" length="145713" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત દંપતિને નિર્વસ્ત્ર કરી ફટકાર્યું, પત્નીની સામે જ પતિના મોંમાં પેશાબ કર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-couple-stripped-naked-urinated-in-husbands-mouth-in-front-of-wife</link>
                    <guid>https://khabarantar.com/dalit-couple-stripped-naked-urinated-in-husbands-mouth-in-front-of-wife</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં દલિત દીકરીના લગ્ન દરમિયાન લુખ્ખાઓએ દલિત દંપતિને નિર્વસ્ત્ર કરીને માર માર્યો, પછી પત્નીની નજર સામે જ પતિના મોંમાં પેશાબ કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં દલિતો પર અત્યાચારની જે પણ ઘટનાઓ બને છે તેમાં દિનપ્રતિદિન ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. એમાં પણ આરોપીઓ જે રીતે ક્રૂરતાની હદ વટાવી રહ્યાં છે તે જોઈને કોઈપણ વ્યક્તિનું માથું શરમથી ઝૂકી જાય. જો વ્યક્તિ ગરમ મિજાજની હોય તો તે પિત્તો ગુમાવી બેસે અને ન કરવાનું કરી જાય. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત અત્યારની આવી જ એક ક્રૂર ઘટના સામે આવી છે જે વાંચીને કોઈપણ વ્યક્તિનું લોહી ગરમ થઈ ઉઠે. આ ઘટનામાં એક દલિત પતિ-પત્નીને માથાભારે તત્વોએ નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પત્નીની સામે જ લુખ્ખા તત્વોએ તેના પતિના મોંમાં પેશાબ કરી તેને અપમાનિત કર્યો હતો. મામલાની જાણ થતા અન્ય લોકો દંપતિને બચાવવા આવ્યા હતા, જો કે ત્યાં સુધીમાં આરોપીઓએ તેમનું ઘર સળગાવી દીધું હતું અને પછી વાસ સળગાવી દેવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બિહારના મુઝફ્ફરપુરનો છે. અહીં દલિત પરિવાર પર માથાભારે તત્વોએ સામાન્ય બાબતમાં હુમલો કરી દીધો હતો. જેમાં દલિત પતિ-પત્નીને નિર્વસ્ત્ર કરીને ફટકાર્યા બાદ પત્નીની નજર સામે જ પતિના મોંમાં લુખ્ખાઓએ પેશાબ કર્યો હતો અને તેમનું ઘર પણ સળગાવી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/two-brothers-carry-their-sisters-corpse-on-their-shoulders-for-5-km-walked-till">બહેનનું મોત થતા બે ભાઈઓ મૃતદેહ ખભે ઉઠાવી 5 કિમી ચાલ્યાં</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રૂરતાપૂર્ણ અને શરમજનક આ ઘટના બિહારના મુઝફ્ફરપુરના મનિયારી પોલીસ સ્ટેશનમાં ઘટી છે. અહીં સામાન્ય મામલે માથાભારે તત્વોએ એક દલિત દંપતિને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો. એ પછી લુખ્ખા તત્વોએ જરાય શરમ રાખ્યા વિના દલિત મહિલાની સામે જ તેના પતિના મોંમાં પેશાબ કર્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે અહીં મહાદલિત જાતિના વાસમાં દલિત યુવતીના લગ્ન હતા. ભોગ બનનાર દંપતિના પડોશમાં જ રહેતી યુવતીના લગ્ન હોવાથી સૌએ સાથે મળીને જાનને આવવામાં કોઈ સમસ્યા ન નડે તે માટે ઘરે પાસેથી પસાર થતા કાદવ-કીચડના રસ્તા પર માટી નાખીને તેને વ્યવસ્થિત કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેનાથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે દલિતવાસ પર હુમલો કરી દીધો હતો. સૌથી પહેલા તેમણે મંડપ તોડી નાખ્યો હતો અને લગ્ન કરાવનારાઓને જાતિસૂચક ગાળો ભાંડીને માર માર્યો હતો અને ચાકૂથી હુમલો કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી લુખ્ખા તત્વોએ દલિત દંપતિને નિર્વસ્ત્ર કરીને નિર્દયતાથી માર માર્યો અને પછી પત્નીની નજર સામે જ તેના પતિનું મોં ખોલાવીને તેના મોંમાં પેશાબ કર્યો હતો. એ દરમિયાન વાસના અન્ય લોકોને આખી ઘટનાની જાણ થતા આરોપીઓએ દલિત દંપતિના ઘરને આગ લગાવી દીધી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/went-to-the-toilet-at-night-found-the-murdered-body-of-a-middle-aged-dalit-in-the-morning">રાત્રે ટોઈલેટ જવા નીકળ્યા હતા, સવારે દલિત આધેડની હત્યા કરાયેલી લાશ મળી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પીડિત દંપતિએ મણિયારી પોલીસ સ્ટેશનમાં ગામના જ બાપ-દીકરા(<em>ફરી સવર્ણ મીડિયાની ચાલ જુઓ, આટલી મોટી ઘટનામાં તેમણે ન તો ક્યાંય આરોપીઓનું નામ લખ્યું છે, ન તેમની જાતિનો ઉલ્લેખ જોવા મળે છે. ખબરઅંતર.કોમે આરોપીઓના નામ અને જાતિ શોધવા માટે અનેક લિંકો વાંચી જોઈ, પણ આટલી મોટી ઘટનાની બહુ ઓછા પ્લેટફોર્મે નોંધી હતી અને તેમાં પણ આરોપીઓનું નામ કે જાતિનો ઉલ્લેખ નહોતો.</em>) સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. મણિયારી પોલીસ સ્ટેશનના પીઆઈ દેવવ્રતકુમારે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે એફઆઈઆર નોંધી લેવાઈ છે અને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓની શોધખોળ ચાલુ છે અને જલ્દી તેમને પકડી લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-to-death-the-villagers-reached-the-police-with-the-body">દલિત યુવકનું મારથી મોત થઈ ગયું, ગામલોકો યુવકનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 15 Jul 2024 10:16:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>920</Articleid>
                    <excerpt>એક ગામમાં દલિત દીકરીના લગ્ન દરમિયાન લુખ્ખાઓએ દલિત દંપતિને નિર્વસ્ત્ર કરીને માર માર્યો, પછી પત્નીની નજર સામે જ પતિના મોંમાં પેશાબ કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66940805f242e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66940805c3dea.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66940805c3dea.jpg" length="85753" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>તમિલનાડુ બસપા ચીફ કે. આર્મસ્ટ્રોંગના હત્યારાનું એન્કાઉન્ટર કરાયું</title>
                    <link>https://khabarantar.com/tamil-nadu-bsp-chief-k-armstrongs-killer-is-encountered</link>
                    <guid>https://khabarantar.com/tamil-nadu-bsp-chief-k-armstrongs-killer-is-encountered</guid>
                    <description>
                        <![CDATA[ તમિલનાડુ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની હત્યાના મુખ્ય આરોપીનું આજે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થઈ ગયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની હત્યાના મુખ્ય આરોપીનું આજે સવાલે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થઈ ગયું છે. 30 વર્ષના આરોપીનું નામ તિરુવેંગદમ હતું અને તે આર્મસ્ટ્રોંગના હત્યારાઓ પૈકીના 11 ધરપકડ કરાયેલા આરોપીઓમાંનો એક હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે જણાવ્યું હતું કે આરોપી તિરુવેંગદમે આજે સવારે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને તેણે પોલીસ પર હુમલો કર્યો હતો, એ દરમિયાન પોલીસ ઓફિસરે તેના પર ગોળી ચલાવી દીધી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. હિસ્ટ્રીશીટર તિરુવેંગદમ પર અગાઉથી જ અનેક ક્રિમિનલ કેસ દાખલ થયેલા હતા. તે ચેન્નાઈ પાસેના માઘવરમ વિસ્તારમાં માર્યો ગયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની 5 જુલાઈના રોજ 6 લોકોએ તેમના ઘર પાસે જ હત્યા કરી નાખી હતી. 52 વર્ષના આર્મસ્ટ્રોંગ સાંજના સાત વાગ્યા આસપાસ પક્ષના કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે બે બાઈક પર સવાર થઈને આવેલા છ લોકોએ ચપ્પા અને તલવારોથી હુમલો કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આર્મસ્ટ્રોગને અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. આ ઘટના બાદ કેટલાક હુમલખારો ત્યાં જ હથિયાર છોડીને ભાગી ગયા હતા. આ આખા ષડયંત્રમાં તિરુવેંગદમ મુખ્ય આરોપી હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-tamil-nadu-6-people-broke-into-the-house-of-the-bsp-president-and-killed-him"><span style="font-size: 14pt;">તમિલનાડુમાં BSP અધ્યક્ષની ઘરમાં ઘૂસીને 6 લોકોએ હત્યા કરી </span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આ ઘટના બાદ કલાકોમાં જ 8 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી લીધી હતી. એ પછી ત્રણ અન્ય લોકોને પણ અટકાયત કરી હતી. આ આરોપીઓની ઓળખ પોન્નઈ વી બાલુ, ડી રામુ, કે એસ તિરુમલાઈ, ડી. સેલ્વરાજ, જી અરૂલ, કે મણિવન્નન, કે તિરુવેંગદમ, જે સંતોષ, ગોકુલ, વિજય અને શિવશંકર તરીકે થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે ઘટના પાછળ ગેંગસ્ટર અર્કોટ સુરેશના સાગરિતો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ગેંગસ્ટર સુરેશની 2023માં હત્યા થઈ હતી. નોર્થ ચેન્નાઈના એસીપી અસરા ગર્ગે 9 જુલાઈના રોજ જણાવ્યું હતું કે, અર્કોટા સુરેશના સાગરિતો માનતા હતા કે તેની હત્યા આર્મસ્ટ્રોંગે તેની હત્યાનું કાવતરું રચ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે જે 11 શંકાસ્પદોને પકડ્યા હતા તેમાંથી એક પોન્નઈ વી બાલૂ સુરેશનો નાનો ભાઈ છે. ચેન્નાઈની એક કોર્ટે 11 જુલાઈના રોજ શંકાસ્પદોને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચેન્નાઈ પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આર્મસ્ટ્રોંગ પર હુમલો કરનારા 6 લોકો પૈકી 4 જણાએ ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોની ટિશર્ન પહેરી હતી. આરોપીઓ પાસેથી પોલીસની હત્યામાં વપરાયેલા લોહીથી ખરડાયેલા સાત હથિયારો, એક ઝોમેટોની ટિશર્ટ, એક ઝોમેટોની બેગ અને ત્રણ બાઈક મળ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આર્મસ્ટ્રોંગની હત્યા બાદ તેમની પત્ની કે. પોરકોડીએ તેમનો મૃતદેહ તમિલનાડુ બસપા કાર્યાલયમાં દફનાવવા માટે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે કોર્ટે તેને 7 જુલાઈના રોજ ફગાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે જણાવ્યું હતું કે બીએસપીની ઓફિસ સાંકડી ગલીમાં છે અને ત્યાં વધારે જગ્યા નથી. એવામાં ત્યાં જો વધારે લોકો ભેગાં થઈ જાય તો ભાગાભાગીની શક્યતા રહે છે. કોર્ટે બસપા નેતાનો મૃતદેહ ચેન્નાઈ પાસેના તિરુવલ્લુવર જિલ્લાના એક એકરના ખાનગી પ્લોટમાં દફનાવવાની સલાહ આપી હતી. 8 જુલાઈના રોજ અહીં કે. આર્મસ્ટ્રોંગની દફનવિધિ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong> </span><strong><a href="https://khabarantar.com/armstrongs-murder-should-be-handed-over-to-cbi-mayavati">આર્મસ્ટ્રોંગની હત્યાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે: માયાવતી</a></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 14 Jul 2024 21:24:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>919</Articleid>
                    <excerpt>તમિલનાડુ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની હત્યાના મુખ્ય આરોપીનું આજે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થઈ ગયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6693f408c9f50.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6693f4089a634.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6693f4089a634.jpg" length="64169" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વ્યાજખોરોએ દલિત યુવકને બાંધીને માર્યો, યુવકને લાગી આવતા જીવ ટૂંકાવ્યો</title>
                    <link>https://khabarantar.com/the-usurers-tied-up-the-dalit-youth-and-killed-him</link>
                    <guid>https://khabarantar.com/the-usurers-tied-up-the-dalit-youth-and-killed-him</guid>
                    <description>
                        <![CDATA[ એક ગરીબ દલિત યુવકે રૂ. 4500 ઉછીના લીધા હતા, તેની સામે વ્યાજખોરોએ રૂ. 60 હજાર પરત માંગ્યા. એ પછી જે થયું તે આખો ઘટનાક્રમ ધ્રુજાવી દે તેવો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. આઝાદ ભારતમાં પણ એવો કોઈ દિવસ હજુ સુધી ઉગ્યો નથી જેમાં દેશના કોઈ ખૂણે દલિતો પર અત્યાચાર ન થયો હતો. ક્યાંક ખૂન તો ક્યાંક મારામારી, ક્યાંક બળાત્કાર તો ક્યાંક કારણ વિના જ હેરાનગતિ કે આત્મહત્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં મામલો આત્મહત્યાનો છે. એક દલિત યુવકને વ્યાજખોરોએ બંધક બનાવીને તેને માર માર્યો. દલિત યુવકે તેમની પાસેથી રૂ. 4500 ઉછીના લીધા હતા. જેની સામે વ્યાજખોરો રૂ. 60 હજારની ઉઘરાણી કરી રહ્યા હતા. આટલી મોટી રકમ ગરીબ દલિત યુવક કોઈ કાળે ચૂકવી શકે તેમ નહોતો. આરોપીઓએ તેને બંધક બનાવીને માર માર્યો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. જેનાથી દલિત યુવકને ભારે લાગી આવ્યું, અને બદનામીના ડરે તેણે આત્મહત્યા કરી લીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીંના ફિરોઝાબાદમાં 4500 રૂપિયાનું દેવું ન ચૂકવી શકવાને કારણે દલિત યુવકે આત્મહત્યા કરવી પડી. દલિત યુવકને બે વ્યાજખોર ભાઈઓએ રૂ. 4500 ઉછીના આપ્યા હતા. જેની સામે તે નિયમિત રીતે વ્યાજ ચૂકવતો હતો. તેમ છતાં વ્યાજખોર ભાઈઓએ તેની પાસે રૂ. 60000 હજાર માંગ્યા હતા. આટલી મોટી રકમ દલિત યુવક ચૂકવી તેવી સ્થિતિમાં ન હોવાથી વ્યાજખોરોએ તેને બંધક બનાવી લીધો હતો અને આખી રાત તેને પોતાના ઘરમાં બાંધીને રાખી ટોર્ચર કર્યો હતો. આરોપીઓએ તેને માર માર્યો અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેનાથી આબરુ જવાની બીકે દલિત યુવકે આત્મહત્યા કરી લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 10 જુલાઈની છે. દલિત યુવકને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા યુવકે આત્મહત્યા કરી લીધી હતી. હવે પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. મૃતકની માતાએ વ્યાજખોરો પર ગંભીર આરોપો લગાવ્યા છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Bodelli-Court-Senior-Judge-Ashutosh-Raj-Pathak-shamed-the-judiciary,-the-woman-petitioners-serious-allegations."><span style="font-size: 14pt;">“હું તમને બોલાવું ત્યારે એકલા આવવાનું…” બોડેલી કોર્ટના સિનિયર જજ આશુતોષ રાજ પાઠકે ન્યાયતંત્ર લજવ્યું, મહિલા અરજદારના ગંભીર આરોપો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ફિરોઝાબાદમાં કમલકાંત નામનો દલિત યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. તેણે અચાનક આત્મહત્યા કરી લીધી હતી. ઘટનામાં ખુલાસો થયો હતો કે તેણે નજીકમાં રહેતા પ્રમોદ સિંહ પાસેથી રૂ. 4500 ઉછીના લીધા હતા. તેનું તે વ્યાજ ભરતો હતો તેમ છતાં બાકી રકમ ભરી શકતો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના કારણે ઉશ્કેરાયેલા પ્રમોદે તેને બંધક બનાવ્યો હતો અને બાકી પૈસાની કડક ઉઘરાણી કરતા તેને માર માર્યો હતો. પ્રમોદે કમલકાંતને માર માર્યાનો વીડિયો પોતાના ફોનમાં ઉતારી લીધો હતો અને તે વાયરલ કરી દીધો હતો. જેનાથી કમલકાંતને ભારે લાગી આવ્યું હતું અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. ઘટના ફિરોઝાબાદના દક્ષિણ મહોલ્લાની છે. પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હજુ પ્રમોદ અને તેનો ભાઈ બંને ફરાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે અને તેમની શોધખોળ શરૂ કરી દીધી છે. કમલકાંતના પિતાનું પાંચ વર્ષ પહેલા મોત થઈ ગયું હતું અને તેની માતા કૃષ્ણાદેવી સાથે રહેતો હતો અને આરોપીઓ પૈકીના એક પ્રમોદ સિંહ માટે લોડિંગ રીક્ષા ચલાવતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કમલકાંતની માતા કૃષ્ણાદેવીનો આરોપ છે કે, "પ્રમોદે તેમના દીકરા પાસેથી રૂ. 60 હજાર માંગ્યા હતા. જ્યારે કમલકાંતે તેની પાસેથી માત્ર 4500 રૂપિયા લીધા હતા. જ્યારે તે પુરા પૈસા ન ચૂકવી શક્યો તો પ્રમોદ સિંહ અને તેના ભાઈ મનીષ સિંહે મારા દીકરાને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ ઘણીવાર મારા દીકરાને ધમકાવવા માટે છેક મારા ઘરમાં આવી જતા હતા."</span><br><span style="font-size: 14pt;">કમલકાંતની માતા વધુમાં જણાવે છે કે, "6 જુલાઈએ પ્રમોદે કમલકાંતને તેના ઘરે બોલાવ્યો હતો. જ્યાં તેને બંધક બનાવીને રાખ્યો અને આખી રાત તેને માર મારતા રહ્યા. બીજા દિવસે તેમણે તેને દેવું ચૂકવી જવા મજબૂર કર્યો અને પછી છોડી દીધો હતો. વાયરલ વીડિયોમાં કમલકાંત એમ કહેતો જોવા મળે છે કે, હું તમારા રૂપિયા પરત આપવા માટે અન્ય કોઈ પાસેથી ઉધાર લઈશ, પણ તમને ચૂકવી દઈશ. તેમ છતાં આરોપીઓ તેના માથામાં લાત મારતા જોવા મળે છે અને તેને ટોર્ચર કરતા રહે છે. આરોપીઓએ આ વીડિયો વાયરલ કરી દેતા કમલકાંતને લાગી આવ્યું હતું અને તેણે રાત્રે ગળેફાંસો ખાઈ લીધો હતો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/cm-belongs-to-our-caste-we-will-give-water-when-we-want"><strong>મુખ્યમંત્રી અમારી જાતિનો છે, અમારી ઈચ્છા થશે ત્યારે પાણી આપીશું...</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 13 Jul 2024 20:15:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>917</Articleid>
                    <excerpt>એક ગરીબ દલિત યુવકે રૂ. 4500 ઉછીના લીધા હતા, તેની સામે વ્યાજખોરોએ રૂ. 60 હજાર પરત માંગ્યા. એ પછી જે થયું તે આખો ઘટનાક્રમ ધ્રુજાવી દે તેવો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6692923f23c03.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6692923ee35ef.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6692923ee35ef.jpg" length="84930" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગરીબ દલિત યુવકને પૈસાદાર સમજી કીડનેપ કર્યો, ખંડણી ન મળતા હત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/kidnapped-a-poor-dalit-youth-thinking-he-was-rich-killed-without-getting-ransom</link>
                    <guid>https://khabarantar.com/kidnapped-a-poor-dalit-youth-thinking-he-was-rich-killed-without-getting-ransom</guid>
                    <description>
                        <![CDATA[ ત્રણ ગુંડાઓએ એક દલિત યુવકનું પૈસાદાર સમજીને અપહરણ કર્યું હતું, પણ તેનો પરિવાર અત્યંત ગરીબ નીકળ્યો અને રકમ ન આપી શક્યો. વાંચો પછી શું થયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓટીટી પરની વેબસિરીઝ પ્રકારની એક ઘટના સામે આવી છે. જેમાં એક દલિત યુવકનું ગુંડાઓએ તે પૈસાદાર છે તેમ સમજીને અપહરણ કર્યું હતું. પણ તેનો પરિવાર અત્યંત ગરીબ નીકળ્યો અને તે અપહરણકારોએ માંગેલી રકમ કોઈ કાળે આપી શકે તેમ નહોતો. પરંતુ અપહરણકર્તાઓ દલિત યુવકના માતાપિતાની મજબૂરી સમજી શક્યા નહોતા અને તેમણે યુવકની હત્યા કરી નાખી હતી. એ પછી તેઓ લાશને ઠેકાણે પાડવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે પોલીસને જાણ થઈ જતા આખો મામલો સામે આવ્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવમાં અપહરણકારોએ એક નહીં પરંતુ બે યુવકોને કીડનેપ કર્યા હતા. જેમાંથી એક યુવક દલિત પરિવારમાંથી આવતો હતો. જ્યારે બીજો તેનો મિત્ર શાકભાજીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અપહરકારોએ તેને પણ પતાવી દેવાની તૈયારીઓ કરી લીધી, પરંતુ ત્યારે જ પોલીસ આવી પહોંચી અને તે બચી ગયો. હાલ તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનનો છે. અહીં પાટનગર જયપુરમાં પૈસા માટે અપહરણની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ત્રણ ગુંડાઓએ જયપુરના મુહાણા વિસ્તારના બે યુવકોને પૈસાદાર સમજીને કીડનેપ કરી લીધા હતા. જેમાંથી એક યુવક દલિત સમાજનો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/jagannathjis-rath-yatra-is-the-triratna-yatra-of-buddhism">જગન્નાથજીની રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિ-રત્ન યાત્રા છે?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અપહરણ કર્યા બાદ ગુંડાઓએ યુવકના પરિવારજનોને ફોન કરીને એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પણ દલિત યુવકનો પરિવાર અત્યંત ગરીબ હતો અને કોઈ કાળે આટલી મોટી રકમ આપી શકે તેમ નહોતો. આથી તેમણે અપહરણકારોને વિનંતી કરી કે તેઓ તેમના દીકરાને છોડી દે, તેમને લાગ્યું ગુંડાઓ તેમની વાત માની જશે અને તેમના દીકરાને ગરીબ સમજીને છોડી દેશે, પણ એવું ન થયું. તેના બદલે અપહરણકર્તાઓ ગુસ્સે ભરાયા અને બંને યુવકોને ઢોર માર માર્યો. માર એટલો ભયંકર હતો કે બે પૈકી દલિત યુવકનું મોત થઈ ગયું, જ્યારે બીજો યુવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક દલિત યુવકના પરિવારજનોએ સૌથી મોટી ભૂલ એ કરી કે તેમણે તેમના દીકરાનું અપહરણ થયું છે તેની જાણ પોલીસને ન કરી. સાથે જ તેમની પાસે એક લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે તે પણ કોઈને કહ્યું નહીં. ઘટનાના એક દિવસ પછી ક્રાઈમ બ્રાંચની સ્પેશિયલ ટીમના એએસઆઈ મહિપાલ અને દેવકરણને બાતમીદારો તરફથી આખી ઘટનાની જાણકારી મળી. આ બંને પોલીસકર્મીઓએ ઉચ્ચ અધિકારીઓને તેની જાણ કરી અને અપહરણકર્તાઓનું પગેરું મેળવીને 125 કિલોમીટર સુધી તેમનો પીછો કર્યો. છેલ્લે અન્ય પોલીસની મદદથી અજીતગઢ વિસ્તારમાંથી ત્રણેય ગુંડાઓને તેમણે પકડી લીધા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે બે યુવકોનું અપહરણ થયું હતું, તેમાંથી એક 22 વર્ષનો દલિત યુવક નેમીચંદ મહાવર રાજસ્થાનના કરૌલી જિલ્લાનો રહેવાસી છે. નેમીચંદ પાટનગર જયપુરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો હતો. તેનું ગામ મગરોળ ભાજપના નેતા હંસરાજ મીણાના મતવિસ્તારમાં આવેલું છે. આ મામલે હંસરાજ મીણાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબી પોસ્ટ મૂકી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/teach-the-good-things-of-all-religions-in-schools-swayam-sainik-dal">તમામ ધર્મોની સારી બાબતોને શાળાના અભ્યાસક્રમમાં સમાવોઃ સ્વયં સૈનિક દળ, ગુજરાત</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે ભાજપના નેતાઓ વડાપ્રધાન મોદી અને અમિત શાહની ધાકને કારણે કોઈપણ બાબતનો વિરોધ કરી શકતા નથી. પણ અહીં હંસરાજ મીણાએ રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તેમણે નેમીચંદ મહાવરના હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તેના પરિવારજનોને રૂ. 50 લાખની આર્થિક મદદ કરવાની પણ સરકાર પાસે માંગ કરી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં બીજો યુવક જેનું અપહરણ થયું હતું, તે મનીષ કુમાર બૈરવા સવાઈ માધોપુરનો રહેવાસી છે અને તે જયપુરમાં શાકભાજી વેચતો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે એડિશનલ પોલીસ કમિશ્નર કૈલાશ બિશ્નોઈએ જણાવ્યું હતું કે, આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણ આરોપીઓમાં નૈનવાના રહેવાસી તુષાર ઉર્ફે લિટલ, દૌસા જિલ્લાના મહેંદીપુર બાલાજીના રહેવાસી આશિષ બૈરવા અને નીમકાથાણાના રહેવાસી શંભુદેવ વર્માનો સમાવેશ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, તેમણે દલિત યુવક નેમીચંદના પરિવાર પાસે રૂ. 1 લાખની ખંડણી માંગી હતી, પણ તે ન મળતા તેમને પકડાઈ જવાની બીક લાગી હતી. આથી તેમણે નેમીચંદ મહાવરની હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, તેઓ બીજા યુવક મનીષ બૈરવાની પણ હત્યા કરવાની તૈયારી કરી ચૂક્યા હતા, પણ ત્યાં જ પોલીસ આવી પહોંચી અને ત્રણેયને પકડી લીધા અને મનીષ બચી ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ<a href="https://khabarantar.com/courts-are-also-not-immune-to-patriarchal-attitudes-and-sexism"> ભારતની અદાલતો પણ પિતૃસત્તાત્મક વલણ અને લિંગભેદની પર નથી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 13 Jul 2024 16:51:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>916</Articleid>
                    <excerpt>ત્રણ ગુંડાઓએ એક દલિત યુવકનું પૈસાદાર સમજીને અપહરણ કર્યું હતું, પણ તેનો પરિવાર અત્યંત ગરીબ નીકળ્યો અને રકમ ન આપી શક્યો. વાંચો પછી શું થયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66925fd7831e9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66925fd754213.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66925fd754213.jpg" length="55569" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બહેનનું શબ ખભે ઉઠાવીને બે ભાઈ 5 કિ.મી. સુધી પગપાળા ચાલ્યાં</title>
                    <link>https://khabarantar.com/two-brothers-carry-their-sisters-corpse-on-their-shoulders-for-5-km-walked-till</link>
                    <guid>https://khabarantar.com/two-brothers-carry-their-sisters-corpse-on-their-shoulders-for-5-km-walked-till</guid>
                    <description>
                        <![CDATA[ કોલેરામાં યોગ્ય સારવાર ન મળી શકતા 15 વરસની બહેનનું મોત થઈ ગયું. એ પછી બે ભાઈઓએ તેના મૃતદેહને વારાફરતી ખભે નાખીને ઘરે પહોંચાડ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાન મોદી જ્યારે પણ કોઈ વિદેશની યાત્રાએ જાય છે ત્યારે મસમોટી વાતો કરે છે. ખાસ કરીને 'વિશ્વગુરૂ' શબ્દ તેમને એવો તો મોંઢે ચડી ગયો છે કે, તેમના દરેક ભાષણમાં તેનો ઉલ્લેખ ચોક્કસ થાય છે. જો કે, જમીની વાસ્તવિકતા તેમના ભાષણો કરતા સાવ વિરુદ્ધની હોવાથી હવે લોકોએ પણ તેમના ભાષણોને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધું છે. દુનિયાના અન્ય દેશોમાં જ્યાં નાગરિક હિત સર્વોપરી હોય છે ત્યાં ભારતમાં તેનાથી સાવ ઉલટું જોવા મળે છે, અને તેનું તાજું ઉદાહરણ આ ઘટના છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના લખીમપુર ખીરીમાં પૂરની ભયાવહ સ્થિતિ વચ્ચે એક એવી તસવીર સામે આવી છે જે સૌ કોઈનું કાળજું કંપાવી દે છે. પૂરના કારણે યોગ્ય સારવાર ન મળી શકવાને કારણે એક કિશોરીનું મોત થઈ ગયું હતું. એ પછી તેને ઘર સુધી લઈ જવા માટેની સગવડ ન થઈ શકતા તેના બે ભાઈઓએ વારાફરતી તેનું શબ ખભે ઉપાડીને 5 કિમી ચાલીને તેને ઘર સુધી પહોંચાડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વરસાદને કારણે ઉત્તરપ્રદેશની નદીઓ તોફાની સ્થિતિમાં આવી ગઈ છે. તરાઈના લખીમપુર ખીરીમાં પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂરમાં લોકોની લાચારી વચ્ચે એક ખૂબ જ દર્દનાક સમાચાર આવ્યા છે, જેણે સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. આની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જિલ્લાના એક ગામમાં રહેતી કિશોરીનું યોગ્ય સારવાર ન મળવાથી મોત થઈ ગયું હતું. એ પછી જે થયું તે માણસાઈને સાવ નેવે મૂકી દેવા જેવું હતું. કિશોરીના બે ભાઈ તેના મૃતદેહને ખભા પર લાદીને પાંચ કિલોમીટર સુધી પગપાળા ચાલીને હોસ્પિટલથી પોતાના ગામ સુધી પહોંચ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના લખીમપુર ખીરીના મૈલાણી પોલીસ સ્ટેશનમાં આવતા એલનગંજ મહારાજાનગરની છે. ગામમાં રહેતી 15 વર્ષની શિવાનીને ટાઈફોઈડ થઈ ગયો હતો. સારવાર માટે તેને પલિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની તબિયત સુધરી રહી નહોતી એટલે ડોક્ટરે તેને લખીમપુર લઈ જવા કહ્યું. પરંતુ વરસાદને કારણે પલિયાથી બહાર જવાના રસ્તા બંધ થઈ ગયા હતા. બિમાર શિવાનીને બીજે ક્યાંય ન લઈ જઈ શકાઈ અને તેણે રસ્તામાં જ દમ તોડી દીધો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સારવારના અભાવે શિવાનીનું મોત થઈ ગયું. એ  પછી તેના મૃતદેહને પણ ત્યાંથી લઈ જવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી થઈ શકતી. લાચાર થઈને આખરે તેના બંને ભાઈઓએ તેના શબને ખભા પર નાખીને રેલવે ટ્રેકના કિનારે કિનારે અંદાજે પાંચેક કિલોમીટર સુધી ચાલીને ઘર સુધી લઈ જવો પડ્યો. તેની સાથે પરિવારના અન્ય લોકો પણ હતા. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Were-the-Dalits-of-Gujarat-in-an-unencumbered-state-before-the-advent-of-Gandhiji"><span style="font-size: 14pt;">શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક શિવાની 12માં ધોરણની વિદ્યાર્થિની હતી. પલિયામાં રહીને ભણતી શિવાનીની બે દિવસ પહેલા તબિયત ખરાબ થઈ ગઈ હતી. ટાઈફોઈડ થતા તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. પણ તબિયત વધારે ખરાબ થતા ડોક્ટરોએ તેને લખીમપુર લઈ જવા કહ્યું. જ્યાં રસ્તામાં જ તેણે દમ તોડી દીધો. પૂરના કારણે આગળનો રસ્તો બંધ હોવાથી તેના બંને ભાઈઓ મૃતદેહ ખભે નાખીને પગપાળા જ ગામ જવા નીકળી પડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માનવતાને શરમજનક સ્થિતિમાં મૂકતા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને ભાઈ જ્યારે પણ શબ ઉપાડીને થાકી જાય છે ત્યારે શબને જમીન પર મૂકીને થોડીવાર આરામ કરે છે. પછી આંખોમાં આંસુ સાથે શબને ફરી ખભા પર લાદીને ચાલવા માંડે છે. એ વખતે બંને ભાઈઓની મનોસ્થિતિની કેવી હશે તેની તો માત્ર કલ્પના જ થઈ શકે તેમ છે. શિવાની મૃતદેહને ખભા પર લાદીને ચાલતા ચાલતા ઘરે પહોંચવામાં તેમને બે કલાક જેટલો સમય લાગ્યો હતો. જો કે, આટલો સમય વીતવા છતાં વહીવટી તંત્ર, અધિકારી કે અન્ય કોઈ વ્યક્તિ તેમની મદદે નહોતું આવ્યું. ઘટના બુધવારની છે પણ તેનો વીડિયો આજે સામે આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ વીડિયો પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું હતું કે, "યુપીના લખીમપુર ખીરીથી એક દુઃખદ સમાચાર મળી રહ્યાં છે કે પૂરના કારણે સમયસર હોસ્પિટલ પહોંચીને સારવાર ન મળવાને કારણે એક કિશોરીનું મોત થઈ ગયું. લાચાર ભાઈએ પોતાની બહેનના મૃતદેહને ખભા પર લાદીને ઘર સુધી પહોંચાડવો પડ્યો. સરકાર પાસે અપેક્ષા છે કે, તે પૂરની સ્થિતિમાં ઈમરજન્સી સારવારની વ્યવસ્થામાં વધારો કરે અને યાદ રાખે કે ગરીબના જીવનની પણ કોઈ કિંમત હોય છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખીરીના 150થી વધુ ગામો પૂરની ઝપટમાં આવી ગયા છે. શારદાના નદીનું જળસ્તર વધવાથી આખા જિલ્લામાં પૂર આવી ગયું છે. રસ્તાઓ બંધ થઈ ગયા છે. પલિયા, નિઘાસન, ફૂલબેહડ, ઘૌરહરા અને બિજુઆ વિસ્તારના ગામડાઓમાં પૂરના પાણી હજુ પણ ઓસર્યાં નથી. પરિસ્થિતિ એ હદે ખરાબ છે કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-to-death-the-villagers-reached-the-police-with-the-body"><strong>દલિત યુવકનું મારથી મોત થઈ ગયું, ગામલોકો લાશ સાથે પોલીસ પાસે પહોંચ્યાં</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 13 Jul 2024 12:16:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>915</Articleid>
                    <excerpt>કોલેરામાં યોગ્ય સારવાર ન મળી શકતા 15 વરસની બહેનનું મોત થઈ ગયું. એ પછી બે ભાઈઓએ તેના મૃતદેહને વારાફરતી ખભે નાખીને ઘરે પહોંચાડ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669221e378482.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669221e348332.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669221e348332.jpg" length="80488" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>100થી વધુ પોલીસ ખડક્યાં, છતાં દલિત દીકરીની જાન પર હુમલો થયો</title>
                    <link>https://khabarantar.com/more-than-100-policemen-intervened-but-dalit-daughters-jaan-was-attacked</link>
                    <guid>https://khabarantar.com/more-than-100-policemen-intervened-but-dalit-daughters-jaan-was-attacked</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં જાતિવાદીઓની બીકને કારણે 100થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે એક દલિત યુવતીની જાન નીકળી હતી. છતાં લુખ્ખાઓએ હુમલો કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક બાજુ ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અસામાન્ય લાગતી શોધ કરી રહ્યાં છે. દક્ષિણ કોરિયાએ તો રોબો ટેકનોલોજીમાં પોતાનું આગવું નામ બનાવી દીધું છે. બીજી તરફ આપણો ભારત દેશ છે, જ્યાં બહુમતી હિંદુઓ મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થા આધારિત વ્યવસ્થાને જ સર્વસ્વ માનીને તે મુજબ સૌ રહે તેમ ઈચ્છે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવા માટે તો ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે, દેશનું બંધારણ પણ એ જ આધાર પર અસ્તિત્વમાં આવ્યું છે. પણ જાતિવાદી તત્વો ખાસ કરીને મનુવાદી વર્ણવ્યવસ્થાના પાયા પર ઉભેલા હિંદુ ધર્મને દેશમાં પ્રસ્થાપિત કરવા મથતા તત્વોના સૌને સમાન હક આપતા બંધારણ અને તેના પાલનને સ્વીકારતા નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના કારણે આજે પરિસ્થિતિ એ હદે વણસી ચૂકી છે કે પોલીસની હાજરી હોવા છતાં જાતિવાદી તત્વો તેમના જાતિ અભિમાનને સહેજ પણ નીચું પડવા દેવા માંગતા નથી અને તેના માટે પોલીસ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિની પણ તેમને કોઈ પરવા નથી. ગુજરાતમાં દલિત વર-વધુની જાન પર જાતિવાદી તત્વો દ્વારા અનેકવાર હુમલાઓ થયા છે. પણ સરકાર ખુદ આવી ઘટનાઓને ડામવામાં ઉણી ઉતરે છે, લુખ્ખા તત્વોને જામીન મળી જાય છે અને તેના કારણે તેના જેવા અન્ય તત્વોની હિંમત ખૂલી જાય છે અને તેઓ પણ દલિતો, આદિવાસીઓ પર અત્યાચાર કરતા ખચકાતા નથી. ગુજરાતમાં જો આ સ્થિતિ હોય તો વિચારો યુપી, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા કટ્ટર જાતિવાદી રાજ્યોમાં શું સ્થિતિ હશે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જેમાં એક દલિત દીકરીના લગ્ન ધામધૂમથી કરવાના તેના ભાઈઓના સપના પર જાતિવાદી તત્વોએ પાણી ફેરવી દીધું છે. યુવતીના ભાઈઓને ગામના મુખ્ય રસ્તેથી જાન આવશે ત્યારે ગામના જાતિવાદી તત્વો તેના પર હુમલો કરશે તેવી શંકા હતી. આથી જ તેમણે પોલીસ સુરક્ષા મેળવી લીધી હતી. એ પછી સ્થાનિક પોલીસના 100થી વધુ જવાનોને જાનના રૂટ પર ખડકી દેવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, આટલી મોટી સંખ્યામાં પોલીસની હાજરી હોવા છતાં જાતિવાદી તત્વોએ દલિત યુવતીની જાન પર પથ્થમારો કરીને મોટો હુમલો કર્યો હતો. હુમલાખોર તત્વોએ પોલીસની ગાડીને પણ નિશાન બનાવી હતી અને જાનની અંદર ઘૂસી જઈને જાનૈયાને પણ ફટકાર્યા હોવાનું કહેવાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મહિલાઓ પર સૌથી વધુ અત્યાચાર થાય છે તે રાજસ્થાનનો છે. અહીં ભરતપુર જિલ્લાના ચિકણાસા પોલીસ સ્ટેશનના નૌગાયા ગામમાં ગઈકાલે એક દલિત યુવતીની જાનમાં ગામના જાતિવાદી તત્વોએ તોફાન મચાવ્યું હતું. લુખ્ખા તત્વોએ દલિત દીકરીની જાન પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસવાનને પણ નિશાન બનાવી હતી. જાતિવાદી તત્વોએ હોબાળો મચાવતા એક તાજી ચણેલી દિવાલને તોડી પાડીને જાન પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેમાં બે લોકો ઘાયલ થઈ ગયા હતા અને અનેક લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, પોલીસ પથ્થરમારાની ઘટનાનો ઈનકાર કરી રહી છે, પણ ઘટનાને નજરે જોનાર લોકો પથ્થરમારો થયો હોવાનું સ્પષ્ટપણે જણાવી રહ્યાં છે. આથી પોલીસે પથ્થરમારાના આરોપસર ચાર લોકોની અટકાયત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતી દલિત સમાજની હોવાથી તેની જાન આવશે ત્યારે કંઈક નવાજૂની થશે તેવી ભીતિ તેના પરિવારજનો અને વાસના લોકોને પહેલેથી હતી. એટલે જ તેમણે જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપીને સુરક્ષાની માંગ કરી હતી. જેને લઈને 100થી વધુ જવાનોની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યુવતીની જાન નીકળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાનમાં સામેલ એક સ્થાનિક દલિત સમાજની વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, "પોલીસની સુરક્ષા વચ્ચે જાન આગળ વધી રહી હતી, ત્યારે જ અચાનક ઠાકુર સમાજની કેટલીક મહિલાઓએ રસ્તા વચ્ચે આવી જઈને જાનને આગળ વધતી અટકાવી હતી. એ પછી ગામના સવર્ણોએ અચાનક હોબાળો મચાવ્યો હતો. પોલીસ તેમને રસ્તા વચ્ચેથી હટાવી રહી હતી ત્યારે અચાનક દિવાલ પર બેઠેલા કેટલાક લોકોએ નીચે ઉતરીને દિવાલને ધક્કો મારીને પાડી દીધી હતી અને પછી પથ્થરમારો શરૂ કરી દીધો હતો. દિવાલ પડવાથી પોલીસવાનને નુકસાન થયું હતું અને બે લોકો ઘાયલ થઈ ગયા હતા. આ સિવાય પણ અનેક લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Why-is-Mata-Savitribai-Phule-not-taught-in-our-schools"> <span style="font-size: 14pt;">આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા મૃદુલા કચ્છવાએ બચાવ કરતા જણાવ્યું હતું કે, "એક મકાનની ઉપર એક દિવાલ બનેલી હતી, જે અચાનક પડી ગઈ હતી. જેના કાટમાળના કારણે પોલીસવાનનો કાચ તૂટી ગયો હતો." જોકે, જાનમાં સામેલ દલિત સમાજના લોકોનું કહેવું છે કે, "ગામના કેટલાક માથાભારે લોકોને અમે જાન લઈને અહીંથી નીકળીએ તે પસંદ નહોતું એટલે તેમણે પથ્થરમારો કર્યો હતો. પોલીસ તેમને છાવરી રહી હોય તેમ લાગે છે. પથ્થરમારો કરવામાં અનેક લોકો સામેલ હતા પણ પોલીસે 4 આરોપીઓની ફક્ત અટકાયત કરી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહેનના લગ્ન ધામધૂમથી કરવાનું ભાઈઓનું સપનું રોળાયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને યુવતીના ભાઈ રાજવીર સિંહે જણાવ્યું હતું કે, "મારું નાની બહેનના લગ્ન ધામધૂમથી કરવાનું સપનું રોળાઈ ગયું છે. હું સરકારી શાળામાં શિક્ષક છું. મારી બહેન આશાકુમારી અમારી ત્રણ ભાઈઓની એકમાત્ર બહેન છે. અમે તેના લગ્ન ધામધૂમથી કરવા માંગતા હતા. આશાના લગ્ન નદબઈ તાલુકાના કૈલૂરી ગામના રહેવાસી મનોજ સાથે નક્કી થયા હતા. અમે બહેનની જાન એ જ રીતે કાઢવા માંગતા હતા જે રીતે ગામના અન્ય સમાજના લોકો કાઢે છે. પણ ગામના કેટલાક માથાભારે તત્વોને એ પસંદ નહોતું. જેમાં મુંશી પહેલવાન, પુષ્પેન્દ્ર પંડિત, ભલ્લૂ ઠાકુર, દેશરાજ ઠાકુર, ચંદન ઠાકુર, દિલીપ પંડિત, મહાવીર ઠાકુર મુખ્ય છે. જ્યારે અમે મારી બહેનની જાન લઈને ઘરેથી નીકળ્યા તો આ લોકોએ તેના પર પથ્થરમારો કર્યો હતો અને અમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">100 પોલીસનું ધાડું ખડકાયું છતાં હુમલો થયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખી ઘટનામાં સૌથી શરમજનક બાબત એ રહી કે દલિત યુવતીના પરિવારજનોએ પહેલેથી જ પોલીસ સુરક્ષા માંગી હતી અને 100થી વધુ પોલીસકર્મીઓનું આખું ધાડું ગામમાં ખડકી દેવાયું હતું તેમ છતાં લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો. પોલીસ માટે આનાથી મોટી શરમજનક બાબત બીજી કઈ હોઈ શકે કે, કોઈ વ્યક્તિએ તમારી પાસે સુરક્ષા માંગી હોવા છતાં તમે તેને તે આપી ન શક્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડિશનલ પોલીસ અધિક્ષક ડો. લાલચંદ કયાલે જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વડાને દલિત યુવતીના પરિવારજનોએ પહેલા જ આવેદનપત્ર આપીને જાણ કરી દીધી હતી કે, ગામના કેટલાક જાતિવાદી માથાભારે તત્વો તેમની બહેનની જાન પર હુમલો કરી શકે છે. જેને લઈને જિલ્લા પોલીસ તંત્રે 100થી વધુ પોલીસનો કાફલો જાન વખતે ખડકી દીધો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમાં એએસપી લાલચંદ કયાલ, એસપી અખિલેશ શર્મા, સીઓ ગ્રામીણ આકાંક્ષા કુમારી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે અંદાજે 100થી વધુ પોલીસકર્મીઓ, ડીએસટી અને ક્યૂઆરટી ટીમ મોજૂદ હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમ છતાં જાતિવાદી તત્વોએ હુમલો કર્યો અને કાયદો વ્યવસ્થા અને પોલીસ તંત્રનું નાક વાઢી લીધું હતું. જાણે આડકતરી રીતે પોલીસને મેસેજ ન આપતા હોય કે, તમે ભલે બંધારણમાં કરાયેલી જોગવાઈ મુજબ દલિત પરિવારને તેના બંધારણીય હકો અપાવવા આવ્યા હો, પણ આ અમારું ગામ છે અને અમારા માટે જાતિ જ અગત્યની છે, અને જાતિ વ્યવસ્થાને અમે કોઈપણ ભોગે તૂટવા નહીં દઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોએ પોલીસની સુરક્ષા વચ્ચે નીકળેલી જાન પર પથ્થરમારો કરીને સીધી જ કાયદો વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે, પોલીસ આ મામલે શું પગલાં ભરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/a-dalit-woman-constable-was-attacked-with-a-sword-by-a-darbar-neighbor"><strong>દલિત મહિલા કોન્સ્ટેબલ પર દરબાર પડોશીએ તલવારથી હુમલો કર્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 12 Jul 2024 17:41:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>910</Articleid>
                    <excerpt>એક ગામમાં જાતિવાદીઓની બીકને કારણે 100થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે એક દલિત યુવતીની જાન નીકળી હતી. છતાં લુખ્ખાઓએ હુમલો કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66911c6f399f1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66911c6f0680f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66911c6f0680f.jpg" length="57071" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વિરમગામના દલિતો &amp;apos;ભેદભાવ નો ગરબો&amp;apos; માથે ઉપાડી ગાંધીનગર સુધી જશે</title>
                    <link>https://khabarantar.com/the-dalits-of-viramgam-will-carry-bhedbhav-no-garbo-and-go-to-gandhinagar</link>
                    <guid>https://khabarantar.com/the-dalits-of-viramgam-will-carry-bhedbhav-no-garbo-and-go-to-gandhinagar</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના વીરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના દલિતોના પ્રશ્નો અંગે તંત્ર બહેરાં કાન કરીને બેસી ગયું છે, તેથી હવે દલિતોએ ગાંધીનગર સુધી જવાનું નક્કી કર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના સૌથી મોટા અને વિકસિત શહેર અમદાવાદમાં આવીને તમને લાગતું હોય કે હવે તો ભેદભાવ જેવું કશું ક્યાં રહ્યું છે, તો તમારે અમદાવાદ સિટીમાંથી બહાર નીકળીને અમદાવાદ જિલ્લાના કોઈપણ ગામમાં જઈને દલિતવાસની મુલાકાત લેવી જોઈએ. કેમ કે, વાસ્તવિકતા શું છે એ તમને અહીં જ સમજાશે. અમદાવાદ શહેરમાં રોડ, રસ્તાઓ, વીજળી, પાણીની સુવિધાઓ મળતી થઈ છે પણ જિલ્લાના ગામડાઓમાં દલિતોની હાલતમાં ખાસ કોઈ સુધારો જોવા મળતો નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદીના 75 વર્ષ પછી પણ અમદાવાદ જિલ્લાના વીરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકાના અનેક ગામોમાં અનુસૂચિત જાતિ સમાજના વાસમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. વાસમાં જવા માટે પાકા રસ્તા નથી, સરકાર નલ સે જલની વાત કરે છે પણ અહીં અનેક ગામોમાં દલિત વાસમાં પાણી આવતું નથી, ગટરની વ્યવસ્થા નથી, જ્યાં કામ શરૂ થાય છે ત્યાં અધૂરું છે. અનેક ગામોમાં દલિતોના સ્મશાનો સવર્ણોના ખેતરો વચ્ચેથી પસાર થાય છે અને ત્યાં ખેતરમાલિકોએ કરેલા દબાણોને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-puri-jagannaths-rath-yatra-balabhadras-idol-fell-on-the-sevaks-9-injured">પુરી જગન્નાથની રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી, 9 લોકો ઘાયલ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા અનેક પ્રશ્નો હાલ વીરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકોને પજવી રહ્યાં છે. આ મામલે જે તે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને અમદાવાદ જિલ્લા પંચાયત સુધી રજૂઆતો કરી છે. છતાં યોગ્ય નિકાલ ન આવ્યો હોવાથી આ ત્રણેય તાલુકાના અલગ અલગ ગામોના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ મળીને વીરમગામથી ગાંધીનગર સુધી ભેદભાવનો ગરબો ઉપાડીને છેક મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાનું નક્કી કર્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે માંડલ, વીરમગામ અને દેત્રોજ તાલુકાના ગામોના દલિતોએ મળીને સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં દલિત વાસના વર્ષો જૂના પ્રશ્નોને લઈને જે તે તાલુકા પંચાયતોમાં આવેદન પત્ર આપીને રજૂઆતો કરવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે માંડલ તાલુકાના વિંઝુવાડા ગામના દલિત સમાજના વિવિધ પ્રશ્નોમાં સ્થાનિક તંત્ર દ્વારા ભેદભાવ કરવામાં આવતો હોવાથી વિંઝુવાડા દલિત વસ્તી પંચે નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચના સહકારથી માંડલ તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ થકી આંદોલન કર્યું હતું. આ કાર્યક્રમમાં ધ્યાન ખેંચે તેવી બાબત એ રહી કે ગામની મહિલાઓએ તેનું નેતૃત્વ કર્યું હતું અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/2-lakh-dalits-will-hold-a-bike-rally-to-gandhinagar-on-the-issue-of-ganesh-jadeja">ગણેશ જાડેજાના વિરોધમાં 2 લાખ દલિતો ગાંધીનગર સુધી બાઈક રેલી યોજશે</a></span></strong></span></p>
<p><strong><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_6690cb1e60ebe.jpg" alt=""><span style="font-size: 10pt;">(દલિત સમાજની રજૂઆતો સાંભળતા માંડલ ટીડીઓ)</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ સમાજની આ મહિલાઓના આકરા તેવર જોઈને ખુદ માંડલ તાલુકા વિકાસ અધિકારીએ તેમની કેબિનમાંથી બહાર આવીને તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી અને તેનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આંદોલન દરમિયાન બહેનોએ સંવિધાનને સાથે રાખીને લેખિત આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ 10 દિવસમાં પ્રશ્નોનો નિકાલ ના આવે તો આ સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીની કચેરી અમદાવાદ ખાતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીરમગામના સામાજિક કાર્યકર, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને નવસર્જન ટ્રસ્ટના કાર્યકર કિરીટભાઈ રાઠોડ સમગ્ર આંદોલન વિશે વિસ્તારથી સમજ આપતા જણાવે છે કે, "અમદાવાદ જિલ્લાના વીરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના અનેક ગામોમાં અનુસૂચિત જાતિ સમાજ સાથે આઝાદીના 75 વર્ષ પછી પણ ભારે ભેદભાવ રાખવામાં આવે છે. ગામમાં દલિતવાસમાં સારા રસ્તાઓ નથી, ગટર, પાણીની વ્યવસ્થા નથી. અનેક ગામોમાં ગામના ગટરના પાણી દલિત વાસ તરફ વાળી દેવાયા છે. વરસાદી પાણી ભરાય છે. આ સિવાય સૌથી મોટો પ્રશ્ન સ્મશાનોનો છે. અહીંના અનેક ગામોમાં દલિતોના સ્મશાન સુધી જવાનો યોગ્ય નથી. કેટલાક ગામોમાં આ રસ્તો ખેતરો વચ્ચેથી જતો હોય છે અને ત્યાં જે તે ખેડૂતો તેના પર દબાણ કરીને બંધ કરી દે છે. જેના કારણે દલિતોએ સ્મશાન સુધી કેવી રીતે જવું તે પ્રશ્ન ઉભો થાય છે. આવા અનેક ગામો છે જ્યાં દલિતો સાથે ભેદભાવ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/54-dalit-families-of-amreli-have-been-struggling-for-rightful-land-for-42-years">અમરેલીના 54 દલિત પરિવારો 42 વર્ષથી હકની જમીન માટે લડી રહ્યાં છે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_6690cb1d24b72.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કિરીટભાઈ વધુમાં જણાવે છે કે, "આ સમસ્યાઓને લઈને ગ્રામ પંચાયતથી લઈને તાલુકા સુધી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ યોગ્ય નિકાલ લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. આથી આ ત્રણેય તાલુકાના દલિતોએ મળીને ભેદભાવનો ગરબો માથે ઉપાડીને વીરમગામથી વિધાનસભા સુધી જઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાનું નક્કી કર્યું છે. હિંદુ ધર્મના લોકો દલિતોથી આભડછેટ રાખે છે, ખાસ કરીને નવરાત્રીમાં ગરબા વખતે તેઓ દલિતોને તેમના વિસ્તારમાં પ્રવેશવા પણ નથી દેતા. આથી જ અમે ગરબાને વિરોધ પ્રદર્શનનું પ્રતિક બનાવવાનું નક્કી કર્યું છે. અમે લોકો "ભેદભાવનો ગરબો" તૈયાર કરવાના છીએ. જેમાં કેવી કેવી રીતે દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવે છે તે લખીશું અને એ ગરબો માથે ઉપાડીને ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભાએ જઈને મુખ્યમંત્રીને રજૂઆત કરીશું. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં તેના કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવશે. ભેદભાવના આ ગરબામાં વીરમગામ, માંડલ, દેત્રોજ ઉપરાંત અન્ય વિસ્તારના સેંકડો લોકો પણ જોડાશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/rashtriya-dalit-adhikar-manchs-struggle-bore-fruit-116-plots-were-approved-in-manavdar">દલિત અધિકાર મંચનો સંઘર્ષ ફળ્યો, માણાવદરમાં દલિત સમાજના 116 પ્લોટ મંજૂર થયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 12 Jul 2024 12:12:18 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 12 Jul 2024 12:18:37 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>908</Articleid>
                    <excerpt>અમદાવાદના વીરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના દલિતોના પ્રશ્નો અંગે તંત્ર બહેરાં કાન કરીને બેસી ગયું છે, તેથી હવે દલિતોએ ગાંધીનગર સુધી જવાનું નક્કી કર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6690cb1dd4a80.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6690cb1da46c3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6690cb1da46c3.jpg" length="93502" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત કિશોરને પકડીને ત્રણ બ્રાહ્મણોએ બોટલમાં પેશાબ ભરીને પીવડાવ્યો</title>
                    <link>https://khabarantar.com/three-brahmins-caught-a-dalit-teenager-and-made-him-drink-urine-in-a-bottle</link>
                    <guid>https://khabarantar.com/three-brahmins-caught-a-dalit-teenager-and-made-him-drink-urine-in-a-bottle</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં દલિત કિશોરને ત્રણ બ્રાહ્મણ યુવકોએ પકડીને બળજબરીથી દારૂની બોટલમાં પોતાનો પેશાબ ભરીને પીવડાવ્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો જાતિવાદી તત્વો માટે જાણ રમત કરવા માટેનું રમકડું હોય તેમ તેમની સાથે મનફાવે તેવું વર્તન કરતા હોય છે. ક્યારેક તો અત્યંત ક્રૂર અને નિમ્નસ્તરની હરકત પણ તેમની સાથે કરવામાં આ લોકો જરાય લાજશરમ અનુભવતા હોતા નથી. આવી સેંકડો ઘટનાઓ દેશભરમાં બનતી હોય છે, પણ પોલીસ ચોપડે ન ચડવાને કારણે અને ચડ્યાં પછી પણ સવર્ણ મીડિયા દ્વારા તેનું તટસ્થ રીતે રિપોર્ટિંગ ન થતું હોવાથી લોકોને તેની જાણ જ થતી નથી અને થાય છે તો પણ સવર્ણ મીડિયાની ચાલાકીને કારણે તે સામાન્ય ઘટનામાં ખપી જાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેમ કે, સવર્ણ મીડિયા પીડિત વ્યક્તિ દલિત છે તે જાહેર કરે છે, પરંતુ આરોપીઓ કથિત સવર્ણ જાતિના છે તે વાત કાયમ છુપાવવા પ્રયાસ કરે છે. સવર્ણ મીડિયાની આવી જાતિવાદી નિમ્મસ્તરની રમતના કારણે સદીઓથી દલિતો, આદિવાસીઓને અન્યાયનો ભોગ બનતા આવ્યા છે, તેમને ન્યાય મળતો નથી. ઉપરથી પોલીસમાં પણ મોટાભાગના અધિકારીઓ સવર્ણ જાતિના જ હોવાથી દલિતો માટે ન્યાયનો રસ્તો પણ કઠિન બની જાય છે. છેલ્લે સ્થિતિ એ પેદા થાય છે કે, પીડિતને અન્યાય થાય છે. છેલ્લે સવર્ણ ગુનેગારોને પોલીસ, મીડિયા, નેતાઓ સહિત આખી સિસ્ટમની ઓંથ મળવાથી તે બચી જાય છે, અન એ પછી તેમની હિંમત ઔર વધી જાય છે અને વધુ અત્યાચાર કરવા પ્રેરાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં પણ આરોપીઓ બ્રાહ્મણ છે, જેમણે તેમને ત્યાં કામ કરતા એક દલિત કિશોરને માત્ર દાદાગીરી સિદ્ધ કરવા માટે થઈને અપમાનિત કર્યો હતો. મામલો જાતિવાદના એપીસેન્ટર એવા ઉત્તરપ્રદેશનો છે. અહીં શ્રીવસ્તી જિલ્લાના ગિલૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રાયરપુર બિલેલા ગામમાં ત્રણ બ્રાહ્મણ યુવકોએ દલિત કિશોરને બળજબરથી બિયરની બોટલમાં પોતાનો પેશાબ ભરીને પીવડાવ્યો હતો. દલિત કિશોરે તેમનો સામનો કર્યો તો તેને માર માર્યો. કિશોરના પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, પણ હજુ એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આખી ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/A-boar-has-been-cut-to-death-on-the-railway-track-in-front,-pick-it-up..."> <span style="font-size: 14pt;">"સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને...."</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુપીના શ્રીવસ્તી જિલ્લાના રાયપુર બિલેલાના દલિત કિશોરને તેના જ ગામના ત્રણ બ્રાહ્મણ યુવકોએ બળજબરથી બિયરની બોટલમાં તેમનો પેશાબ ભરીને પીવડાવ્યાનો આરોપ છે. દલિત કિશોરના ભાઈની ફરિયાદના આધારે ગિલૌલા પોલીસે ફરિયાદ નોંધીને એક આરોપીની ધરપકડ કરી લીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કિશોરના ભાઈએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 1 જુલાઈના રોજ તેના નાના ભાઈને ગામના કિશન તિવારી ઉર્ફે ભૂરાએ તેના ઘરે ડીજે મશીન મૂકીને આવવા કહ્યું હતું. જે રાખીને તે પરત ફરી રહ્યો હતો ત્યાં ફરી તેને જનરેટર મૂકવા જવા કહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે, ત્યારે જ ગામના દિલીપ બાબુરામ મિશ્રા, સત્યમ રમાકાંત તિવારીએ તેને રોક્યો હતો અને તેને પકડીને સાઈડમાં લઈ ગયા હતા. એ પછી દિલીપ મિશ્રાએ બિયરની ખાલી બોટલમાં પેશાબ કર્યો હતો અને તે દલિત કિશોરને બળજબરીથી પીવડાવવા પ્રયત્ન કર્યો હતો. જેનો દલિત કિશોરે વિરોધ કર્યો તો આરોપીઓએ તેને ઢોર માર માર્યો હતો અને તમંચો બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કિશોર ડરી ગયો હતો અને ત્યારે જ સત્યમ અને કિશને તેને જમીન પર પટકીને બળજબરીથી પેશાબ ભરેલી બિયરની બોટલ તેના મોંમા રેડી દીધી હતી. સાથે જ આ મામલે જો પોલીસ ફરિયાદ કરી કે કોઈને જાણ કરી તો જાનથી મારી નાખીશું અને ગામ છોડાવી દઈશું તેવી ધમકી પણ આપી હતી. ગભરાઈ ગયેલા દલિત કિશોરે ઘરે જઈને સમગ્ર મામલે તેના પરિવારને જાણ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત દલિત કિશોરના ભાઈની ફરિયાદના આધારે ગિલૌલા પોલીસે ફરિયાદ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે. જો કે, હજુ પણ મુખ્ય બે આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમને શોધી શકી નથી. આ મામલે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મહિમાનાથ ઉપાધ્યાયનું કહેવું છે કે, ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong> </span><a href="https://khabarantar.com/dalit-fell-unconscious-after-hitting-the-youth-brought-him-back-to-consciousness-by-splashing-water-and-hit-him-again"><strong>દલિત યુવકને ફટકારતા બેભાન થયો, પાણી છાંટી ભાનમાં લાવી ફરી માર્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 12 Jul 2024 10:35:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>907</Articleid>
                    <excerpt>એક ગામમાં દલિત કિશોરને ત્રણ બ્રાહ્મણ યુવકોએ પકડીને બળજબરીથી દારૂની બોટલમાં પોતાનો પેશાબ ભરીને પીવડાવ્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6690b9265a101.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6690b92627e05.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6690b92627e05.jpg" length="50295" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કેન્દ્રમાં બધા મંત્રીઓ સવર્ણ, ભાજપ દલિત વિરોધી પક્ષ છેઃ ભાજપ સાંસદ</title>
                    <link>https://khabarantar.com/all-ministers-at-the-center-are-sarvans-bjp-is-an-anti-dalit-party-bjp-mps</link>
                    <guid>https://khabarantar.com/all-ministers-at-the-center-are-sarvans-bjp-is-an-anti-dalit-party-bjp-mps</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્ર સરકારમાં મોટાભાગના મંત્રીઓ કથિત સવર્ણ જાતિના છે, ભાજપ દલિત વિરોધી પક્ષ છે, તેણે દલિતોને સાઈડલાઈન કર્યા છે - આવું ભાજપના એક સાંસદે કહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે ભાજપ પર કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષો દલિત વિરોધી હોવાનો આક્ષેપ લગાવતા હોય છે. પરંતુ હવે ખુદ ભાજપના જ એક સાંસદે પક્ષ પર દલિત વિરોધી હોવાનો જાહેરમાં આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારમાં મોટાભાગના મંત્રીઓ અને ઉચ્ચ હોદ્દાઓ પર ફક્ત કથિત સવર્ણ જાતિના નેતાઓને જ પદો આપવામાં આવ્યા છે અને દલિતોને સાઈડલાઈન કરી દેવાયા છે. ભાજપ દલિત વિરોધી પક્ષ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો કર્ણાટક ભાજપનો છે, અહીં ભાજપના સાંસદ અને દલિત નેતા રમેશ જીગાજીનાગીએ પાર્ટી પર દલિત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પક્ષ વિરુદ્દ પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોટાભાગના કેન્દ્રીય પ્રધાનો ઉચ્ચ જાતિના છે અને દલિતોને સાઈડલાઈન કરવામાં આવ્યા છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૭૨ વર્ષના રમેશ જીગાજીનાગી ૭ વખત સાંસદ રહી ચૂક્યા છે અને તેમની ગણના કર્ણાટકના અગ્રણી દલિત નેતાઓમાં થાય છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં વિજયપુરા સીટ પરથી જીતેલા જીગાજીનાગી ૨૦૧૬થી ૨૦૧૯ સુધી રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. ભાજપમાં જોડાતા પહેલા તેઓ જનતા પાર્ટી, જનતા દળ, લોક શક્તિ અને જનતા દળ યુનાઈટેડમાં હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/womens-clothing-responsible-for-rising-rape-incidents-bjp-leader">બળાત્કારની વધતી ઘટનાઓ પાછળ સ્ત્રીઓના કપડાં જવાબદારઃ ભાજપ નેતાનું નિવેદન</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૨૪ની લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન ન મેળવાથી તેઓ નારાજ હતા અને આ નારાજગીને તેમણે જાહેરમાં વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મારા માટે મંત્રી પદ અગત્યનું નથી. મારા સમાજના લોકોનું સમર્થન મારા માટે મહત્વપૂર્ણ છે. જીત્યા બાદ જ્યારે હું લોકો વચ્ચે ગયો તો તેમણે મને ખૂબ ઠપકો આપ્યો. તેમણે કહ્યું કે આ પાર્ટીમાં જોડાતા પહેલા મારે જાણવું જોઈતું હતું કે આ દલિત વિરોધી પાર્ટી છે. લોકોએ કહ્યું હતું કે મારે ભાજપમાં જોડાવું જોઈએ નહીં. મને આ પદ આપવામાં આવે તેવી મારા સમાજ અને જનતાની અપેક્ષા હતી. તમે લોકો મને કહો કે આ ન્યાય છે કે અન્યાય?"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ર</span><span style="font-size: 14pt;">મેશ જીગાજીનાગીએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, "સમગ્ર દક્ષિણ ભારતમાં એક દલિત નેતા તરીકે હું એકલો જ વિજયી બન્યો છું. અત્યાર સુધીમાં ૭ ચૂંટણી જીતી ચૂક્યો છે. તમામ ઉચ્ચ જાતિના લોકો મંત્રી બન્યાં. શું આનો મતલબ એવો થાય કે દલિતોએ ભાજપને મત નથી આપ્યા? હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે મને આ નિર્ણયથી ખૂબ જ દુઃખ થયું છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જણાવી દઈએ કે જીગાજીનાગીએ ૧૯૯૮માં લોકસભાની પહેલી ચૂંટણી લોક શક્તિ પાર્ટીની ટિકિટ પર જીતી હતી. ત્યારથી તેઓ અત્યાર સુધીમાં તેમણે બધી જ ચૂંટણીઓ જીતી છે. તેઓ સતત ૭ વખત સંસદ પહોંચ્યા છે. તેઓ ૧૯૮૩માં તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી જીત્યા અને બાદમાં ત્રણ વખત ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2016 અને 2019માં તેઓ પેયજળ અને સ્વચ્છતા મંત્રી રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(0, 0, 0);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/if-ayodhya-is-far-away-the-bjp-could-not-win-in-the-surrounding-100-km-area">અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિ.મી. વિસ્તારમાં ભાજપ જીતી ન શકી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, રાજકારણનો આટલો લાંબો અનુભવ હોવા છતાં ભાજપે તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ નહોતા કર્યા. ભાજપ પક્ષ પર દલિત વિરોધી હોવાનો આરોપ સતત લાગતો રહે છે. મોટાભાગે આ આરોપ વિપક્ષો દ્વારા લગાવવામાં આવે છે પરંતુ પહેલીવાર તેમના જ પક્ષના એક સાંસદે તેને દલિત વિરોધી કહ્યો છે, જેને લઈને વિપક્ષોને મોટો મુદ્દો મળી ગયો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકમાં કુલ 28 સીટો છે અને ભાજપ આ વખતે 17 સીટો પર જીતી છે. એનડીએના સાથી પક્ષ જેડીએસને 2 સીટો મળી છે. કોંગ્રેસે 9 સીટો પર જીત મેળવી છે. કર્ણાટકમાં આ વખતે કેન્દ્રીય મંત્રીમંડળમાં 4 ચહેરા સામેલ છે. એમાં પ્રહલાદ જોષી સાથે શોભા કરાંદલાજે, વી સોમન્ના અને જેડીએસના એચ.ડી. કુમારસ્વામીનો સમાવેશ થાય છે. મોદી સરકારમાં 29 ઓબીસી, 28 જનરલ, 10 એસસી, 5 એસટી અને 7 મહિલાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(0, 0, 0);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/this-is-the-result-of-bjp-leaders-remaining-in-devotion-to-modi-sangh">ભાજપના નેતાઓ મોદીની ભક્તિમાં રત રહ્યાં તેનું આ પરિણામ છેઃ આરએસએસ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 11 Jul 2024 18:01:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>905</Articleid>
                    <excerpt>કેન્દ્ર સરકારમાં મોટાભાગના મંત્રીઓ કથિત સવર્ણ જાતિના છે, ભાજપ દલિત વિરોધી પક્ષ છે, તેણે દલિતોને સાઈડલાઈન કર્યા છે - આવું ભાજપના એક સાંસદે કહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668fa9d4569ef.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668fa9d41afd8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668fa9d41afd8.jpg" length="41602" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદ જેમ મોડાસામાં પણ દલિત એન્જિનીયરીંગ સ્ટુડન્ટનું ભેદી મોત</title>
                    <link>https://khabarantar.com/mysterious-death-of-dalit-engineering-student-in-ahmedabad-as-well-as-modasa</link>
                    <guid>https://khabarantar.com/mysterious-death-of-dalit-engineering-student-in-ahmedabad-as-well-as-modasa</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં ભણતા કચ્છના યુવકનો હોસ્ટેલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. અદ્દલ આવી જ એક ઘટના અરવલ્લીના મોડાસામાં બની છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં ભણતા કચ્છના માંડવીના યુવક ઉર્વીન ચૂહિયાનો ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના અવાવરૂ રૂમમાંથી ગળે, હાથે સહિત શરીરના વિવિધ ભાગોમાં બ્લેડના ઘા મારી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલાને આત્મહત્યા ગણાવ્યો છે પણ ઉર્વીનના પરિવારજનો તે સ્વીકારવા તૈયાર નથી. તેમને શંકા છે કે તેની આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે દલિત સમાજે વિરોધ નોંધાવી ઉર્વીનના પરિવારજનો સાથે તેનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અદ્દલ આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં બની ગઈ છે અને તેના પર બહુ ઓછાં લોકોનું ધ્યાન ગયું છે. અહીંના મોડાસા-શામળાજી હાઈવે પર આવેલા તત્વ આર્કેડ નામના કોમ્પલેક્ષના બેઝમેન્ટમાંથી જુલાઈ 4 જુલાઈ 2024ને ગુરૂવારની સાંજે પ્રિત ગીરીશભાઈ ચૌધરી નામના દલિત યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યોગાનુયોગે પ્રિત પણ ઉર્વીનની જેમ એન્જિનિયરીંગનો વિદ્યાર્થી હતો. પ્રિતનું મોત કેવી રીતે થયું, હત્યા હતી કે આત્મહત્યા? તેનું કોકડું ગુંચવાયેલું છે. આજકાલ કરતા સાત દિવસ થઈ ગયા, છતાં પોલીસ પ્રિતના મોત મામલે કોઈ કડી શોધી શકી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલે જ ગઈકાલે પ્રિત ચૌધરીના પરિવારજનો સાથે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ મળીને અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલને મળીને પ્રિતના શંકાસ્પદ મોત મામલે ન્યાયિક તપાસની માંગ કરી હતી. પ્રિતના પિતા ગિરીશભાઈ ચૌધરીએ આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું બની હતી?</span></strong></span><br><span style="font-size: 14pt;">મોડાસા શહેરના શામળાજી રોડ પર જિલ્લા પોલીસ ભવન સામે આવેલ તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી 4 જુલાઈના રોજ સાંજના સુમારે પ્રીત ગિરીશ ભાઈ ચૌધરી નામના અનુસૂચિત જાતિ સમાજના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પરિવારના આશાસ્પદ યુવકનું મોત થયા પ્રિતના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું અને તેઓ દોડતા આવી પહોંચ્યા હતા. જો કે, આજકાલ કરતા આ ઘટનાને સાત દિવસ વીતી ગયા હોવા છતાં પ્રિતનું મોત કેવી રીતે થયું તે પોલીસ શોધી શકી નથી. પોલીસ આ મામલે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે મૃતક પ્રિતના પરિવારજનો તેમજ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ એસપી કચેરી ખાતે અરવલ્લી જિલ્લા એસપીને આ મામલે રજૂઆત કરી હતી. જે જગ્યાએથી પ્રિતનો મૃતદેહ મળી આવ્યો હતો, તે જગ્યાએથી હજુ સુધી પોલીસને કોઈ ચીજવસ્તુ મળી નથી. પરંતુ તેના પરિવારજનોનું કહેવું છે કે તેની પાસે કોલેજ જવા માટેની બેગ હતી. આ સિવાય પણ કેટલીક ચીજોનો તેમણે ઉલ્લેખ કર્યો છે પણ તેમાનું કશું જ પ્રિતના મૃતદેહ પાસેથી મળ્યું નહોતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/suicide-or-murder-of-dalit-student-of-ld-engineering-college">એલ.ડી. એન્જિનિયરીંગ કૉલેજના દલિત વિદ્યાર્થીની આત્મહત્યા કે હત્યા?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારજનોના કહેવા પ્રમાણે પ્રિત ઘરેથી કોલેજ જવા માટે બેગ અને ટિફિન લઈને નીકળ્યો હતો. સાંજના સુમારે તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવેની માંગ સાથે જીલ્લા SPને રજૂઆત કરતા એસપીએ એફએસએલ રિપોર્ટ સુધી ધીરજ રાખવા જણાવ્યું છે. સાથે જ પ્રિત ઘરેથી કોલેજ ગયો ત્યારે બેગ સહિતની કેટલીક ચીજવસ્તુઓ તેની પાસે હતી પણ તે જે જગ્યાએથી તેનો મૃતદેહ મળ્યો, ત્યાંથી આમાંની કોઈ ચીજવસ્તુ મળી નથી હોવાની તેની હત્યા અન્ય જગ્યાએ કરાયા બાદ લાશ અહીં ફેંકી દીધી હોવાની આશંકા પણ નકારી શકાતી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિત અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામનો વતની હતો. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેની કોલેજથી નજીક આવેલા તત્વ આર્કેડની પાછળના ભાગમાં આવેલા બેઝમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કેટલીક જગ્યાએ સીસીટીવી ન હોવાથી પોલીસ માટે પણ તપાસમાં અડચણો આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહના અવશેષોને એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા પછી, ખ્યાલ આવશે કે પ્રિતની હત્યા થઈ છે કે કુદરતી મોત. હાલ તો પોલિસ બનતા તમામ પ્રયાસ કરી રહી હોવાનું ASP એ જણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">શરીર પર ઈજાના અનેક નિશાન</span></strong><br><span style="font-size: 14pt;">19 વર્ષના પ્રિત ચૌધરીના મૃતદેહ પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા હતા. જેના કારણે તેના પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જો કે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે ઉર્વીન ચૂહિયા અને પ્રિત ચૌધરી જેવા અનુસૂચિત જાતિ સમાજના બે આશાસ્પદ યુવાનોના મોત મામલે ખરેખર શું થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ</span> <a href="https://khabarantar.com/savarna-professor-throws-seven-samosas-at-dalit-phd-students-mouth-in-meeting">દલિત PhD વિદ્યાર્થીના મોં પર સવર્ણ પ્રોફેસરે મિટીંગમાં એઠું સમોસું ફેંક્યું</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 11 Jul 2024 10:28:23 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 11 Jul 2024 10:30:14 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>903</Articleid>
                    <excerpt>અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં ભણતા કચ્છના યુવકનો હોસ્ટેલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. અદ્દલ આવી જ એક ઘટના અરવલ્લીના મોડાસામાં બની છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668f66d14d727.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668f66d118148.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668f66d118148.jpg" length="66922" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>LD એન્જિનિયરીંગ કૉલેજના દલિત વિદ્યાર્થીની આત્મહત્યા કે હત્યા?</title>
                    <link>https://khabarantar.com/suicide-or-murder-of-dalit-student-of-ld-engineering-college</link>
                    <guid>https://khabarantar.com/suicide-or-murder-of-dalit-student-of-ld-engineering-college</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદની ગુજરાત યુનિ. હોસ્ટેલમાંથી ગઈકાલે માંડવીના દલિત વિદ્યાર્થીનો બ્લેડના ઘા મારેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તેમાં હવે અનેક શંકાઓ પેદા થઈ છે ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કૉલેજની હોસ્ટેલમાં ગઈકાલે ઉર્વીન ચૂહિયા નામના દલિત વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ પ્રમાણે તેણે ગળા અને હાથ સહિત શરીરના અન્ય ભાગોમાં બ્લેડના ઘા મારીને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. જેના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આખી ઘટનામાં અમુક બાબતો શંકાસ્પદ જણાય છે અને તે ઉર્વીનને આત્મહત્યા કરી હોવા પર શંકા પેદા કરે તેવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક યુવક ઉર્વીન ચૂહિયા કચ્છના માંડવીનો વતની હતો અને અનુસૂચિત જાતિના મહેશ્વરી સમાજમાંથી આવતો હતો. તે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કૉલેજમાં કેમિકલ એન્જિનયરીંગના ચોથા સેમેસ્ટરમાં ભણતો હતો અને ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતો હતો. ગઈકાલે હોસ્ટેલના ત્રીજા માળે આવેલા રૂમ નંબર 435માંથી તેનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં તેના હાથ, પગ અને ગળાના ભાગે બ્લેડના અનેક ઘા માર્યાના નિશાન હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે રૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે તે રૂમ ખંડેર હાલતમાં હતો. ઉર્વીનનો મિત્ર સવારે જ્યારે આ રૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રૂમ બંધ હોવાથી તેને શંકા ગઈ હતી. આથી તેણે અંદર તપાસ કરતા લોહીથી લથપથ હાલતમાં ઉર્વીનનો મૃતદેહ પડ્યો હતો. આથી તેણે હોસ્ટેલ દ્વારા પોલીસને જાણ કરી હતી. બાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈને વધુ તપાસ હાથ ધરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રાથમિક તપાસમાં ઉર્વીને જાતે જ બ્લેડ મારીને આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. તેની પાછળનું કારણ એવું જણાવવામાં આવ્યું છે કે, ગત 1 જુલાઈના રોજ ઉર્વીનની પરીક્ષા હતી, જેમાં તે મોબાઈલ સાથે પકડાઈ ગયો હતો. એ પછી તે સતત તાણમાં રહેતો હતો. તેને પોતાના ભવિષ્યની ચિંતા થવા લાગી હતી. તેને ડર હતો કે હવે તે ફરીથી પરીક્ષા નહીં આપી શકે અથવા તેના પર કોઈ એક્શન લેવાશે. આ ચિંતામાં જ તેણે આત્મહત્યા કરી લીધી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે મૃતકના પરિવારજનો અને તેના વતન માંડવીના લોકો આ થિયરીને સ્વીકારવા તૈયાર નથી. તેમના મતે ઉર્વીન આત્મહત્યા કરે તેવો નાદાન અને ગભરૂ છોકરો નહોતો અને આખો મામલો આત્મહત્યાનો નહીં પરંતુ હત્યાનો છે. ઉર્વીનનો પરિવાર કચ્છના માંડવીમાં ગોકુળવાસ વિસ્તારમાં રહે છે. જેમનું માનવું છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-dalit-student-jumped-off-the-roof-after-being-discriminated-against-in-a-hostel"><span style="font-size: 14pt;">દલિત વિદ્યાર્થિની સાથે હોસ્ટેલમાં ભેદભાવ થતાં ધાબા પરથી કૂદી ગઈ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે વધુ જાણકારી મેળવવા માટે કચ્છના સામાજિક કાર્યકર અને મહેશ્વરી સમાજ ગુજરાત પ્રદેશના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી આજે અમદાવાદ પહોંચ્યા છે. નરેશભાઈએ આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઉર્વીનના કેસ સંદર્ભે કેટલીક આશંકાઓ વ્યક્ત કરીને તેણે આત્મહત્યા નથી કરી પણ તેની આયોજનપૂર્વક હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે <strong>ખબરઅંતર.કોમ</strong> સાથે વાત કરતા નરેશભાઈ  મહેશ્વરીએ જણાવ્યું હતું કે, "ઉર્વીને આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા થઈ હોવાની આશંકા પાછળના અનેક કારણો છે. પહેલી વાત તો એ કે, તે કેમિકલ એન્જિનિયરીંગનો વિદ્યાર્થી હતો. જો તેણે આત્મહત્યા જ કરવી હોત તો તે કેમિકલ પીને કે અન્ય કોઈ સરળતાથી જીવન ટૂંકાવી શકાય તેવી પદ્ધતિ અપનાવત.  શા માટે તે આટલી ઘાતકી હદે પોતાના જ હાથે પોતાના ગળે, હાથે અને શરીરના અન્ય ભાગોમાં બ્લેડના ઘા મારે? બીજો સવાલ એ થાય કે, તે પહેલા માળે રહેતો હતો અને તેનો મૃતદેહ હોસ્ટેલના ત્રીજા માળે આવેલા એક અવાવરૂ રૂમમાંથી મળ્યો છે. આ પણ શંકા ઉપજાવે તેવી બાબત છે. જો તેણે આત્મહત્યા કરી હોય તો તે પોતાના રૂમમાં કરી શક્યો હતો, ત્રીજા માળે ન જાય."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેશભાઈ આગળ કહે છે, "સૌથી અગત્યની બાબત એ કે, કોઈ વ્યક્તિ જો ગળે બ્લેડ મારે તો તેની પીડા જ એટલી અસહ્ય અને ભયાનક હોય કે વ્યક્તિ શરીરના અન્ય કોઈ અંગ પર બીજો ઘા કરવા જેવી સ્થિતિમાં જ ન રહે. જો તમે હાથની નસ કાપો તો પછી ગળે ઘા ન કરી શકો અને ગળે બ્લેડ મારો તો પછી હાથની નસ કાપી શકો તેવી સ્થિતિમાં ન રહો. જ્યારે ઉર્વીનના તો હાથ, ગળે અને અન્ય ભાગોમાં પણ બ્લેડના ઘા મારેલા છે. આ આખી બાબત તેની આત્મહત્યા બાબતે શંકા ઉપજાવે તેવી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેશભાઈ વધુમાં જણાવે છે કે, "હવે તો દરેક હોસ્ટેલોમાં સીસીટીવી ફરજિયાત મૂકવામાં આવે છે. જ્યારે આ તો ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીની હોસ્ટેલ છે, અને આટલી મોટી હોસ્ટેલમાં સીસીટીવી કેમ નથી, વોર્ડન શું કરતા હતા? ઉર્વીનના પરિવાર સાથે મારે ગઈકાલથી વાત થઈ રહી છે અને તેઓ સ્પષ્ટપણે માને છે કે, ઉર્વીન એટલો ઢીલો છોકરો નહોતો કે પરીક્ષામાં પકડાવા માત્રથી તે જીવન ટૂંકાવી દે. એટલે આ આખો મામલો શંકાસ્પદ છે અને આ તમામ કારણોસર અમને લાગે છે કે ઉર્વીને આત્મહત્યા નથી કરી પરંતુ તેની આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી છે અને આ દિશામાં તપાસ થવી જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/in-atrocity-cases-accused-are-caught-only-after-agitation-naresh-maheshwari"><strong>એટ્રોસિટીના કેસમાં આંદોલન પછી જ આરોપીઓ પકડાય છેઃ નરેશ મહેશ્વરી</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 10 Jul 2024 12:04:38 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 21:16:53 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>898</Articleid>
                    <excerpt>અમદાવાદની ગુજરાત યુનિ. હોસ્ટેલમાંથી ગઈકાલે માંડવીના દલિત વિદ્યાર્થીનો બ્લેડના ઘા મારેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તેમાં હવે અનેક શંકાઓ પેદા થઈ છે</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66acff660f433.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acff65d071a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acff65d071a.jpg" length="42064" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગણેશ જાડેજા મામલે 2 લાખ દલિતો ગાંધીનગર સુધી બાઈક રેલી યોજશે</title>
                    <link>https://khabarantar.com/2-lakh-dalits-will-hold-a-bike-rally-to-gandhinagar-on-the-issue-of-ganesh-jadeja</link>
                    <guid>https://khabarantar.com/2-lakh-dalits-will-hold-a-bike-rally-to-gandhinagar-on-the-issue-of-ganesh-jadeja</guid>
                    <description>
                        <![CDATA[ જૂનાગઢના દલિત યુવકને માર મારી, ગોંધી રાખવાના કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના છોકરા ગણેશ ગોંડલની વિરુદ્ધ દલિતોએ નવો મોરચો ખોલ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબાના છોકરા ગણેશે જૂનાગઢમાં દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કર્યા બાદ તેને ગોંધી રાખી, માર મારી જાતિસૂચક ગાળો ભાંડી હતી. આ મામલે ગણેશ જાડેજાની દાદાગીરીના વિરોધમાં ગુજરાતભરના દલિતોએ ભેગા મળી ગોંડલમાં શક્તિ પ્રદર્શન કરતું સંમેલન યોજ્યું હતું. જેના ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે હજુ પણ પીડિત પરિવારને ન્યાય મળ્યો નથી ત્યારે 6 જુલાઈના રોજ જૂનાગઢ પાસેના મોટી મોણપરી ગામમાં દલિત સમાજનું વધુ એક મોટું સંમેલન યોજાયું હતું. જેમાં ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ મુજબ આગામી 15મી ઓગસ્ટના રોજ જૂનાગઢથી ગાંધીનગર સુધી બે લાખ બાઈકો સાથેની રેલી યોજાશે. જેમાં જૂનાગઢનો પીડિત પરિવાર અને દલિત અત્યાચારના અન્ય કેસોમાં હજુ પણ ન્યાય માટે વલખાં મારી રહેલા પરિવારોના સભ્યો તથા મોટી સંખ્યામાં ભીમયોદ્ધાઓ જોડાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સમાજના આ આક્રોશને કારણે ગણેશની મુશ્કેલીમાં વધારો થયો છે. કેમ કે, આ બાઈક રેલીમાં દલિત સમાજ ગાંધીનગર પહોંચીને મુખ્યમંત્રી, રાજ્યપાલ અને ભાજપ કાર્યાલય કમલમ પહોંચીને ન્યાયની માંગણી સાથે આવેદનપત્ર આપશે. જેમાં જયરાજસિંહ જાડેજાની અટકાયત, ધારાસભ્ય ગીતાબા જાડેજાના રાજીનામા અને ગણેશ જાડેજા સામે ગુજસીટોક(ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) હેઠળ ધરપકડની માગણી કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોટી મોણપરીમાં યોજાયેલા સંમેલનમાં બે લાખ બાઈક લઈ ભીમયોદ્ધાઓ દ્વારા ગાંધીનગર સુધી બાઈક રેલી લઈ જવાની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં પણ પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો મુસ્લિમ ધર્મ અંગિકાર કરવાની ચીમકી આપવામાં આવી છે. ગણેશ અને તેના સાગરિતોએ જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી તેને ગોંડલ સ્થિત તેના ઘરમાં ગોંધી રાખી, નિર્વસ્ત્ર કરી જાતિસૂચક ગાળો ભાંડીને હડધૂત કર્યો હતો. એટલું જ નહીં યુવકનો વીડિયો પણ ઉતાર્યો હતો. આટલા ટોર્ચર પછી ગણેશ તેના સાગરિતો સાથે યુવકને જૂનાગઢ ઉતારીને ભાગી ગયો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ છેલ્લા ૪૦ દિવસથી પ્રયાસો કરી રહ્યો છે. છતાં આજદિન સુધી તેમને સંતોષકારક ન્યાય ન મળતા વિસાવદરના મોટી મોણપરી ગામમાં યોજાયેલ દલિત સમાજના સંમેલનમાં સરકારને ૪૦ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો ન્યાય નહીં મળે તો રેલી યોજીને ગાંધીનગર સુધી કુચ કરવાની ચિમકી આપવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;">પીડિત યુવક સંજય સોલંકીના પિતા અને જૂનાગઢ અનુસુચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, "તેમની લડાઈ તેમના દીકરા પુરતી નથી પરંતુ દલિત સમાજના દરેક દીકરા માટેની છે. સંજય સોલંકીના કેસમાં ગણેશ અને તેના સાગરિતો સામે ગુજસીટોક દાખલ કરવામાં આવે, કેસમાં ૧૨૦બી ની કલમ દાખલ કરીને જયરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવે, ધારાસભ્ય ગીતાબાનું રાજીનામું લેવામાં આવે તેમજ આ કેસમાં સરકાર સ્પેશિયલ પીપીની નિમણૂંક કરીને કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી મુખ્ય માંગણીઓ છે. જો તેમની માંગણી નહીં સંતોષાય તો તા.૧૦ ના રોજ તેમના સોલંકી પરિવારના ૧૫૦ સભ્યો જૂનાગઢ કલેકટર કચેરી ખાતે ઈસ્લામ ધર્મ અંગીકાર કરશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર પણ ઉપસ્થિત રહ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સંમેલન પૂર્વે ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર ભીમરાવ યશવંતરાય આંબેડકર પણ જૂનાગઢ આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કાળવા ચોક ખાતે ડો.બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કર્યા હતા, બાદમાં બપોરે ૩ કલાકે જૂનાગઢ મધુરમ ખાતે આવેલા આંબેડકર હોલ ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યાંથી રેલીનું મોટી મોણપરી જવા પ્રસ્થાન થયું હતું. રેલી મેંદરડા, વિસાવદર થઈ સાંજે 7.30 કલાકે મોટી મોણપરીમાં સભાના સ્થળે પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજના આગેવાનો, કાર્યકરો, ભીમ સેનાના યુવાનો, ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, અને બાદમાં દરેક આગેવાનોએ એક પછી એક સમાજને સંબોધન કરીને દલિત સમાજ ઉપર થતા અત્યાચાર અંગેની વાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગણેશ જાડેજાનો વધુ એક વીડિયો વાયરલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક બાજુ દલિત સમાજ ન્યાય માટે વલખાં મારી રહ્યો છે, બીજી તરફ ગણેશ જાડેજા અને તેના સાગરિતોને તેમણે આચરેલી હિંસા અને કૃત્યનો કોઈ જ પસ્તાવો ન હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. અગાઉ જ્યારે ગણેશ અને તેના સાગરિતોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પણ તે પોલીસ અને મીડિયા સામે હસતો હતો. આવો જ વધુ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેમાં જેલમાં જતા સમયે ગણેશ જાડેજાએ મીડિયાના કેમેરા સામે વિકટ્રીની નિશાની બતાવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system"><span style="font-size: 14pt;">Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલું જ નહીં પોલીસ જાપ્તામાં રહેલા ગણેશ સહિતના તમામ આરોપીઓનાં ચહેરા પર હાસ્ય રેલાઈ રહ્યું છે. આરોપીઓને પોલીસનો કોઈ ડર ન હોય તેમ આ તેઓ લોકો સામે હાથ ઊંચા કરીને હસી રહ્યા છે. વાયરલ આ વીડિયોથી પોલીસની કાર્યવાહી અને સમગ્ર કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. ગણેશ અને તેના સાગરિતોને પોલીસ કે કાયદો વ્યવસ્થાનો જરાય ડર ન હોય તેમ તેઓ વર્તી રહ્યાં છે. આના પરથી એવું જણાય છે કે, તેમને એવો વિશ્વાસ છે કે, તેમને કશું થવાનું નથી. વર્તમાન અને પૂર્વ ધારાસભ્યનો પુત્ર હોવાથી પોલીસ પોતાનું કશું બગાડી શકશે નહીં તેવી તેને ખાતરી હોય તેમ જણાય છે. સાથે જ પોલીસ પર પણ ગણેશ અને તેના સાગરિતોને છાવરવાનો આક્ષેપ લાગ્યો છે. ગણેશ સહિતના પાંચ આરોપીઓએ હાલમાં જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. પણ તેમના જામીન કોર્ટે નકારી કાઢ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના દાદર રોડ પર સંજય રાજુભાઈ સોલંકી (ઉંમર ૨૬) રહે છે. સંજય સોલંકી કોરિયોગ્રાફી કરે છે અને કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઈ સાથે પણ સંકળાયેલા છે. ગત તા. 30 મેના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ તેઓ જૂનાગઢના કાળવા ચોકમાં કાળુભાના પૂતળા પાસેથી તેમના 6 વર્ષના દીકરા રાજવીર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની સાવ નજીક એક ફોર વ્હીલરે અત્યંત જોખમી રીતે પસાર થઈને બ્રેક મારી હતી. જેથી સંજયભાઈએ તેમને કાર સરખી રીતે ચલાવવાનું કહ્યું હતું. આથી કારમાં બેઠેલા લોકો નીચે ઉતરી આવ્યા હતા. આથી સંજયભાઈએ તેમને કહ્યું હતું કે, તમારે ઝઘડો કરવો હોય તો હું મારા દીકરાને ઘેર મૂકીને આવું. આમ કહીને તેઓ દાતાર રોડ પર આવેલા તેમના ઘર તરફ મોટરસાઈકલ લઈને રવાના થયા હતા. એ દરમિયાન ફોર વ્હીલરે તેમનો ઘર સુધી પીછો કર્યો હતો અને તેઓ ઘરે પહોંચ્યાં ત્યાં સુધીમાં બીજી એક કાર ત્યાં આવી પહોંચી હતી. બંને કારમાંથી અંદાજે 10 જેટલા લોકો ઉતરી આવ્યા હતા અને સંજયભાઈ સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા ત્યાં જ તેમના પિતા આવી ગયા હતા. દરમિયાન એ કારમાં જોયું તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ જાડેજા બેઠો હતો. તેની સાથે તેના માણસો પણ હતા. ગણેશ સંજયભાઈના પિતાને ઓળખતો હોવાથી એ વખતે આ મામલે સમાધાન થયું હતું અને સૌ જતા રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી સંજયભાઈ તેમના ઘર બહાર થોડીવાર બેસીને જૂનાગઢમાં ફરીને રાત્રિના પોણા ત્રણ વાગ્યા આસપાસ પોતાનું મોટરસાઈકલ લઈને ઘરે જતા હતા ત્યાં દાતાર રોડ ગાયત્રી દાળિયા ભંડાર સામે ગણેશ જાડેજા સહિતના લોકોએ ફરી સંજયભાઈનો પીછો કરી કારને ફૂલ સ્પીડમાં ચલાવી તેમની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથી તેઓ નીચે પછડાયા હતા. એ પછી કારમાંથી પાંચેક લોકોએ નીચે ઉતરી તેમને લોખંડના પાઈપથી આડેધડ માર મારવો શરૂ કરી દીધો હતો. એ દરમિયાન બીજી બે ફોરવ્હિલર પણ ત્યાં આવી પહોંચી હતી અને તેમાંથી પણ કેટલાક લોકો નીચે ઉતર્યા હતા અને સંજયભાઈને ઉપાડીને કારમાં બેસાડીને અપહરણ કરીને ગોંડલ તરફ લઈ ગયા હતા. અપહરણકર્તાઓમાં એક વ્યક્તિ પોતે પોલીસ હોવાનું જણાવતો હતો અને સંજયભાઈને ઢીંકાપાટુ મારતો હતો. આ લોકો તેમને એક અવાવરૂ વાડી વિસ્તારમાં લઈ ગયા હતા જ્યાં ગણેશ જાડેજા અને તેના સાગરિતો અગાઉથી હાજર હતા. અહીં સંજયભાઈને ફરી આ લોકોએ ઢોર માર માર્યો હતો અને "ઢે&amp; ને મારો, આ લોકોનો ત્રાસ વધી ગયો છે." એમ જાતિસૂચક શબ્દો બોલી ગાળો ભાંડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી ગણેશ જાડેજા ફરી સંજયભાઈને તેની કારમાં બેસાડીને ગોંડલ સ્થિત તેના ગણેશગઢ નામના ઘરે લઈ ગયો હતો. ત્યાં પાંચ-છ લોકો પિસ્તોલ અને લોખંડના પાઈપ સાથે હાજર હતા. જેઓ સંજયભાઈને ગણેશની ઓફિસમાં લઈ ગયા હતા. જ્યાં ગણેશના કહેવાથી તેમણે સંજયભાઈના કપડાં ઉતારી નાખ્યા હતા અને ફરી આડેધડ ઢીંકાપાટુનો માર માર્યો હતો અને તેનો વીડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો અને માફી મંગાવડાવી હતી. સાથે જ ધમકી આપી હતી કે, "જૂનાગઢ કોંગ્રેસ એનએસયુઆઈમાંથી રાજીનામું આપી દે જે અને જો આ બાબતે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગભરાયેલા સંજયભાઈએ માફી માગતા આખરે તેમને એક કારમાં બેસાડીને જૂનાગઢની ભેંસાણ ચોકડી પાસે કીયાના શોરૂમ નજીક ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ ખાનગી વાહન કરીને સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમના પિતા અને દલિત સમાજના આગેવાનો રાવણભાઈ પરમાર, હરસુખભાઈ મકવાણા, મીત સોલંકી વગેરે હાજર હતા. જ્યાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. એ દરમિયાન સંજયભાઈને ઢોર મારને કારણે શરીરમાં ભારે દુખાવો થતો હોવાથી તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ તેમણે પોલીસ રક્ષણની પણ માંગ કરી હતી. સમગ્ર મામલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે આઈપીસીની કલમ 143, 147, 148, 149, 307, 365, 323, 504, 506(2), આર્મ એક્ટની કલમ 25(1-બી)(એ) અને એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(આર)(એસ), 3(2)(5) મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/how-much-truth-in-gondal-yard-and-84-village-bandh-in-support-of-ganesh"><strong>ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 10 Jul 2024 10:28:43 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 20:27:08 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>897</Articleid>
                    <excerpt>જૂનાગઢના દલિત યુવકને માર મારી, ગોંધી રાખવાના કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના છોકરા ગણેશ ગોંડલની વિરુદ્ધ દલિતોએ નવો મોરચો ખોલ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66acf3bd5a6bd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acf3bd215a3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66acf3bd215a3.jpg" length="113335" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાષ્ટ્રીય SC આયોગે 40 જેટલા મુદ્દે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો</title>
                    <link>https://khabarantar.com/the-national-sc-Commission-has-sought-answers-from-the-gujarat-government-on-as-many-as-40-issues</link>
                    <guid>https://khabarantar.com/the-national-sc-Commission-has-sought-answers-from-the-gujarat-government-on-as-many-as-40-issues</guid>
                    <description>
                        <![CDATA[ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે ગુજરાત સરકાર પાસે એસસી-એસટી વર્ગના લોકોના વિવિધ 40 જેટલા મુદ્દાઓને લઈને 15 દિવસમાં અહેવાલ માંગ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા અનુસૂચિત જાતિ વર્ગના બંધારણીય અને માનવ અધિકારોના ભંગના મુદ્દે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા રાજ્યના સામાજિક ન્યાય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અને ડેપ્યુટી ડાયરેક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. જેમાં આયોગે અભ્યાસ કરી નક્કર પગલાં ભરી રાજ્યના સામાજિક ન્યાય વિભાગ, ગાંધીનગરના એડિશનલ ચીફ સેક્રેટરી અને ડેપ્યુટી ડાયરેક્ટરને નોટિસ પાઠવી 15 દિવસમાં અહેવાલ માંગેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોટિસમાં કહેવાયું છે કે આયોગને ભારતીય બંધારણના આર્ટિકલ 338 મુજબ દીવાની કોર્ટની શક્તિ મળેલ છે. જો 15 દિવસમાં સમય મર્યાદામાં આયોગને અહેવાલ નહિ મળે તો આયોગ જવાબદાર અધિકારીને રૂબરૂ અહેવાલ સાથે હાજર થવા સમન્સ કાઢશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં કાંતિલાલ પરમાર દ્વારા ફાઈલ કરવામાં આવેલ પિટિશનમાં જણાવેલ છે કે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતીની વસ્તી 7% એટલેકે 50 લાખની આસપાસ અને અનુસૂચિત જન જાતીની વસ્તી 14% એટલે કે એક કરોડની આસપાસ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ અને જન જાતિ વર્ગ સમૂહના 1.50 કરોડ એસસી-એસટી વર્ગના લોકોના બંધારણીય અને માનવ અધિકારોના હનનના નીચે મુજબ રજુ કરેલા સવાલોમાં તાત્કાલિક કાર્યવાહી કરવા આયોગને વિનંતી કરવામાં આવેલ છે. પિટિશનમાં માંગ કરવામાં આવેલ છે કે ગુજરાત રાજ્યમાં SC-ST વર્ગના લોકો પર થતા જાતિગત અત્યાચાર, ભેદભાવ અને અન્યાયની સામે આ વર્ગના લોકોની સુરક્ષા માટે ઘડાયેલ કાયદાઓનો કડક અમલ કરાવવો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંતિલાલ પરમારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ સમક્ષ કરેલી પિટિશનમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(1) રાજ્યના મુખ્યમંત્રી, વીસ સભ્યોની બનેલ હાઈ લેવલની સ્ટેટ વિજિલન્સ અને મોનીટરીંગ સમિતિની રચના કરે અને તેની તાત્કાલિક મિટિંગ બોલાવી અત્યાચાર ધારાના કાયદાની અમલીકરણની સમીક્ષા કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(2) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989ના નિયમો 1995ના નિયમ 15 હેઠળ ગંભીર ગુનાના ભોગ બનનાર આશ્રિત પીડિત પરિવારોને કાયદાકીય જોગવાઈ મુજબ પેન્શન,મકાન, આજીવિકા માટે જમીન, એક સભ્યને લાયકાત મુજબ સરકારી નોકરી, બાળકોના શિક્ષણનો ખર્ચ,ખાસ કિસ્સામાં હોસ્ટેલમાં એડમિશન આપવામાં આવે અને પરિવારનું પુન:વસનની કાર્યવાહી કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(3) સમાજ કલ્યાણ વિભાગ ગંભીર અત્યાચારનો ભોગ બનેલ પીડિત આશ્રિત પરિવારને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતા ડો. આંબેડકર ફાઉન્ડેશન, દિલ્હી તરફથી મળતી વધારાની સહાય મેળવવામાં માટેની દરખાસ્ત તૈયાર કરી દિલ્હી મોકલવામાં આવે અને સહાય મેળવવામાં પીડિતને મદદરૂપ બને.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(4) અત્યાચારના ગંભીર બનાવોમાં સેસન્સ કોર્ટમાંથી છૂટી ગયેલ આરોપીઓ સામે ગુજરાત સરકાર હાઇકોર્ટમાં અને હાઇકોર્ટમાં છૂટી ગયેલ આરોપીઓ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(5) અત્યાચારના કેસોમાં સરકારી વકીલ દ્વારા કરાયેલ કામગીરીની જિલ્લા કલેક્ટરની અધ્યક્ષ સ્થાને દર છ મહિને સમીક્ષા કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(6) જ્યાં અત્યાચારના ગુના બનતા હોય ત્યાં અનુસૂચિત જાતિ  અને જન જાતિના લોકોને હથિયારના પરવાના આપવામાં આવે અને એ વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિ અને જન જાતિ સિવાયના લોકોના હથિયારના પરવાના રદ્દ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(7) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989ની જોગવાઈઓ હેઠળ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા ગંભીર બનાવોમાં રૂબરૂ પીડિત પરિવારોની મુલાકાત લેવામાં આવે અને જાન-માલ-મિલકત નુકશાનીનો સરકારમાં રિપોર્ટ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(8) જિલ્લા તકેદારી અને મોનીટરીંગ સમિતિની મિટિંગ દર ત્રણ મહિને વર્ષમાં ચાર વાર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને કમિશ્નરેટ એરિયામાં શહેર પોલીસ કમિશ્નરના અધ્યક્ષ સ્થાને નિયમિત મળે અને કાયદાના અમલીકરણની સમીક્ષા કાયદાકીય જોગવાઈ મુજબ થાય તે જોવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(9) અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલા કેસોમાં ફરિયાદી અને સાક્ષીઓને પોલીસ રક્ષણ આપવામાં આવતું નથી, ફરિયાદી અને સાક્ષીઓના હક્કોનું રક્ષણ  કરવામાં આવતું નથી તે મુદ્દે કાર્યવાહી કરી રક્ષણ આપવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(10) જિલ્લા તકેદારી સમિતીમાં રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા નહિ પણ જે તે સંસ્થા સંગઠનો સાથે જોડાયેલ સામાજિક કાર્યકર્તાઓની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(11) આ કાયદા હેઠળ નોંધાયેલા કેસોમાં પોતાને કરવાની થતી કાનૂની કાર્યવાહી કરવામાં જાણી બુજીને પોતાની ફરજમાં બેદરકારી દાખવે તો આ કાયદાની કલમ-4 હેઠળ રાજ્ય સરકાર ગુનો નોંધી પગલા જે તે સબંધિત અધિકારી સામે તાત્કાલિક પગલા ભરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(12) રાજ્યમાં SC-ST વર્ગના લોકો માટે બંધારણીય જોગવાઈઓ હેઠળ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મળેલ અનામત નીતિનો ચુસ્ત અમલ કરાવી અને તેના માટે કાર્યવાહી કરવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(13) રાજ્યના 26 વિભાગો, 169 નગરપાલિકા, 8 મહાનગર પાલિકા, 33 જિલ્લા પંચાયત, 252 તાલુકા પંચાયત, 13434 ગ્રામ પંચાયત અને બોર્ડ, નિગમમાં અનામતની ખાલી પડેલ જગ્યાઓની યાદી બનાવવામાં આવે અને એક ભરતી માટે એક શિડ્યુલ બનાવવામાં આવે જે ત્રણ મહિનામાં કામગીરી પુરી કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/exclusive-national-scheduled-caste-commission-office-in-ahmedabad-rambharos-ninety-percent-staff-reduction"> <span style="font-size: 14pt;">EXCLUSIVE:અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ </span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(14) સરકારી નોકરીઓમાં અનામત નીતિનો અમલ કરી ખાસ ભરતી ઝુંબેશ શરુ કરવામાં આવે અને સરકાર દ્વારા દરેક વિભાગનો બેકલોગ તાત્કાલિક ભરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(15) સરકારી ભરતીમાં અનામત વર્ગની ખાસ બેકલોગની ભરતી ઝુંબેશમાં અનામત વર્ગના ઉમર વટાવી ગયેલા ઉમેદવારોને ઉમેરમાં વધારે છૂટછાટ આપવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(16) સરકારી નોકરીઓમાં બેકલોગ ભરવા ખાસ ઝુંબેશ શરુ કરી રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના સરકારી કર્મચારીઓની બઢતીના મુદ્દે બંધારણીય અધિકારના રક્ષણ માટે ખાસ રોસ્ટર એક્ટ બનાવવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(17) રાજ્યમાં SC-ST વર્ગના ભૂમિહીન લોકોને જીવન નિર્વાહ માટે ખેતીની જમીન મળે, બેઘર લોકોને રહેવા માટે ઘર મળી રહે, જંગલમાં વસવાટ કરતા લોકોને જળ, જંગલ, અને જમીનનાં જે કાયદાકીય રીતે હક્કો મળેલા છે તેની સરકારે અમલવારી કરવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(18) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ભૂમિહીન લોકોને ગામડાઓમાં જીવન નિર્વાહ કરવા માટે પાચ-પાચ એકર જમીન વિહોણા પરિવારોને ફાળવણી કરવામાં આવે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(19) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ભૂમિહીન પરિવારના લોકોને ગામડાઓમાં ગામતળની જમીન નીમ કરી રહેવા લાયક મકાન બાંધવા માટે  મફત પ્લોટની ફાળવણી કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(20) અનુસૂચિત જન જાતિના લોકો કે જેઓ જંગલમાં વસવાટ કરે છે તેના જળ, જંગલ, અને જમીનનાં જે કાયદાકીય રીતે હક્કો હક્કો મળે તે માટેની કાર્યવાહી કરવી, કાયદાકીય મળવા પાત્ર ખેતીની જમીનના ફક્ત અધિકાર પત્રો નહી પણ માલિકી હક્કો સરકારે આપવા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(21) રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બંધ કરેલી છ હજાર કરતા વધારે સરકારી પ્રાથમિક શાળાઓ ફરી શરુ કરે, તેમાં પુરતા સ્ટાફની નિમણૂંક કરે, SC-ST વર્ગના વિધાર્થીઓના અભ્યાસ માટેની બંધ કરેલી સરકારી હોસ્ટેલો ફરી તમામ પૂરતી સુવિધાઓ સાથે ચાલું કરે તેવી માંગણી કરવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(22) અનુસૂચિત જાતિ વર્ગના હકની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ “સમરસ” હોસ્ટેલમાં 80% એસ. સી./એસ. ટીના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(23) અનુસૂચિત જાતિ અને જન જાતિ વર્ગના વિદ્યાર્થીઓ માટે છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરેલ સરકારી કુમાર છાત્રાલય રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક શરુ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(24) રાજ્ય સરકાર દ્વારા SC-ST વર્ગના વિધાર્થીઓને સ્કોલરશીપ, હોસ્ટેલ પ્રવેશ, ફ્રીશીપ કાર્ડ, અને સરકારી યોજનાઓ સહીત મળવાપાત્ર સરકારી લાભ મળી રહે તે માટે યોજનાઓના લાભ લેવા માટે આવક મર્યાદા 2.50 લાખથી વધારી રૂ. 8 લાખ કરવામાં આવે. રાજ્ય સરકાર ઠરાવમાં સુધારો કરી અનુસૂચિત જાતિના લોકો માટે આવક મર્યાદા આઠ લાખ કરવા ઠરાવમાં ચાલુ વર્ષમાં તાત્કાલિક સુધારો કરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(25) મેનેજમેન્ટ ક્વોટામાં કોલેજમાં એડમિશન લીધેલ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવતી નથી. જે મુદ્દે તાત્કાલિક સરકાર નિર્ણય લઇ મેનેજમેન્ટ ક્વોટામાં કોલેજમાં લીધેલ એડમિશન વાળા વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ મંજુર કરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(26) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોંઘવારી અનુસંધાને સ્કોલરશીપમાં દરેક સ્તરે 100%નો વધારો કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(27) રાજ્યમાં સફાઈ કામદારો પાસે કરાવવામાં આવતું ગંદુ અને માથેમેલું કામ બંધ કરાવવું તેમજ ગટરમાં થતા મોતને રોકવા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરાવવું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(28) રાજ્ય સરકારના તમામ વિભાગો સફાઈ કામદારોને ગટરમાં ઉતારવાનું બંધ કરે. રાજ્યની તમામ મહાનગર પાલિકાઓ ગટર સાફ કરવા માટે રોબોટ મશીનની ખરીદી કરે અને ઉપયોગ કરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(29) સુપ્રીમ કોર્ટનાં ચુકાદા મુજબ સફાઈ કામદારનું ગટરમાં ગેસથી મોત થાય તો રુ.30 લાખની ચુકવણી કરવી અને કોઈ પણ સફાઈ કામદાર ગંભીર ઇજાનો ભોગ બને તો રુ.10 લાખ ચૂકવવા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(30) રાજ્યમાં ગટરમાં ગેસથી થતા સફાઈ કામદારોના મોતના મામલે મ્યુનિસિપલ કમિશનર, નગરપાલિકા ચીફ ઓફિસર અને જવાબદાર એન્જીનીયર સામે પણ ફરિયાદ દાખલ કરવી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(31) રાજ્યના વાર્ષિક બજેટમાં SC-ST વર્ગના લોકોના વ્યક્તિગત અને સામુહિક વિકાસ માટે વસ્તીના ધોરણે પ્લાનિંગ કમિશનની ગાઈડ લાઈન મુજબ રકમ ફાળવણી કરવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(32) રાજ્યના વાર્ષિક બજેટમાં અનુસૂચિત જાતિ અને જન જાતિ વર્ગના લોકોના વ્યક્તિગત અને સામુહિક વિકાસ માટે વસ્તીના ધોરણે અનુસૂચિત જાતિ માટે 7% અને અનુસૂચિત જન જાતિ માટે 14% ની રકમ બજેટમાં ફાળવણી કરવી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વર્ગના લોકોના વિકાસ માટે માટે રાજ્ય સરકાર રૂ. એક હજાર કરોડનું રિવોલવિંગ બજેટ ફાળવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(33) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના લોકો માટે રાજ્યના બજેટમાં પુરી રકમની ફાળવણી કરી જે હેતુ માટે ફાળવણી કરી હોય તે હેતુ માટેજ વપરાય તેના માટે SCCP અને TSP નો ખાસ અંગભૂત કાયદો બનાવવો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(34) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના લોકોના વ્યક્તિગત અને સામુહિક વિકાસ માટે પ્લાનિંગ કમિશનની ગાઈડ લાઈન મુજબ વાર્ષિક બજેટમાં રકમની ફાળવણી કરવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(35) રાજ્યમાં ગ્રામ પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના ચૂંટાયેલા સરપંચ વિરુદ્ધ અઢી વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત ન લાવી શકાય તેવો ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં ફેરફાર કરવો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(36) ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિને સોંપવામાં આવેલ ગંદા કામ મરેલાં ઢોર-કુતરા -બિલાડાનો નિકાલ કરવાનું કામને રદ્દ કરવામાં આવે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(37) રાજ્ય સરકાર સામાન્ય વહીવટ વિભાગ,ગાંધીનગર દ્વારા રાજ્યની તમામ સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય નેતાઓની છબી મુકવાનો ઠરાવ કરેલ છે તે રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં ડો. બાબા સાહેબ આંબેડકરનું નામ ઉમેરી રાજ્યની તમામ સરકારી અને શૈક્ષણિક કચેરીઓમાં ડો. બાબા સાહેબ આંબેડકરની છબી મુકવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(38) અમદાવાદ, લાલ દરવાજા સ્થિત ચોવીસ વર્ષથી ભાડે ચાલતીઅનુસૂચિત જાતિ આયોગની ઓફિસને સરકારી મકાનની ફાળવણી કરે અને કેન્દ્ર સરકાર પૂરતા સ્ટાફની નિમણુંક કરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(39) આભડછેટ-મુક્ત-ભારત બને તે માટે બંધારણની કલમ 17 નો અમલ કરવો, કાર્યક્રમ જાહેર કરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ આયોગ સમક્ષ ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ વર્ગના બંધારણીય અને માનવ અધિકારોના ભંગના મુદ્દે માનવ અધિકારોનું રક્ષણ કરવા પિટિશન કરી ફાઈલ કરવામાં આવેલ છે. આ તમામ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે અને એસસી આયોગે તેને લઈને રાજ્ય સરકારના સંબંધિત ખાતા પાસેથી જવાબ માંગ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Appointment-of-noted-writer-orator-Kishore-Makwana-as-Chairman-of-National-Scheduled-Castes-Commission"><strong>જાણીતા લેખક-વક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂંક</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 09 Jul 2024 12:49:28 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 13:33:46 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>893</Articleid>
                    <excerpt>રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે ગુજરાત સરકાર પાસે એસસી-એસટી વર્ગના લોકોના વિવિધ 40 જેટલા મુદ્દાઓને લઈને 15 દિવસમાં અહેવાલ માંગ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ac92da74202.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ac92da4148a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ac92da4148a.jpg" length="61022" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સાથી પોલીસકર્મીઓની હેરાનગતિથી તંગ આવીને દલિત PSI એ ઝેર પી લીધું</title>
                    <link>https://khabarantar.com/fed-up-with-harassment-from-fellow-policemen-the-dalit-psi-took-poison</link>
                    <guid>https://khabarantar.com/fed-up-with-harassment-from-fellow-policemen-the-dalit-psi-took-poison</guid>
                    <description>
                        <![CDATA[ પીએસઆઈએ તેમની સાથે કામ કરતા કથિત સવર્ણ પોલીસકર્મીઓની જાતિવાદી માનસિકતાથી તંગ આવી જઈને ઝેરી દવા પી લેતા તેમનું મોત થઈ ગયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ દલિતોને દરેક જગ્યાએ પરેશાન કરતો મુદ્દો છે. પણ કદી કોઈ હિંદુ તેને ખતમ કરવાની વાત કરતો નથી. એને અનામત હટાવવી છે પણ અનામત જેના કારણે જરૂરી બની છે તે જાતિવાદ, અસ્પૃશ્તા દૂર નથી કરીને સમાન દરજ્જો આપવો નથી. બહુમતી હિંદુઓની આ માનસિકતા એકવીસમી સદીમાં પણ યથાવત રહેવા પામી છે અને તેનું તાજું ઉદાહરણ આ કિસ્સો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે એક પીએસઆઈએ તેની સાથે કામ કરતા કથિત ઉચ્ચ જાતિના પોલીસકર્મીઓ દ્વારા થતા ભેદભાવ અને સતામણીથી તંગ આવી જઈને આત્મહત્યા કરી લીધી છે. પીએસઆઈ સાથે તેમના સાથી પોલીસકર્મીઓ જાતિ આધારિત ભેદભાવ દાખવતા હતા. જેના કારણે તેમણે ઝેર પી લીધું હતું. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ગઈકાલે મોત થઈ ગયું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાનો છે. અહીં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અનુસૂચિત જાતિ સમાજના એક પોલીસકર્મીએ સાથી પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવતી સતામણીથી તંગ આવી જઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે ઝેર પી લીધું હતું, જેના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું રવિવાર મોત થઈ ગયું. મૃતક પીએસઆઈના પત્નીની ફરિયાદના આધારે પોલીસે ચાર કોન્સ્ટેબલો અને સર્કલ ઈન્સપેક્ટર વિરુદ્ધ કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પીએસઆઈ શ્રીરામુલુ શ્રીનિવાસ અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા હતા. તેઓ વારંગલ જિલ્લાના નારક્કાપેટા ગામના રહેવાસી હતા અને અશ્વરાવપેટા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">30 જૂનના રોજ તેમણે મહેબૂબાબાદમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ પછી તેમને હૈદરાબાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રવિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં પીએસઆઈએ અશ્વરાવપેટ પોલીસ સ્ટેશનના ચાર કોન્સ્ટેબલ અને સર્કલ ઈન્સપેક્ટર પર તેમની જાતિને લઈને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વીડિયો ત્યારે બનાવવામાં આવ્યો હતો જ્યારે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, કોન્સ્ટેબલો તેમને કેસોની તપાસમાં સહકાર નહોતા આપતા, તેઓ કેસોનો રેકોર્ડ લખવામાં અવરોધ ઉભો કરતા હતા અને સહકાર નહોતા આપતા. તેઓ તેમની દલિત જાતિને લઈને પણ કોમેન્ટ કરીને તેમને હેરાન કરતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/I-do-well-but-change,-come-so-injustice-Kheda-healthy-girl-committed-suicide-by-posting-posts-on-social-media"><span style="font-size: 14pt;">હું સારી કામગીરી કરું છું છતાં બદલી, આવો અન્યાય? સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ખેડાની આરોગ્યકર્મી યુવતીએ કરી આત્મહત્યા</span></a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ફરિયાદ તેમણે સર્કલ ઈન્સપેક્ટરને પણ કરી હતી, પણ તેમણે તેના પર કોઈ ધ્યાન આપ્યું નહોતું. મૃતક પીએસઆઈએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, તપાસ કરવાને બદલે સર્કલ ઈન્સપેક્ટરે ઉલટાની તેમને જ નોટિસ ફટકારી દીધી હતી અને જાણીજોઈને તેમને હેરાન કર્યા હતા. આ મામલે તેમણે ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી, પણ કોઈએ કોઈ જ પગલાં નહોતા લીધાં. એનું જ કારણ છે કે, તેમણે આ બધી બાબતોથી તંગ આવી જઈને ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન વારંગલ જિલ્લામાં કેટલાક દલિત સંગઠનોએ વિરોધ પ્રદર્શન કરી, સૂત્રોચ્ચાર સાથે  પીએસઆઈની આત્મહત્યાના જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરીને ન્યાયની માંગણી કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પીએસઆઈની પત્ની કૃષ્ણવેણીની ફરિયાદના આધારે મહબૂબાબાદમાં સર્કલ ઈન્સપેક્ટર અને ચાર કોન્સ્ટેબલો વિરુદ્ધ એસસી એસટી એક્ટ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેબૂબાબાદ પોલીસે શુક્રવારે આત્મહત્યા મામલે સર્કલ ઈન્સપેક્ટર કે. જિતેન્દ્ર રેડ્ડી અને કોન્સ્ટેબલ શિવા, સુભાની, સન્યાસી નાયડુ અને શેખર વિરુદ્ધ એસસી એસટી એક્ટ અંતર્ગત કેસ નોંધાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શ્રીનિવાસની માસીનું હૃદય બંધ પડી ગયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીએસઆઈ શ્રીનિવાસનની આત્મહત્યા સાથે બીજી પણ એક ઘટના તેમના પરિવારમાં ઘટી હતી. રવિવારે તેમના મોતના સમાચાર મળતા વારંગલના નચિનાપલ્લે ગામમાં તેમની માસી રાજમ્માનું હૃદય બંધ પડી જવાથી મોત થઈ ગયું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ શ્રીનિવાસના સંબંધીઓ અને ગામલોકોએ રવિવારે નારક્કાપેટામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શરૂઆતમાં મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દઈને એમ્બ્યૂલન્સને રોકી દીધી હતી. પણ પોલીસની વિનંતી બાદ તેમના મોટા દીકરાએ અંતિમવિધિ કરી હતી. રવિવારે નારક્કાપેટામાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસે વિપક્ષના નેતાઓ અને દલિત આગેવાનોને અંતિમવિધિમાં આવતા રોક્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શનિવારે રાતે જ્યારે ખ્યાલ આવ્યો કે શ્રીનિવાસે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે અને સર્કલ ઈન્સપેક્ટર જિતેન્દ્ર રેડ્ડી અને કોન્સ્ટેબલો દ્વારા તેમની સતામણી થતી હતી, એ પછી તરત ભારત રાષ્ટ્રીય સમિતિના નેતાએ આરોપી પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું થયું હતું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">30 જૂન 2024ના રોજ પીએસઆઈ શ્રીનિવાસ ડ્યૂટી દરમિયાન કારમાં બેસીને અશ્વરાવપેટ પોલીસ સ્ટેશનથી નીકળ્યા હતા. એ પછી થોડા જ કલાકોમાં તેમનો મોબાઈલ ફોન બંધ થઈ ગયો હતો. બાદમાં તેઓ મહેબૂબાબાદના ખેતી બજારમાં પહોંચ્યા હતા, જ્યાંથી જંતુનાશક દવા ખરીદીને પી લીધી હતી. એ પછી તેમણે જાતે જ એમ્બ્યૂલન્સને ફોન કરીને જણાવ્યું હતું કે તેમણે ઝેરી દવા પી લીધી છે. મહેબૂબાબાદ શહેર પોલીસે તેમને તરત સારવાર માટે વારંગલની એક હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. બાદમાં તેમને હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા, જ્યાં રવિવારે તેમનું મોત થઈ ગયું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે હવે તપાસ થઈ રહી છે. જો કે મૂળ સવાલ એ છે કે, એક દલિત પીએસઆઈ સાથે જો આ હદની સતામણી થતી હોય તો વિચારવાનું એ રહે છે કે, સામાન્ય દલિતો પર શું શું વીતતી હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/Social-activist-Kantilal-Parmar-filed-a-complaint-in-the-Human-Rights-Commission-regarding-the-suicide-of-a-dalit-teacher-in-Zanzaria."><strong>ઝાંઝરિયાના દલિત શિક્ષકની આત્મહત્યા મામલે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ દાખલ કરી</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 08 Jul 2024 17:49:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>887</Articleid>
                    <excerpt>પીએસઆઈએ તેમની સાથે કામ કરતા કથિત સવર્ણ પોલીસકર્મીઓની જાતિવાદી માનસિકતાથી તંગ આવી જઈને ઝેરી દવા પી લેતા તેમનું મોત થઈ ગયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668bd86308f6e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668bd862cb910.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668bd862cb910.jpg" length="68468" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાત્રે ટોઈલેટ જવા નીકળ્યાં હતા, સવારે દલિત આધેડની હત્યા કરેલી લાશ મળી</title>
                    <link>https://khabarantar.com/went-to-the-toilet-at-night-found-the-murdered-body-of-a-middle-aged-dalit-in-the-morning</link>
                    <guid>https://khabarantar.com/went-to-the-toilet-at-night-found-the-murdered-body-of-a-middle-aged-dalit-in-the-morning</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં દલિત મજૂર રાત્રે ટોઈલેટ જવા નીકળ્યો હતો, મોડે સુધી ઘરે પરત ન ફર્યો અને સવારે તેમના ઘર પાસે જ તેમની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાવ સામાન્ય પરિસ્થિતિમાં જ્યારે કોઈ દલિત વ્યક્તિનું અચાનક મોત થઈ જાય ત્યારે સમજી જવું કે મામલો દેખાય છે એટલો સામાન્ય નથી. એમાં પણ એ વ્યક્તિ જ્યારે ખેતમજૂર હોય, કોઈ વ્યસન ન હોય, કોઈની સાથે તેની દુશ્મની ન હોય ત્યારે મામલો વધારે પેચિદો બની જતો હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના સામી આવી છે. જેમાં એક દલિત વ્યક્તિ મોડી રાત્રે ટોઈલેટ જવા માટે તેના ઘરેથી નીકળી હતી, પણ પછી પરત આવી નહોતી અને વહેલી સવારે તેમના ઘર પાસે જ તેમની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ગુનાખોરી માટે કુખ્યાત બિહારનો છે. અહીં પાટનગર પટનાના ગૌરીચક પોલીસ સ્ટેશનના કંડાપ ગોપાલપુરા ગામમાં ઘટના બની છે. જ્યાં એક દલિત આધેડની અજાણ્યા શખ્સોએ માર મારીને હત્યા કરી નાખી હતી અને લાશ તેમના ઘર નજીક ફેંકી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ આ નાનકડામાં ગામમાં ભયનો માહોલ છે અને લોકો પોતપોતાના ઘરમાં ભરાઈને બેસી ગયા છે. પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસનું માનવું છે કે, મામલો હત્યાનો છે અને તેઓ કોઈ કડી શોધીને આરોપીઓને પકડવા મથી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક દલિત શખ્સનું નામ વીરેન્દ્ર દાસ હતું અને તેઓ એક ગરીબ મજૂર હતા. આખા ગામમાં તેમની ઓળખ એક સજ્જન વ્યક્તિ તરીકેની હતી. ગામલોકો અને તેમના પરિવારજનોનું કહેવું છે કે, તેમને કોઈની સાથે દુશ્મની પણ નહોતી અને તેઓ કોઈ નશો પણ નહોતા કરતા. ગઈકાલે મોડી રાત્રે તેઓ ટોઈલેટ જવા માટે નીકળ્યા હતા. એ પછી તેઓ સવાર સુધી ઘરે પરત આવ્યા નહોતા. સવારે સૌ જાગ્યા ત્યારે કોઈએ પરિવારજનોને જાણ કરી કે તેમની લાશ તેમના ઘરની બહાર પડી છે. તેમના માથામાં ઊંડા ઘા અને ઈજાના નિશાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યાં છે. જેના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે, કોઈએ તેમને રાત્રે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Out-of-4.78-lakh-inmates-in-countrys-jails,-3.15-lakh-belong-to-SC,-ST,-OBC-categories---NCRB"><span style="font-size: 14pt;">દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ  SC, ST, OBC વર્ગના - NCRB</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃતક પોતાના ઘર પાસેથી ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. એ પછી તેમના પરિવારજનોએ પડોશમાં રહેતા એક ડોક્ટરને બોલાવ્યા, જેમણે તપાસ કરીને તેમને મૃત જાહેર કર્યા હતા. એ પછી પરિવારજનોએ પોલીસને જાણ કરતા. પોલીસે લાશને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે નાલંદા મેડિકલ કોલેજ મોકલી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકની ઓળખ કંડાપ ગોપાલપુર ગામના રહેવાસી વીરેન્દ્ર દાસ તરીકે થઈ છે, જેઓ મજૂરીકામ કરતા હતા. ક્યા કારણોસર તેમની હત્યા કરી દેવામાં આવી અને હત્યારા કોણ છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીરેન્દ્ર દાસના પરિવારજનોએ પણ હત્યા પાછળ ક્યા કારણો જવાબદાર છે તે અંગે કશું જાણતા નથી. આથી તેમણે પોલીસ તંત્ર પાસે ન્યાયની માંગ કરી છે. ઘટનાને લઈને પૂછવામાં આવતા મૃતકના પુત્ર પંકજકુમાર અને ભત્રીજા રાજેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, ગત રાત્રે તેઓ ટોઈલેટ જવા માટે થઈને ઘરની બહાર નીકળ્યા હતા, અમને એમ કે તેઓ ટોઈલેટ જઈને તરત પરત આવી ગયા હશે. એટલે અમે સૌ ઊંઘતા રહ્યાં. પણ સવારે જ્યારે તેમની પથારી ખાલી જોઈ અને દરવાજો પણ જેમનો તેમ જ જોયો એટલે અમે તેમની ભાળ મેળવવા માટે બહાર નીકળ્યા. જ્યાં કોઈએ આવીને અમને જણાવ્યું કે તેમની લાશ અમારા ઘરથી થોડે દૂર પડી છે. કોઈએ તેમના માથાના ભાગે ઊંડા ઘા માર્યા હતા. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. હત્યારાઓએ તેમને મોતને ઘાટ ઉતારીને લાશ ફેંકી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-to-death-the-villagers-reached-the-police-with-the-body"><strong>દલિત યુવકનું મારથી મોત થઈ ગયું, ગામલોકો લાશ સાથે પોલીસ પાસે પહોંચ્યાં</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 08 Jul 2024 10:29:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>885</Articleid>
                    <excerpt>એક ગામમાં દલિત મજૂર રાત્રે ટોઈલેટ જવા નીકળ્યો હતો, મોડે સુધી ઘરે પરત ન ફર્યો અને સવારે તેમના ઘર પાસે જ તેમની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668b71a0641ef.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668b71a033393.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668b71a033393.jpg" length="84459" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>પોલીસ પર અમને વિશ્વાસ નથી એટલે ગામ છોડીને જઈએ છીએ...</title>
                    <link>https://khabarantar.com/we-dont-trust-the-police-so-we-leave-the-village</link>
                    <guid>https://khabarantar.com/we-dont-trust-the-police-so-we-leave-the-village</guid>
                    <description>
                        <![CDATA[ કોઈ દલિત પરિવાર પર જ્યારે અત્યાચાર થાય છે ત્યારે તેને ભાગ્યે જ એવી આશા હોય છે કે, પોલીસ તેની મદદ કરીને ન્યાય અપાવશે. આ કિસ્સો તેમાં વધુ એક ઉમેરો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો દ્વારા દલિતો પર અત્યાચારની ઘટનાઓ દેશના સેંકડો ગામોમાં દરરોજ બને છે. જેમાંની મોટાભાગની પોલીસ ચોપડે ચડતી ન હોવાથી મીડિયામાં ચમકતી નથી અને એ રીતે લોકો સુધી પણ પહોંચતી નથી. જે એકલદોકલ ઘટનાઓ પોલીસ સ્ટેશનમાં કેસ રૂપે નોંધાય છે તેમાં પણ પોલીસ ઓછી ગંભીર કલમો લગાવીને સવર્ણ આરોપીઓને છાવરવા પ્રયાસ કરતી હોય છે, તેનો આધાર લઈને પછી સવર્ણ મીડિયા આરોપીઓના નામ કે અટક છુપાવીને પોતાના રિપોર્ટ લખે છે. (આ કેસમાં પણ આરોપીઓ કોણ છે, તેમનું નામ શું છે, કઈ જાતિના છે તેવો કોઈ જ ઉલ્લેખ ઘણું રિસર્ચ કરવા છતાં ક્યાંય જોવા મળ્યાં નથી.)જેના કારણે આખી ઘટના સામાન્ય મામલામાં ખપી જાય છે. સવર્ણ મીડિયાની આવી ચાલાકીઓના કારણે દલિત અત્યાચારની આવી સેંકડો ઘટનાઓની ગંભીરતા ઘટી જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવું જ આ મામલામાં થયું છે, જ્યાં એક ગામમાં જાતિવાદી માથાભારે તત્વોએ એક દલિત પરિવારને ગામ છોડવા મજબૂર કર્યો. દલિત પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પણ આરોપીઓના પરિવારની જ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હોવાથી હળવી કલમો સાથે કેસ નોંધાયો અને પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. આખરે દલિત પરિવારે ગામ છોડી દેવું પડ્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ગુનાખોરી અને જાતિવાદ માટે કુખ્યાત બિહારનો છે. સંઈયા ભયે કોતવાલ તો ફિર કાહે કા ડર આ કહેવાત યુપી-બિહારમાંથી આવી છે અને આ કેસમાં તે બરાબર ફિટ બેસે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બેગુસરાયના બછવાડા પોલીસ સ્ટેશનના ચમથા ગામનો છે. અહીં જાતિવાદી તત્વોના ત્રાસથી તંગ આવી જઈને એક દલિત પરિવારે ગામ છોડી દેવું પડ્યું. બે દિવસ પહેલા અહીં ખેતરમાં પાણી પાવાને લઈને જાતિવાદી તત્વોએ કેદાર પાસવાનની પત્ની મનુકિયા દેવી અને ભત્રીજા રાજન પાસવાનને નિર્દયતાથી માર માર્યો હતો. સ્થાનિકોએ બંનેને સારવાર માટે સરકારી દવાખાનામાં ભરતી કરાવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલ લઈ જઈ વધુ સારવાર કરાવવા માટે કહ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/40-people-of-5-dalit-families-migrated-due-to-the-torture-of-the-headstrong-elements"><span style="font-size: 14pt;">માથાભારે તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારના 40 લોકોએ હિજરત કરી</span></a><br></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પીડિત મનુકિયા દેવીએ બછવાડા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને ફરિયાદ કરી હતી. પણ પોલીસે તેને ગંભીરતાથી લીધી નહોતી અને કોઈ નક્કર પગલા પણ નહોતા લીધાં. </span><span style="font-size: 14pt;">એ પછી મનુકિયા દેવીએ બેગૂસરાયના એસપીને ફરિયાદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ખેતરમાં પાણી વાળવાને લઈને અમને માર મારવામાં આવ્યો હતો. આ મામલે બછવાડા પોલીસમાં ફરિયાદ કરી હતી. પણ તેણે સામાન્ય કલમો લગાવીને આખા કેસને નબળો પાડી દેવાનો પ્રયત્ન કર્યો હતો. કેમ કે, આરોપીઓના સગા આ પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે નોકરી કરે છે. આ બધાં લોકો ગેરકાયદેસર દારૂનો ધંધો પણ કરે છે અને સોશિયલ મીડિયામાં હથિયારોના ફોટાં મૂકીને લોકોમાં ભય ફેલાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનુકિયા દેવીએ લખ્યું કે, આરોપીઓ દ્વારા તેમને ધમકી આપવામાં આવી રહી છે કે, બછવાડા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો તો શું થયું, બે ચાર મુદ્દતમાં જ આખા કેસને રફેદફે કરી નાખીશું. એ પછી તમારા આખા પરિવારને મારીને લાશ ગાયબ કરી દઈશું. કેમ કે, મારા સંબંધી બછવાડા પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે કામ કરે છે. તમારી હત્યાને પણ ગુમ થયાનું જણાવી આખો કેસ સમાપ્ત કરી દઈશું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનુકિયા દેવીએ વધુમાં જણાવ્યું છે કે, આ બધાં આરોપીઓ ગુનાખોર માનસિકતા ધરાવે છે અને તેમની હિંમત એટલી વધી ગઈ છે કે, અમે આખો પરિવાર સતત ભયમાં જીવી રહ્યાં છીએ. અમને અમારા બાળકોની ચિંતા થાય છે એટલે હવે અમે પોલીસ પર વિશ્વાસ રાખીને અહીં રહી શકીએ તેમ નથી. ગામમાં રહીશું તો અમારી સાથે ગમે ત્યારે, ગમે તે થઈ શકે છે. એટલે હવે અમે સપરિવાર ગામ છોડીને જઈ રહ્યા છીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદી મનુકિયા દેવીની આ ફરિયાદ બાદ પીઆઈ અમિતકુમાર કાંતે જણાવ્યું હતું કે, આખા મામલાની તપાસ કરી રહ્યાં છીએ અને આરોપીઓને છોડવામાં નહીં આવે. જો કે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં પીડિત પરિવાર ગામ છોડીને જતો રહ્યો છે પણ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong> </span><a href="https://khabarantar.com/The-Hijri-family-of-Akolali,-fed-up-with-the-harassment-of-the-casteists,-applied-to-declare-themselves-Hijri-again"><strong>આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદીઓના ત્રાસથી કંટાળીને ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 07 Jul 2024 11:51:27 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 07 Jul 2024 11:50:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>881</Articleid>
                    <excerpt>કોઈ દલિત પરિવાર પર જ્યારે અત્યાચાર થાય છે ત્યારે તેને ભાગ્યે જ એવી આશા હોય છે કે, પોલીસ તેની મદદ કરીને ન્યાય અપાવશે. આ કિસ્સો તેમાં વધુ એક ઉમેરો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668a31c31f249.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668a31c2e1e0f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668a31c2e1e0f.jpg" length="111595" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભાજપ&amp;RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે</title>
                    <link>https://khabarantar.com/bjp-rss-promotes-education-mafia-kharge</link>
                    <guid>https://khabarantar.com/bjp-rss-promotes-education-mafia-kharge</guid>
                    <description>
                        <![CDATA[ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને આરએસએસ પર સમગ્ર એજ્યુકેશન સિસ્ટમ પર નિયંત્રણ મેળવી શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને આરએસએસ પર સમગ્ર દેશની એજ્યુકેશન સિસ્ટમ પર નિયંત્રણ મેળવીને તેને શિક્ષણ માફિયાઓના હવાલે કરી દેવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે નીટ યુજી પ્રવેશ પરીક્ષાને લઈને પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ખડગેએ દાવો કર્યો હતો કે ભાજપ-આરએસએસે શિક્ષણ પ્રણાલી પર અંકુશ લગાવીને શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપ્યું છે. ખડગેએ સોશિયલ મીડિયા સાઇટ એકસ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, “મોદી સરકારે માનનીય સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે નીટ યુજીમાં કોઈ પેપર લીક થયું નથી. લાખો યુવાનોને આ સફેદ જૂઠાણું કહેવામાં આવી રહ્યું છે. તેમનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખડગેએ કેન્દ્રની ટીકા કરી દાવો કર્યો કે ભાજપ-આરએસએસે સમગ્ર એજ્યુકેશન સિસ્ટમ પર કંટ્રોલ મેળવી લઈને શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપ્યું છે. આ સાથે ખડગેએ નીટ યુજીની પુનઃપરીક્ષાની માંગનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/my-society-does-not-allow-me-to-go-to-temples-how-can-I-be-tolerated"><span style="font-size: 14pt;">મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે કેટલીક જગ્યાએ જ ગેરરીતિઓ થઈ છે. આ બાબત વધુ ગૂંચવણમાં મૂકે તેવી છે. નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર આપણી શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરવા તત્પર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે અમે અમારી માંગને પુનરાવર્તિત કરીએ છીએ કે નીટ યુજીની પરીક્ષા ફરીથી યોજાવી જોઈએ અને તે પારદર્શક રીતે ઓનલાઈન થવી જોઈએ. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તમામ પેપર લીક કૌભાંડોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નીટ યુજી પરીક્ષામાં પેપર લીક થવાની ઘટના સામે આવી હતી. આ કેસમાં તપાસ ચાલી રહી છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આ પરીક્ષા રદ કરવાની સતત માંગ ઉઠી હતી. પરંતુ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પરીક્ષા રદ કરવામાં આવશે નહીં. જો કે, બાળકોના ભવિષ્યનું ધ્યાન રાખવામાં આવશે અને ભારત સરકાર એ સુનિશ્ચિત કરશે કે કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય. તેમણે વધુમાં કહ્યું હતું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં સુધારાની જરૂર છે. આવી ઘટનાઓમાં સંડોવાયેલા એનટીએ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/mallikarjun-kharges-strategy-changed-the-fortunes-of-congress"><strong>મલ્લિકાર્જુન ખડગેની વ્યૂહરચનાએ કૉંગ્રેસનું નસીબ બદલ્યું!</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 06 Jul 2024 20:33:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>879</Articleid>
                    <excerpt>કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને આરએસએસ પર સમગ્ર એજ્યુકેશન સિસ્ટમ પર નિયંત્રણ મેળવી શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66895ba6ad962.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66895ba673579.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66895ba673579.jpg" length="55504" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>તમિલનાડુમાં BSP અધ્યક્ષની ઘરમાં ઘૂસીને 6 લોકોએ હત્યા કરી </title>
                    <link>https://khabarantar.com/in-tamil-nadu-6-people-broke-into-the-house-of-the-bsp-president-and-killed-him</link>
                    <guid>https://khabarantar.com/in-tamil-nadu-6-people-broke-into-the-house-of-the-bsp-president-and-killed-him</guid>
                    <description>
                        <![CDATA[ તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષની ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું ટિશર્ટ પહેરીને આવેલા 6 લોકોએ તલવારોથી હુમલો કરી હત્યા કરી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની ગઈકાલે સાંજે તેમના ઘરની બહાર 6 અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી નાખી. પોલીસના જણાવ્યા પ્રમાણે આર્મસ્ટ્રોંગ સાંજે સાત વાગ્યે ચેન્નાઈ સ્થિત સેમ્બિયમ વિસ્તારમાં આવેલી વેણુગોપાલ શેરીમાં આવેલા પોતાના ઘરે પક્ષના કેટલાક કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન બે બાઈક પર 6 લોકો આવ્યા હતા અને તેમના પર ધારદાર હથિયારોથી હુમલો કરીને ભાગી ગયા હતા. ત્યાં ઉપસ્થિત પક્ષના કાર્યકરો આર્મસ્ટ્રોંગને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ પોલીસે આર્મસ્ટ્રોંગની હત્યાને ગયા વર્ષે થયેલી ગેંગસ્ટર અર્કોટ સુરેશની હત્યા સાથે જોડીને જોઈ રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, બદલો લેવાની વૃત્તિ સાથે આર્મસ્ટ્રોંગની હત્યા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ મામલે 8 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હત્યારા ઝોમેટોની ટીશર્ટ પહેરીને આવ્યા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">ચેન્નાઈ પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 6માંથી 4 હુમલાખોરોએ ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું ટિશર્ટ પહેર્યું હતું. આરોપીઓની શોધખોળ માટે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે. આર્મસ્ટ્રોંગની હત્યા બાદ બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ પોલીસ અને વહિવટી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે હત્યાનો કેસ નોંધીને આરોપીઓને શોધી કાઢવા માટે 10 અલગ અલગ ટીમો બનાવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, અટકાયતમાં લેવાયેલા 8 શંકાસ્પદોની પૂછપરછ પછી હત્યા પાછળના અસલી કારણનો ખ્યાલ આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, બીએસપી અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સામે પણ ચૂંટણી લડી હતી. તેઓ વ્યવસાયે વકીલ હતા. વર્ષ 2006માં તેઓ ચેન્નાઈ કોર્પોરેશનની ચૂંટણીમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2007માં તેઓ બીએસપીમાં જોડાયા હતા. 2011માં તેઓ તમિલનાડુની કોલાથુર વિધાનસભા સીટ પર વર્તમાન મુખ્યમંત્રી સ્ટાલિન વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/akash-anands-political-stature-grew-mayawati-again-made-national-coordinator">આકાશ આનંદનું રાજકીય કદ વધ્યું, માયાવતીએ ફરી રાજકીય સંયોજક બનાવ્યા</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કે. આર્મસ્ટ્રોંગ બે વર્ષ પહેલા ચેન્નાઈમાં એક મોટી રેલીનું આયોજન કર્યા બાદ લાઈમલાઈટમાં આવ્યા હતા. તેમણે આ રેલીમાં બીએસપી પ્રમુખ માયાવતીને બોલાવ્યા હતા. એ પછી રાજકારણમાં તેમનું કદ વધી ગયું હતું. તેમના પરિવારમાં તેમના પત્ની અને એક દીકરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કે. આર્મસ્ટ્રોંગની હત્યાને લઈને બીએસપી સુપ્રીમો માયાવતીએ જણાવ્યું હતું કે, આર્મસ્ટ્રોંગની હત્યા એક નિંદનીય ઘટના છે. તેઓ વકીલ હતા અને તમિલનાડુના દલિતોનો એક મજબૂત અવાજ હતા. રાજ્ય સરકારે હત્યારાઓને પકડીને કડકમાં કડક સજા કરવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદે જણાવ્યું હતું કે, મારા નજીકના મિત્રની હત્યા ચોંકાવનારી છે. તેઓ તમિલનાડુમાં દલિત સમાજનો બુલંદ અને મજબૂત અવાજ હતા. મારા માટે તેઓ મોટાભાઈ જેવા હતા. હું આ કાયરતાપૂર્ણ કાવતરાની આકરી નિંદા કરું છું અને દોષિતોને કડક સજા થાય તેવી અપેક્ષા રાખું છું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/telangana-bsp-president-dr-rs-praveen-kumar-left-the-party,-will-set-up-his-own-separate-party">તેલંગાણા બીએસપી પ્રમુખ ડો. આર.એસ. પ્રવિણકુમારે પક્ષ છોડ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 06 Jul 2024 10:39:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>876</Articleid>
                    <excerpt>તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષની ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું ટિશર્ટ પહેરીને આવેલા 6 લોકોએ તલવારોથી હુમલો કરી હત્યા કરી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6688d0792bb0b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6688d078ee651.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6688d078ee651.jpg" length="53784" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case BSP president killed tamilnadu</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમરેલીના 54 દલિત પરિવારો 42 વર્ષથી હકની જમીન માટે સંઘર્ષ કરે છે</title>
                    <link>https://khabarantar.com/54-dalit-families-of-amreli-have-been-struggling-for-rightful-land-for-42-years</link>
                    <guid>https://khabarantar.com/54-dalit-families-of-amreli-have-been-struggling-for-rightful-land-for-42-years</guid>
                    <description>
                        <![CDATA[ અમરેલી જિલ્લાના એક ગામમાં અનુસૂચિત જાતિ સમાજના 54 પરિવારો છેલ્લાં 42 વર્ષથી પોતાના હકની જમીન માટે સરકારી બાબુઓ અને તંત્ર સામે લડી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત ભારતના કોઈપણ ગામમાં જઈને તમે ચેક કરશો તો ખ્યાલ આવશે કે મોટાભાગની જમીનોના માલિકો કથિત સવર્ણ જાતિના હશે. કોઈ ગામના પાદરમાં જઈને તમે ચેક કરશો તો તમને સમજાશે કે પાનના ગલ્લાથી લઈને સામાન્ય લારી ચલાવતી વ્યક્તિ પણ દલિત, આદિવાસી સમાજની નહીં હોય. કોઈપણ ગામના પાદરમાં રહેલી કરિયાણાથી લઈને અન્ય દુકાનોના નામ પરથી તમને સમજાઈ જશે કે તે ગામમાં કઈ જ્ઞાતિ-જાતિ કે ધર્મ પાળતા લોકોનું વર્ચસ્વ રહેલું છે. આ વર્ચસ્વ ધરાવતી જાતિઓ જ દલિતો, આદિવાસીઓના હાથમાં કાયમી કમાણીના સ્ત્રોત જેવી ખેતીની જમીન ન જાય તે માટે તત્પર રહેતી હોય છે. અને એટલે જ સરકારી રાહે દલિતો, આદિવાસીઓને મળેલી જમીનો પર પણ આ જ લોકો વર્ષોથી કબ્જો જમાવીને બેસી ગયા છે. દલિતો પાસે રાજકીય પીઠબળ નથી, સમાજના આગેવાનોની એટલી પહોંચ નથી કે તેઓ આવા લોકોને ન્યાય અપાવી શકે, તેમના હકની જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અપાવી શકે. એટલે જાતિવાદી તત્વો તંત્રમાં બેઠેલા તેમની જાતિના લોકો અને રાજકીય આગેવાનોની મદદથી વર્ષો સુધી દલિતોના હકની જમીનો ગેરકાયદે રીતે ખેડતા રહે છે અને તેના અસલ માલિક એવા દલિતો કશું કરી શકતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો જ એક મામલો હાલ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સરસીયા ગામમાંથી સામે આવ્યો છે. અહીં અનુસૂચિત જાતિ સમાજના 54 જેટલા પરિવારોને 42 વર્ષ પહેલા સાંથણીમાં મળેલી જમીનોનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવ્યો નથી. આ મામલે તેમણે કલેક્ટરથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓએ અનેક વખત રજૂઆતો કરી, પણ તંત્ર કોઈ જ પગલાં લેતું નથી. આ મામલે અનુસૂચિત જાતિ સમાજના સામાજિક કાર્યકરોએ પણ લડત આપી છે, પણ હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે હવે સરસીયા ગામના લોકોએ કરો યો મરોની સ્થિતિમાં આવી ગયા છે.</span><br><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના સરસીયા ગામે અનુસૂચિત જાતિ સમાજના 54 પરિવારોને વર્ષ 1982માં સાંથણી હેઠળ જમીનો ફાળવવામાં આવી હતી. પણ આજ દિન સુધી તંત્ર દ્વારા તેનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવ્યો નથી. ગામના માથાભારે તત્વોએ આ જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો છે અને તેના અસલ લાભાર્થીઓ માટે વહીવટી તંત્ર કશું કરી રહ્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના સચિવના તા. 19-2-2018ના પરિપત્ર મુજબ ગુજરાતના દરેક જિલ્લાના દરેક તાલુકામાં રહેતા અનુસૂચિત જાતિના લોકોને સરકાર દ્વારા જમીન ફાળવણી અંગેના હુકમો થઇ ગયેલ હોય, પ્રત્યક્ષપણે કબજો મળેલ ન હોય અને જમીન ફક્ત કાગળ પર મળેલ હોય તેમને આ પરિપત્ર મુજબ તાત્કાલિક જમીનનો પ્રત્યક્ષપણે કબજો પોલીસ રક્ષણ સાથે આપવો જોઈએ. પણ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તેમના ઉપરી અધિકારીઓના આ પરિપત્રને ઘોળીને પી ગયું છે અને ચાર ચાર દાયકાઓથી સરસીયાના અનુસૂચિત જાતિ સમાજના લાભાર્થીઓને તેમના હકની જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપી રહ્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/why-do-cage-builders-remain-silent-when-pressured-on-the-ground-by-gauchers"><span style="font-size: 14pt;">પાંજરાપોળો બંધાવનારા ગૌચરની જમીન પરના દબાણ વખતે કેમ ચૂપ રહે છે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામમાં લુખ્ખા તત્વો કઈ હદે દાદાગીરી પર ઉતરી આવતા હોય છે તેનો એક નમૂનો અમરેલી જિલ્લાના જ એક ગામમાંથી મળે છે. અહીંના કેરીયા નાગસ ગામમાં પોલીસ રક્ષણ સાથે દલિત લાભાર્થીઓને તેમની જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપાયો હતો. પણ ગામના જાતિવાદી લુખ્ખા તત્વોએ આ જમીનો તેમની પાસેથી આંચકી લીધી હતી અને ફરીથી તેના પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. આ મામલે પણ તંત્ર કોઈ પગલાં લઈ રહ્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકર અને નવસર્જન ટ્રસ્ટના કાર્યકર કાંતિલાલ પરમાર આ મામલે ખબરઅંતર.કોમ સાથે વિસ્તારથી વાત કરતા જણાવે છે કે, "સરસીયામાં છેક વર્ષ 1982માં સરકારે અનુસૂચિત જાતિના લોકોને જીવન નિર્વાહ માટે ફાળવેલ જમીનોનો હજુ સુધી કબ્જો કેમ સોંપવામાં આવ્યો નથી, સરકારે અનુસૂચિત જાતિના લોકોને ફાળવેલ જમીન પર હાલ કોનો કબ્જો છે? સરકારે અનુસૂચિત જાતિના લોકોને ફાળવેલ જમીન હકીકતમાં લાભાર્થીને મળેલ છે કે કેમ, સરકારના હુકમ બાદ પણ જમીન કેમ હજુ સુધી ફાળવવામાં આવેલ નથી? આ તમામ સવાલોનો સ્થાનિક અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંતિભાઈ વધુમાં જણાવે છે કે, "સરસીયામાં જમીનના આ મામલે રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામકે અમરેલી જિલ્લા કલેક્ટર પાસેથી એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો હતો અને કાર્યવાહી કરવા જણાવ્યું હતું, પરંતુ કલેક્ટરે આજ દિન સુધી આ પત્રનો અમને કોઈ જ જવાબ આપ્યો નથી, કે નથી સંબંધિત વિભાગ કે અધિકારીઓ દ્વારા પત્રની સૂચના મુજબ  કાર્યવાહી કરી છે. પરિણામે રાજ્યના અન્ય જિલ્લાઓમાં (હાલ કચ્છ જિલ્લામાં પણ આ વિવાદ ચાલી રહ્યો છે.) થયું છે તેમ સરસીયામાં પણ ગામના માથાભારે તત્વોએ અનુસૂચિત જાતિ સમાજના આ પરિવારોના હકની જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો છે. અમરેલી કલેક્ટર કોઈ પગલાં લેતા નથી, લાભાર્થીઓને જમીનોનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં તેમને કોનો ડર લાગે છે? જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવનારા તત્વોને તેઓ ખદેડીને પોલીસ કાર્યવાહી કેમ નથી કરતા? આ તમામ સવાલોના જવાબો આજ નહીં તો કાલ તેમણે આપવા પડશે. કેમ કે, હવે સરસીયાના અનુસૂચિત જાતિ સમાજના પરિવારોએ કરો યા મરોની લડત શરૂ કરશે તેવા સંકેતો આપ્યા છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું રહ્યું કે, સંતોની ભૂમિ કહેવાતા સૌરાષ્ટ્રમાં દલિતો પર અત્યાચાર, આભડછેટના સૌથી વધુ બનાવો બને છે. સંતોને પૂજતા કથિત સવર્ણો જ્યારે દલિતોને તેમના હકો આપવાની અને તેમની સાથે સમાન વ્યવહાર કરવાની વાત આવે ત્યારે તેમનું પોત પ્રકાશે છે. આભડછેટ, જમીનો પડાવી લેવી, માર મારવો, જમીનો માટે ખૂન કરવું જેવા ગુનાઓનો એક આખો કાળો ઈતિહાસ સૌરાષ્ટ્રના લાખો ગામડાઓમાં ધરબાઈને પડ્યો છે. સરસીયામાં જમીનો પર માથાભારે તત્વોનો વર્ષોથી કબ્જો અને વહીવટી તંત્રની આ મામલે ઘોર બેદરકારી જ બતાવી આપે છે કે, તંત્ર અને તેમાં બેઠેલા બાબુઓને પણ દલિતોને તેમના હકની જમીનો મળે તેમાં રસ નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/land-of-11-dalit-families-seized-by-district-education-officer"> </a></strong></span><a href="https://khabarantar.com/land-of-11-dalit-families-seized-by-district-education-officer"><strong>11 દલિત પરિવારોની જમીન જિલ્લા શિક્ષણ અધિકારીએ પડાવી લીધી?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 05 Jul 2024 13:30:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>872</Articleid>
