<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
    xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
    xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
    xmlns:admin="http://webns.net/mvcb/"
    xmlns:rdf="http://www.w3.org/1999/02/22-rdf-syntax-ns#"
    xmlns:atom="http://www.w3.org/2005/Atom"
    xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
    xmlns:media="http://search.yahoo.com/mrss/">
    <channel>
        <atom:link href="https://khabarantar.com/rss/category/%E0%AA%B2%E0%AA%98%E0%AB%81%E0%AA%AE%E0%AA%A4%E0%AB%80" rel="self" type="application/rss+xml" />
        <title>KhabarAntar.com &amp; : લઘુમતી</title>
        <link>https://khabarantar.com/rss/category/લઘુમતી</link>
        <description>KhabarAntar.com &amp; : લઘુમતી</description>
        <dc:language>gu</dc:language>
                <dc:rights>Copyright 2024 Khabar Antar&amp; All Rights Reserved.</dc:rights>
                        <item>
                    <title>વર્ષ 2024માં લઘુમતીઓ વિરુદ્ધ હેટ સ્પીચમાં ૭૪ ટકાનો ઉછાળો નોંધાયો</title>
                    <link>https://khabarantar.com/india-hate-lab-report-shows-seventy-four-percent-rise-in-hate-speech-against-minorities-in-india</link>
                    <guid>https://khabarantar.com/india-hate-lab-report-shows-seventy-four-percent-rise-in-hate-speech-against-minorities-in-india</guid>
                    <description>
                        <![CDATA[ આ તમામ ઉશ્કેરણીજનક ભાષણોમાં ૮૦ ટકા ભાજપ કે તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાંથી અપાયા હતાં. જેમાં પીએમ મોદીનું ભાષણ પણ સામેલ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમેરિકા સ્થિત રિસર્ચ ગ્રુપ દ્વારા ભારતમાં અપાતા ઉશ્કેરણીજનક ભાષણો પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં દાવો કરાયો છે કે વર્ષ ૨૦૨૪માં ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ નફરતી ભાષણોમાં ૭૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગત વર્ષે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તે સમયે પણ આવા ભાષણો અપાતા હોવાની નોંધ આ રિસર્ચમાં લેવાઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નફરતભર્યા ભાષણોની જે વ્યાખ્યા અપાઈ છે તેને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇન્ડિયા હેટ લેબ દ્વારા કુલ ૧૧૬૫ નિવેદનો અને ભાષણોને રિસર્ચમાં આવરી લેવાયા હતાં જે વર્ષ ૨૦૨૪માં અપાયા હતાં. આ ભાષણો ઉશ્કેરણીજનક કે નફરતભર્યા હોવાનું કહીને ગ્રુપે તેની સરખામણી વર્ષ ૨૦૨૩માં અપાયેલા આવા જ ભાષણ સાથે કરી હતી. વર્ષ ૨૦૨૩માં ઉશ્કેરણીજનક ભાષણોની સંખ્યા ૬૬૮ હતી. એટલે કે એક જ વર્ષમાં ૭૪ ટકાનો વધારો થયો હતો. ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત વર્ષે લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી વધુ ઉશ્કેરણીજનક ભાષણો અપાયા છે જેમાં મુસ્લિમ સહિતના લઘુમતીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ રિપોર્ટ એવા સમયે સામે આવી રહ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જઈને રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. અમેરિકન ગ્રુપે નફરતી ભાષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા એક ભાષણનો પણ સમાવેશ કર્યો હતો અને દાવો કરાયો છે કે, નરેન્દ્ર મોદીએ મુસ્લિમોને ઘુસણખોરો કહ્યા હતાં. સાથે જ દાવો કરાયો છે કે, આ તમામ ઉશ્કેરણીજનક ભાષણોમાં ૮૦ ટકા ભાજપ કે તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાંથી અપાયા હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી હેટ સ્પીચ અંગેની વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. આ વ્યાખ્યા મુજબ હેટ સ્પીચ એટેલ, ‘એવું ભાષણ જેમાં ધર્મ, જાતિ, વંશના આધારે ભેદભાવભર્યા શબ્દોનો પ્રયોગ કરાતો હોય તેને ઉશ્કેરણી કે નફરતભર્યું ભાષણ માનવામાં આવે છે.’</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/three-muslim-children-beaten-with-slippers-and-forced-to-chant-jai-shri-ram-in-ratlam-mp">ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે 'જય શ્રી રામ' બોલાવડાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 12 Feb 2025 11:07:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1922</Articleid>
                    <excerpt>આ તમામ ઉશ્કેરણીજનક ભાષણોમાં ૮૦ ટકા ભાજપ કે તેના સાથી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાંથી અપાયા હતાં. જેમાં પીએમ મોદીનું ભાષણ પણ સામેલ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202502/image_140x98_67ac333c9cc36.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202502/image_870x580_67ac333c63413.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202502/image_870x580_67ac333c63413.jpg" length="77323" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>hate speech against minorities, hate speech s in india</media:keywords>
                </item>
                        <item>
                    <title>કથિત ગૌરક્ષકોએ મુસ્લિમ યુવકને આંતરી ગૌતસ્કર કહી માર મારતા મોત</title>
                    <link>https://khabarantar.com/gaurakshaks-beat-a-muslim-youth-to-death-calling-him-a-cow-smuggler-in-palwal-haryana</link>
                    <guid>https://khabarantar.com/gaurakshaks-beat-a-muslim-youth-to-death-calling-him-a-cow-smuggler-in-palwal-haryana</guid>
                    <description>
                        <![CDATA[ યુવક પશુઓના ખરીદ-વેચાણનું કામ કરતો હોવાથી ટેમ્પામાં ગાય અને વાછરડું લઈને જતો હતો. કથિત ગૌરક્ષકોએ તેને આંતરીને જીવલેણ હુમલો કરી દેતા મોત. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હરિયાણાના પલવલ જિલ્લામાં ટોળાએ ગૌતસ્કરીની આશંકાએ એક મુસ્લિમ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ યુવકનું મોત થઈ ગયું હતું. મિત્રોલ ગામમાં બનેલી આ ઘટના અંગે 10 લોકો સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ હુમલો શુક્રવારે રાત્રે પશુઓની તસ્કરીની શંકામાં થયો હતો એ દરમિયાન, એક વ્યક્તિનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું અને બીજો ઘાયલ થયો હતો. આ કેસમાં પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. મૃતકની ઓળખ મુંડકટી ગામના 28 વર્ષીય યુસુફ તરીકે થઈ છે. જ્યારે અન્ય ઘાયલ થયેલા છોકરાનું નામ રવિ છે, જેની ઉંમર 26 વર્ષ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, યુસુફ પશુઓનું ખરીદ-વેચાણ કરતો હતો. તે રવિ સાથે નાગલા ગામથી એક ગાય અને વાછરડાને ટેમ્પોમાં લઈ જઈ રહ્યો હતો. એ દરમિયાન, મિત્રોલ ગામ પાસે કેટલાક લોકોએ તેને ઘેરી લીધો. તેમણે ઢોરના દસ્તાવેજો માંગ્યા પણ યુસુફ આવા કોઈ કાગળો બતાવી શક્યો નહીં. જેને લઈને ટોળાએ બંને પર પશુ તસ્કરીનો આરોપ લગાવ્યો અને તેમના પર હુમલો કરી દીધો. જેમાં યુસુફ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં રવિવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. ટેમ્પો ડ્રાઈવર રવિને પણ ઈજા થઈ હતી પરંતુ તેની હાલત હવે સ્થિર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુસુફના મૃત્યુ પછી મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. મૃતદેહને તેના ગામમાં લઈ જવામાં આવ્યો ત્યારે ભારે વિરોધ પ્રદર્શનો થયા. રસ્તા પરનો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો અને ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. એ પછી તેના પરિવારના સભ્યો મૃતદેહના અગ્નિસંસ્કાર માટે સંમત થયા હતા. મળતી માહિતી પ્રમાણે યુસુફ કે રવિને કોઈની સાથે દુશ્મની નહોતી. પરંતુ પોતાને ગૌરક્ષક કહેતા લોકોએ તેને પશુ તસ્કર જાહેર કરીને ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે યુસુફનું મોત નીપજ્યું. પોલીસનું કહેવું છે કે આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/In-faridabad-the-guarakshak-shot-the-student-mistaking-him-for-a-gautaskar">ફરીદાબાદમાં ગૌરક્ષકોએ વિદ્યાર્થીને ગૌતસ્કર સમજી ગોળી મારી દીધી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 Jan 2025 21:11:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1902</Articleid>
                    <excerpt>યુવક પશુઓના ખરીદ-વેચાણનું કામ કરતો હોવાથી ટેમ્પામાં ગાય અને વાછરડું લઈને જતો હતો. કથિત ગૌરક્ષકોએ તેને આંતરીને જીવલેણ હુમલો કરી દેતા મોત.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6798fa122ce1b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6798fa11ef944.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6798fa11ef944.jpg" length="70403" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>gaurakshaks, latest news</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહા કુંભમાં VHP બૌદ્ધ સંમેલન યોજશે, દેશભરમાંથી ભંતે અને લામા આવશે</title>
                    <link>https://khabarantar.com/vhp-organize-buddhist-conference-in-maha-kumbh-bhante-lama-will-come-from-all-over-the-country</link>
                    <guid>https://khabarantar.com/vhp-organize-buddhist-conference-in-maha-kumbh-bhante-lama-will-come-from-all-over-the-country</guid>
                    <description>
                        <![CDATA[ મહા કુંભમાં VHP બૌદ્ધ સંમેલન યોજવા જઈ રહી છે. જેમાં દેશભરમાંથી બૌદ્ધ ભંતે અને લામાઓ આવશે. જાણો શું છે ભાજપ અને RSSની રણનીતિ? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રયાગરાજ (Prayagraj) માં ચાલી રહેલા મહાકુંભ (Maha Kumbh) દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) દ્વારા પણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. દરેક મહાકુંભમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા ધર્મ સંસદનું આયોજન કરવામાં આવે છે અને હિન્દુ તેમાં હિંદુઓના પ્રશ્નોને લઈને વિવિધ પ્રસ્તાવોની ચર્ચા કરવામાં આવે છે. કહેવા માટે આ કાર્યક્રમ ભલે Hindu ઓ નો હોય પરંતુ તેની પાછળનો અસલી ચહેરો RSS અને BJP ને માનવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મહાકુંભમાં પહેલીવાર બૌદ્ધ સંમેલન યોજાશે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આ વખતનો મહાકુંભ (Maha Kumbh) ખાસ છે કારણ કે પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદે (VHP) અહીં બૌદ્ધ સંમેલન (Buddhist conference) યોજવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી VHP ફક્ત હિન્દુ પરિષદોનું આયોજન કરતું હતું, પરંતુ પહેલીવાર બૌદ્ધ પરિષદ (Buddhist conference) યોજાવા જઈ રહી છે. ૧૦ ફેબ્રુઆરીથી મહાકુંભમાં ત્રણ દિવસીય પરિષદનું આયોજન થવાનું છે, જેમાં બૌદ્ધ ભંતેઓ (Buddhist monks) અને લામાઓ (lamas) ને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત રશિયા, અમેરિકા, કંબોડિયા, મ્યાનમાર સહિત ઘણા દેશોમાંથી બૌદ્ધ ભંતેઓ આ પરિષદમાં આવશે તેમ VHP દ્વારા જણાવવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વિશ્વ હિંદુ પરિષદ શું કહે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય સંગઠન મહાસચિવ મિલિંદ પરાંડે (Milind Parande) એ જણાવ્યું હતું કે કુંભ એ આધ્યાત્મિક મેળાવડાનું સ્થળ છે. શૈવ, જૈન, શીખ, બૌદ્ધ સહિત ઘણી પરંપરાઓનો જન્મ ભારતમાં જ થયો છે. અલગ અલગ વિચારધારાના સંતોનું એકબીજાને મળવું એ એક સામાન્ય પ્રક્રિયા છે. આને આગળ વધારીને અમે બૌદ્ધ સંત સંમેલનનું આયોજન કર્યું છે. સ્થાપના થઈ ત્યારથી VHP સતત હિન્દુ પરિષદોનું આયોજન કરી રહ્યું છે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે બૌદ્ધોને એકસાથે લાવવામાં આવી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/bjp-is-using-kumbh-mela-to-appease-dalits-and-obc-voters"><span style="font-size: 14pt;">દલિત, ઓબીસીને રિઝવવા ભાજપ કુંભમેળાનો ઉપયોગ કરી રહી છે?</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">VHP RSSનું એક સહયોગી સંગઠન છે અને ભાજપ પણ સંઘ પરિવારનો એક રાજકીય ભાગ છે. એ સ્થિતિમાં VHP ના આ સંમેલનને RSS અને BJP ના પ્રયાસો સાથે જોડવામાં આવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બૌદ્ધ સંમેલન યોજીને RSS શું કરવા માંગે છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતે, દેશમાં દલિત સમાજનો એક મોટો વર્ગ છે, જેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે. આ ઉપરાંત, જે લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર નથી કર્યો, તેઓ પણ બૌદ્ધ ધર્મ પ્રત્યે ભારે આદર અને સન્માન ધરાવે છે. પછાત સમાજના ઘણા લોકો પણ બૌદ્ધ ધર્મની પરંપરાઓ સ્વીકારે છે અને મહાત્મા બુદ્ધમાં શ્રદ્ધા ધરાવે છે. આવી સ્થિતિમાં, ભાજપ અને આરએસએસની રણનીતિ એવી છે કે જો આ વર્ગને ખુશ કરી શકાય તો ચૂંટણીમાં લાભ મેળવી શકાય. આ ઉપરાંત, તે બૌદ્ધોને હિન્દુઓ સાથે સામાજિક રીતે જોડવામાં પણ મદદ કરશે. તાજેતરમાં, જ્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે ભાજપે ખાસ કરીને આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બૌદ્ધ સમાજમાંથી આવતા કિરેન રિજિજુને પણ ત્યાં બૌદ્ધોને જોડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">૧૯૬૬માં કુંભમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૬૬માં જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ ત્યારે તેણે કુંભમાં તેના પ્રથમ હિન્દુ સંમેલનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ RSS ના બીજા સરસંઘચાલક માધવ સદાશિવ રાવ ગોલવલકરે VHP સંમેલનના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારથી દર વર્ષે કુંભમાં હિન્દુ પરિષદો અને ધર્મ સંસદનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે બૌદ્ધ સંમેલન થઈ રહ્યું છે અને આ સંગઠનની નીતિમાં પરિવર્તનનો સંકેત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બૌદ્ધ સંમેલન યોજવા પાછળનો હેતુ શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુંભમેળામાં બૌદ્ધ સંમેલન યોજવા પાછળનો અસલી ઈરાદો દલિત, આદિવાસી અને ઓબીસી સમાજને હિંદુત્વની રાજનીતિમાં ખેંચી જઈ ભાજપની મતબેંકને મજબૂત કરવાનો છે. વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓ 400થી વધુ સીટો આવે તો દેશનું બંધારણ બદલી નાખવાની અને અનામતને ખતમ કરી દેવાની જાહેરમાં વાત કરતા હતા. જેના કારણે દેશના એસસી, એસટી અને ઓબીસી મતદારોએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું અને તેના કારણે ભાજપ 240 સીટો પર આવીને અટકી ગયો હતો. એટલું જ નહીં પોતાના દમ પર બહુમતિ પણ મેળવી શક્યો નહોતો. એ પછી પણ ભાજપના નેતાઓનો ડો.આંબેડકર અને બંધારણ અને અનામત સહિતના દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લુઘુમતીઓ પરના હુમલાઓ ચાલું રહ્યાં હતા. તાજેતરમાં અમિત શાહે સંસદમાં ડો.આંબેડકરને ફેશન ગણાવી તેને લઈને પણ દેશભરમાં ભારે વિરોધ થયો હતો અને ભાજપની દલિત, આદિવાસી અને ઓબીસી વિરોધી છાપ વધુ મજબૂત બની હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને ત્યાં દલિત મતદારો 20 ટકા આસપાસ છે. દલિતો ડો.આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હોવાથી બુદ્ધના સમાનતાના સિદ્ધાંત તરફ વધુને વધુ વળી રહ્યાં છે. જેના કારણે સંઘ અને ભાજપની ચૂંટણીમાં ફટકો પડવાની ચિંતા સતાવી રહી છે. એટલે પાણી પહેલા પાળ બાંધવા માટે તેઓ હવે બૌદ્ધ ધર્મ અને તેના સંતોને મહોરું બનાવી દલિત મતોને પોતાની તરફ વાળવા પ્રયત્ન કરવા માંગે છે. જો કે, દલિત, આદિવાસી અને ઓબીસી મતદારો ભાજપ અને આરએસએસ ડો.આંબેડકર, બંધારણ અને અનામતના ઘોર વિરોધી હોવાની વાત સારી રીતે સમજી ચૂક્યાં હોવાથી આ પ્રકારના બૌદ્ધ સંમેલનોથી તેઓ ભાજપને મત આપે તે વાતમાં બહુ દમ હોય તેમ લાગતું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/why-is-rss-taking-8000-dalit-students-to-kumbh-mela">RSS શા માટે 8000 દલિત વિદ્યાર્થીઓને કુંભ મેળામાં લઈ જઈ રહ્યું છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 28 Jan 2025 10:56:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1898</Articleid>
                    <excerpt>મહા કુંભમાં VHP બૌદ્ધ સંમેલન યોજવા જઈ રહી છે. જેમાં દેશભરમાંથી બૌદ્ધ ભંતે અને લામાઓ આવશે. જાણો શું છે ભાજપ અને RSSની રણનીતિ?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_67986a195550e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_67986a1917633.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_67986a1917633.jpg" length="93157" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>maha kumbh 2025, buddhist conference, vhp, Rss, Bjp</media:keywords>
                </item>
                        <item>
                    <title>મેઘાણીનગરમાં બજરંગદળે લઘુમતી સમાજના 15 યુવકોના મકાનો ખાલી કરાવ્યા</title>
                    <link>https://khabarantar.com/bajrang-dal-vacates-houses-of-15-youths-from-minority-communities-in-meghaninagar</link>
                    <guid>https://khabarantar.com/bajrang-dal-vacates-houses-of-15-youths-from-minority-communities-in-meghaninagar</guid>
                    <description>
                        <![CDATA[ સ્થાનિકોએ બજરંગદળને લઘુમતી કોમના યુવકો ગેરકાયદે વસવાટ કરતા હોવાનું જણાવતા 100 જેટલા કાર્યકરોએ પોલીસને સાથે રાખી ઘર ખાલી કરાવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના મેઘાણીનગરમાં ગઈકાલે બજરંગદળના કાર્યકરોએ અહીં ભાડાના મકાનોમાં રહેતા 15 જેટલા લઘુમતી સમાજના યુવકોને મકાન ખાલી કરાવ્યા હતા. આ યુવકો ભાડા કરાર કર્યા વિના અહીં રહેતા હતા. સ્થાનિકોમાંથી કોઈએ બજરંગ દળને આ ઘટનાની જાણ કરી દેતા તેમણે આ મામલો ઉપાડી લીધો હતો. એ પછી બજરંગ દળના 100 જેટલા કાર્યકરોએ પોલીસની ટીમ સાથે આ યુવકોના ઘરે પહોંચી ગયા હતા અને મકાન ખાલી કરાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર આવેલી ભગવતી સ્કૂલની સામે શ્યામનગરની ચાલી આવેલી છે. જ્યાં ચાર મકાનમાં 15થી વધુ લઘુમતી કોમના યુવકો ભાડા કરાર વગર રહેતા હતા. તમામ યુવકો દિવસ દરમિયાન કામ પર જતા હતા અને રાત્રે આવીને સુઈ જતા હતા. તેમના તરફથી સ્થાનિકોને કોઈ જ સમસ્યા નહોતી. જો કે, કોઈને તેમની આ શાંતિ પર શંકા ગઈ જતા તેણે તપાસ કરી હતી. જેમાં આ તમામ યુવકો લઘુમતી કોમના હોવાનું અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે બજરંગદળના કાર્યકરો સુધી આ મામલો પહોંચી ગયો હતો. એ પછી તેમણે તરત પોલીસને જાણ કરીને તાત્કાલિક આ યુવકોના ઘર ખાલી કરાવી દેવા માટે કાર્યવાહી કરાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે ગુરુવારે રાત્રે બજરંગદળના 100 થી વધુ કાર્યકર્તાઓ પોલીસની ટીમને લઈને ભાર્ગવ રોડ પર આવેલી શ્યામનગરની ચાલીમાં પહોંચી ગયા હતા અને ચારેય મકાનોમાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન યુવકો લઘુમતી કોમના હોવાથી તેમને મકાન ખાલી કરી દેવા માટેની વિનંતી કરી હતી. માહોલ ગરમાય નહીં તે માટે તમામ યુવકોએ પોતાનો સામાન બાંધીને શાંતિથી રિક્ષામાં બેસીને જતા રહ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તમામ યુવકો મકાન ખાલી કરીને જતા રહેતાની સાથે જ બજરંગ દળના કાર્યકરોએ જયશ્રી રામના નારાઓ લગાવ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપનાર બે લોકો વિરૂદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. બીજી તરફ બજરંગ દળે આ વિસ્તારમાં જો હજુ પણ લઘુમતી કોમના યુવકો રહેતા હોવાનું જાણવા મળશે તો તેમના પર પણ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/bajrang-dal-workers-barge-into-dalit-professors-office-and-beat-him-up"><span style="font-size: 12pt;"> </span>બજરંગ દળના કાર્યકરોએ દલિત પ્રોફેસરને ઓફિસમાં ઘૂસી માર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 24 Jan 2025 20:02:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1882</Articleid>
                    <excerpt>સ્થાનિકોએ બજરંગદળને લઘુમતી કોમના યુવકો ગેરકાયદે વસવાટ કરતા હોવાનું જણાવતા 100 જેટલા કાર્યકરોએ પોલીસને સાથે રાખી ઘર ખાલી કરાવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6793a402bfa1d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6793a402851c6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6793a402851c6.jpg" length="68257" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>bajrang dal, minority communities, Ahmedabad news</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોટામાં NEET ની તૈયારી કરી રહેલી અમદાવાદની મુસ્લિમ દીકરીએ આત્મહત્યા કરી</title>
                    <link>https://khabarantar.com/Kota-Student-Suicide-ahmedabad-muslim-girl-preparing-for-neet-commits-suicide</link>
                    <guid>https://khabarantar.com/Kota-Student-Suicide-ahmedabad-muslim-girl-preparing-for-neet-commits-suicide</guid>
                    <description>
                        <![CDATA[ Kota Student Suicide: મૃતક વિદ્યાર્થીનીનું નામ અફશા શેખ છે અને તેનો પરિવાર અમદાવાદમાં રહે છે. અફશા માત્ર 6 મહિના પહેલા જ કોટા આવી હતી અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Kota Student Suicide : રાજસ્થાનના કોટા જિલ્લામાં આજે વધુ એક વિદ્યાર્થીએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અને માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતક વિદ્યાર્થીનીનું નામ અફશા શેખ છે, અને તેનો પરિવાર અમદાવાદમાં રહે છે. અફશા માત્ર 6 મહિના પહેલા જ કોટા આવી હતી અને રાજીવ નગર વિસ્તારમાં આવેલી એક હોસ્ટેલમાં રહીને NEET પરીક્ષાની તૈયારી કરી રહી હતી. આજે તેનો મૃતદેહ હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો, જેને પોલીસે MBS હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક મહિનામાં પાંચમી આત્મહત્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">કોટામાં દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. આ વર્ષની જ વાત કરીએ તો વર્ષ 2005માં 5માં વિદ્યાર્થિની આત્મહત્યા છે. આ પહેલા 8 જાન્યુઆરી, 9 જાન્યુઆરી, 15 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીએ કોટામાં કોચિંગ લેતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે મંગળવારે જણાવ્યું હતું કે બાળકો પર અભ્યાસના દબાણ અને તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષાઓ રાખવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. માતાપિતાએ તેમના બાળકોની માનસિક સ્થિતિને સમજવી પડશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પ્રેમ સંબંધમાં પણ યુવાનો આત્મહત્યા કરે છે</span></strong></span><br><span style="font-size: 14pt;">અગાઉ, બુંદીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થીઓના આત્મહત્યા કરવાનું કારણ 'પ્રેમ સંબંધ' હોય છે. એટલા માટે માતાપિતાએ તેમના બાળકોની પ્રવૃત્તિઓ અને દિનચર્યા પર ધ્યાન આપવાની જરૂર છે. વર્ષ 2024 માં કોટામાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના 17 કેસ નોંધાયા હતા, જે છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં સૌથી ઓછા હતા. પરંતુ 2025 ના પહેલા મહિનામાં 5 બાળકોએ આત્મહત્યા કરી હોવાથી વહીવટીતંત્ર તેમજ સરકારની ચિંતા વધી ગઈ હોય તેવું લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/muslim-youth-stopped-from-taking-exam-in-ahmedabad-due-to-beard">અમદાવાદમાં મુસ્લિમ યુવકને દાઢીને કારણે પરીક્ષા આપતો અટકાવાયો</a> </strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 22 Jan 2025 14:32:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1873</Articleid>
                    <excerpt>Kota Student Suicide: મૃતક વિદ્યાર્થીનીનું નામ અફશા શેખ છે અને તેનો પરિવાર અમદાવાદમાં રહે છે. અફશા માત્ર 6 મહિના પહેલા જ કોટા આવી હતી અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6790b2f917030.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6790b2f8d8856.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6790b2f8d8856.jpg" length="56348" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kota Student Suicide, NEET exam, pressure, Ahmedabad Girl, Hang herself</media:keywords>
                </item>
                        <item>
                    <title>ફાતિમા શેખને &amp;apos;કાલ્પનિક&amp;apos; કહેનાર પ્રો. દિલીપ મંડલની જબરી ધુલાઈ થઈ?</title>
                    <link>https://khabarantar.com/prof-who-called-fatima-shaikh-imaginary-dilip-mandal-was-forcibly-washed</link>
                    <guid>https://khabarantar.com/prof-who-called-fatima-shaikh-imaginary-dilip-mandal-was-forcibly-washed</guid>
                    <description>
                        <![CDATA[ સંઘી પ્રો. દિલીપ મંડલે દેશના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર ગણાવતી પોસ્ટ મૂકી હતી. એ પછી બહુજનો બૌદ્ધિકોએ તેમની ઓનલાઈન બરાબરની ધુલાઈ કરી નાખી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલે 9 જાન્યુઆરીના રોજ દેશની પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખની જન્મજયંતિ હતી. એ જ દિવસે તેમના અસ્તિત્વને લઈને સવાલો ઉભા કરવામાં આવતા સમસ્ત બહુજન સમાજ ભારે રોષે ભરાયો હતો. એક સમયે ઓબીસી બૌદ્ધિક તરીકે જેમની ગણના થતી હતી તેવા પ્રો. દિલીપ મંડલે ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર ગણાવીને વિવાદ છેડી દીધો હતો. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે, પ્રો. દિલીપ મંડલ હવે મોદી સરકારના મીડિયા સલાહકાર છે અને તેઓ હવે બહુજન સમાજની વિચારધારાથી તદ્દન વિરુદ્ધની વાતો કરી સરકારને ખુશ કરવા મથી રહ્યાં છે. આવું જ તેમણે ગઈકાલે પણ કર્યું હતું. પ્રો. દિલીપ મંડલે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ફાતિમા શેખ ક્યારેય અસ્તિત્વમાં નહોતા, આ પાત્ર તેમણે જ ઘડ્યું હતું અને 2006 પહેલા તેમનો કોઈ ઉલ્લેખ નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલીપ મંડલે ઉપરાછાપરી ટ્વિટ કરી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલીપ મંડલે આ વિષય પર શ્રેણીબદ્ધ ટ્વિટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, "ફાતિમા શેખના શિક્ષિકા હોવાના કોઈ પુરાવા નથી. પહેલા પણ નહોતા અને અત્યારે પણ નથી. તે કોઈ હજાર વર્ષ પહેલાંની વાત નથી. દોઢસો વર્ષ પહેલા આટલી મહાન મહિલા, એ પણ મુસ્લિમ સમાજમાં, જેનો સાક્ષરતા દર હજુ પણ ભારતમાં સૌથી ઓછો છે, જો તે હોત તો તેમના વિશે સર સૈયદ અહેમદ કરતાં પણ વધારે લખાયું હોત."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રો. મંડલે ટ્વિટ કરી હતી કે, “ફાતિમા શેખ ક્યારેય અસ્તિત્વમાં નહોતા. મેં આ નામ ચોક્કસ સમયે ઘડ્યું હતું. ન તો સાવિત્રીબાઈ ફૂલે, ન જ્યોતિરાવ ફૂલે, ન તો બાબાસાહેબ આંબેડકર, કોઈએ ફાતિમા શેખનો ઉલ્લેખ પણ કર્યો નહીં. તે ફક્ત મારી કલ્પના હતી. જે મેં ઘડી હતી"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિવેદનથી બહુજન અને મુસ્લિમ સમાજમાં રોષનું મોજું ફરી વળ્યું હતું. એક્ટિવિસ્ટો અને ઇતિહાસકારો આને બહુજન ચળવળ અને મુસ્લિમોના યોગદાનને ભૂંસી નાખવાના કાવતરા તરીકે જોઈ રહ્યાં છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે, પ્રોફેસર મંડલે કહ્યું હતું કે ફાતિમા શેખ નામનું પાત્ર તેમના દ્વારા ઘડવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;">દિલીપ મંડલે શું લખ્યું હતું?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક પોસ્ટમાં તેમણે લખ્યું, "મને માફ કરજો. ખરેખર ફાતિમા શેખ ક્યારેય અસ્તિત્વમાં નહોતી. તે કોઈ ઐતિહાસિક પાત્ર નથી. તે મારા દ્વારા ઘડવામાં આવ્યું છે. મારો કારનામા છે. તે મારો ગુનો કે ભૂલ છે કે મેં તેને શૂન્યમાંથી, એટલે કે હવામાંથી ઉભી કરી હતી. એટલે જો તમે આ માટે કોઈને દોષ આપવા માંગતા હો, તો મને દોષ આપો. આંબેડકરવાદીઓ વર્ષોથી આ માટે મારાથી નારાજ છે. માનનીય અનિતા ભારતીથી લઈને ડૉ. અરવિંદ કુમાર ખુલીને મારા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યાં છે. મેં આ કેમ કર્યું તે પૂછશો નહીં. મેં તે કર્યું. સમય સમયની વાત છે. મારે એક પ્રતિમા બનાવવી હતી જે મેં બનાવી નાખી. હજારો લોકો સાક્ષી છે. મોટાભાગના લોકોએ આ નામ પહેલીવાર મારી પાસેથી સાંભળ્યું છે. હું જાણું છું કે આ કેવી કરાય છે, છબી કેવી રીતે ઘડવામાં આવે છે. હું કલાનો માસ્ટર છું તેથી મારા માટે આ મુશ્કેલ નહોતું. હું છબિઓ ઘડું છું. તે મારું કામ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રોફેસર દિલીપ મંડલની આ પોસ્ટ પછી, ધ પ્રિન્ટે 9 જાન્યુઆરી 2019 ના રોજ લખાયેલ ફાતિમા શેખ પરનો તેમનો લેખ, "Why Indian history has forgotten Fatima Sheikh but remembers Savitribai Phule" પાછો ખેંચી લીધો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ પ્રિન્ટે લખ્યું હતું કે, "દિલીપ મંડલ દ્વારા X પરની એક પોસ્ટ જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમણે ફાતિમા શેખ નામનું "ઐતિહાસિક" પાત્ર ઘડ્યું છે, તેની ધ પ્રિન્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે. અમે આ બાબતની તપાસ કરવા માટે આ લેખને પરત ખેંચી રહ્યાં છીએ."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બહુજન એક્ટિવિસ્ટો, લેખકો રોષે ભરાયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રો. મંડલના આ દાવાને કારણે બહુજન કાર્યકરો અને લેખકોમાં ભારે રોષ છે. પત્રકાર શ્યામ મીરા સિંહે લખ્યું, "તમે કહી રહ્યા છો કે, '2006 પહેલા ફાતિમા શેખનો કોઈ ઉલ્લેખ નહોતો. તમે તેમને કાલ્પનિક રીતે ઘડ્યાં છે. મને કોઈ પુસ્તક બતાવો.'" હું તમને ૧૯૯૧નું એક પુસ્તક બતાવી રહ્યો છું. તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ફાતિમા શેખ સાવિત્રીબાઈ ફૂલેજીનાં સહયોગી હતા."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Indias-Muslim-female-literacy-rate-of-50-percent-today-is-based-on-the-sweat-of-Fatima-Shaikh."><span style="font-size: 14pt;"> ભારતમાં મુસ્લિમ સ્ત્રી સાક્ષરતાનો દર આજે 50 ટકા છે તેના પાયામાં ફાતિમા શેખનો પરસેવો પડેલો છે</span></a></span></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રોફેસર મંડલને આપેલી જવાબી પોસ્ટમાં એક વ્યક્તિએ પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા 1986 માં પ્રકાશિત પુસ્તક "ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે" માંથી કેટલાક પાના પોસ્ટ કર્યા અને લખ્યું, "જૂઠું બોલવામાં કોઈ શરમ તો ક્યાંથી આવશે?"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દિલીપ મંડલ સરકારમાં જોડાયા પછી વલણ બદલાયું છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બનારસ હિન્દુ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને દલિત નારીવાદ પર લખતા લેખિકા પ્રિયંકા સોનકરે જણાવ્યું હતું કે, ઐતિહાસિક કાર્ય કરનારા નાયકો અને નાયિકાઓને ઘડવામાં આવતા નથી તેમને શોધવામાં આવે છે. પ્રોફેસર મંડલ પહેલા ખૂબ સારું કામ કરતા હતા પરંતુ ભારત સરકારમાં જોડાયા પછી તેમણે પોતાનું વલણ બદલી નાખ્યું છે. ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર કહેવું તો મોદીજી અથવા ભાજપ નેતા કોઈપણ નેતા કરી શકે છે, પરંતુ બહુજન સમાજની એક વ્યક્તિને આવું કહેવા માટે પ્રેરિત કરીને તેઓ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાતિમા શેખ હતા પરંતુ એ સાચું છે કે તેમને માતા સાવિત્રીબાઈ ફૂલે જેટલી ઓળખ મળી ન હતી."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તેઓ પ્રસિદ્ધિ મળતી રહે તે માટે આવું કરે છેઃ ડો.ઓબેદ મનવાટકરે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાણીતા શિક્ષણવિદ અને વિદ્વાન ડૉ. ઓબેદ મનવાટકરે કહ્યું, “જેઓ એક સમયે ફાતિમા શેખના ગુણગાન ગાતા હતા તેઓ હવે તેને કાલ્પનિક પાત્ર કહી રહ્યા છે. સોશિયલ મીડિયા લેખકોમાંના એક જેમણે ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર ગણાવ્યું છે તે પૈકી એકેય વ્યક્તિની પૃષ્ઠભૂમિ મહારાષ્ટ્રની નથી, ન તો તેમણે મહારાષ્ટ્રની સંસ્કૃતિ, સમાજશાસ્ત્ર, ઇતિહાસ પર કોઈ નક્કર સંશોધન કર્યું છે. તેઓ એટલા માટે લખે છે કારણ કે તેમની પોસ્ટ્સ વાયરલ થાય છે જેથી તેમને પ્રસિદ્ધિ મળતી રહે અને તેમનું નામ સોશિયલ મીડિયામાં ગૂંજતું રહે. ફાતિમા શેખ પર એક પુસ્તક છે, સાવિત્રીબાઈના પત્રવ્યવહારમાં તેમના નામનો ઉલ્લેખ છે. તેઓ કોઈ કાલ્પનિક પાત્ર નથી. આ વિષય પર આટલું જ કહી શકાય. જો 17-18મી સદીનો કોઈ ખાસ ઇતિહાસકાર કોઈ ટિપ્પણી કરે છે, તો તેમાં ચર્ચા કરવાની મજા આવે. કોઈ સોશિયલ મીડિયાની પોસ્ટ પર દલીલ કરવામાં હું મારો સમય નહીં બગાડું."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મંડલ હવે સંઘી છાવણીમાં હોવાથી આવું બોલે છેઃ જિતેન્દ્ર મીણા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના પ્રોફેસર જિતેન્દ્ર મીણા કહે છે કે, "એવું જરૂરી નથી કે ઇતિહાસમાં બનેલી બધી ઘટનાઓ રેકોર્ડ કરવામાં આવી હોય, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આદિવાસી ઇતિહાસમાં કોલોનિયલ એરા પહેલા તેના પર લગભગ કોઈ દસ્તાવેજીકરણ નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે આદિવાસીઓનું કોઈ યોગદાન નથી. આપણા દેશમાં ઇતિહાસ લખવાની પરંપરા નવી છે અને એ પહેલાં મૌખિક એટલે કે ઓરલ ટ્રેડિશન પર જ નિર્ભર હતું. ઇતિહાસ લખવાની પરંપરા બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ હતી. તે 19મી સદીના સમયથી શરૂ થઈ હતી અને તે પહેલાં જે કંઈ લખાતું હતું તે શાસક વર્ગ વિશે હતું." </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઓબીસી-મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનું કાવતરું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિતેન્દ્ર મીણા આગળ કહે છે, "ઇતિહાસમાં કોઈ પાત્રને ઘડી નથી શકાતું. ઇતિહાસકારો પાસે કેટલીક માહિતી/તથ્યો હોય છે જે આપણને નાયકો અને નાયિકાઓ વિશે જણાવે છે. તેથી આ દાવો કરવો યોગ્ય નથી. પ્રોફેસર દિલીપ મંડળ આજકાલ આરએસએસની છાવણીમાં હોવાથી, તેમને ફાતિમા શેખના નામ સામે વાંધો છે કારણ કે તે મુસ્લિમ છે અને સાવિત્રીબાઈ ફૂલે ઓબીસી વર્ગમાંથી આવે છે - ઓબીસી અને મુસ્લિમો વચ્ચે એક રાષ્ટ્રીય ગઠબંધન રચાયું છે, તેઓ તેને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ એ લોકો છે જે ઇતિહાસનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. "</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર કહેવાથી તેમનું યોગદાન ઓછું નહીં થાય</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્રો. જિતેન્દ્ર મીણા વધુમાં કહે છે કે ફાતિમાના પાત્રને કાલ્પનિક કહીને કે તેમને બદનામ કરવાથી તેમના યોગદાન કે મહત્વ ઓછું થશે નહીં. આ ઘટનાએ ન માત્ર મુસ્લિમ સમાજ પ્રત્યે નફરત વધારવાનું કામ કર્યું નથી, પરંતુ બંને તરફથી નફરત વધારવાનો પ્રયાસ છે. જે રીતે દિલીપ મંડલ પોતાને ઓબીસી બુદ્ધિજીવી તરીકે સ્થાપિત કરી રહ્યા છે, તે જ રીતે તેઓ મુસ્લિમોના હૃદયમાં ઓબીસી પ્રત્યે પણ નફરત પેદા કરી રહ્યા છે. તે જોતા તેઓ મુસ્લિમોના દિલમાં ઓબીસી પ્રત્યે અને ઓબીસીના દિલમાં મુસ્લિમો પ્રત્યે નફરત પેદા કરવાનું કામ કરી રહ્યાં છે. જે સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત છે. ભાજપ દ્વારા મુસ્લિમો પ્રત્યે નેરેટિવ ઘડવો નવી વાત નથી. મીડિયાનું અલ્ગોરિધમ મને સમજાય છે,જેમ હિટલરના સમયમાં તેના અત્યાચારોને મોટા પાયે ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ હાલમાં ભારતમાં પણ એવું જ થઈ રહ્યું છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/370-dalit-saints-to-be-made-mahamandaleshwar-mandaleshwar-peethadhishwar-at-kumbh-mela">કુંભમેળામાં 370 દલિત સંતોને મહામંડળેશ્વર, મંડળેશ્વર, પીઠાધિશ્વર બનાવાશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 10 Jan 2025 13:00:24 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 10 Jan 2025 13:01:30 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1828</Articleid>
                    <excerpt>સંઘી પ્રો. દિલીપ મંડલે દેશના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર ગણાવતી પોસ્ટ મૂકી હતી. એ પછી બહુજનો બૌદ્ધિકોએ તેમની ઓનલાઈન બરાબરની ધુલાઈ કરી નાખી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202501/image_140x98_6780cbe783dad.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202501/image_870x580_6780cbe7512e0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202501/image_870x580_6780cbe7512e0.jpg" length="79490" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>fatima shaikh, dilip mandal, viral social media post</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદમાં મુસ્લિમ યુવકને દાઢીને કારણે પરીક્ષા આપતો અટકાવાયો</title>
                    <link>https://khabarantar.com/muslim-youth-stopped-from-taking-exam-in-ahmedabad-due-to-beard</link>
                    <guid>https://khabarantar.com/muslim-youth-stopped-from-taking-exam-in-ahmedabad-due-to-beard</guid>
                    <description>
                        <![CDATA[ યુવક નર્સિંગની પરીક્ષા આપવા પહોંચ્યો હતો, જ્યાં પરીક્ષકે તેને રૂમમાં પ્રવેશતા રોકી તેની દાઢી વિશે સવાલો કરીને દાઢી કરાવીને આવવા આદેશ કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદમાં એક ચોંકાવનારી અને ખૂબ જ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં નર્સિંગના વિદ્યાર્થી હાફિઝ અબુ બકરને દાઢી રાખવા બદલ એલજી હોસ્પિટલમાં ગુજરાત યુનિવર્સિટીની GNM નર્સિંગની પરીક્ષામાં બેસતા રોકવામાં આવ્યો હતો. પરીક્ષક સરયુરાજ પુરોહિતે કથિત રીતે અબુ બકરને પરીક્ષા શરૂ થતા પહેલા દાઢી કઢાવી નાખવાની સૂચના આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓબ્ઝર્વર પોસ્ટના અહેવાલ મુજબ, અબુ બકરે દાવો કર્યો હતો કે તેને પરીક્ષા ખંડની બહાર રોકવામાં આવ્યો હતો અને પરીક્ષામાં બેસવું હોય તો દાઢી કઢાવી નાખવા માટે કહેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઘટનાના વીડિયોમાં પરીક્ષક કહેતા જોવા મળે છે કે, "જો કોઈ વિદ્યાર્થીની દાઢી રાખે છે, તો મારું માનવું છે કે અમારે તેની તપાસ કરવી જોઈએ અથવા તેને સવાલો કરવા જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું જોઈએ કે, એવો કોઈ નિયમ નથી કે પરીક્ષાર્થીએ પરીક્ષા આપતી વખતે દાઢી કરાવી લેવી જોઈએ. તેમ છતાં પરીક્ષકે મુસ્લિમ યુવકને દાઢી કઢાવી નાખવાનો આદેશ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહેવાલ મુજબ, આ ઘટનાનો વીડિયો બનાવનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, "કોઈને દાઢી કરાવીને ક્લાસમાં આવવાનું કહેવાનો કોઈ નિયમ નથી. તેમ છતાં પરીક્ષકે આ પ્રકારનું વર્તન કરીને પોતાની દ્વેષી માનસિકતાનો પરિચય આપ્યો હતો."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અબુ બકરે બીજી પણ એક અપમાનજનક વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં પરીક્ષકે તેને પૂછ્યું હતું કે, શું તેણે હજ કરી છે. અબુ બકરે જવાબમાં કહ્યું કે તેણે ઉમરાહ કરી છે. એ પછી પરીક્ષકે તેના પર જૂઠું બોલવાનો આરોપ મૂક્યો અને આગ્રહ કર્યો કે તે તેની દાઢી સંપૂર્ણપણે મુંડાવી લે. એનો મતલબ એ કે તે તેની ધાર્મિક ઓળખની પૂછપરછનો વિષય હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોતાની કાર્યવાહીનો બચાવ કરતા પરીક્ષક સરયુરાજ પુરોહિતે દાવો કર્યો હતો કે ધર્મના આધારે કોઈ ભેદભાવ નથી અને પરીક્ષા તમામ વિદ્યાર્થીઓ માટે ન્યાયી રીતે લેવામાં આવી હતી. જો કે તેમણે શા માટે મુસ્લિમ વિદ્યાર્થીને દાઢી કઢાવીને આવવા કહ્યું હતું અને ધાર્મિક સવાલો પૂછ્યા હતા તેને લઈને તેનો યોગ્ય ખુલાસા કરી શક્યા નહોતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાની ચારે બાજુથી નિંદા થઈ રહી છે. એએમસીમાં વિપક્ષના નેતા શેહઝાદખાન પઠાણે આ મામલે ગુજરાતમાં વધી રહેલી ધાર્મિક અસહિષ્ણુતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "મને આ ઘટના વિશે મીડિયા દ્વારા જાણ થઈ. એક મુસ્લિમ વિદ્યાર્થીને દાઢી હોવાથી પરીક્ષામાં બેસતો રોકવામાં આવ્યો તે ચોંકાવનારું છે. આ દેશમાં કટ્ટરતા એટલી વધી ગઈ છે કે વિદ્યાર્થીઓએ તેની સાથે સંઘર્ષ કરવો પડે છે. આ અત્યંત શરમજનક સ્થિતિ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શેહઝાદખાન પઠાણે ગુજરાતને ધાર્મિક ઉગ્રવાદનું કેન્દ્ર બનાવવાનો આરોપ મૂક્યો હતો જ્યાં આવી ભેદભાવપૂર્ણ પ્રથાઓ દિન પ્રતિદિન સામાન્ય બની રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય બંધારણ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની બાંહેધરી આપે છે, જેમાં દાઢી અથવા હિજાબ જેવી ઓળખ દ્વારા કોઈની આસ્થાને વ્યક્ત કરવાનો અધિકાર પણ સામેલ છે. તેમ છતાં આવી ઘટનાઓ બની રહી છે તે શરમજનક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના ભારતમાં વધતી જતી ધાર્મિક અસહિષ્ણુતાનું જીવંત ઉદાહરણ છે, જ્યાં વ્યક્તિગત માન્યતાઓ અને સાંસ્કૃતિક પૂર્વગ્રહોના મૂળમાં રહેલી ક્રિયાઓ વ્યક્તિઓના અધિકારોનું વધુને વધુ અતિક્રમણ કરી રહી છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે આવી ભેદભાવપૂર્ણ ક્રિયાઓને સત્તાધિકારીઓ દ્વારા નિયમિત કાર્યવાહીના ભાગરૂપે વાજબી ઠેરવવામાં આવે છે, જેનાથી ધાર્મિક લઘુમતીઓને વંચિત રાખવું સામાન્ય બની જાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/amroha-non-veg-controversy-school-expels-three-muslim-children-for-bringing-non-veg-in-tiffin">ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 31 Dec 2024 14:45:45 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 31 Dec 2024 14:46:24 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1787</Articleid>
                    <excerpt>યુવક નર્સિંગની પરીક્ષા આપવા પહોંચ્યો હતો, જ્યાં પરીક્ષકે તેને રૂમમાં પ્રવેશતા રોકી તેની દાઢી વિશે સવાલો કરીને દાઢી કરાવીને આવવા આદેશ કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6773b5b27bb26.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6773b5b246155.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6773b5b246155.jpg" length="51295" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ahmedabad News, LG Hospital, Gujarat University GNM Nursing Exam</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગોંડલના પીપળીયામાં 15 લોકોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો</title>
                    <link>https://khabarantar.com/buddhism-converted-fifteen-people-renounced-hinduism-and-in-piplia-gondal-rajkot</link>
                    <guid>https://khabarantar.com/buddhism-converted-fifteen-people-renounced-hinduism-and-in-piplia-gondal-rajkot</guid>
                    <description>
                        <![CDATA[ હિંદુ ધર્મના જાતિવાદ, આભડછેટ સહિતની બદ્દીઓથી કંટાળી જઈને 15 લોકોએ ડો.આંબેડકરના રસ્તે તથાગત બુદ્ધનો રસ્તો અપનાવ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2025ના આગમન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. નવું વર્ષ શરૂ થશે પરંતુ દલિતો, આદિવાસીઓ પર થતા અત્યાચારોમાં જરાય ઓટ આવી નથી. ઉલટાનું હિંદુત્વવાદીઓની વધતી તાકાતને કારણે આવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થયો જાય છે. આભડછેટ જેવી બદ્દીઓ નાબૂદ થવાને બદલે સતત વધતી જઈ રહી છે. મનુસ્મૃતિના નિયમો લાગુ કરવા એક આખો વર્ગ ધમપછાડા મારી રહ્યો છે અને ખુદ સત્તાધારીઓ તેમને પાછળથી સહકાર આપી રહ્યાં છે. આવી સ્થિતિમાં દલિતો પાસે બુદ્ધના રસ્તે ચાલવા સિવાય છુટકો નથી. દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના ગોંડલમાં બની છે, જ્યાં 15 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676f8f74e8e9a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા. 25મી ડિસેમ્બર 2024ને બુધવારના રોજ ગોંડલ તાલુકાના પીપળીયા ગામે મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો. જેમાં ગામના જિલ્લાના કુલ 15 લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી હતી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીક્ષા સમારોહની શરૂઆતમાં ગામની શેરીઓમાં બેનર સાથે પદયાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી, ફૂલ હાર અર્પિત કરવામાં આવ્યા હતા. એ પથી તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_676f8f8551dff.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. ત્યારબાદ સૌ સાથે મળીને ભોજનદાન ગ્રહણ કરેલ. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ સાથે સાધુવાદ પાઠવવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/a-young-man-from-the-royal-family-left-behind-a-fortune-of-40-thousand-crores-and-became-a-buddhist-monk"> શાહી પરિવારનો યુવક 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ગયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Dec 2024 11:12:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1772</Articleid>
                    <excerpt>હિંદુ ધર્મના જાતિવાદ, આભડછેટ સહિતની બદ્દીઓથી કંટાળી જઈને 15 લોકોએ ડો.આંબેડકરના રસ્તે તથાગત બુદ્ધનો રસ્તો અપનાવ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676f8f5b2b2a9.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676f8f5aee325.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676f8f5aee325.jpg" length="134358" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>buddhism converted hinduism, gondal  News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ક્રિસમસ ઉજવતા શિક્ષકોને VHP નેતાઓએ ધમકી આપતા ધરપકડ કરાઈ</title>
                    <link>https://khabarantar.com/christmas-celebrating-in-palakkad-kerala-vhp-leaders-arrested-for-threatening-teachers</link>
                    <guid>https://khabarantar.com/christmas-celebrating-in-palakkad-kerala-vhp-leaders-arrested-for-threatening-teachers</guid>
                    <description>
                        <![CDATA[ વિશ્વ હિંદુ પરિષદના નેતાઓએ ક્રિસમસની ઉજવણી કરતા શિક્ષકોને ધમકાવીને કહ્યું, તમે કૃષ્ણ જન્માષ્ટની ઉજવણી કેમ નથી કરતા? પોલીસે જેલમાં ધકેલી દીધાં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તહેવારોને આરએસએસ અને તેની સાથે જોડાયેલી કથિત સંસ્થાઓએ એટલા દૂષિત કરી મૂક્યા છે કે દર વખતે ચોક્કસ તહેવાર આવતા અમુક પ્રકારની ઘટનાઓ સતત બનવા માંડે છે. ઈદ, ક્રિસમસ, વેલેન્ટાઈન ડે, 14મી એપ્રિલ સહિતના તહેવારોમાં બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અને સંઘ સાથે જોડાયેલી કથિત સંસ્થાઓના કાર્યકરો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના દાદાગીરી કરવા નીકળી પડે છે. સરકારની મહેરબાનીથી પોલીસ તેમને છાવરતી હોવાથી આવા લોકો વધુ છાકટા થઈ જાય છે અને નિર્દોષ લોકો પર કારણ વિના ધોંસ જમાવવા પ્રયત્ન કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખ્રિસ્તીઓનો તહેવાર નાતાલ આજે દેશ અને દુનિયાભરમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે ત્યારે વિશ્વગુરુ ભારતમાં તેનાથી ઉલટી ગંગા વહી રહી છે. અહીં ક્રિસમસ પર હર્ષોલ્લાસને બદલે ધાકધમકી અને દાદાગીરીની ઘટના ઘટે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી જ એક ઘટના કે કેરળના પલક્કડમાં બની છે. 20મી ડિસેમ્બરે અહીંની એક શાળામાં ક્રિસમસની ઉજવણી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના ત્રણ નેતાઓએ શિક્ષકોને કથિત રીતે ધમકાવ્યા હતા અને સાન્તાક્લોઝના કોસ્ચ્યુમ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ શિક્ષકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં ધકેલી દીધાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ ધરપકડ કરાયેલા લોકોમાં વીએચપીના પલક્કડ જિલ્લા સચિવ કે. અનિલ કુમાર, જિલ્લા સંયોજક સુસાસનન અને નલેપિલ્લી પંચાયતના પ્રમુખ કે. વેલાયુદનનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે શનિવારે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધાં હતાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે (20 ડિસેમ્બર) પલક્કડની નલેપિલ્લી સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સેમેસ્ટરની પરીક્ષાઓ પુરી થયા પછી નાતાલની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે વિશ્વ હિંદુ પરિષદના આ ત્રણ લોકો શાળામાં પ્રવેશ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપીઓ ધર્મના આધારે અલગ-અલગ સમાજો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાના ઈરાદાથી સ્કૂલમાં ઘૂસ્યા હતા. આ લોકોએ શાળાના મુખ્ય શિક્ષક જયંતિ અને અન્ય શિક્ષકોની પૂછપરછ કરી અને તેમની સામે કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કર્યો. તેમણે શિક્ષકોને પૂછ્યું કે ક્રિસમસને બદલે કૃષ્ણ જન્માષ્ટમી શા માટે ઉજવવામાં આવતી નથી. તેમણે એની પર પણ સવાલ ઉઠાવ્યો કે, શિક્ષકો શા માટે સાન્તાક્લોઝના પોશાક પહેરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">FIRમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 'આરોપીઓએ વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો અને શિક્ષકોને તેમની ફરજ નિભાવતા અટકાવ્યા.' પોલીસે જણાવ્યું કે આરોપી VHP નેતાઓ વિરુદ્ધ BNS કલમ 329 (3), 296 (B) અને 351 (2) અને 132 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાળાના પીટીએ પ્રમુખ કે. મુરલીધરને કહ્યું કે કેરળની કોઈપણ શાળામાં આવી ઘટના ન બનવી જોઈએ. અમે આશા રાખીએ છીએ કે કોઈપણ શાળામાં આ પ્રકારનો આ પહેલો અને છેલ્લો વિરોધ હશે.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/tribal-teacher-killed-by-four-men-after-elbowing-him-in-hotel">હોટલમાં આદિવાસી શિક્ષકની કોણી અડી જતા ચાર શખ્સોએ હત્યા કરી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 25 Dec 2024 10:08:10 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1757</Articleid>
                    <excerpt>વિશ્વ હિંદુ પરિષદના નેતાઓએ ક્રિસમસની ઉજવણી કરતા શિક્ષકોને ધમકાવીને કહ્યું, તમે કૃષ્ણ જન્માષ્ટની ઉજવણી કેમ નથી કરતા? પોલીસે જેલમાં ધકેલી દીધાં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_676b888a82a10.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_676b888a519e0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_676b888a519e0.jpg" length="67554" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>christmas 2024, christmas celebrating, vhp leaders, palakkad News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા?</title>
                    <link>https://khabarantar.com/amroha-non-veg-controversy-school-expels-three-muslim-children-for-bringing-non-veg-in-tiffin</link>
                    <guid>https://khabarantar.com/amroha-non-veg-controversy-school-expels-three-muslim-children-for-bringing-non-veg-in-tiffin</guid>
                    <description>
                        <![CDATA[ સ્કૂલના આચાર્યે બાળકોની માતાને કહ્યું - હું એવા બાળકોને નહીં ભણાવું જે મોટા થઈને મંદિરોનો નાશ કરે. આ ઘટનાથી કુમળી વયના બાળકો ભારે આઘાતમાં છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Amroha Non Veg Controversy : ઉત્તર પ્રદેશના અમરોહા(Amroha)માં એક મુસ્લિમ પરિવારના ત્રણ બાળકોને ખાનગી શાળામાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. બાળકો પર આરોપ હતો કે તેઓ તેમના ટિફિન બોક્સમાં નોન-વેજ ફૂડ લાવ્યા હતા. હવે અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલે જિલ્લાના ડીએમને કડક આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે ડીએમ ત્રણેય બાળકોનો પ્રવેશ અન્ય કોઈ CBSE સંલગ્ન શાળામાં થાય તેવી વ્યવસ્થા કરે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડીએમએ બે અઠવાડિયામાં કોર્ટના આદેશ પર કાર્યવાહી કર્યા બાદ એફિડેવિટ દાખલ કરવી પડશે. આ કેસની આગામી સુનાવણી 6 જાન્યુઆરીએ થવાની છે. કોર્ટે કહ્યું છે કે જો બાળકોને આપેલા સમયની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે તો ડીએમને કોર્ટમાં હાજર રહેવું પડશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું હતો?</span></strong></span><br><span style="font-size: 14pt;">બાળકોની માતાએ સપ્ટેમ્બર મહિનામાં હાઈકોર્ટમાં અરજી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી આરોપ લગાવ્યો હતો કે આચાર્યએ તેમના બાળકોને ટિફિનમાં નોનવેજ લાવવા જેવા </span><span style="font-size: 14pt;">અયોગ્ય કારણોસર શાળામાંથી કાઢી મૂક્યા હતા. તેમણે કહ્યું કે આ કારણે તેઓ તેમના શિક્ષણના અધિકારથી વંચિત રહી ગયા છે. અરજદારે એવી પણ માગણી કરી છે કે રાજ્ય સરકારે બાળકોને તેમના શિક્ષણમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/three-muslim-children-beaten-with-slippers-and-forced-to-chant-jai-shri-ram-in-ratlam-mp">ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે 'જય શ્રી રામ' બોલાવડાવ્યું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઘટના ભયાનક છે. આ બાળકોના મનોવિજ્ઞાનને અસર કરે છે. અને શક્ય છે કે તેઓ આ ઘટનાને જીવનભર ભૂલી ન શકે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">17 ડિસેમ્બરે જસ્ટિસ સિદ્ધાર્થ અને જસ્ટિસ સુભાષ ચંદ્ર શર્માની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ મામલાને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે ખબરઅંતર.કોમ એ વીડિયોને સમર્થન નથી આપતું. આ વીડિયો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રિન્સિપાલે બાળકોની માતાને કહ્યું હતું કે તેઓ એવા બાળકોને ભણાવશે નહીં જેઓ પાછળથી મંદિરોનો નાશ કરે. ત્યારે બાળકોની માતાએ આરોપ લગાવ્યો હતો કે સ્કૂલમાં અવારનવાર હિંદુ-મુસ્લિમની ચર્ચા થતી હતી. પ્રિન્સિપાલ કથિત રીતે અન્ય બાળકોને મુસ્લિમ બાળક વિશે દૂષિત વાતો કહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/hindu-girl-muslim-boy-wedding-reception-cancel-by-hindu-organizations-in-aligarh-uttar-pradesh-gujarati">હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્નનું રિસેપ્શન હિંદુ સંગઠનોએ રદ કરાવ્યું?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Dec 2024 09:15:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1728</Articleid>
                    <excerpt>સ્કૂલના આચાર્યે બાળકોની માતાને કહ્યું - હું એવા બાળકોને નહીં ભણાવું જે મોટા થઈને મંદિરોનો નાશ કરે. આ ઘટનાથી કુમળી વયના બાળકો ભારે આઘાતમાં છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6764e7fae851f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6764e7fab918f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6764e7fab918f.jpg" length="54697" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Amroha Non Veg Controversy, school expels, three muslim children, bringing non veg</media:keywords>
                </item>
                        <item>
                    <title>વડોદરા ખાતે 36 લોકોએ બૌધ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી</title>
                    <link>https://khabarantar.com/36-people-took-initiation-into-buddhism-in-vadodara</link>
                    <guid>https://khabarantar.com/36-people-took-initiation-into-buddhism-in-vadodara</guid>
                    <description>
                        <![CDATA[ વડોદરાના વિવિધ વિસ્તારના 36 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મની બદ્દીઓ અને જાતિવાદથી કંટાળીને આખરે મહાનાયક ડો. આંબેડકરના રસ્તે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">36 people took initiation into Buddhism in Vadodara: 2024નું વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે પણ દલિતો સાથે થઈ રહેલા અન્યાયની વણઝાર હજુ અટકી નથી. દરરોજ દલિતો પર કોઈને કોઈ રીતે અત્યાચાર થયાના સમાચારો આવતા રહે છે. પરિણામે બહુજન સમાજમાં જાતિવાદી હિંદુ ધર્મ પ્રત્યે દિન-પ્રતિદિન ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. કથિત ગૌરક્ષકો અને હિંદુત્વવાદી સંગઠનો દ્વારા જે રીતે કાયદો હાથમાં લઈને બંધારણના છડેચોક લીરાં ઉડાડવામાં આવે છે, બહુજન સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, તેનાથી દલિતો-આદિવાસીઓમાં ભારે ભયનો માહોલ છે. જાતિવાદી તત્વો દ્વારા તેમને સતત અપમાનિત કરવામાં આવે છે, વર્ણ વ્યવસ્થાના આધારે તેમને સેકન્ડ ક્લાસ સિટિઝન તરીકે ટ્રીટ કરાય છે. આ બધાં કારણોસર દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે. આવી વધુ એક ઘટના વડોદરામાં બની છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા. 15મી ડિસેમ્બર 2024ને રવિવારના રોજ વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે આવેલા લુંબિની બુદ્ધ વિહાર ખાતે મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો. જેમાં વડોદરા જિલ્લાના કુલ 36 લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-junagadh-father-in-law-remarries-daughter-in-law-through-buddhist-rituals">જૂનાગઢમાં સસરાએ પુત્રવધુના બૌદ્ધ વિધિથી પુનઃ લગ્ન કરાવ્યા</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_675ff6f153300.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીક્ષા સમારોહની શરૂઆતમાં શાક્ય મુનિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ ઉપસ્થિત દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી, ફૂલ હાર અર્પિત કરવામાં આવેલ. ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. ત્યારબાદ સૌ સાથે મળીને ભોજનદાન ગ્રહણ કરેલ. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-young-man-from-the-royal-family-left-behind-a-fortune-of-40-thousand-crores-and-became-a-buddhist-monk">શાહી પરિવારનો યુવક 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ગયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 16 Dec 2024 15:20:00 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1708</Articleid>
                    <excerpt>વડોદરાના વિવિધ વિસ્તારના 36 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મની બદ્દીઓ અને જાતિવાદથી કંટાળીને આખરે મહાનાયક ડો. આંબેડકરના રસ્તે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675ff6f209bc2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ff6f1c7e96.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675ff6f1c7e96.jpg" length="118301" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Buddhist initiation, 36 people took initiation, buddhism, vadodara, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરી WPLની સૌથી મોંઘી ખેલાડી બની</title>
                    <link>https://khabarantar.com/a-girl-from-a-slum-in-dharavi-becomes-the-most-expensive-player-in-wpl</link>
                    <guid>https://khabarantar.com/a-girl-from-a-slum-in-dharavi-becomes-the-most-expensive-player-in-wpl</guid>
                    <description>
                        <![CDATA[ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતી એક દીકરીએ વુમન્સ પ્રિમિયર લીગની સૌથી મોંઘી ખેલાડી બનીને અનેક યુવતીઓને પ્રેરણા પુરી પાડી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાવીનું નામ પડે એટલે મોટાભાગના લોકોના માનસપટ પર ઝૂપડપટ્ટી, સાંકડી ગલીઓ, ગંદા રસ્તા અને ભીડભાડ જેવા દ્રશ્યો તરવરવા માંડતા હોય છે. પણ અહીં રહેતી એક દીકરીએ આ તમામ માન્યતાઓનો છેદ ઉડાડી દીધો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધારાવીની ઝૂંપડીમાં રહેતી સિમરન શેખ વુમન પ્રીમિયર લીગ(WPL) 2025ની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે. સિમરનને ગુજરાત જાયન્ટ્સે રૂ. 1.9 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી છે. મુંબઈના ઓલરાઉન્ડરને સાઈન કરવા ગુજરાતે આ જોરદાર દાવ લગાવ્યો હતો. યુપી વોરિયર્સ ટીમનો ભાગ રહી ચૂકેલી સિમરન ઓકશનમાં હવે સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિમરન ધારાવીની ગલીઓમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમીને આગળ વધી છે. તેણે 15 વર્ષની ઉંમરથી જ તેની ક્રિકેટ રમવાની સફર શરૂ કરી દીધી હતી. પહેલા તે યુનાઈટેડ ક્લબમાં જોડાઈ હતી. તેને વિમેન્સ પ્રીમિયર લીગમાં 9 મેચનો અનુભવ છે. દિલ્હી કેપિટલ્સ અને જાયન્ટ્સ વચ્ચે સિમરનને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ભારે સ્પર્ધા થઇ હતી. કેપિટલ્સે રૂ. 1.80 કરોડની બિડ કરી હતી, પરંતુ એ પછી ગુજરાત જાયન્ટ્સે રૂ. 1.90 કરોડની બિડ સાથે તેનો ટીમમાં સમાવેશ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિમરનના પિતા વાયરમેન છે અને તેના પરિવારમાં  ચાર બહેનો તથા ત્રણ ભાઈઓનો સમાવેશ થાય છે. સિમરનના માતા-પિતાએ તેને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. સ્થાનિક ટુર્નામેન્ટમાં પોતાની ક્ષમતા સાબિત કર્યા બાદ સિમરને મુંબઈની અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. અને બાદમાં મહિલા પ્રીમિયર લીગમાં પ્રવેશ કર્યો હતો. હવે તેની નજર ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા પર છે. સિમરનની આ સફળતાને અનેક લોકોએ બિરદાવી છે. તેના સંઘર્ષમાંથી બીજી યુવતીઓ પણ પ્રેરણા મેળવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/shailaja-paik-first-dalit-woman-from-slum-to-genius-grant"><span style="font-size: 14pt;"> shailaja paik : ઝૂંપડપટ્ટીથી જિનિયસ ગ્રાન્ટ સુધી પહોંચનાર પ્રથમ દલિત મહિલા</span></a></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Dec 2024 21:37:17 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1706</Articleid>
                    <excerpt>ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતી એક દીકરીએ વુમન્સ પ્રિમિયર લીગની સૌથી મોંઘી ખેલાડી બનીને અનેક યુવતીઓને પ્રેરણા પુરી પાડી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675efdb5483b6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675efdb512f24.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675efdb512f24.jpg" length="72157" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Women&#039;s Premier League (WPL) 2025, Simran Sheikh, Dharavi slum</media:keywords>
                </item>
                        <item>
                    <title>હિંદુ યુવતી&amp;મુસ્લિમ યુવકના લગ્નનું રિસેપ્શન હિંદુ સંગઠનોએ રદ કરાવ્યું?</title>
                    <link>https://khabarantar.com/hindu-girl-muslim-boy-wedding-reception-cancel-by-hindu-organizations-in-aligarh-uttar-pradesh-gujarati</link>
                    <guid>https://khabarantar.com/hindu-girl-muslim-boy-wedding-reception-cancel-by-hindu-organizations-in-aligarh-uttar-pradesh-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ નાનપણથી સાથે ભણતા મુસ્લિમ યુવક-હિંદુ યુવતીએ વિદેશમાં લગ્ન કર્યા હતા. તેમનું રિસેપ્શન ભારતમાં રાખ્યું હતું, પણ કાર્યક્રમનું કાર્ડ વાયરલ થતા જ હિંદુત્વવાદીઓ એક્ટિવ થઈ ગયા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સત્તાપક્ષ દ્વારા સામાન્ય માણસમાં ભરવામાં આવેલું કોમવાદી ઝેર હવે કઈ હદે વકરી રહ્યું ગયું છે તેની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકે પોતાની મરજીથી વિદેશમાં રહેતા હોવાથી લગ્ન કર્યા હતા. જેનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. પણ તેનું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિંદુ સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો. આખરે પરિવારજનોએ રિસેપ્શન રદ કરી દેવું પડ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે. અહીં અલીગઢ જિલ્લામાં એક હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્ન પછીનો આશીર્વાદ સમારોહ રદ કરી દેવો પડ્યો. બન્યું હતું એવું કે, સમારંભનું ડિજિટલ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હોબાળો મચી ગયો હતો. કાર્ડમાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા હોવાનું સામે આવતા જ હિંદુત્વવાદી સંગઠનોના કથિત કાર્યકરો તેનો વિરોધ કરવા મેદાનમાં આવી ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/entire-colony-protests-sale-of-house-opposite-temple-to-muslim-doctor-in-moradabad">મુસ્લિમ ડોક્ટરને મંદિર સામેનું ઘર વેચતા આખી કોલોની વિરોધમાં ઉતરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા અનુસાર શહેરના એક હિંદુ વેપારી પરિવારની એક છોકરીએ માર્ચ મહિનામાં મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા હતા. બંને વિદેશમાં સાથે રહે છે અને ત્યાં કામ કરે છે. બંનેના પરિવારે લગ્ન બાદ સગાસંબંધીઓ માટે આશીર્વાદ રિસેપ્શન રાખ્યું હતું. યુવતીના પક્ષે 21મી ડિસેમ્બરે હોટલમાં એક કાર્યક્રમ યોજીને આમંત્રણ પત્રિકાઓનું વિતરણ શરૂ કર્યું હતું. જ્યારે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું અને છોકરીની સાથે મુસ્લિમ છોકરાનું નામ જોવા મળ્યું, ત્યારે વિવિધ હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકો તેના વિરોધમાં ઉતરી પડ્યા હતા. કાર્ડની સાથે વિરોધ સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીધી ચેતવણી આપવામાં આવી હતી કે શહેરમાં આવા જાહેર કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે નહીં. સંગઠનના લોકોએ કાર્યક્રમના સ્થળ પર પહોંચીને વિરોધ કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવક અને યુવતી બંને બાળપણથી સાથે ભણ્યા હતા અને તેમના લાંબા સમયના સંબંધો બાદ હવે મામલો લગ્ન સુધી પહોંચ્યો હતો. પણ હિંદુત્વાદી સંગઠનો આ મામલે તેમનો વિરોધ કરવા ઉતરી પડ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે હિન્દુત્વવાદી સંગઠનના તમામ કાર્યકરોએ જવાહર પાર્કથી રેલી કાઢી અને કલેક્ટર કચેરીએ પહોંચીને એડીએમ સિટીને આવેદનપત્ર આપ્યું. કલેક્ટર કચેરીમાં મેમોરેન્ડમ આપતાં પૂર્વ મેયર શકુંતલા ભારતીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ કોઈપણ ભોગે થવો જોઈએ નહીં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bjp-leader-threatens-muslim-owner-of-shop-in-baghpat-uttar-pradesh-because-it-has-hindu-name">દુકાનનું નામ હિંદુ હોવાથી ભાજપ નેતાએ મુસ્લિમ માલિકને ધમકાવી તોડફોડ કરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એડીએમ સિટી અમિત કુમાર ભટ્ટે કહ્યું કે હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલા મેમોરેન્ડમને ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે. દરેક પરિસ્થિતિ પર નજર રાખીને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શુક્રવારે છોકરીના પરિવારે તેમના પરિચિતોને ઈ-કાર્ડ મોકલવાનું શરૂ કર્યું. જે બપોર સુધીમાં વાયરલ થયું હતું. સીઓ બીજા સંજીવ તોમરના જણાવ્યા અનુસાર, ગુરુવારથી આ બાબત પર નજર રાખવામાં આવી રહી છે. એ વાત સાચી છે કે હવે ઈવેન્ટ મોકૂફ રાખવાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળી છે. તેમ છતાં કાળજી લેવામાં આવી રહી છે. વિરોધ કરી રહેલા લોકો સાથે પણ વાતચીત ચાલી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">હિંદુત્વવાદી સંગઠનોની લુખ્ખી દાદાગીરીને કારણે હવે પરિવારે કાર્યક્રમ રદ કરી દીધો છે. તેમણે એક મેસેજ જારી કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, "અમને તમને જણાવતા ખેદ થાય છે કે જીટી રોડ હોટેલ ખાતે 21મી ડિસેમ્બર 2024ના રોજ અમારો કાર્યક્રમ અગમ્ય કારણોસર રદ કરવામાં આવ્યો છે. આપને પડેલી અસુવિધા બદલ અમે ખેદ વ્યક્ત કરીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/three-muslim-children-beaten-with-slippers-and-forced-to-chant-jai-shri-ram-in-ratlam-mp">ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે 'જય શ્રી રામ' બોલાવડાવ્યું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 14 Dec 2024 14:05:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1701</Articleid>
                    <excerpt>નાનપણથી સાથે ભણતા મુસ્લિમ યુવક-હિંદુ યુવતીએ વિદેશમાં લગ્ન કર્યા હતા. તેમનું રિસેપ્શન ભારતમાં રાખ્યું હતું, પણ કાર્યક્રમનું કાર્ડ વાયરલ થતા જ હિંદુત્વવાદીઓ એક્ટિવ થઈ ગયા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_675d433c0b9d2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d433bc9c4a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_675d433bc9c4a.jpg" length="83516" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Hindu girl-Muslim boy, Hindu organizations, cancel wedding reception, Aligarh Uttar Pradesh</media:keywords>
                </item>
                        <item>
                    <title>જસ્ટિસ નરીમને મસ્જિદ નીચે મંદિર શોધતા કેસો રોકવાનો ઉપાય બતાવ્યો</title>
                    <link>https://khabarantar.com/justice-rohinton-nariman-said-ayodhya-case-verdict-should-be-read-in-every-court-of-the-country</link>
                    <guid>https://khabarantar.com/justice-rohinton-nariman-said-ayodhya-case-verdict-should-be-read-in-every-court-of-the-country</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરમાં મનફાવે તેમ મસ્જિદ નીચે મંદિર હોવાના દાવાઓ કરતી અરજીઓ થઈ રહી છે, તેને રોકવા માટે જસ્ટિસ રોહિંટન નરીમને એક સ્પષ્ટ ઉપાય જણાવ્યો છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રોહિંટન નરીમને દેશભરમાં એક પછી એક મસ્જિદો વિરુદ્ધ કેસ દાખલ થતા રોકવાનો ઉપાય સૂચવ્યો છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે અયોધ્યા કેસમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ન્યાયતંત્રની મજાક હતો, પરંતુ વર્ષ 1991ના પૂજા સ્થાન અધિનિયમની પુષ્ટિ કરનારા પાંચ પાના એક આશાનું કિરણ છે. તેમણે કહ્યું કે ચુકાદાના એ પાંચ પાના દેશભરની નીચલી કોર્ટો અને હાઈકોર્ટોમાં વાંચવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને વધુમાં જણાવ્યું હતું કે, અયોધ્યા વિવાદ પર બંધારણીય બેંચના ચુકાદાના તે પાંચ પાના દેશભરમાં ચાલી રહેલા એ તમામ કેસોનો જવાબ છે, જેમાં અગાઉ કથિત રીતે મંદિરની ઉપર બનાવવામાં આવેલી મસ્જિદોના સર્વેની માંગ કરવામાં આવી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને કહ્યું, 'આ જ બંધારણીય બેંચ આવા કેસો મામલે પાંચ પાના ખર્ચીને કહી ચૂકી છે કે, સેક્યુલરિઝમમાં આ જ યોગ્ય છે અને તે મૂળભૂત માળખાનો એક ભાગ છે. તમે પાછળ નથી જઈ શકતા, તમારે આગળ જોવું પડશે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમન અહમદી ફાઉન્ડેશનના ઉદ્ઘાટન પ્રવચનમાં બોલી રહ્યા હતા, જે ભારતના 26માં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અઝીઝ મુશબ્બર અહમદીની યાદમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વિવિધ ધાર્મિક સંરચના સામે આવા દાવાઓને રોકવા માટે તે પાંચ પાના દેશની દરેક જિલ્લા કોર્ટ અને હાઈકોર્ટમાં વાંચવા જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું જોઈએ કે, મસ્જિદોની નીચે મંદિર હોવાનો દાવો કરવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. અજમેરમાં ઐતિહાસિક 'અઢાઈ દિન કા ઝોંપડા' માટે પણ આવી જ માંગ ફરી ઉઠી છે. તે રાજ્ય અને દેશની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. અજમેરના ડેપ્યુટી મેયર નીરજ જૈને દાવો કર્યો છે કે અહીં એક સંસ્કૃત કોલેજ અને મંદિરના પુરાવા મળ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/appeal-in-supreme-court-against-the-places-of-worship-act-of-1991"><strong>નવું કાવતરું: 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ સુપ્રીમમાં અપીલ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ અજમેર શરીફ દરગાહની નીચે મંદિર હોવાના દાવા કરવામાં આવ્યા હતા. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પોતાના દાવાના સમર્થનમાં અરજદાર વિષ્ણુ ગુપ્તાએ કહ્યું હતું કે, બ્રિટિશ શાસન દરમિયાન મહત્વના પદ પર રહેલા હર બિલાસ સારદાએ 1910માં અહીં હિન્દુ મંદિરની હાજરી વિશે લખ્યું હતું. એક ન્યાયાધીશ, રાજકારણી અને શિક્ષણશાસ્ત્રી એવા સારદા તેમના એક પુસ્તકમાં દરગાહ વિશે લખે છે, 'પરંપરા કહે છે કે ભોંયરામાં અંદર એક મંદિરમાં મહાદેવની મૂર્તિ છે, જેની દરરોજ એક બ્રાહ્મણ પરિવાર દ્વારા પૂજા કરવામાં આવતી હતી, જેને આજે પણ દરગાહ દ્વારા ઘડીયાળી(ઘંટ વગાડનાર) તરીકે જાળવી રાખવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મસ્જિદોના નિર્માણ માટે અગાઉ કથિત રૂપે નષ્ટ કરવામાં આવેલા મંદિરોની 'પુનઃસ્થાપના'ની માંગણી કરવા માટે વર્ષ 2019થી સિવિલ કોર્ટો, ખાસ કરીને ઉત્તર ભારતમાં અનેક કેસો દાખલ કરવામાં આવ્યા છે. પૂજા સ્થળ અધિનિયમ - એ કાયદો જે 15મી ઓગસ્ટ 1947 થી કોઈપણ પૂજા સ્થળની સ્થિતિમાં ફેરફાર કરવા પર પ્રતિબંધ લગાવે છે - તેને હાલ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જો કે 2019માં અયોધ્યા વિવાદ પર પોતાના મહત્વના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે 1991ના કાયદાની પ્રશંસા કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, '15 ઓગસ્ટ 1947ના રોજ અસ્તિત્વમાં રહેલા સાર્વજનિક પૂજાના સ્થળોના ધાર્મિક ચરિત્રની જાળવણીની બાંયધરી આપવા અને આવા સ્થળોના રૂપાંતર સામે સંસદે નક્કી કર્યું છે કે તેમના પૂજા સ્થળોનું સંરક્ષણ કરવામાં આવશે અને તેના ચરિત્રમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.' કોર્ટે વધુમાં કહ્યું હતું કે, 'આ કોર્ટ હિંદુ પૂજા સ્થળોની વિરુદ્ધ મોગલ શાસકોની કાર્યવાહીથી ઉપજેલા દાવાઓ પર વિચાર ન કરી શકે. કોઈપણ વ્યક્તિ માટે, જે કોઈપણ પ્રાચીન શાસકોની કાર્યવાહીની સામે સાંત્વના કે સહારો ચાહે છે, કાયદો તેનો જવાબ નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને ચુકાદાના આ પાસાની પ્રશંસા કરી હતી કે, બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, 'પૂજા સ્થળ અધિનિયમ ભારતીય બંધારણ હેઠળ બિનસાંપ્રદાયિકતા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને લાગુ કરવા માટેની એક અટલ જવાબદારી લાદે છે. તેથી, આ કાયદો ભારતીય રાજનીતિની બિનસાંપ્રદાયિક વિશેષતાઓના રક્ષણ માટે રચાયેલ એક કાયદાકીય સાધન છે, જે બંધારણની મૂળભૂત વિશેષતાઓમાંની એક છે.' </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને તેમના સંબોધનમાં કહ્યું કે 1991નો કાયદો પૂજા સ્થાનોને 15 ઓગસ્ટ, 1947ના સમયની સ્થિતિમાં સ્થિર રાખે છે. આજે આપણે જોઈએ છીએ કે જેમ આખા દેશમાં હાઈડ્રા હેડ્સ ઉભરી રહ્યા છે, એવી જ રીતે દરેક જગ્યાએ કેસ દાખલ થઈ રહ્યા છે, ન માત્ર મસ્જિદોના સંબંધમાં પરંતુ દરગાહના સંબંધમાં પણ આવું થઈ રહ્યું છે. આ બધાંને રોકવાનો અને આ બધાં હાઈડ્રા હેડ્સને ખતમ કરી નાખવાનો એકમાત્ર રસ્તો એ છે કે આ જ ચુકાદામાં આ પાંચ પાનાનો અમલ કરવો અને દરેક ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટ સમક્ષ તેને વાંચવો. કારણ કે આ પાંચ પાના સુપ્રીમ કોર્ટ દ્વારા કાયદાની ઘોષણા છે જે તે બધા માટે બંધનકર્તા છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/there-was-no-ram-temple-under-babri-masjid-the-verdict-against-secularism">બાબરી મસ્જિદ નીચે રામમંદિર નહોતું, ચૂકાદો સેક્યુલરિઝમની વિરુદ્દ હતો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 08 Dec 2024 11:01:42 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1668</Articleid>
                    <excerpt>દેશભરમાં મનફાવે તેમ મસ્જિદ નીચે મંદિર હોવાના દાવાઓ કરતી અરજીઓ થઈ રહી છે, તેને રોકવા માટે જસ્ટિસ રોહિંટન નરીમને એક સ્પષ્ટ ઉપાય જણાવ્યો છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6755118d75ea1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6755118d3e7d5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6755118d3e7d5.jpg" length="52129" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>justice rohinton nariman, ram mandir ayodhya babri masjid, Judge R.F. Narima</media:keywords>
                </item>
                        <item>
                    <title>ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે &amp;apos;જય શ્રી રામ&amp;apos; બોલાવડાવ્યું</title>
                    <link>https://khabarantar.com/three-muslim-children-beaten-with-slippers-and-forced-to-chant-jai-shri-ram-in-ratlam-mp</link>
                    <guid>https://khabarantar.com/three-muslim-children-beaten-with-slippers-and-forced-to-chant-jai-shri-ram-in-ratlam-mp</guid>
                    <description>
                        <![CDATA[ 16 વર્ષના છોકરાએ 6, 9 અને 11 વર્ષના ત્રણ મુસ્લિમ બાળકોને વારંવાર ચંપલથી મારી &#039;જયશ્રી રામ&#039; બોલવા મજબૂર કર્યા. વીડિયો વાયરલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Ratlam News: ભાજપ, આરએસએસ સહિતના હિંદુત્વવાદીઓ દ્વારા ફેલાવાતી મુસ્લિમ વિરોધી નફરતની આગ હવે કઈ હદે રાક્ષસી સ્વરૂપ ધારણ કરી ચૂકી છે તેનું એક ચોંકાવનારું ઉદાહરણ ભાજપ સાશિત રાજ્ય મધ્યપ્રદેશમાંથી સામે આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીંના રતલામથી એક વીડિયો સામે આવ્યો છે જે બતાવે છે કે કેવી રીતે દેશમાં હિન્દુ-મુસ્લિમ નફરત વધી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક 16 વર્ષનો કિશોર 6, 9 અને 11 વર્ષના ત્રણ મુસ્લિમ બાળકોને તેના ચપ્પલ વડે વારંવાર મારતો અને તેમને 'જય શ્રી રામ' બોલવાનું કહેતો જોવા મળે છે. આ કિશોર ત્રણેય છોકરાઓને ગાળો ભાંડે છે અને તેમના પર સિગરેટ પીતા શીખવાનો આરોપ લગાવી તેમની પાસે સગાસંબંધીઓનો નંબર માંગી રહ્યો છે. જ્યારે ત્રણેય બાળકો અલ્લાહ બોલે છે, તો તેમને જોરથી ફટકારવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે રતલામના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર ઘટનાને લઈને કેસ નોંધવામાં આવ્યો છે અને વીડિયો શૂટ કરનાર કિશોર અને અન્ય 14 વર્ષના છોકરાની અટકાયત કરવામાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/entire-colony-protests-sale-of-house-opposite-temple-to-muslim-doctor-in-moradabad">મુસ્લિમ ડોક્ટરને મંદિર સામેનું ઘર વેચતા આખી કોલોની વિરોધમાં ઉતરી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વીડિયો રતલામમાં અમૃતસાગર તળાવ પાસેના એક નિર્માણાધીન મનોરંજન પાર્કનો હોવાનું કહેવાય છે. શહેરના માણકચોક વિસ્તારના રહેવાસીઓ બાળકો રડતા, સૂત્રોચ્ચાર કરતા અને કિશોરના હુમલાથી પોતાના ચહેરાને બચાવતા એમ કહેતા જોઈ શકાય છે કે, તેણે જે કંઈ કર્યું છે ફરીથી નહીં કરે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસને આપેલી ફરિયાદમાં 13 વર્ષના પીડિત બાળકે જણાવ્યું કે, “હું, મારા બે મિત્રો સાથે અમૃત સાગર તળાવ પાસે ફરવા ગયો હતો. અમે ત્યાં બેઠા હતા ત્યારે બે જણ ત્યાં આવ્યા અને અમારા નામ પૂછ્યા. ત્યારબાદ તેમણે અમને ગાળો દેવાનું શરૂ કરી દીધું અને પછી અમને માર માર્યો. તેમણે અમને 'જય શ્રીરામ' બોલવા માટે દબાણ કર્યું અને અમારો વીડિયો બનાવી લીધો. તેમનામાંથી એકે અમારી સાથે મારામારી કરી હતી. ત્યારબાદ તેમણે અમને ધમકી આપી કે જો અમે આ ઘટના વિશે કોઈને કહીશું તો તેઓ અમને જાનથી મારી નાખશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટના લગભગ દોઢ મહિના પહેલા બની હતી પરંતુ તેનો વીડિયો આજે સામે આવ્યો છે. વીડિયો વાયરલ થતા સ્થાનિકો રોષે ભરાયા હતા. ગુરુવારે રાત્રે સ્થાનિક પોલીસ સ્ટેશનની બહાર ભીડ એકઠી થઈ હતી, જેના માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી હતી. બાદમાં અધિકારીઓએ કાર્યવાહીનું વચન આપતાં ભીડ વિખેરાઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bjp-leader-threatens-muslim-owner-of-shop-in-baghpat-uttar-pradesh-because-it-has-hindu-name">દુકાનનું નામ હિંદુ હોવાથી ભાજપ નેતાએ મુસ્લિમ માલિકને ધમકાવી તોડફોડ કરી</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> 13 વર્ષના બાળકના પરિવારને ફરિયાદ કરવામાં મદદ કરનાર કાર્યકર ઈમરાન ખોખરે જણાવ્યું હતું કે, ઘટના એક મહિના પહેલા ઘટી હતી પરંતુ તેનો વીડિયો એક સંદિગ્ધ શખ્સ દ્વારા તે નશામાં હતો ત્યારે લીક કરી દેવામાં આવ્યો હતો. તેણે આ વીડિયો 'મનોરંજન' માટે શેર કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, ત્રણેય બાળકો આ ઘટનાથી એટલા ગભરાઈ ગયા હતા કે તેમણે આ ઘટના વિશે કોઈને પણ જાણ નહોતી કરી અને પોતાના સુધી જ મર્યાદિત રાખ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈમરાન ખોખરે બાળકો વિશે વધુમાં જણાવ્યું કે, "છ વર્ષનો છોકરો તેની દાદી અને કાકી સાથે રહે છે અને 10 મહિના પહેલા એક અકસ્માતમાં તેના માતા-પિતા ગુમાવી ચૂક્યો છે. જ્યારે તેમને ખબર પડી કે વીડિયો લીક થઈ ગયો છે, ત્યારે તેણે પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો. તેને બહાર કાઢવા માટે અમારે દરવાજો તોડવા માટે પોલીસની મદદ લેવી પડી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણેય બાળકોના માનસપટ પર ઘટનાની ગંભીર અસર પડી</span></strong></span><br><span style="font-size: 14pt;">13 વર્ષીય ફરિયાદીના પિતાએ કહ્યું, “તે છેલ્લા દોઢ મહિનાથી અલગ પ્રકારનું વર્તન કરી રહ્યો હતો. તે શાળાએ જવાનું ટાળે છે, હવે તે બહાર રમતો નથી, અને જ્યારે તે મારી શાકભાજીની લારીએ આવે છે ત્યારે પણ તે તેની સાથે કોઈને રાખવાનો આગ્રહ રાખે છે. તે સમયે મને ખ્યાલ નહોતો કે તેને આટલી હેરાનગતિ સહન કરવી પડશે. જ્યારે અમે વીડિયો જોયો ત્યારે ખબર પડી કે તેને કેટલો હેરાન કરવામાં આવ્યો હતો. મેં તેને કહ્યું છે કે હવે તું એ બાબતે ચિંતા ન કર, બધું સારું થઈ જશે. આ ઘટનાના જવાબદારોને કડક સજા મળવી જોઈએ જેથી કરીને આવી ઘટનાઓ ફરી ન બને.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અન્ય એક બાળકના પિતાએ કહ્યું, “મેં મારા પુત્રને પૂછ્યું કે તેણે આ મામલે કેમ કોઈને કશું કહ્યું નહીં? તેનું વર્તન સામાન્ય લાગતું હતું પણ અંદરથી તે ખૂબ જ ડરેલો હતો અને એટલે જ અમને કહેવાથી ડરતો હતો. આપણા દેશનું વાતાવરણ એટલું ઝેરી બની ગયું છે કે નાના બાળકો પણ નફરતનો શિકાર બની રહ્યા છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/who-are-the-rioters-in-jamia-millia-in-the-name-of-diwali">જામિયા મિલિયા માં દિવાળીના નામે દંગા કરનારા તત્વો કોણ છે?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 07 Dec 2024 18:14:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1666</Articleid>
                    <excerpt>16 વર્ષના છોકરાએ 6, 9 અને 11 વર્ષના ત્રણ મુસ્લિમ બાળકોને વારંવાર ચંપલથી મારી &#039;જયશ્રી રામ&#039; બોલવા મજબૂર કર્યા. વીડિયો વાયરલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6754423cd54bb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6754423ca6312.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6754423ca6312.jpg" length="70232" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>three muslim children, beaten with slippers, forced to chant Jai Shri Ram, Ratlam MP</media:keywords>
                </item>
                        <item>
                    <title>બાબરી મસ્જિદ નીચે રામમંદિર નહોતું, ચૂકાદો સેક્યુલરિઝમની વિરુદ્દ હતો</title>
                    <link>https://khabarantar.com/there-was-no-ram-temple-under-babri-masjid-the-verdict-against-secularism</link>
                    <guid>https://khabarantar.com/there-was-no-ram-temple-under-babri-masjid-the-verdict-against-secularism</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ આર.એફ. નરિમાને બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અયોધ્યા સ્થિત બાબરી મસ્જિદના ચૂકાદાને લઈને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ આર.એફ. નરિમાને મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે, બાબરી મસ્જિદ નીચે રામ મંદિર નહોતું અને સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો દેશના સેક્યુલરિઝમની વિરુદ્ધ હતો. અગાઉ CJI રંજન ગોગોઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે સર્વસંમતિથી ચુકાદો આપ્યો હતો કે અયોધ્યામાં 2.77 એકરની સમગ્ર વિવાદિત જમીન રામ મંદિરના નિર્માણ માટે સોંપી દેવામાં આવે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આરએફ નરીમને બાબરી મસ્જિદ વિવાદ સંબંધિત સુપ્રીમ કોર્ટના નિર્ણયો પર અસહમતિ વ્યક્ત કરતા કહ્યું કે, આ નિર્ણયોમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંત હેઠળ ન્યાય આપવામાં આવ્યો નથી. તેમણે વર્ષ 2019ના સીમાચિહ્નરૂપ ચૂકાદાની પણ ટીકા કરી હતી જેણે વિવાદિત સ્થળ પર રામ મંદિરના નિર્માણની મંજૂરી આપી હતી. જસ્ટિસ નરીમને તેને 'ન્યાયતંત્રની મજાક' ગણાવીને કહ્યું કે આ નિર્ણયોમાં સેક્યુલરિઝમના સિદ્ધાંત મુજબ ન્યાય આપવામાં નથી આવ્યો. જસ્ટિસ નરીમને આ ટિપ્પણી ‘સેક્યુલરિઝમ એન્ડ ધ ઈન્ડિયન કોન્સ્ટિટ્યુશન’ વિષય પર આયોજિત પ્રથમ જસ્ટિસ એ.એમ. અહમદી મેમોરિયલ લેક્ચરમાં કરી હતી. તેમણે કહ્યું કે 'સુપ્રીમ કોર્ટે પોતે સ્વીકાર્યું હતું કે બાબરી મસ્જિદની નીચે રામ મંદિર નથી.' તેમણે આ મામલાને લગતા અગાઉના નિર્ણયો પર પણ ખુલીને વાત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લિબ્રહાન કમિશન અને રાષ્ટ્રપતિના સંદર્ભ પર શું કહ્યું </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને કહ્યું, "સૌથી પહેલા સરકારે લિબ્રહાન કમિશનની નિમણૂક કરી, જે 17 વર્ષ સુધી સૂતું રહ્યું અને પછી 2009માં રિપોર્ટ સબમિટ કર્યો. બીજું, તેણે મસ્જિદની નીચે હિંદુ મંદિર છે કે નહીં તે નક્કી કરવા માટે અયોધ્યા અધિગ્રહણ ક્ષેત્ર અધિનિયમ અને સાથે સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રપતિનો સંદર્ભ આપ્યો. જેથી એ નિર્ધારિત કરી શકાય કે મસ્જિદ નીચે કોઈ હિંદુ મંદિર નહોતું. તેમણે તેને "ભ્રામક અને તોફાની પ્રયાસ" ગણાવ્યો. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">1994નો ઈસ્માઈલ ફારુકી કેસ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમાને ઈસ્માઈલ ફારુકી વિરુદ્ધ ભારત સરકાર (1994)ના ચુકાદાનો ઉલ્લેખ કર્યો, જેમાં અયોધ્યા વિસ્તાર સંપાદન અધિનિયમ, 1993ની માન્યતા અને રાષ્ટ્રપતિના સંદર્ભની સુનાવણી થઈ હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે 67 એકર જમીનના સંપાદનને કાયદેસર ઠેરવ્યું હતું, પરંતુ જસ્ટિસ અહમદીએ અસહમતી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ કાયદો ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વર્ષ 2019નો રામજન્મભૂમિનો ચૂકાદો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને રામ જન્મભૂમિ કેસ (2019)ના અંતિમ ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો. જેમાં તત્કાલિન CJI રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે સર્વસંમતિથી ચુકાદો આપ્યો હતો કે અયોધ્યામાં 2.77 એકરની સમગ્ર વિવાદિત જમીન રામ મંદિરના નિર્માણ માટે સોંપવામાં આવે. સાથે જ સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદના નિર્માણ માટે 5 એકર વૈકલ્પિક જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, કોર્ટે એમ પણ કહ્યું હતું કે 1992માં મસ્જિદ તોડી પાડવી એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન હતું. ન્યાયાધીશ નરીમને આ નિર્ણયની ટીકા કરતા કહ્યું, "કોર્ટે સ્વીકાર્યું કે મુસ્લિમોએ 1857 થી 1949 સુધી ત્યાં નમાજ અદા કરી હતી. પરંતુ એમ કહેવાયું કે તેઓ આ સ્થળ પર ‘એકમાત્ર કબ્જેદાર’ તરીકેનો દાવો નથી કરી શકતા, ભલેને હિંદુ પક્ષે અનેકવાર કાયદાથી વિપરીત કામો કર્યા હોય. તેમ છતાં કોર્ટે આખી જગ્યા હિંદુ પક્ષને સોંપી દીધી. આ ન્યાયની મોટી મજાક છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને આ નિર્ણય વિશે કહ્યું કે, "મસ્જિદ 1528માં બનાવવામાં આવી હતી અને ત્યારથી તે મસ્જિદ તરીકે અસ્તિત્વમાં હતી. પરંતુ તે 1853માં પહેલીવાર તેમાં વિવાદ થયો. જેવી બ્રિટિશ સામ્રાજ્યએ 1858માં ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી સત્તા સંભાળી કે તરત અંદર અને બહાર એક દિવાલ ઉભી કરી દેવામાં આવી. આ દિવાલ પછી અંદરના ભાગમાં મુસ્લિમો નમાઝ પઢતા હતા અને બહાર હિંદુઓ પૂજા કરતા હતા. આ તથ્ય નોંધાયેલું છે કે 1857થી લઈને 1949 સુધી બંને પક્ષોની પ્રાર્થનાઓ થતી રહેતી હતી. પરંતુ 1949માં કેટલાક લોકોએ મસ્જિદમાં ઘૂસીને અંદર મૂર્તિઓ સ્થાપિત કરી દીધી, ત્યારબાદ મુસ્લિમોની નમાજ બંધ થઈ ગઈ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ASI રિપોર્ટ અને ઐતિહાસિક સંદર્ભ </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2003માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ રિપોર્ટમાં વિવિધ ધર્મોની પ્રાચીન વસ્તુઓ મળી આવી હતી, જેમાં શૈવ, બૌદ્ધ અને જૈન સંસ્કૃતિના ચિહ્નો પણ હતા. જસ્ટિસ નરીમને ધ્યાન દોર્યું કે સુપ્રીમ કોર્ટને જાણવા મળ્યું હતું કે "બાબરી મસ્જિદની નીચે કોઈ રામ મંદિર નથી." તેમ છતાં કોર્ટે ટિપ્પણી કરી કે 1857 થી 1949 વચ્ચે એ સ્થળ પર મુસ્લિમોને "વિશિષ્ટ અધિકારો" નથી, કારણ કે તે સ્થળ વિવાદિત હતું. તેમણે કહ્યું કે, કોર્ટે સ્વીકાર્યું હતું કે, આ જગ્યાએ હિંદુ પક્ષે કાયદાનો ભંગ કર્યો છે અને તેથી આ કેસમાં કોઈ એકપક્ષીય દાવો કરી શકાય નહીં." </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">બિનસાંપ્રદાયિકતાની અવગણના પર રોષ ઠાલવ્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને ભારપૂર્વક જણાવ્યું કે, "દરેક વખતે હિન્દુ પક્ષે કાયદાનું ઉલ્લંઘન કર્યું, પરંતુ તેનું પરિણામ મસ્જિદના પુન:નિર્માણને બદલે માત્ર વૈકલ્પિક જમીન આપવા તરીકે સામે આવ્યું. આ સેક્યુલરિઝમ સાથે અન્યાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ નરીમને ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે પણ કાયદાનું ઉલ્લંઘન થયું છે, તે હિન્દુ પક્ષ દ્વારા થયું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, "શું ન્યાયનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું? આ ચુકાદામાં કોઈ પણ રીતે બિનસાંપ્રદાયિકતાનો આદર કરવામાં આવ્યો નહોતો, જે મારા વ્યક્તિગત મતે ન્યાયનું એક મોટું અપમાન છે. તેમણે બાબરી ધ્વંસ ષડયંત્ર કેસનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું, "આ ચુકાદો આપનાર ન્યાયાધીશની નિવૃત્તિ પછી ઉત્તર પ્રદેશના ઉપ-લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે આપણા દેશની સ્થિતિ દર્શાવે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/appeal-in-supreme-court-against-the-places-of-worship-act-of-1991">નવું કાવતરું: 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ સુપ્રીમમાં અપીલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Dec 2024 21:20:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1662</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ આર.એફ. નરિમાને બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67531bce8d411.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67531bce5c5a7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67531bce5c5a7.jpg" length="43213" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>ram mandir ayodhya babri masjid, Judge R.F. Narima</media:keywords>
