<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
    xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
    xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
    xmlns:admin="http://webns.net/mvcb/"
    xmlns:rdf="http://www.w3.org/1999/02/22-rdf-syntax-ns#"
    xmlns:atom="http://www.w3.org/2005/Atom"
    xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
    xmlns:media="http://search.yahoo.com/mrss/">
    <channel>
        <atom:link href="https://khabarantar.com/rss/category/%E0%AA%AC%E0%AA%B9%E0%AB%81%E0%AA%9C%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95" rel="self" type="application/rss+xml" />
        <title>KhabarAntar.com &amp; : બહુજનનાયક</title>
        <link>https://khabarantar.com/rss/category/બહુજનનાયક</link>
        <description>KhabarAntar.com &amp; : બહુજનનાયક</description>
        <dc:language>gu</dc:language>
                <dc:rights>Copyright 2024 Khabar Antar&amp; All Rights Reserved.</dc:rights>
                        <item>
                    <title>તેમના નામમાં હતા ત્રણ ધર્મ અને દિલમાં હતો માણસાઈનો મર્મ</title>
                    <link>https://khabarantar.com/shaheed-udham-singh-jayanti-birthday-special</link>
                    <guid>https://khabarantar.com/shaheed-udham-singh-jayanti-birthday-special</guid>
                    <description>
                        <![CDATA[ માણસની જાતિ જાણીને વર્તન કરવા ટેવાયેલી ભારતની બહુમતી મનુવાદી પ્રજાએ આ બહુજન યોદ્ધાના જીવન પર નજર કરવી જોઈએ, જેના નામમાં ત્રણ ત્રણ ધર્મો છુપાયેલા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એમના નામમાં ત્રણ ધર્મો સામેલ હતા અને દિલમાં માણસાઈ હતી. એમણે સેંકડો લોકોને નજર સામે મરતા જોયેલા અને કદાચ એટલે જ તદ્દન સામાન્ય લાગતા એ યુવાને બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. વાત છે વીરોના વીર, ભારત માતાના લાલ, બહુજન રત્ન સરદાર ઉધમસિંહની. જેમની આજે જન્મતિથિ છે ત્યારે તેમને યાદ કરવા જરૂરી બની જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પંજાબના બહાદુર ક્રાંતિકારી રામ મુહમ્મદ આઝાદ સિંહ એટલે કે શહીદ ઉધમ સિંહ, જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અમર શહીદ ઉધમ સિંહે લંડનમાં 13 એપ્રિલ, 1919ના રોજ પંજાબના ભયાનક જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર માઈકલ ઓ'ડાયરને ગોળી મારી નિર્દોષ ભારતીય લોકોના મૃત્યુનો બદલો લીધો હતો.ઉધમ સિંહનો જન્મ 26 ડિસેમ્બર 1899ના રોજ પંજાબના સંગરુર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો. માતા-પિતાનો સહારો બાળપણમાં જ ઊઠી ગયો હતો. તેમના જન્મના બે વર્ષ પછી 1901માં તેમની માતાનું અવસાન થયું અને 1907માં તેમના પિતાનું પણ અવસાન થયું. ઉધમ સિંહ અને તેમના મોટા ભાઈ મુક્તા સિંહને અમૃતસરના ખાલસા અનાથાશ્રમમાં આશ્રય લેવો પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ અને ભગત સિંહ જેવા ક્રાંતિકારીઓ સાથે મળીને બ્રિટિશ શાસન પર એવા ઘા કર્યા હતા કે જેને અંગ્રેજ શાસકો લાંબા સમય સુધી ભૂલી શક્યા ન હતા.ઉધમ સિંહ 'સર્વધર્મ સમભાવ' નું પ્રતીક હતા એટલેજ  જ તેમણે પોતાનું નામ બદલીને રામ મુહમ્મદ આઝાદ સિંહ રાખ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/commemoration-of-nanak-singh-and-udham-singh-on-the-anniversary-of-the-jallianwala-incident"><span style="font-size: 14pt;">જલિયાંવાલા કાંડની વરસીએ સ્મરણ નાનક સિંહ અને ઉધમ સિંહનું</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વાતંત્ર્ય ચળવળના ઈતિહાસમાં, 13 એપ્રિલ, 1919 નો દિવસ આંસુઓથી તરબોળ, જ્યારે અંગ્રેજોએ અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે નિઃશસ્ત્ર ભારતીયોની સભા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને સેંકડો નિર્દોષ લોકોની હત્યા કરી હતી. મૃત્યુ પામેલાઓમાં માતાની છાતીમાં ચોંટેલા દૂધપીતા બાળકો, જીવનની સાંજે દેશની આઝાદીના સપના જોતા વૃદ્ધો અને દેશ માટે બધું ખર્ચવા તૈયાર યુવાનો હતા. આ ઘટનાએ ઉધમસિંહને હચમચાવી નાખ્યા અને તેઓએ અંગ્રેજો સામે બદલો લેવાનું નક્કી કર્યું. હિંદુ, મુસ્લિમ અને શીખ એકતાનો પાયો નાખનાર ઉધમ સિંહ ઉર્ફે રામ મુહમ્મદ આઝાદ સિંહે આ ઘટના માટે જનરલ માઈકલ ઓ'ડાયરને જવાબદાર માને છે, જે તે સમયે પંજાબ પ્રાંતના ગવર્નર હતા. ગવર્નરના આદેશ પર, બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ એડવર્ડ હેરી ડાયરે 90 સૈનિકો સાથે જલિયાંવાલા બાગને ઘેરી લીધું અને બંદૂકોથી અંધાધુન ગોળીબાર કરાવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">4 જૂન 1940ના રોજ, ઉધમ સિંહને ડાયરની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 31 જુલાઈ 1940ના રોજ તેમને 'પેન્ટનવિલે જેલમાં' ફાંસી આપવામાં આવી હતી. આમ આ ક્રાંતિકારી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં અમર બની ગયા. તેમના અવશેષો 31 જુલાઈ 1974ના રોજ બ્રિટન દ્વારા ભારતને સોંપવામાં આવ્યા હતા. ઉધમ સિંહની અસ્થિઓને સન્માન સાથે ભારત લાવવામાં આવી હતી. તેમની સમાધિ તેમના ગામમાં જ બનેલી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ઉધમસિંહજીના લગ્ન એક અંગ્રેજ સાથે થયા હતા, જ્યારે તે લંડનના કેક્સટન હોલમાં માઈકલ ઓ'ડ્વાયરની હત્યા કરવા ગયા ત્યારે એન્ટ્રી પાસ તેમની પત્નીના નામે હતો. તમે જુઓ, એક ભારતીયને અંદર જવાની મંજૂરી ન હતી. તેમણે ક્યારેય તેમની પત્નીને તેમના સાચા મકસદ (ધ્યેય) વિશે કહ્યું નહીં. હત્યા બાદ તેમને જેલમાં મોકલવામાં આવ્યા અને તેણી તેને મળવા આવ્યા ત્યારે જ તેમણે તેણીને બધી વાત કહી. તેમના માટે,માતૃભુમી પ્રત્યેની તેમની ફરજ તમામ બંધનોથી ઉપર હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મહાનાયકના જીવન પર ઓક્ટોબર 2021 માં ‘સરદાર ઉધમ’ ફિલ્મ રીલીઝ થઇ હતી, જે 94મા એકેડેમી એવોર્ડ માટે ઓફિસિઅલી શોર્ટલીસ્ટ થઇ હતી. ઓસ્કાર માટે 'સરદાર ઉધમ' ફિલ્મનું નોમિનેશન ભારતવતી જ્યુરી દ્વારા એ આધાર મૂકી નામંજૂર કરવામાં આવયું કે આ ફિલ્મ અંગ્રેજો પ્રત્યે નફરત ફેલાવે છે. પરંતુ વિન્સ્ટન ચર્ચિલ પરની બાયોપિક 'ડાર્કેસ્ટ આર' 2018માં ઓસ્કાર માટે સામેલ થઈ જ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિદાયત પરમાર</span></strong></span> <span style="font-size: 12pt;"><em><strong>(લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર, સ્વતંત્ર પત્રકાર અને જાગૃત નાગરિક છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Shaheed-Udhamsingh:-The-Lion-Raised-in-an-Orphanage,-Who-Killed-an-Enemy-After-21-Years"><span style="font-size: 14pt;"> શહીદ ઉધમસિંહઃ અનાથ આશ્રમમાં ઉછરેલો એ સિંહ, જેણે 21 વર્ષ પછી દુશ્મનને ઘરમાં ઘૂસીને માર્યો</span></a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Dec 2024 16:46:32 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 26 Dec 2024 17:34:11 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>1766</Articleid>
                    <excerpt>માણસની જાતિ જાણીને વર્તન કરવા ટેવાયેલી ભારતની બહુમતી મનુવાદી પ્રજાએ આ બહુજન યોદ્ધાના જીવન પર નજર કરવી જોઈએ, જેના નામમાં ત્રણ ત્રણ ધર્મો છુપાયેલા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676d390f16be9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d390eda1ab.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676d390eda1ab.jpg" length="98322" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>shaheed udham singh jayanti  2024, udham singh birthday special</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;તું યુરોપમાં જન્મ્યો હોત તો ઝળકત, ભારતમાં તારો શો ઉપયોગ થવાનો?&amp;quot;</title>
                    <link>https://khabarantar.com/if-you-had-been-born-in-europe-it-would-be-a-shame-what-use-would-you-be-in-india-dharmananda-kosambi</link>
                    <guid>https://khabarantar.com/if-you-had-been-born-in-europe-it-would-be-a-shame-what-use-would-you-be-in-india-dharmananda-kosambi</guid>
                    <description>
                        <![CDATA[ પહેલી નજરે ડો. આંબેડકર વિશે કહેવાયું હોય તેવું આ કથન એક એવા બૌદ્ધ વિદ્વાન વિશે કહેવાયું હતું જેઓ વગર ડિગ્રીએ દેશ-વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રોફેસર બન્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span><br><span style="font-size: 14pt;">એ યુવાન માટે તેના સંબંધીનું ભવિષ્યકથન હતું કે, ‘તું જો યુરોપમાં જન્મ્યો હોત તો તારી બુધ્ધિના તેજથી ત્યાં તું ઝળકત, પણ અહીં  ભારતમાં તેનો શો ઉપયોગ?”  આ જ વ્યક્તિ માટે કાકાસાહેબ કાલેલકરે લખ્યું છે કે, “તેમની વિદ્વતાનો  ઉપયોગ તો પ્રથમ અમેરિકાએ જ કર્યો.” કોણ છે એ વ્યક્તિ, જેની કદર ઘરઆંગણે ન થઈ એટલી અમેરિકામાં થઈ? એ વ્યક્તિનું નામ છે ધર્માનંદ દામોદર કોસંબી (Dharmananda Kosambi) . ઔપચારિક શિક્ષણ તો એમનું નામ માત્રનું હતું. પણ અધ્યયન, અધ્યાપન અને વિદ્યાવ્યાસંગ એટલા જોરદાર કે દેશ-વિદેશની ખ્યાત યુનિવર્સિટીઓમાં વગર ડિગ્રીએ તે પ્રોફેસર બન્યા. તેમના વિદ્યાર્થીઓ વિશ્વભરમાં પંકાયા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાલિ ભાષા (Pali language) ના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નિષ્ણાત અને બૌધ્ધ ધર્મ (Buddhism) તથા બૌધ્ધ દર્શનના ભાષ્યકાર ધર્માનંદ કોસંબીનો જન્મ નવમી ઓકટોબર ૧૮૭૬ના રોજ ગોવાના એક ગામડામાં થયો હતો. બસ હવે એક જ વરસનું છેટું છે તેમના સાર્ધ શતાબ્દી વરસને. મરાઠી અને ગુજરાતીમાં તેમના આત્મચરિત્રો અનુક્રમે “નિવેદન”  (૧૯૨૪) અને “આપવીતી” (૧૯૨૫)ના પ્રાગટ્યનું પણ આ શતાબ્દી વરસ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળક ધર્માંનંદ ‘નિશાળનો કંટાળ્યો ઘરે બેઠો’ એટલે પિતાએ દીકરો ગામનો કુળકર્ણી (તલાટી) થશે એવી જે આશા રાખેલી તે ધૂળમાં મળી ગઈ. નિશાળ છૂટી પણ કોઈનીય પ્રેરણા વિના ૧૮૯૧થી વાચનનો રસ  જાગ્યો. પુસ્તકો અને સામયિકોનું વાચન વધતું હતું તે દરમિયાન સોળ વરસે તેમના લગ્ન થયા. નબળા શરીરે પણ વાચતા રહ્યા. તુકારામનું જીવનચરિત્ર, તેમના અભંગ અને ગાથાઓએ તેમને વિચાર કરતા કરી મૂક્યા. વાચનને કારણે હિંમત વધી,  જીવનક્રમમાં સ્થિરતા આવી અને યુવાનીની વિકારવશતાથી મુક્ત થયાનું તેમણે નોંધ્યું છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘જે કંઈ મળી આવે તે વાંચવું’ ની તેમને ધૂન લાગેલી. વાંચવા- શીખવા તેમણે એકાધિકવાર ઘર છોડ્યું હતું. ૧૮૯૭માં મરાઠી માસિક ‘બાલબોધ’ માં ભગવાન બુદ્ધનું ચરિત્ર વાંચ્યું અને ‘મારું સર્વસ્વ બુધ્ધ છે’  એમ તેમને લાગવા માંડ્યું. પાલિ, અંગ્રેજી, સંસ્કૃત ભાષા અને બુધ્ધનો મૂળ ઉપદેશ જાણવા-સમજવા  દોઢેક મહિનાની દીકરી અને પત્ની-પરિવારને છોડી બીજી ઓકટોબર ૧૮૯૯ના રોજ તેઓ નીકળી પડ્યા. જ્ઞાનોપાસના માટે કેટકેટલું ભટક્યા. ટાઢ, તડકો, ભૂખ, માંદગી સઘળું વેઠ્યું. પણ અંતે જે મેળવવું હતું તે મેળવીને જ રહ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના આ વિદ્યાપ્રવાસનું બયાન તેમના આત્મચરિત્ર ‘આપવીતી’ માં છે. ગાંધી વિચારક કિશોરલાલ મશરૂવાળાએ ‘આપવીતી’ સંદર્ભે કહ્યું છે કે, “સત્યધર્મની શોધ માટે પુરુષાર્થી મુમુક્ષુ શું શું કરશે અને કેટલાં કષ્ટો વેઠશે તેની તવારીખ આ પુસ્તકમાં છે. વળી આટલી મહેનતે જે મેળવ્યું તેને જગતમાં વહેંચવા તેમણે અણથક પરિશ્રમ કર્યો છે. એક વિશાળ ભંડારમાંથી તેમણે ઉત્તમ મોતી પસંદ કરીને આપણને આપ્યા છે. તે મોટા સંત પુરુષ છે” </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્માનંદ માત્ર બૌદ્ધ સાહિત્યના અભ્યાસી ના રહ્યા. પણ સંપૂર્ણ બૌધ્ધમય બની ગયા. ભીક્ષુ પણ બન્યા અને ચીવર પણ પહેર્યા.મૂળ પાલિમાં સઘળું બૌધ્ધ સાહિત્ય વાંચ્યું. અધ્યયન પછીનો તેમના જીવનનો મહત્વનો તબક્કો  અધ્યાપનનો રહ્યો. કલકત્તા યુનિવર્સિટી, ગાંધીની વિદ્યાપીઠથી છેક મૂડીવાદી અમેરિકા અને સામ્યવાદી રશિયાની યુનિવર્સિટીઓમાં સંશોધન, લેખન, સંપાદન અને અધ્યાપન કર્યું હતું. ૧૯૦૬માં કલકત્તાની નેશનલ કોલેજથી આરંભાયેલો અદ્યાપન કાળ જીવનના અંત સુધી ચાલ્યો. આખા ભારતના અને નેપાળ, શ્રીલંકા તથા આજના મ્યાંમારના બૌદ્ધ તીર્થોનો પ્રવાસ કર્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_670753af532db.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સાથે પણ તેમનો નિકટનો નાતો હતો. વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ અને ગાંધીજી બંને સાથે તેમના સંબંધ બંધાયા અને બંનેનો તેમના વિદ્યાકાર્યોમાં સહયોગ રહ્યો હતો. ૧૯૦૭માં વડોદરામાં સયાજીરાવને પહેલી વખત મળ્યા ત્યારે તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ‘બૌદ્ધધર્મનું જ્ઞાન મહારાષ્ટ્રની જનતાને કરાવવાના કર્તવ્ય માટે’ કલકત્તા યુનિવર્સિટીની મહિને અઢીસો રૂપિયાની નોકરી છોડી મહારાજાની મહિને પચાસ રૂપિયાની ઓફર સ્વીકારી હતી. આ ઓફર હેઠળ તેમણે મૌલિક, અનૂદિત અને સંપાદિત એવા બૌદ્ધ ધર્મના પુસ્તકો તૈયાર કર્યા હતા. ૧૯૧૦માં તેમણે વડોદરામાં બૌધ્ધ ધર્મ અને દર્શન પર પાંચ વ્યાખ્યાનો આપ્યા હતા. જે ‘બુદ્ધ, ધમ્મ અને સંઘ’  નામે ગ્રંથસ્થ થયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાંધીજીની નજરમાં તેઓ હતા એટલે ૧૯૨૨માં અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના પુરાતત્વ મંદિરમાં જોડાયા અને પાલિ ભણાવવા લાગ્યા. વિદ્યાપીઠ વાસ દરમિયાન તેમણે બુદ્ધ ચરિત, બુધ્ધ લીલા, ધર્મચક્ર પ્રવર્તન, ભગવાન બુદ્ધના પચાસ સંવાદો, આપવીતી, સુત્તનિપાત વગેરે પુસ્તકો લખ્યા. ૧૯૧૬માં તેઓ ગાંધીજીને પહેલીવાર મળ્યા અને ત્યારથી જ ગાંધી રંગે રંગાયા. સમાજસેવા અને લોકહિતના કામો તેમની પ્રાથમિકતામાં પાછળ ધકેલાયા હતા તે હવે આગળ થયા.  ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહમાં જોડાયા અને અઢાર મહિનાની જેલની સજા ભોગવી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈંગ્લેંડની મુલાકાત દરમિયાન અચાનક પરિચય થયેલ ડચ મિત્ર પાસેથી ધર્માનંદે પહેલીવાર કાર્લ માર્ક્સ અને સમાજવાદ વિષે જાણ્યું. એટલે અમેરિકા- ઈંગ્લેન્ડવાસ દરમિયાન તેમણે આ વિશે  ઉંડો અભ્યાસ કર્યો. ૧૯૨૯માં જવાહરલાલ નહેરુ લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારે કોસંબીએ તેમની સાથે સમાજવાદ અંગે ચર્ચા કરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બૌધ્ધ ધર્મના અપરિગ્રહ અને સામ્યવાદના સમાનતાના સિધ્ધાંત વચ્ચે કોસંબીને સામ્ય લાગ્યું હતું. અમેરિકાના પ્રવાસ અને સામ્યવાદના અભ્યાસ પછી તેઓમાં વૈચારિક ઉથલપાથલ મચી હતી. તેમનો કામદારોના સંગઠનો અને સમાજવાદ પ્રતિ ઝુકાવ વધતો રહ્યો. મુંબઈના પરેલના મિલ કામદારોના વિસ્તારમાં બહુજનવિહાર બાંધી ત્યાં તેમનું રહેવું કદાચ આ જ પરિવર્તનના કારણે બન્યું હશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બુધ્ધની જેમ ધર્માનંદે પણ જ્ઞાન પ્રાપ્તિ માટે ઘર છોડ્યું હતું. જોકે તેઓ ઘરની જવાબદારીઓ ભૂલ્યા નહોતા. એટલે કામ પૂર્ણ થયેથી તેમણે પત્ની-સંતાનો અને ઘર-ગામ-પરિવારનો સંપર્ક કર્યો હતો. તે સંસારમાં પાછા ફર્યા પણ સંસારી ન બની ગયા. એમના દીકરા દામોદર ધર્માનંદ કોસંબી(ડી.ડી.કોસંબી)નું ઈતિહાસ અને બૌદ્ધ ધર્મ વિશેનું વિદ્યાકાર્ય એ હદનું છે કે બાપને ભૂલી બેટાને જ યાદ કરવા પડે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજાર શરીરનો જ્યારે તેમને બોજ લાગ્યો ત્યારે લાંઘણો કરીને ઈચ્છામૃત્યુ તરફ જવાનો માર્ગ તેમણે પસંદ કર્યો. પરંતુ ગાંધીજીએ તેમને અધવચ્ચેથી વાર્યા અને તેમની વધુ સારી સંભાળ લેવાય એટલે સેવાગ્રામ આશ્રમમાં નિવાસ કરવા પ્રેમાદેશ કર્યો. પણ કાયા એ હદે જર્જર થયેલી હતી કે તેમને જીવવું અકારું થઈ પડ્યું. એટલે ફરી આમરણ અનશનનો માર્ગ લીધો. આ વખતના સંથારાને ગાંધીજીનું પણ કમને સમર્થન મળ્યું હતું. ચોથી મે ૧૯૪૭થી તેમણે આહાર લેવો બંધ કર્યો અને અંતે ૨૪ જૂન ૧૯૪૭ના રોજ ૭૧ વરસની વયે તેઓ સેવાગ્રામમાં જ નિર્વાણ પામ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્માનંદ કોસંબી કોઈ કોરા ધાર્મિક નહોતા. જીવન અને ધર્મનો સંબંધ અને તે બે વચ્ચેની પ્રાથમિકતા અંગે તેઓ બહુ સ્પષ્ટ હતા. પાંડિત્યના ભાર વિનાના આ બૌદ્ધ વિદ્વાને આત્મચરિત્રના સમાપનમાં લખ્યું છે કે, “બાર કલાક મજૂરી કરીને માંડ માંડ પેટ ભરનાર અને ગંદામાં ગંદી ચાલીઓમાં રહેનાર મજૂર પોતાની ધાર્મિક ઉન્નતિ કઈ રીતે કરે? પહેલાં તો તેને શુધ્ધ અને ઘટતા આહારવિહાર મળે એવો બંદોબસ્ત થવો જોઈએ. ગંદી ચાલીઓમાંથી કાઢી સ્વચ્છ અને ખુલ્લા મકાનોમાં તેને વસાવવો જોઈએ. તો જ ધાર્મિકમાર્ગે તેનું વલણ થવું સંભવે છે.” ધાર્મિક ઉન્માદમાં રમમાણ ધાર્મિક નેતાઓ અને રાજનેતાઓને કોસંબીની આ વાત સમજાશે? </span><br><span style="font-size: 14pt;">maheriyachandu@gmail.com  </span><br><em><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સાહિત્યના તલસ્પર્શી અભ્યાસુ છે.)</strong></span></em><br><span style="font-size: 14pt;"> </span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/why-dr-ambedkar-did-not-fought-bhagat-singhs-case-despite-being-a-lawyer">વકીલ હોવા છતાં ડૉ. આંબેડકર ભગતસિંહનો કેસ કેમ નહોતા લડ્યાં?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 10 Oct 2024 09:41:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>1373</Articleid>
                    <excerpt>પહેલી નજરે ડો. આંબેડકર વિશે કહેવાયું હોય તેવું આ કથન એક એવા બૌદ્ધ વિદ્વાન વિશે કહેવાયું હતું જેઓ વગર ડિગ્રીએ દેશ-વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રોફેસર બન્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670753b01ad47.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670753afded4b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670753afded4b.jpg" length="41129" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dharmananda Kosambi, Birthday special article, A student of Buddhism, Pali language, Gujarat Vidyapith Ahmedabad, Gandhiji</media:keywords>
                </item>
                        <item>
                    <title>પ્રેમચંદના વતનમાં તેમની સ્મૃતિઓ ધીરે ધીરે ભૂંસાઈ રહી છે...</title>
                    <link>https://khabarantar.com/premchands-memories-are-slowly-being-erased-in-his-hometown</link>
                    <guid>https://khabarantar.com/premchands-memories-are-slowly-being-erased-in-his-hometown</guid>
                    <description>
                        <![CDATA[ આજે મુન્શી પ્રેમચંદની પુણ્યતિથિ છે. પોતાની વાર્તાઓમાં ગ્રામીણ ભારતનું વાસ્તવિક ચિત્રણ રજૂ કરનાર પ્રેમચંદના વતનમાં તેમની સ્મૃતિઓ ભૂંસાતી જઈ રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Premchand's Memories are Slowly Being Erased In His Hometown : કથા સમ્રાટ મુનશી પ્રેમચંદે પોતાની રચનાઓ દ્વારા ક્યારેક અંગ્રેજ શાસન પર પ્રહારો કર્યા તો ક્યારેક સામાજિક દુષણો પર આડે હાથ લીધાં. તેમણે પોતાની કલમથી ખેડૂતો અને શોષિતોનો અવાજ ઉઠાવ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે પણ તેમની રચનાઓ દેશ અને દુનિયામાં વંચાય છે. તેમની વાર્તાઓના મોટાભાગના પાત્રો અને પરિવેશ તેમની અને તેમના ગામ લમહીની આસપાસ ફરે છે. પરંતુ, હવે તે વાર્તાઓની સ્મૃતિઓ આ ગામમાં શોધવી મુશ્કેલ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામડાએ હવે શહેરનું સ્વરૂપ ધારણ કર્યું છે. હવે અહીં બગીચો કે બેસવાની જગ્યા બચી નથી, બે બળદની વાર્તાનું પ્રતિક ગણાતો કૂવો પણ જર્જરિત થઈ ગયો છે. કોલોનીઓ સ્થપાઈ ગઈ છે અને મોટા બજારો પણ ખૂલી ગયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુનશી પ્રેમચંદે તેમની મોટાભાગની વાર્તાઓ તેમના ગામમાં જ લખી હતી. તેમના મૃત્યુ પછી, તેમની સાથે સંકળાયેલા ગામના વારસાને બહુ મુશ્કેલીઓથી સાચવવામાં આવ્યો છે. હવે તેમના ગામનું શહેરીકરણ થયું છે. હવે અહીં અડધો ડઝન કોલોનીઓ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના જન્મસ્થળ પાસે જો કંઈ બચ્યું હોય તો તે છે માત્ર તેમનું ઘર, જે જર્જરિત હાલતમાં છે. પ્રેમચંદે જે કૂવા પર બેસીને બે બળદની વાર્તા લખી હતી તેમાં પણ તિરાડ પડી ગઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્મારક સ્થળની દેખરેખ કરી રહેલા સુરેશ ચંદ દુબેએ જણાવ્યું કે મુનશી પ્રેમચંદની પ્રિય રમત ગિલ્લી ડંડા (ગુજરાતીમાં-મોઈ દાંડીયો) હતી. તેઓ તેમના ઘરની નજીકના બગીચામાં ગિલ્લી દંડો રમતા હતા. આના પર એક વાર્તા પણ લખી. પરંતુ, હવે તે બગીચો નથી. ત્યાં એક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુરેશ દુબેએ કહ્યું કે, મૈકુની વાર્તા પાંડેપુર પાસે વાળંદની વસ્તીમાં લખાઈ હતી. પાંડેપુર પાસે રાય સાહેબનો બગીચો અને નજીકની દલિત વસ્તીમાં થિયેટર બનાવ્યું. પણ, આજે એ યાદો ત્યાં દેખાતી નથી.</span><br><span style="font-size: 14pt;">મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ હિન્દી યુનિવર્સિટી, બર્ધાના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર પ્રો. વિભૂતિ નારાયણ રાયે કહ્યું કે, આપણો સમાજ સ્મૃતિ વિરોધી છે. આવા મહાન સાહિત્યકારનું ઘર અને સ્મૃતિઓ તેના મૂળ સ્વરૂપમાં જ રાખવી જોઈએ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6704e7b184088.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અલ્હાબાદ યુનિવર્સિટીના હિન્દી વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રો. રાજેન્દ્ર કુમારે કહ્યું કે, પ્રેમચંદ સાથે જોડાયેલી વસ્તુઓ ભલે પરિવર્તનના સમયમાં ભૂંસાઈ ગઈ હોય, પરંતુ તેમના પ્રશ્નો હજુ પણ જીવંત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BHU હિન્દી વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રો. સદાનંદ શાહીએ કહ્યું કે આવા લેખકોની સ્મૃતિઓને સાચવવી એ વિકસિત સમાજની જવાબદારી છે, પરંતુ એવું કંઈ થયું નથી. સંશોધન કેન્દ્ર બન્યા પછી પણ તે આકાર લઈ શક્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">રામકટોરામાં અંતિમ શ્વાસ લીધા, ત્યાં પણ કોઈ સ્મૃતિઓ બચી નથી</span></strong></span><br><span style="font-size: 14pt;">મુનશી પ્રેમચંદે તેમના જીવનનો અંતિમ ભાગ રામકટોરામાં વિતાવ્યો હતો. ડૉ. સંજય શ્રીવાસ્તવ જણાવે છે કે, તેમનું પ્રેસ અહીં જ હતું. જ્યાં તેઓ 'હંસ' મેગેઝીનનું એડિટીંગ કરતા હતા. હવે ત્યાં રામકટોરા કુંડની સામે એક શાળા બનાવવામાં આવી છે. હવે તેમની નિશાની તરીકે અહીં કંઈ નથી. તેમણે કહ્યું કે જ્યારે મુલાયમ સિંહ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અહીં મુનશી પ્રેમચંદ પાર્ક બનાવવાનું કહ્યું હતું પરંતુ તે પાર્ક સુંદરપુરની બ્રિજ ઈન્કલાબ કોલોનીમાં બનાવવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(186, 55, 42);">અન્ય શહેરોમાં પણ અનેક રચનાઓ લખી હતી</span></strong><br><span style="font-size: 14pt;">મુનશી પ્રેમચંદે બનારસ ઉપરાંત અનેક શહેરોમાં રહીને તેમની રચનાઓ રચી હતી. ડૉ. સંજયના કહેવા પ્રમાણે, જ્યારે તેઓ શિક્ષણ અધિકારી તરીકે અમુક શહેરોમાં રહેતા હતા ત્યારે ત્યાં પણ લખતા હતા. તેમણે લખનૌ, મહોબા, કાનપુર, આઝમગઢ, ગોરખપુર, કોલકાતા, પટના વગેરેમાં રહીને લખ્યું હતું.</span></p>
<p><strong><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6704e7af7f1da.jpg" alt=""><span style="color: rgb(186, 55, 42);">લમ્હીમાં આવેલું પ્રેમચંદનું ઘર, જે વર્ષમાં માત્ર બે દિવસ ધમધમતું રહે છે, એક તેમના જન્મદિવસે, બીજું પુણ્યતિથિએ.</span></strong></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">જન્મદિવસે જીવંત ભાસે છે પછી કોઈ ડોકાતું નથી</span></strong></span><br><span style="font-size: 14pt;">31મી જુલાઈના રોજ પ્રેમચંદના જન્મદિવસે તેમના ગામ લમ્હીમાં ખાસ આયોજનો કરવામાં આવે છે, પ્રેમચંદની વાર્તાઓના પાત્રો લમ્હીમાં જીવંત કરાય છે અને સ્ટેજ પર તેનું મંચન થાય છે. ગત 31મી જુલાઈએ પણ ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય લોકોની સાથે સાહિત્યકારો અને વહીવટી અધિકારીઓએ તેમના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની વાર્તાઓના પાત્રો પણ ગામમાં જીવંત કરાયા હતા. શાળાના બાળકોએ મંત્ર, પંચપરમેશ્વર વગેરે વાર્તાઓનું મંચન કર્યું હતું. મોડી રાત સુધી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ ચાલુ રહી હતી. પ્રેમચંદનું સ્મારક સ્થળ ઘણા મહિનાઓથી અંધકારમાં પડ્યું હતું. ત્યાંથી પસાર થતા માર્ગ પરની લાઈટોમાં ખામી સર્જાઈ હતી, પરંતુ  જન્મજયંતિના એક દિવસ પહેલા જ મહાનગરપાલિકા અને સાંસ્કૃતિક વિભાગે ઉતાવળમાં વીજળી રિપેર કરાવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સફાઈ કર્યા બાદ પાણીના ટેન્કર વગેરેની વ્યવસ્થા કરવા સાથે રસ્તાના કિનારે ચૂનો છાંટવામાં આવ્યો હતો. પ્રાદેશિક કાઉન્સિલર જ્ઞાન ચંદે કહ્યું કે તંબુ અને વીજળી ઉપરાંત સ્થળ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાંસ્કૃતિક વિભાગના અધિકારી અમિત દ્વિવેદીએ જણાવ્યું હતું કે કાર્યક્રમ 31મી જુલાઈએ સવારે 8 વાગ્યે શરૂ થયો હતો. પુષ્પાંજલિ, સેમિનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સાંજે સ્મૃતિ સ્થળ પર દિવાળીનો કાર્યક્રમ યોજાયો હતો.</span></p>
<p><strong><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6704e7b038bff.jpg" alt=""><span style="color: rgb(186, 55, 42);">પ્રેમચંદના ઘરમાં આવેલો કૂવો, જેની બાજુમાં બેસીને તેમણે અનેક વાર્તાઓ લખી હતી.</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સેમિનારમાં BHU હિન્દીના પ્રો. વશિષ્ઠ અનૂપ, પૂર્વ પ્રો. સદાનંદ શાહી, દયાનિધિ મિશ્રા, પ્રીતિ જયસ્વાલ વગેરેએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પ્રેરણા કલા મંચ ઉપરાંત બનારસ અને જૌનપુરની શાળાના બાળકોએ મંત્ર, પંચપરમેશ્વર વગેરે વાર્તાઓનું મંચન કર્યું હતું. કજરી અને બિરહા ગાયકોએ પણ રજૂઆત કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, એ પછી પ્રેમચંદનું ઘર સૂમસામ થઈ જાય છે અને ત્યારબાદ છેક તેમની પુણ્યતિથિના થોડા દિવસ પહેલા ત્યાં સરકારી માણસોની અવરજવર શરૂ થાય છે. એ સિવાય કશું થયું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>વિશેષ માહિતીઃ હિદાયત પરમાર</strong></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(186, 55, 42);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/gandhiji-representative-personality-of-kind-hearted-golden-mentality-towards-dalits">ગાંધીજીઃ દલિતો પ્રત્યે 'માયાળુ-કૃપાળુ સવર્ણ માનસિકતા'નું પ્રતિનિધિ વ્યક્તિત્વ</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 08 Oct 2024 13:41:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>1363</Articleid>
                    <excerpt>આજે મુન્શી પ્રેમચંદની પુણ્યતિથિ છે. પોતાની વાર્તાઓમાં ગ્રામીણ ભારતનું વાસ્તવિક ચિત્રણ રજૂ કરનાર પ્રેમચંદના વતનમાં તેમની સ્મૃતિઓ ભૂંસાતી જઈ રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6704e7b10f229.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6704e7b0c535c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6704e7b0c535c.jpg" length="118953" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Premchand&#039;s memories, slowly being erased, in his hometown</media:keywords>
                </item>
                        <item>
                    <title>વકીલ હોવા છતાં ડૉ.આંબેડકર ભગતસિંહનો કેસ કેમ નહોતા લડ્યા?</title>
                    <link>https://khabarantar.com/why-dr-ambedkar-did-not-fought-bhagat-singhs-case-despite-being-a-lawyer</link>
                    <guid>https://khabarantar.com/why-dr-ambedkar-did-not-fought-bhagat-singhs-case-despite-being-a-lawyer</guid>
                    <description>
                        <![CDATA[ છેલ્લાં કેટલાક વર્ષોથી ભગતસિંહના જન્મદિવસે આ સવાલ તરત માર્કેટમાં આવી જાય છે. ચાલો આજે તેનો તર્કબદ્ધ જવાબ શોધીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નરેશ મકવાણા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">why dr ambedkar did not fought bhagat singh's case despite being a lawyer?: ડૉ. આંબેડકર આટલા મોટા વકીલ હતા તો પછી તેમણે ભગતસિંહનો કેસ કેમ ન લડ્યો? - છેલ્લાં કેટલાક વર્ષોથી, ખાસ કરીને સોશિયલ મીડિયાનો રાજકીય ઉપયોગ વધ્યો છે ત્યારથી, ગોદી મીડિયા અને આઈટી સેલના દુષ્ટો અને તેમની મશીનરી દર વર્ષે ભગતસિંહના જન્મદિવસ અને તેમની ફાંસીના દિવસે ડો. બાબાસાહેબ આંબેડકરને લઈને આ મૂર્ખામીભર્યો સવાલ તરત માર્કેટમાં વહેતો મૂકી દે છે. ખાસ કરીને બાબા સાહેબનો વિરોધ કરનારા લોકો વારંવાર આ પ્રશ્ન પૂછે છે. કેટલાક લોકો આ પ્રશ્ન દ્વારા કુપ્રચારનો પ્રયાસ પણ કરે છે. આજે શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે ત્યારે ચાલો જાણીએ કે આ આરોપમાં કેટલું સત્ય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓને 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે ડૉ. આંબેડકર જેવી અસ્પૃશ્ય જાતિની વ્યક્તિને ક્લાસરૂમની અંદર બેસીને અભ્યાસ કરવાનો અધિકાર પણ નહોતો. બાબાસાહેબ તે સમયે અસ્પૃશ્ય જાતિ સમાજમાંથી આવતા સૌથી વધુ શિક્ષિત વ્યક્તિ હતા, તેમ છતાં 1917માં તેમની સેવા દરમિયાન તેમને બરોડામાં રહેવા માટે ભાડે મકાન પણ આપવામાં આવ્યું ન હતું. જ્યારે તેમણે સિડન કૉલેજમાં ભણાવવાનું શરૂ કર્યું, ત્યારે કહેવાતા ઉચ્ચ જ્ઞાતિના બાળકો તેમની પાસે ભણવા તૈયાર નહોતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન તેમણે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે કોઈ તેમને પોતાના કેસ આપતું નહોતું. 1923માં ડૉ. આંબેડકરે બોમ્બે બારમાં લાયસન્સ માટે અરજી કરી હતી. તેમને લાયસન્સ તો મળ્યું કારણ કે તેઓ લંડનથી ગ્રેસ ઇનનો અભ્યાસ કરીને આવ્યા હતા. પરંતુ લોકો તેમને અસ્પૃશ્ય માનતા હોવાથી તેમને કોઈ કેસ મળ્યો ન હતો. અમુક સંપર્કો દ્વારા તેમને કેટલાક કેસ મળતા હતા પરંતુ વધુ કેસ ન મળવાને કારણે તેમણે ટૂંક સમયમાં જ કાયદાનો વ્યવસાય છોડીને ઘર ચલાવવા માટે પ્રોફેસર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એનો અર્થ એવો થયો કે, ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને 1931માં ફાંસી આપવામાં આવી ત્યારે ડૉ. આંબેડકર કાયદાના વ્યવસાયમાં સંપૂર્ણપણે સક્રિય જ નહોતા. બીજું, એ પણ નોંધનીય છે કે ડૉ. આંબેડકર મુખ્યત્વે મુંબઈમાં રહેતા હતા જ્યારે ભગતસિંહ લાહોર અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય હતા. મુંબઈથી લાહોરનું અંતર 1391 કિમી છે અને આ બંને મહાપુરુષો વચ્ચે કોઈ સીધો સંવાદ નહોતો અને તેઓ એકબીજાના સીધા સંપર્કમાં પણ નહોતા. બંને પોતપોતાના ક્ષેત્રમાં સક્રિય હતા પરંતુ બંને એકબીજા સાથે જોડાયેલા ન હતા. એવામાં ડો. આંબેડકર ભગતસિહનો કેસ લડે તેવી દૂર દૂર સુધી કોઈ શક્યતા નહોતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભગતસિંહે વકીલ રાખવાની ના પાડી દીધી હતી</span></strong></span><br><span style="font-size: 14pt;">સરદાર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે 8 એપ્રિલ 1929ના રોજ દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકીને વિરોધ કર્યો હતો અને સ્વેચ્છાએ ધરપકડ વહોરી લીધી હતી. એ પછી ભગત સિંહ અને બટુકેશ્વર દત્ત પર પેનલ કોર્ટમાં કેસ ચાલ્યો. ટ્રાયલ દરમિયાન ભગતસિંહે કોર્ટમાં પોતાનો કેસ સ્વયં લડવાની માંગ કરી હતી, જેને સ્વીકારવામાં આવી હતી. પરંતુ કોર્ટમાં પેપરવર્ક કરવા તેમણે તે સમયના પ્રખ્યાત વકીલ આસિફ અલીની મદદ લીધી હતી. આસિફ અલીએ કોર્ટમાં બટુકેશ્વર દત્તનો પક્ષ રજૂ કર્યો હતો પરંતુ ભગતસિંહે પોતાનો પક્ષ જાતે રજૂ કર્યો હતો. તે સમયે આસિફ અલીની ગણના દેશના વરિષ્ઠ વકીલોમાં થતી હતી. આસિફ અલીના પત્ની અરુણા આસિફ અલી પણ ક્રાંતિકારીઓને તેમના કેસમાં મદદ કરતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભગતસિંહનો કેસ કોઈએ ડો.આંબેડકરને આપ્યો નહોતો</span></strong></span><br><span style="font-size: 14pt;">મૂળ વાત એ છે કે, ભગતસિંહનો કેસ કોઈએ ડો. આંબેડકરને આપ્યો જ નહોતો, એવામાં તેઓ આ કેસ કેવી રીતે લડી શકે? ભગતસિંહે પોતાનો કેસ જાતે લડવાનું નક્કી કર્યું હતું અને વકીલ રાખવાનો ઇનકાર કર્યો હતો. જેમાં સિનિયર એડવોકેટ અસફ અલીએ તેમને થોડી મદદ કરી હતી. જેનો અર્થ એ થયો કે ડો.આંબેડકર આ કેસમાં કોઈપણ રીતે કોર્ટમાં હાજર રહી શકે તેમ નહોતા. તેમ છતાં તેમના પર એવો આરોપ લગાવવામાં આવે છે કે આટલા મોટા વકીલ હોવા છતાં તેમણે ભગતસિંહનો કેસ નહોતો લડ્યો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ડો. આંબેડકર અને ભગતસિંહ પોતપોતાના મોરચે લડી રહ્યા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">અહીં એક બીજી વાત સમજવા જેવી છે કે, આપણા દેશ માટે બંને મહાપુરુષો - ડો. આંબેડકર અને ભગતસિંહ, પોતપોતાની રીતે અલગ-અલગ મોરચે લડ્યા હતા. જ્યારે ભગતસિંહ અંગ્રેજો સામે આઝાદી મેળવવા ક્રાંતિનો સહારો લઈ રહ્યા હતા, ત્યારે ડૉ. આંબેડકર ભારતમાં જાતિવાદને કારણે ગુલામીનો ભોગ બનેલા કરોડો અસ્પૃશ્યોની મુક્તિ માટે લડત ચલાવી રહ્યા હતા. સાઉથ બરો કમિટી, સાયમન કમિશન, ગોળમેજી પરિષદ, મહાડ સત્યાગ્રહ, કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ આ તમામ ચળવળો આ સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી અને અછૂતોની મુક્તિ માટે ડો. આંબેડકરે પોતાની જાતને સંપૂર્ણપણે તેમાં હોમી દીધી હતી. સૌથી મોટી વાત એ કે, તે સમય સુધી તેઓ વકીલાત નહોતા કરતા.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ડો.આંબેડકરને ભગતસિંહ પ્રત્યે આદર હતો</span></strong><br><span style="font-size: 14pt;">13 એપ્રિલ 1931ના રોજ પોતાના પાક્ષિક સમાચારપત્ર 'જનતા'માં લખેલા તંત્રીલેખમાં ડૉ. આંબેડકરે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની ફાંસીને બલિદાન તરીકે રેખાંકિત કરી હતી અને લેખને 'ત્રણ બલિ' શીર્ષક આપ્યું હતું. આ સમગ્ર તંત્રીલેખનું નિષ્કર્ષ એ છે કે ત્રણેય શહીદો બ્રિટનના આંતરિક રાજકારણનો ભોગ બન્યા હતા. એટલા માટે બાબાસાહેબ તેને અન્યાય ગણાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">બાબાસાહેબ આગળ લખે છેઃ "જો સરકારને એવી અપેક્ષા રાખતી હોય કે આ ઘટનાથી લોકોમાં એ સમજણ મજબૂત થશે કે બ્રિટિશ સરકાર સંપૂર્ણ ન્યાયી છે અથવા ન્યાયતંત્રના આદેશોનો બરાબર અમલ કરે છે અને લોકો તેને સમર્થન આપશે, તો તે સરકારની નાદાની છે, કારણ કે આ બલિદાન બ્રિટિશ ન્યાય પ્રણાલીની પ્રતિષ્ઠાને વધુ ઉજળી અને પારદર્શક બનાવવા આપવામાં આવી છે. આ અંગે સરકાર પોતે જ કોઈ તર્કસંગત ધોરણે પોતાને સંતુષ્ટ કરી શકતી નથી, તો પછી ન્યાયી હોવાની આડમાં બીજાને કેવી રીતે સંતુષ્ટ કરી શકે? સરકારની સાથે દુનિયા પણ જાણે છે કે આ બલિદાન ન્યાયના દેવતાની ભક્તિ તરીકે નહીં પરંતુ વિલાયતની કંઝર્વેટિવ રાજનીતિક રૂઢિવાદી પાર્ટી અને જનમતના ડરથી આપવામાં આવ્યું હતું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ભગતસિંહની હિંમતને શ્રદ્ધાંજલિ</span></strong><br><span style="font-size: 14pt;">તંત્રી લેખની શરૂઆતમાં ડૉ. આંબેડકરે એ આરોપોનો ઉલ્લેખ કર્યો છે જેની હેઠળ ભગતસિંહ સહિત ત્રણેય શહીદોને ફાંસી આપવામાં આવી હતી. ત્રણેય શહીદોની બહાદુરીની ચર્ચા કરતાં તેઓ લખે છે, "ભગતસિંહની ફાંસીને બદલે ગોળી મારી દેવાની છેલ્લી ઈચ્છા પણ પૂરી કરવામાં ન આવી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. આંબેડકર લખે છે: "અમને માફ કરી દો અને જવા દો એવી દયાની અપીલ ત્રણમાંથી કોઈએ નહોતી કરી. હા, એવા સમાચાર ચોક્કસ આવ્યા છે કે ભગતસિંહે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમને ફાંસી પર ચડાવવાને બદલે ગોળીથી ઠાર કરવામાં આવે, પરંતુ તેમની અંતિમ ઈચ્છાનું પણ સન્માન કરવામાં આવ્યું ન હતું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભગતસિંહની ફાંસીનો વિરોધ કર્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">આ તંત્રીલેખમાં ડો. આંબેડકરે ભગતસિંહની ફાંસી સંદર્ભે ભારત અને બ્રિટનમાં જે ખુલ્લી અને ગુપ્ત રાજનીતિ ચાલી હતી તેની વિગતવાર ચર્ચા કરી છે, અને તેમાં ગાંધીજી અને તત્કાલીન વાઈસરોય લોર્ડ ઈર્વિનની ભૂમિકા વિશે વાત કરી છે. ડૉ. આંબેડકરના મતે ગાંધીજી અને ઈરવિન ભગતસિંહની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની તરફેણમાં હતા. ગાંધીજીએ ઈરવિન પાસેથી આ મામલે વચન પણ લીધું હતું. પરંતુ બ્રિટનની આંતરિક રાજનીતિ અને બ્રિટિશ જનતાને ખુશ કરવા ત્રણેયને ફાંસી આપી દેવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તંત્રી લેખના અંતમાં બાબાસાહેબ લખે છે, "જનમતની પરવા કર્યા વિના, ગાંધી-ઇર્વિન સંધિનું શું થશે તેની ચિંતા કર્યા વિના, દેશના રૂઢિચુસ્તોના ગુસ્સાનો ભોગ બનવાથી પોતાને બચાવવા માટે, ભગતસિંહ અને તેમના સાથીઓની બધાએ બલિ ચઢાવી છે તે હકીકત હવે છુપાઈ નહીં શકે. સરકારે આ વાત ચોક્કસપણે સ્વીકારવી જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલે કે ડૉ. આંબેડકર શહીદે આઝમ ભગતસિંહને ફાંસી આપવાનો સ્પષ્ટ વિરોધ કરે છે, એટલું જ નહીં, તેઓ ત્યાં સુધી કહે છે કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની બલિ ચઢાવી દેવામાં આવી છે. તેથી ભગતસિંહ અને તેમના સાથીઓની શહીદી પર ડૉ. આંબેડકર મૌન રહ્યાં હતા એમ કહેવું બિલકુલ યોગ્ય નથી. તેમણે તો કાયદેસર અંગ્રેજ સરકારને તેના માટે જવાબદાર ઠેરવીને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આટલું વાંચ્યા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે, બાબાસાહેબ ભગતસિંહનો કેસ નહોતા લડ્યા એ આખો મુદ્દો આઈટી સેલના દુષ્ટ ભેજાબાજોની ઉપજ છે અને સમસ્ત બહુજન સમાજના મનમાં બાબાસાહેબને લઈને શંકા પેદા કરવાનો એક મોટો પેંતરો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે જો કોઈ તમને આ પ્રશ્ન ફરીથી પૂછે કે, "બાબાસાહેબ કેમ ભગતસિંહનો કેસ નહોતા લડ્યાં?" તો તેને આ લેખની લિંક મોકલી આપજો, જેથી તેના મનમાં રહેલો ભ્રમ પણ દૂર થઈ જાય અને તેને પણ વાસ્તવિકતાની જાણ થાય. જય ભીમ.</span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">(લેખક 'અભિયાન' મેગેઝિનના પૂર્વ તંત્રી અને લોકસત્તા-જનસત્તા અમદાવાદના એડિટર છે.)</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Sep 2024 15:25:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>1292</Articleid>
                    <excerpt>છેલ્લાં કેટલાક વર્ષોથી ભગતસિંહના જન્મદિવસે આ સવાલ તરત માર્કેટમાં આવી જાય છે. ચાલો આજે તેનો તર્કબદ્ધ જવાબ શોધીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f7d23588d7b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f7d23555f9b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f7d23555f9b.jpg" length="71337" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>why dr ambedkar did not fought bhagat singhs case despite being a lawyer</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચંદ્રશેખર રાવણના પિતાને સવર્ણોએ કહ્યું&amp; માસ્ટરજી, આપકા ગિલાસ કહાં હૈ?</title>
                    <link>https://khabarantar.com/savarna-said-to-chandrashekhar-ravanas-father-masterji-aapka-gilas-kahan-hai</link>
                    <guid>https://khabarantar.com/savarna-said-to-chandrashekhar-ravanas-father-masterji-aapka-gilas-kahan-hai</guid>
                    <description>
                        <![CDATA[ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણના પિતા શિક્ષક હતા, પણ જાતિવાદી તત્વોએ તેમની સાથે જે વર્તન કર્યું હતું, તે આજે પણ ચંદ્રશેખરને રડાવી જાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમ આર્મીના વડા(Bhim Army Chief)  ચંદ્રશેખર આઝાદ(Chandra Shekhar Azad) ભલે આજે સાંસદ હોય, તેઓ ભલે સત્તામાં આવ્યા હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમને તેમની જાતિના કારણે ઘણા ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. ગરીબીમાં ઉછરેલા ચંદ્રશેખર આઝાદને તેમના ચાહકો ચંદ્રશેખર રાવણ કહીને પણ સંબોધે છે. ભીમ આર્મીનો આજે ઉત્તર ભારત ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં દબદબો છે, પણ આ બધું કંઈ રાતોરાત ઉભું નથી થઈ ગયું. તેના માટે ચંદ્રશેખરે ઘણો સંઘર્ષ કર્યો છે. એક સમયે તેને ગોળી મારીને મારી નાખવાનું કાવતરું પણ ઘડવામાં આવ્યું હતું. આ સિવાય તેમને 16 મહિના જેલમાં પણ રહેવું પડ્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે તેઓ યુપીની નગીના બેઠક પરથી સાંસદ છે, તેમણે લોકસભામાં આપેલી સ્પીચ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. યોગેન્દ્ર યાદવ જેવા દિગ્ગજ રાજકીય વિશ્લેષકો તેમને ભવિષ્યના મોટા બૌદ્ધિક નેતા તરીકે જુએ છે. આ બધું આજે ચંદ્રશેખરની સફળતાની ચાડી ખાય છે. પરંતુ તેમના જીવનમાં એક એવો દિવસ પણ હતો જેની યાદ હજુ પણ ભીમ આર્મી ચીફના આત્માને સતાવે છે અને તે યાદ આવતા જ તેઓ અત્યંત નિઃસહાયતા અનુભવે છે. શું છે એ ઘટના ચાલો જાણીએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/how-many-sc-st-judges-who-gave-this-order">જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં એસસી, એસટી છે?- ચંદ્રશેખર રાવણ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">3 ડિસેમ્બર 1986ના રોજ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં જન્મેલા ચંદ્રશેખર આઝાદે પ્રાથમિક શિક્ષણ ઠાકુર છજ્જુ સિંહ પુંડીર એએચપી ઇન્ટર કોલેજ સહારનપુરમાંથી મેળવ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે સ્કૂલમાં ભણતી વખતે તેમને ઘણાં ભેદભાવોનો સામનો કરવો પડ્યો હતો. ચંદ્રશેખર કહે છે કે ઘણી વખત ઉચ્ચ જાતિના બાળકો અમને મારતા હતા. જ્યારે અમે આ અંગે પ્રિન્સિપાલ કે શિક્ષકને ફરિયાદ કરીએ તો તેઓ અમને ઠપકો આપતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચંદ્રશેખર આઝાદના પિતા ગોવર્ધન દાસ શિક્ષક હતા. આઝાદને બે ભાઈઓ છે: મોટા ભરત સિંહ અને નાના કમલ કિશોર. આઝાદ કહે છે કે શિક્ષક હોવા છતાં મારા પિતાને જાતિ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. પહેલીવાર જ્યારે તેમને કથિત સવર્ણોના ગામમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે તેઓ શાળાએ ગયા ત્યારે લોકો તેમને પૂછવા લાગ્યા, "માસ્ટરજી આપકા ગિલાસ કહાં હૈ? યહાં આપકો અપના ગિલાસ અલગ રખના પડતા હૈ." જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમણે મને આખી ઘટના વિશે જણાવ્યું, જે સાંભળીને મને ખૂબ જ ખોટું લાગ્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-was-heard-in-the-drawing-room-of-savarna-the-judge-wrote-in-the-judgment">સવર્ણોના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતુ, જજોએ તે ચુકાદામાં લખ્યું છે?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ANIને આપેલા ઈન્ટરવ્યુમાં ચંદ્રશેખર આઝાદે 11 વર્ષ પહેલા બનેલી આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે આજ સુધી તેને ભૂલી શક્યા નથી. ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું, 'મારા પિતાને કેન્સર હતું. હું તેમને AIIMSમાં દાખલ કરાવવા માંગતો હતો, પરંતુ મારી પાસે કોઈ સંપર્ક કે ભલામણ નહોતી. મેં ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ મારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં હું મારા પિતાને એઈમ્સમાં દાખલ કરાવી શક્યો નહીં. 11 જાન્યુઆરી 2013ના રોજ દેહરાદૂનમાં મારા હાથમાં તેમનું અવસાન થયું હતું. આજે પણ હું એ ઘટનાને ભૂલી શક્યો નથી. હું મારા પિતાને મદદ કરવામાં લાચાર હતો અને તે દિવસથી મેં શપથ લીધા હતા કે હવેથી હું મારા કોઈ પ્રિયજનને આ રીતે મરવા નહીં દઉં. હું મારી ગરીબી અને લાચારીને આ બાબતમાં ક્યારેય અડચણ નહીં બનવા દઉં અને મારા પરિવારના કોઈપણ સભ્યને આ રીતે જવા દઈશ નહીં. મારા પિતા સાથે જે થયું તે હું મારા કોઈ પ્રિયજન સાથે થવા નહીં દઉં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભીમ આર્મી ચીફ કહે છે, આજે પણ મારા પિતાએ કહેલા એ શબ્દો, "માસ્ટરજી, આપકા ગિલાસ કહાં હૈ?" મારા મનમાં ગુંજતા રહે છે. જાતિ ભેદભાવનો ડંખ જેમણે સહન કર્યો હોય તેને જ તેની પીડાની ખબર પડે. જેમ એક મહિલા પ્રસવની પીડા કોઈને વાત કરીને ન સમજાવી શકે, તેમ આભડછેટ અને જાતિ ભેદભાવનો અનુભવ પણ કોઈને વાત કરીને સમજાવી શકાતો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/supreme-courts-judgment-on-reservation-is-just-a-joke-prakash-ambedkar">બાબાસાહેબના પૌત્ર પ્રકાશ આંબેડકરનો એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂ</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 18 Aug 2024 13:41:39 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 18 Aug 2024 14:12:45 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>1088</Articleid>
                    <excerpt>ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણના પિતા શિક્ષક હતા, પણ જાતિવાદી તત્વોએ તેમની સાથે જે વર્તન કર્યું હતું, તે આજે પણ ચંદ્રશેખરને રડાવી જાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c1ac87e98fe.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c1ac87b5cd4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c1ac87b5cd4.jpg" length="68666" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Chandrashekhar Azad, Ravan, Bhim Army chief, nagina MP</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાતિવાદ, જમીન અને હવસે ફૂલનને &amp;apos;બેન્ડિટ ક્વિન&amp;apos; બનવા મજબૂર કરી</title>
                    <link>https://khabarantar.com/racism-land-lust-forced-phoolan-to-become-a-bandit-queen</link>
                    <guid>https://khabarantar.com/racism-land-lust-forced-phoolan-to-become-a-bandit-queen</guid>
                    <description>