                    <excerpt>અમરેલી જિલ્લાના એક ગામમાં અનુસૂચિત જાતિ સમાજના 54 પરિવારો છેલ્લાં 42 વર્ષથી પોતાના હકની જમીન માટે સરકારી બાબુઓ અને તંત્ર સામે લડી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6687a70890eeb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6687a70862558.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6687a70862558.jpg" length="49102" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટીના કેસમાં આંદોલન પછી જ આરોપીઓ પકડાય છેઃ નરેશ મહેશ્વરી</title>
                    <link>https://khabarantar.com/in-atrocity-cases-accused-are-caught-only-after-agitation-naresh-maheshwari</link>
                    <guid>https://khabarantar.com/in-atrocity-cases-accused-are-caught-only-after-agitation-naresh-maheshwari</guid>
                    <description>
                        <![CDATA[ કચ્છ સહિત ગુજરાતભરના અનુસૂચિત જાતિ સમાજના વિવિધ પ્રશ્નોને લઈને એક પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેનને મળીને રજૂઆતો કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છ સહિત ગુજરાતભરમાં અનુસૂચિત જાતિ સમાજ અનેક ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. અહીં ટોચ મર્યાદા ધારા હેઠળ દાયકાઓ પહેલા દલિતોને મળેલી જમીનોનો તેના હકદારોને સ્થળ કબ્જો સોંપવામાં નથી આવ્યો, એટ્રોસિટી એક્ટ હેઠળ અનેક ફરિયાદો નોંધાઈ છે, સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત હોસ્ટેલોમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. આ તમામ બાબતોને લઈને હાલમાં જ કચ્છ-અમદાવાદ અને વડોદરા જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી સ્થિત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ પહોંચ્યું હતું. જ્યાં તેણે આયોગના ચેરમેન કિશોર મકવાણા સાથે રૂબરૂ મુલાકાત કરીને આ તમામ પ્રશ્નો બાબતે રજૂઆત કરી યોગ્ય નિરાકરણ લાવવા અનુરોધ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છના સામાજિક કાર્યકર અને ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીની આગેવાની હેઠળના આ પ્રતિનિધિ મંડળે નવીદિલ્હી ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણાની ઓફિસ લોકનાયક ભવન ખાતે રૂબરૂ મુલાકાત લઈ ગુજરાત સહિત કચ્છ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજને કનડગતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરી એ જણાવ્યું હતું કે "ગુજરાત રાજ્યમાં ટોચ મર્યાદા ધારા હેઠળ સૌથી વધુ જમીનો કચ્છ જિલ્લામાં આપવામાં આવેલી છે. આ જમીનો વર્ષ 1983/83માં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી છે. આજે ભૂજ, ભચાઉ, રાપર, અંજાર, અબડાસા તાલુકામાં અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી લી. ને હજારો એકર જમીનો ફાળવવમાં આવી છે પરંતુ તે માત્ર કાગળ ઉપર જ છે. આ જમીનો પર ભૂમાફિયાઓ, માથાભારે ઈસમોએ ગેરકાયદેસર દબાણો કર્યા છે. જમીનોના રેકર્ડ જેવા કે 7/12, 8 અ, હાળીમાજી, ટિપ્પણ, સુદબૂક, વીઘોટીની પહોંચ અને જિલ્લા કલેકટરના હુકમ સહિતના રેકર્ડ ઉપલબ્ધ હોવા છતાં પણ વહીવટીતંત્ર દ્વારા સ્થાનિકે મંડળીના સભાસદોને જમીનોના પ્રત્યેક્ષ કબ્જા સોંપવામાં આવતા નથી. અનેક વખત રાજ્ય સરકાર, જિલ્લાના વહીવટીતંત્રને રજૂઆત, ધારણાઓ કર્યા બાદ થોડી ઘણી જમીનોના કબ્જા સોંપવામાં આવ્યા છે. પણ હજુ હજારો એકર જમીનોનો કબ્જો સોંપવામાં આવ્યો નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Why-do-the-accused-get-away-with-such-a-strong-atrocity-law"><span style="font-size: 14pt;">એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202407/image_870x_66878294d5c4f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેશ મહેશ્વરીએ વધુમાં જણાવ્યું હતું કે, "એટ્રોસિટીના વધતા કેસોમાં પણ પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અનુસૂચિત જાતિના લોકોને ફરજિયાત આંદોલન કરવા પડે છે. આંદોલન કે રોડ રસ્તાઓ ચક્કાજામ કર્યા બાદ જ આરોપીની ધરપકડ કરવામાં આવતી હોય છે. આવી રજૂઆતો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણાને કરવામાં આવી હતી." </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોર મકવાણાએ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે, આ તમામ બાબતોને લઈને તેઓ ટૂંક સમયમાં કચ્છ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓની મુલાકાત લેશે અને કલેક્ટર, વહીવટી તંત્ર સાથે મિટીંગ કરીને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેશભાઈ મહેશ્વરીએ કચ્છ જિલ્લાના ગામડાઓમાં શિક્ષકોની ઘટ હોવાથી અનુસૂચિત જાતિ સમાજના ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે તે બાબતે પણ ચિંતા વ્યક્ત કરતા રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "ગામડાઓમાં સરકારી શાળાઓમાં મોટાભાગે અનુસૂચિત જાતિ સમાજ અને અન્ય ગરીબ પરિવારના બાળકો જ અભ્યાસ કરતા હોય છે. હાલ અહીં સરકારી શાળાઓમાં મોટાપાયે શિક્ષકોની અછત છે. જેના કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંચાલિત હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને પુરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. અનેક હોસ્ટેલોના બિલ્ડીગો ખખડધજ હાલતમાં છે, જેને નવા બનાવી આપવા માટે પણ આયોગ ચેરમેનના માધ્યમથી રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી વિનંતી કરી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રતિનિધિ મંડળમાં નરેશભાઈ મહેશ્વરી સાથે બહુજન આર્મીના લખનભાઈ ધુવા, અમદાવાદના દિનેશભાઈ મકવાણા અને વડોદરાથી રાજેશભાઈ પણ જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/a-complete-understanding-of-the-atrocities-act-social-justice-warriors-take-it-easy"><strong>એટ્રોસિટી એક્ટની સંપૂર્ણ સમજઃ સામાજિક ન્યાયના યોદ્ધાઓ આટલું મોઢે કરી લો</strong></a><br></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 05 Jul 2024 10:56:02 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 05 Jul 2024 10:55:42 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>871</Articleid>
                    <excerpt>કચ્છ સહિત ગુજરાતભરના અનુસૂચિત જાતિ સમાજના વિવિધ પ્રશ્નોને લઈને એક પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેનને મળીને રજૂઆતો કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668782959088c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668782955bfb8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668782955bfb8.jpg" length="100885" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત PHD વિદ્યાર્થીના મોં પર સવર્ણ પ્રોફેસરે મિટીંગમાં એઠું સમોસું ફેંક્યું</title>
                    <link>https://khabarantar.com/savarna-professor-throws-seven-samosas-at-dalit-phd-students-mouth-in-meeting</link>
                    <guid>https://khabarantar.com/savarna-professor-throws-seven-samosas-at-dalit-phd-students-mouth-in-meeting</guid>
                    <description>
                        <![CDATA[ એક યુનિવર્સિટીમાં દલિત પીએચડી વિદ્યાર્થીને સવર્ણ પ્રોફેસરે મીટિંગમાં જાતિસૂચક ગાળો દઈ, મોં પર એઠાં સમોસાંનો ઘા કરી અપમાનિત કરતા હોબાળો મચી ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય મંત્રી અને અપના દળના નેતા અનુપ્રિયા પટેલે નોકરીઓમાં ઈન્ટરવ્યૂમાં દલિત વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આપવામાં આવતા હોવા અંગે યુપીના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શિક્ષણ અને નોકરીઓમાં દલિતો સાથે ભેદભાવની ઘટનાઓ વર્ષો જૂની છે અને તેનું વધુ એક ઉદાહરણ બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સામે આવ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU)માં એક દલિત PHD વિદ્યાર્થી સાથે એક સવર્ણ પ્રોફેસરે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોબાળો મચી ગયો છે. પ્રોફેસરે દલિત વિદ્યાર્થીને જાહેર મિટીંગમાં જાતિસૂચક ગાળો ભાંડીને તેને અપમાનિત કર્યો હતો. એટલું જ નહીં પ્રોફસરે બધાંની સામે જ વિદ્યાર્થીના મોં પર એઠાં સમોસાનો ઘા કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બીએચયુના આયુર્વેદ વિભાગનો છે. અહીં એક દલિત પીએચડી વિદ્યાર્થી સાથે એક સવર્ણ પ્રોફેસરે ગેરવર્તન કર્યું હતું. સીનિયર પ્રોફેસરે દલિત વિદ્યાર્થીને મિટીંગમાં જાતિસૂચક ગાળો ભાંડી હતી અને મોં પર પોતાનું એઠાં સમોસું માર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 30 મે 2024ની છે. એ દિવસે અહીં આયુર્વેદિક વિભાગમાં શરીર રચના વિભાગના વિદ્યાર્થી શિવમ કુમારનો જુનિયર રિસર્ચ ફૅલોશિપ(JRF)માંથી સિનિયર રિસર્ચ ફૅલોશિપ(SRF)માં જવા માટે વિભાગના જ એક હોલમાં વાઈવા ચાલી રહ્યો હતો, જેમાં વિભાગના સીનિયર પ્રોફેસરો ઉપરાંત વિભાગના અન્ય પીએચડી વિદ્યાર્થીઓ પણ હાજર હતા. પીએચડી વિદ્યાર્થી શિવમકુમારના જીઆરએફથી સીઆરએફ અપગ્રેડેશન વાઈવા માટે બીજી યુનિવર્સિટીમાંથી એક મહિલા એક્સટર્નલ એક્સપર્ટને પણ બોલાવવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા સમય બાદ જ્યારે રિસર્ચ સ્ટુડન્ટ શિવમ કુમારનો વાઈવા સારી રીતે પૂર્ણ થઈ ગયો, એ પછી હોલમાં ઉપસ્થિત લોકો માટે નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિભાગના બીજા તમામ પ્રોફેસરો અને એક્સટર્નલ એક્સપર્ટ એક જ ટેબલ પર એકસાથે આજુબાજુમાં બેઠા હતા. એ દરમિયાન શિવમકુમાર પોતાનો ફોન કાઢીને એક ગ્રુપ ફોટો ખેંચી રહ્યો હતો, ત્યારે હોલમાં હાજર વિભાગના સીનિયર પ્રોફેસર હરિહૃદય અવસ્થી ગુસ્સે થઈ ગયા હતા અને કોઈ કશું સમજે તે પહેલા જ તેમણે પોતાની પ્લેટમાં પડેલું તેમનું એઠું સમોસું શિવમના મોં પર માર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-neighbor-exposed-himself-to-the-dalit-woman-the-grieving-woman-hanged-herself">દલિત મહિલા સામે પડોશી નિર્વસ્ત્ર થઈ ગયો, દુઃખી મહિલાએ ગળેફાંસો ખાઈ લીધો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાથી હોલમાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે, પ્રોફેસર હરિહર અવસ્થી આટલેથી જ નહોતા અટક્યા, તેમણે શિવમ કુમારને બરાડા પાડીને બધાંની વચ્ચે જાતિસૂચક અપમાનજનક ગાળો ભાંડતા કહયું હતું કે, તને એટલી પણ ખબર નથી પડતી કે ખાતી વખતે ફોટો ન ખેંચવો જોઈએ?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન શરીર રચના વિભાગના મહિલા અધ્યક્ષ અને વાઈવા લેવા આવેલી મહિલા એક્સપર્ટે પ્રોફેસરને સમજાવીને મામલો શાંત પાડવા પ્રયત્ન કર્યો તો પ્રોફેસર હરિહૃદય અવસ્થી તેમના પર પણ ભડકી ગયા અને એ બંને મહિલા પ્રોફેસરો(વિભાગની અધ્યક્ષ અને એક્સટર્નલ એક્સપર્ટ)ને પણ અપશબ્દો કહ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રોફેસર અવસ્થીએ વિદ્યાર્થી શિવમકુમારને ધમકી આપતા કહ્યું કે, "છ મહિના પછી હું આ વિભાગનો અધ્યક્ષ બનવાનો છું, એ પછી તને હું સારી રીતે સમજાવીશ કે હું શું ચીજ છું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી પીડિત વિદ્યાર્થી શિવમ કુમારે આ આખી ઘટનાને લઈને યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર સહિત યુનિવર્સિટીના તમામ લાગતા વળગતા ખાતાઓના અધ્યક્ષને અરજી આપી હતી, પણ હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ યુનિવર્સિટી દ્વારા જાતિવાદી પ્રોફેસર હરિહૃદય અવસ્થી વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાતા પીએચડી સ્ટુડન્ટ શિવમકુમાર માનસિક તણાવમાં આવી ગયો છે. તેને પોતાનું ભવિષ્ય ખતરામાં લાગી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/swami-used-to-look-at-other-girls-besides-me-with-dirty-eyes">સ્વામી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 04 Jul 2024 13:53:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>868</Articleid>
                    <excerpt>એક યુનિવર્સિટીમાં દલિત પીએચડી વિદ્યાર્થીને સવર્ણ પ્રોફેસરે મીટિંગમાં જાતિસૂચક ગાળો દઈ, મોં પર એઠાં સમોસાંનો ઘા કરી અપમાનિત કરતા હોબાળો મચી ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66865992474cd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66865992156bb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66865992156bb.jpg" length="37899" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case BHU, dalit student insult</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમુક જજો સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે લોબિંગ કરાવે છેઃ જસ્ટિસ ગવઈ</title>
                    <link>https://khabarantar.com/some-judges-lobby-for-promotion-in-supreme-court-justice-gawai</link>
                    <guid>https://khabarantar.com/some-judges-lobby-for-promotion-in-supreme-court-justice-gawai</guid>
                    <description>
                        <![CDATA[ દલિત સમાજમાંથી આવતા અને વર્ષ 2025માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનવા જઈ રહેલા જસ્ટિસ બી.આર.ગવઈએ અમુક જજોની આળસ અને લાલચને જાહેરમાં ખૂલ્લી પાડી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સમાજમાંથી આવતા અને વર્ષ 2025માં ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનવા જઈ રહેલા જસ્ટિસ બી.આર. ગવઈએ જજોની સુપ્રીમ કોર્ટમાં બઢતી મેળવવાની લાલસાને જાહેરમાં ખૂલ્લી પાડી છે. તેમણે કહ્યું કે, કેટલાક ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે તેમની ઉમેદવારી માટે લોબિંગ કરવાની હદ સુધી જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બી.આર. ગવઈએ હાઈકોર્ટના જજો અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેટલાક ન્યાયાધીશો સમયસર કોર્ટમાં આવતા નથી તે ભારત જેવા કરોડો કેસોના ભારણ ધરાવતા દેશમાં ચિંતાનો વિષય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈએ હાઈકોર્ટના જજોને લઈને જણાવ્યું હતું કે, કેટલાક ન્યાયાધીશો સમયસર કોર્ટમાં આવતા નથી અને સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન માટે ભલામણ કરે છે. જસ્ટિસ ગવઈએ ૨૯ જૂને કોલકાતામાં નેશનલ જ્યુડિશિયલ એકેડમી કોન્ફરન્સમાં આ વાત કહી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ ગવઈએ કહ્યું કે, જ્યારથી તેઓ સુપ્રીમ કોર્ટ કોલેજિયમનો હિસ્સો બન્યા છે ત્યારથી તેમણે ઘણી ચિંતાજનક બાબતો જોઈ છે. કેટલીક હાઈકોર્ટમાં ન્યાયાધીશો સમયસર કોર્ટ રૂમમાં બેસતા નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો</strong></span>: <a href="https://khabarantar.com/the-judge-was-suspended-while-pronouncing-the-verdict-in-the-court-under-the-influence-of-alcohol"><strong>દારૂના નશામાં ધૂત થઈ કોર્ટમાં ચુકાદો સંભળાવતા જજને સસ્પેન્ડ કરાયા</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ ગવઈએ કહ્યું, 'એ જાણીને આશ્ચર્ય થાય છે કે કેટલાક ન્યાયાધીશો 10.30 ને બદલે 11.30 વાગ્યે કોર્ટમાં બેસે છે અને 1.30ને બદલે 12.30 વાગ્યે ઉભા થઈ જાય છે. ચોંકાવનારી બાબત એ છે કે, કેટલાક ન્યાયધીશો બીજી પાળીમાં બિલકુલ બેસતા નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ ગવઈએ વધુમાં જણાવ્યું હતું કે, એ કહેતા દુઃખ થાય છે કે કેટલાક ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન માટે ભલામણો પણ મળે છે. તેઓ એ સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે તેઓ તે કોર્ટના અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો કરતાં સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન માટે વધુ યોગ્ય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે આગળ જણાવ્યું હતું કે, એ કહેવું દુઃખદાયક છે કે કેટલાક ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે તેમની ઉમેદવારી માટે લોબિંગ કરવાની હદ સુધી જાય છે. ન્યાયાધીશોમાં ન્યાયિક શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ન્યાયાધીશોએ સમયસર કોર્ટમાં આવવું જોઈએ અને તેમના કામ પ્રત્યે પ્રમાણિક રહેવું જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ ગવઈએ નિમણૂંકોની પ્રક્રિયા સમજાવતા કહ્યું કે, "કોલેજિયમ ડેટાબેઝ પર કામ કરે છે. તેમાં તે તમામ ન્યાયાધીશોની માહિતી છે જેઓ વિચારણા હેઠળના ક્ષેત્રમાં છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટમાં સલાહ લેતા ન્યાયાધીશોના અભિપ્રાય સહિત વિવિધ સ્ત્રોતોમાંથી મળેલા ઇનપુટ્‌સને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, જેમને આવા ન્યાયાધીશોની કામગીરીની તપાસ કરવાની તક મળી હતી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/only-dr-I-became-a-judge-because-of-ambedkar-justice-b-r-gawai">ફક્ત ડૉ. આંબેડકરના કારણે જજ બની શક્યો છું - જસ્ટિસ બી.આર. ગવઈ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 03 Jul 2024 12:10:48 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 03 Jul 2024 12:10:21 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>860</Articleid>
                    <excerpt>દલિત સમાજમાંથી આવતા અને વર્ષ 2025માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનવા જઈ રહેલા જસ્ટિસ બી.આર.ગવઈએ અમુક જજોની આળસ અને લાલચને જાહેરમાં ખૂલ્લી પાડી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6684f24c10a9d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6684f24bd6084.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6684f24bd6084.jpg" length="60188" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>supreme court, Dalit, Aadivasi, OBC, Minority, Dalit Atrocity, SC ST act</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્મશાનનો રસ્તો બંધ, દલિત દીકરીનો મૃતદેહ 18 કલાકથી રસ્તામાં પડ્યો છે</title>
                    <link>https://khabarantar.com/the-road-to-the-crematorium-is-closed-the-body-of-the-dalit-daughter-has-been-lying-on-the-road-for-18-hours</link>
                    <guid>https://khabarantar.com/the-road-to-the-crematorium-is-closed-the-body-of-the-dalit-daughter-has-been-lying-on-the-road-for-18-hours</guid>
                    <description>
                        <![CDATA[ ખેતરમાલિકે દલિતોના સ્મશાને જતો રસ્તો બંધ કરી દીધો છે. જેના કારણે દલિત દીકરીનો મૃતદેહ અંતિમવિધિની વાટ જોતો 18 કલાકથી રસ્તા વચ્ચે પડ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત હોવું કેટલું પીડાકારક છે તે જેણે વેઠ્યું હોય તેને સમજાય. કથિત સવર્ણોને અમુક સુખસુવિધા અને સગવડો માત્ર તેમની જાતિના કારણે મળી જતી હોય છે એટલે તેમને તેની કિંમત ન સમજાય. પણ એ જ સામાન્ય સુવિધા મેળવવા માટે દલિતોએ આકરો સંઘર્ષ કરવો પડે છે. દલિત પરિવારમાં થયેલા મોતનો પણ મલાજો ન જળવાતો હોય તેવી આ ત્રણ દિવસમાં બીજી ઘટના છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રણ દિવસ પહેલા આવી જ એક ઘટનામાં દલિત મહિલાનું શબ દોઢ દિવસ સુધી ઘરના આંગણામાં પડ્યું રહ્યું હતું. કેમ કે, કથિત સવર્ણોએ ગામના મેઘવાળ સમાજના સ્મશાન સુધી જતો રસ્તો બંધ કરી દીધો હતો. એ ઘટનાને હજુ બે દિવસ થયા નથી ત્યાં આ બીજી એવી ઘટના બની છે જેમાં દલિતોના સ્મશાન સુધી જતો રસ્તો સવર્ણો દ્વારા બંધ કરી દેવાયો હોય અને તેના કારણે દલિતો અંતિમવિધિ કરી શક્યા ન હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો રાજસ્થાનના ખૈરથલ જિલ્લાના ડાંગનહેડી ગામનો છે. અહીં છેલ્લાં 18 કલાક કરતા વધુ સમયથી દલિત સમાજના લોકો એક 24 વર્ષની યુવતીનો મૃતદેહ અંતિમવિધિ માટે લઈ જવા માટે થઈને રસ્તા પર બેઠાં છે. આરોપ છે કે, દલિતોના સ્મશાન સુધી જે રસ્તો જતો હતો તેને ખેતરમાલિકે તારની વાડ કરીને બંધ કરી દીધો છે. જેના કારણે દલિતો સ્મશાન સુધી જઈ શકે તેમ નથી. આ મામલે યુવતીના પરિવારજનો અને દલિત સમાજના લોકોએ મૃતદેહને રસ્તા વચ્ચે જ રાખી દીધો છે અને વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. સોમવારે શરૂ થયેલો આ વિરોધ આજે મંગળવારે પર જારી રહ્યો છે પણ હજુ સુધી વહીવટી તંત્ર આ મામલાનો નિકાલ લાવી શક્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના ખૈરથલ જિલ્લાના ટપૂકડા વિસ્તારના ડાંગનહેડી ગામમાં દલિતોના સ્મશાન સુધી જવાના રસ્તાને લઈને વિવાદ થઈ ગયો છે. દલિત સમાજની 24 વર્ષની દીકરી પૂજાનું લાંબી બિમાર બાદ સોમવાર 1 જૂનના રોજ અવસાન થયું હતું. જેને લઈને સમાજના લોકો તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવાની તૈયારી કરીને નીકળ્યા હતા. પણ જ્યારે તેઓ ગામથી બહાર આવ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના સ્મશાન સુધી જવાનો રસ્તો ખેતરમાલિકે તારની વાડ કરીને બંધ કરી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/brahmins-were-4-percent-in-kolhapur-but-80-percent-of-the-jobs-were-brahmins"><span style="font-size: 14pt;">કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના કારણે ગુસ્સે ભરાયેલા દલિત સમાજના લોકોએ રસ્તા વચ્ચે જ મૃતદેહ રાખીને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું અને તંત્ર તથા રસ્તો બંધ કરનારા લોકો વિરુદ્ધ નારેબાજી કરવા લાગ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">18 કલાક કરતા વધુ સમયથી વિરોધ જારી છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિરોધ પ્રદર્શનના ત્રણ કલાક વીતી ગયા બાદ ટપૂકડાના એસડીએમને ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતા. જ્યાં દલિત સમાજના લોકોએ રસ્તો ખોલાવવાની માંગ કરી હતી. સાથે જ રસ્તો નહીં ખૂલે ત્યાં સુધી મૃતદેહ સાથે ત્યાં જ બેસી રહેવા અડગ રહ્યા છે. આ રીતે છેલ્લાં 18 કલાક કરતા વધુ સમયથી દલિત યુવતીનો મૃતદેહ રસ્તાની વચ્ચોવચ પડ્યો છે અને છતાં તંત્ર કોઈ નિકાલ લાવી શક્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૃતકનો ભાઈ આર્મીમાં છે છતાં તંત્રને શરમ નથી આવતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડાંગનહેડી ગામની રહેવાસી 24 વર્ષની પૂજા રાજપાલ મેઘવાળનું સોમવારે લાંબી બિમારી બાદ અવસાન થઈ ગયું હતું. તે છેલ્લાં 12 વર્ષથી હાથપગ જકડાઈ જવાની બિમારીથી પીડાતી હતી. બધી જ જરૂરી સારવાર કરાવી પણ તેનો કોઈ ઈલાજ થઈ શક્યો નહોતો. તેના પિતા રાજપાલ મેઘવાળ ભિવાડીમાં છેલ્લા 10 વર્ષથી ઓટોરિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પૂજાનો મોટો ભાઈ વિજયપાલ આર્મીમાં છે અને હાલ તેનું જોધપુરમાં પોસ્ટિંગ છે, છાશવારે દેશભક્તિની ડિંગો હાકતા ભાજપના નેતાઓને અહીં દેશભક્તિ નથી દેખાતી. કેમ કે, અહીં મામલો જાતિનો છે. પૂજાની ત્રણ નાની બહેનો છે અને ચારેયમાં તે સૌથી મોટી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિવાદનું મૂળ શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ગામના બિલ્લૂ નામના શખ્સના પિતાએ 50 વર્ષ પહેલા આ જમીન ખરીદી હતી. એ વખતે આ જમીનમાંથી દલિતોના સ્મશાન સુધી જતો કાચો રસ્તો હતો. પણ હવે બિલ્લૂએ આ જમીન ફરતે તારની વાડ કરી લીધી છે. જેના કારણે દલિતોના સ્મશાન સુધી જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. 15 દિવસ પહેલા પણ એક દલિત વ્યક્તિનું મોત થયું હતું અને ત્યારે પણ વિવાદ થયો હતો. એ વખતે વહીવટી તંત્રે સ્થળ પર પહોંચીને રસ્તો ખોલાવ્યો હતો ત્યારે જતી અંતિમવિધિ થઈ શકી હતી. પણ પછી ફરીથી તારની વાડ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/why-do-indian-laborers-go-to-kuwait-despite-hellish-conditions"><span style="font-size: 14pt;">નર્કાગાર જેવી સ્થિતિ છતાં શા માટે ભારતીય મજૂરો કુવૈત જાય છે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે પૂજાનું અવસાન થતા 15 દિવસમાં બીજીવાર આ જ સમસ્યા પેદા થઈ છે. મૃતક પૂજાના પરિવારજનો સહિત સેંકડો મહિલાઓ અને પુરુષો તેનો મૃતદેહ સાથે રસ્તા વચ્ચે બેઠાં છે અને તંત્ર કોઈ રસ્તો કાઢી શકતું નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સોમવારે બપોરે 2 વાગ્યાથી દલિતો રસ્તામાં બેઠાં છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક પૂજાનો મૃતદેહ અંતિમવિધિ માટે ગઈકાલે સોમવારે બપોરે 2 વાગ્યા આસપાસ સ્મશાને લઈ જવા માટે રવાના કરાયો હતો. પણ રસ્તો બંધ હોવાથી પરિવારજનો અને દલિત સમાજના લોકો સ્મશાનથી 150 મીટર દૂર ધરણાં પર બેઠાં છે. એ દરમિયાન એક આખી રાત અને બીજા દિવસનો બપોર ચડી ગયો છે છતાં જિલ્લા વહીવટી તંત્ર કોઈ નિર્ણય કરી શક્યું નથી. જે જાતિવાદનું આ દેશમાં કેટલું જોર છે તે સ્પષ્ટ બતાવે છે. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ દલિત સમાજના વધુને વધુ લોકો આ ધરણાંમાં સામેલ થઈ રહ્યાં છે, પણ તંત્ર કોઈ એક્શન લઈ રહ્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/there-is-no-way-to-the-crematorium-the-dead-body-of-the-dalit-woman-has-been-lying-at-home-for-one-and-a-half-days"><strong>સ્મશાન સુધીનો રસ્તો નથી, દલિત મહિલાનું શબ દોઢ દિવસથી ઘરે પડ્યું છે</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 02 Jul 2024 13:34:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>855</Articleid>
                    <excerpt>ખેતરમાલિકે દલિતોના સ્મશાને જતો રસ્તો બંધ કરી દીધો છે. જેના કારણે દલિત દીકરીનો મૃતદેહ અંતિમવિધિની વાટ જોતો 18 કલાકથી રસ્તા વચ્ચે પડ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6683b3f9eb6da.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6683b3f9ba81a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6683b3f9ba81a.jpg" length="112742" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દબંગોએ દલિત યુવકના પગના નખ ખેંચી કાઢ્યા, જીવતો દાટી દેવા પ્રયત્ન</title>
                    <link>https://khabarantar.com/dabangos-pulled-out-toenails-of-dalit-yout--tried-to-bury-him-alive</link>
                    <guid>https://khabarantar.com/dabangos-pulled-out-toenails-of-dalit-yout--tried-to-bury-him-alive</guid>
                    <description>
                        <![CDATA[ મંડપ સર્વિસમાં લાઈટ લગાવવાનું કામ કરતા દલિત યુવકને માથાભારે તત્વોએ તાલીબાની સજા આપતા તેના પગના નખ ખેંચી કાઢ્યા હતા અને તેને જીવતો દાટી દેવા પ્રયત્ન કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુ એક દલિત અત્યાચારની ખૌફનાક ઘટના સામે આવી છે. એક ગામમાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક દલિત યુવક મંડપ સર્વિસવાળા વતી લાઈટ લગાવવા માટે મજૂરી કામે ગયો હતો. એ દરમિયાન મંડપ સર્વિસના માથાભારે તત્વો સાથે તેને કોઈ બાબતે વિવાદ થઈ ગયો. આથી ઉશ્કેરાયેલા શખ્સોએ દલિત યુવકને લોખંડના પાઈપ અને રોડ વડે ખરાબ રીતે માર્યો હતો. એ પછી તેમણે મશીનથી તેના પગના નખ ખેંચી કાઢ્યા હતા. જેના કારણે યુવકનો આખો પગ ભયંકર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માથાભારે તત્વો આટલેથી અટક્યા નહોતા. એ પછી તેઓ યુવકને બાઈક ઉપર બેસાડીને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં મોટો ખાડો ગાળીને તેને જીવતો દાટી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, એ દરમિયાન યુવકના પરિવારજનો સહિતના લોકોને જાણ થતા તેઓ ત્યાં પહોંચી જતા આરોપીઓ યુવકને બેભાન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. પરિવારે યુવકને દવાખાને દાખલ કર્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધાઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ અને લુખ્ખાગીરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં ફતેહપુર જિલ્લામાંથી આ ખૌફનાક ઘટના સામે આવી છે. અહીંના બકેવર પોલીસ સ્ટેશનમાં આવતા જગદીશપુર ગામના સંતોષકુમારની દીકરી પૂજા કોળીએ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે કે, તેનો 19 વર્ષનો ભાઈ શિવમ કોળી 30 જૂનના રોજ રમેશ મંડપ સર્વિસવાળાની વર્ધી હોવાથી મંડપમાં લાઈટ લગાવવા માટે ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન બકેવરના આનંદ તિવારી અને લોધે તિવારી સાથે તેને કોઈ બાબતે વિવાદ થયો હતો. જેનાથી આ બંને સિવાય અન્ય બે અજાણ્યા શખ્સોએ મળીને શિવમને જાતિસૂચક ગાળો ભાંડીને અપમાન કર્યું હતું. શિવમે તેનો વિરોધ કર્યો હતો. તેથી માથાભારે તત્વોએ તેને લોખંડનો રોડ કાઢીને ફટકારવાનું શરૂ કરી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-government-spends-Rs.-51,000,-while-the-citizen-pays-only-Rs.-1815-spend"><span style="font-size: 14pt;">સરકાર એક સાંસદના આરોગ્ય પાછળ વર્ષે રૂ. 51,000 ખર્ચે છે, જ્યારે નાગરિક પાછળ ફક્ત રૂ. 1815 ખર્ચે છે!</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માથાભારે તત્વો આટલેથી અટક્યા નહોતા. એ પછી તેમણે ક્રૂરતાની તમામ હદો વટાવતા મશીનથી શિવમના પગના નખ ખેંચી કાઢ્યા હતા અને તેને લોહીલુહાણ કરી દીધો હતો. આ ઘટનામાં શિવમનો પગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જીવતો દાટી દેવાનો પ્રયત્ન કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી બંને તિવારી ભાઈઓએ શિવમને બળજબરીથી બાઈક પર બેસાડીને ગામથી દૂર અજાણી જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં તેમણે ખાડો ગાળીને શિવમને જીવતો દાટી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, એ દરમિયાન તેના પરિવારજનો ત્યાં પહોંચી જતા તેઓ શિવમને ત્યાં જ પડતો મૂકીને ભાગી ગયા હતા. યુવક શિવમ ત્યાં સુધીમાં બેભાન થઈ ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી પરિવારજનો શિવમને હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મામલે શિવમની બહેન પૂજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પણ તેઓ ફોન બંધ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, આશ્ચર્યની વાત એ છે કે, પોલીસનું કહેવું છે કે, આવી કોઈપણ પ્રકારની ઘટના બની નથી. એડિશનલ એસપી વિજય શંકર મિશ્ર કહે છે કે, આવી કોઈપણ ઘટના અમારા ધ્યાનામાં નથી આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/dalit-fell-unconscious-after-hitting-the-youth-brought-him-back-to-consciousness-by-splashing-water-and-hit-him-again"><strong>દલિત યુવકને ફટકારતા બેભાન થયો, પાણી છાંટી ભાનમાં લાવી ફરી માર્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 02 Jul 2024 10:18:13 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 02 Jul 2024 10:18:57 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>853</Articleid>
                    <excerpt>મંડપ સર્વિસમાં લાઈટ લગાવવાનું કામ કરતા દલિત યુવકને માથાભારે તત્વોએ તાલીબાની સજા આપતા તેના પગના નખ ખેંચી કાઢ્યા હતા અને તેને જીવતો દાટી દેવા પ્રયત્ન કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668385cb67bd2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668385cb38749.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668385cb38749.jpg" length="53219" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલા સામે પડોશી નિર્વસ્ત્ર થયો, દુઃખી મહિલાએ ગળેફાંસો ખાઈ લીધો</title>
                    <link>https://khabarantar.com/the-neighbor-exposed-himself-to-the-dalit-woman-the-grieving-woman-hanged-herself</link>
                    <guid>https://khabarantar.com/the-neighbor-exposed-himself-to-the-dalit-woman-the-grieving-woman-hanged-herself</guid>
                    <description>
                        <![CDATA[ જયપ્રકાશ શર્મા નામનો શખ્સ પડોશમાં રહેતી દલિત મહિલા સામે જાહેરમાં નગ્ન થઈને ઉભો રહી ગયો હતો. જેનાથી મહિલાને એટલું લાગી આવ્યું કે તેણે એજ રાત્રે ગળેફાંસો ખાઈ લીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોને જ્યારે સામેની વ્યક્તિ દલિત કે આદિવાસી છે તે ખ્યાલ આવી જાય એટલે તરત તેનામાં અચાનક જ જુદા પ્રકારનો આત્મવિશ્વાસ આવી જતો હોય છે. એ પછી તે પોતાને કાયદો વ્યવસ્થાથી પણ પર માનવા લાગે છે અને સામેની વ્યક્તિ પર અત્યાચારની કોઈપણ હદ સુધી જવા લાગે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો જ એક શરમજનક કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં એક શખ્સ પડોશમાં રહેતી દલિત મહિલા સામે જાહેરમાં જ નિર્વસ્ત્ર થઈ ગયો હતો અને જાતિસૂચક ગાળો ભાંડી હતી. આ ઘટનાથી દલિત મહિલા એટલી હતપ્રભ થઈ ગઈ કે તેણે બીજા દિવસે સવારે ગળેફાંસો ખાઈને જીવ કાઢી નાખ્યો. મહિલા પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટમાં તેણે આખા મામલાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનામાં પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લાગ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચાર થાય છે તેવા મધ્યપ્રદેશનો છે. મામલો ઈન્દોરનો છે. ઈન્દોર સાત વાર દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવી ચૂક્યું છે. પણ અફસોસ, ત્યાંના કથિત સવર્ણોના મનમાં સદીઓથી પેસેલો જાતિવાદનો કચરો હજુ પણ મનમાંથી સાફ થયો નથી અને આ ઘટના તેનું પરિણામ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીંના એરોડ્રામ વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલી ગાડી હટાવવાને લઈને બે પડોશીઓ વચ્ચે વિવાદ થયો હતો. ઝઘડો એટલો વધી ગયો હતો કે, મારામારી થઈ ગઈ હતી. જેમાં ગાડીના માલિક જયપ્રકાશ શર્માએ પડોશી દલિત પતિ-પત્ની મનીષી અને જગદીશને માર માર્યો હતો. એટલું જ નહીં માર માર્યા પછી તે પડોશી દલિત મહિલાની સામે બધાંની વચ્ચે જ નગ્ન થઈને ઉભો રહી ગયો હતો. આ ઘટનાથી મહિલાને એટલું લાગી આવ્યું હતું કે, તેણે બીજા દિવસે સવારે ગળેફાંસો ખાઈને પોતાનો જીવ કાઢી નાખ્યો હતો. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ પ્રમાણે મૃતક મહિલાનું નામ મનીષા છે, તેના પતિનું નામ જગદીશ છે અને તેઓ અહીંના બાંગડદા ગામના વતની છે. મહિલાના પરિવારનો આરોપ છે કે પડોશી જયપ્રકાશ શર્મા દરરોજ તેની કાર તેમના ઘર સામે પાર્ક કરતો હતો. આ મામલે અનેકવાર તેને વિનંતી કરવા છતાં તે માનતો નહોતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુરૂવારે સાંજે પણ તેણે આ રીતે જ કાર પાર્ક કરી હતી. જેથી બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આરોપીએ મનીષાના પતિને માર માર્યો હતો. એ પછી તે દલિત મહિલા સામે કપડાં કાઢી નગ્ન થઈને ઉભો રહી ગયો હતો. આ બાબતનું મહિલાને ભારે લાગી આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Why-did-historians-do-injustice-to-Zhalkari-Bai-of-Bahujan-Virang"><span style="font-size: 14pt;">ઇતિહાસકારોએ બહુજન વીરાંગના ઝલકારી બાઈને અન્યાય કેમ કર્યો?</span></a></strong></span></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક મહિલાના પરિવારજનોનું કહેવું છે કે, "પડોશી જયપ્રકાશ શર્મા દરરોજ તેમના ઘરની સામે જ ગાડી પાર્ક કરે છે. ઘટનાના દિવસે પણ તેણે એવું જ કર્યું હતું. પણ મનીષા જ્યારે ગાડી હટાવવા ગઈ તો ગાડી તેના પગ પર ચડી જતા તે ઘાયલ થઈ ગઈ હતી. એ પછી જયપ્રકાશની પત્ની બહાર આવીને તેની સાથે ઝઘડવા લાગી હતી અને ગંદી ગાળો ભાંડવા લાગી હતી. વિવાદ એટલો વધી ગયો કે જયપ્રકાશ અને તેનો પરિવાર પીડિતાના પરિવારને માર મારવા લાગ્યો હતો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ગુરૂવારની રાત્રે ઝઘડો થયો એ પછી જયપ્રકાશ દલિત મહિલા મનીષા સામે કપડાં કાઢી નગ્ન થઈને ઉભો રહી ગયો હતો. આ ઘટના ત્યાં હાજર સૌ કોઈએ જોઈ હતી. જેનાથી મનીષા ભારે આઘાતમાં ગરકાવ થઈ ગઈ હતી. શુક્રવારે સવારે 6 વાગ્યે જ્યારે તેનો દીકરો જાગ્યો અને તેણે તેની માતાને ન જોઈ. તો તે રસોડામાં ગયો, જ્યાં જોયું તો તેની માતા ગળેફાંસો ખાયેલી હાલતમાં લટકતી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક મનીષાના ભાણેજે જણાવ્યું હતું કે, "રાતે અમને જાણકારી મળી હતી કે માસીને પડોશી સાથે ઝઘડો થયો છે. મારા મામા પણ ત્યાં પહોંચ્યાં હતા. ત્યારે માસીએ જણાવ્યું હતું કે, જયપ્રકાશ શર્મા તેમની સામે કપડાં કાઢીને નગ્ન થઈ ગયો હતો. આ ઘટના ત્યાં હાજર સૌ કોઈએ પણ જોઈ હતી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં તેણે કહ્યું, "ઝઘડો થયો ત્યારે રાત્રે જ મારી માસી, મામા અને દાદી પોલીસ સ્ટેશને ગયા હતા. ત્યાં પડોશી વિરુદ્ધ ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી નહોતી. કરી. એ પછી માસીને ભારે લાગી આવ્યું હતું અને તેમણે જીવ કાઢી નાખ્યો હતો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક મહિલા પાસેથી પોલીસને સ્યુસાઈડ નોટ મળી છે. જેમાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે, "હું મારા પડોશી જયપ્રકાશ શર્મા અને તેની પત્ની પૂજા દ્વારા કરવામાં આવતી માનસિક સતામણીથી તંગ આવી ગઈ હોવાથી આત્મહત્યા કરી રહી છું. બંનેએ મળી મને જાહેરમાં મારી છે. તેના પતિએ મારી સામે કપડાં ઉતારી નાખ્યા તેનાથી મને ભારે લાગી આવ્યું છે. હવે મને જીવવાની કોઈ ઈચ્છા નથી. મારા મોત માટે જવાબદાર જયપ્રકાશ શર્મા, પૂજા શર્મા અને કૃષ્ણા બામણીયા છે. મને ન્યાય જોઈએ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-to-death-the-villagers-reached-the-police-with-the-body"><strong>દલિત યુવકનું મારથી મોત થઈ ગયું, ગામલોકો લાશ સાથે પોલીસ પાસે પહોંચ્યાં</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 30 Jun 2024 13:31:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>846</Articleid>
                    <excerpt>જયપ્રકાશ શર્મા નામનો શખ્સ પડોશમાં રહેતી દલિત મહિલા સામે જાહેરમાં નગ્ન થઈને ઉભો રહી ગયો હતો. જેનાથી મહિલાને એટલું લાગી આવ્યું કે તેણે એજ રાત્રે ગળેફાંસો ખાઈ લીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_668110560b00b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66811055cf002.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66811055cf002.jpg" length="62145" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સ્મશાન સુધીનો રસ્તો નથી, દલિત મહિલાનું શબ દોઢ દિવસથી ઘરે પડ્યું છે</title>
                    <link>https://khabarantar.com/there-is-no-way-to-the-crematorium-the-dead-body-of-the-dalit-woman-has-been-lying-at-home-for-one-and-a-half-days</link>
                    <guid>https://khabarantar.com/there-is-no-way-to-the-crematorium-the-dead-body-of-the-dalit-woman-has-been-lying-at-home-for-one-and-a-half-days</guid>
                    <description>
                        <![CDATA[ એક દલિત મહિલાનું મોત થયું છે. સમસ્યા એ છે કે અંતિમવિધિ માટે તેને સ્મશાન સુધી લઈ જઈ શકાય તેવો રસ્તો નથી. જેના કારણે દોઢ દિવસથી તેનો મૃતદેહ આંગણામાં પડ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોતને પણ મલાજો ન જળવાય તેવી જિંદગી આ દેશના દલિતો, આદિવાસીઓ જીવી રહ્યાં છે. ક્યારેક તો એવી ઘટનાઓ બને છે જ્યારે આપણને લાગે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ અને વહીવટીતંત્ર આટલું જડ કેવી રીતે હોઈ શકે? પણ પછી સમજાય છે કે, જાતિવાદથી ગ્રસ્ત ભારતની આ જ તો વાસ્તવિકતા છે, જેને છુપાવવા પ્રયત્ન થાય છે, માટે તેને સ્વીકાર્યે જ છુટકો છે.</span><br><span style="font-size: 14pt;">હાલમાં તંત્રની આવી જ એક ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક દલિત પરિવારની મહિલાનું મોત થઈ ગયા બાદ તેનો મૃતદેહ છેલ્લાં દોઢ દિવસથી અંતિમક્રિયાની રાહ જોતો તેના ઘરના આંગણામાં પડ્યો છે. છતાં કોઈ કશું કરી રહ્યું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનનો છે. અહીંના જોધપુર જિલ્લાના એક ગામમાં એક દલિત મહિલાની લાશ 42 કલાકથી ઘરના આંગણામાં એટલા માટે પડી છે કેમ કે સ્મશાન સુધી જવા માટેનો રસ્તો નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંપરા મુજબ અંતિમ સંસ્કાર પહેલા ભોજન ન લેવું તેવો નિયમ હોવાથી દોઢ દિવસથી આ પરિવારના સભ્યો અને બાળકો ભૂખ્યાં છે. બાળકો ભૂખને કારણે રડી રહ્યાં છે પણ કોઈ કશું કરી શકતું નથી. મૃતકના પરિવારજનોનો દાવો છે કે વહીવટી તંત્ર મૃતદેહને સ્મશાનગૃહ સુધી લઈ જવાનો રસ્તો કરાવી શકતું નથી જેના કારણે તેઓ અંતિમ સંસ્કાર કરી શકતા નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જોધપુરના ઓસિયાં તાલુકાની ખેતાસર ગ્રામ પંચાયતના રાજેશ્વર ગામના જસનાથ નગરના મેઘવાળ સમાજની વસ્તીનો છે. અહીં શુક્રવારે સવારે દલિત અખારામ મેઘવાલની પત્ની પદુ દેવીનું મૃત્યુ થયું હતું. પરંતુ શનિવાર સાંજ સુધી તેમના અંતિમ સંસ્કાર થઈ શક્યા ન હતા, કેમ કે સ્મશાન સુધી જવા માટેનો રસ્તો વહીવટી તંત્ર કરી શકતું નહોતું. મૃતક મહિલાના પરિવારજનો રસ્તાની માંગને લઈને ઘર આગળ ટોળે વળીને બેઠાં છે પણ કશું થઈ શકતું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-fell-unconscious-after-hitting-the-youth-brought-him-back-to-consciousness-by-splashing-water-and-hit-him-again">દલિત યુવકને ફટકારતા બેભાન થયો, પાણી છાંટી ભાનમાં લાવી ફરી માર્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતે પરિવારજનો જે રસ્તેથી સ્મશાનયાત્રા કાઢવાની માંગ કરી રહ્યાં છે, તે રસ્તાને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. વહીવટી તંત્રનું કહેવું છે કે, સ્મશાન સુધી જવા માટે બીજો રસ્તો છે પણ પરિવાર એ જ રસ્તેથી સ્મશાને જવાની જિદ લઈને બેઠો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન ઓસિયાંના પૂર્વ ધારાસભ્ય દિવ્યા મદેરણાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મામલે પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, "ખેતાસરમાં દલિત પરિવારના મૃતકના અંતિમ સંસ્કાર માટે આ ત્રીજીવાર રોકવામાં આવી રહ્યાં છે. તેમને અંતિમ સંસ્કાર માટે રસ્તો નથી અપાઈ રહ્યો. ગયા વર્ષે પણ આવું થયું હતું અને વહીવટી તંત્રે સમજાવટ કરીને અંતિમ સંસ્કાર કરાવ્યા હતા."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિવ્યા મદેરણાએ આગળ લખ્યું હતું કે, "વહીવટીતંત્રની ઘોર નિષ્ફળતાને કારણે મૃતદેહના અંતિમ સંસ્કાર થયા નથી અને આજે પણ વહીવટીતંત્ર બહેરા કાન કરીને બેસી ગયું છે. મહિલાનો મૃતદેહ દોઢ દિવસથી ઘરના આંગણામાં પડ્યો છે. પીડિત પરિવારના બાળકો અને મહિલાઓની હાલત રડી રડીને ખરાબ થઈ છે. એક તો પરિવારમાંથી એક સભ્ય ઓછો થવાનું દુ:ખ, બીજી બાજું અંતિમ સંસ્કાર નહીં કરવા દેવાનું દબાણ છે. આમાં પીડિત પરિવાર કરે તો કરે શું?"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મદેરણાએ વધુમાં લખ્યું હતું કે, "પીડિત પરિવારની એક જ માંગ છે કે તેમનો જાહેર રસ્તો ખૂલ્લો કરવામાં આવે અને મૃતકના અંતિમ સંસ્કારની મંજૂરી આપવામાં આવે. મેં ઓસિયાંના કલેક્ટર સાથે વાત કરી છે. તેમનું કહેવું છે કે, પીડિત પરિવાર ખોટું બોલી રહ્યો છે, તે બ્લેકમેઈલ કરી રહ્યો છે. જો તેમને અત્યારે તેમની મરજી પ્રમાણે રસ્તો કાઢી દેવામાં આવશે તો તેનાથી એક ખોટું ઉદાહરણ બેસશે અને કાલે બીજા કોઈ લોકો પણ આવું કરી શકે છે. હું આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ છું કે એક માણસ આવું પણ વિચારી શકે છે, જેના વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ છેલ્લાં દોઢ દિવસથી અંતિમવિધિની રાહ જોતો પડ્યો છે? તેમની પહેલી પ્રાથમિકતા મૃતદેહના અંતિમ સંસ્કારની હોવી જોઈએ, પણ અહીં તો કલેક્ટર વિચારે છે કે, અંતિમવિધિ ભલે ન થાય, પણ ઉદાહરણ ન બેસવું જોઈએ. આનાથી ઉતરતી કક્ષાની ભાવના બીજી કોઈ ન હોઈ શકે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/seven-people-raped-a-dalit-woman-who-had-left-home-to-take-medicine">ઘરેથી દવા લેવા નીકળેલી દલિત મહિલા પર 7 લોકોએ બળાત્કાર ગુજાર્યો</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, રેવન્યુ એક્ટ હેઠળ તેમણે સબ ડિવિઝન કોર્ટમાં રસ્તા માટે અરજી કરી હતી. જેના પર કોર્ટે ડીએલસી દરે રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો અને તેઓ રસ્તા માટે પૈસા જમા કરાવવા સંમત થયા હતા. પણ જે લોકોના ખેતરની વચ્ચેથી રસ્તો જઈ રહ્યો હતો, તેમણે જોધપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી દીધી. જેના કારણે રસ્તા માટેના પૈસા જમા ન થઈ શક્યા અને કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપી દીધો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ સ્થાનિક વહીવટી તંત્ર, ટીડીઓ અને મહેસૂલની ટીમ ઘટનાસ્થળે જઈને મૃતકના પરિવારજનોને મૃતદેહના અગ્નિસંસ્કાર માટે સમજાવવાનો સખત પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ પરિવારના સભ્યો એ જ માર્ગે સ્મશાન જવા પર અડગ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેસૂલ વિભાગનું કહેવું છે કે મૃતકના અંતિમ સંસ્કાર માટે સ્મશાન જવા માટે અન્ય ઘણાં રસ્તાઓ છે. તેઓ જે રસ્તેથી સ્મશાને પહોંચીને અંતિમવિધિ કરવાની વાત કરી રહ્યાં છે તે મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને તેથી રેવન્યુ ડિપાર્ટમેન્ટ તે રસ્તો ખોલી શકે તેમ નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તમામ જો અને તો વચ્ચે એક દલિત મહિલાના મોતનો મલાજો જળવાઈ નથી રહ્યો તે વાસ્તવિકતા છે. સાથે જ એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, જો આ આખી ઘટનામાં મૃતક એક દલિત મહિલાને બદલે કથિત સવર્ણ જાતિની હોત તો પણ વહીવટી તંત્ર આ જ રીતે કામ કરત? વિચારી જોજો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Kalpana-Saroj---The-countrys-first-Dalit-woman-entrepreneur-who-broke-the-upper-caste-monopoly-in-business"><strong>કલ્પના સરોજ - એ દલિત મહિલા જેણે બિઝનેસમાં સવર્ણોની મોનોપોલી તોડી બતાવી</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 30 Jun 2024 08:37:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>844</Articleid>
                    <excerpt>એક દલિત મહિલાનું મોત થયું છે. સમસ્યા એ છે કે અંતિમવિધિ માટે તેને સ્મશાન સુધી લઈ જઈ શકાય તેવો રસ્તો નથી. જેના કારણે દોઢ દિવસથી તેનો મૃતદેહ આંગણામાં પડ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66804a22906ad.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66804a225eae6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66804a225eae6.jpg" length="95964" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહેસાણામાં ગોસ્વામી શખ્સે દલિત યુવતીના અપહરણનો પ્રયાસ કર્યો</title>
                    <link>https://khabarantar.com/in-mehsana-goswami-men-tried-to-kidnap-a-dalit-girl</link>
                    <guid>https://khabarantar.com/in-mehsana-goswami-men-tried-to-kidnap-a-dalit-girl</guid>
                    <description>
                        <![CDATA[ મહેસાણા જિલ્લાના ગુંછળી ગામે એક ગોસ્વામી શખ્સે દલિત સમાજની એક દીકરીનું કારમાં ખેંચીને અપહરણનો પ્રયાસ કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગુંછળી ગામે કિરણગીરી ગોસ્વામી નામના માથાભારે શખ્સે દલિત સમાજની એક દીકરીને કારમાં બેસાડીને અપહરણ કરવા પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ગત તા. 26 જૂન 2024ના રોજ રાત્રે 8 વાગ્યા આસપાસ દલિત સમાજની એક વીસ વર્ષની દીકરી પોતાના ઘરે ઉભી હતી અને પછી એંઠવાડ નાખવા માટે બહાર નીકળી હતી. એ દરમિયાન ત્યાં એક કાર આવી હતી, જેમાં ગુંછળી ગામનો એસટી ડ્રાઈવર તરીકે કામ કરતો કિરણગીરી ગોટીગીરી ગોસ્વામી નામનો શખ્સ બેઠો હતો. તેણે યુવતીનો હાથ પકડીને તેને બળજબરીથી કારમાં ખેંચીને ઉપાડી જવા પ્રયત્ન કર્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે યુવતીએ તેનો પ્રતિકાર કર્યો હતો, જેના કારણે તેની હાથમાં પહેરેલી બંગડીઓ તૂટી ગઈ હતી અને તે હાથમાં વાગતા લોહી નીકળી ગયું હતું. યુવતીએ રાડો પાડતા નજીકમાં રહેતા તેના ભાભી અને અન્ય કુટુંબીજનો આવી પહોંચ્યા હતા. જેથી કિરણગીરી ત્યાંથી કાર લઈને ભાગી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, એ પછી તેનો ભાઈ મુકેશગીરી આનંદગીરી યુવતીના ઘર નજીકના ચોકમાં આવ્યો હતો અને સમાધાન કરવાની ધમકી આપવા લાગ્યો હતો. અને જો સમાધાન નહીં કરો તો ગામમાં રહેવું મોંઘું પડી જશે, તમને ગામ છોડાવી દઈશું અને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આથી ગભરાયેલા યુવતીના પરિવારે લડોલ પોલીસ સ્ટેશનમાં (354)( 354એ) અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/dismissed-as-a-dancer-the-dalit-girl-is-now-in-bigg-boss"><strong>'નાચનારી' કહીને ઉતારી પાડેલી, એ દલિત યુવતી હવે BIGG BOSSમાં છે</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 29 Jun 2024 12:04:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>840</Articleid>
                    <excerpt>મહેસાણા જિલ્લાના ગુંછળી ગામે એક ગોસ્વામી શખ્સે દલિત સમાજની એક દીકરીનું કારમાં ખેંચીને અપહરણનો પ્રયાસ કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667faa4d48632.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667faa4d1918a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667faa4d1918a.jpg" length="77273" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સંઘર્ષ ફળ્યો, માણાવદરમાં 116 પ્લોટ મંજૂર થયા</title>
                    <link>https://khabarantar.com/rashtriya-dalit-adhikar-manchs-struggle-bore-fruit-116-plots-were-approved-in-manavdar</link>
                    <guid>https://khabarantar.com/rashtriya-dalit-adhikar-manchs-struggle-bore-fruit-116-plots-were-approved-in-manavdar</guid>
                    <description>
                        <![CDATA[ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના 97 જેટલા ગામોમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમે 18 મહિનાની સતત લડત બાદ 116 ગરીબ પરિવારોને પ્લોટ અપાવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકતામાં શક્તિ છે એવું આપણે વર્ષોથી વાતોમાં સાંભળતા આવ્યા છીએ. પણ એ વાતનો જમીની પુરાવો જોવો હોય તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની જૂનાગઢની ટીમની કામગીરી પર નજર નાખવી પડે. દલિત બહુજન સમાજ માટે રાત કે દિવસ જોયા વિના સંઘર્ષ કરવા માટે ઉતરી પડતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા સ્થાપિત આ સંગઠનના કાર્યકરો પણ એવા જ અડીખમ છે. જે કામ તેઓ હાથ ઉપર લે છે તેમાં એવું તો માઈક્રો લેવલનું આયોજન કરે છે કે, વહીવટી તંત્રની મેલી મુરાદ તેમની સામે બર આવતી નથી. સંઘર્ષ બાદ સફળતાના આવા અનેક ઉદાહરણો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ખાતામાં બોલે છે અને તેમાં વધુ એક છોગું જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાની દલિત અધિકાર મંચની ટીમે ઉમેર્યું છે. અહીં એક વર્ષ પહેલા 97 જેટલા ગામોના બહુજન સમાજના અઢીસો જેટલા લોકોએ 100 ચોરસ વારના પ્લોટ મેળવવા માટે અરજી કરી હતી. પણ વહીવટી તંત્ર એક વર્ષ સુધી ગણકારી નહોતી. દલિત અધિકાર મંચે 18 મહિના તંત્ર સામે લડત ચલાવી, જેના પરિણામે અહીં 249 પૈકી 116 પ્લોટને હાલમાં જ મંજૂરી આપી દેવામાં આવી છે. અને બાકીના પ્લોટને પણ ટૂંક સમયમાં મંજૂરી આપી દેવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે 15 માર્ચ 2023ના રોજ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના વિવિધ ગામોના 249 અરજદારોએ 100 ચોરસ વારના પ્લોટ માટે ફોર્મ ભરીને અરજી કરી હતી. જો કે, સરકારી તંત્રની વર્ષોની ખોરી દાનત રહી છે કે, દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજના લોકોને કશું આપવું નહીં, એમાંય તેઓ જો જમીનની માંગણી કરતા હોય તો તો બિલકુલ ન આપવી. તેના માટે તેઓ કોઈપણ બહાનું કાઢીને પણ આ સમાજને તેમના હકથી વંચિત કરી શકે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_667f9a77b9ca8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માણાવદરમાં પણ સરકારી તંત્રે આવું જ કર્યું હતું. તેમણે એક વર્ષ કરતા વધુ સમય વીતી જવા છતાં આ અરજીઓ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરી નહોતી. જેના કારણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદર અને જૂનાગઢની ટીમોએ તંત્ર સામે લડત આપવાનું શરૂ કર્યું હતું. લાંબો સમય તેઓ સરકારી કચેરીઓના ધક્કા ખાતા રહ્યાં, તેના માટે ટાઢ, તડકો કે વરસાદ જોયા વિના ધરણાં પર પણ બેઠાં. આખરે વહીવટી તંત્રે ઝૂકવું પડ્યું અને પહેલા તબક્કામાં 116 પ્લોટને મંજૂરી આપી છે. જ્યારે બાકીના પ્લોટ માટેની અરજીઓનો પણ ટૂંક સમયમાં નિકાલ લાવવાની ખાતરી આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે તા. 28 જૂન 2024ને શુક્રવારના રોજ અહીંના મરઠમ ગામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જૂનાગઢના મંત્રી અને મરઠમ ગામની મંચની ટીમ સાથે ગામના સરપંચ પરબતભાઈ, ઉપસરપંચ સુરેશભાઈ બાકુ, પૂર્વ તલાટી, વર્તમાન તલાટીની હાજરીમાં અરજદારોને સ્થળ પર 100 ચોરસ વાર પ્લોટની ફાળવણી કરીને તેમનો કબ્જો સોંપવામાં આવ્યો હતો. અહીં (1)રવિ પરસોતમભાઈ સોંદરવા (2)રાહુલ દિલીપભાઈ સોંદરવા (3)મહેશ છગનભાઈ સોંદરવા (4)નીરજ લાખાભાઈ સોંદરવા (5)રાહુલ અમરશીભાઈ સોંદરવા (6)વિમલ નાથાભાઈ સોંદરવા અને (7) OBC સાજણબેન નાથાભાઈ ભારવડીયાને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Did-the-upper-classes-build-flats-by-taking-crores-of-government-land-in-the-name-of-dalit-tribals"><span style="font-size: 14pt;">દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_667f9a8bc3c8f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લડતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદરના પ્રમુખ દેવાયતભાઈ મગરા અને તેમના સાથીઓ રમેશભાઈ રાઠોડ(ઉપ પ્રમુખ રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ માણાવદર), સુરેશભાઇ કાબા (શહેર પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદર), મગનભાઈ પારઘી, રમેશભાઈ રાખડીયા, રમેશભાઈ પરમાર, દિલીપભાઈ સોંદરવા, મનસુખભાઇ સોંદરવા, ગોરધનભાઈ સોંદરવા, કાન્તિભાઈ રાઠોડ, મેઘજીભાઈ દાફડા,  અશ્વિનભાઈ ચૌહાણ(ઉપ પ્રમુખ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, જૂનાગઢ) તેમજ નામી અનામી અનેક લોકોએ રાતદિવસ જોયા વિના સંઘર્ષ કર્યો છે. સંઘર્ષના આ સાથીઓની મહેનતનું આ સહિયારું પરિણામ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર લડતના સુકાની અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદરના પ્રમુખ દેવાયતભાઈ મગરા <em><strong>ખબરઅંતર.કોમ</strong></em> સાથે સંઘર્ષના એ દિવસો વાગોળતા જણાવે છે કે, "માણાવદર તાલુકાના 97 જેટલા ગામોમાં એવા સેંકડો ગરીબ પરિવારો અમે જોયા હતા, જેઓ આખી જિંદગી કમાય તો પણ ઘરનું ઘર કે 100 ચોરસવારનો પ્લોટ ખરીદી શકે નહોતા. અમે તેમના માથે છત બને તેવું કંઈક કરવા ઈચ્છતા હતા. ઘરમાં ત્રણ પરિણીત છોકરાઓ હોય, તેમની પત્નીઓ હોય અને રહેવા માટે એક જ ખોરડું હોય ત્યારે કેવી દયનિય પરિસ્થિતિ પેદા થાય તે તો જેણે વેઠ્યું હોય તેને જ ખબર પડે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેવાયતભાઈ આગળ કહે છે, "એટલે અમે તમામ 97 ગામોના તમામ જ્ઞાતિ ધર્મના ગરીબ લોકોની એક યાદી તૈયાર કરી હતી. એ પછી જે તે ગામોના સરપંચ, તલાટી પાસે તેની અરજી કરી અને આ લોકો માટે 100 ચોરસ વારના પ્લોટની માંગણી કરી હતી. પણ વહીવટી તંત્ર અમને ગાંઠતું નહોતું. અમે તેના માટે ટીડીઓથી લઈને ડીડીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆતો કરી હતી. પણ તેમણે મચક ન આપી. આખરે મામલો જિગ્નેશભાઈ મેવાણી સુધી પહોંચ્યો, તેમણે એડવોકેટ સુબોધ પરમારને મામલો સોંપ્યો. બંનેએ મળીને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી ત્યારે તેઓ ઢીલાં પડ્યાં અને પ્લોટ ફાળવવા સહમત થયા હતા. આ રીતે 18 મહિનાના અમારા સંઘર્ષનો અંત આવી રહ્યો છે. મેં વહીવટી તંત્રને આત્મ વિલોપન કરવા સુધીની ચિમકી આપી હતી. પહેલાં રાઉન્ડમાં 179 અરજીઓ પૈકી તૈયાર 116 અરજીઓ લેન્ડ કમિટીમાં મંજૂર કરી હતી. જ્યારે બાકીની અરજીઓમાં અમુક ડોક્યુમેન્ટ્સ બાકી હોવાથી તેને સુધારવા મોકલી હતી. આ અરજીઓને બીજા રાઉન્ડમાં સમાવી લેવામાં આવશે. હાલ અહીના મરમઠ, સીતાણા, સુલતાનપુર, મીતડી સહિતના ગામોમાં કુલ 116 અરજદારોના પ્લોટ મંજૂર થયા છે અને ફાળવણી કરી દેવાઈ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><strong><a href="https://khabarantar.com/Rashtriya-Dalit-Adhikar-Manch-returned-to-the-owners-the-land-that-had-been-grabbed-by-the-headstrong-elements-for-25-years-in-Garhda">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી</a></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 29 Jun 2024 11:53:23 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 29 Jun 2024 11:01:36 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>839</Articleid>
                    <excerpt>જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના 97 જેટલા ગામોમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમે 18 મહિનાની સતત લડત બાદ 116 ગરીબ પરિવારોને પ્લોટ અપાવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667f98d9d42e7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667f98d9a2a61.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667f98d9a2a61.jpg" length="104018" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>13 વર્ષની દલિત સગીરાની ગેંગરેપ બાદ હત્યા, ભાજપ નેતાની સંડોવણી</title>
                    <link>https://khabarantar.com/13-year-old-dalit-minor-killed-after-gang-rape-bjp-leaders-involment</link>
                    <guid>https://khabarantar.com/13-year-old-dalit-minor-killed-after-gang-rape-bjp-leaders-involment</guid>
                    <description>
                        <![CDATA[ 13 વર્ષની દલિત સગીરાને આરોપીઓએ બિયર પીવડાવી ગેંગ રેપ કર્યો. પીડિતા પ્રેમી પાસે મદદ માંગવા ગઈ તો તેણે પણ રેપ કર્યો અને પછી મારીને રસ્તે ફેંકી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈપણ ગંભીર ગુનાનો મામલો હોય ત્યારે આપણા સવર્ણ જાતિવાદી મીડિયાનું પોત તરત પ્રકાશિત થઈ જતું હોય છે. અહીં આપણે જે કેસની વાત કરવા જઈ રહ્યાં છીએ તેમાં પણ આવું જ બન્યું છે. 13 વર્ષની જે સગીરા પર ગેંગ રેપ થયો તે દલિત સમાજની દીકરી છે તે શોધતા અમને બે કલાક જેટલો સમય લાગ્યો. એ પણ ભીમ આર્મીના એક નેતાના નિવેદન પરથી ખ્યાલ આવ્યો. બાકી જાતિવાદી સવર્ણ તરફી આપણા કોર્પોરેટ મીડિયાના એકપણ રિપોર્ટમાં ક્યાંય પણ મૃતક સગીરા દલિત સમાજની દીકરી હતી તેનો ઉલ્લેખ નહોતો. તેની સામે જો યુવતી બ્રાહ્મણ કે કથિત ઉચ્ચ જાતિની હોત તો આ જ જાતિવાદી મીડિયા તેની જાતિની દુહાઈ આપીને ન્યાય આપો, ન્યાય આપોની રાડારાડી કરતું હોત. બીજું કંઈ થાય કે ન થાય પરંતુ કમ સે કમ તેની જાતિ તો ચોક્કસ જાહેર કરી દેત. સહાનુભૂતિવાળા રિપોર્ટ બનાવત, તેમના એન્કરો આરોપીઓને કડકમાં કડક સજા કરવાની વાતો કરતા હોત. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ અહીં મામલો ઉલટો છે, પીડિતા દલિત સમાજની છે એ બાબત જ છુપાવી દેવામાં આવી છે, જેથી દલિતો, આદિવાસીઓ સુધી આ સમાચાર જ ન પહોંચે અને તેમને તેમના સમાજની દીકરીઓ પર શું વીતી રહ્યું છે તેની ખબર જ ન પડે. આ રમત વર્ષોથી ચાલી આવે છે અને તેના કારણે દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને ઓબીસી સમાજને તેમની સાથે શું શું થઈ રહ્યું છે તેનો વાસ્તવિક ચિતાર જ નથી મળતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં ભાજપના નેતાની સંડોવણી પણ સામે આવી છે. આરોપીઓ ભાજપના નેતાની નજીકના લોકો છે અને ખુદ નેતાએ પુરાવાનો નાશ કરવામાં મદદ કરી હોવાના આરોપો લાગ્યા છે. આટલો ગંભીર મામલો હોવા છતાં જાતિવાદી મીડિયાને તેમાં રસ નથી પડતો. અને જો તેઓ રિપોર્ટ બનાવે પણ છે, તો તે પીડિતા સગીરાની દલિત જાતિ છુપાવી રાખીને લખે છે. મનુવાદી મીડિયાની આ લુચ્ચાઈથી બચવાનો એક જ ઉપાય છે કે, ખબરઅંતર.કોમ જેવા આપણા પોતાના મીડિયાને મજબૂત કરીએ. ભારે સંશોધન કરીને તૈયાર થતી તેની સ્ટોરી વાંચીએ, વંચાવીએ અને વધુને વધુ લોકોને તે વાંચવા પ્રેરણા આપીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આટલી પ્રસ્તાવના પછી મૂળ વાત પર આવીએ. મામલો ઉત્તરાખંડના હરિદ્વારનો છે. અહીં બહાદરાબાદ પોલીસ સ્ટેશનનના શાંતરશાહ વિસ્તારમાંથી એક 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કરી હત્યા કરી દેવાયાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પીડિતાની માંએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરા સાથે દુષ્કર્મ અને હત્યાના આ મામલામાં અમિત સૈની અને રાજ્યના ઓબીસી કમિશનના ચેરમેન આદિત્ય રાજ સૈનીને આરોપી બનાવવામાં આવ્યા છે. સગીરાની લાશ પતંજલિ રિસર્ચ સેન્ટર સામેથી મળી આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/do-you-know-why-vaishnavas-are-protesting-against-the-movie-maharaj"><span style="font-size: 14pt;">તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહાદરાબાદ પોલીસને 24 જૂનને સોમવારે હરિદ્વાર-દિલ્હી હાઈવે પાસેથી સગીરાની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી હતી. મોડી રાત્રે તેની ઓળખ બાદ તેની માતાએ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે 23 જૂનની સાંજે અમિત સૈની સગીરાને પોતાની સાથે લઈ ગયો હતો. મોડી રાત સુધી દીકરી પરત ન ફરી એટલે તેના મોબાઈલ પર સંપર્ક કર્યો હતો, પણ ફોન અમિત સૈનીએ ઉપાડ્યો હતો. તેણે સગીરા તેની સાથે હોવાની અને તે થોડીવારમાં ઘરે પહોંચી જશે તેમ કહ્યું હતું. જો કે, એ પછી સગીરાનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીકરી સવારે પણ પરત ન ફરતા તેની માતા અમિત સૈનીના સંબંધી અને પછાત વર્ગ આયોગના સભ્ય આદિત્ય રાજ સૈનીને મળી હતી, પણ તેણે કોઈ મદદ કરી નહોતી. સગીરાની માતાનો આરોપ છે કે, અમિત સૈની છ મહિનાથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી, તેને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદમાં માતાએ આરોપ લગાવ્યો છે કે, અમિત અને આદિત્ય રાજે ગેંગરેપ કરીને તેમની દીકરીની હત્યા કરી દીધી છે. ફરિયાદના આધારે પોલીસે બંને વિરુદ્ધ ગેંગરેપ, હત્યા અને પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે. આદિત્ય રાજ ભાજપમાં જુદા જુદા પદો પર રહી ચૂક્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હત્યાના બીજા દિવસે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગામના સ્મશાનમાં સગીરાની અંતિમવિધિ કરવામાં આવી હતી. આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સમગ્ર અંતિમ સંસ્કાર પહેલા  ભીમ આર્મીના કાર્યકરોએ જિલ્લા હોસ્પિટલ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. તેમને પોલીસે સમજાવીને શાંત પાડ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સગીરાની લાશનું પોસ્ટમોર્ટમ ડોક્ટરોની પેનલ દ્વારા કરાવવામાં આવ્યું અને તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન હરિદ્વાર પોલીસે આ કેસમાં એક મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 3 આરોપી હજુ પણ ફરાર છે. SSP પ્રમેન્દ્ર ડોભાલે કહ્યું કે આ કેસમાં બીજેપી નેતા આદિત્ય રાજ ​​સૈનીને 120B હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">6 આરોપીઓની ધરપકડ, ભાજપ નેતા સહિત 3 ફરાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલામાં પોલીસે ગઈકાલે 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે ભાજપના નેતા સહિત 3 આરોપીઓ હજુ પણ ફરાર છે. હરિદ્વારના એસએસપીએ જણાવ્યું છે કે, તપાસ માટે હરિદ્વાર પોલીસ દ્વારા પાંચ ટીમો બનાવવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે સગીરા 6 મહિનાથી અમિત સૈનીના સંપર્કમાં હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/a-dalit-youth-asking-for-labor-money-was-made-to-sit-up-in-public-and-asked-for-forgiveness"> <span style="font-size: 14pt;">મજૂરીના પૈસા માંગતા દલિત યુવકને જાહેરમાં ઉઠકબેઠક કરાવી માફી મગાવી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસએસપી પ્રમેન્દ્ર ડોભાલે વધુમાં જણાવ્યું કે, ઘટના પહેલા 23 જૂનની રાત્રે સગીરા તેના મિત્ર નિતિનનો ફોન આવતા તેને મળવા ગઈ હતી, જ્યાં નિતિનના મિત્રો નિખિલ, તુષાર અને મૌસમ મળ્યા હતા. એ પછી બધાંએ મળીને સગીરાને બિયર પીવડાવી હતી. જેનો નશો ચડતા જ નિખિલ અને નિતિને તેના પર બળાત્કાર કર્યો હતો. એ પછી તુષાર અને તેના મિત્ર મૌસમે પણ બળાત્કારનો પ્રયત્ન કર્યો, પણ કોઈ લોકો આવી જતા તેઓ સગીરાને તેના ઘર નજીક છોડીને ભાગી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, બળાત્કારનો ભોગ બનેલી સગીરા ઘરે જવાને બદલે પ્રેમી અમિત સૈનીના ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં અમિત સૈનીએ પણ તેની પર બળાત્કાર કર્યો હતો. આ પછી અમિત સૈની અને સગીરા વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ, જેના કારણે અમિતના પરિવારજનો પણ બહાર આવી ગયા હતા. એ પછી તેમની સામે જ અમિતે સગીરાને માર માર્યો હતો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ હત્યાને છુપાવવા માટે અમિત સૈની તેની લાશને હાઇવે પર મૂકી આવ્યો હતો જેથી હત્યા અકસ્માત જેવી લાગે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સગીરા મોડે સુધી પરત ન ફરતા તેની માતાએ અમિત સૈનીના પરિવારજન અને સ્થાનિક ભાજપ નેતા આદિત્ય રાજ સૈનીનો સંપર્ક કરીને મદદ માંગી હતી. પણ તેણે કોઈ મદદ કરી નહોતી. કેમ કે તે જાણતો હતો કે સગીરાની હત્યા થઈ ગઈ છે અને તે વાત તેણે સગીરાની માતા અને પોલીસ બંનેથી છુપાવી રાખી હતી. આ ઘટનાની તપાસ બાદ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આદિત્ય રાજ સૈની સહિતના ત્રણ મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે. અગાઉ આખો મામલો સામે આવતા ભાજપે 26 જૂને આદિત્ય રાજ સૈનીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. સાથે જ તેમને પછાત વર્ગ આયોગના સભ્ય પદેથી પણ હટાવી દીધા હતા. પણ કેસમાં તેની સ્પષ્ટ ભૂમિકા હોવા છતાં પોલીસે તેની ધરપકડ કરી શકી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/eight-false-complaints-filed-against-dalit-woman-to-withdraw-rape-case"><strong>બળાત્કારનો કેસ પાછો ખેંચાવવા દલિત મહિલા પર 8 ખોટી ફરિયાદો કરી</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 28 Jun 2024 10:48:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>833</Articleid>
                    <excerpt>13 વર્ષની દલિત સગીરાને આરોપીઓએ બિયર પીવડાવી ગેંગ રેપ કર્યો. પીડિતા પ્રેમી પાસે મદદ માંગવા ગઈ તો તેણે પણ રેપ કર્યો અને પછી મારીને રસ્તે ફેંકી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667e47235c672.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667e47232698d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667e47232698d.jpg" length="104732" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>7 દલિત મજૂરોને પોલીસે પહેલા કરંટ આપ્યો, પછી ગુદામાર્ગમાં પેટ્રોલ નાખ્યું?</title>
                    <link>https://khabarantar.com/seven-dalit-laborers-were-first-electrocuted-by-the-police-then-poured-petrol-in-their-rectums</link>
                    <guid>https://khabarantar.com/seven-dalit-laborers-were-first-electrocuted-by-the-police-then-poured-petrol-in-their-rectums</guid>
                    <description>
                        <![CDATA[ કાયદો વ્યવસ્થા જાળવવાની જેમના પર જવાબદારી રહેલી છે તે પોલીસનો ભયાવહ ચહેરો સામે આવ્યો છે. પોલીસે દલિત મજૂરો સાથે જે કર્યું તે જાણીને ચોંકી જશો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમના પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રહેલી છે તે પોલીસનો ભયાવહ ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. આરોપ એવો લાગ્યો છે કે, સાત દલિત મજૂરોને 2 દિવસ સુધી પોલીસે ગેરકાયદે રીતે કસ્ટડીમાં રાખ્યા હતા. એટલું જ નહીં પૂછપરછ દરમિયાન ગુનો કબૂલ કરી લેવા માટે પોલીસે મજૂરોને માર માર્યો હતો અને તેમને વીજળીના કરંટ આપ્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત આટલેથી અટકતી નથી. ઉશ્કેરાયેલી પોલીસે તેમના ગુદામાર્ગમાં પેટ્રોલ નાખ્યું હતું. આ આખી આપવીતી પીડિત મજૂરોએ પોલીસની ચુંગાલમાંથી છૂટ્યા બાદ જણાવી હતી. હાલ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બિહારના ભાગલપુર જિલ્લાના ગૌરડીહ વિસ્તારનો છે. ગૌરડીહ પોલીસ પર આરોપ છે કે, તેણે મજૂરી કરનારા સાત લોકોને પહેલા તેમના ઘરેથી ઉઠાવી લીધા અને પછી પોલીસ સ્ટેશને લઈ જઈને ઢોર માર માર્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોંકાવનારો આરોપ એ લાગ્યો છે કે, પોલીસે આ મજૂરો સાથે થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યું હતું. તેમને પહેલા માર્યા હતા, એ પછી તેમને વીજળીના ઝટકા આપ્યા અને છેલ્લે ગુદામાર્ગમાં પેટ્રોલ નાખ્યું હતું. એ પછી પણ પોલીસ ધરાઈ નહીં તો પટ્ટાથી માર માર્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા મોડી રાત્રે ગૌરડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના પહારિયામાં 49 વર્ષીય સુમેશ મંડલની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સાત મજૂરોની અટકાયત કરી હતી અને તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/I-am-Darbar,-why-do-you-call-me-you---A-Dalit-youth-was-beaten-to-death-in-a-Darbar-at-Zherda-village-in-Disa"><span style="font-size: 14pt;"> 'હું દરબાર છું, મને 'તું' કેમ કહે છે?' - ડીસાના ઝેરડા ગામે દરબારે દલિત યુવકને આંતરીને માર માર્યો</span></a><br></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાગંજમાં સારવાર માટે આવેલા ઈજાગ્રસ્ત મજૂર ધનેશ્વર દાસે જણાવ્યું હતું કે પોલીસ તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ત્યાં બળજબરીથી ગુનેગારોના નામ કબૂલ કરાવવા પ્રયત્ન કરીને તેમને બેફામ રીતે માર મારવામાં આવ્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતોએ જણાવ્યું કે પોલીસે તેમને 24 કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા, તેમના બંને હાથ બાંધી દીધા અને એક કલાક સુધી લાકડીઓ અને બેલ્ટ વડે માર માર્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે પોલીસ આ મજૂરોને માર મારવાથી ધરાઈ નહીં તો તેણે તેમના ગુદામાર્ગમાં પેટ્રોલ નાખી દીધું હતું. તમામ પીડિતો આર્થિક રીતે નબળાં પરિવારોમાંથી છે. પોલીસના આ થર્ડ ડિગ્રી ટોર્ચરના કારણે ઘાયલ થયેલા મજૂરોમાં કન્હૈયા દાસ, ફુલેશ્વર દાસ, અમીકર દાસ, સંજીવ દાસ, સંતોષ દાસ અને ધનેશ્વર દાસનો સમાવેશ થાય છે. આ પૈકી કેટલાકને પગના તળિયે, કેટલાકના પગમાં તો કેટલાકના શરીરના અન્ય ભાગોમાં ઈજાના નિશાન છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સિટી એસપી રાજે જણાવ્યું કે સંબંધિત SDPOને નિર્દેશ આપવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પુરાવા એકત્ર કરીને રજૂ કરવામાં આવશે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતાં આ મામલે નિવેદન જારી કરતા એસપીએ કહ્યું છે કે કામદારોને વીજ કરંટ આપવાની અને તેમના પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખવાના આરોપો ખોટા છે. પોલીસે અટકાયતમાં લીધેલા લોકોને થયેલી ઈજાઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તમામની સારવાર ચાલી રહી છે. જો તપાસમાં દોષી જણાશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/the-body-of-a-13-year-old-dalit-minor-was-found-half-naked"><strong>13 વર્ષની દલિત સગીરાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી</strong></a><br></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 27 Jun 2024 14:13:14 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 27 Jun 2024 14:12:47 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>830</Articleid>
                    <excerpt>કાયદો વ્યવસ્થા જાળવવાની જેમના પર જવાબદારી રહેલી છે તે પોલીસનો ભયાવહ ચહેરો સામે આવ્યો છે. પોલીસે દલિત મજૂરો સાથે જે કર્યું તે જાણીને ચોંકી જશો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667d22e76bb30.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667d22e73d654.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667d22e73d654.jpg" length="100097" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકનું મારથી મોત થઈ ગયું, ગામલોકો લાશ સાથે પોલીસ પાસે પહોંચ્યાં</title>
                    <link>https://khabarantar.com/a-dalit-youth-was-beaten-to-death-the-villagers-reached-the-police-with-the-body</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-youth-was-beaten-to-death-the-villagers-reached-the-police-with-the-body</guid>
                    <description>
                        <![CDATA[ રવિવારે રાત્રે એક દલિત યુવક નિર્દયતાથી માર મારેલી હાલતમાં મળી આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. ગામલોકો તેની લાશ પોલીસ સ્ટેશને લઈ પહોંચી ગયા અને ન્યાયની માંગણી કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં દલિતો પર અત્યાચારની ઘટનામાં તમે એક કોમન બાબત જોઈ હશે. પીડિત દલિત વ્યક્તિનું મોત શંકાસ્પદ હોય છે. આરોપીઓ કોણ છે તેની પીડિતના પરિવારને જાણ હોય છે, પણ પોલીસ સાવ અજાણ થઈને આખા મામલાની તપાસ કરતી હોય છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લે પીડિતનો પરિવાર ન્યાય મેળવવા માટે રઘવાયો થાય છે અને આખો મામલો આંદોલનમાં ફેરવાઈ જાય છે. અંતે પોલીસ કોઈ તપાસ સમિતિ નીમી દે છે અને પછી મુદ્દો લાંબા સમય સુધી અભેરાઈએ ચડી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા સેંકડો કેસો આપણી નજર સામે છે. ગુજરાતમાં થાનગઢ હત્યા કેસ મુદ્દે હજુ પણ ગુજરાત સરકાર રિપોર્ટ જારી કરતી નથી એ તેનું એક મોટું ઉદાહરણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓ માટે નર્ક સમાન ગણાતા રાજસ્થાનમાં હાલ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં પીડિત દલિત પરિવારે ના છુટકે રસ્તા પર ઉતરવું પડ્યું છે. કેમ કે, તેમના એક યુવકનું મોત થઈ ગયું હોવા છતાં પોલીસ કશું કરી રહી નથી તેવો આક્ષેપ લાગ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના જોબનેર પોલીસ સ્ટેશનના હિંગોનિયામાં રવિવારે રાત્રે રસ્તાની બાજુમાં એક દલિત યુવક ઢોર માર મારેલી હાલતમાં પડ્યો હતો. પરિવારજનો જાણ થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં તેનું મોત થઈ ગયું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકનું નામ અજય કુમાર છે અને તે ટેંટ બનાવવાનું કામ કરતો હતો. રવિવારે તે મુખ્ય રસ્તાની બાજુમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. અને તેણે સોમવારે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અજયનું મોત થતા તેના પરિવારજનો ગુસ્સે ભરાયા હતા અને તેની લાશ લઈને હિંગોરિયા પોલીસ સ્ટેશનની બહાર પહોંચી ગયા હતા, જ્યાં રોડ બ્લોક કરી દઈને હોબાળો મચાવ્યો હતો. ધરણા પર બેઠેલા ગામલોકોએ અજયના હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવાની, તેના પરિવારને રૂ. 50 લાખનું વળતર આપવાની અને એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની માંગ કરી છે. પોલીસ તંત્ર ધરણા પર બેઠેલા ગામલોકોને સમજાવવાનો પ્રયત્ન કરતું રહ્યું પણ કોઈ ટસનું મસ નહોતું થયું. દરમિયાન જોબનેર, રેનવાલ સહિત આસપાસના પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી હતી. </span></p>
<p style="text-align: justify;"><strong style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Why-is-Mata-Savitribai-Phule-not-taught-in-our-schools"><span style="font-size: 14pt;">આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?</span></a></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_667ceeab20520.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન જયપુર ગ્રામ્ય એસપી શાંતનુ કુમાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગામલોકોને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પણ કોઈ તેમનું કહ્યું માન્યું નહોતું. ગામલોકોએ પોલીસ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો 24 કલાકની અંદર આરોપીઓને પકડવામાં નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે અને એ પછી જે કંઈપણ થશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધ્યો છે અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારની રાતે મૃતક દલિત યુવક અજય કુમાર ઈજાગ્રસ્ત સ્થિતિમાં રસ્તાની બાજુમાં પડ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થઈ ગયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં દરરોજ દલિતો પર અત્યાચારની કોઈને કોઈ ઘટના બનતી રહે છે પણ ગુજરાતની જેમ અહીં પણ સરકાર દલિતોને ન્યાય અપાવવામાં સતત પાછી પાની કરતી હોવાના આક્ષેપો લાગતા રહે છે. જોવાનું એ રહે છે કે, અજય કુમારના કેસમાં ન્યાય મળે છે કે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong> </span><a href="https://khabarantar.com/dalit-fell-unconscious-after-hitting-the-youth-brought-him-back-to-consciousness-by-splashing-water-and-hit-him-again"><strong>દલિત યુવકને ફટકારતા બેભાન થયો, પાણી છાંટી ભાનમાં લાવી ફરી માર્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 27 Jun 2024 10:19:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>826</Articleid>
                    <excerpt>રવિવારે રાત્રે એક દલિત યુવક નિર્દયતાથી માર મારેલી હાલતમાં મળી આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. ગામલોકો તેની લાશ પોલીસ સ્ટેશને લઈ પહોંચી ગયા અને ન્યાયની માંગણી કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667cee97be66d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667cee978d414.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667cee978d414.jpg" length="136436" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઘરેથી દવા લેવા નીકળેલી દલિત મહિલા પર 7 લોકોએ બળાત્કાર કર્યો</title>
                    <link>https://khabarantar.com/seven-people-raped-a-dalit-woman-who-had-left-home-to-take-medicine</link>
                    <guid>https://khabarantar.com/seven-people-raped-a-dalit-woman-who-had-left-home-to-take-medicine</guid>
                    <description>
                        <![CDATA[ ત્રણ સંતાનોની માતા એવી 30 વર્ષની એક દલિત મહિલા ઘરેથી દવા લેવા માટે બજારમાં નીકળી હતી, જ્યાંથી તેને ઉપાડી જઈને 7 લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના લખનઉ નજીક ગોસાઈગંજ વિસ્તારમાં એક દલિત મહિલા પર સાત લોકોએ સામૂહિક બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે. મહિલા પોતાના ઘરેથી દવા લેવા માટે બજારમાં જવા માટે નીકળી હતી. એ દરમિયાન એક ગેંગના સાગરિતોએ તેને ઝડપી પાડી હતી અને તેને ખૂણામાં લઈ જઈને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ 7 લોકો સામે કેસ નોંધાવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે એક આરોપીના ઘરે રેડ પાડી પણ તે ફરાર છે. બાકીના આરોપીઓની પણ શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે. મહિલા હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શકી નથી. તે કશું બોલી શકવાની પણ સ્થિતિમાં નથી. હાલ તેની મેડિકલ તપાસ કરાવવામાં આવી રહી છે. ઘટના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનની છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી વિગતો પ્રમાણે, ગોસાઈગંજ વિસ્તારમાં રહેતી દલિત પીડિતા ગઈકાલે બપોરે 12 વાગ્યા આસપાસ દવા લેવા માટે બજારમાં જઈ રહી હતી. આરોપ છે કે ખુર્દહી બજાર પાસે કટર બક્સાના રહેવાસી એક શખ્સ અને તેના 6 સાગરિતોએ મહિલાને પકડી લીધી હતી અને બળજબરીથી તેને બગીચામાં લઈ ગયા હતા અને ત્યાં તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ આ લોકોનો મજબૂતીથી સામનો કર્યો હતો પણ તેમણે તેને માર માર્યો હતો અને તેનો મોબાઈલ પણ છીનવી લીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી આરોપીઓ મહિલાને ધમકી આપતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મહિલા ઘરે પહોંચી અને તેણે પરિવારજનોને આખી ઘટનાની જાણ કરી હતી. એ પછી તે તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી જ્યાં સાત આરોપીઓ વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીડિતા ત્રણ બાળકોની માતા છે</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલાની તપાસમાં લાગેલી પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતાની ઉંમર 30 વર્ષ છે અને તે પરિણીત છે. તેના ત્રણ બાળકો પણ છે. ગઈકાલે મોડી રાત્રે તેની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. જે સ્થળ પર ઘટના ઘટી હોવાનું કહેવાય છે તે એક જાહેર સ્થળ છે. પોલીસ હવે અહીં તપાસ કરી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ આજે સવારે મહિલાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જનું કહેવું છે કે, ઘટના સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. પોલીસની ટીમ ચોતરફ આરોપીઓને શોધી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડીસીપી સાઉથ શશાંક સિંહનું કહેવું છે કે, પીડિતા હજુ પણ આઘાતમાં છે. તેની સાથે વધુ વાત નથી થઈ શકી. આરોપીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેના પરિવારજનોની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dismissed-as-a-dancer-the-dalit-girl-is-now-in-bigg-boss">એક સમયે જેને 'નાચનારી' કહીને ઉતારી પાડેલી, એ દલિત યુવતી BIG BOSS માં પહોંચી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 26 Jun 2024 12:17:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>823</Articleid>
                    <excerpt>ત્રણ સંતાનોની માતા એવી 30 વર્ષની એક દલિત મહિલા ઘરેથી દવા લેવા માટે બજારમાં નીકળી હતી, જ્યાંથી તેને ઉપાડી જઈને 7 લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667bb7de87123.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667bb7de546ef.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667bb7de546ef.jpg" length="94180" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Rape</media:keywords>
                </item>
                        <item>
                    <title>ફેસબૂક લાઈવમાં આત્મહત્યા કરનાર દલિત યુવકના કેસમાં SIT તપાસ શરૂ</title>
                    <link>https://khabarantar.com/sit-investigation-started-in-the-case-of-dalit-youth-who-committed-suicide-on-facebook-live</link>
                    <guid>https://khabarantar.com/sit-investigation-started-in-the-case-of-dalit-youth-who-committed-suicide-on-facebook-live</guid>
                    <description>
                        <![CDATA[ થોડા દિવસ પહેલા એક દલિત યુવકે ફેસબૂક લાઈવ કરીને પોલીસ સ્ટેશન સામે આત્મહત્યા કરી હતી. આ મામલે હાઈકોર્ટે સીટની રચના કરી છે. જેણે આજથી તપાસ શરૂ કરી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના બલરામપર ગૈડાસ બુઝુર્ગમાં દલિત યુવકે ફેસબૂક લાઈવ કરીને આત્મહત્યા કરી લીધી હતી. યુવકની જમીન પર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જ મોકાની જમીન હોવાથી કબ્જો જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક રજૂઆતો છતાં કોઈ સાંભળનાર ન હોવાથી આખરે તેણે અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે એક વર્ષથી તેની પત્ની કુસુમા આખી સિસ્ટમ સામે લડત આપીને ન્યાય મેળવવા પ્રયત્ન કરી રહી છે. કુસુમા દેવીએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર એસઆઈટીની રચના કરવામાં આવી છે અને આજથી તે પોતાની તપાસ શરૂ કરી દેશે. સીટની તપાસને લઈને જિલ્લાની પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક વર્ષ પહેલાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખી ઘટના એક વર્ષ પહેલાની છે. 23 ઓક્ટોબર 2023ના રોજ ગૈડાસ બુઝુર્ગ પોલીસ સ્ટેશનનું બાંધકામ પૂર્ણ થયા બાદ તેની હદની બહાર આવેલી ખાનગી કોમર્શિયલ જમીન પર થાંભલા ખોડીને દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન દલિત યુવક રામ બુઝારતની હતી. તેણે આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી પણ તેનું કોઈએ સાંભળ્યું નહોતું. જેનાથી વ્યથિત થઈને રામ બુઝારતે 24 ઓક્ટોબર 2023ના રોજ ફેસબૂક પર લાઈવ આત્મહત્યા કરી લીધી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં 30 ઓક્ટોબરે સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. એ દરિયાન વહીવટી તંત્ર અને પોલીસની તપાસમાં પોલીસ સ્ટેશનના તત્કાલિન વડાની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. એટલું જ નહીં કલેક્ટરે સમગ્ર મામલાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જમીન અંગેનો સિવિલ દાવો પેન્ડિંગ હતો અને કોર્ટમાંથી કમિશન પણ લેવામાં આવ્યું છે. તેમ છતાં પોલીસે રામ બુઝારતની જમીન પર કબજો કરી લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસને બચાવવા અનેક રમતો રમાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામ બુઝારતની આત્મહત્યાના આ કેસમાં જવાબદાર પોલીસકર્મીઓને બચાવવા માટે અનેક પેંતરાઓ રચવામાં આવ્યા હતા. તપાસમાં આખો મામલો સ્પષ્ટ થઈ ગયા પછી પણ સમગ્ર તપાસ બહરાઈચમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક યુવકની પત્ની કુસુમા દેવીને ફસાવવા માટે ચૂંટણીના એક દિવસ પહેલા કલેક્ટરને એક રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જેના પર તેમણે તપાસ હાથ ધરીને એસપીને પત્ર લખીને કડક જવાબ આપ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong><em>આ પણ વાંચો:</em> <a href="https://khabarantar.com/Exploitation-of-the-rich-considers-Iswardatta-his-right"><span style="font-size: 14pt;">ધનવાનો શોષણને પોતાનો ઈશ્વરદત્ત અધિકાર સમજે છે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે એસઆઈટીની તપાસના આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, રામ બુઝારિયાની કોમર્શિયલ જમીન પર પોલીસે ગેરકાયદે દબાણ કરીને કબ્જો જમાવી લીધો હતો, એટલે જ તે અગ્નિસ્નાન કરવા માટે મજબૂર થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રામ બુઝારતે ફરિયાદ કરી હતી પણ નીવેડો નહોતો આવતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત યુવકે આ મામલે ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. આથી કંટાળીને તેણે પોલીસ સ્ટેશનની સામે જ પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. જેના કારણે તે શરીરે ગંભીર રીતે દાઝી જતા તેનું મોત થયું હતું. આ મામલે યુવકની પત્નીએ કોર્ટમાં ધા નાખી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે આ કેસમાં SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. જે બાદ સરકારે કડક વલણ અપનાવ્યું છે અને રેલવેના એડીજીના નેતૃત્વમાં બે સભ્યોની એસઆઈટી નીમી તપાસ કરી રહી છે. તેમની સાથે ત્રણ સભ્યોની નવી કમિટી પણ સમગ્ર મામલાની તપાસ કરશે. હાઈકોર્ટે આ મામલે સમિતિ પાસેથી ઓગસ્ટમાં બંધ કવરમાં રિપોર્ટ માંગ્યો છે. એવું માનવામાં આવે છે કે જૂન અને જુલાઈમાં તપાસ પૂર્ણ થઈ જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિક મુખ્ય સચિવ ગૃહ વતી હવે પોલીસ મહાનિરીક્ષક, વિજિલન્સ એસ્ટાબ્લિશમેન્ટ મંઝિલ સૈનીની અધ્યક્ષતામાં ગોંડાના પોલીસ અધિક્ષક રાધેશ્યામ રાય અને બહરાઈચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ રંજન શ્રીવાસ્તવની એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા ખાનગી કોમર્શિયલ જમીન પર કબ્જો કરવાના આરોપોની નિષ્પક્ષ તપાસ કરવાની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વહીવટીતંત્ર અને પોલીસની અગાઉની તપાસ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે પોલીસે જમીન પર કબ્જો કર્યો હતો. તેથી જ દલિત યુવક રામ બુઝારતે આત્મહત્યા કરી હતી. એ પછી પણ યોગ્ય કાર્યવાહીના અભાવે મૃતકની પત્ની કુસુમા ન્યાય માટે સંઘર્ષ કરી રહી છે. તેની અરજી પર હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span></em><a href="https://khabarantar.com/a-dalit-youth-set-himself-on-fire-in-front-of-the-police-station-on-facebook-live"><strong> દલિત યુવકે પોલીસ સ્ટેશન સામે ફેસબૂક લાઈવ કરી અગ્નિસ્નાન કરી લીધું</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 26 Jun 2024 10:31:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>822</Articleid>
                    <excerpt>થોડા દિવસ પહેલા એક દલિત યુવકે ફેસબૂક લાઈવ કરીને પોલીસ સ્ટેશન સામે આત્મહત્યા કરી હતી. આ મામલે હાઈકોર્ટે સીટની રચના કરી છે. જેણે આજથી તપાસ શરૂ કરી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667b9fe28d4c1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667b9fe25de5c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667b9fe25de5c.jpg" length="83270" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેતરમાં દાડમ તોડવા ગયેલા દલિત કિશોરના હાથપગ બાંધી રાખીને ફટકાર્યો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-teenager-who-went-to-pluck-pomegranates-in-the-field-was-beaten-by-tying-his-limbs</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-teenager-who-went-to-pluck-pomegranates-in-the-field-was-beaten-by-tying-his-limbs</guid>
                    <description>
                        <![CDATA[ 14 વર્ષનો એક દલિત કિશોર તેના ઘરથી નજીકના એક ખેતરમાં દાડમ તોડવા ગયો હતો ત્યારે તેના માલિકે તેને પકડી દોરડાથી બાંધીને કલાકો સુધી માર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોને કૂતરાં બિલાડા તેમની માલિકીની જમીનો પર ખાઈપીને ફરે, મળત્યાગ કરે તેનો કોઈ વાંધો નથી હોતો, પણ જો કોઈ દલિત વ્યક્તિ, પછી ભલેને તે કોઈ નિર્દોષ બાળક હોય, જો તેમના વિસ્તારમાં ઘૂસી જાય તો તેને સબક શીખવાડવાની એક પણ તક જતી નથી કરતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે, જેમાં દલિત સમાજની કોઈ વ્યક્તિને સાવ સામાન્ય બાબતને લઈને કથિત સવર્ણો દ્વારા માર મારવામાં આવ્યો હોય કે તેમની જાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યા હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં એક 14 વર્ષનો દલિત કિશોર કથિત સવર્ણ જાતિની વ્યક્તિના ખેતરમાં દાડમ તોડવા માટે ગયો હતો. જ્યાં ખેતરમાલિક તેને જોઈ જતા પકડીને દોરડાથી બાંધી દીધો હતો અને કલાકો સુધી આ રીતે હાથપગ બાંધેલી હાલતમાં જ બેસાડીને રાખીને માર મારતા રહ્યા હતા. દરમિયાન ઘટનાની જાણ કિશોરની માતાને થતા તેણે તપાસ કરતા દાડમના ખેતરના માલિકે તેમના દીકરાને દોરડાથી બાંધી રાખ્યો હતો. આથી તેમણે એસસી એસટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો હૈદરાબાદના શાબાદ તાલુકાના કીસરા ગામનો છે. જ્યાં ખેતરમાંથી દાડમ તોડવાનો પ્રયત્ન કરી રહેલા એક 14 વર્ષના દલિત કિશોરને 80 વર્ષનો મધુસૂદન રેડ્ડી નામનો માથાભારે શખ્સ જોઈ ગયો હતો અને તેણે કિશોરને પકડીને જમીન પર પછાડ્યો હતો અને પછી હાથપગ બાંધી દીધા હતા અને માર માર્યો હતો. આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોબાળો મચી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Labourers-son-Labourer...-Know-how-much-the-condition-of-common-class-laborers-has-improved-in-14-years-compared-to-Dalits"><span style="font-size: 14pt;">મજૂરનો દીકરો મજૂર... જાણો દલિતની તુલનાએ સામાન્ય વર્ગના મજૂરોની હાલત 14 વર્ષમાં કેટલી સુધરી?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે કિશોરની માતાને જાણ થતા તેઓ પુત્રને બચાવવા માટે પહોંચી ગઈ હતી અને તેણે મધુસૂદન રેડ્ડી સામે એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા પ્રમાણે દલિત કિશોર દાડમ તોડવા માટે એક વાડીની દિવાલ કૂદીને અંદર ગયો હતો. એ જ વખતે મધુસૂદન રેડ્ડી તેને જોઈ ગયો હતો અને તરત તેણે કિશોરને પકડીને ફટકારવાનું શરૂ કરી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલું જ નહીં તેણે કિશોરને જમીન પર પછાડીને તેના હાથપગ દોરડાથી બાંધી દીધા હતા અને કલાકો સુધી એજ અવસ્થામાં બાંધી રાખી માર માર્યો હતો. કોઈએ કિશોરની માતાને જાણ કરતા તેમણે શાબાદ પોલીસ સ્ટેશનમાં થઈને મધુસૂદન રેડ્ડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે દલિત કિશોરના માતાપિતા મજૂરી કરે છે અને અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે. કિશોરને મધુસૂદન રેડ્ડીએ માર માર્યો હોવાથી તેને દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૂંઢ માર વાગ્યો હોવાનું સામે આવ્યું હતું. હવે તેની માતાની ફરિયાદના આધારે પોલીસે એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/even-if-you-become-sarpanch-because-of-reservation-the-work-will-be-according-to-our-will"><strong>અનામતના કારણે ભલે તું સરપંચ બન્યો, કામ અમારી મરજી મુજબ થશે...</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 26 Jun 2024 09:40:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>821</Articleid>
                    <excerpt>14 વર્ષનો એક દલિત કિશોર તેના ઘરથી નજીકના એક ખેતરમાં દાડમ તોડવા ગયો હતો ત્યારે તેના માલિકે તેને પકડી દોરડાથી બાંધીને કલાકો સુધી માર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667b93f36389c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667b93f334fa6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667b93f334fa6.jpg" length="74551" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગણેશ જાડેજાના વિરોધમાં હવે ગાંધીનગર સુધીની બાઈક રેલી યોજાશે?</title>
                    <link>https://khabarantar.com/will-a-bike-rally-be-held-up-to-gandhinagar-in-protest-of-ganesh-jadeja</link>
                    <guid>https://khabarantar.com/will-a-bike-rally-be-held-up-to-gandhinagar-in-protest-of-ganesh-jadeja</guid>
                    <description>
                        <![CDATA[ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના છોકરા ગણેશે જૂનાગઢમાં દલિત યુવકના કરેલા અપહરણ મામલે હવે દલિત સમાજ ગાંધીનગર સુધીની બાઈક રેલી યોજશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબાના છોકરા ગણેશે જૂનાગઢમાં દલિત યુવકનું અપહરણ કર્યા બાદ તેને ગોંધી રાખી, માર મારી જાતિસૂચક ગાળો ભાંડી હતી. આ મામલે ગણેશ જાડેજાની દાદાગીરીના વિરોધમાં ગુજરાતભરના દલિતોએ ભેગા મળી ગોંડલમાં શક્તિ પ્રદર્શન કરતું સંમેલન યોજ્યું હતું. જેના ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા. હવે આવું વધુ એક સંમેલન આગામી દિવસોમાં જૂનાગઢના મોટી મોણપરીમાં ૬ જુલાઈએ યોજાશે. જેમાં આગામી કાર્યક્રમની રણનીતિની ચર્ચા કરાશે. મળતી માહિતી પ્રમાણે આ સંમેલનમાં જૂનાગઢથી ગાંધીનગર સુધી બાઈક રેલી યોજવા અંગે ચર્ચા થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના મોટી મોણપરી ખાતે તા. ૬ જુલાઈના રોજ સમસ્ત અનુ. જાતિ સમાજનું સમેલન યોજાશે. અહીં બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ કરાશે. આ કાર્યક્રમમાં ગાંધીનગર સુધી બાઈક રેલી માટે વાતચીત કરાશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવાના કેસમાં ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા સહિત ૧૧ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જૂનાગઢ પોલીસે ગુનો નોંધ્યા બાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ફરિયાદી સંજય સોલંકીના વકીલ સંજય પંડિતે જણાવ્યું હતું કે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં ગણેશ જાડેજાના કેસ મામલે જામીન અરજી માટેની સુનાવણી રાખવામાં આવી હતી. જે મામલે ફરિયાદીના વકીલ તરીકે કોર્ટમાં આરોપીઓને જામીન ન મળે તે માટે વાંધા કારણો રજૂ કરવામાં આવ્યા હતા. જેને લઈ જૂનાગઢ કોર્ટ દ્વારા બંને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા. જેમાં ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓની જામીન અરજી મામલે આગામી તારીખ ૨૫ જૂને સુનાવણી રાખવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ જાડેજાના કેસ મામલે તપાસ ધીમી ગતિએ ચાલી રહી હોવાના અને ગણેશને પોલીસ દ્વારા છાવરવામાં આવતો હોવાના આરોપો અનુસૂચિત જાતિ સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસ મામલે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી. પોલીસ દ્વારા આ કેસને લઈ કોર્ટમાં અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી ૨૫ તારીખે કોર્ટ દ્વારા આરોપીઓને જામીન આપવા કે નહીં તે મામલે હુકમ કરવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજના યુવક સંજય સોલંકી સાથે ૩૦ મે ની રાત્રે જૂનાગઢના દાતાર રોડ પર ગણેશ જાડેજા અને તેના સાગરિતોએ વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ કરી હતી. ત્યારબાદ તેઓ સંજયનું અપહરણ કરી ગોંડલ લઈ ગયા હતા. જ્યાં તેને ગોંધી રાખી ઢોર માર મારવામાં આવ્યો હતો અને નગ્ન કરી વીડિયો બનાવવામાં આવ્યો હતો. એ પછી આરોપીઓ સંજય સોલંકીને ફરી જૂનાગઢ ઉતારીને નાસી છૂટ્યા હતા. આ મામલે ગણેશ જાડેજા સહિત ૧૧ લોકો સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ગણેશની આ દાદાગીરી સામે સમસ્ત ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ગોંડલમાં તેના વિરોધમાં મોટું સંમેલન પણ યોજાયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/how-much-truth-in-gondal-yard-and-84-village-bandh-in-support-of-ganesh"><strong>ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 23 Jun 2024 19:51:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>812</Articleid>
                    <excerpt>ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના છોકરા ગણેશે જૂનાગઢમાં દલિત યુવકના કરેલા અપહરણ મામલે હવે દલિત સમાજ ગાંધીનગર સુધીની બાઈક રેલી યોજશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66782edbe20ff.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66782edbb24ce.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66782edbb24ce.jpg" length="125062" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બસપા સુપ્રીમો માયાવતી પહેલીવાર પેટાચૂંટણીમાં પક્ષ માટે પ્રચાર કરશે</title>
                    <link>https://khabarantar.com/bsp-supremo-mayawati-will-campaign-for-the-party-in-the-by-elections-for-the-first-time</link>
                    <guid>https://khabarantar.com/bsp-supremo-mayawati-will-campaign-for-the-party-in-the-by-elections-for-the-first-time</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરાખંડની મેંગલોર વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં 10 જુલાઈના રોજ મતદાન થનાર છે, જેમાં બસપા સુપ્રીમો માયાવતી પ્રચાર કરશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી પહેલીવાર કોઈ વિધાનસભાની પેટાચૂંટણી માટે આગામી દિવસોમાં પ્રચાર કરતા જોવા મળશે. ઉત્તરાખંડની મેંગલોર વિધાનસભા સીટ પર આગામી 10 જુલાઈના રોજ મતદાન થવાનું છે ત્યારે પક્ષ આ સીટ પર કોઈ જોખમ લેવા માંગતો નથી. બસપાએ આ માટે તેના ૧૩ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં બસપા ચીફ માયાવતી અને તેમના ભત્રીજા આકાશ આનંદનું નામ પણ સામેલ છે. આ સિવાય પાર્ટીના અન્ય નેતાઓ પણ પ્રચાર કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેંગ્લોર વિધાનસભા સીટ પર ૧૦ જુલાઈના રોજ મતદાન થશે. સરવત કરીમ અંસારી બસપાની ટિકિટ પર આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પણ તેમનું નિધન થતા આ બેઠક ખાલી પડી છે. અહીં બસપાને ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. પાર્ટીને લાગે છે કે જો મહેનત કરવામાં આવે તો આ સીટ ફરીથી જીતી શકાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપાના સ્ટાર પ્રચારકોની યાદીમાં માયાવતી, આકાશ આનંદ, રામજી ગૌતમ, સુરેશ આર્ય, ચિ. શિશપાલ સિંહ, સૂર્યમુખી તેલ, મો. શહજાદ, બી. આર. ધોની, પ્રદીપ ચૌધરી, નાથીરામ, ડૉ. નંદ ગોપાલ, વિનોદ કુમાર ગૌતમ અને હરીશચંદ્ર સિનોલીનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/babasaheb-is-theoretical-manyavar-is-practical"><span style="font-size: 14pt;">બાબાસાહેબ થિયરી છે તો માન્યવર પ્રેક્ટિકલ છે</span></a><br></strong></span></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બસપા સામાન્ય રીતે બહુ ઓછી પેટાચૂંટણી લડે છે અને જ્યાં લડે છે ત્યાં માયાવતી પોતે પ્રચાર કરવા જતા નથી. કદાચ આ પહેલીવાર હશે જ્યારે તેઓ કોઈ પેટાચૂંટણીમાં પ્રચાર કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ ક્યારેય મેંગલોર સીટ જીતી શકી નથી. બસપા અને કોંગ્રેસ ઘણીવાર અહીંથી જીત્યા છે. બસપા અહીંથી વિધાનસભા ચૂંટણી જીતી હતી. અહીં ૪૫ ટકા મુસ્લિમો અને ૫૫ ટકા હિંદુઓ છે. હિંદુઓમાં લગભગ ૧૮ ટકા દલિત મતદારો છે. બસપાને અહીં દલિત અને મુસ્લિમ મતદારોનું સમર્થન મળી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીમાં બસપાને એક પણ સીટ મળી નથી. ચૂંટણી દરમિયાન માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને તેમના 'અનુગામી' અને પક્ષના રાષ્ટ્રીય સંયોજકની જવાબદારીઓમાંથી મુક્ત કર્યા હતા. બસપાના વડાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આકાશ આનંદને તેમના 'અનુગામી' તરીકે જાહેર કર્યા હતા અને તેમને હટાવવાનો આ આશ્ચર્યજનક નિર્ણય એવા સમયે આવ્યો હતો જ્યારે દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/complaint-filed-against-krk-for-making-lewd-comments-against-mayawati"><strong>માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર KRK સામે ફરિયાદ નોંધાઈ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 23 Jun 2024 19:27:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>808</Articleid>
                    <excerpt>ઉત્તરાખંડની મેંગલોર વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં 10 જુલાઈના રોજ મતદાન થનાર છે, જેમાં બસપા સુપ્રીમો માયાવતી પ્રચાર કરશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6676f135e3e6a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6676f135b6440.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6676f135b6440.jpg" length="63350" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભૂજમાં દલિતોને 40 વર્ષ પછી પણ તેમના હકની 700 એકર જમીન મળી નથી</title>
                    <link>https://khabarantar.com/dalits-in-bhuj-have-not-got-their-rightful-700-acres-of-land-even-after-40-years</link>
                    <guid>https://khabarantar.com/dalits-in-bhuj-have-not-got-their-rightful-700-acres-of-land-even-after-40-years</guid>
                    <description>
                        <![CDATA[ કચ્છમાં અનુસૂચિત જાતિ સમાજની હકની 700 એકર જમીન પર માથાભારે તત્વો છેલ્લાં 40-40 વરસથી ગેરકાયદે કબ્જો જમાવીને બેસી ગયા છે, જેને છોડાવવાની લડત ચાલી રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના ગામડાઓમાં કાયમી આવકનું એકમાત્ર સાધન એવી મોટાભાગની ખેતીલાયક જમીન કથિત સવર્ણોના કબજામાં છે. ભૂલથી પણ આ જમીનોનો એક ટુકડો દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના ન જાય તે માટે જાતિવાદી તત્વો કાયમ સજાગ રહેતા હોય છે. પરિણામે હકની જમીનો પણ દલિતો, આદિવાસીઓ મેળવી શકતા નથી. સવર્ણ માથાભારે તત્વોના દલિતોના હકની જમીનો હડપી લેવાના ષડયંત્રમાં ઘણીવાર સ્થાનિક સરકારી તંત્ર પણ અંદરખાને સહકાર આપતું હોય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો જ એક કિસ્સો કચ્છ જિલ્લાના વડામથક ભૂજમાંથી સામે આવ્યો છે. જ્યાં સ્થાનિક અનુસૂચિત જાતિના લોકોને 40 વરસ પહેલા સાંથણીમાં મળેલી 700 એકર કરતા પણ વધુ જમીનનો હજુ સુધી પ્રત્યક્ષ કબ્જો અનુસૂચિત જાતિના લોકોને સોંપવામાં આવ્યો નથી. આ મામલે હવે કચ્છ જિલ્લાના લડાયક સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરની આગેવાનીમાં અનુસૂચિત જાતિ સમાજ એક થઈને લડી લેવાના મૂડમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-heady-elements-do-not-leave-my-land-despite-the-collectors-order"><span style="font-size: 14pt;">કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6677db653588a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલાની મળતી વિગતો પ્રમાણે, રાજ્ય સરકારના વર્ષ 1983-84ના ટોચ મર્યાદા ધારા હેઠળ ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી લી.ને ભૂજ તાલુકાના અલગ અલગ ગામોમાં અંદાજે 731 એકર જમીન સાંથણીમાં મળી હતી. આ તમામ જમીનોના રેકર્ડ જેવા કે, 7/12 અને 8 અ, વિઘોટીની પહોંચ, હાલીમાજી, ટિપ્પણ, સુડબૂક અને સાંથણીના હુકમ સહિતના રેકર્ડ મંડળીના નામે ઉપલબ્ધ છે. તેમ છતાં આ જમીનો પર અમુક માથાભારે તત્વોએ ગેરકાયદે દબાણ કરી લીધું હોવાથી મંડળીના સભાસદો તેના પર ખેતી કરી શકતા નથી. આ જમીનો માટે મંડળીના સભ્યોએ મળીને કલેક્ટર કચેરીએ ધરણાં પણ કર્યા હતા. એ પછી વહીવટી તંત્રે મમુઆરા ગામની સીમમાં 50 એકર જમીન, જે મંડળીની હતી તેનો પ્રત્યક્ષ કબ્જો સોંપ્યો હતો. જો કે હજુ પણ 700 એકરથી વધુ જમીન મંડળીને સોંપવા આવી નથી. આ મામલે કલેક્ટરને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે છતા કોઈ કામગીરી કરવામાં આવી નથી. આથી મંડળીના સભ્યોએ ફરી કલેક્ટરને આવેદનપત્ર આપીને ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી લિમિટેડની જમીનોના સ્થાનિક પ્રત્યક્ષ કબ્જા આગામી 15 દિવસમાં ડીઆઈએલઆર ભૂજ, મામલતદાર અને પોલીસ તંત્રને સાથે રાખીને મંડળીના સભાસદોને સોંપવામાં આવે તેવી રજૂઆત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાથે જ મંડળીના સભ્યોએ એવી ચિમકી પણ ઉચ્ચારી છે કે, 15 દિવસ પછી અમને ન્યાય નહીં મળે તો અમે અચોક્કસ મુદત સુધી ધરણા પર બેસી જઈશું અને એ પછી જે કંઈપણ થશે તેની જવાબદારી તંત્રની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી લીમિટેડના પ્રમુખ વિજયકુમાર પી. કાગીના જણાવ્યા પ્રમાણે, તેઓ આ મામલે એકથી વધુ વખત કલેક્ટરથી લઈને જવાબદાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. સરકાર દ્વારા અમને છેક 1984માં આ જમીન ફાળવવામાં આવી હતી, પણ માથાભારે તત્વોએ તેના પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો હોવાથી અમે તેના પર ખેતી કરી શકતા નથી. હવે અમે સરકારને છેલ્લી ચેતવણી આપી છે. જો 15 દિવસની નિયત સમયમર્યાદામાં તેઓ અમને અમારી જમીનનો પ્રત્ય કબ્જો નહીં સોંપે તો અમે અચોક્કસ મુદત સુધી કલેક્ટર કચેરી સામે ધરણાં પર બેસી જવાના છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Did-the-upper-classes-build-flats-by-taking-crores-of-government-land-in-the-name-of-dalit-tribals"><span style="font-size: 14pt;"> દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?</span></a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6677db7a665af.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છ જિલ્લાના સામાજિક કાર્યકર અને સમસ્ત મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી કહે છે, "ભૂજ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં અનુસૂચિત જાતિ સમાજની મંડળીઓને ફાળવેલી 700 એકર કરતા વધુ જમીનોનો પ્રત્યક્ષ કબ્જો મળ્યો નથી. અમે જિલ્લા કલેક્ટરને આ મંડળીના સભાસદો, સામાજિક કાર્યકરો લખન ધ્રુવા, વિશાલ પંડ્યા, પંકજ નોરીયા તેમજ મંડળીના પ્રમુખ વિજયભાઈ કાગી સાથે મળીને જમીનોના પ્રત્યક્ષ કબ્જા સોંપવા કહ્યું છે. તેના માટે તેમને 15 દિવસનો સમય પણ આપ્યો છે. જો એ પછી પણ તંત્ર દ્વારા જમીનોના પ્રત્યક્ષ કબ્જા નહીં સોંપાય તો અમે કલેક્ટર કચેરી આગળ ધરણાં પર બેસી જઈશું. એ પછી જે કંઈ પણ થશે તેની જવાબદારી તંત્રની હશે. હાલ વરસાદની સિઝન હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીનનો કબ્જો સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવે તો વરસાદ પછી સભાસદો આ જમીન પર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજને સાંથણી હેઠળ મળેલી સેંકડો એકર જમીનો પર આજે પણ જાતિવાદી માથાભારે તત્વોનો કબ્જો છે. ગુજરાતમાં દલિત સમાજને મળેલી જમીનો પર સૌથી વધુ ગેરકાયદે કબ્જો પણ કચ્છ જિલ્લામાં હોવાનું કહેવાય છે. ગુજરાતમાં છેલ્લાં 35 કરતા વધુ વર્ષથી ભાજપની સરકાર છે, કચ્છના સાંસદ વિનોદ ચાવડા પોતે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે અને ભાજપમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. તેમ છતાં અહીં દલિતોની જમીન પર માથાભારે તત્વો કબ્જો જમાવીને બેસી ગયા છે અને કોઈ તેમની મદદ કરવા તૈયાર નથી. એવામાં નરેશભાઈ મહેશ્વરી અને તેમની ટીમ જે કામ કરી રહી છે તેનું મહત્વ વધી જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/land-of-11-dalit-families-seized-by-district-education-officer"><strong>11 દલિત પરિવારોની જમીન જિલ્લા શિક્ષણ અધિકારીએ પડાવી લીધી?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 23 Jun 2024 13:56:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>811</Articleid>
                    <excerpt>કચ્છમાં અનુસૂચિત જાતિ સમાજની હકની 700 એકર જમીન પર માથાભારે તત્વો છેલ્લાં 40-40 વરસથી ગેરકાયદે કબ્જો જમાવીને બેસી ગયા છે, જેને છોડાવવાની લડત ચાલી રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6677db40cacff.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6677db4099c36.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6677db4099c36.jpg" length="98408" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બળાત્કારનો કેસ પાછો ખેંચાવવા દલિત મહિલા પર 8 ખોટી ફરિયાદો કરી</title>
                    <link>https://khabarantar.com/eight-false-complaints-filed-against-dalit-woman-to-withdraw-rape-case</link>
                    <guid>https://khabarantar.com/eight-false-complaints-filed-against-dalit-woman-to-withdraw-rape-case</guid>
                    <description>
                        <![CDATA[ એક દલિત મહિલાને બ્રાહ્મણ શખ્સે પોતે ડીએસપી હોવાનું કહીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું. મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી. પછી જે થયું તે ચોંકાવનારું હતું ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો તમે કથિત ઉચ્ચ જાતિના હો, તમારી જાતિના લોકો સાથે ઉપર સુધી તમારી પહોંચ હોય, રાજકારણીઓ, આઈએએસ-આઈપીએસ અધિકારીઓ સાથે તમારી ઓળખાણ હોય તો કાયદો અને વ્યવસ્થાને પણ લાંબા સમય સુધી મેનેજ કરી શકાય છે. આવા સેંકડો ઉદાહરણો આપણો જોયા છે અને તેનું વધુ એક ભયાનક ઉદાહરણ હાલમાં જ સામે આવ્યું છે. જેમાં પોતાના પર થયેલો બળાત્કારનો કેસ પાછો ખેંચી લેવા દબાણ ઉભું કરવા માટે આરોપીએ પોતાના એક આઈપીએસ મિત્રની મદદથી પીડિત દલિત મહિલા પર એક પછી એક 8 ખોટી એફઆઈઆર નોંધાવી દીધી હતી. જેના કારણે પીડિતા અને તેના આખા પરિવારે કશા જ વાંક ગુના વિના સતત જેલમાં જવું પડ્યું હતું. આ મામલે પીડિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે પોલીસના વલણ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને પોતાનો જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો છત્તીસગઢના બિલાસપુરનો છે. અહીં એક પરિણીત દલિત મહિલાએ બિલાસપુર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2018 થી 12 ડિસેમ્બર 2019 વચ્ચે રાયપુરની ન્યૂ કોલોનીમાં રહેતા પિષૂય તિવારી(35) એ પોતાને અપરિણીત બતાવીને અને પોતે ડીએસપી હોવાનું જણાવીને તેને લગ્નની લાલચ આપીને તેની સાથે દુર્ષકર્મ કર્યું હતું. બાદમાં પિડીતાને ખ્યાલ આવ્યો હતો કે આરોપી ન તો ડીએસપી છે, ન અપરિણિત છે. ત્યારથી તેણે તેની સાથે સંબંધ રાખવાનું ખતમ કરી દીધું હતું અને તેની સામે દુષ્કર્મ અને એસસી એસટી એક્ટની કલમ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી આરોપી પિયૂષ તિવારીએ તેના આઈપીએસ મિત્ર અરવિંદ વિ. કુજૂર સાથે મળીને પીડિતાને ધમકી આપી કે જો તે કેસ પરત નહીં ખેંચે તો તેને ખોટા કેસમાં ફસાવી દેશે. જો કે પીડિતાએ તેને ગણકારી નહોતી. બાદમાં તેણે ઈન્દોરમાં લગ્ન કરી લીધાં હતા. જેની જાણ આરોપી પિષૂય તિવારીને થતા તેણે કુંમ્હારી પોલીસ સ્ટેશનમાં પીડિતા વિરુદ્ધ છેતરપિંડીનો ખોટો કેસ નોંધાવ્યો હતો. જેમાં પોલીસે પીડિતાના પિતા, ભાઈ અને પતિની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા હતા. આ રીતે આરોપી પિષૂય તિવારીએ પીડિતા અને તેના પરિવાર પર એક પછી એક કુલ 8 ખોટી ફરિયાદો નોંધાવી હતી. જેના કારણે પીડિતાના પરિવારને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું. પીડિતાને એક કેસમાં જામીન મળે કે તરત આરોપી પિષૂય તિવારી બીજી ફરિયાદ નોંધાવી દેતો હતો. આ રીતે પીડિતાને માનસિક રીતે હેરાન કરવામાં આવતા તેણે હાઈકોર્ટનું શરણું લેવું પડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-young-man-was-tied-up-and-made-to-drink-urine-for-3-days-dressed-in-ghaghra-and-taken-to-the-village">દલિત યુવકને ત્રણ દિવસ બાંધીને પેશાબ પીવડાવ્યો, ઘાઘરો પહેરાવી ગામમાં ફેરવ્યો</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6677a8e7792bf.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટમાં પિડીતાના વકીલ અમન સક્સેનાએ જણાવ્યું હતું કે, આ જ રીતે પીડિતા અને તેના પરિવાર પર ખોટી રીતે 8 એફઆઈઆર કરવામાં આવી છે. એક કેસમાં પીડિતાને જામીન મળતા હતા, તો બીજી એફઆઈઆર કરી દેવામાં આવતી હતી. આવું અનેકવાર થયું હતું, જેના કારણે પીડિતાનો પરિવાર સતત જેલમાં રહ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રમેશ સિન્હા અને જસ્ટિસ સચિન સિંહ રાજપૂતની ડિવિઝન બેંચે પોલીસના આ પ્રકારના વલણ પર ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ રીતે તો પીડિતા અને તેના પરિવારનું આખું જીવન જ કેસ લડવામાં વીતી જશે. કોર્ટમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, બે કેસ ખતમ થઈ ગયા છે અને બાકીના કેસો પર તપાસ ચાલી રહી છે. હાઈકોર્ટે આકરું વલણ અપનાવતા બાકીના તમામ કેસોની ટ્રાયલ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. </span><br><span style="font-size: 14pt;">હાઈકોર્ટે આરોપી પિયૂષ તિવારી, તેના આઈપીએસ મિત્ર અરવિંદ કુજૂર અને અભિષેક ગઝલવારને બે અઠવાડિયાની અંદર સોગંદનામા પર જવાબ આપવાનો આદેશ કર્યો છે. સાથે જ અરજીકર્તાને પણ આવતા બે વીકમાં સોગંદનામું રજૂ કરવા કહેવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/every-day-10-dalit-women-are-raped-in-india">ભારતમાં દરરોજ 10 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 23 Jun 2024 10:25:44 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 23 Jun 2024 10:25:21 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>809</Articleid>
                    <excerpt>એક દલિત મહિલાને બ્રાહ્મણ શખ્સે પોતે ડીએસપી હોવાનું કહીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું. મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી. પછી જે થયું તે ચોંકાવનારું હતું</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6677aa3d67c18.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6677aa3d38ac5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6677aa3d38ac5.jpg" length="87167" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકને ફટકારતા બેભાન થયો, પાણી છાંટી ભાનમાં લાવી ફરી માર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-fell-unconscious-after-hitting-the-youth-brought-him-back-to-consciousness-by-splashing-water-and-hit-him-again</link>
                    <guid>https://khabarantar.com/dalit-fell-unconscious-after-hitting-the-youth-brought-him-back-to-consciousness-by-splashing-water-and-hit-him-again</guid>
                    <description>
                        <![CDATA[ એક સિમેન્ટ ફેક્ટરીમાં દલિત યુવકને માથાભારે લોકોએ ડીઝલની ચોરીની આશંકાએ પકડીને દંડાથી ફટકારતા બેભાન થઈ ગયો, પણ માથાભારે તત્વો આટલેથી અટક્યા નહોતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માથાભારે તત્વો દ્વારા દલિતોને માર મારવો જાણે સામાન્ય બાબત હોય તેમ દરરોજ કોઈને કોઈ જગ્યાએ આવા બનાવો બનતા રહે છે. છેલ્લે કશું ન હોય તો કારણ વિના પણ પણ દલિતોને માર મારવો અથવા તો ફક્ત શંકાના આધારે તેમને ફટકારવાના સમાચારોની પણ ભરમાર છે. આવા જ એક સમાચાર સામે આવ્યા છે, જેમાં ડીઝલની ચોરીની શંકા જતા એક દલિત યુવકને માથાભારે તત્વોએ એટલો ફટકાર્યો કે તે બેભાન થઈ ગયો. એ પછી ફરી તેને પાણી છાંટીને ભાનમાં લાવ્યા અને ફરી ફટકાર્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચારો જ્યાં થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીં ડીઝલની ચોરીના આરોપસર એક દલિત યુવકને તાલીબાની સજા આપવામાં આવી. જેમાં કંપનીના બાઉન્સરોએ તેને તે બેભાન થઈ ગયો ત્યાં સુધી માર માર્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના પન્ના જિલ્લાની છે. આ વિસ્તાર અહીં આવેલા સિમેન્ટ પ્લાન્ટના કારણે કાયમ ચર્ચામાં રહે છે. ક્યારેક બેફામ વજન ભરેલા ટ્રકોના અકસ્માતના કારણે, તો ક્યારેક કોઈ અન્ય કારણોસર. આ વખતે આ સિમેન્ટ પ્લાન્ટમાં માણસાઈને શરમજનક સ્થિતિમાં મૂકી દેતી ઘટના સામે આવી છે.</span><br><span style="font-size: 14pt;">અહીં ડીઝલની ચોરીના આરોપસર સિમેન્ટ પ્લાન્ટમાં કામ કરતા દલિત ડ્રાઈવર બ્રિજેશને પકડીને કંપનીના બાઉન્સરોએ પહેલા તેને દંડાથી બેફામ ફટકાર્યો. તેને ત્યાં સુધી માર્યો જ્યાં સુધી તે બેભાન ન થઈ ગયો. એ પછી તેના પર એક પછી એક પાણીના ચાર બાટલા છાંટવામાં આવ્યા. જેવો તે ભાનમાં આવ્યો કે તરત તેને ફરી દંડા લઈને ફટકારવામાં આવ્યો. આ આખી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારને કારણે બેભાન થઈ ગયેલા બ્રિજેશે ભાનમાં આવ્યા પછી જણાવ્યું હતું કે, આ મામલે તે સિમરિયા અને અમાનગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે ગયો તો તેની ફરિયાદ લેવામાં નહોતી આવી. એ પછી તે પન્ના હરિજન પોલીસ સ્ટેશને પહોંચ્યો અને આ મામલે ફરિયાદ નોંધાવી. ફેક્ટરીના માથાભારે તત્વોએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે રીતે બ્રિજેશને માર મારવામાં આવ્યો છે તે જોતા તે ભારે ડરી ગયો છે. આરોપીઓએ તેને ઢોર માર માર્યા બાદ ધમકી આપી છે કે, જો તે પોલીસમાં ફરિયાદ કરશે તો ફરી માર મારશે. એટલું જ નહીં તેને સિમરિયા પોલીસ સ્ટેશને જતો પણ રોકવામાં આવ્યો હતો. પહેલા તો બ્રિજેશ તેમની ધમકીઓથી ભારે ડરી ગયો હતો, પણ પછી તેને સમજાયું કે, જો ડરીને ફરિયાદ નહીં કરે તો આ લોકોની હિંમત વધુ ખૂલી જશે. એટલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવીને લડી લેવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/five-people-hit-the-dalit-youth-saying-why-are-you-playing-magic-on-us">તું અમારા પર જાદુટોણાં કેમ કરે છે કહીને પાંચ લોકોએ દલિત યુવકને ફટકાર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 22 Jun 2024 13:15:49 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 22 Jun 2024 13:15:39 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>805</Articleid>
                    <excerpt>એક સિમેન્ટ ફેક્ટરીમાં દલિત યુવકને માથાભારે લોકોએ ડીઝલની ચોરીની આશંકાએ પકડીને દંડાથી ફટકારતા બેભાન થઈ ગયો, પણ માથાભારે તત્વો આટલેથી અટક્યા નહોતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66767e9616064.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66767e95d857e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66767e95d857e.jpg" length="68296" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મજૂરીના પૈસા માંગતા દલિત યુવકને જાહેરમાં ઉઠકબેઠક કરાવી માફી મગાવી</title>
                    <link>https://khabarantar.com/a-dalit-youth-asking-for-labor-money-was-made-to-sit-up-in-public-and-asked-for-forgiveness</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-youth-asking-for-labor-money-was-made-to-sit-up-in-public-and-asked-for-forgiveness</guid>
                    <description>
                        <![CDATA[ મજૂરી કરીને પેટિયું રળતા એક દલિત યુવકે બે દિવસની મજૂરીના બાકી પૈસા માંગ્યા તો માથાભારે તત્વોએ તેને જાહેરમાં ઉઠકબેઠક કરાવી, જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામડાઓમાં આજે પણ જાતિવાદી તત્વો પોતાને કાયદાથી પર સમજે છે અને દલિતો પર અત્યાચાર કરવાની અને તેમના પર ધાક જમાવી રાખવાની એક પણ તક જતી નથી કરતા. આવી સેંકડો ઘટનાઓ દેશના લાખો ગામડાઓમાં દરરોજ ખૂણેખાંચરે બનતી રહે છે. જેમાંથી ખૂબ જ ઓછી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે. જો તમામ ઘટનાઓ નોંધાય તો પોલીસના ચોપડા ખૂટી પડે તેમ છે. સાવ સામાન્ય બાબતમાં પણ જાતિવાદી માથાભારે તત્વો દલિતોને માર મારવાથી કે જાહેરમાં અપમાનિત કરવાથી બાજ આવતા નથી. કોઈપણ સ્વમાની માણસથી સહન ન થાય તે પ્રકારના અપમાનો તેઓ દલિતો સાથે કરતા હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક અપમાનજનક ઘટના હાલ સામે આવી છે. જેમાં એક દલિત મજૂરે તેની બે દિવસની બાકી મજૂરીના પૈસા માગતા જાતિવાદી માથાભારે તત્વોએ તેને એક ઘરમાં પુરી આરોપીઓની સામે જ જાહેરમાં ઉઠકબેઠક કરાવી માફી મગાવી હતી. એટલું જ નહીં તેમણે મજૂરને બળજબરીથી આરોપીઓના પગ પકડાવ્યા હતા, પેશાબ પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો અને જાતિસૂચક ગાળો ભાંડીને હડધૂત કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુપીના દેવબંધ જિલ્લાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના દેવબંધ જિલ્લાના ગંગાસપુર ગુડગજપુર ગામમાં રહેતા એક દલિત યુવકને મજૂરી માંગવાની તાલિબાની સજા આપવામાં આવી હતી. મજૂરીના પૈસા માંગનાર યુવકને ન માત્ર જાતિસૂચક ગાળો ભાંડવામાં આવી પરંતુ તેને ભરી પંચાયતમાં ઉઠકબેઠક કરાવવામાં આવી હતી. તેને બળજબરીથી આરોપીઓના પગ પકડવા કહેવામાં આવ્યું હતું. મૂર્ખ આરોપીઓએ પાછો આ આખી ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો, જે થોડા સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા આખો મામલો ભીમ આર્મી સુધી પહોંચ્યો હતો અને તેમણે પીડિત મજૂરને સાથે રાખીને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/In-Tamil-Nadu,-Dalits-break-the-rules-made-by-upper-castes,-walk-the-streets-wearing-shoes-for-the-first-time">તમિલનાડુમાં દલિતોએ સવર્ણોએ બનાવેલો નિયમ તોડ્યો, પહેલીવાર શેરીમાં ચંપલ પહેરી સ્ટ્રીટ વોક કરી</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6675016a197af.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત યુવકની ભાભી રીતાએ પોલીસને જણાવ્યા પ્રમાણે, તેઓ ગંગાસપુર ગુડગજપુર ગામમાં રહે છે. તેમનો દિયર મનુ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામના એક માથાભારે વ્યક્તિને ત્યાં તે મજૂરી કરવા ગયો હતો, જેના પૈસા તેણે તેની પાસે માંગ્યા હતા. જેનાથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે મનુને જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યો હતો. એ પછી તેણે મનુ અને તેના પિતા રામદાસને સમાધાન કરવાના બહાને પરાણે એક ઘરમાં બોલાવ્યા હતા. જ્યાં પહેલેથી જ આરોપીઓ અને ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત હતા. અહીં બધાંએ મળીને પીડિત યુવક અને તેના પિતાને કારણ વિના જ સૌની વચ્ચે જાતિસૂચક ગાળો ભાંડીને ભયંકર રીતે અપમાનિત કર્યા હતા. એટલું જ નહીં તેને જાહેરમાં ઉઠકબેઠક કરવા મજબૂર કર્યા હતા અને તેમને મજૂરીના પૈસા માગવા બદલ માફી માંગવા કહ્યું હતું અને પરાણે આરોપીઓના પગ પકડીને ભૂલ થઈ ગઈ હોવાનું કહીને માફી માંગવા મજબૂર કર્યા હતા. આરોપીઓએ આ આખી ઘટનાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જે ભીમ આર્મીના કાર્યકરો સુધી પહોંચી જતા તેઓ તરત એક્શનમાં આવ્યા હતા અને પીડિત પિતા-પુત્રને શોધી કાઢી, તેમને હિંમત અપાવીને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીડિત યુવકને પેશાબ પીવડાવવા પ્રયત્ન કરાયો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચેલા દેવબંધ વિસ્તારના ભીમ આર્મીના અધ્યક્ષ શૌર્ય આંબેડકરે જણાવ્યું હતું કે, આ આખી ઘટનાથી દલિત સમાજનું અપમાન થયું છે. માથાભારે તત્વો સામે ફરિયાદ આપી દેવામાં આવી છે. જો તેમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી ન થઈ તો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને વિરોધ નોંધાવીશું. આ લોકોએ યુવકને સમાધાનના નામે બોલાવીને જાહેરમાં માફી મગાવી હતી. એટલું જ નહીં તેને બળજબરીથી પેશાબ પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેના પિતાને પણ જાતિસૂચક ગાળો ભાંડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે જવાબ આપ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સહારનપુર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને જવાબ આપતા લખ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી લેવામાં આવી છે. એસપી ગ્રામ્ય સાગર જૈને જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ એસસી એસટી એક્ટ ઉપરાંત બીજી પણ અનેક કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ દેવબંધ પોલીસને સોંપી દેવાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/a-dalit-youth-set-himself-on-fire-in-front-of-the-police-station-on-facebook-live"><strong>દલિત યુવકે પોલીસ સ્ટેશન સામે ફેસબૂક લાઈવ કરી અગ્નિસ્નાન કરી લીધું</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 21 Jun 2024 10:01:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>797</Articleid>
                    <excerpt>મજૂરી કરીને પેટિયું રળતા એક દલિત યુવકે બે દિવસની મજૂરીના બાકી પૈસા માંગ્યા તો માથાભારે તત્વોએ તેને જાહેરમાં ઉઠકબેઠક કરાવી, જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6675015002c0b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6675014fbe1f8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6675014fbe1f8.jpg" length="61640" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભીમયોદ્ધા ભરતભાઈ મર્યા પછી પણ 5 લોકોને નવજીવન આપતા ગયા</title>
                    <link>https://khabarantar.com/bhimyoddha-bharatbhai-continued-to-give-new-life-to-5-people-even-after-his-death</link>
                    <guid>https://khabarantar.com/bhimyoddha-bharatbhai-continued-to-give-new-life-to-5-people-even-after-his-death</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના ગીતામંદિરની પુરાણી સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર ભરતભાઈ પટેલે અંગદાન કરીને બહુજન સમાજને એક નવી રાહ ચીંધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આવેલી પુરાણી સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર ભરતભાઈ પટેલ ઉર્ફે ભલાભાઈને થોડા દિવસ પહેલા બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. એ પછી પાંચ દિવસ સુધી તેઓ જિંદગીનો જંગ લડતા રહ્યા અને પછી અચાનક કોમામાં જતા રહેતા ડોક્ટરે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. એ પછી તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આમ ભીમયોદ્ધા ભરતભાઈના અંગદાન દ્વારા આંખ, કીડની અને લીવરની ગંભીર બિમારીઓ સામે ઝઝુમતા પાંચ લોકોને નવજીવન મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બહુજન સમાજમાં હજુ પણ મનુવાદી પરંપરાઓનું અનુસરણ થતું હોવાથી અંગદાન માટે મૃતકના પરિવારજનો તરત રાજી થતા નથી. એવામાં ભરતભાઈના પરિવારે તેમના મૃત્યુના શોક વચ્ચે પણ પ્રગતિશીલ નિર્ણય લઈને સમાજને અંગદાનની એક નવી દિશા ચીંધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ હતા ભરતભાઈ પટેલ?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આવેલી પુરાણી સોસાયટીમાં રહેતા ભરતભાઈ પટેલ બહુજન સમાજ માટે રાતદિવસ જોયા વિના કામ કરતા સક્રિય કાર્યકર હતા. ગીતામંદિરમાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિનું નાનુંમોટું કોઈપણ કામ અટવાયું હોય, ભરતભાઈ તેમની મદદ માટે કાયમ તૈયાર રહેતા. પછી તે ગટરની સમસ્યા હોય કે સરકારી અધિકારીઓ સામે લડવાનું હોય કે પડોશમાં કોઈ સારોમાઠો પ્રસંગ હોય. બહુજન સમાજના બાળકોના અભ્યાસની તેમને કાયમ ચિંતા રહેતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><strong><a href="https://khabarantar.com/Jai-Ho-to-JAI-BHIM-Donors-Club-Fee-paid-for-poor-students-preparing-for-NEET">JAI BHIM Donors Clubની જય હો! NEETની તૈયાર કરતા ગરીબ વિદ્યાર્થીની ફી ભરી આપી</a></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66725e856c787.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">14મી એપ્રિલે તેઓ બાળકોનો કાર્યક્રમ રાખતા અને તેમાં રમતગમતમાં વિજેતા બાળકોને પ્રોત્સાહક ઈનામ આપી ભણતરની અગત્યતા સમજાવતા. ખૂબ ટૂંકી જિંદગી જીવીને જતા રહેલા ભરતભાઈ મર્યા પછી પણ પાંચ લોકોને અંગદાન થકી નવજીવન આપતા ગયા છે. તેમના અંગદાન થકી પાંચ મુરઝાતી અને મોત સામે ઝઝુમતી વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. એમના આંખોના દાન થકી કોઈના જીવનમાં અજવાળું થયું છે. આંખો, કીડની, લીવર જેવા અંગદાન થકી ભલાભાઈ અને એમના કુટુંબે સમાજમાં એક સર્વોત્તમ કાર્ય કરી સમાજને નવી રાહ ચીંધી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અંગદાન શા માટે જરૂરી છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત જેવા અંધશ્રદ્ધામાં ગળાડૂબ દેશમાં અંગદાન જેવા પ્રગતિશીલ વિચારને હજુ લોકો અપનાવે નહીં તે સમજી શકાય તેવી વાત છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદના જ આંકડાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, દર વર્ષે 4 લાખ લોકો સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. 2 લાખ લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે, જેમાંથી માત્ર 10 હજાર લોકો કીડની મેળવી શકે છે. 50 હજાર લોકોને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે જેમાંથી માત્ર 708 લોકો તે મેળવી શકે છે. 50 હજાર લોકોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે જેમાંથી માત્ર 339 લોકો ને મળે છે. આ આંકડાઓ કેટલા ચોંકાવનારા છે, કોઈ વ્યકતિનું મૃત્યુ સારવાર કે સુવિધાઓના અભાવે થાય તે આઘાતજનક છે. કોઈ વ્યકતિનું મૃત્યુ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ન થવાથી થાય છે તો એમાનાં ઘણાં કારણોમાં એક મુખ્ય કારણ લોકોની અંગદાન માટેની ઉદાસીનતા અને મૃત્યુ કર્મકાંડ સાથે જોડાયેલી ખોટી માન્યતાઓ છે. ડાયલિસિસ મશીન પર રહેનાર વ્યકતિને કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય તો એ મશીનથી છૂટી નોર્મલ લાઈફ પર પાછો ફરી શકે ત્યારે એના માટે નવો જન્મ મળ્યા જેવો અનુભવ થાય. તેવી જ રીતે બીમારી,એક્સિડન્ટ કે બીજા કોઈ કારણસર શરીર ને અંગોની જરૂર પડે અને સમય રહેતા એ મળી જાય એ અનુભવ નવી જિંદગી મળ્યા જેવો હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/Playgrounds-of-sportsmanship-or-burdens-of-discrimination"><strong>ખેલદિલીનાં રમત મેદાનો કે ભેદભાવનાં ભારખાનાં?</strong></a><br></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66725e867550c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે એક વ્યક્તિ પોતાના શરીરના 80 થી 90 ઓર્ગન ડોનેટ કરી શકે. જેમાં હાર્ટ, કિડની, આંખો, સ્વાદુપિંડ, લીવર, હાથ, પગ, ચામડી, નાક, કાન, બોન્સ, સ્નાયુ, ધમની,અંડકોષ, ફેફસા વગેરેનો સમાવેશ થાય છે. એક વ્યક્તિ ઓછામાં ઓછાં 8 લોકોને અંગદાન થકી નવજીવન આપી શકે છે. એટલે અંગદાન કરવાથી મૃતકનો મોક્ષ નહીં થાય, તે નર્કમાં જશે તેવી મનુવાદી માન્યતાઓથી બચીએ અને અંગદાન થકી સમાજને સાચી દિશા ચીંધીએ. જેથી કોઈ વ્યક્તિ અંગદાનની રાહમાં આખી જિંદગી રિબાઈ રિબાઈને મોતને ન ભેટે. ભરતભાઈ અને તેમના પરિવારે જે પહેલ કરી છે, તે બહુજન સમાજે અપનાવવા જેવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/not-kanyadan-the-bride-gives-the-society-rs-donated-2-lakhs">કન્યાદાન નહીં, કન્યાએ સમાજને રૂ. 2 લાખનું દાન કર્યું</a><br></strong></span></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 19 Jun 2024 10:09:38 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 19 Jun 2024 10:09:25 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>788</Articleid>
                    <excerpt>અમદાવાદના ગીતામંદિરની પુરાણી સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર ભરતભાઈ પટેલે અંગદાન કરીને બહુજન સમાજને એક નવી રાહ ચીંધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66725e8618f63.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66725e85dc428.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66725e85dc428.jpg" length="59030" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>13 વર્ષની દલિત સગીરાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી</title>
                    <link>https://khabarantar.com/the-body-of-a-13-year-old-dalit-minor-was-found-half-naked</link>