                </item>
                        <item>
                    <title>મુસ્લિમ ડોક્ટરને મંદિર સામેનું ઘર વેચતા આખી કોલોની વિરોધમાં ઉતરી</title>
                    <link>https://khabarantar.com/entire-colony-protests-sale-of-house-opposite-temple-to-muslim-doctor-in-moradabad</link>
                    <guid>https://khabarantar.com/entire-colony-protests-sale-of-house-opposite-temple-to-muslim-doctor-in-moradabad</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદીઓ હિંદુઓની માંગ છે કે મુસ્લિમ મહિલા ડોક્ટરને વેચવામાં આવેલું મકાન પાછું લેવામાં આવે અને તે કોઈ હિંદુને વેચવામાં આવે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદી તત્વો હવે ખૂલીને સામે આવવા લાગ્યા છે. ખાસ કરીને મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં એક સમયે તેને બંધારણમાં રહેલી ધર્મનિરપેક્ષતા અને અન્ય કાયદાકીય જોગવાઈઓની બીક હતી. પરંતુ જાતિવાદીઓને પંપાળતા લોકો સત્તામાં મજબૂત થતાની સાથે જ હવે ગેરબંધારણીય અને લોકશાહી વિરોધી બાબતો જાહેરમાં થવા માંડી છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટીડીઆઈ સિટીને યુપીના મુરાદાબાદમાં સૌથી પોશ કોલોની કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં એક મકાનના વેચાણને લઈને હોબાળો થયો છે. આ ઘર ડૉ. અશોક બજાજનું હતું અને તેણે તેને ડૉ. ઇકરા ચૌધરીને વેચી દીધું હતું. બસ આ વાતને લઈને કોલોનીના જાતિવાદી હિંદુઓમાં હોબાળો મચી ગયો છે. આ મામલે કોલોનીના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. આ ઘર ઇકરા ચૌધરી પાસેથી પાછું લઇ લેવામાં આવે અને તેનો માલિક હિંદુ સમુદાયમાંથી આવતો વ્યક્તિ બને તેવી માંગ કરવામાં આવી છે. કોલોનીના રહીશો આ માટે અધિકારીઓ અને નેતાઓ સુધી પહોંચ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે TDI સિટી કોલોનીના રહેવાસી અરવિંદ અગ્રવાલે કહ્યું, "અહીં 450 ઘરો હિન્દુઓના છે, જેમાં 1700 થી 1800 લોકો રહે છે. ડૉ. અશોક બજાજ કોલોનીમાં રહેતા હતા અને તેમણે આ ઘર ઈકરા ચૌધરીને વેચી દીધું હતું. જ્યારે આ કોલોનીની સ્થાપના કરવામાં આવી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે અહીં અન્ય કોઈ બીજા સમાજની કોઈ વ્યક્તિને ઘર ફાળવવામાં આવશે નહીં. તેમ છતાં તેમણે ઈકરા ચૌધરીના નામની નોંધણી કરાવી લીધી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/order-to-register-fir-against-those-calling-for-economic-boycott-of-Muslims">મુસ્લિમોના આર્થિક બહિષ્કારની હાકલ કરનારા સામે FIR નોંધવા આદેશ</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરવિંદ અગ્રવાલ વધુમાં કહે છે કે, "ઘર મંદિરની સામે જ છે. તેથી તંત્ર પાસે દરેકની માંગ છે કે જે સમાજની વ્યક્તિ પાસેથી આ ઘર લેવામાં આવ્યું છે તે વ્યક્તિને તે પરત કરવામાં આવે. જે પૈસા તેણે ડોક્ટર બજાજને આપ્યા છે તેટલા પૈસા કોલોનીવાળા તેને દેવા તૈયાર છે. લોકોનું કહેવું છે કે વસાહતની સ્થાપના સમયે નિર્ણય લેવામાં આવ્યો હતો કે અહીં કોઈ અન્ય સમાજની વ્યક્તિને ઘર આપવામાં નહીં આવે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરવિંદ અગ્રવાલે એમ પણ કહ્યું કે, "હિંદુ-મુસ્લિમ ભાઈચારાને ઠેસ ન પહોંચે તેની ખાતરી કરવા માટે અમે આ મામલે એડીએમ સિટી, એસપી સિટી અને ભાજપના ધારાસભ્ય રિતેશ ગુપ્તા સાથે વાત કરી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે તેઓ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરશે. અમારી સુનાવણી તંત્ર સુધી પહોંચે અને તેઓ સમસ્યાનો ઉકેલ લાવે તે માટે આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સમગ્ર મામલે મુરાદાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ કુમાર સિંહનું નિવેદન પણ આવ્યું છે. તેમનું કહેવું છે કે ટીડીઆઈ સિટીના લોકોએ ફરિયાદ કરી છે કે કોઈ ચોક્કસ વ્યક્તિએ અન્ય ધર્મની વ્યક્તિને મકાન વેચી દીધું છે. આ અંગે ત્યાંના લોકોને વાંધો હતો. ડીએમના જણાવ્યા અનુસાર, "આ મામલો તંત્ર અને પોલીસના ધ્યાને છે અને તમામ પક્ષો સાથે સતત વાતચીત ચાલી રહી છે. અમારો પ્રયાસ છે કે ઉકેલ દરેકની સહમતિથી બને અને માહોલ ન બગડે." અનુજ કુમાર સિંહે વધુમાં જણાવ્યું હતું કે તેઓ તમામ લોકોના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં તેનો ઉકેલ આવી જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/pm-modi-made-anti-muslim-statements-in-110-out-of-173-election-speeches">PM મોદીએ 173 ચૂંટણી ભાષણો પૈકી 110માં મુસ્લિમ વિરોધી નિવેદનો કર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 06 Dec 2024 13:50:17 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1661</Articleid>
                    <excerpt>જાતિવાદીઓ હિંદુઓની માંગ છે કે મુસ્લિમ મહિલા ડોક્ટરને વેચવામાં આવેલું મકાન પાછું લેવામાં આવે અને તે કોઈ હિંદુને વેચવામાં આવે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6752b3a5e3272.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6752b3a5addca.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6752b3a5addca.jpg" length="112246" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>TDI city Moradabad, Entire colony protests, sale of house, opposite temple, Muslim doctor</media:keywords>
                </item>
                        <item>
                    <title>નવું કાવતરું: 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ સુપ્રીમમાં અપીલ</title>
                    <link>https://khabarantar.com/appeal-in-supreme-court-against-the-places-of-worship-act-of-1991</link>
                    <guid>https://khabarantar.com/appeal-in-supreme-court-against-the-places-of-worship-act-of-1991</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરમાં જે રીતે મસ્જિદો નીચે મંદિર હોવાની એક પછી એક અરજીઓ થઈ રહી છે, તેમાં આ કાયદાનો ઉલ્લેખ ચોક્કસ જોવા મળે છે. હવે તેની સામે જ સુપ્રીમમાં અપીલ થઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટમાં ૧૯૯૧ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી દાખલ કરનાર એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, જમીયત-ઉલેમા-એ-હિંદ અને કેટલાક અન્ય લોકો વતી આ કાયદા વિશે કહેવામાં આવે છે કે આ અંતર્ગત તમે રામ મંદિર સિવાય અન્ય કોઈ કેસમાં કોર્ટનો સંપર્ક કરી શકતા નથી, આ ખોટું છે. આ કાયદા હેઠળ કટ ઓફ ડેટ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ રાખવામાં આવી છે. પરંતુ તે ૭૧૨ AD હોવી જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે મોહમ્મદ બિન કાસિમે ૭૧૨માં હુમલો કર્યો હતો. ત્યારપછી હુમલા ચાલુ રહ્યા અને મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા તેથી, જો કોઈ તારીખ નક્કી કરવી હોય તો તે ૭૧૨ની હોઈ શકે છે, તેના પછી ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૈને કહ્યું કે, આ એક્ટ અંતર્ગત કટ ઓફ ડેટ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ નક્કી કરવી એ ગેરબંધારણીય છે. સંસદ એવો કાયદો કેવી રીતે બનાવી શકે, જે લોકોના કોર્ટમાં જવાના મૂળભૂત અધિકારને નકારે છે. આ બંધારણની મૂળ ભાવનાની પણ વિરુદ્ધ છે. આ કાયદો બંધારણની કલમ ૧૪,૧૫, ૧૯,૨૧ અને ૨૫માં આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ કાયદાને પડકારતી અરજી માર્ચ ૨૦૨૧માં જ દાખલ કરવામાં આવી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. એ પછી તેણે તમામ અરજીઓ એકસાથે સાંભળવાનું નક્કી કર્યું હતું. આજે ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, વર્ષ 1991માં જ્યારે રામ મંદિર આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ લાવવામાં આવ્યો હતો. આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે રામ મંદિર સિવાય અન્ય તમામ ધાર્મિક સ્થળોમાં ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ની સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં આવે. એટલે કે જો ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ મસ્જિદ હતી તો તેને સમાન ગણવી જોઈએ અને જો મંદિર હતું તો તેની રચનામાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ. આ મામલે કોર્ટનો સંપર્ક કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાની ચર્ચા છે. હવે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે આ એક્ટ પોતે જ ગેરબંધારણીય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/some-illusions-and-lies-spread-about-wakf-board">વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Dec 2024 21:31:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1657</Articleid>
                    <excerpt>દેશભરમાં જે રીતે મસ્જિદો નીચે મંદિર હોવાની એક પછી એક અરજીઓ થઈ રહી છે, તેમાં આ કાયદાનો ઉલ્લેખ ચોક્કસ જોવા મળે છે. હવે તેની સામે જ સુપ્રીમમાં અપીલ થઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6751cd31b365e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6751cd318051a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6751cd318051a.jpg" length="43390" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>The Places Of Worship (Special Provisions) Act-1991, supreme court</media:keywords>
                </item>
                        <item>
                    <title>મહેસાણામાં યુવકની જાણ બહાર નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું</title>
                    <link>https://khabarantar.com/a-young-man-was-sterilised-without-his-knowledge-in-mehsana</link>
                    <guid>https://khabarantar.com/a-young-man-was-sterilised-without-his-knowledge-in-mehsana</guid>
                    <description>
                        <![CDATA[ વગડામાં રહેતા ગરીબ યુવકને દારૂ પીવડાવી હોસ્પિટલ લવાયો, બીજા દિવસે નસબંધી થઈ હોવાની ખબર પડી. યુવકના એક મહિના પછી લગ્ન થવાના હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી જે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે તે જોતા એવું લાગે જાણે કોઈ ધણીધોરી જ નથી. ખ્યાતિ જેવી કોર્પોરેટર હોસ્પિટલો કતલખાનું હોય તેમ દર્દીઓની બિનજરૂરી સર્જરીઓ કરીને કરોડો રૂપિયા ઓળવી જાય છે. ટાર્ગેટ પુરો કરવાની લ્હાયમાં આવી જ એક ઘટના મહેસાણામાંથી સામે આવી છે. જ્યાં એક ગરીબ યુવકનું તેની જાણ બહાર નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, યુવકના આવતા મહિને લગ્ન થવાના હતા. સમગ્ર મામલે યુવકના પરિવારે હોબાળો મચાવતા જવાબદારોએ ઓપરેશન ખોલવાની હિલચાલ શરૂ કરી હોવાની માહિતી મળી છે. આરોગ્ય વિભાગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202412/image_870x_6751bd8883fcc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે મહેસાણાના નવી શેઢાવી ગામમાં વગડામાં રહેતા 31 વર્ષના આ ગરીબ યુવાનને વાડીમાંથી ચીકુ, જામફળ ઉતારવાના છે એમ કહી મજૂરીએ લઈ જવાયો હતો, જ્યાં તેને દારૂ પીવડાવી નશો ચડ્યો એટલે નસબંધીનું ઓપરેશન કરી દીધાનો આક્ષેપ છે. ચોંકી જવાય તેવી વાત એ છે કે, યુવકને બીજા દિવસે ખ્યાલ આવ્યો કે તેનું નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાને લઈને મહેસાણા જિલ્લા આસિસ્ટન્ટ ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે, યુવકને સૂરજ PHCના ધનાલી ગામના મેન હેલ્થવર્કર શેહજાદ અજમેરી લઈ ગયા હતા. યુવકને અડાલજ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે સરકારી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ એકબીજા અધિકારી પર ખો આપતા જોવા મળ્યા. સમગ્ર મામલે ઉપરી અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં જિલ્લાના આરોગ્ય વિભાગને દર વર્ષે 175 પુરુષોની નસબંધી કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. આ ટાર્ગેટ પુરો કરવા માટે પુરુષોને ગેરમાર્ગે દોરીને અથવા છેતરીને ઓપરેશન કરી દેવામાં આવે છે. આ ગંભીર મામલે યોગ્ય તપાસ થાય તો આવા અન્ય પુરુષોની વિગતો પણ સામે આવે તેવી શક્યતા છે. જો કે, હાલત તો આરોગ્ય વિભાગના બેદરકાર અધિકારીઓના ટાર્ગેટ પૂર્ણ કરવાની લાલચમાં એક નિર્દોષ ગરીબ યુવકનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/dalit-youth-from-amraiwadi-dies-after-stent-placement-at-bjp-leaders-hospital">અમરાઈવાડીના દલિત યુવકનું ભાજપ નેતાની હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 05 Dec 2024 20:22:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1656</Articleid>
                    <excerpt>વગડામાં રહેતા ગરીબ યુવકને દારૂ પીવડાવી હોસ્પિટલ લવાયો, બીજા દિવસે નસબંધી થઈ હોવાની ખબર પડી. યુવકના એક મહિના પછી લગ્ન થવાના હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_6751bd73991f6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_6751bd7363a9f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_6751bd7363a9f.jpg" length="79629" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Mehsana News, Sterilization operation</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનાગઢના ભગવાધારી બાબાએ ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું</title>
                    <link>https://khabarantar.com/junagadhs-saffron-clad-baba-sexually-abused-a-transgender-girl</link>
                    <guid>https://khabarantar.com/junagadhs-saffron-clad-baba-sexually-abused-a-transgender-girl</guid>
                    <description>
                        <![CDATA[ ધર્મની આડમાં જાતીય ઈચ્છાઓ સંતોષતા ઢોંગી બાબાઓનો આપણે ત્યાં તોટો નથી. જૂનાગઢમાં એક આવા જ નકલી બાબાએ એક ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું હતું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જૂનાગઢના એક અખાડા સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક ભગવાધારી બાબાએ એક ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું હોવાના આરોપો લાગ્યા છે. બાબા અને ટ્રાન્સજેન્ડર યુવતીની અનેક રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર ફરી રહી છે. આ બાબાનું નામ ગોવિંદગિરી હોવાનું અને તે જૂનાગઢના અખાડા સાથે સંકળાયેલો હોવાનો તે દાવો કરે છે. ટ્રાન્સજેન્ડર યુવતી પણ જૂનાગઢની જ વતની છે. તેણે બાબા પર લગ્નના બહાને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ ભાગીદારે પૈસાની છેતરપિંડી કર્યાની પણ વાત કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રાન્સજેન્ડર યુવતી અને ગોવિંદગિરીની ઈન્સ્ટાગ્રામ પર ઘણી અશ્લિલ તસવીરો છે. જેમાં તેઓ સાથે ફરતા અને ડાન્સ કરતા દેખાય છે. ચોંકાવનારી વાત એ છે કે, બંને સોશિયલ મીડિયા પર ઘણી બધી રીલ શેર કરતા હતા અને તેમના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હતો. સામે પક્ષે ગોવિંદગિરીએ બચાવમાં કહ્યું છે કે આ સનાતનને બદનામ કરવાનો પ્રયાસ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટ્રાન્સજેન્ડર યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશન જઈને સાધુ ગોવિંદગિરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે, ગોવિંદગિરી લગ્નના બહાને તેની સાથે સંબંધો રાખતો હતો, પરંતુ પછી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુવતીએ વધુમાં જણાવ્યું કે ગોવિંદગિરી મૂળ રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે. તે ઘણા મહિનાઓ સુધી તેની સાથે રહેતી હતી. યુવતીએ ગોવિંદગિરી પર રૂ. ૫૦ હજારની છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. યુવતીનું કહેવું છે કે પૈસા લીધા બાદ ગોવિંદગિરી તેને છોડીને જતો રહ્યો હતો અને તેનો ફોન પણ બંધ કરી દીધો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/a-case-has-been-registered-against-the-impostor-indian-baba-who-committed-1320-rapes-in-22-years-in-london">લંડનમાં 22 વર્ષમાં 1320 રેપ કરનાર ઢોંગી ભારતીય બાબા પર કેસ નોંધાયો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 21:45:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1651</Articleid>
                    <excerpt>ધર્મની આડમાં જાતીય ઈચ્છાઓ સંતોષતા ઢોંગી બાબાઓનો આપણે ત્યાં તોટો નથી. જૂનાગઢમાં એક આવા જ નકલી બાબાએ એક ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું હતું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_67507fa51cf1b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_67507fa4e0904.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_67507fa4e0904.jpg" length="51336" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Junagadh News, Sexual abuse case</media:keywords>
                </item>
                        <item>
                    <title>દુકાનનું નામ હિંદુ હોવાથી ભાજપ નેતાએ મુસ્લિમ માલિકને ધમકાવી તોડફોડ કરી</title>
                    <link>https://khabarantar.com/bjp-leader-threatens-muslim-owner-of-shop-in-baghpat-uttar-pradesh-because-it-has-hindu-name</link>
                    <guid>https://khabarantar.com/bjp-leader-threatens-muslim-owner-of-shop-in-baghpat-uttar-pradesh-because-it-has-hindu-name</guid>
                    <description>
                        <![CDATA[ મુસ્લિમ યુવક વેજ બિરીયાની વેચી રહ્યો હતો. હિંદુ વાહિની અને ભાજપના નેતાએ હોબાળો મચાવી દુકાનના પોસ્ટર ફાડી નાખી તોડફોડ કરી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુત્વવાદીઓને જાણે કાયદો વ્યવસ્થાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ વર્તી રહ્યાં છે. ખાસ કરીને મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં તેઓ કાયદો વ્યવસ્થાની ચિંતા કર્યા વિના, પોલીસની બીક રાખ્યા વિના કાયદો પોતાના હાથમાં લઈને મારામારી પર ઉતરી આવે છે. આવી જ એક વધુ ઘટના સામે આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના બાગપતમાં ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય મનુપાલ બંસલે એક શાકાહારી રેસ્ટોરન્ટની નેમપ્લેટ તોડી નાખી અને દુકાનનું નામ હિન્દુ હોવા પર મુસ્લિમ માલિકને ધમકી અને ચેતવણી આપી. બંસલે 4 દિવસ પહેલા પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેને હેટ ડિટેક્ટરે આની જાણ કરી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ ખૈલા વળાંક પર મુસ્લિમ યુવક વેજ બિરયાની વેચી રહ્યો હતો જેને લઈને હિંદુ વાહિનીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે દુકાનના પોસ્ટર અને બેનરો ફાડી નાખ્યા હતા અને દુકાનનું મુસ્લિમ નામ રાખીને તેને ચલાવવાની ધમકી આપી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રતૌલના મુસ્લિમ યુવકે અહીં અમૃતસરી નાન અને શુદ્ધ શાકાહારી વેજ બિરયાનીનું બોર્ડ લગાવીને દુકાન ખોલી હતી. જેની માહિતી મળતાં બુધવારે હિન્દુ યુવા વાહિનીના તાલુકા પ્રમુખ આકાશ ત્યાગી, જિલ્લા પંચાયત સભ્ય મનુપાલ બંસલ તેમના કાર્યકરો સાથે ત્યાં પહોંચ્યા અને હંગામો મચાવ્યો. તેમને આવતા જોઈ દુકાનદાર શટર બંધ કરીને ભાગી ગયો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જિલ્લા પંચાયત સભ્યે કહ્યું કે, ધર્મ છુપાવીને ત્રિલોક તીર્થ ધામ જૈન મંદિરના નામે હોટલ ચલાવવામાં આવી રહી છે અને વેજ બિરયાની પણ વેચાઈ રહી છે. ત્રિલોક તીર્થ ધામ સનાતન સંસ્કૃતિના અનુયાયીઓ માટે એક તીર્થસ્થાન છે, જ્યારે બિરયાની શબ્દ તેમની આસ્થા પર હુમલો કરે છે અને તેમની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. કાર્યકરોએ દુકાનમાં મંદિરના નામવાળા પોસ્ટરો અને બેનરો ફાડી નાખ્યા હતા અને પોલીસને માહિતી આપવામાં આવી હતી. કાર્યકરોમાં મયંક ત્યાગી, રાહુલ ત્યાગી, મુકેશ, મોનુ વગેરે હાજર રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દેશભરમાં મુસ્લિમ દુકાનદારોને તેમના નામની નેમપ્લેટ લગાવવા માટે હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા નિશાન બનાવવાની ઘટનાઓ સામે આવી છે. આ સંદર્ભમાં બાગપતની આ ઘટના પ્રકાશમાં આવી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હીના વિનોદ નગર વોર્ડના ભાજપના MCD કાઉન્સિલર રવિન્દર સિંહ નેગીએ દુકાનદારો પર તેમના સાચા નામની નેમપ્લેટ લગાવવા માટે દબાણ કર્યું હતું. તેણે તેની એક્સ પોસ્ટ પર તેનો વીડિયો પણ શેર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપ કાઉન્સિલરે ટ્વિટર પર લખ્યું, “તોમર પટપડગંજ વિધાનસભાના મંડાવલી વોર્ડમાં તોમર ડેરી (હિંદુ નામ)ના છે, પરંતુ તેનું અસલી નામ મુસ્લિમ છે. અમે દુકાનદારને તેનું સાચું નામ રાખવા કહ્યું છે. હિંદુ નામો રાખીને હિંદુઓ સાથે કેમ રમત રમો છો? અમે પટપડગંજ વિધાનસભામાં આવી દુકાનો ચલાવવાની મંજૂરી આપીશું નહીં, જે હિન્દુ નામ રાખીને મુસ્લિમ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">નોંધનીય છે કે આ વર્ષે ઉત્તર પ્રદેશ પ્રશાસને કાવડ યાત્રાના રૂટ પર ખાદ્યપદાર્થો વેચનારાઓને તેમના નામ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. નવભારત ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ ઓર્ડરમાં ઢાબા, હોટલ, ઠેલા, ખુમચા અને સ્ટ્રીટ વેન્ડર્સ સહિતના તમામ દુકાનદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક વર્ગ આને મુસ્લિમો વિરુદ્ધ લેવાયેલું પગલું માને છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તો તેને હિટલરશાહી ગણાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bjps-hindu-candidate-defeated-11-muslim-candidates-in-ups-kundarki-assembly-seat">જાળીદાર ટોપી પહેરી હિંદુ નેતાએ 11 મુસ્લિમ ઉમેદવારોને હરાવ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Dec 2024 11:35:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1646</Articleid>
                    <excerpt>મુસ્લિમ યુવક વેજ બિરીયાની વેચી રહ્યો હતો. હિંદુ વાહિની અને ભાજપના નેતાએ હોબાળો મચાવી દુકાનના પોસ્ટર ફાડી નાખી તોડફોડ કરી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674fef3fa817e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674fef3f7903a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674fef3f7903a.jpg" length="47457" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>baghpat News, bjp leader, threatens muslim shop owner, hindu name, UP Govt., yogi adityanath</media:keywords>
                </item>
                        <item>
                    <title>મળો કર્ણાટકની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઓટો&amp;રિક્ષા ડ્રાઈવરને...</title>
                    <link>https://khabarantar.com/kaveri-mary-dsouza-karnatakas-first-transgender-auto-rickshaw-driver-gujarati</link>
                    <guid>https://khabarantar.com/kaveri-mary-dsouza-karnatakas-first-transgender-auto-rickshaw-driver-gujarati</guid>
                    <description>
                        <![CDATA[ વાંચો &#039;ડેક્કન હેરાલ્ડ ચેન્જમેકર 2024&#039; એવોર્ડ વિજેતા એક એવી વ્યક્તિને ટ્રાન્સ કોમ્યુનિટી પ્રત્યેની રૂઢિચુસ્ત માનસિકતાને પડકારીને નોખો ચિલો ચાતર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિનેમા હોય કે વાસ્તવિકતા, આપણે સમાજના મુખ્ય પ્રવાહ સાથે ટ્રાન્સજેન્ડર સમાજના લોકોનું જોડાણ ન તો જોઈએ છીએ અને ન બતાવવામાં આવે છે. સમાજે તેમને હંમેશા હાંસિયામાં ધકેલી દીધા છે, જ્યાં તેઓ આર્થિક સંકડામણને કારણે ભીખ માંગવા જેવું કામ કરવા મજબૂર છે. પરંતુ આ બધા પડકારોને પાર કરીને કર્ણાટકની એક ટ્રાન્સ મહિલા આત્મનિર્ભર બની અને ઓટો ડ્રાઈવર બની અને આજે હજારો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી લઈ જઈ રહી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાવેરી મેરી ડિસોઝાને કર્ણાટકની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઓટો-રિક્ષા ડ્રાઈવર બનવાનું ગૌરવ મળ્યું છે. તેણે સમાજની રૂઢિચુસ્ત વિચારસરણી અને ટ્રાન્સ કોમ્યુનિટી પ્રત્યેની રૂઢિચુસ્ત માનસિકતાને પડકારી એક અલગ રસ્તો પસંદ કર્યો, જે આજે પ્રેરણાનું પ્રતીક બની ગયો છે. સમાજને નવી દિશા આપતા કાવેરી કહે છે કે અમને બદલવા માટે કહેવામાં આવે છે. સત્ય એ છે કે અમે ઘણા સમય પહેલા બદલાઈ ચૂક્યા છીએ. હવે તમારો દ્રષ્ટિકોણ બદલવાનો સમય છે. આ વાક્ય તેમના સંઘર્ષ અને સફળતાની વાર્તાને સંપૂર્ણ રીતે વર્ણવે છે. ઉડુપીના એક નાનકડા ગામ પેથરીમાં જન્મેલી કાવેરીએ પોતાના કપરા પરિસ્થિતિને તાકાત બનાવી તાકાત બનાવી અને સખત મહેનત દ્વારા પોતાનું ભાગ્ય જાતે જ લખ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">નાનપણમાં રૂ. 20 સાથે ઘર છોડ્યું</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાવેરીનો જન્મ ઉડુપીના પેથરીમાં સ્ટેની ડિસોઝા તરીકે થયો હતો. બાળપણમાં ભારે ગરીબીમાં ઉછેર થયો. બાળપણથી જ તેને લાગતું હતું કે તે એક સ્ત્રી જેવી લાગે છે. તેથી 10મા ધોરણના અભ્યાસ દરમિયાન તેણે માત્ર 20 રૂપિયા સાથે ઘર છોડવું પડ્યું અને ત્રણ મહિના માટે સુરથકલની હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાવેરી કહે છે કે, મને આ કામ કરતી વખતે અપરાધ બોધ થતો હતો, કારણ કે મારી લાગણીઓને સમજવાવાળું કોઈ નહોતું. એ પછી તે હોટલની નોકરી છોડીને મૈસુર જતી રહી. ત્યાં તે કોઈને ઓળખતી ન હતી. તેથી બસ સ્ટોપ જ તેનું ઘર બની ગયું હતું. આ મુશ્કેલ સમયમાં, તે મંદિરોમાં અથવા લગ્નોમાં આપવામાં આવતા ભોજનથી પેટ ભરતી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ક્રમ લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યો. ત્યારે જ એક દિવસ તેણે બસ સ્ટેન્ડ પાસે ટ્રાન્સ કોમ્યુનિટીના કેટલાક લોકોને જોયા અને ત્યાંથી તે NGO ગ્રુપ 'Geleya'ના સંપર્કમાં આવી. એ લોકો તેને બેંગ્લોર લઈ ગયા અને રહેવા માટે જગ્યા આપી. બેંગલુરુમાં, કાવેરીને સમજાયું કે ટ્રાન્સજેન્ડર સમુદાયના મોટાભાગના લોકો કાં તો ભીખ માંગે છે અથવા સેક્સ વર્કમાં જોડાવાની ફરજ પાડવામાં આવે છે. તેણે પણ તેના જીવનના પ્રારંભિક તબક્કામાં આ અપનાવ્યું હતું પરંતુ ટૂંક સમયમાં જ તેને સમજાયું કે તે પોતાની જિંદગીને પોતાના દમ પર બદલી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સર્જરી કરાવી નવી ઓળખ તરફ કદમ માંડ્યાં</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નોકરીની થોડી ઓછી સલામતી અને ઘરના આરામ ના  અભાવે ઘરે પાછા ફરવાનો વિચાર તેના મનમાં ઘર કરી ગયો અને તે ઘરે પરત ફરી. જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે આખું ગામ ભેગું થઈ ગયું હતું. કેટલાક લોકો રડતા હતા, કેટલાકે તેને સ્વીકારી, કેટલાકે નકાર્યો. કાવેરી કહે છે,  અમારી કોમ્યુનિટીમાં એક નિયમ છે કે સેક્સ-રિ-અસાઇનમેન્ટ સર્જરી માટે આપણે જાતે પૈસા કમાવા પડે છે. તેણે પણ આકરી મહેનત કરીને પૈસા ભેગા કર્યા અને પોતાની સર્જરી કરાવી. આ પરિવર્તને તેને તેના સમાજમાં એક નવી ઓળખ આપી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સ્વાસ્થ્ય સમસ્યાઓ વચ્ચે ઓટો ડ્રાઈવર બનવાની સફર</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેંગલુરુમાં કામ કરતી વખતે કાવેરીને ટીબી થયો, જેમાંથી તેને સાજા થવામાં બે વર્ષ લાગ્યાં. આ સમય દરમિયાન તેના સમાજ અને મિત્રોએ તેનાથી અંતર જાળવ્યું. માત્ર તેના માતા-પિતા અને કેટલાક નજીકના લોકો તેની પડખે ઉભા હતા. તેના સમાજના બે વડાઓ, મેઘા અમ્મા અને પ્રેમાએ કાવેરીની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્વસ્થ થયા પછી કાવેરીએ ઘણી નોકરીઓ માટે અરજી કરી, પરંતુ તે ટ્રાન્સજેન્ડર હોવાને કારણે વારંવાર અસ્વીકારનો સામનો કરવો પડ્યો. પછી તેણે ઓટો ચલાવવાનું નક્કી કર્યું. તેણે બેંગલુરુમાં એક પાડોશી પાસેથી ઓટો ચલાવવાનું શીખી અને પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે સમૃદ્ધિ મહિલા મંડળીની મદદ લીધી. આ સંસ્થાએ તેને આર્થિક મદદ કરી, જેની મદદથી તેણે પોતાની ઓટો-રિક્ષા ખરીદી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કાવેરીનું નવું જીવન અને પ્રેરણા</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે કાવેરી તેના ગામ પેથરીમાં ઓટોરિક્ષા ચલાવે છે. તેનું જીવન સ્થિર છે અને તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. કાવેરીને 'ડેક્કન હેરાલ્ડ ચેન્જમેકર 2024' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કાવેરીનું સપનું છે કે તેનું પોતાનું ઘર હોય અને તે એક બાળકની માતા બને. તે એક બાળકને દત્તક લેવા અને તેને શિક્ષિત કરીને સફળ બનાવવા માંગે છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાવેરી કહે છે કે, જરૂરી નથી કે દરેક ટ્રાન્સ વ્યક્તિ ઓટો ચલાવે. દરેક વ્યક્તિએ પોતાની પસંદગીનું કામ કરવું જોઈએ. કાવેરી મેરી ડિસોઝાએ સમાજની ધારણાઓને તોડીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમનો સંઘર્ષ અને આત્મનિર્ભરતા માત્ર ટ્રાન્સજેન્ડર સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. કાવેરીનું જીવન આપણને શીખવે છે કે જો હિંમત અને નિશ્ચય હોય તો પરિવર્તન શક્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/jharkhands-hemant-soren-government-gsve-government-jobs-to-transgenders-for-the-first-time">ઝારખંડની હેમંત સોરેન સરકારે પહેલીવાર ટ્રાન્સજેન્ડરને સરકારી નોકરી આપી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 03 Dec 2024 14:15:02 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 03 Dec 2024 14:23:13 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1642</Articleid>
                    <excerpt>વાંચો &#039;ડેક્કન હેરાલ્ડ ચેન્જમેકર 2024&#039; એવોર્ડ વિજેતા એક એવી વ્યક્તિને ટ્રાન્સ કોમ્યુનિટી પ્રત્યેની રૂઢિચુસ્ત માનસિકતાને પડકારીને નોખો ચિલો ચાતર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202412/image_140x98_674ec3b3b3470.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202412/image_870x580_674ec3b378d96.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202412/image_870x580_674ec3b378d96.jpg" length="112798" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kaveri Mary D&#039;Souza, karnatakas first transgender auto-rickshaw driver</media:keywords>
                </item>
                        <item>
                    <title>નીચલી કોર્ટમાં બેઠેલાં નાના જજો દેશમાં આગ લગાડવા માંગે છે...</title>
                    <link>https://khabarantar.com/the-junior-judges-sitting-in-the-lower-courts-want-to-set-the-country-on-fire</link>
                    <guid>https://khabarantar.com/the-junior-judges-sitting-in-the-lower-courts-want-to-set-the-country-on-fire</guid>
                    <description>
                        <![CDATA[ એક સરખી પેટર્ન પર દરગાહો નીચે મંદિર હોવાના વાત કોઈ હિંદુત્વવાદી ચગાવે પછી નીચલી કોર્ટમાં અરજી કરે અને કોર્ટ સર્વે કરવા કહે. - જજો દેશમાં આગ લગાડવા માગે છે, સપા નેતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજસ્થાનના અજમેર શરીફની દરગાહ નીચે શિવમંદિર હોવાની વાતો ઉડી છે, તેને લઈને સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે નીચલી કોર્ટમાં બેઠેલા જજોની માનસિકતાને ખૂલ્લી પાડતું નિવેદન કર્યું છે. રામગોપાલ યાદવે કહ્યું કે, આપણા વડાપ્રધાન પોતે ચદ્દર મોકલે છે. દેશ અને દુનિયાભરમાંથી લોકો ત્યાં જાય છે. તેને વિવાદોમાં મૂકવો એ ખૂબ જ ઘૃણાજનક અને હલકી </span><span style="font-size: 14pt;">માનસિકતાનું પ્રતીક છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે અજમેર શરીફ દરગાહને મંદિર જાહેર કરતી અરજી સ્વીકારીને દરગાહ પક્ષને નોટિસ જારી કરી છે. આ અંગે સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે કહ્યું છે કે, "નીચલી કોર્ટમાં બેઠેલા નાના-નાના જજો દેશમાં આગ લગાડવા માંગે છે. ભાજપ દ્વારા સમર્થિત લોકો સત્તામાં રહેવા માટે કંઈ પણ કરી શકે છે, દેશને આગ લગાડવામાં આવે તો તેમને કોઈ ફરક પડતો નથી." રામ ગોપાલ યાદવ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના રાજ્યસભાના સભ્ય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મામલો શું છે?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિન્દુ સેનાના વિષ્ણુ ગુપ્તાએ અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ એક મંદિર હોવાનો દાવો કર્યો હતો. તેણે કોર્ટમાં અરજી કરી હતી, જેને સ્વીકારીને નીચલી કોર્ટે દરગાહ પક્ષને નોટિસ પાઠવી છે. જેની આગામી સુનાવણી 20મી ડિસેમ્બરે થશે. અજમેર શરીફ દરગાહના વડા નસરુદ્દીન ચિશ્તીએ પણ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે આ એક નવો ટ્રેન્ડ છે. ગમે તે વ્યક્તિ ઉભો થઈને આવી જાય છે અને દરગાહ-મસ્જિદ મંદિર હોવાનો દાવો કરવા માંડે છે. ટ્રેન્ડ સમાજ અને દેશના હિતમાં નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું- દરગાહ 850 વર્ષ જૂની છે</strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે આજે ભારત વૈશ્વિક શક્તિ બનવા જઈ રહ્યું છે અને અત્યારે પણ આપણે મંદિરો અને મસ્જિદો શોધી રહ્યા છીએ. જે વ્યાજબી નથી. જ્યાં સુધી અજમેર શરીફની દરગાહની વાત છે તો અહીંનો ઈતિહાસ છેલ્લા 100 થી 150 વર્ષનો નથી પણ 850 વર્ષ જૂનો છે. ખ્વાજા ગરીબ નવાઝ 1195 માં અજમેર આવ્યા અને 1236 માં મૃત્યુ પામ્યા. ત્યારથી આજ સુધી દરગાહ અકબંધ છે. આ દરગાહ તમામ ધર્મોની આસ્થાનું કેન્દ્ર છે. આ દરગાહ 800 વર્ષથી રાજાઓ, રજવાડાઓ, મહારાજાઓ અને બ્રિટિશ રાજાઓ માટે પણ વાસ્તવિકતાનું કેન્દ્ર રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અસદુદ્દીન ઓવૈસીએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "સુલ્તાન-એ-હિંદ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ભારતના મુસલમાનોના સૌથી મહત્વના ઓલિયા ઈકરામમાંથી એક છે. તેમની દરવાજે સદીઓથી લોકો આવી રહ્યાં છે અને આવતા રહેશે. અનેક રાજા મહારાજા અને બાદશાહો આવ્યા અને ગયા, પરંતુ ખ્વાજા અજમેરીની આસ્થા આજે પણ આબાદ છે. 1991નો ધર્મસ્થાનોનો કાયદો સ્પષ્ટ કહે છે કે, કોઈપણ ધર્મસ્થળની ધાર્મિક ઓળખ બદલી શકાતી નથી અને ન તો કોર્ટમાં આ કેસોની સુનાવણી થશે. એ અદાલતોની કાયદાકીય ફરજ છે કે, 1991 એક્ટને અમલમાં લાવે. એ ખૂબ જ અફસોસની વાત છે કે, હિંદુત્વના એજન્ડાને આગળ ધપાવવા માટે કાયદા અને બંધારણનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/say-bharat-mata-ki-jai-by-saluting-the-national-flag-21-times">21 વાર રાષ્ટ્રધ્વજને સલામી આપી ભારત માતા કી જય બોલો...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 28 Nov 2024 13:49:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1619</Articleid>
                    <excerpt>એક સરખી પેટર્ન પર દરગાહો નીચે મંદિર હોવાના વાત કોઈ હિંદુત્વવાદી ચગાવે પછી નીચલી કોર્ટમાં અરજી કરે અને કોર્ટ સર્વે કરવા કહે. - જજો દેશમાં આગ લગાડવા માગે છે, સપા નેતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6748263a161b2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67482639d5d49.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67482639d5d49.jpg" length="101479" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>khwaja moinuddin chishti dargah, Ram Gopal Yadav</media:keywords>
                </item>
                        <item>
                    <title>શાહી પરિવારનો યુવક 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ગયો</title>
                    <link>https://khabarantar.com/a-young-man-from-the-royal-family-left-behind-a-fortune-of-40-thousand-crores-and-became-a-buddhist-monk</link>
                    <guid>https://khabarantar.com/a-young-man-from-the-royal-family-left-behind-a-fortune-of-40-thousand-crores-and-became-a-buddhist-monk</guid>
                    <description>
                        <![CDATA[ અદાણી જેવા લોકો જ્યાં ભારતને ચોતરફથી લૂંટીને ધન ભેગું કરી રહ્યાં છે, ત્યારે એક શાહી પરિવારનો યુવાન રૂ. 40 હજાર કરોડની સંપત્તિ છોડીને બૌદ્ધ સાધુ બની ગયો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત જેવા દેશમાં એકબાજુ લોકોને બે ટંકના ભોજનના સાંસા પડી ગયા છે, પાંચ કિલો રાશન પર જીવવા મજબૂર થઈ ગયા છે. બીજી તરફ ગૌતમ અદાણી જેવા બિઝનેસમેનો સરકાર પર પકડ જમાવી દેશની સંપત્તિ લૂંટીને વધુને વધુ ધન ભેગું કરી રહ્યાં છે. ગૌતમ અદાણી પાસેથી ત્યાગની અપેક્ષા રાખવી નકામી છે પરંતુ એક એવા માણસની અહીં વાત કરવી છે જેણે માત્ર 18 વર્ષની ઉંમરે રૂ. 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ભિક્ષા માંગીને પોતાનું જીવન ગુજારવાનું નક્કી કર્યું છે. નામ છે એમનું વેન અજાહન સિરિપાન્યો (Ven Ajahn siripanyo).</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કોણ છે વેન અજાન સિરિપાન્યો?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોણ છે વેન અજાન સિરિપાન્યો (Who is Ven Ajahn siripanyo), જેણે 40,000 કરોડનો વારસો છોડી દીધો અને બૌદ્ધ સાધુ બનવાનું નક્કી કર્યું? તો જાણી લો કે, તેઓ મલેશિયાના ટેલિકોમ ટાયકૂન તરીકે જાણીતા આનંદ કૃષ્ણનના પુત્ર છે અને તેઓ 18 વર્ષની ઉંમરે બૌદ્ધ ભિક્ષુક બની ગયા છે. AK તરીકે પ્રખ્યાત કૃષ્ણન મલેશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે અને તેમની નેટવર્થ રૂ. 40,000 કરોડ (US$5 બિલિયનથી વધુ) કરતાં વધુ છે. આટલી નાની ઉંમરે તેમના પુત્ર વેન અજાન સિરીપાન્યોના તમામ સુખ-સુવિધાઓ છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવવાના નિર્ણયે સૌને ચોંકાવી દીધા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને સ્પોન્સર કરી હતી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આનંદ કૃષ્ણનનો બિઝનેસ ટેલિકોમ્યુનિકેશન, મીડિયા, તેલ, ગેસ અને રિયલ એસ્ટેટમાં ફેલાયેલો છે. તેઓ ટેલિકોમ કંપની એરસેલના માલિક પણ રહી ચૂક્યા છે. એરસેલ એક સમયે IPL ક્રિકેટ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને સ્પોન્સર કરતી હતી. વેઈન અજાન સિરીપાન્યોના પિતા આનંદ કૃષ્ણન એક બિઝનેસમેન છે, તો તેમની માતા મોમવાજારોંગસે સુપ્રિંદા ચક્રબન </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">થાઈલેન્ડના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">18 વર્ષની ઉંમરે, વેન અજાહન સિરીપાન્યોએ આટલું વિશાળ બિઝનેસ સામ્રાજ્ય છોડીને સાધુ બનવાનું નક્કી કર્યું. તેના પિતાએ આ નિર્ણયનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો. કેમ કે તેઓ પોતે એક બૌદ્ધ ધર્મના મજબૂત સમર્થક અને સેવાભાવી વ્યક્તિ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મઠમાં દીક્ષા લીધી અને ત્યાં જ રોકાઈ ગયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અજાન સિરીપાન્યોની આધ્યાત્મિક યાત્રા વિશે વાત કરીએ તો તેઓ થાઈલેન્ડની મુલાકાત દરમિયાન થોડો સમય બૌદ્ધ રિટ્રીટમાં રહ્યા હતા. આ મઠમાં તેમણે દીક્ષા લીધી અને આ ટૂંકા ગાળાના અનુભવે જીવનની જીવવા વિશેની તેમની વિચારસરણીને બદલી નાખી અને તેણે કાયમ માટે મઠવાસી બનવાનું નક્કી કર્યું. હવે તેઓ થાઈલેન્ડ-મ્યાનમાર સરહદ પર સ્થિત દમ મઠના મઠાધિપતિ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વેઇન અજાન સિરીપાન્યોનો જન્મ અને ઉછેર લંડનમાં થયો હતો અને તેઓ શહેરી વાતાવરણમાં ઉછર્યા છે. તેઓ કુલ 8 ભાષાઓ વાંચી, લખી અને બોલી શકે છે. સાધુ જીવન જીવવા છતાં તે હજુ પણ સમયાંતરે તેમના પિતાની મુલાકાત લેતા રહે છે. તે તેમની આધ્યાત્મિક પ્રતિબદ્ધતાઓ અને કૌટુંબિક સંબંધો વચ્ચે સંતુલન જાળવી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-actress-who-rivaled-aishwarya-sushmita-has-embraced-buddhism">ઐશ્વર્યા-સુસ્મિતા ને ટક્કર આપનારી અભિનેત્રીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 28 Nov 2024 10:39:48 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1617</Articleid>
                    <excerpt>અદાણી જેવા લોકો જ્યાં ભારતને ચોતરફથી લૂંટીને ધન ભેગું કરી રહ્યાં છે, ત્યારે એક શાહી પરિવારનો યુવાન રૂ. 40 હજાર કરોડની સંપત્તિ છોડીને બૌદ્ધ સાધુ બની ગયો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6747f969de471.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6747f969a8bb5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6747f969a8bb5.jpg" length="109871" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Ven Ajahn Siripanyo, Buddhist</media:keywords>
                </item>
                        <item>
                    <title>મુસ્લિમ સંસ્થાએ દબદબાભેર બંધારણ દિવસની ઉજવણી કરી</title>
                    <link>https://khabarantar.com/muslim-organization-celebrates-constitution-day-with-promp</link>
                    <guid>https://khabarantar.com/muslim-organization-celebrates-constitution-day-with-promp</guid>
                    <description>
                        <![CDATA[ ઉર્જાઘર સંસ્થા દ્વારા ક્રેસન્ટ સ્કૂલના સહયોગથી શાળામાં બંધારણના 75માં વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરે તૈયાર કરેલા ભારતના બંધારણને 75 વર્ષ પૂરા થયા છે. આ ઐતિહાસિક ક્ષણની યાદમાં દેશભરમાં બંધારણને લગતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે અમદાવાદ સ્થિત ઉર્જાઘર સંસ્થા દ્વારા ક્રેસન્ટ સ્કૂલના સહયોગથી શાળામાં બંધારણના 75માં વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોમ્યુટિની - ધ યુથ કલેક્ટિવ અને વાર્તાલિપિના સહયોગથી શાળામાં 'સંવિધાન લાઈવ પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું જે એક રમતના સ્વરૂપમાં હતી. જેને રમીને યુવા વિદ્યાર્થીઓ મનોરંજક રીતે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીને કાર્યો કરે છે, શીખે છે અને બંધારણને તેમના રોજિંદા જીવન સાથે જોડે છે. આ રમતમાં યુવાનો અનુભવ આધારિત શિક્ષણ મેળવવાના હેતુથી ભારતીય બંધારણમાં દર્શાવેલ મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજોને આધારે કાર્યો કરે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કર્યું હતું અને બંધારણીય મૂલ્યોને મજબૂત કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_67469856e9f1e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉર્જાઘર સંસ્થા વતી સંસ્થાના ડાયરેક્ટર વકાર કાઝી અને શકીલ શેખે ભારતીય બંધારણ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની જવાબદારી' અને ક્રેસન્ટ સ્કૂલના આચાર્ય અબ્દુલ કય્યુમ સાહેબે 'અભ્યાસની સાથે સક્રિય નાગરિકતાની જરૂરિયાત' વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરના દિવસે ઉજવાયો 'બંધારણ દિવસ' દરેક ભારતીય નાગરિક માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. બંધારણ વિના કોઈ દેશ ચાલી શકે નહીં. તે બંધારણ જ છે જે ભારતની 140 કરોડની વસ્તી, કે જે વિવિધ ધર્મો અને જાતિઓમાં વહેંચાયેલી છે તેને એક દેશના નાગરિકની ઓળખ સાથે એક કરે છે. બંધારણમાં જ દેશના સિદ્ધાંતો અને તેને ચલાવવાની પદ્ધતિઓ સામેલ છે. બંધારણ દ્વારા આપવામાં આવેલ મૂળભૂત અધિકારો આપણી ઢાલ તરીકે કામ કરે છે અને આપણને આપણા અધિકારો આપે છે, જ્યારે કે તેમાં આપવામાં આવેલ મૂળભૂત ફરજો આપણને આપણી જવાબદારીઓનું પણ સ્મરણ કરાવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણી પાસે આપણું પોતાનું કોઈ બંધારણ નહોતું. બંધારણ વિના દેશ ચલાવી શકાય નહીં તેમ સમજી ચૂકેલા આઝાદ ભારતના સમજુ નેતાઓએ દેશનું બંધારણ ઘડવાની જવાબદારી ડો.આંબેડકરને સોંપી હતી અને તેમણે તેને સુપેરે નિભાવીને ભારતને દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ તૈયાર કરીને આપ્યું હતું. ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા. તેમની એકલપંડની મહેનતને કારણે જ તેમને બંધારણના એકમાત્ર ઘડવૈયા કહેવામાં આવે છે. બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. તે 26મી નવેમ્બર, 1949 ના રોજ પૂર્ણ થયું અને અપનાવવામાં આવ્યું. એ પછી 26મી જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/police-officials-and-the-government-came-together-to-paralyze-the-atrocities-act">પોલીસ, અધિકારીઓ અને સરકારે મળી એટ્રોસિટી એક્ટને પાંગળો બનાવ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Nov 2024 09:32:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1610</Articleid>
                    <excerpt>ઉર્જાઘર સંસ્થા દ્વારા ક્રેસન્ટ સ્કૂલના સહયોગથી શાળામાં બંધારણના 75માં વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67469857a1009.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_674698576bc04.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_674698576bc04.jpg" length="140001" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Urjaghar Institute, Crescent School, Celebrates Constitution Day</media:keywords>
                </item>
                        <item>
                    <title>જાળીદાર ટોપી પહેરી હિંદુ નેતાએ 11 મુસ્લિમ ઉમેદવારોને હરાવ્યા</title>
                    <link>https://khabarantar.com/bjps-hindu-candidate-defeated-11-muslim-candidates-in-ups-kundarki-assembly-seat</link>
                    <guid>https://khabarantar.com/bjps-hindu-candidate-defeated-11-muslim-candidates-in-ups-kundarki-assembly-seat</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપના હિંદુ નેતાએ જાળીદાર ટોપી પહેરીને 11 મુસ્લિમ નેતાઓને ચૂંટણીમાં હરાવીને સૌ કોઈને ચોંકાવી દીધઆં છે. બધાં સમીકરણો ધ્વસ્ત થઈ ગયા. જાણો કેવી રીતે જીત મેળવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. સૌથી ચોંકાવનારું પરિણામ કુંદરકી વિધાનસભાનું છે. મુરાદાબાદ જિલ્લાની આ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક ભાજપે જીતી છે. અહીંની 64 ટકા વસ્તી મુસ્લિમ છે તેમ છતાં ભાજપના રામવીર સિંહ ઠાકુરે બમ્પર જીત નોંધાવી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં ઈવીએમમાં ​​13 ઉમેદવારોની યાદી હતી. તેમાંથી એક ભાજપના રામવીરસિંહ હતા અને બીજો NOTA હતો. બાકીના 11 ઉમેદવારો મુસ્લિમ હતા. તેમ છતાં રામવીરસિંહે એક લાખથી વધુ મતોથી જીત મેળવી હતી. પરિણામો પછી દરેકના મોં પર એક જ ચર્ચા છે કે આ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠક પર હિન્દુ ઉમેદવાર કેવી રીતે જીત્યો? આ લખાઈ રહ્યું છે ત્યારે આ સીટ પર ભાજપની જીતનું માર્જીન 1 લાખ 43 હજાર છે. અહીં ભાજપે એવી ચાલ ચાલી હતી કે તમામ સમીકરણો ધ્વસ્ત થઈ ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રામવીસિંહ પછી મોહમ્મદ રિઝવાન બીજા ક્રમે છે, જેમને 25 હજાર 334 વોટ મળ્યા છે. ચાંદ બાબુ 14 હજાર 142 મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા. ઓવૈસીની પાર્ટીના નેતા મોહમ્મદ વારિસને 7973 વોટ મળ્યા. આ પછી અન્ય ઉમેદવારો છે- રફતુલ્લાહ, રિઝવાન હુસૈન, રિઝવાન અલી, શૌકીન, મોહમ્મદ ઉબૈશ, મસરૂર, મોહમ્મદ ઉબૈશ, સજૈબ. આ તમામને દસથી માંડીને 100થી વધુ મતો મળ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 14pt;">64 ટકા મુસ્લિમો વચ્ચે એક હિંદુ નેતા</span></span><br><span style="font-size: 14pt;">મુરાદાબાદ જિલ્લાની કુંદરકી બેઠકનું ગણિત અલગ છે. 64 ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી આ વિધાનસભા બેઠકમાં લઘુમતીઓ બહુમતીમાં છે. અહીં 12 ઉમેદવારોમાંથી માત્ર એક હિંદુ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા અન તે - રામવીર સિંહ ઠાકુર હતા, જેમને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને આખરે તેમની ચાલ સફળ રહી હતી. અહીં ભાજપનો દાવ મુસલમાનોના તુર્ક અને રાજપૂત સમુદાયને આકર્ષવા પર હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તુર્ક અને રાજપૂત મુસ્લિમોનું પરિબળ</span></strong></span><br><span style="font-size: 14pt;">વાસ્તવમાં હિંદુઓની જેમ મુરાદાબાદ અને સંભલ પ્રદેશમાં મુસ્લિમોમાં પણ વિવિધ જાતિઓ છે. કુંદરકી સીટ પર લગભગ 64 ટકા મુસ્લિમ મતદારો છે, જેમની સંખ્યા લગભગ 1.5 લાખ છે. અહીં લગભગ 40 હજાર તુર્ક મુસ્લિમો છે. આ સિવાય લગભગ 1 લાખ 10 હજાર અન્ય મુસ્લિમ જાતિઓ છે. જ્યારે મુસ્લિમ રાજપૂત મતદારોની સંખ્યા 45 હજાર જેટલી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ટોપી પહેરીને ખુદાના નામે મત માંગ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">ભાજપ અને સીએમ યોગી આદિત્યનાથનું સમગ્ર ફોકસ મુસ્લિમોની રાજપૂત વસ્તીને ભગવા ઝંડા હેઠળ લાવવા પર હતું. યુપી ભાજપ અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ કુંવર બાસિત અલી પણ રામવીર ઠાકુરના સમર્થનમાં મુસ્લિમોની સભાઓ કરતા રહ્યા. ભાજપ નેતાની વિનંતી પર અહીં આવેલા મુસ્લિમોએ હાથ ઉંચા કરીને ખુદાના નામે શપથ લીધા અને રામવીરસિંહેને મત આપવાનું વચન આપવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હાજી રિઝવાન સામેનો રોષ મોંઘો પડ્યો?</span></strong></span><br><span style="font-size: 14pt;">સપાના ઉમેદવાર હાજી રિઝવાનને લોકોને નકારી કાઢ્યા હતા. મુસ્લિમોમાં તેમની મજબૂત પકડનો અભાવ પણ ભાજપ માટે ફાયદાકારક સાબિત થયો. એટલું જ નહીં, મુસ્લિમ તુર્ક જ્ઞાતિના હોવાના કારણે અન્ય મુસ્લિમ સમુદાયોએ પણ ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું. રામવીર સિંહ પોતાને મુસ્લિમોના તરફદાર ગણાવતા રહ્યા, જેના કારણે તેમના પક્ષમાં ભારે મતદાન થયું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુસ્લિમ ટોપી, અરબી રૂમાલ બાંધી મત માંગ્યા</span></strong></span><br><span style="font-size: 14pt;">રામવીરસિંહ ઠાકુર પણ જાળીદાર મુસ્લિમ ટોપી અને અરબી રૂમાલ પહેરીને મુસ્લિમ સભામાં મત માંગતા જોવા મળ્યા હતા. તુર્ક મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી કુંડરકી બેઠકમાં ભાજપે મુસ્લિમ રાજપૂતોને રીઝવવા માટેનો દાવ ખેલ્યો હતો, જે જીતમાં પરિણમ્યો હતો. વાસ્તવમાં, અહીં પ્રભુત્વ તુર્ક મુસ્લિમો અથવા સહસપુર બિલારી શાહી પરિવારનું રહ્યું છે. પણ આ વખતે રામવીરસિંહે તમામ સમીકરણો તોડી નાખ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dr-ambedkar-was-ready-to-accept-islam-dalits-would-have-been-muslims-congress-leader">ડો.આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર હતા, તો એમ થયું હોય તો દલિતો મુસ્લિમ હોતઃ કોંગ્રેસ નેતા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 24 Nov 2024 13:10:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1597</Articleid>
                    <excerpt>ભાજપના હિંદુ નેતાએ જાળીદાર ટોપી પહેરીને 11 મુસ્લિમ નેતાઓને ચૂંટણીમાં હરાવીને સૌ કોઈને ચોંકાવી દીધઆં છે. બધાં સમીકરણો ધ્વસ્ત થઈ ગયા. જાણો કેવી રીતે જીત મેળવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_6742d7a395ce5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_6742d7a3635da.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_6742d7a3635da.jpg" length="102326" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Kundarki Assembly constituency, By-election, BJP candidate, Ramveersinh Thakur</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખંભાતના પાંદડ માં 44 લોકોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો</title>
                    <link>https://khabarantar.com/44-people-renounced-hinduism-and-embraced-buddhism-in-khambhats-Pandad-village</link>
                    <guid>https://khabarantar.com/44-people-renounced-hinduism-and-embraced-buddhism-in-khambhats-Pandad-village</guid>
                    <description>
                        <![CDATA[ સર્વજન સમાનમાં માનતા બૌદ્ધ ધર્મ પ્રત્યે વધુને વધુ લોકો આકર્ષાતા જાય છે. ખંભાતના પાંદડ ગામમાં એક સાથે 44 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીનનો કૃત્રિમ સૂર્ય કાર્યરત થઈ જશે અને ઈલોન મસ્કનું સ્પેસ એક્સ અવકાશની ટુર કરતું હશે, પણ કથિત મહાન હિંદુ ધર્મમાંથી જાતિવાદ અને અસ્પૃશ્યતા જાય તેવું નજીકના ભવિષ્યમાં તો દૂર દૂર સુધી ક્યાંય દેખાતું નથી. કહેવાતું નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે પણ દલિત-આદિવાસીઓ પર અત્યાચારની વણથંભી વણઝાર ચાલુ રહેવા પામી છે. પરિણામે બહુજન સમાજમાં જાતિવાદી હિંદુ ધર્મ પ્રત્યે દિન-પ્રતિદિન ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. કથિત ગૌરક્ષકો અને હિંદુત્વવાદી સંગઠનો દ્વારા જે રીતે કાયદો હાથમાં લઈને બંધારણના છડેચોક લીરાં ઉડાડવામાં આવે છે, બહુજન સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, તેનાથી દલિતો-આદિવાસીઓમાં ભારે ભયનો માહોલ છે. જાતિવાદી તત્વો દ્વારા તેમને સતત અપમાનિત કરવામાં આવે છે, વર્ણ વ્યવસ્થાના આધારે તેમને સેકન્ડ ક્લાસ સિટિઝન તરીકે ટ્રીટ કરાય છે. આ બધાં કારણોસર દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે. આવી વધુ એક ઘટના આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પાંદડ ગામમાં બની ગઈ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673adc6e53ed8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તા. 17 નવેમ્બર 2024ને રવિવારના રોજ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પાંદડ ગામમાં એક સાથે 44 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા આયોજિત આ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673adc6ee7cf7.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહમાં પાંદડ ગામના કુલ 44 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. દીક્ષા સમારોહની શરૂઆતમાં દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને દીપ પ્રજ્વલિત કરી, ફૂલહાર અર્પિત કરવામાં આવેલ. ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673adc717c071.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673adc703b446.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span><span style="font-size: 14pt;">એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673adc70d1cf0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"> </span><span style="font-size: 14pt;">ત્યારબાદ સૌ સાથે મળીને ભોજનદાન ગ્રહણ કરેલ. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_673adc6f901e3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દીક્ષા કાર્યક્રમના આયોજક મહા ગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદના આયુ. સિંહલ બોધિધર્મનજીએ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ગુજરાત સહિત દેશભરમાં સતત દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને જે રીતે હિંદુ ધર્મીઓ દ્વારા ભેદભાવ, અસ્પૃશ્યતા દાખવવામાં આવે છે તેનાથી આ સમાજના લોકો ભારે વ્યથિત છે. કાયદો અમલમાં હોવા છતાં જાતિવાદી અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. મનુવાદી વર્ણવ્યવસ્થાની ધરી પર ટકેલા હિંદુ ધર્મમાં દલિતો, આદિવાસીઓ ગમે તેટલાં ભણીગણીને આગળ વધી જાય તો પણ તેમને નિમ્ન સ્તરના ગણીને ઉતારી પાડવામાં આવે છે. એક બાજુ દુનિયાના એઆઈના યુગમાં પહોંચી ગઈ છે, જ્યારે ભારત સતત જાતિ, ધર્મના નામે દલિતો પર અત્યાચાર કરીને અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે. એ સ્થિતિમાં દલિતો સર્વને સમાન માનતા બૌદ્ધ ધર્મ તરફ વળે તેમાં મને કશી નવાઈ નથી લાગતી. આ સ્થિતિ હજુ ચાલુ રહેશે તો હજુ વધુ લોકો હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ બનતા અચકાશે નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-junagadh-father-in-law-remarries-daughter-in-law-through-buddhist-rituals">જૂનાગઢમાં સાસરિયાઓએ બૌદ્ધ વિધિથી પુત્રવધુના પુનઃલગ્ન કરાવ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 18 Nov 2024 11:54:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1566</Articleid>
                    <excerpt>સર્વજન સમાનમાં માનતા બૌદ્ધ ધર્મ પ્રત્યે વધુને વધુ લોકો આકર્ષાતા જાય છે. ખંભાતના પાંદડ ગામમાં એક સાથે 44 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673adc7251284.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673adc7215746.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673adc7215746.jpg" length="128939" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Buddhist initiation, Khambhat, Pandad Village, Mahagujarat Buddhist Sangha Ahmedabad</media:keywords>
                </item>
                        <item>
                    <title>ડો. આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર હતા, દલિતો મુસ્લિમ હોત: કોંગ્રેસ નેતા</title>
                    <link>https://khabarantar.com/dr-ambedkar-was-ready-to-accept-islam-dalits-would-have-been-muslims-congress-leader</link>
                    <guid>https://khabarantar.com/dr-ambedkar-was-ready-to-accept-islam-dalits-would-have-been-muslims-congress-leader</guid>
                    <description>
                        <![CDATA[ કોંગ્રેસના એક નેતા અને પૂર્વ ધારાસભ્યે દાવો કર્યો છે કે, ડો. આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા. તેમણે બીજા પણ અનેક ચોંકાવનારા દાવા કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટક કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય સૈયદ અઝીમ પીર ખાદરીએ એક વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે, ડો. આંબેડકર ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે તૈયાર હતા. તેમણે કહ્યું છે કે જો આવું થયું હોત તો રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વર અને બીજા ઘણા દલિતો આજે મુસ્લિમ હોત. ખાદરી સોમવારે કર્ણાટકના શિવગાંવમાં એક રાજકીય રેલીને સંબોધિત કરી રહ્યા હતા. ભાજપે તેમના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ખાદરીનું નિવેદન તેમની પાર્ટીના વિચારોને પ્રતિબિંબિત કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના નેતા અઝીમ પીર ખાદરીએ ભાષણમાં કહ્યું, "મેં વાંચ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડકર તેમના અંતિમ દિવસોમાં બૌદ્ધ ધર્મમાં જોડાયા હતા પરંતુ જો તેમણે બૌદ્ધ ધર્મ ન સ્વીકાર્યો હોત તો તેઓ ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા." ખદરીએ વધુમાં કહ્યું કે, “જો બાબાસાહેબ આંબેડકરે ઈસ્લામ કબૂલ કર્યો હોત તો તેમનું નામ એલ હનુમંથૈયા હસન સાબ હોત.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખાદરીએ વધુમાં કહ્યું, “આજે પણ મુસ્લિમો અને દલિતો વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યાં પણ તમે દલિતોને જોશો ત્યાં ઘણીવાર મુસ્લિમ દરગાહ પણ હશે.” તેમના મતે બંને સમાજો વચ્ચે ઉંડું જોડાણ છે અને ડો. આંબેડકર પણ આ સંબંધને સમજતા હતા. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, "જો બાબાસાહેબ આંબેડકર ઈસ્લામમાં જોડાયા હોત તો રામપ્પા (તિમ્માપુર) રહીમ હોત, ડૉ. જી પરમેશ્વર 'પીર સાહેબ' હોત, હનુમંત ગૌડા હસન હોત અને મંજુનાથ તિમ્માપુર 'મહેબૂબ' હોત."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ખાદરીના નિવેદનથી કોંગ્રેસે અંતર જાળવ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ ખાદરીનું આ નિવેદન વાયરલ થતા જ કોંગ્રેસે તેનાથી અંતર જાળવ્યું છે. ખાદરીના ભાષણ દરમિયાન મંચ પર હાજર MLC નાગરાજ યાદવે એક મીડિયાને આપેલા નિવેદનમાં તેને 'અયોગ્ય' ગણાવતા કહ્યું કે તેઓ આ નિવેદનનું બિલકુલ સમર્થન કરતા નથી. તેમણે કહ્યું, “ડો. આંબેડકર ભારતના અત્યાર સુધીના મહાનતમ નેતાઓ પૈકીના એક હતા. તેઓ સર્વ ધર્મ સમભાવમાં માનતા હતા અને ઈચ્છતા હતા કે બધા લોકો બધા ધર્મોનો સ્વીકાર કરે. ખાદરીએ આવા નિવેદનો આપવાનું બંધ કરવું જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ભાજપે કોંગ્રેસ પર વળતો હુમલો કર્યો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ નિવેદનને લઈને કોંગ્રેસ નેતા પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે ખાદરીનું નિવેદન તેમની અને તેમની પાર્ટીની અજ્ઞાનતા દર્શાવે છે. ભાજના નેતા સીટી રવિએ કહ્યું, "હૈદરાબાદના નિઝામ દ્વારા આંબેડકરને ઈસ્લામમાં ધર્માંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેમણે ડો. આંબેડકરને કરોડો રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. આંબેડકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે </span><span style="color: rgb(0, 0, 0);"><span style="font-size: 14pt;">ઈસ્લામમાં કોઈ સમાનતા નથી અને તેમાં અસહિષ્ણુતા છે."</span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે સૈયદ અઝીમ પીર ખાદરીએ ટિકિટ ન મળતા પાર્ટી સામે બળવો કર્યો હતો અને શિગગાંવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અગાઉ 8 નવેમ્બરના રોજ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને આરએસએસ ડો. આંબેડકરના બંધારણને ખતમ કરવા માંગે છે અને તેની જગ્યાએ મનુસ્મૃતિની વિચારધારા પર આધારિત બંધારણ લાવવા માંગે છે. કોંગ્રેસે એમ પણ કહ્યું કે એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિ આધારિત વસ્તી ગણતરીને દેશના ભાગલા પાડવાનો પ્રયાસ ગણાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/buddhist-community-in-melbourne-australia-remembers-ambedkar-buddha">ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બૌદ્ધ સમાજે આંબેડકર-બુદ્ધને યાદ કર્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 12 Nov 2024 19:05:36 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1537</Articleid>
                    <excerpt>કોંગ્રેસના એક નેતા અને પૂર્વ ધારાસભ્યે દાવો કર્યો છે કે, ડો. આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા. તેમણે બીજા પણ અનેક ચોંકાવનારા દાવા કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_673358b136c04.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_673358b1014a3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_673358b1014a3.jpg" length="67974" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dr. Ambedkar, Islam, Syed Azim Pir Khadri, Karnataka Congress leader</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઇરાકમાં પુરૂષો 9 વર્ષની છોકરીઓ સાથે લગ્ન કરી શકશે, કાયદામાં સુધારાની તૈયારી</title>
                    <link>https://khabarantar.com/men-in-iraq-will-be-able-to-marry-9-year-old-girl-preparations-for-law-reform</link>
                    <guid>https://khabarantar.com/men-in-iraq-will-be-able-to-marry-9-year-old-girl-preparations-for-law-reform</guid>
                    <description>
                        <![CDATA[ એકબાજુ દુનિયા આખી બાળલગ્નને ખતમ કરવાના પ્રયાસો કરી રહી છે, બીજી તરફ આ દેશ ઉંધી દિશામાં આગળ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દુનિયા આખીમાં એકબાજુ બાળ લગ્નની દુષ્ટતાને ખતમ કરવાના પ્રયાસો ચાલુ છે. ત્યારે હજુ પણ એવા ઘણા દેશો છે જે બાળ લગ્નને કાયદેસર બનાવવા માટે મથી રહ્યાં છે. વાત ઈરાકની છે, જ્યાં લગ્નની ઉંમરમાં સુધારાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર છોકરીઓની લગ્નની ઉંમર ઘટાડવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પુરુષો નવ વર્ષની છોકરી સાથે લગ્ન કરી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો આ સુધારો અહીં પસાર થશે તો માત્ર લગ્નની ઉંમર જ નહીં પરંતુ છૂટાછેડા, બાળકોની કસ્ટડી અને સંપત્તિ જેવા મહિલાઓના વિશેષ અધિકારો પર પણ અંકુશ આવી જશે. આ બિલ ઇરાકી નાગરિકોને પારિવારિક બાબતો પર નિર્ણય લેવા માટે ધાર્મિક અધિકારીઓ અથવા નાગરિક ન્યાયતંત્રની પસંદગી કરવાની પણ મંજૂરી આપશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મિડલ ઈસ્ટ આઈ અનુસાર, પર્સનલ સ્ટેટસ એક્ટ ૧૯૫૯ના નિયમ ૧૮૮ને બદલવાની વાત થઈ રહી છે. જૂનો નિયમ અબ્દુલ કરીમ કાસિમ સરકારે બનાવ્યો હતો. કાસિમ એક પ્રગતિશીલ ડાબેરી તરીકે જાણીતા હતા, જેમના સમય દરમિયાન ઘણા મોટા ફેરફારો લાવવામાં આવ્યા હતા. આમાંથી એક હતી છોકરીઓના લગ્ન ૧૮ વર્ષની થાય પછી જ કરવાનો ફેરફાર. તેને પચાસના દાયકાના અંતમાં સમગ્ર મધ્ય પૂર્વમાં શ્રેષ્ઠ કાયદાઓમાંનો એક માનવામાં આવતો હતો. માત્ર ચોક્કસ ઉંમરે લગ્ન જ નહીં, આ નિયમમાં બીજી ઘણી બાબતો પણ કહેવામાં આવી છે, જેમ કે પુરુષો તેમની ઈચ્છા મુજબ બીજી વાર લગ્ન કરી શકતા નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયદા અનુસાર, જો કોઈ મુસ્લિમ પુરુષ અને બિન-મુસ્લિમ મહિલા લગ્ન કરવા ઈચ્છે છે, તો તેના પર કોઈ શરત અથવા પૂર્વ શરત રહેશે નહીં. જો કે, કાયદો લાગે તેટલો સીધો ન હતો. વસ્તીને ખુશ કરવા માટે, એક નિયમ પણ દાખલ કરવામાં આવ્યો હતો કે જો પરિવાર અને ન્યાયાધીશની પરવાનગી હોય તો ૧૫ વર્ષની ઉંમરે પણ લગ્ન થઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાલમાં ઈરાકમાં મોહમ્મદ શિયા અલ-સુદાનીની સરકાર છે, જે પોતે શિયા મુસ્લિમ છે અને તેને શિયા પક્ષોનું સમર્થન છે. શિયા પક્ષોના ગઠબંધનની આગેવાની હેઠળની ઇરાકની સરકારે કહ્યું છે કે સુધારો ઇસ્લામિક શરિયા કાયદા હેઠળ છે અને તેનો ઉદ્દેશ્ય યુવાન છોકરીઓની સુરક્ષા કરવાનો છે. ખાસ વાત એ છે કે ઈરાકી મહિલા સમૂહના સતત વિરોધ છતાં ઈરાક સરકાર આ કાયદો પસાર કરવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાયદામાં સુધારો કરવા માટે પહેલાથી જ પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે, પહેલીવાર એવું લાગી રહ્યું છે કે સાંસદો કાયદો પસાર કરવામાં સફળ થઈ શકે છે. આ પહેલા કાયદામાં બીજો સુધારો ૧૬ સપ્ટેમ્બરે પસાર કરવામાં આવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર તેને લો ૧૮૮ નામ આપવામાં આવ્યું છે. આ કાયદો ઇરાકમાં રહેતા તમામ સંપ્રદાયોના પરિવારોને સમાનરૂપે લાગુ કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/evrything-from-parliament-ro-airport-is-built-on-waqf-land"> સંસદથી લઈ એરપોર્ટ સુધી બધું જ વકફની જમીન પર બનેલું છે…</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 11 Nov 2024 20:49:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1531</Articleid>
                    <excerpt>એકબાજુ દુનિયા આખી બાળલગ્નને ખતમ કરવાના પ્રયાસો કરી રહી છે, બીજી તરફ આ દેશ ઉંધી દિશામાં આગળ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_67321fd46560e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_67321fd437139.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_67321fd437139.jpg" length="52548" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Child marriage, Iraq</media:keywords>
                </item>
                        <item>
                    <title>AMUના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય,  જાણો CJI ચંદ્રચુડે શું કહ્યું?</title>
                    <link>https://khabarantar.com/supreme-courts-decision-on-amus-minority-status-know-what-cji-chandrachud-said</link>
                    <guid>https://khabarantar.com/supreme-courts-decision-on-amus-minority-status-know-what-cji-chandrachud-said</guid>
                    <description>
                        <![CDATA[ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને લઈને 7 ન્યાયાધીશોની બેન્ચે નવી સમિતિની રચના કરી છે, જે AMUના લઘુમતી દરજ્જાની દિશા નક્કી કરશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના લઘુમતી દરજ્જાને લઈને સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. 7 ન્યાયાધીશોની બેન્ચે યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા અંગે નિર્ણય લેવા માટે નવી સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ત્રણ જજ હશે, જે AMUના લઘુમતી દરજ્જાની દિશા નક્કી કરશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટના 7 જજોની બેન્ચમાં ચાર જજોએ સર્વસંમતિથી નિર્ણય આપ્યો છે.જ્યારે ત્રણ ન્યાયાધીશોએ અસંમતિ દર્શાવી છે. CJI ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાએ સર્વસંમતિથી એએમયુ લઘુમતી સંસ્થા છે કે નહીં તે અંગે ચુકાદો આપવાનો ઇનકાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બેન્ચે, 4:3 બહુમતીના નિર્ણયમાં, એસ અઝીઝ બાશા વિ યુનિયન ઓફ ઈન્ડિયામાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદિયો આપ્યો, જેમાં સંસ્થાનો માનદ દરજ્જો કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે નિર્ધારિત કર્યું. અલ્હાબાદ હાઈકોર્ટે 2006માં પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે 1920માં શાહી કાયદા દ્વારા સ્થાપિત AMU લઘુમતી સંસ્થા નથી. જો કે, આ નિર્ણયમાં આપવામાં આવેલી દલીલોના આધારે AMUનો લઘુમતી દરજ્જો ફરીથી નક્કી કરવાનું કામ ત્રણ જજોની બેંચ પર છોડી દેવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું છે કે ત્રણ ન્યાયાધીશોની બનેલી સમિતિએ નક્કી કરવું પડશે કે આ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી અને આવું કરવાનો ઈરાદો શું હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, સર સૈયદ અહેમદ ખાને 1875માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની 'અલીગઢ મુસ્લિમ કોલેજ' તરીકે સ્થાપના કરી હતી. તેને વર્ષ 1920 માં યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો, ત્યારબાદ તેનું નામ 'અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી' રાખવામાં આવ્યું. વર્ષ 1955માં યુનિવર્સિટીના દરવાજા બિન-મુસ્લિમો માટે પણ ખોલવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/Mirza-Ghalib:-Shayar-to-wo-achcha-hai,-par-badnam-bahut-hai">મિર્ઝા ગાલિબ : શાયર તો વો અચ્છા હૈ, પર બદનામ બહુત હૈ...</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 08 Nov 2024 19:06:14 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1514</Articleid>
                    <excerpt>અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને લઈને 7 ન્યાયાધીશોની બેન્ચે નવી સમિતિની રચના કરી છે, જે AMUના લઘુમતી દરજ્જાની દિશા નક્કી કરશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672e12e8c7e1e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672e12e891fed.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672e12e891fed.jpg" length="75476" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Minority Status, Aligarh Muslim University, CJI Chandrachud</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બૌદ્ધ સમાજે આંબેડકર&amp;બુદ્ધને યાદ કર્યા</title>
                    <link>https://khabarantar.com/buddhist-community-in-melbourne-australia-remembers-ambedkar-buddha</link>
                    <guid>https://khabarantar.com/buddhist-community-in-melbourne-australia-remembers-ambedkar-buddha</guid>
                    <description>
                        <![CDATA[ મેલબોર્નમાં રહેતા ભારતીય બૌદ્ધ સમાજે એકઠા થઈને મહાનાયક ડો. આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધને યાદ કર્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ભારતીય બૌદ્ધ સમુદાયે 19 ઓક્ટોબર 2024ના રોજ 68મો ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન મેલબોર્ન બુદ્ધિસ્ટ સેન્ટર અને ભારતીય બૌદ્ધ સમાજ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બૌદ્ધ સમાજે બાબાસાહેબ ડો.આંબેડકર અને તથાગત બુદ્ધના વિચારોનો પુનરોચ્ચાર કર્યો હતો. આ કાર્યક્રમમાં તમામ ઉંમરના લોકોએ હાજરી આપી હતી અને તેમાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોનો પણ સમાવેશ થતો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">14 ઓક્ટોબર 1956ના રોજ, ડૉ. ભીમરાવ આંબેડકરે મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર શહેરમાં તેમના પાંચ લાખથી વધુ અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. તેના માત્ર બે દિવસ પછી 16 ઓક્ટોબર 1956ના રોજ, મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પણ ધમ્મ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રપુરમાં આ સમારોહનું આયોજન કરનાર સમિતિમાં સ્વ. ડૉ. જમનાદાસ ખોબ્રાગડેની મુખ્ય ભૂમિકા હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202411/image_870x_672ca98f057c8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">19 ઓક્ટોબરે મેલબોર્નમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દિવંગત ડૉ. જમનાદાસ ખોબ્રાગડેના પુત્ર ડૉ. પ્રશાંત ખોબરાગડે પણ સિડનીથી મેલબોર્ન પહોંચ્યા હતા. તેમના સંબોધન દરમિયાન, તેમણે 1956માં ચંદ્રપુરમાં બનેલી ઐતિહાસિક ઘટના વિશે તેમના પિતા પાસેથી સાંભળેલી વાતો શેર કરી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન ડૉ. સંજય લોહટે ડૉ. આંબેડકરના પુસ્તક “ધ બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ” વાંચવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. આ દરમિયાન હાજર રહેલા સ્વરૂપ લાંડગેએ ડો. આંબેડકરની ચળવળમાં ભાગ લેનાર તેમના પરિવારના સભ્યોના અનુભવો પણ શેર કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સભાને સંબોધિત કરનારા અગ્રણી મહેમાનોમાં ડૉ. સંજય લોહત, ડૉ. પ્રશાંત ખોબ્રાગડે, ધમ્મચારી શીલદાસ, શ્રી સ્વરૂપ લાંડગેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, કે ધમ્મ દીક્ષા દિવસ અથવા ધમ્મ ચક્ર પ્રવર્તન દિવસ દર વર્ષે ભારતના બૌદ્ધો દ્વારા ઉજવવામાં આવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેલબોર્ન બુદ્ધિસ્ટ સેન્ટર ત્રિરત્ન બૌદ્ધ સમાજ દ્વારા ચલાવવામાં આવે છે. તે અગાઉ ફ્રેન્ડ્સ ઓફ ધ વેસ્ટર્ન બૌદ્ધ ઓર્ડર (FWBO) તરીકે ઓળખાતું હતું. તે એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે જે સમગ્ર વિશ્વમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને ફેલાવવાનું કામ કરે છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય બૌદ્ધ સમાજે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/in-kakarwa-village-of-kutch-16-dalits-renounced-hinduism-and-became-buddhists">કચ્છના કકરવા ગામે 16 દલિતો હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ બન્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 07 Nov 2024 17:28:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1507</Articleid>
                    <excerpt>મેલબોર્નમાં રહેતા ભારતીય બૌદ્ધ સમાજે એકઠા થઈને મહાનાયક ડો. આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધને યાદ કર્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202411/image_140x98_672ca97324c13.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202411/image_870x580_672ca972e5cdb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202411/image_870x580_672ca972e5cdb.jpg" length="115567" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Australia, Melbourne, Buddhist Society, Dhamma initiation program</media:keywords>
                </item>
                        <item>
                    <title>બનાસકાંઠાના ચૂડમેરમાં 31 દલિતોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ દીક્ષા લીધી</title>
                    <link>https://khabarantar.com/31-dalits-renounced-hinduism-and-took-buddhist-initiation-in-banaskanthas-chudmer-village</link>
                    <guid>https://khabarantar.com/31-dalits-renounced-hinduism-and-took-buddhist-initiation-in-banaskanthas-chudmer-village</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી-મનુવાદી હિંદુ ધર્મમાં ગુંગળામણ અનુભવતા 8 પરિવારના 31 સભ્યોએ એકસાથે ડો. આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Buddhist initiation program chudmer banaskantha : દેશમાં ચોતરફ અરાજકતાનો માહોલ છે. ખાસ કરીને હિંદુત્વવાદી તત્વો જે રીતે ગૌરક્ષા સહિતના મામલે બેફામ બની દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને તેમના પર અત્યાચાર ગુજારી રહ્યાં છે તેના કારણે વધુને વધુ દલિતોનો હિંદુ ધર્મથી મોહભંગ થઈ રહ્યો છે. તેમને સતત એ અહેસાસ થઈ રહ્યો છે કે, મનસ્મૃતિના વિચારો પર આધારિત આ ધર્મમાં તેમની જાતિના કારણે તેમની સાથે થતા ભેદભાવો કદી ખતમ થવાના નથી. તેનાથી બહેતર છે કે કોઈ એવો ધર્મ અપનાવવો જેમાં તેમને માણસ તરીકે સમાન ગણીને તેમની સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવતો હોય. એટલે જ વધુને વધુ લોકો ડો. આંબેડકરના માર્ગે ચાલીને તથાગત ગૌતમ બુદ્ધ સ્થાપિત બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_67207e2ec6900.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">અંતરિયાળ ગામો સુધી બૌદ્ધ ધર્મની સુવાસ પહોંચી</span></strong><br><span style="font-size: 14pt;">ગુજરાતમાં સમયાંતરે બૌદ્ધ દીક્ષાના કાર્યક્રમો યોજાતા રહે છે અને આવો વધુ એક કાર્યક્રમ બે દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લામાં યોજાઈ ગયો. અહીં થરાદ તાલુકાના ચૂડમેર ગામે 31 સભ્યોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદના નેજા હેઠળ તા. 27 ઓક્ટોબરને રવિવારના રોજ સવારે 8.30 થી 11.30 દરમિયાન યોજાયેલા આ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કાર્યક્રમમાં 8 પરિવારોના કુલ 31 સભ્યોએ બંધારણીય બૌદ્ધ ધમ્મની દીક્ષા ગ્રહણ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આયુ. રામસેંગ વરણ (રાશિજી બૌદ્ધ) અને સિંહલ કાંતિજી સાથે મહાગુજરાત બૌદ્ધ સંઘના સહકારથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘના સંચાલક માનનીય આયુ. સિંહલ બોધિધર્મનજીના સાન્નિધ્યમાં અહીંના અલગ અલગ 4 તાલુકાના 8 પરિવારોના મળી 31 સભ્યોએ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા ગ્રહણ કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_67207e2d7628f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">શાંતિપૂર્ણ રેલી, ત્રિશરણ, પંચશીલે આકર્ષણ જમાવ્યું</span></strong><br><span style="font-size: 14pt;">કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સવારે 8.00 વાગ્યે ત્રિશરણના શંખનાદ સાથે અને ફોટો બેનર સાથે ગામની શેરીઓમાં શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી. રેલી પૂર્ણ થયા બાદ તમામ દીક્ષાર્થીઓને દીક્ષા સ્થળ પર શિસ્તબદ્ધ રીતે બેસાડવામાં આવ્યા અને તેમના હસ્તે તથાગત બુદ્ધ અને બોધિસત્વ ડૉ. ભીમરાવ આંબેડકરના ફોટાને દીપ પ્રજ્વલિત કરી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરવામાં આવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરની 22 પ્રતિજ્ઞાનું પઠન કર્યા બાદ મહેમાનોના હસ્તે દરેક દીક્ષાર્થીઓને મહા ગુજરાત બૌદ્ધ સંઘના ધમ્મ દીક્ષાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. અંતે અલ્પાહાર કરી સૌ છુટા પડ્યા હતા. દીક્ષાર્થીઓએ મહાગુજરાત બૌદ્ધ સંઘની ટીમનો આભાર માન્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_67207e2e2bc14.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">AI ના યુગમાં જાતિગત ભેદભાવ સહન ન થાય : આયુ. સિંહલ બોધિ ધર્મનજી</span></strong></span><br><span style="font-size: 14pt;">આ દીક્ષા કાર્યક્રમના આયોજક મહા ગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદના આયુ. સિંહલ બોધિ ધર્મનજીએ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મનુવાદની ધરી પર ઉભેલો હિંદુ ધર્મ માણસ માણસ વચ્ચે સેંકડો ભેદભાવો કરે છે. ધર્મની આડમાં દલિતો, આદિવાસીઓને સેકન્ડ ક્લાસ સિટિઝન ગણી તેમને સતત અપમાનિત કરાય છે. ગુજરાત સહિત દેશભરમાં સતત દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને જે રીતે હિંદુ ધર્મીઓ દ્વારા ભેદભાવ, અસ્પૃશ્યતા દાખવવામાં આવે છે તેનાથી આ સમાજના લોકો ભારે વ્યથિત છે. કાયદો અમલમાં હોવા છતાં જાતિવાદી અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. મનુવાદી વર્ણવ્યવસ્થાની ધરી પર ટકેલા હિંદુ ધર્મમાં દલિતો, આદિવાસીઓ ગમે તેટલાં ભણીગણીને આગળ વધી જાય તો પણ તેમને નિમ્ન સ્તરના ગણીને ઉતારી પાડવામાં આવે છે. એક બાજુ દુનિયાના એઆઈના યુગમાં પહોંચી ગઈ છે, જ્યારે ભારત સતત જાતિ, ધર્મના નામે દલિતો પર અત્યાચાર કરીને અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે. એ સ્થિતિમાં દલિતો સર્વને સમાન માનતા બૌદ્ધ ધર્મ તરફ વળે તેમાં મને કશી નવાઈ નથી લાગતી. આ સ્થિતિ હજુ ચાલુ રહેશે તો હજુ વધુ લોકો હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ બનતા અચકાશે નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-kakarwa-village-of-kutch-16-dalits-renounced-hinduism-and-became-buddhists">કચ્છના કકરવા ગામે 16 દલિતો જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ બન્યાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 29 Oct 2024 11:52:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1478</Articleid>
                    <excerpt>જાતિવાદી-મનુવાદી હિંદુ ધર્મમાં ગુંગળામણ અનુભવતા 8 પરિવારના 31 સભ્યોએ એકસાથે ડો. આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67207e2fa61ce.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67207e2f6a343.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67207e2f6a343.jpg" length="91025" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Buddhist initiation program, banaskantha, Gujarat, chudmer village, Dalit News</media:keywords>
                </item>
                        <item>
                    <title>સાધુનો વેશ ધારણ કરી ભીખ માંગતા ત્રણ મુસ્લિમોને ગામલોકો ફટકાર્યા</title>
                    <link>https://khabarantar.com/villagers-beat-up-three-muslims-who-disguised-themselves-as-monks-and-begged</link>
                    <guid>https://khabarantar.com/villagers-beat-up-three-muslims-who-disguised-themselves-as-monks-and-begged</guid>
                    <description>
                        <![CDATA[ બેકારી અને ગરીબીના કારણે મુસ્લિમ સમાજના ત્રણ લોકો સાધુના વેશમાં ભીખ માંગી રહ્યા હતા, ગ્રામજનોએ તેમને પકડી લીધા અને માર માર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમ સમાજના ત્રણ લોકોને સાધુનો વેશ ધારણ કરીને ઝૂંપડપટ્ટીમાં ભીખ માંગવી ભારે પડી છે. શંકા જતાં ગ્રામજનોએ તેમની પૂછપરછ કરી હતી. એ પછી ત્રણેયને પકડીને માર માર્યો હતો. સાધુઓ સાથે થયેલી મારામારીના સમાચાર મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંનેની ધરપકડ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના બસ્તીમાં મુસ્લિમ સમુદાયના લોકોને સાધુના વેશમાં ભીખ માંગવા મજબૂર કરવામાં આવ્યા હતા. શંકા જતાં ગ્રામજનોએ તેની પૂછપરછ કરી હતી. આ પછી ત્રણેયને પકડીને માર મારવામાં આવ્યો હતો. સાધુઓની મારપીટના સમાચાર મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેની ધરપકડ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/who-is-hassan-nasrallah-and-hezbollah">કોણ છે હસન નસરલ્લાહ અને હિઝબુલ્લાહ?</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો નારાયણપુરના સિસવારી કુંવર ધરિયવા ગામનો છે. મળતી માહિતી મુજબ સાધુના વેશમાં ત્રણ વ્યક્તિઓ ગામમાં ભીખ માંગવા પહોંચ્યા હતા. શંકા જતા ગ્રામજનોએ તેમને પકડી લીધા અને પછી તેની પૂછપરછ શરૂ કરી દીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ગ્રામજનોની શોધખોળ દરમિયાન ત્રણેય પાસેથી શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તપાસમાં સામે આવ્યું હતું કે, ત્રણેય વ્યક્તિઓ મુસ્લિમ સમાજના હતા પણ બેકારીને કારણે કશું કામ ન મળતા સાધુ બનીને ભીખ માંગી પોતાનો ગુજારો કરતા હતા. જેના પર ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને ત્યારબાદ ત્રણેયને માર્યા હતા અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન ગામમાં કોઈએ એવી અફવા ફેલાવી દીધી કે અમુક શંકાસ્પદ લોકો થાઈલેન્ડની વસ્તીમાંથી આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેયની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન પકડાયેલા લોકોએ જણાવ્યું કે તેઓ ગામડે ગામડે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. પોલીસ પૂછપરછ દરમિયાન, તેમના નામ ફૂલ મોહમ્મદ (ગામ- જગતમાફી એકોના, દેવરિયા) મોહમ્મદ હદીશ (રહેવાસી ગોલા બજાર, ગોરખપુર) અને લલકુ (ગોલા બજાર, ગોરખપુર) હોવાનું સામે આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-mob-of-300-killed-two-muslim-youths-mistaking-them-for-thieves-killing-one">300 લોકોના ટોળાએ બે મુસ્લિમ યુવકોને ચોર સમજીને માર્યા, એકનું મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 26 Oct 2024 13:49:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1465</Articleid>
                    <excerpt>બેકારી અને ગરીબીના કારણે મુસ્લિમ સમાજના ત્રણ લોકો સાધુના વેશમાં ભીખ માંગી રહ્યા હતા, ગ્રામજનોએ તેમને પકડી લીધા અને માર માર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671ca4b3627ca.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671ca4b324d7c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671ca4b324d7c.jpg" length="73641" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Minority News, UP News</media:keywords>
                </item>
                        <item>
                    <title>સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં</title>
                    <link>https://khabarantar.com/no-relief-of-muslim-party-against-bulldozer-action-in-somnath</link>
                    <guid>https://khabarantar.com/no-relief-of-muslim-party-against-bulldozer-action-in-somnath</guid>
                    <description>
                        <![CDATA[ સોમનાથમાં ગેરકાયદે બાંધકામો અને દબાણોને તોડી પાડવા મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ સોમનાથ ખાતે ગેરકાયદે બાંધકામ, દબાણો ઉપર હાથ ધરાયેલ બુલડોઝર એક્શન કેસમાં, આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન અરજદારની ધારદાર દલીલો છતાં સર્વોચ્ચ અદાલતે અરજદાર તરફે કોઈપણ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સરકારી જમીન છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, જમીનનો કબજો આગામી આદેશ સુધી સરકાર પાસે જ રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમ પક્ષ વતી દલીલો રજૂ કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે, આ સંરક્ષિત સ્મારકો છે. કોઈપણ તૃતીય પક્ષના અધિકારો નથી. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે તૃતીય પક્ષના અધિકારો શું છે? આ સરકારી જમીન છે. હાઈકોર્ટ આ બાબતથી વાકેફ છે. સિબ્બલે કહ્યું કે આ તમારા આદેશનું અપમાન છે. સિબ્બલે કહ્યું કે તોડી પાડવાનું કારણ એ છે કે તે સ્મારકો અરબી સમુદ્રની નજીક છે અને જળાશયની તે નજીક હોઈ શકે નહીં. અહીં સંરક્ષિત સ્મારકો તોડી પાડવામાં આવ્યા હતા. શું તમે તમારા આદેશ છતાં તેની કલ્પના કરી શકો છો?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિબ્બલની આ દલીલ પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ત્યાં કોઈ સંરક્ષિત સ્મારક નથી. જસ્ટિસ ગવઈએ કહ્યું કે હાઈકોર્ટનો આ આદેશ ૨૦૧૫માં પસાર કરવામાં આવ્યો હતો. તમે જણાવેલ હેતુઓ માટે જ જમીનનો ઉપયોગ કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટે પણ યથાસ્થિતિ જાળવવા આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોલિસિટર જનરલનું કહેવું છે કે આગળના આદેશ સુધી જમીનનો કબજો સરકાર પાસે રહેશે અને કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં અમને કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જરૂરી લાગતો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ૨૮ સપ્ટેમ્બરના રોજ, ગીર સોમનાથ તંત્રે મુસ્લિમોના કેટલાક ધાર્મિક સ્થાનો, ઘરો અને કબરો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.  તેની સામે સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પટની અરજી દાખલ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે બુલડોઝરની કાર્યવાહી રોકવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મોટાપાયે ડિમોલિશનનું કામ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સમગ્ર પટણી મુસ્લિમ જમાતે વહીવટીતંત્રની કાર્યવાહી સામે અરજી કરી છે. અરજીમાં તેમણે સુપ્રીમ કોર્ટના ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના આદેશના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/supreme-court-refuses-to-ban-bulldozer-operation-in-somnath"> સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી પ્રતિબંધ મૂકવા સુપ્રીમનો ઈનકાર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 25 Oct 2024 20:13:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1462</Articleid>