                        <![CDATA[ ફૂલનદેવીની આજે પુણ્યતિથિ છે. એક ગામડાની ગભરુ કિશોરી કેવી રીતે જમીન, જાતિવાદ અને પુરૂષોની હવસના કારણે બેન્ડિટ ક્વિન બનવા મજબૂર થઈ તેવી વાત કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફુલનદેવી, એક એવું નામ જે વિચારવા મજબૂર કરી દે કે એમના વિશે શું અભિપ્રાય બાંધીએ? દરેક બનાવ, દરેક બાબત, દરેક વ્યક્તિને સમાજ બે દ્રષ્ટિકોણથી જોતો હોય છેઃ એક સકારાત્મક અને બીજો નકારાત્મક. પણ ફુલનદેવીના જીવનમાં આ બંને દ્રષ્ટિકોણ એક સાથે સામેલ છે. તેમના જીવનમાં એટલા બધાં અટપટા વળાંકો સામેલ છે, જેને કોઈ પ્રેરણાદાયી માને છે, તો કોઈ નકારાત્મક પણ માને છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય ઇતિહાસમાં આવું ઉદાહરણ ક્યારેય ફરી જોવા નહીં મળે, જેમાં એક બળાત્કારનો ભોગ બનેલી મહિલાએ બદલો લેવા ગામ વચ્ચે ૨૨ પુરુષોને ગોળીઓથી વીંધી નાખ્યા હોય. જેલ પણ ભોગવે અને સન્માનનીય એવી સંસદ સભાની સીટને પણ શોભાવે અને એનો અંત પણ કોઈ દ્વારા હત્યા થઇ જઈને આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માત્ર ૩૮ વર્ષની નાની જિંદગી કેટકેટલી યાતનાઓ, પડકારોમાંથી પસાર થઈ હશે? આટલી નાની જિંદગીમાં એક મહિલાને પુરુષવાદી સમાજના એક પછી એક એટલાં કપરાં અનુભવ થતા ગયા કે તેણે બળવો પોકાર્યો. સમજવાની વાત એ છે કે, તેણે અત્યાચારો સામે શરણાગતિ સ્વીકારીને આત્મહત્યા કરી લેવાનું ના વિચાર્યું, કે મોઢું બંધ રાખીને ચુપચાપ જીવી લેવાનું પણ સ્વીકાર્યું નહીં અને દરેક અન્યાય સામે અડીખમ ઉભી રહીને લડી લીધું. કાયદો એની આબરૂ ના સાચવી શક્યો, તો કાયદાને પણ એણે બિન્દાસ તોડીને છડેચોક ક્યારેય ના બની હોય એવી ઘટનાને અંજામ આપી 22 પુરુષોને મોતને ઘાટ ઉતારી દીધા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના એક નાના ગામ ગોહરાના પૂર્વમાં એક મલ્લાહ(મછવારા)ને ત્યાં ૧૦ ઓગસ્ટ ૧૯૬૩ના રોજ  ફુલનદેવીનો જન્મ થયો હતો. માતાપિતાના છ સંતાનોમાં તે બીજા નંબરની હતી. એ વખતના સમાજ, કુટુંબ અને ગામની રીતભાત જોતા એ છોકરી ગભરું, શાંત અને બિચારી બનીને જીવન ગુજારતી હોવી જોઈએ, પણ ફુલનની બાબતમાં સાવ ઉલટું હતું. એ આ ધારણાથી એક કદમ આગળ હતી. તે એટલી અલગ હતી કે સાચા ખોટાની લડાઈમાં કોઈની પણ સામે પડી જતી હતી.  </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Have-you-ever-heard-and-read-this-Vivekanandavani"><span style="font-size: 14pt;">કદી સાંભળી-વાંચી છે આ વિવેકાનંદ વાણી?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંપત્તિના નામે એના પિતાજી પાસે એક એકર જમીન હતી એ પણ એના કાકાએ તેના છોકરા સાથે મળીને છીનવી લીધી હતી. ૧૦ વર્ષની ફુલનને આ વાતની ખબર પડતા એ એના સગા કાકા અને પિતરાઈ ભાઈ સાથે છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવી હતી. આટલી નાની ઉંમરે જમીનના હક્ક માટે ખેતર વચ્ચે ધરણાં ઉપર બેસી ગઈ હતી. જેને લઈને ફુલનને કુટુંબમાં બધાના ગુસ્સાનો ભોગ પણ બનવું પડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૧ વર્ષની  ઉંમરે જ એના લગ્ન 40-45 વર્ષના એક આધેડ સાથે કરી દેવામાં આવ્યા. શરૂઆતમાં ફૂલને તેના ક્રાંતિકારી સ્વભાવના કારણે આ લગ્નનો વિરોધ પણ કર્યો, પણ એટલી નાની ઉંમરે તેનું પરિવાર સામે કશું ચાલ્યું નહીં. ફુલન પ્રત્યે એના પતિ અને ઘરવાળાઓનો વ્યવહાર બરાબર નહોતો. તેને સાસરીમાં ખુબ હેરાન કરવામાં આવતી. શારીરિક માનસિક પીડા ફુલન માટે સહનશક્તિની બહાર જતા તે ત્યાંથી ભાગીને પોતાના ઘરે આવી ગઈ. એને આશા હતી કે મારા પોતાના મને સમજશે અને મદદ કરશે, પણ થયું ઉલટું. સમાજે એને જ ખરી ખોટી સંભળાવવાની શરૂ કરી દીધી. પુરુષપ્રધાન સમાજની ખાસિયત પ્રમાણે ભોગવે સ્ત્રી છતાં મહેણાં-ટોણાં પુરુષની જગ્યાએ હંમેશા સ્ત્રી ને જ સાંભળવાના થાય એવું જ ફુલન સાથે થયું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમ્યાન એના પિતરાઈ ભાઈએ, જેની સામે તે જમીનને લઈને સામે પડી હતી, તેણે કોઈ ખોટો કેસ કરીને તેને જેલ ભેગી કરાવી દીધી. અને ફુલનને આટલી નાની ઉમરમાં સમાજમાં ફરી હડધૂત થવાનો વારો આવ્યો. જેલથી નીકળ્યાં પછી પરિવારે સમજાવી ફોસલાવી એને ફરી સાસરે મોકલી દીધી. પણ સાસરી અને પતિનો વ્યવહાર ફુલન માટે જરાય બદલાયો નહોતો, અને ફરી એજ પરિસ્થિતિનો સામનો કરવો અસહ્ય થઇ જતા, ફૂલને મજબૂર થઈને ફરીથી એ ઘર છોડવું પડ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક મહિલાએ કેવા કેવા સંજોગોનો સામનો કરવો પડે અને કોઈ ગુના વિના જ કેવા કઠોર રસ્તા અપનાવવા મજબુર બનવું પડે છે, એ વાત ફુલનની જિંદગી સાથે શરૂથી અંત સુધી જોડાયેલી રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/When-Renu-said-Padmashri-honor-has-now-become-Papashri-for-me"><span style="font-size: 14pt;">જ્યારે રેણુએ કહ્યું, ‘પદ્મશ્રી સન્માન હવે મારા માટે પાપશ્રી બની ગયું છે!’</span></a><br></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફુલનના કાકા દ્વારા ખેતરનું પચાવી પાડવું, પરિવાર દ્વારા ૧૧ વર્ષની કુમળી વયે આધેડ પુરુષ સાથે લગ્ન કરી દેવા, સાસરીમાં અવારનવાર અપમાનિત થવું અને મારઝુડનો ભોગ બનીને ઘર છોડવા મજબુર થવું તો ખરું જ, સાથે સમાજની કેટલીક નવરી પિપુડીઓના મહેણાંટોણાં પણ સાંભળવાના. શરૂઆતથી જ અન્યાય સામે અવાજ ઉઠાવવાના સ્વભાવની ફુલનને આ તમામ ઘટનાઓ બળવો કરવા માટે પ્રેરણા આપવા લાગી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એના જીવન ઉપર બનેલી ફિલ્મ 'બેન્ડિટ ક્વિન'ને આધાર માનીને ચાલીએ તો ૨૦ વર્ષની ઉમરમાં ફુલન દેવીનું અપહરણ થયું હતું. તેને એક રૂમમાં ૨૧ દિવસ સુધી પુરી રાખીને એની ઉપર અનેક લોકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો. કોઈપણ સ્ત્રી એકવાર પણ કયારેય માફ ના કરે એ અત્યાચાર ફુલને ૨૧ દિવસ સુધી અનેકવાર સહન કરવો પડ્યો. સામાન્ય  સ્ત્રીઓની જેમ સમાજની બીકે મોઢું બંધ રાખીને ચૂપ રહી જાય એવી ફુલન નહોતી. એનો દબંગ સ્વભાવ, એનામાં રહેલું ઝનૂન ક્યારેય અન્યાય સહન કરવા તૈયાર નહોતું. એ આપઘાત કરીને જીવ આપી દે એવી અબળા પણ નહોતી. એ તો ઈટનો જવાબ પથ્થરથી આપવામાં માનતી ઝનૂની છોકરી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બળાત્કારીઓના સકંજામાંથી ફુલન એક દિવસ ભાગી જવામાં સફળ રહી. અને અહીં જ "બેન્ડિટ ક્વિન"નો જન્મ થાય છે. એની સાથે બનેલી એ ઘટનાઓ 'બિચારી નારી' બનીને સહન કરી લેતી સ્ત્રીઓ માટે તો વર્ષોથી ચાલી આવતી હતી. પણ ફૂલને તેમાંથી સબક લીધો. ફુલનને પણ માનભેર સમાજમાં જીવવું હતું. પણ આ 21 દિવસે તેની જિંદગી બદલી નાખી. ખરેખર જે ગુનેગારો છે એમને સમાજનો ડર હોવો જોઈએ, જયારે અહીં તો જેને ભોગવવું પડ્યું હતું તેને જ સમાજે ગુનેગાર ઠેરવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણી સમાજ રચના જ એવી નથી કે એક સ્ત્રી વગર વાંકે કોઈનો શિકાર બને, એ પછી તે સ્ત્રી ખુમારીથી સ્વમાનભેર બધાં વચ્ચે રહીને જીવી શકે. એટલે સમાજમાં રહેવું ફુલન માટે મુશ્કેલ થઇ ગયું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાના અમથા અન્યાય સામે પણ બાથ ભીડી લેતી ફૂલન તેના પર બળાત્કાર કરનારાઓને ક્યાંથી છોડે? તેણે ડાકુઓની ટોળકીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો. કાયદાની નજરમાં ગુનો ગણાતી પ્રવૃત્તિઓનો સહારો લીધો અને હથિયાર ઉઠાવી લીધાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<span style="font-size: 14pt;"> <a href="https://khabarantar.com/No-one-can-erase-these-works-of-Babasaheb-they-will-be-remembered-even-after-centuries">બાબાસાહેબના આ કાર્યોને કોઈ ભૂંસી શકશે નહીં, સદીઓ પછી પણ રહેશે યાદ</a></span><br></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌથી પહેલા એક સ્ત્રી તરીકે અપમાનિત થવું પડ્યું હતું, સતત જ્યાં મારઝુડ સહન કરવી પડી હતી, એ પોતાના પતિના ઘરે ડાકુ સાથીદારો સાથે પહોંચી ગઈ અને પતિને ઘરમાંથી બહાર ખેંચી કાઢીને લોકોની સામે જ ચપ્પાના ઘા મારી અધમરી હાલતમાં છોડીને જતી રહી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રીરામ અને લાલારામ, જેમણે ફુલનનું અપહરણ કરીને બળાત્કાર કર્યો હતો, એનો બદલો લઈને અંજામ આપવાનો દિવસ આવી ગયો. ફુલનદેવી એ માટે મોકાની તલાશમાં હતી અને ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૧ના દિવસે તેને એ તક મળી ગઈ. ફુલન પોતાના સાથીઓની ટુકડી સાથે પોલીસ વાનમાં બેસીને બેહમઈ ગામ પહોંચી ગઈ. ત્યાં એક લગ્ન યોજાઈ રહ્યા હતા. ફુલન અને તેના સાથીઓએ બંદૂકના જોરે આખા ગામને ઘેરી લીધું અને ઠાકુર જાતિના ૨૨ પુરુષોને એક સાથે, એક લાઈનમાં ઉભા રહેવા આદેશ કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના સાક્ષી અને ગોળી વાગવા છતાં જીવી ગયેલા ચંદરસિંહ કહે છે, "ફૂલને સૌથી પહેલા લાલારામ ક્યાં છે એમ પૂછ્યું. જેનો સંતોષકારક જવાબ ના મળતા બધાંને બેસવા કહ્યું, પછી ઉભા થવા કહ્યું. આમ ઉઠકબેઠક કરાવી. એ દરમિયાન તેણે પોતે વેઠેલા અત્યાચારની આગને મગજમાં બરાબર તપવા દીધી અને પછી એક સાથે બાવીસેય પુરૂષોને ગોળી મારી દેવાનો આદેશ આપ્યો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ સાથે જ ભૂતકાળમાં ક્યારેય ન ઘટી હોય એવી એક ઘટના ગણતરીની સેકન્ડોમાં ઘટી ગઈ. એક સ્ત્રીના ઓર્ડર પર તેના સાથીઓએ 22 બળાત્કારીઓને ગોળીથી વીંધી નાખ્યા. ચંદરસિંહ આ ઘટનામાં ગોળી વાગવા છતાં બચી ગયો હતો. આ હત્યાકાંડ પછી ફુલનનો ખૌફ વધી ગયો. મીડિયાએ તેને નામ આપ્યું 'બેન્ડિટ ક્વિન'. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસ.પી રાજેન્દ્ર ચતુર્વેદી આ દરમ્યાન ફુલન અને તેના સાથીઓ સાથે વાત કરી રહ્યા હતા. બહુ ઓછાં લોકોને ખ્યાલ છે કે, તેમના કારણે જ ફુલન દેવી આત્મસમર્પણ કરવા રાજી થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફુલનદેવીએ કેટલીક શરતો રાખી હતી. જેમાં એક શરત એ હતી કે મને ઉત્તરપ્રદેશની પોલીસ ઉપર ભરોસો નથી, તેથી હું મધ્યપ્રદેશની પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરીશ. જે માન્ય થતા મધ્યપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી અર્જુનસિંહ સામે ફુલને શરણાગતિ સ્વીકારી અને 22 હત્યા, 30 લૂંટ અને 18 અપહરણનો ચાર્જ લાગ્યો. એ પછી તેણે 11 વર્ષ જેલમાં રહેવું પડ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાદમાં 1993માં મુલાયમસિંહની સરકારે ફુલનદેવી પર લગાવવામાં આવેલા તમામ આરોપો પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો. રાજકીય દ્રષ્ટિકોણથી આ નિર્ણય કોઈ ભૂકંપથી જરાય કમ નહોતો. ફૂલને 1994માં જેલમાંથી છુટ્યા બાદ ઉમેદસિંહ સાથે લગ્ન કર્યા. એક બિમારીની સારવાર દરમિયાન તેનું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું. ડોક્ટરને એ બાબતે પૂછ્યું તો કહ્યું, "ફૂલન હવે બીજી ફૂલન પેદા નહીં કરી શકે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરુંધતી રોયે આ બાબતનો વિરોધ કરતા લખ્યું હતું કે, "એક સ્ત્રીના શરીરમાંથી તેને પૂછ્યાં વિના જ કોઈ અંગ કાઢી લેવામાં આવે તે નિમ્ન કક્ષાની માનસિકતા દર્શાવે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૯૬માં ફુલનદેવી સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યાં અને જીત્યાં. ચંબલની ખીણોમાં રહેવાવાળી ફુલનદેવી મિર્જાપુરથી સાંસદ બની અને દિલ્હીના અશોકા રોડના એક આલીશાન બંગલામાં રહેવા લાગી. ૧૯૯૮માં હારી ગઈ અને ૧૯૯૯માં ફરી જીતી ગઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૫ જુલાઈ ૨૦૦૧ના રોજ શેરસિંહ રાણા ફુલન દેવીના "એકલવ્ય સેના" નામના સંગઠનમાં જોડાવાની ઈચ્છા બતાવીને મળવા આવ્યો. ફુલાદેવીને ત્યાં એણે ખીર ખાધી અને ઘરના દરવાજા પાસે જ તેણે ફૂલનને ગોળી મારી દીધી. તેણે કબુલ્યું કે "મેં ફુલનદેવીની હત્યા બેહમઈ હત્યાકાંડનો બદલો લેવા કરી છે." ફુલનને ડાકુ બનવા મજબુર કરનાર પુરુષ માનસિકતા ફરી અહીં જિંદગીના છેલ્લા દિવસે પણ તેને નડી ગઈ અને એક પુરૂષ કાયદો હાથમાં લઈને તેનો જીવ લઈ ગયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફુલનદેવીની ૩૮ વર્ષની જિંદગી ભારતીય સમાજની એક એક બુરાઈને સાથે લઈને ચાલી હતી. સમાજના રીતિરિવાજોએ એક નાની બાળકીને બળવો કરવા મજબૂર કરી. સમાજ તેને વધુ બળવાખોર બનવા મજબૂર કરતો દેખાય છે. તેની જિંદગી પુરૂષવાદી સમાજ વ્યવસ્થા સામે બંડ પોકારે છે. બળાત્કારની સામે કેટલીક યુવતીઓ પોતાનો જીવ આપીને દુનિયા છોડી જાય છે. કેટલીક યુવતીઓ સમાજની બીકે ચૂપ રહેવામાં સમજદારી માને છે. કોર્ટમાં ચડેલા કિસ્સામાં બળાત્કારીઓ પીડિતાને કે સાક્ષીઓને મોતને ઘાટ ઉતારી દે છે. ફુલનદેવીને ડાકુરાણી કે બેન્ડિટ ક્વિન બનવા મજબૂર કરવા પાછળ જાતિવાદ, જમીન અને પુરૂષપ્રધાન સમાજ વ્યવસ્થા એમ ઘણું બધું જવાબદાર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>જિતેન્દ્ર વાઘેલા</strong></span> <span style="font-size: 12pt;"><em><strong>(લેખક વ્યવસાયે કોમ્પ્યુટર એન્જિનિયર અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)</strong></em></span></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/If-you-do-not-have-a-meal,-eat-bread-in-hand-and-teach-your-children"><strong>ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 25 Jul 2024 17:05:22 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 02 Aug 2024 19:32:45 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>974</Articleid>
                    <excerpt>ફૂલનદેવીની આજે પુણ્યતિથિ છે. એક ગામડાની ગભરુ કિશોરી કેવી રીતે જમીન, જાતિવાદ અને પુરૂષોની હવસના કારણે બેન્ડિટ ક્વિન બનવા મજબૂર થઈ તેવી વાત કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ace6fc2b42f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ace6fbecbf1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ace6fbecbf1.jpg" length="103887" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા</title>
                    <link>https://khabarantar.com/brahmins-were-4-percent-in-kolhapur-but-80-percent-of-the-jobs-were-brahmins</link>
                    <guid>https://khabarantar.com/brahmins-were-4-percent-in-kolhapur-but-80-percent-of-the-jobs-were-brahmins</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન સમાજ આજે જે કંઈપણ સુવિધાઓ મેળવી રહ્યો છે તેના મૂળમાં શાહુજી મહારાજની દીર્ધદ્રષ્ટિ રહેલી છે. એટલે કોઈ તમને પૂછે કે શાહુજી મહારાજે શું કર્યું હતું, તો આ લેખ તેના માથે મારી દેજો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્લેટોએ તેમના પ્રસિદ્ધ પુસ્તક 'રિપબ્લિક'માં એક એવા રાજાની કલ્પના કરી છે જેનામાં ફિલોસોફર જેવી માનવીય ગરિમા, હિંમત, રાજકીય શ્રેષ્ઠતા અને બૌદ્ધિકતાનો સમન્વય હોય. તેમનું કહેવું એમ હતું કે આવા રાજા માનવજાતને તમામ સમસ્યાઓમાંથી મુક્ત કરી શકે છે અને તેમને અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશ તરફ લઈ જઈ શકે છે. ભારતમાં આવા રાજાઓના થોડા જ ઉદાહરણો છે, અને આવા એક રાજાનું નામ છે - છત્રપતિ શાહુજી મહારાજ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વંચિતો, શોષિતો, પીડિતો માટે અનામતની જોગવાઈ કરનાર શાહુજી મહારાજ પ્રથમ રાજવી હતા. એટલે જ તેમને અનામતના જનક કહેવામાં આવે છે. તેમણે તેમના રાજ્ય કોલ્હાપુરની લગભગ 90 ટકા વસ્તીને જાતિ પ્રથામાંથી મુક્ત કરવા માટે એવા નક્કર અને નિર્ણાયક પગલાં લીધાં હતા જેનાથી તેઓ જાતિવાદી પ્રથાની ચૂંગાલમાંથી મુક્ત થઈ શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાહુજી મહારાજની બીજી ખ્યાતિ એ છે કે તેઓ છત્રપતિ શિવાજી મહારાજના વંશજ હતા અને તેમને શિવાજી મહારાજ પાસેથી પ્રજા વત્સલ રાજવી બનવાનો વારસો મળ્યો હતો. ડો. આંબેડકરના સામાજિક અભિયાનમાં પણ શાહુજી મહારાજે મહત્વની ભૂમિકા ભજવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોટાભાગના વાચકો અને વિદ્વાનો શાહુજી મહારાજને અનામતના જનક તરીકે જાણે છે. લગભગ 118 વર્ષ પહેલાં, 26 જુલાઈ, 1902ના રોજ તેમણે શાસનના તમામ ક્ષેત્રોમાં કથિત ઉચ્ચ જાતિના વર્ચસ્વને તોડવા માટે પછાત વર્ગો માટે 50 ટકા અનામત લાગુ કરી હતી. અહીં એ નોંધવું જરૂરી છે કે મરાઠા, કુણબી અને અન્ય સમાજોની સાથે તેમણે દલિતો અને આદિવાસીઓને પણ પછાત વર્ગમાં સામેલ કર્યા હતા. આ સંદર્ભમાં તેમણે જે આદેશ જારી કર્યો હતો તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પછાત વર્ગમાં બ્રાહ્મણો, પ્રભુ, શેવઈ અને પારસીઓ સિવાય દરેકનો સમાવેશ થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અસમાનતાને દૂર કરવા અને સામાજિક ન્યાયની સ્થાપના માટે શાહુજી દ્વારા લેવામાં આવેલા આ પગલાને અનુસરીને મૈસુર રાજ્યે 1918માં, મદ્રાસ જસ્ટિસ પાર્ટીએ 1921માં અને બોમ્બે પ્રેસિડેન્સી (હવે મુંબઈ) એ 1925માં અનામત લાગુ કરી હતી. આઝાદી પછી 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યા પછી ફક્ત SC-ST સમાજને જ અનામત મળી હતી. આઝાદી પછી, ઘણાં રાજ્યોમાં પછાત વર્ગોને અનામત આપવામાં આવી હતી, પરંતુ પછાત વર્ગો (ઓબીસી) ને કેન્દ્ર સરકારની નોકરીઓ (1993) અને શૈક્ષણિક સંસ્થાઓ (2006) માં અનામતનો અધિકાર ઘણો મોડો મળ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/mother-ramabai-to-dr-ambedkars-touching-historical-letter"><span style="font-size: 14pt;">માતા રમાબાઈને ડૉ. આંબેડકરનો હૃદયસ્પર્શી ઐતિહાસિક પત્ર</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાહુજી મહારાજે શા માટે અનામત લાગુ કરી તેનો સંપૂર્ણ જવાબ તેમણે બોમ્બે (હાલ મુંબઈ)ના ભૂતપૂર્વ ગવર્નર લોર્ડ સિડનહામને લખેલા પત્રમાં જોવા મળે છે. લગભગ 3 હજાર શબ્દોના આ પત્રમાં તેમણે કોલ્હાપુર રાજ્યમાં નીચેથી ઉપર સુધી બ્રાહ્મણોનું સંપૂર્ણ વર્ચસ્વ અને બિન-બ્રાહ્મણોની ઉપેક્ષાનું વર્ણન કર્યું છે. તેમણે ભારપૂર્વક દલીલ કરી છે કે કોલ્હાપુર રાજ્યમાં બિન-બ્રાહ્મણોને અલગ પ્રતિનિધિત્વ અને અનામત આપ્યા વિના ન્યાયનું શાસન સ્થાપિત કરી શકાય તેમ નથી, કારણ કે બિન-બ્રાહ્મણોના હિતમાં લેવાયેલા દરેક પગલાને અધિકારી અને કર્મચારીના રૂપમાં કબ્જો જમાવીને બેઠેલા બ્રાહ્મણો લાગુ નહીં થવા દે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલ્હાપુર રાજ્યમાં બ્રાહ્મણોની વસ્તી 3 થી 4 ટકાની વચ્ચે હતી, પરંતુ વહીવટી પદો અને શિક્ષણમાં તેમનો હિસ્સો લગભગ 70-80 ટકા હતો. 1894માં શાહુજી રાજા બન્યા ત્યારે સામાન્ય વહીવટની કુલ 71 જગ્યાઓમાંથી 60 પર બ્રાહ્મણ અધિકારીઓ હાજર હતા. શાહુજી મહારાજની સૂચના પર 1902માં અન્ય જાતિઓ માટે 50 ટકા અનામત લાગુ કરવામાં આવી અને 20 વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. 1922માં સામાન્ય વહીવટમાં કુલ 85 પદોમાંથી 59 જગ્યાઓ પર બિન-બ્રાહ્મણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. શાહુજી મહારાજ દ્વારા અનામતનો અમલ કરવાનો હેતુ ન્યાય અને સમાનતા આધારિત સમાજ બનાવવાનો હતો અને તેના માટે સામાજિક વિવિધતા જરૂરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાહુજી મહારાજ જાણતા હતા કે શિક્ષણ વિના પછાત વર્ગનો ઉદ્ધાર થઈ શકે તેમ નથી. આથી તેમણે 1912માં પ્રાથમિક શિક્ષણને ફરજિયાત અને મફત બનાવવાનો નિર્ણય કર્યો. 1917-18 સુધીમાં મફત પ્રાથમિક શાળાઓની સંખ્યા બમણી થઈ. આનાથી શિક્ષણની દ્રષ્ટિએ બ્રાહ્મણો અને બિન-બ્રાહ્મણોના રેશિયોમાં નિર્ણાયક પરિવર્તન આવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જીવનના અન્ય તમામ ક્ષેત્રો સાથે અનામત અને શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવા માટે શાહુજી મહારાજે ઘણાં કાયદાઓ બનાવ્યા, વહીવટી આદેશો બહાર પાડ્યા અને તેનો સંપૂર્ણ અમલ કરાવ્યો. જેણે કોલ્હાપુર રાજ્યના સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને આર્થિક સંબંધોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી દીધું. આ જ કારણે, તેમનું જીવનચરિત્ર લખનાર પદ્મભૂષણ ડૉ. ધનંજય કીર તેમને ક્રાંતિકારી રાજા તરીકે સંબોધન કરતા હતા. મોટાભાગના વિદ્વાનો પણ તેમને લોકશાહીનો સ્તંભ કહેતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્ય તો એ છે કે શાહુજી મહારાજે પોતાના રાજ્યમાં ન્યાય અને સમાનતા સ્થાપવા માટે જે પગલાં લીધાં તેમાંના ઘણાં પગલાં એવા છે કે જે લેવામાં સ્વતંત્ર ભારતની સરકારને દાયકાઓ લાગ્યાં. એમાંય કેટલાંક પગલાં તો એવાં છે જે ઉઠાવવાની આજ સુધી ભારતમાં કોઈ સરકારે હિંમત નથી કરી. આનું ઉદાહરણ 20 સપ્ટેમ્બર 1917ના રોજ તમામ ધાર્મિક સ્થળોને રાજ્યના નિયંત્રણ હેઠળ લેવા માટે આપવામાં આવેલો આદેશ છે. માત્ર સાર્વજનિક ધાર્મિક સ્થળો જ નહીં પરંતુ એ ધાર્મિક સ્થળોને પણ રાજ્યના નિયંત્રણ હેઠળ લઈ લેવાયા હતા, જેમને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય મળતી હતી. તેમાં પણ આગળ વધીને તેમણે પછાત વર્ગના લોકોને ટોચના ધાર્મિક પદો પર નિયુક્ત કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધુઆ મજૂરીની પ્રણાલી કે જેને ભારત સરકાર છેક વર્ષ 1975માં દેશમાં ખતમ કરી શકી, તેને કોલ્હાપુર રાજ્યમાં શાહુજી મહારાજ દ્વારા 3 મે 1920ના આદેશ દ્વારા નાબૂદ કરવામાં આવી હતી. એ પહેલા 1919માં, તેમણે મહારોને દાસ મજૂર તરીકે કામ કરાવવાની પ્રથાનો અંત આણ્યો હતો. એટલું જ નહીં, તેમણે મનુસ્મૃતિની મૂળ ભાવનાને પલટીને આંતર-જ્ઞાતિય લગ્નને મંજૂરી આપવા માટે કાયદો પણ પસાર કરાવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/What-did-E.-V.-Ramasamy-Periyar-believe-about-Hindu-Gods-and-scriptures"><span style="font-size: 14pt;">E. V. Ramasamy Periyar હિંદુ દેવી-દેવતાઓ અને ધર્મગ્રંથો વિશે શું માનતા હતા?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓને સમાનતાનો અધિકાર અપાવવા માટે જે હિંદૂ કોડ બિલ ડૉ. આંબેડકરે રજૂ કર્યું હતું, તેનો આધાર ક્ષત્રપતિ શાહુજી મહારાજે 15 એપ્રિલ 1911ના રોજ રજૂ કર્યો હતો. જેમાં તેમણે મહિલાઓને લગ્ન, મિલકત અને દત્તક પુત્ર-પુત્રીઓની બાબતમાં સમાન અધિકાર આપવા માટે નક્કર પગલાં લીધાં હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાહુજીએ કોલ્હાપુર રાજ્યમાંથી અસ્પૃશ્યતાનનું નામોનિશાન મટાડી દેવાનો તો જાણે તેમણે સંકલ્પ જ લઈ લીધો હતો. અસ્પૃશ્યતાને સમાપ્ત કરવાના તેમના પ્રયાસોના ભાગરૂપે, 15 જાન્યુઆરી, 1919 ના રોજ તેમણે એક આદેશ બહાર પાડ્યો હતો કે, જો કોઈ સરકારી સંસ્થામાં 'અસ્પૃશ્ય' કહેવાતા લોકો સાથે અસ્પૃશ્યતા અને અસમાનતા દાખવવામાં આવશે અને તેમની ગરિમાને ઠેસ પહોંચશે, તો એવા અધિકારીઓ કે કર્મચારીએ 6 અઠવાડિયામાં રાજીનામું આપવું પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે દલિત વર્ગના વિદ્યાર્થીઓ માટે મફત છાત્રાલયો ખોલી અને તેમના માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી. 30 સપ્ટેમ્બર 1919ના રોજ શાહુજી મહારાજે માત્ર દલિત બાળકો માટે ખોલવામાં આવેલી અલગ શાળાઓને બંધ કરવાનો આદેશ જારી કર્યો અને તમામ શાળાઓ તેમના પ્રવેશ માટે ખોલી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે પોતાના આદેશમાં કહ્યું કે તમામ જાતિ અને ધર્મના બાળકો એક જ પ્રકારની શાળામાં સાથે અભ્યાસ કરશે. દલિતોને સશક્ત બનાવવાના પગલા તરીકે તેમણે તેમને ગ્રામ્ય અધિકારીઓ તરીકે નિયુક્ત કર્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્યાયનો ભોગ બનેલા લોકો પ્રત્યેની તેમની કરુણા અને અન્યાય વિરુદ્ધની તેમની હિંમતનો એક મોટો પુરાવો 1918માં તેમણે લીધેલાં એક પગલામાં જોવા મળે છે. જે અંતર્ગત તેમણે પોલીસ સ્ટેશનમાં બ્રિટિશ શાસન દ્વારા ગુનેગાર જાહેર કરાયેલા આદિવાસીઓની હાજરીની નોંધણી રદ કરી દીધી હતી. એટલું જ નહીં તેમને સામાજિક સન્માન આપવા માટે તેમાંથી કેટલાકને પોતાના સહાયકો તરીકે રાખ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પી.બી. સાવંત શાહુજી મહારાજને વિશાળ હૃદય અને વ્યાપક વિઝન ધરાવતા મહાન વ્યક્તિત્વ તરીકે યાદ કરે છે. તેઓ કહે છે, તેઓ એક અસાધારણ રાજા હતા અને મૂળભૂત રીતે સામાન્ય લોકોની સાથે ઉભા રહેતા હતા. તેમના જીવન, વિચારો અને કાર્યોનું એક જ ધ્યેય હતું, અને તે છે દલિત અને પીડિત લોકોની જીવન સ્થિતિમાં સુધારો લાવવો. કોલંબિયા યુનિવર્સિટીએ શાહુજી મહારાજને ડોક્ટર ઓફ લૉ (LLD)ની માનદ પદવી એનાયત કરી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવા મહાન ક્રાંતિકારી રાજા છત્રપતિ શાહુજી મહારાજની આજે જન્મજ્યંતિ છે ત્યારે, તેમને કોટિ કોટિ વંદન. જય હો શાહુજી મહારાજ...</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Shivaji-Maharaj-was-the-enemy-of-fanatics-not-Muslims"><strong>મુસલમાનોના નહીં કટ્ટરપંથીઓના દુશ્મન હતા શિવાજી મહારાજ</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 26 Jun 2024 14:14:33 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 26 Jun 2024 14:57:41 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>824</Articleid>
                    <excerpt>બહુજન સમાજ આજે જે કંઈપણ સુવિધાઓ મેળવી રહ્યો છે તેના મૂળમાં શાહુજી મહારાજની દીર્ધદ્રષ્ટિ રહેલી છે. એટલે કોઈ તમને પૂછે કે શાહુજી મહારાજે શું કર્યું હતું, તો આ લેખ તેના માથે મારી દેજો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667bd455164ce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667bd454db1fc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667bd454db1fc.jpg" length="54254" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>માતા રમાબાઈને ડૉ. આંબેડકરનો હૃદયસ્પર્શી ઐતિહાસિક પત્ર</title>
                    <link>https://khabarantar.com/mother-ramabai-to-dr-ambedkars-touching-historical-letter</link>
                    <guid>https://khabarantar.com/mother-ramabai-to-dr-ambedkars-touching-historical-letter</guid>
                    <description>
                        <![CDATA[ આજે ત્યાગમૂર્તિ માતા રમાબાઈની પુણ્યતિથિ છે ત્યારે અહીં ડૉ. આંબેડકરે તેમને લખેલો એ ઐતિહાસિક પત્ર શેર કરીએ છીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><em><span style="font-size: 14pt;">લંડન, 30 ડિસેમ્બર 1930</span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામુ! તું કેમ છે, યશવંત કેવો છે, તે મને યાદ કરે છે? રામુ, તેની ખૂબ કાળજી રાખજે. આપણાં ચાર બાળકો આપણને છોડી ગયા. હવે યશવંત તારા માતૃત્વનો આધાર છે. તે ન્યુમોનિયાથી પીડિત છે, આપણે તેની સંભાળ લેવી પડશે, તેને ભણાવવો પડશે અને તેને સારી રીતે ઉછેરવો પડશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હું મોટી સમસ્યાઓ, અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છું. માનવીય ધાર્મિક ગુલામી, આર્થિક અને સામાજિક અસમાનતા પાછળના કારણોની તપાસ કરવી પડશે. ગોળમેજી પરિષદમાં જ્યારે હું મારી ભૂમિકા વિશે વિચારું છું, ત્યારે દેશના કરોડો શોષિત પીડિતોની દુનિયા મારી આંખ સામે દેખાય છે. હજારો વર્ષોથી આ ગરીબ લોકો દુ:ખના પહાડ નીચે દટાયેલા છે અને હું તેમને બહાર લાવવાનો માર્ગ શોધી રહ્યો છું. આવા સમયે, જો મારા ધ્યેયથી મારું ધ્યાન ભટકાવવા માટે કંઈપણ થાય, તો મારું મન પ્રજ્વલિત થઈ જાય અને એવી જ્વાળાથી દાઝીને મેં તે દિવસે યશવંતને નિર્દયતાથી માર માર્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પછી તેં પ્રેમાળ લાગણીઓ સાથે કહ્યું, 'તેને મારશો નહીં...તે નિર્દોષ છે. તેની હજી નાસમજ છે' પછી મેં યશવંતને મારા ખોળામાં લીધો. પણ રામુ! હું ક્રૂર નથી. હું ક્રાંતિ સાથે જોડાયેલો છું, અગ્નિ સામે લડતો રહ્યો છું, સામાજિક ન્યાય ક્રાંતિની આગ સામે લડતો લડતો હું પોતે અગ્નિ બની ગયો છું. આ આગના તણખા ક્યારે તને અને યશવંતને સળગાવવા માંડે છે તેની મને પણ ખબર નથી. રામુ, મારી કઠોરતા અને અસભ્યતા સમજો. તારી ચિંતાનું આ જ કારણ છે. તું ગરીબ મા-બાપની દીકરી છો. તેં માતા-પિતાના ઘરે પણ દુ:ખ સહન કર્યું અને ગરીબીમાં અટવાયેલી રહી. ત્યાં પણ હું પૂરતું ખાઈ શકતી નહોતી, સખત મહેનત કરતી રહી અને મારી દુનિયામાં પણ તારે આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/narimukti-narishakti-jyotirdha-dr-babasaheb-ambedkar"><strong>નારીમુક્તિ-નારીશક્તિના જ્યોતિર્ધર ડૉ બાબાસાહેબ આંબેડકર</strong></a><br></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6654345acc2e3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તું ત્યાગી છો, સ્વાભિમાની છો. તે સાબિત કર્યું કે સુબેદારની વહુ કેવી હોવી જોઈએ. તને કોઈની દયા પર જીવવું ગમતું નથી, તું માતા-પિતાના ઘરેથી પ્રેમ વહેંચવાનું શીખી છો, તું ક્યારેય લેવાનું શીખી નથી. તેથી જ રમા! મને તારા સ્વાભિમાન પર ગર્વ છે.</span><br><span style="font-size: 14pt;">એક વખત હું પોયબાવાડીના ઘરે ઉદાસ બેઠો હતો. ઘરની સમસ્યાઓથી પરેશાન હતો. એ સમયે તેં મને હિંમત આપી અને કહ્યું હતું, 'હું અહીં છું. હું મારા પરિવારની સંભાળ રાખવા માટે તમામ સમસ્યાઓ દૂર કરીશ. ઘરના દુ:ખને હું તમારા માર્ગમાં અવરોધ નહીં બનવા દઉં. હું ગરીબની દીકરી છું, મને તકલીફો સાથે જીવવાની આદત છે. ચિંતા કરશો નહીં, તમારા મનને નબળું ન પાડો, હિંમત રાખો. જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આ સંસારનો કાંટાળો તાજ ઉતરવો જોઈએ નહીં.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામુ! ક્યારેક વિચારું છું કે તું મારી જિંદગીમાં ન આવી હોત તો શું થાત. જો હું એવી સ્ત્રીને મળ્યો હોત જે માને છે કે દુનિયા ફક્ત આનંદ માણવા માટે છે, તો તે મને ઘણાં સમય પહેલા છોડી દેત. મુંબઈ જેવી જગ્યાએ ખાલી પેટે જીવવું, શેરીઓમાં ગાયનું છાણ ભેગું કરવું, છાણાં થાપવા અને પછી છાણાં વેચીને પરિવારનું ગુજરાન ચલાવવું. આવું કોને ગમે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/shashi-tharoors-book-ambedkar-a-life-a-feeling-of-reading-something-special"><strong>શશિ થરૂરનું પુસ્તક 'Ambadkar: A Life'- કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ</strong></a><br></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6654346f6d3d0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વકીલની પત્ની કપડાં સીવીને તેની ફાટેલી દુનિયાને સાંધીને ક્યારેય જીવવા ન ઇચ્છે. પરંતુ આ બધી મુશ્કેલીઓ સહન કરીને તેં તારા પતિની દુનિયાને પૂરી ક્ષમતા અને સ્વાભિમાન સાથે આગળ લઈ ગઈ. જ્યારે મને કોલેજમાં પ્રોફેસરની નોકરી મળી ત્યારે તેં મને કહ્યું હતું. “હવે આપણાં બધાં દુ:ખ દૂર થઈ જશે.” એ ખુશીમાં જ મેં તને લાકડાની બે પેટીઓ આપી, એટલું જ અનાજ, તેલ, મીઠું અને લોટ. અને આ સાથે એવું પણ કહ્યું હતું કે આપણે બધાનું ધ્યાન રાખીને આમાં ટકી રહેવાનું છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેં સહેજ પણ આનાકાની કર્યા વિના સમગ્ર પરિવારની સંભાળ લીધી. ક્યારેય નિસાસો ન નાખ્યો. રામુ! તેં મારી હાજરીમાં અને મારી પાછળ જે કર્યું તે કરવાની શક્તિ બીજા કોઈમાં નથી. મને તારા જેવી જીવનસાથી મળી, તેનાથી શક્તિ મળતી રહી. મારા સપનાને પાંખો મળી. મારી ઉડાન નિર્ભય રહી. મને હિંમત રહી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારું મન ઘણા સમયથી ભરાઈ ગયું હતું. ઘણી વખત તારી સાથે બેસીને ચર્ચા કરવાનું મન થયું, પણ સામાજિક પ્રવૃતિઓ, લેખન, વાંચન, હરવા-ફરવા અને મળવાના કારણે સમય ન મળ્યો. વિચારો મનમાં જ રહી ગયા. કેટલીય વાર હૈયું ભરાઈ આવ્યું હતું, પણ તારી સામે કંઈ બોલી શક્યો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે મને લંડનમાં થોડો શાંતિપૂર્ણ સમય મળ્યો અને હું મારા મનના બધા વિચારો ઠાલવી રહ્યો છું. મારું મન અશાંત થઈ ગયું છે તેથી હું મારા અશાંત મનને સાંત્વના આપવાનો પ્રયત્ન કરું છું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Ambedkar-were-you-like-that">આંબેડકર તમે આવા ય હતા?</a></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6654348e86b5d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમા, મારા મનના દરેક ખૂણામાં તું હાજર છે. મને તારી મુસીબતો, તારા શબ્દો, પહાડ જેવડી વેદના અને તારી બધી ગૂંગળામણ યાદ છે. મારા શ્વાસને પકડીને, હાથમાં કલમ લઈને મનને સમજાવવાનો પ્રયત્ન કરું છું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામુ! મારી ચિંતા કરતી નહીં. તારા બલિદાનની શક્તિ અને તેં સહન કરેલી મુશ્કેલીઓ મારી તાકાત છે. આ ગોળમેજી પરિષદમાં માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના દલિત લોકોની વ્યથા મને શક્તિ પ્રદાન કરી રહી છે. હવે તું તારી ચિંતા કર.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામુ તું બહુ ગૂંગળામણમાં રહે છે. મારા પર તારા અનેક ઉપકાર છે જેનો બદલો ક્યારેય હું વાળી નહીં શકું. તું સંઘર્ષ કરતી રહી, કમજોર પડતી રહી, ઓગળતી રહી, સળગતી રહી, પીડાતી રહી અને મને આગળ વધાર્યો. તું બીમારીથી પણ ખૂબ પરેશાન છો. પરિવારની ચિંતા કરતી વખતે ક્યારેય તારા સ્વાસ્થ્યની ચિંતા નથી કરી, પરંતુ હવે તારે આમ કરવું પડશે. યશવંતને તેની માતાની જરૂર છે અને મને તારા સાથની જરૂર છે, રમા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજું વધારે શું લખું? મારી ચિંતા કરતી નહિ, મેં તને આ વાત ઘણી વાર કહી પણ તું સાંભળતી નથી. ગોળમેજી પરિષદ પૂરી થતાં જ હું જલદી આવીશ… બધું સારું થશે!</span></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;">તમારો</span></strong></em></p>
<p style="text-align: justify;"><em><strong><span style="font-size: 14pt;">ભીમરાવ</span></strong></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભવતુ સબ મંગલમ… સૌ સ્વસ્થ રહે</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Mata-Ramabai:-The-woman-whose-sacrifice-made-Bhima-Dr.-Made-by-Bhimrao-Ambedkar">માતા રમાબાઈઃ એ મહિલા જેમના ત્યાગે 'ભીમા' ને ડો. ભીમરાવ આંબેડકર બનાવ્યા</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 27 May 2024 13:09:14 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 27 May 2024 13:08:21 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>668</Articleid>
                    <excerpt>આજે ત્યાગમૂર્તિ માતા રમાબાઈની પુણ્યતિથિ છે ત્યારે અહીં ડૉ. આંબેડકરે તેમને લખેલો એ ઐતિહાસિક પત્ર શેર કરીએ છીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6654343851e15.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_665434381cc2c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_665434381cc2c.jpg" length="97036" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સામાજિક સંઘર્ષનો પર્યાય પ્રોફેસર બાબુ કાતિરા</title>
                    <link>https://khabarantar.com/synonymous-with-social-struggle-professor-babu-katira</link>
                    <guid>https://khabarantar.com/synonymous-with-social-struggle-professor-babu-katira</guid>
                    <description>
                        <![CDATA[ કોડીનાર પંથકમાં આંબેડકરવાદી વિચારધારાના બીજ રોપનારા પ્રો. બાબુ કાતિરાની આજે પુણ્યતિથિ છે. ત્યારે યુવા લેખક મયૂર વાઢેર અહીં આપણને તેમનો પરિચય કરાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોડીનાર પંથકમાં આંબેડકરવાદી વિચારધારાના બીજ રોપનારો એ મહાન સંઘર્ષવીર એટલે પ્રો. બાબુ કાતિરા. ગીરકાંઠાના પ્રદેશમાં સામાજિક સંઘર્ષનો પર્યાય બનેલુ આ નામ ગુજરાતનાં આંબેડકરી આંદોલનના ઈતિહાસનું અગત્યનું પાનું છે. કેન્સર જેવા અસાધ્ય રોગનો ભોગ બનીને માત્ર ચાર દાયકાની સંઘર્ષમય જિંદગી પુરી કરીને સોરઠના આ સાવજનો અંતિમ શ્વાસ અસ્ત થયો એને દોઢ દાયકો થવા આવ્યો. છતાં વિષમતા, ભેદભાવ અને કપટના પાયા પર ટકેલી જાતિવાદી વ્યવસ્થા સામે બંડ પોકારનારા આ કર્મશીલનું નામ યુવાનો, વડીલો અને માતાઓના હૈયામાંથી જરાય સુકાતું નથી. કોડીનાર પંથકમાં થતાં જાતિ આધારિત અત્યાચારો વખતે અથવા સામાજિક પ્રસંગો વખતે દિવંગત બી.એસ. કાતિરા સાહેબને ચોક્કસ યાદ કરવામાં આવે છે. તેનું નામ અત્યાચારનો ભોગ બનેલા લાચાર લોકોમાં સ્વાભિમાનની ચેતના પાથરી દે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચારે કોર થતા અન્યાય સામે વૈચારીક પીઠબળ અને કાનૂની લડતનું હથિયાર લઈને જીવતો આ પ્રોફેસર આંબેડકરવાદી આંદોલનની ધારાનું પ્રતિક હતો. શાહૂ-ફૂલે આંબેડકરની વિચારધારા એના લોહીના અણુએ અણુમાં હતી. બહુજન મહાપુરૂષો એના વાંચન અને અભ્યાસના મુખ્ય વિષયો હતાં.  પ્રોફેસર જેવી પ્રતિષ્ઠિત નોકરી અને પ્રમાણમાં ઝાઝી કહી શકાય એટલી વારસામાં મળેલી જમીન હોવા છતાં તેમણે સામાજિક સંઘર્ષનો ભેખ ધારણ કરી લીધો હતો. યુવાન બાબુ કાતિરા ઈ.સ. 1990માં વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી એસ.પી. યુનિવર્સિટીમાંથી સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈ.સ. 1992માં હિન્દી વિષય સાથે અનુસ્નાતક થયા હતા. વિદ્યાર્થી તરીકે અભ્યાસમાં પણ તેજસ્વી યુવાન બાબુ કાતિરા કોડીનાર તાલુકાની જે.એસ. પરમાર આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજમાં હિન્દીના અધ્યાપક તરીકે જોડાયા હતા. તે વખતે અંતરિયાળ ગામડાઓમાં પરિવહનની વ્યવસ્થા દુર્લભ હતી, વ્યક્તિગત વાહનની વ્યવસ્થા પણ ન હતી. તેથી અધ્યાપક કાતિરા સાહેબનો સંઘર્ષ વધુ કઠોર થતો જતો હતો. તેની સમાંતરે તેમણે પોતાના ગામમાં જ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવીને ગામડાનાં ભોળા ને નિરીક્ષર લોકોમાં ડૉ. આંબેડકર પ્રત્યે ભાવના પ્રગટાવી. તેમજ કોડીનાર પંથકમાં વ્યસન મુક્તિ અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે જનજાગૃતિ અભિયાનો ચલાવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkars-11-visits-to-gujarat-and-lectures-delivered-in-gujarati">ડૉ. આંબેડકરની ગુજરાતની 11 મુલાકાતો અને ગુજરાતીમાં આપેલું પ્રવચન</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662b3f6020763.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રોફેસર જેવી મુલાયમ  નોકરી તો એની પાસે હતી જ, એણે ધાર્યું હોત તો  નોકરીની સાથે કોમળ છોકરી શોધીને આરામથી વિવાહજીવન ભોગવ્યું હોત. પણ ના. શોષિતજનોની વેદનાથી ખળભળી ઉઠેલા આ યુવાનને એવી રેશમી જિંદગી મંજૂર નહોતી. એટલે આજીવન કુંવારા રહીને સદીઓથી શોષણ અને અત્યાચારનો સંતાપ સહન કરી રહેલા લોકોના જાગરણ કાજે એનું આયખું સમર્પિત કરી દીધું. પ્રો. કાતિરા સાહેબની સામાજિક નિસ્બત અને બાબાસાહેબ ડૉ. આંબડેકર પ્રત્યેની ભાવનાનાં મૂળિયા ઊંડેઊંડે ઉતરતા જતા હતા. કોડીનાર અને ઉના પંથકમાં તેમની સ્વીકૃતિ સ્થાપિત થઈ ચુકી હતી. તેમણે કોડિનાર તાલુકાનાં અન્ય સરકારી કર્મચારીઓ અને શિક્ષિત નવયુવાનોને સંગઠિત કરવામાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે સંગઠન શક્તિનાં માધ્યમથી કોડીનાર તાલુકામાં સૌપ્રથમ વાર 27 ફેબ્રુઆરી, 2003ના રોજ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. તેમાં ધર્મબંધુ પાગલબાબાની હાજરી હતી. ત્યાર પછી 22 ફેબ્રુઆરી, 2004માં સમુહ લગ્નનું આયોજન કર્યું હતું. તે દરમિયાન કોડીનાર પંથકમાં લોકજાગૃતિનું અભિયાન  જોર પકડવા લાગ્યું હતું. જેમાં તેઓ દિવસે નોકરી અને નોકરી સિવાયનાં સમયમાં ગામડે-ગામડે ફરીને ડૉ. બાબાસાહેબ આંબેડકર અને બહુજન મહાપુરૂષોનાં સંઘર્ષ અંગે પ્રબોધનકાર્યો કર્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કોડીનાર પંથકના લોકોમાં આંબેડકરી વિચારધારાના બીજ વાવીને તેમને બૌદ્ધ વિધિથી લગ્ન કરવા માટેની સમજણ વિકસાવી હતી. તેથી 20 ફેબ્રુઆરી, 2005નાં રોજ બ્રાહ્ણણ દ્વારા શાસ્ત્રોક્ત વિધીને તિલાંજલી આપીને બૌદ્ધ વિધીથી સમૂહ લગ્ન આયોજિત કર્યા હતા. જે તે સમયે આંબેડકરવાદી વિચારધારા વ્યાપક રીતે પ્રચારિત નહોતી થઈ, તેમજ સોશિયલ મીડિયા જેવા સૂચના પ્રસારિત કરનારા માધ્યમો વિના પણ તેમણે રાતદિવસ મહેનત કરીને લોકોમાં આંબેડકરી ચેતના પ્રગટાવી હતી. કોઈના ખેતરમાં પરસેવો પાડીને રોજનું કમાઈને રોજ ખાનારા શોષિતો અને યુવાન શિક્ષિતોમાં સામાજિક સંગઠનની ચેતના પ્રગાઢ બની. સદીઓથી શાસ્ત્રોક્ત ષડયંત્રનો ભોગ બનેલા સમાજમાં સંગઠનની ભાવના પ્રબળ બની અને સમાજ સંગઠિત થતો હતો. તેમાં કોડીનાર તાલુકાનાં સ્વાર્થી અને મહત્વાકાંક્ષી નેતાઓ પ્રભાવી નેતાઓના વહાલા થવા માટે અડચણરૂપ પણ બનતા હતા. પંથકના કદાવર રાજકીય આખલાઓને કાતિરા સાહેબની પ્રવૃત્તિ કણાની જેમ ખૂંચતી હતી. પ્રોફેસર કાતિરા સાહેબના નેતૃત્વમાં દર વર્ષે બૌદ્ધ સમૂહલગ્ન થતા હતા. સમાજનાં લોકોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે વિદ્યાર્થિઓનાં સન્માન સમારોહ આયોજિત થતા હતા. તેને નામ આપવામાં આવ્યું હતું, એકલવ્ય વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ. તેમાં રાજ્ય અને દેશભરમાંથી શિક્ષણ અને રાજકારણમાં સિમાચિહ્નરૂપ પદ હાંસલ કર્યુ હોય તેવા મહાનુભવોને સમારોહમાં બોલાવીને શિક્ષણ કેન્દ્રી પ્રબોધન થતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/vaikom-satyagraha-struggle-for-right-of-passage-on-temple-road">વાયકોમ સત્યાગ્રહઃ મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેની લડત</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_662b3f5f76d1c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબ આંબેડકરની મૂવમેન્ટને ધબકતી રાખવા માટે એણે પ્રોફેસર તરીકે મળતા તગડા પગારમાંથી એક મોટો ભાગ ત્યાગી દીધો હતો. એટલુ જ નહિં, એની જમીનમા થતા પાકો લણીને મળતા પૈસા હોમીને સમાજિક આંદોલનની જ્યોત પ્રજ્વલીત  રાખી હતી. તેણે ગીર પંથકના શિક્ષિતો અને મજૂરોને સામાજિક નિસબતના પાઠ ભણાવીનને એનામાં આંબેડકરવાદની ધારા વહેતી કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'દલિત જાગરણ યુવા સંગઠન’ ના માધ્યમથી તેણે કોડીનારના શિક્ષિત યુવાનો, મજૂરો અને વડીલોને સાથે રાખીને, ‘બૌદ્ધ વિધિથી સમૂહ લગ્નો’ યોજ્યાં હતા. તેણે ‘એકલવ્ય વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ’ના માધ્યમથી સમાજને એકઠો કરીને આંબેડકરવાદી વિચારધારાના પ્રબોધનો કર્યા હતા. તેમણે ગીરકાંઠાની ધરતીના ગામડાંઓ ખૂંદીને બાબાસાહેબની વિચારધારાની આહલેક જગાવી હતી. ત્યાર બાદ વર્ષ 2008માં તેમને કેન્સર ડિટેક્ટ થતાં તેમની સારવાર રાજકોટ મુકામે થતી હતી. અંતે, 26 એપ્રિલ, 2009ના રોજ તેમની ભીતર સળગતી ક્રાંતિની મશાલ શાંત થઈ ગઈ હતી. તેમનાં મૃત્યુના સમાચાર થોડી જ વારમાં પંથકમાં ફેલાઈ ગયા અને હજારો લોકો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. રડતા અને ધ્રુજતા શોષિત પીડિતજનના આ પ્રતિબદ્ધ અને પરગજુ યુવાનનાં મૃત્યુના સમાચાર સાંભળવા કંઈ સહેલા નહોતા. તે દિવસે ગીરસોમનાથ પંથકનાં દલિતોએ પોતાનો દિકરો, ભાઈ અને બાપ ગુમાવ્યો હતો. તેણે તેની સામાજિક નિસ્બત અને પ્રતિબદ્ધતા થકી સમાજ જીવનમાં બાજી ગયેલા કુરીવાજોના જાળાની જડતાને શિથિલ કર્યા હતાં. આજે તો નરી ભાષણબાજી અને ફંડીગબાજી કરીને સમાજને ગેરમાર્ગે દોરનારાઓની ભરમાર દેખાઈ રહી છે એવામાં પ્રો. કાતિરા સાહેબ જેવા કર્મશીલની તાકીદે જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>-મયૂર વાઢેર</strong></span> <strong><span style="font-size: 12pt;">(લેખક અંગ્રેજીના શિક્ષક અને ફૂલે-આંબેડકરી સાહિત્યના અભ્યાસુ છે.) </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/had-it-not-been-for-dr-ambedkar-the-struggle-of-phule-couple-would-have-been-buried-in-history">ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત</a><br></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><span><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો.</span></a></strong></span></p>
<p></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 26 Apr 2024 11:20:34 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>545</Articleid>
                    <excerpt>કોડીનાર પંથકમાં આંબેડકરવાદી વિચારધારાના બીજ રોપનારા પ્રો. બાબુ કાતિરાની આજે પુણ્યતિથિ છે. ત્યારે યુવા લેખક મયૂર વાઢેર અહીં આપણને તેમનો પરિચય કરાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_662b3f60d1be7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662b3f60a09ef.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662b3f60a09ef.jpg" length="156633" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Gujarat, junagadh news, Babu katira</media:keywords>
                </item>
                        <item>
                    <title>જલિયાંવાલા કાંડની વરસીએ સ્મરણ નાનક સિંહ અને ઉધમ સિંહનું</title>
                    <link>https://khabarantar.com/commemoration-of-nanak-singh-and-udham-singh-on-the-anniversary-of-the-jallianwala-incident</link>
                    <guid>https://khabarantar.com/commemoration-of-nanak-singh-and-udham-singh-on-the-anniversary-of-the-jallianwala-incident</guid>
                    <description>
                        <![CDATA[ 13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો. બે દિવસ પહેલા જ આ દિવસ ગયો છે ત્યારે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં આ હત્યાકાંડનો બદલો લેનાર બે દલિત મહાનાયકોને યાદ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જઘન્ય જલિયાંવાલા બાગકાંડને દેશજનતા હૃદયની આદ્રતા અને આક્રોશ સાથે એકસો પાંચમા વરસે યાદ કરે છે. માનવ અધિકારોની પુરસ્કર્તા, લોકશાહી પ્રેમી, સભ્ય અને સંસ્કારી મનાતી અંગ્રેજપ્રજાની નિમ્નતમ ક્રૂરતાનું પ્રતીક જલિયાંવાલા નરસંહાર છે. 2019ના શતાબ્દી વરસે બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે, જલિયાંવાલાકાંડને અંગ્રેજ સરકાર અને પ્રજા માટે શરમજનક તો ગણાવી હતી પણ માફી માગવાનું મુનાસિબ નહોતું લેખ્યું. સંશોધક અને લેખિકા કિશ્વર દેસાઈના મતે અંગ્રેજ સરકારનું માફીનામું ભારતીય પ્રજા માટે ન માત્ર સહાનુભૂતિનું કારણ હોઈ શકત પણ હાલની બ્રિટિશ સરકાર અને પ્રજા બદલાઈ ગઈ છે અને તે કોઈ જ્ઞાતિ કે રંગના ભેદમાં માનતી નથી તે દર્શાવવા પણ તે જરૂરી હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જલિયાંવાલા કાંડ અંગે ઘણું લખાયું છે અને લખાશે. પણ જલિયાંવાલા કાંડના ૧૦૫મા વરસે એક સર્જક અને એક શહીદને યાદ કરવા જેવા છે. તે માટેનું નિમિત્ત પણ છે. આ બંનેએ જલિયાંવાલા કાંડને સગી આંખે જોયો હતો. પરંતુ તેઓએ તેના પીડિત બની મૌન રહેવાને બદલે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. સર્જક નાનક સિંહે ‘ખૂની બૈશાખી’ દીર્ઘ કવિતા લખીને તો શહીદ ઉધમ સિંહે જલિયાંવાલા કાંડના હત્યારાઓ પૈકીના એક હત્યારાને તેના ઘરમાં, છેક લંડન જઈને, ઠાર કરી પ્રત્યુત્તર આપ્યો હતો. અંગ્રેજ સરકારે પ્રતિબંધિત કરેલ નાનક સિંહની ‘ખૂની બૈશાખી’નો ૨૦૧૮માં અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો હતો. તો દિગ્દર્શક શુજિત સરકાર ક્રાંતિવીર ઉધમ સિંહની બાયોપિક બનાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Shaheed-Udhamsingh:-The-Lion-Raised-in-an-Orphanage,-Who-Killed-an-Enemy-After-21-Years">શહીદ ઉધમસિંહઃ અનાથ આશ્રમમાં ઉછરેલો એ સિંહ, જેણે 21 વર્ષ પછી દુશ્મનને ઘરમાં ઘૂસીને માર્યો</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661cc1cf9d2b2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રોલેટ ઍક્ટનો દેશમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો. પંજાબનો વિરોધ તીવ્ર જ નહીં, હિંસક પણ હતો. અમૃતસરના જલિયાંવાલા બાગમાં 13મી એપ્રિલ 1919ના રોજ રોલેટ ઍક્ટના વિરોધમાં હજારો લોકોની સભા મળી હતી. અંગ્રેજ અફસરો, ખાસ કરીને પંજાબના તત્કાલીન લેફટનન્ટ ગવર્નર માઈકલ ઓડ્વાયર અને બ્રિગેડિયર રેજિનાલ્ડ ડાયરે ભારતીયોને વિરોધની ખો ભૂલવી દેવા અમાનવીય હિંસા આચરી હતી. ડાયરે જલિયાંવાલાની વિરોધસભામાં એકઠા થયેલા નિ:શસ્ત્ર અને નિર્દોષ એવા હજારો લોકો પર કશી પૂર્વ ચેતવણી સિવાય જ બેરહેમ ગોળીઓ ચલાવી હજારોની લોથ ઢાળી દીધી હતી. 19 વરસના ઉધમ સિંહ અને 22 વરસના નાનક સિંહ પણ  જલિયાંવાલા બાગમાં હાજર હતા. નાનક સિંહ તેમના ચાર મિત્રો સાથે સભામાં ગયેલા. બાકીના ત્રણ દોસ્તો દૈત્ય ડાયરની ગોળીઓનો ભોગ બન્યા હતા પણ નાનક સિંહ બચી ગયા હતા. ઉધમ સિંહ ગોળીઓ વરસવી શરૂ થતાં એક ઝાડ પર ચઢી ગયેલા અને હેમખેમ રહેલા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાંચ ચોપડી ભણેલા અને આધુનિક પંજાબી નવલકથાના જનક તરીકે ઓળખાતા નાનક સિંહ (1897-1971)ના લેખનની શરૂઆત શીખ ગુરુઓની સાખીઓના પુસ્તકથી થઈ હતી. 1962ના સાહિત્ય અકાદમી ઍવૉર્ડથી પુરસ્કૃત આ લેખકે 55 નવલકથાઓ, 2 નાટકો અને 4 કાવ્યસંગહોનું સર્જન કર્યું હતું. આઝાદી આંદોલનમાં સક્રિય અને તે માટે જેલવાસ વેઠી ચૂકેલા આ લેખકના સર્જનનો પ્રમુખ ભાવ આઝાદીની ઝંખના, સામાજિક સુધારા અને સામાજિક નિસબત રહ્યા હતા. યુવાન નાનક સિંહે જલિયાંવાલાનો સંહાર નજરે જોયો અને ઝેલ્યો હતો. ‘ખૂની બૈસાખી’ દીર્ઘ કવિતામાં તેમણે અંગ્રેજોની તીવ્ર આલોચના સાથે નજરે જોઈ દાસ્તાન વર્ણવી હતી. સંહાર પછીની રાજકીય ઘટનાઓ અને અંગ્રેજ હકૂમતની ટીકા સરકારે સહન ન કરી અને આ કાવ્યસંગ્રહને પ્રતિબંધિત કર્યો. તેની હસ્તપ્રત પણ ગુમ થઈ ગઈ. નાનક સિંહના અવસાન પછી છેક 1980માં તે હાથ લાગી અને તેનું પ્રકાશન થઈ શક્યું. જલિયાંવાલાની શતાબ્દીએ નાનક સિંહના પૌત્ર અને યુ.એ.ઈ.માં ભારતના રાજદૂત રહેલા નવદીપ સૂરી અનૂદિત ‘ખૂની બૈસાખી’નો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો હતો.. જલિયાંવાલાનો આ સર્જક પ્રતિભાવ એ રીતે હવે વિશ્વમાં પ્રસર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/what-is-the-poem-of-khooni-baisakhi-associated-with-jalliawala-bagh-massacre">જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે જોડાયેલી ‘ખૂની બૈસાખી’ની કવિતા શું છે?</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661cc1d027e79.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">અસ્પૃશ્ય દલિત કુટુંબમાં જન્મેલા ઉધમ સિંહ(1899-1940) જલિયાંવાલા કાંડ વખતે 19 વરસના હતા. નરસંહાર પછી ઠેર ઠેર લાશો અને આક્રંદ જોઈ હલબલી ગયેલા ઉધમ સિંહની નજરે પતિના શબ પાસે બેઠેલાં અને તેને કૂતરાંથી બચાવવા મથતાં રતનદેવી પડ્યાં હતાં. એ ક્ષણે જ ઉધમ સિંહે જલિયાંવાલાનો બદલો લેવાનો સંકલ્પ કર્યો હતો. નાનપણમાં જ માતાપિતા અને ભાઈ ગુમાવી ચૂકેલા ઉધમ સિંહે રતનદેવીને ધર્મનાં બહેન માન્યા હતા.  અનાથાલયમાં ઊછરીને મોટા થયેલા અને પછી સ્વરોજગાર થકી જીવન ટકાવી રહેલા યુવાન ઉધમ સિંહ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. ભગત સિંહના તેઓ સિનિયર હતા અને બંને સાથે મળી બદલો લેવાનાં આયોજનો કરતા હતા. હંટર કમિશને દોષિત ઠેરવેલા જલિયાંવાલાના ડાયર સહિતના હત્યારાઓને સરકારે પાણીચું આપી દેતાં તેઓ બ્રિટન ચાલ્યા ગયા હતા. એટલે ઉધમ સિંહનું કામ મુશ્કેલ બન્યું હતું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં અને વિદેશમાં રાન અને પાન થઈ ઉધમ સિંહ ભટકતા રહ્યા. નામ અને વેશપલટો કરતા રહ્યા. છતાં અંગ્રેજ સરકાર અને તેના જાસૂસોથી બચી ન શક્યા. પાંચ વરસની જેલની સજા ભોગવી. આફ્રિકા, અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં જઈ ભારે મુસીબતો વેઠીને ડાયરની હત્યાના પ્લાન ઘડતા રહ્યા. 1927માં પૅરાલિસિસ પછી ડાયરનું અવસાન થયું પણ ઉધમ સિંહ તેથી ડગ્યા નહીં. બાકીના હત્યારાઓને મારી તેમણે બદલો લેવાનું નક્કી કર્યું. 1933માં તે લંડન ગયા. ટૅક્સી ડ્રાઇવર બની માઈકલ ઓડ્વાયરના ઘર સુધી પહોંચ્યા. તેમનાં જર્મન સ્ત્રીમિત્ર મેરી પણ તેમના લક્ષ્યને પૂર્ણ કરવામાં સહાયક હતાં. 13મી માર્ચ 1940ના રોજ લંડનની એક સભામાં ઓડ્વાયર વક્તા તરીકે આવવાના હતા. એ જાણીને ઉધમ સિંહે એ સભામાં જ બદલો લેવાની યોજના ઘડી. વક્તવ્ય આપી પરત પોતાના સ્થાને જઈ રહેલા ઓડ્વાયર પર ઉધમ સિંહે પોતાની પિસ્તોલથી ધડાધડ ત્રણ ગોળીઓ છોડી ત્યાં જ ઠાર કરી દીધા અને 20 વરસે જલિયાંવાલાનો બદલો લીધો. ઉધમ સિંહે ગુનો કબૂલી લીધો અને તેમને ફાંસીની સજા થઈ. 31મી જુલાઈ 1940ના દિવસે તેમને ખાનગી રાહે ફાંસી આપી દેવામાં આવી. તેમનો મૃતદેહ પણ આપવામાં ન આવ્યો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદી આંદોલનના ઇતિહાસમાં અસ્પૃશ્ય ઉધમ સિંહનું બલિદાન વરસો સુધી વણનોંધ્યું જ રહ્યું હતું. બલિદાનના સાડાત્રણ દાયકે એમનાં અસ્થિ ભારતમાં લાવી શકાયાં હતાં. માયાવતીના મુખ્યમંત્રીત્વ કાળમાં અખંડ ઉત્તરપ્રદેશ(હવે ઉત્તરાખંડ)ના નૈનિતાલ જિલ્લાને ‘ઉધમ સિંહ નગર’ જિલ્લાનું નામકરણ મળ્યું હતું. તો દોઢેક દાયકા પૂર્વે અમૃતસરના સુવર્ણ મંદિર અને જલિયાંવાલા બાગ પરિસરમાં ઉધમ સિંહની પ્રતિમા સ્થાપિત કરી શકાઈ છે. જોકે ગુજરાતમાં કચ્છ માંડવીના ‘શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ કેન્દ્ર’ના ક્રાંતિવીરોમાં ક્યાંય ઉધમ સિંહની તસવીર તો ઠીક નામ પણ જોવા મળતું નથી!</span></p>
<p><span style="font-size: 12pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com </a></span></p>
<p><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><em>(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસુ છે.)</em></strong></span></p>
<p><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Exclusive:-Has-urbanization-weakened-the-caste-system">Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?</a><br></strong></span></p>
<div class="post-text">
<p><span><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો.</span></a></strong></span></p>
<p></p>
</div>
<p><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><em></em></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 15 Apr 2024 11:31:25 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>508</Articleid>
                    <excerpt>13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો. બે દિવસ પહેલા જ આ દિવસ ગયો છે ત્યારે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં આ હત્યાકાંડનો બદલો લેનાર બે દલિત મહાનાયકોને યાદ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_661cbeb8894be.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661cbeb85c17a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661cbeb85c17a.jpg" length="72331" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ. આંબેડકરની ગુજરાતની 11 મુલાકાતો અને ગુજરાતીમાં આપેલું પ્રવચન</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkars-11-visits-to-gujarat-and-lectures-delivered-in-gujarati</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkars-11-visits-to-gujarat-and-lectures-delivered-in-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ બાબાસાહેબ તેમના જીવનકાળ દરમિયાન જુદા જુદા પ્રસંગોએ ગુજરાતની અગિયાર વખત મુલાકાતે પધાર્યા હતા. જેની તપસીલ અહીં પ્રસ્તુત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- પ્રવીણ શ્રીમાળી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. ભીમરાવ આંબેડકરે તેમના જીવનકાળ દરમિયાન જુદા જુદા પ્રસંગોએ ગુજરાતની એકથી વધુ વખત નોકરી વિષયક અને વિવિધ કાર્યક્રમો નિમિત્તે અગિયાર વખત મુલાકાતે પધાર્યા હતા. જેની તપસીલ આ મુજબ છે.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પહેલી મુલાકાતઃ</span></strong></span><br><span style="font-size: 14pt;">૧૫ જાન્યુઆરી સને ૧૯૧૩માં સૌ પ્રથમવાર વડોદરા આવ્યા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલ શિષ્યવૃત્તિથી ગ્રેજયુએટ થયા બાદ નક્કી કરેલી શરતો મુજબ વડોદરા સ્ટેટમાં નોકરી કરવા આવ્યા હતા, પરંતુ પિતાની બિમારીનો તાર મળતા ૧૫ દિવસમા જ પરત મુંબઈ પરત જવું પડ્યું હતું. </span><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">બીજા મુલાકાતઃ</span></strong><br><span style="font-size: 14pt;">જૂન-૧૯૧૩માં લોન એગ્રીમેન્ટમાં સહી કરવા વડોદરા આવ્યા હતા.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રીજી મુલાકાતઃ</span></strong></span><br><span style="font-size: 14pt;">સને ૧૯૧૭માં સપ્ટેમ્બરમાં અમેરિકા અને ઈંગ્લેન્ડની યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ ડિગ્રીઓ મેળવીને વડોદરા સ્ટેટ સાથે થયેલ શરત મુજબ પોતાના મોટાભાઇ બલરામ સાથે વડોદરા આવ્યા અને સવાસો રૂપિયાના પગારમાં સૈનિક સચિવ તરીકે નોકરીની શરૂઆત કરી. આ નોકરી દરમ્યાન અસ્પૃશ્યતાના કડવા અનુભવથી અપમાનિત થતાં ૨૩ સપ્ટેમ્બર ૧૯૧૭ના રોજ વડોદરા છોડવા મજબુર બન્યા. મુંબઈ જવાની ટ્રેન મોડી પડતા સયાજી બાગમાં વટવૃક્ષ નીચે બેસી ગહન ચિંતન અને મનન સાથે સંકલ્પ લીધો કે ‘અસ્પૃશ્યતાના કલંકને મિટાવીને જ હું ઝંપીશ.’ સયાજી બાગમાં આવેલી આ જગ્યા સંકલ્પ ભૂમિ તરીકે પ્રસ્થાપિત થઈ અને વિશ્વ પ્રસિદ્ધ બની.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચોથી મુલાકાત:</span></strong></span><br><span style="font-size: 14pt;"> બાબાસાહેબ દલિત વિદ્યાર્થીઓના ભણતર અને ઘડતરમાં અંગત રસ દાખવતા હોઇ સને ૧૯૨૮માં અમદાવાદ  ખાનપુર વિસ્તારમાં તુલસીદાસ મૂળદાસ આચાર્ય એ શરૂ કરેલી છાત્રાલયનું ઉદઘાટન કરવા આવ્યા હતા.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પાંચમી મુલાકાતઃ</span></strong></span><br><span style="font-size: 14pt;">ગોળમેજી પરિષદમાં તેઓએ અસ્પૃશ્ય સમાજના હિત માટે ઝઝૂમીને કરેલી ધારદાર અને અસરદાર દલીલોથી સમગ્ર દલિત સમાજ ખુબ પ્રભાવિત થયો હતો. બાબાસાહેબને મળેલી અપાર પ્રસિધ્ધિનું સ્વાગત/સન્માન કરવા અમદાવાદના નવયુવક મંડળ(દરિયાપુર)એ તેમને ૨૮ જુલાઈ ૧૯૩૧ના રોજ અમદાવાદ તેડાવ્યા હતા. જોકે આ વખતે અમદાવાદ સ્ટેશને કાળા વાવટા બતાવી અપમાનિત કરવાના કેટલાક લોકોએ પ્રયત્નો પણ કર્યા હતા.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છઠ્ઠી મુલાકાતઃ</span></strong></span><br><span style="font-size: 14pt;">અમદાવાદ જિલ્લાના કાવિઠા ગામના દલિતો ઉપર અત્યાચારોની જાતે તપાસ કરવા માટે તા. ૨૨/૧૦/૧૯૩૮ના દિવસે અમદાવાદ આવ્યા હતા અને તે મુલાકાત વેળા તેઓ બાવળા પણ ગયા હતા. ત્યારે ગોવિંદભાઈ ચૌહાણે બાવળા ખાતે તેમનું સન્માન પત્રથી સન્માન કર્યુ હતું. એ જ સાંજે અમદાવાદ પ્રેમાભાઈ હોલમાં તેમનું પ્રવચન પણ રખાયું હતું.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાતમી મુલાકાતઃ</span></strong></span><br><span style="font-size: 14pt;">૧૮/૧૯ એપ્રિલ ૧૯૩૯માં રાજકિય સુધારા આંદોલનમાં દલિતોના પ્રતિનિધિ હોવા જોઈએ એ સંદર્ભમાં ગાંધીજી સાથે ચર્ચા કરવા તેઓ રાજકોટ આવ્યા હતા. એ વખતે તેમની રહેવા-જમવાની વ્યવસ્થા મોચી બજાર ફાટક પાસેના વણકર વાસમાં રાણા ભાઇના ઘરે કરવામાં આવી હતી. </span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આઠમી મુલાકાતઃ</span></strong></span><br><span style="font-size: 14pt;">૧૫/૧૬ માર્ચ-૧૯૪૧માં અમદાવાદ આવ્યા ત્યારે સમતા સૈનિક દળના સૈનિકોએ તેમને સલામી આપી સન્માનિત કર્યા હતા.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નવમી મુલાકાતઃ</span></strong></span><br><span style="font-size: 14pt;">જાન્યુઆરી-૧૯૪૩માં પારસી દૈનિક (ગુજરાતી) જામે જમશેદના એક કાર્યક્રમમાં તેઓને સુરત તેડાવ્યા હતા. </span><br><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">દસમી મુલાકાતઃ</span></strong><br><span style="font-size: 14pt;">૨૯/૩૦ નવેમ્બર ૧૯૪૫માં શિડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશનના અધિવેશનમાં હાજરી આપવા અમદાવાદ આવેલા. ફેડરેશનની આ સભામાં તેમણે પોતાના પ્રવચનની શરૂઆત ગુજરાતીમાં કરતાં કહયું હતું કે "આજના પ્રસંગે મારે ગુજરાતીમાં બોલવું એવી વિનંતી થઈ છે, જયારે આપની ઈચ્છા જ છે તો આપ સૌના આગ્રહને વશ થઈને આજે મેં ગુજરાતી ભાષામાં બોલવાનું નક્કી કર્યુ છે" એમણે ગુજરાતીમાં જણાવ્યું કે "મારા ગુજરાતી ભાઇઓ, મને તમારા માટે ખુબ જ ચિંતા છે" આમ તેઓ નવ ભાષાના જાણકાર હોવાની પ્રતિતિ અમદાવાદ ખાતે કરાવી હતી. </span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અગિયારમી મુલાકાતઃ</span></strong></span><br><span style="font-size: 14pt;">પહેલી ઓગસ્ટ-૧૯૪૭ના દિવસે છેલ્લીવાર ગુજરાતની ધરતી પર પગ મૂકયો અને એ પણ થોડીક મિનિટો પૂરતો જ. એ દિવસે બાબાસાહેબ દિલ્હીથી મુંબઈ વિમાન માર્ગે જઇ રહ્યા હતા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર વિમાન થોડો સમય રોકાયેલું ત્યારે એરપોર્ટ પર જ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત કદાચ તેમની છેલ્લી મુલાકાત હતી તે પછી તેઓ ગુજરાત આવ્યા હોય તેવી માહિતી નથી.</span><br><span style="font-size: 14pt;">આમ તેમની સંઘર્ષમય યાત્રાના કાર્યકાળ દરમ્યાન તેમણે અગિયાર વખત ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતો ગુજરાત માટે ગૌરવશાળી હોઈ તેના સંભારણા રજૂ કરવાનો આ એક પ્રયાસ છે. વિશ્વ વિભૂતિ, મહામાનવ, ભારતરત્ન, બોધિસત્વ, બંધારણના શિલ્પીને કોટી કોટી વંદન સાથે જય ભીમ.</span><br><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><em>(લેખક સમાજ કલ્યાણ વિભાગના પૂર્વ નાયબ નિયામક અને બહુજન પરંપરાઓના અભ્યાસુ છે)</em></strong></span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><em></em></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/shashi-tharoors-book-ambedkar-a-life-a-feeling-of-reading-something-special">શશી થરૂરનું પુસ્તક ‘Ambedkar: A Life’ - કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ</a></span><em><br></em></strong></span></p>