                    <guid>https://khabarantar.com/the-body-of-a-13-year-old-dalit-minor-was-found-half-naked</guid>
                    <description>
                        <![CDATA[ 13 વર્ષની દલિત સગીરા નિર્જળા પોતાની બહેનપણીઓ સાથે લગ્ન સમારોહ જોવા ગઈ હતી. ત્યાં તરસ લાગતા ડંકીએ પાણી પીવા ગઈ અને બીજા દિવસે જંગલમાંથી લાશ મળી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના ચંદોલી જિલ્લાના નૌગઢ તાલુકાના વિનાયકપુર ગામની ઘટના છે. ગામના જંગલ વિસ્તાર નજીક દલિતોની કઠાર વસ્તીમાં રહેતા રામનિહોર હરિજન(આ શબ્દ પર પ્રતિબંધ હોવા છતાં તેની અટક હરિજન હોવાથી લખવું પડ્યું છે.)ની 13 વર્ષની દીકરી નિર્જળાની અર્ધનગ્ન હાલતમાં ગળામાં પાયજામો વીંટેલી હાલતમાં લાશ મળી આવતા હોબાળો મચી ગયો છે. ઘટનાની જાણ થતા જ ચોતરફથી લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ અને ફોરેન્સિકની ટીમ પણ ત્યાં પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે, કોઈએ નિર્જળા સાથે દુષ્કર્મ કરીને તેણે પહેરેલા પાયજામાથી તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અનિલકુમાર, નાયબ જિલ્લા કલેક્ટર આલોકકુમાર, કૃષ્ણમુરારી શર્માએ ઘટના સ્થળ પર પહોંચીને ગામલોકોના આક્રોશને શાંત પાડીને તેમને સમજાવીને ઘટના સ્થળ પર ફોરેન્સિક ટીમને તેમનું કામ કરવા દેવા માટે સમજાવ્યા હતા. પોલીસે ફોરેન્સિક તપાસ બાદ લાશને કબ્જામાં લઈને નૌગઢ પોલીસ સ્ટેશન તપાસમાં લાગી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Labourers-son-Labourer...-Know-how-much-the-condition-of-common-class-laborers-has-improved-in-14-years-compared-to-Dalits">મજૂરનો દીકરો મજૂર... જાણો દલિતની તુલનાએ સામાન્ય વર્ગના મજૂરોની હાલત 14 વર્ષમાં કેટલી સુધરી?</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66712b52e208d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે નિર્જળા તેની બે બહેનપણીઓ કરીના અને પુષ્પાંજલિ સાથે ગામમાં યોજાયેલા ભાજપના નેતા રાજકુમાર વનવાસીની બહેનના લગ્નના સમારોહમાં ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ જોવા ગઈ હતી. રાતના 1 વાગ્યા આસપાસ તેને તરસ લાગતા તે નજીકમાં આવેલી ડંકીએ પાણી પીવા માટે ગઈ હતી. જો કે તેને ઘણું મોડું થઈ જતા તેની બંને બહેનપણીઓએ તેની શોધખોળ શરૂ કરી હતી. પણ તે મળી નહોતી. એટલે બંને પોતપોતાના ઘરે જઈને સુઈ ગઈ હતી. બીજા દિવસે સવારે નિર્જળાના પરિવારજનોએ તેને શોધવાનું શરૂ કરી દીધું હતું ત્યારે વાસથી 500 મીટર દૂર જંગલમાં અર્ધનગ્ન હાલતમાં નિર્જળાની લાશ મળી આવી હતી. તેના ગળામાં તેણે પહેરેલો પાયજામો ભરાવેલો હતો. અને તેના ફ્રોક પરથી લોહીના છાંટા મળ્યા હતા. જેના પરથી અંદાજ લગાવવામાં આવ્યો હતો કે તેની સાથે દુષ્કર્મ થયું હતું અને પછી તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/For-the-first-time-after-76-years-of-independence,-a-Dalit-bridegroom-mounted-a-horse"> આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66712b65451ae.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિર્જળા મલેવરની માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ 7માં અભ્યાસ કરતી હતી. તેની માતા સુષમા દેવી, એક મોટી બહેન અને 2 નાના ભાઈઓની રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે પોલીસ અધિકારી જિતેન્દ્ર બહાદુર સિંહનું કહેવું છે કે, લાશને કબ્જામાં લઈને અમે એફઆઈઆર નોંધી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી જ નિર્જળાનું મોત ક્યા કારણોસર થયું તેનો ખ્યાલ આવશે. પણ હાલ તો નાનકડા આ ગામના ગરીબ દલિત પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને સમગ્ર દલિત વાસમાં સોંપો પડી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/five-people-hit-the-dalit-youth-saying-why-are-you-playing-magic-on-us"><strong>તું અમારા પર જાદુટોણાં કેમ કરે છે કહી પાંચ લોકોએ દલિત યુવકને ફટકાર્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 18 Jun 2024 12:13:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>782</Articleid>
                    <excerpt>13 વર્ષની દલિત સગીરા નિર્જળા પોતાની બહેનપણીઓ સાથે લગ્ન સમારોહ જોવા ગઈ હતી. ત્યાં તરસ લાગતા ડંકીએ પાણી પીવા ગઈ અને બીજા દિવસે જંગલમાંથી લાશ મળી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66712b374d4a5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66712b3718c92.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66712b3718c92.jpg" length="136044" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;કેમ ખેતરમાં વાડ કરવા આવતો નથી?&amp;quot; કહીને દલિત યુવકને પતાવી દીધો</title>
                    <link>https://khabarantar.com/why-dont-you-come-fence-the-field-satisfied-the-dalit-youth-by-saying</link>
                    <guid>https://khabarantar.com/why-dont-you-come-fence-the-field-satisfied-the-dalit-youth-by-saying</guid>
                    <description>
                        <![CDATA[ દલિત ખેતમજૂરે માથાભારે તત્વોના ખેતરની વાડ કરવાનો ઈનકાર કરી દીધો તો ત્રણ લોકોએ મળી પથ્થર, લાકડીઓથી તેના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો દલિતો, આદિવાસીઓને પોતાના ગુલામ સમજતા હોય છે. તેમના મનમાં એવી માનસિકતા ઘર કરી ગઈ હોય છે કે, આ લોકો તો આપણા ગુલામ કહેવાય અને તેઓ જો આપણી આજ્ઞાનું પાલન ન કરે તો તેમને મારવા એ આપણો હક છે. તુલસીદાસની રામચરિત માનસની એક ચોક્કસ ચોપાઈને અનુસરતો આ વર્ગ પોતાને સર્વોપરી માનતો હોય છે. તુલસીદાસની રામચરિત માનસમાં કહેવાયું છે કે, ઢોર, ગંવાર, શુદ્ર, પશુ ઔર નારી, સબ તાડન કે અધિકારી. કટ્ટર જાતિવાદી એવા ઉત્તર ભારતના હિન્દી પટ્ટાએ રામચરિત માનસની આ ચોપાઈને જાણે અતિગંભીરતાથી લીધી હોય તેમ દરરોજ અહીં એવી કોઈને કોઈ ઘટના બનતી રહે છે, જેમાં સાવ સામાન્ય બાબતમાં પણ જાતિવાદી તત્વો દલિતો, આદિવાસીઓને મનફાવે તેમ માર મારે છે, હેરાન કરે છે અને ખૂન પણ કરી નાખે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો જાહેર નળ પરથી પાણી પીવે, પોતાના પૈસે નવું ઘર, ઓફિસ કે વાહન ખરીદે, બ્રાન્ડેડ કપડાં પહેરે, ડીજે સાથે વરઘોડો કાઢે આ બધી જ બાબતો જાતિવાદી તત્વોને ખટકતી હોય છે. મૂછો રાખવાને જાણે પોતાના જ બાપદાદાનો અધિકાર સમજતા તત્વો દલિત યુવકો જો મૂછો રાખે તો પણ તેની સાથે મારામારી કરવા ઉતરી આવે છે. સમસ્યા એ છે કે, સંસદથી લઈને સરપંચ સુધી જાતિવાદી તત્વો જ સત્તામાં બેઠા હોઈ, આવી ઘટનાઓ ઘટે ત્યારે તેઓ પીડિત દલિત પરિવારની સામે ઉભા રહી જઈને જાતભાઈનો બચાવવા માટે તમામ તાકાત લગાવી દે છે. પરિણામે પીડિત દલિતો માટે ન્યાય મેળવવો કપરો બની જાય છે અને તેઓ ભાંગી પડે છે. જેનું પરિણામ એ આવે છે કે જાતિવાદ અને જાતિવાદી તત્વો વધુ ઘાતકી બની જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવી જ ઘટના હાલ સામે આવી છે, જેમાં માથાભારે તત્વોએ એક દલિત યુવકને ફક્ત એટલા માટે મારી નાખ્યો, કેમ કે તેણે તેમના ખેતરમાં કાંટાની વાડ કરવા જવાનો ઈનકાર કરી દીધો હતો. યુવકને માથાભારે તત્વો ઘણાં દિવસથી તેમના ખેતરમાં વાડ કરી જવા માટે કહેતા હતા, પણ યુવક કોઈ કારણોસર જતો નહોતો. જેનો ખાર રાખીને આ લોકોએ કામથી બહાર જઈ રહેલા યુવકનો રસ્તો રોક્યો હતો અને તેને લાકડીઓ, દંડા તથા પથ્થરોથી માર મારીને પતાવી દીધો હતો. એ પછી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હવે તેમના પર એફઆઈઆર નોંધાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-youth-set-himself-on-fire-in-front-of-the-police-station-on-facebook-live">દલિત યુવકે પોલીસ સ્ટેશન સામે ફેસબૂક લાઈવ કરી અગ્નિસ્નાન કરી લીધું</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_667105d1466e7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદના એપીસેન્ટર અને ધર્માંધ ઉત્તરપ્રદેશનો છે. અહીં બાંદા જિલ્લાના ગિરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઘુરોડા ગામમાં રત્નેશ શ્રીવાસ નામનો દલિત યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. રત્નેશ ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘટના ઘટી એ દિવસે તે સવારે ઘરથી દૂર આવેલા તેની દાદીના ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં તેને રામલખન તિવારી, ગંગા પ્રસાદ તિવારી અને તેનો ભત્રીજો સ્નેહકુમાર ઉર્ફએ ચૂન્નુ તિવારી મળી ગયા. તેમણે રત્નેશનો રસ્તો આંતરીને તેને "તું કેમ અમારા ખેતરમાં વાડ કરવા નથી આવતો?" તેમ કહીને તેના પર લાકડીઓ, દંડા અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. હોબાળો થતા પડોશીઓ ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા, જેમને જોઈને ત્રણેય હુમલાખોરો રત્નેશને જેમનો તેમ છોડીને નાસી છુટ્યા હતા. જતા પહેલા તેઓ પડોશીઓને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ગયા હતા. આ હુમલામાં રત્નેશ શ્રીવાસ ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેના પરિવારજનો તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રત્નેશના પિતા શીવકરણે જણાવ્યું હતું કે, "ગામનો રામલખન તિવારી રત્નેશને તેના ખેતરમાં બાવળના કાંટાની વાડ અને લોખંડના તારની કાંટાળી વાડ કરી જવા માટે કહેતો હતો. પણ રત્નેશ પાસે સમય ન હોવાથી તેણે વાડ કરી દેવા માટે ઈનકાર કરી દીધો હતો. ત્યારથી રામલખન રત્નેશ પર ગુસ્સે ભરાયેલો હતો અને તેની સાથે માથાકૂટ કરવાની તકની રાહ જોતો હતો. ગઈકાલે રત્નેશ તેની દાદીના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રામલખને તેનો જોયો હતો અને તે તરત તેના સાગરિતોને લઈને રત્નેશનો પીછો કરતો પહોંચી ગયો હતો અને તેની સાથે તારની વાડ કરવાને લઈને માથાકૂટ કરી તેના પર ઘાતક હથિયારો લઈને તૂટી પડ્યા હતા. હવે મારો દીકરો તો હયાત નથી, પણ આ માથાભારે તત્વોને કડક સજા થાય તો જ તેને ન્યાય મળ્યો ગણાશે.?</span><br><span style="font-size: 14pt;">ગિરવા પોલીસ સ્ટેશનના પીઆઈ રાકેશ તિવારીએ જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓની તેમના ગામમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. ટૂંક સમયમાં તપાસ પૂર્ણ કરીને ત્રણેય આરોપીઓને કડક સજા અપાવવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/five-people-hit-the-dalit-youth-saying-why-are-you-playing-magic-on-us">તું અમારા પર જાદુટોણાં કેમ કરે છે કહી પાંચ લોકોએ દલિત યુવકને ફટકાર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 18 Jun 2024 10:01:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>781</Articleid>
                    <excerpt>દલિત ખેતમજૂરે માથાભારે તત્વોના ખેતરની વાડ કરવાનો ઈનકાર કરી દીધો તો ત્રણ લોકોએ મળી પથ્થર, લાકડીઓથી તેના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667105d0dcb38.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667105d0ae818.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667105d0ae818.jpg" length="78575" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકે પોલીસ સ્ટેશન સામે ફેસબૂક લાઈવ કરી અગ્નિસ્નાન કરી લીધું</title>
                    <link>https://khabarantar.com/a-dalit-youth-set-himself-on-fire-in-front-of-the-police-station-on-facebook-live</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-youth-set-himself-on-fire-in-front-of-the-police-station-on-facebook-live</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં પોલીસે પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી દલિત યુવકની મોકાની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. પોલીસ તે પરત નહોતી કરતી, યુવકે જાતને આગ ચાંપી દીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રહેલી છે તે પોલીસ જ જ્યારે રક્ષક મટીને ભક્ષક બની જાય ત્યારે સામાન્ય માણસ માટે ન્યાય મેળવવો મુશ્કેલ બની જતો હોય છે. બધી લડત આપ્યા પછી પણ જ્યારે ન્યાય ન મળે ત્યારે માણસ જીવ કાઢી નાખતા પણ અચકાતો નથી. સૌ જાણે છે કે, આજના સમયમાં જમીનનું કેટલું મહત્વ રહેલું છે. એમાં પણ એક દલિત વ્યક્તિ પાસે જ્યારે મોકાની જમીન હોય ત્યારે માથાભારે તત્વો તેને પડાવી લેવા માટે સતત પેંતરાઓ રચતા રહેતા હોય છે. કંઈક આવું જ એક ગામમાં બન્યું હતું. જ્યાં પોલીસ સ્ટેશનની નજીક આવેલી એક દલિત યુવકની મોકાની જમીન પર ખુદ પોલીસ અધિકારીઓએ જ મળીને ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. આ મામલે દલિત યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પણ કોઈ તેનું સાંભળનાર નહોતું. આખરે કંટાળીને યુવકે પોલીસ સ્ટેશનની સામે જ ફેસબૂક લાઈવ કરીને પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. યુવકના આવા પગલાથી હોબાળો મચી ગયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં થોડા દિવસની સારવાર બાદ તેનું મોત થઈ ગયું હતું. આ મામલે તેની પત્ની છેલ્લાં એક વર્ષથી ન્યાય માટે સંઘર્ષ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકની પત્ની ન્યાય માટે લડી રહી છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ અને ગુંડાગીરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં બલરામપુર જિલ્લાના ગૈડાસ બુઝુર્ગ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર દલિત યુવકની જમીન બળજબરીથી પડાવી લેવાનો આરોપ લાગ્યો છે. પીડિત યુવકે આ મામલે ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. આથી કંટાળીને તેણે પોલીસ સ્ટેશનની સામે જ પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. જેના કારણે તે શરીરે ગંભીર રીતે દાઝી જતા તેનું મોત થયું હતું. આ મામલે યુવકની પત્નીએ કોર્ટમાં ધા નાખી છે. કોર્ટે આ કેસમાં SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. જે બાદ સરકારે કડક વલણ અપનાવ્યું છે અને રેલવેના એડીજીના નેતૃત્વમાં બે સભ્યોની એસઆઈટી નીમી તપાસ કરી રહી છે. તેમની સાથે ત્રણ સભ્યોની નવી કમિટી પણ સમગ્ર મામલાની તપાસ કરશે. હાઈકોર્ટે આ મામલે સમિતિ પાસેથી ઓગસ્ટમાં બંધ કવરમાં રિપોર્ટ માંગ્યો છે. એવું માનવામાં આવે છે કે જૂન અને જુલાઈમાં તપાસ પૂર્ણ થઈ જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/A-boar-has-been-cut-to-death-on-the-railway-track-in-front,-pick-it-up..."><strong>"સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને...."</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666fbf3521e29.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિક મુખ્ય સચિવ ગૃહ વતી હવે પોલીસ મહાનિરીક્ષક, વિજિલન્સ એસ્ટાબ્લિશમેન્ટ મંઝિલ સૈનીની અધ્યક્ષતામાં ગોંડાના પોલીસ અધિક્ષક રાધેશ્યામ રાય અને બહરાઈચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ રંજન શ્રીવાસ્તવની એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા ખાનગી કોમર્શિયલ જમીન પર કબ્જો કરવાના આરોપોની નિષ્પક્ષ તપાસ કરવાની રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વહીવટીતંત્ર અને પોલીસની અગાઉની તપાસ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે પોલીસે જમીન પર કબ્જો કર્યો હતો. તેથી જ દલિત યુવક રામ બુઝારતે આત્મહત્યા કરી હતી. એ પછી પણ યોગ્ય કાર્યવાહીના અભાવે મૃતકની પત્ની કુસુમા ન્યાય માટે સંઘર્ષ કરી રહી છે. તેની અરજી પર હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક વર્ષ પહેલાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખી ઘટના એક વર્ષ પહેલાની છે. 23 ઓક્ટોબર 2023ના રોજ ગૈડાસ બુઝુર્ગ પોલીસ સ્ટેશનનું બાંધકામ પૂર્ણ થયા બાદ તેની હદની બહાર આવેલી ખાનગી કોમર્શિયલ જમીન પર થાંભલા ખોડીને દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન દલિત યુવક રામ બુઝારતની હતી. તેણે આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી પણ તેનું કોઈએ સાંભળ્યું નહોતું. જેનાથી વ્યથિત થઈને રામ બુઝારતે 24 ઓક્ટોબર 2023ના રોજ ફેસબૂક પર લાઈવ આત્મહત્યા કરી લીધી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં 30 ઓક્ટોબરે સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. એ દરિયાન વહીવટી તંત્ર અને પોલીસની તપાસમાં પોલીસ સ્ટેશનના તત્કાલિન વડાની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. એટલું જ નહીં કલેક્ટરે સમગ્ર મામલાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જમીન અંગેનો સિવિલ દાવો પેન્ડિંગ હતો અને કોર્ટમાંથી કમિશન પણ લેવામાં આવ્યું છે. તેમ છતાં પોલીસે રામ બુઝારતની જમીન પર કબજો કરી લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસને બચાવવા અનેક રમતો રમાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામ બુઝારતની આત્મહત્યાના આ કેસમાં જવાબદાર પોલીસકર્મીઓને બચાવવા માટે અનેક પેંતરાઓ રચવામાં આવ્યા હતા. તપાસમાં આખો મામલો સ્પષ્ટ થઈ ગયા પછી પણ સમગ્ર તપાસ બહરાઈચમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પીડિતા કુસુમાને ફસાવવા માટે ચૂંટણીના એક દિવસ પહેલા કલેક્ટરને એક રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જેના પર તેમણે તપાસ હાથ ધરીને એસપીને પત્ર લખીને કડક જવાબ આપ્યો હતો. હવે એસઆઈટીની તપાસના આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, રામ બુઝારિયાની કોમર્શિયલ જમીન પર પોલીસે ગેરકાયદે દબાણ કરીને કબ્જો જમાવી લીધો હતો, એટલે જ તે અગ્નિસ્નાન કરવા માટે મજબૂર થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/in-bhavnagar-adhed-committed-suicide-by-taking-a-fire-bath-before-kuldevi"><strong>ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી</strong></a></span></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 17 Jun 2024 10:18:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>776</Articleid>
                    <excerpt>એક ગામમાં પોલીસે પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી દલિત યુવકની મોકાની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. પોલીસ તે પરત નહોતી કરતી, યુવકે જાતને આગ ચાંપી દીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666fbf1a47fc8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666fbf1a1a55a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666fbf1a1a55a.jpg" length="70300" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ફ્રી શીપ કાર્ડમાં SC માટેની આવક મર્યાદા 2.5 થી વધારી 8 લાખ કરવા માંગ</title>
                    <link>https://khabarantar.com/demand-to-increase-income-limit-for-sc-in-free-sheep-card-from-two-lakh-fifty-thousand-to-eight-lakhs</link>
                    <guid>https://khabarantar.com/demand-to-increase-income-limit-for-sc-in-free-sheep-card-from-two-lakh-fifty-thousand-to-eight-lakhs</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની અતિમહત્વની ફ્રી શીપ કાર્ડ યોજનાની આવક મર્યાદા રૂ. 2.5 લાખથી વધારીને રૂ. 8 લાખ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં વિવિધ જાતિઓ માટેની યોજનાઓમાં દરેક મોરચે કાટલાં કેવા અલગ અલગ છે અને કેવું લહેરિયું ખાતું ચાલે છે તેનું સૌથી મોટું ઉદાહરણ રાજ્ય સરકારની ફ્રી શીપ કાર્ડ યોજના છે. આ યોજનામાં એકબાજુ ઓબીસી વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા રૂ. 8 લાખ સુધીની છે, જ્યારે એ જ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની આવક મર્યાદા રૂ. 2.5 લાખ નક્કી કરવામાં આવી છે. આભડછેટ જેવી સામાજિક બદ્દીઓને કારણે અનુસૂચિત જાતિ સમાજ આર્થિક અને સામાજિક ક્ષેત્રે ઓબીસી સમાજ કરતા પણ ક્યાંય પછાત જીવન જીવવા મજબૂર છે ત્યારે સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ફ્રી શીપ કાર્ડ યોજનાની આવક મર્યાદા 2.5 લાખ રાખી છે. જેના કારણે અનુસૂચિત જાતિના સેંકડો ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય છે. આ અન્યાયી મામલે હવે મુખ્યમંત્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી અને સમાજ કલ્યાણ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે આ મામલે મુખ્યમંત્રી કાર્યાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા તથા તેમના વિભાગના અધિક સચિવ સુનયના તોમર અને અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંતિભાઈએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, "રાજ્યમાં અનુસૂચિત જાતિના લાખો વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી રાજ્યની અલગ અલગ કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ માટે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ મેળવી કોલેજોની લાખો રૂપિયાની મોંઘી ફીની માફીનો લાભ મેળવે છે. અનુસૂચિત જાતિના આ વિદ્યાર્થીઓની ફી સરકાર ભરે છે. આ યોજના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની અને આશીર્વાદ સમાન છે. આ યોજનામાં રાજ્ય સરકારના સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે હાલ રૂ. 2.5 લાખની આવક મર્યાદા રાખેલ છે. જેનાથી એસસી સમાજના હજારો વિદ્યાર્થીઓ તેના લાભથી વંચિત રહી જાય છે. ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ માટે તમામ યોજનાઓમાં રૂ. 8(આઠ) લાખની આવક મર્યાદા નક્કી કરી હોય તો અનુસૂચિત જાતિના વિધાર્થીઓ સાથે આવો ભેદભાવ કેમ રાખવામાં આવે છે તે સમજથી બહાર છે. અમારી માંગણી છે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ સાથે થતો ભેદભાવ દૂર કરવામાં આવે અને ફ્રી શીપ કાર્ડમાં આવક મર્યાદા તાત્કાલિક વધારવામાં આવે. રાજ્યમાં રૂ. 8(આઠ) લાખની આવક મર્યાદામાં આવતા તમામ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આ ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ મળે તે માટે તાત્કાલિક વિના વિલંબે રાજ્ય સરકારે નિર્ણય લઈ નવો પરિપત્ર કરવો તેવી વિનંતી છે. રાજ્યમાં હાલ ધોરણ 12 અને ધોરણ 10 નું પરિણામ આવી ગયું છે ત્યારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ 2.5 લાખની આવક મર્યાદાના કારણે આ યોજનાના લાભથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી નવી આવક મર્યાદા રૂ. આઠ લાખ નક્કી પરિપત્ર કરવા વિનંતી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Is-there-any-poverty-alleviation-plan-in-reserve">શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666d563dc9986.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે અરજીકર્તા કાંતિલાલ પરમારે ખબરઅંતર.કોમને જણાવ્યું હતું કે, "છેલ્લાં ઘણાં સમયથી ફ્રી શીપ કાર્ડ યોજનામાં અનુસૂચિત જાતિ સમાજ સાથે થઈ રહેલો અન્યાય મારી નજરમાં હતો. તમે જુઓ કે, ઓબીસી સમાજ માટેની યોજનાઓમાં રાજ્ય સરકારે આવક મર્યાદા રૂ. 8 લાખ રાખી છે. પણ તેનાથી પણ નબળી આર્થિક-સામાજિક પરિસ્થિતિમાં જીવતા અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે તેમણે ફ્રી શીપ કાર્ડ જેવી અતિ મહત્વની યોજનામાં આવક મર્યાદા રૂ. 2.5 લાખ રાખી છે. મતલબ ઓબીસી સમાજનો વિદ્યાર્થી 8 લાખની આવક સુધી ગરીબ અને અનુસૂચિત જાતિનો વિદ્યાર્થી 2.5ની આવકે ગરીબ? આ અન્યાય કોઈ કાળે સાંખી લેવાય તેમ નહોતો. આથી મેં આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, તેમના અધિક સચિવ સુનયના તોમર અને સમાજ કલ્યાણ વિભાગને લેખિતમાં અરજી કરી છે. આ મામલે જે કંઈપણ કરવાનું થશે તે તમામ મોરચે લડત આપવાની અમારી તૈયારી છે."</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/exclusive-national-scheduled-caste-commission-office-in-ahmedabad-rambharos-ninety-percent-staff-reduction">અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામ ભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 15 Jun 2024 14:30:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>770</Articleid>
                    <excerpt>ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની અતિમહત્વની ફ્રી શીપ કાર્ડ યોજનાની આવક મર્યાદા રૂ. 2.5 લાખથી વધારીને રૂ. 8 લાખ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666d563e935f1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666d563e622b9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666d563e622b9.jpg" length="107365" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Free ship card income limit</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાત્રે એક ફોન આવ્યો અને સવારે દલિત સરપંચની લાશ કૂતરું ચાટતું હતું...</title>
                    <link>https://khabarantar.com/a-call-came-in-the-night-and-in-the-morning-the-dog-was-licking-the-body-of-dalit-sarpanch</link>
                    <guid>https://khabarantar.com/a-call-came-in-the-night-and-in-the-morning-the-dog-was-licking-the-body-of-dalit-sarpanch</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામના દલિત સરપંચને રાત્રે એક ફોન આવે છે અને તેઓ ઘરેથી બહાર જાય છે, એ પછી તેઓ ઘરે પરત આવતા નથી. સવારે મેદાનમાં પડેલી તેમની લાશને કૂતરું ચાટતું હોય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત કે આદિવાસી સમાજની વ્યક્તિ બંધારણીય રીતે ચૂંટાયેલા હોદ્દા પર હોય તો પણ તેના જીવને જોખમ ઓછું થતું નથી. માથાભારે તત્વો ગ્રામ પંચાયતથી લઈને છેક સંસદ સુધી દલિત, આદિવાસીને હેરાન કરવાનું ચૂકતા નથી. તેમને ખૂલ્લેઆમ ધમકી આપવામાં પણ આવા તત્વોને કાયદો વ્યવસ્થાનો ડર લાગતો નથી. જેના કારણે દલિત બહુજન સમાજના આવા અનેક લોકોએ જીવ ગુમાવ્યાના દાખલાઓ આપણી સામે મોજૂદ છે. ખાસ કરીને ગામડાઓમાં કોઈ દલિત બહુજન સમાજની વ્યક્તિ જો સરપંચ બની જાય તો માથાભારે તત્વોથી તે સહન થતું નથી. તેઓ યેનકેન પ્રકારે તેને આ હોદ્દા પરથી દૂર કરવાના પેંતરાઓ રચતા રહે છે. એમાંય મામલો જો જમીનનો કે આર્થિક હોય, તો તેના માટે તેઓ કોઈપણ હદે જતા ખચકાતા નથી. એવા અનેક કિસ્સાઓ મોજૂદ છે, જેમાં ચૂંટાયેલા દલિત સરપંચને ગામના માથાભારે તત્વો તેમની મરજી મુજબ કામ કરવા માટે દબાણ કરતા હોય અને જો સરપંચ તેમનું કહ્યું ન માને તો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાથી લઈને તેમના પર હુમલો કરવો, ધાક-ધમકી આપવા સુધીના રસ્તાઓ અપનાવાય છે. આવા મામલાઓમાં સરપંચના હાથપગ ભાંગી નાખવાથી લઈને તેમના ખૂન થઈ ગયાના પણ ઉદાહરણો મળે છે. આવો જ વધુ એક ચકચારી મામલો સામે આવ્યો છે. જેમાં એક દલિત સરપંચના મોબાઈલ ફોન પર રાત્રે એક વ્યક્તિનો ફોન આવે છે અને તેઓ વાત કરતા કરતા ઘરેથી બહાર નીકળે છે અને પછી આખી રાત પરત નથી ફરતા. એ પછી તેમનો મોટો દીકરો વહેલી સવારે તેમને શોધવા નીકળે છે ત્યારે એક બાળક આવીને તેને કહે છે કે, તારા પિતાજીની લાશ કોલેજના મેદાનમાં પડી છે અને કૂતરા તેને ચાટી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિહારના જંગલરાજની વધુ એક ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ગુંડાગરદી અને જાતિવાદ માટે ઉત્તરપ્રદેશ જેટલા જ કુખ્યાત એવા બિહારનો છે. અહીંના નવાદામાં કાયદો વ્યવસ્થાના ચીંથરાં ઉડાડી દેતી એક ઘટના સામે આવી છે. જેમાં એક ગામના દલિત સરપંચની કોઈએ ગોળી મારીને હત્યા કરી દીધી અને લાશ મેદાનમાં ફેંકીને જતા રહ્યાં જેને કૂતરાં ચાટતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/Gandhis-Gujarat-top-in-dalit-atrocities,-total-5588-incidents-of-dalit-atrocities-reported-in-last-4-years"><strong>ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ</strong></a><br></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666d186b49266.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના નવાદા જિલ્લાના પકરીબરાવા પોલીસ સ્ટેશનના બુધોલી ગામની છે. અહીં ગ્રામ પંચાયતના દલિત સરપંચ પપ્પુ માંઝીને કોઈએ માથામાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધાં અને તેમની લાશને ગામથી દૂર આવેલી કોલેજના મેદાનમાં ફેંકીને જતા રહ્યાં હતા. હત્યારા કોણ છે તેનો હજુ સુધી કોઈ પતો નથી. આ ઘટનાએ બિહારને મળેલી જંગલરાજની ઉપમાને ફરી એકવાર સાબિત કરી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને અનેક ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવા માટે બુધોલી પહોંચ્યા હતા. આ ઘટનાથી બિહારની નીતિશકુમાર સરકાર પર કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઉછી રહ્યાં છે, કે અહીં એક ગ્રામ પંચાયતનો ચૂંટાયેલો સરપંચ સુરક્ષિત નથી, તો સામાન્ય નાગરિકની તો વાત જ શી કરવી. ઘટનાની જાણ થતા પકરીબરાવા SDPO મહેશ ચૌધરી, BDO નીરજકુમાર ઉપરી પોલીસ અધિકારી મનીષકુમાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાત્રે ફોન આવ્યો અને બહાર ગયા પછી પરત ન આવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાને લઈને મૃતક પપ્પુ માંઝીના મોટા દીકરાએ જણાવ્યું હતું કે, પરમ દિવસે ગુરૂવારે રાત્રે 9 વાગ્યા આસપાસ તેઓ ફોન પર વાત કરતા કરતા ઘરેથી બહાર ગયા હતા. એ પછી તેઓ ઘરે પરત આવ્યા નહોતા. એટલે બીજા દિવસે વહેલી સવારે તે તેના પિતાને શોધવા માટે બહાર નીકળ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Gujarat-ranks-first-in-country-in-custodial-deaths,-80-accused-died-in-police-custody-in-last-5-years"> <span style="font-size: 14pt;">કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, છેલ્લાં 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીઓના મોત થયા</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666d186aba276.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન એક નાના છોકરાએ આવીને તેને જણાવ્યું હતું કે, રામધણીપુરી ઈન્ટર કોલેજ પાસેના મેદાનમાં કોઈની લાશને કૂતરું ચાટી રહ્યું છે. પછી ખબર પડી કે તે તેના પિતાની લાશ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૃતક સરપંચને પાંચ નાના બાળકો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકની ઓળખ થયા બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ગામલોકો ડોગ સ્ક્વોડ બોલાવીને હત્યારાઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યાં છે. દુઃખની વાત એ છે કે, મૃતક પપ્પુ માંઝીને પાંચ નાના બાળકો છે અને હવે તેમનો આધાર છીનવાઈ ગયો છે. સ્થાનિકો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે પપ્પુ માંઝી બીજી વાર બુધોલી ગ્રામ પંચાયતના સરપંચ પદે ચૂંટાઈ આવ્યા હતા. બુધોલી ગ્રામ પંચાયતની પૂર્વ સરપંચ વસંતી દેવીના મૃત્યુ બાદ વર્ષ 2018માં થયેલી પેટાચૂંટણીમાં પપ્પુ માંઝી સરપંચ બન્યા હતા. એ પછી ફરી 2021માં થયેલી સરપંચની ચૂંટણીમાં બીજીવાર ચૂંટાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે. પરિવાર તરફથી કોઈ સંકેત ન મળતા પોલીસ અલગ અલગ એન્ગલથી તપાસ કરી રહી છે. પોલીસ એ શખ્સનો પતો લગાવી રહી છે જેના ફોન કરવા પર સરપંચ પપ્પુ માંઝી રાત્રે પોતાના ઘરેથી બહાર ગયા હતા. તેમના ફોનની કોલ ડિટેઈલ પોલીસ તપાસી રહી છે. સાથે જ તેમની આસપાસના લોકો અને પરિવારજનો પાસેથી પણ જાણકારી મેળવાઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/Even-though-there-is-no-provision-in-the-law-to-seek-permission-from-the-government-to-file-a-chargesheet-under-the-Atrocities-Act,-the-police-do-not-file-a-chargesheet-for-that-offence.-Why"><strong>એટ્રોસિટી એક્ટ મુજબ ચાર્જશીટ કરવા માટે સરકારની પરવાનગી લેવાની કાયદામાં કોઈ જોગવાઈ ન હોવા છતાં પોલીસ તે ગુના માટે ચાર્જશીટ નથી કરતી. કેમ?</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 15 Jun 2024 10:05:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>767</Articleid>
                    <excerpt>એક ગામના દલિત સરપંચને રાત્રે એક ફોન આવે છે અને તેઓ ઘરેથી બહાર જાય છે, એ પછી તેઓ ઘરે પરત આવતા નથી. સવારે મેદાનમાં પડેલી તેમની લાશને કૂતરું ચાટતું હોય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666d184387a77.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666d184353c1b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666d184353c1b.jpg" length="90879" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>તું અમારા પર જાદુટોણાં કેમ કરે છે કહી પાંચ લોકોએ દલિત યુવકને ફટકાર્યો</title>
                    <link>https://khabarantar.com/five-people-hit-the-dalit-youth-saying-why-are-you-playing-magic-on-us</link>
                    <guid>https://khabarantar.com/five-people-hit-the-dalit-youth-saying-why-are-you-playing-magic-on-us</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં બિમાર દીકરી માટે દવા લેવા ગયેલા દલિત યુવકને માથાભારે તત્વોએ &#039;તું કેમ અમારી પર જાદુટોણાં કેમ કરે છે?&#039; કહીને માર મારીને બગીચામાં ફેંકી દીધો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ સમાજના લોકોને માર મારવા માટે માથાભારે તત્વો કોઈપણ બહાનું કાઢી શકે છે. આવા જ એક વિચિત્ર બહાના હેઠળ એક ગરીબ દલિત યુવકને ગામના પાંચ માથાભારે તત્વોએ મળીને માર માર્યો હતો. દબંગોએ પીડિત યુવકને એટલો માર્યો હતો કે તે બેભાન થઈને લોહીલુહાણ હાલતમાં બગીચામાં ઢળી પડ્યો હતો. સાંજ પડવા છતાં યુવક ઘરે ન આવતા તેના પરિવારજનોને તેની શોધખોળ કરવાનું શરુ કર્યું હતું અને કોઈએ યુવક લોહીલુહાણ હાલતમાં એક બગીચામાં પડ્યો હોવાનું જણાવતા પરિવાર ત્યાં પહોંચ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે યુવકની પત્નીએ ગામના પાંચ લોકો વિરુદ્ધ જાનથી મારી નાખવાની કોશિશની ફરિયાદ નોંધાવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ઉત્તરપ્રદેશના કૌશાંબી જિલ્લાના ગિરિયા ખાલસા ગામનો છે. આ ગામ પિપરી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. મળતી માહિતી પ્રમાણે ગામમાં રહેતો મનોજ સરોજ નામના દલિત યુવકને ગામના માથાભારે તત્વોએ માર મારીને અધમૂઓ કરી નાખ્યો હતો. લોહીથી લથપથ હાલતમાં તેને બગીચામાં છોડીને જતા રહ્યા હતા. જેની જાણ તેના પરિવારજનોને થતા તેમણે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનોજ સરોજ ગિરિયા ખાલસા ગામમાં ખેતમજૂરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રે મનોજની દીકરીની તબિયત સારી ન હોવાથી તે તેના માટે દવા લેવા બજારમાં ગયો હતો. જો કે અડધી રાત થઈ જવા છતાં તે પરત ન આવતા તેની પત્ની સહિતના પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન કોઈએ તેમને જણાવ્યું કે, મનોજ ગામના બગીચામાં લોહીલુહાણ હાલતમાં પડ્યો છે. આથી પરિવાર ત્યાં પહોંચ્યો હતો અને જોયું તો મનોજ અધમૂઓ થઈ ગયો હતો અને તેના હાથપગ અને માથામાંથી ઘણું લોહી વહી રહ્યું હતું. તાત્કાલિક તેની પત્નીએ પોલીસને જાણ કરી, એમ્બ્યૂલન્સ બોલાવીને મંઝનપુર મેડિકલ કોલેજ લઈને પહોંચી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/three-workers-died-of-poisonous-gas-after-entering-the-drain-without-safety-equipment">સુરક્ષા સાધનો વિના ગટરમાં ઉતરેલા ત્રણ કામદારોના ઝેરી ગેસથી મોત</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666ab6263ab43.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે મનોજે તેની પત્ની સુમન અને પોલીસને જણાવ્યા પ્રમાણે ગામના પાંચ માથાભારે લોકો મનોજ જ્યારે દવા લઈને બજારમાંથી પરત ઘરે આવી રહ્યો હતો ત્યારે તેના પર તૂટી પડ્યા હતા. અને તેને લાકડીઓ-દંડા સહિત અન્ય ધારદાર હથિયારોથી ફટકારવા લાગ્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે મનોજ ત્યાં જ ઢળી પડ્યો હતો. એ પછી હુમલાખોરો તેને બગીચામાં છોડીને જતા રહ્યા હતા. હવે આ પાંચેય લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનોજની પત્ની સુમને જણાવ્યું હતું કે, ગામના આ પાંચેય આરોપીએ તેના પતિ પર એમ કહીને હુમલો કર્યો હતો કે, તું અમારા પર જાદુટોણાં કરે છે અને ભૂતપ્રેત દ્વારા અમને હેરાન કરે છે. આરોપીઓએ આવી જ રીતે અગાઉ પણ મનોજને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિવ્ય ભાસ્કર, સુદર્શન ન્યૂઝના રિપોર્ટમાં આરોપીઓના નામ નહીં</span></strong></span><br><span style="font-size: 14pt;">ખબરઅંતર.કોમનો પ્રયત્ન રહ્યો છે કે, દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજ પર થતા અત્યાચારોના કેસોમાં આરોપીઓ કોણ છે તેની લોકોને જાણ થાય. પણ કથિત સવર્ણોને વફાદાર કોર્પોરેટ મીડિયા એટ્રોસિટીના ગંભીર કેસોમાં આરોપીઓના નામ ન લખીને વાચકોને ગેરમાર્ગે દોરે છે. આ કેસમાં પણ દિવ્ય ભાસ્કર અને સુદર્શન ન્યૂઝ સહિતના પોર્ટલ પર તેનો રિપોર્ટ કરાયો છે પરંતુ એકેયમાં આરોપીઓનો કોઈ જ ઉલ્લેખ જોવા મળતો નથી. આવી સ્થિતિમાં દલિતો પર અત્યાચાર કરનાર લોકો કોણ છે, કઈ જાતિના છે તેનો વાચકોને ખ્યાલ જ નથી આવતો. આ રમત સદીઓથી દલિતો, આદિવાસીઓ સાથે રમાતી આવી છે અને હજુ પણ રમાઈ રહી છે. આ સમસ્યાનો કાયમી અને એકમાત્ર ઉપાય એ જ છે કે, સવર્ણોને વફાદાર કોર્પોરેટ મીડિયાને છોડીએ અને ખબરઅંતર.કોમ જેવા બહુજન સમાજના પ્લેટફોર્મને મજબૂત કરીએ. તેના માટે જરૂરી છે કે, તમે ખબરઅંતર.કોમ પરના સમાચારોને નિયમિત રીતે વાંચો, વિચારો અને અન્ય લોકોમાં તેને શેર પણ કરો. આપની આ નાનકડી મદદ ખબરઅંતર.કોમને મજબૂત કરવામાં મદદરૂપ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-elder-was-fatally-attacked-and-died-on-suspicion-of-burning-ashes">ખેતરનું ભૂંસું સળગાવી દેવાની આશંકાએ દલિત વડીલ પર હુમલો થતા મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 13 Jun 2024 14:40:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>759</Articleid>
                    <excerpt>એક ગામમાં બિમાર દીકરી માટે દવા લેવા ગયેલા દલિત યુવકને માથાભારે તત્વોએ &#039;તું કેમ અમારી પર જાદુટોણાં કેમ કરે છે?&#039; કહીને માર મારીને બગીચામાં ફેંકી દીધો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666ab626d87ba.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666ab626aa5d3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666ab626aa5d3.jpg" length="74176" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?</title>
                    <link>https://khabarantar.com/how-much-truth-in-gondal-yard-and-84-village-bandh-in-support-of-ganesh</link>
                    <guid>https://khabarantar.com/how-much-truth-in-gondal-yard-and-84-village-bandh-in-support-of-ganesh</guid>
                    <description>
                        <![CDATA[ ગણેશ ગોંડલની વિરોધમાં આજે ગોંડલમાં દલિતોનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે. જેની સામે ગોંડલ યાર્ડ સહિત 84 ગામોએ બંધ પાળ્યાની વાતો થઈ રહી છે. પણ હકીકત જુદી જ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા વર્ષો પહેલા એક અંગ્રેજી રાષ્ટ્રીય મીડિયાએ દેશભરમાં ક્યા વિસ્તારમાં સૌથી વધુ દલિતો પ્રત્યે અસ્પૃશ્યતા, સૂગ અને જાતિવાદ દાખવવામાં આવે છે તેનો એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં આશ્ચર્યજનક રીતે સૌથી પહેલું નામ રાજકોટનું હતું. એ વખતે ઘણાં લોકોને આશ્ચર્ય થયેલું પણ આજે જે રીતે ગણેશ ગોંડલ જેવા અસામાજિક તત્વોના સમર્થનમાં રાજકોટ પંથકના 84 જેટલા ગામોએ બંધ પાળ્યો છે તેને ધ્યાનમાં રાખીને જોઈએ ત્યારે એ રિપોર્ટમાં રહેલી વાસ્તવિકતા આપણને સમજાય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66695b8faafc8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના છોકરા ગણેશ જાડેજા અને તેના સાગરિતોએ 30મી મેના રોજ જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજના એક યુવકનું અપહરણ કરીને તેને ગોંધી રાખી, નગ્ન કરીને ઢોર માર માર્યો હતો. ગણેશના માતા ગીતાબા જાડેજા ગોંડલના ધારાસભ્ય હોવાથી પોલીસ તંત્ર ગણેશને દિવસો સુધી પકડી શક્યું નહોતું. આખરે અનુસૂચિત જાતિ સમાજનો રોષ વધતા ગણેશની ધરપકડ કરી હતી. જો કે મીડિયાના કેમેરા સામે ગણેશ એટ્રોસિટી અને અપહરણ જેવો ગંભીર ગુનો કર્યો હોવા છતાં જે રીતે હસતો હતો, તે જોતા તેને કાયદો વ્યવસ્થાનો જરાય ડર ન હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. ગણેશના આ વર્તનની સમગ્ર દલિત સમાજે નોંધ લીધી હતી અને એટલે જ ગણેશની વિરુદ્ધમાં આજે જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના દલિત સમાજની જૂનાગઢથી ગોંડલ સુધીની બાઈક રેલી યોજાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-samaj-shakti-will-demonstrate-against-ganesh-jadeja-in-gondal">ગોંડલમાં ગણેશ જાડેજા સામે દલિત સમાજ શક્તિપ્રદર્શન કરશે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66695b8df24c5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સંતોની ભૂમિનું લોકશાહી વિરોધી સ્વરૂપ</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે, સંતોની ભૂમિ કહેવાતા સૌરાષ્ટ્રના ગામડાઓનું અસલ પોત ત્યારે પ્રકાશિત થયું જ્યારે તેમણે અસામાજિક તત્વ એવા ગણેશ ગોંડલના સમર્થનમાં બંધ પાળ્યો. ગણેશ પોતે અસામાજિક તત્વ છે એ બાબત પુરવાર કરવાની જરૂર નથી. તેણે એક દલિત યુવકનું અપહરણ કર્યું, ગોંધી રાખ્યો, જાતિસૂચક ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તે મામલે કેસ નોંધાયો છે અને તે જેલમાં છે. તેમ છતાં તેના સમર્થનમાં 84 ગામડાઓ સ્વયંભૂ બંધ પાળે તે વાત શંકાસ્પદ જણાય છે. જો ખરેખર એવું હોય તો તે શરમજનક કહેવાય. જો તમે ગણેશને સમર્થન કરી રહ્યાં છો તો તમે કાયદો, વ્યવસ્થા અને લોકશાહી સાશન વ્યવસ્થાના વિરોધી છો તેવું લાગે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66695b8e84d73.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગણેશના વિરોધમાં ગોંડલ સુધીની બાઈક રેલી</span></strong></span><br><span style="font-size: 14pt;">આજે વહેલી સવારે અનુસૂચિત જાતિ સમાજના લોકોએ જૂનાગઢથી ગોંડલ સુધીની રેલીનું શરૂ કરી હતી. જેમાં સૂત્રોચ્ચાર કરીને ગણેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ તેને કડકમાં કડક સજા થાય તે માટે માંગ કરવામાં આવી હતી. આજે ગણેશના જ હોમટાઉનમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો મહાસંમેલન યોજીને શક્તિ પ્રદર્શન કરી ગણેશ અને તેના માતાપિતાની ધાકનો જવાબ આપવા નીકળ્યા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66695b8d5cd6e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની બાઈક રેલી જૂનાગઢથી જેતપુર થઈને નવાગઢ પહોંચી હતી. જ્યાં બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરીને આગળ વધી હતી. રેલીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે જૂનાગઢ અને રાજકોટ જિલ્લા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે. રેલી જૂનાગઢના કાળવા ચોકથી શરૂ થઈ છે અને જેતપુર, વીરપુર હાઈવે, જામવાળી ચોકડી ગોંડલ અને ત્યાંથી ડો. આંબેડકર ચોક ગોંડલ પહોંચીને ત્યાં મહાસંમેલનમાં ફેરવાશે. આ રેલીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66695b8bc82f5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">ગણેશના હુમલાનો ભોગ બનનાર જૂનાગઢના યુવક સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, "આજે ગુજરાતભરના દલિતો દ્વારા ગોંડલના ગણેશ જાડેજાના વિરોધમાં જૂનાગઢથી ગોંડલ સુધીની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશે મારા દીકરાને કારણ વિના જ માર મારીને ગોંધી રાખ્યો હતો. તેને નગ્ન કરીને જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કર્યો છતાં પોલીસે તેને ઘણાં દિવસો સુધી પકડ્યો નહોતો કેમ કે તે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો છોકરો છે. મારું એટલું જ કહેવું છે કે, દલિતો પર અત્યાચાર બંધ કરો. જો હવે એવું થશે તો અમે સાંખી નહીં લઈએ."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66695b9038de2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">રાજુ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, ગણેશના પિતા જયરાજસિંહ જાડેજા પણ દૂધે ધોયેલા નથી. તેમણે પીએસઆઈ પર ફાયરિંગ કરેલું. હાલ પણ તે મર્ડરના કેસમાં જામીન પર છે.</span><br><span style="font-size: 14pt;">અપરાધીના સમર્થનમાં ગોંડલ યાર્ડ બંધ રહ્યું</span><br><span style="font-size: 14pt;">ગુજરાતમાં સહકારી સંસ્થાઓ, મંડળીઓ કેવા લોકોના હાથમાં છે તેનો એક નમૂનો દલિતોની આજની બાઈક રેલીના સંદર્ભમાં જોવા મળ્યો છે. સામાન્ય રીતે માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની સમસ્યાઓને લઈને બંધનું એલાન આપતું હોય છે. પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડના સંચાલકોએ આજે ગણેશ જેવા અપરાધીના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગણેશ એટ્રોસિટી જેવા ગંભીર અપરાધનો ગુનેગાર છે એ જાણવા છતાં યાર્ડના સંચાલકોએ તેને સમર્થન જાહેર કર્યું તે જ સાબિત કરે છે કે, ત્યાં કોના માણસો બેઠાં હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/3-people-arrested-in-junagadh-dalit-youth-abduction-case">જૂનાગઢ દલિત યુવકના અપહરણ મામલે ત્રણ લોકોની ધરપકડ</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66695b8f2361d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">બીજી તરફ ગોંડલ પંથકના 84 ગામોએ પણ ગણેશના સમર્થનમાં સ્વયંભૂ બંધ પાળ્યો હોવાની વાત સામે આવી છે. પણ હકીકત તેનાથી જુદી સામે આવી રહી છે. </span><br><span style="font-size: 14pt;">ગોંડલના આધારભૂત સૂત્રો અને પત્રકારો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગણેશના સમર્થનમાં 84 ગામોના બંધનો આખો મામલો ઉપજાવી કાઢેલો છે. હકીકત તો એ છે કે, તેના પિતા જયરાજસિંહની ધાકને કારણે ગોંડલ પંથકના ગામડાઓએ આવું જાહેર કરવું પડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આધારભૂત સૂત્રો શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટના એક સિનિયર પત્રકાર નામ ન આપવાની શરતે જણાવે છે કે, "જયરાજસિંહ જાડેજાની છાપ આ વિસ્તારમાં દબંગ વ્યક્તિની છે. કોઈ વ્યક્તિ તેમની વિરુદ્ધમાં જાય તે તેઓ સાંખી લેતા નથી. ખાસ તો તેમના પત્ની ધારાસભ્ય હોવાથી વહીવટીતંત્ર, સહકારી સંસ્થાઓ, પોલીસ, લોકલ પોલિટિક્સ સહિત દરેક મોરચે તેમની હાક વાગે છે. કોઈ વ્યક્તિ તેમની મરજીથી વિરુદ્ધ જઈ શકે તેમ નથી. એવામાં તેમણે જ પોતાના ટેકેદારો દ્વારા આ આખો માહોલ ઉભો કરાવ્યો છે. ગોંડલમાં તેમની મજબૂત પકડ હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેને પણ તેમની આગળ નમતું જોખીને યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવો પડ્યો છે. બાકી ગણેશે કરેલી મારામારીને યાર્ડની કામગીરીને શું લેવાદેવા હોય? અહીં માલ વેચવા આવતા ખેડૂતને ગણેશ સાથે શું લેવાદેવા હોય કે તે યાર્ડ બંધ રાખીને પોતાનું કામ અટકાવે? આખો મામલો ધાક અને દાદાગીરને લગતો છે. બીજું કે, મીડિયામાં એક આંકડો આપી દેવામાં આવ્યો છે કે 84 ગામોએ સ્વયંભૂ બંધ પાળ્યો. પણ તેમાં પણ તથ્ય નથી, કેમ કે, કોઈ ગણવા જવાનું નથી કે ક્યા 84 ગામોએ બંધ પાળ્યો. મીડિયા પણ બે ત્રણ ગામોના ફોટોગ્રાફ્સ પાડીને કે વીડિયો ઉતારીને બચાવી દે એટલે લોકો માની લેશે. પણ હકીકત જુદી જ છે. ટૂંકમાં આ આખો મામલો અનુસૂચિત જાતિ સમાજના લોકોની મહારેલી સામે ગોંડલ પંથકમાં પોતાની આણ પ્રસ્થાપિત કરવાનો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/ganesh-jadeja-kidnapped-a-dalit-youth-stripped-him-and-beat-him">ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી, કપડાં ઉતરાવી માર માર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 12 Jun 2024 14:16:46 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 12 Jun 2024 14:16:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>754</Articleid>
                    <excerpt>ગણેશ ગોંડલની વિરોધમાં આજે ગોંડલમાં દલિતોનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે. જેની સામે ગોંડલ યાર્ડ સહિત 84 ગામોએ બંધ પાળ્યાની વાતો થઈ રહી છે. પણ હકીકત જુદી જ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66695c5ee5cc8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66695c5eb32e4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66695c5eb32e4.jpg" length="89792" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બોરમાં નહાવા પડેલા દલિત બાળકની વિધવા માતાને દબંગોએ ઢોર માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/the-dabango-beat-up-the-widowed-mother-of-a-dalit-child-who-was-bathing-in-a-bore</link>
                    <guid>https://khabarantar.com/the-dabango-beat-up-the-widowed-mother-of-a-dalit-child-who-was-bathing-in-a-bore</guid>
                    <description>
                        <![CDATA[ ઉનાળાની આકરી ગરમીમાં એક નિર્દોષ દલિત બાળક બાજુમાં આવેલા ખેતરના બોરમાં નહાવા ગયું તો માથાભારે શખ્સોએ તેની વિધવા માતાને માર મારીને અધમુઈ કરી નાખી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોને ક્યારે કઈ બાબતે વાંકુ પડી જાય તે કશું કહી શકાય નહીં. દલિતો પ્રત્યે કાયમ સૂગ અને રોષ ધરાવતા તત્વોને દલિતોને સબક શીખવાડવા માટે જાણે કોઈ બહાનું જ જોઈતું હોય તેવી સ્થિતિ છે. દલિતો મૂછો રાખે, વરઘોડો કાઢે, ડીજે સાથે જાન જોડે, મોંઘી કારમાં બેસે  કે ઘોડો પલાણીને ગામમાંથી નીકળે તો માથાભારે તત્વો અંદરને અંદર બળીને રાખ થઈ જતા હોય છે. દેશનું બંધારણ આ દેશના નાગરિક તરીકે આપણને જે કેટલાક પ્રાકૃતિક અધિકારો આપે છે, તે દલિતો ભોગવે તો પણ જાતિવાદી તત્વોથી સહન થતું નથી. પરિણામે તેઓ પોતાનો અહમ સંતોષવા માટે દલિતો પર હુમલો કરતા ખચકાતા નથી. એ વખતે તેમને જાણે કાયદો વ્યવસ્થાનો પણ કોઈ ડર નથી રહેતો. આવા અનેક બનાવો દેશભરમાં બનતા રહે છે, જેમાના મોટાભાગ બનાવો પોલીસ ચોપડે નોંધાતા જ ન હોવાથી આપણા સુધી પહોંચતા નથી. જે કેટલાક બનાવો પોલીસ ચોપડે નોંધાય છે અને મીડિયા તેની નાની અમથી પણ નોંધ લે તો સ્થાનિક લેવલે તેની નાની અમથી ચર્ચા થયા બાદ આખો મુદ્દો વિસારે પાડી દેવાય છે. એમાં પણ મનુવાદી મીડિયા આરોપીઓના નામ લખતું નથી એટલે આખી ઘટના જાતિવાદની છે તે પણ લોકો સમજી શકતા નથી. પરિણામે દલિત અત્યાચારની આખી ઘટનાની ગંભીરતા ખતમ થઈ જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક આવી જ ઘટના હાલ સામે આવી છે, જેમાં એક દલિત વિધવાને ગામના માથાભારે તત્વોએ માર મારીને અધમૂઈ કરી નાખી. મહિલાનો વાંક ફક્ત એટલો જ હતો કે, તેની જાણ બહાર તેનો નાનો દીકરો તેના ઘરની બાજુમાં આવેલા ખેતરમાં આવેલા પાણીના બોરમાં નહાવા માટે જતો રહ્યો હતો. જેનાથી તેના માથાભારે માલિકને લાગ્યું કે પોતાનું આખું ખેતર અને પાણી અભડાઈ ગયું છે, તેથી તેણે તેના સાગરિતોને લઈને બાળકની માતાને માર માર્યો હતો. માર એટલો અસહ્ય હતો કે તેનાથી મહિલા અધમુઈ થઈ ગઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડી હતી. આ મામલે હવે પોલીસ ફરિયાદ થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિહારના ગયા જિલ્લાની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બિમારું રાજ્ય ગણાતા બિહારનો છે. અહીં ગયા જિલ્લાના શેરઘાટી પોલીસ સ્ટેશનના ફઝલાહા ગામમાં એક માથાભારે શખ્સે દલિત મહિલા સાથે અપમાનજનક વર્તન કર્યું અને તેને માર માર્યો. માર એટલો આકરો હતો કે દલિત મહિલા અધમૂઈ થઈ ગઈ. તેના શરીર પર અનેક જગ્યાએ ઈજાઓ થઈ હતી. આખા મામલામાં મહિલાનો કોઈ વાંક નહોતો. બન્યું હતું એવું કે, મહિલાનો નાનો દીકરો ગરમીને કારણે અકળાઈ રહ્યો હતો અને તે નહાવા માટે તેના ઘરની બાજુમાં આવેલા ખેતરમાં મૂકેલા બોરના પાણીમાં નહાવા માટે ગયો હતો. જેની જાણ ખેતરના માલિકને થતા તેણે મહિલાના દીકરાને અપશબ્દો કહીને કાઢી મૂક્યો હતો. એ પછી તેના માણસો સાથે મળીને તેની માતાને માર માર્યો હતો, જેમાં તે બેભાન થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ઘટના સોમવારે બપોરે બની હતી અને રાત્રે દલિત મહિલાને શેરઘાટીની સરકારી હોસ્પિટલ લઈ જવી પડી હતી. ઘાયલ મહિલાનું નામ કાંતિ દેવી હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીડિતાએ શું કહ્યું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંતિ દેવીએ જણાવ્યું કે, "તેના બાળકો ગરમીના કારણે નજીકમાં આવેલા ખેતરમાં તેની જાણ બહાર નહાવા માટે જતા રહ્યા હતા. એ ખેતરમાં સિંચાઈ માટે મોટર મૂકી હોવાથી પાણી વહી રહ્યું હતું, જેનાથી આકર્ષાઈને બાળકો વહેતા પાણીમાં નહાવા માટે જતા રહ્યા હતા. જેની જાણ થતા જ ખેતરના માલિક સહિતના લોકોએ મને જાતિસૂચક ગાળો ભાંડીને માર માર્યો. જે સહન ન થતા હું બેભાન થઈ ગઈ. હાલ હોસ્પિટલમાં છું. મને ન્યાય મળવો જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતા કાંતિ દેવીની મોટી દીકરી, જેના લગ્ન થઈ ગયા છે, તે રંજુ કુમારી કહે છે કે, "મારા પિતા નથી. બે ભાઈઓ છે જેમાંથી એક બહાર રહે છે. ઘરે એકલો નાનો ભાઈ છે. તેની સાથે પણ આ લોકો ગમે ત્યારે મારામારી કરે છે. નાની અમથી બાબતે પણ આ માથાભારે લોકો અમને હેરાન કરે છે. હવે અમારી ધીરજનો અંત આવી ગયો છે. મારી માતાને આ લોકોએ ઢોર માર માર્યો. તે અધમૂઈ થઈ ગઈ. અમને જાતિસૂચક ગાળો ભાંડી. અમને ન્યાય મળે એ જ અમારી માંગ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સવર્ણ મીડિયાએ ફરી આરોપીને છાવર્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતનું કથિત સવર્ણો તરફી મીડિયા દલિતો, આદિવાસીઓ પર થતા અત્યાચારોને કદી ગંભીરતાથી લેતું નથી.  તેમનું ટાર્ગેટ ઓડિયન્સ માત્ર કહેવાતો ઉપલો વર્ગ હોવાથી આ વર્ગ દલિતો, આદિવાસીઓ પર ગમે તેટલો મોટો અત્યાચાર કરે, તો પણ તેઓ તટસ્થાથી આખી ઘટનાને રિપોર્ટ કરવાને બદલે આવા તત્વોને છાવરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Even-though-there-is-no-provision-in-the-law-to-seek-permission-from-the-government-to-file-a-chargesheet-under-the-Atrocities-Act,-the-police-do-not-file-a-chargesheet-for-that-offence.-Why"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ મુજબ ચાર્જશીટ કરવા માટે સરકારની પરવાનગી લેવાની કાયદામાં કોઈ જોગવાઈ ન હોવા છતાં પોલીસ તે ગુના માટે ચાર્જશીટ નથી કરતી. કેમ?</span></a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666929c244886.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં કંઈક આવું જ બન્યું છે. અનેક વખત સર્ચ કરવા છતાં ખબરઅંતર.કોમને આ કેસમાં આરોપીઓનું નામ જાણવા ન મળ્યું. હા, કથિત સવર્ણ તરફી મીડિયાએ ફરિયાદી મહિલા દલિત છે અને તેનું નામ કાંતિ દેવી છે એ લખ્યું, પણ તેના પર અત્યાચાર કરનાર માથાભારે તત્વોનું નામ લખવાનું તેમને યોગ્ય નહીં લાગ્યું હોય? શા માટે તેઓ આવા માથાભારે તત્વોના નામ નથી લખતા તે હવે આપણે સૌ જાણીએ છીએ. સવર્ણ મીડિયાની આ ચાલાકી હવે દલિતો, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજથી છુપી નથી. એટલે જ ખબરઅંતર.કોમનું કામ વધી જાય છે. મનુવાદી મીડિયા જે ઘટનાને પાંચ સાત લીટીમાં લખીને સંતોષ માની લે છે. તેવી દલિત, આદિવાસી અત્યાચારની ઘટનાઓના મૂળમાં જઈને આખી ઘટનાનું વિશ્લેષણ કરીને સાચી માહિતી આપના સુધી પહોંચાડવા શક્ય તેટલા પ્રયત્નો કરે છે. પણ અફસોસ કે, આ ઘટનામાં પણ આરોપીઓ કોણ છે, તેની જાતિ કઈ છે તે આપના સુધી પહોંચાડી શકાયું નથી. મનુવાદી મીડિયાની આ ચાલાકીઓ ખૂલ્લી પડે તે માટે ખબરઅંતર.કોમના આ રિપોર્ટ છેવાડાના દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજના લોકો સુધી પહોંચે તે જરૂરી છે. તેના માટે આવી ઘટનાઓ તમે વાંચો અને બીજાઓને પણ વંચાવો તે જરૂરી છે. સોશિયલ મીડિયા, વોટ્સએપ ગ્રુપમાં તેને શેર કરો, જેથી આ ષડયંત્ર ખૂલ્લું પડે અને પીડિત સમાજો તેને સમજતા થાય. ખબરઅંતર.કોમના ભારે મહેનતથી તૈયાર થતા આ સમાચારો છેવાડા માણસ સુધી પહોંચે તે આપણું ધ્યેય છે. તેના માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરી અન્ય લોકોને પણ તેમાં જોડો. આટલું કરીશું તો પણ સમાજ માટે કંઈક કર્યાનો સંતોષ લઈ શકીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/Gandhis-Gujarat-top-in-dalit-atrocities,-total-5588-incidents-of-dalit-atrocities-reported-in-last-4-years"><strong>ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 12 Jun 2024 10:27:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>752</Articleid>
                    <excerpt>ઉનાળાની આકરી ગરમીમાં એક નિર્દોષ દલિત બાળક બાજુમાં આવેલા ખેતરના બોરમાં નહાવા ગયું તો માથાભારે શખ્સોએ તેની વિધવા માતાને માર મારીને અધમુઈ કરી નાખી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666929c1cefd6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666929c1a0bf0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666929c1a0bf0.jpg" length="70347" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી</title>
                    <link>https://khabarantar.com/the-heady-elements-do-not-leave-my-land-despite-the-collectors-order</link>
                    <guid>https://khabarantar.com/the-heady-elements-do-not-leave-my-land-despite-the-collectors-order</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં માથાભારે તત્વોએ ગરીબ દલિતની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી ત્યાં બાંધકામ શરૂ કરી દીધું છે, કોર્ટે તેને તોડી પાડવા ઓર્ડર કર્યો છે છતાં તેને ગાંઠતા નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવા માટે તો ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે પરંતુ અહીં બહુમતિ લોકો મનુવાદી વર્ણવ્યવસ્થાના પાયા પર ઉભેલા હિંદુ ધર્મમાં માને છે. કોઈપણ ગામમાં કઈ કોમનું પ્રભુત્વ છે તે જાણવું હોય તો ત્યાં સૌથી વધુ ખેતીની જમીન કોની પાસે છે, ગામના પાદરમાં આવેલી દુકાનો, પાનના ગલ્લા વગેરે કોના છે અને સરપંચ કઈ જાતિનો છે, આટલું તપાસશો તો તમને ખ્યાલ આવી જશે કે અહીં કઈ જાતિના લોકો વર્ચસ્વ ધરાવે છે. મોટાભાગના ગામોમાં કથિત સવર્ણ જાતિના લોકો જ મોટાભાગની ખેતીની જમીન પર કબ્જો જમાવીને બેઠાં હોય છે. એ જ રીતે સરકારી પડતર જમીનો પર પણ આ જ લોકો ગેરકાયદે કબ્જો કરતા જોવા મળે છે. કેમ કે, તેમને ખ્યાલ છે કે, ગામડાઓમાં જમીન એકમાત્ર એવી વસ્તુ છે જે કાયમી આવકનું સાધન છે. એટલે ખેતી કે અન્ય મોકાની જમીનો ગામના માથાભારે તત્વો કદી પણ દલિતો, આદિવાસીઓના હાથમાં ન જાય તેનું પુરતું ધ્યાન રાખે છે. જો કોઈ દલિત કે આદિવાસી પાસે તેની માલિકીની મોકાની જમીન હોય તો તેને યેનકેન રીતે પડાવી લેવા માટે પણ કથિત સવર્ણ માથાભારે લોકો અચકાતા નથી. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં એક ગરીબ દલિત વ્યક્તિની માલિકીની જમીન પર ગામના માથાભારે તત્વોએ કબ્જો જમાવી દીધો છે અને ગેરકાયદે બાંધકામ પણ શરૂ કરૂ કરી દીધું છે. દલિત વ્યક્તિએ આ મામલે કલેક્ટરને ફરિયાદ કરી, તો કલેક્ટરે તેની જમીનનો કબ્જો તેને પરત અપાવવા માટે ઓર્ડર કર્યો છે. તેમ છતાં માથાભારે તત્વો દલિત વ્યક્તિની જમીન પરનો ગેરકાયદે કબ્જો છોડવા તૈયાર નથી અને તેની પર બાંધકામ પર ચાલુ રાખ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કલેક્ટરના હુકમને પણ માથાભારે તત્વો ગણકારતા નથી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ત્રણ કટ્ટર જાતિવાદી રાજ્યો પૈકીના એક એવા મધ્યપ્રદેશનો છે. અહીં સમયાંતરે દલિતો, આદિવાસીઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. અહીંના રાજગઢ જિલ્લામાંથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં કોર્ટનો ઓર્ડર મળ્યા પછી પણ માથાભારે તત્વો દલિત વ્યક્તિની જમીન પરનો કબ્જો છોડવા તૈયાર નથી અને ગેરકાયદે રીતે તે જમીન પર બાંધકામ પણ કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજગઢ જિલ્લાના હાથીકુમારા ગામના અનુસૂચિત જાતિના નારાયણનો આરોપ છે કે કથિત ઉચ્ચ જાતિના લોકો દ્વારા તેની માલિકીની જમીનને ખોટી રીતે રજિસ્ટર કરાવીને પોતાના નામે ચડાવી દીધી છે અને હવે તેના પર બાંધકામ કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમીન પર થઈ રહેલા ગેરકાયદે બાંધકામ અને ખોટા રજિસ્ટ્રેશનને લઈને નારાયણે જિલ્લા કલેક્ટરની કોર્ટમાં આવેદનપત્ર રજૂ કરીને આ બાંધકામને રોકવા અને માથાભારે તત્વો દ્વારા તેની જમીન પર કરવામાં આવેલો કબ્જો છોડાવી તેની જમીન પર અપાવવા માટે ધા નાખી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમીન પર ચાલી રહેલા બાંધકામ સંદર્ભે નારાયણે કલેક્ટર કોર્ટમાં અરજી કરી ઉક્ત બાંધકામ અટકાવવા અને માથાભારે તત્વોની રજિસ્ટ્રી પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી. તેની નોંધ લેતા કલેકટરે 27 મે, 2024ના રોજ મનાઈ હુકમ ફરમાવ્યો હતો, આદેશમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અરજદાર નારાયણના પિતા ભાગચંદ્ર, હાથીકુમારા ગામના રહેવાસીને 0.266 હેક્ટરની સરકારી જમીન સર્વે નંબર 60 પર સરકાર દ્વારા લીઝ પર આપવામાં આવી હતી. અરજદારે આપેલા ફરિયાદના આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, માથાભારે તત્વોએ સક્ષમ અધિકારીની ભલામણ વિના આ જમીનની બનાવટી નોંધણી કરાવીને પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સબ ડિવિઝનલ ઓફિસર રાજગઢ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં હાથ ધરાયેલી તપાસમાં પ્રથમદર્શી હકીકત પ્રકાશમાં આવી છે કે આ કેસમાં જમીન મહેસૂલ સંહિતા 1959ની કલમ 1657 (b) નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અરજદાર અધિકારીઓ સમક્ષ હાજર થઈને એવું પણ જણાવ્યું છે કે, માથાભારે તત્વો આ જમીન પર બિનઅધિકૃત બાંધકામ કરી રહ્યા છે જે અટકાવવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાયદાની ઐસી કી તૈસીની દાદાગીરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નારાયણની આ અરજીને કલેક્ટરે માન્ય રાખી હતી અને આગામી આદેશ સુધી તેના ગામમાં તેની જમીન પર માથાભારે તત્વો દ્વારા કરવામાં આવતા બાંધકામ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો હતો અને તેનો તાત્કાલિક અમલ કરવા કહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, આદેશ મળ્યાં પછી પણ પીડિત નારાયણ પોલીસ અને અધિકારીઓના ચક્કર લગાવી રહ્યાં છે, છતાં ન તો માથાભારે આરોપીઓ જમીન પરનો કબ્જો છોડી રહ્યાં છે, ન બાંધકામ રોકી રહ્યાં છે. પીડિત નારાયણનું કહેવું છે કે, કલેક્ટરનો આદેશ હોવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી તેની પાછળ તેની જાતિ છે. જો તે અનુસૂચિત જાતિ સમાજને બદલે કોઈ કથિત સવર્ણ જાતિની વ્યક્તિ હોત તો પોલીસ તરત કાર્યવાહી કરીને તેની જમીન છોડાવી આપત. પણ અહીં દલિતોનું કોઈ સાંભળનાર નથી. ગામના માથાભારે તત્વો મારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવીને અહીં બાંધકામ કરી રહ્યાં છે, કલેક્ટરે તેને ગેરકાયદે સ્વીકારીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે છતાં તેમના ઓર્ડરનો અમલ નથી થતો, તેની પાછળનું કારણ માત્ર મારી જાતિ હોય તેવું લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/In-Kutchs-Mundra,-the-lands-given-to-Dalits-in-Santhani-6-decades-ago-have-not-been-regularized-yet"><strong>કચ્છના મુંદ્રામાં દલિતોને 6 દાયકા પહેલા સાંથણીમાં મળેલી જમીનો હજુ નિયમિત નથી થઈ</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 11 Jun 2024 10:13:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>747</Articleid>
                    <excerpt>એક ગામમાં માથાભારે તત્વોએ ગરીબ દલિતની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી ત્યાં બાંધકામ શરૂ કરી દીધું છે, કોર્ટે તેને તોડી પાડવા ઓર્ડર કર્યો છે છતાં તેને ગાંઠતા નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6667d571af317.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6667d57179a37.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6667d57179a37.jpg" length="77652" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુરક્ષા સાધનો વિના ગટરમાં ઉતરેલા ત્રણ કામદારોના ઝેરી ગેસથી મોત</title>
                    <link>https://khabarantar.com/three-workers-died-of-poisonous-gas-after-entering-the-drain-without-safety-equipment</link>
                    <guid>https://khabarantar.com/three-workers-died-of-poisonous-gas-after-entering-the-drain-without-safety-equipment</guid>
                    <description>
                        <![CDATA[ સુરક્ષા સાધનો પહેર્યા વિના ગટરમાં ઉતરેલા ત્રણ કર્મચારીઓના ઝેરી ગેસના કારણે ગૂંગળાઈને લીધે મોત થઈ ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે, ગટરમાં કોઈપણ સફાઈકર્મીએ સલામતી સાધનો વિના ઉતરવું નહીં. તેમ છતાં તેમને આ કામ માટે મજબૂર કરવા આવતા હોય છે અને તેની કિંમત તેમણે જીવ આપીને ચૂકવવી પડતી હોય છે. આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સલામતી સાધનો વિના ગટરની અંદર ઉતરેલા ત્રણ સફાઈકર્મીઓઓનું ઝેરી ગેસમાં ગુંગળાઈ જવાને કારણે મોત થઈ ગયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવનનો છે. અહીં ઝેરી ગેસના કારણે ગટરમાં ઉતરેલા ત્રણ મજૂરોના મોત થયા છે. આ તમામ કામદારો વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન હતા. આ પૈકીના બે મજૂરો ગટરમાં પાણી ખેંચવાની મોટરના કામ માટે અંદર ઉતર્યા હતા અને ઝેરી ગેસના સંપર્કમાં આવતા તેમનું મોત થઈ ગયું હતું. શરૂઆતમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તમામનું મોત ઈલેક્ટ્રીક શોકથી થયું છે. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટથી બધું સ્પષ્ટ થઈ ગયું છે. એવો આરોપ છે કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાની અવગણના કરીને કામદારોને સલામતી સાધનો વિના અંદર ઉતારવામાં આવ્યા હતા. જો તેમને સુરક્ષા સાધનો આપ્યા હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત.</span><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બેદરકારીમાં સુપરવાઈઝર સાળા-બનેવી સાથે મજૂરનું મોત</span></strong><br><span style="font-size: 14pt;">અમિત ગુપ્તા નામનો શખ્સ ફરિદાબાદની કંપની મેટ્રોઇડનો સુપરવાઈઝર હતો, આ કંપની બિકાનેરવાલા રેસ્ટોરન્ટોની ગટર રિપેરિંગનું કામ જોતી હતી. કંપની વૃંદાવનમાં એક રેસ્ટોરન્ટ બનાવી રહી છે. જેના કારણે અમિત ગુપ્તાને અહીં મોકલવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, અમિત ગુપ્તા પોતે સેફ્ટી ઇક્વિપમેન્ટ પહેર્યા વિના ગટરની ટાંકીમાં ઘૂસી ગયો હતો અને તેણે મજૂર શ્યામને પણ ગટરની ટાંકીમાં પ્રવેશતી વખતે જરૂરી એવા કોઈ સેફ્ટી ઇક્વિપમેન્ટ આપ્યા ન હતા. સુપ્રીમ કોર્ટની કડક ગાઈડલાઈન છે કે કોઈ પણ કામદારને સેફ્ટી ઈક્વિપમેન્ટ વગર ગટરની ટાંકીમાં સફાઈ કે અન્ય કોઈ કામ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમ છતાં અમિત ગુપ્તા શ્યામને લઈને ગટરમાં ઉતર્યો હતો. જેના કારણે ત્રણેયનું મોત થઈ ગયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-the-last-5-years-339-people-died-in-the-country-while-cleaning-drains-and-septic-tanks">છેલ્લાં 5 વર્ષમાં ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈ દરમિયાન દેશભરમાં 339 લોકોના મોત</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6666b6b2dcde8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અકસ્માત બાદ વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ પાસેથી રેસ્ટોરન્ટ ઓપરેટર વિશે માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે આગ્રાના મનોજ શર્માને આ ફ્રેન્ચાઇઝી મળી હતી. ડીએમએ કહ્યું કે વહીવટીતંત્રે આ અકસ્માત અંગે ઓપરેટર સાથે વાતચીત કરી છે અને તેણે કહ્યું કે હાલમાં આ રેસ્ટોરન્ટ ટ્રાયલ મોડ પર ચાલી રહી છે. અમિત ગુપ્તા ગટરના કામ માટે બિકાનેરની કંપની દ્વારા અધિકૃત મેટ્રોઇડ ફર્મનો સુપરવાઇઝર હતો. ઇલેક્ટ્રિશિયનનું કામ અન્ય વ્યક્તિ પાસે છે. મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદ કરવામાં આવશે. ગયા અઠવાડિયે, બિકાનેરમાં એક રેસ્ટોરન્ટમાં વીજ કરંટથી એક કામદારનું મોત થયું હતું. આ ઘટનાને જેમતેમ કરીને દબાવી દેવામાં આવી હતી. પરિવારજનોએ ન તો મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું કે ન તો પોલીસમાં કોઈ ફરિયાદ કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">શ્યામે માત્ર રૂ. 400ના વેતન માટે જીવ ગુમાવ્યો</span></strong><br><span style="font-size: 14pt;">વૃંદાવન ગટર અકસ્માતમાં જીવ ગુમાવનાર મજૂર શ્યામ એક ગરીબ પરિવારનો દીકરો હતો. તે પરિવાર સાથે અહીંના સલ્લા ગામમાં પત્ની નીલમ અને ત્રણ બાળકો સાથે એક ભાડાના મકાનમાં રહેતો હતો. માત્ર 400 રૂપિયા મજૂરી માટે શ્યામે ગટરમાં ઉતરવું પડ્યું અને જીવ ગુમાવ્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક શ્યામના ભાઈ નીરજે જણાવ્યું કે, તેને સાંજે 4 વાગ્યા આસપાસ ગામના સરપંચ દ્વારા તેના ભાઈના મોતના સમાચાર મળ્યા હતા. દુર્ઘટનાની જાણ થતા જ શ્યામની પત્ની નીલમ બેહોશ થઈ ગઈ હતી અને તેની 15 વર્ષની દીકરી પૂનમની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વૃંદાવનમાં ગટર દુર્ઘટનાની માહિતી મળતા જ કલેક્ટર શૈલેન્દ્રકુમાર સિંહ અને એસએસપી શૈલેષ કુમાર પાંડે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળનું નિરીક્ષણ કરી અકસ્માતના કારણોની તપાસ કરી હતી. એ પછી અકસ્માતનો સંપૂર્ણ અહેવાલ સરકારને મોકલવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;">કલેક્ટરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અકસ્માતનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલી દેવામાં આવ્યો છે. પરિવારને આર્થિક મદદ અપાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી નક્કી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Sewage-cleaning-is-claiming-an-estimated-70-lives-every-year">સરકારે સંસદમાં સ્વીકાર્યું, કાયદેસર પ્રતિબંધ હોવા છતાં ગટરની સફાઈ દર વર્ષે 70 લોકોના જીવ લે છે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6666b6b36f047.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસએસપી શૈલેષ કુમાર પાંડેએ કહ્યું કે આ મામલે પરિવારના સભ્યોની ફરિયાદની હજુ રાહ જોવાઈ રહી છે. જો પરિવાર ફરિયાદ નહીં કરે તો પોલીસ તેમના સ્તરે કાર્યવાહી કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મૃતકોના પરિવારને રૂ. 30 લાખનું વળતર મળશે?</span></strong></span><br><span style="font-size: 14pt;">ગુજરાત દેશભરમાં ગટરની સફાઈ વખતે તંત્રની ઘોર બેદરકારીને કારણે અનેક શ્રમિકો અને કર્મચારીઓ અકાળે મૃત્યુ પામે છે, એવામાં સુપ્રીમ કોર્ટે ગટરમાં સફાઈ વખતે મોતને ભેટતા કે જીવનભરની ખોડખાપણનો ભોગ બનતા મજૂરો-સફાઇ કામદારો માટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2023માં સરકારને આદેશ આપ્યો હતો કે જે પણ મજૂરનું ગટરમાં સફાઇ દરમિયાન મોત થાય તેના પરિવારને સરકાર તરફથી ફરજિયાત રૂ. ૩૦ લાખ રૂપિયા વળતર તરીકે આપવાના રહેશે. જ્યારે ગટરની સફાઇ દરમિયાન જો કોઇને કાયમી ખોડખાપણ રહી જાય તો તેવા કિસ્સામાં પીડિતને રૂ. ૨૦ લાખ આપવાના રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી થઇ હતી, જેમાં ગટરમાં સફાઇ કરતી વેળાએ મોતને ભેટતા કર્મચારીઓ ઉપરાંત ગટરના ગેસ અને અન્ય જોખમને કારણે ખોડખાપણનો ભોગ બનતા કર્મચારીઓ કે મજૂરોના હિતો માટે આદેશ આપવાની માગણી કરવામાં આવી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રિટ પિટિશન સાથે સુપ્રીમ કોર્ટને આવા મજૂરોના મોત અને ઇજાગ્રસ્ત થયેલા કામદારોનો ડેટા પણ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીને માન્ય રાખી હતી અને સરકારને આદેશ આપ્યો હતો કે તે ગટર સફાઇમાં મોતને ભેટતા કામદારોના પરિવારને રૂ. ૩૦ લાખ, કાયમી ખોડખાપણનો ભોગ બનનારાને રૂ. ૨૦ લાખ જ્યારે અન્ય કોઇ પણ પ્રકારની ખોડખાપણ માટે રૂ. ૧૦ લાખ રૂપિયા વળતર આપે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Govt-to-pay-Rs-30-lakh-compensation-if-employee-dies-while-cleaning-drains:-Supreme-Court-order">સુપ્રીમ કોર્ટનો ચૂકાદોઃ ગટરની સફાઈ કરતા કર્મચારીનું મોત થાય તો સરકારે રૂ. 30 લાખ વળતર આપવું પડશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 10 Jun 2024 13:56:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>745</Articleid>
                    <excerpt>સુરક્ષા સાધનો પહેર્યા વિના ગટરમાં ઉતરેલા ત્રણ કર્મચારીઓના ઝેરી ગેસના કારણે ગૂંગળાઈને લીધે મોત થઈ ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6666b6b416837.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6666b6b3d9d32.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6666b6b3d9d32.jpg" length="85696" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>માથાભારે સરપંચે મધરાતે દલિત મહિલાના ઘરમાં ઘૂસીને હાથ ભાંગી નાખ્યો</title>
                    <link>https://khabarantar.com/a-headstrong-sarpanch-broke-into-a-dalit-womans-house-at-midnight-and-broke-her-arm</link>
                    <guid>https://khabarantar.com/a-headstrong-sarpanch-broke-into-a-dalit-womans-house-at-midnight-and-broke-her-arm</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં હિસ્ટ્રીશીટર સરપંચે તેના 4 સાગરિતો સાથે મળીને મધરાતે દલિત પરિવારના ઘરમાં ઘૂસી, મારમારી કરી મહિલાનો હાથ ભાંગી નાખ્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો જ્યારે સરપંચ જેવા લોકશાહીના પ્રતિક જેવા હોદ્દા પર આવી જાય ત્યારે ફાટીને ધૂમાડે થઈ જતા હોય છે. ગામડાઓમાં કોઈ એક જ માથાભારે કોમની વસ્તી હોય ત્યારે તેઓ તમામ પ્રકારના હોદ્દાઓ પર પોતાના જ સમાજના લોકો બેસે તેવો હઠાગ્રહ સેવતા હોય છે, જેની પાછળનું સૌથી મોટું કારણ તો મનફાવે તેમ વર્તી શકાય અને કોઈપણ વ્યક્તિ કે સમાજ પર કબ્જો જમાવીને રાખી શકાય તેવો હોય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિસ્ટ્રીશીટર સરપંચની દાદાગીરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવું જ એક ગામમાં બન્યું છે, જ્યાં હિસ્ટ્રીશીટર વ્યક્તિ સરપંચ બન્યાં બાદ મધરાતે એક અનુસૂચિત જાતિની મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને મા-દીકરીને ઢોર માર માર્યો હતો. માતા-બેટીનો વાંક ફક્ત એટલો જ હતો કે તેના પિતાએ માથાભારે સરપંચના ઘરે મજૂરીએ જવાનો ઈનકાર કરી દીધો હતો. જે માથાભારે સરપંચથી સહન થયું નહોતું અને તેણે અડધી રાત્રે મહિલાના ઘરમાં ઘૂસીને તેને અને તેની દીકરીને ઢોર માર માર્યો હતો. આ મારામારીમાં દલિત મા-દીકરી ઘાયલ થઈ ગયા હતા અને બંનેના શરીર પર ઈજા પહોંચી હતી. માર વાગવાથી મહિલાનો હાથ પણ ભાંગી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/71.4-percent-of-dalits-have-access-to-public-water-taps">જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રખાય છે</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666554eced211.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મધરાતે ઘરમાં ઘૂસીને મારામારી કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં ઉમરી બેગમગંજ પોલીસ સ્ટેશનમાં પીડિત મહિલાએ ગામના હિસ્ટ્રીશીટર સરપંચ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મધરાતે આરોપીઓ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેને અને તેમની દીકરીને ઢોર માર માર્યો હતો. ઘટના કુલહરી ટિકુર તાલુકાના મુકુંદપુર ગામની છે. જ્યાં માથાભારે સરપંચ અશોક સિંહે પોતાના સાગરિતો સાથે મળીને અનુસૂચિત જાતિ સમાજની કુસુમા દેવીના ઘરમાં મધરાતે ઘૂસી જઈને મારામારી કરી હતી. જેના કારણે કુસુમા દેવીનો હાથ ભાંગી ગયો હતો અને શરીરના અન્ય ભાગો પર પણ ઈજાઓ પહોંચી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-space-in-the-jail-was-so-narrow-that-it-was-impossible-to-turn-around">જેલમાં જગ્યા એટલી સાંકડી હતી કે પડખું ફરવું અશક્ય હતું...</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6665550868180.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માથાભારે તત્વોએ કુસુમા દેવીની દીકરીને પણ માર માર્યો હતો જેમાં તેને પણ ઈજાઓ પહોંચી છે. કુસુમા દેવીનો આરોપ છે કે, તેમના પતિ રામપતને આરોપી સરપંચે પોતાને ત્યાં મજૂરીએ આવવા માટે કહ્યું હતું, પણ રામપત નહોતા ગયા. જેના કારણે અહમ ઘવાતા અશોક સિંહે પોતાના સાગરિતો સાથે રામપતના ઘર પર હુમલો કરી દીધો હતો. અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે પણ અશોક સિંહ અને રામપત વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ બધી બાબતોનું મનદુઃખ રાખીને સરપંચ અશોક સિંહે કુસુમાદેવીના ઘર પર હુમલો કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">4 લોકોની ધરપકડ કરવામાં આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ ગોંડા જિલ્લાની હોસ્પિટલમાં કુસુમા દેવીએ સારવાર લીધી છે અને ભાંગેલા હાથ પર પાટો બંધાવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સરપંચ અશોક સિંહને અમારી સાથે પહેલેથી વાંધો છે. તેઓ નાની અમથી બાબતમાં અમારી સાથે ઝઘડો કરવા તૈયાર રહે છે. અગાઉ પણ તેઓ અમારી સાથે ઝઘડો કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા તેમણે મારા પતિને પોતાને ત્યાં મજૂરીએ આવવા માટે કહ્યું હતું, પણ મારા પતિ ગયા નહોતા. જેનો ખાર રાખીને તેમણે તેમના 4 સાગરિતો સાથે અમારા ઘર પર મધરાતે હુમલો કર્યો હતો અને અમને માર માર્યો હતો. મારો હાથ ભાંગી ગયો છે અને બીજી પણ ઈજાઓ થઈ છે. મારી દીકરીને પણ તેમણે માર માર્યો. અમે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. પોલીસે અમારી મેડિકલ તપાસ કરીને તપાસ કરી હાથ ધરી છે. અમે ઈચ્છીએ છીએ કે આવા માથાભારે તત્વોને કાયદો કાયદાનું ભાન કરાવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-rate-of-conviction-of-the-accused-in-atrocity-cases-in-gujarat-is-only-3.065-percent">ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા!</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6665551b81f6c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉમરીબેગમ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંજીવ વર્માએ જણાવ્યું હતું કે, કુસુમા દેવીએ તેમની સાથે અશોકસિંહ અને તેના સાગરિતોએ મારામારી કર્યાની ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે, ચાર લોકોએ તેમના ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. આ મામલે અમે 2 પુરૂષ અને 2 મહિલાઓની ધરપકડ કરી લીધી છે. સાથે જ પીડિત કુસુમા દેવીની સારવાર પણ કરાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/in-rampur-disa-dalit-child-beaten-after-drinking-water-from-matla"><strong>ડીસાના રામપુરમાં દલિત બાળકે માટલામાંથી પાણી પીધું તો માર્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 09 Jun 2024 12:46:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>740</Articleid>
                    <excerpt>એક ગામમાં હિસ્ટ્રીશીટર સરપંચે તેના 4 સાગરિતો સાથે મળીને મધરાતે દલિત પરિવારના ઘરમાં ઘૂસી, મારમારી કરી મહિલાનો હાથ ભાંગી નાખ્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666554c46e386.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666554c43e7d3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666554c43e7d3.jpg" length="89008" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>તું મૂછો કેમ રાખે છે? કહી લુખ્ખા તત્વોએ દલિત યુવક પર હુમલો કર્યો</title>
                    <link>https://khabarantar.com/why-do-you-have-a-mustache-Kahi-Lukhkha-elements-attacked-the-dalit-youth</link>
                    <guid>https://khabarantar.com/why-do-you-have-a-mustache-Kahi-Lukhkha-elements-attacked-the-dalit-youth</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી લુખ્ખા તત્વોએ એક 18 વરસના દલિત યુવકનો રસ્તો આંતરી તું મૂછો કેમ રાખે છે કહીને લોખંડના પાઈપોથી જીવલેણ હુમલો કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો આજેય અમુક બાબતો જાણે તેમના બાપની જાગીર હોય, તેમની જ ઓથોરિટી હોય તેમ વર્તે છે. ગુજરાતમાં આવા તત્વોની કમી નથી. આ એ તત્વો છે જેઓ મૂછો રાખવી, ઘોડી પર બેસવું, વરઘોડો કાઢવો, સાફો બાંધવો, ડીજે સાથે જાન લઈને જવું, મોંઘી કારમાં બેસીને નીકળવું જેવી બાબતો પર જાણે તેમના જ બાપદાદાઓના કોપીરાઈટ હોય તેમ વર્તે છે. આ જ તત્વોની દલિતો પર અત્યાચારના કેસોમાં પણ મોટી ભાગીદારી હોવાનું ભૂતકાળ પર નજર કરતા સમજાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત યુવાનો પર ભૂતકાળમાં મૂછો રાખવા જેવી બાબતે માથાભારે તત્વો દ્વારા હુમલાઓ થયા છે ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ગામમાં દલિત યુવક બાઈક લઈને બાજુના ગામમાં શાકભાજી લેવા ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે કેટલાક માથાભારે તત્વોએ તેનો રસ્તો રોક્યો હતો અને તને ના પાડી છે, છતાં તું મૂછો કેમ રાખે છે, તેમ કહીને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં દલિત યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોઈ તેને 108 મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે હવે યુવકે ફરિયાદ નોંધાવતા એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમરેલીના ખીજડીયા કોટડા ગામની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખીજડીયા કોટડા ગામનો છે. અહીં આકાશ સોલંકી નામના 18 વર્ષના અનુસૂચિત જાતિના યુવકે તા. 4 જૂનના રોજ બાબરા પોલીસ સ્ટેશનના અધિકારી સમક્ષ લખાવેલી ફરિયાદ મુજબ, તે પોતાના પરિવાર સાથે ખીજડીયા કોટડા ગામે રહે છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. ગત તા. 4 જૂનના રોજ સાંજના છ વાગ્યા આસપાસ તે ખીજડીયા કોટડા ગામેથી મોટા દેવળીયા ગામે મોટર સાયકલ લઈને શાકભાજી લેવા ગયો હતો અને શાકભાજી લઈને પરત તેના ગામ ખીજડીયા કોટડા આવતો હતો. એ દરમિયાન સાંજના 6.30 વાગ્યા આસપાસ ફુલઝર ગામે પહોંચ્યો હતો, જ્યાં ઉદય, ભગુ અને ધર્મેશે તેનું બાઈક રોક્યું હતું. અને તેને "ઢે@# તને અગાઉ મેં મૂછો રાખવાની ના પાડી હતી તેમ છતાં કેમ રાખે છે?" તેમ કહી તેને જાતિસૂચક ગાળો ભાંડી, તેનો કાઠલો પકડી મોટરસાયકલ પરથી નીચે ઉતારી તેના હાથમાં રહેલ લાકડીનો આકાશના માથા પાછળ ફટકારી દીધી હતી. જેથી આકાશના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બૂમાબૂમ થતા બાજુમાં રહેતો ભરત વાળા આવી પહોંચ્યો હતા. તેણે આકાશને પાછળથી પકડી રાખ્યો હતો અને ભગુ તથા ધર્મેશે આકાશની પીઠ અને ડાબા હાથના કાંડા પર લોખંડના પાઈપથી ઘા કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/for-me-literature-is-a-weapon-to-liberate-dalits-from-oppression"><strong>મારા માટે સાહિત્ય દલિતોને દમનમાંથી મુક્તિ અપાવવાનું હથિયાર છે</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666530c87802b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સિવાય પણ બીજા કેટલાક ઘા તેમણે આકાશને માર્યા હતા. હુમલાને કારણે આકાશે રાડારાડી કરી મૂકતા ભરત વાળાના કુટુંબી ગડુભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે અને ભરત વાળાએ મળીને જમીન પર પડી ગયેલા આકાશને ઢીંકાપાટુનો માર માર્યો હતો. એ દરમિયાન આકાશના ઘરેથી ફોન આવતા તેના મમ્મી મનીષાબેન ભાઈ વિશ્વાસ તેને છોડાવવા આવી પહોંચ્યા હતા. જો કે, માથાભારે આરોપીઓએ આકાશના ભાઈ વિશ્વાસને પણ ઢીંકાપાટુ સહિતનો મૂંઢ માર માર્યો હતો. એ પછી આરોપીઓ જતા રહ્યા હતા. પરંતુ જતા પહેલા ઉદય નામના આરોપીએ આકાશને ધમકી આપી હતી કે, "હવે પછી જો મારી સામે મૂછો મરડી અને અગાઉની જેમ માથાકૂટ કરી તો જાનથી મારી નાખીશ." એ દરમિયાન આકાશના માથામાં ગંભીર ઈજા થઈ હોઈ તેના પરિવારજનો 108 એમ્બ્યૂલન્સ મારફતે તેને અમરેલી સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. હાલ અહીં આકાશની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે તેના માથામાં પાંચ ટાંકા આવ્યા છે. સારી વાત એ છે કે, તે સંપૂર્ણપણે ભાનમાં છે અને તેણે પોલીસ ફરિયાદ લખાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉદયે અગાઉ પણ આકાશ સાથે માથાકૂટ કરેલી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના આરોપી ઉદયે આકાશ પર હુમલો કર્યો તેની પાછળ ગયા વર્ષની એક જૂની ઘટના જવાબદાર હોવાનું જણાય છે. આકાશ સોલંકીએ ફરિયાદમાં લખાવ્યા પ્રમાણે ગયા વર્ષે ગામથી બસમાં બેસીને જતી વખતે ઉદય આકાશની સીટ પર પગ રાખીને બેઠો હતો. જેથી આકાશે તેને પગ ખસેડવા કહ્યું હતું. ત્યારે ઉદયે તેને જાતિસૂચક ગાળો ભાંડી હતી અને ત્યારે પણ તેને "તારાથી મૂછો રખાતી નથી" તેમ કહીને તેની સાથે ઝઘડો કર્યો હતો. એ ઘટનાને લઈને આકાશે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેનું મનદુઃખ રાખીને ઉદય સહિતના માથાભારે તત્વોએ આકાશ પર હુમલો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/rs-10-lakhs-and-clear-the-neet-exam-with-good-marks">રૂ. 10 લાખ આપો અને NEET ની પરીક્ષા સારા માર્કે પાસ કરો</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666530de0095e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ ઘટના બાબતે પીડિત આકાશે જણાવ્યા પ્રમાણે, "તારીખ 14/8/2023 ના રોજ હું મારા ગામથી બસમાં બેસી અમરેલી જ તો હોય તે વખતે ફુલઝરનો ઉદય મારી પાછળની સીટમાં બેઠો હતો. તેના પગ મારી સીટ ઉપર મને અડે એમ રાખેલ હતા, જેથી મેં તેને પગ નીચે રાખવાનું કહેતા તે મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો અને 'તારાથી મૂછો રખાતી નથી' તેમ કહી મારી સાથે ઝઘડો કર્યો હતો. આ બાબતે મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેનું મન દુઃખ રાખીને આ લોકોએ ફરી મને ગાળો ભાંડીને જાતિસૂચક અપશબ્દો કહીને જાહેરમાં હડધૂત કર્યો હતો. એટલું જ નહીં લોખંડની પાઈપના અને લાકડીઓ વડે માર મારી મારા માથામાં ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી મેં આ તમામ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે આકાશ સોલંકીએ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આઈપીસીની કલમ 323, 324, 143, 147, 148, 149, 504, 506(2) તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(r), 3(1)(s), 3(2)(v), 3(2)(5a) તથા જીપીએ 135 મુજબથી ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ, ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે, ફરિયાદમાં આઈપીસીની કલમ 326, 307, 34 અને 120(બી)નો ઉમેરો કરી કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવે, પીડિત પરિવારને પોલીસ રક્ષણ પુરું પાડવામાં આવે, ફરાર આરોપીઓને છુપાવવામાં મદદ કરનાર અને રક્ષણ પુરું પાડનાર સામે ગુનો નોંધાય, તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે, ગુનામાં વપરાયેલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવે અને આરોપીઓને રિમાન્ડ પર લઈ તેઓ જામીન પર ન છુટે તેની તકેદારી રાખી, આરોપીઓ માથાભારે, ઝનૂની અને ગુનો કરવાની ટેવવાળા હોઈ તેમને જો જામીન પર છૂટે તો તરત તડીપાર કરી પાસા હેઠળ અન્ય જિલ્લાની જેલમાં ધકેલી દેવાની માંગ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/they-beat-him-saying-that-he-wants-to-get-free-ration-from-bjp-and-vote-for-someone-else"><strong>મફત રાશન ભાજપ પાસેથી લેવું છે ને મત બીજા કોઈને આપીશ? કહીને માર્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 09 Jun 2024 10:11:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>738</Articleid>
                    <excerpt>જાતિવાદી લુખ્ખા તત્વોએ એક 18 વરસના દલિત યુવકનો રસ્તો આંતરી તું મૂછો કેમ રાખે છે કહીને લોખંડના પાઈપોથી જીવલેણ હુમલો કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666530a2103a7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666530a1cdc6a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666530a1cdc6a.jpg" length="66498" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત સરપંચને ઝાડ સાથે બાંધીને માર માર્યો, ગામ છોડવું પડ્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-sarpanch-tied-to-a-tree-and-beaten-had-to-leave-the-village</link>
                    <guid>https://khabarantar.com/dalit-sarpanch-tied-to-a-tree-and-beaten-had-to-leave-the-village</guid>
                    <description>
                        <![CDATA[ દલિત સરપંચને માથાભારે લોકો હોદ્દો છોડી દેવા ધમકાવતા હતા. જ્યારે ન માન્યા તો ઝાડ સાથે બાંધીને માર માર્યો, હવે સરપંચે ગામ છોડવું પડ્યું છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદથી ગ્રસ્ત ભારત દેશમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા સરપંચ જેવા હોદ્દે પણ જો કોઈ દલિત, આદિવાસી સમાજની વ્યક્તિ હોય તો ગામના જ માથાભારે જાતિવાદી તત્વો તેનું માન સન્માન જાળવતા નથી. ઘણાં કેસોમાં તો આવા સરપંચ કથિત સર્વણો જાતિના માથાભારે લોકોના કહેવા પ્રમાણે જ કામ કરવા માટે મજબૂત હોય છે. તો કેટલાક કિસ્સાઓમાં જો તેઓ સ્વતંત્ર રીતે કામ કરવા જાય તો અન્ય સભ્યો તેમને કામ કરવા દેતા નથી અને તેમની સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે છે. જો કે આ કિસ્સામાં તો હદ થઈ ગઈ છે. જ્યાં એક ગામમાં જાતિવાદી ગુંડાઓએ એક ગામના સરપંચને ઝાડ સાથે બાંધીને તેમને માર માર્યો હતો. એટલું જ નહીં સરપંચને ગામ છોડવાનો વારો આવ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માથાભારે તત્વો બે વર્ષથી હેરાન કરતા હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદના અન્ય મોટા કેસોની જેમ આ મામલો પણ હિન્દી ભાષી કટ્ટર જાતિવાદી રાજ્યો પૈકીના એક એવા મધ્યપ્રદેશનો છે. અહીંના મુરૈના જિલ્લાના એક ગામમાં એક દલિત સરપંચને કથિત રીતે ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો. જેના કારણે તેમણે પોતાનું પૈતૃક ઘર છોડવા મજબૂર થવું પડ્યું. સરપંચ દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી હતી અને તેમણે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે. ગામના તલાટીએ આ મામલે ફરિયાદી વિશે જણાવ્યું હતું કે, સરપંચને ગામના માથાભારે લોકો તરફથી સતત ધમકીઓ મળી રહી હતી. જેના કારણે તેમણે ગામ છોડવાનો નિર્ણય કર્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6663e3d773bb9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના કૌથરકલા ગ્રામ પંચાયતનો છે. જ્યાંના સરપંચે ગુરૂવારે અહીંના પોરસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષથી ગુંડાઓ તેમને હેરાન કરી રહ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે હું મારા સરપંચના હોદ્દા પરથી રાજીનામું આપી દઉં અને ઓફિસના આઈડી પાસવર્ડ તેમને આપી દઉં. જેમાં તેમના ડિજિટલ સિગ્નેચર અને પાસવર્ડ સેવ કરેલા છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, જ્યારે સરપંચે તેમની શરતો માનવાનો ઈનકાર કરી દીધો તો માથાભારે તત્વો 3 મેના રોજ તેમને કૌથરકલાની બહાર એક વિસ્તારમાં લઈ ગયા, જ્યાં તેમને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. એ પછી સરપંચને એટલું લાગી આવ્યું કે માથાભારે તત્વોની સતામણીથી તેઓ ગામ છોડવા મજબૂર બની ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે અંબાહના એસડીઓપી રવિ ભદૌરિયાએ જણાવ્યું હતું કે, આ મામલે સરપંચની ફરિયાદના આધારે દિવાકરસિંહ તોમર અને તેના ભઆી પિંકુ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. દિવાકરની ધરપકડ કરી લેવામાં આવી છે અને મામલાની તપાસ ચાલી રહી છે. જો કે, સરપંચ તેમની સાથે થયેલી મારપીટ વિશે ખુલીને ફરિયાદમાં લખાવ્યું નથી. તેમને હજુ ડર લાગી રહ્યો હશે. એટ્રોસિટીની કલમો તેમાં સામેલ કરી લેવામાં આવી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6663e3f851d5f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નજરે જોનાર લોકોનું કહેવું છે કે, "માર માર્યાની ઘટના બાદ સરપંચ પોતાના ઘરનો સામાન એક વાહનમાં ભરીને પોતાના સંબંધીઓ સાથે ગોહર શહેર જવા રવાના થઈ ગયા હતા. ગ્રામ પંચાયતના તલાટીએ જણાવ્યું હતું કે સરપંચે મને કહ્યું હતું કે, ગામના કેટલાક લોકો મારા પર અત્યાચાર કરી રહ્યાં છે, એટલે હું ગામ છોડીને જઈ રહ્યો છું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સવર્ણ મીડિયાની ચાલાકી, સરપંચનું નામ જ ન લખ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આખી ઘટનામાં બહુજન સમાજે સમજવા જેવી બાબત એ છે કે, સમગ્ર ઘટનાના રિપોર્ટિંગમાં કહેવાતા રાષ્ટ્રીય મીડિયાએ પીડિત દલિત સરપંચના નામનો ક્યાંય ઉલ્લેખ પણ કર્યો નથી. અંબાણી-અદાણીના દીકરા-દીકરીઓના લગ્નમાં આવનાર વિદેશી મહેમાનોનું આખું નામ અને તેના સગાંવહાલાઓનું પણ બેકગ્રાઉન્ડ શોધી નાખનાર સવર્ણ મીડિયાને એક ફરિયાદી દલિત સરપંચનું નામ ન ખબર હોય એવું શક્ય નથી. પણ તેમની જાતિવાદી માનસિકતામાંથી તેઓ બહાર આવી શકતા નથી. વર્ષોથી દલિતો, આદિવાસીઓ સાથે આ રમત રમાતી આવી છે. એટલે જ ખબરઅંતર.કોમના કામનું મહત્વ વધી જાય છે. આ પ્રકારના રિપોર્ટ તૈયાર કરવામાં કલાકોની મહેનત લાગે છે. વિગતો ક્રોસ ચેક કરવી પડે છે. તેમ છતાં ક્યારેક આરોપીઓના નામ સવર્ણ મીડિયા છુપાવી દે છે, તો ક્યારેક પીડિતનું જ નામ નથી લખતું. જે શોધવાના ફાંફા પડી જાય છે. જેના કારણે દલિતો, આદિવાસીઓ, લઘુમતી અને ઓબીસી સમાજ સુધી તેમના જ સમાચારો યોગ્ય રીતે પહોંચતા નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીડિત સરપંચ વાલ્મિકી સમાજના છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનેક રિપોર્ટ્સ, ન્યૂઝ ચેનલો પર ચેક કર્યા પછી ખબરઅંતર.કોમને ખબર પડી કે પીડિત સરપંચ વાલ્મિકી સમાજના છે, તેમનું નામ હરદેવ વાલ્મિકી છે અને તેઓ કોંથરકલા ગામના સરપંચ છે. માથભારે તત્વો તેમની સાથે ગુલામ જેવું વર્તન કરતા હતા. તેઓ પંચાયત ઓફિસનો તેમનો પાસવર્ડ અને આઈડી માંગતા હતા. તેમણે આપવાનો ઈનકાર કર્યો એટલે તેમને ગામ બહાર લઈ જઈને ઝાડ સાથે બાંધી માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહુજન મીડિયાને સપોર્ટ કરો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમસ્યાનો એકમાત્ર કાયમી ઉપાય છે આપણું પોતાનું મીડિયા પ્લેટફોર્મ હોવું. એટલે જ ખબરઅંતર.કોમના બહુજન સમાજલક્ષી પત્રકારત્વને તમારા સહકારની જરૂર છે. તમે અમને આર્થિક મદદ કરીને આ મિશનમાં મદદરૂપ થઈ શકો છો. કેમ કે, જ્યાં સુધી સમાજ પોતાના સમાચાર માટે પૈસા નહીં ચૂકવે ત્યાં સુધી આ પ્લેટફોર્મ ટકી નહીં શકે. તેના માટે તમારી નાની અમથી પણ આર્થિક મદદ અમને પ્રોત્સાહન પુરું પાડશે. તેના માટેની વિગતો સ્ટોરીના અંતમાં આપેલી છે, જ્યાં જઈને તમે તમારી યથાશક્તિ પ્રમાણે આર્થિક ટેકો કરીને આ મિશનમાં અમને મદદ કરી શકો છો. જેથી આપણું પોતાનું પ્લેટફોર્મ મજબૂત થાય અને વધુ સારી રીતે અમે બહુજન સમાજના પ્રશ્નોને વાચા આપી શકીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><strong><span style="font-size: 12pt;"> </span><a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-to-death-by-being-tied-to-a-tree-and-then-thrown-into-the-street">દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર્યો અને પછી શેરીમાં ઢસડ્યો</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 08 Jun 2024 10:25:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>734</Articleid>
                    <excerpt>દલિત સરપંચને માથાભારે લોકો હોદ્દો છોડી દેવા ધમકાવતા હતા. જ્યારે ન માન્યા તો ઝાડ સાથે બાંધીને માર માર્યો, હવે સરપંચે ગામ છોડવું પડ્યું છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6663e3b628c23.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6663e3b5eacad.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6663e3b5eacad.jpg" length="41368" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બહુજન સમાજ પાર્ટીમાં આકાશ આનંદની વાપસી થશે</title>
                    <link>https://khabarantar.com/akash-anand-will-return-to-bahujan-samaj-party</link>
                    <guid>https://khabarantar.com/akash-anand-will-return-to-bahujan-samaj-party</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભા ચૂંટણીમાં આકાશ આનંદને તેમની આક્રમતાને કારણે પક્ષના કોર્ડિનેટર પદેથી દૂર કરાયા હતા. પણ હવે ફરી તેમને મોટી જવાબદારી સોંપાશે ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીમાં બસપાની કારમી હાર બાદ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. બસપા સુપ્રીમો માયાવતીજીએ પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. સૂત્રોના મતે તમામ બેઠકો પર હારનો દોષ ઝોનલ સંયોજકો પર ઢોળી દેવામાં આવશે, કારણ કે તેમને ઉમેદવાર પસંદગીની જવાબદારી સોંપવામાં આવી હતી. એ જ રીતે, જે બેઠકો પર બસપાએ દલિત વોટબેંક પણ હાંસલ કરી નથી ત્યાંના જિલ્લા પ્રમુખોને દૂર કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોનું માનીએ તો બહેનજી ટૂંક સમયમાં જ હારની સમીક્ષા કરવા યુપી અને અન્ય રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં યુપીની ૧૪ સીટો પર બસપાને ૫૦ હજારથી ઓછા વોટ મળ્યા છે. જેમાં અલ્હાબાદ, અમેઠી, બારાબંકી, દેવરિયા, ડુમરિયાગંજ, ફૈઝાબાદ, ફરુખાબાદ, કૈસરગંજ, કાનપુર, લખનૌ, મહારાજગંજ, વારાણસી, રાયબરેલી અને નગીનાનો સમાવેશ થાય છે. આ બેઠકો પર દલિત મતદારોએ બસપાના ઉમેદવારોને નકારી કાઢ્યા હતા. હવે તેના કારણો જાણવાની તૈયારી ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો પાર્ટીના સૂત્રોનું માનીએ તો રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદ ફરી પાછા આવી શકે છે. જેથી દલિત યુવાનોનો આઝાદ સમાજ પાર્ટી તરફનો ઝુકાવ અટકાવી શકાય. આકાશ આનંદે તેમની ચૂંટણી રેલીઓમાં પોતાના આક્રમક વલણથી ઘણાં યુવાનોને આકર્ષ્યાં હતાં. તેમના પ્રચાર પર પ્રતિબંધ પછી તેમના પરત ફરવાની સતત માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત યુવાઓ અને મહિલાઓને પાર્ટી સાથે જોડવા માટે એક નવું અભિયાન શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિષ્ણાતોના મતે, બસપાનું એક પણ પક્ષ સાથે ગઠબંધન ન કરવું નુકસાનકારક સાબિત થયું છે. જેના કારણે પાર્ટીએ તેની કોર વોટબેંક લગભગ ગુમાવી દીધી છે. ઘણી સીટો પર બીએસપીના પરંપરાગત જાટવ મતદારોએ પણ પાર્ટીના ઉમેદવારને મત આપ્યો નથી. છેલ્લી લોકસભા ચૂંટણીમાં લગભગ ૧૯ ટકા વોટ મેળવનાર બસપા આ વખતે માત્ર ૯.૩૯ ટકા વોટ સુધી સીમિત રહી હતી, જેને ફરીથી મેળવવા માટે પક્ષે ઘણી મહેનત કરવી પડી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/mayawati-removed-nephew-akash-anand-as-bsp-coordinator"><strong>માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને BSP કોર્ડિનેટર પદથી હટાવ્યા</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 07 Jun 2024 19:29:44 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 07 Jun 2024 19:32:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>732</Articleid>
                    <excerpt>લોકસભા ચૂંટણીમાં આકાશ આનંદને તેમની આક્રમતાને કારણે પક્ષના કોર્ડિનેટર પદેથી દૂર કરાયા હતા. પણ હવે ફરી તેમને મોટી જવાબદારી સોંપાશે</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666311dbe3fae.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666311dbb1c60.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666311dbb1c60.jpg" length="79414" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગોંડલમાં ગણેશ જાડેજા સામે દલિત સમાજ શક્તિ પ્રદર્શન કરશે</title>
                    <link>https://khabarantar.com/dalit-samaj-shakti-will-demonstrate-against-ganesh-jadeja-in-gondal</link>
                    <guid>https://khabarantar.com/dalit-samaj-shakti-will-demonstrate-against-ganesh-jadeja-in-gondal</guid>
                    <description>
                        <![CDATA[ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના છોકરા ગણેશ જાડેજાએ થોડા દિવસ પહેલા જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી માર માર્યો હતો. હવે દલિત સમાજ તેની સામે પડ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના માથાભારે છોકરા ગણેશ જાડેજાએ થોડા દિવસ પહેલા જૂનાગઢમાં દલિત સમાજના એક યુવકનું નજીવી બાબતમાં અપહરણ કરી તેને ગોંડલ સ્થિતિ પોતાના ઘરે ગોંધી રાખીને ઢોર માર માર્યો હતો. આ મામલે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની કલમો સાથે 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે થોડા દિવસ પહેલા ત્રણ લોકોની ધરપકડ કરી હતી પણ ગણેશને તે હાથ પણ નહોતી લગાડતી. જેને લઈને જેતપુરમાં દલિત સમાજે ડેપ્યૂટી કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ગણેશની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. એ પછી ગઈકાલે ગણેશ સહિતના બાકી આરોપીઓની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે આ કેસમાં રિમાન્ડની જરૂર ન હોવાનું જણાવી ગણેશ સહિતના તેના સાગરિતોને જૂનાગઢ જેલમાં મોકલી આપ્યા હતા. આ મામલે હવે અનુસૂચિત જાતિ સમાજે ગણેશને તેના જ શહેરમાં પડકારવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહુજન વિકાસ ફૌજ શક્તિ પ્રદર્શન કરશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગણેશ ગણેશ સહિતના તેના બાકી સાગરિતોની ધરપકડ કરાયા બાદ જ્યારે તેને મીડિયા સમક્ષ રજૂ કરાયો ત્યારે તે હસતો હતો. મતલબ તેને પોતાના કુકર્મોનો જરાય પસ્તાવો નહોતો. સામાન્ય રીતે એટ્રોસિટી જેવા ગંભીર કેસમાં આરોપીની તરત ધરપકડ થવી જોઈએ. પણ પોલીસે અઠવાડિયા સુધી ગણેશ અને તેના સાગરિતોની ધરપકડ કરી નહોતી. જેને લઈને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ મામલે હવે ગણેશના વતન ગોંડલમાં જ દલિતોએ શક્તિ પ્રદર્શન કરી, સૌ પીડિત યુવકની પડખે છે તેવો સંદેશો આપવા માટે જૂનાગઢથી ગોંડલ સુધી રેલી કાઢવાનું નક્કી કર્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66628f59476c9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જૂનાગઢ બહુજન વિકાસ ફૌજના સંયોજક નિખિલ ચૌહાણે એક પ્રેસ નોટના માધ્યમથી જણાવ્યું હતું કે, "ગણેશ જાડેજાને તેના માતા ધારાસભ્ય હોવાથી કાયદો અને વ્યવસ્થાનો જરાય ડર નથી. તેને એમ છે કે પોતે ધારાસભ્યનો દીકરો છે એટલે મનફાવે તેમ વર્તી શકે છે, કોઈને પણ માર મારી શકે છે, અપહરણ કરી શકે છે. તેની આ માનસિકતાને પડકારવા અને બંધારણ તથા કાયદો વ્યવસ્થાનું ભાન કરાવવા માટે અમે બહુજન વિકાસ ફૌજના નેજા હેઠળ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના લોકોએ તા. 12 જૂનના રોજ જૂનાગઢથી ગણેશના વતન ગોંડલ સુધી જવાનું નક્કી કર્યું છે. આ અનુસૂચિત જાતિ સમાજની અસ્મિતા અને શક્તિ પ્રદર્શનનો સમય છે. ગણેશે જૂનાગઢના દલિત યુવકનું નજીવી બાબતમાં અપહરણ કરી તેને નગ્ન કરી, ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. ગણેશ જેવા તત્વો સામે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની એકતાનું પ્રદર્શન કરવા માટે અમે બુધવાર 12 જૂનના રોજ જૂનાગઢના કાળવા ચોકમાં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂથી બાઈક રેલી કાઢીને ગોંડલ સુધી જવાના છીએ. ગોંડલમાં અમે તમામ વિસ્તારમાં ફરીશું અને લોકોને ગણેશ જેવા ગુંડા તત્વોના કારનામાઓ વિશે જાગૃત કરીશું. અહીં રેલી સ્વરૂપે ફર્યા પછી અમે સભામાં પરિવર્તિત થઈશું અને ગણેશ જેવા તત્વો સામે સમગ્ર દલિત સમાજ એક હોવાનો મેસેજ આપીશું. આ બાઈક રેલીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો, યુવાનો અને કર્મશીલો જોડાવાના છે. ખાસ કરીને રાજકોટ, ગીરસોમનાથ, પોરબંદર, જૂનાગઢમાંથી મોટી સંખ્યામાં યુવાનો હાજર રહેવાના છે. અમે તેમના માટે રહેવા-જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ કરી છે. આ બાબતે વધુ માહિતી માટે વધુ કોઈપણ જાણકારી માટે 8849525956, +91 88490 27275, 8156028888, +917621965055 સંપર્ક કરી શકાશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રેલી ક્યાંથી ક્યાં જશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન વિકાસ ફૌજ દ્વારા આગામી તા. 12 જૂનને બુધવારના રોજ નીકળનારી આ રેલી સવારે 8 વાગ્યે જૂનાગઢના કાળવા ચોકથી પ્રસ્થાન કરીને વડાલ ચોકી, જેતલસર, જેતપુર, પીઠડીયા, વીરપુર થઈને ગોંડલમાં પ્રવેશશે. ગોંડલમાં રેલીનું અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી રેલી ગોંડલના વિવિધ વિસ્તારોમાં ફરશે અને પછી નક્કી કરેલી જગ્યાએ સભામાં ફેરવાશે જ્યાં સમાજના આગેવાનો અનુસૂચિત જાતિ સમાજને સંબોધન કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના દાદર રોડ પર સંજય રાજુભાઈ સોલંકી (ઉંમર ૨૬) રહે છે. સંજય સોલંકી કોરિયોગ્રાફી કરે છે અને કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઈ સાથે પણ સંકળાયેલા છે. ગત તા. 30 મેના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ તેઓ જૂનાગઢના કાળવા ચોકમાં કાળુભાના પૂતળા પાસેથી તેમના 6 વર્ષના દીકરા રાજવીર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની સાવ નજીક એક ફોર વ્હીલરે અત્યંત જોખમી રીતે પસાર થઈને બ્રેક મારી હતી. જેથી સંજયભાઈએ તેમને કાર સરખી રીતે ચલાવવાનું કહ્યું હતું. આથી કારમાં બેઠેલા લોકો નીચે ઉતરી આવ્યા હતા. આથી સંજયભાઈએ તેમને કહ્યું હતું કે, તમારે ઝઘડો કરવો હોય તો હું મારા દીકરાને ઘેર મૂકીને આવું. આમ કહીને તેઓ દાતાર રોડ પર આવેલા તેમના ઘર તરફ મોટરસાઈકલ લઈને રવાના થયા હતા. એ દરમિયાન ફોર વ્હીલરે તેમનો ઘર સુધી પીછો કર્યો હતો અને તેઓ ઘરે પહોંચ્યાં ત્યાં સુધીમાં બીજી એક કાર ત્યાં આવી પહોંચી હતી. બંને કારમાંથી અંદાજે 10 જેટલા લોકો ઉતરી આવ્યા હતા અને સંજયભાઈ સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા ત્યાં જ તેમના પિતા આવી ગયા હતા. દરમિયાન એ કારમાં જોયું તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ જાડેજા બેઠો હતો. તેની સાથે તેના માણસો પણ હતા. ગણેશ સંજયભાઈના પિતાને ઓળખતો હોવાથી એ વખતે આ મામલે સમાધાન થયું હતું અને સૌ જતા રહ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66628f3f016dc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી સંજયભાઈ તેમના ઘર બહાર થોડીવાર બેસીને જૂનાગઢમાં ફરીને રાત્રિના પોણા ત્રણ વાગ્યા આસપાસ પોતાનું મોટરસાઈકલ લઈને ઘરે જતા હતા ત્યાં દાતાર રોડ ગાયત્રી દાળિયા ભંડાર સામે ગણેશ જાડેજા સહિતના લોકોએ ફરી સંજયભાઈનો પીછો કરી કારને ફૂલ સ્પીડમાં ચલાવી તેમની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથી તેઓ નીચે પછડાયા હતા. એ પછી કારમાંથી પાંચેક લોકોએ નીચે ઉતરી તેમને લોખંડના પાઈપથી આડેધડ માર મારવો શરૂ કરી દીધો હતો. એ દરમિયાન બીજી બે ફોરવ્હિલર પણ ત્યાં આવી પહોંચી હતી અને તેમાંથી પણ કેટલાક લોકો નીચે ઉતર્યા હતા અને સંજયભાઈને ઉપાડીને કારમાં બેસાડીને અપહરણ કરીને ગોંડલ તરફ લઈ ગયા હતા. અપહરણકર્તાઓમાં એક વ્યક્તિ પોતે પોલીસ હોવાનું જણાવતો હતો અને સંજયભાઈને ઢીંકાપાટુ મારતો હતો. આ લોકો તેમને એક અવાવરૂ વાડી વિસ્તારમાં લઈ ગયા હતા જ્યાં ગણેશ જાડેજા અને તેના સાગરિતો અગાઉથી હાજર હતા. અહીં સંજયભાઈને ફરી આ લોકોએ ઢોર માર માર્યો હતો અને "ઢે&amp; ને મારો, આ લોકોનો ત્રાસ વધી ગયો છે." એમ જાતિસૂચક શબ્દો બોલી ગાળો ભાંડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી ગણેશ જાડેજા ફરી સંજયભાઈને તેની કારમાં બેસાડીને ગોંડલ સ્થિત તેના ગણેશગઢ નામના ઘરે લઈ ગયો હતો. ત્યાં પાંચ-છ લોકો પિસ્તોલ અને લોખંડના પાઈપ સાથે હાજર હતા. જેઓ સંજયભાઈને ગણેશની ઓફિસમાં લઈ ગયા હતા. જ્યાં ગણેશના કહેવાથી તેમણે સંજયભાઈના કપડાં ઉતારી નાખ્યા હતા અને ફરી આડેધડ ઢીંકાપાટુનો માર માર્યો હતો અને તેનો વીડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો અને માફી મંગાવડાવી હતી. સાથે જ ધમકી આપી હતી કે, "જૂનાગઢ કોંગ્રેસ એનએસયુઆઈમાંથી રાજીનામું આપી દે જે અને જો આ બાબતે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગભરાયેલા સંજયભાઈએ માફી માગતા આખરે તેમને એક કારમાં બેસાડીને જૂનાગઢની ભેંસાણ ચોકડી પાસે કીયાના શોરૂમ નજીક ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ ખાનગી વાહન કરીને સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમના પિતા અને દલિત સમાજના આગેવાનો રાવણભાઈ પરમાર, હરસુખભાઈ મકવાણા, મીત સોલંકી વગેરે હાજર હતા. જ્યાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. એ દરમિયાન સંજયભાઈને ઢોર મારને કારણે શરીરમાં ભારે દુખાવો થતો હોવાથી તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ તેમણે પોલીસ રક્ષણની પણ માંગ કરી હતી. સમગ્ર મામલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે આઈપીસીની કલમ 143, 147, 148, 149, 307, 365, 323, 504, 506(2), આર્મ એક્ટની કલમ 25(1-બી)(એ) અને એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(આર)(એસ), 3(2)(5) મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/ganesh-jadeja-kidnapped-a-dalit-youth-stripped-him-and-beat-him"><strong>ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી, કપડાં ઉતરાવી માર માર્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 07 Jun 2024 10:13:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>729</Articleid>
                    <excerpt>ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના છોકરા ગણેશ જાડેજાએ થોડા દિવસ પહેલા જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી માર માર્યો હતો. હવે દલિત સમાજ તેની સામે પડ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665af557835b4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665af557532a5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665af557532a5.jpg" length="46333" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે 1.51 લાખ મતોથી નગીના સીટ જીતી</title>
                    <link>https://khabarantar.com/bhim-army-chief-chandrasekhar-azad-won-nagina-seat-by-one-lakh-fifty-one-thosand-votes</link>
                    <guid>https://khabarantar.com/bhim-army-chief-chandrasekhar-azad-won-nagina-seat-by-one-lakh-fifty-one-thosand-votes</guid>
                    <description>
                        <![CDATA[ ભીમ આર્મીના ફાયર બ્રાન્ડ નેતા ચંદ્રશેખર આઝાદની સંસદમાં એન્ટ્રી થવા જઈ રહી છે. યુપીની નગીના બેઠક તેમણે 1.51 લાખ મતોથી જીતી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયા છે. અહીં ઈન્ડિયા ગઠબંધને 80 પૈકી અડધાથી વધુ સીટો જીતીને ભાજપનું 400 પ્લસ સીટો જીતવાનું સપનું તોડી નાખ્યું છે. જો કે સૌથી વધુ ચર્ચા નગીના સીટની થઈ રહી છે, જ્યાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણે 1 લાખ 51 હજાર જેવી જંગી લીડથી ભાજપના ઓમ કુમારને ધૂળ ચાટતા કરી દીધા હતા. નગીના સીટ ચંદ્રશેખર આઝાદને કારણે આ વખતે હોટ સીટ બની ગઈ હતી. અહીં તેમનો સીધો જંગ નહટોર સીટથી ત્રણ વાર ધારાસભ્ય રહેલા ભાજપના ઉમેદવાર ઓમ કુમાર સામે હતો. આ સીટ પર સમાજવાદી પાર્ટીએ પૂર્વ જજ મનોજકુમાર અને બીએસપીએ સુરેન્દ્ર પાલને ટિકિટ આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નગીના લોકસભા સીટ ઉત્તરપ્રદેશની 17 અનામત લોકસભા સીટો પૈકીની એક છે. વર્ષ 2009 પહેલા આ સીટ અસ્તિત્વમાં આવી હતી. આ વખતની ચૂંટણીમાં નગીના સીટ પર પહેલા તબક્કામાં મતદાન થયું હતું, જેમાં અંદાજે 60.75 ટકા વોટિંગ થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2019માં આ સીટ બીએસપીને મળી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત લોકસભા ચૂંટણીમાં નગીના સીટ પર બહુજન સમાજ પાર્ટીના ગિરીશચંદ્ર જાટવ જીત્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ડો. યશવંતસિંહ બીજા નંબર પર રહ્યા હતા. આ વખતની ચૂંટણીમાં બીએસપીના ઉમેદવાર સુરેન્દ્ર પાલને 5,68,378 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર ઓમ કુમારના ખાતામાં 4,01,546 મત ગયા હતા. 2019ની ચૂંટણી અહીં બીએસપીના ખાતામાં કુલ મતોના 56.3 ટકા મતો ગયા હતા અને તેના ઉમેદવારની જીતનું અંતર 1.66 લાખ મતોનું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુપીમાં બદલાશે દલિત રાજનીતિના સમીકરણો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર રાવણે નગીના સીટ પરથી જંગી લીડથી જીત મેળવી છે. છેલ્લાં કેટલાક સમયથી તેઓ યુપીમાં દલિત રાજનીતિને યુવા સ્વરૂપ આપવા મથી રહ્યા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6661430eae97a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક બાજુ ચંદ્રશેખર રાવણ સાંસદ બનવા જઈ રહ્યાં છે, તો બીજી તરફ યુપી સહિત સમગ્ર ભારતમાં દલિત રાજનીતિના પાવર સેન્ટર રહેલા બીએસપીનું આ ચૂંટણીમાં ખાતું પણ ખૂલ્યું નથી. એવામાં બે સવાલ યુપીના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યાં છે કે, શું અહીંથી દલિત રાજનીતિ બદલાશે અને જો બદલાશે તો </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માયાવતીની બીએસપી માટે આગળનો રસ્તો શું હશે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નગીનાથી ચંદ્રશેખર રાવણની જીતના અનેક અર્થ નીકળી રહ્યાં છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, બસપા જે રીતે સતત નબળી પડતી જઈ રહી છે, તે જોતા ચંદ્રશેખર રાવણમાં દલિત યુવાનોને નવો વિકલ્પ દેખાઈ રહ્યો છે. અમુક લોકોનું કહેવું છે કે, બસપા સુપ્રીમો માયાવતી આઝાદ સમાજ પાર્ટીની વધતી જતી તાકાતને કારણે બસપા માટે ભવિષ્યમાં વધતા જતા પડકારોને સમજે છે અને સમયાંતરે પોતાની રીતે સ્ટેન્ડ પણ લે છે. બીજી તરફ ચંદ્રશેખર પણ દલિત રાજનીતિમાં બસપા અને તેના પ્રમુખ બહેનજીના મહત્વને સારી રીતે સમજે છે. એટલે જ તેઓ માયાવતી અને બસપા વિશે વાત કરતી વખતે ખૂબ જ સતર્કતા અને આદર સાથે વાત કરે છે. જાણકારોનું માનવું છે કે, ચંદ્રશેખર યુપીમાં લાંબી રાજનીતિ રમવા માંગે છે. તેમણે નગીના સીટ પરથી ચૂંટણી લડવાનું પણ પોતાની એક ખાસ રણનીતિ અંતર્ગત નક્કી કર્યું હતું, કેમ કે અહીં દલિત મતદારોની સારી એવી સંખ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, ભીમ આર્મી વિશે સતત એક વાત રાજકીય ગલિયારાઓમાં થતી રહે છે કે, તે ભાજપ તરફી વલણ ધરાવે છે અને બીએસપીનું અસ્તિત્વ ખતમ કરી નાખવા માટે મોદી સરકાર અને ભાજપ દ્વારા તેને પ્રમોટ કરવામાં આવી રહી છે. બીએસપી કોર્ડિનેટર આકાશ આનંદે એકથી વધુ વખત ભીમ આર્મીને આ બાબતે આડે હાથ લીધી છે. જોવાનું એ રહેશે કે, સંસદમાં ચંદ્રશેખર આઝાદ કેવું પ્રદર્શન કરે છે, દલિતોના પ્રશ્નોને લઈને શું સ્ટેન્ડ લે છે. કે પછી ખરેખર તે ભાજપનું પ્યાદું હોવાનું સાબિત થાય છે, એ તો આગામી દિવસોમાં તેના સંસદ અને તેની બહારના પ્રદર્શન પર આધાર રાખે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/mallikarjun-kharges-strategy-changed-the-fortunes-of-congress"><strong>મલ્લિકાર્જુન ખડગેની વ્યૂહરચનાએ કૉંગ્રેસનું નસીબ બદલ્યું!</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 06 Jun 2024 10:36:56 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 06 Jun 2024 10:39:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>724</Articleid>
                    <excerpt>ભીમ આર્મીના ફાયર બ્રાન્ડ નેતા ચંદ્રશેખર આઝાદની સંસદમાં એન્ટ્રી થવા જઈ રહી છે. યુપીની નગીના બેઠક તેમણે 1.51 લાખ મતોથી જીતી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666142e749c8d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666142e719de3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666142e719de3.jpg" length="69096" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>નશામાં ધૂત માથાભારે તત્વોએ દલિત યુવકનું પથ્થરથી માથું છુંદી નાખ્યું</title>
                    <link>https://khabarantar.com/Intoxicated-miscreants-beheaded-a-dalit-youth-with-a-stone</link>
                    <guid>https://khabarantar.com/Intoxicated-miscreants-beheaded-a-dalit-youth-with-a-stone</guid>
                    <description>
                        <![CDATA[ 18 વરસના એક દલિત યુવકે ગામના માથાભારે તત્વોના ખેતરમાં લાકડાં વીણવા જવાની ના પાડી તો, તેને રસ્તા પર જ પટકીને પથ્થરોથી માથું છુંદી નાખ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીના પરિણામો અને નવી સરકારની રચનાની ચર્ચાનો માહોલ હજુ શમ્યો નથી ત્યાં દલિત અત્યાચારની વધુ એક મોટી ઘટના ઘટી છે. એક ગામમાં માથાભારે તત્વોએ એક દલિત યુવકની ફક્ત એ કારણોસર હત્યા કરી નાખી કેમ કે તેણે તેમના ખેતરમાં કામ પર જવાનો ઈનકાર કર્યો હતો. દલિત યુવક વહેલી સવારે તેની બાજુમાં આવેલા તેની દાદીના ઘરે જઈ રહ્યો હતો ત્યાં માથાભારે તત્વોએ તેને રોક્યો હતો અને તેને પૂછ્યું કે, તને તો ખેતરમાં લાકડા ભેગાં કરવા જવાનું કહ્યું હતું તો કેમ ન ગયો? જેના જવાબમાં યુવકે કહ્યું હતું કે મારે નથી જવું. જેનાથી ઉશ્કેરાયેલા માથાભારે શખ્સોએ તેને ત્યાં જ માર મારવાનું શરૂ કરી દીધું હતું અને પછી રોડ સાઈડમાં પડેલા મોટા પથ્થરથી તેનું માથું કચડી નાખ્યું હતું. ઘટનાની જાણ થતા યુવકના પરિવારજનો ત્યાં પહોંચી ગયા હતા અને તેને દવાખાને લઈ ગયા હતા. પણ ત્યાં સુધીમાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. બીજી તરફ માથાભારે તત્વો તેનું ખૂન કરીને ફરાર થઈ ગયા હતા. હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લુખ્ખા તત્વોની લુખ્ખાગીરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં બાંદા જિલ્લાના ગિરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દલિત સમાજના શિવકરણે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો 18 વરસનો દીકરો રત્નેશ સવારે પોતાના ઘરેથી તેની દાદી પાસે જઈ રહ્યો હતો. એ દરમિયાન રસ્તામાં ગામના કેટલાક લોકોએ તેને રોક્યો હતો અને તેને જાતિસૂચક ગાળો ભાંડીને કહ્યું હતું કે, "તને ખેતરમાં લાકડાં ભેગાં કરવા જવાનું કહ્યું હતું તો કેમ નથી ગયો. તું અત્યારે જ અમારી સાથે ચાલ, નહીંતર જાનથી મારી નાખીશું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેને લઈને રત્નેશે વિરોધ કર્યો હતો અને ખેતરે જવાનો ઈનકાર કરી દીધો હતો. જેનાથી માથાભારે તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે રત્નેશને રસ્તા પર પટકીને પથ્થરોથી તેના માથામાં ઘા કર્યા હતા. એ પછી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. એ દરમિયાન પથ્થરોથી માથું છુંદાઈ જવાથી રત્નેશનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. તેને દવાખાને લઈ જવાયો હતો જ્યાં જિલ્લા હોસ્પિટલના ડો. વિનીત સચાને તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક રત્નેશના પરિવારજનોએ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે આ મામલે કેસ નોંધી લીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રત્નેશને ના પાડવાની સજા મળી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રત્નેશની હત્યાને કારણે સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. પરિવારજનોનો આરોપ છે કે રત્નેશને કારણ વિના જ માથાભારે તત્વોએ મારી નાખ્યો હતો. તેનો વાંક ફક્ત એટલો જ હતો કે તેણે તેમના ખેતરે કામે જવાની ના પાડી હતી. જેના કારણે આ લુખ્ખા તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા અંબુજા ત્રિવેદીનું કહેવું છે કે, 5 જૂનના રોજ ગિરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ દલિત યુવક રત્નેશને ગામના કેટલાક માથાભારે તત્વોએ દારૂના નશામાં ધૂત થઈને માથામાં પથ્થરોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરિવારજનોએ યુવકને દવાખાને પહોંચાડ્યો પણ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. અમે ફરિયાદ નોંધી લીધી છે આરોપીઓની શોધખોળ ચાલું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સવર્ણ મીડિયાની ચાલાકી, આરોપીઓનું નામ-જાતિ છુપાવો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><em><strong>ખબરઅંતર.કોમ</strong></em> ને દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજ વિશેના સમાચારો આપના સુધી પહોંચાડતી વખતે આરોપીઓ કોણ છે તે શોધવામાં ભારે મહેનત કરવી પડે છે. કેમ કે, સવર્ણોને વફાદાર રહેલું મીડિયા દલિત અત્યાચારની ઘટનાઓમાં કાયમ આરોપીઓને છાવરે છે. આ ઘટનામાં પણ એવું જ થયું છે. દેશના સૌથી મોટા મીડિયા હાઉસ ઈન્ડિયા ટુડેએ પણ તેના રિપોર્ટમાં આ કેસમાં આરોપીઓ કોણ છે, કઈ જાતિના છે તેનો ઉલ્લેખ સુદ્ધાં ટાળ્યો છે. જે સ્પષ્ટ કરે છે તે, તેઓ કોને વફાદાર છે. આવી મનુવાદી માનસિકતાથી ગ્રસ્ત મીડિયા હોય ત્યાં ખબરઅંતર.કોમનું કામ વધારે પડકારજનક બની જાય છે. આ રિપોર્ટમાં મૃતક વ્યક્તિ દલિત સમાજનો છે એ ખ્યાલ આવે છે, પણ આરોપીઓ કોણ છે, કઈ જાતિના છે તે મનુવાદી મીડિયાએ છુપાવ્યું છે. એક પણ રિપોર્ટમાં આરોપીઓના નામ લખવામાં નથી આવ્યા. જેના કારણે અમે પણ પતો લગાવી શક્યા નથી કે આરોપીઓ કોણ છે. ઈન્ડિયા ટુડેનો રિપોર્ટ તૈયાર કરનાર રિપોર્ટરનું નામ સિદ્ધાર્થ ગુપ્તા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/after-drinking-water-from-the-pitcher-the-dalit-youth-was-killed-and-mutilated"><strong>ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 06 Jun 2024 10:02:06 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 06 Jun 2024 09:26:10 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>723</Articleid>
                    <excerpt>18 વરસના એક દલિત યુવકે ગામના માથાભારે તત્વોના ખેતરમાં લાકડાં વીણવા જવાની ના પાડી તો, તેને રસ્તા પર જ પટકીને પથ્થરોથી માથું છુંદી નાખ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_66612fb818723.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66612fb7de137.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66612fb7de137.jpg" length="64865" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મલ્લિકાર્જુન ખડગેની વ્યૂહરચનાએ કૉંગ્રેસનું નસીબ બદલ્યું!</title>
                    <link>https://khabarantar.com/mallikarjun-kharges-strategy-changed-the-fortunes-of-congress</link>
                    <guid>https://khabarantar.com/mallikarjun-kharges-strategy-changed-the-fortunes-of-congress</guid>
                    <description>
                        <![CDATA[ દલિતોને મુખ્ય પદોથી દૂર રાખતી સવર્ણ માનસિકતા કોંગ્રેસે પણ વર્ષો સુધી પાળી છે. પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી તેને એક દલિત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જ બહાર લાવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણી ૨૦૨૪માં કોંગ્રેસ પાર્ટીએ જબરદસ્ત વાપસી કરી છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેના સૌથી ખરાબ ચૂંટણી પ્રદર્શનમાંથી બહાર આવીને પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે. પાર્ટીના આ પ્રદર્શન પાછળ ઘણાં મહત્વપૂર્ણ કારણો જણાવવામાં આવી રહ્યા છે. આમાં એક સૌથી મોટું કારણ કૉંગ્રેસ પ્રમુખપદે દિગ્ગજ દલિત નેતા મલ્લિકાર્જુન ખડગેની નિમણૂક અને તેમની રાજકીય કુનેહને માનવામાં આવે છે. ઈન્ડિયા ગઠબંધનના સર્વસ્વીકૃત નેતા તરીકે ખડગેને હાલ વડાપ્રધાન પદની રેસના સૌથી લાયક ઉમેદવાર ગણવામાં આવે છે. જો એનડીએ બહુમતી નથી મેળવી શકતું અને નીતિશ-ચંદ્રાબાબુ જેવા ખેલાડીઓ કંઈક નવાજૂની કરે તો ઈન્ડિયા ગઠબંધનમાંથી મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાનપદના સૌથી મજબૂત દાવેદાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય રીતે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ ગાંધી પરિવારના સભ્યો પાસે જ રહે છે. સોનિયા ગાંધી વર્ષોથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે. આ પછી રાહુલ ગાંધીએ આ પદ સંભાળ્યું. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીની કમાન સોનિયા ગાંધી પાસે હતી. જ્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. આ બંને ચૂંટણીમાં કોંગ્રેસ ત્રણ આંકડા સુધી પહોંચી શકી નહોતી. ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસને ૪૪ બેઠકો મળી હતી, જ્યારે વર્ષ ૨૦૧૯માં પાર્ટીને માત્ર ૫૨ બેઠકો મળી હતી. અનેક રાજ્યોની સતત બે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પક્ષની અંદર અને બહાર વિરોધના સૂર ઉઠી રહ્યા હતા. એ દરમિયાન ભાજપ અને અન્ય વિપક્ષી દળોએ પણ કોંગ્રેસ પર એક જ પરિવારનું વર્ચસ્વ હોવાનો અને ભત્રીજાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. દરમિયાન કોંગ્રેસે અન્ય કોઈ નેતાને પ્રમુખ પદ આપવાની રણનીતિ અપનાવી હતી. ૨૦૨૨માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં મલ્લિકાર્જુન ખડગેને પાર્ટીની કમાન મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખડગે કોંગ્રેસ પાર્ટીનો એક અગ્રણી દલિત ચહેરો હોવા ઉપરાંત પાર્ટીના દિગ્ગજ નેતા છે. સવર્ણોની બહુમતી ધરાવતા કોંગ્રેસ પક્ષમાં દલિત ખડગેએ જે કાઠું કાઢ્યું છે તે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દે તેવું છે. કર્ણાટક જેવા દક્ષિણ ભારતીય રાજ્યમાંથી આવતા હોવા છતાં તેમની હિન્દી સરસ છે. નાનપણમાં કારમી ગરીબી વેઠીને પણ ભણવામાં ફોક્સને કારણે ખડગે આગળ વધી શક્યા હતા. તેમની નજર સામે જ એક અકસ્માતમાં તેમની બહેન અને માતા જીવતા સળગી ગયા હતા. એ આઘાત પણ તેઓ જીરવી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખડગેને સામાન્ય રીતે સમાધાનકારી નેતા તરીકે ઓળખવામાં આવે છે. કોંગ્રેસનો આંતરિક મામલો હોય કે પછી ઈન્ડિયા ગઠબંધન સંબંધિત મુદ્દો હોય. તેઓ સામાન્ય સહમતિ સાથે દરેકને સાથે લેવાનો પ્રયાસ કરે છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તેમના વલણથી કોંગ્રેસને ઘણો ફાયદો થયો છે. ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસે ભારત ગઠબંધન સાથે બેઠક વહેંચણી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કોંગ્રેસે ઘણા રાજ્યોમાં સમાધાનકારી વલણ અપનાવવું પડ્યું. જેની અસર આ ચૂંટણીઓમાં પણ જોવા મળી હતી. ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસ આ વખતે સારું પ્રદર્શન કરી રહી હોય છે તેનું સૌથી મોટું શ્રેય મલ્લિકાર્જુન ખડગેને જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/my-society-does-not-allow-me-to-go-to-temples-how-can-I-be-tolerated"><strong>મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 05 Jun 2024 11:57:05 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 05 Jun 2024 13:27:45 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>716</Articleid>
                    <excerpt>દલિતોને મુખ્ય પદોથી દૂર રાખતી સવર્ણ માનસિકતા કોંગ્રેસે પણ વર્ષો સુધી પાળી છે. પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી તેને એક દલિત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જ બહાર લાવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666009f010f68.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666009efcd550.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666009efcd550.jpg" length="54868" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આભડછેટનું વરવું સ્વરૂપઃ દલિતોએ વાળ કપાવવા 25 કિ.મી. દૂર જવું પડે છે</title>
                    <link>https://khabarantar.com/a-form-of-abuse-dalits-walk-25-km-to-get-a-haircut-have-to-go-away</link>
                    <guid>https://khabarantar.com/a-form-of-abuse-dalits-walk-25-km-to-get-a-haircut-have-to-go-away</guid>
                    <description>
                        <![CDATA[ આઝાદીના 75 વર્ષ પછી પણ દેશના અનેક ગામોમાં વાળંદો દલિતોના વાળ નથી કાપતા. આ મામલે હવે પડોશી રાજ્યમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પેદા થઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદનું ઝેર આઝાદીના 75 વર્ષ પછી પણ દૂર થવાને બદલે વધુ ફેલાઈ રહ્યું છે. તેના અનેક ઉદાહરણો જોવા મળે છે. ગુજરાતના સેંકડો ગામોમાં આજેય આ જ સ્થિતિ પ્રવર્તે છે. પણ અહીં વાત પડોશી રાજ્યની છે. જ્યાં છેલ્લાં કેટલાક દિવસોથી દલિતોના વાળ ન કાપવાનો મુદ્દો ચગ્યો છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે, ખુદ માનવ અધિકાર વિભાગના આઈજીએ પત્ર લખીને  તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને એસસી-એસટી એક્ટ હેઠળ કાર્યવાહી કરીને કડકાઈથી પાલન કરવાનો આદેશ આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો રાજસ્થાનના સિરોહી જિલ્લાનો છે. 29 મે, 2024 ના રોજ અહીં માનવ અધિકાર આઈજી કિશન સહાયે જિલ્લાના એસપીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે કહ્યું છે કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક વાળંદની દુકાનોમાં વાલ્મિકી, ભીલ અને મેઘવાળ સમાજના લોકોના વાળ કાપવામાં આવતા નથી. આ ભેદભાવ ચલાવી લેવામાં નહીં આવે, તે માનવ અધિકારના ભંગની શ્રેણીમાં આવે છે. આથી તમારા આધીન તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારોમાં દરેક બીટ હેઠળ આવતા ગામોમાં આ મામલે તપાસ કરાવવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા જ એક ભેદભાવનો ભોગ બનેલા એક વિદ્યાર્થી મુકેશે જણાવ્યું હતું કે, હું કાયદાનો અભ્યાસ કરું છું. મારા મામાનું ઘર રેવદાર તાલુકાના ભટાણા ગામમાં છે. ત્રણેક મહિના પહેલા અહીં મારો નાનો ભાઈ ગામની દુકાને વાળ કપાવવા ગયો હતો. પણ તેણે વાળ કાપવાની ના પાડી દીધી હતી. મને આ વાતની જાણકારી મળી તો હું પણ દુકાને ગયો. તો વાળંદે મને પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમે તમારી જાતિના લોકોના વાળ નથી કાપતા. જ્યારે મેં તેનો વિરોધ કર્યો તો તેણે મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. હું આ મામલે નજીકની પોલીસ ચોકીમાં ગયો અને મૌખિક ફરિયાદ કરી. એ પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી તો દુકાનદારે અગત્યનું કામ આવી ગયું હોવાનું બહાનું કાઢીને દુકાન બંધ કરાવી દીધી હતી. હું બીજા દિવસે ફરી ગયો તો ફરી તેમણે એવું જ વર્તન કર્યું. આવું પહેલીવાર નથી બન્યું કે વાળંદોએ અહીં દલિતોના વાળ ન કાપતા હોય. અગાઉ મારા પૈતૃક ઘર પાસેના વાળંદો પણ ચાર-પાંચ વર્ષ સુધી આવું કરતા હતા. પણ પછી લોકોએ ધરણાં કર્યા અને બાદમાં મામલો થાળે પડી ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુકેશ કહે છે કે સિરોહીમાં આવા કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ભટાણા ઉપરાંત દત્તાણી ગામમાં પણ દુકાનદારો અમારી સોસાયટીના લોકોના વાળ કાપવાની ના પાડી રહ્યા છે. ત્યાં રહેતા એક મિત્રએ જણાવ્યું કે દલિત સમુદાયના લોકોને વાળ કપાવવા માટે 25 કિમી દૂર જવું પડે છે. જેના કારણે અમને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગયા વર્ષે પણ આઈજીએ પત્ર લખ્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના આ વિસ્તારોમાં વાળંદો દલિતોના વાળ ન કાપતા હોવાની સમસ્યા આજકાલની નથી. વર્ષોથી આવું ચાલી રહ્યું છે અને છતાં તેમાં કોઈ સુધારો નથી આવતો. ગયા વર્ષે 10 માર્ચ, 2023ના રોજ પણ માનવ અધિકાર વિભાગના આઈજી કિશન સહાયે રાજસ્થાનના તમામ પોલીસ અધિક્ષકો અને નાયબ પોલીસ કમિશનરોને પત્ર લખ્યો હતો અને દલિત સમાજના લોકોના વાળ ન કાપનારા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જો કે, એ પછી પણ સ્થિતિમાં બહુ ફકર નથી પડ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/A-voice-was-raised-against-not-cutting-the-hair-of-Dalits-and-history-was-created"><strong>દલિતોના વાળ ન કાપવા સામે એક અવાજ ઉઠ્યો અને ઈતિહાસ સર્જાયો!</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 03 Jun 2024 18:44:24 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 03 Jun 2024 22:50:42 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>703</Articleid>
                    <excerpt>આઝાદીના 75 વર્ષ પછી પણ દેશના અનેક ગામોમાં વાળંદો દલિતોના વાળ નથી કાપતા. આ મામલે હવે પડોશી રાજ્યમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પેદા થઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665dc10f4ea88.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665dc10f202ca.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665dc10f202ca.jpg" length="62468" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢ દલિત યુવકના અપરહણ મામલે 3 લોકોની ધરપકડ</title>
                    <link>https://khabarantar.com/3-people-arrested-in-junagadh-dalit-youth-abduction-case</link>
                    <guid>https://khabarantar.com/3-people-arrested-in-junagadh-dalit-youth-abduction-case</guid>
                    <description>
                        <![CDATA[ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના છોકરા ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં હવે કાર્યવાહી કરાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢમાં દલિત યુવાનના અપહરણ મામલે આખરે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે એ ડિવિઝન પોલીસે ૩ શખ્સોની ધરપકડ કરી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ સામે ફરિયાદ નોંધાઈ છે. ગણેશ સહિતના લોકોએ જૂનાગઢના એક દલિત યુવકનું રાત્રે અપહરણ કરીને તેને ગોંડલ સ્થિત પોતાના ઘરે ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. આ મામલે પોલીસ દ્વારા ૩ આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી ધરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોંડલાના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે ખુનના પ્રયાસનો ગુનો નોંધાયો છે. જૂનાગઢના કાળવા ચોક પાસે પૂરપાટ ઝડપે કાર ચલાવી દલિત યુવક પાસે બ્રેક મારવાને મુદ્દે બોલાચાલી થઈ હતી. એ પછી ગણેશ સહિતના તેના સાગરિતોએ યુવકનો ઘર સુધી પીછો કર્યો હતો અને મોડી રાત્રે તેનું અપહરણ કરી માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી ગોંધી રાખ્યો હતો. આ મામલે જૂનાગઢ છ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કાળવા ચોક પાસે ફાસ્ટ કાર ચલાવવાને લઈ કહેવામાં આવતા જયરાજસિંહના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. જેમાં જયરાજસિંહના પુત્ર ગણેશે સંજય સોલંકીને અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તેમજ ફરિયાદીએ ગણેશ જાડેજાની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. માત્ર કાર ધ્યાનથી ચલાવવાનું કહેતાં દલિત યુવાન પર પૂર્વ ધારાસભ્યનો દીકરો તૂટી પડ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં ફરિયાદીના જણાવ્યા મુજબ પાંચ સાત શખ્સો દ્વારા સંજય સોલંકીને બેફામ માર મારી અપશબ્દો પણ ઉચાર્યા હતાં, સાથો સાથ જાનથી મારી નાંખવાની ધમકીનો પણ આક્ષેપ કરાયો છે. ભોગ બનનાર સંજય સોલંકીએ જૂનાગઢ છ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુદ્દે પોલીસે આ.પી.સી કલમ ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૬૫, ૩૨૩,૫૦૪, ૫૦૬(૨) તથા આર્મ એક્ટ આધિન ગુનો નોંધ્યો છે. જો કે આ મામલે પોલીસ ગણેશને છાવરી રહી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. કેમ કે, એટ્રોસિટી જેવી ગંભીર કલમો અને અપહરણ જેવો ગુનો નોંધાયો હોવા છતાં ગણેશની ધરપકડ કરાઈ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/ganesh-jadeja-kidnapped-a-dalit-youth-stripped-him-and-beat-him"><strong>ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી, કપડાં ઉતરાવી માર માર્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 03 Jun 2024 18:24:13 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 03 Jun 2024 22:51:00 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>702</Articleid>
                    <excerpt>ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના છોકરા ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં હવે કાર્યવાહી કરાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665dbc906ad94.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665dbc903d05e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665dbc903d05e.jpg" length="51921" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આરામ કરી રહેલા દલિત મજૂરના મોં પર માથાભારે શખ્સે પેશાબ કર્યો</title>
                    <link>https://khabarantar.com/a-headstrong-man-urinated-on-the-mouth-of-a-resting-dalit-labourer</link>
                    <guid>https://khabarantar.com/a-headstrong-man-urinated-on-the-mouth-of-a-resting-dalit-labourer</guid>
                    <description>