                    <excerpt>સોમનાથમાં ગેરકાયદે બાંધકામો અને દબાણોને તોડી પાડવા મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671badd85d6bb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671badd829c3e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671badd829c3e.jpg" length="100178" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bulldozer action in Somnath, Suprem Court</media:keywords>
                </item>
                        <item>
                    <title>જામિયા મિલિયા માં દિવાળીના નામે દંગા કરનારા તત્વો કોણ છે?</title>
                    <link>https://khabarantar.com/who-are-the-rioters-in-jamia-millia-in-the-name-of-diwali</link>
                    <guid>https://khabarantar.com/who-are-the-rioters-in-jamia-millia-in-the-name-of-diwali</guid>
                    <description>
                        <![CDATA[ દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિ.માં દિવાળીની ઉજવણીના બહાને મુસ્લિમ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરનાર તોફાની તત્વોને ઓળખો? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંગળવારે સાંજે જામિયા મિલિયા ઈસ્લામિયા (Jamia Millia Islamia) માં તણાવ (Clash) પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. BJP-RSS ABVP (Akhil Bharatiya Vidyarthi Parishad) સાથે જોડાયેલા સંગઠન રાષ્ટ્રીય કલા મંચ દ્વારા દિવાળી કાર્યક્રમ (Diwali program) નું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં બહારના અસામાજિક તત્વોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જામિયામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ (Muslim students) ની સંખ્યા વધુ છે. તેમની વચ્ચે બહારથી આવેલા અસામાજિક તત્વોએ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા અને છોકરીઓને ધક્કો માર્યો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'જ્યોતિર્મય 2024' નામના કાર્યક્રમમાં RSS અને ABVPના વરિષ્ઠ નેતાઓ સહિત કેમ્પસની બહારના લોકોએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે લાઠીચાર્જ દરમિયાન વિદ્યાર્થિનીઓને ધક્કો મારવાનો અને ધક્કો મારવાનો જેમણે વિરોધ કર્યો હતો તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ એવો પણ દાવો કર્યો હતો કે ઇવેન્ટમાં ભાગ લેનારાઓ જામિયાના વિદ્યાર્થીઓ ન હતા. જામિયા પ્રશાસને કાર્યક્રમ માટે આયોજકોને આપેલો સમય પૂરો થયા પછી પણ આયોજકોએ સ્થળ ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ ઘટનાના વીડિયોમાં જામિયા કેમ્પસમાં દિવાળીની ઉજવણી દરમિયાન લોકોનું એક જૂથ સૂત્રોચ્ચાર કરતું જોવા મળે છે. સોશિયલ મીડિયા પરની અન્ય ક્લિપ્સમાં ABVP કાર્યકરોએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓના એક જૂથે દિવાળીની ઉજવણીમાં વિક્ષેપ પાડ્યો હતો અને 'પેલેસ્ટાઈન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/sikh-leader-demands-ban-on-rss-network-in-canada">શીખ નેતાએ કેનેડામાં આરએસએસના નેટવર્ક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસે દક્ષિણ પૂર્વ પોલીસના ડેપ્યુટી કમિશ્નર રવિ કુમારને ટાંકીને કહ્યું કે, “ઘટના મંગળવારે સાંજે સાડા સાતથી આઠ વાગ્યાની આસપાસ ગેટ 7 પાસે બની હતી. ABVP સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું એક જૂથ દિવાળી માટે દીવા પ્રગટાવતું હતું અને રંગોળી બનાવી રહ્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓના અન્ય જૂથ નારાજ થઈ ગયા હતા અને સજાવટ તોડી હતી, જેના કારણે ઝપાઝપી થઈ હતી. બંને પક્ષોએ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું હતું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI), ફ્રેટરનિટી મૂવમેન્ટ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ના JMI યુનિટે હિન્દુત્વ વિદ્યાર્થી પાંખ ABVPની પ્રવૃત્તિઓની નિંદા કરી અને તેના પર કેમ્પસમાં શાંતિ ભંગ કરવાનો આરોપ લગાવ્યો. બંધુત્વ ચળવળ અને SFI એ કાર્યક્રમને મંજૂરી આપવા બદલ યુનિવર્સિટી વહીવટીતંત્રની ટીકા કરી હતી જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">SFI એ તેના નિવેદનમાં દાવો કર્યો કે, "દિવાળીની ઉજવણીની આડમાં એબીવીપીના લોકો તેમની સ્થાનિક ગુંડા ગેંગ સાથે જામિયા કેમ્પસમાં આવ્યા, મુસ્લિમ વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન કર્યું અને તેમની સામે આક્રમક અને સાંપ્રદાયિક સૂત્રોચ્ચાર કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે યુનિવર્સિટીના કેટલાક અસલી વિદ્યાર્થીઓએ ABVP સાથે આવેલા લોકોના વર્તન સામે વાંધો ઉઠાવ્યો ત્યારે ABVP નેતાઓના નેતૃત્વમાં બહારના તત્વોએ જામિયાના વિદ્યાર્થીઓ પર ક્રૂર હિંસા શરૂ કરી. પોલીસે તરત જ ભારે લાઠીચાર્જ સાથે દરમિયાનગીરી કરી, જેણે સામાન્ય વિદ્યાર્થીઓને પણ ઇજા પહોંચાડી અને ભયભીત કર્યા, જ્યારે વાસ્તવિક ગુંડાઓ રક્ષણાત્મક રહ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-judge-granrted-bail-to-the-accused-on-the-condition-that-he-salutes-the-national-flag-21-times">જજનો તરંગી નિર્ણય, આરોપીને 21 વાર રાષ્ટ્રધ્વજને સલામી આપી 'ભારત માતા કી જય' બોલવા કહ્યું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસએફઆઈના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશને જવાબ આપવો જોઈએ કે તેમણે આવી ઘટનાને કેવી રીતે અને શા માટે મંજૂરી આપી હતી જ્યારે સામાન્ય વિદ્યાર્થીઓ પાસે વાંચન વર્તુળનું આયોજન કરવાની સ્વતંત્રતા પણ નથી," </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડિસેમ્બર 2019માં CAA વિરોધી આંદોલનને પગલે જામિયા કેમ્પસમાં કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શનો પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે યુનિવર્સિ‌ટી તંત્ર અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી નાખવા અને તેમને ચૂપ કરાવવા માટે પોલીસીંગ કરીને બહારના તત્વો સાથે પોતાનું દમનચક્ર ચલાવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમે જામિયા મિલિયા ઈસ્લામિયામાં દિવાળીના કાર્યક્રમ દરમિયાન થયેલા હંગામા પર પ્રતિક્રિયા આપી હતી. તેમનું કહેવું છે કે ટુકડે ટુકડે ગેંગ પોતાની ગતિવિધિઓને અંજામ આપી રહી છે. આ લોકો સમસ્યા બની રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/in-haryana-bjp-announced-itself-supreme-sc-will-implement-sub-classification">હરિયાણામાં જીતતા જ ભાજપે પોત પ્રકાશ્યું, એસસી પેટાવર્ગીકરણનો અમલ કરશે</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 23 Oct 2024 14:16:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1447</Articleid>
                    <excerpt>દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિ.માં દિવાળીની ઉજવણીના બહાને મુસ્લિમ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરનાર તોફાની તત્વોને ઓળખો?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6718b5421416b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6718b541cf22c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6718b541cf22c.jpg" length="84375" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Jamia Millia Islamia, Diwali Program Friction, ABVP, Muslim students</media:keywords>
                </item>
                        <item>
                    <title>21 વાર રાષ્ટ્રધ્વજને સલામી આપી ભારત માતા કી જય બોલો...</title>
                    <link>https://khabarantar.com/say-bharat-mata-ki-jai-by-saluting-the-national-flag-21-times</link>
                    <guid>https://khabarantar.com/say-bharat-mata-ki-jai-by-saluting-the-national-flag-21-times</guid>
                    <description>
                        <![CDATA[ દેશની કોર્ટોમાં બેઠેલા જજો કેવા કેવા તરંગી અને મનઘડંત ચૂકાદાઓ સંભળાવે છે તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Madhya Pradesh Jabalpur Bench Strange judgment : રાષ્ટ્ર વિરોધી નારા લગાવવા બદલ ધરપકડ કરાયેલા મધ્યપ્રદેશના યુવક ફૈઝલે મંગળવારે કોર્ટના આદેશ પર 21 વખત ત્રિરંગાને સલામી આપી હતી અને ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેંચના આદેશ બાદ ફૈઝલે ભોપાલ પોલીસ સ્ટેશનમાં 21 વખત 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા હતા. તેણે 'પાકિસ્તાન ઝિંદાબાદ અને ભારત મુર્દાબાદ'ના નારા લગાવવા બદલ પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે તેણે રીલ બનાવતી વખતે ભૂલથી તે સ્લોગનનો ઉપયોગ કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફૈઝલને જામીન આપતાં મધ્યપ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેંચે એવી શરત મૂકી હતી કે તેણે મહિનામાં બે વખત ભોપાલના મિસ રોડ પોલીસ સ્ટેશનમાં ત્રિરંગાને સલામી આપવી પડશે. જ્યાં સુધી મામલો થાળે ન પડે ત્યાં સુધી તેણે મહિનાના પહેલા અને ચોથા મંગળવારે ત્રિરંગાને સલામી આપવી પડશે અને 'ભારત માતા કી જય' ના નારા લગાવવા પડશે. કોર્ટના આદેશ બાદ ફૈઝલે તેની શરૂઆત કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ ડીકે પાલીવાલે 15 ઓક્ટોબરના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે આરોપીને કેટલીક શરતો લાદીને જામીન પર મુક્ત કરી શકાય છે, જેનાથી તેની અંદર એ જે દેશમાં જન્મ થયો છે અને જ્યાં જીવે છે તેના પ્રત્યે જવાબદારી અને ગર્વની ભાવના પેદા થાય.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપી ફૈઝલ ઉર્ફે ફૈઝાનની મે મહિનામાં ભોપાલના મિસરોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) (રાષ્ટ્રીય એકીકરણ માટે પ્રતિકૂળ નિવેદનો) ની કલમ 153B હેઠળ એફઆઈઆર દાખલ કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપ છે કે ફૈઝાને પાકિસ્તાનના સમર્થનમાં અને ભારત વિરુદ્ધ નારા લગાવ્યા હતા. ફરિયાદ પક્ષે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તેની કરતૂતો વિવિધ સમૂહો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સમાન છે અને તે સંવાદિતા અને રાષ્ટ્રીય એકતા માટે જોખમી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે તેમના અસીલને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વકીલે જામીનનો વિરોધ કરતા કહ્યું કે અરજદાર રીઢો ગુનેગાર છે અને તેની સામે 14 ફોજદારી કેસ નોંધાયેલા છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દલીલો વચ્ચે કોર્ટે આરોપીને વિચિત્ર આદેશ કર્યો હતો અને તેને મહિનામાં બે વખત પોલીસ સ્ટેશનમાં હાજર રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપીને 21 વાર ભારત માતા કી જય બોલવા આદેશ કર્યો હતો. જે અંતર્ગત આજે આરોપી ફૈઝલ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને તેણે 21 વાર સલામી આપી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-mob-of-300-killed-two-muslim-youths-mistaking-them-for-thieves-killing-one">300 લોકોના ટોળાએ બે મુસ્લિમ યુવકોને ચોર સમજીને માર માર્યો, એકનું મોત</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 22 Oct 2024 14:11:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1443</Articleid>
                    <excerpt>દેશની કોર્ટોમાં બેઠેલા જજો કેવા કેવા તરંગી અને મનઘડંત ચૂકાદાઓ સંભળાવે છે તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_671764ffa90fb.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_671764ff6fa5e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_671764ff6fa5e.jpg" length="63985" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Madhya Pradesh Jabalpur Bench, Strange judgment, Justice D K Paliwal</media:keywords>
                </item>
                        <item>
                    <title>નડિયાદના જોષીપુરામાં બે વાંદરાએ દિવ્યાંગ મહિલાને ફાડી ખાધી</title>
                    <link>https://khabarantar.com/two-monkeys-mauled-a-disabled-woman-in-joshipura-nadiad</link>
                    <guid>https://khabarantar.com/two-monkeys-mauled-a-disabled-woman-in-joshipura-nadiad</guid>
                    <description>
                        <![CDATA[ હિચકારા આ હુમલામાં વાનરોએ મનોદિવ્યાંગ મહિલાને ચૂંથી નાખી, શરીર પર એકપણ વસ્ત્ર ન રહેવા દીધું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નડિયાદ નજીકના જોષીપૂરા વિસ્તારમાં બે વાનરોએ 40 વર્ષિય દિવ્યાંગ મહિલા ઉપર હિચકારો હુમલો કરતાં, મહિલાનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે નાનકડાં ગામમાં ભય ફેલાયો છે. અગાઉ પણ આ વિસ્તારમાં વાનરના હુમલાની ફરિયાદો ઉઠી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નડિયાદ તાલુકાના ફતેપુરા ગામમાં આવેલા જોષીપુરા સીમમાં રહેતાં સોમાભાઈ પરમારની દિકરી સુમિત્રાબેન (ઉ.વ.40) નાનપણથી માનસિક દિવ્યાંગ હતા. બુધવારે બપોરના સમયે સુમિત્રાબેન ખેતર પાસે ઉભા હતા. ત્યારે આસપાસ વાનર ટોળકી હાજર હતી. અચાનક જ ખેતર પાસે ઉભેલા સુમિત્રાબેન ઉપર બે વાનરોએ હુમલો કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાનરના હુમલાથી ડઘાઇ ગયેલા સુમિત્રાબેને બૂમાબૂમ કરી હતી પરંતુ કોઇએ તેમની બૂમ સાંભળી ન હતી. હિંસક બનેલાં બંને વાનરોએ ગણતરીની મિનિટોમાં જ સુમિત્રાબેનને ફાડી ખાધા હતા. વાનરો એ હદે હિંસક બન્યા હતા કે સુમિત્રાબેનના શરીર પર વસ્ત્ર પણ રહ્યા ન હતા. વાનરો હુમલાને કારણે ગંભીર રીતે ઘવાયેલાં સુમિત્રાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા સમય બાદ ત્યાંથી પસાર થયેલા સુમિત્રા બેનના કાકાએ તેમને બૂમ પાડી, પણ કોઇ પ્રત્યુત્તર ન મળતાં તેમણે પોતાના પરિવારજનોને બોલાવ્યા હતા અને તપાસ કરતાં સુમિત્રાબેનના શરીરને બંને વાનરોએ ચૂંથી નાખ્યા હોવાનું જોઇને પરિવાર પણ ડઘાઇ ગયો હતો. ઘટનાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં વાનરોના હુમલાની ઘટના બની છે. સમગ્ર વિસ્તારમાં વાનરોનો આતંક છે ત્યારે આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં રહેતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/suspecting-witchcraft-the-mob-stripped-and-killed-two-tribal-women">મેલી વિદ્યાની શંકાએ ટોળાએ બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી મારી નાખી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 22:00:01 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1429</Articleid>
                    <excerpt>હિચકારા આ હુમલામાં વાનરોએ મનોદિવ્યાંગ મહિલાને ચૂંથી નાખી, શરીર પર એકપણ વસ્ત્ર ન રહેવા દીધું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6713ddf422240.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6713ddf3e2f88.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6713ddf3e2f88.jpg" length="70689" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Nadiad News, Attack the monkey hiccups</media:keywords>
                </item>
                        <item>
                    <title>300 લોકોના ટોળાએ બે મુસ્લિમ યુવકને ચોર સમજીને માર્યા, એકનું મોત</title>
                    <link>https://khabarantar.com/a-mob-of-300-killed-two-muslim-youths-mistaking-them-for-thieves-killing-one</link>
                    <guid>https://khabarantar.com/a-mob-of-300-killed-two-muslim-youths-mistaking-them-for-thieves-killing-one</guid>
                    <description>
                        <![CDATA[ ગેરેજમાં કામ કરતા ત્રણેય યુવકો મોડી રાત્રે ચા પીવા નીકળ્યા હતા. ટોળું તેમને ચોર સમજીને તૂટી પડ્યું. એક યુવકનું મોત થઈ ગયું,  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Mob lynching in Vadodara: ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જઈ રહી હોય તેવી સ્થિતિ છે. ખાસ કરીને ટોળું બેફામ બની ગમે તે વ્યક્તિ પર હુમલો કરી દે તેવી ઘટનાઓ સતત વધતી જઈ રહી છે અને પોલીસ તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોતું રહી જાય છે. આ ઘટના વડોદરાની છે. જ્યાં ગઈકાલે મોડી રાત્રે વારસિયા ઝૂલેલાલ મંદિર પાસે બે ત્રણ મુસ્લિમ યુવકો ચા પીવા બહાર નીકળ્યા હતા. એ દરમિયાન 300થી વધુ લોકોના ટોળાએ તેમને ચોર સમજીને માર માર્યો હતો. એક યુવક જેમતેમ કરીને ભાગવામાં સફળ રહ્યો હતો પણ બે યુવકો ટોળાંની ઝપટમાં આવી ગયા હતા. ટોળાએ બંનેને પકડીને જાહેરમાં માર મારી વીડિયો વાયરલ કર્યો હતો. બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા એક યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક સારવાર ચાલી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">વડોદરાના વારસિયા વિસ્તારની ઘટના</span></strong></span><br><span style="font-size: 14pt;">શુક્રવારે મોડી રાત્રે વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર પાસેથી પસાર થતાં ત્રણ યુવકો ચા પીવા નીકળ્યા હતા. દરમિયાનમાં તેમની બાઈક અચાનક બંધ પડી જતા તે યુવકો બાઈક ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન કેટલાક લોકોને ચોર હોવાની શંકા જતા તેઓએ બહાર આવી ગયા હતા અને ચોર-ચોરની બૂમો પાડી હતી. આ દરમિયાન 300 જેટલા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું, જેમાં ત્રણ યુવકમાંથી બે યુવકને પકડી પાડ્યા હતા અને જાહેરમાં માર માર્યો હતો. દરમિયાનમાં પોલીસને જાણ થતા પોલીસે સ્થળ પર આવી બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર રીતે ઈજા થઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ત્રણેય યુવકો ગેરેજમાં કામ કરતા હતા</span></strong></span><br><span style="font-size: 14pt;">પોલીસે તપાસ કરતા ત્રણેય યુવકો ફતેપુરા વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા શહેબાઝ પઠાણ, ઈકરમ અલી અને સાહિલ હતા. મોડી રાત્રે પોતાની બાઈક લઈને વારસિયા વિસ્તારમાં ચા પીવા નીકળ્યા હતા. તે દરમિયાન ઝૂલેલાલ મંદિર પાસે તેમની બાઈક બંધ પડી ગઈ હતી ત્યારે લોકોએ ચોર ચોર સમજીને તેઓને માર માર્યા હતા. અને તેમાંથી સાહિલ નામનો યુવક ટોળામાંથી બચીને નીકળી ગયો હતો તેનો હજી કોઈ પત્તો નથી. જ્યારે લોકોના ટોળાએ ચોર સમજીને પકડી પાડીને સખત માર મારતા બંને યુવકો શહેબાઝ પઠાણ, ઈકરમ અલીને પોલીસે ઘવાયેલી હાલતમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમાં મોડી રાત્રે શહેબાઝ પઠાણનું મોત થયું હતું. જ્યારે ઈકરામ અલી સારવાર હેઠળ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પરિવારને ન્યાયની માંગ કરી</span></strong></span><br><span style="font-size: 14pt;">આજે વહેલી સવારે તેમના પરિવારજનો અને મિત્રોને જાણ થતા સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને લોકોએ ચોર સમજીને હુમલો કર્યો તે અંગે ન્યાય અપાવવાની માગણી કરવાની સાથે મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ ન્યાય નહીં મળે ત્યાં સુધી હોસ્પિટલમાંથી લઈ જવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી</span></strong></span><br><span style="font-size: 14pt;">બીજી બાજુ સાહિલ નામનો યુવકનો કોઈ પત્તો. તેના મિત્રોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની હાજરીમાં આ બંને યુવકોને ટોળાએ માર માર્યો હતો તેમ છતાં પોલીસે ટોળાને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. જે લોકોએ બંનેને અર્ધનગ્ન કરીને માર માર્યો છે તે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે આથી તેમની સામે કડક કાર્યવાહી જવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-patidars-donated-one-and-a-half-bigha-of-land-to-the-muslims-to-build-an-eidgah">પાટીદારોએ મુસ્લિમોને ઈદગાહ બનાવવા માટે દોઢ વીઘા જમીન દાનમાં આપી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 19 Oct 2024 14:54:46 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1427</Articleid>
                    <excerpt>ગેરેજમાં કામ કરતા ત્રણેય યુવકો મોડી રાત્રે ચા પીવા નીકળ્યા હતા. ટોળું તેમને ચોર સમજીને તૂટી પડ્યું. એક યુવકનું મોત થઈ ગયું, </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67137ac7e12f2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67137ac7ae05d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67137ac7ae05d.jpg" length="106096" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Minority News, mob attack on muslim youth, one dead, Mob lynching in Vadodara</media:keywords>
                </item>
                        <item>
                    <title>સંસદથી લઈ એરપોર્ટ સુધી બધું જ વકફની જમીન પર બનેલું છે…</title>
                    <link>https://khabarantar.com/evrything-from-parliament-ro-airport-is-built-on-waqf-land</link>
                    <guid>https://khabarantar.com/evrything-from-parliament-ro-airport-is-built-on-waqf-land</guid>
                    <description>
                        <![CDATA[ ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા અને પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલે આ દાવો કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા અને પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલે બુધવારે એવો સનસનાટીભર્યો દાવો કર્યો છે કે રાજધાની દિલ્હીમાં સંસદની ઈમારતો અને તેની આસપાસના વિસ્તારો વકફ બોર્ડની મિલકત પર બનેલા છે. પત્રકારો સાથે વાત કરતા અજમલે દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય રાજધાનીમાં વસંત વિહારથી એરપોર્ટ સુધીનો વિસ્તાર વકફ પ્રોપર્ટી પર બનેલો છે. તેમણે દાવો કર્યો હતો કે સરકાર વકફ બોર્ડની 9.7 લાખ વીઘા જમીન હડપ કરવા માંગે છે. તેમણે વકફની જમીન મુસ્લિમ સમાજને સોંપવાની પણ માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂર્વ સાંસદ અજમલે વકફ બિલનો વિરોધ કરતા કહ્યું કે, "આ અંગે અવાજ ઉઠી રહ્યાં છે અને વિશ્વભરમાં વકફ પ્રોપર્ટીની યાદી બહાર આવી રહી છે. સંસદ ભવન, તેની આસપાસના વિસ્તારો અને વસંત વિહારથી એરપોર્ટ સુધીનો સમગ્ર વિસ્તાર વકફ પ્રોપર્ટી પર બનેલા છે. લોકો એવું પણ કહે છે કે એરપોર્ટ વકફ પ્રોપર્ટી પર બનેલું છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં કહ્યું કે, "પરમિશન વિના વકફની જમીનનો ઉપયોગ કરવો ખોટું છે. વકફ બોર્ડના આ મુદ્દે તેઓ (મોદી સરકાર) બહુ જલ્દી તેમની સરકાર ગુમાવશે." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન વિપક્ષી સાંસદોએ વકફ (સુધારા) બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક દરમિયાન સંસદીય આચાર સંહિતાના ઘોર ઉલ્લંઘન અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. જેમાં વિપક્ષી સાંસદોએ 14 ઓક્ટોબરે નવી દિલ્હીમાં યોજાયેલી જેપીસીની બેઠક દરમિયાન સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ દ્વારા સંસદીય આચાર સંહિતા અને પ્રક્રિયાના નિયમોના અનેક ઉલ્લંઘનોનો આરોપ લગાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં વિપક્ષી સાંસદોએ જણાવ્યું હતું કે, "સમિતિની કાર્યવાહી અધ્યક્ષ જગદંબિકા પાલ દ્વારા પક્ષપાતી રીતે હાથ ધરવામાં આવી હતી. સ્પીકરે અનવર મણિપદીને સમિતિ સમક્ષ પુરાવા રજૂ કરવા માટે આપેલું નિમંત્રણ સમિતિના દાયરા અને અધિકારક્ષેત્રમાં નથી આવતું."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિપક્ષી સાંસદોએ એવો પણ દાવો કર્યો હતો કે "કર્ણાટક વક્ફ સ્કેમ રિપોર્ટ 2012 પર આધારિત વકફ બિલ 2012 પર પ્રસ્તુતિ" શીર્ષકવાળી નોંધમાં વકફ બિલ પર કોઈ ટિપ્પણી નહોતી પરંતુ તેમાં મલ્લિકાર્જુન ખડગે સહિતના કર્ણાટક કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ રાજકીય રીતે પ્રેરિત આરોપો હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/some-illusions-and-lies-spread-about-wakf-board">વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 16 Oct 2024 21:27:27 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1404</Articleid>
                    <excerpt>ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા અને પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલે આ દાવો કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670fe17374838.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670fe1734374c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670fe1734374c.jpg" length="92525" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Badruddin Ajmal, Wakf land</media:keywords>
                </item>
                        <item>
                    <title>લેબનોન પર ઈઝરાયલના હુમલામાં 4 લાખ બાળકો બેઘર બન્યાં</title>
                    <link>https://khabarantar.com/israels-attack-on-lebanon-left-400000-children-homeless</link>
                    <guid>https://khabarantar.com/israels-attack-on-lebanon-left-400000-children-homeless</guid>
                    <description>
                        <![CDATA[ એક રિપોર્ટ મુજબ ઇઝરાયેલે લેબનોન પર હુમલો કર્યાના છેલ્લા ત્રણ સપ્તાહમાં 4 લાખથી વધુ બાળકો વિસ્થાપિત થયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈઝરાયલ દ્વારા લેબનોન પર કરવામાં આવી રહેલા સતત હુમલાઓની સૌથી વધુ અસર જો કોઈને થઈ હોય તો તે મહિલાઓ અને નાના બાળકો છે. એક રિપોર્ટ મુજબ ઇઝરાયેલે લેબનોન પર હુમલો કર્યાના છેલ્લા ત્રણ સપ્તાહમાં ચાર લાખથી વધુ બાળકો વિસ્થાપિત થયા છે. સંયુક્ત રાષ્ટ્રોની ચિલ્ડ્રન એજન્સીના અધિકારીના જણાવ્યા પ્રમાણે નાનકડા આ દેશની એક આખી પેઢી જતી રહે તેવી સંભાવના ઊભી થઈ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇઝરાયેલે લેબનોનમાં આતંકવાદી સંગઠન હીઝબુલ્લાહ સામેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. તેના લીધે ત્રણ સપ્તાહમાં કુલ ૧૨ લાખથી વધુ બાળકો વિસ્થાપિત થયા છે. આ દરમિયાન ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રના કોઓર્ડિનેટરે મુલાકાત લીધી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુનિસેફના માનવતાવાદી કૃત્યોના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ટેડ ચાયબને જણાવ્યું હતું કે મેં લેબનોનની અને ગાઝાની સ્કૂલોની મુલાકાત લીધી છે. આ સ્કૂલો વિસ્થાપિતોના આશ્રયસ્થાનોમાં ફેરવાઈ ગઈ છે. લેબનોનમાં કેટલીક ખાનગી સ્કૂલ હજી પણ ચાલુ છે, પરંતુ જાહેર શિક્ષણ પ્રણાલિ તો રીતસરની પડી ભાંગી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં જણાવ્યું કે, મને ડર છે કે લેબનોન, સીરિયા અને ગાઝાના લાખો બાળકો યોગ્ય શિક્ષણથી વંચિત રહી જશે. જો તેઓ શિક્ષણથી વંચિત રહી જશે તો તેમના આતંકવાદી બની જવાનો માર્ગ મોકળો બની જશે. તેમણે જણાવ્યું હતું કે આશ્રયસ્થાનોમાં પણ જગ્યા રહી નથી. દર હજારે ૧૨ શૌચાલય છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇઝરાયેલના લેબનોન પર અત્યાર સુધીના હુમલોમા ૨,૩૦૦થી પણ વધુ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કરેલા હુમલામાં કમસે કમ ૧૫ લોકોના મોત થયા છે. જેમાં છ બાળકો અને બે મહિલાનો સમાવેશ થાય છે. છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે લેબનોનમાં પાંચના મોત નીપજતા છેલ્લા ૨૪ કલાકમા કુલ ૧૮ મોત થયા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/emotional-scenes-were-created-when-a-muslim-family-was-helped-by-the-village-and-sent-for-hajj">મુસ્લિમ પરિવારને ગામલોકોએ પૈસા એકઠાં કરી હજ માટે મોકલ્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 16 Oct 2024 13:53:54 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1401</Articleid>
                    <excerpt>એક રિપોર્ટ મુજબ ઇઝરાયેલે લેબનોન પર હુમલો કર્યાના છેલ્લા ત્રણ સપ્તાહમાં 4 લાખથી વધુ બાળકો વિસ્થાપિત થયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670f780098737.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670f7800675cd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670f7800675cd.jpg" length="73330" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>israel attacks lebanon, israel-lebanon war, israel news, aljazeera.com</media:keywords>
                </item>
                        <item>
                    <title>કચ્છના કકરવા ગામે 16 દલિતો હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ બન્યા</title>
                    <link>https://khabarantar.com/in-kakarwa-village-of-kutch-16-dalits-renounced-hinduism-and-became-buddhists</link>
                    <guid>https://khabarantar.com/in-kakarwa-village-of-kutch-16-dalits-renounced-hinduism-and-became-buddhists</guid>
                    <description>
                        <![CDATA[ જાતિવાદી હિંદુ ધર્મમાં ગુંગળામણ અનુભવતા ત્રણ પરિવારના 16 સભ્યોએ સ્વેચ્છાએ હિંદુ ધર્મનો ત્યાગ કરી તથાગત ગૌતમ બુદ્ધ અને ડો. આંબેડકરના રસ્તે ચાલવાનું નક્કી કર્યું. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં ચોતરફ અરાજકતાનો માહોલ છે. ખાસ કરીને હિંદુત્વવાદીઓ જે રીતે બેફામ બનીને દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને તેમના પર અત્યાચાર ગુજારી રહી છે, તેમના હકો પર તરાપ મારી રહી છે, તે જોતા વધુને વધુ લોકોનો હિંદુ ધર્મ (Hinduism) થી મોહભંગ થઈ રહ્યો છે. તેમને સતત એ અહેસાસ થઈ રહ્યો છે કે, મનસ્મૃતિ (Manusmriti) ના વિચારો પર આધારિત આ ધર્મમાં તેમની જાતિના આધારે તેમની સાથે થયા ભેદભાવો કદી ખતમ થવાના નથી. એટલે જ વધુને વધુ લોકો ડો. આંબેડકર (Dr. Abmedkar) ના રસ્તે ચાલીને તથાગત ગૌતમ બુદ્ધ સ્થાપિત બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_670e04684b87f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં સમયાંતરે બૌદ્ધ દીક્ષા (Buddhist initiation) ના કાર્યક્રમો યોજાતા રહે છે અને આવો વધુ એક કાર્યક્રમ કચ્છમાં યોજાઈ ગયો. જ્યાં ત્રણ પરિવારના 16 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. તારીખ 13.10.2024 રવિવારના સવારે 8.30 થી 11.30 દરમિયાન ભચાઉ (bhachau) તાલુકાના કકરવા ગામે (Kakarwa village) લોઇયા ભવન ખાતે "મહા ગુજરાત બૌદ્ધ સંઘ" (Mahagujarat Buddhist Sangha) દ્વારા "બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘના સંચાલક માનનીય આયુ. સિંહલ બોધિધર્મનજી ના સાન્નિધ્યમાં કુલ 3 પરિવારના 16 સભ્યોને "બંધારણીય બુદ્ધ ધમ્મની દીક્ષા" (Constitutional Buddha Dhamma initiation ceremony) ગ્રહણ કરાવવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/brahmins-attack-in-buddha-katha-babasahebs-photo-torn-six-dalit-injured">બુદ્ધ કથામાં બ્રાહ્મણોએ હુમલો કર્યોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ</a></span></strong></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌ પ્રથમ સવારે.8.00 વાગ્યે બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરને ફૂલહાર અર્પિત કરવામાં આવ્યા તેમજ ત્યાની શેરીઓમાં દીક્ષાર્થીઓ તેમજ અન્ય લોકસહયોગ થકી એક પ્રતીક રેલી કાઢવામાં આવી. રેલી પૂર્ણ થયા બાદ તમામ દીક્ષાર્થીઓને શિસ્તબદ્ધ બેસાડવામાં આવ્યા અને એમના હસ્તે તથાગત બુદ્ધને દીપ પ્રજ્વલિત કરી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરવામાં આવ્યું. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરજીની 22 પ્રતિજ્ઞાઓનું પઠન કરી દરેક દીક્ષાર્થીઓને મહા ગુજરાત બૌદ્ધ સંઘના ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રો મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_670e0467171ed.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી વક્તાઓ દ્વારા પંચશીલ (Panchsheel) તેમજ બુદ્ધ ધમ્મ (Buddhism) વિશે જાણકારી આવી હતી અને વ્યસન, વહેમ, વ્યભિચાર, અંધશ્રદ્ધા અને  કુરિવાજોથી દૂર રહેવા કહેવામા આવ્યું. કાર્યક્રમમાં રમેશ જી પરમાર, ભરત જી વાણિયા, વાલજી રાઠોડ, એડવોકેટ ઍન્ડ નોટરી મેરિબેન મેઘવાળ, ભટ્ટી જી વગેરે સહિત ગામના કાર્યકરોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-2300-year-old-dream-of-indian-buddhists-came-true-on-buddha-purnima">બુદ્ધ પૂર્ણિમાએ ભારતીય બૌદ્ધ ધર્મીઓનું 2300 વર્ષ જૂનું સપનું સાકાર થયું</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પૂર્વ કચ્છના પોલીસ વડાના આદેશથી કાર્યક્રમના અંત સુધી પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી. મચ્છોયા બ્રધર્સ લાકડિયા દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહકાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ કરી તમામ લોકોને લોઈયા પરિવાર દ્વારા ભોજન આપવમાં આવ્યું હતું. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમનું પૂર્ણ કરવામાં આવ્યો હતો અને તમામ દીક્ષાર્થીઓને મહા ગુજરાત બૌદ્ધ સંઘની ટીમ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_670e04666bc2b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દીક્ષા કાર્યક્રમના આયોજક મહા ગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદના આયુ. સિંહલ બોધિધર્મનજીએ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ગુજરાત સહિત દેશભરમાં સતત દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને જે રીતે હિંદુ ધર્મીઓ દ્વારા ભેદભાવ, અસ્પૃશ્યતા દાખવવામાં આવે છે તેનાથી આ સમાજના લોકો ભારે વ્યથિત છે. કાયદો અમલમાં હોવા છતાં જાતિવાદી અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. મનુવાદી વર્ણવ્યવસ્થાની ધરી પર ટકેલા હિંદુ ધર્મમાં દલિતો, આદિવાસીઓ ગમે તેટલાં ભણીગણીને આગળ વધી જાય તો પણ તેમને નિમ્ન સ્તરના ગણીને ઉતારી પાડવામાં આવે છે. એક બાજુ દુનિયાના એઆઈના યુગમાં પહોંચી ગઈ છે, જ્યારે ભારત સતત જાતિ, ધર્મના નામે દલિતો પર અત્યાચાર કરીને અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે. એ સ્થિતિમાં દલિતો સર્વને સમાન માનતા બૌદ્ધ ધર્મ તરફ વળે તેમાં મને કશી નવાઈ નથી લાગતી. આ સ્થિતિ હજુ ચાલુ રહેશે તો હજુ વધુ લોકો હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ બનતા અચકાશે નહીં."</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/eight-families-converted-to-buddhism-in-surendranagars-wadhwan">સુરેન્દ્રનગરના વઢવાણમાં 8 દલિત પરિવારોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 15 Oct 2024 11:34:59 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1391</Articleid>
                    <excerpt>જાતિવાદી હિંદુ ધર્મમાં ગુંગળામણ અનુભવતા ત્રણ પરિવારના 16 સભ્યોએ સ્વેચ્છાએ હિંદુ ધર્મનો ત્યાગ કરી તથાગત ગૌતમ બુદ્ધ અને ડો. આંબેડકરના રસ્તે ચાલવાનું નક્કી કર્યું.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_670e0467cf64b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670e04679bb0e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670e04679bb0e.jpg" length="116526" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Buddhist initiation program, Kutch Gujarat, Kakarwa village, Dalit News Gujarat</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુરેન્દ્રનગરના વઢવાણમાં 8 પરિવારે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો</title>
                    <link>https://khabarantar.com/eight-families-converted-to-buddhism-in-surendranagars-wadhwan</link>
                    <guid>https://khabarantar.com/eight-families-converted-to-buddhism-in-surendranagars-wadhwan</guid>
                    <description>
                        <![CDATA[ ભંતે પથિક શ્રેષ્ઠીના સાન્નિધ્યમાં યોજાયેલા દિક્ષા કાર્યક્રમે બહુજનોમાં નવી આશા અને ઉર્જા જગાવી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બહુજન સમાજ ધીમી પણ મક્કમ ગતિએ બૌદ્ધ ધર્મ તરફનો વળી રહ્યો છે. દર અઠવાડિયે રાજ્યના કોઈને કોઈ ખૂણે બૌદ્ધ દિક્ષાના કાર્યક્રમો યોજાતા રહે છે. 14મી એપ્રિલ અને 6ઠ્ઠી ડિસેમ્બરે તો સમગ્ર ભારતમાં સેંકડો લોકો જાતિવાદી હિંદુ ધર્મનો ત્યાગ કરીને મહાનાયક ડો. આંબેડકરના પગલે ચાલીને બૌદ્ધ દિક્ષા ગ્રહણ કરતા હોય છે. જો કે આ સિવાયના સમયગાળામાં પણ આ ક્રાંતિ સતત ચાલતી રહે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવો જ એક પ્રસંગ ગયા અઠવાડિયા સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક વઢવાણમાં યોજાઈ ગયો. અહીં એક સાથે 8 પરિવારોને બૌદ્ધ ધર્મની દિક્ષા ગ્રહણ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">6 ઓક્ટોબર 2024ના રોજ અમર બૌદ્ધ વિહાર વઢવાણ ખાતે યોજાયેલા આ દિક્ષા કાર્યક્રમમાં ભંતે પથિક શ્રેષ્ઠીએ ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેમના સાન્નિધ્યમાં કપિલ શ્રેષ્ઠી, ધર્મેન્દ્ર સુમેસરા સહિત 8 બહુજન પરિવારોએ બંધારણીય બૌદ્ધ ધમ્મ દિક્ષા ગ્રહણ કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમમાં આયુ. બોધિરાજ બૌદ્ધ (વ્યવસ્થાપક. સમતા બુદ્ધ વિહાર, બોટાદ) દ્વારા બાવીસ પ્રતિજ્ઞા સંઘાયાન આપવામાં આવી હતી. ત્યારબાદ પૂજ્ય. ભંતે પથિક શ્રેષ્ઠી દ્વારા ધમ્મ દેશના આપવામાં આવી હતી. દિક્ષાર્થીઓનું બોધિરાજ બૌદ્ધ દ્વારા બૌદ્ધ સંસ્કૃતિ ધ્વજ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. પૂજ્ય. ભંતે પથિક શ્રેષ્ઠી દ્વારા ધમ્મપદ આપીને બોધિરાજ બૌદ્ધ. વિઠ્ઠલભાઈ બોળીયા, કમલેશભાઈ જાદવ, મુકેશભાઈ મૌર્યનું સન્માન કરવામાં આવેલ. તમામ 8 પરિવારોએ ઉત્સાહપૂર્વક આ પ્રસંગમાં ભાગ લઈ નવજીવન પામ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_67039781ebc88.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમને લઈને બોધિરાજ બૌદ્ધે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ પરિવારોનું માનવું છે કે, વર્ણવ્યવસ્થા, મનુવાદ અને આભડછેટ સહિતની બદ્દીઓથી ખદબદતા હિંદુ ધર્મમાં પડ્યાં રહેવું તેનાથી ખરાબ સ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે. તેમને તથાગત ગૌતમ બુદ્ધનો કરુણાનો સંદેશ સ્પર્શી ગયો હતો. તેમને મહાનાયક ડો. ભીમરાવ આંબેડકરે બૌદ્ધ ધર્મ શા માટે અપનાવ્યો તેનો પણ અભ્યાસ કર્યો હતો. એ બધું જાણ્યાં-સમજ્યાં પછી તેમણે સ્વયંભૂ બૌદ્ધ દિક્ષા ગ્રહણ કરી છે. આગામી દિવસોમાં આ પરિવારોમાંથી પ્રેરણા લઈને બીજા પણ અનેક લોકો તથાગત ગૌતમ બુદ્ધ અને મહામાનવ આંબેડકરના રસ્તે ચાલી નીકળશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/brahmins-attack-in-buddha-katha-babasahebs-photo-torn-six-dalit-injured">બુદ્ધ કથામાં બ્રાહ્મણોનો હુમલોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 07 Oct 2024 13:44:21 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 10 Oct 2024 08:57:03 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1357</Articleid>
                    <excerpt>ભંતે પથિક શ્રેષ્ઠીના સાન્નિધ્યમાં યોજાયેલા દિક્ષા કાર્યક્રમે બહુજનોમાં નવી આશા અને ઉર્જા જગાવી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_67039757539aa.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_670397571fbd9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_670397571fbd9.jpg" length="112739" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Buddhist initiation, wadhwan, Surendranagar</media:keywords>
                </item>
                        <item>
                    <title>કચરામાં ખાવાનું શોધતી દીકરીને એક બૌદ્ધ ભિક્ષુકે ડોક્ટર બનાવી</title>
                    <link>https://khabarantar.com/a-buddhist-monk-turned-a-girl-who-was-scavenging-for-food-into-a-doctor</link>
                    <guid>https://khabarantar.com/a-buddhist-monk-turned-a-girl-who-was-scavenging-for-food-into-a-doctor</guid>
                    <description>
                        <![CDATA[ આ સત્ય ઘટના વાંચ્યા પછી તમારું બૌદ્ધ ધર્મ અને તેની મહાન પરંપરાઓ પ્રત્યેનું માન-સન્માન અનેકગણું વધી જશે તેની ગેરંટી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તથાગત ગૌતમ બુદ્ધે સ્થાપેલો બૌદ્ધ ધર્મ શા માટે સર્વશ્રેષ્ઠ છે તેના આમ તો સેંકડો ઉદાહરણો તમે વાંચ્યા-સાંભળ્યા હશે. પણ અહીં એક એવી સત્ય ઘટનાની વાત કરવી છે જેને વાંચ્યા પછી તમારું બૌદ્ધ ધર્મ પ્રત્યેનું માન-સન્માન અનેકગણું વધી જશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહાનીની શરૂઆત થાય છે વર્ષ 2004થી. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના મેકલોડગંજ (McLeodganj) ની શેરીઓમાં એક નાની બાળકી તેના પરિવાર સાથે ભીખ માંગી રહી હતી. છોકરી માત્ર સાડા ચાર વર્ષની હતી અને તેનું આખું બાળપણ ગરીબી, ભૂખ અને સંઘર્ષથી ભરેલું હતું. આ છોકરી હતી પિંકી હરયાન (Pinky Haryan), જે પોતાની મહેનત અને બૌદ્ધ ભિક્ષુ (Buddhist monk) ની મદદથી આજે ડોક્ટર (Doctor) બની છે. આ કહાની ન માત્ર એક છોકરીના સંઘર્ષ અને સફળતાની વાત કરે છે. પરંતુ બૌદ્ધ ધર્મ (Buddhism) ની મહાનતા, કરૂણાની પણ કથા છે. આ કહાની આપણને જણાવે છે કે, તમારી નાની કે મોટી મદદ કોઈનું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">પિન્કીનું જીવન કેવી રીતે બદલાયું?</span></strong></span><br><span style="font-size: 14pt;">પિંકીના જીવનમાં પરિવર્તન ત્યારે શરૂ થયું જ્યારે તિબેટીયન સાધુ લોબસાંગ જામ્યાંગે (Lobsang Jamyang) તેને મેક્લોડગંજની શેરીઓમાં ભીખ માગતા જોઈ હતી. લોબસાંગ જામ્યાંગ, જેઓ ધર્મશાળામાં એક ચેરિટેબલ ટ્રસ્ટના ડાયરેક્ટર હતા, તેમણે જ્યારે જોયું કે એક નાનકડી છોકરી રસ્તા પર ભીખ માંગી રહી છે અને ભોજન માટે સંઘર્ષ કરી રહી છે, એટલે તરત તેમણે તેને મદદ કરવાનું નક્કી કર્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, પિંકીને મદદ કરવી સરળ ન હતી, કારણ કે તેના પિતા કાશ્મીરી લાલ પુત્રીને ક્યાંય જવા દેવા માંગતા નહોતા. જામ્યાંગને પિન્કીના પિતાને મનાવવામાં કલાકો લાગ્યા. પરંતુ આખરે તેમની મહેનત ફળી અને કાશ્મીરી લાલ તેમની પુત્રીને શાળાએ મોકલવા સંમત થયા. એ પછી પિંકીને ધર્મશાળાની દયાનંદ પબ્લિક સ્કૂલ (Dayanand Public School) માં એડમિશન મળ્યું.</span><br><span style="font-size: 14pt;">જ્યારે પિંકીને શિક્ષણનું મહત્વ સમજાયું</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ પિન્કીને ધર્મશાળામાં ટોંગ-લેન ચેરીટેબલ ટ્રસ્ટ (Tong Lane Charitable Trust) ની હોસ્ટેલમાં રાખવામાં આવી હતી, જે નિરાધાર બાળકો માટે બનાવવામાં આવી હતી. શરૂઆતમાં પિંકીને તેના પરિવારની ખૂબ જ યાદ આવતી હતી અને તે પરત જવા માંગતી હતી. પરંતુ ટૂંક સમયમાં તેને સમજાયું કે શિક્ષણ જ તેનું ભવિષ્ય બદલવાનો એકમાત્ર રસ્તો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પિંકીએ તેના અભ્યાસમાં સખત મહેનત કરી અને ટૂંક સમયમાં જ સિનિયર સેકન્ડરી પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરી. એ પછી તેણે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પણ પાસ કરી લીધી. આ પરીક્ષા પાસ કરવી તેના માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હતી, કારણ કે તેનાથી તેને ડૉક્ટર બનવા તરફનું પ્રથમ પગથિયું મળી ગયું હતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_6702d3dc3c5d0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">ભારતમાં એમબીબીએસની મોંઘી ફી વિલન બની</span></strong></span><br><span style="font-size: 14pt;">જો કે, ભારતમાં ખાનગી મેડિકલ કોલેજોની ઊંચી ફી પિંકીના ડોક્ટર બનવાના સપનામાં આડે આવી ગઈ. પરંતુ ફરી એકવાર ટોંગ-લેન ચેરિટેબલ ટ્રસ્ટ આગળ આવ્યું અને પિંકીને મદદ કરી. આ ટ્રસ્ટે પિન્કીને 2018 માં ચીનની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવામાં મદદ કરી, </span><span style="font-size: 14pt;">જ્યાંથી તેણે એમબીબીએસ પૂર્ણ કર્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે પિંકી તેની MBBS ડિગ્રી સાથે ધર્મશાલા (Dharamshala) પરત આવી છે અને ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE)ની તૈયારી કરી રહી છે, જેથી તે ભારતમાં એક યોગ્ય ડૉક્ટર તરીકે કામ કરી શકે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પિંકીની આ સંઘર્ષમય સફર માત્ર તેના માટે જ નહીં પરંતુ તેના પરિવાર અને સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે. પિંકી કહે છે, "ગરીબી મારા જીવનનો સૌથી મુશ્કેલ ભાગ હતો. મારા પરિવારને ગરીબીમાં જોઈને મને સખત મહેનત કરવાની પ્રેરણા મળી."</span><br><span style="font-size: 14pt;">હવે તો પિંકીના ભાઈ-બહેન પણ શાળામાં અભ્યાસ કરે છે અને તેની સફળતાએ તેમને પણ પ્રેરણા આપી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">લોબસાંગ જામ્યાંગનો આભાર માને છે</span></strong></span><br><span style="font-size: 14pt;">પિંકી માને છે કે આ બધું લોબસાંગ જામ્યાંગના કારણે શક્ય બન્યું છે. તે કહે છે, "જામ્યાંગે મારા પર વિશ્વાસ મૂક્યો અને મને મજબૂત ટેકો પુરો પાડ્યો, જેની મને સખત જરૂર હતી. તેમણે ન માત્ર મારું, પરંતુ અન્ય ઘણા બાળકોનું જીવન પણ બદલી નાખ્યું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોબસાંગ જામ્યાંગ ધર્મશાળામાં એક ચેરિટેબલ ટ્રસ્ટ ધરાવે છે જેનો ઉદ્દેશ ગરીબ અને નિરાધાર બાળકોને શિક્ષણ આપવાનો છે. જામ્યાંગ કહે છે, "મેં વિચાર્યું હતું કે હું આ બાળકોને પાયાનું શિક્ષણ આપીને તેમના જીવનમાં પરિવર્તન લાવી શકીશ, પરંતુ મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આ બાળકો આટલા પ્રતિભાશાળી હશે,"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">જામ્યાંગે અનેક બાળકોની જિંદગી બદલી નાખી</span></strong></span><br><span style="font-size: 14pt;">છેલ્લા 19 વર્ષથી જામ્યાંગ સાથે કામ કરતા ઉમંગ ફાઉન્ડેશનના અજય શ્રીવાસ્તવ કહે છે, જામ્યાંગ માને છે કે બાળકોને માત્ર પૈસા કમાવાનું સાધન ન બનાવવા જોઈએ પરંતુ સારા માણસ બનવા માટે પ્રેરિત કરવા જોઈએ. જામ્યાંગે પોતાનું આખું જીવન ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે સમર્પિત કર્યું છે. ઘણાં બાળકો, જેઓ એક સમયે શેરીઓમાં રહેતા હતા, હવે ડૉક્ટર, એન્જિનિયર અને પત્રકાર બની ગયા છે, અને તેની પાછળ જામ્યાંગનું સમર્પણ રહેલું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/dhammapada-was-the-first-book-printed-after-the-invention-of-printing-machine-in-china">ચીનમાં પ્રિન્ટીંગ મશીન શોધાયા બાદ છપાયેલું પ્રથમ પુસ્તક 'ધમ્મપદ' હતું</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 07 Oct 2024 08:59:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1353</Articleid>
                    <excerpt>આ સત્ય ઘટના વાંચ્યા પછી તમારું બૌદ્ધ ધર્મ અને તેની મહાન પરંપરાઓ પ્રત્યેનું માન-સન્માન અનેકગણું વધી જશે તેની ગેરંટી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6702d3dd0039d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_6702d3dcc01ca.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_6702d3dcc01ca.jpg" length="90576" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Pinky Haryana, Lobsang Jamyang, Tibetan monk, Tong Lane Charitable Trust, Dharamshala</media:keywords>
                </item>
                        <item>
                    <title>સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી પ્રતિબંધ મૂકવા સુપ્રીમનો ઈનકાર</title>
                    <link>https://khabarantar.com/supreme-court-refuses-to-ban-bulldozer-operation-in-somnath</link>
                    <guid>https://khabarantar.com/supreme-court-refuses-to-ban-bulldozer-operation-in-somnath</guid>
                    <description>
                        <![CDATA[ સોમનાથ મંદિર આસપાસ મુસ્લિમ સમુદાયના ઘરો અને ધાર્મિક સ્થળો તોડી પાડવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં સોમનાથ મંદિરની આસપાસ બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. સોમનાથ મંદિર પાસે મુસ્લિમ સમુદાયના ઘરો અને ધાર્મિક સ્થળો પર બુલડોઝરની કાર્યવાહી સામે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમના ૧૭ સપ્ટેમ્બરના આદેશની અવગણના કરીને અહીં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આગામી સુનાવણી ૧૬મી ઓક્ટોબરે જવાબ દાખલ કરવા જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમે બુલડોઝરની કાર્યવાહી રોકવાનો ઈનકાર કર્યો અને કહ્યું કે રાજ્ય સરકારનો જવાબ આવવા દો. જો અમને લાગે છે કે અધિકારીઓએ કોર્ટની અવમાનના કરી છે, તો અમે તેમને ન માત્ર જેલમાં મોકલીશું પરંતુ તેમને ત્યાં અગાઉની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે પણ આદેશ કરીશું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ સાથે જ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. હવે આ કેસની આગામી સુનાવણી ૧૬મી ઓક્ટોબરે થશે. જો કે, કોર્ટે યથા સ્થિતિ જાળવવાની અરજીકર્તાની માંગને ફગાવી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ કેસ ૨૦૦૩થી ચાલી રહ્યો છે. મુસ્લિમ સમાજ તરફથી સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્વારા સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ પિટીશન દાખલ કરવામાં આવી હતી. કન્ટેમ્પ પિટીશનમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા, ઇદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સ્થિત અન્ય ઘણા બાંધકામોના કથિત ગેરકાયદેસર તોડી પાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બુલડોઝરની કાર્યવાહી રોકવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/at-Somnath-the-local-brahmins-went-on-a-fast-while-worshiping-outside-brahmins"><strong> સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 04 Oct 2024 20:55:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1336</Articleid>
                    <excerpt>સોમનાથ મંદિર આસપાસ મુસ્લિમ સમુદાયના ઘરો અને ધાર્મિક સ્થળો તોડી પાડવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_6700083325db8.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_67000832e6697.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_67000832e6697.jpg" length="80728" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Somnath, Bulldozer action, Supreme Court</media:keywords>
                </item>
                        <item>
                    <title>જામનગર મહાગુજરાત બૌદ્ધ સંઘમાં 13 લોકોએ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી</title>
                    <link>https://khabarantar.com/13-people-took-buddhist-initiation-in-jamnagar-mahagujarat-buddhist-sangh</link>
                    <guid>https://khabarantar.com/13-people-took-buddhist-initiation-in-jamnagar-mahagujarat-buddhist-sangh</guid>
                    <description>
                        <![CDATA[ જામનગર બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. અહીં બહુજન સમાજની જાગૃતિના ચમકારા દિન પ્રતિદિન થતા રહ્યાં છે, તેનો આ વધુ એક પુરાવો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદથી ખદબદતા હિંદુ ધર્મમાં દલિતો, આદિવાસી અને ઓબીસી સમાજ સાથે સતત થઈ રહેલા ભેદભાવોને લઈને વધુને વધુ લોકો તેને છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે. ખાસ કરીને દલિત સમાજ તેમાં અગ્રેસર છે. ત્યારે આવી જ એક ઘટના જામનગર ખાતે બની ગઈ. જેમાં 4 પરિવારના કુલ 13 લોકોએ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગત રવિવારે જામનગરના સર્કિટ હાઉસ, લાલ બંગલા સર્કલ પાસે "મહા ગુજરાત બૌદ્ધ સંઘ" દ્વારા "બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘના સંચાલક આયુ. સિંહલ બોધિધર્મનજીના સાન્નિધ્યમાં જામનગર જિલ્લાના કુલ 4 પરિવારના 13 સભ્યોને "બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા" ગ્રહણ કરવામાં આવી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_66ffa4f9abdc4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૌ પ્રથમ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. એ પછી તથાગત બુદ્ધને દીપ પ્રજ્વલિત કરી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરવામાં આવ્યું હતું. એ પછી બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરજીની 22 પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવ્યું. ત્યારબાદ દરેક દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ બદલ તમામ દીક્ષાર્થીઓને મહા ગુજરાત બૌદ્ધ સંઘની ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202410/image_870x_66ffa5142f4f5.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દીક્ષા સમારોહને લઈને સંઘના સંચાલક સિંહલ બોધિધર્મને ખબરઅંતર.કોમને જણાવ્યું હતું કે, "હિંદુ ધર્મમાં સતત વધતા જતા ભેદભાવો, જાતિવાદ અને આભડછેટ જેવી સેંકડો બદ્દીઓમાંથી બહાર નીકળવા માટે બૌદ્ધ ધર્મ જ એકમાત્ર રસ્તો છે. તે આપણને માનવતા, કરુણા અને દયાભાવ શીખવે છે. હિંદુ ધર્મમાં મનુસ્મૃતિ પ્રેરિત વર્ણવ્યવસ્થામાં માણસની ઓળખ તેની જાતિને આધારે જ થાય છે, એવામાં વર્ણવ્યવસ્થામાં નીચલા સ્તરે રહેલા લોકોને ઘણાં ભેદભાવો સહન કરવામાં આવે છે. બોધિસત્વ ડો. આંબેડકરે એક રસ્તો ચીંધ્યો હતો અને હવે વધુને વધુ લોકો આ રસ્તે ચાલી રહ્યાં છે. આગામી દિવસોમાં હજુ પણ હિંદુ ધર્મની બદ્દીઓથી કંટાળીને વધુ લોકો બૌદ્ધ ધર્મ સ્વીકારશે તો મને જરાય નવાઈ નહીં લાગે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપનો ધમ્મ બંધુ/ધમ્મ પ્રચારક</span><br><span style="font-size: 14pt;">સિંહલ બોધિધર્મન</span><br><span style="font-size: 14pt;">સ્થાપક/સંચાલક</span><br><span style="font-size: 14pt;">મહા ગુજરાત બૌદ્ધ સંઘ</span><br><span style="font-size: 14pt;">અમદાવાદ, ગુજરાત પ્રદેશ</span><br><span style="font-size: 14pt;">મો.9624353368</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/dalits-built-a-buddhist-vihara-at-a-cost-of-11-lakhs-the-casteists-demolished-it"><strong>11 લાખ ખર્ચીને દલિતોએ બૌદ્ધ વિહાર બનાવ્યું, જાતિવાદીઓએ તોડી પાડ્યું</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 04 Oct 2024 13:53:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1333</Articleid>
                    <excerpt>જામનગર બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. અહીં બહુજન સમાજની જાગૃતિના ચમકારા દિન પ્રતિદિન થતા રહ્યાં છે, તેનો આ વધુ એક પુરાવો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202410/image_140x98_66ffa4dc6d427.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202410/image_870x580_66ffa4dc3ca37.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202410/image_870x580_66ffa4dc3ca37.jpg" length="99961" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Buddhist initiation, Mahagujarat Buddhist Sangha, Jamnagar</media:keywords>
                </item>
                        <item>
                    <title>કોણ છે હસન નસરલ્લાહ અને હિઝબુલ્લાહ?</title>
                    <link>https://khabarantar.com/who-is-hassan-nasrallah-and-hezbollah</link>
                    <guid>https://khabarantar.com/who-is-hassan-nasrallah-and-hezbollah</guid>
                    <description>
                        <![CDATA[ હિઝબુલ્લાહનો વડો હસન નસરલ્લાહ માર્યો ગયો હોવાના સમાચાર છે, ત્યારે કોણ છે આ વ્યક્તિ, હિઝબુલ્લાહ શું છે તે જાણો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઇઝરાયેલના મીડિયા અને ઇઝરાયેલ સેનાએ હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાહની હત્યાના સમાચાર આપ્યા છે. હજુ સુધી કોઈ મોટા બિન-ઈઝરાયેલ મીડિયાએ આની પુષ્ટિ કરી નથી. પરંતુ સીરિયાના અલ કાયદા અને આઈએસ પ્રભાવિત વિસ્તારોમાં નસરાલ્લાહની હત્યાની ઉજવણી કરવામાં આવી રહી છે અને મીઠાઈઓ વહેંચવામાં આવી રહી છે. જ્યારે ઈરાનની રાજધાની તેહરાનમાં લોકો રસ્તા પર ઉતરીને અમેરિકા અને ઈઝરાયલનો વિરોધ કરી રહ્યા છે. આ બધા સમાચારો વચ્ચે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે કઈ ભૂલના કારણે છેલ્લાં બે દાયકાથી ભૂગર્ભમાં રહેતો નસરલ્લાહ માર્યો ગયો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિઝબુલ્લાનો વડો નસરલ્લાહ પણ શિયા મૌલવી છે. તેની કાળી પાઘડી તે બતાવે છે. શિયા ધાર્મિક ગુરુઓ અથવા મરાજાઓમાં તેમનો નંબર અલી સિસ્તાની (ઈરાક), ખામેની (ઈરાન) પછી આવે છે. ભારત, પાકિસ્તાન અને વિશ્વના અન્ય દેશોમાં, શિયા મુસ્લિમો અલી સિસ્તાની અને ખામેનીને સૌથી વધુ અનુસરે છે. નસરાલ્લાહને અનુસરતા શિયાઓ લેબનોન અને આસપાસના વિસ્તારોમાં વધુ સંખ્યામાં છે. પરંતુ તે શિયા મુસ્લિમોમાં એક શિયા ધાર્મિક નેતા કરતાં હીરો તરીકે વધુ પ્રખ્યાત છે, કારણ કે તેના સંગઠને ઇઝરાયેલને પડકારવા માટે હમાસને તાલીમ આપી અને તૈયાર કર્યું હતું. તેણે યમનના હુથીઓને તાલીમ આપી અને તૈયાર કર્યા. પરંતુ વૈચારિક રીતે હિઝબુલ્લાહ અને નસરાલ્લાહ ઈરાનને સમર્થન આપે છે. તેથી જ તેને ઈરાનનું પ્રોક્સી સંગઠન પણ કહેવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નસરાલ્લાહ 32 વર્ષથી હિઝબુલ્લાહની કમાન સંભાળી રહ્યો છે. જ્યારે તેણે કમાન સંભાળી ત્યારે તે યુવાન હતો અને તેની દાઢી કાળી હતી પરંતુ હવે તેની દાઢી સફેદ થઈ ગઈ છે. આ 32 વર્ષોમાં 64 વર્ષીય નસરાલ્લાહે હિઝબુલ્લાહને એક શક્તિશાળી સંગઠન બનાવ્યું છે. હિઝબુલ્લાહ એક રાજકીય સંગઠન બની ગયું છે જે લેબનોનમાં પ્રભાવ ધરાવે છે અને બેલિસ્ટિક મિસાઇલોથી સજ્જ એક સેના છે જે તેલ અવીવને ધમકી આપી શકે છે. લેબનોનમાં જે પણ સરકાર રચાય છે, તે હિઝબુલ્લાહના પ્રભાવ હેઠળ હોય છે, કારણ કે હિઝબુલ્લાહના સૈનિકો લેબનોનની સરહદની સુરક્ષા માટે તૈનાત રહે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નસરાલ્લાહે લાંબા સમયથી જેરુસલેમની સ્વતંત્રતાની હાકલ કરી રહ્યો છે અને સતત ઈઝરાયેલના "જાયોનીવાદ" વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે. તે કહે છે કે તમામ યહૂદી વસાહતીઓએ તેમના મૂળ દેશોમાં પાછા ફરવું જોઈએ અને મુસ્લિમો, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ માટે સમાનતા ધરાવતું એક પેલેસ્ટાઈન હોવું જોઈએ. આ બહુ મોટી વાત છે અને એટલે પેલેસ્ટાઈનની નવી પેઢી નસરાલ્લાહને હીરો માને છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નસરાલ્લાહ ખૂબ જ સાદું જીવન જીવે છે. તે રાજકીય નેતાઓ સાથે બહુ ઓછું હળે મળે છે.  તેણે 2006ના ઈઝરાયેલ સામેના યુદ્ધ પછી જાહેરમાં દેખાવાનું અને ટેલિફોન કૉલ કરવાનું બંધ કરી દીધું છે. એ યુદ્ધ, ત્યારે શરૂ થયું હતું જ્યારે હિઝબુલ્લાએ સરહદ પારના હુમલા દરમિયાન બે ઇઝરાયલી સૈનિકોને પકડ્યા હતા, 34 દિવસની લડાઈ પછી બંને પક્ષોએ વિજયની ઘોષણા સાથે તેને સમાપ્ત કરી દીધું. ત્યારબાદ હિઝબુલ્લાહની આરબ જગત અને દુનિયાભરમાં પ્રશંસા કરવામાં આવી કે, તેણે આ વિસ્તારમાં થયેલા સંઘર્ષોમાં ઝડપથી સક્રિય ભૂમિકા નિભાવી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે મોટાભાગના શિયા મૌલવીઓ કરતાં ઓછો હિંમતવાન છે. તે ઘણીવાર પોતાના ભાષણમાં જોક્સ કહે છે. તેણે ક્યારેય મહિલાઓ માટે બુરખા જેવા કડક ઇસ્લામિક નિયમો માટે દબાણ કર્યું નથી. તેણે ઇરાનીઓ અને વિદેશી શિયા લોકો પાસેથી ભંડોળ મેળવીને લેબનોનના નિર્માણમાં મદદ કરી હતી. તે સમયે, લેબનોન લાંબા ગૃહ યુદ્ધમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. હસન નસરલ્લાહ અને હિઝબુલ્લાહ લેબનોનમાં હોસ્પિટલો, શાળાઓ અને અન્ય સામાજિક સેવાઓ બનાવવા માટે જાણીતા છે. 1960માં બેરૂતમાં જન્મેલો, નસરલ્લાહ ખ્રિસ્તી, આર્મેનિયન, ડ્રુસ, પેલેસ્ટિનિયન અને શિયા વસ્તી વચ્ચે અત્યંત ગરીબીમાં ઉછર્યો હતો. તેના પિતાની ફળ અને શાકભાજીની નાની દુકાન હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે 1989માં ઈરાનના ક્યુમ શહેરમાં હૌઝા (ધાર્મિક શિક્ષણની કૉલેજ)માં અભ્યાસ કર્યો અને ઈરાનની 1979ની ઈસ્લામિક ક્રાંતિને મુસ્લિમ વિશ્વ સમક્ષ એક મોડેલ તરીકે રજૂ કરી. 1983 માં, પહેલા બેરુતમાં, પછી અમેરિકન અને ફ્રેન્ચ શાંતિ સૈનિકોની બેરેક પર આત્મઘાતી બોમ્બ હુમલામાં 241 યુએસ સેવા સભ્યો સહિત ઓછામાં ઓછા 360 લોકો માર્યા ગયા. ઘાતક હુમલાઓની જવાબદારી હિઝબુલ્લાહના સહયોગી સંગઠન દ્વારા લેવામાં આવી હતી, અને જે લોકો પર તેની યોજના બનાવવાની શંકા હતી તેમાંના કેટલાક બાદમાં નસરલ્લાહ હેઠળ ટોચના હિઝબુલ્લા કમાન્ડર બન્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નસરલ્લાહે 19 સપ્ટેમ્બરે, ટીવી પર પેજર્સ અને વોકી-ટોકી વિસ્ફોટ કરવા માટે ઇઝરાયેલને દોષી ઠેરવ્યું હતું, જેમાં થોડા દિવસ પહેલા તેના ડઝનેક પાયદળ સૈનિકો માર્યા ગયા હતા અને હજારથી વધુ ઘાયલ થયા હતા. તેણે કહ્યું, "આનો બદલો લેવામાં આવશે. તેની રીત, આકાર, કેવી રીતે અને ક્યાં- આ બધું અમારા નક્કી કર્યા પ્રમાણે હશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિઝબુલ્લાહ શું છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">વોશિંગ્ટન પોસ્ટનો રિપોર્ટ કહે છે કે, હિઝબુલ્લાહ, જેનો અર્થ થાય છે "ભગવાનનો પક્ષ", તે એક શિયા મુસ્લિમ રાજકીય પક્ષ અને આતંકવાદી સંગઠન છે. તે લેબનોનમાં રાજકીય સત્તા ધરાવે છે અને તેને ઈરાનનું પીઠબળ છે. 1980 ના દાયકામાં તે 15-વર્ષના લેબનીઝ ગૃહ યુદ્ધ દરમિયાન દેશના દક્ષિણ પ્રદેશ પર ઇઝરાયેલના કબજા બાદ તેની પ્રતિક્રિયા તરીકે ઉભરી આવ્યું હતું. તેના 1985ના મેનિફેસ્ટોમાં, હિઝબુલ્લાહે ઈઝરાયેલના વિનાશને તેના મુખ્ય ધ્યેયોમાંના એક તરીકે ગણાવ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લેબનોનમાં આ જૂથ દેશના ઐતિહાસિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા મોટાભાગના શિયા સમુદાય પર પ્રભાવ ધરાવે છે. હિઝબુલ્લાહ લેબનોનની અંદર ઈરાની પ્રતિનિધિમાંથી એક પ્રાદેશિક પાવર હાઉસમાં વિકસિત થઈ ગયું છે. જ્યારે સીરિયામાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે હિઝબુલ્લાહ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને અલ કાયદા અને આઈએસ (દાઈશ)થી બચાવવા માટે લડી રહ્યું હતું. તેણે યમનમાં હુથી બળવાખોરો અને ઈરાકમાં મિલિશિયાને તાલીમ આપી છે. લેબનોનમાં સંગઠનનો વ્યાપક રાજકીય પ્રભાવ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિઝબુલ્લાહ અને હમાસ વચ્ચેના સંબંધો કેવા છે?</span></strong></span><br><span style="font-size: 14pt;">હમામ, ઇઝરાયેલ પર થયેલા તાજેતરના હુમલા માટે જવાબદાર ઉગ્રવાદી સંગઠન છે. તે ગાઝા પટ્ટીને નિયંત્રિત કરે છે અને ઇઝરાયેલની જગ્યાએ પેલેસ્ટિનિયન રાજ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે. હમાસ એ સુન્ની પેલેસ્ટિનિયન સંગઠન છે, જ્યારે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ શિયા લેબનીઝ પાર્ટી છે. તાજેતરના વર્ષોમાં હમાસ અને હિઝબુલ્લાહ વચ્ચે સીરિયન ગૃહ યુદ્ધને લઈને મતભેદો રહ્યાં છે, હિઝબુલ્લાહ સીરિયન પ્રમુખ બશર અલ-અસદને ટેકો આપે છે અને હમાસને સત્તા પરથી હટાવવાનું સમર્થન કરે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંને સંગઠનો સીરિયાને લઈને અલગ-અલગ મંતવ્યો ધરાવતા હોવા છતાં બંને ઈઝરાયેલને પોતાનું નંબર વન દુશ્મન માને છે. ઇઝરાયેલના અસ્તિત્વ સામે તેમના સહિયારા વિરોધે જ તેમને વ્યૂહાત્મક સાથી બનાવ્યા છે. 2020 અને 2023 ની વચ્ચે, બંને જૂથોના નેતાઓએ સંયુક્ત આરબ અમીરાત અને બહેરીન જેવા આરબ દેશો વચ્ચે ઇઝરાયેલ સાથે થયેલા કરારોનો વિરોધ કર્યો. આ કરારો બાદ ઊભા થયેલા વંટોળ પર ચર્ચા કરવા બંને સંગઠનોના નેતાઓએ ઓછામાં ઓછી બે બેઠકો યોજી હતી. હિઝબુલ્લાના નેતા હસન નસરલ્લાહે તાજેતરમાં જ એપ્રિલમાં લેબનોનમાં હમાસના વડા ઇસ્માઇલ હનીયેહ સાથે મુલાકાત કરી હતી.</span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Sep 2024 19:10:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1293</Articleid>
                    <excerpt>હિઝબુલ્લાહનો વડો હસન નસરલ્લાહ માર્યો ગયો હોવાના સમાચાર છે, ત્યારે કોણ છે આ વ્યક્તિ, હિઝબુલ્લાહ શું છે તે જાણો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f806dc04274.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f806dbc55b5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f806dbc55b5.jpg" length="59472" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Hassan Nasrallah, Hezbollah, Hasan Nasrallah killed, Hamas, Israel</media:keywords>
                </item>
                        <item>
                    <title>અમદાવાદમાં વક્ફ બોર્ડની બેઠકમાં હર્ષ સંઘવી ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી</title>
                    <link>https://khabarantar.com/verbal-spat-between-harsh-sanghvi-owaisi-in-waqf-board-meeting-in-ahmedabad</link>
                    <guid>https://khabarantar.com/verbal-spat-between-harsh-sanghvi-owaisi-in-waqf-board-meeting-in-ahmedabad</guid>
                    <description>
                        <![CDATA[ વક્ફ બોર્ડની મિટીંગમાં હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને ભારે ગરમાગરમી જોવા મળી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસી હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેની બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઔવેસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાના સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદમાં ખાતે વક્ફ બોર્ડ મુદ્દે મળેલી જેપીસીની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેને લઈને બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યક્ત કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે, “સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફક્ત દેખાડો કરી રહ્યાં છે. વક્ફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યાં મુજબનું છે અને તે અમારા સમર્થનમાં નથી. અમે અમારા મુદ્દાઓને વળગેલા છીએ અને કલેક્ટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુસીન ઓવૈસી સહિતના ૩૧ સભ્યો અમદાવાદ સિંધુ ભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા હતા. સંયુક્ત સંસદીય કમિટી ગુજરાત વક્ફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “પ્રત્યેક નાગરિકોના હિતમાં સુધારાને લગતાં રાજ્ય સરકારના તમામ સૂચનો જેપીસી કમિટીને આપી દેવાયા છે. જેપીસીની વાતો બહાર ન થઈ શકે પરંતુ નાગરિકોના હિતમાં જે વિષય હતા તે મુદ્દે મેં ફરજ અદા કરી છે. સૂચનોની સંપૂર્ણ માહિતી જેપીસી કમિટીના નિયમ પ્રમાણે સૌ મીડિયાને આપી દેવાશે.” જો કે, વક્ફ બોર્ડના નિયમો અને કાયદાને લઈને ઓવૈસી સાથે થયેલી બોલાચાલી મામલે તેમણે કંઈપણ બોલવાનું ટાળ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જેપીસી આગામી દિવસોમાં હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોરમાં પણ બેઠકો યોજાવાની છે. વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ જેપીસીની રચના કરવામાં આવી છે. જેમાં ૩૧ સાંસદોનો સમાવેશ થાય છે. કમિટીમાં ૨૧ લોકસભાના અને ૧૦ રાજ્યસભાના સાંસદો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/some-illusions-and-lies-spread-about-wakf-board"><strong>વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 27 Sep 2024 20:41:05 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1287</Articleid>
                    <excerpt>વક્ફ બોર્ડની મિટીંગમાં હર્ષ સંઘવી અને ઓવૈસી વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને ભારે ગરમાગરમી જોવા મળી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66f6c9d233879.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f6c9d1f4170.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66f6c9d1f4170.jpg" length="63124" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Waqf Board, Harsh Sanghvi, Owaisi, Waqf Research Bill, JPC</media:keywords>
                </item>
                        <item>
                    <title>મુસ્લિમ વિસ્તારને ‘પાકિસ્તાન’ કહેનાર જજ વેદવ્યાસાચાર્યની મુશ્કેલી વધી</title>
                    <link>https://khabarantar.com/judge-ved-vyasacharyas-trouble-increased-when-he-called-the-muslim-area-pakistan</link>
                    <guid>https://khabarantar.com/judge-ved-vyasacharyas-trouble-increased-when-he-called-the-muslim-area-pakistan</guid>
                    <description>
                        <![CDATA[ બેંગ્લુરુના એક મુસ્લિમ વિસ્તારને પાકિસ્તાન કહેનાર જજ વેદવ્યાસાચાર્યની મુશ્કેલીઓ વધી છે. સુપ્રીમ કોર્ટે મામલો હાથમાં લીધો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Muslim area Pakistan:કર્ણાટક હાઈકોર્ટના વિવાદાસ્પદ જજ વેદવ્યાસાચાર્ય શ્રીશાનંદની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમણે પશ્ચિમી બેંગલુરુના મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારને પાકિસ્તાન ગણાવ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એટલું જ નહીં, તેમણે એક મહિલા વકીલને આંતરવસ્ત્રો સંબંધિત વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. આ બંને મામલે હવે સુપ્રીમ કોર્ટે સુઓમોટો હાથ ધરી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીજેઆઈ ડી.વાય.ચંદ્રચુડે કહ્યું છે કે, “અમે આ મુદ્દે માર્ગદર્શિકા જારી કરીશું. કોર્ટની કાર્યવાહી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના જજ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર મીડિયા રિપોર્ટ્‌સે ધ્યાન દોર્યું છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિવાદાસ્પદ આ જજની પાકિસ્તાન સંબંધિત ટિપ્પણીનો વીડિયો વાયરલ થયાંને થોડા સમય બાદ તેમનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ મહિલા વકીલ પર અસંવેદનશીલ અને વાંધાજનક ટિપ્પણી કરતાં જોવા મળે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ વીડિયોમાં જસ્ટિસ શ્રીશાનંદ વિપક્ષના વકીલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવા માટે મહિલા વકીલને ઠપકો આપતા જોવા મળે છે. તેઓ મહિલા વકીલને કહે છે કે, “તેઓ સામેના પક્ષ વિશે ઘણું જાણે છે, હવે પછી તેઓ તેમના આંતરવસ્ત્રોનો કલર પણ કહી દેશે.” કર્ણાટક હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન જજ શ્રીશાનંદે આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/the-judge-who-ordered-rakhi-to-be-tied-to-the-rapist-joined-the-bjp">છેડતી કરનારને રાખડી બાંધવાનો ચૂકાદો આપનાર જજ ભાજપમાં જોડાયા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, અમે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશને વિનંતી કરીએ છીએ કે તેઓ હાઈકોર્ટના ચીફ જસ્ટિસના નિર્દેશ બાદ તેમનો રિપોર્ટ સબમિટ કરે. મુખ્ય ન્યાયાધીશે આ માટે બે દિવસનો સમય આપ્યો છે. સીજેઆઈએ કહ્યું કે, અમે એટર્ની જનરલ અને સોલિસીટર જનરલે આ મામલો પોતાનો પક્ષ રાખવા માટે વિનંતી કરી છે. આ કેસની આગામી સુનાવણી ૨૫ સપ્ટેમ્બરે થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઈકોર્ટના જજ વેદવ્યાસાચાર્ય શ્રીશાનંદે બે કોમેન્ટ કરી છે. એક પાકિસ્તાન સાથે સંબંધિત હતી અને એક મહિલા વકીલ સાથે સંબંધિત  હતી, જેની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ક્લિપ વાયરલ થયા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલા અંગે તરત પગલાં લીધાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ શ્રીશાનંદે ૨૮ ઓગસ્ટે એક કેસની સુનાવણી દરમિયાન કર્ણાટકના ગોરીપલ્યા (મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તાર)ને પાકિસ્તાન ગણાવ્યું હતું. શ્રીશાનંદે કહ્યું હતું કે, “ગોરીપલ્યામાં એક ઓટોમાં ૧૦ લોકો જાય છે, ત્યાં કાયદો લાગુ થતો નથી, ગોરીપલ્યાથી મૈસૂર ફ્લાયઓવર સુધીનો વિસ્તાર પાકિસ્તાનમાં છે, ભારતમાં નથી. અહીં કાયદો લાગુ પડતો નથી અને આ સત્ય છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <strong><a href="https://khabarantar.com/9-judgments-came-after-the-retirement-of-high-court-judges-the-supreme-court-was-also-shocked">બોલો લો! હાઈકોર્ટના જજની નિવૃત્તિ બાદ 9 ચુકાદા આવ્યા, સુપ્રીમ પણ હેરાન</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 20 Sep 2024 20:46:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1245</Articleid>
                    <excerpt>બેંગ્લુરુના એક મુસ્લિમ વિસ્તારને પાકિસ્તાન કહેનાર જજ વેદવ્યાસાચાર્યની મુશ્કેલીઓ વધી છે. સુપ્રીમ કોર્ટે મામલો હાથમાં લીધો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ed90a34cb49.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ed90a31c5b3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ed90a31c5b3.jpg" length="59776" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Judge Vedavyasacharya, Pakistan, Supreme Court, CJI DY Chandrachude, muslim area pakistan</media:keywords>
                </item>
                        <item>
                    <title>જો જામીન નિયમ છે, તો મુસ્લિમો માટે તે અપવાદ કેમ છે? &amp; દિગ્વિજયસિંહ</title>
                    <link>https://khabarantar.com/if-bail-is-the-rule-why-is-it-an-exception-for-muslims-digvijay-singh</link>
                    <guid>https://khabarantar.com/if-bail-is-the-rule-why-is-it-an-exception-for-muslims-digvijay-singh</guid>
                    <description>
                        <![CDATA[ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ઉમર ખાલિદ સહિતના મુસ્લિમોને જામીન આપવામાં અદાલતો ભેદભાવ દાખવતી હોવાની વાત કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. તેમણે દેશની અદાલતો દ્વારા પીડિત જ્યારે મુસ્લિમ સમાજનો હોય ત્યારે તેની સાથે જામીન આપવા મામલે ભેદભાવ દાખવવામાં આવતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિગ્વિજયસિંહે કહ્યું, કે જ્યારે પીડિત પક્ષ મુસ્લિમ હોય ત્યારે જામીન અપવાદ બની જાય છે. આ નિવેદન તેમણે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલીદ સહિત જેલમાં બંધ કેટલાક કાર્યકરોની મુક્તિની માંગને લઈને તેમના પરિવારોના ટેકામાં વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે સુપ્રીમ કોર્ટની હાલની જ ટિપ્પણીનો ‘જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે’ નો ઉલ્લેખ કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ(APCR) દ્વારા વર્ષ 2019-20માં CAA-NRC વિરોધી પ્રદર્શનો સાથે જોડાયેલા કેટલાક કાર્યકરોની ધરપકડના ચાર વર્ષ પુરા થવા નિમિત્તે આયોજિત ગ્રુપ ચર્ચામાં દિગ્વિજયસિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) પર આકરા પ્રહારો કર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે જેમ હિટલરના શાસન દરમિયાન જર્મનીમાં યહૂદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા તેમ RSS એ ભારતમાં મુસ્લિમોને નિશાન બનાવ્યા છે. જેલમાં બંધ કાર્યકર્તાની તરફેણમાં તેમના પરિવાર સાથે ઉભા રહેતા કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, તેઓ એવા વિસ્તારમાંથી આવે છે જ્યાં આરએસએસને "નર્સરી" કહેવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, "હું તેમને બહુ નજીકથી જાણું છું. તેઓ ન તો લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે, ન બંધારણમાં. જે રીતે હિટલરે યહૂદીઓને નિશાન બનાવ્યા હતા તે જ રીતે તેણે(RSS) મુસ્લિમોને નિશાન બનાવ્યા છે. જે રીતે આ વિચારધારાએ દરેક સ્તરે ઘૂસણખોરી કરી છે તે લોકશાહી માટે ખતરનાક છે." </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/if-conversion-continues-majority-will-become-minority-allahabad-high-court">ધર્મ પરિવર્તન ચાલુ રહ્યું તો બહુમતી લઘુમતી થઈ જશેઃ અલ્હાબાદ હાઈકોર્ટ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું, "આરએસએસ એક અનરજિસ્ટર્ડ સંગઠન છે, તેનું કોઈ સભ્યપદ નથી, કોઈ ખાતું નથી. જો કોઈ પકડાય છે, તો તેઓ તેને તેના સભ્ય તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દે છે. જેમ કે નાથુરામ ગોડસેની ધરપકડ સમયે તેમણે કર્યું હતું. તેઓ સિસ્ટમમાં દરેક જગ્યાએ ઘૂસી ગયા છે. આપણે ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિગ્વિજયસિંહે સવાલ કર્યો હતો કે, "જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે, તો પછી શું કારણ છે કે મુસ્લિમો માટે જામીન એક અપવાદ બની જાય છે?"</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન, ઉમર ખાલિદના પિતા એસક્યુઆર ઇલ્યાસે UAPA જેવા કડક કાયદાઓ અંગે ચિંતા વ્યક્ત કરી, જેના હેઠળ ઉમર ખાલિદ અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશનના જનરલ સેક્રેટરી દીપાંકર ભટ્ટાચાર્યએ કહ્યું કે, જે કાર્યકરો હજુ પણ જેલમાં છે તેમને એક દિવસ 'લોકશાહીના યોદ્ધાઓ' તરીકે જોવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અભિનેત્રી સ્વરા ભાસ્કર, સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા અને સંજય રાજૌરાએ પણ જેલમાં બંધ કાર્યકરોની તરફેણ કરીને તેમની સાથે હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ઉમર ખાલીદ, શરજીલ ઇમામ, ખાલિદ સૈફી અને અન્યો પર ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં થયેલા રમખાણોમાં કથિત રીતે માસ્ટરમાઈન્ડ હોવાને લઈને આતંકવાદ વિરોધી કાયદા(UAPA) અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ રમખાણોમાં ૫૩ લોકો માર્યા ગયા હતા અને ૭૦૦ થી વધુ ઘાયલ થયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ઉમર ખાલિદ લગભગ 4 વર્ષથી જેલમાં છે. ઉમર ખાલિદના કેસની સુનાવણી આ જ વર્ષે 2024માં થવાની હતી. પરંતુ તેને કોર્ટમાંથી રાહત મળી નથી. દિલ્હીની કડકડડૂમા કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ઉમર પર દિલ્હીમાં કોમી રમખાણ કેસમાં કાવતરું ઘડવાનો આરોપ છે. તેણે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ બાદમાં તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિલ્હી પોલીસનો આરોપ છે કે ઉમર ખાલિદે વર્ષ 2020માં લગભગ 23 સ્થળોએ દેખાવોનું આયોજન કર્યું હતું અને તેના કારણે જ રાજધાનીમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. જો કે, ઉમર ખાલિદે અદાલતમાં નકારી કાઢ્યું હતું કે રમખાણો ભડકાવવામાં તેની કોઈ ભૂમિકા હતી. તેણે કહ્યું હતું કે તેને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Eleventh-visit-to-Tihar">તિહારમાં અગિયારમી મુલાકાત </a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 18 Sep 2024 19:10:06 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1231</Articleid>
                    <excerpt>કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ઉમર ખાલિદ સહિતના મુસ્લિમોને જામીન આપવામાં અદાલતો ભેદભાવ દાખવતી હોવાની વાત કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66ead75d9ce6f.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ead75d6f14a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66ead75d6f14a.jpg" length="55586" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Congress leader Digvijay Singh, Umar Khalid case</media:keywords>
                </item>
                        <item>
                    <title>પાટીદારોએ મુસ્લિમોને ઈદગાહ બનાવવા માટે દોઢ વીઘા જમીન દાન કરી</title>
                    <link>https://khabarantar.com/the-patidars-donated-one-and-a-half-bigha-of-land-to-the-muslims-to-build-an-eidgah</link>
                    <guid>https://khabarantar.com/the-patidars-donated-one-and-a-half-bigha-of-land-to-the-muslims-to-build-an-eidgah</guid>
                    <description>
                        <![CDATA[ ગામના મુસ્લિમોને નમાઝ પઢવામાં મુશ્કેલી પડતી હતી, પાટીદારોએ ઈદગાહ અને કોમ્યુનિટી હોલ માટે એક રૂપિયામાં દોઢ વીઘા જમીન દાન કરી દીધી ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં એકબાજુ રાજકીય લાભ ખાટવા માટે વર્ષો જૂની હિંદુ-મુસ્લિમોને ધર્મના નામે લડાવવાની ફોર્મ્યૂલાને નવેસરથી તેજ કરવામાં આવી રહી છે, ગણેશોત્સવ અને ઈદના તહેવારમાં કોમી વૈમનસ્ય પેદા થાય તેવા પ્રયાસો આદરવામાં આવી રહ્યાં છે, બે કોમ વચ્ચે ઘર્ષણ થાય અને તેનો રાજકીય ફાયદો મળે તે માટે વાતાવરણ પેદા કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ આ બધાં કાવતરાઓથી ઉપર કોમી એકતાની મિસાલ પણ સળગતી રહી છે. આવું એક મજાનું ઉદાહરણ ચરોતરની ભૂમિમાંથી સામે આવી રહ્યું છે. જ્યાં એક ગામમાં મુસ્લિમ બિરાદરોને નમાઝ પઢવામાં પડતી તકલીફ જોઈને એક પાટીદાર અગ્રણીએ એક રૂપિયાના ટોકન ભાવે દોઢ વીઘા જમીન મુસ્લિમ સમાજને ઈદગાહ અને હોલ બનાવવા માટે દાનમાં આપી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં હાલ વકફ અને વકફની મિલકતોને લઈને જાતભાતની શંકા-કુશંકાઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે સરદાર પટેલની ભૂમિ ચરોતરમાંથી કોમી એકતાની સુવાસ ફેલાવતી એક મજાની ઘટના સામે આવી છે. અહીં આણંદ જિલ્લાના વહેરાખાડી ગામે પાટીદાર સમાજના વડીલોએ ઇદગાહ અને મુસ્લિમ સમાજના ઉપયોગ માટે હોલ વગેરે બાંધવા માટે દોઢ વીઘા જમીન દાનમાં આપીને કોમી એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિન્દુ-મુસ્લિમ એકતાને અખંડ રાખનારા પાટીદાર સમાજના સ્વ.કાળીદાસ ફકીરભાઈ પટેલના પરિવારજનોનું મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ઈદે મિલાદના દિવસે મોટો કાર્યક્રમ યોજીને પાટીદાર સમાજનો આભાર માન્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/for-the-first-time-since-independence-an-indian-government-without-a-muslim-minister">આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વહેરાખાડી ગામમાં ગામતળની નજીક મુસ્લિમ સમાજના લોકોને પડતી મુશ્કેલીઓને જોઈ ગામના પાટીદાર સ્વ.કાળીદાસ ફકીરભાઈ પટેલે આજથી સાતેક વર્ષ પૂર્વે માત્ર એક રૂપિયાના ટોકન ભાવમાં પોતાની માલિકીની અંદાજે દોઢ વીઘા જમીન દાનમાં આપી હતી. જ્યાં હવે મુસ્લિમ સમાજ માટે ઈદગાહ અને કોમ્યુનિટી હોલનું નિર્માણ થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે ગામના ભરતભાઇ પટેલે જણાવ્યું હતું, “અમારા વડીલોને મુસ્લિમ સમાજે જેતે વખતે ઇદની સામૂહિક નમાઝ પઢવામાં પડતી મુશ્કેલી અંગે વાત કરી હતી. ત્યારે સ્વ કાળીદાસ પટેલ અને તેમના પરિવારે કોઈ જ વાંધો વિરોધ કર્યા વિના રાજીખુશીથી ગામ નજીકની દોઢ વીઘા જમીન દાન આપીને કોમી એકતા દર્શન કરાવ્યાં હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ અંગે વહેરાખાડીના મુસ્લિમ અગ્રણી મહેબૂબઅલી સૈયદ કહે છે, આજ કાલ હિંદુ-મુસ્લિમ વચ્ચેની શાંતિને ડહોળવા અને કોમી એકતાને તોડવાના પ્રયાસો સતત ચાલી રહ્યાં છે. કારણ વિના જ માત્ર રાજકીય ફાયદા માટે બે કોમને ધર્મના નામે લડાવી પોતાનો ફાયદો શોધવા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ અમારા ગામમાં હિંદુ-મુસ્લિમ એકતા અકબંધ છે. અમારી ઈદગાહ માટે એક પાટીદાર અગ્રણીએ એક રૂપિયાના ભાવે દોઢ વીઘા જમીન દાનમાં આપી દીધી એ કેટલી મોટી વાત છે. અમે પાટીદાર સમાજનું આ ઋણ કદી ભૂલી શકીશું નહીં. અમે સૌ તેમનો દિલથી આભાર માનીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સમસ્ત વહેરખાડી ગામ અને મુસ્લિમ આગેવાનો દ્વારા પાટીદાર સમાજના મોભી જગદીશભાઈ અને અશોકભાઈ સહિતના વડીલોનું ઋણ અદા કરી દાતાઓની તકતીનું અનાવરણ કરીને સ્વાગત કરવા આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/ajmer-sharif-dargah-will-prepare-4000-kg-langar-on-modis-birthday">અજમેર શરીફ દરગાહ મોદીના જન્મદિવસે 4000 કિલોનું લંગર તૈયાર કરશે</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Sep 2024 18:49:15 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1226</Articleid>
                    <excerpt>ગામના મુસ્લિમોને નમાઝ પઢવામાં મુશ્કેલી પડતી હતી, પાટીદારોએ ઈદગાહ અને કોમ્યુનિટી હોલ માટે એક રૂપિયામાં દોઢ વીઘા જમીન દાન કરી દીધી</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e980b5e510c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e980b5ad98a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e980b5ad98a.jpg" length="96868" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Eidgah and Community Hall, Land Donation&lt;patidar, Muslim</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઝારખંડની હેમંત સોરેન સરકારે પહેલીવાર ટ્રાન્સજેન્ડરને સરકારી નોકરી આપી</title>
                    <link>https://khabarantar.com/jharkhands-hemant-soren-government-gsve-government-jobs-to-transgenders-for-the-first-time</link>
                    <guid>https://khabarantar.com/jharkhands-hemant-soren-government-gsve-government-jobs-to-transgenders-for-the-first-time</guid>
                    <description>
                        <![CDATA[ ઝારખંડની હેમંત સોરેન સરકારે એક ટ્રાન્સજેન્ડરને સરકારી નોકરી આપીને એક પ્રગતિશીલ પગલું ભર્યું છે, જેની ચોમેર પ્રશંસા થઈ રહી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગઈકાલનો દિવસ ઝારખંડ સહિત સમગ્ર રાજ્યના ટ્રાન્સજેન્ડર સમાજ માટે યાદગાર બની રહ્યો. આ દિવસ ખાસ એટલા માટે હતો કારણ કે ઝારખંડ રાજ્યમાં પહેલીવાર એક ટ્રાન્સજેન્ડરને સરકારી નોકરી આપવામાં આવી હતી. અગાઉ પાડોશી રાજ્ય બિહાર સહિત દેશના અન્ય રાજ્યોમાં ટ્રાન્સજેન્ડરને સરકારી નોકરીની તક મળી ચૂકી છે, પરંતુ ઝારખંડમાં આવું પહેલીવાર બની રહ્યું હતું અને તેથી જ તેની સૌ કોઈએ નોંધ લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી હેમંત સોરેન ઝારખંડ મંત્રાલયમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની પોસ્ટના નિમણૂક પત્રોનું વિતરણ કરી રહ્યા હતા તે દરમિયાન, આમિર મહતો નામના ટ્રાન્સજેન્ડરને પણ નિમણૂંક પત્ર આપવામાં આવ્યો હતો. એ રીતે આમિર ઝારખંડમાં પહેલીવાર સરકારી નોકરી મેળવનાર ટ્રાન્સજેન્ડર બની ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લાના મનોહરપુરના રહેવાસી આમિર મહતો ઝારખંડના પ્રથમ ટ્રાન્સજેન્ડર છે, જેને સામુદાયિક આરોગ્ય અધિકારીના પદ પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. આમિર મહતોએ જણાવ્યું કે તેની માતાનું સપનું હતું કે તે નર્સ બને, પરંતુ ઘરના સંજોગોને કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મુશ્કેલીઓ વચ્ચે તેમણે માતાનું સપનું સાકાર કર્યું અને આજે તેને આજે સામુદાયિક આરોગ્ય અધિકારીના પદ પર નિમણૂંક કરવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમિર મહતોએ જણાવ્યું કે તેણે પટના એઈમ્સમાં સેવા આપી છે, તેણે પરિવાર સાથે રહેવા માટે પટના એઈમ્સ છોડી દીધી છે. આરઆઇએમએસ હોસ્પિટલ, રાંચીમાંથી બી એસસી નર્સિંગનો અભ્યાસ કર્યા પછી, તેણે સંબલપુર નર્સિંગ કૉલેજમાંથી એમએસસી નર્સિંગનો અભ્યાસ કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીએમ હેમંત સોરેન પાસેથી નિમણૂક પત્ર લીધા બાદ અમીર મહતોએ કહ્યું કે તેને ટ્રાન્સજેન્ડર હોવા પર શરમ નથી અને ન તો આ માટે ભગવાન સામે કોઈ ફરિયાદ છે. તેણે પોતાના સમાજના લોકોને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ અભ્યાસ કરીને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ. બાળપણથી જ તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો તેમ છતાં તેણે આ સફળતા મેળવી છે અને હવે તે સમાજને મદદ કરવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી હેમંત સોરેને ઝારખંડ મંત્રાલયમાં ૩૬૫ સામુદાયિક આરોગ્ય અધિકારીઓને નિમણૂક પત્રો આપ્યા, જેઓ વિવિધ જિલ્લાઓમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં ચર્ચાઓનું આયોજન કરીને આરોગ્ય પ્રણાલીને મજબૂત કરીને લોકોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનું કામ કરશે. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/will-jmm-collapse-after-champai-sorens-rebellion-5-parties-broke-up-in-5-years">ચંપાઈ સોરેનના બળવા પછી JMM નું પતન થઈ જશે? 5 વર્ષમાં 5 પક્ષો તૂટ્યાં</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 16 Sep 2024 21:56:47 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1219</Articleid>
                    <excerpt>ઝારખંડની હેમંત સોરેન સરકારે એક ટ્રાન્સજેન્ડરને સરકારી નોકરી આપીને એક પ્રગતિશીલ પગલું ભર્યું છે, જેની ચોમેર પ્રશંસા થઈ રહી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e85b7a24804.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e85b79e9cdf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e85b79e9cdf.jpg" length="65980" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Hemant soren, Jharkhand</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;ગૌમાંસ રાંધવા&amp;apos;ના આરોપસર 7 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કઢાયા</title>
                    <link>https://khabarantar.com/seven-students-were-expelled-from-the-hostel-on-the-charge-of-cooking-beef</link>