<div class="post-text" style="text-align: justify;">
<p><span><strong><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU"><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો.</span></span></b></a></strong></span></p>
<p></p>
</div>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong><em></em></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 15 Apr 2024 10:02:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>506</Articleid>
                    <excerpt>બાબાસાહેબ તેમના જીવનકાળ દરમિયાન જુદા જુદા પ્રસંગોએ ગુજરાતની અગિયાર વખત મુલાકાતે પધાર્યા હતા. જેની તપસીલ અહીં પ્રસ્તુત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_661bd08674409.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661bd0864203b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661bd0864203b.jpg" length="46021" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આજે કવિ ગૌતમ વેગડા સ્ટેનફોર્ડ યુનિ.માં જાતિ વિરોધી કવિતાઓ રજૂ કરશે</title>
                    <link>https://khabarantar.com/today-poet-gautam-vegda-will-present-anti-caste-poems-at-stanford-university</link>
                    <guid>https://khabarantar.com/today-poet-gautam-vegda-will-present-anti-caste-poems-at-stanford-university</guid>
                    <description>
                        <![CDATA[ અમેરિકાની વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આજે ડૉ. આંબેડકરના જન્મદિવસ પ્રસંગે ગુજરાતના એકમાત્ર અંગ્રેજીમાં દલિત કવિતાઓ લખતા કવિ ગૌતમ વેગડા પોતાની કવિતાઓ રજૂ કરવા જઈ રહ્યાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતના એકમાત્ર અંગ્રેજીમાં દલિત સમાજની સમસ્યાઓને વાચા આપતા કવિ ગૌતમ વેગડા આજે 14મી એપ્રિલના રોજ વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પોતાની કવિતાઓ રજૂ કરશે. ગૌતમભાઈ એકમાત્ર ગુજરાતી કવિ છે જેઓ અંગ્રેજીમાં દલિત કવિતાઓ લખે છે. તેમની એન્ટિ કાસ્ટ કવિતાઓ દુનિયાભરમાં જાણીતી છે. દલિત સમાજ માટે આ ગૌરવની ક્ષણ છે કે 14મી એપ્રિલના રોજ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીમાં એક સાવ અંતરિયાળ ગામડાના, અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા અને જાતમહેનતે આગળ આવેલા એક દલિત યુવાનની કવિતાઓ રજૂ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખબરઅંતર.કોમ સાથે વાત કરતા કવિ ગૌતમ વેગડા કહે છે, “ આ એક પોએટ્રી રિડીંગ સેશન છે. ગુજરાતમાંથી હું એક જ એવો દલિત લેખક છું જે સીધી અંગ્રેજીમાં કવિતા લખે છે. મારા બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે. એક છે Vultures and other poems(ગીધ અને બીજી કવિતાઓ)  અને Strange Case of Flesh and Bones(હાડમાંસનો વિચિત્ર કિસ્સો). આ સિવાય ત્રીજો કાવ્યસંગ્રહ આવી રહ્યો છે. મારું પીએચડી પણ પર્યાવરણીય જસ્ટિસ અને દલિત સાહિત્ય પર છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હું પર્યાવરણને અને દલિતોને લઈને જે કવિતાઓ લખું છે તેનું વાંચન કરવાનો છું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું છે કે, 14મી એપ્રિલે તમે આ કવિતાઓ વાંચો અને તેની અંદર જે પોલિટિક્સ છે, ડિગ્નિટીની વાત છે, પર્યાવરણના માધ્યમથી તમે તેને રજૂ કરો. મારી કવિતાઓના શીર્ષક તમે જોશો તો તેમાં અળસિયું, શાહુડી, તેતર, વિંછી, દીપડો, હાથી, લજામણી, ટિટોડી, ગીધ - આવા શીર્ષકો છે. શા માટે હું ગીધની વાત કરું છું? હું મોર, પોપટ કે કોયલ એવા સુંદર પક્ષીની વાત કેમ નથી કરતો? એક દલિત તરીકે મારી કલ્પનામાં ગીધ જ કેમ આવ્યું? કેમ કે તેની સાથે આપણે રહ્યાં છીએ. એની સાથે ખાવાનું શેર કર્યું છે. દલિતો જે ખાતા એ જ ગીધ ખાતું. એટલે આ કાર્યક્રમમાં હું દલિતોનો પર્યાવરણીય ઈતિહાસ શું છે તેની વાત કરવાનો છું. એ રીતે જોવા જઈએ તો મારી કવિતા માત્ર દલિત કવિતા નથી પરંતુ દલિતોનો પર્યાવરણીય ઈતિહાસ પણ હશે. હું ઝરખની વાત કરવાનો છું. તેને બીજા શબ્દોમાં Bone Collector કહે છે. તે કદી શિકાર નથી કરતું પણ બીજાનો શિકાર છીનવી લે છે અને તેનો સંગ્રહ કરે છે. </span><span style="font-size: 14pt;">ઝરખ જ્યાં રહેતું હોય ત્યાં એની બખોલ પાસે હાકડાં ભેગાં કરતું હોય છે. આ પરથી મને યાદ આવે છે કે, દલિતો હાડકા એકઠાં કરતા હતા. તેને બે કે ત્રણ રૂપિયે કિલો વેચતા. જેમાંથી પછી કાંસકા અને બીજી પ્રોડક્ટ બનતી હતી. આ વાત હું ઝરખના માધ્યમથી કરું છું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-does-Swami-Ramabhadracharya-say-Chamar,-not-Rama">સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661b820620195.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હું પર્યાવરણના તત્વો પશુ-પંખી-છોડ વગેરેનું દલિતો સાથે શું જોડાણ છે તેની વાત કરીને કવિતા લખું છું. એલોવેરા હાલ ધનાઢ્ય વર્ગ માટે એક બ્યૂરી પ્રોડક્ટ છે, લોકો તેના શેમ્પૂ કે ફેસવોશનો ઉપયોગ કરે છે. પણ મારા માટે તેનો અનુભવ જુદો છે. નાનો હતો ત્યારે ઘરમાં ખાવા માટે કશું હોય નહીં ત્યારે મારી મા ખેતરેથી મજૂરી કરીને પાછી ફરતી ત્યારે વાડમાં ઉગેલા કુંવારપાઠા અને થોરના ફૂલ વીણી લાવતી અને તેનું શાક બનાવી અમને ખવડાવતી. આવું શાક અમે અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ ખાતા. એટલે એલોવેરા બીજા લોકો માટે બ્યૂટી પ્રોડક્ટ હશે, પણ મારા માટે તો એ જીવન જીવવાનો એકમાત્ર સોર્સ હતો. કથિત સવર્ણ જ્યારે કુંવારપાઠાને જોશે તો તેને તેમાં બ્યૂટી પ્રોડક્ટ દેખાશે પણ મને એવી લાગણી નથી થતી. એટલે દલિતોનું પર્યાવરણ અલગ છે, પર્યાવરણવાદ અલગ છે. તેનું અર્થઘટન અલગ છે. અને આ બધાંનું કારણ માત્ર અને માત્ર જાતિ છે. કારણ કે ભારતમાં કાસ્ટ નક્કી કરે છે કે કોણ કોની જમીન લેશે, આ પાણી કોનું હશે, ઘોડા પર કોણ બેસશે. ઘોડો પર્યાવરણનો એક ભાગ છે છતાં એ પણ જાતિ વ્યવસ્થામાં વણાઈ ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/80-years-ago-Dr.-What-did-Ambedkar-say-about-Indian-media-and-what-is-its-condition-today">80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661b8205a38b2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંદાજે 45 મિનિટના મારા સેશનમાં હું આવી રચનાઓ રજૂ કરીને વિશ્વનું ભારતમાં પ્રવર્તમાન જાતિ વ્યવસ્થા, દલિતોનું થતું શોષણ અને તેમના જીવન તરફ લોકોનું દોરવા ખેંચવા માંગુ છું. હું માત્ર કવિતા નથી લખતો, સાથે તેના ચિત્રો પણ દોરું છું. મારી દરેક કવિતાના ઈલસ્ટ્રેશન મેં જાતે તૈયાર કર્યા છે અને તેણે કવિતા કરતા પણ લોકોને વધુ પ્રભાવિત કર્યા છે. એટલે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ મને કહ્યું છે કે, આપ દલિત અને પર્યાવરણ સાથેની આપની કવિતાઓ 14મી એપ્રિલે રજૂ કરો જેથી દુનિયાને ખબર પડે કે ભારતમાં કઈ હદે જાતિ વ્યવસ્થા ઘર કરી ગઈ છે અને વ્યક્તિ ચાહીને પણ તેમાંથી છટકી શકતો નથી.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/had-it-not-been-for-dr-ambedkar-the-struggle-of-phule-couple-would-have-been-buried-in-history">ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત</a><br></span></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><span><strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
<p></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 14 Apr 2024 12:53:19 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>504</Articleid>
                    <excerpt>અમેરિકાની વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આજે ડૉ. આંબેડકરના જન્મદિવસ પ્રસંગે ગુજરાતના એકમાત્ર અંગ્રેજીમાં દલિત કવિતાઓ લખતા કવિ ગૌતમ વેગડા પોતાની કવિતાઓ રજૂ કરવા જઈ રહ્યાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_661b8206adee4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661b820681006.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661b820681006.jpg" length="53624" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ડૉ. આંબેડકરને મળનાર છેલ્લાં ગુજરાતી જનબંધુ કૌસંબીનું અવસાન</title>
                    <link>https://khabarantar.com/dr-kausambi-the-last-gujarati-janabandhu-to-meet-ambedkar-passed-away</link>
                    <guid>https://khabarantar.com/dr-kausambi-the-last-gujarati-janabandhu-to-meet-ambedkar-passed-away</guid>
                    <description>
                        <![CDATA[ ડો. બાબાસાહેબ આંબેડકરને મળ્યાં હોય,  માન્યવર કાંશીરામ સાથે કામ કર્યું હોય તેવા મોટાભાગના ગુજરાતી બહુજન યોદ્ધાઓ હવે હયાત નથી. એકમાત્ર જનબંધુ કૌસંબી જીવીત હતા, હવે તેમણે પણ વિદાય લીધી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજના વધુ એક વડીલે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા જનબંધુ કૌસંબી હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેઓ 83 વરસના હતા અને લાંબા સમયથી બિમાર હતા. છેલ્લાં દોઢ મહિનાથી તેઓ સાવ પથારીવશ હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકરને મળનાર તેઓ એકમાત્ર જીવીત ગુજરાતી હતા. બાબાસાહેબની પેઢીના મોટાભાગના વડીલોએ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી છે અને એકમાત્ર જનબંધુ કૌસંબી જ હયાત હતા. હવે તેમનું પણ અવસાન થતા આંબેડકરી કાર્યકરોની એક આખી પેઢી આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂકી છે. ગઈકાલે સાંજે તેમણે ચાંદખેડા સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.</span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">15 વર્ષની ઉંમરે ડો. આંબેડકરને મળ્યા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">જનબંધુ કૌસંબી માત્ર 15 વર્ષની ઉંમરે ડો. આંબેડકરને મુંબઈ સ્થિત તેમના ઘરમાં મળ્યા હતા. એ વખતનો એ આખો અનુભવ તેમણે ખબરઅંતર.કોમની જ માલિકીની યુટ્યુબ ચેનલ The Untouched Story ના એક વીડિયોમાં વિસ્તારથી વર્ણવી હતી. જનબંધુ કૌસંબીના પિતા રામજી લાલજી મેઉવાળા મજૂર આગેવાન ઉપરાંત ડો. આંબેડકર સ્થાપિત શિડ્યૂલ કાસ્ટ ફેડરેશનનાં મહેસાણા જિલ્લાનાં પ્રમુખ હતાં. એ જમાનામાં ડો. આંબેડકરનાં પગલે તેમણે પણ બૌદ્ધ ધર્મ અંગિકાર કરેલો. જેની નાનકડાં જનબંધુ પર ઘેરી અસર પડેલી. 15 વર્ષની ઉંમરે જનબંધુએ બાબાસાહેબને મળવાની જીદ પકડી એટલે પિતા તેમને મુંબઈ ખાતેનાં ઈનટુકના અધિવેશનમાં સાથે લઈ ગયાં હતા. એ પછીનો આખો ઘટનાક્રમ બહુ હૃદયસ્પર્શી છે. અધિવેશન પૂર્ણ થયા બાદ નાનકડા જનબંધુ પોતાના આઈડલ ડો. આંબેડકરને મળવા અધિરાં થયા હતા. પણ બાબાસાહેબ વ્યસ્ત હોવાથી તેમનાં પી.એ.એ તેમને મળવા માટે સમય આપ્યો નહોતો. એટલે નાનકડાં જનબંધુ રડવા લાગ્યાં. એ જોઈને પિતા રામજી મેઉવાળાનું દિલ દ્રવી ઉઠ્યું હતું. અને ત્યારે જ તેમણે નક્કી કરી લીધું કે તેઓ કોઈપણ ભોગે દીકરાને બાબાસાહેબને મળવીને જ પરત જશે. તરત તેઓ ડો. આંબેડકરનાં પત્ની માતા સવિતાબાઈને મળ્યાં અને દીકરાંની બાબાસાહેબને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. સવિતાબાઈ કલોલના શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના બે પ્રતિનિધિઓ સાથે જનબંધુ કૌસંબી બાબાસાહેબના કમરામાં દાખલ થયા. માતા સવિતાબાઈએ કહ્યું હતું કે, સાહેબ લખતા લખતા જ્યારે પેન ઊંચી કરે અને તમારી સામે જુએ એ પછી આપણે જવાનું છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_66182512492ce.jpg" alt=""></p>
<p><span style="font-size: 14pt;">એ પ્રમાણે સૌ બાબાસાહેબના રૂમના દરવાજે જઈને ઉભા રહી ગયા. બાબાસાહેબે જ્યારે લખવાનું બંધ કરીને પેન ઊંચી કરી ત્યારે તેમને બોલાવ્યા. માતા રમાબાઈએ બાબાસાહેબને તમામ આગેવાનોનો પરિચય કરાવ્યો. પાર્ટી માટે ભેગું કરેલું ફંડ તેમના પિતાએ બાબાસાહેબને આપ્યું એટલે સાહેબે તેની પાવતી લખીને આપી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જનબંધુ કૌસંબીએ એ મુલાકાતને યાદ કરતા કહ્યું હતું કે, "બાબાસાહેબની ચોતરફ કબાટમાં પુસ્તકો ભરેલા હતા. તેઓ યુરોપિયન જેવા લાગતા હતા. કોઈપણ વ્યક્તિ તેમને જોતા જ પ્રભાવિત થઈ જાય તેવું તેમનું વ્યક્તિત્વ હતું. બાબાસાહેબે એ વખતે તેમના પિતા સહિતના આગેવાનોને સલાહ આપી હતી કે મનુવાદીઓ સામે તલવારથી નહીં લડી શકાય, કલમથી લડી શકાશે, માટે ભણવું પડશે. એ પછી નાનકડા જનબંધુના માથે હાથ મૂકીને ભણવાની સલાહ આપી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. આંબેડકર સાથેની એ મુલાકાતે કિશોર વયનાં જનબંધુનાં જીવનની આખી દિશા જ બદલી નાખી હતી. મુલાકાત પહેલાં તેઓ ચિત્રકાર બનવા માંગતા હતાં, પણ ડો. આંબેડકરે તેમને માથે હાથ મૂકીને ઉચ્ચ અભ્યાસની સલાહ આપી એટલે પહેલાં તેઓ બી.એ. અને પછી એમ.એ. થઈને કલોલની શાંતિનિકેતન વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયાં હતા. ત્યારબાદ ગુજરાત સરકારમાં આરોગ્ય વિભાગ હેઠળ છોટાઉદેપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બી.ઈ.ઈ. તરીકે કારકિર્દી શરૂ કરી. અને ત્યાંથી ઝીણાભાઈ દરજીએ શરૂ કરેલ ‘20’ મુદ્દા કાર્યક્રમ સમિતિમાં તેમનાં પી.એ. તરીકે જોડાયાં હતા. છેલ્લે પછાત વર્ગ બોર્ડ અને અનુ.જાતિ નિગમમાં અનુક્રમે મેનેજર અને રિકવરી મેનેજર તરીકે સેવા આપી નિવૃત્ત થયાં હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ વખતનાં ટોચનાં રાજકારણીઓનો આગ્રહ હોવા છતાં જનબંધુ કૌસંબીએ કદી ધારાસભ્ય કે સાંસદ પદની લાલચ રાખી નહોતી અને આજીવન બૌદ્ધ-આંબેડકરી ચળવળનાં પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત રહ્યાં હતાં. તેમની આ નિસ્વાર્થ સેવાની કદરરૂપે ગુજરાત સરકારે તેમને વર્ષ 2012-13નો ‘ડો. આંબેડકર એવોર્ડ’ એનાયત કર્યો હતો. આજે જ્યારે સરકારી સિસ્ટમ અને રાજકારણમાંથી આદર્શો, નીતિઓની સતત બાદબાકી થઈ રહી છે ત્યારે જનબંધુ કૌસંબી જેવા લોકોની કિંમત અનેકગણી વધી જાય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_66182511c6863.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માન્યવર કાંશીરામ સાથે પણ કામ કર્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">જનબંધુ કૌસંબીએ માન્યવર કાંશીરામ સાથે પણ કામ કર્યું હતું. માન્યવર સૌ પ્રથમવાર ગુજરાતમાં વડોદરા ખાતે આવ્યા હતા. ત્યારે જનબંધુ કૌસંબી, જયપ્રકાશ પ્રેમ અને બી.એમ. પટેલ સાથે તેમની મુલાકાત થઈ હતી. 1979માં તેમને ગુજરાતના બામસેફ યુનિટના કન્વીનર બનાવવામાં આવ્યા હતા. એ પછી તેમણે માન્યવર સાથે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બૌદ્ધ ધર્મની ચળવળમાં પણ તેમનો સક્રિય ફાળો રહ્યો હતો. બાબાસાહેબના પરિનિર્વાણ દરમિયાન મુંબઈમાં તેમના નશ્વર દેહ સમક્ષ તેમના પિતા રામજી મેઉવાળાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને કલોલ ખાતે બુદ્ધ પૂર્ણિમાના દિવસે તા. 13-5-1957ને સોમવારના રોજ જનબંધુ કૌસંબી સહિત શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના અનેક કાર્યકરોએ બૌદ્ધ ધર્મની દિક્ષા લીધી હતી. એ પછી તેમના પિતા રામજી મેઉવાળા, પાગલબાબા અને મોહનલાલ જે. સોલંકી સાથે તેમણે કુશીનારા, બુદ્ધગયા જઈને બૌદ્ધ તીર્થોનો અભ્યાસ કરી 23 નવેમ્બર 1975ના રોજ સારનાથ ખાતે યોજાયેલા ઈન્ટરનેશનલ બૌદ્ધ અધિવેશનમાં ડેલિગેટ તરીકે ભાગ લીધો હતો. નાગપુર ખાતે પણ 6-12-1975 થી 10-12-1975 સુધી ભરાયેલા અખિલ ભારતીય બૌદ્ધ શિખર સંમેલનમાં ગુજરાતી ડેલિગેટ તરીકે ભંતે શાંતરક્ષક, પાગલબાબા, અન્ના સદાશિવ, નાથાલાલ ગોહિલ સાથે ભાગ લીધો હતો. વર્ષ 2011માં તેમણે ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં બૌદ્ધ દર્શન વિભાગમાં એમ.એ.ના અનુસ્નાતક વર્ગમાં બૌદ્ધ પ્રાધ્યાપક તરીકે માનદ્ સેવા આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">સામાજિક આંદોલનોમાં ભાગીદારી</span></strong><br><span style="font-size: 14pt;">જનબંધુ કૌસંબીએ સામાજિક અને કર્મચારી આંદોલનોમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ દ.આ.બ. કર્મચારી કામદાર મંડળ(1981) અને કર્મચારી ઉત્કર્ષ મહામંડળ(1985)ની સ્થાપનામાં પાયાના પથ્થર હતા. અનામતવિરોધી રમખાણો વખતે તેમણે સંદેશ દૈનિકમાં લેખ લખીને જુઠ્ઠાણા અને અફવાઓનો જડબાતોડ જવાબ આવ્યો હતો. દલિતો વિરોધી હુલ્લડોનો અહેવાલ અને ફોટાં સાથે તેઓ દિલ્હી પહોંચી સાંસદ હીરાભાઈ પરમાર મારફત સંસદમાં રજૂ કરાવવામાં સફળ રહ્યા હતા. વર્ષ 1981 અને 1985ના અનામત વિરોધી આંદોલન વખતે બંને વખત ગુજરાતમાં પ્રતિઆંદોલન કરવા અને પછાતવર્ગને મદદરૂપ થવા માટે તેમને કન્વીનર બનાવવામાં આવ્યા હતા. એ વખતે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. આવા અડીખમ યોદ્ધા જનબંધુ કૌસંબીની વિદાય સાથે ગુજરાતની આંબેડકરી, બુદ્ધિષ્ઠ ચળવળનો છેલ્લો સિતારો પણ ખરી પડ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જનબંધુ કૌસંબી પરનો <em><strong>The Untouched Story</strong></em> ની વીડિયો જોવા માટે <a href="https://www.youtube.com/watch?v=ARHrySrh76I&amp;ab_channel=TheUntouchedStory"><strong>આ લિંક પર ક્લિક કરો</strong></a>.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Raghala,-Matars-boy-does-not-have-a-groom,-have-you-seen-this-Benali">રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?</a><br></span></strong></span></p>
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 12 Apr 2024 09:58:35 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 12 Apr 2024 16:26:36 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>494</Articleid>
                    <excerpt>ડો. બાબાસાહેબ આંબેડકરને મળ્યાં હોય,  માન્યવર કાંશીરામ સાથે કામ કર્યું હોય તેવા મોટાભાગના ગુજરાતી બહુજન યોદ્ધાઓ હવે હયાત નથી. એકમાત્ર જનબંધુ કૌસંબી જીવીત હતા, હવે તેમણે પણ વિદાય લીધી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_66182512e00d0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_66182512b2596.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_66182512b2596.jpg" length="92728" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ધ ગ્રેટ જ્યોતિરાવ ફૂલે મર્યા પછી પણ જાતિવાદનો ભાંડો ફોડતા ગયા</title>
                    <link>https://khabarantar.com/even-after-the-death-of-the-great-jyotirav-phule-he-continued-to-stir-the-pot-of-casteism</link>
                    <guid>https://khabarantar.com/even-after-the-death-of-the-great-jyotirav-phule-he-continued-to-stir-the-pot-of-casteism</guid>
                    <description>
                        <![CDATA[ ધ ગ્રેટ જ્યોતિરાવ ફૂલેનો આજે જન્મદિવસ છે. અનેક લોકોને હજુ તેમના મહાન કાર્યો વિશે પુરતો પરિચય નથી, ત્યારે અહીં તેમના જીવનકાર્ય વિશે વિસ્તારથી લખવામાં આવ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંસ્કૃતમાં એક શ્લોક છે, એકમ સત્ વિપ્રા, બહુદા વદન્તિ. મતલબ કે સત્ય એક છે અને જ્ઞાની લોકો તેને જુદી જુદી રીતે કહે છે. સત્ય કહેવાની આ રીતોમાંની એક એવી છે કે તે અનુભવ દ્વારા જ કહી શકાય છે. જાહિ બીતી સો જાને-એટલે કે આવું સત્ય જે જેના પર વીત્યું છે તે જ જાણી શકે. જાતિવાદ એવું જ એક સત્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિ જે ક્યારેય જતી નથી - તમને સ્વદેશ ફિલ્મનો આ ડાયલોગ યાદ હશે. તો પછી તમે એ પણ સાંભળ્યું હશે કે જાતિવાદ એ જૂના જમાનાની વાત છે. પણ હકીકતે એવું નથી. જાતિ ભારતમાં ન તો ભૂતકાળમાં કદી ગઈ હતી, ન આજે ગઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિની ફૂટપટ્ટી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'Social Revolutionaries of India' નામનું પુસ્તક છે. જે દેવેન્દ્ર કુમાર બેસંતરી દ્વારા લખવામાં આવ્યું છે. બેસંતરી કેરળમાં જાતિનું ગણિત સમજાવે છે. કેરળમાં પછાત હોવાનો અર્થ એ થયો કે તમારે નંબૂદિરી, બ્રાહ્મણ, નાયર જેવી ઉચ્ચ જાતિઓથી 32 ફૂટનું અંતર રાખવું પડતું હતું. જો તેમની નજીક આવ્યા તો તેઓ અશુદ્ધ થઈ જશે. આગળ બીજા પણ લેવલો હતા. તેની ઉપર નાયર ઈધવા હતા, જેમનાથી 64 ફૂટનું અંતર જાળવવાનું હતું. અને તેનાથી પણ આગળ ઇધવા જાતિના લોકો હતા, જેમનાથી 100 ફૂટનું અંતર જાળવવાનું હતું. બસંતરીએ ઉલ્લેખ કર્યો નથી કે ઉચ્ચ જ્ઞાતિના લોકો નિશ્ચિત અંતર જાળવવા માટે ટેપનો ઉપયોગ કરતા હતા કે નહીં. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Why-is-Mata-Savitribai-Phule-not-taught-in-our-schools"><strong>આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6617aab0c38a6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ રીતે, હવે 19મી સદીના પુણેની સ્થિતિ જુઓ.  રસ્તા સરખા હતા પણ લોકો નહિ. રસ્તા પર ચાલતી વખતે પછાત લોકોએ ઉચ્ચ જ્ઞાતિના કોઈના પર પડછાયો ન પડે તેનું ધ્યાન રાખવાનું હતું. દિવસના એ સમયે જ્યારે પડછાયા લાંબા હોય ત્યારે રસ્તા પર ચાલવું એ મૃત્યુને આમંત્રણ આપતું હતું. આવી સ્થિતિમાં પછાત લોકોને આ સમયે રસ્તાથી દૂર બેસી જવું પડ્યું હતું. અસ્પૃશ્યોને તેમના કાંડા અથવા ગળામાં કાળો દોરો બાંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેથી હિંદુઓ તેમને ભૂલથી સ્પર્શ ન કરે, અને તેમણે કમરે સાવરણી બાંધીને ચાલવું પડતું, જેથી તેમના પગના નિશાન સાવરણી દ્વારા ભૂંસી શકાય. અને કોઈ પણ હિંદુએ તેમના પગના નિશાન પર પગ મૂકીને અશુદ્ધ ન થવું પડે. એમાંય જો મોં થૂંકથી ભરાઈ જાય, તો વ્યક્તિએ થૂંકવા માટે માટીનું વાસણ રાખવું પડતું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી પડકારજનક પરિસ્થિતિ વચ્ચે ધ ગ્રેટ જ્યોતિરાવ ફુલેનો જન્મ 11 એપ્રિલ, 1827ના રોજ પુણેમાં થયો હતો. બાબાસાહેબ ત્રણ લોકોને પોતાના ગુરુ માનતા હતા, મહાત્મા બુદ્ધ, કબીર અને ત્રીજી વ્યક્તિ હતા જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે કોણ હતા અને પછાત જાતિના ઉત્થાનમાં તેમનું શું યોગદાન હતું અહીં વિસ્તારથી જાણીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જાતિ સાથે પ્રથમ પરિચય </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યોતિબા ફુલેનો જન્મ એક સામાન્ય માળી પરિવારમાં થયો હતો. તેમના પિતા ગોવિંદરાવ ફૂલો વેચીને ઘર ચલાવતા હતા. એક દિવસ આ દુકાનમાં કામ કરતી વખતે જ્યોતિબાને જાતિનું સત્ય સમજાયું. બન્યું એવું કે જે છોકરો તેમના પિતાની દુકાનમાં કારકુન તરીકે કામ કરતો હતો તે જ્ઞાતિએ બ્રાહ્મણ હતો. તેણે જ્યોતિબાને પોતાના લગ્નમાં આમંત્રણ આપ્યું. અને જ્યોતિબા પણ ચાલ્યા ગયા. પરંતુ જ્યોતિબા કે છોકરો બેમાંથી કોઈ જાણતા ન હતા કે પછાત જાતિની વ્યક્તિ માટે બ્રાહ્મણના લગ્નમાં હાજરી આપવાની મનાઈ છે. જ્યોતિબા લગ્નમાં ગયા ત્યારે કોઈએ બૂમ પાડી, "અરે, આ શુદ્રને અહીં કોણે આવવા દીધો?" થોડી જ વારમાં ખળભળાટ મચી ગયો અને જ્યોતિબાને લગ્ન પ્રસંગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળકનું મન હતું. આ ઘટનાથી તેમના માનસ પર ગંભીર અસર થઈ. પરંતુ જ્ઞાતિવાદની વાસ્તવિકતા શું છે તે પણ તેઓ સમજી ગયા. તેમણે જાતિવાદના આ ઝેર સામે લડવાનો એક જ રસ્તો જોયો - શિક્ષણ. તેથી તેમણે પોતાના ઘરેથી શરૂઆત કરી.</span><br><span style="font-size: 14pt;">આખો દિવસ કામ કર્યા પછી તેઓ રાત્રે પત્ની સાવિત્રીબાઈને પોતાની સાથે બેસાડીને ભણાવતા. પાછળથી ફૂલે દંપતીએ 1 જાન્યુઆરી 1848ના રોજ ભીડેવાડા, બુધવાર પેઠ, પુણેમાં પ્રથમ કન્યા શાળા શરૂ કરી. અને માત્ર 17 વર્ષની ઉંમરે સાવિત્રીબાઈએ આ શાળામાં શિક્ષિકા તરીકે ભણાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં માત્ર 9 છોકરીઓ જ શાળામાં ભણવા માટે સંમત થઈ હતી. પછી ધીમે ધીમે તેમની સંખ્યા વધીને 25 થઈ ગઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Mata-Ramabai:-The-woman-whose-sacrifice-made-Bhima-Dr.-Made-by-Bhimrao-Ambedkar">માતા રમાબાઈઃ એ મહિલા જેમના ત્યાગે 'ભીમા' ને ડો. ભીમરાવ આંબેડકર બનાવ્યા</a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6617aab0461c9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1851 સુધીમાં, બંનેએ મળીને પુણેમાં આવી 3 શાળાઓ ખોલી જેમાં છોકરીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. શાળાના અભ્યાસક્રમમાં ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્રનો પણ સમાવેશ થતો હતો. આ ત્રણેય શાળાઓમાં મળીને વિદ્યાર્થીઓની સંખ્યા 150 હતી. ભણાવવાની પદ્ધતિ પણ સરકારી શાળાઓ કરતાં અલગ હતી. લેખિકા દિવ્યા કંદુકુરી લખે છે, "ફૂલે દંપતીની શાળામાં શિક્ષણનું ધોરણ એટલું સારું હતું કે પાસની ટકાવારી સરકારી શાળાઓ કરતાં વધારે હતી." પરંતુ આ બધું શાંતિથી નહોતું થયું. પછાત જાતિની સ્ત્રી પોતે પણ ભણે અને બીજાને પણ ભણાવે એ ધર્મના ઠેકેદારોને સ્વીકાર્ય ન હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પૂજારીઓનો ધંધો બંધ </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સામ, દામ, દંડ, ભેદ, બધું જ અજમાવવામાં આવ્યું. સૌ પ્રથમ તેની શરૂઆત ઘરથી થઈ. લોકોએ જ્યોતિરાવના પિતા ગોવિંદરાવને ધમકી આપી, તમારો પુત્ર ધર્મની વિરુદ્ધ જઈ રહ્યો છે. દબાણ હેઠળ ગોવિંદરાવે જ્યોતિબાને શાળા બંધ કરવા કહ્યું. જ્યોતિરાવ રાજી ન થયા અને પછી તેમના પિતાએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. ઘર છોડ્યા પછી પણ જ્યોતિરાવ અને સાવિત્રીબાઈએ તેમનું શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે સમયગાળા દરમિયાન રાજા રામમોહન રોય અને કેશવચંદ્ર સેન જેવા લોકો શિક્ષણ માટે કામ કરતા હતા. પરંતુ સંસાધનો ઉચ્ચ વર્ગ પાસે હોવાથી શિક્ષણ પણ તેમની પાસે પ્રથમ આવ્યું. સમાજ સુધારકો માનતા હતા કે આ જ્ઞાન ઉચ્ચ વર્ગમાંથી નીકળીને નીચલા વર્ગ સુધી પણ પહોંચશે. જો કે, આ પદ્ધતિ બિલકુલ અસરકારક નહોતી. કારણ કે કોને શિક્ષણ મળશે અને કોણ સેવા કરશે તે જન્મથી જ નક્કી હતું. આ કારણે જયોતિબા ફૂલેએ સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી. જેનો ઉદ્દેશ્ય શુદ્રો-અતિશુદ્રોને પાંડે-પુરોહિતો અને પૈસાદારોની ગુલામીમાંથી મુક્ત કરવાનો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Jyotiba-Phule-Commemoration-Day-Special:-Jyotiba-Phule-means-Mahatma-before-Mahatma"><strong>Jyotiba Phule સ્મૃતિ દિવસ સ્પેશ્યિલઃ જ્યોતિબા ફૂલે એટલે 'મહાત્મા' પહેલાના 'મહાત્મા'</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6617aaaf4712c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્યશોધક સમાજની શાખાઓ મુંબઈ અને પુણેના ગામડાઓ અને શહેરોમાં ખોલવામાં આવી હતી. એક દાયકામાં આ સંગઠને પછાત અને અત્યંત પછાત લોકોમાં ક્રાંતિ સર્જી. જેના કારણે ઘણા લોકોએ લગ્ન અને નામકરણ માટે પાંડે પૂજારીઓને બોલાવવાનું બંધ કરી દીધું હતું. આવી સ્થિતિમાં, આ લોકોને ધમકી આપવામાં આવી હતી કે સંસ્કૃત વિના તેમની પ્રાર્થના ભગવાન સુધી પહોંચશે નહીં. પછી ફૂલેએ સંદેશ આપ્યો કે જ્યારે તેલુગુ, તમિલ, કન્નડ, બંગાળી ભાષામાં પ્રાર્થના ભગવાન સુધી પહોંચી શકે છે, તો પછી આપણી ભાષામાં પ્રાર્થના ભગવાન સુધી કેમ નહીં પહોંચે. ઘણા પ્રસંગોએ, ફૂલે પોતે પાદરી બન્યા અને સંસ્કાર કર્યા અને એવી પ્રથા શરૂ કરી કે જેમાં માત્ર પછાત જાતિના જ વ્યક્તિને પૂજારી તરીકે પસંદ કરવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે જ્ઞાતિવાદને ઉજાગર કરવા માટે એક પુસ્તક પણ લખ્યું હતું. 'ગુલામગીરી' નામના આ પુસ્તકમાં જ્યોતિબા ફૂલે લખે છે, “પોતાનું પોષણ કરવા માટે બ્રાહ્મણો, પાંડે અને પુરોહિતો તેમના દંભી શાસ્ત્રો દ્વારા અજ્ઞાની શુદ્રોને વિવિધ સ્થળોએ ઉપદેશ આપતા રહ્યા, જેના કારણે તેમના હૃદય અને મનમાં બ્રાહ્મણો પ્રત્યે આદર વધતો રહ્યો. બ્રાહ્મણોએ આ લોકોને ભગવાન પ્રત્યે તેમની લાગણીઓને સમર્પિત કરવા દબાણ કર્યું. આ કોઈ નાનો અન્યાય નથી. આ માટે તેઓએ ભગવાનને જવાબ આપવો પડશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જ્યોતિબાની હત્યાનો પ્રયાસ </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રોઝલિન્ડ ઓ'હેનલાને તેમના પુસ્તકમાં એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જે દર્શાવે છે કે કેવી રીતે જ્યોતિબા લોકોને તેમની પોતાની ભાષામાં વાતચીતનું મહત્વ સમજાવતા હતા. એક દિવસ એવું બન્યું કે જ્યોતિબા તેમના એક મિત્ર સાથે બગીચામાં ફરતા હતા. બગીચાની વચ્ચોવચ એક કૂવો હતો જેમાંથી બગીચાને સિંચાઈ કરવા માટે પાણી ખેંચવું પડતું હતું. બગીચામાં કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. જ્યારે જમવાનો સમય થયો ત્યારે કામદારો એક વર્તુળ બનાવીને કૂવા પાસે બેસી ગયા. જ્યોતિબા ગયા અને કૂવાના કિનારે બેઠા અને કંઈક ગુંજન કરવા લાગ્યા. તેનો હાથ વારાફરતી થપથપાવી રહ્યો હતો. આ જોઈને કામદારો હસવા લાગ્યા. ત્યારે ફૂલેએ તેને કહ્યું, “હસવા જેવું કંઈ નથી. જે લોકો મહેનત કરવાથી શરમાતા હોય છે તેઓ જ નવરાશના સમયમાં સંગીતનાં સાધનોના શોખીન હોય છે. એક સાચો મહેનતુ કામ કરનાર પોતાના કામ પ્રમાણે તેનું સંગીત બનાવે છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ બીજી ઘટના છે જ્યારે ફુલેએ પોતાના શબ્દોથી બે હત્યારાઓના મન બદલી નાખ્યા. જ્યોતિબા ફૂલેનું જીવનચરિત્ર લખનાર ધનંજય કીરે તેમના પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. એકવાર મધ્યરાત્રિએ જ્યારે જ્યોતિબા સૂતા હતા, ત્યારે બે લોકો તેમના ઘરમાં પ્રવેશ્યા. જ્યોતિબાની ઊંઘ ઊડી ગઈ. તેણે બૂમ પાડીને પૂછ્યું, ત્યાં કોણ છે? આના પર એક માણસે કહ્યું, 'અમે તમને યમલોક મોકલવા આવ્યા છીએ'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/What-did-E.-V.-Ramasamy-Periyar-believe-about-Hindu-Gods-and-scriptures"><strong>E. V. Ramasamy Periyar હિંદુ દેવી-દેવતાઓ અને ધર્મગ્રંથો વિશે શું માનતા હતા?</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6617abc6315e2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યોતિબાએ પૂછ્યું, મેં તમારું શું નુકસાન કર્યું છે? તેમાંથી એકે જવાબ આપ્યો, કંઈ ખોટું નથી, પણ તને મારીને અમને હજાર રૂપિયા મળશે. આ સાંભળીને જ્યોતિબાએ કહ્યું કે, આનાથી સારું બીજું શું હોઈ શકે કે મારું જીવન દલિતોને ઉપયોગી થાય અને મારા મૃત્યુથી કેટલાક ગરીબોને ફાયદો થાય. આ સાંભળીને બંને હુમલાખોરો જ્યોતિબાના પગે પડી ગયા અને તેમની માફી માંગી. તેમાંથી એકનું નામ રોડે અને બીજાનું નામ પં. ધોંડીરામ નામદેવ હતું. તેઓ બંને જ્યોતિબાના સહયોગી બન્યા અને તેમની સાથે મળીને સત્યશોધક સમાજનું કાર્ય સંભાળ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>શિવાજી મહારાજની સમાધિ શોધો</strong></span> </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યોતિબા પર શિવાજી મહારાજનો ઘણો પ્રભાવ હતો. તેમણે જ રાયગઢ જઈને પથ્થરો અને પાંદડાઓના ઢગલા નીચે દટાયેલી શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી અને તેનું સમારકામ કરાવ્યું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાદમાં તેમણે શિવાજી મહારાજ પર એક પ્રશંસનીય જીવનચરિત્ર પણ લખી, જેને પોવાડા પણ કહેવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદની સાથે, જ્યોતિબા ફુલેએ વિધવા પુનર્લગ્ન માટે પણ ઘણું કામ કર્યું. તેણે સગર્ભા સ્ત્રીઓ માટે સંભાળ કેન્દ્ર શરૂ કર્યું. જેનું નામ હતું “બાળ હત્યા નિવારણ ગૃહ”. આગળ વિધવાઓને ટાલ બનાવવાની દુષ્ટ પ્રથા હતી. આના વિરોધમાં ફૂલે દંપતીએ વાળંદ હડતાળનું આયોજન કર્યું અને આ પ્રથા સામે જોરથી અવાજ ઉઠાવ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/Why-does-the-dog-of-Dhedh-spoil-the-fathers-dog-So-it-exploded"><strong>ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું</strong></a></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_6617ac1d483ec.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પછાત લોકો અને મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવવા ઉપરાંત તેમણે વહીવટી સુધારા માટે પણ કામ કર્યું હતું. 1878ની વાત છે. વાઈસરોય લોર્ડ લિટ્ટને વર્નાક્યુલર એક્ટ નામનો કાયદો પસાર કર્યો હતો, જે હેઠળ પ્રેસની સ્વતંત્રતા પર કાપ મૂકવામાં આવ્યો હતો. જ્યોતિબાની સંસ્થા સત્યશોધક સમાજ દીનબંધુ નામનું અખબાર બહાર પાડતી હતી. આ અખબાર પણ આ કાયદાની પકડમાં આવી ગયું. થોડા વર્ષો પછી, જ્યારે લોર્ડ લિટન પુણે આવવાના હતા, ત્યારે તેમના સ્વાગત માટે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યોતિબા ફૂલે ત્યારે નગરપાલિકાના સભ્ય હતા. લિટનના સ્વાગતમાં થયેલા ખર્ચનો તેમણે સખત વિરોધ કર્યો. અને જ્યારે આ દરખાસ્ત નગરપાલિકામાં મુકવામાં આવી ત્યારે તેની સામે મત આપનાર ફુલે એકમાત્ર સભ્ય હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">63 વર્ષ સુધી પછાત અને દલિત વર્ગ માટે સતત અવાજ ઉઠાવ્યા પછી 28 નવેમ્બર 1890ના રોજ મહામના જ્યોતિબા ફૂલેનું અવસાન થયું. તેમની અંતિમ ક્ષણોમાં તેઓ લકવાગ્રસ્ત થઈ ગયા હતા. છોડતી વખતે પણ, તેમણે નોંધ્યું હતું કે વ્યક્તિ જન્મથી નહીં, પરંતુ તેના કાર્યોથી મોટો હોય છે. તેમના વસિયતનામામાં તેમણે લખ્યું હતું કે જો તેમનો પુત્ર યશવંત ભવિષ્યમાં નાલાયક બની જાય અથવા બગડી જાય તો તેમની મિલકત પછાત વર્ગના સક્ષમ બાળકને આપવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Savitribai-Phule-Original-Beti-Bachao-Icon">સાવિત્રીબાઈ ફૂલેઃ ઓરિજિનલ બેટી બચાવો આઈકોન</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>.</span><span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 11 Apr 2024 17:39:13 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 11 Apr 2024 17:38:29 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>493</Articleid>
                    <excerpt>ધ ગ્રેટ જ્યોતિરાવ ફૂલેનો આજે જન્મદિવસ છે. અનેક લોકોને હજુ તેમના મહાન કાર્યો વિશે પુરતો પરિચય નથી, ત્યારે અહીં તેમના જીવનકાર્ય વિશે વિસ્તારથી લખવામાં આવ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_6617aaafe0d46.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_6617aaafb1157.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_6617aaafb1157.jpg" length="153376" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાબુ જગજીવન રામઃ એ દલિત નેતા જેમના નામે અનેક વર્લ્ડ રેકોર્ડ બોલે છે</title>
                    <link>https://khabarantar.com/babu-jagjivan-ram-a-dalit-leader-in-whose-name-many-world-records-speak</link>
                    <guid>https://khabarantar.com/babu-jagjivan-ram-a-dalit-leader-in-whose-name-many-world-records-speak</guid>
                    <description>
                        <![CDATA[ બિહારના એક ગરીબ દલિત પરિવારમાં જન્મેલા જગજીવન રામમાં દેશના વડાપ્રધાન બનવાની તમામ લાયકાતો હતી, પણ સવર્ણ નેતાઓ અને જાતિવાદે એવું ન થવા દીધું. હજુ પણ અનેક વર્લ્ડ રેકોર્ડ તેમના નામે બોલે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે ભારતીય રાજકારણના એક એવા નેતાનો જન્મદિવસ છે જેમના નામે અનેક વર્લ્ડ રેકોર્ડ બોલે છે અને છતાં તેઓ ત્રણ ત્રણ વાર દેશના વડાપ્રધાન બનતા રહી ગયા હતા. વાત છે બાબુ જગજીવન રામની. 5 એપ્રિલ 1908ના રોજ જન્મેલા બાબુ જગજીવન રામને આધુનિક ભારતીય રાજકારણના શિખર તરીકે ઓળખવામાં આવે છે. ઈન્દિરા ગાંધીની સરકારમાં નંબર ટુ હોવા છતાં માત્ર તેમની દલિત જાતિના કારણે મોરારજી દેસાઈ સહિતના તત્કાલિન નેતાઓએ તેમને દેશના વડાપ્રધાન નહોતા બનવા દીધાં એ ચર્ચા આજે પણ સતત થતી રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જગજીવન રામ (જન્મઃ ૫ એપ્રિલ ૧૯૦૮, મૃત્યુઃ ૬ જુલાઈ ૧૯૮૬)ને તેમના સમર્થકો આદરથી 'બાબુજી' કહેતા હતા. તેમના લાંબા સંસદીય વર્ષોના જીવનમાં રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ અને વફાદારી અજોડ રહી. તેમનું સમગ્ર જીવન રાજકીય, સામાજિક સક્રિયતા અને વિશિષ્ટ સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. જગજીવન રામે સદીઓથી દલિતો, કામદારો, શોષિત અને પીડિતોના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કરેલી કાયદાકીય જોગવાઈઓ ઐતિહાસિક છે. જગજીવન રામ એક એવું વ્યક્તિત્વ હતા જેમણે ક્યારેય અન્યાય સાથે સમાધાન નહોતું કર્યું અને હંમેશા દલિતોના આદર-સન્માન માટે સંઘર્ષ કર્યો. વિદ્યાર્થી જીવનથી જ તેમણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. ભારતમાં સંસદીય લોકશાહીના વિકાસમાં બાબુ જગજીવન રામનું ખૂબ જ મોટું યોગદાન છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/jnus-first-dalit-president-since-1996-know-who-dhananjay-is">1996 બાદ JNU ને મળ્યાં પહેલા દલિત પ્રમુખ, જાણો કોણ છે ધનંજય</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660f8ace5e794.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક દલિત પરિવારમાં જન્મેલા, રાષ્ટ્રીય રાજકારણની ક્ષિતિજને આવરી લેનારા બાબુ જગજીવન રામનો જન્મ બિહારની ધરતી પર થયો હતો  જેણે ભારતીય ઇતિહાસ અને રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ૫ એપ્રિલ ૧૯૦૮ ના રોજ બિહારના ભોજપુરના ચંદવા ગામમાં જન્મેલા જગજીવન રામના નામ પાછળ પ્રસિદ્ધ સંત રવિદાસનો એક પ્રખ્યાત દોહો - "પ્રભુજી સંગતિ શરણ તિહારી, જગજીવન રામ મુરારી"ની પ્રેરણા હતી. આ દોહામાંથી પ્રેરણા લઈને તેમના માતા-પિતાએ તેમના પુત્રનું નામ જગજીવન રામ રાખ્યું હતું. તેમના પિતા શોભા રામ એક ખેડૂત હતા, જેમણે બ્રિટિશ આર્મીમાં પણ સેવા આપી હતી. આઝાદી પછી, ભારતીય રાજકારણમાં એવા બહુ ઓછા નેતાઓ રહ્યા છે જેમણે એકથી વધુ મંત્રાલયો સંભાળવાના પડકારોને ન માત્ર સ્વીકાર્યા, પરંતુ તેને અંત સુધી સફળતાપૂર્વક આગળ ધપાવ્યા. આધુનિક ભારતીય રાજનીતિના શિખર એવા જગજીવન રામને મંત્રી તરીકે જે પણ વિભાગો મળ્યા, તેમણે પોતાની વહીવટી કાર્યક્ષમતાથી તેનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. જગજીવન રામ એવું વ્યક્તિત્વ હતું કે તેઓ એક વખત જે નક્કી કરે તે પૂર્ણ કર્યા પછી જ જંપતા હતા. તેમની પાસે જબરજસ્ત લડાયક શક્તિ હતી. તેમને પડકારોનો સામનો કરવાનું પસંદ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયતા</span></strong></span><br><span style="font-size: 14pt;">બ્રિટિશ શાસન દરમિયાન, બાબુ જગજીવન રામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે ભારતની સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આઝાદી બાદ તેમણે કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી. જગજીવન રામે ગાંધીજીના નેતૃત્વમાં સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે સ્વતંત્રતા ચળવળમાં તેમની રાજકીય કુશળતા અને દૂરંદેશીતા બતાવી. આ જ કારણ હતું કે તેઓ ગાંધીજીના વિશ્વાસુ અને પ્રિય પાત્ર બન્યા અને રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવ્યા. તેમણે સત્યાગ્રહ અને ૧૯૪૨ની ભારત છોડો ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો, જેના પરિણામે તેમને ઘણી વખત જેલમાં જવું પડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">રાજકીય જીવન</span></strong><br><span style="font-size: 14pt;">જગજીવન રામની રાજકીય કારકિર્દી ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ ૧૯૩૬માં બિહાર વિધાન પરિષદના સભ્ય તરીકે નામાંકિત થયા. બીજા વર્ષે તેઓ બિહાર વિધાનસભામાં ચૂંટાયા અને ટૂંક સમયમાં તેમને સંસદીય સચિવ બનાવવામાં આવ્યા. ૨ સપ્ટેમ્બર, ૧૯૪૬ના રોજ જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં કામચલાઉ સરકારની રચના કરવામાં આવી હતી. જગજીવન રામને નેહરુની કેબિનેટમાં અનુસૂચિત જાતિના એકમાત્ર નેતા તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેઓ કેન્દ્રમાં સૌથી યુવા કેબિનેટ મંત્રી હતા અને કામદાર વર્ગ પ્રત્યેની તેમની સદભાવનાને ધ્યાનમાં રાખીને તેમને શ્રમ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. અહીંથી જ સંઘીય સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે બાબુ જગજીવન રામની યાત્રા શરૂ થઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/to-kill-a-tiger-a-shocking-documentary-film">ટુ કિલ અ ટાઈગર- એક હચમચાવી નાખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660f8aced76b6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંત્રી તરીકે લાંબો કાર્યકાળ</span></strong></span><br><span style="font-size: 14pt;">જગજીવન રામ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતના સંરક્ષણ પ્રધાન હતા. તેમણે જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીની સરકારમાં શ્રમ પ્રધાન અને સંચાર પ્રધાન તરીકે પણ સેવા આપી હતી. તેઓ ૧૯૭૭ થી ૧૯૭૯ દરમિયાન નાયબ વડા પ્રધાન હતા. બાબુ જગજીવન ૧૯૫૨ થી ૧૯૮૪ સુધી સતત સાંસદ તરીકે ચૂંટાયા. તેઓ સૌથી લાંબો સમય (લગભગ ૩૦ વર્ષ) દેશના કેન્દ્રીય મંત્રી રહ્યા. પહેલા નેહરુની કેબિનેટમાં, પછી ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં અને છેલ્લે જનતા સરકારમાં નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી. કેન્દ્ર સરકારમાં તેમની લાંબી કારકિર્દી દરમિયાન, તેમણે શ્રમ, કૃષિ, સંચાર, રેલ્વે અને સંરક્ષણ જેવા ઘણા પડકારજનક મંત્રાલયો સંભાળ્યા. તેમણે શ્રમિકોની સ્થિતિમાં અને તેમની સામાજિક-આર્થિક સુરક્ષા માટે જરૂરી સુધારા લાવવા માટે ચોક્કસ કાયદાની જોગવાઈઓ કરી, જે આજે પણ આપણા દેશની શ્રમ નીતિનો મૂળ આધાર છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત સમાજને નવી દિશા આપી</span></strong></span><br><span style="font-size: 14pt;">જગજીવન રામને ભારતીય સમાજ અને રાજકારણમાં દલિતોના મસીહા તરીકે પણ યાદ કરવામાં આવે છે. તેઓ સ્વતંત્ર ભારતના એવા કેટલાક નેતાઓમાંના એક હતા જેમણે રાજનીતિની સાથે સાથે દલિત સમાજને નવી દિશા આપી. તેમણે એવા લાખો અને કરોડો દલિત લોકોનો અવાજ ઉઠાવ્યો જેમને ઉચ્ચ જાતિના લોકો સાથે ચાલવાની મનાઈ હતી, જેમની પાસે ખાવા માટે અલગ વાસણો હતા, જેને સ્પર્શવું પાપ માનવામાં આવતું હતું અને જેઓ હંમેશા બીજાની દયા પર જીવતા હતા. જગજીવન રામ, જેઓ પાંચ દાયકા સુધી સક્રિય રાજકારણનો હિસ્સો હતા, તેમણે તેમનું સમગ્ર જીવન દેશની સેવા અને દલિતોના ઉત્થાન માટે સમર્પિત કર્યું. બાબુ જગજીવન રામ ૬ જુલાઈ,૧૯૮૬ ના રોજ અવસાન પામ્યા, તેઓ સામાજિક અને રાજકીય સક્રિયતાનો વારસો છોડતા ગયા. તેમને ભારતના સૌથી આદરણીય અને પ્રભાવશાળી નેતાઓમાંથી એક તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે તેમનું સમગ્ર જીવન સામાજિક ન્યાય અને સમાજના પછાત વર્ગોના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાબુજીના જીવનના ઓછા જાણીતા તથ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;">- જગજીવન રામ ભારતીય બંધારણ સભાના સૌથી યુવા સભ્યોમાંના એક હતા અને તેમણે ભારતના બંધારણનો મુસદ્દો ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.</span><br><span style="font-size: 14pt;">- તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા પરંતુ બાદમાં તેમણે ભારતમાં સમાજવાદી ચળવળમાં જોડાવા માટે પાર્ટી છોડી દીધી હતી. ૧૯૮૧માં તેમણે પોતાની પાર્ટી કોંગ્રેસ (જગજીવન) બનાવી હતી.</span><br><span style="font-size: 14pt;">- ભારત સરકારમાં મહત્વનો હોદ્દો ધરાવતા અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી બનનાર પ્રથમ દલિત હતા.</span><br><span style="font-size: 14pt;">- તેઓ બિહારના એવા કેટલાક દલિતોમાંના એક હતા જેમણે બ્રિટિશ ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;">- જગજીવન રામ મહિલા અધિકારો માટે અગ્રેસર રહ્યા અને તેમણે ભારતીય સમાજમાં મહિલાઓના સશક્તિકરણ માટે કામ કર્યું હતું.</span><br><span style="font-size: 14pt;">- તેઓ લેખક અને કવિ પણ હતા. તેમણે તેમની આત્મકથા “જગજીવન રામઃ એન્ડ હિઝ ટાઈમ્સ” અને “બ્લેક એન્ડ વ્હાઇટ” શીર્ષકથી કવિતા સંગ્રહ સહિત ઘણાં પુસ્તકો લખ્યા હતા.</span><br><span style="font-size: 14pt;">- તેઓ દલિતોના ઉત્થાન માટે તેમના પ્રયાસો માટે જાણીતા હતા. તેમણે જ્ઞાતિના ભેદભાવ સામે લડત આપી અને દલિતોને શિક્ષણ અને રોજગારીની તકો પૂરી પાડવાનું કામ કર્યું.</span><br><span style="font-size: 14pt;">- બાબુ જગજીવન રામ પછી વર્તમાનમાં મલ્લિકાર્જુન ખડગે એકમાત્ર નેતા છે જેઓ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસના પ્રમુખ બન્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Why-is-Mata-Savitribai-Phule-not-taught-in-our-schools">આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?</a></span></strong></span><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<div class="post-text">
<p><span><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span><span><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p>
<p></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 05 Apr 2024 11:12:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>470</Articleid>
                    <excerpt>બિહારના એક ગરીબ દલિત પરિવારમાં જન્મેલા જગજીવન રામમાં દેશના વડાપ્રધાન બનવાની તમામ લાયકાતો હતી, પણ સવર્ણ નેતાઓ અને જાતિવાદે એવું ન થવા દીધું. હજુ પણ અનેક વર્લ્ડ રેકોર્ડ તેમના નામે બોલે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_660f8ace05664.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_660f8acdbfd78.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_660f8acdbfd78.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આજે શ્રમિકોના તારણહાર પ્રોફેસર અબ્દુલ બારીની પુણ્યતિથિ</title>
                    <link>https://khabarantar.com/today-is-the-death-anniversary-of-the-savior-of-the-workers-professor-abdul-bari</link>
                    <guid>https://khabarantar.com/today-is-the-death-anniversary-of-the-savior-of-the-workers-professor-abdul-bari</guid>
                    <description>
                        <![CDATA[ આજે પ્રોફેસર અબ્દુલ બારી સાહેબની પુણ્યતિથિ છે. આજીવન મજૂરો માટે લડતા રહેલા બારી સાહેબની ગોળી મારીને હત્યા કરવામાં આવેલી. તેમની કામગીરીને પાલનપુરી લેખક હિદાયત પરમાર અહીં વિસ્તારથી યાદ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે શ્રમિકોના તારણહારનું જેમને બિરુદ મળેલું છે તેવા પ્રો. અબ્દુલ બારીની પુણ્યતિથિ છે. એક સમયની વાત છે. શ્રમિકોમાં ભારે અસંતોષ ફેલાઈ રહ્યો હતો. 1937-38માં બિહારમાં 11 શ્રમિક હડતાળો થઈ. 1938-39માં એ સંખ્યા વધી ગઈ. આ શ્રમિકોને કોઈ સાંભળવાવાળું ન હતું. પ્રોફેસર અબ્દુલ બારી તેમનો અવાજ બન્યા અને તેમણે તેમના નેતૃત્વમાં એક શ્રમિક સંઘ સ્થાપિત કર્યું. બારી સાહેબના નેતૃત્વવાળા સંગઠનોમાં ટાટા વર્કર્સ યુનિયન સૌથી પ્રમુખ હતું. ડિસેમ્બર 1938 માં બિહટા ખાંડ મીલના ક્ષેત્રમાં એક સભા થઈ. જેમાં પ્રોફેસર અબ્દુલ બારી અને રામવૃક્ષ બેનીપુરીએ ભાષણ આપ્યું અને એક શ્રમિક સંઘની સ્થાપના કરવામાં આવી. શ્રમિક સંઘ તરફથી માલિકોને 20 ડિસેમ્બર સુધી તેમની માંગ પુરી નહીં કરવામાં આવે તો હડતાળ કરવાની ધમકી આપવામાં આવી. વસ્તુતઃ બિહટા ખાંડ મીલ અને થોડી અન્ય મીલોમાં ડિસેમ્બર અંત સુધી હડતાળો શરૂ થઈ, પરંતુ થોડાક દિવસોમાં સમાપ્ત થઈ ગઈ. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તેમની આત્મકથામાં લખે છે કે, 'પ્રોફેસર અબ્દુલ બારી ત્યાં સુભાષચંદ્ર બોઝની મદદ કરી રહ્યા હતા. મેં પણ, મારા સુબામાં હોવાને કારણે અને મજદૂરોની માંગોને ન્યાયયુક્ત સમજીને આ હડતાળનું સમર્થન કર્યું. એના પછી તેને ચલાવવાનો શરૂઆતનો બધો જ ભાર પ્રોફેસર અબ્દુલ બારી અને મારા ઉપર આવી ગયો. 1938 ના જૂન મહિનામાં બંગાળ અને બિહારની છ પ્રમુખ કંપનીઓને ગંભીર શ્રમિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. સૈનિક હડતાળ પર ચાલ્યા ગયા. આ બધું અબ્દુલ બારીના નેજા હેઠળ થઈ રહ્યું હતું. એક અખબારના રિપોર્ટ મુજબ 'મેનેક હોમી', જે વર્ષોથી જમશેદપુરના નિર્વિવાદ રીતે શ્રમિક 'બોસ' માનવામાં આવતા રહ્યા, તેમણે ગણિત પ્રોફેસર અબ્દુલ બારીની સામે આત્મસમર્પણ કરવું પડ્યું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેના પહેલાં 1929માં પ્રોફેસર અબ્દુલ બારી જમશેદપુરના 'તીનપ્લેટ સ્ટ્રાઈક' માં કેબલ વર્કર્સની સાથે ઉભેલા નજરે પડ્યા હતા અને સાફ શબ્દોમાં કહ્યું કે સ્થાનીય સરકારે ગતિરોધ ખતમ કરવા માટે જલ્દી સમાધાન બોર્ડ નિયુક્ત કરવું જોઈએ. જો સરકાર આવું નથી કરતી તો તેઓ આ મામલો બિહાર પ્રાંતીય કોંગ્રેસની વર્કિંગ કમિટી સમક્ષ મૂકશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાય છે કે 1929ના શ્રમિક હડતાળથી ગાંધીજી ઘણા નિરાશ હતા. એવામાં સુભાષચંદ્ર બોઝ, રાજેન્દ્ર પ્રસાદ, નેહરુ અને પ્રોફેસર અબ્દુલ બારી એ પ્રયાસમાં લાગેલા હતા કે ગાંધીજીનો એક પ્રવાસ અહીં થઈ જાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જ્યારે પોતાની જ સરકાર વિરુદ્ધ ઉભા રહ્યાં</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રમિકોની બાબતમાં પ્રોફેસર અબ્દુલ બારી પોતાની જ સરકારને કોસવામાં પણ ક્યારે પાછા નહોતા રહ્યા. તેમનું માનવું હતું કે કૃષિ સુધારાની સાથે સરકારના પક્ષપાત અને શ્રમના સવાલો ઉપર ધ્યાન આપવામાં નિષ્ફળતાને કારણે બિહારમાં એક ગંભીર સમસ્યાઓ પેદા થઈ હતી. પ્રોફેસર અબ્દુલ બારીનું ભાષણ કોંગ્રેસ સરકાર પર હિંસક હુમલાના રૂપમાં ચિન્હીત કરવામાં આવે છે. એટલું જ નહીં જમશેદપુરમાં પોતાના ભાષણમાં પ્રોફેસર બારી કહે છે કે, તેઓ ભલે બિહાર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય, પરંતુ કાર્યકર્તાઓ તેમજ શ્રમિકો માટે તેઓ બધું જ કરશે અને તેમને પોલીસ સુરક્ષા અપાવી તેમની રક્ષા કરશે. 1938માં અબ્દુલ બારી દ્વારા આપવામાં આવેલા ભાષણો આપણે કોંગ્રેસના આંતરિક રાજનીતિક સંઘર્ષોની સાથે-સાથે પ્રચલિત કટ્ટરપંથી રાષ્ટ્રવાદી વિમર્શનો પણ અહેસાસ કરાવે છે. ખાસ કરીને 20 ઓક્ટોબર 1938 છાતાબાદ 20 નવેમ્બર 1938 મદનાડીહમાં આપવામાં આવેલ ભાષણો તેનો અહેસાસ કરાવે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શ્રમિકોની લડાઈમાં કંપની માલિકોને હંમેશા અબ્દુલ બારી સામે ઝૂકવું પડ્યું હતું. 5 નવેમ્બર 1938ના એક સમાચાર મુજબ અબ્દુલ બારી સાહેબના કારણે જમશેદપુરમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીના લગભગ 7000 કર્મચારી ભવિષ્યમાં વિભાગીય ઉત્પાદન બોનસના હકદાર થયા હતા. અબ્દુલ બારી અને કંપની તરફથી એ.આર. દલાલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષની હાજરીમાં આના પર ચર્ચા કરવામાં આવી હતી, જના પર બંને સહમત થયા હતા. અબ્દુલ બારીએ એસોસિયેટ પ્રેસને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ટાટાના મેનેજમેન્ટે વિભાગીય પ્રોડક્શન બોનસ વિશે ચૂકવણા અટકાવવા બાબતને રજૂ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. જેના દ્વારા એક શ્રમિકની મજૂરી જેટલી ઓછી થશે, બોનસની રાશી એટલી જ વધુ થશે. વિભાગીય ઉત્પાદન બોનસ અગાઉ 3 હજાર શ્રમિકો વચ્ચે વહેંચવામાં આવતું હતું, જે હવે તેમના સિવાય બીજા 8 હજાર શ્રમિકોમાં વહેંચણી કરાશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">20 જુલાઈ 1939 રાંચીમાં જમશેદપુરના શ્રમિકોની સમસ્યા પર 'લેબર ઇન્કવાયરી કમિટી' ની એક બેઠક થઈ, જેમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીના ડાયરેક્ટર એ. આર. દલાલ અને કંપનીના જનરલ મેનેજર જે. જે. ગાંધી, બિહારના શ્રીકૃષ્ણ સિંહ, ફાઈનાન્સ તેમજ લેબર મિનિસ્ટર અનુગ્રહ નારાયણ સિંહ અને લેબર ઇન્કવાયરી કમિટીના ચેરમેન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સામેલ થયા. આ બેઠકમાં પ્રોફેસર અબ્દુલ બારી સરકારની જગ્યાએ શ્રમિકો તરફથી તેમની વાત મૂકી રહ્યા હતા, જો કે અબ્દુલ બારી ખુદ સરકારમાં સામેલ હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને જે શરતો પ્રસ્તુત કરી હતી તે શરતો પ્રોફેસર અબ્દુલ બારીને નહોતી સ્વીકારી. કોંગ્રેસમાં હોવા છતાં પણ પ્રોફેસર અબ્દુલ બારી હંમેશા તેમની પાર્ટી તરફથી ઊભા રહેવાની જગ્યાએ શ્રમિકોની સાથે ઉભા નજર આવ્યા. પ્રોફેસર અબ્દુલ બારીએ ડો. રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નેહરુ દ્વારા વિવાદની મધ્યસ્થતા પર પણ સવાલ ઉભા કર્યા હતા. એટલું જ નહીં જ્યારે 1 ઓગસ્ટ 1939 ટાટા લેબર યુનિયનના મેમોરેન્ડમની તપાસ માટે રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નેહરુ જમશેદપુર પહોંચ્યા. ત્યારે પ્રોફેસર અબ્દુલ બારી મજૂર યુનિયન તરફથી ઊભા નજર પડ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રીતે પ્રોફેસર અબ્દુલ બારી કામની બાબતમાં તેમની જ સરકાર ઉપર સવાલ ઉભા કરવામાં ક્યારેય પાછા પડતા નહીં. બજેટને લઈને સંસદમાં ચાલતી ચર્ચાઓમાં અબ્દુલ બારીએ ખુદની સરકાર પર ઘણા સવાલો ઉભા કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે, મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અને નવી બિલ્ડીંગ પરિયોજનાઓને લાગુ કરવામાં સરકાર કેમ પાછી પાની કરી રહી છે? વિચારો, આ પ્રકારના સવાલો કોઈ નેતા પોતાની સરકારને કરવાની હિંમત દાખવી શકે છે ખરાં?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 12pt;"><strong>(પ્રોફેસર અબ્દુલ બારીના પુસ્તકમાંથી સાભાર.)</strong></span></p>