                        <![CDATA[ મધ્યપ્રદેશના સીધીકાંડ જેવી ઘટના ફરી બની છે. એક દલિત મજૂર આરામ કરી રહ્યો હતો ત્યારે તેને જગાડવા માટે માથાભારે શખ્સે તેના મોં પર પેશાબ કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેના વિશે આપણને વિચારતા પણ કંપારી છુટી જાય એવા અત્યાચારો માથાભારે તત્વો દલિતો પર કરતા જરાય ખચકાટ નથી અનુભવતા. મધ્યપ્રદેશનો સીધીકાંડ કેમ કરીને ભૂલાય. જેમાં એક માથાભારે શખ્સે અસ્થિર મગજના એક દલિત યુવકના મોં પર પેશાબ કરીને તેનો વીડિયો ઉતાર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર ભારતમાં હાહાકાર મચાવી દીધો હતો. તત્કાલિન મુખ્યમંત્રી શીવરાજસિંહ ચૌહાણે ડેમેજ કંટ્રોલ કરવા માટે પીડિતના પગ ધોવાનું નાટક કર્યું હતું અને તેને સરકારી સહાય આપવાની વાત કરી હતી. જો કે, સરકારે વાયદો પાળ્યો નહોતો અને યુવકનું ઘર પણ સમયસર બન્યું નહોતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં માથાભારે વ્યક્તિએ મજૂરીકામ કર્યા બાદ થાકીને આરામ કરી રહેલા દલિત મજૂરને જગાડવા માટે તેના મોં પર પેશાબ કર્યો હતો. એટલું જ નહીં તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ મામલો પોલીસ ફરિયાદ નોંધાવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં પાટનગર લખનઉમ પાસે જ આ શરમજનક ઘટના બની છે. અહીંના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચંદિયા ખેડા ગામમાં રાજકુમાર રાવત પોતાના પરિવાર સાથે રહે છે અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. મળતી માહિતી પ્રમાણે રાજકુમાર મજૂરી કામ કર્યા બાદ આરામ કરી રહ્યો હતો. જેને જગાડવા માટે આરોપી સંજય મૌર્યાએ તેને અવાજ કરીને જગાડવાને બદલે સીધો તેના મોં પર પેશાબ કર્યો હતો અને તેને માર માર્યો હતો. આખી ઘટનાથી હતપ્રભ થઈ ગયેલા રાજકુમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને ન્યાયની માંગણી કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><strong> <a href="https://khabarantar.com/40-people-of-5-dalit-families-migrated-due-to-the-torture-of-the-headstrong-elements">માથાભારે તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારના 40 લોકોએ હિજરત કરી</a></strong></span><br><br><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 03 Jun 2024 12:59:08 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 03 Jun 2024 22:51:15 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>701</Articleid>
                    <excerpt>મધ્યપ્રદેશના સીધીકાંડ જેવી ઘટના ફરી બની છે. એક દલિત મજૂર આરામ કરી રહ્યો હતો ત્યારે તેને જગાડવા માટે માથાભારે શખ્સે તેના મોં પર પેશાબ કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665d6ffb4e0b0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665d6ffb1f5a2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665d6ffb1f5a2.jpg" length="55992" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ભૂંસું સળગાવી દેવાની આશંકાએ દલિત વડીલ પર જીવલેણ હુમલો થતા મોત</title>
                    <link>https://khabarantar.com/a-dalit-elder-was-fatally-attacked-and-died-on-suspicion-of-burning-ashes</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-elder-was-fatally-attacked-and-died-on-suspicion-of-burning-ashes</guid>
                    <description>
                        <![CDATA[ કથિત સવર્ણના ખેતરમાં પડેલું ભૂંસું સળગી ગયું હતું. તેને ગામના એક દલિત પર શંકા જતા હુમલો કરી દીધો હતો. જેમાં દલિતનું મોત થઈ ગયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ એવો સાપ છે જે ડંખ મારવા માટે સામેની વ્યક્તિનો કોઈ વાંક જોતો નથી, તેના માટે તમારું દલિત, આદિવાસી હોવું પુરતું થઈ પડે છે. જાહેર પરબ પરથી પાણી પીવું, નવા કપડાં પહેરવા, નવું વાહન ખરીદ્યું હોય, જમીન ખરીદી હોય, જાતિવાદી તત્વો કરતા કંઈક સારું તમારું પાસે હોય આ તમામ બાબતો તમાને જાતિવાદના સાપના ડંખ મારવા માટે પુરતી છે. ઘણીવાર તો કોઈ કારણ ન હોય તો પણ તમે જાતિવાદનો શિકાર થઈ શકો છો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવું જ હમણાં એક ગામમાં બની ગયું. જ્યાં એક દલિત વ્યક્તિને જાતિવાદીઓએ એટલા માટે લાકડીઓ-દંડાથી ઢોર માર માર્યો કેમ કે, તેમના ખેતરમાં પડેલું ભૂંસું સળગી ગયું હતું અને તેમને આશંકા હતી કે એ દલિત વ્યક્તિએ તે સળગાવ્યું છે. આવી આશંકા માત્રથી જાતિવાદી તત્વો દલિત વ્યક્તિના ઘરે પહોંચી ગયા હતા અને તેમને લાકડીઓ-દંડાથી એવા ફટકાર્યા હતા કે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે દમ તોડી દીધો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટીનો એક કેસ ચાલતો હતો છતાં હુમલો કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ અને ક્રાઈમ કેપિટલ ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીં હરદોઈ જિલ્લાના બેહટા ગોકુલ પોલીસ સ્ટેશનના શિરોમણ નગર ગામમાં કેટલાક માથાભારે જાતિવાદી તત્વોએ પ્રેમચંદ નામના દલિત વ્યક્તિ પણ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેમનું મોત થઈ ગયું હતું. આરોપીઓ સામે એસસી-એસટી એક્ટ હેઠળ પહેલેથી જ એક કેસ ચાલી રહ્યો હતો, તેમ છતાં તેમણે પ્રેમચંદ પર હુમલો કર્યો હતો, જે બતાવે છે કે આ રાજ્યમાં જાતિવાદી તત્વોને દલિતો પર હુમલો કરવામાં કાયદો વ્યવસ્થા જેવી કોઈ ચીજનો ડર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું મામલો હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોટાભાગના એટ્રોસિટીના કેસોમાં બને છે તેમ સવર્ણ મીડિયાએ આ કેસના આરોપીઓની પણ અટક છુપાવી રાખી છે. ઘણી તપાસ કરવા છતાં પણ ક્યાંય અમને આરોપીઓનું આખું નામ જાણવા મળ્યું નથી. એટલે આરોપીઓ કઈ જાતિના છે તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. એ જ રીતે દલિત વ્યક્તિની પણ અટક દબાવી રાખી છે, જેથી તેની પણ ચોક્કસ જાતિ બહાર ન આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Complaint-under-SC-ST-Act-against-Aaj-Tak-anchor-Sudhir-Chaudhary-for-making-objectionable-statement-on-tribal-society"><strong>આજ તકના એન્કર સુધીર ચૌધરી પર SC-ST એક્ટ હેઠળ ફરિયાદ, આદિવાસી સમાજ પર કર્યું હતું વાંધાજનક નિવેદન</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_665d4ad9025ed.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક પ્રેમચંદની પત્ની કાંતિના જણાવ્યા પ્રમાણે 29મી મેના રોજ તેમના ગામના સુનીલના ખેતરમાં રાખેલું ભૂંસું સળગી ગયું હોવાથી તે ભારે ગુસ્સામાં હતો. તેને શંકા હતી કે આ ભૂંસું પ્રેમચંદે સળગાવ્યું છે. જેને લઈને તેણે તેના ભાઈઓ નિર્માણ, નરેશ અને પિતા ગજરાજ સાથે રાત્રે નવ વાગ્યા આસપાસ પ્રેમચંદના ઘરે જઈને તેના જાતિસૂચક શબ્દો સાથે ગાળો ભાંડી હતી. એ પછી ત્રણેયે લાકડીઓ અને દંડા વડે પ્રેમચંદ પર હુમલો કરી દીધો હતો. જેમાં પ્રેમચંદ લોહીલુહાણ થવાની સાથે ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને તાત્કાલિક હરદોઈ મેડિકલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ ફરાર થઈ ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેડિકલ કોલેજમાં પણ તેમની સ્થિતિમાં સુધારો ન દેખાતા તેમને લખનઉના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું એ જ રાત્રે મોત થઈ ગયું હતું. બીજા દિવસે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. એ પછી તેમના પત્ની કાંતિએ આરોપીઓ વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રેમચંદના મોતની સમાચાર મળતા જ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મામલામાં જે કલમો નોંધાવેલી છે તેના આધારે આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/after-hamirbhai-rathod-his-friend-also-died-in-rajkot-custodial-death"> </a></strong></span><a href="https://khabarantar.com/after-hamirbhai-rathod-his-friend-also-died-in-rajkot-custodial-death"><strong>રાજકોટ કસ્ટોડિયલ ડેથમાં હમીરભાઈ રાઠોડ બાદ તેમના મિત્રનું પણ મોત</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 03 Jun 2024 10:21:05 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 03 Jun 2024 22:51:53 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>699</Articleid>
                    <excerpt>કથિત સવર્ણના ખેતરમાં પડેલું ભૂંસું સળગી ગયું હતું. તેને ગામના એક દલિત પર શંકા જતા હુમલો કરી દીધો હતો. જેમાં દલિતનું મોત થઈ ગયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665d4a09eeddc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665d4a09c1ae7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665d4a09c1ae7.jpg" length="43225" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહે સફાઈકર્મી પર હુમલો કર્યો</title>
                    <link>https://khabarantar.com/a-lion-attacked-a-scavenger-at-sakkarbagh-zoo-in-junagadh</link>
                    <guid>https://khabarantar.com/a-lion-attacked-a-scavenger-at-sakkarbagh-zoo-in-junagadh</guid>
                    <description>
                        <![CDATA[ જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝૂમાં સિંહના પાંજરામાં સફાઈ કરવા ગયેલા એક સફાઈકર્મી પર સિંહે હુમલો કરી દીધો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢમાં એશિયાટિક સિંહોની મોટી વસતિ છે. જૂનાગઢ, અમરેલીમાં સિંહો સમયાંતરે જોવા મળતા હોય છે અને સોશિયલ મીડિયામાં તેના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ગઈકાલે જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં એક સિંહે અહીંના સફાઈકર્મી પર હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી વિગત પ્રમાણે, ધીરૂભાઈ ટુંડીયા નામના સફાઈકર્મી સિંહના પાંજરામાં સફાઈ કરવા માટે ગયા હતા. એ દરમિયાન અચાનક સિંહે તેમના પર હુમલો કરી દીધો હતો. જેના કારણે તેમના પગ અને હાથમાં ઈજા થઈ હતી. આથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ તેમની હાલત સ્થિર છે. જો કે, સિંહે હુમલો શા માટે કર્યો તેના માટે ઝૂ ઓથોરિટીએ તપાસ શરૂ કરી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ તો, સિંહ દ્વારા માનવ પર હુમલાની ઘટના ભાગ્યે જ બને છે, પરંતુ થોડા દિવસ પહેલા અમરેલીના રાજુલાના વાવેરા ગામમાં વાડી વિસ્તારમાં સિંહણે ત્રણ લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સિંહણે સવારે બે લોકો પર હુમલો કર્યો ત્યારબાદ સાંજે હુમલાની ત્રીજી ઘટના બની હતી. વન વિભાગે તુરંત કાર્યવાહી શરૂ કરી, સિંહણના રેસક્યુ માટે તજવીજ હાથ ધરી હતી. હાલ ગરમીનો માહોલ છે ત્યારે સિંહોને પણ જો યોગ્ય સુવિધા ન મળે તો તેમના પર વાતાવરણની અસર થઈ શકે છે. શક્ય છે તે જ કારણોસર તેણે સક્કરબાગ ઝૂના સફાઈકર્મી ધીરૂભાઈ ટુંડીયા પર હુમલો કર્યો હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/10-bouncers-had-to-be-hired-to-protect-the-sweepers-in-ambaji"><strong>અંબાજીમાં સફાઈકર્મીઓની સુરક્ષા માટે 10 બાઉન્સરો રાખવા પડ્યાં</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Two-people-suffocated-while-cleaning-in-Bhavnagar,-one-cleaner-died,-one-in-critical-condition"><strong>ભાવનગરમાં ગટરની અંદર સફાઈ માટે ઉતરેલા બે લોકો ગૂંગળાયા, એક સફાઈકર્મીનું મોત, એકની હાલત ગંભીર</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 01 Jun 2024 20:17:27 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 01 Jun 2024 17:37:26 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>692</Articleid>
                    <excerpt>જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝૂમાં સિંહના પાંજરામાં સફાઈ કરવા ગયેલા એક સફાઈકર્મી પર સિંહે હુમલો કરી દીધો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665b0e38492ce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665b0e381952c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665b0e381952c.jpg" length="126440" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી, કપડાં ઉતરાવી માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/ganesh-jadeja-kidnapped-a-dalit-youth-stripped-him-and-beat-him</link>
                    <guid>https://khabarantar.com/ganesh-jadeja-kidnapped-a-dalit-youth-stripped-him-and-beat-him</guid>
                    <description>
                        <![CDATA[ ગોંડલના ધારાસભ્ય ગીતાબેન જાડેજા અને જયરાજ જાડેજા ના છોકરા  ગણેશ એ જૂનાગઢના એક દલિત યુવકનું અપહરણ કરી, ગોંધી રાખી ઢોર માર મારતા ચકચાર મચી ગઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્તાની ઓંથના કારણે કાયદાને બાપકી જાગીર સમજતા તત્વોને જાણે પોલીસ, વહીવટીતંત્ર કે કાયદો વ્યવસ્થાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવી સ્થિતિ હવે યુપી-બિહાર જેવા રાજ્યો જેમ ગુજરાતમાં પણ પેદા થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જંગલરાજની ઉપમા ભલે બિહારને મળી હોય પણ એટ્રોસીટીના કેસોમાં ગુજરાતમાં પણ બિહાર જેવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. આમ તો તેના અનેક ઉદાહરણો ટાંકી શકાય તેમ છે પણ તાજું ઉદાહરણ હાલ દાદાગીરી માટે કુખ્યાત થઈ ચૂકેલા ગોંડલમાંથી સામે આવ્યું છે. જ્યાં ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબેન જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગણેશ જાડેજાએ જૂનાગઢના એક દલિત યુવકનું અપહરણ કરી, ગોંધી રાખી, ઢોર માર મારી જાતિસૂચક ગાળો ભાંડી ભયંકર રીતે અપમાનિત કર્યો હતો. સમગ્ર મામલે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ યુવક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાવ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના દાદર રોડ પર સંજય રાજુભાઈ સોલંકી (ઉંમર ૨૬) રહે છે. સંજય સોલંકી કોરિયોગ્રાફી કરે છે અને કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઈ સાથે પણ સંકળાયેલા છે. ગત તા. 30 મેના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ તેઓ જૂનાગઢના કાળવા ચોકમાં કાળુભાના પૂતળા પાસેથી તેમના 6 વર્ષના દીકરા રાજવીર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની સાવ નજીક એક ફોર વ્હીલરે અત્યંત જોખમી રીતે પસાર થઈને બ્રેક મારી હતી. જેથી સંજયભાઈએ તેમને કાર સરખી રીતે ચલાવવાનું કહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Why-do-the-accused-get-away-with-such-a-strong-atrocity-law">એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_665afce5d347e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આથી કારમાં બેઠેલા લોકો નીચે ઉતરી આવ્યા હતા. આથી સંજયભાઈએ તેમને કહ્યું હતું કે, તમારે ઝઘડો કરવો હોય તો હું મારા દીકરાને ઘેર મૂકીને આવું. આમ કહીને તેઓ દાતાર રોડ પર આવેલા તેમના ઘર તરફ મોટરસાઈકલ લઈને રવાના થયા હતા. એ દરમિયાન ફોર વ્હીલરે તેમનો ઘર સુધી પીછો કર્યો હતો અને તેઓ ઘરે પહોંચ્યાં ત્યાં સુધીમાં બીજી એક કાર ત્યાં આવી પહોંચી હતી. બંને કારમાંથી અંદાજે 10 જેટલા લોકો ઉતરી આવ્યા હતા અને સંજયભાઈ સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા ત્યાં જ તેમના પિતા આવી ગયા હતા. દરમિયાન એ કારમાં જોયું તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજાનો દીકરો ગણેશ જાડેજા બેઠો હતો. તેની સાથે તેના માણસો પણ હતા. ગણેશ સંજયભાઈના પિતાને ઓળખતો હોવાથી એ વખતે આ મામલે સમાધાન થયું હતું અને સૌ જતા રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મોડી રાત્રે અપહરણ કર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી સંજયભાઈ તેમના ઘર બહાર થોડીવાર બેસીને જૂનાગઢમાં ફરીને રાત્રિના પોણા ત્રણ વાગ્યા આસપાસ પોતાનું મોટરસાઈકલ લઈને ઘરે જતા હતા ત્યાં દાતાર રોડ ગાયત્રી દાળિયા ભંડાર સામે ગણેશ જાડેજા સહિતના લોકોએ ફરી સંજયભાઈનો પીછો કરી કારને ફૂલ સ્પીડમાં ચલાવી તેમની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથી તેઓ નીચે પછડાયા હતા. એ પછી કારમાંથી પાંચેક લોકોએ નીચે ઉતરી તેમને લોખંડના પાઈપથી આડેધડ માર મારવો શરૂ કરી દીધો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_665afd481bd99.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન બીજી બે ફોરવ્હિલર પણ ત્યાં આવી પહોંચી હતી અને તેમાંથી પણ કેટલાક લોકો નીચે ઉતર્યા હતા અને સંજયભાઈને ઉપાડીને કારમાં બેસાડીને અપહરણ કરીને ગોંડલ તરફ લઈ ગયા હતા. અપહરણકર્તાઓમાં એક વ્યક્તિ પોતે પોલીસ હોવાનું જણાવતો હતો અને સંજયભાઈને ઢીંકાપાટુ મારતો હતો. આ લોકો તેમને એક અવાવરૂ વાડી વિસ્તારમાં લઈ ગયા હતા જ્યાં ગણેશ જાડેજા અને તેના સાગરિતો અગાઉથી હાજર હતા. અહીં સંજયભાઈને ફરી આ લોકોએ ઢોર માર માર્યો હતો અને "ઢે&amp; ને મારો, આ લોકોનો ત્રાસ વધી ગયો છે." એમ જાતિસૂચક શબ્દો બોલી ગાળો ભાંડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગણેશગઢમાં લઈ જઈને ફરી અપમાન કર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી ગણેશ જાડેજા ફરી સંજયભાઈને તેની કારમાં બેસાડીને ગોંડલ સ્થિત તેના ગણેશગઢ નામના ઘરે લઈ ગયો હતો. ત્યાં પાંચ-છ લોકો પિસ્તોલ અને લોખંડના પાઈપ સાથે હાજર હતા. જેઓ સંજયભાઈને ગણેશની ઓફિસમાં લઈ ગયા હતા. જ્યાં ગણેશના કહેવાથી તેમણે સંજયભાઈના કપડાં ઉતારી નાખ્યા હતા અને ફરી આડેધડ ઢીંકાપાટુનો માર માર્યો હતો અને તેનો વીડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો અને માફી મંગાવડાવી હતી. સાથે જ ધમકી આપી હતી કે, "જૂનાગઢ કોંગ્રેસ એનએસયુઆઈમાંથી રાજીનામું આપી દે જે અને જો આ બાબતે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું." </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગભરાયેલા સંજયભાઈએ માફી માગતા આખરે તેમને એક કારમાં બેસાડીને જૂનાગઢની ભેંસાણ ચોકડી પાસે કીયાના શોરૂમ નજીક ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ ખાનગી વાહન કરીને સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમના પિતા અને દલિત સમાજના આગેવાનો રાવણભાઈ પરમાર, હરસુખભાઈ મકવાણા, મીત સોલંકી વગેરે હાજર હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-rate-of-conviction-of-the-accused-in-atrocity-cases-in-gujarat-is-only-3.065-percent">ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા!</a><br></strong></span></span></p>
<p>.<img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_665afdbdc7048.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. એ દરમિયાન સંજયભાઈને ઢોર મારને કારણે શરીરમાં ભારે દુખાવો થતો હોવાથી તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ તેમણે પોલીસ રક્ષણની પણ માંગ કરી હતી.</span></p>
<p>.</p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_665afd7853f9a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર મામલે ગોંડલના ધારાસભ્ય ગીતાબેન જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે આઈપીસીની કલમ 143, 147, 148, 149, 307, 365, 323, 504, 506(2), આર્મ એક્ટની કલમ 25(1-બી)(એ) અને એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(આર)(એસ), 3(2)(5) મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગુજરાતભરના દલિતોમાં ભારે આક્રોશ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢની આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યાં છે અને રાજ્યભરના દલિતોમાં તેને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. </span><span style="font-size: 14pt;">આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરીને દોષિતોને સજા થાય તેવી તીવ્ર માંગ ઉઠી છે. બનાવ અંગેની ફરિયાદ પરથી જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ વી.જે. સાવજ અને ટીમે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/they-beat-him-saying-that-he-wants-to-get-free-ration-from-bjp-and-vote-for-someone-else">મફત રાશન ભાજપ પાસેથી લેવું છે ને મત બીજા કોઈને આપીશ? કહીને માર્યો</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 01 Jun 2024 16:33:11 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 01 Jun 2024 17:43:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>689</Articleid>
                    <excerpt>ગોંડલના ધારાસભ્ય ગીતાબેન જાડેજા અને જયરાજ જાડેજા ના છોકરા  ગણેશ એ જૂનાગઢના એક દલિત યુવકનું અપહરણ કરી, ગોંધી રાખી ઢોર માર મારતા ચકચાર મચી ગઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_665af557835b4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_665af557532a5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_665af557532a5.jpg" length="46333" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વાલ્મિકી યુવકને ઊંધો લટકાવી 6 કલાક સુધી થર્ડ ડિગ્રી ટોર્ચર કરતા મોત</title>
                    <link>https://khabarantar.com/valmiki-hanged-the-youth-upside-down-for-6-hours-and-gave-him-third-degree-torture</link>
                    <guid>https://khabarantar.com/valmiki-hanged-the-youth-upside-down-for-6-hours-and-gave-him-third-degree-torture</guid>
                    <description>
                        <![CDATA[ દારૂ માફિયાઓએ એક 27 વર્ષના નિર્દોષ વાલ્મિકી યુવકનું અપહરણ કરી, ઊંધો લટકાવી 6 કલાક સુધી તેના પગના તળિયે દંડા ફટકારતા તેનું મોત થઈ ગયું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત વ્યક્તિને નાની અમથી વાતમાં માર મારવો, તેને જાતિસૂચક ગાળો ભાંડવી, જાહેરમાં તેનું અપમાન કરવું કે અમાનવીય વર્તન કરવું કે મારી નાખવી, આ બધું જાતિવાદી તત્વો માટે જાણે સામાન્ય બાબત હોય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. એટ્રોસિટી જેવો મજબૂત કાયદો હોવા છતાં અને બંધારણમાં આભડછેટ ખતમ કરી દેવામાં આવી હોવા છતાં વાસ્તવિકતા કંઈક જુદી જ છે. દેશમાં દરરોજ દલિત અત્યાચારની કોઈને કોઈ એવી ઘટના બનતી રહે છે જે માણસ તરીકેના આપણા અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે. 'A WEDNESDAY' ફિલ્મમાં નસરુદ્દીન શાહ જ્યારે પોલીસ અધિકારી અનુપમ ખેરને કહે છે કે, "મેં જ્યારે તમને કહ્યું કે મારું કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાણ નથી. હું તો એક સામાન્ય માણસ છું. ત્યારે કેવો તરત તમારા અવાજમાં આત્મવિશ્વાસ આવી ગયો." બસ આવું જ કંઈક દલિતો મામલે છે. જાતિવાદીઓને જ્યારે ખબર પડે છે કે, તેઓ જેમના પર અત્યાચાર કરી રહ્યાં છે તે, દલિત-આદિવાસી છે ત્યારે ખબર નહીં ક્યાંથી તેમનો આત્મવિશ્વાસ અચાનક વધી જાય છે. કેમ કે તેમને ખબર પડી જાય છે કે, આખું તંત્ર તેમનું છે, પોલીસથી લઈને આખી સિસ્ટમ તેમના માટે કામ કરતી રહે છે. એટલે તેમને કાયદો વ્યવસ્થાનો ડર નથી રહેતો. એટ્રોસિટી જેવો મજબૂત કાયદો હોવા છતાં દેશભરમાં આ મામલામાં આરોપીઓને સજા થવાનો દર સૌથી ઓછો છે. એ જ સાબિત કરે છે કે, જાતિવાદીઓને તેનો પર ડર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં એક અઠવાડિયાથી એક ઘટનાએ છેક દિલ્હી સુધી હોબાળો મચાવી દીધો છે જેમાં એક વાલ્મિકી સમાજના યુવકને જાતિવાદી તત્વોએ ઊંધો લટકાવીને 6 કલાક સુધી તેના પગના તળિયા પર દંડા ફટકાર્યા. જેના કારણે તેનું મોત થઈ ગયું. આ ઘટનાએ સમગ્ર દલિત સમાજને હચમચાવી નાખ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દારૂ માફિયાઓની દાદાગીરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મહિલાઓ માટે નર્ક મનાતા રાજસ્થાનનો છે. અહીંના ઝૂંઝનૂ જિલ્લાના સૂરજગઢ વિસ્તારમાં ગૌશાળામાં કામ કરતા એક વાલ્મિકી સમાજના કર્મચારીના પગ બાંધીને લોખંડના પાઈપ સાથે ઊંધો લટકાવી દીધો. એ પછી તેના પગના તળિયા પર 6 કલાક સુધી દંડા મારવામાં આવ્યા. થર્ડ ડિગ્રી ટોર્ચરના કારણે તેનું મોત થઈ ગયું. સમગ્ર રાજસ્થાનના દલિત સમાજમાં આ ઘટનાનો મોટો પડઘો પડતા પોલીસ તરત એક્શનમાં આવી હતી અને તમામ આરોપીઓની 48 કલાકની અંદર ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં પોલીસે એક સગીરને પણ ડિટેઈન કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, યુવકને મારતી વખતે આરોપીઓએ તેનો વીડિયો બનાવ્યો હતો. જે ઘટનાના થોડા દિવસ પછી સામે આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફક્ત શંકાના આધારે અપહરણ કર્યું અને માર માર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝુંઝુનુ જિલ્લાના સૂરજગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુખદેવ સિંહના જણાવ્યા પ્રમાણે "બલોદામાં દારૂની દુકાનના કર્મચારીઓ અને ગેરકાયદેસર દારૂ બનાવનારાઓ વચ્ચે દુશ્મનાવટ છે. આ ઘટના આ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેચાણની શંકાના આધારે ઘટી હતી. દારૂનું લાયસન્સ ધરાવતા લોકોને એવું લાગતું હતું કે ગેરકાયદેસર દારૂના કારણે તેમની આવક પર અસર થઈ રહી છે. તેમને શંકા હતી કે, ગૌશાળામાં કામ કરતા રામેશ્વર વાલ્મિકી (27)ને ગેરકાયદેસર દારૂ બનાવનારાઓ સાથે સંપર્ક છે અને રામેશ્વર દ્વારા એ લોકો તેમનો ધંધો ખતમ કરવા માંગે છે. આ શંકાના આધારે આરોપીઓએ રામેશ્વરનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું. 14મી મેના રોજ સવારે ગૌશાળામાંથી પરત ફર્યા બાદ રામેશ્વર </span><span style="font-size: 14pt;">એક અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે સવારે 11 વાગે ઘરેથી નીકળ્યો હતો. તે નીકળતા જ બદમાશોએ તેનું કારમાં અપહરણ કર્યું અને તેને એક હવેલીમાં લઈ ગયા. જ્યાં તેને બાંધીને 6 કલાક સુધી તેના પગ અને શરીર પર અલગ અલગ જગ્યાએ દંડા ફટકારવામાં આવ્યા. આરોપીઓએ તેનો વીડિયો બનાવ્યો. બે આરોપીઓએ તેના હાથપગ પકડ્યા અને ત્રીજાએ તેના પર આડેધડ લાકડીઓ ફટકારી હતી. રામેશ્વરને ઘડીક ઊંધો સૂવડાવીને મારવામાં આવ્યો તો ઘડીક લટકાવીને માર્યો. 6 કલાક સુધી અત્યંત ખરાબ રીતે થર્ડ ડિગ્રી ટોર્ચર અને મારને કારણે રામેશ્વર બેભાન થઈ ગયો. ટોર્ચરને તે સહન ન કરી શક્યો અને તેનો જીવ જતો રહ્યો. એ પછી સાંજે 7 વાગ્યે આરોપીઓ તેનો મૃતદેહ તેના ઘર નજીક ફેંકીને જતા રહ્યા."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/after-drinking-water-from-the-pitcher-the-dalit-youth-was-killed-and-mutilated">ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_665956b4eec8d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની માહિતી મળતાં જ ડીએસપી વિકાસ ધીંડવાલ અને પોલીસ અધિકારી સુખદેવ સિંહ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડોગ સ્કવોડને પણ બોલાવવામાં આવી હતી. કહેવાય છે કે આરોપીઓ રામેશ્વરને હરિયાણાના સતનાલીની એક ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. એ પછી તેમણે તેને સાંજે 7 વાગ્યે તેના ઘર બહાર ફેંકી દીધો અને ભાગી ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">48 કલાકમાં આરોપીની ધરપકડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામેશ્વરના મોટા ભાઈ કાલુરામે સૂરજગઢ પોલીસ સ્ટેશનમાં 6 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. જેમાં મહાવીર, ચિંટૂ, પર્વત પવન, સુખો, પ્રવીણ, ઉરીકા, ચિંટૂ સહિત એક અન્ય વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Real-Women-Empowerment:-4-Daughters-of-Valmiki-Community-Quit-Sweeping-and-Join-Self-Employment-Training"><strong>અસલી સ્ત્રી સશક્તિકરણઃ વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડુ-વાળુ છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_665956a715278.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસપી રાજર્ષિ વર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "16 મેના રોજ પોલીસે આરોપી દીપેન્દ્ર ઉર્ફે ચિન્ટુ, પ્રવીણ કુમાર ઉર્ફે પીકે, સુભાષ ઉર્ફે ચિન્ટુ, સતીશ ઉર્ફે સુખો, પ્રવીણ ઉર્ફે બાબાની ધરપકડ કરી હતી. ચાર આરોપીઓ સામે અગાઉથી મારામારી, આર્મ્સ એક્ટના કેસો નોંધાયેલા છે. દિપેન્દ્ર ઉર્ફે ચિંટૂ હિસ્ટ્રીશીટર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બીજા પણ એક વ્યક્તિનું અપહરણ કર્યું હતું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, રામેશ્વર સિવાય આરોપીઓએ જેઠૂ નાયક નામના યુવકનું પણ અપહરણ કર્યું હતું. જેઠૂના કહેવા પ્રમાણે આરોપીઓ તેને ગામમાં જ એક હવેલીમાં બનેલા દારૂના ગોદામમાં લઈ ગયા હતા. ત્યાં બંનેને માર મારવામાં આવ્યો હતો. રામેશ્વરનો મોટો ભાઈ કાલુરામ નીમકાથાણામાં પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરે છે. બીજો ભાઈ સુલતાન રાજગઢમાં રહે છે. બલોદા સ્થિત મકાનમાં રામેશ્વરની માતા તેની સાથે રહેતી હતી. તેના પિતા હયાત નથી અને હવે પુત્રનું પણ મોત થતા રામેશ્વરની માતા નોંધારી થઈ ગઈ છે અને સતત રડ્યાં કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અનેક રાજ્યોમાં ઘટનાના પડઘા પડ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિર્દોષ રામેશ્વર વાલ્મિકીની દારૂ માફિયાઓ દ્વારા કરવામાં આવેલી નિર્મમ હત્યાના પડઘા સમગ્ર રાજસ્થાન ઉપરાંત યુપી, મધ્યપ્રદેશ સુધી પડ્યાં હતા. યુપીમાં ઉત્તરપ્રદેશ સફાઈ મજૂર સંઘ અને વાલ્મિકી સમાજ મહાસભા દ્વારા રામેશ્વર વાલ્મિકીને ન્યાય મળે તે માટે શોકસભા રાખવામાં આવી હતી. બે મિનિટનું મૌન ધારણ કરીને આ ઘટનાને સમગ્ર દેશના વાલ્મિકી સમાજે વખોડી કાઢી હતી. સાથે જ મૃતક રામેશ્વરના પરિવારને યોગ્ય ન્યાય મળે, આરોપીઓને કડકમાં કડક સજા થાય, મૃતકના પરિવારજનોને રૂ. 50 લાખની સહાય મળે, તેના પરિવારને સરકારી નોકરી સાથે ઘર, શિક્ષણ અને ભરણપોષણનો અધિકાર આપવાની માંગ કરાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓના ઘરો પર બુલડોઝર ફેરવી દેવાયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાના થોડા દિવસો બાદ 23 મેના રોજ બે આરોપીઓના ઘરો પર પોલીસની સુરક્ષામાં તેમના ઘરો પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. રામેશ્વરની હત્યાના બે આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવીને ઘર બનાવ્યા હતા. જોહડ વિસ્તારમાં આવેલા આ બંને ઘરો પર સ્થાનિક તંત્રે યુપીની તર્જ પર જેસીબી ફેરવી દીધું હતું. જો કે સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે હત્યારાઓને સજા મળે તે બરાબર પણ તેમને પરિવારજનોને સજા ન મળવી જોઈએ. પણ તંત્રે તેમની વાત નહોતી સાંભળી કેમ કે બાંધકામ નિયમ વિરુદ્ધ હતું. આખરે તોડી પડાયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/the-space-in-the-jail-was-so-narrow-that-it-was-impossible-to-turn-around"><strong>જેલમાં જગ્યા એટલી સાંકડી હતી કે પડખું ફરવું અશક્ય હતું...</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 31 May 2024 10:35:19 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 31 May 2024 10:26:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>685</Articleid>
                    <excerpt>દારૂ માફિયાઓએ એક 27 વર્ષના નિર્દોષ વાલ્મિકી યુવકનું અપહરણ કરી, ઊંધો લટકાવી 6 કલાક સુધી તેના પગના તળિયે દંડા ફટકારતા તેનું મોત થઈ ગયું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_665956b488c52.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_665956b45a605.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_665956b45a605.jpg" length="68600" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મનુવાદની ચરમસીમાઃ 10 મહિનામાં એક જ દલિત પરિવારના 3 લોકોની હત્યા</title>
                    <link>https://khabarantar.com/extremism-of-manuwad-killing-of-3-people-from-the-same-dalit-family-in-10-months</link>
                    <guid>https://khabarantar.com/extremism-of-manuwad-killing-of-3-people-from-the-same-dalit-family-in-10-months</guid>
                    <description>
                        <![CDATA[ પહેલા યુવતીના ભાઈની હત્યા થઈ, પછી એ કેસના સાક્ષી તેના કાકાને મોતને ઘાટ ઉતારી દીધાં. પછી ખુદ પીડિતાનું શંકાસ્પદ મોત થયું. વાંચો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોઈ એક પરિવારમાં ફક્ત 10 મહિનાના ટૂંકા સમયગાળામાં ત્રણ ત્રણ લોકોની હત્યા થઈ જાય તો તેને શું કહેશો? પહેલા એ દલિત યુવતીનું જાતીય શોષણ થયું. એ પછી જ્યારે તેના ભાઈએ જાતિવાદીઓ સામે અવાજ ઉઠાવ્યો તો તેની હત્યા કરી દેવાઈ. તેના કાકા આ હત્યા કેસમાં સાક્ષી હતા તો તેમની પણ આ મહિનાની 25મી તારીખે હત્યા કરી દેવામાં આવી હતી. અને જ્યારે પીડિતા તેના કાકાનો મૃતદેહ લેવા માટે એમ્બ્યૂલન્સમાં ગઈ તો તેનું પણ શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું. આ સમગ્ર ઘટનાક્રમને લઈને દેશભરના દલિતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો તેને હત્યા ગણાવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો છેલ્લાં કેટલાક દિવસથી દેશભરમાં ચર્ચામાં રહેલા મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો છે. અહીં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સમાજનો ઘૃણાસ્પદ ચહેરો ઉજાગર કરી દીધો છે. આ આખો ઘટનાક્રમ ઓગસ્ટ 2023માં શરૂ થયો હતો જ્યારે 18 વર્ષીય દલિત યુવક નીતિન અહિરવારને જાતિવાદી ગુંડાઓએ માર માર્યો હતો. કારણ કે તેણે તેની બહેનની જાતીય સતામણીનો વિરોધ કર્યો હતો. આ મામલામાં કથિત ઉચ્ચ જાતિના ગુંડાઓ તેના પર સમાધાન કરવા માટે દબાણ કરી રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Thangarh-massacre:-Why-Sanjay-Prasad-committee-report-not-made-public-The-High-Court-struck-down-the-state-government"> થાનગઢ હત્યાકાંડ: સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ કેમ જાહેર નથી કરાતો? હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_66588e3660e22.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાના ભાઈની હત્યા બાદ પીડિતા અંજનાએ આ મામલામાં એફઆઈઆર નોંધાવી હતી. લાલુની હત્યાના ત્રણ સાક્ષીઓ હતા. કાકા રાજેન્દ્ર, બીજી અંજના પોતે અને ત્રીજી તેની માતા. ત્યારથી જાતિવાદી ગુંડાઓ તેમના નિવેદન બદલવા માટે પરિવાર પર દબાણ કરી રહ્યા હતા, પરંતુ પરિવાર ન્યાય માટે લડી રહ્યો હતો. આ કેસમાં એક પછી એક ત્રણ લોકોના મોત થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">100 કરોડના ખર્ચે રવિદાસજીનું મંદિર બનશે પણ દલિત અત્યાચાર પર ચૂપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત ઓગસ્ટ મહિનામાં જ્યારે આ ઘટના બની ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાગરમાં 11.21 એકર જમીનમાં 101 કરોડ રૂપિયાના ખર્ચે સતગુરુ રવિદાસજીના મંદિરના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. પણ આ જ સાગર જિલ્લામાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર બાબતે કોઈ એક હરફ સુદ્ધાં ઉચ્ચારતા નથી. આ ઘટના બની ત્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હતી અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હતા. આ કેસમાં પીડિતા દ્વારા શરૂઆતથી અંકિત ઠાકુરના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી ન હતી. આરોપ છે કે તેને રાજકીય ઓંથ મળેલી છે. અંજના આ મામલે વધુ આક્રમક હતી. કારણ કે તે એક શિક્ષિત છોકરી હતી જે પોતાના અધિકારોને લઈને જાગૃત હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીડિત પરિવારને સહાય મળી, ન્યાય ક્યારે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના બાદ જ્યારે હોબાળો થયો ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ગઈકાલે 29 મેના રોજ પીડિત પરિવારને તેમના ગામ બડોદિયા નોનાગિર પહોંચ્યા હતા અને પોલીસ ચોકી ખોલવાનું આશ્વાસન આપ્યું. સાથે જ મૃતક રાજેન્દ્ર અહિરવારના પરિવારને રૂ. 8 લાખ 25 હજારની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. જો કે આ મામલે ભાજપ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રની ભૂમિકા શરૂઆતથી જ શંકાસ્પદ રહી છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહને ટાંકીને સમાચાર આવ્યા છે કે, પીડિત પરિવારના સભ્યોનો આરોપ છે કે વહીવટીતંત્ર દ્વારા તેમને આપવામાં આવેલી સુરક્ષા અને લગાવવામાં આવેલા કેમેરા તાજેતરમાં હટાવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર કેસમાં એક જ પરિવારના બે સભ્યોની હત્યા અને અંજનાનું શંકાસ્પદ થતા મોત અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એક જ દલિત પરિવારના ત્રણ લોકો 10 મહિના ટૂંકા ગાળામાં શંકાસ્પદ સ્થિતિમાં મોતને ભેટ્યાં તેને લઈને હાલ સમગ્ર મધ્યપ્રદેશમાં હોબાળો મચી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/The-police-failed-to-protect-the-Dalits-until-now-so-many-killings-took-place"><strong>દલિતોને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ જતા અત્યાર સુધીમાં આટલી હત્યાઓ થઈ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 30 May 2024 20:08:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>684</Articleid>
                    <excerpt>પહેલા યુવતીના ભાઈની હત્યા થઈ, પછી એ કેસના સાક્ષી તેના કાકાને મોતને ઘાટ ઉતારી દીધાં. પછી ખુદ પીડિતાનું શંકાસ્પદ મોત થયું. વાંચો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_66588e3716380.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_66588e36d9aa0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_66588e36d9aa0.jpg" length="91526" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડીસાના રામપુરમાં દલિત બાળકે માટલામાંથી પાણી પીધું તો માર્યો</title>
                    <link>https://khabarantar.com/in-rampur-disa-dalit-child-beaten-after-drinking-water-from-matla</link>
                    <guid>https://khabarantar.com/in-rampur-disa-dalit-child-beaten-after-drinking-water-from-matla</guid>
                    <description>
                        <![CDATA[ ડીસા તાલુકાના રામપુર ગામે પાંચ વર્ષના વાલ્મિકી બાળકે ઠાકોર સમાજની દુકાનેથી પાણી પીધું તો તેને સોટીથી ફટકારી જાતિસૂચક ગાળો આપી અપમાનિત કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીસા તાલુકાના રામપુરા ગામે એક અનુસૂચિત જાતિના બાળકે ગામમાં આવેલી દુકાન બહાર મૂકેલા માટલામાંથી પાણી પીતા ઉશ્કેરાયેલા શખ્સે તેને જાતિ આધારિત શબ્દો કહીને અપમાનિત કર્યા બાદ સોટીથી ફટકાર્યો હતો. 5 વર્ષના નિર્દોષ બાળકને આભડછેટના એરુએ એવો તો ડંખ માર્યો કે બિચારાને ગામની દુકાને બધાંની વચ્ચે માર ખાવો પડ્યો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6657feae191d5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે બાદમાં તેના પરિવારજનો દુકાનદારને ઠપકો આપવા જતા તેમની ઉપર પણ જાતિવાદી તત્વોએ હુમલો કર્યો હતો. હવે સમગ્ર ઘટના મામલે ત્રણ શખ્સો સામે ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વાલ્મિકી સમાજનું બાળક</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીસાના રામપુરા ગામે ફૂલાભાઈ પથુભાઈ વાલ્મિકીનો પાંચ વર્ષનો પુત્ર કુરશી મંગળવારે સવારે ગામના વડના ઝાડ નીચે આવતી ગાડીએ ખીચડી-કઢી ખાવા માટે ગયો હતો. તેણે ઘણી રાહ જોઈ પણ ગાડી આવી નહોતી. એ દરમિયાન તેને તરસ લાગતા તે નજીકમાં આવેલા ગામના બળવંતજી માધાજી ઠાકોરના ગલ્લે ગયો હતો અને ત્યાં મૂકેલા માટલામાંથી પાણી પીધું હતું. એ જોઈને બળવંતજી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પાંચ વર્ષના નિર્દોષ કુરશીને જાતિસૂચક ગાળો ભાંડીને બધાંની વચ્ચે અપમાનિત કર્યો હતો. એટલું જ નહીં તેને સોટીથી માર માર્યો હતો. કુરશી રડતા રડતા ઘરે ગયો હતો અને સમગ્ર ઘટનાની પરિવારજનોને જાણ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/dalit-drank-water-from-the-lake-which-they-did-not-dare-to-even-look-at">જે તળાવ સામે જોવાની પણ હિંમત નહોતી તેમાંથી જ્યારે દલિતોએ ખોબાં ભરીને પાણી પીધું</a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6657feac7f64c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આથી તેના પિતા ફૂલાભાઈ સહિતના પરિવારના લોકો બળવંતજીને ઠપકો આપવા માટે તેની દુકાને ગયા હતા. પણ બળવંતજી લાજવાને બદલે ગાજ્યા હતા અને તેમના બે પુત્રો ભરતજી અને દેવચંદજી ઠાકોરે વાલ્મિકી સમાજના ફૂલાભાઈ સહિતના પરિવારજનો પર હુમલો કરી જાતિસૂચક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ફૂલાભાઈ વાલ્મિકીએ બળવંતજી, ભરતજી અને દેવચંદજી ઠાકોર વિરુદ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">SSDના કાર્યકરોએ પીડિત પરિવારની મુલાકાત લીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદના આ બનાવની જાણ સ્વયં સૈનિક દળના કાર્યકરોને થતા તેઓ તરત પીડિત ફૂલાભાઈના પરિવારની મદદે દોડી ગયા હતા અને સમગ્ર મામલે જરૂરી તમામ સહકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જાતિવાદના જેટલા પણ બનાવો બને છે</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/you-should-be-given-water-in-toilet-bowl-only-then-you-dont-do-nakhra">તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6657fead0e553.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમાંના મોટાભાગના કેસોમાં આરોપીઓ ઓબીસી ઠાકોર સમાજના હોય છે. અંધશ્રદ્ધા અને દારૂના વ્યસન વચ્ચેથી બહાર નીકળવાને બદલે સવાયા સવર્ણ બનીને ફરતા ઠાકોર સમાજને તેમના બંધારણીય હકો પર પડી રહેલી તરાપ વિશે કશો ખ્યાલ નથી. હાલ ગુજરાતમાં સામાજિક જાગૃતિની સૌથી વધુ જરૂર ઓબીસી ઠાકોર સમાજમાં જણાય છે તેનો કોઈ ઈનકાર કરી શકે તેમ નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span></strong></span> <a href="https://khabarantar.com/dalit-youth-was-beaten-by-racists-for-drinking-water-from-public-water-tank"><strong>જાહેર પાણીની પરબ પરથી પાણી પીધું તો જાતિવાદીઓએ દલિત યુવકને માર્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 30 May 2024 10:04:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>681</Articleid>
                    <excerpt>ડીસા તાલુકાના રામપુર ગામે પાંચ વર્ષના વાલ્મિકી બાળકે ઠાકોર સમાજની દુકાનેથી પાણી પીધું તો તેને સોટીથી ફટકારી જાતિસૂચક ગાળો આપી અપમાનિત કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6657feadad842.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6657fead7e416.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6657fead7e416.jpg" length="103681" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત છું એટલે ટોઈલેટ જાઉ તો પણ નોટિસ આપી દે છે...</title>
                    <link>https://khabarantar.com/even-if-i-go-to-the-toilet-because-i-am-a-dalit-i-am-given-a-notice</link>
                    <guid>https://khabarantar.com/even-if-i-go-to-the-toilet-because-i-am-a-dalit-i-am-given-a-notice</guid>
                    <description>
                        <![CDATA[ હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે, જેમાં એક વ્યક્તિ રોતા રોતા જણાવે છે કે, પોતે દલિત હોવાથી ઓફિસના ઉચ્ચ અધિકારીઓ તેમને હેરાન કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયા પર એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ભારે વ્યથિત ચહેરે રોતી જોવા મળે છે. હકીકતે તે જમીન સંરક્ષણ વિભાગના જુનિયર એન્જિનિયર છે અને પોતે દલિત સમાજમાંથી આવતા હોવાથી તેમની સાથે ઓફિસના અન્ય ઉપરી અધિકારીઓ કેવું વર્તન કરી રહ્યાં છે તેને લઈને ફરિયાદ કરી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. જ્યાં જમીન સંરક્ષણ વિભાગના એક જુનિયર એન્જિનિયરનો 1 મિનિટ 11 સેકન્ડનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ આરોપ લગાવી રહ્યાં છે કે તેઓ દલિત સમાજમાંથી આવતા હોવાથી તેમને ઓફિસના ઉપરી અધિકારીઓ નાની અમથી બાબતને લઈને હેરાન પરેશાન કરી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં જુનિયર એન્જિનિયર લોકો પાસે મદદની માંગ કરી રહ્યાં છે. વીડિયોમાં તેઓ કહે છે કે, તેઓ દલિત સમાજમાંથી છે એટલે તેમનું કોઈ સાંભળતું નથી. તેમને ઓફિસના ઉચ્ચ અધિકારી ભારે હેરાન કરે છે. તેઓ જો ટોઈલેટ માટે પણ જાય તો તેમને નોટિસ ફટકારીને ખૂલાસો કરવા કહેવામાં આવે છે અને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આત્મહત્યા કરવાની વાત કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં પાછળના ભાગમાં એક ઓફિસ દેખાઈ રહી છે અને ત્યાં કેટલાક લોકો કામ કરતા જોઈ શકાય છે. વીડિયોમાં પોતાને જુનિયર એન્જિનિયર ગણાવતા અધિકારી મોટે મોટેથી રડતા જોવા મળે છે અને આત્મહત્યા કરવાની પણ વાત કરતા દેખાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/some-lies-connected-with-reservation-and-exposed">અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ કહે છે કે, જો તેમને આ જ રીતે ઉચ્ચ અધિકારીઓ હેરાન કરતા રહેશે તો તેઓ આત્મહત્યા કરી લેશે. તેઓ ન્યાય માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને સ્થાનિક તંત્ર સુધી લડત આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણ મહિનાનો પગાર રોકી દીધો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં જુનિયર એન્જિનિયર કહી રહ્યાં છે કે તેમને ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો. તેમને માનસિક અને આર્થિક એમ બંને મોરચે હેરાન કરવામાં આવી રહ્યાં છે. તેમણે જમીન સંરક્ષણ અધિકારી સંજય સિંહ પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે ત્રણ મહિનાથી તેમને પગાર ન મળ્યો હોવાથી તેમનું ઘર પરિવાર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વીડિયોની તપાસ કરતા ખ્યાલ આવે છે કે, જુનિયર એન્જિનિયર વ્યક્તિનું નામ અજીત કુમાર છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, જમીન સંરક્ષણ વિભાગના અધિકારી સંજય સિંહ છેલ્લાં એક વર્ષથી તેમને હેરાન કરી રહ્યાં છે, કારણ કે તેઓ દલિત સમાજમાંથી આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીડિયોમાં તેઓ આગળ જણાવે છે કે, જો તેમને મહેનતનો પગાર નહીં મળે અને આ જ રીતે હેરાન કરવામાં આવશે તો તેઓ આત્મહત્યા કરી લેશે. તેમણે વિભાગના અધિકારી સંજય સિંર પર કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. વધુમાં તેઓ જણાવે છે કે, હવે તેમની સહનશક્તિની હદ આવી ગઈ છે અને તેઓ અંદરથી સાવ તૂટી ગયા છે. જો કે આ વાયરલ વીડિયોની ખબરઅંતર.કોમ પુષ્ટિ નથી કરતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/you-are-a-jai-bheem-wala-we-dont-employ-jai-bheem-wala"><strong>તું 'જય ભીમ વાળો' છે, અમે 'જય ભીમ વાળા'ને નોકરી નથી આપતા</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 May 2024 11:16:14 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 28 May 2024 11:19:02 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>673</Articleid>
                    <excerpt>હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે, જેમાં એક વ્યક્તિ રોતા રોતા જણાવે છે કે, પોતે દલિત હોવાથી ઓફિસના ઉચ્ચ અધિકારીઓ તેમને હેરાન કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_66556eae3c1b5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_66556eae0cf07.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_66556eae0cf07.jpg" length="61088" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાને થાંભલા સાથે બાંધી જીવતી સળગાવી દેવાનો પ્રયાસ</title>
                    <link>https://khabarantar.com/attempt-to-burn-a-dalit-woman-alive-by-tying-her-to-a-stake</link>
                    <guid>https://khabarantar.com/attempt-to-burn-a-dalit-woman-alive-by-tying-her-to-a-stake</guid>
                    <description>
                        <![CDATA[ દલિત મહિલાના બાળકોને ક્રિકેટ રમવા મુદ્દે ઝઘડો થતા માથાભારે તત્વોએ મહિલાને વીજળીના થાંભલા સાથે બાંધી જીવતી સળગાવી દેવા પ્રયત્ન કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત-બહુજન સમાજ પર અત્યાચારની કોઈપણ ઘટનાના મીડિયા કવરેજમાં તમે એક વાત ચોક્કસ નોંધી હશે કે તેમાં આરોપી જ્યારે કથિત સવર્ણ જાતિનો હશે ત્યારે તેની અટક સાથેનું આખું નામ ભાગ્યે જ લખવામાં આવશે. તેની સામે પીડિત દલિત-બહુજન સમાજનો વ્યક્તિ હશે તો પણ તેનું, તેના પિતાનું, તેની અટક, ગામનું નામ, વ્યવસાય સુદ્ધાં લખશે. ભારતના સવર્ણ તરફી જાતિવાદી મીડિયાની આ લુચ્ચાઈ સામે લડવા માટે જરૂરી છે કે દલિત-બહુજન સમાજનું પોતાનું મજબૂત મીડિયા હોય. તો જ આપણા સમાચાર, આપણાં સમાજ સુધી યોગ્ય રીતે પહોંચશે. ખબરઅંતર.કોમ બહુજન સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યું છે, તમે ચાહો તો આ મિશનને વધુ મજબૂતી પ્રદાન કરી શકો છો. ભારે મહેનતથી તૈયાર થતા ખબરઅંતર.કોમના સમાચારોને છેવાડાના દલિત-બહુજન સમાજ સુધી પહોંચાડો, અમારી વોટ્સએપ ચેનલ અને ફેસબૂક પેજને ફોલો કરો અને અન્ય લોકોમાં શેર કરશો, વધુને વધુ ગ્રુપમાં તેને મૂકશો તો મહત્તમ લોકો સુધી આપણી વાત પહોંચી શકશે. આટલી પ્રસ્તાવના પછી મૂળ વાત પર આવીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સ્ટોરીની શરૂઆતમાં જે બાબતનો ઉલ્લેખ કર્યો છે તેવું જ આ ઘટનામાં બન્યું છે. મામલો જાતિવાદ અને દલિત અત્યાચારનો હોવાથી અનેક પ્રયત્નો પછી પણ આરોપીઓ કોણ છે, કઈ જાતિના છે તે અમે શોધ્યું છતાં મળી શક્યું નથી. તેની સામે પીડિતા અને તેના પરિવારની વિગતો મળી આવે છે. આ છે સવર્ણ મીડિયાની ચાલાકી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત મહિલાને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં કૌશાંબી જિલ્લાના મંઝનપુર વિસ્તારમાં એક દલિત મહિલાને થાંભલા સાથે બાંધીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે કેટલાક યુવકોએ મળીને મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેની બૂમો સાંભળીને ગામ લોકો એકઠા થઈ જતા આરોપીઓ મહિલાને થાંભલા સાથે બાંધેલી હાલતમાં જ મૂકીને ભાગી ગયા હતા. પીડિતાના ચહેરા, હાથ, પગ અને શરીરના અન્ય ભાગો પર ઈજાના નિશાન છે. આ મામલે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત અત્યાચારના કેસમાં ક્રોસ ફરિયાદની ચાલાકી</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુ એક વાત નોંધ કરવા જેવી છે કે મોટાભાગના દલિત અત્યાચારના કેસમાં જાતિવાદી માથાભારે તત્વો દલિત પરિવારને માર માર્યા પછી પણ તેની સામે ક્રોસ ફરિયાદ નોંધાવે છે અને પોલીસ નોંધી પણ લે છે. જ્યારે દલિત પરિવાર એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવા માટે જાય તો પણ તેની ફરિયાદ લેવાતી નથી. આ કેસમાં પણ આવું થયું છે. પોલીસનું કહેવું છે કે બંને પક્ષોની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/for-me-literature-is-a-weapon-to-liberate-dalits-from-oppression">મારા માટે સાહિત્ય દલિતોને દમનમાંથી મુક્તિ અપાવવાનું હથિયાર છે</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6655606547ad4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ઉત્તરપ્રદેશના કૌશાંબી જિલ્લાના મુખ્ય મથક મંઝનપુર પાસેના હાજીપુર પતૌના ગામનો છે. અહીં ઉર્મિલા સોનકર નામની દલિત મહિલા પોતાના બાળકો સાથે રહે છે. તેના પતિ જ્ઞાનચંદ સોનકર લુધિયાણામાં એક લોખંડની ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરે છે. જ્યારે ઉર્મિલા અહીં પોતાના બાળકો સાથે ગામમાં રહીને તેમને ઉછેરીને ભણાવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત શનિવારે ઉર્મિલાના બાળકો ગામના અન્ય બાળકો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. એ દરમિયાન તેની પાડોશમાં રહેતા એક છોકરા સાથે તેમનો ઝઘડો થયો હતો. પરંતુ હાજર લોકોએ તેમાં દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. એ પછી રાત્રે આ યુવાનોએ ઉર્મિલાના ઘર પર હુમલો કરી દીધો હતો. તેને થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. તેમનો ઈદારો ઉર્મિલાને જીવતી સળગાવી દેવાનો હતો, તેના માટે તેમણે તેના પર જ્વલનશીલ પ્રવાહી પણ રેડી દીધું હતું પણ એ દરમિયાન ઉર્મિલાએ રાડારાડી કરી મૂકતા ગામના અન્ય લોકો દોડી આવ્યા હતા, જેથી આરોપીઓ તેને થાંભલા સાથે બાંધેલી હાલતમાં જ છોડીને ભાગી ગયા હતા. આ મામલે ઉર્મિલા સોનકરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટોળું ધોકા-લાકડીઓ લઈ ઘરમાં ઘૂસી ગયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા સાથેની વાતચીતમાં ઉર્મિલાએ જણાવ્યું હતું કે, "મારા બાળકો સાથે ક્રિકેટને લઈને પડોશના છોકરાઓએ ઝઘડો કર્યો હતો, પણ અમે વિવાદ ઉકેલી નાખ્યો હતો. મેં મારા બાળકોને બકરી ચરાવવા મોકલી દીધા હતા. વિવાદ પૂરો થયા પછી રાત્રે 10 વાગ્યા આસપાસ તે બાળકોને ખાવાનું આપીને સૂવા જઈ રહી હતી. એ દરમિયાન આરોપી ગામના અડધો ડઝન યુવકો સાથે લાકડીઓ સાથે મારા ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેમની પાસે લાકડીઓ અને દંડા હતા. તેમણે સીધા જ અમને મારવાનું શરૂ કરી દીધું. તેઓ મને જીવતી સળગાવી દેવા માંગતા હતા પણ મેં રાડો પાડી એટલે ગામલોકો દોડી આવ્યા અને તેઓ ભાગી ગયા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-youth-stripped-and-beaten-youth-commits-suicide-in-shock">દલિત યુવકને નગ્ન કરીને માર માર્યો, આઘાતમાં યુવકની આત્મહત્યા</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_66556064b5060.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે જ્યારે ઉર્મિલા સોનકર બાળકોને બચાવવા માટે બહાર દોડી આવી ત્યારે આરોપી યુવકે તેને પકડીને લાકડી વડે માર માર્યો અને વીજળીના થાંભલા સાથે બાંધી દીધી. હુમલાખોર યુવકે એ પછી ઉર્મિલા પર જ્વલનશીલ તેલ રેડ્યું હતું. તેનો ઈરાદો તેને જીવતી સળગાવી દેવાનો હતો. પણ ઉર્મિલાએ ચીસો પાડતા તેનો અવાજ સાંભળીને ગામલોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ગામલોકોને પોતાની તરફ આવતા જોઈને હુમલાખોરો ઉર્મિલાને બાંધેલી હાલતમાં જ મૂકીને ભાગી ગયા હતા. ગામલોકોએ ઉર્મિલાને મદદ કરી હતી. તેને થાંભલાથી છોડાવતા તે પોલીસ સ્ટેશને પહોંચી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે જુદી જ વાત કરી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોટાભાગના દલિત અત્યાચારોમાં એક પેટર્ન બની ગઈ છે કે, જેમાં આરોપીઓ દલિત પરિવાર પર અત્યાચાર કર્યા પછી ક્રોસ ફરિયાદ નોંધાવે અને પોલીસ તેને સ્વીકારી લે. એ પછી પીડિત દલિત પરિવારની ફરિયાદને નબળી પાડવા શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવે. છેલ્લે થાય એવું કે પીડિત પરિવાર કોર્ટ કચેરીના ધક્કાથી થાકી-હારીને ન્યાય મેળવવાની જીદ છોડીને સમાધાન કરવા મજબૂર થઈ જાય. આ કેસમાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંતોષ શર્માએ જણાવ્યું હતું કે, પાણીને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો અને આખો મામલો બે મહિલાઓ વચ્ચેની લડાઈનો છે. બંને પક્ષોને ઈજાઓ થઈ છે અને તેમની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લીધી છે અને તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><a href="https://khabarantar.com/a-dalit-woman-confronted-the-rapist-and-the-racist-spat-on-her-face"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span></span></strong> </a></span><a href="https://khabarantar.com/a-dalit-woman-confronted-the-rapist-and-the-racist-spat-on-her-face"><strong>દલિત મહિલાએ બળાત્કારીનો સામનો કર્યો તો જાતિવાદી તેના મોં પર થૂંક્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 May 2024 10:18:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>672</Articleid>
                    <excerpt>દલિત મહિલાના બાળકોને ક્રિકેટ રમવા મુદ્દે ઝઘડો થતા માથાભારે તત્વોએ મહિલાને વીજળીના થાંભલા સાથે બાંધી જીવતી સળગાવી દેવા પ્રયત્ન કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_66556066065db.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_66556065c28e7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_66556065c28e7.jpg" length="73249" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત પરિવારના 4 સભ્યો પર માથાભારે તત્વોએ ટ્રેક્ટર ચડાવી દીધું</title>
                    <link>https://khabarantar.com/four-members-of-a-dalit-family-were-hit-by-a-tractor-by-miscreants</link>
                    <guid>https://khabarantar.com/four-members-of-a-dalit-family-were-hit-by-a-tractor-by-miscreants</guid>
                    <description>
                        <![CDATA[ દલિત પરિવારની બાપદાદા વખતની ખેતીની જમીન પડાવી લેવા માટે માથાભારે તત્વોએ દલિત પરિવાર પર સામૂહિક હુમલો કર્યો હતો, જેમાં ચાર લોકો પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત પરિવારની બાપદાદા વખતની જમીન પડાવી લેવા માટે કથિત સવર્ણો કોઈપણ રસ્તો અપનાવતા ખચકાતા નથી. ખાસ કરીને ગામડાઓમાં આઝાદી બાદ જે કેટલાક ગણ્યાંગાંઠ્યા દલિતો પાસે ખેતીની જમીન છે તે પડાવી લેવા માટે ગામના કથિત માથાભારે સવર્ણો સામ-દામ-દંડ-ભેદ એમ કોઈ પણ રીત અપનાવી લે છે. કેમ કે, તેમને ખબર છે કે ગામડાઓમાં કાયમી આવકનો એકમાત્ર સ્ત્રોત ખેતીની જમીન છે અને તે કોઈપણ હિસાબે દલિતો પાસે ન રહેવી જોઈએ. દલિતોને કાયમ માટે ખેતમજૂર રાખવામાં તેમની પાસે ખેતીની જમીન ન હોવું સૌથી મોટી સમસ્યા છે. જે થોડાંઘણાં દલિતોએ આજે પણ બાપદાદા વખતની ખેતીની જમીન સાચવી રાખી છે તેઓ આજે આર્થિક રીતે કથિત સવર્ણો જેટલા જ સદ્ધર થઈ ગયા છે. જાતિવાદી તત્વોને આ બાબત કાયમથી ખટકતી આવી છે અને એટલે જ તેઓ દલિતોની જમીન ઓળવી જવાના પેંતરા રચતા રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગર જિલ્લાના સમઢિયાળામાં બે સગા ભાઈઓ પર જમીનને લઈને સામૂહિક હુમલો થયો હતો, કંઈક આવી જ વધુ એક ઘટના હાલ સામે આવી છે. જેમાં દલિત પરિવારની બાપદાદા વખતની જમીન પડાવી લેવા માટે ગામના જાતિવાદી તત્વો લાંબા સમયથી તેને હેરાન કરતા હતા. પણ દલિત પરિવારે મચક ન આપતા આ પરિવારના ચારેય સભ્યો પર જાતિવાદીઓએ સામૂહિક હુમલો કર્યો હતો અને પરિવાર પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. આ પરિવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ગંભીર ઈજાઓ પહોંચી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મહિલા અત્યાચાર માટે કુખ્યાત રાજસ્થાનનો છે. અહીંના ચુરૂ જિલ્લાના સરદારશહેર તાલુકાના ભાણીપુરા પોલીસ સ્ટેશનમાં આવતા નાના ભોજાસર ગામમાં માથાભારે તત્વોએ એક દલિત પરિવારની બાપદાદાની જમીન પર કબ્જો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે પરિવારે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેમણે ભેગાં થઈને દલિત પરિવાર પર ઘાતક હુમલો કરી દીધો. તેમને લાકડીઓ અને પાઈપોથી નિર્દય રીતે મારવામાં આવ્યો. એટલું જ નહીં, આ લોકોએ દલિત પરિવારના સભ્યો પર ટ્રેક્ટર ચડાવીને તેમને કચડી નાખવા પ્રયત્ન કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માથાભારે તત્વો પર કોઈ કાર્યવાહી નથી કરાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોટાભાગના એટ્રોસિટીના કેસોમાં બને છે તેમ આ મામલામાં પણ પોલીસ માથાભારે તત્વોને છાવરતી હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું છે. કેમ કે, પીડિત દલિત પરિવાર પર લાકડીઓથી હુમલો કરવાનો અને ટ્રેક્ટર ચડાવી દેવાની સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હોવા છતાં પોલીસે માથાભારે તત્વો સામે કોઈ કાર્યવાહી કરી નથી. પીડિત દલિત પરિવારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમ છતાં પોલીસે માથાભારે તત્વો સામે કોઈ જ કાર્યવાહી કરી નથી.</span><br><span style="font-size: 14pt;">પતિ-પત્ની સહિત 4 લોકો પર ટ્રેક્ટર ચડાવી દીધું</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-up-for-saying-jai-bhim-namo-buddhay-on-the-phone">ફોન પર 'જય ભીમ, નમો બુદ્ધાય' બોલવા પર દલિત યુવકને માર માર્યો</a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_665410099ed92.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં દલિત પરિવારના પતિ-પત્ની સહિત ચાર જણાં પણ એક ડઝન કરતા પણ વધુ માથાભારે તત્વોએ મળીને હુમલો કરી દીધો હતો. તેમણે દલિત પરિવારના હાથ-પગ ભાંગી નાખ્યા હતા, માથું ફોડી નાખ્યું હતું. હાલ આ પરિવારના ચારેય સભ્યોની ચુરૂની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત પરિવારની જમીન પડાવી લેવાનું ષડયંત્ર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સરદાર શહેરના ભાણીપુરા પોલીસ સ્ટેશનમાં આવતા નાના ભોજાસર ગામની 40 વર્ષીય દલિત મહિલા ગુરપ્રીત કૌરે ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેના સસરા દ્વારા ખરીદવામાં આવેલું તેમનું ખેતર છે. તેઓ ખેતરમાં જ મકાન બાંધીને રહે છે, ત્યાં પોતાનો બોરવેલ પણ છે. ગામના માથાભારે જગદીશ સિંહ અને તેમનો પરિવાર આ જમીન પડાવી લેવા માટે તેમની સાથે સતત દુશ્મનાવટ રાખે છે, જેને લઈને પહેલાના કેસો પણ ચાલે છે. ગત તા. 15 મે 2024ના રોજ જગદીશ સિંહ, દુર્ગ સિંહ, રૂપસિંહ, સુમેર સિંહ, જયપાલ સિંહ, લાડુ સિંહ, રાજૂ સિંહ, કાળુ સિંહ, ભાણી સિંહ, ભેરૂ સિંહ, સરદાર સિંહ, દિલીપ સિંહ સહિત પાંચ અન્ય લોકો ગેરકાયદે રીતે અમારા ખેતરમાં ઘૂસી આવ્યા હતા. તેમણે ખેતરમાં લાગેલી પટ્ટીઓ પણ તોડી નાખી અને પશુઓને પણ ખીલેથી છોડીને ભગાડી દીધાં. ખેતર ફરતેની કાંટાળી વાડને પણ આગ ચાંપી દીધી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ વખતે તમે બચી ગયા પણ હવે જાનથી મારી નાખીશું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુરપ્રીત કૌરે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે મારા પતિ, દીકરા અને દીકરીએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેમના પર લાકડીઓ અને પાઈપો લઈને આવેલા આ લોકોએ હુમલો કરી દીધો. બધાંએ એકસંપ થઈને અમને માર મારવા લાગ્યા. એક વ્યક્તિએ મારા પતિ, દીકરા અને દીકરી પર ટ્રેક્ટર ચડાવી દઈને તેમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. જેમાં ત્રણેયના હાથપગ ભાંગી ગયા છે અને માથું ફૂટી ગયું છે. હોબાળો થતા ગામના અન્ય લોકો આવી પહોંચ્યા. જેના કારણે તેઓ ત્યાંથી ભાગી ગયા. જો કે જતા પહેલા તેઓ અમને જાતિસૂચક ગાળો દઈને ધમકી આપતા ગયા છે કે, તમે લોકો બીજી વખત બચી ગયા છો, તમારા નસીબ સારા છે. અમે ફરી એકવાર આવીશું અને એ વખતે તમને ખતમ કરી દઈશું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે આ મામલામાં એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે, પણ હજુ સુધી આરોપીઓ પોલીસની પકડથી દૂર છે.(આવું એટ્રોસિટીના લગભગ દરેક મોટા કેસોમાં થતું હોય છે. જેમાં કાયદામાં જોગવાઈ હોવા છતાં પોલીસ કથિત સવર્ણ માથાભારે તત્વોને છાવરે છે.) આ કેસની તપાસ કરી રહેલા સરદાર શહેરના ડીએસપી અનિલ માહેશ્વરીએ જણાવ્યું હતું કે, બંને પક્ષો તરફથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.(દલિત અત્યાચારના કેસોમાં આ પણ હવે એક નવી પેટર્ન સેટ કરવામાં આવી રહી છે. જેમાં દલિતોને માર્યા પછી તેમની ફરિયાદ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે.) કેસની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/40-people-of-5-dalit-families-migrated-due-to-the-torture-of-the-headstrong-elements#google_vignette">માથાભારે તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારના 40 લોકોએ હિજરત કરી</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 May 2024 10:21:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>666</Articleid>
                    <excerpt>દલિત પરિવારની બાપદાદા વખતની ખેતીની જમીન પડાવી લેવા માટે માથાભારે તત્વોએ દલિત પરિવાર પર સામૂહિક હુમલો કર્યો હતો, જેમાં ચાર લોકો પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_66540ff6605ec.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_66540ff62900b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_66540ff62900b.jpg" length="72103" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત સાધુઓને મહામંડળેશ્વર જાહેર કરાશે તો સાધુઓનું સન્માન ઘટશે</title>
                    <link>https://khabarantar.com/if-dalit-monks-are-declared-mahamandaleshwar-the-respect-of-monks-will-decrease</link>
                    <guid>https://khabarantar.com/if-dalit-monks-are-declared-mahamandaleshwar-the-respect-of-monks-will-decrease</guid>
                    <description>
                        <![CDATA[ અખાડા પરિષદ દ્વારા દલિત સાધુઓને મહામંડળેશ્વર બનાવવાનો મામલો જાતિવાદ પર આવીને અટક્યો છે. અખિલ ભારતીય પૂજારી મહા સંઘે દલિત સાધુઓ પર સવાલ ઉભા કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મનુવાદની ધરી પર ટકેલા હિન્દુ ધર્મમાં વર્ષોથી એક ચોક્કસ જાતિના લોકો જ પૂજારી તરીકેની અનામત ભોગવી રહ્યા છે અને જ્યારે તેમની સામે કોઈ પડકાર ઉભો થાય ત્યારે તેઓ વર્ણ વ્યવસ્થાને વચ્ચે લાવીને પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવાની એક પણ તક છોડતા નથી. આવું જ કંઈક હાલ દલિત સાધુઓને મહામંડળેશ્વર બનાવવાને લઈને સામે આવ્યું છે. જેમાં ઉજ્જૈનમાં અખિલ ભારતીય પૂજારી મહાસંઘે કહ્યું છે કે, જો દલિત સાધુઓને મહામંડળેશ્વર જાહેર કરવામાં આવશે તો તેનાથી સમાજમાં સાધુઓનું સન્માન ઓછું થશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અખાડા પરિષદ દ્વારા 100 દલિત સમાજના સાધુઓને મહામંડળેશ્વર બનાવવાની વાત સામે આવ્યા બાદ ઉજ્જૈનના મહાકાલ મંદિરના પૂજારી અને અખિલ ભારતીય પૂજારી મહાસંઘે વાંધો ઉઠાવ્યો છે. તેમનો મૂળ ઈરાદો દલિત સમાજના સાધુ-સંતોને મહામંડળેશ્વર બનતા રોકવાનો છે, પરંતુ તેમણે તેના માટે તેમણે વિરોધને બદલે જાણે તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવતા હોય તેવો રસ્તો અપનાવ્યો છે. પૂજારી મહા સંઘે કહ્યું છે કે, સાધુની કોઈ જાતિ કે ધર્મ નથી હોતો, તેના માટે બધાં સરખા હોય છે. સાધુઓમાં દલિત, આદિવાસી કેમ? દલિતોના નામે જાતિવાદ થવા લાગશે તો દેશમાં સાધુ સંતોનું જે માન સન્માન છે તે ખતમ થઈ જશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-is-Emperor-Ashoka-untouchable-for-the-so-called-upper-castes-of-India">શા માટે સમ્રાટ અશોક ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?</a></span></strong></p>
<p><strong><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6652fe14117f0.jpg" alt="">પ્રતિકાત્મક તસવીર (image credit-Google Images)</strong></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂજારી મહા સંઘે પીએમને પત્ર લખ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">અખિલ ભારતીય પૂજારી મહા સંઘે અખાડા પરિષદને એક પત્ર લખ્યો છે, જેની એક કોપી વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પણ મોકલવાની વાત છે. મહા સંઘના અધ્યક્ષ મહેશ પૂજારી અને સચિવ રૂપેશ મહેતાએ જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી અમને ખબર પડી કે અખાડા પરિષદ 100 દલિત સાધુઓને મહામંડળેશ્વર બનાવશે. અમને એ વાતે વાંધો છે કે, જો સાધુઓમાં પણ દલિતોના નામે જાતિવાદ થવા લાગશે તો દેશમાં સાધુ સંતોનું જે માન સન્માન છે, તે ઓછું થશે અથવા ખતમ થઈ જશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેશ પૂજારીએ જણાવ્યું કે, જ્યારે કોઈપણ વર્ગની વ્યક્તિ સાધુ બને છે તો તે પોતાનું પિંડદાન કરી દે છે. તેનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી રહેતું. તેની કોઈ જાતિ કે વર્ણ નથી હોતું.( જો કે, તેઓ પોતાની જાતિની ઓળખ બધે જ આપે છે) તેના માટે સૌ સમાન હોય છે. ત્યારે સાધુઓમાં દલિત કેમ? અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ કહ્યું કે, આ વર્ગને સમાજની મુખ્યધારા સાથે જોડવો જરૂરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાધુઓની ઓળખ પણ જાતિના આધારે</span></strong></span><br><span style="font-size: 14pt;">મહેશ પૂજારીએ કહ્યું કે, દલિત મહામંડળેશ્વર બનાવશો તો એ પણ સ્પષ્ટ કરો કે, નવનિયુક્ત મહામંડળેશ્વરના નામની આગળ દલિત લખશો? કેમ કે, તમે તો રાજકીય ગણિતની ટકાવારી અને વિશ્લેષણ સાથે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું છે. શું તમારા અખાડાઓમાં આ વર્ગના લોકો નથી? તમારે તેની તપાસ કરવી જોઈએ અને અખાડાના જેટલા પણ મહામંડળેશ્વર છે તેમની જાતિના આધારે યાદી હિંદુ સમાજ સામે રજૂ કરવી જોઈએ. દરેકની નોખી ઓળખ માટે જે મહામંડળેશ્વર જે સમાજમાંથી આવે છે, તેમના નામની આગળ ઉપનામમાં એ પણ લખો કે આ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે કે દલિત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપ સરકારના વખાણ કર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">રૂપેશ મહેતાએ જણાવ્યું કે, હાલમાં અમારા ઉજ્જૈનના સંતને ભારત સરકાર દ્વારા રાજ્યસભાના સભ્ય બનાવાયા છે. તેઓ વાલ્મિકી સમાજમાંથી આવે છે. એવી પણ જાણકારી મળી છે કે, ચારધામના મહામંડળેશ્વર કુંભાર સમાજમાંથી આવે છે. આવા બીજા પણ અનેક સાધુસંતો છે જેઓ બધાં સમાજમાંથી આવે છે. તમારા સંત સમાજમાં તો પહેલેથી જ સમરસતા છે તો આજે જાતિવાદનું નવું બીજારોપણ કેમ? આ સનાતન ધર્મ સંસ્કૃતિ માટે ઘાતક છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે બીજો પણ એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જો 100 મહામંડળેશ્વરની નિયુક્તિ થયા પછી તેમના દ્વારા તમારી પાસે અખાડા પરિષદના અધ્યક્ષનું પદ માંગવામાં આવ્યું તો શું તમે સામાજિક સમરસતા અને સમભાવ માટે તમારું અધ્યક્ષપદનો ત્યાગ કરશો? જે દિવસથી સનાતન ધર્મમાં રાજકીય હસ્તક્ષેપ બંધ થઈ જશે, તે દિવસથી સનાતન ધર્મની ધજાનો દંડ વિશ્વભરમાં લહેરાશે. અખિલ ભારતીય પૂજારી મહા સંઘે કહ્યું હતું કે, સાધુ સંતોમાં દલિતોનું વર્ગીકરણ કરીને તેમનું અપમાન ન કરો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/In-the-BJP-election-campaign,-Dr.-Ambedkar-is-remembered,-but-there-are-no-pictures-of-him-in-Indian-embassies">ભાજપ આંબેડકરને યાદ કરે છે, પણ ભારતીય દૂતાવાસમાં તેમની કોઈ તસવીર કેમ નથી?</a></span></strong></span></p>
<p><strong><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6652fe1378ef0.jpg" alt=""> પ્રતિકાત્મક તસવીર (image credit-Google Images)</strong></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો જાતિવાદનો છે</span></strong></span><br><span style="font-size: 14pt;">આધારભૂત સૂત્રોના મતે, અખિલ ભારતીય પૂજારી મહા સંઘ ભલે ડાહીડમરી વાતો કરે, પણ હકીકત તેનાથી તદ્દન ઉલટી છે. હકીકતે તેઓ દલિત સમાજમના સાધુઓ પૂજારી તરીકેની તેમની સદીઓની અનામતમાં ભાગ ન પડાવી જાય તેના માટે પાણી પહેલા જ પાળ બાંધી રહ્યાં છે. જો દલિત સાધુ સંતો મહામંડળેશ્વર બને તો કાલ સવારે તેઓ મંદિરોમાં પણ હક માંગશે. જે છેવટે તેમની સદીઓની અનામતમાં ભાગ પડાવશે. આવું ન થાય તે માટે દલિત સાધુસંતોની જાતિ જાહેર ન થાય તે માટે પગલાં લઈ રહ્યાં છે. સાથે જ સમગ્ર મામલામાં આરએસએસનો પણ હાથ હોવાનું સૂત્રો જણાવે છે. અખાડા પરિષદના ગુજરાતના અનેક સાધુઓ ભાજપ અને આરએસએસ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. તેમના આશ્રમોમાં સંઘ પ્રેરિત કાર્યક્રમો થતા રહે છે. ગુજરાતમાં ઉભા થતા ધાર્મિક વિવાદોમાં તેઓ સંઘની ભાષા બોલે છે. એ જ તર્જ પર તેમણે લોકસભાની ચૂંટણી પહેલા દલિત સાધુઓને મહામંડળેશ્વર બનાવવાની વાત કરી હતી. જેથી દલિતોમાં હિંદુ ધર્મ અને તેના થકી ભાજપ-આરએસએસ પ્રત્યે સોફ્ટ કોર્નર પેદા કરીને મતો મેળવી શકાય. સાથે જ મહામંડળેશ્વર બનેલા દલિત સાધુઓ તેમના વતી દલિત સમાજ વચ્ચે જઈને ભાજપ-સંઘને સત્તામાં લાવવા માટે મદદરૂપ થઈ શકે. અમદાવાદના અનેક દલિત વિસ્તારમાં દલિત સાધુઓને મહામંડળેશ્વર બનાવવાના પ્રસંગના મોટા બેનરો લગાવવામાં આવ્યા હતા અને એ પણ બરાબર ગુજરાતમાં મતદાન થવાનું હતું તેના થોડા દિવસો પહેલા. ટૂંકમાં આખો મામલો, દલિતોની જાગૃત થઈ રહેલી એક આખી પેઢી કે જે ડો. બાબાસાહેબ આંબેડકર અને તથાગત બુદ્ધના રસ્તે વળી રહી છે તેને હિંદુ ધર્મ અને હિંદુત્વના નામે પોતાની સાથે રાખીને રાજકીય રોટલાં શેકી થકાય તે અંગેનો છે. આ ચાલ દલિતો સમજી ચૂક્યા હોવાથી તેણે ખાસ કંઈ રસ દાખવ્યો નથી. કેમ કે તેઓ સ્પષ્ટપણ માને છે કે, મનુસ્મૃતિના પાયા પર ઉભેલો હિંદુ ધર્મ કે તેના કથિત સાધુસંતો તેની અસ્પૃશ્યતાની સદીઓ જૂની બદ્દીને દૂર કરી શક્યા નથી, તે મહામંડળેશ્વર બની જાય તોય તેને કોઈ ફરક પડે તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/RSS-and-Ambedkar-are-polar-opposites-yet-why-Sangh-praises-Baba-Saheb">આરએસએસ અને આંબેડકર બે વિરોધી ધ્રુવ હોવા છતાં સંઘ કેમ બાબાસાહેબના વખાણ કરે છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 26 May 2024 14:57:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>665</Articleid>
                    <excerpt>અખાડા પરિષદ દ્વારા દલિત સાધુઓને મહામંડળેશ્વર બનાવવાનો મામલો જાતિવાદ પર આવીને અટક્યો છે. અખિલ ભારતીય પૂજારી મહા સંઘે દલિત સાધુઓ પર સવાલ ઉભા કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6652fe14b7c30.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6652fe14879d8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6652fe14879d8.jpg" length="73416" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાહેર પાણીની પરબ પરથી પાણી પીધું તો જાતિવાદીઓએ દલિત યુવકને માર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-was-beaten-by-racists-for-drinking-water-from-public-water-tank</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-was-beaten-by-racists-for-drinking-water-from-public-water-tank</guid>
                    <description>
                        <![CDATA[ દલિત યુવકે બજારમાં આવેલી જાહેર પાણીની ટાંકી પરથી પાણી પીધું તો જાતિવાદી તત્વોએ તેને &#039;ટાંકી અભડાવી નાખી&#039; કહીને માર માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદીઓ દ્વારા દરરોજ દલિતો પર અત્યાચારની કોઈને કોઈ ઘટના બનતી રહે છે. કેટલીક ઘટના મોટી હોઈ છાપે ચડતી હોય છે પણ મોટાભાગની ક્યાંય હાંશિયામાં ધકેલાઈ જાય છે અને તેની કોઈ નોંધ પણ લેતું નથી. ગોદી મીડિયા અને વિશાળ કોર્પોરેટ મીડિયા સવર્ણો તરફી હોવાથી તેમના માટે દલિત, આદિવાસી, લઘુમતી સમાજ સાથે થતા અત્યાચારો કે સમાચારોની કોઈ કિંમત નથી. કથિત સવર્ણો માટે આભડછેટ કે જાતિ આધારિત ભેદભાવ જાણે સામાન્ય બાબત હોય તેમ વર્તે છે. જ્યારે દલિતો, આદિવાસીઓ માટે આ આત્મ સન્માનનો મુદ્દો છે. એટલે જ તેઓ ન્યાય મેળવવા માટે ઝઝૂમતા રહે છે. કેમ કે, જાહેરમાં તમારી જાતિને આગળ ધરીને અપમાન થાય ત્યારે કેવી લાગણી થાય એ તો જેમણે વેઠ્યું હોય તે જ જાણે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક જાહેર અપમાનની ઘટના સામે આવી છે. જ્યાં એક દલિત યુવકે બજારમાં મૂકેલા ઠંડા પાણીના પરબ પરથી પાણી પીધું તો જાતિવાદી તત્વોએ તેને "તેં ટાંકી અશુદ્ધ કરી દીધી" એમ કહીને ફટકાર્યો હતો. તેને જાહેરમાં જાતિસૂચક ગાળો દઈને અપમાનિત કર્યો હતો. આ મામલે યુવકે તેની માતાને જાણ કરતા તેઓ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા હતા. જેનાથી જાતિવાદીઓ વધુ ઉશ્કેરાયા હતા અને યુવકના ઘરે જઈને તેમને ફરી માર માર્યો હતો અને ઘરમાં રહેલા બચતના રૂ. 5 હજાર પણ લઈ ગયા હતા. આ મામલે ફરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હોવા છતાં જાતિવાદને લગતા મોટાભાગના કેસોમાં બને છે તેમ પોલીસ આરોપીઓના પક્ષે ઉભી રહી જાય છે અને આખા કેસનો લૂલો કરી નાખે છે. આ કેસમાં પણ એવું જ બન્યું હોવાનું જણાય છે. યુવકની માતાએ કરીયાદ કરી હોવા છતાં પોલીસે હજુ સુધી આરોપીઓની ધરપકડ કરી નથી. હવે ભીમ આર્મીના કાર્યકરો આ મામલે તેમની મદદે આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બરેલીની બજારમાં જાતિવાદની ઘટના</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં બરેલીની બજારમાં વિકાસ નામનો દલિત યુવક સાર્વજનિક વોટર કૂલર પરથી પાણી પી રહ્યો હતો ત્યારે સુરેન્દ્ર મૌર્ય નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને "તું કેમ અહીં પાણી પીવે છે, આખી ટાંકી અભડાવી નાખી" એમ કહીને ભરબજારમાં તેને જાતિસૂચક ગાળો દીધી હતી. જ્યારે વિકાસે કહ્યું કે, આ તો જાહેર ટાંકી છે, તો સુરેન્દ્રએ તેને ફરી જાતિસૂચક ગાળો દીધી અને મારવા લાગ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકની માતાએ ફરિયાદ કરી પણ પોલીસ નિષ્ક્રીય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે યુવક વિકાસની માતા દુર્ગાવતીએ શાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં દુર્ગાવતીએ જણાવ્યું હતું કે, "મારો દીકરો વિકાસ 22મી મેના રોજ સાંજે 8.30 વાગ્યા આસપાસ અહીંની વાલ્મિકી બજારમાં આવેલી જાહેર પરબ પરથી પાણી પી રહ્યો હતો. એ વખતે શેરીમાં જ રહેતો સુરેન્દ્ર આવ્યો હતો અને તેને 'તારી હિંમત કેવી રીતે થઈ અહીં પાણી પીવાની' તેમ સવાલ કર્યો હતો. જ્યારે વિકાસે કહ્યું કે, 'આ સરકારી ટાંકી છે તો પાણી પીવામાં શું વાંધો છે?' જેને લઈને સુરેન્દ્રએ મારા દીકરા વિકાસને જાતિસૂચક શબ્દો કહીને કહ્યું કે, 'તેં પાણી પીને આખી ટાંકી અભડાવી નાખી.' મારા દીકરાએ તેનો વિરોધ કર્યો તો સુરેન્દ્રએ તેને મારવાનું શરૂ કરી દીધું. મારા દીકરાએ ઘરે આવીને મને વાત કરી એટલે હું સુરેન્દ્રના પરિવાર પાસે તેની ફરિયાદ કરવા ગઈ. જ્યાં તેના પરિવારે મારી સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો અને ઘરે ભગાડી દીધી. આ મામલે મેં શાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફરિયાદ કરી તો આરોપીઓએ ફરી હુમલો કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિકાસની માતા દુર્ગાવતી આગળ કહે છે, "મેં આ મામલે પોલીસ ફરિયાદ કરી છે તેની જાણ થતા જ આરોપીઓ સુરેન્દ્ર, જિતેન્દ્ર, મનીષ, ગેંદન, પ્રદીપ મૌર્ય(કોર્પોરેટર), હરિરામ મૌર્ય અને નરેશ કશ્યપ લાકડીઓ અને ધોકા લઈને મારા ઘરે આવી પહોંચ્યા હતા અને અમ મા-દીકરા પર હુમલો કરી દીધો હતો. સાથે જ મારા ઘરમાં પડેલા રૂ. 5 હજાર પણ લઈ ગયા હતા. હોબાળો થતા શેરીના લોકો દોડી આવ્યા હતા. જેથી તેઓ ધમકી આપતા જતા રહ્યા હતા. આ મામલે મેં ફરિયાદ નોંધાવી છે. પણ હજુ સુધી કોઈ કેસ દાખલ નથી થયો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-up-for-saying-jai-bhim-namo-buddhay-on-the-phone"><span style="font-size: 14pt;">ફોન પર 'જય ભીમ, નમો બુદ્ધાય' બોલવા પર દલિત યુવકને માર માર્યો</span></a><br></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_665169ff05727.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીમ આર્મી વ્હારે આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે હવે ચંદ્રશેખર રાવણની ભીમ આર્મી પીડિત પરિવારની વ્હારે આવી છે. બરેલીમાં ભીમ આર્મીના મીડિયા પ્રભારી આકાશે પીડિત મા-દીકરાની મુલાકાત લઈને જણાવ્યું હતું કે, "જો પોલીસ આ મામલે ફરિયાદ દાખલ નહીં કરે તો ભીમ આર્મી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ કંઈક જુદી જ વાત કરે છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પોલીસ દલિત અત્યાચારના મોટાભાગના કેસોમાં બને છે તેમ જુદી જ વાત કરતી જણાય છે. શાહી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સતીશ કુમારનું કહેવું છે કે, "આ મામલામાં હજુ સુધી કોઈ કેસ નોંધવામાં નથી આવ્યો. તપાસમાં જણાયું છે કે, બાઈક પર સવાર બે યુવકો અથડાયા હતા. એ પછી તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આરોપી પક્ષના બે લોકો ઘાયલ થયા છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/after-drinking-water-from-the-pitcher-the-dalit-youth-was-killed-and-mutilated#google_vignette"> ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 25 May 2024 10:07:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>661</Articleid>
                    <excerpt>દલિત યુવકે બજારમાં આવેલી જાહેર પાણીની ટાંકી પરથી પાણી પીધું તો જાતિવાદી તત્વોએ તેને &#039;ટાંકી અભડાવી નાખી&#039; કહીને માર માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_665169d17921d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_665169d147ce1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_665169d147ce1.jpg" length="88474" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત વરરાજાને બગીમાંથી ઉતારી ફટકાર્યા, જાન પર હવાઈ ફાયરિંગ કર્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-bridegroom-thrown-out-of-buggy-fired-at-in-the-air</link>
                    <guid>https://khabarantar.com/dalit-bridegroom-thrown-out-of-buggy-fired-at-in-the-air</guid>
                    <description>
                        <![CDATA[ લગ્નની સિઝનની સમાંતરે દલિત વરરાજાની જાન પર હુમલા પણ થઈ રહ્યાં છે. એક ઘટનામાં વરરાજાને જાતિવાદીઓએ બગીમાંથી ઉતારી માર મારી જાન પર હવાઈ ફાયરિંગ કર્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં લગ્નની સિઝન શરૂ થાય એટલે તેની સમાંતરે દલિત વરરાજાની જાન પર પથ્થરમારો, વરઘોડો ન કાઢવા દેવો, ઘોડી પર બેસતા અટકાવવા, ડીજે ન વગાડવા દેવું, જાનને ગામના રસ્તાઓ પરથી પસાર ન થવા દેવી જેવી ઘટનાઓ પણ બનવા લાગે છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં આવી ઘટનાઓ બને છે પણ મનુવાદી મીડિયા તેની નોંધ પણ લેતું નથી. તેનાથી ઉલટું જો કોઈ મનુવાદીની જાન સાથે આવું બન્યું હોય તો આખા દેશમાં હો હા કરી મૂકે છે. મનુવાદી મીડિયાનું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ પર અત્યાચાર થાય અને આરોપી કથિત સવર્ણ જાતિનો હોય તો તેનો ગુનો ગમે તેટલો મોટો હોય તો પણ તેનો બચાવ કરવો અને પીડિતને જ આરોપી ચીતરવા પ્રયત્ન કરવો. આવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં થોડા મહિના પહેલા જ ઉત્તર ગુજરાતના બે ગામોમાં દલિત વરરાજાની જાન સાથે જાતિવાદીઓએ ગેરવર્તન કર્યાની ઘટના બની હતી. એ પછી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દલિતોએ હિંમતપૂર્વક વરઘોડો કાઢ્યો હતો. જો કે દરેક જગ્યાએ આવું બની શકતું નથી. કેમ કે, જાતિવાદી તત્વો ક્યાંક વધુ બેફામ હોય છે અને રાજકીયથી લઈને પોલીસ બેડાં સુધી તેમની પહોંચ હોવાથી તેમને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર નથી રહેતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત વરરાજાને બગીમાંથી ઉતારી માર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">કંઈક આવી જ એક ઘટનામાં જાતિવાદી તત્વોએ એક દલિત વરરાજાને બગીમાંથી નીચે ખેંચીને માર માર્યો હતો. એટલું જ નહીં, બગીમાં તોડફોડ કરી તેની છત્રી અને લાઈટો તોડીને ગટરમાં ફેંકી દીધી હતી. વરરાજા અને જાનમાં આવેલા તેમના મહેમાનોને જાતિસૂચક ગાળો આપીને અપમાન કર્યું હતું અને જાન પર ઘર ઉપરથી પાણીનો મારો ચલાવ્યો હતો. જાતિવાદીઓ આટલેથી પાછા વળ્યા નહોતા અને તેમણે જાન વચ્ચે ઘૂસી જઈને બંદૂક અને પિસ્તોલથી હવાઈ ફાયરિંગ કરી ભય ફેલાવ્યો હતો. મામલો ફક્ત એટલો જ હતો કે દલિત વરરાજાની જાન તેમના ઘર આગળથી પસાર થઈ હતી જે જાતિવાદી તત્વોને ગમ્યું નહોતું. આ મામલે હવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/fear-of-casteists-dalit-bridegroom-had-to-call-the-police-to-sit-the-horse">જાતિવાદીઓનો ખૌફઃ દલિત વરરાજાએ ઘોડી બેસવા પોલીસ બોલાવવી પડી</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_665018cc88442.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડીજે તોડી નાખ્યું, વગાડનારને પણ માર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">દેશમાં જાતિવાદની મોટાભાગની ઘટનાઓ મુખ્યત્વે ત્રણ રાજ્યોમાં બને છેઃ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. આ ઘટના મધ્યપ્રદેશની છે. અહીં ગ્વાલિયર જિલ્લાના કરહિયા ગામમાં ગત 20મી મેના રોજ રિઠોદણથી જાન આવી હતી. સમગ્ર ઘટનામાં વરરાજાના ભાઈએ 22મી મે એ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે જાન નીકળી રહી હતી એ દરમિયાન જાતિવાદી તત્વોએ વરરાજાને બગીમાંથી ખેંચીને નીચે ઉતારી દીધા હતા અને માર માર્યો હતો. વરરાજા નરેશ જાટવને બચાવવા માટે જાનૈયા વચ્ચે પડતા તેમને પણ માર્યા હતા. એ પછી ડીજે વગાડનાર વ્યક્તિને પણ ફટકાર્યો અને ડીજે પર પથ્થરમારો કરીને તોડફોડ કરી. તેની સાથે જોડાયેલી ડિસ્કો લાઈટને તોડી નાખી અને સાઉન્ડ સિસ્ટમને પણ ઉખાડીને ફેંકી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">વરરાજાની સોનાની ચેઈન લૂંટી ગયા</span></strong><br><span style="font-size: 14pt;">વરરાજાના પિતરાઈ ભાઈ રિંકુ જાટવે જણાવ્યું હતું કે આરોપીઓ તેમના ઘર સામેથી વરરાજાને બગીમાં બેસીને પસાર થવા દેવાનો વિરોધ કરી રહ્યા હતા. તેમણે વરરાજાને બગીમાંથી ખેંચીને પાડી દીધા હતા અને તેની સોનાની ચેઈન પણ લૂંટી લીધી હતી.  હુમલાખોરો સંજય, દલબીર, સંદીપ અને અનિલ રાવતે જાનમાં ભય ફેલાવવા માટે બંદૂક અને પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી ગઈ હતી અને બંને પક્ષોને શાંત પાડીને સમાધાન કરાવવા પ્રયત્ન કરી જાનને આગળ વધારી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">સામસામે ફરિયાદ નોંધાઈ</span></strong><br><span style="font-size: 14pt;">હવે મોટાભાગના એટ્રોસિટીના કેસોમાં બને છે તેમ આ કેસમાં પણ જાતિવાદી તત્વોએ સામી ફરિયાદ નોંધાવી છે. દલિતો પર અત્યાચાર કર્યા પછી એટ્રોસિટીની ફરિયાદને નબળી પાડવા માટે આ કારસો હવે તો પોલીસ જ કથિત સવર્ણોને શીખવાડી ચૂકી છે. એટલે અહીં પણ આરોપીઓએ પીડિતોની સામે ફરિયાદ નોંધાવી છે કે, જાનૈયાઓ જાન નીકળી ત્યારે રૂપિયા ઉડાડી રહ્યા હતા અને કેટલીક નોટો મહિલાઓ પર પડી હતી. અને મનાઈ કરી તો જાનૈયા ઝઘડો કરવા લાગ્યા હતા. પોલીસે આ વાત માન્ય રાખીને ફરિયાદ નોંધીને આરોપોની તપાસ શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે એએસપી નિરંજન શર્માએ મીડિયા સાથે વાતચીત કરવા જણાવ્યું હતું કે, દલિત વરરાજાની જાન પર હુમલો થયો છે અને તેમને પણ માર મારવામાં આવ્યો છે. સામે પક્ષે પણ મહિલાઓ સાથે ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. અમે બંને પક્ષના આરોપોની તપાસ કરી રહ્યા છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-slogan-of-abki-bar-charso-par-and-dr-ambedkars-warning">'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_665017cb5ab40.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોએ એસપી ઓફિસ બહાર ઘરણાં કર્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">એટ્રોસિટીની ફરિયાદમાં કડક કાર્યવાહી નહીં કરવાની જાણે આપણી પોલીસને આદત પડી ગઈ હોય તેવી સ્થિતિ છે. એનું જ કારણ છે કે એટ્રોસિટીના કેસોમાં આરોપીઓને સજાનો દર 5 ટકાની પણ અંદર છે. આ કેસમાં પણ પોલીસ દ્વારા આરોપીઓને છાવરવાના પ્રયત્નો થઈ રહ્યાં હોય તેવું લાગતા પીડિત પરિવાર સાથે દલિત સમાજના લોકોએ ગઈકાલે એસપી ઓફિસની બહાર ઘરણાં કર્યા હતા અને ઓફિસ બહાર ભીષણ ગરમી બુદ્ધ પૂર્ણિમાના દિવસે બુદ્ધની પ્રતિમા સાથે ખૂલ્લામાં પ્રતિકાત્મક ઘરણાં કરીને પોલીસની ઢીલી કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે, પોલીસ આરોપીઓને છાવરી રહી છે. એટલે જ હજુ સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી રહી અને તપાસ ચાલી રહી હોવાનું નાટક કરવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-daughter-topped-the-board-exam-with-499-marks-out-of-500">દલિત દીકરીએ બોર્ડની પરીક્ષામાં 500 માંથી 499 માર્ક્સ સાથે ટોપ કર્યું</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 24 May 2024 10:08:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>656</Articleid>
                    <excerpt>લગ્નની સિઝનની સમાંતરે દલિત વરરાજાની જાન પર હુમલા પણ થઈ રહ્યાં છે. એક ઘટનામાં વરરાજાને જાતિવાદીઓએ બગીમાંથી ઉતારી માર મારી જાન પર હવાઈ ફાયરિંગ કર્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_665017cc392dd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_665017cbe70c2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_665017cbe70c2.jpg" length="54898" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગૌરક્ષકોએ દલિત વૃદ્ધને નગ્ન કરી બાઈક સાથે બાંધીને 1 કિમી સુધી ઢસડ્યાં</title>
                    <link>https://khabarantar.com/cow-guards-strip-dalit-old-man-tie-him-to-bike-and-drag-him-for-one-km</link>
                    <guid>https://khabarantar.com/cow-guards-strip-dalit-old-man-tie-him-to-bike-and-drag-him-for-one-km</guid>
                    <description>
                        <![CDATA[ કથિત ગૌરક્ષકોએ પોતાના ઢોર લઈને જઈ રહેલા એક 60 વર્ષના દલિત વૃદ્ધને નિર્વસ્ત્ર કરીને બાઈક સાથે બાંધીને 1 કિમી સુધી ઢસડ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુત્વવાદીઓ જ્યારથી સત્તામાં મજબૂત થયા છે ત્યારથી દેશભરમાં કથિત ગૌરક્ષકો છાકટા થઈ ગયા છે. ગૌરક્ષાના નામે ગમે તે વ્યક્તિને રોકીને માર મારતા આવા તત્વોને જાણે કાયદાની કોઈ બીક જ નથી રહી. ગુજરાતમાં સર્જાયેલો ઉનાકાંડ આજેય દલિતો ભૂલ્યાં નથી, જ્યાં કથિત ગૌરક્ષકોએ કારણ વિના જ દલિત યુવકોને જાહેરમાં ઢોર માર મારીને સરઘસ કાઢ્યું હતું. ગુજરાતમાં અનેક શહેરોમાં ગલીના ટપોરીઓ ગૌરક્ષકોના સ્વાંગમાં માલધારીઓ, પશુઓની હેરાફેરી કરતા ટેમ્પોચાલકો વગેરેને રોકીને હપ્તા ઉઘરાવતા હોય તેવી ઘટનાઓ પણ બની છે. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસ આવ ટપોરીઓને પકડવાને બદલે છાવરે છે. અમદાવાદ જેવા શહેરમાં તો અનેક લુખ્ખા તત્વો ગૌરક્ષક બનીને એસપી રીંગ રોડ જેવા વિસ્તારમાં પશુઓની હેરાફેરી કરતા વાહનોને રોકીને ગૌતસ્કરીનો આરોપ લગાવી વાહનના ડ્રાઈવરને પકડીને માર માર્યા બાદ તોડપાણી કરીને પોલીસને ફોન કરીને બોલાવ્યાની અનેક ઘટનાઓ નોંધાયેલી છે. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસ આ ટપોરીઓ સામે કાયદો વ્યવસ્થા હાથમાં લેવા બદલ કાર્યવાહી કરવાને બદલે નિર્દોષ લોકોને દંડે છે. આ સ્થિતિ જ્યાં જ્યાં પણ હિંદુત્વવાદીઓ સત્તામાં છે ત્યાં પેદા થઈ છે અને તેનો સૌથી વધુ ભોગ નિર્દોષ દલિત-આદિવાસીઓ અને લઘુમતી સમાજના લોકો બને છે. આવી જ વધુ એક ઘટના હાલમાં સામે આવી છે, જ્યાં ગૌતસ્કરીની શંકાએ લુખ્ખા તત્વોએ એક દલિત વડીલને નગ્ન કરીને મોટરસાઈકલ સાથે બાંધીને 1 કિલોમીટર સુધી ઢસડ્યા હતા અને બેભાન થઈ જતા તેમને રોડસાઈડમાં મૂકીને ભાગી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત વડીલને નગ્ન કરી ઢસડ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ઝારખંડના ગઢવા જિલ્લાનો છે. અહીં એક 60 વર્ષના દલિત દાદા તેમના ઢોર સાથે બંસીધરનગર ઉંટારી જઈ રહ્યા હતા ત્યારે ત્રણ મોટરસાઈકલ સવાર શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો અને તેમના પર ગૌતસ્કરીનો આરોપ લગાવી પહેલા માર માર્યો હતો અને પછી તેમને નગ્ન કરીને મોટરસાઈકલ સાથે બાંધીને ઢસડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઝારખંડના પાટનગર રાંચીથી અંદાજે 275 કિમી દૂર આવેલા અમરોરા ગામ પાસે ઘટી હતી. અહીં સુરસ્વતી રામ નામના 60 વર્ષના દલિત વડીલ 17 મે ના રોજ બપોરે પોતાના પાલતુ ઢોરને વેચવા માટે બંસીધરનગર ઉંટારી જઈ રહ્યા હતા. ત્યારે રાહુલ દુબે, રાજેશ દુબે અને કાશીનાથ ભુઈયાએ તેમનો રસ્તો રોક્યો હતો અને ઢોર કોના છે તેની પૂછપરછ કરીને તેમના પર ગૌતસ્કરીનો આરોપ લગાવી માર માર્યો હતો. એ પછી તેમના કપડાં ઉતરાવીને નગ્ન કરીને મોટરસાઈકલ સાથે બાંધીને એક કિલોમીટર સુધી ઢસડ્યા હતા. જેના કારણે વડીલ બેભાન થઈ જતા આરોપીઓ તેમને રોડસાઈડમાં મૂકીને ભાગી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Even-after-Valmikis-death-in-Danta,-the-casteist-villagers-did-not-allow-him-to-be-cremated-in-the-crematorium">દાંતામાં વાલ્મિકી યુવકને મર્યા પછી પણ આભડછેટ નડી, જાતિવાદી ગામલોકોએ સ્મશાનમાં અંતિમવિધિ ન થવા દીધી</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664ebfef75dfb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં વડીલના શરીરે અનેક જગ્યાએ છોલાઈ જવાથી ઈજાઓ પહોંચી હતી. ભાનમાં આવ્યા બાદ તેમણે પોતાના પરિવારજનોને ફોન કરીને બોલાવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલે સુરસ્વતી રામે બંસીધર નગર ઉંટારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાથીનાથ ભુઈયા ઝડપાયો, રાહુલ-રાજેશ દુબે ફરાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંસીધર નગર ઉંટારીના સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર સત્યેન્દ્ર નારાયણ સિંહે જણાવ્યું હતું કે, દલિત વડીલ સુરસ્વતી રામની ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને તેના આધારે પોલીસે ત્રણ વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી હતી, જેમની ઓળખ રાહુલ દુબે, રાજેશ દુબે અને કાશીનાથ ભુઈયા તરીકે થઈ છે. આ ત્રણેય લોકો મોટરસાઈકલ પર હતા અને તેમણે સુરસ્વતી રામને રોકીને તેમને ગૌતસ્કરીમાં સામેલ હોવાનું કહીને માર માર્યો હતો. એ પછી તેમને નિર્વસ્ત્ર કરીને પોતાની બાઈક સાથે બાંધીને એક કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયા હતા. એ પછી સુરસ્વતી રામ બેભાન થઈ જતા રોડસાઈડમાં મૂકીને ભાગી ગયા હતા. કોઈએ પોલીસને આ મામલાની જાણ કરી હતી અને સુરસ્વતી રામને બંસીધર નગર ઉંટારીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. પોલીસે કાશીનાથ ભુઈયા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. જ્યારે રાહુલ અને રાજેશ દુબેની શોધખોળ ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/when-a-dalit-woman-went-to-a-public-well-manuwadi-beat-her-and-tore-her-blouse">દલિત મહિલા જાહેર કૂવા પાસે ગઈ તો મનુવાદીએ માર મારી બ્લાઉઝ ફાડી નાખ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 23 May 2024 10:05:13 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>651</Articleid>
                    <excerpt>કથિત ગૌરક્ષકોએ પોતાના ઢોર લઈને જઈ રહેલા એક 60 વર્ષના દલિત વૃદ્ધને નિર્વસ્ત્ર કરીને બાઈક સાથે બાંધીને 1 કિમી સુધી ઢસડ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_664ebfd98c2d6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_664ebfd959fa0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_664ebfd959fa0.jpg" length="59567" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વૃદ્ધ દલિત દંપતીને ખાંસડાનો હાર પહેરાવ્યો, ઢોર માર મારી ગામમાં ફેરવ્યું</title>
                    <link>https://khabarantar.com/an-elderly-dalit-couple-was-garlanded-with-khansdas-cattle-slaughtered-in-the-village</link>
                    <guid>https://khabarantar.com/an-elderly-dalit-couple-was-garlanded-with-khansdas-cattle-slaughtered-in-the-village</guid>
                    <description>
                        <![CDATA[ 60-65 વર્ષના એક વૃદ્ધ દલિત દંપતિને જાતિવાદીઓએ ઘરમાં બાંધીને માર માર્યો, પછી ગળામાં ખાંસડાનો હાર પહેરાવી આખા ગામમાં ફેરવ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક બાજુ દુનિયાના પ્રગતિશીલ દેશો કૃત્રિમ સૂર્ય બનાવી રહ્યાં છે, માણસમાં ડુક્કરની કિડની ફિટ કરીને અમેરિકા જેવા દેશો માનવજાતને વધુ સારું જીવન આપવા માટે વૈજ્ઞાનિક પ્રયોગો કરી રહ્યાં છે, બીજી તરફ ભારતમાં જાતિવાદીઓએ માઝા મૂકી છે અને દેશ જાણે અંધકાર યુગ તરફ ધકેલાઈ રહ્યો હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. આઝાદી પહેલા અને પછી પણ મનુવાદીઓ સત્તામાં મોટાપાયે ભાગીદાર રહ્યાં હોવાથી દેશનો દલિત, આદિવાસી સમાજ હજુ પણ પીડિતની જ ભૂમિકામાં રહ્યો છે. દરરોજ દેશના કોઈને કોઈ ખૂણે દલિતો પર જાતિવાદી તત્વો દ્વારા અત્યાચારના કિસ્સા સામે આવતા રહે છે. કેટલાક કિસ્સા તો એવા હોય છે જેમાં પીડિત પરિવારનો કોઈ જ વાંક નથી હોતો તેમ છતાં જાતિવાદી માથાભારે તત્વો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/after-drinking-water-from-the-pitcher-the-dalit-youth-was-killed-and-mutilated">ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664b0f5fade26.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધ દલિત દંપતિને જાતિવાદીઓએ તેમના ઘરમાં બાંધીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તેમને જાતિસૂચક ગાળો ભાંડી, ગળામાં ખાંસડાનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવ્યા હતા. વૃદ્ધ દંપતિ જાતિવાદીઓની ધમકીના કારણે તેમની ગામમાં આવેલી ખેતીની જમીન અને ઘરબાર છોડીને દૂરના શહેરમાં રહેવા મજબૂર બન્યું હતું. માથાભારે તત્વો દ્વારા તેમને સતત મારી નાખવાની ધમકીઓ મળતી હતી, જેને લઈને  તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી, પણ મોટાભાગના કિસ્સાઓમાં થાય છે તેમ, પોલીસે તેને જરાય ગંભીરતાથી નહોતી લીધી. આખરે કંટાળીને આ દંપતિ ત્રણ મહિનાથી ગામ છોડીને શહેરમાં રહેતું હતું.</span><br><span style="font-size: 14pt;">બે દિવસ પહેલા તે ગામમાં પરત ફર્યું હતું. અને તેની જાણ જાતિવાદી તત્વોને થઈ જતા તેઓ વૃદ્ધના ઘરે પહોંચી ગયા હતા અને તેમને લાકડા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. આટલેથી પણ તેને ધરવ ન થતા વૃદ્ધ દંપતિને માર મારીને, ગળામાં ખાસડાનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવ્યા હતા. આ ઘટનાથી હતપ્રભ થઈ ગયેલા વૃદ્ધે ફરી પોલીસ મદદ માંગતા હવે 10 લોકો સામે ફરિયાદ નોંધી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વૃદ્ધ દંપતિને ખાંસડાનો હાર પહેરાવી ગામમાં ફેરવ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાનો છે. અહીંના મુંગાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના કિલોરા ગામમાં એક વૃદ્ધ દલિત દંપતીને આરોપીઓએ ઢોર માર માર્યો અને પછી તેમના ગળામાં જૂતાનો હાર પહેરાવીને આખા ગામમાં ફેરવ્યા હતા અને તેમનું હળહળતું અપમાન કર્યું હતું. બાદમાં ઘટનાની જાણકારી પોલીસને મળતા તેણે બંધક દંપતીને છોડાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/In-Mehsanas-Dhanpura,-casteists-stopped-the-dalit-grooms-horse-and-attacked-him-with-sticks">મહેસાણાના ધનપુરામાં જાતિવાદીઓ બેફામ, દલિત વરરાજાનો વરઘોડો રોકી ધોકા-લાકડીઓથી હુમલો કર્યો</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664b0f5ea5db6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિવાદીઓની બીકના કારણે 3 મહિનાથી ઘર છોડી દીધું હતું</span></strong></span><br><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ, પીડિત 60 વર્ષીય બેટીબાઈ અને તેના પતિ 65 વર્ષીય કરણ સિંહ ઉર્ફે કન્ના અહિરવાર ગામના કથિત ઉચ્ચ જાતિના માથાભારે તત્વોના ડરને કારણે છેલ્લાં ત્રણ મહિનાથી ગામ છોડીને જતા રહ્યા હતા. તેમણે આ મામલે પોલીસ સુરક્ષાની માંગણી કરી હતી પણ તે મળી નહોતી. આખરે થાકી હારીને દંપતિ ગામમાં પરત આવી ગયું હતું. આ વાતની જાણ થતાં જ જાતિવાદી તત્વો દલિત દંપતિના ઘરે પહોંચી ગયા હતા અને તેમને જાતિ આધારિત અપશબ્દો બોલીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. તેમના હાથપગ બાંધી દેવામાં આવ્યા અને તેમના ગળામાં ખાસડાનો હાર પહેરાવવામાં આવ્યો અને ગામમાં પરેડ કરાવવામાં આવી હતી. તેમને ઘરમાં આવેલા થાંભલા સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હોવાથી ગંભીર ઈજાઓ થઈ છે. વૃદ્ધ મહિલા બેટીબાઈને શરીર પર ઘણી આંતરિક ઇજાઓ થઈ છે. જ્યારે તેમના પતિ 65 વરસના કન્ના અહિરવારને પગમાં ફ્રેક્ચર થયું છે. બેટીબાઈના શરીર પર ઈજાના નિશાન પણ છે અને તેમની આંતરિક ઇજાઓ તપાસવા માટે સીટી સ્કેન કરાવવામાં આવ્યું છે. હાલમાં તેઓ જિલ્લા હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/A-landmark-judgment-five-years-ago,-which-points-the-right-direction-to-justice-seeking-masses">પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664b0f5f379db.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બે મહિલાઓ સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે બેટીબાઈની ફરિયાદના આધારે ગામના જાતિવાદી તત્વો સામે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસે 2 મહિલાઓ સહિત 10 લોકોના નામ લખ્યાં છે. પોલીસનું કહેવું છે કે આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">મુંગાવલી પોલીસ સ્ટેશનના પ્રભારી ગબ્બર સિંહ ગુર્જરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા મારપીટ કરાયેલા વૃદ્ધ દંપતિના પુત્રે ત્રણેક મહિના પહેલા આરોપી પરિવારની કોઈ મહિલાની છેડતી કરી હતી તેવી વાત જાણવા મળે છે. જેના કારણે વૃદ્ધ દંપતી ડરનું માર્યું ગામ છોડીને ભાગી ગયું હતું. પરંતુ આરોપીઓને તેમના આવવાની માહિતી મળતા જ તેમના પર હુમલો કર્યો હતો. આ મામલે ગામના રાજા યાદવ અને તેના પરિવારના 10 લોકો વિરુદ્ધ હુમલા અને એટ્રોસિટી એક્ટ મુજબ કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/For-the-first-time-after-76-years-of-independence,-a-Dalit-bridegroom-mounted-a-horse">આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 20 May 2024 17:54:33 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>642</Articleid>
                    <excerpt>60-65 વર્ષના એક વૃદ્ધ દલિત દંપતિને જાતિવાદીઓએ ઘરમાં બાંધીને માર માર્યો, પછી ગળામાં ખાંસડાનો હાર પહેરાવી આખા ગામમાં ફેરવ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_664b0f6057e12.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_664b0f6029335.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_664b0f6029335.jpg" length="70385" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલા જાહેર કૂવા પાસે ગઈ તો મનુવાદીએ માર મારી બ્લાઉઝ ફાડી નાખ્યું</title>
                    <link>https://khabarantar.com/when-a-dalit-woman-went-to-a-public-well-manuwadi-beat-her-and-tore-her-blouse</link>
                    <guid>https://khabarantar.com/when-a-dalit-woman-went-to-a-public-well-manuwadi-beat-her-and-tore-her-blouse</guid>
                    <description>
                        <![CDATA[ દીયરના લગ્નમાં પરિવારજનો સાથે ગામના કૂવે ગયેલી દલિત મહિલાને રાજ ઉપાધ્યાય નામના જાતિવાદી કીડાએ માર મારીને જાહેરમાં બ્લાઉઝ ફાડી નાખ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ અને દલિતો પ્રત્યે નફરત મામલે ભારતના એકેય રાજ્યને ઓછું આંકી શકાય તેમ નથી. જો કે ગુજરાત સહિત ઉત્તર ભારતમાં દલિતો પર સૌથી વધુ અત્યાચારો થાય છે. ઉત્તર પ્રદેશ તેમાં પહેલા નંબરે છે. અહીં દરરોજ કોઈને કોઈ ગામ કે શહેરમાં દલિતો પર અત્યાચારની ઘટના બનતી રહે છે. જો કે મુખ્યધારાનું મીડિયા તેને યોગ્ય રીતે કવરેજ આપતું ન હોવાથી આવી ઘટનાઓ જે તે વિસ્તાર પુરતી થોડો સમય પુરતી લોકોની માનસપટ પર ફરીને પછી કાયમ માટે ભૂલાઈ જાય છે. એમાંની કેટલીક ઘટનાઓ જેમ તેમ કરીને પોલીસ ચોપડે ચડે પણ છે, પણ તેમાં પોલીસ અધિકારીઓની જાતિ, દલિતો પ્રત્યેનું તેમનું વલણ અને સ્થાનિક સ્તરે કથિત ઉચ્ચ જાતિના લોકોનું રાજકારણમાં કેટલું અને કેવું વર્ચસ્વ છે તેના પર ઘણું બધું આધાર રાખે છે. મોટાભાગે પોલીસ ખાતામાં કથિત સવર્ણ જાતિના જ લોકોની બહુમતિ હોવાથી પીડિત દલિતો માટે ન્યાય મેળવવો અઘરો થઈ જાય છે. એટ્રોસિટી જેવા ગંભીર કેસોને પણ આ લોકો ભેગાં મળીને નબળો પાડી છે. છેલ્લે બને છે એવું કે પીડિત દલિતોને ન્યાય ન મળવાથી જાતિવાદી તત્વો વધુ માથું ઉચકતા થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત મહિલાનું મનુવાદીએ જાહેરમાં અપમાન કર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કંઈક આવું જ હાલ એક ગામમાં બન્યું છે. જ્યાં એક દલિત મહિલાએ તેના દિયરના લગ્ન હોવાથી ડીજે પાર્ટી સાથે ગામના જાહેર કૂવા પર જઈને કૂવા પૂજનની વિધિ પૂર્ણ કરીને નાચી રહી હતી, જે ગામના એક મનુવાદી બ્રાહ્મણને ગમ્યું નહોતું. એક દલિત પરિવાર ગામના જાહેર કૂવા પર આવીને પૂજા કેવી રીતે કરી શકે, તેને લઈને તેને ગુસ્સો આવ્યો હતો અને તેણે મહિલાને જાહેરમાં જાતિસૂચક ગાળો ભાંડીને માર માર્યો હતો. જેના કારણે મહિલાનું બ્લાઉઝ પણ ફાટી ગયું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, ઘરે લગ્ન પ્રસંગ હોવાથી દલિત મહિલાએ તરત કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું, પણ પછી તરત તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પણ પોલીસે તેના પર કોઈ કાર્યવાહી કરી નહોતી. જેના કારણે જાતિવાદી વ્યક્તિની હિંમત વધી ગઈ હતી અને તે દલિત મહિલાને મારવા માટે ફરી રહ્યો છે. જેનાથી ગભરાયેલી મહિલાએ ફરી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, પણ હજુ સુધી પોલીસે કોઈ પગલાં લીધાં નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ ફરિયાદ કરી છતાં કોઈ કાર્યવાહી નહીં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. આ જિલ્લો દલિતો પર અત્યાચારને લઈને બદનામ છે. અહીં સમયાંતરે દલિતો પર અત્યાચારની ઘટના બનતી રહે છે. આવી જ એક ઘટના અહીંના સૌરી ગામમાં ઘટી હતી. જ્યાં અનિતા કનોજિયા નામની મહિલાએ ડીએસપીને અરજી કરીને ન્યાયની માંગણી કરી છે. અરજીમાં અનિતાએ લખ્યું છે કે, ગામના રાજ જગન્નાથ ઉપાધ્યાય નામના શખ્સે તેમને માર માર્યો હતો અને જાહેરમાં તેમનું બ્લાઉઝ ફાડી નાખ્યું હતું. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6649828ecb00f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/A-boar-has-been-cut-to-death-on-the-railway-track-in-front,-pick-it-up...">"સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને...."</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના 18 એપ્રિલ 2024ની છે. અનિતાના દિયરના લગ્ન હોવાથી ગામના જાહેર કૂવા પર પૂજનની વિધિ કરવા માટે ગયા હતા. તેઓ કૂવાની પૂજા કર્યા બાદ ડીજેના તાલે નાચી રહ્યા હતા, ત્યારે રાજ ઉપાધ્યાયે તેમને જાતિસૂચક ગાળો ભાંડીને તેને માર માર્યો હતો. એટલું જ નહીં તેનું બ્લાઉઝ પણ ફાડી નાખ્યું હતું. રાજ ઉપાધ્યાયનું માનવું હતું કે, એક દલિત પરિવાર ગામના જાહેર કૂવાની પૂજા કેવી રીતે કરી શકે, તેના પર ફક્ત તેના જેવા કથિત સવર્ણોનો જ હક છે. આથી તે લગ્ન પ્રસંગ હોવા છતાં અનિતા સહિતના તમામ લોકોને જાહેરમાં જાતિસૂચક ગાળો ભાંડીને મા-બહેનની ગાળો દેવા લાગ્યો હતો અને ડીજે બંધ કરાવીને બધાંને માર મારવાની ધમકી આપવા લાગ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે અનિતા કનોજિયાએ તેનો વિરોધ કર્યો હતો અને તેઓ ફરી જાહેર કૂવાનો ઉપયોગ કરશે તેમ કહેતા ઉશ્કેરાયેલા રાજ ઉપાધ્યાયે તેને માર માર્યો હતો અને તેનું બ્લાઉઝ પણ ફાડી નાખ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તરફ લગ્નનો પ્રસંગ હેમખેમ પૂર્ણ થઈ જાય તે માટે અનિતા અને તેના ઘરવાળાઓ અપમાનના ઘૂંટડા પી ગયા હતા. જ્યારે બધાં સગાંવહાલાઓ લગ્ન પ્રસંગ બાદ પોતપોતાના ઘરે જતા રહ્યાં એ પછી તેણે 23 એપ્રિલના રોજ છાવણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી નહોતી કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ એક દલિત મહિલાએ તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કેવી રીતે કરી શકે, તેવી જાતિવાદી માનસિકતાથી ગ્રસ્ત આરોપી રાજ ઉપાધ્યાય વધારે ઉશ્કેરાયો હતો. અને તે અનિતા અને તેના પરિવારને મારવા માટે ફરી રહ્યો છે. જેનાથી હતાશ અને ગભરાયેલી અનિતાએ ફરી 17 મે 2024ના રોજ જિલ્લા પોલીસ વડાને અરજી કરીને ન્યાયની માંગણી સાથે જાતિવાદી રાજ ઉપાધ્યાય સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જોવાનું એ રહે છે કે, પોલીસ આ મામલે અનિતા કનોજિયા અને તેના પરિવારને ન્યાય મળે તે દિશામાં પ્રયત્ન કરે છે કે, જાતિવાદી બ્રાહ્મણ રાજ ઉપાધ્યાયને છાવરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ગુના બને છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું રહ્યું છે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે દેશભરમાં ગુનાનો સૌથી વધુ દર ઉત્તરપ્રદેશમાં છે. 2022 સુધી યુપીમાં ગુનાનો દર 171.6 ટકા હતો. અહીં પ્રતિ વ્યક્તિ ગુનાનો દર 7.4 ટકા છે. સમગ્ર ભારતમાં યુપીમાં ગુનાનો આ દર સૌથી વધુ છે. ચાલુ વર્ષે અહીં ગુનાઓની નોંધાયેલી ઘટનાઓ 7,53,675 સુધી પહોંચી ગઈ છે અને હજુ અડધું વર્ષ બાકી છે. ત્યારે ગુનાઓનો આંકડો ક્યાં જઈને અટકશે તે કહી શકાય તેમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-dalit-woman-confronted-the-rapist-and-the-racist-spat-on-her-face">દલિત મહિલાએ બળાત્કારીનો સામનો કર્યો તો જાતિવાદી તેના મોં પર થૂંક્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 May 2024 10:10:08 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 19 May 2024 14:23:36 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>636</Articleid>
                    <excerpt>દીયરના લગ્નમાં પરિવારજનો સાથે ગામના કૂવે ગયેલી દલિત મહિલાને રાજ ઉપાધ્યાય નામના જાતિવાદી કીડાએ માર મારીને જાહેરમાં બ્લાઉઝ ફાડી નાખ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6649806b17f2f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6649806ad98cf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6649806ad98cf.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત દીકરીએ બોર્ડની પરીક્ષામાં 500 માંથી 499 માર્ક્સ સાથે ટોપ કર્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-daughter-topped-the-board-exam-with-499-marks-out-of-500</link>
                    <guid>https://khabarantar.com/dalit-daughter-topped-the-board-exam-with-499-marks-out-of-500</guid>
                    <description>
                        <![CDATA[ થોડા મહિના પહેલા લેવાયેલી ધો. 10ની બોર્ડની પરીક્ષામાં એક દલિત પરિવારની દીકરીએ 500માંથી 499 માર્ક્સ મેળવીને મનુવાદીઓની બોલતી બંધ કરી દીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષણ કોઈના બાપનો ઈજારો નથી કે નથી કોઈ જાતિવિશેષનો વિશેષાધિકાર. તક મળે તો દલિત, આદિવાસી કે ઓબીસી કે લઘુમતી સમાજના અનેક અભાવો વચ્ચે જીવતા વિદ્યાર્થીઓ પણ તેમાં મોટી સફળતા મેળવી શકે છે. જાતિવાદી તત્વોએ વર્ષો સુધી આ વર્ગને શિક્ષણથી વંચિત રાખ્યો પણ હવેની પેઢીને તેઓ ચાહીને પણ શિક્ષણના તેમના બંધારણીય હકથી વંચિત રાખી શકે તેમ નથી. કેમ કે, અનેક અભાવો વચ્ચે પણ તેઓ પોતાની આવડત અને મહેનતના જોરે તમામ સુવિધાઓ ભોગવતા મનુવાદી તત્વોને પછાડી રહ્યાં છે. મનુવાદીઓએ સદીઓથી દલિતો, આદિવાસીઓને ભણતરથી વંચિત રાખ્યા ત્યારે હવે બાબાસાહેબે આપેલા બંધારણના ટેકે એક દલિત પરિવારની દીકરીએ મનુવાદીઓની આંખો ફાટીની ફાટી જ રહી જાય તેવી ઝળહળતી સફળતા મેળવીને જાતિવાદી તત્વોને સજ્જડ લપડાક મારી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો પેરિયારની ભૂમિ તમિલનાડુમાંથી સામે આવ્યો છે. અહીં એક દલિત પરિવારની દીકરીએ હાલમાં જ લેવાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 500માંથી 499 માર્ક્સ મેળવીને મનુવાદી પ્રતિસ્પર્ધીઓને ચિત્ત કરી દીધાં છે. જી હા, પેરિયારની ભૂમિ તમિલનાડુમાં એક દલિત પરિવારની દીકરી ટોપર બની છે. ડી.કાવિયા જાની નામની આ દીકરીએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 500 માંથી 499 માર્ક્સ મેળવીને મનુવાદીઓને વિચારતા કરી મૂક્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-rickshaw-pullers-son-takes-field-in-General-now-becomes-PA-to-Urban-Development-Department-Secretary">દલિત રિક્ષાચાલકના પુત્રે ‘જનરલ’માં મેદાન માર્યું, હવે શહેરી વિકાસ વિભાગના સચિવનો પીએ બનશે!</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664863e22301e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુના દલિત પરિવારમાંથી આવતી ડી. કાવિયા જાનીએ અન્ય દીકરીઓને પણ શિક્ષણ મેળવવાની પ્રેરણા આપે તેવું કાર્ય કર્યું છે. તેણે ગત 10 મેના રોજ જાહેર થયેલા તમિલનાડુ સ્ટેટ બોર્ડના પરિણામોમાં 500 માંથી 499 માર્ક્સ મેળવીને ટોપ કર્યું છે. કાવિયાની આ સફળતા અનેક રીતે ખાસ છે. કારણ કે એ રીતે તેણે દલિત, આદિવાસી અને ઓબીસી, લઘુમતી સમાજની સેંકડો દીકરોઓને ભણવા માટેની પ્રેરણા પુરી પાડી છે. દીકરીઓને વધુ ભણાવવામાં ન માનતો આપણો સમાજ કાવિયાના ઉદાહરણમાંથી કંઈક પ્રેરણા મેળવશે તેવી આશા રાખીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પિતા વેલ્ડર, માતા કરિયાણાની દુકાનમાં કામ કરે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">કાવિયાની આ સફળતા પાછળ તેના માતા-પિતાનો જુસ્સો અને સંઘર્ષ બંને છે. ધો.10 બોર્ડની પરિક્ષામાં ટોપ કરનાર કાવિયાના પિતા ડી. ધર્મરાજ વેલ્ડર છે. તેઓ કોઈમ્બતુરમાં કોન્ટ્રાક્ટ વેલ્ડીંગનું કામ કરે છે. જ્યારે કાવિયાની માતા ડી. વાસંતી કરિયાણાની દુકાનમાં કામ કરે છે. બંને મળીને મહિને માંડ 13 હજાર રૂપિયા કમાઈ શકે છે. આટલી ઓછી આવક હોવા છતાં પણ આ માતા-પિતાએ પોતાની દીકરીનું ભણતર બંધ ન થવા દીધું. આર્થિક તંગી હોવા છતાં તેમણે પોતાની બન્ને પુત્રીઓ કાવિયા અને અક્ષ્યાને ભણાવી અને તેનું પરિણામ હવે સૌની સામે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">કાવિયાને આઈએએસ બનવું છે</span></strong><br><span style="font-size: 14pt;">કાવિયાના સંઘર્ષની વાત કરીએ તો, તેણીને શરૂઆતથી જ ભણતરનો શોખ હતો. શાળાએ પહોંચવા માટે કાવિયા દરરોજ જાહેર વાહન વ્યવસ્થા દ્વારા 15 કિલોમીટર સુધીની મુસાફરી કરતી હતી. કાવિયાને ભણતરનો શોખ હતો અને તેના માતા-પિતા દીકરીને ભણાવવા માટે મક્કમ હતા. ત્યારે કાવિયાના પરિણામો દર્શાવે છે કે આ ત્રણેયની મહેનત રંગ લાવી છે. દલિત સમાજની દિકરી કાવિયાનું સપનું IAS ઓફિસર બનવાનું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-named-his-house-samvidhan-in-a-society-of-so-called-sarvans">કથિત સર્વણોની સોસાયટીમાં એક દલિતે પોતાના ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું!</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664863e18ea56.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પરિવાર તમિલનાડુના કામુથી પાસેના રામનાથપુરમ જિલ્લાના પેરાયુર ગામનો છે. પેરાયુરમાં હજી પણ લોકો ચોક્કસ ઉંમર પછી છોકરીઓને શાળાએ મોકલવામાં અચકાય છે. આ વિસ્તાર હજુ પણ બાળલગ્નની ચુંગાલમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યો નથી. આ સામાજિક દુષણોએ કાવિયાના દિમાગને હચમચાવી નાખ્યું હતું. કાવિયાની માતાના જણાવ્યા અનુસાર, કાવિયાએ ત્રીજા વર્ગમાં હતી ત્યારે જ IAS ઓફિસર બનવાનું સપનું જોયું હતું. જેથી તે સમાજમાં સુધારો લાવી શકે. મોટી ઓફિસર બનીને તે તમામ સામાજિક બદીઓ દૂર કરી શકે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્ટાલિન સરકાર પાસે આગળ ભણવા મદદ માંગી</span></strong></span><br><span style="font-size: 14pt;">કાવિયા હવે પોતાનું IAS બનવાનું સપનું સાકાર કરવા માટે આગળ વધી છે. તેણીએ ધોરણ 12માં અભ્યાસ માટે કોમર્સ અને હિસ્ટ્રી જેવા વિષયો પસંદ કર્યા છે. કાવિયાના માતા-પિતાને આશા છે કે તેમની પુત્રીનું સ્વપ્ન સાકાર થશે. તેમણે તમિલનાડુ સરકારને પોતાની દીકરીના શિક્ષણમાં મદદ માટે પણ અપીલ કરી છે. ત્યારે તમિલનાડુની સ્ટાલિનની સરકાર શું મદદ કરે છે તે જોવાનું રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/This-Bahujan-youth-who-used-to-wire-the-house-at-one-time-has-clients-like-IIM-A,-AMUL,-Indian-Railway">એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM-A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 18 May 2024 13:54:16 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 18 May 2024 13:53:38 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>634</Articleid>
                    <excerpt>થોડા મહિના પહેલા લેવાયેલી ધો. 10ની બોર્ડની પરીક્ષામાં એક દલિત પરિવારની દીકરીએ 500માંથી 499 માર્ક્સ મેળવીને મનુવાદીઓની બોલતી બંધ કરી દીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_664863e2d68bd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_664863e2a406f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_664863e2a406f.jpg" length="112084" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જમીન પર ગેરકાયદે કબ્જાની ફરિયાદ કરી તો દલિતનું ઘર સળગાવી દીધું</title>
                    <link>https://khabarantar.com/dalits-house-was-burnt-if-he-complained-about-illegal-occupation-of-land</link>
                    <guid>https://khabarantar.com/dalits-house-was-burnt-if-he-complained-about-illegal-occupation-of-land</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી તત્વો દલિત પરિવારના ઘરની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવવા માંગતા હતા. પણ પરિવારે તેનો વિરોધ કરતા તેનું ઘર સળગાવી દીધું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં દલિત અત્યાચારની રોજ કોઈને કોઈ ઘટના બને છે પરંતુ મુખ્યધારાના મીડિયામાં તેની નોંધ બહુ મર્યાદિત રીતે લેવાય છે. મોટાભાગના મીડિયા કવરેજમાં તેને જાતિવાદની સમસ્યા તરીકે નહીં પરંતુ અત્યાચારની એક રૂટિન ઘટના તરીકે રજૂ કરાય છે. જેના કારણે અત્યાચારની આખી ઘટનાની ગંભીરતા જ ખતમ થઈ જાય છે. આવી જ એક ઘટના ગઈકાલે બની ગઈ, જેમાં જાતિવાદી તત્વોએ એક દલિત પરિવારનું આખું ઘર સળગાવી નાખ્યું હતું, પરિવારના સભ્યોને ઢોર માર માર્યો હતો તેમ છતાં તેની સામાન્ય નોંધ પણ મીડિયાએ લીધી નહોતી. એક ગામમાં દલિત પરિવારના ઘરની બાજુમાં આવેલી સરકારી ખરાબાની જમીન પર ગામના કેટલાક જાતિવાદી માથાભારે તત્વોની નજર હતી. તેઓ એકથી વધુ વખત આ જમીન પર કબ્જો જમાવવા માટે પ્રયત્નો કરી ચૂક્યા હતા. પણ દલિત પરિવારની સતર્કતાને કારણે તેમની કારી ફાવતી નહોતી. પણ થોડા દિવસ પહેલા જાતિવાદીઓએ ફરી એકવાર આ જમીન પર ગેરકાયદે કબ્જો જમાવવા પ્રયત્ન કર્યો હતો અને દલિત પરિવારે પોલીસને ફોન કરી દેતા પોલીસે આવીને ગેરકાયદે કબ્જો અટકાવી બંને પક્ષોને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. ત્યાંથી દલિત પરિવાર પોતાના ઘરે પરત ફર્યો ત્યાં જ જાતિવાદી તત્વો તેમના ઘરે પહોંચી ગયા હતા અને પરિવારના સભ્યોને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તેમના ઘરને પણ આગ લગાડી દીધી હતી. જેમાં તેમની ઘરવખરી, રાશન વગેરે બળીને ખાક થઈ ગયું હતું. દુઃખની વાત એ હતી કે, પીડિત દલિત પરિવારના મોભીનું હજુ અઠવાડિયા પહેલા જ અવસાન થયું હતું. તેમ છતાં જાતિવાદીઓને દયા આવી નહોતી. આ મામલે હવે પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના પ્રયાગરાજના ગંગાપાર વિસ્તારમાં આવેલા માધોપુર ગામમાં શિવબંસીલાલ કનોજિયા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે. તેમના ઘરની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગામના માથાભારે જાતિવાદી તત્વો કબ્જો કરવા માંગતા હતા. પણ તેઓ તેમના મનસૂબાને સફળ થવા દેતા નહોતા. આથી જાતિવાદીઓએ તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો અને ઘર સળગાવી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/you-are-a-jai-bheem-wala-we-dont-employ-jai-bheem-wala">તું 'જય ભીમ વાળો' છે, અમે 'જય ભીમ વાળા'ને નોકરી નથી આપતા</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_66484f8765c99.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા સાથે વાતચીત કરતા શિવબંસીલાલ કનોજિયાએ જણાવ્યું હતું કે, "મારા ઘરની બાજુમાં સરકારી જમીન ખાલી પડેલી છે. જેના પર ગામના રામચંદ્ર પટેલ, રામકૃપાલ પટેલ, પ્રતાપ બહાદુર પટેલ, રંગબહાદુર પટેલ, ભોલા પટેલ વગેરે લોકો ગેરકાયદેસર રીતે કબ્જો જમાવવા માંગતા હતા. અનેકવાર તેમણે આ જમીન પર કબ્જો જમાવવા માટે ત્યાં કોઈને કોઈ બાંધકામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેઓ સફળ નહોતા થઈ શકતા. 14મી મે 2024ના રોજ સાંજના સમયે આ લોકો દ્વારા ફરી આ જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેઓ મજૂરો અને કડિયાને બોલાવીને થાંભલા ઉભા કરી ઢાળિયું બનાવતા હતા. મેં આ ગેરકાયદે થતું બાંધકામ રોકવા માટે 100 નંબર પર પોલીસને ફોન કર્યો. થોડી જ વારમાં પોલીસ આવી ગઈ અને આ લોકો મને ગાળો ભાંડતા ઘરે ભાગી ગયા. 100 નંબર પર ફોન કર્યા બાદ આવેલી પોલીસે વધારાની ફોર્સ બોલાવી લીધી. સ્થળ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો આવી પહોંચ્યો અને ગેરકાયદે કામ અટકાવી દીધું. એ પછી પોલીસે અમને બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જ્યાં પોલીસે તેમને ગેરકાયદે બાંધકામ અટકાવી દેવા માટે કહી દીધું અને ફરી આવતીકાલે સવારે આવવા માટે કહ્યું. એ પછી અમે બધાં ઘરે પરત આવી ગયા."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શીવબંસીલાલ કનોજિયા આગળ જણાવે છે કે, "અમે બધાં ઘરે પાછા આવી ગયા હતા. એ દરમિયાન આરોપીઓ લાકડીઓ લઈને અમારા ઘરમાં ઘૂસી આવ્યા અને આખા પરિવારને ઢોર માર માર્યો, અમને જાતિસૂચક ગાળો ભાંડી. જ્યારે અમે તેની સામે અવાજ ઉઠાવ્યો તો તેમણે અમારા ઘરને આગ લગાડી દીધી. જેમાં અમારું આખું ઘર સળગી ગયું. ઘરમાં રહેલો સામાન અને રાશન પણ બળીને ખાક થઈ ગયું. મારા પિતાનું હજુ અઠવાડિયા પહેલા જ અવસાન થયું છે. આખો પરિવારમાં શોકમાં ડૂબેલો હતો અને તેમના તેરમાની તૈયારીઓ કરી રહ્યા હતા. એ દરમિયાન આ લોકોએ ગેરકાયદે કબ્જો જમાવીને ફરી વિવાદ શરૂ કરી દીધો હતો. તેમને એમ હતું કે, આમના ઘરમાં હાલ મરણ થયું હોવાથી કોઈ બોલશે નહીં અને આસાનાથી જમીન હડપ કરી લેવાશે. મારા પિતા હવે રહ્યાં નથી એટલે તેઓ ઈચ્છે છે કે અમને અહીંથી ડરાવી, ધમકાવીને અહીંથી ભગાડી દેવામાં આવે અને પછી આ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરી લે."</span><br><span style="font-size: 14pt;">આ કેસમાં પીડિત શિવબંસી લાલ કનોજિયાની ફરિયાદના આધારે આઈપીસીની કલમો 147, 323, 504, 506, 435 અને એસસી/એસટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/a-dalit-youth-was-beaten-up-for-saying-jai-bhim-namo-buddhay-on-the-phone">ફોન પર 'જય ભીમ, નમો બુદ્ધાય' બોલવા પર દલિત યુવકને માર માર્યો</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 18 May 2024 12:23:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>633</Articleid>
                    <excerpt>જાતિવાદી તત્વો દલિત પરિવારના ઘરની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવવા માંગતા હતા. પણ પરિવારે તેનો વિરોધ કરતા તેનું ઘર સળગાવી દીધું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_66484f8975eb5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_66484f892bedd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_66484f892bedd.jpg" length="108691" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, Obc News, sc News, st News, Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ફોન પર &amp;apos;જય ભીમ, નમો બુદ્ધાય&amp;apos; બોલવા પર દલિત યુવકને માર માર્યો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-youth-was-beaten-up-for-saying-jai-bhim-namo-buddhay-on-the-phone</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-youth-was-beaten-up-for-saying-jai-bhim-namo-buddhay-on-the-phone</guid>
                    <description>
                        <![CDATA[ &#039;જય ભીમ&#039; અને &#039;નમો બુદ્ધાયઃ&#039; હવે બહુજન સમાજની ઓળખ બની ગયા છે. પરંતુ એક ગામમાં એક દલિત યુવકને આ બે શબ્દો બોલવા બદલ જાતિવાદીઓએ માર માર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદથી ગ્રસ્ત ભારતમાં દરેક સમાજ પોતાની જાતિની ઓળખ માટે ચોક્કસ પ્રતિકોનો ઉપયોગ કરવામાં ગર્વ અનુભવે છે. ક્ષત્રિયો જય માતાજી બોલે છે, પટેલો જય સ્વામીનારાયણ બોલે, વૈષ્ણવો જયશ્રી કૃષ્ણ બોલે, બ્રાહ્મણો મહાદેવ હર બોલે, વણિકો જય જિનેન્દ્ર બોલે છે. દલિત સમાજ આવી જાતિગત ઓળખથી દૂર રહ્યો. કેમ કે, જાતિની ઓળખ તેને સૌથી વધુ નડતી હતી. તેને માર ખાવો પડતો, અપમાનો સહન કરવા પડતા. કથિત સવર્ણનું છોકરું પણ દલિત સમાજના વડીલનું તેની જાતિના કારણે ભરબજારે અપમાન કરી જતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા માહોલ વચ્ચે અસંગઠિત દલિતોને જિનિયસ ડો. ભીમરાવ આંબેડકર નામે એક તારણહાર મળ્યાં. જે કોઈ જાતિગત ઓળખ ના બદલે તેમના સામાજિક ઉદ્ધારક તરીકેના પ્રતીક બન્યાં. દલિતો જેમ જેમ વાંચતા-લખતા થયા, સમજતા થયા તેમ તેમ બાબાસાહેબના વિચારોનો પ્રભાવ તેમનામાં ઉતરતો ગયો. જેના કારણે દલિતોના એક વર્ગમાં કોઈ માતાજી કે દેવનું નામ લઈને અભિવાદન કરવાને બદલે જય ભીમના ક્રાંતિકારી નારાથી અભિવાદન કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. હવે મોબાઈલ અને સોશિયલ મીડિયાના કારણે યુવાનોમાં આ ટ્રેન્ડ વધુ ઝડપથી સ્વીકાર્ય બન્યો છે. ખાસ કરીને યુવા વર્ગમાં એકબીજાનું અભિવાદન કરવા માટે, વાતચીત કરવામાં 'જય ભીમ' અને 'નમો બુદ્ધાયઃ' શબ્દોનો ભરપૂર ઉપયોગ કરતા થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે 'જય ભીમ' તરીકેની આ જ ઓળખ ક્યારેક તેમના માટે મુસીબત નોતરતી હોય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જ્યાં એક દલિત યુવકને ફોન પર વાતચીત કરતી વખતે 'જય ભીમ, નમો બુદ્ધાયઃ' બોલવા બદલ કેટલાક જાતિવાદી તત્વોએ માર માર્યો હતો. યુવક બાજુના ગામમાં એક પ્રસંગે બેન્ડવાજા વગાડવા માટે ગયો હતો. એ દરમિયાન તેને તેના કોઈ મિત્રનો ફોન આવ્યો અને તેણે ફોન રિસીવ કરતી વખતે 'જય ભીમ, નમો બુદ્ધાય'થી અભિવાદન કર્યું. જે તેની બાજુમાં ઉભેલા જાતિવાદી તત્વોથી સહન ન થયું અને તેમણે યુવકને માર મારવાનું શરૂ કરી દીધું. આ પીડિત દલિત યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/vaikom-satyagraha-struggle-for-right-of-passage-on-temple-road"><span style="font-size: 14pt;">વાયકોમ સત્યાગ્રહઃ મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેની લડત</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6645f1a8350ac.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના બ્યોહારી પોલીસ સ્ટેશનના સાખી ગામની છે. અહીં બે જાતિવાદી તત્વોએ એક બેંડવાજા વગાડનાર દલિત યુવકને 'જય ભીમ, નમો બુદ્ધાય' બોલવા પર માર માર્યો હતો. યુવકનો વાંક ફક્ત એટલો જ હતો કે, તેણે તેના મોબાઈલ પર આવેલો ફોન રિસીવ કરતી વખતે 'જય ભીમ, નમો બુદ્ધાય' કહ્યું હતું. જે બાજુમાં ઉભેલા કથિત સવર્ણ જાતિવાદી છોકરાઓને ગમ્યું નહોતું. તરત તેમણે યુવકને માર મારવાનું શરૂ કરી દીધું હતું. દલિત યુવકને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને હવે પીડિત યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે લુખ્ખા તત્વોને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પીડિત યુવકે આપવીતી સંભળાવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શહડોલ જિલ્લાના બ્યોહારી પોલીસ સ્ટેશનમાં આવતા બિજહા બારાટોલાના રહેવાસી ચંદ્રશેખર સાકેતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે બે દિવસ પહેલા તેને સાખી ગામના રામસુકુલ રાઠૌડે પોતાના દીકરાના લગ્નમાં બેન્ડવાજા વગાડવા માટે બોલાવ્યા હતા. બેન્ડપાર્ટી સાથે રાજેશ સાકેત, બબલૂ સાકેત, નીરજ સાકેત અને રાજુ સાકેત એ લગ્ન પ્રસંગમાં બેન્ડવાજા વગાડવા માટે ગયા હતા. સાંજના પાંચ વાગ્યા આસપાસ ચંદ્રશેખર સાકેતે પોતાના મોબાઈલ ફોનથી ખડ્ડા ગામના તેના સંબંધી પુષ્પેન્દ્ર સાકેતને ફોન કર્યો હતો. ફોન સામેથી રીસિવ થતા જ તેણે 'જય ભીમ, નમો બુદ્ધાયઃ' બોલીને પુષ્પેન્દ્રનું અભિવાદન કર્યું હતું. એ જ વખતે તેની બાજુમાં ઉભેલા ડબ્બૂ ગૌતમ અને શિવાંશુ ગૌતમને તે ગમ્યું નહોતું. તરત બંને ચંદ્રશેખરની પાસે આવ્યા હતા અને 'તું શું બોલ્યો?' એમ કહીને તેને ગડદાપાટુંનો માર મારવા લાગ્યા હતા. તેણે બચાવ માટે રાડો પાડવાની શરૂ કરી દેતા રાજેશ સાકેત અને રાજુ સાકેતે આવીને તેને બચાવ્યો હતો. એ પછી બંને લુખ્ખા તત્વો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. આ આખી ઘટના વર્ણવતો એક વીડિયો ચંદ્રશેખર સાકેતે સોશિયલ મીડિયમાં મૂક્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે અને લોકો લુખ્ખા તત્વો સામે ફિટકાર વરસાવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે બાદમાં ચંદ્રશેખર સાકેતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બ્યોહારી પોલીસે માર મારનાર બંને આરોપીઓ ડબ્બૂ અને શિવાંશુ ગૌતમ વિરુદ્દ કલમ 293, 323, 506, 34 અંતર્ગત ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ચંદ્રશેખર પોતાને 'જય ભીમ' બોલવા પર આરોપીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા તે વાયરલ થઈ ગયો છે. ત્યારે પોલીસ પર એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવા દબાણ વધી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બ્યોહારી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મોહન પડવારે, આરોપીઓનો બચાવ કરતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જય ભીમ બોલવા પર નહીં પરંતુ અન્ય કોઈ બાબતે થયેલા વિવાદમાં મારમારી થઈ છે. પીડિતની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે હજુ સુધી એકેયની ધરપકડ કરવામાં નથી આવી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/after-drinking-water-from-the-pitcher-the-dalit-youth-was-killed-and-mutilated"><span style="font-size: 14pt;">ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 16 May 2024 17:19:57 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 29 Jun 2024 14:32:14 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>624</Articleid>
                    <excerpt>&#039;જય ભીમ&#039; અને &#039;નમો બુદ્ધાયઃ&#039; હવે બહુજન સમાજની ઓળખ બની ગયા છે. પરંતુ એક ગામમાં એક દલિત યુવકને આ બે શબ્દો બોલવા બદલ જાતિવાદીઓએ માર માર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667fcd7ea973a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667fcd7e78d5e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667fcd7e78d5e.jpg" length="80862" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>નિવૃત્ત ફૌજીએ દલિત પરિવાર પર ફાયરિંગ કર્યુંઃ 1 નું મોત, 2 ઘાયલ</title>
                    <link>https://khabarantar.com/retired-soldier-fires-at-dalit-family-1-killed-2-injured</link>
                    <guid>https://khabarantar.com/retired-soldier-fires-at-dalit-family-1-killed-2-injured</guid>
                    <description>
                        <![CDATA[ વીજળીનો તાર કપાઈ જતા એક નિવૃત્ત ફૌજીએ દલિત પરિવાર પર પિસ્તોલથી ફાયરિંગ કરતા 1 વ્યક્તિનું મોત થઈ ગયું, જ્યારે અન્ય બે લોકોની હાલત ગંભીર છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોને જ્યારે કોઈ બાબતે વાંધો પડે છે અને સામેના પક્ષે દલિત કે આદિવાસી સમાજની વ્યક્તિ હોય ત્યારે તેઓ પોતાની જાતિના અભિમાનની સાથે પોતે કાયદાથી પણ પર હોય તેમ વર્તવા માંડે છે. સામે પડનાર દલિત છે એ જાણ્યા પછી તેમનામાં એક જુદા પ્રકારનો આત્મવિશ્વાસ આવી જતો હોય છે. એ પછી તેમને કાયદો વ્યવસ્થાનું પણ ભાન નથી રહેતું અને સામેની વ્યક્તિ કે પરિવારને સીધા સબક શીખવાડવાના ઈરાદા સાથે મારઝૂડ પર ઉતરી આવે છે. આવી જ એક ઘટના ગઈકાલે બની ગઈ. જ્યાં એક નિવૃત્ત આર્મીમેને સામાન્ય બાબતમાં પડોશમાં રહેતા દલિત પરિવાર પર ગોળીબાર કરી દીધો. જેમાં ત્રણ લોકો ઘાયલ થઈ ગયા અને પરિવારના મોભીનું મોત થઈ ગયું અને બે લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નિવૃત્ત ફૌજીની દાદાગીરી</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના મહારાજપુરા પોલીસ સ્ટેશનના રસૂલપુર વિસ્તારનો છે. જ્યાં સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નિવૃત્ત ફૌજી યશવીર ભદૌરિયાએ લાયસન્સવાળી પિસ્તોલથી દલિત પરિવારના સભ્યો પર ફાયરિંગ કરી દીધું. આ હુમલામાં દલિત પરિવારના મોભીનું મોત થઈ ગયું જ્યારે અન્ય બે સભ્યો ઘાયલ થયા હતા. આરોપી યશવીરના ઘર બાજુ જતી વીજળીની લાઈનનો તાર કપાવાથી આ વિવાદ ઉભો થયો હતો. જેને લઈને ઉશ્કેરાયેલા યશવીર ભદૌરિયાએ દલિત પરિવાર પર પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. દલિત પરિવારના મોભીનું મોત થતા પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વીજળીનો તાર કાપવાનો વિવાદ</span></strong></span><br><span style="font-size: 14pt;">પીડિત પરિવારનું કહેવુ છે કે, તેમના પરિવારના રાજવીર જાટવે ફૌજી યશવીર ભદૌરિયાને ટ્રાન્સફોર્મર પર ગેરકાયદેસર રીતે તાર નાખતા રોક્યો હતો. જેને લઈને રવિવારે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. એ વખતે પડોશીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. પણ બીજા દિવસે સવારે યશવીર ભદૌરિયા તેના પિતા અને અન્ય બે સાથીઓ સાથે પિસ્તોલ લઈને આવી પહોંચ્યો હતો. એ દરમિયાન રાજવીર જાટવ, તેનો ભાઈ ધર્મવીર જાટવ અને ભાભી સંજના જાટવ પોતાના ઘરે જ હાજર હતા. આરોપી યશવીર ભદૌરિયાએ ગાળાગાળી કરીને રાજવીર, ધર્મવીર અને સંજના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને પછી ભાગી ગયો. ઘટનામાં રાજવીર, ધર્મવીર અને સંજના જાટવ ગોળી વાગવાથી ઘાયલ થઈ ગયા. તેમને સારવાર માટે જયારોગ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં રાજવીરનું મોત થઈ ગયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/amidst-the-seizure-of-four-police-stations-a-dalit-family-came-out">ચાર પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે દલિત પરિવારનો વરઘોડો નીકળ્યો</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6645833b9fd03.jpg" alt=""></p>
<p><span style="font-size: 14pt;">રવિવારે યશવીર ભદૌરિયાના ઘરે જતો વીજળીનો તાર કપાઈ ગયો હતો અને વીજળી જતી રહી હતી. જેને લઈને ભદૌરિયાને લાગ્યું કે રાજવીર જાટવના પરિવારના કોઈ સભ્યે તેના ઘરની વીજળીનો સપ્લાય બંધ કરવા માટે તાર કાપી નાખ્યો છે. એ પછી તે વેર વાળવા ઉતાવળો બન્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગોળીબારમાં 3 લોકો ઘાયલ, 1 નું મોત</span></strong></span><br><span style="font-size: 14pt;">માથાભારે ભદૌરિયાએ કરેલા ગોળીબારમાં દલિત રાજવીરના પરિવારના ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રાજવીરનું મોત થઈ ગયું. જ્યારે બાકીના બે લોકોની સારવાર ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજવીરના પરિવારના એક સંબંધી અજય જાટવે આરોપ લગાવતા કહ્યું હતું કે, "વીજળીની લાઈન તો એક બહાનું છે. હકીકતે ભદૌરિયા વર્ષોથી અમે દલિત હોવાના કારણે અમને હેરાન કરતો હતો. તેને કોઈને કોઈ રીતે અમને સબક શીખવાડવાનું બહાનું જોઈતું હતું. તે કોઈપણ ભોગે અમને અહીંથી ખદેડવા માંગતો હતો. તે ઈચ્છતો હતો કે અમે આ ઘર છોડીને જતા રહીએ. મધ્યપ્રદેશની સરકાર તો હવે સીધી બુલડોઝર લઈને જ ન્યાય તોળવા નીકળી પડે છે. તો શું ભદૌરિયા જેવા જાતિવાદી તત્વોના ઘર પર તેઓ બુલડોઝર ચલાવીને તેનું ઘર તોડી પાડશે ખરા? અમે અમારા ઘરનો મોભી ગુમાવ્યો છે. ભદૌરિયા જેવા નિવૃત્ત આર્મીમેન ઘણીવાર પોતાને કાયદાથી પણ ઉપર સમજીને દલિતો, આદિવાસીઓ સાથે મનફાવે તેવું વર્તન કરતા હોય છે. આવા લોકોને કડકમાં કડક સજા થાય તો આવા બીજા તત્વોની સાન ઠેકાણે આવે. અમે તો અમારો સભ્ય ગુમાવ્યો છે, ભદૌરિયા જેવા તત્વોને સજા થાય તે જરૂરી છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ગોળીબારમાં રાજવીર અને ધર્મવીરને બે-બે ગોળીઓ વાગી હતી. જ્યારે ધર્મવીરની પત્ની સંજનાના હાથમાં ગોળી વાગી છે. ફાયરિંગ કર્યા બાદ યશવીર ભદૌરિયા અને તેના સાગરિતો ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને રણજીત નામના તેના સાગરિતને ઝડપી પાડ્યો હતો. જો કે મુખ્ય આરોપી યશવીર ભદૌરિયા, તેનો બાપ અને અન્ય એક સાગરિત હજુ ફરાર છે. પોલીસે હત્યાનો મામલો નોંધીને તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/40-people-of-5-dalit-families-migrated-due-to-the-torture-of-the-headstrong-elements">માથાભારે તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારના 40 લોકોએ હિજરત કરી</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 16 May 2024 09:58:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>620</Articleid>
                    <excerpt>વીજળીનો તાર કપાઈ જતા એક નિવૃત્ત ફૌજીએ દલિત પરિવાર પર પિસ્તોલથી ફાયરિંગ કરતા 1 વ્યક્તિનું મોત થઈ ગયું, જ્યારે અન્ય બે લોકોની હાલત ગંભીર છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6645833c51275.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6645833c20fdd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6645833c20fdd.jpg" length="37872" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News, Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેલડી માતા&amp;રામદેવપીરે ધાર્યું કામ ન કર્યું તો ભક્તે મંદિર સળગાવી દીધું</title>