                    <guid>https://khabarantar.com/seven-students-were-expelled-from-the-hostel-on-the-charge-of-cooking-beef</guid>
                    <description>
                        <![CDATA[ ઓડિશાની એક સરકારી એન્જિનિયરીંગ કોલેજના 7 વિદ્યાર્થીઓને કથિત રીતે ગૌમાંસ રાંધવાના આરોપમાં હોસ્ટેલમાંથી કાઢી મૂકાયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓડિશાની એક સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં 'બીફ રાંધવા'ની ફરિયાદ પર 7 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કઢાયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આમાંથી એક વિદ્યાર્થીને હાંકી કાઢવાની સાથે તેને 2000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલેથી આપેલા એક રિપોર્ટ મુજબ, મામલો ઓડિશાના બ્રહ્મપુરમાં સરકારી પરાલા મહારાજા એન્જિનિયરિંગ કોલેજનો છે, જ્યાં સાત વિદ્યાર્થીઓ પર કથિત રીતે બીફ રાંધવાનો આરોપ છે. આ ઘટના બાદ તણાવ વધી જતાં કોલેજ નજીક પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ બાબતને લઈને સ્ટુડન્ટ વેલ્ફેરના ડીને ગુરુવારે 12 સપ્ટેમ્બરના રોજ એક સૂચના બહાર પાડી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને 'પ્રતિબંધિત પ્રવૃત્તિઓ'માં સામેલ થવા બદલ હાંકી કાઢવામાં આવ્યા હતા. વધુમાં કહેવાયું કે, આ વિદ્યાર્થીઓએ 'હોલ ઓફ રેસિડેન્સના નિયમો અને આચારસંહિતા'નું ઉલ્લંઘન કર્યું હતું. જો કે, આ 'પ્રતિબંધિત પ્રવૃત્તિઓ' શું હતી તે અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૂત્રોએ જણાવ્યું કે હાંકી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓ બુધવારે (11 સપ્ટેમ્બર) રાત્રે હોસ્ટેલ પરિસરમાં બીફ રાંધવામાં કથિત રીતે સામેલ હતા. ત્યારબાદ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના અન્ય જૂથે આ ઘટના અંગે ડીનને ફરિયાદ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/bjp-leader-rammed-tractor-on-tribal-farmer-died-on-the-spot">ભાજપ નેતાએ આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દીધું, ઘટના સ્થળે જ મોત</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, "અમે તમામ વિદ્યાર્થીઓના મૂલ્યો અને માન્યતાઓનું સન્માન કરવાનું મહત્વ સમજીએ છીએ. કથિત રીતે ગૌમાંસ રાંધવાની ઘટના આ ઘટનાથી અશાંતિ અને અસુવિધા સર્જાઈ છે અને વાતાવરણ તંગ બન્યું છે. હું નમ્ર વિનંતી કરું છું કે આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલો સામે આવ્યા બાદ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકર્તાઓએ પણ કોલેજની મુલાકાત લીધી હતી અને પ્રિન્સિપાલને મળી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કૉલેજના એક સૂત્રએ જણાવ્યું હતું કે કૉલેજ તંત્રે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના જૂથની ફરિયાદના આધારે આરોપોની તપાસ કરી છે. કોલેજ કેમ્પસમાં અમુક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે, જેને આ વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે. તપાસના તારણોના આધારે આ તમામ વિદ્યાર્થીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતા આ સાતેય વિદ્યાર્થીઓએ હવે કેમ્પસ છોડી દીધું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Do-you-eat-beef-In-Coimbatore,-the-teacher-raised-such-a-question-to-the-Muslim-student">'તું ગૌમાંસ ખાય છે કે નહીં?' શિક્ષિકાએ મુસ્લિમ વિદ્યાર્થિનીને સવાલ કરતા હોબાળો</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 16 Sep 2024 14:33:07 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1216</Articleid>
                    <excerpt>ઓડિશાની એક સરકારી એન્જિનિયરીંગ કોલેજના 7 વિદ્યાર્થીઓને કથિત રીતે ગૌમાંસ રાંધવાના આરોપમાં હોસ્ટેલમાંથી કાઢી મૂકાયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e7f2531b68c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e7f252da66c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e7f252da66c.jpg" length="91738" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>શું પાકિસ્તાનના ક્ષેત્રફળ કરતાં વકફ બોર્ડ પાસે વધુ જમીન છે?</title>
                    <link>https://khabarantar.com/does-the-wakf-board-have-more-land-than-the-area-of-pakistan</link>
                    <guid>https://khabarantar.com/does-the-wakf-board-have-more-land-than-the-area-of-pakistan</guid>
                    <description>
                        <![CDATA[ (Wakf Board)વકફ બોર્ડને લઈને ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાઓ સામે વાસ્તવિકતા શું છે તે સમજવા માટે આ લેખ ચોક્કસ વાંચવો રહ્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમો પ્રત્યે જેટલી નફરત ઊભી થાય તેટલાં વધુ ગોડસેવાદીઓ ઊભાં થાય અને વડાપ્રધાન અને સત્તા પક્ષના પરમ ભક્ત બની જાય આ હેતુથી જ નફરતી મેસેજ તેમના IT Cell તરફથી મોટા જથ્થામાં વહેતા મૂકવામાં આવે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એક ગોડસેવાદીએ મેસેજ મોકલ્યો છે કે “હિન્દુઓ જાગો! પાકિસ્તાનનું ક્ષેત્રફળ 8.81 લાખ વર્ગ કિલોમીટર છે અને વક્ફ બોર્ડનું ક્ષેત્રફળ 9.40 લાખ વર્ગ કિલોમીટર છે. એક પાકિસ્તાન બહાર બન્યું અને એક અંદર બની ગયું, છતાં સૂતા રહેશો?” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શું વાસ્તવમાં વકફ બોર્ડ(Wakf Board) એક્ટ ખતરનાક છે? અને જો તે ખતરનાક હોય તો 2001થી 2024 દરમિયાન મોદીજી સૂતા કેમ રહ્યાં? ચાલો જોઈએ આરોપ અને હકીકતઃ</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[1] આરોપઃ “વકફ બોર્ડ પાસે પાકિસ્તાનના ક્ષેત્રફળ કરતા વધુ જમીન છે. દેશમાં રેલવે, આર્મી કરતા વધુ જમીન વકફ બોર્ડ પાસે છે. સરકારી-ખાનગી જમીન પર વકફ બોર્ડ આંગળી મૂકે એટલે તેની દમીન થઈ જાય છે!”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતઃ આ જૂઠ્ઠો આરોપ છે. આંગળી મૂકે અટલે જમીન વકફ બોર્ડની થઈ જતી નથી. સચ્ચર કમિટિ અનુસાર ભારતમાં દરેક વકફ બોર્ડ પાસે 6 લાખ એકર જમીન છે. તેની સરખામણીમાં તમિલનાડુમાં 4,78,000 એકર અને આંધ્રપ્રદેશમાં 4,68,000 એકર જમીન ‘The Hindu Religious and Charitable Endowments Board’ પાસે છે. માત્ર આ બે રાજ્યોમાં 9,40,000 એકર જમીન Hindu Religious Board પાસે છે. જમીનને વકફ(દાન) કરવા માટે કોઈ ગુપ્ત પ્રક્રિયા નથી. વકફ એક્ટમાં જોગવાઈ છે. જમીન એ વ્યક્તિ જ વકફ કરી શકે જે જમીનનો માલિક હોય. સરકાર સર્વે કમિશ્નર નીમે છે. તેના રિપોર્ટ મુજબ જમીન વકફ થાય છે. કોઈ પણ વ્યક્તિ એક વરસમાં ટ્રિબ્યુનલમાં સર્વે કમિશનરના હુકમને પડકારી શકે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[2] આરોપઃ “સર્વે કમિશનર વકફ સંપતિના સર્વે માટે સરકાર પાસેથી પગાર લે છે, જ્યારે હિન્દુ ધર્માર્થ સંપત્તિઓ માટે આવી સુવિધા નથી. બંધારણના આર્ટિકલ-27નો ભંગ થાય છે.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતઃ સર્વે કમિશ્નરની નિમણૂંક ધાર્મિક હેતુથી થતી નથી, જનહિત માટે થાય છે. વકફ સંપતિ, કાયદા મુજબ છે કે નહીં તે જોઈને સરકારી રેકોર્ડમાં નોંધણી કરવાનું કામ હોય છે. જ્યારે હિન્દુ ધર્માર્થ સંપત્તિઓ માટે આવી તપાસ કરવાની જરૂરિયાત હોતી નથી અને માત્ર સહાયક કમિશ્નરના આદેશથી ધર્માર્થ સંપત્તિની નોંધ થઈ જાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[3] આરોપઃ વકફ ટ્રિબ્યુનલ જેવી હિન્દુઓ માટે ટ્રિબ્યુનલ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતઃ વક્ફ ટ્રિબ્યુનલ કોઈ જુદી નથી. તે સિવિલ અદાલત છે, તેના વડા જિલ્લા જજ છે. તેની પ્રક્રિયા પણ સિવિલ કોર્ટ જેવી જ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[4] આરોપઃ વક્ફ ટ્રિબ્યુનલ બંધારણીય નથી. કેમ કે બંધારણના આર્ટિકલ-323(a) (b) હેઠળ સ્થાપિત કરેલ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતઃ આર્ટિકલ-323(a) માત્ર સર્વિસ મેટર માટે વહિવટી ટ્રિબ્યુનલ માટે છે. જ્યારે અન્ય ટ્રિબ્યુનલ કેન્દ્રીય/રાજ્યના કાયદા હેઠળ બને છે. ઉદાહરણ તરીકે ઈન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ ઈન્કમ ટેક્સ એકટ 1961ની કલમ-252 હેઠળ બની છે. આ મુજબ તેલંગણામાં હિન્દુ ધર્માર્થ ટ્રિબ્યુનલ બની છે. વકફ એક્ટ 1995ની કલમ-83 હેઠળ ટ્રિબ્યુનલની છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[5] આરોપઃ વકફ ટ્રિબ્યુનલમાં એક એવા સભ્યની નિમણૂંક થાય છે જેને ઈસ્લામનું જ્ઞાન હોય. હિન્દુ ધર્માર્થ ટ્રિબ્યુનલમાં હિન્દુ શાસ્ત્રોના જ્ઞાનવાળા હોતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતઃ અન્ય ધર્માર્થ સંસ્થાઓમાં આવી શરત હોય છે. ઉદાહરણ તરીકે તેલંગાણામાં Hindu Religious and Charitable Endowments Act 1987 મુજબ જોગવાઈ છે કે એક વધારાના કમિશ્નર/સભ્ય હિન્દુ હોવા જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> </span><a href="https://khabarantar.com/so-far-democracy-has-only-been-saved-rehabilitation-restoration-is-pending"><strong>હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન-પુનઃસ્થાપન બાકી છે</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[6] આરોપઃ વકફ કર્મચારી પબ્લિક સર્વન્ટ છે, જ્યારે શંકરાચાર્ય પબ્લિક સર્વન્ટ નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતઃ હિન્દુ શંકરાચાર્ય કે મુસ્લિમ વિદ્વાન ત્યારે જ પબ્લિક સર્વન્ટ ગણાય છે જ્યારે હિન્દુ ધર્માર્થ કે વકફના કર્મચારી હોય. આમ બન્નેના દરજ્જા સરખાં છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[7] આરોપઃ વકફ સંપતિ લિમિટેશન એક્ટ હેઠળ સંરક્ષિત છે જ્યારે હિન્દુ ધર્માર્થ સંપત્તિઓ લિમિટેશન એક્ટ હેઠળ આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતઃ આ પ્રકારની જોગવાઈ તામિલનાડુ અને તેલંગણા હિન્દુ ધર્માર્થ એક્ટમાં પણ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[8] આરોપઃ વકફ એક્ટની કલમ-3(r) હેઠળ ઉપયોગ થતી સંપત્તિનું અધિગ્રહણ કરવામાં આવે છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતઃ વકફ બાય યુજર પ્રાચીન વકફને સુરક્ષા આપે છે. જે મૌખિક દાનના આધારે બનેલ છે. ઈસ્લામ મુજબ મૌખિક દાન મુસ્લિમો કરી શકે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[9] આરોપઃ કસ્ટોડિયન સંપત્તિને વકફ ગણવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતઃ કસ્ટોડિયનના કબજામાં એ સંપત્તિ હોય છે જે વાસ્તવમાં વકફની હોય છે પરંતુ અસ્થાઈ રુપે વહિવટ કરવા કસ્ટોડિયનને સોંપેલ હોય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">[10] આરોપઃ વકફ એક્ટ અન્ય કાયદા પર અમલી છે. મતલબ કે વકફ એક્ટ ઊંચો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતઃ વકફ એક્ટ વિશેષ/સ્પેશ્યલ કાયદો છે. જેમકે એટ્રોસિટી એક્ટ. કાનૂની સિદ્ધાંત અને સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ કોઈ સ્પેશ્યલ એક્ટ, જનરલ એક્ટ સાથે ટકરાય તો  સ્પેશ્યલ એક્ટ અમલી બને છે. Special law prevails over general law. મતલબ કે સ્પેશ્યલ એક્ટને પ્રાથમિકતા મળે છે. આ દરેક સ્પેશ્યલ એક્ટને લાગુ પડે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ટૂંકમાં ગમે તેટલી હકીકતો રજૂ કરો, મગજમાં ગોડસે ઘૂસેલો હોય તો કંઈ સૂઝવા ન દે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">(સૌજન્ય: નિયાજ અહમદ ફારુકી, એડવોકેટ, સુપ્રીમ કોર્ટ)</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">રમેશ સવાણી</span> <span style="font-size: 12pt;"><em>(લેખક </em></span></strong><em><strong>પૂર્વ આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)</strong></em></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/some-illusions-and-lies-spread-about-wakf-board"><span style="font-size: 14pt;">વકફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 15 Sep 2024 09:31:05 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 15 Sep 2024 09:39:44 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1209</Articleid>
                    <excerpt>(Wakf Board)વકફ બોર્ડને લઈને ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાઓ સામે વાસ્તવિકતા શું છે તે સમજવા માટે આ લેખ ચોક્કસ વાંચવો રહ્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e65bf296494.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e65bf262d0b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e65bf262d0b.jpg" length="117184" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Wakf Board, Wakf property, Waqf Amendment Bill 2024</media:keywords>
                </item>
                        <item>
                    <title>20 હિંદુઓએ નકલી બૌદ્ધ સર્ટિફિકેટ બનાવી MBBS માં એડમિશન લઈ લીધું</title>
                    <link>https://khabarantar.com/20-Hindus-took-admission-in-mbbs-with-fake-buddhist-certificate</link>
                    <guid>https://khabarantar.com/20-Hindus-took-admission-in-mbbs-with-fake-buddhist-certificate</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરપ્રદેશના મેરઠની સુભારતી યુનિ.માં 20 જેટલા હિંદુ વિદ્યાર્થીઓએ નકલી બૌદ્ધ સર્ટિફિકેટ બનાવડાવી એમબીબીએસમાં એડમિશન લઈ લીધાનું કૌભાંડ પકડાયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Subharti University MBBS Admission Scam: ઉત્તર પ્રદેશમાં બૌદ્ધ ધર્મનું નકલી પ્રમાણપત્ર બનાવીને લઘુમતી ક્વોટા દ્વારા MBBSમાં એડમિશન લેવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ડોકટર બનવા માટે 20 જેટલા હિંદુ યુવક-યુવતીઓએ બૌદ્ધ ધર્મનું સર્ટિફિકેટ મેળવી લઘુમતી ક્વોટામાં એડમિશન મેળવી લીધું હતું. મેરઠની સુભારતી યુનિવર્સિટીમાં આવા 20 કેસ સામે આવ્યા છે. ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર કૌભાંડ પકડાયું હતું. હવે કલેક્ટરે આ તમામ વિદ્યાર્થીઓનું બૌદ્ધ પ્રમાણપત્ર રદ કરી દીધું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, યુપીમાં MBBS એડમિશન માટે કાઉન્સેલિંગ ચાલી રહ્યું ત્યારે આ કૌભાંડ સામે આવ્યું છે. જેમાં યુનિવર્સિટી પર લાખો રૂપિયાનું ડોનેશન લઈને એડમિશન આપવાનો પણ આરોપ છે. આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">લઘુમતી ક્વોટામાં હિંદુઓએ નકલી સર્ટિથી એડમિશન લઈ લીધું</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લઘુમતી કોલેજોમાં લઘુમતી ક્વોટા હેઠળ પ્રવેશની મંજૂરી અપાયેલી છે. સુભારતી એક બૌદ્ધ લઘુમતી સંસ્થા છે. આ યુનિવર્સિટી અને મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ વચ્ચે લઘુમતી ક્વોટાને લઈને સુપ્રીમ કોર્ટમાં મામલો ચાલી રહ્યો હતો. કોર્ટ તરફથી યુનિવર્સિટીને લઘુમતી ક્વોટાની 50% બેઠકો ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ યુનિવર્સિટીમાં એમબીબીએસની 200 બેઠકો છે, જેમાંથી 100 બેઠકો લઘુમતી ક્વોટા માટે અનામત છે. સુભારતી એક ખાનગી યુનિવર્સિટી છે અને તેના લઘુમતી ક્વોટામાં મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, પારસી અને શીખોનો સમાવેશ થાય છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/In-Botad-district,-the-account-of-Buddhism-was-opened-in-the-caste-enumeration-in-the-government-book"><strong>બોટાદ જિલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણના માં બૌદ્ધ ધર્મ નું ખાતું ખુલ્યું</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાઉન્સેલિંગના પ્રથમ તબક્કામાં સુભારતી મેડિકલ યુનિવર્સિટીમાં લઘુમતી ક્વોટામાંથી 22 એડમિશન થવાના હતા. આ ક્વોટા હેઠળ 20 ઉમેદવારોએ પ્રવેશ લીધો હતો. તમામ ઉમેદવારોએ બૌદ્ધ ધર્મના પ્રમાણપત્રો સબમિટ કર્યા હતા. જો કે એ દરમિયાન કોઈએ આ અંગે મેડિકલ એજ્યુકેશન વિભાગના મહાનિર્દેશકને વોટ્સએપ પર ફરિયાદ કરી હતી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">એક વોટ્સએપ મેસેજ ગયો અને ભાંડો ફૂટ્યો</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વોટ્સએપ મેસેજમાં ફરિયાદીએ લખ્યું હતું કે, “ઉત્તર પ્રદેશમાં મેડિકલ સ્ટુડન્ટના કાઉન્સેલિંગમાં લઘુમતી સ્ટેટસના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. મેરઠની સુભારતી યુનિવર્સિટીમાં સામાન્ય ઉમેદવારોને બૌદ્ધ લઘુમતીના નામે ટ્યુશન ફી અને અન્ય ચાર્જીસ સિવાય લાખો રૂપિયા વસૂલીને સીટો આપવામાં આવી રહી છે. જેમાં 'કૌર' અને 'મિત્તલ' અટક ધરાવતા ઉમેદવારોને લઘુમતી ક્વોટામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને 40 થી 50 લાખ રૂપિયાનું દાન લેવામાં આવ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તમામ વિદ્યાર્થીઓ બૌદ્ધ નહીં પરંતુ હિંદુ છે અને સમૃદ્ધ પરિવારના છે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે મેડિકલ એજ્યુકેશનના મહાનિર્દેશક કિંજલ સિંહે તમામ ઉમેદવારોના પ્રમાણપત્રો માંગ્યા અને તપાસ્યા ત્યારે જાણવા મળ્યું કે તમામ પ્રમાણપત્રો તાજેતરમાં જ જારી કરવામાં આવ્યા હતા. જે ઉમેદવારોએ બૌદ્ધ ધર્મના પ્રમાણપત્રો સબમિટ કર્યા છે તે તમામ હિંદુ છે અને તેઓ સમૃદ્ધ પરિવારના છે. આ પ્રમાણપત્રો મેરઠ, બિજનૌર, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, પ્રયાગરાજ, લખનૌ, વારાણસી, મુઝફ્ફરનગર અને હાપુડ જિલ્લામાંથી જારી કરવામાં આવ્યા હતા. કેટલાક ઉમેદવારોના પ્રમાણપત્રો અન્ય જિલ્લામાંથી આપવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/madhya-pradesh-employment-minister-wins-election-on-fake-sc-certificate-to-become-minister"><span style="font-size: 12pt;"> </span>મધ્યપ્રદેશના રોજગારમંત્રી નકલી SC સર્ટિ પર ચૂંટણી જીતી મંત્રી બની ગયા?</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ડાયરેક્ટર જનરલ કિંજલ સિંહે આ જિલ્લાના ડીએમને પ્રમાણપત્રો તપાસવાનો આદેશ આપ્યો છે. આદેશની નકલ લઘુમતી વિભાગના નિયામકને પણ મોકલવામાં આવી છે. આદેશ બાદ તમામ જિલ્લાના ડીએમએ સ્વીકાર્યું છે કે પ્રમાણપત્રો ખોટી રીતે જારી કરવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. વારાણસી સિવાય તમામ ડીએમએ આ પ્રમાણપત્રો રદ કરવાનો આદેશ આપ્યો છે. વારાણસીના લઘુમતી કલ્યાણ વિભાગના અધિકારીઓ રજા પર છે. તેથી ત્યાંથી આપવામાં આવેલ પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તમામ પ્રમાણપત્રો ડીએમ, એસડીએમ અને લઘુમતી અધિકારી દ્વારા જારી કરવામાં આવ્યા છે. હવે આ સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવ્યા તેની પણ તપાસ કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ધર્મ પરિવર્તનના નિયમોનું પાલન ન કર્યું અને કૌભાડ પકડાયું</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બૌદ્ધ ધર્મનું પ્રમાણપત્ર રજૂ કરીને લઘુમતી ક્વોટા દ્વારા પ્રવેશ મેળવનારા તમામ લોકો હિન્દુ ધર્મના છે. પ્રવેશ માટે, તેણે બૌદ્ધ ધર્મનું પ્રમાણપત્ર તૈયાર કર્યું. આ પ્રમાણપત્રો ડીએમ, એસડીએમ અને લઘુમતી અધિકારી દ્વારા જારી કરવામાં આવ્યા છે, પરંતુ ઉત્તર પ્રદેશના ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અધિનિયમ 2021નું પાલન કરવામાં આવ્યું નથી. તપાસ દરમિયાન ધર્મ પરિવર્તનના બે નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. પહેલો નિયમ - ધર્મ પરિવર્તન માટેનું ઘોષણાપત્ર સંબંધિત ડીએમને 60 દિવસ અગાઉ આપવામાં આવ્યું નથી. બીજો નિયમ- ઉમેદવાર જે જિલ્લામાંથી છે ત્યાંથી પ્રમાણપત્ર નથી બન્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તનનો કાયદો શું કહે છે?</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અધિનિયમ 2021 ની કલમ 8 અને 9 માં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતાનો ધર્મ બદલવા માંગે છે તેણે ઓછામાં ઓછા 60 દિવસ પહેલા પોતાના જિલ્લાના કલેક્ટર અથવા એડિશનલ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ લેખિતમાં એ જાહેર કરવું જરુરી છે કે, તે પોતાની સ્વતંત્ર સહમતિથી અને કોઈપણ પ્રકારના બળપ્રયોગ, ત્રાસ કે લાલચ વિના પોતાનો ધર્મ પરિવર્તન કરવા માંગે છે. પણ આ તમામ ઉમેદવારો આ નિયમ ભૂલી ગયા હતા અને ત્યાં જ પકડાઈ ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/gir-somnaths-ddo-became-ias-on-bogus-disability-certificate">ગીર સોમનાથના DDO બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર પર IAS બન્યાં?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 14 Sep 2024 19:08:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1208</Articleid>
                    <excerpt>ઉત્તરપ્રદેશના મેરઠની સુભારતી યુનિ.માં 20 જેટલા હિંદુ વિદ્યાર્થીઓએ નકલી બૌદ્ધ સર્ટિફિકેટ બનાવડાવી એમબીબીએસમાં એડમિશન લઈ લીધાનું કૌભાંડ પકડાયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e58e3939c69.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e58e390087c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e58e390087c.jpg" length="94263" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Subharti University, MBBS admission scam, Fake Buddhist Certificate, Hindu students</media:keywords>
                </item>
                        <item>
                    <title>અજમેર શરીફ દરગાહ મોદીના જન્મદિવસે 4000 કિલોનું લંગર તૈયાર કરશે</title>
                    <link>https://khabarantar.com/ajmer-sharif-dargah-will-prepare-4000-kg-langar-on-modis-birthday</link>
                    <guid>https://khabarantar.com/ajmer-sharif-dargah-will-prepare-4000-kg-langar-on-modis-birthday</guid>
                    <description>
                        <![CDATA[ 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે અજમેર શરીફ દરગાહે મોટું આયોજન કરીને સૌને ચોંકાવી દીધા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ૧૭ સપ્ટેમ્બરે(17th September) તેમનો ૭૪મો જન્મદિવસ(Birthday) ઉજવશે. અજમેર શરીફ દરગાહે(Ajmer Sharif Dargah) આ પ્રસંગે એક મોટી જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ ૧૭ સપ્ટેમ્બરે અજમેર શરીફ દરગાહમાં 4000 કિલો શાકાહારી ભોજન(Vegetarian food)નું લંગર તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને સેવા પખવાડિયાની સાથે અજમેર શરીફ દરગાહ ખાતે ઐતિહાસિક અને વિશ્વ પ્રસિદ્ધ મોટી શાહી દેગનો ઉપયોગ કરવામાં આવશે અને 4000 કિલો શાકાહારી લંગર(4000 kg of prasad) તૈયાર કરવામાં આવશે. દરગાહના અધિકારીઓએ જણાવ્યું છે કે દરગાહની આ પરંપરા 550 વર્ષથી પણ વધુ સમયથી ચાલી આવે છે.</span><br><strong><span style="font-size: 14pt;"></span></strong></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શુદ્ધ ઘી, સૂકામેવાથી પ્રસાદ તૈયાર થશે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અજમેર શરીફના સૈયદ અફશાન ચિશ્તી(Syed Afshan Chishti)એ જણાવ્યું હતું કે આ દિવસે લોકોને શાકાહારી ભોજનનું વિતરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પીએમ મોદીના જન્મદિવસ પર દેશના ધાર્મિક સ્થળો પર સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અમે 4000 કિલો શાકાહારી ભોજન તૈયાર કરીશું, જેમાં શુદ્ધ ચોખાની સાથે ઘી, સૂકોમેવાનો ઉપયોગ કરવામાં આવશે. લંગરનો પ્રસાદ શિક્ષકો અને ગરીબોમાં વહેંચવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/for-the-first-time-since-independence-an-indian-government-without-a-muslim-minister"><span style="font-size: 12pt;"> </span>આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૈયદ અફશાન ચિશ્તીએ કહ્યું કે અમે પીએમ મોદીના જન્મદિવસ પર તેમના લાંબા આયુષ્ય માટે પણ પ્રાર્થના કરીશું. સમગ્ર લંગરનું આયોજન Indian Minorities Foundation અને અજમેર શરીફના Chishti Foundation દ્વારા કરવામાં આવી રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાત્રે 10.30 કલાકે ભોજન વિતરણ શરૂ થશે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરગાહના અધિકારીઓએ કહ્યું છે કે દેગ ચડાવવાથી લઈને ભોજન વિતરણ સુધીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ શ્રદ્ધા અને કાળજી સાથે પૂર્ણ કરવામાં આવે છે. તેના દ્વારા હજારો ભક્તો અને સાધકોને સેવા પૂરી પાડવામાં આવે છે. આ સમારોહ રાત્રે ૧0:૩૦ વાગ્યે હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી(Hazrat Khwaja Moinuddin Chishti)ની દરગાહની અંદર મોટી શાહી દેગના પ્રકાશ સાથે શરૂ થશે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાંતિ, એકતા, સમૃદ્ધિ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સવાર સુધી ભોજન વિતરણ ચાલુ રહેશે</span></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરગાહના અધિકારીઓએ માહિતી આપી છે કે ભોજનનું વિતરણ સવાર સુધી ચાલુ રહેશે. જેથી તમામ ઉપસ્થિત લોકો અને આસપાસનો સમાજ પ્રસાદમાં ભાગ લઈ શકે. સ્વયંસેવકો વ્યવસ્થિત રીતે તેનું વિતરણ કરવામાં મદદ કરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિકારીઓએ જણાવ્યું કે કાર્યક્રમ રાષ્ટ્ર અને સમગ્ર માનવતાના કલ્યાણ માટે કૃતજ્ઞતા અને એકતાની પ્રાર્થના સાથે સમાપ્ત થશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીનું પ્રતીક નથી પરંતુ સેવા અને સમુદાય કલ્યાણની ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/a-muslim-youth-saved-the-priests-life-by-risking-his-life-in-the-middle-of-the-raging-flood"><strong>મુસ્લિમ યુવકે ધસમસતા પૂર વચ્ચે જીવ જોખમમાં મુકી પૂજારીનો જીવ બચાવ્યો</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 13 Sep 2024 10:33:14 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 13 Sep 2024 10:34:04 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1200</Articleid>
                    <excerpt>17મી સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે અજમેર શરીફ દરગાહે મોટું આયોજન કરીને સૌને ચોંકાવી દીધા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66e3c7626f42e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e3c76237e7a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66e3c76237e7a.jpg" length="118351" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Narendra Modi, birthday, Ajmer Sharif Dargah, 4000 kg langar, Minority News</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત હાઈકોર્ટે TOI, ઈન્ડિયન એક્સપ્રેસ, દિવ્ય ભાસ્કરને ફટકાર લગાવી</title>
                    <link>https://khabarantar.com/gujarat-high-court-slams-toi-indian-express-divya-bhaskar</link>
                    <guid>https://khabarantar.com/gujarat-high-court-slams-toi-indian-express-divya-bhaskar</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત હાઈકોર્ટે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન એક્સપ્રેસ અને દિવ્ય ભાસ્કરને લઘુમતી સમાજ સંબંધિત એક ખોટા સમાચારને લઈને માફી માંગવા આદેશ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત હાઇકોર્ટે સોમવારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (TOI), ઇન્ડિયન એક્સપ્રેસ અને દિવ્ય ભાસ્કર દ્વારા કોર્ટની કાર્યવાહીના ખોટા રિપોર્ટિંગ બદલ પ્રકાશિત કરવામાં આવેલી માફીને ફગાવી દીધી છે.  ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું હતું કે 22 ઓગસ્ટે કોર્ટે નિર્દેશ આપ્યા હતા તે મુજબ 23 ઑગસ્ટના રોજ આ ત્રણેય અખબારો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી માફી બોલ્ડ અક્ષરોમાં નહોતી, કે તેને પ્રાથમિકતા પણ નહોતી અપાઈ.</span></p>
<p><span style="font-size: 14pt;">મુખ્ય ન્યાયાધીશે અખબારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલને પૂછ્યું, "તમે આ માફીને બોલ્ડ અક્ષરોમાં કેમ પ્રકાશિત ન કરી?"</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><span style="font-size: 14pt;">વકીલે સ્પષ્ટતા કરી કે માફી કાળા અને બોલ્ડ અક્ષરોમાં છાપવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેના પર મુખ્ય ન્યાયાધીશે જવાબ આપ્યો, "કોઈ આને વાંચી શકે તેમ પણ નથી." તેમણે માફીનામું જે સાઈઝમાં છાપવામાં આવ્યું હતું તેને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુખ્ય ન્યાયાધીશે કહ્યું, "તમારે આખી હેડલાઈન આપવી જોઈતી હતી કે જેથી લોકોને ખબર પડે કે તમે માફી શેના માટે માંગી રહ્યાં છો. આમાં માફી શેના સંદર્ભમાં છે તે કોને સમજાશે? તમારે સ્પષ્ટ કરવું જોઈએ કે તમે ખોટા રિપોર્ટિંગ બદલ માફી માંગી રહ્યાં છો. આ વાત લોકો સામે આવવી જોઈએ. એટલું જ નહીં એ માફીની સાથે તે રિપોર્ટ પણ હોવો જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-OBC-Commission-in-Gujarat-is-run-by-just-1-member,-just-like-Shobhana-Nattiya">ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હાઈકોર્ટે 13 ઓગસ્ટના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન એક્સપ્રેસ અને દિવ્ય ભાસ્કરના પ્રાદેશિક એડિટરોને નોટિસ જારી કરીને સહાય મેળવતી લઘુમતી સંસ્થાઓના અધિકારો સાથે સંબંધિત મામલામાં કોર્ટની કાર્યવાહીનું "ખોટું અને વિકૃત વર્ણન" કરવા બદલ સ્પષ્ટતા માંગી હતી. આ ત્રણેય સમાચારપત્રોએ બાદમાં કોર્ટ સમક્ષ રજૂ કરેલા તેમના સોગંદનામામાં માફી માંગી હતી, પરંતુ કોર્ટને તેનાથી સંતોષ થયો નહોતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારબાદ કોર્ટે 22 ઓગસ્ટે આ મીડિયા ગ્રુપોને પોતપોતાના સમાચારપત્રોમાં માફી એ રીતે પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો, જેથી વાચકોને સ્પષ્ટ રીતે ખ્યાલ આવે કે, કોર્ટના અવલોકનના રિપોર્ટમાં રિપોર્ટર અને એડિટર ખોટા હતા. ત્યાબાર 23મી ઓગસ્ટે પણ આવું જ કરવામાં આવ્યું હતું. જોકે, સોમવારે જ્યારે આ મામલાની સુનાવણી થઈ ત્યારે બેન્ચે કહ્યું કે પ્રકાશિત કરવામાં આવેલી માફી બહુ નાની છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચીફ જસ્ટિસે કહ્યું, “આ મજાક નથી. તમે કોર્ટની પ્રતિષ્ઠા અને કાર્યવાહી સાથે રમી રહ્યા છો. તમે આવું ન કરી શકો. સમાચારપત્રોમાં જે રીતે કોર્ટની કાર્યવાહીનું રિપોર્ટિંગ કરવામાં આવે છે તેની સામે અમને સખત વાંધો છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/high-court-order-to-fill-vacancies-in-police-department"> પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા હાઇકોર્ટનો આદેશ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વકીલે આ મામલે કોર્ટ પાસે નવેસરથી વધુ એક માફીનામું પ્રકાશિત કરવાની તક આપવા વિનંતી કરવામાં આવતા ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી કે, માફીનામું સમાચારની સાથે મોટા અક્ષરોમાં, હોવા જોઈએ અને તેમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ હોવો જોઈએ કે તે એડિટરો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ પછી કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, "હવે પછી માફીનામું પહેલા પાના પર અને મોટી જગ્યા પર પ્રકાશિત થવું જોઈએ. એટલું જ નહીં, આ માફી સિવાય પેજ પર બીજું કંઈ ન હોવું જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દિવ્ય ભાસ્કર તરફથી હાજર રહેલા વકીલે સ્પષ્ટતા કરી હતી કે રિપોર્ટરે બાર અને બેન્ચ વચ્ચેના સંવાદનું ખોટું અર્થઘટન કર્યું હશે. તેના પર કોર્ટે કહ્યું કે "રિપોર્ટર સામાન્ય માણસ નથી. જો તે આટલું પણ સમજતા ન હોય તો તેમને કોર્ટનું રિપોર્ટિંગ કરતા અટકાવવા જોઈએ, એટલે કે તેમના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લગાવવો જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન કોર્ટે પૂછ્યું કે, "કોર્ટ દ્વારા લેવામાં આવેલા સમયની ભરપાઈ કોણ કરશે?" ત્યારબાદ વકીલે કોર્ટની માફી માંગી અને કોર્ટના નિર્દેશોને પુરા કરવા માટે સહમતિ વ્યક્ત કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કેસમાં ઈન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વતી વરિષ્ઠ વકીલ દેવાંગ નાણાવટી હાજર થયા હતા, જ્યારે ઈન્ડિયન એક્સપ્રેસ વતી વકીલ એસપી મજુમદાર અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વતી ગરિમા મલ્હોત્રા હાજર થયા હતા. જ્યારે દિવ્ય ભાસ્કર વતી વકીલ મૌલિક જી નાણાવટી હાજર થયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/atrocities-act-being-widely-misused-gujarat-high-court">એટ્રોસિટી એક્ટનો મોટાપાયે દુરૂપયોગ થઈ રહ્યો છે: ગુજરાત હાઇકોર્ટ</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 04 Sep 2024 12:00:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1161</Articleid>
                    <excerpt>ગુજરાત હાઈકોર્ટે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન એક્સપ્રેસ અને દિવ્ય ભાસ્કરને લઘુમતી સમાજ સંબંધિત એક ખોટા સમાચારને લઈને માફી માંગવા આદેશ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d7fe0a796ba.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d7fe0a46923.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d7fe0a46923.jpg" length="66458" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Times of india, Indian Express, Divya Bhaskar, Gujarat Highcourt</media:keywords>
                </item>
                        <item>
                    <title>IC 814 વેબ સિરીઝમાં આતંકવાદીઓના ‘ભોલા’ અને ‘શંકર’ નામને લઈ વિવાદ</title>
                    <link>https://khabarantar.com/controversy-over-names-of-terrorists-bhola-and-shankar-in-ic-814-web-series</link>
                    <guid>https://khabarantar.com/controversy-over-names-of-terrorists-bhola-and-shankar-in-ic-814-web-series</guid>
                    <description>
                        <![CDATA[ નેટફ્લિક્સની નવી વેબ સિરીઝ IC 814: ધ કંદહાર હાઈજેકમાં આતંકીઓના નામ ભોલા અને શંકર હોવાથી વિવાદ શરૂ થઈ ગયો છે. વાંચો શું છે મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">IC814 The Kandahar Hijack Series Controversy:  મુલ્ક, આર્ટિકલ 15, થપ્પડ અને ભીડ જેવી અફલાતૂન ફિલ્મોના ડિરેક્ટર અનુભવ સિંહા (Anubhav Sinha)ની નવી વેબ સિરીઝ IC814 the Kandahar Hijack વિવાદમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર આ વેબ સિરીઝના બહિષ્કારની માંગ જોર પકડી રહી છે. અનુભવ સિન્હા દ્વારા દિગ્દર્શિત આ સિરીઝ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ ૮૧૪ના હાઈજેક પર આધારિત છે. જે તાજેતરમાં નેટફલિકસ(Netflix) પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ વેબ સિરીઝમાં વિજય વર્મા, નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, દિયા મિર્ઝા અને અરવિંદ સ્વામી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત સિરીઝને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઈ ગયો છે. આ વિવાદનું કારણ શ્રેણીમાં અપહરણ કરનારાઓના નામ છે, જેને લઈને આ સમગ્ર વિવાદ ઊભો થયો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વેબ સિરીઝ ૨૪ ડિસેમ્બર ૧૯૯૯ના કંદહાર હાઈજેક(Kandahar Hijack) પર આધારિત છે, જેમાં ઈન્ડિયન એરલાઈન્સ(Indian Airlines)ની ફ્લાઈટ આઇસી ૮૧૪(Flight IC 814)ના હાઈજેકની વાર્તા બતાવવામાં આવી છે. આ ફ્લાઈટે તે દિવસે નેપાળના કાઠમંડુ ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન ભરી હતી, જેને પાંચ આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. હાઇજેકરોએ તેને અફઘાનિસ્તાનના કંદહારમાં લેન્ડ કરાવી હતી. આ વેબ સિરીઝમાં આતંકવાદીઓને ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર જેવા કોડ નેમ(codename)થી ઓળખવામાં આવે છે અને તેને લઈને જ સમગ્ર વિવાદ ઉભો થયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/pa-ranjiths-entry-into-bollywood-will-be-a-film-on-birsa-munda">Pa. Ranjithની બોલીવૂડમાં એન્ટ્રી, Birsa Munda પર ફિલ્મ બનાવશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પ્લેન હાઇજેક કરનાર આતંકવાદી સંગઠન હરકત-ઉલ-મુજાહિદ્દીન(Harakat-ul-Mujahedeen)ના આતંકવાદીઓના નામ ઇબ્રાહિમ અથર, શાહિદ અખ્તર સઇદ, સની, અહેમદ કાઝી, ઝહૂર મિસ્ત્રી અને શાકિર હતા. આ આતંકવાદીઓએ ભારતમાં જેલમાં બંધ પાકિસ્તાની આતંકવાદીઓ - અહેમદ ઉમર સઈદ શેખ, મસૂદ અઝહર અને મુશ્તાક અહમદ ઝરગરની મુક્તિની માંગ કરવા માટે ફ્લાઇટ હાઇજેક કરી હતી. જો કે, વેબ સીરિઝના સ્ટ્રીમિંગ પછી સોશિયલ મીડિયા પર એક વિવાદ છેડાઈ ગયો છે. કેટલાક દર્શકોએ વેબ સિરીઝના નિર્માતાઓ પર પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI ના ગુનાઓ છુપાવવા અને ક્રૂર આતંકવાદીઓને હિંદુ ધર્મના આરાધ્ય દેવ મહાદેવના ‘ભોલા’ અને ‘શંકર’ જેવા નામ આપવા બદલ સોશિયલ મીડિયા પર ટીકા કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેટલાક યુઝર્સે આરોપ લગાવ્યો છે કે મેકર્સે જાણીજોઈને કિડનેપરોનો ધર્મ બદલ્યો છે. એક ઈન્ટરનેટ યુઝરે લખ્યું છે કે “આ સિનેમેટિક વ્હાઇટવોશિંગ છે.” બીજાએ લખ્યું, “આઇસી ૮૧૪ના હાઇજેકર્સ ઘાતક, ક્રૂર હતા પરંતુ નેટફ્લિક્સની વેબ સિરીઝમાં તેમને માનવ તરીકે બતાવવાનો પ્રયાસ યોગ્ય નથી.” અન્ય એક યૂઝરે લખ્યું હતું કે, "મેં પણ આ જોયું અને ખૂબ જ આશ્ચર્ય થયું. આવું કરવું સારી બાબત નથી. મને આશ્ચર્ય થાય છે કે નેટફ્લિકસની ટીમ આટલી બેદરકાર કેવી રીતે રહી શકે?" </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/for-a-song-when-naushad-made-lata-mangeshkar-stand-in-the-bathroom">એક ગીત માટે જ્યારે નૌશાદે લતા મંગેશકરને બાથરૂમમાં ઉભા રાખ્યાં</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નેટયુઝર્સે પોતાનો મત વ્યક્ત કર્યો છે. પરંતુ હકીકત એ છે કે આ પ્રકારના કોડનેમ ખરેખર આતંકવાદીઓ દ્વારા રાખવામાં આવ્યા હતા, જેથી કોઈને પણ તેમના કાવતરાની ગંધ ન આવે. જાન્યુઆરી ૨૦૦૦ના વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ, ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર આ આતંકવાદીઓના કોડ નેમ હતા. હાઇજેકર્સ હંમેશા આ નામોથી એકબીજાને સંબોધતા હતા. ગીતકાર-લેખક નિલેશ મિશ્રા (Nilesh Mishra) જેમણે ૧૭૩ અવર્સ ઇન કેપ્ટિવિટીઃ ધ હાઇજેકિંગ ઓફ આઇસી ૮૧૪ (173 Hours in Captivity: The Hijacking of IC 814) પુસ્તક લખ્યું છે, તેમણે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મામલે સ્પષ્ટતા કરી છે કે, "શંકર, ભોલા, બર્ગર, ડૉક્ટર અપહરણકર્તાઓના કોડનેમ હતા, જે તેમણે પોતાની ઓળખ છુપાવવા માટે રાખ્યા હતા.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તથ્ય સામે આવ્યા પછી પણ સોશિયલ મીડિયા પર આ વેબ સિરીઝનો બહિષ્કાર કરવાની માંગ જોર પકડી રહી છે. જો કે, તેનાથી સિરીઝને ફાયદો જ થઈ રહ્યો છે, કેમ કે તે રિલીઝ થઈ ગયા પછી તેને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી. પરંતુ જે રીતે આ આખો વિવાદ ઉભો થયો છે, તે જોતા તેનું સ્ટ્રીમિંગ વધી જશે તે નક્કી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span><a href="https://khabarantar.com/why-pa-ranjiths-film-thangalaan-not-being-released-in-gujarat"><span style="font-size: 12pt;"> </span>પા. રંજિથની ફિલ્મ Thangalaan ને ગુજરાતમાં કેમ રિલીઝ થવા દેવાતી નથી?</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Sep 2024 19:31:48 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 02 Sep 2024 19:32:48 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1152</Articleid>
                    <excerpt>નેટફ્લિક્સની નવી વેબ સિરીઝ IC 814: ધ કંદહાર હાઈજેકમાં આતંકીઓના નામ ભોલા અને શંકર હોવાથી વિવાદ શરૂ થઈ ગયો છે. વાંચો શું છે મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d5c4e712190.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d5c4e6d467b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d5c4e6d467b.jpg" length="65983" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Netflix, Anubhav Sinha, Nilesh Mishra, IC 814, The Kandahar Hijack Controversy, Indian Airlines, Flight IC 814, Harakat ul Mujahideen, ISI, 173 Hours in Captivity, he Hijacking of IC 814, codename</media:keywords>
                </item>
                        <item>
                    <title>તમે કોઈનું ઘર કેવી રીતે પાડી શકો? બુલડોઝર ન્યાય મુદ્દે સુપ્રીમ કોર્ટ</title>
                    <link>https://khabarantar.com/how-can-you-destroy-someones-house-supreme-court-on-bulldozer-justice-issue</link>
                    <guid>https://khabarantar.com/how-can-you-destroy-someones-house-supreme-court-on-bulldozer-justice-issue</guid>
                    <description>
                        <![CDATA[ ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ગુનેગારોના ઘરો તોડી પાડવાના જેસીબી જસ્ટિસ મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. જેમાં તેણે અનેક સવાલો કર્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ની યોગી સરકારથી શરૂ થયેલો બુલડોઝર ન્યાય(Bulldozer Justice)નો સિલસિલો અન્ય રાજ્યોમાં પણ ફેલાતા તેની સામે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં અનેક અરજીઓ થઈ હતી. આ મામલે આજે સર્વોચ્ચ અદાલતે સુનાવણી હાથ ધરી હતી અને અનેક આકરા સવાલો કર્યા હતા. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે કોઈ વ્યક્તિનું ઘર માત્ર એટલા માટે કેવી રીતે તોડી શકાય કે તે આરોપી છે. અરજીમાં નોટિસ વિના મકાનો તોડી પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ(Solicitor General) તુષાર મહેતા(Tushar Mehta)એ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ નિયમો અનુસાર ગેરકાયદે બાંધકામને નોટિસ આપીને જ તોડી શકાય છે. આ પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ અંગે માર્ગદર્શિકા બનાવીશું. તમામ રાજ્યોએ તેનું પાલન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટ હવે 17 સપ્ટેમ્બરે દેશભરમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહી(Bulldozer Justice) પર આગામી સુનાવણી હાથ ધરશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બીઆર ગવઈ(Justice BR Gavai)એ મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદ(Jamiat Ulema A Hind)ની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, 'માત્ર આરોપી હોવાના કારણે કોઈનું ઘર કેવી રીતે તોડી શકાય? જો તે દોષિત હોય તો પણ ઘર તોડી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનને જણાવ્યા પછી પણ અમને આ મામલે કોઈ ફેરફાર દેખાતો નથી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીની સુનાવણી કરી રહેલી બેંચનો ભાગ રહેલા જસ્ટિસ કેવી વિશ્વનાથને કહ્યું કે 'કોઈએ પણ ખામીઓનો લાભ લેવો જોઈએ નહીં. પિતાનો દીકરો જિદ્દી હોય કે આદેશ ન માનનારો હોઈ શકે છે, પણ જો તેના આધારે ઘર તોડવામાં આવે છે તો એ યોગ્ય રસ્તો નથી. અમને લાગે છે કે પક્ષકારોના વકીલ સૂચનો કરે તે યોગ્ય છે, જેથી કોર્ટ માર્ગદર્શિકા ઘડી શકે જે સમગ્ર ભારતીય સ્તરે લાગુ થશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/muslims-in-azadi-from-jai-hind-to-sare-jahan-se-achcha">આઝાદીમાં મુસ્લિમોઃ 'જય હિંદ' થી 'સારે જહાઁ સે અચ્છા' સુધી...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે જ્યારે કાયદાનું ઉલ્લંઘન થાય છે ત્યારે મકાનો તોડી પાડવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "અમે ત્યારે જ કાર્યવાહી કરીએ છીએ જ્યારે કાયદાનો ભંગ થાય છે," </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જવાબમાં બેન્ચે કહ્યું, 'પરંતુ ફરિયાદોને ધ્યાનમાં લેતા અમને લાગે છે કે ઉલ્લંઘન થયું છે.' ન્યાયમૂર્તિ વિશ્વનાથને સમગ્ર રાજ્યમાં અનધિકૃત ઇમારતોને તોડી પાડવા માટે માર્ગદર્શિકાની જરૂરિયાતની પણ નોંધ લીધી હતી. જસ્ટિસ ગવઈએ કહ્યું, 'સૂચનો આવવા દો. અમે અખિલ ભારતીય સ્તરે માર્ગદર્શિકા જારી કરીશું.'</span><br><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે કોઈપણ ગેરકાયદે બાંધકામને સંરક્ષણ નહીં આપે. અમે સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા નક્કી કરવાનું વિચારી રહ્યાં છીએ. આ કેસની વધુ સુનાવણી આગામી 17 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, બુલડોઝર દ્વારા આરોપીઓના ઘરો તોડી પાડવાનો સિલસિલો યુપીમાંથી શરૂ થયો હતો. જેના બાદમાં ભાજપસાશિત અન્ય રાજ્યોએ પણ અપનાવી લીધો હતો. આરોપ છે કે, બુલડોઝર દ્વારા મોટાભાગે લઘુમતી સમાજના લોકોને ટાર્ગેટ કરીને તેમના ઘરો અને સંપત્તિઓ પર જેસીબી ફેરવી દેવામાં આવતું હતું. આવા અનેક મામલાઓ યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં સામે આવ્યા હતા. જેમાં કોઈ વ્યક્તિ પર આરોપ સાબિત થવાના બાકી હોય, કોર્ટમાં કેસ ચાલતો હોય તો પણ તેના ઘર પર જેસીબી મશીન ફરી વળ્યું હોય. જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-muslim-youth-saved-the-priests-life-by-risking-his-life-in-the-middle-of-the-raging-flood">મુસ્લિમ યુવકે ધસમસતા પુર વચ્ચે જીવ જોખમમાં મૂકીને પૂજારીનો જીવ બચાવ્યો</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 02 Sep 2024 14:40:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1151</Articleid>
                    <excerpt>ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ગુનેગારોના ઘરો તોડી પાડવાના જેસીબી જસ્ટિસ મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. જેમાં તેણે અનેક સવાલો કર્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202409/image_140x98_66d58001b39fe.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d580017d5c9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202409/image_870x580_66d580017d5c9.jpg" length="123223" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bulldozer Justice, Hearing, Supreme Court, Justice BR Gavai, Solicitor General Tushar Mehta, UP Govt., Jamiat Ulema A Hind, Public Interest Litigation</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;બુલડોઝર ન્યાય&amp;apos;નો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, ૨ સપ્ટેમ્બરે સુનાવણી</title>
                    <link>https://khabarantar.com/the-case-of-bulldozer-justice-reached-the-supreme-court-hearing-on-september-2</link>
                    <guid>https://khabarantar.com/the-case-of-bulldozer-justice-reached-the-supreme-court-hearing-on-september-2</guid>
                    <description>
                        <![CDATA[ ભાજપ સાશિત રાજ્યોમાં લઘુમતી સમાજના ઘરો અને મિલકતો પર જેસીબી ફેરવી દઈને કથિત રીતે ત્વરિત ન્યાય તોળવાની ઘટનાઓ પર પ્રતિબંધ મૂકવાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Plea in Supreme Court against Bulldozer Justice: ભાજપ સાશિત રાજ્યોએ છેલ્લાં કેટલાક સમયથી યોગી આદિત્યનાથે શરૂ કરેલા 'Bulldozer Justice' ને અપનાવી લીધો છે. જેમાં ખાસ કરીને લઘુમતી સમાજ(Minority Community)ની વ્યક્તિના ઘરો પર કારણ વિના જેસીબી(JCB) ફેરવી દઈને તેમના ઘરો, પ્રોપર્ટી તોડી પાડવામાં આવે છે. કોઈ કેસમાં આરોપી મુસ્લિમ હોવાનું જણાય તો પણ કાયદેસરની તેની જમીન પર ઉભેલા ઘરોને પણ ગેરકાયદે ઠેરવી દઈને સ્થાનિક તંત્ર તેના પર જેસીબી ફેરવી દે છે. અયોધ્યા સહિત યુપીના અનેક વિસ્તારોમાં આવી ઘટનાઓ સામે આવી છે. એ પછી ભાજપ સાશિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ તરકીબ અપનાવીને બહુમતી હિંદુઓને ખુશ કરી રાજકીય લાભ ખાટવા લઘુમતીઓ અને રાજકીય વિરોધીઓના ઘરો તોડી પાડવાનું શરૂ કરી દીધું હતું. લાંબા સમયથી આ બુલડોઝર ન્યાય પર પ્રતિબંધ મૂકવાની વાત ચાલી રહી છે, ત્યારે આખરે આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમિયત ઉલેમા-એ-હિંદે(Jamiat Ulema-e-Hind) સુપ્રીમ કોર્ટ(supreme court)માં અરજી દાખલ કરીને આરોપીઓના ઘરો પર બુલડોઝર ચલાવતી સરકારો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. અરજીમાં યુપી(UP), મધ્યપ્રદેશ(MP) અને રાજસ્થાન(Rajasthan)માં બુલડોઝર દ્વારા ન્યાય તોળવાની તાજેતરની ઘટનાઓ ટાંકવામાં આવી છે. જેમાં લઘુમતી સમુદાયને નિશાન બનાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ આ અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી છે. આ અરજી જહાંગીર પુરી કેસમાં જ વકીલ ફારુખ રાશિદે દાખલ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટ આ મામલે ૨ સપ્ટેમ્બરે સુનાવણી કરશે. આ મામલો જસ્ટિસ બી.આર. ગવઈ(B.R. Gavai)ની બેંચ સુધી પહોંચ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો, ખાસ કરીને લઘુમતીઓ સામે જુલમ અને આતંકનું ચક્ર ઉભું કરવા માટે રાજ્ય સરકારો તેમના ઘરો અને મિલકતો પર બુલડોઝરના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. સરકાર અને વહીવટીતંત્ર પીડિતોને પોતાને બચાવવા માટે કાયદાકીય પગલાં લેવાની તક પણ આપતા નથી, તેના બદલે તેઓ તરત જ તેમને સજા આપવા માટે બુલડોઝરનો ઉપયોગ કરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/in-the-up-by-elections-rss-workers-will-explain-the-reservation-constitution-issue-to-dalits">યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત-બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તાજેતરમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ(Amnesty International) દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, એપ્રિલ ૨૦૨૨ થી જૂન વચ્ચે દિલ્હી, આસામ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને યુપીમાં કોમી હિંસાની ઘટનાઓ પછી બુલડોઝરનો ઉપયોગ કરીને ૧૨૮ મિલકતોને તોડી પાડવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે મે મહિનામાં મધ્યપ્રદેશમાં એક આરોપીના પિતાની સંપત્તિ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું, તે પણ ઘટનાના થોડા કલાકોમાં એટલે કે કાયદાકીય પ્રક્રિયા શરૂ થાય તે પહેલા. એ રીતે સરકારે મામલો કોર્ટમાં ચડે તે પહેલા જ તેને પોતાની રીતે સજા પણ આપી દીધી હતી. એ જ રીતે મુરાદાબાદ અને બરેલીમાં ૨૨ અને ૨૬ જૂને બે એફઆઈઆરમાં જેમના નામ નોંધાયા હતા તેવા આરોપીઓની છ મિલકતો પર જેસીબી ફેરવી દેવાયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે જૂન ૨૦૨૪માં મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં પ્રાણીઓની તસ્કરીના આરોપીઓની ૧૨ મિલકતોને પણ બુલડોઝર વડે જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૨૪માં રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં વહીવટીતંત્ર અને વન વિભાગની ટીમ દ્વારા રાશિદ ખાનનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. રાશિદના ૧૫ વર્ષના પુત્ર પર સ્કૂલમાં તેના ક્લાસમેટને છરી મારવાનો આરોપ હતો. પીડિતા અને આરોપી અલગ-અલગ ધર્મના અનુયાયીઓ હોવાથી કોમી તણાવ વધ્યો અને હિંસક અથડામણ થઈ. બીજા જ દિવસે એક બુલડોઝર રશીદના ઘરે ગયું અને તેને તોડી પાડ્યું. આવી અનેક ઘટનાઓએ લઘુમતી સમાજનું જીવવું હરામ કરી નાખ્યું હોવાથી બુલડોઝર ન્યાય પર પ્રતિબંધ મૂકવા માટે આ અરજી કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/bulldozer-a-major-factor-in-bjps-defeat-in-ayodhya">બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 31 Aug 2024 17:41:24 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1142</Articleid>
                    <excerpt>ભાજપ સાશિત રાજ્યોમાં લઘુમતી સમાજના ઘરો અને મિલકતો પર જેસીબી ફેરવી દઈને કથિત રીતે ત્વરિત ન્યાય તોળવાની ઘટનાઓ પર પ્રતિબંધ મૂકવાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66d3081aaa6ed.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d3081a6a12f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d3081a6a12f.jpg" length="119932" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Bulldozer, Suprem Court</media:keywords>
                </item>
                        <item>
                    <title>પ્રસિદ્ધ બંધારણ નિષ્ણાત અને લેખક એ.જી. નૂરાનીનું અવસાન</title>
                    <link>https://khabarantar.com/famous-constitutional-expert-and-writer-a-g-death-of-noorani</link>
                    <guid>https://khabarantar.com/famous-constitutional-expert-and-writer-a-g-death-of-noorani</guid>
                    <description>
                        <![CDATA[ પ્રખ્યાત વકીલ, બંધારણના નિષ્ણાત અને છ દાયકા સુધી દેશમાં કાયદાકીય વિદ્વતામાં મહત્વનું યોગદાન આપનાર એ.જી. નૂરાનીનું 93 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિદાયત પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">AG Noorani died: પ્રખ્યાત વકીલ, બંધારણના નિષ્ણાત અને છ દાયકાથી વધુ સમયથી ભારતમાં કાનૂની વિદ્વતા અને રાજકીય વિવરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર પ્રસિદ્ધ લેખક એ.જી. નૂરાની(A.G. Noorani) હવે આપણી વચ્ચે નથી રહ્યા. નૂરાનીએ બંધારણીય અને માનવાધિકારના મુદ્દાઓ પરના તેમના સૂક્ષ્મ વિશ્લેષણ માટે વ્યાપકપણે માન મેળવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૯૩૦માં બોમ્બે (હવે મુંબઈ)માં જન્મેલા અબ્દુલ ગફૂર અબ્દુલ મજીદ નૂરાનીએ ૧૯૫૩માં બોમ્બે હાઈકોર્ટમાં વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. કાયદાની પ્રેક્ટિસ કરતા હોવા છતાં નૂરાનીએ તેમનો મોટાભાગનો સમય કાનૂની, રાજકીય અને ઐતિહાસિક વિષયો પર લખવામાં ફાળવ્યો હતો. તિક્ષ્ણ બુદ્ધિ અને બંધારણીય બાબતોની ઊંડી સમજે તેમને ભારતીય રાજકારણ અને ન્યાયશાસ્ત્રના સમયની માંગ મુજબના વિવેચક બનાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નૂરાનીનું ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, હિન્દુસ્તાન ટાઇમ્સ અને ધ સ્ટેટ્સમેન જેવા અગ્રણી પ્રકાશનોમાં નિયમિત યોગદાન રહ્યું હતું. જો કે, ૧૯૮૦ના દાયકામાં શરૂ થયેલા 'ફ્રન્ટલાઈન' મેગેઝિન સાથેના તેમના જોડાણે તેમના લેખનને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચાડ્યું. તેમની કૉલમ "બંધારણીય પ્રશ્નો" ત્રણ દાયકાથી વધુ સમય સુધી ચાલી હતી અને તે કોલમ તેમના ઝીણવટભર્યા સંશોધન અને જટિલ કાનૂની મુદ્દાઓના સંતુલિત વિશ્લેષણ માટે જાણીતી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/Maulana-Azad:-Who-gave-the-country-institutions-like-IIT,-IIS,-UGC,-Sahitya-Akademi">મૌલાના આઝાદઃ  જેમણે દેશને IIT, IIS, UGC, સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ આપી</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લેખક તરીકે, નૂરાનીએ ભારતીય બંધારણીય કાયદા, રાજકારણ અને ઇતિહાસના વિવિધ પાસાઓ પર એક ડઝનથી વધુ પુસ્તકો લખ્યા છે. તેમના કેટલાક નોંધપાત્ર કાર્યોમાં ધી કાશ્મીર ડિસ્પ્યુટ (૧૯૬૪), મિનિસ્ટર્સ મિસકન્ડક્ટ (૧૯૭૩), કોન્સ્ટિટ્યૂશનલ ક્વેશ્ચન્સ એન્ડ સીટીઝન્સ રાઈટ (બંધારણીય પ્રશ્નો અને નાગરિકોના અધિકારો) (૨૦૦૬), અને આરએસએસ: અ મેનેસ ટુ ઈન્ડિયા (૨૦૧૯) નો સમાવેશ થાય છે. તેમના લખાણોમાં ઘણીવાર સરકારી અતિરેક અને લોકશાહી ધોરણોના થઈ રહેલ ધોવાણની ટીકા કરવામાં આવતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નૂરાની નાગરિક સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતાની મજબૂત હિમાયત માટે જાણીતા હતા. તેઓ એવા કાયદાઓના ટીકાકાર હતા જે અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેમની કાનૂની કુશળતાએ તેમને ન્યાયિક સુધારણા અને જવાબદારી પરની ચર્ચાઓમાં આગળ પડતો સન્માનનીય અવાજ બનાવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે તેઓ ક્યારેય કોઈ સત્તાવાર હોદ્દો ધરાવતા ન હતા, તેમ છતાં કાનૂની અને રાજકીય વર્તુળોમાં નૂરાનીના મંતવ્યોનું વજન રહેતું. બંધારણીય બાબતો પર તેમની વારંવાર સલાહ લેવામાં આવતી હતી અને તેમના લખાણોને શૈક્ષણિક કાર્યો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં પણ ટાંકવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નૂરાનીએ બંધારણીય વિદ્વતા અને રાજકીય ભાષ્યનો સમૃદ્ધ વારસો છોડ્યો છે. તેમને એક બૌદ્ધિક તરીકે હંમેશા યાદ કરવામાં આવશે, જેઓ તેમની લાંબી અને વિશિષ્ટ કારકિર્દી દરમિયાન લોકશાહી અને બંધારણવાદના સિદ્ધાંતોના સમર્થક રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;">પ્રગતિશીલ અને ઉદાર વર્તુળોમાં આદર અને સન્માન મેળવનાર હોવા છતાં, નૂરાનીના ટીકાકારોની પણ કમી ન હતી. કેટલાકને લાગતું કે તેમના મંતવ્યો ખૂબ આદર્શવાદી હતા અથવા બદલાતી રાજકીય વાસ્તવિકતાઓ સાથે જૂના  થઈ ગયા હતા. તેમ છતાં, બંધારણીય મૂલ્યો અને કઠોર વિશ્લેષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ તેમને રાજકીય વર્તુળોમાં આદર મેળવ્યો.</span></p>
<p style="text-align: justify;"><em><span style="font-size: 12pt;"><strong>(લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર અને સ્વતંત્ર પત્રકાર છે.)</strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);"><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </span><a href="https://khabarantar.com/bina-paseen-ki-fasal-ya-kavita-bemani-hai">બિના પસીને કી ફસલ યા કવિતા બેમાની હૈ...</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 30 Aug 2024 13:28:28 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1133</Articleid>
                    <excerpt>પ્રખ્યાત વકીલ, બંધારણના નિષ્ણાત અને છ દાયકા સુધી દેશમાં કાયદાકીય વિદ્વતામાં મહત્વનું યોગદાન આપનાર એ.જી. નૂરાનીનું 93 વર્ષની જૈફ વયે અવસાન થયું છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66d17add798b7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d17add4883a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d17add4883a.jpg" length="55336" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>A.G. Noorani</media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશના લઘુમતીઓએ મોદીને ૪૦૦ પાર કરવાથી રોક્યાં: શરદ પવાર</title>
                    <link>https://khabarantar.com/countrys-minorities-prevented-modi-from-crossing-400-sharad-pawar</link>
                    <guid>https://khabarantar.com/countrys-minorities-prevented-modi-from-crossing-400-sharad-pawar</guid>
                    <description>
                        <![CDATA[ NCP ચીફ શરદ પવારે PM Modi ના અબકી બાર 400 પારના નારાને આડે હાથ લેતા અનેક એવી વાતો કરી છે જેના કેન્દ્રમાં લઘુમતી સમાજ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NCP ચીફ Sharad Pawar એ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. પવારે કહ્યું કે, દેશના લઘુમતીઓએ પીએમ મોદીના ‘અબકી બાર 400 પાર’ના નારાને સાકાર થવા દીધો નહોતો. તેમણે વધુમાં કહ્યું કે 400 પારના નારાનો એકમાત્ર ઉદ્દેશ્ય સમગ્ર દેશની સત્તા એક હાથમાં રાખવાનો હતો, પરંતુ દેશના લઘુમતીઓએ આવું થવા દીધું નહીં. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પવારે કહ્યું કે, મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવી જોઈએ અને આવનારી ચૂંટણીમાં તેમને તક મળવી જોઈએ. અલ્પ સંખ્યક વિભાગ સાથેની બેઠકમાં પવારે લઘુમતીઓની તરફેણમાં બીજી પણ અનેક બાબતો કહી હતી. શરદ પવારે કહ્યું કે વક્ફ બિલ લઘુમતીઓના અધિકારોને ખતમ કરવાનું ષડયંત્ર છે. વકફ પ્રોપર્ટીનું શું કરવું, તે કયા હેતુ માટે આપવામાં આવે તે નક્કી કરવાનો અધિકાર માત્ર લઘુમતીઓને જ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદીના હાથમાંથી શાસન છીનવી લેવા માટે, જો અમને ૨ બેઠકો ઓછી મળશે તો પણ અમે વધુ બેઠકો માંગીને વાંધો નહીં ઉઠાવીએ. છેલ્લા દસ વર્ષથી દેશનું શાસન ખોટા હાથોમાં છે. દેશમાં વસતા તમામ ધર્મના લોકોને વિશ્વાસમાં રાખવા દેશ પર શાસન કરનારાઓની ફરજ છે, પણ એવું થઈ નથી રહ્યું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/where-did-bjp-miss-400-is-far-from-even-250">ભાજપ ક્યાં ચૂક્યો? ૪૦૦ તો દૂર 250ના પણ ફાંફા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે એનસીપીના લઘુમતી વિભાગની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક અને કાર્યકર્તા સંમેલન પાર્ટી કાર્યાલય મુંબઈ ખાતે યોજવામાં આવ્યું હતું. પવારે આ કાર્યક્રમમાં હાજર રહીને સૌને સંબોધ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે આ દેશ આપણાં બધાંનો છે. પણ અમુક લોકો તેનો સ્વીકાર કરવા તૈયાર નથી. લોકસભાની ચૂંટણી હતી ત્યારે દેશના વડાપ્રધાને દેશની સામે અબ કી બાર 400 પારનો નારો લગાવ્યો હતો. પણ 400 પાર થઈને દેશનું કલ્યાણ કેમ નહીં? હું ખુશ છું કે આ સપનું સાકાર ન થયું. કેમ કે, લોકોને ડર હતો કે ૪૦૦ પાર કર્યા બાદ દેશમાં અલગ વાતાવરણ સર્જાઈ શકે છે. જેઓ ભાઈચારો અને શાંતિ ઈચ્છે છે તેમને ૪૦૦ પાર પછી અડચણો આવી શકે તેમ હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પવારે કહ્યું કે, સંસદ ભવનનાં ઉદ્‌ઘાટન સમયે એવા લોકોને બોલાવવામાં આવ્યા હતા જેમને તેની સાથે કોઈ લેવાદેવા નથી. સાંસદોને પણ બોલાવ્યા નહોતા. નવી સંસદ, અયોધ્યા મંદિરમાં પાણી લીકેજ અને સિંધુદુર્ગ પ્રતિમાનું પતન આ બધામાં ચોક્કસ ભ્રષ્ટાચાર છે. રામગીરી મહારાજને કોણે મહારાજ બનાવ્યા તે ખબર નથી, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/the-slogan-of-abki-bar-charso-par-and-dr-ambedkars-warning">'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 29 Aug 2024 18:47:03 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 29 Aug 2024 18:47:51 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1129</Articleid>
                    <excerpt>NCP ચીફ શરદ પવારે PM Modi ના અબકી બાર 400 પારના નારાને આડે હાથ લેતા અનેક એવી વાતો કરી છે જેના કેન્દ્રમાં લઘુમતી સમાજ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66d07432624e0.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d07432336a3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66d07432336a3.jpg" length="68944" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>NCP, Sharad Pawar, Pm Modi</media:keywords>
                </item>
                        <item>
                    <title>PM મોદીએ 173 ચૂંટણી ભાષણો પૈકી 110માં મુસ્લિમ વિરોધી નિવેદનો કર્યા</title>
                    <link>https://khabarantar.com/pm-modi-made-anti-muslim-statements-in-110-out-of-173-election-speeches</link>
                    <guid>https://khabarantar.com/pm-modi-made-anti-muslim-statements-in-110-out-of-173-election-speeches</guid>
                    <description>
                        <![CDATA[ Loksabha Election માં આદર્શ આચારસંહિતા લાગુ હોવા છતાં PM Modi એ પોતાના 173 પૈકી 110 ભાષણોમાં મુસ્લિમ વિરોધી નિવેદનો કર્યા હોવાનો રિપોર્ટ આવ્યો છે.  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થા હ્યુમન રાઈટ્સ વોચ (HRW)ના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતા લાગુ હોવા છતાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ તેમના 173 ભાષણો પૈકી 110માં મુસ્લિમ વિરોધી નિવેદનો કર્યા હતા. રિપોર્ટમાં પીએમ મોદીના ગુજરાત, તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં આપવામાં આવેલા ભાષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "મોદીએ ઈસ્લામોફોબિક નિવેદનો સ્પષ્ટપણે રાજકીય વિરોધને નબળો પાડવાના ઈરાદાથી કર્યા હતા. પીએમે કહ્યું હતું કે તેઓ માત્ર મુસ્લિમ અધિકારોને પ્રોત્સાહન આપે છે, પરંતુ મોદીના પ્રચારથી બહુમતી હિંદુ સમાજમાં ભય પેદા થયો હતો."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ મુજબ, ચૂંટણી પછી દેશભરમાં ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ ઓછામાં ઓછા 28 હુમલા થયા, જેમાં 12 મુસ્લિમ પુરુષો અને એક ખ્રિસ્તી મહિલાનું મોત થયું હતું.  રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતનું ચૂંટણી પંચ આ આચારસંહિતાના ભંગનો જવાબ આપવા માટે જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/people-surrounded-the-mlas-office-chasing-away-the-bjp-worker-girl">ભાજપનો કાર્યકર યુવતીને ભગાડી જતા લોકોએ ધારાસભ્યની ઓફિસનો ઘેરાવ કર્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટ મુજબ, “મોદીએ ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા છતાં ચૂંટણી પંચે પીએમનું નામ લીધા વિના માત્ર ભાજપ અધ્યક્ષના કાર્યાલયને પત્ર લખ્યો અને કહ્યું કે ભાજપ અને તેના "સ્ટાર પ્રચારકો" લોકોને ધાર્મિક અથવા સાંપ્રદાયિક આધાર પર ભાષણ દેવાથી બચે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્દેશ પણ પીએમ મોદીને મુસ્લિમો વિરોધી ભાષણો આપતા રોકી શક્યા નહોતા અને તેમણે પોતાના સમગ્ર પ્રચાર દરમિયાન નફરતભર્યા ભાષણો આપવાનું ચાલુ રાખ્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">HRW એશિયાના ડિરેક્ટર ઈલેન પીયર્સને જણાવ્યું હતું કે આ ભડકાઉ ભાષણોએ મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતી સમુદાયો વિરુદ્ધ દુર્વ્યવહારને સામાન્ય બનાવ્યો છે. તેમણે કહ્યું, "ભારતના વડાપ્રધાન મોદી અને ભાજપના નેતાઓએ તેમના પ્રચાર ભાષણોમાં મુસ્લિમો અને અન્ય લઘુમતી જૂથો વિરુદ્ધ સ્પષ્ટપણે ખોટા દાવા કર્યા હતા."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હ્યુમન રાઈટ્સ વોચે કહ્યું કે મોદી સરકારના પગલાંએ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા હેઠળ ભારતની જવાબદારીઓનું "ઉલ્લંઘન" કર્યું છે અને સરકારે ધાર્મિક તથા અન્ય લઘુમતી વસ્તીઓ અને તેમની સામે ભેદભાવ કે હિંસા માટે જવાબદાર લોકો સામે સંપૂર્ણ અને નિષ્પક્ષપણે કાર્યવાહી કરવી જોઈએ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/college-degree-wont-do-anything-open-a-puncture-shop-bjp-mla">કૉલેજની ડિગ્રીથી કશું થવાનું નથી, પંચરની દુકાન ખોલોઃ ભાજપના ધારાસભ્ય</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે કહ્યું કે, "નવી મોદી સરકારે તેની ભેદભાવપૂર્ણ નીતિઓને બદલવાની જરૂર છે, લઘુમતીઓ વિરુદ્ધ હિંસા પર પગલાં લેવા અને અસરગ્રસ્ત લોકોને ન્યાય સુનિશ્ચિત કરવાની જરૂર છે."</span><br><span style="font-size: 14pt;">બુલડોઝરના આતંકનો પણ ઉલ્લેખ કરાયો</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">HRW એ બુલડોઝર વડે મુસ્લિમોના ઘરો તોડી પાડવાનો ઉલ્લેખ "કોમી અથડામણ અથવા અસંમતિ માટે મુસ્લિમ સમુદાય સામે સ્પષ્ટ સામૂહિક સજા" તરીકે કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે, "ભાજપની ઘણી રાજ્ય સરકારોએ યોગ્ય પ્રક્રિયા વિના મુસ્લિમોના ઘરો, ધંધા-રોજગાર અને ઈબાદતના સ્થાનોને તોડી પાડ્યા હતા અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હાથ ધરી હતી, જે ચૂંટણી પછીથી ચાલુ છે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે કેવી રીતે ભાજપે પ્રચાર દરમિયાન મુસ્લિમોને બદનામ કરતા અને ખોટી માહિતી ફેલાવતા વીડિયો પોસ્ટ કર્યા અને કેવી રીતે પાર્ટીના નેતાઓએ પરિસ્થિતિને વધારે ખરાબ બનાવી. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/the-judge-who-ordered-rakhi-to-be-tied-to-the-rapist-joined-the-bjp">છેડતી કરનારને રાખડી બાંધવાનો ચૂકાદો આપનાર જજ ભાજપમાં જોડાયા</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે "ગૃહ પ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને ભૂતપૂર્વ માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર સહિત બીજા અનેક ભાજપી નેતાઓએ હિંદુઓને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરતા ભાષણો આપ્યા હતા, જેનાથી લોકોમાં નફરત અને અસુરક્ષાની ભાવના જન્મી હતી. આટલી નફરત પેદા કર્યા પછી પણ રાજસ્થાનના બાંસવાડામાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમોને 'ઘૂસણખોર' અને 'વધુ બાળકો પેદા કરનારા' ગણાવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની આડમાં પણ મુસ્લિમો પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી પાસેથી ભેંસ છીનવી લેશે, ઘર પડાવી લેશે અને મુસ્લિમોમાં વહેંચી દેશે. મોદીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ "મંગલસૂત્ર છીનવી લેશે". રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમણે ઘણાં પ્રચાર ભાષણોમાં આવા જુઠ્ઠાણાંનું વારંવાર પુનરાવર્તન કર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેવી જ રીતે 30 એપ્રિલના રોજ ભાજપે Instagram પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં PM મોદીના મુસ્લિમો વિશેના વિવાદાસ્પદ ભાષણની નકલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ તેને નફરત ફેલાવતા ભાષણ તરીકે ફ્લેગ કર્યો પછી તેને દૂર કરવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/a-new-chapter-in-the-land-scam-in-the-name-of-ram-in-ayodhya">અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વીડિયોમાં વારંવાર દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ "આક્રમણખોરો, આતંકવાદીઓ, લૂંટારાઓ અને ચોર" તરીકે વર્ણવવામાં આવેલા એક સમાજને સમર્થન આપે છે. વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ બિન-મુસ્લિમો એટલે કે હિંદુઓના પૈસા પડાવી લેશે અને મુસ્લિમોમાં વહેંચશે. વીડિયોને ડિલીટ કરવામાં આવે તે પહેલા તેને 100,000થી વધુ લાઈક્સ મળી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રિપોર્ટમાં પીએમ મોદીના 17 મેના રોજ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આપવામાં આવેલા ભાષણને ટાંકવામાં આવ્યું છે, જેમાં તેમણે ખોટા દાવા કર્યા હતા કે "તેઓ (વિપક્ષ) રામલલાને ફરીથી તંબુમાં મોકલી દેશે અને રામમંદિર પર બુલડોઝ ફેરવી દેશે." </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હ્યુમન રાઈટ્સ વોચે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો છે કે, પીએમ મોદી 7 મેના રોજ મધ્ય પ્રદેશના ધારમાં એક ભાષણમાં ખોટું બોલ્યા હતા કે વિરોધ પક્ષ કોંગ્રેસ "સ્પોર્ટ્સમાં પણ મુસ્લિમોને પ્રાધાન્ય આપવા માંગે છે. એ રીતે કોંગ્રેસ નક્કી કરશે કે ભારતીય ક્રિકેટ ટીમમાં કોણ રમશે? "</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/union-government-lifts-58-year-old-ban-on-rss-whats-the-deal">કેન્દ્ર સરકારે RSS પર લાગેલો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો, જાણો શું છે આખો મામલો</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 17 Aug 2024 14:44:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1085</Articleid>
                    <excerpt>Loksabha Election માં આદર્શ આચારસંહિતા લાગુ હોવા છતાં PM Modi એ પોતાના 173 પૈકી 110 ભાષણોમાં મુસ્લિમ વિરોધી નિવેદનો કર્યા હોવાનો રિપોર્ટ આવ્યો છે. </excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66c06571b3255.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c0657182b91.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66c0657182b91.jpg" length="72311" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>PM Modi, Hate Speech, anti muslim speech, Loksabha Election, BJP, HRW, NGO</media:keywords>
                </item>
                        <item>
                    <title>આઝાદીમાં મુસ્લિમો: &amp;apos;જય હિંદ&amp;apos;થી &amp;apos;સારે જહાઁ સે અચ્છા&amp;apos; સુધી..</title>
                    <link>https://khabarantar.com/muslims-in-azadi-from-jai-hind-to-sare-jahan-se-achcha</link>
                    <guid>https://khabarantar.com/muslims-in-azadi-from-jai-hind-to-sare-jahan-se-achcha</guid>
                    <description>
                        <![CDATA[ કોમવાદી તાકાતો સતત મુસ્લિમોને દેશદ્રોહી સાબિત કરવા મચી પડી છે ત્યારે પાલનપુરી પત્રકાર હિદાયત પરમારનો આ લેખ આવા તત્વોને બોલતી બંધ કરી દેવા માટે પુરતો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિદાયત પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આપણને મળેલી આઝાદી લાંબા સંઘર્ષનું પરિણામ હતું, જેમાં વિવિધતામાં એકતાના પ્રતિક એવા આપણા ભારતના તમામ વર્ગ અને સમાજના પુરુષો અને મહિલાઓના યોગદાન અને બલિદાન સામેલ હતા. ભારતીય રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં ભારતીય મુસ્લિમોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યા વિના આ આઝાદીની ચળવળ અધૂરી  રહેશે, જે દસ્તાવેજો અને પુસ્તકોના સ્વરૂપે આપણી પાસે ઉપલબ્ધ છે જ.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંગ્રેજો સામેની ભૂમિકામાં અઢારમી સદીના મધ્યમાં પલાશી (પ્લાસી) ના યુદ્ધ સાથે ૨૩ જૂન, ૧૭૫૭માં શરૂ થયેલ બળવો. તે વખતના નવાબ સિરાજ-ઉદ-દૌલા કે જેમણે પ્રથમ ભારતીય શાસકોને જાગૃત કર્યા અને બ્રિટિશરો વિરુદ્ધ બ્યૂગલ ફૂંક્યું. તેમ છતાં, તેઓ તે યુદ્ધ હારી ગયા અને ૨૪ વર્ષની નાની ઉંમરે તેમને ફાંસી આપવામાં આવી. ૧૭૮૦ થી ૧૭૯૦ ના દાયકામાં મૈસુરના શાસક હૈદર અલી અને તેમના પુત્ર 'મૈસૂરના વાઘ' ટીપુ સુલતાન દ્વારા અઢારમી સદીમાં ભારતમાં અંગ્રેજો સામે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવ્યું. ૧૭૯૯માં ચોથા એંગ્લો-મૈસુર યુદ્ધ દરમિયાન લોર્ડ વેલેસ્લી દ્વારા ટીપુ સુલતાનની ષડયંત્ર થકી હત્યા કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/commemoration-of-nanak-singh-and-udham-singh-on-the-anniversary-of-the-jallianwala-incident">જલિયાવાલા બાગકાંડની વરસીએ સ્મરણ નાનકસિંહ અને ઉધમસિંહનું...</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શાહજહાંપુરના મુહંમદ અશફાકઉલ્લાહ ખાન જેમણે કાકોરી (લખનૌ) ખાતે બ્રિટિશ તિજોરી લૂંટવાનું કાવતરું રચ્યું અને લૂંટ કરી સરકારી વહીવટને અપંગ બનાવી દીધું અને તેમને ફાંસી આપતાં પહેલાં તેમની છેલ્લી ઈચ્છા પૂછતાં તેમણે કહેલું, “કોઈ જ ઈચ્છા બાકી રહી નથી, બસ કોઈક મારા કફનમાં મારી માતૃભૂમિની થોડી માટી મૂકી દે એ જ અંતિમ ઈચ્છા.”</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">'સરહદના ગાંધી' તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફ્ફાર ખાન સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય સેનાનીઓમાંના એક હતા અને પોતે 'સરહદના ગાંધી'નું બિરુદ મેળવી મહાત્મા ગાંધીના અનુયાયી બન્યા હતા. અબ્દુલ ગફ્ફાર ખાન ગાંધીને મળ્યા અને ૧૯૧૯માં રોલેટ એક્ટ આંદોલન દરમિયાન રાજકારણમાં જોડાયા, જે આંદોલને રાજકીય અસંતુષ્ટોને અજમાયશ વિના ધરપકડ કરવાની મંજૂરી આપી. પછીના વર્ષોમાં તેઓ ખિલાફત ચળવળમાં જોડાયા.</span><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એ જ રીતે, ગદર પાર્ટીના બરકતુલ્લાહ અને સૈયદ રહેમત શાહે ભારતીય આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું. તે વખતના એક બહુ મોટા ઉદ્યોગપતિ એવા ઉમર સુભાની, બોમ્બેના કરોડપતિ, જેમણે ગાંધીજીને આંદોલનના ખર્ચ માટે એક કોરો ચેક રજૂ કર્યો હતો અને આખરે આઝાદી માટે લડતાં લડતાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. મૌલાના હસરત મોહાનીએ પોતાની કવિતાઓ થકી યુવા હ્રદયોમાં સ્વતંત્રતાનો ઉત્સાહ ભર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Shivaji-Maharaj-was-the-enemy-of-fanatics-not-Muslims">મુસલમાનોના નહીં, કટ્ટરપંથીઓના દુશ્મન હતા છત્રપતિ શિવાજી મહારાજ</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લાં મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર ભારતીય સ્વતંત્રતા માટે મજબૂતાઈથી લડનારા રાજવી હતા, જે લડત ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામ તરફ દોરી ગઈ. મુસ્લિમોએ આઝાદીની લડત માટે મસ્જિદોનો ઉપયોગ કર્યો. જ્યારે એક ઈમામ ઉત્તર પ્રદેશની એક મસ્જિદમાં ભારતની સ્વતંત્રતા વિશે સંબોધન કરી રહ્યા હતા ત્યારે બ્રિટિશ આર્મીએ તે મસ્જિદમાં રહેલા તમામ મુસ્લિમો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક, જેમનું નામ સ્વતંત્રતાની લડતમાં અગ્રેસર તરીકે લેવાય છે એવા મૌલાના અબુલ કલામ આઝાદ, જેઓ માત્ર ૧૬ વર્ષની નાની વયે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા હતા. ભારત આઝાદ થયા પછી પણ તેઓ આજીવન દેશસેવામાં લાગેલા રહ્યાં.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના બખ્ત ખાને, ૧૮૫૭ના બળવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. અનુભવી આર્મી મેન તરીકે બખ્ત ખાને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં સુબેદાર તરીકે સેવા આપી હતી. પછીથી બખ્ત ખાને બળવાખોર દળોની કમાન સંભાળી. તેમની મજબૂત અને શક્તિશાળી આ બળવા પ્રવૃત્તિઓએ બ્રિટિશ શાસકોને આ માણસનો શિકાર કરવા માટે પ્રેરિત કર્યા. ૧૮૫૯ ના મે મહિનામાં બ્રિટિશરોએ તેમને ગોળી મારી દીધી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેરળના મુહંમદ અબ્દુર રહીમે મીઠા સત્યાગ્રહની જેમ જ ત્યાં સત્યાગ્રહ કરેલો અને તેમને સાત  મહિનાની સખત કેદની સજા ફટકારાઈ હતી. તેમણે મુસ્લિમ લીગ પાર્ટીના બે રાષ્ટ્રના સિદ્ધાંત વિરુદ્ધ મુસ્લિમ સમાજને એકત્રિત કરી ૨૩ નવેમ્બર ૧૯૪૫ના રોજ કોડિયાથુર ખાતે જાહેર સભાને સંબોધ્યા બાદ તરત જ અંતિમ શ્વાસ લીધા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Maulana-Azad:-Who-gave-the-country-institutions-like-IIT,-IIS,-UGC,-Sahitya-Akademi">મૌલાના આઝાદઃ જેમણે દેશને IIT, IIS, UGC અને સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ આપી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદથી પ્રેરિત, અબ્બાસ અલી શિક્ષણ પૂર્ણ કર્યા પછી કિશોરાવસ્થામાં જ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા. તેઓ ઇન્ડિયન નેશનલ આર્મી (આઈએનએ)/'આઝાદ હિંદ ફોજ' માં જોડાયા અને ત્યારબાદ કોર્ટ-માર્શલ કરવામાં આવ્યા અને તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સૈયદ મુહંમદ શરફુદ્દીન કાદરી ૧૯૩૦ માં મીઠાના સત્યાગ્રહ આંદોલન દરમિયાન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. તેમણે દરેક સંઘર્ષમાં મહાત્મા ગાંધીને ભરપૂર ટેકો આપ્યો હતો અને મહાત્મા ગાંધી સાથે એક જ સેલમાં કેદ રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ દરરોજ જેલમાં જઈ રહ્યા હતા, ત્યારે આસફ અલી આગળ આવ્યા અને તેમને જેલોમાંથી બહાર કાઢવા માટે કાનૂની લડાઈઓ લડી હતી. તેઓ જવાહરલાલ નેહરુ સાથે જેલમાં પણ ગયા હતા. તેમણે 'ભારત છોડો ચળવળ' માં ભાગ લીધો હતો અને ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા હતા. ૧ એપ્રિલ ૧૯૫૩ ના રોજ, અસફ અલીનું ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપતી વખતે બર્ન (સ્વિટ્ઝરલેન્ડ) માં અવસાન થયું. ૧૯૮૯ માં તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/racism-land-lust-forced-phoolan-to-become-a-bandit-queen">જાતિવાદ, જમીન અને હવસે 'ફૂલનદેવી'ને 'બેન્ડિટ ક્વિન' બનવા મજબૂર કરી</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૨ ડિસેમ્બર ૧૮૮૬ ના રોજ બિહારના પટના જિલ્લામાં જન્મેલા, મૌલાના મઝહરુલ હક ૧૮૯૭ ના દુકાળ દરમિયાન તેમના સામાજિક-સેવાકીય કાર્યો માટે જાણીતા બન્યા હતા. તેમણે અસહકાર અને ખિલાફત ચળવળો અને ચંપારણ સત્યાગ્રહને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જાન્યુઆરી ૧૯૩૦ માં તેમનું અવસાન થયું તે પહેલાં તેમણે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમની બધી મિલકત દાનમાં આપી દીધી હતી. તેમના સન્માનમાં, એપ્રિલ ૧૯૮૮ માં, મૌલાના મઝહરુલ હક દ્વારા અરબી અને પર્શિયન(ફારસી) યુનિવર્સિટીની સ્થાપના પટના ખાતે કરવામાં આવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જલિયાંવાલા બાગના હીરો તરીકે ઓળખાતા ડો.સૈફુદ્દીન કિચલૂએ ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન રોલેટ એક્ટનો વિરોધ કરીને ૩૦ માર્ચ, ૧૯૧૯ ના રોજ ઐતિહાસિક જલિયાંવાલા બાગમાં જાહેર સભા યોજી હતી. ત્યાં તેમણે બ્રિટિશ સામ્રાજ્યવાદી શાસકોની નિંદા કરતું વ્યાખ્યાન આપ્યું. બ્રિટિશ સરકારે ડો. કિચલુને ચર્ચા માટે આમંત્રિત કર્યા, પરંતુ તેમને એ બહાને કસ્ટડીમાં લીધા અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મગફૂર એહમદ એઝાઝી બિહારના રાજકીય કાર્યકર્તા રહ્યા હતા. ગાંધીજીના અનુયાયી બનવા બી. એન. કોલેજ પટનાનો અભ્યાસ છોડી દીધો અને ૧૯૨૧ માં અસહકાર આંદોલનમાં જોડાયા. ત્યાં તેમણે સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો, જેમાં અંગ્રેજી કપડાં સળગાવવા અને બહિષ્કાર, મીઠાનો કાયદો તોડવો, વ્યક્તિગત સત્યાગ્રહ, સાયમન કમિશન વિરોધ અને ભારત છોડો સામેલ છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Shaheed-Udhamsingh:-The-Lion-Raised-in-an-Orphanage,-Who-Killed-an-Enemy-After-21-Years">શહીદ ઉધમસિંહઃ અનાથ આશ્રમમાં ઉછરેલો એ સિંહ, જેણે દુશ્મનને ઘરમાં ઘૂસીને માર્યો</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">યુસુફ મહેર અલી ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી નેતા હતા. તેઓ નેશનલ મિલિશિયા, બોમ્બે યુથ લીગ અને કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીના સ્થાપક હતા અને અનેક ખેડૂત અને ટ્રેડ યુનિયન ચળવળોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મેહર અલીએ "સાયમન ગો બેક" અને "ભારત છોડો"નો આવિષ્કાર કર્યો હતો અને બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી સ્વતંત્રતા મેળવવા માટે ભારતના છેલ્લા રાષ્ટ્રવ્યાપી અભિયાન માટે ગાંધીજી સાથે ભારત છોડો આંદોલનનો ભાગ બન્યા હતા. તેઓ ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં સક્રિયા હતા અને ભારત છોડો આંદોલનમાં મોખરે હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હૈદરાબાદના રહેવાસી આબિદ હસન સફરાની, જેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના વિશ્વાસુ સહાયક, આઈએનએના મેજર અને પછીથી, સ્વતંત્ર ભારતના પ્રારંભિક રાજદ્વારીઓમાંનો એક હતા. તેમણે 'જય હિન્દ' ના નારાનો આવિષ્કાર કર્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અસહકાર આંદોલન અને સ્વદેશી ચળવળમાં જબરદસ્ત મુસ્લિમ ભાગીદારી જોવા મળી હતી. જનાબ સબુસિદ્દીક જે તે સમયના સુગર-કિંગ હતા તેમણે અંગ્રેજ હુકુમતના બહિષ્કારના સ્વરૂપ તરીકે પોતાનો વ્યવસાય છોડી દીધો. ખોજા અને મેમણ સમુદાયો તે સમયના સૌથી મોટા બિઝનેસ હાઉસની માલિકી ધરાવતા હતા અને તેમના આ બહિષ્કારને ટેકો આપવા માટે તેમના ભંડારવાળા ઉદ્યોગોથી અલગ થઈ ગયા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/First-dalit-actress-played-a-romantic-scene,-people-burnt-her-house,-know-what-happened-next">ભારતની પહેલી દલિત અભિનેત્રી, જેણે સવર્ણ મહિલાનું પાત્ર ભજવ્યું અને જાતિવાદીઓએ તેનું ઘર સળગાવી દીધું</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ પત્રકારત્વના ક્ષેત્રમાં પણ એટલા જ સક્રિય હતા. મૌલાના આઝાદને ઘણી વખત વસાહતી શક્તિઓ દ્વારા રોકવામાં આવ્યા હોવા છતાં અંગ્રેજો સામે તેમની કલમનો ઉપયોગ ચાલુ રહ્યો હતો. હકીકતમાં, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને કારણે જાહેરમાં શહીદ થનાર પ્રથમ પત્રકાર પણ મુસ્લિમ હતા – તે હતા મૌલાના બાકર.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતીય રાષ્ટ્રીય ચળવળનો ઇતિહાસ મુસ્લિમ મહિલાઓની હૃદયપૂર્વકની સેવાઓના ઉલ્લેખ વિના પણ અધૂરો જ રહેશે. એક અંદાજ મુજબ લગભગ ૨૨૫ મુસ્લિમ મહિલાઓએ વિદ્રોહમાં પોતાનો જીવ આપ્યો હતો. ઓગણીસમી સદીની શરૂઆતથી જ મુસ્લિમ ક્રાંતિકારીઓનું યોગદાન જોઇ શકાય છે. ૧૮૫૭-૫૮ દરમિયાન દિલ્હીમાં ફાંસી આપવામાં આવેલા મુસ્લિમોની સંખ્યા ૨૭,૦૦૦ આસપાસ હતી. આ બળવા દરમિયાન અસગરી બેગમ (કાઝી અબ્દુર રહીમના માતા, થાના ભવનના ક્રાંતિકારી, મુઝફ્ફરનગર) બ્રિટિશરો સામે લડ્યા હતા અને હાર્યા ત્યારે તેણીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૨૫ મુસ્લિમ મહિલાઓએ વિદ્રોહમાં પોતાનો જીવ આપ્યો હતો, એમાંથી એક અવધના ક્રાંતિકારી રાણી બેગમ હઝરત મહલ, આઝાદીના પ્રથમ યુદ્ધના નાયિકા રહ્યા હતા, જેમણે બ્રિટિશ શાસક સર હેનરી લોરેન્સને ગોળી મારી હતી અને ૩૦ જૂન,૧૮૫૭ ના રોજ ચિન્હાટ ખાતે નિર્ણાયક યુદ્ધમાં બ્રિટીશ સેનાને હરાવી હતી. સેંકડો મહિલાઓ કે જેમણે બ્રિટિશ રાજ સામે તેમના પારિવારિક પુરુષો (પતિ,ભાઈ,પિતા) સાથે રહી આઝાદીની લડાઈ લડી હતી. અબાદી બેગમ (મૌલાના મુહમ્મદ અલીના માતા), અમજદી બેગમ (મૌલાના મુહમ્મદ અલીના પત્ની), અમીના તૈયબજી (અબ્બાસ તૈયબજીના પત્ની), બેગમ સકીના લુકમાની (ડો. લુકમાનીના પત્ની અને બદરૂદ્દીન તૈયબજીના પુત્રી), નિશાત-ઉન-નિસા (બેગમ,હસરત મોહાની), સાદત બાનો કિચલૂ (ડો. સૈફુદ્દીન કિચલૂના પત્ની), ઝુલેખા બેગમ (મૌલાના આઝાદના પત્ની), મેહર તાજ (ખાન અબ્દુલ ગફ્ફાર ખાનના પુત્રી), ઝુબૈદા બેગમ દાઉદી (શફી દાઉદીના પત્ની, બિહારના પ્રતિષ્ઠિત રાષ્ટ્રવાદી ) અને અન્ય ઘણાબધા હતા, યાદી લાંબી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/some-illusions-and-lies-spread-about-wakf-board">વક્ફ બોર્ડ વિશે ફેલાવવામાં આવેલા કેટલાક ભ્રમ અને જુઠ્ઠાણાં</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરુણા અસફ અલી સ્વતંત્રતા ચળવળના 'ગ્રાન્ડ ઓલ્ડ લેડી' તરીકે જાણીતા છે. તેઓ ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા ટાંકી મેદાનમાં ભારતીય ધ્વજ ફરકાવવા માટે જાણીતા છે. ૧૯૩૨ માં, તેઓ રાજકીય કેદીઓ સાથેના દુર્વ્યવહાર સામે તિહાડ જેલમાં ભૂખ હડતાળ પર ઉતર્યા હતા.આવી અન્ય ઘણી અસંખ્ય બહાદુર વ્યક્તિઓ કે જેમણે દેશના તમામ લોકો સાથે મળીને નાત-જાત-ધર્મ જોયા વગર એકતા સાથે પોતાના રાષ્ટ્ર માટે લડ્યા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">"જય હિન્દ", "ભારત છોડો", "સાયમન ગો બેક", "ઇન્કિલાબ જિંદાબાદ", "સરફરોશી કી તમન્ના, અબ હમારે દિલ મેં હૈ", "સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા" જેવા પ્રખ્યાત દેશભક્તિના સૂત્રો સામાન્ય રીતે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન વપરાતા હતા. સ્વતંત્રતા સંગ્રામના આ નારાઓ મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા રચવામાં આવ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><em><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>(લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર અને સ્વતંત્ર પત્રકાર છે.)</strong></span></em></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/for-the-first-time-since-independence-an-indian-government-without-a-muslim-minister">આઝાદી પછી પહેલીવાર, એકપણ મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 14 Aug 2024 13:59:29 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 14 Aug 2024 14:06:31 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1072</Articleid>
                    <excerpt>કોમવાદી તાકાતો સતત મુસ્લિમોને દેશદ્રોહી સાબિત કરવા મચી પડી છે ત્યારે પાલનપુરી પત્રકાર હિદાયત પરમારનો આ લેખ આવા તત્વોને બોલતી બંધ કરી દેવા માટે પુરતો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66bc651ba4d32.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bc651b73ee7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66bc651b73ee7.jpg" length="101179" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Muslims in freedom fighting</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધ્રોલમાં ધર્મપરિવર્તનઃ મામલો ધર્મનો નહીં, તંત્રની બેદરકારીનો છે</title>
                    <link>https://khabarantar.com/the-conversion-of-religion-in-dhrol-is-not-a-matter-of-religion-but-of-negligence-of-the-system</link>
                    <guid>https://khabarantar.com/the-conversion-of-religion-in-dhrol-is-not-a-matter-of-religion-but-of-negligence-of-the-system</guid>
                    <description>
                        <![CDATA[ જામનગરના ધ્રોલના 748 જેટલા હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પરવાનગી માંગી છે. પણ મામલો આખો જુદો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જામનગર જિલ્લાના ધ્રોલના વાડી સહિતના વિસ્તારમાં રહેતા ૭૪૮ જેટલા હિન્દુ ધર્મના લોકોએ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પોતાની સમસ્યાઓનું નિરાકરણન આવતા તેમણે ધર્મ પરિવર્તનનો નિર્ણય લેવાયાનું આવેદનપત્રમાં જાહેર કરાતાં ભારે સનસનાટી મચી ગઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આપણે ત્યાં સવર્ણ મીડિયાના જાતિવાદી, મુસ્લિમ વિરોધી પત્રકારો કોમવાદી એંગલ શોધવા કાયમ નજર દોડાવતા રહેતા હોય છે. આથી તેમને તો આ મામલામાં ઘરે બેઠાં ગોળનું ગાડું મળી ગયા જેવી લાગણી થઈ હતી, પણ આખી ઘટનામાં એંગલ તંત્રની રેઢિયાળ કામગીરીનો છે. તેની વાત છેલ્લે કરીશું, સૌથી પહેલા મામલો શું છે તેના વિશે ટૂંકમાં સમજીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જામનગર જિલ્લાના ધ્રોલમાં વોર્ડ નંબર ૭, પડધરી નાકા પાછળ, ૭ ડેરી મહાદેવ મંદિરવાળા માર્ગે વાડી સહિતના વિસ્તારમાં રહેતા અનેક હિંદુ પરિવારના કુલ ૭૪૮ લોકોએ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાટીના પ્રદેશ પ્રમુખો, ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, તેઓ હિંદુ મટીને મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા માંગે છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના મતે, ભાજપ કરતાં કોંગ્રેસની સરકાર સારી હતી. કેમ કે, આ સરકારમાં હિન્દુઓની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. આ લોકોનું કહેવું છે કે, તેમના અનેક પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી, જેથી તેમણે કંટાળી જઈને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઈચ્છીએ છીએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/if-conversion-continues-majority-will-become-minority-allahabad-high-court"><strong>ધર્મ પરિવર્તન ચાલુ રહ્યું તો બહુમતી લઘુમતી થઈ જશેઃ અલ્હાબાદ હાઈકોર્ટ</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્થાનિકોનું કહેવું છે કે, અમારા રહેણાક વિસ્તારના માર્ગે ખાટકીવાડ વિસ્તારમાં માંસ મટનનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે. આથી હિન્દુઓની લાગણી દુભાય છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. અહીંના મરછીયા હોલમાં જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે માંસ અને ગંદકીનો બહાર નિકાલ કરવામાં આવે છે. અહીં નજીકમાં જ મરઘા ઉછેર કેન્દ્ર કાર્યરત છે. આ બાબતે પણ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવા છતા કોઈ પગલા લેવાયા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે ધ્રોલના એક સ્થાનિકે નામ ન છાપવાની શરતે <span style="color: rgb(224, 62, 45);"><em><strong>ખબરઅંતર.કોમ</strong></em></span> સાથે વાત કરતા જણાવ્યું કે, "આખો મામલો ગંદકી અને નોનવેજ કચરાના યોગ્ય નિકાલને લગતો છે. ધર્મ પરિવર્તન સાથે તેને કોઈ લેવાદેવા નથી. અહીં ખાટકીવાડની નજીકમાં સતવારા સમાજની વસ્તી બહુમતીમાં છે અને તેમણે આ મામલે તંત્રમાં ગંદકી દૂર કરવા રજૂઆત કરી હતી. જો કે તંત્ર દ્વારા તેનો યોગ્ય નિકાલ લાવવામાં આવતો નથી. જેના કારણે તેઓ નારાજ છે. એટલે આખો મામલો તંત્ર અને સ્થાનિકો વચ્ચેનો છે, નહીં કે હિંદુ-મુસ્લિમનો. ખુદ તંત્ર પણ વર્ષોથી પોતાના મરેલા ઢોર અને અન્ય ગંદકી અહીં ઠાલવે છે અને તેનો પણ અનેકવાર વિરોધ થઈ ચૂક્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">એટલે હવે આ વિસ્તારની નજીકમાં રહેતા લોકો કોઈપણ ભોગે આ ગંદકીને હટાવવા માંગે છે. તેને લાઈમલાઈટમાં લાવવા માટે સૌએ મળીને ધર્મ પરિવર્તનનો આશરો લીધો છે. બાકી, ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનવું એ કોઈ નાનીસૂની વાત થોડી છે? તેમના મનમાં એમ છે કે, આટલી મોટી સંખ્યામાં હિંદુઓ જ્યારે ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનવાની વાત કરશે તો આખા દેશમાં આ મામલાની ચર્ચા થશે, મીડિયાના લોકો આવીને કવરેજ કરશે અને એ બહાને આપણી સમસ્યાને વાચા આપી તંત્ર પર દબાણ ઉભું કરાવીને કચરાના નિકાલનો મુદ્દો ઉકેલી નાખીશું. આખા મામલામાં વાસ્તવિકતા આ છે અને લોકોએ સમજવું જોઈએ કે તેને ધર્મ પરિવર્તન સાથે કશી લેવાદેવા નથી."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વાત સાચી પડી છે. કેમ કે, ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનવાની વાત આવતા જ તંત્ર દોડતું થયું હતું. મીડિયામાં આ અંગે અહેવાલો પ્રસિદ્ધ થયા, ટીવી ચેનલો ઉતરી પડી એટલે મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓએ ધ્રોલમાં પહોંચી ગયા હતા અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું શરૂ કરી દીધું હતું. ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બની જવાની વાતનો આ રીતે પણ સ્વાર્થે ઉપયોગ કરી શકાય છે તે કોઈએ વિચાર્યું હતું ખરાં?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:<a href="https://khabarantar.com/Is-political-power-based-on-pluralist-ideology-the-only-alternative-to-Aryan-politics"><span style="font-size: 14pt;"> શું આર્યન પૉલીટિક્સ સામે બહુજનવાદી વિચારધારા આધારિત રાજકીય સત્તા જ વિકલ્પ છે?</span></a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 03 Aug 2024 16:51:32 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 03 Aug 2024 16:52:55 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1019</Articleid>