<p><strong><span style="font-size: 14pt;">અનુવાદ - </span></strong><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>હિદાયત પરમાર </strong></span><strong><em><span style="font-size: 12pt;">(લેખક વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)</span></em></strong></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Maulana-Azad:-Who-gave-the-country-institutions-like-IIT,-IIS,-UGC,-Sahitya-Akademi">મૌલાના આઝાદઃ જેમણે દેશને IIT, IIS, UGC, સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ આપી</a><br></span></strong></span></p>
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 28 Mar 2024 14:18:07 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 28 Mar 2024 14:17:26 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>449</Articleid>
                    <excerpt>આજે પ્રોફેસર અબ્દુલ બારી સાહેબની પુણ્યતિથિ છે. આજીવન મજૂરો માટે લડતા રહેલા બારી સાહેબની ગોળી મારીને હત્યા કરવામાં આવેલી. તેમની કામગીરીને પાલનપુરી લેખક હિદાયત પરમાર અહીં વિસ્તારથી યાદ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_66052a87e9164.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_66052a87bbbac.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_66052a87bbbac.jpg" length="50103" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>બહેનજીના સોશિયલ એન્જિનિયરીંગથી સપા&amp;ભાજપને કેટલો પડકાર?</title>
                    <link>https://khabarantar.com/how-much-of-a-challenge-to-sp-bsp-from-behenjis-social-engineering</link>
                    <guid>https://khabarantar.com/how-much-of-a-challenge-to-sp-bsp-from-behenjis-social-engineering</guid>
                    <description>
                        <![CDATA[ Lok Sabha Election 2024: માન્યવર કાંશીરામ સ્થાપિત બહુજન સમાજ પાર્ટી તેના અસ્તિત્વનો જંગ લડી રહી છે. આ વખતે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી BSPના ઉમેદવારોથી સપા, ભાજપને શું ફરક પડશે તેની અહીં વિગતે વાત કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશમાં એક સમયે સત્તામાં રહેલી બહુજન સમાજ પાર્ટી(BSP) હાલ તેના સૌથી ખરાબ રાજકીય તબક્કામાંથી પસાર થઈ રહી છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. BSPએ સમાજવાદી પાર્ટી (SP) સાથે ગઠબંધન કરીને 2019ની લોકસભા ચૂંટણીમાં 10 બેઠકો જીતી હતી. જો કે હવે તેના વિજેતા સાંસદો પૈકીનાં ઘણાં ચહેરા અન્ય પક્ષોમાં જતા રહ્યા છે. સપાએ ગાઝીપુરથી બસપાના સાંસદ અફઝલ અંસારીને ટિકિટ આપી છે, આંબેડકરનગરથી બસપાના સાંસદ રિતેશ પાંડે હવે ભાજપ તરફથી ઉમેદવાર છે. બસપાએ પહેલા જ અમરોહાના સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. હવે તેઓ અમરોહાથી કોંગ્રેસના ઉમેદવાર છે. લાલગંજના બીએસપી સાંસદ સંગીતા આઝાદ હાલમાં જ ભાજપમાં જોડાયા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓની વાત કરીએ તો આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં BSPએ 25 ઉમેદવારોની જાહેરાત કરી છે. આમાં પશ્ચિમ યુપીની 7 એવી લોકસભા સીટો છે જ્યાં પાર્ટીએ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેથી 2019ની લોકસભા ચૂંટણીમાં બસપા સાથે ગઠબંધન કરનાર સમાજવાદી પાર્ટીનો રસ્તો આ વખતે સરળ જણાતો નથી. એ જ રીતે બીએસપીએ કેટલીક મુસ્લિમ બહુમતી ધરાવતી લોકસભા બેઠકો પર પણ મજબૂત ઉમેદવારોની પસંદગી કરીને ભાજપનો માર્ગ પણ કાંટાળો કરી મૂક્યો છે. માયાવતી દ્વારા જાહેર કરાયેલા 25 ઉમેદવારોમાંથી 8 સવર્ણ, 7 મુસ્લિમ, 7 અનુસૂચિત જાતિ અને 3 OBC છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકીય વર્તુળોમાં ઘણી વખત એવી ચર્ચા હતી કે માયાવતી ઈન્ડિયા ગઠબંધનનો ભાગ બની શકે છે. આ ચર્ચાઓમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે માયાવતી નારાજ ન થાય તે માટે ચંદ્રશેખર રાવણની આઝાદ સમાજ પાર્ટીને ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ કરવામાં આવી નહોતી. પરંતુ માયાવતીએ હવે સ્પષ્ટ કર્યું છે કે તે એનડીએ કે ઈન્ડિયા એકેય જોડાણનો ભાગ બનશે નહીં. પાર્ટીએ 25 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. આ ઉમેદવારોના મૂલ્યાંકન પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે તેમાંના ઘણા પોતાની જીત કરતા અન્ય ઉમેદવારોની રમત બગાડતા વધુ જોવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાર્ટીએ સહારનપુરથી માજિદ અલી, મુરાદાબાદથી મોહમ્મદ ઈરફાન સૈફી, રામપુરથી જીશાન ખાન, અમરોહાથી મુજાહિદ હુસૈન, પીલીભીતથી અનીસ અહેમદ ખાન અને સંભલથી શૌકત અલીને મેદાનમાં ઉતાર્યા છે. આ પશ્ચિમી ઉત્તર પ્રદેશની એવી લોકસભા બેઠકો છે જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા 30% થી વધુ છે. આવી સ્થિતિમાં ઈન્ડિયા ગઠબંધન તરફથી પણ અહીં મુસ્લિમ ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. જો એવું થશે તો આ બેઠકો પર મુસ્લિમ વોટબેંક વહેંચાઈ જશે જેનો સીધો ફાયદો ભાજપને થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2014 અને 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામો પરથી પણ આનું મૂલ્યાંકન કરી શકાય છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે મુરાદાબાદ બેઠક પરથી કુંવર સર્વેશકુમારને મેદાનમાં ઉતાર્યા હતા. સપા, બસપા અને કોંગ્રેસે અલગ-અલગ ચૂંટણી લડીને પોતાના મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં કુંવર સર્વેશ કુમાર 45,225 મતોથી જીત્યા હતા. તેમનો વોટ શેર 27.38% હતો. બીજા ઉમેદવાર એસટી હસનનો વોટ શેર 22.4% હતો. BSP ઉમેદવાર હાજી મોહમ્મદ યાકુબનો વોટ શેર 9.08% હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2019માં ચિત્ર બદલાઈ ગયું હતું. સપા અને બસપા ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી પરિણામોમાં, એસપીના ડૉ. એસ.ટી. હસનને 6,49,416 વોટ મળ્યા અને તેમનો વોટ શેર 50.65% હતો. 2014માં ચૂંટણી જીતનાર કુંવર સર્વેશ કુમાર 43.01% વોટ શેર સાથે બીજા ક્રમે રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ સ્થિતિ પશ્ચિમ ઉત્તર પ્રદેશની અન્ય મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો જેવી કે અમરોહા, બિજનૌર, સંભલ, સહારનપુર અને રામપુરમાં પ્રવર્તતી હતી, જ્યાં ગઠબંધને મુસ્લિમ મતો એકત્રિત કરીને ભાજપને હરાવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બસપાના ઉમેદવારો ભાજપને ઘણી જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">બસપાના ઘણા ઉમેદવારોના નામે વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. 25 ઉમેદવારોની યાદીમાં પાર્ટીએ વિવિધ લોકસભા બેઠકો પરથી 8 સવર્ણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ટીકાકારો દ્વારા ભાજપની "ટીમ બી" તરીકે ઓળખાતી બસપાએ અનુક્રમે કૈરાના, બાગપત અને મેરઠની મુસ્લિમ-દલિત-જાટ બહુમતિ ધરાવતી બેઠકો માટે ઉમેદવાર તરીકે શ્રીપાલ સિંહ, પ્રવીણ બંસલ અને દેવવ્રત ત્યાગીના નામની જાહેરાત કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમ અને દલિત પ્રભુત્વ ધરાવતી મેરઠ બેઠક પર બસપાના હાજી મોહમ્મદ યાકુબ ગઠબંધનના ઉમેદવાર હતા. આકરા મુકાબલામાં ભાજપના રાજેન્દ્ર અગ્રવાલે BSPના મોહમ્મદ યાકુબને 4729 મતોથી હરાવ્યા હતા. દેવવ્રત ત્યાગી 2024ની લોકસભા ચૂંટણીમાં BSP તરફથી ચૂંટણી લડી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેરઠ લોકસભા સીટ પર 40 થી 50 હજાર ત્યાગીઓ છે. પરંપરાગત રીતે, ત્યાગી સમુદાયે ભૂતકાળની ઘણી ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપ્યું છે. પરંતુ 2022માં, ત્યાગી સમુદાયના ઘણા જૂથો શ્રીકાંત ત્યાગીના સમર્થનમાં ભાજપની વિરુદ્ધ થઈ ગયા હતા, જેમણે નોઈડામાં એક મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જો BSP પોતાના ઉમેદવાર દ્વારા આ નારાજગીનો લાભ ઉઠાવે છે તો 2019માં મેરઠમાં કપરી હરીફાઈ જેવી સ્થિતિ સર્જાય તો ભાજપને નુકસાન વેઠવું પડી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમ અને દલિત પ્રભુત્વ ધરાવતી મેરઠ બેઠક પર બસપાના હાજી મોહમ્મદ યાકુબ ગઠબંધનના ઉમેદવાર હતા. આકરા મુકાબલામાં ભાજપના રાજેન્દ્ર અગ્રવાલે BSPના મોહમ્મદ યાકુબને 4729 મતોથી હરાવ્યા હતા. દેવવ્રત ત્યાગી 2024ની લોકસભા ચૂંટણીમાં BSP તરફથી ચૂંટણી લડી રહ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૈરાના લોકસભા સીટ પર પણ આવી જ સ્થિતિ છે. મુસ્લિમ દલિત અને જાટ બહુમતી ધરાવતી આ બેઠક પર 1 લાખથી વધુ ઠાકુર મતદારો છે. અહીં BSPએ શ્રીપાલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.  દરેક વખતે સ્વર્ગસ્થ બાબુ હુકુમ સિંહ અને સ્વર્ગસ્થ મુનવ્વર હસનના પરિવારો વચ્ચે રાજકીય સર્વોપરિતાના નવા અધ્યાયની સાક્ષી આ બેઠક પર બસપાના ઉમેદવાર જીતતા જોવા મળતા નથી પરંતુ ભાજપના ઠાકુર મતોમાં ચોક્કસપણે ગાબડું પાડી શકે છે. એવામાં આટલી કટોકટની હરીફાઈમાં ભાજપને કૈરાનામાં નુકસાન વેઠવું પડી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાગપતમાં પાર્ટીએ ગુર્જર જાતિના પ્રવીણ બંસલને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર સાડા ચાર લાખ જાટ, 2.9 લાખ મુસ્લિમ, લગભગ 2.5 લાખ દલિત અને 70 થી 80 હજાર ગુર્જર મતદારો છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ગુર્જર મતદારોનો ઝુકાવ ભાજપ તરફ રહ્યો છે. બસપાએ ગુર્જર ઉમેદવારને મેદાનમાં ઉતારવાને કારણે અંતિમ પરિણામમાં ભાજપને થોડું નુકસાન થશે તેવું લાગી રહ્યું છે, પરંતુ તે જીતનું કારણ બનશે કે હારનું તે 4 જૂને જ નક્કી થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Even-if-there-is-a-difference-between-you-and-me,-it-can-be-overcome-only-by-grooming-the-Bahujan-politics,-not-by-blowing-up-the-divide">મારી-તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિની માવજત કરીને જ તેને દૂર કરી શકાશે, છેદ ઉડાડીને નહીં</a><br></span></strong></span></p>
<div class="post-text">
<p><strong><span><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Mar 2024 11:58:32 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 27 Mar 2024 10:56:49 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>446</Articleid>
                    <excerpt>Lok Sabha Election 2024: માન્યવર કાંશીરામ સ્થાપિત બહુજન સમાજ પાર્ટી તેના અસ્તિત્વનો જંગ લડી રહી છે. આ વખતે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી BSPના ઉમેદવારોથી સપા, ભાજપને શું ફરક પડશે તેની અહીં વિગતે વાત કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_6603ad6c29112.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_6603ad6beca13.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_6603ad6beca13.jpg" length="78329" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદમાં છુટક મજૂરી કરતા લોકોએ ડૉ. આંબેડકરની 7 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરી</title>
                    <link>https://khabarantar.com/a-seven-feet-tall-statue-of-dr-ambedkar-was-installed-by-the-unskilled-laborers-in-Ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/a-seven-feet-tall-statue-of-dr-ambedkar-was-installed-by-the-unskilled-laborers-in-Ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ અમદાવાદમાં છુટક મજૂરી કરતા લોકોએ સામાજિક ક્રાંતિના પ્રતિક ડૉ. ભીમરાવ આંબેડકરની 7 ફૂટ ઊંચી પ્રતિમાનું આજે અનાવરણ કર્યું. આ પ્રતિમાના નિર્માણ પાછળ પણ એક રસપ્રદ કહાની રહેલી છે, તેની વાત અહીં માંડીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં કદાચ ડૉ. આંબેડકર એકમાત્ર એવા નેતા હશે જેમની પ્રતિમા દેશનો ગરીબમાં ગરીબ માણસ પણ પોતાના વિસ્તારમાં સ્થાપિત કરે છે. અમદાવાદમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં એક વિસ્તારમાં છુટક મજૂરી કરતા લોકોએ પાંચ રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીનું ભંડોળ આપીને ડૉ. આંબેડકરની પ્રતિમા પોતાના વિસ્તારમાં સ્થાપિત કરાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાઓ, અધિકારીઓને બાબાસાહેબના વિચારો ઓછા માફક આવે છે. એટલે જ તેઓ તક મળે ત્યારે બંધારણના ઘડવૈયાની લીટી નાની કરવા પ્રયત્ન કરતા રહે છે. તેમની આ માનસિકતાને સારી રીતે જાણતા આ વિસ્તારના સ્થાનિકોએ નક્કી કર્યું હતું કે, એક રૂપિયો પણ કોર્પોરેશન કે નેતાઓ પાસેથી ન લેવો અને છતાં બાબાસાહેબની પ્રતિમા ઉભી કરીએ તે જ બંધારણના ઘડવૈયાને સાચી શ્રદ્ધાંજલિ હશે. આજે ફાઈનલી મજૂર, ગરીબ વર્ગે આ નિર્ણયને સાર્થક કરી બતાવ્યો છે. આજે અહીં સાત ફૂટ ઊંચી બાબાસાહેબની પ્રતિમા ગર્વથી ઉભી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ffe8c8668c0.jpg" alt=""></p>
<p><span style="font-size: 14pt;">વાત છે અમદાવાદના સાબરમતી વિસ્તારની છે. અહીં મોટેરા સ્ટેડિયમ અને મહેસાણા હાઈવે વચ્ચેના ત્રિકોણ પર ડૉ. આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. અગાઉ આંબેડકર ચોક તરીકે ઓળખાતા આ વિસ્તારમાં બાબાસાહેબની એક નાનકડી પ્રતિમા કોઈને દેખાય પણ નહીં તે રીતે મૂકવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ મેટ્રો ટ્રેનના પિલ્લર અહીંથી પસાર થતા તે પ્રતિમા સાવ નજરઅંદાજ થઈ ગઈ હતી. આથી આ વિસ્તારના મજૂરો, ગરીબોએ મળીને નક્કી કર્યું કે બંધારણના ઘડવૈયાના છાજે તેવી પ્રતિમા અહીં હોવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ સિનિયર સિટિઝનોનું કહેવું હતું કે, સામાજિક ક્રાંતિના પ્રતિક ડો. આંબેડકરની એકમાત્ર મોટી પ્રતિમા હાલ શહેરના સારંગપુર સર્કલ પર આવેલી છે અને ત્યાં થતા દરેક કાર્યક્રમમાં અહીંથી તેઓ હાજરી આપવા જઈ શકતા નથી. વળી અમદાવાદના ઉત્તર ગુજરાત તરફ જતા રસ્તા પર બાબાસાહેબની એક પણ પ્રતિમા નથી, આથી જો આપણા વિસ્તારમાં મહાનાયકની પ્રતિમા હોય તો કોઈ જાહેર કાર્યક્રમ કરી શકાય અને આગળ જતા લાઈબ્રેરી પણ બનાવી શકાય. આખરે આ નિર્ણયને સ્વીકારવામાં આવ્યો અને આજે સવારે અહીં તૈયાર થયેલી પ્રતિમાનું સ્થાનિકો દ્વારા જ અનાવરણ કરવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/can-the-constitution-of-India-be-changed-by-the-force-of-majority">શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ffe8c8ef87c.jpg" alt=""></p>
<p><span style="font-size: 14pt;">રેશનાલિસ્ટ એડવોકેટ પિયુષ જાદુગર આ મામલે વિગતે જાણકારી આપતા કહે છે, “બહુજન સમાજનો જ એક ચોક્કસ વર્ગ એવું માનતો થયો છે કે, હવે તો અનેક જગ્યાએ ડો. બાબાસાહેબના સ્ટેચ્યૂ છે તેથી હવે તેમના વધુ કોઈ સ્ટેચ્યૂ બનાવવાની જરૂર નથી. પણ આ માન્યતા ખોટી છે. હકીકતે અમદાવાદમાં તમે એસપી રીંગ રોડ પર ઝુંડાલ સર્કલથી પ્રવેશ કરીને છેક બીજા છેડે સાણંદ પાસે નીકળો ત્યાં સુધીમાં તમને સારંગપુર સિવાય ક્યાંય પણ બાબાસાહેબની પ્રતિમા જોવા નહીં મળે. દેશનો ગરીબ માણસ ભલે ઓછું ભણ્યો છે, પણ તેને ખબર છે કે નજર સામે બાબાસાહેબ હોવા જરૂરી છે, કેમ કે જ્યારે સામાજિક સંઘર્ષની વાત આવશે ત્યારે તે બાબાસાહેબની પ્રતિમા સામે જોશે તો તેના અજાગ્રત મનમાં એક વિચાર ચોક્કસ આવશે કે બાબાસાહેબે આ બાબતમાં શું કહ્યું હતું અને મારે શું કરવું જોઈએ. આથી સાબરમતીના ગરીબ, મજૂર વર્ગે યથાશક્તિ દાન આપીને અહીં બાબાસાહેબની સાત ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરી છે અને આજે તેનું અનાવરણ આવા જ સામાન્ય લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. બીજું કે, સાબરમતીથી સારંગપુર સુધીમાં ક્યાંય બાબાસાહેબની પ્રતિમા નથી, તેથી લોકલાગણી હતી કે અહીં એકાદ પ્રતિમા હોવી જોઈએ. આથી મહેન્દ્રભાઈએ સમર્પણ ટ્રસ્ટ બનાવી તમામ કાર્ય હાથ ધરી ગોઠવણ કરી આપી અને હવે અહીં સ્ટેચ્યૂ બનીને તૈયાર છે. ભવિષ્યમાં અહીં લાઈબ્રેરી બનાવવા અંગે પણ લોકો વિચારી રહ્યાં છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન એક્ટિવિસ્ટ અને પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી પી. એલ. રાઠોડ કહે છે કે, “ગરીબ વિસ્તારમાં બાબાસાહેબની પ્રતિમાની હાજરી જરૂરી છે. જે લોકો ચોપડી નથી વાંચતા, તેઓ પ્રતિમા પાસેથી પસાર થતી વખતે જરૂર વિચારશે કે બાબાસાહેબ શું કહી ગયા છે. જો તે સંઘર્ષ કરતો હશે તો સંઘર્ષ વિશે સાહેબની શું વિચારધારા હતી તેના વિશે વિચારશે. આમ સૌ કોઈના સબકોન્શિયસ માઈન્ડમાં બાબાસાહેબ રમતા રહેશે. આમ તો સરકાર પોતે મહાનાયકોની પ્રતિમાઓ સ્થાપિત કરાવતી હોય છે, પણ આ પ્રતિમા સાબરમતી વિસ્તારના ગરીબ, મજૂર વર્ગના લોકોએ પાંચ રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનું દાન આપીને તૈયાર કરાવી છે. આજે આવા જ મજૂરો, ગરીબોના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું તે બહુ મોટી વાત છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/At-wadhwan-in-surendranagar-rs-library-and-statue-of-Babasaheb-unveiled-at-a-cost-of-30-lakhs">સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રૂ. 30 લાખના ખર્ચે પુસ્તકાલય અને બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ffe8c984dc2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્થાનિકોએ નેતાઓના ભરોસે રહેવાને બદલે પોતે કામ ઉપાડ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;">ભારતમાં રાજકારણીઓ, અધિકારીઓના ભરોસે રહીને ભાગ્યે જ કોઈ કામ તેની નિયત સમયમર્યાદામાં પૂર્ણ થતું હોય છે. આ પ્રતિમા વિશે પણ આવું જ કંઈક થયું હતું. એએમસીમાં ઠરાવ થઈ ગયો હતો. પણ સ્થાનિકોને લાગતું હતું કે મામલો ભાજપ-કૉંગ્રેસના નેતાઓ વચ્ચે અટવાશે. આથી તેમણે નેતાઓને જ પડતા મૂકી દીધાં અને પોતે જ કામ ઉપાડી લીધું અને આજે પ્રતિમાનું અનાવરણ પણ થઈ ગયું. હવે ભવિષ્યમાં અહીં સુંદર લાઈબ્રેરી બનાવવાનું સ્થાનિકોનું સપનું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ કોર્પોરેશને સારંગપુર ખાતેની બાબાસાહેબની પ્રતિમાની શાન ઓછી કરવા માટે તેની ચોતરફ હોર્ડિંગ્સ લગાવી દઈને ઢાંકવા પ્રયત્ન કર્યો હતો. પણ બહુજન સમાજના જાગૃત નાગરિકોએ તેની સામે આંદોલન છેડ્યું હતું અને આખરે હોર્ડિંગ્સ હટાવવા પડ્યા હતા. આવું અહીં ન થાય તે માટે સ્થાનિકોએ પોતાની રીતે જ જગ્યા પસંદ કરીને પ્રતિમા સ્થાપિત કરી છે. હવે તે અમદાવાદમાં સારંગપુર પછીની બીજા નંબરની સૌથી મોટી પ્રતિમા બની ગઈ છે. આગામી 14મી એપ્રિલ સુધીમાં તેનું બાકીનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવશે અને ભવિષ્યમાં લાઈબ્રેરી પણ બનાવવાનો વિચાર છે. આ બધું જ આયોજન સાબરમતી વિસ્તારના ગરીબ, મજૂર વર્ગે કર્યું છે, તેના પરથી જ સમજાય છે કે બાબાસાહેબની કોઈપણ સ્વરૂપમાં હાજરી પણ વંચિત, શોષિત, પીડિત સમાજ પર કેટલી મોટી અસર પાડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/anti-social-elements-stole-the-spectacles-of-babasahebs-statue-in-vadhwan">વઢવાણમાં અસામાજિક તત્વો બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ચોરી ગયા</a><br></span></strong></span></p>
<div class="post-text">
<p><span><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 24 Mar 2024 14:26:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>437</Articleid>
                    <excerpt>અમદાવાદમાં છુટક મજૂરી કરતા લોકોએ સામાજિક ક્રાંતિના પ્રતિક ડૉ. ભીમરાવ આંબેડકરની 7 ફૂટ ઊંચી પ્રતિમાનું આજે અનાવરણ કર્યું. આ પ્રતિમાના નિર્માણ પાછળ પણ એક રસપ્રદ કહાની રહેલી છે, તેની વાત અહીં માંડીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65ffe8ca31670.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ffe8ca03b88.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ffe8ca03b88.jpg" length="106394" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશના પ્રથમ દલિત ક્રિકેટર P. Baloo ની બાયોપિક બનશે, અજય દેવગણ નિભાવશે મુખ્ય ભૂમિકા?</title>
                    <link>https://khabarantar.com/a-biopic-on-p-baloo-the-countrys-first-dalit-cricketer-will-star-ajay-devgan-in-the-lead-role</link>
                    <guid>https://khabarantar.com/a-biopic-on-p-baloo-the-countrys-first-dalit-cricketer-will-star-ajay-devgan-in-the-lead-role</guid>
                    <description>
                        <![CDATA[ Palwankar Baloo biopic: વીસમી સદીના મહાનતમ ક્રિકેટરોમાં જેમની ગણના થાય છે તેવા દેશના પહેલા દલિત ક્રિકેટર પી. બાલુ પર બાયોપિક બનવા જઈ રહી છે. જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના પુસ્તક પરથી તિગ્માંશુ ધુલિયા અજય દેવગણને લઈને ફિલ્મ બનાવશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>Palwankar Baloo biopic:</strong> દેશના પહેલા દલિત ક્રિકેટર પી. બાલુ (P. Baloo) પર બાયોપિક બનવા જઈ રહી છે. હાંસિલ, સાહિબ બીવી ઔર ગેંગસ્ટર અને પાનસિંહ તોમર જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા આ ફિલ્મ ડિરેક્ટ કરશે. આ માટે તેમણે અજય દેવગણ સાથે હાથ મિલાવ્યો છે. ફિલ્મમાં અજય પી. બાલુનો રોલ ભજવતો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, પલવંકર બાલુ(Palwankar Baloo) ઉર્ફે પી. બાલુ(P. Baloo) ને વીસમી સદીના સૌથી મહાન ક્રિકેટરો પૈકીના એક ગણવામાં આવે છે. તેમને સ્પીન બોલિંગના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ ક્રિકેટ આજે પણ તેમની સ્પીન બોલિંગને યાદ કરે છે, ત્યારે તેમની બાયોપિક આવતા વર્ષના અંત સુધીમાં રૂપેરી પડદે જોવા મળે તેવી શક્યતા છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સમયની સાથે ભારતના અનેક જાણીતા લોકો ઈતિહાસના પાનામાં સમેટાઈ જતા હોય છે. એમાં પણ વાત જ્યારે દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજની વ્યક્તિની આવે ત્યારે ચોક્કસ જ તેને ભૂલાવી દેવામાં આવે છે, પછી ભલેને તે પોતાના ક્ષેત્રમાં ગમે તેટલો મહાન કેમ નથી. પી. બાલુને પણ ઈતિહાસનું આવું જ એક નામ કહી શકાય. તેઓ ભારતના પહેલા દલિત ક્રિકેટર હતા. તેમને વીસમી સદીના લેજેન્ડરી ક્રિકેટર માનવામાં આવે છે. પી. બાલુની કહાનીને જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ પોતાના પુસ્તક  A Corner of a Foreign Field: the Indian history માં ખાસ સ્થાન આપ્યું હતું. આ પુસ્તક વાંચ્યા પછી ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ પી. બાલુની કહાનીને ફિલ્મી પડદે ઉતારવાનું નક્કી કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">હાલ મળતા સમાચાર મુજબ તિગ્માંશુ ધુલિયાએ પી. બાલુની કહાનીને સિનેમાના પડદે ઉતારવા માટે અજય દેવગણ સાથે હાથ મિલાવ્યો છે. છેલ્લાં કેટલાય સમયથી અજય તેની ઈમેજથી અલગ પ્રકારની તાસીર ધરાવતી ફિલ્મો તેના ફિલ્મ બેનર હેઠળ નિર્માણ કરી રહ્યો છે. એવામાં અજય પોતે જ પી. બાલુનો રોલ કરશે તે લગભગ નક્કી મનાય છે. મળતી માહિતી પ્રમાણે ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ રામચંદ્ર ગુહા પાસેથી તેમના પુસ્તકના અધિકારો ખરીદ્યાં છે, જેથી તેઓ પલવંકર બાલુની કહાનીને યોગ્ય રીતે ફિલ્મી પડદે રજૂ કરી શકે. ટૂંક સમયમાં તેઓ તેને પડદા પર ઉતારવા માટે લેખકો સાથે કામ શરૂ કરશે. ધુલિયાએ હજુ સુધી અજય દેવગણ સિવાય બીજી સ્ટારકાસ્ટને ફાઈનલ નથી કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એકવાર ફિલ્મનું લેખન પૂર્ણ થઈ જાય એ પછી બાકીની સ્ટારકાસ્ટને ફાઈનલ કરવામાં આવશે અને એ પછી મોટા સ્તર પર ફિલ્મનું નિર્માણ કાર્ય શરૂ કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Not-a-single-Dalit,-Tribal-or-OBC-in-key-positions-in-mainstream-media-%E2%80%93-report">મુખ્યધારાના મીડિયામાં મુખ્ય પદો પર એકેય દલિત, આદિવાસી કે ઓબીસી નહીં – રિપોર્ટ</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fcf60f2a7b2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ હતા પલવંકર બાલુ?</span></strong></span><br><span style="font-size: 14pt;">પૂણેના એક દલિત પરિવારમાં જન્મેલા પલવંકર બાલુને ભારતીય ક્રિકેટ ઈતિહાસના મહાનતમ ખેલાડી ગણવામાં આવે છે. પુણેમાં ગ્રાઉન્ડમેન તરીકે કામ કરનાર પી. બાલુ ૧૮૯૬માં બૉમ્બે શિફ્ટ થયા હતા. અહીં ગ્રાઉન્ડમેન તરીકે કામ કરતી વખતે એકવાર તેમને એક અંગ્રેજ ખેલાડીએ નેટ પ્રેક્ટિસ માટે બોલિંગ કરવા કહ્યું અને બાલુએ તેમને એકથી વધુ વખત ક્લિન બોલ્ડ કર્યા. તેમની એ પ્રતિભા પારખીને એ અંગ્રેજ ખેલાડીએ બાલુને ક્રિકેટમાં આગળ વધવા પ્રેરણા આપી. એ પછી તેઓ હિન્દુ જિમખાના માટે રમવા સિલેક્ટ થયા હતા. ૧૯૧૧ની ઇન્ડિયાની ઇંગ્લૅન્ડ ટૂર માટે લેફ્ટ-આર્મ સ્પિનર પી. બાલુની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. જેમાં તેમણે ૨૩ મૅચમાં ૧૧૪ વિકેટ લીધી હતી. ૨૦મી સદીના મહાનત ક્રિકેટરોમાં સામેલ પી. બાલુને જો કે તેમની દલિત જાતિના કારણે અનેક અપમાનો સહન કરવા પડ્યા હતા. ટીમના સાથી હિંદુ અને પારસી ખેલાડીઓ તેમની સાથે ભયંકર ભેદભાવ રાખતા હતા. તેમને પૅવિલિયનમાં પણ એન્ટ્રી નહોતી. મૅચમાં ટી-બ્રેક દરમ્યાન તેમના માટે અલગથી ચા લાવવામાં આવતી અને ભોજન પણ અલગ ટેબલ પર લેવું પડતું હતું. આવા ભયંકર અપમાનો છતાં બાલુએ ક્રિકેટ રમવાનું નહોતું છોડ્યું. પરિસ્થિતિ એવી પેદા થતી કે હિંદુઓની ટીમમાં જો પી. બાલુ ન હોય તો બીજા બોલરોનું એ ગજું જ નહોતું કે તે અંગ્રેજ ટીમના ટોપ ઓર્ડરને આઉટ કરી શકે. હિંદુ-પારસીની ટીમ બાલુ વગર નકામી બની જતી હતી. હવે આ દલિત ક્રિકેટર પર તિગ્માંશુ ધુલિયા જેવા ડિરેક્ટર ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે ત્યારે એક આશા ચોક્કસ બંધાય છે કે ફિલ્મમાં તેમની સાથે કરવામાં આવેલા જાતિગત ભેદભાવની વાતને પણ યોગ્ય રીતે દર્શાવવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Palwankar-Baloo:-The-Dalit-cricketer,-who-saved-the-nation-despite-being-untouchable">Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું</a><br></span></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 22 Mar 2024 09:54:57 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 22 Mar 2024 08:51:04 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>431</Articleid>
                    <excerpt>Palwankar Baloo biopic: વીસમી સદીના મહાનતમ ક્રિકેટરોમાં જેમની ગણના થાય છે તેવા દેશના પહેલા દલિત ક્રિકેટર પી. બાલુ પર બાયોપિક બનવા જઈ રહી છે. જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના પુસ્તક પરથી તિગ્માંશુ ધુલિયા અજય દેવગણને લઈને ફિલ્મ બનાવશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65fcf60fcaad8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fcf60f9c282.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fcf60f9c282.jpg" length="106650" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>માન્યવર કાંશીરામના એ 10 ક્રાંતિકારી વિચારો, જે આજેય એટલા જ સત્ય સાબિત થઈ રહ્યાં છે</title>
                    <link>https://khabarantar.com/those-10-revolutionary-ideas-of-manyavar-kanshiram-which-are-proving-to-be-true-even-today</link>
                    <guid>https://khabarantar.com/those-10-revolutionary-ideas-of-manyavar-kanshiram-which-are-proving-to-be-true-even-today</guid>
                    <description>
                        <![CDATA[ ડૉ. આંબેડકરના સપનાને પૂર્ણ કરી બતાવનાર માન્યવર કાંશીરામ સાહેબે  આપેલા એવા 10 વિચારો રજૂ કરીએ છીએ જે બહુજન સમાજે કાયમ માટે યાદ રાખવા જોઈએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજનું સૌથી સફળ સોશિયલ એન્જિનિયરીંગ કરીને દેશના દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજને સત્તામાં લાવવાના ડૉ. આંબેડકરના સપનાને પૂર્ણ કરી બતાવનાર માન્યવર કાંશીરામ સાહેબની આજે 90મી જન્મજયંતિ છે. </span><span style="font-size: 14pt;">માન્યવર એ વ્યક્તિ હતા જેમણે ઉત્તર ભારતમાં વંચિત, શોષિત, પીડિત સમાજને સત્તાના રાજકારણના કેન્દ્રમાં લાવી દીધા હતા. 1984માં તેમણે બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી હતી, જે આજેય એકમાત્ર રાજકીય પક્ષ છે જેના રાજકારણના કેન્દ્રમાં બહુજનો છે. કાંશીરામ સાહેબના સમર્થકો તેમને પ્રેમથી 'માન્યાવર' કહે છે. તેઓ માત્ર વિચારક જ નહિ પરંતુ પાયાના કાર્યકર પણ હતા. તેમના નેતૃત્વમાં બસપાએ ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક અલગ છાપ છોડી દીધી હતી. કાંશીરામ માનતા હતા કે બહુજન સમાજે પોતાના અધિકારો માટે પોતે જ લડવું પડશે અને તેમના માટે અન્ય લોકોને સત્તામાં લાવીને પછી આજીજી કરવાથી કોઈ ફાયદો થશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માન્યવર માનતા હતા કે જ્યાં સુધી આપણે રાજકારણમાં સફળ નહીં થઈએ અને આપણા હાથમાં સત્તા નહીં હોય, ત્યાં સુધી સામાજિક અને આર્થિક પરિવર્તન શક્ય નથી. રાજકીય તાકાત જ સફળતાની માસ્ટર કી છે. આજે તેમની જન્મજયંતિ છે ત્યારે આવો જાણીએ માન્યવર કાંશીરામના એ 10 ક્રાંતિકારી વિચારો જેમણે દલિતોને ભારતના રાજકારણના કેન્દ્રમાં લાવીને મૂકી દીધા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65f409b3e01a2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1. માનનીય કાંશીરામ કહેતા હતા કે, “ઉચ્ચ જાતિના લોકો અમને પૂછે છે કે અમે તેમને પાર્ટીમાં શા માટે સામેલ નથી કરતા, પરંતુ હું તેમને કહું છું કે તમે અન્ય તમામ પાર્ટીઓનું નેતૃત્વ કરો છો. જો તમે અમારી પાર્ટીમાં જોડાશો તો તમે પરિવર્તનને અટકાવશો. મને પાર્ટીમાં ઉચ્ચ જાતિના લોકોથી ડર લાગે છે. તેઓ યથાસ્થિતિ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે અને હંમેશા નેતૃત્વ ધારણ કરવાનો પ્રયાસ કરે છે. આ સિસ્ટમ બદલવાની પ્રક્રિયાને અટકાવશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2. 'જ્યાં સુધી જાતિ છે ત્યાં સુધી હું તેનો ઉપયોગ મારા સમાજના ભલા માટે કરીશ. જો તમને કોઈ સમસ્યા હોય તો જાતિ પ્રથા નાબૂદ કરો.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">3. બ્રાહ્મણવાદ વિશે તેમણે કહ્યું હતું કે, "જ્યાં બ્રાહ્મણવાદ સફળ છે, ત્યાં અન્ય કોઈ 'વાદ' સફળ થઈ શકશે નહીં, આપણે મૂળભૂત, માળખાકીય, સામાજિક ફેરફારોની જરૂર છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">4. માન્યવર કહેતા હતા, "બહુ લાંબા સમયથી અમે તંત્રના દ્વાર ખટખટાવીએ છીએ, ન્યાય માંગીએ છીએ અને નથી મળતો, હવે આ હાથકડીઓ તોડવાનો સમય આવી ગયો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">5. કાંશીરામ સાહેબના જણાવ્યા મુજબ, "અમે ત્યાં સુધી અટકીશું નહીં, જ્યાં સુધી આપણે સિસ્ટમના પીડિતોને એક નહીં કરીએ અને આપણા દેશમાં અસમાનતાની ભાવનાને નાબૂદ નહીં કરીએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">6. કાંશીરામ કહેતા હતા, “મેં ગાંધીને શંકરાચાર્ય અને મનુ(મનુસ્મૃતિ) ની શ્રેણીમાં મૂક્યાં કારણ કે તેઓ ચતુરાઈથી 52% OBC ને બાજુ પર રાખવામાં સફળ થયા. જે સમુદાયનું રાજકીય પ્રણાલીમાં પ્રતિનિધિત્વ નથી તે મરી ગયો છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">7. ગાંધીજીએ દલિતો માટે અલગ મતદાર મંડળની આંબેડકરની માંગને દબાણની રાજનીતિ દ્વારા પૂર્ણ થવા દીધી ન હતી અને પૂના કરારના પરિણામે, તેમના 'ચમચાઓ' સંયુક્ત મતદારોમાં ઉભા થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">8. “અમને સામાજિક ન્યાય નથી જોઈતો, અમે સામાજિક પરિવર્તન ઈચ્છીએ છીએ. સામાજિક ન્યાય સત્તામાં રહેલી વ્યક્તિ પર આધાર રાખે છે. ધારો કે એક સમયે કોઈ સારો નેતા સત્તામાં આવે છે અને લોકોને સામાજિક ન્યાય મળે છે અને ખુશ થાય છે, પરંતુ જ્યારે ખરાબ નેતા સત્તામાં આવે છે ત્યારે તે ફરીથી અન્યાયમાં ફેરવાય છે. તેથી, અમે સંપૂર્ણ સામાજિક પરિવર્તન ઈચ્છીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">9. કાંશીરામ માનતા હતા કે જ્યાં સુધી આપણે રાજનીતિમાં સફળ નહીં થઈએ અને આપણા હાથમાં સત્તા નથી, ત્યાં સુધી સામાજિક અને આર્થિક પરિવર્તન શક્ય નથી. રાજકીય તાકાત એ સફળતાની માસ્ટર કી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">10. કાંશીરામ કહેતા હતા, “સત્તા મેળવવા માટે જનઆંદોલન જરૂરી છે, એ જનઆંદોલનને મતમાં રૂપાંતરિત કરવું, પછી મતોને સીટોમાં રૂપાંતરિત કરવા, સીટોને સત્તામાં પરિવર્તિત કરવી અને અંતે તેને સત્તાના કેન્દ્રમાં પરિવર્તિત કરવી. આ અમારા માટે મિશન અને લક્ષ્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Announcement-of-Kanshiram-Karya-Award-by-Bahujan-literature-writer-Mohinder-Maurya-and-Samyak-Samaj"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને સમ્યક સમાજ દ્વારા કાંશીરામ કાર્ય ઍવોર્ડની જાહેરાત</span></strong></span></a></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span></strong></span><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;"><span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 15 Mar 2024 14:25:04 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 15 Mar 2024 14:23:57 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>414</Articleid>
                    <excerpt>ડૉ. આંબેડકરના સપનાને પૂર્ણ કરી બતાવનાર માન્યવર કાંશીરામ સાહેબે  આપેલા એવા 10 વિચારો રજૂ કરીએ છીએ જે બહુજન સમાજે કાયમ માટે યાદ રાખવા જોઈએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65f409b485211.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f409b458bf7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f409b458bf7.jpg" length="62550" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સાવિત્રીબાઈ ફૂલેઃ ઓરિજિનલ બેટી બચાવો આઈકોન</title>
                    <link>https://khabarantar.com/Savitribai-Phule-Original-Beti-Bachao-Icon</link>
                    <guid>https://khabarantar.com/Savitribai-Phule-Original-Beti-Bachao-Icon</guid>
                    <description>
                        <![CDATA[ સાવિત્રીબાઈ કોણ? આ સવાલનો વિગતવાર જવાબ ઘણો લાંબો થઈ શકે પણ ટૂંકો જવાબ એટલે એક, પરંપરાને વશ પિયરમાં અભણ રહેનાર અને પતિના ઘરે જઈને ભણનાર ભારતની પ્રથમ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">મેહુલ મંગુબહેન</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૬માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' હિટ ગઈ હતી. એમાં વાત યોદ્ધાની લવ સ્ટોરીની હતી. ફિલ્મમાંથી પેશવા પરિવારની મુસ્લિમ સ્ત્રીની સંતાન મસ્તાની પ્રત્યેની રૂઢિવાદી માનસિક્તાનો ચિતાર તો મળ્યો પરંતુ એ સમયની સામાજિક હકીકતોનો આછેરો ઉલ્લેખ પણ મળતો ન હતો. ૧૮મી સદીના એ સમયમાં વર્ણવ્યવસ્થા આજના કરતાં અનેકગણી વધારે કટ્ટર હતી. પેશવાઓના રાજમાં શુદ્રોને જો રસ્તા પર અન્ય ઉચ્ચ વર્ણનું કોઈ ચાલી રહ્યું હોય તો પસાર થવાનો અધિકાર નહોતો. સવર્ણો અછૂતો અને નીચ વર્ણના લોકોને દૂરથી જ ઓળખી શકે તે માટે તેમણે કાંડા પર કાળો દોરો બાંધવો પડતો હતો અને પેશવાની રાજધાની પૂણેમાં તો એમણે પોતાનાં પગલાંનાં નિશાન ભૂંસાઈ જાય એ માટે કમરની પાછળ ઝાડૂ બાંધવું પડતું હતું. ભણતર શબ્દનો અર્થ ફકત બ્રાહ્મણો તથા ઉચ્ચ વર્ણોને જ લાગુ પડતો હતો. આ સિવાય પાણી સહિત કોઈ પણ કુદરતી સંપદાનો ઉપયોગ કરવામાં કડક અંકુશ, વેઠ તેમ જ અન્ય રીતે શારીરિક શોષણ તો ખરાં જ. પેશવાઓ સંચાલિત મરાઠા સામ્રાજયનો ૧૮૧૮માં અંત આવ્યો અને એના ૧૩માં વર્ષે ૧૮૩૧ની ૩ ફ્રેબ્રુઆરીએ પેશવાઈ સમાજની રૂઢિઓને તોડનાર અને ભારતમાં શિક્ષણ અને મહિલા અધિકારનો વિજયધ્વજ ખોડી દેનાર સાવિત્રીબાઈ ફૂલેનો જ્ન્મ થયો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સાવિત્રીબાઈ જન્મ્યાં ત્યારે છેલ્લો પેશવા, બાજીરાવ બીજો અંગ્રેજોની શરણાગત સ્વીકારીને કાનપુર નજીક બિઠૂરમાં ઠરીઠામ થઈ ગયો હતો પણ બાકીનો ક્રૂર રૂઢિવાદી સમાજ તો ત્યાં જ હતો. જયાં સ્ત્રીઓએ કદી ન જન્મવું જોઈએ એવા સમાજમાં અને એવા વખતમાં સાવિત્રીબાઈ જન્મ્યાં અને એ પણ શુદ્ર પરિવારમાં.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભારતમાં સમાજ સુધારણાની વાત કરવામાં આવે એટલે મોટે ભાગે આપણને પાઠયપુસ્તકોમાંથી ગોખાવી દેવામાં આવેલાં નામ જ યાદ આવે છે. રાજાઓના ઇતિહાસમાં પ્રજાની બાદબાકી થાય એમ સામાજિક સુધારણાના ઇતિહાસમાંથી પણ શુદ્રો કે નિમ્નવર્ગના લોકોની લીટી નાની કરી દેવામાં આવતી હોય છે. એટલે જ સરેરાશ સુધરેલો અને ભણેલોગણેલો માણસ પણ એમ પૂછી બેસતો હોય છે કે સાવિત્રીબાઈ કોણ?</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સવાલનો વિગતવાર જવાબ ઘણો લાંબો થઈ શકે પણ ટૂંકમાં મુદ્દાસર જોઈએ તો. એક, પરંપરાને વશ પિયરમાં અભણ રહેનાર અને પતિના ઘરે જઈને ભણનાર ભારતની પ્રથમ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ed4fd0e41cd.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બે, સાવિત્રીબાઈ એટલે ૧ જાન્યુઆરી ૧૮૪૮માં દેશની પ્રથમ મહિલા શાળાના સ્થાપક અને પ્રથમ મહિલા શિક્ષક. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ત્રણ, જેમણે સાસરીમાં આરામથી રહેવાને બદલે શુદ્રોને ભણાવવા બદલ પતિ સાથે પહેરેલ કપડે સાસરી છોડવાનું પસંદ કર્યુ એ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. ત્રણ, પેશવાઓની રાજધાની સતારા, પૂણે અને અહમદનગરમાં બીજી શાળાઓ શરૂ કરી. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ચાર, સાવિત્રીબાઈ એટલે એવી સ્ત્રી કે ઘરેથી બે સાડી લઈને સ્ત્રીઓને ભણાવવા શાળાએ જતાં કેમ કે રસ્તામાં કટ્ટરવાદીઓ રોજ કચરો ફેંકીને એમનું સ્વાગત કરતાં હતાં, એમાં એક સાડી બગડી જતી હતી. પાંચ, બ્રાહ્મણ સમાજમાં અત્યંત દયનીય સ્થિતિમાં જીવતી વિધવાઓની પડખે ઊભાં રહેનાર અને એમની માટે બાળહત્યા પ્રતિબંધક ગૃહ શરૂ કરનાર સ્ત્રી એટલે સાવિત્રીબાઈ.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પાંચ, સાવ નાની વયે વિધવા બનેલી અને મલાજાને નામે શોષણનો ભોગ બનતી છોકરીઓનાં અનેક સંતાનોની એ માતા બન્યાં, એટલું જ નહીં સમાજ જેને નાજાયઝ ઔલાદ કહે છે એવા દીકરાને છડેચોક દત્તક લીધો. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">છ, સાવિત્રીબાઈ એટલે એ સ્ત્રી કે જેઓ વિધવા સ્ત્રીઓનું મુંડન બંધ કરાવવા ઐતિહાસિક હજામ હડતાળને અંજામ આપવામાં સક્રિય રહ્યાં. ફિલ્મમાં બાજીરાવની માને માથે વાળ કેમ નથી એવો સવાલ જો ન થયો હોય તો નોંધી લો કે એ સમયે વિધવા થયેલી બ્રાહ્મણ સ્ત્રીઓનાં વાળ અત્યંત ક્રૂરતાથી કાપી દેવામાં આવતા હતાં. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ed4fd066c9a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સાત, સાવિત્રીબાઈ એટલે પ્રથમ આધુનિક મરાઠી કવિયિત્રી. ૧૮૫૪માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો જેનું નામ હતું ‘કાવ્યફૂલે’. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આઠ, સાવિત્રીબાઈ એટલે એ કે જેમણે દેશમાં પહેલીવાર ખેડૂતો અને મજૂરો માટે રાતની નિશાળ શરૂ કરી. નવ, જેમણે પોતાના ઘરનો કૂવો અતિશુદ્રો માટે ખુલ્લો મૂકયો. દસ, સાવિત્રીબાઈ એટલે સામાજિક સુધારણા માટે મથનાર સત્ય શોધક સમાજની સક્રિય કર્મશીલ. અગિયાર, ૧૮૯૭માં પૂણેમાં ફેલાયેલા ભયંકર પ્લેગ વખતે પોતે પ્લેગનો ભોગ બન્યાં એ હદ સુધી લોકોની સેવા કરનારાં સ્ત્રી એટલે સાવિત્રીબાઈ. છેલ્લે એ ઓળખાણ પણ ખરી કે મહાત્મા ગાંધી અગાઉના મહાત્મા એવા પાયાના સમાજસુધારક જોતિબા ફૂલે એ સાવિત્રીબાઈના પતિ થાય.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65ed4fd16df34.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભારતના લોકોએ, ઈતિહાસકારોએ અને સ્વરાજ આવ્યા પછીની સરકારોએ પણ એના ખરા સમાજસુધારકો સાથે પૂરો ન્યાય નથી કર્યો. સાવિત્રીબાઈને નામે મહારાષ્ટ્ર સરકાર સમાજસુધારણાનો એવોર્ડ આપે છે. અમુક-તમુક સરકારી યોજનાઓ પણ હશે એમનાં નામે. છેક ૧૯૯૮માં અવસાનની શતાબ્દીએ એક ટપાલ ટિકિટ પણ બહાર પડી હતી અને હજી ગત વર્ષે જ પૂણે વિશ્વવિદ્યાલય સાથે સાવિત્રીબાઈનું નામ જોડાયું છે પણ સાવિત્રીબાઈ અને જોતિબાની સમાજસુધારણાનું વિશાળ ફલક જોતા આવી અંજલિઓ ઘણી નાની ગણાય.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><em><span style="font-size: 12pt;"><strong>(લેખક વરિષ્ઠ પત્રકાર, લેખક, કવિ અને વિખ્યાત  rekhta foundationમાં એડિટર તરીકે કાર્યરત છે)</strong></span></em></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચો : </strong></span><span style="text-decoration: underline;"><a href="https://khabarantar.com/Jyotiba-Phule-Commemoration-Day-Special:-Jyotiba-Phule-means-Mahatma-before-Mahatma"><strong><span style="font-size: 14pt;">Jyotiba Phule સ્મૃતિ દિવસ સ્પેશ્યિલઃ જ્યોતિબા ફૂલે એટલે 'મહાત્મા' પહેલાના 'મહાત્મા'</span></strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span></strong></span><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;"><span> </span><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;"></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 10 Mar 2024 12:44:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>402</Articleid>
                    <excerpt>સાવિત્રીબાઈ કોણ? આ સવાલનો વિગતવાર જવાબ ઘણો લાંબો થઈ શકે પણ ટૂંકો જવાબ એટલે એક, પરંપરાને વશ પિયરમાં અભણ રહેનાર અને પતિના ઘરે જઈને ભણનાર ભારતની પ્રથમ સ્ત્રી એટલે સાવિત્રીબાઈ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65ed4fd01228d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ed4fcfd9c84.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65ed4fcfd9c84.jpg" length="100371" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જ્યારે રેણુએ કહ્યું, ‘પદ્મશ્રી સન્માન હવે મારા માટે પાપશ્રી બની ગયું છે!’</title>
                    <link>https://khabarantar.com/When-Renu-said-Padmashri-honor-has-now-become-Papashri-for-me</link>
                    <guid>https://khabarantar.com/When-Renu-said-Padmashri-honor-has-now-become-Papashri-for-me</guid>
                    <description>
                        <![CDATA[ ક્લાસિક કૃતિઓના સર્જક ફણિશ્વરનાથ રેણુની આજે જન્મજયંતિ છે. ચાલો તેમના એક પ્રસંગને યાદ કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>- હિદાયત પરમાર</strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૈલા આંચલ, મારે ગયે ગુલફામ, લાલ પાન કી બેગમ જેવી અનેક ક્લાસિક કૃતિઓના સર્જક ફણિશ્વરનાથ રેણુની આજે જન્મજયંતિ છે. રેણુને આમ તો આપણે તેમના લેખનને કારણે યાદ કરીએ છીએ, પરંતુ એ સિવાયમાં તેમનામાં બીજી એક મહત્વની બાબત હતી તેમની પ્રતિબદ્ધતા, જેના વિશે બહુ ઓછી વાત થાય છે. ત્યારે અહીં આવા જ એક પ્રસંગને યાદ કરીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">4 માર્ચ 1921 ના રોજ સ્વદેશી ઓળખ અને લોકજીવનના મહાન નિર્માતા ફણીશ્વરનાથ રેણુનો જન્મ બિહારના ઔરાહી હિંગણા, અરરિયામાં થયો હતો. રેણુએ 'મૈલા આંચલ', 'મારે ગયે ગુલફામ(તીસરી કસમ)', 'લાલ પાન કી બેગમ', 'ઋણલ-ધનજલ', 'નેપાલી ક્રાંતિકથા', 'પરતી પરિકથા' અને આવી અન્ય ઘણી સશક્ત રચનાઓથી સમગ્ર સાહિત્ય જગતમાં એક અપ્રતિમ ઓળખ બનાવી હતી. રેણુ હંમેશાં પોતાની રચનાઓથી ધરતીપુત્રોના સંઘર્ષને વ્યક્ત કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમની પ્રતિબદ્ધતા હંમેશાં આ ધરતીપુત્રો સાથે સંપૂર્ણ જવાબદારી સાથે નિભાવી. માનવજીવનની દરેક લાગણીની સૂક્ષ્મ અભિવ્યક્તિ રેણુના લેખનમાં હાજર છે, પરંતુ એક વસ્તુ જે સર્વોપરી છે તે છે તેમની પ્રતિબદ્ધતા, જેના વિશે તેઓ પોતે વારંવાર કહેતા હતાઃ “મારા માટે પ્રતિબદ્ધતાનો એક જ અર્થ એ છે કે જનતા માટે પ્રતિબદ્ધ રહેવું, બાકી બધું બકવાસ છે.” તેમની પ્રજા આજે પણ કોસીના સૂકા વિસ્તારથી લઈને ગંગાના કિનારે, પૂર્ણિયા, પટના, દિલ્હી અને મુંબઈના નાના-મોટા કારખાનાઓ સુધી તનતોડ મહેનત કરતી જોવા મળી જાય છે. પૂર, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આપખુદશાહી અને શોષણના દરેક સ્વરૂપ જે તેમની રચનાઓમાં જોવા મળે છે તે આજે પણ એવા ને એવા હાજર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના સમયના ડાબેરી વિચારકોએ રેણુ જેવા મહાન સર્જકના લખાણો અને પ્રતિબદ્ધતાને નકારવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયા. પોતાની વાસ્તવિક રચનાઓ, તેમનો પ્રામાણિક વણાટ અને નિર્ભય અભિવ્યક્તિના બળ પર રેણુએ દરેક ઘેરાબંધીને ઘૂંટણિયે પડવા પર મજબૂર કરી. સામાન્ય લોકોમાં તેમની રચનાઓ વધુને વધુ લોકપ્રિય બનતી ગઈ અને તેમને ભરપૂર પ્રેમ મળ્યો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e5ce62ca164.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિવેચકોને જવાબ આપતા રેણુએ લખ્યું છે - "તારા માટે મેં લાખો શબ્દો સહન કર્યા". મતલબ એ કે તેઓ પોતાની જનતાને કહેવા માંગતા હતા કે જુઓ જ્યારે મેં તમારી જિંદગી, બોલી, ભાષા, રહેણીકરણી, સંઘર્ષને તમારી હકીકતમાં ચિત્રણ કર્યું, તો લોકોએ મને ગમાર, ગામઠી અને અસભ્ય જેવા અલંકારોથી નવાજ્યા. પરંતુ તે રેણુજીનો અદમ્ય જોમ અને કર્મઠતા હતી કે તેઓ ન તો ઝૂક્યા કે ન રોકાયા. તેની પરાકાષ્ઠા ત્યારે જોવા મળી જ્યારે 1974ની કટોકટીના વિરોધમાં તેમણે માત્ર સરકારી પેન્શન જ નહીં પરંતુ પદ્મશ્રી ને ‘પાપશ્રી’ કહીને પણ પરત કર્યો. આનાથી વધુ પ્રગતિશીલ ઉદાહરણ શું હોઈ શકે?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે પત્ર જે તેમણે તત્કાલિન રાષ્ટ્રપતિને તેમનો પદ્મશ્રી ખિતાબ પરત કરવા માટે લખ્યો હતો તે ધ્યાનથી વાંચો, દરેક શબ્દ આપણા સમય અને સમાજનો જીવંત દસ્તાવેજ છે. સત્તાના વિરોધમાં માનનારા એક એવા લેખકની પ્રામાણિકતાનો એ સાક્ષી છે જે પોતે સત્તાનો પ્રતિપક્ષ બનવામાં ભરોસો રાખતો હતો, તેઓ ન કોઈના અનુયાયી હતા, ન તો કોઈ ઝંડા કે ડંડાની રાજનીતિના ગુલામ. એ પત્રમાં તેમણે લખ્યું હતું કે,</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">પ્રિય રાષ્ટ્રપતિ મહોદય,</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">21 એપ્રિલ, 1970 ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ વરાહગિરી વેંકટગિરીએ મને વ્યક્તિગત યોગ્યતા માટે સમ્માનાર્થે પદ્મશ્રી એનાયત કર્યો હતો. ત્યારથી લઈને આજદિન સુધી મને શંકા છે કે ભારતના રાષ્ટ્રપતિની નજરમાં એટલે કે ભારત સરકારની નજરમાં એ કયો વ્યક્તિગત ગુણ છે, જેના માટે મને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1970થી 1974ની વચ્ચે દેશમાં અનેક ઘટનાઓ ઘટી છે. તે ઘટનાઓમાં, મને લાગે છે કે બિહાર આંદોલન અભૂતપૂર્વ છે. લોકનાયક જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ પટનામાં 4થી નવેમ્બરે, લોકોની ઇચ્છાને દબાવવા માટે લોકો અને લોકનાયક પર આયોજિત લાઠીચાર્જ એ જૂઠાણા અને દમનની પરાકાષ્ઠા હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમે જે સરકારના રાષ્ટ્રપતિ છો તે સરકાર ક્યાં સુધી જુઠ્ઠાણા, દમન અને રાજ્યની હિંસાનો સહારો લઈને જનતાની ઈચ્છાને દબાવવાનો પ્રયાસ કરતી રહેશે? આવી પરિસ્થિતિમાં મને લાગે છે કે 'પદ્મશ્રી'નું સન્માન હવે મારા માટે ‘પાપશ્રી’ બની ગયું છે. સાભાર હું આ સન્માન પરત કરું છું. ધન્યવાદ.</span><br><span style="font-size: 14pt;">ભવદીય</span><br><span style="font-size: 14pt;">ફણીશ્વરનાથ રેણુ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિર્મલ વર્માએ આમ ને આમ રેણુને ‘સંત લેખક’ ન હોતા કહ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: #e03e2d;"><span style="font-size: 18.6667px;"><b>આ પણ વાંચો : </b></span></span><a href="https://khabarantar.com/If-you-do-not-have-a-meal,-eat-bread-in-hand-and-teach-your-children"><strong><span style="font-size: 14pt;">ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 04 Mar 2024 19:18:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>388</Articleid>
                    <excerpt>ક્લાસિક કૃતિઓના સર્જક ફણિશ્વરનાથ રેણુની આજે જન્મજયંતિ છે. ચાલો તેમના એક પ્રસંગને યાદ કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65e5ce637074b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65e5ce634126c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65e5ce634126c.jpg" length="88148" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાબાસાહેબના આ કાર્યોને કોઈ ભૂંસી શકશે નહીં, સદીઓ પછી પણ રહેશે યાદ</title>
                    <link>https://khabarantar.com/No-one-can-erase-these-works-of-Babasaheb-they-will-be-remembered-even-after-centuries</link>
                    <guid>https://khabarantar.com/No-one-can-erase-these-works-of-Babasaheb-they-will-be-remembered-even-after-centuries</guid>
                    <description>