                    <link>https://khabarantar.com/if-meldi-mata-ramdevpir-didnt-do-the-expected-work-the-devotee-set-the-temple-on-fire</link>
                    <guid>https://khabarantar.com/if-meldi-mata-ramdevpir-didnt-do-the-expected-work-the-devotee-set-the-temple-on-fire</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટ પાસેના એક ગામમાં રામદેવપીર અને મેલડી માતામાં આસ્થા ધરાવતા એક વ્યક્તિએ ધાર્યું કામ ન થતા આ દેવી-દેવતાઓના મંદિરને આગ ચાંપી દીધી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંધશ્રદ્ધાનો અતિરેક થાય, માણસ પોતાની મહેનત અને આવડત કરતા કાલ્પનિક ઈશ્વરી શક્તિઓ પર મદાર રાખતો થઈ જાય ત્યારે સ્વાભાવિક છે કે તેનો ધાર્યો લક્ષ્યાંક પાર ન પડે. આવું થાય ત્યારે માણસ હતાશ થઈ જતો હોય છે અને ગુનાઈત કૃત્ય કરી બેસતો હોય છે. આવું જ કંઈક રાજકોટ જિલ્લાના એક ગામમાં બન્યું હતું. અહીં બે દિવસ પહેલા ગામમાં આવેલા મેલડી માતા અને રામદેવપીરના મંદિરમાં આવેલી છબીઓને કોઈ આગ લગાડી દીધી હતી. જેને લઈને ગામમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકો રામદેવપીર અને બંગલાવાળી મેલડી માતામાં ભારે શ્રદ્ધા ધરાવે છે અને તેમની છબીઓને જ આગ લાગી જતા સૌ કોઈ આઘાત પામ્યા હતા. આ મામલે ગામના એક અગ્રણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ગામના જ પૂર્વ સરપંચે માતાજી અને રામદેવપીરે તેમનું ધાર્યું કામ પાર ન પાડ્યું હોવાથી તેમની શ્રદ્ધાને ભારે ઠેસ પહોંચતા બંને છબીઓ સળગાવી દીધી હતી. આ મામલે હવે તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂર્વ સરપંચે જ મંદિર સળગાવી દીધાં</span></strong></span><br><span style="font-size: 14pt;">મામલો રાજકોટ જિલ્લાના જીયાણા ગામનો છે. અહીં બે દિવસ પહેલા રાત્રે કેટલાક તત્વો દ્વારા રામદેવપીરની મૂર્તિ અને બંગલાવાળી મેલડી માતાજીની છબીને આગ લગાવી દીધી હતી. જેને લઈને ગામલોકોની લાગણી દુભાઈ હતી. ઘટનાના પગલે લોકો ગુસ્સે ભરાયા હતા. આ મામલે બાદમાં ગામના અગ્રણી કાનજી મેઘાણીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ રાઠોડ સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ગામના જ પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાની ધરપકડ કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરવિંદ સરવૈયાએ જ રામદેવપીર મંદિર અને મેલડી માતાજીના મંદિરમાં આગ લગાવી હતી. તેઓ અન્ય એક વાસંગી દાદાના મંદિરને પણ સળગાવી દેવા માંગતા હતા પરંતુ ત્યાં તાળું મારેલું હોવાથી તે બચી ગયું હતું. પોલીસે અરવિંદ સરવૈયાની પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રામદેવપીર અને મેલડી માતામાં શ્રદ્ધા રાખીને પોતે એક કામ ધાર્યું હતું અને તે પૂર્ણ થઈ જશે તેવો વિશ્વાસ હતો, પણ તેવું થયું નહોતું. આથી તેમની રામદેવપીર અને મેલડી માતા પરની શ્રદ્ધા ડગી ગઈ હતી, તેમની લાગણી ઘવાઈ હતી. તેઓ આ બંને દેવોથી નારાજ હતા, આથી આવેશમાં આવી જઈને રાત્રે તેમના મંદિરમાં જઈને તેમની છબિઓને આગ લગાડી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/clashes-between-devotees-during-mangala-aarti-at-ranchhodji-temple-in-dakor">ડાકોરના રણછોડજી મંદિરમાં મંગળા આરતી વખતે ભક્તો વચ્ચે મારામારી</a><br></span></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664437571ee78.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અરવિંદભાઈ ભારે ભક્તિભાવવાળા છે</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસને અરવિંદભાઈ વિશે બીજી પણ કેટલીક જાણકારી મળી હતી. એ મુજબ તેઓ ખૂબ જ ભક્તિભાવ વાળા માણસ છે. ઈશ્વરી શક્તિ અને દેવી-દેવતાઓમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. ખાસ કરીને ગામમાં આવેલા રામદેવપીર અને બંગલાવાળી મેલડી માતામાં તેમને વિશેષ શ્રદ્ધા છે. છેલ્લાં કેટલાક સમયથી તેઓ કોઈ અંગત કારણોસર ચિંતાતુર રહેતા હતા. તેમણે પૂજાપાઠ વધારી દીધા હતા અને આ બંને દેવી-દેવતાઓને શ્રદ્ધાપૂર્વક પૂજાપાઠ કરી તેમનું કામ પાર પડે તે માટે આજીજી કરતા હતા. જો કે, લાંબા સમય પછી પણ તેમનું ધારેલું કામ પૂર્ણ ન થતા તેમનો ગુસ્સો ફાટી પડ્યો હતો અને તેમણે વાહનનું ટાયર સળગાવીને મંદિરમાં નાખ્યું હતું. જેમાં રામદેવપીરની મૂર્તિ અને મેલડી માતાની છબિ સળગી ગઈ હતી. તેઓ ગામમાં આવેલું વાસંગી દાદાનું મંદિર પણ સળગાવી દેવા માંગતા હતા પણ ત્યાં તાળું મારેલું હોવાથી એવું કરી શક્યા નહોતા. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Husband-takes-Ayodhya-Kashi-instead-of-Goa-on-honeymoon,-upset-wife-files-for-divorce">પતિ હનીમૂન પર ગોવાને બદલે અયોધ્યા-કાશી લઈ ગયો, નારાજ થયેલી પત્નીએ કરી છુટાછેડાની અરજી</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_66443757a5538.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણ વર્ષ પહેલા પત્ની-બાળકો છોડીને જતા રહ્યા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">અરવિંદ સરવૈયાએ આ મંદિરોમાં આગ લગાડી હોવાનું કબૂલ્યું હતું. તેની પાછળનું કારણ એવું જણાયું છે કે ત્રણ વર્ષ પહેલા તેમના પત્ની અને બાળકો તેમને છોડીને જતા રહ્યા હતા. ત્યારથી તેઓ સતત પૂજાપાઠમાં વ્યસ્ત રહેતા હતા અને માતાજજી-રામદેવપીરને વિનંતી કરતા હતા. પણ તેમ છતાં પત્ની અને બાળકો તેમની પાસે પરત ન ફરતા તેમની લાગણીને ઠેસ પહોંચી હતી અને તેમણે મંદિરને આગ લગાડી દીધી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી</span></strong></span><br><span style="font-size: 14pt;">આથી આ મામલે રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશને આઈપીસીની કલમ 295, 435 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૌરાષ્ટ્રને સૌથી ધાર્મિક વિસ્તાર ગણવામાં આવે છે. અહીં વિવિધ વિસ્તારોમાં કોઈને કોઈ સંત મહાત્મા કે ભગવાન-માતાજીના જાણીતા મંદિરો આવેલા છે. જેના નામે લાખો કરોડો રૂપિયાનું દાન આવે છે, તેમાંથી ભંડારાઓ થાય છે, કથાઓ, પારાયણો બેસાડાય છે, મોટાં ઉત્સવો ઉજવાય છે. જેના કારણે શ્રદ્ધાળુઓ તેમની મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ કરવાનું ભૂલીને ઈશ્વરી શક્તિના ચમત્કાર પર આધાર રાખીને જીવન જીવવાનું ચાલું કરી દે છે. જેમાં ક્યારે અરવિંદ સરવૈયા જેમ શ્રદ્ધાને ઠેસ પણ લાગે છે અને પછી ગુનાઈત કૃત્ય કરી બેસે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Not-Ram,-this-god-is-most-worshiped-in-India,-survey-report-revealed">રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 15 May 2024 09:56:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>617</Articleid>
                    <excerpt>રાજકોટ પાસેના એક ગામમાં રામદેવપીર અને મેલડી માતામાં આસ્થા ધરાવતા એક વ્યક્તિએ ધાર્યું કામ ન થતા આ દેવી-દેવતાઓના મંદિરને આગ ચાંપી દીધી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_66443756b5a7d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6644375685cde.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6644375685cde.jpg" length="64918" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News, Atrocity complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાએ બળાત્કારીનો સામનો કર્યો તો જાતિવાદી તેના મોં પર થૂંક્યો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-woman-confronted-the-rapist-and-the-racist-spat-on-her-face</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-woman-confronted-the-rapist-and-the-racist-spat-on-her-face</guid>
                    <description>
                        <![CDATA[ એક ગામમાં પડોશમાં રહેતો માથાભારે શખ્સ વિધવા દલિત મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. મહિલા તાબે ન થતા તેના મોં પર થૂંક્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોના આભડછેટના કાટલા ભયંકર સ્વાર્થથી ભરેલા છે. દલિતોને તેમના હકોથી વંચિત કરવાના હોય ત્યારે તેઓ અસ્પૃશ્યતાનું હથિયાર ઉગામે છે. પણ આ જ લુખ્ખા તત્વો દલિત સમાજની બહેન-દીકરીઓની આબરુ પર હાથ નાખતી વખતે ખચકાતા નથી. ત્યારે તેમને આભડછેટ પણ નડતી નથી. આવી જ ઘટના હાલ સામે આવી છે. જેમાં એક ગામમાં દલિત મહિલા પર તેની પડોશમાં રહેતા માથાભારે શખ્સે ઘરમાં ઘૂસીને બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ મહિલા તાબે ન થતા તે શખ્સ તેના મોં પર થૂક્યો હતો. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના બરેલી જિલ્લાના એક ગામમાં માથાભારે જાતિવાદી શખ્સે પડોશમાં રહેતી એખ દલિત મહિલા પર તેના ઘરમાં ઘૂસીને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. પણ મહિલાએ તેનો મજબૂતીથી વિરોધ કર્યો હતો અને તેને તાબે થઈ નહોતી. માથાભારે શખ્સે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો પણ મહિલાએ તેનો સામનો કરતા આરોપી તેના ચહેરા પર થૂંક્યો હતો. આ મામલે પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બરેલીના બારાદરી પોલીસ સ્ટેશનના સુરેશ શર્મા નગરનો છે. અહીં હીરાકલી નામની મહિલા સાથે પડોશમાં રહેતા રામસિંહ ગંગવારે તેના ઘરમાં ઘૂસીને બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ હીરાકલી તેને તાબે થઈ નહોતી. આથી ઉશ્કેરાયેલો રામસિંહે તેને જાતિસૂચક ગાળો દઈને તેના મોં પર થૂક્યો હતો. આ મામલે હીરાકલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હીરાકલી આ મામલે મીડિયા સાથે વાત કરતા કહે છે, "રામ સિંહ ગંગવાર છેલ્લા ઘણા સમયથી મને પરેશાન કરી રહ્યો હતો. કથિત રીતે અમે નીચી જ્ઞાતિના છીએ, તેથી તે ઈચ્છે છે કે અમે તેની બાજુમાં આવેલું અમારું ઘર છોડી દઈએ. તેના માટે તે અમને સતત હેરાન કરતો રહે છે. ક્યારેક તે અમારા ઘરની સામે પાણી ફેંકે છે, તો ક્યારેક કચરો ફેંકે છે. જ્યારે આટલેથી તેને સંતોષ નથી થતો તો તે માનવમળ ફેંકે છે. મારા પતિનું 2006માં અકસ્માતમાં થયું હતું. મારે બે પુત્રો અને એક પુત્રી છે. હું મજૂરીને કરીને મારા બાળકોનો મોટા કરું છું. જેમતેમ કરીને કરેલી થોડી બચતમાંથી મેં ઘર બાંધવાનું શરૂ કર્યું હતું. એ પછી રામસિંહના અત્યાચારો વધી ગયા હતા. તે ઇચ્છે છે કે હું અને મારો પરિવાર ઘર વેચીને બીજે ક્યાંક રહેવા જતા રહીએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દિવસને યાદ કરતા હીરાકલી કહે છે, 'હું તે દિવસે ઘરે જ હતી. તે ઘરમાં ઘૂસી ગયો અને મને એકલી જોઈને મારી છેડતી કરવા લાગ્યો. તેણે બળજબરીથી બળાત્કારનો પ્રયાસ કર્યો. મેં બૂમો પાડવાનું શરૂ કર્યું, આના પર મારી પુત્રીએ અવાજ સાંભળ્યો અને ઘરની અંદરથી બહાર આવી. મને ચીસો પાડતી જોઈને તેણે મારી દીકરીની સામે મને માર માર્યો. જ્યારે મેં વિરોધ કર્યો તો તેણે મને જાતિવાદી અપશબ્દો કહ્યાં અને મારા પર થૂંક્યો. અને ભાગી ગયો. આ મામલે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ મારી વાત સાંભળવામાં ન આવી. હું એસપી ઓફિસ ગઈ એ પછી મારો કેસ નોંધવામાં આવ્યો. પણ પોલીસે કોઈ નક્કર પગલાં નહોતા લીધાં. હવે રામસિંહ મને સતત ધમકી આપી રહ્યો છે. આ મામલે પોલીસે IPCની કલમ 323, 504 અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીમ આર્મી વ્હારે આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની માહિતી મળતા જ ભીમ આર્મી બરેલીમાં પીડિતાના ઘરે પહોંચી ગઈ હતી. ભીમ આર્મીના મીડિયા ઈન્ચાર્જ આકાશ બાબુએ હીરાકલીને મળીને સાંત્વના પાઠવી લડતમાં તેમની સાથે હોવાની હૈયાધારણ આપી હતી. તેમણે કહ્યું કે આ ઘટના ખૂબ જ શરમજનક છે. પોલીસે આ ઘટના અંગે નક્કર કાર્યવાહી કરવી જોઈએ. જો આમ નહીં થાય તો ભીમ આર્મી યોગ્ય પગલાં લેશે. જો કે પોલીસ ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી તેમને હીરાકલીની ફરિયાદ પર તપાસ કરવાનો સમય મળતો નથી. </span><br><span style="font-size: 14pt;">બરેલી શહેરના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, તેથી સૌ વ્યસ્ત છે. કારકૂન પણ રજા છે તેથી આ ઘટના અંગે કોઈ માહિતી નથી. આ મામલે તપાસ કરીને ટૂંક સમયમાં નક્કર કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/A-voice-was-raised-against-not-cutting-the-hair-of-Dalits-and-history-was-created">દલિતોના વાળ ન કાપવા સામે એક અવાજ ઉઠ્યો અને ઈતિહાસ સર્જાયો!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 13 May 2024 10:01:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>610</Articleid>
                    <excerpt>એક ગામમાં પડોશમાં રહેતો માથાભારે શખ્સ વિધવા દલિત મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. મહિલા તાબે ન થતા તેના મોં પર થૂંક્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_66419724a1637.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_664197246fc90.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_664197246fc90.jpg" length="109786" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકના હાથપગ ભાંગી નાખ્યાં, ગળે તલવાર રાખી મોં પર પેશાબ કર્યો</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-broke-his-limbs-put-a-sword-on-his-throat-and-urinated-on-his-mouth</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-broke-his-limbs-put-a-sword-on-his-throat-and-urinated-on-his-mouth</guid>
                    <description>
                        <![CDATA[ માથાભારે તત્વોને એક દલિત યુવક પર એટલો ગુસ્સો આવી ગયો કે તેને તેના ઘરેથી ઉઠાવી ગયા, ગળા પર તલવાર રાખીને મોં પર પેશાબ કર્યો અને હાથપગ ભાંગી નાખ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વોને જ્યારે કોઈની સામે વાંધો પડે છે અને એમાં પણ જ્યારે તેને ખબર પડે છે કે સામેની વ્યક્તિ દલિત સમાજની છે, ત્યારે તે કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના તેની પર તૂટી પડે છે. જાણે દલિત હોવાના કારણે તેને મારવાનો હક મળી ગયો હોય. એ પછી તે ભૂલી જાય છે કે દેશમાં કાયદો અને વ્યવસ્થા જેવું પણ કંઈક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક દલિત વ્યક્તિને કેટલાક માથાભારે તત્વોએ ઢોર માર મારીને તેના હાથપગ તોડી નાખ્યા હતા. એ પછી તેના ગળા પર તલવાર રાખીને તેના મોં પર પેશાબ કર્યો હતો. પીડિત વ્યક્તિનો વાંક ફક્ત એટલો જ હતો કે તેણે જંગલમાં કેટલાક લોકોને લાકડા કાપતા જોઈ લીધા હતા અને તેમની ફરિયાદ વનવિભાગને કરી દીધી હતી. જેને લઈને ગામના કેટલાક ગુંડા તત્વોએ તેના પર હુમલો કરી દીધો હતો. આ મામલે હવે પોલીસે એફઆઈઆર નોંધી છે અને દલિત યુવકના કપડાં ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે. બીજી તરફ પીડિત દલિત વ્યક્તિનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. જ્યાં તેની સ્થિતિ સુધાર પર હોવાનું જણાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત યુવકને પાઠ ભણાવવા પ્લાન કર્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ગુજરાતીઓના ફરવા માટેના ફેવરેટ સ્થળ શિમલાનો છે. મળતી જાણકારી પ્રમાણે અહીંના પટગેહરના રહેવાસી સંજયકુમાર ઢલીને જંગલમાં કેટલાક લોકો ગેરકાયદે લાકડાં કાપતા હોવાની ખબર પડી હતી. આથી તેણે વનવિભાગને તેની જાણ કરી હતી. આ બાબતની જાણ ગેરકાયદે લાકડા કાપીને વેચતા ગામના ગુંડાઓને પડી ગઈ હતી. જેથી તેમણે સંજયને સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું. બે દિવસ પહેલા એક વ્યક્તિએ ફોન કરીને સંજયને બોલાવ્યો હતો અને પોતાની ગાડીમાં બેસાડીને દૂરના એક સ્થળે લઈ જઈને ઢોર માર માર્યો હતો. એ મારના કારણે સંજયકુમાર બેભાન થઈ ગયો હતો અને આરોપીઓ તેને મરેલો સમજીને તેના ઘર આગળ ફેંકીને જતા રહ્યા હતા. તેના પરિવારજનો રાત્રે મોડે સુધી તેની રાહ જોતા રહ્યાં. દરમિયાન રાત્રે 12 વાગ્યા આસપાસ તેમનું ધ્યાન ઘર બહાર ગયું અને સંજય ઢોર મારને કારણે બેભાન થયેલી હાલતમાં પડેલો મળી આવતા તેને એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. પોલીસે તેનું નિવેદન હોસ્પિટલમાં જ નોંધ્યું હતું. હવે આ મામલે કેસ દાખલ થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભીમ આર્મી મેદાનમાં આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિમલાના એસપી સંજીવ ગાંધીએ જણાવ્યું હતું કે, મામલો ખૂબ ગંભીર છે અને તેની ગંભીરતાને જોતા અમે તરત કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને છોડવામાં નહીં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સંજયકુમાર પર થયેલા ઘાતકી હુમલાને લઈને હવે હિમાચલ પ્રદેશ ભીમ આર્મી મેદાનમાં આવી છે. તેણે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/A-landmark-judgment-five-years-ago,-which-points-the-right-direction-to-justice-seeking-masses">પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_66403b16d3b03.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમ આર્મી ભારત એકતા મિશનના સંયોજક રવિકુમારે જણાવ્યું હતું કે, "માથાભારે તત્વોએ સંજયકુમાર દલિત હોવાનું જાણ્યું એટલે છાકટા થયા હતા અને તેમણે તેને ઢોર માર માર્યો હતો અને તેના મોં પર પેશાબ કર્યો હતો. માનવતાને શરમજનક સ્થિતિમાં મૂકતી આ ઘટના કોઈ કાળે સાંખી લેવાય તેમ નથી. આરોપીઓ પર તરત કાર્યવાહી થવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ. જો આવું નહીં થાય તો અમે રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું અને એ પછી જે કંઈ પણ થશે તેની જવાબદારી પોલીસ તંત્રની રહેશે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગળા પર તલવાર રાખી મોં પર પેશાબ કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત સંજયકુમારના ભાઈ રાકેશે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "મારા ભાઈના ગળા પર આરોપીઓએ તલવાર રાખી દીધી હતી અને પછી તેના મોં પર પેશાબ કર્યો હતો. ગામનો એક છોકરો અર્જુન મારા ભાઈને ઘરેથી બોલાવીને લઈ ગયો હતો. તે તેને પોતાની ગાડીમાં બેસાડીને કયાલી તરફ લઈ ગયો હતો. અહીં રામલોક નામની વ્યક્તિનું ઘર છે જે વન વિભાગમાં ચોકીદાર તરીકે કામ કરે છે. અહીં મારા ભાઈને બેફામ માર મારવામાં આવ્યો હતો અને પછી તે બેભાન થઈ જતા તેને રાત્રે ઘરની બહાર ફેંકીને જતા રહ્યા હતા. મારનારા પાંચ લોકો હતા. કયાલીથી તેઓ મારા ભાઈને તાળાની નાળ નામની જગ્યાએ લઈ ગયા હતા જ્યાં હીરા સિંહ અને રામાનંદ નામના શખ્સો હાજર હતા. આ લોકોએ મારા ભાઈને એટલો માર્યો કે તેના હાથ-પગ તોડી નાખ્યા. હાલ તેનું હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું છે. હવે તે ફરીથી ચાલી શકશે કે નહીં તેની અમને ખબર નથી. અમે દલિત પરિવારમાંથી આવીએ છીએ. જેમતેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. મારા ભાઈને આ માથાભારે લોકો ઢોર માર મારીને ઘર પાસે ફેંકીને જતા રહ્યા હતા. તેમણે મારા ભાઈના ગળા પર તલવાર રાખીને તેના મોં પર પેશાબ કર્યો. ભાઈના કપડામાંથી હજુ પણ પેશાબની વાસ આવી રહી છે. જ્યારે અમે તેને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ડોક્ટરે તેના કપડા કઢાવ્યા અને તપાસ માટે પોલીસને સોંપી દીધાં. અમને ન્યાય જોઈએ છે, પોલીસ અને સરકાર અમારી મદદ કરે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવકને જીવતા સળગાવી દેવાનું આયોજન હતું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત સંજયકુમારની પત્ની મીનાએ જણાવ્યું હતું કે, "મારા પતિને આ લોકોએ જીવતા સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જે જગ્યાએ તેમને મારવામાં આવ્યા હતા ત્યાં લાકડાં ભેગા કરીને ચિતા જેવું તૈયાર કરવામાં આવ્યું હતું. પણ પછી તેમણે મારા પતિને મરેલા સમજીને તેઓ ઘર આગળ ફેંકીને ભાગી ગયા હતા. આવા લોકો પર તરત કડક કાર્યવાહી થવી જોઈએ." આ મામલામાં પોલીસે હવે એટ્રોસિટી એક્ટની કલમો જોડીને વધુ તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/A-mob-of-over-200-attacked-Dalits-in-Bileshwarpura,-the-village-adopted-by-Union-Home-Minister-Amit-Shah">કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દત્તક લીધેલા ગામ બિલેશ્વરપુરામાં દલિતો પર 200થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 12 May 2024 09:54:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>607</Articleid>
                    <excerpt>માથાભારે તત્વોને એક દલિત યુવક પર એટલો ગુસ્સો આવી ગયો કે તેને તેના ઘરેથી ઉઠાવી ગયા, ગળા પર તલવાર રાખીને મોં પર પેશાબ કર્યો અને હાથપગ ભાંગી નાખ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_66403b177a6ce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_66403b174c07a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_66403b174c07a.jpg" length="78417" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચાર પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે દલિત પરિવારનો વરઘોડો નીકળ્યો</title>
                    <link>https://khabarantar.com/amidst-the-seizure-of-four-police-stations-a-dalit-family-came-out</link>
                    <guid>https://khabarantar.com/amidst-the-seizure-of-four-police-stations-a-dalit-family-came-out</guid>
                    <description>
                        <![CDATA[ દલિત પરિવારના દીકરા-દીકરીના લગ્નમાં ગામના જાતિવાદી તત્વો વિધ્ન ઉભું કરશે તેવી દહેશત હોવાથી પરિવારે ચાર-ચાર પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવી પડી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લગ્ન આમ તો મોજમસ્તીનો પ્રસંગ ગણાય છે. પરિવારજનો પોતાના સગાવ્હાલાઓને આમંત્રિત કરે છે અને પછી હર્ષોલ્લાસ સાથે આખો પ્રસંગ ઉજવે છે. ચોતરફ મોજ-મસ્તીનો માહોલ હોય છે. સગાવ્હાલાઓની હાજરીમાં લગ્નના રીતિરિવાજો સાથે વર-કન્યા લગ્ન કરે છે ત્યારે પરિવારજનોમાં ખુશીનો પાર નથી હોતો. પણ કલ્પના કરો કે કોઈ લગ્નમાં મોજમસ્તીની જગ્યાએ ડરનો માહોલ હોય, કોઈ ગમે ત્યારે અચાનક આવીને હુમલો કરી દેશે, માર મારશે, વર કે કન્યાને ઈજા પહોંચાડી દેશે એવા ભયનો માહોલ હોય તો? આમ તો ગુજરાત સહિત દેશભરમાં દલિતો આવા અનેક લગ્નોના જોયા છે, જેમાં જાતિવાદી તત્વો તેમને સાવ તુચ્છ ગણાતી બાબતે, પોતાનો ખોટો અહમ સંતોષવા માટે દલિત વરરાજાને વરઘોડો ન કાઢવા દે, ડીજે ન વગાડવા દે કે ઘોડી પર ન બેસવા દે. અનેક લગ્નોમાં આ રીતે વરરાજા પર હુમલા થયાના પણ બનાવો બન્યા છે. ઘણીવાર વર કે કન્યાના પરિવારજનો જાતિવાદી તત્વોના ડરને કારણે અગાઉથી જ પોલીસ રક્ષણ મેળવી લેતા હોય છે અને પોલીસની હાજરીમાં લગ્ન પ્રસંગ પાર પડતો હોય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા જ એક લગ્ન હાલ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જેમાં એક દલિત પરિવારના યુવક-યુવતીના લગ્નને કારણે આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Casteists-lash-out-In-Dhanpura-Mehsana-Dalit-grooms-horse-rides-around-the-village">જાતિવાદીઓને લપડાકઃ મહેસાણાના ધનપુરામાં દલિત વરરાજાનો વરઘોડો આખા ગામમાં ફર્યો</a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663ef740d99b5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદથી ખદબદતા અને મહિલાઓ માટે નરક ગણાતા રાજસ્થાનનો છે. અહીંના ભીલવાડાના શક્કરગઢ પોલીસ સ્ટેશનના બરોડા ગામમાં ગઈકાલે યોજાયેલા લગ્ન સૌ કોઈને યાદ રહેશે. અહીં એક દલિત પરિવારના લગ્નમાં આસપાસના 4-4 પોલીસ સ્ટેશનની પોલીસને તૈનાત કરવામાં આવી હતી. આ પરિવારમાં એક સાથે યુવક અને યુવતીના લગ્ન હતા. પરિવારજનોની ઈચ્છા હતી કે બંનેને ઘોડી પર બેસાડીને ગામમાં ફેરવવામાં આવે. પણ ગામના જાતિવાદી તત્વો એવું કરવા દેવા માટે રાજી નહોતા. એટલે દલિત પરિવારે પોલીસની મદદ લીધી હતી. પોલીસની હાજરીમાં દલિત યુવક-યુવતીને ઘોડી પર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવક-યુવતીના પિતાએ માંગી હતી મદદ</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે 9 મે ના રોજ બરોડાના રહેવાસી દુર્ગાલાલના દીકરા અને દીકરીના લગ્ન હતા. એટલે તેણે 3 મે ના રોજ સબ ડિવિઝનલ ઓફિસર સુરેન્દ્ર બી. પાટીદારને અરજી લખીને સુરક્ષાની માંગ કરી હતી. તેમણે અરજીમાં લખ્યું હતું કે, તેઓ તેમના દીકરા-દીકરીને ઘોડી પર બેસાડીને ગામમાં ફેરવવા માંગે છે, પણ ગામના કેટલાક માથાભારે જાતિવાદી તત્વો તેનો વિરોધ કરી રહ્યાં છે. આ લોકો ગમે ત્યારે તેમના પર હુમલો કરી શકે છે. આથી પોલીસ સુરક્ષા પુરી પાડવામાં આવે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Raghala,-Matars-boy-does-not-have-a-groom,-have-you-seen-this-Benali">રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663ef74055ed5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસની સુરક્ષા વચ્ચે વરઘોડો નીકળ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવક-યુવતીના પિતાની અરજી પછી તરત પોલીસ એક્શનમાં આવી હતી અને આસપાસના ચાર પોલીસ સ્ટેશનના 100થી વધુ પોલીસ જવાનોનો કાફલો લગ્ન પ્રસંગમાં ખડકી દીધો હતો. એક સમયે લગ્નમાં જ્યારે યુવક અને યુવતી ઘોડી પર બેસીને ગામમાંથી નીકળ્યાં તો તેમાં પરિવારજનો કરતા પોલીસની સંખ્યા વધારે દેખાતી હતી. આ રીતે ગામમાં પહેલીવાર એક દલિત પરિવારના યુવક-યુવતીએ ઘોડી પર બેસીને જાતિવાદી તત્વોને બંધારણની તાકાત અને તેમની હેસિયત બતાવી દીધી હતી. આ વરઘોડામાં શક્કરગઢ, પંડેર, જાહજપુર અને હનુમાન નગર એમ ચાર પોલીસ સ્ટેશનનો જાપ્તો ગોઠવવામાં આવ્યો હતો જેમાં અંદાજે 100થી વધુ પોલીસકર્મીઓ સામેલ હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આંબેડકર વિચાર મંચનો સહકાર મળ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવક-યુવતીના પિતા દુર્ગાલાલને સ્થાનિક દલિત સંગઠન આંબેડકર વિચાર મંચનો સહકાર મળ્યો હતો. તેમની મદદથી તેમણે કલેક્ટર, ડીજીપી, એસસી એસટી આયોગ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓને અરજી કરીને પોલીસ અને તંત્રની હાજરીમાં દીકરા-દીકરીનો વરઘોડો કાઢવાની માંગ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Dalit-groom-attacked-by-racist-man-in-Gandhinagars-Chadasana,-accused-accused-of-racial-slurs,-Atrocity-against-4">ગાંધીનગરના ચડાસણામાં જાતિવાદી શખ્સે દલિત વરરાજા પર હુમલો કર્યો, જાનૈયાઓને જાતિસૂચક ગાળો ભાંડી, 4 સામે એટ્રોસિટી</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663ef73fcbab1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમને શંકા હતી કે ગામના કેટલાક જાતિવાદી તત્વો વરઘોડો નહીં કાઢવા દે. અંતે જહાજપુર ડીએસપી અજીતસિંહ સહિત ચાર પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે દુર્ગાલાલના દીકરા-દીકરીનો ગામ વચ્ચેથી વરઘોડો નીકળ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">યુવક-યુવતીએ હાથમાં ડો. આંબેડકરનો ફોટો રાખ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુર્ગાલાલના દીકરા સુનીલકુમાર અને દીકરી ચેના કુમારીએ વરઘોડોમાં ડો. ભીમરાવ આંબેડકરનો ફોટો રાખ્યો હતો. તેમના સિવાયના પરિવારના સભ્યો પાસે પણ બાબાસાહેબનો ફોટો જોવા મળ્યો હતો. સુનીલ અને ચેનાએ વરઘોડો શરૂ થાય તે પહેલા બંધારણના ઘડવૈયાની તસવીરને ફૂલમાળા અર્પણ કરી હતી અને બંધારણના આમુખ સહિતના મહત્વના ભાગોનું પઠન કર્યું હતું. એ પછી તેઓ ઘોડી પર સવાર થયા હતા. એ દરમિયાન આંબેડકર વિચાર મંચ સાહપુરા બૂંદી, અજમેર દેવલી, કોટડી માંડલગઢ, શક્કરગઢ, કિશનપુરા સહિતના વિસ્તારમાંથી મંચના સેંકડો કાર્યકર્તાઓ પર આવી પહોંચ્યા હતા અને ડીજે, બેન્ડવાજાના તાલે નાચતા-ગાતા જય ભીમના નારાઓ સાથે આખા ગામમાં કલાકો સુધી ફર્યા હતા. આ રીતે ગામના દલિતોના મનમાંથી જાતિવાદી તત્વોનો ડર ઓછો થયો હતો અને પોતાને ઊંચા માનતા જાતિવાદી તત્વોનો ઘમંડ પણ તૂટ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/In-Dangarwa-village-of-Detroj,-a-Dalit-daughters-life-has-come-to-an-end-amid-police-presence">દેત્રોજના ડાંગરવા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત દીકરીની જાનનો વરઘોડો નીકળ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 11 May 2024 10:19:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>605</Articleid>
                    <excerpt>દલિત પરિવારના દીકરા-દીકરીના લગ્નમાં ગામના જાતિવાદી તત્વો વિધ્ન ઉભું કરશે તેવી દહેશત હોવાથી પરિવારે ચાર-ચાર પોલીસ સ્ટેશનની પોલીસ બોલાવવી પડી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_663ef74189d05.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_663ef7415b16a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_663ef7415b16a.jpg" length="81203" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચોટીલાના રાજાવડ ગામે દલિત યુવકની સળગેલી હાલતમાં લાશ મળી</title>
                    <link>https://khabarantar.com/a-burnt-body-of-a-dalit-youth-was-found-in-rajawad-village-of-chotila</link>
                    <guid>https://khabarantar.com/a-burnt-body-of-a-dalit-youth-was-found-in-rajawad-village-of-chotila</guid>
                    <description>
                        <![CDATA[ ચોટીલા તાલુકાના રાજાવડ ગામના યુવાનની સીમમાંથી સળગેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ છે. યુવકની હત્યાની આશંકાએ દલિતે હાઈવે ચક્કાજામ કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચોટીલા તાલુકાના રાજાવડ ગામના યુવાનની સીમમાંથી સળગેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા મૃતક યુવાનની હત્યાની આશંકા સાથે પરિવારજનો અને સમાજના લોકોએ ન્યાય આપવાની માંગ સાથે ચોટીલા હાઇવે ચક્કાજામ કરતા તંગદીલીનો માહોલ છવાઇ ગયો હતો.</span></p>
<p>.<span style="font-size: 14pt;">સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવડ ગામની સીમમાંથી રાજાવડ ગામના જ દીલીપભાઇ મુળાભાઇ વાઘેલાની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે જાણ થતાં લીંબડી ડીવાયએસપી તેમજ ચોટીલા પોલીસ ટીમ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશનો કબજો લઇ મોતનું સાચું કારણ જાણવા માટે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બનાવમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવાનને દેવસર ગામની સગીરા સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમસંબંધમાં જ યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને મૃતક યુવાન દીલીપભાઇની હત્યામાં સંડોવાયેલા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને મૃતકને ન્યાય અપાવવાની માંગ સાથે મૃતકના પરિવારજનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ચોટીલા પોલીસ મથકે એકઠા થઇ ગયા હતા અને ત્યાર બાદ ન્યાયની માંગ સાથે ચોટીલા હાઇવે ચક્કાજામ કરતા અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકોના ટોળા દ્વારા હાઇવે ચક્કાજામ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તેમજ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિવારજનોને સમજાવી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચક્કાજામને લઇને હાઇવે પર વાહનોની લાંબી લાઇનો જાેવા મળતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, અંતે પોલીસ દ્વારા સમજાવટના અંતે ચક્કાજામ ખોલી ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ બનાવ મામલ હાલ ચોટીલા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ શકમંદોને હસ્તગત કરી પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે પરંતુ ચોટીલામાં તંગદીલીના માહોલને લઇને ચોટીલા હાઇવે તેમજ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-bhavnagar-adhed-committed-suicide-by-taking-a-fire-bath-before-kuldevi">ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 May 2024 19:39:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>600</Articleid>
                    <excerpt>ચોટીલા તાલુકાના રાજાવડ ગામના યુવાનની સીમમાંથી સળગેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ છે. યુવકની હત્યાની આશંકાએ દલિતે હાઈવે ચક્કાજામ કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_663cd87fc1684.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_663cd87f916f0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_663cd87f916f0.jpg" length="59090" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે ઝેરી ગેસની અસરથી 4 લોકોના મોત</title>
                    <link>https://khabarantar.com/4-people-died-due-to-toxic-gas-while-cleaning-septic-tank</link>
                    <guid>https://khabarantar.com/4-people-died-due-to-toxic-gas-while-cleaning-septic-tank</guid>
                    <description>
                        <![CDATA[ સેપ્ટિક ટેન્કમાં ઉતરીને સફાઈ કરતી વખતે ઝેરી ગેસના કારણે મોત થવાની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકોના ગેસથી ગૂંગળાઈ જવાથી મોત થયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટ દ્વારા ગટરમાં ઉતરીને સફાઈ કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં આજે પણ દેશમાં ગટરની સફાઈ કરતી વખતે અનેક સફાઈકર્મીઓના જીવ જતા હોય છે. આવી જ એક ઘટના આજે સામે આવી છે, જેમાં 15 વર્ષ જૂની એક સેપ્ટિંગ ટેન્કને સાફ કરતી વખતે ત્રણ સફાઈકર્મીઓ સહિત ચાર લોકોના મોત થઈ ગયા છે. એક વ્યક્તિના ઘરમાં આ કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન એક સફાઈકર્મી સેપ્ટિક ટેન્કમાં જ બેભાન થઈ ગયો હતો. એ પછી બીજો અને ત્રીજો સફાઈકર્મી પણ અંદર બેભાન થઈ ગયો હતો. એ જોઈને તેમને બચાવવા માટે મકાનમાલિકનો દીકરો પણ સેપ્ટિક ટેન્કમાં ઉતર્યો હતો અને તે પણ બેભાન થઈ ગયો હતો. આમ એક સાથે ચાર લોકો બેભાન થઈ જતા ચારેયને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચારેયને મૃત જાહેર કરાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક પછી એક ચારે લોકો ઝપટમાં આવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ઉત્તરપ્રદેશના ચંદૌલીના દીનદયાળ નગરની છે. અહીં સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ઝેરી ગેસની અસરના કારણે ચાર લોકોનું દર્દનાક રીતે મોત થયું હતું. મૃતકોમાં ત્રણ સેપ્ટિક ટેન્ક સાફ કરનાર સફાઈ કામદારો હતા, જ્યારે એક મકાનમાલિકનો પુત્ર છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663c8f80759e3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જેમતેમ કરીને ચારેયને સેપ્ટિક ટેન્કમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં તેમણે ચારેયને મૃત જાહેર કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેવી રીતે ઘટના ઘટી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુગલસરાય પોલીસ સ્ટેશનના દીનદયાળ નગર વિસ્તારના વોર્ડ નંબર 20માં રહેતા ભરત જયસ્વાલના ઘરમાં ગઈકાલે રાત્રે સેપ્ટિક ટેન્કની સફાઈ થઈ રહી હતી. જેમાં ત્રણ સફાઈકર્મીઓ કામ કરી રહ્યા હતા. કામ માટે જેવો એક સફાઈકર્મી સેપ્ટિક ટેન્કમાં ઉતર્યો કે તરત તે ઝેરી ગેસના કારણે બેભાન થઈ ગયો. તેને બચાવવા માટે બીજો અને પછી ત્રીજો સફાઈકર્મી પણ અંદર ઉતર્યો પરંતુ સેપ્ટિક ટેન્કની ઝેરી ગેસના કારણે તેઓ પણ બેભાન થઈ ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/in-the-last-5-years-339-people-died-in-the-country-while-cleaning-drains-and-septic-tanks">છેલ્લાં 5 વર્ષમાં ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન દેશભરમાં 339 લોકોના મોત</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663c8f9a628ff.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રણેય મજૂરો બેભાન થઈ જતા મકાન માલિક ભરત જયસ્વાલનો દીકરો અંદર ઉતર્યો અને તે પણ ઝેરી ગેસની ઝપટમાં આવી ગયો અને બેભાન થઈ ગયો. આ ઘટનાની જાણ થતા સ્થાનિકોમાં હોબાળો મચી ગયો. લોકોએ જેમ તેમ કરીને પોલીસને જાણ કરી. પોલીસે સ્થળ પર પહોંચીને ચારેયને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા. પણ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું. પોલીસે ચારેયના મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સેપ્ટિક ટેન્કમાં આ લોકોના જીવ ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુગલસરાય પોલીસ સ્ટેશનના જણાવ્યા પ્રમાણે ભરતલાલ જયસ્વાલના ઘરમાં ગટરની સફાઈ કરતી વખતે 35 વર્ષના વિનોદ રાવત, 30 વર્ષના લોહા, 40 વર્ષના કુંદનનું મોત થયું હતું. વિનોદ રાવતનને ટ્રોમા સેન્ટર વારાણસી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Burglars-and-criminals-will-take-a-lesson-from-the-proverbial-mother-of-a-thief-who-weeps-in-her-cell">તોડબાજો અને ગુનેગારો, ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે?</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663c8fba89d2b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સફાઈકર્મીઓને બચાવવા માટે મકાનમાલિક ભરતલાલનો 23 વરસનો દીકરો અંકુલ જયસ્વાલ પણ ટેન્કમાં ઉતર્યો હતો અને તેનું પણ ઝેરી ગેસના કારણે મોત થયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અડધી ટેન્ક સાફ થઈ અને અચાનક ઝેરી ગેસ નીકળ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે ભરત જયસ્વાલના ઘરે ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ અહીંના કાળીમહાલ વિસ્તારના રહેવાસી વિનોદ રાવત સહિતના ત્રણ સફાઈકર્મીઓએ સેપ્ટિક ટેન્કની સફાઈનું કામ શરૂ કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સેપ્ટિક ટેન્ક અંદાજે 12 ફૂટ ઊંડી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Two-people-suffocated-while-cleaning-in-Bhavnagar,-one-cleaner-died,-one-in-critical-condition">ભાવનગરમાં ગટરની અંદર સફાઈ માટે ઉતરેલા બે લોકો ગૂંગળાયા, એક સફાઈકર્મીનું મોત, એકની હાલત ગંભીર</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663c8fd8f2665.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રણેય સફાઈકર્મીઓ અડધી ટેન્ક સાફ કરી ચૂક્યા હતા. એ દરમિયાન અચાનક જ તેઓ ઝેરી ગેસની ઝપટમાં આવી ગયા હતા. આ ઘટનાને લઈને કાળીમહાલના કોર્પોરેટર નીતિન ગુપ્તાએ જિલ્લા વહીવટી તંત્ર પાસે મૃતક સફાઈકર્મીઓને વળતર આપવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ અધિકારીઓને ઘટતી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/to-save-one-labourer-another-4-descended-into-the-well-3-died-2-seriously">એક મજૂરને બચાવવા બીજા 4 કૂવામાં ઉતર્યા: 3ના મોત, 2 ગંભીર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 May 2024 14:34:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>598</Articleid>
                    <excerpt>સેપ્ટિક ટેન્કમાં ઉતરીને સફાઈ કરતી વખતે ઝેરી ગેસના કારણે મોત થવાની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકોના ગેસથી ગૂંગળાઈ જવાથી મોત થયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_663c8f5e1a80e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_663c8f5ddffeb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_663c8f5ddffeb.jpg" length="92287" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં પહેલીવાર અંડર ટ્રાયલ કેદીઓને મત આપવા માટે જામીન મળ્યાં</title>
                    <link>https://khabarantar.com/for-the-first-time-in-gujarat-under-trial-prisoners-got-bail-to-vote</link>
                    <guid>https://khabarantar.com/for-the-first-time-in-gujarat-under-trial-prisoners-got-bail-to-vote</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ અંડર ટ્રાયલ કેદીઓને મત આપવા માટે વચગાળાના સ્પેશ્યિલ જામીન આપવાની ઘટના બની છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ અંડર ટ્રાયલ કેદીઓને મત આપવા માટે વચગાળાના સ્પેશ્યિલ જામીન આપવાની ઘટના બની છે. બહુજન સમાજના સિનિયર એડવોક્ટે પિયુષ જાદુગર દ્વારા કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી પરની દલીલોને માન્ય રાખીને અમદાવાદની સિટી સિવિલ કોર્ટેના જજ દ્વારા અંડર ટ્રાયલ કેદીઓ હેમંતભાઈ પરમાર અને શૈલેષકુમાર જાદવને મત આપવાના તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવા દેવા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. આ ઘટના અનેક રીતે ઐતિહાસિક છે, કેમ કે અત્યાર સુધીમાં કોઈ પણ કેદીને ખાસ મતદાન કરવા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હોય તેવી કોઈ ઘટના ગુજરાતના કોર્ટના ઈતિહાસમાં બની નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વોટ આપવોએ દેશના તમાંમ નાગરિકોનું પ્રથમ કર્તવ્ય છે અને ગુજરાતમાં કેદીઓના અધિકાર અન્વયે, ઇતિહાસમાં પ્રથમ વાર સાબરમતી જેલમાં રહેલા એક કેદીને મત આપવાનો હુકમ તા. 06/05/2024ના રોજ અમદાવાદની કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. એક અંડર ટ્રાયલ કેદીને નાગરિક તરીકે વોટ આપવાના અધિકાર, હકના કારણસર આરોપી તરફે સિનિયર એડવોકેટ પિયુષ જાદુગર દ્વારા વચગાળાની જામીન અરજી કરતા હેમંતભાઈ અને શૈલેષભાઈના મત આપવાના અધિકારને  સિટી સિવિલ કોર્ટના વિ. જજીસ દ્વારા ફકત મત આપવા માટેના વચગાળાના સ્પેશિયલ જામીન CRMA-S ૩૨૧૭/૨૦૨૪ ની ઉપર હુકમ કરી લોકસભા ચૂંટણી-૨૦૨૪માં તા. ૭/૫/૨૦૨૪ના રોજ સાબરમતી જેલમાંથી કેદીને મતદાન કરવાના પોતાના હક અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જામીન મંજૂર કર્યા હતા અને બંને કેદીએ મતદાન કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/only-dr-I-became-a-judge-because-of-ambedkar-justice-b-r-gawai">ફક્ત ડૉ. આંબેડકરના કારણે જજ બની શક્યો છું – જસ્ટિસ બી.આર. ગવઈ</a><br></span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663c5260bde24.jpg" alt=""><strong>હેમંતભાઈ પરમાર મત આપ્યા પછી</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે વાત કરતા એડવોકેટ પિયુષ જાદુગર કરે છે, "કોઈની ઉપર સાચો કે ખોટો કેસ થાય અને તેને જેલમાં મોકલવામાં આવે તો તેની સ્વતંત્રતા તો છીનવાય છે, કેસ ચાલતો નથી અને જેલવાસ લંબાયે જાય છે. પરંતુ તેના મત આપવાના અધિકારનું શું થતું હોય છે? ક્યારેક આપણે જોઈએ છીએ કે લતીફ જેલમાં બેસીને પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકે, જીતી પણ શકે છે. પણ તેને વોટ આપનાર કેદી જેલમાં હોય તો વોટ આપવા જઈ શકે? પ્રશ્ન ચોક્કસ કાયદાનો, વકીલો અને જજોના અર્થઘટનનો હોય છે, પણ સામાન્ય કેદી કે જેને જામીન કરવાના, વકીલ રોકવાના, કે પોતાની સામેના આક્ષેપો સાચા છે કે ખોટા તે અંગે વિચારવામાં અને તેની વ્યવસ્થા કરવામાં જ તેના કેદી તરીકેના અધિકારો છે તે જાણવાનો સમય જ નથી રહેતો. એક સામાન્ય વ્યક્તિ, જે દેશનો નાગરિક, મતદાર ગણાય છે, જે લોકશાહીનો પ્રાણ ગણાય. જે વડાપ્રધાનને પણ ચૂંટી શકે, ધારાસભ્યને પણ ચૂંટી શકે, કોર્પોરેટરને પણ ચૂંટી શકે, સરપંચને પણ ચૂંટી શકે છે. લોકશાહીમાં સર્વેસર્વા મતદાર કહેવાય છે. લોકશાહીની ચૂંટણી પ્રક્રિયામાં જેના વોટ વધારે તે જીતે છે. તે મતદાતાની ઉપર જો કોઈ કેસ થાય અને તેને કાચાકામના કેદીને ટ્રાયલ જેની બાકી છે તેને જેલમાં પૂરવામાં આવે તો તેને મતદાન કરવાનો હક છે કે નહીં?"</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-rape-victim-asked-by-magistrate-to-remove-clothes-and-show-injury-marks">દલિત રેપ પીડિતાને મેજિસ્ટ્રેટે કહ્યું- કપડાં ઉતાર અને ઈજાના નિશાન બતાવ</a><br></span></strong></span></p>
<p><strong><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663c52603cd66.jpg" alt=""><span style="color: rgb(224, 62, 45);">હેમંતભાઈની મત આપ્યા પછીની તસવીર</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં સીટી સિવિલ કોર્ટમાં આ બાબતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી પ્રશ્ન ઉપસ્થિત કરતા એડવોકેટ પિયુષ જાદુગર દ્વારા કાયદાની જુદી જુદી જોગવાઈઓ ધ્યાને લઈ નામદાર કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમણે દલીલ કરી હતી કે, "મત આપવાનો અધિકાર પાંચ વર્ષે એક વાર આવે છે. જો તેમના અસીલ આ ચૂંટણીમાં મત ના આપી શકે તો મતદારને ફરી આ તક મળશે નહિ. આરોપીનો મત આપવાનો અધિકાર લોકશાહીમાં ખૂબ અગત્યનો છે અને જાગૃત નાગરિકો મતદાન અચૂક કરે જ છે. હાલના આરોપી ઉપર ગંભીર કેસો હોવા છતાં તે કાયદા મુજબ અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ જ્યાં સુધી ટ્રાયલ કોર્ટ આરોપીને સજા ન ફટકારે ત્યાં સુધી તે નિર્દોષ જ ગણાય અને આથી અંડર ટ્રાયલ કેદીને, મતદાર તરીકે, મળવાપાત્ર મત આપવાના તમામ હક અને અધિકારો છીનવાતા નથી. આથી જેલમાં રહેલ કેદી, જ્યુડીશિયલ કસ્ટડીમાં કહેવાય, પોલીસ કસ્ટડીમાં કે સજાપાત્ર ગુનેગાર ગણાય નહીં. બંધારણની જોગવાઈ, આમુખ અને આર્ટીકલ 14 અને 326 ને ધ્યાને લેતા તેમજ ધી રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ,1951 ની કલમ-62 (5) ને ધ્યાનમાં લેતા મતદાન કરવું એ લોકશાહીમાં ખૂબ જ અગત્યની ફરજ છે. અને જ્યારે ઉમેદવાર પોતે મતદાન કરવા ઈચ્છતો હોય તો તેને મતદાન કરતા અટકાવી શકાય નહીં. તેના મતદાનના અધિકારને છીનવી શકાય નહીં અને આથી અંડર ટ્રાયલ કેદીને પણ મતદાન માટે મત આપવા માટે વ્યવસ્થા કરવી જોઈએ અને જામીન મળવા જોઈએ." આ જોગવાઈઓના આધારે આ અરજી કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/live-in-relationship-is-a-disgrace-to-indian-culture-chhattisgarh-high-court">લિવ-ઈન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે 'કલંક' છેઃ છત્તીસગઢ હાઈકોર્ટ</a><br></span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663c525fa48dc.jpg" alt=""><strong>મત આપીને આવ્યા પછીની શૈલેષકુમાર જાદવની તસવીરો</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ  પિયુષ જાદુગરે પોતાની દલીલોમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ધારાસભામાં અને સંસદમાં જો કોઈ અવિશ્વાસનો મત લેવાનો હોય ત્યારે કે કટોકટીની પરિસ્થિતિમાં ધારાસભ્ય કે સંસદ સભ્ય ગુના સબબ જો જેલમાં હોય તો ત્યાંથી પણ વોટ કરવા માટે લાવવામાં આવતા હોય તો અન્ડર ટ્રાયલ કેદીના/સામાન્ય નાગરિકને પણ એટલા જ અધિકારો રહેલ છે, સજા નહિ પામેલ આરોપી ભેદભાવને પાત્ર નથી. એક આરોપી વિદ્યાર્થી હોય તેને પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન મળે છે, કોઈની આરોપીની પત્ની બીમાર હોય કે પતિ બીમાર હોય કે ઘર ઉપર મુશ્કેલી આવે તો તેને કેસના ગુણદોષ પ્રમાણે વચગાળાના જામીન મળે છે. અનેક કારણસર વ્યક્તિગત વચગાળાના જામીન મળે છે. ઈવન સરકાર પણ એક વોટ મેળવવા માટે ગુજરાતમાં અડધો ડઝન સરકારી માણસોને રોકી ગુજરાતમાં સ્પેશિયલ જંગલમાં જઈને એક સાધુનો વોટ લેવા માટે મતદાન મથક પણ ઊભું કરે છે. ત્યારે એક વોટની કિંમત શું છે તે સમજી શકાય છે. એક વોટથી વાજપેયી સરકાર ગબડી પડી હતી. એ જ રીતે એક વોટથી ઉમેદવાર જીતીને સરકાર બનાવી પણ શકે છે. તેથી જ કોઈપણ મતદારનો, ભારતના નાગરિકનો એક વોટ ખૂબ જ અગત્યનો હોય છે અને વોટિંગ કરવું દરેક મતદારની અનિવાર્ય ફરજ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Stop-worship-at-court-events-just-bow-before-the-Constitution-Justice-Abhay-Oka">અદાલતોના કાર્યક્રમોમાં પૂજા-અર્ચના બંધ કરો, ફક્ત બંધારણ આગળ માથું નમાવોઃ જસ્ટિસ અભય ઓકા</a><br></span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663c53ef767ea.jpg" alt=""><strong>શૈલેષકુમાર જાદવ અને એડવોકેટ પિષુષ જાદુગર</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ પિયુષ જાદુગરે બંધારણની જોગવાઈઓને ટાંકીને દલીલ કરી હતી કે, "બંધારણમાં પણ સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં કંઈ ખોટું ન કર્યું હોય કે કરવાનો ન હોય એવી શક્યતા જણાતી હોય તો મતદાર યાદીમાં મત આપવાને લાયક તરીકે તેનું નામ નોંધાયેલું હોય તો તે મતદાતા વોટ ચોક્કસ આપી શકે છે. આ સંજોગોમાં તમામ બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ જોતા અંડર ટ્રાયલ આરોપીનો ગુનો મંજૂર અને સાબિત થયેલો ન ગણાય. કાચા કામના આરોપીને મતદાન કરવા હક છે. જો તેને ચૂંટણી બાબતે કોઈ ગુનો કર્યો ના હોય અને પોલીસ કસ્ટડીમાં ના હોય તો. લોકશાહી દેશ ભારતમાં દરેક નાગરિકને, જેને સજા નથી થઈ તે તમામ માટે મત આપવાનો અધિકાર છે. અને તે સારું સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ હાલના સંજોગોમાં સરકાર શ્રી જેલમાં જઈને મત સ્વીકાર કરી શકે તેમ નથી. ત્યારે જેલમાં રહેલ કેદીને જામીન ઉપર મત આપવા સારું છોડવા યોગ્ય ગણાશે."</span><br><span style="font-size: 14pt;">આ તમામ દલીલોને ધ્યાનમાં રાખીને, એડવોકેટ પિયુષ જાદુગરની અરજી સ્વીકારી નામદાર અમદાવાદ સીટી સેશન્સ કોર્ટના જજ દ્વારા આરોપી હેમંતભાઈ પરમારના લોકસભા 2024ની ચૂંટણીમાં મત આપવાના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા અને તેમને ચાર કલાક માટે રૂ. 25 હજારના પર્સનલ બોન્ડ પર વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. એ પછી હેમંતભાઈએ મતદાન કર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આરોપીઓ પૈકીના હેમંતભાઈ પરમાર એક્ટિવિસ્ટ છે અને તેમના પર પોક્સો જેવા ગંભીર આરોપો સાથે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે અને હાલ તેઓ અંડર ટ્રાયલ કેદી તરીકે સાબરમતી જેલમાં છે. તેમના પર 15 વર્ષની સગીરાની છેડતીનો આરોપ લાગ્યો છે અને તેનો કેસ એડવોકેટ પિયુષ જાદુગર લડી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/79-percent-of-the-judges-appointed-to-the-High-Court-in-the-last-5-years-are-from-caste-SC-2.8-percent,-ST-1.3-percent,-Minorities-only-2-percent">છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 May 2024 10:23:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>596</Articleid>
                    <excerpt>ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ અંડર ટ્રાયલ કેદીઓને મત આપવા માટે વચગાળાના સ્પેશ્યિલ જામીન આપવાની ઘટના બની છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_663c53360d2d6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_663c5335cf475.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_663c5335cf475.jpg" length="87417" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News, bail for vote, first time in gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>માથાભારે તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારના 40 લોકોએ હિજરત કરી</title>
                    <link>https://khabarantar.com/40-people-of-5-dalit-families-migrated-due-to-the-torture-of-the-headstrong-elements</link>
                    <guid>https://khabarantar.com/40-people-of-5-dalit-families-migrated-due-to-the-torture-of-the-headstrong-elements</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારોના 40 સભ્યો ઘર વેચવા કાઢીને ગામ છોડવા મજબૂર બન્યાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મરાઠી ભાષાની સર્વાધિક કમાણી કરતી ફિલ્મ 'સૈરાટ' જોઈ હશે તેમને તેનો અંત આજે પણ યાદ હશે. લોહીના ખાબોચિયામાં દલિત યુવક અને કથિત ઉચ્ચ જાતિની યુવતી, જેમણે પ્રેમ લગ્ન કર્યા હતા તેમની તેના જ ભાઈ સહિતના પરિવારજનોએ હત્યા કરી નાખી હોય છે. જાતિવાદી તત્વો આજે પણ તેમના સમાજની કોઈ યુવતી અન્ય સમાજ, ખાસ કરીને અનુસૂચિત જાતિના યુવક સાથે પ્રેમ કે લગ્ન કરે તો સાંખી શકતા નથી. પિતૃસત્તાક સમાજ વ્યવસ્થામાં કથિત સવર્ણ સમાજમાં ખાસ કરીને ગામડાઓમાં યુવતીઓએ એકલા ઘરની બહાર નીકળવું લગભગ અશક્ય હોય છે. તેમની પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદેલા હોય છે. તેમ છતા જો તેને કોઈની સાથે પ્રેમ થઈ જાય અને જો તેનો પ્રેમી યુવક દલિત સમાજનો હોય તો જાતિવાદી તત્વો તરત તેને પાઠ ભણાવવા પર ઉતરી આવે છે. બહુમતી કેસોમાં યુવકનું ખૂન થઈ જાય છે અને યુવકનો પરિવાર નોંધારો થઈ જાય છે. એ પછી પણ યુવતીના માથાભારે પરિવારજનો અને સમાજ યુવકના પરિવારને હેરાન કરવામાં કોઈ કચાશ રાખતા નથી. આ હેરાનગતિ અને પરિવારના અન્ય લોકોની સલામતી ખાતર છેલ્લે આખો પરિવાર કે કુટુંબે વતન છોડીને સ્થળાંતર કરવા મજબૂર થવું પડે છે. આ ગામેગામની કહાની છે અને જે વડીલોએ ગામડાઓમાં વર્ષો વિતાવ્યા છે તેઓ આ વાત સાથે સો ટકા સહમત થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. જ્યાં અનુસૂચિત જાતિ સમાજના એક યુવકને તેના ઘરની સામે રહેતી એક કથિત સવર્ણ યુવતી સાથે પ્રેમ થયો હતો. પણ યુવતી કોઈ અન્યને પ્રેમ કરતી હોવાથી તેણે તેના પ્રેમી સાથે મળીને યુવકની હત્યા કરાવી નાખી હતી. એ પછી આરોપીઓ દ્વારા યુવકના પરિવારજનો પર સમાધાન માટે દબાણ કરવામાં આવતું હતું અને ધમકીઓ આપવામાં આવતી હતી. પોલીસમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક ભાજપના નેતાના દબાણને કારણે પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી નહોતી. આખરે મૃતક યુવકના 5 પરિવારોના 40 જેટલા લોકોએ ઘર વેચવા કાઢ્યું હતું અને ગામ છોડીને હિજરત કરી ગયા હતા. તેમના સ્થળાંતરની વાત પોલીસ સુધી પહોંચતા પોલીસે તેમને રોકવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ પરિવારજનો તેનું માન્યા નહોતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Even-after-Valmikis-death-in-Danta,-the-casteist-villagers-did-not-allow-him-to-be-cremated-in-the-crematorium">દાંતામાં વાલ્મિકી યુવકને મર્યા પછી પણ આભડછેટ નડી, જાતિવાદી ગામલોકોએ સ્મશાનમાં અંતિમવિધિ ન થવા દીધી</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663b00d93da6d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિવારજનોનો આરોપ છે કે, પોલીસ આ મામલે યોગ્ય કાર્યવાહી નથી કરી રહી. ભાજપના સ્થાનિક નેતાનો સહકાર હોવાથી આરોપીઓ તેમને દરરોજ આવીને મારી નાખવાની ધમકી આપે છે. આ સ્થિતિમાં તેમની પાસે ઘર-ગામ છોડીને અન્યત્ર હિજરત કરી જવા સિવાય કોઈ વિકલ્પ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો દેશના સૌથી કટ્ટર જાતિવાદી ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીં મેરઠ જિલ્લામાં દલિત પરિવારના સ્થળાંતરની ભયાનક તસવીર સામે આવી છે. અહીંના સરૂરપુર વિસ્તારમાં બે મહિના પહેલા થયેલી દલિત યુવકની હત્યા બાદ યુવકના પરિવારના 40થી વધુ લોકોએ ગામ છોડી દીધું હતું. આ તમામ લોકો ડાહર ગામના રહેવાસી છે. હત્યા બાદ તેના પર સમાધાન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/A-landmark-judgment-five-years-ago,-which-points-the-right-direction-to-justice-seeking-masses">પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663b00d8b3478.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે મેરઠના ડાહરમાં રહેતા આ દલિત પરિવારના યુવક ગૌરવને પડોશમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જે કશ્યપ સમુદાયની હતી. ગૌરવ યુવતીને પ્રેમ કરતો હતો પણ યુવતીને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હતો. આથી ગૌરવનો કાંટો કાઢી નાખવા માટે તેણે પ્રેમી સાથે મળીને તેની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું અને 10 માર્ચે બહુસુમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જંગલમાં ગૌરવની હત્યા કરી દેવામાં આવી હતી. ગૌરવની હત્યાનો આરોપ યુવતીના પરિવારજનો અને તેના મિત્રો પર લાગેલો છે અને તેમાં ભાજપના સ્થાનિક નેતાની પણ સંડોવણી સામે આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્થળાંતર પાછળ માથાભારે તત્વોની બીક</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક ગૌરવના પિતા રાકેશ, કાકા રામનિવાસ, મહેન્દ્ર, રાજેન્દ્ર અને દાદી રોશની સહિત પરિવારના 40 સભ્યો ગામ છોડીને ચાલ્યા ગયા છે. ઘર અને વતન છોડવા પાછળનું કારણ તેમણે યુવતીના પરિવારજનોની ધાકધમકી અને ગુંડાગીરીને ગણાવી છે. તેમનો આરોપ છે કે, યુવતીના પરિવારજનો તેમને દરરોજ મારી નાખવાની ધમકી આપે છે તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. તેઓ સતત ડરમાં જીવી રહ્યાં છે. પરિવારના સભ્યો ક્યાંય કામ માટે જઈ શકતા નથી. તેમને સતત જીવનું જોખમ લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-farmers-electoral-bonds-worth-eleven-crores-were-bought-and-given-to-BJP">દલિત ખેડૂતના 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ભાજપને આપી દેવાયા?</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663b00d83bc3b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આથી તેમણે ઘર વેચવા કાઢ્યું છે. ઘરના બારણાં પર તેમણે 'વેચવાનું છે' તેવું પોસ્ટર લગાવીને 40 સભ્યોનો આ પરિવાર આખરે ટ્રેક્ટરમાં સામાના લાદી, પોતાના પશુઓને સાથે લઈ જઈને વતન અને ઘર છોડીને અન્યત્ર રહેવા માટે સ્થળાંતર કરી ગયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ પર કાર્યવાહી નહીં કરવાનો આરોપ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૌરવના પરિવારજનોની હિજરતના સમાચાર મળતા જ સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો હતો અને પોલીસે તેમને સમજાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ માન્યા નહોતા. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ અખિલેશ કુમાર ગૌરે જણાવ્યું હતું કે, હત્યાના કેસમાં એસસી એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પગલાં ન લેવાનો આક્ષેપ ખોટો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપનો નેતા ફરાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૌરવના પરિવારે જણાવ્યું હતું કે, પોલીસે હત્યાના આરોપમાં યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં યુવતીની સાથે મોહકમ અને ભાનુ ઉપરાંત ભાજપના એક નેતાનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે કેસ નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે, પરંતુ ભાજપનો નેતા ફરાર છે અને તે તેના સાગરિતો દ્વારા પીડિત પરિવારને સમાધાન કરી લેવા માટે દબાણ કરી રહ્યો છે અને જો સમાધાન ન કર્યું તો મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી જીવના જોખમને કારણે પીડિત પરિવારે આખરે હિજરત કરવી પડી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/A-Dalit-youth-was-brutally-beaten-to-death-with-a-stick-on-the-night-of-Diwali-in-Ayodhya.">અયોધ્યામાં દિવાળીની રાત્રે જ લાકડી-ધોકા વડે માર મારીને દલિત યુવકની ઘાતકી હત્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 08 May 2024 10:12:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>591</Articleid>
                    <excerpt>જાતિવાદી તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારોના 40 સભ્યો ઘર વેચવા કાઢીને ગામ છોડવા મજબૂર બન્યાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_663b00bde0e03.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_663b00bdb2a0e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_663b00bdb2a0e.jpg" length="94077" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>તું &amp;apos;જય ભીમ વાળો&amp;apos; છે, અમે &amp;apos;જય ભીમ વાળા&amp;apos;ને નોકરી નથી આપતા</title>
                    <link>https://khabarantar.com/you-are-a-jai-bheem-wala-we-dont-employ-jai-bheem-wala</link>
                    <guid>https://khabarantar.com/you-are-a-jai-bheem-wala-we-dont-employ-jai-bheem-wala</guid>
                    <description>
                        <![CDATA[ દલિતો સાથે જાતિના આધારે કેવી કેવી જગ્યાએ ભેદભાવો થતા હોય છે તે તો દલિત તરીકે જેમણે વેઠ્યું હોય તેને જ ખબર હોય. આ રહ્યો ચોંકાવનારો કિસ્સો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતનું બંધારણ જેમણે લખ્યું છે તે ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરના નામથી કથિત સવર્ણોને કેટલી ચીડ અને નફરત છે તે સૌ જાણે છે. જાહેરમાં પણ જો આ લોકો 'જય ભીમ'નો નારો સાંભળી જાય તો અંદરખાને બળીને રાખ થઈ જતા હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ 'જય ભીમ'ની જાતિનો યુવક તેમના વગર અનામતે એકાધિકાર જેવા ફિલ્ડમાં ભાગ પડાવે, તો સીધી વાત છે કે, આ લોકો એને જરાય સહન ન કરે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક દલિત યુવકને માત્ર એટલા માટે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો, કેમ કે તે ડૉ. આંબેડકરને પોતાના આદર્શ માનતો હતો અને તેમના વિચારોથી પ્રભાવિત હતો. યુવક એક કંપનીમાં નવોસવો કામે લાગ્યો હતો અને 14મી એપ્રિલના દિવસે જ તેને ફોન કરીને પૂછવામાં આવ્યું હતું કે, તમે 'જય ભીમ' છો, અમે કંપનીમાં 'જય ભીમ' વાળાને નોકરી નથી આપતા. એમ કહીને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબાસાહેબના વિચારોથી આટલો ડર કેમ?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો ખુદ બાબાસાહેબની કર્મભૂમિ એવા મહારાષ્ટ્રનો છે અને એ પણ દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈ શહેરનો. અહીં ગોરેગાંવમાં એક 23 વર્ષીય દલિત યુવકને તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, કારણ કે તે આંબેડકર અને તેમના વિચારોનું સમર્થન કરતો હતો. યુવક પોતે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકના વકીલના કહેવા મુજબ તેણે ખાનગી કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી. તે ત્રણ દિવસ કામે પણ ગયો હતો. પરંતુ આંબેડકર જયંતિના દિવસે ઓફિસમાંથી એક મહિલાએ મેસેજ કર્યો અને પૂછ્યું કે, 'તમે જય ભીમ વાળા છો? જેના જવાબમાં યુવકે હા પાડી અને આવું પૂછવાનું કારણ પણ પૂછ્યું. યુવતીએ સીધો જવાબ લખીને કહ્યું કે, તે 'જય ભીમ વાળા'ને લોકોને નોકરી નથી આપતી. આ ઘટના બાદ આઘાત પામેલા યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આંબેડકર જયંતિના દિવસે જ મેસેજ આવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે પીડિત યુવકના એડવોકેટ દીપક સોનાવણે કહે છે, "યુવાન 23 વર્ષનો છે. તેણે માસ મીડિયા અને કોમ્યુનિકેશનમાં બેચલર ઓફ આર્ટસ કર્યું છે. તેણે નોકરી માટે અરજી કરી હતી. 8 એપ્રિલના રોજ તેણે એક ઈવેન્ટ મેનેજમેન્ટ ફર્મ એલીટ સેફાયર કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી. કંપનીએ તેને ₹ 15,000 ના માસિક પગાર પર નોકરીમાં જોડાવા માટે આદેશ આપ્યો હતો. તેણે 9 એપ્રિલના રોજ ગોરેગાવંમાં એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં માર્કેટિંગ એક્ઝીક્યૂટિવ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. પણ આંબેડકર જયંતિના દિવસે તેને કથિત રીતે તેની જાતિના કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Police-Faria-had-been-staging-dharna-for-192-days-against-Dalit-Prof-Ritu-Singh-of-DU"><span style="font-size: 14pt;"> DUના દલિત પ્રો. રિતુ સિંહ સામે પોલીસ ફરિયાદ, 192 દિવસથી ધરણાં કરી રહ્યા હતા</span></a></span></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6639b0e8ebd93.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોનાવણેએ વધુમાં જણાવ્યું કે, "14 એપ્રિલે કંપનીની માલિક નેહા દત્તે તેને વ્હોટ્સએપ પર એક મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં નેહાએ યુવકને પૂછ્યું હતું કે, "તું જય ભીમ વાલા હૈ ક્યા (તમે દલિત છો)?" આના પર યુવકે હકારમાં જવાબ આપ્યો હતો. જેના પર નેહાએ કહ્યું, "હું જય ભીમ વાળાને નોકરી નથી આપતી." (હું દલિતોને નોકરી નથી આપતી.) </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવક કહે છે કે, એ મેસેજ પછી હું એ માહોલમાં કામ કરી શક્યો નહીં. તેની કારકિર્દી અને જીવનમાં આ પ્રથમ વખત છે જ્યારે તેને આવા જાતિ ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ સોનાવણેએ જણાવ્યું હતું કે, "આજે પણ મુંબઈ જેવા મહાનગરમાં ઉચ્ચ શિક્ષિત યુવાનો સાથે જાતિના આધારે ભેદભાવ કરવામાં આવે છે. મુંબઈમાં હજુ પણ આવો ભેદભાવ થાય છે તે ભયાનક છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવકની ફરિયાદના આધારે, ગોરેગાંવ પશ્ચિમ પોલીસે ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ એલિટ સેફાયરના માલિક નેહા દત્ત વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અને નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1955 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે મીડિયાએ પણ ફર્મની માલિક નેહા દત્તનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, મેં તેને મેસેજ કર્યો હતો, પરંતુ એનો અર્થ એવો નથી કે મેં તેને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. મેં તેને કામ પર ન આવવા માટે નથી કહ્યું. વીકએન્ડ પછી જ્યારે સોમવારે તે ઓફિસે ન આવ્યો ત્યારે મેં તેને મેસેજ કરીને પૂછ્યું કે તે ક્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/More-than-48-thousand-vacancies-of-SC,-ST,-OBC-in-various-departments-of-Gujarat-Govt">ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં SC, ST, OBCની 48 હજારથી વધુ નોકરીઓ ખાલી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 07 May 2024 10:16:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>588</Articleid>
                    <excerpt>દલિતો સાથે જાતિના આધારે કેવી કેવી જગ્યાએ ભેદભાવો થતા હોય છે તે તો દલિત તરીકે જેમણે વેઠ્યું હોય તેને જ ખબર હોય. આ રહ્યો ચોંકાવનારો કિસ્સો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6639b0d276922.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6639b0d248a02.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6639b0d248a02.jpg" length="63386" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;તું ભંગી છે&amp;apos; કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે &amp;apos;જય શ્રી રામ&amp;apos; બોલાવ્યું</title>
                    <link>https://khabarantar.com/attacking-the-sweeper-saying-you-are-bhangi-paran-chanted-jai-shri-ram</link>
                    <guid>https://khabarantar.com/attacking-the-sweeper-saying-you-are-bhangi-paran-chanted-jai-shri-ram</guid>
                    <description>
                        <![CDATA[ હૃદયની બિમારી ધરાવતા એક સફાઈકર્મીને કથિત હિંદુત્વવાદીઓએ જાતિગત અપશબ્દો કહીને પરાણે &#039;જયશ્રી રામ&#039;ના નારા લગાવડાવી માર માર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદી સરકારના સત્તામાં આવ્યા પછીથી ગૌરક્ષકો, કથિત હિંદુ સેનાઓ અને કહેવાતા હિંદુત્વવાદી તત્વોને જાણે દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને પછાત વર્ગના લોકો પર અત્યાચાર કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ છે. ગૌરક્ષાના નામે મનફાવે તે ગુંડાતત્વો કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને કોઈને પણ રસ્તા વચ્ચે રોકીને માર મારે છે અને ખુદ પોલીસ તેમના સહકારમાં હોય તેવા અનેક ઉદાહરણો આપણે દેશભર અલગ અલગ રાજ્યોમાં થતા જોયા-જાણ્યાં છે. આવા તત્વો સફાઈકર્મીઓને તો ક્યાંથી માણસ પણ ગણે? ગટરમાં ઉતરીને સફાઈ કરવાની મનાઈ હોવા છતા સવર્ણ કોન્ટ્રાક્ટરો વાલ્મિકી સમાજના સફાઈકર્મીઓને આ અમાનવીય કામ કરવા મજબૂર કરે છે. આ સિવાય જો વાલ્મિકી સમાજની કોઈ વ્યક્તિ તેમનું કહ્યું ન માને તો માર મારવા સુધીની હદે જતા આ તત્વો રોકાતા નથી. ઘણીવાર તો કશાય કારણ વિના પણ તેમને માર મારવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે, જ્યાં એક વાલ્મિકી સમાજના વડીલને કથિત હિંદુત્વવાદીઓના ટોળાએ ઘેરી લીધા હતા અને તેમને બળજબરીથી જયશ્રી રામના નારા લગાવવા માટે મજબૂર કરવા લાગ્યા હતા. આટલાથી તેમન સંતોષ ન થયો તો હનુમાન ચાલીસાના પાઠ કરવાનું કહેવામાં આવ્યું, જો કે વડીલ તેમ ન કરી શકતા ટોળાએ તેમને માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વડીલ ડરના માર્યા માંડ 'રામ રામ...' બોલી શક્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો દેશની રાજધાની દિલ્હીનો છે. અહીં શહેરના વ્યસ્ત કરોલ બાગ વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિઓના એક જૂથે કામ પર જઈ રહેલા એક 55 વર્ષીય સફાઈ કર્મચારીને ઘેરી લીધા હતા અને તેમને જયશ્રી રામ બોલવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે મજબૂર કર્યા હતા. ટોળાને જોઈને સફાઈકર્મી વડીલ ડરી ગયા હોવાથી તેમણે જયશ્રી રામના બદલે “રામ રામ” કહ્યું તો ટોળાએ તેમને પરાણે “જય શ્રી રામ” બોલવા દબાણ કર્યું. જ્યારે આટલાથી તેમને સંતોષ ન થયો ત્યારે તેમને ટોળા દ્વારા "હનુમાન ચાલીસા" નો પાઠ કરવાનું કહેવામાં આવ્યું, પણ તેઓ ન બોલી શક્યા તો ટોળાએ તેમને માર માર્યો હતો. ઘટનાની જાણ થતા ભીમ આર્મીના જિલ્લા કન્વીનર હિમાંશુ વાલ્મિકી તરત સક્રીય થયા હતા અને વડીલને મળીને કાર્યવાહી શરૂ કરાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/criminal-action-will-be-taken-against-those-who-dislodge-the-scavengers">સફાઈ કામદારોને ગટરમાં ઉતારનારા તત્વો સામે ફોજદારી કાર્યવાહી થશે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિમાંશુ વાલ્મિકીએ જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ થવાની બાકી છે, પણ તેને જોઈને કોઈપણ વ્યક્તિ અંદાજ લગાવી શકે છે કે, આ ઘટનાને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવા હિંદુત્વવાદી સંગઠનોએ અંજામ આપ્યો છે, કેમ કે આવી ઘટનાઓને મોટાભાગે તેમના દ્વારા જ અંજામ આપવામાં આવે છે. મોટાભાગની આવી ઘટનાઓ તેમના સંગઠન દ્વારા જ હાથ ધરવામાં આવે છે. આ ઘટના પછી પીડિત વડીલને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા, જ્યાં તેમણે ફરિયાદ દાખલ કરાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સફાઈકર્મી વડીલ હૃદયના દર્દી છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલામાં વધુ એક જાણકારી એ મળી આવી છે કે, પીડિત સફાઈકર્મી વડીલ હૃદયની બિમારી ધરાવે છે. એવામાં હિંદુત્વવાદીઓના ટોળાએ કરેલા અણધાર્યા હુમલા અને વર્તનથી તેઓ ડઘાઈ ગયા હતા અને તેમની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ. જેના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા પડ્યા હતા. આ મામલામાં હવે એફઆઈઆર નોંધાઈ ગઈ છે પણ હજુ સુધી તેની કોપી ફરિયાદી પક્ષને મળી નથી.</span><br><span style="font-size: 14pt;">ઘટના સોશિયલ મીડિયા દ્વારા સામે આવી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિમાંશુ વાલ્મિકીએ સમગ્ર મામલો X (ટ્વિટર) પર પોસ્ટ કર્યો હતો. તેમણે પીડિત સફાઈકર્મી વડીલનો એક વીડિયો પણ ઉતારીને શેર કર્યો છે, જેમાં સફાઈ કામદાર તેમની સાથે થયેલી નિર્દયતાનું વર્ણન કરતી વખતે રડી પડે છે. વીડિયોમાં પીડિત વડીલને કહેતા સાંભળી શકાય છે કે, "મુઝે કહા ભંગી હૈ તૂ!" (આ એક અપશબ્દો છે જેનો વારંવાર દલિત સમુદાયના સભ્યો સામે ઉપયોગ થાય છે.)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><a href="https://twitter.com/HimanshuValmi13/status/1784943360324850111">https://twitter.com/HimanshuValmi13/status/1784943360324850111</a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિમાંશુ વાલ્મિકી કહે છે, 'આવી ઘટનાઓ મુખ્યત્વે ઉત્તરના રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને અન્યોમાં બને છે. આ રાજ્યોમાં મોટાભાગે હિંદુત્વવાદીઓની તરફેણ કરતી સરકારો છે અને તેઓ તેમને છાવરતી હોવાથી આ લોકો બેફામ બની ગયા છે. કાયદો અને વ્યવસ્થાનો કથિત સેનાના સભ્યો અને ગૌરક્ષકોને કોઈ ડર નથી. જેના કારણે નિર્દોષ લોકો તેમનો ભોગ બને છે. ચિંતાની વાત એ છે કે, દેશની રાજધાનીમાં આવું બન્યું છે અને તે કોઈ કાળે ચલાવી લેવાય તેમ નથી.</span><br><span style="font-size: 14pt;">હિંમાશું આગળ કહે છે, "જે ધર્મના નામે અમારી સરકારી નોકરીઓ છીનવી લેવામાં આવી હતી અને અમને શિક્ષણથી વંચિત કરવામાં આવ્યા હતા, એ જ ધર્મનો ઉપયોગ હવે રસ્તાઓ પર લોકો પર હુમલો કરવા માટે કરવામાં આવી રહ્યો છે." આ મામલે મીડિયા દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ કોઈ વાતચીત થઈ શકી નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/4-students-who-wrote-jai-shree-ram-in-answer-book-passed-with-56-Percentage-marks">ઉત્તરવહીમાં ‘જયશ્રી રામ’ લખનારા 4 વિદ્યાર્થીઓ 56 ટકા માર્ક્સ સાથે પાસ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 May 2024 09:52:45 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 05 May 2024 09:50:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>576</Articleid>
                    <excerpt>હૃદયની બિમારી ધરાવતા એક સફાઈકર્મીને કથિત હિંદુત્વવાદીઓએ જાતિગત અપશબ્દો કહીને પરાણે &#039;જયશ્રી રામ&#039;ના નારા લગાવડાવી માર માર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_663706cb6d03b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_663706cb3cd4a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_663706cb3cd4a.jpg" length="92679" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>રોહિત વેમુલાનો  પરિવાર પોલીસના ક્લોઝર રિપોર્ટને પડકારશે</title>
                    <link>https://khabarantar.com/rohit-vemulas-family-will-challenge-the-police-closure-report</link>
                    <guid>https://khabarantar.com/rohit-vemulas-family-will-challenge-the-police-closure-report</guid>
                    <description>
                        <![CDATA[ ચકચારી રોહિત વેમુલા કેસમાં તેલંગાણા પોલીસે ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે ત્યારે તેના પરિવારે રિપોર્ટને પડકારવાનું મન બનાવી લીધું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાના પરિવારે કહ્યું કે તેઓ રોહિતના આત્મહત્યા કેસમાં તેલંગાણા પોલીસના ક્લોઝર રિપોર્ટને કાયદાકીય રીતે પડકારશે. રોહિતના ભાઈ રાજા વેમુલાએ દાવો કર્યો હતો કે જિલ્લા મેજિસ્ટ્રેટે પરિવાર અનુસૂચિત જાતિના હોવા અંગે કોઈ ર્નિણય લીધો નથી. આ અંગે પોલીસે કહ્યું કે તેઓ વધુ તપાસ કરશે. હૈદરાબાદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી રોહિત વેમુલાના મૃત્યુની તપાસ કરી રહેલી પોલીસે સ્થાનિક કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે દલિત નહોતો અને તેની 'વાસ્તવિક ઓળખ'  જાહેર થાય તે પહેલાં તેણે આત્મહત્યા કરી હતી. પુરાવાના અભાવને ટાંકીને પોલીસે આ કેસમાં આરોપીઓને 'ક્લીન ચિટ' આપી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રોહિત વેમુલાના પરિવાર દ્વારા વ્યક્ત કરાયેલી શંકાનો ઉલ્લેખ કરતા, તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક રવિ ગુપ્તાએ શુક્રવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંબંધિત કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે અને મેજિસ્ટ્રેટને વધુ તપાસની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે રોહિત વેમુલાએ વર્ષ ૨૦૧૬માં આત્મહત્યા કરી લીધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'મૃતક પોતે જાણતો હતો કે તે અનુસૂચિત જાતિનો નથી અને તેની માતાએ તેને નકલી એસસી જાતિનું પ્રમાણપત્ર આપ્યું હતું.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમને આશંકા છે કે આ વાત સામે આવવાના પરિણામે વેમુલાની શૈક્ષણિક ડિગ્રી પાછી ખેંચી લેવામાં આવી શકે છે. તેમજ આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ તેને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ કેસ સાથે જોડાયેલા ઘણાં મુદ્દા હતા જે મૃતકને પરેશાન કરી રહ્યા હતા. આનાથી પરેશાન થઈને રોહિત વેમુલાએ આત્મહત્યા કરી લીધી. અહેવાલ મુજબ, તમામ પ્રયાસો છતાં આરોપીના કામોએ મૃતકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હોવાનું સાબિત કરવા માટે કોઈ પુરાવા મળ્યા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/rohit-vemula-was-not-dalit-the-mother-produced-a-false-caste-certificate">રોહિત વેમુલા દલિત નહોતો, માતાએ ખોટું જાતિ પ્રમાણપત્ર બનાવ્યું હતું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 04 May 2024 19:10:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>575</Articleid>
                    <excerpt>ચકચારી રોહિત વેમુલા કેસમાં તેલંગાણા પોલીસે ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે ત્યારે તેના પરિવારે રિપોર્ટને પડકારવાનું મન બનાવી લીધું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_663639f5d6f2b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_663639f5a93e1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_663639f5a93e1.jpg" length="71211" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકને નગ્ન કરીને માર માર્યો, આઘાતમાં યુવકની આત્મહત્યા</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-stripped-and-beaten-youth-commits-suicide-in-shock</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-stripped-and-beaten-youth-commits-suicide-in-shock</guid>
                    <description>
                        <![CDATA[ ગામના જાહેર કાર્યક્રમમાં દલિત યુવકે ડાન્સ કર્યો તો જાતિવાદી તત્વોએ તેને નગ્ન કરીને માર્યો. આ ઘટનાથી લાગી આવતા યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાને બંધારણથી પણ ઉપર સમજતા અને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર ન અનુભવતા જાતિવાદી તત્વોને જાણે દલિતો પર અત્યાચાર કરવાનો પરવાનો મળી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. દેશના કોઈને કોઈ ખૂણે દલિત, આદિવાસી કે લઘુમતી સમાજની વ્યક્તિ પર મારામારી, અત્યાચાર કે ખૂનના બનાવો બનતા રહે છે. મનુવાદીઓ જાણે દલિતો, આદિવાસીઓને પોતાના પગની ધૂળ સમજતા હોય તેમ વર્તે છે. આવો જ વધુ એક કિસ્સો હાલ સામે આવ્યો છે જેમાં જાતિવાદી તત્વોએ એક દલિત યુવકને એટલા માટે નિર્વસ્ત્ર કરીને માર માર્યો કેમ કે તેણે ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં ડાન્સ કર્યો હતો, જે જાતિવાદી તત્વોને ગમ્યો નહોતો. આથી પહેલા તો તેમણે કાર્યક્રમમાં જ તે યુવકને બધાંની વચ્ચે માર માર્યો હતો. એ પછી યુવક તેના ઘેર પાછો ફરી રહ્યો ત્યારે ફરી ત્રણ લોકોએ તેને રોક્યો હતો અને ગામના સ્મશાનમાં લઈ જઈ તેને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો અને તેનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો હતો અને જતા રહ્યા હતા. યુવક આખી રાત સ્મશાનમાં કપડાં વિના બેસી રહ્યો હતો અને બીજા દિવસે સવારે ગામના એક પરિચિત વ્યક્તિ ત્યાંથી નીકળ્યાં તો તેમને પોતાના પરિવારને જાણ કરવા અને પોતાના માટે કપડાં મોકલવા માટેનો સંદેશો મોકલ્યો હતો. એ પછી માંડ માંડ કરીને તે ઘેર પહોંચી શક્યો હતો. જો કે આ ઘટનાની તેના માનસપટ પર એટલી ઊંડી અસર થઈ હતી કે તે તેના આઘાતમાંથી બહાર આવી શક્યો નહોતો અને બીજા જ દિવસે બપોરે ઘરમાં આત્મહત્યા કરીને પોતાનો જીવ કાઢી નાખ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે આખી ઘટનાને લઈને વિસ્તારથી સ્યુસાઈડ નોટ લખી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમાશામાં દલિત યુવક નાચ્યો તે જાતિવાદીઓને ન ગમ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો બાબાસાહેબ અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મભૂમિ મહારાષ્ટ્રનો છે. અહીંના કોપરડી(કર્જત) ગામમાં થોડા દિવસ પહેલા તમાશાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને જોવા માટે ગામના દલિત પરિવારનો વિઠ્ઠલ ઉર્ફે નીતિન કાંતિલાલ શિંદે નામનો 37 વર્ષનો યુવક પણ ગયો હતો. દરમિયાન તમાશામાં તેને એટલી મજા આવી ગઈ હતી કે તેણે ઉઠીને તેમાં અન્ય લોકો ડાંસ કરવાનું શરૂ કરી દીધું હતું. એક દલિત યુવકને ગામના જાહેર કાર્યક્રમમાં આ રીતે નાચતો જોઈને જાતિવાદી માથાભારે તત્વોએ તમાશામાં જ નીતિનને મારવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે ચોતરફ અફરાતફરી મચી ગઈ હતી. જાતિવાદીઓએ તેને જાતિસૂચક ગાળો ભાંડી હતી. હોબાળો થતા તમાશાનો કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો હતો. એ પછી નીતિન તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ફરી ત્રણ જાતિવાદી તત્વોએ તેનો રસ્તો રોક્યો હતો અને તેને ઉપાડીને ગામના સ્મશાનમાં લઈ ગયા હતા. જ્યાં તેના કપડાં ઉતરાવીને તેને ઢોર માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Thangarh-massacre:-Why-Sanjay-Prasad-committee-report-not-made-public-The-High-Court-struck-down-the-state-government"> થાનગઢ હત્યાકાંડ: સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ કેમ જાહેર નથી કરાતો? હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6635ea5476d4a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલું જ નહીં તેનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો હતો. કડકડતી ઠંડી વચ્ચે નીતિન આખી રાત સ્મશાનમાં નિર્વસ્ત્ર હાલતમાં બેસી રહ્યો હતો. બીજા દિવસે વહેલી સવારે ગામનો એક પરિચિત વ્યક્તિ ત્યાંથી પસાર થતા તેના ધ્યાનમાં આખો મામલો આવ્યો હતો અને તેણે જઈને નીતિના પરિવારને જાણ કરી હતી. એ પછી તેનો પરિવાર કપડાં લઈને નીતિન પાસે સ્મશાનમાં પહોંચ્યો હતો અને તેને જેમતેમ કરીને ઘરે લઈ આવ્યો હતો. જો કે આ ઘટનાની નીતિનના મન પર એટલી ગંભીર અસર થઈ હતી કે બીજા દિવસે બપોરે તેણે ઘરનો દરવાજો બંધ કરીને આત્મહત્યા કરી લીધી હતી. જીવ ટૂંકાવતા પહેલા નીતિને આખી ઘટનાનું વર્ણન કરતી અને પોતે શા માટે આત્મહત્યા કરી રહ્યો છે તેની વાત કરતી સ્યુસાઈડ નોટ લખી હતી. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીઓ કોણ છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે નીતિના પિતા કાંતિલાલ શિંદેની ફરિયાદના આધારે દિનેશ ઉર્ફે બંટી સુદ્રિક, સ્વપ્નિલ બબન સુદ્રિક અને વૈભવ મધુકર સુદ્રિક (ત્રણેય કોપર્ડી, કર્જતના રહેવાસી) વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે બે આરોપીઓી પહેલા જ ધરપકડ કરી લીધી હતી જેમને પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે એક ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ટીમો રવાના કરી દીધી છે. હાલ કોપર્ડી ગામમાં પોલીસ દળની સુરક્ષા ખડકી દેવામાં આવી છે. સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર વિવેકાનંદ વખારે આ ગુનાની તપાસ કરી રહ્યાં છે. આ ઘટનાને કારણે કોપરડી ગામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. અગાઉ વર્ષ 2016માં અહીં એક સગીરા પર બળાત્કાર અને હત્યાની ઘટના ઘટી હતી જેણે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી હતી. હવે નીતિન શિંદેની આત્મહત્યાથી ફરી એકવાર આ ગામ ચર્ચામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિઠ્ઠલ ઉર્ફે નીતિનની આત્મહત્યા બાદ તેના પરિવાર સાથે દલિત સમાજના લોકોએ ગઈકાલે મોટું વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તમામ આરોપી ન પકડાય ત્યાં સુધી તેનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. વિઠ્ઠલના પરિવારમાં તેના માતાપિતા, પત્ની અને બે દીકરા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/after-drinking-water-from-the-pitcher-the-dalit-youth-was-killed-and-mutilated">ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 04 May 2024 13:35:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>574</Articleid>
                    <excerpt>ગામના જાહેર કાર્યક્રમમાં દલિત યુવકે ડાન્સ કર્યો તો જાતિવાદી તત્વોએ તેને નગ્ન કરીને માર્યો. આ ઘટનાથી લાગી આવતા યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6635ea2f23b97.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6635ea2eeac9f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6635ea2eeac9f.jpg" length="43812" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>રોહિત વેમુલા દલિત નહોતો, માતાએ ખોટું જાતિ પ્રમાણપત્ર બનાવ્યું હતું</title>
                    <link>https://khabarantar.com/rohit-vemula-was-not-dalit-the-mother-produced-a-false-caste-certificate</link>
                    <guid>https://khabarantar.com/rohit-vemula-was-not-dalit-the-mother-produced-a-false-caste-certificate</guid>
                    <description>
                        <![CDATA[ તેલંગાણા પોલીસે ગઈકાલે ચકચારી રોહિત વેમુલા કેસમાં ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો જેમાં મૂકવામાં આવેલી બાબતોએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેલંગાણામાં હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલા(Rohit Vemula)ની આત્મહત્યા મામલે પોલીસે પોતાની તપાસ બંધ કરી દીધી છે. પોલીસ આજે તેલંગાણા હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસે અહેવાલ આપ્યો છે કે રોહિત અનુસૂચિત જાતિ (SC)નો નથી અને એવું માનવામાં આવે છે કે તેણે તેની અસલી જાતિ જાહેર થવાના ડરથી આત્મહત્યા કરી છે. રિપોર્ટ અનુસાર, રોહિતના પરિવારનું જાતિ પ્રમાણપત્ર પણ કોઈ પુરાવા વગર બનાવવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;">રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત વેમુલાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, અને તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી પોલીસે રિપોર્ટમાં કહ્યું છે કે રોહિત જાણતો હતો કે તે દલિત નથી. તેને પોતાની ડિગ્રી અને કાનૂની કાર્યવાહીનો ડર હતો, રિપોર્ટ અનુસાર, રોહિત ઘણી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો, તે સાંસારિક જીવનથી પણ ખુશ નહોતો. તેમણે તેનો મોટાભાગનો સમય રાજકીય પ્રવૃત્તિઓમાં ફાળવ્યો હતો.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્મૃતિ ઈરાની સહિતના ભાજપ નેતાઓને ક્લિન ચીટ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેલંગાણા પોલીસે ગઈકાલે રોહિત વેમુલા(Rohit Vemula) આત્મહત્યા કેસમાં એક ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. રિપોર્ટમાં તત્કાલિન સિકંદરાબાદના સાંસદ બંડારુ દત્તાત્રેય, વિધાન પરિષદના સભ્ય એન. રામચંદર રાવ, કુલપતિ અપ્પા રાવ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)ના નેતાઓ અને મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સહિત તમામ આરોપીઓને ક્લિનચીટ આપી દીધી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;">રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રોહિત વેમુલાએ આત્મહત્યા કરી કેમ કે તે અનેક કારણોસર ટેન્શનમાં હતો. કેમ્પસમાં તેની રાજકીય વ્યસ્તતાઓને કારણે શૈક્ષણિક મોરચે તેનું ખરાબ પ્રદર્શન પણ એક કારણ હતું. એ સિવાય, તેની માતા દ્વારા તેના માટે નકલી અનુસૂચિત જાતિ(SC)ના પ્રમાણપત્રની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પણ તણાવનું એક કારણ હતું.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રોહિત અનેક બાબતોને લઈને તણાવમાં હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો મૃતકનો અભ્યાસ જોવામાં આવે તો એવું લાગે છે કે તે તે અભ્યાસને બદલે કેમ્પસમાં વિદ્યાર્થીઓના રાજકીય મુદ્દાઓમાં વધુ સામેલ હતો. તેણે પોતાનું પહેલું પીએચડી બે વર્ષ સુધી કર્યા બાદ બંધ કરી દીધું હતું અને અન્ય પીએચડી કરવા લાગ્યો હતો, જેમાં બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓના કારણે વધુ પ્રગતિ થઈ નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ અનુસાર, રોહિત એ હકીકતથી વાકેફ હતો કે, તેની માતાએ તેના માટે એસસી(SC) પ્રમાણપત્રની વ્યવસ્થા કરી હતી અને તેને ચિંતા હતી કે જો તેના સાથીઓને તેની જાણ થશે તો તેની પ્રતિષ્ઠાને નુકસાન થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ સિવાય મૃતકને પોતાને ખબર હતી કે તે અનુસૂચિત જાતિમાંથી નથી અને તેની માતાએ તેને એસસી સર્ટિફિકેટ અપાવ્યું હતું. આ સતત ભય પૈકીનું એક કારણ હોઈ શકે છે કેમ કે, આ ઉજાગર થવાથી તેણે વર્ષોની મહેનત બાદ મેળવેલી પોતાની શૈક્ષણિક ડિગ્રીઓથી હાથ ધોઈ નાખવા પડશે અને કેસનો સામનો કરવા માટે મજબૂર થવું પડશે. આ રીતે, મૃતક રોહિત વેમુલાને અનેક મુદ્દાઓ પરેશાન કરી રહ્યા હતા જે તેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરી શકતા હતા. સર્વશ્રેષ્ઠ પ્રયત્નો છતાં એ સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી મળ્યાં કે આરોપીઓના કામોએ રોહિત વેમુલાને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/If-you-do-not-have-a-meal,-eat-bread-in-hand-and-teach-your-children">ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6635b78ad90aa.jpg" alt=""></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીના સમયે રિપોર્ટ આવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટ તેલંગાણામાં 13 મેના રોજ લોકસભા ચૂંટણીના મતદાનના બરાબર 10 દિવસ પહેલા આવ્યો છે. 17 જાન્યુઆરી 2016ના રોજ હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 26 વર્ષીય રોહિત વેમુલાએ પોતાની હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. તેની પાછળનું કારણ એવું ગણાવવામાં આવ્યું હતું કે, રોહિત અને ચાર અન્ય દલિત વિદ્યાર્થીઓને યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા શિસ્તભંગના પગલાંનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો અને રાષ્ટ્રીય વિવાદ જગાવ્યો હતો. જેમાં અનેક લોકોએ જાતિગત ભેદભાવ અને યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા સતામણીનો આક્ષેપ કર્યો હતો. 17 જાન્યુઆરી 2016ના રોજ વેમુલાએ હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. તેના મોતથી સમગ્ર દેશના દલિત, આદિવાસી અને લઘુમતી સમાજમાં વિરોધ અને આક્રોશ જોવા મળ્યો હતો. આ કેસમાં ભાજપના નેતા બંડારૂ દત્તાત્રેય, વિધાન પરિષદના સભ્ય એન. રામચંદર રાવ, હૈદરાબાદ યુનિવર્સિટીના કુલપતિ અપ્પા રાવ અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અહીં એ પણ યાદ રાખવું રહ્યું કે, વર્ષ 2016માં કોંગ્રેસે જસ્ટિસ ફોર વેમુલા અભિયાન શરૂ કર્યું હતું અને હાલ તેલંગાણામાં કોંગ્રેસની જ સરકાર છે ત્યારે આ પ્રકારનો ચૂકાદો આવ્યો છે.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિતોનો બૌદ્ધિકો વર્ગ શું માને છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, દલિત સમાજના લોકો હજુ પણ આ ચૂકાદાને સ્વીકારવા તૈયાર નથી. બૌદ્ધિકોનો એક વર્ગ એવું સ્પષ્ટપણે માને છે કે, રોહિત વેમુલાના કેસમાં મોટા માથાઓ સંડોવાયેલા હોવાથી સમગ્ર કેસને જુદી દિશામાં વાળી દેવાનો આ પ્રયાસ છે. ખાસ કરીને કેન્દ્રીય સત્તાધારી ભાજપના નેતાઓના નામ સંકળાયેલા હોવાથી પોલીસે અન્ય મોટા કેસોમાં કરે છે તેમ રોહિતના કેસમાં પણ ફરિયાદીને જ આરોપી બનાવીને આખા મામલાનો વીંટો વાળી દેવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/UGC-Education-Ministry-forced-to-clarify-after-uproar-over-conspiracy-to-abolish-reservation-in-higher-education-institutions">ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 04 May 2024 09:56:18 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 04 May 2024 09:54:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>572</Articleid>
                    <excerpt>તેલંગાણા પોલીસે ગઈકાલે ચકચારી રોહિત વેમુલા કેસમાં ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો જેમાં મૂકવામાં આવેલી બાબતોએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6635b78285449.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6635b78256382.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6635b78256382.jpg" length="90782" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર્યો અને પછી શેરીમાં ઢસડ્યો</title>
                    <link>https://khabarantar.com/a-dalit-youth-was-beaten-to-death-by-being-tied-to-a-tree-and-then-thrown-into-the-street</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-youth-was-beaten-to-death-by-being-tied-to-a-tree-and-then-thrown-into-the-street</guid>
                    <description>
                        <![CDATA[ દેશમાં એકબાજુ ચૂંટણીનો માહોલ જામતો જાય છે ત્યારે બીજી તરફ જાતિવાદીઓએ એક દલિત યુવકને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારી શેરીઓમાં ફેરવ્યાની ઘટના બની છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભારતના લગભગ દરેક રાજ્યમાં દરરોજ કોઈને કોઈ એવી દલિત અત્યાચારની ઘટના બને છે જેનાથી સૌ કોઈનું લોહી ઉકળી ઉઠે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં કેટલાક માથાભારે જાતિવાદી તત્વોએ એક દલિત યુવકને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં યુવકને માર્યા બાદ ગામની શેરીઓમાં ઢસડ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ અને મહિલાઓ માટે નરક સમાન રાજસ્થાનનો છે. અહીંના સાલાસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે રાજિયાસર ગામમાં જૂની અદાવતમાં કેટલાક માથાભારે જાતિવાદી તત્વોએ ગામના એક દલિત યુવકને ઝાડ સાથે બાંધીને જાહેરમાં તેને ઢોર માર માર્યો હતો. જો કે તેમ છતાં પણ કોઈ તેને બચાવવા માટે આવ્યું નહોતું. એ પછી બદમાશોએ તેને બેલ્ટ અને પટ્ટા વડે ફરી માર્યો હતો અને ગામની શેરીઓમાં ઢસડીને તેને ફેરવ્યો હતો. જેના કારણે યુવકની પીઠમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે પીડિત યુવકે સાલાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પીડિત યુવક ન્યાયની આશા સાથે તેના પરિવારજનો સાથે એસપી ઓફિસ પહોંચ્યો હતો. જ્યાં તેણે સમગ્ર વાત એસપીને જણાવી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસપી ઓફિસમાં પીડિત નાનુરામે જણાવ્યું કે રાજિયાસર ગામમાં જૂની અદાવતના કારણે ગામના ભંવર સિંહ, ગોવિંદ સિંહ, ડુંગર સિંહ, ભીનવ સિંહ, શિવ સિંહ અને હંસાએ 28 એપ્રિલે તેને લીમડાના ઝાડ સાથે બાંધી દીધો અને દોરડા, પટ્ટા વડે ઢોર માર માર્યો હતો. મારના કારણે યુવકની પીઠ પર ઊંડા ઘા પડી ગયા હતા. તેણે કહ્યું કે હુમલાની ઘટનાને અંજામ આપ્યા પછી આ લોકો તેને ગામની શેરીઓમાં ખેંચીને લઈ ગયા હતા અને ગામલોકોમાં ધાક બેસાડવા માટે થઈને તેને શેરીઓમાં ફેરવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Dalit-child-drinking-water-from-jug-left-in-poor-house,-parents-beaten-up-by-racists-in-Amritvel-village-of-Mahuwa,-complaint-against-4">મહુવાના અમૃતવેલ ગામે દલિત બાળકે ગરબીમાં મૂકેલા જગમાંથી પાણી પી લેતા જાતિવાદીઓએ માતા-પિતાને માર માર્યો, 4 સામે ફરિયાદ</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663461fb2b117.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત યુવકે આ અંગે સાલાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. તેથી યુવક તેના પરિવારના સભ્યો સાથે એસપી ઓફિસ પહોંચ્યો, જ્યાં તેણે એસપી જય યાદવને પોતાની પીડા જણાવી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ન્યાય અપાવવાને બદલે પીડિતને આરોપી બનાવી દીધો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં એસસી કે એસટી પર અત્યાચારની ઘટનાઓમાં એક નવી તરકીબ જોવા મળી રહી છે, જેમાં પીડિતને જ આરોપી બનાવીને કેસ લૂલો કરી દેવામાં આવે છે. આ પેટર્નથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દલિત, આદિવાસી સમાજના ભોગ બનનાર વ્યક્તિને જ આરોપીના કઠેડામાં ખડો કરી દેવામાં આવે છે. આ ઘટનામાં પણ એવું જ કંઈક રંધાતું જોવા મળ્યું છે. એસપી જય યાદવે જણાવ્યું હતું કે, આ બાબતે સંબંધિત પોલીસ પાસેથી માહિતી લેવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે યુવક દારૂના નશામાં રાજિયાસર ગામે ગયો હતો. જ્યાં કોઇ છેડતીનો બનાવ બન્યો હતો. જેના કારણે ગામના લોકોએ યુવકને માર માર્યો હતો. યુવકના મેડિકલ રિપોર્ટમાં પણ નશાની પુષ્ટિ થઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ જ આરોપીઓને ક્રોસ ફરિયાદ દાખલ કરવા કહે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં દલિત અત્યાચારની ઘટનામાં હવે ક્રોસ ફરિયાદની નવાઈ નથી રહી. દેશભરમાં એટ્રોસિટીની ફરિયાદ થાય ત્યારે ખુદ પોલીસ જ માથાભારે આરોપીઓના સપોર્ટમાં આવીને તેમને ક્રોસ ફરિયાદ નોંધાવવાનું કહીને પીડિત યુવકના ન્યાયના દરવાજા બંધ કરી નાખતી હોય છે. ગુજરાતમાં પણ આવા અનેક કેસો આપણે જોયા છે જેમાં દલિત-આદિવાસી સમાજના લોકો પર ખૂલ્લેઆમ માથાભારે જાતિવાદી તત્વોએ હુમલો કર્યો હોય કે જાતિવાચક શબ્દો કહ્યા હોય, છતાં પોલીસ તેમની ક્રોસ ફરિયાદ નોંધીને પીડિત પરિવાર પર દબાણ ઉભું કરતી હોય છે. ચોક્કસ જાતિના લોકોની પોલીસમાં બહુમતી હોવાથી દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજ માટે ન્યાય મેળવવો દુષ્કર બનતો જાય છે. જો કાયદો કાયદાનું કામ કરે તો માથાભારે તત્વો એસસી, એસટી સમાજના લોકો પર આંગળી ઊંચી કરતા પણ સો વાર વિચાર કરે. પરંતુ અહીં તો કાયદાના રક્ષકોનું જ જાણે જાતિવાદીઓને રક્ષણ મળેલું હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/after-drinking-water-from-the-pitcher-the-dalit-youth-was-killed-and-mutilated">ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 03 May 2024 10:12:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>569</Articleid>
                    <excerpt>દેશમાં એકબાજુ ચૂંટણીનો માહોલ જામતો જાય છે ત્યારે બીજી તરફ જાતિવાદીઓએ એક દલિત યુવકને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારી શેરીઓમાં ફેરવ્યાની ઘટના બની છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6634616e6a8ee.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6634616e3b2b8.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6634616e3b2b8.jpg" length="45077" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, UP</media:keywords>
                </item>
                        <item>
                    <title>‘ભાજપવાળા આવે તો જૂતા&amp;ચપ્પલથી ફટકારો’&amp; આકાશ આનંદ</title>
                    <link>https://khabarantar.com/if-bjp-comes-hit-them-with-shoes-akash-anand</link>
                    <guid>https://khabarantar.com/if-bjp-comes-hit-them-with-shoes-akash-anand</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદે એક જાહેર સભામાં ભાજપ વિરુદ્ધ આપેલા નિવેદનને લઈને તેમના સહિત 35 લોકો સામે કેસ થયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પહેલીવાર લોકસભા ચૂંટણીમાં ખૂલીને પ્રચાર કરી રહેલા બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદ પર ભડકાઉ ભાષણ અને આચારસંહિતા ભંગ બદલ કેસ નોંધાયો છે. તેમની સાથે બીએસપીના 34 કાર્યકરો સામે પણ આચારસંહિતા ભંગ અને ભડકાઉ ભાષણો આપવા મુદ્દે ફરિયાદમાં નામ દાખલ કરવામાં આવ્યા છે. પહેલા દિવસથી જ આકાશ આનંદ જાહેર સભાઓમાં વિરોધીઓ પર બરાબરના વરસી રહ્યાં છે. એક સમયે સૌમ્ય નેતાની છબિ ધરાવતા આકાશ આનંદ આ વખતની લોકસભા ચૂંટણીમાં અનેકવાર વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. ઉત્તરપ્રદેશના સીતાપુરમાં આયોજિત એક જાહેરસભામાં પણ તેમણે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા, જેને લઈને વિવાદ ઉભો થતા તેમના ભાષણને લઈને તંત્રે આકાશ આનંદ સહિત 35 લોકો વિરુદ્ધ હિંસા ભડકાવવાના મામલામાં કેસ નોંધ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિક્ષક ચક્રેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે રાજા કોલેજ મેદાનમાં બસપાની રેલીને મંજૂરી આપવામાં આવી હતી જેમાં આકાશ આનંદ મુખ્ય વક્તા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં ચોક્કસ પક્ષને લઈને ગંભીર ટિપ્પણી કરી છે જેનાથી હિંસા ફેલાવાની આશંકા પેદા થઈ ગઈ છે. આ રેલીમાં તેમણે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિક્ષકના જણાવ્યા પ્રમાણે ચૂંટણી રેલીમાં આકાશ આનંદ અને શ્યામ કિશોર અવસ્થી, અક્ષય કાલરા અને આયોજક વિકાસ રાજવંશી સહિત 35 લોકો વિરુદ્ધ ભડકાઉ અને હિંસક ભાષણ, અસંસદીય ભાષાનો પ્રયોગ કરવાને લઈને આચારસંહિતા ભંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર કલમ 171સી, 153બી, 188, 505(2) કલમ 125 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆર નોંધીને આગોતરા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/In-dadra-nagar-haveli-the-bsp-candidate-was-played-by-the-partys-own-people">દાદરા નગર હવેલીમાં BSP ના ઉમેદવાર સાથે પક્ષના જ લોકો ખેલ કરી ગયા</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_663093e03ab36.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આકાશ આનંદે શું કહ્યું હતું?</span></strong></span><br><span style="font-size: 14pt;">રવિવારે સીતાપુર જિલ્લાના રાજા રઘુબર દયાલ ઈન્ટર કોલેજના મેદાનમાં આયોજિત બસપાની જાહેર સભામાં આકાશ આનંદે ભાજપની યુપી અને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “આ લોકોની દાનત જ નથી. તેમની ઈચ્છા જ નથી કે તમે રોજગારી મેળવો. આ એવી સરકાર છે જે કદી રોજગારી પણ નથી આપતી અને ભણવા પણ નથી દેતી. આવી સરકારને કોઈ હક નથી તમારી વચ્ચે આવવાનો. આવા લોકો જો તમારી વચ્ચે આવી જાય તો મતની જગ્યાએ જૂતા અને ચપ્પલ મારજો.” </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આકાશ આનંદે આગળ કહ્યું, “આ સરકારની દાનત રોજગારી આપવાની પણ નથી. પેપર લીક થવાને બહારને તેઓ રોજગારી નથી આપવા માંગતી. આજે દેશમાં મફત રાશનનો ઢોલ પીટવામાં આવે છે. સત્તામાં આવતા પહેલા બે કરોડ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો. આ નોકરી મળત તો કમ સે કમ અઢી લાખ રૂપિયા દરેક પરિવારનો યુવાન ચોક્કસ પોતાના ઘરે લાવત. પણ આ સરકાર નોકરીને બદલે વર્ષે ફક્ત 12 હજાર રૂપિયાનું મફત રાશન આપીને બનાવટ કરી રહી છે. તેનાથી આપણી પ્રગતિ નહીં થાય. અમને બહુજન સમાજની પ્રગતિ જોઈએ છે, એટલે નોકરી વિના બહુજન સમાજ કે સર્વ સમાજનું ભલું થવાનું નથી. માટે આવા લોકો જો તમારા મહોલ્લામાં આવે તો તેમને જૂતા-ચપ્પલથી ફટકારજો.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-does-rss-have-any-answer-to-these-questions-of-ambedkar">ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 30 Apr 2024 12:21:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>561</Articleid>
                    <excerpt>બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદે એક જાહેર સભામાં ભાજપ વિરુદ્ધ આપેલા નિવેદનને લઈને તેમના સહિત 35 લોકો સામે કેસ થયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6630936f21628.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6630936edc7f2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6630936edc7f2.jpg" length="59089" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Akash Anand, BSP</media:keywords>
                </item>
                        <item>
                    <title>DICCI અને BYST મળીને 5000 દલિત યુવાનોને Job Creator બનાવશે</title>
                    <link>https://khabarantar.com/dicci-and-byst-together-will-make-5000-dalit-youth-job-creators</link>
                    <guid>https://khabarantar.com/dicci-and-byst-together-will-make-5000-dalit-youth-job-creators</guid>
                    <description>
                        <![CDATA[ દલિત સમાજના યુવાનો પણ પોતાનો સ્વતંત્ર ધંધો અને બિઝનેસ કરતા થયા છે ત્યારે ડિક્કી સંસ્થા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટ અને દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (DICCI) એ 5000 દલિત આંત્રપ્રિન્યોર્સને જોબ ક્રિયેટર્સ બનાવવા માટે નવી દિલ્હીમાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ અંતર્ગત 20 ટકા મહિલાઓને પણ તેમાં સામેલ કરવામાં આવશે. આ સમજૂતીના માધ્યમથી BYST અને DICCI પાંચ હજાર યુવા દલિત ઉદ્યોગપતિઓને સલાહસૂચનો આપીને બિઝનેસમાં કેવી રીતે આગળ વધવું તે અંગે માર્ગદર્શન આપશે. સાથે આંત્રપ્રિન્યોર્સને બેંકિંગની પદ્ધતિ, ગ્રાહક સાથેના સંબંધો, બુક કીપીંગ, પ્રોજેક્ટની તૈયારીઓ અને વેચાણથી લઈને સોફ્ટ સ્કિલ વગેરેની પાયાની જાણકારીઓ અને ભાગીદારીઓ વિશેની સમજણ બીવાયએસટીના મેન્ટરો અને મેન્ટર ક્લિનિકોના નેટવર્ક દ્વારા આપવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિવિધ બેંકો સાથે જોડાણ કરાયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિ:શુલ્ક તાલીમ કાર્યક્રમ (એન્ટ્રેપ્રેન્યોર ઓનલાઈન લર્નિંગ-ઈઓએલ) 2-3 દિવસ સુધી ચાલશે અને તે દલિત યુવાનોના બિઝનેસ આઈડિયાને વધુ સારો બનાવવામાં અને સચોટ વ્યાવસાયિક યોજનાઓ બનાવવા માટે મદદરૂપ થશે. બીવાયએસટી અને ડીઆઈસીસી સરળતાથી તેની સ્થાપના અને બિઝનેસ ચલાવવાની સુવિધા માટે પ્રતિ વ્યક્તિ સરેરાશ 4 લાખ રૂપિયાની લોન સાથે 250 દલિત યુવાનોને ક્રેડિટ લિંકેજ અને સલાહ આપવામાં મદદ કરશે. દલિત ઉદ્યોગપતિઓને સરળતાથી લોન મળી રહે તે માટે બીવાયએસટી દ્વારા બેંક ઓફ બરોડા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, ઈન્ડિયન બેંક, આઈડીબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને સેન્ટ્રલ બેંકના વ્યાપક માધ્યમનો સંપર્ક કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત ઉદ્યોગપતિઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી લક્ષ્મી વેંકટરમણ વેંકટેશને જણાવ્યું હતું કે, દલિત સમાજે આજે પણ ભેદભાવનો સામનો કરવો પડે છે અને તેમના ઊંચા પગારની નોકરીઓ અને વ્યવસાયોમાં તકોની શોધમાં ઘણી સમસ્યાઓ નડે છે. મૂડી, સંસાધનો સુધી મર્યાદિત પહોંચ અને પરામર્શ સમર્થન જેવી મુશ્કેલીઓ પણ નડે છે, જે તેની સફળતામાં રોડાં નાખે છે. બેન્કિંગ સેક્ટર અને કોર્પોરેટ માહોલમાં જાતિ આધારિત ભેદભાવ સ્પષ્ટ છે, તેથી તકો સુધી ન્યાયસંગત પહોંચને સુવિધાજનક બનાવવી વધુ મહત્વપૂર્ણ બની જાય છે. સમાવેશી અર્થવ્યવસ્થાના પોષણ માટે જાતિગત પૂર્વગ્રહો ઉન્મૂલન મહત્વપૂર્ણ છે. ડો. આંબેડકરે કહ્યું છે કે, જો તમે સન્માનજનક જીવન જીવવામાં વિશ્વાસ રાખો છો તો તમે સ્વસહાયતામાં વિશ્વાસ કરો છો, અને તે તમારી પોતાની જાતને સૌથી મોટી મદદ છે. આ શબ્દો મને ખૂબ પ્રભાવિત કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત ઉદ્યોગપતિઓની સાથે એસસી સમાજના વિકાસનું લક્ષ્ય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">DICCI ના સંસ્થાપક પદ્મશ્રી ડૉ. મિલિંદ કામ્બલેએ કહ્યું કે, ડિક્કીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉદ્યોગપતિઓના સશક્તિકરણ માટે તેમના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સશક્તિકરણને સામેલ કરવામાં આવ્યા છે. નાના અને મોટા બંને પ્રકારના પ્રતિસ્પર્ધી વિનિર્માણ ઉદ્યોગોની સ્થાપના અને તેમને જાળવી રાખવા અને બાકીના વિશ્વ સાથે તેનું જોડાણના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે જરૂરી છે કે દલિત ઉદ્યોગપતિઓને ટેકો આપવામાં આવે, મજબૂતી પ્રદાન કરવામાં આવે અને સશક્ત બનાવવામાં આવે. અને બીવાયએસટી સાથેનું જોડાણ દલિત ઉદ્યોગપતિઓના વિકાસની સાથે સમગ્ર અનુસૂચિત જાતિની ક્ષમતાનો ઉપયોગ કરીને આર્થિક વિકાસને ગતિ પ્રદાન કરી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાંચ શહેરોમાં બિઝનેસ ફેસિલિટેશન સેન્ટર ખોલાશે</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ડીક્કી ઈચ્છુક અને વર્તમાન અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિના ઉદ્યોગપતિઓની ઓળખ કરવા માટે પૂણે, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ, ભોપાલ અને જયપુરમાં બિઝનેસ ફેસિલિટેશન સેન્ટરનું સેટઅપ કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/This-Bahujan-youth-who-used-to-wire-the-house-at-one-time-has-clients-like-IIM-A,-AMUL,-Indian-Railway">એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM-A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 29 Apr 2024 12:49:13 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 29 Apr 2024 12:48:14 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>557</Articleid>
                    <excerpt>દલિત સમાજના યુવાનો પણ પોતાનો સ્વતંત્ર ધંધો અને બિઝનેસ કરતા થયા છે ત્યારે ડિક્કી સંસ્થા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_662f48bbb3995.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662f48bb834f3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662f48bb834f3.jpg" length="85725" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો</title>
                    <link>https://khabarantar.com/after-drinking-water-from-the-pitcher-the-dalit-youth-was-killed-and-mutilated</link>
                    <guid>https://khabarantar.com/after-drinking-water-from-the-pitcher-the-dalit-youth-was-killed-and-mutilated</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી તત્વોને જાણે દેશમાં કાયદો વ્યવસ્થાની કોઈ પરવા જ ન હોય તેમ દલિતો સાથે આભડછેટ રાખીને ઢોર મારવાથી પણ અચકાતા નથી. વધુ એક કિસ્સો વાંચો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન નેતાઓ દેશમાં પરિવર્તન લાવવાની ફેંકાબાજી કરે છે, બીજી તરફ સદીઓથી દેશના દલિતો જેનાથી પિડાય છે તે આભડછેટ મુદ્દે એકેય પક્ષ કે તેના નેતાઓ ખૂલીને બોલવા તૈયાર નથી. કાયદાના રક્ષકો પણ છેવટે તો મનુવાદી માનસિકતાથી ગ્રસ્ત હોવાથી તેઓ પણ જાણે દલિતો સાથે રખાતી અસ્પૃશ્યતામાં મૂકસહમતી આપતા હોય તેમ યોગ્ય પગલાં લેવાથી દૂર રહે છે. પરિણામે મનુવાદી તત્વોને જાણે મોકળું મેદાન મળી જાય છે અને તેઓ સામાન્ય બાબતમાં પણ દલિતો સાથે મારપીટ કરતા કે જીવલેણ હુમલો કરતા ખચકાતા નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દલિત યુવકે જાહેર સ્થળ પર રાખવામાં આવેલા માટલામાંથી પાણી પીતા બે લોકોએ તેને નિર્દયતાથી માર માર્યો હતો. ઢોર મારના કારણે યુવક અધમૂઓ થઈ જતા આખરે તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ અને અસ્પૃશ્યતા માટે દેશભરમાં કુખ્યાત એવા ઉત્તર પ્રદેશનો છે. અહીંના મહોબામાં જાહેર સ્થળે રાખવામાં આવેલા ઘડામાંથી પાણી પીવા બદલ એક અનુસૂચિત જાતિના વ્યક્તિને જાતિવાદી તત્વોએ નિર્દયતાથી માર મારીને અધમૂઓ કરી દીધો હતો. અસ્પૃશ્યતાને કારણે મારપીટનો આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જ્યાં પીડિતે બે યુવકો પર તેને મારવો આરોપ લગાવ્યો છે. હાલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની તબિયત સુધરી હોવાનું કહેવાય છે, બીજી તરફ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/In-Kutchs-Mundra,-the-lands-given-to-Dalits-in-Santhani-6-decades-ago-have-not-been-regularized-yet">કચ્છના મુંદ્રામાં દલિતોને 6 દાયકા પહેલા સાંથણીમાં મળેલી જમીનો હજુ નિયમિત નથી થઈ</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662f2f86f0505.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશના મહોબા શ્રીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લુહેડી ગામનો આ કિસ્સો છે. પીડિત યુવક મૂળ મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના તિંદણી ગામનો રહેવાસી છે અને તેનું નામ કમલ મહોબા હોવાનું સામે આવ્યું છે. કમલ લુહેડીમાં તેના બનેવી કિશોરભાઈને ત્યાં એક લગ્ન પ્રસંગ હોવાથી તેમાં હાજરી આપવા માટે આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કમલના જણાવ્યા પ્રમાણે તે ગામમાં આવેલી ઈંડાની લારીએ ઈંડા ખાઈ રહ્યો હતો, જ્યાં હેમંત રાજપૂત અને અન્ય એક અજાણ્યો શખ્સ પણ ઈંડા ખાઈ રહ્યા હતા. ઈંડા ખાધા બાદ કમલે લારી પર રાખવામાં આવેલા માટલામાંથી પાણી પીધું કે તરત જ બંને યુવકો ગુસ્સે થઈ ગયા હતા અને તેની જાતિ પૂછી તેના પર હુમલો કર્યો હતો. જ્યારે કમલે કહ્યું કે તે અનુસૂચિત જાતિનો છે ત્યારે બંને શખ્સોએ તેને વધુ જોરથી માર માર્યો હતો. આરોપ છે કે તેને એટલી હદે મારવામાં આવ્યો કે તેને માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ. બંને આરોપીઓ તેને બેભાન અવસ્થામાં નદી તરફ ફેંકીને નાસી ગયા હતા. પીડિતા કમલની શોધખોળ કરતી વખતે તેની બહેન અને બનેવીએ તેને બેભાન હાલતમાં જોયો હતો. લોહીથી લથપથ ઘાયલ કમલને તેઓ પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં કમલે તેની આપવીતી સંભળાવી કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યો હતો જ્યાં તેની તબીબી તપાસ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/acharya-molested-the-teacher-by-saying-sasare-na-jati-i-will-save-you">"સાસરે ના જતી હું તને સાચવી લઈશ" કહીને આચાર્યે શિક્ષિકાની છેડતી કરી</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 29 Apr 2024 10:59:44 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 29 Apr 2024 11:03:04 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>556</Articleid>
                    <excerpt>જાતિવાદી તત્વોને જાણે દેશમાં કાયદો વ્યવસ્થાની કોઈ પરવા જ ન હોય તેમ દલિતો સાથે આભડછેટ રાખીને ઢોર મારવાથી પણ અચકાતા નથી. વધુ એક કિસ્સો વાંચો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_662f2f87b5b8a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662f2f87880ac.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662f2f87880ac.jpg" length="62227" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, UP</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મહિલાની છાતી પર કુહાડી મારી, પ્રાઈવેટ પાર્ટ કાપ્યું, હાલત ગંભીર</title>
                    <link>https://khabarantar.com/dalit-woman-axed-on-chest-private-part-cut-critical-condition</link>
                    <guid>https://khabarantar.com/dalit-woman-axed-on-chest-private-part-cut-critical-condition</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે એક દલિત મહિલા પર હુમલો થયો છે, જેમાં આરોપીએ તેની છાતી પર કુહાડીથી ઘા મારી તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખવામાં આવ્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક બાજુ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, બીજી તરફ દલિતો પર અત્યાચારની ઘટનાઓનો સિલસિલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ દેશના કોઈને કોઈ ખૂણેથી અનુસૂચિત જાતિ સમાજની બહેન-દીકરીઓ કે મહિલાઓ પર જાતિય હિંસાની ઘટના બનતી રહે છે. આવો જ એક રૂંવાડા ઉભા કરી દેતો કિસ્સો જાતિવાદ અને મહિલાઓ માટે નર્ક ગણાતા વિસ્તારમાંથી સામે આવ્યો છે જ્યાં એક દલિત મહિલા પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખવામાં આવ્યો છે. હાલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું કહેવાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ અને મહિલાઓ માટે નરક ગણાતા રાજ્ય રાજસ્થાનનો છે. અહીંના ચુરુ જિલ્લામાં બર્બરતાની હદ વટાવતી એક ઘટના સામે આવી છે. જેમાં ભાલેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક દલિત પરિણીત મહિલા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. હત્યાના ઈરાદે આરોપીઓએ ઘરમાં સૂતેલી મહિલા પર કુહાડી વડે તેના ચહેરા, છાતી અને બંને હાથ પર હુમલો કર્યો હતો. જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ હુમલામાં મહિલાના પ્રાઈવેટ પાર્ટ અત્યંત ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે.</span><br><span style="font-size: 14pt;">ઇજાગ્રસ્ત મહિલાને મધરાતે ચુરુ જિલ્લાની સરકારી ભરતિયા જિલ્લા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લોહી વહેતી હાલતમાં લાવવામાં આવી હતી. અહીં તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેની ગંભીર હાલતને જોતા તેને હાયર સેન્ટર જયપુર રીફર કરવામાં આવી છે. મહિલાની હાલત જોઈને પોલીસ અને મેડિકલ સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. હાલ પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662e6c15024e2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આરોપીએ અડધી રાત્રે ઘરમાં ઘુસીને દુષ્કર્મ આચર્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">ઘાયલ મહિલાના ભાઈ વિનોદે જણાવ્યું હતું કે તેની બહેન સંજુ મેઘવાળના લગ્ન વર્ષ 2012માં સાંત્યૂ નિવાસી યુવક સાથે થયા છે. તેને બે દીકરીઓ પણ છે. સંજૂ મેઘવાળના પતિ મજૂરી માટે વિદેશ ગયેલા છે એટલે તે છેલ્લાં આઠ મહિનાથી તેના પિયર ભાલેરીમાં જ રહે છે. ગઈકાલે શનિવારે રાતે લગભગ અઢી વાગ્યાની આસપાસ ભાલેરીનો ભજનલાલ નામનો વ્યક્તિ સંજૂની હત્યાના ઈરાદે તેના ઘરમાં ઘૂસ્યો હતો. તેણે ઘરમાં સુઈ રહેલી સંજૂ પર આડેધડ કુહાડીના ઘા કરવા શરૂ કરી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સંજૂની તબિયત જોઈને પરિવારજનો સ્તબ્ધ</span></strong></span><br><span style="font-size: 14pt;">ભજનલાલે અણધાર્યા હુમલાથી સંજૂએ રાડારાડી કરી મૂકતા પરિવારજનો જાગી ગયા હતા. જ્યાં તેમણે જે જોયું તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. કેમ કે, આરોપી ભજનલાલે સંજૂના ચહેરા, છાતી, બંને હાથ અને જાંઘ પર આડેધડ કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી. જો કે ભાલેરી પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જ આરોપી ફરાર થઈ ગયો હતો. દરમિયાન સંજૂની હાલત નાજુક હોવાથી તરત તેને લોહીલુહાણ હાલતમાં ચૂરુની ભરતિયા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હુમલાનું કારણ હજુ સુધી અકબંધ</span></strong></span><br><span style="font-size: 14pt;">સંજૂ મેઘવાળ પર થયેલા આ હુમલાનું કારણ શું છે તે હજુ સુધી સામે આવ્યું નથી. હાલ તેને પ્રાથમિક સારવાર આપીને જયપુર રીફર કરવામાં આવી છે. તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસ તપાસ કરી રહી છે કે આરોપી ભજનલાલે તેના પર શા માટે આટલો ઘાતકી હુમલો કર્યો હતો. જો કે, તેના ભાઈ વિનોદે જણાવ્યું હતું કે ભજનલાલને રૂ. 60 હજારની લેવડ-દેવડને લઈને તેમની સામે નારાજગી હતી. છતાં સંજુ હોશમાં આવશે પછી જ આરોપીએ આ હુમલો શા માટે કર્યો તેના કારણો બહાર આવશે. હાલ તો ભાલેરી પોલીસ આરોપી ભજનલાલને શોધી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-rape-victim-asked-by-magistrate-to-remove-clothes-and-show-injury-marks">દલિત રેપ પીડિતાને મેજિસ્ટ્રેટે કહ્યું- કપડાં ઉતાર અને ઈજાના નિશાન બતાવ</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 28 Apr 2024 21:04:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>554</Articleid>
                    <excerpt>લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે એક દલિત મહિલા પર હુમલો થયો છે, જેમાં આરોપીએ તેની છાતી પર કુહાડીથી ઘા મારી તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખવામાં આવ્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_662e6c0b83c0c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662e6c0b514a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662e6c0b514a7.jpg" length="60877" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજકોટ કસ્ટોડિયલ ડેથ મામલે SIT દ્વારા તપાસની માંગ</title>
                    <link>https://khabarantar.com/sit-probe-demanded-in-rajkot-custodial-death-case</link>
                    <guid>https://khabarantar.com/sit-probe-demanded-in-rajkot-custodial-death-case</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટના આંબેડકરનગરમાં રહેતા હમીરભાઈ રાઠોડ અને રાજુભાઈ સોલંકીની કસ્ટોડિયલ ડેથ મામલે હવે એસઆઈટી દ્વારા તપાસની માંગ કરાઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા અનુસુચિત જાતિના નિર્દોષ યુવક હમીરભાઈ રાઠોડ અને ઓબીસી ખાંટ સમાજના તેમના મિત્ર રાજુભાઈ સોલંકીને માલવીયાનગર પોલીસ સ્ટેશને લઈ જઈ બેરહેમીથી માર-મારતા બંનેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે હવે સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. હમીરભાઈ અને રાજુભાઈનું માલવીયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ અશ્વિન કાનગડ અન્ અન્ય પોલીસકર્મીઓના મારના કારણે મોત નીપજ્યું છે ત્યારે ચકચારી આ ઘટનામાં અન્ય પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બેવડી હત્યાની આ ઘટનામાં સીટની રચના કરી તપાસની માંગણી કરવામાં આવી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6629db14ccd16.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span><br><span style="font-size: 14pt;">14મી એપ્રિલની આંબેડકર જયંતિના દિવસે સાંજે રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા રાજુભાઈ ભગવાનજીભાઈ સોલંકીને પાડોશી સાથે ડખ્ખો થતાં તેમનો પુત્ર આંબેડકર નગરમાં રહેતા હમીરભાઈ રાઠોડ ને બોલાવવા ગયો હતો. હમીરભાઈ પાડોશીના ડખ્ખામાં દરમિયાનગીરી કરવા માટે ગયા હતા. એ દરમિયાન ઘટના સ્થળે માલવિયાનગર પોલીસનો કાફલો આવી પહોંચતા સમાધાન કરાવવા ગયેલ હમીરભાઈ અને તેમના મિત્ર રાજુભાઈને પોલીસ સ્ટેશન ઉપાડી ગયા હતાં. જ્યાં એ.એસ.આઈ. અશ્વિન કાનગડ સહિતના પોલીસ સ્ટાફે હમીરભાઈ રાઠોડ અને રાજુભાઈ સોલંકીને પોલીસ સ્ટેશનમાં બેરહેમીથી માર માર્યો હતો. જેમાં હમીરભાઈ રાઠોડનું બીજા દિવસે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે રાજુભાઈનું તા. 24ના સાંજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. એ પછી એએસઆઈ અશ્વિન કાનગડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને થોડા દિવસ પહેલા જ અચાનક પોલીસ સમક્ષ હાજર થયો હતો. બેવડી હત્યાની આ ઘટનામાં પોલીસે ખૂનનો ગુનો નોંધી એ.એસ.આઈ. અશ્વિન કાનગડની ધરપકડ કરી છે, પણ હજુ અન્ય આરોપી પોલીસ કર્મચારીઓ ફરાર છે. આ મામલે પોલીસ પોલીસને છાવરી રહી હોવાના આક્ષેપો લાગ્યા છે. રાજકોટના હરેશ દેવજીભાઈ રાઠોડ સહિતના લોકોએ આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સીટની રચના કરી યોગ્ય તપાસ કરી એએસઆઈ કાનગડ સહિતના પોલીસ કર્મચારીઓનો કડકમાં કડક સજા થાય તેની માંગ કરી છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661f4bf28a4ac.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">મૃતકના પરિવારોને 50-50 લાખનું વળતર આપો</span></strong><br><span style="font-size: 14pt;">આવેદનપત્ર આપનાર હરેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, પોલીસ કસ્ટડીમાં બે નિર્દોષ યુવાનને મારમારી હત્યા કરવાના આ ચકચારી પ્રકરણમા સીટની રચના કરવામાં આવે તેની તપાસ આઈપીએસ સુધા પાંડેને સોંપવામાં આવે. આ ઉપરાંત તેમણે તા. 14/4/24થી 16/4/2024 સુધીના 48 કલાકના માલવીયાનગર પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની અને 6 મહિનામાં આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી ન્યાય આપવા અને બંને પીડિત પરિવારોને રૂ. 50-50 લાખની સહાય આપવાની માંગણી કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">હમીરભાઈ-રાજુભાઈને ધોકા વડે મારતા હોવાના સીસીટીવી ફૂટેજ મળ્યાં</span></strong><br><span style="font-size: 14pt;">રાજકોટનાં આંબેડકરનગર વિસ્તારમાં સામાન્ય ડખ્ખામાં બે નિર્દોષ યુવાનોને પોલીસ સ્ટેશને લઈ જઈ બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારી પ્રકરણમાં સીટની રચના કરવા રજૂઆત થઈ છે ત્યારે બીજી બાજુ આ બનાવની તપાસ ચલાવી રહેલા એસીપીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનના બે દિવસના સીસીટીવી ફુટેજ તપાસના કામે કબજે લીધા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બે નિર્દોષ યુવાનને પોલીસ સ્ટેશને લઈ આવ્યા બાદ એએસઆઈ કાનગડ દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હોવાના સીસીટીવી ફુટેજ મળ્યા છે. ત્યારે એએસઆઈની સાથે અન્ય કોઈ પોલીસ કર્મચારી આ કાંડમાં સામેલ છે કે કેમ? તે મુદ્દે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કસ્ટોડિયલ ડેથ મામલે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 80થી વધુ લોકોએ પોલીસ કસ્ટડીમાં જીવ ગુમાવ્યો છે. અને તેમાં અશ્વિન કાનગડ જેવા પોલીસ અધિકારીઓ જવાબદાર છે, જેમના કારણે લોકોનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/after-hamirbhai-rathod-his-friend-also-died-in-rajkot-custodial-death">રાજકોટ કસ્ટોડિયલ ડેથમાં હમીરભાઈ રાઠોડ બાદ તેમના મિત્રનું પણ મોત</a><br></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-youth-killed-by-police-on-ambedkar-jayanti-night-in-ambedkar-nagar">આંબેડકરનગરમાં આંબેડકર જયંતિની રાત્રે દલિત યુવકને પોલીસે મારતા મોત</a><br></span></strong></p>
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<p><span><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો.</span></a></strong></span></p>
</div>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 27 Apr 2024 10:11:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>549</Articleid>
                    <excerpt>રાજકોટના આંબેડકરનગરમાં રહેતા હમીરભાઈ રાઠોડ અને રાજુભાઈ સોલંકીની કસ્ટોડિયલ ડેથ મામલે હવે એસઆઈટી દ્વારા તપાસની માંગ કરાઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_662c81985b36e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662c81982d23e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662c81982d23e.jpg" length="103629" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Rajkot custodian death, malviya nagar police Station, ASI kangad</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડીસાના માલગઢમાં વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો</title>
                    <link>https://khabarantar.com/the-first-mass-marriage-program-of-valmiki-samaj-was-held-in-malgarh-disa</link>
                    <guid>https://khabarantar.com/the-first-mass-marriage-program-of-valmiki-samaj-was-held-in-malgarh-disa</guid>
                    <description>
                        <![CDATA[ બનાસકાંઠાના માલગઢ ગામે વાલ્મિકી સમાજના યુગલોનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 16 જેટલા યુગલોમાં પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલા ભૈરવ દાદાના મંદિરે આજે વાલ્મિકી સમાજના પ્રથમ સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 16 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડી સંસારની શરૂઆત કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662a0e72ecd77.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલા ભૈરવ દાદાના મંદિરે રવિવારે ડીસા તાલુકો વાલ્મિકી સમાજ સમૂહલગ્ન ચેરીટેબલ ટ્રસ્ટ, માલગઢ ગામના વાલ્મિકી સમાજના ભાઈઓના સહકારથી પ્રથમ સમૂહ લગ્ન મહેત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 16 નવદંપતિઓએ સંસારની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં માળી સમાજના દાતાઓએ દાનની સરવાણી વહેવડાવી હતી. ભોજનના મુખ્ય યજમાન તરીકે સ્વ. કસ્તુરજી વેનાજી સુંદેશા પરિવારે લ્હાવો લીધો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662a0ea703b6f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી, વાલ્મિકી સમાજના સમૂહ લગ્નના પ્રમુખ રમેશચંદ્ર મેજીયાતર, ઉપપ્રમુખ અમરતભાઈ મકવાણા, મંત્રી ઈશ્વરભાઈ મકવાણા, મહામંત્રી જયંતિભાઈ મકવાણા, ખજાનચી ચંદુભાઈ ડાલવણીયા, કન્વીનર જગદીશભાઈ પરમાર, માલગઢના સરપંચ ગટુબેન સુંદેશા, ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી સાથે ગ્રામજનો, કૈલાશધામ ચેરિટેબલ ટ્રસ્ટ સહિત સમસ્ત વાલ્મિકી સમાજ અને માલગઢના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/kosambas-vasava-family-decorated-the-wedding-hall-on-the-theme-of-bahujan-great-heroes">કોસંબાના વસાવા પરિવારે બહુજન મહાનાયકોની થીમ પર લગ્નમંડપ સજાવ્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 25 Apr 2024 13:38:25 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 25 Apr 2024 13:49:01 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>540</Articleid>
                    <excerpt>બનાસકાંઠાના માલગઢ ગામે વાલ્મિકી સમાજના યુગલોનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 16 જેટલા યુગલોમાં પ્રભુતામાં પગલા પાડ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_662a0e3ec5431.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662a0e3e96394.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662a0e3e96394.jpg" length="133176" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દાદરા નગર હવેલીમાં BSP ના ઉમેદવાર સાથે પક્ષના જ લોકો ખેલ કરી ગયા</title>
                    <link>https://khabarantar.com/In-dadra-nagar-haveli-the-bsp-candidate-was-played-by-the-partys-own-people</link>
                    <guid>https://khabarantar.com/In-dadra-nagar-haveli-the-bsp-candidate-was-played-by-the-partys-own-people</guid>
                    <description>
                        <![CDATA[ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર બીએસપીના ઉમેદવાર વાજતેગાજતે રેલી કાઢીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા પછી જે થયું તેના કારણે ભારે રોષ ફેલાયો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણી માટે ઉમદવારી નોંધાવવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે ભારે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું. ઉમેદવાર વાજતેગાજતે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે પહોંચ્યાં હતા પણ ત્યાં ગયા પછી તેમણે વીલા મોંએ પરત ફરવું પડ્યું હતું અને ફોર્મ ભર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. ગઈકાલે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે ફોર્મ ભરવામાં બાકી રહેલા તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું હતું. પણ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર બીએસપીના ઉમેદવાર છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા પહોચ્યા હતા. ઉમેદવાર વાજતે ગાજતે મોટી રેલી કાઢીને કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે અગાઉથી જ એક ફોર્મ ભરી દેવામાં આવ્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662345609dbd7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ પ્રમુખ તેમના અન્ય એક અગ્રણી અને BSPના ઉમેદવાર તરીકે બુધિયાભાઈ લીમજી ઉમેદવારી પત્ર ભરવા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, પરંતુ બુધિયાભાઈએ ફોર્મ ભર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. કલેક્ટર કચેરીએ પહોંચ્યા પછી તેમને જાણવા મળ્યું કે, બહુજન સમાજ પાર્ટી તરફથી અગાઉથી જ એક ઉમેદવારીપત્ર ભરી દેવામાં આવ્યું છે. આથી BSPના અગ્રણીએ લાચાર થઈને ઢીલા મોઢે પરત ફરવું પડ્યું હતું. આ બાદ, ફોર્મ ભરવા પહોંચેલા બુધીયાભાઈએ જાહેરમાં જ પાર્ટીના અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કરી હંગામો કર્યો હતો. રોષે ભરાયેલા ઉમેદવાર બૂધિયાભાઈ અને તેમના સમર્થકોએ પાર્ટીના ઝંડા, બેનરને રસ્તા પર જ ફેંકી દીધા હતા. જોકે પ્રશ્ન એ થાય કે, આ ફોર્મ પહેલા કોણે ભર્યું અને પાર્ટી તરફથી કોણ લડશે?</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6623455f40c2c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જણાવી દઈએ કે, આ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે સંદીપ શંકરભાઈ બોરસા નામના એક વ્યક્તિએ ગઈકાલે ઉમેદવારીપત્ર ભરી દીધું હતું, જોકે ગઈકાલે તેઓએ ઉમેદવારીપત્ર ભરતી વખતે પાર્ટીનું મેન્ડેટ જમા કરાવ્યું નહોતું, પરંતુ ગઈકાલે તેઓએ પાર્ટીનું મેન્ડેડ રજૂ કર્યું હતું. આથી BSPના ઉમેદવાર તરીકે ફોર્મ ભરાઈ ગયું હતું. આ જાણ થતાં બૂધિયાભાઈ દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં સોંપો પડી ગયો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6623455ea02ea.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાજતે ગાજતે રેલી લઈ જાનની જેમ ફોર્મ ભરવા પહોંચ્યા બાદ ફોર્મ નહીં ભરી શકતા ઉમેદવારે જાહેરમાં જ પોતાની પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને અગ્રણીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આટલેથી ન અટકતા તેઓએ તેમનો રોષ વ્યક્ત કરવા BSPના ચૂંટણી નિશાન, પાર્ટીના ઝંડા અને બેનરોને રોડ પર જ ફેંકી દીધા હતા. આ ઉપરાંત, તેમના સમર્થકોએ પણ BSPના પહેરેલા ટીશર્ટ પણ કાઢી અને રોડ પર ફેંકી દીધા હતા. આથી કલેકટર કચેરી બહાર માહોલ ગરમાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Even-if-there-is-a-difference-between-you-and-me,-it-can-be-overcome-only-by-grooming-the-Bahujan-politics,-not-by-blowing-up-the-divide">મારી-તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિની માવજત કરીને જ તેને દૂર કરી શકાશે, છેદ ઉડાડીને નહીં</a><br></span></strong></span></p>
<div class="post-text">
<p><span><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો.</span></a></strong></span></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 20 Apr 2024 10:09:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>529</Articleid>
                    <excerpt>દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર બીએસપીના ઉમેદવાર વાજતેગાજતે રેલી કાઢીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા પછી જે થયું તેના કારણે ભારે રોષ ફેલાયો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6623456170af8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662345613cd13.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662345613cd13.jpg" length="125475" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, BSP, dadra nagar haveli</media:keywords>
                </item>
                        <item>
                    <title>આંબેડકરનગરમાં આંબેડકર જયંતિની રાત્રે દલિત યુવકને પોલીસે મારતા મોત</title>
                    <link>https://khabarantar.com/dalit-youth-killed-by-police-on-ambedkar-jayanti-night-in-ambedkar-nagar</link>