                    <excerpt>જામનગરના ધ્રોલના 748 જેટલા હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પરવાનગી માંગી છે. પણ મામલો આખો જુદો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ae113d394a3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ae113d07c33.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ae113d07c33.jpg" length="109536" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મુસ્લિમોના આર્થિક બહિષ્કારની હાકલ કરનારા સામે FIR નોંધવા આદેશ</title>
                    <link>https://khabarantar.com/order-to-register-fir-against-those-calling-for-economic-boycott-of-Muslims</link>
                    <guid>https://khabarantar.com/order-to-register-fir-against-those-calling-for-economic-boycott-of-Muslims</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતના એક રમખાણગ્રસ્ત ગામમાં મુસ્લિમોના બહિષ્કારની હાકલ કરનારા અનેક લોકો સામે કોર્ટે પોલીસને એફઆઈઆર નોંધવા આદેશ કર્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાટણની એક કોર્ટે અહીંના એક ગામમાં મુસ્લિમ સમાજનો બહિષ્કાર કરવાની હાકલ કરનાર અનેક લોકો સામે એફઆઈઆર નોંધવા પોલીસને આદેશ આપ્યો છે. ગયા વર્ષે જુલાઈ 2023માં અહીં થયેલા રમખાણો બાદ સોશિયલ મીડિયામાં અહીંના કેટલાક કોમવાદી લોકોએ મુસ્લિમ સમાજનો આર્થિક બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના પાટણ જિલ્લાના બાલીસણા ગામની છે. જ્યાં કોમવાદી તત્વોની મુસ્લિમોના આર્થિક બહિષ્કારની હાકલ બાદ ઘણાં મુસ્લિમોએ પોતાની આજીવિકા ગુમાવી દીધી છે અને કેટલાક લોકોએ ગામ છોડી દીધું છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ મેજિસ્ટ્રેટ એચ.પી. જોશીએ પોલીસને આ સંદર્ભે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયા રિપોર્ટ મુજબ આ કેસ ગામની એક વ્યક્તિ મકબૂલ હુસૈન શેખના આરોપો પર આધારિત હતો. તેમણે દાવો કર્યો હતો કે પોલીસે મુસ્લિમ સમાજની આર્થિક બહિષ્કારની હાકલ મુદ્દે થયેલી ફરિયાદ પર કોઈ ધ્યાન આપ્યું નથી. આથી મેજિસ્ટ્રેટ જોષીએ પોલીસને નફરત અને સાંપ્રદાયિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, ગુનાહિત ષડયંત્ર અને સામાન્ય કાર્યસૂચિને આગળ વધારવા સંબંધિત કલમો હેઠળ આ સંબંધમાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, બાલીસણા ગામમાં ૧૬ જુલાઈ, ૨૦૨૩ના રોજ થયેલી કોમી હિંસા બાદ મકબૂલ હુસેન શેખે ૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ પાટણ એસપીને તેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક વીડિયોમાં પટેલ જાતિના કેટલાક લોકો અન્ય ગ્રામજનોને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરતા જોવા મળ્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/amid-the-plight-of-pakistan-a-dalit-daughter-made-history"><span style="font-size: 14pt;">પાકિસ્તાનની દુર્દશા વચ્ચે એક દલિત દીકરીએ ઈતિહાસ રચ્યો</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદીના જણાવ્યા મુજબ, પટેલોએ મુસ્લિમોને ગામની બજારમાં ભાડે આપેલી દુકાનોમાંથી બહાર કાઢવા માટે તેમના કોન્ટ્રાક્ટરને ખતમ કરીને તેમનો આર્થિક બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે મકબૂલ હુસેન શેખે વાયરલ વીડિયોના આધારે પોલીસને ફરિયાદ કરી હતી, પણ પોલીસે તેને ધ્યાન પર લીધી નહોતી. એ પછી તેમણે કથિત ઉશ્કેરણીજનક વીડિયોના આધારે દુશ્મનાવટ અને આઇટી એક્ટને લગતી કલમો હેઠળ એફઆઈઆરની માંગણી સાથે પાટણ કોર્ટનો સંપર્ક કર્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શેખે વાયરલ થયેલા વીડિયોના આધારે કોર્ટમાં કેસ નોંધવાની ભલામણ કરી હતી. જેના પર કોર્ટે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. લોકોના નિવેદનો નોંધ્યા બાદ પોલીસે કોર્ટને કહ્યું કે મુસ્લિમ સમુદાયના લોકોએ શાંતિ ભંગ કરી હોવાથી બહિષ્કાર કર્યો હતો. જો કે, ફરિયાદી મકબુલે કહ્યું કે બહિષ્કાર બાદ ઘણાં મુસ્લિમોએ તેમની આજીવિકા અને દુકાનો ગુમાવી દીધી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આરોપીએ દલીલ કરી હતી કે તેણે ગ્રામજનોને કેટલાક ભાડા કરાર રદ કરવા માટે પણ સૂચન કર્યું હતું, પરંતુ તેણે ક્યારેય કોઈ દુકાન-માલિકને મુસ્લિમ ભાડૂતોને બહાર કાઢવા દબાણ કર્યું નથી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે, ફરિયાદીના વકીલ યુસુફ શેખે કેટલાક મુસ્લિમોના નિવેદનો રજૂ કર્યા હોવાથી કોર્ટે પોલીસ રિપોર્ટ પર વિશ્વાસ કર્યો ન હતો. કોર્ટે સ્વીકાર્યું કે વીડિયો ક્લિપ જોયા બાદ સ્પષ્ટ છે કે મુસ્લિમોને દુકાનો ખાલી કરાવવા માટે મનાવવામાં આવી રહ્યા છે. આ પછી કોર્ટે બાલીસણાના પોલીસ સબ ઈન્સ્પેક્ટરને FIR નોંધીને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાથે જ બાલીસણા પોલીસ સ્ટેશનના મહિલા અધિકારી જે.એસ.ચૌધરીએ જણાવ્યું હતું કે પાટણ સિવિલ કોર્ટે આદેશ આપ્યો છે અને સત્તાવાર આદેશ હજુ આવ્યો નથી. પરંતુ મને માહિતી મળી છે કે એક વર્ષ પહેલા બે સમુદાયો વચ્ચે હિંસા થઈ હતી, કોર્ટે કહ્યું છે કે મુસ્લિમ સમુદાયના આર્થિક બહિષ્કાર અંગે કેસ નોંધવામાં આવશે. કોર્ટ કોપી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong> </span><strong><a href="https://khabarantar.com/if-conversion-continues-majority-will-become-minority-allahabad-high-court">ધર્મ પરિવર્તન ચાલુ રહ્યું તો બહુમતી લઘુમતી થઈ જશેઃ અલ્હાબાદ હાઈકોર્ટ</a></strong></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 01 Aug 2024 11:55:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>1009</Articleid>
                    <excerpt>ગુજરાતના એક રમખાણગ્રસ્ત ગામમાં મુસ્લિમોના બહિષ્કારની હાકલ કરનારા અનેક લોકો સામે કોર્ટે પોલીસને એફઆઈઆર નોંધવા આદેશ કર્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202408/image_140x98_66ab29fed8e69.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ab29fea6cc9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202408/image_870x580_66ab29fea6cc9.jpg" length="68377" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>UPSCની શિક્ષિકાએ અકબરને રામ કરતા શક્તિશાળી રાજા ગણાવતા વિવાદ</title>
                    <link>https://khabarantar.com/controversy-over-upsc-teacher-calling-akbar-a-more-powerful-king-than-rama</link>
                    <guid>https://khabarantar.com/controversy-over-upsc-teacher-calling-akbar-a-more-powerful-king-than-rama</guid>
                    <description>
                        <![CDATA[ સિવિલ સર્વિસના કોચિંગ ક્લાસની એક શિક્ષિકાએ મોગલ સમ્રાટ અકબરને રામ કરતા વધુ શક્તિશાળી ગણાવતા વિવાદ થયો છે. વાંચો શું છે આખો મામલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરાવતા એક કોચિંગ ક્લાસની શિક્ષિકાએ રામ અને અકબરની તુલના કરતા વિવાદ ઉભો થયો છે.  શિક્ષિકા શુભ્રા રંજને કોચિંગ ક્લાસમાં ભણાવતી વખતે કથિત રીતે રામની તુલના અકબર સાથે કરી છે અને તેમાં અકબરને રામ કરતા શક્તિશાળી રાજા ગણાવતા વિવાદ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ તેમણે માફી માંગવી પડી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સિવિલ સર્વિસ પરીક્ષાની દુનિયાની જાણીતી વ્યક્તિ શુભ્રા રંજન વિવાદોમાં ફસાઈ છે. ક્લાસમાં બાળકોને ભણાવતી વખતે શુભ્રાએ કથિત રીતે રામની તુલના મોગલ બાદશાહ અકબર સાથે કરી હતી અને તેમાં રામ કરતા અકબરને વધારે શક્તિશાળી રાજા ગણાવતા વિવાદ થયો છે. કોચિંગ ક્લાસના શિક્ષિકા શુભ્રા રંજનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના કારણે અનેક લોકો તેમની ટીકા કરવા લાગ્યા હતા. જેનાથી કંટાળીને હવે શુભ્રા રંજને પણ નિવેદન જારી કરીને આ મામલે સ્પષ્ટતા કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શુભ્રા રંજને રામ અને અકબરની તુલના કરવા બદલ માફી માંગી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરતા તેમણે લખ્યું હતું કે, "મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો આવું થયું હોય તો હું તેના માટે માફી માંગુ છું. જો તમે આખો વિડિયો જોશો, તો તમે સમજી શકશો કે હું વિદ્યાર્થીઓને સમજાવવા માંગતી હતી કે રામનું રાજ્ય એક આદર્શ રાજ્ય હતું. વાયરલ થઈ રહેલો વીડિયો ક્લાસનો એક નાનકડો ભાગ છે. આ વાતચીત તુલનાત્મક અભ્યાસનો એક ભાગ હતી. આના કારણે થયેલી કોઈપણ ગેરસમજનો મને ખેદ છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/gir-somnaths-ddo-became-ias-on-bogus-disability-certificate"><span style="font-size: 14pt;">ગીર સોમનાથના DDO બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર પર IAS બન્યાં?</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, શુભ્રા રંજનના ક્લાસનો એખ વીડિયો વાયરલ થયો છે, જેમાં શુભ્રા કહે છે કે "રામ શક્તિશાળી હતા પરંતુ તેઓ રીતિરિવાજો અને પરંપરાઓથી બંધાયેલા છે. બીજી તરફ અકબરે પોતાનો ધર્મ સ્થાપ્યો અને નૈતિકતાની નવી વ્યાખ્યા નક્કી કરી. આપણે તેને દીન-એ-ઈલાહી તરીકે જાણીએ છીએ. રામ નૈતિકતાનું પાલન કરતા રહ્યા, જ્યારે અકબરે પોતે પોતાની રીતે નૈતિકતાના ધોરણો સ્થાપિત કર્યા. એ રીતે જોઈએ તો બંનેમાં સૌથી શક્તિશાળી રાજા અકબર છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અહીં એ યાદ રાખવું જોઈએ કે, શુભ્રા રંજનનું નામ યુપીએસસીના પ્રખ્યાત શિક્ષકોમાં સામેલ છે. તેઓ શુભ્રા રંજન IAS કોચિંગ સેન્ટરના સ્થાપક છે. ઉત્તર પ્રદેશના સીતાપુરની રહેવાસી શુભ્રા રંજન દિલ્હી યુનિવર્સિટીની ટોપર રહી ચૂકી છે. જો કે તેમણે, ક્યારેય સિવિલ સર્વિસની પરીક્ષા આપી નથી. પરંતુ તેમના માર્ગદર્શનમાં દેશને ઘણા સક્ષમ અધિકારીઓ મળ્યા છે. 2015માં UPSC ટોપર બનેલી ટીના ડાભીને શુભ્રા રંજને જ ભણાવ્યા હતા. આ સિવાય 2022ની ટોપર ઈશિતાએ પણ શુભ્રા પાસેથી પોલિટિકલ સાયન્સનું શિક્ષણ લીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/26-candidates-from-gujarat-appeared-in-upsc-final-4-in-top-100"><strong>UPSC ફાઈનલમાં ગુજરાતના 26 ઉમેદવારો ઝળક્યાં, ટોપ 100માં 4</strong></a></span><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 28 Jul 2024 12:37:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>989</Articleid>
                    <excerpt>સિવિલ સર્વિસના કોચિંગ ક્લાસની એક શિક્ષિકાએ મોગલ સમ્રાટ અકબરને રામ કરતા વધુ શક્તિશાળી ગણાવતા વિવાદ થયો છે. વાંચો શું છે આખો મામલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a5ed629cfae.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a5ed626f8d7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a5ed626f8d7.jpg" length="42774" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બૌદ્ધ ધર્મીઓનો પર્સનલ લૉ હોવો જોઈએ, તમિલ સાંસદે કેન્દ્રને રજૂઆત કરી</title>
                    <link>https://khabarantar.com/there-should-be-personal-law-for-buddhists-tamil-mp-submits-to-center</link>
                    <guid>https://khabarantar.com/there-should-be-personal-law-for-buddhists-tamil-mp-submits-to-center</guid>
                    <description>
                        <![CDATA[ ભારતમાં બૌદ્ધ ધર્મીઓનો પર્સનલ લૉ ન હોવાથી તેમણે હિંદુ કાયદાનું પાલન કરવું પડે છે. તેથી આ મામલે કેન્દ્ર સરકારને બૌદ્ધ પર્સનલ લૉ માટે રજૂઆત કરાઈ છે ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારતમાં બૌદ્ધો માટે કોઈ પર્સનલ લૉ નથી. આ કારણે તેમણે લગ્ન અને વારસાની બાબતોમાં હિન્દુ પર્સનલ લૉની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. જેને ધ્યાનમાં રાખીને તમિલનાડુના લોકસભા સાંસદ અને વિદુથલાઈ ચિરુથઈગલ કાચી(VCK) પાર્ટીના પ્રમુખ ડૉ. થોલ થિરુમાવલવને 24 જુલાઈ, 2024ના રોજ કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલને પત્ર લખીને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અલગ પર્સનલ લૉની જોગવાઈ માટે પહેલ કરવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પત્રમાં ડો. થોલ થિરુમાવલવને લખ્યું છે કે,"આ એક વૈશ્વિક સિદ્ધાંત છે કે દરેક સમાજને તેના પોતાના પર્સનલ લૉનો વિશેષાધિકાર છે. પરંતુ આપણા દેશમાં મૂળ બૌદ્ધ અનુયાયીઓ અને ડો. આંબેડકરની પ્રેરણાથી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરનાર બૌદ્ધ અનુયાયીઓ પાસે તેમના લગ્ન અને વારસા અંગે કોઈ કાનૂની જોગવાઈઓ નથી. આવું એટલા માટે છે કારણ કે બંધારણની કલમ 25 (ધાર્મિક સ્વતંત્રતા અને વ્યવસાયનો અધિકાર) ના બીજી કલમમાં બૌદ્ધોને હિંદુ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેના કારણે તેમને હિંદુ પર્સનલ લોની જોગવાઈઓ લાગુ પડે છે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/a-2300-year-old-dream-of-indian-buddhists-came-true-on-buddha-purnima"><span style="font-size: 14pt;">બુદ્ધ પૂર્ણિમાએ ભારતીય બૌદ્ધ ધર્મીઓનું 2300 વર્ષ જૂનું સપનું સાકાર થયું</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિન્દુ શબ્દનો અર્થ શીખ અને જૈન ધર્મ પણ થાય છે, પરંતુ તેમના માટે લગ્ન સંબંધિત અલગ કાયદાકીય જોગવાઈ છે (આનંદ વિવાહ એક્ટ). એ જ રીતે, ખ્રિસ્તી અને ઇસ્લામના અનુયાયીઓ માટે લગ્ન સંબંધિત અલગ કાયદાકીય જોગવાઈઓ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે નોંધ્યું હતું કે, એક અલગ પર્સનલ લૉ બૌદ્ધ ધર્મીઓના એ અધિકારને સુનિશ્ચિત કરશે કે તેમના લગ્ન સંબંધિત સંસ્કાર કોર્ટોમાં કાયદેસર થાય. મહારાષ્ટ્રમાં આવા ઘણાં કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં હિંદુ મેરેજ એક્ટ હેઠળ બૌદ્ધ ધર્મની રીતે કરવામાં આવતા લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/3000-people-from-500-dalit-families-will-convert-to-buddhism-in-bangalore"><span style="font-size: 14pt;">બેંગ્લુરૂમાં 500 દલિત પરિવારના 3000 લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આનું કારણ જણાવતાં ડૉ. થોલ થિરુમાવલવને તેમના પત્રમાં લખ્યું છે કે "ટેકનિકલી હિંદુ મેરેજ એક્ટ કોઈપણ લગ્નને ત્યારે જ માન્ય ગણે છે જો તેમાં શપ્તપદીની વિધિ સામેલ હોય, જેમાં અગ્નિની સાક્ષીએ સાત ફેરા લેવામાં આવે છે. પરંતુ આ સંસ્કાર માત્ર એક વૈદિક સંસ્કાર છે જે ફક્ત હિન્દુઓને જ લાગુ પડે છે. જ્યારે બૌદ્ધ અને નવબૌદ્ધ બંને માટે જરૂરી છે કે લગ્ન સમયે બંને બુદ્ધ અને ડૉ. આંબેડકરના ચિત્રો સામે બૌદ્ધ ધર્મ સંબંધિત પ્રાર્થના અને શપથનું અનુસરણ કરે. આ પછી તેમણે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ સ્થાનિક સરકારી નોંધણી અધિકારી પાસે તેમના લગ્નની નોંધણી કરાવવી પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમના પત્રમાં ડૉ. થિરુમાવલવને લખ્યું છે કે, આ પહેલા વર્ષ 2000માં ભારત સરકાર દ્વારા જસ્ટિસ એમ.એન. વેંકટાચલિયા કમિશને પોતાના રિપોર્ટમાં ભલામણ કરી હતી કે બંધારણની કલમ 25(2)(b)માં જરૂરી સુધારા કરીને બૌદ્ધ ધર્મને એક અલગ ધર્મનો દરજ્જો આપવો જોઈએ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અલગ પર્સનલ લૉ હોવો જોઈએ. ડૉ. થિરુમાવલવને પોતાના પત્ર દ્વારા ભારત સરકારને તેને લાગુ કરવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/buddhism-is-different-from-hinduism-must-take-permission-to-adopt-Govt"><strong>બૌદ્ધ એ હિંદુ ધર્મથી અલગ છે, અપનાવવા માટે પરવાનગી લેવી પડશેઃ સરકાર</strong></a></span><br><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 27 Jul 2024 12:55:36 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 27 Jul 2024 12:55:53 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>984</Articleid>
                    <excerpt>ભારતમાં બૌદ્ધ ધર્મીઓનો પર્સનલ લૉ ન હોવાથી તેમણે હિંદુ કાયદાનું પાલન કરવું પડે છે. તેથી આ મામલે કેન્દ્ર સરકારને બૌદ્ધ પર્સનલ લૉ માટે રજૂઆત કરાઈ છે</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a49ff88d168.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a49ff85d8c7.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a49ff85d8c7.jpg" length="92689" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>પા. રંજિથે આર્મસ્ટ્રોંગની હત્યા બાદ દલિત નેતાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો</title>
                    <link>https://khabarantar.com/pa-ranjith-raised-the-issue-of-security-of-dalit-leaders-after-armstrongs-murder</link>
                    <guid>https://khabarantar.com/pa-ranjith-raised-the-issue-of-security-of-dalit-leaders-after-armstrongs-murder</guid>
                    <description>
                        <![CDATA[ કાલા, કબાલી, સરપટ્ટા પરંબરાઈ જેવી દલિત સમાજ કેન્દ્રી સુપરહિટ ફિલ્મોના નિર્માતા-નિર્દેશક પા. રંજિથે તમિલનાડુમાં દલિત નેતાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાલા, કબાલી, પેરિયારમ પેરૂલમ, સરપટ્ટા પરંબરાઈ જેવી દલિત સમાજને કેન્દ્રમાં રાખીને બનેલી દક્ષિણ ભારતની સુપરહિટ ફિલ્મોના નિર્માતા-નિર્દેશક પા. રંજિથે તમિલનાડુ બીએસપી અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની હત્યા બાદ રાજ્યમાં દલિત નેતાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. પા. રંજિથ હાલ તેમની આગામી બહુચર્ચિત ફિલ્મ 'થંગાલાન'ને લઈને ચર્ચામાં છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પા. રંજિથે તમિલનાડુ બહુજન સમાજ પાર્ટી (BSP) ના પ્રમુખ કે આર્મસ્ટ્રોંગની હત્યા બાદ દલિત નેતાઓને પર્યાપ્ત રીતે સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેવા બદલ સત્તાધારી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સરકારની ટીકા કરી હતી. રંજિથે કે. આર્મસ્ટ્રોંગની હત્યાના અસલી ગુનેગારોને પકડવા માટે સરકાર પર દબાણ લાવવા 20 જુલાઈના રોજ એક વિશાળ રેલી પણ યોજી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પા. રંજિથે દલિત નેતાઓની યોગ્ય સુરક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને દલિત નેતાઓને મળતી સતત ધમકીઓ તરફ લોકોનું ધ્યાન દોર્યું હતું. રણજીતે કહ્યું હતું કે, “રાજકીય નેતાઓ, ખાસ કરીને દલિત નેતાઓને રાજ્યમાં પૂરતી સુરક્ષા આપવામાં આવતી નથી. જ્યારે મેં વિદુથલાઈ ચિરુથૈંગલ કાચી (VCK)ના વડા થોલ થિરુમાવલવન સાથે વાત કરી ત્યારે તેમણે તેમને અનેક ધમકીઓ મળી હોવાનું જણાવ્યું હતું. તેમના જેવી વ્યક્તિ, જે મુખ્યધારાના રાજકારણમાં છે, જો તમે મને પૂછો કે શું તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવી રહી છે - તો તે બાબતે મને હજુ પણ શંકા છે. પોલીસે તેમના જેવા દલિત નેતાઓને મળતી ધમકીઓથી વાકેફ રહેવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેઓ તેમની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Kaala---The-roar-of-Dalit-identity-presented-on-the-cinema-screen">Kaala: સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહ ગર્જના</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગત 5 જુલાઈના રોજ ચેન્નઈના પેરામ્બુર વિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગ પર તેમના ઘર પાસે જ 6 અજાણ્યા હુમલાખોરો દ્વારા ઘાતક હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું મોત થઈ ગયું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજુ પણ ત્રણ લોકો ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. હાલમાં આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ-ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CB-CID) દ્વારા કરવામાં આવી રહી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પા. રંજિથે કહ્યું કે "અમે યોજેલી રેલીનો હેતુ આર્મસ્ટ્રોંગની હત્યા પાછળનું સત્ય જાહેર કરવા માટે રાજ્ય સરકાર પર દબાણ લાવવાનો હતો. પોલીસે દલિત નેતાઓ પર નજર રાખવી જોઈએ અને તેમને પુરતી સુરક્ષા પ્રદાન કરવી જોઈએ."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વધુમાં તેમણે જણાવ્યું હતું કે, "રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય આર્મસ્ટ્રોંગની હત્યાની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવાનો હતો. આ હત્યાના અસલી ગુનેગારોની ધરપકડ થવી જોઈએ. હત્યા પાછળ કોઈ રાજકીય હાથ કે મોટું માથું સામેલ છે કે કેમ, એ એંગલની પણ તપાસ થવી જોઈએ. અમે રાજ્ય સરકાર પર દબાણ લાવવા માંગીએ છીએ કે આ કેસની તપાસ નિષ્પક્ષ અને સંપૂર્ણ રીતે હાથ ધરવામાં આવે. જો અમને વર્તમાન તપાસથી સંતોષ નહીં થાય તો અમે સીબીઆઈ તપાસની માંગ કરીશું."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Movie-12th-Fail---Its-not-about-the-struggle-but-the-privileges-that-Brahmins-get">12th Fail - વાત સંઘર્ષની નહીં, બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">BSP સુપ્રીમો માયાવતીએ આર્મસ્ટ્રોંગને શ્રદ્ધાંજલિ આપવા માટે ચેન્નાઈની મુલાકાત લીધી ત્યારે તેમણે કહ્યું હતું કે, "અસલી ગુનેગારો હજુ સુધી પકડાયા નથી. તેમણે તમિલનાડુની સ્ટાલિન સરકારને આ કેસ સીબીઆઈને સોંપવા વિનંતી કરી હતી."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) અને ભારતીય જનતા પાર્ટી (BJP) સહિતના વિપક્ષોએ પણ આ હત્યાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પા. રંજિથે ડીએમકે સરકારની પરિસ્થિતિને સંભાળવાની રીતની ટીકા કરતા જણાવ્યું હતું કે, "તમિલનાડુ સરકાર આ મામલાને વધુ સારી રીતે હેન્ડલ કરી શકી હોત. જે રીતે મૃતદેહને સોંપવામાં આવ્યો, દફન કરવા માટે જગ્યા ફાળવવાનો ઈનકાર કરવામાં આવ્યો અને અંતિમયાત્રા કાઢવામાં આવી તેને સરકારે યોગ્ય રીતે હેન્ડલ કરી નહીં. અમે તેનાથી ખુશ નથી."</span><br><span style="font-size: 14pt;">પા.રંજિથે જણાવ્યું કે "તેઓ આગળની કાર્યવાહી પર નિર્ણય લેતા પહેલા તપાસના તારણોની રાહ જોશે."</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/i-will-not-die-of-hunger-chamar-i">મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું....</a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુમાં જાતિવાદ જેવા મુદ્દાઓ પર ત્યાંના ફિલ્મમેકરો ખૂલીને બોલે છે. બોલીવૂડના હિન્દી ફિલ્મ નિર્માતાઓ મોટાભાગે કથિત સવર્ણ સમાજમાંથી આવતા હોવાથી તેઓ દલિતોને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનાવતા નથી. જો ફિલ્મમાં દલિત પાત્ર બતાવે પણ છે, તો તે નિઃસહાય, લાચાર, ગરીબ અને નબળું જ બતાવાય છે. જ્યારે પા. રંજિથની 'કાલા', 'કબાલી', 'સરપટ્ટા પરંબરાઈ' જેવી ફિલ્મોમાં દલિત પાત્રો અત્યંત મજબૂતીથી જાતિવાદ અને જાતિવાદી તત્વોનો સામનો કરતા દેખાય છે. સાઉથની ફિલ્મોમાં આ કલ્ચર ઉભું કરવામાં પા. રંજિથનો મોટો ફાળો છે. અને એટલે જ તેમના દ્વારા બોલવામાં શબ્દોનું રાજકીય અને સાામાજિક બંને સ્તરે વજન પડે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/a-chamar-singer-whose-songs-the-whole-of-punjab-used-to-sing">એક ચમાર ગાયક, જેના અવાજ પર આખું પંજાબ ઝૂમી ઉઠતું હતું</a></strong></span></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 21 Jul 2024 12:39:03 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>953</Articleid>
                    <excerpt>કાલા, કબાલી, સરપટ્ટા પરંબરાઈ જેવી દલિત સમાજ કેન્દ્રી સુપરહિટ ફિલ્મોના નિર્માતા-નિર્દેશક પા. રંજિથે તમિલનાડુમાં દલિત નેતાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669cb03d580da.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669cb03d26476.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669cb03d26476.jpg" length="63106" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case Pa. Ranjith</media:keywords>
                </item>
                        <item>
                    <title>બિલકિસ બાનો કેસના દોષિતોએ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચી</title>
                    <link>https://khabarantar.com/bilkis-bano-case-convicts-withdraw-plea-from-supreme-court</link>
                    <guid>https://khabarantar.com/bilkis-bano-case-convicts-withdraw-plea-from-supreme-court</guid>
                    <description>
                        <![CDATA[ બિલકિસ બાનો કેસના આરોપીઓએ તેમની મુક્તિને રદ કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસના તમામ 11 દોષિતોની સજામાફીને રદ કરી દીધી હતી. ત્યારબાદ બે આરોપીઓએ આ નિર્ણયને પડકાર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરી દેતા દોષિતોએ પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. આ કેસમાં દોષી ભગવાનદાસ અને રાધેશ્યામ શાહ પાસે હજુ પણ નિર્ણય વિરુદ્ધ રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો વિકલ્પ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બંને દોષિતોએ આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો અને જણાવ્યું હતું કે સમાન જજોની બે બેંચોએ ગુજરાત સરકારના નિર્ણય પર અલગ અલગ મત વ્યક્ત કર્યો છે. દોષિતોએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટની જ એક બેંચે મહારાષ્ટ્ર સરકારને યોગ્ય માની હતી અને બીજી બેંચે ગુજરાત સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. આવી સ્થિતિમાં સરકારનો ક્યો નિર્ણય યોગ્ય રહેશે તે સ્પષ્ટ કરવું જોઈએ.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દોષિતોએ તેમની અરજીમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહવું જોઈએ કે ન્યાયધીશોની સમાન બેંચ દ્વારા આપવામાં આવેલા બે વિરોધી ચૂકાદાઓમાંથી ક્યા ચૂકાદાનો અમલ કરવામાં આવશે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ચૂકાદો વિરોધાભાસી છે અને તેથી તેને મોટી બેંચને મોકલવામાં આવે. જો કે, સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. એ પછી દોષિતોએ તેમની અરજી પરત ખેંચી લીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/When-his-family-was-burnt-alive-in-front-of-that-7-year-old-child"><span style="font-size: 14pt;">જ્યારે 7 વર્ષના એ બાળક સામે તેના પરિવારને જીવતો સળગાવી દેવાયો!</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટી નાખ્યો હતો અને ગુજરાત સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. ગુજરાત સરકારને ગુનેગારોને માફી આપવાનો અધિકાર નથી, આ અધિકાર મહારાષ્ટ્ર સરકાર પાસે હતો. કોર્ટે કહ્યું હતું કે, આ ઘટના ભલે ગુજરાતમાં બની હોય પણ તેની સમગ્ર સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ તમામ ગુનેગારોએ આત્મસમર્પણ કર્યું હતું અને ફરીથી જેલમાં જવું પડ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે બિલકિસ બાનો કેસ?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો દરમિયાન 3 માર્ચના રોજ દાહોદના રણધિકપુર ગામમાં બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. તે સમયે બિલકિસ બાનો ગર્ભવતી હતી તેમ છતાં આરોપીઓએ તેના પર બળાત્કાર કર્યો હતો. આ કેસમાં રાધેશ્યામ શાહ, ગોવિંદ નાઈ, કેસર વહોનિયા, જસવંત નાઈ, બકા વહોનિયા, શૈલેષ ભટ્ટ, બિપિન જોષી, રાજુ સોની, રમેશ ચંદના, પ્રદીપ મોઢીયા અને મિતેષ ભટ્ટ સામે ગુનો નોંધાયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમામ આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. પહેલા અમદાવાદની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી પરંતુ બિલકિસ બાનોએ કહ્યું કે અહીં સાક્ષીઓને ધમકાવવામાં આવી રહ્યાં છે અને પુરાવાઓ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એ પછી કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. વર્ષ 2008માં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 7 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા, આ સિવાય એકનું મોત થયું હતું. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">2022માં ગુજરાત સરકારે આ 11 આરોપીઓને બરાબર 15મી ઓગસ્ટના આઝાદી દિને 1992ની માફી નીતિ મુજબ ગોધરા સબ જેલમાંથી મુક્ત કર્યા હતા. આ નિર્ણયને બિલકિસ બાનોએ પડકાર્યો હતો. એ પછી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટી નાખ્યો હતો અને તમામ 11 આરોપીઓને ફરી જેલમાં ધકેલી દીધા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/Accused-in-Bilkis-Bano-case-will-have-to-go-to-jail-again,-Supreme-Court-reverses-Gujarat-governments-decision"><strong>Bilkis Bano case ના આરોપીઓએ ફરી જેલમાં જવું પડશે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><br><br></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 19 Jul 2024 12:29:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>942</Articleid>
                    <excerpt>બિલકિસ બાનો કેસના આરોપીઓએ તેમની મુક્તિને રદ કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_669a0e4863792.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_669a0e4831e35.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_669a0e4831e35.jpg" length="67120" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મુસ્લિમ યુવકે ધસમસતા પૂર વચ્ચે જીવ જોખમમાં મુકી પૂજારીનો જીવ બચાવ્યો</title>
                    <link>https://khabarantar.com/a-muslim-youth-saved-the-priests-life-by-risking-his-life-in-the-middle-of-the-raging-flood</link>
                    <guid>https://khabarantar.com/a-muslim-youth-saved-the-priests-life-by-risking-his-life-in-the-middle-of-the-raging-flood</guid>
                    <description>
                        <![CDATA[ અમરેલીના લાઠીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક મુસ્લિમ યુવક પૂજારીનો જીવ બચાવતો જોવા મળે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા દિવસ પહેલા અમરેલીના લાઠી તાલુકાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ગાગડિયા નદીના ધસમસતા પૂરના પ્રવાહ વચ્ચે એક યુવક જાણે મસ્તી કરતો હોય તેમ જણાતું હતું. જો કે વાયરલ આ વીડિયોને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે યુવક પૂરના પાણી વચ્ચે મસ્તી નહોતો કરી રહ્યો પરંતુ તેનાથી થોડે દૂર પૂરના પાણીમાં ફસાયેલા એક પૂજારીનો જીવ બચાવવા માટે જઈ રહ્યો હતો. લાઠીમાં એ વખતે એકસાથે ૪ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો અને ગામમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક યુવક ઊભો હોય તેવાં દૃશ્યો વાયરલ થયા હતા. એ સાથે જ લોકો એ સવાલ પણ કરી રહ્યા હતા કે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે આવા જોખમી સ્ટંટ શા માટે? શું યુવાનને એટલી પણ સમજણ નથી પડતી કે તેનું આ વર્તન ‘જીવલેણ’ સાબિત થઈ શકતું હતું? પરંતુ, હવે સમગ્ર ઘટનામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/How-safe-are-women-in-Gujarat-The-government-statistics-themselves-question-the-governments-claim"><span style="font-size: 14pt;">ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? સરકારી દાવા સામે ખુદ સરકારી આંકડા સવાલ ઉઠાવે છે</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ઉતરેલો તે યુવક હકીકતમાં મુસ્લિમ સમાજનો છે અને તે ગામના ખોડિયાર માતાના મંદિરના પૂજારીને બચાવવા માટે પાણીના ધસમસતા પ્રવાહમાં ઉતર્યો હતો. એકાએક ધોધમાર વરસાદ ખાબકતા વયોવૃદ્ધ પૂજારી મંદિરમાં ફસાઈ ગયા હતા. ત્યારે મુસ્લિમ યુવક પાણીના પ્રવાહમાં ઉતરીને તેમને બચાવીને સામે કાંઠે લાવ્યો હતો. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ વીડિયો એ વાતની સાબિતી તો આપી જ રહ્યો છે કે યુવક કોઈ સ્ટંટ માટે પાણીમાં ન હતો ઉતર્યો. આ દ્રશ્યોએ કોમી એકતાનું મોટું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું. પાણીનો પ્રવાહ એકાએક વધતાં પૂજારીના જીવ પર જોખમ ઊભું થયું હતું. ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના મુસ્લિમ યુવકે તેમનો જીવ બચાવ્યો. હાલ યુવાનના આ કામની ઘણી પ્રશંસા થઈ રહી છે. હાલ દેશભરમાં ચોતરફ હિંદુ-મુસ્લિમ વચ્ચેની ખાઈ સતત પહોળી થતી જઈ રહી છે, ખાસ કરીને હિંદુત્વવાદીઓ દ્વારા સતત મુસ્લિમોને નિશાન બનાવીને હુમલાઓ કરાઈ રહ્યાં છે ત્યારે આ વીડિયોએ કોમી એકતાનું એક નવું ઉદાહરણ પુરું પાડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/more-than-1300-pilgrims-lost-their-lives-this-year-during-the-pilgrimage-to-mecca"><strong>મક્કાની હજયાત્રામાં આ વર્ષે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 12 Jul 2024 22:03:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>913</Articleid>
                    <excerpt>અમરેલીના લાઠીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક મુસ્લિમ યુવક પૂજારીનો જીવ બચાવતો જોવા મળે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66915a3b445ac.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66915a3b04800.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66915a3b04800.jpg" length="44880" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મુસ્લિમ મહિલાઓ પતિ પાસેથી ભરણપોષણ લઈ શકે છે &amp; સુપ્રીમ કોર્ટ</title>
                    <link>https://khabarantar.com/muslim-woman-can-claim-maintenance-from-husband-suprem-court</link>
                    <guid>https://khabarantar.com/muslim-woman-can-claim-maintenance-from-husband-suprem-court</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટે(Supreme Court) એક મહત્વપૂર્ણ નિર્ણયમાં  સ્પષ્ટ કર્યું છે કે સીઆરપીસીની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે  મુસ્લિમ મહિલાઓના પક્ષમાં મોટો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે કોઈપણ મુસ્લિમ છૂટાછેડા લીધેલ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે. આ માટે મહિલાઓ સીપીસીની કલમ ૧૨૫ હેઠળ અરજી કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ કલમ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે, પછી ભલે તેનો કોઈ પણ ધર્મ હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહે ચુકાદો સંભળાવતા કહ્યું કે મુસ્લિમ મહિલાઓ ભરણપોષણ માટે તેમના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે. તે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૨૫ હેઠળ આને લગતી અરજી દાખલ કરી શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખંડપીઠે વધુમાં કહ્યું હતું કે, ગુજારાત એ ચેરિટી નથી પરંતુ પરિણીત મહિલાઓનો અધિકાર છે. આ વિભાગ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે, પછી ભલે તેઓ તેમના ધર્મના હોય. મુસ્લિમ મહિલાઓ પણ આ જાેગવાઈનો આશરો લઈ શકે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/some-judges-lobby-for-promotion-in-supreme-court-justice-gawai"><span style="font-size: 14pt;">અમુક જજો સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે લોબિંગ કરાવે છેઃ જસ્ટિસ ગવઈ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચુકાદો આપતા જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે, 'અમે આ નિષ્કર્ષ સાથે ફોજદારી અપીલને ફગાવી રહ્યા છીએ કે કલમ ૧૨૫ માત્ર પરિણીત મહિલાઓને જ નહીં પરંતુ તમામ મહિલાઓને લાગુ પડશે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અબ્દુલ સમદ નામના મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા સીપીસીની કલમ ૧૨૫ હેઠળ અરજી દાખલ કરવા માટે હકદાર નથી. મહિલાએ મુસ્લિમ મહિલા અધિનિયમ, ૧૯૮૬ની જાેગવાઈઓનું પાલન કરવાનું રહેશે. આવી સ્થિતિમાં, કોર્ટ સમક્ષ પ્રશ્ન એ હતો કે શું આ કેસમાં મુસ્લિમ મહિલા અધિનિયમ, ૧૯૮૬ને પ્રાથમિકતા આપવી જાેઈએ કે સીપીસીની કલમ ૧૨૫.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સીપીસીની કલમ ૧૨૫ પત્ની, બાળકો અને માતા-પિતાના ભરણપોષણ અંગે વિગતવાર માહિતી આપે છે. આ કલમ મુજબ, પતિ, પિતા અથવા બાળકો પર ર્નિભર પત્ની, માતા-પિતા અથવા બાળકો ત્યારે જ ભરણપોષણનો દાવો કરી શકે છે જ્યારે તેમની પાસે આજીવિકાનું બીજું કોઈ સાધન ઉપલબ્ધ ન હોય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/amid-the-plight-of-pakistan-a-dalit-daughter-made-history"><strong>પાકિસ્તાનની દુર્દશા વચ્ચે એક દલિત દીકરીએ ઈતિહાસ રચ્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 10 Jul 2024 20:51:47 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 10 Jul 2024 20:52:54 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>902</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટે(Supreme Court) એક મહત્વપૂર્ણ નિર્ણયમાં  સ્પષ્ટ કર્યું છે કે સીઆરપીસીની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668ea63fc1483.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668ea63f92cdf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668ea63f92cdf.jpg" length="110694" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>પાકિસ્તાનની દુર્દશા વચ્ચે એક દલિત દીકરીએ ઈતિહાસ રચ્યો</title>
                    <link>https://khabarantar.com/amid-the-plight-of-pakistan-a-dalit-daughter-made-history</link>
                    <guid>https://khabarantar.com/amid-the-plight-of-pakistan-a-dalit-daughter-made-history</guid>
                    <description>
                        <![CDATA[ પાકિસ્તાનને લઈને ભારતમાં મોટાભાગે નકારાત્મક સમાચારો જ આવતા હોય છે, પણ અહીં એક દલિત દીકરી સમાજ માટે આશાનું કિરણ બની ગઈ છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાકિસ્તાન વિશે ભારતના મીડિયામાં જેટલા પણ સમાચારો આવે છે તે મોટાભાગે તેની દુર્દશા અને ખાસ તો ભારતના લોકોને 'જુઓ જુઓ, પાકિસ્તાનમાં કેવી ખરાબ સ્થિતિ છે, ભારતમાં તેના જેવું તો નથી ને?' એ પ્રકારના વિચારો આપણા મગજમાં ઘૂસાડવા માટે બતાવાતા હોય છે. આડકતરી રીતે આ સમાચારો "વર્તમાન કેન્દ્ર સરકાર સારું કામ કરી રહી છે અને પાકિસ્તાન કરતા આપણે ત્યાં સારી સ્થિતિ છે" એવું સાબિત કરવા માટે બતાવાતા હોય છે. પાકિસ્તાનની મોંઘવારી, ભૂખમરો, કટ્ટરતા, બેકારી, બેરોજગારી જેવા મુદ્દાઓ ભારતના ગોદી મીડિયા માટે વડાપ્રધાન મોદી અને તેમની સરકારનો બચાવ કરવાનો મોટો મસાલો પુરો પાડે છે. તેના પર જ 24 કલાક ચાલતી ન્યૂઝ ચેનલોના અનેક સ્લોટ ભરાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સ્વાભાવિક છે કે, ચોવીસ કલાક સરકારના બચાવમાં કામ કરીને પોતાનો સ્વાર્થ સાધતી ગોદી ચેનલો માટે એક દલિત સમાજની દીકરી પોતાના દમખમ પર પાકિસ્તાન સહિત દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચે તે સમાચાર ન્યૂઝ વેલ્યૂની રીતે પણ કોઈ કામની નથી. અને એટલે જ આપણે અહીં તેની વાત કરવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાકિસ્તાનમાં લઘુમતી હિંદૂઓની સંખ્યા અંદાજે 22.10 લાખ આસપાસ છે, જે પાકિસ્તાનની કુલ વસ્તીના અંદાજે 1.18 ટકા થવા જાય છે. પાકિસ્તાનમાં આ વસ્તીનો મોટાભાગનો હિસ્સો ગરીબ છે અને એટલે દેશની સંસ્થાઓમાં તેમના પ્રતિનિધિઓ પણ ખૂબ ઓછા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આવી સ્થિતિમાં આ મર્યાદિત ગરીબ વસ્તીમાંથી કોઈ વ્યક્તિ ઉપર આવીને કંઈક સફળતા મેળવે તો એ પાકિસ્તાન માટે ઐતિહાસિક ક્ષણ બની જાય છે. આવું જ કંઈક અહીંના સિંધ પ્રાંતના થારની રહેવાસી કૃષ્ણાકુમારી કોળી સાથે બન્યું છે. પાકિસ્તાનમાં સેનેટેર (રાજ્યસભા સાંસદ) તરીકે પસંદગી પામનાર તે પહેલી દલિત મહિલા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Two-satyagrahas-from-ancient-history-which-are-not-remembered-despite-fighting-for-human-rights"><span style="font-size: 14pt;">અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">45 વર્ષની ક્રિષ્ના કુમારી કોળી બિલાવલ ભુટ્ટો જરદારીની પાકિસ્તાન પિપલ્સ પાર્ટી ઉર્ફે પીપીપીમાંથી સેનેટમાં ચૂંટાયેલી છે. પાકિસ્તાનના ધ ડૉન સમાચારપત્ર મુજબ ક્રિષ્ના કુમારી સિંધ પ્રાંતની મહિલાઓ માટેની અનામત સીટ પરથી જીતી છે. તેણે અહીં તાલીબાન સાથે જોડાયેલા એક મૌલાનાને હરાવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સેનેટમાં ક્રિષ્નાનું ચૂંટાવું પાકિસ્તાનની મહિલાઓ અને લઘુમતીઓના અધિકારો માટે મહત્વનું માનવામાં આવે છે. ક્રિષ્ના કુમારી સિંધ પ્રાંતના થારથી અલગ પડેલા નગરપારકર જિલ્લામાં રહે છે. તેના પિતા એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. </span><br><span style="font-size: 14pt;">1979માં જન્મેલી ક્રિષ્નાના લગ્ન સોળ વર્ષની ઉંમરે થઈ ગયા હતા. એ સમયે તે નવમા ધોરણમાં ભણતી હતી. જો કે, તેણે લગ્ન પછી પણ પોતાનું ભણતર ચાલું રાખ્યું હતું અને વર્ષ 2013માં સિંધ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ક્રિષ્ના તેના ભાઈ સાથે એક્ટિવિસ્ટ તરીકે પીપીપીમાં જોડાઈ હતી. તેણે થારમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. ક્રિષ્ના સ્વાતંત્ર્યસેનાનીઓના પરિવારમાંથી આવે છે. ક્રિષ્ના માને છે કે, તેના માટે આ બધું હજુ પણ એક સપના જેવું છે. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે કદી સેનેટર બનશે. તે તો ભણીગણીને કોઈ નોકરી મેળવીને સમાજની સેવા કરવા માંગતી હતી, ત્યારે તેણે કદી વિચાર્યું નહોતું કે સેનેટરી બની જઈશ. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, રીટા ઈશ્વરલાલ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી(લોકસભા સાંસદ)ની પહેલી હિંદુ મહિલા સભ્ય હતી. તે વર્ષ 2013માં સિંઘની એનએ-319 સીટ પરથી ચૂંટાઈ આવી હતી જે મહિલાઓ માટે અનામત હતી. વર્ષ 2006થી 2012 સુધી રત્ના ભગવાદાસ ચાવલા પાકિસ્તાનની પહેલી હિંદુ મહિલા સેનેટર હતી, પણ તે દલિત સમાજમાંથી નહોતી. ક્રિષ્નાકુમારી દલિત સમાજમાંથી આવતી પહેલી સેનેટર છે અને તે વર્ષ 2018થી આ પદ પર કાર્યરત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/For-the-first-time-in-the-history-of-Gujarat,-a-Sidi-girl-became-a-doctor-and-made-history"><strong>ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 08 Jul 2024 12:39:08 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>886</Articleid>
                    <excerpt>પાકિસ્તાનને લઈને ભારતમાં મોટાભાગે નકારાત્મક સમાચારો જ આવતા હોય છે, પણ અહીં એક દલિત દીકરી સમાજ માટે આશાનું કિરણ બની ગઈ છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_668b8f5e4a027.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_668b8f5e160e1.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_668b8f5e160e1.jpg" length="96029" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>જૂનમાં દેશમાં 6 મુસ્લિમોને ટોળાંએ માર માર્યો છે, સરકાર મૌન છેઃ ઓવૈસી</title>
                    <link>https://khabarantar.com/in-june-6-muslims-were-killed-by-mobs-in-the-country-the-government-is-silent-owaisi</link>
                    <guid>https://khabarantar.com/in-june-6-muslims-were-killed-by-mobs-in-the-country-the-government-is-silent-owaisi</guid>
                    <description>
                        <![CDATA[ હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમ(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીએ કેન્દ્ર સરકાર પર અનેક આક્ષેપો સાથે પ્રહારો કર્યા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુન મુસલમીન(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકારના સબકા સાથ, સબકા વિકાસના નારા પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર બોલતા ઓવૈસીએ કહ્યું હતું કે, ૪ જૂનથી અત્યાર સુધીમાં દેશમાં ૬ મુસ્લિમોને ટોળાએ માર માર્યો છે. ૧૧ મુસ્લિમોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે પણ સરકાર મૌન છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અંદાજે ૮ મિનિટના પોતાના ભાષણમાં ઓવૈસીએ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વર્તમાન કેન્દ્ર સરકાર પેલેસ્ટાઈનીઓને મારવા માટે ઈઝરાયેલને હથિયારો આપી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામો પર ટિપ્પણી કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદીને ૨૦૨૪માં જે જીત મળી છે તે માત્ર હિન્દુત્વના કારણે જ મળી છે. તેમનું સમગ્ર રાજકારણ મુસ્લિમોની નફરત પર આધારિત છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓવૈસીએ આ દરમિયાન બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આજે દેશના અડધાથી વધુ યુવાનો બેરોજગાર છે અને સરકાર આ તરફ ધ્યાન આપી રહી નથી. પેપર લીકના કારણે છેલ્લા ૫ વર્ષમાં ૬૫ લાખ યુવાનોની કારકિર્દી મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હૈદરાબાદના સાંસદે વધુમાં કહ્યું કે, બનારસના વણકરો મંદીનો સામનો કરી રહ્યા છે. તેમને હવે સુરતમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓવૈસીએ સંસદમાં કેન્દ્ર સરકારને પૂછ્યું કે ભારત ઈઝરાયેલને કેમ મદદ કરી રહ્યું છે? તેમણે કહ્યું કે ભારત ઇઝરાયલને હથિયારોના કન્સાઇનમેન્ટ મોકલી રહ્યું છે અને તે હથિયારોની મદદથી ઇઝરાયેલ પેલેસ્ટાઇનના લોકોની હત્યા કરી રહ્યું છે. તમે પેલેસ્ટાઈનને લઈને આ પ્રકારની નીતિ કેમ અપનાવી રહ્યા છો?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/for-the-first-time-since-independence-an-indian-government-without-a-muslim-minister">આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓવૈસીએ વધુમાં કહ્યું કે મોદી સરકાર ભારતમાં એક કેમ્પ લગાવી રહી છે, જ્યાં લોકોને પસંદ કરીને યુદ્ધ માટે ઈઝરાયેલ મોકલવામાં આવી રહ્યા છે. રશિયા માટે પણ આ જ કામ કરવામાં આવી રહ્યું છે. આ ખોટું છે અને સરકારે આનો જવાબ આપવો પડશે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે સરકારને કહ્યું કે, તમારી રણનીતિના કારણે ગલ્ફ દેશોમાં રહેતા ૯૦ લાખ લોકોમાં ભયનું વાતાવરણ છે. ૪ જૂન પછી દેશમાં મોબ લિંચિંગની ૬ ઘટનાઓ બની છે, પરંતુ આના પર કોઈ બોલવા તૈયાર નથી. આપણે કેવા પ્રકારનું ભારત બનાવી રહ્યા છીએ?</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓવૈસીએ મુસ્લિમોના ઘરો પર બુલડોઝર ચલાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું- છેલ્લા એક મહિનામાં દેશમાં મુસ્લિમોના ૧૧ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ મકાનો મધ્યપ્રદેશ અને હિમાચલમાં તોડી પાડવામાં આવ્યા છે. દેશમાં મુસ્લિમોને હિસ્સો પણ નથી મળી રહ્યો. ભારતમાં મુસ્લિમોની વસ્તી લગભગ ૨૦ ટકા છે, પરંતુ સંસદમાં તેમનો હિસ્સો ૪ ટકા માંડ છે.</span><br><span style="font-size: 14pt;">ઓવૈસીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતમાં મુસ્લિમ સમાજ ક્યારેય વોટ બેંક નથી રહ્યો. અત્યારે પણ વડાપ્રધાન મોદી તેમને ઘૂસણખોર કહે છે. ભાજપ માટે મુસ્લિમોનો અભિપ્રાય મહત્વનો નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/more-than-1300-pilgrims-lost-their-lives-this-year-during-the-pilgrimage-to-mecca">મક્કાની હજયાત્રામાં આ વર્ષે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 03 Jul 2024 11:21:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>859</Articleid>
                    <excerpt>હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમ(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીએ કેન્દ્ર સરકાર પર અનેક આક્ષેપો સાથે પ્રહારો કર્યા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6684e4c658836.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6684e4c62a245.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6684e4c62a245.jpg" length="76014" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, MINORITY news</media:keywords>
                </item>
                        <item>
                    <title>ધર્મ પરિવર્તન ચાલુ રહ્યું તો બહુમતી લઘુમતી થઈ જશેઃ અલ્હાબાદ હાઈકોર્ટ</title>
                    <link>https://khabarantar.com/if-conversion-continues-majority-will-become-minority-allahabad-high-court</link>
                    <guid>https://khabarantar.com/if-conversion-continues-majority-will-become-minority-allahabad-high-court</guid>
                    <description>
                        <![CDATA[ અલ્હાબાદ હાઈકોર્ટના એક જજે ધર્મ પરિવર્તન મામલે ચૂકાદો આપતા કહ્યું કે, જો આ જ રીતે ધર્મ પરિવર્તન ચાલું રહેશે તો બહુમતી લઘુમતી થઈ જશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મ પરિવર્તનના એક મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના એક જજે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો આ જ રીતે ધર્મ પરિવર્તન ચાલુ રહ્યું તો એક દિવસ બહુમતી સમાજ લઘુમતીમાં ફેરવાઈ જશે. તેમનો ઈશારો હિંદુ ધર્મમાંથી અન્ય ધર્મોમાં થતા પરિવર્તન મુદ્દે હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અલ્હાબાદ હાઈકોર્ટે ધર્મ પરિવર્તનના કેસની સુનાવણી કરતી વખતે કહ્યું કે દેશમાં એસસી એસટી અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોનું મોટા પાયે ધર્માંતરણ થઈ રહ્યું છે. આને તાત્કાલિક બંધ કરવું જોઈએ. જો ધાર્મિક સભાઓમાં લોકોને પૈસાની લાલચ આપીને આ રીતે ધર્મ પરિવર્તન કરાવવાનું ચાલુ રહેશે તો એક દિવસ ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જજે કહ્યું કે, દેશના નાગરિકોનું ધર્માંતરણ કરવા માગતી મીટિંગો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. કલમ ૨૫માં ધર્માંતરણની કોઈ જોગવાઈ નથી. આ સાથે જ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે ધર્મ પરિવર્તન કેસના આરોપી કૈલાશની જામીન અરજી ફગાવી દીધી હતી. વાસ્તવમાં ફરિયાદી રામકલીએ હમીરપુરના મૌદહાના રહેવાસી કૈલાશ વિરુદ્ધ તેના માનસિક રીતે બિમાર ભાઈનું ધર્મ પરિવર્તન કરવાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આરોપીએ જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/video-recording-of-all-proceedings-before-courts-in-atrocities-act-offenses-mandatory-bombay-high-court"><span style="font-size: 14pt;">એટ્રોસિટી એક્ટના ગુનામાં કોર્ટ સમક્ષની તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત છેઃ બોમ્બે હાઈકોર્ટ</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે હિંદુઓને ખ્રિસ્તી બનાવવાના આરોપી મૌદહા, હમીરપુરના કૈલાશની જામીન અરજી ફગાવી દીધી હતી. રામકલી પ્રજાપતિએ એફઆઈઆર નોંધાવતા કહ્યું હતું કે તેનો ભાઈ માનસિક રીતે બીમાર છે. આરોપી તેને એક અઠવાડિયા માટે દિલ્હી લઈ ગયો હતો. પરિવારજનોને તેણે કહ્યું હતું કે, સારવાર કરાવ્યા બાદ તેઓ તેમને ગામ પાછા મોકલી દેશે. પણ તેનો ભાઈ પાછો આવ્યો ન હતો. અને જ્યારે તે પાછો ફર્યો, ત્યારે તેણે ગામના અન્ય લોકો જેઓ દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ગયા હતા તેમની સાથે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ફરિયાદીની દલિલો સાંભળ્યા બાદ અલ્હાબાદ હાઈકોર્ટે બંધારણનો ઉલ્લેખ કર્યો કરતા જણાવ્યું હતું કે બંધારણ કોઈપણ વ્યક્તિને સ્વેચ્છાએ ધર્મ પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે. પરંતુ તે કોઈ પણ વ્યક્તિને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવાની મંજૂરી આપતું નથી. કોર્ટે કહ્યું કે કોઈના ધર્મનો પ્રચાર કરવાનો અર્થ એ નથી કે કોઈ અન્ય વ્યક્તિને પોતાનો ધર્મ અપનાવવા લલચાવવા. જો આ જ રીતે ધર્મ પરિવર્તન ચાલતું રહ્યું તો, એક દિવસ બહુમતી લઘુમતી બની જશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/atrocities-act-will-be-applicable-only-in-crimes-committed-in-public-places-allahabad-high-court"><strong>એટ્રોસિટી એક્ટ જાહેર સ્થળે થતા ગુનામાં જ લાગુ થશે અલ્હાબાદ હાઈકોર્ટ</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 03 Jul 2024 10:31:02 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>858</Articleid>
                    <excerpt>અલ્હાબાદ હાઈકોર્ટના એક જજે ધર્મ પરિવર્તન મામલે ચૂકાદો આપતા કહ્યું કે, જો આ જ રીતે ધર્મ પરિવર્તન ચાલું રહેશે તો બહુમતી લઘુમતી થઈ જશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_6684da64b608b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_6684da64848c0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_6684da64848c0.jpg" length="70608" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચૂંટણીમાં પત્નીએ ભાજપને મત આપ્યો તો પતિએ તલાક આપ્યાં?</title>
                    <link>https://khabarantar.com/if-the-wife-voted-for-bjp-in-the-election-then-the-husband-divorced</link>
                    <guid>https://khabarantar.com/if-the-wife-voted-for-bjp-in-the-election-then-the-husband-divorced</guid>
                    <description>
                        <![CDATA[ એક મહિલાએ દાવો કર્યો છે કે, ચૂંટણીમાં તેણે ભાજપને મત આપ્યો હતો, જેના કારણે તેના પતિએ ગુસ્સે ભરાઈને તેને છૂટાછેડા આપી દીધા હતા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને નવી સરકાર પણ બની ગઈ છે, છતાં કેટલાક એવા કિસ્સાઓ રહી રહીને સામે આવી રહ્યાં છે જે ચોંકાવનારા છે. મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં એક ૨૬ વર્ષીય મહિલાએ દાવો કર્યો છે કે તેના પતિએ ભાજપને સમર્થન આપવાના ગુસ્સામાં તેણીને ટ્રિપલ તલાક આપ્યા હતા. જો કે મહિલાના પતિએ આ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે તેની પત્નીના અનૈતિક સંબંધો હોવાને કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઉમેશ ગોલ્હાનીના જણાવ્યા પ્રમાણે પીડિત મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન લગભગ આઠ વર્ષ પહેલા થયા હતા. થોડા સમય માટે તેના સાસરિયાઓ સાથેના સંબંધો સામાન્ય રહ્યા હતા, પરંતુ બાદમાં તેના પતિ, સાસુ અને ભાભીએ તેને કોઈને કોઈ મુદ્દે ટોણાં મારવાનું શરૂ કર્યું હતું. મહિલાએ દાવો કર્યો હતો કે લગભગ દોઢ વર્ષ પહેલા તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. તે તેના પતિ સાથે ભાડાના રૂમમાં રહેતી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે તેણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું અને તેની તરફેણમાં મતદાન કર્યું. જેના કારણે તેનો પતિ ગુસ્સે થયો હતો. તેણે તેણીને 'ટ્રિપલ તલાક' આપ્યા હતા. મહિલાની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ, સાસુ અને ચાર ભાભી સામે દહેજ પ્રતિબંધક અધિનિયમ, મુસ્લિમ મહિલા (લગ્નના અધિકારોનું રક્ષણ) અધિનિયમ અને ભારતીય કાયદાની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. આ મામલે પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તપાસ કરવામાં આવી રહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/cut-off-his-finger-and-offered-it-to-goddess-mata-for-bjps-victory"><span style="font-size: 14pt;">ભાજપની જીત માટે પોતાની આંગળી કાપીને દેવી માતાને અર્પણ કરી</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાનું કહેવું છે કે તેના પતિએ છૂટાછેડાની નોટિસ મોકલી હતી, જેમાં તેના પર ખરાબ ચારિત્ર્યનો અને ગેરકાયદેસર સંબંધો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જે સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો છે. તેણે પોતાના વકીલ મારફતે પતિની છૂટાછેડાની નોટિસનો જવાબ મોકલ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બીજી તરફ મહિલાના પતિનો આરોપ છે કે તેના કેટલાક લોકો સાથે અનૈતિક સંબંધો છે. તેણે તેણીને ઘણી વખત સમજાવ્યું અને સમાધાન માટે તકો આપી, પરંતુ તે માની નહોતી. આથી તેણે ૩૦ માર્ચ, ૨૦૨૨ ના રોજ તેને મુસ્લિમ કાયદા અનુસાર પ્રથમ વખત છૂટાછેડા આપ્યા એ પછી ઓક્ટોબર અને નવેમ્બર ૨૦૨૩માં બીજી અને ત્રીજી વખતે તલાક આપ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પતિએ એવો પણ દાવો કર્યો હતો કે છૂટાછેડા આપવાનું કારણ કોઈ રાજકીય પક્ષને સમર્થન આપવાનું છે જ નહીં. કેમ કે, વર્ષ 2022માં જ્યારે તેણે છૂટાછેડા આપ્યા ત્યારે કોઈ ચૂંટણી નહોતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે આરોપ લગાવ્યો કે મહિલા તેને ધમકાવી રહી છે તેનાથી તેની ઈમેજ ખરાબ થઈ રહી છે. તે તેના પરિવારને બરબાદ કરવાની વાત કરી રહી છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે, તેના પરિવારમાં કોઈએ મહિલાને ત્રાસ આપ્યો નથી કારણ કે તે છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહે છે. છૂટાછેડાનો મુદ્દો કોર્ટમાં દાખલ થઈ ચૂક્યો છે. પરિવારમાં દરેક વ્યક્તિ કોઈપણ રાજકીય પક્ષને ટેકો આપવા માટે સ્વતંત્ર છે એટલે ભાજપને મત આપવાનો આખો મામલો ઉપજાવી કાઢેલો છે. હકીકતે એવી કોઈ વાત નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/a-bjp-leader-protesting-against-the-petrol-diesel-issue-suffered-a-heart-attack"><strong>પેટ્રોલ-ડીઝલ મુદ્દે વિરોધ કરી રહેલા ભાજપના નેતાને હાર્ટએટેક આવ્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 28 Jun 2024 13:37:17 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 28 Jun 2024 13:39:20 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>835</Articleid>
                    <excerpt>એક મહિલાએ દાવો કર્યો છે કે, ચૂંટણીમાં તેણે ભાજપને મત આપ્યો હતો, જેના કારણે તેના પતિએ ગુસ્સે ભરાઈને તેને છૂટાછેડા આપી દીધા હતા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667e6e842eb24.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667e6e83ebbc6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667e6e83ebbc6.jpg" length="78366" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મક્કાની હજયાત્રામાં આ વર્ષે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા</title>
                    <link>https://khabarantar.com/more-than-1300-pilgrims-lost-their-lives-this-year-during-the-pilgrimage-to-mecca</link>
                    <guid>https://khabarantar.com/more-than-1300-pilgrims-lost-their-lives-this-year-during-the-pilgrimage-to-mecca</guid>
                    <description>
                        <![CDATA[ સાઉદી અરેબિયામાં આવેલા ઈસ્લામના પવિત્ર ધર્મસ્થાન મક્કામાં ચાલુ વર્ષે ભીષણ ગરમીના કારણે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહાન તત્વચિંતક કાર્લ માર્ક્સે ધર્મને અફીણ સાથે શા માટે સરખાવ્યો છે તેના ઉદાહરણો ક્યાંય શોધવા જવાની જરૂર નથી. હિંદુઓ જેમ મંદિરોમાં ટોળેટોળાં બનીને ઉમટી પડે છે અને જીવ ગુમાવે છે, તેવી જ સ્થિતિ અન્ય ધર્મોમાં પણ જોવા મળે છે. ધર્મના નશામાં માણસને પોતાના જીવની પણ પરવા નથી રહેતી. ઈશ્વર, અલ્લાહ, ગોડ કે કોઈ અન્ય અદ્રશ્ય શક્તિ તમને બચાવવા માટે નથી આવવાની એટલી સાદી સમજણ પણ તે ગુમાવી બેસે છે, અને તેનું તાજું ઉદાહરણ મક્કાની હજયાત્રામાં જોવા મળી રહ્યું છે, જ્યાં આ વર્ષે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં ખૂબ જ ગરમી પડી રહી છે. જેના કારણે અત્યાર સુધીમાં ૧૩૦૦થી વધુ હજ યાત્રીઓ મોતને ભેટ્યાં છે. આમાં મોટી સંખ્યામાં ભારતીય હજ યાત્રીઓનો સમાવેશ થાય છે જેઓ થોડા સમય પહેલા હજ માટે સાઉદી અરેબિયા ગયા હતા. સાઉદી અરેબિયાના આરોગ્ય પ્રધાન ફહદ અલ-જલાઝેલે રવિવારે જણાવ્યું હતું કે આ વર્ષની હજયાત્રા દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૧,૩૦૧ લોકોના મોત થયા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/five-madrasa-teachers-mistaken-for-child-traffickers-and-put-in-jail-then-say-mistake"><span style="font-size: 14pt;">મદરેસાના 5 શિક્ષકોને બાળ તસ્કર સમજી જેલમાં પૂર્યા, પછી કહે 'ભૂલ થઈ'</span></a></strong></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મીડિયાએ મંત્રીને ટાંકીને જણાવ્યું હતું કે “આરામ વિના સીધા સૂર્યપ્રકાશમાં લાંબા અંતરની મુસાફરી કરવાને કારણે” યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં ઘણા વૃદ્ધ લોકો અને લાંબી બિમારીઓથી પીડિત લોકોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે લગભગ ૮૩ ટકા મૃત્યુ એવા લોકોના થયા છે જેઓ તીર્થયાત્રા કરવા માટે અધિકૃત નથી. આ વર્ષે મક્કામાં ઉનાળાનું તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જે હજ યાત્રીઓ માટે કોઈ આફતથી ઓછું નથી.” </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શુક્રવારે માહિતી આપતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ વર્ષે હજયાત્રા દરમિયાન ૯૮ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. વિદેશ મંત્રાલયે આ તમામ લોકોના મૃત્યુનું કારણ બીમારી અને વૃદ્ધાવસ્થાને ગણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેણે વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો હજ યાત્રાએ જાય છે. આ વર્ષે પણ ૧ લાખ ૭૫ હજાર શ્રદ્ધાળુઓ હજ કરવા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં ૯૮ લોકોના મોત થયા છે. ગયા વર્ષે હજ યાત્રા દરમિયાન ૧૮૭ ભારતીય નાગરિકોના મોત થયા હતા. ઈસ્લામના પાંચ સ્તંભોમાં હજને મુખ્ય સ્તંભ ગણવામાં આવે છે. શારીરિક અને આર્થિક રીતે સક્ષમ મુસ્લિમો માટે તેમના જીવનમાં એકવાર હજ કરવી ફરજિયાત છે. એવું માનવામાં આવે છે કે હજ કરવાથી તમામ પાપો ધોવાઇ જાય છે અને વ્યક્તિ મક્કાથી પવિત્ર બનીને પરત ફરે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong> </span><strong><a href="https://khabarantar.com/for-the-first-time-since-independence-an-indian-government-without-a-muslim-minister">આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર</a></strong></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 24 Jun 2024 17:37:52 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>817</Articleid>
                    <excerpt>સાઉદી અરેબિયામાં આવેલા ઈસ્લામના પવિત્ર ધર્મસ્થાન મક્કામાં ચાલુ વર્ષે ભીષણ ગરમીના કારણે 1300થી વધુ હાજીઓએ જીવ ગુમાવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_667961803eddf.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_667961800a065.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_667961800a065.jpg" length="128515" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઓરિસ્સાના બાલાસોરમાં બકરી ઈદે જૂથ અથડામણ થતા રાષ્ટ્રીય કર્ફ્યૂ લદાયો</title>
                    <link>https://khabarantar.com/a-national-curfew-was-imposed-following-sectarian-clashes-in-orissas-balasore-on-bakri-eid</link>
                    <guid>https://khabarantar.com/a-national-curfew-was-imposed-following-sectarian-clashes-in-orissas-balasore-on-bakri-eid</guid>
                    <description>
                        <![CDATA[ ઓરિસ્સાના બાલાસોરમાં બકરી ઈદ નિમિત્તે જૂથ અથડામણ થતા રાષ્ટ્રીય કરફ્યૂ લાદવામાં આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓરિસ્સાના બાલાસોરમાં બે જૂથો વચ્ચે અથડામણ થતા રાષ્ટ્રીય કરફ્યૂ લાદવામાં આવ્યો છે. જિલ્લા તંત્રે શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દીધી છે અને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું કે ૧૭ જૂનની મધ્યરાત્રિથી ૧૮ જૂનની મધ્યરાત્રિ સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ સોમવારે બાલાસોર જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ ઠાકરે સાથે વાત કરી અને તેમને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સોમવારે શહેરના ભુજળીયા પીર વિસ્તારમાં પશુઓના બલિદાનને કારણે રસ્તા પર વહેતા લોહીના વિરોધમાં લોકોનું ટોળું ધરણા પર બેસી ગયું હતું એ દરમિયાન અન્ય જૂથે કથિત રીતે તેમના પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે અથડામણ થઈ હતી તેમ પોલીસે જણાવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Indias-Muslim-female-literacy-rate-of-50-percent-today-is-based-on-the-sweat-of-Fatima-Shaikh."><span style="font-size: 14pt;">ભારતમાં મુસ્લિમ સ્ત્રી સાક્ષરતાનો દર આજે 50 ટકા છે તેના પાયામાં ફાતિમા શેખનો પરસેવો પડેલો છે</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6671a5c86dcda.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લો એન્ડ ઓર્ડરના અધિક પોલીસ મહાનિર્દેશક સંજય કુમાર બાલાસોરમાં કેમ્પ કરી રહ્યા છે. અહીં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી. અત્યાર સુધીમાં લગભગ ૩૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પોલીસના જણાવ્યા અનુસાર ઓટી રોડના તમામ પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ તેમના ઘરની બહાર નહીં નીકળે, ન તો તેમને પગપાળા જવાની મંજૂરી આપવામાં આવશે કે ન વાહન દ્વારા જવા દેવાશે. લોકોને તાત્કાલિક તબીબી સહાય સિવાય બહાર જવાની મંજૂરી નથી. બાલાસોરના પોલીસ અધિક્ષક સાગરિકા નાથે જણાવ્યું હતું કે બાલાસોર નગરપાલિકા વિસ્તારમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે. તમામ વેપારી સંસ્થાઓ અને દુકાનો બંધ રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસિંગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. જો કે, સોમવારે કેટલીક જગ્યાએ છૂટાછવાયા હિંસા નોંધાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45); font-size: 12pt;"><strong>આ પણ વાંચો:</strong></span> <strong><a href="https://khabarantar.com/What-can-Bahujan-Samaj-learn-from-Mohammed-Shami">બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?</a></strong></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 18 Jun 2024 20:56:58 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>785</Articleid>
                    <excerpt>ઓરિસ્સાના બાલાસોરમાં બકરી ઈદ નિમિત્તે જૂથ અથડામણ થતા રાષ્ટ્રીય કરફ્યૂ લાદવામાં આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6671a5922f52d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6671a591f37f2.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6671a591f37f2.jpg" length="86889" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;quot;સારા વિસ્તારમાં રહેવાનું મારું સપનું તૂટી ગયું છે...&amp;quot;</title>
                    <link>https://khabarantar.com/my-dream-of-living-in-a-good-area-has-been-shattered</link>
                    <guid>https://khabarantar.com/my-dream-of-living-in-a-good-area-has-been-shattered</guid>
                    <description>
                        <![CDATA[ વડોદરામાં એક મુસ્લિમ મહિલાનો હિંદુઓએ મુખ્યમંત્રી આવાસ યોજનામાં મળેલા તેના ઘરને લઈને વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડોદરામાં મુસ્લિમોના વિરોધનું એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક મહિલા સામે ફક્ત તેના મુસ્લિમ હોવાના કારણે મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા હિંદુઓએ વિરોધ નોંધાવ્યો છે. એન્ટરપ્રેન્યોરશીપ એન્ડ સ્કિલ ડેવલોપમેન્ટ મંત્રાલયમાં કામ કરતી 44 વર્ષીય મુસ્લિમ મહિલાને વર્ષ 2017માં વડોદરાના હરણી વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવ્યું હતું. જો કે, તે નવા ઘરમાં રહેવા જાય એ પહેલા જ આવાસ યોજનાના બહુમતી હિંદુઓએ મળીને આ એકમાત્ર મુસ્લિમ મહિલાનો વિરોધ કરવો શરૂ કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">462 મકાનો ધરાવતી આ આવાસ યોજનાના 33 રહેવાસીઓએ કલેક્ટર અને અન્ય અધિકારીઓને લેખિત ફરિયાદ કરીને ‘મુસ્લિમ’ મહિલાને સોસાયટીમાં રહેવા સામે વાંધો ઉઠાવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે મહિલા આ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એકમાત્ર મુસ્લિમ છે. આ મામલે વડોદરાના કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર અને સોસાયટીના અધિકારી નિલેશ પરમારે કશું કહેવાનો ઈનકાર કરી દીધો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાનું કહેવું છે કે આ વિરોધ સૌપ્રથમ 2020માં શરૂ થયો હતો, જ્યારે અહીંના રહેવાસીઓએ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ને પત્ર લખીને તેમના ઘરની ફાળવણીને અમાન્ય કરવાની માંગ કરી હતી. જો કે, ત્યારબાદ હરણી પોલીસ સ્ટેશને તમામ સંબંધિત પક્ષકારોના નિવેદનો નોંધ્યા હતા અને કેસનો નિકાલ કર્યો હતો. આ જ મુદ્દે ફરી આ મહિને 10 જૂને વિરોધ થયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">સારા વિસ્તારમાં રહેવાનું મારું સપનું તૂટી ગયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે મહિલાએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું વડોદરાના મિશ્ર વિસ્તારમાં મોટી થઈ છું. હું હંમેશા ઇચ્છતી હતી કે મારો પુત્ર વધુ સારા વિસ્તારમાં ઉછરે, પરંતુ મારું એ સપના તૂટી ગયું છે. છેલ્લાં છ વર્ષથી હું જે સંઘર્ષનો સામનો કરી રહ્યો છું તેનો હજુ પણ કોઈ ઉકેલ આવ્યો નથી. મારો દીકરો હવે 12મા ધોરણમાં છે અને આ શું ચાલી રહ્યું છે તે સમજવા માટે સક્ષમ છે. આ ભેદભાવ તેને માનસિક રીતે અસર કરશે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/admin/‘Al%20Jazeera%20તરફથી%20હું%20વાએલ%20અલ-દાહદૌહ...’%20Gazaમાં%20પત્રકાર%20રિપોર્ટિંગમાં%20વ્યસ્ત%20રહ્યાં,%20બીજી%20તરફ%20આખો%20પરિવાર%20ઈઝરાયલના%20હુમલામાં%20મોતને%20ભેટ્યો!">‘Al Jazeera તરફથી હું વાએલ અલ-દાહદૌહ...’ Gazaમાં પત્રકાર રિપોર્ટિંગમાં વ્યસ્ત રહ્યાં, બીજી તરફ આખો પરિવાર ઈઝરાયલના હુમલામાં મોતને ભેટ્યો!</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666d374310c85.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર, મેયર, VMC કમિશનર તેમજ વડોદરાના પોલીસ કમિશનરને સુપરત કરવામાં આવેલી ફરિયાદમાં 33 સહી કરનારાઓએ આ મુસ્લિમ મહિલાને ફાળવવામાં આવેલા નિવાસને “અમાન્ય” ઠેરવવા અને તેને બીજી આવાસ યોજનામાં શિફ્ટ કરવાની માંગ કરી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોટનાથ રેસીડેન્સી કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસીસ સોસાયટી લિમિટેડના મેમોરેન્ડમમાં લખ્યું છે, “VMC એ માર્ચ 2019માં લઘુમતી (મુસ્લિમ મહિલા)ને ઘર નંબર K204 ફાળવ્યું છે. અમે માનીએ છીએ કે હરણી વિસ્તાર હિંદુ બહુમતી શાંતિપૂર્ણ વિસ્તાર છે અને લગભગ ચાર કિલોમીટરના મુખ્ય વિસ્તારમાં મુસ્લિમોની કોઈ વસાહત નથી. VMC દ્વારા આ ફાળવણી 461 પરિવારોના શાંતિપૂર્ણ જીવનમાં આગ લગાડવા સમાન છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિંદુઓ ખૂલીને વિરોધ કરી રહ્યાં છે છતાં તંત્ર મૌન</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અરજીમાં એક સહીકર્તાએ કહ્યું છે કે, “VMCની ભૂલ છે કે તેણે ફાળવણી દરમિયાન ઓળખપત્રને ક્રોસ-ચેક નથી કર્યા. અમે બધાંએ આ વસાહતમાં ઘરો બુક કરાવ્યા છે કારણ કે તે હિન્દુ વિસ્તાર છે અને અમે અન્ય ધાર્મિક અને સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડના વ્યક્તિઓ અમારી વસાહતમાં રહે તે પસંદ નથી કરતા.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલા હાલમાં તેના માતા-પિતા અને દીકરા સાથે વડોદરાના અન્ય વિસ્તારમાં રહે છે. મહિલાએ કહ્યું કે “હું માત્ર આ વિરોધને કારણે મારી મહેનતથી કમાયેલી મિલકત વેચવા માંગતી નથી. હું રાહ જોઈશ. મેં વસાહતની મેનેજિંગ કમિટી પાસે વારંવાર સમય માંગવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેઓ જવાબ આપતા નથી. હાલના વિરોધના બે દિવસ પહેલાં તેમણે મને મેન્ટેનન્સના બાકી લેણાંની માંગણી માટે ફોન કર્યો. મેં કહ્યું કે જો તેઓ મને એક નિવાસી તરીકેનું પ્રમાણપત્ર આપે, પણ તેમણે આપ્યું નથી. VMC એ પહેલાથી જ તમામ રહેવાસીઓ પાસેથી વન-ટાઇમ મેઇન્ટેનન્સ ચાર્જ તરીકે રૂ. 50,000 લીધાં છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેટલાક હિંદુઓ મુસ્લિમ મહિલાના સમર્થનમાં આવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિંદુઓના આ મુસ્લિમ મહિલાઓ સામેના વિરોધની બીજી તરફ કોલોનીના કેટલાક રહેવાસીઓએ લાભાર્થી મહિલાને સમર્થન આપતા કહ્યું છે કે, “જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે કારણ કે મુસ્લિમ મહિલા સરકારી યોજનાની લાભાર્થી છે અને તેને કાયદાકીય જોગવાઈઓ અનુસાર ફ્લેટ ફાળવવામાં આવ્યો છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/In-the-BJP-election-campaign,-Dr.-Ambedkar-is-remembered,-but-there-are-no-pictures-of-him-in-Indian-embassies">ભાજપ ચૂંટણી પ્રચારમાં ડો. આંબેડકરને યાદ કરે છે, પરંતુ ભારતીય દૂતાવાસોમાં તેમની કોઈ તસવીર નથી</a><br></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666d3743a62fa.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોટાં શહેરોની પોશ સોસાયટીઓમાં મકાન મેળવતા પહેલાં નાતજાત અને ધર્મના પુરાવા આપવા પડે છે અને ધર્મના આધારે ઘણી વખત ઘર નથી પણ મળતું. પણ વડોદરામાં તો સરકારી આવાસ યોજનામાં પણ ધાર્મિક ભેદભાવ રાખીને મકાન મેળવનાર મુસ્લિમ મહિલાનો લોકો વિરોધ કરી રહ્યા છે. મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવાયા પછી આ મુસ્લિમ મહિલાની મુસીબતો વધી ગઈ છે. છેલ્લા ચાર વર્ષથી સોસાયટીના હિન્દુ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે અને તેને બીજે ક્યાંક મકાન ફાળવવા તંત્રમાં માગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાના પડોશમાં મુસ્લિમ ધર્મની વ્યક્તિ ઇચ્છતા નથી. જ્યારે મહિલાનું કહેવું છે કે તે આ મકાનમાં જ રહેવા માગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અમદાવાદમાં દલિતો, મુસ્લિમો, ઓબીસીને કથિત સવર્ણોની સોસાયટીમાં ઘર નથી મળતું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધર્મના આધારે મકાન ન ફાળવવાનો આ મામલો ભલે વડોદરાનો હોય પરંતુ અમદાવાદ જેવા શહેરમાં પણ સ્થિતિ તેનાથી જુદી નથી. અહીં કથિત સવર્ણોની સોસાયટીઓમાં દલિતો, ઓબીસી સમાજની ઠાકોર, રબારી, ભરવાડ કોમને પણ મકાન નથી લેવા દેવામાં આવતા. હમણાં ગાંધીનગરના વિખ્યાત ગિફ્ટ સિટીમાં જે.પી. મોર્ગન જેવી મલ્ટિનેશનલ કંપનીના ઉચ્ચ અધિકારીને પણ જાતિવાદી તત્વોએ મકાન લેવા દીધું નહોતું. અમદાવાદ શહેરમાં તો પોષ ગણાતા પશ્ચિમ વિસ્તારની મોટી સોસાયટીઓમાં કથિત સવર્ણો સિવાય કોઈને પણ મોં માંગ્યા પૈસા આપવા છતાં ઘર મળતું નથી. બિલ્ડરો જો કોઈ દલિત, મુસ્લિમ કે ઓબીસી સમાજની (રબારી, ભરવાડ કે ઠાકોર) વ્યક્તિ ઘર ખરીદવા જાય તો પહેલા તેની જાતિ જાણવા પ્રયાસ કરે છે. જો તે કથિત સવર્ણો પૈકીની ન હોય તો તેને ઘર ખરીદવા દેવામાં આવતું નથી. આશ્ચર્યની વાત એ છે કે, બિનસાંપ્રદાયિક દેશમાં આ મામલે કાયદો હોવા છતાં ખૂલ્લેઆમ આ પ્રકારના ભેદભાવો ચાલી રહ્યાં છે અને તંત્ર કોઈ જ પગલાં નથી લઈ રહ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span> <a href="https://khabarantar.com/J.P.-Morgans-Vice-President-Scolds-Racism,-Denies-Racists-Buying-Flats-in-Gift-City"><strong>જે પી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટને જાતિવાદ નડ્યો, ગિફ્ટ સિટીમાં જાતિવાદીઓએ ફ્લેટ ન ખરીદવા દીધો?</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 15 Jun 2024 12:17:11 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>768</Articleid>
                    <excerpt>વડોદરામાં એક મુસ્લિમ મહિલાનો હિંદુઓએ મુખ્યમંત્રી આવાસ યોજનામાં મળેલા તેના ઘરને લઈને વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666d37426a3a4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666d374238a89.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666d374238a89.jpg" length="135435" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>મદરેસાના 5 શિક્ષકોને બાળ તસ્કર સમજી જેલમાં પૂર્યા, પછી કહે &amp;apos;ભૂલ થઈ&amp;apos;</title>
                    <link>https://khabarantar.com/five-madrasa-teachers-mistaken-for-child-traffickers-and-put-in-jail-then-say-mistake</link>
                    <guid>https://khabarantar.com/five-madrasa-teachers-mistaken-for-child-traffickers-and-put-in-jail-then-say-mistake</guid>
                    <description>
                        <![CDATA[ રેલવે પોલીસે ગયા વર્ષે બિહારના 59 બાળકોને ભણવા લઈ જઈ રહેલા 5 મદરેસા શિક્ષકોને બાળ તસ્કરો ગણીને જેલમાં ધકેલી દીધાં હતા. હવે પોલીસ કહે છે &#039;અમારી ભૂલ થઈ ગઈ છે.&#039; ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા વર્ષે બિહારના અરરિયાથી મહારાષ્ટ્રના પૂણે અને સાંગલીમાં આવેલા મદરેસાઓમાં વિદ્યાર્થીઓને ભણવા લઈ જતા 5 મદરેસા શિક્ષકોને પોલીસે બાળ તસ્કર ગણીને 15 દિવસથી લઈને 1 મહિના સુધી જેલમાં પુરી દીધાં હતા. જો કે, એ પછી બાળકોના વાલીઓએ જ્યારે તેમના સંતાનોને પરત બોલાવ્યા ત્યારે ખબર પડી કે તે પાંચેય વ્યક્તિ કોઈ બાળ તસ્કરો નહીં પરંતુ મદરેસાના શિક્ષકો હતા અને તેઓ આ તમામ 59 બાળકોને બિહારના અરરિયાથી મહારાષ્ટ્રમાં ભણવા માટે લઈ જઈ રહ્યા હતા. આટલી મોટી બેદરકારી પોલીસથી કેવી રીતે થઈ શકે તે સવાલ હવે લોકો પૂછી રહ્યાં છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રેલવે પોલીસની લાલિયવાડી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મામલો 30 મે 2023નો છે. બિહારના અરરિયા જિલ્લાના 8 થી 17 વર્ષની વયના 59 બાળકો તેમના પાંચ શિક્ષકો સાથે મદરેસામાં અભ્યાસ કરવા પુણે અને સાંગલી જઈ રહ્યા હતા. આ તમામ શિક્ષકો દાનાપુર-પુણે એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. એ દરમિયાન મહારાષ્ટ્રના મનમાડ અને ભુસાવલ રેલ્વે સ્ટેશન પર સરકારી રેલ્વે પોલીસે બાળકોને મજૂર તરીકે સપ્લાય કરવામાં આવી રહ્યાં હોવાની આશંકાએ તેમની અટકાયત કરી હતી. દિલ્હીમાં જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ અને રેલ્વે બોર્ડ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ પગલાં લેતા જણાવ્યું હતું કે, રેલવે પ્રોટેક્શન ફોર્સે એક એનજીઓ સાથે મળીને આ બાળકોને 'બચાવ્યા' હતા અને પાંચેય શિક્ષકોની ધરપકડ કરી હતી</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો</strong></span>:<strong> <a href="https://khabarantar.com/for-the-first-time-since-independence-an-indian-government-without-a-muslim-minister"><span style="font-size: 14pt;">આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666c02599358f.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધરપકડ સમયે RPFના અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ પાંચ લોકો તેમની મુસાફરી સંબંધિત દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. જેના પગલે ભારતીય દંડ સંહિતાની કલમ 370 (વ્યક્તિઓની હેરફેર) અને 34 (સામાન્ય હેતુ) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. બાળકોને 12 દિવસ માટે નાસિક અને ભુસાવલના શેલ્ટર હોમમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓને શંકા હતી કે તેમની હેરફેર કરવામાં આવી રહી છે. જ્યારે તેમના નારાજ માતા-પિતાએ તેમને પાછા મોકલી દેવાની માંગ કરી ત્યારે નાસિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બાળકોને બિહાર પાછા મોકલવામાં આવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસની બેદરકારીને કારણે મુસ્લિમ શિક્ષકોને જેલમાં જવું પડ્યું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હવે જ્યારે આ મામલે તપાસ શરૂ થઈ છે તો મામલો ઊંધો પડ્યો છે. તપાસ દરમિયાન પોલીસનું કહેવું છે કે શિક્ષકો વિરુદ્ધ એફઆઈઆર ગેરસમજને કારણે દાખલ કરવામાં આવી હતી અને બાળકોની તસ્કરીનો કોઈ મામલો નથી. કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે પોલીસની આ ગંભીર બેદરકારીને કારણે આ મદરેસા શિક્ષકોએ કારણ વિના જ જેલમાં રહેવાનો વારો આવ્યો હતો. શિક્ષક અંજાર આલમનો દાવો છે કે તેણે ત્રણ મહિના જેલમાં વિતાવ્યા પડ્યા હતા. જ્યારે તેના સાથી શિક્ષકો સદ્દામ હુસૈન સિદ્દીકી, નોમાન આલમ સિદ્દીકી, એજાઝ ઝિયાબુલ સિદ્દીકી અને મોહમ્મદ શાહનવાઝ હારૂને 12 દિવસ પોલીસ કસ્ટડીમાં અને 16 દિવસ નાશિક જેલમાં વિતાવ્યા હતા. પોલીસની આ ગંભીર બેદરકારીને કારણે આ શિક્ષકોની આબરૂના કારણ વિના જ ધજાગરા ઉડ્યા હતા. ગયેલી આબરુ હવે પોલીસ પાછી આપી શકશે ખરા?</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શિક્ષકોનો પરિવાર ડરી ગયો</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તે ઘટના પછીથી, પાંચ શિક્ષકો ભાગ્યે જ તેમના ગામની બહાર આવ્યા છે. મોહમ્મદ શાહનવાઝ હારુન કહે છે કે, જ્યારે અમારી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારે ગામમાં મારા પરિવારના સભ્યો ડરી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ આગળ કહે છે, 'યુટ્યુબ મુસ્લિમો પર ટ્રેનોમાં થતા હુમલા અને તેમને નિશાન બનાવવામાં આવતા વીડિયોથી ભર્યુ પડ્યું છે, અમારી સાથે જે થયું તેણે અમારા પરિવારો અને બાળકોના પરિવારોને પણ આંચકો આપ્યો છે જેઓ મદરેસામાં અભ્યાસ કરવા માટે શહેરોની મુસાફરી કરે છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોલીસે 'સી સમરી' ભરી દીધી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જોકે, પોલીસે આ વર્ષે માર્ચમાં આ કેસમાં 'સી સમરી' રિપોર્ટ દાખલ કર્યો હતો. 'C સમરી' રિપોર્ટ ત્યારે ફાઈલ કરવામાં આવે છે જ્યારે તપાસ એજન્સીને લાગે છે કે તથ્યોને રેકોર્ડ કરવામાં ભૂલોને કારણે વ્યક્તિને ખોટી રીતે ફસાવવામાં આવી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો</strong></span>: <a href="https://khabarantar.com/The-words-Jai-Bheem-came-to-Babu-Hardass-mind-on-seeing-a-Muslim-person"><strong><span style="font-size: 14pt;">બાબુ હરદાસના મનમાં ‘જય ભીમ’ શબ્દો એક મુસ્લિમ વ્યક્તિને જોઈને આવેલા</span></strong></a></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666c0258753ff.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ પાંચ શિક્ષકોને કાનૂની સહાય મુંબઈની સામાજિક-કાનૂની સંસ્થા જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. એડવોકેટ નિયાઝ અહેમદ લોધીએ કોર્ટમાં તેમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લોધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'શરૂઆતમાં પોલીસને ખબર હતી કે તેમની પાસે આ લોકો વિરુદ્ધ કોઈ પુરાવા નથી, તેમ છતાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા મહિના પહેલા લોધીએ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને શિક્ષકો સામેના કેસને રદ કરવાની માંગ કરી હતી. લોધીએ કહ્યું કે આ પ્રથમ વખત છે જ્યારે GRP એ સંકેત આપ્યો કે તેમને તે શિક્ષકો સામે કંઈ મળ્યું નથી. થોડા મહિનામાં તેણે ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો</strong></span>: </span><a href="https://khabarantar.com/order-to-check-madrasas-across-the-country-including-gujarat"><strong>ગુજરાત સહિત દેશભરમાં મદરેસાઓમાં ચકાસણી કરવા આદેશ</strong></a></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 14 Jun 2024 14:18:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>765</Articleid>
                    <excerpt>રેલવે પોલીસે ગયા વર્ષે બિહારના 59 બાળકોને ભણવા લઈ જઈ રહેલા 5 મદરેસા શિક્ષકોને બાળ તસ્કરો ગણીને જેલમાં ધકેલી દીધાં હતા. હવે પોલીસ કહે છે &#039;અમારી ભૂલ થઈ ગઈ છે.&#039;</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666c02592e222.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666c0258e953d.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666c0258e953d.jpg" length="79787" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>સુપ્રીમ કોર્ટે &amp;apos;હમારે બારહ&amp;apos; ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો</title>
                    <link>https://khabarantar.com/the-supreme-court-ordered-a-ban-on-the-release-of-hamare-barah</link>
                    <guid>https://khabarantar.com/the-supreme-court-ordered-a-ban-on-the-release-of-hamare-barah</guid>
                    <description>
                        <![CDATA[ સુપ્રીમ કોર્ટે અન્નુ કપૂરની વિવાદાસ્પદ ફિલ્મ ‘હમારે બારાહ’ ની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. વાંચો સર્વોચ્ચ અદાલતે શું આદેશ કર્યો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે અન્નુ કપૂરની વિવાદાસ્પત ફિલ્મ 'હમારે બારહ' ની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ૭ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ લઘુમતી સમાજને લઈને વિવાદાસ્પદ વિષય પર વાત કરતી હોવાના વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મમાં વસ્તી વધારા માટે મુસ્લિમોને દોષી ઠેરવવા માટે કુરાનની આયાતોને વિકૃત કર્યા હોવાના અહેવાલ છે. કોમી તણાવને રોકવા માટે દેશના ઘણાં ભાગોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. રિલીઝ પર પ્રતિબંધ બાદ ફિલ્મના નિર્માતાઓની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે જ્યાં સુધી બોમ્બે હાઈકોર્ટ ફિલ્મમાં વાંધાજનક દ્રશ્યો અંગેના કેસની સુનાવણી અને નિકાલ ન કરે ત્યાં સુધી ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, "હાઈકોર્ટ સમક્ષ અરજીના નિકાલ સુધી સંબંધિત ફિલ્મનું પ્રદર્શન સ્થગિત રહેશે."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટે અન્નુ કપૂરની ફિલ્મની સમીક્ષા કરવા માટે મુસ્લિમ સમુદાયના એક વ્યક્તિ સહિત સ્વતંત્ર વ્યક્તિઓની ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ફિલ્મની રિલીઝ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો અને નિર્માતાઓને સોશિયલ મીડિયા પરથી ટ્રેલર હટાવવાનો આદેશ આપ્યો હતો. ફિલ્મની રિલીઝ ૧૪ જૂન સુધી મુલતવી રાખવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> <a href="https://khabarantar.com/First-dalit-actress-played-a-romantic-scene,-people-burnt-her-house,-know-what-happened-next">ભારતની પહેલી દલિત અભિનેત્રીએ ફિલ્મમાં એક સવર્ણ મહિલાનું પાત્ર ભજવ્યું તો જાતિવાદીઓએ તેનું ઘર સળગાવી નાખ્યું!</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_666af167a760a.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે અગાઉ અન્નુ કપૂર અને ફિલ્મના અન્ય કલાકારોને સોશિયલ મીડિયા પર બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ મુંબઈ પોલીસ પાસે સુરક્ષા આપવાની વિનંતી કરી હતી. અભિનેતાએ એક વિડિયોમાં કહ્યું હતું કે, "ફિલ્મ મહિલા સશક્તિકરણની હિમાયત કરે છે અને મહિલાઓના અધિકારો વિશે વાત કરે છે. પહેલા ફિલ્મ જુઓ અને પછી તમારો નિર્ણય જણાવો. લોકોને સોશિયલ મીડિયા પર તેમના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે પરંતુ તેનો દુરૂપયોગ ન કરવો જોઈએ."</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જો કે આ ફિલ્મને પણ લોકો ચોક્કસ પક્ષ દ્વારા મુસ્લિમ સમાજને બદનામ કરવાના કોમવાદી એજન્ડા તરીકે જોઈ રહ્યા છે. અગાઉ આવી જ કેટલીક ફિલ્મોએ વિવાદ ઉભો કર્યો હતો. જેમાં ધ કશ્મીર ફાઈલ્સ, 72 હુર્રે, ધ કેરાલા સ્ટોરીનો સમાવેશ થાય છે. લોકો હવે આ પ્રકારની ફિલ્મોનો એજન્ડા સમજી ચૂક્યા હોવાથી તેમને આ રીતે ચર્ચામાં રહી હોવા છતાં બોક્સ ઓફિસ પર સફળ થવા દેતા નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 12pt;">આ પણ વાંચો:</span> </strong></span><a href="https://khabarantar.com/the-karnataka-government-has-put-a-stay-on-the-release-of-annu-kapoors-film-hamare-barah"><strong>કર્ણાટક સરકારે અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝ પર સ્ટે મૂક્યો</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 13 Jun 2024 18:51:31 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>760</Articleid>