                        <![CDATA[ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે પોતાનું સમગ્ર જીવન સમાજ સેવા અને નૈતિક કાર્યો માટે સમર્પિત કર્યું હતું. તેમણે દલિત, પછાત લોકોને તેમના મૂળભૂત અધિકારોથી વાકેફ કર્યા, અસ્પૃશ્યતા, ધર્મ-જાતિના આધારે ફેલાયેલી કુપ્રથાઓને દૂર કરવા માટે પણ ઘણું કામ કર્યું. તેમના દ્વારા કરવામાં આવેલ આવા અનેક મહાન કાર્યોને કારણે આજે પણ દેશના દરેક વર્ગના લોકો તેમને દિલથી યાદ કરે છે ત્યારે ચાલો જાણીએ બાબાસાહેબના એવા જ કેટલાક કાર્યો વિશે, જેને ભારત સહિત દુનિયા આખી કાયમ યાદ રાખશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે પોતાનું સમગ્ર જીવન સમાજ સેવા અને નૈતિક કાર્યો માટે સમર્પિત કર્યું હતું. તેમણે દલિત, પછાત લોકોને તેમના મૂળભૂત અધિકારોથી વાકેફ કર્યા અને અસ્પૃશ્યતા, ધર્મ-જાતિના આધારે ફેલાયેલી કુપ્રથાઓને દૂર કરવા માટે પણ ઘણું કામ કર્યું હતું. તેમના દ્વારા કરવામાં આવેલ આવા અનેક મહાન કાર્યોને કારણે આજે પણ દેશના દરેક વર્ગના લોકો તેમને દિલથી યાદ કરે છે. ચાલો જાણીએ બાબાસાહેબના એવા જ કેટલાક કાર્યો વિશે, જેને ભારત અને ભારતીયો કાયમ યાદ રાખશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d1866c71248.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બાબાસાહેબે દલિતો, પછાતોને મંદિરમાં પ્રવેશ, પીવાના પાણી પર પ્રતિબંધ અને આભડછેટ જેવા કુરિવાજોને ખતમ કરવા માટે માનવાધિકાર કાર્યકર્તા તરીકે કામ કર્યું. સાથે જ મનુસ્મૃતિ દહન, મહાડ સત્યાગ્રહ, નાસિક કાલારામ મંદિર સત્યાગ્રહ, યેવલાની ગર્જના જેવા મહત્વના આંદોલનો ચલાવ્યા. </span><br><span style="font-size: 14pt;">તેમણે અશિક્ષિક અને મૂકલોકની સમસ્યાઓને વાચા આપવા માટે વર્ષ 1927 થી 1956 દરમિયાન ‘મૂકનાયક’, ‘સમતા’, ‘જનતા’, ‘પ્રબુદ્ધ ભારત’ અને ‘બહિષ્કૃત ભારત’ એમ પાંચ પત્રિકાઓ ચલાવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c9eb208e6f5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તેમણે નબળા વર્ગના વિદ્યાર્થીઓને છાત્રાલયો, રાત્રિ શાળાઓ, પુસ્તકાલયો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણની સાથે આવક મેળવવા સક્ષમ બનાવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1945માં પીપલ્સ એજ્યુકેશન સોસાયટી દ્વારા તેમણે બોમ્બેમાં સિદ્ધાર્થ કોલેજ અને ઔરંગાબાદમાં મિલિંદ કોલેજની સ્થાપના કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે મહિલાઓના છૂટાછેડા પછી મિલકતના વારસા વગેરે અંગેની જોગવાઈઓના અમલીકરણ માટે લડત ચલાવી હતી. બાબા સાહેબે 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસમાં સમતા, સમાનતા, બંધુતા અને માનવતા આધારિત ભારતીય બંધારણને પૂર્ણ કરીને મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબા સાહેબ હંમેશા દેશના ભાગલાના વિરોધમાં રહ્યા. મોહમ્મદ અલી ઝીણા જેવા લોકો માટે તેમણે ખૂબ જ કડક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bf99f903799.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે જીવનભર દરેક દલિતને શિક્ષણ અને સંઘર્ષ વિશે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો.</span><br><span style="font-size: 14pt;">તમે તેમના નોલેજનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તેમણે વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીમાંથી અનેક ડિગ્રીઓ મેળવી હતી. તેમની પાસે 22 ડિગ્રીઓ હતી. તેઓ હંમેશા કંઈક ને કંઈક વાંચતા રહેતા હતા. મુંબઈમાં પોતાના ઘરમાં તેમણે એક પુસ્તકાલય બનાવ્યું હતું, જેમાં 35 હજારથી વધુ પુસ્તકો હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબા સાહેબે મહિલા શિક્ષણ અને તેમના અધિકારો માટે પણ ઘણો સંઘર્ષ કર્યો અને સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. તેઓ માનતા હતા કે શિક્ષણ જ એકમાત્ર માધ્યમ છે જેના દ્વારા વ્યક્તિ સમાજમાં પોતાનું સ્થાન બનાવી શકે છે અને તેમણે તેને સાબિત પણ કર્યું હતું. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bf99de93bc2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે ભારત જ નહીં પરંતુ વિશ્વ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના કાર્યોને કારણે યાદ કરે છે. વિશ્વના ઘણાં દેશોમાં બાબા સાહેબની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે અને દર વર્ષે 14મી એપ્રિલના રોજ આંબેડકર જયંતિ પર અનેક સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. </span><br><span style="font-size: 14pt;">હાલમાં જ આંધ્રપ્રદેશના વિજયવાડામાં ડૉ. આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે દુનિયાની તેમની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. અગાઉ અમેરિકાના વોશિંગ્ટન ડીસી નજીક ભારત બહાર તેમની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. જે દુનિયાભરમાં તેમની લોકપ્રિયતાની સાક્ષી પુરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Ambedkar-were-you-like-that">આંબેડકર તમે આવા ય હતા?</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Gurukilli-of-Power:-Dalitjan,-Bahujan,-Sarvajan">સત્તાની ગુરૂકિલ્લી: દલિતજન, બહુજન, સર્વજન</a><br></span></strong></span></p>
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W" style="color: rgb(224, 62, 45);">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 03 Mar 2024 13:02:02 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 02 Mar 2024 15:59:48 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>384</Articleid>
                    <excerpt>બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે પોતાનું સમગ્ર જીવન સમાજ સેવા અને નૈતિક કાર્યો માટે સમર્પિત કર્યું હતું. તેમણે દલિત, પછાત લોકોને તેમના મૂળભૂત અધિકારોથી વાકેફ કર્યા, અસ્પૃશ્યતા, ધર્મ-જાતિના આધારે ફેલાયેલી કુપ્રથાઓને દૂર કરવા માટે પણ ઘણું કામ કર્યું. તેમના દ્વારા કરવામાં આવેલ આવા અનેક મહાન કાર્યોને કારણે આજે પણ દેશના દરેક વર્ગના લોકો તેમને દિલથી યાદ કરે છે ત્યારે ચાલો જાણીએ બાબાસાહેબના એવા જ કેટલાક કાર્યો વિશે, જેને ભારત સહિત દુનિયા આખી કાયમ યાદ રાખશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65e2fef10b044.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65e2fef0d1b26.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65e2fef0d1b26.jpg" length="80009" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મૌલાના આઝાદઃ  જેમણે દેશને IIT, IIS, UGC, સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ આપી</title>
                    <link>https://khabarantar.com/Maulana-Azad:-Who-gave-the-country-institutions-like-IIT,-IIS,-UGC,-Sahitya-Akademi</link>
                    <guid>https://khabarantar.com/Maulana-Azad:-Who-gave-the-country-institutions-like-IIT,-IIS,-UGC,-Sahitya-Akademi</guid>
                    <description>
                        <![CDATA[ આઝાદ ભારતના પહેલા શિક્ષણમંત્રી ભારત રત્ન મૌલાના અબુલ કલામ આઝાદની ગઈકાલે પુણ્યતિથિ હતી. આઝાદીના 75 વર્ષમાં ચોતરફ શિક્ષણની ઘોર ખોદાઈ રહી છે ત્યારે મૌલાના આઝાદ ચોક્કસ યાદ આવે. કેમ કે, તેમણે શિક્ષણ મંત્રી તરીકે જે કાર્યો કર્યા હતા, તેના પાયા પર આજે પણ દેશનું આખું શિક્ષણતંત્ર ટકેલું છે. પાલનપુરી લેખક હિદાયત પરમાર અહીં બહુમુખી પ્રતિભાના ધણી મૌલાના આઝાદના જીવનના અનેક અજાણ્યા પાસાઓ તરફ આપણને દોરી જાય છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">15 મી ઓગસ્ટ 1947 ના રોજ આપણને મળેલી આઝાદી લાંબા સંઘર્ષનું પરિણામ હતું, જેમાં વિવિધતામાં એકતાના પ્રતિક એવા આપણા ભારતના તમામ વર્ગ અને સમુદાયોના પુરુષો અને મહિલાઓના યોગદાન અને બલિદાન સામેલ હતા. ભારતીય રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં ભારતીય મુસ્લિમોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યા વિના આ આઝાદીની ચળવળ અધૂરી  રહેશ, જે દસ્તાવેજો અને પુસ્તકો રૂપે આપણી પાસે ઉપલબ્ધ છે જ. "જય હિન્દ", "ભારત છોડો", "સાયમન પાછો જા", "ઇન્કિલાબ જિંદાબાદ", "સરફરોશી કી તમન્ના, અબ હમારે દિલ મેં હૈ", "સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા" પ્રખ્યાત દેશભક્તિના સૂત્રો સામાન્ય રીતે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન વપરાતા હતા. સ્વતંત્રતા સંગ્રામના આ નારાઓ મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા રચવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એવા જ અગ્ર હરોળમાં મૂકી શકાય એવા મૌલાના અબુલ કલામ આઝાદની ગઈકાલે પુણ્યતિથી ગઈ. જવાહરલાલ નેહરુએ તેમને મીર-એ-કારવાં (કાફિલાના નેતા) કહ્યા હતા. તેમણે ભારતમાં ઉચ્ચ શિક્ષણનો પાયો નાખ્યો. ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ માનતા હતા કે રાષ્ટ્રીય બજેટમાં શિક્ષણને પ્રાથમિકતા આપવી જોઈએ. ખોરાક અને કપડા પછી શિક્ષણ તેમની દ્રષ્ટિએ મૂળભૂત ત્રીજી જરૂરિયાત છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d82fcfc7853.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૌલાનાના પિતાના અનેક કિંમતી પુસ્તકોને ઊધઈ ખાઈ જતાં તેમણે ઊધઈને ‘જ્ઞાનનો સૌથી મોટો શત્રુ’ ગણાવ્યો હતો. આજથી સો વર્ષ પહેલાં 1923 માં મૌલાના કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જે અત્યાર સુધીના સૌથી યુવા પ્રમુખ બન્યા હતા. તેમની એ વખતે ઉંમર ૩૫ વર્ષની હતી. જીવનના અંત સુધી અખંડ ભારત માટે પ્રતિબદ્ધ રહ્યા. રામચંદ્ર ગુહાના શબ્દોનો ઉપયોગ કરીને કહીએ કે  ‘મેકર્સ ઓફ મોડર્ન ઇન્ડિયા’ એટલે કે આધુનિક ભારતના ઘડતરના પાયામાં રહેલા મુખ્ય સ્તંભો પૈકી મૌલાના આઝાદની શૈક્ષણિક સૂઝ તેમની દીર્ઘદ્રષ્ટિ દર્શાવે છે. મૌલાના આઝાદ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે નિમાયા અને મૃત્યુ પર્યંત (૧૯૫૮ સુધી ) આ સ્થાન શોભાવ્યું. દેશને આપેલી અણમોલ સેવાઓ અને માર્ગદર્શનની કદર રૂપે એમને મરણોત્તર ભારતરત્નના ખિતાબથી ૧૯૯૨માં નવાજવામાં આવ્યા. આઈ.આઈ.ટી (ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી), આઈ.આઈ.એસ(ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયંસ-બેંગ્લોર), આઈ.આઈ.એસ.પી.એસ(ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ્યલ સાયન્સ-નવી દિલ્હી), સાહિત્ય અકાદમી, સંગીત નાટક અકાદમી, લલીત કલા અકાદમી અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ કલ્ચરલ રીસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ, યુનિવર્સીટી ગ્રાન્ટ કમીશન જેવી શિક્ષણ, સંશોધન અને કૌશલ્યોની મહાકાય સંસ્થાઓની સ્થાપનામાં મૌલાનાની અગ્રિમ ભૂમિકા અને પ્રદાનને નજર અંદાઝ કરી શકાય એમ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈતિહાસકાર એસ ઈરફાન હબીબ દ્વારા ઓક્ટોબર ૨૦૨૩માં મૌલાના આઝાદના જીવન ચરિત્ર પરનું પુસ્તક ‘મૌલાના આઝાદઃ અ લાઈફ’ (એલેફ બુક પ્રકાશન) ના વિમોચન પ્રસંગે પ્રસિદ્ધ ઈતિહાસકાર રોમિલા થાપરે જણાવ્યું હતું કે સ્વતંત્રતા ચળવળના નેતાઓની બૌદ્ધિકતા આજના રાજકીય નેતાઓમાં ખૂટે છે.“ તે સમયના ઘણાબધા નેતાઓ બૌદ્ધિક હતા. તેઓ વાંચતા, વિચારતા અને સારા ભાવિ સમાજની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ રહ્યા.” વિમોચનના મુખ્ય અતિથિ રોમીલા થાપરે જણાવ્યું હતું કે, “આઝાદ પરનું આ પુસ્તક વાંચીને, મને સમજાયું કે હું આજે તે વાતાવરણને ખૂબ જ યાદ કરું છું. તે અત્યારે અસ્તિત્વમાં હોય તેવું લાગતું નથી.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d82fec35092.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાદેવભાઈ દેસાઈએ લખેલા મૌલાના આઝાદના જીવન ચરિત્રની પ્રસ્તાવનામાં ૧૯૪૦માં, ગાંધીજીએ લખ્યું હતું કે, “છેક ૧૯૨૦થી મૌલાના અબુલ કલામ આઝાદ સાથે રાષ્ટ્ર માટે સાથે કામ કરવાનો લાભ મને મળ્યો છે એમનું જ્ઞાન અજોડ રહ્યું છે. તેઓ અરબીના મહાન વિદ્વાન છે. ભારતીય ઇતિહાસના કોઈ પણ અભ્યાસીએ એમના આજના સ્થાન(કૉન્ગ્રેસના પ્રમુખ)નો મર્મ પામવો જોઈએ.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડો. મુખ્તાર અહેમદ અંસારી, મૌલાના હસરત મોહાની, હકીમ અજમલ ખાન, બદરુદ્દીન તૈયબજી, રહેમતુલ્લા એમ. સયાની, નવાબ સૈયદ મોહમ્મદ બહાદુર, મૌલાના મોહમ્મદ અલી જોહર, સૈયદ ઈમામ હસન આઝાદી પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. જેમાં મૌલાના અબુલ કલામ આઝાદ પણ 1923 અને 1940માં બે વખત પ્રમુખપદે પસંદગી પામ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મૌલાના અબુલ કલામ આઝાદના પિતાનું નામ મૌલાના ખૈરૂદ્દીન અને માતાનું નામ આલિયા હતું. મૌલાના અબુલ કલામ આઝાદની બંને બહેનો અબ્રુ બેગમ અને ફાતિમા આરઝુ બેગમ, ભારતના પ્રારંભિક નારીવાદી શિક્ષણશાસ્ત્રી પૈકીમાંના હતા. અલીગઢ મહિલા કોલેજ, મહિલા પરિષદ,ઘણીબધી શાળાઓ, હોસ્પિટલો અને કોલેજોની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓએ ઘણા પુસ્તકો લખ્યા અને સંપાદિત કર્યા.આઝાદનું મૂળ નામ અબુલ કલામ મોહિયુંદ્દીન ખૈરુદ્દીન હતું. તેઓ અરબી, ફારસી, ટર્કીશ અને ઉર્દૂ ભાષાઓના મોટા વિદ્વાન હતા. તેમણે બાર વર્ષની નાની વયે ‘નૈરંગ-એ-આલમ’ મેગેઝિન શરૂ કર્યું. તેમના પિતા મૌલાના સૈયદ મુહમ્મદ ખૈરુદ્દીન બિન અહેમદ અલહુસૈનીએ બાર પુસ્તકો લખ્યા હતા, તેમના હજારો શિષ્યો હતા, અને ઉમદા વારસો હતો, જ્યારે તેમની માતા શેખ આલિયા બિન્ત મોહમ્મદ, જે શેખ મોહમ્મદ બિન ઝહીર અલવતરીના પુત્રી હતા, જે પોતે મદીનાના પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. જેમની પ્રતિષ્ઠા અરેબિયાની બહાર પણ વિસ્તરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d82fcf5602c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૌલાના આઝાદનો પરિવાર 1890માં  કલકત્તામાં સ્થાયી થયો હતો. આઝાદે ઘરેથી જ અભ્યાસ કર્યો, એટલે કે સ્વશિક્ષિત હતા. તેમણે ઉર્દૂ, હિન્દી, ફારસી, બંગાળી, અરબી અને અંગ્રેજી સહિતની ઘણી ભાષાઓમાં નાની ઉંમરે નિપુણતા મેળવવાનું શરૂ કર્યું. તેમને તેમના પરિવાર દ્વારા નીમેલા શિક્ષકો દ્વારા હનાફી, મલિકી, શફી અને મ્હાનબલી ફિકહ, શરિયત, ગણિત, ફિલસૂફી, વિશ્વ ઇતિહાસ અને વિજ્ઞાનની મઝહિબમાં પણ તાલીમ આપવામાં આવી હતી. તેઓ એક કાવ્યાત્મક સામયિક (નૈરંગ-એ-આલમ) પ્રકાશિત કરતા હતા અને 1900માં, બાર વર્ષની ઉંમરે સાપ્તાહિક (અલ-મિસ્બાહ)ના સંપાદક બન્યા હતા અને 1903માં લીસાન-ઉસ-સિદક (સત્યવાણી) નામનું માસિક પત્રિકા બહાર પાડ્યુ હતું, જેણે ટૂંક સમયમાં ખુબ લોકપ્રિયતા મેળવી હતી. તેર વર્ષની ઉંમરે તેમના લગ્ન એક યુવાન મુસ્લિમ યુવતી ઝુલૈખા બેગમ સાથે થયા હતા. આઝાદે કુરાન, હદીસ અને ફિકહ અને કલામના સિદ્ધાંતોનું અર્થઘટન કરતા ઘણા ગ્રંથોનું સંકલન કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">24 વર્ષની ઉંમર હતી ત્યારે 1912માં અલ-હિલાલ(બીજનો ચંદ્ર) નામનું ઉર્દૂ સાપ્તાહિક અખબાર સ્થાપ્યું, તેના એ વખતે ૨૬ હજાર ગ્રાહકો હતા. સામાન્ય લોકો સામેના પડકારોની શોધ કરતી વખતે બ્રિટિશ નીતિઓ પર ખુલ્લેઆમ હુમલો કર્યો, પરંતુ 1914માં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને રાંચીમાં નજરકેદ કરવામાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત સાથે, અંગ્રેજોએ સેન્સરશીપ અને રાજકીય ગતિવિધિઓ પરના નિયંત્રણોને કડક  બનાવ્યા. પરિણામે આઝાદના અલ-હિલાલને પ્રેસ એક્ટ હેઠળ 1914માં પ્રતિબંધિત કરવામાં આવ્યું. આઝાદે એક નવું જર્નલ, અલ-બલાગ શરૂ કર્યું, જેણે રાષ્ટ્રવાદી કારણો અને કોમી એકતા માટે સક્રિય સમર્થન વધાર્યું. આ સમયગાળામાં આઝાદ પણ ખિલાફત આંદોલનના સમર્થનમાં સક્રિય બન્યા હતા. આઝાદને ભારતીય મુસ્લિમોને ઉત્સાહિત કરવાની અને સંઘર્ષ દ્વારા મોટા રાજકીય અને સામાજિક સુધારા હાંસલ કરવાની તક મળી. ભારતભરમાં તેમની લોકપ્રિયતા વધવાથી, સરકારે ડિફેન્સ ઑફ ઈન્ડિયા રેગ્યુલેશન્સ એક્ટ હેઠળ આઝાદના બીજા પ્રકાશનને ગેરકાયદેસર ઠેરવ્યું અને તેમની ધરપકડ કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ તેમણે તેર વર્ષની નાની ઉંમરે, સાહિત્યિક ટીકા પર લેખો લખ્યા, જેના માટે તેઓ એક મોટાગજાના વિદ્વાન, કવિ અને બૌદ્ધિક તરીકે વખાણાયા. તેમણે 1904 માં અખિલ ભારતીય મુસ્લિમ શૈક્ષણિક પરિષદ અને અખિલ ભારતીય મુસ્લિમ સંપાદકોના સંમેલનમાં ભાગ લીધો હતો. તેમનો શરૂઆતી અભિપ્રાય હતો કે વિદેશી શાસકોને હરાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ એકમાત્ર સમાધાન છે. તે સમયગાળા દરમિયાન તેમણે વિવિધ ક્રાંતિકારી સંસ્થાઓ શરૂ કરી. પરંતુ, તેમણે પહેલી વાર મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરી ત્યારે 1920 જાન્યુઆરીથી તેમણે પોતાનો ક્રાંતિકારી માર્ગ છોડી દીધો. ત્યારથી, તેમણે અહિંસક આંદોલનને ટેકો આપ્યો. તેમણે ખિલાફત અને અસહકાર આંદોલનમાં ખૂબ સક્રિયપણે ભાગ લઈ રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. વિદેશી શાસન સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમણે ઘણાં પુસ્તકો લખ્યા. તેમની તમન્ના ભારતીય રાષ્ટ્રીય ચળવળ વિશે માહિતી આપવાની અને લોકોને બ્રિટીશરો સામે લડવાની પ્રેરણા આપવાની હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમના સામયિકો પર ઘણી વખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન, તેમણે દસ વર્ષ અને સાત મહિના સુધી દેશની જુદી જેલોમાં પોતાનું જીવન વ્યતીત કર્યું. પોતે અહિંસા માટે ઊંડે પ્રતિબદ્ધ બનીને, અરવિંદો ઘોષ, જવાહરલાલ નેહરુ, ચિત્તરંજન દાસ અને સુભાષ ચંદ્ર બોઝ જેવા સાથી રાષ્ટ્રવાદીઓની વધુ નજીક આવ્યા.</span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">ભારતીય સ્વાતંત્ર્યતા સંગ્રામ દરમિયાન અને સ્વતંત્રતા પછીના યુગમાં પણ, મૌલાના અબુલ કલામ આઝાદ જીવ્યા ત્યાં સુધી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સુમેળની ઇચ્છા રાખતા હતા. વતન રૂપે ભારતીય કર્મભૂમિને સમૃદ્ધ કરવામાં સિંહફાળો આપનારા મૌલાના આઝાદ વતન-દેશની સ્વતંત્રતા તેમજ પ્રગતિ માટે આજીવન ઝઝૂમતા રહ્યા. માત્ર અંગ્રેજોએ જ નહિ, સંકીર્ણવાદી નેતૃત્વે પણ એમના માર્ગમાં અનેક અવરોધો ઉભા કરવામાં પાછીપાની કરી નહીં. અડગ પત્રકાર, શિષ્ટ સંપાદક, ઊંડા ચિંતક અને મેધાવી લેખક-વક્તા હિંદુ-મુસ્લિમ એકતાના અસલ ભારતીય પ્રહરી તરીકે એમણે ઉચ્ચારેલા ચિરંજીવી શબ્દો હતાઃ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">“આજે અગર કોઈ ફરિશ્તો આસમાનની ઊંચાઈથી ઉતરી આવે અને દિલ્હીના કુતુબમિનાર ઉપર ઉભો રહીને એલાન કરે કે ભારતને આઝાદી 24 કલાકમાં જ મળી શકે છે, શરત એ કે હિન્દુસ્તાન હિન્દુ-મુસ્લિમ એકતાને તોડી નાંખે તો હું આઝાદીને કબૂલ નહીં કરું .અગર આઝાદી મળવામાં સમય લાગશે તો હિન્દુસ્તાનનું નુકશાન થાશે પણ જો આપણી એકતા તૂટી જશે તો એ પૂરી દુનિયાની ઈન્સાનિયતનું નુકશાન થશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૌલાના અઝાદની નખશિખ દેશભક્તિ અને તેમનું કોમી એકતા પ્રત્યેનું સમર્પણ એ બાબતથી પણ પરખાય છે કે  પોતાની આત્મકથા “ઈન્ડિયા વીન્સ ફ્રીડમ”ની રોયલ્ટીની અડધી રકમમાંથી તેઓએ ભારત અથવા પાકિસ્તાનના કોઈ બિન મુસ્લિમને અંગ્રેજી ભાષામાં ઈસ્લામ વિશે ઉત્તમ પુસ્તક લખવા કે મુસ્લિમને હિંદુ ધર્મ વિશે પુસ્તક, લખવા પુરસ્કાર આપવાની યોજનાની પોતાના વસિયતમાં જોગવાઈ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય સંસદના નીચલા ગૃહ, 1952માં લોકસભા અને ફરીથી 1957માં ચૂંટાયેલા, મૌલાના આઝાદે નેહરુની સમાજવાદી આર્થિક અને ઔદ્યોગિક નીતિઓ તેમજ મહિલાઓ અને તકોને ભારતીયો માટે સામાજિક અધિકારો અને આર્થિક તકોને આગળ વધારવાનું સમર્થન કર્યું હતું. 1956માં તેમણે દિલ્હીમાં યોજાયેલી યુનેસ્કો જનરલ કોન્ફરન્સના પ્રમુખ તરીકે સેવા આપી હતી. આઝાદે તેમના જીવનના અંતિમ વર્ષો તેમના પુસ્તક ‘ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’ (ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ) અને તેના નેતાઓનું સંપૂર્ણ વર્ણન, લખવામાં વિતાવ્યા હતા, જે 1959માં પ્રકાશિત થયું હતું,</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન તરીકે, તેમણે ગ્રામીણ ગરીબો અને કન્યાઓને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઑફ એજ્યુકેશનના અધ્યક્ષ તરીકે, તેમણે પુખ્તવાય સાક્ષરતા, સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ, 14 વર્ષ સુધીના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ, કન્યા અને માધ્યમિક શિક્ષણ, વ્યાવસાયિક તાલીમમાં વૈવિધ્યકરણ પર ભાર મૂક્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમનો જન્મદિવસ, 11 નવેમ્બર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેની શરૂઆત ૨૦૦૮થી સરકારી રહે કરવામાં આવી. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો. નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતું, દરેકના ચહેરા ગમગીન હતા. જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10:15 10.15કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">21 ફેબ્રુઆરીની સવારે જ ડૉક્ટરોએ તેમના મૃત્યુની જાહેરાત કરી દીધી હતી, પરંતુ આશ્ચર્ય થયું કે શરીરના મૃત્યુ પછી પણ મૌલાનાનું મન ચોવીસ કલાક સુધી કેવી રીતે જીવંત રહ્યું! ડૉ. વિધાનચંદ્ર કહે છે જ્યારે હું મૌલાનાને ઈન્જેક્શન આપવા જતો હતો ત્યારે મૌલાના કહે, 'હવે અલ્લાહ પર છોડી દો અને મને આ પાંજરામાંથી (ઓક્સિજનના સિલિન્ડર તરફ ઈશારો કરીને) મુક્ત કરો. મૌલાનાના મૃત્યુએ બધાને શિથીલ કરી દીધા, કારી તૈયબ બેભાન અવસ્થામાં હતા, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ રડી રહ્યા હતા, પંડિત નેહરુ વારંવાર લોકોની ભીડમાં જતા રહેતા અને જ્યારે સુરક્ષાકર્મી તેમને રોકતા ત્યારે તેઓ કહેતા કે તમે કોણ છો? શું તમે મને મૃત્યુથી બચાવી શકો તો અંદર જઈને મૌલાનાને બચાવો! ઘરમાં મૌલાનાની બહેન આરઝૂ બેગમની હાલત ખરાબ હતી, તેમની પાસે ઈન્દિરા ગાંધી, અરુણા અસફ અલી હાજર હતા. મૌલાનાને એક હજાર જમીની સૈન્ય, એક હજાર હવાઈ અને ત્રણસો દરિયાઈ સૈનિકોએ સલામી આપી, મૌલાના અહમદ સઈદ દહલવીએ નમાઝ-એ-જનાઝા અદા કરી અને મૌલાનાને તેમના માલિક હકીકીની મુલાકાત માટે કબરમાં ઊતારી દેવામાં આવ્યા. મૌલાનાને દફનાવ્યા પછી લોકો તેમની કોઠી પર પાછા આવ્યા.  નેહરુ પણ આવ્યા, તેઓ ક્યારેક મૌલાનાના પુસ્તકો હાથમાં લઈ ઊલટતા તો ક્યારેક ઊભા થઈને ક્યારી પર જતા, જ્યાં મૌલાના ચાલતા હતા; નેહરુએ ત્યાં વાવેલા ફૂલોને પૂછ્યું, મૌલાના પછી પણ ખીલશો?</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d8301163fef.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુબાર-એ-ખાતીર (Sallies of Mind) એ મૌલાના અબુલ કલામ આઝાદની સૌથી મહત્વપૂર્ણ રચનાઓમાંની એક છે, જે મુખ્યત્વે 1942 થી 1946 દરમિયાન લખવામાં આવી હતી જ્યારે તેઓ અહમદનગર કિલ્લાની જેલમાં કેદ હતા. આ પુસ્તક મૂળભૂત રીતે તેમણે તેમના નજીકના મિત્ર મૌલાના હબીબુર રહેમાન ખાન શેરવાનીને સંબોધીને લખેલા 24 પત્રોનો સંગ્રહ છે. આ પત્રો તેમને ક્યારેય મોકલવામાં આવ્યા ન હતા કારણ કે જેલવાસ દરમિયાન તેના માટે કોઈ પરવાનગી ન હતી અને 1946 માં મુક્ત થયા પછી, તેમણે આ બધા પત્રો તેમના મિત્ર અજમલ ખાનને આપ્યા જેમણે તેને 1946માં પ્રથમ વખત પ્રકાશિત કરી. તાજ્કીરા અને કુરાન પર તરજુમાન અલ-કુરાન લખી.મૌલાના જમાલુદ્દીન અફઘાની અને શિબલી નોમાનીથી ખુબ પ્રભાવિત હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નાની ઉંમરે મેળવેલી વિદ્વત્તાના અનુસંધાને સરોજિની નાયડું કે જેમણે પોતે પણ ખુબ જ નાની ઉંમરે વિદ્વત્તા હાંસલ કરી હતી, વિવેકપૂર્ણ રીતે કહ્યું હતું કે, "મૌલાના જ્યારે જન્મ્યા ત્યારે ૫૦ વર્ષના હતા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આસફઅલીએ કહ્યું હતું કે “उर्दू जबान को हंमेशा इस बात पर फक्र रहेगा के वो अबुल कलाम की जबां से बोली गई और उनकी कलम से लिखी गई.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હસરત મોહાનીની કવિતાના શબ્દો હતાઃ</span><br><span style="font-size: 14pt;">“जब से देखी अबुल कलाम की नस्र </span><br><span style="font-size: 14pt;">नज्म ए हसरत में भी मजा न रहा”</span></p>
<p><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>હિદાયત પરમાર (લેખક વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)</strong></span></p>
<p><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>આ પણ વાંચો : </strong></span><a href="https://khabarantar.com/Mirza-Ghalib:-Shayar-to-wo-achcha-hai,-par-badnam-bahut-hai"><strong><span style="font-size: 14pt;">મિર્ઝા ગાલિબ : શાયર તો વો અચ્છા હૈ, પર બદનામ બહુત હૈ...</span></strong></a></p>
<p><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 23 Feb 2024 11:37:09 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>364</Articleid>
                    <excerpt>આઝાદ ભારતના પહેલા શિક્ષણમંત્રી ભારત રત્ન મૌલાના અબુલ કલામ આઝાદની ગઈકાલે પુણ્યતિથિ હતી. આઝાદીના 75 વર્ષમાં ચોતરફ શિક્ષણની ઘોર ખોદાઈ રહી છે ત્યારે મૌલાના આઝાદ ચોક્કસ યાદ આવે. કેમ કે, તેમણે શિક્ષણ મંત્રી તરીકે જે કાર્યો કર્યા હતા, તેના પાયા પર આજે પણ દેશનું આખું શિક્ષણતંત્ર ટકેલું છે. પાલનપુરી લેખક હિદાયત પરમાર અહીં બહુમુખી પ્રતિભાના ધણી મૌલાના આઝાદના જીવનના અનેક અજાણ્યા પાસાઓ તરફ આપણને દોરી જાય છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65d82fa7077e4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d82fa6c977e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d82fa6c977e.jpg" length="62102" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મુસલમાનોના નહીં કટ્ટરપંથીઓના દુશ્મન હતા શિવાજી મહારાજ</title>
                    <link>https://khabarantar.com/Shivaji-Maharaj-was-the-enemy-of-fanatics-not-Muslims</link>
                    <guid>https://khabarantar.com/Shivaji-Maharaj-was-the-enemy-of-fanatics-not-Muslims</guid>
                    <description>
                        <![CDATA[ આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ થયો હતો. તેમણે દિલ્હીની સત્તા સામે પ્રાદેશિક આકાંક્ષાઓનો ધ્વજ ઊંચકીને પોતાના રાજ્યની સ્થાપના કરી, જેમાં સુશાસનના ઘણા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા હતા. દુઃખની વાત એ છે કે હિંદુત્વની રાજનીતિએ શિવાજી જેવા યોદ્ધા અને શાસકને માત્ર &#039;હિંદુઓના પ્રતીક&#039; બનાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. પણ હકીકત એ છે કે શિવાજી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ફરક નહોતા કરતા. તેમના સેનાપતિઓથી લઈને અંગરક્ષકો સુધી મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં, ગોવિંદ પાનસરેનું પ્રખ્યાત પુસ્તક “શિવાજી કોણ હતા?” મહત્વનું છે. અહીં તેના એક મહત્વના પ્રકરણની ચર્ચા કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવાજી પાસે ઘણાં મુસ્લિમ સેનાપતિઓ, સરદારો અને સેવકો હતા અને તેઓ અત્યંત જવાબદાર હોદ્દા પર હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવાજીના તોપખાનાના વડા મુસ્લિમ હતા. તેમનું નામ ઈબ્રાહીમ ખાન હતું. તોપખાનું એટલે સેનાનો એક મહત્વનો વિભાગ, તેની પાસે હતો. તોપ તે જમાનાનું સૌથી વિકસિત હથિયાર હતું. કિલ્લાના યુદ્ધમાં તેમનું ઘણું મહત્વ હતું. આવા તોપખાનાના વડા મુસ્લિમ હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d317f1b4b37.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નૌકાદળની સ્થાપનાને છત્રપતિ શિવાજી મહારાજની દૂરંદેશીનું ઉદાહરણ માનવામાં આવે છે અને તે યોગ્ય છે. કોંકણ પટ્ટાની વિશાળ જમીન સમુદ્રની નજીક હતી. આ સમગ્ર વિસ્તારની સુરક્ષા માટે નૌકાદળ અનિવાર્ય હતું. શિવાજીએ તેને તૈયાર કર્યું અને આવા મહત્વના વિભાગના વડા પણ મુસ્લિમ સેનાપતિ હતા. તેમનું નામ દૌલતખાન, દરિયાસારંગ દૌલતખાન હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવાજીના ખાસ અંગરક્ષકો અને અંગત નોકરોમાં અત્યંત વિશ્વાસુ મદારી મહેતરનો સમાવેશ થતો હતો. આગ્રાથી ભાગી જવાના નાટકીય પ્રકરણમાં આ વિશ્વાસુ મુસ્લિમ સાથીએ શિવાજીને શા માટે ટેકો આપ્યો? જો શિવાજી મુસ્લિમ વિરોધી હોત તો કદાચ આવું ન થાત.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાઝી હૈદર શિવાજીના મુસ્લિમ સેવકોમાંનો એક હતો. સાલેરીના યુદ્ધ પછી, ઔરંગઝેબના નેતૃત્વ હેઠળના દક્ષિણના અધિકારીઓએ શિવાજી સાથે મિત્રતા સ્થાપિત કરવા માટે એક બ્રાહ્મણ વકીલને મોકલ્યો, જેના જવાબમાં શિવાજીએ કાઝી હૈદરને મુઘલો પાસે મોકલ્યો, એટલે કે, મુસ્લિમોનો વકીલ હિંદુ અને હિંદુઓનો વકીલ મુસ્લિમ હતો. એ જમાનામાં જો સમાજનું વિભાજન હિન્દુ-વિરુદ્ધ-મુસ્લિમ હોત તો આવું ન થયું હોત.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિદ્દી હિલાલ, આવા જ એક મુસ્લિમ સરદાર હતા જે શિવાજી સાથે હતા. 1660માં શિવાજીએ રાયબાગ પાસે રૂસ્તમ જામા અને ફઝલ ખાનને હરાવ્યા હતા. આ સમયે સિદ્દી હિલાલ શિવાજી તરફથી લડ્યા હતા. એ જ રીતે, જ્યારે સિદ્દી જૌહરે 1660માં પન્હાલગઢ કિલ્લાને ઘેરો ઘાલ્યો, ત્યારે નેતાજી પાલકરે તેમની સેના પર હુમલો કરીને ઘેરો હટાવવાનો પ્રયાસ કર્યો, તે સમયે હિલાલ અને તેમનો પુત્ર પણ શિવાજી સાથે હતા. આ અથડામણમાં સિદ્દી હિલાલનો પુત્ર બહબા ઘાયલ થયો અને તેને પકડી લેવામાં આવ્યો. સિદ્દી હિલાલે તેના પુત્ર સાથે 'હિંદુ શિવાજી' વતી મુસ્લિમો સામે લડત આપી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d317efaf62b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો આ યુદ્ધોનું સ્વરૂપ હિંદુ વિરુદ્ધ મુસ્લિમ જ રહ્યું હોત તો પરિણામ શું આવ્યું હોત? “સભાસદ બખાર” ના પાના 76 પર શિવાજીના આવા જ એક શિલેદારનો ઉલ્લેખ છે. તેનું નામ શમાખાન હતું. રાજવાડે દ્વારા લખાયેલ પુસ્તક “ મરાઠોં કે ઈતિહાસ કે સ્ત્રોત”ના ખંડ 17 પર પૃષ્ઠ 17 “નૂરખાન બેગ”નો ઉલ્લેખ શિવાજીના સરનોબત તરીકે કરવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;">સ્પષ્ટ છે કે આ સરદાર એકલા ન હતા. તેઓ તેમના અન્ય સૈનિકો સાથે શિવાજીની સેવામાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, આના કરતાં વધુ મહત્વનો બીજો અધિકૃત પુરાવા છે, જેનાથી શિવાજી મહારાજની મુસ્લિમ અનુયાયીઓ પ્રત્યેની નીતિ સ્પષ્ટ થાય છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d317f271dba.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિયાસતકાર સરદેસાઈ દ્વારા લખાયેલ પુસ્તક “સામર્થ્યવાન શિવાજી”માંથી આ ઉદાહરણ જુઓ-</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1648ની આસપાસ, બીજાપુરની સેનાના પાંચ-સાતસો પઠાણો નોકરી માટે શિવાજી પાસે પહોંચ્યા, પછી ગોમાજી નાઈક પનસંબલે તેમને સલાહ આપી, જેને શિવાજીએ યોગ્ય માનીને સ્વીકારી અને ભવિષ્યમાં પણ એ જ નીતિ જાળવી રાખી. નાઈકે કહ્યું, “આ લોકો તમારી ખ્યાતિ સાંભળીને આવ્યા છે, તેમને નિરાશ કરીને પાછા મોકલવા યોગ્ય નથી. હિંદુઓને જ ભેગા કરો, બીજા સાથે કોઈ સંબંધ ન રાખો - જો આ સમજણ જળવાઈ રહેશે તો રાજ્ય પ્રાપ્ત થશે નહીં. "જેણે શાસન કરવું હોય તેણે અઢાર જાતિ અને ચારેય વર્ણના લોકોને સાથે લઈને ચાલવું જોઈએ."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d3183927616.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 1648માં, જ્યારે શિવાજીનું સંપૂર્ણ શાસન હજી સ્થાપિત થવાનું હતું, ત્યારે ઉપરોક્ત ઉદાહરણ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમના શાસનની સ્થાપના માટે તેમની નીતિનો આધાર શું હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવાજીના ચરિત્ર પરના તેમના પુસ્તકમાં, ગ્રાન્ટ ડફે પણ પૃષ્ઠ 129 પર ગોમાજી નાઈકની સલાહનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે -</span><br><span style="font-size: 14pt;">"આ પછી શિવાજીએ મુસ્લિમોને પણ પોતાની સેનામાં સામેલ કર્યા અને તેઓ રાજ્યની સ્થાપનામાં ખૂબ જ ઉપયોગી સાબિત થયા."</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65d3189eb2128.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિવાજીના સરદારો અને શિવાજીની સેનામાં માત્ર હિંદુઓ જ નહોતા. તેમની સાથે મુસ્લિમ સમુદાયના લોકોની પણ ભરતી કરવામાં આવી હતી. જો શિવાજી મુસ્લિમ સમુદાયને ખતમ કરવાનું કામ કરતા હોત તો તે મુસ્લિમો શિવાજી સાથે ન રહ્યા હોત. શિવાજી મુસ્લિમ શાસકોના અત્યાચારી શાસનનો અંત લાવવા નીકળ્યા હતા. તેમને પ્રજાની ચિંતા કરતા સાશનની સ્થાપના માટે નીકળ્યા હતા એટલે જ મુસ્લિમો પણ તેમના કામમાં ભાગીદાર બન્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્ય પ્રશ્ન ધર્મનો નહોતો. શાસનનો પ્રશ્ન મુખ્ય હતો. ધર્મ મુખ્ય નહોતો, રાજ્ય મુખ્ય હતું. ધર્મ પ્રત્યેની વફાદારી મુખ્ય વસ્તુ ન હતી, રાજ્ય પ્રત્યેની વફાદારી અને સ્વામી પ્રત્યેની વફાદારી મહત્વની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Have-you-ever-heard-and-read-this-Vivekanandavani"><strong><span style="font-size: 14pt;">કદી સાંભળી-વાંચી છે આ વિવેકાનંદ વાણી?</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 19 Feb 2024 16:40:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>353</Articleid>
                    <excerpt>આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ થયો હતો. તેમણે દિલ્હીની સત્તા સામે પ્રાદેશિક આકાંક્ષાઓનો ધ્વજ ઊંચકીને પોતાના રાજ્યની સ્થાપના કરી, જેમાં સુશાસનના ઘણા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા હતા. દુઃખની વાત એ છે કે હિંદુત્વની રાજનીતિએ શિવાજી જેવા યોદ્ધા અને શાસકને માત્ર &#039;હિંદુઓના પ્રતીક&#039; બનાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. પણ હકીકત એ છે કે શિવાજી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ફરક નહોતા કરતા. તેમના સેનાપતિઓથી લઈને અંગરક્ષકો સુધી મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં, ગોવિંદ પાનસરેનું પ્રખ્યાત પુસ્તક “શિવાજી કોણ હતા?” મહત્વનું છે. અહીં તેના એક મહત્વના પ્રકરણની ચર્ચા કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65d317eda4417.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d317ed668f2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65d317ed668f2.jpg" length="131101" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>માતા રમાબાઈઃ એ મહિલા જેમના ત્યાગે &amp;apos;ભીમા&amp;apos; ને ડો. ભીમરાવ આંબેડકર બનાવ્યા</title>
                    <link>https://khabarantar.com/Mata-Ramabai:-The-woman-whose-sacrifice-made-Bhima-Dr.-Made-by-Bhimrao-Ambedkar</link>
                    <guid>https://khabarantar.com/Mata-Ramabai:-The-woman-whose-sacrifice-made-Bhima-Dr.-Made-by-Bhimrao-Ambedkar</guid>
                    <description>
                        <![CDATA[ કહેવાય છે કે એક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. જો આ જ વાત જિનિયસ ડૉ. ભીમરાવ આંબેડકરની સફળતા વિશે કહેવી હોય તો ચોક્કસ માતા રમાબાઈને તેનો શ્રેય આપવો પડે. બાબાસાહેબના અર્ધાંગિનીના ઉલ્લેખ વિના તેમની સફળતાની કહાની અધૂરી ગણાય. આજે માતા રમાબાઈની જન્મજયંતિનો દિવસ છે ત્યારે એ ત્યાગમૂર્તિને યાદ કરીએ જેના કારણે આપણને ભીમામાંથી જિનિયસ ડૉ. ભીમરાવ આંબેડકર મળ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય બંધારણના રચયિતા અને આઝાદ ભારતના પ્રથમ કાયદામંત્રી ડૉ. ભીમરાવ આંબેડકરે તેમના જીવનમાં ડગલેને પગલે પડકારોનો સામનો કર્યો પરંતુ ક્યારે અટક્યા નહીં. આ સંઘર્ષમય સફરમાં ઘણાં બધાં લોકોએ તેમને સાથ આપ્યો. કયારેક તેમની શાળાના શિક્ષકે તેમની અસામાન્ય પ્રતિભાથી પ્રભાવિત થઈને તેમની અટક આપી દીધી, તો વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ મોકલી આપ્યા. આ બધાં વચ્ચે એક નામોલ્લેખ વિના બાબાસાહેબની સફળતાની કહાણી અધૂરી રહી જાય, અને તે નામ એટલે માતા રમાબાઈ આંબેડકર.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમાબાઈ ડૉ. આંબેડકરના પત્ની હતા. આજે પણ લોકો તેમને 'માતોશ્રી'ના નામથી ઓળખે છે. માતા રમાબાઈ આંબેડકર(Ramabai Ambedkar) નો જન્મ 7 ફેબ્રુઆરી 1898ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના વણંદગામમાં એક અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. તેઓ પિતા ભિખુ ઘુત્રે(વળંગકર) અને માતા રુક્મણી સાથે વણંદગામમાં નદી કિનારે મહારપુરા વસ્તીમાં રહેતા હતા. તેમને 3 બહેનો અને શંકર નામના એક ભાઈ હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c3547b4d91d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના પિતા માછલીઓ ભરેલી ટોપલી બજારમાં પહોંચાડવાનું કામ કરતા હતા. સતત વજન માથે ઉચકવાને કારણે તેમને કાયમ છાતીમાં દર્દની ફરિયાદ રહેતી હતી. રમાબાઈ નાનપણમાં જ માતાને ખોઈ ચૂક્યા હતા. બિમારીને કારણે તેમનું નિધન થયું હતું. માતાના અવસાનની તેમના મન પર ભારે અસર થઈ હતી. થોડા સમય પછી તેમના પિતાનું પણ અવસાન થયું અને આખો પરિવાર એકલો પડી ગયો. એ પછી તેમના વલંગકર કાકા અને ગોવિંદપુરકર મામા બધાં બાળકોને લઈને મુંબઈ જતા રહ્યાં અને અહીંની ભાયખલા ચાલીમાં રહેવા લાગ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ દરમિયાન તેમની મુલાકાત સૂબેદાર રામજી સકપાલ સાથે થઈ. તેઓ તેમના પુત્ર ભીમરાવ માટે કન્યા શોધી રહ્યા હતા. ત્યાં તેમને રમાબાઈ વિશે ખ્યાલ આવ્યો. તેઓ રમાબાઈને જોવા ગયા, રમાબાઈ તેમને પસંદ આવ્યા અને તેમણે પુત્ર ભીમરાવ સાથે તેમના લગ્ન કરાવવાનો નિર્ણય કરી લીધો. લગ્નની તારીખ નક્કી થઈ અને એપ્રિલ 1906માં રમાબાઈના લગ્ન 9 વર્ષની ઉંમરમાં બૉમ્બે(હવે મુંબઈ)ના બાયકુલા માર્કેટમાં 14 વર્ષના ભીમરાવ સાથે થયા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લગ્ન સમયની પરિસ્થિતિનું કરૂણાસભર વર્ણન પદ્મભૂષણ ડૉ. ધનંજય કીરે બાબાસાહેબના જીવનચરિત્રમાં અદ્દભૂત રીતે કર્યું. ‘ડો. આંબેડકરઃ જીવન અને કાર્ય’ નામના આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ મૂળજીભાઈ ખુમાણે દેવેન્દ્ર કર્ણિક સાથે મળીને કર્યો છે. જેમાં બાબાસાહેબ અને માતા રમાબાઈના લગ્ન વખતે બાયકુલા માર્કેટમાં વરસતા વરસાદમાં કેવી રીતે લગ્ન લેવાયા હતા તેનું કરૂણાસભર વર્ણન કરાયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રમાબાઈને ભીમરાવ પ્રેમથી 'રામૂ' કહી બોલાવતા હતા અને તેઓ તેમને 'સાહેબ' કહીને બોલાવતા. લગ્ન પછી તરત જ રમાબાઈને સમજાઈ ગયું હતું કે વંચિત વર્ગોનું ઉત્થાન જ બાબાસાહેબના જીવનનું લક્ષ્ય છે. અને એ ત્યારે જ સંભવ હતું, જ્યારે તે ખુદ એટલા શિક્ષિત થાય કે પૂરા દેશમાં શિક્ષણની મશાલ પ્રગટાવી શકે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબાસાહેબના આ સંઘર્ષમાં રમાબાઈએ તેમના છેલ્લા શ્વાસ સુધી સાથ આપ્યો. બાબાસાહેબે પણ પોતાના જીવનમાં રમાબાઈના યોગદાનને ખૂબ જ મહત્વપૂર્ણ માન્યો છે. તેમણે પોતાના પુસ્તક 'થોટ્સ ઓન પાકિસ્તાન' ને રમાબાઈને સમર્પિત કરતા લખ્યું કે, તેમને મામુલી ભીમાથી ડો.આંબેડકર બનવાનો શ્રેય રમાબાઈને જાય છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c3547a98af0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરેક પરિસ્થિતિમાં રમાબાઈ બાબાસાહેબને સાથ આપતા રહ્યા. બાબાસાહેબ વર્ષો સુધી પોતાના શિક્ષણ માટે બહાર રહ્યા અને એ સમયમાં લોકોની ખરીખોટી વાતો સાંભળવાની સાથે પણ રમાબાઈએ ઘર સંભાળી રાખ્યું. ક્યારેક તેઓ ઘેર ઘેર જઈને ઉપલા વેચતાં, તો ઘણીવાર બીજાના ઘરોમાં કામ કરતા હતા. તેઓ દરેક નાનું મોટું કામ કરી આજીવિકા મેળવતા અને બાબાસાહેબના શિક્ષણના ખર્ચ માટે પણ મદદ કરતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જીવનની જદ્દોજહદમાં તેમના અને બાબાસાહેબના પાંચ બાળકોમાંથી માત્ર યશવંત જ જીવિત રહ્યાં. તેમ છતાં પણ રમાબાઈ હિંમત હાર્યા વિના બાબાસાહેબનું મનોબળ વધારતા રહ્યા. બાબાસાહેબ અને આ દેશના લોકો પ્રત્યે જે સમર્પણ રમાબાઈનું હતું, તેને જોતાં ઘણાં લેખકોએ તેમને 'ત્યાગવંતી' નું સન્માન આપ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે બાબાસાહેબ આંબેડકરની જેમ જ માતા રમાબાઈના જીવન પર પણ નાટક, ફિલ્મ વગેરે બને છે. તેમના નામ પર દેશની ઘણી સંસ્થાઓના નામ પણ રાખવામાં આવ્યા છે. એમના પર ‘रमाई,’ ‘त्यागवंती रमामाऊली,’ અને ‘प्रिय रामू’ જેવા શિર્ષકોથી પુસ્તકો લખાયા છે. પુરા 29 વર્ષ સુધી બાબાસાહેબનો સાથ નિભાવ્યા પછી 1935માં 27મી મેના દિવસે એક લાંબી બિમારીના કારણે માતા રમાબાઈનું નિધન થઈ ગયું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિદાયત પરમાર (લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/If-you-do-not-have-a-meal,-eat-bread-in-hand-and-teach-your-children"><strong><span style="font-size: 14pt;">ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 07 Feb 2024 15:33:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>323</Articleid>
                    <excerpt>કહેવાય છે કે એક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. જો આ જ વાત જિનિયસ ડૉ. ભીમરાવ આંબેડકરની સફળતા વિશે કહેવી હોય તો ચોક્કસ માતા રમાબાઈને તેનો શ્રેય આપવો પડે. બાબાસાહેબના અર્ધાંગિનીના ઉલ્લેખ વિના તેમની સફળતાની કહાની અધૂરી ગણાય. આજે માતા રમાબાઈની જન્મજયંતિનો દિવસ છે ત્યારે એ ત્યાગમૂર્તિને યાદ કરીએ જેના કારણે આપણને ભીમામાંથી જિનિયસ ડૉ. ભીમરાવ આંબેડકર મળ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65c3547c369e3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c3547be665f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c3547be665f.jpg" length="65175" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>કદી સાંભળી&amp;વાંચી છે આ વિવેકાનંદ વાણી?</title>
                    <link>https://khabarantar.com/Have-you-ever-heard-and-read-this-Vivekanandavani</link>
                    <guid>https://khabarantar.com/Have-you-ever-heard-and-read-this-Vivekanandavani</guid>
                    <description>
                        <![CDATA[ ગઈકાલે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ હતી.સરેરાશ ભારતીયના મનમાં તેમની ઓળખ એક એવા ભારતીય આધ્યાત્મિક ગુરૂની રહી છે જેમણે દુનિયાને વેદાંત અને હિંદુ દર્શનનો પરિચય કરાવ્યો હતો. પરંતુ વરિષ્ઠ પત્રકાર અને લેખક ચંદુ મહેરિયા અહીં આપણને એક જુદા વિવેકાનંદનો પરિચય કરાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">માત્ર ઓગણચાળીસ વરસની આવરદા ધરાવતા સ્વામી વિવેકાનંદ(૧૮૬૩-૧૯૦૨)ના જન્મને લગભગ એકસો સાઠ અને દેહવિલયને એકસો વીસ કરતાં વધુ વરસો થયાં છતાં તેઓના ઘણાં વિચારો આજેય પ્રસ્તુત છે. ત્રીસ વરસની ઉંમરે અમેરિકાના શિકાગોમાં યોજાયેલા વિશ્વ ધર્મ સંમેલનમાં આપેલા વ્યાખ્યાનથી તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. વિવેકાનંદની ઓળખ એક એવા ભારતીય આધ્યાત્મિક ગુરુની રહી છે જેમણે દુનિયાને વેદાંત અને હિંદુ દર્શનનો પરિચય કરાવ્યો હતો. જોકે રાજકીય હિંદુત્વને વરેલા દેશના જમણેરી બળો તેમની પસંદગીના વિવેકાનંદને રજૂ કરીને પ્રખર સામાજિક ચેતના ધરાવતા સમાજવિજ્ઞાની સન્યાસી વિવેકાનંદને ઢાંકી રાખે છે.</span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">વિવેકાનંદ દેશદેશાવરના યુવાનોના ઓલટાઈમ ફેવરિટ  હીરો છે. યુવાનોને તેમણે કરેલું આહ્વાન ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” પોપટપાઠની જેમ રટવામાં આવે છે પણ વિવેકાનંદે યુવાનોને ક્યા ધ્યેય માટે મંડ્યા રહેવાનું કહ્યું હતું તે સગવડપૂર્વક ભૂલાવી દેવાયું છે. અનેક મહાપુરુષોની એ નિયતી રહી છે કે તેમનાં પૂતળાં પૂજાય છે પણ તેમનાં પુસ્તકો વંચાતા નથી! વિવેકાનંદના વ્યાખ્યાનો, વિમર્શ અને લેખન નવ ખંડોમાં પ્રકાશિત થયા છે. ઉપરાંત લઘુ પુસ્તિકાઓના રૂપમાં પણ વિવેકાનંદના વિચારો ઉપલબ્ધ છે. ગુજરાતી સહિત ઘણી ભારતીય ભાષાઓમાં તેમની ’કાસ્ટ, કલ્ચર અને સોશ્યાલિઝમ’ પુસ્તિકા પ્રકાશિત છે. તેમાં વ્યક્ત વિચારોથી જમણેરી વિચારપરંપરાના પૂર્વજ તરીકે ચિતરાયેલા કરતાં જુદા વિવેકાનંદ આપણી સમક્ષ ખડા થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુ ધર્મની ખૂબીઓ અને ખામીઓથી વિવેકાનંદ બરાબર પરિચિત હતા અને તેને દુનિયા સમક્ષ રજૂ પણ કરતા હતા. પાખંડ અને કર્મકાંડ વિરોધી હિંદુત્વમાં તેઓ માનતા હતા. જન્મ નહીં પણ કર્મ આધારિત વર્ણવ્યવસ્થાના તેઓ સમર્થક હતા. જ્ઞાતિપ્રથાના વિરોધી નહોતાં પણ તેના દૂષણો પર નિર્મમતાથી પ્રહારો કરતા હતા. “હું એ ઈશ્વરનો ઉપાસક છું જેને અજ્ઞાની લોકો મનુષ્ય કહે છે” એમ કહેનાર આ મહાપુરુષ પુરોહિતવાદના પ્રખર વિરોધી હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુલીન બંગાળી કાયસ્થ પરિવારના આ યુવાને માંડ ચોવીસ વરસની વયે સંન્યસ્ત ગ્રહ્યો ત્યારે સમાજસુધારાને વરેલા એક બંગ સામયિકમાં શૂદ્રને સન્યાસી થવાનો અધિકાર ન હોવાનું લખવામાં આવ્યું હતું. ‘જ્ઞાતિ, સંસ્ક્રુતિ અને સમાજવાદ’માં તેનો જવાબ આપતાં વિવેકાનંદે પોતાને શૂદ્ર કહ્યા તેથી જરાય માઠું નહીં લાગ્યાનું જણાવીને તેમની આવી ઓળખને, “તેમના પૂર્વજોએ ગરીબો પર આચરેલા જુલમનું આંશિક પ્રાયશ્ચિત” ગણાવી હતી. શૂદ્ર જ નહીં પોતે જો જ્ઞાતિવ્યવસ્થાના તળિયે મનાતા સફાઈ કામદાર હોત તો વધુ રાજી થાત એમ જણાવીને તેમણે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસનો એક પ્રસંગ ટાંક્યો છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ રામકૃષ્ણ પરમહંસ સફાઈ કામદારના ઘરે સફાઈ કરવા તૈયાર થયા હતા. સફાઈ કામદાર તે માટે રાજી નહોતો એટલે પરમહંસ અડધી રાત્રે ઉઠીને સફાઈ કામદારના ભાગની મળ સફાઈ કરી આવ્યા હતા  આ પ્રસંગના અંતે સ્વામીજી લખે છે, “આચરણની કિંમત સિધ્ધાંતોના મણના મણ કરતાં વધુ છે.” અહીં આપણને ગાંધીજીની માફક સમાજના આઘામાં આઘા અને પાછામાં પાછામાં પોતાની ગણતરી થાય તેની અને અધોળ આચરણની ખેવના રાખતા વિવેકાનંદના દર્શન થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્ઞાતિપ્રથાને તેમણે ‘વેદાંત ધર્મની વિરોધી’ અને “ભારતની રાજકીય સંસ્થાઓના બહાર નીકળેલા ફણગા” જેવી ગણાવીને આ બાબતે પ્રવર્તતા પાખંડ અંગે લખ્યું છે કે, “ ચોર, દારૂડિયા અને ગુનેગારો આપણા જ્ઞાતિબંધુ હોઈ શકે છે. પરંતુ જો એક ભલો અને ખાનદાન માણસ પોતાના કરતાં કથિત હલકી જ્ઞાતિની પણ પોતાના જેટલી જ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે ભોજન લે તો તેને હંમેશને માટે જ્ઞાતિ બહાર મૂકવામાં આવે છે” આ સ્થિતિમાં જ્ઞાતિ તૂટે ખરી? વિવેકાનંદનો જવાબ છે કે, “કોઈપણ પ્રકારના ઉપદેશ કરતાં યુરોપ સાથેના વેપારની સ્પર્ધાએ જ્ઞાતિપ્રથાને વધારે તોડી છે.” </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65a16773ad2a8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજનીતિથી વિરક્ત રહેલા વિવેકાનંદ તત્કાલીન સમાજના સવાલોથી જરાય આઘા રહ્યા નહોતા. એટલે એ જ્યારે લખે કે, “ખેડે એક જણ, રક્ષણ કરે બીજો, એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય ત્રીજો અને ખરીદે ચોથો. આમાં ખેડનારાના ભાગે લગભગ કાંઈ જ ન રહેતું. રક્ષણ કરનારો રાજા અને માલ પહોંચાડનાર વેપારી કાંઈ જ પેદા ન કરવા છતાં વધુમાં વધુ અને સારામાં સારો હિસ્સો પડાવી જતા અને કિસાનની કાળી મજૂરીના ફળ ખાઈ જઈને તાજામાજા થઈ જતા” ત્યારે તેમાં કિસાન આંદોલનનું દર્દ દેખાય છે.</span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">ધર્મ પરિવર્તન વિરોધી કાયદો અને ધર્માંતરિતોની ઘરવાપસીની જમણેરી ચાલના વર્તમાન માહોલમાં વિવેકાનંદના વિચારો આજે આકરા લાગે તેવા છે. તેઓ કહે છે, “એમ વિચારવું એ નર્યું ગાંડપણ છે કે  તલવાર અને જોર જુલમથી  હિંદુઓને ઈસ્લામ કબૂલાવ્યો છે. સત્ય તો એ છે કે જે લોકોએ ઈસ્લામ અપનાવ્યો તેઓ વાસ્તવમા જમીનદારો અને પુરોહિતોની ગુલામીમાંથી મુક્ત થવા માંગતા હતા. ભારતમાં મુસ્લિમ વિજયે શોષિત, દમિત અને ગરીબ લોકોને આઝાદીનો અહેસાસ કરાવ્યો હતો. એટલે દેશની વસ્તીનો પાંચમો ભાગ ધર્મ બદલીને મુસલમાન થઈ ગયો હતો.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભક્તિની આજકાલ બહુ દુહાઈ દેવાય છે અને તે જ જાણે કે ભારતીય નાગરિકની કસોટી બની રહી છે. પણ વિવેકાનંદને મન દેશભક્તિ એટલે “હૃદયની ભાવના”. તેઓ આપણને સવાલ કરે છે કે “એ જોઈને તમારા હૃદયમાં ક્યો ભાવ જન્મે છે કે ન જાણે કેટલા સમયથી દેવો અને ઋષિઓના વંશજો પશુઓ જેવું જીવન કેમ જીવે છે? દેશ પર છવાયેલા અજ્ઞાનનો અંધકાર ખરેખર તમને બેચેન કરે છે?” અને વાતનો બંધ વાળતાં કહે છે: ‘આવી બેચેની જ તમારી દેશભક્તિનું પ્રથમ અને ખરું પ્રમાણ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માનવસેવા, પ્રેમ અને કરુણાને વરેલા હિંદુ ધર્મના વિવેકાનંદ ઉપાસક હતા. પાડોશી ભૂખે મરતો હોય ત્યારે મંદિરોમાં ચઢાવાતા ભોગને તે પુણ્ય નહીં પાપ ગણતા હતા. મનુષ્ય શરીરે દુર્બળ અને ક્ષીણ હોય તો હવનમાં હોમાતા ઘીને તેઓ અમાનવીય લેખતા હતા. મંદિરોમાં વિરાજમાન દેવીદેવતાઓની પ્રતિમાઓના સ્થાને દેશના ૩૩ કરોડ ભૂખ્યા, દરિદ્ર અને કુપોષિતોને સ્થાપવાની વાત કરનાર વિવેકાનંદ ખરા સમાજવાદી હતા. સ્વપ્નદ્રષ્ટા અને આર્ષદ્રષ્ટા વિવેકાનંદના દિલોદિમાગમાં પોતાના સપનાના ભારતની સ્પષ્ટ રૂપરેખા હતી. તેમણે લખ્યું છે, ”અરાજકતા અને કલહ વચ્ચે મારા મનમાં સંપૂર્ણ સાબૂત ભારતની એક એવી તસવીર ઉભરે છે જે શાનદાર અને અદ્વિતીય છે. તેમાં વૈદિક દિમાગ અને ઈસ્લામિક શરીર હશે.” અહીં વિવેકાનંદને મન ઈસ્લામિક શરીર અર્થાત ધર્મ,સંપ્રદાય અને જ્ઞાતિમુક્ત સમાજ હશે? વિવેકાનંદની આ વિરલ વાણી દેશના અબાલવૃદ્ધ સૌએ ન માત્ર વાંચવા-સાંભળવા જેવી, કાળજે ધરવા જેવી છે. </span><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><strong><em><span style="font-size: 14pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સાહિત્યના તલસ્પર્શી અભ્યાસુ છે)</span></em></strong></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ </span></strong></span><a href="https://khabarantar.com/Palwankar-Baloo:-The-Dalit-cricketer,-who-saved-the-nation-despite-being-untouchable"><strong><span style="font-size: 14pt;">Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું</span></strong></a><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><br></span></strong></span></p>
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span style="font-size: 14pt;"> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો.</span></a></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 13 Jan 2024 10:23:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>272</Articleid>
                    <excerpt>ગઈકાલે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ હતી.સરેરાશ ભારતીયના મનમાં તેમની ઓળખ એક એવા ભારતીય આધ્યાત્મિક ગુરૂની રહી છે જેમણે દુનિયાને વેદાંત અને હિંદુ દર્શનનો પરિચય કરાવ્યો હતો. પરંતુ વરિષ્ઠ પત્રકાર અને લેખક ચંદુ મહેરિયા અહીં આપણને એક જુદા વિવેકાનંદનો પરિચય કરાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65a167746cadd.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65a167743a0b0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65a167743a0b0.jpg" length="48218" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ફાતિમા શેખની પ્રતિભા&amp;ક્ષમતાઓની સાબિતી આપતો માતા સાવિત્રીબાઈ ફૂલેનો પત્ર</title>
                    <link>https://khabarantar.com/A-letter-from-Mata-Savitribai-Phule-proving-the-talents-and-abilities-of-Fatima-Sheikh</link>
                    <guid>https://khabarantar.com/A-letter-from-Mata-Savitribai-Phule-proving-the-talents-and-abilities-of-Fatima-Sheikh</guid>
                    <description>