                    <guid>https://khabarantar.com/dalit-youth-killed-by-police-on-ambedkar-jayanti-night-in-ambedkar-nagar</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટ શહેરમાં એક દલિત યુવકને બરાબર 14મી એપ્રિલના રોજ માલવીયાનગર પોલીસ ઉઠાવી ગઈ હતી અને ઢોર મારતા તેનું મોત નીપજતા એક પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">14મી એપ્રિલની રાત્રે એક બાજુ ગુજરાત સહિત આખા દેશનો બહુજન સમાજ તેમના મહાનાયક ડૉ. આંબેડકરની જન્મજયંતિ ઉજવી રહ્યો હતો, બીજી તરફ રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવેલા ખોડીયારનગરમાં પડોશમાં થયેલા ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા એક દલિત યુવકને પોલીસ કોઈ જ કારણ વિના ઉઠાવી ગઈ હતી અને ત્યાં ઢોર માર મારતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર રાજકોટ પંથકમાં દલિત સમાજમાં હાહાકાર મચી ગયો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661f4bf4220ef.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે માલવીયાનગર પોલીસ યુવકને ઉઠાવી ગઈ હતી અને તેને કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો, જેના કારણે તેમને બ્રેઈન હેમરેજ થતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે મૃતકના પરિવારજનોએ ન્યાયની ગુહાર લગાવી છે અને યુવકના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાખીને ધરણાં પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર રાજકોટ પંથકમાં દલિત સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, એક્ટિવિસ્ટો અને યુવાનો રાજકોટ પહોંચીને મૃતક યુવાનના પરિવારને સાંત્વના આપી ન્યાયની લડતમાં જોડાઈ રહ્યા છે. આ ઘટનામાં કથિત રીતે જવાબદાર આરોપી એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ કરીને એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગ કરી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661f4bf36a7c3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">મામલો શું હતો?</span></strong><br><span style="font-size: 14pt;">આ બનાવની મળતી વિગતો પ્રમાણે રાજકોટના ગોંડલ રોડ પાસે એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલા આંબેડકરનગર શેરી નં. 2માં રહેતા ગીતાબેન હમીરભાઈ ઉર્ફે ગોપાલભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ ઘરકામ કરે છે. ત્રણ દિવસ પહેલા તા. 14મી એપ્રિલની રાતે 11 વાગ્યાની આસપાસ તેમની શેરીની બાજુમાં ખોડીયારનગર શેરી નં.16 ના ખુણા પાસે ચોકમાં રાજુભાઈ સોલંકી તથા તેમના પુત્ર જયેશને તેમના પડોશી સાથે ઝગડો થયો હતો. આ મામલે પોલીસ બોલાવવામાં આવી હતી. જેથી જયેશ ગીતાબેનના પતિ હમીરભાઈને ઘરે બોલાવવા માટે આવ્યો હતો અને સમગ્ર મામલાની જાણ કરી સમાધાન માટે પ્રયત્નો કરવા કહ્યું હતું. આથી હમીરભાઈ તેની સાથે ગયા હતા. જો કે 15 મિનિટ બાદ તેમના દીકરા અરમાને આવીને ગીતાબેનને જણાવ્યું હતું કે, પોલીસની ગાડી આવી હતી અને તેઓ પપ્પાને મારતા મારતા ગાડીમાં બેસાડીને લઈ ગયા છે. આથી ગીતાબેન તેમની સાસુ કેશુબેન સાથે પડોશી નાગજીભાઈના ઘરે ગયા હતા અને તેમને પોલીસ હમીરભાઈને લઈ ગઈ હોવાની વાત કરી હતી.</span><br><span style="font-size: 14pt;">આથી તેઓ માલવીયાનગર પોલીસ સ્ટેશન પર ગયા હતા અને બાદમાં રાત્રીના એકાદ વાગ્યા આસપાસ નાનજીભાઈ ગીતાબેનના પતિ હમીરભાઈને એકટીવા બેસાડીને  ઘરે લઈ આવ્યા હતા. એ પછી તેઓ સુઈ ગયા હતા અને ત્યારે જ તેઓ અર્ધબેભાન જેવી સ્થિતિમાં હતા. હમીરભાઈને સવારે વહેલા ઉઠવાની ટેવ હતી. પરંતુ બીજા દિવસે સવારે તેઓ વહેલા જાગ્યા નહોતા. આથી તેમના પત્ની ગીતાબહેને જોયું તો તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને પેન્ટ પણ ખરાબ થઈ ગયું હતું. આથી તેમનાં કપડાં બદલ્યા હતા. એ દરમિયાન ગીતાબેનના ધ્યાને આવ્યું કે હમીરભાઈના શરીરે ઢોર માર માર્યાના મસમોટા ચાઠાં પડી ગયા હતા. જેથી તેમણે સાસુ અને જેઠને વાત કરતા તેઓને તાત્કાલિક વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને માથાના ભાગે હેમરેજ જેવી ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં યુવકના ભાઈએ એક વિડીયો મારફતે બનાવ અંગે રોષ ઠાલવતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર. દેસાઈ, પીઆઈ એમ.ડી. ગઢવી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો અને અજાણ્યાં શખ્સ વિરૂદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661f4bf28a4ac.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન ગઈકાલે સવારે સારવારમાં રહેલા હમીરભાઈનું મોત નિપજયું હતું. આથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. આ બનાવથી પીડિત દલિત પરિવારમાં આક્રંદની સાથે પોલીસ સામે ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ સમાજના યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થયાનું જાણીને દલિત સમાજના આગેવાનો સહિતના લોકો દોડી આવ્યા હતાં અને જ્યાં સુધી યુવકને માર મારનાર પોલીસકર્મીનું નામ ફરિયાદમાં ઉમેરી ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી પોલીસ કમિશ્નર કચેરીએ લોકોના ઘાડેધાડા ઉતરી આવ્યા હતાં અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ સ્થિતિ તંગ બનતાં એ. ડિવિઝન પીઆઈ આર.જે.બારોટ સહિતનો પોલીસ સ્ટાફ તેમજ એલસીબી ઝોન-1 ના પીએસઆઈ આર. એચ. ઝાલા સહિતનો સ્ટાફ પણ હોસ્પિટલે દોડી આવ્યો હતો. જો કે, પોલીસે ન્યાય અપાવવાને બદલે દલિત સમાજના આગેવાનોને દૂર ખસેડવાનું કામ કર્યું હતું. આથી દલિતો રોષે ભરાયા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661f4d1703638.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661f4d323d213.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">સિવિલ હોસ્પિટલ ચોકમાં પથ્થરમારો</span></strong><br><span style="font-size: 14pt;">રાજકોટમાં પોલીસના મારથી હમીરભાઈ રાઠોડનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવતા શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે રિક્ષા સહિતના વાહનોમાં તોડફોડ થઈ હતી. જ્યાં પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેર પોલીસ દ્વારા આઈપીસી 302 અને એટ્રોસિટી એક્ટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશ્વિન કાનગડ નામના એએસઆઈ સામે કોર્ટમાં નામજોગ રિપોર્ટ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસની જુદી જુદી સાત જેટલી ટીમો દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું કહેવાય છે. બીજી તરફ વગર વાંકે એક નિર્દોષ દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થતા ઉશ્કેરાયેલા લોકોએ શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે રિક્ષા સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી. લોકોનો રોષ જોઈને પોલીસે આરોપીઓને 48 કલાકમાં ઝડપી પાડવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો અને મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661f4d4f0eceb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ</span></strong></span><br><span style="font-size: 14pt;">હમીરભાઈ રાઠોડના મોત બાદ કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે ત્યારે એ પણ યાદ રાખવું જોઈએ કે ગુજરાત પોલીસ સમગ્ર દેશમાં કસ્ટોડિયલ ડેથને મામલે બદનામ છે. સામાન્ય લોકો પર વર્દીનો રોફ ઝાડતી ગુજરાત પોલીસની છબિ લોકોમાં પહેલેથી જ સારી નથી અને તેનું સૌથી મોટું કારણ તેમનું લોકો સાથેનું તોછડું વર્તન અને વર્દીની રોફ છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળવી સહિતના કારણોને લીધે આરોપીઓનાં મોત થયા છે. વર્ષ 2022માં જ ગુજરાતમાં સૌથી વધુ 24 મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન(NHRC)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ સરકારના ગૃહ વિભાગનો અસંવેદનશીલ ચહેરો ખુલ્લો પાડ્યો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661f4d64de6fe.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કસ્ટોડિયલ ડેથના આંકડાઓ પર નજર કરીએ તો, ગુજરાતમાં વર્ષ 2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12 અને વર્ષ 2021-22માં 24 કસ્ટોડીયલ ડેથની ઘટનાઓ બની છે. કોરોનાકાળના વર્ષ 2019-20માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ 2021-22માં 24 ઘટના સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Gujarat-ranks-first-in-country-in-custodial-deaths,-80-accused-died-in-police-custody-in-last-5-years">કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, છેલ્લાં 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીઓના મોત થયા</a><br></span></strong></span></p>
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 17 Apr 2024 09:54:46 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 17 Apr 2024 10:08:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>515</Articleid>
                    <excerpt>રાજકોટ શહેરમાં એક દલિત યુવકને બરાબર 14મી એપ્રિલના રોજ માલવીયાનગર પોલીસ ઉઠાવી ગઈ હતી અને ઢોર મારતા તેનું મોત નીપજતા એક પરિવારનો આધાર છીનવાઈ ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_661f4bf52a1d4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661f4bf4ee80d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661f4bf4ee80d.jpg" length="126402" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ફક્ત ડૉ. આંબેડકરના કારણે જજ બની શક્યો છું – જસ્ટિસ બી.આર. ગવઈ</title>
                    <link>https://khabarantar.com/only-dr-I-became-a-judge-because-of-ambedkar-justice-b-r-gawai</link>
                    <guid>https://khabarantar.com/only-dr-I-became-a-judge-because-of-ambedkar-justice-b-r-gawai</guid>
                    <description>
                        <![CDATA[ 2025માં ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનવા જઈ રહેલા જસ્ટિસ ગવઈએ ખુલ્લા મંચ પરથી કહ્યું કે હું માત્ર અને માત્ર ડો. ભીમરાવ આંબેડકરના કારણે જજ બની શક્યો છું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ ઈતિહાસ રચવા જઈ રહ્યાં છે. વર્ષ 2025માં તેઓ દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે CJI બનશે. ખાસ વાત એ છે કે, દલિત સમાજમાંથી આવતી તેઓ બીજી વ્યક્તિ હશે જે આ પદ પર બેસશે. જસ્ટિસ ગવઈ તેમના જજ બનવાનો શ્રેય ભારરત્ન ડો. ભીમરાવ આંબેડકરને આપે છે. તેઓ ખુલ્લાં મંચ પરથી કહે છે કે, આંબેડકરના કારણે જ તેમના જેવી વ્યક્તિ અહીં સુધી પહોંચી શકી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોમવારે ડો. આંબેડકર મેમોરિયલ લેક્ચર દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું, ભારતીય બંધારણનું શ્રેય ડો. આંબેડકરને જાય છે. માત્ર બાબાસાહેબના કારણે મારા જેવી વ્યક્તિ આ પદ સુધી પહોંચી શકી છે. એ બાબાસાહેબની જ દેન છે કે, મારા જેવો અર્ધ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારની એક મ્યૂનિસિપલ સ્કૂલમાં ભણેલો માણસ પણ આ પદ સુધી પહોંચી શક્યો છે. કાર્યક્રમના તેમની સાથે જસ્ટિસ એ.એસ. ઓક પણ ઉપસ્થિત હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ ઓકે ખાસ કરીને કલમ 32નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “અમુક લોકો કહેશે કે સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 32ની તમામ અરજીઓને હાઈકોર્ટ મોકલ્યા વિના સાંભળવી જોઈએ. પણ અમે એક આદર્શ દુનિયામાં નથી રહેતા અને જો કેસ પેન્ડિંગ ન હોત તો ચિત્ર અલગ હોત.” સુપ્રીમ કોર્ટમાં 80 હજાર કેસો પેન્ડિંગ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, “અમે માત્ર બંધારણીય અદાલત જ નથી પરંતુ એક અપીલ કોર્ટ પણ છીએ. જ્યારે આપણે કામ વધારતા હોઈએ છીએ ત્યારે આપણે પ્રાથમિકતાઓ નક્કી કરવાની જરૂર હોય છે. એવા કેદીઓ છે જેમને કાયમી માફી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. આવા આરોપીઓ વતી અપીલો કરવામાં આવે છે જેમને લાંબા સમયથી અંદર રાખવામાં આવ્યા છે. પરંતુ એવા વેપારી પણ છે જેઓ વકીલોની મોટી ટીમ લાવે છે અને કોર્ટનો સમય લે છે અને દલીલ કરે છે કે 19(1)(જી) નો ભંગ થાય છે. તો પછી આપણે સામાન્ય ગુનેગારો અને ઉદ્યોગપતિઓ વચ્ચે સમાનતા કેવી રીતે લાવીશું?” કલમ 32 હેઠળ જો કોઈ બંધારણમાં આપવામાં આવેલા અધિકારોથી વંચિત રહી જાય તો તે નાગરિક સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/If-Babasaheb-had-not-brought-my-grandfather-to-Aurangabad,-I-would-not-be-sitting-on-this-judges-chair-today---Justice-Prasanna"><strong>જો બાબાસાહેબ મારા દાદાને ઔરંગાબાદ ન લાવ્યા હોત તો હું આજે આ જજની ખુરશી પર ન બેઠો હોત - જસ્ટિસ પ્રસન્ના</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 16 Apr 2024 12:24:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>512</Articleid>
                    <excerpt>2025માં ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનવા જઈ રહેલા જસ્ટિસ ગવઈએ ખુલ્લા મંચ પરથી કહ્યું કે હું માત્ર અને માત્ર ડો. ભીમરાવ આંબેડકરના કારણે જજ બની શક્યો છું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_661e13fd439a6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661e13fd11db1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661e13fd11db1.jpg" length="36048" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કથિત સર્વણોની સોસાયટીમાં એક દલિતે પોતાના ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું!</title>
                    <link>https://khabarantar.com/a-dalit-named-his-house-samvidhan-in-a-society-of-so-called-sarvans</link>
                    <guid>https://khabarantar.com/a-dalit-named-his-house-samvidhan-in-a-society-of-so-called-sarvans</guid>
                    <description>
                        <![CDATA[ સોશિયલ મીડિયામાં છેલ્લાં ત્રણ વર્ષથી એક ઘરનો ફોટો ફરી રહ્યો છે, જેનું નામ ‘સંવિધાન’ છે. કોનું છે આ ઘર અને તે ક્યાં આવેલું છે, ચાલો જાણીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે 14મી એપ્રિલ, ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ. બાબાસાહેબે જાતિનિર્મૂલન અને બંધારણની રચના કરી બહુજન સમાજ માટે આખી જિંદગી ઘસી નાખી. તેમ છતાં હજુ પણ દલિતો, આદિવાસીઓ, ઓબીસી કે લઘુમતી સમાજ માટે તેમની જાતિ જાહેર થઈ જાય તો કથિત સવર્ણો મોં મચકોડીને જાતિવાદી કમેન્ટ કરતા અચકાતા નથી. કદાચ એટલે જ બહુજન સમાજના ઘણાં લોકો જાહેરમાં બાબાસાહેબનું નામ લેતા ખચકાટ અનુભવતા હોય છે. આ બધાં વચ્ચે કેટલાક એવા લોકો પણ હોય છે જે જાતિવાદીઓને બેધડક જવાબ આપતા હોય છે. આપણે જે ઘરની વાત કરવા જઈ રહ્યાં છીએ તેનું નામ સંવિધાન કંઈક આવી જ બાબતમાંથી પડ્યું છે. સોશિયલ મીડિયામાં એક ઘર તકતી મારેલી છે અને તેમાં 'સંવિધાન' લખેલું છે. 14મી એપ્રિલના રોજ એ ઘર આખું રોશનીથી શણગારેલું અને છેક ઉપર બાબાસાહેબનો મોટો ફોટો મૂકેલો હોય તેવો ફોટાં ખૂબ વાયરલ થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ ઘર કચ્છના જિલ્લા મથક ભૂજમાં આવેલું છે અને તેના માલિક છે અમદાવાદમાં રહેતા શંકરભાઈ ડુંગરિયા. ભૂજમાં, પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં ઓધવ એવન્યૂ-2માં આવેલું તેમનું ઘર એ સમયે ગુજરાતભરના બહુજન સમાજ માટે ગર્વનું પ્રતિક બની ગયું હતું, કેમ કે તેમણે ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું હતું. શંકરભાઈ પોતે બહુજન એક્ટિવિસ્ટ છે. સાથે જ તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્થાપિત રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના કાર્યકર પણ છે. મજાની વાત એ છે કે, ચુસ્ત સ્વામીનારાયણ સંપ્રદાયના લોકોની આખી સોસાયટીમાં તેઓ એકમાત્ર બહુજન સમાજમાંથી આવતી વ્યક્તિ છે. તેમની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોય તો પોતાની ઓળખ છુપાવવા પ્રયત્ન કરત, પણ શંકરભાઈએ તો તેને ખૂલીને લોકો વચ્ચે મૂકી દીધી. તેમણે ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું અને તેની ઉપર ડો. આંબેડકરનો ફોટો લગાવેલો. જાતિની ઓળખ છતિ થવાની સાથે લોકોને કથિત સવર્ણોની ખફગીની સૌથી મોટી ચિંતા સતાવતી હોય છે. પણ શંકરભાઈ સાથે તેનાથી જુદું જ થયું. તેમની સોસાયટીના લોકોએ પણ તેમના આ પ્રગતિશીલ પગલાને આવકાર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/it-raid-on-trust-building-educational-complex-for-dalits-in-surendranagar">સુરેન્દ્રનગરમાં દલિતો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટ પર ITની રેડ</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661a916acf1ae.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘સંવિધાન’ નામ રાખતી વખતે બીક નહોતી લાગતી કે ક્યાંક લોકો તમારી જાતિ વિશે પૂછશે, બીજા કેટલાક સવાલો કરશે તો? આ સવાલના જવાબમાં શંકરભાઈ કહે છે, “બીક શેની, મારું ઘર હતું અને હું તેના થકી સમાજને કંઈક સંદેશ આપવા માંગતો હતો! ઘરના નામ પરથી આપણે ત્યાં લોકો તેનો ધર્મ, જ્ઞાતિ-જાતિનો અંદાજ લગાવી લેતા હોય છે અને તમારી વિચારધારા પણ પ્રતિબિંબિત થતી હોય છે. નાનપણથી મેં જોયું હતું કે, નેવુંના દાયકાના છાપાં અને ખુદ સરકાર પણ દલિતો માટે પ્રતિબંધિત એવો ‘હરિજન’ શબ્દનો ઉપયોગ કરતા હતા. તેને લઈને અમે જાહેરમાં હરિજન શબ્દની હોળીનો કાર્યક્રમ આપેલો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Answer-to-racists:-In-Bhavnagars-Jaliya,-a-father-put-his-daughter-on-a-horse-and-took-her-out,-drove-her-around-the-village-for-3-hours"><strong>જાતિવાદીઓને જવાબઃ ભાવનગરના જાળીયામાં પિતાએ દીકરીને ઘોડી પર બેસાડી ફુલેકું કાઢ્યું, ગામમાં 3 કલાક ફેરવી</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661a918edcf8e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમાં મીડિયાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે, જો આજ પછી તમે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરશો તો અમે તમારા પર કાયદેસરની કાર્યવાહી કરીશું. એ પછી તેનો ઉપયોગ બંધ થયો હતો. જો કે, હજુ પણ કેટલાક મીડિયામાં આ શબ્દનો ખૂણેખાંચરે થતો રહે છે. વર્ષ 1991માં જ્યારે બાબાસાહેબની જન્મજયંતિનું વર્ષ હતું ત્યારે મેં છેલ્લીવાર તેમની પ્રતિમાને ફૂલહાર કરેલો. એ પછી મેં નક્કી કર્યું હતું કે, હવે પછી તેમની પ્રતિમાને ફૂલહાર નહીં કરું, પણ આજીવન તેમના વિચારોનો સમાજમાં ફેલાવો થાય તે માટે કામ કરતો રહીશ. અને લોકોને બાબાસાહેબના મહાન કાર્યનો સંદેશ આપવા માટે જ મેં મારા ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/In-the-hotels-where-Dalits-were-not-allowed-to-enter,-they-had-to-sit-and-feed-sweets"><strong>જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661a93f893829.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શંકરભાઈ પોતાની વાત આગળ વધારતા કહે છે, “ ઘરના નામ પરથી આપણી વિચારધારા સ્પષ્ટ થતી હોય છે. મારા ઘરનું નામ છે "સંવિધાન" એટલા માટે છે, કેમ કે હું માનું છું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર રચિત ભારતનું બંધારણ એ દેશના લોકો માટે સૌથી અમૂલ્ય લેખિત દસ્તાવેજ છે. તે સંસારનો સર્વોત્તમ ગ્રંથ છે. બેન્ક બેલેન્સથી મકાન બનાવી શકાય, ઘર નહીં. ઘર ને અપાયેલું નામ આપણાં વિચોરોનું પ્રતિબિંબ હોય છે. મકાન બનાવવા માટે ઈંટ, પથ્થર, રેતી, સિમેન્ટ, ચુના અને ટાઈલ્સની જરૂર પડે છે. આ બાંધકામ સામગ્રીથી રહેણાંક માટેનું જે સ્ટ્રકચર ઉભું થાય એને મકાન કહેવાય, ઘર નહીં. હું માનું છું કે ઘર એટલે આવી બધી બાંધકામ સામગ્રીથી બનેલી આપણી સલામતી વ્યવસ્થા. સ્ક્વેર ફૂટમાં કે સુપર બિલ્ટ અપમાં જે મપાઈ શકે એને મકાન કહેવાય. આ મકાન જે ગલી, મહોલ્લા, સોસાયટી, ગામ કે શહેરમાં આવ્યું હોય. ગૂગલ જેને શોધી આપે એને સરનામું કહેવાય. આ સરનામાના સ્થળે આપણે જે નેમ પ્લેટ લગાવીએ છીએ એમાં લખાતું "ઘરનું નામ" આપણી માન્યતાઓ, આપણી આસ્થા કહો કે વિચારધારાનું એક પ્રતિક હોય છે. આપણાં ઘર પાસેથી પસાર થતાં લોકો માત્ર આપણાં ઘરનું નામ માત્ર વાંચીને પણ આપણી વિચારધારા વિષે સ્પષ્ટ અભિપ્રાય કેળવી શકે એવું હોવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/This-Bahujan-youth-who-used-to-wire-the-house-at-one-time-has-clients-like-IIM-A,-AMUL,-Indian-Railway"><strong>એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM-A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661b4a805df07.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ રીતે આપણી વિચારધારા બહુ સ્પષ્ટ હોવી જોઈએ અને તે આપણાં વાણીવર્તન અને વ્યવહારમાં પણ વ્યક્ત થવી જોઈએ.  આ ઘરના સરનામે એક છત હેઠળ રહેતા લોકો પોતાના "ઘરનું નામ" સાર્થક થાય એવું વર્તન કરતા હોવા જોઈએ. હું આજે જે બે-પાંદડે થયો છું એના માટે ફલાણાં કે ઢીંકણા કોઈની કૃપા નથી. હું બહું સ્પષ્ટ રીતે માનું છું કે ડૉ.બાબાસાહેબ આંબેડકરે વિદ્વતાપૂર્ણ રીતે લખેલા "ભારતીય સંવિધાન" ના લીધે મારી પ્રગતિ થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Wind-of-change:-Amreli-bride-and-groom-get-married-under-constitution-witness"><strong>પરિવર્તનનો પવનઃ અમરેલીમાં વર-કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા!</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661a944aa92dc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકો ભારતને આજે લોકશાહીની માતા તરીકે ઓળખે છે તેની પાછળ ભારતના બંધારણનો બહુ મોટો ફાળો છે. હું એવું પણ માનું છું કે ઘરમાં એક છત હેઠળ રહેતાં લોકોના ચહેરા ઉપર હાસ્ય ના હોય તો "લાફીંગ બુદ્ધા"ની રાખેલી પ્રતિમા કંઈ કરી શકે નહીં. ઘર ભલે નાનું હોય કે મોટું. ઘર ભલે ભાડાનું હોય કે પોતાનું. અહીં માલિકીની નહીં, મહોબ્બતની મજા છે. હું માનું છું કે ઘરને અપાયેલું નામ આપણાં વિચારોનું વાહક હોવું જોઈએ. ઘરનું નામ આપણી વિચારધારાને પોષતું હોવું જોઈએ. ઘર ના નામ પરથી એમાં રહેતા લોકોની વિચારધારાની જગતને જાણ થતી હોય છે. ઘરનું નામ એટલે આપણી અંગત વિચારધારાનું પ્રતિબિંબ. એટલે જ મારા ઘરનું નામ ‘સંવિધાન’ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/GPSC-Result-2023:-13-SC-candidates-selected-in-merit-out-of-11-selected-in-open-merit"><strong>GPSC Result 2023: મેરિટમાં પસંદગી પામેલા 13 SC ઉમેદવારો પૈકી 11 open મેરિટમાં પસંદગી પામ્યા</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 14 Apr 2024 10:00:50 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 14 Apr 2024 08:56:25 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>500</Articleid>
                    <excerpt>સોશિયલ મીડિયામાં છેલ્લાં ત્રણ વર્ષથી એક ઘરનો ફોટો ફરી રહ્યો છે, જેનું નામ ‘સંવિધાન’ છે. કોનું છે આ ઘર અને તે ક્યાં આવેલું છે, ચાલો જાણીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_661a3bba1f77f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661a3bb9e1815.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661a3bb9e1815.jpg" length="106764" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મૂર્ધન્ય દલિત સાહિત્યકાર દલપત ચૌહાણ નો 85 મો જન્મદિવસ ઉજવાયો</title>
                    <link>https://khabarantar.com/the-85th-birthday-of-legendary-dalit-writer-dalpat-chauhan-was-celebrated</link>
                    <guid>https://khabarantar.com/the-85th-birthday-of-legendary-dalit-writer-dalpat-chauhan-was-celebrated</guid>
                    <description>
                        <![CDATA[ ડર, ગીધ, ભેલાણ, રાશવા સૂરજ જેવી વિખ્યાત દલિત નવલકથાઓના લેખક દલપત ચૌહાણનો 85 મો જન્મદિવસ અમદાવાદ ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો અહેવાલ અહીં પ્રસ્તુત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે માત્ર ને માત્ર દલિત સાહિત્યને જ સમર્પિત, ગુજરાતના મૂર્ધન્ય દલિત સાહિત્યકાર દલપત ચૌહાણનો બે દિવસ પહેલા 85મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. મનીષ પાઠક શ્વેત પ્રેરિત અમદાવાદ સ્થિત ઓમ કોમ્યુનિકેશન દ્વારા આશ્રમ રોડ પર આવેલા આત્મા હોલમાં 'શબ્દજ્યોતિ' ઉપક્રમ અન્વયે પોતાના સંઘર્ષભર્યા જીવનકાળ અને સાહિત્યસફર પર પુરી ૯૦ મિનિટ સુધી દલપતભાઈએ દિલ ખોલીને વાતો કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6618d89ea156a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમના જન્મદિનના અવસરે કાર્યક્રમ દરમિયાન બર્થ ડે કેક કાપીને સાહિત્યભાવકોની વચ્ચે એમનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6618d89df1c82.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પ્રસંગે સર્વશ્રી મોહન પરમાર, સતીશ વ્યાસ, રાઘવજી માધડ, કિશોર ગૌડ, મહેન્દ્રસિંહ, જયંત ડાંગોદરા, નટુભાઈ પરમાર, કિશોર જિકાદરા, રમણ વાઘેલા, રમણ માધવ, રામ જાસપુરા, પ્રવીણ શ્રીમાળી, આત્મારામ ડોડીયા, નગીન ડોડીયા, ભરત દેવમણી, હિતેન્દ્ર હિતકર સહિત સાહિત્યકારો-સાહિત્યભાવકો સૌ ઉપસ્થિત રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6618d89d50876.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6618d89ca1a34.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં દલિત સાહિત્યના આરંભકો પૈકીના એક અને આજે ૮૫ની ઉમરે પણ દલિત સાહિત્ય લેખનમાં સતત રત દલપતભાઈએ ગુજરાતી સાહિત્ય દ્વારા આરંભના તેના અસ્વીકાર પછી, પ્રતિબધ્ધતાના બળે ગુજરાતી દલિત સાહિત્યે આજે પોતાનો મુકામ જે હાંસલ કર્યો છે, તેની સઉદાહરણ વાત કરી હતી. સાથે જ પોતાના વ્યક્તિગત જીવનમાં ડગલે ને પગલે વેઠેલી જાતિવાદી પીડાઓ વિશે પણ તેમણે વાત કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6618d89bf0657.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6618d89b546ca.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6618d89a9d460.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાહિત્યના ક્ષેત્રે અનેક માન-અકરામ પ્રાપ્ત કરનારા દલપતભાઈનું સાહિત્ય આજે હિન્દી, અંગ્રેજી સહિત દેશની પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત થયું છે અને દેશની મહાવિદ્યાલયોમાં તેના અભ્યાસક્રમોમાં પણ સ્થાન પામ્યું છે. અનેક છાત્રો દલપતભાઈના સાહિત્ય પર પી.એચડી. કરી ચૂક્યા છે. કવિતા,વાર્તા, નવલકથા, નાટક, શબ્દકોશ, વિવેચન, આત્મકથા જેવી તમામ વિદ્યાઓમાં સર્જન કરતા રહેલા દલપતભાઈ ગુજરાતી દલિત સાહિત્યની એક યશકલગી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/we-did-not-go-to-cast-holi-and-on-the-day-of-holi-itself-the-upper-caste-attacked-vas-dalpat-chauhan">અમે હોળીના છાણાં નાખવા ન ગયા અને સવર્ણોએ વાસ પર હુમલો કર્યો</a></span></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><span><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
<p></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 12 Apr 2024 12:55:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>496</Articleid>
                    <excerpt>ડર, ગીધ, ભેલાણ, રાશવા સૂરજ જેવી વિખ્યાત દલિત નવલકથાઓના લેખક દલપત ચૌહાણનો 85 મો જન્મદિવસ અમદાવાદ ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો અહેવાલ અહીં પ્રસ્તુત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6618d89fb06e6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6618d89f59d12.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6618d89f59d12.jpg" length="88498" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સુરતમાં જ્યોતિષે વિધીના બહાને મહિલા પાસેથી 14 લાખ પડાવી દુષ્કર્મ કર્યું</title>
                    <link>https://khabarantar.com/In-surat-an-astrologer-raped-a-woman-by-extorting-14-lakhs-on-the-pretext-of-a-ritual</link>
                    <guid>https://khabarantar.com/In-surat-an-astrologer-raped-a-woman-by-extorting-14-lakhs-on-the-pretext-of-a-ritual</guid>
                    <description>
                        <![CDATA[ સુરતમાં ફરી એકવાર તાંત્રિક વિધીના બહાને મહિલા સાથે દુષ્કર્મ કરવાની સાથે લેભાગુ તત્વો દ્વારા રૂ. 14 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાંત્રિક વિધીના બહાને મહિલાઓ સાથે દુષ્કર્મની ફરિયાદો સમયાંતરે થતી રહે છે. અગાઉ સુરતમાં જ એક મહિલા સાથે આ રીતે વિધી કરવાના બહાને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને હવે ફરી એકવાર સુરતમાં જ આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં જ્યોતિષીઓ દ્વારા મહિલા સાથે દુષ્કર્મ કરવાની સાથે રૂ. 14 લાખ જેવી માતબર રકમ પણ પડાવી લેવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામમાં રહેતી એક યુવતી પાસેથી એક જ્યોતિષી કમ તાંત્રિકે અલગ અલગ વિધી કરવાના બહાને રૂ. 14 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. એટલું જ નહીં કહેવાતા જ્યોતિષ ઉર્ફ તાંત્રિકે મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Fourteen-year-old-dalit-girl-killed-after-rape-body-hanged-on-pole-in-uttar-Pradeshs-aligarh">ઉત્તરપ્રદેશના અલીગઢમાં 14 વરસની દલિત કિશોરીની બળાત્કાર બાદ હત્યા કરી લાશ ખીંટીએ લટકાવાઈ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદની વિગતો મુજબ કતારગામની મહિલાને ઘરમાં પારિવારિક સમસ્યાઓ સતાવતી હતી. જેથી તે તેના નિવારણ માટે આ તાંત્રિક પાસે પહોંચી હતી. કથિત જ્યોતિષ કિર્તી તાંત્રિક ઉર્ફે કિર્તી માંડવીયા અને તેના સાગરિતોએ વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન ફરિયાદી મહિલાને તાંત્રિક ચમત્કાર દ્વારા દરેક મુશ્કેલી અને સમસ્યાઓનું સમાધાન કરી આપવાના નામે અલગ અલગ વિધિના બહાને રૂપિયા ૧૫ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. જેમાં સોના-ચાંદીના ઘરેણાં પણ સામેલ છે. લેભાગુ તાંત્રિકે ઘરમાં આત્માનો વાસ છે અને ઘરમાં મોટા પ્રમાણમાં સોનું રહેલું છે તેમ કહીને ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લીધી હતી. તાંત્રિકોની વાતમાં આવી ગયેલી મહિલાએ તમામ રકમ અને સોના ચાંદીના ઘરેણાં તેને આપી દીધાં હતા. જો કે નિયત સમયમર્યાદામાં તેની સમસ્યાનું સમાધાન ન થતા પોતે છેતરપિંડીનો ભોગ બની હોવાનું ભાન થતા સુરત સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો, જ્યાં સાયબર ક્રાઈમ સેલે મહિલાની ફરિયાદના આધારે તાંત્રિકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તાંત્રિકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપી કથતિ તાંત્રિકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તાંત્રિકનું નામ કીર્તિ માંડવીયા હોવાનું સામે આવ્યું છે જેણે વિધી કરવાના બહાને સંપર્કમાં આવેલી મહિલાને પ્રેમજાળમાં ફસાવીને રૂ. 14 લાખ પડાવી લીધા હતા. મહિલાની ફરિયાદના આધારે હાલ કીર્તિ માંડવીયાની કતારગામ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસે આ તાંત્રિકે અગાઉ અન્ય કોઈની સાથે આ જ રીતની કરતૂત કરી છે કે નહીં તેને લઈને પણ તપાસ શરૂ કરી છે. આ સિવાય તાંત્રિક સાથે બીજા કોણ લોકો જોડાયેલા છે અને મહિલા આ તાંત્રિક-જ્યોતિષીઓ સુધી કેવી રીતે પહોંચી તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/dalit-rape-victim-asked-by-magistrate-to-remove-clothes-and-show-injury-marks">દલિત રેપ પીડિતાને મેજિસ્ટ્રેટે કહ્યું- કપડાં ઉતાર અને ઈજાના નિશાન બતાવ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com </span><span lang="GU"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>.</span></span> <span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 10 Apr 2024 19:26:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>488</Articleid>
                    <excerpt>સુરતમાં ફરી એકવાર તાંત્રિક વિધીના બહાને મહિલા સાથે દુષ્કર્મ કરવાની સાથે લેભાગુ તત્વો દ્વારા રૂ. 14 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_66169984bb8a3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661699848e794.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661699848e794.jpg" length="72402" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;સાસરે ના જતી હું તને સાચવી લઈશ&amp;quot; કહીને આચાર્યે શિક્ષિકાની છેડતી કરી</title>
                    <link>https://khabarantar.com/acharya-molested-the-teacher-by-saying-sasare-na-jati-i-will-save-you</link>
                    <guid>https://khabarantar.com/acharya-molested-the-teacher-by-saying-sasare-na-jati-i-will-save-you</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટની એક ખાનગી શાળાના લંપટ પિતાપુત્રએ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી દલિત યુવતીને ચેમ્બરમાં બોલાવી છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટમાં એક ખાનગી શાળાના આચાર્ય અને તેના પુત્રે એ જ શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી દલિત યુવતી સાથે અડપલાં કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સત્તાપક્ષના આશીર્વાદથી મફત અને સરકારી શિક્ષણની ઘોર ખોદીને ખાનગી શિક્ષણનું આખું સામ્રાજ્ય ઉભું કરનારા આવા તત્વો હવે લંપટગીરીમાં પણ કરવા માંડ્યા છે. ખાનગી સ્કૂલોના ટ્રસ્ટીઓ, આચાર્યો દ્વારા શિક્ષકોનું પગારમાં તો શોષણ કરવામાં આવે જ છે, સાથે જ શિક્ષિકાઓના શારીરિક શોષણના બનાવો પણ બને છે. આવી જ આ ઘટના રાજકોટના પેડક રોડ પરની એક ખાનગી શાળામાં બની છે. જ્યાં શિક્ષણ જગતને લાંછન લાગે તેવું કૃત્ય આ સ્કૂલના ટ્રસ્ટી પિતા-પુત્રએ કર્યું હતું. ટ્રસ્ટી પિતા-પુત્રે ત્યાં પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીને બિભત્સ શબ્દો કહીને તેની છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી વિગતો પ્રમાણે અહીંના પેડક રોડ પર આવેલી જવાહર સ્કૂલમાં પ્રાથમિક શાળામાં દલિત યુવતી શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. યુવતીના લગ્ન થઈ ગયા હતા પણ પતિ સાથે મનમેળ ન થતા તે રિસામણે હતી અને પિયરમાં તેની માતાના ઘરે રહેતી હતી અને છેલ્લાં ચારેક મહિનાથી જવાહર સ્કૂલમાં શિક્ષિકા તરીકે ઈન્ટર્નશીપ કરી રહી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે સવારે તેને શાળાના આચાર્ય નિરવ ઠુમ્મર અને તેના પિતા જયંતિ ઠુમ્મરે પોતાની ચેમ્બરમાં બોલાવીને બિભસ્ત શબ્દો કહ્યા હતા. આ લંપટ પિતાપુત્રએ યુવતીને કહ્યું હતું કે, સાસરે પાછી ન જતી, તારા પતિ સાથે છુટાછેડા લઈ લે, હું તને આખી જિંદગી સાચવીશ. જો કે યુવતીએ કડક શબ્દોમાં તેમને જણાવી દીધું હતું કે, આ મારા પરિવારનો અંગત મામલો છે અને અમને એમાં તમારી સલાહની કોઈ જરૂર નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી શિક્ષિકા યુવતીએ આખા મામલાની જાણ તેની માતાને કરી હતી. જેથી તેની માતા અને મામા લંપટ પિતા-પુત્રને સમજાવવા માટે ગયા હતા. જો કે ત્યાં બંને લંપટો લાજવાને બદલે ગાજવા લાગ્યા હતા અને યુવતીના મામા સાથે ઝપાઝપી કરી હતી. આથી યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા બી ડિવિઝન પોલીસ અને SHE ટીમ આવી પહોંચી હતી. અને મામલાની હકીકત જાણ્યા બાદ ફરિયાદ યુવતી તેમજ જવાહર સ્કૂલના લંપટ પિતા-પુત્રને પોલીસ મથકે લઈ આવી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં સ્કૂલના ટ્રસ્ટી જયંતિ ઠુમ્મર અને તેના પુત્ર નિરવ ઠુમ્મર વિરુદ્ઘ છેડતી, મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dalit-rape-victim-asked-by-magistrate-to-remove-clothes-and-show-injury-marks">દલિત રેપ પીડિતાને મેજિસ્ટ્રેટે કહ્યું- કપડાં ઉતાર અને ઈજાના નિશાન બતાવ</a><br></span></strong></span></p>
<div class="post-text">
<p><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></strong><strong><span><br></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 10 Apr 2024 09:59:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>486</Articleid>
                    <excerpt>રાજકોટની એક ખાનગી શાળાના લંપટ પિતાપુત્રએ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી દલિત યુવતીને ચેમ્બરમાં બોલાવી છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_661611e49aaed.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661611e485863.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661611e485863.jpg" length="59572" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત ખેડૂતના 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ભાજપને આપી દેવાયા?</title>
                    <link>https://khabarantar.com/dalit-farmers-electoral-bonds-worth-eleven-crores-were-bought-and-given-to-BJP</link>
                    <guid>https://khabarantar.com/dalit-farmers-electoral-bonds-worth-eleven-crores-were-bought-and-given-to-BJP</guid>
                    <description>
                        <![CDATA[ કચ્છમાં એક દલિત ખેડૂત પરિવારની જમીનની રકમમાંથી અંજાર ભાજપ પ્રમુખે વેલ્સપન કંપનીના અધિકારી અને નાયબ કલેક્ટર સાથે મળીને મહાકૌભાંડ આચર્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપને વહાલા થવાની લ્હાયમાં કચ્છના અંજારમાં આવેલી વેલ્સપન કંપનીના અધિકારી, તત્કાલિન નાયબ કલેક્ટર અને અંજાર શહેર ભાજપના પ્રમુખે મળીને એક ગરીબ દલિત ખેડૂતની જમીન વેચાવીને તેની રકમમાંથી અધધધ રૂ. 11 કરોડની રકમના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીની ભાજપને દાનમાં આપી દીધાંની સનસનીખેજ ઘટના સામે આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્તાપક્ષ ભાજપને વહાલા થવાની લ્હાયમાં અંજારમાં આવેલી વેલ્સપન કંપનીના અધિકારીએ અંજાર ભાજપના પ્રમુખ અને તત્કાલિન નાયબ કલેક્ટર સાથે મળીને આખું કાવતરું રચીને દલિત ખેડૂતને નિશાન બનાવ્યા હતા અને પોતે ભાજપની વાહવાહી મેળવી હતી. આ સમગ્ર પ્રકરણનો ભાંડો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર કર્યા પછી સામે આવ્યો હતો. જેમાં સૌ કોઈ અંજારના દલિત ખેડૂતે ભાજપને આપેલા રૂ. 11 કરોડના દાનથી ચોંકી ઉઠ્યાં હતા. જો કે, એ દલિત ખેડૂતને તેની જાણ સુદ્ધાં નહોતી. કેમ કે, આખું કાવતરું ભાજપના નેતા, નાયબ કલેક્ટર અને વેલ્સપન કંપનીના અધિકારીએ રચ્યું હતું, જેની ગરીબ દલિત ખેડૂતને તો જાણ પણ નહોતી. એક ગરીબ દલિત ખેડૂત રૂ. 11 કરોડનું માતબર કહી શકાય તેવું ભંડોળ ઈલેક્ટોરલ બોન્ડ સ્વરૂપે ભાજપને કેવી રીતે આપી શકે તે સવાલ સૌ કોઈના મનમાં ઉઠ્યો હતો અને તેમાંથી આ મહાકૌભાંડનો પર્દાફાશ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રિમ કોર્ટના આદેશના પગલે જયારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ બોન્ડ ખરીદનારા લોકોનું લિસ્ટ સાર્વજનિક કરવામાં આવ્યું અને તેમાં ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ખેડૂત પરિવારનું નામ જોવા મળ્યું ત્યારે સૌ કોઈની આંખો પહોળી થઇ ગઈ હતી. સમગ્ર મામલાની તપાસ કરતા ખબર પડી કે, વેલસ્પન કંપનીના એક ઉચ્ચ અધિકારીએ અંજારના જમીન સંપાદન અધિકારી એવા અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર અને અંજાર ભાજપના શહેર પ્રમુખ સાથે મળીને આ ગરીબ દલિત ખેડૂત પરિવારને લલચાવી ફોસલાવીને 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદને ભાજપમાં પોતાની વાહવાહી મેળવી છે. જેમાં હવે સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">કચ્છ અંજારના બિપિન મણિલાલ વેગડ તેમજ અંજાર તાલુકાના વરસામેડી ગામના સવાભાઈ કારાભાઈ મણવર દ્વારા પોલીસને લેખિતમાં કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, અંજાર શહેર ભાજપના પ્રમુખ હેમંત ઉર્ફે ડેની રજનીકાંત શાહ, જમીન સંપાદન અધિકારી એવા અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર ડો. વી. કે.જોશી ઉર્ફે વિમલભાઈ કિશોરચંદ્ર જોશી તેમજ વેલસ્પન અંજાર SEZ લિમિટેડના સિગ્નેચરી ઓથોરિટી મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢા સહિતના લોકોએ ગરીબ દલિત ખેડૂતોને જમીન સંપાદનની પ્રક્રિયાથી લઈને વળતરમાં મળેલા કરોડો રૂપિયાને ઈલેક્ટોરલ બોન્ડમાં રોકાણ કરો દોઢ ગણું વળતર મળશે તેવી વાતો કરી લલચાવી ફોસલાવીને છેતરપિંડી કર્યાના આક્ષેપ કર્યો છે. ભાજપના મોવડીમંડળને વહાલા થવાની લ્હાયમાં આ ત્રણેય લોકોએ મળીને એક દલિત પરિવારની મહામૂલી જમીન વેચીને તેમાંથી મળેલી રકમ ઈલેક્ટોરલ બોન્ડ થકી ભાજપને દાનમાં અપાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બંને ખેડૂતોને ન્યાય મળે તે માટે લડી રહેલા અંજારના વકીલ ગોવિંદભાઈ દાફડાએ એક મીડિયા સાથે કરેલી વાતચીતમાં આખા કૌભાંડની શરૂઆત કેવી રીતે થઈ અને મામલો રૂ. 11 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદવા સુધી કેવી રીતે પહોંચ્યો તેની વિસ્તારથી માહિતી આપી છે. ગોવિંદભાઈના જણાવ્યા પ્રમાણે, વરસામેડી ગામના સવાભાઈ કારાભાઇ મણવર તેમજ ખમું કારાના પરિવારની જમીન વેલસ્પન SEZ લિમિટેડ કંપની દ્વારા સંપાદિત કરવામાં આવી હતી. આ જમીનના સંપાદનથી તેમને કંપનીના જમીન સંપાદન અધિકારીના માધ્યમથી રૂ. 16.61 કરોડ મળ્યાં હતા. વેલસ્પન SEZ દ્વારા અગાઉ 2.80 કરોડનું વળતર તેમને ચૂકવી દેવામાં આવ્યું હોવાથી તેમને બાકીના 13.81 કરોડ ચૂકવવાના થતા હતા. વળતર મળવાનું હતું તેના એક સપ્તાહ પહેલાથી વેલસ્પન SEZ લિમિટેડ કંપનીના ઓફિસર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાએ કંપનીના વરસામેડી ખાતે આવેલા વેલહોમ નામના ગેસ્ટહાઉસમાં મીટિંગો રાખીને ખેડૂત પરિવારને સમજાવી રહ્યા હતા કે, આટલી મોટી રકમ જો તમારા બેન્ક એકાઉન્ટમાં રાખશો તો ઈન્ક્મટેક્સ સહિતના સરકારી ડિપાર્ટમેન્ટ તમને હેરાન કરી શકે છે. માટે વળતરની કરોડો રૂપિયાની રકમથી જો ઈલેક્ટોરલ બોન્ડ ખરીદશો તો કાયદાકીય માથાકૂટમાંથી બચી જશો અને રકમ પણ દોઢી થઈને તમને મળશે. વેલસ્પન કંપનીના ગેસ્ટહાઉસમાં મળતી આ મિટિંગ દરમિયાન અંજાર ભાજપ શહેરના પ્રમુખ હેમંત ઉર્ફે ડેની રજનીકાંત શાહ પણ હાજર રહેતા હતા અને ગાંધીનગર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી ઈલેક્ટોરલ બોન્ડ લેવામાં આવ્યા ત્યાં સુધી સતત તેઓ માર્ગદર્શન કરી રહ્યા હતા. પરંતુ ત્રણેક મહિનાનો સમય પસાર થવા છતાં દોઢ ગણી રકમ પરત ન મળતાં ખેડૂત પરિવારને શંકા ગઈ હતી. એટલે તેમણે બોન્ડની રકમ કયારે મળશે તે અંગે પૂછવાનું શરુ કરી દીધું હતું. ત્યારે વેલસ્પન SEZ લિમિટેડ કંપની અધિકૃત ઓફિસર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાએ એમ કહી દીધું કે, હવે તમને રૂપિયા મળશે નહીં. એટલે કિસાન પરિવારે સતત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશને પગલે જયારે SEZ બોન્ડ ખરીદનારા લોકોનું લિસ્ટ જાહેર કર્યું ત્યારે ખબર પડી કે, તેમની જમીનના વળતરના કરોડો રૂપિયા તો ઈલેક્ટોરલ બોન્ડ સ્વરૂપે સત્તા પક્ષ ભાજપના એકાઉન્ટમાં જમા થઈ ગયા છે. જમીન સંપાદિત કરીને એવોર્ડની પ્રક્રિયા એક વર્ષમાં સંપન્ન કરી દેવી જરૂરી હોય છે. પણ આ કિસ્સામાં નાયબ કલેક્ટર વી.કે. જોશી બેથી વધુ વખત એક્સટેન્શન લઈ ચૂક્યાં હતા. એટલે નવા આવેલા અધિકારી મેહુલ દેસાઈએ 17મી ઓગસ્ટ, 2023ના રોજ એક વર્ષની નિયત મર્યાદા પુરી થાય તે પહેલા જ 14મી ઓગસ્ટ, 2023ના રોજ કચ્છ કલેક્ટરની પૂર્વ મંજૂરીની અપેક્ષાએ લેન્ડ વેલ્યુએશન કમિટીના જૂના ઓર્ડરને ધ્યાનમાં લીધા વિના તાબડતોડ જમીનનું મૂલ્ય 76 કરોડને બદલે 16 કરોડ ઠેરવીને એવોર્ડ જાહેર કરી દે છે. જેટલી રકમ સરકાર એવોર્ડ થકી નક્કી કરે એટલી રકમ જે તે કંપનીને સરકારમાં જમા કરવી પડે. અને તે રકમ પછી જેમને વળતર આપવાનું હોય તેને ચેક દ્વારા આપવામાં આવતું હોય છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં જેમના પણ નામ આવે છે, આક્ષેપો થયા છે તેવા લોકોનો સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કરતા અંજાર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શૈલેન્દ્ર ડી. સિસોદિયાએ જણાવ્યું હતું કે, અમને ફરિયાદ સંદર્ભે કોઈ દસ્તાવેજ આપવામાં આવ્યા નથી. અમુક ડોક્યુમેન્ટ જ આપવામાં આવ્યા છે. તપાસ હાલમાં ચાલુ છે. સંબંધિત સરકારી વિભાગોમાંથી પણ પુરાવા તરીકે દસ્તાવેજો મેળવવા પડશે અને ત્યારબાદ હકીકતનો ખ્યાલ આવશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેમની ઉપર જમીન સંપાદનની પ્રક્રિયા સંબંધે આક્ષેપો થયા છે તે અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર ડો. વિમલ જોશી જેઓ હાલમાં ગુજરાત ગેસ CNG સ્ટેશન કંપનીમાં પ્રતિનિયુક્તિ ઉપર ફરજ બજાવી રહેલા GAS કેડરના ઓફિસર જોશીએ કહ્યું કે, સર્વે નંબર કહો તો ખબર પડે. જયારે તેમને જમીનના સર્વે નંબર આપવામાં આવ્યા તો તેમણે કહ્યું કે, તેઓ અંજારમાં આવ્યા તે પહેલાથી આ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ હતી. તેમણે આ હુકમ કર્યો નથી. તેમની ટ્રાન્સફર બાદ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. ડો. જોશીએ તેમની સામે થયેલા એક કોર્ટ કેસ સંદર્ભે પણ ઉમેર્યું કે, તેમની સામે અંજારના બિપિન મણિલાલ વેગડની સર્વે નંબર 404 વાળી જમીન અંગે અંજારની કોર્ટ દ્વારા તપાસનો તેમજ પાંચ હજારના જામીન ઉપર મુક્ત કરવાનો જે હુકમ થયો છે તેમાં તેમને ગુજરાત હાઇકોર્ટે એક દિવસમાં સ્ટે આપી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વેલસ્પન કંપનીના ગેસ્ટહાઉસમાં થયેલી મિટિંગ દરમિયાન હાજર રહેતા હતા અને ગાંધીનગર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી ઈલેક્ટોરલ બોન્ડ લેવામાં આવ્યા ત્યાં સુધી સતત વેલ્સપનના અધિકારીને માર્ગદર્શન કરતા હોવાનો આરોપ જેમના ઉપર મુકવામાં આવ્યો છે તે અંજાર ભાજપ શહેરના પ્રમુખ હેમંત ઉર્ફે ડેની રજનીકાંત શાહનો જયારે મીડિયાએ સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે, મને કંઈ જ ખ્યાલ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સમક્ષ કરવામાં આવેલી ફરિયાદમાં જેમનો રોલ આ પ્રકરણમાં મુખ્ય હોય તેવું દેખાય રહ્યું છે તે વેલસ્પન SEZ લિમિટેડ કંપની અધિકૃત ઓફિસર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાનો સંપર્ક કરવામાં આવતા તેઓ મળી શક્યા ન હતા.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">76 કરોડની જમીન 16 કરોડમાં પડાવી લીધી?</span></strong></span><br><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકરે દલિતોને શા માટે ભણવું જોઈએ તેવું કહ્યું છે, તેનું સૌથી મોટું ઉદાહરણ આ કૌભાંડમાં જોવા મળે છે. કેમ કે, આ જમીનની કિંમત સંપાદન વખતે રૂ. 76 કરોડ આંકવામાં આવી હતી જે પછી 16 કરોડમાં પડાવી લેવાઈ હોવાનું કહેવાય છે</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કચ્છમાં આવેલી વેલસ્પન ગ્રુપની કંપનીને તેના પ્રોજેક્ટના વિસ્તરણ માટે જમીનની જરૂર હતી. જેમાં અંજાર તાલુકાના વરસામેડી ગામના સવાભાઈ કારાભાઇ મણવરના પરિવારજનોની જમીન વચ્ચે આવતી હતી. આ જમીન નવી શરત તેમજ જમીનના ટોચ મર્યાદાના કાયદા હેઠળ આવતી હોવાને પગલે તેને સીધી રીતે બજારમાં વેચી કે ખરીદી શકાય તેમ ન હતું. દરમિયાન વેલસ્પન ગ્રુપ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી કે, તેમને તેમાં ભવિષ્યના SEZ માટે જમીનની જરૂર છે. માટે તેને સરકારના નિયમ મુજબ સંપાદિત કરીને તેમને આપવામાં આવે. એટલે જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં કચ્છ કલેક્ટર કક્ષાએ જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા જમીનનું મૂલ્ય 76 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું હતું. કંપનીને આટલી મોંઘી જમીન લેવી પરવડે તેમ ન હતું. એટલે પછી શરૂ થયો સરકારી કાવાદાવાનો ખેલ. એવોર્ડની પ્રક્રિયા થોડા સમય માટે ભેદી સંજોગોમાં અટકી ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેતરપિંડીનો ભોગ બનેલા દલિત પરિવારના વકીલ ગોવિંદભાઈ દાફડાના જણાવ્યા પ્રમાણે “જો મૂલ્યાંકન સમિતિએ નક્કી કરેલી કિંમત મુજબ એવોર્ડની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હોત તો સરકારને 70 ટકા પ્રીમિયમ લેખે કરોડો રૂપિયાની આવક પણ થાય તેમ હતું. દરમિયાન થોડા સમય બાદ અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર અને જમીન સંપાદન અધિકારી વિમલ જોશી દ્વારા પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવે છે. જેમાં બિપિનભાઈ વેગડ તેમજ રૂગનાથ મહાદેવ મંદિરના પૂજારી શંભુ શંકરના વારસદારોએ વાંધો ઉઠાવવામાં આવે છે. તેમના વાંધાને ડેપ્યુટી કલેક્ટર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યા ન હતા. આ સમય સમયગાળા દરમિયાન ડેપ્યુટી કલેક્ટર જોશીની અમદાવાદ ખાતે RAC તરીકે ટ્રાન્સફર થઈ જાય છે અને તેમના સ્થાને ડેપ્યુટી કલેક્ટર તરીકે મેહુલ દેસાઈ નામના અધિકારીની નિયુક્તિ થાય છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમગ્ર પ્રકરણમાં જેમની સહીથી જમીન સંપાદિત કરીને એવોર્ડ આપવામાં આવ્યો હતો તેમને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાનેથી મળેલી જમીન મૂલ્યાંકન સમિતિએ જે ભાવ નક્કી કર્યો એ વાત ખબર જ નથી. અંજારના તત્કાલીન કલેક્ટર અને હાલમાં કચ્છમાં જ નાયબ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અધિકારી મેહુલ દેસાઈએ સમગ્ર પ્રક્રિયા નિયમ મુજબ ત્રણ વિકલ્પોને ધ્યાનમાં લઈને ભાવ નક્કી કર્યા હોવાનો દાવો કર્યો હતો. દેસાઈએ એમ પણ કબલ્યું કે, જમીન મૂલ્યાંકન સમિતિએ ઉક્ત જમીનનો ભાવ 76 કરોડ નક્કી કર્યા હતા તે તેમના ધ્યાનમાં નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામાન્ય કૌભાંડમાં ભલભલાં લોકોને પકડીને જેલમાં પુરી દેતી પોલીસ અને વર્તમાન સરકાર એક દલિત પરિવારના અધધધ..11 કરોડ રૂપિયાના આ મહાકૌભાંડીઓને જેલમાં નાખશે કે કેમ તે સવાલ હાલ તો મહત્વનો છે. સાથે જ આ દલિત પરિવારને તેમની મહામૂલી જમીનની રકમ પરત મળવી પણ જરૂરી છે. પણ બધો આધાર સરકારની દાનત પર છે, કારણ કે કૌભાંડના 11 કરોડ રૂપિયા તો તેમના જ પક્ષના ખાતામાં ઈલેક્ટોરલ બોન્ડ થકી જમા થયા છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/it-raid-on-trust-building-educational-complex-for-dalits-in-surendranagar">સુરેન્દ્રનગરમાં દલિતો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટ પર ITની રેડ</a><br></span></strong></p>
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU"><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો.</span></span></b></a></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 08 Apr 2024 10:18:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>479</Articleid>
                    <excerpt>કચ્છમાં એક દલિત ખેડૂત પરિવારની જમીનની રકમમાંથી અંજાર ભાજપ પ્રમુખે વેલ્સપન કંપનીના અધિકારી અને નાયબ કલેક્ટર સાથે મળીને મહાકૌભાંડ આચર્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_661375bc31071.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661375bc013f7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661375bc013f7.jpg" length="79064" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ભીમા કોરેગાંવ કેસમાં શોમા સેનને છ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા</title>
                    <link>https://khabarantar.com/shoma-sen-was-granted-bail-by-the-supreme-court-after-six-years-in-the-bhima-koregaon-case</link>
                    <guid>https://khabarantar.com/shoma-sen-was-granted-bail-by-the-supreme-court-after-six-years-in-the-bhima-koregaon-case</guid>
                    <description>
                        <![CDATA[ ભીમા કોરેગાંવ કેસમાં છેલ્લાં 6 વર્ષથી જેલમાં બંધ દલિત એક્ટિવિસ્ટ શોમા સેનને આખરે શરતી જામીન મળ્યાં છે. આખો કેસ વિગતે સમજીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે ભીમા કોરેગાંવ કેસમાં છેલ્લાં 6 વર્ષથી જેલમાં બંધ દલિત એક્ટિવિસ્ટ અને મહિલા અધિકાર કાર્યકર શોમા સેનને ગઈકાલે 5 એપ્રિલના રોજ જામીન આપ્યા છે. જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીહની પીઠે જામીનનો આદેશ આપ્યો હતો. અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર અને મહિલા અધિકાર કાર્યકર્તા શોમા સેનની 6 જૂન 2018ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે એલ્ગાર પરિષદના માઓવાદીઓ સાથેના સંબંધોના કથિત સંબંધો મામલામાં શોમા સેનની જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શોમા સેને બોમ્બે હાઈકોર્ટના એ ચૂકાદાને પડકાર્યો હતો, જેમાં તેમને ગયા વર્ષે જાન્યુઆરીમાં જામીન માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ખાસ કોર્ટનો સંપર્ક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમણે પહેલીવાર ડિસેમ્બર 2018માં પૂણે સેશન્સ કોર્ટ સમક્ષ ચાર્જશીટ ફાઈલ કરતા પહેલા જામીન માટે અરજી કરી હતી. અને ચાર્જશીટ ફાઈલ થયા બાદ બીજી અરજી કરી હતી. સેશન્સ કોર્ટે નવેમ્બર 2019માં એક સામાન્ય આદેશ દ્વારા બંને અરજીઓ ફગાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે શોમા સેન?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શોમા સેન દલિત એક્ટિવિસ્ટ અને મહિલા અધિકાર કાર્યકર્તા છે. તેઓ અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર છે અને નાગપુર યુનિવર્સિટીના અંગ્રેજી સાહિત્ય વિભાગના વડા રહી ચૂક્યા છે. શોમાનો જન્મ મુંબઈના બાંદ્રામાં એક ઉચ્ચ મધ્યમ વર્ગના બંગાળી પરિવારમાં થયો હતો. તેમણે સેન્ટ જોસેફ કોન્વેન્ટમાંથી પૂર્ણ કર્યો હતો. એ પછી મુંબઈની એલફિંસ્ટન કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા બાદ નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.ફિલ. અને પીએચડી પૂર્ણ કર્યું હતું અને પછી ત્યાં જ પ્રોફેસર બન્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમા કોરેગાંવ હિંસામાં તેમની કથિત સંડોવણી બદલ સુધીર ધવલે, મહેશ રાઉત, સુરેન્દ્ર ગાડલિંગ અને રોના વિલ્સન સાથે 8 જૂન 2018ના રોજ પૂણે પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ તમામ એક્ટિવિસ્ટો પર UAPA હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા. તેમની ધરપકડનો મામલો 31 ડિસેમ્બર 2017ના રોજ પૂણેના શનિવારવાડામાં આયોજિત એલ્ગાર પરિષદ સંમેલનમાં આપવામાં આવેલા કથિત ભડકાઉ ભાષણો સાથે સંબંધિત છે. પોલીસનો દાવો છે કે, ભાષણના બીજા દિવસે શહેરની બહાર ભીમા કોરેગાંવ યુદ્ધ સ્મારક પાસે હિંસા ફાટી નીકળી હતી. પૂણે પોલીસે દાવો કર્યો હતો કે કોન્ફરન્સને માઓવાદીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. જો કે, આ કેસમાં પોલીસની કામગીરીએ અનેક શંકાઓ પેદા કરી છે, ખાસ કરીને તમામ દલિત એક્ટિવિસ્ટોને લાંબા સમય સુધી આરોપ સાબિત ન થાય તો પણ જેલમાં ધકેલી દેવાના એક મોટા ષડયંત્ર તરીકે જોવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે શું શરતો રાખી છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેંચે શુક્રવારે શોમા સેનને જામીન આપ્યા હતા. આ જામીન સાથે એવી શરત રાખવામાં આવી છે કે શોમા સેન NIAની વિશેષ અદાલતને જાણ કર્યા વિના મહારાષ્ટ્રની બહાર નહીં જાય. તેઓએ ફોનનું જીપીએસ હંમેશા ચાલુ રાખવું પડશે અને ફોનને તપાસ અધિકારીના ફોન સાથે જોડી દેવામાં આવશે જેથી તેમના લોકેશન વિશેની માહિતી હંમેશા તપાસ અધિકારી પાસે રહે. કાનૂની બાબતોની વેબસાઈટ લાઈવ લો અનુસાર, બેન્ચે શોધી કાઢ્યું કે UAPAની કલમ 43D(5) મુજબ જામીન આપવા પરનો પ્રતિબંધ શોમા સેનના કેસમાં લાગુ પડતો નથી. કોર્ટે તેમની છ વર્ષની લાંબી જેલને ધ્યાનમાં રાખીને અને આ કેસમાં હજુ સુધી ટ્રાયલ શરૂ થઈ નથી તેને ધ્યાનમાં રાખીને તેમને જામીન આપ્યા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ શોમા સેનના જામીનનો વિરોધ કર્યો ન હતો. કોર્ટે NIAને પૂછ્યું હતું કે શોમા સેનની કસ્ટડી કેમ ચાલુ રાખવી જોઈએ? જવાબમાં, 15 માર્ચે, NIAએ કહ્યું હતું કે "શોમા સેનની ધરપકડ હવે જરૂરી નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એલ્ગાર પરિષદ કેસ શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પુણે પોલીસે વર્ષ 2018માં એલ્ગાર પરિષદ-માઓવાદી લિંક કેસ નોંધ્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે, 1 જાન્યુઆરી, 2018ના રોજ ભીમા કોરેગાંવમાં ફાટી નીકળેલી હિંસા માટે એલ્ગાર પરિષદ જવાબદાર છે. પોલીસે કહ્યું હતું કે, આ સંગઠને હિંસાનાં એક દિવસ પહેલા પૂણેના શનિવારવાડામાં એક મીટિંગ બોલાવી હતી. જેના બીજા દિવસે હિંસા થઈ હતી અને તેનું કનેક્શન આ બેઠક સાથે જોડાયેલા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1 જાન્યુઆરી, 2018ના રોજ મરાઠાઓ અને ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે ભીમા કોરેગાંવની લડાઈની 200મી વર્ષગાંઠની યાદમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ હિંસા ફાટી નીકળી હતી. થોડા મહિનાઓ પછી પુણે પોલીસે આ ઘટના સાથે સંબંધિત મામલાની તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ડાબેરી કે તે વિચારધારાની નજીક રહેનારા લેખકો, પત્રકારો અને પ્રોફેસરોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસે આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. 17 મેના રોજ, પુણે પોલીસે ચાર્જશીટમાં UAPA એક્ટની કલમ 13, 16, 18, 18-B, 20, 39 અને 40 હેઠળ નવા આરોપો ઉમેર્યા હતા. બે વર્ષ પછી 2020માં આ કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ કેસમાં NIAએ 24 જાન્યુઆરી 2020ના રોજ FIR પણ નોંધી હતી. જેમાં UAPAની કલમ 13, 16, 18, 18B, 20 અને 39 સાથે IPCની કલમ 153-A, 505 (1)B, 117 અને 34 હેઠળ આરોપો ઉમેરવામાં આવ્યા હતા. NIAએ સ્પેશિયલ કોર્ટમાં આ મામલામાં 10,000 પેજની ચાર્જશીટ દાખલ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Thangarh-massacre:-Why-Sanjay-Prasad-committee-report-not-made-public-The-High-Court-struck-down-the-state-government"><strong>થાનગઢ હત્યાકાંડ: સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ કેમ જાહેર નથી કરાતો? હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6610e70d34ecd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હજુ કોણ કોણ આ કેસમાં જેલમાં છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી કેટલાકને જામીન મળી ગયા છે પરંતુ મોટાભાગના હજુ પણ જેલમાં છે. એક આરોપી - સ્ટેન સ્વામીનું મૃત્યુ થયું. આરોપીઓ સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો અને UAPA જેવા કડક કાયદા હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા.આ કેસમાં સુધીર ધવલે, રોના વિલ્સન, હૈની બાબુ, સુરેન્દ્ર ગાડલિંગ, રમેશ ગાઈચોર, સાગર ગોરખે અને જ્યોતિ જગતાપ હજુ પણ જેલમાં છે. સુધીર ધવલે મહારાષ્ટ્રના જાણીતા સામાજિક કાર્યકર, લેખક અને કવિ છે. તેઓ મરાઠીમાં 'વિદ્રોહી' નામનું મેગેઝિન પણ ચલાવે છે. તેઓ દલિતોના અધિકારો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. 2011 માં તેમની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર 'આતંકવાદી સંગઠન'ના સભ્ય હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે સમયે તેમના વકીલ સુરેન્દ્ર ગાડલિંગ હતા, જેઓ હવે ભીમા કોરેગાંવ કેસમાં પણ આરોપી છે. સુરેન્દ્ર ગાડલિંગ નાગપુરમાં રહે છે, વ્યવસાયે વકીલ છે અને માનવ અધિકાર સાથે જોડાયેલા કેસ લડે છે. તેઓ 'ઇન્ડિયન એસોસિએશન ઑફ પીપલ્સ લોયર્સ'ના જનરલ સેક્રેટરી પણ છે. તેઓ દલિત કાર્યકર્તા પણ છે અને ઘણા અભિયાનોમાં સામેલ રહ્યા છે. વકીલ તરીકે તેમણે UAPA અને તે પહેલા જૂના આતંકવાદ વિરોધી કાયદા TADA અને POTA હેઠળ આરોપીઓના કેસ લડ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુધીર ધવલે દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર જીએન સાઈબાબાના વકીલ પણ રહી ચૂક્યા છે, જેમની માઓવાદીઓ સાથે સંબંધ હોવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સાંઈબાબાને હાલમાં જ જામીન મળ્યા છે. રોના વિલ્સન હજુ પણ જેલમાં છે. જેએનયુનો વિદ્યાર્થી વિલ્સન રાજકીય કેદીઓની મુક્તિ માટે અભિયાન ચલાવી રહ્યો છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં સૌથી વધુ સક્રિય કાર્યકરોમાંના એક છે. તેઓ 'કમિટી ફોર રીલીઝ ઓફ પોલિટિકલ પ્રિઝનર્સ' (CRPP)ના સભ્ય પણ છે. તેઓ જી.એન. સાઈબાબાના બચાવ અને મુક્તિ માટેના અભિયાનનું પણ નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ રાજકીય કાર્યકરોની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોને જામીન મળ્યાં?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા વર્ષે બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં ગૌતમ નવલખાને જામીન આપ્યા હતા. તેમની બગડતી તબિયતને જોતા સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2022માં તેમને મુંબઈમાં નજરકેદ રાખવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ તેમણે બોમ્બે હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. આ કેસમાં કોર્ટે જૂનમાં NIAને નોટિસ પાઠવી હતી. બોમ્બે હાઈકોર્ટે નવલખા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પાસેથી જવાબ માંગ્યો હતો. વિશેષ કોર્ટે નવલખાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી તેણે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. ત્યાં તેને જામીન મળી ગયા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/Gandhis-Gujarat-top-in-dalit-atrocities,-total-5588-incidents-of-dalit-atrocities-reported-in-last-4-years"><strong><span style="font-size: 14pt;">ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ</span></strong></a></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6610e70cae6a5.jpg" alt="">(પ્રો. આનંદ તેલતુંબડે)</p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરુણ ફરેરા અને વર્નોન ગોન્સાલ્વિસને જુલાઈ 2023માં જામીન મળ્યા હતા. લગભગ પાંચ વર્ષ જેલમાં રહ્યા બાદ બંનેને જામીન મળ્યા હતા. આ માટે તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડ્યો હતો. આ પહેલા હાઈકોર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં, લેખક, પ્રોફેસર આનંદ તેલતુમ્બડેને 18 નવેમ્બર, 2022 ના રોજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. તેઓ બે વર્ષ જેલમાં રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડના ફાધર સ્ટેન સ્વામીનું જામીન મળે તે પહેલા જ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ફાધર સ્ટેન સ્વામી રાંચીના પાદરી હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/A-voice-was-raised-against-not-cutting-the-hair-of-Dalits-and-history-was-created">દલિતોના વાળ ન કાપવા સામે એક અવાજ ઉઠ્યો અને ઈતિહાસ સર્જાયો!</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6610e70c30e76.jpg" alt="">(ફાધર સ્ટેન સ્વામી. જેમનું મૃત્યુ થયું છે.)</p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NIA એ ભીમા કોરેગાંવ-એલ્ગાર પરિષદ કેસમાં માઓવાદી સંગઠનો સાથે સંબંધ હોવાના આરોપમાં NSA (રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ) હેઠળ ધરપકડ કરી હતી. 83 વર્ષના સ્ટેન સ્વામીને પણ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ હતી. જેલમાં રહીને તેણે અનેક વખત પ્રાથમિક સુવિધાઓ ન મળવાની ફરિયાદ કરી હતી. NIAએ પાણી પીવા માટે સિપરની તેમની માંગનો વિરોધ કર્યો હતો. ફાધર સ્ટેન સ્વામીની તબિયતને ધ્યાનમાં રાખીને કોર્ટે મે 2021માં તેમને મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમની સ્થિતિમાં સુધારો થયો ન હતો અને 5 જુલાઈ 2021ના રોજ હોલી ફેમિલી હોસ્પિટલમાં જ તેમનું અવસાન થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં અત્યાર સુધી જે આરોપીઓને જામીન મળ્યા છે તેમાં સુધા ભારદ્વાજનો પણ સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Dalit-teacher-suspended-for-putting-mother-Savitribai-Phules-photo-in-place-of-Saraswati"><strong>સરસ્વતીની જગ્યાએ માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકનાર દલિત શિક્ષિકા સસ્પેન્ડ </strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6610e70ba0bb9.jpg" alt="">(સુધા ભારદ્વાજ)</p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિસેમ્બર 2021માં તેને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. NIAએ તેનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ કોર્ટે NIAની અરજી ફગાવી દીધી હતી અને જામીન યથાવત રાખ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં હૈદરાબાદના કવિ અને લેખક વરવરા રાવની પણ પુણે પોલીસે ધરપકડ કરી હતી. સુપ્રિમ કોર્ટે તેમને જુલાઇ 2022માં ઉંમર અને ખરાબ તબિયતના કારણે નિયમિત જામીન આપ્યા હતા. હવે શોસા સેનને પણ જામીન મળ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/Police-Faria-had-been-staging-dharna-for-192-days-against-Dalit-Prof-Ritu-Singh-of-DU"><strong><span style="font-size: 14pt;">DUના દલિત પ્રો. રિતુ સિંહ સામે પોલીસ ફરિયાદ, 192 દિવસથી ધરણાં કરી રહ્યા હતા</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 06 Apr 2024 11:52:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>472</Articleid>
                    <excerpt>ભીમા કોરેગાંવ કેસમાં છેલ્લાં 6 વર્ષથી જેલમાં બંધ દલિત એક્ટિવિસ્ટ શોમા સેનને આખરે શરતી જામીન મળ્યાં છે. આખો કેસ વિગતે સમજીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6610e652e462b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6610e652b72c6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6610e652b72c6.jpg" length="67342" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેડાના ઠાસરામાં રૂપાલાના વિરોધમાં દલિત સમાજે આવેદનપત્ર આપ્યું</title>
                    <link>https://khabarantar.com/dalit-community-filed-petition-against-rupala-in-khedana-thasra</link>
                    <guid>https://khabarantar.com/dalit-community-filed-petition-against-rupala-in-khedana-thasra</guid>
                    <description>
                        <![CDATA[ પુરૂષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં દલિત સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેને લઈને ઠાસરામાં દલિત આગેવાનો આગળ આવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p><span style="font-size: 14pt;">રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાના વિવાદાસ્પદ વિધાનોને લઇને દલિત સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. જેને લઈને ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના દલિત સમાજે આજે આ મામલે ઠાસરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રૂપાલા સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660ea0db5f683.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ ગોંડલ ખાતે એક જાહેર કાર્યક્રમમાં દલિત સમાજની લાગણી દુભાય તેવા અપમાજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. જેમાં તેમણે વાલ્મિકી સમાજ અને તેમના કાર્યક્રમ વિશે એલફેલ વાતો કરી હતી. રૂપાલા અગાઉ પણ દલિત સમાજ વિશે બેફામ વાણીવિલાસ કરી ચૂક્યા છે. અગાઉ તેમણે કરેલા કથિત વિધાન ઢોર, નારી, શુદ્ર, ગંવાર બધાને મારવામાં આવે તો જ સીધા ચાલે, ને લઇને પણ દલિત સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે. ત્યારે આજે ઠાસરા તાલુકા દલિત સમાજે રૂપાલાના આ વિધાનને દલિતો માટે અપમાનજનક ગણાવી તેમની સામે રોષ દર્શાવ્યો હતો. </span></p>
<p><span style="font-size: 14pt;">દલિત અગ્રણીઓ અરવિંદભાઈ સેનવા, ગીતાબેન મકવાણા, અંબાલાલ ચૌહાણ, હસમુખભાઈ રોહિત, મુકેશભાઈ સેનવા, ચિરાગભાઈ સેનવા વગેરેએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઠાસરા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું અને દલિત સમાજનાં અપમાન અંગે રૂપાલા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે.</span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/exclusive-national-scheduled-caste-commission-office-in-ahmedabad-rambharos-ninety-percent-staff-reduction"><strong>EXCLUSIVE: અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ</strong></a></span></p>
<p><span style="font-size: 14pt;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
<p><span style="font-size: 14pt;"><strong></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 04 Apr 2024 18:18:57 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 04 Apr 2024 18:20:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>467</Articleid>
                    <excerpt>પુરૂષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં દલિત સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેને લઈને ઠાસરામાં દલિત આગેવાનો આગળ આવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_660e9ec931c6a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_660e9ec8f3a00.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_660e9ec8f3a00.jpg" length="98735" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત રેપ પીડિતાને મેજિસ્ટ્રેટે કહ્યું&amp; કપડાં ઉતાર અને ઈજાના નિશાન બતાવ</title>
                    <link>https://khabarantar.com/dalit-rape-victim-asked-by-magistrate-to-remove-clothes-and-show-injury-marks</link>
                    <guid>https://khabarantar.com/dalit-rape-victim-asked-by-magistrate-to-remove-clothes-and-show-injury-marks</guid>
                    <description>
                        <![CDATA[ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક રેપ પીડિત દલિત યુવતીને મેજિસ્ટ્રેટે કોર્ટમાં જ કપડાં ઉતારીને ઈજાના નિશાન બતાવવા કહ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજ માટે ન્યાય મેળવવો દિનપ્રતિદિન કપરો બનતો જઈ રહ્યો છે. એક બાજુ તેમના બંધારણીય હકો પર અનેક મોરચે તરાપ પડી રહી છે, બીજી તરફ ન્યાય વ્યવસ્થામાં પણ તેમનું શોષણ થઈ રહ્યું છે. આવી જ વધુ એક ઘટના હાલ સામે આવી છે, જેમાં એક મેજિસ્ટ્રેટે બળાત્કારનો ભોગ બનેલી એક દલિત પીડિતાને કોર્ટમાં કપડાં ઉતારીને ઈજાના નિશાન બતાવવા કહ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મહિલાઓ માટે નરક ગણાતા રાજસ્થાનનો છે. અહીંના કરૌલી જિલ્લામાં દલિત સમાજની એક બળાત્કાર પીડિતા સાથે મેજિસ્ટ્રેટે અત્યંત નીચ વર્તન કર્યું હતું. મેજિસ્ટ્રેટે 18 વર્ષની પીડિતાને કોર્ટમાં તેના કપડાં ઉતારીને ઈજાના નિશાન બતાવવા કહ્યું હતું. મામલો સામે આવતા જ સ્થાનિક પોલીસે મેજિસ્ટ્રેટ સામે કાર્યવાહી કરીને તેની સામે કેસ દાખલ કર્યો છે. આ મામલે એસસી એસટી સેલના ડીવાયએસપી મીના મીણાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મ પીડિતાએ 30 માર્ચના રોજ હિંડૌનાની લોકલ કોર્ટના મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.</span><br><span style="font-size: 14pt;">મેજિસ્ટ્રેટે પીડિતાને કોર્ટમાં કપડા ઉતારવા કહ્યું</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી વિગતો પ્રમાણે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં સામૂહિક બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. 30 માર્ચના રોજ પીડિતા પોતાનું નિવેદન નોંધાવવા માટે તેના પરિવારજનો સાથે કોર્ટમાં પહોંચી હતી. જ્યાં પરિવારજનો અને મહિલા પોલીસકર્મીઓને બહાર ઉભા રાખવામાં આવ્યા હતા અને મેજિસ્ટ્રેટે પીડિતાને અંદર રૂમમાં બોલાવી લીધી હતી. રૂમમાં પીડિતાનું નિવેદન લીધા બાદ મેજિસ્ટ્રેટે પીડિતાને રોકી અને કહ્યું, ‘તારા કપડાં ઉતાર, શરીર પર ક્યાં વાગ્યું છે એ મારે જોવું છે’. જેના પર પીડિતાએ મહિલા પોલીસકર્મીની ગેરહાજરીમાં કપડાં ઉતારવાનો ઈનકાર કરી દીધો હતો. આથી મેજિસ્ટ્રેટે તેને બહાર મોકલી દીધી હતી. જ્યારે પીડિતાએ આ બધું તેની માતા અને ભાઈને કહ્યું, ત્યારે તેઓ તેને હિંડૌનના પોલીસ અધિક્ષક પાસે લઈ ગયા અને મેજિસ્ટ્રેટ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. ત્યારપછી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની તપાસ માટે એક તપાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે મેજિસ્ટ્રેટે તેને ઈજા બતાવવા માટે કોર્ટમાં કપડા ઉતારવા કહ્યું હતું અને યુવતીએ તેના માટે ઈનકાર કરી દીધો હતો. 30 માર્ચના રોજ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યા બાદ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિતાને કપડા ઉતારવા કહેનાર મેજિસ્ટ્રેટ પર ભારતીય દંડ સંહિતાની કલમ 345 અને એસસી એસટી એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેસની તપાસ ચાલી રહી છે. આ કેસ રાજસ્થાન હાઈકોર્ટના વિજિલન્સ રજિસ્ટ્રાર અજયસિંહ જાટની આગેવાની હેઠળની ટીમને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જે </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કરૌલીમાં પીડિતાને મળ્યા હતા અને તેનું નિવેદન નોંધ્યું હતું.</span></strong></span><br><span style="font-size: 14pt;">આ મામલાને ગંભીરતાથી લઈને રાજસ્થાન હાઈકોર્ટે ઝડપી તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ કેસની માહિતી મળતાં જ મહિલા સંગઠનો અને માનવાધિકાર સંગઠનો સાથે જોડાયેલા લોકોએ પણ તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. પીડિતાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, આરોપી દ્વારા તેમને તેની સામેનો કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપવામાં આવી રહી છે, જેના કારણે તેમનો આખો પરિવાર ગામ છોડીને જતો રહ્યો હતો. પરંતુ પોલીસના બોલાવ્યા બાદ ત્રણ દિવસ પછી તેઓ ગામમાં પરત ફર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પડોશી યુવકોએ કર્યો હતો રેપ</span></strong></span><br><span style="font-size: 14pt;">હિંડૌન સિટીના ડીએસપી ગ્રિડિહારી લાલે જણાવ્યું હતું કે, પીડિતા સાથે 19 માર્ચના રોજ તેના ત્રણ પડોશીઓએ કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. તમામ આરોપીઓ ઉંમર 20 થી 22 વર્ષની વચ્ચે છે. આરોપીઓએ સાંજે પીડિતાને તેના માતાપિતા બહાર ગયા હતા ત્યારે તેના ઘરેથી કિડનેપ કરી લીધી હતી અને પછી તેમના જ એક ઘરમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા પર બળાત્કાર કરનારા ત્રણેય આરોપીઓ ફરાર છે. મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જતા પહેલા પીડિતાની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી. 30 માર્ચે કોર્ટમાં મેજિસ્ટ્રેટે પીડિતાને કપડા ઉતારવા કહ્યું હતું. યુવતીએ તેમ કરવા ઈનકાર કરી દીધો અને કોર્ટમાં નિવેદન નોંધાવ્યા બાદ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/it-raid-on-trust-building-educational-complex-for-dalits-in-surendranagar">સુરેન્દ્રનગરમાં દલિતો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટ પર ITની રેડ</a><br></span></strong><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></strong><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><br></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 04 Apr 2024 09:59:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>465</Articleid>
                    <excerpt>એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક રેપ પીડિત દલિત યુવતીને મેજિસ્ટ્રેટે કોર્ટમાં જ કપડાં ઉતારીને ઈજાના નિશાન બતાવવા કહ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_660d9f34b2dec.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_660d9f34833ce.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_660d9f34833ce.jpg" length="46970" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કોણ છે લોકસભાની ચૂંટણી લડનાર સૌથી નાની ઉંમરની દલિત મહિલા ઉમેદવાર?</title>
                    <link>https://khabarantar.com/who-is-the-youngest-dalit-woman-candidate-to-contest-the-lok-sabha-elections</link>
                    <guid>https://khabarantar.com/who-is-the-youngest-dalit-woman-candidate-to-contest-the-lok-sabha-elections</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભાની ચૂંટણીનો માહોલ દેશભરમાં જામી રહ્યો છે ત્યારે અહીં એક એવી મહિલા ઉમેદવારની વાત કરીએ જે લોકસભા ચૂંટણી લડનાર સૌથી નાની ઉંમરની દલિત મહિલા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉનાળાની ગરમી સાથે લોકસભાની ચૂંટણીની ગરમીનો પારો પણ સતત ઉંચે ચડી રહ્યો છે. સવર્ણ ગોદી મીડિયા સતત એકતરફી સમાચારો ચલાવીને સત્તાપક્ષની તરફેણમાં માહોલ બનાવવા પ્રયત્ન કરી રહ્યું છે. જેના કારણે બીજા કોઈપણ પક્ષના લાયક ઉમેદવારોની પણ મીડિયામાં કોઈ ચર્ચા થતી નથી. આ પરિસ્થિતિનો સૌથી વધુ ભોગ દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજના ઉમેદવારો બને છે. અહીં આપણે એક એવી જ મહિલાની વાત કરવી છે જે આ વર્ષે લોકસભાની ચૂંટણી લડનાર સૌથી નાની ઊંમરની મહિલા ઉમેદવાર હોવા છતાં અભ્યાસ અને લાયકાતમાં કહેવાતા મોટા નેતાઓ પણ તેની આસપાસ આવી શકે તેમ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત છે બિહારની એલજેપી રામવિલાસ પક્ષના ક્વોટાની એક મહિલા ઉમેદવારની જેણે ચૂંટણીમાં સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. ગઈકાલે એલજેપી રામવિલાસે લોકસભા ચૂંટણી માટે પોતાના ભાગની તમામ પાંચ સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ચિરાગ પાસવાન પિતા રામવિલાસ પાસવાનની પરંપરાગત હાજીપુરથી લોકસભા ચૂંટણી લડશે. તેમણે આ ચૂંટણીમાં જમુઈ સીટથી તેના બનેવી અરૂણ ભારતીને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પરથી ચિરાગ પાસવાન બે વખત સાંસદ રહી ચૂક્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ જેડીયુ સરકારમાં મંત્રી રહેલા અને નીતિશકુમારની કોર ટીમમાં સામેલ અશોક ચૌધરીની દીકરી સાંભવી ચૌધરીને સમસ્તીપુર સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી છે. ચિરાગ પાસવાનના પિતરાઈ ભાઈ અહીંથી સાંસદ છે. તેમણે કાકા પશુપતિ પારસ સાથે મળીને ચિરાગ પાસવાન સામે બળવો કરી દીધો હતો. હવે આ અનામત સીટ પર સાંભવી ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અશોક ચૌધરીની દીકરી સાંભવી ફક્ત 25 વર્ષ 9 મહિનાની છે. તે લોકસભા ચૂંટણી લડનારી સૌથી નાની ઉંમરની દલિત મહિલા ઉમેદવાર છે. તેના દાદા મહાવીર ચૌધરી કૉંગ્રેસમાંથી બિહારના પૂર્વ મંત્રી હતા. તેના પિતા પણ પહેલા કૉંગ્રેસમાં હતા. પણ પછી કેટલાક એમએલસી અને ધારાસભ્યો સાથે મળીને નીતિશકુમારની જનતાદળ યુનાઈટેડમાં સામેલ થઈ ગયા હતા.</span><br><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સાંભવીએ કહ્યું હતું કે, “ફક્ત 25 વર્ષની ઉંમરે લોકસભાની ચૂંટણી લડવાની તક મળવાને કારણે હું સન્માનનો અનુભવ કરું છું. તેનાથી મને મારી જવાબદારીઓનું ભાન થાય છે. મારા પિતા અને દાદાને રાજકારણમાં કીર્તિમાન સ્થાપિત કર્યા છે. હું મારા સસરા આચાર્ય કિશોર કુણાલના યોગદાનથી પણ પરિચિત છું, જેમણે વર્ષો પહેલા બિહારના મંદિરોમાં દલિત પૂજારીઓને સામેલ કરીને સામાજિક સુધારણાનું બીડું ઉઠાવ્યું હતું.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંભવી દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી સમાજશાસ્ત્રમાં અનુસ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ બિહારની રાજનીતિમાં લિંગ અને જાતિ વિરોધાભાસ વિષય પર પીએચડી કરી રહી છે. તેણે લેડી શ્રીરામ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેના લગ્ન પૂર્વ આઈપીએસ અધિકારી આચાર્ય કિશોર કુણાલના દીકરા સાયન કુણાલ સાથે થયા છે. કિશોર કુણાલને બિહારના મંદિરોમાં અનેક દલિત પૂજારીઓને નિયુક્ત કરવાનું શ્રેય જાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ પણ યાદ કરવું રહ્યું કે, તત્કાલિન પ્રધાનમંત્રી વી.પી.સિંહએ કિશોર કુણાલને વિશ્વ હિંદુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટી વચ્ચે મધ્યસ્થતા માટે નિયુક્ત કર્યા હતા. હવે તેમની પુત્રવધુ રાજકારણમાં આગળ આવી છે ત્યારે જોવાનું એ રહે છે કે, જનતા તેને કેટલો અને કેવો પ્રતિસાદ આપે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી હવે તેમના દીકરા ચિરાગ પાસવાન અને ભાઈ પશુપતિ પારસ વચ્ચે વહેંચાઈ ગઈ છે. ચિરાગ અને પશુપતિ બંને ભાજપના ટેકાવાળા એનડીએ જૂથમાં સામેલ છે. એક સમયે ભાજપે પશુપતિને આગળ કરીને ચિરાગ પાસવાનનું રાજકારણ ખતમ કરી દેવાનો પ્લાન બનાવ્યો હોવાનું કહેવાય છે. પરંતુ ચિરાગ પિતા રામવિલાસની જેમ હોંશિયાર રાજકારણી સાબિત થયા છે અને હવે તેઓ પિતાના વારસાને આગળ ધપાવી રહ્યાં છે. તેઓ તેમની પરંપરાગત હાજીપુર સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/considered-as-a-political-powerhouse-ahmedabad-west-sc-reserved-seat-Makwana-vs-battle-of-makwana">રાજકીય પાવરહાઉસ ગણાતી અમદાવાદ પશ્ચિમ SC અનામત બેઠક પર ‘મકવાણા Vs. મકવાણા’નો જંગ</a><br></span></strong></p>
<div class="post-text">
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 01 Apr 2024 10:11:20 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 01 Apr 2024 10:28:58 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>457</Articleid>
                    <excerpt>લોકસભાની ચૂંટણીનો માહોલ દેશભરમાં જામી રહ્યો છે ત્યારે અહીં એક એવી મહિલા ઉમેદવારની વાત કરીએ જે લોકસભા ચૂંટણી લડનાર સૌથી નાની ઉંમરની દલિત મહિલા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_660a39e7b11d8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_660a39e780c36.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_660a39e780c36.jpg" length="124636" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સુરેન્દ્રનગરમાં દલિતો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટ પર ITની રેડ</title>
                    <link>https://khabarantar.com/it-raid-on-trust-building-educational-complex-for-dalits-in-surendranagar</link>
                    <guid>https://khabarantar.com/it-raid-on-trust-building-educational-complex-for-dalits-in-surendranagar</guid>
                    <description>
                        <![CDATA[ સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિ સમાજના યુવક-યુવતીઓ માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટના પ્રમુખ અને અન્ય બે આગેવાનો પર કોઈ અજાણ્યા તત્વોએ ખોટી રજૂઆત કરીને આઈટીની રેડ પડાવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ જ્યારે પણ શિક્ષણની દિશામાં આગળ વધવા પ્રયત્નો કરે છે ત્યારે વિરોધીઓ તેમને તોડી પાડવા માટે સક્રીય થઈ જતા હોય છે. તેના માટે તેઓ સામ-દામ-દંડ-ભેદ એમ તમામ પ્રકારના હથિયારો અજમાવતા અચકાતા નથી. કંઈક આ જ પ્રકારનો બનાવ હાલમાં સુરેન્દ્રનગરમાં બન્યો છે. જ્યાં સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના યુવાનો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટના પ્રમુખ અને આગેવાનો પર કોઈ અજાણ્યા વ્યક્તિઓએ આઈટીની રેડ પડાવી ટ્રસ્ટીઓની આબરૂને લૂણો લગાડવાનું હીન કૃત્ય કર્યું હતું. આ મામલે હવે સુરેન્દ્રનગરના અનુસુચિત જાતિ સમાજે ટ્રસ્ટીઓની આબરૂને ધક્કો પહોંચાડવાનું કૃત્ય કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કલેક્ટર, આઈટી વિભાગ અને રાજ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે મામલો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો સુરેન્દ્રનગરના રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટનો છે. આ એજ ટ્રસ્ટ છે જેણે હજુ થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગરમાં સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના યુવાનો-યુવતીઓ ભણીગણીને આગળ વધી શકે તે માટે મોટું શૈક્ષણિક સંકુલ નિર્માણ કરવાનું શરૂ કર્યું છે. ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનારા શૈક્ષણિક સંકુલમાં સૌથી પહેલા વાલ્મિકી સમાજની દીકરીઓને પ્રવેશ આપવાનું નક્કી થયું છે. આ પ્રગતિશીલ નિર્ણયને કારણે ન માત્ર સુરેન્દ્રનગર પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં પણ રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટનું નામ રોશન થયું હતું. જો કે, તેની આ રોશનીથી કેટલાક સમાજવિરોધી લોકોના પેટમાં તેલ રેડાયું હતું અને તેમણે ઈન્કમટેક્સ વિભાગને ખોટી માહિતી આપી હતી કે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાસે રૂ. 2 કરોડ કરતા વધુની રકમ તેમના ઘરોમાં સંતાડી રાખેલી છે અને 22-3-2024ના રોજ તેઓ આ રકમ તેઓ કોઈ અજાણી વ્યક્તિને આપવાના છે તેથી તાત્કાલિક આ રકમ જપ્ત કરી ટ્રસ્ટીઓ પર કાર્યવાહી કરવી જોઈએ. આ રજૂઆતને પગલે આઈટી વિભાગે ટ્રસ્ટના પ્રમુખ ઉપરાંત અન્ય બે આગેવાનોના ઘેર રેડ પાડી તપાસ કરી હતી. જો કે તેમાં રોકડ રકમ કે બીજું કશું પણ વાંધાજનક વસ્તુ મળી નહોતી. જો કે, આઈટીની આ રેડથી આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની આબરૂને મોટો ધક્કો પહોંચ્યો હતો. જેના કારણે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સુરેન્દ્રનગરના આગેવાનોએ રાજ્ય ચૂંટણી અધિકારી, ઈન્કમટેક્સ વિભાગ, સુરેન્દ્રનગર જિલ્લા એસપી સહિતના જવાબદાર અધિકારીઓ-વિભાગોને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_660644e97678a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આખો ઘટનાક્રમ શું હતો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગરમાં રોહિદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ છે. જેનો મુખ્ય હેતુ સમસ્ત અનુસુચિત જાતિ સમાજના અંતરિયાળ ગામડાઓમાં વસતા યુવક-યુવતીઓ માટે શૈક્ષણિક સંકુલ અને સમાજ ભવન બનાવી તેમને શિક્ષિત કરવાનો છે. તેના માટે ટ્રસ્ટ દ્વારા લોકફાળો ઉભો કરી લોકભાગીદારીથી અહીંના જોરાવરનગરની સુખધામ રેસિડેન્સી સોસાયટી ખાતે 1435 ચોરસ વાર જમીન અઘાટ વેચાણથી રાખવામાં આવી છે. આ શૈક્ષણિક સંકુલના દસ્તાવેજની પ્રક્રિયા હાલ ચાલી રહી હતી. એ દરમિયાન ટ્રસ્ટના પ્રમુખ રામજીભાઈ પી. પરમાર અને અન્ય ટ્રસ્ટી બાબુભાઈ મકવાણા તથા શિક્ષક ગિરીશભાઈ સોલંકી વિરુદ્દ કોઈ વ્યક્તિએ તા. 22-03-2024ની રાત્રે ઈન્કમ ટેક્સ વિભાગ અને ચૂંટણીપંચમાં રજૂઆત કરી હતી કે, આ ત્રણેય વ્યક્તિઓના ઘરમાં રૂ. 2 કરોડ કરતા વધુની રોકડ રકમ છે અને તેઓ તા. 23-3-2024ના રોજ સવારે ગમે ત્યારે કોઈ અજાણી વ્યક્તિને આ રકમ આપવાના છે, જેથી તાત્કાલિક રેડ પાડીને આ બેનામી સંપત્તિ જપ્ત કરવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રજૂઆતને પગલે આઈટી વિભાગ એક્શનમાં આવ્યું હતું અને તા. 23-3-2024 ના રોજ ટ્રસ્ટના પ્રમુખ રામજીભાઈ પી. પરમાર (રહે. સત્યમ પાર્ક, વઢવાણ), બાબુભાઈ મકવાણા ખોડુવાળા(રહે. ન્યૂ ઝીલ પાર્ક, ગણપતિ ફાટસર, વઢવાણ) તેમજ ગિરીશભાઈ સોલંકી(રહે. સુગમ સોસાયટી 80 ફૂટ રોડ, વઢવાણ)ના ઘરે DSWO ની ટીમે રેડ પાડી ઘરની સંપૂર્ણ તપાસ કરી હતી. જો કે તેમાં કોઈપણ પ્રકારની બેનામી સંપત્તિ કે રોકડ રકમ મળી નહોતી. રેડ દરમિયાન ટ્રસ્ટ પ્રમુખ અને અન્ય બે આગેવાનોએ આઈટીની ટીમને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો. આ ઘટના વાયુવેગે સમગ્ર સુરેન્દ્રનગરમાં ફેલાઈ જતા ટ્રસ્ટીઓની આબરૂને મોટો ધક્કો પહોંચ્યો હતો. જેને લઈને સુરેન્દ્રનગરના અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને તેમણે જિલ્લા કલેક્ટર, આઈટી વિભાગ અને એસપીને આવેદનપત્ર આપી ષડયંત્રકારીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી હતી.</span></p>
<p>.<img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_660644e83859b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોનું કહેવું છે કે, અમારા ઘરે આજ દિન સુધી કદી પોલીસની ગાડી આવી નથી. ત્યારે કોઈ વ્યક્તિની ખોટી રજૂઆતને કારણે પોલીસ અને આઈટીની ગાડીઓ અમારા ઘરે આવી અને વગર વાંકે અમારું આખું ઘર ફેંદી માર્યું. આ ઘટનાથી અમને ભારે આઘાત લાગ્યો છે. ચૂંટણી પંચ અને આઈટી વિભાગને જેમણે પણ અમારા વિરુદ્ધ ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે તેમના પર કડક કાર્યવાહી થવી જોઈએ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_660644e8cc261.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વઢવાણના સામાજિક કાર્યકર નટુભાઈ પરમાર આ મામલે ખબરઅંતર.કોમને જણાવે છે કે, “રોહિદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અન્ય બે આગેવાનોએ સુરેન્દ્રનગરના અંતરિયાળ ગામોમાં વસતા અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓને શિક્ષણ આપવા માટે સમાજ ભવન અને હોસ્ટેલ બનાવવાનું જે કામ હાથ પર લીધું છે, તેનાથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું છે. દલિત સમાજના યુવાનો જો ભણીને આગળ વધવા માંડશે તો તેઓ તેમની હજારો વર્ષોની વગર અનામતની અનામતમાં ભાગ પડશે તેવી તેમને બીક લાગે છે. એટલે અનુસૂચિત જાતિ સમાજના શિક્ષણના પથ પર આ રીતે અડચણો ઉભી કરીને કાંટા ફેંકતા રહે છે. પણ અમે આવા પડકારોથી ડરતા નથી. રોહિદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટમાં બધો જ વહીવટ પારદર્શી રીતે થાય છે, બેંક સિવાય કોઈ આર્થિક લેવડદેવડ પણ શક્ય નથી. તેમ છતાં કોઈ પેટના બળ્યાં લોકોએ તેમને નિશાન બનાવીને તેમની આબરૂને ધક્કો પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. આ કોઈ કાળે સાંખી લેવાય તેમ નથી. આથી સુરેન્દ્રનગર સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા આ મામલે રાજ્ય ચૂંટણી અધિકારી, આઈટીઓ ટીમ ડી અમદાવાદ અને સુરેન્દ્રનગર એસપીને સહીઓ સાથેનું આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:</span></strong></span><a href="https://khabarantar.com/A-grand-Bhimsandhya,-Vision-Kathad-Bhimbhajan-will-be-organized-by-Shri-Rohidaswanshi-Samaj-Vikas-Trust-today-in-Surendranagar"><strong><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગરમાં આજે શ્રી રોહીદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ભીમસંધ્યા, વિશન કાથડ ભીમભજન રેલાવશે</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 29 Mar 2024 10:11:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>451</Articleid>
                    <excerpt>સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિ સમાજના યુવક-યુવતીઓ માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટના પ્રમુખ અને અન્ય બે આગેવાનો પર કોઈ અજાણ્યા તત્વોએ ખોટી રજૂઆત કરીને આઈટીની રેડ પડાવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_660644c7103f8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_660644c6d3e23.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_660644c6d3e23.jpg" length="86260" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>1996 બાદ JNU ને મળ્યાં પહેલા દલિત પ્રમુખ, જાણો કોણ છે ધનંજય</title>
                    <link>https://khabarantar.com/jnus-first-dalit-president-since-1996-know-who-dhananjay-is</link>
                    <guid>https://khabarantar.com/jnus-first-dalit-president-since-1996-know-who-dhananjay-is</guid>
                    <description>
                        <![CDATA[ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(JNU)ના વિદ્યાર્થી સંગઠનની ચાર વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં 1996 બાદ પહેલીવાર એક દલિત યુવક વિદ્યાર્થી સંગઠનનો પ્રમુખ બન્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરના વિદ્યાર્થી રાજકારણમાં બૌદ્ધિકોનો અડ્ડો ગણાતી જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનને વર્ષ 1996 બાદ પહેલીવાર દલિત પ્રમુખ મળ્યાં છે. જેએનયુ તરીકે ઓળખાતી આ યુનિવર્સિટીમાં ફરી એકવાર ડાબેરીઓનો દબદબો જોવા મળ્યો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયન(JNUSU)ની ચૂંટણીમાં ડાબેરીઓએ ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPને હરાવીને તમામ ચાર બેઠકો જીતી લીધી છે. હવે JNUSU ની ચારેય બેઠકો - પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને સંયુક્ત સચિવ ડાબેરીઓ પાસે છે. જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના અધ્યક્ષ તરીકે ધનંજય નામના દલિત યુવક ચૂંટાયા છે, જેમને 2973 મત મળ્યા છે. આ જીત સાથે 27 વર્ષ બાદ જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનને ડાબેરીઓ તરફથી દલિત પ્રમુખ મળ્યો છે. અગાઉ 1996-97માં બટ્ટીલાલ બૈરવા જેએનયુના પહેલા દલિત પ્રમુખ બન્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_66019ebc91513.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે JNU વિદ્યાર્થી સંઘના નવા દલિત પ્રમુખ ધનંજય?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધનંજય બિહારના ગયા જિલ્લાના વતની છે. ધનંજય સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ એસ્થેટિક્સમાંથી પીએચડી કરી રહ્યા છે. ડાબેરી ધનંજયે એબીવીપીના ઉમેશચંદ્ર અજમીરાને 934 મતોથી હરાવીને જીત મેળવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બટ્ટીલાલ બૈરવા પછી ધનંજય પ્રથમ દલિત JNUSU પ્રમુખ છે. બટ્ટીલાલ બૈરવા 1996માં જીત્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી જીત્યા પછી ધનંજયે કહ્યું, 'આ વિદ્યાર્થીઓની જીત છે. વિદ્યાર્થીઓએ છેતરપિંડી અને સરકાર દ્વારા ભંડોળમાં કાપ મૂકવાની સામે ડાબેરીઓને પસંદ કર્યા છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધનંજયે વધુમાં કહ્યું, “આ જીત જેએનયુના વિદ્યાર્થીઓનો જનમત છે કે તેઓ નફરત અને હિંસાની રાજનીતિને નકારી કાઢે છે. વિદ્યાર્થીઓએ ફરી એકવાર અમારા પર વિશ્વાસ દર્શાવ્યો છે. અમે તેમના અધિકારો માટે લડવાનું ચાલુ રાખીશું અને વિદ્યાર્થીઓને લગતા મુદ્દાઓ પર કામ કરીશું. JNU વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે કેમ્પસમાં મહિલાઓની સુરક્ષા, ભંડોળમાં કાપ, શિષ્યવૃત્તિમાં વધારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જળ સંકટ એ મારો મુખ્ય એજન્ડા રહેશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/79-percent-of-the-judges-appointed-to-the-High-Court-in-the-last-5-years-are-from-caste-SC-2.8-percent,-ST-1.3-percent,-Minorities-only-2-percent"><strong>છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_66019ebd1f337.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિજેતા વિદ્યાર્થીઓનું તેમના સમર્થકો દ્વારા 'લાલ સલામ' અને 'જય ભીમ'ના નારા વચ્ચે સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉમેદવારોની જીતની ઉજવણી કરવા માટે લાલ, સફેદ અને વાદળી ઝંડા પણ લહેરાવ્યા હતા. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના અવિજીત ઘોષે ABVPની દીપિકા શર્માને 927 મતોથી હરાવીને ઉપાધ્યક્ષ પદ પર જીત મેળવી છે. ઘોષને 2,409 વોટ મળ્યા જ્યારે શર્માને 1,482 વોટ મળ્યા. ડાબેરી સમર્થિત બિરસા આંબેડકર ફુલે સ્ટુડન્ટ્સ એસોસિએશન (BAPSA) ના ઉમેદવાર પ્રિયાંશી આર્યએ જનરલ સેક્રેટરીના પદ પર જીત મેળવી, એબીવીપીના અર્જુન આનંદને 926 મતોથી હરાવ્યા. આર્યને 2,887 વોટ મળ્યા જ્યારે આનંદને 1961 વોટથી સંતોષ માનવો પડ્યો. યુનાઈટેડ લેફ્ટે આર્યને સમર્થન આપ્યું હતું જ્યારે ચૂંટણી સમિતિએ તેના ઉમેદવાર સ્વાતિ સિંહની ઉમેદવારીને એબીવીપી દ્વારા પડકારવામાં આવ્યા બાદ તેનું નામાંકન રદ કર્યું હતું. સંયુક્ત સચિવ પદ પર ડાબેરી જૂથના મોહમ્મદ સાજિદે ABVPના ગોવિંદ ડાંગીને 508 મતોથી હરાવીને જીત મેળવી હતી. ચાર પોસ્ટમાં સાજિદની જીતનું માર્જિન સૌથી ઓછું છે. ચૂંટણીમાં જીત સાથે જ ડાબેરીઓએ JNUમાં પોતાનો ઝંડો લહેરાવ્યો હતો. ABVPએ કાંટે કી ટક્કર આપી હતી અને પ્રારંભિક વલણોમાં કેન્દ્રીય પેનલની ચારેય પોસ્ટ જીતી હતી. યુનાઈટેડ લેફ્ટ પેનલમાં AISA, ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ફેડરેશન (DSF), સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI) અને ઑલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (AISF)નો સમાવેશ થાય છે. JNUSUની સેન્ટ્રલ પેનલ માટે કુલ 19 ઉમેદવારો મેદાનમાં હતા. તે જ સમયે, સ્કૂલ કાઉન્સિલર માટે 42 લોકો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. વિદ્યાર્થી સંઘના પ્રમુખ પદ માટે આઠ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા હતી. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં 73 ટકા મતદાન થયું હતું, જે છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ છે.</span></p>
<p>.<img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_66019ebd9ec0b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આવું રહ્યું JNUSU ચૂંટણીનું પરિણામ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉપરાષ્ટ્રપતિ પદ માટે અવિજીત ઘોષ (ડાબે)ને 2649 મત મળ્યા છે. તેમણે દીપિકા શર્મા (ABVP) ને 927 મતોથી હરાવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રિયાંશી આર્યા(ડાબેરીઓ દ્વારા સમર્થિત) મહાસચિવ પદ પર જીતી છે, તેને 3307 મત મળ્યા છે. પ્રિયાંશી આર્યએ અર્જુન આનંદ(ABVP)ને 926 મતોથી હરાવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોહમ્મદ સાજિદ (ડાબેરી) સંયુક્ત સચિવ પદ પર જીત્યા છે, તેમને 2893 મત મળ્યા છે. તેમણે ગોવિંદ ડાંગી (ABVP) ને 508 મતોથી હરાવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: </span></strong></span><a href="https://khabarantar.com/Now-protesting-sit-in-on-JNU-campus-Rs.-20-thousand-will-be-fined"><strong><span style="font-size: 14pt;">હવે JNU કેમ્પસમાં ધરણા-વિરોધ પ્રદર્શન કરવા પર રૂ. 20 હજારનો દંડ થશે</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Mar 2024 14:33:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>443</Articleid>
                    <excerpt>જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(JNU)ના વિદ્યાર્થી સંગઠનની ચાર વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં 1996 બાદ પહેલીવાર એક દલિત યુવક વિદ્યાર્થી સંગઠનનો પ્રમુખ બન્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_66019ebc31cc0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_66019ebbf386d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_66019ebbf386d.jpg" length="55370" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>વઢવાણમાં અસામાજિક તત્વો બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ચોરી ગયા</title>
                    <link>https://khabarantar.com/anti-social-elements-stole-the-spectacles-of-babasahebs-statue-in-vadhwan</link>
                    <guid>https://khabarantar.com/anti-social-elements-stole-the-spectacles-of-babasahebs-statue-in-vadhwan</guid>
                    <description>
                        <![CDATA[ અસામાજિક તત્વો અહીં ગેબનશા પીર ચાર રસ્તા પાસે આવેલી ડૉ. આંબેડકરની વિશાળ પ્રતિમાના ચશ્મા ચોરી ગયા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગરના વઢવાણમાં ગઈકાલે કોઈ અસામાજિક તત્વો અહીં ગેબનશા પીર ચાર રસ્તા પાસે આવેલી ડૉ. આંબેડકરની વિશાળ પ્રતિમાના ચશ્મા ચોરી ગયા હતા. એટલું જ નહીં પ્રતિમાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ધોળા દિવસે બનેલી આ ઘટનાને લઈને બહુજન સમાજના સામાજિક કાર્યકરોએ વઢવાણ પોલીસમાં એફઆઈઆર કરતા પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે પાંચ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતા ગેબનશા પીરની દરગાહ પાસે આવેલા બ્રીજના ક્રોસિંગ પર બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિશાળ પ્રતિમા આવેલી છે. સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ આજે પણ દલિત સમાજનો ગઢ ગણાય છે, અહીં રાજકીય અને સામાજિક મોરચે દલિત સમાજ અને તેના આગેવાનોની મજબૂત પકડ છે અને તેનું મોટું ઉદાહરણ બાબાસાહેબની પ્રતિમા છે. વઢવાણ સુરેન્દ્રનગરથી લખતર અને અમદાવાદને જોડતા મુખ્ય માર્ગ પર બાબાસાહેબની ભવ્ય પ્રતિમા સમગ્ર વઢવાણ-સુરેન્દ્રનગરના દલિત બહુજન સમાજના સ્વાભિમાનનું પ્રતિક માનવામાં આવે છે. ત્યારે ગઈકાલે બપોરના સમયે કોઈ અસામાજિક વ્યક્તિ ગેબનશા પીર ક્રોસિંગ પર આવેલી બાબાસાહેબની પ્રતિમાના સર્કલની અંદર ઘૂસી ગયો હતો અને પ્રતિમાના ચશ્મા કાઢી લીધા હતા, એટલું જ નહીં તેના કપાળ અને મોંના ભાગે પણ નુકસાન કર્યું હતું. આ ઘટનાની જાણ વઢવાણના બહુજન સમાજના યુવાનોને થતા તેમણે સ્થાનિક પોલીસનું આ મામલે ધ્યાન દોરીને એફઆઈઆર નોંધાવી જવાબદારોને પકડીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજનો વીડિયો વાયરલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગેબનશા પીરની દરગાહ પાસેની બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ચોરતી અને નુકસાન કરતી ઘટનાનો સમગ્ર વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ મોં પર હાથરૂમાલ બાંધીને પ્રતિમા સાથે ચેડાં કરતો દેખાય છે. આ શખ્સે કેસરી રંગનું પેન્ટ અને ચેક્સ શર્ટ પહેર્યો છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fe5e6f1f056.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વઢવાણના યુવા એક્ટિવિસ્ટ ગૌતમ મકવાણા ખબરઅંતર.કોમને જણાવે છે કે, “પ્રતિમા સાથે ચેડાં કરનારી વ્યક્તિએ મોં પર રૂમાલ બાંધેલો છે એ જ બતાવે છે કે તેને અહીં સીસીટીવી લાગેલા હોવાનો ખ્યાલ છે. આ જાણીજોઈને સામાજિક માહોલ ખરાબ કરવાનું ષડયંત્ર હોય તેવું સ્પષ્ટ વર્તાય છે. બાકી આજ સુધી કોઈએ બાબાસાહેબની પ્રતિમાને હાથ લગાડવાની પણ હિંમત કરી નથી. વર્ષોથી આ પ્રતિમા વઢવાણ-સુરેન્દ્રનગરના દલિતોના સ્વાભિમાન અને આત્મસન્માનનું પ્રતિક રહી છે. ત્યારે આ રીતે કોઈ અસામાજિક તત્વો ધોળાં દિવસે પ્રતિમાના ચશ્મા ઉતારી જાય અને પ્રતિમાને નુકસાન પહોંચાડે તે કોઈ કાળે સાંખી લેવાય તેમ નથી. આ મામલે અમે સ્થાનિક પોલીસને જાણ કરી છે અને તેમણે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીનો માહોલ હોઈ રાજકીય ષડયંત્રની પણ આશંકા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વઢવાણના સ્થાનિક બહુજન સમાજના આગેવાનો આ ઘટનાને રાજકીય કાવતરાની નજરે પણ જોઈ રહ્યાં છે. અન્ય એક યુવા કર્મશીલ બાબુભાઈ વાઘેલાના જણાવ્યા પ્રમાણે “હાલ લોકસભા ચૂંટણીનો માહોલ છે ત્યારે બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ચોરીને બહુજન સમાજને ઉશ્કેરવાનું આ કાવતરું પણ હોઈ શકે છે. વઢવાણ વર્ષોથી બહુજન સમાજનો ગઢ રહ્યો છે.  હાલ રાજકીય પક્ષો અહીં વિકાસના નામે મત માંગી શકે તેમ નથી, કેમ કે અનેક પ્રાથમિક સુવિધાઓનો પણ અહીં અભાવ જોવા મળે છે, રોજગારીના પ્રશ્નો યથાવત છે, શિક્ષિત બેરોજગારોની સંખ્યા બહુ મોટી છે. દલિત, ઓબીસી સમાજની વસ્તી બહુ મોટી છે પણ તેમના યુવાનોની સરકારી નોકરીઓ વર્તમાન સરકારે સાવ ખતમ કરી નાખી છે. દલિત, ઓબીસીના સેંકડો યુવાનો અહીં રાતદિવસ જોયા વિના ભરતી પરીક્ષાઓની તૈયારીઓ કરે છે, પણ વારંવાર પેપર ફૂટતા હોઈ તેમનું મનોબળ તળિયે પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં સત્તાધારી પક્ષનો એકેય નેતા દલિત-ઓબીસીની વસ્તી વચ્ચે જઈને પોતાને મત આપવાની વિનંતી કરી શકે તેમ નથી. એ સ્થિતિમાં બાબાસાહેબની પ્રતિમાના અચાનક ચશ્મા ચોરાઈ જવા એ કોઈ રાજકીય ષડયંત્રનો ભાગ પણ હોઈ શકે છે. અગાઉ અનેક ઘટનાઓમાં થયું છે તેમ શક્ય છે આરોપી અચાનક મળી આવે અને પછી નેતાજી પોતાને દલિતોના હામી તરીકે પ્રોજેક્ટ કરવા આવી પહોંચે. આ થીયરીને પણ અમે નકારતા નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આખી ઘટના કેવી રીતે પ્રકાશમાં આવી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વઢવાણના પ્રકાશભાઈ જોષી નામના દલિત એક્ટિવિસ્ટ દરરોજ ગેબનશા પીરની દરગાહ પાસે આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા માટે જાય છે. ગઈકાલે સાંજે પણ તેઓ નિત્યક્રમ મુજબ આ ક્રિયા માટે પ્રતિમાએ ગયા હતા. જ્યાં તેમણે જોયું કે બાબાસાહેબના ચશ્મા કોઈ ચોરી ગયું છે. આથી તેમણે બાજુમાં આવેલી એક દુકાન બહાર લાગેલા સીસીટીવી ચેક કરાવ્યા હતા જેમાં એક શખ્સ બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ઉતારતો દેખાયો હતો. સાથે જ તે પ્રતિમાના કપાળ સહિતના ભાગને પણ નુકસાન પહોંચાડતો દેખાયો હતો. આથી તરત તેમણે પુરાવાઓ સાથે વઢવાણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે 5 ટીમો બનાવીને તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રકાશભાઈ જોષીના જણાવ્યા પ્રમાણે, આ કોઈ રાજકીય ષડયંત્ર હોય તેવું સ્પષ્ટ વર્તાય છે. હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બહુજન સમાજને બાબાસાહેબના નામે ઉશ્કેરીને રાજકીય ફાયદો લેવા કોઈને હાથો બનાવાયા હોય તેમ લાગે છે. અમે કોઈ બહુજન સમાજનો રાજકીય લાભ ન ઉઠાવી જાય તે અંગે પણ સતર્ક છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો </strong></span>: <a href="https://khabarantar.com/At-wadhwan-in-surendranagar-rs-library-and-statue-of-Babasaheb-unveiled-at-a-cost-of-30-lakhs"><strong>સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રૂ. 30 લાખના ખર્ચે પુસ્તકાલય અને બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 23 Mar 2024 10:21:30 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 23 Mar 2024 10:40:22 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>434</Articleid>
                    <excerpt>અસામાજિક તત્વો અહીં ગેબનશા પીર ચાર રસ્તા પાસે આવેલી ડૉ. આંબેડકરની વિશાળ પ્રતિમાના ચશ્મા ચોરી ગયા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65fe5e55604d9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fe5e553031c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fe5e553031c.jpg" length="116798" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>રાજકીય પાવરહાઉસ ગણાતી અમદાવાદ પશ્ચિમ SC અનામત બેઠક પર ‘મકવાણા Vs. મકવાણા’નો જંગ</title>
                    <link>https://khabarantar.com/considered-as-a-political-powerhouse-ahmedabad-west-sc-reserved-seat-Makwana-vs-battle-of-makwana</link>
                    <guid>https://khabarantar.com/considered-as-a-political-powerhouse-ahmedabad-west-sc-reserved-seat-Makwana-vs-battle-of-makwana</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતના રાજકારણમાં રાજકીય પાવરહાઉસ ગણાતી અમદાવાદ પશ્ચિમ એસસી અનામત બેઠક પર આ વખતે બે મકવાણા અટકધારી ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જાણો કોણ છે બંને ઉમેદવારો અને કેવું છે આ બેઠકનું રાજકીય ગણિત. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે અને રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કરીને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. માન્યવર કાંશીરામ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરે સામાજિક ન્યાય માટે સત્તાને માસ્ટર કી ગણાવી છે ત્યારે દલિત, આદિવાસી, લઘુમતી અને ઓબીસી સમાજ પણ હવે રાજકીય જંગમાં યથાશક્તિ પોતાનું યોગદાન આપી રહ્યો છે. જો કે, આ તમામ સમાજ જાતિ અને ધર્મના નામે વેરવિખેર હોવાથી હજુ પણ મુઠ્ઠીભર કથિત સવર્ણો તેમને સત્તાની ખુરશીથી દૂર રાખવામાં સફળ રહ્યો છે. બાબાસાહેબની કૃપાથી મળેલી રાજકીય અનામતના કારણે જો કે હજુ પણ દેશભરમાં એવી કેટલીક બેઠકો છે જ્યાં દરેક મોરચે સવર્ણોનો દબદબો હોવા છતાં ચૂંટણીમાં દલિત કે આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ કરવાની તક મળે છે. આવી જ એક ગુજરાતની સૌથી હાઈપ્રોફાઈલ બેઠકોમાંની એક એટલે અમદાવાદ પશ્ચિમ, જ્યાં આ વખતે બે મકવાણા અટક ધરાવતા અનુસૂચિત જાતિના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. ભાજપે વર્તમાન સાંસદ ડૉ. કિરીટ સોલંકીનું પત્તું કાપીને દિનેશ મકવાણાને ટિકિટ આપી છે, તો કોંગ્રેસ તરફથી ભરત મકવાણા મેદાનમાં છે. કેવું છે આ બેઠકનું રાજકીય ગણિત અને ભૂતકાળ તેના પર નજર કરીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ</strong></span> <a href="https://khabarantar.com/Why-do-the-accused-get-away-with-such-a-strong-atrocity-law"><strong>એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?</strong></a><br></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્ષ 2009માં અસ્તિત્વમાં આવેલી બેઠક</span></strong></span><br><span style="font-size: 14pt;">ગુજરાતની સૌથી હાઈપ્રોફાઈલ લોકસભા બેઠકો પૈકીની એક ગણાતી અમદાવાદ પશ્ચિમની બેઠક વર્ષ 2008ના નવા સીમાંકન બાદ 2009માં અસ્તિત્વમાં આવી હતી. પહેલેથી જ અનુસૂચિત જાતિ માટે અનામત રહેલી આ બેઠક પર 2009માં પહેલી ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર ડૉ. કિરીટ સોલંકીનો વિજય થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીની ત્રણ ટર્મથી તેઓ આ બેઠક પર જીતતા આવ્યા હતા. જો કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને કૉંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારે સારી એવી ટક્કર આપી હતી. તેમ છતાં ડૉ. કિરીટ સોલંકી 3 લાખથી વધુ મતોથી વિજેતા થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ વખતે મકવાણા વિ. મકવાણાનો જંગ</span></strong></span><br><span style="font-size: 14pt;">છેલ્લી ત્રણ ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના કિરીટ સોલંકીનો વિજય થયો છે. ત્રણેય વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવારો (શૈલેષ પરમાર, ઈશ્વર મકવાણા અને રાજુ પરમાર)ને હરાવ્યા હતા. આ બેઠક પર દલિત સમાજના પણ સારા એવા મતો હોવાથી બીએસપી, આપ, અપક્ષ અને નોટામાં પણ ઘણાં મતો પડે છે. એ સ્થિતિમાં થોડા અમથા મતો પણ નિશ્ચિત મનાતી જીતને હારમાં પરિવર્તિત કરી શકે છે. રાજકીય પાવરહાઉસ ગણાતી આ બેઠકમાં મોટાભાગે પૂર્વ અમદાવાદનો વિસ્તાર આવે છે. જેમાં અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, અસારવા અને દાણીલીમડા વિધાનસભાના મતવિસ્તારનો સમાવેશ થાય છે. પશ્ચિમ અમદાવાદની એકમાત્ર એલિસબ્રીજ વિધાનસભા બેઠક જ આ લોકસભામાં આવે છે. પશ્ચિમ અમદાવાદની આ બેઠકમાં અસારવા અને દાણીલીમડા એમ બે અનુસૂચિત જાતિની વિધાનસભા બેઠકો પણ આવે છે. સંપૂર્ણ શહેરી વિસ્તારના મતદારો ધરાવતી આ બેઠકમાં ગત ચૂંટણીમાં 60.37 ટકા જેટલું મતદાન થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/attack-on-foreign-students-offering-namaz-in-gujarat-university-attackers-raised-sligans-of-jayshree-ram">ગુજરાત યુનિ.માં નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હુમલાખોરોએ લગાવ્યા ‘જયશ્રી રામ’ના નારા</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fa5646918d2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા?</span></strong></span><br><span style="font-size: 14pt;">ભાજપે ડૉ. કિરીટ સોલંકીનું પત્તું કાપીને જેમને ટિકીટ આપી છે તે દિનેશ મકવાણા અગાઉ બે વખત અમદાવાદના ડેપ્યુટી મેયર રહી ચૂક્યાં છે. રાજકીય સફરની શરૂઆતમાં તેઓ નરોડા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. 54 વર્ષના દિનેશ મકવાણા છેલ્લાં 37 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર છે અને 5 ટર્મ સુધી કાઉન્સિલર પણ રહી ચૂક્યાં છે. 1991થી 1995 સુધી તેઓ ભાજપની અસારવા મંડળ સમિતિના મંત્રી હતા. એ પછી 2020 સુધી ચાર ટર્મ દરમિયાન સૈજપુર બોઘા વોર્ડથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. એ દરમિયાન 2013થી 2021 સુધી તેઓ ગુજરાત ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ પણ રહ્યાં અને 2022થી ભાજપના પ્રવક્તા તરીકે કાર્યરત હતા. હવે ભાજપે તેમને સીધી લોકસભાની ટિકિટ આપી છે. બીએ. એલ.એલ.બીનો અભ્યાસ કરી ચૂકેલા દિનેશભાઈ કોદરભાઈ મકવાણા દલિત વણકર સમાજમાંથી આવે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કૉંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા કોણ છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">અમદાવાદ પશ્ચિમ બેઠક પર મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે ભરત મકવાણાને ટિકિટ આપી છે. તેમનો પરિવાર વર્ષોથી કૉંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છે. ભરત મકવાણાના માતા શાંતાબેન મકવાણા સોજિત્રા વિધાનસભા બેઠક પરથી ત્રણવાર ધારાસભ્ય ચૂંટાયા હતા અને માધવસિંહ સોલંકીની સરકારમાં બે વાર મંત્રી પણ રહ્યાં છે. ભરત મકવાણા પણ સોજિત્રા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે તેમના પિતા યોગેન્દ્ર મકવાણા ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યાં છે. 60 વર્ષના ભરત મકવાણાએ પણ તેમના હરિફની જેમ કાયદાની ડિગ્રી મેળવી છે. કૉંગ્રેસના કિસ્સામાં થાય છે મીડિયામાં જેટલી પ્રસિદ્ધી અને માહિતી ભાજપના ઉમેદવારની મળે છે, તેટલી કૉંગ્રેસના ઉમેદવારને લઈને મળતી નથી. આવું ભરત મકવાણાના કિસ્સામાં પણ જોવા મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત-મુસ્લિમ સમાજના 12 ટકા મતો નિર્ણાયક</span></strong></span><br><span style="font-size: 14pt;">હાઈપ્રોફાઈલ અમદાવાદ પશ્ચિમ બેઠકના મતદારો અને જાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં અમરાઈવાડી વિસ્તારમાં સૌથી વધુ 2.87 લાખ મતદારો છે, જ્યારે દરિયાપુરમાં સૌથી ઓછાં 2.05 લાખ મતદારો છે. જેન્ડર પ્રમાણે વાત કરીએ અહીં 8.82 લાખ પુરુષ, 8.28 લાખ મહિલા અને 69 ટ્રાન્સજેન્ડર્સ મળીને કુલ 17.11 લાખ મતદારો થાય છે. આ આંકડો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 16.43 લાખ હતો. જો જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર પટ્ટણી, ઠાકોર, જૈન, પ્રજાપતિ સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. આ સિવાય પાટીદાર અને ક્ષત્રિય મતદારોની સંખ્યા પણ સારી એવી છે. જો કે સૌથી નિર્ણાયક મતો દલિત અને મુસ્લિમ સમાજના માનવામાં આવે છે, જે 12 ટકા આસપાસ થવા જાય છે. જોવાનું એ રહે છે કે ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર કૉંગ્રેસ કોઈ ઉલટફેર કરી શકે છે કે કેમ. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/the-youth-of-the-halpati-tribal-community-built-a-library-in-the-village-from-the-rupees-they-collected-through-labour">હળપતિ આદિવાસી સમાજના યુવાનોએ મજૂરી કરીને એકઠાં કરેલા રૂપિયામાંથી ગામમાં લાઈબ્રેરી બનાવી</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/exclusive-national-scheduled-caste-commission-office-in-ahmedabad-rambharos-ninety-percent-staff-reduction">EXCLUSIVE: અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ</a></span></strong></span></p>
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Mar 2024 09:57:32 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 20 Mar 2024 10:11:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>425</Articleid>
                    <excerpt>ગુજરાતના રાજકારણમાં રાજકીય પાવરહાઉસ ગણાતી અમદાવાદ પશ્ચિમ એસસી અનામત બેઠક પર આ વખતે બે મકવાણા અટકધારી ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જાણો કોણ છે બંને ઉમેદવારો અને કેવું છે આ બેઠકનું રાજકીય ગણિત.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65fa53fe929d1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fa53fe63e6d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fa53fe63e6d.jpg" length="69467" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉત્તરપ્રદેશના અલીગઢમાં 14 વરસની દલિત કિશોરીની બળાત્કાર બાદ હત્યા કરી લાશ ખીંટીએ લટકાવાઈ</title>
                    <link>https://khabarantar.com/Fourteen-year-old-dalit-girl-killed-after-rape-body-hanged-on-pole-in-uttar-Pradeshs-aligarh</link>
                    <guid>https://khabarantar.com/Fourteen-year-old-dalit-girl-killed-after-rape-body-hanged-on-pole-in-uttar-Pradeshs-aligarh</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદ અને દલિત અત્યાચારો માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક 14 વર્ષની દલિત કિશોરી પર બળાત્કાર ગુજારીને હત્યા કર્યા બાદ તેની લાશને ઘરની ખીંટીએ લટકાવી દેવાઈ હતી. વાંચો આ સનસનીખેજ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ અને દલિત અત્યાચારો માટે કુખ્યાત ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક ગામમાં 14 વર્ષની દલિત કિશોરી પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરીને લાશને ખીંટી પર લટકાવી દેવાનો મામલો સામે આવ્યો છે. પિતા વિનાની કિશોરીને તેની માતા ઘરે એકલી મૂકીને લગ્નમાં ગઈ હતી એ દરમિયાન આ હેવાનિયતભરી ઘટના બની હતી. તેના મૃતદેહને બળાત્કારીઓએ ખીંટીએ લટકાવી દીધાના સમાચારથી નાનકડા આ ગામમાં ખળભળાટ મચી ગયો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ફોરેન્સિક ટીમ અને પોલીસ પિકેટ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમ અને પોલીસ અધિકારીઓએ સ્થળનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ મામલો યુપીના અલીગઢ જિલ્લાના બરલા વિસ્તારનો છે જ્યાં વાસનાભૂખ્યાં કેટલાક તત્વોએ 14 વર્ષની કિશોરી પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરીને લાશને ખીંટીએ લટકાવી દીધાં બાદ ફરાર થઈ ગયા હતા. ઘરમાં એકલી રહેલી કિશોરીના ઘરનું બારણું કલાકો સુધી બંધ રહેલું જોતા અને અંદર કોઈપણ પ્રકારની ચહલપહલ ન થતા વાસના લોકોએ તેના ઘર પર લાગેલી લોખંડની જાળીમાંથી અંદર ડોકીયું કર્યું તો તેની લાશ ખીંટીએ લટકતી હતી. આ ભયાનક દ્રશ્ય જોઈને ગામલોકો ચોંકી ગયા હતા. એ પછી કિશોરીની લાશ ખીંટીએ લટકતી હોવાની વાત દાવાનળની જેમ ચોતરફ ફેલાઈ જતા લોકોનાં ટોળેટોળાં ભેગા થઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">મૃતક કિશોરીના મામાએ જણાવ્યું હતું કે,  તેના પિતાનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. જ્યારે તેની માતા દીકરીને ઘરે એકલી મૂકીને તેના જેઠની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગઈ હતી. એ દરમિયાન કિશોરીની એકલતાનો લાભ લઈને એક હવસખોર બળજબરીથી તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેના પર બળાત્કાર કર્યો અને પછી હત્યા કરીને લાશને ખીંટીએ લટકાવી દીધી હતી.</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોટાભાગની ઘટનાઓમાં જોવા મળે છે તેમ પોલીસની કામગીરી આ કેસમાં પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. આરોપ છે કે પોલીસે મૃતક કિશોરીની માતા તેના સંબંધીઓ સાથે ઘરે પહોંચે તે પહેલા જ પોલીસે તેમને જાણ કર્યા વિના જ મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલી દીધો હતો. મૃતકના દાદાએ તેમની પુત્રીની હત્યા અંગે જણાવ્યું હતું કે તેઓ કોઈ નિર્દોષને ફસાવવા નથી માંગતા અને આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/attack-on-foreign-students-offering-namaz-in-gujarat-university-attackers-raised-sligans-of-jayshree-ram">ગુજરાત યુનિ.માં નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હુમલાખોરોએ લગાવ્યા ‘જયશ્રી રામ’ના નારા</a><br></span></strong></span></p>
<div class="post-text">
<p><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><span style="color: rgb(132, 63, 161); font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W" style="color: rgb(132, 63, 161);">અહીં ક્લિક કરો.</a></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 18 Mar 2024 13:12:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>422</Articleid>
                    <excerpt>જાતિવાદ અને દલિત અત્યાચારો માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક 14 વર્ષની દલિત કિશોરી પર બળાત્કાર ગુજારીને હત્યા કર્યા બાદ તેની લાશને ઘરની ખીંટીએ લટકાવી દેવાઈ હતી. વાંચો આ સનસનીખેજ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65f7dd1ec2bc3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f7dd1e8f93d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f7dd1e8f93d.jpg" length="70695" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સમ્યક સમાજ દ્વારા 6 મહાનુભાવોનું કાંશીરામ કાર્ય એવોર્ડ આપીને સન્માન કરાયું</title>
                    <link>https://khabarantar.com/samyak-samaj-honored-6-dignitaries-with-kanshiram-karya-award</link>
                    <guid>https://khabarantar.com/samyak-samaj-honored-6-dignitaries-with-kanshiram-karya-award</guid>
                    <description>
                        <![CDATA[ ગઈકાલે માન્યવર કાંશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે સમ્યક સમાજ અમદાવાદ દ્વારા બહુજન સમાજના અસલી હીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે માન્યવર કાંશીરામ સાહેબની 90મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં અસંખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે અમદાવાદના ગોમતીપુરમાં સમ્યક સમાજ દ્વારા એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માન્યવર કાંશીરામ સાહેબના પગલે ચાલીને બહુજન સમાજ માટે આખી જિંદગી ખર્ચી નાખનાર એવા મહાનુભાવોનું ઍવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેમના કામની કદર થવી જરૂરી હતી. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને સમ્યક સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બામસેફ, DS4 અને બહુજન સમાજ પાર્ટીમાં કામ કરી ચૂકેલા બહુજન સમાજના એવા 6 કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમણે ખરા અર્થમાં સામા પ્રવાહે તરીને માન્યવર કાંશીરામના કાર્યને આગળ ધપાવવા પ્રયત્ન કર્યો હતો. આ એ લોકો છે જેમણે આખી જિંદગી બહુજન સમાજને જાગૃત કરવામાં ખર્ચી નાખી છે. વર્તમાન રાજકારણમાં જ્યાં વિચારધારાનો સતત લોપ થઈ રહ્યો છે ત્યારે આ કાર્યકરો આજીવન માન્યવરની વિચારધારાને વફાદાર રહ્યાં છે, એટલે જ તેમને ‘કાંશીરામ કાર્ય ઍવોર્ડ’ આપી સન્માનિત કરાયા હતા. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65f541678c912.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ 6 મહાનુભાવોમાં આણંદના નિવૃત્ત એડિશનલ જજ કનુભાઈ વ્યાસ જેમણે બામસેફ, ડીએસ4 અને બસપામાં કામ કર્યું હતું, સુરતના કેશવભાઈ ચૌહાણ જેઓ 48 વર્ષથી કાંશીરામ સાહેબની ચળવળમાં સક્રિય છે, ઉના-દીવના પી.એલ. રાઠોડ, જેઓ નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી છે અને 42 વર્ષથી બામસેફના સક્રિય કાર્યકર છે, અમદાવાદના પ્રકાશભાઈ બેન્કર, જેઓ એસબીઆઈમાં અધિકારી છે અને માન્યવર સાથે કામ કરી ચૂક્યાં છે, સુરેન્દ્રનગરના નરેશભાઈ મકવાણા, જેઓ બીએસપીના કાર્યકર છે, અમરાઈવાડી અમદાવાદના ગણપતભાઈ સોનાર જેઓ બહુજન સમાજ પાર્ટીના પાયાના કાર્યકર છે તેમનો સમાવેશ થાય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65f541681946d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ ઍવોર્ડ સમારંભના મુખ્ય આયોજક બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્યે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “છેલ્લાં ઘણાં સમયથી મને લાગતું હતું કે આજીવન બહુજન સમાજ માટે કામ કરી ચૂકેલા મહાનુભાવોનું સન્માન થવું જોઈએ. બહુજન સમાજ પર એક આક્ષેપ સતત લાગતો રહે છે કે, તે તેના માટે કામ કરતા કાર્યકરો, મહાનુભાવોની કદર કરવામાં ઉણો ઉતરે છે. ઘણે અંશે આ આક્ષેપ સાચો પણ લાગ્યો છે, તેમાંથી આ વિચારનો જન્મ થયો હતો. આ ઍવોર્ડ સમાજ માટે કામ કરતા કાર્યકરોનું સન્માન કરવાનો તો છે જ, સાથે બહુજન સમાજને તેના અસલી હીરો કોણ છે તેની જાણ કરવાનો પણ એક ઉદ્દેશ્ય ધરાવે છે. આ વખતે 6 મહાનુભાવોને સમ્માનિત કરાયા છે, આગામી સમયમાં વધુ એવા પાયાના કાર્યકરોને શોધીને તેમનું પણ આ રીતે ઍવોર્ડ આપીને જાહેર સન્માન કરીશું.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ</strong></span> <strong><a href="https://khabarantar.com/At-wadhwan-in-surendranagar-rs-library-and-statue-of-Babasaheb-unveiled-at-a-cost-of-30-lakhs"><span style="color: rgb(224, 62, 45);">સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રૂ. 30 લાખના ખર્ચે પુસ્તકાલય અને બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ</span></a></strong><br></span></p>
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 16 Mar 2024 12:46:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>416</Articleid>
                    <excerpt>ગઈકાલે માન્યવર કાંશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે સમ્યક સમાજ અમદાવાદ દ્વારા બહુજન સમાજના અસલી હીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65f54168b5bb7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f5416886d0f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f5416886d0f.jpg" length="154501" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કચ્છના મોટા રેહા ગામે દલિત યુવકની ભેદી હત્યા, બે દિવસ પછી પણ હત્યારા પોલીસ પકડથી દૂર</title>
                    <link>https://khabarantar.com/mysterious-murder-of-a-dalit-youth-in-mota-Reha-village-of-kutch-even-after-two-days-the-killer-is-away-from-the-police</link>
                    <guid>https://khabarantar.com/mysterious-murder-of-a-dalit-youth-in-mota-Reha-village-of-kutch-even-after-two-days-the-killer-is-away-from-the-police</guid>
                    <description>
                        <![CDATA[ kutch dalit youth murder: કચ્છના મોટા રેહા ગામે દલિત યુવકની ગઈકાલે છરીના અસંખ્યા ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારાઓ હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે સ્થાનિકોમાં પોલીસ સામે ભારે રોષ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">kutch dalit youth murder: કચ્છના મોટા રેહા ગામે એક દલિત યુવકની ભેદી રીતે છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અણધારી આ ઘટનાને લઈને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. દરમિયાન હત્યાને 24 કલાક કરતા પણ વધુ સમય વીતી જવા છતાં પોલીસ હત્યારાઓને શોધી ન શકતા સમાજના આગેવાનો હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને યુવકની હત્યાને લઈને ચેતવણી ઉચ્ચારી હતી કે જો આગામી 24 કલાકમાં હત્યારાઓને શોધીને ધરપકડ કરવામાં નહીં આવે તો યુવકના મૃતદેહને સાથે રાખી એસપી કચેરી સામે ધરણાં કરવામાં આવશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65f1469945c7d.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65f14699c1490.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે કચ્છ જિલ્લાના વડામથક ભૂજના મોટા રેહા ગામે અતુલ મહેશ્વરની નામના યુવકની છરીના અસંખ્ય ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. ઘટના બાદ મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જો કે 24 કલાક કરતા પણ વધુ સમય વીતી જવા છતાં આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા મહેશ્વરી સમાજ રોષે ભરાયો હતો અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, કાર્યકરો, યુવાનો મૃતક યુવકના પરિવારજનો, સગાઓની સાથે હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પોલીસની ઢીલી કામગીરીને લઈને ઉગ્ર દેખાવો કરી ધરણાં પર બેસી ગયા હતા. આખરે પોલીસે નમતું જોખ્યું હતું અને નક્કર કાર્યવાહીની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડતો જણાયો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65f14698bc344.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65f146983a0c0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે કચ્છ સામાજિક આગેવાન અને સમસ્ત મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ”કચ્છના મોટા રેહામાં દલિત યુવક અતુલ મહેશ્વરીની ભેદી રીતે છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા તપાસના નામે મીંડું છે. ન તો હત્યારોની કોઈ ભાળ મળી છે ન તો બીજી કોઈ માહિતી મળી રહી છે. આથી અમારે નાછુટકે હોસ્પિટલ આવીને પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરવી પડી રહી છે. અમે પોલીસને ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આરોપીઓને પકડી પાડવા અલ્ટિમેટમ આપ્યું હતું. જો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થાય તો અમે યુવકનો મૃતદેહ લઈને પોલીસ કચેરી સામે ઘરણાં પર બેસવાના હતા અને જરૂર પડ્યે ત્યાં જ તેની અંતિમક્રિયા કરવાના હતા. પણ પોલીસ અધિકારીઓએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા આખરે મૃતકના અંતિમ સંસ્કાર કરાયા છે. હજુ હત્યારાઓ પોલીસ પકડથી દૂર છે. યુવકની હત્યાનું કારણ પણ અકબંધ છે. જો પોલીસ આ મામલે યોગ્ય તપાસ કરીને સકારાત્મક પરિણામો નહીં લાવે તો અમે ફરી મોરચો માંડીશું.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/It-is-high-time-to-identify-the-subversive-fake-activists-and-teach-them-a-lesson">તોડબાજો, નકલી એક્ટિવિસ્ટોને ઓળખીને બોધપાઠ આપવાનો સમય પાકી ગયો છે</a><br></span></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><span style="font-size: 12pt;"><strong>Khabarantar.com </strong><strong><span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span style="font-size: 14pt;"> </span></strong></span><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU"><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો.</span></span></b></a></span><o:p></o:p></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 13 Mar 2024 13:35:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>409</Articleid>
                    <excerpt>kutch dalit youth murder: કચ્છના મોટા રેહા ગામે દલિત યુવકની ગઈકાલે છરીના અસંખ્યા ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારાઓ હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે સ્થાનિકોમાં પોલીસ સામે ભારે રોષ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65f1469a71218.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f1469a3e212.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f1469a3e212.jpg" length="123216" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>તોડબાજો, નકલી એક્ટિવિસ્ટોને ઓળખીને બોધપાઠ આપવાનો સમય પાકી ગયો છે</title>
                    <link>https://khabarantar.com/It-is-high-time-to-identify-the-subversive-fake-activists-and-teach-them-a-lesson</link>
                    <guid>https://khabarantar.com/It-is-high-time-to-identify-the-subversive-fake-activists-and-teach-them-a-lesson</guid>
                    <description>
                        <![CDATA[ એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં ન્યાય કેમ નથી મળતો તેની પાછળનું એક બહુ મોટું કારણ તોડબાજ એક્ટિવિસ્ટોની દખલગીરી છે. પણ જ્યારે પ્રામાણિક એક્ટિવિસ્ટો કેસ હાથ પર લે છે ત્યારે ન્યાય મળતો જ હોય છે, તેનું એક સચોટ ઉદાહરણ પૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ કે.બી. રાઠોડ અહીં રજૂ કરી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- કે.બી. રાઠોડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત એટ્રોસિટીના બનાવોમાં જો નિઃસ્વાર્થ, નિષ્ઠાવાન અને પ્રામાણિક એક્ટિવિસ્ટનો ટેકો હોય તો કોર્ટ ગુનેગારને સજા કરીને ન્યાય આપતી જ હોય છે. જેનો એક કિસ્સો અહીં ટાંકવો જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેસાણાની એટ્રોસિટી સ્પેશ્યલ કોર્ટના સ્પેશ્યલ જજ ચિરાગ એ. પવારની કોર્ટે તા 7/3/2024ના શકવર્તી ચુકાદાથી અમદાવાદના દલિત કુટુંબના એક કિશોરનું કસ્ટડિયલ ડેથ/ખૂન નીપજવવાના ગુનામાં IPCની કલમ 302ના ગુનામાં ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને દરેકનો રૂપિયા દોઢ લાખનો દંડ ફટકારેલ છે. ઉપરાંત ત્રણેય આરોપીઓને એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(v)ના ગુનામાં પણ આજીવન કેદની સજા અને દરેકનો રૂપિયા પચાસ હજારનો દંડ ફ્ટકારેલ છે. દંડ ની રકમમાંથી રૂપિયા ત્રણ લાખ મરનાર મૃતક કિશોરના પિતાજીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરી દલિતો પ્રત્યે થતા અત્યાચારના અપરાધીઓ માટે દાખલારૂપ ન્યાય આપવાનું ઉમદા ઉદાહરણ પૂરું પડેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં પેડલરિક્ષા ચલાવી પેટીયું રળતા મુકેશભાઈ ચૌહાણના કિશોર વયના પુત્ર વિરુદ્ધ ફેબ્રુઆરી 2020માં કોઈ મામૂલી ગુનાની FIR નોંધાતા જુવેનાઈલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ એક્ટ નીચે ગુનો દાખલ કરી મહેસાણાના ઓબઝર્વેશન એન્ડ સેફટી હોમ/બાળ સુરક્ષા ગૃહમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ત્યાંથી તા 3/2/2020ના રોજ આ કિશોર ભાગી ગયેલો. (કાયદો એમ કહે છે કે કોઈ બાળ આરોપી ઓબઝર્વેશન હોમમાંથી ભાગી જાય તો પણ કોઈ ગુનો બનતો નથી ફરીથી પકડાય તો તેને ત્યાં રખાય). આ કિશોર ત્યાંથી ભાગીને અમદાવાદ આવતા તા.12/2/2020ના નરોડા પોલીસે તેને પકડી ફરીથી મહેસાણા ઓબઝર્વેશન હોમમાં મોકલી આપ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Jails-in-India:-Imprisonment,-Penitentiary,-Reformatory">ભારતની જેલો: કારાવાસ, કેદખાનું, સુધારગૃહ</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા 12/2/2020ની રાત્રે 10.30 વાગ્યાથી બીજા દિવસે વહેલી સવારના ચારેક વાગ્યા દરમ્યાન કિશોરને તે બિલ્ડીંગના ઉપરના માળે મીટીંગ હોલમાં લઈ જઈ ઓબઝર્વેશન હોમના ગૃહપતિ પ્રજાપતિ વિષ્ણુકુમાર અને તે ત્રણ ગાર્ડ ચૌધરી અક્ષય, ચૌધરી કનુભાઈ ઉર્ફે હર્ષદ અને મહેન્દ્રપરી ગોસ્વામીએ મળીને લાકડી અને ધોકા વડે બેરહેમીથી ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું. આરોપીઓ જાણતા હતા કે કિશોર અનસૂચિત જાતિ સમાજનો છે. એ રીતે જાણકારી હોવા છતાં ઈરાદાપૂર્વક માર માર્યો હતો અને તેનું મોત નીપજાવી ખૂનનો ગુનો આચર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૃતક કિશોરના પિતાએ આ મામલે ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ</span><br><span style="font-size: 14pt;"> IPCની કલમ 302, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(2) (v) મુજબ ગુનો નોંધી DySP એ ગુનાની તપાસ કરી ચારેય આરોપીઓને પકડી જેલમાં મોકલેલ. તપાસના અંતે મહેસાણાની સ્પેશ્યલ કોર્ટમાં આ કેસ ચાલેલ.ચાર આરોપી પૈકી એકનું મૃત્યુ થતા ત્રણ જણા વિરુદ્ધ કેસની ટ્રાયલ ચાલી હતી.</span><br><span style="font-size: 14pt;">આ કેસમાં પ્રોસિક્યુશન તરફથી કુલ 48 સાહેદો/સાક્ષીઓની જુબાની થયેલ. કુલ 83 દસ્તાવેજી પુરાવાના કાગળો રજૂ થયા હતા. ટ્રાયલના અંતે કોર્ટે ચુકાદો આપી સજા અને દંડ ફટકારી મૃતક કિશોરના પિતાને વળતર આપવાનો હુકમ કરી શુદ્ધ ન્યાય આપ્યાનું ઉદાહરણ પૂરું પાડેલ છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">પ્રામાણિક એક્ટિવિસ્ટોની મહેનતે ન્યાય અપાવ્યો</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બનાવ પછી પોલીસ ફરિયાદ લેતી નહોતી. એટલે નરોડામાં SSD અને અન્ય દલિત સંગઠનો સાથે કામ કરતા કાંતિલાલ પરમાર ચેનલ વાળા, જે.કે.ચાવડા અને અશોકભાઈ ચૌહાણ વગેરેએ મજુર અધિકાર મંચના પૂર્વ સચિવ અને ભારતીય સંવિધાન અધિકાર સભાના કાર્યકર એડવોકેટ અશોક સમ્રાટનો સંપર્ક કર્યો હતો. એ પછી અશોક સમ્રાટ, અરૂણ પટેલ, રાકેશ વાઘેલા,  કોર્પોરેટર જમનાબેન, બિપીન ધવલ, પી. એમ. પરમાર તથા અન્ય લોકો મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. ત્યાં પીઆઈ પટેલ સાથે ચર્ચા કર્યા બાદ એસપી મનીષસિંઘને એટ્રોસિટીના કાયદા મુજબ ફરિયાદીના કહ્યાં પ્રમાણે ફરિયાદ લેવા રજૂઆત કરી હતી. સાથે જ ઘટનાનું વિવરણ અને વીડિયો ફૂટેજ વગેરે તાત્કાલિક કઢાવીને આરોપીઓની ધરપકડ કરવા અલ્ટિમેટમ આપ્યું હતું. જેથી એફઆઈઆર નોંધાતા આરોપીઓની તાત્કાલિક ધરપકડ થઈ હતી. આ સામાજિક કાર્યકરોએ ફરિયાદીને સ્વખર્ચે તેમના જોખમે પોતાની કારમાં લઈ જઈ, હંમેશા સાથે રહીને મૃતક કિશોરના પિતાનું મનોબળ વધાર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Justice-affected-by-mention-of-caste-and-religion-of-party-in-court-cases">કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ee82be4d207.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Manu-Pratima---A-symbol-of-injustice-at-the-courthouse">મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવા એક્ટિવિસ્ટ એડવોકેટ સમ્રાટ અશોક અને બિપિન ધવલની નિષ્ઠા અને કુનેહભરી પ્રામાણિકતાથી ફરિયાદી એફઆઈઆર નોંધાવવાથી લઈને બનાવની ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવવા, ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી પુરાવા એકઠાં કરવા અને મોનીટરિંગ સુધીની કાર્યવાહી કરાવવામાં સફળ રહ્યાં હતાં અને ટ્રાયલ દરમિયાન સાક્ષીઓની સાચી જુબાન થાય તે માટે તકેદારી રાખી હતી. આ એક્ટિવિસ્ટોની નિઃસ્વાર્થ કામગીરીને કારણે પીડિત પરિવારને એટ્રોસિટી એક્ટ હેઠળ સમાજ કલ્યાણ ખાતામાંથી રૂ. 8 લાખ 25 હજાર અને માનવ અધિકાર પંચમાંથી રૂ. 4 લાખ જેટલી સહાય મળી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસનો સાર એટલો જ કે, દલિત અત્યાચારના કેસોમાં સમર્પિત, નિઃસ્વાર્થ અને પ્રામાણિક એક્ટિવિસ્ટો, કાર્યકરોનો સાથ સહકાર હોય અને ગુનાની તપાસ અને ટ્રાયલનું મોનીટરિંગ યોગ્ય રીતે થાય, તપાસ અધિકારી પ્રામાણિકતાથી મુદ્દાસર તપાસ કરી ચાર્જશીટ દાખલ કરે, પબ્લિક પ્રોસિક્યુટર જો સકારાત્મક તમામ મૌખિક-લેખિત પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરે તો કોર્ટ ગમે તેવા ચમરબંધીને પણ તક્સીરવાર ઠરાવી સજા કરે જ. આ કેસ તેનો વધુ એક પુરાવો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તોડબાજ એક્ટિવિસ્ટોને ઓળખવાનો સમય પાકી ગયો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં પીડિત પરિવારને ન્યાય નથી મળતો તેની પાછળ સમાજના બની બેઠેલા એક્ટિવિસ્ટો, કાર્યકરો, એનજીઓ અને બુઠ્ઠા રાષ્ટ્રીય સંયોજકોની તોડબાજી જવાબદાર છે એવું હું અનુભવે સ્પષ્ટ કહી શકું છું. આવા તત્વોને કારણે સાચા કિસ્સામાં પણ દલિત પીડિત પરિવારને ન્યાય મળતો નથી. એવા અનેક કિસ્સાઓ છે જેમાં પીડિત-ફરિયાદીને છેતરી, મામૂલી રકમ અપાવીને આરોપીઓ સાથે સમાધાન કરાવી દઈને કેટલાક બનાવટી એક્ટિવિસ્ટો રીતસર પૈસા પડાવી પોતાનું ઘર ભરતા થઈ ગયા છે. 100માંથી 95 એક્ટિવિસ્ટો તોડબાજ હોઈ શકે છે. માટે આવા બનાવટી એક્ટિવિસ્ટોને ઓળખીને બોધપાઠ આપવાનો સમય પાકી ગયો છે.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><em><strong>(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને ન્યાયિક વ્યવસ્થામાં પડતી સમસ્યાઓ અંગે ચિંચિત વડીલ છે)</strong></em></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ<a href="https://khabarantar.com/In-an-atrocity-complaint,-the-court-cannot-release-the-accused-on-bail-without-hearing-the-victim"> એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં</a><br></span></strong></p>