                    <excerpt>સુપ્રીમ કોર્ટે અન્નુ કપૂરની વિવાદાસ્પદ ફિલ્મ ‘હમારે બારાહ’ ની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. વાંચો સર્વોચ્ચ અદાલતે શું આદેશ કર્યો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666af154e3241.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_666af154b3a13.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_666af154b3a13.jpg" length="102901" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>યુનિવર્સિટીમાં હિજાબ પહેરવાથી રોકવામાં આવતા શિક્ષકે આપ્યું રાજીનામું</title>
                    <link>https://khabarantar.com/teacher-resigns-after-being-banned-from-wearing-hijab-at-university</link>
                    <guid>https://khabarantar.com/teacher-resigns-after-being-banned-from-wearing-hijab-at-university</guid>
                    <description>
                        <![CDATA[ કોલકાતાની એક ખાનગી લૉ કૉલેજની એક મહિલા શિક્ષિકાએ હિજાબ પહેરીને આવવાથી રોકવામાં આવ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અધિકારીઓ દ્વારા હિજાબ પહેરવાથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવ્યા બાદ કલકત્તા યુનિવર્સિટી સાથે જોડાયેલી એક ખાનગી કાયદા સંસ્થાના શિક્ષકે રાજીનામું આપ્યું છે. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યા પછી વિરોધ શરૂ થયો, ત્યારે સંસ્થાના અધિકારીઓએ દાવો કર્યો કે તે વાતચીતના અભાવને કારણે થયું છે અને તે રાજીનામું પાછું ખેંચીને કામ પર પાછા ફરશે. છેલ્લા ત્રણ વર્ષથી એલજેડી લો કોલેજમાં ભણાવતા સંજીદા કાદરે ૫ જૂને રાજીનામું આપ્યું હતું. તેનો આરોપ હતો કે કોલેજ પ્રશાસને તેણીને ૩૧ મે પછી કાર્યસ્થળ પર હિજાબ ન પહેરવાની સૂચના આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શિક્ષિકા સાથે એકતા વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના મંત્રી અને જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ સિદ્દિકુલ્લાહ ચૌધરીએ કહ્યું કે, કોલેજ ગવર્નિંગ બોડીના આદેશથી મારા મૂલ્યો અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. વરિષ્ઠ મુસ્લિમ નેતાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું કોલેજ સત્તાવાળાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)અને ભારતીય જનતા પાર્ટી(BJP)ના ઇશારે કામ કરી રહ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મંત્રીએ આરોપ લગાવ્યો કે સંસ્થાનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓમાં પ્રતિકૂળ મૂલ્યો જગાડી રહ્યું છે અને હિજાબ પહેરેલા શિક્ષક સામે તેમને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચૌધરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું કે, ‘લો સ્ટડીઝ ઈન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટના વડા આવો આદેશ કેવી રીતે આપી શકે? ધ્યાનમાં રાખો કે આવી સંસ્થામાં બાળકો પાસેથી બંધારણ અને કાયદાઓ વિશે શીખવાની અપેક્ષા રાખવામાં આવે છે. અમે સાંભળ્યું છે કે શીખ પુરુષો પાઘડી પહેરે છે અને સ્ત્રીઓ તેમના માથા પર દુપટ્ટો બાંધે છે તેનાથી તેમને કોઈ વાંધો નથી. તો પછી તે મુસ્લિમોને કેમ નિશાન બનાવી રહ્યો છે?તેમને કહ્યું કે, ‘સંજીદા હિજાબ પહેરવાને કારણે મહિલાને નોકરી છોડવા માટે મજબૂર કરવા બદલ સંબંધિત સંસ્થા સામે શું પગલાં લઈ શકાય તે માટે હું સરકાર વતી આ મુદ્દો ઉઠાવીશ માર્ચ-એપ્રિલથી કામ પર અને ગયા અઠવાડિયે આ મુદ્દો ચર્ચામાં આવ્યો. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે સંજીદાના રાજીનામાના સમાચાર સાર્વજનિક થયા બાદ સંસ્થાના અધિકારીઓએ તેમનો સંપર્ક કર્યો અને કહ્યું કે આ માત્ર વાતચીતના અભાવને કારણે થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણીએ સ્પષ્ટતા કરી હતી કે કાર્યસ્થળ પર કામ કરતી વખતે તેણીને કપડાથી માથું ઢાંકવાથી ક્યારેય અટકાવવામાં આવ્યું નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંજીદાએ કહ્યું, ‘મને સોમવારે ઓફિસમાંથી એક ઈમેલ મળ્યો હતો. “હું મારા આગળના પગલાઓ વિશે વિચારીશ અને પછી નક્કી કરીશ, પરંતુ હું મંગળવારે કૉલેજ નહીં જઈશ.” ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે તમામ ફેકલ્ટી સભ્યો માટેના ડ્રેસ કોડ મુજબ (જેની સમય સમય પર સમીક્ષા અને મૂલ્યાંકન કરવામાં આવે છે), તેઓ વર્ગો ભણાવતી વખતે માથું ઢાંકવા માટે દુપટ્ટા અથવા સ્કાર્ફનો ઉપયોગ કરવા માટે મુક્ત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોલેજ ગવર્નિંગ બોડીના પ્રમુખ ગોપાલ દાસે કહ્યું, ‘કોઈ સૂચના કે પ્રતિબંધ ન હતો અને કોલેજ સત્તાવાળાઓ દરેકની ધાર્મિક લાગણીઓનું સન્માન કરે છે. તે મંગળવારે ફરીથી ભણાવવાના વર્ગો શરૂ કરશે. કોઈ ગેરસમજ નથી. અમે તેની સાથે લાંબી ચર્ચા કરી. પ્રારંભિક ઘટના વાતચીતના કેટલાક અભાવને કારણે બની હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/emotional-scenes-were-created-when-a-muslim-family-was-helped-by-the-village-and-sent-for-hajj">મુસ્લિમ પરિવારને ગામે મદદ કરીને હજ માટે મોકલતા ભાવુક દ્રશ્યો સર્જાયા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 12 Jun 2024 19:21:19 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 12 Jun 2024 19:20:45 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>756</Articleid>
                    <excerpt>કોલકાતાની એક ખાનગી લૉ કૉલેજની એક મહિલા શિક્ષિકાએ હિજાબ પહેરીને આવવાથી રોકવામાં આવ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6669a68f4ae14.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6669a68f185b9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6669a68f185b9.jpg" length="44323" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર</title>
                    <link>https://khabarantar.com/for-the-first-time-since-independence-an-indian-government-without-a-muslim-minister</link>
                    <guid>https://khabarantar.com/for-the-first-time-since-independence-an-indian-government-without-a-muslim-minister</guid>
                    <description>
                        <![CDATA[ દેશની આઝાદી બાદ આ પહેલી સરકાર છે, જેમાં દેશના અંદાજે 20 કરોડ મુસ્લિમ સમાજનું કોઈ પ્રતિનિધિત્વ નથી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ લીધાં છે. બિનસાંપ્રદાયિક ભારત દેશમાં આઝાદી બાદ આ પહેલી એવી સરકાર છે જેમાં એક પણ મુસ્લિમ પ્રતિનિધિ મંત્રીમંડળમાં સામેલ નથી. રવિવારે નરેન્દ્ર મોદીની સાથે ૭૧ મંત્રીઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ સરકારના મંત્રીમંડળમાં એક પણ મુસ્લિમ ચહેરાને સ્થાન મળ્યું નથી. આઝાદી પછી આ પહેલી કેન્દ્ર સરકાર છે, જેમાં તેની કેબિનેટની રચનામાં કોઈ મુસ્લિમને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં મુસ્લિમ પ્રતિનિધિત્વનો ટ્રેન્ડ ત્રણથી શરૂ થયો હતો અને હવે શૂન્ય પર અટકી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">છેલ્લે મુખ્તાર અબ્બાસ નકવી હતા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાન મોદીની કેબિનેટમાં છેલ્લા મુસ્લિમ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી હતા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની અને પ્રથમ કાર્યકાળમાં નઝમા હેપતુલ્લા, એમ.જે. અકબર અને મુખ્તાર અબ્બાસ નકવીના રૂપમાં ત્રણ મુસ્લિમ મંત્રીઓને મંત્રીમંડળમાં બનાવવામાં આવ્યા. ત્યારપછી કેન્દ્ર સરકારમાં કોઈ મુસ્લિમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આમ ત્રણ મુસ્લિમ મંત્રીઓ સાથેનો ટ્રેન્ડ હવે શૂન્ય પર પહોંચી ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જનસંઘ દ્વારા જનતા પાર્ટી અને બીજેપીના પ્રારંભિક તબક્કાથી પાર્ટીમાં મુસ્લિમ નેતૃત્વ હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયમાં ભાજપના વરિષ્ઠ મુસ્લિમ નેતાઓમાં સિકંદર બખ્ત, આરીફ બેગ, મુખ્તાર અબ્બાસ નકવી અને શાહનવાઝ હુસૈનનો સમાવેશ થતો હતો. સિકંદર બખ્ત અને આરીફ બેગ ભાજપના સ્થાપક સભ્યોમાં સામેલ હતા. શાહનવાઝ હુસૈન અને મુખ્તાર અબ્બાસ નકવી જેવા નેતાઓ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યા છે. શાહનવાઝ ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. ભાજપના મુસ્લિમ નેતા માટે લોકસભાની ચૂંટણી જીતવી ખૂબ જ મુશ્કેલ કામ હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ક્યા મુસ્લિમ મંત્રી સાથે શું થયું?</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આમ તો મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં ત્રણ મુસ્લિમ હતા, પરંતુ આ જ કાર્યકાળમાં મી ટુ અભિયાનના નિશાના પર બનેલા એમ. જે. અકબરને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું, જ્યારે નઝમા હેપતુલ્લા રાજ્યપાલ બન્યા હતા અને મુખ્તાર અબ્બાસ નકવીને છોડી દેવામાં આવ્યા હતા. એકમાત્ર મુસ્લિમ મંત્રી તરીકે ૨૦૧૯માં, જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજી વખત સરકારની રચના થઈ ત્યારે મુખ્તાર અબ્બાસ નકવીને મુસ્લિમ ચહેરા તરીકે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. જુલાઈ ૨૦૨૨માં મુખ્તાર અબ્બાસ નકવીનો રાજ્યસભામાં લઘુમતી કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/emotional-scenes-were-created-when-a-muslim-family-was-helped-by-the-village-and-sent-for-hajj"><span style="font-size: 14pt;">મુસ્લિમ પરિવારને ગામે મદદ કરીને હજ માટે મોકલતા ભાવુક દ્રશ્યો સર્જાયા</span></a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_6667e982325dc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પાર્ટીએ તેમને રાજ્યસભામાં ન મોકલ્યા, જેના કારણે તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને આ સાથે મોદી કેબિનેટમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ ગયું. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે કેન્દ્ર સરકારમાં કોઈ મુસ્લિમ મંત્રી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">દેશમાં મુસ્લિમ સમાજની વસ્તી અંદાજે 20 કરોડ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશમાં જ્યારે મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં આવી ત્યારે એવી અપેક્ષા હતી કે કોઈ મુસ્લિમને મંત્રી બનાવવામાં આવશે, પરંતુ રવિવારે મંત્રીમંડળની રચનામાં કોઈ મુસ્લિમને સ્થાન મળ્યું નથી. દેશમાં મુસ્લિમોની વસ્તી લગભગ ૨૦ કરોડ છે, પરંતુ ભારત સરકારમાં તેમની ભાગીદારી શૂન્ય છે. જો કે, મોદી સરકારમાં લઘુમતી સમુદાયના ૫ મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં કિરેન રિજિજુ અને હરદીપ પુરીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રવનીત સિંહ બિટ્ટુ, જ્યોર્જ કુરિયન અને રામદાસ આઠવલે રાજ્યકક્ષાના મંત્રી છે. રિજિજુ અને કુરિયન ખ્રિસ્તી સમુદાયમાંથી છે, જ્યારે હરદીપ પુરી અને બિટ્ટુ શીખ સમુદાયમાંથી છે. રામદાસ આઠવલે બૌદ્ધ ધર્મના છે. પણ મંત્રીમંડળમાં એકેય મુસ્લિમ મંત્રી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">મુસ્લિમ સમાજ ભાજપથી દૂર જઈ રહ્યો છે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સાત મુસ્લિમોને અલગ-અલગ બેઠકો પર ટિકિટ આપી હતી, પરંતુ એક પણ મુસ્લિમ નેતા તેમની બેઠક જીતવામાં સફળ થયો ન હતો. આ પછી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે છ મુસ્લિમોને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા, પરંતુ તેઓ પણ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. આ વખતે ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપે કેરળની મલપ્પુરમ બેઠક પરથી અબ્દુલ સલામને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ આ બેઠક પરથી હારી ગયા હતા. આ રીતે મુસ્લિમ સમુદાય ભાજપથી અંતર બનાવી રહ્યો છે, અને સામે ભાજપ પણ તેમનાથી અંતર જાળવી રહ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કથિત બિનસાંપ્રદાયિક પક્ષો પણ ભાજપને રસ્તે</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજકીય વિશ્લેષકો કહે છે કે, ભાજપ અને મોદી સરકારમાં મુસ્લિમ ચહેરો હોવો એ માત્ર ઔપચારિકતા છે, પરંતુ ૧૪ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ ન હોવું એ ચોક્કસપણે ચિંતાનો વિષય છે. રાજકીય પંડિતો પણ માની રહ્યા છે કે હવે દેશમાં મુસ્લિમ રાજકારણ સાવ અપ્રસ્તુત બની રહ્યું છે, માત્ર ભાજપ જ નહીં પણ કહેવાતા સેક્યુલર પક્ષો પણ તેમને ટિકિટ આપવાનું ટાળી રહ્યાં છે અને તેમને રાજકારણમાં આગળ લાવવાથી મોં ફેરવી રહ્યા છે. ચૂંટણી લડવાની મર્યાદિત તકોને કારણે વર્તમાન લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ પણ ઘટ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો:</strong></span><a href="https://khabarantar.com/mayawati-disappointed-with-bsps-electoral-defeat-made-an-announcement-about-muslims"> <strong>ચુંટણીમાં  BSP ની હાર થતાં માયાવતી નિરાશ, મુસ્લિમોને લઈને જાહેરાત કરી</strong></a></span></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 11 Jun 2024 11:41:18 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>748</Articleid>
                    <excerpt>દેશની આઝાદી બાદ આ પહેલી સરકાર છે, જેમાં દેશના અંદાજે 20 કરોડ મુસ્લિમ સમાજનું કોઈ પ્રતિનિધિત્વ નથી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6667e95723c0b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6667e956e12ca.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6667e956e12ca.jpg" length="107377" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચુંટણીમાં  BSP ની હાર થતાં માયાવતી નિરાશ, મુસ્લિમોને લઈને જાહેરાત કરી</title>
                    <link>https://khabarantar.com/mayawati-disappointed-with-bsps-electoral-defeat-made-an-announcement-about-muslims</link>
                    <guid>https://khabarantar.com/mayawati-disappointed-with-bsps-electoral-defeat-made-an-announcement-about-muslims</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે ત્યારે બીએસપી સુપ્રીમો માયાવતીએ મુસ્લિમ સમાજના પ્રતિનિધિત્વને લઈને મોટી વાત કરી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, યુપીમાં અગાઉની ચૂંટણીઓની સરખામણીમાં તેની બેઠકો ઘટીને અડધી થઈ ગઈ છે. જ્યારે યુપીમાં સપા-કોંગ્રેસ ગઠબંધનને સૌથી વધુ બેઠકો મળી છે. આ ચૂંટણીમાં બસપાની હાલત સૌથી વધુ ખરાબ થઈ છે, જે ૨૦૧૪ની જેમ ફરી એકવાર શૂન્ય બેઠકો મેળવી છે. હવે બસપા સુપ્રીમો માયાવતીની પ્રતિક્રિયા સામે આવી છે, તેમણે મુસ્લિમોને પ્રતિનિધિત્વ આપવા અંગે મોટી વાત કહી છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હકીકતમાં, લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ચૂંટણી પરિણામોમાં બસપાને શૂન્ય બેઠકો મળ્યા બાદ પાર્ટીના વડા માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર બે પાનાનું નિવેદન જારી કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ સમુદાય બીએસપીનો વિશેષ હિસ્સો રહ્યો છે, પરંતુ છેલ્લી ઘણી ચૂંટણીઓમાં અને આ વખતે લોકસભા ચૂંટણીમાં પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપવા છતાં, બસપા તેને સમજી શકતી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમ સમુદાયને લઈને માયાવતીએ કહ્યું કે હવે ભવિષ્યમાં પાર્ટી તેમને ખૂબ જ સમજી વિચારીને ચૂંટણીમાં તક આપશે, જેથી પાર્ટીને આ વખતની જેમ મોટું નુકસાન ન થાય. માયાવતીએ સામાન્ય ચૂંટણીના પરિણામોને લઈને પોતાના નિવેદનમાં પાર્ટીની હારની સંપૂર્ણ સમીક્ષા કરવાની અને સુધારા માટે જરૂરી પગલાં લેવાની વાત કરી છે અને કહ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામ જે પણ આવે તે લોકોની સામે છે અને હવે તેમણે જ દેશની લોકશાહી, બંધારણ અને રાષ્ટ્રીય હિત વિશે વિચારીને ર્નિણય લેવાનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">માયાવતીએ કહ્યું છે કે લોકોએ વિચારવું જાેઈએ કે આ ચૂંટણી પરિણામ તેમના જીવન પર શું અસર કરશે અને તેમનું ભવિષ્ય કેટલું શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સુરક્ષિત રહેશે કે નહીં. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં દેશની નજર યૂપી તરફ મંડાયેલી છે, જે પણ પરિણામ આવશે, બસપા તેનું ગંભીરતાથી વિશ્લેષણ કરશે, પાર્ટીના આંદોલનના હિતમાં જે પણ જરૂરી હશે, તે નક્કર પગલાં લેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/Mayawati-demands-Bharat-Ratna-award-to-Manyavar-Kanshiram,-central-govt-furious"><strong>માયાવતીએ માન્યવર કાંશીરામને ભારત રત્નથી સમ્માનિત કરવાની માંગ કરી, કેન્દ્ર સરકાર ભીંસમાં</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 06 Jun 2024 18:03:58 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 06 Jun 2024 18:09:55 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>727</Articleid>
                    <excerpt>લોકસભાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે ત્યારે બીએસપી સુપ્રીમો માયાવતીએ મુસ્લિમ સમાજના પ્રતિનિધિત્વને લઈને મોટી વાત કરી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_6661ac967ec05.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_6661ac964f967.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_6661ac964f967.jpg" length="81215" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ઓમર અબ્દુલ્લા ટેરર ફંડિગમાં સજા ભોગવી રહેલા એન્જિનિયર સામે હાર્યા</title>
                    <link>https://khabarantar.com/omar-abdullah-lost-to-an-engineer-serving-a-sentence-for-terror-funding</link>
                    <guid>https://khabarantar.com/omar-abdullah-lost-to-an-engineer-serving-a-sentence-for-terror-funding</guid>
                    <description>
                        <![CDATA[ આ ચૂંટણીમાં જે કેટલાક ચોંકાવનારા પરિણામો આવ્યા છે તેમાં કાશ્મીરનો પણ ઉલ્લેખ કરવો પડે. અહીં પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા જેલમાં રહેલા એક એન્જિનિયર સામે હારી ગયા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો ખૂબ જ ચોંકાવનારા રહ્યાં છે. ભાજપ ગઠબંધન-એનડીએને યુપી સહિત અનેક રાજ્યોમાં મોટા આંચકાઓ સહન કરવા પડી રહ્યાં છે. તો બીજી તરફ જમ્મુ કશ્મીરમાં દેશની એક સીટ પર ટેરર ફંડિંગ માટે સજા ભોગવી રહેલા એન્જિનિયરે ઉમેદવારી નોંધાવી હતી અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ઉમેદવારે જેલમાંથી પણ આ બેઠક જીતી લીધી છે. અહીં વાત થઈ રહી છે જમ્મુ-કાશ્મીરની બારામુલ્લા બેઠકની.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જમ્મુ અને કાશ્મીરમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પોત-પોતાની બેઠકો પર ચૂંટણી હારી ગયા છે. ઓમર બારામુલામાં હારી ગયા છે જ્યારે મુફ્તીએ અનંતનાગમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓમર અબ્દુલ્લાને હરાવનાર એન્જિનિયરનું નામ રાશિદ શેખ છે. શેખે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને હાલમાં તે ટેરર ફંડિંગના કેસમાં તિહાર જેલમાં બંધ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીર રાજ્યના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને તેમની સંબંધિત લોકસભા બેઠકો પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અબ્દુલ્લા બારામુલ્લા જ્યારે મહેબૂબા મુફ્તી અનંતનાગ-રાજૌરી સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. બારામુલા લોકસભા સીટ પર ત્રીજા સ્થાને હાઇ પ્રોફાઇલ નેતા સાજિદ લોન છે, તે જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ પાર્ટીના ઉમેદવાર છે. ઓમરે મીડિયા ચેનલો સાથે વાત કરતા પોતાની હાર સ્વીકારી લીધી છે અને આ અંગે ટિ્‌વટ પણ કર્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202406/image_870x_66606493d2b40.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અબ્દુલ રાશિદ ઉર્ફે એન્જિનિયર રાશિદ શેખ હાલમાં ટેરર ફંડિંગના કેસમાં તિહાર જેલમાં બંધ છે. બે વખતના ધારાસભ્ય અને અવામી ઇત્તેહાદ પાર્ટીના વડા રાશિદ બારામુલાથી ચૂંટણી લડી રહેલા ૨૨ ઉમેદવારોમાંથી એક છે. ૨૦૧૯માં ટેરર ફંડિંગ કેસમાં રાશિદની ધરપકડ કરવામાં આવી હતી. તેમના બે પુત્રો અબરાર રાશિદ અને અસરર રાશિદે તેમના વતી પ્રચાર કર્યો હતો. રાશિદ ૨૦૦૮ અને ૨૦૧૪માં લંગેટ વિધાનસભા ચૂંટણીથી જીત્યા હતા. જો કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બારામુલા સિવાય અનંતનાગ-રાજૌરી બેઠક પર લોકસભા ચૂંટણીમાં મહેબૂબા મુફ્તીને હરાવનાર નેશનલ કોન્ફરન્સના નેતા મિયાં અલ્તાફ અહેમદ છે. અહેમદ અને મુફ્તી વચ્ચે મતોનો તફાવત લગભગ ૨.૫ લાખથી વધુનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: </strong></span><a href="https://khabarantar.com/karnataka-government-included-muslims-in-obc-will-get-reservation-in-jobs"><strong>કર્ણાટક સરકારે મુસ્લિમોને OBC માં સામેલ કર્યા, નોકરીમાં અનામત મળશે</strong></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 05 Jun 2024 21:35:32 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>721</Articleid>
                    <excerpt>આ ચૂંટણીમાં જે કેટલાક ચોંકાવનારા પરિણામો આવ્યા છે તેમાં કાશ્મીરનો પણ ઉલ્લેખ કરવો પડે. અહીં પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લા જેલમાં રહેલા એક એન્જિનિયર સામે હારી ગયા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202406/image_140x98_666064790ba7c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202406/image_870x580_66606478cc5a6.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202406/image_870x580_66606478cc5a6.jpg" length="94919" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ચૂંટણી વચ્ચે બંગાળમાં 77 મુસ્લિમ જાતિઓનો ઓબીસી દરજ્જો ખતમ</title>
                    <link>https://khabarantar.com/obc-status-of-77-Muslim-castes-ended-in-Bengal-amid-elections</link>
                    <guid>https://khabarantar.com/obc-status-of-77-Muslim-castes-ended-in-Bengal-amid-elections</guid>
                    <description>
                        <![CDATA[ લોકસભાની ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળમાં ૭૭ મુસ્લિમ જાતિઓનો ઓબીસી દરજ્જો ખતમ કરી દેવાયો છે. જેનાથી અહીંની ૧૭ બેઠકો પર સમીકરણો બદલાશે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લોકસભાની ચૂંટણી હાલ તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે ત્યારે બંગાળમાંથી એક મોટા સમાચાર આવી રહ્યાં છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન ૨૫ જૂને થવા જઈ રહ્યું છે અને ત્યાર બાદ ૧ જૂને છેલ્લા તબક્કાનું મતદાન થશે. આ રીતે ચૂંટણીને આડે લગભગ એક સપ્તાહ બાકી છે ત્યારે કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં ૭૭ મુસ્લિમ જાતિઓનો ઓબીસી દરજ્જો નાબૂદ કરી દીધો છે. હાઈકોર્ટે આ મુસ્લિમ જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવાના આધારને ગેરકાયદેસર જાહેર કરતા આ નિર્ણય સંભળાવ્યો હતો. આ ૭૭ જાતિઓમાંથી ૪૨ જાતિઓને ૨૦૧૦માં તત્કાલીન ડાબેરી સરકાર દ્વારા ઓબીસીનો દરજ્જો અપાયો હતો. એ પછી મમતા બેનરજી સરકાર દરમિયાન બાકીની જાતિઓ ઉમેરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું છે કે આ સમુદાયોને ઓબીસી ક્વોટા હેઠળ નિમણૂકો મેળવવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સાથે કોર્ટે સ્પષ્ટતા કરી કે જેમને ઓબીસી ક્વોટા હેઠળ નોકરી કે પ્રવેશ મળ્યો છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. હાઈકોર્ટના આ નિર્ણયની અસર દેશના અન્ય રાજ્યો પર પણ પડશે. છતાં તેની ચૂંટણી અસર બંગાળમાં વધુ જોવા મળી શકે છે. રાજ્યમાં મુસ્લિમોની વસ્તી લગભગ ૩૦ ટકા છે અને તેઓ લગભગ સમગ્ર રાજ્યમાં પ્રભાવ ધરાવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/karnataka-government-included-muslims-in-obc-will-get-reservation-in-jobs">કર્ણાટક સરકારે મુસ્લિમોને OBC માં સામેલ કર્યા, નોકરીમાં અનામત મળશે</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_664f426ed8ad9.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છઠ્ઠા અને સાતમા તબક્કામાં જે ૧૭ બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી છે ત્યાં મુસ્લિમોની વસ્તી નોંધપાત્ર છે. આવી સ્થિતિમાં ચૂંટણીમાં ધ્રુવીકરણની સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. ઓબીસીનો દરજ્જો નકારી કાઢતા કોર્ટે કહ્યું કે, “કોર્ટનું માનવું છે કે ૭૭ મુસ્લિમ જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવા માટે ખોટા માપદંડો અપનાવવામાં આવ્યા હતા. એવી પણ આશંકા છે કે આ લોકોનો વોટબેંક તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે રીતે આ લોકોને ઓબીસી યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા તે જોતા લાગે છે કે તેમની સાથે વોટ બેંક તરીકે વ્યવહાર કરવામાં આવ્યો હતો.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્રણ લોકોની અરજી પર લાંબી સુનાવણી બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. આ અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે ઘણી જ્ઞાતિઓને કોઈપણ આર્થિક અને સામાજિક અભ્યાસ વિના ઓબીસી એ અને ઓબીસી બી યાદીમાં સામેલ કરવામાં આવી છે. આવું તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં આવી ત્યારથી એટલે કે વર્ષ 2011થી થઈ રહ્યું છે</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/the-slogan-of-abki-bar-charso-par-and-dr-ambedkars-warning">'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી</a><br></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 23 May 2024 18:54:40 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>655</Articleid>
                    <excerpt>લોકસભાની ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળમાં ૭૭ મુસ્લિમ જાતિઓનો ઓબીસી દરજ્જો ખતમ કરી દેવાયો છે. જેનાથી અહીંની ૧૭ બેઠકો પર સમીકરણો બદલાશે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_664f425cbc7c4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_664f425c8dd4f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_664f425c8dd4f.jpg" length="105595" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત સહિત દેશભરમાં મદરેસાઓમાં ચકાસણી કરવા આદેશ</title>
                    <link>https://khabarantar.com/order-to-check-madrasas-across-the-country-including-gujarat</link>
                    <guid>https://khabarantar.com/order-to-check-madrasas-across-the-country-including-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત સહિત દેશભરમાં બરાબર લોકસભાની ચૂંટણી ટાણે જ મદરેસાઓમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેની પાછળ શું તર્ક છે? ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે ગુજરાત સહિત દેશભરમાં મદરેસાઓમાં ચકાસણી કરવા સૂચના આપી છે. મદરેસાઓમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ ભણતા હોવાના અહેવાલોને પગલે આ આદેશ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તે અંતર્ગત બાળ અધિકાર સંરક્ષણ પંચે ગુજરાત સરકારના મુખ્ય સચિવને પણ પત્ર લખ્યો છે. આ પત્રના સંદર્ભમાં રાજ્યમાં મદરેસાઓમાં તપાસ શરૂ થઈ હોવાનું જાણવા મળે છે</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત દરેક ડીઈઓ- ડીપીઓએ અધિકારીઓની ટીમ બનાવીને મદરેસાઓમાં ભૌતિક ચકાસણી કરવાની રહેશે. ઉપરાંત બિનમુસ્લિમ બાળકો કેટલા છે અને મદરેસાઓમાં ભણતા બાળકો અન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકાર દ્વારા અપાયેલી યાદી મુજબ હાલ રાજ્યમાં નોંધાયેલી હોય તેવી કુલ ૧૧૨૮ મદરેસા સ્કૂલો છે જ્યાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ અલગ- અલગ મદરેસાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓની ટીમ સર્વે કરી રહી છે. દરેક મદરેસાઓમાં ૨ સભ્યોની ટીમે સર્વે હાથ ધર્યો છે. અહીં પહોંચી નિયત કરેલું ફોર્મ ભરવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ અમદાવાદ શહેર અને જિલ્લાઓ મળી કુલ ૨૦૫ મદરેસાઓ કાર્યરત છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-Unrecognized-Suffering-of-the-Dalit-Muslim-and-the-Direction-of-Solution">દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_6649b7564432b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી માહિતી મુજબ આ સર્વેક્ષણ હેઠળ કુલ ૧૧ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં, મદરેસા સંચાલકનું નામ અને ટ્રસ્ટ કે સંસ્થાનું નામ, કઈ સંસ્થાની મંજૂરી છે તેની વિગત, શિક્ષકોને કઈ રીતે પગાર ચૂકવવામાં આવે છે તેની માહિતી એકઠી કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત મદરેસાઓમાં અભ્યાસના સમય સહિતની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ તપાસ પાછળ બૌદ્ધિક વર્ગ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલો સ્ટંટ માને છે. સૂત્રોના મતે, હાલ ચૂંટણીમાં મોંઘવારી, બેરોજગારી બે સૌથી મોટા મુદ્દા છે અને વર્તમાન સરકાર તેનાથી પીછો છોડાવી લોકોનું ધ્યાન તેમની પીચ ગણાતા હિંદુ-મુસ્લિમના મુદ્દા તરફ દોરી જવા માંગે છે એટલે મદરેસાઓના સર્વેનું કામ લોકસભાની ચૂંટણી ટાણે હાથ ધરવામાં આવ્યું છે, જેથી દેશભરમાં હિંદુ મતદારોને ખુશ કરીને રાજકીય લાભ ખાટી શકાય. જો કે, એક વર્ગ તેને સરકારીની રૂટિન કામગીરી ગણીને અવગણી પણ રહ્યો છે. જોવાનું એ રહે છે કે, આામાંથી ક્યો તર્ક સાચો નીવડે છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/80-of-anti-Muslim-hate-speech-delivered-in-BJP-ruled-states-in-2023:-report">2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યા</a></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 May 2024 13:58:53 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>637</Articleid>
                    <excerpt>ગુજરાત સહિત દેશભરમાં બરાબર લોકસભાની ચૂંટણી ટાણે જ મદરેસાઓમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેની પાછળ શું તર્ક છે?</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_6649b755dc456.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_6649b755a9703.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_6649b755a9703.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case minority news</media:keywords>
                </item>
                        <item>
                    <title>મુસ્લિમ પરિવારને ગામે મદદ કરીને હજ માટે મોકલતા ભાવુક દ્રશ્યો સર્જાયા</title>
                    <link>https://khabarantar.com/emotional-scenes-were-created-when-a-muslim-family-was-helped-by-the-village-and-sent-for-hajj</link>
                    <guid>https://khabarantar.com/emotional-scenes-were-created-when-a-muslim-family-was-helped-by-the-village-and-sent-for-hajj</guid>
                    <description>
                        <![CDATA[ એક ચોક્કસ રાજકીય પક્ષ દ્વારા દેશભરમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે ભાગલા પડાવવા પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે ઉત્તર ગુજરાતનું આ ગામ કોમી એકતાની વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જાતિવાદ અને કોમી વૈમનસ્યના વર્તમાન વાતાવરણ વચ્ચે બે ધર્મ વચ્ચે નફરતની દિવાલ દિન પ્રતિદિન મજબૂત થઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના એક ગામમાંથી કોમી એકતાનું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક ગામમાં મુસ્લિમ સમાજનું એક જ ઘર છે અને આખા ગામ સાથે તેમને એવો તો ઘરોબો છે કે, મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાતા મક્કા ધામ હજ યાત્રા માટે આ મુસ્લિમ પરિવારને આખા ગામે તમામ મદદ પૂરી પાડી હજ માટે વિદાય આપતા કોમી એકતાના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વાત બનાસકાંઠાના પાલનપુર તાલુકાના રૂપપુરા ગામની છે. આ આખું ગામ હિંદુઓની વસ્તી ધરાવે છે. આ ગામમાં 1960થી એક મુસ્લિમ પરિવાર પણ વસે છે. વર્તમાન કોમી વૈમનસ્યના વાતાવરણમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની જ્યારે વાત આવે ત્યારે લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. પરંતુ રૂપપુરા ગામે કોમી એકતાનું એક અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજ સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળી મળીને વિવિધ તહેવારો ઉજવ્યા છે. મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે જોડાઈને ઉજવણી કરતા હોય છે. ૬૦થી વધુ વર્ષોથી આ ગામમાં ભાઈચારો જળવાઈ રહ્યો છે અને રૂપપુરા ગામના ગ્રામજનો આ મુસ્લિમ પરિવારના લગ્નમાં અને મામેરામાં પણ તમામ મદદ પૂરી પાડી અને અનોખો સંદેશો પણ પૂરો પાડ્યો છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ત્યારે વર્ષો બાદ હવે મુસ્લિમ પરિવારના દીકરાઓ અને તેમનો પરિવાર મુસ્લિમ ધર્મના પવિત્ર ગણાતા યાત્રાધામ એવા મક્કા ખાતે જ્યારે હજ પઢવા માટે જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર રૂપપુરા ગામ તેમની મદદે આવ્યું છે અને ગામના રામદેવપીરના મંદિરમાં તેમને ફૂલહાર પહેરાવી ગળે લગાવીને હજ માટેની વિદાય આપવા માટે એકઠા થયા હતા. હિન્દુ સમાજના લોકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ તહેવારની ઉજવણી કરવાની હોય કે લગ્ન પ્રસંગની વાત હોય હંમેશા હિન્દુ સમાજ સાથે આ મુસ્લિમ પરિવાર રહ્યો છે. મુસ્લિમ પરિવાર સાથે તમામ હિન્દુ સમાજના આખા ગામના લોકો રહ્યા છે એટલે કે વર્ષોથી આ ભાઈચારાની ભાવના જોડાઈ રહી છે અને આજે તેઓ હજયાત્રા એ જઈ રહ્યા છે ત્યારે આખા ગામના લોકો પણ ભાવુક બન્યા છે અને તેમની આ યાત્રા સફળ થાય તે માટે શુભકામનાઓ પણ આપી રહ્યા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Why-did-every-party-keep-distance-from-Muslim-candidates-in-Madhya-Pradesh">Madhya Pradeshમાં મુસ્લિમ ઉમેદવારો પ્રત્યે દરેક પક્ષે અંતર કેમ રાખ્યું?</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663da65eb2521.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રૂપપૂરા ગામ તેમને ફૂલહાર કરીને વિદાય આપવા એકઠું થયું હતું. આ ગામમાં આટલા વર્ષો થી કોઈ દિવસ મુસ્લિમ પરિવાર અને હિન્દુ સમાજના લોકો વચ્ચે કોઈ અણબનાવ બન્યો નથી અને આ ગામ સર્વધર્મ સમભાવની ભાવના સાથે હળી મળી ને રહે છે. રૂપપુરા ગામે રહેતો મન્સૂરી પરિવાર હજયાત્રા માટે ગયો હતો અને તેમને વિદાય આપવા માટે સૌ ગ્રામજનો એકઠા થયા હતા અને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડીને તેમને વિદાય આપવામાં આવી હતી. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગામલોકોની આવી લાગણી જોઈને મન્સૂરી પરિવાર ગદગદિત થઈ ગયો હતો. આ પરિવારના વડીલ કહે છે, દાયકાઓથી અમે રૂપપુરામાં રહીએ છીએ. ગ્રામલોકોએ કદી અમારી સાથે કોઈ ભેદભાવ નથી કર્યો. વર્ષોથી એક પરિવાર માનીને સાથે રહીને તમામ તહેવારો કે લગ્ન પ્રસંગ દરેક વખતે અમને આમંત્રણ આપવામાં આવે છે. અમે વર્ષોથી હિન્દુ સમાજના લોકો સાથે એક પરિવાર તરીકે રહીએ છીએ. આ ગ્રામજનોએ અમને બોલાવીને અમારું સ્વાગત કર્યું છે અને અમારી વિદાયમાં અમને જે મદદ કરી છે. અમને જે સહકાર આપ્યો છે તે અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી અને આ હજની યાત્રામાં અમે દુઆ કરીશું કે રૂપપુરા ગામમાં આ જિલ્લો રાજ્ય અને દેશમાં સુખ શાંતિ રહે અને દરેક ધર્મના લોકો સર્વ ધર્મ સમભાવની ભાવનાથી સાથે રહે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રૂપપુરા ગામનું મુસ્લિમ પરિવાર ગામમાં હંમેશા હળીમળીને રહ્યું છે તો ગામના હિન્દૂ લોકો પણ કોઈ નાતજાત કે ધર્મના ભેદભાવ વગર જીવી રહ્યા છે. આજદિન સુધી ગામમાં રહેતા મુસ્લિમ પરિવારે કોઈની સાથે ખરાબ વર્તન કર્યું નથી. હજ પઢવા રવાના થતા પહેલા મુસ્લિમ પરિવારે સૌને ભેટીને વિદાય લીધી હતી. તો સામે ગામલોકોએ પણ આ પરિવારની નિખાલસતાને બિરદાવી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો: <a href="https://khabarantar.com/The-Unrecognized-Suffering-of-the-Dalit-Muslim-and-the-Direction-of-Solution">દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા</a></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 10 May 2024 10:19:16 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>601</Articleid>
                    <excerpt>એક ચોક્કસ રાજકીય પક્ષ દ્વારા દેશભરમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે ભાગલા પડાવવા પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે ઉત્તર ગુજરાતનું આ ગામ કોમી એકતાની વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_663da65f57fc1.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_663da65f28fcb.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_663da65f28fcb.jpg" length="79978" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>એક ગીત માટે જ્યારે નૌશાદે લતા મંગેશકરને બાથરૂમમાં ઉભા રાખ્યાં</title>
                    <link>https://khabarantar.com/for-a-song-when-naushad-made-lata-mangeshkar-stand-in-the-bathroom</link>
                    <guid>https://khabarantar.com/for-a-song-when-naushad-made-lata-mangeshkar-stand-in-the-bathroom</guid>
                    <description>
                        <![CDATA[ ભારતીય ફિલ્મ સંગીતના મુગલ-એ-આઝમની જેમને ઉપમા મળી છે મહાન સંગીતકાર નૌશાદની આજે પુણ્યતિથિ છે ત્યારે અહીં તેમના સંગીત જીવનનો એક પ્રસંગ યાદ કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">હિન્દી ફિલ્મોને શાસ્ત્રીય સંગીતનો પરિચય આપનાર સંગીતકાર નૌશાદ અલીની આજે પુણ્યતિથિ છે. ભારતીય સિનેમાને સમૃદ્ધ કરનાર સંગીતકારોની કમી નથી પરંતુ નૌશાદ અલીનું સંગીત અલગ હતું. તેમણે ફિલ્મોની સંખ્યા કરતાં સંગીતને વધુ પસંદ કર્યું. કદાચ એટલે જ તેમનું સંગીત આજે પણ લોકોના હોઠો પર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નૌશાદનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૧૯ના રોજ લખનૌમાં મુનશી વાહિદ અલીના ઘરે થયો હતો. તેમણે લખનૌમાં જ અભ્યાસ કર્યો. નગરની સંસ્કૃતિ શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલી હોવાથી તેઓ સંગીતના પણ શોખીન બન્યા હતા. આ પછી નૌશાદે ઉસ્તાદ ગુરબત અલી, ઉસ્તાદ યુસુફ અલી, ઉસ્તાદ બબ્બન સાહેબ પાસેથી ભારતીય સંગીતની તાલીમ મેળવી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/Mirza-Ghalib:-Shayar-to-wo-achcha-hai,-par-badnam-bahut-hai">મિર્ઝા ગાલિબ : શાયર તો વો અચ્છા હૈ, પર બદનામ બહુત હૈ...</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663737b0726f4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નૌશાદ સાહેબને બાળપણથી જ ફિલ્મો જોવાનો અને સંગીત સાંભળવાનો શોખ હતો. એવું કહેવાય છે કે નૌશાદ સાહેબનો ફિલ્મો તરફનો ઝુકાવ જોઈને તેમના પિતાએ એક વખત તેમને ઠપકો આપ્યો અને તેમને ઘર કે સંગીતમાંથી એક પસંદ કરવાનું કહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">થોડા સમય પછી એક નાટક કંપની લખનૌ આવી અને નૌશાદે તેમના પિતાશ્રીને કહ્યું કે તમારું ઘર તમને મુબારક, મને મારું સંગીત જોઈએ છે. અને આમ તે નાટક મંડળીનો ભાગ બનીને નૌશાદે એક નગરથી બીજા નગરમાં ભ્રમણ કરવાનું શરૂ કર્યું. નૌશાદ લખનૌમાં સંગીતનાં સાધનોની દુકાનમાં કામ કરતા હતા, જ્યાં એકવાર તેમના માલિકે તેને હાર્મોનિયમ વગાડતા જોયા તો તેમને સખત ઠપકો આપ્યો. પાછળથી માલિકને ખબર પડી કે નૌશાદે ખૂબ જ સુંદર ધૂન રચી છે. એ પછી તેમણે નૌશાદને સંગીતનાં સાધનો ભેટમાં આપ્યાં.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/he-asked-for-and-got-25-thousand-to-sing-a-song-in-mughal-azam">તેમણે મુઘલે આઝમમાં એક ગીત ગાવાના 25 હજાર માંગેલા અને મળ્યાં હતા!</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663737afcec53.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નૌશાદ સંગીતના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા મુંબઈ જવા માગતા હતા. એક મિત્ર પાસેથી ઉધાર લઈને નૌશાદ ૧૯૩૭માં ૧૯ વર્ષની ઉંમરે મુંબઈ પહોંચી ગયા, પરંતુ શરૂઆતમાં તેમને ત્યાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એટલા સુધી કે તેમણે ઘણી રાતો ફૂટપાથ પર સૂઈને વિતાવવી પડી. નૌશાદે સૌપ્રથમ તે સમયના પ્રખ્યાત સંગીત નિર્દેશક ઉસ્તાદ ઝંડેખાનનો સંપર્ક કર્યો અને સહાયક બન્યા. તે સમયે નૌશાદને મહિને ૪૦ રૂપિયા મળતા હતા. ત્યાર પછી ૧૯૪૦ માં નૌશાદ અલીએ ફિલ્મ 'પ્રેમ નગર' થી સંગીત નિર્દેશનની શરૂઆત કરી અને ૧૯૪૪માં આવેલી ફિલ્મ ‘રતન’ ના ગીતોમાં ઉત્તમ સંગીત આપીને સફળતાના પ્રથમ પગથિયાં પર પગ મૂક્યો. એવું કહેવાય છે કે 'રતન'માં તેમના રચિત ગીત 'અંખિયાં મિલા કે જિયા ભરમા કે ચલે નહીં જાના'ની સફળતા પછી, નૌશાદે ૨૫,૦૦૦ રૂપિયાનો પગાર લેવાનું શરૂ કર્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જે જમાનામાં નૌશાદ અલીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી એ જમાનામાં ટેક્નોલોજી વિના સંગીત આપવામાં આવતું હતું. તે સમયે પણ નૌશાદે એક એકથી ચડિયાતા સાઉન્ડ ઈફેક્ટનો ઉપયોગ કર્યો હતો અને તે પણ ટેક્નોલોજી વગર. 'મુગલ-એ-આઝમ'માં 'પ્યાર કિયા તો ડરના ક્યા' ગીતમાં ઇકો ઇફેક્ટ લાવવા માટે નૌશાદે લતા મંગેશકરને બાથરૂમમાં ઉભા રહીને ગાવાનું કહ્યું. એટલું જ નહીં, ફિલ્મ સંગીતમાં એકોર્ડિયનનો ઉપયોગ કરનાર પણ નૌશાદ પ્રથમ હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/i-will-not-die-of-hunger-chamar-i">મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું...</a></strong></span></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202405/image_870x_663737af4daf8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સંગીત સમ્રાટ નૌશાદ હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સંગીતકાર બન્યા, જેમને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નૌશાદને ૧૯૫૩ની ફિલ્મ ‘બૈજુ બાવરા’ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સંગીતકારનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જો કે તેના પછી તેમને ફરીથી ક્યારેય ફિલ્મફેર એવોર્ડ મળ્યો ન હતો. નૌશાદ અલીને ૧૯૮૧માં ભારતીય સિનેમામાં સંગીતના સુર પરોવવા બદલ 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૯૨માં તેમને ભારત સરકાર દ્વારા 'પદ્મ ભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. નૌશાદ એક કવિ પણ હતા અને તેમણે 'આઠવાં સુર' નામની ઉર્દૂ કવિતાઓનું પુસ્તક લખ્યું હતું. ૫ મે ૨૦૦૬ના રોજ તેમનું અવસાન થયું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>અનુવાદ - હિદાયત પરમાર </strong></span><span style="font-size: 12pt;"><em><strong>(લેખક વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)</strong></em></span></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આ પણ વાંચો: <a href="https://khabarantar.com/A.-L.-SYED:-The-master-artist-who-photographed-Mughal-e-Azam-to-Dilipkumars-wedding">A. L. SYED: મુગલ-એ-આઝમ થી દિલીપકુમાર ના લગ્ન સુધીના ફોટો લેનાર માસ્ટર આર્ટિસ્ટ</a></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 05 May 2024 13:19:57 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>579</Articleid>
                    <excerpt>ભારતીય ફિલ્મ સંગીતના મુગલ-એ-આઝમની જેમને ઉપમા મળી છે મહાન સંગીતકાર નૌશાદની આજે પુણ્યતિથિ છે ત્યારે અહીં તેમના સંગીત જીવનનો એક પ્રસંગ યાદ કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202405/image_140x98_663737b117529.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202405/image_870x580_663737b0dbc91.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202405/image_870x580_663737b0dbc91.jpg" length="67094" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case, Anand district, saraswati sadhna yojna</media:keywords>
                </item>
                        <item>
                    <title>કૉંગ્રેસ તમારી મિલકત છીનવી તેની ‘મનપસંદ વોટબેંક’ને આપવા માંગે છે</title>
                    <link>https://khabarantar.com/congress-wants-to-take-away-your-property-and-give-it-to-its-favourite-votebank</link>
                    <guid>https://khabarantar.com/congress-wants-to-take-away-your-property-and-give-it-to-its-favourite-votebank</guid>
                    <description>
                        <![CDATA[ વડાપ્રધાન મોદીએ આજે યુપીમાં એક જાહેરસભાને સંબોધી હતી. જેમાં ફરી એકવાર તેમણે લઘુમતી સમાજને કેન્દ્રમાં રાખીને ધ્રુવીકરણનો પ્રયત્ન કર્યો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજકાલ તેમના ભાષણોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા તેમણે વધુ ‘સંતાનોવાળા લોકો’ એવો શબ્દપ્રયોગ કરીને લઘુમતી સમાજ પર નિશાન તાક્યું હતું. જેને લઈને દેશભરમાં વ્યાપક ચર્ચા છેડાઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડા પ્રધાને આજે ઉત્તરપ્રદેશમાં ચુંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે વિરોધ પક્ષો પર નિશાન સાધ્યું હતું. યુપીના શાહજહાંપુરમાં બરેલી મોડ મેદાનમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં એક જનસભાને સંબોધતા પહેલા નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને કેબિનેટ મંત્રી સુરેશ કુમાર ખન્નાએ મંચ પર હનુમાનજીની તસવીર રજૂ કરીને તેમનું સ્વાગત કર્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સભામાં મોદીએ કહ્યું કે કોંગ્રેસ કર્ણાટક મોડલને સમગ્ર દેશમાં લાગુ કરવા માંગે છે. કર્ણાટક મોડલ એ છે કે ઓબીસીને આપવામાં આવેલા ૨૭ ટકા ક્વોટામાંથી તે મુસ્લિમ જાતિઓને આપવામાં આવ્યો છે. કર્ણાટકના તમામ મુસ્લિમોને એક કાગળ પર લેબલ લગાવીને ઓબીસી તરીકે ઓળખાવવામાં આવ્યા છે. શું તમે આવા મોડેલને સ્વીકારો છો?</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાને કહ્યું કે સપાના લોકોએ કાર સેવકો પર ગોળીબાર કર્યો હતો. કોંગ્રેસના લોકો રામ મંદિરનું નિર્માણ અટકાવી રહ્યા હતા. મંદિરના નિર્માણને રોકવા માટે સપા કોંગ્રેસે અનેક પાપ કર્યા. તેના પાપોને માફ કરીને મંદિરના ટ્રસ્ટીઓ તેમના ઘરે ગયા અને તેમને આમંત્રણ આપ્યું. રામ મંદિરનું આમંત્રણ મળવું એ સાત જન્મનું પુણ્ય છે. પણ તેમણે આમંત્રણને પણ ફગાવી દીધું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાને કહ્યું કે પહેલા લખનૌ-કાનપુરમાં દરરોજ આતંકવાદી હુમલા અને બોમ્બ વિસ્ફોટ થતા હતા. આ સિવાય સપા અને કોંગ્રેસના લોકો કશું કરી શક્યા નથી. તેમણે એવું કંઈ કામ કર્યું નથી જેના વિશે તેઓ લોકોને જણાવી શકે. આતંકવાદીઓના મોત પર કોંગ્રેસના મોટા નેતાઓ આંસુ વહાવી રહ્યા હતા. એટલું જ નહીં, સપાના લોકો જેલમાં રહેલા આતંકવાદીઓને છોડાવવા માટે વિવિધ કાયદાકીય માર્ગો શોધી રહ્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાને રાહુલ ગાંધી અને અખિલેશ યાદવનું નામ લીધાં વિના તેમના પર નિશાન સાધતા કહ્યું હતું કે, બે છોકરાઓની જોડી છે, જે ઘણી વખત ફ્લોપ ગઈ છે. શું આપણે તેમની પાસેથી વિકાસની અપેક્ષા રાખી શકીએ? યુવાનો, ગરીબો, ખેડૂતો અને મહિલા શક્તિ અમારી સરકારની પ્રાથમિકતા છે. અમે પીએમ આવાસ હેઠળ ચાર કરોડ ગરીબોને ઘર આપ્યા છે જેમાંથી મોટા ભાગના મકાન મહિલાઓના નામે છે. એટલું જ નહીં ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવીશું. પહેલા સામાન્ય રસ્તાઓ નહોતા. આજે ત્યાંથી એક્સપ્રેસ વે પસાર થઈ રહ્યો છે. શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. આ વિકાસથી લખનૌ અને દિલ્હી વચ્ચેનું અંતર ઘટ્યું છે. આ વિસ્તારને ડિફેન્સ કોરિડોર સાથે પણ જોડવામાં આવશે. તેમણે કહ્યું કે યોગી સરકારમાં શેરડીના ખેડૂતોને સમયસર ચૂકવણી કરવામાં આવે છે. આ ચૂંટણીમાં તમારો દરેક મત મજબૂત ભારતના સંકલ્પને મજબૂત કરવાની ગેરંટી છે. મોદીની ગેરંટી કરતાં આ મોટી ગેરંટી છે. આ વખતે તમારે તમારો વોટ આપીને દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકોને મજબૂત સંદેશ આપવાનો છે. તમારો મત જ આતંકવાદને નિયંત્રણમાં રાખશે. ૨૪મીની ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી છે. આ કોઈ સામાન્ય ચૂંટણી નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાને ફરી પરિવારવાદને લઈને સપા અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે માતૃશક્તિ બાળકો માટે સોનું, ચાંદી અને ઘરવપરાશની વસ્તુઓ બનાવે છે. કોંગ્રેસ સપાએ આ વાતની નોંધ લીધી છે. તેઓ મંગળસૂત્ર છીનવી લેવાની વાત કરે છે. શું કોઈ મા કે બહેન પોતાના મંગળસૂત્ર છીનવવા દેશે? આ લોકોનો ઈરાદો સાચો નથી. સપાના રાજકુમારે કોંગ્રેસના ઈરાદાઓ પર મૌન સેવ્યું છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોદીએ કહ્યું કે કોંગ્રેસ તમારા મૃત્યુ પછી તમારી સંપત્તિ તમારા બાળકોને નહીં આપે. એવો ટેક્સ લગાવવામાં આવશે કે તમારી મિલકત જપ્ત કરવામાં આવશે. જો તમારી પાસે ચાર રૂમ હશે તો કોંગ્રેસ અને સપા બે રૂમ કબજે કરશે. પાંચ વીઘા દસ વીઘા જમીન કબજે કરશે. હવે એક નવું સૂત્ર ચાલી રહ્યું છે, જે આપણા બધાં માટે ચિંતાનો વિષય છે. કોંગ્રેસની લૂંટ લાઈફમાં પણ આફ્ટર લાઈફ. કોંગ્રેસ ઈચ્છે છે કે તમારી મિલકતનો એક્સ-રે કરવામાં આવે. તમામ સોનું, વાહનો અને મકાનોનો સર્વે કરવો જોઈએ. કોંગ્રેસ તમારી મિલકતનો હિસ્સો તેની ‘મનપસંદ વોટ બેંક’ને આપવા માંગે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વડાપ્રધાને કહ્યું કે તેમણે માત્ર રામ જ નહીં, શ્યામને પણ છોડ્યા નથી. મને આશ્ચર્ય થાય છે કે સપાના લોકો પોતાને યદુવંશી કહે છે, તેઓ શ્રીકૃષ્ણનું અપમાન કરનારાઓની આરતી પણ કરે છે. દસ વર્ષ પહેલા સપા અને કોંગ્રેસના લોકો કહેતા હતા કે ભાજપના લોકો મોટી મોટી વાતો કરે છે. રામ મંદિરના નામે ચીડવતા હતા. તમારા આશીર્વાદથી રામલલાનું મંદિર બનાવ્યું. તારીખ અને સમય જણાવ્યો અને આમંત્રણ પણ આપ્યું. આટલો મોટો પ્રસંગ છતાં તેમનો ઘમંડ એટલો બધો હતો કે ઘરે આમંત્રણ આપ્યું હોવા છતાં ફગાવી દીધું હતું. તેમને એમ હતું કે પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ સ્વીકારશે તો તેમની ‘વોટ બેંક’ ગુસ્સે થશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/30-muslim-sports-coaches-and-trainers-were-sacked-in-gujarat">ગુજરાતમાં 30 મુસ્લિમ સ્પોર્ટ્સ કોચ અને ટ્રેનર ને કાઢી મૂકવામાં આવ્યા</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 25 Apr 2024 20:58:01 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 25 Apr 2024 20:58:21 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>542</Articleid>
                    <excerpt>વડાપ્રધાન મોદીએ આજે યુપીમાં એક જાહેરસભાને સંબોધી હતી. જેમાં ફરી એકવાર તેમણે લઘુમતી સમાજને કેન્દ્રમાં રાખીને ધ્રુવીકરણનો પ્રયત્ન કર્યો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_662a75c015128.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_662a75bfd9969.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_662a75bfd9969.jpg" length="113322" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>કર્ણાટક સરકારે મુસ્લિમોને OBC માં સામેલ કર્યા, નોકરીમાં અનામત મળશે</title>
                    <link>https://khabarantar.com/karnataka-government-included-muslims-in-obc-will-get-reservation-in-jobs</link>
                    <guid>https://khabarantar.com/karnataka-government-included-muslims-in-obc-will-get-reservation-in-jobs</guid>
                    <description>
                        <![CDATA[ કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે રાજ્યના મુસ્લિમોને અનામતનો લાભ આપવા માટે ઓબીસીમાં સામેલ કર્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે મુસ્લિમ સમાજને અનામતનો લાભ આપવા માટે તેમને ઓબીસીમાં સામેલ કર્યા છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ મામલે માહિતી આપી હતી. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસે આજે કર્ણાટક સરકારના આંકડાઓનો હવાલો આપીને આ બાબતની પુષ્ટિ કરી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે કહ્યું છે કે, 'કર્ણાટક સરકારના આંકડા અનુસાર, કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર હેઠળ રોજગાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે ઓબીસીની યાદીમાં સામેલ કરાયા છે. એ રીતે કર્ણાટકના તમામ મુસ્લિમોને ક્લાસ-2 B હેઠળ OBC માનવામાં આવ્યા છે. શ્રેણી-1માં 17 મુસ્લિમ સમુદાયોને ઓબીસી માનવામાં આવ્યા છે, જ્યારે શ્રેણી-2 Aમાં 19 મુસ્લિમ સમુદાયોને OBC માનવામાં આવ્યા છે.'</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">NCBCના અધ્યક્ષ હંસરાજ ગંગારામ અહીરના અનુસાર, કર્ણાટક સરકારના નિયંત્રણમાં આવતી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં અનામત માટે કર્ણાટકના તમામ મુસ્લિમોને OBCની રાજ્ય યાદીમાં સામેલ કરાયા છે. કર્ણાટક સરકારના પછાત વર્ગ કલ્યાણ વિભાગે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને લેખિત રીતે જાણ કરી છે કે મુસ્લિમ અને ઈસાઈ જેવા સમુદાય ન તો જાતિ છે અને ન ધર્મ. કર્ણાટક રાજ્યમાં મુસ્લિમ વસ્તી 12.92 ટકા છે. કર્ણાટકમાં મુસ્લિમોને ધાર્મિક અલ્પસંખ્યક માનવામાં આવે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર, કર્ણાટક રાજ્યમાં મુસ્લિમની જનસંખ્યા 12.32 ટકા છે. જે 17 મુસ્લિમ સમુદાયોને શ્રેણી 1માં OBC માનવામાં આવ્યા છે તેમાં નદાફ, પિંજર, દરવેશ, છપ્પરબંદ, કસાબ, ફુલમાલી (મુસ્લિમ), નાલબંધ, કસાઈ, અથારી, શિક્કાલિગારા, સિક્કાલિગર, સાલાબંધ, લદાફ, થિકાનગર, બાજીગારા, જોહારી અને પિંજારી સામેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:<a href="https://khabarantar.com/the-poor-daughter-did-not-get-even-a-single-rupee-in-the-balika-samriddhi-yojana-in-kheda">ખેડામાં બાલિકા સમૃદ્ધિ યોજનામાં ગરીબ દીકરીને એક રૂપિયો પણ ન મળ્યો</a></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 24 Apr 2024 20:22:56 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>535</Articleid>
                    <excerpt>કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે રાજ્યના મુસ્લિમોને અનામતનો લાભ આપવા માટે ઓબીસીમાં સામેલ કર્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_66291c03b68b3.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_66291c038652f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_66291c038652f.jpg" length="80206" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાતમાં 30 મુસ્લિમ સ્પોર્ટ્સ કોચ અને ટ્રેનર ને કાઢી મૂકવામાં આવ્યા</title>
                    <link>https://khabarantar.com/30-muslim-sports-coaches-and-trainers-were-sacked-in-gujarat</link>
                    <guid>https://khabarantar.com/30-muslim-sports-coaches-and-trainers-were-sacked-in-gujarat</guid>
                    <description>
                        <![CDATA[ એક મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાતમાં છેલ્લાં બે મહિનામાં મુસ્લિમ સમાજના 30 જેટલા કોચ અને ટ્રેનરોને કોન્ટ્રાક્ટ તેમની કંપનીઓ દ્વારા ખતમ કરી દેવામાં આવ્યા છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">છેલ્લા બે મહિનામાં ગુજરાતની શાળાઓમાં 30 મુસ્લિમ કોચને તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કારણ હજુ જાણી શકાયું નથી. જો કે, આ દરેક કોચ સરકાર સંચાલિત સંસ્થાઓમાં સ્પોર્ટ્સ કંપનીઓ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત હતા. જેમાં વિદ્યાર્થીઓને જુડો, વોલીબોલ, બાસ્કેટબોલ અને બીજી રમતોની તાલીમ આપનારા કોચનો સમાવેશ થાય છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ધ વાયરના એક રિપોર્ટ પ્રમાણે રમતગમતના આ કોચ ગૃહ, ઉદ્યોગ, પરિવહન, યુવા અને રમતગમતના રાજ્ય મંત્રાલયોને પત્ર લખ્યો છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે ટ્રેનર્સની કામગીરીની તેમના ઉપરી અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી તેમને પણ તેમની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમણે તેમને કેમ કાઢી મૂકવામાં આવ્યા તેનું કારણ પૂછ્યું તો તેનો કોઈ જવાબ મળ્યો નહોતો. કંપનીના એક અધિકારીએ તો ત્યાં સુધી જવાબ આપ્યો કે તે પોતે નથી જાણતો કે વ્યક્તિને શા માટે હટાવવામાં આવી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોચ કહે છે કે તેઓ બીજું કંઈ કરી શકે તેમ નથી, તેમાંના એકે ધ વાયર સાથે વાત કરતાં કહ્યું હતું કે, "અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, નિમણૂકકર્તાઓને વિનંતી કરી છે, અમે જ્યાં કામ કરીએ છીએ તે શાળાઓને વિનંતી કરી છે, અમે અમારી સંસ્થાઓનો ગૌરવ અપાવ્યું છે. અમે સંબંધિત સંસ્થાઓ ખેલ મંત્રાલયને પણ આ બાબતે લખ્યું છે. પરંતુ મુસ્લિમ હોવાથી કોઈ અમારી મદદ કરી રહ્યું નથી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમો રાજ્યની વસ્તીના 9 ટકા આસપાસ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 40 વર્ષોથી ગુજરાતમાંથી લોકસભામાં એક પણ મુસ્લિમ સાંસદ નથી. ગુજરાતમાં મુસ્લિમ સમાજમાંથી ચૂંટાયેલા છેલ્લાં સાંસદ 1984માં એહમદ પટેલ હતા. રાજ્યમાં લઘુમતીઓએ પણ ભેદભાવ અને હિંસાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવ્યું હતું. અન્ય એક રિપોર્ટમાં ગુજરાતના એક યુવાન મુસ્લિમે સમાજ સામે થતા ભેદભાવનો ખુલાસો કર્યો હતો. તેણે ભેદભાવની કરુણ વાતો કરી હતી, જેમાંથી કેટલીક શાળામાં ભણતા તેમના નાના બાળકો સાથે ઘટી હતી.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુસ્લિમ સમાજ પાસે પહેલેથી જ શિક્ષણ ક્ષેત્રમાં નિરાશાજનક આંકડાઓ છે. 2023 અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષા સર્વેક્ષણ મુજબ મુસ્લિમ વિદ્યાર્થીઓ દેશમાં કુલ નોંધણીના માત્ર 5.5 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ તે નોંધપાત્ર છે કે મુસ્લિમ લઘુમતી શિક્ષકો સમગ્ર દેશમાં શિક્ષકોની કુલ ટકાવારીમાં માત્ર 5.6% છે. સર્વેક્ષણમાં ગુજરાતમાં લઘુમતી સમુદાયના લગભગ 1718 શિક્ષકો નોંધાયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં લઘુમતી શિક્ષકોની સંખ્યા સૌથી વધુ 10566 છે. અહેવાલો સાબિતી આપે છે કે ભેદભાવ અને હિંસાએ આ સમાજને કોઈપણ ક્ષેત્રમાં આગળ વધતા અટકાવ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/The-Unrecognized-Suffering-of-the-Dalit-Muslim-and-the-Direction-of-Solution">દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા</a><br></span></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></span><span style="font-size: 14pt;"> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></span></strong></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 17 Apr 2024 11:14:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>516</Articleid>
                    <excerpt>એક મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાતમાં છેલ્લાં બે મહિનામાં મુસ્લિમ સમાજના 30 જેટલા કોચ અને ટ્રેનરોને કોન્ટ્રાક્ટ તેમની કંપનીઓ દ્વારા ખતમ કરી દેવામાં આવ્યા છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_661f5ec73f616.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661f5ec70ccea.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661f5ec70ccea.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બૌદ્ધ એ હિંદુ ધર્મથી અલગ છે, અપનાવવા માટે પરવાનગી લેવી પડશેઃ સરકાર</title>
                    <link>https://khabarantar.com/buddhism-is-different-from-hinduism-must-take-permission-to-adopt-Govt</link>
                    <guid>https://khabarantar.com/buddhism-is-different-from-hinduism-must-take-permission-to-adopt-Govt</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં હવે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિ બૌદ્ધ ધર્મ અપનાવી નહીં શકે. આ મામલે સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં બૌદ્ધ ધર્મને હિંદુ ધર્મથી અલગ માનવામાં આવ્યો છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રાજ્યના ગૃહ વિભાગે હિન્દુમાંથી શીખ, જૈન કે બૌદ્ધ ધર્મ અંગીકાર પૂર્વે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવાની રહેશે તેમ સ્પષ્ટ કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને હિન્દુમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરવાની ઘટના વધી છે ત્યારે રાજ્ય સરકારે બૌદ્ધ ધર્મને અલગ ગણીને ધર્મ પરિવર્તન કરાવનારી વ્યક્તિએ જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી અને ધર્મ પરિવર્તન કરનારી વ્યક્તિએ સરકારને જાણ કરવાની રહેશે તેમ જણાવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓને પણ ધર્મ સ્વાતંત્રતાને લગતા અધિનિયમ ધ્યાને રાખી આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા તાકીદ કરી છે. </span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ખાસ કરીને હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરવા માટે મંજૂરીની અરજી અંગે નિયમો અનુસાર કાર્યવાહી કરાતી નહીં હોવાનું ગૃહ વિભાગના ધ્યાને આવ્યું છે. કેટલાક કિસ્સામાં અરજદારો અને સ્વાયત સંસ્થાઓ દ્વારા પણ હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે પૂર્વમંજૂરીની જરૂર નથી તેવી રજૂઆતો કરાતી હોય છે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓ દ્વારા મનઘડંત અર્થઘટન કરાતું હોય છે. જે કેસમાં અરજદાર દ્વારા મંજૂરી મેળવવા માટે દરખાસ્ત કરાય છે, તેમાં જે તે કચેરી દ્વારા બંધારણના આર્ટિકલ અંતર્ગત હિન્દુ ધર્મમાં શીખ, જૈન અને બોદ્ધ ધર્મનો સમાવેશ થતો હોઇ અરજદારને ધર્મ પરિવર્તન કરવા માટે મંજૂરીની જરૂરિયાત રહેતી ન હોઇ આવી અરજી દફતરે કરાતી હોવાનું ધ્યાન પર આવ્યું છે. તેના કારણે ધર્મ પરિવર્તન જેવા સંવેદનશીલ મુદ્દા અરજદારોને પાઠવાતા જવાબ ન્યાયિક લિટિગેશનમાં પરિણમે તેવી સંભાવના છે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગૃહ વિભાગ દ્વારા હિન્દુ ધર્મમાંથી શીખ, જૈન, બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા મુદ્દે પુનઃ સૂચના જારી કરી તે કાર્ય પદ્ધતિ તાત્કાલિક અમલમાં મૂકવા જણાવ્યું છે. ધર્મ સ્વાતંત્રતાના અધિનિયમ મુજબ બૌદ્ધ ધર્મ એક અલગ ધર્મ ગણવાનો રહેશે અને હિન્દુ ધર્મમાંથી શીખ, જૈન કે બૌદ્ધ ધર્મ પરિવર્તન કરાવનારે જિલ્લા મેજિસ્ટ્રેટની નિયમ મુજબ પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. તેવી જ રીતે ધર્મ પરિવર્તન કરનારી વ્યક્તિએ પણ યોગ્ય રીતે જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવાની રહેશે.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/beginning-of-change-for-the-first-time-the-shekhpar-village-of-muli-celebrated-the-death-anniversary-of-the-deceased-with-buddhist-rituals">પરિવર્તનની શરૂઆતઃ મૂળીના શેખપર ગામે પહેલીવાર બૌદ્ધવિધિથી મૃતકની પુણ્યતિથિ ઉજવાઈ</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_66177242aabc8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકારે એક સરક્યુલર જાહેર કરીને કહ્યું છે કે બૌદ્ધ ધર્મને એક અલગ ધર્મ માનવો જોઈએ. જો કોઈ વ્યક્તિ હિંદુમાંથી બૌદ્ધ ધર્મ સ્વીકારવા માંગે છે તો તેના માટે તેણે પહેલા પરમિશન લેવી પડશે. ધર્મ પરિવર્તન કરાવનાર વ્યક્તિ કે સંસ્થાએ ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003ની જોગવાઈઓ અંતર્ગત સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી પડશે. ગૃહ વિભાગે આ સરક્યુલર 8 એપ્રિલના રોજ જારી કર્યો હતો. ત્યારે સરકારના ધ્યાને આવ્યું કે બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટેની અરજીઓનો નિયમાનુસાર નિકાલ કરવામાં આવતો નથી. પરિપત્ર પર નાયબ સચિવ(ગૃહ) વિજય બધેકાએ સહી કરી હતી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661774d16f71d.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દર વર્ષે દશેરા અને અન્ય તહેવારો દરમિયાન આયોજિત કાર્યક્રમોમાં મોટાભાગના દલિતો બૌદ્ધ ધર્મ અપનાવતા જોવા મળી રહ્યાં છે. પરિપત્રમાં જણાવાયું છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓ મનસ્વી રીતે ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા કાયદાનું અર્થઘટન કરી રહી છે. એવું જોવામાં આવ્યું છે કે હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તનની પરવાનગી માંગતી અરજીઓમાં નિયમો મુજબની પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું નથી. કેટલીકવાર અરજદારો અને સ્વાયત્ત સંસ્થાઓ તરફથી અરજીઓ પ્રાપ્ત થાય છે કે હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટે પૂર્વ પરવાનગીની જરૂર નથી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661774db24dab.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_661774dabca71.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, જે કિસ્સામાં પૂર્વ પરવાનગી માટેની અરજીઓ કરવામાં આવે છે, સંબંધિત કચેરીઓ એવી અરજીઓનો નિકાલ કરે છે કે બંધારણની કલમ 25(2) હેઠળ શીખ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમાવેશ હિંદુ ધર્મમાં કરવામાં આવ્યો છે અને તેથી અરજદારે આવા રૂપાંતરણ માટે પરવાનગી લેવા જરૂરી નથી. શક્ય છે કે કાયદાકીય જોગવાઈઓનો પુરતો અભ્યાસ કર્યા વિના, ધાર્મિક પરિવર્તન જેવા સંવેદનશીલ વિષય પર અરજદારોને આપવામાં આવેલા જવાબો અંગે ન્યાયિક કેસ થઈ શકે. પરિપત્રમાં જણાવાયું છે કે, ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા કાયદાના સંદર્ભમાં બૌદ્ધ ધર્મને અલગ ગણવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/In-Botad-district,-the-account-of-Buddhism-was-opened-in-the-caste-enumeration-in-the-government-book">બોટાદ જિલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણના માં બૌદ્ધ ધર્મ નું ખાતું ખુલ્યું</a><br></span></strong></span></p>
<div class="post-text">
<div class="post-text">
<p><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span style="font-size: 14pt;"> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
</div>
<p></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 11 Apr 2024 10:50:03 +0530</pubDate>
                                        <updatedDate>Thu, 11 Apr 2024 10:58:38 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>490</Articleid>
                    <excerpt>ગુજરાતમાં હવે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિ બૌદ્ધ ધર્મ અપનાવી નહીં શકે. આ મામલે સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં બૌદ્ધ ધર્મને હિંદુ ધર્મથી અલગ માનવામાં આવ્યો છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_661772434c3db.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_661772431af0f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_661772431af0f.jpg" length="139465" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>તેમણે મુઘલે આઝમમાં એક ગીત ગાવાના 25 હજાર માંગેલા અને મળ્યાં હતા!</title>
                    <link>https://khabarantar.com/he-asked-for-and-got-25-thousand-to-sing-a-song-in-mughal-azam</link>
                    <guid>https://khabarantar.com/he-asked-for-and-got-25-thousand-to-sing-a-song-in-mughal-azam</guid>
                    <description>
                        <![CDATA[ ગઈકાલે જેમનો જન્મદિવસ હતો તે ઠુમરીના વિખ્યાત ગાયક બડે ગુલામ અલી ખાને મુઘલે આઝમના ડિરેક્ટર કે. આસિફ પાસે ફિલ્મમાં એક ગીત ગાવાના રૂ. 25 હજાર માંગેલા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">-હિદાયત પરમાર</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમનો દેખાવ જોઈને પહેલી નજરે કોઈપણ વ્યક્તિ તેમને કુસ્તીબાજ માની લે. ગાયક તો બિલકુલ જ નહીં. પણ જ્યારે ગાવાનું શરૂ કરે એ પછી તેમની કુસ્તીબાજની આભા ક્યાંય ખોવાઈ જાય અને રહે માત્ર એક આલાતરીન ગાયક. તેઓ ખૂબ ઉત્સાહથી ગાતા, જરાય ઉતાવળ કે હડાહડી નહીં. એકવાર ગાવાનું શરૂ કરે પછી કલાકો સુધી ગાતા જાય. એકવાર તેમને તત્કાલિન વડાપ્રધાન નહેરુનો ફોન આવ્યો. તેઓ ઈચ્છતા હતા કે ખાનસાહેબ ફક્ત એક કલાક તેમની સાથે બેસીને તેમની ગાયકીથી તેમને પ્રભાવિત કરી બતાવે. પરંતુ ખાનસાહેબે વડાપ્રધાનની એ ઓફર નકારી કાઢી હતી. તેમનું માનવું હતું કે, એક કલાક તો તેમના ગળાને માહોલ સાથે સેટ થઈને તાલ મિલાવીને ગરમ થવામાં લાગે છે. વાત છે ઠુમરીના વિખ્યાત ગાયક બડે ગુલામ અલી ખાન સાહેબની. ગઈકાલે જ તેમનો જન્મદિવસ ગયો. અહીં તેમના જીવનના કેટલાક એવા પ્રસંગો વિશે વાત કરવી છે, જેના વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બડે ગુલામ અલી ખાને પોતાની કારકિર્દીની શરૂઆત સારંગી વગાડીને કરી હતી. બાદમાં પિતા અલીબક્ષ અને કાકા કાલે ખાન પાસેથી ગાવાનું શીખ્યા. તેમણે 1919માં લાહોરમાં પ્રથમ વખત પોતાની ગાયિકીનું પર્ફોર્મન્સ આપ્યું હતું. એ પછી તેમણે કોલકાતા અને અલ્હાબાદમાં પણ ગાયું. આ સંગીત સંમેલનોએ તેમને ખૂબ જ ખ્યાતિ અપાવી. બડે ગુલામ અલી ખાને ઠુમરીને ખાસ વર્તુળમાંથી હટાવીને તેને વ્યાપક વિસ્તાર પ્રદાન કર્યું. ઠુમરી તેમના કોમળ અને મધુર અવાજથી ધન્ય થઈ ગઈ હતી. એ જમાનામાં ફિલ્મોમાં ગાવાનું સારું નહોતું મનાતું. જ્યારે કે.આસિફ તેમની પાસે મુગલ-એ-આઝમ ફિલ્મમાં ગાવાની ઓફર લઈને પહોંચ્યા ત્યારે બડે ગુલામ અલી ખાને તેમની પાસેથી એક ગીત માટે 25,000 રૂપિયાની માંગણી કરી. તે દિવસોમાં એ રકમ બહુ મોટી ગણાતી. લતા અને રફીને એક ગીત માટે માત્ર 500/- મળતા હતા. આશ્ચર્યજનક બાબત ત્યારે બની જ્યારે કે.આસિફે રાજીખુશીથી તેમની ઓફર સ્વીકારી લીધી. બડે ગુલામ અલી ખાને મુગલ-એ-આઝમ માટે બે ગીતો ગાયાં. પ્રેમ જોગન બન કે" અને "શુભ દિન આયો રાજ દુલારા".</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંંચો: </span></strong></span><a href="https://khabarantar.com/the-poor-daughter-did-not-get-even-a-single-rupee-in-the-balika-samriddhi-yojana-in-kheda"><strong><span style="font-size: 14pt;">ખેડામાં બાલિકા સમૃદ્ધિ યોજનામાં ગરીબ દીકરીને એક રૂપિયો પણ ન મળ્યો</span></strong></a></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660cfa57157a0.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બડે ગુલામ અલી ખાનનો જન્મ 02 એપ્રિલ 1902ના રોજ લાહોર પાસેના કસૂર ગામમાં થયો હતો. તેમનું જીવન લાહોર, મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં ફરતાં પસાર થયું. તેમના પિતા કાશ્મીરના શાહી દરબારના ગાયક હતા. એટલે જ તેમની ગાયકી કાશ્મીર ઘરાનાની હોવાનું કહેવાય છે. પાછળથી જ્યારે તેમનો આખો પરિવાર પટિયાલા ગયો, ત્યારે તે પરિવાર પટિયાલા ઘરાના તરીકે ઓળખાવા લાગ્યો. બડે ગુલામ અલી ખાન 1947માં ભારતના ભાગલા વખતે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા, પરંતુ ત્યાં તેમનું મન ન લાગ્યું. તેમણે ભારત પાછા આવવું પડ્યું. મહંમ્મદ અલી ઝીણાએ તેમને રોકવાનો ભરપૂર પ્રયાસ કર્યો પરંતુ બડે ગુલામ અલી ખાન માટે પાકિસ્તાન પારકું બની ગયું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજના તેજસ્વી ગઝલ ગાયક ગુલામ અલી પણ બડે ગુલામ અલી ખાનના શિષ્ય હતા. બડે ગુલામ અલી ખાનને ગાયન ક્ષેત્રે પોતાનું સર્વસ્વ આપવા બદલ 1962માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. સરકારે તેમના નામની ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. 23 એપ્રિલ 1968ના રોજ, આ અલબેલા ગાયક ચિર નિંદ્રામાં પોઢી ગયા.</span></p>
<p style="text-align: justify;"><em><span style="font-size: 12pt;">(લેખક વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)</span></em></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો: </span><a href="https://khabarantar.com/What-can-Bahujan-Samaj-learn-from-Mohammed-Shami"><span style="font-size: 14pt;">બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?</span></a></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 03 Apr 2024 12:18:22 +0530</pubDate>
                                        <updatedDate>Wed, 03 Apr 2024 12:20:38 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>464</Articleid>
                    <excerpt>ગઈકાલે જેમનો જન્મદિવસ હતો તે ઠુમરીના વિખ્યાત ગાયક બડે ગુલામ અલી ખાને મુઘલે આઝમના ડિરેક્ટર કે. આસિફ પાસે ફિલ્મમાં એક ગીત ગાવાના રૂ. 25 હજાર માંગેલા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_660cfa3716e54.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_660cfa36d9109.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_660cfa36d9109.jpg" length="79072" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ખેડામાં બાલિકા સમૃદ્ધિ યોજનામાં ગરીબ દીકરીને એક રૂપિયો પણ ન મળ્યો</title>
                    <link>https://khabarantar.com/the-poor-daughter-did-not-get-even-a-single-rupee-in-the-balika-samriddhi-yojana-in-kheda</link>
                    <guid>https://khabarantar.com/the-poor-daughter-did-not-get-even-a-single-rupee-in-the-balika-samriddhi-yojana-in-kheda</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2009માં જાહેર કરવામાં આવેલી બાલિકા સમૃદ્ધિ યોજનાનો ફિયાસ્કો થયો છે ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2009માં જાહેર કરવામાં આવેલી બાલિકા સમૃદ્ધિ યોજનાનો ફિયાસ્કો થયો છે. ખેડાના મહુધામાં લગ્નની ઉંમરે પહોંચેલી બાલિકાના ખાતામાં 13 વર્ષ પછી પણ સરકાર દ્વારા એક રૂપિયો પણ નાખવામાં આવ્યો નથી. જેના કારણે સરકારી મદદની આશાએ લગ્ન પાર પાડવાની રાહ જોઈને બેઠેલો પરિવાર ચિંતામાં મૂકાયો છે. એ રીતે ગુજરાત સરકારની અન્ય યોજનાઓની જેમ બાલિકા સમૃદ્ધિ યોજના પણ એક પીઆર ઈવેન્ટ હોવાનું લાગી રહ્યું છે. ગુજરાત સરકારની બાલિકા સમૃદ્ધિ યોજનાના દાવા પોકળ સાબિય થયા છે અને લાભાર્થી પરિવારની બેન્ક ખાતામાંથી નાણાં ઉપાડીને દીકરીના લગ્ન કરવાની આશા ઠગારી નીવડી છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660c109ab90fa.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">2010માં ગરીબ કલ્યાણ મેળામાં ખાતું ખોલાવ્યું હતું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મળતી વિગતો પ્રમાણે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મિર્ઝાપુર ગામમાં રહેતા મલેક નમીરનબાનુ ફકીર મહંમદ નામની દીકરીનું ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2010માં ખેડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં બાલિકા સમૃદ્ધિ યોજના અંતર્ગત બાલિકાઓના પોષણ અને તેના ભવિષ્ય એટલે લગ્નની ઉંમરે રૂ. પચાસ હજાર મળશે તેવી હૈયાધારણા આપી બાલિકાઓના વાલીઓ પાસે રૂ.500 ડિપોઝિટ ભરાવી બેંકોમાં ખાતા ખોલાવાયા હતા. મહુધા તાલુકાના મિર્ઝાપુર ગામે રહેતા મલેક નમીરનબાનુનું પણ રૂ. 500 રૂપિયા ભરી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવ્યું હતું. જેથી તેના લગ્ન વખતે રૂપિયાની કોઈ સમસ્યા ન નડે. નમીરનબાનુને આશા હતી કે ગરીબ કલ્યાણ મેળામાં તેમણે લીધેલા બાલિકા સમૃદ્ધિ યોજનાનો તેમને લાભ મળશે અને તેઓ સારી રીતે દીકરીના લગ્ન કરી શકશે. પણ તેમની આ આશા ઠગારી નીવડી હતી, કેમ કે બેંકના ખાતામાં બાલિકા સમૃદ્ધિ યોજનાનો એક રૂપિયો પણ જમા થયો નહોતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660c10ea56294.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વર્ષ 2010માં આપેલા સરકારી સર્ટિફિકેટ સાથે લાભાર્થી દીકરીનો પરિવાર 14 વર્ષે મહુધા તાલુકા પચાયત કચેરીમાં લગ્નની કંકોતરી સાથે પહોંચ્યો હતો પણ તેમને ભારે આંચકો લાગ્યો હતો. પરિવારે બેંકમાં જમા થયેલી રકમ અંગે તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે તેમણે અગાઉ જમા કરેલા રૂ. 500 અને બીજા રૂ. 789 વ્યાજરૂપે જમા થયા હતા. આ સિવાય સરકાર તરફથી બાલિકા સમૃદ્ધિ યોજના અંતર્ગત મળવાપાત્ર રકમ રૂ. 50,000 પૈકી એક રૂપિયો પણ જમા થયો નહોતો. જેના કારણે દીકરીના પરિવારને મોટો આંચકો લાગ્યો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660c10fc0d4c3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દીકરીના લગ્નમાં સરકાર દ્વારા મળનાર રકમથી પોતાને ઘણી રાહત થશે એ આશાએ મહુધા તાલુકા પંચાયત કચેરીમાં ગયેલા તેના પિતા ફરીક મહંમદ મલેકને આઈસીડીએસ વિભાગના જવાબથી ભારે આઘાત લાગ્યો હતો. હવે દીકરીના લગ્નમાં કેવી રીતે પૈસા ભેગા કરવા અને કેવી રીતે આખું કામ પાર પડશે તેની ચિંતા તેમને સતાવી રહી છે. આમ બાલિકા સમૃદ્ધિ યોજનાની સરકારની જાહેરાત અને અધિકારીઓના હસ્તે અપાયેલા સર્ટિફિકેટ આ ગરીબ પરિવાર માટે એક ક્રૂર મજાક બનીને રહી ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:</span></strong></span><a href="https://khabarantar.com/attack-on-foreign-students-offering-namaz-in-gujarat-university-attackers-raised-sligans-of-jayshree-ram"><strong><span style="font-size: 14pt;">ગુજરાત યુનિ.માં નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હુમલાખોરોએ લગાવ્યા ‘જયશ્રી રામ’ના નારા</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p>
<p style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 02 Apr 2024 19:40:45 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>462</Articleid>
                    <excerpt>ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2009માં જાહેર કરવામાં આવેલી બાલિકા સમૃદ્ધિ યોજનાનો ફિયાસ્કો થયો છે</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_660c106d96264.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_660c106d69a1a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_660c106d69a1a.jpg" length="74375" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, ObcNews, sc News, st News Atrocity  complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>ગાંધી આશ્રમ સામેની સોસાયટીમાં પુણ્યાનુમોદન, શાંતિ વંદના કાર્યક્રમ યોજાયો</title>
                    <link>https://khabarantar.com/punyanumodhan-shanti-vandana-program-was-held-in-front-of-gandhi-ashram</link>
                    <guid>https://khabarantar.com/punyanumodhan-shanti-vandana-program-was-held-in-front-of-gandhi-ashram</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાતમાં બૌદ્ધ ધર્મના રીતિરિવાજોનું ચલણ વધતું જઈ રહ્યું છે. હાલમાં જ અમદાવાદના ગાંધી આશ્રમ સામેની એક સોસાયટીમાં પહેલીવાર પુણ્યાનુમોદન અને શાંતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં બહુજન સમાજમાં ધીમી પણ મક્કમ ગતિએ બૌદ્ધ રીતિરિવાજોનું ચલણ વધતું જઈ રહ્યું છે. એકબાજુ યુવા પેઢીમાં બૌદ્ધ રીતિરિવાજ પ્રમાણે લગ્ન કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મૃત્યુ પછીની વિધિઓમાં પણ બૌદ્ધ ધર્મનું પ્રભુત્વ વધતું જઈ રહ્યું છે. અગાઉ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના શેખપર ગામે પહેલીવાર મૃતકની વાર્ષિક પુણ્યતિથિએ શાંતિવંદના કાર્યક્રમ યોજાયો હતો, તો હવે અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમ સામેની એક સોસાયટીમાં પહેલીવાર મૃતકની સ્મૃતિમાં પુણ્યાનુમોદન અને શાંતિવંદના કાર્યક્રમ યોજાયા હતા.</span><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660a4ef542bea.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદના ગાંધી આશ્રમની સામે આવેલી એકતા સોસાયટીમાં તારીખ 30/03/2024ની સાંજે દિવંગત પેથાભાઈ છગનભાઈ ચૌહાણનાં સ્મરણાર્થે તેમના પુત્ર જયંતિભાઈ ચૌહાણ અને પત્ની મંજુલાબહેન દ્વારા પુણ્યાનુમોદન અને શાંતિવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 200થી વધુ લોકોએ હાજરી આપી હતી. કુદરતી વાતાવરણ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમે સ્થાનિકોનું પણ ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ મારુ અને જતીનભાઈ મર્ચન્ટે કર્યું હતું. કાર્યક્રમને પોતાની પ્રગતિશીલ કામગીરી માટે જાણીતી ગાંધીનગરની A3 ક્લબ દ્વારા સહકાર પુરો પાડવામાં આવ્યો હતો. A3 ક્લબ પરિવાર તરફથી જતીનભાઈ, નિલેશ ભાઈ આદરેજા, દિનેશ ભાઈ બૌદ્ધ, પ્રવીણ ભાઈ અને સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660a4ef4b481b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમમાં મૈત્રીવર્ષા બુદ્ધ વિહાર સરખેજ તરફથી આયુ અભયપુત્ર બુદ્ધ, મધુમતી બૌદ્ધ, મહેશ ભાઈ શ્રેષ્ઠી અને વિશ્વરત્ન સંગઠન ચાંદખેડાની ટીમ તરફથી આયુ ડી ડી બેન્કર, આયુ લતાબેન બેન્કર, આયુ. જસરાજ આનંદ અને સાથીઓએ હાજરી આપી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660a4ef43ce1e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span><span style="font-size: 14pt;">આ ઉપરાંત આયુ. એન જે પરમાર(નિવૃત્ત ઓએનજીસી અધિકારી), એમ ડી ચૌહાણ સાહેબ સિવાય ઘણાં બધાં કર્મશીલો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બાબાસાહેબ અને ગૌતમ બુદ્ધ સાથે જયંતિભાઈના માતાપિતાની તસવીરોને અંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સંગઠનના હોદ્દેદારો દ્વારા સામાજિક જાગૃતિનો મેસેજ  આપવામાં આવ્યો હતો.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660a4ef32b274.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કાર્યક્રમમાં નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી પી.એલ. રાઠોડે કાર્યક્રમના આયોજક પરિવારને 4 પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં અંધશ્રદ્ધા નિર્મૂલન અને બહુજન સમાજના મહાનુભાવોના પ્રગતિશીલ વિચારોની તરફેણ કરીને એ દિશામાં આગળ વધવા સૌ કોઈને આહ્વાન કર્યું હતું.</span><br><span style="font-size: 14pt;"></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202404/image_870x_660a4ef284049.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ કાર્યક્રમને લઈને પી.એલ. રાઠોડે જણાવ્યું હતું કે, “છેલ્લાં કેટલાક સમયથી બહુજન સમાજમાં ધીમી પણ મક્કમ ગતિએ બૌદ્ધ ધર્મ તરફનો ઝુકાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક સમયે તે માત્ર સિનિયર સિટિજનો પુરતો મર્યાદિત હતો, એ પણ અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં, પણ હવે તો યુવાનો પણ બુદ્ધના પરિપક્વ વિચારોને સમજતા થયા છે અને ન માત્ર તેને સમજે છે પરંતુ તેનું આચરણ પણ કરી રહ્યાં છે. આ બહુ મોટી વાત છે. બહુજન સમાજમાં દિવસે ને દિવસે તર્કવાદી લોકોનું પ્રમાણ વધતું જાય છે. ભૂવા-ભારાડી, મંત્રતંત્ર, દોરાંધાગા, મંદિરોમાં જવું, પૂજાહવન કરવા, માનતા, બાધા આખડી જેવા દંભો છૂટતા જઈ રહ્યાં છે. આવતા એક દાયકામાં ગુજરાતમાં એક આખી એવી પેઢી તૈયાર થઈ જશે જે હિંદુ ધર્મના ઢોંગ-ધતિંગ પર જરાય વિશ્વાસ નહીં કરે, મંદિરોમાં નહીં જતી હોય અને બૌદ્ધ ધર્મ અંગિકાર કરી લીધો હશે. હાલ અમદાવાદમાં યોજાયેલો આ કાર્યક્રમ હજુ શરૂઆત છે, ભવિષ્યમાં આવા કાર્યક્રમો જ્યાં પણ બહુજનોની વસ્તી હશે ત્યાં બધે જ થતા હશે. મૃત્યુ પછીના મનુવાદી કર્મકાંડો અને બ્રાહ્મણવાદી રીતિરિવાજોનું સદંતર નામું નંખાઈ જવાનું છે. કેમ કે, લોકો આ ધતિંગને બરાબરના સમજી ચૂક્યાં છે અને તેને તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે.”</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/Forty-lakh-people-pay-homage-in-a-pilgrimage-to-buddhas-holy-relics-in-thailand">થાઈલેન્ડમાં બુદ્ધના પવિત્ર અવશેષોની પ્રદર્શન યાત્રામાં 40 લાખ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી</a><br></span></strong></span></p>
<div class="post-text">
<p><span><strong><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 01 Apr 2024 11:43:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>458</Articleid>
                    <excerpt>ગુજરાતમાં બૌદ્ધ ધર્મના રીતિરિવાજોનું ચલણ વધતું જઈ રહ્યું છે. હાલમાં જ અમદાવાદના ગાંધી આશ્રમ સામેની એક સોસાયટીમાં પહેલીવાર પુણ્યાનુમોદન અને શાંતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202404/image_140x98_660a4ef3d0f17.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202404/image_870x580_660a4ef39f0a4.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202404/image_870x580_660a4ef39f0a4.jpg" length="150387" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>થાઈલેન્ડમાં બુદ્ધના પવિત્ર અવશેષોની પ્રદર્શન યાત્રામાં 40 લાખ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી</title>
                    <link>https://khabarantar.com/Forty-lakh-people-pay-homage-in-a-pilgrimage-to-buddhas-holy-relics-in-thailand</link>
                    <guid>https://khabarantar.com/Forty-lakh-people-pay-homage-in-a-pilgrimage-to-buddhas-holy-relics-in-thailand</guid>
                    <description>
                        <![CDATA[ તથાગત બુદ્ધ અને તેમના બે મુખ્ય શિષ્યોના પવિત્ર અવશેષોની પ્રદર્શન યાત્રા ગઈકાલે થાઈલેન્ડના પ્રવાસેથી દિલ્હી પરત ફરી છે. પ્રદર્શનમાં 40 લાખથી વધુ લોકોએ પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત બુદ્ધના અવશેષોની પ્રદર્શન યાત્રા થાઈલેન્ડના પ્રવાસ બાદ દિલ્હી પરત આવી ગઈ છે. સમગ્ર થાઈલેન્ડમાં એક મહિના સુધી ચાલેલી આ પ્રદર્શન યાત્રા દરમિયાન અંદાજે 40 લાખ ભક્તોએ તથાગત બુદ્ધ અને તેમના બે શિષ્યોના પવિત્ર અવશેષોને વંદન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fa5e00923ad.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બુદ્ધના બે મુખ્ય શિષ્યો અરહંત સરિપુટ્ટ અને મહા મોગ્ગલાના પવિત્ર અવશેષો સાથેની પ્રદર્શન યાત્રા ગઈકાલે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે ભારત પરત આવી ગઈ હતી. 2 બૌદ્ધ સાધુઓ ભારતથી થાઇલેન્ડ સુધી એક મહિના માટે પ્રવાસ કરી રહ્યા છે. થાઈલેન્ડના સંસ્કૃતિ મંત્રાલયે જાહેરાત કરી હતી કે અહીં યોજાયેલા પ્રદર્શન દરમિયાન ચાર મિલિયનથી વધુ શ્રદ્ધાળુઓએ બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલિ આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/98-of-faculties-in-countrys-TOP-5-IITs-are-said-to-be-upper-caste:-Shocking-report-by-Nature-magazine">દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fa5e001391b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બુદ્ધના અવશેષોની આ પ્રદર્શન યાત્રાને અસાધારણ પ્રતિસાદ મળ્યો હતો. પવિત્ર અવશેષોની શોભાયાત્રા થાઈલેન્ડમાં એક પછી એક શહેરમાં પહોંચી હતી. જ્યાં વહેલી સવારથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના (IBC) સહયોગથી ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા બુદ્ધના અવશેષોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/4.44-crore-cases-pending-in-Indian-courts,-including-36.57-lakh-cases-related-to-women">ભારતની અદાલતોમાં 4.44 કરોડ કેસો પેન્ડિંગ, જેમાં 36.57 લાખ કેસો મહિલાઓને લગતા!</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fa5dff8c522.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">22 ફેબ્રુઆરીએ નવી દિલ્હીથી શરૂ થયેલી આ પ્રદર્શન યાત્રા બેંગકોક, ચિયાંગ માઇ, ઉબોન રત્ચાથાની અને ક્રાબી પ્રાંતોની યાત્રા કરી ગઈકાલે 19મી માર્ચના રોજ સમાપ્ત થઈ હતી. શહેરના સેન્ટ્રલ એક્ઝિબિશન પાર્કમાં થાઈલેન્ડના રાજા મહામહિમ વજીરાલોંગકોર્ન અને તેમની રાણી દ્વારા પ્રાર્થનાનું ઉદ્ઘાટન સંપૂર્ણ ભવ્યતા સાથે કરવામાં આવ્યું હતું. 28 જુલાઇના રોજ થાઈલેન્ડના રાજાનો 72મો જન્મદિવસ છે. 'શેર્ડ હેરિટેજ, શેર્ડ વેલ્યુઝ' થીમ સાથેના આ પ્રદર્શનમાં તેમના જન્મદિનની ઉજવણીને આદર અને સન્માન સાથે ચિહ્નિત કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/79-percent-of-the-judges-appointed-to-the-High-Court-in-the-last-5-years-are-from-caste-SC-2.8-percent,-ST-1.3-percent,-Minorities-only-2-percent">છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!</a><br></span></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fa5dff142f4.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમારના નેતૃત્વ હેઠળના સત્તાવાર પ્રતિનિધિમંડળ સાથે આ અવશેષો 22 ફેબ્રુઆરીએ બેંગકોક પહોંચ્યાં હતા. ભારતના બૌદ્ધ સાધુઓએ દરેક ચાર સ્થળોએ અવશેષોમાં હાજરી આપી હતી.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/What-can-Bahujan-Samaj-learn-from-Mohammed-Shami">બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?</a><br></span></strong></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65fa5e011b478.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમની સાથે વિવિધ ભારતીય યુનિવર્સિટીઓના વિદ્વાનો પણ હતા, જેમણે અવશેષોની સુસંગતતા અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરી હતી. અવશેષોની પરત યાત્રા સમયે લોકસભાના સભ્ય જમ્યાંગ ત્સેરિંગ નામગ્યાલના નેતૃત્વના પ્રતિનિધિમંડળ તથા થરવાડા અને મહાયાન પરંપરાના કેટલાક સાધુઓ અવશેષોની સાથે રહ્યાં હતા. આ અવશેષો 19 માર્ચે નવી દિલ્હીમાં એરફોર્સ સ્ટેશન પાલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિદેશ રાજ્યપ્રધાન મીનાક્ષી લેખીએ સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેને સ્વીકાર્યા હતા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/80-of-anti-Muslim-hate-speech-delivered-in-BJP-ruled-states-in-2023:-report">2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યાઃ અહેવાલ</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/Crimes-against-Dalits-and-tribals-increased-by-46-and-48-since-2013">2013 પછીથી દલિત, આદિવાસીઓ સામેના ગુનાઓમાં 46% અને 48%નો વધારો થયો</a><br></span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;"><span>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 20 Mar 2024 12:54:39 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>426</Articleid>