                        <![CDATA[ આજે બહુજન મહાનાયિકા ફાતિમા શેખનો જન્મદિવસ છે. જાતિવાદી તત્વો હજુ પણ તેમને દેશની પ્રથમ મહિલા મુસ્લિમ શિક્ષિતા તરીકેના તેમના કદને નાનું કરવા પ્રયત્ન કરતા રહે છે, તેમની ક્ષમતાઓ પર સવાલો ઉઠાવે છે. પણ માતા સાવિત્રીબાઈ ફૂલેએ લખેલા એક પત્રની ફક્ત ત્રણ લાઈનમાં જ તેમની ક્ષમતાઓ સાબિત થઈ જાય છે. વાંચો આ અહેવાલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- હિદાયત પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે બહુજન મહાનાયિકા ફાતિમા શેખનો જન્મદિવસ છે. દેશની પહેલી મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખનું મહત્વ શું છે તે જાણવું જરૂરી છે. માતા સાવિત્રીબાઈ ફૂલેએ તેમને શિક્ષિત કર્યા હતા. વર્ષ 1856માં સાવિત્રીબાઈને માંદગીને કારણે ઘણા દિવસો સુધી તેમના પારિવારિક ઘરમાં રહેવું પડ્યું હતું. બિમાર હોવા છતાં તેમનું મન હંમેશા તેમની શાળાઓના વિચારોમાં વ્યસ્ત રહેતું. પરંતુ તેમને તેમની સાથીદાર ફાતિમા શેખની ક્ષમતાઓમાં અપાર વિશ્વાસ હતો અને એટલે તેઓ ચિંતામુક્ત રહી શક્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે માતા સાવિત્રીબાઈ ફૂલેને ફાતિમા શેખની ભારે ચિંતા થતી હતી, કેમ કે તેમની ગેરહાજરીમાં તેમના પર કામનું વધુ ભારણ આવી પડ્યું હતું. ફાતિમાની પ્રકૃતિ, કાર્યશૈળી અને વહિવટી ક્ષમતાઓથી પરિચિત માતા સાવિત્રીબાઈ ફૂલે જાણતા હતા કે ફાતિમા એકપણ ફરિયાદ કર્યા વિના પોતાની ફરજો અસરકારક રીતે નિભાવશે. એ દરમિયાન માતા સાવિત્રીબાઈએ ફાતિમા શેખને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમની ફાતિમા પ્રત્યેની લાગણીઓ અને અભિપ્રાયો સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માતા સાવિત્રીબાઈ તેમના પારિવારીક ઘરમાં હતા એ દરમિયાન 10 ઓક્ટોબર 1856 ના રોજ તેમણે પૂનામાં રહેલા પતિ જ્યોતિરાવ ફૂલેને એક પત્ર લખ્યો હતો. એ લાંબા પત્રમાં તેમણે વતન નાયગાંવની સામાજિક પરિસ્થિતિઓ, તેમના આરોગ્યની સાથે ફાતિમા શેખ વિશે પણ લખ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_659d09f64ca05.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ સમયે જ્યોતિરાવ ફૂલેએ પૂણેમાં 5 અને તેની બહાર 15 શાળાઓ સ્થાપી હતી. માતા સાવિત્રીબાઈ અને ફાતિમા શેખ જ્યોતિરાવ ફૂલેના માર્ગદર્શન હેઠળ આ શાળાઓના શિક્ષણ અને વહીવટની દેખરેખ રાખતા હતા. પણ જ્યારે સાવિત્રીબાઈને તેમની માંદગીને કારણે ઘણા દિવસો સુધી પુણેથી દૂર રહેવું પડ્યું હતું, ત્યારે તે તમામ શાળાઓમાં વહીવટ અને શિક્ષણનો તમામ બોજો ફાતિમા શેખ પર આવી પડ્યો હતો. સાવિત્રીબાઈ સમજી ગયા હતા કે ફાતિમા માટે તેમની ગેરહાજરીમાં, એકલા હાથે કરવું કેટલું બોજારૂપ હતું. ફાતિમા શેખ પર શિક્ષણ અને શાળાના વહીવટનો વધતો બોજ અને પોતે પુણે ન જઈ શકે તેવી ગંભીર પરિસ્થિતિ વિશે વિચારીને તેણીએ તે પત્રમાં લખ્યું: </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">‘હું પૂરેપૂરી સ્વસ્થ થતાં જ પૂણે આવીશ, મહેરબાની કરીને મારા વિશે ચિંતા કરશો નહીં. ફાતિમાને ઘણી તકલીફ થતી હશે. પણ મને ખાતરી છે કે તે સમજી જશે અને ફરિયાદ પણ નહીં કરે.’ આમ માતા સાવિત્રીબાઈએ એમ કહીને પતિને દિલાસો આપ્યો હતો કે ફાતિમા બધી બાબતોને સારી રીતે સમજે છે એટલે શાળાઓના વહિવટને સારી રીતે સંભાળી લેશે. સંદર્ભ(સામાજિક વિપ્લવકારિણી સાવિત્રીબાઈ(તેલુગુ) વ્યાસસંપુટી, વ્યાસમ: જ્યોતીબકું સાવિત્રી રસીણા પ્રેમલેખાલું, વ્યાસકાર્થા, સુનીલ સરદાર, તેલુગુ અનુવાદમ, કથ્યાયીની, હૈદરાબાદ બુક ટ્રસ્ટ, 2017, પાનું 49)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રખ્યાત પુસ્તક WOMEN WRITING IN INDIA: 600 BC TO THE PRESENT, તેના સંયુક્ત સંપાદન હેઠળ પ્રકાશિત થયેલા પ્રથમ ખંડમાં, પ્રખ્યાત લેખકો સુસી થારુ અને કે. લલિતાએ સાવિત્રીબાઈના પત્રના તે ભાગને પાના નં. 213 પર ટાંક્યો હતો. આ બાબતો પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે માતા સાવિત્રીબાઈની ગેરહાજરીમાં ફાતિમા શેખે શાળાઓમાં શિક્ષણ અને દેખરેખની જવાબદારીઓ ખંતથી અને અસરકારક રીતે નિભાવી હતી. માતા સાવિત્રીબાઈ ફૂલેએ આ પત્ર ભલે પતિ જ્યોતિબાને સંબોધીને લખ્યો હતો, પરંતુ તેમાં ફાતિમા શેખની પ્રતિમા અને તેમના પરનો તેમનો વિશ્વાસ સ્પષ્ટપણે વર્તાય છે. જાતિવાદી તત્વો ફાતિમા શેખની પ્રતિભા અને તેમના કદને નાનું કરવા પ્રયત્નો કરતા રહે છે. આવા તત્વોને માતા સાવિત્રીબાઈ ફૂલેના આ વિચારો એક લપડાક સમાન છે. એટલે એમાં કોઈ શંકા ન રહેવી જોઈએ કે આધુનિક ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખ હતા અને તેમનું આ દેશની મહિલાઓને શિક્ષિત કરવામાં મહત્વનું યોગદાન છે. (સંદર્ભઃ આધુનિક ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખ)</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(લેખક વ્યવસાયે કમ્પ્યૂટર નિષ્ણાત અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Fatima-Shaikh:-The-first-Muslim-teacher-who-lit-the-torch-of-girl-education-170-years-ago-with-the-Krantisurya-Phule-couple"><strong><span style="font-size: 14pt;">ફાતિમા શેખ: પ્રથમ મુસ્લિમ શિક્ષિકા જેમણે ક્રાંતિસૂર્ય ફૂલે દંપતી સાથે મળીને 170 વર્ષ પહેલાં કન્યા કેળવણીની મશાલ પ્રગટાવી હતી</span></strong></a></p>
<p><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com </strong></span><strong><span lang="GU"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>.</span> </strong><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a><o:p></o:p></p>
<p class="MsoNormal"><span lang="EN-US"><o:p> </o:p></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 09 Jan 2024 14:32:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>263</Articleid>
                    <excerpt>આજે બહુજન મહાનાયિકા ફાતિમા શેખનો જન્મદિવસ છે. જાતિવાદી તત્વો હજુ પણ તેમને દેશની પ્રથમ મહિલા મુસ્લિમ શિક્ષિતા તરીકેના તેમના કદને નાનું કરવા પ્રયત્ન કરતા રહે છે, તેમની ક્ષમતાઓ પર સવાલો ઉઠાવે છે. પણ માતા સાવિત્રીબાઈ ફૂલેએ લખેલા એક પત્રની ફક્ત ત્રણ લાઈનમાં જ તેમની ક્ષમતાઓ સાબિત થઈ જાય છે. વાંચો આ અહેવાલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_659d0a0b4de13.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_659d0a0b16ce5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_659d0a0b16ce5.jpg" length="115671" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>અયોધ્યાના નવનિર્મિત એરપોર્ટનું નામ હશે &amp; મહર્ષિ વાલ્મિકી ઍરપોર્ટ</title>
                    <link>https://khabarantar.com/The-newly-constructed-airport-at-Ayodhya-will-be-named---Maharshi-Valmiki-Airport</link>
                    <guid>https://khabarantar.com/The-newly-constructed-airport-at-Ayodhya-will-be-named---Maharshi-Valmiki-Airport</guid>
                    <description>
                        <![CDATA[ અયોધ્યામાં બની રહેલા નવનિર્મિત ઍરપોર્ટનું નામ બહુજન મહર્ષિ વાલ્મિકીના નામ પર રાખવાનું નક્કી થયું છે. વાંચો આ વિસ્તૃત અહેવાલ ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યામાં નવું એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ નવા એરપોર્ટના નામની જાહેરાત કરવામાં આવી છે. એ મુજબ તેનું નામ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ હશે. બે દિવસ પહેલા 27મી ડિસેમ્બરે અયોધ્યાના રેલવે સ્ટેશનનું નામ પણ બદલવામાં આવ્યું છે. હવેથી આ રેલવે સ્ટેશન 'અયોધ્યા ધામ' તરીકે ઓળખાશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658ec765888fa.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યા ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું નામ વાલ્મિકી રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીના નામ પરથી રાખવાનું નક્કી થયું છે. તેને ₹ 1,450 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. અયોધ્યાને વિશ્વ સાથે જોડતું આ એરપોર્ટ 6,500 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે અને દર વર્ષે 10 લાખથી વધુ મુસાફરોને સેવા આપશે. એરપોર્ટની અંદર સ્વદેશી કલાકૃતિઓ, ચિત્રો અને ભીંતચિત્રોથી શણગારવામાં આવેલ છે તથા એરપોર્ટનની વાલ્મિકી રામાયણના ચિત્રોને સ્થાન અપાશે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658ec76512da3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવું એરપોર્ટ ટકાઉપણું સુવિધાઓથી સજ્જ હશે જેમાં ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, એલઇડી લાઇટિંગ, વરસાદી પાણીનો સંગ્રહ, ફુવારાઓ સાથે લેન્ડસ્કેપિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલાર પાવર પ્લાન્ટ અને અન્ય ઘણી સુવિધાઓનો સમાવેશ થાય છે. 30 ડિસેમ્બરે ઈન્ડિગો એરલાઈન્સ આ નવા એરપોર્ટ પર લેન્ડ કરનારી પ્રથમ એરલાઈન્સ હશે. મુસાફરો 6ઠ્ઠીથી મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી શકશે. જ્યારે 6 જાન્યુઆરીથી કોમર્શિયલ કામગીરી શરૂ થશે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો :</span></strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"> </span><a href="https://khabarantar.com/The-branches-of-the-Bodhi-tree,-through-which-Emperor-Ashoka-propagated-the-Dhamma-to-the-world"><strong><span style="font-size: 14pt;">બોધિ વૃક્ષની તે શાખાઓ, જેના દ્વારા સમ્રાટ અશોકે વિશ્વમાં 'ધમ્મ'નો પ્રચાર કર્યો હતો</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"> અહીં ક્લિક કરો</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 29 Dec 2023 18:56:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>237</Articleid>
                    <excerpt>અયોધ્યામાં બની રહેલા નવનિર્મિત ઍરપોર્ટનું નામ બહુજન મહર્ષિ વાલ્મિકીના નામ પર રાખવાનું નક્કી થયું છે. વાંચો આ વિસ્તૃત અહેવાલ</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_658ec76629019.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_658ec765ea273.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_658ec765ea273.jpg" length="74413" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>શહીદ ઉધમસિંહઃ અનાથ આશ્રમમાં ઉછરેલો એ સિંહ, જેણે 21 વર્ષ પછી દુશ્મનને ઘરમાં ઘૂસીને માર્યો</title>
                    <link>https://khabarantar.com/Shaheed-Udhamsingh:-The-Lion-Raised-in-an-Orphanage,-Who-Killed-an-Enemy-After-21-Years</link>
                    <guid>https://khabarantar.com/Shaheed-Udhamsingh:-The-Lion-Raised-in-an-Orphanage,-Who-Killed-an-Enemy-After-21-Years</guid>
                    <description>
                        <![CDATA[ બહુજન મહાનાયક, ક્રાંતિકારી શહીદ ઉધમસિંહની આજે જન્મજયંતિ છે ત્યારે આ મહાન ક્રાંતિકારીના જીવન પર એક નજર કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે ભારત માતાના એ બહાદુર સપૂતની જન્મજયંતિ છે, જેણે દુશ્મનને તેના ઘરમાં ઘૂસીને માર્યા હતા. ગોરાઓ જેમના નામથી પણ થથરી ઉઠતા હતા એવા બહુજન મહાનાયક શહીદ ઉધમસિંહની આ વાત છે. આજે તેમની જન્મજયંતિ છે ત્યારે આ મહાન ક્રાંતિકારીના જીવન પર એક નજર કરીએ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658a692840f9b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉધમસિંહનું બાળપણ અનાથ આશ્રમમાં વિત્યું હતું પણ તેમના દિલમાં દેશદાઝની આગ અંગત જીવનની જિજિવિષા કરતા અનેકગણી વધુ પ્રબળ બની રહી. 26મી ડિસેમ્બર 1899ના રોજ પંજાબના સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં શહીદ ઉધમસિંહનો જન્મ થયો હતો. વર્ષ 1901માં ઉધમસિંહના માતા અને 1907માં તેમના પિતાનું અવસાન થયું. આ ઘટના બાદ તેમણે પોતાના મોટાભાઈ સાથે અમૃતસરના એક અનાથાશ્રમમાં આશરો લેવો પડ્યો. ઉધમસિંહનું બાળપણનું નામ શેરસિંહ અને તેમના ભાઈનું નામ મુક્તાસિંહ હતું, જેમને અનાથાશ્રમમાં અનુક્રમે ઉધમસિંહ અને સાધુસિંહ નામ મળ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાદમાં, ભારતીય સમાજની એકતા માટે, સરદાર ઉધમ સિંહે તેમનું નામ બદલીને રામ મોહમ્મદ સિંહ આઝાદ રાખ્યું, જે ભારતના ત્રણ મુખ્ય ધર્મોનું પ્રતીક છે. એ પછી ફરી તેમણે પાસપોર્ટ મેળવવા માટે પોતાનું નામ બદલી નાખ્યું હતું. ગદર પાર્ટીમાં જોડાયા બાદ તેઓ પાંચ વર્ષ સુધી જેલમાં રહ્યા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે પાસપોર્ટ મેળવીને વિદેશ જવાનો નિર્ણય કર્યો હતો. ભગતસિંહ તેમના મિત્ર હતા, બંને લાહોર જેલમાં એકવાર મળ્યા હતા. ઉધમ સિંહ ભલે અનાથાશ્રમમાં ઉછરતા હતા, પરંતુ તેઓ પોતાની અંદર દેશભક્તિને પોષી રહ્યા હતા. ઉધમ સિંહનું જીવન અનાથાશ્રમમાં ચાલી રહ્યું હતું ત્યારે તેમના મોટા ભાઈનું પણ 1917માં અવસાન થયું હતું. તેઓ સંપૂર્ણ અનાથ બની ગયા.</span></p>
<p>.</p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658a6925c35a5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના જીવનમાં સૌથી મોટો વળાંક આવ્યો વર્ષ 1919માં, જ્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો અને તેમણે નજર સામે સેંકડો લોકોને મોતને હવાલે થતા જોયા. એ પછી તેઓ અનાથાશ્રમ છોડીને ક્રાંતિકારીઓ સાથે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા અને દેશની આઝાદી માટે અને જનરલ ડાયરને મારવાની તેમની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કામે લાગ્યા. જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919ના રોજ ઉધમ સિંહની સામે થયો હતો. તે સમયના જનરલ ડાયરના આદેશ પર ગોળી મારવામાં આવેલા હજારો અનામી ભારતીયોની ઘાતકી હત્યાના તેઓ સાક્ષી હતા.</span></p>
<p><span style="font-size: 14pt;">ઉધમસિંહે જલિયાવાલા બાગની માટી હાથમાં લીધી અને જનરલ ડાયર અને પંજાબના ગવર્નર માઈકલ ઓડ્વાયરને પાઠ ભણાવવાની પ્રતિજ્ઞા લીધી. એ પછી તેઓ ક્રાંતિકારી બન્યા. જો કે ઉધમ સિંહ લંડન પહોંચે તે પહેલાં જનરલ ડાયરનું 1927માં માંદગીને કારણે અવસાન થઈ ગયું હતું, પરંતુ તેઓ માઈકલ ઓડ્વાયરને ખતમ કરવાની તક શોધી રહ્યાં હતાં. કોઈક રીતે 1934માં તેઓ લંડન પહોંચ્યા અને ત્યાં 9, એલ્ડર સ્ટ્રીટ કોમર્શિયલ રોડ પર રહેવા લાગ્યા. ત્યાં તેમણે પોતાનું મિશન પૂરું કરવા માટે એક કાર અને છ ગોળીઓવાળી રિવોલ્વર પણ ખરીદી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પછી તેઓ માઈકલ ઓડ્વાયરને મારવા માટે યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. ઉધમ સિંહને 1940માં તક મળી. 13 માર્ચ, 1940ના રોજ, જલિયાવાલા બાગ હત્યાકાંડના 21 વર્ષ પછી, કેક્સટન હોલ, લંડન ખાતે રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીની બેઠક મળી હતી, જેમાં માઈકલ ઓ'ડ્વાયરે પણ હાજરી આપી હતી. તે દિવસે ઉધમ સિંહ સમયસર સભા સ્થળે પહોંચી ગયા હતા. તેમણે પોતાની રિવોલ્વર એક પુસ્તક વચ્ચે સંતાડી દીધી. આ માટે તેણે પુસ્તકના પાનાને રિવોલ્વરના આકારમાં એવી રીતે કાપી નાખ્યા હતા કે જેથી તેને સરળતાથી છુપાવી શકાય.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658a692761d67.jpg" alt=""></p>
<p>.</p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમ પુરો થયા બાદ દિવાલની પાછળથી ઉધમસિંહે માઈકલ ઓડ્વાયર પર ગોળીઓ છોડી. માઈકલને બે ગોળીઓ વાગી અને તેનું સ્થળ પર જ મોત નિપજ્યું. આ રીતે ઉધમસિંહે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને દુનિયાને સંદેશો આપ્યો કે અત્યાચારીઓને ભારતીય વીર કદી માફ નહીં કરતા. ઉધમસિંહે ત્યાંથી પછી ભાગવાનો પ્રયત્ન ન કર્યો અને ધરપકડ વહોરી. તેમના પર કેસ ચાલ્યો. કોર્ટમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ડાયરના અન્ય સાથીઓને પણ મારી શકતા હતા છતાં તેમણે એવું શા માટે ન કર્યું?</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658a6926856c2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉધમસિંહે જવાબ આપ્યો કે ત્યાં ઘણી બધી મહિલાઓ પણ હાજર હતી અને હું નિર્દોષ લોકોને મારવા નહોતો માંગતો. 4 જૂન 1940ના રોજ ઉધમસિંહને હત્યાના દોષી જાહેર કરાયા અને 31મી જુલાઈ 1940ના રોજ તેમને પેંટનવિલે જેલમાં ફાંસી આપવામાં આવી. આમ આ મહાન ક્રાંતિકારી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં અમર થઈ ગયા. 1974માં બ્રિટને તેમના અસ્થિ ભારતને સોંપ્યાં હતા, પણ તેમની પિસ્તોલ અને બીજો કેટલોક સામાન આજે પણ અંગ્રેજો પાસે છે. કમનસીબે જાતિવાદથી ભયંકર ગ્રસ્ત ભારતમાં આજે શહીદ ઉધમસિંહને તેમની દલિત જાતિના કારણે હાંશિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. મનુવાદી વર્ણવ્યવસ્થામાં આસ્થા ધરાવતા રાજકીય પક્ષો અને તેમના નેતાઓ આઝાદીની લડતના આ મહાન હીરોને પણ તેમની જાતિના આધારે મૂલવી રહ્યાં છે તે કોઈ કાળે માફ ન થઈ શકે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/Jyotiba-Phule-Commemoration-Day-Special:-Jyotiba-Phule-means-Mahatma-before-Mahatma"><strong><span style="font-size: 14pt;">Jyotiba Phule સ્મૃતિ દિવસ સ્પેશ્યિલઃ જ્યોતિબા ફૂલે એટલે 'મહાત્મા' પહેલાના 'મહાત્મા'</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 26 Dec 2023 11:36:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>230</Articleid>
                    <excerpt>બહુજન મહાનાયક, ક્રાંતિકારી શહીદ ઉધમસિંહની આજે જન્મજયંતિ છે ત્યારે આ મહાન ક્રાંતિકારીના જીવન પર એક નજર કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_658a692933168.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_658a6928ed938.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_658a6928ed938.jpg" length="76574" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો</title>
                    <link>https://khabarantar.com/If-you-do-not-have-a-meal,-eat-bread-in-hand-and-teach-your-children</link>
                    <guid>https://khabarantar.com/If-you-do-not-have-a-meal,-eat-bread-in-hand-and-teach-your-children</guid>
                    <description>
                        <![CDATA[ ગઈકાલે 20મી ડિસેમ્બરે બહુજન મહાનાયક ગાડગે બાબાનો સ્મૃતિ દિવસ હતો. લેખક હિદાયત પરમાર અહીં તેમના શિક્ષણ કાર્યો વિશે વિસ્તારથી વાત કરે છે, જે દરેક બહુજને ગાંઠે બાંધી લેવા જેવા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- હિદાયત પરમાર </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાડગે મહારાજ કહેતા હતા કે શિક્ષણ એ ઘણી મોટી વસ્તુ છે. પૈસાની તંગી હોય તો ખાવાના વાસણો વેચી મારો, મહિલાઓ માટે સસ્તા કપડાં ખરીદો, તૂટેલા-ફૂટેલા જર્જરિત મકાનમાં રહી લો, પણ બાળકોને શિક્ષણ આપ્યા વિના રહેવું નહીં. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વીસમી સદીની સામાજિક સુધારણા ચળવળમાં યોગદાન આપનાર મહાપુરુષોમાં એક મહત્ત્વનું નામ બાબા ગાડગેનું છે. બાબા ગાડગે તરફ બૌદ્ધિકોનું ધ્યાન ન જવાને કારણે તેમનું નામ વધુ પ્રસિદ્ધિમાં ન આવી શક્યું. પરંતુ હવે વિદ્વાનોનું ધ્યાન તેમના તરફ ગયું છે અને બાબા ગાડગે વિશે લખવામાં આવી રહ્યું છે અને સમાજ સુધારણા ચળવળમાં તેમના યોગદાનને રેખાંકિત કરવામાં આવી રહ્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6583ef57261b4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંત ગાડગે બાબા, જેઓ પોતે ભણેલા ન હોવા છતાં, તેમના જીવનકાળમાં ઘણીબધી શાળાઓ ખોલી, જનસેવાના વ્રતને અપનાવીને સમાજમાં અંધશ્રદ્ધા નિવારણના સિદ્ધાંતો પ્રેરિત કરવા માટે અથાક મહેનત કરી અને સ્વચ્છતાને અત્યંત મહત્વ આપ્યું, તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. વંચિતો માટે પ્રેરણા એવા ડો.બાબાસાહેબ તેમને પોતાના માર્ગદર્શક કહેતા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ જોવામાં આવે તો ગાડગે બાબા સંત કબીર અને રૈદાસની પરંપરામાં આવે છે. તેમના ઉપદેશોને જોતા એવું લાગે છે કે તેઓ કબીર અને રૈદાસથી ખૂબ પ્રભાવિત હતા. આ એક યોગાનુયોગ છે કે સંત રૈદાસ અને ગાડગે બાબાની જન્મજયંતિ એક જ મહિનામાં આવે છે. ગાડગે બાબાનો જન્મ ૨૩ ફેબ્રુઆરી, ૧૮૭૬ના રોજ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના શેગાંવ ગામ(અંજન ગામ સુરજી તાલુકો) નામના ગામમાં અસ્પૃશ્ય ગણાતી ધોબી જાતિના ગરીબ પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ સખુબાઈ અને પિતાનું નામ ઝીંગરાજી હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબા ગાડગેનું પૂરું નામ દેવીદાસ દેબુજી ઝીંગરાજી જાડોકર હતું. ઘરે તેમના માતા-પિતા તેમને પ્રેમથી ‘ડેબુજી’ કહીને બોલાવતા. ડેબુજી હંમેશા પોતાની પાસે માટીના વાસણ જેવું વાસણ રાખતા હતા. આમાં જ તેઓ ખોરાક લેતા અને પાણી પણ પીતા. મહારાષ્ટ્રમાં માટલાના ટુકડાને ગાડગં કહેવામાં આવે છે. આના કારણે જ કેટલાક લોકો તેમને ગાડગે મહારાજ, તો કેટલાક લોકો ગાડગે બાબા કહેવા લાગ્યા અને પછીથી તેઓ સંત ગાડગેના નામથી પ્રખ્યાત થયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાડગે બાબા ડૉ. આંબેડકરના સમકાલીન હતા અને તેમનાથી પંદર વર્ષ મોટા હતા. વાસ્તવમાં ગાડગે બાબા ઘણા રાજનેતાઓને મળતા રહેતા. પરંતુ તેઓ ડૉ. આંબેડકરના કાર્યોથી ખૂબ જ પ્રભાવિત હતા. તેનું કારણ એ હતું કે સમાજ સુધારણાનું જે કામ તેઓ પોતાના કીર્તન દ્વારા લોકોને ઉપદેશ આપીને કરતા હતા, તે જ કામ ડો. આંબેડકર રાજકારણ દ્વારા કરી રહ્યા હતા અને ગાડગે બાબાને ખૂબ માન આપતા હતા. તેઓ સમયાંતરે ગાડગે બાબાને મળતા અને સામાજિક સુધારણા સંબંધિત મુદ્દાઓ પર તેમની સલાહ પણ લેતા હતા. ડો.આંબેડકર અને ગાડગે બાબા વચ્ચેના સંબંધો વિશે સમાજશાસ્ત્રી પ્રો. વિવેક કુમાર લખે છે કે "આજના દલિત નેતાઓએ આ બંને પાસેથી શીખવું જોઈએ. ખાસ કરીને યુનિવર્સિટી અને કૉલેજના શિક્ષિત આધુનિક અગ્રણીઓ, જેઓ સામાજિક કાર્યકરો, સમાજ સુધારણા મિશનરીઓ અને દલિત કાર્યકરોને તિરસ્કારની નજરે જુએ છે જેઓ પુસ્તકીય જ્ઞાનથી બહાર છે અને પોતાના પર ગર્વ અનુભવે છે. શું આજના નેતાઓ પાસે બાબા સાહેબ કરતા પણ વધુ ડિગ્રીઓ છે? બાબા સાહેબ આંદોલન અને સામાજિક પરિવર્તન વિશે સંત ગાડગેની સલાહ લેતા હતા. જોકે તેમની પાસે પુસ્તકીયા જ્ઞાન અને શાહી શક્તિ બંને હતી. તેથી, આપણે સમજવું પડશે કે સામાજિક શિક્ષણ અને પુસ્તકીયું શિક્ષણ અલગ છે અને દરેક પાસે બંને નથી. તેથી, આ બે પ્રકારના શિક્ષણ વચ્ચે સમન્વયની જરૂર છે.”</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6583ef6972b0f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાડગે બાબા ડૉ. આંબેડકરથી કેટલી હદે પ્રભાવિત હતા તેની ચર્ચા કરતી વખત સંભવતઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના પ્રથમ દલિત અધ્યક્ષ ડૉ. એમ.એલ. શહારેએ તેમની આત્મકથા ‘યાદો કે ઝરોખે’માં લખ્યું છે કે “ગાડગે બાબા ડો. બાબાસાહેબ આંબેડકરના વ્યક્તિત્વ અને કાર્યથી પ્રભાવિત થયા હતા. બાબા સાહેબ અને સંત ગાડગે બાબાએ એકસાથે તેમની તસવીર ક્લીક કરાવી હતી. આજે પણ એ છબીઓ ઘણા ઘરોમાં જોવા મળે છે. સંત ગાડગે બાબાએ તેમની પંઢરપુરની ધર્મશાળા ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત પીપલ્સ એજ્યુકેશન સોસાયટીને હોસ્ટેલ માટે દાનમાં આપી હતી. સંત ગાડગે મહારાજની કીર્તન શૈલી પોતાનામાં અજોડ હતી. તે સંતોની વાતો સંભળાવતા. તેઓ ખાસ કરીને કબીર, સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર વગેરેની કવિતાઓ લોકોને સંભળાવતા. હિંસાનો નિષેધ, દારૂનો નિષેધ, અસ્પૃશ્યતા નિવારણ, પશુબલિપ્રથા વગેરે તેમના કીર્તનોના વિષયો હતા.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યોગાનુયોગ છે કે ડૉ. આંબેડકરના મહાનિર્વાણના માત્ર ૧૪ દિવસ બાદ ગાડગે બાબાએ પણ ૨૦ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ જનસેવા અને સામાજિક ઉત્થાનનું કામ કરતાં પોતાની આંખો કાયમ માટે બંધ કરી દીધી હતી. તેમના અવસાનના સમાચાર સમગ્ર મહારાષ્ટ્રમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. તેમના હજારો અનુયાયીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમની અંતિમ યાત્રામાં ભાગ લીધો. આજે બાબા ગાડગે સદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમના ઉપદેશો આજે પણ પ્રાસંગિક છે. જેમાંથી આપણે પ્રેરણા લેવાની જરૂર છે. બાબાનું જીવન અને કાર્ય માત્ર મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે પ્રેરણા સ્ત્રોત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6583ef809e871.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાડગે બાબાના અવસાન પછી ૧લી મે, ૧૯૮૩ના રોજ મહારાષ્ટ્ર સરકારે નાગપુર યુનિવર્સિટીનું વિભાજન કર્યું અને 'સંત ગાડગે બાબા' અમરાવતી યુનિવર્સિટી, અમરાવતી, મહારાષ્ટ્રની સ્થાપના કરી. ૨૦ ડિસેમ્બર ૧૯૯૮ના રોજ, તેમની ૪૨મી પુણ્યતિથિ નિમિત્તે, ભારત સરકારે તેમના સન્માનમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી. ૨૦૦૧માં, મહારાષ્ટ્ર સરકારે તેમની યાદમાં સંત ગાડગે બાબા ગ્રામ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાસ્તવમાં ગાડગે બાબા એક વ્યક્તિ નહીં પરંતુ પોતાનામાં એક સંસ્થા હતા. તેઓ માત્ર એક મહાન સંત જ નહિ પણ એક મહાન સમાજ સુધારક પણ હતા. તેમના સામાજિક સુધારણા સંબંધિત કાર્યને જોઈને ડૉ. આંબેડકરે તેમને જોતિબા ફૂલે પછીના મહાન ત્યાગી અને લોકસેવક ગણાવ્યા હતા. માનવતાની મૂરત બાબાને તેમના ૬૭મા સ્મૃતિ દિવસે આદરણાંજલી.. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(સાભારઃ રાજ બહાદુર, ફોરવર્ડ પ્રેસ)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/In-the-Panchamahal,-racism-did-not-leave-the-chase-even-after-the-death,-the-funeral-had-to-be-done-on-the-field-without-a-cremation-for-the-funeral-of-the-woman"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">પંચમહાલમાં જાતિવાદે મર્યા પછી પણ પીછો ન છોડ્યો, મહિલાની અંતિમવિધિ માટે સ્મશાન ન મળતા ખેતરમાં અંતિમવિધિ કરવી પડી</span></strong></span></a></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span></span></strong></span><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;"><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Dec 2023 20:30:27 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 21 Dec 2023 20:38:50 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>219</Articleid>
                    <excerpt>ગઈકાલે 20મી ડિસેમ્બરે બહુજન મહાનાયક ગાડગે બાબાનો સ્મૃતિ દિવસ હતો. લેખક હિદાયત પરમાર અહીં તેમના શિક્ષણ કાર્યો વિશે વિસ્તારથી વાત કરે છે, જે દરેક બહુજને ગાંઠે બાંધી લેવા જેવા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6583ef3b0a023.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6583ef3ac5cc3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6583ef3ac5cc3.jpg" length="115137" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>શકોરાને મરાઠીમાં ગાડગં કહે છે એટલે તેને કાયમ સાથે રાખનાર ગાડગે બાબા કહેવાયા</title>
                    <link>https://khabarantar.com/Shakra-is-called-Gadag-in-Marathi,-so-Gadge,-who-kept-it-forever,-was-called-Baba</link>
                    <guid>https://khabarantar.com/Shakra-is-called-Gadag-in-Marathi,-so-Gadge,-who-kept-it-forever,-was-called-Baba</guid>
                    <description>
                        <![CDATA[ ગઈકાલે બહુજન મહાનાયક ગાડગે બાબાની પુણ્યતિથિનો દિવસ હતો. બહુજન સાહિત્યથી થોડી પણ પરિચિત વ્યક્તિ બાબાના સામાજિક કાર્યોથી અજાણી નહીં હોય, પણ વરિષ્ઠ પત્રકાર ચંદુ મહેરિયા અહીં તેનાથી આગળની વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ચંદુ  મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજકાલ બધે ચર્ચા તો બાગેશ્વર બાબાની છે પણ આપણે વાત ગાડગે બાબાની કરવી છે. હવે આડા બે વરસ છે ને એમનું  દોઢસોમું જન્મ પર્વ મનાવાશે. મૂળ નામ તો ડેબુ કે ડેબુજી. પણ જાણીતા થયા ગાડગે બાબા (૧૮૭૬-૧૯૫૬) તરીકે. પત્ની-સંતાનો સહિતના પરિવારને છોડી  લોકસેવા માટે એમણે ભારતના આમ આદમી જેવું જીવન સ્વીકાર્યું.  તેમાં બદન પર ફાટેલા લુગડાં અને એકમાત્ર મિલકત સમું માટીનું શકોરું હતા. શકોરાને મરાઠીમાં ગાડગં કહે છે એટલે તેને કાયમ સાથે રાખનાર તરીકે ગાડગે બાબા તરીકે પ્રખ્યાત થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના શેણગાંવમાં ૨૩મી ફેબ્રુઆરી ૧૮૭૬ અને મહાશિવરાત્રિના દિવસે નિર્ધન ધોબી પરિવારમાં ગાડગે બાબાનો જન્મ થયો હતો. પિતાનું નામ ઝિંગરાજી અને માતાનું નામ સખુબાઈ. ધોબી જ્ઞાતિનો ઉત્તર અને પૂર્વ ભારતમાં અસ્પૃશ્ય અને પશ્ચિમ તથા દક્ષિણ ભારતમાં પછાત વર્ગમાં સમાવેશ થાય છે. બાબા ગાડગેના જન્મ સમયનું,  ઓગણીસમી સદીનું,  ભારત અને મહારાષ્ટ્ર ધાર્મિક વહેમ, અંધશ્રધ્ધા, પાખંડ, રૂઢિજડતા, પશુબલિ, વ્યસનો, ગરીબી, અસ્પૃશ્યતા અને  શિક્ષણના અભાવથી ગ્રસ્ત હતું. ડેબુના પિતા પણ દારૂના વ્યસન અને શાહુકારોના કરજથી મુક્ત નહોતા. આઠ વરસના એકમાત્ર સંતાન પુત્ર ડેબુને છોડીને અંતિમ વિદાય લેતાં એમણે પત્ની પાસેથી  દીકરાને દારુ અને ધાર્મિક પાખંડથી દૂર રાખવાનું વચન લીધું હતું. પિતાનું અવસાન થતાં, માતાએ પિયરવાટ પકડી. ડેબુજીનું બાળપણ મોસાળમાં વીત્યું. નિશાળે જવાનો તો કોઈ સવાલ જ  નહોતો. ઢોર ચરાવવાનું અને ખેતીનું કામ કરતા મહેનતુ ભાણાને મામાએ બહુ વહેલો પરણાવી દીધો. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6583e3e4985bf.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગોવાળિયા તરીકે ઢોર ચરાવતી વેળા કે વિશ્રાંતિમાં ભજનો લલકારતા ડેબુજીએ ભજન મંડળી પણ ઉભી કરી હતી. જોકે નિરક્ષર ડેબુજીનો અભિગમ ધાર્મિક કરતાં માનવતાવાદી વધુ હતો. સારાનરસા અને ન્યાયઅન્યાયની પરખે મામાની સાથે શાહુકારે કરેલી છેતરપિંડી અને તેમના પ્રતિકાર સામે કુટુંબની શરણાગતિએ તેમને હલાવી મૂક્યા. અગાઉ પ્રથમ સંતાનના જન્મ વખતે તેમણે પશુબલિનો ઈન્કાર કરીને સમાજમાં સુધારાની શરૂઆત તો કરી જ હતી. મનની ચૈતસિક સ્થિતિ અને સમાજની હાલત વિશે વિચારીને કુટુંબના નાના દાયરાની બહાર નીકળી બહોળા સામાજિક જીવન અને સમાજસુધાર માટે તેમણે ગૃહત્યાગ કર્યો હતો. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગર્ભવતી પત્ની અને ત્રણ બાળકોને છોડીને ડેબુજી નીકળી પડ્યા હતા. ૧૯૦૫થી ૧૯૧૭ના બાર વરસ તેઓએ આખા મહારાષ્ટ્ર અને દેશના ઘણાં ભાગોમાં પગપાળા અને ક્યારેક રેલવેમાં ખુદાબક્ષ તરીકે ભ્રમણ કર્યું હતું. આ વરસોમાં અપમાન, ઉપેક્ષા, તિરસ્કાર અને માન જેવા બધાં અનુભવો કર્યા. બાર વરસનો આ સાધનાશ્રમ ખરેખર તો અનુભવશ્રમ કે સ્વાધ્યાય હતો. રોજ ભીખ માંગીને ખાધું અને બદલામાં તનતોડ મજૂરી કરી. ભીખના બદલામાં કોઈના લાકડા ફાડ્યા તો ખેતર કે મહોલ્લો સાફ કર્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શેઠના બંગલે કે ગાંધીના સેવાગ્રામ સુધ્ધામાં દેશના અદના આદમીની જેમ જમીન પર બેસીને હાથમાં રોટલો અને ચટણી લઈ બાબા હંમેશા ખાતા. શકોરું કે છાલિયાની જેમ સાવરણો પણ એમની ઓળખ. ગાંધી હજુ ભારતમાં આવ્યા પણ નહોતા તે પૂર્વે ગાડગે બાબાએ સ્વચ્છતાને આચરણ દ્વારા ઉપદેશ બનાવ્યો. મંદિર હોય કે ગામનો ચોક સઘળું દિવસભર ચોખ્ખુંચણાક કરી દેતા. ગંદકીથી ખદબદતા તીર્થસ્થાનોને પણ એમણે ચમકાવ્યા હતા. સમાનતા અને સ્વચ્છતાની અલખ મારું જીવન એજ મારી વાણીથી જગવ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6583e3eeb2c3d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભ્રમણ દરમિયાન દિવસે મજૂરી કરતાં ગાડગે મહારાજ રાત્રે કિર્તન કરતા હતા. તેમના મધુર અવાજમાં કબીર અને રૈદાસ, જ્ઞાનેશ્વર અને તુકારામના પદો એવા તો ગવાતા કે જે લોકો તેમને પાગલ સમજતા તે પણ સાંભળવા બેસી જતા. બાબાની કિર્તન કરવાની પધ્ધતિ સંવાદની કે સવાલ-જવાબની હતી. સરળ અને લોકભોગ્ય શૈલી તથા  વિદર્ભની કરાડી બોલીમાં તે ઘણી અઘરી વાતો તર્કબધ્ધતાથી લોકોના ગળે ઉતારતા. આખાબોલા બાબા કડવાબોલા પણ એટલા જ હતા. માનવમાત્ર અને પશુપક્ષી પ્રત્યે અપાર કરુણા ધરાવતા બાબા લોકોને ખોટું  કરતા જોઈને દુ:ખી થતા. તેઓ કિર્તન કે સંવાદમાં અસ્પૃશ્યતા, ભાઈચારો, ધાર્મિક અંધશ્રધ્ધા, શાહુકારોનું કરજ, પશુબલિ, ગરીબી અને શિક્ષણ જેવા વિષયો ચર્ચતા હતા. બાબા કિર્તનમાં કોઈ આત્મા-પરમાત્માનું આધ્યાત્મિક જ્ઞાન આપવાને બદલે લોકોના જીવનને સ્પર્શતી સામાજિક- ધાર્મિક સુધારાની બાબતો કહેતા એટલે લોકોને તે વધુ ઉપયોગી બનતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાડગે બાબા કહેતા કે ના હું કોઈનો ગુરુ છું કે ના કોઈ મારો ચેલો છે. એટલે રાત્રે કિર્તન પૂરું કરીને એ અલોપ થઈ જતા હોય તેમ બીજા ગામ જતા રહેતા. તેમની પાછળ રહેતા તેમના કિર્તનના શબ્દો, જે લોકો જીવનભર ગાંઠે બાંધતા. બાબાએ જ્યાં પણ લોકોની મુશ્કેલીઓ જોઈ ત્યાં તેમને મદદ કરી. દલિતો, પછાતો, ગરીબો, કુષ્ઠરોગીઓ, વૃધ્ધો અને વિકલાંગોની સેવા તેમની પ્રાથમિકતા રહેતાં. કર્મસ્થળ ઋણમોચનની પૂર્ણા નદી, મંદિર અને ઘાટની સફાઈનું આરંભિક નમૂનેદાર કાર્ય તેમની કાયમી ઓળખ બની ગયું. જનહિત માટે તેમણે લોકફાળાથી લોકોપયોગી ઘણા ઘાટ, ધર્મશાળા, શાળા, વૃધ્ધાશ્રમ, અનાથાલય અને ઔષધાલય બનાવ્યા હતા.  </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6583e3dad187c.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આભડછેટનો તેમનો વિરોધ ખુદના આચરણથી ઉભો થયો હતો. એટલે સો ટચનો હતો. પંઢરપુરમાં વિશાળ ચોખામેળા ધર્મશાળા તેમણે દલિતો માટે બનાવી હતી. જાતે નિરક્ષર હતા પણ શિક્ષણની મહત્તા જાણતા હતા. એટલે ગરીબોને કહેતા કે બાળકોને ભણાવવાના પૈસા ન હોય તો ખાવાની થાળી વેચીને પણ બાળકોને ભણાવજો. થાળી વિના રોટલો હાથમાં લઈને ખાઈ શકાશે પણ ભણ્યા વિના નહીં ચાલે. મહારાષ્ટ્રના અમરાવતીની ગાડગે બાબા યુનિવર્સિટી અભણ બાબાના લોકશિક્ષણ અને સામાજિક સુધારણાનું જીવંત સ્મારક છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નિરક્ષર ગાડગે બાબા પાસે અનુભવનું જ્ઞાન એટલું કે ડો. આંબેડકર અને ગાંધીજી બેઉ તેમની સાથે વિમર્શ કરતા અને માર્ગદર્શન મેળવતા. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે બાબાને સવિશેષ ભાવ હતો. પંઢરપુરની ધર્મશાળા બાબાએ બાબાસાહેબને દલિત વિદ્યાર્થીઓની હોસ્ટેલ માટે અર્પિત કરી હતી. કરોડાના ખર્ચે લોકસેવાના કામો અને બાંધકામો છતાં બાબા અકિંચન જ રહ્યા. કોઈ કીર્તિ અને કલદાર તેમને ચળાવી ના શક્યા. રાજ્ય અને રાષ્ટ્રના અનેક નેતાઓ તેમને મળતા પણ એ તો સદાય ચીંથરેહાલ અને શકોરા સાથે જ રહ્યા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાથી કાર્યકરોની પસંદગી તેઓ આકરી તાવણીથી કરતા. ગણપતરાવ ગાંગણા બાબાના બધા કામોનો હિસાબકિતાબ રાખતા. કામમાં કુશળ અને પ્રામાણિક એટલા કે બાબા ગણપતરાવ જેવાના ગામ વસાવવાનું કહેતા. આ જ ગણપતરાવ પર ખોટું આળ મૂકાયું તો એમણે આત્મદહન કરીને જીવ આપી દીધો હતો. લોકોને તીર્થયાત્રાઓમાં નકામા સમય, શક્તિ, નાણાં ન વેડફવા બાબા કહેતા. સાચા ભગવાન મંદિર, મસ્જિદ કે તીર્થમાં નથી કે નથી પથ્થરની મૂર્તિઓમાં સાચા દેવ દરિદ્રનારાયણ  છે. તેમની સેવા એ જ સાચી સેવા છે એમ ઉપદેશતા બાબા સેવાના નામે ચાલતા ધંધાથી વાકેફ હતા. થોડી સેવા અને ઝાઝી પ્રસિધ્ધિને બાબા સેવાના નામે ચાલતી દુકાનદારી કહેતા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૮૦ વરસની વયે ૧૯૫૬ની ૨૦મી ડિસેમ્બરે અવસાન પામેલા ગાડગે બાબા લોકસેવાની એવી મિશાલ હતા કે સ્વામી આનંદે તેમને સેવક સંત કહ્યા હતા.  આચાર્ય અત્રેના મતે અડધી સદી સુધી શુધ્ધ માર્ક્સવાદનું લોકશિક્ષણ આપનાર ગાડગે બાબા મહારાષ્ટ્રની સમાજવાદની પીઠ હતા.  </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">maheriyachandu@gmail.com</span></strong></span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)</span></strong></span></p>
<p style="text-align: justify;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></span><a href="https://khabarantar.com/Ambedkar-were-you-like-that"><span style="text-decoration: underline;"><span style="font-size: 14pt;">આંબેડકર તમે આવા ય હતા?</span></span></a></strong></p>
<div class="post-text">
<p><strong><span><span style="color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 21 Dec 2023 12:43:58 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 21 Dec 2023 12:47:20 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>218</Articleid>
                    <excerpt>ગઈકાલે બહુજન મહાનાયક ગાડગે બાબાની પુણ્યતિથિનો દિવસ હતો. બહુજન સાહિત્યથી થોડી પણ પરિચિત વ્યક્તિ બાબાના સામાજિક કાર્યોથી અજાણી નહીં હોય, પણ વરિષ્ઠ પત્રકાર ચંદુ મહેરિયા અહીં તેનાથી આગળની વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6583e3f694293.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6583e3f649104.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6583e3f649104.jpg" length="49172" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું</title>
                    <link>https://khabarantar.com/Palwankar-Baloo:-The-Dalit-cricketer,-who-saved-the-nation-despite-being-untouchable</link>
                    <guid>https://khabarantar.com/Palwankar-Baloo:-The-Dalit-cricketer,-who-saved-the-nation-despite-being-untouchable</guid>
                    <description>
                        <![CDATA[ યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ શામી, પ્રણવ ધનવાડે જેવા બહુજન ક્રિકેટરોને પ્રતિભા છતાં મળતી અત્યંત મર્યાદિત તકોની ચર્ચા સતત થતી રહે છે, ત્યારે એક એવા દલિત ક્રિકેટરની વાત કરીએ જેણે આભડછેટ વેઠીને પણ દેશનું નાક બચાવેલું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">19મી નવેમ્બરે અમદાવાદમાં ઐતિહાસિક ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ, જેમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની સામે હારનો સામનો કરવો પડ્યો. એ દરમિયાન મોહમ્મદ શામી, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ જેવા બહુજન ક્રિકેટરોની પ્રતિભાની વારંવાર કરવામાં આવતી અવગણના અને બહુજન સમાજમાંથી આવતા હોવાને કારણે ઘટી જતી તકો વિશેની ચર્ચા આજેય શમી નથી ત્યારે અહીં ભારતના પ્રથમ દલિત ક્રિકેટર પલવંકર બાલુની વાત યાદ આવ્યા ન રહે.</span></strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પલવંકર બાલુ(Palwankar Baloo) ઉર્ફે પી. બાલુ(P. Baloo) એક એવા ભારતીય ક્રિકેટર (Indian Cricketer) હતા જેણે 140 વર્ષ પહેલાં ક્રિકેટની દુનિયામાં એવો દબદબો જમાવેલો કે રાજાઓ અને સમૃદ્ધ પારસીઓ તેમની સાથે ક્રિકેટ રમવા માટે મજબૂર થઈ ગયા હતા. ક્રિકેટના અંગ્રેજ ખેરખાં પણ જેમની બોલિંગ સામે ચક્કર ખાઈ જતા એવા આ ખેલાડીને ડો. ભીમરાવ આંબેડકર પણ પોતાના હીરો માનતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1911ના વર્ષે ભારતમાં પ્રથમ વખત એક ક્રિકેટ ટીમની રચના કરવામાં આવી જેમાં તમામ હિંદુ અને પારસી ખેલાડીઓ હતા. આ ટીમે ઈંગ્લેન્ડ જઈને ત્યાંની વિવિધ ક્રિકેટ ટીમો સામે મેચ રમવાની હતી. પટિયાલાના નવા આવેલા રાજા ભૂપેન્દ્ર સિંહને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. આ ટીમ લંડન પહોંચી હતી. ત્યાંનું હવામાન અને પરિસ્થિતિ અલગ હતી. ભારતીય ટીમને ત્યાં એડજસ્ટ થવા માટે સારી રણનીતિની જરૂર હતી. પરંતુ ટીમનો કેપ્ટન તેના પાંચ નોકર અને સેક્રેટરી કે. કે. મિસ્ત્રી સાથે દરરોજ ફરવા જતો હતો. મિસ્ત્રી તે સમયે ભારતના શ્રેષ્ઠ બેટ્સમેન હતા. રાજા સાહેબ પ્રવાસમાં વ્યસ્ત હતા, તો આવી પરિસ્થિતિમાં વ્યૂહરચના બનાવવાની ક્યાં હતી? કેપ્ટન દ્વારા ટીમ પર ધ્યાન ન આપવાને કારણે ટીમ હિંદુઓ અને પારસીઓના જૂથોમાં વહેંચાઈ ગઈ. અને પછી આ ટીમ વિભાજિત થઈ ગઈ. જ્યારે મેચો યોજાઈ ત્યારે ભારતીય બેટ્સમેનો અંગ્રેજ બોલિંગ સામે પત્તાના મહેલની માફક ખડી ગયા હતા. ઈંગ્લિશ કાઉન્ટી ટીમો સાથે કુલ 14 મેચો રમાઈ હતી. જેમાં ભારતની ટીમ માત્ર બે જ જીતી શકી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6580838e347ae.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરંતુ આ ભારતીય ટીમમાં એક એવો ખેલાડી હતો જે આ સમયગાળા દરમિયાન ઘણો પ્રભાવશાળી હતો. તે એકમાત્ર એવો બોલર હતો જ્યારે તે સ્પિન બોલિંગ કરવા માટે આવતો ત્યારે ઈંગ્લિશ ટીમ તેનો સામનો કરી શકતી ન હતી. એના હાથમાંથી તીરની માફક દડા છૂટતા. તીર પણ એવા કે બેટ્સમેન સમજી શકતા નહિ કે તે હવામાં કઈ તરફ વળશે. આખા પ્રવાસમાં તેણે એકલાએ 114 વિકેટ લીધી હતી. પણ એકલો ખેલાડી શું કરી શકે, તેથી ટીમ હારી ગઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે સમયે સમગ્ર બ્રિટિશ ક્રિકેટ જગત તેની બોલિંગનું ચાહક બની ગયું હતું. કોણ હતો આ બોલર? આ તે બોલર હતો જેને તેની ટીમના સભ્યોએ ક્યારેય સ્પર્શ પણ કર્યો ન હતો, એક 'અસ્પૃશ્ય' તેના માટે મેદાનમાં પાણી લઈ જતો હતો. તેણે ચા પણ આખી ટીમથી અલગ બેસીને માટીના વાસણમાં પીવી પડતી. તેનું નામ હતું- 'પલવંકર બાલુ'.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">અહીં આપણે જાણીશું કે કેવી રીતે આ દલિત બોલરે 140 વર્ષ પહેલા ક્રિકેટની દુનિયામાં એવી છાપ ઉભી કરી કે તેને રાજાઓ અને શ્રીમંત પારસીઓ સાથે ક્રિકેટ રમવા દેવાની ફરજ પડી. આ ખેલાડીને ડો. ભીમરાવ આંબેડકર પોતાના હીરો માનતા હતા. તેમનો જન્મ 19 માર્ચ 1876ના રોજ બોમ્બેમાં થયો હતો. </span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">ક્રિકેટ વિશ્વમાં પ્રવેશ કઈ રીતે થયો?</span></strong><br><span style="font-size: 14pt;">1877માં પ્રથમ બે દિવસીય મેચ પારસીઓ અને બ્રિટિશ ક્લબ - બોમ્બે જીમખાના વચ્ચે યોજાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી. આ પછી પારસી, બ્રિટિશ અને હિંદુ ક્રિકેટ ક્લબો વચ્ચે મોટી ક્રિકેટ ટુર્નામેન્ટો થવા લાગી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે જ સમયે મુંબઈથી લગભગ 150 કિલોમીટર દૂર પૂનામાં, છ વર્ષનો છોકરો, પલવંકર બાલુ, અંગ્રેજ સૈનિકોને ક્રિકેટ રમતા જોઈને મોટો થઈ રહ્યો હતો. તેના પિતા અહીં હથિયારોના કારખાનામાં કામ કરતા હતા. બાલુ આખો દિવસ અંગ્રેજ અધિકારીઓની મેચ જોતો. તે મેદાનની બહાર બેસીને તેની નજીક આવેલા બોલને ઉપાડી લેતો અને પાછો મેદાનમાં ફેંકી દેતો. તેને ઘણો આનંદ થતો. જે બેટ અને બોલને અંગ્રેજ અધિકારીઓ નકામા ગણીને કચરામાં ફેંકી દેતા, બાલુ એને ઉપાડી લાવતો અને પોતાના નાના ભાઈ શિવરામ સાથે ઘરે ક્રિકેટ રમતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6580838a6eb5d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે બંને ભાઈઓ મોટા થયા, ત્યારે તેમના પિતાએ પરિવારની આવક વધારવા માટે તેમનો અભ્યાસ બંધ કરાવી દીધો. બાલુની પહેલી નોકરી પારસીઓ દ્વારા ચલાવવામાં આવતી ક્રિકેટ ક્લબમાં હતી. અહીં તે પીચની સફાઈ અને સમારકામનું કામ કરતો હતો. કેટલીકવાર તે નેટ્સમાં પ્રેક્ટિસ કરતા ખેલાડીઓને બોલિંગ પણ કરાવતો. અહીં તેને દર મહિને ત્રણ રૂપિયા મળતા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 1892માં પલવંકર બાલુએ પારસી ક્રિકેટ ક્લબ છોડી દીધી. બ્રિટિશ પૂના ક્રિકેટ ક્લબમાં નોકરી મળી. પૂના ક્લબમાં તેમનો પગાર મહિને 4 રૂપિયા હતો. અહીં તેનું કામ પીચને રિપેર કરવાનું, તેને માર્ક કરવાનું અને પ્રેક્ટિસ માટે નેટ ઊભી કરવાનું હતું. તે જ સમયે, એક દિવસ ક્લબમાં કોઈ બોલર હાજર ન હતો અને બ્રિટિશ બેટ્સમેન ટ્રોસને પ્રેક્ટિસ કરવી હતી. તેણે મેદાનની બહાર ઊભેલા બાલુને બોલાવીને બોલિંગ કરવા કહ્યું. બાલુએ તેને છ બોલ નાખ્યા, જેમાંથી ટ્રોસને બેટ વડે ત્રણ બોલને સ્પર્શ કરવામાં મુશ્કેલી પડી અને બે પર તેના સ્ટમ્પ ઉખડી ગયા. તે બેટ વડે માત્ર એક જ બોલને યોગ્ય રીતે ફટકારવામાં સફળ રહ્યો હતો. બીજા દિવસે આખી અંગ્રેજી ટીમના હોઠ પર પલવંકર બાલુનું નામ હતું. હવે તે નિયમિત નેટ બોલર તરીકે ઓળખાવા લાગ્યો હતો. તે ખેલાડીઓને કલાકો સુધી પ્રેક્ટિસ કરાવતો. આ સમય દરમિયાન બાલુએ પ્રખ્યાત બ્રિટિશ સ્પિન બોલર બાર્ટનને પોતાના ગુરુ બનાવ્યા અને તેમની પાસેથી બોલિંગની યુક્તિઓ શીખી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">જ્યારે સૌથી મોટા ખેલાડીએ કહ્યું કે “જો મને આઉટ કરીશ તો તને પૈસા મળશે”</span></strong><br><span style="font-size: 14pt;">આ સમય દરમિયાન ભારતના પ્રખ્યાત ઇંગ્લિશ બેટ્સમેન જેજી ગ્રેગ પૂના પહોંચ્યા. ઘણી સદીઓ તેમના નામે હતી. તેણે બાલુનું નામ સાંભળ્યું હતું. તેણે બાલુને કહ્યું કે જ્યારે પણ તે તેને નેટ પ્રેક્ટિસમાં આઉટ કરશે ત્યારે તેને આઠ આના મળશે. જો બાલુ અઠવાડિયામાં એક વાર પણ ગ્રેગને આઉટ કરતો ત્યારે એનો પગાર ડબલ થઈ જતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાલુએ પૂના ક્લબમાં નેટ્સમાં કલાકો સુધી બોલિંગ કરી, પરંતુ અંગ્રેજોએ તેને ક્યારેય બેટ પકડવા દીધું નહીં. કારણ કે ઈંગ્લેન્ડની જેમ ભારતમાં પણ માત્ર ચુનંદા વર્ગના લોકો જ બેટિંગ કરતા હતા. જ્યારે બાલુ દલિત હતો. જો કે, પ્રખ્યાત બેટ્સમેનોની સામે સેંકડો કલાકો સુધી બોલિંગ કર્યા પછી, તેનો બોલ જબરદસ્ત રીતે ઉછળવા લાગ્યો અને તેની સ્પિન બોલિંગને એક અલગ ધાર મળી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6580838d6b6c6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના પૂર્વજોની જેમ પલવંકર બાલુ પણ પૂનાના ચામડાના કારખાનામાં કામ કરવા આવ્યા હતા. પરંતુ તેમની શાનદાર બોલિંગને કારણે શહેરમાં તેમની ચર્ચા થવા લાગી હતી. તે સમયે પૂનામાં જ એક હિંદુ ક્લબ હતી, જે શહેરમાં યુરોપિયનો સામે મેચ રમતી હતી. બાલુની ચર્ચા આ ક્લબ સુધી પણ પહોંચી હતી. તે સમયે આ ક્લબને એક સારા બોલરની જરૂર હતી, જે યુરોપિયનો એટલે કે બ્રિટિશ બેટ્સમેનોની વિકેટો ઉખાડી શકે. આવી સ્થિતિમાં હિન્દુ ક્લબની નજર પલવંકર બાલુ પર પડી. પરંતુ બાલુ દલિત હતો અને હિન્દુ ક્લબની ટીમમાં ઉચ્ચ જાતિના લોકો હતા. હવે પ્રશ્ન એ હતો કે આવી સ્થિતિમાં દલિત સાથે કેવી રીતે રમવું? અને આ પ્રશ્ન પર હિન્દુ ક્રિકેટ ક્લબ બે જૂથોમાં વહેંચાઈ ગઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઈતિહાસકાર રામચંદ્ર ગુહા લખે છે-</span></strong></span><br><span style="font-size: 14pt;">હિંદુ ક્લબના કેટલાક તેલુગુ સભ્યો બાલુને ટીમમાં સામેલ કરવાની તરફેણમાં હતા, જ્યારે કેટલાક સ્થાનિક મરાઠી ભાષી બ્રાહ્મણો તેની સખત વિરુદ્ધમાં હતા. આવી સ્થિતિમાં બ્રિટિશ કેમ્પના જેજી ગ્રેગ આ લડાઈમાં કૂદી પડ્યા. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તે લોકો મૂર્ખ છે જે બાલુને ટીમમાં સામેલ કરવા નથી માંગતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગેના સમાચાર દરરોજ અખબારોમાં પ્રસિદ્ધ થતા હતા. થોડા જ સમયમાં આ મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો. આખરે પલવંકર બાલુનો આગામી ઉનાળામાં યોજાનારી ટુર્નામેન્ટ માટે હિન્દુ ક્લબની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બાલુ સાથે કેવો વહેવાર થતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">બાલુને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સાથે ખૂબ જ અન્યાય કરવામાં આવી રહ્યો હતો. મેદાન પર તો તમામ ખેલાડીઓ એ જ બોલને સ્પર્શતા હતા જેને બાલુ સ્પર્શ કરતા, પરંતુ મેદાનની બહાર ઉચ્ચ જાતિના ખેલાડીઓ તેમને સ્પર્શ ન કરવાના ધાર્મિક રિવાજોનું પાલન કરતા હતા. ટી બ્રેક દરમિયાન બાલુને પેવેલિયનની બહાર માટીના વાસણમાં ચા પીરસવામાં આવતી હતી, જ્યારે બાકીના ખેલાડીઓ પેવેલિયનમાં બેસીને ચિનાઈ માટીના કપમાં ચાનો આનંદ માણતા હતા. બાલુને જમીન પર હાથ અને મોઢું ધોવાનું હોય તો એક અસ્પૃશ્ય નોકર કીટલીમાં પાણી લઈને એક ખૂણામાં હાથ અને મોઢું ધોઈ આપતો. બાલુએ ભોજન પણ અલગ ટેબલ પર અલગ પ્લેટમાં કરવું પડતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6580838c75812.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભલે બાલુને ટીમમાં પછાત બતાવવામાં આવે, પરંતુ તે રમતમાં સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉંચો હતો. તેની બોલિંગથી અંગ્રેજો ધ્રૂજતા હતા. એકવાર તેમની ટીમ બ્રિટિશ જીમખાના ક્લબ સામે મેચ રમવા સતારા પહોંચી. અંગ્રેજોએ એવી પીચ બનાવવા માટે ખાસ આદેશો આપ્યા હતા કે પલવંકર બાલુને કોઈ મદદ ન મળે. પરંતુ જ્યારે બાલુએ બોલિંગ કરી, ત્યારે અંગ્રેજ બેટ્સમેનોની કમર તૂટી ગઈ અને તેઓ બાલુના કારણે જ મેચ હારી ગયા. આ અસ્પૃશ્ય બોલરે મેચમાં સાત વિકેટ ઝડપી હતી. પછી તેને હાથી પર બેસાડી આખા સતારામાં ફેરવવામાં આવ્યો. એક સન્માન સમારોહ યોજાયો જેમાં મહાદેવ ગોવિંદ રાનડેએ તેમને હાર પહેરાવ્યો. આ સમય દરમિયાન, રાનડેએ હિંદુ ક્લબના બ્રાહ્મણ ખેલાડીઓને સમજાવ્યું કે એમણે પલવંકર બાલુ સાથે રમવા ઉપરાંત, તેની સાથે ખાવુંપીવું પણ જોઈએ. થોડા દિવસો પછી બાલ ગંગાધર તિલકે પણ એક જાહેર કાર્યક્રમમાં બાલુનું સન્માન કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાલુએ ઈંગ્લેન્ડ પ્રવાસમાં 114 વિકેટ લીધી હતી. કહેવાય છે કે જો ફિલ્ડિંગ સારી હોત તો તે 150 વિકેટ મેળવી શક્યો હોત. તેણે 114 વિકેટ લઈને બનાવેલો રેકોર્ડ હજુ સુધી તૂટ્યો નથી, 1946માં વિનુ માંકડ એકમાત્ર એવા ભારતીય બોલર હતા જે ઈંગ્લેન્ડના પ્રવાસ પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 100થી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. જો કે તે પણ બાલુના રેકોર્ડ સુધી પહોંચી શક્યા નહોતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6580838ba803d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">15 સપ્ટેમ્બર 1911ના રોજ જ્યારે પલવંકર બાલુ ઈંગ્લેન્ડથી પરત ફર્યા ત્યારે ભારતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈમાં ઘણા દિવસો સુધી તેમના માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ક્રિકેટના મેદાનમાં તેમના અસાધારણ પ્રદર્શનથી, બાલુ અસંખ્ય અસ્પૃશ્યોના હીરો અને પ્રેરણા બના ગયા હતા. તેમાંથી એક 20 વર્ષના ભીમરાવ આંબેડકર હતા. એવું કહેવાય છે કે પલવંકર બાલુને ઈંગ્લેન્ડથી પરત ફરતા એક સન્માન સમારોહમાં સન્માનપત્ર આપવામાં આવેલું, એ સન્માનપત્રના લેખક ડો. આંબેડકર હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આંબેડકર સામે ચૂંટણી પણ લડી</span></strong></span><br><span style="font-size: 14pt;">ભેદભાવના કારણે બાલુને વારંવાર કેપ્ટનશિપથી દૂર રાખવામાં આવ્યા હતા. પાછળથી તેમના અન્ય ત્રણ ભાઈઓ પણ હિન્દુ ટીમ માટે રમ્યા. પરિવર્તનના પવન વચ્ચે તેમના એક ભાઈ વિઠ્ઠલને 1920માં હિન્દુ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા. બાદમાં બાલુએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો. આ સમયગાળા દરમિયાન તેઓ ભીમરાવ આંબેડકરની નજીક રહ્યા. પરંતુ 1932માં તેમણે વંચિત વર્ગો માટે અલગ મતવિસ્તારની આંબેડકરની માંગનો વિરોધ કર્યો. બાદમાં બાલુએ પૂના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા. આનાથી ચૂંટણીનો માર્ગ ખુલ્યો. 1933માં તેઓ આંબેડકર સામે ચૂંટણી પણ લડ્યા હતા. જોકે એમાં તેઓ હારી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ </strong></span><a href="https://khabarantar.com/Kaala---The-roar-of-Dalit-identity-presented-on-the-cinema-screen"><strong>Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના</strong></a></span></p>
<div class="post-summary"><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></div>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 19 Dec 2023 20:14:49 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 19 Dec 2023 20:32:59 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>210</Articleid>
                    <excerpt>યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ શામી, પ્રણવ ધનવાડે જેવા બહુજન ક્રિકેટરોને પ્રતિભા છતાં મળતી અત્યંત મર્યાદિત તકોની ચર્ચા સતત થતી રહે છે, ત્યારે એક એવા દલિત ક્રિકેટરની વાત કરીએ જેણે આભડછેટ વેઠીને પણ દેશનું નાક બચાવેલું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6580838f30591.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6580838ef0afc.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6580838ef0afc.jpg" length="101882" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>Jyotiba Phule સ્મૃતિ દિવસ સ્પેશ્યિલઃ  જ્યોતિબા ફૂલે એટલે &amp;apos;મહાત્મા&amp;apos; પહેલાના &amp;apos;મહાત્મા&amp;apos;</title>
                    <link>https://khabarantar.com/Jyotiba-Phule-Commemoration-Day-Special:-Jyotiba-Phule-means-Mahatma-before-Mahatma</link>
                    <guid>https://khabarantar.com/Jyotiba-Phule-Commemoration-Day-Special:-Jyotiba-Phule-means-Mahatma-before-Mahatma</guid>
                    <description>