<div class="post-text">
<p><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>Khabarantar.com </strong></span><strong><span lang="GU" style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong></span><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span><o:p></o:p></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 11 Mar 2024 12:49:02 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 11 Mar 2024 09:46:56 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>405</Articleid>
                    <excerpt>એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં ન્યાય કેમ નથી મળતો તેની પાછળનું એક બહુ મોટું કારણ તોડબાજ એક્ટિવિસ્ટોની દખલગીરી છે. પણ જ્યારે પ્રામાણિક એક્ટિવિસ્ટો કેસ હાથ પર લે છે ત્યારે ન્યાય મળતો જ હોય છે, તેનું એક સચોટ ઉદાહરણ પૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ કે.બી. રાઠોડ અહીં રજૂ કરી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65ee82bee18ad.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ee82beb4ec4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ee82beb4ec4.jpg" length="94308" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>DUના દલિત પ્રો. રિતુ સિંહ સામે પોલીસ ફરિયાદ, 192 દિવસથી ધરણાં કરી રહ્યા હતા</title>
                    <link>https://khabarantar.com/Police-Faria-had-been-staging-dharna-for-192-days-against-Dalit-Prof-Ritu-Singh-of-DU</link>
                    <guid>https://khabarantar.com/Police-Faria-had-been-staging-dharna-for-192-days-against-Dalit-Prof-Ritu-Singh-of-DU</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હી યુનિવર્સિટીની દલિત પ્રો. રિતુ સિંહને જાતિવાદી તત્વોએ નોકરીમાંથી કઢાવી મૂક્યા હતા. તેઓ છેલ્લાં 192 દિવસથી આ મુદ્દે ન્યાયની માંગણી સાથે ધરણાં કરી રહ્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલટા ચોર કોટવાલ કો ડાંટે તે આનું નામ. દિલ્હી યુનિવર્સિટીની દલિત પ્રો. રિતુ સિંહને જાતિવાદી તત્વોએ નોકરીમાંથી કઢાવી મૂક્યા હતા. તેઓ છેલ્લાં 192 દિવસથી આ મુદ્દે ન્યાયની માંગણી સાથે ધરણાં કરી રહ્યા હતા. પોલીસે તેમને ન્યાય તો ન અપાવ્યો, ઉલટાનું તેમના પર જ કેસ કરી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી યુનિવર્સિટીની પૂર્વ પ્રોફેસર રિતુ સિંહને ન્યાય આપવાને બદલે પોલીસે ઉલટાનું તેમના પર જ ફરિયાદ દાખલ કરી દીધી છે. રિતુ સિંહનો આરોપ છે કે, યુનિવર્સિટીમાં તેમની સાથે તેમની દલિત જાતિના કારણે ભેદભાવ કરવામાં આવતો હતો અને તેની સામે અવાજ ઉઠાવવાને કારણે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એ પછી તેઓ યુનિવર્સિટી બહાર 192 દિવસ સુધી ધરણાં પર બેસી રહ્યા હતા પણ યુનિવર્સિટી કે તંત્ર તરફથી તેમને કોઈ ન્યાય મળ્યો નહોતો. કંટાળીને તેમણે યુનિ. બહાર ભજીયાની લારી શરૂ કરીને વિરોધ નોંધાવ્યો હતો. એ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા તેમણે શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું હતું. તેમ છતાં તેમની માંગણીઓને લઈને યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. છેલ્લાં કેટલાક સમયથી દેશભરમાં સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરતી વ્યક્તિને જ આરોપી બનાવી દેવાનું જે કાવતરું શરૂ થયું છે તેનો ડૉ. રિતુ સિંહ પણ ભોગ બન્યા છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ec22fcc58a3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલટા ચોર કોટવાલનો ડાંટેની કહેવત મુજબ પોલીસે ડૉ. રિતુ સિંહની ન્યાયની માગણી પર ધ્યાન આપવાને બદલે પોલીસ દ્વારા તેમના પર જ કેસ કરી દીધો છે. આ કેસ યુનિવર્સિટીની બહારની જગ્યા પર અતિક્રમણ કરવા અને ત્યાં ભજીયાનો સ્ટોલ લગાવવા બદલ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રો. રિત સિંહના સ્ટોલના કારણે અનધિકૃત વાહનોએ ટ્રાફિકની સમસ્યા સર્જી છે. આથી અમે ટીમ મોકલીને ત્યાંથી સ્ટોલ હટાવવાની કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો અને ભારતીય દંડ સંહિતાની કલમ 283 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે ડૉ. રિતુ સિંહ?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી યુનિવર્સિટીની 28 વર્ષની પૂર્વ મહિલા પ્રોફેસર ડૉ. રિતુ સિંહ દલિત સમાજમાંથી આવે છે. જાતિ ઉત્પીડન અને યુનિવર્સિટીમાંથી ગેરકાયદેસર રીતે હાંકી કાઢવા સામે તેઓ છેલ્લાં 192 દિવસથી યુનિવર્સિટીની બહાર વિરોધ કરી રહ્યા હતા. જો કે સરકાર દ્વારા તેમની માગણીઓ પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું, એ પછી તેમણે યુનિવર્સિટીની બહાર ભજીયાનો સ્ટોલ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ડૉ. રિતુ સિંહને 2019માં દોલતરામ કોલેજમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તેને એક વર્ષમાં કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેમનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નહોતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ec2317d67ec.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મીડિયા સંસ્થા સાથેની વાતચીતમાં ડૉ. રિતુ સિંહે જણાવ્યું હતું કે, “મારી પાસે નોકરી નથી. મને મારી ડીગ્રી આપનાર યુનિવર્સિટીની બહારના રસ્તા પર મેં ભજીયા તળવાનું શરૂ કર્યું છે. આ મારી આજીવિકા છે. જાતિવાદી તત્વોએ મારી નોકરી છીનવી લીધી, હવે મારે આ કામ કરવાનો સમય આવી ગયો છે. મારા આંદોલનને દબાવવાના ઘણાં પ્રયત્ન થયા. મારા દ્વારા શરૂ કરવામાં આવેલા સ્ટોલ 'PHD પકોડેવાલી' આ આંદોલનનો એક ભાગ છે. મેં યુનિવર્સટીના ગેટ પાસે કોઈને અડચણ ન થાય તે રીતે સ્ટોલ શરૂ કર્યો હતો. છતાં બે દિવસ પછી પોલીસે મારી પાસે આવીને મારું લાયસન્સ માંગ્યું હતું. એ પછી તેમણે મને ત્યાંથી સ્ટોલ હટાવી દેવાની ધમકી આપી હતી. તેઓ મને સન્માનજનક રીતે નોટિસ આપી શક્યા હોત, શું મારી સામે કેસ નોંધવો જરૂરી હતો?”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ec232861761.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ કાર્યવાહી બાદ ડૉ. રિતુ સિંહે ગઈકાલે વિશ્વ મહિલા દિવસ પર ફરીથી યુનિવર્સિટીની બહાર ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2020માં ડૉ. રિતુ સિંહને નિમણૂંક પત્ર આપવામાં આવ્યો નહોતો એટલે તેઓ દિલ્હી હાઈકોર્ટમાં ગયા હતા. જો કે, દેશના સમગ્ર શિક્ષણ જગત પર વર્ષોથી ફક્ત એક જ જાતિના લોકોનું વર્ચસ્વ હોવાથી રિતુ સિંહ જેવી દલિત મહિલાની પ્રગતિને જાતિવાદી તત્વો સાંખી લેતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/UGC-Education-Ministry-forced-to-clarify-after-uproar-over-conspiracy-to-abolish-reservation-in-higher-education-institutions"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી</span></strong></span></a></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42); text-decoration: underline;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Mar 2024 21:11:37 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 09 Mar 2024 14:28:33 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>400</Articleid>
                    <excerpt>દિલ્હી યુનિવર્સિટીની દલિત પ્રો. રિતુ સિંહને જાતિવાદી તત્વોએ નોકરીમાંથી કઢાવી મૂક્યા હતા. તેઓ છેલ્લાં 192 દિવસથી આ મુદ્દે ન્યાયની માંગણી સાથે ધરણાં કરી રહ્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65ec22cd91903.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ec22cd55fee.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ec22cd55fee.jpg" length="82349" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત રિક્ષાચાલકના પુત્રે ‘જનરલ’માં મેદાન માર્યું, હવે શહેરી વિકાસ વિભાગના સચિવનો પીએ બનશે!</title>
                    <link>https://khabarantar.com/dalit-rickshaw-pullers-son-takes-field-in-General-now-becomes-PA-to-Urban-Development-Department-Secretary</link>
                    <guid>https://khabarantar.com/dalit-rickshaw-pullers-son-takes-field-in-General-now-becomes-PA-to-Urban-Development-Department-Secretary</guid>
                    <description>
                        <![CDATA[ છેલ્લાં કેટલાક સમયથી દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના યુવાનોને જાહેરમાં ‘અનામતીયા’ કહીને ઉતારી પાડતો એક આખો વર્ગ પેદા થઈ ગયો છે, ત્યારે એક SC રિક્ષાચાલક પિતાના પુત્રએ આવા તત્વોની બોલતી બંધ કરી નાખી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સહિત દેશભરમાં દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ, યુવાનો-યુવતીઓને અનામતીયા કહીને જાહેરમાં ઉતારી પાડતો એક આખો વર્ગ પેદા થયો છે ત્યારે આવા તત્વોને જડબાતોડ જવાબ આપતો એક કિસ્સો હાલમાં જ સામે આવ્યો છે. જેમાં એક અનુસૂચિત જાતિ સમાજના યુવકે એક સ્પર્ધાત્મક પરીક્ષામાં વટ કે સાથ જનરલ કેટેગરીમાં ફોર્મ ભરીને 25મો ક્રમ મેળવીને જાતિવાદી તત્વોની બોલતી બંધ કરી દીધી છે. હવે આ યુવાન રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિકાસ વિભાગના સચિવના પીએ તરીકેની જવાબદારી સંભાળવા જઈ રહ્યો છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e7cd3246f2b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">વાત છે સુરેન્દ્રનગર શહેરના આંબેડકરનગરમાં રહેતા રાજદીપ મકવાણાની. ફક્ત 23 વર્ષના આ છોકરાએ જે હિંમત બતાવી છે તેના માટે ખરા અર્થમાં છપ્પનની છાતી અને સિંહનું કલેજું જોઈએ. પોતે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતો હોવા છતાં એસસી કેટેગરીમાં ફોર્મ ભરીને સરળતાથી નોકરી મેળવી લેવાને બદલે કાયમ પોતાના સમાજને ‘અનામતીયા’ કહીને ઉતારી પાડવાની કોશિશ કરતા જાતિવાદીઓની સાન ઠેકાણે લાવવા માટે થઈને જનરલ કેટેગરીમાં ફોર્મ ભર્યું હતું અને પોતાની ક્ષમતા સાબિત કરીને જનરલ કેટેગરીમાં 25મો ક્રમ મેળવીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગરીબી રેખા નીચે જીવતા રિક્ષાચાલકના પુત્રની કમાલ</span></strong></span><br><span style="font-size: 14pt;">કહેવાય છે કે પ્રતિભા એવી ચીજ છે જેને તમે ગોંધીને રાખીને શકો નહીં, તે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાનો રસ્તો કરી લેતી હોય છે. આવું જ કંઈક રાજદીપના કિસ્સામાં પણ જોવા મળે છે. તેના પિતા દિનેશભાઈ મકવાણા સુરેન્દ્રનગરમાં ઓટોરિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો પરિવાર ગરીબી રેખા નીચે એટલે કે બીપીએલ હેઠળ આવે છે. આર્થિક પરિસ્થિતિ સારી નહોતી પણ તેનો આત્મવિશ્વાસ બુલંદ હતો. જો તેની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ હોત તો સરકારી નોકરીની આટલી ગળાકાપ સ્પર્ધા વચ્ચે પોતાની કેટેગરીમાં ફોર્મ ભરીને સરળતાથી નોકરી મળી રહે તેવો રસ્તો અપનાવત. પણ રાજદીપ જોખમ લેવામાં માનતો હતો, કેમ કે તેને તેની પ્રતિભા પર પુરો વિશ્વાસ હતો. એટલે તેણે ગુજરાત સરકારની સ્ટેનોગ્રાફર ગ્રેડ-2ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે જનરલ કેટેગરીમાં ફોર્મ ભર્યું હતું. હવે જ્યારે પરિણામો સામે આવી ગયા છે ત્યારે રાજદીપના આત્મવિશ્વાસને સલામ ઠોકવી પડે, કેમ કે તેણે કુલ 136 ઉમેદવારોમાંથી 25મો ક્રમ મેળવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/23-year-old-V.-Sripati-made-history,-becoming-the-first-tribal-woman-civil-judge-in-Tamil-Nadu">23 વર્ષની વી. શ્રીપતિએ ઈતિહાસ રચ્યો, તમિલનાડુની પહેલી આદિવાસી મહિલા સિવિલ જજ બની</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજદીપ મકવાણાએ બી.કોમ અને એમ.કોમનો અભ્યાસ પણ પ્રથમ ક્રમે પાસ કર્યો છે. આ સિવાય ડિપ્લોમા સેનેટરી ઈન્સપેક્ટરનો કોર્ષ પણ ડિસ્ટિન્કશન સાથે પાસ કર્યો છે. તો ગુજરાતી સ્ટેનોગ્રાફીમાં પણ તેની સ્પીડ 75ની રહી છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">રાજદીપના મોટા બાપુ હિંમતભાઈ મકવાણા તેની આ સફળતા વિશે વાત કરતા ખબરઅંતર.કોમને જણાવે છે કે, “રાજદીપ પહેલેથી જ ભણવામાં હોંશિયાર હતો. તે અત્યાર સુધીમાં જેટલું પણ ભણ્યો છે, તે દરેક જગ્યાએ પ્રથમ ક્રમ લાવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી અનુસૂચિત જાતિ, અનુ. જનજાતિ અને ઓબીસી સમાજના લોકોને જાતિવાદી તત્વો અનામતીયા કહીને ઉતારી પાડતા થયા છે. અનામત સામે એક ચોક્કસ પ્રકારનો એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે, જેની આડમાં દલિતો, આદિવાસીઓ અને ઓબીસી વિરુદ્ધ માહોલ બનાવવામાં આવી રહ્યો છે. અનેક એવા ઉદાહરણો આપણે જોયા છે જેમાં આ સમાજના યુવાનો-યુવતીઓને જાતિવાદી તત્વો દ્વારા જાહેરમાં અપમાનિત કરાયા હોય. સોશિયલ મીડિયામાં તો આ મામલે રીતસરનો કુપ્રચાર ચાલે છે. આ બધું જોઈને અમે રાજદીપને સલાહ આપી હતી કે, તું ખરેખર હોંશિયાર હો, તારામાં પ્રતિભા હોય તો કદી એસસી કેટેગરીમાં ફોર્મ ભરીને નોકરી મેળવવા પ્રયત્ન ન કરવો. તેને બદલે સામાન્ય કેટેગરીમાં ફોર્મ ભરજે. જેથી સમગ્ર સમાજને ઉતારી પાડતા લોકોને તારી પ્રતિભાનો પરચો બતાવી શકાય. તેણે આ પડકાર ઝીલી લીધો અને છેલ્લાં સાડા ચાર વર્ષથી સખત મહેનત કરતો હતો. હવે તેનું પરિણામ આપણી સામે છે. તેણે સ્ટેનોગ્રાફી ગ્રેડ-2ની પરીક્ષામાં 25મો નંબર મેળવ્યો છે. એ રીતે તેણે વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. હવે તે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિકાસ વિભાગના સચિવના પીએ તરીકે સેવા આપશે. આજે જ ગાંધીનગર જઈને તેણે હાજર થવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. તેની આ સફળતા પછી અનુસૂચિત જાતિ સહિતની અનામત કેટેગરીના બીજા પણ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પ્રેરણા લઈને જનરલમાં નોકરી મેળવવા માટેનું સાહસ કરવા પ્રેરાશે.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e7cd31a5af7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગરના સામાજિક અગ્રણી અને આગેવાન જેશીંગભાઈ મકવાણા કહે છે, “રાજદીપે જે કામ કરી બતાવ્યું છે તે અનેક રીતે મહત્વનું છે. શક્ય છે અમુક લોકોને પહેલી નજરે તેમાં ખાસ કશો સંઘર્ષ ન લાગે. પણ જે પરિસ્થિતિમાં તે ઉછર્યો છે, તેના પરિવારે જે આર્થિક પડકારોનો સામનો કર્યો છે તે જોતા તેની જગ્યાએ બીજો કોઈ યુવાન હોત તો પોતાની કેટેગરીમાં સ્પર્ધા કરીને નોકરી મેળવવા પ્રયત્ન કરત, પણ રાજદીપે એક તીરે અનેક નિશાન સાધ્યા છે. તેણે પોતાના આખા સમાજને અનામતીયા કહીને ઉતારી પાડતા તત્વોને જડબાતોડ જવાબ આપી દીધો છે, સાથે જ પ્રતિભા કોઈ ચોક્કસ લોકોની ઈજારો નથી તે પણ સાબિત કરી બતાવ્યું છે.”</span></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">જનરલ કેટેગરીમાં સ્પર્ધા કરતા અનામત કેટેગરીના યુવાનો</span></strong><br><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગરનો રાજદીપ મકવાણા તો ફક્ત એક ઉદાહરણ છે તેના જેવા બીજા પણ અનેક અનામત કેટેગરીના યુવાનો છે, જેઓ જનરલમાં સ્પર્ધા કરીને પોતાની પ્રતિભાને સાબિત કરી રહ્યાં છે. આ યુવાનોમાં ભારોભાર આત્મવિશ્વાસ છે. તેઓ જીપીએસસી જેવી અઘરી પરીક્ષાઓમાં પણ જનરલ કેટેગરીમાં પસંદગી પામી રહ્યાં છે. આ યુવાવર્ગ પડકાર ઝીલવામાં માને છે અને ફક્ત જાતિના ચશ્માથી તેમને જોવા ટેવાયેલા લોકોને સજ્જડ જવાબ આપી રહ્યાં છે. હાલમાં બીજી પણ અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ કેટેગરીમાં એસસી, એસટી અને ઓબીસી સમાજના યુવકો મેદાન મારી રહ્યાં છે. જે સંકેત છે કે, તેમની પ્રતિભાને તમે કોઈ એક ચોકઠામાં ફીટ કરીને નહીં રાખી શકો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Siddhi-of-Neha-Chauhan-from-Jamnagar,-Valmiki-became-the-first-air-hostess-from-the-community">જામનગરની નેહા ચૌહાણની સિદ્ધી, વાલ્મિકી સમાજમાંથી પ્રથમ એર હોસ્ટેસ બની</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Parents-with-more-than-2-children-will-not-get-government-jobs,-Supreme-Court-also-allowed">2 થી વધુ બાળકો ધરાવતા માતા-પિતાને નહીં મળે સરકારી નોકરી, સુપ્રીમ કોર્ટે પણ આપી મંજૂરી</a><br></span></strong></span></p>
<div class="post-text">
<p><strong><span style="font-size: 12pt;">Khabarantar.</span><span style="font-size: 12pt;">com </span><span style="font-size: 12pt;">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"> </a><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 06 Mar 2024 10:06:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>390</Articleid>
                    <excerpt>છેલ્લાં કેટલાક સમયથી દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના યુવાનોને જાહેરમાં ‘અનામતીયા’ કહીને ઉતારી પાડતો એક આખો વર્ગ પેદા થઈ ગયો છે, ત્યારે એક SC રિક્ષાચાલક પિતાના પુત્રએ આવા તત્વોની બોલતી બંધ કરી નાખી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65e7cd32e608e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65e7cd32b6e8e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65e7cd32b6e8e.jpg" length="115388" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સરસ્વતીની જગ્યાએ માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકનાર દલિત શિક્ષિકા સસ્પેન્ડ</title>
                    <link>https://khabarantar.com/Dalit-teacher-suspended-for-putting-mother-Savitribai-Phules-photo-in-place-of-Saraswati</link>
                    <guid>https://khabarantar.com/Dalit-teacher-suspended-for-putting-mother-Savitribai-Phules-photo-in-place-of-Saraswati</guid>
                    <description>
                        <![CDATA[ આખરે જેનો ડર હતો એ જ થયું છે. 26મી જાન્યુઆરી 2024ના રોજ સોશિયલ મીડિયામાં એક શિક્ષિકા સરસ્વતીની જગ્યાએ માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકીને તેમના રાષ્ટ્રનિર્માણમાં યોગદાનને સમજાવી રહ્યાં હતા. જેની સામે કેટલાક લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો પણ શિક્ષિકા ટસના મસ થયા નહોતા. પણ હવે તેમને શિસ્તભંગની કાર્યવાહી હેઠળ સસ્પેન્ડ કરી દેવાયા છે. શું હતો આખો મામલો, વાંચો આ અહેવાલમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોશિયલ મીડિયામાં 26મી જાન્યુઆરી 2024ના રોજ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક શિક્ષિકા સ્કૂલમાં વિદ્યાની દેવી મનાતા સરસ્વતીની જગ્યાએ દેશની પ્રથમ મહિલા શિક્ષિકાનું જેમને બહુમાન મળેલું છે તેવા માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકીને ઉપસ્થિત બાળકો અને લોકોને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન સમજાવતા દેખાય છે. વાયરલ આ વીડિયો રાજસ્થાનનો હતો, જેને લોકોએ ખૂબ વખાણ્યો હતો. પણ હવે સમાચાર આવ્યા છે કે, આ શિક્ષિકા પર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/79-percent-of-the-judges-appointed-to-the-High-Court-in-the-last-5-years-are-from-caste-SC-2.8-percent,-ST-1.3-percent,-Minorities-only-2-percent">છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!</a></strong><br></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું હતો મામલો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના બાંરા જિલ્લાની લકડાઈ પ્રાથમિક શાળાનો એક વીડિયો ગત પ્રજાસત્તાક દિવસે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં હેમતલા બૈરવા નામના એક દલિત શિક્ષિકા પ્રજાસત્તાક દિવસે સરસ્વતીને બદલે માતા સાવિત્રીબાઈ ફુલેનો ફોટો મૂકીને ઉપસ્થિત બાળકો, વાલીઓને તેમના યોગદાન વિશે સમજાવી રહ્યા હતા. બાદમાં કેટલાક ગામલોકોએ આવીને તેમનો વિરોધ કર્યો હતો અને તેમને માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો હટાવીને સરસ્વતીનો ફોટો મૂકવા દબાણ કર્યું હતું. પણ હેમલતા બૈરવા માન્યા નહોતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. હવે આ મામલે સમાચાર આવી રહ્યાં છે કે, હેમલતા બૈરવાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમની સામે શિસ્તભંગના પગલા લેવામાં આવ્યા છે અને ખુદ રાજ્યના શિક્ષણમંત્રીએ એક કાર્યક્રમમાં જાહેરમાં તેમને સસ્પેન્ડ કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વીડિયોમાં શું વાતચીત હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમ દરમિયાન સરસ્વતીની જગ્યાએ સાવિત્રીબાઈ ફુલેની તસવીર લગાવવા અને સરસ્વતીની પૂજા ન કરવા બદલ ગ્રામજનોએ હેમલતા બૈરવા સામે વિરોધ નોંધાવ્યો હતો. વાયરલ વીડિયોમાં ગ્રામજનો કહી રહ્યા છે કે, “બાળકોની દેવી સરસ્વતી છે અને તેની પૂજા કરવી પડશે.” જ્યારે હેમલતા કહે છે કે,”બાળકોની દેવી સાવિત્રીબાઈ ફૂલે છે અને સરસ્વતીની પૂજા નહીં કરું.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : <a href="https://khabarantar.com/Not-a-single-Dalit,-Tribal-or-OBC-in-key-positions-in-mainstream-media-%E2%80%93-report">મુખ્યધારાના મીડિયામાં મુખ્ય પદો પર એકેય દલિત, આદિવાસી કે ઓબીસી નહીં – રિપોર્ટ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં જાહેરમાં હેમલતા બૈરવાને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તેઓ કહે છે કે, શાળાઓમાં માતા સરસ્વતીનું શું યોગદાન છે? હવે અમે માતા સરસ્વતીનું અપમાન સહન નહીં કરીએ, એટલે જ હું તેમને સસ્પેન્ડ કરું છું.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોટામાં ત્રણ મુસ્લિમ શિક્ષકોને સસ્પેન્ડ કરાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનમાં સત્તા પરિવર્તન બાદ જાણે મુસ્લિમ અને દલિત શિક્ષકો નિશાન પર આવી ગયા હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં કોટામાં ત્રણ મુસ્લિમ શિક્ષકોને સસ્પેન્ડ કર્યા બાદ હવે બારાં જિલ્લામાં દલિત શિક્ષિકા હેમતલા બૈરવાને સસ્પેન્ડ કરવાનો મામલો જોર પકડી રહ્યો છે. જાગૃત નાગરિકો તેમને સસ્પેન્ડ કરવાનો વિરોધ કરી રહ્યાં છે. લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમના સમર્થનમાં ટ્વિટ કરી રહ્યા છે.</span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>શિક્ષક સંઘ હેમલતા બૈરવાના ટેકામાં આવ્યો</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાન શિક્ષક સંઘની આંબેડકર પેટા શાખાના અધ્યક્ષ રાજેન્દ્ર ગોરાએ આ મામલે સ્થાનિક અધિકારીઓને મુખ્યમંત્રીના નામે આવેદનપત્ર આપી આ મામલે વિરોધ નોંધાવ્યો છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષક સંઘ 26 જાન્યુઆરી 2024 ના રોજ પ્રજાસત્તાક દિવસ પર સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા, લકડાઈ, જિલ્લા બાંરા ખાતે બનેલી ઘટનાની સખત નિંદા કરે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65e0b73f4ccf3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના બાદ શિક્ષિકા હેમલતા બૈરવાએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી હતી પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. શિક્ષણ વિભાગે પણ આ બાબતે કોઈ તપાસ હાથ ધરી નથી. એ પછી હેમલતા બૈરવાને ન્યાય આપવાને બદલે, રાજસ્થાન સરકારના શિક્ષણ પ્રધાનના આદેશ હેઠળ બાંરાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષિકાને સસ્પેન્ડ કરી અને તેમનું મુખ્યાલય બીકાનેર ખસેડ્યું, જે ઘોર અન્યાય છે અને અમે તેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો</span> : </span><a href="https://khabarantar.com/Thangarh-massacre:-Why-Sanjay-Prasad-committee-report-not-made-public-The-High-Court-struck-down-the-state-government"><span style="font-size: 14pt;">થાનગઢ હત્યાકાંડ: સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ કેમ જાહેર નથી કરાતો? હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી</span></a></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 01 Mar 2024 09:54:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>379</Articleid>
                    <excerpt>આખરે જેનો ડર હતો એ જ થયું છે. 26મી જાન્યુઆરી 2024ના રોજ સોશિયલ મીડિયામાં એક શિક્ષિકા સરસ્વતીની જગ્યાએ માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકીને તેમના રાષ્ટ્રનિર્માણમાં યોગદાનને સમજાવી રહ્યાં હતા. જેની સામે કેટલાક લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો પણ શિક્ષિકા ટસના મસ થયા નહોતા. પણ હવે તેમને શિસ્તભંગની કાર્યવાહી હેઠળ સસ્પેન્ડ કરી દેવાયા છે. શું હતો આખો મામલો, વાંચો આ અહેવાલમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65e0b709502a6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65e0b7092360c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65e0b7092360c.jpg" length="100725" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ચડાસણામાં વરઘોડા પર હુમલો કરનારાઓને જામીન મળી ગયા, છીંડું ક્યાં રહી ગયું?</title>
                    <link>https://khabarantar.com/Those-who-attacked-the-horse-in-Chadasana-got-bail,-where-is-the-loophole-left</link>
                    <guid>https://khabarantar.com/Those-who-attacked-the-horse-in-Chadasana-got-bail,-where-is-the-loophole-left</guid>
                    <description>
                        <![CDATA[ ગાંધીનગર જિલ્લાના ચડાસણા ગામે દલિત વરરાજાના વરઘોડા પર હુમલો કરનાર જાતિવાદી તત્વોને જામીન મળી ગયા છે. આટલી ગંભીર અને છડેચોક બનેલી ઘટના છતાં કોર્ટે આરોપીઓને જામીન શા માટે આપ્યા, એફઆઈઆરમાં ક્યાં ચૂક થઈ, ક્યાં છીંડું રહી ગયું તેના વિશે નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબ વિસ્તારથી વાત કરે છે, જે દલિત સમાજ માટે કામ કરતા દરેક આગેવાનો, એક્ટિવિસ્ટો અને સામાજિક કાર્યકરોએ ગાંઠે બાંધી લેવા જેવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગરની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે ચડાસણા ગામે ઘોડી પર બેઠેલા દલિત વરરાજા પર હુમલો કરવાની ઘટનામાં આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. ચડાસણાના આ બનાવ પછી સોશિયલ મીડિયામાં દલિત એક્ટિવિસ્ટો આગેવાનો અને જુદા-જુદા દલિત સંગઠનોનાં નેતાઓએ હોબાળો મચાવી દીધો હતો. કોઈએ એવી વાત લખેલ કે “હીજડાઓની જાનમાં ન જવાય પણ મરદની મૈયતમાં જવાય.” કોઈએ ખુલ્લી ધમકી આપેલી કે “અમુક તારીખે અમે તમારા ગામમાં વગર લગ્ને પચીસ ઘોડાનો પોલીસ પ્રોટેક્શન વગર વરઘોડો કાઢીશું થાય તે કરી લેજો.” અમુકે હેલીકૉપ્ટરમાં વરઘોડા કાઢવાની હાકલ કરી તો અમુકે વળી ગાંધીનગર એસપી કચેરીએ દલિત આગેવાનો સાથે ઘોડા પર બેસી વાજતે ગાજતે આવેદનપત્ર આપ્યું. કોર્ટે જામીન આપ્યા પછી તે હુકમ વિરુદ્ધ એસ.પી. એ હાઇકોર્ટમાં જામીન રદ કરવા અપીલ કરવી જોઈએ. પણ નહીં કરે. આ કોર્ટનાં હુકમ વિરુદ્ધ સરકાર તરફથી જે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર હાજર રહ્યા હોય તેણે કાયદા ખાતામાં કલેકટર અને એસ.પી. ના અભિપ્રાય સહિત અપીલ કરવાનો લેખિતમાં અભિપ્રાય આપવો જોઈએ. પણ નહીં આપે. માની લો કે સ્પેશ્યિલ પી.પી. એ અભિપ્રાય આપ્યો તો કાયદા ખાતું અપીલ કરવાનો નિર્ણય લેવાનું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ</strong> <a href="https://khabarantar.com/In-the-atrocity-case,-the-court-for-the-first-time-ordered-the-accused-to-pay-Rs.-10-thousand-fined"><span style="color: rgb(224, 62, 45);"><strong>એટ્રોસિટીના કેસમાં કોર્ટે પહેલીવાર ‘માનસિક યાતના’ મુદ્દે આરોપીને રૂ. 10 હજાર દંડ ફટકાર્યો</strong></span></a><br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતભરમાં દલિતોના સંખ્યાબંધ વરઘોડાઓ પર હુમલા થયા. તમામ કેસોમાં આરોપીઓને જામીન મુક્ત કર્યાના દાખલા છે. આવા કોઈ કિસ્સામાં સરકારની આ મશીનરીઓએ જામીન રદ કરાવવા કોઈ પગલાં લીધાં નથી. હકીકતમાં આવા કિસ્સાઓમાં કમ સે કમ તપાસ ચાલુ હોય અને ચાર્જશીટ ન થાય ત્યાં સુધી તો જામીન ન જ મળવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે જયાબેન વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં તા.10/01/2022 ના ચુકાદો જાહેર કરી નામદાર ગુજરાત હાઇકોર્ટનો જામીન પર છોડવાનો હુકમ રદ કરી આરોપીઓને ફરીથી જેલભેગા કરવાનો હુકમ કરી ગુજરાત સરકાર અને સરકાર ના હોય ડીપાર્ટમેન્ટના ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનની આવા ગંભીર ગુનામાં અપીલ નહિ કરવા બદલ ઝાટકણી કાઢેલ. સુપ્રીમ કોર્ટે એવું અવલોકન કરેલ કે સરકારે આવા ગુનામાં અપીલ ન કરી તે એક ગંભીર બાબત છે. પિડીતના હક્કનું રક્ષણ કરવામાં સરકાર નિષ્ફળ ગયેલ છે. આરોપીને જામીન પર છોડવાના હુકમ સામે અપીલ કરવા જેવો આ ફીટ કેસ હતો તેવો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો. ફોજદારી મેટરમાં વ્યથિત પક્ષકાર તે સરકાર છે કે જે સમાજના હિતોની કસ્ટોડિયન છે. અને તેથી સરકારની ફરજ છે કે તે સમાજના હિતોની વિરૂદ્ધ કૃત્ય કરે તેને બૂક કરે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/In-an-atrocity-complaint,-the-court-cannot-release-the-accused-on-bail-without-hearing-the-victim"><span style="color: rgb(224, 62, 45);"><strong>એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં</strong></span></a><br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકારમાં ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન છે. આ કિસ્સામાં ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન તેની ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડેલ છે. ફોજદારી ગુનાઓના ન્યાયના વહિવટની બાબતમાં ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનનો હોદો ખૂબ મહત્ત્વનો છે. તાત્કાલિક નિર્ણય લેવાની તેની ફરજ છે. આવા ગુનાઓ સમાજને નુકસાનકારક છે તેથી ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટનનો રોલ ક્રુશિયલ બની રહે છે. સુપ્રીમ કોર્ટે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં રાજ્ય સરકાર/તેનું કાયદા ખાતુ અને ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટન આવા કિસ્સાઓમાં ત્વરિત નિર્ણય લઈ આ ગુના જેવા ગંભીર ગુનાઓમાં જો હાઇકોર્ટ કે ટ્રાયલ કોર્ટ જામીન પર છોડવાનો હુકમ કરે તો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. આમ મહત્વપૂર્ણ ચુકાદો આપી આ ચુકાદાની નકલ સરકારના ચીફ સેક્રેટરી, સેક્રેટરી, હોમ ડીપાર્ટમેન્ટ અને કાયદા ખાતાને મોકલવાનો હુકમ કરી યોગ્ય પગલા લેવા આદેશ કરેલ. ઈચ્છીએ કે સરકાર અને તેના આ સત્તાવાળાઓ આ કિસ્સામાં આરોપીઓના જામીન રદ કરવા તાત્કાલિક નિર્ણય લે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ</strong> <a href="https://khabarantar.com/Justice-affected-by-mention-of-caste-and-religion-of-party-in-court-cases"><span style="color: rgb(224, 62, 45);"><strong>કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?</strong></span></a><br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્ટેટ ઓફ કર્ણાટક વિરુદ્ધ અપ્પા બાલુ ઈંગાલે અને બીજાઓના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જસ્ટિસ કે. રામાસ્વામીએ કાનૂની સિદ્ધાંત પ્રતિપાદિત કરેલ છે કે, “આ કાયદા નીચેના ગુનાઓ માટે ન્યાય કરતી વખતે ન્યાયધીશોએ બંધારણના આર્ટિકલ 17ના હેતુ અને ઉદેશને ધ્યાનમાં રાખવો જોઈએ. ન્યાયધીશો બંધારણના અને કાયદાના ગતિશીલ વિચારોનું અને તેનું અર્થઘટન કરવાની શક્તિથી સમયની જરૂરિયાતોને સમજીને સ્પષ્ટ કરી ઉદેશાત્મક અર્થઘટન કરશે.” આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે દલિતો પરના આવા અત્યાચાર, અન્યાય કે આભડછેટના કેસોમાં ન્યાયધીશની ફરજો અંગે માર્ગદર્શન આપવા છતાં તેનું છડેચોક ઉલ્લંઘન થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જામીન આપવા કે ન આપવા તે કોર્ટની વિવેકબુદ્ધિની સત્તાનો પ્રશ્ન છે. પરંતુ એટલીસ્ટ દલિત આગેવાનોએ જો ઘોડા પર બેસી આવેદનપત્ર આપવાની હિંમત કરી તો એસ.પી.એ ખરેખર આરોપીઓ વિરુદ્ધ હદપારીના અને PASAના કાગળિયા કરી જિલ્લા મેજિસ્ટ્રેટને અભિપ્રાય આપવા જોઈએ. જિલ્લા મેજિસ્ટ્રેટે આવા આરોપીઓને હદપાર કરીને અથવા પાસા કરીને જેલમાં ધકેલી દાખલો બેસાડવો જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ </strong><a href="https://khabarantar.com/Constitution-Day-Special:-Know-what-fundamental-rights-the-Constitution-of-India-gives-us"><span style="color: rgb(224, 62, 45);"><strong>બંધારણ દિવસ વિશેષઃ જાણો ભારતનું બંધારણ આપણને ક્યા મૂળભૂત અધિકારો આપે છે</strong></span></a><br></span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">એસસી. એસ.ટી. (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી) એક્ટની જોગવાઈઓ મુખ્યત્વે અત્યાચારો થતા અટકાવવાની છે. આ કાયદામાં અને તેની નીચેના નિયમોમાં સરકાર તેની જુદી જુદી મશીનરીઓ જેમકે ગૃહ ખાતા, કાયદા ખાતા, સમાજ કલ્યાણ ખાતાના સચિવો, નિયામકો, જિલ્લા સ્તરે જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશ્નર, એસપી વગેરે દ્વારા નિવારક પગલાં લેવાની ફરજ અને જવાબદારી છે. અરુમુગમ સરવાઈ વિરુદ્ધ સ્ટેટ ઓફ તામિલનાડુના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવો આદેશ કરેલ છે કે દલિતો વિરુદ્ધ આભડછેટ કે અત્યાચાર જેવા કિસ્સા નોંધાય તો તેવા કિસ્સામાં જે તે જિલ્લાના એસ.પી. અને જિલ્લા મેજિસ્ટ્રેટને સરકારે તાત્કાલિક સસ્પેન્ડ કરી તેની વિરુદ્ધ ફરજ અને જવાબદારી નિભાવવામાં નિષ્ફ્ળ ગયા છે તેમ માની ખાતાકીય પગલાં લઈ ખાતાકીય સજા કરવી જોઈએ.</span></p>
<p><span style="color: rgb(186, 55, 42);"><em><strong>(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને ન્યાયિક વ્યવસ્થામાં પડતી સમસ્યાઓ અંગે ચિંચિત વડીલ છે)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>આગળ વાંચોઃ</strong> <a href="https://khabarantar.com/The-law-of-Manusmriti,-which-sowed-the-seeds-of-inequality-in-Indian-society"><span style="color: rgb(224, 62, 45);"><strong>મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં </strong></span></a><br></span></p>
<div class="post-text">
<p><strong><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 29 Feb 2024 13:09:23 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 28 Feb 2024 18:39:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>375</Articleid>
                    <excerpt>ગાંધીનગર જિલ્લાના ચડાસણા ગામે દલિત વરરાજાના વરઘોડા પર હુમલો કરનાર જાતિવાદી તત્વોને જામીન મળી ગયા છે. આટલી ગંભીર અને છડેચોક બનેલી ઘટના છતાં કોર્ટે આરોપીઓને જામીન શા માટે આપ્યા, એફઆઈઆરમાં ક્યાં ચૂક થઈ, ક્યાં છીંડું રહી ગયું તેના વિશે નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબ વિસ્તારથી વાત કરે છે, જે દલિત સમાજ માટે કામ કરતા દરેક આગેવાનો, એક્ટિવિસ્ટો અને સામાજિક કાર્યકરોએ ગાંઠે બાંધી લેવા જેવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65cc7764af952.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65cc7764384c3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65cc7764384c3.jpg" length="59811" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>જામનગરની નેહા ચૌહાણની સિદ્ધી, વાલ્મિકી સમાજમાંથી પ્રથમ એર હોસ્ટેસ બની</title>
                    <link>https://khabarantar.com/Siddhi-of-Neha-Chauhan-from-Jamnagar,-Valmiki-became-the-first-air-hostess-from-the-community</link>
                    <guid>https://khabarantar.com/Siddhi-of-Neha-Chauhan-from-Jamnagar,-Valmiki-became-the-first-air-hostess-from-the-community</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ માટે ગૌરવ લેવા જેવી એક ઘટના બની છે. જામનગરની વાલ્મિકી સમાજમાંથી આવતી એક દીકરી ઍર હોસ્ટેસ બની છે, આ પહેલી એવી ઘટના છે જેમાં વાલ્મિકી સમાજની દીકરીએ આ સિદ્ધી મેળવી હોય. કોણ છે આ દીકરી અને કેવી રીતે તેણે આ સિદ્ધી મેળવી, વાંચો આ રિપોર્ટમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાલ્મિકી સમાજ સાથે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ માટે લાપસીના આંધણ મૂકવા જેવા સમાચાર આવ્યા છે. જામનગરની નેહા ચૌહાણ નામની દીકરીએ ઍર હોસ્ટેસ બનીને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજનું ગૌરવ વધાર્યું છે. નેહા ગુજરાતમાંથી આ સિદ્ધી મેળવનાર વાલ્મિકી સમાજની પ્રથમ દીકરી છે. નેહાના પિતા હસમુખભાઈ ચૌહાણ જામનગરમાં ફાયર વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, જ્યારે માતા સુધાબહેન ડેન્ટલ વિભાગમાં નોકરી કરે છે. નેહાના પરિવારમાં તેના સિવાય બે બહેનો અને માતાપિતાનો સમાવેશ થાય છે. તેના પિતા હસમુખભાઈ માત્ર 9 ચોપડી ભણેલાં છે, પણ દીકરી નેહા ભણવામાં ખૂબ હોંશિયાર હોવાથી તેમણે દેવું કરીને પણ તેને ભણાવી છે, હવે તેમણે કરેલી મહેનત લેખે લાગી છે અને નેહાએ આજે માતાપિતાનું ઍર હોસ્ટેસ બનવાનું સપનું સાકાર કરી બતાવ્યું છે. નેહા હાલ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશલ ઍરપોર્ટ ખાતે ઍર ઈન્ડિયા</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો : </strong></span><a href="https://khabarantar.com/Even-after-Valmikis-death-in-Danta,-the-casteist-villagers-did-not-allow-him-to-be-cremated-in-the-crematorium"><strong>દાંતામાં વાલ્મિકી યુવકને મર્યા પછી પણ આભડછેટ નડી, જાતિવાદી ગામલોકોએ સ્મશાનમાં અંતિમવિધિ ન થવા દીધી</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>કંપનીના વિમાનોમાં ઍર હોસ્ટેસ તરીકે ફરજ બજાવે છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><a href="https://khabarantar.com">ખબરઅંતર.કોમ</a></strong> દ્વારા નેહાના પિતા હસમુખભાઈ ચૌહાણ સાથે દીકરીની આ સિદ્ધિને લઈને વાત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “નેહા નાનપણમાં જ્યારે વિમાનને આકાશમાં કે ઘર પરથી પસાર થતી જોતી ત્યારે રોમાંચિત થઈ ઉઠતી. તેનામાં સમજણ આવી ત્યારથી તે વિમાનમાં ફરવાની અને તેમાં કામ કરવાની કલ્પના કરતી હતી. તે ભણવામાં પહેલેથી હોંશિયાર હતી એટલે મને લાગ્યું કે તેનું સપનું સાકાર કરવા માટે જે પણ કરવું પડે તે કરવું. હું બહું ભણ્યો નથી, પણ દીકરીને તેના સપનાને સાકાર કરવા માટે જેટલી મોકળાશ આપી શકાય તેટલી આપવા મેં પ્રયત્ન કર્યો, તેના માટે દેવું કરીને પણ તેને ભણાવી છે. ઍર હોસ્ટેસનું એક પુસ્તક પાંચથી સાત હજાર રૂપિયાની કિંમતનું આવતું હતું. જે મેં પેટે પાટા બાંધીને તેને અપાવ્યા હતા. હવે લાગે છે મારી મહેનત એળે નથી ગઈ. નેહાએ અમારું નામ ઉજાળ્યું છે. ફક્ત અમારું જ નહીં, વાલ્મિકી સમાજની સાથે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓને તેણે નવી દિશા ચીંધી છે. આપણા સમાજમાં આજે પણ દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. તેમના સપનાઓ લગ્નના ચાર ફેરા સાથે જ ખતમ થઈ જાય છે. ત્યારે નેહા સમાજની અનેક દીકરીઓના સપનાને પાંખો આપવાનું કામ કરશે.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65df45d467b7c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, નેહાના પિતા હસમુખભાઈ ફક્ત નવમું ધોરણ ભણેલાં છે. તેમને દીકરીના ભણતર વિશે વધુ ખ્યાલ નથી, તેમ છતાં દીકરીની આંખોમાં રહેલા સપનાને તેમણે સાકાર કરવામાં થઈ શકે તેટલી મદદ કરી છે. હસમુખભાઈની એક પિતા તરીકેની ફરજમાંથી પણ અનુસૂચિત જાતિ સમાજે ઘણું બધું શીખવા, સમજવા અને જીવનમાં ઉતારવા જેવું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Pride-of-Valmiki-community:-Godharas-Hiral-Solanki-becomes-captain-of-Gujarat-Under-23-cricket-team"><strong><span style="font-size: 14pt;">વાલ્મિકી સમાજનું ગૌરવઃ Godharaની હિરલ સોલંકી બની Gujarat Under-23 ક્રિકેટ ટીમની કેપ્ટન</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span> </span>અહીં ક્લિક કરો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 28 Feb 2024 20:17:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>376</Articleid>
                    <excerpt>ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ માટે ગૌરવ લેવા જેવી એક ઘટના બની છે. જામનગરની વાલ્મિકી સમાજમાંથી આવતી એક દીકરી ઍર હોસ્ટેસ બની છે, આ પહેલી એવી ઘટના છે જેમાં વાલ્મિકી સમાજની દીકરીએ આ સિદ્ધી મેળવી હોય. કોણ છે આ દીકરી અને કેવી રીતે તેણે આ સિદ્ધી મેળવી, વાંચો આ રિપોર્ટમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65df45d502b11.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65df45d4ca327.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65df45d4ca327.jpg" length="65117" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>તું નાડિયા થઈને મૂછો રાખે છે કહીને નશામાં ધૂત બે દરબારોએ યુવક પર કુહાડીથી હુમલો કર્યો.</title>
                    <link>https://khabarantar.com/Two-drunk-courtiers-attacked-the-young-man-with-an-ax,-saying,-You-are-Nadia-and-keep-moustache</link>
                    <guid>https://khabarantar.com/Two-drunk-courtiers-attacked-the-young-man-with-an-ax,-saying,-You-are-Nadia-and-keep-moustache</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તર ગુજરાતમાં જાણે જાતિવાદી તત્વોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ દલિતો પર અત્યાચારની એક પછી એક ઘટનાઓ સામે આવી છે. હાલમાં જ અનુસૂચિત જાતિ સમાજના લગ્નોમાં હુમલાની તમામ ઘટનાઓ પણ આ વિસ્તારમાં બની છે. જેની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક દલિત અત્યાચારની ઘટના બની છે. જેમાં બે દરબારોએ કશા જ કારણ વિના એક નાડિયા સમાજના યુવકને રસ્તામાં રોકીને જાતિસૂચક ગાળો બોલી, ચશ્મા ઉતરાવી, ઈન શર્ટ કઢાવી, મૂછો રાખવા બદલ ગાળો ભાંડીને કુહાડીથી હુમલો કર્યો હતો. વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુ એક વાર અનુસૂચિત જાતિના યુવક પર કારણ વિના ફક્ત તેની જાતિના કારણે નશામાં ધૂત બે માથાભારે દરબારોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મામલો મહેસાણા જિલ્લાનો છે. અહીં કડી તાલુકાના આદુંદરા ગામનો એક અનુસૂચિત જાતિ સમાજનો યુવક પરિવારમાં લગ્નપ્રસંગ હોઈ ચાના કપ લેવા માટે બાજુના ગામ નગરાસણ ગયો હતો, જ્યાં રસ્તામાં નશામાં ધૂત બે દરબારોએ તેને રોકીને તેની જાતિ પૂછ્યા બાદ તેના ચશ્મા કઢાવ્યા હતા, મૂછો રાખવા બદલ તેને થપ્પડ મારી દીધી હતી અને ઈન શર્ટ કર્યું હતું તે કઢાવી માફી મગાવી હતી. આટલું ઓછું હોય તેમ યુવક ત્યાંથી ભાગવા જતા કુહાડીથી હુમલો કરતા યુવકની આંગળી પર ફ્રેક્ચર થઈ ગયું હતું. એ પછી પણ આ નશામાં ધૂત બંને દરબારો યુવકના ઘરે પહોંચી ગયા હતા અને તેના પરિવારજનોને બેફામ ગાળો બોલી હતી. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65db5c162a76f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું થયું હતું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા આદુંદરા ગામનો છે. અહીં અજયભાઈ નાડિયા તેમના મોટાબાપુની દીકરીના લગ્ન હોવાથી મહેમાનો માટે ચાના કપ લેવા માટે બે મિત્રો સાથે બાજુમાં આવેલા નગરાસણ ગામે ઓટો રિક્ષા લઈને ગયા હતા. બપોરે બે વાગ્યા આસપાસ તેઓ પરત ફરતી વખતે નવાની તલાવડી તરીકે ઓળખાતા રસ્તેથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન નશામાં ધૂત બે શખ્સો રસ્તાની બાજુમાં આવેલા વાડામાંથી આવીને રિક્ષાને રોકાવી બેફામ ગાળો બોલવા લાગ્યા હતા. અજયભાઈએ તેમને ગાળો ન બોલવા વિનંતી કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વધુ ઉગ્રતાથી ગાળો બોલવા લાગ્યા હતા. એ દરમિયાન આરોપીઓએ તેમની જાતિ પૂછી હતી. જેમાં અજયભાઈએ પોતે આદુંદરા ગામના નાડિયા સમાજના હોવાનું જણાવતા બંને દરબારોએ તેમને, “તું ઢે#@ નાડિયો થઈને ચશ્મા પહેરે છે, મૂછો રાખે છે, ઈન શર્ટ કરીને ફરે છે ચાલ ઉતાર.” એમ કહીને તેમના ડાબા ગાલ પર લાફો માર્યો હતો અને પછી ચશ્મા ઉતરાવી, ઈન શર્ટ કઢાવીને માફી મગાવી હતી. એ દરમિયાન અજયભાઈની સાથે રહેલા બે મિત્રોએ બંનેને સમજાવવા પ્રયત્ન કર્યો હતો પણ નશામાં ધૂત તેઓ માન્યા નહોતા. આખરે અજયભાઈ સહિતના લોકો રિક્ષા ચાલુ કરીને ત્યાંથી ભાગી નીકળવા પ્રયત્ન કરતા આરોપી દરબાર પૈકીના એકે રિક્ષા બેસવા જતા અજયભાઈ પર કુહાડીથી હુમલો કર્યો હતો. જો કે અજયભાઈએ બચાવમાં હાથ આડો કરી દેતા કુહાડી અવળી થઈ ગઈ હતી અને તેનો હાથો તેમના હાથની આંગળી પર વાગ્યા ફ્રેક્ચર થઈ ગયું હતું. જેમ તેમ કરીને તેઓ ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને જાણ કરીને લગ્ન પ્રસંગે પહોંચ્યા હતા. એ દરમિયાન બંને આરોપીઓ તેમનો પીછો કરતા છેક ઘર સુધી આવી પહોંચ્યા હતા. જો કે, અજયભાઈ ઘરે હાજર ન હોવાથી બંને આરોપીઓ તેમના પરિવારની મહિલાઓ સાથે બેફામ ગાળાગાળી કરી હતી. આખરે સ્થાનિકો અને ગામના અન્ય એક દરબારે સમજાવતા તેઓ ગાળો બોલતા જતા રહ્યા હતા. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં નગરાસણના ભુરાજી દિલુજી ગોહિલ અને તેમના સાથી એવા અજાણ્યા આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65db5f000f23e.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65db6045a2eca.jpg" alt=""></p>
<p></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65db5fa6991f9.jpg" alt=""></p>
<p></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65db5c721646a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>કડી પોલીસે કાચી ફરિયાદમાંથી મહત્વની હકીકત ગાયબ કરી નાખી</strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનામાં કડી પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ છે. ફરિયાદી અજયભાઈના જણાવ્યા પ્રમાણે, તેમણે પોલીસ સ્ટેશનમાં કાચી ફરિયાદમાં જે વિગતો લખાવી હતી તેમાંથી પોલીસે તેમને આરોપીઓએ જાતિવિષય ગાળો બોલી ચશ્મા ઉતરાવ્યા, ઈન શર્ટ કઢાવ્યું અને નાડિયા થઈને મૂછો કેમ રાખે છે, જેવી સૌથી મહત્વની ગણાતી માહિતી ઓનલાઈન ફરિયાદની કોપીમાંથી કાઢી નાખી હતી. કડી પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ(જેઓ પોતે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે.) પર આ મામલે શંકાની સોય તકાઈ છે. આ પોલીસ સ્ટેશનના રાઈટર પોતે દરબાર જ્ઞાતિના હોવાથી તેમનો પણ આમાં હાથ હોવાનું ફરિયાદી અજયભાઈનું માનવું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65db61311d586.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે નવસર્જન ટ્રસ્ટના કાર્યકર ભરતભાઈ પરમાર, શાંતાબહેન, દલિત સમાજના આગેવાનો સુરેશભાઈ, વિશાલભાઈ તથા ભીમ આર્મીના દેવેન્દ્રભાઈને પોલીસની કામગીરીને લઈને વિરોધ નોંધાવ્યો છે. આ તમામ સામાજિક કાર્યકરોએ પીડિત અજયભાઈની સાથે રહીને ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી. અને ફરિયાદીએ કાચી ફરિયાદમાં લખાવેલી ફરિયાદ મુજબ જ ઓનલાઈન ફરિયાદમાં વિગતો ઉમેરવા જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફરિયાદીઓ પર દબાણ લાવવા અનેક દરબારો પોલીસ સ્ટેશન પહોંચી ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પીડિત અજયભાઈ નાડિયાના જણાવ્યા પ્રમાણે, આરોપીઓ દરબાર કોમના હોવાથી તેમના પર ફરિયાદ ન નોંધાય તે માટે તેમની કોમના અનેક લોકો ફરિયાદ લખાવવા દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર પહોંચી ગયા હતા. આડકતરી રીતે તેમના પર ફરિયાદ ન કરવા અને સમાધાન કરી લેવા માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું. પણ અજયભાઈએ જરાય નમતું ન જોખીને સમાજના કાર્યકરોની મદદથી ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/In-Mehsanas-Dhanpura,-casteists-stopped-the-dalit-grooms-horse-and-attacked-him-with-sticks"><strong><span style="font-size: 14pt;">મહેસાણાના ધનપુરામાં જાતિવાદીઓ બેફામ, દલિત વરરાજાનો વરઘોડો રોકી ધોકા-લાકડીઓથી હુમલો કર્યો</span></strong></a></p>
<p><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com </strong><strong><span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong></span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a><o:p></o:p></p>
<p class="MsoNormal"><span lang="EN-US"><o:p> </o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 26 Feb 2024 10:23:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>369</Articleid>
                    <excerpt>ઉત્તર ગુજરાતમાં જાણે જાતિવાદી તત્વોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ દલિતો પર અત્યાચારની એક પછી એક ઘટનાઓ સામે આવી છે. હાલમાં જ અનુસૂચિત જાતિ સમાજના લગ્નોમાં હુમલાની તમામ ઘટનાઓ પણ આ વિસ્તારમાં બની છે. જેની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક દલિત અત્યાચારની ઘટના બની છે. જેમાં બે દરબારોએ કશા જ કારણ વિના એક નાડિયા સમાજના યુવકને રસ્તામાં રોકીને જાતિસૂચક ગાળો બોલી, ચશ્મા ઉતરાવી, ઈન શર્ટ કઢાવી, મૂછો રાખવા બદલ ગાળો ભાંડીને કુહાડીથી હુમલો કર્યો હતો. વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65db5bd341cba.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65db5bd3156e0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65db5bd3156e0.jpg" length="87805" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કલોલના ચરાડુ ગામના ઠાકોર સમાજે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભર્યું</title>
                    <link>https://khabarantar.com/The-Thakor-Samaj-of-Charadu-village-in-Kalol-filled-the-marriage-of-Valmiki-Samajs-daughter</link>
                    <guid>https://khabarantar.com/The-Thakor-Samaj-of-Charadu-village-in-Kalol-filled-the-marriage-of-Valmiki-Samajs-daughter</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી હુમલાઓ માટે કુખ્યાત થઈ ચૂકેલા ગાંધીનગરના કલોલ તાલુકામાં હાલમાં જ અનુસૂચિત જાતિ સમાજના લગ્નપ્રસંગોમાં હુમલાની ત્રણ ઘટનાઓ બની છે. આ ત્રણેય ઘટનાઓમાં ઓબીસી ઠાકોર સમાજના લોકો આરોપી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ જ કલોલ તાલુકામાં એક એવી ઘટના પણ બની છે જેણે માનવતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. શું છે આખો મામલો, વાંચો આ અહેવાલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક બાજુ ગુજરાતમાં દલિત સમાજના યુવક-યુવતીઓના લગ્ન પ્રસંગોમાં જાતિવાદી તત્વો દ્વારા હુમલાઓ થઈ રહ્યાં છે. તેમને વરઘોડો કાઢવા દેવામાં નથી આવતો, ડી.જે. સાથે ગામના મુખ્ય માર્ગો પરથી નીકળવા દેવાતા નથી, વરરાજા ઘોડી પર ચઢી જાન લઈને આવે તો હુમલા થાય છે. મોટાભાગના આવા બનાવોમાં ઓબીસી સમાજના લોકો સામેલ હોય છે. ગુજરાતમાં ચાલુ વર્ષે દલિતોની જાન પર બનેલી મોટાભાગની ઘટનાઓ પર નજર કરતા પણ તે પેટર્ન વર્તાઈ આવે છે. આવી ઘટનાઓમાં ઓબીસીમાં પણ મુખ્યત્વે ઠાકોર સમાજના લોકોનો હાથ હોવાનું સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ઓબીસી ઠાકોર સમાજ દ્વારા દલિતોના લગ્નમાં હુમલાની સૌથી વધુ ઘટનાઓ આપણી નજર સામે છે, બીજી તરફ આ જ ઠાકોર સમાજમાં કેટલાક એવા લોકો પણ વસે છે જેઓ મનુવાદીઓની આ ચાલને બરાબર સમજે છે અને એટલે જ દલિતો, ઓબીસી વચ્ચેની ખાઈને પુરવાનો પ્રયત્ન કરતા રહે છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો હાલ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાંથી સામે આવ્યો છે. જ્યાં એક દલિત યુવકના લગ્નમાં તેના મોસાળના ગામના ઠાકોર સમાજ દ્વારા સૌ કોઈની આંખો પહોળી થઈ જાય તેવું મામેરું ભરવામાં આવ્યું  હતું.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">એક બાજુ ઠાકોરો દ્વારા દલિતો પર હુમલા, બીજી તરફ માનવતાની સરવાણી</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માનવતા અને ભાઈચારાને ઉત્તેજન આપતી આ ઘટના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરીસાણા ગામની છે, જ્યાં વાલ્મિકી સમાજના કિશોરભાઈ અને સીતાબહેનના દીકરાની જાન ચરાડુ ગામે ગઈ હતી. અહીં સીતાબહેનના ગામના લોકો દ્વારા મામેરું ભરવામાં આવ્યું હતું. આ મામેરું ખાસ એટલા માટે હતું, કેમ કે તે તેમના માતાપિતા અને ભાઈઓ દ્વારા નહીં પરંતુ ગામના ઠાકોર સમાજ દ્વારા ભરવામાં આવ્યું હતું. આ એજ ગાંધીનગર જિલ્લો અને કલોલ તાલુકો છે, જ્યાંના ચડાસણા ગામે થોડા દિવસ પહેલા જ દલિત સમાજની જાનમાં વરરાજાને ઘોડી પર જાન લઈને જતા રોકવામાં આવ્યા હતા અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. અગાઉ અહીંના બિલેશ્વરપુરામાં ઠાકોર સમાજના જ કેટલાક લોકોએ ગામમાં દલિતોની જાન પર હુમલો કર્યો હતો. એક એ ઠાકોર સમાજના છે જે દલિતોના લગ્નપ્રસંગે મનુવાદીઓની ચાલમાં આવી જઈને હુમલાઓ કરે છે. બીજી તરફ આ પણ ઠાકોર સમાજ છે, જે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભરવા આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામેરામાં સોનાનાં-ચાંદીના અનેક ઘરેણાં સામેલ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બોરીસાણામાં ઠાકોર સમાજ દ્વારા ભરવામાં આવેલા આ મામેરામાં તેઓ સોના-ચાંદીના અનેક ઘરેણાં લાવ્યા હતા. જેમાં સોનાનું લોકેટ, સોનાની પેડેન્ટ વાળી ચેઇન, સોનાની ચેઇન, સોનાનું કડું, સોનાની બુટ્ટી, સોનાની કાંટી અને ચાંદીના ઝાંઝરનો સમાવેશ થાય છે. આ સિવાય પરિવારજનો માટે કપડાં અને રોકડા રૂ. 25,000 ઠાકોર સમાજ દ્વારા વાલ્મિકી સમાજની દીકરીને અર્પણ કરવામાં આવ્યા હતા. દલિત અને ઓબીસી સમાજ વચ્ચેની વધતી જતી ખાઈ વચ્ચે આ ઘટનાએ આ બંને સમાજને વધારે નજીક લાવવાનું કામ કર્યું છે. ઓબીસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જેના કારણે આ સમાજના યુવાનો સરળતાથી મનુવાદીઓનો હાથો બનીને દલિતો પર હુમલાઓ કરે છે. ઓબીસી સમાજની અનામત પર તરાપ પડી રહી છે, સરકારી પદો પર તેમની ભરતીઓ થતી નથી, બેકલોગ ભરાતો નથી, આ સમસ્યાઓ તરફ તેમનું ધ્યાન ન જાય તે માટે તેમને જ્ઞાતિના ગર્વ અને અંધશ્રદ્ધામાં રાચતા રખાય છે. આવી કપરી પરિસ્થિતિમાં ચરાડુના ઠાકોર સમાજે બંને સમાજમાં કોમી એકતા અને ભાઈચારાની દિશામાં આ પહેલ કરીને ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ</span></strong> <a href="https://khabarantar.com/Gujrat-Koli-Samaj-warns-Thakor-youths-who-attack-Dalits,-dont-be-the-hands-of-Manuvadis"><strong>દલિતો પર હુમલા કરતા ઠાકોર યુવકોને ગુજરાત કોળી સમાજે ચેતવ્યા, કહ્યું, મનુવાદીઓનો હાથો ન બનો</strong></a><br></span></p>
<div class="post-text">
<p><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 25 Feb 2024 10:10:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>367</Articleid>
                    <excerpt>જાતિવાદી હુમલાઓ માટે કુખ્યાત થઈ ચૂકેલા ગાંધીનગરના કલોલ તાલુકામાં હાલમાં જ અનુસૂચિત જાતિ સમાજના લગ્નપ્રસંગોમાં હુમલાની ત્રણ ઘટનાઓ બની છે. આ ત્રણેય ઘટનાઓમાં ઓબીસી ઠાકોર સમાજના લોકો આરોપી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ જ કલોલ તાલુકામાં એક એવી ઘટના પણ બની છે જેણે માનવતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. શું છે આખો મામલો, વાંચો આ અહેવાલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65dac409a819b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65dac4095968a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65dac4095968a.jpg" length="93226" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદીઓને જવાબઃ ભાવનગરના જાળીયામાં પિતાએ દીકરીને ઘોડી પર બેસાડી ફુલેકું કાઢ્યું, ગામમાં 3 કલાક ફેરવી</title>
                    <link>https://khabarantar.com/Answer-to-racists:-In-Bhavnagars-Jaliya,-a-father-put-his-daughter-on-a-horse-and-took-her-out,-drove-her-around-the-village-for-3-hours</link>
                    <guid>https://khabarantar.com/Answer-to-racists:-In-Bhavnagars-Jaliya,-a-father-put-his-daughter-on-a-horse-and-took-her-out,-drove-her-around-the-village-for-3-hours</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં લગ્નની સિઝન દરમિયાન જાતિવાદી તત્વો બેફામ બની જાય છે. આ વર્ષે અનુસૂચિત જાતિ સમાજના 16 જેટલા લગ્નોમાં જાતિવાદી તત્વો દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે. હાલમાં જ ગાંધીનગરના ચડાસણા ગામે દલિત વરરાજાને જાતિવાદીઓએ લાફો મારીને ઘોડી પરથી ઉતારી મૂક્યા હતા. આ ઘટનાનો જાણે જડબાતોડ જવાબ વાળતી હોય એવી એક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. શું છે આખો મામલો, વાંચો આ રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં એકબાજુ લગ્નની સિઝનમાં દર વર્ષે અનુસૂચિત જાતિ સમાજના લગ્નોમાં વરઘોડા, જાનમાં ડી.જે. વગાડવા કે વરરાજાને ઘોડી પર બેસાડવા જેવી બાબતે જાતિવાદી તત્વો દ્વારા હુમલાની ઘટનાઓ વધી છે. એટ્રોસિટીનો કાયદો અસ્તિત્વમાં હોવા છતા લુખ્ખા તત્વો અનસૂચિત જાતિ સમાજના લગ્નોમાં નજીવી બાબતે હુમલો કરતા હોય છે. ચાલુ વર્ષે ગુજરાતમાં આ પ્રકારની 16 જેટલી ઘટનાઓ બની છે. ત્યારે જાતિવાદીઓને જડબાતોડ જવાબ આપતી એક ઘટના ભાવનગર જિલ્લામાંથી સામે આવી છે. અહીંના એક નાનકડા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના એક પિતાએ પોતાની દીકરીને ઘોડી પર બેસાડી, ડી.જે. પાર્ટી સાથે, ડૉ. આંબેડકર સહિતના બહુજન મહાનુભાવોના ગીતો વગાડીને ગામના મુખ્યમાર્ગો પર ફૂલેકું ફેરવ્યું હતું. એ રીતે તેમણે જાતિવાદી તત્વોને જડબાતોડ જવાબ આપી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d77c1f59dd8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળીયા ગામની છે. અહીં અનુસૂચિત જાતિ સમાજના પ્રવિણભાઈ ડાયાભાઈ રાઠોડે તેમની દીકરી વર્ષાના લગ્નપ્રસંગે તા. 17 ફેબ્રુઆરી 2024ના રોજ તેને ઘોડી પર બેસાડી, ડો. આંબેડકરનો ફોટો હાથમાં આપી, જય ભીમના નારા સાથે ગામના મુખ્યમાર્ગો પર સતત ત્રણ કલાલ સુધી ફૂલેકું ફેરવ્યું હતું. જાળીયા ગામના ઈતિહાસમાં આજ સુધી અનુસૂચિત જાતિ સમાજની કોઈ દીકરીનું આ રીતે ફૂલેકું નથી નીકળ્યું. ત્રણ કલાક સુધી ગામના મુખ્ય માર્ગો પર ફરેલા આ ફૂલેકાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. </span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d778aac0247.jpg" alt=""></p>
<p style="text-align: justify;">.<span style="font-size: 14pt;">વીડિયોમાં જોઈ શકાય છે કે, દીકરી વર્ષા હાથમાં ડો. આંબેડકરનો ફોટો લઈને ખુલ્લી જીપમાં ઉભી રહીને નાચી રહી છે. અન્ય એક વીડિયોમાં તે ઘોડી પર બેસીને બહુજન નાયકોના ગીતોના તાલે ઝૂમી રહી છે. તેની પાછળ પણ ગાડીઓ અને પરિવારજનોનો મોટો કાફલો દેખાય છે. આમ તેના પિતા પ્રવિણભાઈ રાઠોડે આડકતરી રીતે ગુજરાતભરમાં બેફામ થઈ ગયેલા જાતિવાદી તત્વોને જડબાતોડ જવાબ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d778a9cc7ae.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાળીયામાં અગાઉ અનેક વિવાદો-ફરિયાદો થઈ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાવનગર જિલ્લો જાતિવાદને લઈને અનેક વખત છાપે ચડી ચૂક્યો છે. અહીં અનેક નાનામોટા પ્રસંગોએ અનુસૂચિત જાતિ સમાજ પર અત્યાચારની ઘટનાઓ બને છે. અગાઉ આ ગામમાં જમીનને લઈને દલિતો અને કથિત સવર્ણો વચ્ચે ફરિયાદો પણ થઈ છે. એક સમયે આખું ગામ દલિત સમાજની વિરુદ્ધ હતું. આવા ભૂતકાળ છતા પ્રવિણભાઈ રાઠોડે દીકરીને ઘોડીએ બેસાડીને ગામના મુખ્યમાર્ગો પર ફૂલેકું ફેરવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d778a786286.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ગામમાં પ્રવિણભાઈના પરિવારનું એક જ ઘર છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમને જાણીને આશ્ચર્ય થશે કે દીકરીને ઘોડીએ ચડાવીને ફૂલેકું ફેરવનાર પ્રવિણભાઈ રાઠોડના પરિવારનું જાળીયા ગામમાં ફક્ત એક જ ઘર છે. તેમ છતાં તેમણે આટલી હિંમત કરી હતી અને ગામમાં આજ દિન સુધી જે નથી બન્યું તેવું રાજ ઠાઠથી દીકરીને દીકરો માનીને ફૂલેકું કાઢ્યું હતું. તેમણે ગામના મુખ્યમાર્ગો પરથી પસાર થતી વખતે બાબાસાહેબના ગીતો પણ વગાડ્યા હતા. સાથે જ દીકરી વર્ષાને ખુલ્લી જીપમાં અને પછી ઘોડી પર બેસાડીને સૂટ-બૂટ, સાફા અને તલવાર સાથે ડૉ. આંબેડકરના ફોટા સાથે ડી.જે.ના તાલે ગામના મુખ્યમાર્ગો પર ત્રણ કલાક સુધી ફુલેકું કાઢીને ફેરવી હતી.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d778a927a9f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતે વધુ જાણકારી આપતા દીકરી વર્ષાના કાકા પરેશભાઈ રાઠોડ ખબરઅંતર.કોમને જણાવે છે કે, “ગુજરાતભરમાં લગ્નની સિઝન દરમિયાન જાતિવાદી તત્વો બેફામ બની જાય છે. મનુવાદના નશામાં ચૂર આ તત્વો અનુસૂચિત જાતિ સમાજના દીકરા-દીકરીઓના લગ્નમાં વિક્ષેપ ઉભો કરે છે. હમણાં ઉત્તર ગુજરાતમાં આવા એકથી વધુ પ્રસંગો બન્યા છે. ચડાસણા ગામમાં તો જાતિવાદીઓએ વરરાજાને લાફો મારી દીધો હતો. આવા તત્વોને જડબાતોડ જવાબ આપતા મારા મોટાભાઈ પ્રવિણ રાઠોડે દીકરી વર્ષાને ઘોડી પર બેસાડીને આખા ગામમાં ફૂલેકું ફેરવ્યું હતું. અમારા ગામમાં અગાઉ જમીન બાબતે કથિત સવર્ણો સાથે વિવાદો અને ફરિયાદો પણ થઈ છે. તેમ છતાં ગામના ઈતિહાસમાં પહેલીવાર અમે દીકરીનો વરઘોડો કાઢ્યો હતો.”</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d778a864e06.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે દીકરી વર્ષાના પિતા પ્રવિણભાઈ રાઠોડ ડો. બાબાસાહેબ આંબેડકર સ્થાપિત રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના કાર્યકર તરીકે દોઢ દાયકાથી વધુ સમય સુધી કામ કરી ચૂક્યા છે. હાલ પણ તેઓ સ્થાનિક સ્તરે પોતાના સંગઠન થકી દલિત સમાજને એક કરવા માટે કામ કરી રહ્યા છે. ગામમાં તેમનું ફક્ત એક જ ઘર છે, અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના માંડ 10 ઘરો છે. તેમ છતાં તેમણે કોઈની પરવા કર્યા વિના બંધારણીય હકો પર જાતિવાદી તત્વો દ્વારા પડતી તરાપને ખાળવા માટે દીકરીને ઘોડે ચડાવીને જાતિવાદીઓની બોલતી બંધ કરી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Buddhist-marriage-trend-in-Scheduled-Caste-society,-first-Buddhist-marriage-ceremony-held-in-Kadi"><strong><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ સમાજમાં બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કરવાનો ટ્રેન્ડ, કડીમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 23 Feb 2024 09:49:12 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 22 Feb 2024 22:43:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>363</Articleid>
                    <excerpt>ગુજરાતમાં લગ્નની સિઝન દરમિયાન જાતિવાદી તત્વો બેફામ બની જાય છે. આ વર્ષે અનુસૂચિત જાતિ સમાજના 16 જેટલા લગ્નોમાં જાતિવાદી તત્વો દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે. હાલમાં જ ગાંધીનગરના ચડાસણા ગામે દલિત વરરાજાને જાતિવાદીઓએ લાફો મારીને ઘોડી પરથી ઉતારી મૂક્યા હતા. આ ઘટનાનો જાણે જડબાતોડ જવાબ વાળતી હોય એવી એક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. શું છે આખો મામલો, વાંચો આ રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65d77bb49eeb2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d77bb472144.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d77bb472144.jpg" length="103042" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>એટ્રોસિટીના કેસમાં કોર્ટે પહેલીવાર ‘માનસિક યાતના’ મુદ્દે આરોપીને રૂ. 10 હજાર દંડ ફટકાર્યો</title>
                    <link>https://khabarantar.com/In-the-atrocity-case,-the-court-for-the-first-time-ordered-the-accused-to-pay-Rs.-10-thousand-fined</link>
                    <guid>https://khabarantar.com/In-the-atrocity-case,-the-court-for-the-first-time-ordered-the-accused-to-pay-Rs.-10-thousand-fined</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં સજાનો દર 3 ટકા કરતા પણ ઓછો છે. ગંભીર ગુનાઓના આરોપીઓને પણ કોર્ટ છટકબારીઓનો લાભ આપીને જામીન આપી દેતી હોય છે, એવામાં હાલોલની કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચૂકાદો આપતા પહેલીવાર એટ્રોસિટીના કેસમાં પીડિતને માનસિક યાતના પહોંચાડવા બદલ આરોપીને રૂ. 10,000 દંડ ફટકાર્યો છે. વાંચો આખો મામલો વિસ્તારથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું હતો મામલો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસની મળતી વિગતો પ્રમાણે પીડિત વાલજીભાઈ મુળાભાઈ વણકર કે જેઓ રામપુર (જોડકા) ડુંગરી ફળીયુ, તા.ગોધરા જી.પંચમહાલ મુકામે તેઓના કુટુંબ સાથે રહે છે. તા.૧૯/૫/૨૦૨૦ ના રોજ બપોરના ત્રણેક વાગ્યે તેઓ તથા તેમના પત્ની ઘરે હતા તે વખતે તેમના ઘરની સામે રહેતા ગોરધનભાઈ શનાભાઈ બારીયા તેના ભાણીયા કિરણને ગાળો બોલતા હતા. આથી વાલજીભાઈએ તેમને ગાળો નહી બોલવા કહેતા ગોરધનભાઈએ તેમને જાતિસૂચક ગાળો બોલીને અપમાનિત કર્યા હતા. આથી પીડિત વાલજીભાઈ સાઈકલ લઈને ગામના સરપંચ કનુભાઈને જાણ કરવા જતા આરોપી ગોરધનભાઈએ છરીથી તેમના માથાના પાછળના ભાગે હુમલો કર્યો હતો. જેમાં વાલજીભાઈને ગંભીર ઈજા થઈ હતી. દરમિયાન બુમાબુમ થતા વાલજીભાઈના પત્ની સહિતના લોકો દોડી આવ્યા હતા અને તેમને વધુ મારથી બચાવ્યા હતા. એ દરમિયાન આરોપી ગોરધનભાઈ "હવે તો જવા દઉં છું, પણ બીજીવાર મારું નામ લઈશ તો જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી જતો રહ્યો હતો. જ્યારે વાલજીભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે આરોપી સામે ફરિયાદી વાલજીભાઈએ જ્ઞાતિ નિર્મૂલન સમિતિના સહસંયોજક મનુભાઈ રોહિતના માર્ગદર્શન હેઠળ તા.૧૯/૦૫/૨૦૨૦ ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૨૦૭૦ ૭૬૨૦૦૨૭૭/૨૦૨૦, ઈ.પી.કો. કલમ: ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી. એકટ કલમઃ ૧૩૫ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧) (આર) (એસ), ૩(૨)(૫-એ) મુજબ ફરિયાદ નોધાવી હતી. મનુભાઈ દ્વારા કાનૂની માર્ગદર્શન અને સહયોગથી ફરિયાદ નોંધાવ્યા બાદ કેસની સમગ્ર દરમિયાન ટ્રાયલ દરમ્યાન પણ કાનૂની મદદ કરવામાં આવી હતી. સદર કેસ  એસ.સી.ગાંધી સાહેબ, બીજા સ્પેશીયલ જજ(એટ્રોસીટી એકટ) એડિશનલ કોર્ટ હાલોલ ખાતે સ્પે. એટ્રો. ૦૪/૨૦૨૦ થી ચાલી જતા આ કામના આરોપી ગોરધનભાઈ શનાભાઈ બારીયાને ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ:૨૩૫(૨) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમઃ૩ર૪ મુજબના ગુન્હાના કામે ૨ વર્ષની સાદી કેદ, ભારતીય દંડ સંહિતાની કલમઃ ૫૦૪ મુજબના ગુન્હાના કામે ૧ વર્ષની સાદી કેદ, એટ્રોસીટી એકટની કલમઃ ૩(૨)(૫-એ) મુજબના ગુનાના કામે ૨ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૫,૦૦૦/- દંડ, ગુજરાત પોલીસ એકટની કલમઃ૧૩૫ મુજબના ગુનાના કામે ૧ વર્ષની સાદી કેદની સજા એમ કુલ 6 વર્ષની સજા, અને જો આરોપી તેને કરવામાં આવેલ કુલ દંડની રકમ રૂ.૫,૦૦૦/-(અંકે રૂપીયા પાંચ હજાર પુરા) ભરપાઈ કરવામાં કસુર કરેથી દંડની રકમ ભારતીય દંડ સંહિતાની કલમ-૬૭ મુજબ વસુલ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">પહેલીવાર માનસિક યાતના આપવા બદલ આરોપીને રૂ. 10000 દંડ ફટકારાયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસની સૌથી નોંધનીય બાબત એ રહી કે કદાચ પહેલીવાર કોર્ટે એટ્રોસિટીના કેસમાં આરોપી દ્વારા પીડિતને માનસિક યાતના આપવા બદલ રૂ. 10 હજાર દંડ ફટકાર્યો છે. આ કેસના ફરિયાદી વાલજીભાઈએ સતત માનસિક યાતનાઓનો ભોગ બનવું પડ્યું હતું. જેને ધ્યાને લઈને કોર્ટે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમઃ ૩૫૭ મુજબ તેમજ સર્વોચ્ચ અદાલતે, એ.આઈ.આર.૨૦૧૩, સુપ્રિમ કોર્ટ, પાન નં.ર૪૫૪ થી લીટાસિંહ અને બીજાઓ વિ. સ્ટેટ ઓફ રાજસ્થાનના ચૂકાદામાં પ્રસ્થાપિત કરેલ સિધ્ધાંત મુજબ ગુન્હાના ભોગ બનનાર તરીકે આરોપી પાસેથી રૂ.૧૦,૦૦૦/- (અંકે રૂપીયા દસ હજાર) વળતર તરીકે અપાવવાનો હુકમ કર્યો હતો. સાથે જો આરોપી આ રકમ ચૂકવવાનો ઈનકાર કરે તો સુપ્રીમ કોર્ટના વર્ષ 2012ના આર. મોહન વિ. એ.કે. વિજયાકુમારના ચૂકાદામાં પ્રસ્થાપિત કરેલા સિધ્ધાંત મુજબ આરોપી ને ૩(ત્રણ) માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d62c2d0e869.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જ્ઞાતિ નિર્મૂલન સમિતિના સહ સંયોજક મનુભાઈ રોહિતે જણાવ્યું હતું કે, "મારી ૨૫ વર્ષની સામાજિક કાર્યકર અને માનવ અધિકાર સંરક્ષક તરીકેની કારકિર્દીમાં આ પહેલો એવો કેસ જોયો છે, જેમાં કોર્ટે ફરિયાદીને થયેલા શારીરિક અને માનસિક યાતનાના નુકસાનીના વળતર પેટે રૂ. 10,000 હજારનો દંડ ફટકાર્યો હોય. જો આરોપી સદર વળતર ફરિયાદીને ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજા જાહેર કરેલ છે. આ એક ઐતિહાસિક ચૂકાદો છે, જે ભવિષ્યમાં એટ્રોસિટીના અન્ય કેસોમાં પણ મદદગાર સાબિત થશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્ઞાતિ નિર્મૂલન સમિતિના સંયોજક સંજય પરમારનું કહેવું છે કે, “અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સુધારણા અધિનિયમ-૨૦૧૮ની મૂળ કલમ ૩(૧) (ઈસી) મુજબ ભોગ બનનારે આ અધિનિયમ હેઠળના અરજદાર/આરોપીઓએ કરેલા ગુનાના પરિણામે શારીરિક, આર્થિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક નુકસાન અનુભવેલ હોઈ તે સદર અધિનિયમ હેઠળ અત્યાચાર ગણાય. આમ અત્યાચાર અધિનિયમની મૂળ કલમ ૩(૧) હેઠળ માનસિક યાતના/નુકશાની પેટે વળતર ચૂકવવાનો હુકમ કરવો તે નામદાર અદાલતનું સરાહનીય અને પ્રશંસનીય કામ છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/In-the-hotels-where-Dalits-were-not-allowed-to-enter,-they-had-to-sit-and-feed-sweets"><strong><span style="font-size: 14pt;">જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="color: rgb(186, 55, 42);"><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 22 Feb 2024 09:56:22 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 12 Nov 2024 08:28:56 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>361</Articleid>
                    <excerpt>ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં સજાનો દર 3 ટકા કરતા પણ ઓછો છે. ગંભીર ગુનાઓના આરોપીઓને પણ કોર્ટ છટકબારીઓનો લાભ આપીને જામીન આપી દેતી હોય છે, એવામાં હાલોલની કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચૂકાદો આપતા પહેલીવાર એટ્રોસિટીના કેસમાં પીડિતને માનસિક યાતના પહોંચાડવા બદલ આરોપીને રૂ. 10,000 દંડ ફટકાર્યો છે. વાંચો આખો મામલો વિસ્તારથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6732c376aa475.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732c3767a8f1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732c3767a8f1.jpg" length="67697" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી</title>
                    <link>https://khabarantar.com/In-the-hotels-where-Dalits-were-not-allowed-to-enter,-they-had-to-sit-and-feed-sweets</link>
                    <guid>https://khabarantar.com/In-the-hotels-where-Dalits-were-not-allowed-to-enter,-they-had-to-sit-and-feed-sweets</guid>
                    <description>
                        <![CDATA[ દલિત સમાજ માટે આભડછેટ જેવી કાયમી સમસ્યાઓમાં સૌથી જરૂરી બાબત એકતા હોય છે. જ્યારે પણ દલિતો એક થઈને આ સમસ્યા સામે અવાજ ઉઠાવે છે ત્યારે ચોક્કસ પરિણામ મળે છે અને તેનું વધુ એક ઉદાહરણ આ રહ્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત સમાજ જ્યારે એક થઈને કોઈ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે કાયદાએ તેનું કામ કરવું પડે છે અને પછી ભલભલા ચમરબંધીઓએ પણ તેની સામે ઝૂકવું પડતું હોય છે. આવું જ કંઈક કર્ણાટકના બન્યું છે, જ્યાં એક ગામની હોટલમાં દલિતોને અસ્પૃશ્ય ગણીને પ્રવેશ નહોતો અપાતો. ગામના સ્થાનિક વાળંદે દલિતોના વાળ કાપવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી. પણ સ્થાનિક દલિતોએ એકસંપ થઈને તેની સામે વિરોધ નોંધાવ્યો, જવાબદાર અધિકારીઓને તેમની જવાબદારીનું ભાન કરાવ્યું અને આખરે જાતિવાદીઓેએ ઝુકવું પડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો કર્ણાટકના કોપ્પલ જિલ્લાના હલાવર્થી ગામનો છે. અહીં એક સ્થાનિક વાળંદે પોતાની દુકાનમાં દલિત યુવકના વાળ કાપવાની મનાઈ ફરમાવી દીધી હતી. આ સિવાય એક હોટલ માલિકે કથિત રીતે ગામના દલિત યુવાનોના એક ગૃપને નાસ્તો આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. આ મામલે એક અઠવાડિયા પહેલા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. એ પછી સ્થાનિક દલિતોએ એક થઈને ગ્રામ પંચાયત કચેરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d073510077a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓની એક ટીમ મોકલવી પડી હતી અને શાંતિ બેઠક યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક દલિતોએ તેમની સાથે રાખવામાં આવતી અસ્પૃશ્તા સામે એકસંપ થઈને વિરોધ નોંધાવ્યો હતો અને તેનું પાલન કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. એ પછી પોલીસ અધિકારીઓએ જવાબદારો સામે પગલા લીધા હતા અને જાતિવાદી તત્વોની ધરપકડ કરી હતી. એટલું જ નહીં, ગામલોકોએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ શપથ લઈને ગામમાં હવે પછી દલિતો સાથે આભડછેટ નહીં પાળવાનો વાયદો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ શાંતિ બેઠક પછી દલિત યુવાનોને એ જ હોટલમાં બેસાડીને મીઠાઈ અને નાસ્તો કરાવવામાં આવ્યો હતો, જેના માલિકે થોડા દિવસ પહેલા તેમને હોટલમાં પ્રવેશવા પણ નહોતા દીધાં. એ પછી દલિત યુવાનો એ વાળંદની દુકાને ગયા હતા, જેણે તેમના વાળ કાપવાની ના પાડી દીધી હતી. કાયદાની બીક અને દલિતોની એકતા સામે વાળંદે પણ ઝૂકવું પડ્યું હતું અને દલિત યુવકના વાળ કાપવા પડ્યા હતા જેના વાળ કાપવાની તેણે ના પાડી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોપ્પલના એક પોલીસ અધિકારીનું કહેવું છે કે, અહીંના ગામડાઓમાં આભડછેટના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. જ્યારે પણ આવી ઘટનાની જાણકારી અમને મળે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પોલીસ કાર્યવાહીને આગળ વધારતા પહેલા શાંતિ બેઠક યોજે છે. જો તેમાં દલિતો સાથે રાખવામાં આવતા ભેદભાવોનું સમાધાન ન નીકળે તો પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. હલાવર્થી ગામના મામલામાં હોટલ માલિક અને સલૂન માલિક બંને પર આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ કાર્યવાહીથી ડરી જઈને ગામલોકોએ સ્વયંભૂ જ આભડછેટ પાળવાનું બંધ કરી દેવાનું સ્વીકાર્યું હતું અને હોટલમાં બેસીને દલિતોને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું  હતું અને તેમને ભાવતો નાસ્તો પણ કરાવ્યો હતો. સાથે જ આભડછેટ પાળતા વાળંદ પાસે પણ દલિત યુવાને મનપસંદ વાળ કરાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો : </span><a href="https://khabarantar.com/In-Tamil-Nadu,-Dalits-break-the-rules-made-by-upper-castes,-walk-the-streets-wearing-shoes-for-the-first-time"><span style="font-size: 14pt;">તમિલનાડુમાં દલિતોએ સવર્ણોએ બનાવેલો નિયમ તોડ્યો, પહેલીવાર શેરીમાં ચંપલ પહેરી સ્ટ્રીટ વોક કરી</span></a></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 17 Feb 2024 20:24:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>349</Articleid>
                    <excerpt>દલિત સમાજ માટે આભડછેટ જેવી કાયમી સમસ્યાઓમાં સૌથી જરૂરી બાબત એકતા હોય છે. જ્યારે પણ દલિતો એક થઈને આ સમસ્યા સામે અવાજ ઉઠાવે છે ત્યારે ચોક્કસ પરિણામ મળે છે અને તેનું વધુ એક ઉદાહરણ આ રહ્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65d07351af642.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d0735175198.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d0735175198.jpg" length="133572" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ચડાસણાની ઘટનાને લઈને જનતા સેના આજે ગાંધીનગર એસપીને આવેદનપત્ર આપી ઉગ્ર દેખાવો યોજશે</title>
                    <link>https://khabarantar.com/The-Janata-Sena-will-hold-fierce-protests-today-after-submitting-an-application-letter-to-the-Gandhinagar-SP-regarding-the-Chadasana-incident</link>
                    <guid>https://khabarantar.com/The-Janata-Sena-will-hold-fierce-protests-today-after-submitting-an-application-letter-to-the-Gandhinagar-SP-regarding-the-Chadasana-incident</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં જાતિવાદી તત્વો દ્વારા દલિતો પર થઈ રહેલા અત્યાચારોની ઘટનાઓમાં વધારો થયો છે. હાલમાં જ માણસાના ચડાસણા ગામે જાતિવાદી લુખ્ખા તત્વોએ દલિત વરરાજા પર હુમલો કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં ગાંધીનગર સ્થિત જનતા સેના દ્વારા આજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ રખાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદનું એપીસેન્ટર બનવા જઈ રહેલા ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દલિત સમાજના લગ્નુપ્રસંગો પર જાતિવાદી તત્વો દ્વારા હુમલાઓ જારી રહ્યાં છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મતવિસ્તારમાં જ છેલ્લાં કેટલાક દિવસોમાં બે જાતિવાદી હુમલાઓની ઘટના બની છે. અગાઉ કલોલ તાલુકાના બિલેશ્વરપુરામાં જાતિવાદી લુખ્ખા તત્વોએ દલિત સમાજની જાન પર હુમલો કર્યો હતો. એ પછી હાલમાં જ માણસાના ચડાસણા ગામે લુખ્ખા તત્વોએ દલિત વરરાજા ઘોડી પર બેસીને જાન લઈને આવતા તેમના પર હુમલો કર્યો હતો. એ પહેલા દેત્રોજ તાલુકાના ચૂંવાળ ડાંગરવા ગામે એક દલિત પરિવારે તેમની દીકરીના લગ્નમાં વરરાજા ઘોડી પર બેસીને આવશે તો ગામના જાતિવાદી લુખ્ખા તત્વો હુમલો કરશે તેવી ભીતિને પગલે પોલીસ રક્ષણ માંગ્યું હતું. આ તમામ ઘટનાઓ ગુજરાતમાં જાતિવાદી તત્વોને કાયદો અને વ્યવસ્થાનો ડર ન હોવાનું સાબિત કરે છે. આ પરિસ્થિતિમાં ગાંધીનગર સ્થિત જનતા સેના દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જનતા સેના ગુજરાતના પ્રમુખ કલ્પેશ પરમારના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દલિતો પર અત્યાચાર દિનપ્રતિદિન વધતા જઈ રહ્યાં છે. ગયા અઠવાડિયે દલિતોના લગ્નપ્રસંગ પર જાતિવાદી લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરાયાની ત્રણ મોટી ઘટનાઓ બની છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમાંની બે ઘટનાઓ તો ગાંધીનગર જિલ્લામાં બની છે. જ્યાં ગુજરાતનું પાટનગર જ દલિતો માટે સુરક્ષિત ન હોય ત્યાં બીજા વિસ્તારોની શું દશા હશે તે તમે કલ્પી શકો છો. હાલમાં જ માણસા તાલુકાના ચડાસણા ગામે કેટલાક જાતિવાદી લુખ્ખાઓએ દલિત વરરાજાને ઘોડી પર ચડીને આવતા લાફો મારી દીધો હતો. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે અમે આજે બપોરે 1 વાગ્યે સેક્ટર 27 ખાતે આવેલી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગાંધીનગર એસપીને આવેદનપત્ર આપીને ઉગ્ર દેખાવો યોજવાના છીએ. આ મામલે વધુ જાણકારી માટે જનતા સેનાના જે.કે. ચૌહાણનો સંપર્ક કરી શકાય છે. જેમનો મોબાઈલ નંબર 7227069440 છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો : </span><a href="https://khabarantar.com/Dalit-groom-attacked-by-racist-man-in-Gandhinagars-Chadasana,-accused-accused-of-racial-slurs,-Atrocity-against-4"><span style="font-size: 14pt;">ગાંધીનગરના ચડાસણામાં જાતિવાદી શખ્સે દલિત વરરાજા પર હુમલો કર્યો, જાનૈયાઓને જાતિસૂચક ગાળો ભાંડી, 4 સામે એટ્રોસિટી</span></a></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 17 Feb 2024 09:45:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>347</Articleid>
                    <excerpt>ગુજરાતમાં જાતિવાદી તત્વો દ્વારા દલિતો પર થઈ રહેલા અત્યાચારોની ઘટનાઓમાં વધારો થયો છે. હાલમાં જ માણસાના ચડાસણા ગામે જાતિવાદી લુખ્ખા તત્વોએ દલિત વરરાજા પર હુમલો કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં ગાંધીનગર સ્થિત જનતા સેના દ્વારા આજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ રખાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65cf965314ad2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65cf9652d1c25.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65cf9652d1c25.jpg" length="80704" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સુરેન્દ્રનગરમાં આજે શ્રી રોહીદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ભીમસંધ્યા, વિશન કાથડ ભીમભજન રેલાવશે</title>
                    <link>https://khabarantar.com/A-grand-Bhimsandhya,-Vision-Kathad-Bhimbhajan-will-be-organized-by-Shri-Rohidaswanshi-Samaj-Vikas-Trust-today-in-Surendranagar</link>
                    <guid>https://khabarantar.com/A-grand-Bhimsandhya,-Vision-Kathad-Bhimbhajan-will-be-organized-by-Shri-Rohidaswanshi-Samaj-Vikas-Trust-today-in-Surendranagar</guid>
                    <description>
                        <![CDATA[ સુરેન્દ્રનગરમાં આજે શ્રી રોહીદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિના દીકરા-દીકરીઓ માટે નવનિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલના લાભાર્થે ભવ્ય ભીમસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. રૂ. 5 કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહેલા આ શૈક્ષણિક સંકુલ માટે અત્યાર સુધીમાં 1.74 કરોડનું દાન આવ્યું છે. ટ્ર્સ્ટ દ્વારા સૌથી વધુ વગોવાયેલા પેટાજાતિવાદના મુદ્દાને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા માટે એક મજબૂત પગલું ભરાયું છે. શું છે તે પગલું અને કેવું છે સમગ્ર આયોજન, વાંચો આ વિસ્તૃત રિપોર્ટમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગરમાં આજે શ્રી રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ભીમડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહુજન સાહિત્યકાર વિશનભાઈ કાથડ અન્ય બહુજન કલાકારોની સાથે ભીમ ભજનમાં ઝાલાવાડ વાસીઓને તરબોળ કરશે. આ કાર્યક્રમને લઈને સમગ્ર ઝાલાવાડ પંથકમાંથી ભીમવંશીઓ સુરેન્દ્રનગર ખાતે ઉમટી પડશે.</span><br><span style="font-size: 14pt;">સુરેન્દ્રનગરના શ્રી રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા અહીંના જોરાવરનગરના સુખધામ રેસિડેન્સી ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે કરોડોના ખર્ચે શૈક્ષણિક સંકુલ તથા સમાજ ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેના લાભાર્થે તથા સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપુની 647મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65cd0048946fb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ કાર્યક્રમના પ્રમુખ તરીકે રાજકોટ રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવ ઉપસ્થિત રહેશે. જ્યારે કાર્યક્રમનું ઉદ્ઘઘાટન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી. સંપત કરશે. કાર્યક્રમમાં અનેક જાણીતી હસ્તિઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. જેમાં સુરેન્દ્રનગરના પૂર્વ ડીએસપી ગિરીશકુમાર પંડ્યા, બેન્ક ઓફ બરોડના રિજ્યોનલ મેનેજર અશોકકુમાર વાઘેલા, ઉદ્યોગપતિ રતિલાલ મકવાણા મુખ્ય છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">રાત્રે 9 વાગ્યે શરૂ થતા આ કાર્યક્રમમાં સોરઠના સાવજ તરીકે જાણીતા બહુજન સાહિત્યકાર વિશન કાથડ ભીમવંશીઓને તેમના ભવ્ય ઈતિહાસમાં તરબોળ કરશે. વિશનભાઈ બહુજન યુવાવર્ગમાં ભારે લોકપ્રિય હોવાથી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાન-યુવતીઓ ઉમટી પડે તેવી પુરી શક્યતાઓને જોતા આયોજકોએ ભારે જહેમત ઉઠાવી છે. વિશન કાથડની સાથે બિરજુ બારોટ, આર.કે. ચૌહાણ, રવિરાજ વાણિયા, અશોક સુમેરા, કલ્યાણભાઈ મકવાણા અને નટુભાઈ પરમાર પણ રંગ જમાવશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65cd00494a964.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">શૈક્ષણિક સંકુલ માટે અત્યાર સુધીમાં રૂ. 1.74 કરોડનું દાન આવ્યું</span></strong><br><span style="font-size: 14pt;">આ કાર્યક્રમના આયોજકો પૈકીના એક નટુભાઈ પરમારે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આજે અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ધોરણ 10 અને 12માં સારી ટકાવારી છતાં શહેરમાં રહીને ભણવાનું પોસાય તેમ નથી. શિક્ષણ ખર્ચ દિન પ્રતિદિન વધતો જાય છે. જેમાં સૌથી પહેલો અને સૌથી વધુ ભોગ કન્યાઓના શિક્ષણનો લેવાય છે. એ પછી છોકરાઓનો વારો આવે છે. આવું ન થાય તે માટે રોહિદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા અહીંના જોરાવરનગરમાં આવેલી સુખધામ રેસિડેન્સી ખાતે 1435 ચો. વાર જમીન રાખવામાં આવી છે. જ્યાં અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી દીકરા-દીકરીઓ માટે ભવ્ય શૈક્ષણિક સંકુલ નિર્માણ પામશે. અહીં 6 પ્લોટ છે, જેમાંથી 3 ના દસ્તાવેજો બની ગયા છે અને બાકીના આગામી દિવસોમાં બની જશે. આ ભવ્ય શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 1.74 કરોડનું દાન આવી ગયું છે.”</span></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">શૈક્ષણિક સંકુલમાં સૌ પ્રથમ વાલ્મિકી સમાજની દીકરીઓને પ્રવેશ અપાશે</span></strong><br><span style="font-size: 14pt;">અનુસૂચિત જાતિ સમાજમાં હાલ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો પેટા જાતિવાદનો છે. ત્યારે શ્રી રોહિદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા તેને મૂળસોતો ઉખેડીને ફેંકી દેવાયો છે. ટ્રસ્ટના પદાધિકારીઓએ પેટાજાતિવાદ દૂર કરવા માટે નવનિર્મિત શૈક્ષણિક સંકુલમાં સૌ પ્રથમ વાલ્મિકી સમાજની દીકરીઓને પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે. એ પછી અનુ. જાતિની કોઈપણ દીકરીને તેની પેટાજાતિ જોયા વિના પ્રવેશ અપાશે. આ રીતે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજને એક કરવાની દિશામાં આ એક નક્કર પગલું સાબિત થશે. કન્યા શિક્ષણને વેગ મળે તે ટ્રસ્ટીઓના એજન્ડાના સૌથી પાયારૂપ મુદ્દો હોવાથી અહીં સૌ પ્રથમ કન્યાઓ માટેનું સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એ રીતે આ કદાચ પહેલું એવું શૈક્ષણિક સંકુલ હશે જેમાં છોકરાઓ કરતા પણ પહેલા છોકરીઓ શિક્ષણ લેતી થશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65cd0049d0e0b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">શ્રી રોહિદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટના સંચાલકો પૈકીના એક રામજીભાઈના જણાવ્યા પ્રમાણે, અનુસૂચિત જાતિ સમાજમાં ગરીબ પરિવારની દીકરીઓ માટે શિક્ષણ મેળવવું સૌથી વધુ દુષ્કર છે. તેમને યોગ્ય સગવડો મળતી નથી. ગરીબ પરિવારમાં તેને આગળ ભણાવવા જેટલી શક્તિ હોતી નથી. આથી દીકરી ભણવામાં ગમે તેટલી હોંશિયાર હોય તો પણ તે નબળી આર્થિક પરિસ્થિતિને કારણે આગળ ભણી શકતી નથી. આવું ન થાય તે માટે અમે સૌથી પહેલા વાલ્મિકી સમાજની તેજસ્વી દીકરીઓને પ્રવેશ આપીશું. એ પછી અનુસૂચિત જાતિની અન્ય દીકરીઓને પ્રવેશ આપીશું. એ રીતે પેટાજાતિવાદ તૂટશે અને સમગ્ર અનુ.જાતિ સમાજ એક થશે તો સમાજનું ભાવિ ઉજ્જવળ હશે તેમાં બેમત નથી.”</span></p>
<p style="text-align: justify;"><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">વિશન કાથડને સાંભળવા 10 હજાર લોકો ઉમટી પડશે</span></strong><br><span style="font-size: 14pt;">આયોજકોના જણાવ્યા પ્રમાણે વિશનભાઈ કાથડના કંઠે ભીમવંશી યોદ્ધાઓનો અસલ ઈતિહાસ સાંભળવો એક લ્હાવો છે. સોશિયલ મીડિયા અને યુવાવર્ગમાં તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને જોતા આ કાર્યક્રમમાં 10 હજાર લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. જેના માટે અમે પુરતી તૈયારીઓ કરી છે. વિવિધ ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં આયોજન કર્યું છે જેથી બહારથી આ કાર્યક્રમ જોવા આવનાર લોકોને કોઈ તકલીફ ન પડે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ</span> <a href="https://khabarantar.com/If-you-do-not-have-a-meal,-eat-bread-in-hand-and-teach-your-children">ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો</a></strong><br></span></p>
<div class="post-text">
<p><span><strong><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong></span><span style="font-size: 14pt;"><strong><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p>
<p></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 15 Feb 2024 10:01:58 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 15 Feb 2024 13:21:20 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>343</Articleid>
                    <excerpt>સુરેન્દ્રનગરમાં આજે શ્રી રોહીદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિના દીકરા-દીકરીઓ માટે નવનિર્મિત ભવ્ય શૈક્ષણિક સંકુલના લાભાર્થે ભવ્ય ભીમસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. રૂ. 5 કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહેલા આ શૈક્ષણિક સંકુલ માટે અત્યાર સુધીમાં 1.74 કરોડનું દાન આવ્યું છે. ટ્ર્સ્ટ દ્વારા સૌથી વધુ વગોવાયેલા પેટાજાતિવાદના મુદ્દાને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા માટે એક મજબૂત પગલું ભરાયું છે. શું છે તે પગલું અને કેવું છે સમગ્ર આયોજન, વાંચો આ વિસ્તૃત રિપોર્ટમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65cd004a0ac21.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65cd0049beb90.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65cd0049beb90.jpg" length="89507" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કચ્છના મુંદ્રામાં દલિતોને 6 દાયકા પહેલા સાંથણીમાં મળેલી જમીનો હજુ નિયમિત નથી થઈ</title>
                    <link>https://khabarantar.com/In-Kutchs-Mundra,-the-lands-given-to-Dalits-in-Santhani-6-decades-ago-have-not-been-regularized-yet</link>
                    <guid>https://khabarantar.com/In-Kutchs-Mundra,-the-lands-given-to-Dalits-in-Santhani-6-decades-ago-have-not-been-regularized-yet</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતના ગામડાઓમાં ખેતીની જમીનનો એક ટુકડો પણ દલિતોના હાથમાં ન જાય તે માટે માથાભારે તત્વો કાયમ સક્રીય રહેતા હોય છે. તેમાં તેમને સ્થાનિક વહીવટી તંત્રનો પણ અંદરખાને સહકાર સાંપડતો હોય છે. પરિણામે દલિતોના હકની જમીનો પણ કથિત સવર્ણો પડાવી લેતા હોય છે. આવો જ એક કિસ્સો હાલ કચ્છના મુંદ્રામાં સામે આવ્યો છે. જ્યાં 6 દાયકા પછી પણ સાંથણીમાં મળેલી જમીનો મેળવવા સ્થાનિક દલિતો ઝઝૂમી રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના ગામડાઓમાં કાયમી આવકનું એકમાત્ર સાધન એવી મોટાભાગની ખેતીલાયક જમીન કથિત સવર્ણોના કબજામાં છે. ભૂલથી પણ આ જમીનોનો એક ટુકડોયે દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના ન જાય તે માટે જાતિવાદી તત્વો કાયમ સજાગ રહેતા હોય છે. પરિણામે હકની જમીનો પણ દલિતો, આદિવાસીઓ મેળવી શકતા નથી. સવર્ણ માથાભારે તત્વોના દલિતોના હકની જમીનો હડપી લેવાના ષડયંત્રમાં ઘણીવાર સ્થાનિક સરકારી તંત્ર પણ અંદરખાને સહકાર આપતું હોય છે. આવો જ એક કિસ્સો કચ્છના મુંદ્રા તાલુકામાં સામે આવ્યો છે. જ્યાં સ્થાનિક દલિતોને સાંથણીમાં મળેલી જમીનો 6 દાયકા પછી પણ નિયમિત નથી થઈ શકી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 1960થી લઈને તેની આસપાસના વર્ષોમાં સરકારે અહીંના ખેતમજૂરોને સાંથણીની જમીનો ફાળવી હતી. તેના હુકમો કરવામાં આવ્યા હતા. એ જમીનોના દરેક રેવેન્યૂ દસ્તાવેજો અને 7/12 ઉપલબ્ધ હોવા છતાં જમીન નકશામાં ચડી નથી. આવી અનેક સમસ્યાઓ સામે મુંદ્રા તાલુકાના દલિતો ઝઝૂમી રહ્યાં છે. આ મામલે હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાની હેઠળનું સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આગળ આવ્યું છે. સંગઠન દ્વારા આ મામલે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય પગલાં લેવા રજૂઆત કરાઈ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c4692345ab4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે, “કચ્છના મુંદ્રા તાલુકાના ગુંદાલાની સીમમાં વર્ષ 1960 આસપાસ સરકાર દ્વારા સ્થાનિક ખેતમજૂરોને સાંથણીની જમીન ફાળવવામાં આવી હતી. આ જમીનના હુકમ, સુડબુક, હાલીમાજી સહિતના 7/12, 8/અ રેકર્ડ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં ખેડૂતોને તે જમીન મળી નથી અને નકશામાં પણ ચડેલ નથી.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c4693074b32.jpg" alt=""></p>
<p><span style="font-size: 14pt;">તેઓ વધુમાં જણાવે છે કે, “ગુંદાલાના સ્થાનિક દલિતો ઉપરાંત તે સમયે અન્ય સમાજને પણ સાંથણીની જમીનો ફાળવવામાં આવી હતી. પણ તે જમીનો આજ સુધી સ્થળ પર નિર્ધારિત થઈ નથી. તે જમીનોના વર્ષ 1960ના હુકમો છે અને 7/12 પણ ખાતેદારના નામથી જ બને છે, પણ જે તે વખતે જમીનો ફક્ત આંગળી દ્વારા બતાવી દેવામાં આવી છે, હજુ સુધી તેના નકશા બન્યાં નથી. ડીઆઈએલઆર દ્વારા માપણી કરીને જમીનો આપવામાં આવી નથી. આ મામલે ઘણાં સમયથી જમીન માલિક એવા દલિતો દ્વારા જવાબદાર અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આ જમીનો સ્થળ પર વહિવટી તંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવી નથી, જેના કારણે બીજી પણ અનેક સમસ્યાઓ ઉભી થાય છે. અન્ય માથાભારે તત્વો દ્વારા પણ આ જમીન બાબતે દલિતોની કનડગત કરવામાં આવે છે.”</span><br><span style="font-size: 14pt;">અદાણી કંપની દ્વારા જમીનો છોડી દેવા દબાણ</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c46922b5f06.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ જમીનો પર અદાણી કંપની દ્વારા દલિતોને વારેઘડીએ ત્યાંથી હટી જવાનું કહેવામાં આવે છે. અદાણી કંપનીનો દાવો છે કે તેમને અહીં જમીનો મળી છે. આ માટે માથાભારે તત્વો ઘણીવાર દલિતોને આડકતરી રીતે ધમકીઓ પણ આપે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી દલિત ખેડૂતોને તેમની જમીનનો વહેલી તકે કબજો સોંપવામાં આવે અને તેમની જમીન તથા તેઓ સુરક્ષિત રહે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરાઈ છે. સાથે જ એવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે, જો આ મામલે તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવતા પણ તેઓ અચકાશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો :</span></strong><span style="font-size: 14pt;"> </span></span><a href="https://khabarantar.com/The-Hijri-family-of-Akolali,-fed-up-with-the-harassment-of-the-casteists,-applied-to-declare-themselves-Hijri-again"><strong><span style="font-size: 14pt;">આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદીઓના ત્રાસથી કંટાળીને ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 08 Feb 2024 20:13:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>328</Articleid>
                    <excerpt>ગુજરાતના ગામડાઓમાં ખેતીની જમીનનો એક ટુકડો પણ દલિતોના હાથમાં ન જાય તે માટે માથાભારે તત્વો કાયમ સક્રીય રહેતા હોય છે. તેમાં તેમને સ્થાનિક વહીવટી તંત્રનો પણ અંદરખાને સહકાર સાંપડતો હોય છે. પરિણામે દલિતોના હકની જમીનો પણ કથિત સવર્ણો પડાવી લેતા હોય છે. આવો જ એક કિસ્સો હાલ કચ્છના મુંદ્રામાં સામે આવ્યો છે. જ્યાં 6 દાયકા પછી પણ સાંથણીમાં મળેલી જમીનો મેળવવા સ્થાનિક દલિતો ઝઝૂમી રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65c46923ec2a1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c46923b561e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c46923b561e.jpg" length="123118" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દત્તક લીધેલા ગામ બિલેશ્વરપુરામાં દલિતો પર 200થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો</title>
                    <link>https://khabarantar.com/A-mob-of-over-200-attacked-Dalits-in-Bileshwarpura,-the-village-adopted-by-Union-Home-Minister-Amit-Shah</link>
                    <guid>https://khabarantar.com/A-mob-of-over-200-attacked-Dalits-in-Bileshwarpura,-the-village-adopted-by-Union-Home-Minister-Amit-Shah</guid>
                    <description>
                        <![CDATA[ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે દત્તક લીધેલા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામમાં ગત તા. 30 જાન્યુઆરી 2024ના રોજ નજીવી બાબતે ગામના ઠાકોર સમાજના 200થી વધુ લોકોના ટોળાએ મળીને ગામના દલિત વાસ પર હુમલો કર્યો હતો. જેમાં 20થી વધુ દલિતો ઘાયલ થયા હતા. ટોળાએ દલિતોની સંપત્તિને પણ મોટાપાયે નુકસાન પહોંચાડ્યું હતું અને આગ લગાડી હતી. આ મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ રાજકીય દબાણને કારણે પીડિતોને જ આરોપી બનાવી દેવાની રમત શરૂ થઈ છે, જેને લઈને બિલેશ્વરપુરાના દલિતોએ લડી લેવાનું નક્કી કર્યું છે. વાંચો સમગ્ર અહેવાલ વિસ્તારથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામમાં ગત તા. 30 જાન્યુઆરી 2024ના રોજ ગામના ઠાકોર સમાજના 200થી વધુ લોકોના ટોળાએ દલિતોના ઘર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં દલિત સમાજના 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. જાતિવાદીઓના ટોળાએ દલિતોના ઘરો પર ધારદાર હથિયારો, જલદ પદાર્થો અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં 20થી વધુ લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. ટોળાએ અનુસૂચિત જાતિના લોકોના ઘરોના બારી-બારણાંને આગ લગાડી મોટાપાયે નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે કલોલના અંબિકાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જો કે તેમાં સમગ્ર કાવતરાના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નહોતી. એટલું જ નહીં, સ્થાનિક નેતાના રાજકીય દબાણને કારણે આ મામલે પીડિતો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઈને ગામના દલિતો, કલોલના દલિત આગેવાનો, કર્મશીલો અને કાર્યકર્તાઓએ ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડીને ડીએસપીને આવેદનપત્ર આપ્યું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c09d25bbc1a.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c09d2650808.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c09d26cc3aa.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c09d2523958.jpg" alt=""></p>
<p>.<span style="font-size: 14pt;">આ મામલે સામાજિક કાર્યકર ભરતભાઈ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે,”બિલેશ્વરમાં ઠાકોર સમાજના માથાભારે જાતિવાદી લોકોએ દલિતોની વસ્તી પર ગત તા. 30 જાન્યુઆરીની રાત્રે હુમલો કર્યો હતો. આરોપીઓ 2 ટ્રેક્ટર ટ્રોલી ભરીને ઈંટો અને રોડાં લઈને આવ્યા હતા અને દલિતવાસ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર અને કલોલ નજીકના દવાખાનાઓમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં દલિતો ફરિયાદી, પીડિત હોવા છતાં રાજકીય દબાણને વશ થઈને પોલીસે આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી સામી ફરિયાદ સ્વીકારી હતી. આ ખોટી ફરિયાદનો વિરોધ કરવા માટે અને મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટે બિલેશ્વરપુરાના દલિત આગેવાનો, સ્થાનિક સામાજિક કાર્યકરો, કર્મશીલો અને મોટી સંખ્યામાં ભીમસૈનિકોએ ઉપસ્થિત રહીને 3 ફેબ્રુઆરી 2024, શુક્રવારના રોજ ગાંધીનગર કલેક્ટર, ડીએસપી અને માનવ અધિકાર આયોગને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c09f4f6bea1.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c09f4ee9dd2.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c09f4e57a8b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું હતો આખો મામલો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામે ગત તા. 30 જાન્યુઆરીના રોજ ગીતાબેન કમલેશભાઈ સોલંકી નામના દલિત મહિલા તેમના ઘેર તેમની ભેંસ દોહી રહ્યાં હતા. એ વખતે તેમના ઘરની બાજુમાં આવેલા ગામના પાદરમાં ઠાકોર સમાજના 15-20 છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા. ગીતાબેને તેમને તેઓ ભેંસ દોહી લે એ પછી ક્રિકેટ રમજો એમ કહ્યું હતું. તેમ છતાં ઠાકોર છોકરાઓ માન્યા નહોતા અને એક દડો ભેંસ દોહી રહેલા ગીતાબેનને જોરથી વાગ્યો હતો. જેને લઈને તેમણે છોકરાઓને ત્યાંથી દૂર જઈને રમવા કહ્યું હતું. જેનાથી સુમીત ઠાકોર નામનો એક છોકરો ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ગીતાબહેનને જાતિસૂચક ગાળો બોલીને હડધૂત કર્યા હતા. આથી ગીતાબેનનો દીકરો આવી પહોંચ્યો હતો અને તેણે સુમીતને ગાળો ન બોલવા સમજાવ્યો હતો. જો કે તે માન્યો નહોતો અને ગામમાં જઈને ઠાકોર સમાજના લોકોને લઈને માથાકૂટ કરવા આવી પહોંચ્યો હતો. મામલો બિચકી જતા આખરે સરપંચ સહિતના આગેવાનોએ બંને પક્ષોને બોલાવીને પોલીસની હાજરીમાં સમાધાન કરાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે દલિતોને પાઠ ભણાવવાની કાયમી માનસિકતા ધરાવતા આ જાતિવાદી તત્વોએ ગામમાં પરત ફરીને તરત હુમલો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને સમાધાનના બે જ કલાકની 200થી વધુ લોકોના ટોળાએ ઈંટો અને પથ્થરોની બે ટ્રેક્ટર ટ્રોલી ભરીને દલિતવાસ પર હુમલો કરી દીધો હતો. અનેક દલિતોના ઘરોના બારીબારણાંને આગ લગાવી દીધી હતી અને 20થી વધુ લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાની સ્થાનિક સામાજિક કાર્યકર ભરતભાઈ પરમાર અને તેમની ટીમને થતા તેઓ બિલેશ્વરપુરા પહોંચ્યાં હતા અને ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને ટોળાં સામે એટ્રોસિટી સહિતની કલમો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c09f4dc4d43.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિલેશ્વરપુરા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દત્તક લીધેલું ગામ છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે બિલેશ્વરપુરા કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધેલું ગામ છે.પરંતુ તેઓ જાતિવાદ ખતમ થઈ જાય તેવી આદર્શ સ્થિતિ લાવી શક્યાં નથી. કેન્દ્રીય ગૃહમંત્રી દેશભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર હોય છે. પણ અહીં તો તેમના સંસદીય વિસ્તારમાં, એ પણ તેમણે દત્તક લીધેલા ગામમાં જાતિવાદીઓ બેફામ થઈને દલિતો પર હુમલા કરી રહ્યાં છે. અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં પણ મનમાની કરતી હોવાનો પીડિત દલિતોનો આક્ષેપ છે. બિલેશ્વરમાં મોટાભાગે ઓબીસી ઠાકોર સમાજના લોકોની વસ્તી છે. અહીં તેમના 500 જેટલા ઘરો છે. આ સિવાય ગામમાં પટેલ સમાજની પણ વસ્તી છે. દલિતોના 30 જેટલા ઘરો છે જેમાં મુખ્યત્વે રોહિત અને સેનમા સમાજ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અગાઉ પણ ઠાકોરોએ દલિતો પર હુમલો કર્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિલેશ્વરપુરામાં ઠાકોર સમાજે અગાઉ પણ દલિતો પર હુમલો કર્યો હતો. એક વર્ષ પહેલા ઘટેલી એક ઘટનામાં ગામના ઠાકોર સમાજના કેટલાક લોકોએ સામાન્ય બાબતમાં દલિતવાસમાં ઘૂસીને એક છોકરાને માર માર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તેનો કેસ હજુ પણ ચાલુ છે. આ ઘટનાના બે-ત્રણ આરોપીઓ પણ 30મી તારીખે થયેલા હુમલામાં સામેલ હોવાનું સ્થાનિકોનું કહેવું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/The-Hijri-family-of-Akolali,-fed-up-with-the-harassment-of-the-casteists,-applied-to-declare-themselves-Hijri-again"><strong><span style="font-size: 14pt;">આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદીઓના ત્રાસથી કંટાળીને ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 05 Feb 2024 14:22:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>317</Articleid>
                    <excerpt>કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે દત્તક લીધેલા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામમાં ગત તા. 30 જાન્યુઆરી 2024ના રોજ નજીવી બાબતે ગામના ઠાકોર સમાજના 200થી વધુ લોકોના ટોળાએ મળીને ગામના દલિત વાસ પર હુમલો કર્યો હતો. જેમાં 20થી વધુ દલિતો ઘાયલ થયા હતા. ટોળાએ દલિતોની સંપત્તિને પણ મોટાપાયે નુકસાન પહોંચાડ્યું હતું અને આગ લગાડી હતી. આ મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ રાજકીય દબાણને કારણે પીડિતોને જ આરોપી બનાવી દેવાની રમત શરૂ થઈ છે, જેને લઈને બિલેશ્વરપુરાના દલિતોએ લડી લેવાનું નક્કી કર્યું છે. વાંચો સમગ્ર અહેવાલ વિસ્તારથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65c09f5016f1c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c09f4fdc389.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c09f4fdc389.jpg" length="89353" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>હર્ષિલ જાદવના મોત મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે જૂનાગઢ કલેક્ટર, DSP, નાયબ નિયામક પાસે વિગતો માંગી</title>
                    <link>https://khabarantar.com/National-Scheduled-Castes-Commission-sought-details-from-Junagadh-Collector,-DSP,-Deputy-Director-regarding-the-death-of-Harshil-Jadav</link>
                    <guid>https://khabarantar.com/National-Scheduled-Castes-Commission-sought-details-from-Junagadh-Collector,-DSP,-Deputy-Director-regarding-the-death-of-Harshil-Jadav</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના દલિત યુવક હર્ષિલ જાદવને જૂનાગઢ પોલીસ દ્વારા માર માર્યા બાદ તેનું મોત થયું હતું. પોલીસે આ કેસમાં રૂ. 3 લાખની લાંચ માંગી હતી પણ હર્ષિલના પરિવારે તે ન આપતા તેને ઢોર માર માર્યો હતો. આ કેસમાં હવે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે તાત્કાલિક વિગતો માંગી છે. વાંચો સમગ્ર અહેવાલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના બી-ડિવિઝન પોલીસના પીએસઆઈ મુકેશ મકવાણા અને અન્ય સ્ટાફ દ્વારા હર્ષિલ જાદવ નામના દલિત યુવકને એક કેસમાં માર ન મારવા માટે રૂ. 3 લાખની લાંચ માંગવામાં આવી હતી. હર્ષિલે આ રકમ આપવાનો ઈનકાર કરી દેતા પોલીસે કસ્ટડીમાં તેને ઢોર માર માર્યો હતો અને બાદમાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં હવે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે ઉચ્ચ અધિકારીઓને નોટિસ ફટકારી આ ઘટનામાં થયેલ FIR, પરિવારના નિવેદનો, પીએમ રિપોર્ટ, ધરપકડ કરાયેલ આરોપીની યાદી, જો આરોપીની ધરપકડ ન થઇ હોય તો ધરપકડ ન થવાના કારણો, સીઆરપીસીની કલમ 164 હેઠળનું કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન, ચુકવેલ વળતર સહિતની માહિતી તાત્કાલિક માંગી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">શું હતો મામલો?</span></strong></span><br><span style="font-size: 14pt;">જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મુકેશ મકવાણા અને અન્ય પોલીસ કર્મીઓએ તારીખ 11 અને 13 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિના યુવાન હર્ષિલ જાદવને પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂળ અમદાવાદના ધોળકા તાલુકાના વાલથેરા ગામનો વતની પણ સુરતમાં તનિષ્કા વેકેશન ક્લબ ચલાવતો હર્ષિલ લક્ષ્મણભાઈ જાદવ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતો હતો. થોડા દિવસ પહેલા જૂનાગઢના આસીમ સીડા નામના વ્યક્તિએ હર્ષિલ પૈસા લીધાં પછી પણ તેની ક્લબ હેઠળ યોગ્ય સગવડો ન આપતો હોવાને લઈને તેની સામે રૂ. 1.20 લાખની છેતરપિંડીની ફરિયાદ જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હર્ષિલ જાદવ અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા માટે ગયો હતો ત્યારે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મુકેશ મકવાણા દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને અમદાવાદથી જૂનાગઢ લઈ જઈ કોર્ટમાં રજૂ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એ દરમિયાન પોલીસે હર્ષિલ જાદવને રિમાન્ડ દરમિયાન માર ન મારવા બદલ તેના પરિવારને અજાણ્યા નંબર પરથી ફોન કરીને પહેલા રૂ. 5 લાખની રકમ માંગી હતી. એ પછી છેલ્લે રૂ. 3 લાખ માંગ્યા હતા. જે પરિવારજનોએ આપવાનો ઈનકાર કરી દીધો હતો. પોલીસે હર્ષિલના ભાઈ અને અન્ય સભ્યોને બોલાવીને લાંચની રકમ આપી દેવા દબાણ કર્યું હતું, પણ તેઓ માન્યા નહોતા. આથી પીએસઆઈ મુકેશ મકવાણા (જેઓ પોતે પણ દલિત સમાજમાંથી આવે છે) અને તેમના સાથી પોલીસકર્મીઓએ હર્ષિલને ઢોર માર માર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"> </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન રિમાન્ડ પૂર્ણ થતા હર્ષિલ જાદવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તે કોઈના ટેકા વગર ચાલી પણ શકતો નહોતો, તેના માથા પર પાટો બાંધેલો હતો. પોલીસે તેને લાકડી-પટ્ટાથી માર માર્યો હતો કે તેનું માથું ફાટી ગયું હતું, પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને શરીરમાં લોહી ગંઠાઈ ગયું હતું. હર્ષિલની આવી હાલત જોઈને ન્યાયધીશ પણ ચોંકી ગયા હતા અને પૂછપરછ કરતા જૂનાગઢ પોલીસનો ભાંડો ફૂટી ગયો હતો. બાદમાં ન્યાયધીશ દ્વારા પોલીસ સામે ફરિયાદ કરવાની છે તેમ પૂછતાં હર્ષિલ જાદવે હા પાડી હતી. એ પછી જૂનાગઢના ન્યાયધીશ દ્વારા ઈન્કવાયરીનો હુકમ કરી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવા હુકમ કરતા હર્ષિલ જાદવને ત્રણ દિવસ જૂનાગઢની હોસ્પિટલમા સારવાર આપવામાં આવેલ અને 15 જાન્યુઆરીએ કોર્ટમાં વકીલ દ્વારા જામીન અરજી મુકતા જામીન મળેલ, જેથી પરત ઘરે વેજલપુર, અમદાવાદ ખાતે આવેલ હતો.</span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">જો કે અહીં તેને પોલીસ કસ્ટડીમાં પડેલો માર ભારે પડી રહ્યો હોવાનું જણાતા સાણંદ સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ અને અન્ય જગ્યાએ શરીરનું ચેકઅપ કરાવતા લોહી ગંઠાઈ ગયું હોવાનું અને પગમાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટર દ્વારા થોડાક સમય પછી ઓપરેશન કરવાની સલાહ અપાઈ હતી. વચ્ચે 20મી જાન્યુઆરીના રોજ તે પોતાના વકીલને મળવા જતો હતો ત્યારે મીઠાખળી પાસે તે ચાલતી વખતે પડી જતા અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા ડૉક્ટરે લોહી ગંઠાઈ જવાથી હૃદયરોગનો હુમલો આવી ગયાનું જણાવી સારવાર શરૂ કરી હતી. એ દરમિયાન હર્ષિલ કોમામાં જતો રહ્યો હતો અને ત્રણ દિવસ બાદ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેનું ફોરેન્સિક પોર્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">હર્ષિલ જાદવના મોત બાદ 23 જાન્યુઆરીના રોજ પીએસઆઈ મુકેશ મકવાણા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને હવે તેમાં હત્યાની કલમ ઉમેરવામાં આવી છે. આ પોલીસ ટોર્ચર અને પોલીસ કસ્ટડીમાં થયેલ અત્યાચારના ગુનામાં મરનાર અનુસૂચિત જાતિના યુવાન હર્ષિલ જાદવના બંધારણના આર્ટિકલ 21 મુજબ ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના અધિકારનો અને તેના માનવ અધિકારનો ભંગ થયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને આ ઘટનાના મીડિયા કવરેજ, લિંક, કટિંગ્સ વગેરે મોકલીને સૂઓમોટો કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. જેના આધારે આયોગે સૂઓ-મોટો કાર્યવાહી કરી આ ઘટનામાં જૂનાગઢના જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસ વડા અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ પાસેથી આ ઘટના અને ત્યાર બાદ કરેલ કાર્યવાહીનો અહેવાલ (એક્શન ટેકન રિપોર્ટ) તાત્કાલિક સબમિટ કરવા આદેશ કરેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાંતિભાઈ પરમાર દ્વારા આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા SIT(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) બનાવી કેસની તપાસ કરવા, ખાસ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણુંક કરવા, આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ સામે કાર્યવાહી કરવા, પરિવારને વળતર આપવા અને આરોપીને ડિસમિસ કરવા સહિતની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો :</span></strong></span><a href="https://khabarantar.com/The-Hijri-family-of-Akolali,-fed-up-with-the-harassment-of-the-casteists,-applied-to-declare-themselves-Hijri-again"><strong><span style="font-size: 14pt;">આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદીઓના ત્રાસથી કંટાળીને ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 01 Feb 2024 10:00:29 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>307</Articleid>
                    <excerpt>અમદાવાદના દલિત યુવક હર્ષિલ જાદવને જૂનાગઢ પોલીસ દ્વારા માર માર્યા બાદ તેનું મોત થયું હતું. પોલીસે આ કેસમાં રૂ. 3 લાખની લાંચ માંગી હતી પણ હર્ષિલના પરિવારે તે ન આપતા તેને ઢોર માર માર્યો હતો. આ કેસમાં હવે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે તાત્કાલિક વિગતો માંગી છે. વાંચો સમગ્ર અહેવાલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65ba7ff82cfa0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65ba7ff7e8764.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65ba7ff7e8764.jpg" length="88399" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાંધીનગરમાં બનશે ભવ્ય વણકર ભવન, 22 ફેબ્રુઆરીએ યોજાશે ભૂમિપૂજન કાર્યક્રમ</title>
                    <link>https://khabarantar.com/A-magnificent-Vankar-Bhavan-will-be-built-in-Gandhinagar,-Bhumi-Pujan-program-will-be-held-on-February-22</link>
                    <guid>https://khabarantar.com/A-magnificent-Vankar-Bhavan-will-be-built-in-Gandhinagar,-Bhumi-Pujan-program-will-be-held-on-February-22</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં દલિત સમાજ માટે જાહેર કે ખાનગી કાર્યક્રમો યોગ્ય રીતે આયોજિત કરી શકાય તેવા સ્થળો આંગળીના વેઢે ગણી શકાય તેટલા માંડ છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં વણકર સમાજ ભવન તૈયાર થવા જઈ રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં દલિત સમાજ માટે જાહેર કાર્યક્રમોનું આયોજન કરી શકાય તેવા સ્થળોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી માંડ છે. સમાજના વિવિધ જાહેર કે ખાનગી કાર્યક્રમો માટે યોગ્ય સ્થળના અભાવને કારણે ફાર્મહાઉસો કે મોંઘી હોટલોમાં કાર્યક્રમો યોજવા પડતા હોય છે. ઘણીવાર મેદાનોમાં કાર્યક્રમો કરવા યોજવા પડે છે અને તેમાં પોલીસની મંજૂરીથી લઈને સ્થાનિક લોકોની દાદાગીરી પણ સહન કરવી પડતી હોય છે. આ સ્થિતિના નિવારણની દિશામાં એક મજબૂત પગલું લેવાવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે કુડાસણમાં ભવ્ય વણકર સમાજ ભવન નિર્માણ પામવા જઈ રહ્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b7dda789e1d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ આ વણકર ભવનના ભૂમિપૂજનનો કાર્યક્રમ આગામી 22 ફેબ્રુઆરી 2024ને ગુરૂવારના રોજ સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં રામકથા મેદાન, પથિકાશ્રમ પાછળ સેક્ટર 11માં યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી વણકર સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા આ વણકર ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ દિવસે વણકર ભવનના ભૂમિપૂજનના કાર્યક્રમની સાથોસાથ આ દિવસને વણકર એકતા મહામહોત્સવ તરીકે યોજવાનું પણ આયોજન કરાયું છે. આ ભવન તૈયાર થઈ ગયા પછી દલિત સમાજે પાટનગરમાં કોઈપણ મોટો સામાજિક કાર્યક્રમ કરવો હશે તો તેના માટે કોઈના આશ્ચિત નહીં રહેવું પડે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <span style="color: rgb(19, 58, 229);"><a href="https://khabarantar.com/Kalols-Dingucha-village-sets-example,-flag-hoisted-by-Dalit-daughter-on-Republic-Day" target="_blank" rel="noopener" style="color: rgb(19, 58, 229);">કલોલના ડીંગુચા ગામે દાખલો બેસાડ્યો, પ્રજાસત્તાક દિને દલિત દીકરીના હાથે ધ્વજવંદન કરાવ્યું</a></span><br></span></strong></span></p>
<p><span style="font-size: 12pt;"><strong>Khabarantar.com </strong><strong><span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong></span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span><o:p></o:p></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 30 Jan 2024 12:18:30 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>303</Articleid>
                    <excerpt>ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં દલિત સમાજ માટે જાહેર કે ખાનગી કાર્યક્રમો યોગ્ય રીતે આયોજિત કરી શકાય તેવા સ્થળો આંગળીના વેઢે ગણી શકાય તેટલા માંડ છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં વણકર સમાજ ભવન તૈયાર થવા જઈ રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65b7ddc3be832.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b7ddc388e77.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b7ddc388e77.jpg" length="96357" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મહેસાણાના ધનપુરામાં જાતિવાદીઓ બેફામ, દલિત વરરાજાનો વરઘોડો રોકી ધોકા&amp;લાકડીઓથી હુમલો કર્યો</title>
                    <link>https://khabarantar.com/In-Mehsanas-Dhanpura,-casteists-stopped-the-dalit-grooms-horse-and-attacked-him-with-sticks</link>
                    <guid>https://khabarantar.com/In-Mehsanas-Dhanpura,-casteists-stopped-the-dalit-grooms-horse-and-attacked-him-with-sticks</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં જાતિવાદી તત્વોને જાણે કાયદો-વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેમ વર્તી રહ્યાં છે. ગઈકાલે મહેસાણાના ધનપુરામાં ગામમાં દલિત યુવાનનો વરઘોડો જાતિવાદીઓએ રોકીને હુમલો કર્યો હતો. વાંચો સમગ્ર અહેવાલ વિસ્તારથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાતા વિકસિત ગુજરાત અને દેશના કથિત રામરાજ્યમાં દલિતો પરના અત્યાચારોમાં જરાય ઓટ આવી નથી. જાતિવાદી તત્વો બેફામ બનતા જાય છે અને દલિતો જાણે તેમના ગુલામ હોય તેમ વર્તે છે. આવો જ એક બનાવ ગઈકાલે મહેસાણા જિલ્લાના ધનપુરા ગામમાં બન્યો હતો. જ્યાં ગામના એક દલિત યુવકે વરઘોડો કાઢતા માથાભારે જાતિવાદી તત્વોએ તેમને રોક્યા હતા અને લાકડી-ધોકાઓ વડે હુમલો કરી વરરાજા અને તેમના પરિવારજનોને જાતિસૂચક ગાળો બોલીને હડધૂત કર્યા હતા. જો કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના યુવા એકવોકેટ કૌશિકભાઈ પરમારની જાણમાં આખો મામલો આવતા તેમણે પોલીસને જાણ કરતા પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b77d968f9f3.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b77d510a358.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ગઈકાલે તા. 29 જાન્યુઆરીના રોજ મહેસાણાના બેચરાજી તાલુકાના ધનપુરા ગામે દલિત યુવાન રાહુલ બળદેવભાઈના લગ્ન હોવાથી તેમણે ઘોડી પર બેસીને વરઘોડો કાઢ્યો હતો. જે ગામના કેટલાક દરબાર અને ઠાકોર સમાજના જાતિવાદી તત્વોને ગમ્યું નહોતું. વરઘોડો કાઢવો જાણે તેમનો જ અધિકાર હોય તેમ આવા 4-5 લુખ્ખા તત્વોએ રાહુલભાઈનો વરઘોડો રોક્યો હતો અને ધોકા, લાકડીઓથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. સાથે જ ઘોડીવાળાને પણ માર મારીને ભગાડી મૂક્યો હતો. આ જાતિવાદી લુખ્ખા તત્વોએ વરરાજા અને તેમના પરિવારજનોને જાતિસૂચક ગાળો બોલીને ‘તમે નીચી જાતિના છો, તમે ગામમાંથી વરઘોડો ના કાઢી શકો’ એમ હડધૂત કરીને હુમલો કરતા જાનમાં અફડાતફડી મચી ગઈ હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b77d94ce489.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b77d9731c7d.jpg" alt=""><span style="font-size: 14pt;">બીજી તરફ આ સમગ્ર ઘટનાની જાણ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના યુવા એકવોકેટ કૌશિકભાઈ પરમારને થતા તેમણે તાત્કાલિક મહેસાણા એસ.પી., ક્રાઈમ બ્રાન્ચ સહિતના લાગતા વળગતા પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. આથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ધનપુરામાં ઉતરી પડતા જાતિવાદી તત્વો ભાગી છુટ્યાં હતા. એ પછી પોલીસની હાજરીમાં ફરી ઘોડી મંગાવીને વરરાજા રાહુલભાઈનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં એડવોકેટ કૌશિકભાઈ પરમારની કામગીરીની પ્રશંસા કરવી પડે, તેમની સમાજ પ્રત્યેની નિષ્ઠા, પ્રતિબદ્ધતાને કારણે પોલીસ સમયસર અહીં પહોંચી શકી હતી અને મામલો થાળે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દર વર્ષે લગ્નની સિઝનમાં દલિત વરરાજાના વરઘોડા પર હુમલાના બનાવો બને છે પરંતુ કથિત મુખ્યધારાનું મીડિયા તેને જરાય ગંભીરતાથી લેતું નથી. જાતિવાદી તત્વોને છાવરવાની મીડિયાની આ માનસિકતાને કારણે ચોથી જાગીર પર દલિત-પીડિત, શોષિત સમાજનો તેના પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. હાલ સમગ્ર ગામ પોલીસ સુરક્ષા હેઠળ હોવા છતાં કથિત મુખ્યધારાના મીડિયામાં તેની ગંભીરતા જરાય દેખાતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો :  </span></strong></span><a href="https://khabarantar.com/Wind-of-change:-Amreli-bride-and-groom-get-married-under-constitution-witness"><strong><span style="font-size: 14pt;">પરિવર્તનનો પવનઃ અમરેલીમાં વર-કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા!</span></strong></a></p>
<p><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com </strong></span><strong><span lang="GU"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>.</span> </strong><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a><o:p></o:p></p>
<p class="MsoNormal"><span lang="EN-US"><o:p> </o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 29 Jan 2024 16:05:21 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 29 Jan 2024 17:33:12 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>301</Articleid>
                    <excerpt>ગુજરાતમાં જાતિવાદી તત્વોને જાણે કાયદો-વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેમ વર્તી રહ્યાં છે. ગઈકાલે મહેસાણાના ધનપુરામાં ગામમાં દલિત યુવાનનો વરઘોડો જાતિવાદીઓએ રોકીને હુમલો કર્યો હતો. વાંચો સમગ્ર અહેવાલ વિસ્તારથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65b77d2ea1145.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b77d2e6d2df.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b77d2e6d2df.jpg" length="102390" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કલોલના ડીંગુચા ગામે દાખલો બેસાડ્યો, પ્રજાસત્તાક દિને દલિત દીકરીના હાથે ધ્વજવંદન કરાવ્યું</title>
                    <link>https://khabarantar.com/Kalols-Dingucha-village-sets-example,-flag-hoisted-by-Dalit-daughter-on-Republic-Day</link>
                    <guid>https://khabarantar.com/Kalols-Dingucha-village-sets-example,-flag-hoisted-by-Dalit-daughter-on-Republic-Day</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદીનું જોર દિવસેને દિવસે ઘટવાને બદલે વધતું જઈ રહ્યું છે ત્યારે કલોલ તાલુકાના એનઆરઆઈ ગામ તરીકે જાણીતા ડીંગુચા ગામના વડીલોએ સાસરિયે રહેલી એક દલિત દીકરીને આમંત્રણ આપીને ખાસ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે બોલાવી હતી. તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે. વાંચો સમગ્ર અહેવાલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીનગર પાસે આવેલું કલોલ તાલુકાનું ડીંગુચા ગામ હમણાં વિદેશ જવાની ઘેલછાના કારણે સમાચારોમાં ચમક્યું હતું. જો કે પ્રજાસત્તાક દિવસે અહીંની એક શાળામાં એક સરસ પરંપરા છે. જેમાં દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોના દિવસે ગામની જ કોઈ પૂર્વ હોંશિયાર અને સફળ દીકરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને આ વખતે એક દલિત દીકરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીંગુચા ગામની પ્રાથમિક શાળામાં આ પરંપરા છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલે છે. જેમાં દર વર્ષે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ પાસે ધ્વજવંદન કરાવવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, તેમાં દીકરી ક્યા સમાજની છે તે નહીં, પણ તે કેવો અને કેટલો સંઘર્ષ કરીને અભ્યાસમાં આગળ વધી છે તે ધ્યાનમાં લેવાય છે. એટલે જ અહીં અત્યાર સુધીમાં દલિત, વાલ્મિકીથી લઈને દરેક સમાજની પ્રતિભાશાળી દીકરીઓ ધ્વજવંદન કરાવી ચૂકી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b539a57e1bf.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષે ધ્વજવંદન માટે સર્વાનુમતે ખુશ્બુ અમૃતભાઈ વાઘેલાનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. ખુશ્બૂ એક મધ્યમવર્ગીય દલિત પરિવારમાંથી આવે છે. તે ડીંગૂચાની આ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. તેણે માસ્ટર ડિગ્રી સાથે કોમ્પ્યૂટરનું શિક્ષણ લઈને તેના પરિવારે જે સંઘર્ષ કર્યો હતો તેનું સફળ પરિણામ આપ્યું હતું. ખુશ્બુ શાળાના દિવસોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ આગળ રહેતી હતી. તેણે દરેક કાર્યક્રમોમાં ભાગ લઈને શાળાની પ્રવૃત્તિઓને વેગ આપવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ખુશ્બુની આ તમામ લાયકાતોને ધ્યાને લઈને શાળાએ તેને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ખાસ તેના સાસરેથી આમંત્રિત કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીંગુચાની પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ પટેલને જ્યારે અમે સવાલ કર્યો કે ગામડાઓમાં જ્યાં જાતિવાદ કાયમ ટોચ ઉપર હોય છે ત્યાં એક દલિત સમાજની દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવ્યું તો તમને કોઈના વિરોધનો સામનો કરવો પડ્યો? તો જયેશભાઈએ જણાવ્યું કે “ના હજુ સુધી આવો કોઈ અનુભવ થયો નથી. અમે દર વર્ષે ધ્વજવંદન ગામની કોઈને કોઈ એવી દીકરીના હાથે કરાવીએ છીએ જે બીજી દીકરીઓને પ્રેરણા પુરી પાડે. આવી દીકરીઓને ધ્વજવંદન કરતી જોઈને કે તેનું સન્માન થતું જોઈને જે દીકરીઓ અભ્યાસ છોડી દેવાનું વિચારતી હોય અથવા અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય તેને ભણવાની પ્રેરણા મળે છે. સાથે જ આ કાર્યક્રમથી એવા માતાપિતાને પણ પ્રોત્સાહન મળે છે જેઓ એમ વિચારતા હોય કે દીકરીને ભણાવીને શું કામ છે? સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આપણા બંધારણના ઉદ્દેશ્યને બાળકો આ ઉંમરે સમજે અને અનુસરે તે આશયથી અમે લગભગ દરેક સમાજની સફળ દીકરીઓને બોલાવીને તેમને અવારનવાર આવા સન્માન આપતા હોઈએ છીએ. જ્યાં પ્રતિભા અને પ્રેરણામૂર્તિ શોધવાની વાત આવે ત્યાં અમે તેની જાતિને વચ્ચે લાવતા નથી. એક શિક્ષક તરીકે એ જ તો અમારી ફરજ છે.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b539a4ebd04.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જયેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, “તમે દલિત દીકરીના હાથે ધ્વજવંદનના વિરોધની આશંકા જતાવો છો, પણ અહીં તો રાષ્ટ્રીય તહેવાર આખા ગામનો સહિયારો તહેવાર હોય છે. જેમાં પાટીદારથી લઈને વાલ્મિકી સુધીના દરેક સમાજના વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલો હરખથી ભાગ લેતા હોય છે. દીકરી ખુશ્બૂ વાઘેલા દ્વારા કરતા ધ્વજવંદન પ્રસંગે ગામના સરપંચ મથુરજી ઠાકોર અને પાટીદાર અગ્રણી કાંતિભાઈ બાપુએ પણ હાજરી આપી હતી અને તેમના હસ્તે ટ્રોફી આપી દીકરીને સન્માનિત કરવામાં આવી હતી. આ રીતે ગામના છેવાડાના પરિવારોની દીકરીઓ પણ ખુશ્બુ જેવી દીકરીઓને જોઈને તેમાંથી પ્રેરણા મેળવી ભણે-ગણે અને આગળ વધે તેવી શુભેચ્છાઓ અમે દીકરીઓને આપીએ છીએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અહેવાલ - જીતેન્દ્ર વાઘેલા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/He-said-that-if-the-village-eats,-then-you-too-should-come-to-eat-the-way-you-have-always-come.-Now-means-forever"><strong><span style="font-size: 14pt;">એમણે કહ્યું કે ગામ જમે છે તો તમે પણ ‘કાયમ આવો છો એ રીતે’ જમવા આવજો. હવે કાયમની જેમ એટલે?</span></strong></a></p>
<p><span style="color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com </strong></span><strong><span lang="GU"><span style="color: rgb(186, 55, 42);">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>.</span> </strong><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a><o:p></o:p></p>
<p class="MsoNormal"><span lang="EN-US"><o:p> </o:p></span></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 28 Jan 2024 12:43:11 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 29 Jan 2024 10:47:19 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>300</Articleid>
                    <excerpt>જાતિવાદીનું જોર દિવસેને દિવસે ઘટવાને બદલે વધતું જઈ રહ્યું છે ત્યારે કલોલ તાલુકાના એનઆરઆઈ ગામ તરીકે જાણીતા ડીંગુચા ગામના વડીલોએ સાસરિયે રહેલી એક દલિત દીકરીને આમંત્રણ આપીને ખાસ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે બોલાવી હતી. તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે. વાંચો સમગ્ર અહેવાલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65b539a63cd9c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b539a5f2d82.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b539a5f2d82.jpg" length="102895" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>જો બાબાસાહેબ મારા દાદાને ઔરંગાબાદ ન લાવ્યા હોત તો હું આજે આ જજની ખુરશી પર ન બેઠો હોત &amp; જસ્ટિસ પ્રસન્ના</title>
                    <link>https://khabarantar.com/If-Babasaheb-had-not-brought-my-grandfather-to-Aurangabad,-I-would-not-be-sitting-on-this-judges-chair-today---Justice-Prasanna</link>
                    <guid>https://khabarantar.com/If-Babasaheb-had-not-brought-my-grandfather-to-Aurangabad,-I-would-not-be-sitting-on-this-judges-chair-today---Justice-Prasanna</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણો બાદ કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાળે જસ્ટિસ પ્રસન્ના વારાલેની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક કરી દીધી છે. આ સાથે જ સુપ્રીમમાં દલિત સમાજના જજોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. જસ્ટિસ પ્રસન્નાના દાદાને ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે ખાસ સંબંધ હતો. એટલે તેમણે જાહેરમાં ડૉ. બાબાસાહેબને યાદ કરીને ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા. વાંચો કોણ છે જસ્ટિસ પ્રસન્ના અને કેવો રહ્યો છે તેમનો જજ તરીકેનો કાર્યકાળ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણો બાદ કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાળે 24મી જાન્યુઆરી 2024ના રોજ જસ્ટિસ પ્રસન્ના વારાલેની નિયુક્તિને લીલી ઝંડી આપી દીધી. કેન્દ્રીય કાયદામંત્રીએ એક્સ પર એક પોસ્ટમાં આ જાણકારી આપી હતી. જસ્ટિસ પ્રસન્ના કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ રહ્યાં છે. તેમની નિયુક્તિ સાથે જ ડિસેમ્બર 2023માં જસ્ટિસ સંજય કિશન કૌલની નિવૃત્તિ બાદ ખાલી પડેલી જગ્યા ભરાઈ ગઈ છે. આ સાથે જ પહેલીવાર એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટમાં એક સાથે ત્રણ દલિત જજો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ,  જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ પ્રસન્ના ભાલચંદ્ર વારાલે એમ ત્રણ જસ્ટિસ થયા. જસ્ટિસ ગવઈ વરિષ્ઠતાના ધોરણે ભારતના મુખ્ય ન્યાયાધીશ બનવાની લાઇનમાં છે. અહીં આપણે નવનિયુક્ત જસ્ટિસ પ્રસન્ના વારાલે વિશે વિસ્તારથી જાણીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">1962માં જન્મ</span></strong></span><br><span style="font-size: 14pt;">જસ્ટિસ વારાલેનો જન્મ વર્ષ 1962માં કર્ણાટકના નિપાણીમાં થયો હતો. આ સ્થળ મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું છે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠા યુનિવર્સિટીમાંથી આર્ટ્સ અને કાયદાનો અભ્યાસ કર્યો હતો. એ પછી વર્ષ 1985માં વકીલાતમાં દાખલ થયા. તેમણે પોતાની કરિયરની શરૂઆતમાં તેમણે એડવોકેટ એસ.એન. લોયાની ચેમ્બર જોઈન કરી હતી. અહીંયા તેમણે સિવિલ અને ક્રિમિનલ લૉની પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ વર્ષ 1990-92 દરમિયાન ઔરંગાબાદની ડૉ. આંબેડકર લૉ કૉલેજમાં લેક્ચરર પણ રહ્યાં. તેમણે ઔરંગાબાદમાં બોમ્બે હાઈકોર્ટ બેંચમાં સહાયક સરકારી વકીલ અને એડિશનલ સરકારી વકીલ તરીકે કામ કર્યું. 18 જુલાઈ 2008ના રોજ તેમણે બોમ્બે હાઈકોર્ટના ન્યાયધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b533881e80e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ</span></strong><br><span style="font-size: 14pt;">જસ્ટિસ પ્રસન્ના બી. વારાલે ઓક્ટોબર 2022થી કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. અહીંયા તેમને જનહિતના અનેક મામલાઓમાં સ્પષ્ટ બંધારણીય ચૂકાદાઓ માટે ઓળખવામાં આવે છે. કર્ણાટક હાઈકોર્ટના વકીલો તેમને જમીન સાથે જોડાયેલા અને સામાન્ય માણસના હિતમાં કામ કરતી વ્યક્તિ માને છે. કર્ણાટક હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા પહેલા જસ્ટિસ પ્રસન્નાએ બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે 14 વર્ષ સુધી સેવાઓ આપી છે. બોમ્બે હાઈકોર્ટના ન્યાયધીશ તરીકે તેમની અધ્યક્ષતાવાળી પીઠોએ જનહિતમાં જાતે સંજ્ઞાન લઈને મામલાઓ શરૂ કર્યા હતા. જેમાં ડૉ. આંબેડકરના લેખન અને ભાષણોને પ્રકાશિત કરવાની એક રોકાયેલી પરિયોજના પરની જાહેરહિતની અરજી પણ સામેલ હતી. જસ્ટિસ વારાલેની અધ્યક્ષતાવાળી પીઠે જાન્યુઆરી 2022માં સ્વયં સંજ્ઞાન અરજી પણ શરૂ કરી, જેમાં જોખમી હોડીની સવારીને લઈને એક સમાચાર રિપોર્ટનું પણ સંજ્ઞાન લેવામાં આવ્યું, જેને મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ખિરખાંડી ગામની છોકરીઓએ પોતાની સ્કૂલ સુધી પહોંચવા માટે દરરોજ કરવું પડતું હતું. બેંચે સરકારને કહ્યું કે તે રાજ્યમાં આ પ્રકારની દુર્દશાનો સામનો કરી રહેલા શાળાના વિદ્યાર્થીઓને મદદ પહોંચાડે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b53388c288d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">યાદો પણ શેર કરી </span></strong><br><span style="font-size: 14pt;">બોમ્બે બાર એસોસિએશનમાં 12 ઓક્ટોબર 2022ના રોજ પોતાના વિદાય સમારંભમાં જસ્ટિસ વારાલેએ કહ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે મારો જન્મ એક એવા પરિવારમાં થયો, જેના પર ડૉ. આંબેડકરના આશીર્વાદ છે. તેમણે કહ્યું કે તેમના દાદાને બાબાસાહેબ ઔરંગાબાદ(હવે છત્રપતિ સંભાજીનગર) લઈ ગયા હતા. તેમને એ કોલેજના અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જેને ડૉ. આંબેડકરે ત્યાં શરૂ કરી હતી. જસ્ટિસ પ્રસન્નાએ એ દરમિયાન કહ્યું હતું કે, જો આંબેડકર ના હોત અંતરિયાળ વિસ્તારમાં રહેતા તેમના દાદા કદી ઔરંગાબાદ ન પહોંચી શકત. જો એવું ન થાત તો પછી એવું એ પણ શક્ય ન બનત કે તેમની આગામી પેઢીનો કોઈ માણસ કદી કાયદાના વ્યવસાયમાં આવત અને હાઈકોર્ટના જજની ખુરશી પર બેસત. જસ્ટિસ વારાલેએ એ પણ જણાવ્યું કે, ડૉ. આંબેડકરે તેમના પિતા ભાલચંદ્ર વારાલેને કાયદાના વ્યવસાયમાં આવવાની સલાહ આપી હતી. ભાલચંદ્ર વારાલે અનેક કોર્ટમાં ન્યાયિક અધિકારી બન્યાં અને બાદમાં બોમ્બે હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર પણ બન્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો</span></strong> :<strong> <a href="https://khabarantar.com/A-true-republic-is-one-where-the-constitutional-provisions-and-their-implementation-reach-the-last-people-of-the-country">દેશના અંતિમ જન સુધી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ પહોંચે તે જ સાચું પ્રજાસત્તાક</a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 28 Jan 2024 08:30:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>299</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણો બાદ કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાળે જસ્ટિસ પ્રસન્ના વારાલેની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક કરી દીધી છે. આ સાથે જ સુપ્રીમમાં દલિત સમાજના જજોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. જસ્ટિસ પ્રસન્નાના દાદાને ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે ખાસ સંબંધ હતો. એટલે તેમણે જાહેરમાં ડૉ. બાબાસાહેબને યાદ કરીને ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા. વાંચો કોણ છે જસ્ટિસ પ્રસન્ના અને કેવો રહ્યો છે તેમનો જજ તરીકેનો કાર્યકાળ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65b53387a7626.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b53387693c9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b53387693c9.jpg" length="59423" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આજે અમદાવાદમાં ‘દલિત ચેતના’ કાર્યક્રમમાં પાંચ દિગ્ગજ કવિઓ પોતાની રચનાઓ રજૂ કરશે</title>