                    <excerpt>તથાગત બુદ્ધ અને તેમના બે મુખ્ય શિષ્યોના પવિત્ર અવશેષોની પ્રદર્શન યાત્રા ગઈકાલે થાઈલેન્ડના પ્રવાસેથી દિલ્હી પરત ફરી છે. પ્રદર્શનમાં 40 લાખથી વધુ લોકોએ પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65fa5dfeab2d6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fa5dfe7c97c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65fa5dfe7c97c.jpg" length="137309" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ગુજરાત યુનિ.માં નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હુમલાખોરોએ લગાવ્યા ‘જયશ્રી રામ’ના નારા</title>
                    <link>https://khabarantar.com/attack-on-foreign-students-offering-namaz-in-gujarat-university-attackers-raised-sligans-of-jayshree-ram</link>
                    <guid>https://khabarantar.com/attack-on-foreign-students-offering-namaz-in-gujarat-university-attackers-raised-sligans-of-jayshree-ram</guid>
                    <description>
                        <![CDATA[ ગુજરાત યુનિવર્સિટીમાં ગત રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ પર કેટલાક અસામાજિક તત્વોએ હોસ્ટેલમાં ઘૂસીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ જયશ્રી રામના નારા લગાવ્યા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં ગત રાત્રે પાંચ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થીઓ ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના હોવાનું જાણવા મળે છે. મળતી વિગતો પ્રમાણે આ વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાઝ પઢી રહ્યા હતા, જેની સામે કેટલાક વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો, એ પછી મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદેશી વિદ્યાર્થીઓનો દાવો છે કે, બહારથી આવેલા કેટલાક લોકો અચાનક તેમની હોસ્ટેલમાં ઘુસી આવ્યા હતા અને ‘જયશ્રી રામ’ના નારાઓ લગાવવા માંડ્યા હતા. આ લોકોએ વિદેશી</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/The-Unrecognized-Suffering-of-the-Dalit-Muslim-and-the-Direction-of-Solution">દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા</a><br></span></strong></span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65f69a6480012.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદ્યાર્થીઓને હૉસ્ટેલમાં નમાઝ પઢવાની પરમીશન ન હોવાનું કહીને તકરાર કરી હતી. ત્યારબાદ બંને જૂથ વચ્ચે વિવાદ થઈ ગયો અને પછી મારામારી થઈ ગઈ હતી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હોસ્ટેલ પરિસરમાં 10-15 લોકો ઘુસી આવ્યા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઘટના ગઈકાલ રાતના 11 વાગ્યા આસપાસ બની હોવાનું કહેવાય છે. અફઘાનિસ્તાનના એક વિદ્યાર્થીએ દાવો કર્યો કે, “અંદાજે 10-15 લોકો બહારથી અમારી હૉસ્ટેલમાં આવ્યા હતા. જ્યારે અમે નમાઝ પઢી રહ્યાં હતાં ત્યારે તેમાંથી ત્રણ અમારી હૉસ્ટેલ બિલ્ડીંગમાં દાખલ થયાં. તેમણે કહ્યું કે, અમે અહીં નમાઢ પઢી શકીએ નહીં. એ પછી તેઓ ‘જયશ્રી રામ’ના નારાઓ લગાવવા લાગ્યા. ત્યારબાદ તેમણે હાજર સિક્યોરિટી ગાર્ડને ધક્કો મારી દીધો અને નમાઝ પઢી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો.” આ વિદ્યાર્થીના જણાવ્યા પ્રમાણે તેમના રૂમમાં તોડફોડ કરવામાં આવી અને લૅપટોપ, મોબાઈલ ફોન અને કાચ પણ તોડી નાખવામાં આવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">5 ગાડીઓને પણ નુકસાન થયું</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">વિદેશી વિદ્યાર્થીએ દાવો કર્યો કે જ્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા. આ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો મુજબ ઓછામાં ઓછી 5 ગાડીઓને નુકસાન થયું છે. </span></p>
<p><a href="https://twitter.com/zoo_bear/status/1769124999653400982">https://twitter.com/zoo_bear/status/1769124999653400982</a></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ મામલે એક હિન્દી એક ન્યૂઝ પોર્ટલના પત્રકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાના નંબર પર ફોન કરવામાં આવ્યો હતો, પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. આર. બાવાએ કહ્યું હતું કે, તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યાં છે. પાંચ ઘાયલ વિદ્યાર્થીઓને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ઘટનાની જાણ થતા જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/mooknayak-group-ahmedabad-organized-rally-with-special-program-on-kanshiram-birth-anniversary"><strong><span style="font-size: 14pt;">મૂકનાયક ગ્રુપ અમદાવાદ દ્વારા કાંશીરામ જન્મજયંતિ પર વિશેષ કાર્યક્રમ સાથે રેલી યોજાઈ</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 17 Mar 2024 12:58:23 +0530</pubDate>
                                        <updatedDate>Sun, 17 Mar 2024 12:57:23 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>420</Articleid>
                    <excerpt>ગુજરાત યુનિવર્સિટીમાં ગત રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ પર કેટલાક અસામાજિક તત્વોએ હોસ્ટેલમાં ઘૂસીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ જયશ્રી રામના નારા લગાવ્યા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202403/image_140x98_65f69612567e5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f696122a725.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202403/image_870x580_65f696122a725.jpg" length="57540" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords>Dalit News, Adivasi News, Obc News, sc News, st News Atrocity complain case</media:keywords>
                </item>
                        <item>
                    <title>બોટાદ જિલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણના માં બૌદ્ધ ધર્મ નું ખાતું ખુલ્યું</title>
                    <link>https://khabarantar.com/In-Botad-district,-the-account-of-Buddhism-was-opened-in-the-caste-enumeration-in-the-government-book</link>
                    <guid>https://khabarantar.com/In-Botad-district,-the-account-of-Buddhism-was-opened-in-the-caste-enumeration-in-the-government-book</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતમાં ધીરે ધીરે બૌદ્ધ ધર્મને સમજીને અપનાવતા લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. હાલ લગ્નની સિઝનમાં યુવા વર્ગ બૌદ્ધ વિધિથી લગ્ન કરવાને એક ટ્રેન્ડ તરીકે અપનાવી રહ્યો છે. આમ તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બૌદ્ધ ધર્મની સંખ્યા વત્તાઓછા પ્રમાણમાં હશે. પણ બોટાદ જિલ્લામાં જાતિગણનામાં પહેલીવાર બૌદ્ધ ધર્મનું ખાતું ખુલ્યું છે. મળતી વિગતો પ્રમાણે અહીં સરકારી ચોપડે જાતિ ગણનામાં બૌદ્ધ ધર્મનું ખાતું ખૂલ્યું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e2c6a764b95.jpg" alt=""></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e2c6b4e4956.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભારતીય બૌદ્ધ મહાસભાની બોટાદ જિલ્લા શાખા દ્વારા ગત તારીખ ૦૪/૦૬/૨૦૨૩ ના રોજ બંધારણીય ભવ્ય બૌદ્ધ ધમ્મ દિક્ષા (ધર્મ પરિવર્તન) કાર્યક્રમ "રાજગૃહ" બોટાદ ખાતે યોજાયેલ હતો. જેના અનુસંધાને બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ. ૨૨/૧૧/૨૦૨૩ ના રોજ ધર્મ પરિવર્તન માટે હુકમ કરવામાં આવેલ. ત્યારબાદ તારીખ.૨૯/૦૨/૨૦૨૪ ના રોજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા) બોટાદ દ્વારા બોટાદ જિલ્લામાં પ્રથમ લઘુમતી બૌદ્ધનું પ્રમાણપત્ર બોધિરાજ બૌદ્ધને આપવામાં આવ્યું છે. તેમની સાથે તેમના પરિવારે પણ પ્રથમ બૌદ્ધ ઘર્મનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. બૌધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ ભારતીય બૌદ્ધ મહાસભાના બોટાદ જિલ્લાના અધ્યક્ષ પણ છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202403/image_870x_65e2c6b5803a6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">અત્યાર સુધી બોટાદ જિલ્લામાં બૌદ્ધ કોલમમાં શૂન્ય લખાતું હતું</span></strong></span><br><span style="font-size: 14pt;">મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી બોટાદ જીલ્લો બૌદ્ધ ધર્મની કોલમમાં શૂન્ય હતો. પણ હવે બોટાદમાં સરકારના રજિસ્ટરે બૌદ્ધ ધર્મની સંખ્યા જોવા મળશે. બોટાદમાં જાતિ ગણનામાં બૌદ્ધ ધર્મની નોંધણીની શરૂઆત થઈ ગઈ છે. બોટાદ જિલ્લામાં આવનારા સમયમા બુદ્ધિષ્ટોની સંખ્યામાં વધારો થશે એવી માહિતી સ્થાનિક બુદ્ધિષ્ટ પરિવાર આપી રહ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>આ પણ વાંચોઃ</strong> <a href="https://khabarantar.com/Buddhist-marriage-trend-in-Scheduled-Caste-society,-first-Buddhist-marriage-ceremony-held-in-Kadi"><span style="color: rgb(224, 62, 45);"><strong>અનુસૂચિત જાતિ સમાજમાં બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કરવાનો ટ્રેન્ડ, કડીમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા</strong></span></a><br></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 02 Mar 2024 12:05:43 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 30 Jul 2024 19:31:42 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>382</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202407/image_140x98_66a8f2369c3a2.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a8f2366b758.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202407/image_870x580_66a8f2366b758.jpg" length="90875" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>મિર્ઝા ગાલિબ : શાયર તો વો અચ્છા હૈ, પર બદનામ બહુત હૈ...</title>
                    <link>https://khabarantar.com/Mirza-Ghalib:-Shayar-to-wo-achcha-hai,-par-badnam-bahut-hai</link>
                    <guid>https://khabarantar.com/Mirza-Ghalib:-Shayar-to-wo-achcha-hai,-par-badnam-bahut-hai</guid>
                    <description>
                        <![CDATA[ મિર્ઝા ગાલિબ ઉર્દૂ ભાષાના એવા કવિ હતા જેમના શબ્દો તમે કોઈપણ પ્રસંગે વાપરી શકો છો. પ્રિયતમને મળવાનો આનંદ હોય કે વિખૂટા પડવાનું દુ:ખ હોય, આલિંગનનો નશો હોય કે કલ્પનાની ઉડાન, ગાલિબની કવિતા યુવા પેઢીમાં આજેય ખૂબ વખણાય છે. તેમની પુણ્યતિથિ છે ત્યારે આ મહાન શાયર વિશે થોડી ગંભીર વાતો કરીએ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મિર્ઝા મુહમ્મદ અસદુલ્લા ખાન ગાલિબનો જન્મ 27 ડિસેમ્બર 1797ના રોજ આગ્રામાં થયો હતો. આગ્રા સાથેના તેમના સંબંધો જોકે પૂર્વજોના ન હતા. તેમના દાદા કુકન બેગ ખાન, જેમના વિશે ગાલિબે દાવો કર્યો હતો કે તેઓ સમરકંદથી ભારત આવ્યા હતા, તેઓ પંજાબના ગવર્નર, મુઘલ સમ્રાટ શાહઆલમ અને જયપુરના મહારાજા સાથે અલગ-અલગ સમયે નોકરી કરતા લશ્કરી સાહસી હતા. કુકન બેગના મોટા પરિવારમાંથી બે પુત્રો, અબ્દુલ્લા બેગ ખાન અને નસરુલ્લા બેગ ખાન તેમના પિતાના પગલે ચાલ્યા. પિતાનું અવસાન થયું ત્યારે ગાલિબ લગભગ ચાર વર્ષના હશે. તેમના મૃત્યુ પછી નસરુલ્લા બેગે તેમના ભાઈના પરિવારની સંભાળમ લીધી, જેમાં ગાલિબ, તેમના નાના ભાઈ અને બહેનનો સમાવેશ થતો હતો. બે વર્ષ પછી 1806માં નસરુલ્લાહ મરાઠાઓના નેજા હેઠળ આગ્રાના કિલ્લાના કમાન્ડર બન્યા હતા. પણ પાછળથી તેઓ પણ મૃત્યુ પામ્યા. આમ, ગાલિબે નવ વર્ષની ઉંમરમાં જ પિતા અને કાકા બંનેને ગુમાવી દીધા હતા. પરંતુ અમુક અંશે તેઓ આ શરૂઆતના વર્ષોના કોલાહલથી અળગા રહ્યા હતા. તેમના પિતાએ આગ્રાના એક સમૃદ્ધ પરિવારમાં લગ્ન કર્યા હતા. સૈનિક-ભાડૂતીના જીવનની અનિશ્ચિતતાને જોતાં તેમણે સમજદારીપૂર્વક તેમની પત્નીને તેના માતાપિતા સાથે આગ્રામાં રહેવાની મંજૂરી આપી હતી. ગાલિબનો જન્મ તેમના દાદા-દાદીના ઘરે થયો હતો, અને તેમના પિતા અને કાકાના અવસાન પછી ત્યાં આશ્રય અને આરામદાયક જીવન જીવવાનું ચાલુ રાખ્યું હતું. પાછળથી તેમના પત્રોના સંદર્ભો પરથી એવું જણાય છે કે તેમણે તે શરૂઆતના વર્ષોને નોંધપાત્ર સ્પષ્ટતા સાથે યાદ કર્યા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">8 ઓગસ્ટ 1810ના રોજ, તેર વર્ષની ઉંમરમાં થોડા મહિના ઓછા, ગાલિબના લગ્ન નવાબ ઈલાહી બક્ષ ખાનની પુત્રી ઉમરાવ બેગમ સાથે થયા. તેના થોડા સમય બાદ તેણે પોતાનું કાયમી નિવાસ આગ્રાથી દિલ્હી શિફ્ટ કરી લીધું. આ ઘટનાની ચોક્કસ તારીખ નથી. 1862માં લખેલા એક પત્રમાં તેઓ પોતાને છેલ્લા એકાવન વર્ષથી દિલ્હીના રહેવાસી તરીકે વર્ણવે છે. આનો અર્થ એ થાય છે કે તેઓ 1811ની શરૂઆતમાં દિલ્હીમાં શિફ્ટ થયા હતા. પરંતુ જીવનના પછીના ગાળામાં ગાલિબની સમય અને તારીખોની યાદ સચોટ નહોતી. સામાન્ય સર્વસંમતિથી એવું જણાય છે કે તેઓ 1813 અને 1815ની વચ્ચે થોડો સમય સ્થળાંતર થયા હતા. દિલ્હી તેમના માટે નવું શહેર નહોતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1857ના વિદ્રોહ અને તેના પરિણામથી ગાલિબની દિલ્હીનો અચાનક અને આઘાતજનક અંત આવ્યો. તે નવા યુગની શરૂઆત અને જૂના યુગના અંતનો સંકેત આપે છે. ગાલિબ કદાચ દિલ્હીના એકમાત્ર મહાન કવિ હતા (ઝૌક અને મોમિન અગાઉ મૃત્યુ પામ્યા હતા) જેઓ 1857 અને તેનું પરિણામ જોવા માટે જીવ્યા હતા. આ ઘટનામાં તેમની ભૂમિકા અને જે રીતે તેઓ અને તેમના વર્ગના અન્ય લોકો તેનાથી પ્રભાવિત થયા અને માણસના મૂલ્યાંકનના દૃષ્ટિકોણથી અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય બંનેથી ગાલિબની દ્રષ્ટિ ખૂબ જ રસપ્રદ છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાલિબ જ્યારે આઠ વર્ષના હતા ત્યારે ફારસી ભાષામાં રચનાઓ કરતા. આખી જિંદગી દરમિયાન તેમણે ફારસીને પોતાનો પહેલો પ્રેમ જાહેર કર્યો. એવા પુરાવા પણ છે કે નાની ઉંમરે તેમણે ઉર્દૂમાં પણ લખ્યું હતું. હાલીએ નોંધ્યું છે કે કન્હૈયાલાલ નામના એક સજ્જને ગાલિબ દ્વારા ઉર્દૂમાં લખાયેલી મસનવી સાચવી રખાઈ હતી. આઠ કે નવ વર્ષની ઉંમર; ગાલિબ તેમના અસ્તિત્વને ભૂલી ગયા હતા, પરંતુ, જીવનના ઘણા સમય પછી, જ્યારે તે તેમને બતાવવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ આનંદથી વાંચ્યું. દેખીતી રીતે, ગાલિબે તે સમયે પણ જે લખ્યું તે ધ્યાન આકર્ષિત કરવા માટે પૂરતું હતું. એવું કહેવાય છે કે નવાબ હુસૈન-ઉદ-દૌલા, આગ્રાના એક આદરણીય ઉમરાવ અને કવિ, એક વખત લખનૌ ખાતે સુપ્રસિદ્ધ મીર પાસે યુવા કવિની કેટલીક રચનાઓ લઈ ગયા. કોઈને લાગ્યું કે ગાલિબનું લખાણ તેમને બતાવવામાં આવી શકે છે તે હકીકત ગાલિબની પ્રતિભાની ઓળખનો પુરાવો છે. ગઝલો વાંચવા પર, મીરની રુક્ષ ટિપ્પણી હતી કે સારા ઉસ્તાદના માર્ગદર્શન હેઠળ છોકરો મહાન કવિ બની શકે છે; અન્યથા તે કચરો લખશે. મીર તરફથી આવું સૂચન પૂરતું પ્રોત્સાહક હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગાલિબના પત્રો તેમના જીવન અને સમયના કોઈપણ અભ્યાસ માટે મૂળભૂત સ્ત્રોત છે. તેમના મિત્રોએ તેમના જીવનકાળ દરમિયાન 1868માં તેમના પત્રોનું સંકલન ઉદ-એ-હિંદ પ્રકાશિત કર્યું હતું. અન્ય વ્યાપક સંગ્રહ ઉર્દુ-એ-મુઅલ્લા, તેમના મૃત્યુ પછી તરત જ પ્રકાશિત થયો હતો. તાજેતરના સમયમાં ગુલામ રસુલ મિહરે 1957માં ખુતુત-એ-ગાલિબમાં તેમના પત્રોનો સૌથી વ્યાપક સંગ્રહ પ્રકાશિત કર્યો છે. અન્ય સંગ્રહો ગાલિબના વ્યક્તિઓ સાથેના પત્રવ્યવહારના આધારે બનાવવામાં આવ્યા છે, જેમ કે અફાક હુસૈન અફાકના નાદિરત-એ-ગાલિબ, 1949માં પ્રકાશિત, જે ગાલિબના તેમના નજીકના મિત્ર નબી બક્ષ હકીરને લખેલા પત્રોનો સંગ્રહ છે. ઇમ્તિયાઝ અલી અર્શીનું મકતીબ-એ-ગાલિબ, 1937માં પ્રકાશિત, રામપુરના નવાબને લખેલા ગાલિબના ફારસી પત્રોનો સંગ્રહ છે. ગાલિબના ફારસી પત્રોનો સંગ્રહ પણ તેમની કુલ્લિયત-એ-નસ્ર-એ-ફારસીનો એક ભાગ છે. ઉપરોક્ત કૃતિઓમાંથી સંબંધિત પસંદગીઓ અને અન્યનો અંગ્રેજીમાં અનુવાદ રાલ્ફ રસેલ અને ખુર્શીદુલ ઈસ્લામ દ્વારા તેમના રસપ્રદ અને વ્યાપક પુસ્તક ગાલિબ, લાઈફ એન્ડ લેટર્સ (લંડન, 1969)માં કરવામાં આવ્યો છે (જેનો ઉલ્લેખ L&amp;L; RR, KI તરીકે નોંધમાં કરવામાં આવ્યો છે.). રસેલ અને ઇસ્લામે મૂળ સામગ્રીનો માત્ર અનુવાદ અને સંપાદન જ નથી કર્યું, પરંતુ ચોક્કસ તારીખો અને કાળક્રમિક ચોકસાઈ સ્થાપિત કરવા માટે સંદર્ભોની તપાસ અને વિશ્લેષણ પણ કરેલ છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કુર્રતુલૈન હૈદરે સરદાર જાફરી દ્વારા સંયુક્ત રીતે લખેલા પુસ્તક ગાલિબ એન્ડ હિઝ પોએટ્રી (બોમ્બે, 1970)માં ગાલિબના પસંદગીના પત્રોનો પ્રશંસનીય અનુવાદ પણ કર્યો છે. અલ્તાફ હુસૈન હાલીની યાદગાર-એ-ગાલિબ એ માહિતીનો ખજાનો છે. બ્રિટિશરો સાથે ગાલિબના પત્રવ્યવહાર માટે ભારતના નેશનલ આર્કાઈવ્સમાં સામગ્રી ખૂબ જ મદદરૂપ થઈ છે, જેનો ઉલ્લેખ ધ એમ્પાયર ઇન ડિક્લાઈન નામના પ્રકરણમાં કરવામાં આવ્યો છે. ધ ટ્રૉમા ઑફ 1857ના પ્રકરણમાં ગાલિબની 1857ની કથિત ડાયરી-ધ દાસ્તાનબાયના સંદર્ભો પ્રોફેસર કે.એ. ફારુકીના અંગ્રેજી અનુવાદ, (દિલ્હી, 1970)માંથી લેવામાં આવ્યા છે. દિવાન-એ-ગાલિબના પુસ્તકમાં ટાંકવામાં આવેલી કવિતાઓનો લેખક દ્વારા અનુવાદ કરવામાં આવ્યો છે; દીવાનની આવૃત્તિ નૂર નબી અબ્બાસી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેને ગાલિબ સંસ્થા દ્વારા 1985માં બહાર પાડવામાં આવી હતી. ઉર્દૂથી પરિચિત વાચકોને મદદ કરવા માટે અનુવાદિત પંક્તિઓની પ્રથમ પંક્તિ ફૂટનોટ્સ ઉર્દૂમાં છે. ગાલિબની ફારસી ગઝલ માટે પ્રોફેસર યુસુફ હુસૈન (ગાલિબ સંસ્થા 1980)ના અંગ્રેજી અનુવાદનો ઉપયોગ કરવામાં આવ્યો છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">હિદાયત પરમાર (સંદર્ભ/સાભારઃ ગાલિબ ધ મેન, ધ ટાઈમ્સ(લેખકઃપવન કે. વર્મા) </span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો :<span style="text-decoration: underline;"> </span></span></strong></span><a href="https://khabarantar.com/A.-L.-SYED:-The-master-artist-who-photographed-Mughal-e-Azam-to-Dilipkumars-wedding"><strong><span style="font-size: 14pt;">A. L. SYED: મુગલ-એ-આઝમ થી દિલીપકુમાર ના લગ્ન સુધીના ફોટો લેનાર માસ્ટર આર્ટિસ્ટ</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com <span lang="GU">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </span><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"></span></strong></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 15 Feb 2024 13:49:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>345</Articleid>
                    <excerpt>મિર્ઝા ગાલિબ ઉર્દૂ ભાષાના એવા કવિ હતા જેમના શબ્દો તમે કોઈપણ પ્રસંગે વાપરી શકો છો. પ્રિયતમને મળવાનો આનંદ હોય કે વિખૂટા પડવાનું દુ:ખ હોય, આલિંગનનો નશો હોય કે કલ્પનાની ઉડાન, ગાલિબની કવિતા યુવા પેઢીમાં આજેય ખૂબ વખણાય છે. તેમની પુણ્યતિથિ છે ત્યારે આ મહાન શાયર વિશે થોડી ગંભીર વાતો કરીએ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65cdc6e17a518.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65cdc6e13136b.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65cdc6e13136b.jpg" length="85489" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ઉત્તરાખંડમાં પુષ્કર ધામી સરકારે રજૂ કર્યું યુનિફોર્મ સિવિલ કોડ બિલ, વિધાનસભામાં લાગ્યા જય શ્રી રામના નારા</title>
                    <link>https://khabarantar.com/Pushkar-Dhami-government-in-Uttarakhand-introduced-Uniform-Civil-Code-Bill,-Jai-Shri-Ram-chanted-in-assembly</link>
                    <guid>https://khabarantar.com/Pushkar-Dhami-government-in-Uttarakhand-introduced-Uniform-Civil-Code-Bill,-Jai-Shri-Ram-chanted-in-assembly</guid>
                    <description>
                        <![CDATA[ દેશભરમાં જેનો વિરોધ થઈ રહ્યો છે તે યુનિફૉર્મ સિવિલ કોડને આજે ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકારે સ્થાનિક વિધાનસભામાં રજૂ કર્યું હતું. આવું કરનાર ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની ગયું છે. શું છે આ બિલ અને તેમાં કેવી જોગવાઈઓની ભલામણ કરાઈ છે, વાંચો અહીં. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દેશભરમાં જેને લઈને અનેક મોરચે વાંધાવિરોધો ચાલી રહ્યાં છે તે યુનિફૉર્મ સિવિલ કોડને એક રાજ્યની સરકારે ત્યાંની વિધાનસભામાં રજૂ કરી દીધું છે. આજે ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકારે વિધાનસભામાં યુનિફૉર્મ સિવિલ કોડ(UCC) બિલ વિધાનસભામાં રજૂ કરી દીધું હતું. આ સાથે જ ઉત્તરાખંડ દેશમાં યુસીસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય બની જશે. મુખ્યમંત્રી પુષ્કર ધામી જાહેરાત કરી ચૂક્યા છે કે યુસીસી પર કાયદો ટૂંક સમયમાં બનાવવામાં આવશે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બિલ વિધાનસભામાં રજૂ થતાની સાથે જ ભાજપના ધારાસભ્યોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. ઉત્તરાખંડ યુસીસીમાં લિવ-ઈનમાં રહેતા લોકો માટે સેલ્ફ ડિક્લેરેશન, સંપત્તિમાં મહિલાઓને સમાન અધિકાર, ફરજિયાત લગ્ન નોંધણી જેવા મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે.</span><br><span style="font-size: 14pt;">મુખ્યમંત્રી પુષ્કર ધામીએ કહ્યું હતું કે ઉત્તરાખંડની જનતાને જે વચન આપ્યું હતું તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. યુનિફૉર્મ સિવિલ કોડને કાયદાના સ્વરૂપમાં ટૂંક સમયમાં રાજ્યમાં લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં ધામીએ યુસીસી લાગુ કરવાની જાહેરાત કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65c25d91242e3.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રીમંડળે યુસીસી મામલે નિષ્ણાત સમિતિના રિપોર્ટને સંપૂર્ણતા સાથે સ્વીકાર્યો છે. એટલે કે સમિતિની બધી જ ભલામણોને જેમની તેમ કોઈપણ પ્રકારના ફેરફાર વિના સ્વીકાર કરવામાં આવી છે. કમિટીએ નાગરિક કાયદાઓ સાથે જોડાયેલા બધાં વિષયો પર સંપૂર્ણતા સાથે પોતાનો મત આપ્યો છે. જો કે, હજુ સુધી આખો રિપોર્ટ સામે આવ્યો નથી, વિધાનસભામાં રજૂ થયા પછી જ સંપૂર્ણ ભલામણો સામે આવી શકશે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">ઉત્તરાખંડ સરકારના UCC માં કેવી ભલામણો કરાઈ છે</span></strong></span><br><span style="font-size: 14pt;">લગ્નની ઉંમર – 18 વર્ષ પહેલા નહીં થઈ શકે છોકરીના લગ્ન</span><br><span style="font-size: 14pt;">રજિસ્ટ્રેશન – દરેકે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે</span><br><span style="font-size: 14pt;">તલાક સરખા આધાર પર – પતિ પત્ની એક સરખા આધાર પર તલાક લઈ શકશે</span><br><span style="font-size: 14pt;">બહુવિવાહ પર પ્રતિબંધ – એક પતિ કે પત્નીની હયાતીમાં બીજા લગ્ન નહીં થઈ શકે</span><br><span style="font-size: 14pt;">વારસદાર – વારસાઈમાં છોકરીઓને છોકરાઓની સમાન અધિકાર હશે</span><br><span style="font-size: 14pt;">લિવ ઈન – લિવ ઈન રિલેશનશિપનું ડેક્લેરેશન જરૂરી હશે. આ એક સેલ્ફ ડિક્લેરેશન હશે</span><br><span style="font-size: 14pt;">જનજાતિઓ – અનુસૂચિત જનજાતિના લોકો યુસીસીના દાયરામાંથી બહાર રહેશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ</span></strong> <a href="https://khabarantar.com/Chhagan-Bhujbal-Sindh-resigns-from-Govt-over-OBC-reservation-to-Marathas"><strong>મરાઠાને OBC અનામતમાંથી ભાગ આપવાના વિરોધમાં છગન ભુજબળે શિંદે સરકારમાંથી રાજીનામું આપ્યું</strong></a></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span><span style="font-size: 12pt; color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> <span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></span></strong></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 07 Feb 2024 09:51:41 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>322</Articleid>
                    <excerpt>દેશભરમાં જેનો વિરોધ થઈ રહ્યો છે તે યુનિફૉર્મ સિવિલ કોડને આજે ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકારે સ્થાનિક વિધાનસભામાં રજૂ કર્યું હતું. આવું કરનાર ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની ગયું છે. શું છે આ બિલ અને તેમાં કેવી જોગવાઈઓની ભલામણ કરાઈ છે, વાંચો અહીં.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65c25d91e0956.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c25d919ce38.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65c25d919ce38.jpg" length="97481" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>A. L. SYED: મુગલ&amp;એ&amp;આઝમ થી દિલીપકુમાર ના લગ્ન સુધીના ફોટો લેનાર માસ્ટર આર્ટિસ્ટ</title>
                    <link>https://khabarantar.com/A.-L.-SYED:-The-master-artist-who-photographed-Mughal-e-Azam-to-Dilipkumars-wedding</link>
                    <guid>https://khabarantar.com/A.-L.-SYED:-The-master-artist-who-photographed-Mughal-e-Azam-to-Dilipkumars-wedding</guid>
                    <description>
                        <![CDATA[ અત્તર અને શાયરના શહેર પાલનપુરે ગુજરાત અને ભારતને અનેક રત્નો ભેટ ધર્યા છે. જેમાંના એક એટલે ફોટોગ્રાફીના માસ્ટર કલાકાર મનાતા એ.એલ. સૈયદ. ફોટોગ્રાફીની જ્યાં પણ જરૂર વર્તાય છે તેવા દરેક ક્ષેત્રમાં સૈયદ સાહેબની ફોટોગ્રાફીએ માસ્ટરપીસ તરીકે પોતાની હાજરી નોંધાવી હતી. અહીં તેમની એ જર્ની વિશે પાલનપુરી લેખક હિદાયત પરમાર વિસ્તારથી વાત કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ગુજરાતની ધરતીનો એકાદ ખૂણો એટલો ઉપજાઉ અને કસદાર હોય છે કે તેમાંથી પાણીદાર મોતી જ પાકતા હોય છે. ઉત્તર ગુજરાતમાં આવી ધીંગી ધરા એટલે નવાબીકાળનો ભૂતકાળ વાગોળતું અત્તર અને શાયરોનું શહેર પાલનપુર. કેળવાયેલું, સંસ્કારી, સાહિત્યપ્રેમી, ખુશનુમા મિજાજનું શહેર પાલનપુર. આ શહેરે કંઈ કેટલાય રત્નો ગુજરાતને અને ભારત દેશને ભેટ ધર્યા છે. જેવા કે શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી, ભાઈખાનભાઈ બલોચ, રફીકમીયાં કાદરી, ક્રિકેટર જાવેદ મિયાં દાદ(પાકિસ્તાન), ફખરુદ્દીન ખોરાકીવાલા, એફ. એ. કાદરી, ડૉ. ઈદ્રિસ, ચંદ્રકાંત બક્ષી, એફ. એમ.કાદરી વગેરે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">નવાબ શેર મોહંમદખાનજીના નવાબીકાળમાં પાલનપુરથી ૧૫ કિ.મી. દૂર આવેલ વરણાવાડા ગામમાં પાલનપુર સ્ટેટના નવાબી હકીમ સૈયદ લાલમિયાંને ત્યાં ર ફેબ્રુઆરી ૧૯૦૪ના રોજ પુત્રનો જન્મ થાય છે. જેનું નામ રાખવામાં આવે છે આબીદ અલી. જેઓ આગળ જતા ફોટોગ્રાફર એ.એલ. સૈયદ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પામ્યા અને ફોટોગ્રાફીની કળામાં પાલનપુરનું નામ રોશન કર્યું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bd1cff2d6d2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પિતા લાલમિયાંની ખ્વાહિશ હતી કે આબિદઅલી હકીમ(ડોકટર-વૈદ) થાય. પરંતુ એમના મોટાભાઈ કે. એલ. સૈયદના સહવાસમાં રહેવાથી તેઓ ફોટોગ્રાફર બની ગયા. તેઓ પહેલેથી જ તેમના મોટા ભાઈ કે.એલ. સૈયદ સાથે કામ કરી રહ્યા હતા. જેઓ એક જાણીતા સ્વતંત્ર ફોટોગ્રાફર અને પાલનપુરમાં સત્તાવાર કોર્ટ ફોટોગ્રાફર હતા. પરંતુ તેમના ભાઈથી વિપરીત, એ.એલ. પોટ્રેટથી આગળ વધી ગયા અને ૧૯૩૪માં લેવાયેલા તેમના પ્રખ્યાત ફોટોગ્રાફ ‘ટ્રાવેલર ઓફ ધ ઈસ્ટ’ને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી અને ઓધન પ્રેસ હોમ લાઇબ્રેરી શ્રેણીમાં વિશ્વના શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સમાંના એક તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો. ત્યારથી તે ૪૦ થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોનો એક ભાગ છે અને ૧૯૩૫માં વાર્ષિક પોપ્યુલર ફોટોગ્રાફી એવોર્ડનો વિજેતા છે. બાદમાં અમેરિકામાં તે પ્રખ્યાત હચિન્સન કલેક્શનનો ભાગ બન્યો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bd1cfc98f60.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પહેલવહેલાં ૧૯૨૩માં શ્રી સૈયદ મુંબઈની શાળાની મુલાકાત લે છે, જે મુલાકાત તેમના જીવનને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે સફરમાં તેમણે ચોપાટી પર સૂર્યાસ્ત સમયે ક્લિક કરેલો ફોટોગ્રાફ 'ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયાઝ સ્નેપ શૉટ' સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીતે છે. પછીના પાંચ દાયકાઓ સુધી તેમના ફોટોગ્રાફ્સ નિયમિતપણે સાપ્તાહિકના પાનાં પર આવતા રહે છે. કલાની વિશાળ દ્રષ્ટિ, આગવી કોઠાસૂઝ તેમજ છાયાને પ્રકાશનું સંયોજન કરવાની હથોટી. ફોટોગ્રાફી કલાની પાછળ લગનથી લાગી જઈને આબિદભાઈએ ફોટોગ્રાફી કલા ક્ષેત્રે અદ્ધભૂત તસવીરો લઈને અનેક ઈનામો મેળવ્યા. દેશભરના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના અનેક મેગેઝિનોમાં એમની તસવીરો વર્ષો સુધી પ્રગટ થતી રહી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bd1cfd2b781.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૧૯૨૫માં જાણીતા કલાકાર રવિશંકર રાવળ દ્વારા સંપાદિત ગુજરાતી સામયિક ‘કુમાર’માં તેમની છબીઓ સૌપ્રથમ આવવાની શરૂ થઈ અને ૧૯૪૦માં પ્રકાશન બંધ થયું ત્યાં સુધી તેઓ ફોટાં અને વિશેષ લેખો સાથે નિયમિત યોગદાન આપતા રહ્યા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bd1cfdb7d51.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બોલીવૂડમાં પણ એ.એલ. સૈયદે પાલનપુર અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ફિલ્મ ક્ષેત્રે કે. આસિફની ઐતિહાસિક ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં સ્પેશિયલ સ્ટીલ ફોટોગ્રાફર તરીકે કામ કરી તેમણે સારી એવી નામના મેળવી હતી. અભિનેતા દિલીપકુમાર-સાયરાબાનુના લગ્ન પ્રસંગની ફોટોગ્રાફી પણ શ્રી સૈયદના હસ્તે કંડારાઈ હતી. મુંબઈની ઘણી મહાન હસ્તીઓ સાથે તેમને ઘરોબો હતો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bd1cfc0ccf2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૧૯૭૭માં યુનેસ્કો ફોટો કોન્ટેસ્ટ માટે એશિયા પેસિફિકના 15 દેશોના વિખ્યાત ફોટોગ્રાફરોની ૨૫૦૦ જેટલી તસવીરોનું પ્રદર્શન જાપાનના ટોકિયો ખાતે રાખવામાં આવ્યું હતું. તેમાં શ્રી સૈયદે પાડેલ 'જેસલમેરના રણ' ની તસવીરને શ્રેષ્ઠ ઈનામ પ્રાપ્ત થયું હતું. ફોટોગ્રાફી કલા ક્ષેત્રે પાલનપુરનું નામ વિશ્વભરમાં રોશન કરનાર ફોટોગ્રાફી કલાના કસબી મર્હુમ એ. એલ. સૈયદના જન્મને ૧૦૦ વર્ષ પુરા થતાં પાલનપુરના કદરદાન નાગરિકોએ તા. ૧૦ એપ્રિલ ૨૦૦૪ના રોજ તેમની 'જન્મ શતાબ્દિ' ઉજવેલ. મહેન્દ્ર બ્રધર્સ મુંબઈના સહયોગથી શહેરના આશીર્વાદ હોલમાં ભવ્ય કાર્યક્રમ અને પ્રદર્શન યોજવામાં આવેલ. આ વખતે શ્રી સૈયદના ચુનંદા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેનો બે દિવસ સુધી પાલનપુરના શહેરીજનોએ લાભ લીધો હતો. પાલનપુરના વતની અને હીરાબજારની અગ્રગણ્ય પેઢી મહેન્દ્ર બ્રધર્સે વતનના આ મહાન સપૂતના અમર વારસાને ચિરંજીવી રાખવા માટે આ કાર્યક્રમને સ્પોન્સર કરી કલાની કદર કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bd1cf9b7096.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પાલનપુરના નવાબજાદા મુઝફફર મુહંમદખાનની ઉપસ્થિતિમાં આ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી સૈયદના માનમાં પ્રસંગને અનુરૂપ સોવેનિયર પ્રગટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેલા ઈન્ટરનેશનલ ફોટોગ્રાફી કાઉન્સિલના પ્રમુખ ઓ. પી. શર્માએ શ્રી સૈયદને દિમાગથી ફોટોગ્રાફી કરનાર કલાકાર તરીકે બિરદાવ્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bd1cf8970b2.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કેમેરા સોસાયટી, દિલ્હી દ્વારા આયોજિત ફેડરેશન ઓફ ઇન્ડિયન ફોટોગ્રાફીના છઠ્ઠા સંમેલન એવા તેમના અનેક વન-મેન શોમાંથી એક પ્રદર્શનીનું ઉદ્ઘાટન ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ વી.વી. ગીરી દ્વારા કરવામાં આવ્યું હતું. ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા દ્વારા તેમની શતાબ્દીની ઉજવણી નિમિત્તે આયોજિત ફોટોગ્રાફીક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવાનું સન્માન પણ તેમને મળ્યું હતું. પાછળથી ૧૯૮૩માં તેઓ ફોટોગ્રાફીની વિવિધ શાખાઓમાં ઉત્કૃષ્ટ યોગદાન અને સેવા માટે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટોગ્રાફિક કાઉન્સિલનું સર્વોચ્ચ સન્માન માનદ ફેલોશિપ મેળવનારા વિશ્વના ૧૦ પ્રતિષ્ઠિત ફોટોગ્રાફરોમાંના એક બન્યા હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bd1cfb4daab.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આબિદ મિયાં લાલ મિયાં સૈયદના ૯૩ માસ્ટરલી ડ્યુઓટોન ફોટોગ્રાફ્સનો સંગ્રહ 'વિઝન ફ્રોમ ધ ઈનર આઈઃ ફોટોગ્રાફીક આર્ટ ઓફ એ.એલ.સૈયદ' </span><br><span style="font-size: 14pt;">પુસ્તક સ્વરૂપે પ્રકાશિત એ તેમને આદર અંજલિ છે અને તેમના કામની યોગ્ય પસંદગી છે. ૭૦ વર્ષની કારકિર્દીમાં તેઓ કદાચ વીસમી સદીની ભારતીય ફોટોગ્રાફીની દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંના એક હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202402/image_870x_65bd1cfa85250.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">એ. એલ. સૈયદ ફોટોગ્રાફર કરતાં પણ વધુ વિશેષ વ્યક્તિત્વ હતું; તેઓ એક માસ્ટર આર્ટિસ્ટ હતા, જેઓ વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે ભારતમાં અને વિદેશમાં ખૂબ માન પામ્યા હતા. દેશભરમાં રોજિંદા જીવનની નોંધપાત્ર છબીઓ લેવામાં અને ઉત્કૃષ્ટ પોટ્રેટ બનાવવાની તેમની કુશળતાએ  ૩૦ ઓગસ્ટ, ૧૯૯૧ ના રોજ તેમના અવસાન થયા પછી તેમના કાર્યને લાંબા સમય સુધી જીવંત રાખ્યું છે.</span></p>
<p><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>હિદાયત પરમાર </strong></span><em><span style="font-size: 12pt;"><strong>(લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર અને બહુજન વિચારધારાના પક્ષધર છે) (સાભારઃ ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમો ભાગ - ૧, પાલનપુર ઓનલાઇન પોર્ટલ, વિઝન ફ્રોમ ધ ઈનર આઈઃ ફોટોગ્રાફીક આર્ટ ઓફ એ.એલ.સૈયદ)</strong></span></em></span><span style="font-size: 14pt;"><em><span style="font-size: 12pt;"><strong></strong></span></em></span></p>
<p><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/80-of-anti-Muslim-hate-speech-delivered-in-BJP-ruled-states-in-2023:-report" target="_blank" rel="noopener">2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યાઃ અહેવાલ</a><br></strong></span></p>
<p><span style="font-size: 12pt;"><strong>Khabarantar.com </strong></span><strong><span lang="GU" style="font-size: 12pt;">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span> </span></strong><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span><o:p></o:p></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 03 Feb 2024 09:54:26 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>312</Articleid>
                    <excerpt>અત્તર અને શાયરના શહેર પાલનપુરે ગુજરાત અને ભારતને અનેક રત્નો ભેટ ધર્યા છે. જેમાંના એક એટલે ફોટોગ્રાફીના માસ્ટર કલાકાર મનાતા એ.એલ. સૈયદ. ફોટોગ્રાફીની જ્યાં પણ જરૂર વર્તાય છે તેવા દરેક ક્ષેત્રમાં સૈયદ સાહેબની ફોટોગ્રાફીએ માસ્ટરપીસ તરીકે પોતાની હાજરી નોંધાવી હતી. અહીં તેમની એ જર્ની વિશે પાલનપુરી લેખક હિદાયત પરમાર વિસ્તારથી વાત કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202402/image_140x98_65bd1cf710d6d.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bd1cf6c7ff0.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202402/image_870x580_65bd1cf6c7ff0.jpg" length="116471" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>Alt News ના મોહમ્મદ ઝુબેરને તમિલનાડુ સરકારે કોટ્ટાઈ અમીર કોમ્યુનલ હાર્મની ઍવોર્ડથી સન્માનિત કર્યા</title>
                    <link>https://khabarantar.com/Mohammad-Zubair-of-Alt-News-honored-with-Kottai-Amir-Communal-Harmony-Award-by-Tamil-Nadu-Government</link>
                    <guid>https://khabarantar.com/Mohammad-Zubair-of-Alt-News-honored-with-Kottai-Amir-Communal-Harmony-Award-by-Tamil-Nadu-Government</guid>
                    <description>
                        <![CDATA[ તમિલનાડુમાં કોટ્ટાઈ અમીર કોમ્યુનલ હાર્મની એવોર્ડ વ્યક્તિને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે આપવામાં આવતો પુરસ્કાર છે. જેમાં આ વર્ષો ઓલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબેરની પણ પસંદગી કરવામાં આવી છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">Alt News ના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબેરને તમિલનાડુની સ્ટાલિન સરકારે સન્માનિત કર્યા છે. ઝુબેરની ફેક્ટ-ચેકિંગ અને જવાબદાર રિપોર્ટિંગ દ્વારા સામાજિક સૌહાર્દને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં લઈને ડીએમકે સરકારે વર્ષ-૨૦૨૪ માટે તેમને કોટ્ટાઈ અમીર કોમ્યુનલ હાર્મની એવોર્ડથી નવાજ્યા છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મોહમ્મદ ઝુબેરનું કામ ફેક ન્યૂઝને કારણે સમાજમાં ફેલાતી હિંસાની ઘટનાઓને રોકવામાં મદદ કરે છે. માર્ચ ૨૦૨૩માં, સોશિયલ મીડિયા પર એક એવો મેસેજ વાયરલ થયો હતો કે તમિલનાડુમાં સ્થળાંતર થયેલા કામદારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. વિડિયો ફૂટેજની સત્યતા ચકાસ્યા પછી ઝુબેરે ઓલ્ટ ન્યૂઝની વેબસાઈટ પર પ્રકાશિત કર્યું  કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વિડિયોમાંના ફૂટેજ વાસ્તવમાં તમિલનાડુમાંથી લેવામાં આવ્યા ન હતા. આ રીતે તમિલનાડુ વિરુદ્ધ અફવાઓ ફેલાતી અટકાવવામાં આવી હતી અને હિંસાને રોકવા માટે સરકારે કાર્યવાહી કરી હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b3e0dd334b6.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કોટ્ટાઈ અમીર કોમ્યુનલ હાર્મની એવોર્ડ એ તામિલનાડુની વ્યક્તિને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે આપવામાં આવતો એવોર્ડ છે. આ પુરસ્કાર દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડમાં રૂ. ૨૫,૦૦૦ રોકડ પુરસ્કાર, મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65b3e0dc1d091.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઝુબેરનું કામ ખરેખર તો લાખો કરોડોની જાહેરાતો મેળવતી અને હજારો પત્રકારો અને તંત્રીઓથી સજ્જ ગોદી મીડિયાએ કરવું જોઈએ, પરંતુ તે એકલવીર ઝુબેર કરી રહ્યાં છે. તે દરરોજ જોખમ લે છે અને જૂઠાણાં તથા અફવાઓ ફેલાવતા ન્યૂઝને પકડી પાડે છે. ઝુબેરનું અસ્તિત્વ દર્શાવે છે કે ગોદી મીડિયાની હવે કોઈ લાયકાત નથી રહી. ઝેરની જેમ ફેલાવવામાં આવતા જૂઠાણાને ખોટા સાબિત કરવાની હિંમત ગોદી મિડિયામાં બચી નથી. જો ઈચ્છાશક્તિ હોત તો તે એક નહીં પણ ૧૦૦-૧૦૦ ઝુબેર પેદા કરી શક્યું હોત, પણ કમનસીબે ફૅક્ટ ચેકનો ભાર માત્ર ઝુબેર જેવા બે-ત્રણ લોકોના ખભા પર જ ટકેલો છે. જે બતાવે છે કે, લોકો કોઈપણ મહેનત કર્યા વિના જ બધું પ્રાપ્ત કરવા માંગે છે. ફૅક ન્યૂઝના ચોતરફી હુમલા વચ્ચે ઝુબેર જેવી વ્યક્તિ સામા પ્રવાહે અને કોઈની પણ તમાં રાખ્યા વિના એકલી ઉભી છે અને ટકેલી છે તે પ્રશંસાને પાત્ર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/The-Unrecognized-Suffering-of-the-Dalit-Muslim-and-the-Direction-of-Solution"><strong><span style="font-size: 14pt;">દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા</span></strong></a></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">Khabarantar.com </span><span lang="GU"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો</span>.</span> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span></strong></p>
<p class="m-0"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 27 Jan 2024 10:35:35 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>297</Articleid>
                    <excerpt>તમિલનાડુમાં કોટ્ટાઈ અમીર કોમ્યુનલ હાર્મની એવોર્ડ વ્યક્તિને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે આપવામાં આવતો પુરસ્કાર છે. જેમાં આ વર્ષો ઓલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબેરની પણ પસંદગી કરવામાં આવી છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65b3e0dcd596a.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b3e0dc9bebf.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65b3e0dc9bebf.jpg" length="71187" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બિલ્કીસ બાનો કેસના 11 આરોપીઓએ આત્મસમર્પણ કર્યું, જેલમાં ધકેલાયા</title>
                    <link>https://khabarantar.com/11-accused-in-Bilkis-Bano-case-surrender,-sent-to-jail-after-Supreme-Court-order</link>
                    <guid>https://khabarantar.com/11-accused-in-Bilkis-Bano-case-surrender,-sent-to-jail-after-Supreme-Court-order</guid>
                    <description>
                        <![CDATA[ ચકચાકી બિલ્કીસ બાનો કેસના 11 આરોપીઓને ફરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ તમામ આરોપીઓને આત્મસમર્પણ માટે વધુ સમય આપવા માટે કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. વાંચો સમગ્ર અહેવાલ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt;">ગોધરા હત્યાકાંડ બાદ સર્જાયેલા કોમી રમખાણોમાં બળાત્કારનો ભોગ બનેલી બિલ્કીસ બાનોના કેસમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની અરજીને ફગાવી દીધી હતી. આથી આ કેસના 11 આરોપીઓએ ગોધરા સબ જેલમાં ગત મોડી રાતે આત્મસમર્પણ કર્યું હતું. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આ 11 દોષિતોએ આત્મસમર્પણ કરતા પહેલા વધુ સમય આપવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. એ પછી આરોપીઓ પાસે આત્મસમર્પણ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.</span></strong></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બિલ્કિસ કેસના દોષિતોએ ગુરુવારે 18 જાન્યુઆરી 2024ના રોજ વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરીને એમની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ‘તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે.’ સુપ્રીમ કોર્ટે કહેલું કે 11 દોષિતોએ આત્મસમર્પણ માટેનો સમય લંબાવવા માટે જે કારણો આપ્યા છે તેમાં કોઈ તથ્ય લાગ્યું નહતું. આ પહેલા તમામ દોષિતોએ કૌટુંબિક જવાબદારીઓ અને સ્વાસ્થ્યના કારણોને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. જેમાં કેટલાક દોષિતોએ 4 અઠવાડિયાનો જ્યારે કેટલાક દોષિતોએ 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અગાઉ આ તમામ દોષિતો 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા, પરંતુ ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે તેમની સજા માફ કરી તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા. ગુજરાત સરકારના આ નિર્ણયને પડકારતા બિલ્કિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. જેને પગલે સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ના (B. V. Nagarathna)ની બેંચે આ કેસમાં તમામ 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવા પણ કહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે બિલકિસ બાનો કેસ?</span></strong></span><br><span style="font-size: 14pt;">27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા નજીક ‘કાર સેવકો’થી ભરેલી સાબરમતી એક્સપ્રેસના કેટલાક કોચમાં આગ લગાવવામાં આવી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. તેના પરિણામે ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. તોફાનીઓથી બચવા માટે બિલ્કિસ બાનો તેની સાડા ત્રણ વર્ષની પુત્રી સાલેહા અને 15 લોકો સાથે ગામમાંથી ભાગી ગઈ હતી. તે સમયે તે 5 મહિનાની ગર્ભવતી પણ હતી.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_65ae8b4e0f865.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">03 માર્ચ, 2002ના રોજ બિલ્કીસનો પરિવાર છાપરવાડ ગામ પહોંચ્યો હતો. ત્યાં તે ખેતરોમાં સંતાઈ ગયા હતા, પરંતુ તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા. દાખલ કરાયેલી ચાર્જશીટ મુજબ 12 અન્ય લોકો સહિત લગભગ 30 લોકોએ બિલ્કીસ અને તેના પરિવાર પર લાકડીઓ અને સાંકળોથી હુમલો કર્યો હતો. બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સમયે બિલ્કિસની ઉંમર 21 વર્ષ હતી. 21 જાન્યુઆરી 2008ના રોજ CBIની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. ગયા વર્ષે 15 ઓગષ્ટના રોજ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા. </span></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline; color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">11 દોષિતોના નામ</span></strong></span><br><span style="font-size: 14pt;">મિતેશ ભટ્ટ</span><br><span style="font-size: 14pt;">શૈલેષ ભટ્ટ</span><br><span style="font-size: 14pt;">બિપીનચંદ્ર જોષી</span><br><span style="font-size: 14pt;">રાધેશ્યામ શાહ</span><br><span style="font-size: 14pt;">બકા વહોનિયા</span><br><span style="font-size: 14pt;">કેસર વહોનિયા</span><br><span style="font-size: 14pt;">પ્રદિપ મોરડિયા</span><br><span style="font-size: 14pt;">રમેશ ચંદાના</span><br><span style="font-size: 14pt;">ગોવિંદ નાઈ</span><br><span style="font-size: 14pt;">જશવંત નાઈ</span><br><span style="font-size: 14pt;">રાજુ સોની</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ <a href="https://khabarantar.com/The-Unrecognized-Suffering-of-the-Dalit-Muslim-and-the-Direction-of-Solution" target="_blank" rel="noopener"><span style="color: rgb(9, 15, 244);">દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા</span></a><br></span></strong></span></p>
<p><span style="font-size: 12pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>Khabarantar.com </strong></span><strong><span lang="GU" style="color: rgb(224, 62, 45);">ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong></span><span style="font-size: 14pt;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><b><span lang="GU">અહીં ક્લિક કરો.</span></b></a></span><o:p></o:p></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 22 Jan 2024 21:10:21 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>286</Articleid>
                    <excerpt>ચકચાકી બિલ્કીસ બાનો કેસના 11 આરોપીઓને ફરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ તમામ આરોપીઓને આત્મસમર્પણ માટે વધુ સમય આપવા માટે કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. વાંચો સમગ્ર અહેવાલ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_65ae8b4db30e4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_65ae8b4d7545a.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_65ae8b4d7545a.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>તિહારમાં અગિયારમી મુલાકાત </title>
                    <link>https://khabarantar.com/Eleventh-visit-to-Tihar</link>
                    <guid>https://khabarantar.com/Eleventh-visit-to-Tihar</guid>
                    <description>
                        <![CDATA[ એક્ટિવિસ્ટ ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી ફરી એકવાર ટળી છે. ફેબ્રુઆરી 2020ના દિલ્હી હુલ્લડો પાછળના કથિત ષડયંત્ર હેઠળ UAPA મામલામાં ઉમર ખાલિદ 14 સપ્ટેમ્બર 2020થી કાચા કામના કેદી તરીકે જેલમાં છે. જેલમાં તેને ત્રણ વર્ષ કરતા વધુ સમય વિતી ગયો છે. આજે ઉમર ખાલીદની મિત્ર અપેક્ષા પ્રિયદર્શિનીએ તિહાર જેલમાં ઉમરની મુલાકાત લીધા પછી તેનો લાગણીસભર અહેવાલ રજૂ કર્યો છે, જેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મારા માટે નવું વરસ ચાર દિવસ પછી આવ્યું. એક લાંબા અરસા પછી મારી મુલાકાત ઉમર સાથે ફરી એક વાર થઈ. Ph.D. થીસીસ લખવી અઘરી હોય છે અને ખૂબ બલિદાન માગે છે. આ વખતે સબમિશનના દબાણ હેઠળ હું ના મળી શકી એ મારા માટે એક બલિદાન સમું હતું. જોકે એની કોઈ ફરિયાદ ઉમરે તો વ્યક્ત પણ ના કરી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તેના બદલે તેણે મને બારી આગળ ઝટ બોલાવી, જ્યાં આપણે કેદીઓ જોડે વસ્તુઓની અદલાબદલી કરી શકીએ, એમ કહીને जल्दी आओ, मुझे कुछ देना है. મેં બેગ ખોલીને જોઈ તો એમાં, ગ્લવ્સની એક જોડ સાથે એક પ્લમ કેક હતી. કહેવા લાગ્યો, सॉरी यार, तुम्हारे और Pow के लिए, Ph.D. सबमिशन की खुशी में...ગળે ડૂમો ભરાઈ આવ્યો, શું કહું?</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">જ્યારે મેં એને કહ્યું કે મારી થીસીસ મેં એને સમર્પિત કરી છે તો મજાકમાં કહે છે, लोग तो मुझे Ph.D. ऐसे डेडिकेट कर रहे हैं, जैसे मैं जा ही चुका हूं. इन द मेमरी ऑफ...મારે એને ઠપકો આપતા કહેવું પડ્યું કે બક્વાસ ના કરીશ, બસ આને તારા માટેના સ્નેહની નિશાની સમજ. એ હસીને બોલ્યો, 'હા બરાબર'.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">હું જેટલી વાર એને પૂછવા માગું કે ભાઈ તું કેમ છે, એ તેટલી વાર સિફતથી વાતનો વળાંક મારી તરફ ફેરવી દે. હું કેમ છું, મારી લાઈફમાં નવું શું છે, મારા ઘરમાં શું ચાલે છે. મેં ફરી-ફરીને એને પૂછ્યું. ઉમર, કેમ છે તું? ખરેખર કેવું લાગે છે તને? એક નિસાસો નીકળી ગયો બોલતા બોલતા. જ્યારથી કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો છે ત્યારથી તણાવ ખૂબ વધી ગયો છે. આખેઆખું વરસ ખોટી ભ્રમણાઓ સેવવામાં નીકળી ગયું. દરેક તારીખ પર હું વિચારતો કે બસ થોડી જ વારમાં બધું પતી જશે, મારી સુનાવણી થશે અને દૂધનું દૂધ, પાણીનું પાણી થતાં વાર નહીં લાગે, પણ જ્યાં હતું ત્યાં જ બધું ઠપ. એમ લાગવા માંડ્યું જાણે કેસની સાથોસાથ સમય પણ અટકી ગયો છે!</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">જેલમાં સમયની વાટ જોવી એ કેવી અલગ અનુભૂતિ છે એ મને સમજાવતો હતો. “હું એક કેદીને મળ્યો જેને એક હપ્તા માટે બહાર જવાની છૂટ આપવામાં આવી હતી. મને એવું લાગ્યું કે આ ભાઈ બે દિવસમાં પાછો આવી ગયો. પૂછતા ખબર પડી કે ગેરસમજ મારાથી થઇ છે, જ્યારે એ ભાઈએ મને કહ્યું કે અમારી વાતચીતને નવ દિવસ થઈ ચૂક્યા હતા અને એ ભાઈ પરત આવ્યાને બે દિવસ. હું સ્તબ્ધ થઈ ગયો આ સમજીને, કે સમય કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે. બીજી વખતે હું બેઠા બેઠા વિચારતો હતો કે મારા નખ ત્રણ દિવસમાં આટલા લાંબા કેમ થઈ ગયા? ગણતરી કરતા ખબર પડી, ત્રણ દિવસ નહી, ત્રણ અઠવાડિયા નીકળી ગયા હતા! જેલમાં સમય જાણે ચપટો થઇ જાય છે: કશે જવા આવવાનું નહી, કોઈ તારીખ જોડે લેવાદેવા નહી, જિંદગી પાસેથી જાણે કોઈ અપેક્ષા જ નહી. આવી એકવિધતા યાદશક્તિ સાથે ચેડા કરે જ કરે” સાંભળતા હૃદય તો તૂટી ગયું પણ સાથે સંતોષ પણ હતો કે એ કમ સે કમ એના દિલની વાત મૂકી શક્યો.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">પછી એ જેલની કોટડી વિશે બોલ્યો, કે એક ટાઈમ એવો હતો જ્યારે એની બધી ચીજવસ્તુ હમેશા અસ્તવ્યસ્ત અવસ્થામાં રહેતી હતી, પણ હવે એણે ચુસ્ત રીતે જગ્યાનું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું છે. "પહેલાં મને લાગતું કે હું અહીં બસ એક પ્રવાસી છું, શા માટે જગ્યાની આટલી દરકાર કરું, સમય વેડફું? પણ હવે એવું નથી લાગતું, દરરોજ મારી કોટડી સાફ કરું છું, જ્યાં ફાટ દેખાય ત્યાં છાપાઓ ઠાંસૂં છું, એવું લાગે છે જાણે ધીરે ધીરે ઠરીઠામ થઈ રહ્યો છું. કહેતા-કહેતા એ મંદમંદ હસતો હતો અને મારા મન પર જાણે ઘા થઈ રહ્યો હતો, શું સાંત્વન આપું તે સૂઝતું નહોતું.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202401/image_870x_659ee1736834e.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આપણી ન્યાયી પ્રક્રિયા ગુનાહિત તો છે, સાવ મામૂલી પણ. 'એક ગુનેગાર થવા પાછળની અપીલ શું હશે તે સમજવાની કોશિશ કરું છું. રાજ્ય જ્યારે એક સમુદાયના લોકોને સતત ટાર્ગેટ કરે, ત્યારે સમાજની સામે પોતાનું પૌરુષત્વ સાબિત કરવાની અમુક માથાભારે લોકોની નેમ પણ હોય છે. હું જ્યારે આ લોકોને પૂછું છું,  કે શા માટે આવા ગુનાઓ કરો છો? શું મળે છે આમ કરવાથી? તો કહે, सारी लड़ाई नाक की है. પોતાના સમાજમાં કદ ઊંચું રાખવા માટે. અને રાજ્યને તો આજ જોઈએ છે. આવા કૃત્યો કરવાથી રાજ્યના ચીલાચાલુ દ્વેષ અને નફરતના માળખામાં તેઓ વધારો કરે છે અને રાજ્યના પૂર્વગ્રહને મજબૂત કરે છે.' </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સાંભળીને વિચારતી હતી કે આ કેવો માણસ છે જે આવા દમનકારી સંજોગોમાં પણ વિચારશક્તિ સાથે સમાધાન નથી કરી શકતો. મારો Ph.D. નો સંઘર્ષ ઉમર અને એના જેવા અનેક જેઓ ખોટી રીતે જેલમાં વરસો વિતાવી રહ્યા છે, તેમની સામે કોઈ વિસાતમાં નથી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">જ્યારે એના સડેલા જોક્સ, ગપસપ અને અમારી હસાહસથી મુલાકાતની અવધિ પૂરી થવા આવી, ત્યારે એના ચહેરાના હાવભાવ બદલાયા અને ગમગીની છવાઈ ગઈ. મારું અશાંત ચિત્ત એના મગજમાં શું ચાલી રહ્યું હશે તે સમજવા મથતું હતું. મારી સામાન્ય જિંદગી સડસડાટ વહી રહી છે અને એના માટે સમયની સોઈ પર જાણે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. દુનિયાની કઈ ન્યાય-પ્રણાલિકા એના ખોવાયલાં વર્ષો પાછાં મેળવી શકે? અને શા કારણથી? લોકોમાં સમાનતા, આત્મગૌરવ અને નિર્ભયતા કેળવવાની વાતો કરવા માટે? જેલમાંથી ઘર તરફ પગ વળ્યા ત્યારે મનોમન એક જ વિચાર આવતો હતો. આવનારા દિવસો કેટલા પણ જટિલ હોય, ઉમરને છોડાવવાની ચળવળમાં બિલકુલ ઓટ ન આવવી જોઈએ. રોજબરોજની ઝંઝટમાં એને ભૂલી જવું પોસાય એમ નથી. આપણે સૌએ સાતત્યથી, અવિરતપણે, અવાજ ઉઠાવતા રહેવું પડશે. કારણ એકમેકના પૂરક અને એકબીજાની હિંમત બનીને રહેવું આપણાં માટે, ઉમર માટે, અત્યંત જરૂરી છે. અને દુનિયાભરમાં એવી કોઈ દીવાલ બની નથી જે આપને સૌને એ કરતા અટકાવી શકે. </span></p>
<p><strong><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);">- અપેક્ષા પ્રિયદર્શિની</span> (અનુવાદઃ વિસ્તાપ હોડીવાલા)</span></strong><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"></span></strong></p>
<p><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ</span><span style="font-size: 14pt;"> <a href="https://khabarantar.com/80-of-anti-Muslim-hate-speech-delivered-in-BJP-ruled-states-in-2023:-report" target="_blank" rel="noopener">2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યાઃ અહેવાલ</a><br></span></strong></p>
<div class="post-text">
<div class="post-text">
<p><span><strong><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span><span style="font-size: 14pt;"> <a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></span></strong></span></p>
</div>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 11 Jan 2024 09:53:20 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>267</Articleid>
                    <excerpt>એક્ટિવિસ્ટ ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી ફરી એકવાર ટળી છે. ફેબ્રુઆરી 2020ના દિલ્હી હુલ્લડો પાછળના કથિત ષડયંત્ર હેઠળ UAPA મામલામાં ઉમર ખાલિદ 14 સપ્ટેમ્બર 2020થી કાચા કામના કેદી તરીકે જેલમાં છે. જેલમાં તેને ત્રણ વર્ષ કરતા વધુ સમય વિતી ગયો છે. આજે ઉમર ખાલીદની મિત્ર અપેક્ષા પ્રિયદર્શિનીએ તિહાર જેલમાં ઉમરની મુલાકાત લીધા પછી તેનો લાગણીસભર અહેવાલ રજૂ કર્યો છે, જેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_659ee17406af7.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_659ee173cc542.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_659ee173cc542.jpg" length="86289" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>Bilkis Bano case ના આરોપીઓએ ફરી જેલમાં જવું પડશે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો</title>
                    <link>https://khabarantar.com/Accused-in-Bilkis-Bano-case-will-have-to-go-to-jail-again,-Supreme-Court-reverses-Gujarat-governments-decision</link>
                    <guid>https://khabarantar.com/Accused-in-Bilkis-Bano-case-will-have-to-go-to-jail-again,-Supreme-Court-reverses-Gujarat-governments-decision</guid>
                    <description>
                        <![CDATA[ ચકચારી બિલકિસ બાનો કેસના આરોપીઓને છોડી મૂકવા મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટે પોતાનો નિર્ણય આજે જાહેર કર્યો છે. વાંચો વિસ્તૃત રિપોર્ટ. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>Bilkis Bano Case</strong></span>: સુપ્રીમ કોર્ટે આજે ચકચારી બિલકિસ બાનુ કેસના આરોપીઓને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે તમામ 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને પણ પલટાવી નાખીને આ ચૂકાદો આપ્યો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટે આ કેસમાં પીડિતાની અરજીઓ મંજૂર કરવાની સાથે તેની સાથે કરવામાં આવેલી જાહેર હિતની અરજીઓને પણ મંજૂર કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સજામાં છૂટછાટ પર વિચાર કરવા સક્ષમ છે. સંસદે આ સત્તા રાજ્ય સરકારને આપી હતી. આ કેસની સુનાવણી અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સજાની માફી રદ કરવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, અમારા તારણો મે 2022ના કોર્ટના આદેશ પર આધારિત છે. પ્રતિવાદી સંખ્યા ત્રણ એ જાહેર કર્યું ન હતું કે ગુજરાત હાઈકોર્ટે CrPCની કલમ 437 હેઠળ તેમની અરજી ફગાવી દીધી હતી. પ્રતિવાદી સંખ્યા ત્રણ એ પણ જાહેર કર્યું ન હતું કે સમય પહેલા મુક્તિની અરજી ગુજરાતમાં નહીં પણ મહારાષ્ટ્રમાં દાખલ કરવામાં આવી હતી. મહત્વના તથ્યો છુપાવીને અને ભ્રામક થથ્યો ઊભી કરીને દોષિતો તરફથી ગુજરાત સરકારને માફી પર વિચાર કરવા માટે નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી હતી.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે. ખંડપીઠે ગયા વર્ષે 12 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત 11 દિવસ સુધી સુનાવણી ચાલી. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારોએ ગુનેગારોની સજા માફી સંબંધિત મૂળ રેકોર્ડ રજૂ કર્યા હતા. ગુજરાત સરકારે દોષિતોને માફ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સમય પહેલા મુક્તિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જો કે, કોર્ટે કહ્યું હતું કે તે સજા માફીની વિરુદ્ધ નથી, પરંતુ તે સ્પષ્ટ થવું જોઈએ કે દોષિત કેવી રીતે માફી માટે પાત્ર બન્યો. અગાઉ 30 સપ્ટેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે શું દોષિતોને માફી માગવાનો મૌલિક અધિકાર છે? આ અધિકાર પસંદગીપૂર્વક આપવો જોઈએ નહીં.</span></p>
<p style="text-align: justify;"><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">શું છે બિલકિસ બાનો કેસ?</span></strong></span><br><span style="font-size: 14pt;">વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારના સાત લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે બિલકિસ બાનોની ઉંમર માત્ર 21 વર્ષ હતી. 21 જાન્યુઆરી 2008ના રોજ CBIની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. 15 ઓગષ્ટ 2022ના રોજ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા. એ વખતે ગોધરા કોર્ટની બહાર આરોપીઓને હારતોરા કરવામાં આવ્યા હતા અને તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાની ગુજરાત સહિત દેશભરમાં નોંધ લેવાઈ હતી. લોકતંત્ર અને માનવતામાં વિશ્વાસ ધરાવતા અનેક લોકોએ સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી. બિલકિસ બાનુએ સરકારના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી અને સુપ્રીમ કોર્ટે તમામ 11 દોષિતોને ફરી જેલમાં ધકેલી દેવાનો નિર્ણય કર્યો છે.</span></p>
<p style="text-align: justify;"><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/Of-the-28,811-crimes-against-women-reported-in-2023,-more-than-55-percent-came-from-this-one-state"><span style="font-size: 14pt;">2023 માં મહિલાઓ વિરુદ્ધ 28,811 ગુના નોંધાયા, 55 ટકાથી વધુ આ એક રાજ્યમાંથી આવ્યા</span></a></strong></p>
<div class="post-meta"><span style="font-size: 12pt;"><strong><span style="color: rgb(186, 55, 42);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.<span style="font-size: 14pt;"> </span></span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 14pt;">અહીં ક્લિક કરો.</span></a></strong></span></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 08 Jan 2024 14:14:04 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 08 Jan 2024 14:25:35 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>259</Articleid>
                    <excerpt>ચકચારી બિલકિસ બાનો કેસના આરોપીઓને છોડી મૂકવા મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટે પોતાનો નિર્ણય આજે જાહેર કર્યો છે. વાંચો વિસ્તૃત રિપોર્ટ.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202401/image_140x98_659bb5b9110ef.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202401/image_870x580_659bb5b8d6064.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202401/image_870x580_659bb5b8d6064.jpg" length="59036" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા</title>
                    <link>https://khabarantar.com/The-Unrecognized-Suffering-of-the-Dalit-Muslim-and-the-Direction-of-Solution</link>
                    <guid>https://khabarantar.com/The-Unrecognized-Suffering-of-the-Dalit-Muslim-and-the-Direction-of-Solution</guid>
                    <description>
                        <![CDATA[ દલિત મુસલમાન શબ્દથી જો તમને આશ્ચર્ય થતું હોય તો કલ્પના કરો, આ હકીકતનો જેઓ સામનો કરી રહ્યાં છે તેમની શું સ્થિતિ હશે. વરિષ્ઠ પત્રકાર ચંદુ મહેરિયા અહીં સામાન્ય માણસ માટે અજાણ્યા એવા દલિત મુસલમાનોની વ્યથા સમજાવે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">- ચંદુ મહેરિયા</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">૨૦૧૭માં ભુવનેશ્વરમાં મળેલી ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષને ‘પછાત અને દલિત મુસ્લિમો’નું સંમેલન બોલાવવા અને તેમના પ્રશ્નો ચર્ચવા સલાહ આપી હતી. જાણે કે તેના પડઘારૂપ ૨૦૨૨માં યોજાયેલી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યની ભાજપ સરકારે મદરેસા બોર્ડ, ઉર્દૂ અકાદમી અને લઘુમતી બોર્ડના ચેરપર્સન તરીકે પસમાંદા કે પછાત મુસ્લિમોની નિમણૂક  કરી હતી. હવે યોગી આદિત્યનાથના બીજા મુખ્યમંત્રી કાળના પ્રધાનમંડળમાં પછાત મુસ્લિમ દાનિશ આઝાદને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે. બીજેપીના આ વલણમાં વોટ બેન્ક પોલિટિક્સ છે. સમાજવાદી પાર્ટી હસ્તકની આઝમગઢ અને રામપુર લોકસભા બેઠકો અનુક્રમે અખિલેશ યાદવ અને આઝમ ખાનના રાજીનામાથી ખાલી પડી હતી. આ બંને બેઠકો દલિત મુસલમાનોના ભાજપા તરફથી મતદાનથી બીજેપીએ જીતતાં ૨૦૨૨ની હૈદરાબાદ કારોબારીમાં વડાપ્રધાને ફરી પક્ષને દલિત મુસલમાનોનો વિશેષ ખ્યાલ રાખવા જણાવ્યું હતું. રાજકીય ગણતરીઓને ઘડીભર બાજુએ રાખીએ તો પેટા ચૂંટણીના પરિણામ પર દલિત મુસલમાનોની અસર અને ઉત્તરપ્રદેશ સરકારમાં તેમના રાજકીય પ્રતિનિધિત્વને નોંધપાત્ર બાબત લેખી શકાય.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૧૯૪૬માં મહંમદ અલી ઝીણાના દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનો વિરોધ કરીને પછાત મુસ્લિમોની મોમિન કોન્ફરન્સે (જમીયતુલ મોમિનીન) મુસ્લિમ લીગના ઘણા ઉમેદવારો સામે ચૂંટણી લડી વિજય મેળવ્યો હતો. ૧૯૪૬માં બિહાર મંત્રીમંડળમાં પ્રથમવાર બે પછાત મુસ્લિમોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. તેમાં પસમાંદા મુસ્લિમ નેતા અબ્દુલ કય્યૂમ અન્સારી પણ હતા. છતાં એકદંર રાજકીય પ્રતિનિધિત્વમાં પછાત અને દલિત મુસલમાનો હાંસિયામાં જ રહ્યા છે. એક થી ચૌદ લોકસભાના આશરે ૭૫૦૦ સાંસદોમાં ૪૦૦ મુસ્લિમ સાંસદો હતા તેમાં પછાત મુસ્લિમ સાંસદો તો માંડ ૬૦ જ હતા.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658af25ecd6cc.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">સમાનતાના મનાતા ઈસ્લામ ધર્મમાં પણ નાતજાત અને ઉચ્ચનીચના ભેદ જોવા મળે છે. વળી આવા ભેદ કંઈ આજકાલથી કે ભારતીય ઈસ્લામમાં જ નથી, મુસ્લિમોમાં કોટિક્રમ  કે ઉચ્ચનીચ દર્શાવતા ત્રણ શબ્દો અશરાફ, અજલાફ અને અર્જાલ ઉર્દૂ કે ફારસી નહીં પણ અરબી શબ્દો છે. એટલે આ ભેદ લાંબા સમયના અને સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રવર્તતા હોવાનું લાગે છે.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ૧૭.૨૨ કરોડ (કુલ વસ્તીના ૧૪.૨૩ ટકા) મુસ્લિમ વસ્તી છે. તેમાં પોણા ભાગના પછાત કે દલિત મુસલમાનો છે. ભારતના મોટાભાગના મુસલમાનો ધર્માંતરિત છે. પરંતુ અશરાફ કે ઉચ્ચવર્ણીય મુસલમાનો અરબ, ઈરાન કે તુર્કી મૂળના મનાય છે. મધ્યમ કે કારીગર વર્ગના અજલાફ મુસલમાનો પછાત કે પસમાંદા ગણાય છે. અર્જાલ કે દલિત મુસલમાનો સૌથી નીચા મનાય છે. કેમ કે તેઓએ હિંદુઓની અસ્પૃશ્ય કોમોમાંથી ધર્મપરિવર્તન કરીને ઈસ્લામ અંગીકાર કર્યો છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">મસૂદ આલમ ફતાહીના ‘હિંદુસ્તાનમેં જાત-પાંત ઔર મુસલમાન’, અય્યૂબ રાયનના ‘ભારત કે દલિત મુસલમાન’ જેવા પુસ્તકો, અભ્યાસો, સંશોધનો અને સર્વેક્ષણોમાંથી તથા ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ, મુસ્લિમ ઓબીસી સંગઠન અને ઓલ ઈન્ડિયા બેકવર્ડ મુસ્લિમ મોરચો જેવી સંસ્થાઓ દ્વારા પછાત અને દલિત મુસલમાનોની સ્થિતિનો ખ્યાલ આવે છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">બે દાયકા પૂર્વેના અલી અનવરના દલિત અને પછાત મુસ્લિમો અંગેના લઘુ સર્વેક્ષણનું તારણ હતું કે તેઓ આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે ખૂબ જ પછાત હતા. સર્વેક્ષણ હેઠળના પરિવારોમાં શિક્ષણનું પ્રમાણ ૩૮.૫ ટકા જ હતું. માંસાહાર મુખ્ય ખોરાક છતાં ગરીબી અને બેરોજગારીના કારણે ૭૦ ટકા પરિવારો મહિને એકાદવાર માંસ ખાઈ શકતા હતા. ૨૫ ટકાને એક જ ટંક ખાવાનું મળતું હતું. ૭૮ ટકાના પગમાં પહેરવા ચંપલ નહોતા અને ૫૮ ટકા કુટુંબો ઘરવિહોણા હતા.   </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658af25ddcfe8.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આર્થિક અને શૈક્ષણિક બેહાલીમાં જીવતા અર્જાલ કે દલિત મુસલમાનો રોજેરોજ સામાજિક ભેદભાવો પણ ભોગવે છે. ગિરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ, લખનૌ દ્વારા ૨૦૧૬માં સામાજિક સંશોધકો પ્રશાંત ત્રિવેદી, શ્રીનિવાસ ગોલી, ફહિયુદ્દીન અને સુરિન્દર કુમારે યુ.પી.ના ૧૪ જિલ્લાના ૭૧૯૫ દલિત મુસલમાન કુટુંબોનો અભ્યાસ કર્યો હતો. જેમાં કથિત ઉચ્ચવર્ણના હિંદુઓ અને મુસલમાનો બંને તેમના પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું જણાયું હતું. ૨૫ ટકા ઉચ્ચ વર્ણીય હિંદુઓ અને ૨૦.૫ ટકા મુસલમાનો દલિત મુસલમાનો પ્રત્યે ભેદ રાખતા હતા. ૮ ટકા દલિત મુસલમાન બાળકોને શાળાના વર્ગ ખંડોમાં અને મધ્યાહ્ન ભોજનમાં અલગ બેસાડાતા હતા. ૧૩ ટકા દલિત મુસલમાનોને  કથિત ઉચ્ચ વર્ણના મુસલમાનોના ઘરમાં અલગ વાસણમાં જમવાનું અને પાણી અપાતું હતું. સામાજિક પ્રસંગોએ પણ અલગ જમવા બેસાડતા અને અપમાનજનક તથા  વ્યવસાયસૂચક શબ્દોથી સંબોધવામાં આવતા હતા. દલિત મુસલમાનોના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવા દેવામાં આવતા નથી કે  ખૂણામાં દફનાવવા પડતા હતા. મસ્જિદમાં સાથે નમાજ પઢવામાં પણ તે અલગ હોવાનો અહેસાસ કરાવાતો હતો. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ભારતીય ઈસ્લામમાં જોવા મળતો આ સામાજિક ભેદ ઉચ્ચ વર્ણના મુસલમાનો માટે કોઈ મુદ્દો જ નથી. દલિત અને પછાત મુસલમાનોના સામાજિક ન્યાયની સમસ્યાની સતત અવહેલના થાય છે. બીજી તરફ પછાત અને દલિત મુસલમાનો પણ ઈસ્લામના અંતર્ગત હિસ્સા તરીકે સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળ કરવાને બદલે અનુસૂચિત જાતિમાં સામેલગીરી માંગે છે. </span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_658af25d0e4f1.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ડૉ. આંબેડકરના પગલે દલિતોએ હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ નવબૌધ્ધોને વી.પી. સિંઘના વડાપ્રધાનકાળ વખતે અનુસૂચિત જાતિમાં સામેલ કરી અનામતના લાભ આપ્યા હતા. એટલે દલિત મુસલમાનો અને દલિત ખ્રિસ્તીઓ પણ આ લાભ માંગે છે. તેમની આ માંગણી કદાચ વાજબી પણ હોઈ શકે. પણ તેમણે ધર્મ પરિવર્તન કરીને જે નવો ધર્મ અપનાવ્યો છે તે ધર્મ કેમ તેમને સમાન ગણતો નથી અને સમાનતાનો અધિકાર આપતો નથી તે સવાલ કરાતો નથી. હાલની પસમાંદા અને દલિત મુસલમાનની ઓળખમાં તેઓ પહેલાં પછાત કે દલિત અને પછી મુસલમાન છે તેમ જોવા મળે છે. ખરેખર તો તેમણે પોતાની દલિત કે પછાત મુસલમાનની ઓળખને પ્રાધાન્ય આપવાને બદલે મુસલમાન દલિત કે મુસલમાન પછાતની ઓળખ પ્રસ્થાપિત કરવી જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ડો.બાબાસાહેબ આંબેડકરે તેમના ગ્રંથ ‘થોટ્સ ઓન પાકિસ્તાન’માં જણાવ્યું  છે કે, “મુસલમાનો એવું અનુભવતા જ નથી કે આ (પછાત અને દલિત મુસલમાનો પ્રત્યેનો સામાજિક ભેદભાવ) કોઈ બુરાઈ છે. તેથી તેના નિરાકરણ માટે કોઈ પ્રયત્નો પણ કરતા નથી.” હિંદુઓની જે નીચલી જ્ઞાતિઓએ જ્ઞાતિભેદ અને આભડછેટમાંથી છૂટકારો મેળવવા ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મો અંગીકાર કર્યા છે તે જો નવા ધર્મમાં પણ સમાન સ્થાન મેળવી ન શક્યા હોય તો તેમનું ધર્મ પરિવર્તન અર્થહીન બની ગયું ગણાય, એ દ્રષ્ટિથી વિચારીને સમાનતા અને સામાજિક ન્યાયની લડત કરવી જોઈએ. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">ખ્રિસ્તીઓ, મુસલમાનો અને શીખો તેમના ધર્માંતરિત ધર્મબંધુઓ પ્રત્યે આભડછેટ અને ભેદભાવ રાખે છે. ગાંધીજીએ તેને હિંદુઓની દેન તરીકે સ્વીકારીને કહ્યું હતું કે હિંદુઓએ પોતાના ધર્મમાં રહેલી આભડછેટ સમાપ્ત કરીને બીજા ધર્મોનું માર્ગદર્શન કરવું જોઈએ. શેષ કામ બીજા ધર્મોએ જાતે કરવું જોઈએ. ગાંધીજીના આ  શબ્દોમાં રહેલું દર્દ અને વાસ્તવ ન માત્ર હિંદુઓએ પરંતુ તમામ ધર્મોએ સમજવું પડશે. પછાત-દલિત મુસલમાનોની સામાજિક ભેદભાવની અજાણી વ્યથાનો ઉકેલ અનુસૂચિત જાતિમાં સામેલગીરી અને અનામતમાં નહીં સામાજિક-ધાર્મિક સુધારણાની ચળવળમાં રહેલો છે. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a></span></p>
<p style="text-align: justify;"><strong><em><span style="font-size: 14pt;">(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડો. આંબેડકરના જીવનકાર્યના તલસ્પર્શી અભ્યાસુ છે.)</span></em></strong></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચોઃ </span></strong></span><a href="https://khabarantar.com/Before-the-inauguration-of-Ram-Mandir,-the-Muslim-community-appealed-to-PM-Modi,-said--You-should-lay-the-foundation-stone-of-the-mosque"><span style="font-size: 14pt;"><strong>રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા મુસ્લિમ સમાજે PM મોદીને કરી અપીલ, કહ્યું-  આપ જ મસ્જિદનો શિલાન્યાસ કરો!</strong></span></a></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 27 Dec 2023 10:21:38 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>231</Articleid>
                    <excerpt>દલિત મુસલમાન શબ્દથી જો તમને આશ્ચર્ય થતું હોય તો કલ્પના કરો, આ હકીકતનો જેઓ સામનો કરી રહ્યાં છે તેમની શું સ્થિતિ હશે. વરિષ્ઠ પત્રકાર ચંદુ મહેરિયા અહીં સામાન્ય માણસ માટે અજાણ્યા એવા દલિત મુસલમાનોની વ્યથા સમજાવે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_658af26040e69.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_658af26002318.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_658af26002318.jpg" length="136121" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>એક મુસ્લિમ સિપાહી, જેણે ભાગલા વખતે ભારતને માતૃભૂમિ માની પાકિસ્તાન જવા ઈનકાર કરેલો</title>
                    <link>https://khabarantar.com/A-Muslim-soldier,-who-at-the-time-of-partition-refused-to-go-to-Pakistan,-considering-India-as-his-motherland</link>
                    <guid>https://khabarantar.com/A-Muslim-soldier,-who-at-the-time-of-partition-refused-to-go-to-Pakistan,-considering-India-as-his-motherland</guid>
                    <description>
                        <![CDATA[ સાંપ્રદાયિકાનું ઝેર ચોતરફ ઘોળાઈ ચૂક્યું છે ત્યારે એક એવા મુસ્લિમ સિપાહીની વાત કરીએ, જેણે દેશના ભાગલા ટાણે ભારતને પોતાની માતૃભૂમિ માનીને પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધેલો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1947નો દૌર હતો, જ્યારે ભારતને આઝાદીની સૌગાતની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું હતું. પાકિસ્તાનથી ઘણા લોકો જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા, કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો. એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનની મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફૌજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો. ફૌજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો. તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6575e7adddd96.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન છે અને તે જ રહેશે. એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું. એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા. કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલો ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને કોઈ પ્રલોભનો કે નસીહતો ડગાવી શકી નહીં. તેઓ ભારત આવ્યા અને આ જ ધરતીની સેવા કરતાં તેમણે આખરી શ્વાસ લીધા. </span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">જ્યારે તેઓ આઝાદ હિંદ ફોજમાં હતા, ત્યારે તેમણે તેમના રણકૌશલ્યથી અંગ્રેજોની ચિંતા વધારી દીધી હતી. તેમના એક હુકમ પર આઝાદ હિંદના સિપાહીઓ જાન કુરબાન કરવા માટે તૈયાર થઈ જતા હતા. યુદ્ધની બદલાયેલી પરિસ્થિતિઓને કારણે તેમને બ્રિટિશ સરકારે કેદ કરી લીધા અને એમના ઉપર મુકદમો ચલાવવામાં આવ્યો.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6575e7acd0a1b.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">નેતાજી સુભાષના સહયોગી હોવાને કારણે અંગ્રેજો તેમને મૃત્યુદંડ આપવા ઇચ્છતા હતા, પરંતુ શાહનવાઝને મોતનો કોઈ ખોફ ન હતો. તે અંગ્રેજ સરકારથી ન દબાયા કે ન ઝૂક્યા. છેલ્લે તેઓ બરી થયા અને દેશની આઝાદી બાદ સક્રિય રાજનીતિમાં સામેલ થયા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આઝાદીના આ સિપાહી જાણતા હતા કે આઝાદ થયેલા દેશમાં રાજનેતાઓની પણ એટલી જ જવાબદારી છે, જેટલી સરહદ પર તૈનાત એક સૈનિકની. તેઓ 1952માં મેરઠથી સાંસદ તરીકે ચૂંટાયા. એના પછી પણ તેઓ 1957, 1962 અને 1971માં પણ અહીંથી જ જીત્યા. તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પદ પર પણ રહ્યા. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમને એ વાતનો વસવસો હતો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ જે સપનું લઈને ચાલ્યા હતા એવું ભારત ન બનાવી શક્યા, પરંતુ તેમણે નેતાજીના નામ પર એક ગામ જરૂર વસાવ્યું હતું. તે ગામનું નામ છે 'સુભાષ ગઢ', જે ઉત્તરાખંડમાં હરિદ્વારની નજીક આવેલું છે.</span></p>
<p><img src="https://khabarantar.com/uploads/images/202312/image_870x_6575e7abbb3fb.jpg" alt=""></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">1940માં તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં સામેલ થયા. પરંતુ જ્યારે નેતાજીએ દેશની આઝાદી માટે આહ્વાન કર્યું તો તેઓ બોલ્યા - હું હાજર છું. અને તેઓ નેતાજીના મજબૂત તથા વિશ્વાસપાત્ર સાથી બની ગયા. 9 ડિસેમ્બર 1987ના દિવસે તેમનું અવસાન થયું.</span></p>
<p style="text-align: justify;"><br><span style="font-size: 14pt;">આજે દેશમાં સાંપ્રદાયિકતાનું ઝેર ઘોળાઇ રહ્યું છે, દેશભક્તિ અને ધર્મની નવી નવી વ્યાખ્યાઓ સામે આવી રહી છે. આ શોરબકોરમાં રોજ ઘણા નવા અવાજો ઊઠે છે અને ઘણા ગુમ થઈ જાય છે. એ ગુમ થઈ ગયેલા અવાજમાં એક અવાજ જનરલ શાહનવાઝ ખાનનો પણ છે, જેમણે હિન્દુસ્તાનની સેવા માટે પાકિસ્તાનને અલવિદા કહી દીધું હતું. જે લડાઈ શાહનવાઝ અને તેમના સાથીઓએ અંગ્રેજોથી જીતી હતી, આપણને આઝાદી સોંપીને કદાચ તે આપણાથી હારી ગયા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">- <span style="color: rgb(224, 62, 45);"><strong>હિદાયત પરમાર </strong></span><strong><em>(<span style="font-size: 12pt; color: rgb(0, 0, 0);">લેખક વ્યવસાયે કમ્પ્યુટર હાર્ડવેર નિષ્ણાત, ખેડૂત અને વૈવિધ્યપૂર્ણ વાંચનના શોખીન છે.)</span></em></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ </strong></span><a href="https://khabarantar.com/80-of-anti-Muslim-hate-speech-delivered-in-BJP-ruled-states-in-2023:-report"><strong><span style="font-size: 14pt;">2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યાઃ અહેવાલ</span></strong></a></p>
<div class="post-meta"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span> </strong><strong><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></strong></span></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 11 Dec 2023 20:22:57 +0530</pubDate>
                                        <updatedDate>Mon, 11 Dec 2023 20:48:33 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>186</Articleid>
                    <excerpt>સાંપ્રદાયિકાનું ઝેર ચોતરફ ઘોળાઈ ચૂક્યું છે ત્યારે એક એવા મુસ્લિમ સિપાહીની વાત કરીએ, જેણે દેશના ભાગલા ટાણે ભારતને પોતાની માતૃભૂમિ માનીને પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધેલો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_6575e7af50550.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_6575e7af21ec9.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_6575e7af21ec9.jpg" length="101526" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>બેગમ રૂકૈયા સખાવત હુસૈનઃ બિહારમાં દીકરીઓ માટે પહેલી શાળા શરૂ કરનાર મહિલા</title>
                    <link>https://khabarantar.com/Begum-Rukaiya-Sakhawat-Hussain:-The-woman-who-started-the-first-school-for-girls-in-Bihar</link>
                    <guid>https://khabarantar.com/Begum-Rukaiya-Sakhawat-Hussain:-The-woman-who-started-the-first-school-for-girls-in-Bihar</guid>
                    <description>
                        <![CDATA[ આજે બેગમ રૂકૈયા સખાવત હુસૈનનો જન્મદિવસ છે, જેમણે દીકરીઓ માટે બિહારમાં પ્રથમ શાળા ખોલી હતી. તેમણે  બિહારના ભાગલપુરમાં આવી પ્રથમ શાળા ખોલી હતી. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આજે બેગમ રૂકૈયા સખાવત હુસૈનનો જન્મદિવસ છે, જેમણે દીકરીઓ માટે બિહારમાં પ્રથમ શાળા ખોલી હતી. તેમણે  બિહારના ભાગલપુરમાં આવી પ્રથમ શાળા ખોલી હતી, જે માત્ર દિકરીઓના શિક્ષણ માટે હતી. તેમણે ઘણી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ પણ લખી હતી. તેમનું ‘સુલ્તાનાઝ ડ્રીમ્સ’ ખૂબ જ પ્રખ્યાત પુસ્તક રહ્યું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">મહિલાઓના અધિકારો માટે લડનારા બેગમ રૂકૈયાનો જન્મ 9 ડિસેમ્બર 1880ના રોજ ઉત્તર બંગાળના રંગપુર જિલ્લાના પૈરાબંદ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા ઝહીરુદ્દીન મોહમ્મદ અબુ અલી હુસેન સાબેર વિસ્તારના જમીનદાર હતા. તેમની માતાનું નામ રહેતુન્નિસા સાબેરા ચૌધરાણી હતું. આ વિસ્તાર હવે બાંગ્લાદેશમાં ગયો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">જ્યારે રૂકૈયાનો જન્મ થયો, ત્યારે બંગાળના મુસ્લિમ પુરુષોમાં શાળાકીય શિક્ષણ શરૂ થઈ ગયું હતું, પરંતુ ઘરના વર્તુળમાં રહેલી મહિલાઓ સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચ્યો ન હતો. બંગાળના સમૃદ્ધ મુસ્લિમ ઘરોમાં મહિલાઓને માત્ર ધાર્મિક શિક્ષણ જ આપવામાં આવતું હતું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રુકૈયાના બે ભાઈ કોલકાતામાં ભણતા હતા. મોટી બહેનને પણ ભણવાનો શોખ હતો. મોટા ભાઈએ ઘરના વડીલો પાસેથી ગુપ્ત રીતે રૂકૈયાને અંગ્રેજી, બંગાળી અને ઉર્દૂ શીખવ્યું.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">રુકૈયા લખે છે, “મેં ક્યારેય કોઈ શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવ્યો નહીં. મારા મોટા ભાઈના પ્રેમ અને દયાને કારણે જ હું લખતા-વાંચતા શીખી શકી.”</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1896 માં, 16 વર્ષની ઉંમરે બેગમ રુકૈયાના લગ્ન ભાગલપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ખાન બહાદુર સખાવત હુસૈન સાથે થયા, ત્યારે સખાવત 38 વર્ષના હતા અને તે આના પહેલા લગ્ન કરી ચૂક્યા હતા, પરંતુ તેમની પ્રથમ પત્નીના મૃત્યુ પછી તેમણે રુકૈયા સાથે લગ્ન કર્યા. તેઓનો સંગાથ લગભગ 14 વર્ષનો છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">સખાવત હુસૈન બિહારના ભાગલપુરના રહેવાસી હતા. તેમને દીકરીઓના શિક્ષણમાં ખૂબ જ રસ હતો અને તેના કારણે તેઓ રુકૈયાને પુરો સહયોગ આપતા રહેતા હતા. તેમના મૃત્યુ સુધી, તેમનો મોટાભાગનો સમય ભાગલપુરમાં વિત્યો હતો. આ તે સમયગાળો છે જ્યારે રુકૈયા લખવાનું શરૂ કરે છે અને ઘણુંબધું લખે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">તેમના કેટલાક મહત્વપૂર્ણ કાર્યો સુલતાના શોપનો(સુલતાનાનું સ્વપ્ન)</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઓબોરોદબાધિની(વિદેશમાં મહિલાઓ) મોટીચુર, પદોરાગ(પદ્મની ગંધ)(અસંપૂર્ણ), નારીર અધિકાર (મહિલા અધિકાર), ઇસ્લામિક મહિલા સંગઠન હેતુ નિબંધ. </span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કન્યાઓ માટે શાળા ખોલવામાં આવી</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">1909 માં જ્યારે સખાવતનું અવસાન થયું ત્યારે તેઓ રુકૈયા માટે ઘણી મિલકત છોડીને ગયા હતા, જેનો ઉપયોગ રુકૈયાએ આગળ જતા છોકરીઓના શિક્ષણ માટે કર્યો હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેગમ રુકૈયાએ પતિના મૃત્યુના માત્ર 5 મહિના પછી સખાવત મેમોરિયલ ગર્લ્સ હાઇસ્કૂલની સ્થાપના કરી. આ શાળા ભાગલપુરમાં ખોલવામાં આવી હતી અને તે સમયે તેમાં ફક્ત 5 વિદ્યાર્થીઓનીઓ હતી. તેમના પતિના પરિવાર સાથે કેટલીક મિલકતના વિવાદને કારણે તેમણે આ શાળાને 1911 માં કલકત્તામાં શિફ્ટ કરવી પડી હતી. આ શાળા ખૂબ પ્રખ્યાત ગણાય છે અને આજે તે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઉત્કૃષ્ટ વ્યક્તિ, યુવતીઓ/મહિલાઓની પ્રેરણા, શિસ્તની દુનિયામાં એક અલગ ઓળખ બનાવનાર, મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનાર, મુસ્લિમ યુવતીઓના શિક્ષણ માટે પોતાનું તન, મન, ધન લગાવનાર, મહિલાઓને એક કરીને સંગઠનો બનાવનાર, સુધારણા માટે જીવન આપનાર રુકૈયા સખાવત હુસૈન 9 ડિસેમ્બર 1932ના રોજ 52 વર્ષની વયે હૃદય રોગને કારણે મૃત્યુ પામ્યા. તેમના અંતિમ શ્વાસ સુધી તેમનું જીવન માત્ર મહિલાઓના શિક્ષણ માટે સમર્પિત હતું. બાંગ્લાદેશે રુકૈયાને ઘણું સન્માન આપ્યું છે. ત્યાં દર વર્ષે 9મી ડિસેમ્બરના દિવસને રૂકૈયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.</span></p>
<p><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">હિદાયત પરમાર</span></strong></p>
<p><strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">આ પણ વાંચો :</span></strong><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);"> </span><a href="https://khabarantar.com/Proposal-to-teach-about-Ramayana-and-Rama-in-NCERT-books"><strong><span style="font-size: 14pt;">NCERTના પુસ્તકોમાં રામાયણ અને રામ વિશે ભણાવવાનો પ્રસ્તાવ</span></strong></a></p>
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-meta"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42);"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </strong></span></div>
<div class="post-meta"><strong><span><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો</a></span></strong></div>
</div>
<div class="post-tags"></div>
</div>
<p></p>
</div>
</div>
<div class="post-tags"></div>
</div>
</div>
<div class="post-tags"></div>
</div>
</div>
<p></p>
</div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 09 Dec 2023 12:19:25 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 09 Dec 2023 12:23:19 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>183</Articleid>
                    <excerpt>આજે બેગમ રૂકૈયા સખાવત હુસૈનનો જન્મદિવસ છે, જેમણે દીકરીઓ માટે બિહારમાં પ્રથમ શાળા ખોલી હતી. તેમણે  બિહારના ભાગલપુરમાં આવી પ્રથમ શાળા ખોલી હતી.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202312/image_140x98_65740d91c4f4e.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202312/image_870x580_65740d918caee.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202312/image_870x580_65740d918caee.jpg" length="106631" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>Syeda Anwara Taimur: દેશનાં પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી, જેમને મળી હતી સળગતા આસામને સંભાળવાની જવાબદારી</title>
                    <link>https://khabarantar.com/Syeda-Anwara-Taimur:-The-first-Muslim-woman-Chief-Minister-of-the-country,-who-was-given-the-responsibility-of-handling-the-burning-Assam</link>
                    <guid>https://khabarantar.com/Syeda-Anwara-Taimur:-The-first-Muslim-woman-Chief-Minister-of-the-country,-who-was-given-the-responsibility-of-handling-the-burning-Assam</guid>
                    <description>
                        <![CDATA[ દેશના પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી સૈયદા અનવરા બહુ ઓછા સમય માટે મુખ્યમંત્રી રહ્યાં, પણ તેમણે કરેલા કાર્યોને આસામ હજુ યાદ કરે છે. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">શું તમે જાણો છો કે દેશના પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા, તે રાજ્ય કયું હતું, કઈ પાર્ટીએ તેમને મુખ્યમંત્રી બનાવ્યા, તેમણે શું કામ કર્યું, છેલ્લા શ્વાસ ક્યાં લીધા - આ પ્રશ્નોમાં અમે "?" મૂક્યું નથી, કારણ કે આ પ્રશ્નો ક્યારેય પુછાયા જ નથી. વાસ્તવમાં આપણે એવા લોકો વિશે બહુ ઓછું જાણીએ છીએ જેમના વિશે જાણવું જોઈએ. આપણે તેમના વિશે વાત પણ કરતા નથી. આપણે તેમના સારા-ખરાબ કાર્યોની ચર્ચા પણ નથી કરતા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">25 નવેમ્બરે દેશની પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી સૈયદા અનવરા તૈમૂરનો જન્મદિવસ હતો. 1936માં જન્મેલા બેગમ અનવરાએ પોતાનું વ્યક્તિત્વ જાતે ઘડ્યું હતું. જેમને દેશની સૌથી જૂની પાર્ટી દ્વારા આસામ રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ 1980ના ડિસેમ્બરમાં થયું હતું, તે લગભગ છ મહિના રાજ્યના મુખ્યમંત્રી હતા. આ ટૂંકા કાર્યકાળમાં પણ તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોને દેશે ભૂલવા ન જોઈએ. જ્યારે આસામ ધગધગતું હતું ત્યારે તેમણે સત્તા સાંભળી હતી. અનવરાજીએ આસામના લોકોના હૃદય પર એવી અસર કરી કે તેમણે લીધેલા દરેક પગલા સાથે શાંતિ પાછી આવવા લાગી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનવરાજી ચાર વખત આસામ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હોવા છતાં સૌથી ખાસ વાત એ હતી કે તેમનું વ્યક્તિત્વ આગવું હતું. જ્યારે તેઓ રાજકારણમાં નહોતા ત્યારે ગર્લ્સ કોલેજમાં અર્થશાસ્ત્રના શિક્ષિકા હતા. તેમના વિષય પર તેમની મજબૂત પકડ હતી. વિદ્યાર્થીઓને તેમણે માતૃપ્રેમ આપ્યો હતો, જે તેમણે પછીથી રાજકારણમાં આપ્યો. દરેક વ્યક્તિ પોતાની વ્યથા અને વેદના તેની સામે વ્યક્ત કરી શકતી.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેઓ ઘણા વર્ષો સુધી રાજ્યના PWD મંત્રી પણ હતા. આ મંત્રાલયમાં રહીને તેમણે આસામમાં ઐતિહાસિક કામ કર્યું, ઘણી ઇમારતો, પુલ અને રસ્તાઓ બનાવ્યા. તે ખૂબ જ મિલનસાર મહિલા હતા, જ્યારે તેની પ્રતિભાની અસર રાજ્યમાં દેખાવા લાગી ત્યારે સરકારને સમજાયું કે કેન્દ્રને તેમની જરૂર છે. પછી 1988માં તેમને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અનવરા તૈમૂરજી અને તેમની ટીમે મળીને આસામમાં ઐતિહાસિક કામ કર્યું. જો કે વચ્ચે પક્ષ અને તેમની વચ્ચે અણબનાવ થયો અને તેમણે પછીના દિવસોમાં પક્ષ છોડી દીધો. આ બંને માટે અભિશાપ સાબિત થયું, જોકે ભોગવવાનું આસામ રાજ્યના ભાગે આવ્યું. તેમણે પાર્ટી છોડી દીધી પરંતુ પાર્ટીએ ક્યારેય એમને હૃદયમાંથી દૂર કર્યા નહીં. બાદમાં તેઓ તેમના પુત્ર સાથે રહેવા ઓસ્ટ્રેલિયા ગયાં. અફસોસની વાત એ છે કે તેમણે સપ્ટેમ્બર 2020માં વતન આસામ અને ભારતથી દૂર રહીને અંતિમ શ્વાસ લીધા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">કહેવાય છે કે ઓસ્ટ્રેલિયામાં તેમનું ઘર મિની ઈન્ડિયા હતું. જેમાં તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હતી. ભારતના રાષ્ટ્રીય તહેવારો પર તેઓ તેમની પૌત્રી સાથે વિવિધ પ્રકારના ભોજન બનાવતાં, પડોશીઓને મિજબાની આપતા અને તેમને ભારતીય સંસ્કૃતિના ઉદાહરણો બતાવતાં. અનવરાજીને પોતાની ધરતી અને દેશ પ્રત્યે ઘણો પ્રેમ હતો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તેમણે ઘણી શાળાઓ ખોલી, રસ્તાઓ બનાવ્યા અને કૃષિ માટે કામ કર્યું. ગામડે ગામડે ફર્યા, લોકોને અભ્યાસ માટે તૈયાર કર્યા. પોતાનો વિકાસ કરવાની પ્રેરણા આપી અને સમજાવ્યું કે તમારામાં વિશ્વાસ રાખો, પ્રામાણિક બનો, સખત મહેનત કરો, લોકોને ટેકો આપો, નબળાઓને આગળ લાવો, નિરાધારોને ટેકો આપો અને આગળ વધો.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">અફસોસની વાત છે કે સૈયદા અનવરા તૈમૂર જેવું વ્યક્તિત્વ આપણી વાતચીતમાંથી ગાયબ છે. આજે કોઈ કલ્પના પણ ન કરી શકે કે આસામે આ દેશને પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી આપ્યા હતા. હજી બે દિવસ પહેલાં જ એમનો જન્મદિવસ ગયો એ નિમિત્તે એમને રાષ્ટ્ર વતી, ખિરાજ-એ-અકીદત, વંદન અને શ્રદ્ધાંજલિ. તેમણે કરેલા કાર્યને, તેઓએ સ્થાપિત કરેલા દાખલાઓ અને તેમની ભાવનાને સલામ.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આગળ વાંચોઃ </span></strong></span><a href="https://khabarantar.com/80-of-anti-Muslim-hate-speech-delivered-in-BJP-ruled-states-in-2023:-report"><span style="font-size: 14pt;"><strong>2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યાઃ અહેવાલ</strong></span></a></p>