                        <![CDATA[ ક્રાંતિસૂર્ય જ્યોતિબા ફૂલેનો આજે સ્મૃતિ દિવસ છે ત્યારે આ મહાનાયકના મહાન કાર્યોને યાદ કરીએ અંજલિ અર્પણ કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">મહાત્મા જ્યોતિબા ફૂલેની ગણના ભારતના સર્વકાલીન મહાન સમાજ સુધારકોમાં થાય છે. તેમણે જીવનભર અસ્પૃશ્યતા, નિરક્ષરતા, સ્ત્રીઓ પર થતા અત્યાચાર જેવા સામાજિક દુષણો સામે લડત ચલાવી. આજે તેમનો સ્મૃતિ દિવસ છે ત્યારે ડો. બાબાસાહેબ આંબેડકર પણ જેમને પોતાના ગુરૂ માનતા હતા તેવા ક્રાંતિસૂર્ય જ્યોતિબા ફૂલે વિશે જાણીએ.</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાત્મા જ્યોતિબા ફૂલેનો જન્મ 11 એપ્રિલ, 1827ના રોજ પુણેમાં થયો હતો. તેમનું પૂરું નામ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે હતું. તેમનો પરિવાર માળી તરીકે કામ કરતો હતો. તેથી જ તેમના નામ સાથે ‘ફૂલે’ ઉપનામ જોડવામાં આવ્યું. તેમના પિતાનું નામ ગોવિંદરાવ અને માતાનું નામ ચિમણાબાઈ હતું. જ્યોતિબા ફૂલે માત્ર એક વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. જે બાદ તેમનો ઉછેર સગુણાબાઈ નામની મહિલાએ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યોતિબા ફૂલેનું પ્રાથમિક શિક્ષણ મરાઠીમાં થયું હતું. 1840માં તેમણે સાવિત્રીબાઈ સાથે લગ્ન કર્યા, જેઓ પછીથી પોતે એક મહાન સામાજિક કાર્યકર તરીકે ઉભરી આવ્યા. ફૂલે દંપતિએ સાથે મળીને દલિતો અને મહિલાઓના ઉત્થાન માટે ઘણા પ્રયત્નો કર્યા. મહિલાઓને શિક્ષણ સાથે જોડવા માટે બંનેએ મળીને 1848માં દેશની પ્રથમ કન્યા શાળા ખોલી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યોતિબા ફુલેએ 1873માં ગરીબો અને દલિતોને સામાજિક ન્યાય આપવા માટે 'સત્યશોધક સમાજ'ની સ્થાપના કરી હતી. સામાજિક ન્યાય માટેના તેમના સંઘર્ષને જોતાં તેમને 1888માં મહાત્માનું બિરુદ આપવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રેરણા કેવી રીતે મળી?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, આ પછી પણ દલિતોના જીવનમાં બહુ પરિવર્તન આવ્યું નથી. ધીમે ધીમે ખ્રિસ્તી મિશનરીઓએ તેમને શિક્ષણ સાથે જોડ્યા. કહેવાય છે કે જ્યારે જ્યોતિરાવ 7 વર્ષના હતા ત્યારે તેમણે શાળાએ જવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમના પિતા સામાજિક દબાણને વશ થઈ ગયા અને તેમણે શાળા છોડી દેવી પડી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભણતર છોડ્યા પછી જ્યોતિબાએ પિતાને ખેતીમાં મદદ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેમની જિજ્ઞાસા અને પ્રતિભાએ ઉર્દૂ-ફારસી વિદ્વાન ગફાર બેગ અને ખ્રિસ્તી પાદરી લિઝીટને પ્રભાવિત કર્યા અને તેઓએ ગોવિંદરાવને તેમના પુત્રને શાળાએ મોકલવા માટે રાજી કર્યા. ગોવિંદરાવ પણ તેમની વિનંતી માટે સંમત થયા અને આ રીતે જ્યોતિબા ફૂલેનો અભ્યાસ ફરી શરૂ થયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કારણ કે તેમનું પ્રાથમિક શિક્ષણ મરાઠીમાં જ થયું હતું. 1847માં તેઓ સ્કોટિશ મિશન હેઠળ અંગ્રેજી શાળામાં જોડાયા. જેના કારણે તેમને આધુનિક શિક્ષણની શક્તિનો અહેસાસ થયો અને ન્યાય અને સ્વતંત્રતાનો વિચાર તેમના દિલ-દિમાગમાં ઘર કરી ગયો. હવે તેઓ દરેક બાબતમાં તર્ક અને ન્યાય શોધવા લાગ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યોતિબા ફુલેને સમજાયું કે જો ભારતમાં દલિતો અને મહિલાઓને આગળ વધવું હોય તો શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી. આ વિચાર હેઠળ, તેમણે સૌપ્રથમ સાવિત્રીબાઈ ફુલેને શિક્ષણ સાથે જોડ્યા અને તેમને અહેસાસ કરાવ્યો કે સ્ત્રી હોય કે પુરુષ બંને સમાન છે. આ ઝુંબેશમાં બંનેને સગુણાબાઈ, ફાતિમા શેખ જેવા ઘણા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળ્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વિચારને અમલમાં મૂકવા માટે, એમણે 1848માં દેશની પ્રથમ કન્યા શાળા ખોલી અને હજારો વર્ષોથી શોષિત સમુદાય માટે ન્યાય માટે ધાર્મિક ગ્રંથોને ખુલ્લો પડકાર ફેંક્યો. આ રીતે સાવિત્રીબાઈ ફુલે માત્ર આ શાળાના જ નહીં પરંતુ સમગ્ર દેશના પ્રથમ મહિલા શિક્ષિકા બન્યાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મૂળ 1873માં મરાઠીમાં લખાયેલા તેમના પુસ્તક 'ગુલામગીરી'માં જ્યોતિબા ફુલેએ ધાર્મિક ગ્રંથો, દેવી-દેવતાઓ અને સામંતવાદી દળોના ખોટા ઘમંડ પર પ્રહાર કરતા શૂદ્રોને તેમની હીનતાનો ત્યાગ કરીને સ્વાભિમાન સાથે જીવન જીવવા પ્રેરણા આપી હતી. આ પુસ્તકમાં તેમણે માનવીઓ વચ્ચેના ભેદભાવને જન્મ આપતા વિચારો પર તાર્કિક પ્રહારો કર્યા છે. </span><span style="font-size: 14pt;">ઉપરાંત, મહિલા શિક્ષણ અંગે જ્યોતિબા ફુલેનો મત હતો કે, "પુરુષોએ મહિલાઓને શિક્ષણથી વંચિત રાખી છે કારણ કે તેઓ ક્યારેય તેમના અધિકારોને સમજી શકતા નથી. "</span><span style="font-size: 14pt;">જ્યોતિબા ફુલેએ માત્ર મહિલાઓને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ વિધવાઓ માટે આશ્રમો પણ બનાવ્યા હતા, તેમના પુનર્લગ્ન માટે લડ્યા હતા અને બાળ લગ્ન વિશે લોકોને જાગૃત કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, વર્ષોના સંઘર્ષ પછી, તેઓને સમજાયું કે જો દલિતો અને મહિલાઓને મુખ્ય પ્રવાહમાં જોડવા હોય, તો જાતિ વ્યવસ્થાના ધાર્મિક અને આધ્યાત્મિક આધાર પર હુમલો કરીને દુષ્ટતાને દૂર કરવી પડશે. તેથી 24 સપ્ટેમ્બર 1873ના રોજ, તેમણે 'સત્યશોધક સમાજ'ની સ્થાપના કરી. તેનો મૂળ ઉદ્દેશ્ય તમામ પૌરાણિક માન્યતાઓનો વિરોધ કરીને સમાજને નવેસરથી વ્યાખ્યાયિત કરવાનો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">જ્યોતિબા ફૂલેઃ ડો. આંબેડકરના પણ ગુરૂ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1891માં ભીમરાવ આંબેડકરના જન્મના થોડા મહિના પહેલા, મહાત્મા જ્યોતિબા ફુલેએ આ દુનિયા છોડી દીધી. પરંતુ બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરે બુદ્ધ અને કબીર જેવા મહાત્માઓની સાથે જ્યોતિબા ફૂલેને પોતાના ત્રીજા ગુરુ માન્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંબેડકરે બ્રિટિશ ઈતિહાસકારો દ્વારા લખાયેલા ભારતના ખોટા ઈતિહાસ અને સિદ્ધાંતો વિરુદ્ધ લખાયેલ તેમનું પુસ્તક 'શુદ્રો કોણ હતા?' જ્યોતિબા ફુલેને અર્પણ કરતી વખતે લખ્યું હતું કે, “તેમણે હિન્દુ સમાજમાં નીચલી જાતિના લોકોને ઉચ્ચ જાતિ પ્રત્યે પોતાની ગુલામીની ભાવના વિરુદ્ધ જાગૃત કર્યા અને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવવા કરતાં સામાજિક લોકશાહીની સ્થાપનાને વધુ મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. આ પુસ્તક આદરપૂર્વક મહાત્મા ફુલેની સ્મૃતિને સમર્પિત છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિતો અને મહિલાઓ ઉપરાંત જ્યોતિબા ફૂલેએ ખેડૂતોની સમસ્યાઓને પણ નવી ચર્ચા આપી હતી. 1882માં લખાયેલા તેમના પુસ્તક ‘કિસાન કા કોડા’માં તેમણે ખેડૂતોની દુર્દશા દર્શાવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ પુસ્તકમાં લખે છે, “બ્રિટિશ અધિકારીઓ, બ્રાહ્મણોના પ્રભાવ હેઠળ, તેમની જવાબદારીઓથી ભાગી જાય છે અને તેઓ શાહુકારો સાથે મળીને, ખેડૂતોનું શોષણ કરે છે અને અહીંથી પૈસા ઉઘરાવે છે અને યુરોપમાં તેમના દેશમાં મોકલે છે. લાચાર ખેડૂત બધું જ સહન કરતો રહે છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">28 નવેમ્બર 1890ના રોજ જ્યોતિબા ફૂલેના અવસાન પછી, તેમની પત્ની સાવિત્રીબાઈ ફુલેએ 'સત્યશોધક સમાજ'ની જવાબદારી સંભાળી અને સામાજિક પરિવર્તન માટે તેમની લડત ચાલુ રાખી. વાસ્તવમાં 'સત્યશોધક સમાજ' દ્વારા સામાજિક ન્યાયના સંદર્ભમાં બતાવેલ માર્ગ આજે લગભગ દોઢસો વર્ષ પછી પણ પ્રાસંગિક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ </span></strong></span><a href="https://khabarantar.com/Why-is-Mata-Savitribai-Phule-not-taught-in-our-schools"><strong><span style="font-size: 14pt;">આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?</span></strong></a></p>
<div class="post-meta"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 Nov 2023 08:47:51 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 30 Jul 2024 19:57:59 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>157</Articleid>
                    <excerpt>ક્રાંતિસૂર્ય જ્યોતિબા ફૂલેનો આજે સ્મૃતિ દિવસ છે ત્યારે આ મહાનાયકના મહાન કાર્યોને યાદ કરીએ અંજલિ અર્પણ કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a8f86748846.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a8f86719c68.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a8f86719c68.jpg" length="66830" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ડો. રમેશચંદ્ર પરમારઃ ગુજરાતમાં દલિત આંદોલનનો એક આક્રમક અવાજ</title>
                    <link>https://khabarantar.com/Dr.-Rameshchandra-Parmar:-An-Aggressive-Voice-of-Dalit-Movement-in-Gujarat</link>
                    <guid>https://khabarantar.com/Dr.-Rameshchandra-Parmar:-An-Aggressive-Voice-of-Dalit-Movement-in-Gujarat</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત દલિત પેન્થર્સના મશાલચી ડો. રમેશચંદ્ર પરમાર સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમની મુખ્ય પ્રવૃત્તિઓને અહીં આવરી લેવા પ્રયત્ન કરાયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને ભારત દેશ અને ગુજરાતમાં ઘેર-ઘેર પહોંચાડવાની તમન્ના સાથે નીકળેલ મરજીવા એટલે ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ ભૌતિક જીવનની વાસ્તવિક આવશ્યકતા અને અભાવોની પરવા કર્યા વિના સતત દલિત અધિકારો અને માનવગરિમા માટે સંઘર્ષરત રહી પોતાના જીવનના અમૂલ્ય વર્ષો ગરીબ અને દલિત સમાજના ઉત્થાન અને અધિકારો માટે ખર્ચી નાખ્યા, એટલે સ્વાભાવિક રીતે દલિત સમાજ એમને સમર્પિત નેતા તરીકે નવાજે અને સન્માને છે.</span></strong><br><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>અભ્યાસ</strong></span><br><span style="font-size: 14pt;">ડૉ. રમેશચંદ્ર પરમારે રખિયાલ મેવોડીસ્ટ મિશન સ્કૂલમાં ઘોરણ ૧ થી ધોરણ  ૪ અને ત્યારબાદ સરસપુર મ્યુનિ. શાળા નં. 1 માં ધોરણ -૭ નો અભ્યાસ કરેલ છે. ખાડિયા ખાતે આવેલ ભારતી વિદ્યાલય અને ત્યારબાદ સરસ્વતી વિદ્યાલય, સરસપુર ખાતે અભ્યાસ કરી એસ.એસ.સી. ની પરીક્ષા ૧૯૫૫માં પાસ કરેલ હતી. શાળાની અભ્યાસેતર પ્રવૃત્તિઓ અને રમતવીર તરીકે ૧૯૫૫માં ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે મુંબઈ રાજ્યની રમતંગમતની હરિફાઈમાં ભાગ લીધો હતો અને મેટ્રીકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી હતી. ત્યારબાદ શ્રી રામાનંદ કોલેજ ઓફ આર્ટ્સમાં ઈન્ટર સુધી અને ત્યારબાદ એચ.કે. કોલેજ ઓફ આર્ટ્સમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી. આ સમયગાળા દરમ્યાન કોલેજના જીમખાના જનરલ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ૪ વર્ષ સુધી સતત ગુજરાત યુનિવસીટી કબડ્ડી ટીમના સભ્ય અને કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય યુનિર્વસીટી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગુજરાતની શ્રેષ્ઠ ટીમ ગણાતી ડૉ.આંબેડકર સ્પોર્ટસ કલબની સ્થાપના ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબે કરી અને મુંબઈ, સોલાપુર, હૈદરાબાદ જેવા શહેરોમાં ભાગ લીધો હતો તથા અમદાવાદ ટુર્નામેન્ટોમાં અનેક શીલ્ડ જીત્યા હતા અને એથ્લેટીકસમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ હતું. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">નાનપણથી જ ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબના પિતાજી મિલ કામદાર હોવાને કારણે બાબાસાહેબની સાથે સંકળાયેલા હતા પરમાર સાહેબ નાની વયના હતા ત્યારે બાબાસાહેબ ને રખિયાલ અમદાવાદ ખાતે મળવાનો મોકો તેમને મળ્યો  અને તેમની માતા જીવીબા ને પણ બાબાસાહેબ ને જમાડવાનો મોકો મળ્યો ત્યારથીજ ડૉ. રમેશચંદ્ર પરમા સાહેબ આંબેડકરવાદના રંગે રંગાયા હતા કઇક નવુ અભ્યાસ કરવાની આતુરતા તેમને ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ડૉ. લોહિયાના ગ્રંથો વસાવવાનો અને અભ્યાસ કરવાનો શોખ યુવાવયથી જ કેળવ્યો હતો.૧૯૯૩માં ગુજરાત યુનિર્વસીટીમાંથી ભારતીય રાષ્ટ્રવાદ, સમાજવાદ અને ડૉ. રામમનોહર મહાનિબંધ લખી ડૉકરેટની પદવી (PHD) પ્રાપ્ત કરી. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સામાજિક પ્રવૃત્તિઓ </span></strong></span><br><span style="font-size: 14pt;">ડૉ. રમેશચંદ્ર પરમારની જાહેર જીવનની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબજ જાણીતી છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે મેટ્રીકની પરીક્ષા પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી મેળવી અને કોલેજમાં ૧ વર્ષ પછી. દાખલ થયા રખિયાલ રોડ પર આવેલી ખાડાવાળી ચાલી જેને હવે ભારતીયનગર તરીકે ઓળખવામાં આવે છે ત્યાં ૧૯૫૧માં દલિત નવયુવકોના વિકાસ થાય તે માટે "ભારતીય નવયુવક મંડળ" અને માનસિક વિકાસ થાય તે માટે "વિચાર-વિનિમય સભા”ની સ્થાપના ૧૯૫૪માં તેમણે કરી જેમાં ગણમાન્ય કવિઓ, લેખકો અને વિચારકોને તે સમયના સાંપ્રત પ્રવાહો પર પ્રવચનો માટે નિમંત્રણ આપી ચર્ચા સભાઓ યોજતા હતા. આ પ્રવૃત્તિ લગભગ ૭ વર્ષ સુધી વસંતલાલ ચૌહાણના માર્ગદર્શન હેઠળ નિયમિત ચાલી,  તે દરમ્યાનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની સતત ઉજવણી ચાલતી હતી. ૧૯૫૮માં “રીપબ્લીકન સ્ટુડન્ટ ફેડરેશન"ની સ્થાપના કરી અને વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવી. યુવકો વાંચતા અને વિચારતા થાય તે માટે પુસ્તકાલય અને વાંચનાલય સ્થાપવાનો વિચાર આવ્યો તેથી ભારતીય નવયુવક મંડળના ઉપક્રમે પુસ્તકાલય અને વાંચનાલય ૧૯૫૩ થી ૧૯૫૭ સુધી ચલાવ્યું. જેનાથી અનેક યુવકોને સામાન્ય જ્ઞાનનો ફાયદો થયો. પ્રૌઢ શિક્ષણના વર્ગો ૧૯૫૭ થી ૧૯૫૯ સુધી ચલાવ્યા અને હિન્દી પ્રચારક મંડળ વર્ષાની પરીક્ષામાં યુવકોને બેસાડયા. અમદાવાદ વ્યાયામ પ્રચારક મંડળ સાથે ગિધ્ધ વ્યાયામ વર્ગોમાં યુવકોને દાખલ કરાવ્યા અને અમદાવાદ, સુરત, આણંદ વગેરે સ્થળોએ મોકલી પરીક્ષાઓ અપાવી તૈયાર કર્યા. એડવોકેટ ગણપતભાઈ રૂપાલા સાથે મળી 'ગુજરાત દલિત સમાજ સંઘ'માં કારોબારી સભ્ય તરીકે ભાગ લઈ સરગાસણ તથા અન્ય સ્થળોએ દલિતો પર થતાં અત્યાચારોનો સામનો કરવા સભા-સરઘસ અને સંમેલનો યોજ્યા તથા પ્રવૃત્તિઓના પ્રચાર માટે ‘પરિવર્તન’ માસિક પત્રિકા શરૂ કરી અને ૧૯૫૯-૬૧માં તેનું સંપાદન કર્યું. </span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_655ccfa3b6bf3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સને-૧૯૫૫ થી ૧૯૫૬ના અરસામાં રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગુંડાઓ દલિતોની વસ્તીમાં આવી તોફાનો કરતાં અને પગારના દિવસે મીલ કારીગરોના પૈસા લૂંટી લેતાં. આ અસામાજિક તત્વોના અન્યાય સામે લડાયક સંગઠન ઉભું કર્યું અને કોઈપણ ગુંડો વસ્તીમાં કોઈપણ બદમાશી કરે તો સામૂહિક રીતે સીધો જ મુકાબલો કરવો એવું નક્કી કર્યું. બે વર્ષ સુધી સતત લડત અને સાવચેતીથી ગુંડાઓ અદ્રશ્ય થયા. પોલીસનો પણ સાથે સહકાર મળ્યો. બહેન-દીકરીઓની મશ્કરી કરતાં તત્વો ભાગી છુટયા. રખિયાલ અને રાજપુર વિસ્તારમાં યુવકોની વ્યાયામ પ્રવૃત્તિઓના વિકાસ માટે શ્રી વસંતલાલ ચૌહાણ સાથે ઠેર ઠેર યુવક મંડળીઓની સ્થાપના કરી દલિત વિસ્તારના રક્ષણ માટેની સશક્ત સંગઠનો ઉભા કર્યા. </span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સાહિત્યિક પ્રવૃત્તિઓ અને સામયિકો</span></strong></span><br><span style="font-size: 14pt;">ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ શાળા જીવન દરમ્યાન ‘બ્યૂગલ’ અને ‘પડઘમ’ નામના હસ્તલિખિત પત્રોના તંત્રી તરીકે પ્રારંભિક વર્ષોમાં જ સાહિત્યિક પ્રવત્તિઓ શરૂ કરેલી. વાંચન અને લેખનનો શોખ હોવાથી સાહિત્યનો શોખ જીવનના છેલ્લી ઘડી સુધી બરકરાર રહ્યો છે. સને ૧૯૬૦માં શ્રી ગણપત રૂપાલાના તંત્રીપદે ‘પરિવર્તન’ નામનું સમાચાર પત્ર શરૂ થયું તેના સંપાદક મંડળમાં રહી સંપાદનનું કામ ત્રણ વર્ષ સુધી કર્યું. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">દલિત પેંથર દ્વારા ‘પેંથર’ માસિક પત્ર શરૂ કર્યું. જેનું સમગ્ર સંપાદન-પ્રિન્ટીંગ વગેરેની જવાબદારી સંભાળી. ૧૯૭૫ થી આ પત્ર નિયમિત પાંચ વર્ષ ચાલ્યું હતું. પુનઃ ‘પેંથર ન્યૂઝ’ નામનું પત્ર અમદાવાદથી શરૂ કર્યુ પણ આર્થિક સંકડામણને કારણે તે બંધ કરવું પડયું. ૧૯૭૪માં ‘તમજ્ઞા’ અને  ‘આર્તનાદ’ માસિક પત્રિકાઓનું સંપાદન ટૂંક સમય માટે કર્યું. ઉદેપુરથી પ્રસિધ્ધ થતાં ‘પરિવર્તન પ્રભાકર’ નામના પખવાડિક પત્રના સંપાદન મંડળમાં કાર્ય કર્યું. જૂનાગઢથી પ્રસિધ્ધ થતાં ‘પ્રબુદ્ધ આંબેડકર’ પત્રના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">ધ્રાંગધ્રાના ‘બુધ્ધવંદના’ અને સુરેન્દ્રનગરના ‘કાઠીયાવાડ સમાચાર’ ના પ્રતિનિધિ તરીકે પણ કામ કર્યું. દલિત  સાહિત્યને સમર્પિત ‘આક્રોશ ઋતુંપત્ર’ ના ચારેક અંક પ્રસિધ્ધ કર્યા અને સરકારે કેસ કર્યા. પરિણામે આક્રોશ બંધ કરવું પડયું. છેલ્લા ૪૦ વર્ષથી બેંગ્લોરથી પ્રસિધ્ધ થતાં અંગ્રેજી  પખવાડિક પત્ર 'દલિત વોઈસ'ના સંપાદક મંડળમાં કાર્યરત રહ્યા.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_655ccfa2102e9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીસ્ટર અફુલીમાલી કુનુવા ઓલાડે એમના સાથીદારો અશ્વેતોના સાહિત્યોનું એક પત્ર ચલાવતા હતા જેનું નામ Black Star (કાળો સિતારો) છે. જેમાં અમેરિકા આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકાના કર્મશીલો અને બૌદ્ધિકો સંપાદક મંડળમાં સામેલ છે. આ પત્રમાં Wole Soyinka Nigeria) Soina Sanchis (USA) Haki Madhubuti (USA)Gwen  Brooks, Noel Walcolt, (Jamaica) Judi Abibu (Nigeria) OPOT P. Bitek (Kenya) જેવા સાહિત્યકારો ‘બ્લેક સ્ટાર'ના સંપાદકો છે. એશિયામાથી દલિત પેંથર - ગુજરાતના અધ્યક્ષ શ્રી રમેશચંદ્ર પરમાર સાહેબને તે જમાનામાં ‘બ્લેક સ્ટાર’ ના સંપાદક મંડળમાં સમાવવામાં આવ્યા હતા તે પૂરા એશિયા ખંડ માટે બહુજ મોટી ગર્વ ની વાત હતી.</span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="font-size: 14pt;">ડૉ. રમેશચંદ્ર પરમારે ડૉ. બાબાસાહેબ આંબેડકરના સાહિત્ય તથા વિચારોથી દલિત સમાજ જાણકાર થાય તે માટે ‘દલિત પેંથર પ્રકાશન’ ના નેજા હેઠળ ૧૯૭૪ માં ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ શતાબ્દી ઉજવણી ટાણે સસ્તા અને વિગતવાર પુસ્તકો દલિતોને મળે તે માટે ૧૦૦ પુસ્તકો પ્રસિધ્ધ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જુદા જુદા લેખકો પાસે પુસ્તકો લખાવવા-અનુવાદ કરવાનું કામ આરંભ્યું હતું અને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી હતી.</span><br><span style="font-size: 14pt;"> </span><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજકીય પ્રવૃત્તિઓ</span></strong></span><br><span style="font-size: 14pt;">ડૉ.રમેશચંદ્ર પરમાર સાહેબ દ્વારા સામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે અનેકવિધ રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ થયેલ. રખિયાલ રોડ રાજકીય કાર્યકરોથી ભર્યોભાદયોં હતો અહીં સમાજવાદી, સામ્યવાદી અને મજૂર મહાજનની પ્રવૃત્તિઓ થતી. પરિણામે શાળા જીવનથી જ રાજકીય પ્રવૃત્તિઓ જોવા જાણવા મળી. ખાડાવાળી ચાલીમાં બાબાસાહેબ આંબેડકર અને પ્રો. એન. શિવરાજ આવેલા. ડૉ. રમેશચંદ્ર પરમારના પિતા પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરના રંગે રંગાયેલા એટલે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને શિડયુલ કાસ્ટ ફેડરેશન તરફ બાળપણથી જ આકર્ષણ હતું. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">દિવંગત. કરશનદાસ પરમાર સંસદસભ્ય બન્યા ત્યારે યુવાવસ્થાથી જ રિપબ્લીકન પાર્ટીના આંદોલનો અને દલિત કામદાર જાગૃતિના કાર્યક્રમોમાં સક્રિય ભાગ લીધો. મહાગુજરાત ચળવળ, નવનિર્માણ આંદોલન અને રિપબ્લીકન પાર્ટી દ્વારા યોજાયેલી ડોફર્સ ચળવળ અને ભૂમિહિનોના આંદોલનમાં આગેવાનીપૂર્વક ભાગ લીધો. સૌરાષ્ટ્રમાં ભૂમિહિનોની ચળવળ અને આંદોલનમાં યાદ કરવા જેવાં નામોમાં સ્વ. મૂળદાસબાપુ (જુનાગઢ), સ્વ. ધર્મબંધુ પાગલ બાબા(કેશોદ),  સ્વ. હમીરભાઈ મહિડા(શાપુર),  ઉગાભાઈ મહિડા (બડોદર),  ગોવિંદભાઈ સોંદરવા(અમરેલી), ઉકા એભા વાઢેર(સુત્રાપાડા), સોમાવાલા ચાંડપા(વેરાવળ), રામા બેચર ચાવડા,  ગોવિંદ ધાંધલ, વીરા વેજા સોંદરવા ઉપરાંત અનેક વડીલોએ તન, મન, ધનથી સ્વાર્પણ કરેલું છે. </span><br><span style="font-size: 14pt;">જયારે પક્ષના નેતાઓએ જેલવાસ ભોગવ્યો ત્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, પાલનપુર અને અમદાવાદમાં ભૂમિહિનોની માંગણીઓ બુલંદ કરવા સભા, સરઘસો, સત્યાગ્રહ અને જેલભરો આંદોલનનું સક્રિય સંચાલન  યુવા નેતા તરીકે કર્યુ. ત્યારથી આખા ગુજરાતે તેમની દલિતો વંચિતોના નેતા તરીકે સ્વીકાર્યા. ધારાસભાને ઘેરાવ, તાળાબંધી અને દલિત અત્યાચાર વિરૂદ્ધ આંદોલનોમાં ન્યાય માટે સંઘર્ષ કર્યો. રીપબ્લીકન પાર્ટી તરફથી અમદાવાદની લોકસભાની બેઠક પર ઈંદુલાલ યાજ્ઞિક સામે ચૂંટણી લડી પણ તેમાં પરાજય થયો. રિપબ્લીકન પક્ષ(ખોબ્રાગડે ગ્રુપ)ના ગુજરાતના મહામંત્રી તરીકે દલિતો, આદિવાસીઓ અને આમ જનતાના પ્રશ્નો માટે સરકારમાં રજૂઆતો અને આંદોલનો કર્યા. ગુજરાત ભરના તમામ જીલ્લાઓમાં પક્ષને મજબુત કર્યો. </span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_655ccfa1533ff.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દલિત પેંથરની સ્થાપના </span></strong></span><br><span style="font-size: 14pt;">મુંબઈમાં દલિત પેંથરના યુવકો પર વર્લીકાંડ પછી જે સંઘર્ષ થયો હતો ત્યારે દલિત આગેવાનોએ મુંબઈના યુવા નેતાઓને અમદાવાદ બોલવ્યા અને વિશાળ રેલી અને સભા કરી અને ગુજરાતમાં પેંથરની ચળવળ ચલાવવાનો વિચાર અમદાવાદના બુદ્ધિજીવી યુવક આગેવાનોએ કર્યો ત્યારે દલિત પેંથરની આગેવાની લીધી અને ગુજરાત ભરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનો શિક્ષિત બનો, સંગઠીત બનો અને સંઘર્ષ કરો નો નારો ચરિતાર્થ કર્યો. ગુજરાતના મોટાભાગના જીલ્લામાં દલિત પેંથરના એકમો ઉભા કર્યા. આ ચળવળમાં ડૉ.રમેશચંદ્ર પરમાર સાથે દિવંગત નારણભાઈ વોરા, દિવંગત નગીનભાઈ પરમાર, વાલજીભાઈ પટેલ, નટુભાઈ સોલંકી(કડી),  પી. ડી. વાઘેલા, દિવંગત બકુલ વકીલ, દલપતભાઈ શ્રીમાળી, ઈશ્વરભાઈ સોલંકી, મંગલ સુરજકર, ટી સી પરમાર, જે કે ચૌહાણ, બાબુભાઇ પરમાર, મહેશ પરમાર, ધીરુભાઇ રૂપાલા, દિનેશ રૂપાલા, કિરિટ વાઘેલા, પ્રવિણ રૂપાલા, બાબુભાઈ રૂપાલા, ગોવિંદભાઈ ગોહેલ, ડી.એ. રાઠોડ, રમણલાલ પરમાર, કે. ડી. પરમાર, ચિરાગ રાજવંશ, રાજુ પરમાર,  જીતુભાઈ પરમાર, સુરેશ આગજા, મગનલાલ કોન્ટ્રાકટર, શામત પરમાર, ટોની પરમાર, બળવંતસિંહ સોલંકી,  જે.ડી. પરમાર, બાબુલાલ લેઉવા, બાબુલાલ પરમાર અને અસંખ્ય યુવકોએ ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબનની આગેવાનીમાં  સંગઠનમાં જોડાઈને દલિત અત્યાચારોનો પ્રતિકાર અને વંચિત ઉત્થાનના કાર્ય ક્રમો અમલમાં મૂક્યા. સમગ્ર ગુજરાતમાં દલિત જાગૃતિની લહેર ઊઠી. ચંદ્રસિંહ મહિડા(જૂનાગઢ), ગૌતમ ગોહેલ(એડવોકેટ), બી. કે. પરમાર(ગાંધીનગર),  બાલુભાઈ સોચા(કોડીનાર),ભાણજીભાઈ બગડા(અમરેલી),  લાખાભાઈ પરમાર (જૂનાગઢ),  બી. ટી. મેવાડા(જુનાગઢ),  પરબત મેવાડા(માંગરોળ),  મીઠાભાઈ રાવલીયા(માંગરોળ), અમરસિંહ બથવાર(ભાણવડ), પુનમભાઈ ઝાલા(ઉના),  નાનજીભાઈ ચાવડા(કેશોદ),  દેવજીભાઈ પરમાર(તલાળા),  વીરાભાઈ સોંદરવા(તલાળા),  નગાભાઈ ચાવડા(ભૂસિયા),  આલજીભાઈ પરમાર(સુરેન્દ્રનગર),  દિનકર આલા ચાવડા(પીખોર),  દાનાભાઈ ગોહેલ(પાણીદ્રા),  મહેશ વાઘેલા(ધાંગધ્રા),  હરીભાઈ વાઘેલા(રાણપુર), શાંતિલાલ પરમાર(હળદરવાસ),  મહેશભાઈ સોલંકી, રામસિંહ સોલંકી(મહેસાણા), અરવિંદ પરમાર(વડોદરા), દિવંગત રોબર્ટ પરમાર(વડોદરા),  રમણલાલ પરમાર(જેતલપુર) જેવા અનેક લડાયક યુવકોએ ગુજરાતમાં દલિત પેંથરની ચળવળમાં ભારે ભોગ આપ્યો છે અને અન્યાય-અત્યાચારનો મુકાબલો કરી દલિત ચેતના જગાવી છે.૧૯૭૪ થી માંડી આજ સુધી દલિત પેંથર દ્વારા દલિતોની અસ્મિતા પ્રગટાવવા આંદોલન, સાહિત્યિક ચળવળ અને અન્યાયનો મુકાબલો કરવાના કાર્યક્રમો ચાલે છે અને ધરપકડો વ્હોરી છે અને જેલવાસ ભોગવ્યો છે. ૧૯૮૧માં ગુજરાતમાં ફાટી નીકળેલા અનામત વિરોધને નામે દલિતો વિરૂદ્ધ જે જાતિયુદ્ધો ફાટી નીકળેલા તેનો શક્તિસભર મુકાબલો ગુજરાત ભરમાં ફરી સમાજના સહકારથી કર્યો. અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લા, મહેસાણા જિલ્લો અને ખેડા જિલ્લામાં અનામત વિરોધના નામે દલિતો પર હુમલા થવા અને લોકોને હિજરત કરવી પડી ત્યારે ફુલચંદની ચાલી, રાધેશ્યામની ચાલી-સરસપુર, શિવાજીનગર હા. સોસાયટી, નરોડા, બી.કોલોનીના છાપરા, સિવિલ હોસ્પિટલ પાછળ, રાહીદ મણીલાલ કોલોની, ઓઢવ, ફુલચંદનની નવી ચાલી, સાણોદા ગામ, નર્મદાનગર સોસાયટી, દેત્રોજ ગામ, બિલિયા, પીજ, કડજોદરા, ઉત્તરસંડા, સિદ્ધાર્થ સોસાયટી કલોલ, તિરૂપતી સોસાયટી, રાણીપ, શિવાનંદનગર, સાબરમતી, ભોગીલાલની ચાલી અસારવા, ગોઝારીયા વગેરે સ્થળોએ જાત મુલાકાત લઈ રાહત અને સહાય સહિત કાનૂની પગલા લેવા સરકારી એજન્સીઓને અને કોર્ટમાં રજૂઆત કરી ગુજરાતના દલિતો વતી હૂંક આપી. પરિણામે ગુજરાતભરમાં સ્વયંભૂ પેંથરના એકમો સક્રિય કાર્ય કરવા લાગ્યા. દલિતો પરના અત્યાચારનો મુદ્દો મહત્વનો હોવાથી ગુજરાતભરમાં દલિત પેંથરના એકમો દ્વારા જનજાગૃતિ અને શક્તિસંચયના કાર્યક્રમાં ચાલતા રહ્યા છે. ૧૯૮૧ના આંદોલનોને કારણે ધરપકડો અને જેલવાસ ભોગવવો પડયો હતો. જેતલપુર હત્યાકાંડથી માંડીને કડી અને ભાટના હત્યાકાંડો વિરૂદ્ધ અનેક સ્થળે દલિત પેંથરે  સક્રિય ભૂમિકા ભજવી છે. ગુજરાતભરમાં દલિતો પર થયેલા અત્યાચારો અંગે જાતમાહિતી લેવા સ્થળ મુલાકાનો લઈ ન્યાય મેળવવાના કાર્યક્રમો ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ ની આગેવાનીમાં થયા છે.</span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_655ccfa2d0659.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દલિત પેંથરના પ્રથમ અધિવેશન મે ૧૯૭૮માં નાગપુર મુકામે યોજાયું. ત્યારે તેના ઉદ્ઘઘાટ્ક પ્રમુખ તરીકે દલિત પેંથરની તાત્વિક ભૂમિકા પર માનનીય પ્રવચન આપી પત્ર નીતિ વક્તવ્યનો નવો મુસદ્દો તૈયાર કર્યો હતો. ૧૯૮૨માં દિલ્હી ખાતે યોજાયેલ બીજા રાષ્ટ્રીય અધિવેશનમાં માઈસાહેબ આંબેડકર સાથે અધ્યક્ષપદ સંભાળ્યું. ફગવારા(પંજાબ), કાનપુર, ભોપાલ, ઔરંગાબાદ, નાગપુર, મુંબઈ, સોલાપુર અને દિલ્હી સહિત દેશભરમાં થયેલા દલિત પેંથરના આંદોલનોમાં ભાગ લીધો. ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ્યની સ્થાપના થયા પછી દલિતો પર ગ્રામ-પંચાયતના સ્તરે વહીવટી દ્રષ્ટીએ અન્યાય થાય નહી તે માટે સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના પંચાયતમાં જ કરવામાં આવશે. જેમાં દલિત ચૂંટાયેલા સભ્યો સામાજિક ન્યાયની ફરિયાદો પર ધ્યાન આપે. આ સમિતિઓના અધિકારો અને પ્રવૃત્તિઓ અંગે ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં તાલિમ અને અધિકારની જાણકારી માટે સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ, સુરતના ઉપક્રમે અમદાવાદ જીલ્લો, ધંધુકા, રાણપુર, મહેસાણા જિલ્લો, ખેડા જિલ્લો અને જુનાગઢ જીલ્લાની સમિતિઓના સભ્યોને બે દિવસના સેમિનારમાં નિમંત્રણ આપી વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા તાલીમ આપી મહત્વનું કામ ડૉ. રમેશચંદ્ર પરમારે પાર પાડયું. સંસ્થાગત પ્રવૃત્તિઓને લીધે તથા અન્ય સામાજિક સંસ્થાઓએ વિવિધ વિષયો પર યોજેલ સેમિનારોમાં ભાગ લેવા માટે ગુજરાતના વિવિધ જીલ્લાઓ ઉપરાંત બહારના પ્રાંતોમાં અવાર નવાર જવાના અને રાજ્ય સ્તરીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનારોમાં ભાગ લેવાના અવસરો પ્રાપ્ત થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span></p>
<p style="text-align: justify;"><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_655ccfa0979d6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અત્યારે દલિત પેંથરના અધ્યક્ષ રાહુલભાઈ પરમારની આગેવાનીમાં દેશભરમાં દલિત પેંથરની ચળવળ મજબૂત થઈ રહી છે. તેમની સાથે ખભેખભો મિલાવીને મહામંત્રી કૃણાલભાઇ સોલંકી, સંગઠક ચિરાગભાઇ મહેરિયા, કૌશલભાઇ આસોડિયા, જયેશભાઈ પરમાર, નિમેષભાઇ પરમાર, ભાવિકભાઇ રામકર, રીટાબેન પરમાર અને ગુજરાતના દરેક જિલ્લામાંથી અસંખ્ય કાર્યકરો પેંથરની ચળવળ સાથે જોડાયેલા છે અને પેંથર ચળવળ મજબૂત કરી રહ્યા છે.</span></p>
<ul style="text-align: justify;">
<li style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>રાહુલ પરમાર</strong></span> <strong><span style="font-size: 12pt;"><em>(લેખક દલિત પેન્થર ગુજરાતના વર્તમાન અધ્યક્ષ અને શ્રી રમેશચંદ્ર પરમાર સાહેબના પૌત્ર છે)</em></span></strong></span><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 12pt;"><em></em></span></strong></span></li>
</ul>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ </span></strong><a href="https://khabarantar.com/Mashalchi-of-Dalit-Panthers-Dr.-Rameshchandra-Parmar-1935-2016"><span style="text-decoration: underline; color: rgb(53, 152, 219);"><strong>‘દલિત પેન્થર્સ’ના મશાલચી ડૉ. રમેશચંદ્ર પરમાર (1935-2016)</strong></span></a></span></p>
<div class="post-meta" style="text-align: justify;">
<div class="post-meta"><span><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>બહુજન સમાજને લગતા તમામ મહત્વના સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</strong></span><strong></strong></span></div>
<div class="post-meta"><span><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong></strong></span></span></div>
<div class="post-meta"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong>ખબરઅંતર.કોમની વોટ્સએપ ચેનલને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.</strong></span></span></a></div>
</div>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 21 Nov 2023 21:29:34 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 21 Nov 2023 21:47:29 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>139</Articleid>
                    <excerpt>ગુજરાત દલિત પેન્થર્સના મશાલચી ડો. રમેશચંદ્ર પરમાર સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમની મુખ્ય પ્રવૃત્તિઓને અહીં આવરી લેવા પ્રયત્ન કરાયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_655ccfa4b5da3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_655ccfa47f4ea.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_655ccfa47f4ea.jpg" length="86084" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>એક ગાંડો ઘેલો કવિ, નામ એનું શંકર પેન્ટર</title>
                    <link>https://khabarantar.com/A-mad-mad-poet-named-Shankar-Painter</link>
                    <guid>https://khabarantar.com/A-mad-mad-poet-named-Shankar-Painter</guid>
                    <description>
                        <![CDATA[ આજે દિગ્ગજ બહુજન કવિ શંકર પેન્ટર સાહેબની જન્મતિથિ છે ત્યારે કર્મશીલ રાજુ સોલંકીએ તેમના શબ્દોમાં આપેલી અંજલિ અહીં નજીવા ફેરફાર સાથે પ્રસ્તુત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શંકર પેન્ટરે ક્યારેય નાસ્તિક હોવાનો દાવો કર્યો નથી કે પોતે મોટો આઇડીયોલોગ છે એવો ઢંઢેરો પણ પીટ્યો નથી. એક સીધોસાદો ગામડીયા જેવો માણસ, જેણે એના હૃદયની ઉર્મિઓને વ્યક્ત કરી, થોડીક દલિત કવિતાઓ રચી અને બીજા દલિત કવિઓની જેમ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો એવોર્ડ લીધો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પણ વાત આટલેથી પતતી નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મને કહેવા દો, એક્યાસી-પંચાસીમાં જ્યારે ગુજરાતમાં અનામત-વિરોધી વંટોળ ફૂંકાયો અને દલિત સમાજ પર ભયાનક હુમલા થયા ત્યારે આ શંકર પેન્ટર નોકરી-ધંધો, ઘરબાર મૂકીને નીકળી પડ્યો; ગામે-ગામ, ચાલીએ ચાલીએ ભટકીને એની ગાંડીઘેલી ભાષામાં દલિત સમાજ આગળ કવિતાઓનું પઠન કર્યું; ગાંધીનગરમાં 1985માં પાંચ લાખની રેલી નીકળી તો એણે ‘કરવટ બદલે કોમ ઉંઘતી, તમે જાગો નવજુવાનો’ જેવી કવિતા રચીને રેલીમાં જોડાયેલા હજારો લોકોનો જુસ્સો વધાર્યો; સાંબરડાના દલિતોએ ગઢવીઓના ત્રાસથી હિજરતી કરી, ત્યારે ‘સાંબરડાનું સાંબેલું દિલ્લીમાં જઇને ડોલે, ખોલે ખોલે ખોલે એના પોલ ઝંબુરીયો ખોલ,’ કહીને તત્કાલીન રાજસત્તાને પડકારી; જોટાણામાં દલિત બહેનના અપ્રતિમ પ્રતિકારને ‘બાઈ રતનને રંગ, એની માવડીને છે રંગ, રંગ જોટાણાના જવાનીયોઓને દુનિયા થઈ ગઈ દંગ,’ લખીને અમર કરી દીધો. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_65576b2fde7c5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે નગારે ઘાવ પડ્યો ત્યારે શંકર પેન્ટર જેવા કોક જ વીરલાઓ મેદાનમાં ઉભા હતા. એ ધાર્મિક હતા કે નહીં એ મારા માટે ક્યારેય કોઈ મુદ્દો બન્યો નહીં. વિદ્વાન ચિંતકો ઘરમાં બેસી રહ્યાં અને અભણોએ લડાઈ લડી નાંખી. શંકર પેન્ટર એ લડાઇનો પહેલી હરોળનો મશાલચી હતો એ જ વાત મને યાદ છે. બાકી બધું તો ઠીક મારા ભાઈ.</span></p>
<ul>
<li style="text-align: justify; font-size: 14pt;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>રાજુ સોલંકી</strong></span><span style="color: rgb(224, 62, 45);"><strong></strong></span></span></li>
</ul>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ </strong></span><a href="https://khabarantar.com/What-can-Bahujan-Samaj-learn-from-Mohammed-Shami"><span style="text-decoration: underline; color: rgb(53, 152, 219);"><strong>બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?</strong></span></a></span></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 17 Nov 2023 19:01:59 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 18 Nov 2024 11:01:01 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>128</Articleid>
                    <excerpt>આજે દિગ્ગજ બહુજન કવિ શંકર પેન્ટર સાહેબની જન્મતિથિ છે ત્યારે કર્મશીલ રાજુ સોલંકીએ તેમના શબ્દોમાં આપેલી અંજલિ અહીં નજીવા ફેરફાર સાથે પ્રસ્તુત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673ad0d6bd576.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ad0d68a73b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673ad0d68a73b.jpg" length="98199" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને....&amp;quot;</title>
                    <link>https://khabarantar.com/A-boar-has-been-cut-to-death-on-the-railway-track-in-front,-pick-it-up...</link>
                    <guid>https://khabarantar.com/A-boar-has-been-cut-to-death-on-the-railway-track-in-front,-pick-it-up...</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મરાઠી ભાષાની સર્વાધિક કમાણી કરતી ફિલ્મ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">‘Sairat’ </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના દિગ્દર્શક</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">,</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> મરાઠી </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">‘Kaun Banega Crorepati’</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના હોસ્ટ અને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Amitabh Bachchan</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> અભિનીત સુપરહિટ ફિલ્મ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">‘Jhund’</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના ડિરેક્ટર નાગરાજ મુંજળે(</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Nagraj Manjule</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">) આજકાલ તેમની શિવાજી મહારાજ પરની આગામી ફિલ્મના કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેમણે એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં દેશમાં પ્રવર્તમાન જાતિવાદ ઉપરાંત આ મામલે તેમના પોતાના અનુભવો વર્ણવ્યા હતા.</span></strong><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Writer, Director, Film Producer </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જેની બહુમુખી પ્રતિભા ધરાવતા </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નાગરાજ મંજુલેએ મુલાકાતમાં તેમની કારકિર્દીની સાથે સાથે તેમણે બનાવેલી ફિલ્મો વિશે પણ દિલ ખોલીને વાત કરી હતી અને ઘણાં પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ ઈન્ટરવ્યૂમાં તેમણે પોતે દલિત હોવાને કારણે કેવી કેવી સમસ્યાઓ વેઠવાની આવી તેની પણ વાત કરી હતી. સામાન્ય રીતે એક સ્તર સુધી પહોંચી ગયા પછી જાતિવાદથી ગ્રસ્ત સમાજમાંથી આવતી વ્યક્તિ પણ તે મુદ્દે જાહેરમાં બોલવાનું ટાળતી હોય છે. પણ નાગરાજ મંજુળેને આ બાબતે સલામ કરવી પડે, કેમ કે તેઓ મરાઠીમાં લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિના હોસ્ટ રહી ચૂક્યા છે,</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> Jhund</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> જેવી સુપરહિટ ફિલ્મમાં</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> અમિતાભ બચ્ચનને ડિરેક્ટર કરી ચૂક્યાં છે, મરાઠી ભાષાની સર્વાધિક કમાણી કરતી ફિલ્મ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Sairat </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેમના નામે બોલે છે, તેમ છતાં જાતિવાદ અને અસ્પૃશ્યતા વિશે તક મળ્યે પોતાના અનુભવો અને વર્તમાન પરિસ્થિતિ વિશે બોલવાનું ચૂકતા નથી.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નાગરાજ મંજુળેએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે એક દલિત છોકરો હોવાને કારણે તેમણે ઘણાં નિયમોનું પાલન કરવું પડ્યું હતું. તેઓ કહે છે કે, </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">“</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">હું જ્યારે નાનો હતો ત્યારે મારી જાતને એક માણસ તરીકે જ જોતો હતો. પણ મોટો થયો અને એક પ્રસંગે મને મારી જાતિને કારણે હડધૂત કરવામાં આવ્યો એ પછી મને સમજાયું કે હું અન્ય લોકો જેવો સામાન્ય માણસ નથી. દલિત હોવાને કારણે મારે અનેક મર્યાદાઓનું પાલન કરવું પડશે, જે બીજા કોઈપણ માણસે ફક્ત ચોક્કસ જાતિના હોવાના કારણે નથી કરવું પડતું.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">”<o:p></o:p></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_6547b62bc3af2.jpg" alt=""></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">અસ્પૃશ્તાને લીધે હું ઘણાં મિત્રોના ઘરોમાં જઈ શક્યો નહોતો</span></b><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;"><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નાગરાજ મંજુલેએ દલિત હોવાને કારણે શું સહન કરવું પડ્યું</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">? </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ પ્રશ્ન પર તેમણે કહ્યું કે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, “</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જ્યારે હું નાનો હતો ત્યારે મને લાગતું નહોતું કે આવું કશું હોય છે. કદાચ આ મારી સાથે થઈ રહ્યું હશે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પરંતુ મને તેની જાણ નહોતી. પણ પછી મને આ મામલો સમજાવા લાગ્યો હતો. કેટલાક ઘર એવા હતા જેમાં હું જઈ શકતો નહોતો, પાણીને સ્પર્શી શકતો ન હતો, ખોરાકને સ્પર્શ કરી શકતો નહોતો. અમુક ઘરોમાંથી ખાવાનું આવતું હતું</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પણ અમારા ઘરેથી ત્યાં જઈ શકતું ન હતું. આનું કારણ મને પાછળથી સમજાયું. જ્યારે તમે નાના હો છો ત્યારે તમને સમાજમાં શું ચાલી રહ્યું છે તેની ચિંતા પણ નથી હોતી. તમે કઈ જ્ઞાતિના છો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">? </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તમારે આગળ ક્યાં જવું છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">? </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પરંતુ જેમ જેમ તમે સમજો છો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ત્યારે તમે અમુક સીમાઓ પાર કરવાનો પ્રયાસ કરો છો ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.”</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ</strong></span> </span><a href="https://khabarantar.com/What-can-Bahujan-Samaj-learn-from-Mohammed-Shami"><span style="text-decoration: underline; color: rgb(53, 152, 219);"><strong>બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?</strong></span></a></span></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નાગરાજે મંજુળેએ જણાવ્યું કે તેમને આ બધી બાબતોની ત્યારે ખબર પડી જ્યારે તેમણે ભણવાનું શરૂ કર્યું અને પોતાની જાતને સમજવા લાગ્યા. ત્યારે તેમને ખબર પડી કે તેઓ દલિત છે. તેઓ કહે છે કે, </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">“</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મને લાગતું હતું કે ડો. બાબા સાહેબ આંબેડકરના કારણે જે લોકો જાગ્યા છે તેઓ જ દલિત છે. હું દલિત નથી. મને ખ્યાલ નહોતો કે હું દલિત છું. પરંતુ ધીમે ધીમે જ્યારે મેં એ બાબતોને જોવાનું શરૂ કર્યું ત્યારે મને ખ્યાલ આવવા લાગ્યો કે દલિતો માટે પરિસ્થિતિ હજુ બદલાઈ નથી. પછી તમે ક્યાંય પણ જતા રહો. ત્યારે મને સમજાયું કે જ્યારે અમે પાણી ભરવા જતા ત્યારે કેટલાક લોકો અમારા હાથ અડ્યા હોય એ નળ શા માટે ધોતા હતા."</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_6547b62ac6005.jpg" alt=""></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મંજુળેએ વધુમાં કહ્યું કે તેમના પિતા ઈચ્છતા હતા કે તેઓ અને તેના બધા ભાઈઓ અભ્યાસ કરે અને આગળ વધે. પરંતુ તેમણે જોયું કે તેમના પિતા અને તેમની આસપાસના લોકોએ શું સહન કર્યું હતું, એટલે અમે વહેલીતકે કમાવાનું નક્કી કર્યું.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જ્યારે રેલ્વે લાઇન પર ભૂંડ મરી ગયું હતું...</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">' </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">એક ઘટનાનો ઉલ્લેખ કરતા નાગરાજ મંજુળેએ જણાવ્યું કે તેમના ઘરની નજીક રેલવે લાઇન પર એક ડુક્કર કપાઈ ગયું હતું. એ પછી રેલ્વેનો એક વ્યક્તિ તેમનું ઘર શોધીને આવ્યો અને તેને ત્યાંથી ભૂંડને હટાવવાનું કહ્યું</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આના પર મંજુલેએ વ્યક્તિને કહ્યું</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, “</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તમે મારા ઘરે કેમ આવ્યા છો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જાતે ઉપાડીને ફેંકી દો. જાઓ રેલ્વેને કહો. મને એના પર ખૂબ ગુસ્સો આવ્યો તેથી મારી માતાએ મને કહ્યું કે એની સાથે માથાકૂટ કરવી રહેવા દે. હજુ પણ અનેક જગ્યાએ આવું બને છે પરંતુ આશા છે કે વિશ્વ બદલાશે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">”<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">ભાઈએ સલાહ આપી</span></b><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;">, </span></b><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">પણ સાંભળ્યું નહીં</span></b><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;"><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નાગરાજ મંજુળેએ તેમની શોર્ટ ફિલ્મ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">pistulya </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માટે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">National Award</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> સમયે આપેલા ઈન્ટરવ્યૂ વિશે પણ વાત કરી. એ ઈન્ટરવ્યૂમાં તેમણે પોતે દલિત જાતિમાંથી આવે છે તેવો ઉલ્લેખ કર્યો હતો. તેના પર તેમના નાના ભાઈ અને મિત્રએ તેમને પૂછ્યું કે તું આ બધું કેમ બોલે છે. તેમના મિત્ર અને ભાઈએ તેમને આવી વાત ન કરવાની સલાહ આપી. તેની પાછળનો તેમનો તર્ક હતો કે હું હજુ હમણાં જ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યો છું. જો મારી જાતિની ઓળખ છતિ થઈ જશે તો મારી કરિયર ખતમ થઈ જશે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202311/image_870x_6547b629ae9d6.jpg" alt=""></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ મામલે નાગરાજ મંજુળે કહે છે, </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">“</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મેં મારા ભાઈને </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કહ્યું કે આ જ સત્ય છે. હું દલિત સમાજમાંથી આવું છું, મારા પિતા પથ્થર તોડવાનું કામ કરતા હતા. આ વાત જો હું છુપાવીશ તો પછી બીજું શું કહીશ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">?</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> એટલે મેં કશું પણ છુપાવ્યા વિના બધું જ કહેવાનું ચાલું રાખ્યું. એ પછી મેં બીજી ફિલ્મ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">fandry</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> લખી અને નિર્માતાઓને તેને બનાવવામાં કશો વાંધો નહોતો.<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">જાતિ બાબતે બોલવાનું દબાણ</span></b><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;"><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">દેશમાં કોઈ ચોક્કસ જાતિ વિશે વાત કરવા અને તેના પર કોઈના મંતવ્યો વ્યક્ત કરવાના દબાણના મુદ્દે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મંજુળેએ કહ્યું કે,</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">"</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">લોકો ઇચ્છે છે કે હું આવા મુદ્દાઓ પર મારા વિચારો વ્યક્ત કરું. પણ મને ખરાબ લાગે છે કે માત્ર હું જ બોલી રહ્યો છું. જરૂરી નથી કે મારી જ્ઞાતિ છે</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તો જ હું બોલીશ. સંવેદનશીલ બનવું એ એક વાત છે</span><span lang="GU" style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અને જે તે જાતિના હોવું ને બોલવું એ અલગ વાત છે."</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નાગરાજ મંજુળે આ બધી બાબતોનો સાર વ્યક્ત કરતા કહે છે કે, </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">“</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ બધી બાબતોનો અર્થ એ નથી કે મારે આ વિશે વાત કરવાની હવે જરૂર નથી. મેં આ બાબતે બોલવાની શરૂઆત કરી છે તેથી હું જ્યાં પણ આવું જણાશે ત્યાં તેના વિશે બોલવાનું ચાલું રાખીશ. મને દુઃખ એ વાતનું છે કે, દલિતોની વાત માત્ર દલિતો જ કરે છે. તેમને થઈ રહેલા અન્યાય બાબતે બીજું કોઈ બોલતું નથી. મને લાગે છે એક માણસ હોવાને નાતે બીજાઓએ પણ આ અન્યાયી બાબત સામે અવાજ ઉઠાવવો જોઈએ.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">આ પણ વાંચોઃ </span></strong></span><a href="https://khabarantar.com/MP-Sidhi-urine-scandal:-Aggrieved-tribal-Dasmat-Rawat-says,-CM-Shivraj-Singh-has-forgotten-his-Sudama..."><span style="text-decoration: underline; color: rgb(53, 152, 219);"><strong>MP Sidhi પેશાબકાંડઃ પીડિત આદિવાસી દશમત રાવત કહે છે, "CM શીવરાજસિંહ તેમના સુદામાને ભૂલી ગયા છે..."</strong></span></a></span></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 Nov 2023 21:07:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>95</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_6547b61787071.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_6547b61753bab.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_6547b61753bab.jpg" length="59802" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મળો ભારતના પહેલા દલિત અબજોપતિ પદ્મશ્રી Rajesh Saraiyaને, જેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર છે રૂ. 26.42 અબજ!</title>
                    <link>https://khabarantar.com/Meet-Indias-first-Dalit-billionaire-Padma-Shri-Rajesh-Saraiya,-whose-company-has-an-annual-turnover-of-Rs.-26.42-billion</link>
                    <guid>https://khabarantar.com/Meet-Indias-first-Dalit-billionaire-Padma-Shri-Rajesh-Saraiya,-whose-company-has-an-annual-turnover-of-Rs.-26.42-billion</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સામાજિક ઉપેક્ષાને કારણે દલિત સમાજ શરૂઆતથી જ આર્થિક રીતે નબળો રહ્યો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પરંતુ સમયની સાથે તેમની મહેનતના બળ પર કેટલાક દલિતોએ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં સફળતાનો ઝંડો ફરકાવ્યો છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">  </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">એવાં ઘણા નામ છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પરંતુ આજે અમે તમને દેશના પહેલા દલિત અબજોપતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">  </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ મહેનતુ માણસે અબજો રૂપિયાનું બિઝનેસ સામ્રાજ્ય બનાવ્યું છે અને તેમની ગણતરી વિશ્વના સૌથી સફળ લોકોમાં થાય છે.</span><span lang="GU" style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ વ્યક્તિત્વનું નામ છે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Rajesh Saraiya</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> <br><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અબજોપતિઓમાં સૌથી મોટું નામ ગણાતા રાજેશ સરૈયાને દેશના પ્રથમ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Dalit</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Billionaire </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માનવામાં આવે છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">  2 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઓક્ટોબર 1969ના રોજ ઉત્તરપ્રદેશના સીતાપુર પાસેના સરૈયા સાની ગામમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા રાજેશ સરૈયા નાનપણથી જ સાહસી મિજાજ ધરાવતા હતા.</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> આજે તેમનો બિઝનેસ ભારતની બહાર યુક્રેન</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રશિયા</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જર્મની</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઈસ્તાંબુલ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">દુબઈ સહિત દુનિયાના અનેક મોટા દેશોમાં ફેલાયેલો છે.</span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ </strong></span></span><a href="https://khabarantar.com/Gurukilli-of-Power:-Dalitjan,-Bahujan,-Sarvajan"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>સત્તાની ગુરૂકિલ્લી: દલિતજન, બહુજન, સર્વજન</strong></span></a></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રાજેશ સરૈયા </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Ukraine</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> સ્થિત કંપની </span><span style="color: rgb(20, 20, 20); background: white;">Steel Mont</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">SEO</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">  </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સ્ટીલમોન્ટની વેબસાઈટ અનુસાર</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કંપનીનું </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">turnover </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">350 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મિલિયન </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Dollar</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> એટલે કે લગભગ</span><span lang="GU" style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">26,42,67,50,000 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રૂપિયા</span><span lang="GU" style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">છે.</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેમની કંપની </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Metal Sector</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં કામ કરે છે</span><span lang="GU" style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જેનું હેડક્વાર્ટર જર્મનીમાં છે. આ સિવાય લંડન, કીવ, મોસ્કો, ઈસ્તંબુલ, દુબઈ, મુંબઈ અને તિયાન્જિનમાં પણ ઓફિસો આવેલી છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14.0pt; font-family: 'Arial','sans-serif'; mso-fareast-font-family: 'Times New Roman'; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; color: #222222; mso-fareast-language: EN-IN; mso-bidi-language: GU;"><span style="color: rgb(255, 3, 30);"><strong></strong></span><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ </strong></span></span></span></span><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/Not-a-single-Dalit,-Tribal-or-OBC-in-key-positions-in-mainstream-media-%E2%80%93-report"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>મુખ્યધારાના મીડિયામાં મુખ્ય પદો પર એકેય દલિત, આદિવાસી કે ઓબીસી નહીં – રિપોર્ટ</strong></span></a></span></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મીડિયા રિપોર્ટ મુજબ રાજેશ સરૈયાનું પ્રાથમિક શિક્ષણ ભારતમાં જ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Dehradun</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં થયું હતું.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">  </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ પછી તેમણે રશિયામાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Aeronautics Engineering</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નો અભ્યાસ કર્યો અને બાદમાં </span><span style="color: rgb(20, 20, 20); background: white;">Steel Mont</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> કંપની શરૂ કરી હતી.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રિપોર્ટ્સ અનુસાર રાજેશ સરૈયાનો </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Metal</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નો વેપાર યુક્રેનમાં સ્થિત છે. તેમની કંપની બ્રિટનમાં વેપાર કરે છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">  </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જોકે રાજેશ માતૃભૂમિ ભારતને અનહદ પ્રેમ કરે છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">  </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેઓ આગામી કેટલાક વર્ષોમાં ભારતમાં સ્થાયી થવાનો ઇરાદો ધરાવે છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ભારતમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ ખોલવા માંગે છે. તેમને ભારત સરકાર તરફથી બે મોટા એવોર્ડ મળ્યા છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">  </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જેમાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2014</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નો </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Padma shri </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2012</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નો પ્રવાસી ભારતીય પુરસ્કાર સામેલ છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="line-height: 107%;"><o:p> </o:p><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ </strong></span></span></span><a href="https://khabarantar.com/Statue-Of-Equality:-In-America,-Dr.-Babasaheb-Ambedkars-Tallest-Statue-Unveiled,-Ceremony-Resounds-With-Jai-Bhima-Naad"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>Statue Of Equality: અમેરિકામાં થયું ડો. બાબાસાહેબ આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ, સમારોહ જય ભીમના નાદથી ગૂંજી ઉઠ્યો</strong></span></a></span></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 01 Nov 2023 09:59:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>78</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_65411f2fe65db.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_65411f2fa3fc4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_65411f2fa3fc4.jpg" length="74722" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>E. V. Ramasamy Periyar હિંદુ દેવી&amp;દેવતાઓ અને ધર્મગ્રંથો વિશે શું માનતા હતા?</title>