                    <link>https://khabarantar.com/Five-legendary-poets-will-present-their-works-in-the-Dalit-Chetana-program-in-Ahmedabad-today</link>
                    <guid>https://khabarantar.com/Five-legendary-poets-will-present-their-works-in-the-Dalit-Chetana-program-in-Ahmedabad-today</guid>
                    <description>
                        <![CDATA[ આજે અમદાવાદમાં ‘દલિત ચેતના’ શીર્ષક હેઠળ દિગ્ગજ દલિત કવિઓના કાવ્યપાઠનો કાર્યક્રમ યોજવાનો છે. સવાયા દલિત કવિ-લેખક પ્રવીણ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં પાંચ દિગ્ગજ દલિત કવિઓ પોતાની કવિતાઓનું પઠન કરશે. શું છે આ કાર્યક્રમ વાંચો આ અહેવાલમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">અમદાવાદમાં આજે દલિત ચેતના શીર્ષક હેઠળ દલિત કવિતાઓના કાવ્યપાઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલય, સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં પાંચ દિગ્ગજ દલિત કવિઓ પોતાની રચનાઓનું પઠન કરશે. આ કાર્યક્રમના અધ્યક્ષપદે સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ-સાહિત્યકાર અને સવાયા દલિત કવિ-લેખક તરીકે જાણીતા પ્રવીણ ગઢવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.</span></strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહમાં આજે તારીખ 24મી જાન્યુઆરી 2024ની સાંજે 5.30 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં આત્મારામ ડોડિયા, અરવિંદ વેગડા, સાહિલ પરમાર, પુરૂષોત્તમ જાદવ અને રમણ વાઘેલા જેવા દિગ્ગજ દલિત કવિઓ પોતાની રચનાઓનું પઠન કરશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65aff7304b35e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આ કાર્યક્રમને દલિત ચેતના નામ અપાયું છે અને તેની તાસીર પ્રમાણેના જ કવિઓને તેમાં આમંત્રિત કરાયા છે. સાહિલ પરમાર અને પુરૂષોત્તમ જાદવ તેમની તેજાબી દલિત કવિતાઓ માટે જાણીતા છે. જ્યારે આત્મારામ ડોડીયા, અરવિંદ વેગડા અને રમણ વાઘેલા તેમની સંવેદનશીલ કવિતાઓને લઈને દલિત કવિતાજગતમાં આગવું સ્થાન ધરાવે છે. આ તમામ કવિઓની પોતાની નોખી શૈલી અને અદા છે ત્યારે આ બધાને એકમંચ પર સાંભળવા એ દલિત કવિતાના ચાહકો માટે પણ એક યાદગાર સંભારણું બની રહેશે. આ કાર્યક્રમને લઈને દલિત સાહિત્યના ચાહકોમાં ભારે ઉત્તેજનાનો માહોલ છે અને તેમાં મોટી સંખ્યામાં દલિત કવિઓ, લેખકો અને સાહિત્યકારો ઉમટી પડશે તે નક્કી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/When-I-was-young,-my-father-took-me-to-see-the-film-Gandhi,-which-I-had-to-sit-down-to-watch-because" target="_blank" rel="noopener"><span style="color: rgb(9, 15, 244);">નાનો હતો ત્યારે પિતાજી મને ‘ગાંધી’ ફિલ્મ જોવા લઈ ગયા હતા, જે મારે નીચે બેસીને જોવી પડી હતી કેમ કે...</span></a><br></span></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 24 Jan 2024 10:05:43 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>290</Articleid>
                    <excerpt>આજે અમદાવાદમાં ‘દલિત ચેતના’ શીર્ષક હેઠળ દિગ્ગજ દલિત કવિઓના કાવ્યપાઠનો કાર્યક્રમ યોજવાનો છે. સવાયા દલિત કવિ-લેખક પ્રવીણ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં પાંચ દિગ્ગજ દલિત કવિઓ પોતાની કવિતાઓનું પઠન કરશે. શું છે આ કાર્યક્રમ વાંચો આ અહેવાલમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65aff73120bf7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65aff730d6e80.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65aff730d6e80.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>નાનો હતો ત્યારે પિતાજી મને ‘ગાંધી’ ફિલ્મ જોવા લઈ ગયા હતા, જે મારે નીચે બેસીને જોવી પડી હતી કેમ કે...</title>
                    <link>https://khabarantar.com/When-I-was-young,-my-father-took-me-to-see-the-film-Gandhi,-which-I-had-to-sit-down-to-watch-because</link>
                    <guid>https://khabarantar.com/When-I-was-young,-my-father-took-me-to-see-the-film-Gandhi,-which-I-had-to-sit-down-to-watch-because</guid>
                    <description>
                        <![CDATA[ દક્ષિણ ભારતીય સિનેમામાં સૌથી વધુ અર્થપૂર્ણ ફિલ્મો મલયાલમ ભાષામાં બને છે. દેશના સૌથી શિક્ષીત આ રાજ્યમાંથી એક દલિત વ્યક્તિ કે જે વ્યવસાયે ડૉક્ટર છે, છતાં ફિલ્મલાઈનમાં આવ્યા અને ત્રણ નેશનલ ઍવોર્ડ મેળવ્યાં તેની કહાની સ્વાભાવિક રીતે જ સંઘર્ષભરી હોવાની. અહીં ડૉ. બીજુની ડૉક્ટરથી ફિલ્મમેકર બનવાની કહાની તેમના જ શબ્દોમાં રજૂ કરીએ છીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજુ (બીજુકુમાર દામોદરણ) એ ભારતીય સિનેમામાં મલયાલમ ભાષાના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ દિગ્દર્શક છે. વર્ષ ૨૦૧૪માં તેમની ફિલ્મ Perariyathavar (Names Unknown)ને કુલ બે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા હતા, જેમાં Best Film on Environment Conservation/Preservation અને Best Actor ની શ્રેણીનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૫માં આવેલી તેમની ફિલ્મ Valiya Chirakula Pakshikal (Birds With Large Wings)ને પણ Best Film on Environment Conservation/Preservation ની શ્રેણીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ ફિલ્મનો વિષય એક કુદરતી હોનારત પર આધારિત હતો. જેમાં વર્ષ ૧૯૭૬ થી ૨૦૦૦ દરમિયાન કેરળમાં એન્ડોસલ્ફાઈન પેસ્ટીસાઈડના વપરાશના કારણે ૫૦,૦૦૦ કરતાં વધુ ગામડાંઓમાં તેની આડઅસર થઇ હતી, અને તેનાં કારણે પુરુષો, મહિલાઓ, બાળકો, માછલીઓ, દેડકાં અને પાલતુ પ્રાણીઓનાં મૃત્યુ થયાં હતાં. અહીં આપણે ડૉ. બીજુના જીવન અને તેમના સંઘર્ષ વિશે માંડીને વાત કરીશું. પ્રસ્તુત છે ડૉ. બીજુના જીવન અને તેમના સંઘર્ષ વિશેની વાત તેમના જ શબ્દોમાઃ</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65ad112a774e6.jpg" alt=""><span style="font-size: 14pt;">“હું કેરળના ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું. મારા પિતા સરકારી કર્મચારી હતા અને ક્લાર્ક તરીકે કાર્ય કરતા હતા. મારા માતાપિતાને સિનેમા સાથે કોઈ સંબંધ નહોતો અને ફિલ્મમેકિંગના ક્ષેત્રમાં ભવિષ્ય કેવું છે તે અંગે પણ તેઓને કોઈ ખ્યાલ નહોતો, છતાં પણ તેમણે મને ક્યારેય નિરાશ કર્યો નથી અને ફિલ્મ બનાવતી વખતે મને ખૂબ મદદ કરી છે. મને યાદ છે કે બાળપણમાં મારા પિતા મને રિચાર્ડ એટેનબરોની ફિલ્મ ‘ગાંધી’ જોવા લઇ ગયા હતા. મારે આ ફિલ્મ નીચે બેસીને જોવી પડી હતી કારણ કે હું એક દલિત પરિવારમાંથી આવું છું અને માત્ર ઉચ્ચ વર્ગના લોકો જ ખુરશીમાં બેસીને ફિલ્મ જોઈ શકતા હતા.”</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65ad112a04ea5.jpg" alt=""><span style="font-size: 14pt;">“મને બાળપણથી જ વાંચનની એક સારી આદત હતી અને મને યાદ છે ત્યાં સુધી હું ચોથા ધોરણમાં હતો ત્યારે હું મારા ઘર પાસેના એક પુસ્તકાલયનો સભ્ય બન્યો હતો અને દરરોજ એક પુસ્તક લાવીને વાંચતો હતો. મેં મારા શાળાકીય સમયમાં જ ઘણાં બધા મલયાલમ લેખકોને વાંચી લીધા હતા. એક સમયમાં મારી પાસે આસપાસના ગામડાંઓમાં થઈને કુલ છ પુસ્તકાલયોનું સભ્યપદ હતું. પુસ્તકો અને વાંચન થકી મેં મારી આસપાસના વિશ્વને જાણ્યું છે. હું કોલેજમાં આવ્યો ત્યાં સુધી મેં માત્ર વ્યવસાયિક મલયાલમ ફિલ્મો જ જોઈ હતી અને જ્યારે હું ઉચ્ચ શિક્ષણ માટે ત્રિવેન્દ્રમ આવ્યો ત્યારે તે સમયે ત્યાં The Kerala International Film Festivalનું આયોજન કરવામાં આવ્યું હતું. મેં ત્યાં ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી ઈરાનિયન અને ટર્કીશ ફિલ્મો જોઈ અને મને એ વાતનો અનુભવ થયો કે આ તમામ ફિલ્મો મલયાલમ ફિલ્મો કરતાં ખૂબ અલગ હતી અને તેમાં રાજકીય, સામાજિક અને કાવ્યાત્મક દ્રષ્ટિકોણ રહેલો હતો. ઈરાનિયન સિનેમાએ મારા મન પર ખૂબ ઊંડી અસર કરી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“હું વ્યવસાયે હોમિયોપેથી ડૉક્ટર છું. પહેલા હું ડૉક્ટર બન્યો અને ત્યાર બાદ ફિલ્મમેકિંગના વ્યવસાયમાં આવ્યો. હું માનું છું કે ફિલ્મમેકિંગ એ કમાણી કરવા માટેનો વ્યવસાય નથી પરંતુ એ એક પ્રકારનો જુસ્સો (Passion) છે. હું જે ક્ષણે એવું વિચારીશ કે મારે ફિલ્મમેકિંગ થકી કમાણી કરવી છે તે ક્ષણે હું મારી વિચારધારા અને મારા સામાજિક દ્રષ્ટિકોણને ગુમાવી બેસીશ. મને મારા ડૉકટરના વ્યવસાય થકી જે કમાણી થાય છે તેનાથી હું સંતુષ્ટ છું અને એટલે જ મને ફિલ્મ બનાવતી વેળાએ વિવિધ વિષયો પસંદ કરવાની અને તેને ન્યાય આપવાની આઝાદી મળે છે.”</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65ad112987875.jpg" alt=""><span style="font-size: 14pt;">“હાલ હું એક સરકારી નોકરી કરું છું અને તેની સાથે સમય કાઢીને ફિલ્મો બનાવું છું. મારું માનવું છે કે આપણા દેશમાં કેટલાય લોકો ફૂટપાથ પર રહે છે, છતાં આપણે ૧૦૦ કરોડની ફિલ્મો કેમ બનાવીએ છીએ? આ લોકોને સરકાર તરફથી પણ કોઈ મદદ મળતી નથી અને મુખ્ય પ્રવાહનું મીડિયા પણ આ પ્રકારના મુદ્દાઓને પ્રકાશમાં લાવતું નથી. મારા મત મુજબ એક કલાકાર હંમેશાં સમાજ તરફી હોવો જોઈએ અને તેણે તેના કાર્યમાં સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને મારી પણ આ જ વિચારધારા છે. છેલ્લાં પાંચ-છ વર્ષમાં મેં ઘણું બધું વૈશ્વિક સિનેમા જોયું છે અને દર વર્ષે હું આશરે ૧૦ જેટલાં ફિલ્મ ફેસ્ટિવલમાં મારી ફિલ્મ સાથે અથવા એક જ્યુરી તરીકે હાજરી આપું છું અને આ સાથે મેં વિશ્વભરના ફિલ્મ દિગ્દર્શક સાથે ઘણો સારો સંબંધ વિકસાવ્યો છે. મારા પ્રિય ફિલ્મમેકરમાં સાઉથ કોરિયન દિગ્દર્શક કિમ કી ડુક અને ઈરાનિયન ફિલ્મ દિગ્દર્શક માજીદ મજીદી અને સાથે રોમન પોલાન્સકી પણ સામેલ છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“કેરળમાં ઘણાં બધાં લોકોને મારી ફિલ્મો વિષે કોઈ ખ્યાલ નથી અને મારી ફિલ્મો તેઓએ જોઈ પણ નથી, કારણ કે કેરળના થિયેટરોમાં આ પ્રકારની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવતી નથી અને સાથે The Kerala International Film Festival માં પણ અત્યાર સુધી મારી કોઈ પણ ફિલ્મને યોગ્ય ન્યાય મળ્યો નથી. મારી તમામ ફિલ્મોને વૈશ્વિક સ્તરે ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી ખ્યાતિ મળી છે. આપણા દેશમાં કેરળ સિવાય અન્ય રાજ્યોમાં પણ મારી ફિલ્મોની જે-તે ફિલ્મ સમીક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. મેં અત્યાર સુધી કુલ છ ફિલ્મો બનાવી છે અને આ તમામ ફિલ્મોને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. મેં ફિલ્મ બનાવવા માટેનું કોઈ પ્રકારનું શિક્ષણ મેળવ્યું નથી અને માત્ર ફિલ્મ્સ જોઈ અને તેનો અનુભવ કરીને હું ફિલ્મમેકર બન્યો છું.”</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65ad112905720.jpg" alt=""><span style="font-size: 14pt;">“મારી પ્રથમ ફિલ્મ બનાવતી વખતે મેં મારા જીવનમાં સૌપ્રથમ વખત ફિલ્મ શૂટિંગ કેમેરા જોયો હતો. મેં મારી પ્રથમ ફિલ્મ ‘Saira’ ૧૬ લાખના બજેટમાં બનાવી હતી અને આ ફિલ્મ માટે હું લગભગ ૬૦ નિર્માતાઓને મળ્યો હતો. પણ તે તમામ લોકોએ મારી ફિલ્મ અને તેના વિષયને નકારી કાઢ્યા હતા. મારા મત પ્રમાણે સિનેમાનું સમાજમાં ઘણું મોટું યોગદાન રહેલું છે પણ આજકાલ આપણે ફિલ્મોને માત્ર મનોરંજન માટે જ બનાવીએ છીએ. પરંતુ ફિલ્મોમાં એ પ્રકારનો સામાજિક દ્રષ્ટિકોણ અને મુદ્દાઓ હોવા જોઈએ કે જેને ભવિષ્યમાં પણ ચર્ચા માટેનું યોગ્ય સ્થાન મળી રહે. કોઈપણ ફિલ્મ પર ક્યારેય પ્રતિબંધ મૂકવો જોઈએ નહિ અને દરેક ફિલ્મમેકરને તેની અનુકૂળતા મુજબની ફિલ્મ બનાવવા માટેની આઝાદી હોવી જોઈએ, એ પછી દર્શક પર એ વાત છોડવી જોઈએ કે તેમને જે-તે વિષય આધારિત ફિલ્મો જોવી કે નહિ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“મારી પ્રથમ ત્રણ ફિલ્મોને “Terror Trilogy” તરીકે ઓળખવામાં આવે છે. જેમાં Saira (2005), Raman (2008) અને The Way Back Home (2010) નો સમાવેશ થાય છે. મારી ફિલ્મોમાં સામાજિક મુદ્દાઓ જોવા મળે છે કારણ કે હું એક પછાત સમાજમાંથી આવું છું અને આ પ્રકારના સામાજિક મુદ્દાઓને મેં નજર સામે જોયા અને અનુભવ્યા છે. આપણને જ્યારે પણ કોઈ પ્રકારની અન્ય સગવડો પ્રાપ્ત થાય ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે આપણા દેશમાં અને દુનિયામાં એવા ઘણાં લોકો છે કે જેમને આ પ્રકારની કોઈ સુવિધાઓ મળતી નથી. માટે જ્યારે આપણે કશુંક પ્રાપ્ત કરીએ ત્યારે આપણે તે અન્ય લોકોને પણ કશું આપવું જોઈએ અને એ જ મારી વિચારધારા છે.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફિલ્મમેકર ડૉ. બીજુની અન્ય ફિલ્મો અદ્રશ્ય જલકંગલ, સ્થલમ, પેઈન્ટિંગ લાઈફ, સાઉન્ડ ઓફ સાયલન્સ વગેરે છે. તેઓને અત્યાર સુધીમાં કુલ 3 નેશનલ એવોર્ડ મળ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>નિલય ભાવસાર</strong></span> <strong><em>(લેખક વ્યવસાયે પત્રકાર અને અર્થપૂર્ણ ફિલ્મો જોવાના શોખીન છે.)</em></strong></span><span style="font-size: 14pt;"><strong><em></em></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Kaala---The-roar-of-Dalit-identity-presented-on-the-cinema-screen"><span style="color: rgb(9, 15, 244);">Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના</span></a><br></strong></span></p>
<div class="post-text">
<p style="text-align: justify;"><strong><span><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span style="font-size: 14pt;"> </span></span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો.</span></a></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 23 Jan 2024 09:48:27 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 12 Nov 2024 08:56:42 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>284</Articleid>
                    <excerpt>દક્ષિણ ભારતીય સિનેમામાં સૌથી વધુ અર્થપૂર્ણ ફિલ્મો મલયાલમ ભાષામાં બને છે. દેશના સૌથી શિક્ષીત આ રાજ્યમાંથી એક દલિત વ્યક્તિ કે જે વ્યવસાયે ડૉક્ટર છે, છતાં ફિલ્મલાઈનમાં આવ્યા અને ત્રણ નેશનલ ઍવોર્ડ મેળવ્યાં તેની કહાની સ્વાભાવિક રીતે જ સંઘર્ષભરી હોવાની. અહીં ડૉ. બીજુની ડૉક્ટરથી ફિલ્મમેકર બનવાની કહાની તેમના જ શબ્દોમાં રજૂ કરીએ છીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6732ca8ee9c10.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732ca8eb0bc9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6732ca8eb0bc9.jpg" length="68016" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM&amp;A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!</title>
                    <link>https://khabarantar.com/This-Bahujan-youth-who-used-to-wire-the-house-at-one-time-has-clients-like-IIM-A,-AMUL,-Indian-Railway</link>
                    <guid>https://khabarantar.com/This-Bahujan-youth-who-used-to-wire-the-house-at-one-time-has-clients-like-IIM-A,-AMUL,-Indian-Railway</guid>
                    <description>
                        <![CDATA[ પહેલી નજરે કોઈ પરીકથા જેવી લાગતી આ કહાની સો ટકા સાચી છે. દલિત સમાજનો એક યુવાન કિશોરાવસ્થામાં ભણતરનો ખર્ચ ઉઠાવવા ઘરોનું વાયરિંગ કરી આપતો હતો. પણ તેને તો પોતાનો બિઝનેસ કરવો હતો. સફર આસાન નહોતી, પણ સ્વયં પર વિશ્વાસ અને મહેનત કરવાની તૈયારી હતી, જે આખરે રંગ લાવી. આજે IIM અમદાવાદ, અમૂલ અને ઈન્ડિયન રેલવે જેવી દિગ્ગજ કંપનીઓ તેની ગ્રાહક છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>Khabarantar.com</strong></span> ના સમાજલક્ષી અનેક ઉદ્દેશ્યો પૈકીનો એક મહત્વનો ઉદ્દેશ્ય બહુજન સમાજના યુવાનોને બિઝનેસ માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. અનુભવે એટલું સમજાયું છે કે, સામાન્ય રીતે આપણાં યુવાનોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે બિઝનેસ કરવું આપણું કામ નહીં, એ તો સવર્ણો જ કરી શકે. એટલે જ અહીં સમયાંતરે બહુજન સમાજના એવા ઉદ્યોગસાહસિકોની સફળતાની વાત માંડીશું, જેમણે આ માન્યતાને તોડી પાડીને સફળતાના શિખરો સર કર્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા જ એક સફળ ઉદ્યોગસાહસિક એટલે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા ડભોઈના મહેન્દ્રભાઈ સોલંકી. એક સમયે હાઉસ વાયરિંગના નાનામોટા કામ કરતા મહેન્દ્રભાઈ સોલંકી આજે પોતાનો ઍર વેન્ટિલેટરનો બિઝનેસ ધરાવે છે અને અનેક લોકોને રોજગારી પુરી પાડે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a6c14150007.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજમાંથી આવતા મહેન્દ્રભાઈને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ભણતી વખતે પણ શાળા અને ઘરખર્ચ કાઢવા માટે કમાવું પડતું હતું. અભ્યાસ દરમિયાન જ તેઓ વાયરિંગનું કામ શીખ્યાં અને હાઉસ વાયરિંગના નાના મોટાં કામો કરતા. એ રીતે તેઓ પરિવારને શક્ય તેટલો આર્થિક ટેકો કરતા. તેમણે ઈલેક્ટ્રોનિક અને ટેલિકોમ્યુનિકેશન ડિપ્લોમા કરીને ટાટા ડોકોમોમાં માર્કેટિંગની નોકરી કરી. અત્યંત બોરિંગ ગણાતી માર્કેટિંગની નોકરીએ જ આગળ જતાં તેમની બિઝનેસ સ્કિલ ડેવલપ કરવામાં મદદ કરી. એમાંથી જ તેમને લોકો સાથે કેવી રીતે વાતચીત કરવાથી લઈને ઉદ્યોગપતિઓ કે વેપારીઓ સાથે સંબંધો કેળવવાની એક આગવી સૂઝ શીખવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાય છે કે કરેલી મહેનત કરી એળે જતી નથી. દરેક કામ કંઈક ને કંઈ શીખવી જાય છે. માર્કેટિંગની નોકરીએ મહેન્દ્રભાઈનામાં સૂતેલાં પોતાના બિઝનેસના સપનાને જગાડ્યું. તેમણે નોકરી છોડી દીધી અને પોતાનો એક ગ્રાહક વાપીમાં ઍર વેન્ટિલેટર (હવાથી ચાલતા એક્ઝોસ્ટ ફેન) બનાવવાનું કામ કરતો હતો તેની સાથે દોસ્તી થતા તેની પાસેથી જ ઍર વેન્ટિલેટર લઈને વેચવાનું શરૂ કર્યું. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a6c140c9cec.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ શરૂઆત જરાય સરળ નહોતી. એક તો આ નવી ટેક્નોલોજી અને એમાં સોલંકી અટક, એટલે ઘણી તકલીફો પડી. ટેક્નોલોજી નવી હોવાથી ગ્રાહકને રૂબરૂ જઈને સમજાવવું પડતું. કેટલીક ઓફિસમાં પટાવાળા સાથે વિઝિટિંગ કાર્ડ મોકલાવ્યા પછી જવાબ એવા આવતા કે સાહેબ ફ્રી નથી, તમારું કાર્ડ રાખ્યું છે જરૂર પડશે ત્યારે તમને બોલાવી લેશે. અને પછી ફરી ક્યારે બોલાવ્યા જ ના હોય. એકથી વધુ વખત એવું પણ બન્યું કે, નીચેના લેવલે એમની પ્રોડક્ટ ફાઇનલ થઇ ગઈ હોય, ઓર્ડર આપવાના સ્ટેજ ઉપર હોય અને ફાઇનલ ઓથોરિટી ‘સોલંકી’ અટકથી મોઢું બગાડી ‘તમને બે દિવસ પછી કહેવડાવું’ કહીને ઓર્ડર બીજા કોઈને આપી દીધો હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છતાં મહેન્દ્રભાઈ હિંમત હાર્યા નહીં અને એકલા હાથે એક એક ફેક્ટરી એક એક ઓફિસ ફરતા રહયાં. તેમનું કહેવું છે કે ગુજરાતમાં જો મોટી મોટી કંપનીઓમાં પરચેજ અને મેઈન્ટેનન્સ વિભાગના વડાઓ તરીકે હિન્દી ભાષીઓ ન હોત તો તેમણે આ બિઝનેસ ચલાવવા વધુ લોઢાનાં ચણાં ચાવવા પડત. કેમ કે, ગુજરાતીઓ શરૂઆતમાં ખાસ તો તેમની અટક જોઈને જાકારો આપતા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a6c14059be0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેન્દ્રભાઈ કહે છે, “હું મહેનત કરતો હતો પણ ક્યાંય મેળ પડતો નહોતો. પણ અમુક ગુજરાતી પટેલ અને જૈન મિત્રોએ મારા કામ અને પ્રોડક્ટથી મતલબ રાખ્યો. જેમાં સમયસર કામ અને ઓછા નફાએ વધુ વેચાણનો મારો મંત્ર કામ કરી ગયો. વેપારીઓની આ ખાસિયત હોય, બે પૈસાનો ફાયદો અને તેમનો સમય સચવાઈ જાય તો ધંધાના બીજા માઇનસ પોઇન્ટને તેઓ સાઈડમાં કરી દેતા હોય છે.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેન્દ્રભાઈ સામાન્ય પરિવારમાંથી આવતા હોવાથી ધંધા માટે જરૂરી એવી મોટી મૂડી હાથ ઉપર નહોતી. પણ તેમના પત્ની વિભાબેને સેમી ગવર્નમેન્ટ કર્મચારી હોવાના કારણે જ્યાં સુધી બિઝનેસ સેટ ન થાય ત્યાં સુધી ઘરસંસાર ચલાવવાની જવાબદારી પોતાના માથે ઉપાડી લીધેલી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a6c13fc894a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેન્દ્રભાઈએ અમદાવાદ, વડોદરા, વાપી, સુરત, મહેસાણા,  કડી, પાલનપુર, પાટણ સહિતના શહેરોના ઔદ્યોગિત વિસ્તારોમાં જાતે માર્કેટિંગ કર્યું. નાનામાં નાના વેપારી અને ફેકટરીમાં પણ મિટિંગો કરી પોતાની પ્રોડક્ટ સમજાવતા રહયાં. પોતે જ માર્કેટિંગ કરે, પોતે જ માલ ભરેલી ગાડી ખાલી કરે, પોતે જ ડિલિવરી કરવા ટેમ્પામાં સાથે બેસીને જાય, પોતે જ એકાઉન્ટ લખે અને ઉઘરાણી પણ કરે. જ્યાં સુધી ધંધો સ્થિર ન થયો ત્યાં સુધી દરેક જવાબદારી મહેન્દ્રભાઈએ એકલા હાથે સાંભળી ને ઓછા ખર્ચે ધંધાને સ્થિર કરવા પ્રયત્નો કર્યા. ધીરે ધીરે ધંધાને વેગ મળતા કઠવાડા જીઆઈડીસીમાં એક શેડ ભાડે રાખીને પોતાનું મેન્યુફેક્ચરીંગ યુનિટ નાખ્યું. તેમની પાસે આજે 15 લોકોનો પોતાનો સ્ટાફ છે. આ સિવાય જરૂર પડે તેમ કોન્ટ્રાક્ટ પર કામ પણ આપતા રહે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાની ધગશ અને આવડતથી તેઓ એક નાની રેસ્ટોરન્ટના રસોડાથી લઈને ઍરફોર્સ સ્ટેશન સુધીની જગ્યાઓ પર ઍર વેન્ટિલેટર લગાવે છે. આજે આઈઆઈએમ અમદાવાદ, વટવા, વડોદરા અને સુરતના રેલવે સ્ટેશનો, અમૂલ ડેરી, બાંદ્રા ટર્મિનસ અને જોધપુર ઍરફોર્સ સ્ટેશન જેવા મોટા નામો મહેન્દ્રભાઈની કંપની સાન્વી એન્ટરપ્રાઈઝના ગ્રાહકોની યાદીમાં શોભી રહ્યાં છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a6c13f5e9fb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઍર વેન્ટિલેટરથી ચાલુ કરેલા બિઝનેસમાં આજે તેમની પાસે બિઝનેસ રેન્જ ટેક્નોલોજી પૂર્ણ અને આવકાર અપાવે તેવી ડેવલપ થઇ ચુકી છે. ઍર વેન્ટિલેટર એટલે જેમાં કોઈ ઇલેક્ટ્રિક કે સોલાર પેનલની જરૂર નથી, તે ફેક્ટરીની અંદરની ગરમ હવાને બહાર કાઢવાનું કામ કરે છે. તેમણે હૈદરાબાદની એક કંપની સાથે બિઝનેસ ડીલ કરીને લાઈટ પાઇપ નામની એક બીજી ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટનો સમાવેશ કર્યો. તે એક એવો રીફલેકટર પાઇપ છે, જે બહારના પ્રકાશને પાઇપ દ્વારા લોકોના ઘરો કે ફેક્ટરીઓમાં લાવે છે. આ પણ એક પાવર સેવર પ્રોડક્ટ છે. ફેક્ટરી શેડમાંથી જ સીધો પ્રકાશ અંદર આવે તેવા ફાઈબરના પારદર્શક પતરાં પણ તેમણે બનાવવાનું અને વેચવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત અનબ્રેકેબલ પૉલીકાર્બોનેટ સીટના ડોમ અને પાર્કિંગ શેડ બનવવાની લાઈનમાં આવ્યા છે. આજે આ દરેક પ્રોડક્ટની સાથે સાથે તેઓ પ્રિ એન્જિનિયરીંગ બિલ્ડીંગ જેવા મોભાદાર કામમાં નામ અને દામ કમાઈ રહયા છે. પ્રિ એન્જિનિયરીંગ બિલ્ડીંગ એટલે ફેકટરીનું આખું સ્ટ્રક્ચર ટુકડાઓમાં બનાવીને સ્થળ ઉપર લઈ જવાનું અને બોલ્ટીંગ કરીને બિલ્ડીંગ ઉભું કરી દેવાનું. ગયા વર્ષે 2023માં જ તેમણે આ રીતે રૂ. 1 કરોડનું એક બિલ્ડીંગ આ જ રીતે એક મહિનામાં તૈયાર કરીને આપ્યું હતું. તેમના ફિલ્ડમાં તેઓ એવી જગ્યા બનાવી ચુક્યા છે કે તેઓ હવે જાતિથી નહીં તેમના કામ અને પ્રોડક્ટથી આવકાર પામી રહયા છે. જે લોકો જાતિ જોઈને દૂર રહેતા હતા તે લોકો પણ સ્વીકારી રહ્યાં છે કે, માણસની કિંમત તેની જાતિને કારણે નહીં પરંતુ આવડતને કારણે હોય છે અને મહેન્દ્રભાઈ જે સમાજમાંથી આવે છે તે સમાજને પણ જો સહકાર મળે તો તે પણ નવી ઊંચાઈઓના શિખરો સર કરવાની શક્તિ ધરાવે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a6c13edc621.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેન્દ્રભાઈ યુવાનોને મેસેજ આપતા કહે છે કે, “જે કરો એ શ્રેષ્ઠ કરજો. સપના જુઓ અને પુરા ન થાય ત્યાં સુધી શાંતિથી બેસો નહીં. તેના માટે તનતોડ મહેનત જાતે જ કરવી પડે છે. તમારી લાયકાત ઓળખીને તમારી કારકિર્દી બનાવવાનું ક્ષેત્ર શોધી લો. ધંધા કરવો છે તો ધંધાને ઉદ્દેશ્ય બનાવો, ધંધો ચાલુ કર્યા પછી ચાલશે તો ઠીક નહીં તો પાછી નોકરી જોઈન કરી લઈશ આવા ઓપ્શન સાથે ધંધામાં ન ઉતરો. કારણ કે ધંધો નોકરીની જેમ મહિનો થાય અને પગાર નથી આપવાનો, તેને સ્થિર થવામાં સમય અને સખત મહેનતની સાથે ધીરજની જરૂર પડે છે. નોકરીની જેમ પાંચ વાગ્યે છુટ્ટા કાલ સવાર સુધી હવે આઝાદ તેવું ચાલતું નથી. ચોવીસ કલાક જવાબદારીથી જોડાયેલા રહેવું પડે છે. નવા નવા સંબંધો કેળવવા પડે છે. માર્કેટને શું જોઈએ છે તે પારખવામાં સફળ થયા તો તમે જે કંઈ પણ વેચશો માર્કેટ તમને વધાવી લેશે. એક મંત્ર યાદ રાખજો, સારી ક્વોલિટી, ઓછો નફો, સમયસર ડિલિવરી અને યોગ્ય સર્વિસ આટલું સાચવી રાખશો તો તમે કોણ છો, તેનાથી બહુ ફર્ક નહીં પડે. તમે શું આપી રહ્યા છો, તમે ક્લાયન્ટને કેટલા ઉપયોગી છો એ જ યાદ રાખે છે. તમારી ઉપયોગીતા જ આ હરિફાઈની દુનિયામાં તમને જગ્યા બનાવી આપશે. જો તમે મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા હો તો ખાસ ધ્યાન રાખજો કે ધંધો ચાલુ કરો કે તરત શેઠના રોલમાં ના આવી જાવ, મોટી હાઈફાઈ ઓફિસ અને વધુ પડતો સ્ટાફ રાખવાને બદલે ધીરે ધીરે પગ જમાવો. જાતે થાય તેટલું કરો. ધંધાને સ્થિરતા મળે તેમ સુવિધાઓ વધારો. ધંધામાં કેટલાક ટકા ઉઘરાણી ફસાઈ જવાનાં રિસ્ક ફેક્ટરને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે. સૂઝ સમજથી કરવામાં આવે તો ધંધો તમને અકલ્પનિય ઊંચાઈએ પહોંચાડી શકે છે.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a6c13e5a53e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહેન્દ્રભાઈના આ અનુભવો બિઝનેસમાં ઝંપલાવવા માંગતી કોઈપણ વ્યક્તિ માટે સોનેરી સલાહ સાબિત થઈ શકે છે. તેઓ જાતઅનુભવોથી જ સફળ છે, અને તેનો અંદાજ તેના પરથી પણ લગાવી શકાય તેમ છે કે, એક સમયે પોતાના ભણતરનો ખર્ચ ઉઠાવવા માટે કોઈના ઘરનું વાયરીંગ કરી આપતા મહેન્દ્રભાઈ આજે ભારતના ખૂણેખૂણેથી કામના ઓર્ડર ખેંચી લાવે છે. તેમની કંપની સાન્વી એન્ટરપ્રાઈઝ આજે રૂ. 10 હજારથી લઈને 1 કરોડ સુધીના સિંગલ ઑર્ડર પર કામ કરીને આગળ વધી રહી છે. બહુજન સમાજના યુવાનો માટે મહેન્દ્રભાઈની આ સફળતા નવી દિશા ચીંધનારી સાબિત થશે તેમાં કોઈ શંકા નથી.</span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>જિતેન્દ્ર વાઘેલા (લેખક વ્યવસાયે એન્જિનિયર અને અંધશ્રદ્ધા નિર્મૂલન પ્રવૃત્તિમાં સક્રિય કાર્યકર છે)</strong></span></span><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong></strong></span></span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો : </strong></span><a href="https://khabarantar.com/Meet-Indias-first-Dalit-billionaire-Padma-Shri-Rajesh-Saraiya,-whose-company-has-an-annual-turnover-of-Rs.-26.42-billion"><strong>મળો ભારતના પહેલા દલિત અબજોપતિ પદ્મશ્રી Rajesh Saraiyaને, જેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર છે રૂ. 26.42 અબજ!</strong></a></span></p>
<p><span style="font-size: 14pt;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 17 Jan 2024 10:03:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>276</Articleid>
                    <excerpt>પહેલી નજરે કોઈ પરીકથા જેવી લાગતી આ કહાની સો ટકા સાચી છે. દલિત સમાજનો એક યુવાન કિશોરાવસ્થામાં ભણતરનો ખર્ચ ઉઠાવવા ઘરોનું વાયરિંગ કરી આપતો હતો. પણ તેને તો પોતાનો બિઝનેસ કરવો હતો. સફર આસાન નહોતી, પણ સ્વયં પર વિશ્વાસ અને મહેનત કરવાની તૈયારી હતી, જે આખરે રંગ લાવી. આજે IIM અમદાવાદ, અમૂલ અને ઈન્ડિયન રેલવે જેવી દિગ્ગજ કંપનીઓ તેની ગ્રાહક છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65a6c141e8d64.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65a6c141b903c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65a6c141b903c.jpg" length="97943" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>15 દિવસમાં જમીનનો કબ્જો સોંપો, નહીંતર આંદોલન કરીશું &amp; દલિત અધિકાર મંચ કચ્છનું કલેક્ટરને અલ્ટિમેટમ</title>
                    <link>https://khabarantar.com/Hand-over-possession-of-land-in-15-days,-otherwise-we-will-protest---Dalit-Adhikar-Manch-Kutch-Ultimatum-to-Collector</link>
                    <guid>https://khabarantar.com/Hand-over-possession-of-land-in-15-days,-otherwise-we-will-protest---Dalit-Adhikar-Manch-Kutch-Ultimatum-to-Collector</guid>
                    <description>
                        <![CDATA[ કચ્છમાં ટોચમર્યાદા ધારા અને સાંથણી હેઠળ અનુસૂચિત જાતિઓની મંડળીઓની હજારો એકર જમીનોનો વાસ્તવિક કબ્જો સોંપાયો નથી. હવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે મામલો હાથ પર લીધો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છની ટીમે દ્વારા હાલમાં જ વર્ષો પહેલા અનુસૂચિત જાતિઓની મંડળીઓને ફાળવવામાં આવેલી જમીનોનો વાસ્તવિક કબ્જો તેમને ફાળવાયો ન હોવાના મુદ્દે કચ્છ જિલ્લા કલેક્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કચ્છ જિલ્લાના પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી સાથે એડવોકેટ સુબોધ કુમુદ અને કમલેશ કટારિયાએ મંડળીઓને ફાળવેલી જમીનોની યાદી સાથે કલેક્ટરને તેનો વાસ્તવિક કબ્જો તેમને સોંપવા માટે રજૂઆત કરી હતી. </span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a27e64d561d.jpg" alt=""></p>
<p><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;">આ મુલાકાતમાં કલેક્ટરે આગામી 15 દિવસમાં મંડળીઓને ફાળવાયેલી જમીનનો વાસ્તવિક કબ્જો સોંપવાની કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપી હતી. દરમિયાન, દલિત અધિકાર મંચની ટીમે એવી ચેતવણી પણ આપી હતી કે જો કલેક્ટર દ્વારા આપવામાં આવેલી બાંહેધરી મુજબ કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.</span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a27e62e3410.jpg" alt=""></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;">ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં હજારો એકર જમીન જે તે સમયે ટોચ મર્યાદા ધારા અને સાંથણી હેઠળ અનુસૂચિત જાતિની મંડળીઓને ફાળવવામાં આવી હતી, પરંતુ તેના સ્થળ પર પ્રત્યક્ષ કબ્જા સોંપવામાં આવ્યા નથી. અહીં જાતિવાદી માથાભારે તત્વો દલિતોના હકની જમીનો પર ગેરકાયદે દબાણ કરીને કબ્જો જમાવીને બેઠાં છે. તેમ છતાં સરકાર દ્વારા આ મામલે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. તેથી આ મામલે કલેક્ટરને રજૂઆત કરાઈ છે.</span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a27e63ec501.jpg" alt=""></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;">આ મામલે એડવોકેટ સુબોધ કુમુદે ખબરઅંતર.કોમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં હજારો એકર જમીન જે તે સમયે ટોચ મર્યાદા ધારા અને સાંથણી હેઠળ અનુસૂચિત જાતિઓની મંડળીઓને ફાળવવામાં આવી હતી. પણ સ્થાનિક માથાભારે તત્વો દલિતોની મંડળીઓની આ જમીનો પર દબાણ કરી ગેરકાયદે કબ્જો જમાવીને બેઠાં છે.</span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a27e61f330f.jpg" alt=""></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: 'Shruti','sans-serif'; mso-ascii-font-family: Calibri; mso-ascii-theme-font: minor-latin; mso-hansi-font-family: Calibri; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; mso-bidi-language: GU;">દલિત અધિકાર મંચ આ તમામ જમીનો પરનો વાસ્તવિક કબ્જો તેની અસલી માલિક એવી દલિત મંડળીઓને અપાવવા માટે પ્રયત્નશીલ છે. તેના માટે જરૂરી દસ્તાવેજો એકઠાં કરીને પુરાવા સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. કલેક્ટરે 15 દિવસમાં આ કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપી છે. જો એ મુજબ કામ નહીં થાય તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આંદોલન કરીને પણ આ જમીનો તેના અસલી માલિકોને અપાવશે.</span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a27e6124d66.jpg" alt=""></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નેતૃત્વ હેઠળનું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન તેની જમીન સાથે જોડાયેલી કામગીરીને લઈને જાણીતું છે. ગુજરાતમાં દલિતોને સરકાર દ્વારા ફાળવાયેલી જમીનો પર વર્ષોથી જાતિવાદી માથાભારે તત્વો અડિંગો જમાવીને બેસી ગયા હોય તે જમીનોનો વાસ્તવિક કબ્જો આ સંગઠન કાયદાકીય રાહે તેના અસલી માલિકોને સોંપવામાં મદદરૂપ થાય છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેમનું સંગઠન જમીની સ્તરે કાર્યરત છે. અત્યાર સુધીમાં આ સંગઠનના મજબૂત સામાજિક કાર્યકરોએ અનેક દલિતોને તેમના હકની જમીનોનો વાસ્તવિક કબ્જો અપાવ્યો છે.</span><span style="mso-bidi-language: GU;"><o:p></o:p></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Crimes-against-Dalits-and-tribals-increased-by-46-and-48-since-2013"><span style="color: rgb(53, 152, 219);">2013 પછીથી દલિત, આદિવાસીઓ સામેના ગુનાઓમાં 46% અને 48%નો વધારો થયો</span></a><br></span></span></strong></p>
<div class="post-text">
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 14 Jan 2024 10:39:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>273</Articleid>
                    <excerpt>કચ્છમાં ટોચમર્યાદા ધારા અને સાંથણી હેઠળ અનુસૂચિત જાતિઓની મંડળીઓની હજારો એકર જમીનોનો વાસ્તવિક કબ્જો સોંપાયો નથી. હવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે મામલો હાથ પર લીધો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65a27e6608ba1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65a27e65be906.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65a27e65be906.jpg" length="120553" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશના કાયદાઓમાં એટ્રોસીટીના ગુનાઓમાં પીડિતને મળેલી સહાય પાછી ખેંચવાની કોઈ જોગવાઈ નથી, છતાં અમુક કોર્ટ આવા હુકમો કેમ કરે છે?</title>
                    <link>https://khabarantar.com/Why-do-some-courts-make-such-orders-even-though-there-is-no-provision-in-the-laws-of-the-country-to-withdraw-assistance-received-by-victims-of-atrocity-crimes</link>
                    <guid>https://khabarantar.com/Why-do-some-courts-make-such-orders-even-though-there-is-no-provision-in-the-laws-of-the-country-to-withdraw-assistance-received-by-victims-of-atrocity-crimes</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટના શાપર(વેરાવળ)માં દલિત યુવાન મુકેશ વાણીયાને ફેકટરીના દરવાજા પર બાંધી ને ક્રૂરતાપૂર્વક માર મારી હત્યા કરવાના ગુનામાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવાના ચુકાદા વિરુદ્ધ અપીલ નહીં કરવા બદલ રાજ્ય સરકાર અને ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન્સની બરાબરની ઝાટકણી કાઢી છે. આ કેસની સાથે બીજી પણ એક મહત્વની વાત સામે આવી છે, જે સૌ કોઈએ સમજવી પડશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2018માં રાજકોટ નજીક શાપર(વેરાવળ) જીઆઈડીસીમાં એક ફેક્ટરીના પાછળના ભાગે લીંબડીના દલિત યુવાન મુકેશ વાણિયા અને તેમના પત્ની ભંગાર, કચરો વીણતા નીકળ્યાં ત્યારે ફેક્ટરીના માલિક સહિત પાંચેક જણાએ મુકેશભાઈ ને પકડી, ફેક્ટરીના દરવાજા સાથે બાંધી પાઈપ અને પટ્ટા વડે ઢોર માર મારી હત્યા કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બનાવનો વિડીયો વાયરલ થયો હતો. એ પછી આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 302, 323, 114 તથા એટ્રોસીટી એકટના ગુનાની FIR કરી ગુનો નોંધી અટક કરી જેલભેગા કરેલ. સ્પેશીયલ એટ્રોસીટી કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બે આરોપીઓએ જયસુખ રાદડિયા અને તેજસ ઝાલાએ વારાફરતી ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરતાં આ બંને આરોપીઓને આટલા ગંભીર ગુના છતાં તા. 4/2/2019 અને 5/2/2019 ના હાઈકોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂળ વાત હવે આવે છે. આવા ગંભીર ગુનામાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી જરૂરી હોવા છતાં કરી નહોતી. આના પરથી જ ખ્યાલ આવે છે કે, એટ્રોસીટીના કેસોમાં દલિતો ન્યાયથી વંચિત રહે તેમાં સૌથી મોટો રોલ કોણ ભજવે છે? સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ ન કરતા મૃતક મુકેશભાઇના પત્ની જયાબહેને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અપીલ માટે ગુજરાત હાઇકોર્ટના યુવા વકીલ સુબોધ કુમુદે સખત મહેનત કરી પેપર્સ તૈયાર કરી મટીરીયલ તૈયાર કરેલ. અપીલ કરનાર જયાબેન વતી સુપ્રીમ કોર્ટના નામાંકિત સિનિયર એડવોકેટ કોલીન ગોન્સાલવીસ તરફથી જોરદાર દલીલો થયેલ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે તા. 10/01/2022 ના ચુકાદો જાહેર કરી ગુજરાત હાઇકોર્ટનો જામીન પર છોડવાનો હુકમ રદ કરી બંને આરોપીને જેલભેગા થવાનો હુકમ કરેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં ગુજરાત સરકાર અને સરકારના હોમ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશન્સની આવા ગંભીર ગુનામાં અપીલ નહિ કરવા બદલ ઝાટકણી કાઢી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટ એવું અવલોકન કરે છે કે સરકારે આવા ગુનામાં અપીલ ન કરી તે એક ગંભીર બાબત છે. પિડીતના હક્કનું રક્ષણ કરવામાં સરકાર નિષ્ફળ ગયેલ છે. આરોપીને જામીન પર છોડવાના હુકમ સામે અપીલ કરવા જેવો આ ફીટ કેસ હતો તેવો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો. ફોજદારી મેટરમાં વ્યથિત પક્ષકાર સરકાર છે કે જે સમાજના હિતોની કસ્ટોડિયન છે. અને તેથી સમાજના હિતોની વિરુદ્ધ કૃત્ય કરે તેને બુક કરવાની સરકારની ફરજ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ગુજરાત સરકારમાં ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન્સ છે અને આ કિસ્સામાં તેઓ તેમની ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડેલ છે. ફોજદારી ગુનાના ન્યાયના વહીવટની બાબતમાં ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશન્સનો હોદો ખૂબ મહત્વનો છે. તાત્કાલિક નિર્ણય લેવાની તેની ફરજ છે. આવા ગુનાઓ સમાજને નુકસાનકારક છે તેથી ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશન્સનો રોલ ખૂબ અગત્યનો બની રહે છે. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 25A માં આપેલ સત્તાની રૂએ રાજ્ય સરકાર તેની નિમણૂક કરે છે. કલમ 25A(2) મુજબ જેનો વકીલાતનો અનુભવ દસ વરસથી ઓછો ન હોય તેની ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશન્સ તરીકે હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સાથે મસલત કરીને તેની નિમણૂક કરવાની લાયકાત નક્કી કરેલ છે તેથી તેનો રોલ અતિ મહત્વનો ગણાય. રાજ્ય સરકારે આવી ગંભીર ઘટનામાં કાયદાનું શાસન જાળવવામાં ગંભીર બનવું જરૂરી હતું કે જ્યારે એક વ્યકિત ફેકટરી બહાર તેની પત્ની અને કાકી સાથે માત્ર ભંગાર વીણી રહ્યો હતો ત્યારે તેની ક્રૂરતાપૂર્વક માર મારી હત્યા કરવામાં આવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં સુપ્રીમ કોર્ટ નોંધે છે કે ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશન્સની ફરજ છે કે ગુનેગારોને બુક કરી સજા કરવી. સુપ્રીમ કોર્ટે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં રાજ્ય સરકાર/તેનું કાયદા ખાતું અને ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુન્સ આવા કિસ્સાઓમાં ત્વરિત નિર્ણય લઈ આ ગુના જેવા ગંભીર ગુનાઓમાં જો હાઇકોર્ટ કે ટ્રાયલ કોર્ટ જામીન પર છોડવાનો હુકમ કરે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. આમ મહત્વપૂર્ણ ચુકાદો આપી આ ચુકાદાની નકલ સરકારના ચીફ સેક્રેટરી, સેક્રેટરી, હોમ ડિપાર્ટમેન્ટના કાયદા ખાતાને મોકલવાનો હુકમ કરી યોગ્ય પગલા લેવા આદેશ કરેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એક પ્રશ્ન એ પણ થાય છે કે આ દેશના કોઈ કાયદાઓમાં એવી જોગવાઇ નથી કે એટ્રોસિટી એક્ટના ગુનાઓમાં કોઈપણ કારણસર સ્પેશિયલ કોર્ટ ગુનેગારને ભલે ગુણદોષ પર નિર્દોષ છોડી મૂકે, તો પણ ફરીયાદી કે પીડિતને રાજ્ય સરકારના સમાજ કલ્યાણ ખાતાએ પુર્નવસનના હેતુસર જે કોઈ રાહત રુએ સહાય ચૂકવેલ હોય તે પરત વસુલ લેવાનો હુકમ કોર્ટે કરવો. તેમ છતા રાજ્યની અમુક કોર્ટો ફરિયાદી કે પીડિત પાસેથી આવી સહાય સખ્તાઈથી વસૂલ કરવાના હુકમો કરી રહી છે તો પણ આ ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટર, હોમ ડિપાર્ટમેન્ટ, કાયદા ખાતા કે સમાજ કલ્યાણ ખાતા તરફથી આવા ચુકાદાઓ વિરુદ્ધ અપીલ કરવામાં આવતી નથી. આવી ગંભીર બાબત માં કંઈક નક્કર કાર્યવાહી માટે રજૂઆત થવી જરૂરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કનુભાઈ રાઠોડ (લેખક પૂર્વ ડિસ્ટ્રીક્ટ જજ અને બહુજન સમાજના પ્રશ્નોને લઈને ચિંચિત વડીલ છે)</span></strong></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Burglars-and-criminals-will-take-a-lesson-from-the-proverbial-mother-of-a-thief-who-weeps-in-her-cell"><strong><span style="font-size: 14pt;">તોડબાજો અને ગુનેગારો, ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે?</span></strong></a></p>
<p><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 12 Jan 2024 13:02:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>271</Articleid>
                    <excerpt>રાજકોટના શાપર(વેરાવળ)માં દલિત યુવાન મુકેશ વાણીયાને ફેકટરીના દરવાજા પર બાંધી ને ક્રૂરતાપૂર્વક માર મારી હત્યા કરવાના ગુનામાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવાના ચુકાદા વિરુદ્ધ અપીલ નહીં કરવા બદલ રાજ્ય સરકાર અને ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન્સની બરાબરની ઝાટકણી કાઢી છે. આ કેસની સાથે બીજી પણ એક મહત્વની વાત સામે આવી છે, જે સૌ કોઈએ સમજવી પડશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65a0e9e449816.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65a0e9e40915d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65a0e9e40915d.jpg" length="81795" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>તોડબાજો અને ગુનેગારો, ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે?</title>
                    <link>https://khabarantar.com/Burglars-and-criminals-will-take-a-lesson-from-the-proverbial-mother-of-a-thief-who-weeps-in-her-cell</link>
                    <guid>https://khabarantar.com/Burglars-and-criminals-will-take-a-lesson-from-the-proverbial-mother-of-a-thief-who-weeps-in-her-cell</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટના શાપર વેરાવળના મુકેશ વાણીયા નામના નિર્દોષ યુવકને જાતિવાદીઓએ કારખાનામાં ચોરીની આશંકાએ પટ્ટાથી ઢોર માર મારતા તેમનું મોત નીપજ્યું હતું. આ કેસમાં દલિત સમાજના જ કેટલાક તોડબાજોએ પીડિત પરિવારને ફોસલાવીને સમાધાન કરાવ્યું હતું, પણ પછી જે થયું તેમાંથી આપણે સૌએ ધડો લેવાનો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટ હેઠળ 2 આરોપીઓ સામે હત્યાનો ગંભીર ગુનો દાખલ થયેલ, તેમને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા હતા. તેમની સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી ન હતી. પરંતુ ભોગ બનનારની વિધવા જયાબેને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ સુબોધ કુમુદ મારફતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 10 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રીમે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ પીડિતાની અપીલને મંજૂર કરીને હાઈકોર્ટના જામીન પર છોડવાના હુકમને રદ કરી બંને આરોપીઓને એક અઠવાડિયામાં જેલ ભેગા કરવાનો હુકમ કરેલ છે.  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “સરકાર સામાજિક હિતોની રખેવાળ છે તેથી હત્યાના ગંભીર ગુનાઓમાં આરોપીઓને જામીન પર મુક્ત કરવાના અયોગ્ય ચૂકાદાઓ/આદેશો સામે રાજ્ય સરકાર દ્વારા અપીલ દાખલ થવી જોઈએ. પરંતુ સરકાર અપીલ નહીં કરીને પીડિતાના અધિકારોનું રક્ષણ કરવામાં રાજ્ય નિષ્ફળ ગયેલ છે. અપીલ કરવા માટે આ યોગ્ય કેસ હતો. હાઈકોર્ટનો આદેશ કાયદેસર ટકી શકે તેમ નથી, કારણ કે તે સૌથી વધુ અવ્યવસ્થિત અને કેઝ્યુઅલ હતો. હાઈકોર્ટે ગુનાની ગંભીરતાને અવગણી છે. ગુનાહિત મામલામાં રાજ્ય પીડિત પક્ષનું રક્ષક છે. રાજ્યે સમુદાયના સામાજિક હિતનું રક્ષણ કરવાનું છે. આ કેસમાં પ્રોસિક્યુશન ડાયરેક્ટર તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. ફોજદારી મામલામાં ન્યાયના વહીવટને લગતી બાબતમાં પ્રોસિક્યુશન નિયામકનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ પદ છે. પ્રોસિક્યુશન નિયામકની ફરજ છે કે ત્વરિત નિર્ણય લેવો જોઈએ. આશા છે કે ભવિષ્યમાં રાજ્ય સરકાર/રાજ્ય સરકારના કાનૂની વિભાગ અને પ્રોસિક્યુશન નિયામક એવી બાબતોમાં ત્વરિત નિર્ણય લેશે કે જ્યાં આરોપીઓને ગંભીર ગુનામાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હોય!”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીઓ IPC કલમ-302, 323, 114 તથા અને એટ્રોસીટી એકટના ગુનામાં સંડોવાયેલા હતા. આરોપીઓએ, રાજકોટ નજીક શાપર GIDCમાં પોતાના કારખાનાના દરવાજા સાથે ગરીબ મજૂરને દોરડા વડે બાંધીને પાઈપ અને પટ્ટાથી ઢોરમાર મારીને હત્યા કરી હતી. મરનાર દલિત યુવક મુકેશ વાણિયા ફેક્ટરીની પાછળની ખુલ્લી જગ્યામાંથી ભંગાર એકત્ર કરી રહ્યો હતો, તેને ચોર માનીને ફેક્ટરી માલિક અને તેના માણસોએ ઢોરમાર મારેલ જેથી તેનું મૃત્યુ નીપજેલ. સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી રદ કરી હતી. આરોપી તેજસ કનુભાઈ ઝાલાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. હાઇકોર્ટે જામીન અરજી મંજૂર કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડવોકેટ સુબોધ કુમુદે સખત મહેનત કરી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી ન હોત તો આરોપીઓ આખલાની જેમ છૂટા ફરત. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>સુબોધ કુમુદને લાખ લાખ અભિનંદન</strong></span></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌથી દુ:ખદ બાત એ છે કે દલિતો પરના અત્યાચાર-અપહરણ, બળાત્કાર, ખૂન જેવા ગંભીર ગુનાઓમાં, દલિત સમાજના કહેવાતા સમાજ સેવકો, સાહેબો, બબુડીયાઓ ગુનેગારો સાથે તોડ કરી મોટી રકમ લઇ પીડિતોને ફોસલાવી સમાધાન કરાવી નાખે છે. તેઓ દલિત સમાજનું અહિત કરે છે. ગુનેગારો પાસેથી તોડ કર્યા પછી પણ જો એટ્રોસિટીના કેસોમાં કોર્ટને એમ લાગે કે ગુનેગારે ગુનો તો કર્યો છે, એટલે ગુનેગારનો વારો ચડી જવાનો છે અને છેતરાયેલ ગુનેગારો પછી આવા તોડબાજો નો વારો કાઢે તો નવાઇ નહીં. મૃતક મુકેશ વાણિયાના કેસમાં પણ તેના વારસ-પીડિતાને તોડબાજોએ લલચાવી ફોસલાવી સમાધાન કરાવી તોડ કરેલ હતો. મુકેશ વાણીયા હત્યા કેસ, સાયરા મોડાસા દલિત દીકરીના અપહરણ, દુષ્કૃત્ય અને હત્યાનો કેસ, કોટડા સાંગાણી તાલુકાના દલિત એક્ટિવિસ્ટ પિતા પુત્રની હત્યાના કેસો આ સિવાયના અનેક ગુનાઓમાં તોડબાજોએ તોડ કરેલ છે, જેમને ઘણા ઓળખે છે. તેમને સમાજમાં ખુલ્લા પાડવા જોઈએ. તોડબાજો અને ગુનેગારો, ‘ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે’ તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે? </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">-કનુભાઈ રાઠોડ (લેખક પૂર્વ ડિસ્ટ્રીક્ટ જજ અને બહુજન સમાજના પ્રશ્નોને લઈને સતત ચિંતિત વડીલ છે)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો :</span></strong><span style="font-size: 14pt;"> </span></span><a href="https://khabarantar.com/A-landmark-judgment-five-years-ago,-which-points-the-right-direction-to-justice-seeking-masses"><strong><span style="font-size: 14pt;">પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 11 Jan 2024 14:32:28 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 11 Jan 2024 14:56:45 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>268</Articleid>
                    <excerpt>રાજકોટના શાપર વેરાવળના મુકેશ વાણીયા નામના નિર્દોષ યુવકને જાતિવાદીઓએ કારખાનામાં ચોરીની આશંકાએ પટ્ટાથી ઢોર માર મારતા તેમનું મોત નીપજ્યું હતું. આ કેસમાં દલિત સમાજના જ કેટલાક તોડબાજોએ પીડિત પરિવારને ફોસલાવીને સમાધાન કરાવ્યું હતું, પણ પછી જે થયું તેમાંથી આપણે સૌએ ધડો લેવાનો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_659fac3ec707f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_659fac3e80dcd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_659fac3e80dcd.jpg" length="59176" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દાંતામાં વાલ્મિકી યુવકને મર્યા પછી પણ આભડછેટ નડી, જાતિવાદી ગામલોકોએ સ્મશાનમાં અંતિમવિધિ ન થવા દીધી</title>
                    <link>https://khabarantar.com/Even-after-Valmikis-death-in-Danta,-the-casteist-villagers-did-not-allow-him-to-be-cremated-in-the-crematorium</link>
                    <guid>https://khabarantar.com/Even-after-Valmikis-death-in-Danta,-the-casteist-villagers-did-not-allow-him-to-be-cremated-in-the-crematorium</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી ગુજરાતમાં દલિતો જીવતેજીવ તો આભડછેટનો સામનો કરે જ છે પરંતુ મર્યા પછી પણ અસ્પૃશ્યતા તેમનો પીછો છોડતી નથી. આવા અનેક કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા રહે છે. આવો જ માનવતા માટે લાંછનરૂપ કિસ્સો બનાસકાંઠાના દાંતામાં સામે આવ્યો છે  વાંચો સમ્રગ અહેવાલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી ગુજરાતમાં દલિતો જીવતેજીવ તો આભડછેટનો સામનો કરે જ છે પરંતુ મર્યા પછી પણ અસ્પૃશ્યતા તેમનો પીછો છોડતી નથી. આવા અનેક કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા રહે છે. આવો જ માનવતા માટે લાંછનરૂપ કિસ્સો બનાસકાંઠાના દાંતામાં સામે આવ્યો છે, જ્યાં જાતિવાદી તત્વોએ એક દલિત યુવકને મર્યા પછી સ્મશાનમાં અંતિમવિધિ કરવા માટે પણ જગ્યા ફાળવવાથી ઈનકાર કરી દીધો હતો. જેથી પરિવારજનો શબ લઈને ન્યાયની માંગણી સાથે મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા અને ધરણાં પર બેઠાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા નવાવાસ ગામમાં 45 વર્ષના ગોવિંદભાઈ મકવાણાનું સોમવારે રાત્રે આકસ્મિક મોત થઈ ગયું હતું. તેથી પરિવારજનો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ગામના સ્મશાનગૃહમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં ગામના કેટલાક જાતિવાદી તત્વોએ આભડછેટને કારણે ગોવિંદભાઈની અંતિમવિધિ માટે સ્મશાન ફાળવવાથી ઈનકાર કરી દીધો હતો. આથી મૃતકના પરિવારજનોએ ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી. જો કે ત્યાં સરપંચ અને તલાટી દ્વારા પણ આ મામલાનો કોઈ ઉકેલ ન આવતા તેઓ મૃતદેહ લઈને દાંતા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી. તેમની સાથે સમાજના અન્ય લોકો પણ જોડાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાદમાં આ મામલે મામલતદાર સહિતના અધિકારીઓએ મામલો હાથમાં લીધો હતો. જ્યાં ઉક્ત જમીન વનવિભાગની હોવાથી અંતિમ સંસ્કાર માટે ઉપયોગ કરી શકાય નહીં તે પ્રકારનું કારણ આગળ ધરાયું હતું. આથી મૃતકના પરિવારજનોએ અન્ય જગ્યાએ અંતિમવિધિ કરી હતી. જો કે મામલતદારે ન્યાયની માંગણી કરી રહેલા લોકોને આગામી એક મહિનાની અંદર સ્મશાનની ફાળવણી કરી દેવાની ખાતરી આપતા મામલો હાથ પુરતો થાળે પડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે જો કે સૂત્રો જણાવે છે કે, અધિકારીઓ અને ગામલોકો ભલે ગમે તે વાત કરતા હોય પરંતુ અસલ કારણ એ છે કે મૃતક વાલ્મિકી સમાજના છે એટલે આભડછેટના કારણે અહીં મૃતકની અંતિમવિધિ થવા દેવામાં આવી નથી. અધિકારીઓ અને સરકાર ભલે ગમે તે કારણ આગળ ધરે પરંતુ હકીકત એ છે કે તેઓ પોતે જાતિવાદીઓને પોષે છે, જો એકવાર પણ અધિકારીઓ અને તંત્ર સ્ટેન્ડ લઈને બંધારણીય રીતે યોગ્ય કાર્યવાહી કરે તો જાતિવાદી તત્વો અને આભડછેટ પાળનારાઓ માથું ઊંચું કરતા સો વાર વિચાર કરે. બાકી હાલના સંજોગોમાં તો દેશમાંથી આભડછેટ અને જાતિવાદ ખતમ થાય એવું લાગતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો : </strong></span><a href="https://khabarantar.com/Dalit-Adhikar-Manch-Maidan-to-give-22-bigha-of-Santhani-land-to-Dalits-in-Bela-village-of-Botad"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">બોટાદના બેલા ગામે 22 વીઘા સાંથણીની જમીન દલિતોને અપાવવા દલિત અધિકાર મંચ મેદાનમાં</span></strong></span></a></p>
<p style="text-align: justify;"><strong><span><span style="color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 03 Jan 2024 13:37:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>249</Articleid>
                    <excerpt>જાતિવાદી ગુજરાતમાં દલિતો જીવતેજીવ તો આભડછેટનો સામનો કરે જ છે પરંતુ મર્યા પછી પણ અસ્પૃશ્યતા તેમનો પીછો છોડતી નથી. આવા અનેક કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવતા રહે છે. આવો જ માનવતા માટે લાંછનરૂપ કિસ્સો બનાસકાંઠાના દાંતામાં સામે આવ્યો છે  વાંચો સમ્રગ અહેવાલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_659514b33ab01.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_659514b2f2815.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_659514b2f2815.jpg" length="60859" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે</title>
                    <link>https://khabarantar.com/A-landmark-judgment-five-years-ago,-which-points-the-right-direction-to-justice-seeking-masses</link>
                    <guid>https://khabarantar.com/A-landmark-judgment-five-years-ago,-which-points-the-right-direction-to-justice-seeking-masses</guid>
                    <description>
                        <![CDATA[ દલિતો, આદિવાસીઓ પર જાતિવાદીઓ દ્વારા અત્યાચારોનો સિલસિલો 2023ના વર્ષમાં પણ યથાવત રહ્યો છે. જાતિવાદીઓ જીતતા જાય છે અને પીડિત પરિવારોને ન્યાય મળ્યાંના દાખલાઓ ખૂટતા જાય છે, એવા માહોલમાં અહીં એક એવા કરૂણ છતાં સાહસથી ભરપૂર કેસની વાત કરવી છે જે ન્યાય ઝંખતી કોઈપણ વ્યક્તિને નવું જોમ અને જુસ્સો પુરો પાડશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાંચ વર્ષ પહેલા 29 નવેમ્બર 2018ના રોજ ઉનાની સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. જેમાં એટ્રોસિટીના એક કેસમાં એક સાથે 11 લોકોને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી. એ સાથે જ છેલ્લાં એક દાયકા કરતા વધુ સમયથી ભયંકર યાતનાઓ વેઠતા એ પરિવારને ન્યાય મળતા તે ચોધાર આંસુએ રડી પડ્યો હતો. વાત છે ગીર સોમનાથ જિલ્લાના ચકચારી આંકોલાળી કેસની. જેમાં એક નિર્દોષ દલિત યુવકને માથાભારે જાતિવાદી તત્વોએ એક સંપ થઈને જીવતો સળગાવી દીધો હતો. પણ એ પછી આ પરિવારે જે અકલ્પનિય હિંમત દાખવી છે, તે મડદામાં પણ પ્રાણ પૂરે તેવી શક્તિશાળી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઘટના શું હતી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના આંકોલાળી ગામે તારીખ ૧૩/૯/૨૦૧૨ના રોજ સવારમાં ગામના 150થી વધુ કોળી પટેલોએ ભેગા મળી દલિત યુવક લાલજીભાઈ સરવૈયાને કોળી સમાજની દીકરીને ભગાડીને ક્યાંક સંતાડી દીધાની આશંકાએ તેમના જ ઘરમાં જીવતા સળગાવી દીધા હતા. જેમાં ઘરના અન્ય સભ્યોને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી અને તમામ ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોળી સમાજની યુવતીને ભગાડવાની આશંકાએ દોઢસોથી વધુ લોકોનું ટોળું વહેલી સવારે જ લાલજીભાઈને ઘરે ઉતરી પડ્યું હતું. ટોળાંએ તેમના ઘરને બહારથી તાળું મારી દીધું હતું, એ પછી છત પરથી અંદર ઉતરી ઘરમાં સૂતેલા લાલજીભાઈને કેરોસીન છાંટી, ઘરમાં પડેલા ગોદડા વીંટીને અન્ય સામાન તેમના પર ફેંકીને પછી જીવતા સળગાવી દીધા હતા. સાથે પરિવારના અન્ય સભ્યો પર પણ સામૂહિક હુમલો કરી ઢોર માર માર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલાની ફરિયાદ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં ૪૦/૨૦૧૩થી આઈપીસીની કલમ ૩૦૨, ૩૨૪, ૩૨૩, ૪૩૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૪૯, ૩૪૨, ૩૩૭, ૧૨૦-બી અને અનુસુચિત જાતિ અને જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ની કલમ ૨(૧)(૨), ૩(૧)(૫) તથા જી.પી.એક્ટની કલમ ૧૩૫ મુજબ નોંધાયેલ હતી. આરોપીઓની અટક બીજા દિવસે કરેલ જે તમામ આરોપીઓ જેલમાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાલજીભાઈ સરવૈયાને જીવતા સળગાવી દીધાની ઘટના બાદ તેમનો પરિવાર અને કુટુંબીઓ સહિતના 14 લોકો સુરક્ષા ખાતર તમામ ઘરવખરી મૂકીને ફફડતા હૈયે ઉના ખાતે હિજરત કરી ગયા હતા. જ્યાં લાંબા સમય સુધી સરકાર સામે સંઘર્ષ કર્યા બાદ આખરે દેલવાડા ખાતે સરકારે જમીન ફાળવતા હાલ ત્યાં ઝૂંપડા બાંધીને રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સરકારે આ પરિવારને હિજરતી જાહેર કરેલ છે પણ આ પરિવારનું  અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિઅત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ના નિયમો ૧૯૯૫ના નિયમ ૧૫ મુજબ ખાસ આકસ્મિક યોજનમાં પુનર્વસન કરવા આ પરિવારે વારંવાર રજૂઆત કરી છતાં હજુ સુધી તેનો પુરેપુરો અમલ કર્યો નથી. પરિવારને હિજરતી જાહેર કર્યા બાદ આકોલાળી ગામે સોનાની લગડી જેવી, પાણીના કુવા વાળી પોતાની માલિકીની ૧૫ વીઘા જમીન હતી તેની સામે ૧૫ વિધા જમીન આપેલ છે. નવી કોઈ જ ખેતીની જમીન સરકારે આપેલ નથી. સરકારે રહેવા માટે મફત પ્લોટ ફાળવેલ છે પણ હજુ સુધી પુરતી સહાય ન મળવાથી આ જગ્યા પર ઝૂંપડા બનાવેલ છે. સરકારે પાણીની વ્યવસ્થા એક ડંકી બનાવી કરેલ છે જે પુરતી નથી. રહેણાંક મકાનમાં લાઈટની કોઈ જ વ્યવસ્થા નથી. બાળકોને બે થી અઢી કિલોમીટર ચાલીને શાળાએ ભણવા જવું પડે છે. હિજરતી પરિવારના એક સભ્યને સરકારે નોકરી આપી નથી કે કોઈ જ રોજગારી પૂરી પાડેલ નથી. સરકાર દ્વારા આ પરિવારનું પુરેપૂરું પુન:વસન કરવામાં નિષ્ફળ જતા હારી થાકીને પરિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી ઈચ્છા મૃત્યુની રજા આપવા માંગ કરેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બનવાની ફરિયાદના અનુસંધાને ઉનાની નીચલી અદાલતમાં ચાર્જશીટ થતા આ કેસને નીચલી અદાલત દ્વારા ખાસ એટ્રોસિટીસના  કેસ માટે ચાલતી ખાસ અદાલતમાં કમીટ કરવામાં આવેલ હતો. જેમાં મે. સ્પેશ્યલ જજ (એટ્રોસિટી) અને ચોથા એડીશનલ સેશન્સ જજની કોર્ટ સમક્ષ આ કેસ ચાલેલ હતો. આ કેસનો નંબર સ્પેશ્યલ કેસ (એટ્રોસિટી) નંબર-૧૩/૨૦૧૩ છે જે કેસનો ચુકાદો તારીખ ૨૯/૧૧/૨૦૧૮ના દિવસે ખાસ અદાલતના માનનીય જજ દ્વારા ખુલ્લી અદાલતમાં સંભળાવવામાં આવ્યો હતો. કેસ કુલ પાંચ વર્ષ, ત્રણ માસ અને ૦૭ દિવસ ચાલેલ હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં  સરકારી વકીલ તરીકે મોહનભાઈ ગોહિલ, ફરિયાદ પક્ષે એડવોકેટ ગોવિંદભાઈ એમ. પરમારે કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. સરકાર પક્ષેથી સરકારી વકીલ મોહનભાઈ ગોહેલે કોર્ટ સમક્ષ ધારદાર દલિતો કરી આ કેસના તમામ પાસા વર્ણવી કેસને સાબિત કરવામાં સફળતા મેળવી હતી, તેમજ મૂળ ફરીયાદી પક્ષે વકીલ ગોવિંદભાઈ પરમાર અને તેમની ટીમે તૈયાર કરેલ ૧૪૬ પાનાની લેખિત દલીલ કોર્ટ સમક્ષ મૂકી હતી, જે ખુબ જ મહત્વની પુરવાર થઇ હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં સજા પામનાર ગુનેગારના નામ આ મુજબ છે. (૧) ભાણાભાઈ કાનાભાઈ વાજા, ઉ.વ.૪૦ (૨) બાબુભાઈ દાનાભાઈ વાજા, ઉ.વ.૪૮ (૩) ધીરુભાઈ વિરાભાઈ વાજા, ઉ.વ.૪૦ (૪) ભીખાભાઈ વિરાભાઈ વાજા, ઉ.વ.૬૦ (૫) રામભાઈ ભીખાભાઈ વાજા, ઉ.વ.૩૯ (૬) પાંચાભાઈ લાખાભાઈ વાજા, ઉ.વ.૩૨ (૭) પ્રવીણભાઈ ધીરુભાઈ વાજા, ઉ.વ. ૨૩ (૮) હમીરભાઈ અરજણભાઈ વાજા, ૪૦ (૯) અરજણભાઈ બાબુભાઈ મકવાણા, ઉ.વ.૧૯ (૧૦) ગભરૂભાઈ કાનાભાઈ વાજા, ઉ.વ. ૨૮ (૧૧) લાલજીભાઈ વશરામભાઈ વાજા ઉ.વ.૪૫. તમામ રહેવાસી આંકોલાલી તા.ગીર ગઢડા જી.ગીર સોમનાથ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજયકુમાર લવજીભાઈ ઠક્કર સપેશ્યલ જજ (એટ્રોસિટી) અને ચોથા એડીશનલ સેસન્સ જજ, ઉના દ્વારા તારીખ ૨૯/૧૧/૨૦૧૮ના રોજ ૧૯૨ પાનાના આપેલ ચુકાદામાં માન્યું છે કે ફરિયાદ પક્ષે નિશંકપણે, શંકા વગર આરોપીઓએ કરેલ ગુનો સાબિત કરેલ છે. કોર્ટ દ્વારા ક્રિમીનલ પ્રોસીજરની કલમ ૩૫૭ મુજબ તમામ આરોપીઓને દંડ કરી દરેક આરોપીએ રૂ. ૫૪,૫૦૦ x ૧૧= ૫,૯૯,૫૦૦ ભરવા અને આ દંડની રકમ અપીલ સમય પૂર્ણ થયા બાદ ફરિયાદીને વળતર ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે અને તમામ મુદ્દામાલ અપીલ સમય વિત્યે નાશ કરવાનો આદેશ કરેલ છે. દરેક આરોપીઓને કોર્ટે કરેલ સજા એકી સાથે ભોગવવાની રહેશે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટનું તારણ એ છે કે આ કેસ ઓનર કિલિંગ નો જણાય છે અને ગુનો રેરેસ્ટ ઓફ રેરની શ્રેણીમાં ગણાય તેમજ ટોળા દ્વારા આ કૃત્યને અંજામ આપેલ છે જેથી મોબ લિંચીંગનો પણ કેસ છે કે જેના પ્રત્યે સુપ્રીમ કોર્ટે કઠોર વલણ અપનાવવા આદેશ કરેલ છે. આ કેસમાં ફાસીની સજા કરી સહાય તેવો કેસ છે પરંતુ આરોપીઓની આર્થિક અને સામાજિક સ્થિતિને ધ્યાનમાં લેતા તેમજ આરોપીઓ છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી જેલમાં હોઈ મૃત્યુ દંડને બદલે અંતિમ શ્વાસ સુધીની આજીવન કારવાસની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે તો સમતોલ ન્યાય થયાનો સમાજ અનુભવ કરશે. વળી, આરોપીઓ સામે જે પ્રકારે ગુનો સાબિત થયેલ છે તે જોતા ભવિષ્યમાં તેઓને સજા માફીની કોઈ રાહત આપવામાં ન આવે તેવો સ્પષ્ટ હુકમ કરવો પણ ન્યાયોચિત જણાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાજમાં દિન-પ્રતિદિન આવા મોબ લિંચીંગના બનાવ તેમજ અસ્પૃશ્યતાની માનસિકતાથી ઉદ્ધભવતા ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં પણ સમાજમાં રહેલી અસ્પૃશ્યતાની માનસિકતાના કારણે સમાજમાં વર્ગ-વિગ્રહની સ્થિતિ ઉભી થાય છે અને ઉંચ-નીચના ભેદભાવનું પ્રમાણ વધી રહેલ છે. સરકારશ્રીના પૂરતા પ્રયત્નો છતા પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રત્યેના અત્યાચારો અંકુશમાં આવી શક્યાં નથી. આ પ્રકારના અત્યાચારોને રોકવા માટે સામાજિક જાગૃતિના પ્રયાસોમાં વધારો થવો જરૂરી છે. તેમજ લોકોની માનસિકતા બદલાય અને ઉંચ-નીચના ભેદભાવ ઘટે તેવા જનજાગૃતિના આંદોલનની પણ આવશ્યકતા છે અને તેવા આંદોલનો ચલાવવા તે સમાજ અને સરકારની જવાબદારી છે. પરંતુ જયારે ઉંચ-નીચના ભેદભાવમાંથી ઉદભવેલા ગુનાઓના નિર્ણય કરવાની જવાબદારી અદાલત ઉપર આવે ત્યારે અદાલતની એ પવિત્ર જવાબદારી છે કે આ ભેદભાવ નાબૂદ થાય અને ભેદભાવની માનસિકતાવાળા લોકોમાં કાયદાનો ભય પેદા થાય તેવો દાખલારૂપ હુકમ કરવો. આમ અદાલતે આજે પોતાના ઉપરની સદર જવાબદારીને વહન કરવાનો દિવસ છે ત્યારે સમાજની બદીઓને દૂર કરવામાં અદાલતનો ચૂકાદો સમાજને મદદરૂપ થાય તે પાસાને પણ ધ્યાનમાં લેવું જરૂરી બને છે. સાથો સાથ અદાલતે પોતાની સમક્ષ હાજર આરોપીઓની આર્થીક, સામાજિક, શૈક્ષણિક અને પારિવારિક પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ તમામ દ્રષ્ટિકોણોથી જોતા આરોપીઓને જે રીતે ક્રુરતાપૂર્વક ગુનાને અંજામ આપેલ તે જોતા આરોપીઓનું કૃત્ય કોઈ પણ તબક્કે દયાને પાત્ર જણાતું નથી. આમ આ સંજોગોમાં કાયદામાં ઠરાવ્યા મુજબની પુરેપુરી સજા કરવામાં આવે તો સમતોલ ન્યાય થયો ગણાશે તેવું અત્રેની અદાલતનું માનવું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે નોંધ્યુ છે કે આમ ઉપરોક્ત ચર્ચા મુજબ આ ગુનાના દરેક આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨, ૪૩૬,૪૪૯, ૧૨૦-બી ના ગુન્હામાં દોષિત માની આજીવન કારાવાસની સખ્ત કેદની સજા કરેલ છે તે સજા આરોપીઓ જીવે ત્યાં સુધી એટલેકે, અંતિમ શ્વાસ સુધી ભોગવવાની રહેશે.આ કામના આરોપીઓને ઉપરોક્ત તમામ સજાઓ એકી સાથે ભોગવવી, આરોપીઓને ઠરવાની નકલ વિના મુલ્યે પૂરી પાડવી અને જજમેન્ટની નકલ જીલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથને મોકલી આપવા અને આ કામના આરોપીઓએ જેટલો સમય કાચા કામના કેદી તરીકે સજા ભોગવેલ હોય તેટલો સમય તેની સજામાં મજરે આપવો અને અપીલનો સમય પૂર્ણ થયા બાદ મુદ્દામાલ નાશ કરવાનો હુકમ સેસન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ચુકાદો ૨૯મી નવેમ્બર ૨૦૧૮ના રોજ ઉનાની સેસન્સ કોર્ટ (ખાસ અદાલત-એટ્રોસિટી)ની ખુલ્લી અદાલતમાં સ્પેશ્યલ જજ દ્વારા વાંચી સંભળાવી જાહેર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ચુકાદાને સમગ્ર દલિત સમાજે આવકારેલ છે તેમજ આ બનાવામાં ફરીયાદી કાળાભાઈ સરવૈયા અને તેમના પુત્ર પિયુષભાઈ સરવૈયા અને પીડિત પરિવારે વેઠેલ સંઘર્ષ અને આ કેસના કાનૂની મદદ કરનાર વકીલ ગોવિંદભાઈ પરમાર અને તેમની ટીમને પણ સમાજે બિરદાવી આભાર માનેલ છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે ૨૫ જાન્યુઆરી ૧૯૮૬માં ખંભાત તાલુકાના ગોલાણા ગામે ચાર દલિતોની હત્યા થયેલ જેમાં ૧૪ લોકોને આજીવન કેદની સજા કોર્ટ દ્વારા થયેલી ત્યાર બાદનો આ દલિત અત્યાચારમાં સૌથી મોટો ચુકાદો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(આ કેસમાં હિંમત હાર્યા વિના અને જરાય વિચલિત થયા વિના લડત આપી રહેલા મૃતક લાલજીભાઈ સરવૈયાના સૌથી નાના ભાઈ પિયુષભાઈ સરવૈયા સાથે <span style="color: rgb(224, 62, 45);"><strong>Khabarantar.com</strong></span> દ્વારા વિસ્તારથી વાત કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં આપની સમક્ષ મૂકીશું.)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો</strong></span> : <a href="https://khabarantar.com/The-police-failed-to-protect-the-Dalits-until-now-so-many-killings-took-place"><span style="text-decoration: underline;"><strong>દલિતોને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ જતા અત્યાર સુધીમાં આટલી હત્યાઓ થઈ</strong></span></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></strong><span style="text-decoration: underline;"><strong><span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 03 Jan 2024 10:51:37 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 03 Jan 2024 11:05:06 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>248</Articleid>
                    <excerpt>દલિતો, આદિવાસીઓ પર જાતિવાદીઓ દ્વારા અત્યાચારોનો સિલસિલો 2023ના વર્ષમાં પણ યથાવત રહ્યો છે. જાતિવાદીઓ જીતતા જાય છે અને પીડિત પરિવારોને ન્યાય મળ્યાંના દાખલાઓ ખૂટતા જાય છે, એવા માહોલમાં અહીં એક એવા કરૂણ છતાં સાહસથી ભરપૂર કેસની વાત કરવી છે જે ન્યાય ઝંખતી કોઈપણ વ્યક્તિને નવું જોમ અને જુસ્સો પુરો પાડશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_6594edc57c556.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_6594edc5479f9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_6594edc5479f9.jpg" length="110023" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદના ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના બાકી કામો પૂર્ણ કરવા મુખ્યમંત્રીને આવેદન પત્ર અપાશે</title>
                    <link>https://khabarantar.com/Ahmedabad-Dr.-An-application-letter-will-be-given-to-the-Chief-Minister-to-complete-the-pending-works-of-Ambedkar-Foundation</link>
                    <guid>https://khabarantar.com/Ahmedabad-Dr.-An-application-letter-will-be-given-to-the-Chief-Minister-to-complete-the-pending-works-of-Ambedkar-Foundation</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના રાણીપમાં આવેલું ડૉ. આંબેડકર ફાઉન્ડેશન આજકાલ તેના અધૂરાં કામોને લઈને ચર્ચામાં આવ્યું છે. હવે આ મામલે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનું નક્કી થયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનની દયનિય હાલતને લઈને ગુજરાતભરના દલિત આગેવાનોમાં ભારે રોષ વ્યાપેલો છે ત્યારે બે દિવસ પહેલા અહીં યોજાયેલી મિટીંગમાં આગેવાનોએ સમગ્ર મામલે ધરણાં અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા સહિતના કાર્યક્રમો કરવાનું નક્કી કર્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડૉ.આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનમાં દોઢ દાયકા પછી પણ અનેક ગામો બાકી છે. અહીં ઓપન થિયેટર સહિતના અનેક કામો પૂર્ણ થયા નથી જેના કારણે તેનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. સરકારે વર્ષ 2007માં અહીં રૂ. 5 કરોડ જેવી મોટી રકમ ખર્ચીને તેનો વિકાસ કરવાનું નક્કી કર્યું હતું. આ વાતને આજે વર્ષો વીતી ગયા હોવા છતાં અનેક કામો પડતર પડ્યાં છે. જે તે સમયે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું, આજે તેઓ વડાપ્રધાનપદે છે છતાં ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું નથી. પરિણામે શહેરના દલિત આગેવાનોએ લડત ચલાવવાનો નિર્ણય કર્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેના માટે તા. 31-12-2023ના રોજ સાંજે નિવૃત્ત નાયબ કલેક્ટર અશોક વાણિયા(વડોદરા)ના પ્રમુખસ્થાને એખ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં ડૉ.આંબેડકર વિચાર મંચ રાણીપના કન્વીનર જે. સી.પરમારે સ્થાનિક રીતે કરવામાં આવેલ તમામ રજૂઆતોની વિસ્તારથી માહિતી આપી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ મિટિંગના મુખ્ય આયોજક દીક્ષાદૂત આનંદે આગામી લડતના કાર્યક્રમોમાં અમદાવાદથી ગાંધીનગર સુધીની લોંગમાર્ચ, અમદાવાદના તમામ વોર્ડમાં સભાઓ, ધરણાં, દેખાવો, સૂત્રોચ્ચાર, અનુ.જાતિના મંત્રીઓના કાર્યક્રમોનો બહિષ્કાર, અનુ.જાતિ ના MP -MLAના નિવાસે એક દિવસીય ધરણાં, ધિક્કાર સભાઓ, પોસ્ટર, પત્રિકાઓ, વોલ રાઈટિંગ, વાહન રેલી, જિલ્લા - તાલુકા મથકોએ આવેદન પત્રો આપવા, પોસ્ટર ઝુંબેશ જેવા કાર્યક્રમો કરવાની વિગતો આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65924f25c4bec.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મિટીંગમાં મોટી સંખ્યામાં હાજર રહેલા કર્મશીલો પૈકી ડૉ. હસમુખ પરમાર, મહેશ પરમાર, રાહુલ પરમાર(ચાંદખેડા), જયંતી ઉસ્તાદ(સરસપુર), નિખીલ ગૌતમ(રાયખડ), મિલિંદ પ્રિયદર્શી, અંબાલાલ સોલંકી, જયંત વાળા(રાણીપ), દલપત સોલંકી(બાપુનગર), મનુભાઈ ગોહેલ(રખિયાલ), પ્રવીણ રાઠોડ, વી.કે.શાહ(સાબરમતી), બળવંત જીતિયા(કેશવનગર), સાહિલ પરમાર(ગાંધીનગર), ગૌરવ પરમાર(ઇંટવાળા-સરસપુર), પ્રેમજીભાઈ મહીડા, દિલીપભાઈ રાઠોડ(બહેરામપુરા) </span><span style="font-size: 14pt;">પી.એમ.બોરીચા(ચાંદલોડિયા), પ્રકાશભાઈ રામી(દાણીલીમડા) વગેરેએ સૂચનો કરી લડત શરૂ કરવાનું આહવાન કર્યું હતું. આ લડત લાંબી ચાલવાની હોઈ હાજર રહેલ અગ્રણીઓ પૈકી કેટલાંક મિત્રોએ નાણાંકીય ફાળો આપવાની પણ જાહેરાત કરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ લડત સમિતિ વતી દીક્ષાદૂત(બાલકૃષ્ણ) આનંદે જણાવ્યું હતું કે, સતત ત્રણ કલાક ચાલેલી આ મિટિંગમાં લાંબી ચર્ચા વિચારણા બાદ ડૉ.આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન રાણીપ લડત સમિતિની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિના નેજા હેઠળ આગામી તા. 16 જાન્યુઆરીના રોજ અમદાવાદ કલેકટર કચેરી સામે એક દિવસના ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવશે. આ સિવાય મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી ફેબ્રુઆરી 2024ના અંત સુધીમાં ફાઉન્ડેશનના બાકી કામો પૂર્ણ કરવા માંગણી કરવામાં આવશે. જો ધાર્યું પરિણામ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો </strong></span>: <a href="https://khabarantar.com/The-police-failed-to-protect-the-Dalits-until-now-so-many-killings-took-place"><strong>દલિતોને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ જતા અત્યાર સુધીમાં આટલી હત્યાઓ થઈ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 02 Jan 2024 15:18:29 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 02 Jan 2024 15:22:18 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>247</Articleid>
                    <excerpt>અમદાવાદના રાણીપમાં આવેલું ડૉ. આંબેડકર ફાઉન્ડેશન આજકાલ તેના અધૂરાં કામોને લઈને ચર્ચામાં આવ્યું છે. હવે આ મામલે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનું નક્કી થયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_6593dcc98c7b5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_6593dcc95104c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_6593dcc95104c.jpg" length="103448" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>બોટાદના બેલા ગામે 22 વીઘા સાંથણીની જમીન દલિતોને અપાવવા દલિત અધિકાર મંચ મેદાનમાં</title>
                    <link>https://khabarantar.com/Dalit-Adhikar-Manch-Maidan-to-give-22-bigha-of-Santhani-land-to-Dalits-in-Bela-village-of-Botad</link>
                    <guid>https://khabarantar.com/Dalit-Adhikar-Manch-Maidan-to-give-22-bigha-of-Santhani-land-to-Dalits-in-Bela-village-of-Botad</guid>
                    <description>
                        <![CDATA[ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ બોટાદ જિલ્લાના બેલા ગામે 22 વીઘા જેટલી સાંથણીની જમીનનો પ્રત્યક્ષ કબ્જો પીડિત દલિત પરિવારને અપાવવા માટે મેદાનમાં ઉતરી છે. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ બોટાદ જિલ્લાના બેલા ગામે સ્થાનિક દલિતોને સાંથણીમાં ફાળવાયેલી જમીનોનો કબ્જો અપાવવા માટે મેદાનમાં ઉતરી છે. આ જમીન વર્ષો પહેલા દલિત પરિવારને સાંથણીમાં મળી હતી, પણ માથાભારે તત્વોએ તેના પર કબ્જો જમાવી દીધો હતો અને દલિત પરિવારના નામે જમીન હોવા છતાં તેમને તેમની જ જમીન પર કોઈ હક મળતો નહોતો. આ મામલો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ પાસે પહોંચ્યો હતો અને ટીમના સભ્યો પીડિત દલિત પરિવારને ન્યાય માટે મેદાનમાં ઉતર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ નિમિત્તે એડવોકેટ સુબોધ કુમુદની આગેવાનીમાં RDAMની ટીમ બોટાદના કુંડળ ગામે પહોંચી હતી. જ્યાં તેમણે બરવાળા મામલતદારની મુલાકાત લીધી હતી અને પીડિત દલિત પરિવારોને તેમના હકની જમીનનો કબજો અપાવવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. એ દરમિયાન બરવાળા મામલતદાર દ્વારા તમામ ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં પીડિત દલિત પરિવારોને તેમની જમીનનો પ્રત્યક્ષ કબ્જો આગામી તા. 12 જાન્યુઆરી 2024 સુધીમાં સોંપવાન બાંહેધરી આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બોટાદના આગેવાન કિર્તીભાઈ ચાવડા અને તેમની ટીમ દ્વારા માથાભારે તત્વોએ દલિતોની જમીનો પર કબ્જો જમાવી લીધો હોય તે જમીનો તેના મૂળ માલિક એવા દલિતોને પરત અપાવીને શૌર્ય દિવસની ઉજવણી કરી હતી. દલિત અધિકાર મંચની આ ટીમમાં કમલેશ કટારીયા, ભાવનગરથી માવજીભાઈ સરવૈયા, અરવિંદભાઈ મકવાણા, નીરૂબેન, બોટાદ જિલ્લાની ટીમ અને સાણંદ તાલુકા ટીમ ઉપસ્થિત રહી હતી. આ આગેવાનોનું કહેવું છે કે, આગામી ૧૨ તારીખના રોજ જો મામલતદાર દ્વારા પીડિત દલિત પરિવારને જો તેમની જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેની અનોખી કામગીરી માટે જાણીતું છે. ફાયર બ્રાન્ડ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાની હેઠળની આ યુવા ટીમ ગુજરાતભરમાં જાતિવાદી માથાભારે તત્વોએ દલિતોની પડાવી લીધેલી જમીનોના કેસો હાથ પર લઈને પીડિત પરિવારોને જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અપાવવામાં અગ્રેસર ભૂમિકા ભજવે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ ટીમે દલિતોને તેમના હકની જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અપાવ્યો છે. આ ટીમમાં જિગ્નેશ મેવાણી ઉપરાંત યુવા એડવોકેટ સુબોધ કુમુદ અને તેમની યુવા ટીમનો મહત્વનો રોલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Bhima-Koregaon-Battle---When-a-handful-of-Mahar-warriors-defeated-the-Peshwas-vast-army"><strong><span style="font-size: 14pt;">Bhima Koregaon Battle - જ્યારે મુઠ્ઠીભર મહાર યોદ્ધાઓએ પેશ્વાની વિશાળ સેનાને પરાસ્ત કરેલી</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 02 Jan 2024 14:22:55 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>246</Articleid>
                    <excerpt>રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ બોટાદ જિલ્લાના બેલા ગામે 22 વીઘા જેટલી સાંથણીની જમીનનો પ્રત્યક્ષ કબ્જો પીડિત દલિત પરિવારને અપાવવા માટે મેદાનમાં ઉતરી છે. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_6593cdfbbfe2f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_6593cdfb81c0f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_6593cdfb81c0f.jpg" length="102027" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિતોને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ જતા અત્યાર સુધીમાં આટલી હત્યાઓ થઈ</title>
                    <link>https://khabarantar.com/The-police-failed-to-protect-the-Dalits-until-now-so-many-killings-took-place</link>
                    <guid>https://khabarantar.com/The-police-failed-to-protect-the-Dalits-until-now-so-many-killings-took-place</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">સુરક્ષિત મનાતા ગુજરાતમાં પણ વાત જ્યારે દલિતોને જાતિવાદી માથાભારે તત્વો સામે પોલીસ રક્ષણ આપીને સુરક્ષિત રાખવાની આવે છે ત્યારે ગુજરાતનું પોલીસતંત્ર નિષ્ફળ નીવડતું જણાય છે. આવું આંકડાઓ કહે છે. સ્થિતિ એવી પેદા થઈ છે કે માથાભારે તત્વો દલિતોને જાનથી મારી નાખવાની ધમકી આપે છે છતાં પોલીસ પીડિતને સમયસર પોલીસ રક્ષણ પુરું પાડતી નથી. જો કાયદો કાયદાનું કામ કરે તો માથાભારે તત્વોની ખેર નથી કે કોઈ નિર્દોષ લોકોને આંગળી પણ અડાડી શકે. પરંતુ કમનસીબે જાતિવાદીઓ જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ છે. પરિણામે અત્યાર સુધીમાં અનેક એવી ઘટનાઓ બની છે જેમાં પીડિતની હત્યા થઈ ગઈ હોય. આ રહ્યાં કેટલાક ઉદાહરણો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">1 - બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના જાળીલા ગામના ઉપ સરપંચ મનજીભાઈ સોલંકીને માથાભારે તત્વો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. તેમનું પોલીસ રક્ષણ હટાવી લેવાયું કે તરત તેમની હત્યા કરવામાં આવી. આ કેસના સાક્ષી રાજેશભાઈ મકવાણા (ગામ-બગડ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ)ની પણ પંચમાં સાક્ષી તરીકે સહી કરી હોવાથી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">2 – રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામના નાનજીભાઈ સોંધરવાની પણ સુરક્ષાના કારણોસર હત્યા થઈ હતી. તેમણે સોશિયલ મીડિયા પર, જિલ્લા કલેક્ટર અને એસપી સમક્ષ રૂબરૂ લેખિતમાં પોલીસ રક્ષણ માંગ્યું હતું છતાં મળ્યું નહોતું. આખરે તેમની હત્યા થઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">3- આ જ કેસમાં નાનજીભાઈ સોંધરવાના દીકરા રાજેશભાઈએ પિતાની હત્યા મામલે સમાધાન ન કરતા માથાભારે તત્વો તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા, આથી તેમણે પણ પોલીસ સુરક્ષા માંગી હતી. જો કે તેમને માણેકવાડાના ઘરે પોલીસ રક્ષણ અપાયું પણ બહાર નહોતું અપાયું. પરિણામે રાજકોટથી ઘરે પરત આવતી વખતે રસ્તામાં જ તેમની હત્યા થઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">4 – જાતિવાદ માટે કુખ્યાત સૌરાષ્ટ્રના વધુ એક જિલ્લા સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના સમઢિયાળામાં માથાભારે તત્વો વર્ષોથી મનોજભાઈ અને આલજીભાઈ નામના બે ભાઈઓની જમીન પડાવી લેવા માટે મથતા હતા. જમીનનો કેસ તેઓ જીતી ગયા હોવા છતાં માથાભારે તત્વોએ એક સંપ થઈ તેમના સહિત પરિવારના લોકો પર હુમલો કર્યો હતો. બંને ભાઈઓએ જમીન પર વાવણી કરવા જવા માટે પોલીસ રક્ષણ માંગ્યું હતું, પણ મળ્યું નહીં અને તેમની હત્યા થઈ. પરિવારના લોકોને પણ ગંભીર ઈજાઓ થઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">5 – અમરેલી સબ જેલમાં રાજુલા તાલુકાના ડુંગર ગામના દલિત યુવાન જિગ્નેશ સોંધરવાની પોલીસની હાજરીમાં જ હત્યા થઈ ગઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">6 – પોરબંદર જિલ્લાના ભોળાદર ગામમાં માથાભારે તત્વોએ 80 વરસથી અહીં રહેતા મારખીભાઈ બેડવાનું ઘર તોડી પાડ્યું હતું, પરિવારે પોલીસ રક્ષણ માંગ્યું હતું પણ બાદમાં હટાવી દેવાતા આરોપીઓએ મારખીભાઈના પિતા દુદાભાઈ બેડવાની હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">7 – થાનગઢમાં ખુદ પોલીસે દ્વારા જ ત્રણ દૂધમલ દલિત યુવાનોની ગોળીબારમાં હત્યા કરવામાં આવી હતી, આ મામલે એક કેસમાં ચાર્જશીટ કરાઈ હતી, જ્યારે બે કેસમાં સી-સમરી ભરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">8 – અમદાવાદના ઈસનપુર ખાતે 17 વરસના રિતિક અરવિંદભાઈ પરમારનું પોલીસ દ્વારા માર મારતા રિમાન્ડ હોમમાં દવાખાને નહી લઈ જવાતા મોત- કસ્ટોડિયલ ડેથ</span></p>
<p style="text-align: justify;"><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">9 – ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આકોલાળી ગામે લાલજીભાઈ સરવૈયા નામના દલિત યુવાનને ઘરમાં જ જીવતા સળગાવી દેવાયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">10 – પોરબંદરના બરડા ડુંગરમાં અનુસૂચિત જાતિના દંપતિની હત્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">11 – અમરેલીના વરસડા ગામમાં યુવાન દલિત સરપંચની જાતિવાદીઓ દ્વારા હત્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">આ તમામ કેસોમાં મૃતક અથવા તેમના પરિવારજનોએ ક્યારેકને ક્યારેક જાતિવાદીઓ દ્વારા તેમને અપાતી હત્યાની ધમકીઓને લઈને પોલીસ રક્ષણ માંગ્યું હતું, અમુક કેસમાં તે મળ્યાં બાદ હટાવી દેવાયું હતું એ પછી પીડિતની હત્યા થઈ હતી, જ્યારે અન્ય કેસમાં પોલીસ દ્વારા રક્ષણ પુરું પડાયું નહોતું તેના કારણે હત્યા થઈ હતી. 2024નું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે પરંતુ દલિતો માટે સ્થિતિ જાણે વધુ કપરી થઈ રહી હોય તેવું ચિત્ર ભાસે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-family: tahoma, arial, helvetica, sans-serif; font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Bhima-Koregaon-Battle---When-a-handful-of-Mahar-warriors-defeated-the-Peshwas-vast-army"><strong><span style="font-size: 14pt;">Bhima Koregaon Battle - જ્યારે મુઠ્ઠીભર મહાર યોદ્ધાઓએ પેશ્વાની વિશાળ સેનાને પરાસ્ત કરેલી</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 02 Jan 2024 09:55:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>245</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_6592e69feaa20.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_6592e69fb4ce7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_6592e69fb4ce7.jpg" length="69672" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>તમિલનાડુમાં દલિતોએ સવર્ણોએ બનાવેલો નિયમ તોડ્યો, પહેલીવાર શેરીમાં ચંપલ પહેરી સ્ટ્રીટ વોક કરી</title>
                    <link>https://khabarantar.com/In-Tamil-Nadu,-Dalits-break-the-rules-made-by-upper-castes,-walk-the-streets-wearing-shoes-for-the-first-time</link>
                    <guid>https://khabarantar.com/In-Tamil-Nadu,-Dalits-break-the-rules-made-by-upper-castes,-walk-the-streets-wearing-shoes-for-the-first-time</guid>
                    <description>
                        <![CDATA[ તામિલનાડુના એક ગામમાં સવર્ણોએ દલિતોએ ગામની શેરીમાં ચપ્પલ પહેરીને નીકળવું નહીં તેવો નિયમ બનાવ્યો હતો. આખરે તે તૂટ્યો છે. વાંચો આ વિસ્તૃત અહેવાલ ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકવીસમી સદીમાં અને એ પણ આઝાદીના અમૃતકાળમાં પણ આજે કથિત સવર્ણો દ્વારા દલિતો પર અઢારમી સદી જૂના નિયમો ધરાર લાદવામાં આવે છે અને તેનું કડકાઈથી પાલન પણ કરાવવામાં આવે છે. આવું જ કંઈક તમિલનાડુના રાજાવુર ગામમાં બન્યું હતું જ્યાં કથિત ઉચ્ચ જાતિના લોકોએ દલિતો પર ગામની શેરીઓમાં ચપ્પલ પહેરીને નીકળવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ વણલખ્યા નિયમનું અહીંના દલિતોએ ફરજિયાત પાલન કરવાનું રહેતું હતું અને તેમણે ગામની શેરીઓમાં ચપ્પલ પહેર્યા વિના જ નીકળવું પડતું હતું. જો કે આખરે આ જાતિવાદી નિયમને દલિતોએ તોડી પાડ્યો છે અને એ શેરીમાં ચપ્પલ પહેરીને નીકળી સ્ટ્રીટ વોક કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુમાં 60થી વધુ દલિતોએ અહીંના રાજાવુર ગામમાં ઉચ્ચ જાતિઓ દ્વારા લાદવામાં આવેલા અલિખિત પ્રતિબંધને અવગણ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે દલિતોએ અહીં તિરુપુર જિલ્લાના મદથુકુલમ તાલુકાના રાજાવુર ગામમાં વર્ષો જૂની પરંપરા તોડી હતી અને સવર્ણોએ બનાવેલા વણલખ્યા નિયમને તોડી નાખ્યો હતો. અત્યાર સુધી આ ગામમાં દલિતો શેરીઓમાં ચપ્પલ પહેરીને નીકળી શકતા નહોતા. જેની સામે ગામના દલિતોએ આંદોલન કરીને આખરે એ જ શેરીમાં ચપ્પલ પહેરીને રેલી કાઢી સવર્ણોએ બનાવેલા નિયમને તોડી નાખ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં કથિત ઉચ્ચ જાતિઓ દ્વારા લાગુ કરાયેલા એક અસ્પષ્ટ નિયમ મુજબ દલિતો ગામની શેરીઓમાં ચપ્પલ પહેરીને ચાલી શકતા નહોતા. એટલું જ નહીં અનુસૂચિત જાતિના લોકો માટે ગામમાં સાઈકલ ચલાવવા પર પણ પ્રતિબંધ હતો. ગામમાં વસતા 900 જેટલા પરિવારોમાં પૈકી 800 જેટલા ગૌંડર અને નાઈકર જેવી કથિત ઉચ્ચ જાતિના છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658bc66e3d735.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામના એક રહેવાસી મુરૂગાનંદમે મીડિયાને જણાવ્યું હતું કે, દલિતોના અરૂન્થાથિયાર સમાજના લોકોને ગામની શેરીમાં ચંપલ પહેરીને ચાલવા પર પ્રતિબંધ હતો. આ મામલે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી અને અગાઉ તેમના પર હુમલાઓ પણ થયા છે. સવર્ણ મહિલાઓ તો એવું કહેતી હતી કે, જો દલિતો શેરીઓમાં ચંપલ પહેરીને ચાલશે તો તેમના દેવ કોપાયમાન થશે અને દલિતોને મારી નાખશે. દાયકાઓથી સવર્ણોના અત્યાચારનો આ મામલો અમે થોડા સમય પહેલા સ્થાનિક દલિત સંગઠનોના ધ્યાને લાવવાનું નક્કી કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય એક દલિત સમાજની વ્યક્તિએ કહ્યું કે, "જ્યારે આઝાદી પછી અસ્પૃશ્યતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે આ માથાભારે જાતિના લોકોએ આ પ્રથાને કાયમ રાખવા માટે એક વાર્તા ઘડી કાઢી હતી. જેમાં કહેવાયું હતું કે શેરીમાં એક ઢીંગલીને દાટવામાં આવી છે અને જો દલિતો ગામની શેરીઓમાં ચંપલ પહેરીને ચાલશે તો ત્રણ મહિનામાં તેમનું મોત થઈ જશે. કેટલાક દલિતોએ આ વાર્તાને સાચી માની લીધી અને ચંપલ પહેર્યા વિના શેરીઓમાં ચાલવાનું શરૂ કર્યું, પરિણામે આજ સુધી આ પ્રથા ચાલુ હતી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખો મામલો તમિલનાડુ અસ્પૃશ્તા નિવારણ મોરચા(તિરુપુર) સુધી પહોંચ્યો અને સંસ્થાના સચિવ કનાગરાજે આ ગામની મુલાકાત લીધી. તેમણે આ અમાનવીય પ્રથા બંધ કરાવવાનું નક્કી કર્યું અને તેના માટે સ્ટ્રીટ વોકનો કાર્યક્રમ ગોઠવ્યો. કેટલીક દલિત મહિલાઓએ તેમને દેવતા કોપાયમાન થશે તેમ કહીને શેરીમાંથી પસાર ન થવા કહ્યું, પણ તેઓ મક્કમ રહ્યાં. પોલીસ પાસે વિરોધ પ્રદર્શન કરવાની પરમીશન માંગી પણ મળી નહીં, તેમ છતાં મોરચાના સભ્યો, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માર્કસવાદી), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી અને દલિત અધિકાર સંગઠન આથી થમીઝર પેરાવાઈ, CPM, VCK અને ATP ના જેવા રાજકીય પક્ષો અને કાર્યકર્તાઓએ સાથે મળીને શેરીમાંથી ચંપલ પહેરીને પસાર થવાનું નક્કી કર્યું. એટલું જ નહીં ગામમાં આવેલા રાજાકલિયમ્માન મંદિરમાં પ્રવેશવાનું નક્કી કર્યું જે દલિતો માટે ગજા બહારની બાબત હતી. પણ આ સંગઠનોની તાકાતે તે કરી બતાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખરે ગત રવિવારે સાંજે 60થી વધુ દલિતો પગમાં ચપ્પલ પહેરીને શેરીઓમાં ચાલ્યા હતા અને કોઈએ તેમને રોક્યા નહોતા. સમગ્ર ઘટના પર સ્થાનિક પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. સ્ટ્રીટ વૉકનું આયોજન કર્યા પછી પણ કેટલાક દલિતો હજુ ડરમાં છે. જો કે સંગઠનોનું માનવું છે કે તેમનો આ ડર ધીરેધીરે દૂર થઈ જશે અને સ્ટ્રીટ વોકના કાર્યક્રમથી તેમનો આત્મવિશ્વાસ ચોક્કસ વધશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Manusmriti-Dahan-programs-were-held-in-many-villages-and-towns-of-Gujarat"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">ગુજરાતના અનેક ગામો-શહેરોમાં મનુસ્મૃતિ દહનના કાર્યક્રમો યોજાયા</span></strong></span></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span></span></strong><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Dec 2023 12:14:33 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 27 Dec 2023 12:18:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>233</Articleid>
                    <excerpt>તામિલનાડુના એક ગામમાં સવર્ણોએ દલિતોએ ગામની શેરીમાં ચપ્પલ પહેરીને નીકળવું નહીં તેવો નિયમ બનાવ્યો હતો. આખરે તે તૂટ્યો છે. વાંચો આ વિસ્તૃત અહેવાલ</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_658bc6aca30b8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_658bc6ac67516.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_658bc6ac67516.jpg" length="95298" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદમાં દલિત આગેવાનોનું આંદોલન સફળ, ડો. આંબેડકરની પ્રતિમા આસપાસ સુરક્ષા, સફાઈની પોલીસે ખાતરી આપી</title>
                    <link>https://khabarantar.com/Movement-of-Dalit-leaders-in-Ahmedabad-successful,-Dr.-Police-assured-security,-cleaning-around-Ambedkars-statue</link>
                    <guid>https://khabarantar.com/Movement-of-Dalit-leaders-in-Ahmedabad-successful,-Dr.-Police-assured-security,-cleaning-around-Ambedkars-statue</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદના સાળંગપુરમાં આવેલી ડો. આંબેડકરની પ્રતિમા આસપાસ ગંદકી, અસામાજિક પ્રવૃત્તિઓ સામે દલિત આગેવાનોએ આંદોલન શરૂ કર્યું, જેનો સુખદ અંત આવ્યો છે. વાંચો આ અહેવાલ ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના સાળંગપુર વિસ્તારમાં આવેલી ડો. આંબેડકરની પ્રતિમા અમદાવાદ શહેર ઉપરાંત ગુજરાતભરના બહુજનો માટે સ્વાભિમાન અને ક્રાંતિનું પ્રતિક બની રહી છે. જો કે છેલ્લાં કેટલાક સમયથી અહીં જુગાર, દારૂ, ગંદકી સહિતના પ્રશ્નો ઉભા થયા હતા. જે દલિત આગેવાનોના ધ્યાનમાં આવતા તેમણે આ મામલે આંદોલન શરૂ કર્યું હતું. તેના માટે આગેવાનોએ તા. 10 નવેમ્બર 2023ના રોજ કાલુપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પણ પોલીસ દ્વારા કોઈ પગલાં ન ભરાતા આખરે આગેવાનોએ ધરણાં સહિતના કાર્યક્રમો યોજ્યા હતા. ગત તા. 15 ડિસેમ્બરના રોજ આગેવાનોએ મિટીંગ કરી દેખાવો યોજ્યાં હતાં અને પોતાની માગણીઓ રજૂ કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658286b6a9797.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ યોજાયેલી મિટીંગમાં ડો. બાબા સાહેબની પ્રતિમા જ્યાં આવેલ છે તે બગીચામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ અટકે, ઉંદરોએ કરેલા દર પુરવામાં આવે, સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા કરાય, પ્રતિમા આસપાસની જગ્યાના વિકાસ માટે બજેટ ફાળવાય, ફૂલછોડ સહિતના રોપાં રોપાય, પ્રતિમા પાછળની જર્જરિત ટાંકી તોડી પડાય, નિયમિત સાફ-સફાઈ થાય, બગીચાની જાળવણી માટે માળીની નિમણૂંક કરાય, ઝાડની ડાળીઓને કારણે પ્રતિમા ઢંકાઈ જતી હોવાથી ડાળીઓ દૂર કરાય સહિતની માંગો નક્કી કરાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તમામ માગણીઓને લઈને પછી ધરણાં સહિતના કાર્યક્રમો યોજવામાં આવતા પોલીસ સહિતનું તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક સાળંગપુર ડો. આંબેડકરની પ્રતિમા સ્થળે દોડી આવ્યું હતું. દલિત આગેવાનોએ યોજેલા ધરણાંની અસર એટલી મોટી હતી કે એકસાથે ત્રણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ ઘરણાં સ્થળે દોડી આવ્યા હતા. એ પછી એક જ કલાકમાં સ્થાનિક ડીસીપી દ્વારા આગેવાનોની માંગણીઓ પૂર્ણ કરવા અને જરૂરી તમામ પગલાં ભરવાની ખાતરી આપવામાં આવતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658286d9e4176.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ આંદોલનને સફળ બનાવવામાં અમદાવાદ શહેરના સામાજિક કાર્યકરો કલ્પેશ પરમાર, જયેશ પરમાર, દેવલબેન રાઠોડ, પ્રિયકાંત કલાપી, કરશનભાઈ રાઠોડ, જે. કે. સાહેબ, કાંતિલાલ પરમાર, હિતેન્દ્ર ડોરિયા સહિત 80થી વધુ આગેવાનોનો સિંહફાળો રહ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Kaala---The-roar-of-Dalit-identity-presented-on-the-cinema-screen"><strong><span style="font-size: 14pt;">Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Dec 2023 11:52:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>212</Articleid>
                    <excerpt>અમદાવાદના સાળંગપુરમાં આવેલી ડો. આંબેડકરની પ્રતિમા આસપાસ ગંદકી, અસામાજિક પ્રવૃત્તિઓ સામે દલિત આગેવાનોએ આંદોલન શરૂ કર્યું, જેનો સુખદ અંત આવ્યો છે. વાંચો આ અહેવાલ</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6582869a610be.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6582869a228a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6582869a228a7.jpg" length="108026" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>હવામહેલના ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે ફરિયાદ, પિતા દલિત યુવક પર થૂક્યાં, છાતી પર લાત મારી</title>
                    <link>https://khabarantar.com/Complaint-against-Havamahal-MLA-Balmukundacharya,-father-spat-on-Dalit-youth,-kicked-him-on-chest</link>
                    <guid>https://khabarantar.com/Complaint-against-Havamahal-MLA-Balmukundacharya,-father-spat-on-Dalit-youth,-kicked-him-on-chest</guid>
                    <description>
                        <![CDATA[ બાલમુકુંદાચાર્ચ અને તેના પિતા પર આરોપ છે કે તેમણે એક દલિત વ્યક્તિને માર મારી, જાતિસૂચક ગાળો આપીને અપમાનિત કર્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવામહેલના નવા ચૂંટાયેલા ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય ઉર્ફે સંજય શર્મા અને તેના ધારાસભ્ય પિતા પુરૂષોત્તમ શર્મા સામે અહીંના કરઘણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બાલમુકુંદાચાર્ચ અને તેના પિતા પર આરોપ છે કે તેમણે એક દલિત વ્યક્તિને માર મારી, જાતિસૂચક ગાળો આપીને અપમાનિત કર્યા હતા. આ ઘટના બાલમુકુંદાચાર્ય ઉર્ફે સંજય શર્માના ધારાસભ્ય બન્યા પહેલાની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કરઘણી પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆર મુજબ અહીંના પીથાબાસ હાથોજ ગામના સૂરજમલ રેગરે આરોપ લગાવ્યો હતો કે ગત 10 ઓગસ્ટ 2023ના રોજ તેઓ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. એ વખતે આરોપી બાલમુકુંદાચાર્ય ઉર્ફે સંજય શર્મા અને તેના ધારાસભ્ય પિતા પુરુષોત્તમ શર્મા (ગામ હાથોજ, જિલ્લો-જયપુર) કેટલાક શખ્સો સાથે તેમના ખેતર પર આવ્યા હતા, અને આવતાની સાથે જ બાલમુકુંદાચાર્ય ઉર્ફે સંજય શર્માએ ફરિયાદીની છાતીમાં લાત મારી હતી અને તેમને જાતિસૂચક શબ્દો બોલીને અપમાનિત કરી તેમની સાથે મારામારી, ગાળાગાળી કરી હતી. સાથે જ “તેં અમારી સામે કરઘણી પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી છે તેનાથી અમારું કશું બગાડી નહીં શકે, અમારી પહોંચ છેક ઉપર સુધી છે, તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું” એમ ધમકી આપી હતી. આરોપ છે કે ધારાસભ્યના પિતા પુરૂષોત્તમ શર્મા ફરિયાદીના મોં પર થૂંક્યા હતા અને તેમને થપ્પડ મારી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એફઆઈઆર મુજબ, હોબાળો થતા જિતેન્દ્રસિંહ નામની વ્યક્તિ સહિત કેટલાક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદને બચાવ્યા હતા. એ પછી આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. જતા જતા તેમણે ફરિયાદીની જમીન પર ગેરકાયદે કબ્જો કરવાની ધમકી આપી હતી. ફરિયાદીનો આરોપ છે કે, બાલમુકુંદાચાર્ય તેને અને તેના પરિવારને જ્યારેને ત્યારે જાતિસૂચક શબ્દોથી અપમાનિત કરતા રહે છે અને તેની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવવાનો પ્રયત્ન કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">30 જુલાઈએ પણ આપી હતી ફરિયાદ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદી દલિત સૂરજમલ રેગરે 30 જુલાઈ 2023 એ પણ આરોપી બાલમુકુંદાચાર્ય અને તેના પિતા વિરુદ્ધ કરઘણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. તેના કારણે આરોપીઓની હિંમત વધી ગઈ હતી. પોલીસ કાર્યવાહી ન થતા આરોપીઓ સમયાંતરે ફરિયાદી અને તેના પરિવારને ધમકાવતા રહેતા હતા અને જાતિસૂચક શબ્દો બોલીને અપમાનિત કરતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">8 ઓગસ્ટ 2023ની ઘટનાને લઈને પીડિતે આરોપી બાલમુકુંદાચાર્ય ઉર્ફે સંજય શર્મા વિરુદ્ધ કરઘણી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી હતી. પણ પોલીસે આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની મનાઈ કરી દીધી હતી. આખરે પીડિતે નાછુટકે કોર્ટનો સહારો લેવો પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટના આદેશ પર પોલીસે આરોપી ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય ઉર્ફે સંજય શર્મા અને તેના પિતા પુરુષોત્તમ શર્મા વિરુદ્ધ કલમ 341, 323 આઈપીસી અને કમલ3(1)(R)(S), 3(2) (V) (A) SC/ST એક્ટ અંતર્ગત પ્રાથમિક ફરિયાદ નોંધીને ઝોટવાડા જયપુર પશ્ચિમના આરએસપી એસીપી સુરેન્દ્રસિંહ રાણાવતને તપાસ સોંપી છે. ઉલ્લેખનીય છે કે, આ એજ આચાર્ય બાલમુકુંદાચાર્ય છે જેમનો ધારાસભ્ય બન્યાના બીજા જ દિવસે નોનવેજની દુકાનો બંધ કરાવવા મામલે વીડિયો વાયરલ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"> આ પણ વાંચો :</span></strong></span><a href="https://khabarantar.com/For-the-first-time-after-76-years-of-independence,-a-Dalit-bridegroom-mounted-a-horse"><strong><span style="font-size: 14pt;">આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં</span></strong></a></p>
<p><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</strong></span></p>
<p><strong><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Dec 2023 19:11:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>193</Articleid>
                    <excerpt>બાલમુકુંદાચાર્ચ અને તેના પિતા પર આરોપ છે કે તેમણે એક દલિત વ્યક્તિને માર મારી, જાતિસૂચક ગાળો આપીને અપમાનિત કર્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_657862858d5ba.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_65786285530b5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_65786285530b5.jpg" length="69721" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં</title>
                    <link>https://khabarantar.com/For-the-first-time-after-76-years-of-independence,-a-Dalit-bridegroom-mounted-a-horse</link>
                    <guid>https://khabarantar.com/For-the-first-time-after-76-years-of-independence,-a-Dalit-bridegroom-mounted-a-horse</guid>
                    <description>
                        <![CDATA[ આઝાદીના અમૃત મહોત્સવ વચ્ચે એક એવા ગામની વાત કરીએ, જ્યાં 76 વર્ષમાં પહેલીવાર કોઈ દલિત વરરાજા ઘોડીએ ચઢ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એકબાજુ દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ચોતરફ તેની ઉજવણીના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે આઝાદ ભારતમાં એક એવું પણ ગામ છે, જ્યાં 76 વરસમાં પહેલીવાર કોઈ દલિત વરરાજા ઘોડી પર ચઢી શક્યાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ટટમ ગામમાં એક દલિત વરરાજાએ ગામમાં પહેલીવાર ઘોડીએ ચઢતા પહેલા પોલીસ રક્ષણની માંગ કરી, તેના માટે તેણે પોલીસને અરજી કરી હતી અને તેમાં તેણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, જે ગામમાં તે રહે છે ત્યાં અત્યાર સુધીમાં કોઈ દલિત વરરાજા ઘોડી પર ચઢીને ગામમાં ફર્યા નથી. એ પછી પોલીસે એ યુવકને સુરક્ષા આપી અને દલિત વરરાજા ઘોડી પર ચઢ્યા અને ગામમાં ફર્યા. સારી વાત એ રહી કે પોલીસ સુરક્ષાને કારણે એ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મને ઘોડીએ ચઢવા દો સાહેબ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આખો મામલો બુંદેલખંડના મહારાજપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ટટમ ગામનો છે, જ્યાં રહેતા સૂરજ અહિરવારના લગ્ન ખજૂરાહોની નીલમ સાથે 9 ડિસેમ્બર 2023ના રોજ નક્કી થયા હતા. સૂરજની ઈચ્છા ઘોડી પર ચઢવાની હતી. તેના માટે તેણે 4 ડિસેમ્બરના રોજ મહારાજપુર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપીને એ બાબતની શંકા વ્યક્ત કરી હતી કે “ગામમાં રહેતા અમુક કથિત ઉચ્ચ જાતિના લોકો મને ઘોડી પર ચઢવાથી રોકી શકે છે, કારણ કે આજ સુધી આઝાદી પછી પણ મારા ગામમાં એકપણ દલિત વરરાજા ઘોડી પર નથી ચઢ્યા.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલાની ગંભીરતાને જોતા પોલીસે 9 ડિસેમ્બરની રાતે સૂરજને સુરક્ષા પુરી પાડી હતી અને પોલીસની દેખરેખમાં ગામમાં પહેલીવાર એક દલિત વરરાજા ઘોડીએ ચઢી શક્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂરજનું કહેવું છે કે, “આપણા દેશનું બંધારણ બધાંને મૌલિક અધિકાર આપે છે અને અમને પુરો હક છે કે અમે આઝાદ ભારતમાં હક અધિકારની વાત કરી શકીએ. પણ અમારા ગામમાં હજુ સુધી કોઈ દલિતને ઘોડી પર બેસીને વરઘોડો કાઢવાનો અધિકાર નહોતો. ગામના કથિત સવર્ણોની ધાકને કારણે 76 વરસમાં કોઈ દલિત વરરાજા ઘોડી પર ચઢીને ગામમાંથી નીકળી શક્યો નહોતો, પણ પોલીસના સહકારથી અમે વરઘોડો કાઢી શક્યા.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આખરે પરંપરા તૂટી ગઈ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામમાં જ રહેતા રોહન ચૌધરીએ વધુ જાણકારી આપતા કહે છે કે “અમારા ગામમાં આઝાદીથી લઈને આજ દિન સુધી કોઈ પણ દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં નથી. સૂરજે હિંમત બતાવી અને તંત્ર પાસે મદદ માંગી, એ પછી તે ઘોડી પર ચઢીને ગામમાં વરઘોડો કાઢી શક્યો. પોલીસ તંત્રનો પણ સારો સહકાર મળ્યો. આઝાદીના 76 વરસથી ચાલી આવતી આ કલંકિત પરંપરા આખરે સૂરજની હિંમતના કારણે તૂટી તેનો આનંદ છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શાંતિપૂર્ણ રીતે નીકળ્યો વરઘોડો </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ તંત્રના સહકારને કારણે કથિત ઉચ્ચ જાતિના લોકોની સાન ઠેકાણી આવી શકી હતી અને સૂરજનો વરઘોડો શાંતિપૂર્ણ રીતે ગામમાંથી નીકળ્યો હતો. એક સ્થાનિક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “ગામમાં ઉચ્ચ જાતિના લોકોની ધાક જ એવી છે કે, આજ દિન સુધી કોઈ દલિત વરરાજાએ ઘોડી પર ચઢીને ગામમાં ફરવાની હિંમત નથી કરી. આ પહેલીવાર છે જ્યારે કોઈ દલિત યુવક ઘોડી પર ચઢીને ગામમાં ફર્યો હોય. અમને ચિંતા એ વાતની થાય છે કે ક્યાંક સૂરજ પર દાઝ રાખીને કોઈ આગળ જતા તેને નિશાન ન બનાવે. જો કે તે હોંશિયાર છે, તેણે આટલી હિંમત બતાવી છે ત્યારે તે તેના સંભવિત પરિણામોથી પણ વાકેફ હશે જ, અને તેનો સામનો કરવાની પણ તાકાત ધરાવતો હશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં દલિતો માટે કામ કરતા યુવા નેતા સતીષ સિંહ કહે છે કે, “અમને એ વાતની જાણકારી મળી હતી કે આઝાદીના 76 વર્ષ પછી પહેલીવાર અહીં એક દલિત યુવકે ઘોડીએ ચઢવા માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. એ જ કારણે અમે લોકો આ લગ્નમાં હાજર રહ્યા હતા. મારી સાથે મારા બીજા મિત્રો પણ તેમાં જોડાયા હતા, પોલીસ તંત્રનો પણ સારો સહકાર મળ્યો અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાજપુર પોલીસ સ્ટેશનનના ઈન્ચાર્જ વિંદુ વિશ્વાસે જણાવ્યું હતું કે, આઝાદીના 76 વરસમાં પહેલીવાર આ ગામમાંથી કોઈ દલિત વરરાજાએ ઘોડી પર ચઢવા માટે થઈને પોલીસ રક્ષણ માંગ્યું હતું. અમે મામલાની ગંભીરતા સમજીને તેને સુરક્ષા પુરી પાડી હતી અને લગ્ન સ્થળે પહોંચીને વરઘોડાની વિધિ પૂર્ણ કરાવી હતી અને કોઈ વિરોધ થયો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Wind-of-change:-Amreli-bride-and-groom-get-married-under-constitution-witness"><strong><span style="font-size: 14pt;">પરિવર્તનનો પવનઃ અમરેલીમાં વર-કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા!</span></strong></a></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </strong></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Dec 2023 10:56:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>189</Articleid>
                    <excerpt>આઝાદીના અમૃત મહોત્સવ વચ્ચે એક એવા ગામની વાત કરીએ, જ્યાં 76 વર્ષમાં પહેલીવાર કોઈ દલિત વરરાજા ઘોડીએ ચઢ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6577edf02d498.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6577edefe8744.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6577edefe8744.jpg" length="75938" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>પરિવર્તનનો પવનઃ અમરેલીમાં વર&amp;કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા!</title>
                    <link>https://khabarantar.com/Wind-of-change:-Amreli-bride-and-groom-get-married-under-constitution-witness</link>
                    <guid>https://khabarantar.com/Wind-of-change:-Amreli-bride-and-groom-get-married-under-constitution-witness</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સમાજની નવી પેઢી બંધારણ, બાબાસાહેબ અને બુદ્ધનું મહત્વ સમજવા માંડી છે. આ અનોખા લગ્ન તેનો વધુ એક મજબૂત પુરાવો પુરો પાડે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજની નવી પેઢી હવે ધીમી પણ મક્કમ ગતિએ મનુવાદી વિચારસરણીઓને ફગાવીને બંધારણ, બાબસાહેબ અને બુદ્ધે ચિંધેલા માર્ગે આગળ વધી રહી છે. ડો. આંબેડકરે આ દેશના છેવાડના માણસને બંધારણ થકી આપેલા હકોના મહત્વને સમજતી નવી પેઢી હવે આ સંદેશો તેના અંગત જીવનમાં વણી લઈને સમાજને પરિવર્તનનો સંદેશો આપતી થઈ છે. આવો જ એક પ્રસંગ બે દિવસ પહેલા અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં યોજાઈ ગયો, જ્યાં એક વરવધૂએ બંધારણ, બાબાસાહેબ અને બુદ્ધની સાક્ષીએ લગ્ન કરીને નવો ચિલો ચાતર્યો છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6575ffcf195d8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અમરેલી જિલ્લાના જશવંતગઢ-ચિત્તલ ખાતે રહેતા મનુભાઈ પરમારના પુત્ર સંજયના લગ્ન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામના બાવચંદભાઈ મહિડાની દીકરી તેજલ(હિરલ) સાથે ગત તારીખ 8-12-2023ના રોજ યોજાયા હતા. આ લગ્નની ખાસ વાત એ હતી કે વરકન્યા હાથમાં બંધારણ રાખીને બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર, તથાગત ગૌતમ બુદ્ધ, ક્રાંતિસૂર્ય જ્યોતિબા ફૂલે, માતા સાવિત્રીબાઈ ફૂલે સહિતના બહુજન સમાજના મહાનાયકોના કાર્યો અને વિચારધારાને સાક્ષી માનીને લગ્નના બંધને જોડાયા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6575ffcc6e311.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">વરરાજા સંજય પરમાર પોતે બગસરામાં તલાટી તરીકે ફરજ બજાવે છે, જ્યારે નવવધુ તેજલ પણ નોકરી કરે છે. નવી પેઢીની આ જોડી બાબાસાહેબની વિચારધારામાં માનતી હોવાથી તેમણે સમાજમાં સંદેશ જાય તેમ અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આથી તેમણે તથાગત ગૌતમ બુદ્ધ અને ડો. આંબેડકરની સાક્ષીએ બૌદ્ધ વિધિથી લગ્ન કર્યા હતા. વરઘોડામાં વરકન્યાએ બગીમાં બેસીને હાથમાં બંધારણનું પુસ્તક રાખીને અનોખો મેસેજ આપ્યો હતો. એ પછી જલાલપુર ખાતે સમાજની હાજરીમા બૌદ્ધ વંદના કરી બૌદ્ધ વિધિથી ડો. બાબાસાહેબ આંબેડકર અને બંધારણની સાક્ષીએ સાદાઈથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમણે પરિવાર અને સમાજના સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6575ffcd3a97d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">લગ્નની કંકોતરીમાં પણ ‘જય ભીમ’</span></strong></span><br><span style="font-size: 14pt;">આ નવદંપતિના લગ્નની કંકોતરી પણ અનોખી હતી. જેમાં મનુવાદી વિચારસરણી, કાલ્પનિક દેવી-દેવતાઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તેમાં બહુજન મહાનાયકોને સ્થાન આપવામાં આવ્યું હતું. કંકોત્રીમાં ડો. આંબેડકર, તથાગત બુદ્ધની સાથે તેમના કાર્યો અને સંદેશને વણી લેવામાં આવ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6575ffce02806.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">નવવિવાહિત જોડી પૈકીના સંજયભાઈ કહે છે, “લગ્ન કોઈપણ વ્યક્તિના જીવનમાં સૌથી અગત્યનો પ્રસંગ ગણાય છે. હું અને તેજલ બહુજન સમાજની વિચારધારાને વરેલા છીએ અને અમે ઈચ્છતા હતા કે અમારા લગ્ન થકી સમાજમાં કંઈ સારો મેસેજ જાય. આ માટે અમે સંપૂર્ણ બૌદ્ધ વિધિથી અને બહુજન મહાનુભાવોના કાર્યો અને જીવન સંઘર્ષને સાક્ષી માનીને લગ્ન કરવાનું નક્કી કર્યું. અમારા બંનેના પરિવારને પણ આ વાત ગમી. એ રીતે મનુવાદી વિચારસરણી અને કાલ્પનિક દેવી-દેવતાઓ, કુરિવાજોને તિલાંજલિ આપી દીધી.”</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>લગ્નના આગલા દિવસે કુરિવાજ નિવારણ શિબિર યોજાઈ</strong></span><br><span style="font-size: 14pt;">અન્ય સમાજની જેમ બહુજન સમાજમાં પણ લગ્નના આગલા દિવસે જમણવારની સાથે ડીજે સાથે ગરબાપાર્ટી યોજવામાં આવતી હોય છે. જેમાં પરિવારના સૌ કોઈ નાચગાન કરતા હોય છે. પણ આ લગ્નપ્રસંગની બીજી એક ખાસ વાત એ રહી કે તેમાં લગ્નના આગલા દિવસે બહુજન સમાજમાં વ્યસન, કુરિવાજો, અંધશ્રદ્ધા અંગે જાગૃતતા આવે તે માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ક્ષેત્રમાં કામ કરતા સામાજિક કાર્યકરો, સમાજશ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ હાજરી આપી માર્ગદર્શન આપ્યું હતું. તેની સાથે જ ડો. આંબેડકર, ફૂલે દંપત્તિ, ફાતિમા શેખ, પેરિયાર સહિતના મહાનુભાવોના કાર્યો, જીવન સંઘર્ષ અને વિચારધારાની વાત કરવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6575ffcb7d6f0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર આ લગ્નમાં મહેમાન તરીકે ઉપસ્થિત હતાં. તેમનું કહેવું છે કે, “નવી પેઢીમાં સામાજિક પરિવર્તનની આ તો હજુ શરૂઆત છે. આગામી દિવસોમાં પરિવર્તનનો આ પવન વાવાઝોડાનું સ્વરૂપે ધારણ કરશે. હવે એ દિવસ દૂર નથી જ્યારે નવી પેઢી સંપૂર્ણપણે મનુવાદી વિચારસરણીને ફગાવીને બુદ્ધ, બાબાસાહેબ અને બંધારણના રસ્તે જ ચાલશે. આ નવો ચિલો જ બહુજન સમાજને એક કરશે, વ્યસન, કુરિવાજો, અંધશ્રદ્ધા, પાખંડને દૂર કરશે અને લોકો તેના બંધારણીય હકોને લઈને જાગૃત થશે. બહુજન સમાજ શિક્ષિત બનશે, વિચારધારાની લડાઈને વધુ આક્રમક બનાવશે અને પોતાના હક-અધિકારો માટે લડત આપવા આગળ આવશે. નવા યુગની શરૂઆત થઈ ચૂકી છે, હવે એ દિવસ દૂર નથી જ્યારે મનુવાદી વિચારસરણીને બહુજન સમાજ સંપૂર્ણપણે ફગાવી દેશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ </span></strong></span><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/The-Chamar-Studio:-The-name-of-the-caste-that-people-used-to-be-angry-about-made-a-brand"><strong>The Chamar Studio: જે જ્ઞાતિનું નામ લઈને લોકો ખીજવતા હતા એને જ બ્રાન્ડ બનાવી દીધી!</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.<span> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 11 Dec 2023 10:01:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>187</Articleid>
                    <excerpt>બહુજન સમાજની નવી પેઢી બંધારણ, બાબાસાહેબ અને બુદ્ધનું મહત્વ સમજવા માંડી છે. આ અનોખા લગ્ન તેનો વધુ એક મજબૂત પુરાવો પુરો પાડે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6575ffd01acac.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6575ffcfdd0e7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6575ffcfdd0e7.jpg" length="114369" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>‘હું અનુસૂચિત જાતિની હોવાથી અમારી સાથે કિન્નાખોરી રખાઈ રહી છે’ &amp; રાજકોટના કોર્પોરેટરના RMC પર ગંભીર આક્ષેપો</title>
                    <link>https://khabarantar.com/Since-I-belong-to-a-scheduled-caste,-we-are-being-bullied---Rajkot-corporator-makes-serious-allegations-against-RMC</link>
                    <guid>https://khabarantar.com/Since-I-belong-to-a-scheduled-caste,-we-are-being-bullied---Rajkot-corporator-makes-serious-allegations-against-RMC</guid>
                    <description>
                        <![CDATA[ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ એક ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે માત્ર તેમની જાતિના કારણે નાગરિકો સાથે ભેદભાવ રાખતા હોવાની વાત સામે આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના વોર્ડ નં. 14ના મહિલા કોર્પોરેટરે જાતિવાદી તત્વોને ખુલ્લા પાડ્યા છે. અહીં વૉર્ડ નંબર ૧૪ના કૉર્પોરેટર ભારતી મકવાણાએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે “હું અનુસુચિત જાતિની હોવાથી અમારી સાથે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. મારા વિસ્તારમાં સિમેન્ટ રૉડનું કામ ખરાબ થયું છે. મેં મ્યૂનિસિપલ કમિશનરને અવારનવાર આ અંગે રજૂઆત કરી છે તેમ છતાં રૉડ-રસ્તાના સેમ્પલ લેવામાં આવ્યા નથી.”<br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીબેન મકવાણાએ આ અંગે ચિમકી ઉચ્ચારતા કહ્યું કે, “આ અંગે યોગ્ય તપાસ નહીં થાય તો સોમવારે મુખ્ય સચિવના પૂતળાંનુ દહન કરવામાં આવશે. મારા વિસ્તારમાં અઢી વર્ષથી વિકાસના કામો થતાં નથી. દરેક કાર્યકર્તાઓને પુછો કોઇ કામ થતા નથી.”<br></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકોટ મ્યૂનિસિપલ કૉર્પોરેશનના કૉર્પોરેટર ભારતી મકવાણાના આક્ષેપો બાદ શહેરમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. ભારતીબેને કરેલા આક્ષેપોમાં દમ એટલા માટે પણ છે, કેમ કે આજે પણ દલિતોની વસ્તીમાં રોડ, રસ્તા, પાણી, વીજળી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ કથિત સવર્ણોની બહુમતિ ધરાવતા વિસ્તારોની સરખામણીએ ઘણી ખરાબ સ્થિતિમાં હોય છે. રાજકોટ શહેરમાં પણ જ્યાં દલિતો કે અન્ય બહુજનોની વસ્તી વધુ છે, ત્યાં આ તમામ પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ કથળેલી છે. એવામાં અનુસૂચિત જાતિના કોર્પોરેટરે ખુદ તેમની સાથે કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો આવી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Party-formed-three-months-ago,-won-4-seats-in-two-states,-know-who-is-the-face-behind-BAP-party-that-shows-the-strength-of-tribal-society"><strong><span style="font-size: 14pt;">ત્રણ મહિના પહેલા બની પાર્ટી, બે રાજ્યોમાં જીતી 4 સીટ, જાણો કોણ છે આદિવાસી સમાજની તાકાત દર્શાવતી BAP પાર્ટી પાછળનો ચહેરો</span></strong></a></p>
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-meta"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </strong></span></div>
<div class="post-meta"><strong><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></div>
</div>
<div class="post-tags"></div>
</div>
<p></p>
</div>
</div>
<div class="post-tags"></div>
</div>
</div>
<div class="post-tags"></div>
</div>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Dec 2023 10:33:22 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>184</Articleid>
                    <excerpt>રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ એક ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે માત્ર તેમની જાતિના કારણે નાગરિકો સાથે ભેદભાવ રાખતા હોવાની વાત સામે આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_65754592d1ab4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_657545929efe9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_657545929efe9.jpg" length="69633" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મોરબી કોર્ટે ફરી વિભૂતિ પટેલ સહિત 6 આરોપીઓના જામીન ફગાવ્યા</title>
                    <link>https://khabarantar.com/Morbi-Court-again-rejected-the-bail-of-6-accused-including-Vibhuti-Patel</link>
                    <guid>https://khabarantar.com/Morbi-Court-again-rejected-the-bail-of-6-accused-including-Vibhuti-Patel</guid>
                    <description>
                        <![CDATA[ મોરબી કોર્ટે ફરી વિભૂતિ પટેલ સહિત 6 આરોપીઓના જામીન ફગાવી દીધા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોરબી કોર્ટે દલિત યુવાનને માર મારવા, જૂતું મોમાં રખાવવા જેવા ગંભીર ગુનામાં આરોપી વિભૂતિ પટેલ અને તેના સાગરિતોના જામીન ફગાવીને જેલમાં ધકેલી દીધાં હતા.આજે વિભૂતિ પટેલ તથા અન્ય છ આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ મોરબી કોર્ટ આ જામીન અરજી ફગાવી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મોરબી કોર્ટ આ જામીન અરજી ફગાવી દીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિભુતિ પટેલે પોતાની કંપનીમાં માર્કેટિંગનું કામ કરતા એક દલિત યુવકે 16 દિવસનો બાકી પગાર માંગતા તેના ભાઈ સહિતના સાગરિતોએ મળીને યુવકનેજાતિસૂચક ગાળો બોલી, ચામડાના પટ્ટા વડે ઢોર માર મારી તેનો વીડિયો ઉતારી યુવકને પોતાનું પગરખું મોંઢામાં લેવડાવી માફી મગાવી હતી.આથી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ઓમ પટેલ અને રાજ પટેલ, પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા અને પ્રિત વડસોલાને જેલ ભેગા કર્યા હતા.ત્યારબાદ વિભુતિ પટેલ સહિત અન્ય છ આરોપીઓએ મોરબી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી,કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી હતી.ત્યારબાદ મોરબી કોર્ટે જામીન માટે અરજી આજે ફગાવી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/The-announcement-of-increasing-the-income-limit-in-scholarship-for-SC-students-in-Gujarat-has-not-been-implemented-yet."><strong><span style="font-size: 14pt;">ગુજરાતમાં SC વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં આવકમર્યાદા વધારવાની જાહેરાતનો હજુ સુધી અમલ નથી થયો</span></strong></a></p>
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-meta"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </strong></span></div>
<div class="post-meta"><strong><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></div>
</div>
<div class="post-tags"></div>
</div>
<p></p>
</div>
</div>
<div class="post-tags"></div>
</div>
</div>
<div class="post-tags"></div>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 08 Dec 2023 14:33:17 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>179</Articleid>
                    <excerpt>મોરબી કોર્ટે ફરી વિભૂતિ પટેલ સહિત 6 આરોપીઓના જામીન ફગાવી દીધા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6572da9eb4940.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6572da9e7cc3b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6572da9e7cc3b.jpg" length="67601" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી</title>
                    <link>https://khabarantar.com/Rashtriya-Dalit-Adhikar-Manch-returned-to-the-owners-the-land-that-had-been-grabbed-by-the-headstrong-elements-for-25-years-in-Garhda</link>
                    <guid>https://khabarantar.com/Rashtriya-Dalit-Adhikar-Manch-returned-to-the-owners-the-land-that-had-been-grabbed-by-the-headstrong-elements-for-25-years-in-Garhda</guid>
                    <description>
                        <![CDATA[ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી  છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામડાઓમાં આજે પણ આવકનું મુખ્ય સાધન ખેતીની જમીન છે. કથિત ઉચ્ચ જાતિના લોકો આ બાબત બરાબરના સમજે છે, અને એટલે જ તેઓ દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતિ સમાજ પાસેથી ખેતીલાયક જમીન આંચકી લેવાની એક પણ તક જતી નથી કરતા. આવો જે એક કિસ્સો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામમાં આજથી 25 વર્ષ પહેલા નોંધાયો હતો. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અહીં 25 વર્ષ પહેલા સરકારે ટોચમર્યાદા હેઠળ બે પરિવારોને 32 વીઘા જમીન ફાળવી હતી. પણ અહીંના અમુક માથાભારે તત્વોએ આ જમીન દલિત પરિવારો પાસેથી પચાવી પાડી હતી. 25 વર્ષથી આ લોકો જમીનનો કબજો જમાવી બેઠા હતા તેથી જમીનના માલિકે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને ફરિયાદ કરી હતી. આથી તેના રાષ્ટ્રીય કન્વીનર જિગ્નેશ મેવાણી સહિત સ્થાનિક આગેવાનોની દરમિયાનગીરીથી આખરે પીડિત પરિવારોની તેમની જમીન પરત મળી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજથી 25 વર્ષ પહેલા વાવડી ગામમાં રહેતા દલાભાઈ લાલાભાઈ અને વાલાભઈ હીરાભાઈને સરકારે ટોચમર્યાદાના કાયદા હેઠળ 32 વીઘા જમીન ફાળવી હતી. પરંતુ આ જ ગામના કેટલાક અસામાજિક તત્વોએ જમીન પચાવી પાડી હતી. તેથી તેમણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ કિર્તીભાઈ ચાવડાને રજૂઆત કરી હતી, તેથી કિર્તીભાઈ ચાવડાએ ગઢડા નાયબ મામલતદાર અને સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6571acdf281df.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે 6 ડિસેમ્બર 2023ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય કન્વીનર જિગ્નેશ મેવાણીની સાથે પ્રમુખ કિર્તીભાઈ ચાવડા, નાથાલાલ મકવાણા, ડુંગરભાઈ સોલંકી, અશ્વિન મેરીયા, યોગેશભાઈ વાઘેલા, જયંતિભાઈ મેરીયા સહિતના કાર્યકરોએ વાવડી પહોંચી માથાભારે તત્વો પાસેથી જમીન પરત મેળવી જમીનના મૂળ માલિક દલાભાઈ લાલાભાઈ અને વાલાભઈ હીરીભાઈને જમીન સોંપી હતી. એટલું જ નહિ ગઢડા નાયબ મામલતદાર અને સ્થાનિક અધિકારીઓએ વાવડી ગામે પહોંચી પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે જમીનના મૂળ માલિક દલાભાઈ લાલાભાઈ અને વાલાભઈ હીરીભાઈને જમીનમાં પ્રવેશ કરાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અગાઉ પણ આવી મજબૂત કામગીરી કરી ચૂક્યો છે. કચ્છ સહિત ગુજરાતના અનેક ગામોમાં આ રીતે દલિત, આદિવાસીઓ કે અન્ય સમાજના લોકોની જમીનો માથાભારે જાતિવાદી તત્વોએ પડાવી લીધી હોય કે ગેરકાયદે કબ્જો જમાવ્યો હોય તેવા કેસોમાં દલિત અધિકાર મંચના કાર્યકરો સક્રિય ભૂમિકા ભજવી પીડિતોને ન્યાય અપાવી રહ્યાં છે. આ કામગીરી જિગ્નેશ મેવાણી ધારાસભ્ય બન્યાં પછી વધુ આક્રમક રીતે થઈ રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો :</span><a href="https://khabarantar.com/Pride-of-Valmiki-community:-Godharas-Hiral-Solanki-becomes-captain-of-Gujarat-Under-23-cricket-team"><span style="font-size: 14pt;"> </span></a></strong></span><a href="https://khabarantar.com/Pride-of-Valmiki-community:-Godharas-Hiral-Solanki-becomes-captain-of-Gujarat-Under-23-cricket-team"><strong><span style="font-size: 14pt;">વાલ્મિકી સમાજનું ગૌરવઃ Godharaની હિરલ સોલંકી બની Gujarat Under-23 ક્રિકેટ ટીમની કેપ્ટન</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span> </span>અહીં ક્લિક કરો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Dec 2023 17:02:47 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 15 Mar 2024 11:13:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>177</Articleid>
                    <excerpt>રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી  છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6571ad0f10ba4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6571ad0ec89f7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6571ad0ec89f7.jpg" length="85179" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>વાલ્મિકી સમાજનું ગૌરવઃ Godharaની હિરલ સોલંકી બની Gujarat Under&amp;23 ક્રિકેટ ટીમની કેપ્ટન</title>
                    <link>https://khabarantar.com/Pride-of-Valmiki-community:-Godharas-Hiral-Solanki-becomes-captain-of-Gujarat-Under-23-cricket-team</link>
                    <guid>https://khabarantar.com/Pride-of-Valmiki-community:-Godharas-Hiral-Solanki-becomes-captain-of-Gujarat-Under-23-cricket-team</guid>
                    <description>
                        <![CDATA[ ક્રિકેટ જેવી સવર્ણોની મોનોપોલી ધરાવતી રમતમાં બહુજન સમાજને અન્યાયની વાત વર્ષો જૂની છે, ત્યારે વાલ્મિકી સમાજની એક દીકરીએ તેમાં પ્રવેશ મેળવીને દીકરીઓને એક નવી દિશા ચીંધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પંચમહાલની બહુજન સમાજની બે દિકરીઓ હિરલ સોલંકી અને વીણા વણઝારાએ બહુજન સમાજનું નામ રોશન કર્યુ છે. આ બંને દિકરીઓની ગુજરાતની અન્ડર 23 ટીમમાં પસંદગી થઈ છે. ગોધરાની હિરલ સોલંકીની ગુજરાત મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પસંદગી થઈ છે. જયારે ખોજલવાસની વીણા વણઝારાની વિકેટકીપર તરીકે પસંદગી થઈ છે. મુંબઈ ખાતે યોજાનાર આંતરરાજય ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ બંને દિકરીઓ ભાગ લેશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_656e0eff55ee8.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_656e0df340f60.jpg" alt=""></p>
<p><span style="font-size: 14pt;">આ બંને દિકરીઓ બહુજન સમાજમાંથી આવે છે. અહીં સુધી પહોંચવામાં તેમણે ભારે સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. બે ટંક ભોજનના પણ સાંસા હતા તે પરિવારની આ દીકરીઓ તેમની પ્રતિભાના જોરે અહીં સુધી પહોંચી છે. તેમને ટ્રેનિંગ માટે પુરતી સુવિધા નહોતી પરંતુ કોચ કિશોરભાઈએ તેમને મદદ કરતા તેઓ અહીં સુધી પહોંચી શકી છે. આગળ તેઓ ટીમ ઈન્ડિયામાં રમવા માંગે છે.</span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિરલના પિતા સફાઈ કામદાર છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિરલ સોલંકી ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં રહે છે. તેના પિતા એક સફાઈકામદાર છે. હિરલ એક ઝૂંપડા જેવા મકાનમાં રહે છે જયાં લાઈટ કે પાણીની કોઈ સુવિધા નથી. બે ટાઈમ પુરતું જમવાનુ પણ માંડ મળે છે. હિરલને બાળપણથી જ ક્રિકેટ રમવાને શોખ હતો પરંતુ તેનો શોખ પુરો કરવા માટે તેના પરિવાર પાસે પૈસા કે પુરતા સાધનો નહોતા. જેમતેમ કરીને હિરલ ગોધરાના એક ક્રિકેટ તાલીમ વર્ગમાં જોડાઈ હતી, ત્યાં તેનું પરફોર્મન્સ સારું રહયું તેથી કોચ તરફથી આર્થિક સહિત તમામ પ્રકારની મદદ કરવામાં આવી હતી. ત્યારબાદ હિરલનું Gujarat Cricket Associationમાં સિલેકશન થયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_656e0e193f23c.jpg" alt=""></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટ્રેનિગ માટે પૈસાની સગવડ કરવા મામાએ બાઈક ગિરવે મૂક્યું</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિરલને ટ્રેનિંગ માટે અમદાવાદ ખાતે જવાનું થયું હતું ત્યારે પૂરતાં પૈસા નહોતાં. આથી તેના મામાએ પોતાનું બાઈક ગિરવે મૂકી 5000 રૂપિયા આપી ભાણીનું સપનું પુરૂ કરવા મદદ કરી હતી. ત્યારબાદ હિરલે Under 19માં ગુજરાત મહિલા ક્રિકેટ ટીમ વતી રમી સારૂ પ્રદર્શન કરતા તેના પરિવારની ખુશીનો પાર નહોતો. હાલ હિરલની પસંદગી ગુજરાત મહિલા ક્રિકેટ ટીમ અન્ડર 23માં થતા તેનો પરિવાર, કોચ સૌ ખૂબ જ ખુશ છે અને હિરલ ગુજરાત બાદ દેશની મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_656e0e6fc5908.jpg" alt=""></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક ટ્રક ડ્રાઈવરની દીકરી વિકેટકીપર બની</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીણા વણઝારાની વાત કરીએ તો તે શહેરા તાલુકાના અંતરિયાળ ગામ ખોજલવાસામાં રહે છે. તેના પિતા એક ટ્રક ડ્રાઈવર અને ખેતમજૂર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વીણાએ ધોરણ 12 પાસ કર્યા પછી ગોધરાની એક કોલેજમાં એડમિશન લીધું હતું. એ દરમિયાન કોલેજના મેદાનમાં ક્રિકેટ રમાતી હતી ત્યારે અચાનક તેની તરફ એક શોટનો કેચ ઉછળ્યો હતો. જેને વીણાએ કેચ કરી લીધો હતો. એ વખતે કોચની નજર વીણા પર પડતા તેમણે તેને ક્રિકેટમાં રસ દાખવવા જણાવ્યું હતું અને વીણાએ પોતાના પરફોર્મન્સ થકી GCAમાં સ્થાન મેળવ્યું હતું. હાલ વીણાની ગુજરાતની UNDER 23 મહિલા ક્રિકેટ ટીમમાં વિકેટકિપર તરીકે પસંદગી થઈ છે. વીણા પોતાના પરિવાર અને તેને પડતી તકલીફ જણાવતા ભાવુક થઈ જાય છે. હવે તેને ટીમમાં વિકેટકિપરનું સ્થાન મળતા તે ખુબ જ ખુશ છે અને સારુ પરફોર્મન્સ આપી ટીમને જીતાડશે તેવી આશા વ્યકત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ </span></strong></span><a href="https://khabarantar.com/How-safe-are-women-in-Gujarat-The-government-statistics-themselves-question-the-governments-claim"><strong><span style="font-size: 14pt;">ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? સરકારી દાવા સામે ખુદ સરકારી આંકડા સવાલ ઉઠાવે છે</span></strong></a></p>
<p><strong><span style="color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="color: rgb(224, 62, 45);"> </span>અહીં ક્લિક કરો</a></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 04 Dec 2023 23:29:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>169</Articleid>
                    <excerpt>ક્રિકેટ જેવી સવર્ણોની મોનોપોલી ધરાવતી રમતમાં બહુજન સમાજને અન્યાયની વાત વર્ષો જૂની છે, ત્યારે વાલ્મિકી સમાજની એક દીકરીએ તેમાં પ્રવેશ મેળવીને દીકરીઓને એક નવી દિશા ચીંધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_656e0d967f089.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_656e0d9647927.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_656e0d9647927.jpg" length="94013" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કથિત રાણીબાની દાદાગીરી નીકળી ગઈ! મોરબી કોર્ટે જામીન ફગાવ્યા, તમામ આરોપીઓ જેલમાં</title>
                    <link>https://khabarantar.com/Alleged-ranibas-bully-left-Morbi-court-rejects-bail,-all-accused-in-jail</link>
                    <guid>https://khabarantar.com/Alleged-ranibas-bully-left-Morbi-court-rejects-bail,-all-accused-in-jail</guid>
                    <description>
                        <![CDATA[ મોરબીમાં દલિત યુવક પર અત્યાચાર કરનાર કહેવાતી લેડી ડોન વિભૂતિ પટેલની દાદાગીરી નીકળી ગઈ છે. મોરબી કોર્ટે જામીન ફગાવી તમામ આરોપીઓને જેલમાં ધકેલી દીધાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">મોરબીની કહેવાતી લેડી ડોન રાણીબાની બધી દાદાગીરી નીકળી ગઈ છે. મોરબી કોર્ટે દલિત યુવાનને માર મારવા, જૂતું મોમાં રખાવવા જેવા ગંભીર ગુનામાં આરોપી વિભૂતિ પટેલ અને તેના સાગરિતોના જામીન ફગાવીને જેલમાં ધકેલી દીધાં છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં વૈભવી લાઈફસ્ટાઈલનું પ્રદર્શન કરી રોફ જમાવવા પ્રયત્ન કરતી કથિત લેડી ડોન રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલની તમામ દાદાગીરી નીકળી ગઈ છે. </span></strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અગાઉ મુખ્ય આરોપી વિભૂતિ પટેલની સાથે તેના ભાઈ સહિતના પાંચ આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જો કો મોરબી કોર્ટે ગુનાની ગંભીરતા જોતા તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને તમામ આરોપીઓને જેલમાં મોકલી દીધા હતા. કોર્ટે તમામ 6 આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા તેમને ફરી વાર જેલમાં જવાનો વારો આવ્યો છે. ગુનાની ગંભીરતા જોતા કોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 27 નવેમ્બરે વિભૂતિ પટેલે તેના ભાઈ ઓમ પટેલ સાથે અન્ય એક સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ કેસમાં પોલીસે એક દિવસ પહેલા જ અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી. સ્પેશિયલ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતાં વિભૂતિ પટેલની મુશ્કેલીઓ વધી ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે વિભૂતિ પટેલ?</span></strong></span><br><span style="font-size: 14pt;">પોતાને રાણીબા તરીકે ઓળખાવતી અને મોરબીમાં રાણીબા ઈન્ડસ્ટ્રીના નામે ટાઈલ્સનો બિઝનેસ કરતી વિભૂતિ પટેલ પર 22મી નવેમ્બરે તેની ઓફિસમાં કામ કરતા એક દલિત યુવકને માર મારવાનો આરોપ છે. વિભૂતિએ બાકી પગારની માગણી કરતા દલિત યુવકને બેલ્ટથી માર્યો હતો અને તેને જૂતાં મોમાં રાખી માફી માગવા દબાણ કર્યું હતું. વિભૂતિ પોતાને મોરબીની ટાઈલ્સ ઈન્ડસ્ટ્રીમાં એકમાત્ર મહિલા આંત્રપ્રિન્યોર તરીકે ઓળખાવી રહી છે. ભવિષ્યમાં રાજકીય ક્ષેત્રે પ્રવેશ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે તૈયારીના ભાગરૂપે સત્તાપક્ષના વખાણ કરતી પ્રવૃત્તિ કરે છે અને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. તે પોતાને મોરબીની લેડી ડોન તરીકે રજૂ કરી રહી છે. અગાઉ જન્મદિવસ વખતે તે તલવારથી એકસાથે અનેક કેક કાપતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તેની ઓફિસમાં કામ કરતા યુવકને માર મારવાના કેસમાં મોરબી શહેર પોલીસે SC/ST એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને ફરિયાદી પીડિત યુવક નિલેશ દલસાણિયાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી વિભૂતિ પટેલ અને તેના સાગરિતો ફરાર થઈ ગયા હતા, પરંતુ કોર્ટમાંથી રાહત ન મળતાં તેમણે સરેન્ડર કરવું પડ્યું હતું. હવે કોર્ટે તેમના જામીન પણ ફગાવી દેતા કથિત લેડી ડોનની બધી દાદાગીરીની હવા નીકળી ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/%E2%80%9CWho-would-hire-people-like-you%E2%80%9D-Dalit-youth-beaten-to-death-by-racists-in-Morbi-and-put-shoe-in-his-mouth-146">“તમારા જેવા લોકોને કામે કોણ રાખે?” મોરબીમાં જાતિવાદીઓએ દલિત યુવકને ઢોર માર મારી પગરખું મોઢામાં લેવડાવ્યું</a></span></p>
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-meta"><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></div>
</div>
<div class="post-tags"></div>
</div>
<p></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 02 Dec 2023 12:08:31 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 02 Dec 2023 12:11:07 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[દલિત]]>
                    </category>

                    <Articleid>165</Articleid>
                    <excerpt>મોરબીમાં દલિત યુવક પર અત્યાચાર કરનાર કહેવાતી લેડી ડોન વિભૂતિ પટેલની દાદાગીરી નીકળી ગઈ છે. મોરબી કોર્ટે જામીન ફગાવી તમામ આરોપીઓને જેલમાં ધકેલી દીધાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_656ad0c3751cc.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_656ad0c334c87.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>દલિત</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_656ad0c334c87.jpg" length="75879" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
            </channel>
</rss>