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-meta">
<div class="post-text">
<div class="post-summary">
<div class="post-text">
<div class="post-text">
<p><span><strong><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. </span></strong></span><span><strong><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W">અહીં ક્લિક કરો.</a></strong></span></p>
</div>
</div>
</div>
</div>
</div>
</div>
<div class="post-tags"></div>
</div>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Wed, 29 Nov 2023 20:30:53 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 28 Nov 2023 22:26:18 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>159</Articleid>
                    <excerpt>દેશના પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી સૈયદા અનવરા બહુ ઓછા સમય માટે મુખ્યમંત્રી રહ્યાં, પણ તેમણે કરેલા કાર્યોને આસામ હજુ યાદ કરે છે.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_65661b1cdcc44.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_65661b1ca0df3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_65661b1ca0df3.jpg" length="64003" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>&amp;apos;તું ગૌમાંસ ખાય છે?&amp;apos; કોઈમ્બતુરમાં શિક્ષિકાએ મુસ્લિમ વિદ્યાર્થિનીને આવો સવાલ કરતા હોબાળો!</title>
                    <link>https://khabarantar.com/Do-you-eat-beef-In-Coimbatore,-the-teacher-raised-such-a-question-to-the-Muslim-student</link>
                    <guid>https://khabarantar.com/Do-you-eat-beef-In-Coimbatore,-the-teacher-raised-such-a-question-to-the-Muslim-student</guid>
                    <description>
                        <![CDATA[ તમિલનાડુમાં એક સરકારી શાળની મુસ્લિમ વિદ્યાર્થિનીને ગૌમાંસ ખાવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં હોબાળો થયો હતો. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;">તમિલનાડુમાં એક સરકારી શાળની મુસ્લિમ વિદ્યાર્થિનીને ગૌમાંસ ખાવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં હોબાળો થયો હતો. બાળકીના માતા-પિતાએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે મહિલા શિક્ષકે તેને પૂછીને હેરાન કરી કે શું તે ગૌમાંસ ખાય છે? માતા-પિતાએ જણાવ્યું હતું કે છોકરીને તેના પર્દાનો ઉપયોગ કરીને વર્ગમાં અન્ય વિદ્યાર્થીઓના જૂતા સાફ કરાવ્યા હતા અને આ રીતે તેને હેરાન કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે 'છોકરીને પૂછવામાં આવ્યું કે શું તે બીફ ખાય છે? શિક્ષકે તેને કહ્યું કે આવા લોકો માત્ર ઘમંડી હશે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">આ દરમિયાન સોશિયલ મીડિયા પર વિદ્યાર્થિનીની એક વીડિયો ક્લિપ સામે આવી છે, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે મહિલા શિક્ષકે તેને થપ્પડ પણ મારી હતી. બાળકીના પિતાએ કોઈમ્બતુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ મામલો શાળાના વડા સમક્ષ બે વાર ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસ અધિકારીઓને પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. એક પોલીસ અધિકારીએ તેમને આશ્વાસન આપ્યું છે કે હવે વિદ્યાર્થિનીને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">માતાપિતા: છોકરી સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાળકીના માતા-પિતાએ દાવો કર્યો હતો કે તેમની ફરિયાદ પર શાળાના વડાનો જવાબ સંતોષકારક ન હતો. તેણે કહ્યું કે અન્ય શિક્ષકે છોકરી સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીઓએ કાર્યવાહીની ખાતરી આપી હોવાનું એમણે જણાવ્યું હતું. કોઈમ્બતુરમાં સોશિયલ મીડિયા પર આ બાબતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ઈન્ટરનેટ યુઝર્સે આ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. લોકોનું કહેવું છે કે સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ અને કસૂરવાર જણાય તો શિક્ષક સામે પગલાં લેવાની જરૂર છે.</span></p>
<p style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો : </span></strong></span><a href="https://khabarantar.com/The-first-woman-judge-of-the-Supreme-Court-of-the-country,-Fatima-B.,-passed-away-at-the-age-of-96"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">દેશની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવીનું 96 વર્ષની વયે નિધન</span></strong></span></a></p>
<p style="text-align: justify;"><span style="font-size: 12pt; color: rgb(45, 194, 107);"><strong>Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="text-decoration: underline;"><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="font-size: 12pt; color: rgb(186, 55, 42); text-decoration: underline;"><strong>અહીં કલિક કરો:</strong></span></a></span></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 25 Nov 2023 12:14:04 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>151</Articleid>
                    <excerpt>તમિલનાડુમાં એક સરકારી શાળની મુસ્લિમ વિદ્યાર્થિનીને ગૌમાંસ ખાવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં હોબાળો થયો હતો.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_6561973c3a1e4.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_6561973be985e.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_6561973be985e.jpg" length="94850" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>દેશની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવીનું 96 વર્ષની વયે નિધન</title>
                    <link>https://khabarantar.com/The-first-woman-judge-of-the-Supreme-Court-of-the-country,-Fatima-B.,-passed-away-at-the-age-of-96</link>
                    <guid>https://khabarantar.com/The-first-woman-judge-of-the-Supreme-Court-of-the-country,-Fatima-B.,-passed-away-at-the-age-of-96</guid>
                    <description>
                        <![CDATA[ દેશની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને બહુજન સમાજમાંથી આવતા પ્રથમ મહિલા જજ તરીકેનું બહુમાન મેળવનાર જસ્ટિસ એમ. ફાતિમા બીવીનું ગઈકાલે 23મી નવેમ્બરે નિધન થયું. તેમણે 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p><strong><span style="font-size: 14pt;">દેશની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને બહુજન સમાજમાંથી આવતા પ્રથમ મહિલા જજ તરીકેનું બહુમાન મેળવનાર જસ્ટિસ એમ. ફાતિમા બીવીનું ગઈકાલે 23મી નવેમ્બરે નિધન થયું. તેમણે 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ દેશભરની મહિલાઓ માટે એક આઇકોન હતા. તેમનું નામ ન્યાયતંત્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત છે. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે જસ્ટિસ બીવીની આ દુનિયામાંથી વિદાય અત્યંત દુઃખદાયક છે. જસ્ટિસ બીવીએ સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ અને તમિલનાડુના રાજ્યપાલ તરીકે પોતાની વિશેષ છાપ છોડી છે. તે એક બહાદુર મહિલા હતાં અને તેના નામે ઘણાં રેકોર્ડ હતા. તેઓ એક એવી વ્યક્તિ હતા જેણે તેના જીવન દ્વારા બતાવ્યું કે કોઈપણ પ્રતિકૂળતાને ઇચ્છાશક્તિ અને મજબૂત મનોબળથી નિયંત્રણમાં કરી શકાય છે.</span></strong></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાજકારણમાં પણ છાપ છોડી હતી</span></strong></span></p>
<p><span style="font-size: 14pt;">ફાતિમા બીવી તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપ્યા પછી તેમણે તમિલનાડુના રાજ્યપાલ તરીકે સેવા આપીને રાજકીય ક્ષેત્રે પણ પોતાની છાપ છોડી હતી.</span></p>
<p><br><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">કેરળના રહેવાસી</span></strong></span></p>
<p><span style="font-size: 14pt;">કેરળના પંડાલમનાં રહેવાસી બીવી ફાતિમાએ પથાનમથિટ્ટાની કેથોલિક હાઈસ્કૂલમાં સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો હતો. બાદમાં તેમણે તિરુવનંતપુરમ કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી. તેમણે સરકારી લો કોલેજમાંથી કાયદાની સ્નાતકની ડિગ્રી મેળવી અને 14 નવેમ્બર, 1950ના રોજ વકીલ તરીકે નોંધણી થઈ.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">પોતાના નામે અનેક પદવીઓ</span></strong></span></p>
<p><span style="font-size: 14pt;">તેઓ કોઈપણ ઉચ્ચ ન્યાયતંત્રમાં નિયુક્ત થનાર પ્રથમ મુસ્લિમ મહિલા ન્યાયાધીશ પણ હતા. આ ઉપરાંત એશિયામાં કોઈ દેશની સર્વોચ્ચ અદાલતની પ્રથમ મહિલા ન્યાયાધીશનું બિરુદ પણ તેમના નામે છે. ફાતિમા બીવી 1989માં સુપ્રીમ કોર્ટના મહિલા જજ બનનાર પ્રથમ ભારતીય મહિલા હતાં.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સભ્ય પણ રહી ચૂક્યાં છે</span></strong></span></p>
<p><span style="font-size: 14pt;">તમિલનાડુના ગવર્નર તરીકે નિયુક્ત થતા પહેલા, ફાતિમા બીવીને 3 ઓક્ટોબર, 1993ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (ભારત)ના સભ્ય બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમણે રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તમિલનાડુ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે પણ સેવા આપી હતી.</span></p>
<p><span style="color: rgb(224, 62, 45);"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:</span></strong></span><a href="https://khabarantar.com/Fatima-Shaikh:-The-first-Muslim-teacher-who-lit-the-torch-of-girl-education-170-years-ago-with-the-Krantisurya-Phule-couple"><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">ફાતિમા શેખ: પ્રથમ મુસ્લિમ શિક્ષિકા જેમણે ક્રાંતિસૂર્ય ફૂલે દંપતી સાથે મળીને 170 વર્ષ પહેલાં કન્યા કેળવણીની મશાલ પ્રગટાવી હતી</span></strong></span></a></p>
<p><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="font-size: 12pt;">Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.</span></strong></span></p>
<p><a href="https://whatsapp.com/channel/0029VaC61ImDuMRYDr1mqI1W"><span style="color: rgb(186, 55, 42);"><strong><span style="text-decoration: underline; font-size: 12pt;">અહીં કલિક કરો:</span></strong></span></a></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 24 Nov 2023 11:23:23 +0530</pubDate>
                                        <updatedDate>Fri, 24 Nov 2023 11:51:39 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>148</Articleid>
                    <excerpt>દેશની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને બહુજન સમાજમાંથી આવતા પ્રથમ મહિલા જજ તરીકેનું બહુમાન મેળવનાર જસ્ટિસ એમ. ફાતિમા બીવીનું ગઈકાલે 23મી નવેમ્બરે નિધન થયું. તેમણે 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.</excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_65603ee95f153.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_65603ee91d28f.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_65603ee91d28f.jpg" length="70860" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>Gazaમાં 75 વર્ષમાં સૌથી મોટી ખુવારી, UN પણ જોઈ નથી શકતું દુર્દશા, નેતન્યાહુએ પોતાની ભૂલ સ્વીકારી</title>
                    <link>https://khabarantar.com/Gazas-Biggest-Loss-in-75-Years,-Even-the-UN-Cant-See-the-Plight,-Netanyahu-Admits-His-Mistake</link>
                    <guid>https://khabarantar.com/Gazas-Biggest-Loss-in-75-Years,-Even-the-UN-Cant-See-the-Plight,-Netanyahu-Admits-His-Mistake</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>israel hamas war: </strong>છેલ્લા દોઢ મહિનાથી ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના ઝડપી હુમલાઓ સતત થઈ રહ્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 12 હજાર લોકો માર્યા ગયા છે અને લાખો લોકોએ સ્થળાંતર પણ કરવું પડ્યું છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના રેફ્યુજી એજન્સીના ચીફ ફિલિપ લાઝારિનીએ જણાવ્યું હતું કે પેલેસ્ટાઈનમાં અમે 1948 પછીના સૌથી મોટા સ્થળાંતરના સાક્ષી છીએ. ખાસ કરીને ઉત્તરીય ગાઝામાંથી મોટી સંખ્યામાં લોકો ભાગી ગયા છે અને લગભગ 11 લાખ લોકોએ ઘર છોડવું પડ્યું છે. આમાંના મોટાભાગના લોકો દક્ષિણ ગાઝાના છે, કેટલાક લોકોએ પશ્ચિમ કાંઠે જઈને આશરો લીધો છે. હજારો લોકો ઇજિપ્ત પણ ગયા છે. </span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">લાઝારીનીએ કહ્યું કે ભૂખ, તરસથી પીડાતા અને દવાઓ માટે ફાંફાં મારતા બીમાર લોકોએ પણ ભાગવું પડ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીનું કહેવું છે કે અત્યાર સુધીમાં તેમણે 8 લાખથી વધુ લોકો માટે આવાસ વગેરેની વ્યવસ્થા કરી છે. લોકો પાસે પૂરતા ખોરાક, પાણી અને અન્ય જરૂરી વસ્તુઓ નથી. લોકોને શૌચ માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એજન્સીનું કહેવું છે કે આશ્રયસ્થાનોમાં રહેતા 30 ટકા લોકોને ત્વચાની સમસ્યા છે. ખરાબ પરિસ્થિતિમાં રહેવાને કારણે આવા રોગો થાય છે.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">દરમિયાન ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પણ સ્વીકાર્યું છે કે સેનાના હુમલામાં નાગરિકોને પણ જાનહાનિ થઈ છે. તેમણે કહ્યું કે હમાસ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનમાં નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડવાના અમારા પ્રયાસો એટલા સફળ નથી રહ્યા જેટલી અમે આશા રાખી હતી. નેતન્યાહુએ સીબીએસ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે હુમલા પહેલા અમે સામાન્ય નાગરિકોને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરી હતી. પરંતુ હમાસે આવું ન થવા દીધું અને લોકોને ખતરનાક સ્થળોએ રોક્યા.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;">બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે એક પણ નાગરિકનું મોત દુઃખદ છે. આપણે આવું કંઈ કરવાનું ટાળવું જોઈએ. અમારો પ્રયાસ એ પણ સુનિશ્ચિત કરવાનો છે કે નાગરિકો યુદ્ધમાંથી બચી જાય. પરંતુ હમાસ તેમને યુદ્ધના માર્ગે લાવી રહ્યું છે. નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા હાલમાં જ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલ યુદ્ધ બંધ કરે જેથી ગાઝાને મદદ મળી શકે અને નાગરિકોની મદદ માટે એક કોરિડોર બનાવી શકાય.</span></p>
<p style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>આગળ વાંચોઃ </strong></span><a href="https://khabarantar.com/I-am-Wael-Al-Dahdouh-from-Al-Jazeera...-Journalist-busy-reporting-in-Gaza,-on-the-other-hand-whole-family-dies-in-Israeli-attack"><span style="text-decoration: underline; color: rgb(53, 152, 219);"><strong>‘Al Jazeera તરફથી હું વાએલ અલ-દાહદૌહ...’ Gazaમાં પત્રકાર રિપોર્ટિંગમાં વ્યસ્ત રહ્યાં, બીજી તરફ આખો પરિવાર ઈઝરાયલના હુમલામાં મોતને ભેટ્યો!</strong></span></a></span></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sun, 19 Nov 2023 11:03:37 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>131</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_65599df351858.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_65599df31eb9c.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_65599df31eb9c.jpg" length="112415" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>Madhya Pradeshમાં મુસ્લિમ ઉમેદવારો પ્રત્યે દરેક પક્ષે અંતર કેમ રાખ્યું?</title>
                    <link>https://khabarantar.com/Why-did-every-party-keep-distance-from-Muslim-candidates-in-Madhya-Pradesh</link>
                    <guid>https://khabarantar.com/Why-did-every-party-keep-distance-from-Muslim-candidates-in-Madhya-Pradesh</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" align="justify"><strong><span style="font-size: 14pt;">MP Assembly Elections: મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચુંટણી દરમ્યાન વિવિધ રાજકીય પક્ષોએ ઓછામાં ઓછા તમામ વર્ગ અને જાતિના પ્રતિનિધિઓને ઉમેદવાર તરીકે ઉભા કરીને મતદારો સમક્ષ સોશિયલ એન્જિનિયરિંગનું ઉદાહરણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ રાજ્યમાં લગભગ 9 ટકા વસ્તી ધરાવતો મુસ્લિમ સમુદાય આ વખતે છેતરાયાનો અહેસાસ કરી રહ્યો છે.</span></strong></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">મુસ્લિમ સમુદાયની સૌથી વધુ નારાજગી કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી જેવા રાજકીય પક્ષો સાથે છે, જેઓ પોતાને મુસ્લિમોના નેતા તરીકે સાબિત કરવામાં કોઈ કસર છોડતા નથી. આ તમામ પક્ષો મુસ્લિમોમાં ભાજપનો ડર બતાવીને સમુદાયના સીધા મતો લઈ રહ્યા છે, પરંતુ જ્યારે મુસ્લિમ સમુદાયને રાજકીય પ્રતિનિધિત્વ આપવાની વાત આવે છે ત્યારે આ તમામ પક્ષો હાથ ઊંચા કરી દે છે.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં 7 ટકા મુસ્લિમ વસ્તી હતી, જે હવે વધીને 9 ટકા થઈ ગઈ છે, એટલે કે રાજ્યની 7.5 કરોડની વસ્તીમાં મુસ્લિમ સમુદાયની સંખ્યા 80 લાખ <span style="font-family: Shruti;">જેટલી </span>છે. રાજ્યની લગભગ 21 વિધાનસભા બેઠકો પર મુસ્લિમ સમુદાયનો સીધો પ્રભાવ છે અને તેમના મત કોઈપણ ઉમેદવારની જીત કે હારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને મા<span style="font-family: Shruti;">ળ</span>વા અને મધ્ય ભારતમાં મુસ્લિમ સમુદાય સારી સંખ્યામાં છે અને તેમના મત કોઈપણ ઉમેદવારનું ભાવિ નક્કી કરે છે. આમ છતાં રાજકીય પક્ષો મુસ્લિમ સમુદાયના નેતાઓને ટિકિટ આપવાનું ટાળે છે કારણ કે રાજ્યમાં મુસ્લિમ સમુદાયનું નેતૃત્વ કરવા માટે લોકોની અછત છે અને જેઓ નેતૃત્વ કરી શકે છે તેઓ હવે ઉંમરના એવા તબક્કામાં છે જ્યાં એમના માટે રાજકારણના દરવાજા બંધ છે.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">આ વખતે ભાજપે ગુજરાત અને ઉત્તર પ્રદેશના મોડલ પર રાજ્યમાં ટિકિટોની વહેંચણી કરી છે અને ખુદ મુસ્લિમ સમુદાય પણ <span style="font-family: Shruti;">સ્વીકારે </span>છે કે હિન્દુત્વની લહેર પર સવાર પાર્ટી કોઈપણ મુસ્લિમને ટિકિટ <span style="font-family: Shruti;">નહીં </span>આપ<span style="font-family: Shruti;">ે</span>. પરંતુ કોંગ્રેસ તરફ <span style="font-family: Shruti;">આશાભરી </span>નજર રાખતો મુસ્લિમ સમાજ અહીં પણ નિરાશ થયો છે. કમલનાથ પોતે સોફ્ટ હિંદુત્વ પર આધાર રાખીને ભાજપના હાર્ડકોર હિંદુત્વનો સામનો કરવા માગે છે.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">230 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે માત્ર 2 મુસ્લિમ ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે અને બંને ચહેરા ભોપાલમાં કોંગ્રેસના મજબૂત નેતાઓ છે. ભોપાલ સેન્ટ્રલ વિધાનસભા મતવિસ્તારમાં, મુસ્લિમોની વસ્તી લગભગ 50 ટકા છે. ધારાસભ્ય આરિફ મસૂદ ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે. આરિફ અકીલ ભોપાલ ઉત્તર વિધાનસભા ક્ષેત્રમાંથી 1990થી કોંગ્રેસનો મુસ્લિમ ચહેરો છે.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;"><span style="color: rgb(224, 62, 45);"><strong>રામમંદિર આંદોલન પછી પ્રતિનિધિત્વ ઘટ્યું</strong></span><b></b></span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">1992માં રામમંદિર આંદોલન પછી મધ્યપ્રદેશમાં પણ હિન્દુત્વની લહેર સવાર થઈ હતી, જેના પરિણામે કોંગ્રેસે પણ મુસ્લિમ સમુદાયના નેતાઓને ટિકિટ આપવાનું ટાળવાનું શરૂ કર્યું હતું. હા, દેખાડા માટે તેમને 2-5 બેઠકો આપવામાં આવતી, પરંતુ આ વખતે તેમના ખાતામાં માત્ર 2 બેઠકો આવી છે જ્યાં તેઓ કઠિન સ્પર્ધામાં અટવાયા છે. મુસ્લિમ મતોનો એકાધિકાર રાખતી કોંગ્રેસે સોફ્ટ હિંદુત્વને કારણે પોતાનો સૂર બદલ્યો છે જેથી તે ભાજપના હાર્ડ હિંદુત્વનો સામનો કરી શકે.</span></p>
<p class="MsoNormal" align="justify"><span style="font-size: 14pt;">કોંગ્રેસે પણ સંગઠન અને જાહેર મંચોમાંથી મુસ્લિમ નેતાઓની હકાલપટ્ટી કરી છે. જે મુસ્લિમ નેતાઓને ટિકિટ મળી છે તેમને રાજકીય મેદાનમાં તેમની મહેનતના કારણે ટિકિટ આપવામાં આવી છે, અન્યથા તે વિસ્તારોમાં અન્ય દાવેદારો પણ હતા.</span></p>
<p class="MsoNormal" align="justify"><strong><span style="font-size: 14pt;">આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા આ વખતે ચૂંટણી પ્રચારમાંથી મુસ્લિમ સમાજના મુદ્દાઓ પણ ગાયબ છે અને સમગ્ર ચૂંટણી જાતિ આધારિત અને સત્તા વિરોધી કેન્દ્રીત બની છે. મુસ્લિમ સમુદાય પણ દરેક વસ્તુ પર નજર રાખી રહ્યો છે અને તેમના મત કોને મળશે તે જોવું રસપ્રદ રહેશે.</span></strong></p>
<p class="MsoNormal" align="justify"><span style="text-decoration: underline;"><span style="color: rgb(224, 62, 45); text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">આ પણ વાંચો:</span></strong></span></span><a href="https://khabarantar.com/Indias-Muslim-female-literacy-rate-of-50-percent-today-is-based-on-the-sweat-of-Fatima-Shaikh."><span style="text-decoration: underline;"><strong><span style="font-size: 14pt;">ભારતમાં મુસ્લિમ સ્ત્રી સાક્ષરતાનો દર આજે 50 ટકા છે તેના પાયામાં ફાતિમા શેખનો પરસેવો પડેલો છે</span></strong></span></a></p>
<p class="MsoNormal" align="justify"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Fri, 10 Nov 2023 15:17:49 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>112</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_654dfc1d84c42.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_654dfc1d44994.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_654dfc1d44994.jpg" length="85656" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>ભારતમાં મુસ્લિમ સ્ત્રી સાક્ષરતાનો દર આજે 50 ટકા છે તેના પાયામાં ફાતિમા શેખનો પરસેવો પડેલો છે</title>
                    <link>https://khabarantar.com/Indias-Muslim-female-literacy-rate-of-50-percent-today-is-based-on-the-sweat-of-Fatima-Shaikh.</link>
                    <guid>https://khabarantar.com/Indias-Muslim-female-literacy-rate-of-50-percent-today-is-based-on-the-sweat-of-Fatima-Shaikh.</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="color: rgb(224, 62, 45); font-size: 14pt;"><strong><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">- ચંદુ મહેરિયા</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></strong></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">કેટલીક ઘટનાઓ અને વ્યક્તિઓ ઐતિહાસિક મહત્વનાં હોવા છતાં તે ઈતિહાસમાં નોંધાયેલા હોતાં નથી. દલિત</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> આદિવાસી</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> પછાત અને હાંસિયાના લોકો અને તેમનો ઈતિહાસ પૂર્વગ્રહો કે આધાર-પુરાવાના અભાવે ઈતિહાસના પૃષ્ઠોમાં ઓઝલ જોવા મળે છે. ઓગણીસમી સદીના મહારાષ્ટ્રના મહાન સમાજસુધારક મહાત્મા ફુલે-સાવિત્રી ફુલેના સહયોગી</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સમર્થક</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સાથી અને કેટલીક બાબતોમાં સમોવડિયા ફાતિમા શેખ ઈતિહાસનું આવું જ એક ગુમનામ પાત્ર છે. સાવિત્રી ફુલે (૧૮૩૧ - ૧૮૯૭) આધુનિક ભારતના આધ્ય મહિલા શિક્ષિકા છે તો તેમના સમકાલીન અને સમવયસ્ક ફાતિમા શેખ (૧૮૩૧</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">૩૨ થી ૧૯૦૦) આધ્ય મુસ્લિમ મહિલા શિક્ષિકા છે. સબાલ્ટન હિસ્ટ્રીના પ્રતાપે કેટલાક ઈતિહાસવિદો અને સંશોધકોએ ફાતિમા શેખના જીવનકાર્યને ઉજાગર કર્યું છે. </span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">મહાત્મા ફુલેએ ઈ.સ. ૧૮૪૮માં પૂનામાં દલિત કન્યાઓ માટે શાળા શરૂ કરી અને દલિત જાગ્રતિના પ્રયાસો આરંભ્યા તેથી કથિત ઉચ્ચ વર્ણના લોકોએ તેમનો વિરોધ કર્યો. પરંતુ ફુલે ડગ્યા નહીં ત્યારે તેમના પિતા પર પુત્રને આ કામ બંધ કરવા સમજાવવા નહીં તો તેને ઘરમાંથી કાઢી મુકવા દબાણ કર્યું. પિતા રૂઢિવાદીઓ આગળ ઝૂકી ગયા એટલે ફુલે દંપતીએ પિતાનું ઘર છોડી દેવું પડ્યું. એ સમયે તેમને આશરો આપનારાઓમાં એક મુસ્લિમ કુંટુબ પણ હતું. જોતિબાના પિતા ગોવિંદ રાવના મિત્ર અને ઉર્દૂ-ફારસીના શિક્ષક મુન્શી ગફાર બેગની સહાયથી તેઓ પૂનાના ગંજપેટ વિસ્તારમાં ઉસ્માન શેખના ઘરે રહ્યા હતા. ફાતિમા શેખ ઉસ્માન શેખના નાના બહેન હતાં. </span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">શૂદ્રાતિશૂદ્ર બાળકોને ભણાવવા કોઈ શિક્ષકો તૈયાર નહોતા એટલે જોતીરાવે પોતાના પત્ની સાવિત્રીબાઈને ભણાવ્યા અને પછી તેમણે કન્યા શાળાની બાળાઓને ભણાવવા માંડી. જોકે સાવિત્રીબાઈને તે બદલ ધમકીઓ</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> ગાળો જ નહીં શારીરિક હુમલા પણ સહેવા પડ્યા હતા. ઘર છોડ્યા પછી પણ ફુલે દંપતીએ શિક્ષણનું કામ જારી રાખ્યું. તેમની શાળામાં ફાતિમા શેખ પણ ભણ્યા અને બાદમાં શિક્ષિકા તરીકે જોડાયા. ઉસ્માન શેખે ફુલેને પોતાનું ઘર શાળા માટે દાનમાં આપી દીધું. સાવિત્રીબાઈની જેમ ફાતિમા શેખને પણ મહાત્મા ફુલેએ શિક્ષિકાની વિધિવત તાલીમ લેવડાવી હતી. ફાતિમા શેખે અહમદનગરની શાળામાંથી શિક્ષિકાની પરીક્ષા પાસ કરી હતી. </span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">લગભગ પોણા બસો વરસ પહેલાં ફાતિમા શેખ પણ ઘરેઘરે જઈને માબાપોને બાળકોના શિક્ષણનું મહત્વ સમજાવતા અને તેમને સ્કૂલે મોકલવા વિનંતી કરતાં. આ કામ આસાન નહોતું. તેમને હિંદુ ઉપરાંત મુસ્લિમ રૂઢિચુસ્તોના વિરોધનો સામનો કરવો પડતો હતો. શિક્ષણ મેળવવાથી છોકરીઓ બગડી જશે એમ માનતા સમાજમાં જોતીરાવ-સાવિત્રી-ફાતિમાએ શિક્ષણની એવી તો અલખ જગવી કે બહુ થોડા વરસોમાં પૂનામાં પાંચ અને તેની બહાર દસ શાળાઓ સ્થપાઈ. જોતીબા ફુલે વિધવા વિવાહ</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">કુટુંબના બળાત્કારનો ભોગ બનેલી બાળ વિધવાઓના બાળકોને જન્મતાં જ<span style="mso-spacerun: yes;">  </span>મારી નાંખવામાંથી ઉગારવા બાળહત્યા પ્રતિબંધક ગૃહ</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સ્ત્રીઓને સમાજમાં સમાન સ્થાન અને ખેડૂતોના શોષણ જેવા મુદ્દે જે સમાજ સુધારણાના કામો કરતા તેમાં<span style="mso-spacerun: yes;">  </span>ફાતિમા શેખ પણ જોડાયેલા હતા</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">.</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> સાવિત્રીબાઈની દીર્ઘ બીમારી દરમિયાન તેમના કામનો બધો બોજ ફાતિમાના શિરે હતો. આ સમયગાળામાં તેઓ મહાત્મા ફુલે સ્થાપિત એક ક્ન્યા શાળાના આચાર્યા પણ હતા. </span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">ફાતિમા શેખના દેહ વિલયને આજે તો આશરે સવાસો વરસ થવા આવ્યા છે પરંતુ તેમણે આરંભેલા શિક્ષણની</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> ખાસ તો મુસ્લિમ કન્યાઓના શિક્ષણની</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><span style="mso-spacerun: yes;">  </span>શું હાલત છે તે વિચારણીય છે. વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ઈ.સ. ૧૯૦૧માં મુસ્લિમોમાં શિક્ષણનું પ્રમાણ ૯.૮૩ ટકા હતું.. મુસ્લિમ મહિલાઓમાં તો તે માત્ર ૦.૬૯ ટકા જ હતું.. ૨૦૧૧ની છેલ્લી વસતી ગણતરી પ્રમાણે મુસ્લિમ મહિલાઓનો સાક્ષરતા દર ૫૧.૯ ટકા છે. એટલે<span style="mso-spacerun: yes;">  </span>એક સો દસ વરસ પહેલાં શૂન્યથી શરૂ થયેલો મુસ્લિમ સ્ત્રી સાક્ષરતાનો દર આજે પચાસ ટકાએ પહોંચ્યો છે તેના પાયામાં ફાતિમા શેખનો પરસેવો પડેલો છે.</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">મુસ્લિમો આપણા દેશનો બીજો મોટો ધાર્મિક સમૂહ છે. વિશ્વના દર દસે એક મુસ્લિમ ભારતીય છે. દુનિયાની કુલ વસ્તીમાં ૧૮૦ કરોડ કે ૨૩ ટકા વસ્તી મુસલમાનોની છે. ૧૯૫૧માં ભારતમાં ૩.૪ કરોડ મુસલમાનો હતા. આજે આશરે ૧૫ ટકા કે ૧૯.૩ કરોડ છે. ઉત્તરપ્રદેશમાં ૩.૦૭ કરોડ(૧૯.૩ <span style="mso-spacerun: yes;"> </span>ટકા) પશ્ચિમ બંગાળમાં ૨.૦૨ કરોડ(૨૫ ટકા) અને બિહારમાં ૧.૩૭ કરોડ( ૧૬.૯ ટકા) મુસ્લિમ વસ્તી છે. એ હિસાબે દેશની કુલ મુસ્લિમ વસ્તીનો અડધોઅડધ હિસ્સો આ ત્રણ રાજ્યોમાં છે. ગુજરાતમાં ૯.૭ ટકા કે ૫૮.૫૭ લાખ મુસલમાનો<span style="mso-spacerun: yes;">  </span>છે. </span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">૨૦૦૬ના જસ્ટિસ રાજિન્દર સચ્ચર સમિતિના અહેવાલ પ્રમાણે<span style="mso-spacerun: yes;">  </span>ભારતમાં મુસ્લિમોની આર્થિક-શૈક્ષણિક સ્થિતિ અનુસૂચિત જાતિ </span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">જનજાતિ કરતાં પણ બદતર<span style="mso-spacerun: yes;">  </span>છે. ૨૦ થી ૩૦ વરસના હાલના દલિત યુવાનો તેમની આગળની પેઢી (૫૧ વરસથી વધુ) કરતાં ત્રણ ગણા ગ્રેજ્યુએટ છે પરંતુ મુસ્લિમ યુવાનોમાં આ પ્રમાણ બે ગણું છે. ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશની રાષ્ટ્રીય સરેરાશ ૨૩. ૬ ટકા છે. દલિતોની ટકાવારી ૧૮.૫ અને અન્ય પછાતોની ૨૨.૧ ટકા છે. પરંતુ મુસ્લિમોની ટકાવારી તેનાથી ઘણી ઓછી એટલે કે ૧૩.૮ ટકા જ છે.દેશની મહત્વની કોલેજોમાં દર ૫૦ વિધાર્થીએ એક જ મુસ્લિમ યુવાન ગ્રેજ્યુએશન ડિગ્રીના અંતિમ વરસમાં શિક્ષણ મેળવે છે. છેલ્લા ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન પ્રમાણે ૨૦૧૯-૨૦માં હાયર એજ્યુકેશન મેળવતા મુસ્લિમોની સંખ્યા ૨૧.૦૧ લાખ હતી. ૨૦૨૦-૨૧માં તે ૧૯.૨૨ લાખ થઈ ગઈ છે.એટલે કે ૧.૭૯ લાખ મુસ્લિમ વિધ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ છોડી દીધું છે. આ ઘટાડો દેશના ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયો હોઈ તે દેશવ્યાપી હોવાનું કહી શકાય. શાળા છોડી જતાં વિધ્યાર્થીઓની રાષ્ટ્રીય સરેરાશ ૧૩.૨ ટકા છે પરંતુ મુસ્લિમ બાળકોમાં તે ૧૭.૬ ટકા છે.<span style="mso-spacerun: yes;">  </span></span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">૨૦૧૧માં હિંદુ પુરુષોનો સાક્ષરતા દર ૭૦.૭૮ ટકા હતો તો મુસ્લિમ પુરુષોનો ૬૨.૪૧ ટકા હતો. દેશમાં ૫૫.૯૮ ટકા હિંદુ અને ૫૧.૯ ટકા મુસ્લિમ મહિલાઓ શિક્ષિત હતી. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના ૨૦૧૭-૧૮ના સર્વેમાં મુસ્લિમ મહિલાઓના શિક્ષણની ચિંતાજનક સ્થિતિ જોવા મળે છે. ૩ થી ૩૫ વરસની ૨૧.૯ ટકા મુસ્લિમ મહિલાઓ કદી શાળાનું પગથિયુ ચઢી<span style="mso-spacerun: yes;">  </span>નથી. ૧૮ ટકા જ બારમું કે તેથી વધુ ભણી છે. ૩૦ ટકા મુસ્લિમ મહિલાઓ સાવ જ નિરક્ષર છે. </span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">નબળી સામાજિક-આર્થિક સ્થિતિ મુસ્લિમોમાં ઉચ્ચ શિક્ષણ અને એકંદર શિક્ષણ ઓછું હોવા માટે જવાબદાર પરિબળ છે. મુસ્લિમોની ગરીબી અને બેરોજગારી તેમના બાળકોના શિક્ષણપ્રાપ્તિના માર્ગમાં મોટો અવરોધ છે. વળી શિક્ષણમાં જે અસમાનતા છે તે પણ મુસ્લિમોને ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત રાખે છે. મુખ્યત્વે સરકારી શિક્ષણ સંસ્થાઓમાં મુસ્લિમ વિધાર્થીઓ શિક્ષણ મેળવે છે. તેની બદતર હાલત</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પૂરતી માળખાકીય સગવડોનો અભાવ<span style="mso-spacerun: yes;">  </span>તથા મુસ્લિમબહુલ વિસ્તારોની શાળા-કોલેજોમાં શિક્ષકો-અધ્યાપકોની ખાલી જગ્યાઓનું મોટું પ્રમાણ મુસ્લિમ વિધાર્થીઓને ઉત્તમ નહીં તો સારા શિક્ષણથી દૂર રાખે છે.</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">મુસ્લિમોમાં ગરીબી</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> છોકરા કરતાં છોકરીઓનું નીચું સ્થાન</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><span style="mso-spacerun: yes;">  </span>ધાર્મિક ખ્યાલો જેવા કારણોથી કન્યા શિક્ષણ ઓછું છે. શિક્ષણ સ્ત્રીમાં આત્મસન્માન જગાડે છે</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">, </span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">આત્મનિર્ભર બનાવે છે. મહિલાના સર્વાંગી વિકાસનો માર્ગ ખોલે છે. એક સફળ માતા</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';">,</span><span lang="GU" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"> જવાબદાર નાગરિક અને બહેતર ઈન્સાન બનાવવા માટેની પ્રાથમિક શરત મહિલાનું શિક્ષિત હોવું છે. પોણા બસો વરસ પહેલા ફાતિમા શેખે મુસ્લિમ મહિલા શિક્ષણનો માર્ગ કંડાર્યો હતો. આજના મુસ્લિમ સમાજે તેને અજવાળીને તેમના કાર્યને સાર્થક કરવાનું છે.</span><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span lang="EN-US" style="line-height: 115%; font-family: Shruti, 'sans-serif';"><a href="mailto:maheriyachandu@gmail.com">maheriyachandu@gmail.com</a><o:p></o:p></span></span></p>
<p><span style="font-size: 14pt; color: rgb(224, 62, 45);">(<strong>લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનકાર્યના અભ્યાસુ છે.</strong>)</span></p>
<p><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(224, 62, 45);">આગળ વાંચોઃ </span><a href="https://khabarantar.com/Why-is-Emperor-Ashoka-untouchable-for-the-so-called-upper-castes-of-India"><span style="text-decoration: underline;">શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?</span></a></strong></span></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Thu, 09 Nov 2023 08:10:44 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>108</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_654c466aece3c.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_654c466ab2d23.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_654c466ab2d23.jpg" length="54123" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?</title>
                    <link>https://khabarantar.com/What-can-Bahujan-Samaj-learn-from-Mohammed-Shami</link>
                    <guid>https://khabarantar.com/What-can-Bahujan-Samaj-learn-from-Mohammed-Shami</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="font-family: Shruti;">ક્રિકેટ વિશ્વ કપ તેની ચરમસીમા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ટીમ ઈન્ડિયાની બોલિંગની ચર્ચા આજકાલ દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ કરી રહ્યાં છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">કદાચ </span>World Cup<span style="font-family: Shruti;">ના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે ક્રિકેટરસિયાઓ દરેક મેચ પહેલા ભારતની બેટિંગ લાઈનઅપ નહીં પરંતુ બોલિંગ આક્રમણની ચર્ચા કરી રહ્યાં છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">જાણકારોને ખ્યાલ છે કે એક સાથે આવા ઝડપી બોલરો ભારતીય ટીમ પાસે ક્યારેય નહોતા</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">ચાહકો કોઈ મેચમાં બોલરના એકાદ સારા સ્પેલ કે સારી ઓવરના વખાણ કરતા</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">પણ મોહમ્મદ શામી</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ત્રિપુટીએ જેવું ફોર્મ બતાવ્યું છે એવું ભારતીય ક્રિકેટના ઈતિહાસના કોઈ કાળમાં જોવા નથી મળ્યું</span><span style="font-family: Calibri;">.</span></strong></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ભારતીયો માટે અનેક ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી રહ્યું છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">મહેન્દ્રસિંહ ધોનીએ અહીં જ સિક્સર મારીને ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો હતો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">આ જ વાનખેડે સ્ટેડિયમમાં ગયા અઠવાડિયે મોહમ્મદ શમીએ જે કાલિત બોલિંગ કરી તેની ચર્ચા હજુ પણ અટકી નથી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">સ્વિંગ</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">પરફેક્ટ સીમ પોઝિશન અને સીમ મુવમેન્ટ થકી ટીમ ઈન્ડિયાના </span><span style="font-family: Calibri;">‘</span><span style="font-family: Shruti;">લાલા</span><span style="font-family: Calibri;">’</span><span style="font-family: Shruti;">એ શ્રીલંકાના પાંચ ખેલાડીઓને તંબુ ભેગા કરી દીધા હતા</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">વિકેટની સાથે જ શમીએ અનેક રેકોર્ડ પણ પોતાના નામે ક</span><span style="font-family: Shruti;">ર્યા</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">પણ મેદાનથી વધુ શમીની ચર્ચા મેદાનની બહાર થઈ રહી છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">સોશિયલ મીડિયા</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">ન્યૂઝ ચેનલો</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">સમાચાર પત્રો બધાં માટે </span>Mohammed Shami <span style="font-family: Shruti;">ના સંઘર્ષની કહાની </span>Hot Topic <span style="font-family: Shruti;">છે</span> <span style="font-family: Shruti;">ત્યારે</span> <span style="font-family: Shruti;">શમીની જિંદગીમાં આવેલા ઉતારચઢાવથી લઈને વર્તમાન સફળતા સુધીની ચર્ચા કરીએ</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">કેમ કે તેમાંથી બહુજન યુવાનોએ ઘણું બધું શીખવા જેવું છે</span><span style="font-family: Calibri;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(255, 3, 30);"><b><span style="font-family: Shruti;">ઘુંટણીની ઈજા અને પિતાના અવસાનનો બેવડો ફટકો</span></b></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">વર્ષ </span><span style="font-family: Calibri;">2016</span><span style="font-family: Shruti;">માં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">પાંચ ટેસ્ટ</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">ત્રણ વન ડે અને </span><span style="font-family: Calibri;">3 </span><span style="font-family: Shruti;">ટી</span><span style="font-family: Calibri;">20 </span><span style="font-family: Shruti;">રમાવાની હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">શમી ટેસ્ટ ટીમમાં સામેલ હતો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">પણ ટેસ્ટ સિરીઝની વચ્ચે જ તેને ઘૂંટણની ઈજાને કારણે બહાર થઈ જવું પડ્યું અને તે સિરીઝની ચોથી અને પાંચમી મેચ ન રમી શક્યો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">શમી માટે આ એક કપરા સમયની શરૂઆત હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એ પછીના વર્ષે </span><span style="font-family: Calibri;">5 </span><span style="font-family: Shruti;">જાન્યુઆરી </span><span style="font-family: Calibri;">2017</span><span style="font-family: Shruti;">ના રોજ તેના પિતા તૌસિફ અલીને હૃદયરોગનો હુમલો આવ્યો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">શમીએ તેના વિશે ટ્વિટ કરીને જણાવ્યું હતું</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એ પછી તેણે પિતાની તબિયત સુધરી રહી હોવાનું જણાવતી વધુ એક ટ્વિટ </span><span style="font-family: Calibri;">11 </span><span style="font-family: Shruti;">જાન્યુઆરીએ કરી હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">બધું સારું થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું હતું</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">શમી પોતે પણ ઘૂંટણની ઈજામાંથી બહાર આવી રહ્યો હતો અને ટીમ સાથે ટ્રેનિંગમાં પણ જોડાઈ ગયો હતો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એ પછી ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટી</span><span style="font-family: Calibri;">20 </span><span style="font-family: Shruti;">મેચોમાં પણ તેનું નામ સામેલ હતું</span><span style="font-family: Calibri;">. 26 </span><span style="font-family: Shruti;">જાન્યુઆરી </span><span style="font-family: Calibri;">2017</span><span style="font-family: Shruti;">ના રોજ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં તેમાંની પહેલી </span><span style="font-family: Calibri;">20-20 </span><span style="font-family: Shruti;">મેચ રમાવાની હતી</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">પણ ત્યાં જ તેના પિતાનું અવસાન થયું હોવાના સમાચાર આવ્યા</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એકબાજુ ટીમ કાનપુર મેચની તૈયારીઓ કરી રહી હતી અને બીજી તરફ દુઃખી મોહમ્મદ શમી વતન અમરોહા જવા નીકળી પડ્યો હતો</span><span style="font-family: Calibri;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">આવી ઘટનાઓ કોઈપણ ખેલાડી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકતી હોય છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">આ મામલે વિરાટ કોહલીના સંઘર્ષનું ઉદાહરણ આપવામાં આવે છે</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">જેણે તેના પિતાના અવસાન પછી પરત આવીને તરત પોતાની ટીમ માટે મેચ વિનીંગ રમત બતાવી હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">પણ શમી માટે આ સમય ઘણો અલગ હતો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તેની કરિયર પણ ખતમ થઈ શકતી હતી એટલું જ નહીં</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">શમીએ પોતે પણ વિચારી લીધું હતું કે તે ક્રિકેટને અલવિદા કહી દેશે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">દરેક કહાની કંઈ વડોદરા</span><span style="font-family: Calibri;">-</span><span style="font-family: Shruti;">અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ દોડતી કાર જેવી સરળ નથી હોતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એ તો ગામડાના કાચા</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">ઉબડખાબડ રસ્તાઓ પર ચાલતી ઘોડાગાડીની જેમ ઉછળતી</span><span style="font-family: Calibri;">-</span><span style="font-family: Shruti;">પટકાતી ચાલતી હોય છે અને તેમાં એક ક્લાઈમેક્સ આવતો હોય છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">શમી સાથે પણ આવું જ થયું</span><span style="font-family: Calibri;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(255, 3, 30);"><b><span style="font-family: Calibri;">“</span></b><b><span style="font-family: Shruti;">હું</span></b><b> <span style="font-family: Shruti;">ક્રિકેટ છોડવા માંગું છું</span><span style="font-family: Calibri;">...</span></b><b><span style="font-family: Calibri;">”</span></b><b></b></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">ભારતીય ટીમના પૂર્વ બોલિંગ કોચ ભરત અરૂણે શમી અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રી વચ્ચે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">આ વાતચીતે શમીની જિંદગી બદલી નાખી હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">શાસ્ત્રી સાથે વાત કરતી વખતે એકવાર શમીએ કહ્યું હતું કે તે</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">ક્રિકેટ છોડવા માંગે છે</span><span style="font-family: Calibri;">. 2018 </span><span style="font-family: Shruti;">દરમિયાન શમીની ફિટનેસને લઈને પણ સતત સવાલો થઈ રહ્યાં હતા</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ઘૂંટણની ઈજામાંથી શમી બહાર તો આવી ગયો હતો પણ અગાઉ જેવી ફિટનેસ પાછી નહોતી આવી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એ દરમિયાન શમી અનેકવાર ઈજાને કારણે ટીમમાંથી બહાર પણ રહેતો હતો</span><span style="font-family: Calibri;">.</span></span><span style="font-size: 14pt;"><span style="font-family: Calibri;"></span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">ભરત અરૂણ કહે છે</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Calibri;">“</span><span style="font-family: Calibri;">2018</span><span style="font-family: Shruti;">માં ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા એક ફિટનેસ ટેસ્ટ થઈ હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">શમી તેમાં ફેઈલ થઈ ગયો હતો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">ટીમમાં તેની જગ્યા બચી નહોતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તેણે મને ફોન કરીને કહ્યું કે તે મારી સાથે વાત કરવા માંગે છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">મેં તેને મારા રૂમમાં બોલાવ્યો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તે પર્સનલ લાઈફમાં પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તેની ફિટનેસ પર સવાલો થઈ રહ્યાં હતા</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તે માનસિક રીતે બીજે ક્યાંક હતો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તેણે મને કહ્યું કે તેને ભારે ગુસ્સો આવે છે અને તે ક્રિકેટ છોડવા માંગે છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">હું તરત તેને લઈને રવિ શાસ્ત્રીને મળવા ગયો</span><span style="font-family: Calibri;">.</span><span style="font-family: Calibri;">”</span></span><span style="font-size: 14pt;"></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">ભરત અરૂણ આગળ કહે છે</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Calibri;">“</span><span style="font-family: Shruti;">મેં</span> <span style="font-family: Shruti;">રવિ શાસ્ત્રીને કહ્યું કે શમી કંઈક કહેવા માંગે છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">શમીએ કહ્યું કે તે ક્રિકેટ રમવા નથી માંગતો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">અમે બંનેએ તેને પૂછ્યું કે</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">તો પછી શું કરીશ</span>? <span style="font-family: Shruti;">અને તને બીજું શું આવડે છે</span>? <span style="font-family: Shruti;">એ પછી રવિ શાસ્ત્રીએ શમીને કહ્યું</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">તારો જે પણ ગુસ્સો છે તે તારા શરીર પર ઉતાર</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">અમે તને </span>NCA(National Cricket Academy)<span style="font-family: Shruti;">મોકલીએ</span> <span style="font-family: Shruti;">છીએ</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">અમે ઈચ્છીએ છીએ કે તું ચાર અઠવાડિયા ત્યાં જ રહે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તું ઘરે નહિં જાય</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">સીધો </span>NCA <span style="font-family: Shruti;">જઈશ</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">શમી માટે આ બરાબર જ હતું</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">કોલકાતા જવામાં ઘણી સમસ્યાઓ હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એ પછી તેણે પાંચ અઠવાડિયા </span>NCA<span style="font-family: Shruti;">માં</span> <span style="font-family: Shruti;">ગાળ્યાં</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">આ પાંચ અઠવાડિયામાં તે પુરેપુરો રિચાર્જ થઈ ચૂક્યો હતો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">આ એક વરદાન જેવું હતું</span><span style="font-family: Calibri;">.</span> <span style="font-family: Calibri;">”</span></span><span style="font-size: 14pt;"><span style="font-family: Calibri;"></span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">ભરત અરૂણ કહે છે</span><span style="font-family: Calibri;">,</span><span style="font-family: Calibri;">”</span><span style="font-family: Shruti;">મને</span> <span style="font-family: Shruti;">હજુ પણ યાદ છે</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">તેણે ફોન કરીને કહ્યું હતું</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">સર હું ઘોડાની જેમ દોડવા લાગ્યો છું</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તમે મને જેટલો દોડાવવા ઈચ્છતા હો તેટલો દોડાવો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એ પાંચ અઠવાડિયામાં શમી સમજી ગયો હતો કે ફિટનેસ પર કામ કરીને તે શું શું કરી શકે છે</span><span style="font-family: Calibri;">.</span><span style="font-family: Calibri;">”</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(255, 3, 30);"><b><span style="font-family: Shruti;">પત્ની સાથે વિવાદ</span></b><b></b></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">શમીનો સંઘર્ષ જો કે ફક્ત તેની ફિટનેસ અને ફિલ્ડ પર્ફોર્મન્સ સાથે જ નહોતો જોડાયેલો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તે પોતાના પરિવાર સાથે પણ અલગથી લડાઈ લડી રહ્યો હતો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તેની પત્નીએ વર્ષ </span><span style="font-family: Calibri;">2018</span><span style="font-family: Shruti;">માં તેની સામે ઘરેલું હિંસા અને મેચ ફિક્સિંગ સહિત અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એ પછી બંને જુદા રહેવા લાગ્યા હતા</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">મામલો કોર્ટમાં ગયો હતો અને કોલકાતા પોલીસે શમીની પૂછપરછ પણ કરી હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">ત્યાં સુધીમાં અલીપુર કોર્ટે તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરી દીધું હતું</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">જો કે</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">એ પછી વોરંટ પર સ્ટે આવી ગયો હતો</span><span style="font-family: Calibri;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">શમીની પત્ની હસીન જહાઁ આ મામલે સુપ્રીમ કોર્ટ પણ પહોંચી હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">કોર્ટમાં દાખલ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે મોહમ્મદ શમીએ તેની પાસે દહેજની માંગ કરી હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એટલું જ નહીં</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">તેણે શમી પર લગ્નેતર સંબંધો રાખવાના અને તે હજુ પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">શમીએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">પિતાનું અવસાન</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">ક્રિકેટમાંથી બહાર થઈ જવું</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">પત્ની સાથેના ઝઘડા અને કોર્ટકચેરીના ચક્કર જેવા ચોતરફી હુમલાઓ વચ્ચે પણ શમીએ ક્રિકેટમાં કમબેકનું પોતાનું સપનું છોડ્યું નહીં</span><span style="font-family: Calibri;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt; color: rgb(255, 3, 30);"><b><span style="font-family: Shruti;">અને પછી ક્રિકેટમાં ધમાકેદાર વાપસી</span><span style="font-family: Calibri;">...</span></b><b></b></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">કહેવાય છે કે શમી જુદી માટીમાંથી બન્યો છે અને તે સતત તેની સાબિતી પણ આપતો રહે છે</span><span style="font-family: Calibri;">. 2019</span><span style="font-family: Shruti;">ના વિશ્વ કપમાં તેણે જબરદસ્ત બોલિંગ કરીને ઘણી વિકેટો લીધી હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">જો કે બાંગ્લાદેશ સામે ફક્ત એક વિકેટ લીધા પછી તેને ટીમમાંથી બહાર કરી દેવાયો હતો</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એ પછી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝિલેન્ડે હરાવ્યું હતું</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">હવે </span><span style="font-family: Calibri;">4 </span><span style="font-family: Shruti;">વર્ષ પછી વર્લ્ડ કપ ભારતના આંગણે રમાઈ રહ્યો છે અને તેમાં પણ શમીની ભારે કસોટી થઈ હતી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">તેને પહેલી </span><span style="font-family: Calibri;">4 </span><span style="font-family: Shruti;">મેચોમાં બહાર બેસી રહેવું પડ્યું હતું</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એ પછી અચાનક ટીમ મેનેજમેન્ટને શાર્દુલ ઠાકુરની નબળી બોલિંગનો અહેસાસ થયો અને શમીને અચાનક તક મળી</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">એ પછી દુનિયા આખીએ તેની ઘાતક બોલિંગનું સાવ જુદું જ સ્વરૂપ જોયું છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">શમીએ તક મળ્યાં પછીની માત્ર </span><span style="font-family: Calibri;">3 </span><span style="font-family: Shruti;">જ મેચમાં </span><span style="font-family: Calibri;">14 </span><span style="font-family: Shruti;">વિકેટ લઈને વિરોધીઓને ભોંયભેગા કરી દીધા હતા</span><span style="font-family: Calibri;">. </span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">શમીના આવા ધમાકેદાર કમબેકની અપેક્ષા ટીમ મેનેજમેન્ટે પણ નહીં રાખી હોય</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">પણ શમી સલમાન ખાનની સુલતાન ફિલ્મની જેમ</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">પોતાની જ સામે લડી રહ્યો હતો</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">પોતાની પર લાગેલા આરોપો સામે</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">નબળી ફિટનેસની સામે</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">ટીકાકારો દ્વારા કરાતી ટીકાઓ સામે</span><span style="font-family: Calibri;">, </span><span style="font-family: Shruti;">કોર્ટમાં લાગેલા આરોપો સામે</span><span style="font-family: Calibri;">.</span> <span style="font-family: Shruti;">અને</span> <span style="font-family: Shruti;">એ તમામની સામે લડીને તેણે પોતાની જાતને સાબિત કરી બતાવી</span><span style="font-family: Calibri;">.</span><span style="font-family: Calibri;"></span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Shruti;">શમીની આ કહાની અહીં મૂકવાનો હેતુ છાશવારે ભાંગી પડતા બહુજન યુવાનોને પ્રેરણા આપવા રજૂ કરીએ છીએ</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">છેલ્લાં કેટલાક વર્ષોમાં સમાજના અનેક પ્રતિભાશાળી યુવાનો આર્થિક કે અન્ય કારણોસર જીવન ટુંકાવતા જોવા મળ્યાં છે</span><span style="font-family: Calibri;">. </span><span style="font-family: Shruti;">આશા છે મોહમ્મદ શમીની આ કહાનીમાંથી તેઓ કંઈક શીખીને તેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશે</span><span style="font-family: Calibri;">.</span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Calibri;"></span></span></p>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><span style="font-family: Calibri;"><strong><span style="color: rgb(255, 3, 30);">આગળ વાંચોઃ</span></strong> </span><a href="https://khabarantar.com/Sheetal-Devi:-After-reading-the-struggle-of-this-daughter-of-farm-laborer-parents,-you-will-not-complain-about-small-problems-in-life"><span style="text-decoration: underline; color: rgb(43, 26, 235);"><strong>Sheetal Devi: ખેતમજૂર માતાપિતાની આ દીકરીનો સંઘર્ષ વાંચ્યાં બાદ તમે જીવનમાં નાનીમોટી સમસ્યાઓની ફરિયાદ નહીં કરો!</strong></span></a></span></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" align="justify" style="text-align: justify;"></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 04 Nov 2023 21:25:14 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 04 Nov 2023 22:01:39 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>92</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202311/image_140x98_6546692837df6.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202311/image_870x580_65466927f1fd5.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202311/image_870x580_65466927f1fd5.jpg" length="65240" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>‘Al Jazeera તરફથી હું વાએલ અલ&amp;દાહદૌહ...’ Gazaમાં પત્રકાર રિપોર્ટિંગમાં વ્યસ્ત રહ્યાં, બીજી તરફ આખો પરિવાર ઈઝરાયલના હુમલામાં મોતને ભેટ્યો!</title>
                    <link>https://khabarantar.com/I-am-Wael-Al-Dahdouh-from-Al-Jazeera...-Journalist-busy-reporting-in-Gaza,-on-the-other-hand-whole-family-dies-in-Israeli-attack</link>
                    <guid>https://khabarantar.com/I-am-Wael-Al-Dahdouh-from-Al-Jazeera...-Journalist-busy-reporting-in-Gaza,-on-the-other-hand-whole-family-dies-in-Israeli-attack</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પત્રકારત્વ શા માટે જોખમી વ્યવસાય માનવામાં આવે છે તેનું વધુ એક ઉદાહરણ હાલમાં જ ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ દરમિયાન સામે આવ્યું. જ્યાં પોતાના રિપોર્ટિંગ માટે વિખ્યાત ન્યૂઝ ચેનલ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">al Jazeera</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના ગાઝાના બ્યૂરો ચીફ વાએલ અલ દાહદૌહ યુદ્ધમાં કેટલાં લોકો માર્યા ગયા છે તેનો રિપોર્ટ આપી રહ્યા હતા ત્યારે જ તેમનો પરિવાર ઈઝરાયલ દ્વારા ફેંકવામાં આવેલા રોકેટનો શિકાર બનીને મોતને ભેટી રહ્યો હતો. અત્યંત હૃદયદ્રાવક આ ઘટનામાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Gaza</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">al Jazeera Arabic</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના બ્યુરો ચીફ વાએલ અલ દાહદૌહની પત્ની</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પુત્ર</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પુત્રી અને પૌત્ર ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. </span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span lang="GU" style="font-size: 14pt; font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ </strong></span></span><a href="https://khabarantar.com/For-the-first-time-in-the-history-of-Gujarat,-a-Sidi-girl-became-a-doctor-and-made-history"><span style="font-size: 14pt; color: rgb(43, 26, 235);"><strong>ગુજરાતના</strong></span></a><span style="text-decoration: underline;"><a href="https://khabarantar.com/For-the-first-time-in-the-history-of-Gujarat,-a-Sidi-girl-became-a-doctor-and-made-history"><span style="font-size: 14pt; color: rgb(43, 26, 235);"><strong> ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો</strong></span></a></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">વાએલ દાહદોહ પોતે ઘટના સમયે યરમૌકથી આવી જ ઘટના અંગે રિપોર્ટિંગ કરી રહ્યા હતા. ઇઝરાયેલના હુમલા સમયે યરમૌક પર ભારે બોમ્બમારો કરવામાં આવી રહ્યો હતો. પરંતુ દાહદોહને ખુદને ખબર ન હતી કે તેમનો પોતાનો પરિવાર નુસીરત રેફ્યુજી કેમ્પમાં માર્યો ગયો છે. અલ જઝીરા આ ઘટના માટે ઊંડો ખેદ અને નિંદા કરે છે અને પત્રકારત્વના ઉચ્ચ આદર્શો પ્રત્યે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. અહીં એ યાદ રાખવું રહ્યું કે ગાઝામાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે લોકો આજે પણ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">al Jazeera</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> પર સૌથી વધુ વિશ્વાસ રાખે છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Al Jazeera</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"> દ્વારા જારી કરવામાં આવેલા ફૂટેજમાં દાહદૌહ તેમની મૃત પત્ની, પુત્ર અને પુત્રીને શબગૃહમાં જોવા માટે અલ અક્સા હોસ્પિટલમાં જતા દેખાય છે. તે તેમના </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">15 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">વર્ષના પુત્ર મહમૂદના ચહેરાને સ્પર્શ કરવા માટે નીચે નમે છે, જે તેના પિતાની જેમ પત્રકાર બનવા માંગતો હતો. ફૂટેજમાં દાહદૌહ તેમની સાત વર્ષની પુત્રી શામના</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જેનો મૃતદેહ કફનથી ઢંકાયેલો છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેના લોહીના ડાઘવાળા ચહેરાને જોતા તે તેની સાથે વાત કરી કરે છે ત્યારે જોનારની આંખો પણ ભીની થઈ જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ભારે વાયરલ થયો હતો.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ </strong></span></span></span><span style="font-size: 14pt;"><a href="https://khabarantar.com/Before-the-inauguration-of-Ram-Mandir,-the-Muslim-community-appealed-to-PM-Modi,-said--You-should-lay-the-foundation-stone-of-the-mosque"><span style="text-decoration: underline;"><span style="color: rgb(43, 26, 235);"><strong>રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા મુસ્લિમ સમાજે PM મોદીને કરી અપીલ, કહ્યું-  આપ જ મસ્જિદનો શિલાન્યાસ કરો!</strong></span></span></a></span></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">હોસ્પિટલથી બહાર નીકળતી વખતે દાહદૌહે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">al Jazeera</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ને કહ્યું – “જે થયું તે સ્પષ્ટ છે. બાળકો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મહિલાઓ અને વૃદ્ધોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે આ દુ:ખદ સમાચાર આવ્યા ત્યારે હું આવા જ એક હુમલા વિશે યરમૌકથી રિપોર્ટિંગ કરી રહ્યો હતો. અમને પહેલેથી જ શંકા હતી કે ઇઝરાયેલ આ લોકોને સજા કર્યા વિના જવા દેશે નહીં. અને દુર્ભાગ્યે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેવું જ થયું.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">”<o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">al Jazeera </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મીડિયા નેટવર્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, "</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઈઝરાયેલી સૈન્યના અંધાધૂંધ હુમલાના પરિણામે દાહદોહની પત્ની</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પુત્ર અને પુત્રીનું દુઃખદ મૃત્યુ થયું છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જ્યારે તેનો બાકીનો પરિવાર કાટમાળ નીચે દટાઈ ગયો છે. નુસિરતમાં તેમનું ઘર બરબાદ થઈ ગયું છે. અલ જઝીરા ગાઝામાં તેના સાથીદારોની સલામતી વિશે ખૂબ ચિંતિત છે અને તેમની સલામતી માટે ઇઝરાયેલી અધિકારીઓને જવાબદાર ગણે છે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને હસ્તક્ષેપ કરવા અને નાગરિકો પરના આ હુમલાઓને રોકવા વિનંતી કરીએ છીએ. જેથી નિર્દોષ લોકોના જીવનનું રક્ષણ થાય."</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ <a href="https://khabarantar.com/80-of-anti-Muslim-hate-speech-delivered-in-BJP-ruled-states-in-2023:-report"><span style="text-decoration: underline;"><span style="color: rgb(43, 26, 235);">2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યાઃ અહેવાલ</span></span></a><br></strong></span></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ગાઝાથી અલ જઝીરાના રિપોર્ટર યુમના એલ્સાયદે કહ્યું: “વાએલના પરિવાર વિશે રિપોર્ટિંગ કરવું અને તેઓ કેટલા ભાંગી ચૂક્યા છે તે જોવું હૃદયદ્રાવક છે. આટલા દુ:ખ વચ્ચે પણ તે પરિવારના દરેકને શાંત રાખે છે. તે અમારી સાથે બ્યુરો ચીફની જેમ નહીં પણ મોટા ભાઈની જેમ વાત કરે છે. તેમણે ગાઝા શહેર છોડ્યું ન હતું. તમામ ધમકીઓ અને ચેતવણીઓ છતાં</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તે રોકાયો અને સતત </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">19 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">દિવસ સુધી રિપોર્ટિંગ કરી રહ્યા હતા."</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Al Jazeera</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં કામ કરતા દહદૌહના સાથીઓએ તેમનો સંપૂર્ણ ટેકો અને સહકાર વ્યક્ત કર્યો છે. </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Al Jazeera</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના અરેબિક એન્કર ટેમર અલ મિશાલે કહ્યું કે દાહદૌહના પરિવારના સભ્યોની હત્યા પેલેસ્ટિનિયન પત્રકારોને નિશાન બનાવવાનો એક ભાગ છે. દહદૌહ ગાઝા પટ્ટીના લોકોનો અવાજ છે તેથી તેમના પરિવારને નિશાન બનાવવામાં આવ્યો હતો. તેઓ પત્રકારત્વની દુનિયા અને ગાઝામાં એક આધારસ્તંભ છે. તેમણે ગાઝા પર ઇઝરાયેલના હુમલાઓ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">યુદ્ધો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પત્રકારોને નિશાન બનાવવાની ઘટનાઓ અને વર્ષોથી મહિલાઓ અને બાળકોની હત્યાને કવર કર્યા છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આ પણ વાંચોઃ </strong></span></span></span><a href="https://khabarantar.com/Who-is-Professor-Vikram-Harijan,-against-whom-VHP,-Bajrang-Dal-filed-FIR"><span style="font-size: 14pt; color: rgb(43, 26, 235);"><strong>કોણ છે પ્રોફેસર વિક્રમ હરિજન, જેમની સામે VHP, બજરંગ દળે FIR કરી છે?</strong></span></a></p>
<div class="post-meta"></div>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><b><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: red;">યુદ્ધમાં 24 પત્રકારો માર્યા ગયા</span></b><b><span style="font-family: Arial, 'sans-serif'; color: red;"><o:p></o:p></span></b></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">Committee to Protect Journalist (CPJ)</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના જણાવ્યા પ્રમાણે મરનાર 24 પત્રકારોમાં 20 પેલેસ્ટાઈનના, 3 ઈઝરાયલના અને 1 લેબનોનના હતા. આ સિવાય ઓછામાં ઓછા 8 પત્રકારો ઘાયલ થયા છે, જ્યારે 3 ગુમ છે. સીપીજેનું કહેવું છે કે, પત્રકારો સંકટ સમયે મહત્વપૂર્ણ કામ કરનારા નાગરિકો છે અને તેમને યુદ્ધમાં નિશાન ન બનાવવા જોઈએ. દુનિયાભરમાં લાખો લોકો યુદ્ધગ્રસ્ત વિસ્તારો વિશે સટીક જાણકારી માટે તે વિસ્તારના પત્રકારો પર વિશ્વાસ કરતા હોય છે. ત્યારે અન્ય નાગરિકોની જેમ પત્રકારોનું પણ સમ્માન અને સુરક્ષા કરવી જોઈએ.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 14pt; font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p> </o:p><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="color: rgb(255, 3, 30);"><strong>આગળ વાંચોઃ </strong></span></span></span><a href="https://khabarantar.com/Rejoice-Countrys-first-girls-school-started-by-mother-Savitribai-Phule-in-1848-will-turn-into-a-national-heritage"><span style="text-decoration: underline;"><span style="font-size: 14pt; color: rgb(43, 26, 235);"><strong>આનંદો! માતા સાવિત્રીબાઈ ફૂલેએ 1848માં શરૂ કરેલી દેશની પ્રથમ કન્યાશાળા રાષ્ટ્રીય ધરોહરમાં ફેરવાશે </strong></span></span></a></p>
<div class="post-meta"></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Mon, 30 Oct 2023 18:03:51 +0530</pubDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>69</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_653fa27240d6b.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_653fa2720e429.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_653fa2720e429.jpg" length="70669" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા મુસ્લિમ સમાજે PM મોદીને કરી અપીલ, કહ્યું&amp;  આપ જ મસ્જિદનો શિલાન્યાસ કરો!</title>
                    <link>https://khabarantar.com/Before-the-inauguration-of-Ram-Mandir,-the-Muslim-community-appealed-to-PM-Modi,-said--You-should-lay-the-foundation-stone-of-the-mosque</link>
                    <guid>https://khabarantar.com/Before-the-inauguration-of-Ram-Mandir,-the-Muslim-community-appealed-to-PM-Modi,-said--You-should-lay-the-foundation-stone-of-the-mosque</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong>અયોધ્યામાં રામ મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે 22 જાન્યુઆરીના રોજ ધાર્મિક વિધિઓ સાથે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ તેને ભક્તો માટે ખોલવામાં આવશે. બીજી તરફ ધાનીપુરમાં હજુ સુધી મસ્જિદનું નિર્માણ કાર્ય શરૂ થયું નથી જેના કારણે મુસ્લિમ સમાજ નારાજ જોવા મળી રહ્યો છે. બાબરી મસ્જિદના મુખ્ય સમર્થક ઈકબાલ અંસારીએ સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે, જ્યારે ઘણા મુસ્લિમ બૌદ્ધિકો ઈચ્છે છે કે આ મસ્જિદનો શિલાન્યાસ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે.</strong></span></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong></strong></span></div>
<div dir="auto" style="text-align: justify;"></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;">સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુસ્લિમ સમુદાયને અયોધ્યામાં મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, જ્યારે રામ મંદિરના નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી, ત્યારે મસ્જિદના નિર્માણ માટે ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી. આજે મંદિરનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ મસ્જિદના નિર્માણનો કોઈ પત્તો નથી. જેનાથી મુસ્લિમ સમુદાય ખૂબ જ નિરાશ છે.</span></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(255, 3, 30);">આ પણ વાંચોઃ</span></strong> <a href="https://khabarantar.com/Bodelli-Court-Senior-Judge-Ashutosh-Raj-Pathak-shamed-the-judiciary,-the-woman-petitioners-serious-allegations."><strong><span style="color: rgb(43, 26, 235);">“હું તમને બોલાવું ત્યારે એકલા આવવાનું…” બોડેલી કોર્ટના સિનિયર જજ આશુતોષ રાજ પાઠકે ન્યાયતંત્ર લજવ્યું, મહિલા અરજદારના ગંભીર આરોપો</span></strong></a></span></div>
<div dir="auto" style="text-align: justify;"></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="color: rgb(255, 3, 30); font-size: 14pt;"><strong></strong></span></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="color: rgb(255, 3, 30); font-size: 14pt;"><strong>ઈકબાલ અન્સારીએ પીએમ મોદી પાસે આ માંગણી કરી હતી</strong></span></div>
<div dir="auto" style="text-align: justify;"></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;">બાબરી મસ્જિદના મુખ્ય સમર્થક ઈકબાલ અંસારીએ મસ્જિદના નિર્માણમાં વિલંબ માટે મસ્જિદ ટ્રસ્ટને જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, સરકારે જમીન આપી છે, મસ્જિદ માટે પાંચ એકર જમીન મળી છે, આખી દુનિયાને આ વાતની જાણ થઈ ગઈ છે, પરંતુ ટ્રસ્ટીઓએ તેને પોતાની મિલકત માની લીધી છે અને આજદિન સુધી કોઈ કામ શરૂ કરવામાં આવ્યું નથી.</span></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></div>
<div dir="auto" style="text-align: justify;"></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;">ઈકબાલ અંસારીએ કહ્યું કે દેશ અને દુનિયાના લોકો પૂછે છે કે મસ્જિદના નિર્માણમાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ અંતિમ ચરણમાં છે અને પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન પણ આવી રહ્યા છે, પરંતુ મસ્જિદ માટે કોઈ એક ઈંટ પણ નાખવા તૈયાર નથી. તેમણે કહ્યું કે, ટ્રસ્ટીઓ પ્રમાણિક હોત તો કામ શરૂ થાત. આથી અમારી માંગ છે કે સરકાર ટ્રસ્ટ પર નજર રાખે અને તેનું કામ જલ્દી શરૂ થાય. હવે લોકોને ટ્રસ્ટના લોકો પર શંકા થવા લાગી છે, તેથી સરકારે ટ્રસ્ટીઓને બદલવા જોઈએ.</span></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(255, 3, 30);">આ પણ વાંચોઃ </span><a href="https://khabarantar.com/The-rate-of-conviction-of-the-accused-in-atrocity-cases-in-Gujarat-is-only-3.065-percent"><span style="color: rgb(43, 26, 235); text-decoration: underline;">ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા!</span></a></strong></span>
<div class="post-meta"></div>
</div>
<div dir="auto" style="text-align: justify;"></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(255, 3, 30);">PM મોદી પાસે મસ્જિદનો શિલાન્યાસ કરવાની માંગ</span></strong></span></div>
<div dir="auto" style="text-align: justify;"></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;">મુદ્દઈ બાબરી મસ્જિદના મુફ્તી અબ્દુલ્લા બાદશાહ ખાને ખુદ પીએમ મોદી પાસે મસ્જિદનો શિલાન્યાસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે તેઓ આખા દેશના વડાપ્રધાન છે અને ભારતમાં મુસ્લિમ લોકો પણ વસે છે, તેઓ દરેકના વડાપ્રધાન છે, તેથી જ્યારે તેઓ મંદિરનો શિલાન્યાસ કરવા આવે ત્યારે તેમણે બાબરી મસ્જિદ માટે સર્વોચ્ચ અદાલતે આપેલી જગ્યા પર પણ જવું જોઈએ અને મસ્જિદનો શિલાન્યાસ કરો અને એવી ભવ્ય મસ્જિદનું નિર્માણ કરાવો જે ઇતિહાસમાં કાયમ નોંધાઈ જાય. ઈન્ડિયન મુસ્લિમ લીગના પ્રમુખ મોહમ્મદ ઈસ્માઈલ અંસારીએ પણ આનું સમર્થન કર્યું અને કહ્યું કે મને ખુશી થશે કે પીએમ મોદી ખૂબ જ શુભ અવસર પર અમારા અયોધ્યા આવી રહ્યા છે. અમે તેમને વિનંતી કરીએ છીએ કે અમારી મસ્જિદનું અટકેલું નિર્માણ એઓ આગળ ધપાવે. અમારી દિલની ઈચ્છા પૂરી થશે.</span></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"><strong><span style="color: rgb(255, 3, 30);">આગળ વાંચોઃ </span><a href="https://khabarantar.com/Thangarh-massacre:-Why-Sanjay-Prasad-committee-report-not-made-public-The-High-Court-struck-down-the-state-government"><span style="color: rgb(43, 26, 235);">થાનગઢ હત્યાકાંડ: સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ કેમ જાહેર નથી કરાતો? હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી</span></a><span><a href="https://khabarantar.com/Thangarh-massacre:-Why-Sanjay-Prasad-committee-report-not-made-public-The-High-Court-struck-down-the-state-government"><span style="color: rgb(43, 26, 235);"></span></a></span></strong></span>
<div class="post-meta"></div>
</div>
<div dir="auto" style="text-align: justify;"><span style="font-size: 14pt;"></span></div> ]]>
                    </content:encoded>
                    <pubDate>Sat, 28 Oct 2023 21:12:16 +0530</pubDate>
                                        <updatedDate>Sat, 28 Oct 2023 21:13:46 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>63</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_653d2b08172e5.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_653d2b07c45bd.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_653d2b07c45bd.jpg" length="99965" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
                        <item>
                    <title>2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યાઃ અહેવાલ</title>
                    <link>https://khabarantar.com/80-of-anti-Muslim-hate-speech-delivered-in-BJP-ruled-states-in-2023:-report</link>
                    <guid>https://khabarantar.com/80-of-anti-Muslim-hate-speech-delivered-in-BJP-ruled-states-in-2023:-report</guid>
                    <description>
                        <![CDATA[  ]]>
                    </description>
                    <content:encoded>
                        <![CDATA[ <p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12pt;"><strong><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">વર્ષ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2023</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના પ્રથમ છ મહિનામાં દેશના વિવિધ ભાગોમાં આવી </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">250</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">થી વધુ બેઠકો યોજાઈ હતી જેમાં મુસ્લિમ વિરોધી નફરતના ભાષણો આપવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી મોટા ભાગના ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યા હતા અને તેમાંથી લગભગ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">70% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">એવા રાજ્યોમાં થયા હતા જ્યાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2023 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અથવા </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2024</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.</span></strong><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઓનલાઈન હેટ ટ્રેકિંગ પોર્ટલ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">હિન્દુત્વ વોચ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">' </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માટે રકીબ હમીદ નાઈક</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આરુષિ શ્રીવાસ્તવ અને અભ્યુદય ત્યાગી દ્વારા </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'2023 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અર્ધવાર્ષિક અહેવાલઃ ભારતમાં મુસ્લિમ વિરોધી નફરતની ઘટનાઓ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">' </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">શીર્ષક હેઠળના અહેવાલમાં જાણવા મળ્યું છે કે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2023</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના પ્રથમ છ મહિનામાં મુસ્લિમોને નિશાન બનાવતી હેટસ્પીચની કુલ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">255 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઘટનાઓમાંથી </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">205 (80%) </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઘટનાઓ ભાજપ શાસિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બની છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કર્ણાટક</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મધ્યપ્રદેશ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રાજસ્થાન અને ગુજરાતમાં સૌથી વધુ નફરતના ભાષણો જોવા મળ્યા હતા. આવી </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">29% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઘટનાઓ એકલા મહારાષ્ટ્રમાં બની છે. અહેવાલમાં મહારાષ્ટ્રને ઉદાહરણ તરીકે ટાંકવામાં આવ્યું છે કે કેવી રીતે ભાજપ નબળા ચૂંટણી સમર્થનવાળા વિસ્તારોમાં મુસ્લિમ વિરોધી નફરત ફેલાવવા માટે સરકારી શક્તિનો ઉપયોગ કરે છે.</span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રાજ્યમાં સત્તાધારી મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં મતભેદ સર્જવામાં ભાજપની ભૂમિકા પર ધ્યાન દોરતા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'2024</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં મુસ્લિમ વિરોધી ભાવનાઓને ભડકાવવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12pt;"><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><span style="mso-spacerun: yes;"> </span></span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">તેમાં કહેવામાં આવ્યું છે કે ટોચના આઠ રાજ્યોમાં જ્યાં સૌથી વધુ સંખ્યામાં નફરતભર્યા ભાષણો આપવામાં આવ્યા હતા</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">એમાંથી સાત રાજ્યોમાં ભાજપ અને તેના સહયોગીઓનું શાસન છે.</span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ભાજપ શાસિત રાજ્યો જેમ કે કર્ણાટક (જ્યાં વર્ષના મોટા ભાગના છ મહિનાના સમયગાળા માટે ભાજપનું શાસન હતું)</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">મધ્યપ્રદેશ અને ગુજરાતમાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2023</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના પ્રથમ છ મહિનામાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">20 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કે તેથી વધુ દ્વેષપૂર્ણ ભાષણોની બેઠકો જોવા મળી હતી. આ યાદીમાં એકમાત્ર અપવાદ રાજસ્થાન હતું</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જે કોંગ્રેસ શાસિત રાજ્ય છે જ્યાં વર્ષના અંતે ચૂંટણી થવાની છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઉત્તરાખંડની સ્થિતિને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ચિંતાજનક</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">' </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ગણાવતા અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2023</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ના પ્રથમ છ મહિનામાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">5% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">નફરતની ઘટનાઓ ઉત્તરાખંડમાં બની હતી</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આ રાજ્યમાં ભારતની કુલ વસ્તીના </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">1% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">કરતા પણ ઓછી વસ્તી છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અહેવાલ દર્શાવે છે કે આવી અપ્રિય ભાષણ સભાઓમાં એક તૃતીયાંશ (</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">33%) </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સ્પષ્ટપણે મુસ્લિમો સામે હિંસા અને </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">12% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">શસ્ત્રો ઉપાડવા માટે આહવાન કરે છે. લગભગ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">11% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં મુસ્લિમોનો બહિષ્કાર કરવાની હાકલ કરવામાં આવી હતી. અભ્યાસમાં જણાવાયું છે કે આવી </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">4% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સભાઓમાં મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવીને દ્વેષપૂર્ણ અને લિંગ ભેદભાવપૂર્ણ ભાષણો આપવામાં આવ્યા હતા.</span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે કાર્યક્રમોમાં આ નફરતના ભાષણો આપવામાં આવ્યા હતા તેના આયોજકો કોણ હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભાજપ શાસિત રાજ્યોમાં લગભગ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">52% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">બેઠકો </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">વિશ્વ હિન્દુ પરિષદ (</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">VHP), </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">બજરંગ દળ</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સકલ હિન્દુ સમાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">RSS) </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અને ભાજપ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા આયોજિત કરવામાં આવી હતી.</span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">15 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ દ્વેષપૂર્ણ ભાષણની ઘટનાઓમાંથી </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">42% RSS-</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">સંલગ્ન જૂથો દ્વારા આયોજિત કરવામાં આવી હતી. અભ્યાસ મુજબ આ નફરતભર્યા ભાષણનો મોટો ભાગ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ષડયંત્ર સિદ્ધાંતો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">' </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પર આધારિત હતો</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ભાજપ શાસિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બનેલી લગભગ બે તૃતીયાંશ (લગભગ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">64%) </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઘટનાઓમાં હિન્દુત્વ પ્રેરિત મુસ્લિમ વિરોધી ષડયંત્રના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. એકંદરે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">15 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ અપ્રિય ભાષણની ઘટનાઓમાંથી </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">51%</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં મુસ્લિમ વિરોધી ષડયંત્ર સિદ્ધાંતો ઉભરી આવ્યા હતા.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અહેવાલમાં દ્વેષપૂર્ણ ભાષણમાં ચૂંટણીની ભૂમિકા પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">33% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અપ્રિય ભાષણની ઘટનાઓ એવા રાજ્યોમાં બની છે જ્યાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2023</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ છે અથવા યોજાવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">'</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">વધુમાં</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">આમાંથી </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">36%</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">થી વધુ ઘટનાઓ એવા રાજ્યોમાં બની છે જ્યાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2024</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં વિધાનસભા ચૂંટણી યોજાવાની હતી. એકંદરે આમાંની લગભગ </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">70% </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">ઘટનાઓ એવા રાજ્યોમાં નોંધાઈ છે જ્યાં </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2023 </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">અથવા </span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">2024</span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="margin-bottom: .0001pt; text-align: justify; line-height: normal; background: white;"><span style="font-size: 12pt;"><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><br><br></span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">પરંતુ દ્વેષપૂર્ણ ભાષણ માટે માત્ર ચૂંટણી જ કારણ નથી. રિપોર્ટ અનુસાર તેનું મુખ્ય કારણ રામ નવમી જેવા હિન્દુ તહેવારો છે</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);">, </span><span lang="GU" style="font-family: Shruti, 'sans-serif'; color: rgb(34, 34, 34);">જે દરમિયાન નફરતની ઘટનાઓ તેમજ નફરતભર્યા ભાષણમાં વધારો જોવા મળ્યો છે.</span><span style="font-family: Arial, 'sans-serif'; color: rgb(34, 34, 34);"><o:p></o:p></span></span></p>
<p class="MsoNormal" style="text-align: justify;"><o:p> </o:p></p> ]]>
                    </content:encoded>
                    <pubDate>Tue, 17 Oct 2023 11:30:00 +0530</pubDate>
                                        <updatedDate>Tue, 17 Oct 2023 16:48:21 +0530</updatedDate>
                                        <category>
                        <![CDATA[લઘુમતી]]>
                    </category>

                    <Articleid>19</Articleid>
                    <excerpt></excerpt>
                    <thumbimage>https://khabarantar.com/uploads/images/202310/image_140x98_652d5c0448705.jpg</thumbimage>
                    <fullimage>https://khabarantar.com/uploads/images/202310/image_870x580_652d5c0416ff3.jpg</fullimage>
                    <contentType>News</contentType>
                    <tags>લઘુમતી</tags>
                    <authorname>KhabarAntar</authorname>

                                                <enclosure url="http://khabarantar.com/uploads/images/202310/image_870x580_652d5c0416ff3.jpg" length="49398" type="image/jpeg" />
                                            <dc:creator>KhabarAntar</dc:creator>
                    <media:keywords></media:keywords>
                </item>
            </channel>
</rss>