                    <link>https://khabarantar.com/What-did-E.-V.-Ramasamy-Periyar-believe-about-Hindu-Gods-and-scriptures</link>
                    <guid>https://khabarantar.com/What-did-E.-V.-Ramasamy-Periyar-believe-about-Hindu-Gods-and-scriptures</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પેરિયારને સમજવા હોય તો પેરિયાર કેવી રીતે પેરિયાર બન્યા તે જાણવું જરૂરી છે. ઈ.વી. રામાસામી પેરિયાર (</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">17 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સપ્ટેમ્બર </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1879 - 24 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ડિસેમ્બર </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1973) </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">એક સમૃદ્ધ પરિવારના હતા. વર્ષ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1904</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં તેઓ સાધુ બનવા કાશી ગયા હતા ત્યાં ઘણી રઝળપાટ કર્યા પછી</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જ્યારે તેમના પૈસા ખર્ચાઈ ગયા અને ભૂખ લાગી</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ત્યારે કાશીના કોઈ મંદિર કે આશ્રમમાં તેમને ન તો રહેવાનું મળ્યું ન તો ભોજન મળ્યું હતું. પછી તેમણે બ્રાહ્મણ હોવાનો ઢોંગ કરીને મંદિરમાં ભોજન કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ બ્રાહ્મણોએ તેમને ઓળખી લીધા અને પંગતમાંથી હાંકી કાઢ્યા</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કારણ કે તેઓ શુદ્ર(ઓબીસી) પરિવારમાંથી આવતા હતા. શુદ્ર હોવાને કારણે બ્રાહ્મણ વર્ગે તેમનું અપમાન કર્યું. અપમાનજનક એ ઘટનાએ તેમને અહેસાસ કરાવ્યો કે ધર્મની શક્તિ ખરેખર શું છે. ત્યાં તેમણે જોયું કે કાશીમાં દાતાઓની યાદીમાં મોટાભાગના શૂદ્ર હતા પરંતુ તેમને ભોજન સમારંભમાં હાજરી આપવાનો અધિકાર નહોતો.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ </strong></span></span><span style="text-decoration: underline;"><a href="https://khabarantar.com/K.R.-Narayans-birthday:-The-journey-to-becoming-Indias-first-Dalit-President-was-not-an-easy-one"><span style="color: rgb(43, 26, 235); text-decoration: underline;"><strong>કે.આર. નારાયણનો જન્મદિવસઃ ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર આસાન નહોતી  </strong></span></a></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="text-decoration: underline; font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34); text-decoration: underline;"><span style="color: rgb(255, 3, 30); text-decoration: underline;"><strong></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">ફુલે અને આંબેડકરને પણ અપમાનનો સામનો કરવો પડ્યો હતો</span></b></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;"><o:p></o:p></span></b></span><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">બરાબર આવી જ ઘટનાઓ ડૉ. આંબેડકર અને જોતિરાવ ફુલે સાથે બની હતી. જ્યારે ફુલે તેમના ઉચ્ચ જાતિના મિત્રના લગ્નની જાનમાં જાય છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ત્યારે તેમનું પણ અપમાન થાય છે કારણ કે તેઓ શુદ્ર છે. બ્રાહ્મણ વર્ગ પણ તેમનું અપમાન કરે છે. જ્યારે તેઓ પણ એક અમીર પરિવારના હતા. એ જ રીતે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જ્યારે ડૉ. આંબેડકર ટ્રેનમાંથી નીચે ઉતરે છે અને તેમના પિતા પાસે જાય છે અને બળદ ગાડામાં બેસે છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ત્યારે તેમનું અપમાન થાય છે કારણ કે તેઓ અસ્પૃશ્ય જાતિના છે. જ્યારે ડૉ. આંબેડકર લશ્કરી સુબેદારના પુત્ર હતા.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જ્ઞાતિ આધારિત સમાજ વ્યવસ્થામાં જો કોઈ વ્યક્તિને તેની જાતિના કારણે અપમાનિત કરવામાં આવે છે તો તે વ્યક્તિ ધાર્મિક ગુલામ બની જાય છે. પરંતુ જે વ્યક્તિમાં થોડું ગૌરવ પણ બાકી છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જેની પાસે થોડું સ્વાભિમાન પણ બાકી છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તે તર્કવાદી બનશે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જેમ ફૂલે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પેરિયાર અને આંબેડકર બન્યા. જો પેરિયારને એ ઘટનાથી દુઃખ ન થયું હોત તો તેઓ ધાર્મિક ગુલામ બની ગયા હોત. જેમ કરોડો ઓબીસી</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">દલિતો અને આદિવાસીઓ ધાર્મિક ગુલામ બનીને રહે છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ</strong></span><o:p> </o:p></span><a href="https://khabarantar.com/Ashoka-Vijayadashami:-The-Day-That-Inspires-Renunciation-of-War-and-Journey-to-Buddhahood"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>અશોક વિજયાદશમી: યુદ્ધને ત્યાગીને બુદ્ધ તરફ પ્રયાણની પ્રેરણા આપતો દિવસ</strong></span></a></span></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">હિંદુ ધર્મગ્રંથો આકાશી પુસ્તકો નથી</span></b><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;"><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પેરિયાર</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આંબેડકર અને ફૂલે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ત્રણેય પ્રમાણમાં સમૃદ્ધ પરિવારોમાંથી હતા</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેમ છતાં તેઓને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. પેરિયાર ભગવાન</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ધર્મ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ધર્મશાસ્ત્ર અને બ્રાહ્મણવાદ- આ ચારેયને દૂર કરવાની વાત કરે છે. તેઓ કહે છે કે જ્યાં સુધી તેમને નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી સમાજનો ઉત્કર્ષ શક્ય નથી. તેઓ કહે છે કે ભગવાનની રચના એટલા માટે કરવામાં આવી હતી કે જેથી તેઓ નીચલી જાતિના લોકો તેમની સેવામાં કરી શકે. ઈશ્વરની સ્થાપના કરવા માટે ધર્મની રચના કરવામાં આવી હતી. ધર્મની સ્થાપના માટે શાસ્ત્રો લખાયા છે અને તે અપૌરૂષેય કહેવાય છે. તે કોઈ માણસ દ્વારા બનાવવામાં આવ્યા નથી</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તે ભગવાન દ્વારા લખવામાં આવ્યા હતા. બ્રાહ્મણો દાવો કરે છે કે આ પુસ્તક આકાશમાંથી ઉતર્યા છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ </strong></span></span><a href="https://khabarantar.com/80-years-ago-Dr.-What-did-Ambedkar-say-about-Indian-media-and-what-is-its-condition-today"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?</strong></span></a></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;"></span></b></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">તર્કવાદી પેરિયાર</span></b><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;"><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પેરિયાર સાથે જોડાયેલી એક મહત્વની બાબત છે - તર્ક. તે તર્કશાસ્ત્રી તરીકે કામ કરે છે. તેઓ કહે છે કે તર્ક અને વિજ્ઞાનનો માર્ગ જ સમૃદ્ધિનો માર્ગ છે. મતલબ કે જો કોઈ વ્યક્તિ દાવો કરે છે કે તે વંચિત વર્ગના કલ્યાણ માટે કામ કરી રહ્યો છે અને તેની પાસે તર્ક કે વૈજ્ઞાનિક વિચારધારાની શક્તિ નથી તો તે જૂઠો છે. જો તે વ્યક્તિ કલાવા</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જનોઈ અને તિલક ધારણ કરે છે અને વિવિધ ધાર્મિક દેખાવ કરે છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તો તે વંચિત લોકો માટે કામ કરતો નથી</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પરંતુ તેમની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. પેરિયાર કહેતા હતા કે વંચિતોને છેતરવાનો પ્રયાસ ન કરો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કારણ કે વૈજ્ઞાનિક વિચારધારા</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">વિજ્ઞાનને વધારનારી વિચારધારા</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તર્કની વિચારધારા</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">વાસ્તવમાં વંચિતોની મુક્તિનો માર્ગ છે. જો અંધશ્રદ્ધા દૂર થાય અને વિજ્ઞાનનો પરિચય થાય તો માનસિક રીતે ગુલામ લોકો આપોઆપ તર્કસંગત બની જશે. સૌપ્રથમ લોકોને વિજ્ઞાન તરફ લઈ જવા પડશે. આપણે અંધશ્રદ્ધામાંથી મુક્ત થવું પડશે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કારણ કે ગુલામીનું જે પણ વાતાવરણ ઊભું થયું છે તે અંધશ્રદ્ધાથી સર્જાયું છે. જાતિ અને ઉંચ-નીચ એ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા છે.</span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ </strong></span></span><a href="https://khabarantar.com/Launch-of-Bahujan-News-Portal:-It-is-imperative-to-have-our-own-voice"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>બહુજન ન્યૂઝ પોર્ટલનો શુભારંભ: નિતાંત આવશ્યક છે આપણા પોતાના અવાજનું હોવું</strong></span></a></span></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">ઉત્તર ભારત અને તમિલનાડુ વચ્ચેનો તફાવત</span></b><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;"><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પેરિયાર રામાયણ અને મહાભારત જેવા કહેવાતા ધાર્મિક ગ્રંથોને રાજકીય ગ્રંથો માને છે. તેઓ કહેતા હતા કે ગ્રંથો લોકોને બ્રેઈન-વોશ કરવા માટે રચવામાં આવ્યા હતા. આ ગ્રંથોનો હેતુ લોકોને સાંસ્કૃતિક ગુલામ તરીકે રાખવાનો છે. પેરિયારે તેનો વિરોધ કર્યો અને તેને રાજકીય ગ્રંથો ગણાવ્યા. તેની અસર તમિલનાડુમાં દેખાઈ રહી છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જ્યાં આજે પેરિયારને માનનારી પાર્ટી સત્તામાં છે. ત્યાંની કોઈપણ સરકારી સંસ્થામાં કોઈ દેવી-દેવતાનું ચિત્ર કે મૂર્તિ નથી. આ માટે સરકારનો આદેશ છે કે સરકારી કચેરીમાં ભગવાનનું કોઈ પ્રતીક સ્થાપિત કરવામાં આવશે નહીં. ઉત્તર ભારતમાં સ્થિતિ અલગ છે. મોટાભાગની સરકારી સંસ્થાઓમાં ભગવાનના અનેક સ્વરૂપો જોવા સરળ છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તમિલનાડુમાં પેરિયારે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન માટે સ્વમાન ચળવળનું નેતૃત્વ કર્યું</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જેણે બિન-બ્રાહ્મણવાદી પક્ષોને સત્તામાં આવવાનો માર્ગ મોકળો કર્યો. તેનું પરિણામ આજે ત્યાં જોઈ શકાય છે કે ઐતિહાસિક રીતે વંચિત સમુદાયોની </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">50 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ટકાથી વધુ અનામત ત્યાં લાગુ છે અને આર્થિક ધોરણે ગરીબ ઉચ્ચ જાતિના નામે(</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">EWS</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">) અલગથી 10 ટકા અનામત નથી. તેનાથી વિપરીત</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઉત્તર ભારતમાં</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જ્યાં બિન-બ્રાહ્મણવાદી ચળવળોનો પ્રભાવ મર્યાદિત હતો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ત્યાં દલિત-ઓબીસી પક્ષોનો કેન્દ્રીય એજન્ડા માત્ર સત્તા પર કબજો કરવાનો હતો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જેના કારણે તેમનો પ્રભાવ કામચલાઉ સાબિત થયો. આટલું વાંચ્યા બાદ હવે તમે પેરિયારની તાકાત સમજી ગયા હશો.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આગળ વાંચોઃ </strong></span></span><a href="https://khabarantar.com/OBC-Politics:-Battle-for-Backward-Quota-now-an-electoral-issue"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>OBC Politics: પછાત ક્વોટા માટેની લડાઈ હવે ચૂંટણીનો મુદ્દો</strong></span></a></span></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Oct 2023 20:11:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>70</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_653fc065dd8ca.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_653fc065a515d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_653fc065a515d.jpg" length="81672" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?</title>
                    <link>https://khabarantar.com/Why-is-Mata-Savitribai-Phule-not-taught-in-our-schools</link>
                    <guid>https://khabarantar.com/Why-is-Mata-Savitribai-Phule-not-taught-in-our-schools</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સાવિત્રીબાઈ ફુલે આપણા દેશના પ્રથમ મહિલા શિક્ષિકા હતા. આ દેશની છોકરીઓ અને મહિલાઓ માટે શિક્ષણના અધિકાર માટે લાંબી લડાઈ લડનાર શિક્ષિકા. પરંતુ શું આપણી શાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાં તેમના સ્થાન અને કદ પ્રમાણે તેમની વાત કરવામાં આવે છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">શું આપણે આપણી શાળાઓ અને કોલેજોમાં દેશના પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે તેમનો પરિચય કરાવવામાં આવે છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">?</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> ના, અને તેનો શબ્દો ચોર્યા વિનાનો જવાબ છે જાતિવાદ. માતા સાવિત્રીબાઈ ફૂલે ઓબીસી સમાજમાંથી આવતા હોવાથી જાતિવાદી મનુવાદીઓ તેમને કદી પૂજનીય કે મહાન ન ગણે તે સ્વાભાવિક છે. જો કે, ચિંતા ત્યારે થાય જ્યારે આજે ઓબીસી સમાજ આટલો જાગૃત હોવા છતાં કાલ્પનિક દેવીને વિદ્યાની દેવી તરીકે પૂજવા બાબતે વાંધાવિરોધ નથી નોંધાવતો અને અસલ જિંદગીમાં ખરા અર્થમાં વિદ્યાની દેવી ગણાતા માતા સાવિત્રીબાઈ ફૂલેને શાળાઓમાં ભણાવવા બાબતે અવાજ બુલંક નથી કરતો.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="color: rgb(255, 3, 30);"><strong><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif';">આ પણ વાંચોઃ </span></strong></span><a href="https://khabarantar.com/Fatima-Shaikh:-The-first-Muslim-teacher-who-lit-the-torch-of-girl-education-170-years-ago-with-the-Krantisurya-Phule-couple"><span style="color: rgb(43, 26, 235);"><strong><span style="font-size: 14pt;">ફાતિમા શેખ: પ્રથમ મુસ્લિમ શિક્ષિકા જેમણે ક્રાંતિસૂર્ય ફૂલે દંપતી સાથે મળીને 170 વર્ષ પહેલાં કન્યા કેળવણીની મશાલ પ્રગટાવી હતી</span></strong></span></a></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">બ્રિટીશ શાસનના સમયગાળા દરમિયાન</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જ્યારે અંગ્રેજો ભારતમાં શિક્ષણને પ્રોત્સાહન આપી રહ્યા હતા અને ભારતીય પુરુષો તેમની સ્ત્રીઓને માત્ર ઘરના વાસણો સુધી મર્યાદિત રાખવા માંગતા હતા. આવા સમયે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સાવિત્રીબાઈએ માત્ર છોકરીઓના શિક્ષણ માટે જ કામ કર્યું ન હતું</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પરંતુ વિધવા પુનર્લગ્ન</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સગર્ભા બળાત્કાર પીડિતાના પુનર્વસન અને અસ્પૃશ્યતા નાબૂદીમાં પણ યોગદાન આપ્યું હતું. સાવિત્રીબાઈ અને જ્યોતિબા ફુલેએ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1848</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં પુણેમાં પ્રથમ શાળા ખોલી અને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1853</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં સગર્ભા બળાત્કાર પીડિતો માટે એક ઘર પણ શરૂ કર્યું.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p><span style="color: rgb(255, 3, 30);"><strong><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif';">આ પણ વાંચોઃ </span></strong></span></span><a href="https://khabarantar.com/First-dalit-actress-played-a-romantic-scene,-people-burnt-her-house,-know-what-happened-next"><span style="color: rgb(43, 26, 235);"><strong><span style="font-size: 14pt;">ભારતની પહેલી દલિત અભિનેત્રીએ ફિલ્મમાં એક સવર્ણ મહિલાનું પાત્ર ભજવ્યું તો જાતિવાદીઓએ તેનું ઘર સળગાવી નાખ્યું!</span></strong></span></a></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તે એક શિક્ષક અને સમાજ સુધારક તેમજ મરાઠી કવિ હતાં. ‘ફૂલે કાવ્ય’ તેમની પ્રખ્યાત કૃતિ છે. ફૂલે દંપતીએ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1873</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં સત્યશોધક સમાજની શરૂઆત કરી હતી અને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">25 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ડિસેમ્બર </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1873</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના રોજ પ્રથમ વિધવા પુનર્લગ્ન પણ કરાવ્યા હતા. સાવિત્રીબાઈ ફુલે એ ભારતમાં વાસ્તવિક નારીવાદી અને સશક્તિકરણનો પુરાવો છે. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે તે સમયની બ્રાહ્મણવાદી અને પુરુષપ્રધાન વિચારસરણી આજે પણ આપણા સમાજમાં છે. આજે પણ શાળાના શિક્ષણમાં સાવિત્રીબાઈ ફુલેનો ઉલ્લેખ સુદ્ધાં નથી. સાવિત્રીબાઈ ફૂલે દેશના પ્રથમ શિક્ષક હતા પરંતુ ભારતીય શિક્ષણ પ્રણાલીમાં</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">શાળાના અભ્યાસક્રમથી અનુસ્નાતક સુધી</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેમના વિશે ન તો કોઈ પ્રકરણ/પાઠ શીખવવામાં આવે છે કે ન તો તેમના પર કોઈ વિશેષ અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p><span style="color: rgb(255, 3, 30);"><strong><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif';">આ પણ વાંચોઃ </span></strong></span></span><a href="https://khabarantar.com/Unique-Social-Reformer:-Narayana-Guru"><span style="color: rgb(43, 26, 235);"><strong><span style="font-size: 14pt;">અનોખા સમાજ સુધારક: નારાયણ ગુરુ</span></strong></span></a></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">સુધારો કેવો રીતે લાવી શકાય</span></b><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;">?<o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જ્યારે આપણે સર્વસમાવેશક શિક્ષણ પ્રણાલીની વાત કરીએ છીએ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ત્યારે તે જરૂરી છે કે સર્વસમાવેશક ઈતિહાસ પણ તેમાં નિષ્પક્ષતા સાથે સામેલ થવો જોઈએ. અભ્યાસક્રમ તૈયાર કરતી વખતે આધુનિક ભારતના નિર્માણમાં દલિત</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">બહુજ અને વંચિત વર્ગમાંથી આવતા વ્યક્તિત્વોનો પ્રામાણિકપણે ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મોટે ભાગે આપણે જોઈએ છીએ કે શાળાના અભ્યાસક્રમમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ ઓછું હોય છે અને મોટાભાગે પરંપરાગત ભૂમિકાઓમાં દર્શાવવામાં આવે છે. જે મહિલાઓ સ્વતંત્ર અને તેમના કામમાં અવાજ ઉઠાવતી હતી તેમને મોટાભાગના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી નથી. ઇન્સ્ટિટ્યૂટ ફોર પોલિસી રિસર્ચ દ્વારા રચાયેલી સમિતિ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">શાળાના પાઠ્યપુસ્તકોની સામગ્રી અને ડિઝાઇનમાં સુધારો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના અહેવાલ મુજબ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેણે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">NCERT</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ને પાઠ્યપુસ્તકોને લૈંગિક સમાવેશી બનાવવા</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઉભરતા વ્યવસાયોમાં મહિલાઓનું ચિત્રણ કરવા</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહિલાઓની ભૂમિકાને પર્યાપ્ત રીતે રજૂ કરવા માટે સૂચન કર્યું હતું. હજુ સુધી આનો શાળાના અભ્યાસક્રમમાં વ્યાપકપણે અમલ કરવામાં આવ્યો નથી.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><o:p> </o:p><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif';">આગળ વાંચોઃ </span></strong></span></span><a href="https://khabarantar.com/Ashoka-Vijayadashami:-The-Day-That-Inspires-Renunciation-of-War-and-Journey-to-Buddhahood"><span style="color: rgb(43, 26, 235);"><strong><span style="font-size: 14pt;">અશોક વિજયાદશમી: યુદ્ધને ત્યાગીને બુદ્ધ તરફ પ્રયાણની પ્રેરણા આપતો દિવસ</span></strong></span></a></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 29 Oct 2023 12:06:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>66</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_653dfa6195293.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_653dfa615c83a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_653dfa615c83a.jpg" length="72305" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>અનોખા સમાજ સુધારક: નારાયણ ગુરુ</title>
                    <link>https://khabarantar.com/Unique-Social-Reformer:-Narayana-Guru</link>
                    <guid>https://khabarantar.com/Unique-Social-Reformer:-Narayana-Guru</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">લેખકઃ ચંદુ મહેરિયા</span></b><b><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">દેશનું સૌથી વધુ સાક્ષર રાજ્ય કેરળ વિકાસ અને માનવ વિકાસમાં પણ અગ્રીમ છે. કેરળમાં જ સ્વતંત્ર ભારતની સૌ પ્રથમ સામ્યવાદી સરકાર ઈ.એમ.એસ. નાંબુદ્રીપાદના નેતૃત્વમાં<span style="mso-spacerun: yes;">  </span>રચાઈ હતી. પણ<span style="mso-spacerun: yes;">  </span>હાલનું પ્રગતિશીલ અને આધુનિક કેરળ ઓગણીસમી સદીમાં દેશના બીજા કોઈપણ રાજ્ય જેવું જ પછાત</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">અંધશ્રધ્ધાળુ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">કુરીતિઓમાં ડૂબેલું અને ભેદભાવનું ભારખાનું હતું. તેમાં કથિત શૂદ્રો અને અતિશૂદ્રોની હાલત ભારે કફોડી હતી.</span></strong><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">વર્તમાનમાં અનુસૂચિત જાતિ કે દલિતો તરીકે ઓળખાતા પંચમવર્ણી અસ્પૃશ્યો પ્રત્યે અડવાની જ નહીં જોવાની પણ આભડછેટ પળાતી હતી. ગામના સાર્વજનિક સ્થળોએ તેમને પ્રવેશ મળતો નહોતો. મંદિરોમાં તો તે જઈ શકતા નહોતા પણ તેમના અલગ મંદિરો નાના અને ઘાસપાનના બનાવવા પડતા હતા. તેમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિ રાખી શકાતી નહોતી. આ અમાનવીય સ્થિતિથી ક્ષુબ્ધ થઈને જ સ્વામી વિવેકાનંદે તેમના ભારતભ્રમણ દરમિયાન આ પ્રદેશ જેવું અસ્પૃશ્યતાના આચરણનું પાગલપન બીજે ક્યાંય નહીં જોયાનું નોંધ્યું હતું.</span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ઓગણીસમી સદીમાં જન્મેલા નારાયણ ગુરુ(૧૮૫૬- ૧૯૨૮) જ આજના આધુનિક કેરળના પાયોનિયર છે. એજવા નામક શૂદ્ર ગણાતી જ્ઞાતિમાં જન્મેલા આ અનોખા સમાજસુધારક</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ફિલસૂફ અને આધ્યાત્મિક ગુરુએ સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિગત ભેદભાવો અને ધાર્મિક સંકીર્ણતાઓને પડકારી કેરળને આધુનિકતા તરફ દોર્યું હતું. </span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">૨૦ ઓગસ્ટ ૧૮૫૬માં, કેરળના નાનકડા ગામમાં, <span style="mso-spacerun: yes;"> </span>શિક્ષક પિતાને ત્યાં નારાયણ ગુરુનો જન્મ</span><span lang="EN-US" style="line-height: 115%;">.</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> બાળસહજ જિજ્ઞાસા અને શરારત તેમનામાં હતી. અસ્પૃશ્યનો સ્પર્શ કરવાથી અપવિત્ર થવાય અને સ્નાન કરવું પડે તેવું માનનારાઓ</span><span lang="GU" style="line-height: 115%;"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">સ્પૃશ્યોને અસ્પૃશ્યને અડીને પછી અડી આવે એવું એમનું શરારતી વર્તન એમના ભવિષ્યના યુગકાર્યનું ધ્યોતક હતું. વિચિત્ર પોષાકધારી સાધુને ચીડવતા અને પથ્થરો મારતા સાથી નિશાળિયાઓને અટકાવી ના શકતો આ બાળ નાણુ રડવા માંડે છે ત્યારે ભાવિમાં તેની કરુણા અને સહાનુભૂતિ કોના તરફ રહેશે તે પણ જણાઈ આવે છે. માતૃભાષા મલયાલમ ઉપરાંત સં</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">સ્કૃ</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ત</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> તેલુગૂ અને તમિળમાં તેમણે મહારત હાંસલ કરી હતી. પણ અંગ્રેજીથી દૂર રહ્યા હતા.</span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">એકાંતમાં ધ્યાન</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સાધના અને તપસ્યા</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> ઉપનિષદો સહિત તમામ ધર્મના પુસ્તકોનો અભ્યાસ અને ભ્રમણ તેમણે કર્યા હતા. પરંતુ તે ધર્મ-આધ્યાત્મ કરતાં વધુ તો લોકોને પીડી રહેલી સમસ્યાઓનું સમાધાન શોધવા માટેના હતાં. સમગ્ર કેરળ ઉપરાંત દેશ આખાના ભ્રમણ દરમિયાન તેઓ અછૂતો</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> પછાતો</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> પીડિતો અને દીન- દુખિયાની વચ્ચે સવિશેષ રહ્યા. ત્યારે અને અત્યારે કેરળની વસ્તીમાં જેમનો મોટો હિસ્સો છે તે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સાથે પણ રહ્યા હતા. ઈ.સ. ૧૯૦૪માં વરકલાની એક પહાડી પર પોતાની તમામ પ્રવૃતિઓનું મુખ્ય મથક બનાવ્યું જેને શિવગિરી નામ આપ્યું હતું. </span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">નારાયણ ગુરુએ ઘણા મંદિરોનું નિર્માણ કર્યું પણ તેની સાથે જ શાળા</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> લાઈબ્રેરી</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> બગીચો</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સભાગૃહ અને રોજગાર માટે કાંતણ-વણાટ કેન્દ્ર હોય તે અનિવાર્ય હતું. જેથી આ પરિસરો નાણાકીય</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ કરતાં સામાજિક ઉત્થાનના<span style="mso-spacerun: yes;">  </span>ધામ બની રહે. શિવગિરીનું મંદિર બાંધકામમાં જ નહીં પૂજા-વિધિમાં પણ સાવ જૂદું હતું. અષ્ટકોણીય શારદા મંદિરમાં હવા-ઉજાસ માટે બારીઓ રાખી હતી. ફૂલો સિવાય મંદિરમાં કશું જ ચઢાવી શકાતું નહોતું. તેના સઘળા પૂજારી ધાર્મિક મંત્રોના પોપટપાઠ કરતા પૂજારીને બદલે ધર્મના સાચા જ્ઞાતા અસ્પૃશ્યો હતા. <span style="mso-spacerun: yes;"> </span></span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">નારાયણ ગુરુ નિર્મિત મંદિરો દલિતો સહિત તમામ માટે ખૂલ્લા રહેતા. તેમની સ્કૂલો અને હોસ્ટેલોમાં દલિત વિદ્યાર્થી ભણતા અને રહેતા હતા. અસ્પૃશ્યો માટે કથિત ઉચ્ચ વર્ણના દેવની પૂજા વર્જિત હતી ત્યારે તેમણે સમય-સંજોગોને આધીન રહીને દલિતો માટે અલગ મંદિરો પણ બાંધ્યા હતા. જોકે દલિતોના મંદિરોમાં તેમના માટે પ્રતિબંધિત ઉચ્ચ વર્ણના દેવોને પ્રતિષ્ઠિત કરીને નવો પડકાર ઉભો કર્યો હતો. </span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">૧૯૧૭માં તેમણે મંદિરોને બદલે નિશાળો બાંધવા હાકલ કરી. શાળા જ ખરું મંદિર છે એમ જણાવી તેમણે મંદિરો પાછળ નાણાં ખર્ચવાને બદલે શિક્ષણ પાછળ ખર્ચવા અનુરોધ કર્યો હતો. મંદિરોને કારણે જ્ઞાતિના બંધનો ઢીલા થવાની પોતાની માન્યતા ખોટી ઠરી છે તેમ સ્વીકારીને ગુરુએ લોકો જ્ઞાન પ્રાપ્ત કરે અને શિક્ષિત બને તે માટે શાળાઓ બાંધવા પર સવિશેષ લક્ષ્ય આપ્યું હતું.</span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જાતભાઈઓ એજવા અને દલિતોના વિકાસ માટે તેમણે શિક્ષણ અને રોજગારને પ્રાધાન્ય આપ્યું હતું. કન્યા શિક્ષણ અને અંગ્રેજી શિક્ષણમાં સમાજના આગેકદમ માટે હંમેશા પ્રયાસરત રહ્યા. કેરળમાં નારિયેળ અને રેસા પ્રચુર માત્રામાં પેદા થાય છે</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> જેની નિકાસ કરવામાં આવે છે. તેમાંથી બનેલી વસ્તુઓ ઉંચા ભાવે આયાતથી ખરીદાય છે. તેનું કારણ ઉત્પાદનના જ્ઞાનનો અભાવ હતું. એટલે ગુરુએ તે જ્ઞાન મેળવવા અને કેરળમાં જ<span style="mso-spacerun: yes;">  </span>તેનું ઉત્પાદન કરવા જણાવ્યું હતું. શિક્ષણ જાગૃતિના તેમના પ્રયાસોને લીધે જ આજે ગુરુની સવિશેષ અસરવાળા દક્ષિણ કેરળમાં ભાગ્યે જ કોઈ એજવા યુવક-યુવતી એવા હશે જેમણે અનુસ્નાતક કક્ષા સુધીનું<span style="mso-spacerun: yes;">  </span>શિક્ષણ ના મેળવ્યું હોય!</span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">એક દેશ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> એક ધર્મ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> એક જ્ઞાતિ અને એક ઈશ્વરનો સંદેશ નારાયણ ગુરુએ આપ્યો હતો. તેઓ તમામ વિવિધતા છતાં જેમ એક દેશ શક્ય છે તેમ એક માત્ર ધર્મ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> જ્ઞાતિ અને ઈશ્વર એટલે માનવ એવો ઉપદેશ આપ્યો હતો. ગુરુ નિર્મિત અરુવીપુરમના મંદિરના શિલાલેખમાં તેમની કવિતા કોતરાઈ છે</span><span lang="EN-US" style="line-height: 115%;">.</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> જેમાં લખ્યું છે: </span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify; text-indent: 36.0pt;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><span style="mso-spacerun: yes;"> </span><span style="color: rgb(255, 3, 30);"><em>આ એક આદર્શ નિવાસ</em></span></span><span style="color: rgb(255, 3, 30);"><em><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></em></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify; text-indent: 36.0pt;"><span style="color: rgb(255, 3, 30); font-size: 14pt;"><em><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><span style="mso-spacerun: yes;"> </span>જ્યાં રહે છે માનવી ભાઈભાઈની જેમ</span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></em></span></p>
<p class="MsoNormal" style="text-align: justify; text-indent: 36.0pt;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><span style="color: rgb(255, 3, 30);"><em><span style="mso-spacerun: yes;"> </span>ધાર્મિક દ્વેષભાવ અને જ્ઞાતિગત સંકીર્ણતાઓથી મુક્ત થઈને.</em></span> </span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જ્ઞાતિમીમાંસા નામક કવિતામાં તેમણે ઈતિહાસ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> તર્ક અને વાસ્તવના આધારે માનવીની એક જ જ્ઞાતિ હોવાનું દર્શાવ્યું છે. વર્ણ વ્યવસ્થાના વિરોધી નારાયણ ગુરુએ આંતરજ્ઞાતિય અને લગ્નોને જ્ઞાતિનિર્મૂલનના ઉપાય બતાવ્યા છે. </span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">૪૩ પધ્ય અને ૨ ગધ્ય સાથે નારાયણ ગુરુ ૪૫ પુસ્તકોના રચયિતા છે. મલયાલમ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> તમિલ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> તેલુગુ અને સંસ્કૃત ભાષામાંમાં તેમની રચનાઓ છે. ત્રણ અનુવાદના પુસ્તકો પણ છે. જોકે સૌથી વધુ પુસ્તકો તેમણે સંસ્કૃતમાં લખ્યા છે. આ રચનાઓ કવિતા</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> ભજન</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">નિબંધ અને સંશોધનની છે. કેરળમાં લાખો અનુયાયીઓ ધરાવતા ગુરુની વિદ્વતા એ કક્ષાની હતી કે રવીન્દ્રનાથ ટાગોર</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> ગાંધીજી</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> રાજગોપાલાચારી</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> રામાસામી નાયકર</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">વિનોબા ભાવે </span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સ્વામી શ્રધ્ધાનંદ વગેરેએ પણ તેમની મુલાકાત લીધી હતી. ૧૯૨૫માં ગાંધીજીએ લીધેલી તેમની મુલાકાત અને સંવાદ બહુ જ મહત્વના ગણાય છે.</span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">આજથી પંચાણુ વર્ષ પહેલાં બોંતેર વર્ષની વયે</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> ૨૦મી સપ્ટેમ્બર ૧૯૨૮ના રોજ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><span style="mso-spacerun: yes;">  </span>નારાયણ ગુરુનું અવસાન થયું હતું. દેશમાં રાજનીતિના ક્ષેત્રે એક દેશ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> એક ચૂંટણીનો મુદ્દો આજકાલ ચર્ચામાં છે ત્યારે આધુનિક કેરળના આ સર્જકના એક ધર્મ</span><span lang="EN-US" style="line-height: 115%;">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> એક જ્ઞાતિ અને એક ઈશ્વરનો મંત્ર યાદ રાખવાનો છે.<span style="mso-spacerun: yes;">          </span></span><span lang="EN-US" style="line-height: 115%;"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal"><span style="font-size: 14pt;"><b><span lang="EN-US"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal"><span style="font-size: 14pt;"><b><span lang="EN-US">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડો. બાબાસાહેબના જીવનકાર્યના અભ્યાસુ છે.)</span></b></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 26 Oct 2023 21:15:00 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 26 Oct 2023 21:18:00 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>52</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_653a88f7463a2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_653a88f713c2a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_653a88f713c2a.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ફાતિમા શેખ: પ્રથમ મુસ્લિમ શિક્ષિકા જેમણે ક્રાંતિસૂર્ય ફૂલે દંપતી સાથે મળીને 170 વર્ષ પહેલાં કન્યા કેળવણીની મશાલ પ્રગટાવી હતી</title>
                    <link>https://khabarantar.com/Fatima-Shaikh:-The-first-Muslim-teacher-who-lit-the-torch-of-girl-education-170-years-ago-with-the-Krantisurya-Phule-couple</link>
                    <guid>https://khabarantar.com/Fatima-Shaikh:-The-first-Muslim-teacher-who-lit-the-torch-of-girl-education-170-years-ago-with-the-Krantisurya-Phule-couple</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">170થી વધુ વર્ષ પહેલાં શિક્ષણ મોટાભાગના લોકો સુધી પહોંચ્યું ન હતું. જ્યારે વિશ્વ આધુનિક શિક્ષણમાં ઘણું આગળ વધી ગયું હતું ત્યારે ભારતમાં મોટાભાગના લોકો શિક્ષણથી વંચિત હતા. એ સમયે કન્યા કેળવણીની શું હાલત હતી એ તો પૂછવા જેવું જ નથી. જ્યોતિબા ફૂલેનો જન્મ 1827માં પૂના (હાલ પુણે)માં થયો હતો. તેમણે બહુજનોની દુર્દશા ખૂબ નજીકથી જોઈ હતી. તેઓ જાણતા હતા કે આનું કારણ નિરક્ષરતા છે. તેથી જ તેઓ ઈચ્છતા હતા કે બહુજનોના ઘર સુધી શિક્ષણનો ફેલાવો થવો જોઈએ. ખાસ તો તેઓ કન્યા કેળવણીના પ્રબળ સમર્થક હતા. જેની શરૂઆત તેમણે પોતાના ઘરેથી જ કરી હતી. તેમણે સૌપ્રથમ તેમનાં જીવનસાથી સાવિત્રીબાઈને શિક્ષણ આપ્યું. જ્યોતિબાએ પોતાનાં પત્નીને શિક્ષણ આપીને પોતાનું કાર્ય આગળ ધપાવવાની તૈયારી શરૂ કરી.</span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે સમયના લોકોને આ વાત બિલકુલ પસંદ ન આવી. ચારે બાજુથી તેમનો વિરોધ થવા લાગ્યો. એમ છતાં જ્યોતિબા જોરશોરથી પોતાનું કામ કરતા રહ્યા. જ્યારે જ્યોતિબા સંમત ન થયા, ત્યારે તેમના પિતા ગોવિંદરાવ પર દબાણ લાવવામાં આવ્યું. આખરે પિતાને પણ પ્રસ્થાપિત વ્યવસ્થા સમક્ષ ઝૂકવા મજબૂર થવું પડ્યું. જ્યોતિબાને પોતાનું ઘર છોડવાની ફરજ પડી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના એક મિત્ર ઉસ્માન શેખ પુણેની ગંજ પેઠમાં રહેતા હતા. તેમણે પોતાનું ઘર જ્યોતિબાને રહેવા માટે આપ્યું. ઉસ્માન શેખ પણ કન્યા કેળવણીનું મહત્વ સમજતા હતા. તેમની એક બહેન હતી ફાતિમા. ઉસ્માન શેખે તેમના હૃદયમાં શિક્ષણ પ્રત્યેની રુચિ કેળવી. સાવિત્રીબાઈની સાથે તેમણે પણ લખવાનું અને વાંચવાનું શીખવાનું શરૂ કર્યું. બાદમાં તેમણે શૈક્ષણિક પ્રમાણપત્ર મેળવ્યું. જ્યોતિબાએ 1848માં ઉસ્માન શેઠને ત્યાં પોતાની પ્રથમ શાળા શરૂ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રાંતિસૂર્ય ફૂલે દંપતીએ કન્યાઓ માટે ઘણી શાળાઓ સ્થાપી. સાવિત્રીબાઈ અને ફાતિમાએ ત્યાં ભણાવવાનું શરૂ કર્યું. જ્યારે પણ તેઓ ત્યાંથી પસાર થતા ત્યારે લોકો તેમની મજાક ઉડાવતા, તેમના પર પથ્થર અને ગંદકી ફેંકતા. બંનેએ આ અત્યાચાર સહન કરવાનું ચાલુ રાખ્યું, પણ પોતાનું કામ બંધ ન કર્યું. ફાતિમા શેખના સમયમાં છોકરીઓના શિક્ષણમાં અસંખ્ય અવરોધો આવ્યા. એવા સમયમાં તેમણે જાતે જ શિક્ષણ મેળવ્યું. બીજાને વાંચતા-લખતા શીખવ્યું. શિક્ષણ આપનારાં તેઓ પ્રથમ મુસ્લિમ મહિલા હતાં, જેમની પાસે શિક્ષણનું પ્રમાણપત્ર હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફાતિમા શેખે છોકરીઓના શિક્ષણ માટે આપેલી સેવાઓને ભૂલી શકાય તેમ નથી. ફાતિમા શેખ ઘરે ઘરે જઈને લોકોને શિક્ષણની જરૂરિયાત સમજાવતા અને દીકરીઓને શાળાએ મોકલવા માતા-પિતાને સમજાવે. આખરે તેમની મહેનત ફળવા લાગી. લોકોના વિચારોમાં પરિવર્તન આવ્યું. તેઓ તેમના ઘરની છોકરીઓને શાળાએ મોકલવા લાગ્યા. છોકરીઓમાં પણ શિક્ષણ પ્રત્યે રુચિ કેળવવા લાગી. શાળામાં તેમની સંખ્યા સતત વધતી ગઈ. મુસ્લિમ છોકરીઓ પણ ખુશીથી શાળાએ જવા લાગી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>એક બહાદુર માનવતાવાદી શિક્ષિકા ફાતિમા શેખને હૃદયપૂર્વક સલામ, જેમણે પ્રતિકૂળ સંજોગોમાં સ્થાપિત પ્રણાલીની વિરુદ્ધ જઈને શિક્ષણના મહાન કાર્યમાં આત્મસૂઝ વડે ફૂલે દંપતીને ટેકો આપ્યો.</strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Oct 2023 11:43:48 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 25 Oct 2023 11:56:45 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>44</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_6538afeb8ea1e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_6538afeb56dcf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_6538afeb56dcf.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતની પહેલી દલિત અભિનેત્રીએ ફિલ્મમાં એક સવર્ણ મહિલાનું પાત્ર ભજવ્યું તો જાતિવાદીઓએ તેનું ઘર સળગાવી નાખ્યું!</title>
                    <link>https://khabarantar.com/First-dalit-actress-played-a-romantic-scene,-people-burnt-her-house,-know-what-happened-next</link>
                    <guid>https://khabarantar.com/First-dalit-actress-played-a-romantic-scene,-people-burnt-her-house,-know-what-happened-next</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઘણીવાર એવું કહેવાય છે કે કલાકારની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. તે માત્ર એક કલાકાર છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જે પોતાની કલા દ્વારા સમાજની સેવા કરે છે. પરંતુ કેટલીક હકીકતો એવી બહાર આવે છે જે આ વાતનું ખંડન કરે છે. </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ભૂતકાળમાં એક એવી ઘટના બની છે જ્યારે અભિનેત્રીની કારકિર્દી તેની જાતિના કારણે શરૂ થતાં જ અટકી ગઈ હતી.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તે અભિનેત્રીનું નામ છે પી.કે. રોઝી. મીડિયા રિપોર્ટ પ્રમાણે પી.કે. રોઝી ભારતની પ્રથમ દલિત અભિનેત્રી હતી. ફિલ્મી પડદે તેના આગમનથી કેટલાક લોકો એટલા ગુસ્સે થયા કે તેમણે પી.કે. રોઝીનું ઘર સળગાવી દીધું. ડરી ગયેલી અભિનેત્રી બીજી ફિલ્મ કરવાની હિંમત ન કરી શકી અને અભિનયમાંથી નિવૃત્ત થઈ ગઈ...</span></strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(243, 16, 16);"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ફિલ્મની પ્રિન્ટ પણ ઉપલબ્ધ નથી</span></span></strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પી.કે. રોઝી મલયાલમ સિનેમાની પ્રથમ અભિનેત્રી હતી. એવું બનવું જોઈતું હતું કે આજે આપણે તેના અભિનય કૌશલ્યની ચર્ચા કરીએ અને તેની ફિલ્મોનો ઉલ્લેખ કરીએ. પરંતુ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જાતિના ભેદભાવથી પીડિત સમાજમાં આ શક્ય નહોતું અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે પી.કે. રોઝીને ફિલ્મોમાં અભિનય માટે ભારે કિંમત ચૂકવવી પડી હતી. હા</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">દલિત હોવા છતાં તેણે ફિલ્મી પડદે આવવાની હિંમત કરી હતી. પી.કે. રોઝીનું ઘર સળગાવી દેવામાં આવ્યું અને તેના અસ્તિત્વને ભૂંસી નાખવાના શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા. આજે એ જ કારણે ઈન્ટરનેટ સર્ચ એન્જિન પર પણ તેની એકમાત્ર તસવીર ઉપલબ્ધ છે. તેની ફિલ્મની પ્રિન્ટ કે રીલ્સ પણ ઉપલબ્ધ નથી.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(243, 16, 16);"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">ફિલ્મમાં ઉચ્ચ જાતિની મહિલાની ભૂમિકા ભજવી હતી</span></span></strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પીકે રોઝીનો જન્મ વર્ષ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1903</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં ત્રિવેન્દ્રમના નંદનકોડ ગામમાં થયો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેના માતાપિતા પુલિયા જાતિના હતા અને તેમણે તેનું નામ રાજમ્મા રાખ્યું હતું. દલિત જાતિની હોવા ઉપરાંત રોઝીનો પરિવાર આર્થિક રીતે પણ નબળો હતો. નાની ઉંમરમાં પિતાના અવસાનને કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ વધુ નબળી બની ગઈ હતી. જો કે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેમના મનમાં કલા માટે હંમેશા વિશેષ સ્થાન હતું. ખૂબ જ નાની ઉંમરે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રોઝીએ અભિનય અને લોકનૃત્ય-નાટક શીખ્યા. એ પછી</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પીકે રોઝીએ વર્ષ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1928</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં પ્રથમ મલયાલમ ફિચર ફિલ્મ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">વીગતથકુમારન</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">' (</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ધ લોસ્ટ ચાઈલ્ડ)માં અભિનય કર્યો હતો. આ ફિલ્મ જેસી ડેનિયલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ ફિલ્મમાં દલિત મહિલા પીકે રોઝીએ સરોજિની નામની ઉચ્ચ જાતિની નાયર મહિલાની ભૂમિકા ભજવી હતી.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(243, 16, 16);"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">સ્ક્રીનીંગ દરમિયાન લોકોએ ભારે વિરોધ કર્યો</span></span></strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પહેલી ફિલ્મમાં ભજવાયેલું પાત્ર જ પીકે રોઝી માટે સમસ્યા બની ગયું હતું. લોકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો. પીકે રોઝી ફિલ્મની કોઈપણ ઈવેન્ટમાં જોવા નહીં મળે એવી શરત રાખવામાં આવી હતી. અન્યથા ફિલ્મનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી. જ્યારે પીકે રોઝીની ફિલ્મ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">7 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નવેમ્બર </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1928</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના રોજ કેપિટલ થિયેટરમાં પ્રદર્શિત કરવામાં આવી હતી </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ત્યારે મોટા પ્રદર્શનો થયા હતા. અહેવાલો અનુસાર</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મલયાલમ ફિલ્મ ઉદ્યોગના ઉચ્ચ જાતિના લોકોએ પણ આ ફિલ્મ જોવાની ના પાડી દીધી હતી. તેમણે શરત મૂકી કે જો પીકે રોઝી ઓડિયન્સમાં બેસશે તો તેઓ ફિલ્મનું સ્ક્રીનિંગ નહીં જુએ. સ્ક્રીનિંગ દરમિયાન ઘણી તોડફોડ પણ કરવામાં આવી હતી. વિરોધની આગ રોઝીના ઘર સુધી પહોંચી અને તેના ઘરને આગ ચાંપી દેવામાં આવી. ત્યાર બાદ પીકે રોઝીએ કેરળ છોડી દીધું.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(243, 16, 16);"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">જીવન ગુમનામીમાં વિતાવ્યું</span></span></strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અહેવાલો અનુસાર પીકે રોઝી એક ટ્રક ચાલકની મદદથી તેના ગામથી તમિલનાડુ ભાગી ગઈ હતી. બાદમાં તેમણે લોકનાટ્યોમાં કામ કરવાનું શરૂ કર્યું</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેનું નામ રાજમ્માથી બદલીને રોજમ્મા કર્યું. અહેવાલો અનુસાર એ પછીના દિવસોમાં તેમણે ખેતી કરીને પોતાનું જીવન પસાર કરવું પડ્યું હતું. તેમને બે બાળકો હતા - પદ્મા અને નાગપ્પન. બંને બાળકોને ક્યારેય ખ્યાલ નહોતો કે તેમની માતા અભિનેત્રી છે. રોઝી પર ફિલ્મ બનાવનાર જેસી ડેનિયલને પણ ફિલ્મ બનાવવાનું પરિણામ ભોગવવું પડ્યું અને તેણે પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવ્યું.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(243, 16, 16);"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif';">દુનિયા છોડ્યા પછી ઓળખ મળી</span></span></strong></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: 0.0001pt; line-height: normal; background: white; text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પીકે રોઝી</span><span style="line-height: 107%; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જેમને જીવતેજીવ સમાજ માન આપી શક્યો ન હતો</span><span style="line-height: 107%; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેમને આ દુનિયામાંથી વિદાય પછી ઓળખ મળી. વર્ષ </span><span style="line-height: 107%; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1988</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં લેખક વિનુ અબ્રાહમે જેસી ડેનિયલ અને મલયાલમ સિનેમાની પ્રથમ અભિનેત્રી પીકે રોઝી વિશે નવલકથા લખી હતી. ત્યાર પછી વર્ષ </span><span style="line-height: 107%; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2013</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં કમલ દ્વારા આ જ નવલકથા પર </span><span style="line-height: 107%; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સેલ્યુલોઇડ</span><span style="line-height: 107%; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">' </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નામની ફિલ્મ બનાવવામાં આવી</span><span style="line-height: 107%; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જેના કારણે વધુ લોકોને પીકે રોઝીના યોગદાન અને તેના સંઘર્ષ વિશે જાણવા મળ્યું. દુઃખની વાત એ છે કે</span><span style="line-height: 107%; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રોઝીને ઓળખ મળે તે પહેલાં જ તેમણે </span><span style="line-height: 107%; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1988</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં દુનિયાને અલવિદા કહી દીધી હતી. અગાઉ </span><span style="line-height: 107%; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">27 </span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">એપ્રિલ </span><span style="line-height: 107%; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1975</span><span lang="GU" style="line-height: 107%; font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના રોજ જેસી ડેનિયલનું પણ ગુમનામ જીવન જીવતા મૃત્યુ થયું હતું. ભારત જેવા જાતિવાદથી ખદબદતા દેશમાં જાતિ જ સર્વસ્વ છે એના બીજા કેટલાક ઉદાહરણો જોઈએ?</span></span><span lang="GU" style="font-size: 11.0pt; line-height: 107%; font-family: 'Calibri','sans-serif'; mso-ascii-theme-font: minor-latin; mso-fareast-font-family: Calibri; mso-fareast-theme-font: minor-latin; mso-hansi-theme-font: minor-latin; mso-bidi-font-family: Shruti; mso-bidi-theme-font: minor-bidi; mso-ansi-language: EN-IN; mso-fareast-language: EN-US; mso-bidi-language: AR-SA;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Oct 2023 21:00:00 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 21 Oct 2023 20:11:05 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[બહુજનનાયક]]>
                    </category>

                    <Articleid>31</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_65329886b841f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_653298866f834.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>બહુજનનાયક</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_653298866f834.jpg" length="55979" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
            </channel>
</rss>